<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Kamalthobhani</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Kamalthobhani"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/Kamalthobhani"/>
	<updated>2026-04-19T09:54:55Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87935</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87935"/>
		<updated>2025-04-29T02:43:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
|author = પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ|પાદટીપ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો|સંદર્ભગ્રંથો અને સામયિકો]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87934</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87934"/>
		<updated>2025-04-29T02:41:37Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
|author = પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ|પાદટીપ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો|સંદર્ભગ્રંથો અને સામયિકો]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87933</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87933"/>
		<updated>2025-04-29T02:37:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
|author = પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ|પાદટીપ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો|સંદર્ભગ્રંથો અને સામયિકો]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Box&amp;diff=87932</id>
		<title>Template:Box</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Box&amp;diff=87932"/>
		<updated>2025-04-29T02:30:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Ekatra}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&amp;lt;u&amp;gt;[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&amp;lt;/u&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;પ્રમોદકુમાર પટેલ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;સરદાર પટેલ યુનિવર્સિટી&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;વલ્લભ વિદ્યાનગર&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ સંસ્કરણ : ઓગસ્ટ ૧૯૮૫&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
પ્રત સંખ્યા : ૫૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
મૂલ્ય : રૂા. ૪૦-૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
© સરદાર પટેલ યુનિવર્સિટી&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક અને પ્રકાશક :&lt;br /&gt;
રતિલાલ ચ. ઠક્કર&lt;br /&gt;
કુલસચિવ, સરદાર પટેલ યુનિવર્સિટી&lt;br /&gt;
યુનિવર્સિટી પ્રેસ&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર-૩૮૮ ૧૨૦ (ગુજરાત)&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{Heading|આમુખ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;ડૉ. પ્રમોદકુમાર પટેલ ગુજરાતી ભાષા-સાહિત્યના એક તેજસ્વી અધ્યાપક છે. અભ્યાસી વિવેચક તરીકે પણ તે જાણીતા છે. તેમનો અધ્યયનગ્રંથ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, તે જોઈ મને આનંદ થાય છે.&lt;br /&gt;
ગુજરાતીમાં વિવેચક-વિવેચનલક્ષી તત્ત્વચર્ચા કરતા લેખો બહુ ઓછા લખાયા છે. તદ્વિષયક કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિમાં તેમની પાસેથી વિવેચનતત્ત્વવિચારવિષયક એક પૂરો ગ્રંથ મળે, તે આવકાર્ય જ લેખાય.&lt;br /&gt;
તેમણે તેમના આ ગ્રંથમાં ગુજરાતીના સમગ્ર વિવેચનસાહિત્યમાં થયેલ વિવેચનલક્ષી તત્ત્વવિચારની વિગતવાર, તલસ્પર્શી, વિશદ સમીક્ષા કરી છે. તેમાં તેમણે વિવેચનના ઊગમકાળથી માંડી આજસુધીના વિવેચનસાહિત્યને આવરી લીધું છે. વિવેચ્ય વિષયનાં પરિચય, વર્ણન, વિવરણ, પૃથક્કરણ, તુલના, મૂલ્યાંકન – બધું તેમાં સાથોસાથ સુબદ્ધ રૂપમાં પ્રાપ્ત થાય છે. વિષય-વસ્તુની તર્કબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, ચર્ચા-વિચારણાના સમર્થનમાં અપાતાં ઉચિત અવતરણ-ઉદાહરણ, તટસ્થ-વસ્તુલક્ષી-પ્રામાણિક આલેખન, શિષ્ટ-સાહિત્યિક છતાં સરલ-વિશદ શૈલી વગેરેને લઈ વિવેચ્ય વિષયનું સમગ્ર અધ્યયન સાદ્યંત આકર્ષક બન્યું છે. લેખક તે માટે અભિનંદનને પાત્ર છે.&lt;br /&gt;
આવા ગંભીર વિચારપ્રેરક પુસ્તકનું આ પ્રકાશન યુ. જી. સી. દ્વારા – અધ્યાપકોએ કરેલ અભ્યાસોના પ્રકાશન અર્થે – મળતી આર્થિક સહાયથી શક્ય બન્યું છે; તે માટે હું યુ. જી. સી.નો અને પુસ્તકપ્રકાશનમાં પ્રાપ્ત અનેકવિધ ઉપયોગી સલાહ-સહાય માટે પ્રો. જશવંત શેખડીવાળાનો હાર્દિક આભાર માનું છું.&lt;br /&gt;
મને આશા છે કે આ પુસ્તક ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારના અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી થઈ પડશે.&lt;br /&gt;
&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર	પ્રો. કૃષ્ણાલાલ એન. શાહ&lt;br /&gt;
તા. ૧ ઑગસ્ટ, ૧૯૮૫	કુલપતિ, સરદાર પટેલ યુનિવસિટી&lt;br /&gt;
{{સ-મ||૦{{space}}૦{{space}}૦}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{Heading|વિવેચનનું વિચારોત્તેજક વિવેચન}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના ગુજરાતી વિવેચકોમાં ડૉ. પ્રમોદકુમાર પટેલનું નામ જાણીતું છે. તેમના સાત જેટલા નાનામોટા વિવેચનગ્રંથો – ‘વિભાવના’, ‘શબ્દલોક’, ‘રસસિદ્ધાન્ત : એક પરિચય’, ‘સંકેતવિસ્તાર’, ‘કથાવિવેચન પ્રતિ’, ‘પન્નાલાલ પટેલ’, ‘અનુભાવન’ – પ્રકાશિત થયા છે. વિવેચનની ઈયત્તા, ગુણવત્તા, વિવિધતામાં આ ગ્રંથો સમૃદ્ધ છે. તેમાં પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, તાત્ત્વિક અને વ્યાવહારિક, સ્વરૂપદર્શી અને સાહિત્યપ્રવાહદર્શી, કાવ્યવિષયક અને કથાવિષયક, કૃતિમૂલક અને કર્તાલક્ષી, સૂચિત અને અનૂદિત તમામ પ્રકારના ગંભીર, અભ્યાસયુક્ત, વિચારપ્રેરક વિવેચનનો સમાવેશ થયો છે. સામાન્ય વાચકો ઉપરાંત વિદગ્ધ વિવેચકોનું પણ તેમણે પોતાના પ્રતિ લક્ષ દોર્યું છે. અનેક સાહિત્યિક પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે.&lt;br /&gt;
‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ – આવા ગણનાપાત્ર વિવેચન-ગ્રંથોની પરંપરામાં – તેમનો આઠમો વિવેચનગ્રંથ છે. પૂર્વેના ગ્રંથોથી તે, એક જ વિવેચ્ય વિષયની ગંભીર પ્રબંધાત્મક સાદ્યંત તાત્ત્વિક મીમાંસાથી, જુદો તરી આવે છે. તેમાં ગુજરાતીના સમગ્ર વિવેચનસાહિત્યમાં થયેલ વિવેચનલક્ષી તાત્ત્વિક વિચારણાની સર્વાંગીણ સમીક્ષા કરવાનો લેખકનો ઉપક્રમ રહ્યો છે. નર્મદ-દલપતરામ-નવલરામથી માંડી, ગુજરાતી વિવેચનના ઊગમકાળથી માંડી, શિરીષ પંચાલ-મધુ કોઠારી-મફત ઓઝા વગેરેની તરુણ પેઢી સુધીના, આધુનિક કાળ સુધીના વિવેચકો દ્વારા તેમનાં વિવેચનોમાં અભિવ્યક્તિ પામેલ વિવેચનતત્ત્વવિચારનું તેમાં, પરિચય-વિવરણ-પૃથક્કરણ-તુલના-પરીક્ષણ-મૂલ્યાંકનયુક્ત, નિરૂપણ થયું છે. ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’ રજૂ કરવાનો, ‘પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ’ કરાવવાનો તેમજ ‘ચર્ચા-વિચારણાઓની વિકાસરેખા આંકવાનો’ તેમાં લેખકનો સફળ પ્રયાસ થયો છે.&lt;br /&gt;
વિષય-વસ્તુની સર્વાંગીણ સમીક્ષા માટે તેનું ગ્રંથમાં છ ઉપયુક્ત પ્રકરણમાં, અને પ્રત્યેક પ્રકરણનું અનેક વ્યવસ્થિત ખંડકોમાં, વિભાજન કરાયું છે. ‘પૂર્વભૂમિકા’ નામના પ્રથમ પ્રકરણમાં ‘વિવેચન’ સંજ્ઞા અને તેના ‘સંકેતવિસ્તાર’ની સાથે વિવેચનતત્ત્વવિચારના ક્ષેત્ર અને તદ્વિષયક અભ્યાસના લક્ષ્યનું નિરૂપણ થયું છે. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા પ્રકરણમાં અનુક્રમે ‘નર્મદયુગ’, ‘સાક્ષરયુગ’, ‘ગાંધી-મુનશીયુગ’ અને ‘સ્વાતંત્ર્યોત્તરયુગ’ના વિવેચકોએ કરેલ વિવેચનવિષયક તત્ત્વચર્ચાની સમીક્ષા થઈ છે. છઠ્ઠા – અંતિમ – પ્રકરણમાં સમગ્ર અધ્યયનનાં ‘તારણો અને સમાપન‘ રજૂ થયાં છે. અધ્યયનના આવા સમુચિત નિરૂપણને લઈ, તેમજ ઐતિહાસિક-વર્ણનાત્મક-તુલનાત્મક વિવેચનરીતિના કૌશલયુક્ત વિનિયોગે કરી, ગુજરાતી વિવેચનક્ષેત્રે આરંભકાળથી માંડી આજસુધી થયેલ તત્સંબંધી તત્ત્વચર્ચાનું નિરીક્ષણ-પરીક્ષણ સુપેરે થઈ શકયું છે, અને વિવેચ્ય વિષયની વિચારણા ક્રમબદ્ધ, સળંગસૂત્રી, વ્યવસ્થિત, વિશદ ઉપરાંત વ્યાપક અને તલસ્પર્શી બની છે.&lt;br /&gt;
આ વિચારણામાં લેખકની સાહિત્યસૂઝ, અભ્યાસપરાયણતા, બહુશ્રુતતાની સાથે વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા અને નિર્ભીકતાનું પણ દર્શન થાય છે. તેઓ જે તે વિવેચક દ્વારા તેના વિવેચનમાં થયેલ સંબંધક તત્ત્વચર્ચાને, તેની આવશ્યક પશ્ચાદ્‌ભૂ સાથે, સંક્ષેપમાં વર્ણવે છે; તેનું વિશદ વિવરણ અને પૃથક્કરણ કરે છે; તેના મૂળ સ્રોતો પર પ્રકાશ પાડી પરસ્પર તુલના કરે છે અને તેની લાક્ષણિકતાઓ-વિશેષતાઓ તેમજ મર્યાદાઓ-દર્શાવી, નિષ્કર્ષો તારવે છે. તેમાં તેમની દૃષ્ટિ નર્મદ-નવલરામથી માંડી આજ સુધીના નાનામોટા બધા જ વિવેચકોની તમામ કૃતિઓને, વિવેચનગ્રંથો ઉપરાંત સામયિકોમાં પ્રકાશિત અગ્રંથસ્થ વિવેચનલેખોને પણ, આવરી લે છે.&lt;br /&gt;
તેમાં તેથી નર્મદની ‘ટીકા કરવાની રીત’ અને ‘કવિ અને કવિતા’ વિશેના વિચાર, નવલરામનું સર્જક-વિવેચક-કૃતિ પરીક્ષણ વગેરે વિશેનું ચિંતન; નરસિંહરાવની ‘વિવેચક તે કવિનો જોડિયો ભાઈ’ અંગેની તેમ જ આનંદશંકરની ‘કવિતા આત્માની કલા’ અંગેની ચર્ચા; બ. ક. ઠાકોર અને ક. મા. મુનશીના વિવેચક-વિવેચન-કલાકૃતિનાં સ્વરૂપ-કાર્ય-પ્રયોજન અંગેના ખ્યાલ, વિ. મ. ભટ્ટ, રા. વિ. પાઠક, વિ. ર. ત્રિવેદીની વિવેચક અને વિવેચનવિષયક વિવિધ મુદ્દાઓની વિચારણા, સુંદરમ્‌-ઉમાશંકરનાં વિવેચકની વૃત્તિ-પ્રવૃત્તિ વિશેનાં નિરીક્ષણ; સુરેશ જોષીની કળા, કળાકૃતિ, રૂપનિર્મિતિ, સર્જન, વિવેચન, આસ્વાદ આદિ અંગેની આકારવાદ પ્રભાવિત મીમાંસા, ભાયાણીનાં વિવેચનની પારિભાષિક સંજ્ઞાઓ અંગેનાં વિવરણ, રમણલાલ જોશી, જયંત કોઠારી, હર્ષદ ત્રિવેદીનાં સર્જક-વિવેચકના સ્વરૂપ અભિગમ-કાર્યવિષયક લખાણ; સુમન શાહ, મધુસૂદન બક્ષી, ચંદ્રકાન્ત ટોપીવાળા, મધુ કોઠારી વગેરેના આકારવાદ, શૈલીવિજ્ઞાન, મનોવિજ્ઞાન, સંરચનાવાદ વગેરેથી પ્રભાવિત વિવેચનવિચાર—તમામનું વિવેચ્ય વિષયના ઉપલક્ષમાં ‘સર્વેક્ષણ’ અને ‘સમીક્ષાત્મક અધ્યયન’ થઈ શક્યું છે. તેમાંથી ગુજરાતીમાં નિરૂપિત વિવેચનતત્ત્વવિચારના પર્યાપ્ત પરિચયની સાથે તેમાંની વિશેષતાઓનો અને અસ્પષ્ટતા-સંદિગ્ધતા-આંતરવિરોધિતાનો પણ યથાર્થ ખ્યાલ મળી રહે છે.&lt;br /&gt;
લેખકનું આ અધ્યયન તટસ્થભાવે, વસ્તુલક્ષી રૂપમાં, કથા જ પૂર્વ અભિગ્રહ-પ્રતિગ્રહ વિના, રજૂ થયું છે. તેમાં વિવેચક નહિ પણ વિવેચન તરફ જ દૃષ્ટિ રહી છે. આથી વિખ્યાત કે અલ્પખ્યાત વિવેચકોનાં વિવેચનોનો ખ્યાલ કર્યા વિના, જ્યાં જ્યાં કશાક ભિન્ન યા નવીન તત્ત્વવિચારનું દર્શન થયું છે, ત્યાં ત્યાં તેની નોંધ લેવાઈ છે; તેનાં પરિચય-વર્ણન-વિવરણ-પૃથક્કરણ-તુલના અપાયાં છે; તેમાંની વિશેષતાઓનું દર્શન કરાવાયું છે અને તદંતર્ગત રહી ગયેલ સંદિગ્ધતા અસ્પષ્ટતા-અપૂર્ણતા-આંતરવિરોધ તરફ લક્ષ દોરવામાં આવ્યું છે; દા. ત. બ. ક. ઠાકોર, ક. મા. મુનશી, રા. વિ. પાઠક, સુંદરમ્‌, સુરેશ જોષી જેવા વિવેચકોની તત્ત્વવિચારણામાં જોવા મળતી વિશેષતાઓનું વિશદ દર્શન કરાવ્યા પછી તેમાં ક્યાં કેવી સંદિગ્ધતા, અસ્પષ્ટતા કે આંતરવિરોધ છે તે પણ નમ્રભાવે પણ સ્પષ્ટરૂપમાં બતાવાયું છે. અલબત્ત, દોષદર્શન અંગે તેમાં ક્યાંય અનુચિત અભિનિવેશ, ઉગ્રતા કે કઠોરતા જોવા મળતાં નથી લેખક બહુશ્રુત, વિદગ્ધ, સુપ્રતિષ્ઠ છતાં સૌમ્ય, સ્વસ્થ, સમભાવશીલ, સહૃદય વિવેચક છે તે સર્વત્ર સતત જોઈ શકાય છે.&lt;br /&gt;
‘શીલ તેવી શૈલી’ એ જાણીતું સૂત્ર તેમની બાબતમાં સાવ સાચું લાગે છે. તેમની ભાષા-શૈલી શિષ્ટ, અર્થગંભીર, ગૌરવયુક્ત હોવાની સાથે દુર્બોધતા, કૃત્રિમતા, આડંબર યા પાંડિત્યભારથી સર્વથા મુક્ત છે. બહુશ્રુતતાનું દર્શન તેમાં બરાબર થતું રહે છે—વિવેચ્ય મુદ્દાના સ્પષ્ટીકરણ યા સમર્થન માટે યા તુલનાત્મક દર્શન માટે તેમાં દેશી-વિદેશી કર્તા-કૃતિઓનાં ઉલ્લેખ અવતરણ અવારનવાર, આત્મસાત્‌ થઈ ગયાં હોય તે રીતે, યોજાતાં રહે છે વિષયને અનુરૂપ બની ભાષા-શૈલી સહજ-સ્વાભાવિક રીતે વહ્યે જાય છે. ક્યારેક તે દીર્ઘસૂત્રી થતી હોવાનું દેખાય છે ખરું; પરંતુ વિવેચ્ય વિષયનું વર્ણન-વિવરણ-પૃથક્કરણ-તુલના-અવતરણ-ઉદાહરણયુકત, સાંગોપાંગ, અશેષ તેમ વિશદ નિરૂપણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ હોવાથી તે અનિવાર્ય લાગે છે. પરિણામે વિવેચનતત્ત્વવિચાર જેવા વિષયનું ગંભીર અધ્યયન અહીં રજૂ થયું હોવા છતાં વાચનક્ષમતા સાદ્યંત જળવાઈ રહે છે.&lt;br /&gt;
આ બધું જોતા લાગે છે કે વસ્તુ અને નિરૂપણ બન્ને દૃષ્ટિએ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ એક ગણનાપાત્ર ગ્રંથ છે. ડૉ પ્રમોદકુમાર પટેલ દ્વારા ગુજરાતી વિવેચનસાહિત્યને થયેલું તે મહત્ત્વનું અર્પણ છે. ગુજરાતી સાહિત્યના સામાન્ય વાચક યા અભ્યાસી માટે જ નહિ, અધ્યાપકો-લેખકો-વિવેચકો માટે પણ તેનું વાચન વિચારોત્તેજક બની રહશે.&lt;br /&gt;
– જશવંત શેખડીવાળા&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર	&lt;br /&gt;
તા. ૩૧-૭-૧૯૮૫ (અ. શ્રાવણી પૂર્ણિમા)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{Heading|પ્રાક્‌કથન}}&lt;br /&gt;
{{Poem2Open}}					&lt;br /&gt;
૧૯૮૦–૮૧ના વર્ષમાં યુ.જી.સી.ની માયનર રિસર્ચ સ્કિમ અન્વયે સંશોધન અધ્યયન અર્થે એક નાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એનો વિષય હતો : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી ‘વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. નિયત સમયમાં એ કામ પૂરું કરેલું, પણ એ અધ્યયન અપ્રગટ રહ્યું હતું. દરમ્યાન એની ગૌણ નીપજ જેવા બેત્રણ છૂટક લેખો પ્રગટ થયેલા. હવે યુ.જી.સી.ની સંશોધન નિબંધ/રિસર્ચ પેપર્સ પ્રકાશન યોજના અન્વયે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા એ અધ્યયન પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે સહજ સંતોષની લાગણી અનુભવી રહું છું. અહીં મારે નોંધવું જોઈએ કે ગુજરાતીમાં વિવેચનતત્ત્વ વિશે છેલ્લાં ત્રણેક વર્ષોમાં ઠીક ઠીક નવાં લખાણો પ્રગટ થયાં છે. આ અધ્યયનમાં એ નવાં લખાણોની તપાસ પણ આમેજ કરી લીધી છે.&lt;br /&gt;
આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ.&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર	&lt;br /&gt;
૧૫ ઑક્ટોબર, ’૮૪ અને ૫ ઑગસ્ટ ’૮૫&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Box&amp;diff=87931</id>
		<title>Template:Box</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=Template:Box&amp;diff=87931"/>
		<updated>2025-04-29T02:29:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;div style=&amp;quot;flex: 1; margin: 5px; min-width: 200px; border: 1px solid #CCC; padding: 0 10px 10px 10px; box-shadow: 0 2px 2px rgba(0,0,0,0.1);&amp;quot;&amp;gt;&lt;br /&gt;
{{SetTitle}}&lt;br /&gt;
{{Ekatra}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&amp;lt;u&amp;gt;[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&amp;lt;/u&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;પ્રમોદકુમાર પટેલ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;&#039;&#039;&#039;સરદાર પટેલ યુનિવર્સિટી&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;વલ્લભ વિદ્યાનગર&amp;lt;/big&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ સંસ્કરણ : ઓગસ્ટ ૧૯૮૫&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
પ્રત સંખ્યા : ૫૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
મૂલ્ય : રૂા. ૪૦-૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
© સરદાર પટેલ યુનિવર્સિટી&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
મુદ્રક અને પ્રકાશક :&lt;br /&gt;
રતિલાલ ચ. ઠક્કર&lt;br /&gt;
કુલસચિવ, સરદાર પટેલ યુનિવર્સિટી&lt;br /&gt;
યુનિવર્સિટી પ્રેસ&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર-૩૮૮ ૧૨૦ (ગુજરાત)&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{Heading|આમુખ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&amp;lt;span style=&amp;quot;color:#cb4154&amp;quot;&amp;gt;ડૉ. પ્રમોદકુમાર પટેલ ગુજરાતી ભાષા-સાહિત્યના એક તેજસ્વી અધ્યાપક છે. અભ્યાસી વિવેચક તરીકે પણ તે જાણીતા છે. તેમનો અધ્યયનગ્રંથ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, તે જોઈ મને આનંદ થાય છે.&lt;br /&gt;
ગુજરાતીમાં વિવેચક-વિવેચનલક્ષી તત્ત્વચર્ચા કરતા લેખો બહુ ઓછા લખાયા છે. તદ્વિષયક કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિમાં તેમની પાસેથી વિવેચનતત્ત્વવિચારવિષયક એક પૂરો ગ્રંથ મળે, તે આવકાર્ય જ લેખાય.&lt;br /&gt;
તેમણે તેમના આ ગ્રંથમાં ગુજરાતીના સમગ્ર વિવેચનસાહિત્યમાં થયેલ વિવેચનલક્ષી તત્ત્વવિચારની વિગતવાર, તલસ્પર્શી, વિશદ સમીક્ષા કરી છે. તેમાં તેમણે વિવેચનના ઊગમકાળથી માંડી આજસુધીના વિવેચનસાહિત્યને આવરી લીધું છે. વિવેચ્ય વિષયનાં પરિચય, વર્ણન, વિવરણ, પૃથક્કરણ, તુલના, મૂલ્યાંકન – બધું તેમાં સાથોસાથ સુબદ્ધ રૂપમાં પ્રાપ્ત થાય છે. વિષય-વસ્તુની તર્કબદ્ધ વ્યવસ્થિત રજૂઆત, ચર્ચા-વિચારણાના સમર્થનમાં અપાતાં ઉચિત અવતરણ-ઉદાહરણ, તટસ્થ-વસ્તુલક્ષી-પ્રામાણિક આલેખન, શિષ્ટ-સાહિત્યિક છતાં સરલ-વિશદ શૈલી વગેરેને લઈ વિવેચ્ય વિષયનું સમગ્ર અધ્યયન સાદ્યંત આકર્ષક બન્યું છે. લેખક તે માટે અભિનંદનને પાત્ર છે.&lt;br /&gt;
આવા ગંભીર વિચારપ્રેરક પુસ્તકનું આ પ્રકાશન યુ. જી. સી. દ્વારા – અધ્યાપકોએ કરેલ અભ્યાસોના પ્રકાશન અર્થે – મળતી આર્થિક સહાયથી શક્ય બન્યું છે; તે માટે હું યુ. જી. સી.નો અને પુસ્તકપ્રકાશનમાં પ્રાપ્ત અનેકવિધ ઉપયોગી સલાહ-સહાય માટે પ્રો. જશવંત શેખડીવાળાનો હાર્દિક આભાર માનું છું.&lt;br /&gt;
મને આશા છે કે આ પુસ્તક ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારના અભ્યાસીઓને અવશ્ય ઉપયોગી થઈ પડશે.&lt;br /&gt;
&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર	પ્રો. કૃષ્ણાલાલ એન. શાહ&lt;br /&gt;
તા. ૧ ઑગસ્ટ, ૧૯૮૫	કુલપતિ, સરદાર પટેલ યુનિવસિટી&lt;br /&gt;
{{સ-મ||૦{{space}}૦{{space}}૦}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{Heading|વિવેચનનું વિચારોત્તેજક વિવેચન}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના ગુજરાતી વિવેચકોમાં ડૉ. પ્રમોદકુમાર પટેલનું નામ જાણીતું છે. તેમના સાત જેટલા નાનામોટા વિવેચનગ્રંથો – ‘વિભાવના’, ‘શબ્દલોક’, ‘રસસિદ્ધાન્ત : એક પરિચય’, ‘સંકેતવિસ્તાર’, ‘કથાવિવેચન પ્રતિ’, ‘પન્નાલાલ પટેલ’, ‘અનુભાવન’ – પ્રકાશિત થયા છે. વિવેચનની ઈયત્તા, ગુણવત્તા, વિવિધતામાં આ ગ્રંથો સમૃદ્ધ છે. તેમાં પૌર્વાત્ય અને પાશ્ચાત્ય, તાત્ત્વિક અને વ્યાવહારિક, સ્વરૂપદર્શી અને સાહિત્યપ્રવાહદર્શી, કાવ્યવિષયક અને કથાવિષયક, કૃતિમૂલક અને કર્તાલક્ષી, સૂચિત અને અનૂદિત તમામ પ્રકારના ગંભીર, અભ્યાસયુક્ત, વિચારપ્રેરક વિવેચનનો સમાવેશ થયો છે. સામાન્ય વાચકો ઉપરાંત વિદગ્ધ વિવેચકોનું પણ તેમણે પોતાના પ્રતિ લક્ષ દોર્યું છે. અનેક સાહિત્યિક પુરસ્કાર તેમને પ્રાપ્ત થયા છે.&lt;br /&gt;
‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ – આવા ગણનાપાત્ર વિવેચન-ગ્રંથોની પરંપરામાં – તેમનો આઠમો વિવેચનગ્રંથ છે. પૂર્વેના ગ્રંથોથી તે, એક જ વિવેચ્ય વિષયની ગંભીર પ્રબંધાત્મક સાદ્યંત તાત્ત્વિક મીમાંસાથી, જુદો તરી આવે છે. તેમાં ગુજરાતીના સમગ્ર વિવેચનસાહિત્યમાં થયેલ વિવેચનલક્ષી તાત્ત્વિક વિચારણાની સર્વાંગીણ સમીક્ષા કરવાનો લેખકનો ઉપક્રમ રહ્યો છે. નર્મદ-દલપતરામ-નવલરામથી માંડી, ગુજરાતી વિવેચનના ઊગમકાળથી માંડી, શિરીષ પંચાલ-મધુ કોઠારી-મફત ઓઝા વગેરેની તરુણ પેઢી સુધીના, આધુનિક કાળ સુધીના વિવેચકો દ્વારા તેમનાં વિવેચનોમાં અભિવ્યક્તિ પામેલ વિવેચનતત્ત્વવિચારનું તેમાં, પરિચય-વિવરણ-પૃથક્કરણ-તુલના-પરીક્ષણ-મૂલ્યાંકનયુક્ત, નિરૂપણ થયું છે. ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’ રજૂ કરવાનો, ‘પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ’ કરાવવાનો તેમજ ‘ચર્ચા-વિચારણાઓની વિકાસરેખા આંકવાનો’ તેમાં લેખકનો સફળ પ્રયાસ થયો છે.&lt;br /&gt;
વિષય-વસ્તુની સર્વાંગીણ સમીક્ષા માટે તેનું ગ્રંથમાં છ ઉપયુક્ત પ્રકરણમાં, અને પ્રત્યેક પ્રકરણનું અનેક વ્યવસ્થિત ખંડકોમાં, વિભાજન કરાયું છે. ‘પૂર્વભૂમિકા’ નામના પ્રથમ પ્રકરણમાં ‘વિવેચન’ સંજ્ઞા અને તેના ‘સંકેતવિસ્તાર’ની સાથે વિવેચનતત્ત્વવિચારના ક્ષેત્ર અને તદ્વિષયક અભ્યાસના લક્ષ્યનું નિરૂપણ થયું છે. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા પ્રકરણમાં અનુક્રમે ‘નર્મદયુગ’, ‘સાક્ષરયુગ’, ‘ગાંધી-મુનશીયુગ’ અને ‘સ્વાતંત્ર્યોત્તરયુગ’ના વિવેચકોએ કરેલ વિવેચનવિષયક તત્ત્વચર્ચાની સમીક્ષા થઈ છે. છઠ્ઠા – અંતિમ – પ્રકરણમાં સમગ્ર અધ્યયનનાં ‘તારણો અને સમાપન‘ રજૂ થયાં છે. અધ્યયનના આવા સમુચિત નિરૂપણને લઈ, તેમજ ઐતિહાસિક-વર્ણનાત્મક-તુલનાત્મક વિવેચનરીતિના કૌશલયુક્ત વિનિયોગે કરી, ગુજરાતી વિવેચનક્ષેત્રે આરંભકાળથી માંડી આજસુધી થયેલ તત્સંબંધી તત્ત્વચર્ચાનું નિરીક્ષણ-પરીક્ષણ સુપેરે થઈ શકયું છે, અને વિવેચ્ય વિષયની વિચારણા ક્રમબદ્ધ, સળંગસૂત્રી, વ્યવસ્થિત, વિશદ ઉપરાંત વ્યાપક અને તલસ્પર્શી બની છે.&lt;br /&gt;
આ વિચારણામાં લેખકની સાહિત્યસૂઝ, અભ્યાસપરાયણતા, બહુશ્રુતતાની સાથે વસ્તુલક્ષિતા, પ્રામાણિકતા અને નિર્ભીકતાનું પણ દર્શન થાય છે. તેઓ જે તે વિવેચક દ્વારા તેના વિવેચનમાં થયેલ સંબંધક તત્ત્વચર્ચાને, તેની આવશ્યક પશ્ચાદ્‌ભૂ સાથે, સંક્ષેપમાં વર્ણવે છે; તેનું વિશદ વિવરણ અને પૃથક્કરણ કરે છે; તેના મૂળ સ્રોતો પર પ્રકાશ પાડી પરસ્પર તુલના કરે છે અને તેની લાક્ષણિકતાઓ-વિશેષતાઓ તેમજ મર્યાદાઓ-દર્શાવી, નિષ્કર્ષો તારવે છે. તેમાં તેમની દૃષ્ટિ નર્મદ-નવલરામથી માંડી આજ સુધીના નાનામોટા બધા જ વિવેચકોની તમામ કૃતિઓને, વિવેચનગ્રંથો ઉપરાંત સામયિકોમાં પ્રકાશિત અગ્રંથસ્થ વિવેચનલેખોને પણ, આવરી લે છે.&lt;br /&gt;
તેમાં તેથી નર્મદની ‘ટીકા કરવાની રીત’ અને ‘કવિ અને કવિતા’ વિશેના વિચાર, નવલરામનું સર્જક-વિવેચક-કૃતિ પરીક્ષણ વગેરે વિશેનું ચિંતન; નરસિંહરાવની ‘વિવેચક તે કવિનો જોડિયો ભાઈ’ અંગેની તેમ જ આનંદશંકરની ‘કવિતા આત્માની કલા’ અંગેની ચર્ચા; બ. ક. ઠાકોર અને ક. મા. મુનશીના વિવેચક-વિવેચન-કલાકૃતિનાં સ્વરૂપ-કાર્ય-પ્રયોજન અંગેના ખ્યાલ, વિ. મ. ભટ્ટ, રા. વિ. પાઠક, વિ. ર. ત્રિવેદીની વિવેચક અને વિવેચનવિષયક વિવિધ મુદ્દાઓની વિચારણા, સુંદરમ્‌-ઉમાશંકરનાં વિવેચકની વૃત્તિ-પ્રવૃત્તિ વિશેનાં નિરીક્ષણ; સુરેશ જોષીની કળા, કળાકૃતિ, રૂપનિર્મિતિ, સર્જન, વિવેચન, આસ્વાદ આદિ અંગેની આકારવાદ પ્રભાવિત મીમાંસા, ભાયાણીનાં વિવેચનની પારિભાષિક સંજ્ઞાઓ અંગેનાં વિવરણ, રમણલાલ જોશી, જયંત કોઠારી, હર્ષદ ત્રિવેદીનાં સર્જક-વિવેચકના સ્વરૂપ અભિગમ-કાર્યવિષયક લખાણ; સુમન શાહ, મધુસૂદન બક્ષી, ચંદ્રકાન્ત ટોપીવાળા, મધુ કોઠારી વગેરેના આકારવાદ, શૈલીવિજ્ઞાન, મનોવિજ્ઞાન, સંરચનાવાદ વગેરેથી પ્રભાવિત વિવેચનવિચાર—તમામનું વિવેચ્ય વિષયના ઉપલક્ષમાં ‘સર્વેક્ષણ’ અને ‘સમીક્ષાત્મક અધ્યયન’ થઈ શક્યું છે. તેમાંથી ગુજરાતીમાં નિરૂપિત વિવેચનતત્ત્વવિચારના પર્યાપ્ત પરિચયની સાથે તેમાંની વિશેષતાઓનો અને અસ્પષ્ટતા-સંદિગ્ધતા-આંતરવિરોધિતાનો પણ યથાર્થ ખ્યાલ મળી રહે છે.&lt;br /&gt;
લેખકનું આ અધ્યયન તટસ્થભાવે, વસ્તુલક્ષી રૂપમાં, કથા જ પૂર્વ અભિગ્રહ-પ્રતિગ્રહ વિના, રજૂ થયું છે. તેમાં વિવેચક નહિ પણ વિવેચન તરફ જ દૃષ્ટિ રહી છે. આથી વિખ્યાત કે અલ્પખ્યાત વિવેચકોનાં વિવેચનોનો ખ્યાલ કર્યા વિના, જ્યાં જ્યાં કશાક ભિન્ન યા નવીન તત્ત્વવિચારનું દર્શન થયું છે, ત્યાં ત્યાં તેની નોંધ લેવાઈ છે; તેનાં પરિચય-વર્ણન-વિવરણ-પૃથક્કરણ-તુલના અપાયાં છે; તેમાંની વિશેષતાઓનું દર્શન કરાવાયું છે અને તદંતર્ગત રહી ગયેલ સંદિગ્ધતા અસ્પષ્ટતા-અપૂર્ણતા-આંતરવિરોધ તરફ લક્ષ દોરવામાં આવ્યું છે; દા. ત. બ. ક. ઠાકોર, ક. મા. મુનશી, રા. વિ. પાઠક, સુંદરમ્‌, સુરેશ જોષી જેવા વિવેચકોની તત્ત્વવિચારણામાં જોવા મળતી વિશેષતાઓનું વિશદ દર્શન કરાવ્યા પછી તેમાં ક્યાં કેવી સંદિગ્ધતા, અસ્પષ્ટતા કે આંતરવિરોધ છે તે પણ નમ્રભાવે પણ સ્પષ્ટરૂપમાં બતાવાયું છે. અલબત્ત, દોષદર્શન અંગે તેમાં ક્યાંય અનુચિત અભિનિવેશ, ઉગ્રતા કે કઠોરતા જોવા મળતાં નથી લેખક બહુશ્રુત, વિદગ્ધ, સુપ્રતિષ્ઠ છતાં સૌમ્ય, સ્વસ્થ, સમભાવશીલ, સહૃદય વિવેચક છે તે સર્વત્ર સતત જોઈ શકાય છે.&lt;br /&gt;
‘શીલ તેવી શૈલી’ એ જાણીતું સૂત્ર તેમની બાબતમાં સાવ સાચું લાગે છે. તેમની ભાષા-શૈલી શિષ્ટ, અર્થગંભીર, ગૌરવયુક્ત હોવાની સાથે દુર્બોધતા, કૃત્રિમતા, આડંબર યા પાંડિત્યભારથી સર્વથા મુક્ત છે. બહુશ્રુતતાનું દર્શન તેમાં બરાબર થતું રહે છે—વિવેચ્ય મુદ્દાના સ્પષ્ટીકરણ યા સમર્થન માટે યા તુલનાત્મક દર્શન માટે તેમાં દેશી-વિદેશી કર્તા-કૃતિઓનાં ઉલ્લેખ અવતરણ અવારનવાર, આત્મસાત્‌ થઈ ગયાં હોય તે રીતે, યોજાતાં રહે છે વિષયને અનુરૂપ બની ભાષા-શૈલી સહજ-સ્વાભાવિક રીતે વહ્યે જાય છે. ક્યારેક તે દીર્ઘસૂત્રી થતી હોવાનું દેખાય છે ખરું; પરંતુ વિવેચ્ય વિષયનું વર્ણન-વિવરણ-પૃથક્કરણ-તુલના-અવતરણ-ઉદાહરણયુકત, સાંગોપાંગ, અશેષ તેમ વિશદ નિરૂપણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ હોવાથી તે અનિવાર્ય લાગે છે. પરિણામે વિવેચનતત્ત્વવિચાર જેવા વિષયનું ગંભીર અધ્યયન અહીં રજૂ થયું હોવા છતાં વાચનક્ષમતા સાદ્યંત જળવાઈ રહે છે.&lt;br /&gt;
આ બધું જોતા લાગે છે કે વસ્તુ અને નિરૂપણ બન્ને દૃષ્ટિએ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ એક ગણનાપાત્ર ગ્રંથ છે. ડૉ પ્રમોદકુમાર પટેલ દ્વારા ગુજરાતી વિવેચનસાહિત્યને થયેલું તે મહત્ત્વનું અર્પણ છે. ગુજરાતી સાહિત્યના સામાન્ય વાચક યા અભ્યાસી માટે જ નહિ, અધ્યાપકો-લેખકો-વિવેચકો માટે પણ તેનું વાચન વિચારોત્તેજક બની રહશે.&lt;br /&gt;
– જશવંત શેખડીવાળા&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર	&lt;br /&gt;
તા. ૩૧-૭-૧૯૮૫ (અ. શ્રાવણી પૂર્ણિમા)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;hr&amp;gt;&lt;br /&gt;
{{Heading|પ્રાક્‌કથન}}&lt;br /&gt;
{{Poem2Open}}					&lt;br /&gt;
૧૯૮૦–૮૧ના વર્ષમાં યુ.જી.સી.ની માયનર રિસર્ચ સ્કિમ અન્વયે સંશોધન અધ્યયન અર્થે એક નાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એનો વિષય હતો : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી ‘વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. નિયત સમયમાં એ કામ પૂરું કરેલું, પણ એ અધ્યયન અપ્રગટ રહ્યું હતું. દરમ્યાન એની ગૌણ નીપજ જેવા બેત્રણ છૂટક લેખો પ્રગટ થયેલા. હવે યુ.જી.સી.ની સંશોધન નિબંધ/રિસર્ચ પેપર્સ પ્રકાશન યોજના અન્વયે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા એ અધ્યયન પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે સહજ સંતોષની લાગણી અનુભવી રહું છું. અહીં મારે નોંધવું જોઈએ કે ગુજરાતીમાં વિવેચનતત્ત્વ વિશે છેલ્લાં ત્રણેક વર્ષોમાં ઠીક ઠીક નવાં લખાણો પ્રગટ થયાં છે. આ અધ્યયનમાં એ નવાં લખાણોની તપાસ પણ આમેજ કરી લીધી છે.&lt;br /&gt;
આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ.&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર	&lt;br /&gt;
૧૫ ઑક્ટોબર, ’૮૪ અને ૫ ઑગસ્ટ ’૮૫&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87930</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87930"/>
		<updated>2025-04-29T02:18:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;1.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87929</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87929"/>
		<updated>2025-04-29T02:16:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
|author = પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ|પાદટીપ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો|સંદર્ભગ્રંથો અને સામયિકો]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87928</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87928"/>
		<updated>2025-04-29T02:15:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
|author = પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ|પાદટીપ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો|સંદર્ભગ્રંથો અને સામયિકો]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=87788</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=87788"/>
		<updated>2025-04-27T08:49:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading| પ્રાક્‌કથન |}} {{Poem2Open}} ૧૯૮૦–૮૧ના વર્ષમાં યુ.જી.સી.ની માયનર રિસર્ચ સ્કિમ અન્વયે સંશોધન અધ્યયન અર્થે એક નાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એનો વિષય હતો : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| પ્રાક્‌કથન |}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧૯૮૦–૮૧ના વર્ષમાં યુ.જી.સી.ની માયનર રિસર્ચ સ્કિમ અન્વયે સંશોધન અધ્યયન અર્થે એક નાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એનો વિષય હતો : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી ‘વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. નિયત સમયમાં એ કામ પૂરું કરેલું, પણ એ અધ્યયન અપ્રગટ રહ્યું હતું. દરમ્યાન એની ગૌણ નીપજ જેવા બેત્રણ છૂટક લેખો પ્રગટ થયેલા. હવે યુ.જી.સી.ની સંશોધન નિબંધ/રિસર્ચ પેપર્સ પ્રકાશન યોજના અન્વયે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા એ અધ્યયન પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે સહજ સંતોષની લાગણી અનુભવી રહું છું. અહીં મારે નોંધવું જોઈએ કે ગુજરાતીમાં વિવેચનતત્ત્વ વિશે છેલ્લાં ત્રણેક વર્ષોમાં ઠીક ઠીક નવાં લખાણો પ્રગટ થયાં છે. આ અધ્યયનમાં એ નવાં લખાણોની તપાસ પણ આમેજ કરી લીધી છે.&lt;br /&gt;
આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ.&lt;br /&gt;
[[Author:|પ્રમોદકુમાર પટેલ]]&lt;br /&gt;
વલ્લભ વિદ્યાનગર, ૧૫ ઑક્ટોબર, ’૮૪ અને ૫ ઑગસ્ટ ’૮૫&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=87787</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=87787"/>
		<updated>2025-04-27T08:46:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|   |  }}   {{Poem2Open}} {{Poem2Close}}&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|   |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E2%80%98%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2&amp;diff=87786</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E2%80%98%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2&amp;diff=87786"/>
		<updated>2025-04-27T08:45:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|   |  }}   {{Poem2Open}} {{Poem2Close}}&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|   |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B&amp;diff=87785</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%B8%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AD%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95%E0%AB%8B&amp;diff=87785"/>
		<updated>2025-04-27T08:42:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|સંદર્ભગ્રંથો અને સામયિકો   |  }} {{Poem2Open}} ઉશનસ્‌ : ‘રૂપ અને રસ’માં ગ્રંથસ્થ લેખો – ‘સાહિત્ય અને સુરુચિ’ ‘કૃતિનિષ્ઠ રસવિવેચન’ ઓઝા, મફત : ‘ઉન્મિતિ’માં ‘સાંપ્રત ગુજરાતી વિવેચનનું વ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|સંદર્ભગ્રંથો અને સામયિકો   |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉશનસ્‌ : ‘રૂપ અને રસ’માં ગ્રંથસ્થ લેખો – ‘સાહિત્ય અને સુરુચિ’ ‘કૃતિનિષ્ઠ રસવિવેચન’&lt;br /&gt;
ઓઝા, મફત : ‘ઉન્મિતિ’માં ‘સાંપ્રત ગુજરાતી વિવેચનનું વિવેચન’ ‘કવિતાના આસ્વાદમાં તાદાત્મ્ય’&lt;br /&gt;
કોઠારી, જયંત : (૧) ‘વિવેચનનું વિવેચન’માં ‘ગુજરાતી સાહિત્યવિવેચન’ (૨) ‘અનુષંગ’માં ‘રૂપ અને સંરચના’ (૩) ‘પરબ’ માર્ચ-૧૯૭૫માં ‘આધુનિક વિવેચનના અભિગમો’&lt;br /&gt;
કોઠારી, મધુ : (૧) ‘સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ (૨) ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોય્‌ડવાદ’ અને ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’&lt;br /&gt;
ગાંધી, ભોગીલાલ : ‘મિતાક્ષર’માં ‘મૂલ્યાંકનની કટોકટી’, ‘સાહિત્ય અને પ્રગતિ’, ‘માકર્‌સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’, ‘ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર માર્ક્‌સવાદની અસર’&lt;br /&gt;
ચૌધરી, રઘુવીર : ‘અદ્યતન કવિતા’માં ‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’&lt;br /&gt;
જાડેજા, દિલાવરસિંહ : ‘સમરુચિ’માં ‘સાંપ્રત વિવેચનનાં વલણો’, ‘વિવેચનનું વિવેચન’&lt;br /&gt;
જાની, રતિલાલ : ‘કાવ્યાલોચન’માં ‘સંસ્કૃત સાહિત્યવિવેચન : મૂળભૂત સિદ્ધાંતની દૃષ્ટિએ’&lt;br /&gt;
જોશી, ઉમાશંકર : (૧) ‘શૈલી અને સ્વરૂપ’માં ‘વિવેચન : કલા કે શાસ્ત્ર?’ (૨) ‘પ્રતિશબ્દ’માં ‘સો વરસનું સરવૈયું’ ‘વિવેચનના પ્રશ્નો’&lt;br /&gt;
જોષી, રમણલાલ : (૧) ‘પરિમાણ’માં ‘વિવેચનની ઉપયોગિતા લેખકને’ (૨) ‘વિવેચનની પ્રક્રિયા’માં ‘વિવેચનની પ્રક્રિયા’, ‘આધુનિક વિવેચન’&lt;br /&gt;
જોષી, સુરેશ : (૧) ‘કિંચિત્‌’માં ‘કવિતાનો આસ્વાદ’ (૨) ‘કાવ્યચર્ચા’માં બીજા ખંડના લેખો (૩) ‘શ્રુણ્વન્તુ’માં ‘વિવેચનનો અન્ત?’ ‘વિવેચનની હ્રસ્વતા’ (૪) ‘અરણ્યરુદન’ના બધા લેખો (૫) ‘ચિન્તયામિ મનસા’ના બધા લેખો (૬) ‘અષ્ટમોઽધ્યાય’માં ‘સાહિત્યવિવેચન આજના સંદર્ભે’ ‘કાવ્યવિવેચનની પ્રારંભિક ભૂમિકા’, ‘સ્વાતંત્ર્યોત્તર વિવેચન’&lt;br /&gt;
ઝવેરી, બિપિન : ‘અક્ષરની અભિવ્યક્તિ’માં ‘વિવેચક શું લખે?...’&lt;br /&gt;
ઝવેરી, મનસુખલાલ : (૧) ‘થોડા વિવેચન લેખો’માં ‘રસાસ્વાદ’ (૨) ‘કાવ્ય-વિમર્શ’માં પૃ. ૧૩૩-૩૪, ૬૬-૬૮ (૩) ‘દૃષ્ટિકોણ’માં ‘કલાસૌન્દર્ય નો આકંઠ આસ્વાદ’&lt;br /&gt;
ટોપીવાળા, ચંદ્રકાન્ત : (૧) ‘અપરિચિત અ અપરિચિત બ’માં પ્રથમ ખંડના લેખો (૨) ‘પ્રતિભાષાનું કવચ’ (૩) ‘ઊહાપોહ’—અંક ૨૭માં ‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ (૪) ‘એતદ્‌’–૧૩માં ‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અવાસ્તવ’&lt;br /&gt;
ઠાકર, ધીરુભાઈ : (૧) ‘સાંપ્રત સાહિત્ય’માં ‘સાહિત્યવિવેચનની ક્ષિતિજો’, ‘વિવેચકનું હકનામું’ (૨) ‘વિભાવિતમ્‌’માં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચનમાં આધુનિકતાવાદી વલણો’&lt;br /&gt;
ઠાકોર, બળવંતરાય : (૧) ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૨) ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુચ્છ-૨ (૩) ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુચ્છ-૩ (૪) ‘પ્રવેશકો’ ગુચ્છ–૧ (૫) ‘પંચોતેરમે’&lt;br /&gt;
ત્રિપાઠી, ગેાવર્ધનરામ : ‘નવલરામની જીવનકથા’&lt;br /&gt;
ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ : (૧) ‘ઉપાયન’માં ‘અનુભાવના’, ‘વિવેચનનો ઉદ્‌ભવ’, ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, વગેરે લેખો (૨) ‘સાહિત્યસંસ્પર્શ’માં ‘આલોક’, ‘સાહિત્યમીમાંસાની ભૂમિકામાં પુનર્વિચાર’, ‘સાહિત્યમાં અર્થક્રિયા અને આકૃતિનાં ફલિતો’, ‘વિવેચકનો ધર્મ’, ‘સુરુચિનાં તત્ત્વો’ (૩) ‘દ્રુમપર્ણ’માં પ્રાસ્તાવિક&lt;br /&gt;
ત્રિવેદી, હર્ષદ : (૧) ‘સંદર્ભ’માં ‘વિવેચકનું કર્તવ્ય’ (૨) એતદ્‌-૬૭ માં ‘વિવેચનના ઐતિહાસિક અભિગમ’ (૩) એતદ્‌-૪૦માં ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’&lt;br /&gt;
દલાલ, સુરેશ : ‘સમાગમ’માં ‘વિવેચકની જવાબદારી’&lt;br /&gt;
દવે, ઈશ્વરલાલ : (૧) ‘સાહિત્યગોષ્ઠિ’માં ‘વિવેચન સર્જન કહેવાય ખરું?’ ‘સાહિત્યમાં મહત્તાનું ધોરણ’ (૨) ‘પરબ’-૧૯૭૫ માર્ચમાં ‘સાહિત્યવિચારમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ’&lt;br /&gt;
દવે, મોહનલાલ : ‘વિવેચન’માં ‘ગ્રંથવિવેચનનું સાહિત્ય’&lt;br /&gt;
દવે, સુભાષ : ‘એતદ્‌’-૨૧માં ‘કથાસાહિત્યના રૂપરચનાલક્ષી વિવેચનની દિશામાં’&lt;br /&gt;
દિવેટિયા, નરસિહરાવ : (૧) ‘મનોમુકુર’-૧માં ‘નવલરામ’ (૨) ‘કવિતા વિચાર’માં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’&lt;br /&gt;
દેસાઈ, નીરુ : ‘સાહિત્ય અને પ્રગતિ’માં લેખ&lt;br /&gt;
દેસાઈ, રમણલાલ : ‘કલાભાવના’માં ‘વિવેચનસાહિત્ય’&lt;br /&gt;
દોશી, હસમુખ : (૧) ‘પરિપ્રેક્ષા’માં ‘વિવેચનની શૈલી’ (૨) ‘અભિમત’માં ‘વિવેચન કલા?’&lt;br /&gt;
દ્વિવેદી, મણિલાલ : ‘સુદર્શનગદ્યાવલિ’માં ‘અવલોકન’&lt;br /&gt;
ધૂમકેતુ : ‘સાહિત્યવિચારણા’માં ‘સર્જન અને વિવેચન’, ‘વિવેચનનો અધિકાર’&lt;br /&gt;
ધ્રુવ, આ. આનંદશંકર : (૧) ‘કાવ્યતત્ત્વવિચાર’માં ‘રસાસ્વાદનો અધિકાર’, ‘ગ્રન્થાવલોકનના વિવિધ પ્રકારો’ (૨) ‘સાહિત્ય પરિષદ પ્રમુખોનાં ભાષણો’માં ગ્રંથસ્થ વ્યાખ્યાન&lt;br /&gt;
નર્મદ : ‘જૂનું નર્મગદ્ય’માં ‘ટીકા કરવાની રીત’&lt;br /&gt;
નીલકંઠ, રમણભાઈ : પરિષદ પ્રમુખોનાં ભાષણો‘માં ગ્રંથસ્થ વ્યાખ્યાન&lt;br /&gt;
પટેલ, પ્રમોદકુમાર : (૧) ‘વિભાવના’માં ‘વિવેચનની સંજ્ઞા વિશે’, ‘આકૃતિવાદની ભૂમિકામાં’, ‘સુરેશ જોષીની કળાવિચારણા’, ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’, ‘આપણું આજનું કાવ્યવિવેચન’, (૨) ‘શબ્દલોક’માં ‘કળાત્મક આકૃતિની વિભાવના’, ‘સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ’, ‘નવ્ય વિવેચનની ભૂમિકા’, ‘આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ’ (૩) ‘સંકેતવિસ્તાર’માં ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ (૪) ‘ભાષા-વિમર્શ’ અંક ૨-૪માં ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૫) ‘ઉત્તરા’- ૧૯૭૯માં ‘સાંપ્રતકાલીન ગુજરાતીમાં કૃતિવિવેચન’ (૬) ‘વિવેચનમાં આકારવાદી અભિગમ’ (અપ્રગટ) (૭) રોલાં બાર્થ, પુલે, અને જ્હોન ફ્લેચરના લેખોના અનુવાદો&lt;br /&gt;
પટેલ, ભોળાભાઈ : ‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો’માં ‘વિવેચન’ વિશેનો લેખ&lt;br /&gt;
પાઠક, જયંત : ‘ભાવયિત્રી’માં ‘સાંપ્રત સાહિત્યવિવેચન’&lt;br /&gt;
પાઠક, રામનારાયણ : (૧) ‘સાહિત્યવિમર્શ’માં ‘આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો’, ‘વિવેચક, સર્જક કે કવિ ગણાય?’ (૨) ‘આકલન’માં ‘સાહિત્યનું મૂલ્યાંકન’ (૩) ‘સાહિત્યાલોક’માં ‘વિવેચનનાં મૂલ્યો’, ‘સાહિત્યસમીક્ષા’&lt;br /&gt;
પંડ્યા, ઉપેન્દ્રઃ ‘સંસ્કૃતિ’નો ૨૦૦મો અંક-ઑગસ્ટ ’૬૩ ’સર્જકનું વિવેચકત્વ’&lt;br /&gt;
પંડ્યા, નવલરામ : ‘નવલગ્રંથાવલિ’નાં લખાણો&lt;br /&gt;
પંચાલ, શિરીષ : (૧) ‘વિવેચન : ચાર મુદ્દા’માં ‘વિવેચન પદ્ધતિ વિશે’ (૨) ’એતદ્‌’-૩૯માં ‘છેલ્લા દાયકાનું વિવેચન’ (૩) ‘એતદ્‌’-૬૮માં ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’ (૪) ‘એતદ્‌’-૭૦-૭૨ ‘સાહિત્યનો મૃત્યુઘંટ?’&lt;br /&gt;
બક્ષી, મધુસૂદન : ‘પરબ’ -૧૯૭૭ ઑક્ટોબરમાં ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’&lt;br /&gt;
બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ : ‘અન્વીક્ષા’માં ‘૧૯૬૫ પહેલાંના ગુજરાતી સાહિત્ય-વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’&lt;br /&gt;
બ્રહ્મભટ્ટ, પ્રસાદ : ‘વિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ (અપ્રગટ)&lt;br /&gt;
બ્રોકર, ગુલાબદાસ : (૧) ‘રૂપસૃષ્ટિમાં’ ‘સાહિત્યનું મૂલ્યાંકન અને રાજકીય દૃષ્ટિબંદુ’ ‘અવલોકનનો અધિકાર’ (૨) ‘અભિવ્યક્તિ’માં ‘લેખકને વિવેચનાનો શો ઉપયોગ?’&lt;br /&gt;
ભટ્ટ, વિશ્વનાથ : (૧) ‘સાહિત્યસમીક્ષા’માં ‘વિવેચનનો આદર્શ’ (૨) ‘વિવેચન-મુકુર’માં ‘વિવેચનની અગત્ય’ (૩) ‘નિકષરેખા’માં ‘વિવેચકની સર્જકતા’ (૪) ‘પૂજા અને પરીક્ષા’માં ‘વિવેચનની પવિત્રતા’&lt;br /&gt;
ભાયાણી, હરિવલ્લભ : (૧) ‘કાવ્યમાં શબ્દ’માં પ્રાસ્તાવિક અને ગ્રંથસ્થ લેખો (૨) ‘કાવ્યનું સંવેદન’માં પ્રસ્તાવના, ઉપરાંત ‘સાહિત્યિક શૈલી અને ભાષા’, ‘શૈલીવિજ્ઞાન અને સાહિત્ય’, ‘કાવ્યનો પ્રતિભાવ : કાવ્યાર્થની પ્રતીતિ’, ‘સાહિત્ય અને બંધારણવાદ’, ‘એક આસ્વાદસમીક્ષા’, ‘ચયન’ વિભાગના લેખો (૩) ‘રચના અને સંરચના’માં ‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’, કાવ્યમાં ભાષાનું કાર્ય : બંધારણવાદી દૃષ્ટિએ ‘નવ્ય શૈલીવિજ્ઞાન’ અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ!’ ‘અર્થઘટન-વિવરણના બે પ્રયોગ’ (૪) ‘કાવ્ય વ્યાપાર’માં ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’, સાહિત્ય-ભાષા-વિજ્ઞાન’, ‘કૃતિના પાઠબંધની સમીક્ષાઓ’, ‘ભાવયિત્રી’ ‘હર્મેન્યૂટિક વિવેચન’ (૫) ‘એતદ્‌’-૬૮માં લેખ ‘એક નિર્મૂળ આશંકા’&lt;br /&gt;
મહેતા, દિગીશ : ‘પરિધિ’માં ‘ઈમેજ : વિવેચનના એક ઓજાર તરીકે ‘સિદ્ધાંત વિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’&lt;br /&gt;
મહેતા, સિતાંશુ : (૧) ‘સીમાંકન અને સીમોલ્લંઘન’માં ‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને ઍલન ગિન્સબર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’ (૨) ‘વિવેચનમાં તુલનાત્મક અભિગમ’ (અપ્રગટ)&lt;br /&gt;
મુનશી, કનૈયાલાલ : ‘ગુજરાત : એક સાંસારિક વ્યક્તિ અને આદિવચનો’માં ‘પ્રણાલિકાવાદ’ અને ‘રસાસ્વાદનો અધિકાર’&lt;br /&gt;
રાવળ, અનંતરાય : (૧) ‘સાહિત્યવિહાર’માં ‘કવિતાનું રસાસ્વાદન’ (૨) ‘સાહિત્યનિકષ’માં ‘સહૃદયધર્મ’&lt;br /&gt;
વૈદ્ય, વિજયરાય : ‘માણેક અને અકીક’માં ‘વિવેચન અને વિવેચક’&lt;br /&gt;
શર્મા, રાધેશ્યામ : ‘વાચના’માં ’કવિતા આસ્વાદનાં આધુનિક ઓજારો’&lt;br /&gt;
શાસ્ત્રી, વિજય : ‘અત્રતત્ર’માં ‘નોથ્રોપ રાય વિવેચન વિશે’ ‘અર્થઘટનની ભીતરે’&lt;br /&gt;
શાહ, રસિક : ‘વિવેચન : ચાર મુદ્દા’માં ‘આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’&lt;br /&gt;
શાહ , સુમન : (૧) ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’માં રૂપનિર્મિતિ વિષયક પ્રકરણો (૨) ‘વિવેચન : ચાર મુદ્દા’માં ‘વિવેચનનું અનિવાર્ય’ (૩) ‘નવ્યવિવેચન પછી’ (૪) ‘પરબ’ ઑક્ટો-૭૮, ડિસેંબર ૭૮ અને જાન્યુ. ૧૯૭૯માં સંકેત વિજ્ઞાન અને સાહિત્યભાષા’ (૫) ‘એતદ્‌’-૫૦, ૫૧, ૫૨, ૫૪, ૫૮, ‘વિવેચનની દિશા અને દશા’ (૬) ‘એતદ્‌’-૬૨માં ‘માર્ક્‌સવાદી સાહિત્યમીમાંસા’ (૭) ‘એતદ્‌’-૭૧-૭૨માં ‘સંરચનાવાદ : સ્વરૂપ અને વિભાવના’ (૮) ‘શબ્દસૃષ્ટિ’-માં ‘વિવેચનના ૨૫ મુદ્દાઓ’&lt;br /&gt;
શેખડીવાળા, જશવંત : ‘અભ્યાસ’માં ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’&lt;br /&gt;
સોની, રમણ : ‘ગુજરાત’ વાર્ષિક ૧૯૮૩ : ‘છેલ્લા બે દાયકાની ગુજરાતી વિવેચનપ્રવૃત્તિ’&lt;br /&gt;
સુંદરમ્‌ : (૧) ‘સાહિત્યચિંતન’માં ‘વિવેચનદૃષ્ટિ’ ‘સર્જકોનું સંમેલન’ ‘વિવેચનનો રસ’ (૨) ‘સા વિદ્યા’માં ‘પરાવરની યાત્રા’ ‘યાત્રા : સૌંદર્યની-સત્યની’ ‘તપોગિરિની આનંદયાત્રા’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%9F%E0%AB%80%E0%AA%AA&amp;diff=87784</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%9F%E0%AB%80%E0%AA%AA&amp;diff=87784"/>
		<updated>2025-04-27T08:41:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading| પાદટીપ  |  }} {{Poem2Open}} ૧.	‘જૂનું નર્મગદ્ય’, (ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ-૧, આવૃત્તિ ૨ જી, ૧૯૧૨) પૃ. ૩૫૫ ૨.	‘નવલરામની જીવનકથા’ (એન. એમ. ત્રિપાઠી, મુંબઈ આ. ૨) પૃ. ૮ ૩.	‘ઉપાયન’ (સં. વ્રજરાય દ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| પાદટીપ  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧.	‘જૂનું નર્મગદ્ય’, (ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, મુંબઈ-૧, આવૃત્તિ ૨ જી, ૧૯૧૨) પૃ. ૩૫૫&lt;br /&gt;
૨.	‘નવલરામની જીવનકથા’ (એન. એમ. ત્રિપાઠી, મુંબઈ આ. ૨) પૃ. ૮&lt;br /&gt;
૩.	‘ઉપાયન’ (સં. વ્રજરાય દેસાઈ અને અન્ય, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ષષ્ટિપૂર્તિ સન્માન સમિતિ, સુરત, ૧૯૬૧), પૃ. ૧૫૮&lt;br /&gt;
૪.	‘જૂનું નર્મગદ્ય’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૩૫૫&lt;br /&gt;
૫.	એજન, પૃ. ૩૫૫&lt;br /&gt;
૬.	એજન, પૃ. ૩૫૬&lt;br /&gt;
૭.	એજન, પૃ. ૩૫૬&lt;br /&gt;
૮.	‘નવલરામની જીવનકથા’ (ઉપર નોંધેલી આવૃત્તિ) પૃ. ૬&lt;br /&gt;
૯.	‘ઉપાયન’ (ઉપર નોંધેલી આવૃત્તિ) પૃ. ૧૬૭&lt;br /&gt;
૧૦.	‘નવલગ્રંથાવલિ’ (સં. નરહરિ પરીખ, નવજીવન, ૧૯૬૬), પૃ. ૪૫&lt;br /&gt;
૧૧.	એજન, પૃ. ૫૪&lt;br /&gt;
૧૨.	એજન, પૃ. ૫૫&lt;br /&gt;
૧૩.	એજન, પૃ. ૧૨૫&lt;br /&gt;
૧૪.	એજન, પૃ. ૪૪&lt;br /&gt;
૧૫. એજન, પૃ. ૫૩&lt;br /&gt;
૧૬.	ધ્વન્યાલોકલોચન : (સં રામસાગર ત્રિપાઠી, મોતીલાલ બનારસીદાસ વારાણસી ૧૯૬૩), pp. ૬૨&lt;br /&gt;
૧૭.	‘સુદર્શનગદ્યાવલિ’ (પ્ર. હિંમતલાલ પંડ્યા, પ્રાણશંકર જોશી, જંબૂસર, ૧૯૦૯), પૃ. ૭૮૧&lt;br /&gt;
૧૮.	એજન, પૃ. ૭૮૧&lt;br /&gt;
૧૯.	એજન, પૃ. ૭૮૧&lt;br /&gt;
૨૦.	એજન, પૃ. ૭૮૧&lt;br /&gt;
૨૧.	એજન, પૃ. ૭૮૨&lt;br /&gt;
૨૨.	એજન, પૃ. ૭૮૨&lt;br /&gt;
૨૩.	એન્જન, પૃ. ૭૮૨&lt;br /&gt;
૨૪.	એજન, પૃ. ૭૮૨-૮૩&lt;br /&gt;
૨૫.	એજન, પૃ. ૭૮૩&lt;br /&gt;
૨૬.	એજન, પૃ. ૭૮૪&lt;br /&gt;
૨૭.	એજન, પૃ. ૭૮૪&lt;br /&gt;
૨૮.	એજન, પૃ. ૭૮૪&lt;br /&gt;
૨૯.	એજન, પૃ. ૭૮૫&lt;br /&gt;
૩૦.	‘પરિષદ પ્રમુખોનાં ભાષણો’ (ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ૧૯૪૧), પૃ. ૩૫૯&lt;br /&gt;
૩૧.	એજન, પૃ. ૩૬૦&lt;br /&gt;
૩૨.	એજન, પૃ. ૩૬૧&lt;br /&gt;
૩૩.	‘મનોમુકુર-૧’ (ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ, પ્ર. પોતે ૧૯૨૪), પૃ. ૩૩૭-૩૩૮&lt;br /&gt;
૩૪.	‘કવિતાવિચાર’ (સં. ભૃગુરાય અંજારિયા, આર. આર., ૧૯૬૯) પૃ. ૩૭૬&lt;br /&gt;
૩૫.	‘પરિષદ પ્રમુખોનાં ભાષણો’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૪૦૫&lt;br /&gt;
૩૬.	એજન, પૃ. ૪૦૫&lt;br /&gt;
૩૭.	એજન, પૃ. ૪૦૬&lt;br /&gt;
૩૮.	એજન, પૃ. ૪૦૭&lt;br /&gt;
૩૯.	‘વિવિધ વ્યાખ્યાનો-ગુ. ૩’ (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૬), પૃ. ૧૭૨-૧૭૩&lt;br /&gt;
૪૦.	એજન, પૃ. ૪૦&lt;br /&gt;
૪૧.	‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૬૪) પૃ. ૧૧૬-૧૧૭&lt;br /&gt;
૪૨.	‘વિવિધ વ્યાખ્યાનો’, ગુ. ૩ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૩૪&lt;br /&gt;
૪૩.	એજન, પૃ. ૧૭&lt;br /&gt;
૪૪.	‘વિવિધ વ્યાખ્યાનો’– ગુ. ૨, વિ. ૧’ (શ્રી સયાજી સાહિત્યમાળા પુષ્પ ૩૦૫મું, ૧૯૪૭), પૃ. ૮૮-૮૯&lt;br /&gt;
૪૫. Aesthetics and Criticism : (Routledge and Kegan Paul, London, ૧૯૫૪), pp. ૨૬&lt;br /&gt;
૪૬.	‘પ્રવેશકો’-ગુ. ૧ (મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૯), પૃ. ૮૩&lt;br /&gt;
૪૭.	‘વિવિધ વ્યાખ્યાનો’-ગુ. ૩ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૧૧૧&lt;br /&gt;
૪૮.	The Well Wrought Urn, (Methuen, London, ૧૯૬૦) preface, pp. vi&lt;br /&gt;
૪૯.	‘પ્રવેશકો’-ગુ. ૧ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૩૫&lt;br /&gt;
૫૦.	‘પરિષદ પ્રમુખોનાં ભાષણો’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૩૪૩&lt;br /&gt;
૫૧.	‘ગુજરાત એક સાંસ્કૃતિક વ્યક્તિ અને આદિ વચનો’ (આર. આર. ૧૯૩૩), પૃ. ૯૯&lt;br /&gt;
૫૨.	એજન, પૃ ૧૦૦&lt;br /&gt;
૫૩.	એજન, પૃ. ૧૦૦&lt;br /&gt;
૫૪.	એજન, પૃ ૧૦૦&lt;br /&gt;
૫૫.	એજન, પૃ. ૧૦૫-૬&lt;br /&gt;
૫૬.	એજન, પૃ. ૧૦૬&lt;br /&gt;
૫૭.	એજન, પૃ. ૧૦૬&lt;br /&gt;
૫૮.	એજન, પૃ. ૧૨૮&lt;br /&gt;
૫૯.	એજન, પૃ. ૧૩૦&lt;br /&gt;
૬૦.	એજન, પૃ. ૧૩૦&lt;br /&gt;
૬૧.	એજન, પૃ. ૧૩૧&lt;br /&gt;
૬૨.	‘સાહિત્યવિચારણા’ (પ્ર. પોતે, ૧૯૬૯) પૃ. ૧૧૧&lt;br /&gt;
૬૩.	‘સાહિત્યસમીક્ષા’ (પ્ર. ઈશ્વરલાલ દવે, નૂતન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૩૭) પૃ. ૪&lt;br /&gt;
૬૪.	એજન, પૃ. ૮-૯&lt;br /&gt;
૬૫.	એજન, પૃ. ૯&lt;br /&gt;
૬૬.	એજન, પૃ. ૯&lt;br /&gt;
૬૭.	એજન, પૃ. ૧૧&lt;br /&gt;
૬૮.	‘ઉપાયન’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૫૭-૫૮&lt;br /&gt;
૬૯.	‘સાહિત્યસમીક્ષા’ (ઉપર નોંધેલી આવૃત્તિ) પૃ. ૧૬&lt;br /&gt;
૭૦.	એજન, પૃ. ૨૨&lt;br /&gt;
૭૧.	‘નિકષરેખા’ (પ્ર. પોતે, ૧૯૪૫), પ્રસ્તાવના, ૧૩-૧૪&lt;br /&gt;
૭૨.	‘દ્રુમપર્ણ’ (ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ, ૧૯૮૨) પૃ. ૧૦૦&lt;br /&gt;
૭૩.	‘સાહિત્યવિમર્શ’ (શ્રી સયાજી સાહિત્યમાળા, પ્ર. પોતે, ૧૯૩૯), પૃ. ૪૦&lt;br /&gt;
૭૪.	એજન, પૃ. ૪૦-૪૧&lt;br /&gt;
૭૫.	‘સાહિત્યલોક’ (ગૂર્જર, અમદાવાદ, ૧૯૫૪) પૃ. ૪૩&lt;br /&gt;
૭૬.	એજન, પૃ. ૪૬&lt;br /&gt;
૭૭.	એજન, પૃ. ૩૫&lt;br /&gt;
૭૮.	એજન, પૃ. ૩૮&lt;br /&gt;
૭૯.	એજન, પૃ. ૩૮&lt;br /&gt;
૮૦.	એજન, ૫ ૩૮-૩૯&lt;br /&gt;
૮૧.	‘દ્રુમપર્ણ’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૬ (પ્રસ્તાવના)&lt;br /&gt;
૮૨.	એજન, પૃ ૭ (પ્રસ્તાવના)&lt;br /&gt;
૮૩.	‘ઉપાયન’ (ઉપર નોંધેલી આવૃત્તિ) પૃ. ૩&lt;br /&gt;
૮૪.	એજન, પૃ. ૩&lt;br /&gt;
૮૫.	એજન, પૃ. ૪&lt;br /&gt;
૮૬.	એજન, પૃ. ૫&lt;br /&gt;
૮૭.	એજન, પૃ. ૧૮&lt;br /&gt;
૮૮.	એજન, પૃ. ૧૮&lt;br /&gt;
૮૯.	એજન, પૃ. ૧૮&lt;br /&gt;
૯૦.	એજન, પૃ. ૨૩&lt;br /&gt;
૯૧.	એજન, પૃ. ૨૩&lt;br /&gt;
૯૨.	એજન, પૃ. ૧૯&lt;br /&gt;
૯૩.	The Great Critics (Ed. by Smith &amp;amp; Park, W. W. Norton Co. ૧૯૬૭), pp. ૭૨૧&lt;br /&gt;
૯૪.	‘ઉપાયન’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૨૦&lt;br /&gt;
૯૫.	એજન, પૃ. ૨૫&lt;br /&gt;
૯૬.	એજન, પૃ. ૨૫&lt;br /&gt;
૯૭.	એજન, પૃ. ૬૨&lt;br /&gt;
૯૮.	‘સાહિત્યચિંતન’ (વોરા, ૧૯૭૮) પૃ. ૧૩૭-૧૩૮&lt;br /&gt;
૯૯.	એજન, પૃ. ૧૩૮–૧૩૯&lt;br /&gt;
૧૦૦.એજન, પૃ. ૧૪૨&lt;br /&gt;
૧૦૧.	એજન, પૃ. ૧૪૪&lt;br /&gt;
૧૦૨.	એજન, પૃ. ૨૬૫-૨૬૬&lt;br /&gt;
૧૦૩.	એજન, પૃ. ૨૬૬&lt;br /&gt;
૧૦૪.	એજન, પૃ. ૨૬૭&lt;br /&gt;
૧૦૫.	એજન, પૃ. ૨૬૭-૨૬૮&lt;br /&gt;
૧૦૬.	એજન, પૃ. ૨૬૯&lt;br /&gt;
૧૦૭.	એજન, પૃ. ૨૨૯&lt;br /&gt;
૧૦૮.	એજન, પૃ. ૨૪૫&lt;br /&gt;
૧૦૯.	‘સા વિદ્યા’ (વોરા, ૧૯૭૮), પૃ. ૨૩૬&lt;br /&gt;
૧૧૦.	એજન, પૃ. ૨૩૨&lt;br /&gt;
૧૧૧.	‘શૈલી અને સ્વરૂપ’ (વોરા, ૧૯૬૦), પૃ. ૧૨૩-૨૪&lt;br /&gt;
૧૧૨.	એજન, પૃ ૧૨૪&lt;br /&gt;
૧૧૩.	‘સંસ્કૃતિ’ ૨૦૦મો અંક પૃ. ૨૮૬ (‘પ્રતિશબ્દ‘ પૃ. ૨૩)&lt;br /&gt;
૧૧૪.	એજન, પૃ. ૪૮૪&lt;br /&gt;
૧૧૫.	‘પ્રતિશબ્દ’, (વોરા) પૃ. ૨૪&lt;br /&gt;
૧૧૬.	એજન, પૃ. ૨૪&lt;br /&gt;
૧૧૭.	‘કિંચિત્‌’ (ચેતન પ્ર., વડોદરા, ૧૯૬૦), પૃ. ૧૨&lt;br /&gt;
૧૧૮.	એજન, પૃ. ૧૨&lt;br /&gt;
૧૧૯.	Aesthetics and Criticism (ઉપર નોંધેલી આવૃત્તિ), pp. ૨૦&lt;br /&gt;
૧૨૦.	‘ચિન્તયામિ મનસા’ (સદ્‌ભાવ પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૨) પૃ. ૧.&lt;br /&gt;
૧૨૧.	એજન, પૃ. ૧૧&lt;br /&gt;
૧૨૨.	એજન, પૃ. ૧૧&lt;br /&gt;
૧૨૩.	‘અરણ્યરુદન’ (બુટાલા, વડોદરા, ૧૯૭૬) પૃ. ૧૨૪&lt;br /&gt;
૧૨૪.	એજન, પૃ. ૧૨૫&lt;br /&gt;
૧૨૫.	એજન, પૃ. ૧૨૬&lt;br /&gt;
૧૨૬.	એજન, પૃ. ૧૨૭-૨૮&lt;br /&gt;
૧૨૭.	એજન, પૃ. ૧૩૩&lt;br /&gt;
૧૨૮.	એજન, પૃ. ૧૩૩-૩૪&lt;br /&gt;
૧૨૯.	‘ચિન્તયામિ મનસા’ (ઉપર નોંધેલી આવૃત્તિ) પૃ. ૫૭-૫૮&lt;br /&gt;
૧૩૦.	એજન, પૃ. ૫૬&lt;br /&gt;
૧૩૧.	એજન, પૃ. ૬૪બ &lt;br /&gt;
૧૩૨.	‘અરણ્યરુદન’ (ઉપર નોંધેલી આવૃત્તિ), પૃ. ૪૨-૪૩&lt;br /&gt;
૧૩૩.	‘કાવ્યમાં શબ્દ’ (આર. આર. ૧૯૬૮) પ્રસ્તાવના&lt;br /&gt;
૧૩૪.	એજન, પ્રસ્તાવના&lt;br /&gt;
૧૩૫.	‘કાવ્યનું સંવેદન’, (આર. આર. ૧૯૭૬), પૃ. ૨૧&lt;br /&gt;
૧૩૬.	એજન, પૃ. ૨૨&lt;br /&gt;
૧૩૭.	એજન, પૃ. ૩૨&lt;br /&gt;
૧૩૮.	એજન, પૃ. ૩૪-૩૫&lt;br /&gt;
૧૩૯.	એજન, પૃ. ૩૮&lt;br /&gt;
૧૪૦.	એજન, પૃ. ૪૪&lt;br /&gt;
૧૪૧.	એજન, પૃ. ૪૪&lt;br /&gt;
૧૪૨.	એન્જન, પૃ. ૫૭&lt;br /&gt;
૧૪૩.	એજન, પૃ. ૫૭&lt;br /&gt;
૧૪૪.	એજન, પૃ. ૫૮&lt;br /&gt;
૧૪૫.	એજન, પૃ. ૧૫૪&lt;br /&gt;
૧૪૬.	‘એતદ્‌’ અંક-૬૮&lt;br /&gt;
૧૪૭.	‘શબ્દસૃષ્ટિ’ અંક-૧&lt;br /&gt;
૧૪૮.	‘એતદ્‌’ અંક-૭૩&lt;br /&gt;
૧૪૯.	‘વિવેચનની પ્રક્રિયા’ (પરિષદ પ્રકાશન, ૧૯૭૮) પૃ. ૪&lt;br /&gt;
૧૫૦.	એજન, પૃ. ૧૦&lt;br /&gt;
૧૫૧.	એજન, પૃ. ૧૧&lt;br /&gt;
૧૫૨.	‘અભ્યાસ’ અંક-જુલાઈ, ૧૯૭૧, અંક ૧૦૮&lt;br /&gt;
૧૫૩.	‘વિવેચનઃ ચાર મુદ્દા’ (ઊહાપોહ શ્રેણી), પૃ. ૧-૨૨&lt;br /&gt;
૧૫૪.	એજન, પૃ. ૬&lt;br /&gt;
૧૫૫.	એજન, પૃ. ૬&lt;br /&gt;
૧૫૬.	‘પરબ’ ઑક્ટોબર, ૧૯૭૭&lt;br /&gt;
૧૫૭.	‘વિવેચન : ચાર મુદ્દા’ (ઊહાપોહ શ્રેણી), પૃ. ૩૯-૫૨&lt;br /&gt;
૧૫૮.	એજન, પૃ. ૪૬&lt;br /&gt;
૧૫૯.	એજન, પૃ. ૪૬&lt;br /&gt;
૧૬૦.	એજન, પૃ. ૪૬&lt;br /&gt;
૧૬૧.	‘એતદ્‌’ – ૧૩&lt;br /&gt;
૧૬૨.	‘વિવેચન : ચાર મુદ્દા’ પૃ. ૨૭&lt;br /&gt;
૧૬૩.	એજન, પૃ. ૨૮&lt;br /&gt;
૧૬૪.	એજન, પૃ. ૩૨ &lt;br /&gt;
૧૬૫.	એજન, પૃ. ૩૩&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87783</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87783"/>
		<updated>2025-04-27T08:39:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પાદટીપ|પાદટીપ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો|સંદર્ભગ્રંથો અને સામયિકો]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/VI_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8&amp;diff=87782</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/VI_%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AA%E0%AA%A8&amp;diff=87782"/>
		<updated>2025-04-27T08:37:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading| VI. તારણો અને સમાપન  |  }} {{Poem2Open}} આ અધ્યયનના આરંભમાં નોંધ્યું છે તેમ, મારો ઉપક્રમ અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે આપણા અભ્યાસીઓએ અને વિવેચકોએ સૈદ્ધાંતિ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| VI. તારણો અને સમાપન  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ અધ્યયનના આરંભમાં નોંધ્યું છે તેમ, મારો ઉપક્રમ અહીં વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે આપણા અભ્યાસીઓએ અને વિવેચકોએ સૈદ્ધાંતિક સ્વરૂપની જે કંઈ ચર્ચાવિચારણાઓ કરી હોય, કે આ વિશે જે કંઈ ખ્યાલો રજૂ કર્યા હોય, તેની તાત્ત્વિક તપાસ કરવાનો છે. એ સંદર્ભમાં નર્મદથી લઈ આજની નવી પેઢીના અભ્યાસીઓની આ વિષયને લગતી ચર્ચાવિચારણાઓની આપણે નોંધ લીધી, તેમ તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોને રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો. અલબત્ત, આપણા અગ્રણી અભ્યાસીઓની વિચારણાઓ જ અહીં વિશેષ દૃષ્ટિમાં રાખી છે.&lt;br /&gt;
સુવિદિત છે તેમ, આપણી વિવેચનપ્રવૃત્તિ હવે સો વર્ષથી યે કંઈક વધુ સમયગાળાની થવા જાય છે. નર્મદનવલરામથી આજની તરુણ પેઢી સુધીના અનેક પ્રતિભાશાળી વિદ્વાનો—વિવેચકોએ આગવી આગવી શક્તિ મતિ અને રુચિ અનુસાર, ગંભીરતાથી, સંનિષ્ઠાથી, ઉત્તરદાયિત્વના ઊંડા ભાન સાથે આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી છે, અને આપણા વિવેચનસાહિત્યને ઠીક ઠીક સમૃદ્ધ કર્યું છે. નોંધવું જોઈએ કે ઘણાએક સર્જકોએ પણ વિવેચકની ભૂમિકા સ્વીકારીને આ ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. સિદ્ધાંતવિચાર તેમ કૃતિવિવેચન—બંને ય ક્ષેત્રે આપણા અભ્યાસીઓએ ઘણું નોંધપાત્ર કાર્ય કર્યું છે. બદલાતા જતા સાહિત્ય-પ્રવાહને અનુલક્ષીને કે પાશ્ચાત્ય સાહિત્યવિચારની પ્રેરણા લઈને કે સ્વતંત્ર અધ્યયનચિંતન રૂપે સાહિત્યકળાના પ્રશ્નો તેમણે વિચારેલા છે. જો કે સંસ્કૃતના અને પશ્ચિમના, બે ભિન્ન પરંપરાના સાહિત્યવિચારની પ્રેરણા લઈને જન્મેલા અને વિકસેલા આપણા વિવેચન માટે ભિન્ન ભિન્ન સિદ્ધાંતોને સાંકળી લઈને તેમાંથી સમન્વિત અને સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું કામ ઘણું મુશ્કેલ બની રહ્યું છે. વળી આપણા રચાતા આવતા સાહિત્ય સાથે ગાઢ અનુસંધાન કેળવીને તેના આસ્વાદ-વિવેચન નિમિત્તે ઉપસ્થિત થતા વિશિષ્ટ પ્રશ્નોની માંડણી કરતા જવાનું પણ બહુ બન્યું નથી. અલબત્ત, કૃતિવિવેચનના ક્ષેત્રની આપણી કામગીરી કદાચ વધુ સંતોષપ્રદ છે. આપણા જૂના નવા સાહિત્યકારો કે તેમની વિશિષ્ટ કૃતિઓ વિશે આપણને સારા અધ્યયનગ્રંથો અને મોટી સંખ્યામાં માર્મિક વિવેચનલેખો મળ્યા છે. જો કે એમાં હજી યે ઘણું કામ બાકી છે. પણ અહીં આપણે માટે પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. આપણે નોંધવાનું રહે છે કે આપણા વિવેચકોએ આ પ્રવૃત્તિ છેક અત્યાર સુધી વિના સંશય ખેડી છે. હમણાં કોઈ કોઈ તરુણ સર્જકે વિવેચનપ્રવૃત્તિની વિફલતા વંધ્યતા કે અપ્રસ્તુતતાનો મત વ્યક્ત કર્યો છે. પણ એકંદરે આ પ્રવૃત્તિ આજે ય ઠીક ઠીક ગંભીરતાથી સ્વીકારાતી દેખાય છે.&lt;br /&gt;
અચરજ થાય એવી વાત એ છે કે ‘વિવેચન’ની વિભાવના વિશે – તેના તાત્ત્વિક સ્વરૂપ અને કાર્ય વિશે તેમ જ પદ્ધતિઓ વિશે – સુવ્યવસ્થિત સર્વગ્રાહી વિચારણા કરતો એકે આકરગ્રંથ આપણને હજી સુધી મળ્યો નથી. (જો કે સાહિત્યવિચારના ક્ષેત્રમાં પણ એવા આકરગ્રંથની ઊણપ રહી ગઈ છે) અલબત્ત વિવેચનના અમુક તમુક અભિગમોની ચર્ચા કરતાં પુસ્તકો હમણાં હમણાં સુલભ બન્યાં છે. પણ અત્યાર સુધીની લગભગ બધી જ પ્રવૃત્તિઓ, આવા બેત્રણ અપવાદો બાદ કરતાં, અધ્યયન લેખો કે પ્રાસંગિક વક્તવ્યોના રૂપમાં જ ચાલી છે.&lt;br /&gt;
આ અધ્યયનમાં આપણા વિવેચનતત્ત્વવિચારની તપાસ આપણા સાહિત્યના તબક્કાઓને અનુલક્ષીને હાથ ધરી, તેથી એક વાત તરત સ્પષ્ટ બની જાય છે કે આ ક્ષેત્રની વિચારણામાં દરેક તબક્કે અમુક નવા ખ્યાલો – નવાં દૃષ્ટિબિંદુઓ ઉમેરાતાં રહ્યાં છે, પણ એમાં સ્વાતંત્ર્યોત્તર સમયની ચર્ચાવિચારણા તેની પૂર્વેના સાતઆઠ દાયકાની વિચારણાઓથી કેટલીક મૂળભૂત બાબતમાં જુદી પડે છે. કહો કે સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનમીમાંસામાં મોટા વળાંકો આવતા દેખાય છે. અગાઉ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ જ વિવેચકની ભૂમિકા વિશે જે જાતના ખ્યાલો પ્રવર્તતા રહ્યા છે, તેથી કંઈક જુદી જ દિશાની ચર્ચા હમણાં આરંભાઈ છે. અગાઉ વિવેચનના અભિગમો/પદ્ધતિઓ વિશે થોડીક પ્રારંભિક કોટિની ચર્ચા મુનશી બળવંતરાય વિશ્વનાથ વિષ્ણુપ્રસાદ આદિમાં મળે છે. પણ એ અભિગમો/પદ્ધતિઓની પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતાના કે સાહિત્યની વિભાવના સાથેના તેના સંબંધોના કે અભિગમોની કાર્યક્ષમતાના તાત્ત્વિક પ્રશ્નો વિશે વિચારવાનું ખાસ વલણ ત્યારે બંધાયું નહોતું. મુનશી અને વિશ્વનાથ જેવા વિવેચકોએ તો સર્જનાત્મક વિવેચન, ઐતિહાસિક અને ચરિત્રલક્ષી અભિગમનું વિવેચન – એવા જુદા જુદા અભિગમોને સેળભેળ કરી દીધા દેખાય છે. અને બીજા કેટલાક અભ્યાસીઓએ ‘વિવેચનરીતિ’નો જે રીતે વિચાર કર્યો છે, તેમાં તેમને ‘રીતિ’થી વિવેચનની શૈલી કે રજૂઆતનો ખ્યાલ જ વધુ અભિગમ હોવાનું જણાય છે. અલબત્ત, નરસિંહરાવ જેવાએ ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ની આછી સમજણ કેળવી હતી. બળવંતરાયે કવિતાશિક્ષણના ભાગ રૂપે કેટલુંક વિવરણ રજૂ કરીને એક નવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો; તેમ જ સોહરાબ રુસ્તમ વિશેનાં બે મહાકાવ્યોની ચર્ચાવિચારણા નિમિત્તે તેમણે પ્રાસંગિક રીતે વિવેચનની ઐતિહાસિક-તુલનાત્મક પદ્ધતિનો થોડોક વિચાર કરેલો. પણ વિવેચનની આગવી પદ્ધતિ લેખે એની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનો કે અન્ય કૃતિઓના અધ્યયન-વિવેચનમાં તેનો વિનિયોગ કરવાનો ખાસ પ્રયત્ન કર્યો નથી. વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ જેવા વિદ્વાનોની વિચારણામાં પણ ઐતિહાસિક અભિગમનો પ્રસંગે સ્વીકાર છે, પણ એની અલગ પદ્ધતિ લેખે સમીક્ષા કરવાનો કોઈ નોંધપાત્ર પ્રયત્ન જણાતો નથી. જો કે સ્વાતંત્ર્યોત્તર સમયમાં આકારવાદ અને આકારવાદી વિવેચનની સભાન પ્રવૃત્તિ આરંભાઈ તે પૂર્વેના આપણા કૃતિવિવેચનમાં ઐતિહાસિક, ચરિત્રલક્ષી, નીતિલક્ષી કે સ્વરૂપલક્ષી અભિગમોનો ઘણું ખરું સાથે સાથે સ્વીકાર હતો. પદ્ધતિઓની આગવી તાત્ત્વિક ભિન્નતા વિશે પૂરતી સભાનતા વિના ય કદાચ એનો વિનિયોગ થતો રહ્યો છે.&lt;br /&gt;
છઠ્ઠા દાયકામાં સુરેશ જોષીએ રૂઢ સાહિત્યવિચારનો અસ્વીકાર કરી નવી વિભાવના રજૂ કરી. સુવિદિત છે તેમ, આકાર અને આકારવાદની ભૂમિકા એના કેન્દ્રમાં રહી છે. શુદ્ધ કળા અને નિરપેક્ષ સર્જકતા માટે એમાં તેમનો પ્રબળ આગ્રહ રહ્યો છે. સાહિત્યનું મુખ્ય પ્રયોજન રસનિષ્પત્તિનું છે, અને ભાવક/વિવેચકનું મુખ્ય કામ કૃતિના આસ્વાદનું વર્ણન કરવાનું છે એમ તેમણે કહ્યું. એ સાથે સાહિત્યને જોવાનો આ જ સાચો ‘સાહિત્યિક’ અભિગમ છે, અને તેની પૂર્વે ઘણે અંશે તો અભાનપણે સ્વીકારાતો રહેલો ઐતિહાસિક કે નૈતિક કે ચરિત્રલક્ષી અભિગમ બિનસાહિત્યિક છે, એવી સમજ પણ પ્રચારમાં આવી. આમ આસ્વાદલક્ષી (કે કૃતિનિષ્ઠ કે આકારલક્ષી) વિવેચન પદ્ધતિની પ્રતિષ્ઠા થઈ તે પછી જ વિવેચનના વિવિધ અભિગમો કે પદ્ધતિઓ વિશે નવી સભાનતા આપણે ત્યાં ઝડપથી વિકસતી દેખાય છે. ડૉ. સુરેશ જોષી, ડૉ. હરિવલ્લભ ભાયાણી, અને બીજા અનેક તરુણ અભ્યાસીઓ આ દિશામાં વિચારવિમર્શ કરવા પ્રવૃત્ત થયા એ સાથે આપણે ત્યાં એમ પણ સ્પષ્ટ થયું કે વિવેચનની આવી પદ્ધતિઓની વિચારણા સાથે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness)ના આગવા પ્રશ્નો પડેલા છે. હકીકતમાં, સ્વાતંત્ર્યોત્તર સમયમાં વિવેચનના પ્રશ્નોની જે રીતે છણાવટ આરંભાઈ, તેની સાથે સાહિત્યસ્વરૂપના તાત્ત્વિક પ્રશ્નોની પણ જુદી જુદી રીતે માંડણી આરંભાઈ. &lt;br /&gt;
છઠ્ઠા સાતમા દાયકામાં આપણે ત્યાં આકારવાદ અને આકારવાદી વિવેચનની ભૂમિકા રજૂ થઈ તે પછી પાશ્ચાત્ય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈ ભાષાલક્ષી, સંરચનાલક્ષી, ચૈતન્યવાદી, ફિનોમિનોલોજિકલ, અને માર્ક્‌સવાદી અભિગમને લગતો વિચારવિમર્શ શરૂ થયો. પણ આ બધા અભિગમોમાં ‘વિવેચન’ નામની પ્રવૃત્તિ અનેક દિશામાં વહેંચાઈ જતી લાગશે. એના સ્વરૂપ અને કાર્ય વિશેની (કે વિવેચકે ભજવવાની ભૂમિકા વિશેની) પરંપરાગત સમજ પણ એથી ધૂંધળી અને સંદિગ્ધ બની જવા પામી છે. ભાષાલક્ષી/સંરચનાલક્ષી અભિગમથી થતાં ‘વિવેચનો’ ખરેખર તો પાઠલક્ષી અધ્યયનો જ બની રહ્યાં. ચૈતન્યવાદી અભિગમનો થોડોક સિદ્ધાંતવિચાર આપણે ત્યાં રજૂ થયો પણ એની પૂરી તાત્ત્વિક ભૂમિકા કદાચ સ્પષ્ટ થઈ નથી. કૃતિ સાથે ચૈતન્યવાદી વિવેચક શી રીતે કામ પાડે છે તે જોવાસમજવાનું બાકી છે. માર્ક્‌સવાદી અભિગમ વિશે ય ઝાઝી સભાનતા જન્મી દેખાતી નથી. આમ છતાં, બદલાતા સંદર્ભમાં ‘વિવેચન’ના સ્વરૂપ અને કાર્ય અંગે ફરીથી વિચાર કરવાનું પ્રાપ્ત થશે.&lt;br /&gt;
નર્મદથી આજની પેઢી સુધીના વિદ્વાનોની વિવેચનતત્ત્વવિચારણાના સંદર્ભમાં આપણે હવે કેટલાંક મહત્ત્વનાં તારણો નોંધીશું.&lt;br /&gt;
૧. 	વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે પેઢીએ પેઢીએ ખ્યાલો બદલાતા રહ્યા છે. સર્વ ચર્ચાઓ જોયા પછી એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એ સંજ્ઞા ઠીક ઠીક સંદિગ્ધ અને રૂપાંતરશીલ (protean) પુરવાર થઈ છે. એક બાજુ સાહિત્યકૃતિ વિશેના શાસ્ત્રીય અધ્યયન (scholarship) તરફ એ પ્રવૃત્તિ ઝૂકે છે, બીજી તરફ કૃતિના આસ્વાદના વર્ણનમાં એ સીમિત થાય છે, ત્રીજી બાજુ ભાવકના સંવિદ્‌ના રૂપમાં એ બંધાવા મથે છે. કૃતિના શાસ્ત્રીય અધ્યયનની સાથે ભળી જતા વિવેચનથી માંડી ભાવકના સંવિદ્‌વિસ્તાર સુધીના વ્યાપમાં ભિન્ન ભિન્ન સ્તરની ચૈતસિક પ્રવૃત્તિઓ એમાં સૂચવાતી રહી છે.&lt;br /&gt;
૨. 	‘વિવેચન’ સંજ્ઞા આપણે ત્યાં સાહિત્યતત્ત્વવિચાર અને કૃતિવિવેચન – એ બંને ય પ્રવૃત્તિઓને સમાવતી વ્યાપક પ્રવૃત્તિ રૂપે ય, તેમ એ બે પૈકીની કોઈ એક પ્રવૃત્તિ માટે ય, યોજાતી રહી છે. આરંભકાળમાં સિદ્ધાંતવિચાર અને કૃતિવિવેચન બંને ય પ્રવૃત્તિના સ્વરૂપ અને પ્રયોજનની ભિન્નતા વિશે પૂરતી સંપ્રજ્ઞતા કેળવાઈ ન હોવાથી, વિવેચન એ ‘કલાસખી’ કે ‘શાસ્ત્રસખી’ જેવા પ્રશ્નો ઊભા થયા છે; અને ચર્ચાઓમાં અવારનવાર ગૂંચવાડાઓ પણ થયા છે. બળવંતરાયની ચર્ચા એનું સ્પષ્ટ દૃષ્ટાંત છે. ખરેખર તો, વિવેચનના સ્વરૂપ અને કાર્યક્ષેત્રના પ્રશ્નો વિશે બળવંતરાયની ભૂમિકા ઘણી વ્યાપક વિસ્તરી છે. કૃતિવિવેચન, સાહિત્યમીમાંસા, અને સૌંદર્યમીમાંસા એ ત્રણેય ક્ષેત્રની પ્રવૃત્તિઓને તેઓ એક પ્રસંગે ‘વિવેચન’માં સમાવતા જણાશે. અને, એટલું જ નહિ, તુલનાત્મક સૌંદર્યમીમાંસા (Comparative Aesthetics)ને ય તેઓ એમાં સમાઈ જતી જૂએ છે.&lt;br /&gt;
૩.	સર્જનના વ્યાપારમાં રોકાતા કવિને પોતાની કૃતિની રચનાપ્રક્રિયા કે ભાષાની બાબતમાં વચ્ચે વચ્ચે જે કંઈ ‘વિવેક’ કરવાનો આવે કે જે રીતની પસંદગી કરવામાં આવે – એવા નિર્ણયને ‘વિવેચન’ તરીકે ઓળખાવવાનું વલણ પણ વચગાળામાં અનેક અભ્યાસીઓએ દાખવ્યું છે. સર્જનની પ્રક્રિયા દરમ્યાન સર્જક પણ ‘વિવેચક’ બનતો હોય છે એવી સમજ તેમણે રજૂ કરેલી છે. પણ આ રીતે સર્જનની અંતર્ગત કવિ (કે લેખક) જે કંઈ ‘વિવેક’ કરે તેને સાચા અર્થમાં વિવેચન કહી શકાય નહિ. એને તમે critical act તરીકે ઓળખાવવા ચાહો તો ભલે, પણ સર્જાયેલી કૃતિ વિશે ભાવક/વિવેચક જે રીતે એનું વર્ણન વિવરણ કે મૂલ્યાંકન કરવા પ્રેરાય છે તેથી એ જરા ભિન્ન ઘટના છે. એનું પ્રયોજન વાસ્તવમાં ઘણું જુદું છે. એમાં કવિ માટે પોતાની કૃતિના ઉઘડતા આવતા વિશિષ્ટ રૂપના સંદર્ભમાં રચનાપ્રયુકિત કે શબ્દની સમર્પકતા સાર્થકતા અને પ્રસ્તુતતાના પ્રશ્નો પડેલા છે. જ્યારે વિવેચકનું વિવેચન કૃતિની રૂપરચના ઉકેલીને તેનો ‘મર્મ’ પામવા ચાહે છે કે તેનું રહસ્યઘટન કરવા મથે છે, અને વારંવાર કૃતિનું મૂલ્યાંકન કરવા ય પ્રેરાય છે. અને અર્થઘટન કે મૂલ્યાંકનની પ્રવૃત્તિ હંમેશાં કૃતિની બહારના સંદર્ભોને એક યા બીજી રીતે અનુલક્ષે છે. એટલે સર્જનની પ્રક્રિયાના અંતર્ગત ભાગરૂપે જે કંઈ ‘વિવેક’ કરવાના પ્રસંગે આવે તેને ‘વિવેચન’ કહેતાં તો વળી ગૂંચવાડા વધી જાય છે.&lt;br /&gt;
૪. 	વિવેચક સર્જકનો ‘જોડિયો ભાઈ’ છે એમ નરસિંહરાવે કહ્યું. તેમને એમ અભિમત હતું કે કૃતિના ભાવનની ક્ષણોમાં વિવેચક પણ સર્જકની જેમ જ પોતાની કલ્પનાના બળે આખી ય કૃતિને ચિત્તમાં તાદૃશ કરે છે. (અથવા, તેણે કરવી જોઈએ.) પણ આ ખ્યાલને આત્યંતિક સ્વરૂપમાં ખેંચી જવામાં આવ્યો અને વિવેચક પણ આગવી રીતે સર્જક જ છે અને વિવેચન પણ આગવી રીતનું સર્જન જ છે એવી માન્યતા બંધાવા પામી. વિવેચનના તાત્ત્વિક સ્વરૂપને લગતો અહીં એક પાયાનો પ્રશ્ન પડેલો છે. કેટલાક વિદ્વાનો કૃતિના ભાવનને અનુલક્ષીને તેના ‘બૌદ્ધિક આલેખ’ પર કે તેના logical discourse પર મોટો ભાર મૂકે છે, બીજાઓ કૃતિના સર્જનાત્મક રૂપ પર અને તેમાં વ્યંજિત થતા અર્થને પુનઃ આકલિત કરવા, વિવેચકના બૌદ્ધિક વ્યાપારને સ્થાને, તેના સર્જનાત્મક અભિગમ પર વધુ ભાર મૂકે છે. કવિ જે અર્થમાં સર્જન કરે છે એ અર્થમાં નહિ, કૃતિમાં રજૂ થયેલા રહસ્યના આકલન અર્થે ‘સર્જનાત્મક ભાષા’ તે યોજે, એ અર્થમાં તે ‘સર્જક’ લેખાય ખરો.&lt;br /&gt;
૫.	વિવેચકનાં કાર્યોનો પ્રદેશ પણ ઘણો વિશાળ બનતો દેખાય છે&lt;br /&gt;
(૧)	કૃતિના ગુણો અને દોષો બતાવવા, કૃતિ વિશે સમગ્રલક્ષી મૂલ્ય નિર્ણય (judgement) આપવો.&lt;br /&gt;
(૨)	કૃતિમાંથી પ્રાપ્ત થતા રસાનુભવનું વર્ણન આપવું.&lt;br /&gt;
(૩)	ભાવક સમક્ષ કૃતિનો મર્મ પ્રગટ કરી આપવો, તેની અભિરુચિ ખિલવવામાં અને તેની કળાદૃષ્ટિ પરિમાર્જિત કરવામાં ભાગ ભજવવો. તાત્પર્ય કે, ભાવકની સજ્જતા વધે તે માટે સહાયભૂત થવું.	&lt;br /&gt;
(૪)	સર્જાતા જતા સાહિત્યનું સતત જાગૃતપણે અવલોકન-પરીક્ષણ કરવું. સર્જનાત્મક સાહિત્યના વિકાસ અર્થે ‘વાતાવરણ‘ રચવું.&lt;br /&gt;
(૫) તરુણ પેઢીના સર્જકોને પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપમાં ‘માર્ગદર્શક’ બનવું. ઊગતા લેખકોને પ્રોત્સાહિત કરવા, પ્રેરવા, આવકારવા.&lt;br /&gt;
(૬)	આગલા યુગની સાહિત્ય કૃતિઓનું નવા પરિપ્રેક્ષ્યમાં વિવેચન— મૂલ્યાંકન કરવું, પુનર્મૂલ્યાંકન કરવું.&lt;br /&gt;
(૭)	સમકાલીન સાહિત્યના અવનવા ઉન્મેષોને પરંપરા જોડે સાંકળી આપવા. પ્રયોગશીલ રચનાઓમાં ખરેખર સાચકલી કઈ અને કૃતક કઈ તેનો વિવેક કરવો.&lt;br /&gt;
(૮)	કૃતિમાં સ્પર્શાયેલા જીવનના પ્રશ્નોની છણાવટ કરવી.&lt;br /&gt;
(૯)	વિવેચક સાહિત્યના તાત્ત્વિક પ્રશ્નોનો ય વિચાર કરે. કૃતિના કળાત્મક ગુણોના સ્રોત લેખે કળાના વિવિધ સિદ્ધાંતો વાદો કે વિભાવનાઓની સ્પષ્ટતા કરે. બદલાતા જતા સાહિત્યિક સંદર્ભમાં તેની પુનર્વ્યાખ્યા કરે, તેનું અર્થઘટન કે વિવરણ કરે, અને તેની પ્રસ્તુતતા પણ વિચારે, વગેરે વગેરે.&lt;br /&gt;
૬.	વિવેચકની સજ્જતા વિશે પણ ઘણાખરા વિવેચકોએ કહ્યું છે. આ મુદ્દા પર સ્વાભાવિક રીતે જ મતભેદને અવકાશ નથી. સંસ્કૃત મીમાંસાએ ભાવક માટે યોજેલી ‘સહૃદય’ સંજ્ઞાનું અર્થઘટન કરીને ઘણુંખરું સૌ ચાલ્યા છે. તેમાંની ‘ભાવયિત્રી પ્રતિભા’નો એ રીતે સ્વીકાર થયો છે. ભાવક/વિવેચકમાં સર્વથા ભિન્ન આકાર અને ભિન્ન રીતિની અવનવી કૃતિઓ સાથે તન્મયતા સાધી શકે તેવી સહૃદયતા જોઈએ, એમ સૌ અભ્યાસીઓએ સ્વીકાર્યું છે. તેને માટે એ સૌ પ્રથમ અનિવાર્યતા છે, અને વિવેચનપ્રવૃત્તિની એ જ આધારભૂમિ બની શકે, એમ પણ તેમણે કહ્યું છે. આ સાથે સાહિત્યની કળા વિશેનું અર્થાત્‌, સાહિત્યમીમાંસાનું જ્ઞાન, વિવેચનપ્રવૃત્તિ વિવેચનની પદ્ધતિ અને તેના પ્રશ્નોની જાણકારી, પોતાની ભાષાની તેમ જ એકાદ બે પરભાષાની પરંપરામાં નીવડેલી ધ્યાનપાત્ર કૃતિઓનું દીર્ઘ પરિશીલન, અન્ય લલિત કળાઓનો પરિચય, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, ભાષાવિજ્ઞાન-શૈલીવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, પ્રતીકવિજ્ઞાન આદિ વિદ્યાશાખાઓનો શક્ય તેટલો વધુ પરિચય—એમ ઘણી રીતે તે સુસજ્જ હોય એ જરૂરી છે.&lt;br /&gt;
૭. 	આપણા અભ્યાસીઓએ વિવેચનતત્ત્વ વિશે જે કંઈ ચર્ચાવિચારણાઓ કરી તેમાં કેટલાક વિભાવો ઊંડી તાત્ત્વિક સ્પષ્ટતા માગે છે.&lt;br /&gt;
(અ) ‘વિવેચન’ના પર્યાયો લેખે કે તેની સાથે જોડાઈને આવતી સંજ્ઞાઓ ‘ટીકા’ ‘સમીક્ષા’ ‘આલોચના’ ‘સમાલોચના’ ‘વિવરણ’ આદિના સંકેતો બને તેટલા સ્પષ્ટ કરવાના રહે છે. એ જ રીતે ‘આસ્વાદ’ કે, ‘આસ્વાદલક્ષી વિવેચન’ જેવી સંજ્ઞાઓ પણ સ્પષ્ટ કરવાની રહે.&lt;br /&gt;
(બ) વિવેચનની અંતર્ગત સમાતા વિભિન્ન વ્યાપારો – ‘આસ્વાદ’ ‘વાચન’ ‘અર્થગ્રહણ’ ‘વિવરણ’ ‘વર્ણન’ ‘અર્થઘટન’ ‘મૂલ્યાંકન’ ‘સ્પષ્ટીકરણ’ ‘સમજુતિ’ ‘રહસ્યઘટન’ ‘મર્મઘટન’ જેવી સંજ્ઞાઓના સંકેતો પૂરા સ્પષ્ટ થવા જોઈએ. મનોવિજ્ઞાન, જ્ઞાનમીમાંસા, તત્ત્વજ્ઞાન, અને સૌંદર્યમીમાંસાના સંબંધિત પ્રશ્નોના પ્રકાશમાં એનું સ્પષ્ટીકરણ થવું જોઈએ.&lt;br /&gt;
૮. વિવેચનતત્ત્વ વિશેની ચર્ચાઓમાં જાણ્યેઅજાણ્યે કેટલાક કૂટ તાત્વિક પ્રશ્નો ઊભા થતા જણાય છે.&lt;br /&gt;
(અ) વિવેચકે ‘કૃતિ જેવી છે તેવી’ ભાવકો સમક્ષ સ્પષ્ટ કરી આપવાની છે, એ જાતની સમજ આપણા અનેક વિદ્વાનોએ વ્યક્ત કરી છે. એમાં, આમ જોઈએ તો, કૃતિને કેવળ વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવાની અપેક્ષા છે. ભૌતિક વિજ્ઞાનીઓ અવલોકનના પદાર્થથી સાવ અળગા રહીને તેનું અવલોકન કરવા પ્રેરાય છે, પોતાના અંગત રાગદ્વેષ રુચિઅરુચિ કશું ય વચ્ચે લાવતા હોતા નથી. જો કે વિજ્ઞાનીઓ પણ ભૌતિક વિશ્વના પદાર્થો કે ઘટનાઓને પૂરી વસ્તુલક્ષી ભૂમિકાએથી જોઈ શકે છે કે કેમ એ વિશે એ ક્ષેત્રના તત્ત્વજ્ઞાનીઓ હવે પ્રશ્ન કરતા થયા છે. વિજ્ઞાની પણ પોતાની ધારણાને અનુરૂપ કોઈક conceptual frame લઈને કામગીરી શરૂ કરતો હોય છે. આ રીતે વિજ્ઞાનમાં ય પૂરી વસ્તુલક્ષિતાનો ખ્યાલ હવે સ્વીકાર્ય રહ્યો નથી. સાહિત્યની કૃતિને આગવું ontological status છે, એટલે કે, જગતના ભૌતિક પદાર્થોથી ભિન્ન કોટિની તેની સત્તા છે. વિવેચક સામે સાહિત્યની કૃતિ એક મૂલ્યો અને અર્થોની સંરચના રૂપે આવે છે. એમાં સ્વાભાવિક રીતે જ વિવેચકની કળાદૃષ્ટિનો વિશેષ, કે મૂલ્યપરક તંત્રનો સ્વીકાર ભાગ ભજવે જ છે. કહો કે વિવેચનમાં કશુંક વૈયક્તિક તત્ત્વ દાખલ થાય જ છે. તો કૃતિને ‘જેવી છે તેવી’–સર્વથા નિરપેક્ષ રૂપમાં પામવાનું શક્ય છે?&lt;br /&gt;
(બ) આરંભકાળના અભ્યાસીઓએ વિવેચકનું મુખ્ય કાર્ય, કૃતિના ગુણો-દોષો તારવી બતાવવા અને તેનું સમગ્રતયા મૂલ્યાંકન કરવું – એ રીતનું નોંધ્યું છે. અહીં પહેલો મુદ્દો ‘ગુણ’ અને ‘દોષ’ની ઓળખનો છે. કૃતિમાં કહેવાતો ‘ગુણ’ કે ‘દોષ’ ખરેખર આંગળી ચીંધીને બતાવી શકાય એમ હંમેશાં બનતું નથી. સંભવ છે કે એક વિવેચક કૃતિના જે અંશ કે પાસામાં ‘ગુણ’ જુએ ત્યાં બીજો ‘દોષ’ જૂએ, અને એથી ઊલટું, એકને જ્યાં ‘દોષ’ દેખાય ત્યાં બીજાને ‘ગુણ’ દેખાય. તો આ ‘ગુણ’ અને ‘દોષ’ એ કૃતિમાં પડેલા નિત્ય તત્ત્વો ગણી શકાય? મતલબ, આ રીતે ‘ગુણ’ કે ‘દોષ’ના નિર્ણય પાછળ કોઈ કળાકીય સિદ્ધાંત કે વિભાવના રહી હોય તો તેની ય સ્પષ્ટતા કરવાની રહે. બીજો મુદ્દો, કૃતિના મૂલ્યાંકનનાં ‘ધોરણો’ ‘કસોટીઓ’ કે માપદંડો’ પોતે શી વસ્તુ છે? એનો સ્રોત ક્યાં છે? એલિયટે કહેલું કે કોઈ પણ કૃતિ એ કલાકૃતિ બની છે કે નહિ તેનો નિર્ણય કલાનાં પોતાનાં ધોરણોએ જ થાય, પણ એ મહાન બની છે કે નહિ એનો નિર્ણય વ્યાપક જીવનના સંદર્ભે થાય. તો આ બધાં ‘ધોરણો’/‘કસોટીઓ’ના સ્રોતનો મૂળથી વિચાર કરવાનો રહે.&lt;br /&gt;
(ક)	કૃતિના મૂલ્યાંકન અર્થે કયાં કયાં ‘ધોરણો’ લાગુ પાડી શકાય તે અંગે પૂરતી સમજ કેળવ્યા છતાં ય દરેક વિશિષ્ટ કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે એ પૈકી કયાં ધોરણો પ્રસ્તુત છે, કયાં પ્રસ્તુત નથી, એ વિશે વિવેચકે પોતે જ એક તબક્કે નિર્ણયાત્મક ભૂમિકા ભજવવાની રહે છે. ભિન્ન ભિન્ન સ્વરૂપની ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓના વિવેચનમાં, દેખીતી રીતે જ, એકસરખાં કે એકનાં એક ધોરણો લાગુ પાડી શકાય નહિ. કૃતિના વિશિષ્ટ આવિર્ભાવને અનુરૂપ ધોરણોનો ગણ લઈને ચાલવાનું રહે. છતાં વિવેચક પક્ષે આવાં ધોરણોની પ્રસ્તુતતાના પ્રશ્નો રહે જ છે.&lt;br /&gt;
(ડ)	કોઈ એક સ્વરૂપની કૃતિ – નવલકથા કે નાટક –ના વિવેચન મૂલ્યાંકન અર્થે આપણે એમ સ્વીકારી લઈએ કે, બે વિવેચકો સમાન ધોરણોનો સ્વીકાર કરીને ચાલવા માગે છે. દા. ત. બંને જણ કૃતિમાં ‘એકતા’—‘સજીવ એકતા’-ની કસોટી સ્વીકારે છે. પણ કૃતિમાં એવી ‘એકતા’ સિદ્ધ થઈ છે કે નહિ તે વિશે બંને જણ જુદા જ તારણ પર આવતા હોય, આવી શકે. નવલકથાના આ કે તે પાત્રના કાર્યના ‘સ્વાતંત્ર્ય’નો સિદ્ધાંત લઈએ. પાત્રના authentic being માટે એ અનિવાર્ય છે, એમ બે વિવેચકો સ્વીકારે; પણ ચોક્કસ કૃતિની પાત્રનિર્મિતિમાં એવું authentic being સિદ્ધ થયું છે કે કેમ એ વિશે બંને જુદા જ નિર્ણય પર આવે. તાત્પર્ય કે, વિવેચનનાં અમુક ‘ધોરણો’ કે ‘કસોટીઓ’, વિશે વિવેચકોમાં સૈદ્ધાંતિક સ્તરે સર્વસંમતિ સાધી શકાઈ હોય ત્યાં પણ અમુક કૃતિમાં તેને લાગુ પાડતાં જુદા જ નિર્ણય પર આવવાનું બને. એટલે, બંને વિવેચકો કૃતિમાં evidence કયાં ને કેવી રીતે શોધે છે તે પણ તપાસવાનું રહે છે.&lt;br /&gt;
(ઇ)	કૃતિના સમગ્ર ‘અર્થ’ કે ‘રહસ્ય’નો પ્રશ્ન પણ અત્યંત કૂટ અને દુર્ગ્રાહ્ય છે. લાંબા સમય સુધી આપણા વિવેચકો સાહિત્યકૃતિમાં એકમેવ અખંડ અપરિવર્ત્યશીલ એવા ‘અર્થ’ની માન્યતા લઈને ચાલ્યા છે. જુદા જુદા વિવેચકો એક જ કૃતિમાંથી ભિન્ન ભિન્ન રહસ્યો ઘટાવી આપે, (કે ભિન્ન ભિન્ન અર્થઘટનો કરી આપે), પણ તેની વિભિન્નતાના પ્રશ્ને તેમને ઝાઝા રોક્યા હોય એમ દેખાતું નથી. સર્જકનો ‘વિવક્ષિત અર્થ’ કે સર્જકનો ‘આશય’ વારંવાર કૃતિવિવેચનમાં લક્ષમાં લેવાયો છે. પણ આ ‘વિવક્ષિત અર્થ’ તે શું? તેને કૃતિમાં ક્યાં locate કરી શકાય? અને સર્જકને અભિમત ‘અર્થ’ને જ જો કૃતિનો આદર્શ અર્થ લેખવીએ તો, નવી નવી રીતે રહસ્યઘટન કરવા પ્રેરાઈએ તે આખી પ્રવૃત્તિ જ વિફલ નહિ બને? આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર સમયગાળાના આપણા અનેક અભ્યાસીઓ કૃતિમાં એકથી વધુ ‘અર્થ’ની સંભાવના સ્વીકારે છે. દરેક ભાવક કૃતિમાંથી પોતાનો ‘અર્થ’ રચી લે છે, જેટલા ભાવક તેટલા ‘અર્થ’ – એમ એમાં ગૃહિત રહ્યું છે. પણ આ રીતે જુદી જુદી સજ્જતાવાળા દરેક ભાવકનું ‘અર્થગ્રહણ’ એકસરખું પ્રસ્તુત અને પ્રમાણભૂત ગણાય ખરું? કૃતિનું દરેક ‘વાચન’ (reading) કે ‘વિઘટન’ પ્રમાણભૂત લેખાય ખરું? અર્થઘટનોની પ્રવૃત્તિ સંદર્ભે બધાં અર્થઘટનો એકસરખાં પ્રમાણભૂત ગણાય કે કેમ તે વિશે તાત્ત્વિક ભૂમિકાએથી વિચારવાનું રહે.&lt;br /&gt;
(ફ)	કૃતિવિવેચન એ વિવેચકના મનનો કેવળ યાદૃચ્છિક કલ્પનાવિહાર ન બની રહે, કે વિવેચન નિમિત્તે તે બીજી ‘કાવ્યરચના’ નિર્માણ ન કરી બેસે એ પણ જોવાનું રહે છે. કૃતિનો બને તેટલો વસ્તુલક્ષી સંદર્ભ જાળવીને તેનું વર્ણન–વિવેચન કરવાનું રહે છે. પણ કૃતિમાં ખરેખર આવા objective basis શોધી બતાવી શકાય ખરા? કૃતિનો ‘આકાર’ તેની ‘સંરચના’ કે ‘રચનારીતિ’ને આવી વસ્તુલક્ષી ઘટના લેખવીએ તો પણ, ‘આકાર’ ‘સંરચના’ કે ‘રચનારીતિ’ને ય સ્થિર નિશ્ચિત તંત્ર રૂપમાં ચીંધી બતાવી શકાય ખરી? – એવા એવા પ્રશ્નોને ચર્ચવાના રહે જ છે.&lt;br /&gt;
(જ)	કૃતિવિવેચનમાં યોજાતી કલાકીય વિભાવનાઓને બદલાતી જતી સાહિત્યિક પરિસ્થિતિના સંદર્ભમાં સતત નવેસરથી સ્પષ્ટ કરવાની તેમ નવેસરથી તેની વ્યાખ્યા કરવાની રહે જ છે. ‘સર્જન’ ‘આકાર’ ‘પાત્ર’ ‘વસ્તુરચના’ (plot) ‘એકતા’ ‘fiction’ ‘ઊર્મિકાવ્ય’ ‘ખંડકાવ્ય’ ‘ટૂંકી વાર્તા’ ‘નવલકથા’ જેવી અસંખ્ય સંજ્ઞાઓના સંકેતો આપણે વિસ્તારતા રહ્યા છીએ. પણ આવી વિભાવનાઓનો અતિ વિસ્તાર કરતાં તેના સૂચિતાર્થો વધુ ને વધુ સામાન્ય અને અમૂર્ત બનતા જશે. એક તબક્કે એવી સંજ્ઞાઓ અતિ વ્યાપક બનીને લગભગ અર્થશૂન્ય બની જાય એવો સંભવ છે Romantic અને Romanticism જેવી સંજ્ઞાઓના અપારવિધ સંકેતો નોંધાયા છે. આજે વિવેચનની સંજ્ઞા લેખે એ સંજ્ઞાઓ ઘણી રીતે અર્થહીન બની જવા આવી છે. તો, આ રીતે વિભાવનાઓના સંકેતવિસ્તારના ય આગવા પ્રશ્નો સંભવે છે.&lt;br /&gt;
(ઝ)	આપણા વિવેચનમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતોની વત્તીઓછી પ્રેરણા રહી છે. આજના આપણા વિવેચકો જે રીતે કૃતિવિવેચનની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમાં બંને ય પરંપરાના અમુક અમુક સિદ્ધાંતો/વાદોનું અનુસંધાન રહ્યું જણાશે. સંસ્કૃતના સિદ્ધાંતો/વાદો વિશે હમણાં હમણાં નવી સંપ્રજ્ઞતા કામ કરતી થઈ છે. કૃતિના વર્ણન વિવરણ અને વિશ્લેષણ અર્થે સંસ્કૃતની વિભાવનાઓ લાગુ પાડી બતાવવાના પ્રયત્નો ય આરંભાયા છે. આપણા પરંપરાગત સાહિત્યમાં પાશ્ચાત્ય ધોરણો કે કસોટીઓ લાગુ પાડતા હોઈએ તો પાશ્ચાત્ય કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના સિદ્ધાંતો/વાદો કેમ લાગુ ન પડી શકે? – એવો મુદ્દો ય ઉપસ્થિત કરવામાં આવ્યો છે. આપણી વિવેચનમીમાંસા માટે અત્યારે આ એક અત્યંત મહત્ત્વનો પ્રશ્ન બની રહે છે. સંસ્કૃતના સિદ્ધાંતો/વાદો આપણી ભાષાની, ભારતની બીજી ભાષાઓની કે પાશ્ચાત્ય જગતની આધુનિક કૃતિઓને લાગુ પાડવાની વાત આપણે કરીએ ત્યારે, પહેલો પ્રશ્ન એ ઊઠે કે સંસ્કૃતની ભાષ્ય–વિવરણની પદ્ધતિ કૃતિનાં અંગઉપાંગોની રમણીયતા ને આગવી રીતે સમજાવી શકે, પણ વિવેચનનું કાર્ય ત્યાં પૂરું થાય છે? પશ્ચિમના વિવેચનમાં કૃતિની અર્થવત્તા (significance) અને તેની મૂલ્યવત્તા (evaluation)ના આગવા સંદર્ભો છે. કૃતિવિવેચનમાં સર્જકના વૈયક્તિક ‘દર્શન‘ના, વૈયક્તિક અનુભૂતિ અને તેની સચ્ચાઈના, જીવનના અર્થઘટન કે મર્મઘટનના, વાસ્તવ જોડેના તેના માર્મિક અનુસંધાનના, સંભવિતતાના fictionalityના, સત્યના બોધના – આવા આવા વિશેષ સિદ્ધાંતો પડેલા છે. વિવેચનથી કૃતિના મૂલ્યાંકનનો ખ્યાલ પણ જેમને અભિમત હોય તેમને સહેજે પ્રશ્ન થશે કે સંસ્કૃત અલંકારશાસ્ત્ર આ સર્વ ધોરણો પૂરાં પાડે છે ખરું?&lt;br /&gt;
(ટ)	કૃતિવિવેચનમાં ‘સૌંદર્ય’ ‘સત્ય’ (અને પ્રસંગોપાત્ત ‘શિવ’) તત્ત્વને ધોરણ તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. સાહિત્યના સિદ્ધાંતવિચારમાં યે એના ઉલ્લેખો મળે છે. આપણા કેટલાક વિવેચકોએ વિશ્વમાં અંતર્હિત રહેલા ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ને વિવેચનની અંતિમ કસોટીઓ તરીકે સ્વીકારી છે. તો, એવાં મૂલ્યોની પૂરી તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાની રહે છે; અને કૃતિમાં તેની ઉપસ્થિતિ વરતાતી હોય તો તે કેવા રૂપે, તેની ય વિચારણા કરવાની રહે. પ્રશ્ન, અંતે, સૌંદર્યમીમાંસાના મૂળ પ્રશ્નો સુધી દોરી જાય છે.&lt;br /&gt;
(ઠ)	આધુનિક ચિંતકો-વિવેચકોનો એક વર્ગ એમ કહેવા ચાહે છે કે કૃતિ પાસે તમે જે conceptual frame લઈને જાઓ છો, તેના સંદર્ભમાં જ તેનો વિશિષ્ટ ‘અર્થ’ તમે અવગત કરી શકો છો. કેમ કે, રસાનુભવની ઘટના સ્વયં અતિ સંકુલ અને સમયના ક્રમમાં ગ્રાહ્ય, અને વળી એના અમુક વ્યંગ્યાર્થો તો કેવળ સંવેદ્ય રૂપમાં જ ઉપલભ્ય, એટલે તેની મુખ્ય વસ્તુનું ગ્રહણ યાદૃચ્છિક રીતે શક્ય જ નથી. કોઈને કોઈ frame of reference વિના એવા સૂક્ષ્મતમ ચૈતસિક વ્યાપારો અને અર્થબોધની ઘટનાઓનું આકલન શક્ય નથી. એટલે conceptual frame જુદી હોય તો એ દ્વારા આકલિત થતો ‘અર્થ’ પણ જુદો જ સંભવે. આ આખી ભૂમિકા, આમ જુઓ તો, વિવેચનની પરિભાષાને સીધી અનુલક્ષે છે. જોઈ શકાશે કે તેની પાછળ ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના આગવા પ્રશ્નો પડ્યા છે. તો એની ભૂમિકા યે સ્પષ્ટ કરવાની રહે.&lt;br /&gt;
(ડ)	વિવેચનનો દરેક અભિગમ-ઐતિહાસિક, આકારવાદી, ભાષાલક્ષી, સંરચનાલક્ષી, ચૈતન્યલક્ષી, મનોવિજ્ઞાનલક્ષી, સમાજલક્ષી કે માકર્‌સવાદી-સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness)ના પ્રશ્નને આગવી રીતે સ્પર્શે છે. કહો કે દરેકમાં સાહિત્યની કંઈક આગવી વિભાવના ગૃહીત રહી છે, એટલે કે, આ દરેક પદ્ધતિ કૃતિમાં અર્થો કે મૂલ્યોની અમુક રીતે સંરચના (કે ભાત) જોવાને સક્રિય બને છે. એ રીતે પદ્ધતિનો સ્વીકાર અસ્વીકાર એ માત્ર યાદૃચ્છિક બાબત રહેતી નથી. પણ આ રીતે મૂળ કૃતિનું ખંડ દર્શન જ થાય એમ ન બને? તો એકની એક કૃતિ વિશે એકથી વધુ અભિગમો લઈને અવલોકવાનું પ્રસ્તુત અને વ્યાજબી લેખાય ખરું? આવા આવા પ્રશ્નો ય વિચારવાના રહે છે.&lt;br /&gt;
(ઢ)	ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમોથી કૃતિનાં વર્ણનો- વિશ્લેષણો રજૂ થાય તેની પાછળ નિયામક દૃષ્ટિ કઈ હોય, કઈ હોવી જોઈએ? ભાષાકીય તત્ત્વોની ભાતની નોંધ લઈએ, પણ એ યાદૃચ્છિક બાબત નહિ બને? કૃતિના સમગ્ર અર્થનો ખ્યાલ એમાં ગૃહીત કરીને ચાલવાનું શક્ય છે ખરું, એય વિચારવાનું રહે છે. તાત્પર્ય કે, નર્યું ભાષાલક્ષી વર્ણન-વિશ્લેષણ સ્વયં વિવેચન બની શકે? વિવેચન જેવો વ્યાપાર એનાથી ભિન્ન હોય તો તેને તે કેવી રીતે સમર્પક બની શકે? ‘વિવેચન’ (‘criticism’) અને વિદ્વત્તા (‘scholarship’) વચ્ચે ય ભેદ કરવાનો અને પરસ્પરના સંબંધ તપાસવાનો પ્રશ્ન અહીં ઊભો થાય છે.&lt;br /&gt;
(ણ) કૃતિવિવેચનના સ્વરૂપ અને કાર્યો વિશે આપણે ત્યાં હવે પુનર્વિચારણા કરવાની આવશ્યકતા ઊભી થાય છે. ચૈતન્યવાદી/ ફિનોમિનોલોજિકલ અભિગમથી કૃતિને ઉકેલવાની જે પ્રવૃત્તિ થાય છે તેના સ્વરૂપ અને કાર્યના પણ આગવા પ્રશ્નો ઊભા થાય છે જ. આપણી વિવેચનમીમાંસાએ આ સર્વ નૂતન અભિગમોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ અને તેના કાર્યક્ષેત્રનો સંકોચ વિસ્તાર—એ સર્વને લક્ષમાં લઈને ‘વિવેચન’ વ્યાપારની નવેસરથી ઓળખ કરવાની રહેશે. કદાચ એ માટે ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (Philosophy of Criticism)નો વિષય આપણે ગંભીરતાથી ખેડવાનો રહેશે.&lt;br /&gt;
(ત) સૌને વિદિત છે, તેમ, આપણું મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે ધર્મભાવનાથી રચાયેલું છે. જૈન અને જૈનેતર પરંપરામાં જે જાતનું સાહિત્ય નીપજી આવ્યું છે તેના આસ્વાદ-અધ્યયનના તેમ વિવેચનના વળી આગવા પ્રશ્નો સંભવે છે. નરસિંહ મીરાં અખો પ્રેમાનંદ કે દયારામ જેવા સંત કવિઓની કૃતિઓને આપણા સમયના વિવેચકોએ ખરેખર શી રીતે જોવી જોઈએ? રસલક્ષી કાવ્યસર્જન એ સંતકવિઓ માટે સંભવતઃ સભાન રૂપનું પ્રયોજન જ નહોતું, કાવ્યકળા વિશે તેમની મુખ્ય નિસ્બત જ નહોતી, તો પછી આધુનિક કાવ્યકળાના ખ્યાલો લઈને તેની તપાસ કરવાનું કેટલે અંશે ઉચિત છે? આ પ્રશ્નને જરા જુદી ભૂમિકાએથી મુકીએ તો ભૂતકાલીન સાહિત્યની લાંબી પરંપરામાં આગળના યુગોની કૃતિઓને કેવા દૃષ્ટિકોણથી જોવી જોઈએ? બીજી પ્રજાના ઇતિહાસમાં આગલા યુગોમાં રચાયેલી જુદી જ શૈલીની કૃતિઓને કેવી રીતે મૂલવવી? અલબત્ત, ધર્મસંપ્રદાયના સાહિત્યની ધારાને શુદ્ધ રસલક્ષી સાહિત્યથી અલગ પાડીને તે રીતે તેનો વિચાર થાય, પણ રસલક્ષી ગણાતા સાહિત્યની આગલા યુગની કૃતિઓનું શું? જો તેના સર્જકના સમયના કાવ્યશાસ્ત્રને જ લક્ષમાં લેવાનું કહો, તો એમાં નવાં કળાતત્ત્વોની શોધ માટે અવકાશ કેટલો? કવિ કાન્ત કે ન્હાનાલાલ કે બળવંતરાયના યુગમાં, માનો કે, કાવ્યરચનાના ઉપકરણ લેખે પ્રતીક વિધાનની ચર્ચા ખાસ નહોતી (કે એ કવિઓએ પણ એ દિશામાં વિચાર્યું નહોતું), તો એટલા જ કારણે તેમની કવિતામાં પ્રતીકની તપાસ અપ્રસ્તુત બની જશે? તો તો આગલા યુગના કવિઓમાં નવાં કળાતત્ત્વોની ઓળખ કરવાને અવકાશ રહેશે નહિ? તો, આ એક કૂટ પ્રશ્ન છે. જુદી જુદી પરંપરાના સર્વ સાહિત્યને મૂલવવાને સર્વકાલીન એવાં ધોરણો ખરેખર ઊભાં કરી શકાય? કોઈ સર્વકાલીન રસશાસ્ત્ર કે સૌંદર્યશાસ્ત્ર ઊભું કરી શકાય?&lt;br /&gt;
(થ)	ભિન્ન ભિન્ન પરંપરામાં સાહિત્યની કળા વિશે ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને વાદો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનાં ‘ધોરણો’ ‘કસોટીઓ’ કે ‘માપદંડો’ એવા કોઈ સિદ્ધાંત કે વાદમાં પડ્યાં હોય છે. તો, એ રીતે વિવેચનનાં ધોરણો અને કળાસિદ્ધાંતો વચ્ચેના સંબંધો તાત્ત્વિક ભૂમિકાએથી સ્પષ્ટ કરવા જોઈએ વળી, કળાના વિભિન્ન સિદ્ધાંતો અને વાદોનો સમન્વય કરીને વ્યાપક સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? જૂનાનવા યુગના, પૂર્વપશ્ચિમના, કળાવિષયક સર્વ ખ્યાલોને સાંકળી લે તેવું અતિ વ્યાપક સાહિત્યદર્શન શક્ય ખરું, પ્રસ્તુત ખરું, તેવા પ્રશ્નોનો ય સામનો કરવાનો રહે છે.&lt;br /&gt;
(દ)	કૃતિવિવેચનનાં વર્ણનપરક અર્થઘટનાત્મક અને મૂલ્યપરક વિધાનોના સત્યાસત્યની ચકાસણી શક્ય છે ખરી? વિવેચનનાં વિધાનો કૃતિ વિશે કોઈ નવું જ્ઞાન (Knowledge) આપે છે ખરાં? વિવેચન દ્વારા ‘કૃતિના મૂળ અર્થ’નું જ સ્પષ્ટીકરણ થાય છે કે તેમાં ‘નવો અર્થ’ અને ‘નવું જ્ઞાન’ પણ મળે છે? કૃતિવિવેચન એ રીતે જ્ઞાનમૂલક પ્રવૃતિ ખરી? કૃતિનો અર્થબોધ કે અર્થગ્રહણની આખી પ્રક્રિયા અન્ય વિષયોના જ્ઞાનવ્યાપારથી કઈ રીતે જુદી પડે છે? આસ્વાદ, અવબોધ, અર્થઘટન, મૂલ્યાંકન એ સર્વ પ્રવૃત્તિઓને એ રીતે તાત્ત્વિક ભૂમિકાએથી સમજાવવાની રહે.&lt;br /&gt;
(ધ)	વિવેચનક્ષેત્રનો એક મોટો કૂટ પ્રશ્ન તે કૃતિ વિશેનાં મતમતાંતરોનો છે. દરેક સમર્થ કૃતિ વિશે જુદા જુદા વિવેચકો આગવું આગવું મર્મઘટન કરે, આગવું આગવું મૂલ્ય દર્શાવે. આ બધાં મતાંતરો દૂર કરવાં જોઈએ. એવી માન્યતાથી વિવેચનને વૈજ્ઞાનિક ભૂમિકા પર—અને એ રીતે નરી વસ્તુલક્ષી ભૂમિકા પર—લઈ જવાના પ્રયત્નો થયા છે. પણ પ્રશ્ન આખો જટિલ છે. દરેક પ્રતિભાશાળી વિવેચક જીવન સમાજ અને સંસ્કૃતિ વિશે આગવી સમજ લઈને ચાલે છે, સ્વતંત્ર સૂઝથી વિચારે છે, તેમ કળા વિશે ય તે આગવી દૃષ્ટિ રુચિથી પ્રેરાય છે. આવા સંયોગોમાં વિવેચકોની કળાપરક દૃષ્ટિભિન્નતા ટાળી શકાય? ટાળવી જરૂરી ખરી?&lt;br /&gt;
(ન)	વ્યાપકપણે વિવેચનવિચારમાં તેમ કૃતિવિવેચનમાં તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, સંસ્કૃતિ, ભાષાવિજ્ઞાન, ઇતિહાસ આદિ વિદ્યાશાખાઓનું અનુસંધાન ક્યાં અને કેવી રીતે ઉપકારક બની શકે તે ય વિચારવાનું રહે છે. કૃતિ તો રસકીય પદાર્થ છે, આગવું વિશ્વ છે, અને એમાં રસલક્ષી અભિગમથી પ્રવેશ કરવાનો છે. પણ એના આસ્વાદ વિવેચનમાં આ બધી વિદ્યાશાખાઓના ખ્યાલો અંતરાયરૂપ બને? ન બને? વગેરે.&lt;br /&gt;
આ અધ્યયનમાં આપણા વિદ્વાનો અને વિવેચકોની વિવેચનતત્ત્વવિચારણામાંથી પસાર થતાં આવા અનેક પ્રશ્નો તીવ્રતાથી ઊપસી આવતા દેખાય છે. આ ક્ષેત્રમાં આપણા જે વિવેચકો ગંભીરપણે કામ કરવા ચાહે છે, તેની સામે આ પ્રશ્નો જાણે કે પડકાર બની રહે છે. આપણી વિવેચકપ્રતિભા હવે નવા સંકલ્પ સાથે આ બધી દિશામાં ગતિ કરવા પ્રેરાય, એવી આપણી શુભ કામના હો, અસ્તુ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87781</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87781"/>
		<updated>2025-04-27T08:35:24Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|V. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં સક્રિય બન્યાં—સુરેશ જોષી એના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા—અને એ સાથે આપણા સાહિત્યક્ષેત્રમાં—સર્જન તેમ વિવેચન બંનેય ક્ષેત્રમાં કેટલાંક ચોક્કસ મૂળગામી પરિવર્તનો આવ્યાં, એ બધી બાબતો આપણા સૌ સાહિત્યરસિકોને હવે સુપરિચિત બની ગઈ છે. એટલે એ આંદોલનનું સ્વરૂપ, તેનો ઉદ્‌ભવપ્રસાર, સર્જનાત્મક સાહિત્યના પ્રયોગો અને તેમાં જન્મેલાં નૂતન વલણો, અને તરુણ પેઢીના સર્જકોનું આગવી રીતનું અર્પણ વગેરે મુદ્દાઓની ચર્ચાઓનું આપણે અહીં પુનરાવર્તન નહિ કરીએ. માત્ર બદલાયેલી પરિસ્થિતિમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં કયા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા—વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમજ વિવેચનના અભિગમ વિશે કયા નવા વિચારો જન્મ્યા અને વિકસ્યા અથવા સ્વીકારાયા અને પ્રતિષ્ઠિત થયા, વગેરે બાબતો પર જ સીધું લક્ષ્ય કેન્દ્રિત કરીશું.&lt;br /&gt;
અલબત્ત, આ ગાળામાં સાહિત્યની કળા વિશેનો ખ્યાલ અને વિવેચનની વિભાવના બંને સાથોસાથ બદલાયાં છે. બલકે, વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ અભિગમ વિશેની નૂતન વિચારણાઓ બદલાયેલી સાહિત્ય-વિભાવના સાથે સીધી રીતે સંકળાયેલી છે. અગાઉની વિવેચનમીમાંસા કરતાં, આ તબક્કામાં અનેકવિધ નવપ્રસ્થાનો જોવા મળે છે. આગલી પેઢીના વિદ્વાનો–વિવેચકોમાં જૂજ અપવાદો બાદ કરતાં પરંપરાગત વિચારણાને વળગી રહેવાનું બળવાન વલણ રહ્યું છે, જ્યારે નવી પેઢીના અભ્યાસીઓ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઉત્સુક બનીને અવનવી દિશામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તરુણ અભ્યાસીઓની ચર્ચાવિચારણાનો ઝોક સમજવાનો અને ખાસ તો અગાઉની વિવેચનતત્ત્વવિચારણાથી તેમનું નવપ્રસ્થાન સમજવાનો આપણો અહીં મુખ્ય આશય છે&lt;br /&gt;
તરુણ પેઢીના વિદ્વાનો—વિવેચકોમાં સુરેશ જોષીની પ્રવૃત્તિ ઘણી વિશાળ અને ગતિશીલ રહી છે. સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સર્જનાત્મક સાહિત્ય પર અને આપણા વિવેચનસાહિત્ય પર પણ તેમની વિવેચનાની વ્યાપક અને ઘેરી બલકે નિર્ણયાત્મક અસરો પડી છે. સુવિદિત છે તેમ, સર્જનવિવેચનની તેમની સમગ્ર પ્રવૃત્તિ પાછળ કળા સર્જકતા અને રૂપનિર્મિતિ વિશેની આગવી સમજ રહી છે. ત્રીસીચાળીસીમાં ખેડાતા રહેલા પરંપરાગત સાહિત્ય સામે એમાં, અલબત્ત, તીવ્ર પ્રતિક્રિયા જોઈ શકાશે. છેલ્લા ત્રણ દાયકા જેટલી કે તેથી ય કંઈક વધુ ગાળાની તેમની વિવેચનપ્રવૃત્તિમાં સિદ્ધાંતવિચાર છે, આપણી સાહિત્યિક પરિસ્થિતિનું તેમ તેની ગતિવિધિઓનું કઠોર પરીક્ષણવિવેચન છે, કૃતિનાં આસ્વાદમૂલક લખાણો છે, અને સાહિત્ય સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક પાયાના વિચારોની પ્રતિષ્ઠા કરવાનો પુરુષાર્થ પણ છે. આપણા સાહિત્યના વિકાસ અર્થે તેમનો આમ વિભિન્ન દિશાઓનો સભાન પ્રયત્ન આજ સુધી જારી રહ્યો છે. પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનતત્ત્વવિચારના મુદ્દાઓ, અહીં આપણે ત્યાં છેડીને, આપણી એ વિશેની જાગૃતિ વધે, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે, એવી શુભ દૃષ્ટિથી સંનિષ્ઠભાવે તેઓ પ્રવૃત્તિ કરતા રહ્યા છે. તેમની કળાવિચારણાની ફેરતપાસ કરવાનો જો કે આ ઉપક્રમ નથી. પણ વિવેચનમીમાંસાને લાગેવળગે છે તેટલા પૂરતું, તેમની એ વિશેની વિચારણાના બિલકુલ પાયાના મુદ્દાઓને, આપણે અહીં ટૂંકમાં નોંધીશું.&lt;br /&gt;
(૧)	કળાસર્જનની પ્રવૃત્તિ કેવળ લીલામય પ્રવૃત્તિ છે. ભાવકને કોઈ બોધ ઉપદેશ કે સંદેશ આપવાનો એમાં રજમાત્ર આશય ન હોય, ન હોવો જોઈએ. કેવળ સર્જકતાનું સુરેશ જોષીને મન પરમ મૂલ્ય છે.&lt;br /&gt;
(૨)	વાસ્તવવાદી સાહિત્યકાર પોતાની આસપાસની પરિચિત વાસ્તવિકતાનું આલેખન કરવા પ્રવૃત્ત થતો હોય છે પણ એ તો સ્થૂળ છીછરી અને ઉપરઉપરની વાસ્તવિકતા છે. એથી વધુ સત્ય અને વધુ સાચકલી વાસ્તવિકતા તે સર્જક કલ્પનાની છે. એના આશ્લેષમાં કપોલકલ્પિત એબ્સર્ડ સ્વપ્નસૃષ્ટિ ભ્રાંતિ અને પરીકથાઓ જેવી સૃષ્ટિઓ સમાઈ જાય છે.&lt;br /&gt;
(૩)	સાહિત્યનું (કળા માત્રનું) પ્રાણભૂત તત્ત્વ તેની આકૃતિ (કે રૂપ નિર્મિતિ) છે. કળાનું એકમાત્ર કે મુખ્ય પ્રયોજન આકારનિર્માણનું છે. ટેક્‌નિક નામની વસ્તુ પણ આકારનું ‘સાધન’ છે, અને સંસિદ્ધ આકારમાં તેની સાથે તે એકાકાર બનતું તત્ત્વ છે.&lt;br /&gt;
(૪)	ટેક્‌નિક અને આકાર કળાકૃતિમાં રજૂ થતી વસ્તુની વ્યંજનાને બધી ય દિશામાં વિસ્તરવાને અમર્યાદ અવકાશ રચી આપે એમાં જ એની સાર્થકતા છે. આ રીતે કૃતિ સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ બનવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કળાકૃતિ એક સ્વતંત્ર સ્વાયત્ત આત્મનિર્ભર અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ બને છે. એટલે કે, એનું જે કંઈ રહસ્ય છે તે તેની અંતર્ગત સિદ્ધ થયેલું છે. એ માટે પોતાનાથી ઇતર વસ્તુ પર તે આધાર રાખતું નથી. સ્વાયત્તતાનો સૂચિતાર્થ એ કે કળામાં રજૂ થતા વિશ્વને કવિકર્મ દ્વારા જે અપૂર્વ રહસ્ય મળ્યું છે, તેને પરિચિત જગતની સાથે ક્યાંય કોઈ સંબંધ કે સહસંબંધ સંભવતો નથી.&lt;br /&gt;
(૫)	કથાસાહિત્યમાં ઘટનાઓના હ્રાસ દ્વારા, માનવજીવનના જીવંત સંદર્ભોના અમાનવીયકરણ દ્વારા, લાગણીનાં પ્રતીકાત્મક રૂપોના નિર્માણ દ્વારા, કલ્પનો પ્રતીકો અને મિથોના વિનિયોગ દ્વારા, કપોલકલ્પિત એબ્સર્ડ આદિ અતિવાસ્તવના અનુસંધાન દ્વારા–એના વિશ્વને જુદી જ કક્ષાએ પ્રતિષ્ઠિત કરવાનું છે. પ્લૉટની અટપટી કરામતોથી કથાવસ્તુના યાદૃચ્છિક વિસ્તારથી કે યાંત્રિક સાંધાવાળી વાર્તાના વિસ્તારથી અળગા થઈ એમાં એક સજીવ અખંડ ભાવવિશ્વ નિર્માણ કરવાનું છે.&lt;br /&gt;
(૬)	કથાસાહિત્યમાં રજૂ થતાં પાત્રોને યાદૃચ્છિકપણે યોજવાનાં નથી, તેમ તેને અમુક ગુણો કે દુર્ગુણોનાં કેવળ ‘પાત્રો’ લેખવાનાં નથી. તેને દરેકને પોતાના કાર્ય માટે સંકલ્પશક્તિ હોય, સ્વાતંત્ર્ય હોય, પસંદગીના અને ઉતરદાયિત્વના ખ્યાલ હોય, એ પાત્રો authentic being માટે આત્મખોજ કરે, આત્મસંઘર્ષ કરે, ત્યારે જ સાચી માનવીય વાસ્તવિકતા જન્મે છે.&lt;br /&gt;
(૭)	રચનારીતિ (technique) દ્વારા સર્જકે પોતાના પરિચિત વાસ્તવનું કળાના વિશ્વમાં રૂપાંતર કરવાનું છે. રચનારીતિ જ કલાસામગ્રીને નવી વ્યવસ્થા (new order) અર્પે છે, નવો અર્થ અને નવું મૂલ્ય અર્પે છે. સર્જકનું જે કંઈ અવ્યક્ત કે અર્ધવ્યક્ત ભાવજગત છે તેને રચનારીતિ જ એક આગવી વાસ્તવિકતા અર્પે છે.&lt;br /&gt;
(૮)	રચનાપ્રક્રિયામાં સર્જક ભાષાના માધ્યમની બધી શક્યતાઓને સભાનપણે તાગવા મથી રહે છે. જે કંઈ અસ્ફુટ અને અમૂર્ત છે તેને નક્કર ઐન્દ્રિયિક રૂપો અર્પે છે. ઇંદ્રિયવ્યત્યય દ્વારા, અભિવ્યક્તિની અવનવી પ્રયુક્તિઓ અને પ્રણાલિઓ દ્વારા, જૂની પ્રયુક્તિઓના નવવિધાન દ્વારા સંવિદ્‌નાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપોને ઝીલવા તેમ જ દુર્ગ્રાહ્ય એવી ચૈતસિક વાસ્તવિકતાનો તાગ લેવા મથે છે.&lt;br /&gt;
સુરેશ જોષીની આ જાતની વિચારણા તેમની સર્જનપ્રવૃત્તિમાં કેન્દ્રીય બળ બની રહે છે, તો તેમની વિવેચનપ્રવૃત્તિની મુખ્ય આધારશિલા બની રહે છે. સિદ્ધાંતવિચારના ક્ષેત્રમાં ફરી ફરીને તેમણે પોતાની આ મુખ્ય ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃતિવિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઓછી પ્રવૃત્તિ કરી છે, પણ આપણા સાહિત્યની ગતિવિધિ વિશે, ખાસ તો આપણા સર્જાતા જતા સાહિત્ય વિશે વારંવાર તેઓ વ્યાપકપણે અવલોકનો કરતા રહ્યા છે, અને તેમાંય પોતાની મૂળ ભૂમિકા સાથે અનુસંધાન કેળવતા રહ્યા છે. અને એ જ રીતે વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ય મૂળ ભૂમિકા સાચવીને ચાલવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. જો કે આ ક્ષેત્રમાં કુંઠિત થઈ ગયેલી આપણી વિચારણાને નવું જોમ અને નવી દિશા બતાવવા પશ્ચિમની બીજી અનેક વિચારધારાઓનો તેઓ પરિચય કરાવતા રહ્યા છે. ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં ગ્રંથસ્થ થયેલાં અને બીજાં ગ્રંથસ્થ ન થયેલાં આ વિષયનાં લખાણો ખરેખર તો પશ્ચિમના અનેક નૂતન ખ્યાલોને સ્પર્શે છે. એ લખાણોમાં કેટલાક સંદર્ભે તેમની ચર્ચા વિશદ બની શકી નથી, ઠીક ઠીક ગૂંચો અસ્પષ્ટતાઓ પણ એમાં રહી ગઈ છે, પણ એમાં તેમનો હેતુ નવા પાશ્ચાત્ય પ્રવાહોથી આપણા સાહિત્યજિજ્ઞાસુ વર્ગને સભાન કરવાનો છે.&lt;br /&gt;
પોતાની સાહિત્યિક કારકિર્દીના આરંભથી જ સુરેશ જોષી કળાના આસ્વાદ પર એકધારો ભાર મૂકતા આવ્યા છે. વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં એ સાથે એક નવું જ પ્રકરણ આપણે ત્યાં આરંભાયું છે, અને કૃતિ પરત્વેનો અભિગમ બદલાયો છે; એટલું જ નહિ વિવેચનના સ્વરૂપગત પ્રશ્નો, પદ્ધતિઓ અને એની સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાન વિશે નવી અભિજ્ઞતા જન્મી છે. આ રીતે વિવેચન–મીમાંસાના ક્ષેત્રમાં નવી સભાનતા જગાડવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે.&lt;br /&gt;
‘કાવ્યનો આસ્વાદ’ નામના લેખમાં તેમની કાવ્યવિભાવના રજૂ થઈ છે અને આસ્વાદપ્રવૃત્તિનું મહત્ત્વ તેમણે એમાં સમર્થ રીતે બતાવ્યું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાવ્યકૃતિ સ્વયં એક વિશ્વ છે, સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ છે એનું આગવું ઓન્ટોલોજિકલ સ્ટેટસ છે. એમાંથી આપણે સાર કાઢવાનો કે મુખ્ય વિચાર તારવવાનો કે એમાંનો બોધ સંદેશ શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે-અને એ હકીકત રહી છે કે સુરેશ જોષીએ આસ્વાદની પ્રવૃત્તિને આંદોલનના રૂપમાં સક્રિય ન કરી ત્યાં સુધી કવિતાને જોવાનું આપણા કાવ્યરસિકોનું અને કાવ્યના અભ્યાસીઓનું આ જ મુખ્ય વલણ હતું–પણ એ રીતે કૃતિના ભાવવિશ્વને આપણે હ્રસ્વ કરી નાખીએ છીએ, આપણી અપેક્ષા પ્રમાણે એને સંકોચી દઈએ છીએ. કવિકર્મ કે ભાષાકર્મની સર્વથા ઉપેક્ષા કરીને ‘મૂઠી એક અર્થ’ ખેંચી કાઢવાનો પ્રયત્ન મૂળથી જ વંધ્ય છે, એથી કળાપ્રવૃત્તિને કે કવિસર્જકને કોઈને આપણે ન્યાય કરી શકતા નથી. કૃતિનું રહસ્ય, તેનું વ્યંજનાતત્ત્વ, તેના સમગ્ર સંવિધાનમાં વ્યાપી રહ્યું છે, અને સંવિધાનની–રચનાનિર્માણની પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ દ્વારા જ એની ઝાંખી પ્રાપ્ત થાય. બીજી રીતે કહીએ તો, કૃતિનો આકાર, રચનારીતિ અને ભાષાકર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિને ઓળખ્યા વિના, તેની સમગ્ર સંકુલતાને અવગત કર્યા વિના, કૃતિને પાર પામી શકાય નહિ. ભાવક/વિવેચક માટે રસાસ્વાદ એ જ પરમ પ્રયોજન છે. પરમ મૂલ્ય છે. કૃતિનું સર્જક દ્વારા નિર્માણ જ રસના પ્રયોજનથી થયું છે, એ હકીકત પર તેમણે સતત ભાર મૂક્યો.&lt;br /&gt;
આધુનિક કવિ કશું ‘કહેવા’ માગતો નથી, તે તો ‘સર્જન’ કરવા ઝંખે છે. એટલે તેની રચનામાંથી થોડોક વિચારસંભાર તારવી લેવાની પ્રવૃત્તિ ઇષ્ટ નથી જ. તેમની મુખ્ય ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં Formથી Contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી. પણ અપરિમેયતાને કારણે છે”૧૧૭&lt;br /&gt;
કવિતાની આ રીતે આગવી વિભાવના રજૂ કરી તેઓ મૂલ્યાંકનના પ્રશ્નને સ્પર્શે છે :&lt;br /&gt;
“તો કાવ્યોની ઉચ્ચાવચતાનાં ધોરણો શી રીતે નક્કી કરવાં? દરેક સાચું કાવ્ય, પોતાની આગવી રીતે, અદ્વિતીય હોય છે. એને નંબર આપવા માટે બીજી કૃતિ સાથે સરખાવવાની વૃત્તિ થાય છે. પણ કાવ્યાસ્વાદ માટે એ જરૂરી નથી. છતાં કેટલાક કાવ્યના ઉદાત્ત વિષય કે વ્યાપક ફલકને આવા ધોરણ તરીકે ગણાવે છે. આવાં quantitative ધોરણ અનિવાર્ય નથી. સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્‌ છે તેને સુરેખ આકાર આપવાનું આહ્‌વાન જે ઝીલે છે, તે ઉચ્ચ કવિ. એવા કવિની બે પંક્તિ પણ મહાકાવ્ય છે, કારણ કે એમાં ભાવજગતના નવા ખંડની શોધનું સાહસ છે.”૧૧૮&lt;br /&gt;
અહીં કવિના રૂપવિધાન કે ભાષાકર્મ પર જ બધો ભાર મૂકાયો છે. કવિકર્મની સફળતા અને કવિકર્મનું સામર્થ્ય એ જ કવિતાના મૂલ્યાંકનનો તેમનો માપદંડ છે. સુરેશ જોષી સ્પષ્ટપણે કહે છે કે કવિતા પાસે વિવેચકે / ભાવકે પોતાની ‘નિશ્ચિત દૃઢ ધારણાની માપપટ્ટી’ લઈને જવાનું નથી. પોતાને ઇષ્ટ વિચારો તારવવાના પ્રયત્નમાં તેની રચનાપ્રક્રિયામાં પડેલી સૂક્ષ્મતાઓ સંકુલતાઓ અને સંદિગ્ધતાઓને ગાળી નાખવાના નથી. વિવેચકનું ‘સૌથી સમર્થ ઓજાર’ તે ‘અનેક કલાકૃતિઓના પરિશીલનથી પરિષ્કૃત’ અને ‘મુકુરીભૂત’ બનેલી’ તેની રુચિ છે. એના અભાવમાં કળા વિશેના બધા ય સિદ્ધાંતો કે વાદોનું જ્ઞાન મિથ્યા નીવડે છે. આસ્વાદની પ્રવૃત્તિ, અલબત્ત, કૃતિ નિમિત્તે સ્વૈર સ્વચ્છંદ કલ્પનાવિહાર નથી જ નથી. કૃતિને એનું આગવું રૂપ મળ્યું છે. એની અન્તર્ગત વિધાયક સિદ્ધાંત રહ્યો છે, વિધાયક બળ રહ્યું છે, અને આસ્વાદ-વિવેચનમાં એ જ નિયામક તત્ત્વ બને છે, બની રહેવું જોઈએ.&lt;br /&gt;
કલાકૃતિનું ભાવન, આસ્વાદન–એ જ ભાવક માટે મુખ્ય કાર્ય છે. ‘આસ્વાદ’ સંજ્ઞા વિશે, અલબત્ત, આપણે અહીં થોડી સ્પષ્ટતા કરી લેવાની આવશ્યકતા રહે છે. તો, ‘રસાસ્વાદ’, ‘આસ્વાદ’ કે ‘ચર્વણા’ જેવી સંજ્ઞાઓને, આલંકારિકોએ સાહિત્યકૃતિના સંયોગે ભાવકચિત્તમાં ચાલતી ચૈતસિક પ્રક્રિયાને અનુલક્ષીને યોજેલી છે. અને સુરેશ જોષી જ્યારે ‘આસ્વાદ’ સંજ્ઞાને પોતાની વિવેચનમીમાંસામાં પ્રયોજે છે ત્યારે બે ભિન્ન બાબતોનો સંકેત તેમાં મળે છે. કૃતિનો ‘આસ્વાદ’ એ જ ભાવક/વિવેચક માટે પરમ પ્રયોજન છે એમ કહેતાં તેઓ તેના રસાનુભવની પ્રક્રિયાને અનુલક્ષતા હોય છે; તો અન્ય સંદર્ભમાં એવા ‘આસ્વાદનો આલેખ’ આપતું લખાણ તેમને અભિમત હોય છે. તાત્પર્ય કે, આસ્વાદમૂલક કે આસ્વાદપ્રધાન એવા લખાણને ય તેમણે ‘આસ્વાદ’ તરીકે ઓળખાવ્યું છે. એક રીતે એને આસ્વાદલક્ષી વિવેચન કે આસ્વાદલક્ષી વિવેચનરીતિ તરીકે ઓળખાવી શકાય. અને ભાવકના ચિત્તમાં ચાલેલા આસ્વાદવ્યાપારથી એને એક ભિન્ન પ્રવૃત્તિ તરીકે ઓળખવાનું આવશ્યક બની રહે છે. કેમ કે, પાશ્ચાત્ય વિવેચનમાં આકારવાદ તરીકે જાણીતા થયેલા વાદની અમુક ચોક્કસ ભૂમિકાનો એમાં સ્વીકાર થયેલો છે. કૃતિનો આકાર, રચનાવિધાન, કવિકર્મ, ભાષાની સર્જકતા–આદિની તપાસ પાછળ આકારવાદી વિવેચનની એમાં ચોક્કસ પ્રેરણા અને પ્રભાવ રહેલાં છે. કાવ્યકલાની જે વિભાવના તેમણે બાંધી છે તેમાં જ, આપણે જોઈ ગયા કે, આકારગત કે રચનાગત મૂલ્યો પર તેમણે બધો ભાર મૂક્યો છે. આમ છતાં, પશ્ચિમના નવ્ય વિવેચકોએ કૃતિલક્ષી વિવેચનની જે સમૃદ્ધ પરંપરા ઊભી કરી છે અને તેમાં આકારની જે રીતની શોધ થઈ છે, તેવી આપણાં આસ્વાદલક્ષી વિવેચનોમાં કેટલે અંશે થઈ છે તે એક તુલનાત્મક અભ્યાસનો અલગ મુદ્દો બની રહે છે.&lt;br /&gt;
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ શીર્ષકનું તેમણે ૧૯૬૨માં જે પુસ્તક પ્રગટ કર્યું તેમાં આપણા કવિઓ–નરસિંહરાવથી ગુલામમોહમ્મદ શેખ –સુધીનાની દરેકની એક એક ધ્યાનપાત્ર રચના લઈ તેનો તેમણે વિગતે આસ્વાદ કરાવ્યો. તેમની આ પ્રવૃત્તિ એ પછી તરત જ એક વ્યાપક આંદોલન બનીને આપણે ત્યાં પ્રસરી ગઈ. સામયિકો વર્તમાનપત્રો ચર્ચાસભાઓ દ્વારા એ પ્રવૃત્તિ ફૂલતીફાલતી રહી. આજે આપણી અમુક સંપાદિત કવિતા વિશે, આપણા કોઈ એક જ કવિની નોંધપાત્ર રચનાઓ વિશે, કે પરભાષાની કૃતિઓ વિશે આસ્વાદોના અલગ સંચયો થયા છે. બીજા કેટલાક વિવેચનગ્રંથોમાં ય એવા આસ્વાદો એકાદ ખંડ રૂપે સ્થાન લે છે. જો કે રચનાપ્રક્રિયાની કે આકારની તપાસ એમાં કેટલી થઈ છે તે, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અલગ તપાસ માગે છે. આવા આસ્વાદોમાં, આમ છતાં, કૃતિના રસલક્ષી/રમણીય અંશોની બારીક તપાસ કરવાનું વલણ નોંધપાત્ર છે. અગાઉ જે કવિઓ/રચનાઓ વિશે માત્ર અછડતાં વ્યાપક નિરીક્ષણો મળ્યાં હતાં, કે જેમાં માત્ર વિચાર-વલણોની તપાસ થઈ હતી, તેવી રચનાઓમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ પ્રચ્છન્ન રહેલી સૌંદર્યરેખાઓ પકડવાનું શક્ય બન્યું. અભિવ્યક્તિના અવનવા મરોડો, રચનાપ્રયુક્તિના સર્જનાત્મક ઉપયોગો અને ભાષાના સર્જનાત્મક ઉન્મેષો, કલ્પનો પ્રતીકો અને મિથોની સમર્પકતા, અર્થસંદિગ્ધતા (ambiguities)ની કાવ્યાત્મક ક્ષમતા આદિનાં બારીક અવલોકનોથી આપણને રસકીય સમૃદ્ધિનો પરિચય પ્રાપ્ત થયો. જો કે આસ્વાદની પ્રવૃત્તિ અત્યાર સુધી ઘણું ખરું તો ઊર્મિકાવ્ય પૂરતી જ સીમિત રહી હતી; પણ ટૂંકી વાર્તા લઘુનવલ અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોની કૃતિઓ વિશે ય હવે આસ્વાદલક્ષી વિવેચનના કેટલાક નોંધપાત્ર કહેવાય તેવા પ્રયત્નો આરંભાઈ ચૂક્યા છે. જો કે આ બધાં કથામૂલક સ્વરૂપોમાં આકૃતિ કે રૂપબોધના પ્રશ્નો સહેલા નથી એટલે આ પ્રવૃત્તિ સામે કથામૂલક સ્વરૂપોના આકારબોધનો પ્રશ્ન પડકારરૂપ બની રહે તો આશ્ચર્ય નહિ.&lt;br /&gt;
અહીં એક બે વાતનો ફરીથી નિર્દેશ કરી લેવાનો રહે છે. નરસિંહરાવે ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ નામે લેખમાં ભારતીય અલંકારશાસ્ત્રને અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી બે ‘રસદર્શન’ની ‘પદ્ધતિઓ’નું નિદર્શન આપ્યું છે. એમાં પ્રાચીન અલંકારશાસ્ત્રની પરિભાષાની મદદથી પ્રસ્તુત કડીનો રસલક્ષી પરિચય આપવાનો તેમનો એક ધ્યાનપાત્ર પ્રયત્ન છે. પણ પાશ્ચાત્ય પદ્ધતિની જે રજૂઆત કરી છે તેમાં તેમનો અભિગમ બરોબર સ્પષ્ટ થઈ શક્યો નથી. એ પછી બળવંતરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ગ્રંથસ્થ કરેલી રચનાઓ વિશે જે રીતનાં ટીકાટિપ્પણી વિવરણ આદિ રજૂ કર્યાં છે તેનું ય અમુક મહત્ત્વ સ્વીકારવા છતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એમાં અભિગમની કોઈ સ્થિર તાત્ત્વિક ભૂમિકા હાથમાં આવતી નથી. અને, આમ તો, નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ આદિ વિવેચકોએ કાવ્યવિવેચનનાં લખાણોમાં દૃષ્ટાંતરૂપ કૃતિઓ વિશે વારંવાર રસલક્ષી અંશોનો નિર્દેશ કર્યો જ છે. પણ પ્રશ્ન આસ્વાદ વિવેચનની ચોક્કસ ભૂમિકાનો, અભિગમનો છે. સુરેશ જોષીની આસ્વાદપ્રવૃત્તિ કળાના આકારવાદની ચોક્કસ ભૂમિકા પર મંડાયેલી છે. અને એ રીતે આસ્વાદની પ્રક્રિયા અને તજજન્ય વિવેચનાત્મક લખાણને આગવી દિશા મળી છે, આગવી વ્યવસ્થા કે યોજના મળ્યાં છે.&lt;br /&gt;
આસ્વાદમૂલક/આકારમૂલક વિવેચનની પાછળ કાવ્યતત્ત્વની આગવી એવી જે સૈદ્ધાંતિક ભૂમિકા છે તે વિશે આપણે ત્યાં કદાચ એટલી સભાનતા કેળવાઈ નથી. ક્લિન્થ બ્રૂકસ જેવા આકારવાદી વિવેચકોએ, સૌ પ્રથમ તો, કાવ્યની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને પૂરી રેખાંકિત કરી આપી છે. તેનો અર્થ એ કે અર્થબોધ કે મૂલ્યબોધની બાબતમાં કૃતિ એક અલગ વિશ્વ તરીકે ઊભી રહે છે. ભાવકે/વિવેચકે એનું રહસ્ય પામવા એની બહારના સંદર્ભોને વચ્ચે લાવવાની જરૂર નથી. એ રીતે કૃતિ એના ઐતિહાસિક/સમસામયિક સંદર્ભોથી વિચ્છિન્ન હોય છે, એટલું જ નહિ કવિના (પ્રગટ) ‘આશય’થી પણ એ એક અલગ વસ્તુ સંભવે છે. વિમ્સૉત અને બિયડર્‌ઝલીએ કર્તાના ‘આશય’ને સ્વીકારીને ચાલવા જતાં Intentional fallacy અને ભાવકોના ઊર્મિમય પ્રતિભાવોને લક્ષમાં લેતાં Affective fallacy – એમ બે રીતના દોષ થતા હોવાનું કહ્યું. જો કે તેમની સર્વની આ જાતની વિચારણાઓ વિવાદગ્રસ્ત રહી છે, અને પશ્ચિમમાં અત્યારે વિવેચનમીમાંસાના જે કેટલાક પાયાના પ્રશ્નો ચર્ચાની એરણ પર છે તેમાં એને લગતા પ્રશ્નો ય છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે નવ્ય વિવેચકોએ સાહિત્યકૃતિના બારીક વર્ણનવિશ્લેષણ અર્થે જે જાતની પ્રવૃત્તિ કરી તેમાં કૃતિની અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત સત્તાનો સ્વીકાર કરવાનું મુખ્ય વલણ રહ્યું છે.&lt;br /&gt;
અગાઉ આપણે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિની વિવેચનવિચારણાની તપાસ નિમિત્તે નોંધ્યું છે કે આરંભકાળથી જ આપણી વિવેચનપ્રવૃત્તિ પાશ્ચાત્ય વિવેચનના હેતુઓ, લક્ષ્યો અને પદ્ધતિઓથી વત્તેઓછે અંશે પ્રભાવિત થતી રહી છે. આપણે જોયું કે નવલરામ જેવાએ ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ આદરી ત્યારે આપણે ત્યાં વિવેચનની કોઈ પરંપરા કે પદ્ધતિ નહોતાં. પશ્ચિમના વિવેચનમાંથી અમુક પ્રેરણા લઈને કે નિજી આત્મસૂઝથી તેમણે આગવી રીતિ નિપજાવી લીધી હતી. એમાં વિવેચ્ય કૃતિને નજરમાં રાખીને તેમ તત્કાલીન વાચકોની રુચિને ય લક્ષમાં રાખીને જે ચર્ચા કરી, તેમાં કૃતિના મુખ્ય અર્થનું વિવરણ તો ખરું જ; પણ આવશ્યકતા પ્રમાણે કર્તાનું ચરિત્ર કે માનસ, તેનો પ્રસ્તુત કૃતિ પાછળનો આશય, કૃતિના સ્વરૂપની ટૂંકી ચર્ચા, તેના સંયોજનના પ્રશ્નો અને નીતિઅનીતિના પ્રશ્નો તેમ કર્તાની આસપાસનો બહારી પરિવેશ બધુંય સ્પર્શાતું રહેતું. બળવંતરાય રામનારાયણ અને વિષ્ણુપ્રસાદ જેવામાં આપણે આજે જેને ઐતિહાસિક અભિગમ તરીકે ઓળખાવીએ છીએ તે વધુ સ્પષ્ટરેખ બનતો જણાશે. અલબત્ત, પશ્ચિમનો ટેઈનની વિચારણાના પ્રભાવ નીચે ચોક્કસ તાત્ત્વિક પીઠિકાવાળો અભિગમ સભાનપણે આપણે ત્યાં અપનાવાયો હોય એમ જોવા મળતું નથી. પણ સાહિત્ય અને સાહિત્યકારના સમાજ જોડેના સંબંધોની સ્થાપના કરીને જે વિદ્વાનો ચાલ્યા છે, જેમણે સાહિત્યના ઘડતરમાં સમાજજીવન પણ ઓછેવત્તે અંશે ભાગ ભજવે છે એમ સ્વીકાર્યું છે, તેમને માટે કૃતિ-વિવેચનમાં કૃતિ/કર્તાના સામાજિક/ઐતિહાસિક સંયોગોને વર્ણવવાનું સ્વાભાવિક બની ગયું હતું. બળવંતરાયની ‘સરસ્વતીચંદ્ર’ વિશેની તેમ ગોવર્ધનરામ વિશેના વ્યાખ્યાનની ચર્ચા એનું ઉત્તમ દૃષ્ટાંત છે.&lt;br /&gt;
અને, આમ જુઓ તો, નવલકથા નાટક જેવી લાંબા ફલકની કૃતિઓ વિશે અલગ વિસ્તૃત અધ્યયન-વિવેચન રજૂ કરવાની જે કંઈ પ્રવૃત્તિ આપણે ત્યાં થઈ, તેમાં પ્રસ્તુત કૃતિ નિમિત્તે કર્તાનું મનોજગત, તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભો, કૃતિમાં રજૂ થતી પાત્રસૃષ્ટિને લગતા નીતિઅનીતિના પ્રશ્નો ઓછેવત્તે અંશે સ્પર્શાતા રહ્યા છે. બીજી રીતે કહીએ તો, એમાં biographical approach, historical approach, moral approach એમ વિભિન્ન અભિગમો અણજાણપણે જ એકત્ર થતા રહ્યા છે. વળી, કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ જેવાં સ્વરૂપોની બાબતમાં જ્યાં સંગ્રહો ઉપલબ્ધ બને છે ત્યાં ઘણુંખરું સંગ્રહને નજરમાં રાખીને વ્યાપક રીતની ચર્ચા કરવાનું વલણ રહ્યું છે. એમાં દૃષ્ટાંત લેખે ચર્ચાયેલી કૃતિ/કૃતિઓનો માર્મિક પરિચય, અલબત્ત, આપવામાં આવે પણ એવી કૃતિ વિશે આકારલક્ષી અભિગમથી વિવેચન કરવાની પ્રવૃત્તિ ત્યારે આરંભાઈ નહોતી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ટૂંકાં ટૂંકાં ઊર્મિકાવ્યોના અલગ અલગ આસ્વાદો લખવાની પ્રવૃત્તિ વ્યાપક બની રહી તે પછી જ ટૂંકી વાર્તા નવલકથા વગેરે કથામૂલક સ્વરૂપની કૃતિઓનો આકારલક્ષી અભિગમથી વિચાર કરવાનું વલણ જન્મ્યું.&lt;br /&gt;
રસપ્રદ બાબત એ છે કે વિવેચનના અભિગમ લેખે આકારવાદની પ્રતિષ્ઠા થઈ તે પછી જ વિવેચનના અન્ય અભિગમોની તાત્ત્વિક ભૂમિકા સમજવાની જિજ્ઞાસા જન્મી. પશ્ચિમમાં આ વિશે જે કામ થયું છે, તેની નોંધ લેવાનું પણ ધીરે ધીરે બન્યું. અને આજે આ બધા અભિગમો વિશે આપણા વિવેચનવિચારમાં સંગીન વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરતો ગ્રંથ કે લેખસંચય આપણી પાસે ઉપલબ્ધ નથી. વિવેચનની પદ્ધતિ (કે અભિગમ) એ વિવેચકને માટે સર્વથા ઐચ્છિક કે યાદૃચ્છિક બાબત છે, એમ પણ કેટલાક હજી માને છે. પણ એ વાત બાજુએ રાખીએ. આપણે માટે પ્રસ્તુત મુદ્દો એ છે કે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિ વિવેચકોએ કૃતિઓ/કર્તાઓ વિશે જે રીતે વિવેચનવિચારણાઓ કરી તેમાં સાહિત્યની કળા વિશે દરેકની આગવી એવી સમજ હતી, દરેકનાં એ વિશે આગવાં એવાં ગૃહીતો હતાં. એ જ રીતે વિવેચ્ય કૃતિને અવલોકવા અને મૂલવવા પોતે કયો અભિગમ લેશે તે વિશે પોતા પૂરતી અમુક સૂઝ હતી. પણ પોતાના વિવેચનાત્મક અભિગમને અન્ય અભિગમોથી અલગ તારવીને તેની સાર્થકતા કે ઉપકારકતા તપાસવાનું, તેમ જ સાહિત્યકળા સાથે તેની પદ્ધતિ કેવી રીતે સંકળાઈ છે તેનો વિચાર કરવાનું કે સંબંધિત પ્રશ્નોની માંડણી કરવાનું ખાસ વલણ ત્યારે જન્મ્યું નહોતું. આકારવાદી, અભિગમની પ્રતિષ્ઠા થઈ ત્યારે એવી એક સમજ પ્રચારમાં આવી કે એ જ સાચો ‘સાહિત્યિક’ અભિગમ છે. પૂર્વે પ્રચારમાં રહેલા અભિગમો ‘બિન-સાહિત્યિક’ હતા એવું એમાં સૂચવાતું હતું. આમ, વિવેચનના અભિગમની તાત્ત્વિક ચર્ચા, તેની સાથે સંબંધિત ‘સાહિત્યિકતા’ (Literariness)ની સાથે સંકળાતી રહી.&lt;br /&gt;
કર્તાની મનોસૃષ્ટિ કે ભાવકની મનોદશા નહિ, એ બેને જોડનારી કડી જેવી સાહિત્યકૃતિ જ વિવેચનનું ખરું અધિષ્ઠાન છે, વિવેચકે એનું જ વર્ણન વિવેચન કરવાનું છે, એમ સુરેશ જોષીએ ભારપૂર્વક દર્શાવ્યું. ખરી વાત તો એ કે કૃતિના આસ્વાદ પર જ તેમણે બધો ભાર મૂક્યો છે. કૃતિની આકૃતિ અને રચનાપ્રક્રિયાને નજરમાં રાખીને વિવેચકે તેનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્ય તત્ત્વોની ઓળખ કરાવવાની છે, એમ તેમણે કહ્યું. આગળના યુગોમાં કૃતિના વિવેચન નિમિત્તે થોડોક અર્થ કે સંદેશ સારવી લેવાની, અર્થદર્શનને નામે કેવળ paraphrase કરવાની, અને અર્થઘટનને નામે ‘અર્થ’નો સંકોચ કરવાની પ્રવૃત્તિ ચાલી, તેનો ફરી ફરીને તેમણે વિરોધ કર્યો. એ રીતે, કેવળ ઉદાત્ત વિચારોને કારણે જ કૃતિ ચઢિયાતી હોવાનું લેખવવામાં આવે તેની સામે ય તેમણે વાંધો લીધો. તેમના મતે ખરો પ્રશ્ન કવિકર્મની તપાસનો છે. કવિએ પોતાની રચનાની સામગ્રી લેખે લાગણી અનુભવ વિચાર આદિ જે કંઈ તત્ત્વોનો સ્વીકાર કર્યો હોય તેનું કળામાં રૂપાંતર થઈ શક્યું છે કે કેમ એ જ વિવેચક માટે મુખ્ય તપાસની વસ્તુ છે. અને જો કૃતિઓ વચ્ચે ઉચ્ચાવચતાનો ક્રમ વિચારવો જ હોય તો તેમાંના કવિકર્મની સફળતા અને સામર્થ્યને જ લક્ષમાં લેવાનાં રહે.&lt;br /&gt;
આસ્વાદની પ્રવૃત્તિમાં રચનાપ્રક્રિયા કે ભાષાકર્મને જ અત્યંત નિકટતાથી તપાસવાની પ્રવૃત્તિ શરૂ થઈ, એથી વિવેચનાત્મક લખાણનું પ્રયોજન અને પદ્ધતિ મૂળથી બદલાઈ ગયાં. ભાષાના સર્જનાત્મક વિનિયોગની ઓળખ કરવાના પ્રયત્નમાં અગાઉ પ્રચ્છન્ન રહી ગયેલાં કેટલાંક રચનાગત સૌંદર્યો એ રીતે કદાચ પહેલી જ વાર પ્રકાશમાં આવ્યાં. અલબત્ત, કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાય જેવા કવિઓની રચનાઓને આપણા આગલી પેઢીના મર્મજ્ઞ વિવેચકોએ નહોતી માણી એમ અહીં અભિપ્રેત નથી જ. તેમણે એ રચનાઓને ઉત્કટતાથી પ્રગાઢતાથી જરૂર માણી હશે. મારું તાત્પર્ય એ છે કે ઉત્કટતાથી માણવા છતાંય કૃતિની રચનાપ્રક્રિયા વિશે કે ભાષાની સર્જકતા વિશે સંપ્રજ્ઞપણે તપાસ હાથ ધરી ન હોય તો અમુક સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યરેખાઓ સભાનતાના સ્તરે પકડાતી નથી. કૃતિમાં લીન થઈએ, તન્મય થઈએ, ત્યારે વાચનની ક્ષણે પંક્તિઓ/શબ્દસમૂહો આપણી ચેતના પર ઊંડો પ્રભાવ પાડે છે. પણ એ પ્રકારનો પ્રભાવ અમુક અંશે અજ્ઞાત ચિત્ત પર સીધો ઝીલાતો હોય છે. વિવેચક અંતર્મુખ બનીને એ પ્રભાવને સમજવા મથે અને તેમાં નિમિત્ત બનેલી ભાષાપ્રક્રિયાની બારીક તપાસ કરે ત્યારે જ એમાં સમર્પક બનતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રમણીય તત્ત્વોને સભાનતાના સ્તરેથી અલગ રૂપમાં ઓળખવાનું શક્ય બને. આગલી પેઢીના વિદ્વાનોએ એક બાજુ ઉન્નત વિચાર કે ઉદાત્ત ભાવ કે જીવનદર્શનની ખોજ આદરી; બીજી બાજુ, કવિની શૈલીનાં લક્ષણોની નોંધ કરવાનું વલણ દાખવ્યું. પણ ભાષાની સર્જકતાની સઘનતાથી પ્રત્યક્ષ કરવાનું વલણ તેમનામાં બંધાયું નહોતું. એટલે એમ માનવાને કારણ છે કે આજની આસ્વાદલક્ષી પ્રવૃત્તિને પરિણામે અગાઉ ક્યારેય પ્રકાશમાં ન આવ્યાં હોય એવાં કેટલાંક રમણીય તત્ત્વો પ્રત્યક્ષ થઈ શક્યાં.&lt;br /&gt;
સાહિત્યવિવેચનના ભાગ રૂપે અગાઉ આપણે ત્યાં કૃતિના ‘અર્થઘટન’ની જે રીતની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, તેની સામે ય સુરેશ જોષીએ વાંધો લીધો છે. તેમનું તાત્પર્ય એ છે કે અર્થઘટનને નામે અભ્યાસીઓ ઘણું ખરું તો કૃતિની સમૃદ્ધ સંકુલ વ્યંજનાસૃષ્ટિને પોતાને અનુકૂળ પડે તે રીતે સારવી લેતા હોય છે. વિવેચકે કૃતિના સમગ્ર સંકુલને, એની સર્વ સૂક્ષ્મતાઓ સમેત, એમાંના આંતરવિરોધો (paradoxes) અને તણાવો (tensions) સમેત એમાંનાં વ્યંગ કાકુઓ અને એમાંની સમૃદ્ધ ambiguities સમેત ગ્રહણ કરવાનો છે. એમાંથી કોઈ વિચાર કે અર્થ ઘટાવવા જતાં તેનું સરલીકરણ થઈ જાય છે. સુસાન સોન્ટાગની આ જાતની વિચારણામાંથી તેમને સમર્થન મળી રહ્યું છે. સુરેશ જોષીની આ ભૂમિકા સમજવામાં અને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
પણ વિવેચન નામની પ્રવૃત્તિના સ્વીકાર સાથે જ એક પાયાની મુશ્કેલી ઊભી થાય જ છે. જ્યાં સુધી કૃતિના અનુભાવનને લાગેવળગે છે ત્યાં સુધી તેને સમગ્રતામાં સંકુલતામાં અખિલાઈમાં પામવાનું શકય છે—અને વાસ્તવમાં કૃતિની જે સમગ્રતા સંકુલતા અને અખિલાઈ છે તે તેના આગવા આકારમાં, આગવી અભિવ્યક્તિમાં, અનુસ્યૂત રહી છે—એટલે કૃતિની અભિવ્યક્તિની ભાષા છોડીને તમે તમારા પ્રતિભાવને એક જુદા જ ભાષાકીય સંદર્ભમાં મૂકવા જાઓ છો, અને એમાં જાણ્યેઅજાણ્યે અમુક વિભાવનાઓનું માળખું (conceptual frame-work) સ્વીકારીને ચાલો છો, ત્યારે સ્વભાવિક રીતે જ કૃતિની સમગ્રતા સંકુલતા ખંડિત થાય જ છે. એટલે વિવેચનની પ્રવૃત્તિમાં સમગ્ર ‘અર્થ’ સાથે કામ પાડવા છતાં તેનું પુનઃનિર્માણ શક્ય નથી. સમગ્ર ‘અર્થ’ માટે મૂળ કૃતિનો બીજો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે. એટલે, વિવેચનની પ્રવૃત્તિમાં કશુંક ઓછું થાય જ છે, પણ એની જો થોડીક પણ ઉપયોગિતા હોય તો તે એ રીતે કે વિવેચક તરફથી એનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખની સાથોસાથ કશુંક આગવું ઉમેરાય છે. સૌંદર્યતત્ત્વોની ચર્ચા નિમિત્તે તે તેની તાત્ત્વિક ભૂમિકાનો નિર્દેશ કરે છે, કે વ્યાપક જીવનતત્ત્વો સાથેનો તેનો કોઈ અનુબંધ રચી આપે છે, અને એવા વ્યાપક તત્ત્વબોધને સ્પર્શે છે જેમાં કશુંક મૂલ્યવાન પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
વિવેચનની અંતર્ગત ચાલતા એક વ્યાપાર તરીકે અર્થઘટનના સ્વરૂપ અને અને કાર્ય વિશે પાશ્ચાત્ય વિદ્વાનોમાં ય ઘણા મતભેદો હોવાનું સમજાય છે. કેટલાક, વિવેચનના એક વ્યાપાર લેખે અર્થઘટનનો મૂળથી જ અસ્વીકાર કરે છે, બીજાઓ અર્થઘટનનો સ્વીકાર કરે છે, પણ તેના સ્વરૂપ અને કાર્ય વિશે જુદી જુદી સમજ પ્રગટ કરે છે. ઓસ્બોર્ન કહે છે : ‘...Interpretation is a moot word; it all depends what you decide to mean by it.’૧૧૯ અર્થાત્‌ ‘અર્થઘટન’ એ એક protean term છે. જુદા જુદા અભ્યાસીઓ એને જુદી જુદી રીતે સમજવા મથે છે, અને તેના પ્રકાશમાં કૃતિવિવેચનના મુદ્દાઓનો જુદી જુદી રીતે વિચાર કરે છે. એટલે, ખરી વાત તો એ છે કે, અર્થઘટનને સ્વીકારનાર અને ન સ્વીકારનાર બંને જુદા જ અર્થમાં એને સમજતા હોય એમ જોવા મળશે.&lt;br /&gt;
વિવેચનનો તત્ત્વવિચાર રજૂ કરતાં સુરેશ જોષીનાં લખાણોમાં ‘અર્થઘટન’ વિશે જુદા જુદા સંદર્ભોમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયેલા છે. ‘વિવેચનનો અન્ત?’માં તેમણે આ ચર્ચા ટૂંકમાં છેડી છે. ત્યાં તેઓ એમ કહે છે કે ‘અર્થઘટન’ સમાસમાંનો ‘અર્થ’ શબ્દ બિનજરૂરી ગૂંચવાડા ઊભા કરે છે, એટલે એને સ્થાને ‘મર્મઘટન’ સંજ્ઞા યોજવી જોઈએ. (જો કે પ્રસ્તુત સંદર્ભની ચર્ચામાં ‘અર્થઘટન’ સંજ્ઞા જ તેઓ યોજતા રહ્યા છે.) પણ ‘અર્થઘટન’ કે ‘મર્મઘટન’ના વ્યાપારનું કોઈ સ્પષ્ટ સુરેખ વર્ણન તેમણે ત્યાં આપ્યું નથી. તેઓ એને અંગે પ્રથમ તો critical statementના સત્યાસત્યના મુદ્દાને સ્પર્શે છે. વિવેચકો કળાકૃતિ વિશે જે જાતનાં વિધાનો કરે છે તે પૈકીના અમુક તાર્કિક દૃષ્ટિએ true કે false છે તે બતાવી શકીએ, જ્યારે બીજાં કેટલાંક વિધાનો વિશે તે પ્રમાણભૂત છે કે નહિ તેટલું જ વિચારી શકીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે આવાં વિધાનોમાં કૃતિ વિશેનું કોઈક interpretation કરવામાં આવ્યું હોય છે. આ સંદર્ભે જ તેઓ પ્રશ્ન કરે છે : કોઈ પણ વ્યંજનાસમૃદ્ધ કૃતિ વિશેનું કોઈ એક અર્થઘટન તેને વિશેનાં જ બીજાં અર્થઘટનો કરતાં વધુ સાચું ગણાય ખરું? અથવા સાહિત્યકૃતિનું કોઈ એક માત્ર આદર્શ અર્થઘટન કે significance હોય છે એમ કહીશું? તેઓ એવું મંતવ્ય રજૂ કરે છે કે એક જ કૃતિનાં અમુક જુદાં જુદાં પરસ્પરવિરોધી લાગતાં અર્થઘટનો પણ સ્વીકારી શકાય. આવું એક અર્થઘટન બીજા અર્થઘટનનો અનિવાર્યતયા છેદ ઊડાડે જ એમ હંમેશાં બનતું નથી. બલકે, એવા અર્થઘટનો-અર્થઘટનાત્મક વિધાનો એકબીજાને પૂરક બની શકે છે, કૃતિની સંકુલતા ઉપસાવવામાં તે આગવી આગવી રીતે સમર્પક બની શકે છે. આથી ઊલટું, કૃતિનું કોઈ એક જ અર્થઘટન સાચું, એક જ આદર્શરૂપ, એમ સ્વીકારવા જતાં એ જ પ્રમાણભૂત છે એમ શી રીતે સ્થાપી શકાશે? સુરેશ જોષીએ આ રીતે અર્થઘટનના તાત્ત્વિક પ્રશ્નોનો નિર્દેશ કરી એમ સૂચવ્યું છે કે કૃતિની ‘સંકુલતા અને સમગ્રતા’ વધુમાં વધુ ‘આવરી’ લઈ શકે, તેને વધુ ‘વિશદ’ કરી આપી શકે તેમ જ કૃતિ સાથે જે ‘વધુ સંબદ્ધ’ લાગે તે અર્થઘટન સ્વીકારવાનું રહે. સુરેશ જોષીની પ્રસ્તુત ચર્ચા જોતાં તો અર્થઘટનવ્યાપારને તેઓ વિવેચનમાં અંતર્ગત ભાગ લેખે સ્વીકારી લેતા હોય, સમાવી લેતા હોય, એવું લાગે છે.&lt;br /&gt;
‘સંરચના અને સાહિત્યવિવેચન’ લેખમાં સંરચનાવાદીઓના સાહિત્યિક અભિગમના મુદ્દાને અનુલક્ષીને તેમણે જે ચર્ચા છેડી છે તેમાં ય અર્થઘટનનો મુદ્દો સ્પર્શાયો છે. સંરચનાવાદીઓ સાહિત્યને અનુલક્ષીને પૃથક્કરણનો માર્ગ લે છે, પણ તેના ‘આલોચનાત્મક અર્થઘટન’નો અસ્વીકાર કરે છે એમ નોંધી તેઓ ત્યાં તેને વિશે ટીકાટિપ્પણી કરે છે. પ્રસ્તુત સંદર્ભમાં કૃતિના અભિગમ પરત્વે તેઓ બે ‘વિકલ્પો’ સૂચવવા ચાહે છે. એક છે active interpretationનો, બીજો છે deadening systematizationનો. તેમના મતે સંરચનાવાદીઓ જે રીતે ‘સાહિત્યને શક્ય બનાવતા નિયમોનું સ્વરૂપ’ સ્થાપી આપવાનો પ્રયત્ન કરે છે તેથી તો તેઓ ‘એક પ્રકારની generality’નો ભોગ બનતા હોય છે. સાહિત્યની કૃતિમાં સિદ્ધ થયેલી કળાત્મક વિશિષ્ટતાઓનો જ એમાંથી લોપ થઈ જતો હોય છે. સુરેશ જોષી અહીં એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વિશિષ્ટ કૃતિઓને અનુલક્ષીને એકથી વધુ અર્થઘટનોને અવકાશ રહેતો હોય છે. સંરચનાવાદીઓ જે રીતે સર્વસામાન્ય સાહિત્યિકતાનો વિચાર કરવા પ્રેરાયા છે તેમાં નરી generality જ શેષ બચે છે. કૃતિવિશેષના અર્થઘટનને માટે એમાં કોઈ ભૂમિકા રહેતી નથી. અહીં પણ અર્થઘટનની આવશ્યકતા સ્વીકારીને તેઓ ચાલ્યા હોય એમ સમજાશે.&lt;br /&gt;
‘અર્થઘટન?’ શીર્ષકના લેખમાં, આ મુદ્દા વિશે જ તેમણે ચર્ચા ઉપાડી છે. શીર્ષકમાં મૂકાયેલું પ્રશ્નચિહ્ન જ અર્થઘટનપ્રવૃત્તિ વિશેના તેમના સંશયને સૂચવી દે છે. જો કે સુરેશ જોષી કે બીજો કોઈ અભ્યાસી, વિવેચનની અંતર્ગત અર્થઘટનના વ્યાપારનો સ્વીકાર ન કરે એ મુદ્દા કરતાં ય વધુ તો અર્થઘટનવ્યાપાર વિશેની તેમની ખરેખર વિભાવના શી અને એના અસ્વીકાર માટેની ભૂમિકા કઈ તે કદાચ વધુ મહત્ત્વના મુદ્દાઓ બની રહે છે. પણ સુરેશ જોષીના પ્રસ્તુત લેખમાં ‘અર્થઘટનવ્યાપારના’ કે અર્થઘટનની પ્રક્રિયાના સ્વરૂપ વિશે કોઈ સ્થિર નિશ્ચિત ભૂમિકા સાંપડતી નથી એ  આપણી મૂંઝવણ બની રહે છે. &lt;br /&gt;
ચર્ચાના આરંભમાં આ વિશે તેઓ કહે છે : “આપણી પરિભાષામાં વાત કરીએ તો અર્થ એટલે meaning નહિ, પણ રસ. આ રીતે જોઈએ તો અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ. રસાસ્વાદમાં જે વિઘ્નો આવતાં હોય તેની આલોચના.”૧૨૦ અર્થઘટનના પ્રશ્ને અહીં કંઈક મૂળથી જ મુશ્કેલી અનુભવાય છે. આપણે જેને aesthetic experience – રસાનુભૂતિ – તરીકે ઓળખીએ છીએ તે તો સહૃદયના ચિત્તમાં ચાલતો અતિ સૂક્ષ્મ વ્યાપાર છે. આસ્વાદની પ્રક્રિયા સમયના ક્રમમાં ચાલે છે અને એ દરેક ક્ષણમાં કૃતિની સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અને અર્થોની છાયાઓ ભાવકના ચિત્તમાં ઉપચિત થતી આવે છે; અને રસાનુભવમાં ભાવકનું ચિત્ત કંઈ નિષ્ક્રિય ભાવે બધું નિહાળ્યા કરે એમ પણ નથી. તેમાં સક્રિયપણે તે કશુંક અર્પણ પણ કરે જ છે. આમ જે એક સંકુલ પ્રક્રિયા ચાલે છે તેની કોઈ પણ રીતે ‘તપાસ’ કરવા ચાહો તો અમુક દૃષ્ટિબિંદુ કે પરિપ્રેક્ષ્ય સ્વીકારવો પડે, અમુક frame of reference સ્વીકારવો પડે, કે તપાસ પાછળ કોઈ principle લક્ષમાં લેવાનો રહે. એટલે સૂક્ષ્મતમ ચૈતસિક પ્રક્રિયાની ‘તપાસ‘ના સ્વીકાર સાથે જ કોઈક રીતે રસાનુભવની ઘટનાનું Ordering, structuring સ્વીકારવું પડે. વળી ‘રસાસ્વાદનાં વિઘ્નો’ની ‘આલોચના’ પણ અર્થઘટન શી રીતે બને તે સ્પષ્ટ થતું નથી. ‘વિઘ્નો’ જે આસ્વાદનો અંતર્ગત ભાગ નથી, તે કૃતિના અર્થઘટનમાં શી રીતે પ્રવેશે તે પણ પ્રશ્ન છે.&lt;br /&gt;
આ પછી સુરેશ જોષીએ જ્હોન એલિસની ‘અર્થઘટન’ની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે. એલિસના મત પ્રમાણે ‘અર્થઘટન’ એટલે ‘સાહિત્યિક રચનાના ઘટકોના સંબંધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાંત વિશેની hypothesis’. આ ખ્યાલ સુરેશ જોષીના પોતાના ખ્યાલથી જુદો છે. એલિસના મતે ‘અર્થઘટન’ એ કૃતિની સંરચનાના સ્તરે પ્રવર્તતા સિદ્ધાંત વિશેની ‘hypothesis’ – ધારણા છે. દેખીતી રીતે જ, કૃતિના અમૂર્તીકરણનો ખ્યાલ એમાં સૂચિત છે સુરેશ જોષીએ એ વિશે ખાસ ટીકાટિપ્પણી કરી નથી, પણ સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. કેટલાકના મતે કૃતિના રસાસ્વાદન અર્થે વિવેચકે તેમાં જે કેટલુંક ‘digging’ કરવું પડે એ ‘digging’-વ્યાપાર પોતે જ અર્થઘટન છે, એમ સુરેશ જોષી નોંધે છે. જો કે એ મતના પુરસ્કર્તા વિદ્વાનોનો તેઓ ઉલ્લેખ કરતા નથી. પણ અહીં ખરી મુશ્કેલી ‘digging’ જેવા રૂપકાત્મક પ્રયોગમાંથી જન્મે છે. કોઈ કૃતિમાં ‘digging’ કરવું એટલે શું? કશું સ્પષ્ટ થતું નથી. કૃતિના અર્થબોધના આકલનના અનુમાનના – તાત્પર્ય કે, જ્ઞાનમીમાંસાના સ્તરેથી એ સર્વ વ્યાપારના પ્રશ્નોની માંગણી કરવાની અહીં રહી જાય છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં બિયર્ડ્‌ઝલીની વિચારણા ય સંકળાતી આવી છે. બિયડર્‌ઝલીએ અર્થઘટનના આ પ્રશ્ન understanding (એના પર્યાય લેખે સુરેશ જોષીએ યોજેલો ‘મુખ્યાર્થબોધ’ શબ્દ વ્યાજબી છે ખરો?) સાથે સંકળાયેલો હોવાનું કહ્યું છે તે પણ ધ્યાનાર્હ છે. સુરેશ જોષીએ બિયડર્‌ઝલીની આ ભૂમિકાનું ટૂંકું સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે, અને તેનું સમર્થન પણ કર્યું છે. બિયડર્‌ઝલીના મતે કૃતિનું understanding એ તેના અર્થઘટન માટેની પૂર્વભૂમિકા છે, તેમ પૂર્વશરત પણ છે. એ રીતે understanding એ પ્રથમ તબકકો, interpretation બીજો તબકકો – એવો સમયનો ક્રમ એમાં પડેલો છે. પ્રાચીન સાહિત્યની ‘પદાવલિ’ અર્વાચીન કૃતિઓમાં પ્રયોજાય છે ત્યારે તેના અમુક ‘અધ્યાસો’ અને ‘સંસ્કારો’ નવા સંદર્ભમાં નવી રીતે જ ઉદ્‌બુદ્ધ થાય છે. સમર્થ કવિ તો રોજબરોજની ભાષાના પ્રયોગોથી અળગો થઈ તેનું વિશિષ્ટ રીતે નવવિધાન કરતો હોય છે. દાદાવાદ કે અતિવાસ્તવવાદના પ્રણેતા કવિઓ રોજિંદી વાણીના પ્રયોગોને દૂર સુધી ખેંચી જવા મથ્યા છે. બિયડર્‌ઝલી એથી એવા મત પર આવ્યા છે કે ‘કાવ્યનું કોઈ પણ અર્થઘટન વસ્તુલક્ષી દૃષ્ટિએ સર્વસંમત નીવડી શકે નહિ.’ સુરેશ જોષી એમાં સંમત થાય છે. આ સંદર્ભે આપણે નોંધવું જોઈએ કે અર્થઘટન વિશેની બિયડર્‌ઝલીની સમજ આરંભમાંની સુરેશ જોષીની વિચારણા (અર્થઘટન એટલે કૃતિની રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ)થી જુદી રીતે મુકાઈ છે. બિયડર્‌ઝલી કૃતિના સંદર્ભે understandingની અનિવાર્યતા સ્વીકારે છે. સુરેશ જોષી રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ માટે કહે છે પણ તપાસ માટે કોઈ principle કે perspective સૂચવતા નથી.&lt;br /&gt;
અર્થઘટન તે કૃતિના decodingનો જ વ્યાપાર છે, એવો એક ખ્યાલ પણ સુરેશ જોષીએ આ ચર્ચાના અનુસંધાનમાં સાંકળ્યો છે. એ જ રીતે, કૃતિમાં રજૂ થતાં અલંકારો રૂપકગ્રંથિઓ આદિ ઘટકતત્ત્વોને ભાવકો જે રીતે ‘ઘટાવી’ જૂએ છે તે પણ અર્થઘટનનો એક વ્યાપાર છે. ચર્ચામાં આ રીતે ‘અર્થઘટન’ની એકથી વધુ પ્રક્રિયાઓ ઉલ્લેખાયેલી છે.&lt;br /&gt;
આમ છતાં, ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે, અંતમાં, તેઓ પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે : “જે લોકો અર્થઘટન અને અર્થબોધની વાતો કરે છે તેઓ આખરે તો શબ્દાન્તરે કાવ્યનો ગદ્યાળુ ભાષામાં અનુવાદ જ આપી છૂટે છે. એથી વિદ્વત્તાનો અર્થ સરતો હશે, રસાસ્વાદમાં એ ઉપકારક નીવડે જ એવું કહી શકાય નહિ. કાવ્યશાસ્ત્ર નહિ, પણ અનેક કાવ્યોમાં કરેલું નિમજ્જન જ આપણને રસસૃષ્ટિનાં દ્વાર ખુલ્લાં કરી આપે છે.”૧૨૧ અને પછી ઉમેરે છે : “...અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની સાહજિકતાને અળપાવી નાખે છે. આવાં અર્થઘટનોને નામે બુદ્ધિનો કલાદ્વેષ જ પ્રગટ થતો હોય છે. રસાનુભવમાં જે વ્યવધાનરહિત તત્ક્ષણતાની અપેક્ષા રહે છે તેનો જ અર્થઘટનને નામે લોપ કરવામાં આવે છે. કાવ્યના સમગ્રને બૌદ્ધિક ચોકઠામાં સારવી લેવાની આ પ્રવૃત્તિ આપણા અનુભવજગતને ધીમે ધીમે હ્રસ્વ કરી નાખે છે...”૧૨૨&lt;br /&gt;
અંત ભાગની ચર્ચાવિચારણામાં મૂળથી જ તાર્કિક ગૂંચ ઊભી થતી દેખાય છે. અહીં ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે તેઓ જે રીતે વાંધો લે છે તેમાં ‘અર્થઘટન’ વિશેનો જુદો જ ખ્યાલ તેમની નજરમાં હોય એમ લાગે છે. કાવ્યના સમગ્રને ‘બૌદ્ધિક ચોકઠામાં’ સારવી લેવાની પ્રવૃત્તિ તે અર્થઘટનની જ પ્રવૃત્તિ છે એમ એમાં ગર્ભિત રહ્યું છે. પણ જ્હોન એલિસ અને બિયડર્‌ઝલીની આ વિશેની જે ભૂમિકાનું તેમણે વિવરણ અને સમર્થન કર્યું તેની સામે જ આ મુદ્દો જતો નથી? આરંભમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ તે જ અર્થઘટનની પ્રક્રિયા એવો જે ખ્યાલ રજૂ કર્યો હતો તે સ્વયં ચર્ચાસ્પદ રહ્યો છે એમ આપણે જોઈ ગયા. અહીં અર્થઘટનવ્યાપાર સામે તેઓ મૂળથી જ વાંધો લે છે. ભાવકના રસાનુભવનું મહત્ત્વ તેઓ કરે છે તે સમજવામાં મુશ્કેલી નથી. પણ ‘અર્થઘટનો’ તો રસાનુભવ પછીની ઘટના સંભવે છે. રસાનુભવની અતિ સંકુલતા અને સમૃદ્ધ સંદિગ્ધતાને ભાવકનું ચિત્ત જેમનું તેમ એની સમગ્રતામાં ગ્રહણ કરી શકતું નથી. એનું સંચાલક નિયામક એવું ઋત શોધવાની પ્રક્રિયામાં અમુક બૌદ્ધિકતાને અવકાશ રહે જ છે. બલકે, કૃતિમાં જે જે ભાવોર્મિઓ અર્થચ્છાયાઓ વ્યંજનાઓ ક્રમશઃ બોધમાં આવ્યાં હોય તેને કોઈ એક કેન્દ્રમાંથી સાંકળીને જોવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ રીતે કૃતિનું semantic field તેમાં વ્યવસ્થાની તપાસ કરવાને આધારભૂમિ બને છે. કૃતિની સમગ્ર સંકુલ વ્યંજનાને એક બિંદુએ સાંકળવાના, સમજણને વધુ સ્પષ્ટ ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો, નિશ્ચિતપણે આસ્વાદ સાથે અનુસંધિત છતાં, પછીની ક્ષણની ઘટના છે. એને અર્થઘટન તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, કૃતિનાં સૌંદર્ય તત્ત્વો વિશેના આકલન સાથે એ અનિવાર્યપણે જોડાયેલી ઘટના છે.&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રની વર્તમાન ગતિવિધિઓને અનુલક્ષીને, તેમ વિવેચનવિચારના કોઈ ને કોઈ નિમિત્તે, તેમણે કૃતિવિવેચનના પાયાના પ્રશ્નો ચીંધી બતાવ્યા છે. તેમના પાછળના ત્રણ વિવેચનગ્રંથો – ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રે આ વિષયમાં ચર્ચાતા મુદ્દાઓ લઈને લખેલા લેખો તેમણે મૂક્યા છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્ન શાખાઓ, ત્યાંના સાહિત્યવિચારને અને વિવેચનના અભિગમોને કેવી રીતે વળાંક અર્પી રહી છે, તેની ચર્ચાઓ પણ એમાં છે. સંભવતઃ પાશ્ચાત્ય વિદ્વાનો વિવેચકોની આ જાતની ચર્ચાવિચારણાઓની એમાં સીધી પ્રેરણા રહી છે. કેટલાંક લખાણો ત્યાંના વિવેચનલેખો પર આધારિત હોવાનું તેમણે નોંધ્યું ય છેઃ અને એ કારણે એમાં મૂળના પ્રતિપાદ્યની વિશદ રજૂઆત થઈ શકી નથી ત્યાં કેટલુંક લખાણ ક્લિષ્ટ અને દુર્બોધ બની જતું લાગે છે. પણ આવી મૂંઝવણો અને મુશ્કેલીઓને બાજુએ રાખીને કહેવું જોઈએ કે, આપણા વિવેચનક્ષેત્રમાં સતત નવા નવા પ્રાણવાન વિચારો આવકાર પામતા રહે, જૂનાનવા વિચારો વચ્ચે ટકરામણો થાય, ઊહાપોહ થાય અને કશુંક નૂતન જન્મી આવે, એવી ભાવનાથી તેઓ આ દિશામાં પ્રવૃત્ત રહ્યા છે. આ માટે તેઓ સ્વયં ઊહાપોહ જન્માવી આપવા સક્રિય બની રહ્યા છે. તેમણે સ્પર્શેલા કેટલાક મુદ્દાઓની અહીં સંક્ષિપ્ત નોંધ કરીશું.&lt;br /&gt;
(૧) સાહિત્યકૃતિનાં મૂલ્યાંકનો કયા ધોરણે થાય છે કે થવાં જોઈએ, એ તપાસવાનો મુદ્દો છે. દરેક સાહિત્યકૃતિ જો અ-પૂર્વ કે અનન્ય (unique) લેખાતી હોય તો એ અપૂર્વતા શામાં રહી છે? આ અપૂર્વતાને સ્વીકારીએ તો અન્ય કૃતિઓ સાથે એની કોઈ રીતની તુલના કરવાનું શક્ય છે? અગર શક્ય છે તો તે યોગ્ય છે, પ્રસ્તુત છે? સુરેશ જોષીએ આવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે, પણ પછી એની વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
(૨) રસાસ્વાદ એ ભાવકના ચિત્તમાં ચાલતી એક આત્મલક્ષી ઘટના છે; જ્યારે વિવેચન શાસ્ત્ર બને એ માટે તેને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો, જે કંઈ આત્મલક્ષી પ્રતીતિનો વિષય છે તેને વસ્તુલક્ષિતા (Objectivity)ની ભૂમિકાએ સ્થાપવાનું શક્ય છે? કળાનું જે કંઈ મૂલ્ય છે તે તો સ્વયં આસ્વાદની પ્રક્રિયામાં જ ઉપલબ્ધ થાય છે. તો તેને પછીથી વિભાવનાઓના માળખામાં રજૂ કરતાં એ મૂલ્યરૂપ ઉપલબ્ધિ લુપ્ત ન થાય? આ પ્રશ્ન યે તેમણે છેડ્યો છે ખરો, પણ તેની વિગતે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
(૩) કળાનિર્માણના ક્ષેત્રમાં સતત નવા નવા ઉન્મેષો પ્રગટ થતા રહે છે. એવા દરેક નૂતન નિર્માણના વિવેચન અર્થે અગાઉની કૃતિઓ પર આધારિત કળાના નિયમો અપર્યાપ્ત કે અપ્રસ્તુત બની રહેતા લાગશે તો પછી, જુદી જુદી સાહિત્યિક પરંપરાઓમાં જન્મી ચૂકેલી, જન્મતી જતી, અને જન્મનારી સર્વે કૃતિઓને આવરી લઈ શકે તેવું કોઈ સર્વગ્રાહી સર્વકાલીન સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? (આ પ્રશ્નને અનુલક્ષીને કળાવિચારણાને-family resemblance-ની દૃષ્ટિએ જોવાનો તેમણે અનુરોધ કર્યો છે. કળાતત્ત્વવિચારને open-textured ખ્યાલ તરીકે જોવાનું તેમણે કહ્યું છે.)&lt;br /&gt;
(૪) કળામાં આકાર વિશેનો ખ્યાલ પણ હવે બદલાઈ રહ્યો છે. આગળ કૃતિની ‘સજીવ એકતા’ (organic unity) કે ‘સુબદ્ધ એકતા’નો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો હતો. એને સ્થાને હવે કૃતિનાં અમુક ઘટકોની નરી સહોપસ્થિતિ (juxtaposition) રચીને જ નવું નિર્માણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો કૃતિવિવેચનના સંદર્ભે આકારની નવેસરથી વ્યાખ્યા કરવાની કે નવેસરથી તેનું અર્થઘટન કરવાની આવશ્યકતા નથી? એમ તેમણે પ્રશ્ન કર્યો છે.&lt;br /&gt;
(૫) સાહિત્યના તત્ત્વવિચાર નિમિત્તે કે કૃતિઓનાં વર્ણનવિવેચન નિમિત્તે જે કોઈ નવી વિભાવના જન્મે છે, તેની પણ પુનર્વ્યાખ્યા થતી રહેવી જોઈએ. આમ તો ઝડપથી બદલાઈ રહેલી વર્તમાન સાહિત્યિક પરિસ્થિતિમાં તેનું સતત સ્પષ્ટીકરણ કરીને તેનો વિનિયોગ કરવો જોઈએ. જો કે અવનવા આકારની કે સર્વથા વિલક્ષણ પ્રકારની બધી જ નવી કૃતિઓને સમગ્રતયા આવરી લે અને વ્યાપકપણે લાગુ પાડી શકાય તેવી વ્યાપક વિભાવના રચવાના પ્રયત્નો વંધ્ય નીવડવા સંભવ છે. સુરેશ જોષીનો આ ખ્યાલ સાચો છે. વિભાવનાને અતિ વ્યાપક અને સર્વગ્રાહી બનાવવા જતાં તે વધુ abstract અને generalised સ્વરૂપની બનશે, તેમાં કૃતિઓના સ્વરૂપ વિચારને લગતાં પરસ્પર વિરોધી તત્ત્વોનો છેદ ઊડી જશે.&lt;br /&gt;
(૬) સાહિત્યની રુચિ, વિવેચન સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસાના વાંચનપરિશીલન માત્રથી બંધાતી કે ખિલતી નથી. સર્જાતા સાહિત્યની પ્રાણવાન કૃતિઓનો પ્રત્યક્ષ સઘન પરિચય જ એમાં ઉપકારક નીવડે.&lt;br /&gt;
(૭) લેખકોના પોતાની અમુક કૃતિ કે સમગ્ર લેખન પ્રવૃત્તિ વિશેના ‘ખરીતાઓ’ ‘બ્લ્યૂ પ્રિન્ટ્‌સ’ રૂપ વિચારો કે ‘પૂર્વ આશયો’ને લક્ષમાં રાખીને તેમની કૃતિઓ પાસે જવાનું નથી. નીપજી આવેલી કૃતિઓની રૂપનિર્મિતિને જ પ્રમાણભૂત ગણીને ચાલવાનું છે. આસ્વાદ વિવેચનની એ જ સાચી અને વાસ્તવિક આધારભૂમિ છે. લેખકોના પૂર્વ પ્રગટ ‘આશયો‘ને જ તેમની કળાત્મક સિદ્ધિ ગણી લેવાનો દોષ – intentional fallacy – ન થવો જોઈએ.&lt;br /&gt;
(૮) વિવેચકે પોતાની સાહિત્યપરંપરાથી સાવ વિમુખ થવાનું નથી. પરંપરાને તેણે કોઈ સ્થગિત થઈ ગયેલી વસ્તુરૂપે નહિ, જીવંત સાતત્યભરી પ્રક્રિયારૂપે જોવાની અને સ્વીકારવાની છે. તેની સામે અત્યંત વિલક્ષણ અને વૈચિત્ર્યપૂર્ણ એવા અનેક નવોન્મેષો આવશે. પણ તેને માત્ર ઉત્સાહના -લાગણીના – ઉદ્રેકથી જોવાના નથી, અમુક બૌદ્ધિક સ્વસ્થતા અને સમ-ભાવ જાળવીને જોવાના છે. આવી નવીન રચનાઓમાં સર્જક જૂનાં રૂઢ કળાતત્ત્વોને ત્યજી દે છે ખરો, પણ તેની અવેજીમાં કયાં નૂતન પ્રાણવાન તત્ત્વો તે નિપજાવી શક્યો છે તે પણ તેણે તપાસવાનું રહે છે.&lt;br /&gt;
(૯) વિવેચનાત્મક વિધાનો-critical statements-ના સત્યાસત્યના ય પ્રશ્નો ઊભા થાય છે. જો કે આ જાતની તપાસના પ્રશ્નો અત્યંત જટિલ છે. આવાં વિધાનો નર્યાં ‘આત્મલક્ષી વિચારણો’ જ છે કે વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતાં ‘વસ્તુલક્ષી કથનો’ છે? આ જાતના પ્રશ્નોને વિકસતા જતા aesthetics linguistics psychology epistemology આદિ વિષયોના પ્રકાશમાં તપાસવા ઘટે.&lt;br /&gt;
વિવેચનમીમાંસા નિમિત્તે કે આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિની તપાસ નિમિત્તે સુરેશ જોષી આ રીતે અનેક પાયાના મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે. પ્રસંગે એવા કોઈ મુદ્દા વિશે કંઈક વિગતે ચર્ચા કરી છે, તો કેટલાક મુદ્દાને ઉપસ્થિત કરી છોડી દીધા છે. પણ પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેમાંના અનેક મુદ્દાઓ તરફ તેઓ આપણું ધ્યાન ખેંચતા રહ્યા છે.&lt;br /&gt;
‘સાહિત્ય અને સુરુચિ’ નામે લેખમાં તેમણે ‘સુરુચિ’ સંજ્ઞાનો સંકેત સ્પષ્ટ કરી સાહિત્ય સાથે તેનો સંબંધ જોડી આપ્યો છે. ‘સુરુચિ’ પ્રયોગમાં જ નૈતિક દૃષ્ટિબિંદુની અમુક ગંધ આવી જાય છે એમ તેઓ કહે છે. પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘રુચિ‘નો રસાસ્વાદ સાથે સંબંધ છે જ્યારે નીતિને સામાજિક વ્યવહાર સાથે. એ રીતે બંનેનાં લક્ષ્ય જુદાં છે એમ તેઓ કહે છે. ‘રુચિ’ના સંદર્ભેય જો આપણે હીનતા કે અધમતાના ખ્યાલને જોડતા હોઈએ તો તે નૈતિકભાવથી નહિ, રસના અપકર્ષના ખ્યાલથી જોડીએ છીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે—“રસનો અપકર્ષ કરનાર તત્ત્વ કેટલીક વાર સર્જકનો નૈતિક આગ્રહ કે ભાવકનો નૈતિક અભિગ્રહ પણ હોઈ શકે. રુચિનો વિકાસ હંમેશાં તત્કાલીન સામાજિક નીતિની વિભાવનાને સમાન્તર રહીને ચાલે એવું ન ય બને.”૧૨૩ આ સંદર્ભમાં સુરેશ જોષી એમ કહે છે કે સાહિત્યને માનવવ્યવહાર સાથે સંબંધ છે ખરો પણ તે કેવો હોવો જોઈએ એ બતાવવાનું તે માથે લેતું નથી, વ્યવહારજીવનની સામગ્રીનો તે કેવળ આસ્વાદક્ષમ કૃતિ રચવાને વિનિયોગ કરે છે. ‘રુચિ‘ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : “રુચિ એટલે પદાર્થો પ્રત્યેનો આપણો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ માનસિક પ્રતિભાવ એમ કહી શકાય. દુનિયાના બધા જ પદાર્થો, પરિસ્થિતિઓ કે અવસ્થાઓ પ્રત્યેનો આપણો પ્રતિભાવ એક સરખો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ હોવાનો સંભવ નથી. આપણી માનવસહજ મર્યાદા, આપણા ચિત્તતંત્રની ઓછીવધતી સંવેદનક્ષમતા, આપણી સંસ્કારગ્રહણ અને સંસ્કારોદ્દીપનની શક્તિ – આ બધાનાં પર એનો આધાર રહે છે. એના એક અન્તિમે જડતા અને બીજે અન્તિમે વિવેકહીન મુગ્ધતા રહ્યાં હોય છે. આ બે અન્તિમોની વચ્ચે રુચિના વિકાસનું ક્ષેત્ર રહ્યું હોય છે.”૧૨૪&lt;br /&gt;
આ સંદર્ભમાં સાહિત્યની સર્જનપ્રક્રિયાનું વર્ણન આપતાં તેઓ કહે છે છે કે સર્જકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વ’નું એ પ્રક્રિયામાં પૂરું તિરોધાન થાય છે-થવું જોઈએ. આવું ‘તિરોધાન’ સિદ્ધ કરીને જ સર્જક વ્યવહારજીવનનાં ‘સીમિત પ્રયોજનો’ અને વ્યવહારમાં અપેક્ષિત ક્રિયાશીલતાને ઓળંગી જઈ શકે છે. આ ‘તિરોધાન’ને અંતે જ પોતાનાં સંવેદનોનું ‘તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય’થી તે ગ્રહણ કરે છે. આ સંવેદનોને એના ‘વિશિષ્ટ પરિવેશથી નિરપેક્ષ’ રૂપમાં તે જુએ છે, ‘કલ્પના, અધ્યાસ અને સંસ્કારોને બળે’ એ સંવેદનની ‘પૂર્ણ યથાર્થતા’નું ‘આકલન’ કરે છે, અને એ યથાર્થતાને સાર્થકતા અર્પે એવું રૂપ તે નિર્માણ કરે છે. આ કાર્યમાં સર્જક લેખે તેને એકી સાથે અનાસક્તિ અને હાનોપાદનનો વિવેક પણ દાખવવાનો રહે છે. ચેતોવિસ્તાર એ જ તેનું પરમ પ્રયોજન બની રહે છે.&lt;br /&gt;
બીજી બાજુ, કૃતિનો આસ્વાદ લેનાર ભાવક પણ આવી જ રીતે વ્યાવહારિક જીવનના સંદર્ભોથી ઊંચે ઊઠતો હોય છે. આસ્વાદ પ્રક્રિયાનું સુરેશ જોષીએ રજૂ કરેલું વર્ણન તેમના જ શબ્દોમાં – “સાહિત્યના રસાસ્વાદમાં આપણી ચેતનાનો આ વિસ્તાર જ મૌલિભૂત પ્રયોજનરૂપ આનંદને સિદ્ધ કરે છે. સાહિત્યનો આસ્વાદ લેનાર પણ સર્જકની રચનાના પ્રભાવથી આસ્વાદ લેતી વેળાએ પોતાના વ્યાવહારિક વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને, તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય કેળવી સંવેદનના અદ્વિતીય રૂપનો સાક્ષાત્કાર કરીને આનંદ અનુભવે છે. કળાકૃતિનો આસ્વાદ કરતી વેળાએ અનુભવાતી ચિત્તની આ અવસ્થા, જેમ જેમ વધુને વધુ શ્રેષ્ઠ પ્રકારની કળાકૃતિઓનું અનુશીલન કરતા જઈએ તેમ તેમ, આપણામાં એક પ્રકારની સાક્ષીભૂત ચેતનાને નિષ્પન્ન કરે છે. પછીથી વ્યવહારના અનુભવોને પણ આપણે એનાં સંભવિત ઇષ્ટ કે અનિષ્ટ પરિણામો ને પ્રતિક્રિયાઓથી વિચલિત થયા વિના એમના યાથાર્થ્યમાં જોઈ લેવાને શક્તિશાળી થઈએ છીએ. આ અવસ્થામાં નિષેધ નહીં પણ સ્વીકાર, સંકોચ નહીં પણ પ્રસાર, અસહિષ્ણુતા નહીં પણ સમસંવેદનશીલતા આપણે અપનાવતા જઈએ છીએ.”૧૨૫&lt;br /&gt;
અહીં સર્જક તેમ ભાવક બંનેના પક્ષે ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’ની સુરેશ જોષીએ વાત કરી છે તે સૂચક છે. વ્યવહારજીવનની સાંકડી સીમાઓથી બંને ઊંચે ઊઠે છે. ભાવકને માટે તેનો આસ્વાદ અને ચેતોવિસ્તાર સ્વયં પરમ મૂલ્ય છે. કળાની એ પરમ સાર્થકતા છે. સુરેશ જોષીની કળાવિચારણામાં તેમની આ એક કેન્દ્રીય ભૂમિકા છે. તેમનું એમ કહેવું છે કે રસાનુભૂતિને આ રીતે સ્વીકારવામાં આવે તો નીતિનો તેની સામે કોઈ વિરોધ ન સંભવે. જોકે તેમની આ ભૂમિકા જુદી રીતે પણ ચર્ચાસ્પદ બની શકે છે. રસાનુભૂતિની તેઓ પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠા કરવા ચાહે છે, પણ રસબોધની એ પ્રક્રિયા અત્યંત સંકુલ ઘટના છે અને ભાવકચિત્તમાં સંભવતી એ કોઈ નિરપેક્ષ ઘટના નથી. કળાતત્ત્વ વિશેની ભાવકની દૃષ્ટિરુચિ ઓછેવત્તે અંશે ય એમાં નિર્ધારક (determinant) બની રહે છે. એટલે પ્રશ્ન કેવળ ભાવકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’નો જ નથી, ભાવક/વિવેચક કળાને કઈ રીતે જૂએ છે, સ્વીકારે છે, અને વિશ્વજીવનમાં તેને ક્યાં સ્થાપે છે વગેરે બાબતો ય એમાં એટલી જ, બલકે એથી યે વધુ, મહત્ત્વની બની રહે છે.&lt;br /&gt;
સર્જન-ભાવનની ઘટનાને આગવી રીતે ઘટાવવાનો તેમનો ઉપક્રમ પણ એ રીતે ધ્યાનાર્હ છે. “સમગ્રનું, કશા નિષેધ વિના કરેલું અનુભાવન—આવી સંવાદિતા રસાનુભવમાં અપેક્ષિત છે... નિર્વિધ્ના સંવિત્તિઃ રસઃ | સમગ્રના સંદર્ભમાં મૂકીને જોતાં જે સંવાદી લાગે તેને જો સમગ્રમાંના કશાકનો પણ નિષેધ કરીને કે ઉપેક્ષા કરીને જોઈએ તો વિસંવાદી જ લાગે. જ્યારે વ્યવહારની સાપેક્ષ નીતિ કલાની આ સમગ્રતાને ઉવેખીને એના એકાદ અંગને છૂટું પાડીને જુએ છે ત્યારે જ એને એ પોતાની મર્યાદાથી વરવું બનાવીને અસહિષ્ણુ બની ઊઠે છે... આ વિશ્વમાં પ્રવર્તતું ઋત તો એકસરખી નિષ્પક્ષતાથી ગુલાબની પાંખડી અને ઈયાગો જેવા ખલનાયકના સ્વભાવને રચે છે. કલાકારને આવી જ નિષ્પક્ષતા અભીષ્ટ છે. એમાં જો એ ચૂકે તો કલાસર્જનની એ અનીતિ અક્ષમ્ય બની રહે.”૧૨૬ અહીં સર્જકના તાટસ્થ્ય પર તેમણે અસાધારણ ભાર મૂક્યો છે. વિશ્વજીવનના સર્વ પદાર્થો, સર્વ ઘટનાઓ પરત્વે પૂરી નિષ્પક્ષતાથી તે જુએ અને આલેખે—એ જ તેની નૈતિકતા અને એ જ કળાની નૈતિકતા. પણ આ મુદ્દો ય સર્જકપ્રતિભાને અનુલક્ષીને ફેરતપાસ કરવાને આપણને ફરજ પાડે જ છે. જે રીતે સર્જક, કાવ્ય ટૂંકી વાર્તા નવલકથા કે નાટકનું વિશ્વ રચે છે કે તેમાં પદાર્થો વ્યક્તિઓ કે ઘટનાઓની અમુક રીતે પસંદગી કરવાને તે પ્રેરાય છે; અથવા સમગ્ર રચનામાં અમુક પદાર્થો કે વ્યક્તિઓ કે ઘટનાઓને તે foregroundમાં મૂકે છે, અન્યને પશ્ચાદ્‌ ભૂમિકામાં ધકેલે છે; એટલે સર્જક જે કોઈ વિશ્વ રચે છે તેમાં તેના emphasisના પ્રશ્નો આવે જ છે. પ્રતીકાત્મક કોટિનું વિશ્વ, અલબત્ત, એના આગવા સંવિધાનને કારણે આગવા પ્રશ્નો ઊભા કરે છે; જ્યારે વાસ્તવલક્ષી વિશ્વના આગવા પ્રશ્નો છે. વાસ્તવલક્ષી કળામાં સર્જકની કૃતિ સૂક્ષ્મ પ્રચ્છન્નપણે અમુક moral tone વ્યક્ત કરતી હોય એમ જોવા મળશે. આપણે એમ સ્વીકારીએ કે જનસામાન્યની રુચિ અને તેમનાં નૈતિક વિચારવલણો સાથે કળાકારે તાળો મેળવવાનો નથી, પણ જીવન અને જગતનો તેને જે કંઈ બોધ હોય તેમાં મૂલ્યપરક અભિજ્ઞતા સહજ રીતે કામ કરી રહી હોય છે. એટલે, સર્જક પોતાના વિશ્વના—કળાના વિશ્વના દરેક પદાર્થને ‘એક સરખી નિષ્પક્ષતા‘થી આલેખે એ વિચાર ચિંત્ય બની રહે છે. આ પ્રશ્ન મને લાગે છે કે, આ રીતે જોતાં વધુ વિશદ બને એમ છે : સર્જક કોઈ એક પદાર્થ વ્યક્તિ કે ઘટનાને અલગ રૂપમાં જોતો નથી – તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભથી સર્વથા વિચ્છિન્ન રૂપમાં જોઈ શકે કે કેમ એ ય પ્રશ્ન છે – અને કળાના વિશ્વમાં તેનું આગવી રીતે તે સ્થાન અર્પે છે એય ખરું. પણ એ ઘટનામાં પદાર્થનો અન્ય પદાર્થો સાથેનો, વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેનો, સમાજ વિશ્વ ઇતિહાસ સમય કે પ્રકૃતિ સાથેનો સંબંધ પણ તેમાં પ્રવેશે છે, અને એ સંબંધભાવો (relationships)ના બોધમાં moral sense કે moral meaning અનુસ્યૂત રહ્યો હોય એમ બને. એટલે સર્જકની ‘નિષ્પક્ષતા‘ તેનાં સર્જનોમાં કેટલે અંશે સિદ્ધ થઈ શકે એ વિશે પુનઃ વિચારણાને અવકાશ રહે જ છે. &lt;br /&gt;
પ્રાચીન આચાર્યોએ રસોમાં ઉચ્ચાવચતાના સંબંધ ન સ્થાપીને તેમ બીભત્સ રસનો સ્વીકાર કરીને, સમાજના નીતિમત્તાના ખ્યાલોને ગૌણ ગણીને, ‘રુચિ’નું ગૌરવ કર્યું છે એમ તેઓ કહે છે. નિત્શેનું દૃષ્ટિબિંદુ પોતાના સમર્થનમાં તેઓ મૂકે છે : ‘નૈતિક સંવાદ નહીં પણ રસગત સંવાદ જ વિશ્વની રચના અને વ્યાપારને સમજાવવામાં વધુ કારગત નીવડે છે.’ પણ નિત્શેની આ જાતની માન્યતા પણ એક આગવા પ્રકારની રંગદર્શિતાનું પરિણામ છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
સુરેશ જોષીનું એવું પ્રતિપાદન છે કે કળામાં શ્લીલઅશ્લીલના પ્રશ્નોને આપણે ‘વધુ પડતા આળા’ બનીને ચર્ચતા હોઈએ છીએ. સર્જકનું ‘વિધાયકકર્મ’ જો વિવેચનામાં ‘પુનઃ પ્રતિષ્ઠા’ પામે તો આ જાતના અપ્રસ્તુત પ્રશ્નો વિશે ઝાઝા ઊહાપોહને કારણ ન રહે. જીવનની શ્લીલઅશ્લીલ સર્વ સામગ્રી કળામાં રૂપાંતર પામે છે, અથવા કહો કે તેનું પુનર્નિર્માણ થાય છે. આવી રીતે આગવી વાસ્તવિકતા સિદ્ધ થાય તે રચનાને જ ખરેખર તો કળાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં શ્લીલઅશ્લીલ સર્વ ઉપાદાનરૂપ તત્ત્વો કળામાં આત્મસાત થઈને આગવી વાસ્તવિકતા ધારણ કરે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો’ શીર્ષકના લેખમાં કળાનું નિર્માણ સ્વયં એક આગવું મૂલ્ય છે, અને એ મૂલ્ય શી રીતે સિદ્ધ થયું છે, એ બતાવવાનું વિવેચકનું મુખ્ય કામ છે એમ તેઓ કહે છે. વ્યવહારજીવનમાં મૂલ્યો એકીસાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ બનતાં હોય છે. સર્જનનું મૂલ્ય એથી ભિન્ન સ્વયં સાધ્ય છે. એ કોઈ કાર્યપ્રેરક મૂલ્ય નથી. એનો રસાસ્વાદ એ જ એનું સાચું મૂલ્ય છે. સાહિત્યના વિવેચક માટે આ મૂલ્યની ઉપલબ્ધિની –રસાનુભવની પ્રક્રિયાની – તપાસ જ મુખ્ય વસ્તુ બની રહે છે, બીજી બધી બાબતો ગૌણ અને અપ્રસ્તુત છે. વિવેચકે ખરેખર તો પોતાને પ્રિય એવા કોઈ વિચાર કે ભાવના સાથે કૃતિનો તાળો મેળવી જોવાનો નથી : એની વિશિષ્ટ રચનાપ્રક્રિયાની બારીકાઈથી ઓળખ કરી એનું આગવું એવું જે કંઈ મૂલ્ય નિપજી આવે તેને પામવા તત્પર રહેવાનું છે. લોકોમાં માન્ય એવું મૂલ્ય સાહિત્યમાં રજૂ થયું હોય તો પણ કળાકૃતિ તરીકે તે રચના નિષ્ફળ ગઈ હોય એમ બને. નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોમાં મૂલ્યબોધના પ્રશ્નો દેખીતી રીતે જ વધુ વજનદાર બને છે. સુરેશ જોષી એમ માને છે કે “નવલકથા સામાજિક મૂલ્યોને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તે તપાસવાનું કામ સાહિત્યિક વિવેચકનું નથી; એ નવલકથામાંની આગવી સૃષ્ટિનું નિયંતા ઋત એમાં કેવી રીતે પ્રવર્તે છે ને એથી એ સૃષ્ટિની કેવી આકૃતિ રચાય છે તે બતાવવું એ જ એનું પ્રધાન કર્તવ્ય છે.”૧૨૭ રચનામાં મૌલિકતાનું ગૌરવ કરતાં તેઓ કહે છે કે “ઉછીની કે પરંપરાગત દૃષ્ટિ વડે જે સૃષ્ટિ થાય છે તે તો આખરે છાયામાત્ર છે, ઉચ્છિષ્ટ જ છે; માટે જે સૃષ્ટિ પોતે પ્રકટીને દૃષ્ટિને પ્રકટ કરે છે તેનું જ સાહિત્યિક વિવેચક ગૌરવ કરે છે.”૧૨૮&lt;br /&gt;
વર્તમાન માનવપરિસ્થિતિનો ઉલ્લેખ કરી સુરેશ જોષી એમ બતાવવા ચાહે છે કે નરી અરાજકતા એબ્સર્ડિટી વચ્ચે માનવી આજે નિર્ભ્રાન્ત બની રહ્યો છે. શાશ્વત કે સર્વકાલીન સત્યોની તેની ખોજ વ્યર્થ નીવડી છે. એકલતા પરાયાપણું અને વિષાદ જ તેની નિયતિમાં રહ્યાં છે. હવે ક્ષણ ક્ષણ વચ્ચે કોઈ સેતુ રચવાનું મુશ્કેલ બની ગયું છે, વિશ્વજીવનના અંકોડાઓ એકબીજાથી વિચ્છિન્ન થયેલા તેને લાગે છે. આવી પરિસ્થિતિમાં સર્જક કોઈ પરંપરાપ્રાપ્ત સત્ય કે મૂલ્યબોધને ઉછીનો લઈને ચાલી શકે નહિ. કળાના સર્જન દ્વારા એ મૂલ્યબોધની ભૂમિકા જરૂર રચી શકે. કળાકાર માટે આકારનું નિર્માણ એ જ એક માત્ર માર્ગ છે. એ આકૃતિ જ રસચર્વણાનો વિષય અને કળાનું પરમ મૂલ્ય છે એમ સુરેશ જોષી ફરી ફરીને પ્રતિપાદિત કરે છે.&lt;br /&gt;
વિવેચનના અભિગમો વિશે ય તેમણે આ રીતે ઘણી ચર્ચા/ઊહાપોહનો આરંભ કર્યો છે. તેમની પ્રેરણા એમાં ય, દેખીતી રીતે જ, પાશ્ચાત્ય વિવેચનની છે. આપણે અગાઉ જોયું કે ‘આસ્વાદ’ નામે ઓળખાતી વિવેચનરીતિ તેમણે ઊભી કરી અને પ્રચારમાં આણી, તેની પાછળ આકારવાદની તેમની ભૂમિકા રહી છે. તેમની આ વિવેચનરીતિનો આપણા ઘણા ખરા તરુણ અભ્યાસીઓએ સ્વીકાર પણ કર્યો દેખાય છે. જો કે ‘આસ્વાદ’ રીતિનું વિવેચન લખનાર સર્વ અભ્યાસીઓ આકારવાદને ચુસ્તપણે વળગીને ચાલ્યા હોય એમ પણ નથી. કદાચ તેમનો સાહિત્યિક અભિગમ વ્યાપક રૂપનો સંભવે છે. ‘આકાર’ના સિદ્ધાંતને ય સમાવી લે એવી કોઈ વ્યાપક સાહિત્યદૃષ્ટિ તેઓ કેળવતા હોય એમ સમજાશે.&lt;br /&gt;
સુરેશ જોષીના આકારવાદને લગતી ભૂમિકાનો આપણે આ અગાઉ નિર્દેશ કરી ગયા છીએ. અહીં એનું પુનરાવર્તન નહિ કરીએ. માત્ર એટલું જ નોંધીશું કે ‘આસ્વાદ’ નામે ઓળખાવાયેલી એ વિવેચનરીતિ પશ્ચિમના આકારવાદી વિવેચનની પ્રેરણા લઈને વિકસી છે. એને આપણે આકારવાદી કે રૂપવાદી વિવેચન તરીકે ય ઓળખાવતા હોઈએ છીએ. પણ આપણે લક્ષમાં રાખવાનું છે કે અમેરિકન નવ્ય વિવેચકોના અભિગમો પણ સર્વથા એકરૂપ નથી. ક્લિન્થ બ્રૂક્સ જેવા વિવેચકે આકારવાદી વિવેચનની એક સમર્થ પરંપરા ઊભી કરી – વૉરેન જોડે લખેલા ગ્રંથ Understanding Poetry આ પ્રકારની વિવેચનરીતિના ઉત્તમ નમૂના પૂરા પાડે છે,—પણ એ જ સ્કૂલમાં ગણાવાતા બ્લેક મર, યાવર વિન્ટર્સ, એલન ટેઈટ, અને કેનેથ બર્ક જેવા વિવેચકોનાં લખાણોમાં આકાર વિશેની સમજ ક્યાંક જુદી પડે છે, અને કૃતિના આકારબોધમાં ય નવી અંતર્દષ્ટિ કામ કરે છે એમ નોંધવું જોઈએ હકીકતમાં, આ બધા નવ્ય વિવેચકોએ કવિતાના આકારની વ્યાખ્યા કરતાં Tension, Irony, Paradox, Organic unity, જેવાં લક્ષણો રજૂ કર્યાં છે, અને કૃતિવિવેચનમાં એવાં ‘ઓજારો’ લઈને તપાસ કરી છે, જ્યારે આપણી આસ્વાદ પ્રવૃત્તિમાં આકારની આવી કોઈ ચોક્કસ તપાસ ક્યાં અને કેટલી થઈ તે સંશોધનનો વિષય રહે છે.&lt;br /&gt;
આકારવાદી વિવેચનની દૃઢ પ્રતિષ્ઠા કરતા છતાં પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે ચાલતી રહેલી અન્ય સર્વ ગતિવિધિઓ વિશે પણ સુરેશ જોષી સતત જાગરૂક રહ્યા છે, એટલું જ નહિ, ત્યાંના પ્રાણવાન વિચારોનો આપણને પરિચય કરાવતા રહ્યા છે. વિવેચનના બીજા અભિગમો વિશે એ રીતે પશ્ચિમના વિવાદો/ઊહાપોહો આપણી સમક્ષ તેઓ મૂકતા રહ્યા છે. દેખીતી રીતે જ, આ જાતનાં તેમનાં લખાણો પાશ્ચાત્ય ચર્ચાઓ પર આધારિત રહ્યાં છે. એમાં અનુસ્યૂત રહેલા પાયાના પ્રશ્ન કે પ્રશ્નોની સ્વતંત્ર રીતે માંડણી કરીને, સમુચિત પરિપ્રેક્ષ્યમાં તેને ઘટાવવાનું પણ તેમણે કેટલીક વાર ટાળ્યું છે. અને એથી જ એ જાતની વિચારણા પાછળનું તર્કસૂત્ર પકડવામાં કેટલીક વાર મુશ્કેલી અનુભવાય છે.&lt;br /&gt;
પોતાના આકારવાદની વિચારણા ય યથાવકાશ નવી વિચારણાઓના પ્રકાશમાં ફરીથી ઘટાવવાના પ્રયત્નો તેમણે કર્યા છે. ‘નવ્ય વિવેચન વિશે થોડું’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય નવ્ય વિવેચકોની આકારવાદી વિવેચનપ્રવૃત્તિ વિશેની ફેરતપાસ છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન-વિવેચક રેને વેલેકના ‘The New Criticism : Pro and Contra’માં રજૂ થયેલી ચર્ચાવિચારણાના મુખ્ય ખ્યાલોને આમેજ કરીને તેમણે એ લખાણ તૈયાર કર્યું છે. આકારવાદી અભિગમ સામે કેટલાક અભ્યાસીઓએ એને પૂરા અભ્યાસમાં લીધા વિના આક્ષેપો કર્યા હતા તેની સામે રેને વેલેકે સંગીન પ્રતિવાદ કર્યો છે અને નવ્ય વિવેચનની ઉપલબ્ધિઓ તરફ ધ્યાન ખેંચ્યું છે, એટલું જ નહિ, એ અભિગમના વ્યાજબીપણાનું પોતાની રીતે સમર્થન કર્યું છે. સુરેશ જોષીને તેમની એ ચર્ચા સહજ જ ઉપકારક બની રહી છે. ‘આકાર કે આકારાત મુક્તિ’માં જ્યૉફ્રે હાર્ટમેનના ‘Beyond Formalism’માં રજૂ થયેલા વિચારોને નજરમાં રાખી આ વિશે કેટલુંક સ્પષ્ટીકરણ કર્યું છે. એફ ડબ્લ્યૂ બેઈટ્‌સમેને ‘યેલ ફૉર્માલિઝમ’ની સામે અમુક વાંધાઓ લીધા હતા. તેમનું મુખ્ય વક્તવ્ય એ હતું કે ફૉર્માલિઝમ રસતત્ત્વને સાહિત્યમાં અંકિત થયેલા માનવસંદર્ભથી નોખું પાડી દે છે. હાર્ટમેને આ ભૂમિકાને સુધારી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું કહેવું એમ છે કે ફૉર્માલિઝમ એ એક ‘પદ્ધતિ’ માત્ર છે. કૃતિમાં ઘટકોના વિશિષ્ટ સંયોજન કે તેની વિશિષ્ટ અન્વિતિ દ્વારા ય આખરે તો માનવીય સંદર્ભ જ વ્યાખ્યા પામતો હોય છે. આકાર અને સામગ્રી વચ્ચે આરંભથી જ કોઈ મૂળગત દ્વૈત સ્વીકારવાની અહીં વાત નથી. કૃતિમાં રૂપરચનાને જ અહીં primacy મળે છે એમ હાર્ટમેન કહે છે. રૂપરચનાના સમર્થકો અને ટીકાકારોની વચ્ચે ચાલતા આ વિવાદની સામે પુલેના ચૈતન્યવાદી અભિગમનું હવે મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, એમ સુરેશ જોષી કહે છે, અને સાથે સ્પષ્ટ કરે છે કે પુલે પણ અસંપ્રજ્ઞાતપણે કૃતિની રૂપરચનાને જ આધાર તરીકે લે છે. તાત્પર્ય કે, રૂપરચનાના ખ્યાલને અતિક્રમી જવાની વાત હજી વેગળી છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં સુરેશ જોષીએ એવી સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ કૃતિ વિશે વિવેચનના જુદા જુદા બે અભિગમોની શક્યતા આપણે સ્વીકારીએ છીએ. એ પૈકી કોઈ એક જ અભિગમ સાચો અને બીજો ખોટો, એવું આત્યંતિક વલણ લઈ શકાય નહિ. આમ છતાં, જો કોઈ વિવેચક આ કે તે અભિગમ વધુ પ્રમાણભૂત ગણવા પ્રેરાય તો તેણે તેની તાર્કિક ભૂમિકા સ્પષ્ટ કરી આપવાની રહે. આ સાથે, અલબત્ત, તેમણે એક તાત્ત્વિક મુદ્દો ય સ્પર્શ્યો છે. તેઓ કહે છે કે વર્તમાનની ક્ષણે વિવેચનના વિભિન્ન અભિગમો તેમજ તેની દાર્શનિક પીઠિકા વિશે ઊંડી સમજ કેળવીને આગલા યુગના કોઈ કવિની રચના વિશે વિવેચન કરવા પ્રેરાઈએ તો એવા અભિગમ પરત્વે પ્રશ્નને અવકાશ રહે છે. દા. ત. સાક્ષરયુગના કવિ કાન્ત કે મધ્યકાલીન કવિ અખાએ જે ભાષાનો વિનિયોગ કર્યો છે તેને વિશે આપણે એવાં સમીક્ષાત્મક વિધાન કરવા પ્રેરાઈએ જેની પાછળ રહેલી સૈદ્ધાંતિક ભૂમિકા જે તે કવિના પછીના યુગમાં જન્મી હોય, તો એમાં કેટલું વ્યાજબીપણું ગણાય? એ કવિઓએ ભાષાના વિનિયોગ પરત્વે જે રીતે વિચાર જ કર્યો હોતો નથી, જે વિશે કોઈ અભિજ્ઞતા કેળવી હોતી નથી, તેને વિશે આધુનિક અભિગમ સ્વીકારતાં આપણે આરોપણ તો કરતા નથી ને? આધુનિક સમયના વિવેચકોએ, અલબત્ત, પ્રાચીન મધ્યકાલીન કૃતિઓની તપાસમાં કેવો અભિગમ સ્વીકારવો જોઈએ એ વિવેચનની એક સમસ્યા છે.&lt;br /&gt;
આ અંગે આપણે એમ કહી શકીએ કે ઐતિહાસિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો માટે આ કોઈ મોટી સમસ્યા નથી. સાહિત્યકૃતિ જે સામાજિક /ઐતિહાસિક/સાંસ્કૃતિક પરિબળો વચ્ચે જન્મી હોય તેને પૂર્ણતયા લક્ષમાં લઈને તેની તપાસ કરવાની રહે. પણ વિવેચનના બીજા દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો અલગ અલગ રીતે તપાસી જવાના રહે. જેમ કે, આકારવાદી અભિગમ વિશે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે : વર્તમાન યુગમાં પ્રચલિત થયેલો આકારવાદ આગલા યુગની બલકે પ્રાચીન મધ્યકાલીન કૃતિઓના સંદર્ભે પ્રસ્તુત ગણાય? અહીં રસલક્ષી અર્થાત્‌ સર્જનાત્મક સાહિત્યની પરંપરા અને મધ્યકાલીન ધર્મભાવનાપ્રેરિત સાહિત્ય વચ્ચે વિવેક કરવાનો આવશે. રસલક્ષી સાહિત્યમાં તો કૃતિની એકતાનો કોઈક ખ્યાલ કામ કરી રહ્યો હોય એમ જોઈ શકાય, પણ ધર્મભાવનાના સાહિત્યમાં જ્યાં રસલક્ષી નિર્માણનો કોઈ આશય જ નહોતો ત્યાં રસકીય સિદ્ધાંત લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી ગણાય? એ જ રીતે પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં માકર્‌સવાદી અભિગમ લાગુ પાડવાનું ય કેટલું ઉચિત લેખાય?&lt;br /&gt;
અલબત્ત રસલક્ષી કે સર્જનાત્મક સાહિત્યની પરંપરાને અનુલક્ષીને ય પ્રશ્ન ઊભો થઈ શકે કે વર્તમાન યુગમાં જન્મેલા આકારવાદ (કે આકારવાદી અભિગમ)થી આગલા યુગની કૃતિઓને પ્રમાણવાનું વ્યાજબી લેખાય? પણ પ્રશ્ન ઘણો અટપટો છે. એમ હોય તો તો કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાયની રચનાઓનું આકારલક્ષી વિવેચન કરી શકાય નહિ. અથવા આગલા યુગની કવિતાઓનું ભાષાલક્ષી વિશ્લેષણ પણ ઉચિત ન લેખાય. એટલે વિવેચનના અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો દેખાય છે તેથી વધુ અટપટા છે.&lt;br /&gt;
આ બધા મુદ્દાઓના અનુસંધાનમાં સુરેશ જોષી એમ ઉમેરે છે કે કૃતિ ગમે તે કાળમાં લખાઈ હોય તો પણ આપણે ‘આપણા જમાનાની વિશિષ્ટ સાહિત્યિક આબોહવામાં ઘડાયેલી આપણી સંવેદનાથી’ એને માણીએ છીએ. વળી એમ સ્પષ્ટ કરે છે કે સમયને અતિક્રમી જતી કૃતિઓમાં એની રૂપરચના જ એને ટકાઉ મૂલ્ય અર્પે છે. જો કે દરેક કૃતિમાં, સંસિદ્ધ થયેલી રૂપરચનામાં, એને અમુક અંશ ‘સમયબદ્ધ’ અને શેષ ‘સમયાતીત’ હોય છે, અને એમાંનો જે ‘સમયાતીત’ અંશ છે તે જ લાંબા સમય સુધી રસનું કારણ બની શકે છે. પણ સંરચનામાં ‘સમયબદ્ધ’ અને ‘સમયાતીત’નો ભેદ કેવળ વિભાવનાત્મક સ્તરનો છે. એની પ્રત્યક્ષ રેખા ઓકવાનું મુશ્કેલ છે.&lt;br /&gt;
‘સર્જક, સર્જન, વિવેચન—ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ’ શીર્ષકના લેખમાં સર્જન અને વિવેચનનો વિચાર ફિનોમિનોલોજીની દૃષ્ટિએ તેમણે કર્યો છે. આ વિષયની પાશ્ચાત્ય ચર્ચા એની માંડણીમાં રહી હોવાનું સમજાય છે. કમનસીબે, કેટલીક વિચારણા એમાં ક્લિષ્ટ કે દુર્ગંધ રહી જવા પામી છે. નીચેની ચર્ચામાં એની એક મહત્ત્વની ભૂમિકા સાંપડે છે.&lt;br /&gt;
“કૃતિનિર્માણના દરેક પ્રસંગે એના ભૌતિક પાયાને ઘડનાર અમુક વિશિષ્ટ તબક્કાઓ આવે છે અને કલાકારના ચિત્તમાં ઉદય પામતી કૃતિની સંરચના એના ભૌતિક પાયાના સ્થાપત્યની રચના દરમ્યાન ક્રમશઃ વિકસતી આવે છે. ભૌતિક આધારને ઘાટ આપતી વેળાએ અસરકારકતા અસ્તિત્વમાં આવતી હોય છે એ કળાકૃતિને મૂર્ત કરીને એને તત્ક્ષણ રજૂ કરવાનું કાર્ય કરતી હોય છે. કલાકાર આ પરિણામોને નિયંત્રિત કરે છે અને ચકાસી લે છે. આ નિયંત્રણો કલાકૃતિના ગુણધર્મોનો બોધ કરતી વેળાના ગ્રહિષ્ણુ અનુભવના તબક્કામાં કામ કરતા હોય છે... ભાવક પણ નરી નિષ્ક્રિયતાથી કે કેવળ ગ્રહિષ્ણુ બનીને વર્તતો હોય છે એવું નથી. એ તત્પૂરતો કૃતિને ગ્રહણ કરતી વેળાએ એનું પુનર્નિર્માણ કરતો હોવાથી, માત્ર ક્રિયાશીલ જ નહીં પણ અમુક અર્થમાં તો એ સર્જક પણ બને છે.”૧૨૯&lt;br /&gt;
આ રીતે આ અભિગમમાં ભાવક/વિવેચક કોઈ ‘નિષ્ક્રિય’ ‘ગ્રહિષ્ણુ’ નહિ, અમુક અંશે કૃતિનો પોતે ય ‘સર્જક’ બની રહે છે. પાશ્ચાત્ય વિવેચનના લાંબા ઇતિહાસમાં સાહિત્યની કૃતિ પરત્વે કાં તો કેવળ આત્મલક્ષી કાં તો માત્ર વસ્તુલક્ષી એમ સાવ વિરોધી ભૂમિકાનો દૃષ્ટિકોણ પ્રવર્તતો રહ્યો છે. સાહિત્યતત્ત્વવિચાર એ રીતે બે અંતિમોની વચ્ચે સતત ‘દોલાયમાન’ રહ્યો છે. ફિનોમિનોલોજી આ બે વિરોધી ભૂમિકાઓને જોડવાનો પ્રયત્ન કરે છે. સુરેશ જોષીએ આ સંદર્ભે જાણીતા વિવેચક રોમાઁ ઈન્ગાર્ડનની પ્રવૃત્તિનો નિર્દેશ કર્યો છે. સર્જનની પ્રવૃત્તિ એ સર્જકને પક્ષે એક intentional વ્યાપાર છે. ભાવકે એની કૃતિને પુનઃ નિર્મિત કરીને પામવાની છે. સર્જનપ્રક્રિયામાં સર્જક ‘પદાર્થને એવી રીતે અમુક ઘાટ આપે છે જેથી એ ‘પદાર્થ’ ચિત્રશિલ્પ કાવ્ય કે સંગીતરચના અર્થે ontological basis બની રહે. ભાવકે એની ‘સુગ્રથિત એકતા’ને ‘વિવિધ રીતે’ ‘પૂર્ણ કરી લેવાની રહે છે.’ સુરેશ જોષીના શબ્દોમાં- “એની આગવી રીતે મૂલ્યવાન એવા રસકીય પદાર્થરૂપને એ પામે તે પહેલાં એના સિદ્ધ થવાની ક્ષમતા ધરાવતાં તત્ત્વોને ભાવકે સિદ્ધ કરી લેવાનાં રહે છે.”૧૩૦ આ આખી ય પ્રક્રિયાનું તેમણે જે વર્ણન આપ્યું છે તેને સમજવાને ફિનોમિનોલોજીની વિચારણા જાણી લેવાનું, અલબત્ત, અનિવાર્ય બની રહે છે.&lt;br /&gt;
‘વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ’–એ લેખમાં ‘જિનિવા ક્રિટિક્સ’ તરીકે જાણીતી થયેલી સ્કૂલના વિવેચકોએ સ્વીકારેલા ‘ચૈતન્યવાદી’ કે ‘સંવિત્‌લક્ષી’ અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે. જ્હોન કિલિસ મિલરના The Geneva Critics શીર્ષકના લેખની વિચારણા એના પાયામાં છે એમ તેમણે નોંધ્યું છે. એ સ્કૂલના વિવેચકોએ આ જે ચૈતન્યવાદી અભિગમ અપનાવ્યો છે તે, એક રીતે તો, આ સદીના ચોથા પાંચમા દાયકામાં અમેરિકામાં વ્યાપક પ્રચારમાં આવેલા નવ્ય વિવેચન સામેની પ્રતિક્રિયામાંથી જન્મ્યો છે. માર્સલ રેમોં, આલ્બર્ત બેગુઈં, જ્યોર્જ પુલે, જ્યાઁ પિયર રિચર્ડ, જ્યાઁ સ્ટારોબિન્સ્કી, જ્યાઁ રુસે, મૉરી, બ્લાઁકા, તેમજ હિલિસ મિલર, વગેરે આ સ્કૂલના જાણીતા વિવેચકો છે. જો કે ‘ચૈતન્ય’ના તાત્ત્વિક સ્વરૂપ વિશે એ દરેકની વ્યાખ્યાવિચારણામાં ક્યાંક ઓછોવત્તો ફેર રહ્યો જ છે. પણ કૃતિ પરત્વે તેમના અભિગમમાં વ્યાપક સમાનતા જોવા મળે છે. સુરેશ જોષીએ એમની વિચારણા અહીં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે.&lt;br /&gt;
જાણીતું છે કે નવ્ય વિવેચને સાહિત્યની આકૃતિને જોવા તપાસવાને તેની વસ્તુલક્ષી ભૂમિકાએ પ્રતિષ્ઠા કરી હતી. વિવેચનપ્રવૃત્તિને પણ વૈજ્ઞાનિક વિચારની જેમ વસ્તુલક્ષી ભૂમિકાએ વિકસાવવાના એ પ્રયત્નમાં ભાવકની ચેતના જાણે કે કૃતિથી વિચ્છિન્ન બની જતી હતી. જિનિવા સ્કૂલના વિવેચકોનું એમ કહેવું છે કે વિવેચનનું કામ તો સર્જકની ચેતના સાથે ભાવકની ચેતનાને જોડી આપવાનું છે. આ રીતે વિવેચન એ ‘ચેતના વિશેની ચેતના’ છે, ‘સાહિત્ય વિશેનું સાહિત્ય’ છે. કૃતિમાં અંકિત થયેલી સર્જકચેતના વિશે ભાવકની ચેતનાનું એ સહજ પ્રગટીકરણ છે, સર્જકની ચેતનાનું જ એ સહજ વિસ્તરણ છે. બહારના પ્રાકૃતિક પદાર્થો, વ્યક્તિઓ દૃશ્યો પ્રસંગો પરિસ્થિતિઓ આદિને વિષય કરીને સર્જક જે રીતે પોતાના સંવિદ્‌નું નિરૂપણ કરે છે, એ જ રીતે કૃતિમાં નિરૂપિત થયેલી સર્જકની સંવિદ્‌ને વિષય કરીને ભાવક પોતાના સંવિદ્‌નો વિસ્તાર કરે છે. સુરેશ જોષીના શબ્દોમાં – “આ વિષયભૂત પદાર્થને પામવા માટે સાહિત્યિક વિવેચકે, વિજ્ઞાની કોઈ ફૂલનું કે અણુનું એનાથી બહાર રહીને વર્ણન કરે છે તેમ, કૃતિની બહાર રહીને એનું વર્ણન કરવાનું નથી. સાહિત્યમાં જે વિષયો છે જ, તેને એણે વિસ્તારવાના છે, પૂર્ણ કરવાના છે, અને એની નવે રૂપે રચના કરવાની છે.”૧૩૧ તાત્પર્ય કે, કૃતિમાં સર્જકની ચેતના જે માધ્યમ દ્વારા વ્યાકૃત થઈ છે તેને અનુલક્ષીને ભાવકે પોતાની ચેતનાને પ્રગટ કરવાની છે. કૃતિને જોવાનો આ અભિગમ, દેખીતી રીતે જ, અગાઉના અભિગમોથી જુદો પડે છે. એનું કારણ એ કે ચૈતન્યવાદી વિવેચકોની સાહિત્ય વિશેની વિભાવના વસ્તુતઃ જુદી છે. જેમ કે, પુલે જેવા વિવેચક સાહિત્યકૃતિને – કાવ્ય હો કે નવલકથાને – તેમાંના ‘અર્થોની વસ્તુલક્ષી સંરચનારૂપે’ નહિ, કવિના અમુક ચોક્કસ વક્તવ્યના નિદર્શનરૂપે નહિ, અજ્ઞાત ચિત્તની ગ્રંથિઓના સહજ આવિર્ભાવરૂપે નહિ કે સમાજને અખંડ રૂપે બાંધનાર કોઈ એવી પ્રચ્છન્ન સંકેતવ્યવસ્થાના આવિર્ભાવ રૂપે ય નહિ – કેવળ સર્જકની ‘ભાવસ્થિતિ’ કે ‘સંવિદ્‌’ની મૂર્તતા રૂપે જ જૂએ છે. વિવેચક એ જ ‘ભાવસ્થિતિ’નું અનુસંધાન કેળવીને પોતાના સંવિદ્‌ને ઉપલબ્ધ કરી આપે છે. કૃતિમાં કાવ્યનાયક કે અન્ય પાત્રો દ્વારા સ્થળકાળના સંદર્ભે સર્જકની ચેતના જે સંકુલ રૂપ ધારણ કરીને છતી થાય છે તે સમગ્ર ચેતનાને ભાવક સંપ્રજ્ઞપણે ફરીથી પામવા મથી રહે છે. એ રીતે કૃતિનું આસ્વાદનવિવેચન એકાકાર બની જાય છે.&lt;br /&gt;
‘કાવ્યવિવેચનનો એક નવો અભિગમ’ લેખમાં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રના બે વિલક્ષણ ચિંતકો હેરોલ્ડ બ્લૂમ અને ઈહાબ હસનની કાવ્યચર્ચાનો તેમણે પરિચય આપ્યો છે. આગળના વિવેચનાત્મક અભિગમો સામે આ વિવેચકોને વાંધો છે. ‘કાવ્યનો અર્થ બીજું કોઈ કાવ્ય જ હોઈ શકે’ એવો તેમની ચર્ચાનો સૂર નીકળે છે. જૂની પદ્ધતિઓ કાવ્યમાંથી માત્ર ‘કલ્પનો, વિચારો, ગૃહીતો કે ધ્વનિઘટકો’ને અથવા અમુક વિભાવનાઓને જ સારવી લે છે. પણ રચનાનું હાર્દ એમાં છતું થતું નથી એમ તેઓ માને છે. જો કે અહીં આ વિશે જે રીતે રજૂઆત થઈ છે તેને મૂળના સંદર્ભો જોયા વિના સમજવામાં મુશ્કેલી રહે એ સ્વાભાવિક છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાન’ લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સુરેશ જોષીએ છેડ્યા છે. તેઓ કહે છે ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર આજે અનેક દિશાઓમાં ઘણી ઝડપથી વિસ્તરી-વિકસી રહ્યું છે. એ સાથે વિવેચનમાં વૈજ્ઞાનિક શિસ્ત આણવાના પ્રયત્નો આરંભાયા છે. સાહિત્યકાર પણ આગવી રીતે ભાષાને પ્રયોજે છે, તો એના સ્વરૂપ અને બંધારણની તપાસ કરવી અને ભાષાવિજ્ઞાનની પાયાની વિભાવનાઓ લઈને કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું વર્ણનવિશ્લેષણ કરવું એ આજે એક મહત્ત્વની પ્રવૃત્તિ બની છે. સુરેશ જોષી નોંધે છે કે, આ બધી પ્રવૃત્તિઓ છતાં ભાષાનો અભ્યાસી અને સાહિત્યવિવેચક – એ બેના કાર્ય વચ્ચે હજી પૂરો મેળ રચાયો હોય એમ દેખાતું નથી. આ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે ભાષાવિજ્ઞાની વિવેચ્ય કૃતિની માત્ર ભાષાલક્ષી તપાસ કરે, અને તેની વિગતો નોંધે, અને અહીં જ તે અટકે છે કે તેણે અટકવાનું છે, સાહિત્યવિવેચક પછીથી પોતાની રીતે એ વિગતોનું અર્થઘટન કરશે – આવી એક સમજ અત્યારે પ્રચારમાં છે. પણ એમાં દોષ રહ્યો છે એમ સુરેશ જોષી બતાવવા ચાહે છે. તેમનું કહેવું છે કે કૃતિમાં પ્રયોજાયેલી ભાષાની જો કોઈ ભાષાવિજ્ઞાની તપાસ હાથ ધરે, અને તેની વિગતો નોંધવા પ્રવૃત્ત થાય, પણ તેની વિગતોની પસંદગી પાછળ – તેના પુરસ્કાર તિરસ્કાર પાછળ – જો કોઈ ચોક્કસ દૃષ્ટિનો, નિયમનો, સ્વીકાર ન હોય તો તો તેની આખીય પ્રવૃત્તિ નરી યાદૃચ્છિક બાબત બની રહે. હકીકતમાં, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ કે ભિન્ન ભિન્ન નિયમને અનુલક્ષીને એકની એક કૃતિની ભાષા તપાસી શકાય. એટલી કૃતિની ભાષાની વિગતોની પસંદગી, ગોઠવણી, અને વિશ્લેષણ – એ સર્વ પ્રવૃત્તિ પાછળ કોઈ એક યા બીજા સિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે જ છે. મહત્ત્વની વાત એ છે કે આ રીતે કોઈ એક યા બીજા સિદ્ધાંતને અનુલક્ષીને વિગતોની પસંદગી કરવી એટલે જ કૃતિનું અમુક રીતે અર્થ-ઘટન (interpretation) કરવું’ એમ થશે. એટલે ભાષાવિજ્ઞાનીએ ભાષાલક્ષી તપાસ પણ અમુક ચોક્કસ હેતુપૂર્વક, ચોક્કસ નિયમને અનુલક્ષીને, કરવાની રહે. અલબત્ત, સાહિત્યવિવેચકને તેનું આ જાતનું ‘અર્થઘટન’ સીધી રીતે ઉપકારક થાય અથવા ન પણ થાય. વિવેચકનો કૃતિ પરત્વેનો અભિગમ તેનાથી જુદો હોઈ શકે. પ્રશ્ન છેવટે ભાષાવિજ્ઞાની અને વિવેચક બંનેની પરસ્પર ઉપકારકતાનો છે.&lt;br /&gt;
ભાષાવિજ્ઞાનીઓનો જો કે વિવેચકો સામે એવો આક્ષેપ રહ્યો છે કે તેઓ (વિવેચકો) પોતાના વિવેચનમાં કૃતિની ભાષાને લગતી જે જે વિગતોનો ઉલ્લેખ કરે છે, તે તેમના કોઈક ‘પૂર્વનિર્ણિત દૃષ્ટિબિંદુના સમર્થન’માં મૂકી હોય છે. એટલે કે વિવેચકોનો આ જાતનો ઉપક્રમ ભાષાની વસ્તુલક્ષી તપાસનો હોતો નથી. ભાષાની જે કોઈ વિગતો તેઓ નોંધે છે તે માત્ર ‘ડોળ ખાતર જ’, કેમ કે કૃતિના સ્વ-રૂપ વિશે અગાઉથી જ અમુક ‘નિર્ણય’ બાંધીને તેઓ વિવેચનકાર્યમાં પ્રવૃત્ત થતા હોય છે. ભાષાવિજ્ઞાનીઓએ ઊભા કરેલા આ જાતના વાંધા સામે સુરેશ જોષીનો ઉત્તર છે કે વિવેચ્ય કૃતિ વિશે આવી કશીક ‘પૂર્વ સમભાવનાઓ’નો આધાર લીધા વિના કૃતિનું ‘પરીક્ષણ’ શક્ય જ નથી. અલબત્ત, વિવેચક પણ ભાષાના પૂરા પરીક્ષણને લક્ષમાં લીધા વિના, ઉતાવળે અમુક ખ્યાલ બાંધી બેસે, અને પછી અર્ધજરતીન્યાય પોતાને અનુકૂળ આવે તેટલી જ વિગતો સ્વીકારી પોતાના ખ્યાલનું સમર્થન કરવા પ્રેરાય, ત્યારે તે માર્ગ ચૂકે એમ બનવાનું, એમ સુરેશ જોષી સાવધાનીના સૂર સાથે નોંધે છે.&lt;br /&gt;
‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ – લેખમાં સાહિત્યને તપાસવાના સંરચનાવાદી અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે, અને એ અભિગમની મર્યાદાઓ તરફ આપણું લક્ષ્ય ખેંચવાનો પ્રયત્ન કર્યો છે Structureની વિભાવના સોસ્યૂરના પુનરુત્થાન સાથે જ્ઞાનની વિભિન્ન શાખાઓમાં વિનિયોજાતી રહી છે. structuralism, એ રીતે, કોઈ સાહિત્યિક ‘સંપ્રદાય’ કે આંદોલન નથી. અને એ વિભાવના સ્વીકારીને ચાલનારા અભ્યાસીઓ પણ ‘સમાન સિદ્ધાંતના સળંગસૂત્રથી’ બંધાયા હોય એમ જણાતું નથી. સુરેશ જોષી એમ નોંધે છે કે કેટલાક સર્જકો માટે રૂપરચનાની પ્રવૃત્તિ ‘વિશિષ્ટ પ્રકારનો અનુભવ’ બની રહે છે. તેમની આ પ્રકારની કૃતિઓ તેમણે રજૂ કરેલા કોઈ વિચાર કે ભાષાને કારણે નહિ, પણ તેમાંના ‘mentally experienced srtuctures’ને કારણે અલગ તરી આવે છે. સંરચનાવાદી નિર્માણ વિશે તેમણે રજૂ કરેલી એક મહત્ત્વની ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“એમાં પદાર્થની એવી રીતે પુનઃ રચના કરવામાં આવે છે, જેથી એ પદાર્થની ક્રિયાશીલતાનું ઋત પ્રકટ થઈ આવે. આમ જેને આપણે ‘કૃતિ’ કહીએ છીએ તે વાસ્તવમાં એક composition છે. ‘પદાર્થ’નું પ્રતિરૂપ રચવું તે કળાની પ્રવૃત્તિ છે. પણ આ પ્રતિરૂપ (simulacrum)ની એક નિર્દિષ્ટ દિશા હોય છે, એનો એક વિશિષ્ટ હેતુ હોય છે, જેનું મૂળ પદાર્થમાં આકલન થતું નહોતું, જે એમાં દૃષ્ટિગોચર થતું નહોતું તેને આ સંરચના દ્વારા બોધગમ્ય, આસ્વાદ્ય, દૃષ્ટિગોચર બનાવી શકાય છે. સર્જક વાસ્તવિક પદાર્થને decompose કર્યા પછીથી એને recompose કરે છે. આ બે ધ્રુવની વચ્ચે સંરચનાની પ્રક્રિયા ચાલે છે, અને એને પરિણામે પહેલાં જે નહોતું તેવું કશુંક ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે.”૧૩૨&lt;br /&gt;
જો કે સંરચના વિશેની આટલી અમૂર્ત સ્તરની ચર્ચા સાહિત્યની સંરચના વિશે ભાગ્યે જ કશો વેધક પ્રકાશ પાડી શકે. સાહિત્ય ઉપરાંત, અલબત્ત, પુરાણકલ્પનો અને બીજા પણ અનેક વિષયોમાં આ અભિગમ સ્વીકારાયો છે. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે સંરચનાવાદીઓએ ‘પૃથક્કરણનાં ઓજાર’ આમ તો આધુનિક ભાષાવિજ્ઞાન પાસેથી મેળવ્યાં છે. પણ એની પરિભાષા સ્વીકારવાથી અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય કે કૃતિનાં માત્ર ભાષાકીય અંગોની જ ચર્ચા એમાં થાય, એવું નથી. જો કે ભાષા દ્વારા થતી સંરચના જ બીજી બધી સંકેતવ્યવસ્થા પરત્વે નિર્ણયાત્મક બની રહે છે, એમ તેઓ નોંધે છે.&lt;br /&gt;
રોમન યાકોબ્સને કાવ્યની ભાષાના સ્વરૂપ પરત્વે રજૂ કરેલો સિદ્ધાંત જાણીતો છે : The poetic function projects the principle of equivalence from the axis of selection on the axis of combination. આ સિદ્ધાંતને અનુરૂપ પ્રાસછન્દાદિનો તેમણે વિચાર કર્યો છે. કાવ્યમાં રહેલાં અર્થગત સાદૃશ્યો કે વિરોધો તરફ ધ્યાન ખેંચવાને પ્રાસનો વિનિયોગ થાય છે; જ્યારે છન્દો કાવ્યના ‘અર્થ’ તત્ત્વ ઉપર અસર કરતા હોય છે. યાકોબ્સનની આ જાતની ભૂમિકા ઘટાવી આપતાં સુરેશ જોષી કહે છે : ‘કાવ્ય પરત્વે કરેલું કોઈ સામાન્ય લાગતી હકીકતનું નિરીક્ષણ કાવ્યરચનાની પ્રક્રિયા પરત્વેનાં સર્વ સંભવિત રૂપો અને સંયોજનોના અભ્યાસને માટેનું પ્રસ્થાનબિંદુ બની રહે, એવું એ માને છે. એટલું જ નહિ, કાવ્યમાં કવિ જે અપેક્ષાઓ ઊભી કરે છે અને જે આશ્ચર્યો યોજે છે તેની વચ્ચેના tensionને ચોકસાઈપૂર્વક માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ રચી આપવાના પ્રયત્નમાં પણ એને રસ છે.’ પણ યાકોબ્સનની આ વિચારણા પછીથી અન્ય અભ્યાસીઓ દ્વારા આલોચના પામી છે. રુવેતે એ વિશે એમ ટીકા કરી છે કે ભાષાવિજ્ઞાનના transformation modelથી axis of selection અને axis of combinationની મર્યાદાઓ છતી થઈ ગઈ છે. વળી સાદૃશ્યોના સંબંધોની રૂપરેખા આંકી લેવાથી પણ કૃતિમાંનાં ‘સાદૃશ્યોની અનેકવિધ કક્ષાઓ’ને ભાગ્યે જ આવરી લઈ શકાય. કાવ્યમાંનાં ખરેખર ‘અનિવાર્ય’ એવાં, તેમ ‘ઐચ્છિક’ ભાષાકીય તત્ત્વો વચ્ચે, ભેદભાવ ચીંધી આપવાનું ય મુશ્કેલ છે. રુવેતે ઊભો કરેલો મોટો મુદ્દો તો વળી એ છે કે ભાષાવિજ્ઞાન કાવ્યની ભાષાનું ચોકસાઈભર્યું વર્ણન કરવાને સામગ્રી પૂરી પાડી શકે, પણ રસકીય દૃષ્ટિએ એ કેટલે અંશે પ્રસ્તુત કે અપ્રસ્તુત છે તેનો સ્વયં નિર્ણય કરી શકતું નથી. પૉ, બૉદલેર, આદિની કાવ્યકૃતિ લઈને યાકોબ્સને પોતાનો સિદ્ધાંત લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમાં આ અભિગમની મર્યાદા જ વધુ છતી થઈ જાય છે. સર્જનાત્મક કૃતિઓમાં ‘સામંજસ્યપૂર્ણ નહિ લાગતા’ એવા જે ‘અર્થસભર સંબંધો’ યોજાતા આવે છે તેને સમજવા માટેય equivalenceનો સિદ્ધાંત અપૂરતો જ નીવડે છે. તોદોરો, કલૉદ બ્રૅમાઁ, રોલા બાર્થ, જેનઁ, વગેરેની આ વિશેની ચર્ચાના મુખ્ય તંતુઓ આ લેખમાં ગૂંથાયા છે.&lt;br /&gt;
વિવેચનના અદ્યતન અભિગમો વિશે સુરેશ જોષીએ આમ ચર્ચાવિચારણાઓ તો કરી – એમાં પાશ્ચાત્ય ગ્રંથો/લેખો ભૂમિકામાં રહ્યા હોય એવું ય અનેક સ્થાને જોવા મળશે – પણ એ જાતની ચર્ચા એના મૂળ સ્રોતો (sources)ને વાંચ્યા વિના પૂરતી સ્પષ્ટ થાય કે કેમ એ પ્રશ્ન રહે છે. એ લખાણો એ રીતે પૂરતાં પરિણામકારી નીવડશે કે કેમ એવો સંદેહ પણ આપણા મનમાં જાગે. પણ નવી નવી વિચારણાઓ રજૂ કરવી, રૂઢ વિચારણા સાથે તેને ટકરાવવી, અને એમ કરતાં ગતિશીલ પ્રાણવાન નવીન વિચારણા જન્માવવી – એવી શુભ વૃત્તિ જ એની પાછળ રહી છે, અને એટલે જ આ પ્રવૃત્તિ આવકાર્ય બને છે.&lt;br /&gt;
આપણી વર્તમાન વિવેચનાત્મક પરિસ્થિતિ તેમને ઘણી રીતે અસંતોષકારક અને ચિંતાજનક લાગી છે. અનેક લેખોમાં તેઓ એની ચિકિત્સા કરવા પ્રેરાયા છે. આપણા વિવેચનના વિકાસ અર્થે તેમનાં અવલોકનો/સૂચનો મહત્ત્વનાં બની રહે છે. બીજી રીતે, વિવેચન (કે વિવેચક) માટેનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ પણ એમાંથી મળી શકે એમ છે :&lt;br /&gt;
(૧)	સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણા સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે જે અનેકવિધ પ્રયોગો થયા, નવ્ય ઉન્મેષો પ્રગટ થયા, તેની સાથે આપણું વર્તમાન વિવેચન તાલ મિલાવી શક્યું નથી. પ્રૌઢ અભ્યાસીઓ આ આધુનિકતાવાદી સાહિત્યથી અળગા ને અળગા થતા રહ્યા એ પરિસ્થિતિ ચિંત્ય લેખાવી જોઈએ&lt;br /&gt;
(૨)	આપણું મોટા ભાગનું વિવેચન કૉલેજો અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં નિયત થતી અમુક જ કૃતિઓની આસપાસ ફરતું રહ્યું છે. ઘણું ખરું સારગ્રાહી કે વિચારવસ્તુ સારવી લેનારું એ વિવેચન કોઈ રીતે ઉપકારક બની શકે નહિ. નવા જ તાજગીભર્યા પ્રાણવાન ઉન્મેષો કે પ્રયોગશીલ રચનાઓને વિવેચનમાં લેવાની એટલી તત્પરતા એમાં દેખાતી નથી. તેમ આ નવા ઉન્મેષોને આપણી સાહિત્યિક પરંપરા સાથે જોડી આપવાનું પણ ખાસ બન્યું નથી.&lt;br /&gt;
(૩)	વિવેચ્ય કૃતિઓનું પ્રત્યક્ષ અનુભાવન કરીને તેમાં પ્રગટતાં નૂતન કળાતત્ત્વોને ઓખળવાને બદલે વિવેચનના રૂઢ માળખામાં ગોઠવીને જોવાનું વલણ જ કામ કરતું જોવા મળે છે. આપણી કળારુચિ એ રીતે કુંઠિત અને દરિદ્ર બને છે.&lt;br /&gt;
(૪)	સિદ્ધાંતવિચાર અને પ્રત્યક્ષ વિવેચન વચ્ચે ય વારંવાર વિ-સંવાદ દેખાય છે. કોઈ અભ્યાસી સિદ્ધાંતચર્ચામાં કળાના પ્રાણભૂત તત્ત્વ તરીકે આકાર (form)નું મહત્ત્વ કરતો હોય પણ એ જ અભ્યાસી કૃતિવિવેચનમાં આકારનો મુદ્દો સ્વીકારતો જ ન હોય કે સર્વથા ગૌણ બાબત લેખવીને તે ચાલતો હોય એવું ય જોવા મળશે&lt;br /&gt;
(૫)	સંસ્કૃત કાવ્યમીમાંસા તેમજ પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્ર બંનેય પરંપરાની વિચારણાઓનું આપણે અધ્યયન કરીએ છીએ, પણ એમાંના બીજરૂપ ખ્યાલોને આપણા સમસામયિક પ્રશ્નો સાથે સાંકળીને તેની નવેસરથી વ્યાખ્યાવિચારણા કરવા ખાસ પ્રેરાતા નથી. આવી પરંપરામાંથી પ્રાપ્ત થતી સિદ્ધાંતચર્ચાઓ, એ રીતે, ઘણખરું તો સારસંક્ષેપ કે ભાષાન્તર જેવી બની રહે છે. સુરેશ જોષીના મતે ભૂતકાળનું ઘણુંએક વિવેચન હવે ખરચાઈ ખૂટ્યું છે, અને આ ક્ષેત્રમાં નવેસરથી વિચારવાની અનિવાર્યતા ઊભી થઈ છે. અમુક અંશે, અગાઉનું વિવેચન પણ આપણને અન્તરાયરૂપ બની ગયું છે. એ વિવેચનનું પણ વિવેચન થાય થતું રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે&lt;br /&gt;
(૬)	રૂપલક્ષી વિવેચનની તેમણે પોતે જે પરંપરા ઊભી કરી તેનું અત્યારે ‘હીનીકરણ’ થયેલું જોવા મળે છે. કહેવાતા આસ્વાદલેખોમાં કૃતિનું વિવરણ કે ગદ્યરૂપાંતર વધુ જોવા મળે છે. નવી વિવેચનાત્મક આબોહવામાં જૂની કૃતિઓના પુનર્મૂલ્યાંકનના ય ઝાઝા પ્રયત્નો દેખાતા નથી.&lt;br /&gt;
(૭)	ફિલસૂફી, ભાષાવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, સંકેતશાસ્ત્ર આદિ વર્તમાન સમયમાં ખેડાઈ રહેલી વિદ્યાશાખાઓની ઉપલબ્ધિઓનો આપણા વિવેચને લાભ લીધો નથી. એને કારણે આપણી ‘રુચિનું પરિમાણ’ સંકુચિત બની રહ્યું છે એમ સુરેશ જોષી કહે છે.&lt;br /&gt;
(૮)	આપણા અભ્યાસીઓ વિવેચનના સિદ્ધાંતોને હજીય જડતાથી વળગવાનું વલણ બતાવે છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો આખરે તો કૃતિઓના રસાનુભવને અનુસરે છે. પણ સાહિત્યશાસ્ત્ર વર્ણનલક્ષી બનવાને બદલે આદેશલક્ષી બને ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક લેખાય. સિદ્ધાંતો અને વિભાવનાઓ વિવેચ્ય કૃતિ પરત્વે ખૂબ જાગૃતપણે વિવેકપૂર્વક યોજવાનાં રહે.&lt;br /&gt;
(૯)	તરુણ પેઢીના લેખકોએ સ્થાપિત મૂલ્યો, સામાજિક વાસ્તવ અને સંસ્કૃતિબોધને વેગળા રાખી અરાજકતાને તાગવાના – તેની અનંત શક્યતાઓનો પાર પામવાના – પ્રયત્નો કર્યા. આગલા યુગમાં વાસ્તવિકતા અમુક ‘જડ બૌદ્ધિક વિભાવનાઓના ચોકઠામાં’ બંધાઈને ‘કુંઠિત’ થઈ ગઈ હતી તેને પુનઃ ઉપલબ્ધ કરવાના એ પ્રયત્નો હતા. નવા વિવેચનને માટે આ ક્ષણે એક મહત્ત્વની કામગીરી આવી હતી  – મૃત વાસ્તવિકતા સાથે પુનઃ સંપર્ક સાધવાની પણ એમાં તે ઊણું ઊતર્યું. નવીનતાનો આભાસ લઈને આવેલી કૃતિઓમાં સાચી કઈ, કૃતક કઈ, તેને અંગે બારીકમાં બારીક વિશ્લેષણ દ્વારા નિર્ણય કરવાની, અને સાચી કળાકૃતિની પ્રતિષ્ઠા કરવાની તાતી જરૂરિયાત હતી, પણ તે થઈ શક્યું નથી.&lt;br /&gt;
(૧૦) ગઈ પેઢીનાં કૃતિવિવેચનો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવાનું પણ એટલું જ આવશ્યક છે. દરેક વિવેચનરીતિની જે કંઈ વિશેષતા, જે કંઈ મર્યાદા હોય, તેની ય નોંધ લેવાની રહે છે. કૃતિ વિશેના અંગત ગમાઅણગમા કે મૂલ્યાંકનને બાજુએ રાખી, તેની સંરચના તપાસીને તેનું કળાકીય મૂલ્ય ઉદ્‌ભાસિત કરી આપવું જોઈએ.&lt;br /&gt;
(૧૧) વાલેરી કે ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓએ પોતાના સર્જનની પૂર્વતૈયારી રૂપે કાવ્યકળા વિશે ઘણું ઊંડું ચિંતનમનન કરેલું દેખાય છે. તેમની સર્જનપ્રવૃત્તિ પાછળ સર્જક તરીકે તેમની અમુક સભાનતા કામ કરતી રહી છે. કળાનાં જે આગવાં ધોરણો કે મૂલ્યો તેઓ ઝંખે છે તેને અનુરૂપ તેઓ રચનામાં સક્રિય બન્યા છે. આપણે ત્યાં સર્જકો પાસેથી એવા સ્વચ્છ સુરેખ અહેવાલો બહુ મળતા નથી. લેખકો બહુ બહુ તો પોતાના આશય કે પ્રેરણાની વાતો કરે, પણ પોતાની કળાપ્રવૃત્તિનું હાર્દ ખુલ્લું કરી આપે કે કળા વિશેની આગવી વિભાવના સ્પષ્ટ કરે એવી, તીક્ષ્ણ પ્રખર બૌદ્ધિકતાવાળી ચર્ચા ભાગ્યે જ મળશે.&lt;br /&gt;
(૧૨) આપણા વિવેચનને આપણે નરી આત્મલક્ષિતા (subjectivity)થી બચાવી લેવું જોઈએ, અને છતાં વિવેચકનો personal voice એમાંથી લુપ્ત થવો ન જોઈએ.&lt;br /&gt;
(૧૩) સાહિત્યના અધ્યાપનમાં વિશુદ્ધ રસકીય સંવિત્તિ ખીલવવાને બદલે કૃતિ નિમિત્તે કે તેની આસપાસ બીજું જે કંઈ બોલીએ છીએ, તેથી કશું જ ફલપ્રદ નીવડતું નથી. પ્રશ્ન ખરેખર તો ભાવકમાં તેમ સમાજજીવનમાં કુંઠિત થઈ જવા આવેલી રસસંવિત્તિને મુક્ત કરવાનો છે. સમાજ એ રીતે જ સંસ્કારી બની શકશે.&lt;br /&gt;
(૧૪) સમાજ રાજકારણ અર્થકારણ – એમ પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં ભારે ઊથલપાથલો થઈ રહી હોય, અરાજકતા વ્યાપી ગયાનાં ચિહ્નો વરતાતાં હોય, ત્યારે સાહિત્યનો અધ્યાપક અને વિવેચક કેવી રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવશે? કૃતિઓ સાથે કઈ રીતે કામ પાડશે? અધ્યાપન-વિવેચનની સમસ્યાઓનું સ્વરૂપ જ આથી બદલાઈ જતું નથી? આપણા સર્જનાત્મક સાહિત્યમાં વર્તમાન માનવીના આંતરસંઘર્ષોનો કોઈ પડઘો જ પડતો ન હોય તો કૃતિમાં રજૂ થતું કાલ્પનિક જગત અને બહારની અરાજકતા એ બે વચ્ચે કોઈ રીતે ય તે મેળ સાધી શકશે? સુરેશ જોષી કહે છે કે આ આખોય પ્રશ્ન આજના સંદર્ભે સર્જનવિવેચનની પ્રવૃત્તિઓની પ્રસ્તુતતાનો છે. આપણા સાહિત્યના અભ્યાસીઓ/વિવેચકો સામે આ રીતે આજની વિષમતા જ પડકારરૂપ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ભાવકનું વિવેચકે સર્જાતા સાહિત્યની સાથે અનુસંધાન કેળવી આપવાનું છે.&lt;br /&gt;
(૧૫) સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે.&lt;br /&gt;
‘માકર્‌સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્‌સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્‌સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્‌સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્‌સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે.&lt;br /&gt;
(અ) પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પાયાની સંજ્ઞાઓ/વિભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું. યથાવકાશ તેની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવી.&lt;br /&gt;
(બ) વિવેચનસિદ્ધાંતના બીજભૂત વિચારો જેમાં પડ્યા હોય તેવાં પાશ્ચાત્ય લખાણો (કે તેના અંશો) અનુવાદરૂપે મૂકવાં કે તેનો સારાંશ આપવો.&lt;br /&gt;
(ક)	સંસ્કૃત કાવ્યવિચાર અને પાશ્ચાત્ય વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયોને એકબીજાની પડખે મૂકી તુલનાત્મક વિચારણા કરવી અથવા એ તરફ સંકેત કરવો.&lt;br /&gt;
(ડ) આપણા આધુનિક સાહિત્યના વિવેચન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો (કે તેના વિભાવો)ને ય સમર્થ રીતે વિનિયોજી શકાય, એમ દૃષ્ટાંતો લઈને બતાવવું.&lt;br /&gt;
ડૉ. હરિવલ્લભ ભાયાણીની આ રીતની સર્વ વિવેચનપ્રવૃત્તિ, દેખીતી રીતે જ, ચોક્કસ અભિગમ લઈને ચાલી છે, ચોક્કસ હેતુપૂર્વક ચાલી છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણે ત્યાં અવનવી સાહિત્યવિચારણાઓ પશ્ચિમમાંથી આવી ત્યારે પરંપરાગત અને આધુનિક વિચારણાઓ વચ્ચે ટકરામણ ઊભી થઈ. તેમણે એ સમયે વેધક દૃષ્ટિએ જોઈ લીધું કે આપણા વર્તમાન વિવેચનમાં વિભાવનાઓ/વિચારણાઓ પરત્વે ઘણા ગૂંચવાડાઓ પ્રવર્તી રહ્યા છે. આકારલક્ષી વિવેચનની હિમાયત થઈ રહી છે, છતાં ઘણુંખરું કૃતિવિવેચન વિવેચકની ‘અંગત છાપ’ પર આધારિત છે. પશ્ચિમમાં વિવેચનને વધુ ને વધુ વ્યવસ્થિત, વધુ ને વધુ ચોકસાઈવાળું અને વસ્તુલક્ષી કોટિનું બનાવવાના પ્રયત્નો આરંભાયા છે, અને તેમાં ભાષાલક્ષી તપાસ આગવો ભાગ ભજવી રહી છે, એમ પણ તેમણે જોયું. એટલે આપણા વિવેચનમાં વ્યવસ્થા ઊભી કરવાનો તેમનો આ સંનિષ્ઠ પ્રયત્ન છે.&lt;br /&gt;
તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘કાવ્યમાં શબ્દ’-માં વિવેચનની કેટલીક પાયાની સંજ્ઞાઓ ‘શૈલી’ ‘છંદ’ ‘અછાંદસ’ ‘લય’ ‘કાવ્યાર્થ’ ‘આકૃતિ’ ‘ઈમેયજ’ ‘પ્રતીક’ ‘શુદ્ધ કવિતા’ ‘સર્જનપ્રક્રિયા’ આદિનું સ્પષ્ટીકરણ આ રીતે ધ્યાન ખેંચે છે. એમાં વિચારોની વિશદતા અને ચોકસાઈ સહજ સિદ્ધ થયાં છે.&lt;br /&gt;
જાણીતું છે કે પાશ્ચાત્ય વિવેચનમાં છેલ્લા બેત્રણ દાયકાઓમાં ભાષાલક્ષી, શૈલીલક્ષી, સંરચનાલક્ષી અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. રશિયન ફૉર્માલિઝમ અને પ્રાગ સ્કૂલના અભિગમોએ વિવેચનના સંદર્ભે, ખાસ તો, ભાષાના સ્વરૂપ અને બંધારણના પ્રશ્નો કેન્દ્રમાં આણ્યા. સાહિત્ય પણ સૌ પ્રથમ અને અંતે તો ભાષાકીય નિર્માણ છે, ભાષામાં અને ભાષા દ્વારા અસ્તિત્વમાં આવેલું નિર્માણ છે. એટલે, ત્યાં સાહિત્યની ભાષાના પ્રશ્નો એકદમ કેન્દ્રમાં આવ્યા. વિવેચનનું કાર્ય હવે મૂલ્યાંકન કે રહસ્યઘટનનું નહિ, કૃતિના વર્ણન-વિશ્લેષણનું છે એમ આ જૂથના અભ્યાસીઓએ કહ્યું. વિશિષ્ટ કૃતિની ઉપલબ્ધિમાં નહિ, વ્યાપક સાહિત્યની ‘સાહિત્યિકતા’ (literariness) તપાસવામાં તેમનો ખરેખર તો મુખ્ય રસ હતો. સાહિત્યની ભાષા એ જો સામાન્ય વ્યવહારની ભાષાનું જ પુનર્વિધાન હોય, તો એ પુનર્વિધાનની પ્રક્રિયાનું વર્ણન આપવું જોઈએ એમ તેમને લાગ્યું. આમ વિવેચનમાં ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો જે રીતે પુરસ્કાર પામ્યા એ ઘટનાએ જ કદાચ ડૉ. ભાયાણીને વિવેચનક્ષેત્રમાં આકર્ષ્યા હોય, ગમે તે હો, ભાષાશાસ્ત્રની તેમની અનન્ય સજ્જતા તેમના વિચારવિમર્શમાં પૂરી તાર્કિક ચુસ્તી આણે છે, અને તેમની વિવેચનદૃષ્ટિને આગવો પરિપ્રેક્ષ્ય અર્પે છે. કૃતિના વર્ણન-વિશ્લેષણ-વિવરણ તરફનો તેમનો ઝોક સમજવાનું એ રીતે મુશ્કેલ નથી. પશ્ચિમના જાણીતા અભ્યાસી યાકોબ્સનનું તેઓ જે મંતવ્ય ટાંકે છે તે સૂચક છે : ‘...આધુનિક સમયમાં જે ભાષાવિજ્ઞાની કાવ્યભાષા માટે જાગૃત કર્ણેન્દ્રિય ધરાવતો ન હોય, અને જે સાહિત્યવિવેચક ભાષાના પ્રશ્નો તથા અભ્યાસ-પદ્ધતિઓથી વિમુખ હોય તે બંનેને કાલગ્રસ્ત ઘટનાઓ જેવા સમજવા.’૧૩૩ આ મંતવ્યમાં કદાચ થોડી અત્યુક્તિ હશે, પણ ઠીક ઠીક સત્યાંશ એમાં રહ્યો છે. કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું બારીકમાં બારીક પરીક્ષણ કરતાં તેના અર્થ અને સંવેદનની અતિ સૂક્ષ્મ સૂક્ષ્મતર રેખાઓ પ્રગટ થઈ આવે છે. એટલે મૂલ્યાંકન-રહસ્યઘટનમાં પ્રવૃત્ત થતા વિવેચક માટે ય પૂર્ણ ભાષાકીય અભિજ્ઞતાનું અનુસંધાન આવશ્યક છે. ભાષાવિજ્ઞાનનાં ઓજારો લઈને કૃતિની ભાષાનું સમજપૂર્વક અધ્યયનવિવેચન થાય એ હવે અત્યંત જરૂરી બની ગયું છે.&lt;br /&gt;
કૃતિના ‘વિશ્લેષણ’ના બે પ્રકાર ડૉ. ભાયાણીએ ગણાવ્યા છે.&lt;br /&gt;
(૧)	કૃતિની ભાષા અને શૈલીનું પદ્ધતિસરનું વિશ્લેષણ. આ સીમિત પ્રકારનું છે.&lt;br /&gt;
(૨)	કૃતિનું સમગ્રપણે થતું અર્થઘટન અને મૂલ્યાંકન. એ વ્યાપક પ્રકારનું વિશ્લેષણ છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણી એમ કહેવા ચાહે છે કે પહેલા પ્રકારનું વિશ્લેષણ બીજા પ્રકારને ઘણી રીતે ‘સમર્પક’ અને ‘ઉપકારક’ નીવડે છે, નીવડી શકે છે. જો કે વિવેચકનું બધું ધ્યાન કૃતિની ભાષા/શૈલી પર જ કેન્દ્રિત થાય અને કૃતિના મૂલ્યબોધનો જ છેદ ઊડી જાય તો તો વિવેચનનો હેતુ માર્યો જાય એમ બનશે. આ સંદર્ભે રેને વેલેકે આપેલી ‘વિવેચન’ની વ્યાખ્યા તેઓ રજૂ કરે છે : ‘સાહિત્યનું શાસ્ત્રીય અધ્યયન એટલે મૂલ્ય ધરાવતી અને મૂલ્યવાન હોય તેવી રચનાઓ, ધોરણો, અને પ્રક્રિયાઓનું વ્યવસ્થિત અધ્યયન.’૧૩૪ સહેજ ઝીણવટથી જોતાં સમજાશે કે રેને વેલેકની વ્યાખ્યામાં કૃતિના વિશ્લેષણ અને મૂલ્યાંકનની બંનેય પ્રવૃત્તિઓના ખ્યાલો સૂચવાઈ ગયા છે. ડૉ. ભાયાણી એ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે સાહિત્યવિવેચક કૃતિની ‘ઝીણી ઝીણી વિગતો’નું જે રીતે અધ્યયન કરતો જાય છે તેમાંથી તેની સમગ્ર આકૃતિ વિશેની અમુક અપેક્ષાઓ જન્મે છે. બીજી બાજુ, કૃતિની સમગ્રતા અને અખિલાઈ વિશેની અમુક અભિજ્ઞતા ખિલતી આવે છે તેમ તેમ એ વિગતોનું significance–મૂલ્ય–સમજાતું આવે છે. આવી પ્રક્રિયા દ્વારા કૃતિના મૂલ્યાંકન સુધી પહોંચાય છે. આમ કૃતિની ભાષાલક્ષી તપાસ તેના મૂલ્યાંકનમાં મહત્ત્વની ભૂમિકા બની શકે છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીના બીજા વિવેચનગ્રંથ ‘કાવ્યનું સંવેદન’માં આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર તેમ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વિવરણ/સ્પષ્ટીકરણ આપતા લેખો હવે મહત્ત્વનું સ્થાન લે છે. એમાં સંસ્કૃતની ‘ચમત્કાર’ ‘ગુણ’ ‘રીતિ’ જેવી સંજ્ઞાઓનાં સ્પષ્ટીકરણો આપતાં લખાણો છે, કેટલાંક કૃતિ વિષયક અધ્યયનો/વિવેચનોય છે, અને પાશ્ચાત્ય વિવેચનમીમાંસાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણોના અંશોય એમાં અનુવાદ રૂપે સંચિત કર્યા છે.&lt;br /&gt;
પ્રસ્તુત સંગ્રહના આરંભનો લેખ ‘કાવ્યનો અનુભવ અને વ્યવહારનો અનુભવ’ આમ તો કાવ્યશાસ્ત્રના ક્ષેત્રના મુદ્દાને સ્પર્શે છે, પણ ભાવકના રસાનુભવનો પ્રશ્ન એમાં કેન્દ્રમાં આવ્યો હોવાથી અહીં એનો નિર્દેશ કર્યો છે. ભારતીય રસમીમાંસામાં સાહિત્યના આસ્વાદ/ચર્વણાવ્યાપારનું જે સ્વરૂપ વર્ણવાયું છે તેની અહીં સંગીન શાસ્ત્રીય ચર્ચા પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યિક શૈલી અને ભાષા (કેટલાક નૂતન અભિગમો)’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય વિવેચનના ભાષાલક્ષી/શૈલીલક્ષી અભિગમોની વ્યવસ્થિત અને લાઘવભરી ચર્ચા કરી છે. એ અભિગમોની ક્ષમતા/સીમા વિશે ય તેમણે ચર્ચા કરી છે. ભાષાવિજ્ઞાનના પોતાના અધ્યયનના પ્રકાશમાં ભાષાનો ‘સાહિત્યિક’ અને ‘અસાહિત્યિક’ એવો ભેદ કરીને ચાલવું યોગ્ય છે? અથવા આવો ભેદ કરવાનું શક્ય છે?—એવા મૂળભૂત પ્રશ્નને અનુલક્ષીને તેઓ એવી સ્પષ્ટતા આપે છે : “સ્વરૂપ દૃષ્ટિએ સાહિત્ય અને અસાહિત્યની ભાષાઓ વચ્ચે નથી નિતાંત ભેદ કે નથી તદ્દન એકરૂપતા. સાહિત્યિક ભાષા જો ‘એક ભાષા’ જ હોય તો તેના સ્વરૂપને સામાન્ય ભાષાની રીતપદ્ધતિએ જ તપાસી શકાય. એક મતે સાહિત્યક અને અસાહિત્યક ઉક્તિઓને જુદું પાડનાર કોઈ સ્વરૂપગત ધ્રુવ તત્ત્વ નથી. બીજો મત એવો છે કે સાહિત્યિક અસાહિત્યિક ભાષાઓ વચ્ચેનો ભેદ સ્વરૂપગત નહીં પણ સંદર્ભગત છે... ત્રીજો મત, સાહિત્યિક ભાષા અને અસાહિત્યક ભાષા એવું વિરોધી દ્વન્દ્વ તારવવા કરતાં ઉક્તિઓની એક ચડઊતર અખંડ શ્રેણી તારવવી વધુ વ્યવહારુ ગણે છે.”૧૩૫&lt;br /&gt;
ભાષાના ‘સાહિત્યિક’–‘અસાહિત્યિક’ સ્વરૂપના મુદ્દાને આ રીતે સ્પર્શી ડૉ. ભાયાણીએ આધુનિક શૈલીવિજ્ઞાનનું કાર્ય સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. સાહિત્યના અધ્યયનવિવેચનમાં એ વિજ્ઞાન કેવી રીતે ઉપકારક બને છે તે વિશે તેઓ કહે છે : “ભાષાવિજ્ઞાન પર આધારિત શૈલીમીમાંસા ભાષાના સાહિત્યિક ઉપયોગોને તપાસે છે. તે સાહિત્યિક ભાષાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે. તેને ચોકસાઈથી વર્ણવવા માટે વધુ વસ્તુલક્ષી પદ્ધતિઓ અને પરિભાષા વિકસાવવાનું તેમનું લક્ષ્ય છે.’૧૩૬ આમ નોંધ્યા પછી એમ પણ કહ્યું છે કે આજનો શૈલીવિચાર હજી ‘ખોજની પ્રારંભિક અવસ્થામાં છે.’&lt;br /&gt;
ઍન્કિવસ્ટે શૈલીવિષયક વિભિન્ન વ્યાખ્યાઓના નીચે પ્રમાણે પ્રકારો પાડ્યા છે :&lt;br /&gt;
(૧)	લેખકના દૃષ્ટિબિંદુ ઉપર આધારિત,&lt;br /&gt;
(૨)	કૃતિની પરલક્ષી તપાસ ઉપર–તેનાં લાક્ષણિક તત્ત્વો ઉપર–આધારિત,&lt;br /&gt;
(૩)	વાચકની છાપ ઉપર આશ્રિત,&lt;br /&gt;
(૪)	ઉપર દર્શાવેલી ત્રણેય વ્યાખ્યાઓનું સંમિશ્રણ.&lt;br /&gt;
આ પૈકી કૃતિને લક્ષતી વ્યાખ્યાઓના ય બે પ્રકારો પાડી શકાય.&lt;br /&gt;
(i) વસ્તુલક્ષી ધોરણે જેની સત્યતા કે પ્રામાણ્ય તપાસી, ચકાસી, શકાય તેવી&lt;br /&gt;
(ii) સ્વલક્ષી ચિત્તસંસ્કારો પર આધારિત&lt;br /&gt;
ડૉ. ભાયાણી અહીં સ્પષ્ટ કરે છે કે કૃતિની ભાષાને પ્રધાન તત્ત્વ લેખતી વ્યાખ્યાઓનું સવિશેષ મહત્ત્વ રહે છે. આના અનુસંધાનમાં સાહિત્યભાષાને લગતા વિવિધ અભ્યાસીઓના અભિગમો વિશે – વ્યોલ્ફલિન, ક્રોચે, ફોસ્લર, હાય્‌ડેગર, સાર્ત્ર જેવાની વિચારણાઓ વિશે – તેમ જ રુસી સ્વરૂપવાદ વિશે, અતિ સંક્ષેપમાં તેમણે નિર્દેશો કર્યા છે.&lt;br /&gt;
કૃતિના વિશ્લેષણવ્યાપારની અન્તર્ગત વિવિધ ઘટકોનાં વર્ણનવિશ્લેષણની તેમ કૃતિની સંઘટનાની સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા રજૂ કરી છે. કૃતિના વર્ણ શબ્દ શબ્દગુચ્છ વાક્ય લય અર્થરચના વગેરે મુદ્દાઓને તેઓ અહીં સ્પર્શે છે. ‘સંઘટના’ નિમિત્તે પાશ્ચાત્ય વિવેચનાનો organic wholeનો તેમજ સુઝાન લાન્ગરનો આકાર વિષયક ખ્યાલ પણ એ જ રીતે તેઓ ટૂંકમાં છણે છે. સંઘટનાવિચારમાં યોગ્ય રીતે જ દરેક ઘટક તત્ત્વની ‘સમર્પકતા’ પર તેઓ ભાર મૂકે છે. કહે છે : “કૃતિની વર્ણરચના, શબ્દગોઠવણી, અર્થ-વ્યવસ્થા અને છંદોરચનાના પરસ્પર સાંધા મળવાથી જ સૂક્ષ્મ અને ઉત્કટ સૌંદર્યની નિષ્પત્તિ થતી હોય છે. ઘટકોની અલગ અલગ રમણીયતા હોવા ઉપરાંત એક સમવાય લેખે તેમનાથી જે સિદ્ધ થાય છે તે અવ્યાખ્યેય હોય છે.’૧૩૭&lt;br /&gt;
વિવેચનમાં ભાષાલક્ષી અભિગમ સ્વીકારતા વિવેચકનું કાર્ય સમજાવતાં ડૉ. ભાયાણી કહે છે : “પ્રાસબંધ, છંદોબંધ, વાક્યબંધ, વર્ણરચના વગેરેના આંતરસંબંધો તપાસીને તે તે કૃતિમાં દરેકની સમર્પકતા કેટલી છે તે તારવવું જોઈએ, અને તેને આધારે કૃતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. કૃતિની શબ્દસામગ્રી અને અર્થસામગ્રી વચ્ચેના સંબંધો—સમાન્તરતા, વિરોધ, સમતુલા, સમરેખતા, કે વિષમરેખતા વગેરે – તારવીને તેમ જ અલંકાર પ્રતિરૂપ પ્રતીક વગેરેની યોજનામાંથી પ્રગટતી લયની ભાતો તારવીને તથા સમગ્ર કૃતિમાં વિવિધ ઘટકોનું કઈ રીતે સંયોજન થયું છે તે તપાસીને કૃતિનું જે સંઘટિત સ્વરૂપ પ્રતીત થાય તેનું ચિત્ર દોરવું જોઈએ.”૧૩૮&lt;br /&gt;
કૃતિના મૂલ્યાંકન પરત્વે વિવેચનમીમાંસામાં એક પ્રશ્ન હમણાં કેન્દ્રમાં આવ્યો છે : વિવેચનનું કાર્ય કૃતિનાં ઘટકોનું માત્ર વર્ણન વિવરણ કરવાનું છે કે તેને વિશે જડ્‌જમેન્ટ આપવાનું ય? અને કૃતિની worth વિશે વિવેક કરવાનો છે એમ સ્વીકારો, તો ભાષાલક્ષી અધ્યયન એમાં કેટલું સમર્પક બની શકે? ડૉ ભાયાણી આ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે બે વિરોધી મંતવ્યો એ વિશે પ્રવર્તે છે :&lt;br /&gt;
(૧) એક વર્ગ એમ માને છે કે કાવ્ય કેવળ આસ્વાદનો વિષય છે. કાવ્યથી તમને આનંદ થાય છે કે નથી થતો – એટલું કહેતાં વાત પૂરી થાય છે. આનંદ શા માટે થયો કે ન થયો તેનું બૌદ્ધિક કે તાર્કિક સ્પષ્ટીકરણ ન આપી શકાય. તાત્પર્ય કે, આસ્વાદમાં એક એવું પ્રાણવાન તત્ત્વ છે જેનો કોઈ તાર્કિક ખુલાસો ન હોઈ શકે.&lt;br /&gt;
(૨) બીજો વર્ગ એમ માને છે કે કાવ્યના રસાસ્વાદનો પૂરેપૂરો ખુલાસો આપી શકાય. આસ્વાદમાં સમર્પક બનતાં એકેએક અંગઉપાંગ વિશે પૂરી ચોકસાઈથી પરીક્ષા કરી શકાય. ડૉ. ભાયાણી વધુમાં સ્પષ્ટ કરે છે કે, વસ્તુલક્ષી વિવેચનના કેટલાક પક્ષકારો તો જેનો વસ્તુલક્ષી ધોરણોએ ખુલાસો જ ન આપી શકાય તેવાં તત્ત્વોને વિવેચનના પ્રદેશની બહાર રાખવાના મતના છે.&lt;br /&gt;
સાચું છે. આધુનિક સમયમાં વિવેચનનું ખરું કામ કૃતિના મૂલ્યાંકનનું નહિ, તેનું સ્પષ્ટીકરણ (elucidation) માત્ર કરવાનું છે એમ આજના અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું છે. ડૉ. ભાયાણીએ આ સંદર્ભમાં એલિયટનું એક કથન પણ ટાંક્યું છે. ‘A critic‘s job is never to judge poem, his job is to elucidate’. આ મતને દોહરાવતાં કહે છે : ‘વિવેચન એટલે માત્ર વર્ણન કે સ્પષ્ટીકરણ, વખાણવું કે વખોડવું નહીં. પ્રયોગશાળાનું કાર્ય પૂરું થાય ત્યાં વિવેચકનું કાર્ય સમાપ્ત થયું.’&lt;br /&gt;
પણ વિવેચનમીમાંસામાં યોજાતી આ ‘વિવરણ’ કે ‘સ્પષ્ટીકરણ’ (elucidation) જેવી સંજ્ઞાના સંકેતો તપાસવાના રહે છે. કેટલાકને મતે elucidation એટલે તો કૃતિનું અર્થઘટન (inter-pretation). ‘અર્થઘટન’ સંજ્ઞા, અગાઉ આપણે નિર્દેશ કરી ગયા છીએ તેમ, અત્યંત રૂપાંતરશીલ (protean) અને છટકણી (clusive) સંજ્ઞા છે. એના સ્વરૂપ અને એના વ્યાપાર વિશે ય વિદ્વાનોમાં મોટા મતભેદ પ્રવર્તે છે. એ જ રીતે કૃતિ વિશેની ‘સમજ’ (understanding)ના ય આગવા પ્રશ્નો છે. ‘સમજ’ પામીએ એમાં મૂલ્યબોધ અંતહિત છે કે ‘સમજ’ પછીનો એ વ્યાપાર છે? તાત્પર્ય કે-understanding અને evaluation વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાની મોટી અનિવાર્યતા રહે છે. ડૉ. ભાયાણી એમ નોંધે છે કે ‘રસદર્શન’ અને ‘મૂલ્યાંકન’ જેવી સંજ્ઞાના અર્થ-બોધ પરત્વે ય મતમતાંતર જોવા મળશે. તેઓ એક વેધક પ્રશ્ન મૂકે છે : ‘કાવ્યના મર્મનું જે ઉદ્‌ઘાટન પ્રસ્તુત કરાય તેની યથાર્થતાનો નિર્ણય કેવી રીતે કરવો?’ અને તેનું નિરાકરણ આપતાં કહે છે : ‘એટલે જેટલા પ્રમાણમાં વ્યક્તિનિરપેક્ષ ધોરણે આ વિષયમાં વિચારણા થાય તેટલા પ્રમાણમાં વિવેચનની દિશામાં આગળ જવાય. બાકી કાવ્યનું આ જ વિવેચન સાચું તે નક્કી કરવાનો કોઈ માપદંડ આપણી પાસે નથી.’૧૩૯&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ સમુચિત રીતે જ અહીં વિવેચનવ્યાપારને લગતી પાયાની સંજ્ઞાના સંકેતો વિશે મુદ્દાઓ ઊભા કર્યા છે. ‘વર્ણન’ ‘વિવરણ’ ‘સ્પષ્ટીકરણ’ ‘અર્થઘટન’ ‘રસદર્શન’ ‘મૂલ્યાંકન’ એવી બધી જ સંજ્ઞાઓનું શક્ય તેટલું ચુસ્ત કઠોર તાર્કિક સ્પષ્ટીકરણ કરવાની અત્યારે તાતી જરૂરિયાત છે. અને એ બધા વ્યાપારો પરસ્પર ક્યાં અને કેવી રીતે સંકળાયા છે તેનીય બારીક તપાસ કરવાની આવશ્યકતા છે. અને સૌથી મોટો – પ્રશ્નોનો ય પ્રશ્ન – એ રહે છે કે અમુક કૃતિ વિશેનું આ વિવેચન સાચું (true) અને અમુક ખોટું (false) એમ નિર્ણય કરવાને આપણી પાસે ખરેખર કોઈ માપદંડ છે ખરો? સાહિત્યક્ષેત્રમાં એકની એક કૃતિ વિશે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન પદ્ધતિએ તરેહ તરેહનાં વિવેચનો લખાતાં હોય છે તો એમાં કયાં સાચાં કયાં ખોટાં એ જાતનો સંશય મનમાં ઊગે જ છે. પણ એના આખરી નિર્ણય માટે કોઈ નિકષ ખરો? અથવા, ઓછામાં ઓછું, અમુક વિવેચન વધુ પ્રમાણભૂત અને વધુ સાચું એમ નક્કી કરી શકાય?&lt;br /&gt;
વિવેચનવિચારણાના આ કેન્દ્રીય પ્રશ્નની તપાસમાં ડૉ. ભાયાણી સંસ્કૃત પરંપરાની ‘કૃતિલક્ષી’ પદ્ધતિ – જે ‘વિશ્લેષણમૂલક’ છે – તેનો ખ્યાલ આપે છે. તેમનું એમ કહેવું છે કે એ પરંપરામાં ‘કૃતિની એકેએક વિગતને લક્ષમાં રાખીને’ તેના ઉપાદાન અને તાત્પર્ય (રસ)ની દૃષ્ટિથી’ પાઠનું ‘વિવરણ’ કરવામાં આવે છે. આ ‘વિવરણ’ મોટે ભાગે વિશ્લેણાત્મક હોય. પણ વિશ્લેષણથી તારવેલાં ઘટકોની મૂલવણી ‘રસલક્ષી ઔચિત્યને ધોરણે’ થાય અને એ ‘ધોરણ’ સહૃદય ભાવક પાસેથી મળે છે. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે પશ્ચિમના આધુનિક વિવેચનની ગતિવિધિ આ દિશાની છે. દેખીતું છે કે પશ્ચિમના ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો અહીં તેમની નજરમાં રહ્યાં છે. પણ આ પાશ્ચાત્ય અભિગમોનાં કેટલાંક નક્કર પરિણામો છતાં એની મર્યાદાઓ અને મુશ્કેલીઓ તો ત્યાંના જ અભ્યાસીઓએ દર્શાવી છે. કૃતિના મૂલ્યાંકનનો સૈદ્ધાંતિક રીતે અસ્વીકાર કરનારા અભ્યાસીઓ અમુકતમુક કૃતિ માટે પસંદગી બતાવતા હોય જ છે, અથવા અમુકતમુક કૃતિથી પ્રભાવિત થયા હોય છે, અને એને વિશે ચર્ચા કરવાનું સ્વીકારતા હોય છે. સાહિત્યજગતમાં રોજ રોજ પ્રગટ થતી કૃતિઓ સર્વ એક જ બરની છે, એવું તો ભાગ્યે જ કોઈ સ્વીકારી શકે. એટલે મૂલ્યાંકનનો પ્રશ્ન એ અવાસ્તવિક કે મિથ્યા નથી. એ ખરું કે એનાં ધોરણો સ્થાપવાનું કે તેની દૃઢ પ્રતિષ્ઠા કરીને કાયમી વ્યવસ્થા ઊભી કરવાનું ઘણું ઘણું કપરું છે. પણ તેથી એ પ્રશ્નની અવગણના ન થઈ શકે.&lt;br /&gt;
‘શૈલીવિજ્ઞાન અને સાહિત્ય‘ લેખમાં ડૉ. ભાયાણીએ કૃતિના શૈલીલક્ષી અભ્યાસ અને શૈલીવિજ્ઞાનના કાર્યક્ષેત્રનો કંઈક સંક્ષિપ્ત પણ સઘન પરિચય આપ્યો છે. તેઓ નોંધે છે કે પશ્ચિમમાં સાહિત્યિક ભાષાના સ્વરૂપ અંગે વિવિધ અભિગમોથી વિચારવાના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. ‘સાહિત્યિક શૈલી’ને અંગે જો કે ત્યાંના અભ્યાસીઓમાં સર્વસંમતિ સાધી શકાઈ નથી. શૈલીવિચારના કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(અ) ‘શૈલી’ એટલે ‘પાઠ (‘ટેક્સ્સ્ટ’)ના રૂપનિષ્ઠ ધર્મો.’ આ દૃષ્ટિએ ‘પાઠગત ઘટકો’ અને ‘તેમની વચ્ચેના સંબંધોનું’ ‘વિશ્લેષણ’ જરૂરી બને. ડૉ. ભાયાણી સૂચવે છે કે ભાષાવિશ્લેષણને અહીં માત્ર ‘વાક્ય સુધી સીમિત’ નહિ રાખી શકાય. ‘વાક્ય વાક્ય વચ્ચેના સંબંધો’ને ય તપાસવા પડશે ‘સમગ્ર પાઠ’ને એ રીતે ‘ઉચ્ચતર એકમો’ની ગૂંથણીરૂપે જોવા તપાસવાનો રહેશે અને ‘અર્થવિશ્લેષણ’ને પણ એમાં સમાવવાનું રહેશે&lt;br /&gt;
(બ) ‘શૈલી’ એટલે ‘પ્રયોગવક્રતા’ (ડીવિએશન). આ દૃષ્ટિએ જે પ્રયોગો ‘ચાલુ ધોરણથી ફંટાતા ન્યારા અનોખા કે અલગારી’ હોય તેમની નોંધ લેવાય છે. અને એના પરથી ‘સાહિત્યિક ભાષાનું વૈશિષ્ટ્ય’ તારવવાનો પ્રયાસ થાય છે. જો કે એમાં ‘ધોરણ’ તરીકે કોને ગણવું તેવો પ્રશ્ન થશે. વગેરે&lt;br /&gt;
(ક) શૈલી—ઉક્તિવિકલ્પોમાંથી અમુકની પસંદગી અર્થાત્‌, એકથી વધુ વિકલ્પોમાં વધુ અર્થક્ષમ એકમની પસંદગી.&lt;br /&gt;
(ડ) લાગણી કે રમણીયતા અભિવ્યક્ત કરવાને ‘વક્તવ્યમાં ઉમેરાતો ભાર’ તે શૈલી. વગેરે&lt;br /&gt;
પણ શૈલીલક્ષી અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે વિશે ડૉ. ભાયાણીએ સારી સ્પષ્ટતા કરી છે. ‘કૃતિનો પાઠ એ એક સ્વાયત્ત સાંકેતિક તંત્ર છે, જેમાં ભાષાકીય તંત્ર ઉપરાંત પણ બીજાં અનેક તંત્રો પ્રવર્તતાં હોય છે.’૧૪૦ અને ‘સાહિત્યકૃતિનાં ઘણાં ઘટક તત્ત્વો ભાષાધીન નથી.’૧૪૧ એટલે છેવટે શૈલીનું તંત્ર તો એક સંકુલ રચનાનું એક સ્તર છે, અનેક તંત્રોનું એક અંગભૂત તંત્ર છે, એટલે સમગ્રના રહસ્યમાં એ કેવી રીતે સમર્પક બને છે તે જ ખરી તપાસનો મુદ્દો છે.&lt;br /&gt;
‘કાવ્યનો ‘પ્રતિભાવ’ : કાવ્યાર્થની પ્રતીતિ’ – શીર્ષકની ચર્ચામાં બે મુદ્દાઓની તેમણે સ્પષ્ટતા કરી છે. એમાં પ્રથમ ખંડમાં આપણા વિવેચનલેખોમાં પ્રયોજાતી જતી ‘પ્રતિભાવ’ સંજ્ઞાની અને બીજા ખંડમાં ‘કાવ્યાર્થ’ની સ્પષ્ટતા તેમણે કરી છે. દેખીતી રીતે જ બંને પરસ્પર સંકળાયેલા મુદ્દાઓ છે.&lt;br /&gt;
‘પ્રતિભાવ’ સંજ્ઞાની ચર્ચા કરતાં તેઓ નોંધે છે કે મનોવિજ્ઞાનના વર્તનવાદના પ્રભાવ નીચે સાહિત્યિક પ્રતિભાવ – literary response – જેવી સંજ્ઞા જન્મી છે. – “ ‘ઉત્તેજક’ પદાર્થ તરીકે રહેલી સાહિત્યકૃતિથી ઉત્તેજાઈને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિમાં મુખ્યત્વે જે બાહ્ય, દૃશ્ય પ્રભાવચિહ્નો વ્યક્ત થાય તે તેનો પ્રતિભાવ”૧૪૨ પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘પ્રતિભાવ’નો આ ખુલાસો પૂરતો નથી. “...જેઓ કલાકૃતિના આસ્વાદની પ્રક્રિયાને એક અત્યંત સચેતન પ્રવૃત્તિ, સક્રિય પ્રવૃત્તિ, પુનઃ સર્જન અને કંઈક અંશે નવસર્જનમાં વ્યાપૃત કરતી પ્રવૃત્તિ માને છે તેમને માટે આ સંદર્ભમાં ‘પ્રતિભાવ’ શબ્દથી વધુ અળખામણો ભાગ્યે જ કોઈ શબ્દ હશે.”૧૪૩ પ્રાચીન કાવ્યચર્ચામાં ‘આસ્વાદ’ કે ‘ભાવન’ વિશે ઘણી સૂક્ષ્મ દૃષ્ટિની ચર્ચા થયેલી છે, અને તે કાવ્યાનુભવને વર્ણવવા માટે વધુ ઉચિત છે એમ પણ તેઓ નોંધે છે.&lt;br /&gt;
વિવેચનનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ડૉ. ભાયાણી કહે છે કે “... વિવેચન એ માત્ર ‘પ્રતિભાવ’ની વાત નથી, વિવેચકે અનુભવેલા માત્ર ‘ચમત્કાર’ની વાત નથી, તે તેના ‘ભાવન’ની વાત છે. અને તેનું પ્રયોજન ‘અનુભાવન’ કરાવવાનું, ‘સમસંવેદન’ કરાવવાનું તો ખરું જ, પણ માત્ર એટલું જ નહીં, તે તેના વાચકને પોતાની રીતે ભાવન કરવાની દિશા પણ ચીંધે કે તેવા રસ્તા ને ચાવીઓ પણ સૂચવે. વિવેચકની દૃષ્ટિથી સચેત બનેલી ભાવકની દૃષ્ટિ કૃતિને ઉકેલતાં તેનું આંશિક નવનિર્માણ પણ કરે જ.”૧૪૪&lt;br /&gt;
કાવ્યના ભાવનમાં સહૃદય ખરેખર શું કરે છે? મૂળનો ‘અર્થ’ પામે છે કે કશુંક પોતા તરફથી તે તેમાં આરોપે કે ઉમેરે પણ છે? ભાવક કાવ્યનું પોતાના ચિત્તમાં પુનઃ સર્જન કરે છે એમ કહેવાથી શું સૂચવાય છે – માત્ર રચનાનું મૂળ તાત્પર્ય જ તેને ઉપલબ્ધ થાય છે કે તેનું નવસંસ્કરણ થાય છે? ડૉ. ભાયાણીએ અહીં આસ્વાદ-વિવેચનના બીજા એક મહત્ત્વના પ્રશ્ન પર આંગળી મૂકી છે. એના સ્પષ્ટીકરણમાં તેઓ કહે છે ‘ભાવન’ને જો આપણે ‘સમય પર પથરાતો’ વ્યાપાર ગણીએ (અર્થાત્‌ ‘સંલક્ષ્યક્રમ’ ગણીએ) અને ‘રસનિષ્પત્તિને પરિણતિ’ની ‘કક્ષા’ તરીકે લઈએ તો નીચે પ્રમાણે ભેદ કરી શકાય.&lt;br /&gt;
(૧)	કાવ્યનાં વાક્યોનો સાધારણ અર્થ-વ્યાકરણ અને કોશને માન્ય અર્થ,&lt;br /&gt;
(૨) સમગ્ર કાવ્યના સંદર્ભમાં થતો તેનો અર્થ : તાત્પર્ય,&lt;br /&gt;
(૩) સાહચર્યોને લઈને પ્રતીત થતો અર્થ : ધ્વનિ,&lt;br /&gt;
(૪) અંગત પ્રકૃતિ, અનુભવ, રુચિને લઈને પ્રતીત થતો અર્થ.&lt;br /&gt;
– આમાંના પહેલાં ત્રણને ‘કાવ્ય’માં રહેલા ગણી શકાય. ચોથો ભાવક તરફથી ઉમેરાય છે. ડૉ. ભાયાણી કહે છે કે કૃતિના close-readingમાં ક્યાં સુધી જવું, ‘અનંત વ્યંગ્યાર્થ’ને ક્યાં મર્યાદિત કરવો, એ વિશે આ રીતે નિર્ણય પર આવી શકાય. તેઓ અલબત્ત એ વિશે પૂરતા સભાન છે કે ‘અર્થ’ ત્રીજા અને ‘ચોથા’ વચ્ચે ભેદરેખા દોરવાનું અત્યંત દુષ્કર છે. અને ઘણાં વિવેચનોમાં ચોથા અર્થને ય સહૃદયના ધ્વનિબોધ તરીકે માની લેવામાં આવે છે. તેઓ નોંધે છે કે અર્થના પહેલા બે પ્રકારો વિશે પૂરી સર્વસંમતિ સાધી શકાય, ત્રીજો ચર્ચાક્ષમ છે, જ્યારે ચોથો અર્થ ‘ત્રીજાનો વેશ’ ધરીને વિવેચકને છેતરી જાય એવો ભય રહે છે.&lt;br /&gt;
પણ મને એમ લાગે છે કે કૃતિવિવેચનમાં, ખાસ કરીને મૂલ્યાંકનમાં, ત્રીજા ચોથા પ્રકારના ‘અર્થો’ સાથે વિવેચકને નિસ્બત સંભવે છે. રામનારાયણ પાઠક કહે છે તેમ કૃતિનું (કે વસ્તુનું) મૂલ્ય તેના પોતાનામાં નિહિત રહ્યું હોતું નથી. એનાં ‘ધોરણો’ વિવેચક તેના જીવનદર્શન કે અનુભવવિશ્વમાંથી લઈ આવે છે. કૃતિની worth કે significance જીવનના વ્યાપક સંદર્ભમાં નિર્ણિત નથી થતાં? એટલે કૃતિમાં નિહિત રહેલો ‘અર્થ’ (કે ‘ધ્વનિ’) અને પરંપરાના સંદર્ભમાં તેનું significance – એ બે વચ્ચે પણ સૂક્ષ્મ ભેદરેખા આંકવાની રહે. અલબત્ત, કૃતિના મૂલ્યાંકનનો જેઓ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરતા નથી, તેમને માટે આવો પ્રશ્ન કદાચ ઊઠતો નથી.&lt;br /&gt;
‘એક આસ્વાદસમીક્ષા’ લેખમાં એક રસપ્રદ તપાસ હાથ ધરાઈ છે. ‘જન્મીલું મરણ’ (સિતાંશુ) વિશે આપણા પાંચ મર્મજ્ઞ વિવેચકો ચિનુ મોદી, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, સુમન શાહ અને ચંદ્રકાન્ત ટોપીવાળાના આસ્વાદોની આ તાત્ત્વિક તપાસ છે. એકની એક કૃતિ વિશેના આ પાંચ વિવેચકોના આસ્વાદોમાં જે જે બાબતે દૃષ્ટિ કે રુચિભેદ છતો થયો છે તેને અવલોકવા બાબતે ડૉ. ભાયાણીએ બે કસોટીઓ રજૂ કરી છે.&lt;br /&gt;
(૧) કૃતિને રચવામાં યોજેલાં સાધનો અને યુક્તિઓ ભાવકના ચિત્તમાં કેવી અપેક્ષા ઊભી કરે છે અને પૂરે છે. તથા,&lt;br /&gt;
(૨) અનુભૂતિને આકૃત કરીને રસ નિષ્પન્ન કરવામાં એ સાધનો અને યુક્તિઓ કેવાં સાધકબાધક બને છે એને અવલંબીને જ કૃતિની સફળતા અંકાય, નહિ કે કોઈ આદર્શ કે અમૂર્ત ધોરણે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ રજૂ કરેલી બંને કસોટીઓ સ્વીકારવામાં મુશ્કેલી નથી. એ રીતે જ વિચારવિમર્શ ચલાવવાનો હોય. પણ હજીય પ્રશ્ન રહે જ છે. બીજી કસોટી પર્યાપ્ત છે? કેમ કે, કવિતા, વાર્તા, નવલકથા નાટક આદિ ભિન્ન સ્વરૂપની કૃતિઓના વિવેચનમૂલ્યાંકનમાં જેમણે સારું કામ કર્યું છે તેમના અનુભવો એની સાથે કદાચ પૂરા મેળમાં નહિ હોય. કોઈ નવલકથાની રૂપરચના સંદર્ભે વિવેચક એમ કહે કે એનાં પાત્રો તો સદ્‌ગુણોના કોથળા જેવાં છે, અથવા એની પાસે કાર્યોની સ્વતંત્રતા લેખકે રહેવા દીધી નથી, અથવા આ કે તે પાત્રનું વર્તન અનૈતિક છે, અથવા એમાંની ઘટના તાલમેલિયા અને બનાવટી છે, અથવા એ આખુંય કથાવિશ્વ સામાજિક વાસ્તવથી વિચ્છિન્ન હોઈ અવાસ્તવિક ભાસે છે, ત્યારે, મને એમ લાગે છે કે, આ જાતના નિર્ણયો કૃતિમાંનાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ પરથી બંધાતા છતાં, કૃતિ બહારના કોઈ (જીવન કે કળાતત્ત્વ વિષયક) આદર્શને લક્ષમાં રાખીને જ થઈ શકે.  કૃતિમાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ દ્વારા જે કંઈ સિદ્ધ થયું છે તે પોતે જ મૂલ્યાંકનનું અંતિમ ધોરણ બની શકે નહિ.&lt;br /&gt;
આસ્વાદ, કૃતિ, અને આસ્વાદક વિશે અંતમાં ‘શિખામણ’ના રૂપમાં મૂકેલી વાત, અલબત્ત, માર્મિક છે. – “આસ્વાદ અને આલોચનાની જાત એક જ, તો પણ અંગત રુચિનો સંસ્પર્શ અને અંગત ઢંગ એ આસ્વાદને આલોચનાથી જુદી તારવી આપે છે : ‘આપણે’ – ભાવનો સૂર, સહભોજનું સહિયારાપણું એ આસ્વાદનું પોતીકું લક્ષણ... આસ્વાદ, વિવરણ, આલોચના, અવલોકન, સમીક્ષા, વિવેચન, સમાલોચના—વગેરે સંજ્ઞાઓને અમરકોશી પર્યાયો બનવા ન દેવા હોય તો વેળાસર ચેતવું...”૧૪૫&lt;br /&gt;
‘કાવ્યનું સંવેદન’ના ‘ચયન’ ભાગમાં ડૉ. ભાયાણીએ આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર અને વિવેચનમીમાંસાને લગતાં અનુવાદ કે સારાનુવાદ જેવાં લખાણો રજૂ કર્યાં છે. આ ક્ષેત્રની પાશ્ચાત્ય વિચારણાનો આ રીતે તેમણે આપણને સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં ઈ ડી. હર્શના લખાણમાંથી તૈયાર કરેલું ‘વિવેચન : અર્થઘટન કે મૂલ્યાંકન?’ અને એલન રોડવેનું ‘પ્રકારનિષ્ઠ વિવેચન’ બેમાં વિવેચનમીમાંસાના પ્રશ્નો કેન્દ્રમાં આવ્યા છે. વિવેચનવ્યાપારની અંતર્ગત અર્થઘટન/મૂલ્યાંકનના જે વ્યાપારો સ્વીકારાય છે (કે અસ્વીકારાય છે) તેને લગતી આ ચર્ચા ઘણી દ્યોતક છે. એનાં તારણો તેમણે જ કાઢી આપ્યાં છે.&lt;br /&gt;
૧.	સાહિત્યકૃતિનું અર્થઘટન (કે સ્વરૂપવિવરણ), જે વિશિષ્ટ માનસિક (આત્મલક્ષી) અભિ-નિવેશથી સાહિત્યકૃતિની અર્થનિષ્પત્તિ થાય છે, તેની સાથે અનિવાર્યપણે સંલગ્ન હોય છે.&lt;br /&gt;
૨.	આ સંલગ્ન આત્મલક્ષી અભિ-નિવેશો અને કૃતિના અર્થો વચ્ચેના સંબંધમાં પ્રભાવો અને મૂલ્યો અનિવાર્યપણે અંતર્ગત હોય છે. એટલે સાહિત્યિક વિવરણમાં મૂલ્યાંકન અંગભૂત જ હોય છે. &lt;br /&gt;
૩.	વિવેકી વિવેચન કૃતિના ‘અર્થ’ નિજી અભિ—નિવેશ અને મૂલ્યના ઐક્યને, બીજા એક—કૃતિને ‘પરાયા’ એવા–અભિનિવેશથી આવરી લે છે, પણ તે ‘પરાયો’ અભિનિવેશ નિજી અભિનિવેશની અખંડતાને બાધક નથી હોતો.&lt;br /&gt;
૪.	આ પરાયા દૃષ્ટિબિંદુથી જે મૂલ્યાંકનો કરી શકાય છે તે ‘શુદ્ધ’ વિવરણ જેવાં જ વસ્તુલક્ષી હોઈ શકે છે.&lt;br /&gt;
‘પ્રકારનિષ્ઠ વિવેચન’ શીર્ષકનો લેખ એલન રોડવેના લેખનો સંક્ષિપ્ત—અનુવાદ છે. સાહિત્યના પ્રકારને લક્ષતા વિવેચનવિચારમાં જે મતમતાંતરો છે તેનો એમાં સુપેરે પરિચય મળે છે. પરિવિવેચન (‘મેટાક્રિટિસિઝમ’) અને આંતરિક વિવેચન’ (‘ઈન્ટ્રિઝિક ક્રિટિઝમ’) એ રીતે વિવેચનના પ્રકારો સ્વીકારીને તેમણે એ ચર્ચા વિકસાવી છે. અહીં એ ચર્ચાને ફરીથી રજૂ કરવાને અવકાશ નથી. પણ એમાંની એક મહત્ત્વની ભૂમિકા અહીં ઉતારીશુંઃ&lt;br /&gt;
“કૃતિને પોતાને સમજવી અને તેનો રસાસ્વાદ કરવો—સાહિત્યકૃતિનો સાહિત્યકૃતિ લેખે આસ્વાદ લેવો—એ આંતરિક વિવેચનનું પ્રયોજન છે. કૃતિની સમજ અને આસ્વાદ દ્વારા, સાહિત્યકૃતિ દ્વારા, બીજા કોઈ વિષયની સમજણ પ્રાપ્ત કરવી—સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તનાં સ્તરો, નૈતિક મૂલ્યો, સમાજરચના, મૂલ્યસંઘર્ષ વગેરેની સમજણ પ્રાપ્ત કરવી—એ પરિવિવેચનનું પ્રયોજન છે. આંતરિક વિવેચન કેન્દ્રગામી છે—તે કૃતિની ભીતરમાં પ્રવેશે છે. પરિવિવેચન કેન્દ્રોપસારી છે—તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. આંતરિક વિવેચનને કૃતિના સ્વત્વની સાથે નિસ્બત છે, પરિવિવેચનને કૃતિના ઇતર સાથેના સંબંધો સાથે નિસ્બત છે. આંતરિક વિવેચનને કૃતિના મર્મ સાથે લાગેવળગે છે, પરિવિવેચનને તેના તાત્પર્ય સાથે. બંને ય સાહિત્યિક શોધખોળની સામગ્રીને ઉપયોગમાં લે છે. પણ, સાહિત્યિક, આંતરિક અભિગમ-સંશોધન સામગ્રીનો ઉપયોગ કૃતિને પોતાને સમજવા અને આસ્વાદવા માટે કરે છે, જ્યારે પરિવિવેચન કૃતિની સમજ અને આસ્વાદ કોઈ અન્ય હેતુ સિદ્ધ કરવા ઉપયોગમાં લે છે. પરંતુ પરિવિવેચનને માટે પણ કૃતિનું આંતરિક વિવેચન એક પૂર્વશરત છે : કૃતિને કૃતિ તરીકે પામ્યા પછી જ તેનું અન્ય હેતુઓ માટે શું અને કેટલું તાત્પર્ય છે તે યોગ્ય રીતે જાણી શકાય.”&lt;br /&gt;
એલન રોડે પ્રકારનિષ્ઠ વિવેચનની અમુક ઉપયોગિતા દર્શાવી છે તે પણ ધ્યાનાર્હ છે. પરિવિવેચનની દૃષ્ટિએ તેમ અમુક અંશે આંતરિક વિવેચનમાં ય તે ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’ લેખમાં, પાશ્ચાત્ય બંધારણવાદ અને સાહિત્યને તપાસવાનો તેનો અભિગમ—એ બાબતોને તેઓ વ્યવસ્થિત અને વિશદ રૂપમાં ચર્ચે છે, અને એની તાત્ત્વિક ભૂમિકા સમજવાને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમુચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. આપણા વિવેચનતત્ત્વવિચારમાં એ રીતે એ લેખ ઘણું મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. અહીં પણ તેમની આખી ચર્ચાને સ્પર્શવાનું શક્ય નથી. પણ એમાંનાં બે ત્રણ મહત્ત્વનાં દૃષ્ટિબિંદુઓ નોંધીશું :&lt;br /&gt;
૧ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય સાહિત્યકૃતિઓનું અર્થઘટન કરવાનું નથી. કૃતિનો નવો અર્થ શોધવા કે અર્થ ઘટાવવા કરતાં વિશેષ તો જે શરતો નીચે કાવ્યાર્થ નિષ્પન્ન થતો હોય છે, તે શરતો નક્કી કરવા આ સાહિત્યવિચાર મથે છે.&lt;br /&gt;
૨ સાહિત્યના ભાવકોએ સાહિત્યકૃતિઓ સાથે કામ પાડતાં પાડતાં એવી વિવિધ સાંકેતિક પ્રણાલીઓ આપોઆપ ગ્રહણ કરી હોય છે, જેને પરિણામે તે અમુક વાક્યસમૂહને સુઘટિત અર્થપૂર્ણ કાવ્ય કે નવલકથા લેખે પામી શકે છે. આ દૃષ્ટિએ સાહિત્યપદાર્થનું અધ્યયન એટલે વ્યક્તિગત કૃતિઓની ચર્ચા નહીં પરંતુ જે પ્રણાલીઓ સાહિત્યને શક્ય બનાવે છે તેમને સમજવાનો પ્રયાસ.&lt;br /&gt;
૩ ભાવકે લાંબા સમયના ભાવન-પરિશીલનથી ‘સાહિત્યિક સામર્થ્ય’ (‘લિટરરી કોમ્પિટન્ઝ’) પ્રાપ્ત કર્યું હોય છે. એ ‘સામર્થ્ય’ જ ઉક્તિઓને સાહિત્યિક બંધારણ અને અર્થવત્તા અર્પી શકે. બંધારણવાદી અભિગમ વાચકની સાહિત્યકૃતિ પાસેની અપેક્ષા પર ભાર મૂકે છે, અને કઈ પ્રણાલીઓ તે તે સમય અને સંસ્કૃતિના સાહિત્ય પરત્વે વિધાયક છે તેની તપાસને સાહિત્યવિચારમાં મૂળભૂત ગણે છે.&lt;br /&gt;
૪ સાહિત્યકૃતિ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત, નૈસર્ગિક અવયવી જેવી, અને અંતર્વ્યાપ્ત અર્થની ધારક હોય છે એમ કહેવું બરાબર નથી. બંધારણવાદી સાહિત્યવિચાર પ્રમાણે તો પોતે જે પ્રણાલીઓનું તંત્ર પચાવ્યું હોય છે, તેના સંદર્ભમાં જ વાચકો સાહિત્યકૃતિની અર્થવત્તા પામી શકે.&lt;br /&gt;
૫ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય જે અંતર્ગત નિયમતંત્ર દ્વારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને ખુલ્લું કરી બતાવવાનું છે તે કાવ્યભાષાને લગતો સર્વાશ્લેષી સિદ્ધાંત આપવા માગે છે, કૃતિવિશેષનું અર્થઘટન કરવાનું તેના ક્ષેત્રમાં નથી.&lt;br /&gt;
આ પ્રકારના અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે પ્રત્યે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આપણું સૌનું ધ્યાન ખેંચ્યું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ’ લેખમાં આપણી વિવેચનપ્રવૃત્તિના સંદર્ભે એક પાયાનો મુદ્દો તેમણે છેડ્યો છે. સંસ્કૃતમાં વિપુલ ‘ટીકાસાહિત્ય’ ખેડાયું છે અને ‘સર્વગ્રાહી તલસ્પર્શી કે સૂક્ષ્મદર્શી વિવેચન’નાં સેંકડો દૃષ્ટાંત મળે છે, એમ દર્શાવી પ્રાચીન વિવેચનરીતિનો તેમણે પુરસ્કાર કર્યો છે. સંસ્કૃત વિવેચનરીતિની ‘સબળતા’ એ રીતે ચકાસી શકાય એવી તેમની પ્રતીતિ રહી છે. આપણું વર્તમાન વિવેચન પશ્ચિમમાંથી ‘નૂતન દૃષ્ટિ’ અને ‘પદ્ધતિ’ સ્વીકારવા તરફ વળ્યું છે ત્યારે સંસ્કૃતની વિવેચનરીતિ આજે એટલી જ બલકે વધુ પ્રમાણભૂત બની રહે એમ તેઓ સૂચવવા ચાહે છે.&lt;br /&gt;
‘એક નિર્મૂળ આશંકા’નું૧૪૬ તેમનું લખાણ આમ તો પત્રચર્ચા રૂપે જન્મ્યું છે. ડૉ. રમણલાલ જોષીએ, તેમના વિશે લીધેલી નોંધ સામેની ટીકા૧૪૭ રૂપે એ જન્મ્યું છે, અને એમાં ડૉ. ભાયાણીનો કંઈક અભિનિવેશ છતો થઈ જાય છે. આપણા અર્વાચીન વિવેચને પાશ્ચાત્ય સાહિત્યવિચારને અનુસરવાનું જે વલણ દાખવ્યું છે તે પરિસ્થિતિની સામે અહીં તેમણે પ્રશ્ન ઊભો કર્યો છે. તેમની મુખ્ય દલીલ કંઈક એ રીતની છે કે પશ્ચિમમાં છેક પ્રાચીન કાળમાં થઈ ગયેલા એરિસ્ટોટલ અને લોન્જાયનસનો સાહિત્યવિચાર જો આપણે આપણા વિવેચનમાં લાગુ પાડી શકતા હોઈએ તો આપણી જ પરંપરાના આનંદવર્ધન કે કુંતકની વિચારણા શા માટે નહિ? સંસ્કૃત પરંપરાની ‘શાકુંતલ’ આદિ કૃતિઓને પાશ્ચાત્ય ‘કાટલે’ જોખવા આપણે પ્રવૃત્ત થતા હોઈએ તો પશ્ચિમના શેઇક્‌સ્પિયર, કાફકા, કામ્યૂ વગેરેને સંસ્કૃત વિવેચનનાં ‘ધોરણો’થી શા માટે જોખી ન શકાય? વગેરે. ડૉ. રમણલાલે એ મતલબનું કહેલું કે આપણા આધુનિક સાહિત્યનાં વિવેચનમૂલ્યાંકન અર્થે સંસ્કૃતના સિદ્ધાંતોને લાગુ પાડતાં પૂર્વે ‘સંસ્કારવા’ પડશે. એ મંતવ્યની ટીકા કરતાં ડૉ. હરિવલ્લભ ભાયાણી એ જાતનું પ્રતિપાદન કરવા ચાહે છે કે સાહિત્યનાં મૂળ તત્ત્વો વિશે-સાહિત્યને સાહિત્ય બનાવનાર ગુણ લક્ષણો વિશે સંસ્કૃત આચાર્યોએ અતિ સૂક્ષ્મ અને શાસ્ત્રીય ચર્ચા કરેલી છે. હજારો કૃતિઓનાં ઝીણવટભર્યાં વિશ્લેષણો પર એ આધારિત છે. તેમના મતે ‘ભારતીય વિવેચન પ્રયોગમૂલક હતું, શાસ્ત્રમૂલક નહિ.’ આપણા વિવેચન સામે પાશ્ચાત્ય અભ્યાસીઓની શબ્દ અર્થ કે રસ વિશેની વિચારણા ઘણી છીછરી અને અધૂરી રહી છે. એટલે સંસ્કૃતના સિદ્ધાંતોને ‘સંસ્કારવાનો’, તેમના મતે, કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી,&lt;br /&gt;
આપણા વિવેચનતત્ત્વવિચારમાં આ એક અતિ કૂટ પ્રશ્ન હવે ઊપસી આવ્યો છે. દેખાય છે તે કરતાં એ અનેક ઘણો સંકુલ અને અટપટો છે. આપણા વિવેચનની આ એક હકીકત છે કે એમાં એના સોસવાસો વર્ષના ઇતિહાસમાં પાશ્ચાત્ય વિવેચનની સતત પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સંસ્કૃતના કાવ્યશાસ્ત્રનો આપણે ત્યાં અભ્યાસ નથી થયો એવું પણ નથી. રસ ધ્વનિ રીતિ આદિ સિદ્ધાંતોનું વિવરણ સમજૂતી આદિ પ્રવૃત્તિઓ આપણે ત્યાં થઈ છે અને રસ ભાવ આદિ પાયાનાં તત્ત્વોનો સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં સ્વીકાર થયો છે. અને સંસ્કૃતની સાહિત્યવિચારણામાં કૃતિના આસ્વાદ વિવરણ અને રસકીય મૂલ્યાંકનનાં ચોક્કસ ધોરણો પ્રતિષ્ઠિત થયેલાં છે. એટલે પાશ્ચાત્ય વિવેચન વિચારની તુલનાએ એ ધોરણોની પ્રતિષ્ઠા થતી રહે એ એટલું જ અનિવાર્ય છે.&lt;br /&gt;
પણ પશ્ચિમના સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં લાંબા સમય સુધી કૃતિને વ્યાપકપણે સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે જોવા તપાસવાનું વલણ કામ કરતું રહ્યું છે. અનુકરણવાદ (mimesis), અભિવ્યક્તિવાદ (expression theory), વાસ્તવવાદ  (realism), અને પ્રકૃતિવાદ (naturalism), પ્રતીકવાદ (symbolism) આદિ કળામીમાંસાની વિચારધારાઓ સાહિત્ય અને અન્ય લલિત કળાઓને જીવન (કે વિશ્વજીવન કે પ્રકૃતિ કે ઇતિહાસ કે સંસ્કૃતિ કે વિચારધારાઓ આદિ) સાથે સાંકળીને તેનો ‘અર્થ’ કે ‘મૂલ્ય’ સ્પષ્ટ કરવા ચાહે છે. આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પાશ્ચાત્ય સાહિત્ય અને તેના વિવેચનનો સંપર્ક થયો ત્યારે કળાવિવેચનનાં નવાં મૂલ્યો ય આપણે પ્રતિષ્ઠિત કર્યાં. નવલરામની ગ્રંથસમીક્ષાઓનું બારીકાઈથી અવલોકન કરતાં એવા કેટલાંક નૂતન કળાતત્ત્વો અને મૂલ્યોનો એમાં પુરસ્કાર થયેલો જોઈ શકાશે. નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ વિષ્ણુપ્રસાદ ઉમાશંકર સુંદરમ્‌ સુરેશ જોષી જેવા અગ્રણી વિદ્વાનોની ગ્રંથવિવેચનાઓ પાશ્ચાત્ય વિવેચનનાં કયાં નવાં મૂલ્યો કે ધોરણો સાથે કામ પાડે છે તે અવલોકવાનું ઘણું રસપ્રદ નીવડે એમ છે. અહીં મારો મુદ્દો એ છે કે અર્વાચીન સમયમાં આપણું સાહિત્ય જે રીતે વિકસતું ગયું તેની સાથોસાથ કૃતિવિવેચનની જે આગવી પરંપરા ઊભી થઈ તે આપણા સાહિત્યિક/સાંસ્કૃતિક વિકાસનો એક જીવંત તંતુ છે. અને આપણી રસકીય સંવિત્‌ (કે રસકીય સંવેદનશીલતા – aesthetic sensibility) બંને પરંપરાનાં કળાતત્ત્વો અને કળામૂલ્યોને આત્મસાત્‌ કરીને વિકસી છે. એ હકીકતને લક્ષમાં લઈએ તો આપણા આધુનિક સાહિત્યને જોવા તપાસવામાં અને વિશેષતઃ તેના રહસ્યઘટન અને મૂલ્યાંકનમાં – જો વિવેચનનાં એ બે કાર્યો આપણે સ્વીકારીએ તો – સંસ્કૃત વિવેચનના પાયાના ખ્યાલો પર્યાપ્ત નીવડે કે કેમ એ પ્રશ્ન વિચારણીય બની રહે છે.&lt;br /&gt;
‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’માં સાહિત્યના અધ્યયનવિવેચન અર્થે વર્તમાનમાં ખેડાતા જતા ભાષાલક્ષી અભિગમની વ્યવસ્થિત અને વિશદ છણાવટ તેમણે કરી છે. યાકોબ્સનના આ વિશેના ખ્યાલો તેમણે અહીં સ્પષ્ટ રીતે મૂકી આપ્યા છે. એના અનુસંધાનમાં કાવ્યનું સત્ય, આય્‌રની, અલ્યુઝન, મેટેફર જેવાં તત્ત્વોની પણ તપાસ કરી છે. ‘સાહિત્યભાષા—વિજ્ઞાન’ એ લેખમાં ડબ્લ્યૂ ઓ. હેન્ડ્રિક્સના ‘રિલેશન બિટ્‌વીન લિંગ્વિસ્ટિક્સ એન્ડ લિટરરી સ્ટડીઝ’ (‘પોએટિક્સ’, ગ્રંથ-૧૧, ૧૯૭૪) શીર્ષકના લેખની ચર્ચાનો આંશિક અનુવાદ છે. ભાષાવિજ્ઞાન સાહિત્યવિવેચનને ખરેખર ઉપકારક બની શકે કે કેમ એ વિવાદને લક્ષમાં રાખીને હેન્ડ્રિક્સે એમાં ચર્ચા કરી હતી. ડૉ. ભાયાણીએ અહીં એ લેખના મુખ્ય વક્તવ્ય દ્વારા સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ‘કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓ’ – એ પણ પાશ્ચાત્ય અભ્યાસી વેધરિલના ગ્રંથના કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું તારણ રજૂ કરે છે. કૃતિના અધ્યયનની આધુનિક દૃષ્ટિ-પદ્ધતિનો એમાં સુપેરે પરિચય મળે છે. ‘હર્મન્યૂટિક વિવેચન’ શીર્ષકની સંક્ષિપ્ત નોંધમાં પુલે આદિની સંવિત્‌લક્ષી વિવેચનરીતિનો પરિચય આપ્યો છે.&lt;br /&gt;
‘સ્વભાવોક્તિ’ (તેનું સ્વરૂપ અને વર્તમાન વિવેચનમાં પ્રસ્તુતતા) લેખમાં પ્રાચીન મીમાંસાના સ્વભાવોક્તિના ખ્યાલની વ્યાખ્યાવિચારણા રજૂ કરી સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાંથી દૃષ્ટાંતો દ્વારા તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે સંસ્કૃતના ‘ભાવિક’ અલંકારનાં સરસ દૃષ્ટાંતો લાભશંકરની રચનાઓમાંથી તેમણે શોધી આપ્યાં છે. ‘ત્રણ કૃતિવિવેચનો’નું તેમનું વિવેચનકર્મ ધ્યાનાર્હ છે. સંસ્કૃત વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ આપણી આધુનિક કૃતિઓના વિવેચન અર્થે પ્રસ્તુત છે એમ બતાવવાનો તેમનો આ ધ્યાનપાત્ર પ્રયોગ છે.&lt;br /&gt;
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.&lt;br /&gt;
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’&lt;br /&gt;
વિવેચકની સજ્જતા લેખે તેમણે તેની ‘સંવેદનશીલતા’નો પ્રથમ સ્વીકાર કર્યો છે. કૃતિના અધ્યયનવિવેચનમાં તેના ઐતિહાસિક સંયોગોની તેમ બીજાં જ્ઞાનવિજ્ઞાનની જાણકારી, અલબત્ત, ઉપકારક બને, પણ તેને માટે પહેલી આવશ્યકતા તે સંવેદનવ્યાપારની છે એમ તેઓ કહે છે. વિવેચ્ય કૃતિ પ્રત્યે ‘વિસ્મય’ જન્મી શકે એટલી કોમળ સંવેદનપટુતા તેનામાં હોવી ઘટે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. વિવેચનવ્યાપારની ક્ષણોમાં કૃતિના સર્જક વિશે તેમ ભાવકસમૂહ વિશે વિચાર કરી જોવા તે પ્રેરાય અથવા ન યે પ્રેરાય પણ પોતાની જાત સાથે તેણે ‘સંવાદ’ કરવો જ પડે છે. વિવેચનમાં વિવેચકની ‘ઉપસ્થિતિ’ સતત વરતાતી રહે એમ તેઓ ઇચ્છે છે. સિદ્ધાંતોનો વિનિયોગ પણ તે કરે ખરો પણ યાંત્રિક રીતે કોઈ સિદ્ધાંત લાગુ પાડવાનું તે પસંદ કરશે નહિ. ડૉ. રમણલાલના મતે વિવેચક માત્ર ‘અનુભવપ્રમાણવાદી’ છે.&lt;br /&gt;
વિવેચનની પ્રક્રિયામાં તેમણે પાંચ ‘સોપાન શ્રેણી’ કલ્પેલી છે : (૧) વિવેચનાર્થ કૃતિની વરણી (૨) કૃષિનું વાચન-ભાવન (૩) કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન (૪) સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત (૫) ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ અને કાર્યના સંદર્ભે અહીં પહેલી સ્પષ્ટતા એ કરવાની રહે છે કે સોપાનશ્રેણીનો પહેલો વ્યાપાર ‘કૃતિની વરણી’ એ વિવેચનના તાત્ત્વિક બંધારણનો અંતર્ગત ભાગ ન લેખી શકાય. વિવેચક વિવેચન અર્થે આ કે તે કૃતિની પસંદગી કરવા પ્રેરાય તેની પાછળ જે તે કૃતિ/કર્તા માટેની વિશેષ રુચિ કે પક્ષપાત હોય પણ કૃતિના આસ્વાદ અનુભાવન પૂર્વેની એ પસંદગી હશે તો તો એ પસંદગીનું કોઈ મહત્ત્વ ન કરી શકાય. વિવેચનની પ્રક્રિયા આસ્વાદને અંતે સભાનતાપૂર્વક આરંભાતી વસ્તુ છે એમ સ્વીકારવું વધુ તાર્કિક છે. વળી, કૃતિના ‘વાચન-ભાવન’ (બીજું સોપાન)થી વિવેચકના ચિત્તમાં ચાલતા આસ્વાદ વ્યાપારનો ખ્યાલ અભિમત હોય તો એ વ્યાપાર પણ વિવેચન નથી. અલબત્ત વિવેચનનો એ સ્રોત છે, આધાર છે. ‘કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન’ એ ત્રીજો વ્યાપાર પણ બીજા ‘વાચન-ભાવન’નો જ વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. ચોથા સોપાનમાં ડૉ. રમણભાઈએ ‘રસકીય વૃત્તાંત’ અને પાંચમામાં ‘મૂલ્યાંકન’ મૂક્યાં છે. હવે, ‘રસકીય વૃત્તાંત’ સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. એથી રસાનુભૂતિના વર્ણન કે અહેવાલનો ખ્યાલ જો તેમને અભિપ્રેત હોય તો તો aesthetic criticism કે આસ્વાદરૂપ લેખના સ્વરૂપનું એ લખાણ નહિ હોય? કૃતિના મૂલ્યાંકન પૂર્વે અનિવાર્યતા આવા કોઈ સોપાનમાંથી વિવેચકને પસાર થવાનું અનિવાર્ય ખરું, એવા પ્રશ્નને અવકાશ રહે જ છે. વિવેચનના અંતિમ તબક્કામાં કૃતિનો મૂલ્યાંકન વ્યાપાર તેમણે મૂક્યો છે. જે રીતે કૃતિના ‘ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય’નો ઉલ્લેખ તેમણે કર્યો છે તે જોતાં ઐતિહાસિક અભિગમ વિવેચનનો અંતર્ગત ભાગ હોય એમ તેમને અભિમત જણાશે. પણ નોંધવું જોઈએ કે આપણા યુગમાં જ વિવેચનના અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનું સ્વરૂપ એવા દરેક અભિગમમાં જુદું જ પોત પ્રગટ કરે છે. આકારવાદી વિવેચનમાં કૃતિના આકારની તપાસ પર જ ઘણો મોટો ભાર મૂકાય છે. કૃતિના ઐતિહાસિક સંદર્ભો એમાં લક્ષમાં લેવાતા જ નથી અથવા સમગ્ર વિવેચનમાં તે અતિ ગૌણ સ્થાન લે છે. ચૈતન્યવાદી વિવેચકો પણ કૃતિની ઐતિહાસિકતાને અતિક્રમી જતા દેખાશે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામની વસ્તુ ઠીક ઠીક રૂપાંતરશીલ (protean) રહી છે. એટલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ખોજ અને તેની ઓળખને વિવેચનની અંતર્ગત અનિવાર્યપણે ચાલતા વ્યાપાર તરીકે સમાવવામાં મુશ્કેલી ઊભી થશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં કેટલાક (અને આપણે ત્યાંય થોડાક) અભ્યાસીઓ સૈદ્ધાંતિક ભૂમિકા પર કૃતિનું મૂલ્યાંકન કરવાનું જરૂરી ગણતા નથી; અથવા, આજના જગતમાં મૂલ્યાંકન શક્ય જ નથી એમ પણ કહેવા પ્રેરાયા છે. ડૉ. રમણલાલે, અલબત્ત, અહીં મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. જો કે, વિવેચન વ્યાપારની અંતર્ગત સમાવાતા કે તેની સાથે સંકળાયેલા ગણાતા ‘અર્થઘટન’ (interpretation)ના વ્યાપારનો નિર્દેશ પણ કર્યો નથી તે મોટું વિસ્મય જગાડે છે.&lt;br /&gt;
વિવેચનકાર્યમાં વિવેચકના પોતાના કળા અને સૌંદર્ય વિષયક ખ્યાલોનું શું? આસ્વાદ-અવબોધમાં તે અંતરાય ન બને? આ જાતના પ્રશ્નો વિવેચનમીમાંસાના કૂટ પ્રશ્નો છે. એ વિશે જુદા જુદા સંદર્ભે અગાઉ આપણે ચર્ચા કરી છે એટલે તેનું પુનરાવર્તન નહિ કરીએ. ડૉ. રમણલાલનું મંતવ્ય એવું છે : “વિવેચકના પોતાના અમુક ખ્યાલો, એનાં પોતાનાં માનસિક વળગણો સાચી સમ-સંવેદનાની ક્રિયામાં અવરોધરૂપ બને છે.”૧૫૦ આ ખ્યાલ અંશતઃ સાચો છે. કૃતિના પોતાના કળા-રૂપને એની સર્વ વિશિષ્ટતાઓ સાથે પામવામાં વિવેચકના પૂર્વ-નિર્ધારિત ખ્યાલો કે અપેક્ષાઓ તાદાત્મ્ય સાધવામાં અમુક અંતરાય રચે છે. પણ, તો પછી, દરેક મહાન વિવેચક કળા અને સૌંદર્યની નિજી ભૂમિકા પરથી વિવેચન કરવા પ્રવૃત્ત નથી થતો? &lt;br /&gt;
વિવેચક કૃતિ વિશેના પોતાના અનુભવને જ્યાં ‘ઘાટ’ આપવા સક્રિય બને છે ત્યાં ‘સાહિત્યકળાના સિદ્ધાંતો’, ‘કૃતિપ્રેરિત જીવનવિભાવો’ ‘ઐતિહાસિક સંદર્ભ’ વગેરે વસ્તુઓ તેના ચિત્તમાં ‘પશ્ચાદ્‌ભૂ’ તરીકે ઉપસ્થિત હોય છે એમ તેઓ નોંધે છે, પણ ત્યાં એ ચર્ચા અટકે છે. આપણે એ વિશે સ્પષ્ટતા રૂપે એટલું ઉમેરી શકીએ કે અનુભવને ઘાટ આપવાની પ્રવૃત્તિ અમુક સ્પષ્ટઅસ્પષ્ટ વિભાવોનો – conceptual frameનો – સ્વીકાર કરીને આરંભાતી હોય છે. અનુભવના વ્યાપમાં આવતી કલાકીય સામગ્રી – જે અમુક સમયના સ્થિત્યંતરો રૂપે એકત્ર થઈ હોય છે – તેનું આકલન જ અમુક વિભાવનાઓની અપેક્ષા રાખે છે. અને વિભાવનાઓના સ્વીકાર સાથે તેમાં કળાના અમુક સિદ્ધાંત કે વાદની ભૂમિકાનું અનુસંધાન રચાતું હોય છે.&lt;br /&gt;
આ વિશેની વિચારણામાં ડૉ. રમણલાલે એક મહત્ત્વની વાતનો સંકેત કર્યો છે : “બધા જ વિવેચનાત્મક અભિગમો અને સંપ્રદાયો જાણે અજાણ્યે કશીક દાર્શનિક પીઠિકા સ્વીકારીને ચાલતા હોય છે. વિવેચકની એને વિશેની સભાનતા એના પ્રત્યક્ષ વિવેચનકાર્યમાં સંભવ છે કે મદદરૂપ નીવડે.”૧૫૧ આ સંદર્ભે પહેલી વાત એ નોંધવાની કે વિવેચનનો અભિગમ કેવળ યાદૃચ્છિક પસંદગીની વસ્તુ જ નથી. ઐતિહાસિક, આકારવાદી, માર્ક્‌સવાદી કે ચૈતન્યવાદી —એવા દરેક અભિગમની દાર્શનિક પીઠિકા પરસ્પરથી સાવ ભિન્ન છે, અને સાહિત્યકળાના સ્વરૂપ અને કાર્ય વિશે એ દરેક અભિગમ આગવા ખ્યાલો સ્વીકારીને ચાલે છે. એટલે વિવેચક જો પોતાના કર્મ અને ધર્મ વિશે પૂરતો સભાન હશે, પોતાનું કાર્ય નિષ્ઠા ગંભીરતા અને પ્રામાણિકતાથી બજાવવા ચાહતો હશે, તો કૃતિ પરત્વેના અભિગમ વિશે તેણે હવે પૂરેપૂરી સમજ કેળવી લેવાની રહેશે.&lt;br /&gt;
વિવેચનમાં મૂલ્યાંકનના પ્રશ્ને તેમણે જે વિચારો રજૂ કર્યા છે તેમાં કેટલાંક ચિંત્ય વિધાનો છે : એક, કળાકૃતિને મૂલવવા માટે ‘દેશકાળથી પર એવાં સાર્વત્રિક ધોરણો’ છે, અને એવાં ધોરણો અનુસાર થતું મૂલ્યાંકન ટકી શકે છે. વિવેચકનું કાર્ય એવાં ‘સ્થાયી ધોરણો’ અનુસાર કૃતિનું મૂલ્ય નક્કી કરવાનું છે.’ પ્રશ્ન થાય કે પૂર્વપશ્ચિમની વિવેચનપરંપરામાં જે જે ‘ધોરણો’ ઊપસી આવ્યાં છે તેમાં ‘સાર્વત્રિક ધોરણો’ કયાં? વિશ્વસાહિત્યની નવી જૂની હર કોઈ યુગની કૃતિને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવાં ‘ધોરણો’ કોને ગણશો? બીજો મુદ્દો એ છે : ‘વિવેચક વિવેચનની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વચ્ચે ય મેળ બેસાડતો હોય છે.’ આપણે ઉપર જોયું કે વિવેચનના કેટલાક અભિગમોની સાહિત્ય વિશેની પીઠિકા જુદી છે, એ જોતાં ભિન્નભિન્ન પદ્ધતિઓ વચ્ચે મેળ બેસાડવાનું હંમેશાં શક્ય છે?&lt;br /&gt;
કૃતિવિવેચન અર્થે વિવેચકે જીવનનાં તેમ સાહિત્યકળાનાં બંનેયનાં ધોરણો લાગુ પાડવાનાં રહે છે એમ તેઓ કહે છે. એલિયટ-ઉમાશંકરમાંથી તેમણે આ વિશે સમર્થન મેળવી પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ઐતિહાસિક, આકારવાદી, ચૈતન્યવાદી અને સંરચનાવાદી અભિગમોનો સાવ અછડતો તેમણે પરિચય આપ્યો છે, પણ તે દરેકની પાછળની સાહિત્યિક વિચારણા સ્પષ્ટ કરી નથી.&lt;br /&gt;
‘આધુનિક વિવેચન’ લેખમાં કૃતિનિષ્ઠ વિવેચનના સીમિત કાર્યક્ષેત્રની સામે વિવેચક માટે આર્નોલ્ડને અભિમત એવું વ્યાપક ક્ષેત્ર તેમણે સૂચવ્યું છે. આપણે આધુનિક વિવેચનમાં ‘બીજી માનવવિદ્યાઓનાં ઓજારો’ કામે લગાડ્યાં છે એવું અવલોકન પણ તેમણે રજૂ કર્યું છે! આપણા વર્તમાન વિવેચનની પરિભાષા વળી સંદિગ્ધ રહી જવા પામી છે, એમ પણ નોંધ્યું છે.&lt;br /&gt;
૧૯૭૩ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આશ્રયે યોજાયેલા એક પરિસંવાદમાં તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય : વિવેચન અવલોકનો’ વિષય પર વક્તવ્ય રજૂ કરેલું. હમણાં બેંગલોરમાં મળેલા એક સેમિનારમાં ‘આપણા સાહિત્યમાં વિવેચનની કોઈ આબોહવા છે ખરી?’ વિષય પર તેમણે બીજું વક્તવ્ય રજૂ કરેલું. એમાં તેમણે આપણા આધુનિક સાહિત્યના વિવેચન મૂલ્યાંકન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિભાવનાઓને લગતો એક મહત્ત્વનો મુદ્દો છેડ્યો છે. તેમનું વક્તવ્ય કંઈક એવું છે કે સંસ્કૃતના પ્રમુખ સિદ્ધાંતોને આપણા પ્રાદેશિક ભાષાસાહિત્યને લાગુ પાડતાં પહેલાં ‘ઠીક ઠીક સંસ્કારવા પડશે.’ ડૉ. ભાયાણીએ એમની આ જાતની માન્યતા સામે વાંધો લીધો છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો વિશ્વસાહિત્યની કૃતિઓનેય લાગુ પાડી શકાય, એવું તેમને અભિમત છે.&lt;br /&gt;
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(૧) આજનો તરુણ વિવેચક ઘણીવાર કૃતિના ‘અર્થ’ની અવગણના કરી, તેની ‘આકૃતિ’ની તપાસમાં પ્રવૃત્ત થાય છે, અને એ નિમિત્તે તે કલ્પન લય ભાષાકર્મ પ્રતીક જેવાં તત્ત્વો ચીંધી બતાવે છે. પણ પ્રતીકાદિના સંદર્ભે ‘અર્થવિસ્તાર’ની વાત કરતાં તેના આધારરૂપ એવા કોઈ ‘અર્થ’નો સ્વીકાર તો ત્યાં થાય જ છે. તો કૃતિવિવેચનમાં આ રીતે ‘અર્થ’ના પ્રશ્નને ટાળવાનું વલણ યોગ્ય છે?&lt;br /&gt;
(૨) કાવ્યકૃતિના લય વિશેનું આપણું વિવેચન ઘણુંખરું ‘અંગત છાપો’થી ભર્યું છે. લય વિશેનાં વિધાનો ઘણીવાર રંગદર્શી ભાષામાં રજૂ થાય છે. એના વિશે વસ્તુલક્ષી વિશ્લેષણ કરવાના પ્રયત્નો ભાગ્યે જ થાય છે. જ્યાં સુધી લયના બંધારણ વિશે આંગળી મૂકીને આપણે વાત ન કરી શકીએ ત્યાં સુધી એના વસ્તુલક્ષી વિવેચનની દિશામાં આપણે ગતિ કરી ન શકીએ.&lt;br /&gt;
(૩) કૃતિઓની ભાષાલક્ષી તપાસથી આપણો આસ્વાદ વધુ તીક્ષ્ણ અને સમૃદ્ધ બન્યો છે એમ આપણે સ્વીકારીએ, પણ એનાં ભયસ્થાનો ય આપણે લક્ષમાં રાખવાનાં છે. કૃતિની ભાષા પર વિવેચક પોતે અંગત અર્થોનું આરોપણ કરી રહ્યો હોય એ પણ સંભવિત છે. હકીકતમાં આપણા કૃતિલક્ષી વિવેચનમાં ભાષાકર્મ વિશેનાં વર્ણનો વિવરણોમાં વારંવાર રંગદર્શી ઉદ્રેક છતો થતો રહ્યો છે.&lt;br /&gt;
(૪) સાહિત્યમાં કલ્પન લય ભાષાકર્મ આદિ દ્વારા જે કંઈ રમણીયતા સિદ્ધ થાય છે તેનો આસ્વાદ આપણે કરીએ, પણ એ સર્વની પાછળ કશુંક ‘વ્યંગ્ય’ રહ્યું હોય છે, અને તેની અવગણના ન કરી શકાય. કલ્પનાદિ તત્ત્વો એ વ્યંગ્યને પ્રસ્તુત કરવા આવે છે. એટલે કૃતિવિવેચનમાં એ ‘વ્યંગ્ય’ની ઓળખ, તપાસ, અને તેનું સ્પષ્ટીકરણ એ પણ વિવેચન કાર્યનો જ ભાગ બને છે.&lt;br /&gt;
(૫) સાહિત્યની કૃતિ કંઈ સમાજ સંસ્કૃતિ કે સમયના સંદર્ભોથી સર્વથા નિરપેક્ષપણે સંભવતી નથી. તેના આસ્વાદ-વિવેચનમાં તેના એવા બાહ્ય સંદર્ભો ય વત્તેઓછે અંશે દ્યોતક નીવડી શકે. એટલે વિવેચકે, કૃતિ જે રીતે અવકાશ રચી આપે તે રીતે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવી તપાસવી જોઈએ.&lt;br /&gt;
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે&lt;br /&gt;
‘વિવેચકનું કર્તવ્ય’માં ભાવકની ‘ભાવયિત્રી પ્રતિભા’, સર્જનવ્યાપારથી વિવેચનની ભિન્નતા, વિવેચકની સજ્જતા, વિવેચનનાં ધોરણો, અને વિવેચકની ભૂમિકા – જેવા મુદ્દાઓની સર્વગ્રાહી છણાવટ કરવાનો ઉપક્રમ છે. ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’-લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમની સંક્ષિપ્ત પણ સરળ ચર્ચા છે.&lt;br /&gt;
‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ લેખ આપણી વિવેચનમીમાંસામાં વિશેષ નોંધપાત્ર અર્પણ બની રહે છે. પશ્ચિમમાં આ વિશે જે તાત્ત્વિક ચર્ચાઓ થઈ છે તેનું એમાં અનુસંધાન છે. સાહિત્યની કૃતિ કંઈ અવકાશમાં જન્મતી નથી, તેનો સર્જક ઇતિહાસના કોઈ એક ચોક્કસ તબક્કે ચોક્કસ ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે જીવ્યો હતો. પોતાના સમયનાં સ્થૂળ સૂક્ષ્મ સંચલનો અને પરિબળો તેના સર્જકચિત્તને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અસર કરતાં જ હોય છે. પ્રસિદ્ધ અભ્યાસી ટેઈનના આ વિષયના વિચારોમાંથી સર્મથન મેળવીને આ ચર્ચા તેમણે વિકસાવી છે. તેમની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
૧. કોઈ પણ સાહિત્યકૃતિ એ આકસ્મિક આવિર્ભાવ નથી. એના યુગનાં પરિબળોએ એમાં અમુક ભાગ ભજવ્યો હોય છે. જ્યાં સુધી કૃતિને એના મૂળના સમય સંદર્ભમાં મૂકીને જોવામાં ન આવે ત્યાં સુધી એનું પૂરું રહસ્ય છતું થતું નથી.&lt;br /&gt;
૨. સાહિત્યમાં નિરૂપાતા અનુભવો લાગણીઓ અને ભાવભાવનાઓનાં જે જે રૂપો વ્યક્ત થાય છે તેને જે તે પ્રજાના મનોમય જીવન સાથે ઘનિષ્ટ સંબંધ હાય છે. સમગ્ર સમાજ – તેના સર્વ સભ્યો – પરસ્પર આંતરિક રીતે જોડાયેલા હોય છે. સર્જકની સંવેદનશીલતા એ સામાજિક સંદર્ભ વચ્ચે ખિલતી હોય છે. સર્જકની વાણી એની ‘પરંપરાની ભોંય પર’, ‘પરિવેશની આબોહવામાં’ ઊઘડે છે. એટલે સાહિત્યના વિવેચકે કૃતિ જે સંયોગો વચ્ચે જન્મી હોય તેને લક્ષમાં લઈને જ ચાલવાનું રહે.&lt;br /&gt;
૩. ભિન્ન ભિન્ન યુગના સાહિત્યકારોની રચનાઓમાં પ્રકારો આકારો શૈલીઓ અને રચનાપ્રણાલિઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, તેનો ખુલાસો તેની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાઓમાંથી મળે છે.&lt;br /&gt;
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૬.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૭.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.&lt;br /&gt;
(૧)	આપણે ત્યાં હવે વિવેચનનું પણ વિવેચન થવાની જરૂર છે. કૃતિ પાસે જતાં વિવેચકો જે જે ‘વિભાવનાઓનાં ‘માળખાં’ – conceptual framework લઈને જાય છે અને જે જે પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તેને વિશે બારીક દૃષ્ટિની ફેરતપાસ કરવાની જરૂર છે. કૃતિવિવેચનોમાં જે જાતના મતભેદો જન્મે છે તે સર્વના મૂળમાં જે તે વિવેચકની ફિલસૂફીને લગતાં ગૃહીતોમાં ફેર હોય છે. એટલે દરેક વિવેચક કયો વાદ વિચાર કે વિભાવના લઈને ચાલે છે તેની, અને તેની પાછળ રહેલાં સ્પષ્ટ અસ્પષ્ટ ગૃહીતોની ફરી ફરીને તપાસ થતી રહે એ જરૂરનું છે.&lt;br /&gt;
(૨)	કળાકૃતિને એની સ્વાયત્ત એવી વાસ્તવિકતા છે, સત્તા છે. કૃતિના આસ્વાદ અવબોધમાં વિવેચકનો ‘આત્મલક્ષી પરિપ્રેક્ષ્ય’ નિયામક બને છે એ ખરું, પણ વિશેષ સત્તાના બળે કૃતિ પણ ભાવકને પ્રભાવિત કરે છે, એને તેની insularityને અમુક અંશે ભેદી શકે છે. આમ એક બાજુ, વિવેચકનો આગવો દૃષ્ટિકોણ, બીજી બાજુ કૃતિનું આંતરિક સામર્થ્ય – બંને વચ્ચે કશુંક ક્રિયાપ્રતિક્રિયા રૂપે ચાલે છે અને એ રીતે ‘પ્રતિભાવ’ રચાય છે. દરેક ભાવકનો બોધ એ રીતે જુદો સંભવે છે.&lt;br /&gt;
(૩)	વિવેચકના અમુક interests જ કૃતિમાં અમુક તત્ત્વોને મૂલ્યવાન તરીકે લેખવા પ્રેરે છે. માકર્‌સવાદ, ફ્રોયડનો વિશ્લેષણવાદ કે અસ્તિત્વવાદ જેવા કોઈ પણ વાદ કે દૃષ્ટિકોણને સ્વીકારી લઈને વિવેચક કૃતિ પાસે જાય છે ત્યારે ખરેખર તો કૃતિની સ્વાયત્ત સત્તાને જ તે મર્યાદિત કરી દેતો હોય છે.&lt;br /&gt;
(૪)	રોલાં બાર્થ સાહિત્યને ‘વિશિષ્ટ પ્રકારની ભાષા’ રૂપે ઓળખાવે છે. સાહિત્યની કૃતિ ‘પ્રતીકાત્મક’ છે, ‘અનેક પ્રકારના તથ્યની શક્યતા’ તે ધરાવે છે પણ તે કંઈ ‘ઐતિહાસિક હકીકત’ નથી. ‘કૃતિ’ શું છે તેની વ્યાખ્યા, સમજણ તો બદલાતી રહે છે. એ રીતે એ ‘માનવીય ઘટના’ છે’. વિવેચકે પોતાની ભાષાને બને એટલી કૃતિની સર્જનાત્મક ભાષાને અનુરૂપ સર્જવી જોઈએ.&lt;br /&gt;
(૫)	સાહિત્ય વિશેની કેટલીય મૂળભૂત વિભાવનાઓનાં મૂળ ફિલસૂફીમાં રહ્યાં છે. એના ગૃહીતોની ખોજ ચાલુ રહેવી જોઈએ.&lt;br /&gt;
(૬)	આપણા વિવેચન વિશે આપણા અભ્યાસીઓમાં જે કંઈ ‘ફરિયાદ’ છે તેને યથાર્થ રીતે સમજવાને સમીક્ષક પાસે ચોક્કસ frame of reference જોઈએ.&lt;br /&gt;
(અ) ‘કલા અને મુખ્યત્વે સાહિત્ય અને વિવેચન વિશે ભાવક-વિવેચક પાસે એક દૃષ્ટિબિંદુ હોય છે – પછી ભલે તેણે એ અસંપ્રજ્ઞાતપણે અપનાવેલું હોય, અને/અથવા અસ્પષ્ટ રાખ્યું હોય. દૃષ્ટિબિંદુથી મુક્ત અથવા પર કોઈ સર્જનવિવેચન હોતું નથી. તાર્કિક રીતે એ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી શકાય. ફિલસૂફીના ઇતિહાસનો મોટો ભાગ અધ્યાહાર રહેલા દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવાના પ્રયત્નરૂપે ઘટાવી શકાય.’૧૫૪&lt;br /&gt;
(બ) ‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગૃત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’૧૫૫&lt;br /&gt;
રસિક શાહ નોંધે છે કે આપણા વર્તમાન વિવેચનના સંદર્ભમાં ‘સર્જન’ ‘પરિશીલન’ અને ‘વિવેચન’ની તાત્ત્વિક વિચારણાઓની તપાસમાં પોતે આ બે પાયાનાં ગૃહીતો સ્વીકારીને ચાલ્યા છે. શ્રી જશવંત શેખડીવાળા અને આ અવલોકનકારના વર્તમાન ગુજરાતી વિવેચન વિશેનાં લખાણોની તેમણે નોંધ લીધી છે. તેમજ, સુરેશ જોષી અને ઉમાશંકર જોશીની કાવ્યવિભાવના વિશેની આ અવલોકનકારની મુખ્ય ભૂમિકા પુરસ્કારતા છતાં સર્જકતા વિશેના એક મુદ્દામાં છતી થતી તાર્કિક મુશ્કેલી અંગે ધ્યાન દોર્યું છે. આ સંદર્ભમાં રસિક શાહે નોંધ્યું છે કે વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની વિચારણામાં છેવટે (૧) ગૃહીત કેવું હોવું જોઈએ, (૨) આંતરસંગતિવાળું ગૃહીત કેવું હોય, (૩) ગૃહીત યોગ્ય અને જરૂરી છે કે નહિ, અને (૪) ગૃહીતની ચકાસણી કેવી રીતે થાય – એવા તાર્કિક પ્રશ્નોની છણાવટ કરવાની રહે.&lt;br /&gt;
(૭)	કળાકૃતિનું સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જેઓ મૂળ ગૃહીત તરીકે સ્વીકારે છે તેમને માટે પછી પ્રાણભૂત પ્રશ્ન એક જ રહે છે : ‘વ્યવહારના તથ્યનું કલાના સત્યરૂપે રૂપાન્તર સર્જક શી રીતે કરે છે? અને એની ઉપપત્તિ એ કે વિવેચનનું પાયાનું કર્તવ્ય તે કૃતિની ભાષા અને રચનારીતિની તપાસ માત્ર બની રહે છે.’ બીજી રીતે – ‘વિવેચનનું કાર્ય કાવ્યકૃતિનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરીને કયા સંઘટનસૂત્રથી અથવા ઋતથી વિશ્લેષ્ય ઘટકોનું અનુસંધાન થાય છે, અને એ રીતે કૃતિ સમગ્રતાનું સ્વરૂપ પામે છે, એ તરફ નિર્દેશ કરીને કૃતિનું structure પ્રગટ કરવાનું છે.’&lt;br /&gt;
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૮.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્‌ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્‌ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્‌ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૯.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
તેમનો આરંભકાળનો એક લેખ ‘વિવેચન પદ્ધતિ વિશે’,૧૫૭ શીર્ષક સૂચવે છે તેમ, વિવેચનની પદ્ધતિઓને લગતા તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શવા ચાહે છે. એમાં રજૂ થયેલી ચર્ચામાં, કેટલુંક અસ્પષ્ટ કે ચિંત્ય કોટિનું રહી ગયેલું લાગશે. પણ આ દિશાની વિચારણામાં પ્રારંભના પ્રયત્ન લેખે એનું અમુક મહત્ત્વ રહે જ છે. સુરેશ જોષીની જેમ તેઓ પણ આપણા વર્તમાન વિવેચનમાં વ્યાપી રહેલી ‘અરાજકતા’ સામે ફરિયાદ કરે છે. તેમનું એમ કહેવું છે કે ‘સંજ્ઞા પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં આપણે ત્યાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન કરે છે, પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાંતિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે.’ તેમનાં આ નિરીક્ષણો એકંદરે સાચાં હોવાનું લાગશે. તેઓ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરે છે કે વિવેચનની તાત્ત્વિક પીઠિકા રચવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર આદિ જ્ઞાનવિજ્ઞાનનો ફાળો રહેવાનો એટલે, જે તે ભાષામાં આ જાતના જ્ઞાનવિજ્ઞાન વિકસ્યાં હશે અને સાહિત્યવિચારમાં તેનો વિનિયોગ થયો હશે તો જ તેનું વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો સાથે અનુસંધાન થઈ શકશે.&lt;br /&gt;
પણ, મને લાગે છે કે, પ્રશ્ન એથી ઘણો વધુ જટિલ છે. કૃતિવિવેચનમાં જો વિજ્ઞાનના જેવી વસ્તુલક્ષિતા સિદ્ધ કરવા આપણે ચાહતા હોઈએ તો પછી વિવેચનની વિભિન્ન પદ્ધતિઓ અને તેની સાથે યુક્ત વિભિન્ન પરિભાષાઓનો સ્વીકાર કઈ રીતે ‘ન્યાયી’ ઠેરવી શકાય? આવી વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કૃતિનાં જે રીતનાં વિવેચનો-મૂલ્યાંકનો પ્રાપ્ત થશે તે સર્વને એકસરખાં પ્રમાણભૂત ગણી શકાશે? એમાં કોઈ એક વિવેચન ઉચ્ચ બીજું ઉતરતું, એક વધુ પ્રમાણભૂત બીજું ઓછું – એવા દૃષ્ટિભેદ ઊભા નહિ થાય? તાત્પર્ય કે, પદ્ધતિઓના પ્રશ્ને વિવેચનમીમાંસાના બીજા અનેક નવા તાત્ત્વિક પ્રશ્નો ફૂટી નીકળે છે. કેમ કે, વિવેચનની અનેક પદ્ધતિઓના સ્વીકાર સાથે એકની એક કૃતિ પરત્વે સાવ આત્યંતિક સામે છેડેનાં દૃષ્ટિબિંદુઓ કે પરસ્પર વિરોધી મતો જન્મતા હોય જે એકબીજાનો છેદ પણ ઉડાડતા હોય-તો વિવેચનપ્રવૃત્તિની કોઈ ઉપયોગિતા, સાર્થકતા કે અનિવાર્યતા ખરી? અને વસ્તુલક્ષી ભૂમિકાએ સંપૂર્ણ મતૈક્યની શક્યતા જ ન હોય તો તો વિવેચનને કેવળ ‘આત્મલક્ષીશાસ્ત્ર‘ તરીકે નિભાવી શકાય કે કેમ, તે પણ વિચારવાનું રહે છે.&lt;br /&gt;
ત્રણ વિવેચકો – એક, સાહિત્યકૃતિને માત્ર ‘સાહિત્યિક દૃષ્ટિબિંદુ’થી જોતો હોય, બીજો કૃતિને મનોવિજ્ઞાનના એક ‘case-study’ તરીકે જોતો હોય અને ત્રીજો તેને ‘સામાજિક દૃષ્ટિ’થી નિહાળતો હોય – એ દરેકનો અભિગમ મૂળથી જુદો છે. ત્રણે ‘જુદી જુદી પરિભાષામાં’ રહીને વિચારે છે. તો એ પૈકી કયો અભિગમ સાચો અને પ્રમાણભૂત ગણીશું? ડૉ. શિરીષના આ પ્રશ્નો સાચા છે. આવી દરેક પદ્ધતિ/અભિગમ ખરેખર તો એક જ કૃતિને લક્ષતાં છતાં તેને જુદી જુદી રીતે તે પ્રત્યક્ષ કે અવગત કરે છે. સાહિત્યની ‘સાહિત્યિકતા‘ વિશેની એ દરેકની તાત્ત્વિક ભૂમિકા નિરાળી છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ પણ કળાકૃતિના આસ્વાદ – ભાવનનું નિરપેક્ષ મૂલ્ય પ્રતિષ્ઠિત કરવા ચાહે છે, એટલે વિવેચનની પદ્ધતિઓની પ્રમાણભૂતતાના પ્રશ્નમાં રોકાયા છતાં તેઓ ભારપૂર્વક બતાવવા ચાહે છે કે કૃતિને લગતો કોઈ પણ દૃષ્ટિકોણ વિવેચનની પદ્ધતિને મર્યાદિત બનાવી દેતો હોય તો તે તેના આસ્વાદમાં ય અંતરાય રચી રહે એમ બને. ડૉ. શિરીષ પંચાલ આ વિશે એક મહત્ત્વના મુદ્દાને ય સ્પર્શી રહે છે : “અ-વિવેચન કે કૃતક વિવેચન અને વિવેચન વચ્ચેનું વ્યાવર્તક તત્ત્વ કયું?”૧૫૮ અને ઉત્તરમાં કહે છે : “વ્યાવર્તક તત્ત્વ તરીકે વિવેચનની પદ્ધતિને જ ગણાવી શકાય. આ બધાં અસાહિત્યિક તત્ત્વોની મર્યાદા ચીંધી બતાવતી હોવી જોઈએ. વિવિધ દૃષ્ટિકોણ પાછળ અંગત મમત્વ, રુચિ, પૂર્વગ્રહ કામ કરતા હોવાને કારણે જ દલીલબાજી, હોંસાતુંસી, વિવેચકની પદ્ધતિની ટીકાને બદલે વિવેચકો વિશે જ ઊભરાતાં લખાણો જોવા મળે.”૧૫૯ પણ, વિવેચનની પદ્ધતિ તે કંઈ યાદૃચ્છિક ઉપયોગનો પ્રશ્ન નથી એ વાત હવે સ્પષ્ટ બની ચૂકી છે. દરેક પદ્ધતિ સાહિત્યની સાહિત્યિકતા (literariness)નો આગવો ખ્યાલ સ્વીકારીને ચાલે છે. એટલે આ કે તે પદ્ધતિના સ્વીકાર-અસ્વીકાર પાછળ વિવેચકની સાહિત્યિક વિભાવનાનો પ્રશ્ન પણ પડેલો છે. એટલે આ કંઈ હવે માત્ર અંગત રુચિ કે પૂર્વગ્રહ મમત્વનો પ્રશ્ન ય રહેતો નથી : અંતે, એ સાહિત્યના તત્ત્વબોધનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
વિવેચનની પદ્ધતિની સફળતાનિષ્ફળતાના પ્રશ્નને ડૉ. શિરીષ પંચાલ તેની ભાષાવ્યવસ્થા સાથે સાંકળી આપવા ચાહે છે. તેમનું એમ કહેવું છે કે વિવેચનની ભાષા અને બીજા જ્ઞાનવિજ્ઞાનના વિષયોની ભાષા વચ્ચે સ્પષ્ટ ભેદ રહ્યો છે, અને તે એ કે “અન્ય ભાષાવ્યવસ્થા કેટલાક નિયત કરેલા નિયમોની સીમામાં રહીને પોતાનું coherence ટકાવી રાખે છે, જ્યારે વિવેચનની ભાષાવ્યવસ્થા નિયત કરેલા નિયમોને દર વખતે સ્વીકારી શકતી નથી.”૧૬૦ અહીં ડૉ. શિરીષનું વક્તવ્ય સમજવામાં થોડી મુશ્કેલી છે. અન્ય વિષયોની ભાષાવ્યવસ્થામાં coherence સિદ્ધ કરનાર જે ‘કેટલાક નિયત નિયમો’ની તેઓ વાત કરે છે, એ ‘નિયમો’ કયા તે વિશે અહીં સ્પષ્ટતા મળતી નથી. પણ તાર્કિક ચિંતનના ‘નિયમો’ તેમની નજરમાં હોય એમ અહીં સમજાય છે. કૃતિવિવેચનમાં આવા ‘નિયમો’ હંમેશ સ્વીકારાતા નથી, અને વિવેચનમાં એથી ‘અરાજકતા’ દાખલ થઈ જાય એવી દહેશત તેમણે વ્યક્ત કરી છે. તેઓ એ બાબતે, અલબત્ત, સ્પષ્ટ છે કે દરેક કૃતિનો ‘આગવો સંદર્ભ તેના આગવા નિયમો’ રચી આપે છે, પણ વિવેચનની પદ્ધતિભેદને કારણે કે બીજી રીતે એમાં વિભિન્ન પરિ-ભાષાઓનો વિનિયોગ થાય અને વિવેચનવિચારમાં એથી ‘અરાજકતા’ પ્રવેશી જાય એમ પણ બને! એક રીતે, આ વિવેચનમીમાંસાનો ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે. કૃતિના આસ્વાદ-ભાવન પછીની ક્ષણે વિવેચક તેને પોતાની રીતે વર્ણવવા ચાહે છે. કૃતિમાં જ્યાં સુધી તે લીન હતો, રસતત્ત્વમાં નિમગ્ન હતો, ત્યાં સુધી તેને કૃતિ વિશે વિધાન કરવાને કોઈ અવકાશ નહોતો. પણ જે ક્ષણે પોતાના આસ્વાદ વિશે – જે અનેક ક્ષણો સુધી સમયમાં વિસ્તરેલો, કૃતિની ભાષાના સંયોગે જન્મી જન્મીને ઉપચય પામતો અનુભવ છે તેને વિશે – તે વાત માંડે છે ત્યારે પદ્ધતિનો અને પરિભાષાનો પ્રશ્ન ઊભો થાય જ છે. એક રીતે વિવેચકના મિજાજનો અને બીજી રીતે તેની તાત્ત્વિક દૃષ્ટિનો એ પ્રશ્ન છે. જે વિવેચક કૃતિના અનુભવનાં સૂક્ષ્મતમ તત્ત્વોનો – તેના રમણીય અંશોનો – નિબિડપણે અને સજીવ સંસ્પર્શ કરાવવા ચાહે છે તેનું વલણ વિવેચનની ભાષાને વધુ મૂર્ત વધુ સર્જનાત્મક બનાવવાનું હશે, અને જે વિવેચક કૃતિના અર્થઘટન/મૂલ્યાંકન અર્થે સક્રિય બન્યો હશે તે સ્વાભાવિક રીતે જ તાર્કિક વર્ણન વિશ્લેષણની રીતિ તરફ ઢળશે. પણ આ પ્રશ્ન આટલો સીધોસાદો નથી. ઐતિહાસિક ચરિત્રલક્ષી આકૃતિલક્ષી ભાષાલક્ષી માર્ક્‌સવાદી કે માનસશાસ્ત્રીય – એવા અભિગમો પૈકીનો કોઈ અભિગમ સ્વીકારો એટલે તેની સાથે સાહિત્યની આગવી વિભાવના કે તેના વર્ણનવિશ્લેષણની આગવી રીતિ અને આગવા સંપ્રત્યયો કામમાં લેવાના રહે. એટલે કે, આવા દરેક અભિગમ સાથે વિભાવનાઓનું અમુક રીતનું માળખું – conceptual framework – જોડાઈને આવતું હોય. એટલે વિવેચનની ભાષામાં ‘વ્યવસ્થા’ આણવાનો પ્રશ્ન એક બાજુ તેમાં પ્રયોજાતી બીજભૂત સંજ્ઞાઓ/વિભાવનાઓના તાર્કિક સ્પષ્ટીકરણનો છે, બીજી બાજુ વિવેચન અર્થે પ્રયોજાતી એક યા બીજી પદ્ધતિની પ્રમાણભૂતતાનો છે. અને એક કૃતિના વિવેચનમાં એકથી વધુ પદ્ધતિઓનો વિનિયોગ આવકાર્ય ખરો, પણ અનિવાર્ય ખરો, તેય વિચારવાનું પ્રાપ્ત થાય છે. વિવેચનની ભાષા-વ્યવસ્થાનો પ્રશ્ન એ રીતે તેના અંતિમ પ્રયોજન અને પદ્ધતિના પ્રશ્ન સાથે સંકળાઈ જાય છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ આ અંગે એમ કહે છે કે વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી અને ‘કૃતિની અવેજી’માં તે ‘વાપરી શકાતી હતી.’ હવે વિજ્ઞાન અને ટેક્‌નોલોજીના વિકાસની સાથોસાથ એવી ‘વર્ણનાત્મક’ ભાષાનો ઉપયોગ રહ્યો નથી; એટલે વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એવો તેઓ અનુરોધ કરે છે. વિવેચનમાં એ રીતે ‘આત્મલક્ષિતા’ની ભૂમિકા ઓછી થશે અને ‘સાથે સાથે આપણી સમક્ષ કૃતિનાં એકેએક ઘટક તત્ત્વોને અન્યોન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ પ્રકટ થઈ આવવાનો’. તેમની આ મુદ્દાની ચર્ચામાં કેટલુંક ચિંત્ય લાગે છે. વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી હતી એ જાતનું તેમનું અવલોકન બરાબર છે? પરંપરાગત વિવેચનમાં કૃતિનાં અર્થઘટનો મૂલ્યાંકનોનેય મોટું સ્થાન રહ્યું છે; તો કૃતિને લગતાં એ મૂલ્યવાચી વિધાનોને ‘વર્ણનાત્મક’ કોટિમાં મૂકી શકાય? અને મૂલ્યવાચી વિધાનો જે રીતે કૃતિને વિશે નિર્ણયાત્મક કથન કરે છે તે જોતાં તેને કૃતિની ‘અવેજી’માં આવતી ભાષા કહી શકાય? મને લાગે છે કે મૂલ્યવાચી વિધાનો કૃતિ વિશે કશુંક વિશેષ રૂપે કહે છે, એટલે કૃતિને લગતાં વર્ણનાત્મક વિધાનોથી તે ભિન્ન કોટિનાં સંભવે છે. બીજું, વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એ સાચું, પણ એ ‘પૃથક્કરણ’ વ્યાપાર અંગે તેઓ જે ખ્યાલ બાંધે છે તેમાં ‘એકેએક ઘટક તત્ત્વનો અન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ’ સ્થાપવાની અપેક્ષા છે, અને એ તો રચનાત્મક વ્યાપારને ય સમાવી લે છે. વિવેચ્ય કૃતિમાં ‘કેન્દ્ર’ જેવું કોઈ તત્ત્વ પકડવું અને સર્વ ઘટકોને તેની સાથે સંબંધમાં બતાવવાં એ આખી પ્રવૃત્તિ ‘પૃથક્‌-કૃત’ ઘટકોને પુનઃ સંયોજિત કરવાની છે. એમાં વિવેચક ઘણું ખરું અંતઃપ્રેરણાથી જ ‘કેન્દ્ર’ જેવું કશુંક ગૃહીત કરીને સમગ્રની રૂપરચના સમજવા પ્રવૃત્ત થતો હોય છે. મને લાગે છે કે વિવેચનમાં ઘટકોને ‘પૃથક્‌’ કરીને જોવામાં, તેના સંબંધો સ્થાપવામાં અને કેન્દ્ર સાથે સાંકળી બતાવવામાં અમુક સર્જનાત્મક કલ્પનાનો ખપ પડે જ છે. કળાકૃતિ કોઈ સ્થૂળ ભૌતિક પદાર્થ નથી. કોઈ ભૌતિક નિયમોની ખોજ એમાં અપેક્ષિત નથી. કૃતિનું હાર્દ પ્રકાશિત કરવાને વિવેચક પ્રવૃત્ત થાય છે ત્યારે તેનું રહસ્ય તેને અવગત થઈ ચૂક્યું હોય છે. પ્રશ્ન એ કે જે કંઈ રહસ્ય તેના ચિત્તમાં ઝબકી ગયું છે તેનું પૂર્ણ અખંડ રૂપ તે જે ભાષામાં પરિબદ્ધ છે તેમાંથી નિખરી આવે છે અને જે ક્ષણે તે પોતાની (પરિ) ભાષામાં તેની વાત કરવા જાય છે ત્યારે, મૂળનું કશુંક ઊણું રહી જાય, તો અર્થઘટન-મૂલ્યાંકન રૂપે તેમાં કશુંક ઉમેરાય પણ, એવું બનતું હોય છે. અને ભાષાની ‘વ્યવસ્થા’નો પ્રશ્ન, અંતે તો, કૃતિના રહસ્યને ઝીલવામાં અને તેને વિશેના તાર્કિક પ્રતિપાદનમાં જે ભાષા ખપમાં લેવાય છે તેની સાર્થકતાનો છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલે વિવેચનની ભાષાની તાર્કિકતાનો પ્રશ્ન ય, અલબત્ત, અહીં ટૂંકમાં છેડ્યો છે. તેમનું વક્તવ્ય એ છે કે વિવેચકની ભાષામાં વારંવાર ‘વિરોધાભાસી વૈવિધ્ય’ જોવા મળે છે. એક કૃતિની ‘ખરાબ ટીકા’ કરવા પાછળ જે કારણ હોય તે જ કારણ બીજી કોઈ કૃતિની પ્રશંસાનું પ્રેરક બની રહે. રામનારાયણ પાઠકની વિવેચનામાંથી તેમણે એના સમર્થનમાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘વિશ્વગીતા’ની વિવેચનામાં નાનાલાલની ‘અમૂર્તમાં રાચવાની રીત’ની રામનારાયણે ટીકા કરી છે જ્યારે ‘સરસ્વતીચન્દ્ર’માં તેમને એમાંની ચર્ચાઓ સામે વાંધો નથી, બલકે એમાંનું ચિંતન ઇષ્ટ લાગે છે. ડૉ. શિરીષ એ વિશે એવી ટીકાટિપ્પણી કરે છે કે આવા પ્રસંગમાં ‘વિવેચનની પદ્ધતિ જવાબદાર’ છે, તેમનું (રામનારાયણનું) ‘પૂર્વગ્રહયુક્ત માનસ નહિ’; અને વિશેષમાં એમ કહે છે કે વિવેચનની ભાષામાં આ જાતનું વૈવિધ્ય ‘સાહિત્ય સ્વરૂપોના વૈવિધ્યને કારણે પણ’ સંભવે છે. વિવેચનની ભાષાની તાર્કિકતાનો આ મુદ્દો દેખાય છે તેટલો સરળ નથી. એકની એક કૃતિના મૂલ્યાંકનમાં, એની કળાત્મક સિદ્ધિનો ખુલાસો ભિન્ન ભિન્ન કસોટીએ આપવામાં આવતો હોય છે, તેમ એકની એક કૃતિની નિષ્ફળતા વિશે જુદી જુદી રીતે કારણો આપીને ખુલાસાઓ રજૂ થતા હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ ‘ઝેર તો પીધાં છે’ ‘અમૃતા’ કે ‘આકાર’ જેવી કૃતિઓ વિશેનાં ભિન્ન ભિન્ન વિવેચકોનાં મંતવ્યો, પ્રતિપાદનો, તેની ભાષાની તાર્કિકતા, બધું નિકટતાથી તપાસવા જેવું છે. એક કૃતિ વિશે એક ધોરણ લક્ષમાં લઈ એક વિવેચક તેનું ગૌરવ કરે તેની કળાત્મક સિદ્ધિ બિરદાવે, એ જ કૃતિ વિશે બીજો વિવેચક બીજું ધોરણ આગળ ધરી તેની ઊણપ બતાવે – એવું વિવેચનના ઇતિહાસમાં વારંવાર બનતું રહ્યું છે. એટલે પ્રશ્ન છેવટે કૃતિવિવેચન અર્થે આ કે તે ધોરણોની પ્રસ્તુતતાનો બને છે.&lt;br /&gt;
કૃતિવિવેચનમાં યોજાતી પરિભાષા કેવળ ‘સાહિત્યિક’ જ હોય એમ પણ અભિપ્રેત નથી, જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓનો એમાં યથાવકાશ વિનિયોગ ભલે થાય, પણ એ રીતે વિવેચનામાં અમુક વિચારવલણોનો પ્રવેશ થાય અને તે ‘સંકુચિત’ બને તે ઇષ્ટ નથી. ડૉ. શિરીષ એમ સ્પષ્ટ કરવા ચાહે છે કે જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રની જે કોઈ પરિભાષા વિવેચનમાં સ્વીકારાય તેમાં તેના વિશિષ્ટ ક્ષેત્રનો ‘આગવો સન્દર્ભ’ ભૂંસાઈ જઈને ‘સાહિત્યિક સંદર્ભ’ પ્રગટવો જોઈએ. તેમનું તાત્પર્ય કદાચ એ છે કે સમાજવિજ્ઞાન મનોવિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનની પરિભાષા કૃતિના વર્ણન-વિવેચનમાં યોજાય તો તે હાર્દને વ્યક્ત કરવામાં ઉપકારક બને એ જરૂરી છે, અને એ રીતે એના અર્થવિકાસનીય અપેક્ષા રહે છે. એથી ઊલટું, આવી પરિભાષાનો ચુસ્તપણે વિનિયોગ કરતાં તે મૂળના રહસ્યને રુંધી દેશે કે સીમિત કરશે. આ તેમનો મુદ્દો ધ્યાનાર્હ છે જ. પણ સાથે નોંધવું જોઈએ કે કોઈ પણ કૃતિના વિવેચનમાં જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓના વિનિયોગ સાથે કૃતિના રહસ્યમાં નવું પરિમાણ ઊભું થાય છે. જેમ કે, રાજેન્દ્ર શાહ કે મકરંદની અમુક રચનામાં જે સંવેદન વ્યક્ત થયું છે તેમાં ‘રહસ્યવાદ’નું તત્ત્વ ભળ્યું છે કે રહસ્યવાદી વલણ છતું થાય છે એમ કહેતાં પ્રસ્તુત કૃતિના ‘અર્થ’માં એક નવું પરિમાણ નથી ઉમેરાતું? અથવા ‘અમૃતા’નાં પાત્રો ‘અસ્તિત્વવાદી’ વિચારણાથી પ્રેરિત છે એવા નિરીક્ષણ સાથે કૃતિના અર્થમાં એક નવો પ્રકાશ નથી ઉમેરાતો? મને એમ લાગે છે કે અજ્ઞાત (unconscious) કે સામૂહિક અવચેતન (collective unconscious) જેવી માનસશાસ્ત્રીય સંજ્ઞાઓ, ‘સામાજિક સંઘર્ષ’ કે ‘સામાજિક પ્રક્રિયા’ જેવી સમાજશાસ્ત્રીય સંજ્ઞાઓ ‘અસ્તિત્વવાદ’ ‘પરાયાપણું’ ‘સ્વાતંત્ર્ય’ ‘પસંદગી’ જેવી આધુનિક ફિલસૂફીની સંજ્ઞાઓ વિવેચનમાં સ્વીકારાય છે તે સાથે કૃતિના અર્થબોધને ચોક્કસ નવો પરિપ્રેક્ષ્ય મળે છે.’ ‘હેમ્લેટ’ના મુખ્ય પાત્ર હેમ્લેટમાં ઇડિપસ ગ્રંથિના ખ્યાલ દ્વારા જે પરીક્ષણ થયું તેથી એ આખાયે નાટકને નવું અર્થપરિમાણ મળ્યું એટલે અન્ય વિજ્ઞાનની ભાષા કૃતિવિવેચનમાં આવે ત્યારે તે કૃતિના અર્થમાં સર્વથા ‘સમાઈ’ જતી નથી, પોતે જે ક્ષેત્રમાંથી આવી છે તેનો અર્થબોધ ઉમેરાતાં કૃતિને વિશેષ પરિમાણ અર્પે છે, એમ મને લાગે છે.&lt;br /&gt;
વિવેચક પોતાના ‘વ્યક્તિત્વ’નું વિવેચનમાં આક્રમણ કરે તેની સામે ડૉ. શિરીષે સાવધાની ઉચ્ચારી છે. વિવેચનની ભાષામાં ‘અંગત પ્રતિભાવ’ જોડાતો હોવાથી અમુક અંશે એમાં ‘શૈલી’ ‘અલંકાર’ને અવકાશ રહે છે ખરો, પણ કૃતિ વિશેનો સૂક્ષ્મ પ્રતિભાવ તેનાથી ઢંકાઈ જાય કે પછી વિચારોનું દારિદ્ર્ય છુપાવવા જ અલંકારો યોજાય, તો તે ત્યાં હાનિકારક છે. તેઓ કહે છે કે ‘કોઈ વિવેચકની પદ્ધતિમાં રહેલાં અતાર્કિકતા, માપદંડોની અસંગતિ, વિરોધાભાસનું કારણ વિવેચકની ભાષામાં કોઈ (nucleus) ના અભાવમાં રહેલું છે.’ વિવેચનની ભાષાના કેન્દ્રમાં સર્વપ્રથમ ‘ભાષા દ્વારા રચાયેલી કૃતિ’ હોવી જોઈએ. અર્થાત્‌ કૃતિ સ્વયં તેની નિર્ધારક હોય એ મહત્ત્વનું છે. તેઓ એ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે કે ઉત્તમોત્તમ સાહિત્ય કૃતિઓને નજરમાં રાખીને વિવેચકે ચાલવાનું છે. આ રીતે અન્ય ભાષાની (કે પોતાની ભાષાની) ઉત્તમ અને સામાન્ય કૃતિઓ વચ્ચે વિવેક કરીને ચાલશે તો તેમાં તેની ‘ભાષાની વ્યવસ્થા’ પણ નીપજી આવશે.&lt;br /&gt;
વિવેચનના આધુનિકતમ અભિગમો વિશે પણ ડૉ. શિરીષ પંચાલ સંનિષ્ઠભાવે અધ્યયન કરી રહ્યા છે. ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’ લેખમાં નવ્ય વિવેચનની આવશ્યક ભૂમિકા રજૂ કરી તેના અનુસંધાનમાં ચૈતન્યલક્ષી, રશિયન સ્વરૂપવાદી, સંરચનાવાદી અને વિઘટનવાદીઓની મુખ્ય મુખ્ય વિચારણા સંક્ષેપમાં સુપેરે તેમણે મૂકી આપી છે. આ દિશાની આપણી વિવેચનમીમાંસામાં એ ઘણો મહત્ત્વનો લેખ છે. વિશદ નિરૂપણને કારણે એનું આગવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યનો મૃત્યુઘંટ’ લેખમાં ય પાશ્ચાત્ય વિવેચનવિચારમાં અને વ્યાપકપણે ત્યાંના સાંસ્કૃતિક/દાર્શનિક ચિંતનમાં જે કટોકટી ઊભી થઈ છે તેનું એક સરસ ચિત્ર રજૂ કર્યું છે.&lt;br /&gt;
‘છેલ્લા દાયકાનું વિવેચન’ તેમનો એક બીજો ઘણો મહત્ત્વપૂર્ણ લેખ છે. આધુનિકતાવાદના પ્રભાવ નીચે આપણે ત્યાં સર્જનવિવેચનના ક્ષેત્રે જે નવાં વલણો સક્રિય બન્યાં તેની અને વિવેચનના નવા અભિગમોની તેમણે એમાં સંગીન અધ્યયનલક્ષી ચર્ચા કરી છે. સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદ અને રૂપવાદી વિવેચનની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી પરંપરાગત વિવેચનવિચારની સામે તેની પ્રતિષ્ઠા કરી છે, અને ગુજરાતીના અભ્યાસીઓએ ચર્ચેલા વિવેચનાત્મક મુદ્દાઓની સૂક્ષ્મ દૃષ્ટિએ ફેરતપાસ પણ હાથ ધરી છે. રૂપવાદી અભિગમ પછી બંધારણવાદી ચૈતન્યવાદી અને તુલનાત્મક અભિગમ જે રીતે આપણે ત્યાં ચર્ચાવા લાગ્યો છે. તેની ય તેમણે સમીક્ષાત્મક નોંધ લીધી છે.&lt;br /&gt;
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્‌ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૦.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે.&lt;br /&gt;
આરંભથી જ ડૉ. ચન્દ્રકાન્તે કવિતાની આગવી વિભાવના રચવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિતા એ ‘ભાષાની કલા’ છે. સર્જક કવિ ભાષાની સાથે કામ પાડે છે અને ‘નવી ભાષા’ જન્માવે છે. સાહિત્યના આસ્વાદમાં આથી ‘ભાષાસંવેદન’ જ મુખ્ય વસ્તુ છે. આગલા યુગોમાં કવિતાએ લગભગ હંમેશાં જ્ઞાનવિજ્ઞાન કે વિચારોના વાહન તરીકેનું કામ આપ્યું છે. કહો કે ફિલસૂફી અધ્યાત્મવિચાર સમાજદર્શન કે બીજા કોઈ પણ તત્ત્વબોધને ઝીલવા કવિતાએ ‘માધ્યમ’ તરીકે (કે ‘સાધન’ તરીકે) જ કામ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ એમાં કાવ્યભાષા પણ કવિને પૂર્વજ્ઞાત અને ઇષ્ટ એવા વિચાર કે દર્શનના વર્ણન અર્થે પ્રયોજાતી રહી છે. અને એ સમયના ભાવકો/વિવેચકો પણ એવી કૃતિઓમાંથી ઘણું ખરું તો કવિના વિચાર કે દર્શનને પકડવા આતુર રહેતા જણાશે. કવિના ભાષાકર્મનો અને તેમાં જ નિહિત રહેલા ‘ભાષાસંવેદન’નો તેમને ખાસ સંપર્ક નહોતો. એટલે, પરંપરાગત અધ્યયન/વિવેચનમાં કવિકર્મ જે રીતે ભાષા દ્વારા અને ભાષાની અંતર્ગત ચાલે છે તે પ્રક્રિયા વિશે તેમની સભાનતા કેળવાઈ નહોતી. સર્જક જો પોતાના વિચારોને ભાષામાં માત્ર ‘અનુવાદ’ કરીને ચાલતો, તો ભાવક એ ‘અનુ-વાદ‘માં મૂળના એ વિચારને પકડવા પૂરતો પ્રવૃત્ત થતો. ડૉ. ટોપીવાળાએ પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશેના પોતાના અધ્યયન-પરિશીલનમાંથી અસંખ્ય અવતરણો આપીને પોતાનો આ જાતનો મુદ્દો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સર્જન-વિવેચનના તત્ત્વવિચારમાં આ રીતે તેઓ ભાષાને કેન્દ્રમાં આણે છે. કવિ ‘ભાષામાં’ વ્યવહાર કરતો નથી, ‘ભાષા સાથે’ વ્યવહાર કરે છે એમ તેઓ કહે છે. સંસ્કૃતિને વશ રહેલી કે તેનાથી નિયંત્રિત થયેલી ભાષા સામે કવિનો વિદ્રોહ છે, સંગ્રામ છે. વ્યવહારમાં નિરંતર વપરાશથી લપટી અને નિશ્ચેષ્ટ બની ગયેલી ભાષાની જડ તરાહોને – તેની સ્થિતિચુસ્તતાને – કવિ તોડવા મથે છે, અને એ રીતે રૂઢ ભાષા સામે વિદ્રોહ કરીને તે નવીન કોટિનો ‘અર્થ’ કે નવીન ચેતના જન્માવે છે. સર્જકતા વિશેનો તેમનો આ ખ્યાલ, અલબત્ત, આત્યંતિક વલણોમાં છતો થાય છે. કવિ ‘અનુભવ’ને ‘શબ્દાવવા’ નથી માગતો, ‘શબ્દને અનુભાવવા’ માગે છે એમ પણ તેઓ કહે છે. અહીં કોઈ ઘટનાને શબ્દ સુધી પહોંચાડવાનો પ્રશ્ન નથી, શબ્દ સ્વયં ‘ઘટના’ બની રહે એમ તેમને અભિપ્રેત છે. તાત્પર્ય કે, શબ્દ હવે પૂર્વબોધિત વિચાર કે વિભાવની અવેજીમાં આવતો નથી, તે સ્વયં ઘટનારૂપે આત્મપ્રતિષ્ઠિત છે. વ્યવહારની ભાષામાં જો ‘પ્રાથમિક સર્જકતા’નું તત્ત્વ સ્વીકારીએ તો કવિ એમાં ‘દ્વૈતીયિક સર્જકતા’ રચે છે; વ્યક્તિ-વિશિષ્ટ એવું રૂપ તેમાં નિર્માણ કરે છે. ‘સાચી ભાષા’ તે આ કવિનિર્મિત ભાષા જ છે એમ તેમનું કહેવું છે. કાવ્યનિર્માણની પ્રક્રિયા વિશે વધુ સ્પષ્ટીકરણ કરતાં તેઓ એમ કહે છે કે કવિએ ભાષાના ‘ત્રણ કોઠાઓ’ને ઓળંગી જવાના રહે છે. એક, રોજિંદા વ્યવહારની ભાષા; બે, પોતાની ભાષામાં લખતા અન્ય સાહિત્યકારોએ ખેડેલી ભાષા; અને ત્રણ, કવિએ પોતે જ પોતાની પૂર્વકાલીન કૃતિઓમાં પ્રયોજેલી ભાષા. એ ત્રણેનાં માળખાંને તોડીને વિઘટિત કરીને તે જાણે કે નવું જ માળખું – નવું જ સંઘટન – નિર્માણ કરે છે. દરેક કાવ્ય એ રીતે ભાષાના પુનર્વિધાન દ્વારા નિર્માણ થયેલી નવી ભાષા અને નવું તંત્ર છે. વ્યવહારમાં પ્રયોજાતા functional proseથી એની ઊલટી દિશાની ગતિ છે. અર્થની સંકુલતાઓ અને સંદિગ્ધતાઓનું એમાં અપાર મૂલ્ય છે. શબ્દો હવે બહારની દુનિયાના નિર્દેશક મટી અંદર વળે છે, અંતઃનિર્દેશક બને છે. વ્યવહારની ભાષાનું ખરેખર આ ઘણું ‘ઘનીભૂત‘ રૂપ છે. ‘તાર્કિક વિધાનો’ અને ‘તાર્કિક અર્થો’નો એમાં લોપ થયો છે. એમાં જો કોઈ ‘અર્થ’ પ્રતીત થાય છે, તો તે ભિન્ન કોટિનો સંભવે છે. ખરું મૂલ્ય, આમ છતાં, એને જન્માવનાર કાવ્યભાષાનું છે. ભાવકે/વિવેચકે કવિતામાં આ ભાષાકર્મને અને તેમાં સંયુક્ત ‘ભાષાસંવેદન’ને આસ્વાદનું છે. તેનું જ વર્ણન-વિશ્લેષણ રજૂ કરવાનું છે.&lt;br /&gt;
‘અપરિચિત અ અપરિચિત બ’માં ઉમાશંકર રાજેન્દ્ર મકરંદ ઉશનસ્‌ સુરેશ દલાલ લાભશંકર મહેશ દવે રાવજી આદિ કવિઓની કવિતા વિશે સમીક્ષા રૂપે જે કંઈ ચર્ચા કરી છે તેમાં એ દરેકની ભાષાના સર્જનાત્મક આવિષ્કારો પર તેમની વિશેષ નજર મંડાયેલી છે. ભાષાકર્મની સૂક્ષ્મ તપાસ દ્વારા કૃતિના સાચા કાવ્યમય અંશોની કે કૃતક પદાવલિની નોંધ કરી તેનું મૂલ્યાંકન કરવા તેઓ પ્રેરાયા છે. આપણા કૃતિવિવેચનના ઇતિહાસમાં આ એક ધ્યાનપાત્ર એવું પ્રસ્થાન રહ્યું છે.&lt;br /&gt;
‘પ્રતિ–ભાષાનું કવચ’ ગ્રંથમાં તેમણે કાવ્યચર્ચાનાં જે લખાણો રજૂ કર્યાં છે તેમાં ભાષાલક્ષી અભિગમ વધુ વ્યવસ્થિત અને નક્કર રૂપ લેતો લાગે છે. જો કે ‘પરાવ્યક્તિ અને સંદિગ્ધતા’ જેવા લખાણમાં કેટલીક વિચારણા વિવાદ જગાડી શકે તેવી છે. પણ અહીં એવા વિવાદમાં રોકાઈશું નહિ. માત્ર વિવેચનના સ્વરૂપ અને પદ્ધતિના પ્રશ્ને એક બે બાબતોનો નિર્દેશ કરીશું. એક, આ ગ્રંથમાં ઉમાશંકર આદિ કવિઓની દરેકની એક એક કૃતિ લઈને તેમણે તેનું વ્યવસ્થિત વર્ણન-વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધીના આપણા કાવ્યાસ્વાદો વધુ તો અંગત છાપ પર નિર્ભર હતા, પ્રભાવરૂપ (impressionistic) હતા. ડૉ. ટોપીવાલા કૃતિની ભાષાની તપાસ દ્વારા એની વસ્તુલક્ષી ભૂમિકા દર્શાવે છે. બે, આ જાતના વર્ણન–વિશ્લેષણની સાથે (કે અંતે) કૃતિના મૂલ્યાંકનનો તેમણે કોઈ ઉપક્રમ સ્વીકાર્યો નથી. ભાષાલક્ષી તપાસ અર્થે ય વિવેચકે આ કે તે સિદ્ધાંત સ્વીકારવાનો રહે છે. પણ મૂળ પ્રશ્ન જુદો છે. આ જાતની તપાસ કૃતિમાં genuine poetryની ખાતરી કરાવી શકે? કૃતિની ઉત્કૃષ્ટતા કે મહત્તાનો નિર્દેશ કરી શકે? પ્રશ્નો વિચારણીય રહે જ છે.&lt;br /&gt;
‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ શીર્ષકના લેખમાં ડૉ. ચન્દ્રકાન્તે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે જે નિજી ખ્યાલ રજૂ કર્યો છે તેની ય અહીં નોંધ લેવાની રહે છે. પોતાના મતની સ્થાપના કરતાં તેઓ એમ કહે છે કે આ સદીમાં વિશ્વયુદ્ધો પછી કાવ્યસર્જનની ગતિવૃત્તિ ઉત્તરોત્તર બદલાતી રહી છે. કવિતા હવે ‘મૂલ્યભાર’માંથી મુક્ત થઈ ‘પ્રતિ-મૂલ્યો’ તરફ વધી રહી છે. હવે કળાનિર્માણ-સર્જકતા-નું સાર્વભૌમત્વ સ્વીકારાતું જાય છે. એ રીતે કવિતા પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠિત થતી રહી છે. કળાકૃતિ સ્વયં એક સ્વાયત્ત આત્મનિર્ભર અને અનન્ય પર તેમજ ‘નિરર્થક’ વસ્તુ બની રહી છે. આ કલાની અવેજીમાં બીજી કોઈ વસ્તુ આવી શકે નહિ. કળાકૃતિનો ‘અપરોક્ષ સંનિકર્ષ (violent immediacy)’ એ સમગ્ર ‘સર્જન ભાવન વ્યાપારના કેન્દ્રમાં’ આવ્યો છે. તેમના મતે આ ‘અપરોક્ષ સંનિકર્ષે શુદ્ધ કળાનો મહિમા કર્યો છે, અને એ રીતે એને ‘મુક્તિવાદ’ (Libertarianism) તરફ વાળી છે.&lt;br /&gt;
ડૉ. ચન્દ્રકાન્ત એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે કલાસર્જનની ગતિવિધિ જો આ રીતે બદલાઈ હોઈ તો તેની સાથોસાથ ‘વિવેચનના સંપ્રત્યયો’ પણ બદલવાના રહે છે. અને વિવેચન આમ જો ન કરી શકે તો આખીય એ પ્રવૃત્તિ જ વ્યર્થ નીવડશે. તેઓ આપણું ધ્યાન દોરે છે કે શુદ્ધ કળાના વાદીઓ, આથી જ, વિવેચનનો બહિષ્કાર કરવા પ્રેરાયા છે. વિવેચનની પ્રવૃત્તિ કૃતિના પ્રત્યક્ષ સંવેદનમાં અંતરાયરૂપ બને છે એમ તેમનું કહેવું છે. અત્યાર સુધી વિવેચને કળાતત્ત્વની-રમણીયતાની-ઉપેક્ષા કરીને કેવળ નૈતિક સામાજિક મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક અર્થો શોધવાની અને/અથવા એ રીતે અર્થઘટનો કરવાની પ્રવૃત્તિ કરી છે. પણ કૃતિનો કૃતિલક્ષી વિચાર કરવાનું ટાળ્યું છે કૃતિની સંઘટનામાંથી ઉત્ક્રાંતિ થઈ આવતા વિશિષ્ટ સંવેદનને પામવાને બદલે કૃતિની આસપાસ ઘૂમતા રહેવાનું વલણ આપણા વિવેચકોએ દાખવ્યું છે. પણ વિવેચને જો કૃતિની આસપાસ ઘૂમવાનું જ કર્યું હોય તો વિવેચકનો કાંકરો કાઢી નાખવામાં આવે તેમાં કશું અઘટિત થતું નથી એમ તેઓ કહે છે. તાત્પર્ય કે, ‘શુદ્ધ કળા’ આજે જે રીતે ગતિ કરી રહી છે તેને આજના વિવેચને અનુસરવાનું રહે છે. કૃતિગત સંવેદનાને હવે તેણે કેન્દ્રમાં સ્થાપવાની રહે છે. વિવેચકે કૃતિ સાથેના પોતાના સીધા મુકાબલાનો આલેખ આપવાનો છે. વિવેચનપ્રવૃત્તિ હવે અન્યને ઉદ્દેશીને કે અન્યને અર્થે નહિ, પોતાને અર્થે ચલાવવાની છે, જાત સાથેની એક રીતની એ ‘મથામણ’ છે, ‘આત્મલક્ષી પ્રક્રિયા’ છે. કૃતિના મુકાબલા સાથે પોતાનામાં સર્જાતી sensibilityને તે કેવી રીતે ઓળખે છે, તેનું જ મહત્ત્વ છે. શુદ્ધ વિવેચન એ રીતે જ સંભવે છે. પણ, ડૉ. ચંદ્રકાન્તની વાત પહેલી નજરે સાચી, છતાં પ્રશ્નો જગાડે જ છે. દોસ્તોએવ્સ્કી, એલિયટ કે કામૂની કૃતિનો મુકાબલો કરતાં જે સંકુલ ‘સંવેદન’ ભાવક/વિવેચક અનુભવે છે તેમાં ‘અર્થો’ અને ‘મૂલ્યો’ની અમુક ભાત પડેલી છે, અને બહારના વિશ્વના આપણા અનુભવો અર્થબોધો (કે અર્થબોધની મથામણો) અને મૂલ્યકટોકટીઓ તરફ તેનો સંકેત છે, તેમાં કશોક આપણા અનુભવના રહસ્યનો જીવંત ધબકાર પ્રતીત થાય છે. એટલે ભાવક/વિવેચક એમાં કૃતિના સંવેદનને (કે પોતાની sensibility)ને તાગી જોતાં આવી પ્રતીતિ અનુભવે છે, તો તેનો છેદ ઊડાડી શકાશે? કૃતિમાં – કૃતિ દ્વારા – કશુંક બાહ્ય જીવનનું તત્ત્વ પ્રકાશિત થતું અનુભવાય, તો તેનો અસ્વીકાર કરવો?&lt;br /&gt;
‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અવાસ્તવ’ એ ડૉ. ચન્દ્રકાન્તનો એક મહત્ત્વપૂર્ણ અધ્યયનલેખ છે. જાણીતા પાશ્ચાત્ય અભ્યાસી રોલાં બાર્થની વિવેચનવિચારણાનો અહીં તેમણે સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : &lt;br /&gt;
૧. 	સાહિત્ય ભાષા દ્વારા પ્રગટ થાય છે, એમ નહિ, ખરેખર તો ભાષા સ્વયં સાહિત્ય દ્વારા પ્રગટ થાય છે. બાર્થ આ રીતે આપણને ઉત્કટપણે ભાષાના માધ્યમ વિશે સભાન બનાવવા ચાહે છે.&lt;br /&gt;
૨. 	લેખન એ માત્ર ‘સંકેતોની વ્યવસ્થા છે’. એક રીતે એ ‘કૃત્રિમ સંકેતોની વ્યવસ્થા છે’. સાહિત્યનું આવી કોઈ વ્યવસ્થાના રૂપમાં જન્મવું એનો અર્થ જ એ કે એનું સ્વરૂપ જીવનથી જુદું છે.&lt;br /&gt;
૩. 	‘સાહિત્ય અંતરસ્થ સંબદ્ધ સંકેતોની વ્યવસ્થા હોવાથી’ સાહિત્યનો અર્થ જે જન્મે છે તે સંકેતોની પાછળ રહેલા વાસ્તવિક જીવનના ખરેખરા પદાર્થોના નિર્દેશોથી નહિ, પરંતુ સંકેતો જેનાથી રચાયા હોય એની સામગ્રીની ભિન્નતામાંથી જન્મે છે.&lt;br /&gt;
૪. 	‘સાહિત્ય વિચારસંક્રમણનું માધ્યમ કે પૂર્વે વિચારીને પછી તૈયાર કરેલી સામગ્રી નથી. સાહિત્ય ખરેખર તો ભાષાથી કંઈ વિશેષ નથી. ભાષા જે સંકેતોની વ્યવસ્થા છે એનું અંતસ્તત્ત્વ ઉપદેશમાં સંદેશમાં કે નિશ્ચિત અર્થઘટનમાં નથી, પણ વ્યવસ્થામાં છે. સાહિત્યવિવેચકે આ વ્યવસ્થાને તપાસવાની છે. જેમ ભાષાવિજ્ઞાની વાક્યનો અર્થ નિષ્પન્ન કરતો નથી પણ વાક્યની જે સંરચના દ્વારા અર્થસંક્રમણ શક્ય બને છે તે સંરચનાને સ્થાપિત કરતો હોય છે; તેમ સાહિત્યવિવેચકે સંરચના સ્થાપિત કરવાની છે’૧૬૧&lt;br /&gt;
૫. 	સાહિત્યકૃતિઓને પોતાને કોઈ એક નિશ્ચિત અંતઃસ્થિત અને અપરિવર્ત્યશીલ અર્થ હોતો નથી. વિવેચક સામે કૃતિ એક ‘પ્રહેલિકા’ની જેમ આવી ઊભે છે અને એનો આગવી રીતે ઉકેલ શોધવાનો છે. જો કે એનો કોઈ એક નિશ્ચિત ઉકેલ હોતો નથી. માનવીને સ્વાતંત્ર્ય મળ્યું છે અને એટલે જ તે ભાષાની ઘટનાને જુદી જુદી રીતે ઘટાવી શકે છે.&lt;br /&gt;
૬. 	કૃતિમાં ત્રણ રીતની ‘અનંતતા’નો સામનો કરવાને બાર્થ સૂચવે છે. એક, વ્યવહારના ભાષાસાહિત્યના સંકેતો ‘ભાષાના આ સમુદ્રમાંથી’ સર્જક ખેંચતો હોય છે. બે, સંકેતો – જેને પોતાને કોઈ નિશ્ચિત સીમા હોતી નથી. ત્રણ, કૃતિ પોતે જે ‘આગળ પાછળ અને બહાર બધે એક સુવ્યવસ્થિત પ્રક્રિયા રૂપે વિસ્તરતી રહેતી હોય છે. આ સમગ્ર ઘટનાને લક્ષમાં લેતાં સ્પષ્ટ થશે કે એનો કોઈ નિશ્ચિત અર્થ સંભવતો જ નથી. ભાવક જે કંઈ ‘અર્થ’ એને અર્પે તે જ એનો અર્થ. વિવેચનમાં આ રીતે plurality of critical language જન્મે છે.&lt;br /&gt;
૭. 	બાર્થના મત પ્રમાણે કૃતિની સંરચના નહિ, કૃતિની ‘વિવૃત્તતા’ને કારણે ભાવક એમાં જે સંરચના જૂએ છે તે મહત્ત્વની વસ્તુ છે. બાર્થ ખરેખર તો ‘સંરચના’ (structure) પર નહિ, ‘સંરચનાકરણ’ (structuration)ની પ્રક્રિયા પર જ બધો ભાર મૂકે છે. કૃતિનો ‘દેખીતો નક્કર ગર્ભભાગ’ બાર્થની દૃષ્ટિએ કેવળ ‘ખાલીપો’ છે. કૃતિ પહેલાં કશું હોતું નથી. તેમ કૃતિનો ખરેખર કોઈ ‘અર્થ’ સ્પષ્ટ કરવાનો નથી. કૃતિ વાચકને પોતાની રીતે જેટલું વધુ ‘પુનર્લેખન’ કરવાને અવકાશ આપે તેટલું તેનું વધુ મહત્ત્વ, સાહિત્ય તરીકે તે કૃતિ તેટલી ચઢિયાતી.&lt;br /&gt;
૮. સાહિત્યક્ષેત્રમાં હવે ભાવક કેન્દ્રમાં આવ્યો છે. તે હવે કૃતિનો ‘નિર્માતા’ બન્યો છે.&lt;br /&gt;
૯.	લેખકને પોતાની કૃતિ દ્વારા કશું ‘કહેવાનું’ હોતું નથી ભાષા સાથેનો ‘સાતત્યભર્યો સંઘર્ષ’ – ‘સર્જનશીલ સંઘર્ષ’ એ જ તેનું લેખકકર્મ.&lt;br /&gt;
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે.&lt;br /&gt;
આપણા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીના સર્જનવિવેચનની ઊંડી સમગ્રલક્ષી તપાસ તેમણે પીએચ.ડી.ની ઉપાધિ માટેના મહાનિબંધમાં હાથ ધરી હતી, જે હવે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી તેમણે પ્રકાશિત કર્યો છે. સુવિદિત છે તેમ, સુરેશ જોષી દ્વારા આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં—સર્જન વિવેચન બંને ય ક્ષેત્રમાં–મોટા વળાંકો આરંભાયા, અને આપણા સાહિત્યના ઇતિહાસની એ એક અફર ઘટના બની રહે છે. એટલે તેમના સર્જનવિવેચનના અધ્યયનસંશોધનનું સહજ જ વિશેષ મૂલ્ય ઊભું થાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે : એ મહાનિબંધમાં ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ શીર્ષકના ખંડમાંનું અધ્યયન વિવરણ, સુરેશ જોષી દ્વારા પુરસ્કૃત રૂપવાદી કળામીમાંસા અને તેમાંથી ફલિત થતા રૂપવાદી વિવેચન (કે આકારવાદી વિવેચન)ને સમજવા ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રચી આપે છે. નોંધવું જોઈએ કે સુરેશ જોષીએ સાહિત્યકળા અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે સતત જે રીતે ચર્ચાવિચારણાઓ કરી તે લગભગ બધી જ છૂટક લેખોના રૂપમાં આવી છે તેમની મુખ્ય ભૂમિકા અલબત્ત રૂપવાદી કળા અને વિવેચનની છે. પણ તેઓ જેમ જેમ પશ્ચિમના વિવેચનના નવા નવા વાદો અને વિચારણાઓનો પરિચય કરતા અને કરાવતા ગયા, તેમ તેમ પોતાની મૂળ ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવા, નવી વિચારણાને પોતાની ભૂમિકા સાથે સાંકળી લેવા, તેમ તેની આલોચના કરવા તેઓ પ્રેરાયા છે. એમાં એ રીતે પુનરાવર્તન પણ ઠીક ઠીક થવા પામ્યું છે. આવી વેરવિખેર પડેલી ચર્ચાવિચારણાઓમાંથી સુરેશ જોષીને ઇષ્ટ એવી રૂપવાદી વિચારણાનું સમુચિત આકલન કરવાનું, તેમાંથી વ્યવસ્થિત સુગ્રથિત અને આંતરસંગતિવાળો સિદ્ધાંત રચવાનું તેમ જ તેના સૂચિતાર્થો સ્પષ્ટ કરવાનું કે ઘટાવવાનું મુશ્કેલ કાર્ય ડૉ. સુમન શાહને ફાળે આવ્યું હતું જે તેમણે સુપેરે પાર પાડ્યું છે, એમ કહી શકાય કે સુરેશ જોષીની હમણાં સુધીની (મતલબ, મહાનિબંધ લખાઈ ચૂક્યો ત્યાં સુધીની) વિચારણાઓ પાછળ જે રીતનું aesthetics રહ્યું હતું તેને સમગ્રમાં જોવાને આ ખંડનું અધ્યયન-સંશોધન ઘણું દ્યોતક બની રહે છે. રૂપલક્ષી કળા અને રૂપલક્ષી વિવેચન વિશેની આ તપાસમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયા છે, તેની વિસ્તૃત નોંધ લેવાને અહીં અવકાશ નથી. અને આમેય સુરેશ જોષી વિશેના ખંડકમાં તેમની મુખ્ય ભૂમિકા આપણે સ્પર્શી ચૂક્યા છે, એ કારણે ય અહીં તેનું પુનરાવર્તન કરીશું નહિ. અહીં એટલું જ સૂચવીશું કે સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદી અભિગમ વિશે તેમ જ તેમણે ચર્ચેલા અન્ય અભિગમો અને તેના પ્રશ્નો વિશે ડૉ. સુમન શાહે અહીં સરસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.&lt;br /&gt;
‘વિવેચનનું અનિવાર્ય’ લેખની ચર્ચામાં ડૉ. સુમન શાહ ‘સ્વતંત્ર રીતે... વિવેચનકર્મનું અસ્તિત્વ ધારણ કરનારી અનિવાર્ય ભોંય’ની તપાસ કરવા પ્રવૃત્ત થયા છે. પ્રસ્તુત વિષયની પાશ્ચાત્ય ચર્ચાનું એમાં સ્પષ્ટ અનુસંધાન રહ્યું છે. એમાં સહૃદય ભાવક માટે સાહિત્યકૃતિના ‘વૈયક્તિક ભાવન’ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે : “કળાકૃતિ વિશેની કશી પણ વાતના મૂળમાં, કેન્દ્રમાં, આવું વૈયક્તિક ભાવન હોવું અનિવાર્ય છે. વિવેચન મૂલ્યાંકન કે ચર્ચામીમાંસાનું એ જ બીજ છે, જીવાતુભૂત તત્ત્વ છે.”૧૬૨ તેમની આ ભૂમિકા બિલકુલ સાચી અને સ્વીકાર્ય છે. ડૉ. સુમન આપણી વર્તમાન વિવેચનપ્રવૃત્તિને નજરમાં રાખી એવું અવલોકન કરવા પ્રેરાયા છે કે કૃતિ સાથેના ‘જીવંત સંનિકર્ષમાંથી’ જન્મી આવતા રસબોધને સ્થાને ઘણી ય વાર પરિભાષાઓની જટાજાળ જોવા મળે છે. વિવેચનમાં સાહિત્ય વિષયક ‘પાંડિત્ય’ને અમુક હદ સુધી જ સ્થાન હોય, એમ તેમનું કહેવું છે. ખરી અનિવાર્યતા કૃતિ વિશેની સૂક્ષ્મતર સંવેદના ઝીલવાની છે. કેવળ સૈદ્ધાંતિક વિવેચનના વિનિયોગ દ્વારા – પરિભાષાઓના ઉપયોગ દ્વારા - કૃતિને તે ન્યાય કરી શકશે નહિ. આપણા પ્રાચીન સાહિત્યાચાર્યોએ ‘સહૃદય’નું જે રીતે અનન્ય મહત્ત્વ કર્યું છે તે તરફ તેઓ આપણું લક્ષ ખેંચે છે. “અલૌકિક આનંદાનુભવનો અધિકાર એક માત્ર સહૃદયને છે વિવેચનમાં મૂલસ્થ છે, મૌલિભૂત પણ છે.”૧૬૩ કાવ્યના ભાવન અર્થે આમ ભાવક પાસે પણ આગવી પ્રતિભા જોઈએ. ‘સહૃદયતાને’ વેદનશીલતા રૂપે ઘટાવી ડૉ. સુમન એમાં સમગ્રલક્ષી ક્રમિક વિકાસ – cumulative progress – હોવાનું નોંધે છે. દરેક કૃતિના ભાવનમાંથી સહૃદયની ‘વેદનશીલતા’ ‘સમૃદ્ધ કે સશક્ત’ થઈ ત્યારે જ કહેવાય, જ્યારે બીજી કળાકૃતિને પામવા એમાંથી નવું બળ નવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા આચાર્યોએ સહૃદયતાના વિકાસ અર્થે કાવ્યાનુશીલન કરવાનું જરૂરી ગણ્યું છે, પણ એ કંઈ નીતિ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોની ખોજ કરવા ઝંખતું ‘બહુશ્રુતત્વ’ નથી. વિવેચન એ કંઈ આસ્વાદથી અળગી રીતે ચાલતી બહુશ્રુતતાની ખોજ નથી. કૃતિમાંથી પ્રાપ્ત થતો ‘શુદ્ધ વૈયક્તિક’ રસાનુભવ પોતે જ ‘કલાકીય મૂલ્યો’નો સ્રોત બને છે અને એનું જ તો ખરું મહત્ત્વ છે. ભાવકે, અલબત્ત, પોતાની આ વેદનશીલતાને ‘સુસજ્જ‘ બનાવવાની રહે. ભાવનની પ્રક્રિયા દરમિયાન એ વેદનશીલતા તેને માટે ‘દૃષ્ટિ’ અને ‘દર્પણ’ બંને બની રહેવાં જોઈએ.&lt;br /&gt;
વિવેચનવ્યાપાર, અલબત્ત, આ ભાવનથી જુદી વસ્તુ છે; જો કે વિવેચન અર્થે ભાવન સ્વયં ‘બીજ રૂપ’ છે, મૂળ ભૂમિકા રૂપ છે, અને એ રીતે જ એ અનિવાર્ય છે. બીજી રીતે, ‘ભાવન’ પૂર્ણતયા subjective છે, જ્યારે વિવેચનમાં વિવેચકે Objective બનવાનું છે. ડૉ. સુમન શાહ નોંધે છે કે આ Objective બનવાની ક્ષણે જ અપ્રસ્તુત એવા ઐતિહાસિક સંદર્ભમાં કે પરંપરાઓમાં કે પરિભાષાની જટાજાળમાં ભાવક ગૂંચવાઈ પડે એવો ભય રહ્યો છે. સાર્ત્રના કાર્યના એક સંદર્ભમાંથી તેઓ એવો નિષ્કર્ષ તારવી આપે છે કે “આદર્શ વિવેચન એ ભાવન અને વિભાવન વચ્ચે ઊભા થતા tensionનો જ નકશો હોય છે, આલેખ હોય છે.”૧૬૪ અર્થાત્‌ ‘ભાવન’માંથી વિભાવન બાંધવાની એક જે પ્રક્રિયા ચાલે છે તેમાં કશુંક dialectically વિકસતું આવે છે. આ જાતનું વિભાવન, તેઓ ઉમેરે છે કે, ત્રીજા જ વાચક માટે છે. એ રીતે એ ‘સપ્રયોજન’ પ્રવૃત્તિ છે. ડૉ. સુમન એવા મતના છે કે વિવેચનની ‘રીતિ’માં વિવેચકના આગવા વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવતી હોય છે. જો કે એમાં ‘શૈલી’નું નિર્માણ ભલે હોય, ‘પરિભાષા’નું ‘બંધન’ ન હોવું જોઈએ. તેમનું એમ કહેવું છે કે પારિભાષિક માળખું આદર્શ વિવેચનકર્મ માટે ઘણી વાર નકામું અને કાલગ્રસ્ત હોય છે. આદર્શ વિવેચનમાં પરિભાષા ઉત્ક્રાન્ત થતી હોય છે. એ હાથવગું સાધન, મદદકર્તૃ હોઈ શકે પણ એના અભાવમાં વિવેચક પંગુ ન બની જવો જોઈએ. કલાનુભવ જ એટલો બધો તરવરાટભર્યો, પ્રાણ ધબકતો હોય છે કે બોલનારની વાતમાં જ ભાષાને નવાં પરિમાણ ફૂટે. આ અર્થમાં પારિભાષિક સંજ્ઞાઓનું સશક્ત વિવેચનમાં સંમાર્જન સંવર્ધન થતું હોય છે અને ને ઉત્ક્રાન્તિ – ક્રમ સ્થપાતો હોય છે.”૧૬૫ ડૉ. સુમન શાહની આ વિચારણાનું તાત્પર્ય સમજવાનું મુશ્કેલ નથી. તેમને એમ સૂચવવું છે કે કૃતિના આસ્વાદ ભાવનની સૂક્ષ્મતમ છટાઓને છેવટે ભાષામાં ઝીલવાની છે; અને સંભવ એ છે કે પરિભાષાની જટાજાળ એની એ સર્વ સૂક્ષ્મતાઓ અને વિશિષ્ટતાઓને ઢાંકી દે. એટલે, પરિભાષાનો વિનિયોગ થાય ત્યારે પણ એનો ‘અર્થવિકાસ’ ભાવનના વર્ણનની સાથોસાથ થતો રહે એમ બનવું જોઈએ.&lt;br /&gt;
કૃતિ વિશેના વિવેચનમાં ખરેખર તો કૃતિ પોતે જ સાર્વભૌમ છે, સર્વેસર્વા છે, નહિ કે વિવેચનના સિદ્ધાંતો (કે તેમાં યોજાતી પરિભાષા). વિવેચનનું પરમ પ્રયોજન જ વિવેચ્ય કૃતિનું હાર્દ ખુલ્લું કરવાનું છે. વિવેચકની અંતિમ નિષ્ઠા કૃતિમાં જ હોય, હોવી જોઈએ. ડૉ. સુમને બીજો એક મુદ્દો એ છેડ્યો છે કે વિવેચક કંઈ કૃતિનો નિષ્ક્રિય ભોક્તા નથી જ. ભાવન દરમ્યાન તેણે કૃતિનું સક્રિયપણે પુનઃસર્જન કરવાનું છે. કલાકૃતિની ‘પૂર્ણતા રચી લેવી’ એ તેની જવાબદારી છે. જો કે ‘પૂર્ણતા’ રચવાની એ પ્રક્રિયામાં ભયસ્થાનો ઓછાં નથી. વિવેચક કૃતિને પોતાને જ ‘પૂર્ણતા’માં પામે છે કે કશુંક આત્મલક્ષી ઉમેરણ કે આરોપણ પોતાના તરફથી કરે છે એનો વિવેક કરવાનું કાર્ય અતિ નાજુક અને તેથી મુશ્કેલ છે.&lt;br /&gt;
પ્રસ્તુત લેખની ચર્ચામાં ડૉ. સુમન કળાકૃતિના આસ્વાદ ભાવનની પરિશુદ્ધિ પર સતત ભાર મૂકતા રહ્યા છે. વિવેચનમાં રૂઢ બનેલાં ધોરણો અને તેની પાછળનાં શાસ્ત્રો આદિના વિસ્તાર સામે તેઓ આથી સ્વાભાવિક રીતે જ વાંધો લેવા પ્રેરાયા છે ‘પરંપરાગત’ અને ‘ફૂલેલા ફાલેલા’ એ વિવેચનશાસ્ત્રની સામે તેમની ફરિયાદ છે. તેઓ કહેવા માગે છે કે એવાં ‘ધોરણો’ ‘શાસ્ત્રો’ ‘મૂલ્યો’ કે ‘ભાષ્યો’ ભાવકને કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં આવતાં રોકે છે. તેમનો આ ભય અલબત્ત, ખોટો નથી, એમ આપણે કહેવું જોઈએ, પણ સાથે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે ભાવનને જ્યાં વિભાવન રૂપે મૂકવા વિવેચક પ્રવૃત્ત થાય છે – અને ભાવનના વિભાવનની વાત તેમણે સ્વીકારી છે – ત્યાં જાણ્યેઅજાણ્યે ય કોઈક સિદ્ધાંત કોઈક ધોરણ કે મૂલ્યબોધ અનુસ્યૂત રહ્યો હોય છે. વિવેચનનું વિધાન વર્ણનાત્મક હોય, અર્થઘટનાત્મક હોય કે મૂલ્યવાચક હોય, તેની પાછળ ઘણું ખરું કોઈક principle નિયામકતત્ત્વ તરીકે પ્રચ્છન્નપણે કામ કરતો હોય છે. ડૉ. સુમને એવી સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે કે વિવેચક ભાવન પછી વિભાવનમાં રોકાય છે ત્યારે તે અમુક ‘એસ્થેટિક્સ’ને અનુસરતો હોય છે. પણ એ ‘એસ્થેટિક્સ’ તે પરંપરાગત સૌંદર્યમીમાંસાની વિચારસરણી કે કળાના અમુકતમુક ખ્યાલો નહિ, પણ કૃતિના ‘સમગ્ર structure અને આવશ્યક શિસ્તવાળી પોતાની વેદનશીલતાના મુકાબલામાં, એના tensionમાંથી જન્મેલી total patterns એસ્થેટિક’ છે એમ અર્થ લેવાનો છે. જો કે આપણે એ વિશે તરત કહી શકીએ કે tensionમાંથી ‘total pattern‘ નીપજાવવામાં કળાવિચારની અમુક કોટિઓ અને અમુક વિભાવનાઓનો વિનિયોગ હોવાનો જ. અનુભવ માત્રને-રસાનુભવને પણ અલૌકિક સ્તરનો અનુભવ કહ્યો છે – કોઈ પણ રીતે પેટર્નમાં ઢાળવાનો ઉપક્રમ કળાકીય કોટિઓ/વિભાવોની અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
‘નવ્ય વિવેચન પછી’ પુસ્તિકામાં ડૉ. સુમને ત્રીસીચાળીસીમાં પશ્ચિમના વિવેચનમાં વધુ તો અમેરિકામાં પ્રવર્તેલા ‘નવ્ય વિવેચન’ની સંક્ષિપ્ત ભૂમિકા બાંધી તેના અનુસંધાનમાં તે પછી જન્મેલા નવા વિવેચનાત્મક અભિગમોનો ટૂંકો અધ્યયનલક્ષી પરિચય આપ્યો છે. એમાં ભાષાલક્ષી, સંરચનાલક્ષી અને સંવિતલક્ષી અભિગમોની તેમણે જે રીતે છણાવટ કરી છે તેથી આ ક્ષેત્રની આપણી ચર્ચાવિચારણામાં એક મહત્ત્વનું પ્રકરણ ઉમેરાતું જણાશે. જો કે, કોઈ કોઈ સંદર્ભે એમાં વસ્તુવિચાર કંઈક ક્લિષ્ટ કે અસ્પષ્ટ રહી ગયો છે પણ એ સિવાય તેમની ચર્ચાવિકાસની ભૂમિકા સુગ્રાહ્ય છે. ‘નવ્ય વિવેચન’ના અનુસંધાનમાં, એ અભિગમની પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા દર્શાવાયેલી મર્યાદાઓ અને ઊણપો અને તેને અતિક્રમી જવાના તેમના પ્રયત્નોની ભૂમિકા સુપેરે મૂકી આપી છે. સાહિત્યવિવેચનનો ભાષાલક્ષી અભિગમ, એ વિશેનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાશ્ચાત્ય દૃષ્ટિબિંદુઓને લક્ષમાં લઈને તેમણે સ્પષ્ટ કર્યો છે. એ જ રીતે ‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ ખંડની ચર્ચામાં સંરચનાવાદી અભિગમ વિશે તેમણે ઠીક ઠીક વિસ્તારથી અધ્યયનપૂત ચર્ચાઓ કરી છે અંતમાં આવા અભિગમના નિદર્શન લેખે કિશોર જાદવની ટૂંકી વાર્તા ‘લેબીરીન્થ’નું વર્ણન-વિશ્લેષણ રજૂ કર્યું છે. આ પુસ્તિકાનું પ્રકાશન એ રીતે આપણી વિવેચનમીમાંસાના વિકાસમાં મહત્ત્વનું અર્પણ બની રહે છે. સંરચનાવાદ વિશે ડૉ. સુમન સતત અધ્યયનમાં પ્રવૃત્ત થયા જણાય છે. પાછળથી આ વિશે તેમણે બીજો એક વિસ્તૃત અધ્યયનલેખ આપ્યો છે. &lt;br /&gt;
‘વિવેચનના ૨૫ મુદ્દાઓ’ શીર્ષકના એક તાજેતરના લખાણમાં વિવેચનના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિના મુદ્દાઓ મૂક્યા છે. એમાં ચર્ચા ખમી શકે તેવા મહત્ત્વના તાત્ત્વિક મુદ્દાઓ પડેલા છે.&lt;br /&gt;
‘વિવેચનની દિશા અને દશા’ની લેખશ્રેણીમાં આપણી વિવેચનાની ગતિવિધિઓને અવલોકવાનો નિજી કહી શકાય તેવો તેમનો દૃષ્ટિકોણ કામ કરી રહ્યો છે. આપણા વિવેચનના સર્વતોમુખી વિકાસની ઉદાત્ત ભાવના જ તેમને આપણી વર્તમાન પરિસ્થિતિનું કડક નિરીક્ષણ કરવા પ્રેરે છે.&lt;br /&gt;
“માકર્‌સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્‌સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્‌સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્‌સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્‌ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ એ પુસ્તક આઠ પ્રકરણમાં વહેંચાયું છે. પહેલું પ્રસ્તાવના રૂપ પ્રકરણ આ અભિગમનું મહત્ત્વ સ્પષ્ટ કરવાને રજૂ થયું છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે આપણે ત્યાં મોટા વળાંકો આવતા રહ્યા છે, સર્જનનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ એને મૂલવવાને આવશ્યક નવાં parameters આવ્યાં નથી એમ તેઓ કહે છે. તેમની એ વાતમાં ઘણું તથ્ય છે. વળી આપણે ત્યાં નવી કવિતા–સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતા—જે રીતે કવિચિત્તના અજ્ઞાત સ્તરનાં સંવેદનોને પ્રકટ કરતી થઈ, અને તેના અધ્યયન-વિવેચન અર્થે આ જાતના interdisciplinary approachની મોટી અનિવાર્યતા ઊભી થઈ ત્યારે પણ, આપણું વિવેચન એવે વખતે જરૂરી માળખું પૂરું પાડી શક્યું નથી એમ તેઓ કહે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : ‘કવિતાનું સીધુ સાદું મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કરેલું વિવરણ વધુ ફળદાયી નીવડી શકે એવું લાગે છે. મનોવિજ્ઞાનલક્ષી વિવેચનમાં આપણે શું હોવું જોઈએ – તેવાં મૂલ્યોની ચર્ચા કરી શકીએ નહીં. કારણ કે મનોવિજ્ઞાન કેટલેક અંશે descriptive છે, નહીં કે nomative, અમુક કવિતા સારી છે કે ખરાબ એવું વિધાન આવો વિવેચક કરી શકે નહીં.’ તો આપણે નોંધવાનું રહે છે કે આ રીતે આ અભિગમ સર્જક કે ભાવકચિત્તની ઘટનાઓ વિશે ખુલાસાઓ આપી શકે, પણ કૃતિની ઉચ્ચાવચતાનાં ધોરણો રચી આપી શકે નહિ. મનોવૈજ્ઞાનિક અભિગમથી કૃતિની તપાસ કરવામાં આવે ત્યારે પણ psychological explanation એ કૃતિના ‘અર્થ’નો આંશિક ખુલાસો જ બની શકે, સમગ્ર કૃતિનો રહસ્યબોધ એ નથી જ.&lt;br /&gt;
બીજા પ્રકરણનો વિષય ધ્યાનપાત્ર છે : સર્જનપ્રક્રિયા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, એમાં સર્જનને પ્રેરતાં માનસિક બળોનો –આવેગમુકિત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, લઘુતાગ્રંથિ સામે સંપૂર્તિ, પરપીડનવૃત્તિ, અનુકૂલન આદિનો – વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. એ ચર્ચામાં ફ્રોય્‌ડને અભિમત unconsciousનો ખ્યાલ પાયામાં રહ્યો છે. તેઓ દર્શાવે છે કે ગાંધીયુગની કવિતા (અને તેનાં પ્રતીકોય) ચેતન સ્તરની નીપજ હતી, જ્યારે એ પછીની કવિતા અચેતનની અભિવ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો, અગાઉની કવિતા ego કે super egoના સ્તરેથી આવતી હતી, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કવિતા id માંથી જન્મી છે. સંસ્કૃતિ નીતિમત્તા સદાચાર આદિના નિષેધોથી તે મુક્ત છે. મધુ કોઠારીનું આ અવલોકન ઘણે અંશે સ્વીકારી શકાય તેવું છે. પણ પૂરતાં દૃષ્ટાંતો લઈને તેમણે આ ચર્ચાને વિકસાવી નથી. પ્રકરણ ત્રીજામાં કવિનું વ્યક્તિત્વ અને ચોથામાં વિવેચકનું મનોવૈજ્ઞાનિક વિશ્વ, તેમણે આ જ રીતે અધ્યયનનો વિષય બનાવ્યું છે. અહીં પણ તેમનું અધ્યયન-ચિંતન પૂરતાં દૃષ્ટાંતોના અભાવે કંઈક ઊણું રહી જાય છે. પાંચમા પ્રકરણમાં ‘સાપ’ અને ‘શબ’ એ બે પ્રતીકોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવિમર્શ કર્યો છે. અહીં તેમણે દૃષ્ટાંતો ઘણાં લીધાં છે, પણ એ પ્રતીકો કવિચિત્તમાં કેવી રીતે બંધાવા પામે, અથવા કવિચિત્તની અમુક વૃત્તિઓ લાગણીઓ એમાં શી રીતે સાકાર થાય, શી રીતે આવું strange પ્રતીકાત્મક રૂપ લે – તે વિશે પૂરતો ખુલાસો આપ્યો નથી. યુંગનો archetypes – આદિમરૂપનો વિચાર છઠ્ઠા પ્રકરણમાં અને ‘સૂરજ’નો એક archetype તરીકેનો વિચાર સાતમામાં થયો છે. છેલ્લા આઠમા પ્રકરણમાં જયંત પાઠકની રચના ‘મૃત્યુ’નું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘રસદર્શન’ કરાવવાનો ઉપક્રમ છે. એકંદરે, મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રાથમિક પરિચય મેળવવાને આ પુસ્તક કામ આવે એવું છે.&lt;br /&gt;
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે.&lt;br /&gt;
આ લખનારે પણ આ વિશે કેટલાંક લખાણો પ્રગટ કર્યાં છે તેનો નમ્રભાવે નિર્દેશ કરવાનો રહે. (૧) ‘વિવેચન’ની સંજ્ઞા વિશે (૨) ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ (૩) ‘આપણા સાહિત્યમાં પ્રકારલક્ષી વિવેચન’ (૪) ‘આકૃતિવાદ’ની ભૂમિકામાં (૫) ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ (૬) ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (૭) ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૮) ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ (૮) ‘આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ’ (૧૦) ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ – આ સર્વ સ્વતંત્ર રૂપના અધ્યયનલેખો છે. ઉપરાંત, રોલાં બાર્થ, જ્યોર્જ પુલે, જ્હોન લેચર, રેને વેલેક આદિ પાશ્ચાત્ય અભ્યાસીઓના આ વિશેના કેટલા મહત્ત્વપૂર્ણ લેખોના (કે તેના અમુક અંશોના) અનુવાદો પણ પ્રગટ કર્યા છે.&lt;br /&gt;
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87780</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87780"/>
		<updated>2025-04-27T08:33:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|V. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં સક્રિય બન્યાં—સુરેશ જોષી એના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા—અને એ સાથે આપણા સાહિત્યક્ષેત્રમાં—સર્જન તેમ વિવેચન બંનેય ક્ષેત્રમાં કેટલાંક ચોક્કસ મૂળગામી પરિવર્તનો આવ્યાં, એ બધી બાબતો આપણા સૌ સાહિત્યરસિકોને હવે સુપરિચિત બની ગઈ છે. એટલે એ આંદોલનનું સ્વરૂપ, તેનો ઉદ્‌ભવપ્રસાર, સર્જનાત્મક સાહિત્યના પ્રયોગો અને તેમાં જન્મેલાં નૂતન વલણો, અને તરુણ પેઢીના સર્જકોનું આગવી રીતનું અર્પણ વગેરે મુદ્દાઓની ચર્ચાઓનું આપણે અહીં પુનરાવર્તન નહિ કરીએ. માત્ર બદલાયેલી પરિસ્થિતિમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં કયા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા—વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમજ વિવેચનના અભિગમ વિશે કયા નવા વિચારો જન્મ્યા અને વિકસ્યા અથવા સ્વીકારાયા અને પ્રતિષ્ઠિત થયા, વગેરે બાબતો પર જ સીધું લક્ષ્ય કેન્દ્રિત કરીશું.&lt;br /&gt;
અલબત્ત, આ ગાળામાં સાહિત્યની કળા વિશેનો ખ્યાલ અને વિવેચનની વિભાવના બંને સાથોસાથ બદલાયાં છે. બલકે, વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ અભિગમ વિશેની નૂતન વિચારણાઓ બદલાયેલી સાહિત્ય-વિભાવના સાથે સીધી રીતે સંકળાયેલી છે. અગાઉની વિવેચનમીમાંસા કરતાં, આ તબક્કામાં અનેકવિધ નવપ્રસ્થાનો જોવા મળે છે. આગલી પેઢીના વિદ્વાનો–વિવેચકોમાં જૂજ અપવાદો બાદ કરતાં પરંપરાગત વિચારણાને વળગી રહેવાનું બળવાન વલણ રહ્યું છે, જ્યારે નવી પેઢીના અભ્યાસીઓ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઉત્સુક બનીને અવનવી દિશામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તરુણ અભ્યાસીઓની ચર્ચાવિચારણાનો ઝોક સમજવાનો અને ખાસ તો અગાઉની વિવેચનતત્ત્વવિચારણાથી તેમનું નવપ્રસ્થાન સમજવાનો આપણો અહીં મુખ્ય આશય છે&lt;br /&gt;
તરુણ પેઢીના વિદ્વાનો—વિવેચકોમાં સુરેશ જોષીની પ્રવૃત્તિ ઘણી વિશાળ અને ગતિશીલ રહી છે. સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સર્જનાત્મક સાહિત્ય પર અને આપણા વિવેચનસાહિત્ય પર પણ તેમની વિવેચનાની વ્યાપક અને ઘેરી બલકે નિર્ણયાત્મક અસરો પડી છે. સુવિદિત છે તેમ, સર્જનવિવેચનની તેમની સમગ્ર પ્રવૃત્તિ પાછળ કળા સર્જકતા અને રૂપનિર્મિતિ વિશેની આગવી સમજ રહી છે. ત્રીસીચાળીસીમાં ખેડાતા રહેલા પરંપરાગત સાહિત્ય સામે એમાં, અલબત્ત, તીવ્ર પ્રતિક્રિયા જોઈ શકાશે. છેલ્લા ત્રણ દાયકા જેટલી કે તેથી ય કંઈક વધુ ગાળાની તેમની વિવેચનપ્રવૃત્તિમાં સિદ્ધાંતવિચાર છે, આપણી સાહિત્યિક પરિસ્થિતિનું તેમ તેની ગતિવિધિઓનું કઠોર પરીક્ષણવિવેચન છે, કૃતિનાં આસ્વાદમૂલક લખાણો છે, અને સાહિત્ય સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક પાયાના વિચારોની પ્રતિષ્ઠા કરવાનો પુરુષાર્થ પણ છે. આપણા સાહિત્યના વિકાસ અર્થે તેમનો આમ વિભિન્ન દિશાઓનો સભાન પ્રયત્ન આજ સુધી જારી રહ્યો છે. પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનતત્ત્વવિચારના મુદ્દાઓ, અહીં આપણે ત્યાં છેડીને, આપણી એ વિશેની જાગૃતિ વધે, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે, એવી શુભ દૃષ્ટિથી સંનિષ્ઠભાવે તેઓ પ્રવૃત્તિ કરતા રહ્યા છે. તેમની કળાવિચારણાની ફેરતપાસ કરવાનો જો કે આ ઉપક્રમ નથી. પણ વિવેચનમીમાંસાને લાગેવળગે છે તેટલા પૂરતું, તેમની એ વિશેની વિચારણાના બિલકુલ પાયાના મુદ્દાઓને, આપણે અહીં ટૂંકમાં નોંધીશું.&lt;br /&gt;
(૧)	કળાસર્જનની પ્રવૃત્તિ કેવળ લીલામય પ્રવૃત્તિ છે. ભાવકને કોઈ બોધ ઉપદેશ કે સંદેશ આપવાનો એમાં રજમાત્ર આશય ન હોય, ન હોવો જોઈએ. કેવળ સર્જકતાનું સુરેશ જોષીને મન પરમ મૂલ્ય છે.&lt;br /&gt;
(૨)	વાસ્તવવાદી સાહિત્યકાર પોતાની આસપાસની પરિચિત વાસ્તવિકતાનું આલેખન કરવા પ્રવૃત્ત થતો હોય છે પણ એ તો સ્થૂળ છીછરી અને ઉપરઉપરની વાસ્તવિકતા છે. એથી વધુ સત્ય અને વધુ સાચકલી વાસ્તવિકતા તે સર્જક કલ્પનાની છે. એના આશ્લેષમાં કપોલકલ્પિત એબ્સર્ડ સ્વપ્નસૃષ્ટિ ભ્રાંતિ અને પરીકથાઓ જેવી સૃષ્ટિઓ સમાઈ જાય છે.&lt;br /&gt;
(૩)	સાહિત્યનું (કળા માત્રનું) પ્રાણભૂત તત્ત્વ તેની આકૃતિ (કે રૂપ નિર્મિતિ) છે. કળાનું એકમાત્ર કે મુખ્ય પ્રયોજન આકારનિર્માણનું છે. ટેક્‌નિક નામની વસ્તુ પણ આકારનું ‘સાધન’ છે, અને સંસિદ્ધ આકારમાં તેની સાથે તે એકાકાર બનતું તત્ત્વ છે.&lt;br /&gt;
(૪)	ટેક્‌નિક અને આકાર કળાકૃતિમાં રજૂ થતી વસ્તુની વ્યંજનાને બધી ય દિશામાં વિસ્તરવાને અમર્યાદ અવકાશ રચી આપે એમાં જ એની સાર્થકતા છે. આ રીતે કૃતિ સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ બનવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કળાકૃતિ એક સ્વતંત્ર સ્વાયત્ત આત્મનિર્ભર અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ બને છે. એટલે કે, એનું જે કંઈ રહસ્ય છે તે તેની અંતર્ગત સિદ્ધ થયેલું છે. એ માટે પોતાનાથી ઇતર વસ્તુ પર તે આધાર રાખતું નથી. સ્વાયત્તતાનો સૂચિતાર્થ એ કે કળામાં રજૂ થતા વિશ્વને કવિકર્મ દ્વારા જે અપૂર્વ રહસ્ય મળ્યું છે, તેને પરિચિત જગતની સાથે ક્યાંય કોઈ સંબંધ કે સહસંબંધ સંભવતો નથી.&lt;br /&gt;
(૫)	કથાસાહિત્યમાં ઘટનાઓના હ્રાસ દ્વારા, માનવજીવનના જીવંત સંદર્ભોના અમાનવીયકરણ દ્વારા, લાગણીનાં પ્રતીકાત્મક રૂપોના નિર્માણ દ્વારા, કલ્પનો પ્રતીકો અને મિથોના વિનિયોગ દ્વારા, કપોલકલ્પિત એબ્સર્ડ આદિ અતિવાસ્તવના અનુસંધાન દ્વારા–એના વિશ્વને જુદી જ કક્ષાએ પ્રતિષ્ઠિત કરવાનું છે. પ્લૉટની અટપટી કરામતોથી કથાવસ્તુના યાદૃચ્છિક વિસ્તારથી કે યાંત્રિક સાંધાવાળી વાર્તાના વિસ્તારથી અળગા થઈ એમાં એક સજીવ અખંડ ભાવવિશ્વ નિર્માણ કરવાનું છે.&lt;br /&gt;
(૬)	કથાસાહિત્યમાં રજૂ થતાં પાત્રોને યાદૃચ્છિકપણે યોજવાનાં નથી, તેમ તેને અમુક ગુણો કે દુર્ગુણોનાં કેવળ ‘પાત્રો’ લેખવાનાં નથી. તેને દરેકને પોતાના કાર્ય માટે સંકલ્પશક્તિ હોય, સ્વાતંત્ર્ય હોય, પસંદગીના અને ઉતરદાયિત્વના ખ્યાલ હોય, એ પાત્રો authentic being માટે આત્મખોજ કરે, આત્મસંઘર્ષ કરે, ત્યારે જ સાચી માનવીય વાસ્તવિકતા જન્મે છે.&lt;br /&gt;
(૭)	રચનારીતિ (technique) દ્વારા સર્જકે પોતાના પરિચિત વાસ્તવનું કળાના વિશ્વમાં રૂપાંતર કરવાનું છે. રચનારીતિ જ કલાસામગ્રીને નવી વ્યવસ્થા (new order) અર્પે છે, નવો અર્થ અને નવું મૂલ્ય અર્પે છે. સર્જકનું જે કંઈ અવ્યક્ત કે અર્ધવ્યક્ત ભાવજગત છે તેને રચનારીતિ જ એક આગવી વાસ્તવિકતા અર્પે છે.&lt;br /&gt;
(૮)	રચનાપ્રક્રિયામાં સર્જક ભાષાના માધ્યમની બધી શક્યતાઓને સભાનપણે તાગવા મથી રહે છે. જે કંઈ અસ્ફુટ અને અમૂર્ત છે તેને નક્કર ઐન્દ્રિયિક રૂપો અર્પે છે. ઇંદ્રિયવ્યત્યય દ્વારા, અભિવ્યક્તિની અવનવી પ્રયુક્તિઓ અને પ્રણાલિઓ દ્વારા, જૂની પ્રયુક્તિઓના નવવિધાન દ્વારા સંવિદ્‌નાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપોને ઝીલવા તેમ જ દુર્ગ્રાહ્ય એવી ચૈતસિક વાસ્તવિકતાનો તાગ લેવા મથે છે.&lt;br /&gt;
સુરેશ જોષીની આ જાતની વિચારણા તેમની સર્જનપ્રવૃત્તિમાં કેન્દ્રીય બળ બની રહે છે, તો તેમની વિવેચનપ્રવૃત્તિની મુખ્ય આધારશિલા બની રહે છે. સિદ્ધાંતવિચારના ક્ષેત્રમાં ફરી ફરીને તેમણે પોતાની આ મુખ્ય ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃતિવિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઓછી પ્રવૃત્તિ કરી છે, પણ આપણા સાહિત્યની ગતિવિધિ વિશે, ખાસ તો આપણા સર્જાતા જતા સાહિત્ય વિશે વારંવાર તેઓ વ્યાપકપણે અવલોકનો કરતા રહ્યા છે, અને તેમાંય પોતાની મૂળ ભૂમિકા સાથે અનુસંધાન કેળવતા રહ્યા છે. અને એ જ રીતે વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ય મૂળ ભૂમિકા સાચવીને ચાલવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. જો કે આ ક્ષેત્રમાં કુંઠિત થઈ ગયેલી આપણી વિચારણાને નવું જોમ અને નવી દિશા બતાવવા પશ્ચિમની બીજી અનેક વિચારધારાઓનો તેઓ પરિચય કરાવતા રહ્યા છે. ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં ગ્રંથસ્થ થયેલાં અને બીજાં ગ્રંથસ્થ ન થયેલાં આ વિષયનાં લખાણો ખરેખર તો પશ્ચિમના અનેક નૂતન ખ્યાલોને સ્પર્શે છે. એ લખાણોમાં કેટલાક સંદર્ભે તેમની ચર્ચા વિશદ બની શકી નથી, ઠીક ઠીક ગૂંચો અસ્પષ્ટતાઓ પણ એમાં રહી ગઈ છે, પણ એમાં તેમનો હેતુ નવા પાશ્ચાત્ય પ્રવાહોથી આપણા સાહિત્યજિજ્ઞાસુ વર્ગને સભાન કરવાનો છે.&lt;br /&gt;
પોતાની સાહિત્યિક કારકિર્દીના આરંભથી જ સુરેશ જોષી કળાના આસ્વાદ પર એકધારો ભાર મૂકતા આવ્યા છે. વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં એ સાથે એક નવું જ પ્રકરણ આપણે ત્યાં આરંભાયું છે, અને કૃતિ પરત્વેનો અભિગમ બદલાયો છે; એટલું જ નહિ વિવેચનના સ્વરૂપગત પ્રશ્નો, પદ્ધતિઓ અને એની સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાન વિશે નવી અભિજ્ઞતા જન્મી છે. આ રીતે વિવેચન–મીમાંસાના ક્ષેત્રમાં નવી સભાનતા જગાડવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે.&lt;br /&gt;
‘કાવ્યનો આસ્વાદ’ નામના લેખમાં તેમની કાવ્યવિભાવના રજૂ થઈ છે અને આસ્વાદપ્રવૃત્તિનું મહત્ત્વ તેમણે એમાં સમર્થ રીતે બતાવ્યું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાવ્યકૃતિ સ્વયં એક વિશ્વ છે, સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ છે એનું આગવું ઓન્ટોલોજિકલ સ્ટેટસ છે. એમાંથી આપણે સાર કાઢવાનો કે મુખ્ય વિચાર તારવવાનો કે એમાંનો બોધ સંદેશ શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે-અને એ હકીકત રહી છે કે સુરેશ જોષીએ આસ્વાદની પ્રવૃત્તિને આંદોલનના રૂપમાં સક્રિય ન કરી ત્યાં સુધી કવિતાને જોવાનું આપણા કાવ્યરસિકોનું અને કાવ્યના અભ્યાસીઓનું આ જ મુખ્ય વલણ હતું–પણ એ રીતે કૃતિના ભાવવિશ્વને આપણે હ્રસ્વ કરી નાખીએ છીએ, આપણી અપેક્ષા પ્રમાણે એને સંકોચી દઈએ છીએ. કવિકર્મ કે ભાષાકર્મની સર્વથા ઉપેક્ષા કરીને ‘મૂઠી એક અર્થ’ ખેંચી કાઢવાનો પ્રયત્ન મૂળથી જ વંધ્ય છે, એથી કળાપ્રવૃત્તિને કે કવિસર્જકને કોઈને આપણે ન્યાય કરી શકતા નથી. કૃતિનું રહસ્ય, તેનું વ્યંજનાતત્ત્વ, તેના સમગ્ર સંવિધાનમાં વ્યાપી રહ્યું છે, અને સંવિધાનની–રચનાનિર્માણની પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ દ્વારા જ એની ઝાંખી પ્રાપ્ત થાય. બીજી રીતે કહીએ તો, કૃતિનો આકાર, રચનારીતિ અને ભાષાકર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિને ઓળખ્યા વિના, તેની સમગ્ર સંકુલતાને અવગત કર્યા વિના, કૃતિને પાર પામી શકાય નહિ. ભાવક/વિવેચક માટે રસાસ્વાદ એ જ પરમ પ્રયોજન છે. પરમ મૂલ્ય છે. કૃતિનું સર્જક દ્વારા નિર્માણ જ રસના પ્રયોજનથી થયું છે, એ હકીકત પર તેમણે સતત ભાર મૂક્યો.&lt;br /&gt;
આધુનિક કવિ કશું ‘કહેવા’ માગતો નથી, તે તો ‘સર્જન’ કરવા ઝંખે છે. એટલે તેની રચનામાંથી થોડોક વિચારસંભાર તારવી લેવાની પ્રવૃત્તિ ઇષ્ટ નથી જ. તેમની મુખ્ય ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં Formથી Contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી. પણ અપરિમેયતાને કારણે છે”૧૧૭&lt;br /&gt;
કવિતાની આ રીતે આગવી વિભાવના રજૂ કરી તેઓ મૂલ્યાંકનના પ્રશ્નને સ્પર્શે છે :&lt;br /&gt;
“તો કાવ્યોની ઉચ્ચાવચતાનાં ધોરણો શી રીતે નક્કી કરવાં? દરેક સાચું કાવ્ય, પોતાની આગવી રીતે, અદ્વિતીય હોય છે. એને નંબર આપવા માટે બીજી કૃતિ સાથે સરખાવવાની વૃત્તિ થાય છે. પણ કાવ્યાસ્વાદ માટે એ જરૂરી નથી. છતાં કેટલાક કાવ્યના ઉદાત્ત વિષય કે વ્યાપક ફલકને આવા ધોરણ તરીકે ગણાવે છે. આવાં quantitative ધોરણ અનિવાર્ય નથી. સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્‌ છે તેને સુરેખ આકાર આપવાનું આહ્‌વાન જે ઝીલે છે, તે ઉચ્ચ કવિ. એવા કવિની બે પંક્તિ પણ મહાકાવ્ય છે, કારણ કે એમાં ભાવજગતના નવા ખંડની શોધનું સાહસ છે.”૧૧૮&lt;br /&gt;
અહીં કવિના રૂપવિધાન કે ભાષાકર્મ પર જ બધો ભાર મૂકાયો છે. કવિકર્મની સફળતા અને કવિકર્મનું સામર્થ્ય એ જ કવિતાના મૂલ્યાંકનનો તેમનો માપદંડ છે. સુરેશ જોષી સ્પષ્ટપણે કહે છે કે કવિતા પાસે વિવેચકે / ભાવકે પોતાની ‘નિશ્ચિત દૃઢ ધારણાની માપપટ્ટી’ લઈને જવાનું નથી. પોતાને ઇષ્ટ વિચારો તારવવાના પ્રયત્નમાં તેની રચનાપ્રક્રિયામાં પડેલી સૂક્ષ્મતાઓ સંકુલતાઓ અને સંદિગ્ધતાઓને ગાળી નાખવાના નથી. વિવેચકનું ‘સૌથી સમર્થ ઓજાર’ તે ‘અનેક કલાકૃતિઓના પરિશીલનથી પરિષ્કૃત’ અને ‘મુકુરીભૂત’ બનેલી’ તેની રુચિ છે. એના અભાવમાં કળા વિશેના બધા ય સિદ્ધાંતો કે વાદોનું જ્ઞાન મિથ્યા નીવડે છે. આસ્વાદની પ્રવૃત્તિ, અલબત્ત, કૃતિ નિમિત્તે સ્વૈર સ્વચ્છંદ કલ્પનાવિહાર નથી જ નથી. કૃતિને એનું આગવું રૂપ મળ્યું છે. એની અન્તર્ગત વિધાયક સિદ્ધાંત રહ્યો છે, વિધાયક બળ રહ્યું છે, અને આસ્વાદ-વિવેચનમાં એ જ નિયામક તત્ત્વ બને છે, બની રહેવું જોઈએ.&lt;br /&gt;
કલાકૃતિનું ભાવન, આસ્વાદન–એ જ ભાવક માટે મુખ્ય કાર્ય છે. ‘આસ્વાદ’ સંજ્ઞા વિશે, અલબત્ત, આપણે અહીં થોડી સ્પષ્ટતા કરી લેવાની આવશ્યકતા રહે છે. તો, ‘રસાસ્વાદ’, ‘આસ્વાદ’ કે ‘ચર્વણા’ જેવી સંજ્ઞાઓને, આલંકારિકોએ સાહિત્યકૃતિના સંયોગે ભાવકચિત્તમાં ચાલતી ચૈતસિક પ્રક્રિયાને અનુલક્ષીને યોજેલી છે. અને સુરેશ જોષી જ્યારે ‘આસ્વાદ’ સંજ્ઞાને પોતાની વિવેચનમીમાંસામાં પ્રયોજે છે ત્યારે બે ભિન્ન બાબતોનો સંકેત તેમાં મળે છે. કૃતિનો ‘આસ્વાદ’ એ જ ભાવક/વિવેચક માટે પરમ પ્રયોજન છે એમ કહેતાં તેઓ તેના રસાનુભવની પ્રક્રિયાને અનુલક્ષતા હોય છે; તો અન્ય સંદર્ભમાં એવા ‘આસ્વાદનો આલેખ’ આપતું લખાણ તેમને અભિમત હોય છે. તાત્પર્ય કે, આસ્વાદમૂલક કે આસ્વાદપ્રધાન એવા લખાણને ય તેમણે ‘આસ્વાદ’ તરીકે ઓળખાવ્યું છે. એક રીતે એને આસ્વાદલક્ષી વિવેચન કે આસ્વાદલક્ષી વિવેચનરીતિ તરીકે ઓળખાવી શકાય. અને ભાવકના ચિત્તમાં ચાલેલા આસ્વાદવ્યાપારથી એને એક ભિન્ન પ્રવૃત્તિ તરીકે ઓળખવાનું આવશ્યક બની રહે છે. કેમ કે, પાશ્ચાત્ય વિવેચનમાં આકારવાદ તરીકે જાણીતા થયેલા વાદની અમુક ચોક્કસ ભૂમિકાનો એમાં સ્વીકાર થયેલો છે. કૃતિનો આકાર, રચનાવિધાન, કવિકર્મ, ભાષાની સર્જકતા–આદિની તપાસ પાછળ આકારવાદી વિવેચનની એમાં ચોક્કસ પ્રેરણા અને પ્રભાવ રહેલાં છે. કાવ્યકલાની જે વિભાવના તેમણે બાંધી છે તેમાં જ, આપણે જોઈ ગયા કે, આકારગત કે રચનાગત મૂલ્યો પર તેમણે બધો ભાર મૂક્યો છે. આમ છતાં, પશ્ચિમના નવ્ય વિવેચકોએ કૃતિલક્ષી વિવેચનની જે સમૃદ્ધ પરંપરા ઊભી કરી છે અને તેમાં આકારની જે રીતની શોધ થઈ છે, તેવી આપણાં આસ્વાદલક્ષી વિવેચનોમાં કેટલે અંશે થઈ છે તે એક તુલનાત્મક અભ્યાસનો અલગ મુદ્દો બની રહે છે.&lt;br /&gt;
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ શીર્ષકનું તેમણે ૧૯૬૨માં જે પુસ્તક પ્રગટ કર્યું તેમાં આપણા કવિઓ–નરસિંહરાવથી ગુલામમોહમ્મદ શેખ –સુધીનાની દરેકની એક એક ધ્યાનપાત્ર રચના લઈ તેનો તેમણે વિગતે આસ્વાદ કરાવ્યો. તેમની આ પ્રવૃત્તિ એ પછી તરત જ એક વ્યાપક આંદોલન બનીને આપણે ત્યાં પ્રસરી ગઈ. સામયિકો વર્તમાનપત્રો ચર્ચાસભાઓ દ્વારા એ પ્રવૃત્તિ ફૂલતીફાલતી રહી. આજે આપણી અમુક સંપાદિત કવિતા વિશે, આપણા કોઈ એક જ કવિની નોંધપાત્ર રચનાઓ વિશે, કે પરભાષાની કૃતિઓ વિશે આસ્વાદોના અલગ સંચયો થયા છે. બીજા કેટલાક વિવેચનગ્રંથોમાં ય એવા આસ્વાદો એકાદ ખંડ રૂપે સ્થાન લે છે. જો કે રચનાપ્રક્રિયાની કે આકારની તપાસ એમાં કેટલી થઈ છે તે, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અલગ તપાસ માગે છે. આવા આસ્વાદોમાં, આમ છતાં, કૃતિના રસલક્ષી/રમણીય અંશોની બારીક તપાસ કરવાનું વલણ નોંધપાત્ર છે. અગાઉ જે કવિઓ/રચનાઓ વિશે માત્ર અછડતાં વ્યાપક નિરીક્ષણો મળ્યાં હતાં, કે જેમાં માત્ર વિચાર-વલણોની તપાસ થઈ હતી, તેવી રચનાઓમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ પ્રચ્છન્ન રહેલી સૌંદર્યરેખાઓ પકડવાનું શક્ય બન્યું. અભિવ્યક્તિના અવનવા મરોડો, રચનાપ્રયુક્તિના સર્જનાત્મક ઉપયોગો અને ભાષાના સર્જનાત્મક ઉન્મેષો, કલ્પનો પ્રતીકો અને મિથોની સમર્પકતા, અર્થસંદિગ્ધતા (ambiguities)ની કાવ્યાત્મક ક્ષમતા આદિનાં બારીક અવલોકનોથી આપણને રસકીય સમૃદ્ધિનો પરિચય પ્રાપ્ત થયો. જો કે આસ્વાદની પ્રવૃત્તિ અત્યાર સુધી ઘણું ખરું તો ઊર્મિકાવ્ય પૂરતી જ સીમિત રહી હતી; પણ ટૂંકી વાર્તા લઘુનવલ અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોની કૃતિઓ વિશે ય હવે આસ્વાદલક્ષી વિવેચનના કેટલાક નોંધપાત્ર કહેવાય તેવા પ્રયત્નો આરંભાઈ ચૂક્યા છે. જો કે આ બધાં કથામૂલક સ્વરૂપોમાં આકૃતિ કે રૂપબોધના પ્રશ્નો સહેલા નથી એટલે આ પ્રવૃત્તિ સામે કથામૂલક સ્વરૂપોના આકારબોધનો પ્રશ્ન પડકારરૂપ બની રહે તો આશ્ચર્ય નહિ.&lt;br /&gt;
અહીં એક બે વાતનો ફરીથી નિર્દેશ કરી લેવાનો રહે છે. નરસિંહરાવે ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ નામે લેખમાં ભારતીય અલંકારશાસ્ત્રને અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી બે ‘રસદર્શન’ની ‘પદ્ધતિઓ’નું નિદર્શન આપ્યું છે. એમાં પ્રાચીન અલંકારશાસ્ત્રની પરિભાષાની મદદથી પ્રસ્તુત કડીનો રસલક્ષી પરિચય આપવાનો તેમનો એક ધ્યાનપાત્ર પ્રયત્ન છે. પણ પાશ્ચાત્ય પદ્ધતિની જે રજૂઆત કરી છે તેમાં તેમનો અભિગમ બરોબર સ્પષ્ટ થઈ શક્યો નથી. એ પછી બળવંતરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ગ્રંથસ્થ કરેલી રચનાઓ વિશે જે રીતનાં ટીકાટિપ્પણી વિવરણ આદિ રજૂ કર્યાં છે તેનું ય અમુક મહત્ત્વ સ્વીકારવા છતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એમાં અભિગમની કોઈ સ્થિર તાત્ત્વિક ભૂમિકા હાથમાં આવતી નથી. અને, આમ તો, નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ આદિ વિવેચકોએ કાવ્યવિવેચનનાં લખાણોમાં દૃષ્ટાંતરૂપ કૃતિઓ વિશે વારંવાર રસલક્ષી અંશોનો નિર્દેશ કર્યો જ છે. પણ પ્રશ્ન આસ્વાદ વિવેચનની ચોક્કસ ભૂમિકાનો, અભિગમનો છે. સુરેશ જોષીની આસ્વાદપ્રવૃત્તિ કળાના આકારવાદની ચોક્કસ ભૂમિકા પર મંડાયેલી છે. અને એ રીતે આસ્વાદની પ્રક્રિયા અને તજજન્ય વિવેચનાત્મક લખાણને આગવી દિશા મળી છે, આગવી વ્યવસ્થા કે યોજના મળ્યાં છે.&lt;br /&gt;
આસ્વાદમૂલક/આકારમૂલક વિવેચનની પાછળ કાવ્યતત્ત્વની આગવી એવી જે સૈદ્ધાંતિક ભૂમિકા છે તે વિશે આપણે ત્યાં કદાચ એટલી સભાનતા કેળવાઈ નથી. ક્લિન્થ બ્રૂકસ જેવા આકારવાદી વિવેચકોએ, સૌ પ્રથમ તો, કાવ્યની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને પૂરી રેખાંકિત કરી આપી છે. તેનો અર્થ એ કે અર્થબોધ કે મૂલ્યબોધની બાબતમાં કૃતિ એક અલગ વિશ્વ તરીકે ઊભી રહે છે. ભાવકે/વિવેચકે એનું રહસ્ય પામવા એની બહારના સંદર્ભોને વચ્ચે લાવવાની જરૂર નથી. એ રીતે કૃતિ એના ઐતિહાસિક/સમસામયિક સંદર્ભોથી વિચ્છિન્ન હોય છે, એટલું જ નહિ કવિના (પ્રગટ) ‘આશય’થી પણ એ એક અલગ વસ્તુ સંભવે છે. વિમ્સૉત અને બિયડર્‌ઝલીએ કર્તાના ‘આશય’ને સ્વીકારીને ચાલવા જતાં Intentional fallacy અને ભાવકોના ઊર્મિમય પ્રતિભાવોને લક્ષમાં લેતાં Affective fallacy – એમ બે રીતના દોષ થતા હોવાનું કહ્યું. જો કે તેમની સર્વની આ જાતની વિચારણાઓ વિવાદગ્રસ્ત રહી છે, અને પશ્ચિમમાં અત્યારે વિવેચનમીમાંસાના જે કેટલાક પાયાના પ્રશ્નો ચર્ચાની એરણ પર છે તેમાં એને લગતા પ્રશ્નો ય છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે નવ્ય વિવેચકોએ સાહિત્યકૃતિના બારીક વર્ણનવિશ્લેષણ અર્થે જે જાતની પ્રવૃત્તિ કરી તેમાં કૃતિની અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત સત્તાનો સ્વીકાર કરવાનું મુખ્ય વલણ રહ્યું છે.&lt;br /&gt;
અગાઉ આપણે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિની વિવેચનવિચારણાની તપાસ નિમિત્તે નોંધ્યું છે કે આરંભકાળથી જ આપણી વિવેચનપ્રવૃત્તિ પાશ્ચાત્ય વિવેચનના હેતુઓ, લક્ષ્યો અને પદ્ધતિઓથી વત્તેઓછે અંશે પ્રભાવિત થતી રહી છે. આપણે જોયું કે નવલરામ જેવાએ ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ આદરી ત્યારે આપણે ત્યાં વિવેચનની કોઈ પરંપરા કે પદ્ધતિ નહોતાં. પશ્ચિમના વિવેચનમાંથી અમુક પ્રેરણા લઈને કે નિજી આત્મસૂઝથી તેમણે આગવી રીતિ નિપજાવી લીધી હતી. એમાં વિવેચ્ય કૃતિને નજરમાં રાખીને તેમ તત્કાલીન વાચકોની રુચિને ય લક્ષમાં રાખીને જે ચર્ચા કરી, તેમાં કૃતિના મુખ્ય અર્થનું વિવરણ તો ખરું જ; પણ આવશ્યકતા પ્રમાણે કર્તાનું ચરિત્ર કે માનસ, તેનો પ્રસ્તુત કૃતિ પાછળનો આશય, કૃતિના સ્વરૂપની ટૂંકી ચર્ચા, તેના સંયોજનના પ્રશ્નો અને નીતિઅનીતિના પ્રશ્નો તેમ કર્તાની આસપાસનો બહારી પરિવેશ બધુંય સ્પર્શાતું રહેતું. બળવંતરાય રામનારાયણ અને વિષ્ણુપ્રસાદ જેવામાં આપણે આજે જેને ઐતિહાસિક અભિગમ તરીકે ઓળખાવીએ છીએ તે વધુ સ્પષ્ટરેખ બનતો જણાશે. અલબત્ત, પશ્ચિમનો ટેઈનની વિચારણાના પ્રભાવ નીચે ચોક્કસ તાત્ત્વિક પીઠિકાવાળો અભિગમ સભાનપણે આપણે ત્યાં અપનાવાયો હોય એમ જોવા મળતું નથી. પણ સાહિત્ય અને સાહિત્યકારના સમાજ જોડેના સંબંધોની સ્થાપના કરીને જે વિદ્વાનો ચાલ્યા છે, જેમણે સાહિત્યના ઘડતરમાં સમાજજીવન પણ ઓછેવત્તે અંશે ભાગ ભજવે છે એમ સ્વીકાર્યું છે, તેમને માટે કૃતિ-વિવેચનમાં કૃતિ/કર્તાના સામાજિક/ઐતિહાસિક સંયોગોને વર્ણવવાનું સ્વાભાવિક બની ગયું હતું. બળવંતરાયની ‘સરસ્વતીચંદ્ર’ વિશેની તેમ ગોવર્ધનરામ વિશેના વ્યાખ્યાનની ચર્ચા એનું ઉત્તમ દૃષ્ટાંત છે.&lt;br /&gt;
અને, આમ જુઓ તો, નવલકથા નાટક જેવી લાંબા ફલકની કૃતિઓ વિશે અલગ વિસ્તૃત અધ્યયન-વિવેચન રજૂ કરવાની જે કંઈ પ્રવૃત્તિ આપણે ત્યાં થઈ, તેમાં પ્રસ્તુત કૃતિ નિમિત્તે કર્તાનું મનોજગત, તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભો, કૃતિમાં રજૂ થતી પાત્રસૃષ્ટિને લગતા નીતિઅનીતિના પ્રશ્નો ઓછેવત્તે અંશે સ્પર્શાતા રહ્યા છે. બીજી રીતે કહીએ તો, એમાં biographical approach, historical approach, moral approach એમ વિભિન્ન અભિગમો અણજાણપણે જ એકત્ર થતા રહ્યા છે. વળી, કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ જેવાં સ્વરૂપોની બાબતમાં જ્યાં સંગ્રહો ઉપલબ્ધ બને છે ત્યાં ઘણુંખરું સંગ્રહને નજરમાં રાખીને વ્યાપક રીતની ચર્ચા કરવાનું વલણ રહ્યું છે. એમાં દૃષ્ટાંત લેખે ચર્ચાયેલી કૃતિ/કૃતિઓનો માર્મિક પરિચય, અલબત્ત, આપવામાં આવે પણ એવી કૃતિ વિશે આકારલક્ષી અભિગમથી વિવેચન કરવાની પ્રવૃત્તિ ત્યારે આરંભાઈ નહોતી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ટૂંકાં ટૂંકાં ઊર્મિકાવ્યોના અલગ અલગ આસ્વાદો લખવાની પ્રવૃત્તિ વ્યાપક બની રહી તે પછી જ ટૂંકી વાર્તા નવલકથા વગેરે કથામૂલક સ્વરૂપની કૃતિઓનો આકારલક્ષી અભિગમથી વિચાર કરવાનું વલણ જન્મ્યું.&lt;br /&gt;
રસપ્રદ બાબત એ છે કે વિવેચનના અભિગમ લેખે આકારવાદની પ્રતિષ્ઠા થઈ તે પછી જ વિવેચનના અન્ય અભિગમોની તાત્ત્વિક ભૂમિકા સમજવાની જિજ્ઞાસા જન્મી. પશ્ચિમમાં આ વિશે જે કામ થયું છે, તેની નોંધ લેવાનું પણ ધીરે ધીરે બન્યું. અને આજે આ બધા અભિગમો વિશે આપણા વિવેચનવિચારમાં સંગીન વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરતો ગ્રંથ કે લેખસંચય આપણી પાસે ઉપલબ્ધ નથી. વિવેચનની પદ્ધતિ (કે અભિગમ) એ વિવેચકને માટે સર્વથા ઐચ્છિક કે યાદૃચ્છિક બાબત છે, એમ પણ કેટલાક હજી માને છે. પણ એ વાત બાજુએ રાખીએ. આપણે માટે પ્રસ્તુત મુદ્દો એ છે કે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિ વિવેચકોએ કૃતિઓ/કર્તાઓ વિશે જે રીતે વિવેચનવિચારણાઓ કરી તેમાં સાહિત્યની કળા વિશે દરેકની આગવી એવી સમજ હતી, દરેકનાં એ વિશે આગવાં એવાં ગૃહીતો હતાં. એ જ રીતે વિવેચ્ય કૃતિને અવલોકવા અને મૂલવવા પોતે કયો અભિગમ લેશે તે વિશે પોતા પૂરતી અમુક સૂઝ હતી. પણ પોતાના વિવેચનાત્મક અભિગમને અન્ય અભિગમોથી અલગ તારવીને તેની સાર્થકતા કે ઉપકારકતા તપાસવાનું, તેમ જ સાહિત્યકળા સાથે તેની પદ્ધતિ કેવી રીતે સંકળાઈ છે તેનો વિચાર કરવાનું કે સંબંધિત પ્રશ્નોની માંડણી કરવાનું ખાસ વલણ ત્યારે જન્મ્યું નહોતું. આકારવાદી, અભિગમની પ્રતિષ્ઠા થઈ ત્યારે એવી એક સમજ પ્રચારમાં આવી કે એ જ સાચો ‘સાહિત્યિક’ અભિગમ છે. પૂર્વે પ્રચારમાં રહેલા અભિગમો ‘બિન-સાહિત્યિક’ હતા એવું એમાં સૂચવાતું હતું. આમ, વિવેચનના અભિગમની તાત્ત્વિક ચર્ચા, તેની સાથે સંબંધિત ‘સાહિત્યિકતા’ (Literariness)ની સાથે સંકળાતી રહી.&lt;br /&gt;
કર્તાની મનોસૃષ્ટિ કે ભાવકની મનોદશા નહિ, એ બેને જોડનારી કડી જેવી સાહિત્યકૃતિ જ વિવેચનનું ખરું અધિષ્ઠાન છે, વિવેચકે એનું જ વર્ણન વિવેચન કરવાનું છે, એમ સુરેશ જોષીએ ભારપૂર્વક દર્શાવ્યું. ખરી વાત તો એ કે કૃતિના આસ્વાદ પર જ તેમણે બધો ભાર મૂક્યો છે. કૃતિની આકૃતિ અને રચનાપ્રક્રિયાને નજરમાં રાખીને વિવેચકે તેનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્ય તત્ત્વોની ઓળખ કરાવવાની છે, એમ તેમણે કહ્યું. આગળના યુગોમાં કૃતિના વિવેચન નિમિત્તે થોડોક અર્થ કે સંદેશ સારવી લેવાની, અર્થદર્શનને નામે કેવળ paraphrase કરવાની, અને અર્થઘટનને નામે ‘અર્થ’નો સંકોચ કરવાની પ્રવૃત્તિ ચાલી, તેનો ફરી ફરીને તેમણે વિરોધ કર્યો. એ રીતે, કેવળ ઉદાત્ત વિચારોને કારણે જ કૃતિ ચઢિયાતી હોવાનું લેખવવામાં આવે તેની સામે ય તેમણે વાંધો લીધો. તેમના મતે ખરો પ્રશ્ન કવિકર્મની તપાસનો છે. કવિએ પોતાની રચનાની સામગ્રી લેખે લાગણી અનુભવ વિચાર આદિ જે કંઈ તત્ત્વોનો સ્વીકાર કર્યો હોય તેનું કળામાં રૂપાંતર થઈ શક્યું છે કે કેમ એ જ વિવેચક માટે મુખ્ય તપાસની વસ્તુ છે. અને જો કૃતિઓ વચ્ચે ઉચ્ચાવચતાનો ક્રમ વિચારવો જ હોય તો તેમાંના કવિકર્મની સફળતા અને સામર્થ્યને જ લક્ષમાં લેવાનાં રહે.&lt;br /&gt;
આસ્વાદની પ્રવૃત્તિમાં રચનાપ્રક્રિયા કે ભાષાકર્મને જ અત્યંત નિકટતાથી તપાસવાની પ્રવૃત્તિ શરૂ થઈ, એથી વિવેચનાત્મક લખાણનું પ્રયોજન અને પદ્ધતિ મૂળથી બદલાઈ ગયાં. ભાષાના સર્જનાત્મક વિનિયોગની ઓળખ કરવાના પ્રયત્નમાં અગાઉ પ્રચ્છન્ન રહી ગયેલાં કેટલાંક રચનાગત સૌંદર્યો એ રીતે કદાચ પહેલી જ વાર પ્રકાશમાં આવ્યાં. અલબત્ત, કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાય જેવા કવિઓની રચનાઓને આપણા આગલી પેઢીના મર્મજ્ઞ વિવેચકોએ નહોતી માણી એમ અહીં અભિપ્રેત નથી જ. તેમણે એ રચનાઓને ઉત્કટતાથી પ્રગાઢતાથી જરૂર માણી હશે. મારું તાત્પર્ય એ છે કે ઉત્કટતાથી માણવા છતાંય કૃતિની રચનાપ્રક્રિયા વિશે કે ભાષાની સર્જકતા વિશે સંપ્રજ્ઞપણે તપાસ હાથ ધરી ન હોય તો અમુક સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યરેખાઓ સભાનતાના સ્તરે પકડાતી નથી. કૃતિમાં લીન થઈએ, તન્મય થઈએ, ત્યારે વાચનની ક્ષણે પંક્તિઓ/શબ્દસમૂહો આપણી ચેતના પર ઊંડો પ્રભાવ પાડે છે. પણ એ પ્રકારનો પ્રભાવ અમુક અંશે અજ્ઞાત ચિત્ત પર સીધો ઝીલાતો હોય છે. વિવેચક અંતર્મુખ બનીને એ પ્રભાવને સમજવા મથે અને તેમાં નિમિત્ત બનેલી ભાષાપ્રક્રિયાની બારીક તપાસ કરે ત્યારે જ એમાં સમર્પક બનતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રમણીય તત્ત્વોને સભાનતાના સ્તરેથી અલગ રૂપમાં ઓળખવાનું શક્ય બને. આગલી પેઢીના વિદ્વાનોએ એક બાજુ ઉન્નત વિચાર કે ઉદાત્ત ભાવ કે જીવનદર્શનની ખોજ આદરી; બીજી બાજુ, કવિની શૈલીનાં લક્ષણોની નોંધ કરવાનું વલણ દાખવ્યું. પણ ભાષાની સર્જકતાની સઘનતાથી પ્રત્યક્ષ કરવાનું વલણ તેમનામાં બંધાયું નહોતું. એટલે એમ માનવાને કારણ છે કે આજની આસ્વાદલક્ષી પ્રવૃત્તિને પરિણામે અગાઉ ક્યારેય પ્રકાશમાં ન આવ્યાં હોય એવાં કેટલાંક રમણીય તત્ત્વો પ્રત્યક્ષ થઈ શક્યાં.&lt;br /&gt;
સાહિત્યવિવેચનના ભાગ રૂપે અગાઉ આપણે ત્યાં કૃતિના ‘અર્થઘટન’ની જે રીતની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, તેની સામે ય સુરેશ જોષીએ વાંધો લીધો છે. તેમનું તાત્પર્ય એ છે કે અર્થઘટનને નામે અભ્યાસીઓ ઘણું ખરું તો કૃતિની સમૃદ્ધ સંકુલ વ્યંજનાસૃષ્ટિને પોતાને અનુકૂળ પડે તે રીતે સારવી લેતા હોય છે. વિવેચકે કૃતિના સમગ્ર સંકુલને, એની સર્વ સૂક્ષ્મતાઓ સમેત, એમાંના આંતરવિરોધો (paradoxes) અને તણાવો (tensions) સમેત એમાંનાં વ્યંગ કાકુઓ અને એમાંની સમૃદ્ધ ambiguities સમેત ગ્રહણ કરવાનો છે. એમાંથી કોઈ વિચાર કે અર્થ ઘટાવવા જતાં તેનું સરલીકરણ થઈ જાય છે. સુસાન સોન્ટાગની આ જાતની વિચારણામાંથી તેમને સમર્થન મળી રહ્યું છે. સુરેશ જોષીની આ ભૂમિકા સમજવામાં અને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
પણ વિવેચન નામની પ્રવૃત્તિના સ્વીકાર સાથે જ એક પાયાની મુશ્કેલી ઊભી થાય જ છે. જ્યાં સુધી કૃતિના અનુભાવનને લાગેવળગે છે ત્યાં સુધી તેને સમગ્રતામાં સંકુલતામાં અખિલાઈમાં પામવાનું શકય છે—અને વાસ્તવમાં કૃતિની જે સમગ્રતા સંકુલતા અને અખિલાઈ છે તે તેના આગવા આકારમાં, આગવી અભિવ્યક્તિમાં, અનુસ્યૂત રહી છે—એટલે કૃતિની અભિવ્યક્તિની ભાષા છોડીને તમે તમારા પ્રતિભાવને એક જુદા જ ભાષાકીય સંદર્ભમાં મૂકવા જાઓ છો, અને એમાં જાણ્યેઅજાણ્યે અમુક વિભાવનાઓનું માળખું (conceptual frame-work) સ્વીકારીને ચાલો છો, ત્યારે સ્વભાવિક રીતે જ કૃતિની સમગ્રતા સંકુલતા ખંડિત થાય જ છે. એટલે વિવેચનની પ્રવૃત્તિમાં સમગ્ર ‘અર્થ’ સાથે કામ પાડવા છતાં તેનું પુનઃનિર્માણ શક્ય નથી. સમગ્ર ‘અર્થ’ માટે મૂળ કૃતિનો બીજો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે. એટલે, વિવેચનની પ્રવૃત્તિમાં કશુંક ઓછું થાય જ છે, પણ એની જો થોડીક પણ ઉપયોગિતા હોય તો તે એ રીતે કે વિવેચક તરફથી એનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખની સાથોસાથ કશુંક આગવું ઉમેરાય છે. સૌંદર્યતત્ત્વોની ચર્ચા નિમિત્તે તે તેની તાત્ત્વિક ભૂમિકાનો નિર્દેશ કરે છે, કે વ્યાપક જીવનતત્ત્વો સાથેનો તેનો કોઈ અનુબંધ રચી આપે છે, અને એવા વ્યાપક તત્ત્વબોધને સ્પર્શે છે જેમાં કશુંક મૂલ્યવાન પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
વિવેચનની અંતર્ગત ચાલતા એક વ્યાપાર તરીકે અર્થઘટનના સ્વરૂપ અને અને કાર્ય વિશે પાશ્ચાત્ય વિદ્વાનોમાં ય ઘણા મતભેદો હોવાનું સમજાય છે. કેટલાક, વિવેચનના એક વ્યાપાર લેખે અર્થઘટનનો મૂળથી જ અસ્વીકાર કરે છે, બીજાઓ અર્થઘટનનો સ્વીકાર કરે છે, પણ તેના સ્વરૂપ અને કાર્ય વિશે જુદી જુદી સમજ પ્રગટ કરે છે. ઓસ્બોર્ન કહે છે : ‘...Interpretation is a moot word; it all depends what you decide to mean by it.’૧૧૯ અર્થાત્‌ ‘અર્થઘટન’ એ એક protean term છે. જુદા જુદા અભ્યાસીઓ એને જુદી જુદી રીતે સમજવા મથે છે, અને તેના પ્રકાશમાં કૃતિવિવેચનના મુદ્દાઓનો જુદી જુદી રીતે વિચાર કરે છે. એટલે, ખરી વાત તો એ છે કે, અર્થઘટનને સ્વીકારનાર અને ન સ્વીકારનાર બંને જુદા જ અર્થમાં એને સમજતા હોય એમ જોવા મળશે.&lt;br /&gt;
વિવેચનનો તત્ત્વવિચાર રજૂ કરતાં સુરેશ જોષીનાં લખાણોમાં ‘અર્થઘટન’ વિશે જુદા જુદા સંદર્ભોમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયેલા છે. ‘વિવેચનનો અન્ત?’માં તેમણે આ ચર્ચા ટૂંકમાં છેડી છે. ત્યાં તેઓ એમ કહે છે કે ‘અર્થઘટન’ સમાસમાંનો ‘અર્થ’ શબ્દ બિનજરૂરી ગૂંચવાડા ઊભા કરે છે, એટલે એને સ્થાને ‘મર્મઘટન’ સંજ્ઞા યોજવી જોઈએ. (જો કે પ્રસ્તુત સંદર્ભની ચર્ચામાં ‘અર્થઘટન’ સંજ્ઞા જ તેઓ યોજતા રહ્યા છે.) પણ ‘અર્થઘટન’ કે ‘મર્મઘટન’ના વ્યાપારનું કોઈ સ્પષ્ટ સુરેખ વર્ણન તેમણે ત્યાં આપ્યું નથી. તેઓ એને અંગે પ્રથમ તો critical statementના સત્યાસત્યના મુદ્દાને સ્પર્શે છે. વિવેચકો કળાકૃતિ વિશે જે જાતનાં વિધાનો કરે છે તે પૈકીના અમુક તાર્કિક દૃષ્ટિએ true કે false છે તે બતાવી શકીએ, જ્યારે બીજાં કેટલાંક વિધાનો વિશે તે પ્રમાણભૂત છે કે નહિ તેટલું જ વિચારી શકીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે આવાં વિધાનોમાં કૃતિ વિશેનું કોઈક interpretation કરવામાં આવ્યું હોય છે. આ સંદર્ભે જ તેઓ પ્રશ્ન કરે છે : કોઈ પણ વ્યંજનાસમૃદ્ધ કૃતિ વિશેનું કોઈ એક અર્થઘટન તેને વિશેનાં જ બીજાં અર્થઘટનો કરતાં વધુ સાચું ગણાય ખરું? અથવા સાહિત્યકૃતિનું કોઈ એક માત્ર આદર્શ અર્થઘટન કે significance હોય છે એમ કહીશું? તેઓ એવું મંતવ્ય રજૂ કરે છે કે એક જ કૃતિનાં અમુક જુદાં જુદાં પરસ્પરવિરોધી લાગતાં અર્થઘટનો પણ સ્વીકારી શકાય. આવું એક અર્થઘટન બીજા અર્થઘટનનો અનિવાર્યતયા છેદ ઊડાડે જ એમ હંમેશાં બનતું નથી. બલકે, એવા અર્થઘટનો-અર્થઘટનાત્મક વિધાનો એકબીજાને પૂરક બની શકે છે, કૃતિની સંકુલતા ઉપસાવવામાં તે આગવી આગવી રીતે સમર્પક બની શકે છે. આથી ઊલટું, કૃતિનું કોઈ એક જ અર્થઘટન સાચું, એક જ આદર્શરૂપ, એમ સ્વીકારવા જતાં એ જ પ્રમાણભૂત છે એમ શી રીતે સ્થાપી શકાશે? સુરેશ જોષીએ આ રીતે અર્થઘટનના તાત્ત્વિક પ્રશ્નોનો નિર્દેશ કરી એમ સૂચવ્યું છે કે કૃતિની ‘સંકુલતા અને સમગ્રતા’ વધુમાં વધુ ‘આવરી’ લઈ શકે, તેને વધુ ‘વિશદ’ કરી આપી શકે તેમ જ કૃતિ સાથે જે ‘વધુ સંબદ્ધ’ લાગે તે અર્થઘટન સ્વીકારવાનું રહે. સુરેશ જોષીની પ્રસ્તુત ચર્ચા જોતાં તો અર્થઘટનવ્યાપારને તેઓ વિવેચનમાં અંતર્ગત ભાગ લેખે સ્વીકારી લેતા હોય, સમાવી લેતા હોય, એવું લાગે છે.&lt;br /&gt;
‘સંરચના અને સાહિત્યવિવેચન’ લેખમાં સંરચનાવાદીઓના સાહિત્યિક અભિગમના મુદ્દાને અનુલક્ષીને તેમણે જે ચર્ચા છેડી છે તેમાં ય અર્થઘટનનો મુદ્દો સ્પર્શાયો છે. સંરચનાવાદીઓ સાહિત્યને અનુલક્ષીને પૃથક્કરણનો માર્ગ લે છે, પણ તેના ‘આલોચનાત્મક અર્થઘટન’નો અસ્વીકાર કરે છે એમ નોંધી તેઓ ત્યાં તેને વિશે ટીકાટિપ્પણી કરે છે. પ્રસ્તુત સંદર્ભમાં કૃતિના અભિગમ પરત્વે તેઓ બે ‘વિકલ્પો’ સૂચવવા ચાહે છે. એક છે active interpretationનો, બીજો છે deadening systematizationનો. તેમના મતે સંરચનાવાદીઓ જે રીતે ‘સાહિત્યને શક્ય બનાવતા નિયમોનું સ્વરૂપ’ સ્થાપી આપવાનો પ્રયત્ન કરે છે તેથી તો તેઓ ‘એક પ્રકારની generality’નો ભોગ બનતા હોય છે. સાહિત્યની કૃતિમાં સિદ્ધ થયેલી કળાત્મક વિશિષ્ટતાઓનો જ એમાંથી લોપ થઈ જતો હોય છે. સુરેશ જોષી અહીં એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વિશિષ્ટ કૃતિઓને અનુલક્ષીને એકથી વધુ અર્થઘટનોને અવકાશ રહેતો હોય છે. સંરચનાવાદીઓ જે રીતે સર્વસામાન્ય સાહિત્યિકતાનો વિચાર કરવા પ્રેરાયા છે તેમાં નરી generality જ શેષ બચે છે. કૃતિવિશેષના અર્થઘટનને માટે એમાં કોઈ ભૂમિકા રહેતી નથી. અહીં પણ અર્થઘટનની આવશ્યકતા સ્વીકારીને તેઓ ચાલ્યા હોય એમ સમજાશે.&lt;br /&gt;
‘અર્થઘટન?’ શીર્ષકના લેખમાં, આ મુદ્દા વિશે જ તેમણે ચર્ચા ઉપાડી છે. શીર્ષકમાં મૂકાયેલું પ્રશ્નચિહ્ન જ અર્થઘટનપ્રવૃત્તિ વિશેના તેમના સંશયને સૂચવી દે છે. જો કે સુરેશ જોષી કે બીજો કોઈ અભ્યાસી, વિવેચનની અંતર્ગત અર્થઘટનના વ્યાપારનો સ્વીકાર ન કરે એ મુદ્દા કરતાં ય વધુ તો અર્થઘટનવ્યાપાર વિશેની તેમની ખરેખર વિભાવના શી અને એના અસ્વીકાર માટેની ભૂમિકા કઈ તે કદાચ વધુ મહત્ત્વના મુદ્દાઓ બની રહે છે. પણ સુરેશ જોષીના પ્રસ્તુત લેખમાં ‘અર્થઘટનવ્યાપારના’ કે અર્થઘટનની પ્રક્રિયાના સ્વરૂપ વિશે કોઈ સ્થિર નિશ્ચિત ભૂમિકા સાંપડતી નથી એ  આપણી મૂંઝવણ બની રહે છે. &lt;br /&gt;
ચર્ચાના આરંભમાં આ વિશે તેઓ કહે છે : “આપણી પરિભાષામાં વાત કરીએ તો અર્થ એટલે meaning નહિ, પણ રસ. આ રીતે જોઈએ તો અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ. રસાસ્વાદમાં જે વિઘ્નો આવતાં હોય તેની આલોચના.”૧૨૦ અર્થઘટનના પ્રશ્ને અહીં કંઈક મૂળથી જ મુશ્કેલી અનુભવાય છે. આપણે જેને aesthetic experience – રસાનુભૂતિ – તરીકે ઓળખીએ છીએ તે તો સહૃદયના ચિત્તમાં ચાલતો અતિ સૂક્ષ્મ વ્યાપાર છે. આસ્વાદની પ્રક્રિયા સમયના ક્રમમાં ચાલે છે અને એ દરેક ક્ષણમાં કૃતિની સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અને અર્થોની છાયાઓ ભાવકના ચિત્તમાં ઉપચિત થતી આવે છે; અને રસાનુભવમાં ભાવકનું ચિત્ત કંઈ નિષ્ક્રિય ભાવે બધું નિહાળ્યા કરે એમ પણ નથી. તેમાં સક્રિયપણે તે કશુંક અર્પણ પણ કરે જ છે. આમ જે એક સંકુલ પ્રક્રિયા ચાલે છે તેની કોઈ પણ રીતે ‘તપાસ’ કરવા ચાહો તો અમુક દૃષ્ટિબિંદુ કે પરિપ્રેક્ષ્ય સ્વીકારવો પડે, અમુક frame of reference સ્વીકારવો પડે, કે તપાસ પાછળ કોઈ principle લક્ષમાં લેવાનો રહે. એટલે સૂક્ષ્મતમ ચૈતસિક પ્રક્રિયાની ‘તપાસ‘ના સ્વીકાર સાથે જ કોઈક રીતે રસાનુભવની ઘટનાનું Ordering, structuring સ્વીકારવું પડે. વળી ‘રસાસ્વાદનાં વિઘ્નો’ની ‘આલોચના’ પણ અર્થઘટન શી રીતે બને તે સ્પષ્ટ થતું નથી. ‘વિઘ્નો’ જે આસ્વાદનો અંતર્ગત ભાગ નથી, તે કૃતિના અર્થઘટનમાં શી રીતે પ્રવેશે તે પણ પ્રશ્ન છે.&lt;br /&gt;
આ પછી સુરેશ જોષીએ જ્હોન એલિસની ‘અર્થઘટન’ની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે. એલિસના મત પ્રમાણે ‘અર્થઘટન’ એટલે ‘સાહિત્યિક રચનાના ઘટકોના સંબંધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાંત વિશેની hypothesis’. આ ખ્યાલ સુરેશ જોષીના પોતાના ખ્યાલથી જુદો છે. એલિસના મતે ‘અર્થઘટન’ એ કૃતિની સંરચનાના સ્તરે પ્રવર્તતા સિદ્ધાંત વિશેની ‘hypothesis’ – ધારણા છે. દેખીતી રીતે જ, કૃતિના અમૂર્તીકરણનો ખ્યાલ એમાં સૂચિત છે સુરેશ જોષીએ એ વિશે ખાસ ટીકાટિપ્પણી કરી નથી, પણ સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. કેટલાકના મતે કૃતિના રસાસ્વાદન અર્થે વિવેચકે તેમાં જે કેટલુંક ‘digging’ કરવું પડે એ ‘digging’-વ્યાપાર પોતે જ અર્થઘટન છે, એમ સુરેશ જોષી નોંધે છે. જો કે એ મતના પુરસ્કર્તા વિદ્વાનોનો તેઓ ઉલ્લેખ કરતા નથી. પણ અહીં ખરી મુશ્કેલી ‘digging’ જેવા રૂપકાત્મક પ્રયોગમાંથી જન્મે છે. કોઈ કૃતિમાં ‘digging’ કરવું એટલે શું? કશું સ્પષ્ટ થતું નથી. કૃતિના અર્થબોધના આકલનના અનુમાનના – તાત્પર્ય કે, જ્ઞાનમીમાંસાના સ્તરેથી એ સર્વ વ્યાપારના પ્રશ્નોની માંગણી કરવાની અહીં રહી જાય છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં બિયર્ડ્‌ઝલીની વિચારણા ય સંકળાતી આવી છે. બિયડર્‌ઝલીએ અર્થઘટનના આ પ્રશ્ન understanding (એના પર્યાય લેખે સુરેશ જોષીએ યોજેલો ‘મુખ્યાર્થબોધ’ શબ્દ વ્યાજબી છે ખરો?) સાથે સંકળાયેલો હોવાનું કહ્યું છે તે પણ ધ્યાનાર્હ છે. સુરેશ જોષીએ બિયડર્‌ઝલીની આ ભૂમિકાનું ટૂંકું સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે, અને તેનું સમર્થન પણ કર્યું છે. બિયડર્‌ઝલીના મતે કૃતિનું understanding એ તેના અર્થઘટન માટેની પૂર્વભૂમિકા છે, તેમ પૂર્વશરત પણ છે. એ રીતે understanding એ પ્રથમ તબકકો, interpretation બીજો તબકકો – એવો સમયનો ક્રમ એમાં પડેલો છે. પ્રાચીન સાહિત્યની ‘પદાવલિ’ અર્વાચીન કૃતિઓમાં પ્રયોજાય છે ત્યારે તેના અમુક ‘અધ્યાસો’ અને ‘સંસ્કારો’ નવા સંદર્ભમાં નવી રીતે જ ઉદ્‌બુદ્ધ થાય છે. સમર્થ કવિ તો રોજબરોજની ભાષાના પ્રયોગોથી અળગો થઈ તેનું વિશિષ્ટ રીતે નવવિધાન કરતો હોય છે. દાદાવાદ કે અતિવાસ્તવવાદના પ્રણેતા કવિઓ રોજિંદી વાણીના પ્રયોગોને દૂર સુધી ખેંચી જવા મથ્યા છે. બિયડર્‌ઝલી એથી એવા મત પર આવ્યા છે કે ‘કાવ્યનું કોઈ પણ અર્થઘટન વસ્તુલક્ષી દૃષ્ટિએ સર્વસંમત નીવડી શકે નહિ.’ સુરેશ જોષી એમાં સંમત થાય છે. આ સંદર્ભે આપણે નોંધવું જોઈએ કે અર્થઘટન વિશેની બિયડર્‌ઝલીની સમજ આરંભમાંની સુરેશ જોષીની વિચારણા (અર્થઘટન એટલે કૃતિની રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ)થી જુદી રીતે મુકાઈ છે. બિયડર્‌ઝલી કૃતિના સંદર્ભે understandingની અનિવાર્યતા સ્વીકારે છે. સુરેશ જોષી રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ માટે કહે છે પણ તપાસ માટે કોઈ principle કે perspective સૂચવતા નથી.&lt;br /&gt;
અર્થઘટન તે કૃતિના decodingનો જ વ્યાપાર છે, એવો એક ખ્યાલ પણ સુરેશ જોષીએ આ ચર્ચાના અનુસંધાનમાં સાંકળ્યો છે. એ જ રીતે, કૃતિમાં રજૂ થતાં અલંકારો રૂપકગ્રંથિઓ આદિ ઘટકતત્ત્વોને ભાવકો જે રીતે ‘ઘટાવી’ જૂએ છે તે પણ અર્થઘટનનો એક વ્યાપાર છે. ચર્ચામાં આ રીતે ‘અર્થઘટન’ની એકથી વધુ પ્રક્રિયાઓ ઉલ્લેખાયેલી છે.&lt;br /&gt;
આમ છતાં, ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે, અંતમાં, તેઓ પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે : “જે લોકો અર્થઘટન અને અર્થબોધની વાતો કરે છે તેઓ આખરે તો શબ્દાન્તરે કાવ્યનો ગદ્યાળુ ભાષામાં અનુવાદ જ આપી છૂટે છે. એથી વિદ્વત્તાનો અર્થ સરતો હશે, રસાસ્વાદમાં એ ઉપકારક નીવડે જ એવું કહી શકાય નહિ. કાવ્યશાસ્ત્ર નહિ, પણ અનેક કાવ્યોમાં કરેલું નિમજ્જન જ આપણને રસસૃષ્ટિનાં દ્વાર ખુલ્લાં કરી આપે છે.”૧૨૧ અને પછી ઉમેરે છે : “...અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની સાહજિકતાને અળપાવી નાખે છે. આવાં અર્થઘટનોને નામે બુદ્ધિનો કલાદ્વેષ જ પ્રગટ થતો હોય છે. રસાનુભવમાં જે વ્યવધાનરહિત તત્ક્ષણતાની અપેક્ષા રહે છે તેનો જ અર્થઘટનને નામે લોપ કરવામાં આવે છે. કાવ્યના સમગ્રને બૌદ્ધિક ચોકઠામાં સારવી લેવાની આ પ્રવૃત્તિ આપણા અનુભવજગતને ધીમે ધીમે હ્રસ્વ કરી નાખે છે...”૧૨૨&lt;br /&gt;
અંત ભાગની ચર્ચાવિચારણામાં મૂળથી જ તાર્કિક ગૂંચ ઊભી થતી દેખાય છે. અહીં ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે તેઓ જે રીતે વાંધો લે છે તેમાં ‘અર્થઘટન’ વિશેનો જુદો જ ખ્યાલ તેમની નજરમાં હોય એમ લાગે છે. કાવ્યના સમગ્રને ‘બૌદ્ધિક ચોકઠામાં’ સારવી લેવાની પ્રવૃત્તિ તે અર્થઘટનની જ પ્રવૃત્તિ છે એમ એમાં ગર્ભિત રહ્યું છે. પણ જ્હોન એલિસ અને બિયડર્‌ઝલીની આ વિશેની જે ભૂમિકાનું તેમણે વિવરણ અને સમર્થન કર્યું તેની સામે જ આ મુદ્દો જતો નથી? આરંભમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ તે જ અર્થઘટનની પ્રક્રિયા એવો જે ખ્યાલ રજૂ કર્યો હતો તે સ્વયં ચર્ચાસ્પદ રહ્યો છે એમ આપણે જોઈ ગયા. અહીં અર્થઘટનવ્યાપાર સામે તેઓ મૂળથી જ વાંધો લે છે. ભાવકના રસાનુભવનું મહત્ત્વ તેઓ કરે છે તે સમજવામાં મુશ્કેલી નથી. પણ ‘અર્થઘટનો’ તો રસાનુભવ પછીની ઘટના સંભવે છે. રસાનુભવની અતિ સંકુલતા અને સમૃદ્ધ સંદિગ્ધતાને ભાવકનું ચિત્ત જેમનું તેમ એની સમગ્રતામાં ગ્રહણ કરી શકતું નથી. એનું સંચાલક નિયામક એવું ઋત શોધવાની પ્રક્રિયામાં અમુક બૌદ્ધિકતાને અવકાશ રહે જ છે. બલકે, કૃતિમાં જે જે ભાવોર્મિઓ અર્થચ્છાયાઓ વ્યંજનાઓ ક્રમશઃ બોધમાં આવ્યાં હોય તેને કોઈ એક કેન્દ્રમાંથી સાંકળીને જોવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ રીતે કૃતિનું semantic field તેમાં વ્યવસ્થાની તપાસ કરવાને આધારભૂમિ બને છે. કૃતિની સમગ્ર સંકુલ વ્યંજનાને એક બિંદુએ સાંકળવાના, સમજણને વધુ સ્પષ્ટ ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો, નિશ્ચિતપણે આસ્વાદ સાથે અનુસંધિત છતાં, પછીની ક્ષણની ઘટના છે. એને અર્થઘટન તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, કૃતિનાં સૌંદર્ય તત્ત્વો વિશેના આકલન સાથે એ અનિવાર્યપણે જોડાયેલી ઘટના છે.&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રની વર્તમાન ગતિવિધિઓને અનુલક્ષીને, તેમ વિવેચનવિચારના કોઈ ને કોઈ નિમિત્તે, તેમણે કૃતિવિવેચનના પાયાના પ્રશ્નો ચીંધી બતાવ્યા છે. તેમના પાછળના ત્રણ વિવેચનગ્રંથો – ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રે આ વિષયમાં ચર્ચાતા મુદ્દાઓ લઈને લખેલા લેખો તેમણે મૂક્યા છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્ન શાખાઓ, ત્યાંના સાહિત્યવિચારને અને વિવેચનના અભિગમોને કેવી રીતે વળાંક અર્પી રહી છે, તેની ચર્ચાઓ પણ એમાં છે. સંભવતઃ પાશ્ચાત્ય વિદ્વાનો વિવેચકોની આ જાતની ચર્ચાવિચારણાઓની એમાં સીધી પ્રેરણા રહી છે. કેટલાંક લખાણો ત્યાંના વિવેચનલેખો પર આધારિત હોવાનું તેમણે નોંધ્યું ય છેઃ અને એ કારણે એમાં મૂળના પ્રતિપાદ્યની વિશદ રજૂઆત થઈ શકી નથી ત્યાં કેટલુંક લખાણ ક્લિષ્ટ અને દુર્બોધ બની જતું લાગે છે. પણ આવી મૂંઝવણો અને મુશ્કેલીઓને બાજુએ રાખીને કહેવું જોઈએ કે, આપણા વિવેચનક્ષેત્રમાં સતત નવા નવા પ્રાણવાન વિચારો આવકાર પામતા રહે, જૂનાનવા વિચારો વચ્ચે ટકરામણો થાય, ઊહાપોહ થાય અને કશુંક નૂતન જન્મી આવે, એવી ભાવનાથી તેઓ આ દિશામાં પ્રવૃત્ત રહ્યા છે. આ માટે તેઓ સ્વયં ઊહાપોહ જન્માવી આપવા સક્રિય બની રહ્યા છે. તેમણે સ્પર્શેલા કેટલાક મુદ્દાઓની અહીં સંક્ષિપ્ત નોંધ કરીશું.&lt;br /&gt;
(૧) સાહિત્યકૃતિનાં મૂલ્યાંકનો કયા ધોરણે થાય છે કે થવાં જોઈએ, એ તપાસવાનો મુદ્દો છે. દરેક સાહિત્યકૃતિ જો અ-પૂર્વ કે અનન્ય (unique) લેખાતી હોય તો એ અપૂર્વતા શામાં રહી છે? આ અપૂર્વતાને સ્વીકારીએ તો અન્ય કૃતિઓ સાથે એની કોઈ રીતની તુલના કરવાનું શક્ય છે? અગર શક્ય છે તો તે યોગ્ય છે, પ્રસ્તુત છે? સુરેશ જોષીએ આવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે, પણ પછી એની વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
(૨) રસાસ્વાદ એ ભાવકના ચિત્તમાં ચાલતી એક આત્મલક્ષી ઘટના છે; જ્યારે વિવેચન શાસ્ત્ર બને એ માટે તેને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો, જે કંઈ આત્મલક્ષી પ્રતીતિનો વિષય છે તેને વસ્તુલક્ષિતા (Objectivity)ની ભૂમિકાએ સ્થાપવાનું શક્ય છે? કળાનું જે કંઈ મૂલ્ય છે તે તો સ્વયં આસ્વાદની પ્રક્રિયામાં જ ઉપલબ્ધ થાય છે. તો તેને પછીથી વિભાવનાઓના માળખામાં રજૂ કરતાં એ મૂલ્યરૂપ ઉપલબ્ધિ લુપ્ત ન થાય? આ પ્રશ્ન યે તેમણે છેડ્યો છે ખરો, પણ તેની વિગતે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
(૩) કળાનિર્માણના ક્ષેત્રમાં સતત નવા નવા ઉન્મેષો પ્રગટ થતા રહે છે. એવા દરેક નૂતન નિર્માણના વિવેચન અર્થે અગાઉની કૃતિઓ પર આધારિત કળાના નિયમો અપર્યાપ્ત કે અપ્રસ્તુત બની રહેતા લાગશે તો પછી, જુદી જુદી સાહિત્યિક પરંપરાઓમાં જન્મી ચૂકેલી, જન્મતી જતી, અને જન્મનારી સર્વે કૃતિઓને આવરી લઈ શકે તેવું કોઈ સર્વગ્રાહી સર્વકાલીન સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? (આ પ્રશ્નને અનુલક્ષીને કળાવિચારણાને-family resemblance-ની દૃષ્ટિએ જોવાનો તેમણે અનુરોધ કર્યો છે. કળાતત્ત્વવિચારને open-textured ખ્યાલ તરીકે જોવાનું તેમણે કહ્યું છે.)&lt;br /&gt;
(૪) કળામાં આકાર વિશેનો ખ્યાલ પણ હવે બદલાઈ રહ્યો છે. આગળ કૃતિની ‘સજીવ એકતા’ (organic unity) કે ‘સુબદ્ધ એકતા’નો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો હતો. એને સ્થાને હવે કૃતિનાં અમુક ઘટકોની નરી સહોપસ્થિતિ (juxtaposition) રચીને જ નવું નિર્માણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો કૃતિવિવેચનના સંદર્ભે આકારની નવેસરથી વ્યાખ્યા કરવાની કે નવેસરથી તેનું અર્થઘટન કરવાની આવશ્યકતા નથી? એમ તેમણે પ્રશ્ન કર્યો છે.&lt;br /&gt;
(૫) સાહિત્યના તત્ત્વવિચાર નિમિત્તે કે કૃતિઓનાં વર્ણનવિવેચન નિમિત્તે જે કોઈ નવી વિભાવના જન્મે છે, તેની પણ પુનર્વ્યાખ્યા થતી રહેવી જોઈએ. આમ તો ઝડપથી બદલાઈ રહેલી વર્તમાન સાહિત્યિક પરિસ્થિતિમાં તેનું સતત સ્પષ્ટીકરણ કરીને તેનો વિનિયોગ કરવો જોઈએ. જો કે અવનવા આકારની કે સર્વથા વિલક્ષણ પ્રકારની બધી જ નવી કૃતિઓને સમગ્રતયા આવરી લે અને વ્યાપકપણે લાગુ પાડી શકાય તેવી વ્યાપક વિભાવના રચવાના પ્રયત્નો વંધ્ય નીવડવા સંભવ છે. સુરેશ જોષીનો આ ખ્યાલ સાચો છે. વિભાવનાને અતિ વ્યાપક અને સર્વગ્રાહી બનાવવા જતાં તે વધુ abstract અને generalised સ્વરૂપની બનશે, તેમાં કૃતિઓના સ્વરૂપ વિચારને લગતાં પરસ્પર વિરોધી તત્ત્વોનો છેદ ઊડી જશે.&lt;br /&gt;
(૬) સાહિત્યની રુચિ, વિવેચન સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસાના વાંચનપરિશીલન માત્રથી બંધાતી કે ખિલતી નથી. સર્જાતા સાહિત્યની પ્રાણવાન કૃતિઓનો પ્રત્યક્ષ સઘન પરિચય જ એમાં ઉપકારક નીવડે.&lt;br /&gt;
(૭) લેખકોના પોતાની અમુક કૃતિ કે સમગ્ર લેખન પ્રવૃત્તિ વિશેના ‘ખરીતાઓ’ ‘બ્લ્યૂ પ્રિન્ટ્‌સ’ રૂપ વિચારો કે ‘પૂર્વ આશયો’ને લક્ષમાં રાખીને તેમની કૃતિઓ પાસે જવાનું નથી. નીપજી આવેલી કૃતિઓની રૂપનિર્મિતિને જ પ્રમાણભૂત ગણીને ચાલવાનું છે. આસ્વાદ વિવેચનની એ જ સાચી અને વાસ્તવિક આધારભૂમિ છે. લેખકોના પૂર્વ પ્રગટ ‘આશયો‘ને જ તેમની કળાત્મક સિદ્ધિ ગણી લેવાનો દોષ – intentional fallacy – ન થવો જોઈએ.&lt;br /&gt;
(૮) વિવેચકે પોતાની સાહિત્યપરંપરાથી સાવ વિમુખ થવાનું નથી. પરંપરાને તેણે કોઈ સ્થગિત થઈ ગયેલી વસ્તુરૂપે નહિ, જીવંત સાતત્યભરી પ્રક્રિયારૂપે જોવાની અને સ્વીકારવાની છે. તેની સામે અત્યંત વિલક્ષણ અને વૈચિત્ર્યપૂર્ણ એવા અનેક નવોન્મેષો આવશે. પણ તેને માત્ર ઉત્સાહના -લાગણીના – ઉદ્રેકથી જોવાના નથી, અમુક બૌદ્ધિક સ્વસ્થતા અને સમ-ભાવ જાળવીને જોવાના છે. આવી નવીન રચનાઓમાં સર્જક જૂનાં રૂઢ કળાતત્ત્વોને ત્યજી દે છે ખરો, પણ તેની અવેજીમાં કયાં નૂતન પ્રાણવાન તત્ત્વો તે નિપજાવી શક્યો છે તે પણ તેણે તપાસવાનું રહે છે.&lt;br /&gt;
(૯) વિવેચનાત્મક વિધાનો-critical statements-ના સત્યાસત્યના ય પ્રશ્નો ઊભા થાય છે. જો કે આ જાતની તપાસના પ્રશ્નો અત્યંત જટિલ છે. આવાં વિધાનો નર્યાં ‘આત્મલક્ષી વિચારણો’ જ છે કે વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતાં ‘વસ્તુલક્ષી કથનો’ છે? આ જાતના પ્રશ્નોને વિકસતા જતા aesthetics linguistics psychology epistemology આદિ વિષયોના પ્રકાશમાં તપાસવા ઘટે.&lt;br /&gt;
વિવેચનમીમાંસા નિમિત્તે કે આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિની તપાસ નિમિત્તે સુરેશ જોષી આ રીતે અનેક પાયાના મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે. પ્રસંગે એવા કોઈ મુદ્દા વિશે કંઈક વિગતે ચર્ચા કરી છે, તો કેટલાક મુદ્દાને ઉપસ્થિત કરી છોડી દીધા છે. પણ પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેમાંના અનેક મુદ્દાઓ તરફ તેઓ આપણું ધ્યાન ખેંચતા રહ્યા છે.&lt;br /&gt;
‘સાહિત્ય અને સુરુચિ’ નામે લેખમાં તેમણે ‘સુરુચિ’ સંજ્ઞાનો સંકેત સ્પષ્ટ કરી સાહિત્ય સાથે તેનો સંબંધ જોડી આપ્યો છે. ‘સુરુચિ’ પ્રયોગમાં જ નૈતિક દૃષ્ટિબિંદુની અમુક ગંધ આવી જાય છે એમ તેઓ કહે છે. પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘રુચિ‘નો રસાસ્વાદ સાથે સંબંધ છે જ્યારે નીતિને સામાજિક વ્યવહાર સાથે. એ રીતે બંનેનાં લક્ષ્ય જુદાં છે એમ તેઓ કહે છે. ‘રુચિ’ના સંદર્ભેય જો આપણે હીનતા કે અધમતાના ખ્યાલને જોડતા હોઈએ તો તે નૈતિકભાવથી નહિ, રસના અપકર્ષના ખ્યાલથી જોડીએ છીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે—“રસનો અપકર્ષ કરનાર તત્ત્વ કેટલીક વાર સર્જકનો નૈતિક આગ્રહ કે ભાવકનો નૈતિક અભિગ્રહ પણ હોઈ શકે. રુચિનો વિકાસ હંમેશાં તત્કાલીન સામાજિક નીતિની વિભાવનાને સમાન્તર રહીને ચાલે એવું ન ય બને.”૧૨૩ આ સંદર્ભમાં સુરેશ જોષી એમ કહે છે કે સાહિત્યને માનવવ્યવહાર સાથે સંબંધ છે ખરો પણ તે કેવો હોવો જોઈએ એ બતાવવાનું તે માથે લેતું નથી, વ્યવહારજીવનની સામગ્રીનો તે કેવળ આસ્વાદક્ષમ કૃતિ રચવાને વિનિયોગ કરે છે. ‘રુચિ‘ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : “રુચિ એટલે પદાર્થો પ્રત્યેનો આપણો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ માનસિક પ્રતિભાવ એમ કહી શકાય. દુનિયાના બધા જ પદાર્થો, પરિસ્થિતિઓ કે અવસ્થાઓ પ્રત્યેનો આપણો પ્રતિભાવ એક સરખો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ હોવાનો સંભવ નથી. આપણી માનવસહજ મર્યાદા, આપણા ચિત્તતંત્રની ઓછીવધતી સંવેદનક્ષમતા, આપણી સંસ્કારગ્રહણ અને સંસ્કારોદ્દીપનની શક્તિ – આ બધાનાં પર એનો આધાર રહે છે. એના એક અન્તિમે જડતા અને બીજે અન્તિમે વિવેકહીન મુગ્ધતા રહ્યાં હોય છે. આ બે અન્તિમોની વચ્ચે રુચિના વિકાસનું ક્ષેત્ર રહ્યું હોય છે.”૧૨૪&lt;br /&gt;
આ સંદર્ભમાં સાહિત્યની સર્જનપ્રક્રિયાનું વર્ણન આપતાં તેઓ કહે છે છે કે સર્જકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વ’નું એ પ્રક્રિયામાં પૂરું તિરોધાન થાય છે-થવું જોઈએ. આવું ‘તિરોધાન’ સિદ્ધ કરીને જ સર્જક વ્યવહારજીવનનાં ‘સીમિત પ્રયોજનો’ અને વ્યવહારમાં અપેક્ષિત ક્રિયાશીલતાને ઓળંગી જઈ શકે છે. આ ‘તિરોધાન’ને અંતે જ પોતાનાં સંવેદનોનું ‘તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય’થી તે ગ્રહણ કરે છે. આ સંવેદનોને એના ‘વિશિષ્ટ પરિવેશથી નિરપેક્ષ’ રૂપમાં તે જુએ છે, ‘કલ્પના, અધ્યાસ અને સંસ્કારોને બળે’ એ સંવેદનની ‘પૂર્ણ યથાર્થતા’નું ‘આકલન’ કરે છે, અને એ યથાર્થતાને સાર્થકતા અર્પે એવું રૂપ તે નિર્માણ કરે છે. આ કાર્યમાં સર્જક લેખે તેને એકી સાથે અનાસક્તિ અને હાનોપાદનનો વિવેક પણ દાખવવાનો રહે છે. ચેતોવિસ્તાર એ જ તેનું પરમ પ્રયોજન બની રહે છે.&lt;br /&gt;
બીજી બાજુ, કૃતિનો આસ્વાદ લેનાર ભાવક પણ આવી જ રીતે વ્યાવહારિક જીવનના સંદર્ભોથી ઊંચે ઊઠતો હોય છે. આસ્વાદ પ્રક્રિયાનું સુરેશ જોષીએ રજૂ કરેલું વર્ણન તેમના જ શબ્દોમાં – “સાહિત્યના રસાસ્વાદમાં આપણી ચેતનાનો આ વિસ્તાર જ મૌલિભૂત પ્રયોજનરૂપ આનંદને સિદ્ધ કરે છે. સાહિત્યનો આસ્વાદ લેનાર પણ સર્જકની રચનાના પ્રભાવથી આસ્વાદ લેતી વેળાએ પોતાના વ્યાવહારિક વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને, તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય કેળવી સંવેદનના અદ્વિતીય રૂપનો સાક્ષાત્કાર કરીને આનંદ અનુભવે છે. કળાકૃતિનો આસ્વાદ કરતી વેળાએ અનુભવાતી ચિત્તની આ અવસ્થા, જેમ જેમ વધુને વધુ શ્રેષ્ઠ પ્રકારની કળાકૃતિઓનું અનુશીલન કરતા જઈએ તેમ તેમ, આપણામાં એક પ્રકારની સાક્ષીભૂત ચેતનાને નિષ્પન્ન કરે છે. પછીથી વ્યવહારના અનુભવોને પણ આપણે એનાં સંભવિત ઇષ્ટ કે અનિષ્ટ પરિણામો ને પ્રતિક્રિયાઓથી વિચલિત થયા વિના એમના યાથાર્થ્યમાં જોઈ લેવાને શક્તિશાળી થઈએ છીએ. આ અવસ્થામાં નિષેધ નહીં પણ સ્વીકાર, સંકોચ નહીં પણ પ્રસાર, અસહિષ્ણુતા નહીં પણ સમસંવેદનશીલતા આપણે અપનાવતા જઈએ છીએ.”૧૨૫&lt;br /&gt;
અહીં સર્જક તેમ ભાવક બંનેના પક્ષે ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’ની સુરેશ જોષીએ વાત કરી છે તે સૂચક છે. વ્યવહારજીવનની સાંકડી સીમાઓથી બંને ઊંચે ઊઠે છે. ભાવકને માટે તેનો આસ્વાદ અને ચેતોવિસ્તાર સ્વયં પરમ મૂલ્ય છે. કળાની એ પરમ સાર્થકતા છે. સુરેશ જોષીની કળાવિચારણામાં તેમની આ એક કેન્દ્રીય ભૂમિકા છે. તેમનું એમ કહેવું છે કે રસાનુભૂતિને આ રીતે સ્વીકારવામાં આવે તો નીતિનો તેની સામે કોઈ વિરોધ ન સંભવે. જોકે તેમની આ ભૂમિકા જુદી રીતે પણ ચર્ચાસ્પદ બની શકે છે. રસાનુભૂતિની તેઓ પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠા કરવા ચાહે છે, પણ રસબોધની એ પ્રક્રિયા અત્યંત સંકુલ ઘટના છે અને ભાવકચિત્તમાં સંભવતી એ કોઈ નિરપેક્ષ ઘટના નથી. કળાતત્ત્વ વિશેની ભાવકની દૃષ્ટિરુચિ ઓછેવત્તે અંશે ય એમાં નિર્ધારક (determinant) બની રહે છે. એટલે પ્રશ્ન કેવળ ભાવકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’નો જ નથી, ભાવક/વિવેચક કળાને કઈ રીતે જૂએ છે, સ્વીકારે છે, અને વિશ્વજીવનમાં તેને ક્યાં સ્થાપે છે વગેરે બાબતો ય એમાં એટલી જ, બલકે એથી યે વધુ, મહત્ત્વની બની રહે છે.&lt;br /&gt;
સર્જન-ભાવનની ઘટનાને આગવી રીતે ઘટાવવાનો તેમનો ઉપક્રમ પણ એ રીતે ધ્યાનાર્હ છે. “સમગ્રનું, કશા નિષેધ વિના કરેલું અનુભાવન—આવી સંવાદિતા રસાનુભવમાં અપેક્ષિત છે... નિર્વિધ્ના સંવિત્તિઃ રસઃ | સમગ્રના સંદર્ભમાં મૂકીને જોતાં જે સંવાદી લાગે તેને જો સમગ્રમાંના કશાકનો પણ નિષેધ કરીને કે ઉપેક્ષા કરીને જોઈએ તો વિસંવાદી જ લાગે. જ્યારે વ્યવહારની સાપેક્ષ નીતિ કલાની આ સમગ્રતાને ઉવેખીને એના એકાદ અંગને છૂટું પાડીને જુએ છે ત્યારે જ એને એ પોતાની મર્યાદાથી વરવું બનાવીને અસહિષ્ણુ બની ઊઠે છે... આ વિશ્વમાં પ્રવર્તતું ઋત તો એકસરખી નિષ્પક્ષતાથી ગુલાબની પાંખડી અને ઈયાગો જેવા ખલનાયકના સ્વભાવને રચે છે. કલાકારને આવી જ નિષ્પક્ષતા અભીષ્ટ છે. એમાં જો એ ચૂકે તો કલાસર્જનની એ અનીતિ અક્ષમ્ય બની રહે.”૧૨૬ અહીં સર્જકના તાટસ્થ્ય પર તેમણે અસાધારણ ભાર મૂક્યો છે. વિશ્વજીવનના સર્વ પદાર્થો, સર્વ ઘટનાઓ પરત્વે પૂરી નિષ્પક્ષતાથી તે જુએ અને આલેખે—એ જ તેની નૈતિકતા અને એ જ કળાની નૈતિકતા. પણ આ મુદ્દો ય સર્જકપ્રતિભાને અનુલક્ષીને ફેરતપાસ કરવાને આપણને ફરજ પાડે જ છે. જે રીતે સર્જક, કાવ્ય ટૂંકી વાર્તા નવલકથા કે નાટકનું વિશ્વ રચે છે કે તેમાં પદાર્થો વ્યક્તિઓ કે ઘટનાઓની અમુક રીતે પસંદગી કરવાને તે પ્રેરાય છે; અથવા સમગ્ર રચનામાં અમુક પદાર્થો કે વ્યક્તિઓ કે ઘટનાઓને તે foregroundમાં મૂકે છે, અન્યને પશ્ચાદ્‌ ભૂમિકામાં ધકેલે છે; એટલે સર્જક જે કોઈ વિશ્વ રચે છે તેમાં તેના emphasisના પ્રશ્નો આવે જ છે. પ્રતીકાત્મક કોટિનું વિશ્વ, અલબત્ત, એના આગવા સંવિધાનને કારણે આગવા પ્રશ્નો ઊભા કરે છે; જ્યારે વાસ્તવલક્ષી વિશ્વના આગવા પ્રશ્નો છે. વાસ્તવલક્ષી કળામાં સર્જકની કૃતિ સૂક્ષ્મ પ્રચ્છન્નપણે અમુક moral tone વ્યક્ત કરતી હોય એમ જોવા મળશે. આપણે એમ સ્વીકારીએ કે જનસામાન્યની રુચિ અને તેમનાં નૈતિક વિચારવલણો સાથે કળાકારે તાળો મેળવવાનો નથી, પણ જીવન અને જગતનો તેને જે કંઈ બોધ હોય તેમાં મૂલ્યપરક અભિજ્ઞતા સહજ રીતે કામ કરી રહી હોય છે. એટલે, સર્જક પોતાના વિશ્વના—કળાના વિશ્વના દરેક પદાર્થને ‘એક સરખી નિષ્પક્ષતા‘થી આલેખે એ વિચાર ચિંત્ય બની રહે છે. આ પ્રશ્ન મને લાગે છે કે, આ રીતે જોતાં વધુ વિશદ બને એમ છે : સર્જક કોઈ એક પદાર્થ વ્યક્તિ કે ઘટનાને અલગ રૂપમાં જોતો નથી – તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભથી સર્વથા વિચ્છિન્ન રૂપમાં જોઈ શકે કે કેમ એ ય પ્રશ્ન છે – અને કળાના વિશ્વમાં તેનું આગવી રીતે તે સ્થાન અર્પે છે એય ખરું. પણ એ ઘટનામાં પદાર્થનો અન્ય પદાર્થો સાથેનો, વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેનો, સમાજ વિશ્વ ઇતિહાસ સમય કે પ્રકૃતિ સાથેનો સંબંધ પણ તેમાં પ્રવેશે છે, અને એ સંબંધભાવો (relationships)ના બોધમાં moral sense કે moral meaning અનુસ્યૂત રહ્યો હોય એમ બને. એટલે સર્જકની ‘નિષ્પક્ષતા‘ તેનાં સર્જનોમાં કેટલે અંશે સિદ્ધ થઈ શકે એ વિશે પુનઃ વિચારણાને અવકાશ રહે જ છે. &lt;br /&gt;
પ્રાચીન આચાર્યોએ રસોમાં ઉચ્ચાવચતાના સંબંધ ન સ્થાપીને તેમ બીભત્સ રસનો સ્વીકાર કરીને, સમાજના નીતિમત્તાના ખ્યાલોને ગૌણ ગણીને, ‘રુચિ’નું ગૌરવ કર્યું છે એમ તેઓ કહે છે. નિત્શેનું દૃષ્ટિબિંદુ પોતાના સમર્થનમાં તેઓ મૂકે છે : ‘નૈતિક સંવાદ નહીં પણ રસગત સંવાદ જ વિશ્વની રચના અને વ્યાપારને સમજાવવામાં વધુ કારગત નીવડે છે.’ પણ નિત્શેની આ જાતની માન્યતા પણ એક આગવા પ્રકારની રંગદર્શિતાનું પરિણામ છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
સુરેશ જોષીનું એવું પ્રતિપાદન છે કે કળામાં શ્લીલઅશ્લીલના પ્રશ્નોને આપણે ‘વધુ પડતા આળા’ બનીને ચર્ચતા હોઈએ છીએ. સર્જકનું ‘વિધાયકકર્મ’ જો વિવેચનામાં ‘પુનઃ પ્રતિષ્ઠા’ પામે તો આ જાતના અપ્રસ્તુત પ્રશ્નો વિશે ઝાઝા ઊહાપોહને કારણ ન રહે. જીવનની શ્લીલઅશ્લીલ સર્વ સામગ્રી કળામાં રૂપાંતર પામે છે, અથવા કહો કે તેનું પુનર્નિર્માણ થાય છે. આવી રીતે આગવી વાસ્તવિકતા સિદ્ધ થાય તે રચનાને જ ખરેખર તો કળાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં શ્લીલઅશ્લીલ સર્વ ઉપાદાનરૂપ તત્ત્વો કળામાં આત્મસાત થઈને આગવી વાસ્તવિકતા ધારણ કરે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો’ શીર્ષકના લેખમાં કળાનું નિર્માણ સ્વયં એક આગવું મૂલ્ય છે, અને એ મૂલ્ય શી રીતે સિદ્ધ થયું છે, એ બતાવવાનું વિવેચકનું મુખ્ય કામ છે એમ તેઓ કહે છે. વ્યવહારજીવનમાં મૂલ્યો એકીસાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ બનતાં હોય છે. સર્જનનું મૂલ્ય એથી ભિન્ન સ્વયં સાધ્ય છે. એ કોઈ કાર્યપ્રેરક મૂલ્ય નથી. એનો રસાસ્વાદ એ જ એનું સાચું મૂલ્ય છે. સાહિત્યના વિવેચક માટે આ મૂલ્યની ઉપલબ્ધિની –રસાનુભવની પ્રક્રિયાની – તપાસ જ મુખ્ય વસ્તુ બની રહે છે, બીજી બધી બાબતો ગૌણ અને અપ્રસ્તુત છે. વિવેચકે ખરેખર તો પોતાને પ્રિય એવા કોઈ વિચાર કે ભાવના સાથે કૃતિનો તાળો મેળવી જોવાનો નથી : એની વિશિષ્ટ રચનાપ્રક્રિયાની બારીકાઈથી ઓળખ કરી એનું આગવું એવું જે કંઈ મૂલ્ય નિપજી આવે તેને પામવા તત્પર રહેવાનું છે. લોકોમાં માન્ય એવું મૂલ્ય સાહિત્યમાં રજૂ થયું હોય તો પણ કળાકૃતિ તરીકે તે રચના નિષ્ફળ ગઈ હોય એમ બને. નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોમાં મૂલ્યબોધના પ્રશ્નો દેખીતી રીતે જ વધુ વજનદાર બને છે. સુરેશ જોષી એમ માને છે કે “નવલકથા સામાજિક મૂલ્યોને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તે તપાસવાનું કામ સાહિત્યિક વિવેચકનું નથી; એ નવલકથામાંની આગવી સૃષ્ટિનું નિયંતા ઋત એમાં કેવી રીતે પ્રવર્તે છે ને એથી એ સૃષ્ટિની કેવી આકૃતિ રચાય છે તે બતાવવું એ જ એનું પ્રધાન કર્તવ્ય છે.”૧૨૭ રચનામાં મૌલિકતાનું ગૌરવ કરતાં તેઓ કહે છે કે “ઉછીની કે પરંપરાગત દૃષ્ટિ વડે જે સૃષ્ટિ થાય છે તે તો આખરે છાયામાત્ર છે, ઉચ્છિષ્ટ જ છે; માટે જે સૃષ્ટિ પોતે પ્રકટીને દૃષ્ટિને પ્રકટ કરે છે તેનું જ સાહિત્યિક વિવેચક ગૌરવ કરે છે.”૧૨૮&lt;br /&gt;
વર્તમાન માનવપરિસ્થિતિનો ઉલ્લેખ કરી સુરેશ જોષી એમ બતાવવા ચાહે છે કે નરી અરાજકતા એબ્સર્ડિટી વચ્ચે માનવી આજે નિર્ભ્રાન્ત બની રહ્યો છે. શાશ્વત કે સર્વકાલીન સત્યોની તેની ખોજ વ્યર્થ નીવડી છે. એકલતા પરાયાપણું અને વિષાદ જ તેની નિયતિમાં રહ્યાં છે. હવે ક્ષણ ક્ષણ વચ્ચે કોઈ સેતુ રચવાનું મુશ્કેલ બની ગયું છે, વિશ્વજીવનના અંકોડાઓ એકબીજાથી વિચ્છિન્ન થયેલા તેને લાગે છે. આવી પરિસ્થિતિમાં સર્જક કોઈ પરંપરાપ્રાપ્ત સત્ય કે મૂલ્યબોધને ઉછીનો લઈને ચાલી શકે નહિ. કળાના સર્જન દ્વારા એ મૂલ્યબોધની ભૂમિકા જરૂર રચી શકે. કળાકાર માટે આકારનું નિર્માણ એ જ એક માત્ર માર્ગ છે. એ આકૃતિ જ રસચર્વણાનો વિષય અને કળાનું પરમ મૂલ્ય છે એમ સુરેશ જોષી ફરી ફરીને પ્રતિપાદિત કરે છે.&lt;br /&gt;
વિવેચનના અભિગમો વિશે ય તેમણે આ રીતે ઘણી ચર્ચા/ઊહાપોહનો આરંભ કર્યો છે. તેમની પ્રેરણા એમાં ય, દેખીતી રીતે જ, પાશ્ચાત્ય વિવેચનની છે. આપણે અગાઉ જોયું કે ‘આસ્વાદ’ નામે ઓળખાતી વિવેચનરીતિ તેમણે ઊભી કરી અને પ્રચારમાં આણી, તેની પાછળ આકારવાદની તેમની ભૂમિકા રહી છે. તેમની આ વિવેચનરીતિનો આપણા ઘણા ખરા તરુણ અભ્યાસીઓએ સ્વીકાર પણ કર્યો દેખાય છે. જો કે ‘આસ્વાદ’ રીતિનું વિવેચન લખનાર સર્વ અભ્યાસીઓ આકારવાદને ચુસ્તપણે વળગીને ચાલ્યા હોય એમ પણ નથી. કદાચ તેમનો સાહિત્યિક અભિગમ વ્યાપક રૂપનો સંભવે છે. ‘આકાર’ના સિદ્ધાંતને ય સમાવી લે એવી કોઈ વ્યાપક સાહિત્યદૃષ્ટિ તેઓ કેળવતા હોય એમ સમજાશે.&lt;br /&gt;
સુરેશ જોષીના આકારવાદને લગતી ભૂમિકાનો આપણે આ અગાઉ નિર્દેશ કરી ગયા છીએ. અહીં એનું પુનરાવર્તન નહિ કરીએ. માત્ર એટલું જ નોંધીશું કે ‘આસ્વાદ’ નામે ઓળખાવાયેલી એ વિવેચનરીતિ પશ્ચિમના આકારવાદી વિવેચનની પ્રેરણા લઈને વિકસી છે. એને આપણે આકારવાદી કે રૂપવાદી વિવેચન તરીકે ય ઓળખાવતા હોઈએ છીએ. પણ આપણે લક્ષમાં રાખવાનું છે કે અમેરિકન નવ્ય વિવેચકોના અભિગમો પણ સર્વથા એકરૂપ નથી. ક્લિન્થ બ્રૂક્સ જેવા વિવેચકે આકારવાદી વિવેચનની એક સમર્થ પરંપરા ઊભી કરી – વૉરેન જોડે લખેલા ગ્રંથ Understanding Poetry આ પ્રકારની વિવેચનરીતિના ઉત્તમ નમૂના પૂરા પાડે છે,—પણ એ જ સ્કૂલમાં ગણાવાતા બ્લેક મર, યાવર વિન્ટર્સ, એલન ટેઈટ, અને કેનેથ બર્ક જેવા વિવેચકોનાં લખાણોમાં આકાર વિશેની સમજ ક્યાંક જુદી પડે છે, અને કૃતિના આકારબોધમાં ય નવી અંતર્દષ્ટિ કામ કરે છે એમ નોંધવું જોઈએ હકીકતમાં, આ બધા નવ્ય વિવેચકોએ કવિતાના આકારની વ્યાખ્યા કરતાં Tension, Irony, Paradox, Organic unity, જેવાં લક્ષણો રજૂ કર્યાં છે, અને કૃતિવિવેચનમાં એવાં ‘ઓજારો’ લઈને તપાસ કરી છે, જ્યારે આપણી આસ્વાદ પ્રવૃત્તિમાં આકારની આવી કોઈ ચોક્કસ તપાસ ક્યાં અને કેટલી થઈ તે સંશોધનનો વિષય રહે છે.&lt;br /&gt;
આકારવાદી વિવેચનની દૃઢ પ્રતિષ્ઠા કરતા છતાં પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે ચાલતી રહેલી અન્ય સર્વ ગતિવિધિઓ વિશે પણ સુરેશ જોષી સતત જાગરૂક રહ્યા છે, એટલું જ નહિ, ત્યાંના પ્રાણવાન વિચારોનો આપણને પરિચય કરાવતા રહ્યા છે. વિવેચનના બીજા અભિગમો વિશે એ રીતે પશ્ચિમના વિવાદો/ઊહાપોહો આપણી સમક્ષ તેઓ મૂકતા રહ્યા છે. દેખીતી રીતે જ, આ જાતનાં તેમનાં લખાણો પાશ્ચાત્ય ચર્ચાઓ પર આધારિત રહ્યાં છે. એમાં અનુસ્યૂત રહેલા પાયાના પ્રશ્ન કે પ્રશ્નોની સ્વતંત્ર રીતે માંડણી કરીને, સમુચિત પરિપ્રેક્ષ્યમાં તેને ઘટાવવાનું પણ તેમણે કેટલીક વાર ટાળ્યું છે. અને એથી જ એ જાતની વિચારણા પાછળનું તર્કસૂત્ર પકડવામાં કેટલીક વાર મુશ્કેલી અનુભવાય છે.&lt;br /&gt;
પોતાના આકારવાદની વિચારણા ય યથાવકાશ નવી વિચારણાઓના પ્રકાશમાં ફરીથી ઘટાવવાના પ્રયત્નો તેમણે કર્યા છે. ‘નવ્ય વિવેચન વિશે થોડું’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય નવ્ય વિવેચકોની આકારવાદી વિવેચનપ્રવૃત્તિ વિશેની ફેરતપાસ છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન-વિવેચક રેને વેલેકના ‘The New Criticism : Pro and Contra’માં રજૂ થયેલી ચર્ચાવિચારણાના મુખ્ય ખ્યાલોને આમેજ કરીને તેમણે એ લખાણ તૈયાર કર્યું છે. આકારવાદી અભિગમ સામે કેટલાક અભ્યાસીઓએ એને પૂરા અભ્યાસમાં લીધા વિના આક્ષેપો કર્યા હતા તેની સામે રેને વેલેકે સંગીન પ્રતિવાદ કર્યો છે અને નવ્ય વિવેચનની ઉપલબ્ધિઓ તરફ ધ્યાન ખેંચ્યું છે, એટલું જ નહિ, એ અભિગમના વ્યાજબીપણાનું પોતાની રીતે સમર્થન કર્યું છે. સુરેશ જોષીને તેમની એ ચર્ચા સહજ જ ઉપકારક બની રહી છે. ‘આકાર કે આકારાત મુક્તિ’માં જ્યૉફ્રે હાર્ટમેનના ‘Beyond Formalism’માં રજૂ થયેલા વિચારોને નજરમાં રાખી આ વિશે કેટલુંક સ્પષ્ટીકરણ કર્યું છે. એફ ડબ્લ્યૂ બેઈટ્‌સમેને ‘યેલ ફૉર્માલિઝમ’ની સામે અમુક વાંધાઓ લીધા હતા. તેમનું મુખ્ય વક્તવ્ય એ હતું કે ફૉર્માલિઝમ રસતત્ત્વને સાહિત્યમાં અંકિત થયેલા માનવસંદર્ભથી નોખું પાડી દે છે. હાર્ટમેને આ ભૂમિકાને સુધારી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું કહેવું એમ છે કે ફૉર્માલિઝમ એ એક ‘પદ્ધતિ’ માત્ર છે. કૃતિમાં ઘટકોના વિશિષ્ટ સંયોજન કે તેની વિશિષ્ટ અન્વિતિ દ્વારા ય આખરે તો માનવીય સંદર્ભ જ વ્યાખ્યા પામતો હોય છે. આકાર અને સામગ્રી વચ્ચે આરંભથી જ કોઈ મૂળગત દ્વૈત સ્વીકારવાની અહીં વાત નથી. કૃતિમાં રૂપરચનાને જ અહીં primacy મળે છે એમ હાર્ટમેન કહે છે. રૂપરચનાના સમર્થકો અને ટીકાકારોની વચ્ચે ચાલતા આ વિવાદની સામે પુલેના ચૈતન્યવાદી અભિગમનું હવે મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, એમ સુરેશ જોષી કહે છે, અને સાથે સ્પષ્ટ કરે છે કે પુલે પણ અસંપ્રજ્ઞાતપણે કૃતિની રૂપરચનાને જ આધાર તરીકે લે છે. તાત્પર્ય કે, રૂપરચનાના ખ્યાલને અતિક્રમી જવાની વાત હજી વેગળી છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં સુરેશ જોષીએ એવી સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ કૃતિ વિશે વિવેચનના જુદા જુદા બે અભિગમોની શક્યતા આપણે સ્વીકારીએ છીએ. એ પૈકી કોઈ એક જ અભિગમ સાચો અને બીજો ખોટો, એવું આત્યંતિક વલણ લઈ શકાય નહિ. આમ છતાં, જો કોઈ વિવેચક આ કે તે અભિગમ વધુ પ્રમાણભૂત ગણવા પ્રેરાય તો તેણે તેની તાર્કિક ભૂમિકા સ્પષ્ટ કરી આપવાની રહે. આ સાથે, અલબત્ત, તેમણે એક તાત્ત્વિક મુદ્દો ય સ્પર્શ્યો છે. તેઓ કહે છે કે વર્તમાનની ક્ષણે વિવેચનના વિભિન્ન અભિગમો તેમજ તેની દાર્શનિક પીઠિકા વિશે ઊંડી સમજ કેળવીને આગલા યુગના કોઈ કવિની રચના વિશે વિવેચન કરવા પ્રેરાઈએ તો એવા અભિગમ પરત્વે પ્રશ્નને અવકાશ રહે છે. દા. ત. સાક્ષરયુગના કવિ કાન્ત કે મધ્યકાલીન કવિ અખાએ જે ભાષાનો વિનિયોગ કર્યો છે તેને વિશે આપણે એવાં સમીક્ષાત્મક વિધાન કરવા પ્રેરાઈએ જેની પાછળ રહેલી સૈદ્ધાંતિક ભૂમિકા જે તે કવિના પછીના યુગમાં જન્મી હોય, તો એમાં કેટલું વ્યાજબીપણું ગણાય? એ કવિઓએ ભાષાના વિનિયોગ પરત્વે જે રીતે વિચાર જ કર્યો હોતો નથી, જે વિશે કોઈ અભિજ્ઞતા કેળવી હોતી નથી, તેને વિશે આધુનિક અભિગમ સ્વીકારતાં આપણે આરોપણ તો કરતા નથી ને? આધુનિક સમયના વિવેચકોએ, અલબત્ત, પ્રાચીન મધ્યકાલીન કૃતિઓની તપાસમાં કેવો અભિગમ સ્વીકારવો જોઈએ એ વિવેચનની એક સમસ્યા છે.&lt;br /&gt;
આ અંગે આપણે એમ કહી શકીએ કે ઐતિહાસિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો માટે આ કોઈ મોટી સમસ્યા નથી. સાહિત્યકૃતિ જે સામાજિક /ઐતિહાસિક/સાંસ્કૃતિક પરિબળો વચ્ચે જન્મી હોય તેને પૂર્ણતયા લક્ષમાં લઈને તેની તપાસ કરવાની રહે. પણ વિવેચનના બીજા દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો અલગ અલગ રીતે તપાસી જવાના રહે. જેમ કે, આકારવાદી અભિગમ વિશે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે : વર્તમાન યુગમાં પ્રચલિત થયેલો આકારવાદ આગલા યુગની બલકે પ્રાચીન મધ્યકાલીન કૃતિઓના સંદર્ભે પ્રસ્તુત ગણાય? અહીં રસલક્ષી અર્થાત્‌ સર્જનાત્મક સાહિત્યની પરંપરા અને મધ્યકાલીન ધર્મભાવનાપ્રેરિત સાહિત્ય વચ્ચે વિવેક કરવાનો આવશે. રસલક્ષી સાહિત્યમાં તો કૃતિની એકતાનો કોઈક ખ્યાલ કામ કરી રહ્યો હોય એમ જોઈ શકાય, પણ ધર્મભાવનાના સાહિત્યમાં જ્યાં રસલક્ષી નિર્માણનો કોઈ આશય જ નહોતો ત્યાં રસકીય સિદ્ધાંત લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી ગણાય? એ જ રીતે પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં માકર્‌સવાદી અભિગમ લાગુ પાડવાનું ય કેટલું ઉચિત લેખાય?&lt;br /&gt;
અલબત્ત રસલક્ષી કે સર્જનાત્મક સાહિત્યની પરંપરાને અનુલક્ષીને ય પ્રશ્ન ઊભો થઈ શકે કે વર્તમાન યુગમાં જન્મેલા આકારવાદ (કે આકારવાદી અભિગમ)થી આગલા યુગની કૃતિઓને પ્રમાણવાનું વ્યાજબી લેખાય? પણ પ્રશ્ન ઘણો અટપટો છે. એમ હોય તો તો કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાયની રચનાઓનું આકારલક્ષી વિવેચન કરી શકાય નહિ. અથવા આગલા યુગની કવિતાઓનું ભાષાલક્ષી વિશ્લેષણ પણ ઉચિત ન લેખાય. એટલે વિવેચનના અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો દેખાય છે તેથી વધુ અટપટા છે.&lt;br /&gt;
આ બધા મુદ્દાઓના અનુસંધાનમાં સુરેશ જોષી એમ ઉમેરે છે કે કૃતિ ગમે તે કાળમાં લખાઈ હોય તો પણ આપણે ‘આપણા જમાનાની વિશિષ્ટ સાહિત્યિક આબોહવામાં ઘડાયેલી આપણી સંવેદનાથી’ એને માણીએ છીએ. વળી એમ સ્પષ્ટ કરે છે કે સમયને અતિક્રમી જતી કૃતિઓમાં એની રૂપરચના જ એને ટકાઉ મૂલ્ય અર્પે છે. જો કે દરેક કૃતિમાં, સંસિદ્ધ થયેલી રૂપરચનામાં, એને અમુક અંશ ‘સમયબદ્ધ’ અને શેષ ‘સમયાતીત’ હોય છે, અને એમાંનો જે ‘સમયાતીત’ અંશ છે તે જ લાંબા સમય સુધી રસનું કારણ બની શકે છે. પણ સંરચનામાં ‘સમયબદ્ધ’ અને ‘સમયાતીત’નો ભેદ કેવળ વિભાવનાત્મક સ્તરનો છે. એની પ્રત્યક્ષ રેખા ઓકવાનું મુશ્કેલ છે.&lt;br /&gt;
‘સર્જક, સર્જન, વિવેચન—ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ’ શીર્ષકના લેખમાં સર્જન અને વિવેચનનો વિચાર ફિનોમિનોલોજીની દૃષ્ટિએ તેમણે કર્યો છે. આ વિષયની પાશ્ચાત્ય ચર્ચા એની માંડણીમાં રહી હોવાનું સમજાય છે. કમનસીબે, કેટલીક વિચારણા એમાં ક્લિષ્ટ કે દુર્ગંધ રહી જવા પામી છે. નીચેની ચર્ચામાં એની એક મહત્ત્વની ભૂમિકા સાંપડે છે.&lt;br /&gt;
“કૃતિનિર્માણના દરેક પ્રસંગે એના ભૌતિક પાયાને ઘડનાર અમુક વિશિષ્ટ તબક્કાઓ આવે છે અને કલાકારના ચિત્તમાં ઉદય પામતી કૃતિની સંરચના એના ભૌતિક પાયાના સ્થાપત્યની રચના દરમ્યાન ક્રમશઃ વિકસતી આવે છે. ભૌતિક આધારને ઘાટ આપતી વેળાએ અસરકારકતા અસ્તિત્વમાં આવતી હોય છે એ કળાકૃતિને મૂર્ત કરીને એને તત્ક્ષણ રજૂ કરવાનું કાર્ય કરતી હોય છે. કલાકાર આ પરિણામોને નિયંત્રિત કરે છે અને ચકાસી લે છે. આ નિયંત્રણો કલાકૃતિના ગુણધર્મોનો બોધ કરતી વેળાના ગ્રહિષ્ણુ અનુભવના તબક્કામાં કામ કરતા હોય છે... ભાવક પણ નરી નિષ્ક્રિયતાથી કે કેવળ ગ્રહિષ્ણુ બનીને વર્તતો હોય છે એવું નથી. એ તત્પૂરતો કૃતિને ગ્રહણ કરતી વેળાએ એનું પુનર્નિર્માણ કરતો હોવાથી, માત્ર ક્રિયાશીલ જ નહીં પણ અમુક અર્થમાં તો એ સર્જક પણ બને છે.”૧૨૯&lt;br /&gt;
આ રીતે આ અભિગમમાં ભાવક/વિવેચક કોઈ ‘નિષ્ક્રિય’ ‘ગ્રહિષ્ણુ’ નહિ, અમુક અંશે કૃતિનો પોતે ય ‘સર્જક’ બની રહે છે. પાશ્ચાત્ય વિવેચનના લાંબા ઇતિહાસમાં સાહિત્યની કૃતિ પરત્વે કાં તો કેવળ આત્મલક્ષી કાં તો માત્ર વસ્તુલક્ષી એમ સાવ વિરોધી ભૂમિકાનો દૃષ્ટિકોણ પ્રવર્તતો રહ્યો છે. સાહિત્યતત્ત્વવિચાર એ રીતે બે અંતિમોની વચ્ચે સતત ‘દોલાયમાન’ રહ્યો છે. ફિનોમિનોલોજી આ બે વિરોધી ભૂમિકાઓને જોડવાનો પ્રયત્ન કરે છે. સુરેશ જોષીએ આ સંદર્ભે જાણીતા વિવેચક રોમાઁ ઈન્ગાર્ડનની પ્રવૃત્તિનો નિર્દેશ કર્યો છે. સર્જનની પ્રવૃત્તિ એ સર્જકને પક્ષે એક intentional વ્યાપાર છે. ભાવકે એની કૃતિને પુનઃ નિર્મિત કરીને પામવાની છે. સર્જનપ્રક્રિયામાં સર્જક ‘પદાર્થને એવી રીતે અમુક ઘાટ આપે છે જેથી એ ‘પદાર્થ’ ચિત્રશિલ્પ કાવ્ય કે સંગીતરચના અર્થે ontological basis બની રહે. ભાવકે એની ‘સુગ્રથિત એકતા’ને ‘વિવિધ રીતે’ ‘પૂર્ણ કરી લેવાની રહે છે.’ સુરેશ જોષીના શબ્દોમાં- “એની આગવી રીતે મૂલ્યવાન એવા રસકીય પદાર્થરૂપને એ પામે તે પહેલાં એના સિદ્ધ થવાની ક્ષમતા ધરાવતાં તત્ત્વોને ભાવકે સિદ્ધ કરી લેવાનાં રહે છે.”૧૩૦ આ આખી ય પ્રક્રિયાનું તેમણે જે વર્ણન આપ્યું છે તેને સમજવાને ફિનોમિનોલોજીની વિચારણા જાણી લેવાનું, અલબત્ત, અનિવાર્ય બની રહે છે.&lt;br /&gt;
‘વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ’–એ લેખમાં ‘જિનિવા ક્રિટિક્સ’ તરીકે જાણીતી થયેલી સ્કૂલના વિવેચકોએ સ્વીકારેલા ‘ચૈતન્યવાદી’ કે ‘સંવિત્‌લક્ષી’ અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે. જ્હોન કિલિસ મિલરના The Geneva Critics શીર્ષકના લેખની વિચારણા એના પાયામાં છે એમ તેમણે નોંધ્યું છે. એ સ્કૂલના વિવેચકોએ આ જે ચૈતન્યવાદી અભિગમ અપનાવ્યો છે તે, એક રીતે તો, આ સદીના ચોથા પાંચમા દાયકામાં અમેરિકામાં વ્યાપક પ્રચારમાં આવેલા નવ્ય વિવેચન સામેની પ્રતિક્રિયામાંથી જન્મ્યો છે. માર્સલ રેમોં, આલ્બર્ત બેગુઈં, જ્યોર્જ પુલે, જ્યાઁ પિયર રિચર્ડ, જ્યાઁ સ્ટારોબિન્સ્કી, જ્યાઁ રુસે, મૉરી, બ્લાઁકા, તેમજ હિલિસ મિલર, વગેરે આ સ્કૂલના જાણીતા વિવેચકો છે. જો કે ‘ચૈતન્ય’ના તાત્ત્વિક સ્વરૂપ વિશે એ દરેકની વ્યાખ્યાવિચારણામાં ક્યાંક ઓછોવત્તો ફેર રહ્યો જ છે. પણ કૃતિ પરત્વે તેમના અભિગમમાં વ્યાપક સમાનતા જોવા મળે છે. સુરેશ જોષીએ એમની વિચારણા અહીં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે.&lt;br /&gt;
જાણીતું છે કે નવ્ય વિવેચને સાહિત્યની આકૃતિને જોવા તપાસવાને તેની વસ્તુલક્ષી ભૂમિકાએ પ્રતિષ્ઠા કરી હતી. વિવેચનપ્રવૃત્તિને પણ વૈજ્ઞાનિક વિચારની જેમ વસ્તુલક્ષી ભૂમિકાએ વિકસાવવાના એ પ્રયત્નમાં ભાવકની ચેતના જાણે કે કૃતિથી વિચ્છિન્ન બની જતી હતી. જિનિવા સ્કૂલના વિવેચકોનું એમ કહેવું છે કે વિવેચનનું કામ તો સર્જકની ચેતના સાથે ભાવકની ચેતનાને જોડી આપવાનું છે. આ રીતે વિવેચન એ ‘ચેતના વિશેની ચેતના’ છે, ‘સાહિત્ય વિશેનું સાહિત્ય’ છે. કૃતિમાં અંકિત થયેલી સર્જકચેતના વિશે ભાવકની ચેતનાનું એ સહજ પ્રગટીકરણ છે, સર્જકની ચેતનાનું જ એ સહજ વિસ્તરણ છે. બહારના પ્રાકૃતિક પદાર્થો, વ્યક્તિઓ દૃશ્યો પ્રસંગો પરિસ્થિતિઓ આદિને વિષય કરીને સર્જક જે રીતે પોતાના સંવિદ્‌નું નિરૂપણ કરે છે, એ જ રીતે કૃતિમાં નિરૂપિત થયેલી સર્જકની સંવિદ્‌ને વિષય કરીને ભાવક પોતાના સંવિદ્‌નો વિસ્તાર કરે છે. સુરેશ જોષીના શબ્દોમાં – “આ વિષયભૂત પદાર્થને પામવા માટે સાહિત્યિક વિવેચકે, વિજ્ઞાની કોઈ ફૂલનું કે અણુનું એનાથી બહાર રહીને વર્ણન કરે છે તેમ, કૃતિની બહાર રહીને એનું વર્ણન કરવાનું નથી. સાહિત્યમાં જે વિષયો છે જ, તેને એણે વિસ્તારવાના છે, પૂર્ણ કરવાના છે, અને એની નવે રૂપે રચના કરવાની છે.”૧૩૧ તાત્પર્ય કે, કૃતિમાં સર્જકની ચેતના જે માધ્યમ દ્વારા વ્યાકૃત થઈ છે તેને અનુલક્ષીને ભાવકે પોતાની ચેતનાને પ્રગટ કરવાની છે. કૃતિને જોવાનો આ અભિગમ, દેખીતી રીતે જ, અગાઉના અભિગમોથી જુદો પડે છે. એનું કારણ એ કે ચૈતન્યવાદી વિવેચકોની સાહિત્ય વિશેની વિભાવના વસ્તુતઃ જુદી છે. જેમ કે, પુલે જેવા વિવેચક સાહિત્યકૃતિને – કાવ્ય હો કે નવલકથાને – તેમાંના ‘અર્થોની વસ્તુલક્ષી સંરચનારૂપે’ નહિ, કવિના અમુક ચોક્કસ વક્તવ્યના નિદર્શનરૂપે નહિ, અજ્ઞાત ચિત્તની ગ્રંથિઓના સહજ આવિર્ભાવરૂપે નહિ કે સમાજને અખંડ રૂપે બાંધનાર કોઈ એવી પ્રચ્છન્ન સંકેતવ્યવસ્થાના આવિર્ભાવ રૂપે ય નહિ – કેવળ સર્જકની ‘ભાવસ્થિતિ’ કે ‘સંવિદ્‌’ની મૂર્તતા રૂપે જ જૂએ છે. વિવેચક એ જ ‘ભાવસ્થિતિ’નું અનુસંધાન કેળવીને પોતાના સંવિદ્‌ને ઉપલબ્ધ કરી આપે છે. કૃતિમાં કાવ્યનાયક કે અન્ય પાત્રો દ્વારા સ્થળકાળના સંદર્ભે સર્જકની ચેતના જે સંકુલ રૂપ ધારણ કરીને છતી થાય છે તે સમગ્ર ચેતનાને ભાવક સંપ્રજ્ઞપણે ફરીથી પામવા મથી રહે છે. એ રીતે કૃતિનું આસ્વાદનવિવેચન એકાકાર બની જાય છે.&lt;br /&gt;
‘કાવ્યવિવેચનનો એક નવો અભિગમ’ લેખમાં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રના બે વિલક્ષણ ચિંતકો હેરોલ્ડ બ્લૂમ અને ઈહાબ હસનની કાવ્યચર્ચાનો તેમણે પરિચય આપ્યો છે. આગળના વિવેચનાત્મક અભિગમો સામે આ વિવેચકોને વાંધો છે. ‘કાવ્યનો અર્થ બીજું કોઈ કાવ્ય જ હોઈ શકે’ એવો તેમની ચર્ચાનો સૂર નીકળે છે. જૂની પદ્ધતિઓ કાવ્યમાંથી માત્ર ‘કલ્પનો, વિચારો, ગૃહીતો કે ધ્વનિઘટકો’ને અથવા અમુક વિભાવનાઓને જ સારવી લે છે. પણ રચનાનું હાર્દ એમાં છતું થતું નથી એમ તેઓ માને છે. જો કે અહીં આ વિશે જે રીતે રજૂઆત થઈ છે તેને મૂળના સંદર્ભો જોયા વિના સમજવામાં મુશ્કેલી રહે એ સ્વાભાવિક છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાન’ લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સુરેશ જોષીએ છેડ્યા છે. તેઓ કહે છે ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર આજે અનેક દિશાઓમાં ઘણી ઝડપથી વિસ્તરી-વિકસી રહ્યું છે. એ સાથે વિવેચનમાં વૈજ્ઞાનિક શિસ્ત આણવાના પ્રયત્નો આરંભાયા છે. સાહિત્યકાર પણ આગવી રીતે ભાષાને પ્રયોજે છે, તો એના સ્વરૂપ અને બંધારણની તપાસ કરવી અને ભાષાવિજ્ઞાનની પાયાની વિભાવનાઓ લઈને કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું વર્ણનવિશ્લેષણ કરવું એ આજે એક મહત્ત્વની પ્રવૃત્તિ બની છે. સુરેશ જોષી નોંધે છે કે, આ બધી પ્રવૃત્તિઓ છતાં ભાષાનો અભ્યાસી અને સાહિત્યવિવેચક – એ બેના કાર્ય વચ્ચે હજી પૂરો મેળ રચાયો હોય એમ દેખાતું નથી. આ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે ભાષાવિજ્ઞાની વિવેચ્ય કૃતિની માત્ર ભાષાલક્ષી તપાસ કરે, અને તેની વિગતો નોંધે, અને અહીં જ તે અટકે છે કે તેણે અટકવાનું છે, સાહિત્યવિવેચક પછીથી પોતાની રીતે એ વિગતોનું અર્થઘટન કરશે – આવી એક સમજ અત્યારે પ્રચારમાં છે. પણ એમાં દોષ રહ્યો છે એમ સુરેશ જોષી બતાવવા ચાહે છે. તેમનું કહેવું છે કે કૃતિમાં પ્રયોજાયેલી ભાષાની જો કોઈ ભાષાવિજ્ઞાની તપાસ હાથ ધરે, અને તેની વિગતો નોંધવા પ્રવૃત્ત થાય, પણ તેની વિગતોની પસંદગી પાછળ – તેના પુરસ્કાર તિરસ્કાર પાછળ – જો કોઈ ચોક્કસ દૃષ્ટિનો, નિયમનો, સ્વીકાર ન હોય તો તો તેની આખીય પ્રવૃત્તિ નરી યાદૃચ્છિક બાબત બની રહે. હકીકતમાં, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ કે ભિન્ન ભિન્ન નિયમને અનુલક્ષીને એકની એક કૃતિની ભાષા તપાસી શકાય. એટલી કૃતિની ભાષાની વિગતોની પસંદગી, ગોઠવણી, અને વિશ્લેષણ – એ સર્વ પ્રવૃત્તિ પાછળ કોઈ એક યા બીજા સિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે જ છે. મહત્ત્વની વાત એ છે કે આ રીતે કોઈ એક યા બીજા સિદ્ધાંતને અનુલક્ષીને વિગતોની પસંદગી કરવી એટલે જ કૃતિનું અમુક રીતે અર્થ-ઘટન (interpretation) કરવું’ એમ થશે. એટલે ભાષાવિજ્ઞાનીએ ભાષાલક્ષી તપાસ પણ અમુક ચોક્કસ હેતુપૂર્વક, ચોક્કસ નિયમને અનુલક્ષીને, કરવાની રહે. અલબત્ત, સાહિત્યવિવેચકને તેનું આ જાતનું ‘અર્થઘટન’ સીધી રીતે ઉપકારક થાય અથવા ન પણ થાય. વિવેચકનો કૃતિ પરત્વેનો અભિગમ તેનાથી જુદો હોઈ શકે. પ્રશ્ન છેવટે ભાષાવિજ્ઞાની અને વિવેચક બંનેની પરસ્પર ઉપકારકતાનો છે.&lt;br /&gt;
ભાષાવિજ્ઞાનીઓનો જો કે વિવેચકો સામે એવો આક્ષેપ રહ્યો છે કે તેઓ (વિવેચકો) પોતાના વિવેચનમાં કૃતિની ભાષાને લગતી જે જે વિગતોનો ઉલ્લેખ કરે છે, તે તેમના કોઈક ‘પૂર્વનિર્ણિત દૃષ્ટિબિંદુના સમર્થન’માં મૂકી હોય છે. એટલે કે વિવેચકોનો આ જાતનો ઉપક્રમ ભાષાની વસ્તુલક્ષી તપાસનો હોતો નથી. ભાષાની જે કોઈ વિગતો તેઓ નોંધે છે તે માત્ર ‘ડોળ ખાતર જ’, કેમ કે કૃતિના સ્વ-રૂપ વિશે અગાઉથી જ અમુક ‘નિર્ણય’ બાંધીને તેઓ વિવેચનકાર્યમાં પ્રવૃત્ત થતા હોય છે. ભાષાવિજ્ઞાનીઓએ ઊભા કરેલા આ જાતના વાંધા સામે સુરેશ જોષીનો ઉત્તર છે કે વિવેચ્ય કૃતિ વિશે આવી કશીક ‘પૂર્વ સમભાવનાઓ’નો આધાર લીધા વિના કૃતિનું ‘પરીક્ષણ’ શક્ય જ નથી. અલબત્ત, વિવેચક પણ ભાષાના પૂરા પરીક્ષણને લક્ષમાં લીધા વિના, ઉતાવળે અમુક ખ્યાલ બાંધી બેસે, અને પછી અર્ધજરતીન્યાય પોતાને અનુકૂળ આવે તેટલી જ વિગતો સ્વીકારી પોતાના ખ્યાલનું સમર્થન કરવા પ્રેરાય, ત્યારે તે માર્ગ ચૂકે એમ બનવાનું, એમ સુરેશ જોષી સાવધાનીના સૂર સાથે નોંધે છે.&lt;br /&gt;
‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ – લેખમાં સાહિત્યને તપાસવાના સંરચનાવાદી અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે, અને એ અભિગમની મર્યાદાઓ તરફ આપણું લક્ષ્ય ખેંચવાનો પ્રયત્ન કર્યો છે Structureની વિભાવના સોસ્યૂરના પુનરુત્થાન સાથે જ્ઞાનની વિભિન્ન શાખાઓમાં વિનિયોજાતી રહી છે. structuralism, એ રીતે, કોઈ સાહિત્યિક ‘સંપ્રદાય’ કે આંદોલન નથી. અને એ વિભાવના સ્વીકારીને ચાલનારા અભ્યાસીઓ પણ ‘સમાન સિદ્ધાંતના સળંગસૂત્રથી’ બંધાયા હોય એમ જણાતું નથી. સુરેશ જોષી એમ નોંધે છે કે કેટલાક સર્જકો માટે રૂપરચનાની પ્રવૃત્તિ ‘વિશિષ્ટ પ્રકારનો અનુભવ’ બની રહે છે. તેમની આ પ્રકારની કૃતિઓ તેમણે રજૂ કરેલા કોઈ વિચાર કે ભાષાને કારણે નહિ, પણ તેમાંના ‘mentally experienced srtuctures’ને કારણે અલગ તરી આવે છે. સંરચનાવાદી નિર્માણ વિશે તેમણે રજૂ કરેલી એક મહત્ત્વની ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“એમાં પદાર્થની એવી રીતે પુનઃ રચના કરવામાં આવે છે, જેથી એ પદાર્થની ક્રિયાશીલતાનું ઋત પ્રકટ થઈ આવે. આમ જેને આપણે ‘કૃતિ’ કહીએ છીએ તે વાસ્તવમાં એક composition છે. ‘પદાર્થ’નું પ્રતિરૂપ રચવું તે કળાની પ્રવૃત્તિ છે. પણ આ પ્રતિરૂપ (simulacrum)ની એક નિર્દિષ્ટ દિશા હોય છે, એનો એક વિશિષ્ટ હેતુ હોય છે, જેનું મૂળ પદાર્થમાં આકલન થતું નહોતું, જે એમાં દૃષ્ટિગોચર થતું નહોતું તેને આ સંરચના દ્વારા બોધગમ્ય, આસ્વાદ્ય, દૃષ્ટિગોચર બનાવી શકાય છે. સર્જક વાસ્તવિક પદાર્થને decompose કર્યા પછીથી એને recompose કરે છે. આ બે ધ્રુવની વચ્ચે સંરચનાની પ્રક્રિયા ચાલે છે, અને એને પરિણામે પહેલાં જે નહોતું તેવું કશુંક ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે.”૧૩૨&lt;br /&gt;
જો કે સંરચના વિશેની આટલી અમૂર્ત સ્તરની ચર્ચા સાહિત્યની સંરચના વિશે ભાગ્યે જ કશો વેધક પ્રકાશ પાડી શકે. સાહિત્ય ઉપરાંત, અલબત્ત, પુરાણકલ્પનો અને બીજા પણ અનેક વિષયોમાં આ અભિગમ સ્વીકારાયો છે. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે સંરચનાવાદીઓએ ‘પૃથક્કરણનાં ઓજાર’ આમ તો આધુનિક ભાષાવિજ્ઞાન પાસેથી મેળવ્યાં છે. પણ એની પરિભાષા સ્વીકારવાથી અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય કે કૃતિનાં માત્ર ભાષાકીય અંગોની જ ચર્ચા એમાં થાય, એવું નથી. જો કે ભાષા દ્વારા થતી સંરચના જ બીજી બધી સંકેતવ્યવસ્થા પરત્વે નિર્ણયાત્મક બની રહે છે, એમ તેઓ નોંધે છે.&lt;br /&gt;
રોમન યાકોબ્સને કાવ્યની ભાષાના સ્વરૂપ પરત્વે રજૂ કરેલો સિદ્ધાંત જાણીતો છે : The poetic function projects the principle of equivalence from the axis of selection on the axis of combination. આ સિદ્ધાંતને અનુરૂપ પ્રાસછન્દાદિનો તેમણે વિચાર કર્યો છે. કાવ્યમાં રહેલાં અર્થગત સાદૃશ્યો કે વિરોધો તરફ ધ્યાન ખેંચવાને પ્રાસનો વિનિયોગ થાય છે; જ્યારે છન્દો કાવ્યના ‘અર્થ’ તત્ત્વ ઉપર અસર કરતા હોય છે. યાકોબ્સનની આ જાતની ભૂમિકા ઘટાવી આપતાં સુરેશ જોષી કહે છે : ‘કાવ્ય પરત્વે કરેલું કોઈ સામાન્ય લાગતી હકીકતનું નિરીક્ષણ કાવ્યરચનાની પ્રક્રિયા પરત્વેનાં સર્વ સંભવિત રૂપો અને સંયોજનોના અભ્યાસને માટેનું પ્રસ્થાનબિંદુ બની રહે, એવું એ માને છે. એટલું જ નહિ, કાવ્યમાં કવિ જે અપેક્ષાઓ ઊભી કરે છે અને જે આશ્ચર્યો યોજે છે તેની વચ્ચેના tensionને ચોકસાઈપૂર્વક માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ રચી આપવાના પ્રયત્નમાં પણ એને રસ છે.’ પણ યાકોબ્સનની આ વિચારણા પછીથી અન્ય અભ્યાસીઓ દ્વારા આલોચના પામી છે. રુવેતે એ વિશે એમ ટીકા કરી છે કે ભાષાવિજ્ઞાનના transformation modelથી axis of selection અને axis of combinationની મર્યાદાઓ છતી થઈ ગઈ છે. વળી સાદૃશ્યોના સંબંધોની રૂપરેખા આંકી લેવાથી પણ કૃતિમાંનાં ‘સાદૃશ્યોની અનેકવિધ કક્ષાઓ’ને ભાગ્યે જ આવરી લઈ શકાય. કાવ્યમાંનાં ખરેખર ‘અનિવાર્ય’ એવાં, તેમ ‘ઐચ્છિક’ ભાષાકીય તત્ત્વો વચ્ચે, ભેદભાવ ચીંધી આપવાનું ય મુશ્કેલ છે. રુવેતે ઊભો કરેલો મોટો મુદ્દો તો વળી એ છે કે ભાષાવિજ્ઞાન કાવ્યની ભાષાનું ચોકસાઈભર્યું વર્ણન કરવાને સામગ્રી પૂરી પાડી શકે, પણ રસકીય દૃષ્ટિએ એ કેટલે અંશે પ્રસ્તુત કે અપ્રસ્તુત છે તેનો સ્વયં નિર્ણય કરી શકતું નથી. પૉ, બૉદલેર, આદિની કાવ્યકૃતિ લઈને યાકોબ્સને પોતાનો સિદ્ધાંત લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમાં આ અભિગમની મર્યાદા જ વધુ છતી થઈ જાય છે. સર્જનાત્મક કૃતિઓમાં ‘સામંજસ્યપૂર્ણ નહિ લાગતા’ એવા જે ‘અર્થસભર સંબંધો’ યોજાતા આવે છે તેને સમજવા માટેય equivalenceનો સિદ્ધાંત અપૂરતો જ નીવડે છે. તોદોરો, કલૉદ બ્રૅમાઁ, રોલા બાર્થ, જેનઁ, વગેરેની આ વિશેની ચર્ચાના મુખ્ય તંતુઓ આ લેખમાં ગૂંથાયા છે.&lt;br /&gt;
વિવેચનના અદ્યતન અભિગમો વિશે સુરેશ જોષીએ આમ ચર્ચાવિચારણાઓ તો કરી – એમાં પાશ્ચાત્ય ગ્રંથો/લેખો ભૂમિકામાં રહ્યા હોય એવું ય અનેક સ્થાને જોવા મળશે – પણ એ જાતની ચર્ચા એના મૂળ સ્રોતો (sources)ને વાંચ્યા વિના પૂરતી સ્પષ્ટ થાય કે કેમ એ પ્રશ્ન રહે છે. એ લખાણો એ રીતે પૂરતાં પરિણામકારી નીવડશે કે કેમ એવો સંદેહ પણ આપણા મનમાં જાગે. પણ નવી નવી વિચારણાઓ રજૂ કરવી, રૂઢ વિચારણા સાથે તેને ટકરાવવી, અને એમ કરતાં ગતિશીલ પ્રાણવાન નવીન વિચારણા જન્માવવી – એવી શુભ વૃત્તિ જ એની પાછળ રહી છે, અને એટલે જ આ પ્રવૃત્તિ આવકાર્ય બને છે.&lt;br /&gt;
આપણી વર્તમાન વિવેચનાત્મક પરિસ્થિતિ તેમને ઘણી રીતે અસંતોષકારક અને ચિંતાજનક લાગી છે. અનેક લેખોમાં તેઓ એની ચિકિત્સા કરવા પ્રેરાયા છે. આપણા વિવેચનના વિકાસ અર્થે તેમનાં અવલોકનો/સૂચનો મહત્ત્વનાં બની રહે છે. બીજી રીતે, વિવેચન (કે વિવેચક) માટેનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ પણ એમાંથી મળી શકે એમ છે :&lt;br /&gt;
(૧)	સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણા સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે જે અનેકવિધ પ્રયોગો થયા, નવ્ય ઉન્મેષો પ્રગટ થયા, તેની સાથે આપણું વર્તમાન વિવેચન તાલ મિલાવી શક્યું નથી. પ્રૌઢ અભ્યાસીઓ આ આધુનિકતાવાદી સાહિત્યથી અળગા ને અળગા થતા રહ્યા એ પરિસ્થિતિ ચિંત્ય લેખાવી જોઈએ&lt;br /&gt;
(૨)	આપણું મોટા ભાગનું વિવેચન કૉલેજો અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં નિયત થતી અમુક જ કૃતિઓની આસપાસ ફરતું રહ્યું છે. ઘણું ખરું સારગ્રાહી કે વિચારવસ્તુ સારવી લેનારું એ વિવેચન કોઈ રીતે ઉપકારક બની શકે નહિ. નવા જ તાજગીભર્યા પ્રાણવાન ઉન્મેષો કે પ્રયોગશીલ રચનાઓને વિવેચનમાં લેવાની એટલી તત્પરતા એમાં દેખાતી નથી. તેમ આ નવા ઉન્મેષોને આપણી સાહિત્યિક પરંપરા સાથે જોડી આપવાનું પણ ખાસ બન્યું નથી.&lt;br /&gt;
(૩)	વિવેચ્ય કૃતિઓનું પ્રત્યક્ષ અનુભાવન કરીને તેમાં પ્રગટતાં નૂતન કળાતત્ત્વોને ઓખળવાને બદલે વિવેચનના રૂઢ માળખામાં ગોઠવીને જોવાનું વલણ જ કામ કરતું જોવા મળે છે. આપણી કળારુચિ એ રીતે કુંઠિત અને દરિદ્ર બને છે.&lt;br /&gt;
(૪)	સિદ્ધાંતવિચાર અને પ્રત્યક્ષ વિવેચન વચ્ચે ય વારંવાર વિ-સંવાદ દેખાય છે. કોઈ અભ્યાસી સિદ્ધાંતચર્ચામાં કળાના પ્રાણભૂત તત્ત્વ તરીકે આકાર (form)નું મહત્ત્વ કરતો હોય પણ એ જ અભ્યાસી કૃતિવિવેચનમાં આકારનો મુદ્દો સ્વીકારતો જ ન હોય કે સર્વથા ગૌણ બાબત લેખવીને તે ચાલતો હોય એવું ય જોવા મળશે&lt;br /&gt;
(૫)	સંસ્કૃત કાવ્યમીમાંસા તેમજ પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્ર બંનેય પરંપરાની વિચારણાઓનું આપણે અધ્યયન કરીએ છીએ, પણ એમાંના બીજરૂપ ખ્યાલોને આપણા સમસામયિક પ્રશ્નો સાથે સાંકળીને તેની નવેસરથી વ્યાખ્યાવિચારણા કરવા ખાસ પ્રેરાતા નથી. આવી પરંપરામાંથી પ્રાપ્ત થતી સિદ્ધાંતચર્ચાઓ, એ રીતે, ઘણખરું તો સારસંક્ષેપ કે ભાષાન્તર જેવી બની રહે છે. સુરેશ જોષીના મતે ભૂતકાળનું ઘણુંએક વિવેચન હવે ખરચાઈ ખૂટ્યું છે, અને આ ક્ષેત્રમાં નવેસરથી વિચારવાની અનિવાર્યતા ઊભી થઈ છે. અમુક અંશે, અગાઉનું વિવેચન પણ આપણને અન્તરાયરૂપ બની ગયું છે. એ વિવેચનનું પણ વિવેચન થાય થતું રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે&lt;br /&gt;
(૬)	રૂપલક્ષી વિવેચનની તેમણે પોતે જે પરંપરા ઊભી કરી તેનું અત્યારે ‘હીનીકરણ’ થયેલું જોવા મળે છે. કહેવાતા આસ્વાદલેખોમાં કૃતિનું વિવરણ કે ગદ્યરૂપાંતર વધુ જોવા મળે છે. નવી વિવેચનાત્મક આબોહવામાં જૂની કૃતિઓના પુનર્મૂલ્યાંકનના ય ઝાઝા પ્રયત્નો દેખાતા નથી.&lt;br /&gt;
(૭)	ફિલસૂફી, ભાષાવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, સંકેતશાસ્ત્ર આદિ વર્તમાન સમયમાં ખેડાઈ રહેલી વિદ્યાશાખાઓની ઉપલબ્ધિઓનો આપણા વિવેચને લાભ લીધો નથી. એને કારણે આપણી ‘રુચિનું પરિમાણ’ સંકુચિત બની રહ્યું છે એમ સુરેશ જોષી કહે છે.&lt;br /&gt;
(૮)	આપણા અભ્યાસીઓ વિવેચનના સિદ્ધાંતોને હજીય જડતાથી વળગવાનું વલણ બતાવે છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો આખરે તો કૃતિઓના રસાનુભવને અનુસરે છે. પણ સાહિત્યશાસ્ત્ર વર્ણનલક્ષી બનવાને બદલે આદેશલક્ષી બને ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક લેખાય. સિદ્ધાંતો અને વિભાવનાઓ વિવેચ્ય કૃતિ પરત્વે ખૂબ જાગૃતપણે વિવેકપૂર્વક યોજવાનાં રહે.&lt;br /&gt;
(૯)	તરુણ પેઢીના લેખકોએ સ્થાપિત મૂલ્યો, સામાજિક વાસ્તવ અને સંસ્કૃતિબોધને વેગળા રાખી અરાજકતાને તાગવાના – તેની અનંત શક્યતાઓનો પાર પામવાના – પ્રયત્નો કર્યા. આગલા યુગમાં વાસ્તવિકતા અમુક ‘જડ બૌદ્ધિક વિભાવનાઓના ચોકઠામાં’ બંધાઈને ‘કુંઠિત’ થઈ ગઈ હતી તેને પુનઃ ઉપલબ્ધ કરવાના એ પ્રયત્નો હતા. નવા વિવેચનને માટે આ ક્ષણે એક મહત્ત્વની કામગીરી આવી હતી  – મૃત વાસ્તવિકતા સાથે પુનઃ સંપર્ક સાધવાની પણ એમાં તે ઊણું ઊતર્યું. નવીનતાનો આભાસ લઈને આવેલી કૃતિઓમાં સાચી કઈ, કૃતક કઈ, તેને અંગે બારીકમાં બારીક વિશ્લેષણ દ્વારા નિર્ણય કરવાની, અને સાચી કળાકૃતિની પ્રતિષ્ઠા કરવાની તાતી જરૂરિયાત હતી, પણ તે થઈ શક્યું નથી.&lt;br /&gt;
(૧૦) ગઈ પેઢીનાં કૃતિવિવેચનો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવાનું પણ એટલું જ આવશ્યક છે. દરેક વિવેચનરીતિની જે કંઈ વિશેષતા, જે કંઈ મર્યાદા હોય, તેની ય નોંધ લેવાની રહે છે. કૃતિ વિશેના અંગત ગમાઅણગમા કે મૂલ્યાંકનને બાજુએ રાખી, તેની સંરચના તપાસીને તેનું કળાકીય મૂલ્ય ઉદ્‌ભાસિત કરી આપવું જોઈએ.&lt;br /&gt;
(૧૧) વાલેરી કે ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓએ પોતાના સર્જનની પૂર્વતૈયારી રૂપે કાવ્યકળા વિશે ઘણું ઊંડું ચિંતનમનન કરેલું દેખાય છે. તેમની સર્જનપ્રવૃત્તિ પાછળ સર્જક તરીકે તેમની અમુક સભાનતા કામ કરતી રહી છે. કળાનાં જે આગવાં ધોરણો કે મૂલ્યો તેઓ ઝંખે છે તેને અનુરૂપ તેઓ રચનામાં સક્રિય બન્યા છે. આપણે ત્યાં સર્જકો પાસેથી એવા સ્વચ્છ સુરેખ અહેવાલો બહુ મળતા નથી. લેખકો બહુ બહુ તો પોતાના આશય કે પ્રેરણાની વાતો કરે, પણ પોતાની કળાપ્રવૃત્તિનું હાર્દ ખુલ્લું કરી આપે કે કળા વિશેની આગવી વિભાવના સ્પષ્ટ કરે એવી, તીક્ષ્ણ પ્રખર બૌદ્ધિકતાવાળી ચર્ચા ભાગ્યે જ મળશે.&lt;br /&gt;
(૧૨) આપણા વિવેચનને આપણે નરી આત્મલક્ષિતા (subjectivity)થી બચાવી લેવું જોઈએ, અને છતાં વિવેચકનો personal voice એમાંથી લુપ્ત થવો ન જોઈએ.&lt;br /&gt;
(૧૩) સાહિત્યના અધ્યાપનમાં વિશુદ્ધ રસકીય સંવિત્તિ ખીલવવાને બદલે કૃતિ નિમિત્તે કે તેની આસપાસ બીજું જે કંઈ બોલીએ છીએ, તેથી કશું જ ફલપ્રદ નીવડતું નથી. પ્રશ્ન ખરેખર તો ભાવકમાં તેમ સમાજજીવનમાં કુંઠિત થઈ જવા આવેલી રસસંવિત્તિને મુક્ત કરવાનો છે. સમાજ એ રીતે જ સંસ્કારી બની શકશે.&lt;br /&gt;
(૧૪) સમાજ રાજકારણ અર્થકારણ – એમ પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં ભારે ઊથલપાથલો થઈ રહી હોય, અરાજકતા વ્યાપી ગયાનાં ચિહ્નો વરતાતાં હોય, ત્યારે સાહિત્યનો અધ્યાપક અને વિવેચક કેવી રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવશે? કૃતિઓ સાથે કઈ રીતે કામ પાડશે? અધ્યાપન-વિવેચનની સમસ્યાઓનું સ્વરૂપ જ આથી બદલાઈ જતું નથી? આપણા સર્જનાત્મક સાહિત્યમાં વર્તમાન માનવીના આંતરસંઘર્ષોનો કોઈ પડઘો જ પડતો ન હોય તો કૃતિમાં રજૂ થતું કાલ્પનિક જગત અને બહારની અરાજકતા એ બે વચ્ચે કોઈ રીતે ય તે મેળ સાધી શકશે? સુરેશ જોષી કહે છે કે આ આખોય પ્રશ્ન આજના સંદર્ભે સર્જનવિવેચનની પ્રવૃત્તિઓની પ્રસ્તુતતાનો છે. આપણા સાહિત્યના અભ્યાસીઓ/વિવેચકો સામે આ રીતે આજની વિષમતા જ પડકારરૂપ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ભાવકનું વિવેચકે સર્જાતા સાહિત્યની સાથે અનુસંધાન કેળવી આપવાનું છે.&lt;br /&gt;
(૧૫) સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે.&lt;br /&gt;
‘માકર્‌સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્‌સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્‌સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્‌સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્‌સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે.&lt;br /&gt;
(અ) પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પાયાની સંજ્ઞાઓ/વિભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું. યથાવકાશ તેની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવી.&lt;br /&gt;
(બ) વિવેચનસિદ્ધાંતના બીજભૂત વિચારો જેમાં પડ્યા હોય તેવાં પાશ્ચાત્ય લખાણો (કે તેના અંશો) અનુવાદરૂપે મૂકવાં કે તેનો સારાંશ આપવો.&lt;br /&gt;
(ક)	સંસ્કૃત કાવ્યવિચાર અને પાશ્ચાત્ય વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયોને એકબીજાની પડખે મૂકી તુલનાત્મક વિચારણા કરવી અથવા એ તરફ સંકેત કરવો.&lt;br /&gt;
(ડ) આપણા આધુનિક સાહિત્યના વિવેચન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો (કે તેના વિભાવો)ને ય સમર્થ રીતે વિનિયોજી શકાય, એમ દૃષ્ટાંતો લઈને બતાવવું.&lt;br /&gt;
ડૉ. હરિવલ્લભ ભાયાણીની આ રીતની સર્વ વિવેચનપ્રવૃત્તિ, દેખીતી રીતે જ, ચોક્કસ અભિગમ લઈને ચાલી છે, ચોક્કસ હેતુપૂર્વક ચાલી છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણે ત્યાં અવનવી સાહિત્યવિચારણાઓ પશ્ચિમમાંથી આવી ત્યારે પરંપરાગત અને આધુનિક વિચારણાઓ વચ્ચે ટકરામણ ઊભી થઈ. તેમણે એ સમયે વેધક દૃષ્ટિએ જોઈ લીધું કે આપણા વર્તમાન વિવેચનમાં વિભાવનાઓ/વિચારણાઓ પરત્વે ઘણા ગૂંચવાડાઓ પ્રવર્તી રહ્યા છે. આકારલક્ષી વિવેચનની હિમાયત થઈ રહી છે, છતાં ઘણુંખરું કૃતિવિવેચન વિવેચકની ‘અંગત છાપ’ પર આધારિત છે. પશ્ચિમમાં વિવેચનને વધુ ને વધુ વ્યવસ્થિત, વધુ ને વધુ ચોકસાઈવાળું અને વસ્તુલક્ષી કોટિનું બનાવવાના પ્રયત્નો આરંભાયા છે, અને તેમાં ભાષાલક્ષી તપાસ આગવો ભાગ ભજવી રહી છે, એમ પણ તેમણે જોયું. એટલે આપણા વિવેચનમાં વ્યવસ્થા ઊભી કરવાનો તેમનો આ સંનિષ્ઠ પ્રયત્ન છે.&lt;br /&gt;
તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘કાવ્યમાં શબ્દ’-માં વિવેચનની કેટલીક પાયાની સંજ્ઞાઓ ‘શૈલી’ ‘છંદ’ ‘અછાંદસ’ ‘લય’ ‘કાવ્યાર્થ’ ‘આકૃતિ’ ‘ઈમેયજ’ ‘પ્રતીક’ ‘શુદ્ધ કવિતા’ ‘સર્જનપ્રક્રિયા’ આદિનું સ્પષ્ટીકરણ આ રીતે ધ્યાન ખેંચે છે. એમાં વિચારોની વિશદતા અને ચોકસાઈ સહજ સિદ્ધ થયાં છે.&lt;br /&gt;
જાણીતું છે કે પાશ્ચાત્ય વિવેચનમાં છેલ્લા બેત્રણ દાયકાઓમાં ભાષાલક્ષી, શૈલીલક્ષી, સંરચનાલક્ષી અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. રશિયન ફૉર્માલિઝમ અને પ્રાગ સ્કૂલના અભિગમોએ વિવેચનના સંદર્ભે, ખાસ તો, ભાષાના સ્વરૂપ અને બંધારણના પ્રશ્નો કેન્દ્રમાં આણ્યા. સાહિત્ય પણ સૌ પ્રથમ અને અંતે તો ભાષાકીય નિર્માણ છે, ભાષામાં અને ભાષા દ્વારા અસ્તિત્વમાં આવેલું નિર્માણ છે. એટલે, ત્યાં સાહિત્યની ભાષાના પ્રશ્નો એકદમ કેન્દ્રમાં આવ્યા. વિવેચનનું કાર્ય હવે મૂલ્યાંકન કે રહસ્યઘટનનું નહિ, કૃતિના વર્ણન-વિશ્લેષણનું છે એમ આ જૂથના અભ્યાસીઓએ કહ્યું. વિશિષ્ટ કૃતિની ઉપલબ્ધિમાં નહિ, વ્યાપક સાહિત્યની ‘સાહિત્યિકતા’ (literariness) તપાસવામાં તેમનો ખરેખર તો મુખ્ય રસ હતો. સાહિત્યની ભાષા એ જો સામાન્ય વ્યવહારની ભાષાનું જ પુનર્વિધાન હોય, તો એ પુનર્વિધાનની પ્રક્રિયાનું વર્ણન આપવું જોઈએ એમ તેમને લાગ્યું. આમ વિવેચનમાં ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો જે રીતે પુરસ્કાર પામ્યા એ ઘટનાએ જ કદાચ ડૉ. ભાયાણીને વિવેચનક્ષેત્રમાં આકર્ષ્યા હોય, ગમે તે હો, ભાષાશાસ્ત્રની તેમની અનન્ય સજ્જતા તેમના વિચારવિમર્શમાં પૂરી તાર્કિક ચુસ્તી આણે છે, અને તેમની વિવેચનદૃષ્ટિને આગવો પરિપ્રેક્ષ્ય અર્પે છે. કૃતિના વર્ણન-વિશ્લેષણ-વિવરણ તરફનો તેમનો ઝોક સમજવાનું એ રીતે મુશ્કેલ નથી. પશ્ચિમના જાણીતા અભ્યાસી યાકોબ્સનનું તેઓ જે મંતવ્ય ટાંકે છે તે સૂચક છે : ‘...આધુનિક સમયમાં જે ભાષાવિજ્ઞાની કાવ્યભાષા માટે જાગૃત કર્ણેન્દ્રિય ધરાવતો ન હોય, અને જે સાહિત્યવિવેચક ભાષાના પ્રશ્નો તથા અભ્યાસ-પદ્ધતિઓથી વિમુખ હોય તે બંનેને કાલગ્રસ્ત ઘટનાઓ જેવા સમજવા.’૧૩૩ આ મંતવ્યમાં કદાચ થોડી અત્યુક્તિ હશે, પણ ઠીક ઠીક સત્યાંશ એમાં રહ્યો છે. કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું બારીકમાં બારીક પરીક્ષણ કરતાં તેના અર્થ અને સંવેદનની અતિ સૂક્ષ્મ સૂક્ષ્મતર રેખાઓ પ્રગટ થઈ આવે છે. એટલે મૂલ્યાંકન-રહસ્યઘટનમાં પ્રવૃત્ત થતા વિવેચક માટે ય પૂર્ણ ભાષાકીય અભિજ્ઞતાનું અનુસંધાન આવશ્યક છે. ભાષાવિજ્ઞાનનાં ઓજારો લઈને કૃતિની ભાષાનું સમજપૂર્વક અધ્યયનવિવેચન થાય એ હવે અત્યંત જરૂરી બની ગયું છે.&lt;br /&gt;
કૃતિના ‘વિશ્લેષણ’ના બે પ્રકાર ડૉ. ભાયાણીએ ગણાવ્યા છે.&lt;br /&gt;
(૧)	કૃતિની ભાષા અને શૈલીનું પદ્ધતિસરનું વિશ્લેષણ. આ સીમિત પ્રકારનું છે.&lt;br /&gt;
(૨)	કૃતિનું સમગ્રપણે થતું અર્થઘટન અને મૂલ્યાંકન. એ વ્યાપક પ્રકારનું વિશ્લેષણ છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણી એમ કહેવા ચાહે છે કે પહેલા પ્રકારનું વિશ્લેષણ બીજા પ્રકારને ઘણી રીતે ‘સમર્પક’ અને ‘ઉપકારક’ નીવડે છે, નીવડી શકે છે. જો કે વિવેચકનું બધું ધ્યાન કૃતિની ભાષા/શૈલી પર જ કેન્દ્રિત થાય અને કૃતિના મૂલ્યબોધનો જ છેદ ઊડી જાય તો તો વિવેચનનો હેતુ માર્યો જાય એમ બનશે. આ સંદર્ભે રેને વેલેકે આપેલી ‘વિવેચન’ની વ્યાખ્યા તેઓ રજૂ કરે છે : ‘સાહિત્યનું શાસ્ત્રીય અધ્યયન એટલે મૂલ્ય ધરાવતી અને મૂલ્યવાન હોય તેવી રચનાઓ, ધોરણો, અને પ્રક્રિયાઓનું વ્યવસ્થિત અધ્યયન.’૧૩૪ સહેજ ઝીણવટથી જોતાં સમજાશે કે રેને વેલેકની વ્યાખ્યામાં કૃતિના વિશ્લેષણ અને મૂલ્યાંકનની બંનેય પ્રવૃત્તિઓના ખ્યાલો સૂચવાઈ ગયા છે. ડૉ. ભાયાણી એ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે સાહિત્યવિવેચક કૃતિની ‘ઝીણી ઝીણી વિગતો’નું જે રીતે અધ્યયન કરતો જાય છે તેમાંથી તેની સમગ્ર આકૃતિ વિશેની અમુક અપેક્ષાઓ જન્મે છે. બીજી બાજુ, કૃતિની સમગ્રતા અને અખિલાઈ વિશેની અમુક અભિજ્ઞતા ખિલતી આવે છે તેમ તેમ એ વિગતોનું significance–મૂલ્ય–સમજાતું આવે છે. આવી પ્રક્રિયા દ્વારા કૃતિના મૂલ્યાંકન સુધી પહોંચાય છે. આમ કૃતિની ભાષાલક્ષી તપાસ તેના મૂલ્યાંકનમાં મહત્ત્વની ભૂમિકા બની શકે છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીના બીજા વિવેચનગ્રંથ ‘કાવ્યનું સંવેદન’માં આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર તેમ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વિવરણ/સ્પષ્ટીકરણ આપતા લેખો હવે મહત્ત્વનું સ્થાન લે છે. એમાં સંસ્કૃતની ‘ચમત્કાર’ ‘ગુણ’ ‘રીતિ’ જેવી સંજ્ઞાઓનાં સ્પષ્ટીકરણો આપતાં લખાણો છે, કેટલાંક કૃતિ વિષયક અધ્યયનો/વિવેચનોય છે, અને પાશ્ચાત્ય વિવેચનમીમાંસાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણોના અંશોય એમાં અનુવાદ રૂપે સંચિત કર્યા છે.&lt;br /&gt;
પ્રસ્તુત સંગ્રહના આરંભનો લેખ ‘કાવ્યનો અનુભવ અને વ્યવહારનો અનુભવ’ આમ તો કાવ્યશાસ્ત્રના ક્ષેત્રના મુદ્દાને સ્પર્શે છે, પણ ભાવકના રસાનુભવનો પ્રશ્ન એમાં કેન્દ્રમાં આવ્યો હોવાથી અહીં એનો નિર્દેશ કર્યો છે. ભારતીય રસમીમાંસામાં સાહિત્યના આસ્વાદ/ચર્વણાવ્યાપારનું જે સ્વરૂપ વર્ણવાયું છે તેની અહીં સંગીન શાસ્ત્રીય ચર્ચા પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યિક શૈલી અને ભાષા (કેટલાક નૂતન અભિગમો)’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય વિવેચનના ભાષાલક્ષી/શૈલીલક્ષી અભિગમોની વ્યવસ્થિત અને લાઘવભરી ચર્ચા કરી છે. એ અભિગમોની ક્ષમતા/સીમા વિશે ય તેમણે ચર્ચા કરી છે. ભાષાવિજ્ઞાનના પોતાના અધ્યયનના પ્રકાશમાં ભાષાનો ‘સાહિત્યિક’ અને ‘અસાહિત્યિક’ એવો ભેદ કરીને ચાલવું યોગ્ય છે? અથવા આવો ભેદ કરવાનું શક્ય છે?—એવા મૂળભૂત પ્રશ્નને અનુલક્ષીને તેઓ એવી સ્પષ્ટતા આપે છે : “સ્વરૂપ દૃષ્ટિએ સાહિત્ય અને અસાહિત્યની ભાષાઓ વચ્ચે નથી નિતાંત ભેદ કે નથી તદ્દન એકરૂપતા. સાહિત્યિક ભાષા જો ‘એક ભાષા’ જ હોય તો તેના સ્વરૂપને સામાન્ય ભાષાની રીતપદ્ધતિએ જ તપાસી શકાય. એક મતે સાહિત્યક અને અસાહિત્યક ઉક્તિઓને જુદું પાડનાર કોઈ સ્વરૂપગત ધ્રુવ તત્ત્વ નથી. બીજો મત એવો છે કે સાહિત્યિક અસાહિત્યિક ભાષાઓ વચ્ચેનો ભેદ સ્વરૂપગત નહીં પણ સંદર્ભગત છે... ત્રીજો મત, સાહિત્યિક ભાષા અને અસાહિત્યક ભાષા એવું વિરોધી દ્વન્દ્વ તારવવા કરતાં ઉક્તિઓની એક ચડઊતર અખંડ શ્રેણી તારવવી વધુ વ્યવહારુ ગણે છે.”૧૩૫&lt;br /&gt;
ભાષાના ‘સાહિત્યિક’–‘અસાહિત્યિક’ સ્વરૂપના મુદ્દાને આ રીતે સ્પર્શી ડૉ. ભાયાણીએ આધુનિક શૈલીવિજ્ઞાનનું કાર્ય સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. સાહિત્યના અધ્યયનવિવેચનમાં એ વિજ્ઞાન કેવી રીતે ઉપકારક બને છે તે વિશે તેઓ કહે છે : “ભાષાવિજ્ઞાન પર આધારિત શૈલીમીમાંસા ભાષાના સાહિત્યિક ઉપયોગોને તપાસે છે. તે સાહિત્યિક ભાષાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે. તેને ચોકસાઈથી વર્ણવવા માટે વધુ વસ્તુલક્ષી પદ્ધતિઓ અને પરિભાષા વિકસાવવાનું તેમનું લક્ષ્ય છે.’૧૩૬ આમ નોંધ્યા પછી એમ પણ કહ્યું છે કે આજનો શૈલીવિચાર હજી ‘ખોજની પ્રારંભિક અવસ્થામાં છે.’&lt;br /&gt;
ઍન્કિવસ્ટે શૈલીવિષયક વિભિન્ન વ્યાખ્યાઓના નીચે પ્રમાણે પ્રકારો પાડ્યા છે :&lt;br /&gt;
(૧)	લેખકના દૃષ્ટિબિંદુ ઉપર આધારિત,&lt;br /&gt;
(૨)	કૃતિની પરલક્ષી તપાસ ઉપર–તેનાં લાક્ષણિક તત્ત્વો ઉપર–આધારિત,&lt;br /&gt;
(૩)	વાચકની છાપ ઉપર આશ્રિત,&lt;br /&gt;
(૪)	ઉપર દર્શાવેલી ત્રણેય વ્યાખ્યાઓનું સંમિશ્રણ.&lt;br /&gt;
આ પૈકી કૃતિને લક્ષતી વ્યાખ્યાઓના ય બે પ્રકારો પાડી શકાય.&lt;br /&gt;
(i) વસ્તુલક્ષી ધોરણે જેની સત્યતા કે પ્રામાણ્ય તપાસી, ચકાસી, શકાય તેવી&lt;br /&gt;
(ii) સ્વલક્ષી ચિત્તસંસ્કારો પર આધારિત&lt;br /&gt;
ડૉ. ભાયાણી અહીં સ્પષ્ટ કરે છે કે કૃતિની ભાષાને પ્રધાન તત્ત્વ લેખતી વ્યાખ્યાઓનું સવિશેષ મહત્ત્વ રહે છે. આના અનુસંધાનમાં સાહિત્યભાષાને લગતા વિવિધ અભ્યાસીઓના અભિગમો વિશે – વ્યોલ્ફલિન, ક્રોચે, ફોસ્લર, હાય્‌ડેગર, સાર્ત્ર જેવાની વિચારણાઓ વિશે – તેમ જ રુસી સ્વરૂપવાદ વિશે, અતિ સંક્ષેપમાં તેમણે નિર્દેશો કર્યા છે.&lt;br /&gt;
કૃતિના વિશ્લેષણવ્યાપારની અન્તર્ગત વિવિધ ઘટકોનાં વર્ણનવિશ્લેષણની તેમ કૃતિની સંઘટનાની સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા રજૂ કરી છે. કૃતિના વર્ણ શબ્દ શબ્દગુચ્છ વાક્ય લય અર્થરચના વગેરે મુદ્દાઓને તેઓ અહીં સ્પર્શે છે. ‘સંઘટના’ નિમિત્તે પાશ્ચાત્ય વિવેચનાનો organic wholeનો તેમજ સુઝાન લાન્ગરનો આકાર વિષયક ખ્યાલ પણ એ જ રીતે તેઓ ટૂંકમાં છણે છે. સંઘટનાવિચારમાં યોગ્ય રીતે જ દરેક ઘટક તત્ત્વની ‘સમર્પકતા’ પર તેઓ ભાર મૂકે છે. કહે છે : “કૃતિની વર્ણરચના, શબ્દગોઠવણી, અર્થ-વ્યવસ્થા અને છંદોરચનાના પરસ્પર સાંધા મળવાથી જ સૂક્ષ્મ અને ઉત્કટ સૌંદર્યની નિષ્પત્તિ થતી હોય છે. ઘટકોની અલગ અલગ રમણીયતા હોવા ઉપરાંત એક સમવાય લેખે તેમનાથી જે સિદ્ધ થાય છે તે અવ્યાખ્યેય હોય છે.’૧૩૭&lt;br /&gt;
વિવેચનમાં ભાષાલક્ષી અભિગમ સ્વીકારતા વિવેચકનું કાર્ય સમજાવતાં ડૉ. ભાયાણી કહે છે : “પ્રાસબંધ, છંદોબંધ, વાક્યબંધ, વર્ણરચના વગેરેના આંતરસંબંધો તપાસીને તે તે કૃતિમાં દરેકની સમર્પકતા કેટલી છે તે તારવવું જોઈએ, અને તેને આધારે કૃતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. કૃતિની શબ્દસામગ્રી અને અર્થસામગ્રી વચ્ચેના સંબંધો—સમાન્તરતા, વિરોધ, સમતુલા, સમરેખતા, કે વિષમરેખતા વગેરે – તારવીને તેમ જ અલંકાર પ્રતિરૂપ પ્રતીક વગેરેની યોજનામાંથી પ્રગટતી લયની ભાતો તારવીને તથા સમગ્ર કૃતિમાં વિવિધ ઘટકોનું કઈ રીતે સંયોજન થયું છે તે તપાસીને કૃતિનું જે સંઘટિત સ્વરૂપ પ્રતીત થાય તેનું ચિત્ર દોરવું જોઈએ.”૧૩૮&lt;br /&gt;
કૃતિના મૂલ્યાંકન પરત્વે વિવેચનમીમાંસામાં એક પ્રશ્ન હમણાં કેન્દ્રમાં આવ્યો છે : વિવેચનનું કાર્ય કૃતિનાં ઘટકોનું માત્ર વર્ણન વિવરણ કરવાનું છે કે તેને વિશે જડ્‌જમેન્ટ આપવાનું ય? અને કૃતિની worth વિશે વિવેક કરવાનો છે એમ સ્વીકારો, તો ભાષાલક્ષી અધ્યયન એમાં કેટલું સમર્પક બની શકે? ડૉ ભાયાણી આ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે બે વિરોધી મંતવ્યો એ વિશે પ્રવર્તે છે :&lt;br /&gt;
(૧) એક વર્ગ એમ માને છે કે કાવ્ય કેવળ આસ્વાદનો વિષય છે. કાવ્યથી તમને આનંદ થાય છે કે નથી થતો – એટલું કહેતાં વાત પૂરી થાય છે. આનંદ શા માટે થયો કે ન થયો તેનું બૌદ્ધિક કે તાર્કિક સ્પષ્ટીકરણ ન આપી શકાય. તાત્પર્ય કે, આસ્વાદમાં એક એવું પ્રાણવાન તત્ત્વ છે જેનો કોઈ તાર્કિક ખુલાસો ન હોઈ શકે.&lt;br /&gt;
(૨) બીજો વર્ગ એમ માને છે કે કાવ્યના રસાસ્વાદનો પૂરેપૂરો ખુલાસો આપી શકાય. આસ્વાદમાં સમર્પક બનતાં એકેએક અંગઉપાંગ વિશે પૂરી ચોકસાઈથી પરીક્ષા કરી શકાય. ડૉ. ભાયાણી વધુમાં સ્પષ્ટ કરે છે કે, વસ્તુલક્ષી વિવેચનના કેટલાક પક્ષકારો તો જેનો વસ્તુલક્ષી ધોરણોએ ખુલાસો જ ન આપી શકાય તેવાં તત્ત્વોને વિવેચનના પ્રદેશની બહાર રાખવાના મતના છે.&lt;br /&gt;
સાચું છે. આધુનિક સમયમાં વિવેચનનું ખરું કામ કૃતિના મૂલ્યાંકનનું નહિ, તેનું સ્પષ્ટીકરણ (elucidation) માત્ર કરવાનું છે એમ આજના અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું છે. ડૉ. ભાયાણીએ આ સંદર્ભમાં એલિયટનું એક કથન પણ ટાંક્યું છે. ‘A critic‘s job is never to judge poem, his job is to elucidate’. આ મતને દોહરાવતાં કહે છે : ‘વિવેચન એટલે માત્ર વર્ણન કે સ્પષ્ટીકરણ, વખાણવું કે વખોડવું નહીં. પ્રયોગશાળાનું કાર્ય પૂરું થાય ત્યાં વિવેચકનું કાર્ય સમાપ્ત થયું.’&lt;br /&gt;
પણ વિવેચનમીમાંસામાં યોજાતી આ ‘વિવરણ’ કે ‘સ્પષ્ટીકરણ’ (elucidation) જેવી સંજ્ઞાના સંકેતો તપાસવાના રહે છે. કેટલાકને મતે elucidation એટલે તો કૃતિનું અર્થઘટન (inter-pretation). ‘અર્થઘટન’ સંજ્ઞા, અગાઉ આપણે નિર્દેશ કરી ગયા છીએ તેમ, અત્યંત રૂપાંતરશીલ (protean) અને છટકણી (clusive) સંજ્ઞા છે. એના સ્વરૂપ અને એના વ્યાપાર વિશે ય વિદ્વાનોમાં મોટા મતભેદ પ્રવર્તે છે. એ જ રીતે કૃતિ વિશેની ‘સમજ’ (understanding)ના ય આગવા પ્રશ્નો છે. ‘સમજ’ પામીએ એમાં મૂલ્યબોધ અંતહિત છે કે ‘સમજ’ પછીનો એ વ્યાપાર છે? તાત્પર્ય કે-understanding અને evaluation વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાની મોટી અનિવાર્યતા રહે છે. ડૉ. ભાયાણી એમ નોંધે છે કે ‘રસદર્શન’ અને ‘મૂલ્યાંકન’ જેવી સંજ્ઞાના અર્થ-બોધ પરત્વે ય મતમતાંતર જોવા મળશે. તેઓ એક વેધક પ્રશ્ન મૂકે છે : ‘કાવ્યના મર્મનું જે ઉદ્‌ઘાટન પ્રસ્તુત કરાય તેની યથાર્થતાનો નિર્ણય કેવી રીતે કરવો?’ અને તેનું નિરાકરણ આપતાં કહે છે : ‘એટલે જેટલા પ્રમાણમાં વ્યક્તિનિરપેક્ષ ધોરણે આ વિષયમાં વિચારણા થાય તેટલા પ્રમાણમાં વિવેચનની દિશામાં આગળ જવાય. બાકી કાવ્યનું આ જ વિવેચન સાચું તે નક્કી કરવાનો કોઈ માપદંડ આપણી પાસે નથી.’૧૩૯&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ સમુચિત રીતે જ અહીં વિવેચનવ્યાપારને લગતી પાયાની સંજ્ઞાના સંકેતો વિશે મુદ્દાઓ ઊભા કર્યા છે. ‘વર્ણન’ ‘વિવરણ’ ‘સ્પષ્ટીકરણ’ ‘અર્થઘટન’ ‘રસદર્શન’ ‘મૂલ્યાંકન’ એવી બધી જ સંજ્ઞાઓનું શક્ય તેટલું ચુસ્ત કઠોર તાર્કિક સ્પષ્ટીકરણ કરવાની અત્યારે તાતી જરૂરિયાત છે. અને એ બધા વ્યાપારો પરસ્પર ક્યાં અને કેવી રીતે સંકળાયા છે તેનીય બારીક તપાસ કરવાની આવશ્યકતા છે. અને સૌથી મોટો – પ્રશ્નોનો ય પ્રશ્ન – એ રહે છે કે અમુક કૃતિ વિશેનું આ વિવેચન સાચું (true) અને અમુક ખોટું (false) એમ નિર્ણય કરવાને આપણી પાસે ખરેખર કોઈ માપદંડ છે ખરો? સાહિત્યક્ષેત્રમાં એકની એક કૃતિ વિશે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન પદ્ધતિએ તરેહ તરેહનાં વિવેચનો લખાતાં હોય છે તો એમાં કયાં સાચાં કયાં ખોટાં એ જાતનો સંશય મનમાં ઊગે જ છે. પણ એના આખરી નિર્ણય માટે કોઈ નિકષ ખરો? અથવા, ઓછામાં ઓછું, અમુક વિવેચન વધુ પ્રમાણભૂત અને વધુ સાચું એમ નક્કી કરી શકાય?&lt;br /&gt;
વિવેચનવિચારણાના આ કેન્દ્રીય પ્રશ્નની તપાસમાં ડૉ. ભાયાણી સંસ્કૃત પરંપરાની ‘કૃતિલક્ષી’ પદ્ધતિ – જે ‘વિશ્લેષણમૂલક’ છે – તેનો ખ્યાલ આપે છે. તેમનું એમ કહેવું છે કે એ પરંપરામાં ‘કૃતિની એકેએક વિગતને લક્ષમાં રાખીને’ તેના ઉપાદાન અને તાત્પર્ય (રસ)ની દૃષ્ટિથી’ પાઠનું ‘વિવરણ’ કરવામાં આવે છે. આ ‘વિવરણ’ મોટે ભાગે વિશ્લેણાત્મક હોય. પણ વિશ્લેષણથી તારવેલાં ઘટકોની મૂલવણી ‘રસલક્ષી ઔચિત્યને ધોરણે’ થાય અને એ ‘ધોરણ’ સહૃદય ભાવક પાસેથી મળે છે. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે પશ્ચિમના આધુનિક વિવેચનની ગતિવિધિ આ દિશાની છે. દેખીતું છે કે પશ્ચિમના ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો અહીં તેમની નજરમાં રહ્યાં છે. પણ આ પાશ્ચાત્ય અભિગમોનાં કેટલાંક નક્કર પરિણામો છતાં એની મર્યાદાઓ અને મુશ્કેલીઓ તો ત્યાંના જ અભ્યાસીઓએ દર્શાવી છે. કૃતિના મૂલ્યાંકનનો સૈદ્ધાંતિક રીતે અસ્વીકાર કરનારા અભ્યાસીઓ અમુકતમુક કૃતિ માટે પસંદગી બતાવતા હોય જ છે, અથવા અમુકતમુક કૃતિથી પ્રભાવિત થયા હોય છે, અને એને વિશે ચર્ચા કરવાનું સ્વીકારતા હોય છે. સાહિત્યજગતમાં રોજ રોજ પ્રગટ થતી કૃતિઓ સર્વ એક જ બરની છે, એવું તો ભાગ્યે જ કોઈ સ્વીકારી શકે. એટલે મૂલ્યાંકનનો પ્રશ્ન એ અવાસ્તવિક કે મિથ્યા નથી. એ ખરું કે એનાં ધોરણો સ્થાપવાનું કે તેની દૃઢ પ્રતિષ્ઠા કરીને કાયમી વ્યવસ્થા ઊભી કરવાનું ઘણું ઘણું કપરું છે. પણ તેથી એ પ્રશ્નની અવગણના ન થઈ શકે.&lt;br /&gt;
‘શૈલીવિજ્ઞાન અને સાહિત્ય‘ લેખમાં ડૉ. ભાયાણીએ કૃતિના શૈલીલક્ષી અભ્યાસ અને શૈલીવિજ્ઞાનના કાર્યક્ષેત્રનો કંઈક સંક્ષિપ્ત પણ સઘન પરિચય આપ્યો છે. તેઓ નોંધે છે કે પશ્ચિમમાં સાહિત્યિક ભાષાના સ્વરૂપ અંગે વિવિધ અભિગમોથી વિચારવાના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. ‘સાહિત્યિક શૈલી’ને અંગે જો કે ત્યાંના અભ્યાસીઓમાં સર્વસંમતિ સાધી શકાઈ નથી. શૈલીવિચારના કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(અ) ‘શૈલી’ એટલે ‘પાઠ (‘ટેક્સ્સ્ટ’)ના રૂપનિષ્ઠ ધર્મો.’ આ દૃષ્ટિએ ‘પાઠગત ઘટકો’ અને ‘તેમની વચ્ચેના સંબંધોનું’ ‘વિશ્લેષણ’ જરૂરી બને. ડૉ. ભાયાણી સૂચવે છે કે ભાષાવિશ્લેષણને અહીં માત્ર ‘વાક્ય સુધી સીમિત’ નહિ રાખી શકાય. ‘વાક્ય વાક્ય વચ્ચેના સંબંધો’ને ય તપાસવા પડશે ‘સમગ્ર પાઠ’ને એ રીતે ‘ઉચ્ચતર એકમો’ની ગૂંથણીરૂપે જોવા તપાસવાનો રહેશે અને ‘અર્થવિશ્લેષણ’ને પણ એમાં સમાવવાનું રહેશે&lt;br /&gt;
(બ) ‘શૈલી’ એટલે ‘પ્રયોગવક્રતા’ (ડીવિએશન). આ દૃષ્ટિએ જે પ્રયોગો ‘ચાલુ ધોરણથી ફંટાતા ન્યારા અનોખા કે અલગારી’ હોય તેમની નોંધ લેવાય છે. અને એના પરથી ‘સાહિત્યિક ભાષાનું વૈશિષ્ટ્ય’ તારવવાનો પ્રયાસ થાય છે. જો કે એમાં ‘ધોરણ’ તરીકે કોને ગણવું તેવો પ્રશ્ન થશે. વગેરે&lt;br /&gt;
(ક) શૈલી—ઉક્તિવિકલ્પોમાંથી અમુકની પસંદગી અર્થાત્‌, એકથી વધુ વિકલ્પોમાં વધુ અર્થક્ષમ એકમની પસંદગી.&lt;br /&gt;
(ડ) લાગણી કે રમણીયતા અભિવ્યક્ત કરવાને ‘વક્તવ્યમાં ઉમેરાતો ભાર’ તે શૈલી. વગેરે&lt;br /&gt;
પણ શૈલીલક્ષી અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે વિશે ડૉ. ભાયાણીએ સારી સ્પષ્ટતા કરી છે. ‘કૃતિનો પાઠ એ એક સ્વાયત્ત સાંકેતિક તંત્ર છે, જેમાં ભાષાકીય તંત્ર ઉપરાંત પણ બીજાં અનેક તંત્રો પ્રવર્તતાં હોય છે.’૧૪૦ અને ‘સાહિત્યકૃતિનાં ઘણાં ઘટક તત્ત્વો ભાષાધીન નથી.’૧૪૧ એટલે છેવટે શૈલીનું તંત્ર તો એક સંકુલ રચનાનું એક સ્તર છે, અનેક તંત્રોનું એક અંગભૂત તંત્ર છે, એટલે સમગ્રના રહસ્યમાં એ કેવી રીતે સમર્પક બને છે તે જ ખરી તપાસનો મુદ્દો છે.&lt;br /&gt;
‘કાવ્યનો ‘પ્રતિભાવ’ : કાવ્યાર્થની પ્રતીતિ’ – શીર્ષકની ચર્ચામાં બે મુદ્દાઓની તેમણે સ્પષ્ટતા કરી છે. એમાં પ્રથમ ખંડમાં આપણા વિવેચનલેખોમાં પ્રયોજાતી જતી ‘પ્રતિભાવ’ સંજ્ઞાની અને બીજા ખંડમાં ‘કાવ્યાર્થ’ની સ્પષ્ટતા તેમણે કરી છે. દેખીતી રીતે જ બંને પરસ્પર સંકળાયેલા મુદ્દાઓ છે.&lt;br /&gt;
‘પ્રતિભાવ’ સંજ્ઞાની ચર્ચા કરતાં તેઓ નોંધે છે કે મનોવિજ્ઞાનના વર્તનવાદના પ્રભાવ નીચે સાહિત્યિક પ્રતિભાવ – literary response – જેવી સંજ્ઞા જન્મી છે. – “ ‘ઉત્તેજક’ પદાર્થ તરીકે રહેલી સાહિત્યકૃતિથી ઉત્તેજાઈને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિમાં મુખ્યત્વે જે બાહ્ય, દૃશ્ય પ્રભાવચિહ્નો વ્યક્ત થાય તે તેનો પ્રતિભાવ”૧૪૨ પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘પ્રતિભાવ’નો આ ખુલાસો પૂરતો નથી. “...જેઓ કલાકૃતિના આસ્વાદની પ્રક્રિયાને એક અત્યંત સચેતન પ્રવૃત્તિ, સક્રિય પ્રવૃત્તિ, પુનઃ સર્જન અને કંઈક અંશે નવસર્જનમાં વ્યાપૃત કરતી પ્રવૃત્તિ માને છે તેમને માટે આ સંદર્ભમાં ‘પ્રતિભાવ’ શબ્દથી વધુ અળખામણો ભાગ્યે જ કોઈ શબ્દ હશે.”૧૪૩ પ્રાચીન કાવ્યચર્ચામાં ‘આસ્વાદ’ કે ‘ભાવન’ વિશે ઘણી સૂક્ષ્મ દૃષ્ટિની ચર્ચા થયેલી છે, અને તે કાવ્યાનુભવને વર્ણવવા માટે વધુ ઉચિત છે એમ પણ તેઓ નોંધે છે.&lt;br /&gt;
વિવેચનનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ડૉ. ભાયાણી કહે છે કે “... વિવેચન એ માત્ર ‘પ્રતિભાવ’ની વાત નથી, વિવેચકે અનુભવેલા માત્ર ‘ચમત્કાર’ની વાત નથી, તે તેના ‘ભાવન’ની વાત છે. અને તેનું પ્રયોજન ‘અનુભાવન’ કરાવવાનું, ‘સમસંવેદન’ કરાવવાનું તો ખરું જ, પણ માત્ર એટલું જ નહીં, તે તેના વાચકને પોતાની રીતે ભાવન કરવાની દિશા પણ ચીંધે કે તેવા રસ્તા ને ચાવીઓ પણ સૂચવે. વિવેચકની દૃષ્ટિથી સચેત બનેલી ભાવકની દૃષ્ટિ કૃતિને ઉકેલતાં તેનું આંશિક નવનિર્માણ પણ કરે જ.”૧૪૪&lt;br /&gt;
કાવ્યના ભાવનમાં સહૃદય ખરેખર શું કરે છે? મૂળનો ‘અર્થ’ પામે છે કે કશુંક પોતા તરફથી તે તેમાં આરોપે કે ઉમેરે પણ છે? ભાવક કાવ્યનું પોતાના ચિત્તમાં પુનઃ સર્જન કરે છે એમ કહેવાથી શું સૂચવાય છે – માત્ર રચનાનું મૂળ તાત્પર્ય જ તેને ઉપલબ્ધ થાય છે કે તેનું નવસંસ્કરણ થાય છે? ડૉ. ભાયાણીએ અહીં આસ્વાદ-વિવેચનના બીજા એક મહત્ત્વના પ્રશ્ન પર આંગળી મૂકી છે. એના સ્પષ્ટીકરણમાં તેઓ કહે છે ‘ભાવન’ને જો આપણે ‘સમય પર પથરાતો’ વ્યાપાર ગણીએ (અર્થાત્‌ ‘સંલક્ષ્યક્રમ’ ગણીએ) અને ‘રસનિષ્પત્તિને પરિણતિ’ની ‘કક્ષા’ તરીકે લઈએ તો નીચે પ્રમાણે ભેદ કરી શકાય.&lt;br /&gt;
(૧)	કાવ્યનાં વાક્યોનો સાધારણ અર્થ-વ્યાકરણ અને કોશને માન્ય અર્થ,&lt;br /&gt;
(૨) સમગ્ર કાવ્યના સંદર્ભમાં થતો તેનો અર્થ : તાત્પર્ય,&lt;br /&gt;
(૩) સાહચર્યોને લઈને પ્રતીત થતો અર્થ : ધ્વનિ,&lt;br /&gt;
(૪) અંગત પ્રકૃતિ, અનુભવ, રુચિને લઈને પ્રતીત થતો અર્થ.&lt;br /&gt;
– આમાંના પહેલાં ત્રણને ‘કાવ્ય’માં રહેલા ગણી શકાય. ચોથો ભાવક તરફથી ઉમેરાય છે. ડૉ. ભાયાણી કહે છે કે કૃતિના close-readingમાં ક્યાં સુધી જવું, ‘અનંત વ્યંગ્યાર્થ’ને ક્યાં મર્યાદિત કરવો, એ વિશે આ રીતે નિર્ણય પર આવી શકાય. તેઓ અલબત્ત એ વિશે પૂરતા સભાન છે કે ‘અર્થ’ ત્રીજા અને ‘ચોથા’ વચ્ચે ભેદરેખા દોરવાનું અત્યંત દુષ્કર છે. અને ઘણાં વિવેચનોમાં ચોથા અર્થને ય સહૃદયના ધ્વનિબોધ તરીકે માની લેવામાં આવે છે. તેઓ નોંધે છે કે અર્થના પહેલા બે પ્રકારો વિશે પૂરી સર્વસંમતિ સાધી શકાય, ત્રીજો ચર્ચાક્ષમ છે, જ્યારે ચોથો અર્થ ‘ત્રીજાનો વેશ’ ધરીને વિવેચકને છેતરી જાય એવો ભય રહે છે.&lt;br /&gt;
પણ મને એમ લાગે છે કે કૃતિવિવેચનમાં, ખાસ કરીને મૂલ્યાંકનમાં, ત્રીજા ચોથા પ્રકારના ‘અર્થો’ સાથે વિવેચકને નિસ્બત સંભવે છે. રામનારાયણ પાઠક કહે છે તેમ કૃતિનું (કે વસ્તુનું) મૂલ્ય તેના પોતાનામાં નિહિત રહ્યું હોતું નથી. એનાં ‘ધોરણો’ વિવેચક તેના જીવનદર્શન કે અનુભવવિશ્વમાંથી લઈ આવે છે. કૃતિની worth કે significance જીવનના વ્યાપક સંદર્ભમાં નિર્ણિત નથી થતાં? એટલે કૃતિમાં નિહિત રહેલો ‘અર્થ’ (કે ‘ધ્વનિ’) અને પરંપરાના સંદર્ભમાં તેનું significance – એ બે વચ્ચે પણ સૂક્ષ્મ ભેદરેખા આંકવાની રહે. અલબત્ત, કૃતિના મૂલ્યાંકનનો જેઓ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરતા નથી, તેમને માટે આવો પ્રશ્ન કદાચ ઊઠતો નથી.&lt;br /&gt;
‘એક આસ્વાદસમીક્ષા’ લેખમાં એક રસપ્રદ તપાસ હાથ ધરાઈ છે. ‘જન્મીલું મરણ’ (સિતાંશુ) વિશે આપણા પાંચ મર્મજ્ઞ વિવેચકો ચિનુ મોદી, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, સુમન શાહ અને ચંદ્રકાન્ત ટોપીવાળાના આસ્વાદોની આ તાત્ત્વિક તપાસ છે. એકની એક કૃતિ વિશેના આ પાંચ વિવેચકોના આસ્વાદોમાં જે જે બાબતે દૃષ્ટિ કે રુચિભેદ છતો થયો છે તેને અવલોકવા બાબતે ડૉ. ભાયાણીએ બે કસોટીઓ રજૂ કરી છે.&lt;br /&gt;
(૧) કૃતિને રચવામાં યોજેલાં સાધનો અને યુક્તિઓ ભાવકના ચિત્તમાં કેવી અપેક્ષા ઊભી કરે છે અને પૂરે છે. તથા,&lt;br /&gt;
(૨) અનુભૂતિને આકૃત કરીને રસ નિષ્પન્ન કરવામાં એ સાધનો અને યુક્તિઓ કેવાં સાધકબાધક બને છે એને અવલંબીને જ કૃતિની સફળતા અંકાય, નહિ કે કોઈ આદર્શ કે અમૂર્ત ધોરણે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ રજૂ કરેલી બંને કસોટીઓ સ્વીકારવામાં મુશ્કેલી નથી. એ રીતે જ વિચારવિમર્શ ચલાવવાનો હોય. પણ હજીય પ્રશ્ન રહે જ છે. બીજી કસોટી પર્યાપ્ત છે? કેમ કે, કવિતા, વાર્તા, નવલકથા નાટક આદિ ભિન્ન સ્વરૂપની કૃતિઓના વિવેચનમૂલ્યાંકનમાં જેમણે સારું કામ કર્યું છે તેમના અનુભવો એની સાથે કદાચ પૂરા મેળમાં નહિ હોય. કોઈ નવલકથાની રૂપરચના સંદર્ભે વિવેચક એમ કહે કે એનાં પાત્રો તો સદ્‌ગુણોના કોથળા જેવાં છે, અથવા એની પાસે કાર્યોની સ્વતંત્રતા લેખકે રહેવા દીધી નથી, અથવા આ કે તે પાત્રનું વર્તન અનૈતિક છે, અથવા એમાંની ઘટના તાલમેલિયા અને બનાવટી છે, અથવા એ આખુંય કથાવિશ્વ સામાજિક વાસ્તવથી વિચ્છિન્ન હોઈ અવાસ્તવિક ભાસે છે, ત્યારે, મને એમ લાગે છે કે, આ જાતના નિર્ણયો કૃતિમાંનાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ પરથી બંધાતા છતાં, કૃતિ બહારના કોઈ (જીવન કે કળાતત્ત્વ વિષયક) આદર્શને લક્ષમાં રાખીને જ થઈ શકે.  કૃતિમાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ દ્વારા જે કંઈ સિદ્ધ થયું છે તે પોતે જ મૂલ્યાંકનનું અંતિમ ધોરણ બની શકે નહિ.&lt;br /&gt;
આસ્વાદ, કૃતિ, અને આસ્વાદક વિશે અંતમાં ‘શિખામણ’ના રૂપમાં મૂકેલી વાત, અલબત્ત, માર્મિક છે. – “આસ્વાદ અને આલોચનાની જાત એક જ, તો પણ અંગત રુચિનો સંસ્પર્શ અને અંગત ઢંગ એ આસ્વાદને આલોચનાથી જુદી તારવી આપે છે : ‘આપણે’ – ભાવનો સૂર, સહભોજનું સહિયારાપણું એ આસ્વાદનું પોતીકું લક્ષણ... આસ્વાદ, વિવરણ, આલોચના, અવલોકન, સમીક્ષા, વિવેચન, સમાલોચના—વગેરે સંજ્ઞાઓને અમરકોશી પર્યાયો બનવા ન દેવા હોય તો વેળાસર ચેતવું...”૧૪૫&lt;br /&gt;
‘કાવ્યનું સંવેદન’ના ‘ચયન’ ભાગમાં ડૉ. ભાયાણીએ આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર અને વિવેચનમીમાંસાને લગતાં અનુવાદ કે સારાનુવાદ જેવાં લખાણો રજૂ કર્યાં છે. આ ક્ષેત્રની પાશ્ચાત્ય વિચારણાનો આ રીતે તેમણે આપણને સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં ઈ ડી. હર્શના લખાણમાંથી તૈયાર કરેલું ‘વિવેચન : અર્થઘટન કે મૂલ્યાંકન?’ અને એલન રોડવેનું ‘પ્રકારનિષ્ઠ વિવેચન’ બેમાં વિવેચનમીમાંસાના પ્રશ્નો કેન્દ્રમાં આવ્યા છે. વિવેચનવ્યાપારની અંતર્ગત અર્થઘટન/મૂલ્યાંકનના જે વ્યાપારો સ્વીકારાય છે (કે અસ્વીકારાય છે) તેને લગતી આ ચર્ચા ઘણી દ્યોતક છે. એનાં તારણો તેમણે જ કાઢી આપ્યાં છે.&lt;br /&gt;
૧.	સાહિત્યકૃતિનું અર્થઘટન (કે સ્વરૂપવિવરણ), જે વિશિષ્ટ માનસિક (આત્મલક્ષી) અભિ-નિવેશથી સાહિત્યકૃતિની અર્થનિષ્પત્તિ થાય છે, તેની સાથે અનિવાર્યપણે સંલગ્ન હોય છે.&lt;br /&gt;
૨.	આ સંલગ્ન આત્મલક્ષી અભિ-નિવેશો અને કૃતિના અર્થો વચ્ચેના સંબંધમાં પ્રભાવો અને મૂલ્યો અનિવાર્યપણે અંતર્ગત હોય છે. એટલે સાહિત્યિક વિવરણમાં મૂલ્યાંકન અંગભૂત જ હોય છે. &lt;br /&gt;
૩.	વિવેકી વિવેચન કૃતિના ‘અર્થ’ નિજી અભિ—નિવેશ અને મૂલ્યના ઐક્યને, બીજા એક—કૃતિને ‘પરાયા’ એવા–અભિનિવેશથી આવરી લે છે, પણ તે ‘પરાયો’ અભિનિવેશ નિજી અભિનિવેશની અખંડતાને બાધક નથી હોતો.&lt;br /&gt;
૪.	આ પરાયા દૃષ્ટિબિંદુથી જે મૂલ્યાંકનો કરી શકાય છે તે ‘શુદ્ધ’ વિવરણ જેવાં જ વસ્તુલક્ષી હોઈ શકે છે.&lt;br /&gt;
‘પ્રકારનિષ્ઠ વિવેચન’ શીર્ષકનો લેખ એલન રોડવેના લેખનો સંક્ષિપ્ત—અનુવાદ છે. સાહિત્યના પ્રકારને લક્ષતા વિવેચનવિચારમાં જે મતમતાંતરો છે તેનો એમાં સુપેરે પરિચય મળે છે. પરિવિવેચન (‘મેટાક્રિટિસિઝમ’) અને આંતરિક વિવેચન’ (‘ઈન્ટ્રિઝિક ક્રિટિઝમ’) એ રીતે વિવેચનના પ્રકારો સ્વીકારીને તેમણે એ ચર્ચા વિકસાવી છે. અહીં એ ચર્ચાને ફરીથી રજૂ કરવાને અવકાશ નથી. પણ એમાંની એક મહત્ત્વની ભૂમિકા અહીં ઉતારીશુંઃ&lt;br /&gt;
“કૃતિને પોતાને સમજવી અને તેનો રસાસ્વાદ કરવો—સાહિત્યકૃતિનો સાહિત્યકૃતિ લેખે આસ્વાદ લેવો—એ આંતરિક વિવેચનનું પ્રયોજન છે. કૃતિની સમજ અને આસ્વાદ દ્વારા, સાહિત્યકૃતિ દ્વારા, બીજા કોઈ વિષયની સમજણ પ્રાપ્ત કરવી—સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તનાં સ્તરો, નૈતિક મૂલ્યો, સમાજરચના, મૂલ્યસંઘર્ષ વગેરેની સમજણ પ્રાપ્ત કરવી—એ પરિવિવેચનનું પ્રયોજન છે. આંતરિક વિવેચન કેન્દ્રગામી છે—તે કૃતિની ભીતરમાં પ્રવેશે છે. પરિવિવેચન કેન્દ્રોપસારી છે—તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. આંતરિક વિવેચનને કૃતિના સ્વત્વની સાથે નિસ્બત છે, પરિવિવેચનને કૃતિના ઇતર સાથેના સંબંધો સાથે નિસ્બત છે. આંતરિક વિવેચનને કૃતિના મર્મ સાથે લાગેવળગે છે, પરિવિવેચનને તેના તાત્પર્ય સાથે. બંને ય સાહિત્યિક શોધખોળની સામગ્રીને ઉપયોગમાં લે છે. પણ, સાહિત્યિક, આંતરિક અભિગમ-સંશોધન સામગ્રીનો ઉપયોગ કૃતિને પોતાને સમજવા અને આસ્વાદવા માટે કરે છે, જ્યારે પરિવિવેચન કૃતિની સમજ અને આસ્વાદ કોઈ અન્ય હેતુ સિદ્ધ કરવા ઉપયોગમાં લે છે. પરંતુ પરિવિવેચનને માટે પણ કૃતિનું આંતરિક વિવેચન એક પૂર્વશરત છે : કૃતિને કૃતિ તરીકે પામ્યા પછી જ તેનું અન્ય હેતુઓ માટે શું અને કેટલું તાત્પર્ય છે તે યોગ્ય રીતે જાણી શકાય.”&lt;br /&gt;
એલન રોડે પ્રકારનિષ્ઠ વિવેચનની અમુક ઉપયોગિતા દર્શાવી છે તે પણ ધ્યાનાર્હ છે. પરિવિવેચનની દૃષ્ટિએ તેમ અમુક અંશે આંતરિક વિવેચનમાં ય તે ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’ લેખમાં, પાશ્ચાત્ય બંધારણવાદ અને સાહિત્યને તપાસવાનો તેનો અભિગમ—એ બાબતોને તેઓ વ્યવસ્થિત અને વિશદ રૂપમાં ચર્ચે છે, અને એની તાત્ત્વિક ભૂમિકા સમજવાને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમુચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. આપણા વિવેચનતત્ત્વવિચારમાં એ રીતે એ લેખ ઘણું મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. અહીં પણ તેમની આખી ચર્ચાને સ્પર્શવાનું શક્ય નથી. પણ એમાંનાં બે ત્રણ મહત્ત્વનાં દૃષ્ટિબિંદુઓ નોંધીશું :&lt;br /&gt;
૧ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય સાહિત્યકૃતિઓનું અર્થઘટન કરવાનું નથી. કૃતિનો નવો અર્થ શોધવા કે અર્થ ઘટાવવા કરતાં વિશેષ તો જે શરતો નીચે કાવ્યાર્થ નિષ્પન્ન થતો હોય છે, તે શરતો નક્કી કરવા આ સાહિત્યવિચાર મથે છે.&lt;br /&gt;
૨ સાહિત્યના ભાવકોએ સાહિત્યકૃતિઓ સાથે કામ પાડતાં પાડતાં એવી વિવિધ સાંકેતિક પ્રણાલીઓ આપોઆપ ગ્રહણ કરી હોય છે, જેને પરિણામે તે અમુક વાક્યસમૂહને સુઘટિત અર્થપૂર્ણ કાવ્ય કે નવલકથા લેખે પામી શકે છે. આ દૃષ્ટિએ સાહિત્યપદાર્થનું અધ્યયન એટલે વ્યક્તિગત કૃતિઓની ચર્ચા નહીં પરંતુ જે પ્રણાલીઓ સાહિત્યને શક્ય બનાવે છે તેમને સમજવાનો પ્રયાસ.&lt;br /&gt;
૩ ભાવકે લાંબા સમયના ભાવન-પરિશીલનથી ‘સાહિત્યિક સામર્થ્ય’ (‘લિટરરી કોમ્પિટન્ઝ’) પ્રાપ્ત કર્યું હોય છે. એ ‘સામર્થ્ય’ જ ઉક્તિઓને સાહિત્યિક બંધારણ અને અર્થવત્તા અર્પી શકે. બંધારણવાદી અભિગમ વાચકની સાહિત્યકૃતિ પાસેની અપેક્ષા પર ભાર મૂકે છે, અને કઈ પ્રણાલીઓ તે તે સમય અને સંસ્કૃતિના સાહિત્ય પરત્વે વિધાયક છે તેની તપાસને સાહિત્યવિચારમાં મૂળભૂત ગણે છે.&lt;br /&gt;
૪ સાહિત્યકૃતિ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત, નૈસર્ગિક અવયવી જેવી, અને અંતર્વ્યાપ્ત અર્થની ધારક હોય છે એમ કહેવું બરાબર નથી. બંધારણવાદી સાહિત્યવિચાર પ્રમાણે તો પોતે જે પ્રણાલીઓનું તંત્ર પચાવ્યું હોય છે, તેના સંદર્ભમાં જ વાચકો સાહિત્યકૃતિની અર્થવત્તા પામી શકે.&lt;br /&gt;
૫ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય જે અંતર્ગત નિયમતંત્ર દ્વારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને ખુલ્લું કરી બતાવવાનું છે તે કાવ્યભાષાને લગતો સર્વાશ્લેષી સિદ્ધાંત આપવા માગે છે, કૃતિવિશેષનું અર્થઘટન કરવાનું તેના ક્ષેત્રમાં નથી.&lt;br /&gt;
આ પ્રકારના અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે પ્રત્યે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આપણું સૌનું ધ્યાન ખેંચ્યું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ’ લેખમાં આપણી વિવેચનપ્રવૃત્તિના સંદર્ભે એક પાયાનો મુદ્દો તેમણે છેડ્યો છે. સંસ્કૃતમાં વિપુલ ‘ટીકાસાહિત્ય’ ખેડાયું છે અને ‘સર્વગ્રાહી તલસ્પર્શી કે સૂક્ષ્મદર્શી વિવેચન’નાં સેંકડો દૃષ્ટાંત મળે છે, એમ દર્શાવી પ્રાચીન વિવેચનરીતિનો તેમણે પુરસ્કાર કર્યો છે. સંસ્કૃત વિવેચનરીતિની ‘સબળતા’ એ રીતે ચકાસી શકાય એવી તેમની પ્રતીતિ રહી છે. આપણું વર્તમાન વિવેચન પશ્ચિમમાંથી ‘નૂતન દૃષ્ટિ’ અને ‘પદ્ધતિ’ સ્વીકારવા તરફ વળ્યું છે ત્યારે સંસ્કૃતની વિવેચનરીતિ આજે એટલી જ બલકે વધુ પ્રમાણભૂત બની રહે એમ તેઓ સૂચવવા ચાહે છે.&lt;br /&gt;
‘એક નિર્મૂળ આશંકા’નું૧૪૬ તેમનું લખાણ આમ તો પત્રચર્ચા રૂપે જન્મ્યું છે. ડૉ. રમણલાલ જોષીએ, તેમના વિશે લીધેલી નોંધ સામેની ટીકા૧૪૭ રૂપે એ જન્મ્યું છે, અને એમાં ડૉ. ભાયાણીનો કંઈક અભિનિવેશ છતો થઈ જાય છે. આપણા અર્વાચીન વિવેચને પાશ્ચાત્ય સાહિત્યવિચારને અનુસરવાનું જે વલણ દાખવ્યું છે તે પરિસ્થિતિની સામે અહીં તેમણે પ્રશ્ન ઊભો કર્યો છે. તેમની મુખ્ય દલીલ કંઈક એ રીતની છે કે પશ્ચિમમાં છેક પ્રાચીન કાળમાં થઈ ગયેલા એરિસ્ટોટલ અને લોન્જાયનસનો સાહિત્યવિચાર જો આપણે આપણા વિવેચનમાં લાગુ પાડી શકતા હોઈએ તો આપણી જ પરંપરાના આનંદવર્ધન કે કુંતકની વિચારણા શા માટે નહિ? સંસ્કૃત પરંપરાની ‘શાકુંતલ’ આદિ કૃતિઓને પાશ્ચાત્ય ‘કાટલે’ જોખવા આપણે પ્રવૃત્ત થતા હોઈએ તો પશ્ચિમના શેઇક્‌સ્પિયર, કાફકા, કામ્યૂ વગેરેને સંસ્કૃત વિવેચનનાં ‘ધોરણો’થી શા માટે જોખી ન શકાય? વગેરે. ડૉ. રમણલાલે એ મતલબનું કહેલું કે આપણા આધુનિક સાહિત્યનાં વિવેચનમૂલ્યાંકન અર્થે સંસ્કૃતના સિદ્ધાંતોને લાગુ પાડતાં પૂર્વે ‘સંસ્કારવા’ પડશે. એ મંતવ્યની ટીકા કરતાં ડૉ. હરિવલ્લભ ભાયાણી એ જાતનું પ્રતિપાદન કરવા ચાહે છે કે સાહિત્યનાં મૂળ તત્ત્વો વિશે-સાહિત્યને સાહિત્ય બનાવનાર ગુણ લક્ષણો વિશે સંસ્કૃત આચાર્યોએ અતિ સૂક્ષ્મ અને શાસ્ત્રીય ચર્ચા કરેલી છે. હજારો કૃતિઓનાં ઝીણવટભર્યાં વિશ્લેષણો પર એ આધારિત છે. તેમના મતે ‘ભારતીય વિવેચન પ્રયોગમૂલક હતું, શાસ્ત્રમૂલક નહિ.’ આપણા વિવેચન સામે પાશ્ચાત્ય અભ્યાસીઓની શબ્દ અર્થ કે રસ વિશેની વિચારણા ઘણી છીછરી અને અધૂરી રહી છે. એટલે સંસ્કૃતના સિદ્ધાંતોને ‘સંસ્કારવાનો’, તેમના મતે, કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી,&lt;br /&gt;
આપણા વિવેચનતત્ત્વવિચારમાં આ એક અતિ કૂટ પ્રશ્ન હવે ઊપસી આવ્યો છે. દેખાય છે તે કરતાં એ અનેક ઘણો સંકુલ અને અટપટો છે. આપણા વિવેચનની આ એક હકીકત છે કે એમાં એના સોસવાસો વર્ષના ઇતિહાસમાં પાશ્ચાત્ય વિવેચનની સતત પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સંસ્કૃતના કાવ્યશાસ્ત્રનો આપણે ત્યાં અભ્યાસ નથી થયો એવું પણ નથી. રસ ધ્વનિ રીતિ આદિ સિદ્ધાંતોનું વિવરણ સમજૂતી આદિ પ્રવૃત્તિઓ આપણે ત્યાં થઈ છે અને રસ ભાવ આદિ પાયાનાં તત્ત્વોનો સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં સ્વીકાર થયો છે. અને સંસ્કૃતની સાહિત્યવિચારણામાં કૃતિના આસ્વાદ વિવરણ અને રસકીય મૂલ્યાંકનનાં ચોક્કસ ધોરણો પ્રતિષ્ઠિત થયેલાં છે. એટલે પાશ્ચાત્ય વિવેચન વિચારની તુલનાએ એ ધોરણોની પ્રતિષ્ઠા થતી રહે એ એટલું જ અનિવાર્ય છે.&lt;br /&gt;
પણ પશ્ચિમના સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં લાંબા સમય સુધી કૃતિને વ્યાપકપણે સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે જોવા તપાસવાનું વલણ કામ કરતું રહ્યું છે. અનુકરણવાદ (mimesis), અભિવ્યક્તિવાદ (expression theory), વાસ્તવવાદ  (realism), અને પ્રકૃતિવાદ (naturalism), પ્રતીકવાદ (symbolism) આદિ કળામીમાંસાની વિચારધારાઓ સાહિત્ય અને અન્ય લલિત કળાઓને જીવન (કે વિશ્વજીવન કે પ્રકૃતિ કે ઇતિહાસ કે સંસ્કૃતિ કે વિચારધારાઓ આદિ) સાથે સાંકળીને તેનો ‘અર્થ’ કે ‘મૂલ્ય’ સ્પષ્ટ કરવા ચાહે છે. આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પાશ્ચાત્ય સાહિત્ય અને તેના વિવેચનનો સંપર્ક થયો ત્યારે કળાવિવેચનનાં નવાં મૂલ્યો ય આપણે પ્રતિષ્ઠિત કર્યાં. નવલરામની ગ્રંથસમીક્ષાઓનું બારીકાઈથી અવલોકન કરતાં એવા કેટલાંક નૂતન કળાતત્ત્વો અને મૂલ્યોનો એમાં પુરસ્કાર થયેલો જોઈ શકાશે. નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ વિષ્ણુપ્રસાદ ઉમાશંકર સુંદરમ્‌ સુરેશ જોષી જેવા અગ્રણી વિદ્વાનોની ગ્રંથવિવેચનાઓ પાશ્ચાત્ય વિવેચનનાં કયાં નવાં મૂલ્યો કે ધોરણો સાથે કામ પાડે છે તે અવલોકવાનું ઘણું રસપ્રદ નીવડે એમ છે. અહીં મારો મુદ્દો એ છે કે અર્વાચીન સમયમાં આપણું સાહિત્ય જે રીતે વિકસતું ગયું તેની સાથોસાથ કૃતિવિવેચનની જે આગવી પરંપરા ઊભી થઈ તે આપણા સાહિત્યિક/સાંસ્કૃતિક વિકાસનો એક જીવંત તંતુ છે. અને આપણી રસકીય સંવિત્‌ (કે રસકીય સંવેદનશીલતા – aesthetic sensibility) બંને પરંપરાનાં કળાતત્ત્વો અને કળામૂલ્યોને આત્મસાત્‌ કરીને વિકસી છે. એ હકીકતને લક્ષમાં લઈએ તો આપણા આધુનિક સાહિત્યને જોવા તપાસવામાં અને વિશેષતઃ તેના રહસ્યઘટન અને મૂલ્યાંકનમાં – જો વિવેચનનાં એ બે કાર્યો આપણે સ્વીકારીએ તો – સંસ્કૃત વિવેચનના પાયાના ખ્યાલો પર્યાપ્ત નીવડે કે કેમ એ પ્રશ્ન વિચારણીય બની રહે છે.&lt;br /&gt;
‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’માં સાહિત્યના અધ્યયનવિવેચન અર્થે વર્તમાનમાં ખેડાતા જતા ભાષાલક્ષી અભિગમની વ્યવસ્થિત અને વિશદ છણાવટ તેમણે કરી છે. યાકોબ્સનના આ વિશેના ખ્યાલો તેમણે અહીં સ્પષ્ટ રીતે મૂકી આપ્યા છે. એના અનુસંધાનમાં કાવ્યનું સત્ય, આય્‌રની, અલ્યુઝન, મેટેફર જેવાં તત્ત્વોની પણ તપાસ કરી છે. ‘સાહિત્યભાષા—વિજ્ઞાન’ એ લેખમાં ડબ્લ્યૂ ઓ. હેન્ડ્રિક્સના ‘રિલેશન બિટ્‌વીન લિંગ્વિસ્ટિક્સ એન્ડ લિટરરી સ્ટડીઝ’ (‘પોએટિક્સ’, ગ્રંથ-૧૧, ૧૯૭૪) શીર્ષકના લેખની ચર્ચાનો આંશિક અનુવાદ છે. ભાષાવિજ્ઞાન સાહિત્યવિવેચનને ખરેખર ઉપકારક બની શકે કે કેમ એ વિવાદને લક્ષમાં રાખીને હેન્ડ્રિક્સે એમાં ચર્ચા કરી હતી. ડૉ. ભાયાણીએ અહીં એ લેખના મુખ્ય વક્તવ્ય દ્વારા સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ‘કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓ’ – એ પણ પાશ્ચાત્ય અભ્યાસી વેધરિલના ગ્રંથના કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું તારણ રજૂ કરે છે. કૃતિના અધ્યયનની આધુનિક દૃષ્ટિ-પદ્ધતિનો એમાં સુપેરે પરિચય મળે છે. ‘હર્મન્યૂટિક વિવેચન’ શીર્ષકની સંક્ષિપ્ત નોંધમાં પુલે આદિની સંવિત્‌લક્ષી વિવેચનરીતિનો પરિચય આપ્યો છે.&lt;br /&gt;
‘સ્વભાવોક્તિ’ (તેનું સ્વરૂપ અને વર્તમાન વિવેચનમાં પ્રસ્તુતતા) લેખમાં પ્રાચીન મીમાંસાના સ્વભાવોક્તિના ખ્યાલની વ્યાખ્યાવિચારણા રજૂ કરી સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાંથી દૃષ્ટાંતો દ્વારા તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે સંસ્કૃતના ‘ભાવિક’ અલંકારનાં સરસ દૃષ્ટાંતો લાભશંકરની રચનાઓમાંથી તેમણે શોધી આપ્યાં છે. ‘ત્રણ કૃતિવિવેચનો’નું તેમનું વિવેચનકર્મ ધ્યાનાર્હ છે. સંસ્કૃત વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ આપણી આધુનિક કૃતિઓના વિવેચન અર્થે પ્રસ્તુત છે એમ બતાવવાનો તેમનો આ ધ્યાનપાત્ર પ્રયોગ છે.&lt;br /&gt;
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.&lt;br /&gt;
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’&lt;br /&gt;
 વિવેચકની સજ્જતા લેખે તેમણે તેની ‘સંવેદનશીલતા’નો પ્રથમ સ્વીકાર કર્યો છે. કૃતિના અધ્યયનવિવેચનમાં તેના ઐતિહાસિક સંયોગોની તેમ બીજાં જ્ઞાનવિજ્ઞાનની જાણકારી, અલબત્ત, ઉપકારક બને, પણ તેને માટે પહેલી આવશ્યકતા તે સંવેદનવ્યાપારની છે એમ તેઓ કહે છે. વિવેચ્ય કૃતિ પ્રત્યે ‘વિસ્મય’ જન્મી શકે એટલી કોમળ સંવેદનપટુતા તેનામાં હોવી ઘટે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. વિવેચનવ્યાપારની ક્ષણોમાં કૃતિના સર્જક વિશે તેમ ભાવકસમૂહ વિશે વિચાર કરી જોવા તે પ્રેરાય અથવા ન યે પ્રેરાય પણ પોતાની જાત સાથે તેણે ‘સંવાદ’ કરવો જ પડે છે. વિવેચનમાં વિવેચકની ‘ઉપસ્થિતિ’ સતત વરતાતી રહે એમ તેઓ ઇચ્છે છે. સિદ્ધાંતોનો વિનિયોગ પણ તે કરે ખરો પણ યાંત્રિક રીતે કોઈ સિદ્ધાંત લાગુ પાડવાનું તે પસંદ કરશે નહિ. ડૉ. રમણલાલના મતે વિવેચક માત્ર ‘અનુભવપ્રમાણવાદી’ છે.&lt;br /&gt;
વિવેચનની પ્રક્રિયામાં તેમણે પાંચ ‘સોપાન શ્રેણી’ કલ્પેલી છે : (૧) વિવેચનાર્થ કૃતિની વરણી (૨) કૃષિનું વાચન-ભાવન (૩) કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન (૪) સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત (૫) ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ અને કાર્યના સંદર્ભે અહીં પહેલી સ્પષ્ટતા એ કરવાની રહે છે કે સોપાનશ્રેણીનો પહેલો વ્યાપાર ‘કૃતિની વરણી’ એ વિવેચનના તાત્ત્વિક બંધારણનો અંતર્ગત ભાગ ન લેખી શકાય. વિવેચક વિવેચન અર્થે આ કે તે કૃતિની પસંદગી કરવા પ્રેરાય તેની પાછળ જે તે કૃતિ/કર્તા માટેની વિશેષ રુચિ કે પક્ષપાત હોય પણ કૃતિના આસ્વાદ અનુભાવન પૂર્વેની એ પસંદગી હશે તો તો એ પસંદગીનું કોઈ મહત્ત્વ ન કરી શકાય. વિવેચનની પ્રક્રિયા આસ્વાદને અંતે સભાનતાપૂર્વક આરંભાતી વસ્તુ છે એમ સ્વીકારવું વધુ તાર્કિક છે. વળી, કૃતિના ‘વાચન-ભાવન’ (બીજું સોપાન)થી વિવેચકના ચિત્તમાં ચાલતા આસ્વાદ વ્યાપારનો ખ્યાલ અભિમત હોય તો એ વ્યાપાર પણ વિવેચન નથી. અલબત્ત વિવેચનનો એ સ્રોત છે, આધાર છે. ‘કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન’ એ ત્રીજો વ્યાપાર પણ બીજા ‘વાચન-ભાવન’નો જ વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. ચોથા સોપાનમાં ડૉ. રમણભાઈએ ‘રસકીય વૃત્તાંત’ અને પાંચમામાં ‘મૂલ્યાંકન’ મૂક્યાં છે. હવે, ‘રસકીય વૃત્તાંત’ સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. એથી રસાનુભૂતિના વર્ણન કે અહેવાલનો ખ્યાલ જો તેમને અભિપ્રેત હોય તો તો aesthetic criticism કે આસ્વાદરૂપ લેખના સ્વરૂપનું એ લખાણ નહિ હોય? કૃતિના મૂલ્યાંકન પૂર્વે અનિવાર્યતા આવા કોઈ સોપાનમાંથી વિવેચકને પસાર થવાનું અનિવાર્ય ખરું, એવા પ્રશ્નને અવકાશ રહે જ છે. વિવેચનના અંતિમ તબક્કામાં કૃતિનો મૂલ્યાંકન વ્યાપાર તેમણે મૂક્યો છે. જે રીતે કૃતિના ‘ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય’નો ઉલ્લેખ તેમણે કર્યો છે તે જોતાં ઐતિહાસિક અભિગમ વિવેચનનો અંતર્ગત ભાગ હોય એમ તેમને અભિમત જણાશે. પણ નોંધવું જોઈએ કે આપણા યુગમાં જ વિવેચનના અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનું સ્વરૂપ એવા દરેક અભિગમમાં જુદું જ પોત પ્રગટ કરે છે. આકારવાદી વિવેચનમાં કૃતિના આકારની તપાસ પર જ ઘણો મોટો ભાર મૂકાય છે. કૃતિના ઐતિહાસિક સંદર્ભો એમાં લક્ષમાં લેવાતા જ નથી અથવા સમગ્ર વિવેચનમાં તે અતિ ગૌણ સ્થાન લે છે. ચૈતન્યવાદી વિવેચકો પણ કૃતિની ઐતિહાસિકતાને અતિક્રમી જતા દેખાશે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામની વસ્તુ ઠીક ઠીક રૂપાંતરશીલ (protean) રહી છે. એટલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ખોજ અને તેની ઓળખને વિવેચનની અંતર્ગત અનિવાર્યપણે ચાલતા વ્યાપાર તરીકે સમાવવામાં મુશ્કેલી ઊભી થશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં કેટલાક (અને આપણે ત્યાંય થોડાક) અભ્યાસીઓ સૈદ્ધાંતિક ભૂમિકા પર કૃતિનું મૂલ્યાંકન કરવાનું જરૂરી ગણતા નથી; અથવા, આજના જગતમાં મૂલ્યાંકન શક્ય જ નથી એમ પણ કહેવા પ્રેરાયા છે. ડૉ. રમણલાલે, અલબત્ત, અહીં મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. જો કે, વિવેચન વ્યાપારની અંતર્ગત સમાવાતા કે તેની સાથે સંકળાયેલા ગણાતા ‘અર્થઘટન’ (interpretation)ના વ્યાપારનો નિર્દેશ પણ કર્યો નથી તે મોટું વિસ્મય જગાડે છે.&lt;br /&gt;
વિવેચનકાર્યમાં વિવેચકના પોતાના કળા અને સૌંદર્ય વિષયક ખ્યાલોનું શું? આસ્વાદ-અવબોધમાં તે અંતરાય ન બને? આ જાતના પ્રશ્નો વિવેચનમીમાંસાના કૂટ પ્રશ્નો છે. એ વિશે જુદા જુદા સંદર્ભે અગાઉ આપણે ચર્ચા કરી છે એટલે તેનું પુનરાવર્તન નહિ કરીએ. ડૉ. રમણલાલનું મંતવ્ય એવું છે : “વિવેચકના પોતાના અમુક ખ્યાલો, એનાં પોતાનાં માનસિક વળગણો સાચી સમ-સંવેદનાની ક્રિયામાં અવરોધરૂપ બને છે.”૧૫૦ આ ખ્યાલ અંશતઃ સાચો છે. કૃતિના પોતાના કળા-રૂપને એની સર્વ વિશિષ્ટતાઓ સાથે પામવામાં વિવેચકના પૂર્વ-નિર્ધારિત ખ્યાલો કે અપેક્ષાઓ તાદાત્મ્ય સાધવામાં અમુક અંતરાય રચે છે. પણ, તો પછી, દરેક મહાન વિવેચક કળા અને સૌંદર્યની નિજી ભૂમિકા પરથી વિવેચન કરવા પ્રવૃત્ત નથી થતો? &lt;br /&gt;
વિવેચક કૃતિ વિશેના પોતાના અનુભવને જ્યાં ‘ઘાટ’ આપવા સક્રિય બને છે ત્યાં ‘સાહિત્યકળાના સિદ્ધાંતો’, ‘કૃતિપ્રેરિત જીવનવિભાવો’ ‘ઐતિહાસિક સંદર્ભ’ વગેરે વસ્તુઓ તેના ચિત્તમાં ‘પશ્ચાદ્‌ભૂ’ તરીકે ઉપસ્થિત હોય છે એમ તેઓ નોંધે છે, પણ ત્યાં એ ચર્ચા અટકે છે. આપણે એ વિશે સ્પષ્ટતા રૂપે એટલું ઉમેરી શકીએ કે અનુભવને ઘાટ આપવાની પ્રવૃત્તિ અમુક સ્પષ્ટઅસ્પષ્ટ વિભાવોનો – conceptual frameનો – સ્વીકાર કરીને આરંભાતી હોય છે. અનુભવના વ્યાપમાં આવતી કલાકીય સામગ્રી – જે અમુક સમયના સ્થિત્યંતરો રૂપે એકત્ર થઈ હોય છે – તેનું આકલન જ અમુક વિભાવનાઓની અપેક્ષા રાખે છે. અને વિભાવનાઓના સ્વીકાર સાથે તેમાં કળાના અમુક સિદ્ધાંત કે વાદની ભૂમિકાનું અનુસંધાન રચાતું હોય છે.&lt;br /&gt;
આ વિશેની વિચારણામાં ડૉ. રમણલાલે એક મહત્ત્વની વાતનો સંકેત કર્યો છે : “બધા જ વિવેચનાત્મક અભિગમો અને સંપ્રદાયો જાણે અજાણ્યે કશીક દાર્શનિક પીઠિકા સ્વીકારીને ચાલતા હોય છે. વિવેચકની એને વિશેની સભાનતા એના પ્રત્યક્ષ વિવેચનકાર્યમાં સંભવ છે કે મદદરૂપ નીવડે.”૧૫૧ આ સંદર્ભે પહેલી વાત એ નોંધવાની કે વિવેચનનો અભિગમ કેવળ યાદૃચ્છિક પસંદગીની વસ્તુ જ નથી. ઐતિહાસિક, આકારવાદી, માર્ક્‌સવાદી કે ચૈતન્યવાદી —એવા દરેક અભિગમની દાર્શનિક પીઠિકા પરસ્પરથી સાવ ભિન્ન છે, અને સાહિત્યકળાના સ્વરૂપ અને કાર્ય વિશે એ દરેક અભિગમ આગવા ખ્યાલો સ્વીકારીને ચાલે છે. એટલે વિવેચક જો પોતાના કર્મ અને ધર્મ વિશે પૂરતો સભાન હશે, પોતાનું કાર્ય નિષ્ઠા ગંભીરતા અને પ્રામાણિકતાથી બજાવવા ચાહતો હશે, તો કૃતિ પરત્વેના અભિગમ વિશે તેણે હવે પૂરેપૂરી સમજ કેળવી લેવાની રહેશે.&lt;br /&gt;
વિવેચનમાં મૂલ્યાંકનના પ્રશ્ને તેમણે જે વિચારો રજૂ કર્યા છે તેમાં કેટલાંક ચિંત્ય વિધાનો છે : એક, કળાકૃતિને મૂલવવા માટે ‘દેશકાળથી પર એવાં સાર્વત્રિક ધોરણો’ છે, અને એવાં ધોરણો અનુસાર થતું મૂલ્યાંકન ટકી શકે છે. વિવેચકનું કાર્ય એવાં ‘સ્થાયી ધોરણો’ અનુસાર કૃતિનું મૂલ્ય નક્કી કરવાનું છે.’ પ્રશ્ન થાય કે પૂર્વપશ્ચિમની વિવેચનપરંપરામાં જે જે ‘ધોરણો’ ઊપસી આવ્યાં છે તેમાં ‘સાર્વત્રિક ધોરણો’ કયાં? વિશ્વસાહિત્યની નવી જૂની હર કોઈ યુગની કૃતિને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવાં ‘ધોરણો’ કોને ગણશો? બીજો મુદ્દો એ છે : ‘વિવેચક વિવેચનની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વચ્ચે ય મેળ બેસાડતો હોય છે.’ આપણે ઉપર જોયું કે વિવેચનના કેટલાક અભિગમોની સાહિત્ય વિશેની પીઠિકા જુદી છે, એ જોતાં ભિન્નભિન્ન પદ્ધતિઓ વચ્ચે મેળ બેસાડવાનું હંમેશાં શક્ય છે?&lt;br /&gt;
કૃતિવિવેચન અર્થે વિવેચકે જીવનનાં તેમ સાહિત્યકળાનાં બંનેયનાં ધોરણો લાગુ પાડવાનાં રહે છે એમ તેઓ કહે છે. એલિયટ-ઉમાશંકરમાંથી તેમણે આ વિશે સમર્થન મેળવી પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ઐતિહાસિક, આકારવાદી, ચૈતન્યવાદી અને સંરચનાવાદી અભિગમોનો સાવ અછડતો તેમણે પરિચય આપ્યો છે, પણ તે દરેકની પાછળની સાહિત્યિક વિચારણા સ્પષ્ટ કરી નથી.&lt;br /&gt;
‘આધુનિક વિવેચન’ લેખમાં કૃતિનિષ્ઠ વિવેચનના સીમિત કાર્યક્ષેત્રની સામે વિવેચક માટે આર્નોલ્ડને અભિમત એવું વ્યાપક ક્ષેત્ર તેમણે સૂચવ્યું છે. આપણે આધુનિક વિવેચનમાં ‘બીજી માનવવિદ્યાઓનાં ઓજારો’ કામે લગાડ્યાં છે એવું અવલોકન પણ તેમણે રજૂ કર્યું છે! આપણા વર્તમાન વિવેચનની પરિભાષા વળી સંદિગ્ધ રહી જવા પામી છે, એમ પણ નોંધ્યું છે.&lt;br /&gt;
૧૯૭૩ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આશ્રયે યોજાયેલા એક પરિસંવાદમાં તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય : વિવેચન અવલોકનો’ વિષય પર વક્તવ્ય રજૂ કરેલું. હમણાં બેંગલોરમાં મળેલા એક સેમિનારમાં ‘આપણા સાહિત્યમાં વિવેચનની કોઈ આબોહવા છે ખરી?’ વિષય પર તેમણે બીજું વક્તવ્ય રજૂ કરેલું. એમાં તેમણે આપણા આધુનિક સાહિત્યના વિવેચન મૂલ્યાંકન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિભાવનાઓને લગતો એક મહત્ત્વનો મુદ્દો છેડ્યો છે. તેમનું વક્તવ્ય કંઈક એવું છે કે સંસ્કૃતના પ્રમુખ સિદ્ધાંતોને આપણા પ્રાદેશિક ભાષાસાહિત્યને લાગુ પાડતાં પહેલાં ‘ઠીક ઠીક સંસ્કારવા પડશે.’ ડૉ. ભાયાણીએ એમની આ જાતની માન્યતા સામે વાંધો લીધો છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો વિશ્વસાહિત્યની કૃતિઓનેય લાગુ પાડી શકાય, એવું તેમને અભિમત છે.&lt;br /&gt;
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(૧) આજનો તરુણ વિવેચક ઘણીવાર કૃતિના ‘અર્થ’ની અવગણના કરી, તેની ‘આકૃતિ’ની તપાસમાં પ્રવૃત્ત થાય છે, અને એ નિમિત્તે તે કલ્પન લય ભાષાકર્મ પ્રતીક જેવાં તત્ત્વો ચીંધી બતાવે છે. પણ પ્રતીકાદિના સંદર્ભે ‘અર્થવિસ્તાર’ની વાત કરતાં તેના આધારરૂપ એવા કોઈ ‘અર્થ’નો સ્વીકાર તો ત્યાં થાય જ છે. તો કૃતિવિવેચનમાં આ રીતે ‘અર્થ’ના પ્રશ્નને ટાળવાનું વલણ યોગ્ય છે?&lt;br /&gt;
(૨) કાવ્યકૃતિના લય વિશેનું આપણું વિવેચન ઘણુંખરું ‘અંગત છાપો’થી ભર્યું છે. લય વિશેનાં વિધાનો ઘણીવાર રંગદર્શી ભાષામાં રજૂ થાય છે. એના વિશે વસ્તુલક્ષી વિશ્લેષણ કરવાના પ્રયત્નો ભાગ્યે જ થાય છે. જ્યાં સુધી લયના બંધારણ વિશે આંગળી મૂકીને આપણે વાત ન કરી શકીએ ત્યાં સુધી એના વસ્તુલક્ષી વિવેચનની દિશામાં આપણે ગતિ કરી ન શકીએ.&lt;br /&gt;
(૩) કૃતિઓની ભાષાલક્ષી તપાસથી આપણો આસ્વાદ વધુ તીક્ષ્ણ અને સમૃદ્ધ બન્યો છે એમ આપણે સ્વીકારીએ, પણ એનાં ભયસ્થાનો ય આપણે લક્ષમાં રાખવાનાં છે. કૃતિની ભાષા પર વિવેચક પોતે અંગત અર્થોનું આરોપણ કરી રહ્યો હોય એ પણ સંભવિત છે. હકીકતમાં આપણા કૃતિલક્ષી વિવેચનમાં ભાષાકર્મ વિશેનાં વર્ણનો વિવરણોમાં વારંવાર રંગદર્શી ઉદ્રેક છતો થતો રહ્યો છે.&lt;br /&gt;
(૪) સાહિત્યમાં કલ્પન લય ભાષાકર્મ આદિ દ્વારા જે કંઈ રમણીયતા સિદ્ધ થાય છે તેનો આસ્વાદ આપણે કરીએ, પણ એ સર્વની પાછળ કશુંક ‘વ્યંગ્ય’ રહ્યું હોય છે, અને તેની અવગણના ન કરી શકાય. કલ્પનાદિ તત્ત્વો એ વ્યંગ્યને પ્રસ્તુત કરવા આવે છે. એટલે કૃતિવિવેચનમાં એ ‘વ્યંગ્ય’ની ઓળખ, તપાસ, અને તેનું સ્પષ્ટીકરણ એ પણ વિવેચન કાર્યનો જ ભાગ બને છે.&lt;br /&gt;
(૫) સાહિત્યની કૃતિ કંઈ સમાજ સંસ્કૃતિ કે સમયના સંદર્ભોથી સર્વથા નિરપેક્ષપણે સંભવતી નથી. તેના આસ્વાદ-વિવેચનમાં તેના એવા બાહ્ય સંદર્ભો ય વત્તેઓછે અંશે દ્યોતક નીવડી શકે. એટલે વિવેચકે, કૃતિ જે રીતે અવકાશ રચી આપે તે રીતે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવી તપાસવી જોઈએ.&lt;br /&gt;
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે&lt;br /&gt;
‘વિવેચકનું કર્તવ્ય’માં ભાવકની ‘ભાવયિત્રી પ્રતિભા’, સર્જનવ્યાપારથી વિવેચનની ભિન્નતા, વિવેચકની સજ્જતા, વિવેચનનાં ધોરણો, અને વિવેચકની ભૂમિકા – જેવા મુદ્દાઓની સર્વગ્રાહી છણાવટ કરવાનો ઉપક્રમ છે. ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’-લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમની સંક્ષિપ્ત પણ સરળ ચર્ચા છે.&lt;br /&gt;
‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ લેખ આપણી વિવેચનમીમાંસામાં વિશેષ નોંધપાત્ર અર્પણ બની રહે છે. પશ્ચિમમાં આ વિશે જે તાત્ત્વિક ચર્ચાઓ થઈ છે તેનું એમાં અનુસંધાન છે. સાહિત્યની કૃતિ કંઈ અવકાશમાં જન્મતી નથી, તેનો સર્જક ઇતિહાસના કોઈ એક ચોક્કસ તબક્કે ચોક્કસ ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે જીવ્યો હતો. પોતાના સમયનાં સ્થૂળ સૂક્ષ્મ સંચલનો અને પરિબળો તેના સર્જકચિત્તને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અસર કરતાં જ હોય છે. પ્રસિદ્ધ અભ્યાસી ટેઈનના આ વિષયના વિચારોમાંથી સર્મથન મેળવીને આ ચર્ચા તેમણે વિકસાવી છે. તેમની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
૧. કોઈ પણ સાહિત્યકૃતિ એ આકસ્મિક આવિર્ભાવ નથી. એના યુગનાં પરિબળોએ એમાં અમુક ભાગ ભજવ્યો હોય છે. જ્યાં સુધી કૃતિને એના મૂળના સમય સંદર્ભમાં મૂકીને જોવામાં ન આવે ત્યાં સુધી એનું પૂરું રહસ્ય છતું થતું નથી.&lt;br /&gt;
૨. સાહિત્યમાં નિરૂપાતા અનુભવો લાગણીઓ અને ભાવભાવનાઓનાં જે જે રૂપો વ્યક્ત થાય છે તેને જે તે પ્રજાના મનોમય જીવન સાથે ઘનિષ્ટ સંબંધ હાય છે. સમગ્ર સમાજ – તેના સર્વ સભ્યો – પરસ્પર આંતરિક રીતે જોડાયેલા હોય છે. સર્જકની સંવેદનશીલતા એ સામાજિક સંદર્ભ વચ્ચે ખિલતી હોય છે. સર્જકની વાણી એની ‘પરંપરાની ભોંય પર’, ‘પરિવેશની આબોહવામાં’ ઊઘડે છે. એટલે સાહિત્યના વિવેચકે કૃતિ જે સંયોગો વચ્ચે જન્મી હોય તેને લક્ષમાં લઈને જ ચાલવાનું રહે.&lt;br /&gt;
૩. ભિન્ન ભિન્ન યુગના સાહિત્યકારોની રચનાઓમાં પ્રકારો આકારો શૈલીઓ અને રચનાપ્રણાલિઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, તેનો ખુલાસો તેની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાઓમાંથી મળે છે.&lt;br /&gt;
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૬.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૭.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.&lt;br /&gt;
(૧)	આપણે ત્યાં હવે વિવેચનનું પણ વિવેચન થવાની જરૂર છે. કૃતિ પાસે જતાં વિવેચકો જે જે ‘વિભાવનાઓનાં ‘માળખાં’ – conceptual framework લઈને જાય છે અને જે જે પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તેને વિશે બારીક દૃષ્ટિની ફેરતપાસ કરવાની જરૂર છે. કૃતિવિવેચનોમાં જે જાતના મતભેદો જન્મે છે તે સર્વના મૂળમાં જે તે વિવેચકની ફિલસૂફીને લગતાં ગૃહીતોમાં ફેર હોય છે. એટલે દરેક વિવેચક કયો વાદ વિચાર કે વિભાવના લઈને ચાલે છે તેની, અને તેની પાછળ રહેલાં સ્પષ્ટ અસ્પષ્ટ ગૃહીતોની ફરી ફરીને તપાસ થતી રહે એ જરૂરનું છે.&lt;br /&gt;
(૨)	કળાકૃતિને એની સ્વાયત્ત એવી વાસ્તવિકતા છે, સત્તા છે. કૃતિના આસ્વાદ અવબોધમાં વિવેચકનો ‘આત્મલક્ષી પરિપ્રેક્ષ્ય’ નિયામક બને છે એ ખરું, પણ વિશેષ સત્તાના બળે કૃતિ પણ ભાવકને પ્રભાવિત કરે છે, એને તેની insularityને અમુક અંશે ભેદી શકે છે. આમ એક બાજુ, વિવેચકનો આગવો દૃષ્ટિકોણ, બીજી બાજુ કૃતિનું આંતરિક સામર્થ્ય – બંને વચ્ચે કશુંક ક્રિયાપ્રતિક્રિયા રૂપે ચાલે છે અને એ રીતે ‘પ્રતિભાવ’ રચાય છે. દરેક ભાવકનો બોધ એ રીતે જુદો સંભવે છે.&lt;br /&gt;
(૩)	વિવેચકના અમુક interests જ કૃતિમાં અમુક તત્ત્વોને મૂલ્યવાન તરીકે લેખવા પ્રેરે છે. માકર્‌સવાદ, ફ્રોયડનો વિશ્લેષણવાદ કે અસ્તિત્વવાદ જેવા કોઈ પણ વાદ કે દૃષ્ટિકોણને સ્વીકારી લઈને વિવેચક કૃતિ પાસે જાય છે ત્યારે ખરેખર તો કૃતિની સ્વાયત્ત સત્તાને જ તે મર્યાદિત કરી દેતો હોય છે.&lt;br /&gt;
(૪)	રોલાં બાર્થ સાહિત્યને ‘વિશિષ્ટ પ્રકારની ભાષા’ રૂપે ઓળખાવે છે. સાહિત્યની કૃતિ ‘પ્રતીકાત્મક’ છે, ‘અનેક પ્રકારના તથ્યની શક્યતા’ તે ધરાવે છે પણ તે કંઈ ‘ઐતિહાસિક હકીકત’ નથી. ‘કૃતિ’ શું છે તેની વ્યાખ્યા, સમજણ તો બદલાતી રહે છે. એ રીતે એ ‘માનવીય ઘટના’ છે’. વિવેચકે પોતાની ભાષાને બને એટલી કૃતિની સર્જનાત્મક ભાષાને અનુરૂપ સર્જવી જોઈએ.&lt;br /&gt;
(૫)	સાહિત્ય વિશેની કેટલીય મૂળભૂત વિભાવનાઓનાં મૂળ ફિલસૂફીમાં રહ્યાં છે. એના ગૃહીતોની ખોજ ચાલુ રહેવી જોઈએ.&lt;br /&gt;
(૬)	આપણા વિવેચન વિશે આપણા અભ્યાસીઓમાં જે કંઈ ‘ફરિયાદ’ છે તેને યથાર્થ રીતે સમજવાને સમીક્ષક પાસે ચોક્કસ frame of reference જોઈએ.&lt;br /&gt;
(અ) ‘કલા અને મુખ્યત્વે સાહિત્ય અને વિવેચન વિશે ભાવક-વિવેચક પાસે એક દૃષ્ટિબિંદુ હોય છે – પછી ભલે તેણે એ અસંપ્રજ્ઞાતપણે અપનાવેલું હોય, અને/અથવા અસ્પષ્ટ રાખ્યું હોય. દૃષ્ટિબિંદુથી મુક્ત અથવા પર કોઈ સર્જનવિવેચન હોતું નથી. તાર્કિક રીતે એ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી શકાય. ફિલસૂફીના ઇતિહાસનો મોટો ભાગ અધ્યાહાર રહેલા દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવાના પ્રયત્નરૂપે ઘટાવી શકાય.’૧૫૪&lt;br /&gt;
(બ) ‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગૃત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’૧૫૫&lt;br /&gt;
રસિક શાહ નોંધે છે કે આપણા વર્તમાન વિવેચનના સંદર્ભમાં ‘સર્જન’ ‘પરિશીલન’ અને ‘વિવેચન’ની તાત્ત્વિક વિચારણાઓની તપાસમાં પોતે આ બે પાયાનાં ગૃહીતો સ્વીકારીને ચાલ્યા છે. શ્રી જશવંત શેખડીવાળા અને આ અવલોકનકારના વર્તમાન ગુજરાતી વિવેચન વિશેનાં લખાણોની તેમણે નોંધ લીધી છે. તેમજ, સુરેશ જોષી અને ઉમાશંકર જોશીની કાવ્યવિભાવના વિશેની આ અવલોકનકારની મુખ્ય ભૂમિકા પુરસ્કારતા છતાં સર્જકતા વિશેના એક મુદ્દામાં છતી થતી તાર્કિક મુશ્કેલી અંગે ધ્યાન દોર્યું છે. આ સંદર્ભમાં રસિક શાહે નોંધ્યું છે કે વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની વિચારણામાં છેવટે (૧) ગૃહીત કેવું હોવું જોઈએ, (૨) આંતરસંગતિવાળું ગૃહીત કેવું હોય, (૩) ગૃહીત યોગ્ય અને જરૂરી છે કે નહિ, અને (૪) ગૃહીતની ચકાસણી કેવી રીતે થાય – એવા તાર્કિક પ્રશ્નોની છણાવટ કરવાની રહે.&lt;br /&gt;
(૭)	કળાકૃતિનું સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જેઓ મૂળ ગૃહીત તરીકે સ્વીકારે છે તેમને માટે પછી પ્રાણભૂત પ્રશ્ન એક જ રહે છે : ‘વ્યવહારના તથ્યનું કલાના સત્યરૂપે રૂપાન્તર સર્જક શી રીતે કરે છે? અને એની ઉપપત્તિ એ કે વિવેચનનું પાયાનું કર્તવ્ય તે કૃતિની ભાષા અને રચનારીતિની તપાસ માત્ર બની રહે છે.’ બીજી રીતે – ‘વિવેચનનું કાર્ય કાવ્યકૃતિનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરીને કયા સંઘટનસૂત્રથી અથવા ઋતથી વિશ્લેષ્ય ઘટકોનું અનુસંધાન થાય છે, અને એ રીતે કૃતિ સમગ્રતાનું સ્વરૂપ પામે છે, એ તરફ નિર્દેશ કરીને કૃતિનું structure પ્રગટ કરવાનું છે.’&lt;br /&gt;
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૮.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્‌ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્‌ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્‌ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૯.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
તેમનો આરંભકાળનો એક લેખ ‘વિવેચન પદ્ધતિ વિશે’,૧૫૭ શીર્ષક સૂચવે છે તેમ, વિવેચનની પદ્ધતિઓને લગતા તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શવા ચાહે છે. એમાં રજૂ થયેલી ચર્ચામાં, કેટલુંક અસ્પષ્ટ કે ચિંત્ય કોટિનું રહી ગયેલું લાગશે. પણ આ દિશાની વિચારણામાં પ્રારંભના પ્રયત્ન લેખે એનું અમુક મહત્ત્વ રહે જ છે. સુરેશ જોષીની જેમ તેઓ પણ આપણા વર્તમાન વિવેચનમાં વ્યાપી રહેલી ‘અરાજકતા’ સામે ફરિયાદ કરે છે. તેમનું એમ કહેવું છે કે ‘સંજ્ઞા પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં આપણે ત્યાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન કરે છે, પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાંતિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે.’ તેમનાં આ નિરીક્ષણો એકંદરે સાચાં હોવાનું લાગશે. તેઓ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરે છે કે વિવેચનની તાત્ત્વિક પીઠિકા રચવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર આદિ જ્ઞાનવિજ્ઞાનનો ફાળો રહેવાનો એટલે, જે તે ભાષામાં આ જાતના જ્ઞાનવિજ્ઞાન વિકસ્યાં હશે અને સાહિત્યવિચારમાં તેનો વિનિયોગ થયો હશે તો જ તેનું વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો સાથે અનુસંધાન થઈ શકશે.&lt;br /&gt;
પણ, મને લાગે છે કે, પ્રશ્ન એથી ઘણો વધુ જટિલ છે. કૃતિવિવેચનમાં જો વિજ્ઞાનના જેવી વસ્તુલક્ષિતા સિદ્ધ કરવા આપણે ચાહતા હોઈએ તો પછી વિવેચનની વિભિન્ન પદ્ધતિઓ અને તેની સાથે યુક્ત વિભિન્ન પરિભાષાઓનો સ્વીકાર કઈ રીતે ‘ન્યાયી’ ઠેરવી શકાય? આવી વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કૃતિનાં જે રીતનાં વિવેચનો-મૂલ્યાંકનો પ્રાપ્ત થશે તે સર્વને એકસરખાં પ્રમાણભૂત ગણી શકાશે? એમાં કોઈ એક વિવેચન ઉચ્ચ બીજું ઉતરતું, એક વધુ પ્રમાણભૂત બીજું ઓછું – એવા દૃષ્ટિભેદ ઊભા નહિ થાય? તાત્પર્ય કે, પદ્ધતિઓના પ્રશ્ને વિવેચનમીમાંસાના બીજા અનેક નવા તાત્ત્વિક પ્રશ્નો ફૂટી નીકળે છે. કેમ કે, વિવેચનની અનેક પદ્ધતિઓના સ્વીકાર સાથે એકની એક કૃતિ પરત્વે સાવ આત્યંતિક સામે છેડેનાં દૃષ્ટિબિંદુઓ કે પરસ્પર વિરોધી મતો જન્મતા હોય જે એકબીજાનો છેદ પણ ઉડાડતા હોય-તો વિવેચનપ્રવૃત્તિની કોઈ ઉપયોગિતા, સાર્થકતા કે અનિવાર્યતા ખરી? અને વસ્તુલક્ષી ભૂમિકાએ સંપૂર્ણ મતૈક્યની શક્યતા જ ન હોય તો તો વિવેચનને કેવળ ‘આત્મલક્ષીશાસ્ત્ર‘ તરીકે નિભાવી શકાય કે કેમ, તે પણ વિચારવાનું રહે છે.&lt;br /&gt;
ત્રણ વિવેચકો – એક, સાહિત્યકૃતિને માત્ર ‘સાહિત્યિક દૃષ્ટિબિંદુ’થી જોતો હોય, બીજો કૃતિને મનોવિજ્ઞાનના એક ‘case-study’ તરીકે જોતો હોય અને ત્રીજો તેને ‘સામાજિક દૃષ્ટિ’થી નિહાળતો હોય – એ દરેકનો અભિગમ મૂળથી જુદો છે. ત્રણે ‘જુદી જુદી પરિભાષામાં’ રહીને વિચારે છે. તો એ પૈકી કયો અભિગમ સાચો અને પ્રમાણભૂત ગણીશું? ડૉ. શિરીષના આ પ્રશ્નો સાચા છે. આવી દરેક પદ્ધતિ/અભિગમ ખરેખર તો એક જ કૃતિને લક્ષતાં છતાં તેને જુદી જુદી રીતે તે પ્રત્યક્ષ કે અવગત કરે છે. સાહિત્યની ‘સાહિત્યિકતા‘ વિશેની એ દરેકની તાત્ત્વિક ભૂમિકા નિરાળી છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ પણ કળાકૃતિના આસ્વાદ – ભાવનનું નિરપેક્ષ મૂલ્ય પ્રતિષ્ઠિત કરવા ચાહે છે, એટલે વિવેચનની પદ્ધતિઓની પ્રમાણભૂતતાના પ્રશ્નમાં રોકાયા છતાં તેઓ ભારપૂર્વક બતાવવા ચાહે છે કે કૃતિને લગતો કોઈ પણ દૃષ્ટિકોણ વિવેચનની પદ્ધતિને મર્યાદિત બનાવી દેતો હોય તો તે તેના આસ્વાદમાં ય અંતરાય રચી રહે એમ બને. ડૉ. શિરીષ પંચાલ આ વિશે એક મહત્ત્વના મુદ્દાને ય સ્પર્શી રહે છે : “અ-વિવેચન કે કૃતક વિવેચન અને વિવેચન વચ્ચેનું વ્યાવર્તક તત્ત્વ કયું?”૧૫૮ અને ઉત્તરમાં કહે છે : “વ્યાવર્તક તત્ત્વ તરીકે વિવેચનની પદ્ધતિને જ ગણાવી શકાય. આ બધાં અસાહિત્યિક તત્ત્વોની મર્યાદા ચીંધી બતાવતી હોવી જોઈએ. વિવિધ દૃષ્ટિકોણ પાછળ અંગત મમત્વ, રુચિ, પૂર્વગ્રહ કામ કરતા હોવાને કારણે જ દલીલબાજી, હોંસાતુંસી, વિવેચકની પદ્ધતિની ટીકાને બદલે વિવેચકો વિશે જ ઊભરાતાં લખાણો જોવા મળે.”૧૫૯ પણ, વિવેચનની પદ્ધતિ તે કંઈ યાદૃચ્છિક ઉપયોગનો પ્રશ્ન નથી એ વાત હવે સ્પષ્ટ બની ચૂકી છે. દરેક પદ્ધતિ સાહિત્યની સાહિત્યિકતા (literariness)નો આગવો ખ્યાલ સ્વીકારીને ચાલે છે. એટલે આ કે તે પદ્ધતિના સ્વીકાર-અસ્વીકાર પાછળ વિવેચકની સાહિત્યિક વિભાવનાનો પ્રશ્ન પણ પડેલો છે. એટલે આ કંઈ હવે માત્ર અંગત રુચિ કે પૂર્વગ્રહ મમત્વનો પ્રશ્ન ય રહેતો નથી : અંતે, એ સાહિત્યના તત્ત્વબોધનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
વિવેચનની પદ્ધતિની સફળતાનિષ્ફળતાના પ્રશ્નને ડૉ. શિરીષ પંચાલ તેની ભાષાવ્યવસ્થા સાથે સાંકળી આપવા ચાહે છે. તેમનું એમ કહેવું છે કે વિવેચનની ભાષા અને બીજા જ્ઞાનવિજ્ઞાનના વિષયોની ભાષા વચ્ચે સ્પષ્ટ ભેદ રહ્યો છે, અને તે એ કે “અન્ય ભાષાવ્યવસ્થા કેટલાક નિયત કરેલા નિયમોની સીમામાં રહીને પોતાનું coherence ટકાવી રાખે છે, જ્યારે વિવેચનની ભાષાવ્યવસ્થા નિયત કરેલા નિયમોને દર વખતે સ્વીકારી શકતી નથી.”૧૬૦ અહીં ડૉ. શિરીષનું વક્તવ્ય સમજવામાં થોડી મુશ્કેલી છે. અન્ય વિષયોની ભાષાવ્યવસ્થામાં coherence સિદ્ધ કરનાર જે ‘કેટલાક નિયત નિયમો’ની તેઓ વાત કરે છે, એ ‘નિયમો’ કયા તે વિશે અહીં સ્પષ્ટતા મળતી નથી. પણ તાર્કિક ચિંતનના ‘નિયમો’ તેમની નજરમાં હોય એમ અહીં સમજાય છે. કૃતિવિવેચનમાં આવા ‘નિયમો’ હંમેશ સ્વીકારાતા નથી, અને વિવેચનમાં એથી ‘અરાજકતા’ દાખલ થઈ જાય એવી દહેશત તેમણે વ્યક્ત કરી છે. તેઓ એ બાબતે, અલબત્ત, સ્પષ્ટ છે કે દરેક કૃતિનો ‘આગવો સંદર્ભ તેના આગવા નિયમો’ રચી આપે છે, પણ વિવેચનની પદ્ધતિભેદને કારણે કે બીજી રીતે એમાં વિભિન્ન પરિ-ભાષાઓનો વિનિયોગ થાય અને વિવેચનવિચારમાં એથી ‘અરાજકતા’ પ્રવેશી જાય એમ પણ બને! એક રીતે, આ વિવેચનમીમાંસાનો ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે. કૃતિના આસ્વાદ-ભાવન પછીની ક્ષણે વિવેચક તેને પોતાની રીતે વર્ણવવા ચાહે છે. કૃતિમાં જ્યાં સુધી તે લીન હતો, રસતત્ત્વમાં નિમગ્ન હતો, ત્યાં સુધી તેને કૃતિ વિશે વિધાન કરવાને કોઈ અવકાશ નહોતો. પણ જે ક્ષણે પોતાના આસ્વાદ વિશે – જે અનેક ક્ષણો સુધી સમયમાં વિસ્તરેલો, કૃતિની ભાષાના સંયોગે જન્મી જન્મીને ઉપચય પામતો અનુભવ છે તેને વિશે – તે વાત માંડે છે ત્યારે પદ્ધતિનો અને પરિભાષાનો પ્રશ્ન ઊભો થાય જ છે. એક રીતે વિવેચકના મિજાજનો અને બીજી રીતે તેની તાત્ત્વિક દૃષ્ટિનો એ પ્રશ્ન છે. જે વિવેચક કૃતિના અનુભવનાં સૂક્ષ્મતમ તત્ત્વોનો – તેના રમણીય અંશોનો – નિબિડપણે અને સજીવ સંસ્પર્શ કરાવવા ચાહે છે તેનું વલણ વિવેચનની ભાષાને વધુ મૂર્ત વધુ સર્જનાત્મક બનાવવાનું હશે, અને જે વિવેચક કૃતિના અર્થઘટન/મૂલ્યાંકન અર્થે સક્રિય બન્યો હશે તે સ્વાભાવિક રીતે જ તાર્કિક વર્ણન વિશ્લેષણની રીતિ તરફ ઢળશે. પણ આ પ્રશ્ન આટલો સીધોસાદો નથી. ઐતિહાસિક ચરિત્રલક્ષી આકૃતિલક્ષી ભાષાલક્ષી માર્ક્‌સવાદી કે માનસશાસ્ત્રીય – એવા અભિગમો પૈકીનો કોઈ અભિગમ સ્વીકારો એટલે તેની સાથે સાહિત્યની આગવી વિભાવના કે તેના વર્ણનવિશ્લેષણની આગવી રીતિ અને આગવા સંપ્રત્યયો કામમાં લેવાના રહે. એટલે કે, આવા દરેક અભિગમ સાથે વિભાવનાઓનું અમુક રીતનું માળખું – conceptual framework – જોડાઈને આવતું હોય. એટલે વિવેચનની ભાષામાં ‘વ્યવસ્થા’ આણવાનો પ્રશ્ન એક બાજુ તેમાં પ્રયોજાતી બીજભૂત સંજ્ઞાઓ/વિભાવનાઓના તાર્કિક સ્પષ્ટીકરણનો છે, બીજી બાજુ વિવેચન અર્થે પ્રયોજાતી એક યા બીજી પદ્ધતિની પ્રમાણભૂતતાનો છે. અને એક કૃતિના વિવેચનમાં એકથી વધુ પદ્ધતિઓનો વિનિયોગ આવકાર્ય ખરો, પણ અનિવાર્ય ખરો, તેય વિચારવાનું પ્રાપ્ત થાય છે. વિવેચનની ભાષા-વ્યવસ્થાનો પ્રશ્ન એ રીતે તેના અંતિમ પ્રયોજન અને પદ્ધતિના પ્રશ્ન સાથે સંકળાઈ જાય છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ આ અંગે એમ કહે છે કે વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી અને ‘કૃતિની અવેજી’માં તે ‘વાપરી શકાતી હતી.’ હવે વિજ્ઞાન અને ટેક્‌નોલોજીના વિકાસની સાથોસાથ એવી ‘વર્ણનાત્મક’ ભાષાનો ઉપયોગ રહ્યો નથી; એટલે વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એવો તેઓ અનુરોધ કરે છે. વિવેચનમાં એ રીતે ‘આત્મલક્ષિતા’ની ભૂમિકા ઓછી થશે અને ‘સાથે સાથે આપણી સમક્ષ કૃતિનાં એકેએક ઘટક તત્ત્વોને અન્યોન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ પ્રકટ થઈ આવવાનો’. તેમની આ મુદ્દાની ચર્ચામાં કેટલુંક ચિંત્ય લાગે છે. વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી હતી એ જાતનું તેમનું અવલોકન બરાબર છે? પરંપરાગત વિવેચનમાં કૃતિનાં અર્થઘટનો મૂલ્યાંકનોનેય મોટું સ્થાન રહ્યું છે; તો કૃતિને લગતાં એ મૂલ્યવાચી વિધાનોને ‘વર્ણનાત્મક’ કોટિમાં મૂકી શકાય? અને મૂલ્યવાચી વિધાનો જે રીતે કૃતિને વિશે નિર્ણયાત્મક કથન કરે છે તે જોતાં તેને કૃતિની ‘અવેજી’માં આવતી ભાષા કહી શકાય? મને લાગે છે કે મૂલ્યવાચી વિધાનો કૃતિ વિશે કશુંક વિશેષ રૂપે કહે છે, એટલે કૃતિને લગતાં વર્ણનાત્મક વિધાનોથી તે ભિન્ન કોટિનાં સંભવે છે. બીજું, વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એ સાચું, પણ એ ‘પૃથક્કરણ’ વ્યાપાર અંગે તેઓ જે ખ્યાલ બાંધે છે તેમાં ‘એકેએક ઘટક તત્ત્વનો અન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ’ સ્થાપવાની અપેક્ષા છે, અને એ તો રચનાત્મક વ્યાપારને ય સમાવી લે છે. વિવેચ્ય કૃતિમાં ‘કેન્દ્ર’ જેવું કોઈ તત્ત્વ પકડવું અને સર્વ ઘટકોને તેની સાથે સંબંધમાં બતાવવાં એ આખી પ્રવૃત્તિ ‘પૃથક્‌-કૃત’ ઘટકોને પુનઃ સંયોજિત કરવાની છે. એમાં વિવેચક ઘણું ખરું અંતઃપ્રેરણાથી જ ‘કેન્દ્ર’ જેવું કશુંક ગૃહીત કરીને સમગ્રની રૂપરચના સમજવા પ્રવૃત્ત થતો હોય છે. મને લાગે છે કે વિવેચનમાં ઘટકોને ‘પૃથક્‌’ કરીને જોવામાં, તેના સંબંધો સ્થાપવામાં અને કેન્દ્ર સાથે સાંકળી બતાવવામાં અમુક સર્જનાત્મક કલ્પનાનો ખપ પડે જ છે. કળાકૃતિ કોઈ સ્થૂળ ભૌતિક પદાર્થ નથી. કોઈ ભૌતિક નિયમોની ખોજ એમાં અપેક્ષિત નથી. કૃતિનું હાર્દ પ્રકાશિત કરવાને વિવેચક પ્રવૃત્ત થાય છે ત્યારે તેનું રહસ્ય તેને અવગત થઈ ચૂક્યું હોય છે. પ્રશ્ન એ કે જે કંઈ રહસ્ય તેના ચિત્તમાં ઝબકી ગયું છે તેનું પૂર્ણ અખંડ રૂપ તે જે ભાષામાં પરિબદ્ધ છે તેમાંથી નિખરી આવે છે અને જે ક્ષણે તે પોતાની (પરિ) ભાષામાં તેની વાત કરવા જાય છે ત્યારે, મૂળનું કશુંક ઊણું રહી જાય, તો અર્થઘટન-મૂલ્યાંકન રૂપે તેમાં કશુંક ઉમેરાય પણ, એવું બનતું હોય છે. અને ભાષાની ‘વ્યવસ્થા’નો પ્રશ્ન, અંતે તો, કૃતિના રહસ્યને ઝીલવામાં અને તેને વિશેના તાર્કિક પ્રતિપાદનમાં જે ભાષા ખપમાં લેવાય છે તેની સાર્થકતાનો છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલે વિવેચનની ભાષાની તાર્કિકતાનો પ્રશ્ન ય, અલબત્ત, અહીં ટૂંકમાં છેડ્યો છે. તેમનું વક્તવ્ય એ છે કે વિવેચકની ભાષામાં વારંવાર ‘વિરોધાભાસી વૈવિધ્ય’ જોવા મળે છે. એક કૃતિની ‘ખરાબ ટીકા’ કરવા પાછળ જે કારણ હોય તે જ કારણ બીજી કોઈ કૃતિની પ્રશંસાનું પ્રેરક બની રહે. રામનારાયણ પાઠકની વિવેચનામાંથી તેમણે એના સમર્થનમાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘વિશ્વગીતા’ની વિવેચનામાં નાનાલાલની ‘અમૂર્તમાં રાચવાની રીત’ની રામનારાયણે ટીકા કરી છે જ્યારે ‘સરસ્વતીચન્દ્ર’માં તેમને એમાંની ચર્ચાઓ સામે વાંધો નથી, બલકે એમાંનું ચિંતન ઇષ્ટ લાગે છે. ડૉ. શિરીષ એ વિશે એવી ટીકાટિપ્પણી કરે છે કે આવા પ્રસંગમાં ‘વિવેચનની પદ્ધતિ જવાબદાર’ છે, તેમનું (રામનારાયણનું) ‘પૂર્વગ્રહયુક્ત માનસ નહિ’; અને વિશેષમાં એમ કહે છે કે વિવેચનની ભાષામાં આ જાતનું વૈવિધ્ય ‘સાહિત્ય સ્વરૂપોના વૈવિધ્યને કારણે પણ’ સંભવે છે. વિવેચનની ભાષાની તાર્કિકતાનો આ મુદ્દો દેખાય છે તેટલો સરળ નથી. એકની એક કૃતિના મૂલ્યાંકનમાં, એની કળાત્મક સિદ્ધિનો ખુલાસો ભિન્ન ભિન્ન કસોટીએ આપવામાં આવતો હોય છે, તેમ એકની એક કૃતિની નિષ્ફળતા વિશે જુદી જુદી રીતે કારણો આપીને ખુલાસાઓ રજૂ થતા હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ ‘ઝેર તો પીધાં છે’ ‘અમૃતા’ કે ‘આકાર’ જેવી કૃતિઓ વિશેનાં ભિન્ન ભિન્ન વિવેચકોનાં મંતવ્યો, પ્રતિપાદનો, તેની ભાષાની તાર્કિકતા, બધું નિકટતાથી તપાસવા જેવું છે. એક કૃતિ વિશે એક ધોરણ લક્ષમાં લઈ એક વિવેચક તેનું ગૌરવ કરે તેની કળાત્મક સિદ્ધિ બિરદાવે, એ જ કૃતિ વિશે બીજો વિવેચક બીજું ધોરણ આગળ ધરી તેની ઊણપ બતાવે – એવું વિવેચનના ઇતિહાસમાં વારંવાર બનતું રહ્યું છે. એટલે પ્રશ્ન છેવટે કૃતિવિવેચન અર્થે આ કે તે ધોરણોની પ્રસ્તુતતાનો બને છે.&lt;br /&gt;
કૃતિવિવેચનમાં યોજાતી પરિભાષા કેવળ ‘સાહિત્યિક’ જ હોય એમ પણ અભિપ્રેત નથી, જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓનો એમાં યથાવકાશ વિનિયોગ ભલે થાય, પણ એ રીતે વિવેચનામાં અમુક વિચારવલણોનો પ્રવેશ થાય અને તે ‘સંકુચિત’ બને તે ઇષ્ટ નથી. ડૉ. શિરીષ એમ સ્પષ્ટ કરવા ચાહે છે કે જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રની જે કોઈ પરિભાષા વિવેચનમાં સ્વીકારાય તેમાં તેના વિશિષ્ટ ક્ષેત્રનો ‘આગવો સન્દર્ભ’ ભૂંસાઈ જઈને ‘સાહિત્યિક સંદર્ભ’ પ્રગટવો જોઈએ. તેમનું તાત્પર્ય કદાચ એ છે કે સમાજવિજ્ઞાન મનોવિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનની પરિભાષા કૃતિના વર્ણન-વિવેચનમાં યોજાય તો તે હાર્દને વ્યક્ત કરવામાં ઉપકારક બને એ જરૂરી છે, અને એ રીતે એના અર્થવિકાસનીય અપેક્ષા રહે છે. એથી ઊલટું, આવી પરિભાષાનો ચુસ્તપણે વિનિયોગ કરતાં તે મૂળના રહસ્યને રુંધી દેશે કે સીમિત કરશે. આ તેમનો મુદ્દો ધ્યાનાર્હ છે જ. પણ સાથે નોંધવું જોઈએ કે કોઈ પણ કૃતિના વિવેચનમાં જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓના વિનિયોગ સાથે કૃતિના રહસ્યમાં નવું પરિમાણ ઊભું થાય છે. જેમ કે, રાજેન્દ્ર શાહ કે મકરંદની અમુક રચનામાં જે સંવેદન વ્યક્ત થયું છે તેમાં ‘રહસ્યવાદ’નું તત્ત્વ ભળ્યું છે કે રહસ્યવાદી વલણ છતું થાય છે એમ કહેતાં પ્રસ્તુત કૃતિના ‘અર્થ’માં એક નવું પરિમાણ નથી ઉમેરાતું? અથવા ‘અમૃતા’નાં પાત્રો ‘અસ્તિત્વવાદી’ વિચારણાથી પ્રેરિત છે એવા નિરીક્ષણ સાથે કૃતિના અર્થમાં એક નવો પ્રકાશ નથી ઉમેરાતો? મને એમ લાગે છે કે અજ્ઞાત (unconscious) કે સામૂહિક અવચેતન (collective unconscious) જેવી માનસશાસ્ત્રીય સંજ્ઞાઓ, ‘સામાજિક સંઘર્ષ’ કે ‘સામાજિક પ્રક્રિયા’ જેવી સમાજશાસ્ત્રીય સંજ્ઞાઓ ‘અસ્તિત્વવાદ’ ‘પરાયાપણું’ ‘સ્વાતંત્ર્ય’ ‘પસંદગી’ જેવી આધુનિક ફિલસૂફીની સંજ્ઞાઓ વિવેચનમાં સ્વીકારાય છે તે સાથે કૃતિના અર્થબોધને ચોક્કસ નવો પરિપ્રેક્ષ્ય મળે છે.’ ‘હેમ્લેટ’ના મુખ્ય પાત્ર હેમ્લેટમાં ઇડિપસ ગ્રંથિના ખ્યાલ દ્વારા જે પરીક્ષણ થયું તેથી એ આખાયે નાટકને નવું અર્થપરિમાણ મળ્યું એટલે અન્ય વિજ્ઞાનની ભાષા કૃતિવિવેચનમાં આવે ત્યારે તે કૃતિના અર્થમાં સર્વથા ‘સમાઈ’ જતી નથી, પોતે જે ક્ષેત્રમાંથી આવી છે તેનો અર્થબોધ ઉમેરાતાં કૃતિને વિશેષ પરિમાણ અર્પે છે, એમ મને લાગે છે.&lt;br /&gt;
વિવેચક પોતાના ‘વ્યક્તિત્વ’નું વિવેચનમાં આક્રમણ કરે તેની સામે ડૉ. શિરીષે સાવધાની ઉચ્ચારી છે. વિવેચનની ભાષામાં ‘અંગત પ્રતિભાવ’ જોડાતો હોવાથી અમુક અંશે એમાં ‘શૈલી’ ‘અલંકાર’ને અવકાશ રહે છે ખરો, પણ કૃતિ વિશેનો સૂક્ષ્મ પ્રતિભાવ તેનાથી ઢંકાઈ જાય કે પછી વિચારોનું દારિદ્ર્ય છુપાવવા જ અલંકારો યોજાય, તો તે ત્યાં હાનિકારક છે. તેઓ કહે છે કે ‘કોઈ વિવેચકની પદ્ધતિમાં રહેલાં અતાર્કિકતા, માપદંડોની અસંગતિ, વિરોધાભાસનું કારણ વિવેચકની ભાષામાં કોઈ (nucleus) ના અભાવમાં રહેલું છે.’ વિવેચનની ભાષાના કેન્દ્રમાં સર્વપ્રથમ ‘ભાષા દ્વારા રચાયેલી કૃતિ’ હોવી જોઈએ. અર્થાત્‌ કૃતિ સ્વયં તેની નિર્ધારક હોય એ મહત્ત્વનું છે. તેઓ એ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે કે ઉત્તમોત્તમ સાહિત્ય કૃતિઓને નજરમાં રાખીને વિવેચકે ચાલવાનું છે. આ રીતે અન્ય ભાષાની (કે પોતાની ભાષાની) ઉત્તમ અને સામાન્ય કૃતિઓ વચ્ચે વિવેક કરીને ચાલશે તો તેમાં તેની ‘ભાષાની વ્યવસ્થા’ પણ નીપજી આવશે.&lt;br /&gt;
વિવેચનના આધુનિકતમ અભિગમો વિશે પણ ડૉ. શિરીષ પંચાલ સંનિષ્ઠભાવે અધ્યયન કરી રહ્યા છે. ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’ લેખમાં નવ્ય વિવેચનની આવશ્યક ભૂમિકા રજૂ કરી તેના અનુસંધાનમાં ચૈતન્યલક્ષી, રશિયન સ્વરૂપવાદી, સંરચનાવાદી અને વિઘટનવાદીઓની મુખ્ય મુખ્ય વિચારણા સંક્ષેપમાં સુપેરે તેમણે મૂકી આપી છે. આ દિશાની આપણી વિવેચનમીમાંસામાં એ ઘણો મહત્ત્વનો લેખ છે. વિશદ નિરૂપણને કારણે એનું આગવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યનો મૃત્યુઘંટ’ લેખમાં ય પાશ્ચાત્ય વિવેચનવિચારમાં અને વ્યાપકપણે ત્યાંના સાંસ્કૃતિક/દાર્શનિક ચિંતનમાં જે કટોકટી ઊભી થઈ છે તેનું એક સરસ ચિત્ર રજૂ કર્યું છે.&lt;br /&gt;
‘છેલ્લા દાયકાનું વિવેચન’ તેમનો એક બીજો ઘણો મહત્ત્વપૂર્ણ લેખ છે. આધુનિકતાવાદના પ્રભાવ નીચે આપણે ત્યાં સર્જનવિવેચનના ક્ષેત્રે જે નવાં વલણો સક્રિય બન્યાં તેની અને વિવેચનના નવા અભિગમોની તેમણે એમાં સંગીન અધ્યયનલક્ષી ચર્ચા કરી છે. સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદ અને રૂપવાદી વિવેચનની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી પરંપરાગત વિવેચનવિચારની સામે તેની પ્રતિષ્ઠા કરી છે, અને ગુજરાતીના અભ્યાસીઓએ ચર્ચેલા વિવેચનાત્મક મુદ્દાઓની સૂક્ષ્મ દૃષ્ટિએ ફેરતપાસ પણ હાથ ધરી છે. રૂપવાદી અભિગમ પછી બંધારણવાદી ચૈતન્યવાદી અને તુલનાત્મક અભિગમ જે રીતે આપણે ત્યાં ચર્ચાવા લાગ્યો છે. તેની ય તેમણે સમીક્ષાત્મક નોંધ લીધી છે.&lt;br /&gt;
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્‌ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૦.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે.&lt;br /&gt;
આરંભથી જ ડૉ. ચન્દ્રકાન્તે કવિતાની આગવી વિભાવના રચવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિતા એ ‘ભાષાની કલા’ છે. સર્જક કવિ ભાષાની સાથે કામ પાડે છે અને ‘નવી ભાષા’ જન્માવે છે. સાહિત્યના આસ્વાદમાં આથી ‘ભાષાસંવેદન’ જ મુખ્ય વસ્તુ છે. આગલા યુગોમાં કવિતાએ લગભગ હંમેશાં જ્ઞાનવિજ્ઞાન કે વિચારોના વાહન તરીકેનું કામ આપ્યું છે. કહો કે ફિલસૂફી અધ્યાત્મવિચાર સમાજદર્શન કે બીજા કોઈ પણ તત્ત્વબોધને ઝીલવા કવિતાએ ‘માધ્યમ’ તરીકે (કે ‘સાધન’ તરીકે) જ કામ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ એમાં કાવ્યભાષા પણ કવિને પૂર્વજ્ઞાત અને ઇષ્ટ એવા વિચાર કે દર્શનના વર્ણન અર્થે પ્રયોજાતી રહી છે. અને એ સમયના ભાવકો/વિવેચકો પણ એવી કૃતિઓમાંથી ઘણું ખરું તો કવિના વિચાર કે દર્શનને પકડવા આતુર રહેતા જણાશે. કવિના ભાષાકર્મનો અને તેમાં જ નિહિત રહેલા ‘ભાષાસંવેદન’નો તેમને ખાસ સંપર્ક નહોતો. એટલે, પરંપરાગત અધ્યયન/વિવેચનમાં કવિકર્મ જે રીતે ભાષા દ્વારા અને ભાષાની અંતર્ગત ચાલે છે તે પ્રક્રિયા વિશે તેમની સભાનતા કેળવાઈ નહોતી. સર્જક જો પોતાના વિચારોને ભાષામાં માત્ર ‘અનુવાદ’ કરીને ચાલતો, તો ભાવક એ ‘અનુ-વાદ‘માં મૂળના એ વિચારને પકડવા પૂરતો પ્રવૃત્ત થતો. ડૉ. ટોપીવાળાએ પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશેના પોતાના અધ્યયન-પરિશીલનમાંથી અસંખ્ય અવતરણો આપીને પોતાનો આ જાતનો મુદ્દો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સર્જન-વિવેચનના તત્ત્વવિચારમાં આ રીતે તેઓ ભાષાને કેન્દ્રમાં આણે છે. કવિ ‘ભાષામાં’ વ્યવહાર કરતો નથી, ‘ભાષા સાથે’ વ્યવહાર કરે છે એમ તેઓ કહે છે. સંસ્કૃતિને વશ રહેલી કે તેનાથી નિયંત્રિત થયેલી ભાષા સામે કવિનો વિદ્રોહ છે, સંગ્રામ છે. વ્યવહારમાં નિરંતર વપરાશથી લપટી અને નિશ્ચેષ્ટ બની ગયેલી ભાષાની જડ તરાહોને – તેની સ્થિતિચુસ્તતાને – કવિ તોડવા મથે છે, અને એ રીતે રૂઢ ભાષા સામે વિદ્રોહ કરીને તે નવીન કોટિનો ‘અર્થ’ કે નવીન ચેતના જન્માવે છે. સર્જકતા વિશેનો તેમનો આ ખ્યાલ, અલબત્ત, આત્યંતિક વલણોમાં છતો થાય છે. કવિ ‘અનુભવ’ને ‘શબ્દાવવા’ નથી માગતો, ‘શબ્દને અનુભાવવા’ માગે છે એમ પણ તેઓ કહે છે. અહીં કોઈ ઘટનાને શબ્દ સુધી પહોંચાડવાનો પ્રશ્ન નથી, શબ્દ સ્વયં ‘ઘટના’ બની રહે એમ તેમને અભિપ્રેત છે. તાત્પર્ય કે, શબ્દ હવે પૂર્વબોધિત વિચાર કે વિભાવની અવેજીમાં આવતો નથી, તે સ્વયં ઘટનારૂપે આત્મપ્રતિષ્ઠિત છે. વ્યવહારની ભાષામાં જો ‘પ્રાથમિક સર્જકતા’નું તત્ત્વ સ્વીકારીએ તો કવિ એમાં ‘દ્વૈતીયિક સર્જકતા’ રચે છે; વ્યક્તિ-વિશિષ્ટ એવું રૂપ તેમાં નિર્માણ કરે છે. ‘સાચી ભાષા’ તે આ કવિનિર્મિત ભાષા જ છે એમ તેમનું કહેવું છે. કાવ્યનિર્માણની પ્રક્રિયા વિશે વધુ સ્પષ્ટીકરણ કરતાં તેઓ એમ કહે છે કે કવિએ ભાષાના ‘ત્રણ કોઠાઓ’ને ઓળંગી જવાના રહે છે. એક, રોજિંદા વ્યવહારની ભાષા; બે, પોતાની ભાષામાં લખતા અન્ય સાહિત્યકારોએ ખેડેલી ભાષા; અને ત્રણ, કવિએ પોતે જ પોતાની પૂર્વકાલીન કૃતિઓમાં પ્રયોજેલી ભાષા. એ ત્રણેનાં માળખાંને તોડીને વિઘટિત કરીને તે જાણે કે નવું જ માળખું – નવું જ સંઘટન – નિર્માણ કરે છે. દરેક કાવ્ય એ રીતે ભાષાના પુનર્વિધાન દ્વારા નિર્માણ થયેલી નવી ભાષા અને નવું તંત્ર છે. વ્યવહારમાં પ્રયોજાતા functional proseથી એની ઊલટી દિશાની ગતિ છે. અર્થની સંકુલતાઓ અને સંદિગ્ધતાઓનું એમાં અપાર મૂલ્ય છે. શબ્દો હવે બહારની દુનિયાના નિર્દેશક મટી અંદર વળે છે, અંતઃનિર્દેશક બને છે. વ્યવહારની ભાષાનું ખરેખર આ ઘણું ‘ઘનીભૂત‘ રૂપ છે. ‘તાર્કિક વિધાનો’ અને ‘તાર્કિક અર્થો’નો એમાં લોપ થયો છે. એમાં જો કોઈ ‘અર્થ’ પ્રતીત થાય છે, તો તે ભિન્ન કોટિનો સંભવે છે. ખરું મૂલ્ય, આમ છતાં, એને જન્માવનાર કાવ્યભાષાનું છે. ભાવકે/વિવેચકે કવિતામાં આ ભાષાકર્મને અને તેમાં સંયુક્ત ‘ભાષાસંવેદન’ને આસ્વાદનું છે. તેનું જ વર્ણન-વિશ્લેષણ રજૂ કરવાનું છે.&lt;br /&gt;
‘અપરિચિત અ અપરિચિત બ’માં ઉમાશંકર રાજેન્દ્ર મકરંદ ઉશનસ્‌ સુરેશ દલાલ લાભશંકર મહેશ દવે રાવજી આદિ કવિઓની કવિતા વિશે સમીક્ષા રૂપે જે કંઈ ચર્ચા કરી છે તેમાં એ દરેકની ભાષાના સર્જનાત્મક આવિષ્કારો પર તેમની વિશેષ નજર મંડાયેલી છે. ભાષાકર્મની સૂક્ષ્મ તપાસ દ્વારા કૃતિના સાચા કાવ્યમય અંશોની કે કૃતક પદાવલિની નોંધ કરી તેનું મૂલ્યાંકન કરવા તેઓ પ્રેરાયા છે. આપણા કૃતિવિવેચનના ઇતિહાસમાં આ એક ધ્યાનપાત્ર એવું પ્રસ્થાન રહ્યું છે.&lt;br /&gt;
‘પ્રતિ–ભાષાનું કવચ’ ગ્રંથમાં તેમણે કાવ્યચર્ચાનાં જે લખાણો રજૂ કર્યાં છે તેમાં ભાષાલક્ષી અભિગમ વધુ વ્યવસ્થિત અને નક્કર રૂપ લેતો લાગે છે. જો કે ‘પરાવ્યક્તિ અને સંદિગ્ધતા’ જેવા લખાણમાં કેટલીક વિચારણા વિવાદ જગાડી શકે તેવી છે. પણ અહીં એવા વિવાદમાં રોકાઈશું નહિ. માત્ર વિવેચનના સ્વરૂપ અને પદ્ધતિના પ્રશ્ને એક બે બાબતોનો નિર્દેશ કરીશું. એક, આ ગ્રંથમાં ઉમાશંકર આદિ કવિઓની દરેકની એક એક કૃતિ લઈને તેમણે તેનું વ્યવસ્થિત વર્ણન-વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધીના આપણા કાવ્યાસ્વાદો વધુ તો અંગત છાપ પર નિર્ભર હતા, પ્રભાવરૂપ (impressionistic) હતા. ડૉ. ટોપીવાલા કૃતિની ભાષાની તપાસ દ્વારા એની વસ્તુલક્ષી ભૂમિકા દર્શાવે છે. બે, આ જાતના વર્ણન–વિશ્લેષણની સાથે (કે અંતે) કૃતિના મૂલ્યાંકનનો તેમણે કોઈ ઉપક્રમ સ્વીકાર્યો નથી. ભાષાલક્ષી તપાસ અર્થે ય વિવેચકે આ કે તે સિદ્ધાંત સ્વીકારવાનો રહે છે. પણ મૂળ પ્રશ્ન જુદો છે. આ જાતની તપાસ કૃતિમાં genuine poetryની ખાતરી કરાવી શકે? કૃતિની ઉત્કૃષ્ટતા કે મહત્તાનો નિર્દેશ કરી શકે? પ્રશ્નો વિચારણીય રહે જ છે.&lt;br /&gt;
‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ શીર્ષકના લેખમાં ડૉ. ચન્દ્રકાન્તે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે જે નિજી ખ્યાલ રજૂ કર્યો છે તેની ય અહીં નોંધ લેવાની રહે છે. પોતાના મતની સ્થાપના કરતાં તેઓ એમ કહે છે કે આ સદીમાં વિશ્વયુદ્ધો પછી કાવ્યસર્જનની ગતિવૃત્તિ ઉત્તરોત્તર બદલાતી રહી છે. કવિતા હવે ‘મૂલ્યભાર’માંથી મુક્ત થઈ ‘પ્રતિ-મૂલ્યો’ તરફ વધી રહી છે. હવે કળાનિર્માણ-સર્જકતા-નું સાર્વભૌમત્વ સ્વીકારાતું જાય છે. એ રીતે કવિતા પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠિત થતી રહી છે. કળાકૃતિ સ્વયં એક સ્વાયત્ત આત્મનિર્ભર અને અનન્ય પર તેમજ ‘નિરર્થક’ વસ્તુ બની રહી છે. આ કલાની અવેજીમાં બીજી કોઈ વસ્તુ આવી શકે નહિ. કળાકૃતિનો ‘અપરોક્ષ સંનિકર્ષ (violent immediacy)’ એ સમગ્ર ‘સર્જન ભાવન વ્યાપારના કેન્દ્રમાં’ આવ્યો છે. તેમના મતે આ ‘અપરોક્ષ સંનિકર્ષે શુદ્ધ કળાનો મહિમા કર્યો છે, અને એ રીતે એને ‘મુક્તિવાદ’ (Libertarianism) તરફ વાળી છે.&lt;br /&gt;
ડૉ. ચન્દ્રકાન્ત એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે કલાસર્જનની ગતિવિધિ જો આ રીતે બદલાઈ હોઈ તો તેની સાથોસાથ ‘વિવેચનના સંપ્રત્યયો’ પણ બદલવાના રહે છે. અને વિવેચન આમ જો ન કરી શકે તો આખીય એ પ્રવૃત્તિ જ વ્યર્થ નીવડશે. તેઓ આપણું ધ્યાન દોરે છે કે શુદ્ધ કળાના વાદીઓ, આથી જ, વિવેચનનો બહિષ્કાર કરવા પ્રેરાયા છે. વિવેચનની પ્રવૃત્તિ કૃતિના પ્રત્યક્ષ સંવેદનમાં અંતરાયરૂપ બને છે એમ તેમનું કહેવું છે. અત્યાર સુધી વિવેચને કળાતત્ત્વની-રમણીયતાની-ઉપેક્ષા કરીને કેવળ નૈતિક સામાજિક મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક અર્થો શોધવાની અને/અથવા એ રીતે અર્થઘટનો કરવાની પ્રવૃત્તિ કરી છે. પણ કૃતિનો કૃતિલક્ષી વિચાર કરવાનું ટાળ્યું છે કૃતિની સંઘટનામાંથી ઉત્ક્રાંતિ થઈ આવતા વિશિષ્ટ સંવેદનને પામવાને બદલે કૃતિની આસપાસ ઘૂમતા રહેવાનું વલણ આપણા વિવેચકોએ દાખવ્યું છે. પણ વિવેચને જો કૃતિની આસપાસ ઘૂમવાનું જ કર્યું હોય તો વિવેચકનો કાંકરો કાઢી નાખવામાં આવે તેમાં કશું અઘટિત થતું નથી એમ તેઓ કહે છે. તાત્પર્ય કે, ‘શુદ્ધ કળા’ આજે જે રીતે ગતિ કરી રહી છે તેને આજના વિવેચને અનુસરવાનું રહે છે. કૃતિગત સંવેદનાને હવે તેણે કેન્દ્રમાં સ્થાપવાની રહે છે. વિવેચકે કૃતિ સાથેના પોતાના સીધા મુકાબલાનો આલેખ આપવાનો છે. વિવેચનપ્રવૃત્તિ હવે અન્યને ઉદ્દેશીને કે અન્યને અર્થે નહિ, પોતાને અર્થે ચલાવવાની છે, જાત સાથેની એક રીતની એ ‘મથામણ’ છે, ‘આત્મલક્ષી પ્રક્રિયા’ છે. કૃતિના મુકાબલા સાથે પોતાનામાં સર્જાતી sensibilityને તે કેવી રીતે ઓળખે છે, તેનું જ મહત્ત્વ છે. શુદ્ધ વિવેચન એ રીતે જ સંભવે છે. પણ, ડૉ. ચંદ્રકાન્તની વાત પહેલી નજરે સાચી, છતાં પ્રશ્નો જગાડે જ છે. દોસ્તોએવ્સ્કી, એલિયટ કે કામૂની કૃતિનો મુકાબલો કરતાં જે સંકુલ ‘સંવેદન’ ભાવક/વિવેચક અનુભવે છે તેમાં ‘અર્થો’ અને ‘મૂલ્યો’ની અમુક ભાત પડેલી છે, અને બહારના વિશ્વના આપણા અનુભવો અર્થબોધો (કે અર્થબોધની મથામણો) અને મૂલ્યકટોકટીઓ તરફ તેનો સંકેત છે, તેમાં કશોક આપણા અનુભવના રહસ્યનો જીવંત ધબકાર પ્રતીત થાય છે. એટલે ભાવક/વિવેચક એમાં કૃતિના સંવેદનને (કે પોતાની sensibility)ને તાગી જોતાં આવી પ્રતીતિ અનુભવે છે, તો તેનો છેદ ઊડાડી શકાશે? કૃતિમાં – કૃતિ દ્વારા – કશુંક બાહ્ય જીવનનું તત્ત્વ પ્રકાશિત થતું અનુભવાય, તો તેનો અસ્વીકાર કરવો?&lt;br /&gt;
‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અવાસ્તવ’ એ ડૉ. ચન્દ્રકાન્તનો એક મહત્ત્વપૂર્ણ અધ્યયનલેખ છે. જાણીતા પાશ્ચાત્ય અભ્યાસી રોલાં બાર્થની વિવેચનવિચારણાનો અહીં તેમણે સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : &lt;br /&gt;
૧. 	સાહિત્ય ભાષા દ્વારા પ્રગટ થાય છે, એમ નહિ, ખરેખર તો ભાષા સ્વયં સાહિત્ય દ્વારા પ્રગટ થાય છે. બાર્થ આ રીતે આપણને ઉત્કટપણે ભાષાના માધ્યમ વિશે સભાન બનાવવા ચાહે છે.&lt;br /&gt;
૨. 	લેખન એ માત્ર ‘સંકેતોની વ્યવસ્થા છે’. એક રીતે એ ‘કૃત્રિમ સંકેતોની વ્યવસ્થા છે’. સાહિત્યનું આવી કોઈ વ્યવસ્થાના રૂપમાં જન્મવું એનો અર્થ જ એ કે એનું સ્વરૂપ જીવનથી જુદું છે.&lt;br /&gt;
૩. 	‘સાહિત્ય અંતરસ્થ સંબદ્ધ સંકેતોની વ્યવસ્થા હોવાથી’ સાહિત્યનો અર્થ જે જન્મે છે તે સંકેતોની પાછળ રહેલા વાસ્તવિક જીવનના ખરેખરા પદાર્થોના નિર્દેશોથી નહિ, પરંતુ સંકેતો જેનાથી રચાયા હોય એની સામગ્રીની ભિન્નતામાંથી જન્મે છે.&lt;br /&gt;
૪. 	‘સાહિત્ય વિચારસંક્રમણનું માધ્યમ કે પૂર્વે વિચારીને પછી તૈયાર કરેલી સામગ્રી નથી. સાહિત્ય ખરેખર તો ભાષાથી કંઈ વિશેષ નથી. ભાષા જે સંકેતોની વ્યવસ્થા છે એનું અંતસ્તત્ત્વ ઉપદેશમાં સંદેશમાં કે નિશ્ચિત અર્થઘટનમાં નથી, પણ વ્યવસ્થામાં છે. સાહિત્યવિવેચકે આ વ્યવસ્થાને તપાસવાની છે. જેમ ભાષાવિજ્ઞાની વાક્યનો અર્થ નિષ્પન્ન કરતો નથી પણ વાક્યની જે સંરચના દ્વારા અર્થસંક્રમણ શક્ય બને છે તે સંરચનાને સ્થાપિત કરતો હોય છે; તેમ સાહિત્યવિવેચકે સંરચના સ્થાપિત કરવાની છે’૧૬૧&lt;br /&gt;
૫. 	સાહિત્યકૃતિઓને પોતાને કોઈ એક નિશ્ચિત અંતઃસ્થિત અને અપરિવર્ત્યશીલ અર્થ હોતો નથી. વિવેચક સામે કૃતિ એક ‘પ્રહેલિકા’ની જેમ આવી ઊભે છે અને એનો આગવી રીતે ઉકેલ શોધવાનો છે. જો કે એનો કોઈ એક નિશ્ચિત ઉકેલ હોતો નથી. માનવીને સ્વાતંત્ર્ય મળ્યું છે અને એટલે જ તે ભાષાની ઘટનાને જુદી જુદી રીતે ઘટાવી શકે છે.&lt;br /&gt;
૬. 	કૃતિમાં ત્રણ રીતની ‘અનંતતા’નો સામનો કરવાને બાર્થ સૂચવે છે. એક, વ્યવહારના ભાષાસાહિત્યના સંકેતો ‘ભાષાના આ સમુદ્રમાંથી’ સર્જક ખેંચતો હોય છે. બે, સંકેતો – જેને પોતાને કોઈ નિશ્ચિત સીમા હોતી નથી. ત્રણ, કૃતિ પોતે જે ‘આગળ પાછળ અને બહાર બધે એક સુવ્યવસ્થિત પ્રક્રિયા રૂપે વિસ્તરતી રહેતી હોય છે. આ સમગ્ર ઘટનાને લક્ષમાં લેતાં સ્પષ્ટ થશે કે એનો કોઈ નિશ્ચિત અર્થ સંભવતો જ નથી. ભાવક જે કંઈ ‘અર્થ’ એને અર્પે તે જ એનો અર્થ. વિવેચનમાં આ રીતે plurality of critical language જન્મે છે.&lt;br /&gt;
૭. 	બાર્થના મત પ્રમાણે કૃતિની સંરચના નહિ, કૃતિની ‘વિવૃત્તતા’ને કારણે ભાવક એમાં જે સંરચના જૂએ છે તે મહત્ત્વની વસ્તુ છે. બાર્થ ખરેખર તો ‘સંરચના’ (structure) પર નહિ, ‘સંરચનાકરણ’ (structuration)ની પ્રક્રિયા પર જ બધો ભાર મૂકે છે. કૃતિનો ‘દેખીતો નક્કર ગર્ભભાગ’ બાર્થની દૃષ્ટિએ કેવળ ‘ખાલીપો’ છે. કૃતિ પહેલાં કશું હોતું નથી. તેમ કૃતિનો ખરેખર કોઈ ‘અર્થ’ સ્પષ્ટ કરવાનો નથી. કૃતિ વાચકને પોતાની રીતે જેટલું વધુ ‘પુનર્લેખન’ કરવાને અવકાશ આપે તેટલું તેનું વધુ મહત્ત્વ, સાહિત્ય તરીકે તે કૃતિ તેટલી ચઢિયાતી.&lt;br /&gt;
૮. સાહિત્યક્ષેત્રમાં હવે ભાવક કેન્દ્રમાં આવ્યો છે. તે હવે કૃતિનો ‘નિર્માતા’ બન્યો છે.&lt;br /&gt;
૯.	લેખકને પોતાની કૃતિ દ્વારા કશું ‘કહેવાનું’ હોતું નથી ભાષા સાથેનો ‘સાતત્યભર્યો સંઘર્ષ’ – ‘સર્જનશીલ સંઘર્ષ’ એ જ તેનું લેખકકર્મ.&lt;br /&gt;
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે.&lt;br /&gt;
આપણા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીના સર્જનવિવેચનની ઊંડી સમગ્રલક્ષી તપાસ તેમણે પીએચ.ડી.ની ઉપાધિ માટેના મહાનિબંધમાં હાથ ધરી હતી, જે હવે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી તેમણે પ્રકાશિત કર્યો છે. સુવિદિત છે તેમ, સુરેશ જોષી દ્વારા આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં—સર્જન વિવેચન બંને ય ક્ષેત્રમાં–મોટા વળાંકો આરંભાયા, અને આપણા સાહિત્યના ઇતિહાસની એ એક અફર ઘટના બની રહે છે. એટલે તેમના સર્જનવિવેચનના અધ્યયનસંશોધનનું સહજ જ વિશેષ મૂલ્ય ઊભું થાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે : એ મહાનિબંધમાં ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ શીર્ષકના ખંડમાંનું અધ્યયન વિવરણ, સુરેશ જોષી દ્વારા પુરસ્કૃત રૂપવાદી કળામીમાંસા અને તેમાંથી ફલિત થતા રૂપવાદી વિવેચન (કે આકારવાદી વિવેચન)ને સમજવા ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રચી આપે છે. નોંધવું જોઈએ કે સુરેશ જોષીએ સાહિત્યકળા અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે સતત જે રીતે ચર્ચાવિચારણાઓ કરી તે લગભગ બધી જ છૂટક લેખોના રૂપમાં આવી છે તેમની મુખ્ય ભૂમિકા અલબત્ત રૂપવાદી કળા અને વિવેચનની છે. પણ તેઓ જેમ જેમ પશ્ચિમના વિવેચનના નવા નવા વાદો અને વિચારણાઓનો પરિચય કરતા અને કરાવતા ગયા, તેમ તેમ પોતાની મૂળ ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવા, નવી વિચારણાને પોતાની ભૂમિકા સાથે સાંકળી લેવા, તેમ તેની આલોચના કરવા તેઓ પ્રેરાયા છે. એમાં એ રીતે પુનરાવર્તન પણ ઠીક ઠીક થવા પામ્યું છે. આવી વેરવિખેર પડેલી ચર્ચાવિચારણાઓમાંથી સુરેશ જોષીને ઇષ્ટ એવી રૂપવાદી વિચારણાનું સમુચિત આકલન કરવાનું, તેમાંથી વ્યવસ્થિત સુગ્રથિત અને આંતરસંગતિવાળો સિદ્ધાંત રચવાનું તેમ જ તેના સૂચિતાર્થો સ્પષ્ટ કરવાનું કે ઘટાવવાનું મુશ્કેલ કાર્ય ડૉ. સુમન શાહને ફાળે આવ્યું હતું જે તેમણે સુપેરે પાર પાડ્યું છે, એમ કહી શકાય કે સુરેશ જોષીની હમણાં સુધીની (મતલબ, મહાનિબંધ લખાઈ ચૂક્યો ત્યાં સુધીની) વિચારણાઓ પાછળ જે રીતનું aesthetics રહ્યું હતું તેને સમગ્રમાં જોવાને આ ખંડનું અધ્યયન-સંશોધન ઘણું દ્યોતક બની રહે છે. રૂપલક્ષી કળા અને રૂપલક્ષી વિવેચન વિશેની આ તપાસમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયા છે, તેની વિસ્તૃત નોંધ લેવાને અહીં અવકાશ નથી. અને આમેય સુરેશ જોષી વિશેના ખંડકમાં તેમની મુખ્ય ભૂમિકા આપણે સ્પર્શી ચૂક્યા છે, એ કારણે ય અહીં તેનું પુનરાવર્તન કરીશું નહિ. અહીં એટલું જ સૂચવીશું કે સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદી અભિગમ વિશે તેમ જ તેમણે ચર્ચેલા અન્ય અભિગમો અને તેના પ્રશ્નો વિશે ડૉ. સુમન શાહે અહીં સરસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.&lt;br /&gt;
‘વિવેચનનું અનિવાર્ય’ લેખની ચર્ચામાં ડૉ. સુમન શાહ ‘સ્વતંત્ર રીતે... વિવેચનકર્મનું અસ્તિત્વ ધારણ કરનારી અનિવાર્ય ભોંય’ની તપાસ કરવા પ્રવૃત્ત થયા છે. પ્રસ્તુત વિષયની પાશ્ચાત્ય ચર્ચાનું એમાં સ્પષ્ટ અનુસંધાન રહ્યું છે. એમાં સહૃદય ભાવક માટે સાહિત્યકૃતિના ‘વૈયક્તિક ભાવન’ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે : “કળાકૃતિ વિશેની કશી પણ વાતના મૂળમાં, કેન્દ્રમાં, આવું વૈયક્તિક ભાવન હોવું અનિવાર્ય છે. વિવેચન મૂલ્યાંકન કે ચર્ચામીમાંસાનું એ જ બીજ છે, જીવાતુભૂત તત્ત્વ છે.”૧૬૨ તેમની આ ભૂમિકા બિલકુલ સાચી અને સ્વીકાર્ય છે. ડૉ. સુમન આપણી વર્તમાન વિવેચનપ્રવૃત્તિને નજરમાં રાખી એવું અવલોકન કરવા પ્રેરાયા છે કે કૃતિ સાથેના ‘જીવંત સંનિકર્ષમાંથી’ જન્મી આવતા રસબોધને સ્થાને ઘણી ય વાર પરિભાષાઓની જટાજાળ જોવા મળે છે. વિવેચનમાં સાહિત્ય વિષયક ‘પાંડિત્ય’ને અમુક હદ સુધી જ સ્થાન હોય, એમ તેમનું કહેવું છે. ખરી અનિવાર્યતા કૃતિ વિશેની સૂક્ષ્મતર સંવેદના ઝીલવાની છે. કેવળ સૈદ્ધાંતિક વિવેચનના વિનિયોગ દ્વારા – પરિભાષાઓના ઉપયોગ દ્વારા - કૃતિને તે ન્યાય કરી શકશે નહિ. આપણા પ્રાચીન સાહિત્યાચાર્યોએ ‘સહૃદય’નું જે રીતે અનન્ય મહત્ત્વ કર્યું છે તે તરફ તેઓ આપણું લક્ષ ખેંચે છે. “અલૌકિક આનંદાનુભવનો અધિકાર એક માત્ર સહૃદયને છે વિવેચનમાં મૂલસ્થ છે, મૌલિભૂત પણ છે.”૧૬૩ કાવ્યના ભાવન અર્થે આમ ભાવક પાસે પણ આગવી પ્રતિભા જોઈએ. ‘સહૃદયતાને’ વેદનશીલતા રૂપે ઘટાવી ડૉ. સુમન એમાં સમગ્રલક્ષી ક્રમિક વિકાસ – cumulative progress – હોવાનું નોંધે છે. દરેક કૃતિના ભાવનમાંથી સહૃદયની ‘વેદનશીલતા’ ‘સમૃદ્ધ કે સશક્ત’ થઈ ત્યારે જ કહેવાય, જ્યારે બીજી કળાકૃતિને પામવા એમાંથી નવું બળ નવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા આચાર્યોએ સહૃદયતાના વિકાસ અર્થે કાવ્યાનુશીલન કરવાનું જરૂરી ગણ્યું છે, પણ એ કંઈ નીતિ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોની ખોજ કરવા ઝંખતું ‘બહુશ્રુતત્વ’ નથી. વિવેચન એ કંઈ આસ્વાદથી અળગી રીતે ચાલતી બહુશ્રુતતાની ખોજ નથી. કૃતિમાંથી પ્રાપ્ત થતો ‘શુદ્ધ વૈયક્તિક’ રસાનુભવ પોતે જ ‘કલાકીય મૂલ્યો’નો સ્રોત બને છે અને એનું જ તો ખરું મહત્ત્વ છે. ભાવકે, અલબત્ત, પોતાની આ વેદનશીલતાને ‘સુસજ્જ‘ બનાવવાની રહે. ભાવનની પ્રક્રિયા દરમિયાન એ વેદનશીલતા તેને માટે ‘દૃષ્ટિ’ અને ‘દર્પણ’ બંને બની રહેવાં જોઈએ.&lt;br /&gt;
વિવેચનવ્યાપાર, અલબત્ત, આ ભાવનથી જુદી વસ્તુ છે; જો કે વિવેચન અર્થે ભાવન સ્વયં ‘બીજ રૂપ’ છે, મૂળ ભૂમિકા રૂપ છે, અને એ રીતે જ એ અનિવાર્ય છે. બીજી રીતે, ‘ભાવન’ પૂર્ણતયા subjective છે, જ્યારે વિવેચનમાં વિવેચકે Objective બનવાનું છે. ડૉ. સુમન શાહ નોંધે છે કે આ Objective બનવાની ક્ષણે જ અપ્રસ્તુત એવા ઐતિહાસિક સંદર્ભમાં કે પરંપરાઓમાં કે પરિભાષાની જટાજાળમાં ભાવક ગૂંચવાઈ પડે એવો ભય રહ્યો છે. સાર્ત્રના કાર્યના એક સંદર્ભમાંથી તેઓ એવો નિષ્કર્ષ તારવી આપે છે કે “આદર્શ વિવેચન એ ભાવન અને વિભાવન વચ્ચે ઊભા થતા tensionનો જ નકશો હોય છે, આલેખ હોય છે.”૧૬૪ અર્થાત્‌ ‘ભાવન’માંથી વિભાવન બાંધવાની એક જે પ્રક્રિયા ચાલે છે તેમાં કશુંક dialectically વિકસતું આવે છે. આ જાતનું વિભાવન, તેઓ ઉમેરે છે કે, ત્રીજા જ વાચક માટે છે. એ રીતે એ ‘સપ્રયોજન’ પ્રવૃત્તિ છે. ડૉ. સુમન એવા મતના છે કે વિવેચનની ‘રીતિ’માં વિવેચકના આગવા વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવતી હોય છે. જો કે એમાં ‘શૈલી’નું નિર્માણ ભલે હોય, ‘પરિભાષા’નું ‘બંધન’ ન હોવું જોઈએ. તેમનું એમ કહેવું છે કે પારિભાષિક માળખું આદર્શ વિવેચનકર્મ માટે ઘણી વાર નકામું અને કાલગ્રસ્ત હોય છે. આદર્શ વિવેચનમાં પરિભાષા ઉત્ક્રાન્ત થતી હોય છે. એ હાથવગું સાધન, મદદકર્તૃ હોઈ શકે પણ એના અભાવમાં વિવેચક પંગુ ન બની જવો જોઈએ. કલાનુભવ જ એટલો બધો તરવરાટભર્યો, પ્રાણ ધબકતો હોય છે કે બોલનારની વાતમાં જ ભાષાને નવાં પરિમાણ ફૂટે. આ અર્થમાં પારિભાષિક સંજ્ઞાઓનું સશક્ત વિવેચનમાં સંમાર્જન સંવર્ધન થતું હોય છે અને ને ઉત્ક્રાન્તિ – ક્રમ સ્થપાતો હોય છે.”૧૬૫ ડૉ. સુમન શાહની આ વિચારણાનું તાત્પર્ય સમજવાનું મુશ્કેલ નથી. તેમને એમ સૂચવવું છે કે કૃતિના આસ્વાદ ભાવનની સૂક્ષ્મતમ છટાઓને છેવટે ભાષામાં ઝીલવાની છે; અને સંભવ એ છે કે પરિભાષાની જટાજાળ એની એ સર્વ સૂક્ષ્મતાઓ અને વિશિષ્ટતાઓને ઢાંકી દે. એટલે, પરિભાષાનો વિનિયોગ થાય ત્યારે પણ એનો ‘અર્થવિકાસ’ ભાવનના વર્ણનની સાથોસાથ થતો રહે એમ બનવું જોઈએ.&lt;br /&gt;
કૃતિ વિશેના વિવેચનમાં ખરેખર તો કૃતિ પોતે જ સાર્વભૌમ છે, સર્વેસર્વા છે, નહિ કે વિવેચનના સિદ્ધાંતો (કે તેમાં યોજાતી પરિભાષા). વિવેચનનું પરમ પ્રયોજન જ વિવેચ્ય કૃતિનું હાર્દ ખુલ્લું કરવાનું છે. વિવેચકની અંતિમ નિષ્ઠા કૃતિમાં જ હોય, હોવી જોઈએ. ડૉ. સુમને બીજો એક મુદ્દો એ છેડ્યો છે કે વિવેચક કંઈ કૃતિનો નિષ્ક્રિય ભોક્તા નથી જ. ભાવન દરમ્યાન તેણે કૃતિનું સક્રિયપણે પુનઃસર્જન કરવાનું છે. કલાકૃતિની ‘પૂર્ણતા રચી લેવી’ એ તેની જવાબદારી છે. જો કે ‘પૂર્ણતા’ રચવાની એ પ્રક્રિયામાં ભયસ્થાનો ઓછાં નથી. વિવેચક કૃતિને પોતાને જ ‘પૂર્ણતા’માં પામે છે કે કશુંક આત્મલક્ષી ઉમેરણ કે આરોપણ પોતાના તરફથી કરે છે એનો વિવેક કરવાનું કાર્ય અતિ નાજુક અને તેથી મુશ્કેલ છે.&lt;br /&gt;
પ્રસ્તુત લેખની ચર્ચામાં ડૉ. સુમન કળાકૃતિના આસ્વાદ ભાવનની પરિશુદ્ધિ પર સતત ભાર મૂકતા રહ્યા છે. વિવેચનમાં રૂઢ બનેલાં ધોરણો અને તેની પાછળનાં શાસ્ત્રો આદિના વિસ્તાર સામે તેઓ આથી સ્વાભાવિક રીતે જ વાંધો લેવા પ્રેરાયા છે ‘પરંપરાગત’ અને ‘ફૂલેલા ફાલેલા’ એ વિવેચનશાસ્ત્રની સામે તેમની ફરિયાદ છે. તેઓ કહેવા માગે છે કે એવાં ‘ધોરણો’ ‘શાસ્ત્રો’ ‘મૂલ્યો’ કે ‘ભાષ્યો’ ભાવકને કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં આવતાં રોકે છે. તેમનો આ ભય અલબત્ત, ખોટો નથી, એમ આપણે કહેવું જોઈએ, પણ સાથે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે ભાવનને જ્યાં વિભાવન રૂપે મૂકવા વિવેચક પ્રવૃત્ત થાય છે – અને ભાવનના વિભાવનની વાત તેમણે સ્વીકારી છે – ત્યાં જાણ્યેઅજાણ્યે ય કોઈક સિદ્ધાંત કોઈક ધોરણ કે મૂલ્યબોધ અનુસ્યૂત રહ્યો હોય છે. વિવેચનનું વિધાન વર્ણનાત્મક હોય, અર્થઘટનાત્મક હોય કે મૂલ્યવાચક હોય, તેની પાછળ ઘણું ખરું કોઈક principle નિયામકતત્ત્વ તરીકે પ્રચ્છન્નપણે કામ કરતો હોય છે. ડૉ. સુમને એવી સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે કે વિવેચક ભાવન પછી વિભાવનમાં રોકાય છે ત્યારે તે અમુક ‘એસ્થેટિક્સ’ને અનુસરતો હોય છે. પણ એ ‘એસ્થેટિક્સ’ તે પરંપરાગત સૌંદર્યમીમાંસાની વિચારસરણી કે કળાના અમુકતમુક ખ્યાલો નહિ, પણ કૃતિના ‘સમગ્ર structure અને આવશ્યક શિસ્તવાળી પોતાની વેદનશીલતાના મુકાબલામાં, એના tensionમાંથી જન્મેલી total patterns એસ્થેટિક’ છે એમ અર્થ લેવાનો છે. જો કે આપણે એ વિશે તરત કહી શકીએ કે tensionમાંથી ‘total pattern‘ નીપજાવવામાં કળાવિચારની અમુક કોટિઓ અને અમુક વિભાવનાઓનો વિનિયોગ હોવાનો જ. અનુભવ માત્રને-રસાનુભવને પણ અલૌકિક સ્તરનો અનુભવ કહ્યો છે – કોઈ પણ રીતે પેટર્નમાં ઢાળવાનો ઉપક્રમ કળાકીય કોટિઓ/વિભાવોની અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
‘નવ્ય વિવેચન પછી’ પુસ્તિકામાં ડૉ. સુમને ત્રીસીચાળીસીમાં પશ્ચિમના વિવેચનમાં વધુ તો અમેરિકામાં પ્રવર્તેલા ‘નવ્ય વિવેચન’ની સંક્ષિપ્ત ભૂમિકા બાંધી તેના અનુસંધાનમાં તે પછી જન્મેલા નવા વિવેચનાત્મક અભિગમોનો ટૂંકો અધ્યયનલક્ષી પરિચય આપ્યો છે. એમાં ભાષાલક્ષી, સંરચનાલક્ષી અને સંવિતલક્ષી અભિગમોની તેમણે જે રીતે છણાવટ કરી છે તેથી આ ક્ષેત્રની આપણી ચર્ચાવિચારણામાં એક મહત્ત્વનું પ્રકરણ ઉમેરાતું જણાશે. જો કે, કોઈ કોઈ સંદર્ભે એમાં વસ્તુવિચાર કંઈક ક્લિષ્ટ કે અસ્પષ્ટ રહી ગયો છે પણ એ સિવાય તેમની ચર્ચાવિકાસની ભૂમિકા સુગ્રાહ્ય છે. ‘નવ્ય વિવેચન’ના અનુસંધાનમાં, એ અભિગમની પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા દર્શાવાયેલી મર્યાદાઓ અને ઊણપો અને તેને અતિક્રમી જવાના તેમના પ્રયત્નોની ભૂમિકા સુપેરે મૂકી આપી છે. સાહિત્યવિવેચનનો ભાષાલક્ષી અભિગમ, એ વિશેનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાશ્ચાત્ય દૃષ્ટિબિંદુઓને લક્ષમાં લઈને તેમણે સ્પષ્ટ કર્યો છે. એ જ રીતે ‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ ખંડની ચર્ચામાં સંરચનાવાદી અભિગમ વિશે તેમણે ઠીક ઠીક વિસ્તારથી અધ્યયનપૂત ચર્ચાઓ કરી છે અંતમાં આવા અભિગમના નિદર્શન લેખે કિશોર જાદવની ટૂંકી વાર્તા ‘લેબીરીન્થ’નું વર્ણન-વિશ્લેષણ રજૂ કર્યું છે. આ પુસ્તિકાનું પ્રકાશન એ રીતે આપણી વિવેચનમીમાંસાના વિકાસમાં મહત્ત્વનું અર્પણ બની રહે છે. સંરચનાવાદ વિશે ડૉ. સુમન સતત અધ્યયનમાં પ્રવૃત્ત થયા જણાય છે. પાછળથી આ વિશે તેમણે બીજો એક વિસ્તૃત અધ્યયનલેખ આપ્યો છે. &lt;br /&gt;
‘વિવેચનના ૨૫ મુદ્દાઓ’ શીર્ષકના એક તાજેતરના લખાણમાં વિવેચનના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિના મુદ્દાઓ મૂક્યા છે. એમાં ચર્ચા ખમી શકે તેવા મહત્ત્વના તાત્ત્વિક મુદ્દાઓ પડેલા છે.&lt;br /&gt;
‘વિવેચનની દિશા અને દશા’ની લેખશ્રેણીમાં આપણી વિવેચનાની ગતિવિધિઓને અવલોકવાનો નિજી કહી શકાય તેવો તેમનો દૃષ્ટિકોણ કામ કરી રહ્યો છે. આપણા વિવેચનના સર્વતોમુખી વિકાસની ઉદાત્ત ભાવના જ તેમને આપણી વર્તમાન પરિસ્થિતિનું કડક નિરીક્ષણ કરવા પ્રેરે છે.&lt;br /&gt;
“માકર્‌સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્‌સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્‌સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્‌સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્‌ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ એ પુસ્તક આઠ પ્રકરણમાં વહેંચાયું છે. પહેલું પ્રસ્તાવના રૂપ પ્રકરણ આ અભિગમનું મહત્ત્વ સ્પષ્ટ કરવાને રજૂ થયું છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે આપણે ત્યાં મોટા વળાંકો આવતા રહ્યા છે, સર્જનનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ એને મૂલવવાને આવશ્યક નવાં parameters આવ્યાં નથી એમ તેઓ કહે છે. તેમની એ વાતમાં ઘણું તથ્ય છે. વળી આપણે ત્યાં નવી કવિતા–સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતા—જે રીતે કવિચિત્તના અજ્ઞાત સ્તરનાં સંવેદનોને પ્રકટ કરતી થઈ, અને તેના અધ્યયન-વિવેચન અર્થે આ જાતના interdisciplinary approachની મોટી અનિવાર્યતા ઊભી થઈ ત્યારે પણ, આપણું વિવેચન એવે વખતે જરૂરી માળખું પૂરું પાડી શક્યું નથી એમ તેઓ કહે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : ‘કવિતાનું સીધુ સાદું મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કરેલું વિવરણ વધુ ફળદાયી નીવડી શકે એવું લાગે છે. મનોવિજ્ઞાનલક્ષી વિવેચનમાં આપણે શું હોવું જોઈએ – તેવાં મૂલ્યોની ચર્ચા કરી શકીએ નહીં. કારણ કે મનોવિજ્ઞાન કેટલેક અંશે descriptive છે, નહીં કે nomative, અમુક કવિતા સારી છે કે ખરાબ એવું વિધાન આવો વિવેચક કરી શકે નહીં.’ તો આપણે નોંધવાનું રહે છે કે આ રીતે આ અભિગમ સર્જક કે ભાવકચિત્તની ઘટનાઓ વિશે ખુલાસાઓ આપી શકે, પણ કૃતિની ઉચ્ચાવચતાનાં ધોરણો રચી આપી શકે નહિ. મનોવૈજ્ઞાનિક અભિગમથી કૃતિની તપાસ કરવામાં આવે ત્યારે પણ psychological explanation એ કૃતિના ‘અર્થ’નો આંશિક ખુલાસો જ બની શકે, સમગ્ર કૃતિનો રહસ્યબોધ એ નથી જ.&lt;br /&gt;
બીજા પ્રકરણનો વિષય ધ્યાનપાત્ર છે : સર્જનપ્રક્રિયા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, એમાં સર્જનને પ્રેરતાં માનસિક બળોનો –આવેગમુકિત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, લઘુતાગ્રંથિ સામે સંપૂર્તિ, પરપીડનવૃત્તિ, અનુકૂલન આદિનો – વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. એ ચર્ચામાં ફ્રોય્‌ડને અભિમત unconsciousનો ખ્યાલ પાયામાં રહ્યો છે. તેઓ દર્શાવે છે કે ગાંધીયુગની કવિતા (અને તેનાં પ્રતીકોય) ચેતન સ્તરની નીપજ હતી, જ્યારે એ પછીની કવિતા અચેતનની અભિવ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો, અગાઉની કવિતા ego કે super egoના સ્તરેથી આવતી હતી, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કવિતા id માંથી જન્મી છે. સંસ્કૃતિ નીતિમત્તા સદાચાર આદિના નિષેધોથી તે મુક્ત છે. મધુ કોઠારીનું આ અવલોકન ઘણે અંશે સ્વીકારી શકાય તેવું છે. પણ પૂરતાં દૃષ્ટાંતો લઈને તેમણે આ ચર્ચાને વિકસાવી નથી. પ્રકરણ ત્રીજામાં કવિનું વ્યક્તિત્વ અને ચોથામાં વિવેચકનું મનોવૈજ્ઞાનિક વિશ્વ, તેમણે આ જ રીતે અધ્યયનનો વિષય બનાવ્યું છે. અહીં પણ તેમનું અધ્યયન-ચિંતન પૂરતાં દૃષ્ટાંતોના અભાવે કંઈક ઊણું રહી જાય છે. પાંચમા પ્રકરણમાં ‘સાપ’ અને ‘શબ’ એ બે પ્રતીકોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવિમર્શ કર્યો છે. અહીં તેમણે દૃષ્ટાંતો ઘણાં લીધાં છે, પણ એ પ્રતીકો કવિચિત્તમાં કેવી રીતે બંધાવા પામે, અથવા કવિચિત્તની અમુક વૃત્તિઓ લાગણીઓ એમાં શી રીતે સાકાર થાય, શી રીતે આવું strange પ્રતીકાત્મક રૂપ લે – તે વિશે પૂરતો ખુલાસો આપ્યો નથી. યુંગનો archetypes – આદિમરૂપનો વિચાર છઠ્ઠા પ્રકરણમાં અને ‘સૂરજ’નો એક archetype તરીકેનો વિચાર સાતમામાં થયો છે. છેલ્લા આઠમા પ્રકરણમાં જયંત પાઠકની રચના ‘મૃત્યુ’નું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘રસદર્શન’ કરાવવાનો ઉપક્રમ છે. એકંદરે, મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રાથમિક પરિચય મેળવવાને આ પુસ્તક કામ આવે એવું છે.&lt;br /&gt;
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે.&lt;br /&gt;
આ લખનારે પણ આ વિશે કેટલાંક લખાણો પ્રગટ કર્યાં છે તેનો નમ્રભાવે નિર્દેશ કરવાનો રહે. (૧) ‘વિવેચન’ની સંજ્ઞા વિશે (૨) ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ (૩) ‘આપણા સાહિત્યમાં પ્રકારલક્ષી વિવેચન’ (૪) ‘આકૃતિવાદ’ની ભૂમિકામાં (૫) ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ (૬) ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (૭) ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૮) ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ (૮) ‘આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ’ (૧૦) ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ – આ સર્વ સ્વતંત્ર રૂપના અધ્યયનલેખો છે. ઉપરાંત, રોલાં બાર્થ, જ્યોર્જ પુલે, જ્હોન લેચર, રેને વેલેક આદિ પાશ્ચાત્ય અભ્યાસીઓના આ વિશેના કેટલા મહત્ત્વપૂર્ણ લેખોના (કે તેના અમુક અંશોના) અનુવાદો પણ પ્રગટ કર્યા છે.&lt;br /&gt;
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87779</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87779"/>
		<updated>2025-04-27T08:29:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|V. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં સક્રિય બન્યાં—સુરેશ જોષી એના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા—અને એ સાથે આપણા સાહિત્યક્ષેત્રમાં—સર્જન તેમ વિવેચન બંનેય ક્ષેત્રમાં કેટલાંક ચોક્કસ મૂળગામી પરિવર્તનો આવ્યાં, એ બધી બાબતો આપણા સૌ સાહિત્યરસિકોને હવે સુપરિચિત બની ગઈ છે. એટલે એ આંદોલનનું સ્વરૂપ, તેનો ઉદ્‌ભવપ્રસાર, સર્જનાત્મક સાહિત્યના પ્રયોગો અને તેમાં જન્મેલાં નૂતન વલણો, અને તરુણ પેઢીના સર્જકોનું આગવી રીતનું અર્પણ વગેરે મુદ્દાઓની ચર્ચાઓનું આપણે અહીં પુનરાવર્તન નહિ કરીએ. માત્ર બદલાયેલી પરિસ્થિતિમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં કયા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા—વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમજ વિવેચનના અભિગમ વિશે કયા નવા વિચારો જન્મ્યા અને વિકસ્યા અથવા સ્વીકારાયા અને પ્રતિષ્ઠિત થયા, વગેરે બાબતો પર જ સીધું લક્ષ્ય કેન્દ્રિત કરીશું.&lt;br /&gt;
અલબત્ત, આ ગાળામાં સાહિત્યની કળા વિશેનો ખ્યાલ અને વિવેચનની વિભાવના બંને સાથોસાથ બદલાયાં છે. બલકે, વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ અભિગમ વિશેની નૂતન વિચારણાઓ બદલાયેલી સાહિત્ય-વિભાવના સાથે સીધી રીતે સંકળાયેલી છે. અગાઉની વિવેચનમીમાંસા કરતાં, આ તબક્કામાં અનેકવિધ નવપ્રસ્થાનો જોવા મળે છે. આગલી પેઢીના વિદ્વાનો–વિવેચકોમાં જૂજ અપવાદો બાદ કરતાં પરંપરાગત વિચારણાને વળગી રહેવાનું બળવાન વલણ રહ્યું છે, જ્યારે નવી પેઢીના અભ્યાસીઓ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઉત્સુક બનીને અવનવી દિશામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તરુણ અભ્યાસીઓની ચર્ચાવિચારણાનો ઝોક સમજવાનો અને ખાસ તો અગાઉની વિવેચનતત્ત્વવિચારણાથી તેમનું નવપ્રસ્થાન સમજવાનો આપણો અહીં મુખ્ય આશય છે&lt;br /&gt;
તરુણ પેઢીના વિદ્વાનો—વિવેચકોમાં સુરેશ જોષીની પ્રવૃત્તિ ઘણી વિશાળ અને ગતિશીલ રહી છે. સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સર્જનાત્મક સાહિત્ય પર અને આપણા વિવેચનસાહિત્ય પર પણ તેમની વિવેચનાની વ્યાપક અને ઘેરી બલકે નિર્ણયાત્મક અસરો પડી છે. સુવિદિત છે તેમ, સર્જનવિવેચનની તેમની સમગ્ર પ્રવૃત્તિ પાછળ કળા સર્જકતા અને રૂપનિર્મિતિ વિશેની આગવી સમજ રહી છે. ત્રીસીચાળીસીમાં ખેડાતા રહેલા પરંપરાગત સાહિત્ય સામે એમાં, અલબત્ત, તીવ્ર પ્રતિક્રિયા જોઈ શકાશે. છેલ્લા ત્રણ દાયકા જેટલી કે તેથી ય કંઈક વધુ ગાળાની તેમની વિવેચનપ્રવૃત્તિમાં સિદ્ધાંતવિચાર છે, આપણી સાહિત્યિક પરિસ્થિતિનું તેમ તેની ગતિવિધિઓનું કઠોર પરીક્ષણવિવેચન છે, કૃતિનાં આસ્વાદમૂલક લખાણો છે, અને સાહિત્ય સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક પાયાના વિચારોની પ્રતિષ્ઠા કરવાનો પુરુષાર્થ પણ છે. આપણા સાહિત્યના વિકાસ અર્થે તેમનો આમ વિભિન્ન દિશાઓનો સભાન પ્રયત્ન આજ સુધી જારી રહ્યો છે. પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનતત્ત્વવિચારના મુદ્દાઓ, અહીં આપણે ત્યાં છેડીને, આપણી એ વિશેની જાગૃતિ વધે, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે, એવી શુભ દૃષ્ટિથી સંનિષ્ઠભાવે તેઓ પ્રવૃત્તિ કરતા રહ્યા છે. તેમની કળાવિચારણાની ફેરતપાસ કરવાનો જો કે આ ઉપક્રમ નથી. પણ વિવેચનમીમાંસાને લાગેવળગે છે તેટલા પૂરતું, તેમની એ વિશેની વિચારણાના બિલકુલ પાયાના મુદ્દાઓને, આપણે અહીં ટૂંકમાં નોંધીશું.&lt;br /&gt;
(૧)	કળાસર્જનની પ્રવૃત્તિ કેવળ લીલામય પ્રવૃત્તિ છે. ભાવકને કોઈ બોધ ઉપદેશ કે સંદેશ આપવાનો એમાં રજમાત્ર આશય ન હોય, ન હોવો જોઈએ. કેવળ સર્જકતાનું સુરેશ જોષીને મન પરમ મૂલ્ય છે.&lt;br /&gt;
(૨)	વાસ્તવવાદી સાહિત્યકાર પોતાની આસપાસની પરિચિત વાસ્તવિકતાનું આલેખન કરવા પ્રવૃત્ત થતો હોય છે પણ એ તો સ્થૂળ છીછરી અને ઉપરઉપરની વાસ્તવિકતા છે. એથી વધુ સત્ય અને વધુ સાચકલી વાસ્તવિકતા તે સર્જક કલ્પનાની છે. એના આશ્લેષમાં કપોલકલ્પિત એબ્સર્ડ સ્વપ્નસૃષ્ટિ ભ્રાંતિ અને પરીકથાઓ જેવી સૃષ્ટિઓ સમાઈ જાય છે.&lt;br /&gt;
(૩)	સાહિત્યનું (કળા માત્રનું) પ્રાણભૂત તત્ત્વ તેની આકૃતિ (કે રૂપ નિર્મિતિ) છે. કળાનું એકમાત્ર કે મુખ્ય પ્રયોજન આકારનિર્માણનું છે. ટેક્‌નિક નામની વસ્તુ પણ આકારનું ‘સાધન’ છે, અને સંસિદ્ધ આકારમાં તેની સાથે તે એકાકાર બનતું તત્ત્વ છે.&lt;br /&gt;
(૪)	ટેક્‌નિક અને આકાર કળાકૃતિમાં રજૂ થતી વસ્તુની વ્યંજનાને બધી ય દિશામાં વિસ્તરવાને અમર્યાદ અવકાશ રચી આપે એમાં જ એની સાર્થકતા છે. આ રીતે કૃતિ સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ બનવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કળાકૃતિ એક સ્વતંત્ર સ્વાયત્ત આત્મનિર્ભર અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ બને છે. એટલે કે, એનું જે કંઈ રહસ્ય છે તે તેની અંતર્ગત સિદ્ધ થયેલું છે. એ માટે પોતાનાથી ઇતર વસ્તુ પર તે આધાર રાખતું નથી. સ્વાયત્તતાનો સૂચિતાર્થ એ કે કળામાં રજૂ થતા વિશ્વને કવિકર્મ દ્વારા જે અપૂર્વ રહસ્ય મળ્યું છે, તેને પરિચિત જગતની સાથે ક્યાંય કોઈ સંબંધ કે સહસંબંધ સંભવતો નથી.&lt;br /&gt;
(૫)	કથાસાહિત્યમાં ઘટનાઓના હ્રાસ દ્વારા, માનવજીવનના જીવંત સંદર્ભોના અમાનવીયકરણ દ્વારા, લાગણીનાં પ્રતીકાત્મક રૂપોના નિર્માણ દ્વારા, કલ્પનો પ્રતીકો અને મિથોના વિનિયોગ દ્વારા, કપોલકલ્પિત એબ્સર્ડ આદિ અતિવાસ્તવના અનુસંધાન દ્વારા–એના વિશ્વને જુદી જ કક્ષાએ પ્રતિષ્ઠિત કરવાનું છે. પ્લૉટની અટપટી કરામતોથી કથાવસ્તુના યાદૃચ્છિક વિસ્તારથી કે યાંત્રિક સાંધાવાળી વાર્તાના વિસ્તારથી અળગા થઈ એમાં એક સજીવ અખંડ ભાવવિશ્વ નિર્માણ કરવાનું છે.&lt;br /&gt;
(૬)	કથાસાહિત્યમાં રજૂ થતાં પાત્રોને યાદૃચ્છિકપણે યોજવાનાં નથી, તેમ તેને અમુક ગુણો કે દુર્ગુણોનાં કેવળ ‘પાત્રો’ લેખવાનાં નથી. તેને દરેકને પોતાના કાર્ય માટે સંકલ્પશક્તિ હોય, સ્વાતંત્ર્ય હોય, પસંદગીના અને ઉતરદાયિત્વના ખ્યાલ હોય, એ પાત્રો authentic being માટે આત્મખોજ કરે, આત્મસંઘર્ષ કરે, ત્યારે જ સાચી માનવીય વાસ્તવિકતા જન્મે છે.&lt;br /&gt;
(૭)	રચનારીતિ (technique) દ્વારા સર્જકે પોતાના પરિચિત વાસ્તવનું કળાના વિશ્વમાં રૂપાંતર કરવાનું છે. રચનારીતિ જ કલાસામગ્રીને નવી વ્યવસ્થા (new order) અર્પે છે, નવો અર્થ અને નવું મૂલ્ય અર્પે છે. સર્જકનું જે કંઈ અવ્યક્ત કે અર્ધવ્યક્ત ભાવજગત છે તેને રચનારીતિ જ એક આગવી વાસ્તવિકતા અર્પે છે.&lt;br /&gt;
(૮)	રચનાપ્રક્રિયામાં સર્જક ભાષાના માધ્યમની બધી શક્યતાઓને સભાનપણે તાગવા મથી રહે છે. જે કંઈ અસ્ફુટ અને અમૂર્ત છે તેને નક્કર ઐન્દ્રિયિક રૂપો અર્પે છે. ઇંદ્રિયવ્યત્યય દ્વારા, અભિવ્યક્તિની અવનવી પ્રયુક્તિઓ અને પ્રણાલિઓ દ્વારા, જૂની પ્રયુક્તિઓના નવવિધાન દ્વારા સંવિદ્‌નાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપોને ઝીલવા તેમ જ દુર્ગ્રાહ્ય એવી ચૈતસિક વાસ્તવિકતાનો તાગ લેવા મથે છે.&lt;br /&gt;
સુરેશ જોષીની આ જાતની વિચારણા તેમની સર્જનપ્રવૃત્તિમાં કેન્દ્રીય બળ બની રહે છે, તો તેમની વિવેચનપ્રવૃત્તિની મુખ્ય આધારશિલા બની રહે છે. સિદ્ધાંતવિચારના ક્ષેત્રમાં ફરી ફરીને તેમણે પોતાની આ મુખ્ય ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃતિવિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઓછી પ્રવૃત્તિ કરી છે, પણ આપણા સાહિત્યની ગતિવિધિ વિશે, ખાસ તો આપણા સર્જાતા જતા સાહિત્ય વિશે વારંવાર તેઓ વ્યાપકપણે અવલોકનો કરતા રહ્યા છે, અને તેમાંય પોતાની મૂળ ભૂમિકા સાથે અનુસંધાન કેળવતા રહ્યા છે. અને એ જ રીતે વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ય મૂળ ભૂમિકા સાચવીને ચાલવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. જો કે આ ક્ષેત્રમાં કુંઠિત થઈ ગયેલી આપણી વિચારણાને નવું જોમ અને નવી દિશા બતાવવા પશ્ચિમની બીજી અનેક વિચારધારાઓનો તેઓ પરિચય કરાવતા રહ્યા છે. ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં ગ્રંથસ્થ થયેલાં અને બીજાં ગ્રંથસ્થ ન થયેલાં આ વિષયનાં લખાણો ખરેખર તો પશ્ચિમના અનેક નૂતન ખ્યાલોને સ્પર્શે છે. એ લખાણોમાં કેટલાક સંદર્ભે તેમની ચર્ચા વિશદ બની શકી નથી, ઠીક ઠીક ગૂંચો અસ્પષ્ટતાઓ પણ એમાં રહી ગઈ છે, પણ એમાં તેમનો હેતુ નવા પાશ્ચાત્ય પ્રવાહોથી આપણા સાહિત્યજિજ્ઞાસુ વર્ગને સભાન કરવાનો છે.&lt;br /&gt;
પોતાની સાહિત્યિક કારકિર્દીના આરંભથી જ સુરેશ જોષી કળાના આસ્વાદ પર એકધારો ભાર મૂકતા આવ્યા છે. વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં એ સાથે એક નવું જ પ્રકરણ આપણે ત્યાં આરંભાયું છે, અને કૃતિ પરત્વેનો અભિગમ બદલાયો છે; એટલું જ નહિ વિવેચનના સ્વરૂપગત પ્રશ્નો, પદ્ધતિઓ અને એની સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાન વિશે નવી અભિજ્ઞતા જન્મી છે. આ રીતે વિવેચન–મીમાંસાના ક્ષેત્રમાં નવી સભાનતા જગાડવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે.&lt;br /&gt;
‘કાવ્યનો આસ્વાદ’ નામના લેખમાં તેમની કાવ્યવિભાવના રજૂ થઈ છે અને આસ્વાદપ્રવૃત્તિનું મહત્ત્વ તેમણે એમાં સમર્થ રીતે બતાવ્યું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાવ્યકૃતિ સ્વયં એક વિશ્વ છે, સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ છે એનું આગવું ઓન્ટોલોજિકલ સ્ટેટસ છે. એમાંથી આપણે સાર કાઢવાનો કે મુખ્ય વિચાર તારવવાનો કે એમાંનો બોધ સંદેશ શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે-અને એ હકીકત રહી છે કે સુરેશ જોષીએ આસ્વાદની પ્રવૃત્તિને આંદોલનના રૂપમાં સક્રિય ન કરી ત્યાં સુધી કવિતાને જોવાનું આપણા કાવ્યરસિકોનું અને કાવ્યના અભ્યાસીઓનું આ જ મુખ્ય વલણ હતું–પણ એ રીતે કૃતિના ભાવવિશ્વને આપણે હ્રસ્વ કરી નાખીએ છીએ, આપણી અપેક્ષા પ્રમાણે એને સંકોચી દઈએ છીએ. કવિકર્મ કે ભાષાકર્મની સર્વથા ઉપેક્ષા કરીને ‘મૂઠી એક અર્થ’ ખેંચી કાઢવાનો પ્રયત્ન મૂળથી જ વંધ્ય છે, એથી કળાપ્રવૃત્તિને કે કવિસર્જકને કોઈને આપણે ન્યાય કરી શકતા નથી. કૃતિનું રહસ્ય, તેનું વ્યંજનાતત્ત્વ, તેના સમગ્ર સંવિધાનમાં વ્યાપી રહ્યું છે, અને સંવિધાનની–રચનાનિર્માણની પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ દ્વારા જ એની ઝાંખી પ્રાપ્ત થાય. બીજી રીતે કહીએ તો, કૃતિનો આકાર, રચનારીતિ અને ભાષાકર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિને ઓળખ્યા વિના, તેની સમગ્ર સંકુલતાને અવગત કર્યા વિના, કૃતિને પાર પામી શકાય નહિ. ભાવક/વિવેચક માટે રસાસ્વાદ એ જ પરમ પ્રયોજન છે. પરમ મૂલ્ય છે. કૃતિનું સર્જક દ્વારા નિર્માણ જ રસના પ્રયોજનથી થયું છે, એ હકીકત પર તેમણે સતત ભાર મૂક્યો.&lt;br /&gt;
આધુનિક કવિ કશું ‘કહેવા’ માગતો નથી, તે તો ‘સર્જન’ કરવા ઝંખે છે. એટલે તેની રચનામાંથી થોડોક વિચારસંભાર તારવી લેવાની પ્રવૃત્તિ ઇષ્ટ નથી જ. તેમની મુખ્ય ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં Formથી Contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી. પણ અપરિમેયતાને કારણે છે”૧૧૭&lt;br /&gt;
કવિતાની આ રીતે આગવી વિભાવના રજૂ કરી તેઓ મૂલ્યાંકનના પ્રશ્નને સ્પર્શે છે :&lt;br /&gt;
“તો કાવ્યોની ઉચ્ચાવચતાનાં ધોરણો શી રીતે નક્કી કરવાં? દરેક સાચું કાવ્ય, પોતાની આગવી રીતે, અદ્વિતીય હોય છે. એને નંબર આપવા માટે બીજી કૃતિ સાથે સરખાવવાની વૃત્તિ થાય છે. પણ કાવ્યાસ્વાદ માટે એ જરૂરી નથી. છતાં કેટલાક કાવ્યના ઉદાત્ત વિષય કે વ્યાપક ફલકને આવા ધોરણ તરીકે ગણાવે છે. આવાં quantitative ધોરણ અનિવાર્ય નથી. સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્‌ છે તેને સુરેખ આકાર આપવાનું આહ્‌વાન જે ઝીલે છે, તે ઉચ્ચ કવિ. એવા કવિની બે પંક્તિ પણ મહાકાવ્ય છે, કારણ કે એમાં ભાવજગતના નવા ખંડની શોધનું સાહસ છે.”૧૧૮&lt;br /&gt;
અહીં કવિના રૂપવિધાન કે ભાષાકર્મ પર જ બધો ભાર મૂકાયો છે. કવિકર્મની સફળતા અને કવિકર્મનું સામર્થ્ય એ જ કવિતાના મૂલ્યાંકનનો તેમનો માપદંડ છે. સુરેશ જોષી સ્પષ્ટપણે કહે છે કે કવિતા પાસે વિવેચકે / ભાવકે પોતાની ‘નિશ્ચિત દૃઢ ધારણાની માપપટ્ટી’ લઈને જવાનું નથી. પોતાને ઇષ્ટ વિચારો તારવવાના પ્રયત્નમાં તેની રચનાપ્રક્રિયામાં પડેલી સૂક્ષ્મતાઓ સંકુલતાઓ અને સંદિગ્ધતાઓને ગાળી નાખવાના નથી. વિવેચકનું ‘સૌથી સમર્થ ઓજાર’ તે ‘અનેક કલાકૃતિઓના પરિશીલનથી પરિષ્કૃત’ અને ‘મુકુરીભૂત’ બનેલી’ તેની રુચિ છે. એના અભાવમાં કળા વિશેના બધા ય સિદ્ધાંતો કે વાદોનું જ્ઞાન મિથ્યા નીવડે છે. આસ્વાદની પ્રવૃત્તિ, અલબત્ત, કૃતિ નિમિત્તે સ્વૈર સ્વચ્છંદ કલ્પનાવિહાર નથી જ નથી. કૃતિને એનું આગવું રૂપ મળ્યું છે. એની અન્તર્ગત વિધાયક સિદ્ધાંત રહ્યો છે, વિધાયક બળ રહ્યું છે, અને આસ્વાદ-વિવેચનમાં એ જ નિયામક તત્ત્વ બને છે, બની રહેવું જોઈએ.&lt;br /&gt;
કલાકૃતિનું ભાવન, આસ્વાદન–એ જ ભાવક માટે મુખ્ય કાર્ય છે. ‘આસ્વાદ’ સંજ્ઞા વિશે, અલબત્ત, આપણે અહીં થોડી સ્પષ્ટતા કરી લેવાની આવશ્યકતા રહે છે. તો, ‘રસાસ્વાદ’, ‘આસ્વાદ’ કે ‘ચર્વણા’ જેવી સંજ્ઞાઓને, આલંકારિકોએ સાહિત્યકૃતિના સંયોગે ભાવકચિત્તમાં ચાલતી ચૈતસિક પ્રક્રિયાને અનુલક્ષીને યોજેલી છે. અને સુરેશ જોષી જ્યારે ‘આસ્વાદ’ સંજ્ઞાને પોતાની વિવેચનમીમાંસામાં પ્રયોજે છે ત્યારે બે ભિન્ન બાબતોનો સંકેત તેમાં મળે છે. કૃતિનો ‘આસ્વાદ’ એ જ ભાવક/વિવેચક માટે પરમ પ્રયોજન છે એમ કહેતાં તેઓ તેના રસાનુભવની પ્રક્રિયાને અનુલક્ષતા હોય છે; તો અન્ય સંદર્ભમાં એવા ‘આસ્વાદનો આલેખ’ આપતું લખાણ તેમને અભિમત હોય છે. તાત્પર્ય કે, આસ્વાદમૂલક કે આસ્વાદપ્રધાન એવા લખાણને ય તેમણે ‘આસ્વાદ’ તરીકે ઓળખાવ્યું છે. એક રીતે એને આસ્વાદલક્ષી વિવેચન કે આસ્વાદલક્ષી વિવેચનરીતિ તરીકે ઓળખાવી શકાય. અને ભાવકના ચિત્તમાં ચાલેલા આસ્વાદવ્યાપારથી એને એક ભિન્ન પ્રવૃત્તિ તરીકે ઓળખવાનું આવશ્યક બની રહે છે. કેમ કે, પાશ્ચાત્ય વિવેચનમાં આકારવાદ તરીકે જાણીતા થયેલા વાદની અમુક ચોક્કસ ભૂમિકાનો એમાં સ્વીકાર થયેલો છે. કૃતિનો આકાર, રચનાવિધાન, કવિકર્મ, ભાષાની સર્જકતા–આદિની તપાસ પાછળ આકારવાદી વિવેચનની એમાં ચોક્કસ પ્રેરણા અને પ્રભાવ રહેલાં છે. કાવ્યકલાની જે વિભાવના તેમણે બાંધી છે તેમાં જ, આપણે જોઈ ગયા કે, આકારગત કે રચનાગત મૂલ્યો પર તેમણે બધો ભાર મૂક્યો છે. આમ છતાં, પશ્ચિમના નવ્ય વિવેચકોએ કૃતિલક્ષી વિવેચનની જે સમૃદ્ધ પરંપરા ઊભી કરી છે અને તેમાં આકારની જે રીતની શોધ થઈ છે, તેવી આપણાં આસ્વાદલક્ષી વિવેચનોમાં કેટલે અંશે થઈ છે તે એક તુલનાત્મક અભ્યાસનો અલગ મુદ્દો બની રહે છે.&lt;br /&gt;
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ શીર્ષકનું તેમણે ૧૯૬૨માં જે પુસ્તક પ્રગટ કર્યું તેમાં આપણા કવિઓ–નરસિંહરાવથી ગુલામમોહમ્મદ શેખ –સુધીનાની દરેકની એક એક ધ્યાનપાત્ર રચના લઈ તેનો તેમણે વિગતે આસ્વાદ કરાવ્યો. તેમની આ પ્રવૃત્તિ એ પછી તરત જ એક વ્યાપક આંદોલન બનીને આપણે ત્યાં પ્રસરી ગઈ. સામયિકો વર્તમાનપત્રો ચર્ચાસભાઓ દ્વારા એ પ્રવૃત્તિ ફૂલતીફાલતી રહી. આજે આપણી અમુક સંપાદિત કવિતા વિશે, આપણા કોઈ એક જ કવિની નોંધપાત્ર રચનાઓ વિશે, કે પરભાષાની કૃતિઓ વિશે આસ્વાદોના અલગ સંચયો થયા છે. બીજા કેટલાક વિવેચનગ્રંથોમાં ય એવા આસ્વાદો એકાદ ખંડ રૂપે સ્થાન લે છે. જો કે રચનાપ્રક્રિયાની કે આકારની તપાસ એમાં કેટલી થઈ છે તે, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અલગ તપાસ માગે છે. આવા આસ્વાદોમાં, આમ છતાં, કૃતિના રસલક્ષી/રમણીય અંશોની બારીક તપાસ કરવાનું વલણ નોંધપાત્ર છે. અગાઉ જે કવિઓ/રચનાઓ વિશે માત્ર અછડતાં વ્યાપક નિરીક્ષણો મળ્યાં હતાં, કે જેમાં માત્ર વિચાર-વલણોની તપાસ થઈ હતી, તેવી રચનાઓમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ પ્રચ્છન્ન રહેલી સૌંદર્યરેખાઓ પકડવાનું શક્ય બન્યું. અભિવ્યક્તિના અવનવા મરોડો, રચનાપ્રયુક્તિના સર્જનાત્મક ઉપયોગો અને ભાષાના સર્જનાત્મક ઉન્મેષો, કલ્પનો પ્રતીકો અને મિથોની સમર્પકતા, અર્થસંદિગ્ધતા (ambiguities)ની કાવ્યાત્મક ક્ષમતા આદિનાં બારીક અવલોકનોથી આપણને રસકીય સમૃદ્ધિનો પરિચય પ્રાપ્ત થયો. જો કે આસ્વાદની પ્રવૃત્તિ અત્યાર સુધી ઘણું ખરું તો ઊર્મિકાવ્ય પૂરતી જ સીમિત રહી હતી; પણ ટૂંકી વાર્તા લઘુનવલ અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોની કૃતિઓ વિશે ય હવે આસ્વાદલક્ષી વિવેચનના કેટલાક નોંધપાત્ર કહેવાય તેવા પ્રયત્નો આરંભાઈ ચૂક્યા છે. જો કે આ બધાં કથામૂલક સ્વરૂપોમાં આકૃતિ કે રૂપબોધના પ્રશ્નો સહેલા નથી એટલે આ પ્રવૃત્તિ સામે કથામૂલક સ્વરૂપોના આકારબોધનો પ્રશ્ન પડકારરૂપ બની રહે તો આશ્ચર્ય નહિ.&lt;br /&gt;
અહીં એક બે વાતનો ફરીથી નિર્દેશ કરી લેવાનો રહે છે. નરસિંહરાવે ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ નામે લેખમાં ભારતીય અલંકારશાસ્ત્રને અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી બે ‘રસદર્શન’ની ‘પદ્ધતિઓ’નું નિદર્શન આપ્યું છે. એમાં પ્રાચીન અલંકારશાસ્ત્રની પરિભાષાની મદદથી પ્રસ્તુત કડીનો રસલક્ષી પરિચય આપવાનો તેમનો એક ધ્યાનપાત્ર પ્રયત્ન છે. પણ પાશ્ચાત્ય પદ્ધતિની જે રજૂઆત કરી છે તેમાં તેમનો અભિગમ બરોબર સ્પષ્ટ થઈ શક્યો નથી. એ પછી બળવંતરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ગ્રંથસ્થ કરેલી રચનાઓ વિશે જે રીતનાં ટીકાટિપ્પણી વિવરણ આદિ રજૂ કર્યાં છે તેનું ય અમુક મહત્ત્વ સ્વીકારવા છતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એમાં અભિગમની કોઈ સ્થિર તાત્ત્વિક ભૂમિકા હાથમાં આવતી નથી. અને, આમ તો, નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ આદિ વિવેચકોએ કાવ્યવિવેચનનાં લખાણોમાં દૃષ્ટાંતરૂપ કૃતિઓ વિશે વારંવાર રસલક્ષી અંશોનો નિર્દેશ કર્યો જ છે. પણ પ્રશ્ન આસ્વાદ વિવેચનની ચોક્કસ ભૂમિકાનો, અભિગમનો છે. સુરેશ જોષીની આસ્વાદપ્રવૃત્તિ કળાના આકારવાદની ચોક્કસ ભૂમિકા પર મંડાયેલી છે. અને એ રીતે આસ્વાદની પ્રક્રિયા અને તજજન્ય વિવેચનાત્મક લખાણને આગવી દિશા મળી છે, આગવી વ્યવસ્થા કે યોજના મળ્યાં છે.&lt;br /&gt;
આસ્વાદમૂલક/આકારમૂલક વિવેચનની પાછળ કાવ્યતત્ત્વની આગવી એવી જે સૈદ્ધાંતિક ભૂમિકા છે તે વિશે આપણે ત્યાં કદાચ એટલી સભાનતા કેળવાઈ નથી. ક્લિન્થ બ્રૂકસ જેવા આકારવાદી વિવેચકોએ, સૌ પ્રથમ તો, કાવ્યની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને પૂરી રેખાંકિત કરી આપી છે. તેનો અર્થ એ કે અર્થબોધ કે મૂલ્યબોધની બાબતમાં કૃતિ એક અલગ વિશ્વ તરીકે ઊભી રહે છે. ભાવકે/વિવેચકે એનું રહસ્ય પામવા એની બહારના સંદર્ભોને વચ્ચે લાવવાની જરૂર નથી. એ રીતે કૃતિ એના ઐતિહાસિક/સમસામયિક સંદર્ભોથી વિચ્છિન્ન હોય છે, એટલું જ નહિ કવિના (પ્રગટ) ‘આશય’થી પણ એ એક અલગ વસ્તુ સંભવે છે. વિમ્સૉત અને બિયડર્‌ઝલીએ કર્તાના ‘આશય’ને સ્વીકારીને ચાલવા જતાં Intentional fallacy અને ભાવકોના ઊર્મિમય પ્રતિભાવોને લક્ષમાં લેતાં Affective fallacy – એમ બે રીતના દોષ થતા હોવાનું કહ્યું. જો કે તેમની સર્વની આ જાતની વિચારણાઓ વિવાદગ્રસ્ત રહી છે, અને પશ્ચિમમાં અત્યારે વિવેચનમીમાંસાના જે કેટલાક પાયાના પ્રશ્નો ચર્ચાની એરણ પર છે તેમાં એને લગતા પ્રશ્નો ય છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે નવ્ય વિવેચકોએ સાહિત્યકૃતિના બારીક વર્ણનવિશ્લેષણ અર્થે જે જાતની પ્રવૃત્તિ કરી તેમાં કૃતિની અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત સત્તાનો સ્વીકાર કરવાનું મુખ્ય વલણ રહ્યું છે.&lt;br /&gt;
અગાઉ આપણે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિની વિવેચનવિચારણાની તપાસ નિમિત્તે નોંધ્યું છે કે આરંભકાળથી જ આપણી વિવેચનપ્રવૃત્તિ પાશ્ચાત્ય વિવેચનના હેતુઓ, લક્ષ્યો અને પદ્ધતિઓથી વત્તેઓછે અંશે પ્રભાવિત થતી રહી છે. આપણે જોયું કે નવલરામ જેવાએ ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ આદરી ત્યારે આપણે ત્યાં વિવેચનની કોઈ પરંપરા કે પદ્ધતિ નહોતાં. પશ્ચિમના વિવેચનમાંથી અમુક પ્રેરણા લઈને કે નિજી આત્મસૂઝથી તેમણે આગવી રીતિ નિપજાવી લીધી હતી. એમાં વિવેચ્ય કૃતિને નજરમાં રાખીને તેમ તત્કાલીન વાચકોની રુચિને ય લક્ષમાં રાખીને જે ચર્ચા કરી, તેમાં કૃતિના મુખ્ય અર્થનું વિવરણ તો ખરું જ; પણ આવશ્યકતા પ્રમાણે કર્તાનું ચરિત્ર કે માનસ, તેનો પ્રસ્તુત કૃતિ પાછળનો આશય, કૃતિના સ્વરૂપની ટૂંકી ચર્ચા, તેના સંયોજનના પ્રશ્નો અને નીતિઅનીતિના પ્રશ્નો તેમ કર્તાની આસપાસનો બહારી પરિવેશ બધુંય સ્પર્શાતું રહેતું. બળવંતરાય રામનારાયણ અને વિષ્ણુપ્રસાદ જેવામાં આપણે આજે જેને ઐતિહાસિક અભિગમ તરીકે ઓળખાવીએ છીએ તે વધુ સ્પષ્ટરેખ બનતો જણાશે. અલબત્ત, પશ્ચિમનો ટેઈનની વિચારણાના પ્રભાવ નીચે ચોક્કસ તાત્ત્વિક પીઠિકાવાળો અભિગમ સભાનપણે આપણે ત્યાં અપનાવાયો હોય એમ જોવા મળતું નથી. પણ સાહિત્ય અને સાહિત્યકારના સમાજ જોડેના સંબંધોની સ્થાપના કરીને જે વિદ્વાનો ચાલ્યા છે, જેમણે સાહિત્યના ઘડતરમાં સમાજજીવન પણ ઓછેવત્તે અંશે ભાગ ભજવે છે એમ સ્વીકાર્યું છે, તેમને માટે કૃતિ-વિવેચનમાં કૃતિ/કર્તાના સામાજિક/ઐતિહાસિક સંયોગોને વર્ણવવાનું સ્વાભાવિક બની ગયું હતું. બળવંતરાયની ‘સરસ્વતીચંદ્ર’ વિશેની તેમ ગોવર્ધનરામ વિશેના વ્યાખ્યાનની ચર્ચા એનું ઉત્તમ દૃષ્ટાંત છે.&lt;br /&gt;
અને, આમ જુઓ તો, નવલકથા નાટક જેવી લાંબા ફલકની કૃતિઓ વિશે અલગ વિસ્તૃત અધ્યયન-વિવેચન રજૂ કરવાની જે કંઈ પ્રવૃત્તિ આપણે ત્યાં થઈ, તેમાં પ્રસ્તુત કૃતિ નિમિત્તે કર્તાનું મનોજગત, તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભો, કૃતિમાં રજૂ થતી પાત્રસૃષ્ટિને લગતા નીતિઅનીતિના પ્રશ્નો ઓછેવત્તે અંશે સ્પર્શાતા રહ્યા છે. બીજી રીતે કહીએ તો, એમાં biographical approach, historical approach, moral approach એમ વિભિન્ન અભિગમો અણજાણપણે જ એકત્ર થતા રહ્યા છે. વળી, કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ જેવાં સ્વરૂપોની બાબતમાં જ્યાં સંગ્રહો ઉપલબ્ધ બને છે ત્યાં ઘણુંખરું સંગ્રહને નજરમાં રાખીને વ્યાપક રીતની ચર્ચા કરવાનું વલણ રહ્યું છે. એમાં દૃષ્ટાંત લેખે ચર્ચાયેલી કૃતિ/કૃતિઓનો માર્મિક પરિચય, અલબત્ત, આપવામાં આવે પણ એવી કૃતિ વિશે આકારલક્ષી અભિગમથી વિવેચન કરવાની પ્રવૃત્તિ ત્યારે આરંભાઈ નહોતી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ટૂંકાં ટૂંકાં ઊર્મિકાવ્યોના અલગ અલગ આસ્વાદો લખવાની પ્રવૃત્તિ વ્યાપક બની રહી તે પછી જ ટૂંકી વાર્તા નવલકથા વગેરે કથામૂલક સ્વરૂપની કૃતિઓનો આકારલક્ષી અભિગમથી વિચાર કરવાનું વલણ જન્મ્યું.&lt;br /&gt;
રસપ્રદ બાબત એ છે કે વિવેચનના અભિગમ લેખે આકારવાદની પ્રતિષ્ઠા થઈ તે પછી જ વિવેચનના અન્ય અભિગમોની તાત્ત્વિક ભૂમિકા સમજવાની જિજ્ઞાસા જન્મી. પશ્ચિમમાં આ વિશે જે કામ થયું છે, તેની નોંધ લેવાનું પણ ધીરે ધીરે બન્યું. અને આજે આ બધા અભિગમો વિશે આપણા વિવેચનવિચારમાં સંગીન વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરતો ગ્રંથ કે લેખસંચય આપણી પાસે ઉપલબ્ધ નથી. વિવેચનની પદ્ધતિ (કે અભિગમ) એ વિવેચકને માટે સર્વથા ઐચ્છિક કે યાદૃચ્છિક બાબત છે, એમ પણ કેટલાક હજી માને છે. પણ એ વાત બાજુએ રાખીએ. આપણે માટે પ્રસ્તુત મુદ્દો એ છે કે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિ વિવેચકોએ કૃતિઓ/કર્તાઓ વિશે જે રીતે વિવેચનવિચારણાઓ કરી તેમાં સાહિત્યની કળા વિશે દરેકની આગવી એવી સમજ હતી, દરેકનાં એ વિશે આગવાં એવાં ગૃહીતો હતાં. એ જ રીતે વિવેચ્ય કૃતિને અવલોકવા અને મૂલવવા પોતે કયો અભિગમ લેશે તે વિશે પોતા પૂરતી અમુક સૂઝ હતી. પણ પોતાના વિવેચનાત્મક અભિગમને અન્ય અભિગમોથી અલગ તારવીને તેની સાર્થકતા કે ઉપકારકતા તપાસવાનું, તેમ જ સાહિત્યકળા સાથે તેની પદ્ધતિ કેવી રીતે સંકળાઈ છે તેનો વિચાર કરવાનું કે સંબંધિત પ્રશ્નોની માંડણી કરવાનું ખાસ વલણ ત્યારે જન્મ્યું નહોતું. આકારવાદી, અભિગમની પ્રતિષ્ઠા થઈ ત્યારે એવી એક સમજ પ્રચારમાં આવી કે એ જ સાચો ‘સાહિત્યિક’ અભિગમ છે. પૂર્વે પ્રચારમાં રહેલા અભિગમો ‘બિન-સાહિત્યિક’ હતા એવું એમાં સૂચવાતું હતું. આમ, વિવેચનના અભિગમની તાત્ત્વિક ચર્ચા, તેની સાથે સંબંધિત ‘સાહિત્યિકતા’ (Literariness)ની સાથે સંકળાતી રહી.&lt;br /&gt;
કર્તાની મનોસૃષ્ટિ કે ભાવકની મનોદશા નહિ, એ બેને જોડનારી કડી જેવી સાહિત્યકૃતિ જ વિવેચનનું ખરું અધિષ્ઠાન છે, વિવેચકે એનું જ વર્ણન વિવેચન કરવાનું છે, એમ સુરેશ જોષીએ ભારપૂર્વક દર્શાવ્યું. ખરી વાત તો એ કે કૃતિના આસ્વાદ પર જ તેમણે બધો ભાર મૂક્યો છે. કૃતિની આકૃતિ અને રચનાપ્રક્રિયાને નજરમાં રાખીને વિવેચકે તેનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્ય તત્ત્વોની ઓળખ કરાવવાની છે, એમ તેમણે કહ્યું. આગળના યુગોમાં કૃતિના વિવેચન નિમિત્તે થોડોક અર્થ કે સંદેશ સારવી લેવાની, અર્થદર્શનને નામે કેવળ paraphrase કરવાની, અને અર્થઘટનને નામે ‘અર્થ’નો સંકોચ કરવાની પ્રવૃત્તિ ચાલી, તેનો ફરી ફરીને તેમણે વિરોધ કર્યો. એ રીતે, કેવળ ઉદાત્ત વિચારોને કારણે જ કૃતિ ચઢિયાતી હોવાનું લેખવવામાં આવે તેની સામે ય તેમણે વાંધો લીધો. તેમના મતે ખરો પ્રશ્ન કવિકર્મની તપાસનો છે. કવિએ પોતાની રચનાની સામગ્રી લેખે લાગણી અનુભવ વિચાર આદિ જે કંઈ તત્ત્વોનો સ્વીકાર કર્યો હોય તેનું કળામાં રૂપાંતર થઈ શક્યું છે કે કેમ એ જ વિવેચક માટે મુખ્ય તપાસની વસ્તુ છે. અને જો કૃતિઓ વચ્ચે ઉચ્ચાવચતાનો ક્રમ વિચારવો જ હોય તો તેમાંના કવિકર્મની સફળતા અને સામર્થ્યને જ લક્ષમાં લેવાનાં રહે.&lt;br /&gt;
આસ્વાદની પ્રવૃત્તિમાં રચનાપ્રક્રિયા કે ભાષાકર્મને જ અત્યંત નિકટતાથી તપાસવાની પ્રવૃત્તિ શરૂ થઈ, એથી વિવેચનાત્મક લખાણનું પ્રયોજન અને પદ્ધતિ મૂળથી બદલાઈ ગયાં. ભાષાના સર્જનાત્મક વિનિયોગની ઓળખ કરવાના પ્રયત્નમાં અગાઉ પ્રચ્છન્ન રહી ગયેલાં કેટલાંક રચનાગત સૌંદર્યો એ રીતે કદાચ પહેલી જ વાર પ્રકાશમાં આવ્યાં. અલબત્ત, કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાય જેવા કવિઓની રચનાઓને આપણા આગલી પેઢીના મર્મજ્ઞ વિવેચકોએ નહોતી માણી એમ અહીં અભિપ્રેત નથી જ. તેમણે એ રચનાઓને ઉત્કટતાથી પ્રગાઢતાથી જરૂર માણી હશે. મારું તાત્પર્ય એ છે કે ઉત્કટતાથી માણવા છતાંય કૃતિની રચનાપ્રક્રિયા વિશે કે ભાષાની સર્જકતા વિશે સંપ્રજ્ઞપણે તપાસ હાથ ધરી ન હોય તો અમુક સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યરેખાઓ સભાનતાના સ્તરે પકડાતી નથી. કૃતિમાં લીન થઈએ, તન્મય થઈએ, ત્યારે વાચનની ક્ષણે પંક્તિઓ/શબ્દસમૂહો આપણી ચેતના પર ઊંડો પ્રભાવ પાડે છે. પણ એ પ્રકારનો પ્રભાવ અમુક અંશે અજ્ઞાત ચિત્ત પર સીધો ઝીલાતો હોય છે. વિવેચક અંતર્મુખ બનીને એ પ્રભાવને સમજવા મથે અને તેમાં નિમિત્ત બનેલી ભાષાપ્રક્રિયાની બારીક તપાસ કરે ત્યારે જ એમાં સમર્પક બનતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રમણીય તત્ત્વોને સભાનતાના સ્તરેથી અલગ રૂપમાં ઓળખવાનું શક્ય બને. આગલી પેઢીના વિદ્વાનોએ એક બાજુ ઉન્નત વિચાર કે ઉદાત્ત ભાવ કે જીવનદર્શનની ખોજ આદરી; બીજી બાજુ, કવિની શૈલીનાં લક્ષણોની નોંધ કરવાનું વલણ દાખવ્યું. પણ ભાષાની સર્જકતાની સઘનતાથી પ્રત્યક્ષ કરવાનું વલણ તેમનામાં બંધાયું નહોતું. એટલે એમ માનવાને કારણ છે કે આજની આસ્વાદલક્ષી પ્રવૃત્તિને પરિણામે અગાઉ ક્યારેય પ્રકાશમાં ન આવ્યાં હોય એવાં કેટલાંક રમણીય તત્ત્વો પ્રત્યક્ષ થઈ શક્યાં.&lt;br /&gt;
સાહિત્યવિવેચનના ભાગ રૂપે અગાઉ આપણે ત્યાં કૃતિના ‘અર્થઘટન’ની જે રીતની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, તેની સામે ય સુરેશ જોષીએ વાંધો લીધો છે. તેમનું તાત્પર્ય એ છે કે અર્થઘટનને નામે અભ્યાસીઓ ઘણું ખરું તો કૃતિની સમૃદ્ધ સંકુલ વ્યંજનાસૃષ્ટિને પોતાને અનુકૂળ પડે તે રીતે સારવી લેતા હોય છે. વિવેચકે કૃતિના સમગ્ર સંકુલને, એની સર્વ સૂક્ષ્મતાઓ સમેત, એમાંના આંતરવિરોધો (paradoxes) અને તણાવો (tensions) સમેત એમાંનાં વ્યંગ કાકુઓ અને એમાંની સમૃદ્ધ ambiguities સમેત ગ્રહણ કરવાનો છે. એમાંથી કોઈ વિચાર કે અર્થ ઘટાવવા જતાં તેનું સરલીકરણ થઈ જાય છે. સુસાન સોન્ટાગની આ જાતની વિચારણામાંથી તેમને સમર્થન મળી રહ્યું છે. સુરેશ જોષીની આ ભૂમિકા સમજવામાં અને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
પણ વિવેચન નામની પ્રવૃત્તિના સ્વીકાર સાથે જ એક પાયાની મુશ્કેલી ઊભી થાય જ છે. જ્યાં સુધી કૃતિના અનુભાવનને લાગેવળગે છે ત્યાં સુધી તેને સમગ્રતામાં સંકુલતામાં અખિલાઈમાં પામવાનું શકય છે—અને વાસ્તવમાં કૃતિની જે સમગ્રતા સંકુલતા અને અખિલાઈ છે તે તેના આગવા આકારમાં, આગવી અભિવ્યક્તિમાં, અનુસ્યૂત રહી છે—એટલે કૃતિની અભિવ્યક્તિની ભાષા છોડીને તમે તમારા પ્રતિભાવને એક જુદા જ ભાષાકીય સંદર્ભમાં મૂકવા જાઓ છો, અને એમાં જાણ્યેઅજાણ્યે અમુક વિભાવનાઓનું માળખું (conceptual frame-work) સ્વીકારીને ચાલો છો, ત્યારે સ્વભાવિક રીતે જ કૃતિની સમગ્રતા સંકુલતા ખંડિત થાય જ છે. એટલે વિવેચનની પ્રવૃત્તિમાં સમગ્ર ‘અર્થ’ સાથે કામ પાડવા છતાં તેનું પુનઃનિર્માણ શક્ય નથી. સમગ્ર ‘અર્થ’ માટે મૂળ કૃતિનો બીજો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે. એટલે, વિવેચનની પ્રવૃત્તિમાં કશુંક ઓછું થાય જ છે, પણ એની જો થોડીક પણ ઉપયોગિતા હોય તો તે એ રીતે કે વિવેચક તરફથી એનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખની સાથોસાથ કશુંક આગવું ઉમેરાય છે. સૌંદર્યતત્ત્વોની ચર્ચા નિમિત્તે તે તેની તાત્ત્વિક ભૂમિકાનો નિર્દેશ કરે છે, કે વ્યાપક જીવનતત્ત્વો સાથેનો તેનો કોઈ અનુબંધ રચી આપે છે, અને એવા વ્યાપક તત્ત્વબોધને સ્પર્શે છે જેમાં કશુંક મૂલ્યવાન પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
વિવેચનની અંતર્ગત ચાલતા એક વ્યાપાર તરીકે અર્થઘટનના સ્વરૂપ અને અને કાર્ય વિશે પાશ્ચાત્ય વિદ્વાનોમાં ય ઘણા મતભેદો હોવાનું સમજાય છે. કેટલાક, વિવેચનના એક વ્યાપાર લેખે અર્થઘટનનો મૂળથી જ અસ્વીકાર કરે છે, બીજાઓ અર્થઘટનનો સ્વીકાર કરે છે, પણ તેના સ્વરૂપ અને કાર્ય વિશે જુદી જુદી સમજ પ્રગટ કરે છે. ઓસ્બોર્ન કહે છે : ‘...Interpretation is a moot word; it all depends what you decide to mean by it.’૧૧૯ અર્થાત્‌ ‘અર્થઘટન’ એ એક protean term છે. જુદા જુદા અભ્યાસીઓ એને જુદી જુદી રીતે સમજવા મથે છે, અને તેના પ્રકાશમાં કૃતિવિવેચનના મુદ્દાઓનો જુદી જુદી રીતે વિચાર કરે છે. એટલે, ખરી વાત તો એ છે કે, અર્થઘટનને સ્વીકારનાર અને ન સ્વીકારનાર બંને જુદા જ અર્થમાં એને સમજતા હોય એમ જોવા મળશે.&lt;br /&gt;
વિવેચનનો તત્ત્વવિચાર રજૂ કરતાં સુરેશ જોષીનાં લખાણોમાં ‘અર્થઘટન’ વિશે જુદા જુદા સંદર્ભોમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયેલા છે. ‘વિવેચનનો અન્ત?’માં તેમણે આ ચર્ચા ટૂંકમાં છેડી છે. ત્યાં તેઓ એમ કહે છે કે ‘અર્થઘટન’ સમાસમાંનો ‘અર્થ’ શબ્દ બિનજરૂરી ગૂંચવાડા ઊભા કરે છે, એટલે એને સ્થાને ‘મર્મઘટન’ સંજ્ઞા યોજવી જોઈએ. (જો કે પ્રસ્તુત સંદર્ભની ચર્ચામાં ‘અર્થઘટન’ સંજ્ઞા જ તેઓ યોજતા રહ્યા છે.) પણ ‘અર્થઘટન’ કે ‘મર્મઘટન’ના વ્યાપારનું કોઈ સ્પષ્ટ સુરેખ વર્ણન તેમણે ત્યાં આપ્યું નથી. તેઓ એને અંગે પ્રથમ તો critical statementના સત્યાસત્યના મુદ્દાને સ્પર્શે છે. વિવેચકો કળાકૃતિ વિશે જે જાતનાં વિધાનો કરે છે તે પૈકીના અમુક તાર્કિક દૃષ્ટિએ true કે false છે તે બતાવી શકીએ, જ્યારે બીજાં કેટલાંક વિધાનો વિશે તે પ્રમાણભૂત છે કે નહિ તેટલું જ વિચારી શકીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે આવાં વિધાનોમાં કૃતિ વિશેનું કોઈક interpretation કરવામાં આવ્યું હોય છે. આ સંદર્ભે જ તેઓ પ્રશ્ન કરે છે : કોઈ પણ વ્યંજનાસમૃદ્ધ કૃતિ વિશેનું કોઈ એક અર્થઘટન તેને વિશેનાં જ બીજાં અર્થઘટનો કરતાં વધુ સાચું ગણાય ખરું? અથવા સાહિત્યકૃતિનું કોઈ એક માત્ર આદર્શ અર્થઘટન કે significance હોય છે એમ કહીશું? તેઓ એવું મંતવ્ય રજૂ કરે છે કે એક જ કૃતિનાં અમુક જુદાં જુદાં પરસ્પરવિરોધી લાગતાં અર્થઘટનો પણ સ્વીકારી શકાય. આવું એક અર્થઘટન બીજા અર્થઘટનનો અનિવાર્યતયા છેદ ઊડાડે જ એમ હંમેશાં બનતું નથી. બલકે, એવા અર્થઘટનો-અર્થઘટનાત્મક વિધાનો એકબીજાને પૂરક બની શકે છે, કૃતિની સંકુલતા ઉપસાવવામાં તે આગવી આગવી રીતે સમર્પક બની શકે છે. આથી ઊલટું, કૃતિનું કોઈ એક જ અર્થઘટન સાચું, એક જ આદર્શરૂપ, એમ સ્વીકારવા જતાં એ જ પ્રમાણભૂત છે એમ શી રીતે સ્થાપી શકાશે? સુરેશ જોષીએ આ રીતે અર્થઘટનના તાત્ત્વિક પ્રશ્નોનો નિર્દેશ કરી એમ સૂચવ્યું છે કે કૃતિની ‘સંકુલતા અને સમગ્રતા’ વધુમાં વધુ ‘આવરી’ લઈ શકે, તેને વધુ ‘વિશદ’ કરી આપી શકે તેમ જ કૃતિ સાથે જે ‘વધુ સંબદ્ધ’ લાગે તે અર્થઘટન સ્વીકારવાનું રહે. સુરેશ જોષીની પ્રસ્તુત ચર્ચા જોતાં તો અર્થઘટનવ્યાપારને તેઓ વિવેચનમાં અંતર્ગત ભાગ લેખે સ્વીકારી લેતા હોય, સમાવી લેતા હોય, એવું લાગે છે.&lt;br /&gt;
‘સંરચના અને સાહિત્યવિવેચન’ લેખમાં સંરચનાવાદીઓના સાહિત્યિક અભિગમના મુદ્દાને અનુલક્ષીને તેમણે જે ચર્ચા છેડી છે તેમાં ય અર્થઘટનનો મુદ્દો સ્પર્શાયો છે. સંરચનાવાદીઓ સાહિત્યને અનુલક્ષીને પૃથક્કરણનો માર્ગ લે છે, પણ તેના ‘આલોચનાત્મક અર્થઘટન’નો અસ્વીકાર કરે છે એમ નોંધી તેઓ ત્યાં તેને વિશે ટીકાટિપ્પણી કરે છે. પ્રસ્તુત સંદર્ભમાં કૃતિના અભિગમ પરત્વે તેઓ બે ‘વિકલ્પો’ સૂચવવા ચાહે છે. એક છે active interpretationનો, બીજો છે deadening systematizationનો. તેમના મતે સંરચનાવાદીઓ જે રીતે ‘સાહિત્યને શક્ય બનાવતા નિયમોનું સ્વરૂપ’ સ્થાપી આપવાનો પ્રયત્ન કરે છે તેથી તો તેઓ ‘એક પ્રકારની generality’નો ભોગ બનતા હોય છે. સાહિત્યની કૃતિમાં સિદ્ધ થયેલી કળાત્મક વિશિષ્ટતાઓનો જ એમાંથી લોપ થઈ જતો હોય છે. સુરેશ જોષી અહીં એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વિશિષ્ટ કૃતિઓને અનુલક્ષીને એકથી વધુ અર્થઘટનોને અવકાશ રહેતો હોય છે. સંરચનાવાદીઓ જે રીતે સર્વસામાન્ય સાહિત્યિકતાનો વિચાર કરવા પ્રેરાયા છે તેમાં નરી generality જ શેષ બચે છે. કૃતિવિશેષના અર્થઘટનને માટે એમાં કોઈ ભૂમિકા રહેતી નથી. અહીં પણ અર્થઘટનની આવશ્યકતા સ્વીકારીને તેઓ ચાલ્યા હોય એમ સમજાશે.&lt;br /&gt;
‘અર્થઘટન?’ શીર્ષકના લેખમાં, આ મુદ્દા વિશે જ તેમણે ચર્ચા ઉપાડી છે. શીર્ષકમાં મૂકાયેલું પ્રશ્નચિહ્ન જ અર્થઘટનપ્રવૃત્તિ વિશેના તેમના સંશયને સૂચવી દે છે. જો કે સુરેશ જોષી કે બીજો કોઈ અભ્યાસી, વિવેચનની અંતર્ગત અર્થઘટનના વ્યાપારનો સ્વીકાર ન કરે એ મુદ્દા કરતાં ય વધુ તો અર્થઘટનવ્યાપાર વિશેની તેમની ખરેખર વિભાવના શી અને એના અસ્વીકાર માટેની ભૂમિકા કઈ તે કદાચ વધુ મહત્ત્વના મુદ્દાઓ બની રહે છે. પણ સુરેશ જોષીના પ્રસ્તુત લેખમાં ‘અર્થઘટનવ્યાપારના’ કે અર્થઘટનની પ્રક્રિયાના સ્વરૂપ વિશે કોઈ સ્થિર નિશ્ચિત ભૂમિકા સાંપડતી નથી એ  આપણી મૂંઝવણ બની રહે છે. &lt;br /&gt;
ચર્ચાના આરંભમાં આ વિશે તેઓ કહે છે : “આપણી પરિભાષામાં વાત કરીએ તો અર્થ એટલે meaning નહિ, પણ રસ. આ રીતે જોઈએ તો અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ. રસાસ્વાદમાં જે વિઘ્નો આવતાં હોય તેની આલોચના.”૧૨૦ અર્થઘટનના પ્રશ્ને અહીં કંઈક મૂળથી જ મુશ્કેલી અનુભવાય છે. આપણે જેને aesthetic experience – રસાનુભૂતિ – તરીકે ઓળખીએ છીએ તે તો સહૃદયના ચિત્તમાં ચાલતો અતિ સૂક્ષ્મ વ્યાપાર છે. આસ્વાદની પ્રક્રિયા સમયના ક્રમમાં ચાલે છે અને એ દરેક ક્ષણમાં કૃતિની સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અને અર્થોની છાયાઓ ભાવકના ચિત્તમાં ઉપચિત થતી આવે છે; અને રસાનુભવમાં ભાવકનું ચિત્ત કંઈ નિષ્ક્રિય ભાવે બધું નિહાળ્યા કરે એમ પણ નથી. તેમાં સક્રિયપણે તે કશુંક અર્પણ પણ કરે જ છે. આમ જે એક સંકુલ પ્રક્રિયા ચાલે છે તેની કોઈ પણ રીતે ‘તપાસ’ કરવા ચાહો તો અમુક દૃષ્ટિબિંદુ કે પરિપ્રેક્ષ્ય સ્વીકારવો પડે, અમુક frame of reference સ્વીકારવો પડે, કે તપાસ પાછળ કોઈ principle લક્ષમાં લેવાનો રહે. એટલે સૂક્ષ્મતમ ચૈતસિક પ્રક્રિયાની ‘તપાસ‘ના સ્વીકાર સાથે જ કોઈક રીતે રસાનુભવની ઘટનાનું Ordering, structuring સ્વીકારવું પડે. વળી ‘રસાસ્વાદનાં વિઘ્નો’ની ‘આલોચના’ પણ અર્થઘટન શી રીતે બને તે સ્પષ્ટ થતું નથી. ‘વિઘ્નો’ જે આસ્વાદનો અંતર્ગત ભાગ નથી, તે કૃતિના અર્થઘટનમાં શી રીતે પ્રવેશે તે પણ પ્રશ્ન છે.&lt;br /&gt;
આ પછી સુરેશ જોષીએ જ્હોન એલિસની ‘અર્થઘટન’ની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે. એલિસના મત પ્રમાણે ‘અર્થઘટન’ એટલે ‘સાહિત્યિક રચનાના ઘટકોના સંબંધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાંત વિશેની hypothesis’. આ ખ્યાલ સુરેશ જોષીના પોતાના ખ્યાલથી જુદો છે. એલિસના મતે ‘અર્થઘટન’ એ કૃતિની સંરચનાના સ્તરે પ્રવર્તતા સિદ્ધાંત વિશેની ‘hypothesis’ – ધારણા છે. દેખીતી રીતે જ, કૃતિના અમૂર્તીકરણનો ખ્યાલ એમાં સૂચિત છે સુરેશ જોષીએ એ વિશે ખાસ ટીકાટિપ્પણી કરી નથી, પણ સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. કેટલાકના મતે કૃતિના રસાસ્વાદન અર્થે વિવેચકે તેમાં જે કેટલુંક ‘digging’ કરવું પડે એ ‘digging’-વ્યાપાર પોતે જ અર્થઘટન છે, એમ સુરેશ જોષી નોંધે છે. જો કે એ મતના પુરસ્કર્તા વિદ્વાનોનો તેઓ ઉલ્લેખ કરતા નથી. પણ અહીં ખરી મુશ્કેલી ‘digging’ જેવા રૂપકાત્મક પ્રયોગમાંથી જન્મે છે. કોઈ કૃતિમાં ‘digging’ કરવું એટલે શું? કશું સ્પષ્ટ થતું નથી. કૃતિના અર્થબોધના આકલનના અનુમાનના – તાત્પર્ય કે, જ્ઞાનમીમાંસાના સ્તરેથી એ સર્વ વ્યાપારના પ્રશ્નોની માંગણી કરવાની અહીં રહી જાય છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં બિયર્ડ્‌ઝલીની વિચારણા ય સંકળાતી આવી છે. બિયડર્‌ઝલીએ અર્થઘટનના આ પ્રશ્ન understanding (એના પર્યાય લેખે સુરેશ જોષીએ યોજેલો ‘મુખ્યાર્થબોધ’ શબ્દ વ્યાજબી છે ખરો?) સાથે સંકળાયેલો હોવાનું કહ્યું છે તે પણ ધ્યાનાર્હ છે. સુરેશ જોષીએ બિયડર્‌ઝલીની આ ભૂમિકાનું ટૂંકું સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે, અને તેનું સમર્થન પણ કર્યું છે. બિયડર્‌ઝલીના મતે કૃતિનું understanding એ તેના અર્થઘટન માટેની પૂર્વભૂમિકા છે, તેમ પૂર્વશરત પણ છે. એ રીતે understanding એ પ્રથમ તબકકો, interpretation બીજો તબકકો – એવો સમયનો ક્રમ એમાં પડેલો છે. પ્રાચીન સાહિત્યની ‘પદાવલિ’ અર્વાચીન કૃતિઓમાં પ્રયોજાય છે ત્યારે તેના અમુક ‘અધ્યાસો’ અને ‘સંસ્કારો’ નવા સંદર્ભમાં નવી રીતે જ ઉદ્‌બુદ્ધ થાય છે. સમર્થ કવિ તો રોજબરોજની ભાષાના પ્રયોગોથી અળગો થઈ તેનું વિશિષ્ટ રીતે નવવિધાન કરતો હોય છે. દાદાવાદ કે અતિવાસ્તવવાદના પ્રણેતા કવિઓ રોજિંદી વાણીના પ્રયોગોને દૂર સુધી ખેંચી જવા મથ્યા છે. બિયડર્‌ઝલી એથી એવા મત પર આવ્યા છે કે ‘કાવ્યનું કોઈ પણ અર્થઘટન વસ્તુલક્ષી દૃષ્ટિએ સર્વસંમત નીવડી શકે નહિ.’ સુરેશ જોષી એમાં સંમત થાય છે. આ સંદર્ભે આપણે નોંધવું જોઈએ કે અર્થઘટન વિશેની બિયડર્‌ઝલીની સમજ આરંભમાંની સુરેશ જોષીની વિચારણા (અર્થઘટન એટલે કૃતિની રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ)થી જુદી રીતે મુકાઈ છે. બિયડર્‌ઝલી કૃતિના સંદર્ભે understandingની અનિવાર્યતા સ્વીકારે છે. સુરેશ જોષી રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ માટે કહે છે પણ તપાસ માટે કોઈ principle કે perspective સૂચવતા નથી.&lt;br /&gt;
અર્થઘટન તે કૃતિના decodingનો જ વ્યાપાર છે, એવો એક ખ્યાલ પણ સુરેશ જોષીએ આ ચર્ચાના અનુસંધાનમાં સાંકળ્યો છે. એ જ રીતે, કૃતિમાં રજૂ થતાં અલંકારો રૂપકગ્રંથિઓ આદિ ઘટકતત્ત્વોને ભાવકો જે રીતે ‘ઘટાવી’ જૂએ છે તે પણ અર્થઘટનનો એક વ્યાપાર છે. ચર્ચામાં આ રીતે ‘અર્થઘટન’ની એકથી વધુ પ્રક્રિયાઓ ઉલ્લેખાયેલી છે.&lt;br /&gt;
આમ છતાં, ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે, અંતમાં, તેઓ પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે : “જે લોકો અર્થઘટન અને અર્થબોધની વાતો કરે છે તેઓ આખરે તો શબ્દાન્તરે કાવ્યનો ગદ્યાળુ ભાષામાં અનુવાદ જ આપી છૂટે છે. એથી વિદ્વત્તાનો અર્થ સરતો હશે, રસાસ્વાદમાં એ ઉપકારક નીવડે જ એવું કહી શકાય નહિ. કાવ્યશાસ્ત્ર નહિ, પણ અનેક કાવ્યોમાં કરેલું નિમજ્જન જ આપણને રસસૃષ્ટિનાં દ્વાર ખુલ્લાં કરી આપે છે.”૧૨૧ અને પછી ઉમેરે છે : “...અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની સાહજિકતાને અળપાવી નાખે છે. આવાં અર્થઘટનોને નામે બુદ્ધિનો કલાદ્વેષ જ પ્રગટ થતો હોય છે. રસાનુભવમાં જે વ્યવધાનરહિત તત્ક્ષણતાની અપેક્ષા રહે છે તેનો જ અર્થઘટનને નામે લોપ કરવામાં આવે છે. કાવ્યના સમગ્રને બૌદ્ધિક ચોકઠામાં સારવી લેવાની આ પ્રવૃત્તિ આપણા અનુભવજગતને ધીમે ધીમે હ્રસ્વ કરી નાખે છે...”૧૨૨&lt;br /&gt;
અંત ભાગની ચર્ચાવિચારણામાં મૂળથી જ તાર્કિક ગૂંચ ઊભી થતી દેખાય છે. અહીં ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે તેઓ જે રીતે વાંધો લે છે તેમાં ‘અર્થઘટન’ વિશેનો જુદો જ ખ્યાલ તેમની નજરમાં હોય એમ લાગે છે. કાવ્યના સમગ્રને ‘બૌદ્ધિક ચોકઠામાં’ સારવી લેવાની પ્રવૃત્તિ તે અર્થઘટનની જ પ્રવૃત્તિ છે એમ એમાં ગર્ભિત રહ્યું છે. પણ જ્હોન એલિસ અને બિયડર્‌ઝલીની આ વિશેની જે ભૂમિકાનું તેમણે વિવરણ અને સમર્થન કર્યું તેની સામે જ આ મુદ્દો જતો નથી? આરંભમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ તે જ અર્થઘટનની પ્રક્રિયા એવો જે ખ્યાલ રજૂ કર્યો હતો તે સ્વયં ચર્ચાસ્પદ રહ્યો છે એમ આપણે જોઈ ગયા. અહીં અર્થઘટનવ્યાપાર સામે તેઓ મૂળથી જ વાંધો લે છે. ભાવકના રસાનુભવનું મહત્ત્વ તેઓ કરે છે તે સમજવામાં મુશ્કેલી નથી. પણ ‘અર્થઘટનો’ તો રસાનુભવ પછીની ઘટના સંભવે છે. રસાનુભવની અતિ સંકુલતા અને સમૃદ્ધ સંદિગ્ધતાને ભાવકનું ચિત્ત જેમનું તેમ એની સમગ્રતામાં ગ્રહણ કરી શકતું નથી. એનું સંચાલક નિયામક એવું ઋત શોધવાની પ્રક્રિયામાં અમુક બૌદ્ધિકતાને અવકાશ રહે જ છે. બલકે, કૃતિમાં જે જે ભાવોર્મિઓ અર્થચ્છાયાઓ વ્યંજનાઓ ક્રમશઃ બોધમાં આવ્યાં હોય તેને કોઈ એક કેન્દ્રમાંથી સાંકળીને જોવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ રીતે કૃતિનું semantic field તેમાં વ્યવસ્થાની તપાસ કરવાને આધારભૂમિ બને છે. કૃતિની સમગ્ર સંકુલ વ્યંજનાને એક બિંદુએ સાંકળવાના, સમજણને વધુ સ્પષ્ટ ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો, નિશ્ચિતપણે આસ્વાદ સાથે અનુસંધિત છતાં, પછીની ક્ષણની ઘટના છે. એને અર્થઘટન તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, કૃતિનાં સૌંદર્ય તત્ત્વો વિશેના આકલન સાથે એ અનિવાર્યપણે જોડાયેલી ઘટના છે.&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રની વર્તમાન ગતિવિધિઓને અનુલક્ષીને, તેમ વિવેચનવિચારના કોઈ ને કોઈ નિમિત્તે, તેમણે કૃતિવિવેચનના પાયાના પ્રશ્નો ચીંધી બતાવ્યા છે. તેમના પાછળના ત્રણ વિવેચનગ્રંથો – ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રે આ વિષયમાં ચર્ચાતા મુદ્દાઓ લઈને લખેલા લેખો તેમણે મૂક્યા છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્ન શાખાઓ, ત્યાંના સાહિત્યવિચારને અને વિવેચનના અભિગમોને કેવી રીતે વળાંક અર્પી રહી છે, તેની ચર્ચાઓ પણ એમાં છે. સંભવતઃ પાશ્ચાત્ય વિદ્વાનો વિવેચકોની આ જાતની ચર્ચાવિચારણાઓની એમાં સીધી પ્રેરણા રહી છે. કેટલાંક લખાણો ત્યાંના વિવેચનલેખો પર આધારિત હોવાનું તેમણે નોંધ્યું ય છેઃ અને એ કારણે એમાં મૂળના પ્રતિપાદ્યની વિશદ રજૂઆત થઈ શકી નથી ત્યાં કેટલુંક લખાણ ક્લિષ્ટ અને દુર્બોધ બની જતું લાગે છે. પણ આવી મૂંઝવણો અને મુશ્કેલીઓને બાજુએ રાખીને કહેવું જોઈએ કે, આપણા વિવેચનક્ષેત્રમાં સતત નવા નવા પ્રાણવાન વિચારો આવકાર પામતા રહે, જૂનાનવા વિચારો વચ્ચે ટકરામણો થાય, ઊહાપોહ થાય અને કશુંક નૂતન જન્મી આવે, એવી ભાવનાથી તેઓ આ દિશામાં પ્રવૃત્ત રહ્યા છે. આ માટે તેઓ સ્વયં ઊહાપોહ જન્માવી આપવા સક્રિય બની રહ્યા છે. તેમણે સ્પર્શેલા કેટલાક મુદ્દાઓની અહીં સંક્ષિપ્ત નોંધ કરીશું.&lt;br /&gt;
(૧) 	સાહિત્યકૃતિનાં મૂલ્યાંકનો કયા ધોરણે થાય છે કે થવાં જોઈએ, એ તપાસવાનો મુદ્દો છે. દરેક સાહિત્યકૃતિ જો અ-પૂર્વ કે અનન્ય (unique) લેખાતી હોય તો એ અપૂર્વતા શામાં રહી છે? આ અપૂર્વતાને સ્વીકારીએ તો અન્ય કૃતિઓ સાથે એની કોઈ રીતની તુલના કરવાનું શક્ય છે? અગર શક્ય છે તો તે યોગ્ય છે, પ્રસ્તુત છે? સુરેશ જોષીએ આવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે, પણ પછી એની વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
(૨) 	રસાસ્વાદ એ ભાવકના ચિત્તમાં ચાલતી એક આત્મલક્ષી ઘટના છે; જ્યારે વિવેચન શાસ્ત્ર બને એ માટે તેને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો, જે કંઈ આત્મલક્ષી પ્રતીતિનો વિષય છે તેને વસ્તુલક્ષિતા (Objectivity)ની ભૂમિકાએ સ્થાપવાનું શક્ય છે? કળાનું જે કંઈ મૂલ્ય છે તે તો સ્વયં આસ્વાદની પ્રક્રિયામાં જ ઉપલબ્ધ થાય છે. તો તેને પછીથી વિભાવનાઓના માળખામાં રજૂ કરતાં એ મૂલ્યરૂપ ઉપલબ્ધિ લુપ્ત ન થાય? આ પ્રશ્ન યે તેમણે છેડ્યો છે ખરો, પણ તેની વિગતે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
(૩) 	કળાનિર્માણના ક્ષેત્રમાં સતત નવા નવા ઉન્મેષો પ્રગટ થતા રહે છે. એવા દરેક નૂતન નિર્માણના વિવેચન અર્થે અગાઉની કૃતિઓ પર આધારિત કળાના નિયમો અપર્યાપ્ત કે અપ્રસ્તુત બની રહેતા લાગશે તો પછી, જુદી જુદી સાહિત્યિક પરંપરાઓમાં જન્મી ચૂકેલી, જન્મતી જતી, અને જન્મનારી સર્વે કૃતિઓને આવરી લઈ શકે તેવું કોઈ સર્વગ્રાહી સર્વકાલીન સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? (આ પ્રશ્નને અનુલક્ષીને કળાવિચારણાને-family resemblance-ની દૃષ્ટિએ જોવાનો તેમણે અનુરોધ કર્યો છે. કળાતત્ત્વવિચારને open-textured ખ્યાલ તરીકે જોવાનું તેમણે કહ્યું છે.)&lt;br /&gt;
(૪) 	કળામાં આકાર વિશેનો ખ્યાલ પણ હવે બદલાઈ રહ્યો છે. આગળ કૃતિની ‘સજીવ એકતા’ (organic unity) કે ‘સુબદ્ધ એકતા’નો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો હતો. એને સ્થાને હવે કૃતિનાં અમુક ઘટકોની નરી સહોપસ્થિતિ (juxtaposition) રચીને જ નવું નિર્માણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો કૃતિવિવેચનના સંદર્ભે આકારની નવેસરથી વ્યાખ્યા કરવાની કે નવેસરથી તેનું અર્થઘટન કરવાની આવશ્યકતા નથી? એમ તેમણે પ્રશ્ન કર્યો છે.&lt;br /&gt;
(૫) 	સાહિત્યના તત્ત્વવિચાર નિમિત્તે કે કૃતિઓનાં વર્ણનવિવેચન નિમિત્તે જે કોઈ નવી વિભાવના જન્મે છે, તેની પણ પુનર્વ્યાખ્યા થતી રહેવી જોઈએ. આમ તો ઝડપથી બદલાઈ રહેલી વર્તમાન સાહિત્યિક પરિસ્થિતિમાં તેનું સતત સ્પષ્ટીકરણ કરીને તેનો વિનિયોગ કરવો જોઈએ. જો કે અવનવા આકારની કે સર્વથા વિલક્ષણ પ્રકારની બધી જ નવી કૃતિઓને સમગ્રતયા આવરી લે અને વ્યાપકપણે લાગુ પાડી શકાય તેવી વ્યાપક વિભાવના રચવાના પ્રયત્નો વંધ્ય નીવડવા સંભવ છે. સુરેશ જોષીનો આ ખ્યાલ સાચો છે. વિભાવનાને અતિ વ્યાપક અને સર્વગ્રાહી બનાવવા જતાં તે વધુ abstract અને generalised સ્વરૂપની બનશે, તેમાં કૃતિઓના સ્વરૂપ વિચારને લગતાં પરસ્પર વિરોધી તત્ત્વોનો છેદ ઊડી જશે.&lt;br /&gt;
(૬) 	સાહિત્યની રુચિ, વિવેચન સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસાના વાંચનપરિશીલન માત્રથી બંધાતી કે ખિલતી નથી. સર્જાતા સાહિત્યની પ્રાણવાન કૃતિઓનો પ્રત્યક્ષ સઘન પરિચય જ એમાં ઉપકારક નીવડે.&lt;br /&gt;
(૭) 	લેખકોના પોતાની અમુક કૃતિ કે સમગ્ર લેખન પ્રવૃત્તિ વિશેના ‘ખરીતાઓ’ ‘બ્લ્યૂ પ્રિન્ટ્‌સ’ રૂપ વિચારો કે ‘પૂર્વ આશયો’ને લક્ષમાં રાખીને તેમની કૃતિઓ પાસે જવાનું નથી. નીપજી આવેલી કૃતિઓની રૂપનિર્મિતિને જ પ્રમાણભૂત ગણીને ચાલવાનું છે. આસ્વાદ વિવેચનની એ જ સાચી અને વાસ્તવિક આધારભૂમિ છે. લેખકોના પૂર્વ પ્રગટ ‘આશયો‘ને જ તેમની કળાત્મક સિદ્ધિ ગણી લેવાનો દોષ – intentional fallacy – ન થવો જોઈએ.&lt;br /&gt;
(૮) 	વિવેચકે પોતાની સાહિત્યપરંપરાથી સાવ વિમુખ થવાનું નથી. પરંપરાને તેણે કોઈ સ્થગિત થઈ ગયેલી વસ્તુરૂપે નહિ, જીવંત સાતત્યભરી પ્રક્રિયારૂપે જોવાની અને સ્વીકારવાની છે. તેની સામે અત્યંત વિલક્ષણ અને વૈચિત્ર્યપૂર્ણ એવા અનેક નવોન્મેષો આવશે. પણ તેને માત્ર ઉત્સાહના -લાગણીના – ઉદ્રેકથી જોવાના નથી, અમુક બૌદ્ધિક સ્વસ્થતા અને સમ-ભાવ જાળવીને જોવાના છે. આવી નવીન રચનાઓમાં સર્જક જૂનાં રૂઢ કળાતત્ત્વોને ત્યજી દે છે ખરો, પણ તેની અવેજીમાં કયાં નૂતન પ્રાણવાન તત્ત્વો તે નિપજાવી શક્યો છે તે પણ તેણે તપાસવાનું રહે છે.&lt;br /&gt;
(૯) 	વિવેચનાત્મક વિધાનો-critical statements-ના સત્યાસત્યના ય પ્રશ્નો ઊભા થાય છે. જો કે આ જાતની તપાસના પ્રશ્નો અત્યંત જટિલ છે. આવાં વિધાનો નર્યાં ‘આત્મલક્ષી વિચારણો’ જ છે કે વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતાં ‘વસ્તુલક્ષી કથનો’ છે? આ જાતના પ્રશ્નોને વિકસતા જતા aesthetics linguistics psychology epistemology આદિ વિષયોના પ્રકાશમાં તપાસવા ઘટે.&lt;br /&gt;
વિવેચનમીમાંસા નિમિત્તે કે આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિની તપાસ નિમિત્તે સુરેશ જોષી આ રીતે અનેક પાયાના મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે. પ્રસંગે એવા કોઈ મુદ્દા વિશે કંઈક વિગતે ચર્ચા કરી છે, તો કેટલાક મુદ્દાને ઉપસ્થિત કરી છોડી દીધા છે. પણ પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેમાંના અનેક મુદ્દાઓ તરફ તેઓ આપણું ધ્યાન ખેંચતા રહ્યા છે.&lt;br /&gt;
‘સાહિત્ય અને સુરુચિ’ નામે લેખમાં તેમણે ‘સુરુચિ’ સંજ્ઞાનો સંકેત સ્પષ્ટ કરી સાહિત્ય સાથે તેનો સંબંધ જોડી આપ્યો છે. ‘સુરુચિ’ પ્રયોગમાં જ નૈતિક દૃષ્ટિબિંદુની અમુક ગંધ આવી જાય છે એમ તેઓ કહે છે. પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘રુચિ‘નો રસાસ્વાદ સાથે સંબંધ છે જ્યારે નીતિને સામાજિક વ્યવહાર સાથે. એ રીતે બંનેનાં લક્ષ્ય જુદાં છે એમ તેઓ કહે છે. ‘રુચિ’ના સંદર્ભેય જો આપણે હીનતા કે અધમતાના ખ્યાલને જોડતા હોઈએ તો તે નૈતિકભાવથી નહિ, રસના અપકર્ષના ખ્યાલથી જોડીએ છીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે—“રસનો અપકર્ષ કરનાર તત્ત્વ કેટલીક વાર સર્જકનો નૈતિક આગ્રહ કે ભાવકનો નૈતિક અભિગ્રહ પણ હોઈ શકે. રુચિનો વિકાસ હંમેશાં તત્કાલીન સામાજિક નીતિની વિભાવનાને સમાન્તર રહીને ચાલે એવું ન ય બને.”૧૨૩ આ સંદર્ભમાં સુરેશ જોષી એમ કહે છે કે સાહિત્યને માનવવ્યવહાર સાથે સંબંધ છે ખરો પણ તે કેવો હોવો જોઈએ એ બતાવવાનું તે માથે લેતું નથી, વ્યવહારજીવનની સામગ્રીનો તે કેવળ આસ્વાદક્ષમ કૃતિ રચવાને વિનિયોગ કરે છે. ‘રુચિ‘ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : “રુચિ એટલે પદાર્થો પ્રત્યેનો આપણો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ માનસિક પ્રતિભાવ એમ કહી શકાય. દુનિયાના બધા જ પદાર્થો, પરિસ્થિતિઓ કે અવસ્થાઓ પ્રત્યેનો આપણો પ્રતિભાવ એક સરખો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ હોવાનો સંભવ નથી. આપણી માનવસહજ મર્યાદા, આપણા ચિત્તતંત્રની ઓછીવધતી સંવેદનક્ષમતા, આપણી સંસ્કારગ્રહણ અને સંસ્કારોદ્દીપનની શક્તિ – આ બધાનાં પર એનો આધાર રહે છે. એના એક અન્તિમે જડતા અને બીજે અન્તિમે વિવેકહીન મુગ્ધતા રહ્યાં હોય છે. આ બે અન્તિમોની વચ્ચે રુચિના વિકાસનું ક્ષેત્ર રહ્યું હોય છે.”૧૨૪&lt;br /&gt;
આ સંદર્ભમાં સાહિત્યની સર્જનપ્રક્રિયાનું વર્ણન આપતાં તેઓ કહે છે છે કે સર્જકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વ’નું એ પ્રક્રિયામાં પૂરું તિરોધાન થાય છે-થવું જોઈએ. આવું ‘તિરોધાન’ સિદ્ધ કરીને જ સર્જક વ્યવહારજીવનનાં ‘સીમિત પ્રયોજનો’ અને વ્યવહારમાં અપેક્ષિત ક્રિયાશીલતાને ઓળંગી જઈ શકે છે. આ ‘તિરોધાન’ને અંતે જ પોતાનાં સંવેદનોનું ‘તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય’થી તે ગ્રહણ કરે છે. આ સંવેદનોને એના ‘વિશિષ્ટ પરિવેશથી નિરપેક્ષ’ રૂપમાં તે જુએ છે, ‘કલ્પના, અધ્યાસ અને સંસ્કારોને બળે’ એ સંવેદનની ‘પૂર્ણ યથાર્થતા’નું ‘આકલન’ કરે છે, અને એ યથાર્થતાને સાર્થકતા અર્પે એવું રૂપ તે નિર્માણ કરે છે. આ કાર્યમાં સર્જક લેખે તેને એકી સાથે અનાસક્તિ અને હાનોપાદનનો વિવેક પણ દાખવવાનો રહે છે. ચેતોવિસ્તાર એ જ તેનું પરમ પ્રયોજન બની રહે છે.&lt;br /&gt;
બીજી બાજુ, કૃતિનો આસ્વાદ લેનાર ભાવક પણ આવી જ રીતે વ્યાવહારિક જીવનના સંદર્ભોથી ઊંચે ઊઠતો હોય છે. આસ્વાદ પ્રક્રિયાનું સુરેશ જોષીએ રજૂ કરેલું વર્ણન તેમના જ શબ્દોમાં – “સાહિત્યના રસાસ્વાદમાં આપણી ચેતનાનો આ વિસ્તાર જ મૌલિભૂત પ્રયોજનરૂપ આનંદને સિદ્ધ કરે છે. સાહિત્યનો આસ્વાદ લેનાર પણ સર્જકની રચનાના પ્રભાવથી આસ્વાદ લેતી વેળાએ પોતાના વ્યાવહારિક વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને, તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય કેળવી સંવેદનના અદ્વિતીય રૂપનો સાક્ષાત્કાર કરીને આનંદ અનુભવે છે. કળાકૃતિનો આસ્વાદ કરતી વેળાએ અનુભવાતી ચિત્તની આ અવસ્થા, જેમ જેમ વધુને વધુ શ્રેષ્ઠ પ્રકારની કળાકૃતિઓનું અનુશીલન કરતા જઈએ તેમ તેમ, આપણામાં એક પ્રકારની સાક્ષીભૂત ચેતનાને નિષ્પન્ન કરે છે. પછીથી વ્યવહારના અનુભવોને પણ આપણે એનાં સંભવિત ઇષ્ટ કે અનિષ્ટ પરિણામો ને પ્રતિક્રિયાઓથી વિચલિત થયા વિના એમના યાથાર્થ્યમાં જોઈ લેવાને શક્તિશાળી થઈએ છીએ. આ અવસ્થામાં નિષેધ નહીં પણ સ્વીકાર, સંકોચ નહીં પણ પ્રસાર, અસહિષ્ણુતા નહીં પણ સમસંવેદનશીલતા આપણે અપનાવતા જઈએ છીએ.”૧૨૫&lt;br /&gt;
અહીં સર્જક તેમ ભાવક બંનેના પક્ષે ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’ની સુરેશ જોષીએ વાત કરી છે તે સૂચક છે. વ્યવહારજીવનની સાંકડી સીમાઓથી બંને ઊંચે ઊઠે છે. ભાવકને માટે તેનો આસ્વાદ અને ચેતોવિસ્તાર સ્વયં પરમ મૂલ્ય છે. કળાની એ પરમ સાર્થકતા છે. સુરેશ જોષીની કળાવિચારણામાં તેમની આ એક કેન્દ્રીય ભૂમિકા છે. તેમનું એમ કહેવું છે કે રસાનુભૂતિને આ રીતે સ્વીકારવામાં આવે તો નીતિનો તેની સામે કોઈ વિરોધ ન સંભવે. જોકે તેમની આ ભૂમિકા જુદી રીતે પણ ચર્ચાસ્પદ બની શકે છે. રસાનુભૂતિની તેઓ પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠા કરવા ચાહે છે, પણ રસબોધની એ પ્રક્રિયા અત્યંત સંકુલ ઘટના છે અને ભાવકચિત્તમાં સંભવતી એ કોઈ નિરપેક્ષ ઘટના નથી. કળાતત્ત્વ વિશેની ભાવકની દૃષ્ટિરુચિ ઓછેવત્તે અંશે ય એમાં નિર્ધારક (determinant) બની રહે છે. એટલે પ્રશ્ન કેવળ ભાવકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’નો જ નથી, ભાવક/વિવેચક કળાને કઈ રીતે જૂએ છે, સ્વીકારે છે, અને વિશ્વજીવનમાં તેને ક્યાં સ્થાપે છે વગેરે બાબતો ય એમાં એટલી જ, બલકે એથી યે વધુ, મહત્ત્વની બની રહે છે.&lt;br /&gt;
સર્જન-ભાવનની ઘટનાને આગવી રીતે ઘટાવવાનો તેમનો ઉપક્રમ પણ એ રીતે ધ્યાનાર્હ છે. “સમગ્રનું, કશા નિષેધ વિના કરેલું અનુભાવન—આવી સંવાદિતા રસાનુભવમાં અપેક્ષિત છે... નિર્વિધ્ના સંવિત્તિઃ રસઃ | સમગ્રના સંદર્ભમાં મૂકીને જોતાં જે સંવાદી લાગે તેને જો સમગ્રમાંના કશાકનો પણ નિષેધ કરીને કે ઉપેક્ષા કરીને જોઈએ તો વિસંવાદી જ લાગે. જ્યારે વ્યવહારની સાપેક્ષ નીતિ કલાની આ સમગ્રતાને ઉવેખીને એના એકાદ અંગને છૂટું પાડીને જુએ છે ત્યારે જ એને એ પોતાની મર્યાદાથી વરવું બનાવીને અસહિષ્ણુ બની ઊઠે છે... આ વિશ્વમાં પ્રવર્તતું ઋત તો એકસરખી નિષ્પક્ષતાથી ગુલાબની પાંખડી અને ઈયાગો જેવા ખલનાયકના સ્વભાવને રચે છે. કલાકારને આવી જ નિષ્પક્ષતા અભીષ્ટ છે. એમાં જો એ ચૂકે તો કલાસર્જનની એ અનીતિ અક્ષમ્ય બની રહે.”૧૨૬ અહીં સર્જકના તાટસ્થ્ય પર તેમણે અસાધારણ ભાર મૂક્યો છે. વિશ્વજીવનના સર્વ પદાર્થો, સર્વ ઘટનાઓ પરત્વે પૂરી નિષ્પક્ષતાથી તે જુએ અને આલેખે—એ જ તેની નૈતિકતા અને એ જ કળાની નૈતિકતા. પણ આ મુદ્દો ય સર્જકપ્રતિભાને અનુલક્ષીને ફેરતપાસ કરવાને આપણને ફરજ પાડે જ છે. જે રીતે સર્જક, કાવ્ય ટૂંકી વાર્તા નવલકથા કે નાટકનું વિશ્વ રચે છે કે તેમાં પદાર્થો વ્યક્તિઓ કે ઘટનાઓની અમુક રીતે પસંદગી કરવાને તે પ્રેરાય છે; અથવા સમગ્ર રચનામાં અમુક પદાર્થો કે વ્યક્તિઓ કે ઘટનાઓને તે foregroundમાં મૂકે છે, અન્યને પશ્ચાદ્‌ ભૂમિકામાં ધકેલે છે; એટલે સર્જક જે કોઈ વિશ્વ રચે છે તેમાં તેના emphasisના પ્રશ્નો આવે જ છે. પ્રતીકાત્મક કોટિનું વિશ્વ, અલબત્ત, એના આગવા સંવિધાનને કારણે આગવા પ્રશ્નો ઊભા કરે છે; જ્યારે વાસ્તવલક્ષી વિશ્વના આગવા પ્રશ્નો છે. વાસ્તવલક્ષી કળામાં સર્જકની કૃતિ સૂક્ષ્મ પ્રચ્છન્નપણે અમુક moral tone વ્યક્ત કરતી હોય એમ જોવા મળશે. આપણે એમ સ્વીકારીએ કે જનસામાન્યની રુચિ અને તેમનાં નૈતિક વિચારવલણો સાથે કળાકારે તાળો મેળવવાનો નથી, પણ જીવન અને જગતનો તેને જે કંઈ બોધ હોય તેમાં મૂલ્યપરક અભિજ્ઞતા સહજ રીતે કામ કરી રહી હોય છે. એટલે, સર્જક પોતાના વિશ્વના—કળાના વિશ્વના દરેક પદાર્થને ‘એક સરખી નિષ્પક્ષતા‘થી આલેખે એ વિચાર ચિંત્ય બની રહે છે. આ પ્રશ્ન મને લાગે છે કે, આ રીતે જોતાં વધુ વિશદ બને એમ છે : સર્જક કોઈ એક પદાર્થ વ્યક્તિ કે ઘટનાને અલગ રૂપમાં જોતો નથી – તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભથી સર્વથા વિચ્છિન્ન રૂપમાં જોઈ શકે કે કેમ એ ય પ્રશ્ન છે – અને કળાના વિશ્વમાં તેનું આગવી રીતે તે સ્થાન અર્પે છે એય ખરું. પણ એ ઘટનામાં પદાર્થનો અન્ય પદાર્થો સાથેનો, વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેનો, સમાજ વિશ્વ ઇતિહાસ સમય કે પ્રકૃતિ સાથેનો સંબંધ પણ તેમાં પ્રવેશે છે, અને એ સંબંધભાવો (relationships)ના બોધમાં moral sense કે moral meaning અનુસ્યૂત રહ્યો હોય એમ બને. એટલે સર્જકની ‘નિષ્પક્ષતા‘ તેનાં સર્જનોમાં કેટલે અંશે સિદ્ધ થઈ શકે એ વિશે પુનઃ વિચારણાને અવકાશ રહે જ છે. &lt;br /&gt;
પ્રાચીન આચાર્યોએ રસોમાં ઉચ્ચાવચતાના સંબંધ ન સ્થાપીને તેમ બીભત્સ રસનો સ્વીકાર કરીને, સમાજના નીતિમત્તાના ખ્યાલોને ગૌણ ગણીને, ‘રુચિ’નું ગૌરવ કર્યું છે એમ તેઓ કહે છે. નિત્શેનું દૃષ્ટિબિંદુ પોતાના સમર્થનમાં તેઓ મૂકે છે : ‘નૈતિક સંવાદ નહીં પણ રસગત સંવાદ જ વિશ્વની રચના અને વ્યાપારને સમજાવવામાં વધુ કારગત નીવડે છે.’ પણ નિત્શેની આ જાતની માન્યતા પણ એક આગવા પ્રકારની રંગદર્શિતાનું પરિણામ છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
સુરેશ જોષીનું એવું પ્રતિપાદન છે કે કળામાં શ્લીલઅશ્લીલના પ્રશ્નોને આપણે ‘વધુ પડતા આળા’ બનીને ચર્ચતા હોઈએ છીએ. સર્જકનું ‘વિધાયકકર્મ’ જો વિવેચનામાં ‘પુનઃ પ્રતિષ્ઠા’ પામે તો આ જાતના અપ્રસ્તુત પ્રશ્નો વિશે ઝાઝા ઊહાપોહને કારણ ન રહે. જીવનની શ્લીલઅશ્લીલ સર્વ સામગ્રી કળામાં રૂપાંતર પામે છે, અથવા કહો કે તેનું પુનર્નિર્માણ થાય છે. આવી રીતે આગવી વાસ્તવિકતા સિદ્ધ થાય તે રચનાને જ ખરેખર તો કળાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં શ્લીલઅશ્લીલ સર્વ ઉપાદાનરૂપ તત્ત્વો કળામાં આત્મસાત થઈને આગવી વાસ્તવિકતા ધારણ કરે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો’ શીર્ષકના લેખમાં કળાનું નિર્માણ સ્વયં એક આગવું મૂલ્ય છે, અને એ મૂલ્ય શી રીતે સિદ્ધ થયું છે, એ બતાવવાનું વિવેચકનું મુખ્ય કામ છે એમ તેઓ કહે છે. વ્યવહારજીવનમાં મૂલ્યો એકીસાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ બનતાં હોય છે. સર્જનનું મૂલ્ય એથી ભિન્ન સ્વયં સાધ્ય છે. એ કોઈ કાર્યપ્રેરક મૂલ્ય નથી. એનો રસાસ્વાદ એ જ એનું સાચું મૂલ્ય છે. સાહિત્યના વિવેચક માટે આ મૂલ્યની ઉપલબ્ધિની –રસાનુભવની પ્રક્રિયાની – તપાસ જ મુખ્ય વસ્તુ બની રહે છે, બીજી બધી બાબતો ગૌણ અને અપ્રસ્તુત છે. વિવેચકે ખરેખર તો પોતાને પ્રિય એવા કોઈ વિચાર કે ભાવના સાથે કૃતિનો તાળો મેળવી જોવાનો નથી : એની વિશિષ્ટ રચનાપ્રક્રિયાની બારીકાઈથી ઓળખ કરી એનું આગવું એવું જે કંઈ મૂલ્ય નિપજી આવે તેને પામવા તત્પર રહેવાનું છે. લોકોમાં માન્ય એવું મૂલ્ય સાહિત્યમાં રજૂ થયું હોય તો પણ કળાકૃતિ તરીકે તે રચના નિષ્ફળ ગઈ હોય એમ બને. નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોમાં મૂલ્યબોધના પ્રશ્નો દેખીતી રીતે જ વધુ વજનદાર બને છે. સુરેશ જોષી એમ માને છે કે “નવલકથા સામાજિક મૂલ્યોને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તે તપાસવાનું કામ સાહિત્યિક વિવેચકનું નથી; એ નવલકથામાંની આગવી સૃષ્ટિનું નિયંતા ઋત એમાં કેવી રીતે પ્રવર્તે છે ને એથી એ સૃષ્ટિની કેવી આકૃતિ રચાય છે તે બતાવવું એ જ એનું પ્રધાન કર્તવ્ય છે.”૧૨૭ રચનામાં મૌલિકતાનું ગૌરવ કરતાં તેઓ કહે છે કે “ઉછીની કે પરંપરાગત દૃષ્ટિ વડે જે સૃષ્ટિ થાય છે તે તો આખરે છાયામાત્ર છે, ઉચ્છિષ્ટ જ છે; માટે જે સૃષ્ટિ પોતે પ્રકટીને દૃષ્ટિને પ્રકટ કરે છે તેનું જ સાહિત્યિક વિવેચક ગૌરવ કરે છે.”૧૨૮&lt;br /&gt;
વર્તમાન માનવપરિસ્થિતિનો ઉલ્લેખ કરી સુરેશ જોષી એમ બતાવવા ચાહે છે કે નરી અરાજકતા એબ્સર્ડિટી વચ્ચે માનવી આજે નિર્ભ્રાન્ત બની રહ્યો છે. શાશ્વત કે સર્વકાલીન સત્યોની તેની ખોજ વ્યર્થ નીવડી છે. એકલતા પરાયાપણું અને વિષાદ જ તેની નિયતિમાં રહ્યાં છે. હવે ક્ષણ ક્ષણ વચ્ચે કોઈ સેતુ રચવાનું મુશ્કેલ બની ગયું છે, વિશ્વજીવનના અંકોડાઓ એકબીજાથી વિચ્છિન્ન થયેલા તેને લાગે છે. આવી પરિસ્થિતિમાં સર્જક કોઈ પરંપરાપ્રાપ્ત સત્ય કે મૂલ્યબોધને ઉછીનો લઈને ચાલી શકે નહિ. કળાના સર્જન દ્વારા એ મૂલ્યબોધની ભૂમિકા જરૂર રચી શકે. કળાકાર માટે આકારનું નિર્માણ એ જ એક માત્ર માર્ગ છે. એ આકૃતિ જ રસચર્વણાનો વિષય અને કળાનું પરમ મૂલ્ય છે એમ સુરેશ જોષી ફરી ફરીને પ્રતિપાદિત કરે છે.&lt;br /&gt;
વિવેચનના અભિગમો વિશે ય તેમણે આ રીતે ઘણી ચર્ચા/ઊહાપોહનો આરંભ કર્યો છે. તેમની પ્રેરણા એમાં ય, દેખીતી રીતે જ, પાશ્ચાત્ય વિવેચનની છે. આપણે અગાઉ જોયું કે ‘આસ્વાદ’ નામે ઓળખાતી વિવેચનરીતિ તેમણે ઊભી કરી અને પ્રચારમાં આણી, તેની પાછળ આકારવાદની તેમની ભૂમિકા રહી છે. તેમની આ વિવેચનરીતિનો આપણા ઘણા ખરા તરુણ અભ્યાસીઓએ સ્વીકાર પણ કર્યો દેખાય છે. જો કે ‘આસ્વાદ’ રીતિનું વિવેચન લખનાર સર્વ અભ્યાસીઓ આકારવાદને ચુસ્તપણે વળગીને ચાલ્યા હોય એમ પણ નથી. કદાચ તેમનો સાહિત્યિક અભિગમ વ્યાપક રૂપનો સંભવે છે. ‘આકાર’ના સિદ્ધાંતને ય સમાવી લે એવી કોઈ વ્યાપક સાહિત્યદૃષ્ટિ તેઓ કેળવતા હોય એમ સમજાશે.&lt;br /&gt;
સુરેશ જોષીના આકારવાદને લગતી ભૂમિકાનો આપણે આ અગાઉ નિર્દેશ કરી ગયા છીએ. અહીં એનું પુનરાવર્તન નહિ કરીએ. માત્ર એટલું જ નોંધીશું કે ‘આસ્વાદ’ નામે ઓળખાવાયેલી એ વિવેચનરીતિ પશ્ચિમના આકારવાદી વિવેચનની પ્રેરણા લઈને વિકસી છે. એને આપણે આકારવાદી કે રૂપવાદી વિવેચન તરીકે ય ઓળખાવતા હોઈએ છીએ. પણ આપણે લક્ષમાં રાખવાનું છે કે અમેરિકન નવ્ય વિવેચકોના અભિગમો પણ સર્વથા એકરૂપ નથી. ક્લિન્થ બ્રૂક્સ જેવા વિવેચકે આકારવાદી વિવેચનની એક સમર્થ પરંપરા ઊભી કરી – વૉરેન જોડે લખેલા ગ્રંથ Understanding Poetry આ પ્રકારની વિવેચનરીતિના ઉત્તમ નમૂના પૂરા પાડે છે,—પણ એ જ સ્કૂલમાં ગણાવાતા બ્લેક મર, યાવર વિન્ટર્સ, એલન ટેઈટ, અને કેનેથ બર્ક જેવા વિવેચકોનાં લખાણોમાં આકાર વિશેની સમજ ક્યાંક જુદી પડે છે, અને કૃતિના આકારબોધમાં ય નવી અંતર્દષ્ટિ કામ કરે છે એમ નોંધવું જોઈએ હકીકતમાં, આ બધા નવ્ય વિવેચકોએ કવિતાના આકારની વ્યાખ્યા કરતાં Tension, Irony, Paradox, Organic unity, જેવાં લક્ષણો રજૂ કર્યાં છે, અને કૃતિવિવેચનમાં એવાં ‘ઓજારો’ લઈને તપાસ કરી છે, જ્યારે આપણી આસ્વાદ પ્રવૃત્તિમાં આકારની આવી કોઈ ચોક્કસ તપાસ ક્યાં અને કેટલી થઈ તે સંશોધનનો વિષય રહે છે.&lt;br /&gt;
આકારવાદી વિવેચનની દૃઢ પ્રતિષ્ઠા કરતા છતાં પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે ચાલતી રહેલી અન્ય સર્વ ગતિવિધિઓ વિશે પણ સુરેશ જોષી સતત જાગરૂક રહ્યા છે, એટલું જ નહિ, ત્યાંના પ્રાણવાન વિચારોનો આપણને પરિચય કરાવતા રહ્યા છે. વિવેચનના બીજા અભિગમો વિશે એ રીતે પશ્ચિમના વિવાદો/ઊહાપોહો આપણી સમક્ષ તેઓ મૂકતા રહ્યા છે. દેખીતી રીતે જ, આ જાતનાં તેમનાં લખાણો પાશ્ચાત્ય ચર્ચાઓ પર આધારિત રહ્યાં છે. એમાં અનુસ્યૂત રહેલા પાયાના પ્રશ્ન કે પ્રશ્નોની સ્વતંત્ર રીતે માંડણી કરીને, સમુચિત પરિપ્રેક્ષ્યમાં તેને ઘટાવવાનું પણ તેમણે કેટલીક વાર ટાળ્યું છે. અને એથી જ એ જાતની વિચારણા પાછળનું તર્કસૂત્ર પકડવામાં કેટલીક વાર મુશ્કેલી અનુભવાય છે.&lt;br /&gt;
પોતાના આકારવાદની વિચારણા ય યથાવકાશ નવી વિચારણાઓના પ્રકાશમાં ફરીથી ઘટાવવાના પ્રયત્નો તેમણે કર્યા છે. ‘નવ્ય વિવેચન વિશે થોડું’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય નવ્ય વિવેચકોની આકારવાદી વિવેચનપ્રવૃત્તિ વિશેની ફેરતપાસ છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન-વિવેચક રેને વેલેકના ‘The New Criticism : Pro and Contra’માં રજૂ થયેલી ચર્ચાવિચારણાના મુખ્ય ખ્યાલોને આમેજ કરીને તેમણે એ લખાણ તૈયાર કર્યું છે. આકારવાદી અભિગમ સામે કેટલાક અભ્યાસીઓએ એને પૂરા અભ્યાસમાં લીધા વિના આક્ષેપો કર્યા હતા તેની સામે રેને વેલેકે સંગીન પ્રતિવાદ કર્યો છે અને નવ્ય વિવેચનની ઉપલબ્ધિઓ તરફ ધ્યાન ખેંચ્યું છે, એટલું જ નહિ, એ અભિગમના વ્યાજબીપણાનું પોતાની રીતે સમર્થન કર્યું છે. સુરેશ જોષીને તેમની એ ચર્ચા સહજ જ ઉપકારક બની રહી છે. ‘આકાર કે આકારાત મુક્તિ’માં જ્યૉફ્રે હાર્ટમેનના ‘Beyond Formalism’માં રજૂ થયેલા વિચારોને નજરમાં રાખી આ વિશે કેટલુંક સ્પષ્ટીકરણ કર્યું છે. એફ ડબ્લ્યૂ બેઈટ્‌સમેને ‘યેલ ફૉર્માલિઝમ’ની સામે અમુક વાંધાઓ લીધા હતા. તેમનું મુખ્ય વક્તવ્ય એ હતું કે ફૉર્માલિઝમ રસતત્ત્વને સાહિત્યમાં અંકિત થયેલા માનવસંદર્ભથી નોખું પાડી દે છે. હાર્ટમેને આ ભૂમિકાને સુધારી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું કહેવું એમ છે કે ફૉર્માલિઝમ એ એક ‘પદ્ધતિ’ માત્ર છે. કૃતિમાં ઘટકોના વિશિષ્ટ સંયોજન કે તેની વિશિષ્ટ અન્વિતિ દ્વારા ય આખરે તો માનવીય સંદર્ભ જ વ્યાખ્યા પામતો હોય છે. આકાર અને સામગ્રી વચ્ચે આરંભથી જ કોઈ મૂળગત દ્વૈત સ્વીકારવાની અહીં વાત નથી. કૃતિમાં રૂપરચનાને જ અહીં primacy મળે છે એમ હાર્ટમેન કહે છે. રૂપરચનાના સમર્થકો અને ટીકાકારોની વચ્ચે ચાલતા આ વિવાદની સામે પુલેના ચૈતન્યવાદી અભિગમનું હવે મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, એમ સુરેશ જોષી કહે છે, અને સાથે સ્પષ્ટ કરે છે કે પુલે પણ અસંપ્રજ્ઞાતપણે કૃતિની રૂપરચનાને જ આધાર તરીકે લે છે. તાત્પર્ય કે, રૂપરચનાના ખ્યાલને અતિક્રમી જવાની વાત હજી વેગળી છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં સુરેશ જોષીએ એવી સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ કૃતિ વિશે વિવેચનના જુદા જુદા બે અભિગમોની શક્યતા આપણે સ્વીકારીએ છીએ. એ પૈકી કોઈ એક જ અભિગમ સાચો અને બીજો ખોટો, એવું આત્યંતિક વલણ લઈ શકાય નહિ. આમ છતાં, જો કોઈ વિવેચક આ કે તે અભિગમ વધુ પ્રમાણભૂત ગણવા પ્રેરાય તો તેણે તેની તાર્કિક ભૂમિકા સ્પષ્ટ કરી આપવાની રહે. આ સાથે, અલબત્ત, તેમણે એક તાત્ત્વિક મુદ્દો ય સ્પર્શ્યો છે. તેઓ કહે છે કે વર્તમાનની ક્ષણે વિવેચનના વિભિન્ન અભિગમો તેમજ તેની દાર્શનિક પીઠિકા વિશે ઊંડી સમજ કેળવીને આગલા યુગના કોઈ કવિની રચના વિશે વિવેચન કરવા પ્રેરાઈએ તો એવા અભિગમ પરત્વે પ્રશ્નને અવકાશ રહે છે. દા. ત. સાક્ષરયુગના કવિ કાન્ત કે મધ્યકાલીન કવિ અખાએ જે ભાષાનો વિનિયોગ કર્યો છે તેને વિશે આપણે એવાં સમીક્ષાત્મક વિધાન કરવા પ્રેરાઈએ જેની પાછળ રહેલી સૈદ્ધાંતિક ભૂમિકા જે તે કવિના પછીના યુગમાં જન્મી હોય, તો એમાં કેટલું વ્યાજબીપણું ગણાય? એ કવિઓએ ભાષાના વિનિયોગ પરત્વે જે રીતે વિચાર જ કર્યો હોતો નથી, જે વિશે કોઈ અભિજ્ઞતા કેળવી હોતી નથી, તેને વિશે આધુનિક અભિગમ સ્વીકારતાં આપણે આરોપણ તો કરતા નથી ને? આધુનિક સમયના વિવેચકોએ, અલબત્ત, પ્રાચીન મધ્યકાલીન કૃતિઓની તપાસમાં કેવો અભિગમ સ્વીકારવો જોઈએ એ વિવેચનની એક સમસ્યા છે.&lt;br /&gt;
આ અંગે આપણે એમ કહી શકીએ કે ઐતિહાસિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો માટે આ કોઈ મોટી સમસ્યા નથી. સાહિત્યકૃતિ જે સામાજિક /ઐતિહાસિક/સાંસ્કૃતિક પરિબળો વચ્ચે જન્મી હોય તેને પૂર્ણતયા લક્ષમાં લઈને તેની તપાસ કરવાની રહે. પણ વિવેચનના બીજા દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો અલગ અલગ રીતે તપાસી જવાના રહે. જેમ કે, આકારવાદી અભિગમ વિશે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે : વર્તમાન યુગમાં પ્રચલિત થયેલો આકારવાદ આગલા યુગની બલકે પ્રાચીન મધ્યકાલીન કૃતિઓના સંદર્ભે પ્રસ્તુત ગણાય? અહીં રસલક્ષી અર્થાત્‌ સર્જનાત્મક સાહિત્યની પરંપરા અને મધ્યકાલીન ધર્મભાવનાપ્રેરિત સાહિત્ય વચ્ચે વિવેક કરવાનો આવશે. રસલક્ષી સાહિત્યમાં તો કૃતિની એકતાનો કોઈક ખ્યાલ કામ કરી રહ્યો હોય એમ જોઈ શકાય, પણ ધર્મભાવનાના સાહિત્યમાં જ્યાં રસલક્ષી નિર્માણનો કોઈ આશય જ નહોતો ત્યાં રસકીય સિદ્ધાંત લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી ગણાય? એ જ રીતે પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં માકર્‌સવાદી અભિગમ લાગુ પાડવાનું ય કેટલું ઉચિત લેખાય?&lt;br /&gt;
અલબત્ત રસલક્ષી કે સર્જનાત્મક સાહિત્યની પરંપરાને અનુલક્ષીને ય પ્રશ્ન ઊભો થઈ શકે કે વર્તમાન યુગમાં જન્મેલા આકારવાદ (કે આકારવાદી અભિગમ)થી આગલા યુગની કૃતિઓને પ્રમાણવાનું વ્યાજબી લેખાય? પણ પ્રશ્ન ઘણો અટપટો છે. એમ હોય તો તો કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાયની રચનાઓનું આકારલક્ષી વિવેચન કરી શકાય નહિ. અથવા આગલા યુગની કવિતાઓનું ભાષાલક્ષી વિશ્લેષણ પણ ઉચિત ન લેખાય. એટલે વિવેચનના અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો દેખાય છે તેથી વધુ અટપટા છે.&lt;br /&gt;
આ બધા મુદ્દાઓના અનુસંધાનમાં સુરેશ જોષી એમ ઉમેરે છે કે કૃતિ ગમે તે કાળમાં લખાઈ હોય તો પણ આપણે ‘આપણા જમાનાની વિશિષ્ટ સાહિત્યિક આબોહવામાં ઘડાયેલી આપણી સંવેદનાથી’ એને માણીએ છીએ. વળી એમ સ્પષ્ટ કરે છે કે સમયને અતિક્રમી જતી કૃતિઓમાં એની રૂપરચના જ એને ટકાઉ મૂલ્ય અર્પે છે. જો કે દરેક કૃતિમાં, સંસિદ્ધ થયેલી રૂપરચનામાં, એને અમુક અંશ ‘સમયબદ્ધ’ અને શેષ ‘સમયાતીત’ હોય છે, અને એમાંનો જે ‘સમયાતીત’ અંશ છે તે જ લાંબા સમય સુધી રસનું કારણ બની શકે છે. પણ સંરચનામાં ‘સમયબદ્ધ’ અને ‘સમયાતીત’નો ભેદ કેવળ વિભાવનાત્મક સ્તરનો છે. એની પ્રત્યક્ષ રેખા ઓકવાનું મુશ્કેલ છે.&lt;br /&gt;
‘સર્જક, સર્જન, વિવેચન—ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ’ શીર્ષકના લેખમાં સર્જન અને વિવેચનનો વિચાર ફિનોમિનોલોજીની દૃષ્ટિએ તેમણે કર્યો છે. આ વિષયની પાશ્ચાત્ય ચર્ચા એની માંડણીમાં રહી હોવાનું સમજાય છે. કમનસીબે, કેટલીક વિચારણા એમાં ક્લિષ્ટ કે દુર્ગંધ રહી જવા પામી છે. નીચેની ચર્ચામાં એની એક મહત્ત્વની ભૂમિકા સાંપડે છે.&lt;br /&gt;
“કૃતિનિર્માણના દરેક પ્રસંગે એના ભૌતિક પાયાને ઘડનાર અમુક વિશિષ્ટ તબક્કાઓ આવે છે અને કલાકારના ચિત્તમાં ઉદય પામતી કૃતિની સંરચના એના ભૌતિક પાયાના સ્થાપત્યની રચના દરમ્યાન ક્રમશઃ વિકસતી આવે છે. ભૌતિક આધારને ઘાટ આપતી વેળાએ અસરકારકતા અસ્તિત્વમાં આવતી હોય છે એ કળાકૃતિને મૂર્ત કરીને એને તત્ક્ષણ રજૂ કરવાનું કાર્ય કરતી હોય છે. કલાકાર આ પરિણામોને નિયંત્રિત કરે છે અને ચકાસી લે છે. આ નિયંત્રણો કલાકૃતિના ગુણધર્મોનો બોધ કરતી વેળાના ગ્રહિષ્ણુ અનુભવના તબક્કામાં કામ કરતા હોય છે... ભાવક પણ નરી નિષ્ક્રિયતાથી કે કેવળ ગ્રહિષ્ણુ બનીને વર્તતો હોય છે એવું નથી. એ તત્પૂરતો કૃતિને ગ્રહણ કરતી વેળાએ એનું પુનર્નિર્માણ કરતો હોવાથી, માત્ર ક્રિયાશીલ જ નહીં પણ અમુક અર્થમાં તો એ સર્જક પણ બને છે.”૧૨૯&lt;br /&gt;
આ રીતે આ અભિગમમાં ભાવક/વિવેચક કોઈ ‘નિષ્ક્રિય’ ‘ગ્રહિષ્ણુ’ નહિ, અમુક અંશે કૃતિનો પોતે ય ‘સર્જક’ બની રહે છે. પાશ્ચાત્ય વિવેચનના લાંબા ઇતિહાસમાં સાહિત્યની કૃતિ પરત્વે કાં તો કેવળ આત્મલક્ષી કાં તો માત્ર વસ્તુલક્ષી એમ સાવ વિરોધી ભૂમિકાનો દૃષ્ટિકોણ પ્રવર્તતો રહ્યો છે. સાહિત્યતત્ત્વવિચાર એ રીતે બે અંતિમોની વચ્ચે સતત ‘દોલાયમાન’ રહ્યો છે. ફિનોમિનોલોજી આ બે વિરોધી ભૂમિકાઓને જોડવાનો પ્રયત્ન કરે છે. સુરેશ જોષીએ આ સંદર્ભે જાણીતા વિવેચક રોમાઁ ઈન્ગાર્ડનની પ્રવૃત્તિનો નિર્દેશ કર્યો છે. સર્જનની પ્રવૃત્તિ એ સર્જકને પક્ષે એક intentional વ્યાપાર છે. ભાવકે એની કૃતિને પુનઃ નિર્મિત કરીને પામવાની છે. સર્જનપ્રક્રિયામાં સર્જક ‘પદાર્થને એવી રીતે અમુક ઘાટ આપે છે જેથી એ ‘પદાર્થ’ ચિત્રશિલ્પ કાવ્ય કે સંગીતરચના અર્થે ontological basis બની રહે. ભાવકે એની ‘સુગ્રથિત એકતા’ને ‘વિવિધ રીતે’ ‘પૂર્ણ કરી લેવાની રહે છે.’ સુરેશ જોષીના શબ્દોમાં- “એની આગવી રીતે મૂલ્યવાન એવા રસકીય પદાર્થરૂપને એ પામે તે પહેલાં એના સિદ્ધ થવાની ક્ષમતા ધરાવતાં તત્ત્વોને ભાવકે સિદ્ધ કરી લેવાનાં રહે છે.”૧૩૦ આ આખી ય પ્રક્રિયાનું તેમણે જે વર્ણન આપ્યું છે તેને સમજવાને ફિનોમિનોલોજીની વિચારણા જાણી લેવાનું, અલબત્ત, અનિવાર્ય બની રહે છે.&lt;br /&gt;
‘વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ’–એ લેખમાં ‘જિનિવા ક્રિટિક્સ’ તરીકે જાણીતી થયેલી સ્કૂલના વિવેચકોએ સ્વીકારેલા ‘ચૈતન્યવાદી’ કે ‘સંવિત્‌લક્ષી’ અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે. જ્હોન કિલિસ મિલરના The Geneva Critics શીર્ષકના લેખની વિચારણા એના પાયામાં છે એમ તેમણે નોંધ્યું છે. એ સ્કૂલના વિવેચકોએ આ જે ચૈતન્યવાદી અભિગમ અપનાવ્યો છે તે, એક રીતે તો, આ સદીના ચોથા પાંચમા દાયકામાં અમેરિકામાં વ્યાપક પ્રચારમાં આવેલા નવ્ય વિવેચન સામેની પ્રતિક્રિયામાંથી જન્મ્યો છે. માર્સલ રેમોં, આલ્બર્ત બેગુઈં, જ્યોર્જ પુલે, જ્યાઁ પિયર રિચર્ડ, જ્યાઁ સ્ટારોબિન્સ્કી, જ્યાઁ રુસે, મૉરી, બ્લાઁકા, તેમજ હિલિસ મિલર, વગેરે આ સ્કૂલના જાણીતા વિવેચકો છે. જો કે ‘ચૈતન્ય’ના તાત્ત્વિક સ્વરૂપ વિશે એ દરેકની વ્યાખ્યાવિચારણામાં ક્યાંક ઓછોવત્તો ફેર રહ્યો જ છે. પણ કૃતિ પરત્વે તેમના અભિગમમાં વ્યાપક સમાનતા જોવા મળે છે. સુરેશ જોષીએ એમની વિચારણા અહીં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે.&lt;br /&gt;
જાણીતું છે કે નવ્ય વિવેચને સાહિત્યની આકૃતિને જોવા તપાસવાને તેની વસ્તુલક્ષી ભૂમિકાએ પ્રતિષ્ઠા કરી હતી. વિવેચનપ્રવૃત્તિને પણ વૈજ્ઞાનિક વિચારની જેમ વસ્તુલક્ષી ભૂમિકાએ વિકસાવવાના એ પ્રયત્નમાં ભાવકની ચેતના જાણે કે કૃતિથી વિચ્છિન્ન બની જતી હતી. જિનિવા સ્કૂલના વિવેચકોનું એમ કહેવું છે કે વિવેચનનું કામ તો સર્જકની ચેતના સાથે ભાવકની ચેતનાને જોડી આપવાનું છે. આ રીતે વિવેચન એ ‘ચેતના વિશેની ચેતના’ છે, ‘સાહિત્ય વિશેનું સાહિત્ય’ છે. કૃતિમાં અંકિત થયેલી સર્જકચેતના વિશે ભાવકની ચેતનાનું એ સહજ પ્રગટીકરણ છે, સર્જકની ચેતનાનું જ એ સહજ વિસ્તરણ છે. બહારના પ્રાકૃતિક પદાર્થો, વ્યક્તિઓ દૃશ્યો પ્રસંગો પરિસ્થિતિઓ આદિને વિષય કરીને સર્જક જે રીતે પોતાના સંવિદ્‌નું નિરૂપણ કરે છે, એ જ રીતે કૃતિમાં નિરૂપિત થયેલી સર્જકની સંવિદ્‌ને વિષય કરીને ભાવક પોતાના સંવિદ્‌નો વિસ્તાર કરે છે. સુરેશ જોષીના શબ્દોમાં – “આ વિષયભૂત પદાર્થને પામવા માટે સાહિત્યિક વિવેચકે, વિજ્ઞાની કોઈ ફૂલનું કે અણુનું એનાથી બહાર રહીને વર્ણન કરે છે તેમ, કૃતિની બહાર રહીને એનું વર્ણન કરવાનું નથી. સાહિત્યમાં જે વિષયો છે જ, તેને એણે વિસ્તારવાના છે, પૂર્ણ કરવાના છે, અને એની નવે રૂપે રચના કરવાની છે.”૧૩૧ તાત્પર્ય કે, કૃતિમાં સર્જકની ચેતના જે માધ્યમ દ્વારા વ્યાકૃત થઈ છે તેને અનુલક્ષીને ભાવકે પોતાની ચેતનાને પ્રગટ કરવાની છે. કૃતિને જોવાનો આ અભિગમ, દેખીતી રીતે જ, અગાઉના અભિગમોથી જુદો પડે છે. એનું કારણ એ કે ચૈતન્યવાદી વિવેચકોની સાહિત્ય વિશેની વિભાવના વસ્તુતઃ જુદી છે. જેમ કે, પુલે જેવા વિવેચક સાહિત્યકૃતિને – કાવ્ય હો કે નવલકથાને – તેમાંના ‘અર્થોની વસ્તુલક્ષી સંરચનારૂપે’ નહિ, કવિના અમુક ચોક્કસ વક્તવ્યના નિદર્શનરૂપે નહિ, અજ્ઞાત ચિત્તની ગ્રંથિઓના સહજ આવિર્ભાવરૂપે નહિ કે સમાજને અખંડ રૂપે બાંધનાર કોઈ એવી પ્રચ્છન્ન સંકેતવ્યવસ્થાના આવિર્ભાવ રૂપે ય નહિ – કેવળ સર્જકની ‘ભાવસ્થિતિ’ કે ‘સંવિદ્‌’ની મૂર્તતા રૂપે જ જૂએ છે. વિવેચક એ જ ‘ભાવસ્થિતિ’નું અનુસંધાન કેળવીને પોતાના સંવિદ્‌ને ઉપલબ્ધ કરી આપે છે. કૃતિમાં કાવ્યનાયક કે અન્ય પાત્રો દ્વારા સ્થળકાળના સંદર્ભે સર્જકની ચેતના જે સંકુલ રૂપ ધારણ કરીને છતી થાય છે તે સમગ્ર ચેતનાને ભાવક સંપ્રજ્ઞપણે ફરીથી પામવા મથી રહે છે. એ રીતે કૃતિનું આસ્વાદનવિવેચન એકાકાર બની જાય છે.&lt;br /&gt;
‘કાવ્યવિવેચનનો એક નવો અભિગમ’ લેખમાં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રના બે વિલક્ષણ ચિંતકો હેરોલ્ડ બ્લૂમ અને ઈહાબ હસનની કાવ્યચર્ચાનો તેમણે પરિચય આપ્યો છે. આગળના વિવેચનાત્મક અભિગમો સામે આ વિવેચકોને વાંધો છે. ‘કાવ્યનો અર્થ બીજું કોઈ કાવ્ય જ હોઈ શકે’ એવો તેમની ચર્ચાનો સૂર નીકળે છે. જૂની પદ્ધતિઓ કાવ્યમાંથી માત્ર ‘કલ્પનો, વિચારો, ગૃહીતો કે ધ્વનિઘટકો’ને અથવા અમુક વિભાવનાઓને જ સારવી લે છે. પણ રચનાનું હાર્દ એમાં છતું થતું નથી એમ તેઓ માને છે. જો કે અહીં આ વિશે જે રીતે રજૂઆત થઈ છે તેને મૂળના સંદર્ભો જોયા વિના સમજવામાં મુશ્કેલી રહે એ સ્વાભાવિક છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાન’ લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સુરેશ જોષીએ છેડ્યા છે. તેઓ કહે છે ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર આજે અનેક દિશાઓમાં ઘણી ઝડપથી વિસ્તરી-વિકસી રહ્યું છે. એ સાથે વિવેચનમાં વૈજ્ઞાનિક શિસ્ત આણવાના પ્રયત્નો આરંભાયા છે. સાહિત્યકાર પણ આગવી રીતે ભાષાને પ્રયોજે છે, તો એના સ્વરૂપ અને બંધારણની તપાસ કરવી અને ભાષાવિજ્ઞાનની પાયાની વિભાવનાઓ લઈને કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું વર્ણનવિશ્લેષણ કરવું એ આજે એક મહત્ત્વની પ્રવૃત્તિ બની છે. સુરેશ જોષી નોંધે છે કે, આ બધી પ્રવૃત્તિઓ છતાં ભાષાનો અભ્યાસી અને સાહિત્યવિવેચક – એ બેના કાર્ય વચ્ચે હજી પૂરો મેળ રચાયો હોય એમ દેખાતું નથી. આ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે ભાષાવિજ્ઞાની વિવેચ્ય કૃતિની માત્ર ભાષાલક્ષી તપાસ કરે, અને તેની વિગતો નોંધે, અને અહીં જ તે અટકે છે કે તેણે અટકવાનું છે, સાહિત્યવિવેચક પછીથી પોતાની રીતે એ વિગતોનું અર્થઘટન કરશે – આવી એક સમજ અત્યારે પ્રચારમાં છે. પણ એમાં દોષ રહ્યો છે એમ સુરેશ જોષી બતાવવા ચાહે છે. તેમનું કહેવું છે કે કૃતિમાં પ્રયોજાયેલી ભાષાની જો કોઈ ભાષાવિજ્ઞાની તપાસ હાથ ધરે, અને તેની વિગતો નોંધવા પ્રવૃત્ત થાય, પણ તેની વિગતોની પસંદગી પાછળ – તેના પુરસ્કાર તિરસ્કાર પાછળ – જો કોઈ ચોક્કસ દૃષ્ટિનો, નિયમનો, સ્વીકાર ન હોય તો તો તેની આખીય પ્રવૃત્તિ નરી યાદૃચ્છિક બાબત બની રહે. હકીકતમાં, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ કે ભિન્ન ભિન્ન નિયમને અનુલક્ષીને એકની એક કૃતિની ભાષા તપાસી શકાય. એટલી કૃતિની ભાષાની વિગતોની પસંદગી, ગોઠવણી, અને વિશ્લેષણ – એ સર્વ પ્રવૃત્તિ પાછળ કોઈ એક યા બીજા સિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે જ છે. મહત્ત્વની વાત એ છે કે આ રીતે કોઈ એક યા બીજા સિદ્ધાંતને અનુલક્ષીને વિગતોની પસંદગી કરવી એટલે જ કૃતિનું અમુક રીતે અર્થ-ઘટન (interpretation) કરવું’ એમ થશે. એટલે ભાષાવિજ્ઞાનીએ ભાષાલક્ષી તપાસ પણ અમુક ચોક્કસ હેતુપૂર્વક, ચોક્કસ નિયમને અનુલક્ષીને, કરવાની રહે. અલબત્ત, સાહિત્યવિવેચકને તેનું આ જાતનું ‘અર્થઘટન’ સીધી રીતે ઉપકારક થાય અથવા ન પણ થાય. વિવેચકનો કૃતિ પરત્વેનો અભિગમ તેનાથી જુદો હોઈ શકે. પ્રશ્ન છેવટે ભાષાવિજ્ઞાની અને વિવેચક બંનેની પરસ્પર ઉપકારકતાનો છે.&lt;br /&gt;
ભાષાવિજ્ઞાનીઓનો જો કે વિવેચકો સામે એવો આક્ષેપ રહ્યો છે કે તેઓ (વિવેચકો) પોતાના વિવેચનમાં કૃતિની ભાષાને લગતી જે જે વિગતોનો ઉલ્લેખ કરે છે, તે તેમના કોઈક ‘પૂર્વનિર્ણિત દૃષ્ટિબિંદુના સમર્થન’માં મૂકી હોય છે. એટલે કે વિવેચકોનો આ જાતનો ઉપક્રમ ભાષાની વસ્તુલક્ષી તપાસનો હોતો નથી. ભાષાની જે કોઈ વિગતો તેઓ નોંધે છે તે માત્ર ‘ડોળ ખાતર જ’, કેમ કે કૃતિના સ્વ-રૂપ વિશે અગાઉથી જ અમુક ‘નિર્ણય’ બાંધીને તેઓ વિવેચનકાર્યમાં પ્રવૃત્ત થતા હોય છે. ભાષાવિજ્ઞાનીઓએ ઊભા કરેલા આ જાતના વાંધા સામે સુરેશ જોષીનો ઉત્તર છે કે વિવેચ્ય કૃતિ વિશે આવી કશીક ‘પૂર્વ સમભાવનાઓ’નો આધાર લીધા વિના કૃતિનું ‘પરીક્ષણ’ શક્ય જ નથી. અલબત્ત, વિવેચક પણ ભાષાના પૂરા પરીક્ષણને લક્ષમાં લીધા વિના, ઉતાવળે અમુક ખ્યાલ બાંધી બેસે, અને પછી અર્ધજરતીન્યાય પોતાને અનુકૂળ આવે તેટલી જ વિગતો સ્વીકારી પોતાના ખ્યાલનું સમર્થન કરવા પ્રેરાય, ત્યારે તે માર્ગ ચૂકે એમ બનવાનું, એમ સુરેશ જોષી સાવધાનીના સૂર સાથે નોંધે છે.&lt;br /&gt;
‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ – લેખમાં સાહિત્યને તપાસવાના સંરચનાવાદી અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે, અને એ અભિગમની મર્યાદાઓ તરફ આપણું લક્ષ્ય ખેંચવાનો પ્રયત્ન કર્યો છે Structureની વિભાવના સોસ્યૂરના પુનરુત્થાન સાથે જ્ઞાનની વિભિન્ન શાખાઓમાં વિનિયોજાતી રહી છે. structuralism, એ રીતે, કોઈ સાહિત્યિક ‘સંપ્રદાય’ કે આંદોલન નથી. અને એ વિભાવના સ્વીકારીને ચાલનારા અભ્યાસીઓ પણ ‘સમાન સિદ્ધાંતના સળંગસૂત્રથી’ બંધાયા હોય એમ જણાતું નથી. સુરેશ જોષી એમ નોંધે છે કે કેટલાક સર્જકો માટે રૂપરચનાની પ્રવૃત્તિ ‘વિશિષ્ટ પ્રકારનો અનુભવ’ બની રહે છે. તેમની આ પ્રકારની કૃતિઓ તેમણે રજૂ કરેલા કોઈ વિચાર કે ભાષાને કારણે નહિ, પણ તેમાંના ‘mentally experienced srtuctures’ને કારણે અલગ તરી આવે છે. સંરચનાવાદી નિર્માણ વિશે તેમણે રજૂ કરેલી એક મહત્ત્વની ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“એમાં પદાર્થની એવી રીતે પુનઃ રચના કરવામાં આવે છે, જેથી એ પદાર્થની ક્રિયાશીલતાનું ઋત પ્રકટ થઈ આવે. આમ જેને આપણે ‘કૃતિ’ કહીએ છીએ તે વાસ્તવમાં એક composition છે. ‘પદાર્થ’નું પ્રતિરૂપ રચવું તે કળાની પ્રવૃત્તિ છે. પણ આ પ્રતિરૂપ (simulacrum)ની એક નિર્દિષ્ટ દિશા હોય છે, એનો એક વિશિષ્ટ હેતુ હોય છે, જેનું મૂળ પદાર્થમાં આકલન થતું નહોતું, જે એમાં દૃષ્ટિગોચર થતું નહોતું તેને આ સંરચના દ્વારા બોધગમ્ય, આસ્વાદ્ય, દૃષ્ટિગોચર બનાવી શકાય છે. સર્જક વાસ્તવિક પદાર્થને decompose કર્યા પછીથી એને recompose કરે છે. આ બે ધ્રુવની વચ્ચે સંરચનાની પ્રક્રિયા ચાલે છે, અને એને પરિણામે પહેલાં જે નહોતું તેવું કશુંક ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે.”૧૩૨&lt;br /&gt;
જો કે સંરચના વિશેની આટલી અમૂર્ત સ્તરની ચર્ચા સાહિત્યની સંરચના વિશે ભાગ્યે જ કશો વેધક પ્રકાશ પાડી શકે. સાહિત્ય ઉપરાંત, અલબત્ત, પુરાણકલ્પનો અને બીજા પણ અનેક વિષયોમાં આ અભિગમ સ્વીકારાયો છે. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે સંરચનાવાદીઓએ ‘પૃથક્કરણનાં ઓજાર’ આમ તો આધુનિક ભાષાવિજ્ઞાન પાસેથી મેળવ્યાં છે. પણ એની પરિભાષા સ્વીકારવાથી અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય કે કૃતિનાં માત્ર ભાષાકીય અંગોની જ ચર્ચા એમાં થાય, એવું નથી. જો કે ભાષા દ્વારા થતી સંરચના જ બીજી બધી સંકેતવ્યવસ્થા પરત્વે નિર્ણયાત્મક બની રહે છે, એમ તેઓ નોંધે છે.&lt;br /&gt;
રોમન યાકોબ્સને કાવ્યની ભાષાના સ્વરૂપ પરત્વે રજૂ કરેલો સિદ્ધાંત જાણીતો છે : The poetic function projects the principle of equivalence from the axis of selection on the axis of combination. આ સિદ્ધાંતને અનુરૂપ પ્રાસછન્દાદિનો તેમણે વિચાર કર્યો છે. કાવ્યમાં રહેલાં અર્થગત સાદૃશ્યો કે વિરોધો તરફ ધ્યાન ખેંચવાને પ્રાસનો વિનિયોગ થાય છે; જ્યારે છન્દો કાવ્યના ‘અર્થ’ તત્ત્વ ઉપર અસર કરતા હોય છે. યાકોબ્સનની આ જાતની ભૂમિકા ઘટાવી આપતાં સુરેશ જોષી કહે છે : ‘કાવ્ય પરત્વે કરેલું કોઈ સામાન્ય લાગતી હકીકતનું નિરીક્ષણ કાવ્યરચનાની પ્રક્રિયા પરત્વેનાં સર્વ સંભવિત રૂપો અને સંયોજનોના અભ્યાસને માટેનું પ્રસ્થાનબિંદુ બની રહે, એવું એ માને છે. એટલું જ નહિ, કાવ્યમાં કવિ જે અપેક્ષાઓ ઊભી કરે છે અને જે આશ્ચર્યો યોજે છે તેની વચ્ચેના tensionને ચોકસાઈપૂર્વક માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ રચી આપવાના પ્રયત્નમાં પણ એને રસ છે.’ પણ યાકોબ્સનની આ વિચારણા પછીથી અન્ય અભ્યાસીઓ દ્વારા આલોચના પામી છે. રુવેતે એ વિશે એમ ટીકા કરી છે કે ભાષાવિજ્ઞાનના transformation modelથી axis of selection અને axis of combinationની મર્યાદાઓ છતી થઈ ગઈ છે. વળી સાદૃશ્યોના સંબંધોની રૂપરેખા આંકી લેવાથી પણ કૃતિમાંનાં ‘સાદૃશ્યોની અનેકવિધ કક્ષાઓ’ને ભાગ્યે જ આવરી લઈ શકાય. કાવ્યમાંનાં ખરેખર ‘અનિવાર્ય’ એવાં, તેમ ‘ઐચ્છિક’ ભાષાકીય તત્ત્વો વચ્ચે, ભેદભાવ ચીંધી આપવાનું ય મુશ્કેલ છે. રુવેતે ઊભો કરેલો મોટો મુદ્દો તો વળી એ છે કે ભાષાવિજ્ઞાન કાવ્યની ભાષાનું ચોકસાઈભર્યું વર્ણન કરવાને સામગ્રી પૂરી પાડી શકે, પણ રસકીય દૃષ્ટિએ એ કેટલે અંશે પ્રસ્તુત કે અપ્રસ્તુત છે તેનો સ્વયં નિર્ણય કરી શકતું નથી. પૉ, બૉદલેર, આદિની કાવ્યકૃતિ લઈને યાકોબ્સને પોતાનો સિદ્ધાંત લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમાં આ અભિગમની મર્યાદા જ વધુ છતી થઈ જાય છે. સર્જનાત્મક કૃતિઓમાં ‘સામંજસ્યપૂર્ણ નહિ લાગતા’ એવા જે ‘અર્થસભર સંબંધો’ યોજાતા આવે છે તેને સમજવા માટેય equivalenceનો સિદ્ધાંત અપૂરતો જ નીવડે છે. તોદોરો, કલૉદ બ્રૅમાઁ, રોલા બાર્થ, જેનઁ, વગેરેની આ વિશેની ચર્ચાના મુખ્ય તંતુઓ આ લેખમાં ગૂંથાયા છે.&lt;br /&gt;
વિવેચનના અદ્યતન અભિગમો વિશે સુરેશ જોષીએ આમ ચર્ચાવિચારણાઓ તો કરી – એમાં પાશ્ચાત્ય ગ્રંથો/લેખો ભૂમિકામાં રહ્યા હોય એવું ય અનેક સ્થાને જોવા મળશે – પણ એ જાતની ચર્ચા એના મૂળ સ્રોતો (sources)ને વાંચ્યા વિના પૂરતી સ્પષ્ટ થાય કે કેમ એ પ્રશ્ન રહે છે. એ લખાણો એ રીતે પૂરતાં પરિણામકારી નીવડશે કે કેમ એવો સંદેહ પણ આપણા મનમાં જાગે. પણ નવી નવી વિચારણાઓ રજૂ કરવી, રૂઢ વિચારણા સાથે તેને ટકરાવવી, અને એમ કરતાં ગતિશીલ પ્રાણવાન નવીન વિચારણા જન્માવવી – એવી શુભ વૃત્તિ જ એની પાછળ રહી છે, અને એટલે જ આ પ્રવૃત્તિ આવકાર્ય બને છે.&lt;br /&gt;
આપણી વર્તમાન વિવેચનાત્મક પરિસ્થિતિ તેમને ઘણી રીતે અસંતોષકારક અને ચિંતાજનક લાગી છે. અનેક લેખોમાં તેઓ એની ચિકિત્સા કરવા પ્રેરાયા છે. આપણા વિવેચનના વિકાસ અર્થે તેમનાં અવલોકનો/સૂચનો મહત્ત્વનાં બની રહે છે. બીજી રીતે, વિવેચન (કે વિવેચક) માટેનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ પણ એમાંથી મળી શકે એમ છે :&lt;br /&gt;
(૧)	સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણા સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે જે અનેકવિધ પ્રયોગો થયા, નવ્ય ઉન્મેષો પ્રગટ થયા, તેની સાથે આપણું વર્તમાન વિવેચન તાલ મિલાવી શક્યું નથી. પ્રૌઢ અભ્યાસીઓ આ આધુનિકતાવાદી સાહિત્યથી અળગા ને અળગા થતા રહ્યા એ પરિસ્થિતિ ચિંત્ય લેખાવી જોઈએ&lt;br /&gt;
(૨)	આપણું મોટા ભાગનું વિવેચન કૉલેજો અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં નિયત થતી અમુક જ કૃતિઓની આસપાસ ફરતું રહ્યું છે. ઘણું ખરું સારગ્રાહી કે વિચારવસ્તુ સારવી લેનારું એ વિવેચન કોઈ રીતે ઉપકારક બની શકે નહિ. નવા જ તાજગીભર્યા પ્રાણવાન ઉન્મેષો કે પ્રયોગશીલ રચનાઓને વિવેચનમાં લેવાની એટલી તત્પરતા એમાં દેખાતી નથી. તેમ આ નવા ઉન્મેષોને આપણી સાહિત્યિક પરંપરા સાથે જોડી આપવાનું પણ ખાસ બન્યું નથી.&lt;br /&gt;
(૩)	વિવેચ્ય કૃતિઓનું પ્રત્યક્ષ અનુભાવન કરીને તેમાં પ્રગટતાં નૂતન કળાતત્ત્વોને ઓખળવાને બદલે વિવેચનના રૂઢ માળખામાં ગોઠવીને જોવાનું વલણ જ કામ કરતું જોવા મળે છે. આપણી કળારુચિ એ રીતે કુંઠિત અને દરિદ્ર બને છે.&lt;br /&gt;
(૪)	સિદ્ધાંતવિચાર અને પ્રત્યક્ષ વિવેચન વચ્ચે ય વારંવાર વિ-સંવાદ દેખાય છે. કોઈ અભ્યાસી સિદ્ધાંતચર્ચામાં કળાના પ્રાણભૂત તત્ત્વ તરીકે આકાર (form)નું મહત્ત્વ કરતો હોય પણ એ જ અભ્યાસી કૃતિવિવેચનમાં આકારનો મુદ્દો સ્વીકારતો જ ન હોય કે સર્વથા ગૌણ બાબત લેખવીને તે ચાલતો હોય એવું ય જોવા મળશે&lt;br /&gt;
(૫)	સંસ્કૃત કાવ્યમીમાંસા તેમજ પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્ર બંનેય પરંપરાની વિચારણાઓનું આપણે અધ્યયન કરીએ છીએ, પણ એમાંના બીજરૂપ ખ્યાલોને આપણા સમસામયિક પ્રશ્નો સાથે સાંકળીને તેની નવેસરથી વ્યાખ્યાવિચારણા કરવા ખાસ પ્રેરાતા નથી. આવી પરંપરામાંથી પ્રાપ્ત થતી સિદ્ધાંતચર્ચાઓ, એ રીતે, ઘણખરું તો સારસંક્ષેપ કે ભાષાન્તર જેવી બની રહે છે. સુરેશ જોષીના મતે ભૂતકાળનું ઘણુંએક વિવેચન હવે ખરચાઈ ખૂટ્યું છે, અને આ ક્ષેત્રમાં નવેસરથી વિચારવાની અનિવાર્યતા ઊભી થઈ છે. અમુક અંશે, અગાઉનું વિવેચન પણ આપણને અન્તરાયરૂપ બની ગયું છે. એ વિવેચનનું પણ વિવેચન થાય થતું રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે&lt;br /&gt;
(૬)	રૂપલક્ષી વિવેચનની તેમણે પોતે જે પરંપરા ઊભી કરી તેનું અત્યારે ‘હીનીકરણ’ થયેલું જોવા મળે છે. કહેવાતા આસ્વાદલેખોમાં કૃતિનું વિવરણ કે ગદ્યરૂપાંતર વધુ જોવા મળે છે. નવી વિવેચનાત્મક આબોહવામાં જૂની કૃતિઓના પુનર્મૂલ્યાંકનના ય ઝાઝા પ્રયત્નો દેખાતા નથી.&lt;br /&gt;
(૭)	ફિલસૂફી, ભાષાવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, સંકેતશાસ્ત્ર આદિ વર્તમાન સમયમાં ખેડાઈ રહેલી વિદ્યાશાખાઓની ઉપલબ્ધિઓનો આપણા વિવેચને લાભ લીધો નથી. એને કારણે આપણી ‘રુચિનું પરિમાણ’ સંકુચિત બની રહ્યું છે એમ સુરેશ જોષી કહે છે.&lt;br /&gt;
(૮)	આપણા અભ્યાસીઓ વિવેચનના સિદ્ધાંતોને હજીય જડતાથી વળગવાનું વલણ બતાવે છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો આખરે તો કૃતિઓના રસાનુભવને અનુસરે છે. પણ સાહિત્યશાસ્ત્ર વર્ણનલક્ષી બનવાને બદલે આદેશલક્ષી બને ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક લેખાય. સિદ્ધાંતો અને વિભાવનાઓ વિવેચ્ય કૃતિ પરત્વે ખૂબ જાગૃતપણે વિવેકપૂર્વક યોજવાનાં રહે.&lt;br /&gt;
(૯)	તરુણ પેઢીના લેખકોએ સ્થાપિત મૂલ્યો, સામાજિક વાસ્તવ અને સંસ્કૃતિબોધને વેગળા રાખી અરાજકતાને તાગવાના – તેની અનંત શક્યતાઓનો પાર પામવાના – પ્રયત્નો કર્યા. આગલા યુગમાં વાસ્તવિકતા અમુક ‘જડ બૌદ્ધિક વિભાવનાઓના ચોકઠામાં’ બંધાઈને ‘કુંઠિત’ થઈ ગઈ હતી તેને પુનઃ ઉપલબ્ધ કરવાના એ પ્રયત્નો હતા. નવા વિવેચનને માટે આ ક્ષણે એક મહત્ત્વની કામગીરી આવી હતી  – મૃત વાસ્તવિકતા સાથે પુનઃ સંપર્ક સાધવાની પણ એમાં તે ઊણું ઊતર્યું. નવીનતાનો આભાસ લઈને આવેલી કૃતિઓમાં સાચી કઈ, કૃતક કઈ, તેને અંગે બારીકમાં બારીક વિશ્લેષણ દ્વારા નિર્ણય કરવાની, અને સાચી કળાકૃતિની પ્રતિષ્ઠા કરવાની તાતી જરૂરિયાત હતી, પણ તે થઈ શક્યું નથી.&lt;br /&gt;
(૧૦)	ગઈ પેઢીનાં કૃતિવિવેચનો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવાનું પણ એટલું જ આવશ્યક છે. દરેક વિવેચનરીતિની જે કંઈ વિશેષતા, જે કંઈ મર્યાદા હોય, તેની ય નોંધ લેવાની રહે છે. કૃતિ વિશેના અંગત ગમાઅણગમા કે મૂલ્યાંકનને બાજુએ રાખી, તેની સંરચના તપાસીને તેનું કળાકીય મૂલ્ય ઉદ્‌ભાસિત કરી આપવું જોઈએ.&lt;br /&gt;
(૧૧)	વાલેરી કે ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓએ પોતાના સર્જનની પૂર્વતૈયારી રૂપે કાવ્યકળા વિશે ઘણું ઊંડું ચિંતનમનન કરેલું દેખાય છે. તેમની સર્જનપ્રવૃત્તિ પાછળ સર્જક તરીકે તેમની અમુક સભાનતા કામ કરતી રહી છે. કળાનાં જે આગવાં ધોરણો કે મૂલ્યો તેઓ ઝંખે છે તેને અનુરૂપ તેઓ રચનામાં સક્રિય બન્યા છે. આપણે ત્યાં સર્જકો પાસેથી એવા સ્વચ્છ સુરેખ અહેવાલો બહુ મળતા નથી. લેખકો બહુ બહુ તો પોતાના આશય કે પ્રેરણાની વાતો કરે, પણ પોતાની કળાપ્રવૃત્તિનું હાર્દ ખુલ્લું કરી આપે કે કળા વિશેની આગવી વિભાવના સ્પષ્ટ કરે એવી, તીક્ષ્ણ પ્રખર બૌદ્ધિકતાવાળી ચર્ચા ભાગ્યે જ મળશે.&lt;br /&gt;
(૧૨)	આપણા વિવેચનને આપણે નરી આત્મલક્ષિતા (subjectivity)થી બચાવી લેવું જોઈએ, અને છતાં વિવેચકનો personal voice એમાંથી લુપ્ત થવો ન જોઈએ.&lt;br /&gt;
(૧૩)	સાહિત્યના અધ્યાપનમાં વિશુદ્ધ રસકીય સંવિત્તિ ખીલવવાને બદલે કૃતિ નિમિત્તે કે તેની આસપાસ બીજું જે કંઈ બોલીએ છીએ, તેથી કશું જ ફલપ્રદ નીવડતું નથી. પ્રશ્ન ખરેખર તો ભાવકમાં તેમ સમાજજીવનમાં કુંઠિત થઈ જવા આવેલી રસસંવિત્તિને મુક્ત કરવાનો છે. સમાજ એ રીતે જ સંસ્કારી બની શકશે.&lt;br /&gt;
(૧૪)	સમાજ રાજકારણ અર્થકારણ – એમ પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં ભારે ઊથલપાથલો થઈ રહી હોય, અરાજકતા વ્યાપી ગયાનાં ચિહ્નો વરતાતાં હોય, ત્યારે સાહિત્યનો અધ્યાપક અને વિવેચક કેવી રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવશે? કૃતિઓ સાથે કઈ રીતે કામ પાડશે? અધ્યાપન-વિવેચનની સમસ્યાઓનું સ્વરૂપ જ આથી બદલાઈ જતું નથી? આપણા સર્જનાત્મક સાહિત્યમાં વર્તમાન માનવીના આંતરસંઘર્ષોનો કોઈ પડઘો જ પડતો ન હોય તો કૃતિમાં રજૂ થતું કાલ્પનિક જગત અને બહારની અરાજકતા એ બે વચ્ચે કોઈ રીતે ય તે મેળ સાધી શકશે? સુરેશ જોષી કહે છે કે આ આખોય પ્રશ્ન આજના સંદર્ભે સર્જનવિવેચનની પ્રવૃત્તિઓની પ્રસ્તુતતાનો છે. આપણા સાહિત્યના અભ્યાસીઓ/વિવેચકો સામે આ રીતે આજની વિષમતા જ પડકારરૂપ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ભાવકનું વિવેચકે સર્જાતા સાહિત્યની સાથે અનુસંધાન કેળવી આપવાનું છે.&lt;br /&gt;
(૧૫)	સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે.&lt;br /&gt;
‘માકર્‌સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્‌સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્‌સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્‌સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્‌સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે.&lt;br /&gt;
(અ) પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પાયાની સંજ્ઞાઓ/વિભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું. યથાવકાશ તેની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવી.&lt;br /&gt;
(બ) વિવેચનસિદ્ધાંતના બીજભૂત વિચારો જેમાં પડ્યા હોય તેવાં પાશ્ચાત્ય લખાણો (કે તેના અંશો) અનુવાદરૂપે મૂકવાં કે તેનો સારાંશ આપવો.&lt;br /&gt;
(ક)	સંસ્કૃત કાવ્યવિચાર અને પાશ્ચાત્ય વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયોને એકબીજાની પડખે મૂકી તુલનાત્મક વિચારણા કરવી અથવા એ તરફ સંકેત કરવો.&lt;br /&gt;
(ડ) આપણા આધુનિક સાહિત્યના વિવેચન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો (કે તેના વિભાવો)ને ય સમર્થ રીતે વિનિયોજી શકાય, એમ દૃષ્ટાંતો લઈને બતાવવું.&lt;br /&gt;
ડૉ. હરિવલ્લભ ભાયાણીની આ રીતની સર્વ વિવેચનપ્રવૃત્તિ, દેખીતી રીતે જ, ચોક્કસ અભિગમ લઈને ચાલી છે, ચોક્કસ હેતુપૂર્વક ચાલી છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણે ત્યાં અવનવી સાહિત્યવિચારણાઓ પશ્ચિમમાંથી આવી ત્યારે પરંપરાગત અને આધુનિક વિચારણાઓ વચ્ચે ટકરામણ ઊભી થઈ. તેમણે એ સમયે વેધક દૃષ્ટિએ જોઈ લીધું કે આપણા વર્તમાન વિવેચનમાં વિભાવનાઓ/વિચારણાઓ પરત્વે ઘણા ગૂંચવાડાઓ પ્રવર્તી રહ્યા છે. આકારલક્ષી વિવેચનની હિમાયત થઈ રહી છે, છતાં ઘણુંખરું કૃતિવિવેચન વિવેચકની ‘અંગત છાપ’ પર આધારિત છે. પશ્ચિમમાં વિવેચનને વધુ ને વધુ વ્યવસ્થિત, વધુ ને વધુ ચોકસાઈવાળું અને વસ્તુલક્ષી કોટિનું બનાવવાના પ્રયત્નો આરંભાયા છે, અને તેમાં ભાષાલક્ષી તપાસ આગવો ભાગ ભજવી રહી છે, એમ પણ તેમણે જોયું. એટલે આપણા વિવેચનમાં વ્યવસ્થા ઊભી કરવાનો તેમનો આ સંનિષ્ઠ પ્રયત્ન છે.&lt;br /&gt;
તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘કાવ્યમાં શબ્દ’-માં વિવેચનની કેટલીક પાયાની સંજ્ઞાઓ ‘શૈલી’ ‘છંદ’ ‘અછાંદસ’ ‘લય’ ‘કાવ્યાર્થ’ ‘આકૃતિ’ ‘ઈમેયજ’ ‘પ્રતીક’ ‘શુદ્ધ કવિતા’ ‘સર્જનપ્રક્રિયા’ આદિનું સ્પષ્ટીકરણ આ રીતે ધ્યાન ખેંચે છે. એમાં વિચારોની વિશદતા અને ચોકસાઈ સહજ સિદ્ધ થયાં છે.&lt;br /&gt;
જાણીતું છે કે પાશ્ચાત્ય વિવેચનમાં છેલ્લા બેત્રણ દાયકાઓમાં ભાષાલક્ષી, શૈલીલક્ષી, સંરચનાલક્ષી અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. રશિયન ફૉર્માલિઝમ અને પ્રાગ સ્કૂલના અભિગમોએ વિવેચનના સંદર્ભે, ખાસ તો, ભાષાના સ્વરૂપ અને બંધારણના પ્રશ્નો કેન્દ્રમાં આણ્યા. સાહિત્ય પણ સૌ પ્રથમ અને અંતે તો ભાષાકીય નિર્માણ છે, ભાષામાં અને ભાષા દ્વારા અસ્તિત્વમાં આવેલું નિર્માણ છે. એટલે, ત્યાં સાહિત્યની ભાષાના પ્રશ્નો એકદમ કેન્દ્રમાં આવ્યા. વિવેચનનું કાર્ય હવે મૂલ્યાંકન કે રહસ્યઘટનનું નહિ, કૃતિના વર્ણન-વિશ્લેષણનું છે એમ આ જૂથના અભ્યાસીઓએ કહ્યું. વિશિષ્ટ કૃતિની ઉપલબ્ધિમાં નહિ, વ્યાપક સાહિત્યની ‘સાહિત્યિકતા’ (literariness) તપાસવામાં તેમનો ખરેખર તો મુખ્ય રસ હતો. સાહિત્યની ભાષા એ જો સામાન્ય વ્યવહારની ભાષાનું જ પુનર્વિધાન હોય, તો એ પુનર્વિધાનની પ્રક્રિયાનું વર્ણન આપવું જોઈએ એમ તેમને લાગ્યું. આમ વિવેચનમાં ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો જે રીતે પુરસ્કાર પામ્યા એ ઘટનાએ જ કદાચ ડૉ. ભાયાણીને વિવેચનક્ષેત્રમાં આકર્ષ્યા હોય, ગમે તે હો, ભાષાશાસ્ત્રની તેમની અનન્ય સજ્જતા તેમના વિચારવિમર્શમાં પૂરી તાર્કિક ચુસ્તી આણે છે, અને તેમની વિવેચનદૃષ્ટિને આગવો પરિપ્રેક્ષ્ય અર્પે છે. કૃતિના વર્ણન-વિશ્લેષણ-વિવરણ તરફનો તેમનો ઝોક સમજવાનું એ રીતે મુશ્કેલ નથી. પશ્ચિમના જાણીતા અભ્યાસી યાકોબ્સનનું તેઓ જે મંતવ્ય ટાંકે છે તે સૂચક છે : ‘...આધુનિક સમયમાં જે ભાષાવિજ્ઞાની કાવ્યભાષા માટે જાગૃત કર્ણેન્દ્રિય ધરાવતો ન હોય, અને જે સાહિત્યવિવેચક ભાષાના પ્રશ્નો તથા અભ્યાસ-પદ્ધતિઓથી વિમુખ હોય તે બંનેને કાલગ્રસ્ત ઘટનાઓ જેવા સમજવા.’૧૩૩ આ મંતવ્યમાં કદાચ થોડી અત્યુક્તિ હશે, પણ ઠીક ઠીક સત્યાંશ એમાં રહ્યો છે. કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું બારીકમાં બારીક પરીક્ષણ કરતાં તેના અર્થ અને સંવેદનની અતિ સૂક્ષ્મ સૂક્ષ્મતર રેખાઓ પ્રગટ થઈ આવે છે. એટલે મૂલ્યાંકન-રહસ્યઘટનમાં પ્રવૃત્ત થતા વિવેચક માટે ય પૂર્ણ ભાષાકીય અભિજ્ઞતાનું અનુસંધાન આવશ્યક છે. ભાષાવિજ્ઞાનનાં ઓજારો લઈને કૃતિની ભાષાનું સમજપૂર્વક અધ્યયનવિવેચન થાય એ હવે અત્યંત જરૂરી બની ગયું છે.&lt;br /&gt;
કૃતિના ‘વિશ્લેષણ’ના બે પ્રકાર ડૉ. ભાયાણીએ ગણાવ્યા છે.&lt;br /&gt;
(૧)	કૃતિની ભાષા અને શૈલીનું પદ્ધતિસરનું વિશ્લેષણ. આ સીમિત પ્રકારનું છે.&lt;br /&gt;
(૨)	કૃતિનું સમગ્રપણે થતું અર્થઘટન અને મૂલ્યાંકન. એ વ્યાપક પ્રકારનું વિશ્લેષણ છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણી એમ કહેવા ચાહે છે કે પહેલા પ્રકારનું વિશ્લેષણ બીજા પ્રકારને ઘણી રીતે ‘સમર્પક’ અને ‘ઉપકારક’ નીવડે છે, નીવડી શકે છે. જો કે વિવેચકનું બધું ધ્યાન કૃતિની ભાષા/શૈલી પર જ કેન્દ્રિત થાય અને કૃતિના મૂલ્યબોધનો જ છેદ ઊડી જાય તો તો વિવેચનનો હેતુ માર્યો જાય એમ બનશે. આ સંદર્ભે રેને વેલેકે આપેલી ‘વિવેચન’ની વ્યાખ્યા તેઓ રજૂ કરે છે : ‘સાહિત્યનું શાસ્ત્રીય અધ્યયન એટલે મૂલ્ય ધરાવતી અને મૂલ્યવાન હોય તેવી રચનાઓ, ધોરણો, અને પ્રક્રિયાઓનું વ્યવસ્થિત અધ્યયન.’૧૩૪ સહેજ ઝીણવટથી જોતાં સમજાશે કે રેને વેલેકની વ્યાખ્યામાં કૃતિના વિશ્લેષણ અને મૂલ્યાંકનની બંનેય પ્રવૃત્તિઓના ખ્યાલો સૂચવાઈ ગયા છે. ડૉ. ભાયાણી એ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે સાહિત્યવિવેચક કૃતિની ‘ઝીણી ઝીણી વિગતો’નું જે રીતે અધ્યયન કરતો જાય છે તેમાંથી તેની સમગ્ર આકૃતિ વિશેની અમુક અપેક્ષાઓ જન્મે છે. બીજી બાજુ, કૃતિની સમગ્રતા અને અખિલાઈ વિશેની અમુક અભિજ્ઞતા ખિલતી આવે છે તેમ તેમ એ વિગતોનું significance–મૂલ્ય–સમજાતું આવે છે. આવી પ્રક્રિયા દ્વારા કૃતિના મૂલ્યાંકન સુધી પહોંચાય છે. આમ કૃતિની ભાષાલક્ષી તપાસ તેના મૂલ્યાંકનમાં મહત્ત્વની ભૂમિકા બની શકે છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીના બીજા વિવેચનગ્રંથ ‘કાવ્યનું સંવેદન’માં આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર તેમ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વિવરણ/સ્પષ્ટીકરણ આપતા લેખો હવે મહત્ત્વનું સ્થાન લે છે. એમાં સંસ્કૃતની ‘ચમત્કાર’ ‘ગુણ’ ‘રીતિ’ જેવી સંજ્ઞાઓનાં સ્પષ્ટીકરણો આપતાં લખાણો છે, કેટલાંક કૃતિ વિષયક અધ્યયનો/વિવેચનોય છે, અને પાશ્ચાત્ય વિવેચનમીમાંસાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણોના અંશોય એમાં અનુવાદ રૂપે સંચિત કર્યા છે.&lt;br /&gt;
પ્રસ્તુત સંગ્રહના આરંભનો લેખ ‘કાવ્યનો અનુભવ અને વ્યવહારનો અનુભવ’ આમ તો કાવ્યશાસ્ત્રના ક્ષેત્રના મુદ્દાને સ્પર્શે છે, પણ ભાવકના રસાનુભવનો પ્રશ્ન એમાં કેન્દ્રમાં આવ્યો હોવાથી અહીં એનો નિર્દેશ કર્યો છે. ભારતીય રસમીમાંસામાં સાહિત્યના આસ્વાદ/ચર્વણાવ્યાપારનું જે સ્વરૂપ વર્ણવાયું છે તેની અહીં સંગીન શાસ્ત્રીય ચર્ચા પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યિક શૈલી અને ભાષા (કેટલાક નૂતન અભિગમો)’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય વિવેચનના ભાષાલક્ષી/શૈલીલક્ષી અભિગમોની વ્યવસ્થિત અને લાઘવભરી ચર્ચા કરી છે. એ અભિગમોની ક્ષમતા/સીમા વિશે ય તેમણે ચર્ચા કરી છે. ભાષાવિજ્ઞાનના પોતાના અધ્યયનના પ્રકાશમાં ભાષાનો ‘સાહિત્યિક’ અને ‘અસાહિત્યિક’ એવો ભેદ કરીને ચાલવું યોગ્ય છે? અથવા આવો ભેદ કરવાનું શક્ય છે?—એવા મૂળભૂત પ્રશ્નને અનુલક્ષીને તેઓ એવી સ્પષ્ટતા આપે છે : “સ્વરૂપ દૃષ્ટિએ સાહિત્ય અને અસાહિત્યની ભાષાઓ વચ્ચે નથી નિતાંત ભેદ કે નથી તદ્દન એકરૂપતા. સાહિત્યિક ભાષા જો ‘એક ભાષા’ જ હોય તો તેના સ્વરૂપને સામાન્ય ભાષાની રીતપદ્ધતિએ જ તપાસી શકાય. એક મતે સાહિત્યક અને અસાહિત્યક ઉક્તિઓને જુદું પાડનાર કોઈ સ્વરૂપગત ધ્રુવ તત્ત્વ નથી. બીજો મત એવો છે કે સાહિત્યિક અસાહિત્યિક ભાષાઓ વચ્ચેનો ભેદ સ્વરૂપગત નહીં પણ સંદર્ભગત છે... ત્રીજો મત, સાહિત્યિક ભાષા અને અસાહિત્યક ભાષા એવું વિરોધી દ્વન્દ્વ તારવવા કરતાં ઉક્તિઓની એક ચડઊતર અખંડ શ્રેણી તારવવી વધુ વ્યવહારુ ગણે છે.”૧૩૫&lt;br /&gt;
ભાષાના ‘સાહિત્યિક’–‘અસાહિત્યિક’ સ્વરૂપના મુદ્દાને આ રીતે સ્પર્શી ડૉ. ભાયાણીએ આધુનિક શૈલીવિજ્ઞાનનું કાર્ય સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. સાહિત્યના અધ્યયનવિવેચનમાં એ વિજ્ઞાન કેવી રીતે ઉપકારક બને છે તે વિશે તેઓ કહે છે : “ભાષાવિજ્ઞાન પર આધારિત શૈલીમીમાંસા ભાષાના સાહિત્યિક ઉપયોગોને તપાસે છે. તે સાહિત્યિક ભાષાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે. તેને ચોકસાઈથી વર્ણવવા માટે વધુ વસ્તુલક્ષી પદ્ધતિઓ અને પરિભાષા વિકસાવવાનું તેમનું લક્ષ્ય છે.’૧૩૬ આમ નોંધ્યા પછી એમ પણ કહ્યું છે કે આજનો શૈલીવિચાર હજી ‘ખોજની પ્રારંભિક અવસ્થામાં છે.’&lt;br /&gt;
ઍન્કિવસ્ટે શૈલીવિષયક વિભિન્ન વ્યાખ્યાઓના નીચે પ્રમાણે પ્રકારો પાડ્યા છે :&lt;br /&gt;
(૧)	લેખકના દૃષ્ટિબિંદુ ઉપર આધારિત,&lt;br /&gt;
(૨)	કૃતિની પરલક્ષી તપાસ ઉપર–તેનાં લાક્ષણિક તત્ત્વો ઉપર–આધારિત,&lt;br /&gt;
(૩)	વાચકની છાપ ઉપર આશ્રિત,&lt;br /&gt;
(૪)	ઉપર દર્શાવેલી ત્રણેય વ્યાખ્યાઓનું સંમિશ્રણ.&lt;br /&gt;
આ પૈકી કૃતિને લક્ષતી વ્યાખ્યાઓના ય બે પ્રકારો પાડી શકાય.&lt;br /&gt;
(i)	વસ્તુલક્ષી ધોરણે જેની સત્યતા કે પ્રામાણ્ય તપાસી, ચકાસી, શકાય તેવી&lt;br /&gt;
(ii)	સ્વલક્ષી ચિત્તસંસ્કારો પર આધારિત&lt;br /&gt;
ડૉ. ભાયાણી અહીં સ્પષ્ટ કરે છે કે કૃતિની ભાષાને પ્રધાન તત્ત્વ લેખતી વ્યાખ્યાઓનું સવિશેષ મહત્ત્વ રહે છે. આના અનુસંધાનમાં સાહિત્યભાષાને લગતા વિવિધ અભ્યાસીઓના અભિગમો વિશે – વ્યોલ્ફલિન, ક્રોચે, ફોસ્લર, હાય્‌ડેગર, સાર્ત્ર જેવાની વિચારણાઓ વિશે – તેમ જ રુસી સ્વરૂપવાદ વિશે, અતિ સંક્ષેપમાં તેમણે નિર્દેશો કર્યા છે.&lt;br /&gt;
કૃતિના વિશ્લેષણવ્યાપારની અન્તર્ગત વિવિધ ઘટકોનાં વર્ણનવિશ્લેષણની તેમ કૃતિની સંઘટનાની સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા રજૂ કરી છે. કૃતિના વર્ણ શબ્દ શબ્દગુચ્છ વાક્ય લય અર્થરચના વગેરે મુદ્દાઓને તેઓ અહીં સ્પર્શે છે. ‘સંઘટના’ નિમિત્તે પાશ્ચાત્ય વિવેચનાનો organic wholeનો તેમજ સુઝાન લાન્ગરનો આકાર વિષયક ખ્યાલ પણ એ જ રીતે તેઓ ટૂંકમાં છણે છે. સંઘટનાવિચારમાં યોગ્ય રીતે જ દરેક ઘટક તત્ત્વની ‘સમર્પકતા’ પર તેઓ ભાર મૂકે છે. કહે છે : “કૃતિની વર્ણરચના, શબ્દગોઠવણી, અર્થ-વ્યવસ્થા અને છંદોરચનાના પરસ્પર સાંધા મળવાથી જ સૂક્ષ્મ અને ઉત્કટ સૌંદર્યની નિષ્પત્તિ થતી હોય છે. ઘટકોની અલગ અલગ રમણીયતા હોવા ઉપરાંત એક સમવાય લેખે તેમનાથી જે સિદ્ધ થાય છે તે અવ્યાખ્યેય હોય છે.’૧૩૭&lt;br /&gt;
વિવેચનમાં ભાષાલક્ષી અભિગમ સ્વીકારતા વિવેચકનું કાર્ય સમજાવતાં ડૉ. ભાયાણી કહે છે : “પ્રાસબંધ, છંદોબંધ, વાક્યબંધ, વર્ણરચના વગેરેના આંતરસંબંધો તપાસીને તે તે કૃતિમાં દરેકની સમર્પકતા કેટલી છે તે તારવવું જોઈએ, અને તેને આધારે કૃતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. કૃતિની શબ્દસામગ્રી અને અર્થસામગ્રી વચ્ચેના સંબંધો—સમાન્તરતા, વિરોધ, સમતુલા, સમરેખતા, કે વિષમરેખતા વગેરે – તારવીને તેમ જ અલંકાર પ્રતિરૂપ પ્રતીક વગેરેની યોજનામાંથી પ્રગટતી લયની ભાતો તારવીને તથા સમગ્ર કૃતિમાં વિવિધ ઘટકોનું કઈ રીતે સંયોજન થયું છે તે તપાસીને કૃતિનું જે સંઘટિત સ્વરૂપ પ્રતીત થાય તેનું ચિત્ર દોરવું જોઈએ.”૧૩૮&lt;br /&gt;
કૃતિના મૂલ્યાંકન પરત્વે વિવેચનમીમાંસામાં એક પ્રશ્ન હમણાં કેન્દ્રમાં આવ્યો છે : વિવેચનનું કાર્ય કૃતિનાં ઘટકોનું માત્ર વર્ણન વિવરણ કરવાનું છે કે તેને વિશે જડ્‌જમેન્ટ આપવાનું ય? અને કૃતિની worth વિશે વિવેક કરવાનો છે એમ સ્વીકારો, તો ભાષાલક્ષી અધ્યયન એમાં કેટલું સમર્પક બની શકે? ડૉ ભાયાણી આ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે બે વિરોધી મંતવ્યો એ વિશે પ્રવર્તે છે :&lt;br /&gt;
(૧) એક વર્ગ એમ માને છે કે કાવ્ય કેવળ આસ્વાદનો વિષય છે. કાવ્યથી તમને આનંદ થાય છે કે નથી થતો – એટલું કહેતાં વાત પૂરી થાય છે. આનંદ શા માટે થયો કે ન થયો તેનું બૌદ્ધિક કે તાર્કિક સ્પષ્ટીકરણ ન આપી શકાય. તાત્પર્ય કે, આસ્વાદમાં એક એવું પ્રાણવાન તત્ત્વ છે જેનો કોઈ તાર્કિક ખુલાસો ન હોઈ શકે.&lt;br /&gt;
(૨) બીજો વર્ગ એમ માને છે કે કાવ્યના રસાસ્વાદનો પૂરેપૂરો ખુલાસો આપી શકાય. આસ્વાદમાં સમર્પક બનતાં એકેએક અંગઉપાંગ વિશે પૂરી ચોકસાઈથી પરીક્ષા કરી શકાય. ડૉ. ભાયાણી વધુમાં સ્પષ્ટ કરે છે કે, વસ્તુલક્ષી વિવેચનના કેટલાક પક્ષકારો તો જેનો વસ્તુલક્ષી ધોરણોએ ખુલાસો જ ન આપી શકાય તેવાં તત્ત્વોને વિવેચનના પ્રદેશની બહાર રાખવાના મતના છે.&lt;br /&gt;
સાચું છે. આધુનિક સમયમાં વિવેચનનું ખરું કામ કૃતિના મૂલ્યાંકનનું નહિ, તેનું સ્પષ્ટીકરણ (elucidation) માત્ર કરવાનું છે એમ આજના અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું છે. ડૉ. ભાયાણીએ આ સંદર્ભમાં એલિયટનું એક કથન પણ ટાંક્યું છે. ‘A critic‘s job is never to judge poem, his job is to elucidate’. આ મતને દોહરાવતાં કહે છે : ‘વિવેચન એટલે માત્ર વર્ણન કે સ્પષ્ટીકરણ, વખાણવું કે વખોડવું નહીં. પ્રયોગશાળાનું કાર્ય પૂરું થાય ત્યાં વિવેચકનું કાર્ય સમાપ્ત થયું.’&lt;br /&gt;
પણ વિવેચનમીમાંસામાં યોજાતી આ ‘વિવરણ’ કે ‘સ્પષ્ટીકરણ’ (elucidation) જેવી સંજ્ઞાના સંકેતો તપાસવાના રહે છે. કેટલાકને મતે elucidation એટલે તો કૃતિનું અર્થઘટન (inter-pretation). ‘અર્થઘટન’ સંજ્ઞા, અગાઉ આપણે નિર્દેશ કરી ગયા છીએ તેમ, અત્યંત રૂપાંતરશીલ (protean) અને છટકણી (clusive) સંજ્ઞા છે. એના સ્વરૂપ અને એના વ્યાપાર વિશે ય વિદ્વાનોમાં મોટા મતભેદ પ્રવર્તે છે. એ જ રીતે કૃતિ વિશેની ‘સમજ’ (understanding)ના ય આગવા પ્રશ્નો છે. ‘સમજ’ પામીએ એમાં મૂલ્યબોધ અંતહિત છે કે ‘સમજ’ પછીનો એ વ્યાપાર છે? તાત્પર્ય કે-understanding અને evaluation વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાની મોટી અનિવાર્યતા રહે છે. ડૉ. ભાયાણી એમ નોંધે છે કે ‘રસદર્શન’ અને ‘મૂલ્યાંકન’ જેવી સંજ્ઞાના અર્થ-બોધ પરત્વે ય મતમતાંતર જોવા મળશે. તેઓ એક વેધક પ્રશ્ન મૂકે છે : ‘કાવ્યના મર્મનું જે ઉદ્‌ઘાટન પ્રસ્તુત કરાય તેની યથાર્થતાનો નિર્ણય કેવી રીતે કરવો?’ અને તેનું નિરાકરણ આપતાં કહે છે : ‘એટલે જેટલા પ્રમાણમાં વ્યક્તિનિરપેક્ષ ધોરણે આ વિષયમાં વિચારણા થાય તેટલા પ્રમાણમાં વિવેચનની દિશામાં આગળ જવાય. બાકી કાવ્યનું આ જ વિવેચન સાચું તે નક્કી કરવાનો કોઈ માપદંડ આપણી પાસે નથી.’૧૩૯&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ સમુચિત રીતે જ અહીં વિવેચનવ્યાપારને લગતી પાયાની સંજ્ઞાના સંકેતો વિશે મુદ્દાઓ ઊભા કર્યા છે. ‘વર્ણન’ ‘વિવરણ’ ‘સ્પષ્ટીકરણ’ ‘અર્થઘટન’ ‘રસદર્શન’ ‘મૂલ્યાંકન’ એવી બધી જ સંજ્ઞાઓનું શક્ય તેટલું ચુસ્ત કઠોર તાર્કિક સ્પષ્ટીકરણ કરવાની અત્યારે તાતી જરૂરિયાત છે. અને એ બધા વ્યાપારો પરસ્પર ક્યાં અને કેવી રીતે સંકળાયા છે તેનીય બારીક તપાસ કરવાની આવશ્યકતા છે. અને સૌથી મોટો – પ્રશ્નોનો ય પ્રશ્ન – એ રહે છે કે અમુક કૃતિ વિશેનું આ વિવેચન સાચું (true) અને અમુક ખોટું (false) એમ નિર્ણય કરવાને આપણી પાસે ખરેખર કોઈ માપદંડ છે ખરો? સાહિત્યક્ષેત્રમાં એકની એક કૃતિ વિશે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન પદ્ધતિએ તરેહ તરેહનાં વિવેચનો લખાતાં હોય છે તો એમાં કયાં સાચાં કયાં ખોટાં એ જાતનો સંશય મનમાં ઊગે જ છે. પણ એના આખરી નિર્ણય માટે કોઈ નિકષ ખરો? અથવા, ઓછામાં ઓછું, અમુક વિવેચન વધુ પ્રમાણભૂત અને વધુ સાચું એમ નક્કી કરી શકાય?&lt;br /&gt;
વિવેચનવિચારણાના આ કેન્દ્રીય પ્રશ્નની તપાસમાં ડૉ. ભાયાણી સંસ્કૃત પરંપરાની ‘કૃતિલક્ષી’ પદ્ધતિ – જે ‘વિશ્લેષણમૂલક’ છે – તેનો ખ્યાલ આપે છે. તેમનું એમ કહેવું છે કે એ પરંપરામાં ‘કૃતિની એકેએક વિગતને લક્ષમાં રાખીને’ તેના ઉપાદાન અને તાત્પર્ય (રસ)ની દૃષ્ટિથી’ પાઠનું ‘વિવરણ’ કરવામાં આવે છે. આ ‘વિવરણ’ મોટે ભાગે વિશ્લેણાત્મક હોય. પણ વિશ્લેષણથી તારવેલાં ઘટકોની મૂલવણી ‘રસલક્ષી ઔચિત્યને ધોરણે’ થાય અને એ ‘ધોરણ’ સહૃદય ભાવક પાસેથી મળે છે. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે પશ્ચિમના આધુનિક વિવેચનની ગતિવિધિ આ દિશાની છે. દેખીતું છે કે પશ્ચિમના ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો અહીં તેમની નજરમાં રહ્યાં છે. પણ આ પાશ્ચાત્ય અભિગમોનાં કેટલાંક નક્કર પરિણામો છતાં એની મર્યાદાઓ અને મુશ્કેલીઓ તો ત્યાંના જ અભ્યાસીઓએ દર્શાવી છે. કૃતિના મૂલ્યાંકનનો સૈદ્ધાંતિક રીતે અસ્વીકાર કરનારા અભ્યાસીઓ અમુકતમુક કૃતિ માટે પસંદગી બતાવતા હોય જ છે, અથવા અમુકતમુક કૃતિથી પ્રભાવિત થયા હોય છે, અને એને વિશે ચર્ચા કરવાનું સ્વીકારતા હોય છે. સાહિત્યજગતમાં રોજ રોજ પ્રગટ થતી કૃતિઓ સર્વ એક જ બરની છે, એવું તો ભાગ્યે જ કોઈ સ્વીકારી શકે. એટલે મૂલ્યાંકનનો પ્રશ્ન એ અવાસ્તવિક કે મિથ્યા નથી. એ ખરું કે એનાં ધોરણો સ્થાપવાનું કે તેની દૃઢ પ્રતિષ્ઠા કરીને કાયમી વ્યવસ્થા ઊભી કરવાનું ઘણું ઘણું કપરું છે. પણ તેથી એ પ્રશ્નની અવગણના ન થઈ શકે.&lt;br /&gt;
‘શૈલીવિજ્ઞાન અને સાહિત્ય‘ લેખમાં ડૉ. ભાયાણીએ કૃતિના શૈલીલક્ષી અભ્યાસ અને શૈલીવિજ્ઞાનના કાર્યક્ષેત્રનો કંઈક સંક્ષિપ્ત પણ સઘન પરિચય આપ્યો છે. તેઓ નોંધે છે કે પશ્ચિમમાં સાહિત્યિક ભાષાના સ્વરૂપ અંગે વિવિધ અભિગમોથી વિચારવાના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. ‘સાહિત્યિક શૈલી’ને અંગે જો કે ત્યાંના અભ્યાસીઓમાં સર્વસંમતિ સાધી શકાઈ નથી. શૈલીવિચારના કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(અ) ‘શૈલી’ એટલે ‘પાઠ (‘ટેક્સ્સ્ટ’)ના રૂપનિષ્ઠ ધર્મો.’ આ દૃષ્ટિએ ‘પાઠગત ઘટકો’ અને ‘તેમની વચ્ચેના સંબંધોનું’ ‘વિશ્લેષણ’ જરૂરી બને. ડૉ. ભાયાણી સૂચવે છે કે ભાષાવિશ્લેષણને અહીં માત્ર ‘વાક્ય સુધી સીમિત’ નહિ રાખી શકાય. ‘વાક્ય વાક્ય વચ્ચેના સંબંધો’ને ય તપાસવા પડશે ‘સમગ્ર પાઠ’ને એ રીતે ‘ઉચ્ચતર એકમો’ની ગૂંથણીરૂપે જોવા તપાસવાનો રહેશે અને ‘અર્થવિશ્લેષણ’ને પણ એમાં સમાવવાનું રહેશે&lt;br /&gt;
(બ) ‘શૈલી’ એટલે ‘પ્રયોગવક્રતા’ (ડીવિએશન). આ દૃષ્ટિએ જે પ્રયોગો ‘ચાલુ ધોરણથી ફંટાતા ન્યારા અનોખા કે અલગારી’ હોય તેમની નોંધ લેવાય છે. અને એના પરથી ‘સાહિત્યિક ભાષાનું વૈશિષ્ટ્ય’ તારવવાનો પ્રયાસ થાય છે. જો કે એમાં ‘ધોરણ’ તરીકે કોને ગણવું તેવો પ્રશ્ન થશે. વગેરે&lt;br /&gt;
(ક) શૈલી—ઉક્તિવિકલ્પોમાંથી અમુકની પસંદગી અર્થાત્‌, એકથી વધુ વિકલ્પોમાં વધુ અર્થક્ષમ એકમની પસંદગી.&lt;br /&gt;
(ડ) લાગણી કે રમણીયતા અભિવ્યક્ત કરવાને ‘વક્તવ્યમાં ઉમેરાતો ભાર’ તે શૈલી. વગેરે&lt;br /&gt;
પણ શૈલીલક્ષી અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે વિશે ડૉ. ભાયાણીએ સારી સ્પષ્ટતા કરી છે. ‘કૃતિનો પાઠ એ એક સ્વાયત્ત સાંકેતિક તંત્ર છે, જેમાં ભાષાકીય તંત્ર ઉપરાંત પણ બીજાં અનેક તંત્રો પ્રવર્તતાં હોય છે.’૧૪૦ અને ‘સાહિત્યકૃતિનાં ઘણાં ઘટક તત્ત્વો ભાષાધીન નથી.’૧૪૧ એટલે છેવટે શૈલીનું તંત્ર તો એક સંકુલ રચનાનું એક સ્તર છે, અનેક તંત્રોનું એક અંગભૂત તંત્ર છે, એટલે સમગ્રના રહસ્યમાં એ કેવી રીતે સમર્પક બને છે તે જ ખરી તપાસનો મુદ્દો છે.&lt;br /&gt;
‘કાવ્યનો ‘પ્રતિભાવ’ : કાવ્યાર્થની પ્રતીતિ’ – શીર્ષકની ચર્ચામાં બે મુદ્દાઓની તેમણે સ્પષ્ટતા કરી છે. એમાં પ્રથમ ખંડમાં આપણા વિવેચનલેખોમાં પ્રયોજાતી જતી ‘પ્રતિભાવ’ સંજ્ઞાની અને બીજા ખંડમાં ‘કાવ્યાર્થ’ની સ્પષ્ટતા તેમણે કરી છે. દેખીતી રીતે જ બંને પરસ્પર સંકળાયેલા મુદ્દાઓ છે.&lt;br /&gt;
‘પ્રતિભાવ’ સંજ્ઞાની ચર્ચા કરતાં તેઓ નોંધે છે કે મનોવિજ્ઞાનના વર્તનવાદના પ્રભાવ નીચે સાહિત્યિક પ્રતિભાવ – literary response – જેવી સંજ્ઞા જન્મી છે. – “ ‘ઉત્તેજક’ પદાર્થ તરીકે રહેલી સાહિત્યકૃતિથી ઉત્તેજાઈને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિમાં મુખ્યત્વે જે બાહ્ય, દૃશ્ય પ્રભાવચિહ્નો વ્યક્ત થાય તે તેનો પ્રતિભાવ”૧૪૨ પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘પ્રતિભાવ’નો આ ખુલાસો પૂરતો નથી. “...જેઓ કલાકૃતિના આસ્વાદની પ્રક્રિયાને એક અત્યંત સચેતન પ્રવૃત્તિ, સક્રિય પ્રવૃત્તિ, પુનઃ સર્જન અને કંઈક અંશે નવસર્જનમાં વ્યાપૃત કરતી પ્રવૃત્તિ માને છે તેમને માટે આ સંદર્ભમાં ‘પ્રતિભાવ’ શબ્દથી વધુ અળખામણો ભાગ્યે જ કોઈ શબ્દ હશે.”૧૪૩ પ્રાચીન કાવ્યચર્ચામાં ‘આસ્વાદ’ કે ‘ભાવન’ વિશે ઘણી સૂક્ષ્મ દૃષ્ટિની ચર્ચા થયેલી છે, અને તે કાવ્યાનુભવને વર્ણવવા માટે વધુ ઉચિત છે એમ પણ તેઓ નોંધે છે.&lt;br /&gt;
વિવેચનનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ડૉ. ભાયાણી કહે છે કે “... વિવેચન એ માત્ર ‘પ્રતિભાવ’ની વાત નથી, વિવેચકે અનુભવેલા માત્ર ‘ચમત્કાર’ની વાત નથી, તે તેના ‘ભાવન’ની વાત છે. અને તેનું પ્રયોજન ‘અનુભાવન’ કરાવવાનું, ‘સમસંવેદન’ કરાવવાનું તો ખરું જ, પણ માત્ર એટલું જ નહીં, તે તેના વાચકને પોતાની રીતે ભાવન કરવાની દિશા પણ ચીંધે કે તેવા રસ્તા ને ચાવીઓ પણ સૂચવે. વિવેચકની દૃષ્ટિથી સચેત બનેલી ભાવકની દૃષ્ટિ કૃતિને ઉકેલતાં તેનું આંશિક નવનિર્માણ પણ કરે જ.”૧૪૪&lt;br /&gt;
કાવ્યના ભાવનમાં સહૃદય ખરેખર શું કરે છે? મૂળનો ‘અર્થ’ પામે છે કે કશુંક પોતા તરફથી તે તેમાં આરોપે કે ઉમેરે પણ છે? ભાવક કાવ્યનું પોતાના ચિત્તમાં પુનઃ સર્જન કરે છે એમ કહેવાથી શું સૂચવાય છે – માત્ર રચનાનું મૂળ તાત્પર્ય જ તેને ઉપલબ્ધ થાય છે કે તેનું નવસંસ્કરણ થાય છે? ડૉ. ભાયાણીએ અહીં આસ્વાદ-વિવેચનના બીજા એક મહત્ત્વના પ્રશ્ન પર આંગળી મૂકી છે. એના સ્પષ્ટીકરણમાં તેઓ કહે છે ‘ભાવન’ને જો આપણે ‘સમય પર પથરાતો’ વ્યાપાર ગણીએ (અર્થાત્‌ ‘સંલક્ષ્યક્રમ’ ગણીએ) અને ‘રસનિષ્પત્તિને પરિણતિ’ની ‘કક્ષા’ તરીકે લઈએ તો નીચે પ્રમાણે ભેદ કરી શકાય.&lt;br /&gt;
(૧)	કાવ્યનાં વાક્યોનો સાધારણ અર્થ-વ્યાકરણ અને કોશને માન્ય અર્થ,&lt;br /&gt;
(૨) સમગ્ર કાવ્યના સંદર્ભમાં થતો તેનો અર્થ : તાત્પર્ય,&lt;br /&gt;
(૩) સાહચર્યોને લઈને પ્રતીત થતો અર્થ : ધ્વનિ,&lt;br /&gt;
(૪) અંગત પ્રકૃતિ, અનુભવ, રુચિને લઈને પ્રતીત થતો અર્થ.&lt;br /&gt;
– આમાંના પહેલાં ત્રણને ‘કાવ્ય’માં રહેલા ગણી શકાય. ચોથો ભાવક તરફથી ઉમેરાય છે. ડૉ. ભાયાણી કહે છે કે કૃતિના close-readingમાં ક્યાં સુધી જવું, ‘અનંત વ્યંગ્યાર્થ’ને ક્યાં મર્યાદિત કરવો, એ વિશે આ રીતે નિર્ણય પર આવી શકાય. તેઓ અલબત્ત એ વિશે પૂરતા સભાન છે કે ‘અર્થ’ ત્રીજા અને ‘ચોથા’ વચ્ચે ભેદરેખા દોરવાનું અત્યંત દુષ્કર છે. અને ઘણાં વિવેચનોમાં ચોથા અર્થને ય સહૃદયના ધ્વનિબોધ તરીકે માની લેવામાં આવે છે. તેઓ નોંધે છે કે અર્થના પહેલા બે પ્રકારો વિશે પૂરી સર્વસંમતિ સાધી શકાય, ત્રીજો ચર્ચાક્ષમ છે, જ્યારે ચોથો અર્થ ‘ત્રીજાનો વેશ’ ધરીને વિવેચકને છેતરી જાય એવો ભય રહે છે.&lt;br /&gt;
પણ મને એમ લાગે છે કે કૃતિવિવેચનમાં, ખાસ કરીને મૂલ્યાંકનમાં, ત્રીજા ચોથા પ્રકારના ‘અર્થો’ સાથે વિવેચકને નિસ્બત સંભવે છે. રામનારાયણ પાઠક કહે છે તેમ કૃતિનું (કે વસ્તુનું) મૂલ્ય તેના પોતાનામાં નિહિત રહ્યું હોતું નથી. એનાં ‘ધોરણો’ વિવેચક તેના જીવનદર્શન કે અનુભવવિશ્વમાંથી લઈ આવે છે. કૃતિની worth કે significance જીવનના વ્યાપક સંદર્ભમાં નિર્ણિત નથી થતાં? એટલે કૃતિમાં નિહિત રહેલો ‘અર્થ’ (કે ‘ધ્વનિ’) અને પરંપરાના સંદર્ભમાં તેનું significance – એ બે વચ્ચે પણ સૂક્ષ્મ ભેદરેખા આંકવાની રહે. અલબત્ત, કૃતિના મૂલ્યાંકનનો જેઓ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરતા નથી, તેમને માટે આવો પ્રશ્ન કદાચ ઊઠતો નથી.&lt;br /&gt;
‘એક આસ્વાદસમીક્ષા’ લેખમાં એક રસપ્રદ તપાસ હાથ ધરાઈ છે. ‘જન્મીલું મરણ’ (સિતાંશુ) વિશે આપણા પાંચ મર્મજ્ઞ વિવેચકો ચિનુ મોદી, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, સુમન શાહ અને ચંદ્રકાન્ત ટોપીવાળાના આસ્વાદોની આ તાત્ત્વિક તપાસ છે. એકની એક કૃતિ વિશેના આ પાંચ વિવેચકોના આસ્વાદોમાં જે જે બાબતે દૃષ્ટિ કે રુચિભેદ છતો થયો છે તેને અવલોકવા બાબતે ડૉ. ભાયાણીએ બે કસોટીઓ રજૂ કરી છે.&lt;br /&gt;
(૧) કૃતિને રચવામાં યોજેલાં સાધનો અને યુક્તિઓ ભાવકના ચિત્તમાં કેવી અપેક્ષા ઊભી કરે છે અને પૂરે છે. તથા,&lt;br /&gt;
(૨) અનુભૂતિને આકૃત કરીને રસ નિષ્પન્ન કરવામાં એ સાધનો અને યુક્તિઓ કેવાં સાધકબાધક બને છે એને અવલંબીને જ કૃતિની સફળતા અંકાય, નહિ કે કોઈ આદર્શ કે અમૂર્ત ધોરણે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ રજૂ કરેલી બંને કસોટીઓ સ્વીકારવામાં મુશ્કેલી નથી. એ રીતે જ વિચારવિમર્શ ચલાવવાનો હોય. પણ હજીય પ્રશ્ન રહે જ છે. બીજી કસોટી પર્યાપ્ત છે? કેમ કે, કવિતા, વાર્તા, નવલકથા નાટક આદિ ભિન્ન સ્વરૂપની કૃતિઓના વિવેચનમૂલ્યાંકનમાં જેમણે સારું કામ કર્યું છે તેમના અનુભવો એની સાથે કદાચ પૂરા મેળમાં નહિ હોય. કોઈ નવલકથાની રૂપરચના સંદર્ભે વિવેચક એમ કહે કે એનાં પાત્રો તો સદ્‌ગુણોના કોથળા જેવાં છે, અથવા એની પાસે કાર્યોની સ્વતંત્રતા લેખકે રહેવા દીધી નથી, અથવા આ કે તે પાત્રનું વર્તન અનૈતિક છે, અથવા એમાંની ઘટના તાલમેલિયા અને બનાવટી છે, અથવા એ આખુંય કથાવિશ્વ સામાજિક વાસ્તવથી વિચ્છિન્ન હોઈ અવાસ્તવિક ભાસે છે, ત્યારે, મને એમ લાગે છે કે, આ જાતના નિર્ણયો કૃતિમાંનાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ પરથી બંધાતા છતાં, કૃતિ બહારના કોઈ (જીવન કે કળાતત્ત્વ વિષયક) આદર્શને લક્ષમાં રાખીને જ થઈ શકે.  કૃતિમાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ દ્વારા જે કંઈ સિદ્ધ થયું છે તે પોતે જ મૂલ્યાંકનનું અંતિમ ધોરણ બની શકે નહિ.&lt;br /&gt;
આસ્વાદ, કૃતિ, અને આસ્વાદક વિશે અંતમાં ‘શિખામણ’ના રૂપમાં મૂકેલી વાત, અલબત્ત, માર્મિક છે. – “આસ્વાદ અને આલોચનાની જાત એક જ, તો પણ અંગત રુચિનો સંસ્પર્શ અને અંગત ઢંગ એ આસ્વાદને આલોચનાથી જુદી તારવી આપે છે : ‘આપણે’ – ભાવનો સૂર, સહભોજનું સહિયારાપણું એ આસ્વાદનું પોતીકું લક્ષણ... આસ્વાદ, વિવરણ, આલોચના, અવલોકન, સમીક્ષા, વિવેચન, સમાલોચના—વગેરે સંજ્ઞાઓને અમરકોશી પર્યાયો બનવા ન દેવા હોય તો વેળાસર ચેતવું...”૧૪૫&lt;br /&gt;
‘કાવ્યનું સંવેદન’ના ‘ચયન’ ભાગમાં ડૉ. ભાયાણીએ આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર અને વિવેચનમીમાંસાને લગતાં અનુવાદ કે સારાનુવાદ જેવાં લખાણો રજૂ કર્યાં છે. આ ક્ષેત્રની પાશ્ચાત્ય વિચારણાનો આ રીતે તેમણે આપણને સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં ઈ ડી. હર્શના લખાણમાંથી તૈયાર કરેલું ‘વિવેચન : અર્થઘટન કે મૂલ્યાંકન?’ અને એલન રોડવેનું ‘પ્રકારનિષ્ઠ વિવેચન’ બેમાં વિવેચનમીમાંસાના પ્રશ્નો કેન્દ્રમાં આવ્યા છે. વિવેચનવ્યાપારની અંતર્ગત અર્થઘટન/મૂલ્યાંકનના જે વ્યાપારો સ્વીકારાય છે (કે અસ્વીકારાય છે) તેને લગતી આ ચર્ચા ઘણી દ્યોતક છે. એનાં તારણો તેમણે જ કાઢી આપ્યાં છે.&lt;br /&gt;
૧.	સાહિત્યકૃતિનું અર્થઘટન (કે સ્વરૂપવિવરણ), જે વિશિષ્ટ માનસિક (આત્મલક્ષી) અભિ-નિવેશથી સાહિત્યકૃતિની અર્થનિષ્પત્તિ થાય છે, તેની સાથે અનિવાર્યપણે સંલગ્ન હોય છે.&lt;br /&gt;
૨.	આ સંલગ્ન આત્મલક્ષી અભિ-નિવેશો અને કૃતિના અર્થો વચ્ચેના સંબંધમાં પ્રભાવો અને મૂલ્યો અનિવાર્યપણે અંતર્ગત હોય છે. એટલે સાહિત્યિક વિવરણમાં મૂલ્યાંકન અંગભૂત જ હોય છે. &lt;br /&gt;
૩.	વિવેકી વિવેચન કૃતિના ‘અર્થ’ નિજી અભિ—નિવેશ અને મૂલ્યના ઐક્યને, બીજા એક—કૃતિને ‘પરાયા’ એવા–અભિનિવેશથી આવરી લે છે, પણ તે ‘પરાયો’ અભિનિવેશ નિજી અભિનિવેશની અખંડતાને બાધક નથી હોતો.&lt;br /&gt;
૪.	આ પરાયા દૃષ્ટિબિંદુથી જે મૂલ્યાંકનો કરી શકાય છે તે ‘શુદ્ધ’ વિવરણ જેવાં જ વસ્તુલક્ષી હોઈ શકે છે.&lt;br /&gt;
‘પ્રકારનિષ્ઠ વિવેચન’ શીર્ષકનો લેખ એલન રોડવેના લેખનો સંક્ષિપ્ત—અનુવાદ છે. સાહિત્યના પ્રકારને લક્ષતા વિવેચનવિચારમાં જે મતમતાંતરો છે તેનો એમાં સુપેરે પરિચય મળે છે. પરિવિવેચન (‘મેટાક્રિટિસિઝમ’) અને આંતરિક વિવેચન’ (‘ઈન્ટ્રિઝિક ક્રિટિઝમ’) એ રીતે વિવેચનના પ્રકારો સ્વીકારીને તેમણે એ ચર્ચા વિકસાવી છે. અહીં એ ચર્ચાને ફરીથી રજૂ કરવાને અવકાશ નથી. પણ એમાંની એક મહત્ત્વની ભૂમિકા અહીં ઉતારીશુંઃ&lt;br /&gt;
“કૃતિને પોતાને સમજવી અને તેનો રસાસ્વાદ કરવો—સાહિત્યકૃતિનો સાહિત્યકૃતિ લેખે આસ્વાદ લેવો—એ આંતરિક વિવેચનનું પ્રયોજન છે. કૃતિની સમજ અને આસ્વાદ દ્વારા, સાહિત્યકૃતિ દ્વારા, બીજા કોઈ વિષયની સમજણ પ્રાપ્ત કરવી—સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તનાં સ્તરો, નૈતિક મૂલ્યો, સમાજરચના, મૂલ્યસંઘર્ષ વગેરેની સમજણ પ્રાપ્ત કરવી—એ પરિવિવેચનનું પ્રયોજન છે. આંતરિક વિવેચન કેન્દ્રગામી છે—તે કૃતિની ભીતરમાં પ્રવેશે છે. પરિવિવેચન કેન્દ્રોપસારી છે—તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. આંતરિક વિવેચનને કૃતિના સ્વત્વની સાથે નિસ્બત છે, પરિવિવેચનને કૃતિના ઇતર સાથેના સંબંધો સાથે નિસ્બત છે. આંતરિક વિવેચનને કૃતિના મર્મ સાથે લાગેવળગે છે, પરિવિવેચનને તેના તાત્પર્ય સાથે. બંને ય સાહિત્યિક શોધખોળની સામગ્રીને ઉપયોગમાં લે છે. પણ, સાહિત્યિક, આંતરિક અભિગમ-સંશોધન સામગ્રીનો ઉપયોગ કૃતિને પોતાને સમજવા અને આસ્વાદવા માટે કરે છે, જ્યારે પરિવિવેચન કૃતિની સમજ અને આસ્વાદ કોઈ અન્ય હેતુ સિદ્ધ કરવા ઉપયોગમાં લે છે. પરંતુ પરિવિવેચનને માટે પણ કૃતિનું આંતરિક વિવેચન એક પૂર્વશરત છે : કૃતિને કૃતિ તરીકે પામ્યા પછી જ તેનું અન્ય હેતુઓ માટે શું અને કેટલું તાત્પર્ય છે તે યોગ્ય રીતે જાણી શકાય.”&lt;br /&gt;
એલન રોડે પ્રકારનિષ્ઠ વિવેચનની અમુક ઉપયોગિતા દર્શાવી છે તે પણ ધ્યાનાર્હ છે. પરિવિવેચનની દૃષ્ટિએ તેમ અમુક અંશે આંતરિક વિવેચનમાં ય તે ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’ લેખમાં, પાશ્ચાત્ય બંધારણવાદ અને સાહિત્યને તપાસવાનો તેનો અભિગમ—એ બાબતોને તેઓ વ્યવસ્થિત અને વિશદ રૂપમાં ચર્ચે છે, અને એની તાત્ત્વિક ભૂમિકા સમજવાને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમુચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. આપણા વિવેચનતત્ત્વવિચારમાં એ રીતે એ લેખ ઘણું મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. અહીં પણ તેમની આખી ચર્ચાને સ્પર્શવાનું શક્ય નથી. પણ એમાંનાં બે ત્રણ મહત્ત્વનાં દૃષ્ટિબિંદુઓ નોંધીશું :&lt;br /&gt;
૧ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય સાહિત્યકૃતિઓનું અર્થઘટન કરવાનું નથી. કૃતિનો નવો અર્થ શોધવા કે અર્થ ઘટાવવા કરતાં વિશેષ તો જે શરતો નીચે કાવ્યાર્થ નિષ્પન્ન થતો હોય છે, તે શરતો નક્કી કરવા આ સાહિત્યવિચાર મથે છે.&lt;br /&gt;
૨ સાહિત્યના ભાવકોએ સાહિત્યકૃતિઓ સાથે કામ પાડતાં પાડતાં એવી વિવિધ સાંકેતિક પ્રણાલીઓ આપોઆપ ગ્રહણ કરી હોય છે, જેને પરિણામે તે અમુક વાક્યસમૂહને સુઘટિત અર્થપૂર્ણ કાવ્ય કે નવલકથા લેખે પામી શકે છે. આ દૃષ્ટિએ સાહિત્યપદાર્થનું અધ્યયન એટલે વ્યક્તિગત કૃતિઓની ચર્ચા નહીં પરંતુ જે પ્રણાલીઓ સાહિત્યને શક્ય બનાવે છે તેમને સમજવાનો પ્રયાસ.&lt;br /&gt;
૩ ભાવકે લાંબા સમયના ભાવન-પરિશીલનથી ‘સાહિત્યિક સામર્થ્ય’ (‘લિટરરી કોમ્પિટન્ઝ’) પ્રાપ્ત કર્યું હોય છે. એ ‘સામર્થ્ય’ જ ઉક્તિઓને સાહિત્યિક બંધારણ અને અર્થવત્તા અર્પી શકે. બંધારણવાદી અભિગમ વાચકની સાહિત્યકૃતિ પાસેની અપેક્ષા પર ભાર મૂકે છે, અને કઈ પ્રણાલીઓ તે તે સમય અને સંસ્કૃતિના સાહિત્ય પરત્વે વિધાયક છે તેની તપાસને સાહિત્યવિચારમાં મૂળભૂત ગણે છે.&lt;br /&gt;
૪ સાહિત્યકૃતિ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત, નૈસર્ગિક અવયવી જેવી, અને અંતર્વ્યાપ્ત અર્થની ધારક હોય છે એમ કહેવું બરાબર નથી. બંધારણવાદી સાહિત્યવિચાર પ્રમાણે તો પોતે જે પ્રણાલીઓનું તંત્ર પચાવ્યું હોય છે, તેના સંદર્ભમાં જ વાચકો સાહિત્યકૃતિની અર્થવત્તા પામી શકે.&lt;br /&gt;
૫ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય જે અંતર્ગત નિયમતંત્ર દ્વારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને ખુલ્લું કરી બતાવવાનું છે તે કાવ્યભાષાને લગતો સર્વાશ્લેષી સિદ્ધાંત આપવા માગે છે, કૃતિવિશેષનું અર્થઘટન કરવાનું તેના ક્ષેત્રમાં નથી.&lt;br /&gt;
આ પ્રકારના અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે પ્રત્યે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આપણું સૌનું ધ્યાન ખેંચ્યું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ’ લેખમાં આપણી વિવેચનપ્રવૃત્તિના સંદર્ભે એક પાયાનો મુદ્દો તેમણે છેડ્યો છે. સંસ્કૃતમાં વિપુલ ‘ટીકાસાહિત્ય’ ખેડાયું છે અને ‘સર્વગ્રાહી તલસ્પર્શી કે સૂક્ષ્મદર્શી વિવેચન’નાં સેંકડો દૃષ્ટાંત મળે છે, એમ દર્શાવી પ્રાચીન વિવેચનરીતિનો તેમણે પુરસ્કાર કર્યો છે. સંસ્કૃત વિવેચનરીતિની ‘સબળતા’ એ રીતે ચકાસી શકાય એવી તેમની પ્રતીતિ રહી છે. આપણું વર્તમાન વિવેચન પશ્ચિમમાંથી ‘નૂતન દૃષ્ટિ’ અને ‘પદ્ધતિ’ સ્વીકારવા તરફ વળ્યું છે ત્યારે સંસ્કૃતની વિવેચનરીતિ આજે એટલી જ બલકે વધુ પ્રમાણભૂત બની રહે એમ તેઓ સૂચવવા ચાહે છે.&lt;br /&gt;
‘એક નિર્મૂળ આશંકા’નું૧૪૬ તેમનું લખાણ આમ તો પત્રચર્ચા રૂપે જન્મ્યું છે. ડૉ. રમણલાલ જોષીએ, તેમના વિશે લીધેલી નોંધ સામેની ટીકા૧૪૭ રૂપે એ જન્મ્યું છે, અને એમાં ડૉ. ભાયાણીનો કંઈક અભિનિવેશ છતો થઈ જાય છે. આપણા અર્વાચીન વિવેચને પાશ્ચાત્ય સાહિત્યવિચારને અનુસરવાનું જે વલણ દાખવ્યું છે તે પરિસ્થિતિની સામે અહીં તેમણે પ્રશ્ન ઊભો કર્યો છે. તેમની મુખ્ય દલીલ કંઈક એ રીતની છે કે પશ્ચિમમાં છેક પ્રાચીન કાળમાં થઈ ગયેલા એરિસ્ટોટલ અને લોન્જાયનસનો સાહિત્યવિચાર જો આપણે આપણા વિવેચનમાં લાગુ પાડી શકતા હોઈએ તો આપણી જ પરંપરાના આનંદવર્ધન કે કુંતકની વિચારણા શા માટે નહિ? સંસ્કૃત પરંપરાની ‘શાકુંતલ’ આદિ કૃતિઓને પાશ્ચાત્ય ‘કાટલે’ જોખવા આપણે પ્રવૃત્ત થતા હોઈએ તો પશ્ચિમના શેઇક્‌સ્પિયર, કાફકા, કામ્યૂ વગેરેને સંસ્કૃત વિવેચનનાં ‘ધોરણો’થી શા માટે જોખી ન શકાય? વગેરે. ડૉ. રમણલાલે એ મતલબનું કહેલું કે આપણા આધુનિક સાહિત્યનાં વિવેચનમૂલ્યાંકન અર્થે સંસ્કૃતના સિદ્ધાંતોને લાગુ પાડતાં પૂર્વે ‘સંસ્કારવા’ પડશે. એ મંતવ્યની ટીકા કરતાં ડૉ. હરિવલ્લભ ભાયાણી એ જાતનું પ્રતિપાદન કરવા ચાહે છે કે સાહિત્યનાં મૂળ તત્ત્વો વિશે-સાહિત્યને સાહિત્ય બનાવનાર ગુણ લક્ષણો વિશે સંસ્કૃત આચાર્યોએ અતિ સૂક્ષ્મ અને શાસ્ત્રીય ચર્ચા કરેલી છે. હજારો કૃતિઓનાં ઝીણવટભર્યાં વિશ્લેષણો પર એ આધારિત છે. તેમના મતે ‘ભારતીય વિવેચન પ્રયોગમૂલક હતું, શાસ્ત્રમૂલક નહિ.’ આપણા વિવેચન સામે પાશ્ચાત્ય અભ્યાસીઓની શબ્દ અર્થ કે રસ વિશેની વિચારણા ઘણી છીછરી અને અધૂરી રહી છે. એટલે સંસ્કૃતના સિદ્ધાંતોને ‘સંસ્કારવાનો’, તેમના મતે, કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી,&lt;br /&gt;
આપણા વિવેચનતત્ત્વવિચારમાં આ એક અતિ કૂટ પ્રશ્ન હવે ઊપસી આવ્યો છે. દેખાય છે તે કરતાં એ અનેક ઘણો સંકુલ અને અટપટો છે. આપણા વિવેચનની આ એક હકીકત છે કે એમાં એના સોસવાસો વર્ષના ઇતિહાસમાં પાશ્ચાત્ય વિવેચનની સતત પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સંસ્કૃતના કાવ્યશાસ્ત્રનો આપણે ત્યાં અભ્યાસ નથી થયો એવું પણ નથી. રસ ધ્વનિ રીતિ આદિ સિદ્ધાંતોનું વિવરણ સમજૂતી આદિ પ્રવૃત્તિઓ આપણે ત્યાં થઈ છે અને રસ ભાવ આદિ પાયાનાં તત્ત્વોનો સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં સ્વીકાર થયો છે. અને સંસ્કૃતની સાહિત્યવિચારણામાં કૃતિના આસ્વાદ વિવરણ અને રસકીય મૂલ્યાંકનનાં ચોક્કસ ધોરણો પ્રતિષ્ઠિત થયેલાં છે. એટલે પાશ્ચાત્ય વિવેચન વિચારની તુલનાએ એ ધોરણોની પ્રતિષ્ઠા થતી રહે એ એટલું જ અનિવાર્ય છે.&lt;br /&gt;
પણ પશ્ચિમના સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં લાંબા સમય સુધી કૃતિને વ્યાપકપણે સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે જોવા તપાસવાનું વલણ કામ કરતું રહ્યું છે. અનુકરણવાદ (mimesis), અભિવ્યક્તિવાદ (expression theory), વાસ્તવવાદ  (realism), અને પ્રકૃતિવાદ (naturalism), પ્રતીકવાદ (symbolism) આદિ કળામીમાંસાની વિચારધારાઓ સાહિત્ય અને અન્ય લલિત કળાઓને જીવન (કે વિશ્વજીવન કે પ્રકૃતિ કે ઇતિહાસ કે સંસ્કૃતિ કે વિચારધારાઓ આદિ) સાથે સાંકળીને તેનો ‘અર્થ’ કે ‘મૂલ્ય’ સ્પષ્ટ કરવા ચાહે છે. આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પાશ્ચાત્ય સાહિત્ય અને તેના વિવેચનનો સંપર્ક થયો ત્યારે કળાવિવેચનનાં નવાં મૂલ્યો ય આપણે પ્રતિષ્ઠિત કર્યાં. નવલરામની ગ્રંથસમીક્ષાઓનું બારીકાઈથી અવલોકન કરતાં એવા કેટલાંક નૂતન કળાતત્ત્વો અને મૂલ્યોનો એમાં પુરસ્કાર થયેલો જોઈ શકાશે. નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ વિષ્ણુપ્રસાદ ઉમાશંકર સુંદરમ્‌ સુરેશ જોષી જેવા અગ્રણી વિદ્વાનોની ગ્રંથવિવેચનાઓ પાશ્ચાત્ય વિવેચનનાં કયાં નવાં મૂલ્યો કે ધોરણો સાથે કામ પાડે છે તે અવલોકવાનું ઘણું રસપ્રદ નીવડે એમ છે. અહીં મારો મુદ્દો એ છે કે અર્વાચીન સમયમાં આપણું સાહિત્ય જે રીતે વિકસતું ગયું તેની સાથોસાથ કૃતિવિવેચનની જે આગવી પરંપરા ઊભી થઈ તે આપણા સાહિત્યિક/સાંસ્કૃતિક વિકાસનો એક જીવંત તંતુ છે. અને આપણી રસકીય સંવિત્‌ (કે રસકીય સંવેદનશીલતા – aesthetic sensibility) બંને પરંપરાનાં કળાતત્ત્વો અને કળામૂલ્યોને આત્મસાત્‌ કરીને વિકસી છે. એ હકીકતને લક્ષમાં લઈએ તો આપણા આધુનિક સાહિત્યને જોવા તપાસવામાં અને વિશેષતઃ તેના રહસ્યઘટન અને મૂલ્યાંકનમાં – જો વિવેચનનાં એ બે કાર્યો આપણે સ્વીકારીએ તો – સંસ્કૃત વિવેચનના પાયાના ખ્યાલો પર્યાપ્ત નીવડે કે કેમ એ પ્રશ્ન વિચારણીય બની રહે છે.&lt;br /&gt;
‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’માં સાહિત્યના અધ્યયનવિવેચન અર્થે વર્તમાનમાં ખેડાતા જતા ભાષાલક્ષી અભિગમની વ્યવસ્થિત અને વિશદ છણાવટ તેમણે કરી છે. યાકોબ્સનના આ વિશેના ખ્યાલો તેમણે અહીં સ્પષ્ટ રીતે મૂકી આપ્યા છે. એના અનુસંધાનમાં કાવ્યનું સત્ય, આય્‌રની, અલ્યુઝન, મેટેફર જેવાં તત્ત્વોની પણ તપાસ કરી છે. ‘સાહિત્યભાષા—વિજ્ઞાન’ એ લેખમાં ડબ્લ્યૂ ઓ. હેન્ડ્રિક્સના ‘રિલેશન બિટ્‌વીન લિંગ્વિસ્ટિક્સ એન્ડ લિટરરી સ્ટડીઝ’ (‘પોએટિક્સ’, ગ્રંથ-૧૧, ૧૯૭૪) શીર્ષકના લેખની ચર્ચાનો આંશિક અનુવાદ છે. ભાષાવિજ્ઞાન સાહિત્યવિવેચનને ખરેખર ઉપકારક બની શકે કે કેમ એ વિવાદને લક્ષમાં રાખીને હેન્ડ્રિક્સે એમાં ચર્ચા કરી હતી. ડૉ. ભાયાણીએ અહીં એ લેખના મુખ્ય વક્તવ્ય દ્વારા સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ‘કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓ’ – એ પણ પાશ્ચાત્ય અભ્યાસી વેધરિલના ગ્રંથના કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું તારણ રજૂ કરે છે. કૃતિના અધ્યયનની આધુનિક દૃષ્ટિ-પદ્ધતિનો એમાં સુપેરે પરિચય મળે છે. ‘હર્મન્યૂટિક વિવેચન’ શીર્ષકની સંક્ષિપ્ત નોંધમાં પુલે આદિની સંવિત્‌લક્ષી વિવેચનરીતિનો પરિચય આપ્યો છે.&lt;br /&gt;
‘સ્વભાવોક્તિ’ (તેનું સ્વરૂપ અને વર્તમાન વિવેચનમાં પ્રસ્તુતતા) લેખમાં પ્રાચીન મીમાંસાના સ્વભાવોક્તિના ખ્યાલની વ્યાખ્યાવિચારણા રજૂ કરી સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાંથી દૃષ્ટાંતો દ્વારા તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે સંસ્કૃતના ‘ભાવિક’ અલંકારનાં સરસ દૃષ્ટાંતો લાભશંકરની રચનાઓમાંથી તેમણે શોધી આપ્યાં છે. ‘ત્રણ કૃતિવિવેચનો’નું તેમનું વિવેચનકર્મ ધ્યાનાર્હ છે. સંસ્કૃત વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ આપણી આધુનિક કૃતિઓના વિવેચન અર્થે પ્રસ્તુત છે એમ બતાવવાનો તેમનો આ ધ્યાનપાત્ર પ્રયોગ છે.&lt;br /&gt;
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.&lt;br /&gt;
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’&lt;br /&gt;
 વિવેચકની સજ્જતા લેખે તેમણે તેની ‘સંવેદનશીલતા’નો પ્રથમ સ્વીકાર કર્યો છે. કૃતિના અધ્યયનવિવેચનમાં તેના ઐતિહાસિક સંયોગોની તેમ બીજાં જ્ઞાનવિજ્ઞાનની જાણકારી, અલબત્ત, ઉપકારક બને, પણ તેને માટે પહેલી આવશ્યકતા તે સંવેદનવ્યાપારની છે એમ તેઓ કહે છે. વિવેચ્ય કૃતિ પ્રત્યે ‘વિસ્મય’ જન્મી શકે એટલી કોમળ સંવેદનપટુતા તેનામાં હોવી ઘટે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. વિવેચનવ્યાપારની ક્ષણોમાં કૃતિના સર્જક વિશે તેમ ભાવકસમૂહ વિશે વિચાર કરી જોવા તે પ્રેરાય અથવા ન યે પ્રેરાય પણ પોતાની જાત સાથે તેણે ‘સંવાદ’ કરવો જ પડે છે. વિવેચનમાં વિવેચકની ‘ઉપસ્થિતિ’ સતત વરતાતી રહે એમ તેઓ ઇચ્છે છે. સિદ્ધાંતોનો વિનિયોગ પણ તે કરે ખરો પણ યાંત્રિક રીતે કોઈ સિદ્ધાંત લાગુ પાડવાનું તે પસંદ કરશે નહિ. ડૉ. રમણલાલના મતે વિવેચક માત્ર ‘અનુભવપ્રમાણવાદી’ છે.&lt;br /&gt;
વિવેચનની પ્રક્રિયામાં તેમણે પાંચ ‘સોપાન શ્રેણી’ કલ્પેલી છે : (૧) વિવેચનાર્થ કૃતિની વરણી (૨) કૃષિનું વાચન-ભાવન (૩) કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન (૪) સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત (૫) ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ અને કાર્યના સંદર્ભે અહીં પહેલી સ્પષ્ટતા એ કરવાની રહે છે કે સોપાનશ્રેણીનો પહેલો વ્યાપાર ‘કૃતિની વરણી’ એ વિવેચનના તાત્ત્વિક બંધારણનો અંતર્ગત ભાગ ન લેખી શકાય. વિવેચક વિવેચન અર્થે આ કે તે કૃતિની પસંદગી કરવા પ્રેરાય તેની પાછળ જે તે કૃતિ/કર્તા માટેની વિશેષ રુચિ કે પક્ષપાત હોય પણ કૃતિના આસ્વાદ અનુભાવન પૂર્વેની એ પસંદગી હશે તો તો એ પસંદગીનું કોઈ મહત્ત્વ ન કરી શકાય. વિવેચનની પ્રક્રિયા આસ્વાદને અંતે સભાનતાપૂર્વક આરંભાતી વસ્તુ છે એમ સ્વીકારવું વધુ તાર્કિક છે. વળી, કૃતિના ‘વાચન-ભાવન’ (બીજું સોપાન)થી વિવેચકના ચિત્તમાં ચાલતા આસ્વાદ વ્યાપારનો ખ્યાલ અભિમત હોય તો એ વ્યાપાર પણ વિવેચન નથી. અલબત્ત વિવેચનનો એ સ્રોત છે, આધાર છે. ‘કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન’ એ ત્રીજો વ્યાપાર પણ બીજા ‘વાચન-ભાવન’નો જ વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. ચોથા સોપાનમાં ડૉ. રમણભાઈએ ‘રસકીય વૃત્તાંત’ અને પાંચમામાં ‘મૂલ્યાંકન’ મૂક્યાં છે. હવે, ‘રસકીય વૃત્તાંત’ સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. એથી રસાનુભૂતિના વર્ણન કે અહેવાલનો ખ્યાલ જો તેમને અભિપ્રેત હોય તો તો aesthetic criticism કે આસ્વાદરૂપ લેખના સ્વરૂપનું એ લખાણ નહિ હોય? કૃતિના મૂલ્યાંકન પૂર્વે અનિવાર્યતા આવા કોઈ સોપાનમાંથી વિવેચકને પસાર થવાનું અનિવાર્ય ખરું, એવા પ્રશ્નને અવકાશ રહે જ છે. વિવેચનના અંતિમ તબક્કામાં કૃતિનો મૂલ્યાંકન વ્યાપાર તેમણે મૂક્યો છે. જે રીતે કૃતિના ‘ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય’નો ઉલ્લેખ તેમણે કર્યો છે તે જોતાં ઐતિહાસિક અભિગમ વિવેચનનો અંતર્ગત ભાગ હોય એમ તેમને અભિમત જણાશે. પણ નોંધવું જોઈએ કે આપણા યુગમાં જ વિવેચનના અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનું સ્વરૂપ એવા દરેક અભિગમમાં જુદું જ પોત પ્રગટ કરે છે. આકારવાદી વિવેચનમાં કૃતિના આકારની તપાસ પર જ ઘણો મોટો ભાર મૂકાય છે. કૃતિના ઐતિહાસિક સંદર્ભો એમાં લક્ષમાં લેવાતા જ નથી અથવા સમગ્ર વિવેચનમાં તે અતિ ગૌણ સ્થાન લે છે. ચૈતન્યવાદી વિવેચકો પણ કૃતિની ઐતિહાસિકતાને અતિક્રમી જતા દેખાશે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામની વસ્તુ ઠીક ઠીક રૂપાંતરશીલ (protean) રહી છે. એટલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ખોજ અને તેની ઓળખને વિવેચનની અંતર્ગત અનિવાર્યપણે ચાલતા વ્યાપાર તરીકે સમાવવામાં મુશ્કેલી ઊભી થશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં કેટલાક (અને આપણે ત્યાંય થોડાક) અભ્યાસીઓ સૈદ્ધાંતિક ભૂમિકા પર કૃતિનું મૂલ્યાંકન કરવાનું જરૂરી ગણતા નથી; અથવા, આજના જગતમાં મૂલ્યાંકન શક્ય જ નથી એમ પણ કહેવા પ્રેરાયા છે. ડૉ. રમણલાલે, અલબત્ત, અહીં મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. જો કે, વિવેચન વ્યાપારની અંતર્ગત સમાવાતા કે તેની સાથે સંકળાયેલા ગણાતા ‘અર્થઘટન’ (interpretation)ના વ્યાપારનો નિર્દેશ પણ કર્યો નથી તે મોટું વિસ્મય જગાડે છે.&lt;br /&gt;
વિવેચનકાર્યમાં વિવેચકના પોતાના કળા અને સૌંદર્ય વિષયક ખ્યાલોનું શું? આસ્વાદ-અવબોધમાં તે અંતરાય ન બને? આ જાતના પ્રશ્નો વિવેચનમીમાંસાના કૂટ પ્રશ્નો છે. એ વિશે જુદા જુદા સંદર્ભે અગાઉ આપણે ચર્ચા કરી છે એટલે તેનું પુનરાવર્તન નહિ કરીએ. ડૉ. રમણલાલનું મંતવ્ય એવું છે : “વિવેચકના પોતાના અમુક ખ્યાલો, એનાં પોતાનાં માનસિક વળગણો સાચી સમ-સંવેદનાની ક્રિયામાં અવરોધરૂપ બને છે.”૧૫૦ આ ખ્યાલ અંશતઃ સાચો છે. કૃતિના પોતાના કળા-રૂપને એની સર્વ વિશિષ્ટતાઓ સાથે પામવામાં વિવેચકના પૂર્વ-નિર્ધારિત ખ્યાલો કે અપેક્ષાઓ તાદાત્મ્ય સાધવામાં અમુક અંતરાય રચે છે. પણ, તો પછી, દરેક મહાન વિવેચક કળા અને સૌંદર્યની નિજી ભૂમિકા પરથી વિવેચન કરવા પ્રવૃત્ત નથી થતો? &lt;br /&gt;
વિવેચક કૃતિ વિશેના પોતાના અનુભવને જ્યાં ‘ઘાટ’ આપવા સક્રિય બને છે ત્યાં ‘સાહિત્યકળાના સિદ્ધાંતો’, ‘કૃતિપ્રેરિત જીવનવિભાવો’ ‘ઐતિહાસિક સંદર્ભ’ વગેરે વસ્તુઓ તેના ચિત્તમાં ‘પશ્ચાદ્‌ભૂ’ તરીકે ઉપસ્થિત હોય છે એમ તેઓ નોંધે છે, પણ ત્યાં એ ચર્ચા અટકે છે. આપણે એ વિશે સ્પષ્ટતા રૂપે એટલું ઉમેરી શકીએ કે અનુભવને ઘાટ આપવાની પ્રવૃત્તિ અમુક સ્પષ્ટઅસ્પષ્ટ વિભાવોનો – conceptual frameનો – સ્વીકાર કરીને આરંભાતી હોય છે. અનુભવના વ્યાપમાં આવતી કલાકીય સામગ્રી – જે અમુક સમયના સ્થિત્યંતરો રૂપે એકત્ર થઈ હોય છે – તેનું આકલન જ અમુક વિભાવનાઓની અપેક્ષા રાખે છે. અને વિભાવનાઓના સ્વીકાર સાથે તેમાં કળાના અમુક સિદ્ધાંત કે વાદની ભૂમિકાનું અનુસંધાન રચાતું હોય છે.&lt;br /&gt;
આ વિશેની વિચારણામાં ડૉ. રમણલાલે એક મહત્ત્વની વાતનો સંકેત કર્યો છે : “બધા જ વિવેચનાત્મક અભિગમો અને સંપ્રદાયો જાણે અજાણ્યે કશીક દાર્શનિક પીઠિકા સ્વીકારીને ચાલતા હોય છે. વિવેચકની એને વિશેની સભાનતા એના પ્રત્યક્ષ વિવેચનકાર્યમાં સંભવ છે કે મદદરૂપ નીવડે.”૧૫૧ આ સંદર્ભે પહેલી વાત એ નોંધવાની કે વિવેચનનો અભિગમ કેવળ યાદૃચ્છિક પસંદગીની વસ્તુ જ નથી. ઐતિહાસિક, આકારવાદી, માર્ક્‌સવાદી કે ચૈતન્યવાદી —એવા દરેક અભિગમની દાર્શનિક પીઠિકા પરસ્પરથી સાવ ભિન્ન છે, અને સાહિત્યકળાના સ્વરૂપ અને કાર્ય વિશે એ દરેક અભિગમ આગવા ખ્યાલો સ્વીકારીને ચાલે છે. એટલે વિવેચક જો પોતાના કર્મ અને ધર્મ વિશે પૂરતો સભાન હશે, પોતાનું કાર્ય નિષ્ઠા ગંભીરતા અને પ્રામાણિકતાથી બજાવવા ચાહતો હશે, તો કૃતિ પરત્વેના અભિગમ વિશે તેણે હવે પૂરેપૂરી સમજ કેળવી લેવાની રહેશે.&lt;br /&gt;
વિવેચનમાં મૂલ્યાંકનના પ્રશ્ને તેમણે જે વિચારો રજૂ કર્યા છે તેમાં કેટલાંક ચિંત્ય વિધાનો છે : એક, કળાકૃતિને મૂલવવા માટે ‘દેશકાળથી પર એવાં સાર્વત્રિક ધોરણો’ છે, અને એવાં ધોરણો અનુસાર થતું મૂલ્યાંકન ટકી શકે છે. વિવેચકનું કાર્ય એવાં ‘સ્થાયી ધોરણો’ અનુસાર કૃતિનું મૂલ્ય નક્કી કરવાનું છે.’ પ્રશ્ન થાય કે પૂર્વપશ્ચિમની વિવેચનપરંપરામાં જે જે ‘ધોરણો’ ઊપસી આવ્યાં છે તેમાં ‘સાર્વત્રિક ધોરણો’ કયાં? વિશ્વસાહિત્યની નવી જૂની હર કોઈ યુગની કૃતિને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવાં ‘ધોરણો’ કોને ગણશો? બીજો મુદ્દો એ છે : ‘વિવેચક વિવેચનની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વચ્ચે ય મેળ બેસાડતો હોય છે.’ આપણે ઉપર જોયું કે વિવેચનના કેટલાક અભિગમોની સાહિત્ય વિશેની પીઠિકા જુદી છે, એ જોતાં ભિન્નભિન્ન પદ્ધતિઓ વચ્ચે મેળ બેસાડવાનું હંમેશાં શક્ય છે?&lt;br /&gt;
કૃતિવિવેચન અર્થે વિવેચકે જીવનનાં તેમ સાહિત્યકળાનાં બંનેયનાં ધોરણો લાગુ પાડવાનાં રહે છે એમ તેઓ કહે છે. એલિયટ-ઉમાશંકરમાંથી તેમણે આ વિશે સમર્થન મેળવી પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ઐતિહાસિક, આકારવાદી, ચૈતન્યવાદી અને સંરચનાવાદી અભિગમોનો સાવ અછડતો તેમણે પરિચય આપ્યો છે, પણ તે દરેકની પાછળની સાહિત્યિક વિચારણા સ્પષ્ટ કરી નથી.&lt;br /&gt;
‘આધુનિક વિવેચન’ લેખમાં કૃતિનિષ્ઠ વિવેચનના સીમિત કાર્યક્ષેત્રની સામે વિવેચક માટે આર્નોલ્ડને અભિમત એવું વ્યાપક ક્ષેત્ર તેમણે સૂચવ્યું છે. આપણે આધુનિક વિવેચનમાં ‘બીજી માનવવિદ્યાઓનાં ઓજારો’ કામે લગાડ્યાં છે એવું અવલોકન પણ તેમણે રજૂ કર્યું છે! આપણા વર્તમાન વિવેચનની પરિભાષા વળી સંદિગ્ધ રહી જવા પામી છે, એમ પણ નોંધ્યું છે.&lt;br /&gt;
૧૯૭૩ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આશ્રયે યોજાયેલા એક પરિસંવાદમાં તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય : વિવેચન અવલોકનો’ વિષય પર વક્તવ્ય રજૂ કરેલું. હમણાં બેંગલોરમાં મળેલા એક સેમિનારમાં ‘આપણા સાહિત્યમાં વિવેચનની કોઈ આબોહવા છે ખરી?’ વિષય પર તેમણે બીજું વક્તવ્ય રજૂ કરેલું. એમાં તેમણે આપણા આધુનિક સાહિત્યના વિવેચન મૂલ્યાંકન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિભાવનાઓને લગતો એક મહત્ત્વનો મુદ્દો છેડ્યો છે. તેમનું વક્તવ્ય કંઈક એવું છે કે સંસ્કૃતના પ્રમુખ સિદ્ધાંતોને આપણા પ્રાદેશિક ભાષાસાહિત્યને લાગુ પાડતાં પહેલાં ‘ઠીક ઠીક સંસ્કારવા પડશે.’ ડૉ. ભાયાણીએ એમની આ જાતની માન્યતા સામે વાંધો લીધો છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો વિશ્વસાહિત્યની કૃતિઓનેય લાગુ પાડી શકાય, એવું તેમને અભિમત છે.&lt;br /&gt;
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(૧) આજનો તરુણ વિવેચક ઘણીવાર કૃતિના ‘અર્થ’ની અવગણના કરી, તેની ‘આકૃતિ’ની તપાસમાં પ્રવૃત્ત થાય છે, અને એ નિમિત્તે તે કલ્પન લય ભાષાકર્મ પ્રતીક જેવાં તત્ત્વો ચીંધી બતાવે છે. પણ પ્રતીકાદિના સંદર્ભે ‘અર્થવિસ્તાર’ની વાત કરતાં તેના આધારરૂપ એવા કોઈ ‘અર્થ’નો સ્વીકાર તો ત્યાં થાય જ છે. તો કૃતિવિવેચનમાં આ રીતે ‘અર્થ’ના પ્રશ્નને ટાળવાનું વલણ યોગ્ય છે?&lt;br /&gt;
(૨) કાવ્યકૃતિના લય વિશેનું આપણું વિવેચન ઘણુંખરું ‘અંગત છાપો’થી ભર્યું છે. લય વિશેનાં વિધાનો ઘણીવાર રંગદર્શી ભાષામાં રજૂ થાય છે. એના વિશે વસ્તુલક્ષી વિશ્લેષણ કરવાના પ્રયત્નો ભાગ્યે જ થાય છે. જ્યાં સુધી લયના બંધારણ વિશે આંગળી મૂકીને આપણે વાત ન કરી શકીએ ત્યાં સુધી એના વસ્તુલક્ષી વિવેચનની દિશામાં આપણે ગતિ કરી ન શકીએ.&lt;br /&gt;
(૩) કૃતિઓની ભાષાલક્ષી તપાસથી આપણો આસ્વાદ વધુ તીક્ષ્ણ અને સમૃદ્ધ બન્યો છે એમ આપણે સ્વીકારીએ, પણ એનાં ભયસ્થાનો ય આપણે લક્ષમાં રાખવાનાં છે. કૃતિની ભાષા પર વિવેચક પોતે અંગત અર્થોનું આરોપણ કરી રહ્યો હોય એ પણ સંભવિત છે. હકીકતમાં આપણા કૃતિલક્ષી વિવેચનમાં ભાષાકર્મ વિશેનાં વર્ણનો વિવરણોમાં વારંવાર રંગદર્શી ઉદ્રેક છતો થતો રહ્યો છે.&lt;br /&gt;
(૪) સાહિત્યમાં કલ્પન લય ભાષાકર્મ આદિ દ્વારા જે કંઈ રમણીયતા સિદ્ધ થાય છે તેનો આસ્વાદ આપણે કરીએ, પણ એ સર્વની પાછળ કશુંક ‘વ્યંગ્ય’ રહ્યું હોય છે, અને તેની અવગણના ન કરી શકાય. કલ્પનાદિ તત્ત્વો એ વ્યંગ્યને પ્રસ્તુત કરવા આવે છે. એટલે કૃતિવિવેચનમાં એ ‘વ્યંગ્ય’ની ઓળખ, તપાસ, અને તેનું સ્પષ્ટીકરણ એ પણ વિવેચન કાર્યનો જ ભાગ બને છે.&lt;br /&gt;
(૫) સાહિત્યની કૃતિ કંઈ સમાજ સંસ્કૃતિ કે સમયના સંદર્ભોથી સર્વથા નિરપેક્ષપણે સંભવતી નથી. તેના આસ્વાદ-વિવેચનમાં તેના એવા બાહ્ય સંદર્ભો ય વત્તેઓછે અંશે દ્યોતક નીવડી શકે. એટલે વિવેચકે, કૃતિ જે રીતે અવકાશ રચી આપે તે રીતે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવી તપાસવી જોઈએ.&lt;br /&gt;
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે&lt;br /&gt;
‘વિવેચકનું કર્તવ્ય’માં ભાવકની ‘ભાવયિત્રી પ્રતિભા’, સર્જનવ્યાપારથી વિવેચનની ભિન્નતા, વિવેચકની સજ્જતા, વિવેચનનાં ધોરણો, અને વિવેચકની ભૂમિકા – જેવા મુદ્દાઓની સર્વગ્રાહી છણાવટ કરવાનો ઉપક્રમ છે. ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’-લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમની સંક્ષિપ્ત પણ સરળ ચર્ચા છે.&lt;br /&gt;
‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ લેખ આપણી વિવેચનમીમાંસામાં વિશેષ નોંધપાત્ર અર્પણ બની રહે છે. પશ્ચિમમાં આ વિશે જે તાત્ત્વિક ચર્ચાઓ થઈ છે તેનું એમાં અનુસંધાન છે. સાહિત્યની કૃતિ કંઈ અવકાશમાં જન્મતી નથી, તેનો સર્જક ઇતિહાસના કોઈ એક ચોક્કસ તબક્કે ચોક્કસ ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે જીવ્યો હતો. પોતાના સમયનાં સ્થૂળ સૂક્ષ્મ સંચલનો અને પરિબળો તેના સર્જકચિત્તને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અસર કરતાં જ હોય છે. પ્રસિદ્ધ અભ્યાસી ટેઈનના આ વિષયના વિચારોમાંથી સર્મથન મેળવીને આ ચર્ચા તેમણે વિકસાવી છે. તેમની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
૧. કોઈ પણ સાહિત્યકૃતિ એ આકસ્મિક આવિર્ભાવ નથી. એના યુગનાં પરિબળોએ એમાં અમુક ભાગ ભજવ્યો હોય છે. જ્યાં સુધી કૃતિને એના મૂળના સમય સંદર્ભમાં મૂકીને જોવામાં ન આવે ત્યાં સુધી એનું પૂરું રહસ્ય છતું થતું નથી.&lt;br /&gt;
૨. સાહિત્યમાં નિરૂપાતા અનુભવો લાગણીઓ અને ભાવભાવનાઓનાં જે જે રૂપો વ્યક્ત થાય છે તેને જે તે પ્રજાના મનોમય જીવન સાથે ઘનિષ્ટ સંબંધ હાય છે. સમગ્ર સમાજ – તેના સર્વ સભ્યો – પરસ્પર આંતરિક રીતે જોડાયેલા હોય છે. સર્જકની સંવેદનશીલતા એ સામાજિક સંદર્ભ વચ્ચે ખિલતી હોય છે. સર્જકની વાણી એની ‘પરંપરાની ભોંય પર’, ‘પરિવેશની આબોહવામાં’ ઊઘડે છે. એટલે સાહિત્યના વિવેચકે કૃતિ જે સંયોગો વચ્ચે જન્મી હોય તેને લક્ષમાં લઈને જ ચાલવાનું રહે.&lt;br /&gt;
૩. ભિન્ન ભિન્ન યુગના સાહિત્યકારોની રચનાઓમાં પ્રકારો આકારો શૈલીઓ અને રચનાપ્રણાલિઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, તેનો ખુલાસો તેની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાઓમાંથી મળે છે.&lt;br /&gt;
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૬.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૭.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.&lt;br /&gt;
(૧)	આપણે ત્યાં હવે વિવેચનનું પણ વિવેચન થવાની જરૂર છે. કૃતિ પાસે જતાં વિવેચકો જે જે ‘વિભાવનાઓનાં ‘માળખાં’ – conceptual framework લઈને જાય છે અને જે જે પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તેને વિશે બારીક દૃષ્ટિની ફેરતપાસ કરવાની જરૂર છે. કૃતિવિવેચનોમાં જે જાતના મતભેદો જન્મે છે તે સર્વના મૂળમાં જે તે વિવેચકની ફિલસૂફીને લગતાં ગૃહીતોમાં ફેર હોય છે. એટલે દરેક વિવેચક કયો વાદ વિચાર કે વિભાવના લઈને ચાલે છે તેની, અને તેની પાછળ રહેલાં સ્પષ્ટ અસ્પષ્ટ ગૃહીતોની ફરી ફરીને તપાસ થતી રહે એ જરૂરનું છે.&lt;br /&gt;
(૨)	કળાકૃતિને એની સ્વાયત્ત એવી વાસ્તવિકતા છે, સત્તા છે. કૃતિના આસ્વાદ અવબોધમાં વિવેચકનો ‘આત્મલક્ષી પરિપ્રેક્ષ્ય’ નિયામક બને છે એ ખરું, પણ વિશેષ સત્તાના બળે કૃતિ પણ ભાવકને પ્રભાવિત કરે છે, એને તેની insularityને અમુક અંશે ભેદી શકે છે. આમ એક બાજુ, વિવેચકનો આગવો દૃષ્ટિકોણ, બીજી બાજુ કૃતિનું આંતરિક સામર્થ્ય – બંને વચ્ચે કશુંક ક્રિયાપ્રતિક્રિયા રૂપે ચાલે છે અને એ રીતે ‘પ્રતિભાવ’ રચાય છે. દરેક ભાવકનો બોધ એ રીતે જુદો સંભવે છે.&lt;br /&gt;
(૩)	વિવેચકના અમુક interests જ કૃતિમાં અમુક તત્ત્વોને મૂલ્યવાન તરીકે લેખવા પ્રેરે છે. માકર્‌સવાદ, ફ્રોયડનો વિશ્લેષણવાદ કે અસ્તિત્વવાદ જેવા કોઈ પણ વાદ કે દૃષ્ટિકોણને સ્વીકારી લઈને વિવેચક કૃતિ પાસે જાય છે ત્યારે ખરેખર તો કૃતિની સ્વાયત્ત સત્તાને જ તે મર્યાદિત કરી દેતો હોય છે.&lt;br /&gt;
(૪)	રોલાં બાર્થ સાહિત્યને ‘વિશિષ્ટ પ્રકારની ભાષા’ રૂપે ઓળખાવે છે. સાહિત્યની કૃતિ ‘પ્રતીકાત્મક’ છે, ‘અનેક પ્રકારના તથ્યની શક્યતા’ તે ધરાવે છે પણ તે કંઈ ‘ઐતિહાસિક હકીકત’ નથી. ‘કૃતિ’ શું છે તેની વ્યાખ્યા, સમજણ તો બદલાતી રહે છે. એ રીતે એ ‘માનવીય ઘટના’ છે’. વિવેચકે પોતાની ભાષાને બને એટલી કૃતિની સર્જનાત્મક ભાષાને અનુરૂપ સર્જવી જોઈએ.&lt;br /&gt;
(૫)	સાહિત્ય વિશેની કેટલીય મૂળભૂત વિભાવનાઓનાં મૂળ ફિલસૂફીમાં રહ્યાં છે. એના ગૃહીતોની ખોજ ચાલુ રહેવી જોઈએ.&lt;br /&gt;
(૬)	આપણા વિવેચન વિશે આપણા અભ્યાસીઓમાં જે કંઈ ‘ફરિયાદ’ છે તેને યથાર્થ રીતે સમજવાને સમીક્ષક પાસે ચોક્કસ frame of reference જોઈએ.&lt;br /&gt;
(અ) ‘કલા અને મુખ્યત્વે સાહિત્ય અને વિવેચન વિશે ભાવક-વિવેચક પાસે એક દૃષ્ટિબિંદુ હોય છે – પછી ભલે તેણે એ અસંપ્રજ્ઞાતપણે અપનાવેલું હોય, અને/અથવા અસ્પષ્ટ રાખ્યું હોય. દૃષ્ટિબિંદુથી મુક્ત અથવા પર કોઈ સર્જનવિવેચન હોતું નથી. તાર્કિક રીતે એ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી શકાય. ફિલસૂફીના ઇતિહાસનો મોટો ભાગ અધ્યાહાર રહેલા દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવાના પ્રયત્નરૂપે ઘટાવી શકાય.’૧૫૪&lt;br /&gt;
(બ) ‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગૃત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’૧૫૫&lt;br /&gt;
રસિક શાહ નોંધે છે કે આપણા વર્તમાન વિવેચનના સંદર્ભમાં ‘સર્જન’ ‘પરિશીલન’ અને ‘વિવેચન’ની તાત્ત્વિક વિચારણાઓની તપાસમાં પોતે આ બે પાયાનાં ગૃહીતો સ્વીકારીને ચાલ્યા છે. શ્રી જશવંત શેખડીવાળા અને આ અવલોકનકારના વર્તમાન ગુજરાતી વિવેચન વિશેનાં લખાણોની તેમણે નોંધ લીધી છે. તેમજ, સુરેશ જોષી અને ઉમાશંકર જોશીની કાવ્યવિભાવના વિશેની આ અવલોકનકારની મુખ્ય ભૂમિકા પુરસ્કારતા છતાં સર્જકતા વિશેના એક મુદ્દામાં છતી થતી તાર્કિક મુશ્કેલી અંગે ધ્યાન દોર્યું છે. આ સંદર્ભમાં રસિક શાહે નોંધ્યું છે કે વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની વિચારણામાં છેવટે (૧) ગૃહીત કેવું હોવું જોઈએ, (૨) આંતરસંગતિવાળું ગૃહીત કેવું હોય, (૩) ગૃહીત યોગ્ય અને જરૂરી છે કે નહિ, અને (૪) ગૃહીતની ચકાસણી કેવી રીતે થાય – એવા તાર્કિક પ્રશ્નોની છણાવટ કરવાની રહે.&lt;br /&gt;
(૭)	કળાકૃતિનું સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જેઓ મૂળ ગૃહીત તરીકે સ્વીકારે છે તેમને માટે પછી પ્રાણભૂત પ્રશ્ન એક જ રહે છે : ‘વ્યવહારના તથ્યનું કલાના સત્યરૂપે રૂપાન્તર સર્જક શી રીતે કરે છે? અને એની ઉપપત્તિ એ કે વિવેચનનું પાયાનું કર્તવ્ય તે કૃતિની ભાષા અને રચનારીતિની તપાસ માત્ર બની રહે છે.’ બીજી રીતે – ‘વિવેચનનું કાર્ય કાવ્યકૃતિનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરીને કયા સંઘટનસૂત્રથી અથવા ઋતથી વિશ્લેષ્ય ઘટકોનું અનુસંધાન થાય છે, અને એ રીતે કૃતિ સમગ્રતાનું સ્વરૂપ પામે છે, એ તરફ નિર્દેશ કરીને કૃતિનું structure પ્રગટ કરવાનું છે.’&lt;br /&gt;
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૮.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્‌ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્‌ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્‌ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૯.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
તેમનો આરંભકાળનો એક લેખ ‘વિવેચન પદ્ધતિ વિશે’,૧૫૭ શીર્ષક સૂચવે છે તેમ, વિવેચનની પદ્ધતિઓને લગતા તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શવા ચાહે છે. એમાં રજૂ થયેલી ચર્ચામાં, કેટલુંક અસ્પષ્ટ કે ચિંત્ય કોટિનું રહી ગયેલું લાગશે. પણ આ દિશાની વિચારણામાં પ્રારંભના પ્રયત્ન લેખે એનું અમુક મહત્ત્વ રહે જ છે. સુરેશ જોષીની જેમ તેઓ પણ આપણા વર્તમાન વિવેચનમાં વ્યાપી રહેલી ‘અરાજકતા’ સામે ફરિયાદ કરે છે. તેમનું એમ કહેવું છે કે ‘સંજ્ઞા પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં આપણે ત્યાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન કરે છે, પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાંતિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે.’ તેમનાં આ નિરીક્ષણો એકંદરે સાચાં હોવાનું લાગશે. તેઓ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરે છે કે વિવેચનની તાત્ત્વિક પીઠિકા રચવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર આદિ જ્ઞાનવિજ્ઞાનનો ફાળો રહેવાનો એટલે, જે તે ભાષામાં આ જાતના જ્ઞાનવિજ્ઞાન વિકસ્યાં હશે અને સાહિત્યવિચારમાં તેનો વિનિયોગ થયો હશે તો જ તેનું વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો સાથે અનુસંધાન થઈ શકશે.&lt;br /&gt;
પણ, મને લાગે છે કે, પ્રશ્ન એથી ઘણો વધુ જટિલ છે. કૃતિવિવેચનમાં જો વિજ્ઞાનના જેવી વસ્તુલક્ષિતા સિદ્ધ કરવા આપણે ચાહતા હોઈએ તો પછી વિવેચનની વિભિન્ન પદ્ધતિઓ અને તેની સાથે યુક્ત વિભિન્ન પરિભાષાઓનો સ્વીકાર કઈ રીતે ‘ન્યાયી’ ઠેરવી શકાય? આવી વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કૃતિનાં જે રીતનાં વિવેચનો-મૂલ્યાંકનો પ્રાપ્ત થશે તે સર્વને એકસરખાં પ્રમાણભૂત ગણી શકાશે? એમાં કોઈ એક વિવેચન ઉચ્ચ બીજું ઉતરતું, એક વધુ પ્રમાણભૂત બીજું ઓછું – એવા દૃષ્ટિભેદ ઊભા નહિ થાય? તાત્પર્ય કે, પદ્ધતિઓના પ્રશ્ને વિવેચનમીમાંસાના બીજા અનેક નવા તાત્ત્વિક પ્રશ્નો ફૂટી નીકળે છે. કેમ કે, વિવેચનની અનેક પદ્ધતિઓના સ્વીકાર સાથે એકની એક કૃતિ પરત્વે સાવ આત્યંતિક સામે છેડેનાં દૃષ્ટિબિંદુઓ કે પરસ્પર વિરોધી મતો જન્મતા હોય જે એકબીજાનો છેદ પણ ઉડાડતા હોય-તો વિવેચનપ્રવૃત્તિની કોઈ ઉપયોગિતા, સાર્થકતા કે અનિવાર્યતા ખરી? અને વસ્તુલક્ષી ભૂમિકાએ સંપૂર્ણ મતૈક્યની શક્યતા જ ન હોય તો તો વિવેચનને કેવળ ‘આત્મલક્ષીશાસ્ત્ર‘ તરીકે નિભાવી શકાય કે કેમ, તે પણ વિચારવાનું રહે છે.&lt;br /&gt;
ત્રણ વિવેચકો – એક, સાહિત્યકૃતિને માત્ર ‘સાહિત્યિક દૃષ્ટિબિંદુ’થી જોતો હોય, બીજો કૃતિને મનોવિજ્ઞાનના એક ‘case-study’ તરીકે જોતો હોય અને ત્રીજો તેને ‘સામાજિક દૃષ્ટિ’થી નિહાળતો હોય – એ દરેકનો અભિગમ મૂળથી જુદો છે. ત્રણે ‘જુદી જુદી પરિભાષામાં’ રહીને વિચારે છે. તો એ પૈકી કયો અભિગમ સાચો અને પ્રમાણભૂત ગણીશું? ડૉ. શિરીષના આ પ્રશ્નો સાચા છે. આવી દરેક પદ્ધતિ/અભિગમ ખરેખર તો એક જ કૃતિને લક્ષતાં છતાં તેને જુદી જુદી રીતે તે પ્રત્યક્ષ કે અવગત કરે છે. સાહિત્યની ‘સાહિત્યિકતા‘ વિશેની એ દરેકની તાત્ત્વિક ભૂમિકા નિરાળી છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ પણ કળાકૃતિના આસ્વાદ – ભાવનનું નિરપેક્ષ મૂલ્ય પ્રતિષ્ઠિત કરવા ચાહે છે, એટલે વિવેચનની પદ્ધતિઓની પ્રમાણભૂતતાના પ્રશ્નમાં રોકાયા છતાં તેઓ ભારપૂર્વક બતાવવા ચાહે છે કે કૃતિને લગતો કોઈ પણ દૃષ્ટિકોણ વિવેચનની પદ્ધતિને મર્યાદિત બનાવી દેતો હોય તો તે તેના આસ્વાદમાં ય અંતરાય રચી રહે એમ બને. ડૉ. શિરીષ પંચાલ આ વિશે એક મહત્ત્વના મુદ્દાને ય સ્પર્શી રહે છે : “અ-વિવેચન કે કૃતક વિવેચન અને વિવેચન વચ્ચેનું વ્યાવર્તક તત્ત્વ કયું?”૧૫૮ અને ઉત્તરમાં કહે છે : “વ્યાવર્તક તત્ત્વ તરીકે વિવેચનની પદ્ધતિને જ ગણાવી શકાય. આ બધાં અસાહિત્યિક તત્ત્વોની મર્યાદા ચીંધી બતાવતી હોવી જોઈએ. વિવિધ દૃષ્ટિકોણ પાછળ અંગત મમત્વ, રુચિ, પૂર્વગ્રહ કામ કરતા હોવાને કારણે જ દલીલબાજી, હોંસાતુંસી, વિવેચકની પદ્ધતિની ટીકાને બદલે વિવેચકો વિશે જ ઊભરાતાં લખાણો જોવા મળે.”૧૫૯ પણ, વિવેચનની પદ્ધતિ તે કંઈ યાદૃચ્છિક ઉપયોગનો પ્રશ્ન નથી એ વાત હવે સ્પષ્ટ બની ચૂકી છે. દરેક પદ્ધતિ સાહિત્યની સાહિત્યિકતા (literariness)નો આગવો ખ્યાલ સ્વીકારીને ચાલે છે. એટલે આ કે તે પદ્ધતિના સ્વીકાર-અસ્વીકાર પાછળ વિવેચકની સાહિત્યિક વિભાવનાનો પ્રશ્ન પણ પડેલો છે. એટલે આ કંઈ હવે માત્ર અંગત રુચિ કે પૂર્વગ્રહ મમત્વનો પ્રશ્ન ય રહેતો નથી : અંતે, એ સાહિત્યના તત્ત્વબોધનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
વિવેચનની પદ્ધતિની સફળતાનિષ્ફળતાના પ્રશ્નને ડૉ. શિરીષ પંચાલ તેની ભાષાવ્યવસ્થા સાથે સાંકળી આપવા ચાહે છે. તેમનું એમ કહેવું છે કે વિવેચનની ભાષા અને બીજા જ્ઞાનવિજ્ઞાનના વિષયોની ભાષા વચ્ચે સ્પષ્ટ ભેદ રહ્યો છે, અને તે એ કે “અન્ય ભાષાવ્યવસ્થા કેટલાક નિયત કરેલા નિયમોની સીમામાં રહીને પોતાનું coherence ટકાવી રાખે છે, જ્યારે વિવેચનની ભાષાવ્યવસ્થા નિયત કરેલા નિયમોને દર વખતે સ્વીકારી શકતી નથી.”૧૬૦ અહીં ડૉ. શિરીષનું વક્તવ્ય સમજવામાં થોડી મુશ્કેલી છે. અન્ય વિષયોની ભાષાવ્યવસ્થામાં coherence સિદ્ધ કરનાર જે ‘કેટલાક નિયત નિયમો’ની તેઓ વાત કરે છે, એ ‘નિયમો’ કયા તે વિશે અહીં સ્પષ્ટતા મળતી નથી. પણ તાર્કિક ચિંતનના ‘નિયમો’ તેમની નજરમાં હોય એમ અહીં સમજાય છે. કૃતિવિવેચનમાં આવા ‘નિયમો’ હંમેશ સ્વીકારાતા નથી, અને વિવેચનમાં એથી ‘અરાજકતા’ દાખલ થઈ જાય એવી દહેશત તેમણે વ્યક્ત કરી છે. તેઓ એ બાબતે, અલબત્ત, સ્પષ્ટ છે કે દરેક કૃતિનો ‘આગવો સંદર્ભ તેના આગવા નિયમો’ રચી આપે છે, પણ વિવેચનની પદ્ધતિભેદને કારણે કે બીજી રીતે એમાં વિભિન્ન પરિ-ભાષાઓનો વિનિયોગ થાય અને વિવેચનવિચારમાં એથી ‘અરાજકતા’ પ્રવેશી જાય એમ પણ બને! એક રીતે, આ વિવેચનમીમાંસાનો ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે. કૃતિના આસ્વાદ-ભાવન પછીની ક્ષણે વિવેચક તેને પોતાની રીતે વર્ણવવા ચાહે છે. કૃતિમાં જ્યાં સુધી તે લીન હતો, રસતત્ત્વમાં નિમગ્ન હતો, ત્યાં સુધી તેને કૃતિ વિશે વિધાન કરવાને કોઈ અવકાશ નહોતો. પણ જે ક્ષણે પોતાના આસ્વાદ વિશે – જે અનેક ક્ષણો સુધી સમયમાં વિસ્તરેલો, કૃતિની ભાષાના સંયોગે જન્મી જન્મીને ઉપચય પામતો અનુભવ છે તેને વિશે – તે વાત માંડે છે ત્યારે પદ્ધતિનો અને પરિભાષાનો પ્રશ્ન ઊભો થાય જ છે. એક રીતે વિવેચકના મિજાજનો અને બીજી રીતે તેની તાત્ત્વિક દૃષ્ટિનો એ પ્રશ્ન છે. જે વિવેચક કૃતિના અનુભવનાં સૂક્ષ્મતમ તત્ત્વોનો – તેના રમણીય અંશોનો – નિબિડપણે અને સજીવ સંસ્પર્શ કરાવવા ચાહે છે તેનું વલણ વિવેચનની ભાષાને વધુ મૂર્ત વધુ સર્જનાત્મક બનાવવાનું હશે, અને જે વિવેચક કૃતિના અર્થઘટન/મૂલ્યાંકન અર્થે સક્રિય બન્યો હશે તે સ્વાભાવિક રીતે જ તાર્કિક વર્ણન વિશ્લેષણની રીતિ તરફ ઢળશે. પણ આ પ્રશ્ન આટલો સીધોસાદો નથી. ઐતિહાસિક ચરિત્રલક્ષી આકૃતિલક્ષી ભાષાલક્ષી માર્ક્‌સવાદી કે માનસશાસ્ત્રીય – એવા અભિગમો પૈકીનો કોઈ અભિગમ સ્વીકારો એટલે તેની સાથે સાહિત્યની આગવી વિભાવના કે તેના વર્ણનવિશ્લેષણની આગવી રીતિ અને આગવા સંપ્રત્યયો કામમાં લેવાના રહે. એટલે કે, આવા દરેક અભિગમ સાથે વિભાવનાઓનું અમુક રીતનું માળખું – conceptual framework – જોડાઈને આવતું હોય. એટલે વિવેચનની ભાષામાં ‘વ્યવસ્થા’ આણવાનો પ્રશ્ન એક બાજુ તેમાં પ્રયોજાતી બીજભૂત સંજ્ઞાઓ/વિભાવનાઓના તાર્કિક સ્પષ્ટીકરણનો છે, બીજી બાજુ વિવેચન અર્થે પ્રયોજાતી એક યા બીજી પદ્ધતિની પ્રમાણભૂતતાનો છે. અને એક કૃતિના વિવેચનમાં એકથી વધુ પદ્ધતિઓનો વિનિયોગ આવકાર્ય ખરો, પણ અનિવાર્ય ખરો, તેય વિચારવાનું પ્રાપ્ત થાય છે. વિવેચનની ભાષા-વ્યવસ્થાનો પ્રશ્ન એ રીતે તેના અંતિમ પ્રયોજન અને પદ્ધતિના પ્રશ્ન સાથે સંકળાઈ જાય છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ આ અંગે એમ કહે છે કે વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી અને ‘કૃતિની અવેજી’માં તે ‘વાપરી શકાતી હતી.’ હવે વિજ્ઞાન અને ટેક્‌નોલોજીના વિકાસની સાથોસાથ એવી ‘વર્ણનાત્મક’ ભાષાનો ઉપયોગ રહ્યો નથી; એટલે વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એવો તેઓ અનુરોધ કરે છે. વિવેચનમાં એ રીતે ‘આત્મલક્ષિતા’ની ભૂમિકા ઓછી થશે અને ‘સાથે સાથે આપણી સમક્ષ કૃતિનાં એકેએક ઘટક તત્ત્વોને અન્યોન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ પ્રકટ થઈ આવવાનો’. તેમની આ મુદ્દાની ચર્ચામાં કેટલુંક ચિંત્ય લાગે છે. વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી હતી એ જાતનું તેમનું અવલોકન બરાબર છે? પરંપરાગત વિવેચનમાં કૃતિનાં અર્થઘટનો મૂલ્યાંકનોનેય મોટું સ્થાન રહ્યું છે; તો કૃતિને લગતાં એ મૂલ્યવાચી વિધાનોને ‘વર્ણનાત્મક’ કોટિમાં મૂકી શકાય? અને મૂલ્યવાચી વિધાનો જે રીતે કૃતિને વિશે નિર્ણયાત્મક કથન કરે છે તે જોતાં તેને કૃતિની ‘અવેજી’માં આવતી ભાષા કહી શકાય? મને લાગે છે કે મૂલ્યવાચી વિધાનો કૃતિ વિશે કશુંક વિશેષ રૂપે કહે છે, એટલે કૃતિને લગતાં વર્ણનાત્મક વિધાનોથી તે ભિન્ન કોટિનાં સંભવે છે. બીજું, વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એ સાચું, પણ એ ‘પૃથક્કરણ’ વ્યાપાર અંગે તેઓ જે ખ્યાલ બાંધે છે તેમાં ‘એકેએક ઘટક તત્ત્વનો અન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ’ સ્થાપવાની અપેક્ષા છે, અને એ તો રચનાત્મક વ્યાપારને ય સમાવી લે છે. વિવેચ્ય કૃતિમાં ‘કેન્દ્ર’ જેવું કોઈ તત્ત્વ પકડવું અને સર્વ ઘટકોને તેની સાથે સંબંધમાં બતાવવાં એ આખી પ્રવૃત્તિ ‘પૃથક્‌-કૃત’ ઘટકોને પુનઃ સંયોજિત કરવાની છે. એમાં વિવેચક ઘણું ખરું અંતઃપ્રેરણાથી જ ‘કેન્દ્ર’ જેવું કશુંક ગૃહીત કરીને સમગ્રની રૂપરચના સમજવા પ્રવૃત્ત થતો હોય છે. મને લાગે છે કે વિવેચનમાં ઘટકોને ‘પૃથક્‌’ કરીને જોવામાં, તેના સંબંધો સ્થાપવામાં અને કેન્દ્ર સાથે સાંકળી બતાવવામાં અમુક સર્જનાત્મક કલ્પનાનો ખપ પડે જ છે. કળાકૃતિ કોઈ સ્થૂળ ભૌતિક પદાર્થ નથી. કોઈ ભૌતિક નિયમોની ખોજ એમાં અપેક્ષિત નથી. કૃતિનું હાર્દ પ્રકાશિત કરવાને વિવેચક પ્રવૃત્ત થાય છે ત્યારે તેનું રહસ્ય તેને અવગત થઈ ચૂક્યું હોય છે. પ્રશ્ન એ કે જે કંઈ રહસ્ય તેના ચિત્તમાં ઝબકી ગયું છે તેનું પૂર્ણ અખંડ રૂપ તે જે ભાષામાં પરિબદ્ધ છે તેમાંથી નિખરી આવે છે અને જે ક્ષણે તે પોતાની (પરિ) ભાષામાં તેની વાત કરવા જાય છે ત્યારે, મૂળનું કશુંક ઊણું રહી જાય, તો અર્થઘટન-મૂલ્યાંકન રૂપે તેમાં કશુંક ઉમેરાય પણ, એવું બનતું હોય છે. અને ભાષાની ‘વ્યવસ્થા’નો પ્રશ્ન, અંતે તો, કૃતિના રહસ્યને ઝીલવામાં અને તેને વિશેના તાર્કિક પ્રતિપાદનમાં જે ભાષા ખપમાં લેવાય છે તેની સાર્થકતાનો છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલે વિવેચનની ભાષાની તાર્કિકતાનો પ્રશ્ન ય, અલબત્ત, અહીં ટૂંકમાં છેડ્યો છે. તેમનું વક્તવ્ય એ છે કે વિવેચકની ભાષામાં વારંવાર ‘વિરોધાભાસી વૈવિધ્ય’ જોવા મળે છે. એક કૃતિની ‘ખરાબ ટીકા’ કરવા પાછળ જે કારણ હોય તે જ કારણ બીજી કોઈ કૃતિની પ્રશંસાનું પ્રેરક બની રહે. રામનારાયણ પાઠકની વિવેચનામાંથી તેમણે એના સમર્થનમાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘વિશ્વગીતા’ની વિવેચનામાં નાનાલાલની ‘અમૂર્તમાં રાચવાની રીત’ની રામનારાયણે ટીકા કરી છે જ્યારે ‘સરસ્વતીચન્દ્ર’માં તેમને એમાંની ચર્ચાઓ સામે વાંધો નથી, બલકે એમાંનું ચિંતન ઇષ્ટ લાગે છે. ડૉ. શિરીષ એ વિશે એવી ટીકાટિપ્પણી કરે છે કે આવા પ્રસંગમાં ‘વિવેચનની પદ્ધતિ જવાબદાર’ છે, તેમનું (રામનારાયણનું) ‘પૂર્વગ્રહયુક્ત માનસ નહિ’; અને વિશેષમાં એમ કહે છે કે વિવેચનની ભાષામાં આ જાતનું વૈવિધ્ય ‘સાહિત્ય સ્વરૂપોના વૈવિધ્યને કારણે પણ’ સંભવે છે. વિવેચનની ભાષાની તાર્કિકતાનો આ મુદ્દો દેખાય છે તેટલો સરળ નથી. એકની એક કૃતિના મૂલ્યાંકનમાં, એની કળાત્મક સિદ્ધિનો ખુલાસો ભિન્ન ભિન્ન કસોટીએ આપવામાં આવતો હોય છે, તેમ એકની એક કૃતિની નિષ્ફળતા વિશે જુદી જુદી રીતે કારણો આપીને ખુલાસાઓ રજૂ થતા હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ ‘ઝેર તો પીધાં છે’ ‘અમૃતા’ કે ‘આકાર’ જેવી કૃતિઓ વિશેનાં ભિન્ન ભિન્ન વિવેચકોનાં મંતવ્યો, પ્રતિપાદનો, તેની ભાષાની તાર્કિકતા, બધું નિકટતાથી તપાસવા જેવું છે. એક કૃતિ વિશે એક ધોરણ લક્ષમાં લઈ એક વિવેચક તેનું ગૌરવ કરે તેની કળાત્મક સિદ્ધિ બિરદાવે, એ જ કૃતિ વિશે બીજો વિવેચક બીજું ધોરણ આગળ ધરી તેની ઊણપ બતાવે – એવું વિવેચનના ઇતિહાસમાં વારંવાર બનતું રહ્યું છે. એટલે પ્રશ્ન છેવટે કૃતિવિવેચન અર્થે આ કે તે ધોરણોની પ્રસ્તુતતાનો બને છે.&lt;br /&gt;
કૃતિવિવેચનમાં યોજાતી પરિભાષા કેવળ ‘સાહિત્યિક’ જ હોય એમ પણ અભિપ્રેત નથી, જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓનો એમાં યથાવકાશ વિનિયોગ ભલે થાય, પણ એ રીતે વિવેચનામાં અમુક વિચારવલણોનો પ્રવેશ થાય અને તે ‘સંકુચિત’ બને તે ઇષ્ટ નથી. ડૉ. શિરીષ એમ સ્પષ્ટ કરવા ચાહે છે કે જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રની જે કોઈ પરિભાષા વિવેચનમાં સ્વીકારાય તેમાં તેના વિશિષ્ટ ક્ષેત્રનો ‘આગવો સન્દર્ભ’ ભૂંસાઈ જઈને ‘સાહિત્યિક સંદર્ભ’ પ્રગટવો જોઈએ. તેમનું તાત્પર્ય કદાચ એ છે કે સમાજવિજ્ઞાન મનોવિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનની પરિભાષા કૃતિના વર્ણન-વિવેચનમાં યોજાય તો તે હાર્દને વ્યક્ત કરવામાં ઉપકારક બને એ જરૂરી છે, અને એ રીતે એના અર્થવિકાસનીય અપેક્ષા રહે છે. એથી ઊલટું, આવી પરિભાષાનો ચુસ્તપણે વિનિયોગ કરતાં તે મૂળના રહસ્યને રુંધી દેશે કે સીમિત કરશે. આ તેમનો મુદ્દો ધ્યાનાર્હ છે જ. પણ સાથે નોંધવું જોઈએ કે કોઈ પણ કૃતિના વિવેચનમાં જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓના વિનિયોગ સાથે કૃતિના રહસ્યમાં નવું પરિમાણ ઊભું થાય છે. જેમ કે, રાજેન્દ્ર શાહ કે મકરંદની અમુક રચનામાં જે સંવેદન વ્યક્ત થયું છે તેમાં ‘રહસ્યવાદ’નું તત્ત્વ ભળ્યું છે કે રહસ્યવાદી વલણ છતું થાય છે એમ કહેતાં પ્રસ્તુત કૃતિના ‘અર્થ’માં એક નવું પરિમાણ નથી ઉમેરાતું? અથવા ‘અમૃતા’નાં પાત્રો ‘અસ્તિત્વવાદી’ વિચારણાથી પ્રેરિત છે એવા નિરીક્ષણ સાથે કૃતિના અર્થમાં એક નવો પ્રકાશ નથી ઉમેરાતો? મને એમ લાગે છે કે અજ્ઞાત (unconscious) કે સામૂહિક અવચેતન (collective unconscious) જેવી માનસશાસ્ત્રીય સંજ્ઞાઓ, ‘સામાજિક સંઘર્ષ’ કે ‘સામાજિક પ્રક્રિયા’ જેવી સમાજશાસ્ત્રીય સંજ્ઞાઓ ‘અસ્તિત્વવાદ’ ‘પરાયાપણું’ ‘સ્વાતંત્ર્ય’ ‘પસંદગી’ જેવી આધુનિક ફિલસૂફીની સંજ્ઞાઓ વિવેચનમાં સ્વીકારાય છે તે સાથે કૃતિના અર્થબોધને ચોક્કસ નવો પરિપ્રેક્ષ્ય મળે છે.’ ‘હેમ્લેટ’ના મુખ્ય પાત્ર હેમ્લેટમાં ઇડિપસ ગ્રંથિના ખ્યાલ દ્વારા જે પરીક્ષણ થયું તેથી એ આખાયે નાટકને નવું અર્થપરિમાણ મળ્યું એટલે અન્ય વિજ્ઞાનની ભાષા કૃતિવિવેચનમાં આવે ત્યારે તે કૃતિના અર્થમાં સર્વથા ‘સમાઈ’ જતી નથી, પોતે જે ક્ષેત્રમાંથી આવી છે તેનો અર્થબોધ ઉમેરાતાં કૃતિને વિશેષ પરિમાણ અર્પે છે, એમ મને લાગે છે.&lt;br /&gt;
વિવેચક પોતાના ‘વ્યક્તિત્વ’નું વિવેચનમાં આક્રમણ કરે તેની સામે ડૉ. શિરીષે સાવધાની ઉચ્ચારી છે. વિવેચનની ભાષામાં ‘અંગત પ્રતિભાવ’ જોડાતો હોવાથી અમુક અંશે એમાં ‘શૈલી’ ‘અલંકાર’ને અવકાશ રહે છે ખરો, પણ કૃતિ વિશેનો સૂક્ષ્મ પ્રતિભાવ તેનાથી ઢંકાઈ જાય કે પછી વિચારોનું દારિદ્ર્ય છુપાવવા જ અલંકારો યોજાય, તો તે ત્યાં હાનિકારક છે. તેઓ કહે છે કે ‘કોઈ વિવેચકની પદ્ધતિમાં રહેલાં અતાર્કિકતા, માપદંડોની અસંગતિ, વિરોધાભાસનું કારણ વિવેચકની ભાષામાં કોઈ (nucleus) ના અભાવમાં રહેલું છે.’ વિવેચનની ભાષાના કેન્દ્રમાં સર્વપ્રથમ ‘ભાષા દ્વારા રચાયેલી કૃતિ’ હોવી જોઈએ. અર્થાત્‌ કૃતિ સ્વયં તેની નિર્ધારક હોય એ મહત્ત્વનું છે. તેઓ એ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે કે ઉત્તમોત્તમ સાહિત્ય કૃતિઓને નજરમાં રાખીને વિવેચકે ચાલવાનું છે. આ રીતે અન્ય ભાષાની (કે પોતાની ભાષાની) ઉત્તમ અને સામાન્ય કૃતિઓ વચ્ચે વિવેક કરીને ચાલશે તો તેમાં તેની ‘ભાષાની વ્યવસ્થા’ પણ નીપજી આવશે.&lt;br /&gt;
વિવેચનના આધુનિકતમ અભિગમો વિશે પણ ડૉ. શિરીષ પંચાલ સંનિષ્ઠભાવે અધ્યયન કરી રહ્યા છે. ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’ લેખમાં નવ્ય વિવેચનની આવશ્યક ભૂમિકા રજૂ કરી તેના અનુસંધાનમાં ચૈતન્યલક્ષી, રશિયન સ્વરૂપવાદી, સંરચનાવાદી અને વિઘટનવાદીઓની મુખ્ય મુખ્ય વિચારણા સંક્ષેપમાં સુપેરે તેમણે મૂકી આપી છે. આ દિશાની આપણી વિવેચનમીમાંસામાં એ ઘણો મહત્ત્વનો લેખ છે. વિશદ નિરૂપણને કારણે એનું આગવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યનો મૃત્યુઘંટ’ લેખમાં ય પાશ્ચાત્ય વિવેચનવિચારમાં અને વ્યાપકપણે ત્યાંના સાંસ્કૃતિક/દાર્શનિક ચિંતનમાં જે કટોકટી ઊભી થઈ છે તેનું એક સરસ ચિત્ર રજૂ કર્યું છે.&lt;br /&gt;
‘છેલ્લા દાયકાનું વિવેચન’ તેમનો એક બીજો ઘણો મહત્ત્વપૂર્ણ લેખ છે. આધુનિકતાવાદના પ્રભાવ નીચે આપણે ત્યાં સર્જનવિવેચનના ક્ષેત્રે જે નવાં વલણો સક્રિય બન્યાં તેની અને વિવેચનના નવા અભિગમોની તેમણે એમાં સંગીન અધ્યયનલક્ષી ચર્ચા કરી છે. સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદ અને રૂપવાદી વિવેચનની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી પરંપરાગત વિવેચનવિચારની સામે તેની પ્રતિષ્ઠા કરી છે, અને ગુજરાતીના અભ્યાસીઓએ ચર્ચેલા વિવેચનાત્મક મુદ્દાઓની સૂક્ષ્મ દૃષ્ટિએ ફેરતપાસ પણ હાથ ધરી છે. રૂપવાદી અભિગમ પછી બંધારણવાદી ચૈતન્યવાદી અને તુલનાત્મક અભિગમ જે રીતે આપણે ત્યાં ચર્ચાવા લાગ્યો છે. તેની ય તેમણે સમીક્ષાત્મક નોંધ લીધી છે.&lt;br /&gt;
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્‌ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૦.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે.&lt;br /&gt;
આરંભથી જ ડૉ. ચન્દ્રકાન્તે કવિતાની આગવી વિભાવના રચવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિતા એ ‘ભાષાની કલા’ છે. સર્જક કવિ ભાષાની સાથે કામ પાડે છે અને ‘નવી ભાષા’ જન્માવે છે. સાહિત્યના આસ્વાદમાં આથી ‘ભાષાસંવેદન’ જ મુખ્ય વસ્તુ છે. આગલા યુગોમાં કવિતાએ લગભગ હંમેશાં જ્ઞાનવિજ્ઞાન કે વિચારોના વાહન તરીકેનું કામ આપ્યું છે. કહો કે ફિલસૂફી અધ્યાત્મવિચાર સમાજદર્શન કે બીજા કોઈ પણ તત્ત્વબોધને ઝીલવા કવિતાએ ‘માધ્યમ’ તરીકે (કે ‘સાધન’ તરીકે) જ કામ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ એમાં કાવ્યભાષા પણ કવિને પૂર્વજ્ઞાત અને ઇષ્ટ એવા વિચાર કે દર્શનના વર્ણન અર્થે પ્રયોજાતી રહી છે. અને એ સમયના ભાવકો/વિવેચકો પણ એવી કૃતિઓમાંથી ઘણું ખરું તો કવિના વિચાર કે દર્શનને પકડવા આતુર રહેતા જણાશે. કવિના ભાષાકર્મનો અને તેમાં જ નિહિત રહેલા ‘ભાષાસંવેદન’નો તેમને ખાસ સંપર્ક નહોતો. એટલે, પરંપરાગત અધ્યયન/વિવેચનમાં કવિકર્મ જે રીતે ભાષા દ્વારા અને ભાષાની અંતર્ગત ચાલે છે તે પ્રક્રિયા વિશે તેમની સભાનતા કેળવાઈ નહોતી. સર્જક જો પોતાના વિચારોને ભાષામાં માત્ર ‘અનુવાદ’ કરીને ચાલતો, તો ભાવક એ ‘અનુ-વાદ‘માં મૂળના એ વિચારને પકડવા પૂરતો પ્રવૃત્ત થતો. ડૉ. ટોપીવાળાએ પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશેના પોતાના અધ્યયન-પરિશીલનમાંથી અસંખ્ય અવતરણો આપીને પોતાનો આ જાતનો મુદ્દો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સર્જન-વિવેચનના તત્ત્વવિચારમાં આ રીતે તેઓ ભાષાને કેન્દ્રમાં આણે છે. કવિ ‘ભાષામાં’ વ્યવહાર કરતો નથી, ‘ભાષા સાથે’ વ્યવહાર કરે છે એમ તેઓ કહે છે. સંસ્કૃતિને વશ રહેલી કે તેનાથી નિયંત્રિત થયેલી ભાષા સામે કવિનો વિદ્રોહ છે, સંગ્રામ છે. વ્યવહારમાં નિરંતર વપરાશથી લપટી અને નિશ્ચેષ્ટ બની ગયેલી ભાષાની જડ તરાહોને – તેની સ્થિતિચુસ્તતાને – કવિ તોડવા મથે છે, અને એ રીતે રૂઢ ભાષા સામે વિદ્રોહ કરીને તે નવીન કોટિનો ‘અર્થ’ કે નવીન ચેતના જન્માવે છે. સર્જકતા વિશેનો તેમનો આ ખ્યાલ, અલબત્ત, આત્યંતિક વલણોમાં છતો થાય છે. કવિ ‘અનુભવ’ને ‘શબ્દાવવા’ નથી માગતો, ‘શબ્દને અનુભાવવા’ માગે છે એમ પણ તેઓ કહે છે. અહીં કોઈ ઘટનાને શબ્દ સુધી પહોંચાડવાનો પ્રશ્ન નથી, શબ્દ સ્વયં ‘ઘટના’ બની રહે એમ તેમને અભિપ્રેત છે. તાત્પર્ય કે, શબ્દ હવે પૂર્વબોધિત વિચાર કે વિભાવની અવેજીમાં આવતો નથી, તે સ્વયં ઘટનારૂપે આત્મપ્રતિષ્ઠિત છે. વ્યવહારની ભાષામાં જો ‘પ્રાથમિક સર્જકતા’નું તત્ત્વ સ્વીકારીએ તો કવિ એમાં ‘દ્વૈતીયિક સર્જકતા’ રચે છે; વ્યક્તિ-વિશિષ્ટ એવું રૂપ તેમાં નિર્માણ કરે છે. ‘સાચી ભાષા’ તે આ કવિનિર્મિત ભાષા જ છે એમ તેમનું કહેવું છે. કાવ્યનિર્માણની પ્રક્રિયા વિશે વધુ સ્પષ્ટીકરણ કરતાં તેઓ એમ કહે છે કે કવિએ ભાષાના ‘ત્રણ કોઠાઓ’ને ઓળંગી જવાના રહે છે. એક, રોજિંદા વ્યવહારની ભાષા; બે, પોતાની ભાષામાં લખતા અન્ય સાહિત્યકારોએ ખેડેલી ભાષા; અને ત્રણ, કવિએ પોતે જ પોતાની પૂર્વકાલીન કૃતિઓમાં પ્રયોજેલી ભાષા. એ ત્રણેનાં માળખાંને તોડીને વિઘટિત કરીને તે જાણે કે નવું જ માળખું – નવું જ સંઘટન – નિર્માણ કરે છે. દરેક કાવ્ય એ રીતે ભાષાના પુનર્વિધાન દ્વારા નિર્માણ થયેલી નવી ભાષા અને નવું તંત્ર છે. વ્યવહારમાં પ્રયોજાતા functional proseથી એની ઊલટી દિશાની ગતિ છે. અર્થની સંકુલતાઓ અને સંદિગ્ધતાઓનું એમાં અપાર મૂલ્ય છે. શબ્દો હવે બહારની દુનિયાના નિર્દેશક મટી અંદર વળે છે, અંતઃનિર્દેશક બને છે. વ્યવહારની ભાષાનું ખરેખર આ ઘણું ‘ઘનીભૂત‘ રૂપ છે. ‘તાર્કિક વિધાનો’ અને ‘તાર્કિક અર્થો’નો એમાં લોપ થયો છે. એમાં જો કોઈ ‘અર્થ’ પ્રતીત થાય છે, તો તે ભિન્ન કોટિનો સંભવે છે. ખરું મૂલ્ય, આમ છતાં, એને જન્માવનાર કાવ્યભાષાનું છે. ભાવકે/વિવેચકે કવિતામાં આ ભાષાકર્મને અને તેમાં સંયુક્ત ‘ભાષાસંવેદન’ને આસ્વાદનું છે. તેનું જ વર્ણન-વિશ્લેષણ રજૂ કરવાનું છે.&lt;br /&gt;
‘અપરિચિત અ અપરિચિત બ’માં ઉમાશંકર રાજેન્દ્ર મકરંદ ઉશનસ્‌ સુરેશ દલાલ લાભશંકર મહેશ દવે રાવજી આદિ કવિઓની કવિતા વિશે સમીક્ષા રૂપે જે કંઈ ચર્ચા કરી છે તેમાં એ દરેકની ભાષાના સર્જનાત્મક આવિષ્કારો પર તેમની વિશેષ નજર મંડાયેલી છે. ભાષાકર્મની સૂક્ષ્મ તપાસ દ્વારા કૃતિના સાચા કાવ્યમય અંશોની કે કૃતક પદાવલિની નોંધ કરી તેનું મૂલ્યાંકન કરવા તેઓ પ્રેરાયા છે. આપણા કૃતિવિવેચનના ઇતિહાસમાં આ એક ધ્યાનપાત્ર એવું પ્રસ્થાન રહ્યું છે.&lt;br /&gt;
‘પ્રતિ–ભાષાનું કવચ’ ગ્રંથમાં તેમણે કાવ્યચર્ચાનાં જે લખાણો રજૂ કર્યાં છે તેમાં ભાષાલક્ષી અભિગમ વધુ વ્યવસ્થિત અને નક્કર રૂપ લેતો લાગે છે. જો કે ‘પરાવ્યક્તિ અને સંદિગ્ધતા’ જેવા લખાણમાં કેટલીક વિચારણા વિવાદ જગાડી શકે તેવી છે. પણ અહીં એવા વિવાદમાં રોકાઈશું નહિ. માત્ર વિવેચનના સ્વરૂપ અને પદ્ધતિના પ્રશ્ને એક બે બાબતોનો નિર્દેશ કરીશું. એક, આ ગ્રંથમાં ઉમાશંકર આદિ કવિઓની દરેકની એક એક કૃતિ લઈને તેમણે તેનું વ્યવસ્થિત વર્ણન-વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધીના આપણા કાવ્યાસ્વાદો વધુ તો અંગત છાપ પર નિર્ભર હતા, પ્રભાવરૂપ (impressionistic) હતા. ડૉ. ટોપીવાલા કૃતિની ભાષાની તપાસ દ્વારા એની વસ્તુલક્ષી ભૂમિકા દર્શાવે છે. બે, આ જાતના વર્ણન–વિશ્લેષણની સાથે (કે અંતે) કૃતિના મૂલ્યાંકનનો તેમણે કોઈ ઉપક્રમ સ્વીકાર્યો નથી. ભાષાલક્ષી તપાસ અર્થે ય વિવેચકે આ કે તે સિદ્ધાંત સ્વીકારવાનો રહે છે. પણ મૂળ પ્રશ્ન જુદો છે. આ જાતની તપાસ કૃતિમાં genuine poetryની ખાતરી કરાવી શકે? કૃતિની ઉત્કૃષ્ટતા કે મહત્તાનો નિર્દેશ કરી શકે? પ્રશ્નો વિચારણીય રહે જ છે.&lt;br /&gt;
‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ શીર્ષકના લેખમાં ડૉ. ચન્દ્રકાન્તે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે જે નિજી ખ્યાલ રજૂ કર્યો છે તેની ય અહીં નોંધ લેવાની રહે છે. પોતાના મતની સ્થાપના કરતાં તેઓ એમ કહે છે કે આ સદીમાં વિશ્વયુદ્ધો પછી કાવ્યસર્જનની ગતિવૃત્તિ ઉત્તરોત્તર બદલાતી રહી છે. કવિતા હવે ‘મૂલ્યભાર’માંથી મુક્ત થઈ ‘પ્રતિ-મૂલ્યો’ તરફ વધી રહી છે. હવે કળાનિર્માણ-સર્જકતા-નું સાર્વભૌમત્વ સ્વીકારાતું જાય છે. એ રીતે કવિતા પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠિત થતી રહી છે. કળાકૃતિ સ્વયં એક સ્વાયત્ત આત્મનિર્ભર અને અનન્ય પર તેમજ ‘નિરર્થક’ વસ્તુ બની રહી છે. આ કલાની અવેજીમાં બીજી કોઈ વસ્તુ આવી શકે નહિ. કળાકૃતિનો ‘અપરોક્ષ સંનિકર્ષ (violent immediacy)’ એ સમગ્ર ‘સર્જન ભાવન વ્યાપારના કેન્દ્રમાં’ આવ્યો છે. તેમના મતે આ ‘અપરોક્ષ સંનિકર્ષે શુદ્ધ કળાનો મહિમા કર્યો છે, અને એ રીતે એને ‘મુક્તિવાદ’ (Libertarianism) તરફ વાળી છે.&lt;br /&gt;
ડૉ. ચન્દ્રકાન્ત એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે કલાસર્જનની ગતિવિધિ જો આ રીતે બદલાઈ હોઈ તો તેની સાથોસાથ ‘વિવેચનના સંપ્રત્યયો’ પણ બદલવાના રહે છે. અને વિવેચન આમ જો ન કરી શકે તો આખીય એ પ્રવૃત્તિ જ વ્યર્થ નીવડશે. તેઓ આપણું ધ્યાન દોરે છે કે શુદ્ધ કળાના વાદીઓ, આથી જ, વિવેચનનો બહિષ્કાર કરવા પ્રેરાયા છે. વિવેચનની પ્રવૃત્તિ કૃતિના પ્રત્યક્ષ સંવેદનમાં અંતરાયરૂપ બને છે એમ તેમનું કહેવું છે. અત્યાર સુધી વિવેચને કળાતત્ત્વની-રમણીયતાની-ઉપેક્ષા કરીને કેવળ નૈતિક સામાજિક મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક અર્થો શોધવાની અને/અથવા એ રીતે અર્થઘટનો કરવાની પ્રવૃત્તિ કરી છે. પણ કૃતિનો કૃતિલક્ષી વિચાર કરવાનું ટાળ્યું છે કૃતિની સંઘટનામાંથી ઉત્ક્રાંતિ થઈ આવતા વિશિષ્ટ સંવેદનને પામવાને બદલે કૃતિની આસપાસ ઘૂમતા રહેવાનું વલણ આપણા વિવેચકોએ દાખવ્યું છે. પણ વિવેચને જો કૃતિની આસપાસ ઘૂમવાનું જ કર્યું હોય તો વિવેચકનો કાંકરો કાઢી નાખવામાં આવે તેમાં કશું અઘટિત થતું નથી એમ તેઓ કહે છે. તાત્પર્ય કે, ‘શુદ્ધ કળા’ આજે જે રીતે ગતિ કરી રહી છે તેને આજના વિવેચને અનુસરવાનું રહે છે. કૃતિગત સંવેદનાને હવે તેણે કેન્દ્રમાં સ્થાપવાની રહે છે. વિવેચકે કૃતિ સાથેના પોતાના સીધા મુકાબલાનો આલેખ આપવાનો છે. વિવેચનપ્રવૃત્તિ હવે અન્યને ઉદ્દેશીને કે અન્યને અર્થે નહિ, પોતાને અર્થે ચલાવવાની છે, જાત સાથેની એક રીતની એ ‘મથામણ’ છે, ‘આત્મલક્ષી પ્રક્રિયા’ છે. કૃતિના મુકાબલા સાથે પોતાનામાં સર્જાતી sensibilityને તે કેવી રીતે ઓળખે છે, તેનું જ મહત્ત્વ છે. શુદ્ધ વિવેચન એ રીતે જ સંભવે છે. પણ, ડૉ. ચંદ્રકાન્તની વાત પહેલી નજરે સાચી, છતાં પ્રશ્નો જગાડે જ છે. દોસ્તોએવ્સ્કી, એલિયટ કે કામૂની કૃતિનો મુકાબલો કરતાં જે સંકુલ ‘સંવેદન’ ભાવક/વિવેચક અનુભવે છે તેમાં ‘અર્થો’ અને ‘મૂલ્યો’ની અમુક ભાત પડેલી છે, અને બહારના વિશ્વના આપણા અનુભવો અર્થબોધો (કે અર્થબોધની મથામણો) અને મૂલ્યકટોકટીઓ તરફ તેનો સંકેત છે, તેમાં કશોક આપણા અનુભવના રહસ્યનો જીવંત ધબકાર પ્રતીત થાય છે. એટલે ભાવક/વિવેચક એમાં કૃતિના સંવેદનને (કે પોતાની sensibility)ને તાગી જોતાં આવી પ્રતીતિ અનુભવે છે, તો તેનો છેદ ઊડાડી શકાશે? કૃતિમાં – કૃતિ દ્વારા – કશુંક બાહ્ય જીવનનું તત્ત્વ પ્રકાશિત થતું અનુભવાય, તો તેનો અસ્વીકાર કરવો?&lt;br /&gt;
‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અવાસ્તવ’ એ ડૉ. ચન્દ્રકાન્તનો એક મહત્ત્વપૂર્ણ અધ્યયનલેખ છે. જાણીતા પાશ્ચાત્ય અભ્યાસી રોલાં બાર્થની વિવેચનવિચારણાનો અહીં તેમણે સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : &lt;br /&gt;
૧. 	સાહિત્ય ભાષા દ્વારા પ્રગટ થાય છે, એમ નહિ, ખરેખર તો ભાષા સ્વયં સાહિત્ય દ્વારા પ્રગટ થાય છે. બાર્થ આ રીતે આપણને ઉત્કટપણે ભાષાના માધ્યમ વિશે સભાન બનાવવા ચાહે છે.&lt;br /&gt;
૨. 	લેખન એ માત્ર ‘સંકેતોની વ્યવસ્થા છે’. એક રીતે એ ‘કૃત્રિમ સંકેતોની વ્યવસ્થા છે’. સાહિત્યનું આવી કોઈ વ્યવસ્થાના રૂપમાં જન્મવું એનો અર્થ જ એ કે એનું સ્વરૂપ જીવનથી જુદું છે.&lt;br /&gt;
૩. 	‘સાહિત્ય અંતરસ્થ સંબદ્ધ સંકેતોની વ્યવસ્થા હોવાથી’ સાહિત્યનો અર્થ જે જન્મે છે તે સંકેતોની પાછળ રહેલા વાસ્તવિક જીવનના ખરેખરા પદાર્થોના નિર્દેશોથી નહિ, પરંતુ સંકેતો જેનાથી રચાયા હોય એની સામગ્રીની ભિન્નતામાંથી જન્મે છે.&lt;br /&gt;
૪. 	‘સાહિત્ય વિચારસંક્રમણનું માધ્યમ કે પૂર્વે વિચારીને પછી તૈયાર કરેલી સામગ્રી નથી. સાહિત્ય ખરેખર તો ભાષાથી કંઈ વિશેષ નથી. ભાષા જે સંકેતોની વ્યવસ્થા છે એનું અંતસ્તત્ત્વ ઉપદેશમાં સંદેશમાં કે નિશ્ચિત અર્થઘટનમાં નથી, પણ વ્યવસ્થામાં છે. સાહિત્યવિવેચકે આ વ્યવસ્થાને તપાસવાની છે. જેમ ભાષાવિજ્ઞાની વાક્યનો અર્થ નિષ્પન્ન કરતો નથી પણ વાક્યની જે સંરચના દ્વારા અર્થસંક્રમણ શક્ય બને છે તે સંરચનાને સ્થાપિત કરતો હોય છે; તેમ સાહિત્યવિવેચકે સંરચના સ્થાપિત કરવાની છે’૧૬૧&lt;br /&gt;
૫. 	સાહિત્યકૃતિઓને પોતાને કોઈ એક નિશ્ચિત અંતઃસ્થિત અને અપરિવર્ત્યશીલ અર્થ હોતો નથી. વિવેચક સામે કૃતિ એક ‘પ્રહેલિકા’ની જેમ આવી ઊભે છે અને એનો આગવી રીતે ઉકેલ શોધવાનો છે. જો કે એનો કોઈ એક નિશ્ચિત ઉકેલ હોતો નથી. માનવીને સ્વાતંત્ર્ય મળ્યું છે અને એટલે જ તે ભાષાની ઘટનાને જુદી જુદી રીતે ઘટાવી શકે છે.&lt;br /&gt;
૬. 	કૃતિમાં ત્રણ રીતની ‘અનંતતા’નો સામનો કરવાને બાર્થ સૂચવે છે. એક, વ્યવહારના ભાષાસાહિત્યના સંકેતો ‘ભાષાના આ સમુદ્રમાંથી’ સર્જક ખેંચતો હોય છે. બે, સંકેતો – જેને પોતાને કોઈ નિશ્ચિત સીમા હોતી નથી. ત્રણ, કૃતિ પોતે જે ‘આગળ પાછળ અને બહાર બધે એક સુવ્યવસ્થિત પ્રક્રિયા રૂપે વિસ્તરતી રહેતી હોય છે. આ સમગ્ર ઘટનાને લક્ષમાં લેતાં સ્પષ્ટ થશે કે એનો કોઈ નિશ્ચિત અર્થ સંભવતો જ નથી. ભાવક જે કંઈ ‘અર્થ’ એને અર્પે તે જ એનો અર્થ. વિવેચનમાં આ રીતે plurality of critical language જન્મે છે.&lt;br /&gt;
૭. 	બાર્થના મત પ્રમાણે કૃતિની સંરચના નહિ, કૃતિની ‘વિવૃત્તતા’ને કારણે ભાવક એમાં જે સંરચના જૂએ છે તે મહત્ત્વની વસ્તુ છે. બાર્થ ખરેખર તો ‘સંરચના’ (structure) પર નહિ, ‘સંરચનાકરણ’ (structuration)ની પ્રક્રિયા પર જ બધો ભાર મૂકે છે. કૃતિનો ‘દેખીતો નક્કર ગર્ભભાગ’ બાર્થની દૃષ્ટિએ કેવળ ‘ખાલીપો’ છે. કૃતિ પહેલાં કશું હોતું નથી. તેમ કૃતિનો ખરેખર કોઈ ‘અર્થ’ સ્પષ્ટ કરવાનો નથી. કૃતિ વાચકને પોતાની રીતે જેટલું વધુ ‘પુનર્લેખન’ કરવાને અવકાશ આપે તેટલું તેનું વધુ મહત્ત્વ, સાહિત્ય તરીકે તે કૃતિ તેટલી ચઢિયાતી.&lt;br /&gt;
૮. સાહિત્યક્ષેત્રમાં હવે ભાવક કેન્દ્રમાં આવ્યો છે. તે હવે કૃતિનો ‘નિર્માતા’ બન્યો છે.&lt;br /&gt;
૯.	લેખકને પોતાની કૃતિ દ્વારા કશું ‘કહેવાનું’ હોતું નથી ભાષા સાથેનો ‘સાતત્યભર્યો સંઘર્ષ’ – ‘સર્જનશીલ સંઘર્ષ’ એ જ તેનું લેખકકર્મ.&lt;br /&gt;
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે.&lt;br /&gt;
આપણા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીના સર્જનવિવેચનની ઊંડી સમગ્રલક્ષી તપાસ તેમણે પીએચ.ડી.ની ઉપાધિ માટેના મહાનિબંધમાં હાથ ધરી હતી, જે હવે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી તેમણે પ્રકાશિત કર્યો છે. સુવિદિત છે તેમ, સુરેશ જોષી દ્વારા આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં—સર્જન વિવેચન બંને ય ક્ષેત્રમાં–મોટા વળાંકો આરંભાયા, અને આપણા સાહિત્યના ઇતિહાસની એ એક અફર ઘટના બની રહે છે. એટલે તેમના સર્જનવિવેચનના અધ્યયનસંશોધનનું સહજ જ વિશેષ મૂલ્ય ઊભું થાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે : એ મહાનિબંધમાં ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ શીર્ષકના ખંડમાંનું અધ્યયન વિવરણ, સુરેશ જોષી દ્વારા પુરસ્કૃત રૂપવાદી કળામીમાંસા અને તેમાંથી ફલિત થતા રૂપવાદી વિવેચન (કે આકારવાદી વિવેચન)ને સમજવા ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રચી આપે છે. નોંધવું જોઈએ કે સુરેશ જોષીએ સાહિત્યકળા અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે સતત જે રીતે ચર્ચાવિચારણાઓ કરી તે લગભગ બધી જ છૂટક લેખોના રૂપમાં આવી છે તેમની મુખ્ય ભૂમિકા અલબત્ત રૂપવાદી કળા અને વિવેચનની છે. પણ તેઓ જેમ જેમ પશ્ચિમના વિવેચનના નવા નવા વાદો અને વિચારણાઓનો પરિચય કરતા અને કરાવતા ગયા, તેમ તેમ પોતાની મૂળ ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવા, નવી વિચારણાને પોતાની ભૂમિકા સાથે સાંકળી લેવા, તેમ તેની આલોચના કરવા તેઓ પ્રેરાયા છે. એમાં એ રીતે પુનરાવર્તન પણ ઠીક ઠીક થવા પામ્યું છે. આવી વેરવિખેર પડેલી ચર્ચાવિચારણાઓમાંથી સુરેશ જોષીને ઇષ્ટ એવી રૂપવાદી વિચારણાનું સમુચિત આકલન કરવાનું, તેમાંથી વ્યવસ્થિત સુગ્રથિત અને આંતરસંગતિવાળો સિદ્ધાંત રચવાનું તેમ જ તેના સૂચિતાર્થો સ્પષ્ટ કરવાનું કે ઘટાવવાનું મુશ્કેલ કાર્ય ડૉ. સુમન શાહને ફાળે આવ્યું હતું જે તેમણે સુપેરે પાર પાડ્યું છે, એમ કહી શકાય કે સુરેશ જોષીની હમણાં સુધીની (મતલબ, મહાનિબંધ લખાઈ ચૂક્યો ત્યાં સુધીની) વિચારણાઓ પાછળ જે રીતનું aesthetics રહ્યું હતું તેને સમગ્રમાં જોવાને આ ખંડનું અધ્યયન-સંશોધન ઘણું દ્યોતક બની રહે છે. રૂપલક્ષી કળા અને રૂપલક્ષી વિવેચન વિશેની આ તપાસમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયા છે, તેની વિસ્તૃત નોંધ લેવાને અહીં અવકાશ નથી. અને આમેય સુરેશ જોષી વિશેના ખંડકમાં તેમની મુખ્ય ભૂમિકા આપણે સ્પર્શી ચૂક્યા છે, એ કારણે ય અહીં તેનું પુનરાવર્તન કરીશું નહિ. અહીં એટલું જ સૂચવીશું કે સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદી અભિગમ વિશે તેમ જ તેમણે ચર્ચેલા અન્ય અભિગમો અને તેના પ્રશ્નો વિશે ડૉ. સુમન શાહે અહીં સરસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.&lt;br /&gt;
‘વિવેચનનું અનિવાર્ય’ લેખની ચર્ચામાં ડૉ. સુમન શાહ ‘સ્વતંત્ર રીતે... વિવેચનકર્મનું અસ્તિત્વ ધારણ કરનારી અનિવાર્ય ભોંય’ની તપાસ કરવા પ્રવૃત્ત થયા છે. પ્રસ્તુત વિષયની પાશ્ચાત્ય ચર્ચાનું એમાં સ્પષ્ટ અનુસંધાન રહ્યું છે. એમાં સહૃદય ભાવક માટે સાહિત્યકૃતિના ‘વૈયક્તિક ભાવન’ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે : “કળાકૃતિ વિશેની કશી પણ વાતના મૂળમાં, કેન્દ્રમાં, આવું વૈયક્તિક ભાવન હોવું અનિવાર્ય છે. વિવેચન મૂલ્યાંકન કે ચર્ચામીમાંસાનું એ જ બીજ છે, જીવાતુભૂત તત્ત્વ છે.”૧૬૨ તેમની આ ભૂમિકા બિલકુલ સાચી અને સ્વીકાર્ય છે. ડૉ. સુમન આપણી વર્તમાન વિવેચનપ્રવૃત્તિને નજરમાં રાખી એવું અવલોકન કરવા પ્રેરાયા છે કે કૃતિ સાથેના ‘જીવંત સંનિકર્ષમાંથી’ જન્મી આવતા રસબોધને સ્થાને ઘણી ય વાર પરિભાષાઓની જટાજાળ જોવા મળે છે. વિવેચનમાં સાહિત્ય વિષયક ‘પાંડિત્ય’ને અમુક હદ સુધી જ સ્થાન હોય, એમ તેમનું કહેવું છે. ખરી અનિવાર્યતા કૃતિ વિશેની સૂક્ષ્મતર સંવેદના ઝીલવાની છે. કેવળ સૈદ્ધાંતિક વિવેચનના વિનિયોગ દ્વારા – પરિભાષાઓના ઉપયોગ દ્વારા - કૃતિને તે ન્યાય કરી શકશે નહિ. આપણા પ્રાચીન સાહિત્યાચાર્યોએ ‘સહૃદય’નું જે રીતે અનન્ય મહત્ત્વ કર્યું છે તે તરફ તેઓ આપણું લક્ષ ખેંચે છે. “અલૌકિક આનંદાનુભવનો અધિકાર એક માત્ર સહૃદયને છે વિવેચનમાં મૂલસ્થ છે, મૌલિભૂત પણ છે.”૧૬૩ કાવ્યના ભાવન અર્થે આમ ભાવક પાસે પણ આગવી પ્રતિભા જોઈએ. ‘સહૃદયતાને’ વેદનશીલતા રૂપે ઘટાવી ડૉ. સુમન એમાં સમગ્રલક્ષી ક્રમિક વિકાસ – cumulative progress – હોવાનું નોંધે છે. દરેક કૃતિના ભાવનમાંથી સહૃદયની ‘વેદનશીલતા’ ‘સમૃદ્ધ કે સશક્ત’ થઈ ત્યારે જ કહેવાય, જ્યારે બીજી કળાકૃતિને પામવા એમાંથી નવું બળ નવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા આચાર્યોએ સહૃદયતાના વિકાસ અર્થે કાવ્યાનુશીલન કરવાનું જરૂરી ગણ્યું છે, પણ એ કંઈ નીતિ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોની ખોજ કરવા ઝંખતું ‘બહુશ્રુતત્વ’ નથી. વિવેચન એ કંઈ આસ્વાદથી અળગી રીતે ચાલતી બહુશ્રુતતાની ખોજ નથી. કૃતિમાંથી પ્રાપ્ત થતો ‘શુદ્ધ વૈયક્તિક’ રસાનુભવ પોતે જ ‘કલાકીય મૂલ્યો’નો સ્રોત બને છે અને એનું જ તો ખરું મહત્ત્વ છે. ભાવકે, અલબત્ત, પોતાની આ વેદનશીલતાને ‘સુસજ્જ‘ બનાવવાની રહે. ભાવનની પ્રક્રિયા દરમિયાન એ વેદનશીલતા તેને માટે ‘દૃષ્ટિ’ અને ‘દર્પણ’ બંને બની રહેવાં જોઈએ.&lt;br /&gt;
વિવેચનવ્યાપાર, અલબત્ત, આ ભાવનથી જુદી વસ્તુ છે; જો કે વિવેચન અર્થે ભાવન સ્વયં ‘બીજ રૂપ’ છે, મૂળ ભૂમિકા રૂપ છે, અને એ રીતે જ એ અનિવાર્ય છે. બીજી રીતે, ‘ભાવન’ પૂર્ણતયા subjective છે, જ્યારે વિવેચનમાં વિવેચકે Objective બનવાનું છે. ડૉ. સુમન શાહ નોંધે છે કે આ Objective બનવાની ક્ષણે જ અપ્રસ્તુત એવા ઐતિહાસિક સંદર્ભમાં કે પરંપરાઓમાં કે પરિભાષાની જટાજાળમાં ભાવક ગૂંચવાઈ પડે એવો ભય રહ્યો છે. સાર્ત્રના કાર્યના એક સંદર્ભમાંથી તેઓ એવો નિષ્કર્ષ તારવી આપે છે કે “આદર્શ વિવેચન એ ભાવન અને વિભાવન વચ્ચે ઊભા થતા tensionનો જ નકશો હોય છે, આલેખ હોય છે.”૧૬૪ અર્થાત્‌ ‘ભાવન’માંથી વિભાવન બાંધવાની એક જે પ્રક્રિયા ચાલે છે તેમાં કશુંક dialectically વિકસતું આવે છે. આ જાતનું વિભાવન, તેઓ ઉમેરે છે કે, ત્રીજા જ વાચક માટે છે. એ રીતે એ ‘સપ્રયોજન’ પ્રવૃત્તિ છે. ડૉ. સુમન એવા મતના છે કે વિવેચનની ‘રીતિ’માં વિવેચકના આગવા વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવતી હોય છે. જો કે એમાં ‘શૈલી’નું નિર્માણ ભલે હોય, ‘પરિભાષા’નું ‘બંધન’ ન હોવું જોઈએ. તેમનું એમ કહેવું છે કે પારિભાષિક માળખું આદર્શ વિવેચનકર્મ માટે ઘણી વાર નકામું અને કાલગ્રસ્ત હોય છે. આદર્શ વિવેચનમાં પરિભાષા ઉત્ક્રાન્ત થતી હોય છે. એ હાથવગું સાધન, મદદકર્તૃ હોઈ શકે પણ એના અભાવમાં વિવેચક પંગુ ન બની જવો જોઈએ. કલાનુભવ જ એટલો બધો તરવરાટભર્યો, પ્રાણ ધબકતો હોય છે કે બોલનારની વાતમાં જ ભાષાને નવાં પરિમાણ ફૂટે. આ અર્થમાં પારિભાષિક સંજ્ઞાઓનું સશક્ત વિવેચનમાં સંમાર્જન સંવર્ધન થતું હોય છે અને ને ઉત્ક્રાન્તિ – ક્રમ સ્થપાતો હોય છે.”૧૬૫ ડૉ. સુમન શાહની આ વિચારણાનું તાત્પર્ય સમજવાનું મુશ્કેલ નથી. તેમને એમ સૂચવવું છે કે કૃતિના આસ્વાદ ભાવનની સૂક્ષ્મતમ છટાઓને છેવટે ભાષામાં ઝીલવાની છે; અને સંભવ એ છે કે પરિભાષાની જટાજાળ એની એ સર્વ સૂક્ષ્મતાઓ અને વિશિષ્ટતાઓને ઢાંકી દે. એટલે, પરિભાષાનો વિનિયોગ થાય ત્યારે પણ એનો ‘અર્થવિકાસ’ ભાવનના વર્ણનની સાથોસાથ થતો રહે એમ બનવું જોઈએ.&lt;br /&gt;
કૃતિ વિશેના વિવેચનમાં ખરેખર તો કૃતિ પોતે જ સાર્વભૌમ છે, સર્વેસર્વા છે, નહિ કે વિવેચનના સિદ્ધાંતો (કે તેમાં યોજાતી પરિભાષા). વિવેચનનું પરમ પ્રયોજન જ વિવેચ્ય કૃતિનું હાર્દ ખુલ્લું કરવાનું છે. વિવેચકની અંતિમ નિષ્ઠા કૃતિમાં જ હોય, હોવી જોઈએ. ડૉ. સુમને બીજો એક મુદ્દો એ છેડ્યો છે કે વિવેચક કંઈ કૃતિનો નિષ્ક્રિય ભોક્તા નથી જ. ભાવન દરમ્યાન તેણે કૃતિનું સક્રિયપણે પુનઃસર્જન કરવાનું છે. કલાકૃતિની ‘પૂર્ણતા રચી લેવી’ એ તેની જવાબદારી છે. જો કે ‘પૂર્ણતા’ રચવાની એ પ્રક્રિયામાં ભયસ્થાનો ઓછાં નથી. વિવેચક કૃતિને પોતાને જ ‘પૂર્ણતા’માં પામે છે કે કશુંક આત્મલક્ષી ઉમેરણ કે આરોપણ પોતાના તરફથી કરે છે એનો વિવેક કરવાનું કાર્ય અતિ નાજુક અને તેથી મુશ્કેલ છે.&lt;br /&gt;
પ્રસ્તુત લેખની ચર્ચામાં ડૉ. સુમન કળાકૃતિના આસ્વાદ ભાવનની પરિશુદ્ધિ પર સતત ભાર મૂકતા રહ્યા છે. વિવેચનમાં રૂઢ બનેલાં ધોરણો અને તેની પાછળનાં શાસ્ત્રો આદિના વિસ્તાર સામે તેઓ આથી સ્વાભાવિક રીતે જ વાંધો લેવા પ્રેરાયા છે ‘પરંપરાગત’ અને ‘ફૂલેલા ફાલેલા’ એ વિવેચનશાસ્ત્રની સામે તેમની ફરિયાદ છે. તેઓ કહેવા માગે છે કે એવાં ‘ધોરણો’ ‘શાસ્ત્રો’ ‘મૂલ્યો’ કે ‘ભાષ્યો’ ભાવકને કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં આવતાં રોકે છે. તેમનો આ ભય અલબત્ત, ખોટો નથી, એમ આપણે કહેવું જોઈએ, પણ સાથે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે ભાવનને જ્યાં વિભાવન રૂપે મૂકવા વિવેચક પ્રવૃત્ત થાય છે – અને ભાવનના વિભાવનની વાત તેમણે સ્વીકારી છે – ત્યાં જાણ્યેઅજાણ્યે ય કોઈક સિદ્ધાંત કોઈક ધોરણ કે મૂલ્યબોધ અનુસ્યૂત રહ્યો હોય છે. વિવેચનનું વિધાન વર્ણનાત્મક હોય, અર્થઘટનાત્મક હોય કે મૂલ્યવાચક હોય, તેની પાછળ ઘણું ખરું કોઈક principle નિયામકતત્ત્વ તરીકે પ્રચ્છન્નપણે કામ કરતો હોય છે. ડૉ. સુમને એવી સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે કે વિવેચક ભાવન પછી વિભાવનમાં રોકાય છે ત્યારે તે અમુક ‘એસ્થેટિક્સ’ને અનુસરતો હોય છે. પણ એ ‘એસ્થેટિક્સ’ તે પરંપરાગત સૌંદર્યમીમાંસાની વિચારસરણી કે કળાના અમુકતમુક ખ્યાલો નહિ, પણ કૃતિના ‘સમગ્ર structure અને આવશ્યક શિસ્તવાળી પોતાની વેદનશીલતાના મુકાબલામાં, એના tensionમાંથી જન્મેલી total patterns એસ્થેટિક’ છે એમ અર્થ લેવાનો છે. જો કે આપણે એ વિશે તરત કહી શકીએ કે tensionમાંથી ‘total pattern‘ નીપજાવવામાં કળાવિચારની અમુક કોટિઓ અને અમુક વિભાવનાઓનો વિનિયોગ હોવાનો જ. અનુભવ માત્રને-રસાનુભવને પણ અલૌકિક સ્તરનો અનુભવ કહ્યો છે – કોઈ પણ રીતે પેટર્નમાં ઢાળવાનો ઉપક્રમ કળાકીય કોટિઓ/વિભાવોની અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
‘નવ્ય વિવેચન પછી’ પુસ્તિકામાં ડૉ. સુમને ત્રીસીચાળીસીમાં પશ્ચિમના વિવેચનમાં વધુ તો અમેરિકામાં પ્રવર્તેલા ‘નવ્ય વિવેચન’ની સંક્ષિપ્ત ભૂમિકા બાંધી તેના અનુસંધાનમાં તે પછી જન્મેલા નવા વિવેચનાત્મક અભિગમોનો ટૂંકો અધ્યયનલક્ષી પરિચય આપ્યો છે. એમાં ભાષાલક્ષી, સંરચનાલક્ષી અને સંવિતલક્ષી અભિગમોની તેમણે જે રીતે છણાવટ કરી છે તેથી આ ક્ષેત્રની આપણી ચર્ચાવિચારણામાં એક મહત્ત્વનું પ્રકરણ ઉમેરાતું જણાશે. જો કે, કોઈ કોઈ સંદર્ભે એમાં વસ્તુવિચાર કંઈક ક્લિષ્ટ કે અસ્પષ્ટ રહી ગયો છે પણ એ સિવાય તેમની ચર્ચાવિકાસની ભૂમિકા સુગ્રાહ્ય છે. ‘નવ્ય વિવેચન’ના અનુસંધાનમાં, એ અભિગમની પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા દર્શાવાયેલી મર્યાદાઓ અને ઊણપો અને તેને અતિક્રમી જવાના તેમના પ્રયત્નોની ભૂમિકા સુપેરે મૂકી આપી છે. સાહિત્યવિવેચનનો ભાષાલક્ષી અભિગમ, એ વિશેનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાશ્ચાત્ય દૃષ્ટિબિંદુઓને લક્ષમાં લઈને તેમણે સ્પષ્ટ કર્યો છે. એ જ રીતે ‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ ખંડની ચર્ચામાં સંરચનાવાદી અભિગમ વિશે તેમણે ઠીક ઠીક વિસ્તારથી અધ્યયનપૂત ચર્ચાઓ કરી છે અંતમાં આવા અભિગમના નિદર્શન લેખે કિશોર જાદવની ટૂંકી વાર્તા ‘લેબીરીન્થ’નું વર્ણન-વિશ્લેષણ રજૂ કર્યું છે. આ પુસ્તિકાનું પ્રકાશન એ રીતે આપણી વિવેચનમીમાંસાના વિકાસમાં મહત્ત્વનું અર્પણ બની રહે છે. સંરચનાવાદ વિશે ડૉ. સુમન સતત અધ્યયનમાં પ્રવૃત્ત થયા જણાય છે. પાછળથી આ વિશે તેમણે બીજો એક વિસ્તૃત અધ્યયનલેખ આપ્યો છે. &lt;br /&gt;
‘વિવેચનના ૨૫ મુદ્દાઓ’ શીર્ષકના એક તાજેતરના લખાણમાં વિવેચનના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિના મુદ્દાઓ મૂક્યા છે. એમાં ચર્ચા ખમી શકે તેવા મહત્ત્વના તાત્ત્વિક મુદ્દાઓ પડેલા છે.&lt;br /&gt;
‘વિવેચનની દિશા અને દશા’ની લેખશ્રેણીમાં આપણી વિવેચનાની ગતિવિધિઓને અવલોકવાનો નિજી કહી શકાય તેવો તેમનો દૃષ્ટિકોણ કામ કરી રહ્યો છે. આપણા વિવેચનના સર્વતોમુખી વિકાસની ઉદાત્ત ભાવના જ તેમને આપણી વર્તમાન પરિસ્થિતિનું કડક નિરીક્ષણ કરવા પ્રેરે છે.&lt;br /&gt;
“માકર્‌સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્‌સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્‌સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્‌સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્‌ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ એ પુસ્તક આઠ પ્રકરણમાં વહેંચાયું છે. પહેલું પ્રસ્તાવના રૂપ પ્રકરણ આ અભિગમનું મહત્ત્વ સ્પષ્ટ કરવાને રજૂ થયું છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે આપણે ત્યાં મોટા વળાંકો આવતા રહ્યા છે, સર્જનનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ એને મૂલવવાને આવશ્યક નવાં parameters આવ્યાં નથી એમ તેઓ કહે છે. તેમની એ વાતમાં ઘણું તથ્ય છે. વળી આપણે ત્યાં નવી કવિતા–સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતા—જે રીતે કવિચિત્તના અજ્ઞાત સ્તરનાં સંવેદનોને પ્રકટ કરતી થઈ, અને તેના અધ્યયન-વિવેચન અર્થે આ જાતના interdisciplinary approachની મોટી અનિવાર્યતા ઊભી થઈ ત્યારે પણ, આપણું વિવેચન એવે વખતે જરૂરી માળખું પૂરું પાડી શક્યું નથી એમ તેઓ કહે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : ‘કવિતાનું સીધુ સાદું મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કરેલું વિવરણ વધુ ફળદાયી નીવડી શકે એવું લાગે છે. મનોવિજ્ઞાનલક્ષી વિવેચનમાં આપણે શું હોવું જોઈએ – તેવાં મૂલ્યોની ચર્ચા કરી શકીએ નહીં. કારણ કે મનોવિજ્ઞાન કેટલેક અંશે descriptive છે, નહીં કે nomative, અમુક કવિતા સારી છે કે ખરાબ એવું વિધાન આવો વિવેચક કરી શકે નહીં.’ તો આપણે નોંધવાનું રહે છે કે આ રીતે આ અભિગમ સર્જક કે ભાવકચિત્તની ઘટનાઓ વિશે ખુલાસાઓ આપી શકે, પણ કૃતિની ઉચ્ચાવચતાનાં ધોરણો રચી આપી શકે નહિ. મનોવૈજ્ઞાનિક અભિગમથી કૃતિની તપાસ કરવામાં આવે ત્યારે પણ psychological explanation એ કૃતિના ‘અર્થ’નો આંશિક ખુલાસો જ બની શકે, સમગ્ર કૃતિનો રહસ્યબોધ એ નથી જ.&lt;br /&gt;
બીજા પ્રકરણનો વિષય ધ્યાનપાત્ર છે : સર્જનપ્રક્રિયા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, એમાં સર્જનને પ્રેરતાં માનસિક બળોનો –આવેગમુકિત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, લઘુતાગ્રંથિ સામે સંપૂર્તિ, પરપીડનવૃત્તિ, અનુકૂલન આદિનો – વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. એ ચર્ચામાં ફ્રોય્‌ડને અભિમત unconsciousનો ખ્યાલ પાયામાં રહ્યો છે. તેઓ દર્શાવે છે કે ગાંધીયુગની કવિતા (અને તેનાં પ્રતીકોય) ચેતન સ્તરની નીપજ હતી, જ્યારે એ પછીની કવિતા અચેતનની અભિવ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો, અગાઉની કવિતા ego કે super egoના સ્તરેથી આવતી હતી, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કવિતા id માંથી જન્મી છે. સંસ્કૃતિ નીતિમત્તા સદાચાર આદિના નિષેધોથી તે મુક્ત છે. મધુ કોઠારીનું આ અવલોકન ઘણે અંશે સ્વીકારી શકાય તેવું છે. પણ પૂરતાં દૃષ્ટાંતો લઈને તેમણે આ ચર્ચાને વિકસાવી નથી. પ્રકરણ ત્રીજામાં કવિનું વ્યક્તિત્વ અને ચોથામાં વિવેચકનું મનોવૈજ્ઞાનિક વિશ્વ, તેમણે આ જ રીતે અધ્યયનનો વિષય બનાવ્યું છે. અહીં પણ તેમનું અધ્યયન-ચિંતન પૂરતાં દૃષ્ટાંતોના અભાવે કંઈક ઊણું રહી જાય છે. પાંચમા પ્રકરણમાં ‘સાપ’ અને ‘શબ’ એ બે પ્રતીકોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવિમર્શ કર્યો છે. અહીં તેમણે દૃષ્ટાંતો ઘણાં લીધાં છે, પણ એ પ્રતીકો કવિચિત્તમાં કેવી રીતે બંધાવા પામે, અથવા કવિચિત્તની અમુક વૃત્તિઓ લાગણીઓ એમાં શી રીતે સાકાર થાય, શી રીતે આવું strange પ્રતીકાત્મક રૂપ લે – તે વિશે પૂરતો ખુલાસો આપ્યો નથી. યુંગનો archetypes – આદિમરૂપનો વિચાર છઠ્ઠા પ્રકરણમાં અને ‘સૂરજ’નો એક archetype તરીકેનો વિચાર સાતમામાં થયો છે. છેલ્લા આઠમા પ્રકરણમાં જયંત પાઠકની રચના ‘મૃત્યુ’નું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘રસદર્શન’ કરાવવાનો ઉપક્રમ છે. એકંદરે, મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રાથમિક પરિચય મેળવવાને આ પુસ્તક કામ આવે એવું છે.&lt;br /&gt;
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે.&lt;br /&gt;
આ લખનારે પણ આ વિશે કેટલાંક લખાણો પ્રગટ કર્યાં છે તેનો નમ્રભાવે નિર્દેશ કરવાનો રહે. (૧) ‘વિવેચન’ની સંજ્ઞા વિશે (૨) ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ (૩) ‘આપણા સાહિત્યમાં પ્રકારલક્ષી વિવેચન’ (૪) ‘આકૃતિવાદ’ની ભૂમિકામાં (૫) ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ (૬) ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (૭) ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૮) ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ (૮) ‘આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ’ (૧૦) ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ – આ સર્વ સ્વતંત્ર રૂપના અધ્યયનલેખો છે. ઉપરાંત, રોલાં બાર્થ, જ્યોર્જ પુલે, જ્હોન લેચર, રેને વેલેક આદિ પાશ્ચાત્ય અભ્યાસીઓના આ વિશેના કેટલા મહત્ત્વપૂર્ણ લેખોના (કે તેના અમુક અંશોના) અનુવાદો પણ પ્રગટ કર્યા છે.&lt;br /&gt;
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87778</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/V_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87778"/>
		<updated>2025-04-27T08:23:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading| V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }} {{center|૧.}} {{Poem2Open}} સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં સક્રિય બન્યાં—સુરેશ જોષી એના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા—અને એ સાથે આપણા સાહિત્યક્ષેત્રમાં—સર્જન તેમ વિવેચન બંનેય ક્ષેત્રમાં કેટલાંક ચોક્કસ મૂળગામી પરિવર્તનો આવ્યાં, એ બધી બાબતો આપણા સૌ સાહિત્યરસિકોને હવે સુપરિચિત બની ગઈ છે. એટલે એ આંદોલનનું સ્વરૂપ, તેનો ઉદ્‌ભવપ્રસાર, સર્જનાત્મક સાહિત્યના પ્રયોગો અને તેમાં જન્મેલાં નૂતન વલણો, અને તરુણ પેઢીના સર્જકોનું આગવી રીતનું અર્પણ વગેરે મુદ્દાઓની ચર્ચાઓનું આપણે અહીં પુનરાવર્તન નહિ કરીએ. માત્ર બદલાયેલી પરિસ્થિતિમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં કયા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા—વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમજ વિવેચનના અભિગમ વિશે કયા નવા વિચારો જન્મ્યા અને વિકસ્યા અથવા સ્વીકારાયા અને પ્રતિષ્ઠિત થયા, વગેરે બાબતો પર જ સીધું લક્ષ્ય કેન્દ્રિત કરીશું.&lt;br /&gt;
અલબત્ત, આ ગાળામાં સાહિત્યની કળા વિશેનો ખ્યાલ અને વિવેચનની વિભાવના બંને સાથોસાથ બદલાયાં છે. બલકે, વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ અભિગમ વિશેની નૂતન વિચારણાઓ બદલાયેલી સાહિત્ય-વિભાવના સાથે સીધી રીતે સંકળાયેલી છે. અગાઉની વિવેચનમીમાંસા કરતાં, આ તબક્કામાં અનેકવિધ નવપ્રસ્થાનો જોવા મળે છે. આગલી પેઢીના વિદ્વાનો–વિવેચકોમાં જૂજ અપવાદો બાદ કરતાં પરંપરાગત વિચારણાને વળગી રહેવાનું બળવાન વલણ રહ્યું છે, જ્યારે નવી પેઢીના અભ્યાસીઓ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઉત્સુક બનીને અવનવી દિશામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ તરુણ અભ્યાસીઓની ચર્ચાવિચારણાનો ઝોક સમજવાનો અને ખાસ તો અગાઉની વિવેચનતત્ત્વવિચારણાથી તેમનું નવપ્રસ્થાન સમજવાનો આપણો અહીં મુખ્ય આશય છે&lt;br /&gt;
તરુણ પેઢીના વિદ્વાનો—વિવેચકોમાં સુરેશ જોષીની પ્રવૃત્તિ ઘણી વિશાળ અને ગતિશીલ રહી છે. સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સર્જનાત્મક સાહિત્ય પર અને આપણા વિવેચનસાહિત્ય પર પણ તેમની વિવેચનાની વ્યાપક અને ઘેરી બલકે નિર્ણયાત્મક અસરો પડી છે. સુવિદિત છે તેમ, સર્જનવિવેચનની તેમની સમગ્ર પ્રવૃત્તિ પાછળ કળા સર્જકતા અને રૂપનિર્મિતિ વિશેની આગવી સમજ રહી છે. ત્રીસીચાળીસીમાં ખેડાતા રહેલા પરંપરાગત સાહિત્ય સામે એમાં, અલબત્ત, તીવ્ર પ્રતિક્રિયા જોઈ શકાશે. છેલ્લા ત્રણ દાયકા જેટલી કે તેથી ય કંઈક વધુ ગાળાની તેમની વિવેચનપ્રવૃત્તિમાં સિદ્ધાંતવિચાર છે, આપણી સાહિત્યિક પરિસ્થિતિનું તેમ તેની ગતિવિધિઓનું કઠોર પરીક્ષણવિવેચન છે, કૃતિનાં આસ્વાદમૂલક લખાણો છે, અને સાહિત્ય સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક પાયાના વિચારોની પ્રતિષ્ઠા કરવાનો પુરુષાર્થ પણ છે. આપણા સાહિત્યના વિકાસ અર્થે તેમનો આમ વિભિન્ન દિશાઓનો સભાન પ્રયત્ન આજ સુધી જારી રહ્યો છે. પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનતત્ત્વવિચારના મુદ્દાઓ, અહીં આપણે ત્યાં છેડીને, આપણી એ વિશેની જાગૃતિ વધે, જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે, એવી શુભ દૃષ્ટિથી સંનિષ્ઠભાવે તેઓ પ્રવૃત્તિ કરતા રહ્યા છે. તેમની કળાવિચારણાની ફેરતપાસ કરવાનો જો કે આ ઉપક્રમ નથી. પણ વિવેચનમીમાંસાને લાગેવળગે છે તેટલા પૂરતું, તેમની એ વિશેની વિચારણાના બિલકુલ પાયાના મુદ્દાઓને, આપણે અહીં ટૂંકમાં નોંધીશું.&lt;br /&gt;
(૧)	કળાસર્જનની પ્રવૃત્તિ કેવળ લીલામય પ્રવૃત્તિ છે. ભાવકને કોઈ બોધ ઉપદેશ કે સંદેશ આપવાનો એમાં રજમાત્ર આશય ન હોય, ન હોવો જોઈએ. કેવળ સર્જકતાનું સુરેશ જોષીને મન પરમ મૂલ્ય છે.&lt;br /&gt;
(૨)	વાસ્તવવાદી સાહિત્યકાર પોતાની આસપાસની પરિચિત વાસ્તવિકતાનું આલેખન કરવા પ્રવૃત્ત થતો હોય છે પણ એ તો સ્થૂળ છીછરી અને ઉપરઉપરની વાસ્તવિકતા છે. એથી વધુ સત્ય અને વધુ સાચકલી વાસ્તવિકતા તે સર્જક કલ્પનાની છે. એના આશ્લેષમાં કપોલકલ્પિત એબ્સર્ડ સ્વપ્નસૃષ્ટિ ભ્રાંતિ અને પરીકથાઓ જેવી સૃષ્ટિઓ સમાઈ જાય છે.&lt;br /&gt;
(૩)	સાહિત્યનું (કળા માત્રનું) પ્રાણભૂત તત્ત્વ તેની આકૃતિ (કે રૂપ નિર્મિતિ) છે. કળાનું એકમાત્ર કે મુખ્ય પ્રયોજન આકારનિર્માણનું છે. ટેક્‌નિક નામની વસ્તુ પણ આકારનું ‘સાધન’ છે, અને સંસિદ્ધ આકારમાં તેની સાથે તે એકાકાર બનતું તત્ત્વ છે.&lt;br /&gt;
(૪)	ટેક્‌નિક અને આકાર કળાકૃતિમાં રજૂ થતી વસ્તુની વ્યંજનાને બધી ય દિશામાં વિસ્તરવાને અમર્યાદ અવકાશ રચી આપે એમાં જ એની સાર્થકતા છે. આ રીતે કૃતિ સ્વયં એક પ્રતીકાત્મક વિશ્વ બનવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. કળાકૃતિ એક સ્વતંત્ર સ્વાયત્ત આત્મનિર્ભર અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ બને છે. એટલે કે, એનું જે કંઈ રહસ્ય છે તે તેની અંતર્ગત સિદ્ધ થયેલું છે. એ માટે પોતાનાથી ઇતર વસ્તુ પર તે આધાર રાખતું નથી. સ્વાયત્તતાનો સૂચિતાર્થ એ કે કળામાં રજૂ થતા વિશ્વને કવિકર્મ દ્વારા જે અપૂર્વ રહસ્ય મળ્યું છે, તેને પરિચિત જગતની સાથે ક્યાંય કોઈ સંબંધ કે સહસંબંધ સંભવતો નથી.&lt;br /&gt;
(૫)	કથાસાહિત્યમાં ઘટનાઓના હ્રાસ દ્વારા, માનવજીવનના જીવંત સંદર્ભોના અમાનવીયકરણ દ્વારા, લાગણીનાં પ્રતીકાત્મક રૂપોના નિર્માણ દ્વારા, કલ્પનો પ્રતીકો અને મિથોના વિનિયોગ દ્વારા, કપોલકલ્પિત એબ્સર્ડ આદિ અતિવાસ્તવના અનુસંધાન દ્વારા–એના વિશ્વને જુદી જ કક્ષાએ પ્રતિષ્ઠિત કરવાનું છે. પ્લૉટની અટપટી કરામતોથી કથાવસ્તુના યાદૃચ્છિક વિસ્તારથી કે યાંત્રિક સાંધાવાળી વાર્તાના વિસ્તારથી અળગા થઈ એમાં એક સજીવ અખંડ ભાવવિશ્વ નિર્માણ કરવાનું છે.&lt;br /&gt;
(૬)	કથાસાહિત્યમાં રજૂ થતાં પાત્રોને યાદૃચ્છિકપણે યોજવાનાં નથી, તેમ તેને અમુક ગુણો કે દુર્ગુણોનાં કેવળ ‘પાત્રો’ લેખવાનાં નથી. તેને દરેકને પોતાના કાર્ય માટે સંકલ્પશક્તિ હોય, સ્વાતંત્ર્ય હોય, પસંદગીના અને ઉતરદાયિત્વના ખ્યાલ હોય, એ પાત્રો authentic being માટે આત્મખોજ કરે, આત્મસંઘર્ષ કરે, ત્યારે જ સાચી માનવીય વાસ્તવિકતા જન્મે છે.&lt;br /&gt;
(૭)	રચનારીતિ (technique) દ્વારા સર્જકે પોતાના પરિચિત વાસ્તવનું કળાના વિશ્વમાં રૂપાંતર કરવાનું છે. રચનારીતિ જ કલાસામગ્રીને નવી વ્યવસ્થા (new order) અર્પે છે, નવો અર્થ અને નવું મૂલ્ય અર્પે છે. સર્જકનું જે કંઈ અવ્યક્ત કે અર્ધવ્યક્ત ભાવજગત છે તેને રચનારીતિ જ એક આગવી વાસ્તવિકતા અર્પે છે.&lt;br /&gt;
(૮)	રચનાપ્રક્રિયામાં સર્જક ભાષાના માધ્યમની બધી શક્યતાઓને સભાનપણે તાગવા મથી રહે છે. જે કંઈ અસ્ફુટ અને અમૂર્ત છે તેને નક્કર ઐન્દ્રિયિક રૂપો અર્પે છે. ઇંદ્રિયવ્યત્યય દ્વારા, અભિવ્યક્તિની અવનવી પ્રયુક્તિઓ અને પ્રણાલિઓ દ્વારા, જૂની પ્રયુક્તિઓના નવવિધાન દ્વારા સંવિદ્‌નાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રૂપોને ઝીલવા તેમ જ દુર્ગ્રાહ્ય એવી ચૈતસિક વાસ્તવિકતાનો તાગ લેવા મથે છે.&lt;br /&gt;
સુરેશ જોષીની આ જાતની વિચારણા તેમની સર્જનપ્રવૃત્તિમાં કેન્દ્રીય બળ બની રહે છે, તો તેમની વિવેચનપ્રવૃત્તિની મુખ્ય આધારશિલા બની રહે છે. સિદ્ધાંતવિચારના ક્ષેત્રમાં ફરી ફરીને તેમણે પોતાની આ મુખ્ય ભૂમિકા નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃતિવિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઓછી પ્રવૃત્તિ કરી છે, પણ આપણા સાહિત્યની ગતિવિધિ વિશે, ખાસ તો આપણા સર્જાતા જતા સાહિત્ય વિશે વારંવાર તેઓ વ્યાપકપણે અવલોકનો કરતા રહ્યા છે, અને તેમાંય પોતાની મૂળ ભૂમિકા સાથે અનુસંધાન કેળવતા રહ્યા છે. અને એ જ રીતે વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ય મૂળ ભૂમિકા સાચવીને ચાલવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. જો કે આ ક્ષેત્રમાં કુંઠિત થઈ ગયેલી આપણી વિચારણાને નવું જોમ અને નવી દિશા બતાવવા પશ્ચિમની બીજી અનેક વિચારધારાઓનો તેઓ પરિચય કરાવતા રહ્યા છે. ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં ગ્રંથસ્થ થયેલાં અને બીજાં ગ્રંથસ્થ ન થયેલાં આ વિષયનાં લખાણો ખરેખર તો પશ્ચિમના અનેક નૂતન ખ્યાલોને સ્પર્શે છે. એ લખાણોમાં કેટલાક સંદર્ભે તેમની ચર્ચા વિશદ બની શકી નથી, ઠીક ઠીક ગૂંચો અસ્પષ્ટતાઓ પણ એમાં રહી ગઈ છે, પણ એમાં તેમનો હેતુ નવા પાશ્ચાત્ય પ્રવાહોથી આપણા સાહિત્યજિજ્ઞાસુ વર્ગને સભાન કરવાનો છે.&lt;br /&gt;
પોતાની સાહિત્યિક કારકિર્દીના આરંભથી જ સુરેશ જોષી કળાના આસ્વાદ પર એકધારો ભાર મૂકતા આવ્યા છે. વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં એ સાથે એક નવું જ પ્રકરણ આપણે ત્યાં આરંભાયું છે, અને કૃતિ પરત્વેનો અભિગમ બદલાયો છે; એટલું જ નહિ વિવેચનના સ્વરૂપગત પ્રશ્નો, પદ્ધતિઓ અને એની સાથે સંબંધિત જ્ઞાનવિજ્ઞાન વિશે નવી અભિજ્ઞતા જન્મી છે. આ રીતે વિવેચન–મીમાંસાના ક્ષેત્રમાં નવી સભાનતા જગાડવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે.&lt;br /&gt;
‘કાવ્યનો આસ્વાદ’ નામના લેખમાં તેમની કાવ્યવિભાવના રજૂ થઈ છે અને આસ્વાદપ્રવૃત્તિનું મહત્ત્વ તેમણે એમાં સમર્થ રીતે બતાવ્યું છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે કાવ્યકૃતિ સ્વયં એક વિશ્વ છે, સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત એવું વિશ્વ છે એનું આગવું ઓન્ટોલોજિકલ સ્ટેટસ છે. એમાંથી આપણે સાર કાઢવાનો કે મુખ્ય વિચાર તારવવાનો કે એમાંનો બોધ સંદેશ શોધી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે-અને એ હકીકત રહી છે કે સુરેશ જોષીએ આસ્વાદની પ્રવૃત્તિને આંદોલનના રૂપમાં સક્રિય ન કરી ત્યાં સુધી કવિતાને જોવાનું આપણા કાવ્યરસિકોનું અને કાવ્યના અભ્યાસીઓનું આ જ મુખ્ય વલણ હતું–પણ એ રીતે કૃતિના ભાવવિશ્વને આપણે હ્રસ્વ કરી નાખીએ છીએ, આપણી અપેક્ષા પ્રમાણે એને સંકોચી દઈએ છીએ. કવિકર્મ કે ભાષાકર્મની સર્વથા ઉપેક્ષા કરીને ‘મૂઠી એક અર્થ’ ખેંચી કાઢવાનો પ્રયત્ન મૂળથી જ વંધ્ય છે, એથી કળાપ્રવૃત્તિને કે કવિસર્જકને કોઈને આપણે ન્યાય કરી શકતા નથી. કૃતિનું રહસ્ય, તેનું વ્યંજનાતત્ત્વ, તેના સમગ્ર સંવિધાનમાં વ્યાપી રહ્યું છે, અને સંવિધાનની–રચનાનિર્માણની પ્રક્રિયાની ઝીણવટભરી તપાસ દ્વારા જ એની ઝાંખી પ્રાપ્ત થાય. બીજી રીતે કહીએ તો, કૃતિનો આકાર, રચનારીતિ અને ભાષાકર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિને ઓળખ્યા વિના, તેની સમગ્ર સંકુલતાને અવગત કર્યા વિના, કૃતિને પાર પામી શકાય નહિ. ભાવક/વિવેચક માટે રસાસ્વાદ એ જ પરમ પ્રયોજન છે. પરમ મૂલ્ય છે. કૃતિનું સર્જક દ્વારા નિર્માણ જ રસના પ્રયોજનથી થયું છે, એ હકીકત પર તેમણે સતત ભાર મૂક્યો.&lt;br /&gt;
આધુનિક કવિ કશું ‘કહેવા’ માગતો નથી, તે તો ‘સર્જન’ કરવા ઝંખે છે. એટલે તેની રચનામાંથી થોડોક વિચારસંભાર તારવી લેવાની પ્રવૃત્તિ ઇષ્ટ નથી જ. તેમની મુખ્ય ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં Formથી Contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી. પણ અપરિમેયતાને કારણે છે”૧૧૭&lt;br /&gt;
કવિતાની આ રીતે આગવી વિભાવના રજૂ કરી તેઓ મૂલ્યાંકનના પ્રશ્નને સ્પર્શે છે :&lt;br /&gt;
“તો કાવ્યોની ઉચ્ચાવચતાનાં ધોરણો શી રીતે નક્કી કરવાં? દરેક સાચું કાવ્ય, પોતાની આગવી રીતે, અદ્વિતીય હોય છે. એને નંબર આપવા માટે બીજી કૃતિ સાથે સરખાવવાની વૃત્તિ થાય છે. પણ કાવ્યાસ્વાદ માટે એ જરૂરી નથી. છતાં કેટલાક કાવ્યના ઉદાત્ત વિષય કે વ્યાપક ફલકને આવા ધોરણ તરીકે ગણાવે છે. આવાં quantitative ધોરણ અનિવાર્ય નથી. સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે, તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્‌ છે તેને સુરેખ આકાર આપવાનું આહ્‌વાન જે ઝીલે છે, તે ઉચ્ચ કવિ. એવા કવિની બે પંક્તિ પણ મહાકાવ્ય છે, કારણ કે એમાં ભાવજગતના નવા ખંડની શોધનું સાહસ છે.”૧૧૮&lt;br /&gt;
અહીં કવિના રૂપવિધાન કે ભાષાકર્મ પર જ બધો ભાર મૂકાયો છે. કવિકર્મની સફળતા અને કવિકર્મનું સામર્થ્ય એ જ કવિતાના મૂલ્યાંકનનો તેમનો માપદંડ છે. સુરેશ જોષી સ્પષ્ટપણે કહે છે કે કવિતા પાસે વિવેચકે / ભાવકે પોતાની ‘નિશ્ચિત દૃઢ ધારણાની માપપટ્ટી’ લઈને જવાનું નથી. પોતાને ઇષ્ટ વિચારો તારવવાના પ્રયત્નમાં તેની રચનાપ્રક્રિયામાં પડેલી સૂક્ષ્મતાઓ સંકુલતાઓ અને સંદિગ્ધતાઓને ગાળી નાખવાના નથી. વિવેચકનું ‘સૌથી સમર્થ ઓજાર’ તે ‘અનેક કલાકૃતિઓના પરિશીલનથી પરિષ્કૃત’ અને ‘મુકુરીભૂત’ બનેલી’ તેની રુચિ છે. એના અભાવમાં કળા વિશેના બધા ય સિદ્ધાંતો કે વાદોનું જ્ઞાન મિથ્યા નીવડે છે. આસ્વાદની પ્રવૃત્તિ, અલબત્ત, કૃતિ નિમિત્તે સ્વૈર સ્વચ્છંદ કલ્પનાવિહાર નથી જ નથી. કૃતિને એનું આગવું રૂપ મળ્યું છે. એની અન્તર્ગત વિધાયક સિદ્ધાંત રહ્યો છે, વિધાયક બળ રહ્યું છે, અને આસ્વાદ-વિવેચનમાં એ જ નિયામક તત્ત્વ બને છે, બની રહેવું જોઈએ.&lt;br /&gt;
કલાકૃતિનું ભાવન, આસ્વાદન–એ જ ભાવક માટે મુખ્ય કાર્ય છે. ‘આસ્વાદ’ સંજ્ઞા વિશે, અલબત્ત, આપણે અહીં થોડી સ્પષ્ટતા કરી લેવાની આવશ્યકતા રહે છે. તો, ‘રસાસ્વાદ’, ‘આસ્વાદ’ કે ‘ચર્વણા’ જેવી સંજ્ઞાઓને, આલંકારિકોએ સાહિત્યકૃતિના સંયોગે ભાવકચિત્તમાં ચાલતી ચૈતસિક પ્રક્રિયાને અનુલક્ષીને યોજેલી છે. અને સુરેશ જોષી જ્યારે ‘આસ્વાદ’ સંજ્ઞાને પોતાની વિવેચનમીમાંસામાં પ્રયોજે છે ત્યારે બે ભિન્ન બાબતોનો સંકેત તેમાં મળે છે. કૃતિનો ‘આસ્વાદ’ એ જ ભાવક/વિવેચક માટે પરમ પ્રયોજન છે એમ કહેતાં તેઓ તેના રસાનુભવની પ્રક્રિયાને અનુલક્ષતા હોય છે; તો અન્ય સંદર્ભમાં એવા ‘આસ્વાદનો આલેખ’ આપતું લખાણ તેમને અભિમત હોય છે. તાત્પર્ય કે, આસ્વાદમૂલક કે આસ્વાદપ્રધાન એવા લખાણને ય તેમણે ‘આસ્વાદ’ તરીકે ઓળખાવ્યું છે. એક રીતે એને આસ્વાદલક્ષી વિવેચન કે આસ્વાદલક્ષી વિવેચનરીતિ તરીકે ઓળખાવી શકાય. અને ભાવકના ચિત્તમાં ચાલેલા આસ્વાદવ્યાપારથી એને એક ભિન્ન પ્રવૃત્તિ તરીકે ઓળખવાનું આવશ્યક બની રહે છે. કેમ કે, પાશ્ચાત્ય વિવેચનમાં આકારવાદ તરીકે જાણીતા થયેલા વાદની અમુક ચોક્કસ ભૂમિકાનો એમાં સ્વીકાર થયેલો છે. કૃતિનો આકાર, રચનાવિધાન, કવિકર્મ, ભાષાની સર્જકતા–આદિની તપાસ પાછળ આકારવાદી વિવેચનની એમાં ચોક્કસ પ્રેરણા અને પ્રભાવ રહેલાં છે. કાવ્યકલાની જે વિભાવના તેમણે બાંધી છે તેમાં જ, આપણે જોઈ ગયા કે, આકારગત કે રચનાગત મૂલ્યો પર તેમણે બધો ભાર મૂક્યો છે. આમ છતાં, પશ્ચિમના નવ્ય વિવેચકોએ કૃતિલક્ષી વિવેચનની જે સમૃદ્ધ પરંપરા ઊભી કરી છે અને તેમાં આકારની જે રીતની શોધ થઈ છે, તેવી આપણાં આસ્વાદલક્ષી વિવેચનોમાં કેટલે અંશે થઈ છે તે એક તુલનાત્મક અભ્યાસનો અલગ મુદ્દો બની રહે છે.&lt;br /&gt;
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ શીર્ષકનું તેમણે ૧૯૬૨માં જે પુસ્તક પ્રગટ કર્યું તેમાં આપણા કવિઓ–નરસિંહરાવથી ગુલામમોહમ્મદ શેખ –સુધીનાની દરેકની એક એક ધ્યાનપાત્ર રચના લઈ તેનો તેમણે વિગતે આસ્વાદ કરાવ્યો. તેમની આ પ્રવૃત્તિ એ પછી તરત જ એક વ્યાપક આંદોલન બનીને આપણે ત્યાં પ્રસરી ગઈ. સામયિકો વર્તમાનપત્રો ચર્ચાસભાઓ દ્વારા એ પ્રવૃત્તિ ફૂલતીફાલતી રહી. આજે આપણી અમુક સંપાદિત કવિતા વિશે, આપણા કોઈ એક જ કવિની નોંધપાત્ર રચનાઓ વિશે, કે પરભાષાની કૃતિઓ વિશે આસ્વાદોના અલગ સંચયો થયા છે. બીજા કેટલાક વિવેચનગ્રંથોમાં ય એવા આસ્વાદો એકાદ ખંડ રૂપે સ્થાન લે છે. જો કે રચનાપ્રક્રિયાની કે આકારની તપાસ એમાં કેટલી થઈ છે તે, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અલગ તપાસ માગે છે. આવા આસ્વાદોમાં, આમ છતાં, કૃતિના રસલક્ષી/રમણીય અંશોની બારીક તપાસ કરવાનું વલણ નોંધપાત્ર છે. અગાઉ જે કવિઓ/રચનાઓ વિશે માત્ર અછડતાં વ્યાપક નિરીક્ષણો મળ્યાં હતાં, કે જેમાં માત્ર વિચાર-વલણોની તપાસ થઈ હતી, તેવી રચનાઓમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ પ્રચ્છન્ન રહેલી સૌંદર્યરેખાઓ પકડવાનું શક્ય બન્યું. અભિવ્યક્તિના અવનવા મરોડો, રચનાપ્રયુક્તિના સર્જનાત્મક ઉપયોગો અને ભાષાના સર્જનાત્મક ઉન્મેષો, કલ્પનો પ્રતીકો અને મિથોની સમર્પકતા, અર્થસંદિગ્ધતા (ambiguities)ની કાવ્યાત્મક ક્ષમતા આદિનાં બારીક અવલોકનોથી આપણને રસકીય સમૃદ્ધિનો પરિચય પ્રાપ્ત થયો. જો કે આસ્વાદની પ્રવૃત્તિ અત્યાર સુધી ઘણું ખરું તો ઊર્મિકાવ્ય પૂરતી જ સીમિત રહી હતી; પણ ટૂંકી વાર્તા લઘુનવલ અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોની કૃતિઓ વિશે ય હવે આસ્વાદલક્ષી વિવેચનના કેટલાક નોંધપાત્ર કહેવાય તેવા પ્રયત્નો આરંભાઈ ચૂક્યા છે. જો કે આ બધાં કથામૂલક સ્વરૂપોમાં આકૃતિ કે રૂપબોધના પ્રશ્નો સહેલા નથી એટલે આ પ્રવૃત્તિ સામે કથામૂલક સ્વરૂપોના આકારબોધનો પ્રશ્ન પડકારરૂપ બની રહે તો આશ્ચર્ય નહિ.&lt;br /&gt;
અહીં એક બે વાતનો ફરીથી નિર્દેશ કરી લેવાનો રહે છે. નરસિંહરાવે ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ નામે લેખમાં ભારતીય અલંકારશાસ્ત્રને અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી બે ‘રસદર્શન’ની ‘પદ્ધતિઓ’નું નિદર્શન આપ્યું છે. એમાં પ્રાચીન અલંકારશાસ્ત્રની પરિભાષાની મદદથી પ્રસ્તુત કડીનો રસલક્ષી પરિચય આપવાનો તેમનો એક ધ્યાનપાત્ર પ્રયત્ન છે. પણ પાશ્ચાત્ય પદ્ધતિની જે રજૂઆત કરી છે તેમાં તેમનો અભિગમ બરોબર સ્પષ્ટ થઈ શક્યો નથી. એ પછી બળવંતરાયે ‘આપણી કવિતાસમૃદ્ધિ’માં ગ્રંથસ્થ કરેલી રચનાઓ વિશે જે રીતનાં ટીકાટિપ્પણી વિવરણ આદિ રજૂ કર્યાં છે તેનું ય અમુક મહત્ત્વ સ્વીકારવા છતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એમાં અભિગમની કોઈ સ્થિર તાત્ત્વિક ભૂમિકા હાથમાં આવતી નથી. અને, આમ તો, નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ આદિ વિવેચકોએ કાવ્યવિવેચનનાં લખાણોમાં દૃષ્ટાંતરૂપ કૃતિઓ વિશે વારંવાર રસલક્ષી અંશોનો નિર્દેશ કર્યો જ છે. પણ પ્રશ્ન આસ્વાદ વિવેચનની ચોક્કસ ભૂમિકાનો, અભિગમનો છે. સુરેશ જોષીની આસ્વાદપ્રવૃત્તિ કળાના આકારવાદની ચોક્કસ ભૂમિકા પર મંડાયેલી છે. અને એ રીતે આસ્વાદની પ્રક્રિયા અને તજજન્ય વિવેચનાત્મક લખાણને આગવી દિશા મળી છે, આગવી વ્યવસ્થા કે યોજના મળ્યાં છે.&lt;br /&gt;
આસ્વાદમૂલક/આકારમૂલક વિવેચનની પાછળ કાવ્યતત્ત્વની આગવી એવી જે સૈદ્ધાંતિક ભૂમિકા છે તે વિશે આપણે ત્યાં કદાચ એટલી સભાનતા કેળવાઈ નથી. ક્લિન્થ બ્રૂકસ જેવા આકારવાદી વિવેચકોએ, સૌ પ્રથમ તો, કાવ્યની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને પૂરી રેખાંકિત કરી આપી છે. તેનો અર્થ એ કે અર્થબોધ કે મૂલ્યબોધની બાબતમાં કૃતિ એક અલગ વિશ્વ તરીકે ઊભી રહે છે. ભાવકે/વિવેચકે એનું રહસ્ય પામવા એની બહારના સંદર્ભોને વચ્ચે લાવવાની જરૂર નથી. એ રીતે કૃતિ એના ઐતિહાસિક/સમસામયિક સંદર્ભોથી વિચ્છિન્ન હોય છે, એટલું જ નહિ કવિના (પ્રગટ) ‘આશય’થી પણ એ એક અલગ વસ્તુ સંભવે છે. વિમ્સૉત અને બિયડર્‌ઝલીએ કર્તાના ‘આશય’ને સ્વીકારીને ચાલવા જતાં Intentional fallacy અને ભાવકોના ઊર્મિમય પ્રતિભાવોને લક્ષમાં લેતાં Affective fallacy – એમ બે રીતના દોષ થતા હોવાનું કહ્યું. જો કે તેમની સર્વની આ જાતની વિચારણાઓ વિવાદગ્રસ્ત રહી છે, અને પશ્ચિમમાં અત્યારે વિવેચનમીમાંસાના જે કેટલાક પાયાના પ્રશ્નો ચર્ચાની એરણ પર છે તેમાં એને લગતા પ્રશ્નો ય છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે નવ્ય વિવેચકોએ સાહિત્યકૃતિના બારીક વર્ણનવિશ્લેષણ અર્થે જે જાતની પ્રવૃત્તિ કરી તેમાં કૃતિની અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત સત્તાનો સ્વીકાર કરવાનું મુખ્ય વલણ રહ્યું છે.&lt;br /&gt;
અગાઉ આપણે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિની વિવેચનવિચારણાની તપાસ નિમિત્તે નોંધ્યું છે કે આરંભકાળથી જ આપણી વિવેચનપ્રવૃત્તિ પાશ્ચાત્ય વિવેચનના હેતુઓ, લક્ષ્યો અને પદ્ધતિઓથી વત્તેઓછે અંશે પ્રભાવિત થતી રહી છે. આપણે જોયું કે નવલરામ જેવાએ ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ આદરી ત્યારે આપણે ત્યાં વિવેચનની કોઈ પરંપરા કે પદ્ધતિ નહોતાં. પશ્ચિમના વિવેચનમાંથી અમુક પ્રેરણા લઈને કે નિજી આત્મસૂઝથી તેમણે આગવી રીતિ નિપજાવી લીધી હતી. એમાં વિવેચ્ય કૃતિને નજરમાં રાખીને તેમ તત્કાલીન વાચકોની રુચિને ય લક્ષમાં રાખીને જે ચર્ચા કરી, તેમાં કૃતિના મુખ્ય અર્થનું વિવરણ તો ખરું જ; પણ આવશ્યકતા પ્રમાણે કર્તાનું ચરિત્ર કે માનસ, તેનો પ્રસ્તુત કૃતિ પાછળનો આશય, કૃતિના સ્વરૂપની ટૂંકી ચર્ચા, તેના સંયોજનના પ્રશ્નો અને નીતિઅનીતિના પ્રશ્નો તેમ કર્તાની આસપાસનો બહારી પરિવેશ બધુંય સ્પર્શાતું રહેતું. બળવંતરાય રામનારાયણ અને વિષ્ણુપ્રસાદ જેવામાં આપણે આજે જેને ઐતિહાસિક અભિગમ તરીકે ઓળખાવીએ છીએ તે વધુ સ્પષ્ટરેખ બનતો જણાશે. અલબત્ત, પશ્ચિમનો ટેઈનની વિચારણાના પ્રભાવ નીચે ચોક્કસ તાત્ત્વિક પીઠિકાવાળો અભિગમ સભાનપણે આપણે ત્યાં અપનાવાયો હોય એમ જોવા મળતું નથી. પણ સાહિત્ય અને સાહિત્યકારના સમાજ જોડેના સંબંધોની સ્થાપના કરીને જે વિદ્વાનો ચાલ્યા છે, જેમણે સાહિત્યના ઘડતરમાં સમાજજીવન પણ ઓછેવત્તે અંશે ભાગ ભજવે છે એમ સ્વીકાર્યું છે, તેમને માટે કૃતિ-વિવેચનમાં કૃતિ/કર્તાના સામાજિક/ઐતિહાસિક સંયોગોને વર્ણવવાનું સ્વાભાવિક બની ગયું હતું. બળવંતરાયની ‘સરસ્વતીચંદ્ર’ વિશેની તેમ ગોવર્ધનરામ વિશેના વ્યાખ્યાનની ચર્ચા એનું ઉત્તમ દૃષ્ટાંત છે.&lt;br /&gt;
અને, આમ જુઓ તો, નવલકથા નાટક જેવી લાંબા ફલકની કૃતિઓ વિશે અલગ વિસ્તૃત અધ્યયન-વિવેચન રજૂ કરવાની જે કંઈ પ્રવૃત્તિ આપણે ત્યાં થઈ, તેમાં પ્રસ્તુત કૃતિ નિમિત્તે કર્તાનું મનોજગત, તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભો, કૃતિમાં રજૂ થતી પાત્રસૃષ્ટિને લગતા નીતિઅનીતિના પ્રશ્નો ઓછેવત્તે અંશે સ્પર્શાતા રહ્યા છે. બીજી રીતે કહીએ તો, એમાં biographical approach, historical approach, moral approach એમ વિભિન્ન અભિગમો અણજાણપણે જ એકત્ર થતા રહ્યા છે. વળી, કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ જેવાં સ્વરૂપોની બાબતમાં જ્યાં સંગ્રહો ઉપલબ્ધ બને છે ત્યાં ઘણુંખરું સંગ્રહને નજરમાં રાખીને વ્યાપક રીતની ચર્ચા કરવાનું વલણ રહ્યું છે. એમાં દૃષ્ટાંત લેખે ચર્ચાયેલી કૃતિ/કૃતિઓનો માર્મિક પરિચય, અલબત્ત, આપવામાં આવે પણ એવી કૃતિ વિશે આકારલક્ષી અભિગમથી વિવેચન કરવાની પ્રવૃત્તિ ત્યારે આરંભાઈ નહોતી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં ટૂંકાં ટૂંકાં ઊર્મિકાવ્યોના અલગ અલગ આસ્વાદો લખવાની પ્રવૃત્તિ વ્યાપક બની રહી તે પછી જ ટૂંકી વાર્તા નવલકથા વગેરે કથામૂલક સ્વરૂપની કૃતિઓનો આકારલક્ષી અભિગમથી વિચાર કરવાનું વલણ જન્મ્યું.&lt;br /&gt;
રસપ્રદ બાબત એ છે કે વિવેચનના અભિગમ લેખે આકારવાદની પ્રતિષ્ઠા થઈ તે પછી જ વિવેચનના અન્ય અભિગમોની તાત્ત્વિક ભૂમિકા સમજવાની જિજ્ઞાસા જન્મી. પશ્ચિમમાં આ વિશે જે કામ થયું છે, તેની નોંધ લેવાનું પણ ધીરે ધીરે બન્યું. અને આજે આ બધા અભિગમો વિશે આપણા વિવેચનવિચારમાં સંગીન વિદ્વત્તાપૂર્ણ ચર્ચા કરતો ગ્રંથ કે લેખસંચય આપણી પાસે ઉપલબ્ધ નથી. વિવેચનની પદ્ધતિ (કે અભિગમ) એ વિવેચકને માટે સર્વથા ઐચ્છિક કે યાદૃચ્છિક બાબત છે, એમ પણ કેટલાક હજી માને છે. પણ એ વાત બાજુએ રાખીએ. આપણે માટે પ્રસ્તુત મુદ્દો એ છે કે નવલરામ નરસિંહરાવ બળવંતરાય આદિ વિવેચકોએ કૃતિઓ/કર્તાઓ વિશે જે રીતે વિવેચનવિચારણાઓ કરી તેમાં સાહિત્યની કળા વિશે દરેકની આગવી એવી સમજ હતી, દરેકનાં એ વિશે આગવાં એવાં ગૃહીતો હતાં. એ જ રીતે વિવેચ્ય કૃતિને અવલોકવા અને મૂલવવા પોતે કયો અભિગમ લેશે તે વિશે પોતા પૂરતી અમુક સૂઝ હતી. પણ પોતાના વિવેચનાત્મક અભિગમને અન્ય અભિગમોથી અલગ તારવીને તેની સાર્થકતા કે ઉપકારકતા તપાસવાનું, તેમ જ સાહિત્યકળા સાથે તેની પદ્ધતિ કેવી રીતે સંકળાઈ છે તેનો વિચાર કરવાનું કે સંબંધિત પ્રશ્નોની માંડણી કરવાનું ખાસ વલણ ત્યારે જન્મ્યું નહોતું. આકારવાદી, અભિગમની પ્રતિષ્ઠા થઈ ત્યારે એવી એક સમજ પ્રચારમાં આવી કે એ જ સાચો ‘સાહિત્યિક’ અભિગમ છે. પૂર્વે પ્રચારમાં રહેલા અભિગમો ‘બિન-સાહિત્યિક’ હતા એવું એમાં સૂચવાતું હતું. આમ, વિવેચનના અભિગમની તાત્ત્વિક ચર્ચા, તેની સાથે સંબંધિત ‘સાહિત્યિકતા’ (Literariness)ની સાથે સંકળાતી રહી.&lt;br /&gt;
કર્તાની મનોસૃષ્ટિ કે ભાવકની મનોદશા નહિ, એ બેને જોડનારી કડી જેવી સાહિત્યકૃતિ જ વિવેચનનું ખરું અધિષ્ઠાન છે, વિવેચકે એનું જ વર્ણન વિવેચન કરવાનું છે, એમ સુરેશ જોષીએ ભારપૂર્વક દર્શાવ્યું. ખરી વાત તો એ કે કૃતિના આસ્વાદ પર જ તેમણે બધો ભાર મૂક્યો છે. કૃતિની આકૃતિ અને રચનાપ્રક્રિયાને નજરમાં રાખીને વિવેચકે તેનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્ય તત્ત્વોની ઓળખ કરાવવાની છે, એમ તેમણે કહ્યું. આગળના યુગોમાં કૃતિના વિવેચન નિમિત્તે થોડોક અર્થ કે સંદેશ સારવી લેવાની, અર્થદર્શનને નામે કેવળ paraphrase કરવાની, અને અર્થઘટનને નામે ‘અર્થ’નો સંકોચ કરવાની પ્રવૃત્તિ ચાલી, તેનો ફરી ફરીને તેમણે વિરોધ કર્યો. એ રીતે, કેવળ ઉદાત્ત વિચારોને કારણે જ કૃતિ ચઢિયાતી હોવાનું લેખવવામાં આવે તેની સામે ય તેમણે વાંધો લીધો. તેમના મતે ખરો પ્રશ્ન કવિકર્મની તપાસનો છે. કવિએ પોતાની રચનાની સામગ્રી લેખે લાગણી અનુભવ વિચાર આદિ જે કંઈ તત્ત્વોનો સ્વીકાર કર્યો હોય તેનું કળામાં રૂપાંતર થઈ શક્યું છે કે કેમ એ જ વિવેચક માટે મુખ્ય તપાસની વસ્તુ છે. અને જો કૃતિઓ વચ્ચે ઉચ્ચાવચતાનો ક્રમ વિચારવો જ હોય તો તેમાંના કવિકર્મની સફળતા અને સામર્થ્યને જ લક્ષમાં લેવાનાં રહે.&lt;br /&gt;
આસ્વાદની પ્રવૃત્તિમાં રચનાપ્રક્રિયા કે ભાષાકર્મને જ અત્યંત નિકટતાથી તપાસવાની પ્રવૃત્તિ શરૂ થઈ, એથી વિવેચનાત્મક લખાણનું પ્રયોજન અને પદ્ધતિ મૂળથી બદલાઈ ગયાં. ભાષાના સર્જનાત્મક વિનિયોગની ઓળખ કરવાના પ્રયત્નમાં અગાઉ પ્રચ્છન્ન રહી ગયેલાં કેટલાંક રચનાગત સૌંદર્યો એ રીતે કદાચ પહેલી જ વાર પ્રકાશમાં આવ્યાં. અલબત્ત, કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાય જેવા કવિઓની રચનાઓને આપણા આગલી પેઢીના મર્મજ્ઞ વિવેચકોએ નહોતી માણી એમ અહીં અભિપ્રેત નથી જ. તેમણે એ રચનાઓને ઉત્કટતાથી પ્રગાઢતાથી જરૂર માણી હશે. મારું તાત્પર્ય એ છે કે ઉત્કટતાથી માણવા છતાંય કૃતિની રચનાપ્રક્રિયા વિશે કે ભાષાની સર્જકતા વિશે સંપ્રજ્ઞપણે તપાસ હાથ ધરી ન હોય તો અમુક સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યરેખાઓ સભાનતાના સ્તરે પકડાતી નથી. કૃતિમાં લીન થઈએ, તન્મય થઈએ, ત્યારે વાચનની ક્ષણે પંક્તિઓ/શબ્દસમૂહો આપણી ચેતના પર ઊંડો પ્રભાવ પાડે છે. પણ એ પ્રકારનો પ્રભાવ અમુક અંશે અજ્ઞાત ચિત્ત પર સીધો ઝીલાતો હોય છે. વિવેચક અંતર્મુખ બનીને એ પ્રભાવને સમજવા મથે અને તેમાં નિમિત્ત બનેલી ભાષાપ્રક્રિયાની બારીક તપાસ કરે ત્યારે જ એમાં સમર્પક બનતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રમણીય તત્ત્વોને સભાનતાના સ્તરેથી અલગ રૂપમાં ઓળખવાનું શક્ય બને. આગલી પેઢીના વિદ્વાનોએ એક બાજુ ઉન્નત વિચાર કે ઉદાત્ત ભાવ કે જીવનદર્શનની ખોજ આદરી; બીજી બાજુ, કવિની શૈલીનાં લક્ષણોની નોંધ કરવાનું વલણ દાખવ્યું. પણ ભાષાની સર્જકતાની સઘનતાથી પ્રત્યક્ષ કરવાનું વલણ તેમનામાં બંધાયું નહોતું. એટલે એમ માનવાને કારણ છે કે આજની આસ્વાદલક્ષી પ્રવૃત્તિને પરિણામે અગાઉ ક્યારેય પ્રકાશમાં ન આવ્યાં હોય એવાં કેટલાંક રમણીય તત્ત્વો પ્રત્યક્ષ થઈ શક્યાં.&lt;br /&gt;
સાહિત્યવિવેચનના ભાગ રૂપે અગાઉ આપણે ત્યાં કૃતિના ‘અર્થઘટન’ની જે રીતની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, તેની સામે ય સુરેશ જોષીએ વાંધો લીધો છે. તેમનું તાત્પર્ય એ છે કે અર્થઘટનને નામે અભ્યાસીઓ ઘણું ખરું તો કૃતિની સમૃદ્ધ સંકુલ વ્યંજનાસૃષ્ટિને પોતાને અનુકૂળ પડે તે રીતે સારવી લેતા હોય છે. વિવેચકે કૃતિના સમગ્ર સંકુલને, એની સર્વ સૂક્ષ્મતાઓ સમેત, એમાંના આંતરવિરોધો (paradoxes) અને તણાવો (tensions) સમેત એમાંનાં વ્યંગ કાકુઓ અને એમાંની સમૃદ્ધ ambiguities સમેત ગ્રહણ કરવાનો છે. એમાંથી કોઈ વિચાર કે અર્થ ઘટાવવા જતાં તેનું સરલીકરણ થઈ જાય છે. સુસાન સોન્ટાગની આ જાતની વિચારણામાંથી તેમને સમર્થન મળી રહ્યું છે. સુરેશ જોષીની આ ભૂમિકા સમજવામાં અને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
પણ વિવેચન નામની પ્રવૃત્તિના સ્વીકાર સાથે જ એક પાયાની મુશ્કેલી ઊભી થાય જ છે. જ્યાં સુધી કૃતિના અનુભાવનને લાગેવળગે છે ત્યાં સુધી તેને સમગ્રતામાં સંકુલતામાં અખિલાઈમાં પામવાનું શકય છે—અને વાસ્તવમાં કૃતિની જે સમગ્રતા સંકુલતા અને અખિલાઈ છે તે તેના આગવા આકારમાં, આગવી અભિવ્યક્તિમાં, અનુસ્યૂત રહી છે—એટલે કૃતિની અભિવ્યક્તિની ભાષા છોડીને તમે તમારા પ્રતિભાવને એક જુદા જ ભાષાકીય સંદર્ભમાં મૂકવા જાઓ છો, અને એમાં જાણ્યેઅજાણ્યે અમુક વિભાવનાઓનું માળખું (conceptual frame-work) સ્વીકારીને ચાલો છો, ત્યારે સ્વભાવિક રીતે જ કૃતિની સમગ્રતા સંકુલતા ખંડિત થાય જ છે. એટલે વિવેચનની પ્રવૃત્તિમાં સમગ્ર ‘અર્થ’ સાથે કામ પાડવા છતાં તેનું પુનઃનિર્માણ શક્ય નથી. સમગ્ર ‘અર્થ’ માટે મૂળ કૃતિનો બીજો કોઈ વિકલ્પ જ ન હોઈ શકે. એટલે, વિવેચનની પ્રવૃત્તિમાં કશુંક ઓછું થાય જ છે, પણ એની જો થોડીક પણ ઉપયોગિતા હોય તો તે એ રીતે કે વિવેચક તરફથી એનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખની સાથોસાથ કશુંક આગવું ઉમેરાય છે. સૌંદર્યતત્ત્વોની ચર્ચા નિમિત્તે તે તેની તાત્ત્વિક ભૂમિકાનો નિર્દેશ કરે છે, કે વ્યાપક જીવનતત્ત્વો સાથેનો તેનો કોઈ અનુબંધ રચી આપે છે, અને એવા વ્યાપક તત્ત્વબોધને સ્પર્શે છે જેમાં કશુંક મૂલ્યવાન પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
વિવેચનની અંતર્ગત ચાલતા એક વ્યાપાર તરીકે અર્થઘટનના સ્વરૂપ અને અને કાર્ય વિશે પાશ્ચાત્ય વિદ્વાનોમાં ય ઘણા મતભેદો હોવાનું સમજાય છે. કેટલાક, વિવેચનના એક વ્યાપાર લેખે અર્થઘટનનો મૂળથી જ અસ્વીકાર કરે છે, બીજાઓ અર્થઘટનનો સ્વીકાર કરે છે, પણ તેના સ્વરૂપ અને કાર્ય વિશે જુદી જુદી સમજ પ્રગટ કરે છે. ઓસ્બોર્ન કહે છે : ‘...Interpretation is a moot word; it all depends what you decide to mean by it.’૧૧૯ અર્થાત્‌ ‘અર્થઘટન’ એ એક protean term છે. જુદા જુદા અભ્યાસીઓ એને જુદી જુદી રીતે સમજવા મથે છે, અને તેના પ્રકાશમાં કૃતિવિવેચનના મુદ્દાઓનો જુદી જુદી રીતે વિચાર કરે છે. એટલે, ખરી વાત તો એ છે કે, અર્થઘટનને સ્વીકારનાર અને ન સ્વીકારનાર બંને જુદા જ અર્થમાં એને સમજતા હોય એમ જોવા મળશે.&lt;br /&gt;
વિવેચનનો તત્ત્વવિચાર રજૂ કરતાં સુરેશ જોષીનાં લખાણોમાં ‘અર્થઘટન’ વિશે જુદા જુદા સંદર્ભોમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયેલા છે. ‘વિવેચનનો અન્ત?’માં તેમણે આ ચર્ચા ટૂંકમાં છેડી છે. ત્યાં તેઓ એમ કહે છે કે ‘અર્થઘટન’ સમાસમાંનો ‘અર્થ’ શબ્દ બિનજરૂરી ગૂંચવાડા ઊભા કરે છે, એટલે એને સ્થાને ‘મર્મઘટન’ સંજ્ઞા યોજવી જોઈએ. (જો કે પ્રસ્તુત સંદર્ભની ચર્ચામાં ‘અર્થઘટન’ સંજ્ઞા જ તેઓ યોજતા રહ્યા છે.) પણ ‘અર્થઘટન’ કે ‘મર્મઘટન’ના વ્યાપારનું કોઈ સ્પષ્ટ સુરેખ વર્ણન તેમણે ત્યાં આપ્યું નથી. તેઓ એને અંગે પ્રથમ તો critical statementના સત્યાસત્યના મુદ્દાને સ્પર્શે છે. વિવેચકો કળાકૃતિ વિશે જે જાતનાં વિધાનો કરે છે તે પૈકીના અમુક તાર્કિક દૃષ્ટિએ true કે false છે તે બતાવી શકીએ, જ્યારે બીજાં કેટલાંક વિધાનો વિશે તે પ્રમાણભૂત છે કે નહિ તેટલું જ વિચારી શકીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે આવાં વિધાનોમાં કૃતિ વિશેનું કોઈક interpretation કરવામાં આવ્યું હોય છે. આ સંદર્ભે જ તેઓ પ્રશ્ન કરે છે : કોઈ પણ વ્યંજનાસમૃદ્ધ કૃતિ વિશેનું કોઈ એક અર્થઘટન તેને વિશેનાં જ બીજાં અર્થઘટનો કરતાં વધુ સાચું ગણાય ખરું? અથવા સાહિત્યકૃતિનું કોઈ એક માત્ર આદર્શ અર્થઘટન કે significance હોય છે એમ કહીશું? તેઓ એવું મંતવ્ય રજૂ કરે છે કે એક જ કૃતિનાં અમુક જુદાં જુદાં પરસ્પરવિરોધી લાગતાં અર્થઘટનો પણ સ્વીકારી શકાય. આવું એક અર્થઘટન બીજા અર્થઘટનનો અનિવાર્યતયા છેદ ઊડાડે જ એમ હંમેશાં બનતું નથી. બલકે, એવા અર્થઘટનો-અર્થઘટનાત્મક વિધાનો એકબીજાને પૂરક બની શકે છે, કૃતિની સંકુલતા ઉપસાવવામાં તે આગવી આગવી રીતે સમર્પક બની શકે છે. આથી ઊલટું, કૃતિનું કોઈ એક જ અર્થઘટન સાચું, એક જ આદર્શરૂપ, એમ સ્વીકારવા જતાં એ જ પ્રમાણભૂત છે એમ શી રીતે સ્થાપી શકાશે? સુરેશ જોષીએ આ રીતે અર્થઘટનના તાત્ત્વિક પ્રશ્નોનો નિર્દેશ કરી એમ સૂચવ્યું છે કે કૃતિની ‘સંકુલતા અને સમગ્રતા’ વધુમાં વધુ ‘આવરી’ લઈ શકે, તેને વધુ ‘વિશદ’ કરી આપી શકે તેમ જ કૃતિ સાથે જે ‘વધુ સંબદ્ધ’ લાગે તે અર્થઘટન સ્વીકારવાનું રહે. સુરેશ જોષીની પ્રસ્તુત ચર્ચા જોતાં તો અર્થઘટનવ્યાપારને તેઓ વિવેચનમાં અંતર્ગત ભાગ લેખે સ્વીકારી લેતા હોય, સમાવી લેતા હોય, એવું લાગે છે.&lt;br /&gt;
‘સંરચના અને સાહિત્યવિવેચન’ લેખમાં સંરચનાવાદીઓના સાહિત્યિક અભિગમના મુદ્દાને અનુલક્ષીને તેમણે જે ચર્ચા છેડી છે તેમાં ય અર્થઘટનનો મુદ્દો સ્પર્શાયો છે. સંરચનાવાદીઓ સાહિત્યને અનુલક્ષીને પૃથક્કરણનો માર્ગ લે છે, પણ તેના ‘આલોચનાત્મક અર્થઘટન’નો અસ્વીકાર કરે છે એમ નોંધી તેઓ ત્યાં તેને વિશે ટીકાટિપ્પણી કરે છે. પ્રસ્તુત સંદર્ભમાં કૃતિના અભિગમ પરત્વે તેઓ બે ‘વિકલ્પો’ સૂચવવા ચાહે છે. એક છે active interpretationનો, બીજો છે deadening systematizationનો. તેમના મતે સંરચનાવાદીઓ જે રીતે ‘સાહિત્યને શક્ય બનાવતા નિયમોનું સ્વરૂપ’ સ્થાપી આપવાનો પ્રયત્ન કરે છે તેથી તો તેઓ ‘એક પ્રકારની generality’નો ભોગ બનતા હોય છે. સાહિત્યની કૃતિમાં સિદ્ધ થયેલી કળાત્મક વિશિષ્ટતાઓનો જ એમાંથી લોપ થઈ જતો હોય છે. સુરેશ જોષી અહીં એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વિશિષ્ટ કૃતિઓને અનુલક્ષીને એકથી વધુ અર્થઘટનોને અવકાશ રહેતો હોય છે. સંરચનાવાદીઓ જે રીતે સર્વસામાન્ય સાહિત્યિકતાનો વિચાર કરવા પ્રેરાયા છે તેમાં નરી generality જ શેષ બચે છે. કૃતિવિશેષના અર્થઘટનને માટે એમાં કોઈ ભૂમિકા રહેતી નથી. અહીં પણ અર્થઘટનની આવશ્યકતા સ્વીકારીને તેઓ ચાલ્યા હોય એમ સમજાશે.&lt;br /&gt;
‘અર્થઘટન?’ શીર્ષકના લેખમાં, આ મુદ્દા વિશે જ તેમણે ચર્ચા ઉપાડી છે. શીર્ષકમાં મૂકાયેલું પ્રશ્નચિહ્ન જ અર્થઘટનપ્રવૃત્તિ વિશેના તેમના સંશયને સૂચવી દે છે. જો કે સુરેશ જોષી કે બીજો કોઈ અભ્યાસી, વિવેચનની અંતર્ગત અર્થઘટનના વ્યાપારનો સ્વીકાર ન કરે એ મુદ્દા કરતાં ય વધુ તો અર્થઘટનવ્યાપાર વિશેની તેમની ખરેખર વિભાવના શી અને એના અસ્વીકાર માટેની ભૂમિકા કઈ તે કદાચ વધુ મહત્ત્વના મુદ્દાઓ બની રહે છે. પણ સુરેશ જોષીના પ્રસ્તુત લેખમાં ‘અર્થઘટનવ્યાપારના’ કે અર્થઘટનની પ્રક્રિયાના સ્વરૂપ વિશે કોઈ સ્થિર નિશ્ચિત ભૂમિકા સાંપડતી નથી એ  આપણી મૂંઝવણ બની રહે છે. &lt;br /&gt;
ચર્ચાના આરંભમાં આ વિશે તેઓ કહે છે : “આપણી પરિભાષામાં વાત કરીએ તો અર્થ એટલે meaning નહિ, પણ રસ. આ રીતે જોઈએ તો અર્થઘટન એટલે રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ. રસાસ્વાદમાં જે વિઘ્નો આવતાં હોય તેની આલોચના.”૧૨૦ અર્થઘટનના પ્રશ્ને અહીં કંઈક મૂળથી જ મુશ્કેલી અનુભવાય છે. આપણે જેને aesthetic experience – રસાનુભૂતિ – તરીકે ઓળખીએ છીએ તે તો સહૃદયના ચિત્તમાં ચાલતો અતિ સૂક્ષ્મ વ્યાપાર છે. આસ્વાદની પ્રક્રિયા સમયના ક્રમમાં ચાલે છે અને એ દરેક ક્ષણમાં કૃતિની સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અને અર્થોની છાયાઓ ભાવકના ચિત્તમાં ઉપચિત થતી આવે છે; અને રસાનુભવમાં ભાવકનું ચિત્ત કંઈ નિષ્ક્રિય ભાવે બધું નિહાળ્યા કરે એમ પણ નથી. તેમાં સક્રિયપણે તે કશુંક અર્પણ પણ કરે જ છે. આમ જે એક સંકુલ પ્રક્રિયા ચાલે છે તેની કોઈ પણ રીતે ‘તપાસ’ કરવા ચાહો તો અમુક દૃષ્ટિબિંદુ કે પરિપ્રેક્ષ્ય સ્વીકારવો પડે, અમુક frame of reference સ્વીકારવો પડે, કે તપાસ પાછળ કોઈ principle લક્ષમાં લેવાનો રહે. એટલે સૂક્ષ્મતમ ચૈતસિક પ્રક્રિયાની ‘તપાસ‘ના સ્વીકાર સાથે જ કોઈક રીતે રસાનુભવની ઘટનાનું Ordering, structuring સ્વીકારવું પડે. વળી ‘રસાસ્વાદનાં વિઘ્નો’ની ‘આલોચના’ પણ અર્થઘટન શી રીતે બને તે સ્પષ્ટ થતું નથી. ‘વિઘ્નો’ જે આસ્વાદનો અંતર્ગત ભાગ નથી, તે કૃતિના અર્થઘટનમાં શી રીતે પ્રવેશે તે પણ પ્રશ્ન છે.&lt;br /&gt;
આ પછી સુરેશ જોષીએ જ્હોન એલિસની ‘અર્થઘટન’ની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે. એલિસના મત પ્રમાણે ‘અર્થઘટન’ એટલે ‘સાહિત્યિક રચનાના ઘટકોના સંબંધમાંથી તારવેલા સંરચનાના સર્વસામાન્ય સિદ્ધાંત વિશેની hypothesis’. આ ખ્યાલ સુરેશ જોષીના પોતાના ખ્યાલથી જુદો છે. એલિસના મતે ‘અર્થઘટન’ એ કૃતિની સંરચનાના સ્તરે પ્રવર્તતા સિદ્ધાંત વિશેની ‘hypothesis’ – ધારણા છે. દેખીતી રીતે જ, કૃતિના અમૂર્તીકરણનો ખ્યાલ એમાં સૂચિત છે સુરેશ જોષીએ એ વિશે ખાસ ટીકાટિપ્પણી કરી નથી, પણ સ્પષ્ટીકરણ કરી આપ્યું છે. કેટલાકના મતે કૃતિના રસાસ્વાદન અર્થે વિવેચકે તેમાં જે કેટલુંક ‘digging’ કરવું પડે એ ‘digging’-વ્યાપાર પોતે જ અર્થઘટન છે, એમ સુરેશ જોષી નોંધે છે. જો કે એ મતના પુરસ્કર્તા વિદ્વાનોનો તેઓ ઉલ્લેખ કરતા નથી. પણ અહીં ખરી મુશ્કેલી ‘digging’ જેવા રૂપકાત્મક પ્રયોગમાંથી જન્મે છે. કોઈ કૃતિમાં ‘digging’ કરવું એટલે શું? કશું સ્પષ્ટ થતું નથી. કૃતિના અર્થબોધના આકલનના અનુમાનના – તાત્પર્ય કે, જ્ઞાનમીમાંસાના સ્તરેથી એ સર્વ વ્યાપારના પ્રશ્નોની માંગણી કરવાની અહીં રહી જાય છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં બિયર્ડ્‌ઝલીની વિચારણા ય સંકળાતી આવી છે. બિયડર્‌ઝલીએ અર્થઘટનના આ પ્રશ્ન understanding (એના પર્યાય લેખે સુરેશ જોષીએ યોજેલો ‘મુખ્યાર્થબોધ’ શબ્દ વ્યાજબી છે ખરો?) સાથે સંકળાયેલો હોવાનું કહ્યું છે તે પણ ધ્યાનાર્હ છે. સુરેશ જોષીએ બિયડર્‌ઝલીની આ ભૂમિકાનું ટૂંકું સ્પષ્ટીકરણ રજૂ કર્યું છે, અને તેનું સમર્થન પણ કર્યું છે. બિયડર્‌ઝલીના મતે કૃતિનું understanding એ તેના અર્થઘટન માટેની પૂર્વભૂમિકા છે, તેમ પૂર્વશરત પણ છે. એ રીતે understanding એ પ્રથમ તબકકો, interpretation બીજો તબકકો – એવો સમયનો ક્રમ એમાં પડેલો છે. પ્રાચીન સાહિત્યની ‘પદાવલિ’ અર્વાચીન કૃતિઓમાં પ્રયોજાય છે ત્યારે તેના અમુક ‘અધ્યાસો’ અને ‘સંસ્કારો’ નવા સંદર્ભમાં નવી રીતે જ ઉદ્‌બુદ્ધ થાય છે. સમર્થ કવિ તો રોજબરોજની ભાષાના પ્રયોગોથી અળગો થઈ તેનું વિશિષ્ટ રીતે નવવિધાન કરતો હોય છે. દાદાવાદ કે અતિવાસ્તવવાદના પ્રણેતા કવિઓ રોજિંદી વાણીના પ્રયોગોને દૂર સુધી ખેંચી જવા મથ્યા છે. બિયડર્‌ઝલી એથી એવા મત પર આવ્યા છે કે ‘કાવ્યનું કોઈ પણ અર્થઘટન વસ્તુલક્ષી દૃષ્ટિએ સર્વસંમત નીવડી શકે નહિ.’ સુરેશ જોષી એમાં સંમત થાય છે. આ સંદર્ભે આપણે નોંધવું જોઈએ કે અર્થઘટન વિશેની બિયડર્‌ઝલીની સમજ આરંભમાંની સુરેશ જોષીની વિચારણા (અર્થઘટન એટલે કૃતિની રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ)થી જુદી રીતે મુકાઈ છે. બિયડર્‌ઝલી કૃતિના સંદર્ભે understandingની અનિવાર્યતા સ્વીકારે છે. સુરેશ જોષી રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ માટે કહે છે પણ તપાસ માટે કોઈ principle કે perspective સૂચવતા નથી.&lt;br /&gt;
અર્થઘટન તે કૃતિના decodingનો જ વ્યાપાર છે, એવો એક ખ્યાલ પણ સુરેશ જોષીએ આ ચર્ચાના અનુસંધાનમાં સાંકળ્યો છે. એ જ રીતે, કૃતિમાં રજૂ થતાં અલંકારો રૂપકગ્રંથિઓ આદિ ઘટકતત્ત્વોને ભાવકો જે રીતે ‘ઘટાવી’ જૂએ છે તે પણ અર્થઘટનનો એક વ્યાપાર છે. ચર્ચામાં આ રીતે ‘અર્થઘટન’ની એકથી વધુ પ્રક્રિયાઓ ઉલ્લેખાયેલી છે.&lt;br /&gt;
આમ છતાં, ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે, અંતમાં, તેઓ પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે : “જે લોકો અર્થઘટન અને અર્થબોધની વાતો કરે છે તેઓ આખરે તો શબ્દાન્તરે કાવ્યનો ગદ્યાળુ ભાષામાં અનુવાદ જ આપી છૂટે છે. એથી વિદ્વત્તાનો અર્થ સરતો હશે, રસાસ્વાદમાં એ ઉપકારક નીવડે જ એવું કહી શકાય નહિ. કાવ્યશાસ્ત્ર નહિ, પણ અનેક કાવ્યોમાં કરેલું નિમજ્જન જ આપણને રસસૃષ્ટિનાં દ્વાર ખુલ્લાં કરી આપે છે.”૧૨૧ અને પછી ઉમેરે છે : “...અર્થઘટનો આખરે તો આપણી સંવેદનશીલતાની સાહજિકતાને અળપાવી નાખે છે. આવાં અર્થઘટનોને નામે બુદ્ધિનો કલાદ્વેષ જ પ્રગટ થતો હોય છે. રસાનુભવમાં જે વ્યવધાનરહિત તત્ક્ષણતાની અપેક્ષા રહે છે તેનો જ અર્થઘટનને નામે લોપ કરવામાં આવે છે. કાવ્યના સમગ્રને બૌદ્ધિક ચોકઠામાં સારવી લેવાની આ પ્રવૃત્તિ આપણા અનુભવજગતને ધીમે ધીમે હ્રસ્વ કરી નાખે છે...”૧૨૨&lt;br /&gt;
અંત ભાગની ચર્ચાવિચારણામાં મૂળથી જ તાર્કિક ગૂંચ ઊભી થતી દેખાય છે. અહીં ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે તેઓ જે રીતે વાંધો લે છે તેમાં ‘અર્થઘટન’ વિશેનો જુદો જ ખ્યાલ તેમની નજરમાં હોય એમ લાગે છે. કાવ્યના સમગ્રને ‘બૌદ્ધિક ચોકઠામાં’ સારવી લેવાની પ્રવૃત્તિ તે અર્થઘટનની જ પ્રવૃત્તિ છે એમ એમાં ગર્ભિત રહ્યું છે. પણ જ્હોન એલિસ અને બિયડર્‌ઝલીની આ વિશેની જે ભૂમિકાનું તેમણે વિવરણ અને સમર્થન કર્યું તેની સામે જ આ મુદ્દો જતો નથી? આરંભમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ તે જ અર્થઘટનની પ્રક્રિયા એવો જે ખ્યાલ રજૂ કર્યો હતો તે સ્વયં ચર્ચાસ્પદ રહ્યો છે એમ આપણે જોઈ ગયા. અહીં અર્થઘટનવ્યાપાર સામે તેઓ મૂળથી જ વાંધો લે છે. ભાવકના રસાનુભવનું મહત્ત્વ તેઓ કરે છે તે સમજવામાં મુશ્કેલી નથી. પણ ‘અર્થઘટનો’ તો રસાનુભવ પછીની ઘટના સંભવે છે. રસાનુભવની અતિ સંકુલતા અને સમૃદ્ધ સંદિગ્ધતાને ભાવકનું ચિત્ત જેમનું તેમ એની સમગ્રતામાં ગ્રહણ કરી શકતું નથી. એનું સંચાલક નિયામક એવું ઋત શોધવાની પ્રક્રિયામાં અમુક બૌદ્ધિકતાને અવકાશ રહે જ છે. બલકે, કૃતિમાં જે જે ભાવોર્મિઓ અર્થચ્છાયાઓ વ્યંજનાઓ ક્રમશઃ બોધમાં આવ્યાં હોય તેને કોઈ એક કેન્દ્રમાંથી સાંકળીને જોવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ રીતે કૃતિનું semantic field તેમાં વ્યવસ્થાની તપાસ કરવાને આધારભૂમિ બને છે. કૃતિની સમગ્ર સંકુલ વ્યંજનાને એક બિંદુએ સાંકળવાના, સમજણને વધુ સ્પષ્ટ ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો, નિશ્ચિતપણે આસ્વાદ સાથે અનુસંધિત છતાં, પછીની ક્ષણની ઘટના છે. એને અર્થઘટન તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, કૃતિનાં સૌંદર્ય તત્ત્વો વિશેના આકલન સાથે એ અનિવાર્યપણે જોડાયેલી ઘટના છે.&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રની વર્તમાન ગતિવિધિઓને અનુલક્ષીને, તેમ વિવેચનવિચારના કોઈ ને કોઈ નિમિત્તે, તેમણે કૃતિવિવેચનના પાયાના પ્રશ્નો ચીંધી બતાવ્યા છે. તેમના પાછળના ત્રણ વિવેચનગ્રંથો – ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રે આ વિષયમાં ચર્ચાતા મુદ્દાઓ લઈને લખેલા લેખો તેમણે મૂક્યા છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્ન શાખાઓ, ત્યાંના સાહિત્યવિચારને અને વિવેચનના અભિગમોને કેવી રીતે વળાંક અર્પી રહી છે, તેની ચર્ચાઓ પણ એમાં છે. સંભવતઃ પાશ્ચાત્ય વિદ્વાનો વિવેચકોની આ જાતની ચર્ચાવિચારણાઓની એમાં સીધી પ્રેરણા રહી છે. કેટલાંક લખાણો ત્યાંના વિવેચનલેખો પર આધારિત હોવાનું તેમણે નોંધ્યું ય છેઃ અને એ કારણે એમાં મૂળના પ્રતિપાદ્યની વિશદ રજૂઆત થઈ શકી નથી ત્યાં કેટલુંક લખાણ ક્લિષ્ટ અને દુર્બોધ બની જતું લાગે છે. પણ આવી મૂંઝવણો અને મુશ્કેલીઓને બાજુએ રાખીને કહેવું જોઈએ કે, આપણા વિવેચનક્ષેત્રમાં સતત નવા નવા પ્રાણવાન વિચારો આવકાર પામતા રહે, જૂનાનવા વિચારો વચ્ચે ટકરામણો થાય, ઊહાપોહ થાય અને કશુંક નૂતન જન્મી આવે, એવી ભાવનાથી તેઓ આ દિશામાં પ્રવૃત્ત રહ્યા છે. આ માટે તેઓ સ્વયં ઊહાપોહ જન્માવી આપવા સક્રિય બની રહ્યા છે. તેમણે સ્પર્શેલા કેટલાક મુદ્દાઓની અહીં સંક્ષિપ્ત નોંધ કરીશું.&lt;br /&gt;
(૧) 	સાહિત્યકૃતિનાં મૂલ્યાંકનો કયા ધોરણે થાય છે કે થવાં જોઈએ, એ તપાસવાનો મુદ્દો છે. દરેક સાહિત્યકૃતિ જો અ-પૂર્વ કે અનન્ય (unique) લેખાતી હોય તો એ અપૂર્વતા શામાં રહી છે? આ અપૂર્વતાને સ્વીકારીએ તો અન્ય કૃતિઓ સાથે એની કોઈ રીતની તુલના કરવાનું શક્ય છે? અગર શક્ય છે તો તે યોગ્ય છે, પ્રસ્તુત છે? સુરેશ જોષીએ આવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે, પણ પછી એની વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
(૨) 	રસાસ્વાદ એ ભાવકના ચિત્તમાં ચાલતી એક આત્મલક્ષી ઘટના છે; જ્યારે વિવેચન શાસ્ત્ર બને એ માટે તેને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો, જે કંઈ આત્મલક્ષી પ્રતીતિનો વિષય છે તેને વસ્તુલક્ષિતા (Objectivity)ની ભૂમિકાએ સ્થાપવાનું શક્ય છે? કળાનું જે કંઈ મૂલ્ય છે તે તો સ્વયં આસ્વાદની પ્રક્રિયામાં જ ઉપલબ્ધ થાય છે. તો તેને પછીથી વિભાવનાઓના માળખામાં રજૂ કરતાં એ મૂલ્યરૂપ ઉપલબ્ધિ લુપ્ત ન થાય? આ પ્રશ્ન યે તેમણે છેડ્યો છે ખરો, પણ તેની વિગતે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
(૩) 	કળાનિર્માણના ક્ષેત્રમાં સતત નવા નવા ઉન્મેષો પ્રગટ થતા રહે છે. એવા દરેક નૂતન નિર્માણના વિવેચન અર્થે અગાઉની કૃતિઓ પર આધારિત કળાના નિયમો અપર્યાપ્ત કે અપ્રસ્તુત બની રહેતા લાગશે તો પછી, જુદી જુદી સાહિત્યિક પરંપરાઓમાં જન્મી ચૂકેલી, જન્મતી જતી, અને જન્મનારી સર્વે કૃતિઓને આવરી લઈ શકે તેવું કોઈ સર્વગ્રાહી સર્વકાલીન સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? (આ પ્રશ્નને અનુલક્ષીને કળાવિચારણાને-family resemblance-ની દૃષ્ટિએ જોવાનો તેમણે અનુરોધ કર્યો છે. કળાતત્ત્વવિચારને open-textured ખ્યાલ તરીકે જોવાનું તેમણે કહ્યું છે.)&lt;br /&gt;
(૪) 	કળામાં આકાર વિશેનો ખ્યાલ પણ હવે બદલાઈ રહ્યો છે. આગળ કૃતિની ‘સજીવ એકતા’ (organic unity) કે ‘સુબદ્ધ એકતા’નો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો હતો. એને સ્થાને હવે કૃતિનાં અમુક ઘટકોની નરી સહોપસ્થિતિ (juxtaposition) રચીને જ નવું નિર્માણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો કૃતિવિવેચનના સંદર્ભે આકારની નવેસરથી વ્યાખ્યા કરવાની કે નવેસરથી તેનું અર્થઘટન કરવાની આવશ્યકતા નથી? એમ તેમણે પ્રશ્ન કર્યો છે.&lt;br /&gt;
(૫) 	સાહિત્યના તત્ત્વવિચાર નિમિત્તે કે કૃતિઓનાં વર્ણનવિવેચન નિમિત્તે જે કોઈ નવી વિભાવના જન્મે છે, તેની પણ પુનર્વ્યાખ્યા થતી રહેવી જોઈએ. આમ તો ઝડપથી બદલાઈ રહેલી વર્તમાન સાહિત્યિક પરિસ્થિતિમાં તેનું સતત સ્પષ્ટીકરણ કરીને તેનો વિનિયોગ કરવો જોઈએ. જો કે અવનવા આકારની કે સર્વથા વિલક્ષણ પ્રકારની બધી જ નવી કૃતિઓને સમગ્રતયા આવરી લે અને વ્યાપકપણે લાગુ પાડી શકાય તેવી વ્યાપક વિભાવના રચવાના પ્રયત્નો વંધ્ય નીવડવા સંભવ છે. સુરેશ જોષીનો આ ખ્યાલ સાચો છે. વિભાવનાને અતિ વ્યાપક અને સર્વગ્રાહી બનાવવા જતાં તે વધુ abstract અને generalised સ્વરૂપની બનશે, તેમાં કૃતિઓના સ્વરૂપ વિચારને લગતાં પરસ્પર વિરોધી તત્ત્વોનો છેદ ઊડી જશે.&lt;br /&gt;
(૬) 	સાહિત્યની રુચિ, વિવેચન સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસાના વાંચનપરિશીલન માત્રથી બંધાતી કે ખિલતી નથી. સર્જાતા સાહિત્યની પ્રાણવાન કૃતિઓનો પ્રત્યક્ષ સઘન પરિચય જ એમાં ઉપકારક નીવડે.&lt;br /&gt;
(૭) 	લેખકોના પોતાની અમુક કૃતિ કે સમગ્ર લેખન પ્રવૃત્તિ વિશેના ‘ખરીતાઓ’ ‘બ્લ્યૂ પ્રિન્ટ્‌સ’ રૂપ વિચારો કે ‘પૂર્વ આશયો’ને લક્ષમાં રાખીને તેમની કૃતિઓ પાસે જવાનું નથી. નીપજી આવેલી કૃતિઓની રૂપનિર્મિતિને જ પ્રમાણભૂત ગણીને ચાલવાનું છે. આસ્વાદ વિવેચનની એ જ સાચી અને વાસ્તવિક આધારભૂમિ છે. લેખકોના પૂર્વ પ્રગટ ‘આશયો‘ને જ તેમની કળાત્મક સિદ્ધિ ગણી લેવાનો દોષ – intentional fallacy – ન થવો જોઈએ.&lt;br /&gt;
(૮) 	વિવેચકે પોતાની સાહિત્યપરંપરાથી સાવ વિમુખ થવાનું નથી. પરંપરાને તેણે કોઈ સ્થગિત થઈ ગયેલી વસ્તુરૂપે નહિ, જીવંત સાતત્યભરી પ્રક્રિયારૂપે જોવાની અને સ્વીકારવાની છે. તેની સામે અત્યંત વિલક્ષણ અને વૈચિત્ર્યપૂર્ણ એવા અનેક નવોન્મેષો આવશે. પણ તેને માત્ર ઉત્સાહના -લાગણીના – ઉદ્રેકથી જોવાના નથી, અમુક બૌદ્ધિક સ્વસ્થતા અને સમ-ભાવ જાળવીને જોવાના છે. આવી નવીન રચનાઓમાં સર્જક જૂનાં રૂઢ કળાતત્ત્વોને ત્યજી દે છે ખરો, પણ તેની અવેજીમાં કયાં નૂતન પ્રાણવાન તત્ત્વો તે નિપજાવી શક્યો છે તે પણ તેણે તપાસવાનું રહે છે.&lt;br /&gt;
(૯) 	વિવેચનાત્મક વિધાનો-critical statements-ના સત્યાસત્યના ય પ્રશ્નો ઊભા થાય છે. જો કે આ જાતની તપાસના પ્રશ્નો અત્યંત જટિલ છે. આવાં વિધાનો નર્યાં ‘આત્મલક્ષી વિચારણો’ જ છે કે વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતાં ‘વસ્તુલક્ષી કથનો’ છે? આ જાતના પ્રશ્નોને વિકસતા જતા aesthetics linguistics psychology epistemology આદિ વિષયોના પ્રકાશમાં તપાસવા ઘટે.&lt;br /&gt;
વિવેચનમીમાંસા નિમિત્તે કે આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિની તપાસ નિમિત્તે સુરેશ જોષી આ રીતે અનેક પાયાના મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે. પ્રસંગે એવા કોઈ મુદ્દા વિશે કંઈક વિગતે ચર્ચા કરી છે, તો કેટલાક મુદ્દાને ઉપસ્થિત કરી છોડી દીધા છે. પણ પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેમાંના અનેક મુદ્દાઓ તરફ તેઓ આપણું ધ્યાન ખેંચતા રહ્યા છે.&lt;br /&gt;
‘સાહિત્ય અને સુરુચિ’ નામે લેખમાં તેમણે ‘સુરુચિ’ સંજ્ઞાનો સંકેત સ્પષ્ટ કરી સાહિત્ય સાથે તેનો સંબંધ જોડી આપ્યો છે. ‘સુરુચિ’ પ્રયોગમાં જ નૈતિક દૃષ્ટિબિંદુની અમુક ગંધ આવી જાય છે એમ તેઓ કહે છે. પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘રુચિ‘નો રસાસ્વાદ સાથે સંબંધ છે જ્યારે નીતિને સામાજિક વ્યવહાર સાથે. એ રીતે બંનેનાં લક્ષ્ય જુદાં છે એમ તેઓ કહે છે. ‘રુચિ’ના સંદર્ભેય જો આપણે હીનતા કે અધમતાના ખ્યાલને જોડતા હોઈએ તો તે નૈતિકભાવથી નહિ, રસના અપકર્ષના ખ્યાલથી જોડીએ છીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે—“રસનો અપકર્ષ કરનાર તત્ત્વ કેટલીક વાર સર્જકનો નૈતિક આગ્રહ કે ભાવકનો નૈતિક અભિગ્રહ પણ હોઈ શકે. રુચિનો વિકાસ હંમેશાં તત્કાલીન સામાજિક નીતિની વિભાવનાને સમાન્તર રહીને ચાલે એવું ન ય બને.”૧૨૩ આ સંદર્ભમાં સુરેશ જોષી એમ કહે છે કે સાહિત્યને માનવવ્યવહાર સાથે સંબંધ છે ખરો પણ તે કેવો હોવો જોઈએ એ બતાવવાનું તે માથે લેતું નથી, વ્યવહારજીવનની સામગ્રીનો તે કેવળ આસ્વાદક્ષમ કૃતિ રચવાને વિનિયોગ કરે છે. ‘રુચિ‘ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : “રુચિ એટલે પદાર્થો પ્રત્યેનો આપણો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ માનસિક પ્રતિભાવ એમ કહી શકાય. દુનિયાના બધા જ પદાર્થો, પરિસ્થિતિઓ કે અવસ્થાઓ પ્રત્યેનો આપણો પ્રતિભાવ એક સરખો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ હોવાનો સંભવ નથી. આપણી માનવસહજ મર્યાદા, આપણા ચિત્તતંત્રની ઓછીવધતી સંવેદનક્ષમતા, આપણી સંસ્કારગ્રહણ અને સંસ્કારોદ્દીપનની શક્તિ – આ બધાનાં પર એનો આધાર રહે છે. એના એક અન્તિમે જડતા અને બીજે અન્તિમે વિવેકહીન મુગ્ધતા રહ્યાં હોય છે. આ બે અન્તિમોની વચ્ચે રુચિના વિકાસનું ક્ષેત્ર રહ્યું હોય છે.”૧૨૪&lt;br /&gt;
આ સંદર્ભમાં સાહિત્યની સર્જનપ્રક્રિયાનું વર્ણન આપતાં તેઓ કહે છે છે કે સર્જકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વ’નું એ પ્રક્રિયામાં પૂરું તિરોધાન થાય છે-થવું જોઈએ. આવું ‘તિરોધાન’ સિદ્ધ કરીને જ સર્જક વ્યવહારજીવનનાં ‘સીમિત પ્રયોજનો’ અને વ્યવહારમાં અપેક્ષિત ક્રિયાશીલતાને ઓળંગી જઈ શકે છે. આ ‘તિરોધાન’ને અંતે જ પોતાનાં સંવેદનોનું ‘તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્ય’થી તે ગ્રહણ કરે છે. આ સંવેદનોને એના ‘વિશિષ્ટ પરિવેશથી નિરપેક્ષ’ રૂપમાં તે જુએ છે, ‘કલ્પના, અધ્યાસ અને સંસ્કારોને બળે’ એ સંવેદનની ‘પૂર્ણ યથાર્થતા’નું ‘આકલન’ કરે છે, અને એ યથાર્થતાને સાર્થકતા અર્પે એવું રૂપ તે નિર્માણ કરે છે. આ કાર્યમાં સર્જક લેખે તેને એકી સાથે અનાસક્તિ અને હાનોપાદનનો વિવેક પણ દાખવવાનો રહે છે. ચેતોવિસ્તાર એ જ તેનું પરમ પ્રયોજન બની રહે છે.&lt;br /&gt;
બીજી બાજુ, કૃતિનો આસ્વાદ લેનાર ભાવક પણ આવી જ રીતે વ્યાવહારિક જીવનના સંદર્ભોથી ઊંચે ઊઠતો હોય છે. આસ્વાદ પ્રક્રિયાનું સુરેશ જોષીએ રજૂ કરેલું વર્ણન તેમના જ શબ્દોમાં – “સાહિત્યના રસાસ્વાદમાં આપણી ચેતનાનો આ વિસ્તાર જ મૌલિભૂત પ્રયોજનરૂપ આનંદને સિદ્ધ કરે છે. સાહિત્યનો આસ્વાદ લેનાર પણ સર્જકની રચનાના પ્રભાવથી આસ્વાદ લેતી વેળાએ પોતાના વ્યાવહારિક વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને, તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય કેળવી સંવેદનના અદ્વિતીય રૂપનો સાક્ષાત્કાર કરીને આનંદ અનુભવે છે. કળાકૃતિનો આસ્વાદ કરતી વેળાએ અનુભવાતી ચિત્તની આ અવસ્થા, જેમ જેમ વધુને વધુ શ્રેષ્ઠ પ્રકારની કળાકૃતિઓનું અનુશીલન કરતા જઈએ તેમ તેમ, આપણામાં એક પ્રકારની સાક્ષીભૂત ચેતનાને નિષ્પન્ન કરે છે. પછીથી વ્યવહારના અનુભવોને પણ આપણે એનાં સંભવિત ઇષ્ટ કે અનિષ્ટ પરિણામો ને પ્રતિક્રિયાઓથી વિચલિત થયા વિના એમના યાથાર્થ્યમાં જોઈ લેવાને શક્તિશાળી થઈએ છીએ. આ અવસ્થામાં નિષેધ નહીં પણ સ્વીકાર, સંકોચ નહીં પણ પ્રસાર, અસહિષ્ણુતા નહીં પણ સમસંવેદનશીલતા આપણે અપનાવતા જઈએ છીએ.”૧૨૫&lt;br /&gt;
અહીં સર્જક તેમ ભાવક બંનેના પક્ષે ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’ની સુરેશ જોષીએ વાત કરી છે તે સૂચક છે. વ્યવહારજીવનની સાંકડી સીમાઓથી બંને ઊંચે ઊઠે છે. ભાવકને માટે તેનો આસ્વાદ અને ચેતોવિસ્તાર સ્વયં પરમ મૂલ્ય છે. કળાની એ પરમ સાર્થકતા છે. સુરેશ જોષીની કળાવિચારણામાં તેમની આ એક કેન્દ્રીય ભૂમિકા છે. તેમનું એમ કહેવું છે કે રસાનુભૂતિને આ રીતે સ્વીકારવામાં આવે તો નીતિનો તેની સામે કોઈ વિરોધ ન સંભવે. જોકે તેમની આ ભૂમિકા જુદી રીતે પણ ચર્ચાસ્પદ બની શકે છે. રસાનુભૂતિની તેઓ પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠા કરવા ચાહે છે, પણ રસબોધની એ પ્રક્રિયા અત્યંત સંકુલ ઘટના છે અને ભાવકચિત્તમાં સંભવતી એ કોઈ નિરપેક્ષ ઘટના નથી. કળાતત્ત્વ વિશેની ભાવકની દૃષ્ટિરુચિ ઓછેવત્તે અંશે ય એમાં નિર્ધારક (determinant) બની રહે છે. એટલે પ્રશ્ન કેવળ ભાવકના ‘વ્યાવહારિક વ્યક્તિત્વના તિરોધાન’નો જ નથી, ભાવક/વિવેચક કળાને કઈ રીતે જૂએ છે, સ્વીકારે છે, અને વિશ્વજીવનમાં તેને ક્યાં સ્થાપે છે વગેરે બાબતો ય એમાં એટલી જ, બલકે એથી યે વધુ, મહત્ત્વની બની રહે છે.&lt;br /&gt;
સર્જન-ભાવનની ઘટનાને આગવી રીતે ઘટાવવાનો તેમનો ઉપક્રમ પણ એ રીતે ધ્યાનાર્હ છે. “સમગ્રનું, કશા નિષેધ વિના કરેલું અનુભાવન—આવી સંવાદિતા રસાનુભવમાં અપેક્ષિત છે... નિર્વિધ્ના સંવિત્તિઃ રસઃ | સમગ્રના સંદર્ભમાં મૂકીને જોતાં જે સંવાદી લાગે તેને જો સમગ્રમાંના કશાકનો પણ નિષેધ કરીને કે ઉપેક્ષા કરીને જોઈએ તો વિસંવાદી જ લાગે. જ્યારે વ્યવહારની સાપેક્ષ નીતિ કલાની આ સમગ્રતાને ઉવેખીને એના એકાદ અંગને છૂટું પાડીને જુએ છે ત્યારે જ એને એ પોતાની મર્યાદાથી વરવું બનાવીને અસહિષ્ણુ બની ઊઠે છે... આ વિશ્વમાં પ્રવર્તતું ઋત તો એકસરખી નિષ્પક્ષતાથી ગુલાબની પાંખડી અને ઈયાગો જેવા ખલનાયકના સ્વભાવને રચે છે. કલાકારને આવી જ નિષ્પક્ષતા અભીષ્ટ છે. એમાં જો એ ચૂકે તો કલાસર્જનની એ અનીતિ અક્ષમ્ય બની રહે.”૧૨૬ અહીં સર્જકના તાટસ્થ્ય પર તેમણે અસાધારણ ભાર મૂક્યો છે. વિશ્વજીવનના સર્વ પદાર્થો, સર્વ ઘટનાઓ પરત્વે પૂરી નિષ્પક્ષતાથી તે જુએ અને આલેખે—એ જ તેની નૈતિકતા અને એ જ કળાની નૈતિકતા. પણ આ મુદ્દો ય સર્જકપ્રતિભાને અનુલક્ષીને ફેરતપાસ કરવાને આપણને ફરજ પાડે જ છે. જે રીતે સર્જક, કાવ્ય ટૂંકી વાર્તા નવલકથા કે નાટકનું વિશ્વ રચે છે કે તેમાં પદાર્થો વ્યક્તિઓ કે ઘટનાઓની અમુક રીતે પસંદગી કરવાને તે પ્રેરાય છે; અથવા સમગ્ર રચનામાં અમુક પદાર્થો કે વ્યક્તિઓ કે ઘટનાઓને તે foregroundમાં મૂકે છે, અન્યને પશ્ચાદ્‌ ભૂમિકામાં ધકેલે છે; એટલે સર્જક જે કોઈ વિશ્વ રચે છે તેમાં તેના emphasisના પ્રશ્નો આવે જ છે. પ્રતીકાત્મક કોટિનું વિશ્વ, અલબત્ત, એના આગવા સંવિધાનને કારણે આગવા પ્રશ્નો ઊભા કરે છે; જ્યારે વાસ્તવલક્ષી વિશ્વના આગવા પ્રશ્નો છે. વાસ્તવલક્ષી કળામાં સર્જકની કૃતિ સૂક્ષ્મ પ્રચ્છન્નપણે અમુક moral tone વ્યક્ત કરતી હોય એમ જોવા મળશે. આપણે એમ સ્વીકારીએ કે જનસામાન્યની રુચિ અને તેમનાં નૈતિક વિચારવલણો સાથે કળાકારે તાળો મેળવવાનો નથી, પણ જીવન અને જગતનો તેને જે કંઈ બોધ હોય તેમાં મૂલ્યપરક અભિજ્ઞતા સહજ રીતે કામ કરી રહી હોય છે. એટલે, સર્જક પોતાના વિશ્વના—કળાના વિશ્વના દરેક પદાર્થને ‘એક સરખી નિષ્પક્ષતા‘થી આલેખે એ વિચાર ચિંત્ય બની રહે છે. આ પ્રશ્ન મને લાગે છે કે, આ રીતે જોતાં વધુ વિશદ બને એમ છે : સર્જક કોઈ એક પદાર્થ વ્યક્તિ કે ઘટનાને અલગ રૂપમાં જોતો નથી – તેના ઐતિહાસિક/સામાજિક સંદર્ભથી સર્વથા વિચ્છિન્ન રૂપમાં જોઈ શકે કે કેમ એ ય પ્રશ્ન છે – અને કળાના વિશ્વમાં તેનું આગવી રીતે તે સ્થાન અર્પે છે એય ખરું. પણ એ ઘટનામાં પદાર્થનો અન્ય પદાર્થો સાથેનો, વ્યક્તિનો અન્ય વ્યક્તિઓ સાથેનો, સમાજ વિશ્વ ઇતિહાસ સમય કે પ્રકૃતિ સાથેનો સંબંધ પણ તેમાં પ્રવેશે છે, અને એ સંબંધભાવો (relationships)ના બોધમાં moral sense કે moral meaning અનુસ્યૂત રહ્યો હોય એમ બને. એટલે સર્જકની ‘નિષ્પક્ષતા‘ તેનાં સર્જનોમાં કેટલે અંશે સિદ્ધ થઈ શકે એ વિશે પુનઃ વિચારણાને અવકાશ રહે જ છે. &lt;br /&gt;
પ્રાચીન આચાર્યોએ રસોમાં ઉચ્ચાવચતાના સંબંધ ન સ્થાપીને તેમ બીભત્સ રસનો સ્વીકાર કરીને, સમાજના નીતિમત્તાના ખ્યાલોને ગૌણ ગણીને, ‘રુચિ’નું ગૌરવ કર્યું છે એમ તેઓ કહે છે. નિત્શેનું દૃષ્ટિબિંદુ પોતાના સમર્થનમાં તેઓ મૂકે છે : ‘નૈતિક સંવાદ નહીં પણ રસગત સંવાદ જ વિશ્વની રચના અને વ્યાપારને સમજાવવામાં વધુ કારગત નીવડે છે.’ પણ નિત્શેની આ જાતની માન્યતા પણ એક આગવા પ્રકારની રંગદર્શિતાનું પરિણામ છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
સુરેશ જોષીનું એવું પ્રતિપાદન છે કે કળામાં શ્લીલઅશ્લીલના પ્રશ્નોને આપણે ‘વધુ પડતા આળા’ બનીને ચર્ચતા હોઈએ છીએ. સર્જકનું ‘વિધાયકકર્મ’ જો વિવેચનામાં ‘પુનઃ પ્રતિષ્ઠા’ પામે તો આ જાતના અપ્રસ્તુત પ્રશ્નો વિશે ઝાઝા ઊહાપોહને કારણ ન રહે. જીવનની શ્લીલઅશ્લીલ સર્વ સામગ્રી કળામાં રૂપાંતર પામે છે, અથવા કહો કે તેનું પુનર્નિર્માણ થાય છે. આવી રીતે આગવી વાસ્તવિકતા સિદ્ધ થાય તે રચનાને જ ખરેખર તો કળાનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. અને એમાં શ્લીલઅશ્લીલ સર્વ ઉપાદાનરૂપ તત્ત્વો કળામાં આત્મસાત થઈને આગવી વાસ્તવિકતા ધારણ કરે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યો’ શીર્ષકના લેખમાં કળાનું નિર્માણ સ્વયં એક આગવું મૂલ્ય છે, અને એ મૂલ્ય શી રીતે સિદ્ધ થયું છે, એ બતાવવાનું વિવેચકનું મુખ્ય કામ છે એમ તેઓ કહે છે. વ્યવહારજીવનમાં મૂલ્યો એકીસાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ બનતાં હોય છે. સર્જનનું મૂલ્ય એથી ભિન્ન સ્વયં સાધ્ય છે. એ કોઈ કાર્યપ્રેરક મૂલ્ય નથી. એનો રસાસ્વાદ એ જ એનું સાચું મૂલ્ય છે. સાહિત્યના વિવેચક માટે આ મૂલ્યની ઉપલબ્ધિની –રસાનુભવની પ્રક્રિયાની – તપાસ જ મુખ્ય વસ્તુ બની રહે છે, બીજી બધી બાબતો ગૌણ અને અપ્રસ્તુત છે. વિવેચકે ખરેખર તો પોતાને પ્રિય એવા કોઈ વિચાર કે ભાવના સાથે કૃતિનો તાળો મેળવી જોવાનો નથી : એની વિશિષ્ટ રચનાપ્રક્રિયાની બારીકાઈથી ઓળખ કરી એનું આગવું એવું જે કંઈ મૂલ્ય નિપજી આવે તેને પામવા તત્પર રહેવાનું છે. લોકોમાં માન્ય એવું મૂલ્ય સાહિત્યમાં રજૂ થયું હોય તો પણ કળાકૃતિ તરીકે તે રચના નિષ્ફળ ગઈ હોય એમ બને. નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોમાં મૂલ્યબોધના પ્રશ્નો દેખીતી રીતે જ વધુ વજનદાર બને છે. સુરેશ જોષી એમ માને છે કે “નવલકથા સામાજિક મૂલ્યોને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તે તપાસવાનું કામ સાહિત્યિક વિવેચકનું નથી; એ નવલકથામાંની આગવી સૃષ્ટિનું નિયંતા ઋત એમાં કેવી રીતે પ્રવર્તે છે ને એથી એ સૃષ્ટિની કેવી આકૃતિ રચાય છે તે બતાવવું એ જ એનું પ્રધાન કર્તવ્ય છે.”૧૨૭ રચનામાં મૌલિકતાનું ગૌરવ કરતાં તેઓ કહે છે કે “ઉછીની કે પરંપરાગત દૃષ્ટિ વડે જે સૃષ્ટિ થાય છે તે તો આખરે છાયામાત્ર છે, ઉચ્છિષ્ટ જ છે; માટે જે સૃષ્ટિ પોતે પ્રકટીને દૃષ્ટિને પ્રકટ કરે છે તેનું જ સાહિત્યિક વિવેચક ગૌરવ કરે છે.”૧૨૮&lt;br /&gt;
વર્તમાન માનવપરિસ્થિતિનો ઉલ્લેખ કરી સુરેશ જોષી એમ બતાવવા ચાહે છે કે નરી અરાજકતા એબ્સર્ડિટી વચ્ચે માનવી આજે નિર્ભ્રાન્ત બની રહ્યો છે. શાશ્વત કે સર્વકાલીન સત્યોની તેની ખોજ વ્યર્થ નીવડી છે. એકલતા પરાયાપણું અને વિષાદ જ તેની નિયતિમાં રહ્યાં છે. હવે ક્ષણ ક્ષણ વચ્ચે કોઈ સેતુ રચવાનું મુશ્કેલ બની ગયું છે, વિશ્વજીવનના અંકોડાઓ એકબીજાથી વિચ્છિન્ન થયેલા તેને લાગે છે. આવી પરિસ્થિતિમાં સર્જક કોઈ પરંપરાપ્રાપ્ત સત્ય કે મૂલ્યબોધને ઉછીનો લઈને ચાલી શકે નહિ. કળાના સર્જન દ્વારા એ મૂલ્યબોધની ભૂમિકા જરૂર રચી શકે. કળાકાર માટે આકારનું નિર્માણ એ જ એક માત્ર માર્ગ છે. એ આકૃતિ જ રસચર્વણાનો વિષય અને કળાનું પરમ મૂલ્ય છે એમ સુરેશ જોષી ફરી ફરીને પ્રતિપાદિત કરે છે.&lt;br /&gt;
વિવેચનના અભિગમો વિશે ય તેમણે આ રીતે ઘણી ચર્ચા/ઊહાપોહનો આરંભ કર્યો છે. તેમની પ્રેરણા એમાં ય, દેખીતી રીતે જ, પાશ્ચાત્ય વિવેચનની છે. આપણે અગાઉ જોયું કે ‘આસ્વાદ’ નામે ઓળખાતી વિવેચનરીતિ તેમણે ઊભી કરી અને પ્રચારમાં આણી, તેની પાછળ આકારવાદની તેમની ભૂમિકા રહી છે. તેમની આ વિવેચનરીતિનો આપણા ઘણા ખરા તરુણ અભ્યાસીઓએ સ્વીકાર પણ કર્યો દેખાય છે. જો કે ‘આસ્વાદ’ રીતિનું વિવેચન લખનાર સર્વ અભ્યાસીઓ આકારવાદને ચુસ્તપણે વળગીને ચાલ્યા હોય એમ પણ નથી. કદાચ તેમનો સાહિત્યિક અભિગમ વ્યાપક રૂપનો સંભવે છે. ‘આકાર’ના સિદ્ધાંતને ય સમાવી લે એવી કોઈ વ્યાપક સાહિત્યદૃષ્ટિ તેઓ કેળવતા હોય એમ સમજાશે.&lt;br /&gt;
સુરેશ જોષીના આકારવાદને લગતી ભૂમિકાનો આપણે આ અગાઉ નિર્દેશ કરી ગયા છીએ. અહીં એનું પુનરાવર્તન નહિ કરીએ. માત્ર એટલું જ નોંધીશું કે ‘આસ્વાદ’ નામે ઓળખાવાયેલી એ વિવેચનરીતિ પશ્ચિમના આકારવાદી વિવેચનની પ્રેરણા લઈને વિકસી છે. એને આપણે આકારવાદી કે રૂપવાદી વિવેચન તરીકે ય ઓળખાવતા હોઈએ છીએ. પણ આપણે લક્ષમાં રાખવાનું છે કે અમેરિકન નવ્ય વિવેચકોના અભિગમો પણ સર્વથા એકરૂપ નથી. ક્લિન્થ બ્રૂક્સ જેવા વિવેચકે આકારવાદી વિવેચનની એક સમર્થ પરંપરા ઊભી કરી – વૉરેન જોડે લખેલા ગ્રંથ Understanding Poetry આ પ્રકારની વિવેચનરીતિના ઉત્તમ નમૂના પૂરા પાડે છે,—પણ એ જ સ્કૂલમાં ગણાવાતા બ્લેક મર, યાવર વિન્ટર્સ, એલન ટેઈટ, અને કેનેથ બર્ક જેવા વિવેચકોનાં લખાણોમાં આકાર વિશેની સમજ ક્યાંક જુદી પડે છે, અને કૃતિના આકારબોધમાં ય નવી અંતર્દષ્ટિ કામ કરે છે એમ નોંધવું જોઈએ હકીકતમાં, આ બધા નવ્ય વિવેચકોએ કવિતાના આકારની વ્યાખ્યા કરતાં Tension, Irony, Paradox, Organic unity, જેવાં લક્ષણો રજૂ કર્યાં છે, અને કૃતિવિવેચનમાં એવાં ‘ઓજારો’ લઈને તપાસ કરી છે, જ્યારે આપણી આસ્વાદ પ્રવૃત્તિમાં આકારની આવી કોઈ ચોક્કસ તપાસ ક્યાં અને કેટલી થઈ તે સંશોધનનો વિષય રહે છે.&lt;br /&gt;
આકારવાદી વિવેચનની દૃઢ પ્રતિષ્ઠા કરતા છતાં પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે ચાલતી રહેલી અન્ય સર્વ ગતિવિધિઓ વિશે પણ સુરેશ જોષી સતત જાગરૂક રહ્યા છે, એટલું જ નહિ, ત્યાંના પ્રાણવાન વિચારોનો આપણને પરિચય કરાવતા રહ્યા છે. વિવેચનના બીજા અભિગમો વિશે એ રીતે પશ્ચિમના વિવાદો/ઊહાપોહો આપણી સમક્ષ તેઓ મૂકતા રહ્યા છે. દેખીતી રીતે જ, આ જાતનાં તેમનાં લખાણો પાશ્ચાત્ય ચર્ચાઓ પર આધારિત રહ્યાં છે. એમાં અનુસ્યૂત રહેલા પાયાના પ્રશ્ન કે પ્રશ્નોની સ્વતંત્ર રીતે માંડણી કરીને, સમુચિત પરિપ્રેક્ષ્યમાં તેને ઘટાવવાનું પણ તેમણે કેટલીક વાર ટાળ્યું છે. અને એથી જ એ જાતની વિચારણા પાછળનું તર્કસૂત્ર પકડવામાં કેટલીક વાર મુશ્કેલી અનુભવાય છે.&lt;br /&gt;
પોતાના આકારવાદની વિચારણા ય યથાવકાશ નવી વિચારણાઓના પ્રકાશમાં ફરીથી ઘટાવવાના પ્રયત્નો તેમણે કર્યા છે. ‘નવ્ય વિવેચન વિશે થોડું’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય નવ્ય વિવેચકોની આકારવાદી વિવેચનપ્રવૃત્તિ વિશેની ફેરતપાસ છે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન-વિવેચક રેને વેલેકના ‘The New Criticism : Pro and Contra’માં રજૂ થયેલી ચર્ચાવિચારણાના મુખ્ય ખ્યાલોને આમેજ કરીને તેમણે એ લખાણ તૈયાર કર્યું છે. આકારવાદી અભિગમ સામે કેટલાક અભ્યાસીઓએ એને પૂરા અભ્યાસમાં લીધા વિના આક્ષેપો કર્યા હતા તેની સામે રેને વેલેકે સંગીન પ્રતિવાદ કર્યો છે અને નવ્ય વિવેચનની ઉપલબ્ધિઓ તરફ ધ્યાન ખેંચ્યું છે, એટલું જ નહિ, એ અભિગમના વ્યાજબીપણાનું પોતાની રીતે સમર્થન કર્યું છે. સુરેશ જોષીને તેમની એ ચર્ચા સહજ જ ઉપકારક બની રહી છે. ‘આકાર કે આકારાત મુક્તિ’માં જ્યૉફ્રે હાર્ટમેનના ‘Beyond Formalism’માં રજૂ થયેલા વિચારોને નજરમાં રાખી આ વિશે કેટલુંક સ્પષ્ટીકરણ કર્યું છે. એફ ડબ્લ્યૂ બેઈટ્‌સમેને ‘યેલ ફૉર્માલિઝમ’ની સામે અમુક વાંધાઓ લીધા હતા. તેમનું મુખ્ય વક્તવ્ય એ હતું કે ફૉર્માલિઝમ રસતત્ત્વને સાહિત્યમાં અંકિત થયેલા માનવસંદર્ભથી નોખું પાડી દે છે. હાર્ટમેને આ ભૂમિકાને સુધારી લેવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું કહેવું એમ છે કે ફૉર્માલિઝમ એ એક ‘પદ્ધતિ’ માત્ર છે. કૃતિમાં ઘટકોના વિશિષ્ટ સંયોજન કે તેની વિશિષ્ટ અન્વિતિ દ્વારા ય આખરે તો માનવીય સંદર્ભ જ વ્યાખ્યા પામતો હોય છે. આકાર અને સામગ્રી વચ્ચે આરંભથી જ કોઈ મૂળગત દ્વૈત સ્વીકારવાની અહીં વાત નથી. કૃતિમાં રૂપરચનાને જ અહીં primacy મળે છે એમ હાર્ટમેન કહે છે. રૂપરચનાના સમર્થકો અને ટીકાકારોની વચ્ચે ચાલતા આ વિવાદની સામે પુલેના ચૈતન્યવાદી અભિગમનું હવે મહત્ત્વ સ્વીકારાવા લાગ્યું છે, એમ સુરેશ જોષી કહે છે, અને સાથે સ્પષ્ટ કરે છે કે પુલે પણ અસંપ્રજ્ઞાતપણે કૃતિની રૂપરચનાને જ આધાર તરીકે લે છે. તાત્પર્ય કે, રૂપરચનાના ખ્યાલને અતિક્રમી જવાની વાત હજી વેગળી છે.&lt;br /&gt;
આ ચર્ચાના અનુસંધાનમાં સુરેશ જોષીએ એવી સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ કૃતિ વિશે વિવેચનના જુદા જુદા બે અભિગમોની શક્યતા આપણે સ્વીકારીએ છીએ. એ પૈકી કોઈ એક જ અભિગમ સાચો અને બીજો ખોટો, એવું આત્યંતિક વલણ લઈ શકાય નહિ. આમ છતાં, જો કોઈ વિવેચક આ કે તે અભિગમ વધુ પ્રમાણભૂત ગણવા પ્રેરાય તો તેણે તેની તાર્કિક ભૂમિકા સ્પષ્ટ કરી આપવાની રહે. આ સાથે, અલબત્ત, તેમણે એક તાત્ત્વિક મુદ્દો ય સ્પર્શ્યો છે. તેઓ કહે છે કે વર્તમાનની ક્ષણે વિવેચનના વિભિન્ન અભિગમો તેમજ તેની દાર્શનિક પીઠિકા વિશે ઊંડી સમજ કેળવીને આગલા યુગના કોઈ કવિની રચના વિશે વિવેચન કરવા પ્રેરાઈએ તો એવા અભિગમ પરત્વે પ્રશ્નને અવકાશ રહે છે. દા. ત. સાક્ષરયુગના કવિ કાન્ત કે મધ્યકાલીન કવિ અખાએ જે ભાષાનો વિનિયોગ કર્યો છે તેને વિશે આપણે એવાં સમીક્ષાત્મક વિધાન કરવા પ્રેરાઈએ જેની પાછળ રહેલી સૈદ્ધાંતિક ભૂમિકા જે તે કવિના પછીના યુગમાં જન્મી હોય, તો એમાં કેટલું વ્યાજબીપણું ગણાય? એ કવિઓએ ભાષાના વિનિયોગ પરત્વે જે રીતે વિચાર જ કર્યો હોતો નથી, જે વિશે કોઈ અભિજ્ઞતા કેળવી હોતી નથી, તેને વિશે આધુનિક અભિગમ સ્વીકારતાં આપણે આરોપણ તો કરતા નથી ને? આધુનિક સમયના વિવેચકોએ, અલબત્ત, પ્રાચીન મધ્યકાલીન કૃતિઓની તપાસમાં કેવો અભિગમ સ્વીકારવો જોઈએ એ વિવેચનની એક સમસ્યા છે.&lt;br /&gt;
આ અંગે આપણે એમ કહી શકીએ કે ઐતિહાસિક અભિગમ લઈને ચાલનારા વિવેચકો માટે આ કોઈ મોટી સમસ્યા નથી. સાહિત્યકૃતિ જે સામાજિક /ઐતિહાસિક/સાંસ્કૃતિક પરિબળો વચ્ચે જન્મી હોય તેને પૂર્ણતયા લક્ષમાં લઈને તેની તપાસ કરવાની રહે. પણ વિવેચનના બીજા દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો અલગ અલગ રીતે તપાસી જવાના રહે. જેમ કે, આકારવાદી અભિગમ વિશે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે : વર્તમાન યુગમાં પ્રચલિત થયેલો આકારવાદ આગલા યુગની બલકે પ્રાચીન મધ્યકાલીન કૃતિઓના સંદર્ભે પ્રસ્તુત ગણાય? અહીં રસલક્ષી અર્થાત્‌ સર્જનાત્મક સાહિત્યની પરંપરા અને મધ્યકાલીન ધર્મભાવનાપ્રેરિત સાહિત્ય વચ્ચે વિવેક કરવાનો આવશે. રસલક્ષી સાહિત્યમાં તો કૃતિની એકતાનો કોઈક ખ્યાલ કામ કરી રહ્યો હોય એમ જોઈ શકાય, પણ ધર્મભાવનાના સાહિત્યમાં જ્યાં રસલક્ષી નિર્માણનો કોઈ આશય જ નહોતો ત્યાં રસકીય સિદ્ધાંત લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી ગણાય? એ જ રીતે પ્રાચીન મધ્યકાલીન સાહિત્યમાં માકર્‌સવાદી અભિગમ લાગુ પાડવાનું ય કેટલું ઉચિત લેખાય?&lt;br /&gt;
અલબત્ત રસલક્ષી કે સર્જનાત્મક સાહિત્યની પરંપરાને અનુલક્ષીને ય પ્રશ્ન ઊભો થઈ શકે કે વર્તમાન યુગમાં જન્મેલા આકારવાદ (કે આકારવાદી અભિગમ)થી આગલા યુગની કૃતિઓને પ્રમાણવાનું વ્યાજબી લેખાય? પણ પ્રશ્ન ઘણો અટપટો છે. એમ હોય તો તો કાન્ત ન્હાનાલાલ કે બળવંતરાયની રચનાઓનું આકારલક્ષી વિવેચન કરી શકાય નહિ. અથવા આગલા યુગની કવિતાઓનું ભાષાલક્ષી વિશ્લેષણ પણ ઉચિત ન લેખાય. એટલે વિવેચનના અભિગમના વ્યાજબીપણાના પ્રશ્નો દેખાય છે તેથી વધુ અટપટા છે.&lt;br /&gt;
આ બધા મુદ્દાઓના અનુસંધાનમાં સુરેશ જોષી એમ ઉમેરે છે કે કૃતિ ગમે તે કાળમાં લખાઈ હોય તો પણ આપણે ‘આપણા જમાનાની વિશિષ્ટ સાહિત્યિક આબોહવામાં ઘડાયેલી આપણી સંવેદનાથી’ એને માણીએ છીએ. વળી એમ સ્પષ્ટ કરે છે કે સમયને અતિક્રમી જતી કૃતિઓમાં એની રૂપરચના જ એને ટકાઉ મૂલ્ય અર્પે છે. જો કે દરેક કૃતિમાં, સંસિદ્ધ થયેલી રૂપરચનામાં, એને અમુક અંશ ‘સમયબદ્ધ’ અને શેષ ‘સમયાતીત’ હોય છે, અને એમાંનો જે ‘સમયાતીત’ અંશ છે તે જ લાંબા સમય સુધી રસનું કારણ બની શકે છે. પણ સંરચનામાં ‘સમયબદ્ધ’ અને ‘સમયાતીત’નો ભેદ કેવળ વિભાવનાત્મક સ્તરનો છે. એની પ્રત્યક્ષ રેખા ઓકવાનું મુશ્કેલ છે.&lt;br /&gt;
‘સર્જક, સર્જન, વિવેચન—ક્રિયાશીલ ને પ્રાણવન્ત સન્નિકર્ષ’ શીર્ષકના લેખમાં સર્જન અને વિવેચનનો વિચાર ફિનોમિનોલોજીની દૃષ્ટિએ તેમણે કર્યો છે. આ વિષયની પાશ્ચાત્ય ચર્ચા એની માંડણીમાં રહી હોવાનું સમજાય છે. કમનસીબે, કેટલીક વિચારણા એમાં ક્લિષ્ટ કે દુર્ગંધ રહી જવા પામી છે. નીચેની ચર્ચામાં એની એક મહત્ત્વની ભૂમિકા સાંપડે છે.&lt;br /&gt;
“કૃતિનિર્માણના દરેક પ્રસંગે એના ભૌતિક પાયાને ઘડનાર અમુક વિશિષ્ટ તબક્કાઓ આવે છે અને કલાકારના ચિત્તમાં ઉદય પામતી કૃતિની સંરચના એના ભૌતિક પાયાના સ્થાપત્યની રચના દરમ્યાન ક્રમશઃ વિકસતી આવે છે. ભૌતિક આધારને ઘાટ આપતી વેળાએ અસરકારકતા અસ્તિત્વમાં આવતી હોય છે એ કળાકૃતિને મૂર્ત કરીને એને તત્ક્ષણ રજૂ કરવાનું કાર્ય કરતી હોય છે. કલાકાર આ પરિણામોને નિયંત્રિત કરે છે અને ચકાસી લે છે. આ નિયંત્રણો કલાકૃતિના ગુણધર્મોનો બોધ કરતી વેળાના ગ્રહિષ્ણુ અનુભવના તબક્કામાં કામ કરતા હોય છે... ભાવક પણ નરી નિષ્ક્રિયતાથી કે કેવળ ગ્રહિષ્ણુ બનીને વર્તતો હોય છે એવું નથી. એ તત્પૂરતો કૃતિને ગ્રહણ કરતી વેળાએ એનું પુનર્નિર્માણ કરતો હોવાથી, માત્ર ક્રિયાશીલ જ નહીં પણ અમુક અર્થમાં તો એ સર્જક પણ બને છે.”૧૨૯&lt;br /&gt;
આ રીતે આ અભિગમમાં ભાવક/વિવેચક કોઈ ‘નિષ્ક્રિય’ ‘ગ્રહિષ્ણુ’ નહિ, અમુક અંશે કૃતિનો પોતે ય ‘સર્જક’ બની રહે છે. પાશ્ચાત્ય વિવેચનના લાંબા ઇતિહાસમાં સાહિત્યની કૃતિ પરત્વે કાં તો કેવળ આત્મલક્ષી કાં તો માત્ર વસ્તુલક્ષી એમ સાવ વિરોધી ભૂમિકાનો દૃષ્ટિકોણ પ્રવર્તતો રહ્યો છે. સાહિત્યતત્ત્વવિચાર એ રીતે બે અંતિમોની વચ્ચે સતત ‘દોલાયમાન’ રહ્યો છે. ફિનોમિનોલોજી આ બે વિરોધી ભૂમિકાઓને જોડવાનો પ્રયત્ન કરે છે. સુરેશ જોષીએ આ સંદર્ભે જાણીતા વિવેચક રોમાઁ ઈન્ગાર્ડનની પ્રવૃત્તિનો નિર્દેશ કર્યો છે. સર્જનની પ્રવૃત્તિ એ સર્જકને પક્ષે એક intentional વ્યાપાર છે. ભાવકે એની કૃતિને પુનઃ નિર્મિત કરીને પામવાની છે. સર્જનપ્રક્રિયામાં સર્જક ‘પદાર્થને એવી રીતે અમુક ઘાટ આપે છે જેથી એ ‘પદાર્થ’ ચિત્રશિલ્પ કાવ્ય કે સંગીતરચના અર્થે ontological basis બની રહે. ભાવકે એની ‘સુગ્રથિત એકતા’ને ‘વિવિધ રીતે’ ‘પૂર્ણ કરી લેવાની રહે છે.’ સુરેશ જોષીના શબ્દોમાં- “એની આગવી રીતે મૂલ્યવાન એવા રસકીય પદાર્થરૂપને એ પામે તે પહેલાં એના સિદ્ધ થવાની ક્ષમતા ધરાવતાં તત્ત્વોને ભાવકે સિદ્ધ કરી લેવાનાં રહે છે.”૧૩૦ આ આખી ય પ્રક્રિયાનું તેમણે જે વર્ણન આપ્યું છે તેને સમજવાને ફિનોમિનોલોજીની વિચારણા જાણી લેવાનું, અલબત્ત, અનિવાર્ય બની રહે છે.&lt;br /&gt;
‘વિવેચનનો ચૈતન્યવાદી અભિગમ’–એ લેખમાં ‘જિનિવા ક્રિટિક્સ’ તરીકે જાણીતી થયેલી સ્કૂલના વિવેચકોએ સ્વીકારેલા ‘ચૈતન્યવાદી’ કે ‘સંવિત્‌લક્ષી’ અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે. જ્હોન કિલિસ મિલરના The Geneva Critics શીર્ષકના લેખની વિચારણા એના પાયામાં છે એમ તેમણે નોંધ્યું છે. એ સ્કૂલના વિવેચકોએ આ જે ચૈતન્યવાદી અભિગમ અપનાવ્યો છે તે, એક રીતે તો, આ સદીના ચોથા પાંચમા દાયકામાં અમેરિકામાં વ્યાપક પ્રચારમાં આવેલા નવ્ય વિવેચન સામેની પ્રતિક્રિયામાંથી જન્મ્યો છે. માર્સલ રેમોં, આલ્બર્ત બેગુઈં, જ્યોર્જ પુલે, જ્યાઁ પિયર રિચર્ડ, જ્યાઁ સ્ટારોબિન્સ્કી, જ્યાઁ રુસે, મૉરી, બ્લાઁકા, તેમજ હિલિસ મિલર, વગેરે આ સ્કૂલના જાણીતા વિવેચકો છે. જો કે ‘ચૈતન્ય’ના તાત્ત્વિક સ્વરૂપ વિશે એ દરેકની વ્યાખ્યાવિચારણામાં ક્યાંક ઓછોવત્તો ફેર રહ્યો જ છે. પણ કૃતિ પરત્વે તેમના અભિગમમાં વ્યાપક સમાનતા જોવા મળે છે. સુરેશ જોષીએ એમની વિચારણા અહીં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી છે.&lt;br /&gt;
જાણીતું છે કે નવ્ય વિવેચને સાહિત્યની આકૃતિને જોવા તપાસવાને તેની વસ્તુલક્ષી ભૂમિકાએ પ્રતિષ્ઠા કરી હતી. વિવેચનપ્રવૃત્તિને પણ વૈજ્ઞાનિક વિચારની જેમ વસ્તુલક્ષી ભૂમિકાએ વિકસાવવાના એ પ્રયત્નમાં ભાવકની ચેતના જાણે કે કૃતિથી વિચ્છિન્ન બની જતી હતી. જિનિવા સ્કૂલના વિવેચકોનું એમ કહેવું છે કે વિવેચનનું કામ તો સર્જકની ચેતના સાથે ભાવકની ચેતનાને જોડી આપવાનું છે. આ રીતે વિવેચન એ ‘ચેતના વિશેની ચેતના’ છે, ‘સાહિત્ય વિશેનું સાહિત્ય’ છે. કૃતિમાં અંકિત થયેલી સર્જકચેતના વિશે ભાવકની ચેતનાનું એ સહજ પ્રગટીકરણ છે, સર્જકની ચેતનાનું જ એ સહજ વિસ્તરણ છે. બહારના પ્રાકૃતિક પદાર્થો, વ્યક્તિઓ દૃશ્યો પ્રસંગો પરિસ્થિતિઓ આદિને વિષય કરીને સર્જક જે રીતે પોતાના સંવિદ્‌નું નિરૂપણ કરે છે, એ જ રીતે કૃતિમાં નિરૂપિત થયેલી સર્જકની સંવિદ્‌ને વિષય કરીને ભાવક પોતાના સંવિદ્‌નો વિસ્તાર કરે છે. સુરેશ જોષીના શબ્દોમાં – “આ વિષયભૂત પદાર્થને પામવા માટે સાહિત્યિક વિવેચકે, વિજ્ઞાની કોઈ ફૂલનું કે અણુનું એનાથી બહાર રહીને વર્ણન કરે છે તેમ, કૃતિની બહાર રહીને એનું વર્ણન કરવાનું નથી. સાહિત્યમાં જે વિષયો છે જ, તેને એણે વિસ્તારવાના છે, પૂર્ણ કરવાના છે, અને એની નવે રૂપે રચના કરવાની છે.”૧૩૧ તાત્પર્ય કે, કૃતિમાં સર્જકની ચેતના જે માધ્યમ દ્વારા વ્યાકૃત થઈ છે તેને અનુલક્ષીને ભાવકે પોતાની ચેતનાને પ્રગટ કરવાની છે. કૃતિને જોવાનો આ અભિગમ, દેખીતી રીતે જ, અગાઉના અભિગમોથી જુદો પડે છે. એનું કારણ એ કે ચૈતન્યવાદી વિવેચકોની સાહિત્ય વિશેની વિભાવના વસ્તુતઃ જુદી છે. જેમ કે, પુલે જેવા વિવેચક સાહિત્યકૃતિને – કાવ્ય હો કે નવલકથાને – તેમાંના ‘અર્થોની વસ્તુલક્ષી સંરચનારૂપે’ નહિ, કવિના અમુક ચોક્કસ વક્તવ્યના નિદર્શનરૂપે નહિ, અજ્ઞાત ચિત્તની ગ્રંથિઓના સહજ આવિર્ભાવરૂપે નહિ કે સમાજને અખંડ રૂપે બાંધનાર કોઈ એવી પ્રચ્છન્ન સંકેતવ્યવસ્થાના આવિર્ભાવ રૂપે ય નહિ – કેવળ સર્જકની ‘ભાવસ્થિતિ’ કે ‘સંવિદ્‌’ની મૂર્તતા રૂપે જ જૂએ છે. વિવેચક એ જ ‘ભાવસ્થિતિ’નું અનુસંધાન કેળવીને પોતાના સંવિદ્‌ને ઉપલબ્ધ કરી આપે છે. કૃતિમાં કાવ્યનાયક કે અન્ય પાત્રો દ્વારા સ્થળકાળના સંદર્ભે સર્જકની ચેતના જે સંકુલ રૂપ ધારણ કરીને છતી થાય છે તે સમગ્ર ચેતનાને ભાવક સંપ્રજ્ઞપણે ફરીથી પામવા મથી રહે છે. એ રીતે કૃતિનું આસ્વાદનવિવેચન એકાકાર બની જાય છે.&lt;br /&gt;
‘કાવ્યવિવેચનનો એક નવો અભિગમ’ લેખમાં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રના બે વિલક્ષણ ચિંતકો હેરોલ્ડ બ્લૂમ અને ઈહાબ હસનની કાવ્યચર્ચાનો તેમણે પરિચય આપ્યો છે. આગળના વિવેચનાત્મક અભિગમો સામે આ વિવેચકોને વાંધો છે. ‘કાવ્યનો અર્થ બીજું કોઈ કાવ્ય જ હોઈ શકે’ એવો તેમની ચર્ચાનો સૂર નીકળે છે. જૂની પદ્ધતિઓ કાવ્યમાંથી માત્ર ‘કલ્પનો, વિચારો, ગૃહીતો કે ધ્વનિઘટકો’ને અથવા અમુક વિભાવનાઓને જ સારવી લે છે. પણ રચનાનું હાર્દ એમાં છતું થતું નથી એમ તેઓ માને છે. જો કે અહીં આ વિશે જે રીતે રજૂઆત થઈ છે તેને મૂળના સંદર્ભો જોયા વિના સમજવામાં મુશ્કેલી રહે એ સ્વાભાવિક છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચન અને ભાષાવિજ્ઞાન’ લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ સુરેશ જોષીએ છેડ્યા છે. તેઓ કહે છે ભાષાવિજ્ઞાનનું ક્ષેત્ર આજે અનેક દિશાઓમાં ઘણી ઝડપથી વિસ્તરી-વિકસી રહ્યું છે. એ સાથે વિવેચનમાં વૈજ્ઞાનિક શિસ્ત આણવાના પ્રયત્નો આરંભાયા છે. સાહિત્યકાર પણ આગવી રીતે ભાષાને પ્રયોજે છે, તો એના સ્વરૂપ અને બંધારણની તપાસ કરવી અને ભાષાવિજ્ઞાનની પાયાની વિભાવનાઓ લઈને કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું વર્ણનવિશ્લેષણ કરવું એ આજે એક મહત્ત્વની પ્રવૃત્તિ બની છે. સુરેશ જોષી નોંધે છે કે, આ બધી પ્રવૃત્તિઓ છતાં ભાષાનો અભ્યાસી અને સાહિત્યવિવેચક – એ બેના કાર્ય વચ્ચે હજી પૂરો મેળ રચાયો હોય એમ દેખાતું નથી. આ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે ભાષાવિજ્ઞાની વિવેચ્ય કૃતિની માત્ર ભાષાલક્ષી તપાસ કરે, અને તેની વિગતો નોંધે, અને અહીં જ તે અટકે છે કે તેણે અટકવાનું છે, સાહિત્યવિવેચક પછીથી પોતાની રીતે એ વિગતોનું અર્થઘટન કરશે – આવી એક સમજ અત્યારે પ્રચારમાં છે. પણ એમાં દોષ રહ્યો છે એમ સુરેશ જોષી બતાવવા ચાહે છે. તેમનું કહેવું છે કે કૃતિમાં પ્રયોજાયેલી ભાષાની જો કોઈ ભાષાવિજ્ઞાની તપાસ હાથ ધરે, અને તેની વિગતો નોંધવા પ્રવૃત્ત થાય, પણ તેની વિગતોની પસંદગી પાછળ – તેના પુરસ્કાર તિરસ્કાર પાછળ – જો કોઈ ચોક્કસ દૃષ્ટિનો, નિયમનો, સ્વીકાર ન હોય તો તો તેની આખીય પ્રવૃત્તિ નરી યાદૃચ્છિક બાબત બની રહે. હકીકતમાં, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ કે ભિન્ન ભિન્ન નિયમને અનુલક્ષીને એકની એક કૃતિની ભાષા તપાસી શકાય. એટલી કૃતિની ભાષાની વિગતોની પસંદગી, ગોઠવણી, અને વિશ્લેષણ – એ સર્વ પ્રવૃત્તિ પાછળ કોઈ એક યા બીજા સિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે જ છે. મહત્ત્વની વાત એ છે કે આ રીતે કોઈ એક યા બીજા સિદ્ધાંતને અનુલક્ષીને વિગતોની પસંદગી કરવી એટલે જ કૃતિનું અમુક રીતે અર્થ-ઘટન (interpretation) કરવું’ એમ થશે. એટલે ભાષાવિજ્ઞાનીએ ભાષાલક્ષી તપાસ પણ અમુક ચોક્કસ હેતુપૂર્વક, ચોક્કસ નિયમને અનુલક્ષીને, કરવાની રહે. અલબત્ત, સાહિત્યવિવેચકને તેનું આ જાતનું ‘અર્થઘટન’ સીધી રીતે ઉપકારક થાય અથવા ન પણ થાય. વિવેચકનો કૃતિ પરત્વેનો અભિગમ તેનાથી જુદો હોઈ શકે. પ્રશ્ન છેવટે ભાષાવિજ્ઞાની અને વિવેચક બંનેની પરસ્પર ઉપકારકતાનો છે.&lt;br /&gt;
ભાષાવિજ્ઞાનીઓનો જો કે વિવેચકો સામે એવો આક્ષેપ રહ્યો છે કે તેઓ (વિવેચકો) પોતાના વિવેચનમાં કૃતિની ભાષાને લગતી જે જે વિગતોનો ઉલ્લેખ કરે છે, તે તેમના કોઈક ‘પૂર્વનિર્ણિત દૃષ્ટિબિંદુના સમર્થન’માં મૂકી હોય છે. એટલે કે વિવેચકોનો આ જાતનો ઉપક્રમ ભાષાની વસ્તુલક્ષી તપાસનો હોતો નથી. ભાષાની જે કોઈ વિગતો તેઓ નોંધે છે તે માત્ર ‘ડોળ ખાતર જ’, કેમ કે કૃતિના સ્વ-રૂપ વિશે અગાઉથી જ અમુક ‘નિર્ણય’ બાંધીને તેઓ વિવેચનકાર્યમાં પ્રવૃત્ત થતા હોય છે. ભાષાવિજ્ઞાનીઓએ ઊભા કરેલા આ જાતના વાંધા સામે સુરેશ જોષીનો ઉત્તર છે કે વિવેચ્ય કૃતિ વિશે આવી કશીક ‘પૂર્વ સમભાવનાઓ’નો આધાર લીધા વિના કૃતિનું ‘પરીક્ષણ’ શક્ય જ નથી. અલબત્ત, વિવેચક પણ ભાષાના પૂરા પરીક્ષણને લક્ષમાં લીધા વિના, ઉતાવળે અમુક ખ્યાલ બાંધી બેસે, અને પછી અર્ધજરતીન્યાય પોતાને અનુકૂળ આવે તેટલી જ વિગતો સ્વીકારી પોતાના ખ્યાલનું સમર્થન કરવા પ્રેરાય, ત્યારે તે માર્ગ ચૂકે એમ બનવાનું, એમ સુરેશ જોષી સાવધાનીના સૂર સાથે નોંધે છે.&lt;br /&gt;
‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ – લેખમાં સાહિત્યને તપાસવાના સંરચનાવાદી અભિગમનો તેમણે પરિચય કરાવ્યો છે, અને એ અભિગમની મર્યાદાઓ તરફ આપણું લક્ષ્ય ખેંચવાનો પ્રયત્ન કર્યો છે Structureની વિભાવના સોસ્યૂરના પુનરુત્થાન સાથે જ્ઞાનની વિભિન્ન શાખાઓમાં વિનિયોજાતી રહી છે. structuralism, એ રીતે, કોઈ સાહિત્યિક ‘સંપ્રદાય’ કે આંદોલન નથી. અને એ વિભાવના સ્વીકારીને ચાલનારા અભ્યાસીઓ પણ ‘સમાન સિદ્ધાંતના સળંગસૂત્રથી’ બંધાયા હોય એમ જણાતું નથી. સુરેશ જોષી એમ નોંધે છે કે કેટલાક સર્જકો માટે રૂપરચનાની પ્રવૃત્તિ ‘વિશિષ્ટ પ્રકારનો અનુભવ’ બની રહે છે. તેમની આ પ્રકારની કૃતિઓ તેમણે રજૂ કરેલા કોઈ વિચાર કે ભાષાને કારણે નહિ, પણ તેમાંના ‘mentally experienced srtuctures’ને કારણે અલગ તરી આવે છે. સંરચનાવાદી નિર્માણ વિશે તેમણે રજૂ કરેલી એક મહત્ત્વની ભૂમિકા આ પ્રમાણે છે :&lt;br /&gt;
“એમાં પદાર્થની એવી રીતે પુનઃ રચના કરવામાં આવે છે, જેથી એ પદાર્થની ક્રિયાશીલતાનું ઋત પ્રકટ થઈ આવે. આમ જેને આપણે ‘કૃતિ’ કહીએ છીએ તે વાસ્તવમાં એક composition છે. ‘પદાર્થ’નું પ્રતિરૂપ રચવું તે કળાની પ્રવૃત્તિ છે. પણ આ પ્રતિરૂપ (simulacrum)ની એક નિર્દિષ્ટ દિશા હોય છે, એનો એક વિશિષ્ટ હેતુ હોય છે, જેનું મૂળ પદાર્થમાં આકલન થતું નહોતું, જે એમાં દૃષ્ટિગોચર થતું નહોતું તેને આ સંરચના દ્વારા બોધગમ્ય, આસ્વાદ્ય, દૃષ્ટિગોચર બનાવી શકાય છે. સર્જક વાસ્તવિક પદાર્થને decompose કર્યા પછીથી એને recompose કરે છે. આ બે ધ્રુવની વચ્ચે સંરચનાની પ્રક્રિયા ચાલે છે, અને એને પરિણામે પહેલાં જે નહોતું તેવું કશુંક ઉદ્‌ભાસિત થઈ ઊઠે છે.”૧૩૨&lt;br /&gt;
જો કે સંરચના વિશેની આટલી અમૂર્ત સ્તરની ચર્ચા સાહિત્યની સંરચના વિશે ભાગ્યે જ કશો વેધક પ્રકાશ પાડી શકે. સાહિત્ય ઉપરાંત, અલબત્ત, પુરાણકલ્પનો અને બીજા પણ અનેક વિષયોમાં આ અભિગમ સ્વીકારાયો છે. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે સંરચનાવાદીઓએ ‘પૃથક્કરણનાં ઓજાર’ આમ તો આધુનિક ભાષાવિજ્ઞાન પાસેથી મેળવ્યાં છે. પણ એની પરિભાષા સ્વીકારવાથી અભ્યાસનું ક્ષેત્ર મર્યાદિત થઈ જાય કે કૃતિનાં માત્ર ભાષાકીય અંગોની જ ચર્ચા એમાં થાય, એવું નથી. જો કે ભાષા દ્વારા થતી સંરચના જ બીજી બધી સંકેતવ્યવસ્થા પરત્વે નિર્ણયાત્મક બની રહે છે, એમ તેઓ નોંધે છે.&lt;br /&gt;
રોમન યાકોબ્સને કાવ્યની ભાષાના સ્વરૂપ પરત્વે રજૂ કરેલો સિદ્ધાંત જાણીતો છે : The poetic function projects the principle of equivalence from the axis of selection on the axis of combination. આ સિદ્ધાંતને અનુરૂપ પ્રાસછન્દાદિનો તેમણે વિચાર કર્યો છે. કાવ્યમાં રહેલાં અર્થગત સાદૃશ્યો કે વિરોધો તરફ ધ્યાન ખેંચવાને પ્રાસનો વિનિયોગ થાય છે; જ્યારે છન્દો કાવ્યના ‘અર્થ’ તત્ત્વ ઉપર અસર કરતા હોય છે. યાકોબ્સનની આ જાતની ભૂમિકા ઘટાવી આપતાં સુરેશ જોષી કહે છે : ‘કાવ્ય પરત્વે કરેલું કોઈ સામાન્ય લાગતી હકીકતનું નિરીક્ષણ કાવ્યરચનાની પ્રક્રિયા પરત્વેનાં સર્વ સંભવિત રૂપો અને સંયોજનોના અભ્યાસને માટેનું પ્રસ્થાનબિંદુ બની રહે, એવું એ માને છે. એટલું જ નહિ, કાવ્યમાં કવિ જે અપેક્ષાઓ ઊભી કરે છે અને જે આશ્ચર્યો યોજે છે તેની વચ્ચેના tensionને ચોકસાઈપૂર્વક માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ રચી આપવાના પ્રયત્નમાં પણ એને રસ છે.’ પણ યાકોબ્સનની આ વિચારણા પછીથી અન્ય અભ્યાસીઓ દ્વારા આલોચના પામી છે. રુવેતે એ વિશે એમ ટીકા કરી છે કે ભાષાવિજ્ઞાનના transformation modelથી axis of selection અને axis of combinationની મર્યાદાઓ છતી થઈ ગઈ છે. વળી સાદૃશ્યોના સંબંધોની રૂપરેખા આંકી લેવાથી પણ કૃતિમાંનાં ‘સાદૃશ્યોની અનેકવિધ કક્ષાઓ’ને ભાગ્યે જ આવરી લઈ શકાય. કાવ્યમાંનાં ખરેખર ‘અનિવાર્ય’ એવાં, તેમ ‘ઐચ્છિક’ ભાષાકીય તત્ત્વો વચ્ચે, ભેદભાવ ચીંધી આપવાનું ય મુશ્કેલ છે. રુવેતે ઊભો કરેલો મોટો મુદ્દો તો વળી એ છે કે ભાષાવિજ્ઞાન કાવ્યની ભાષાનું ચોકસાઈભર્યું વર્ણન કરવાને સામગ્રી પૂરી પાડી શકે, પણ રસકીય દૃષ્ટિએ એ કેટલે અંશે પ્રસ્તુત કે અપ્રસ્તુત છે તેનો સ્વયં નિર્ણય કરી શકતું નથી. પૉ, બૉદલેર, આદિની કાવ્યકૃતિ લઈને યાકોબ્સને પોતાનો સિદ્ધાંત લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમાં આ અભિગમની મર્યાદા જ વધુ છતી થઈ જાય છે. સર્જનાત્મક કૃતિઓમાં ‘સામંજસ્યપૂર્ણ નહિ લાગતા’ એવા જે ‘અર્થસભર સંબંધો’ યોજાતા આવે છે તેને સમજવા માટેય equivalenceનો સિદ્ધાંત અપૂરતો જ નીવડે છે. તોદોરો, કલૉદ બ્રૅમાઁ, રોલા બાર્થ, જેનઁ, વગેરેની આ વિશેની ચર્ચાના મુખ્ય તંતુઓ આ લેખમાં ગૂંથાયા છે.&lt;br /&gt;
વિવેચનના અદ્યતન અભિગમો વિશે સુરેશ જોષીએ આમ ચર્ચાવિચારણાઓ તો કરી – એમાં પાશ્ચાત્ય ગ્રંથો/લેખો ભૂમિકામાં રહ્યા હોય એવું ય અનેક સ્થાને જોવા મળશે – પણ એ જાતની ચર્ચા એના મૂળ સ્રોતો (sources)ને વાંચ્યા વિના પૂરતી સ્પષ્ટ થાય કે કેમ એ પ્રશ્ન રહે છે. એ લખાણો એ રીતે પૂરતાં પરિણામકારી નીવડશે કે કેમ એવો સંદેહ પણ આપણા મનમાં જાગે. પણ નવી નવી વિચારણાઓ રજૂ કરવી, રૂઢ વિચારણા સાથે તેને ટકરાવવી, અને એમ કરતાં ગતિશીલ પ્રાણવાન નવીન વિચારણા જન્માવવી – એવી શુભ વૃત્તિ જ એની પાછળ રહી છે, અને એટલે જ આ પ્રવૃત્તિ આવકાર્ય બને છે.&lt;br /&gt;
આપણી વર્તમાન વિવેચનાત્મક પરિસ્થિતિ તેમને ઘણી રીતે અસંતોષકારક અને ચિંતાજનક લાગી છે. અનેક લેખોમાં તેઓ એની ચિકિત્સા કરવા પ્રેરાયા છે. આપણા વિવેચનના વિકાસ અર્થે તેમનાં અવલોકનો/સૂચનો મહત્ત્વનાં બની રહે છે. બીજી રીતે, વિવેચન (કે વિવેચક) માટેનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ પણ એમાંથી મળી શકે એમ છે :&lt;br /&gt;
(૧)	સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણા સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે જે અનેકવિધ પ્રયોગો થયા, નવ્ય ઉન્મેષો પ્રગટ થયા, તેની સાથે આપણું વર્તમાન વિવેચન તાલ મિલાવી શક્યું નથી. પ્રૌઢ અભ્યાસીઓ આ આધુનિકતાવાદી સાહિત્યથી અળગા ને અળગા થતા રહ્યા એ પરિસ્થિતિ ચિંત્ય લેખાવી જોઈએ&lt;br /&gt;
(૨)	આપણું મોટા ભાગનું વિવેચન કૉલેજો અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં નિયત થતી અમુક જ કૃતિઓની આસપાસ ફરતું રહ્યું છે. ઘણું ખરું સારગ્રાહી કે વિચારવસ્તુ સારવી લેનારું એ વિવેચન કોઈ રીતે ઉપકારક બની શકે નહિ. નવા જ તાજગીભર્યા પ્રાણવાન ઉન્મેષો કે પ્રયોગશીલ રચનાઓને વિવેચનમાં લેવાની એટલી તત્પરતા એમાં દેખાતી નથી. તેમ આ નવા ઉન્મેષોને આપણી સાહિત્યિક પરંપરા સાથે જોડી આપવાનું પણ ખાસ બન્યું નથી.&lt;br /&gt;
(૩)	વિવેચ્ય કૃતિઓનું પ્રત્યક્ષ અનુભાવન કરીને તેમાં પ્રગટતાં નૂતન કળાતત્ત્વોને ઓખળવાને બદલે વિવેચનના રૂઢ માળખામાં ગોઠવીને જોવાનું વલણ જ કામ કરતું જોવા મળે છે. આપણી કળારુચિ એ રીતે કુંઠિત અને દરિદ્ર બને છે.&lt;br /&gt;
(૪)	સિદ્ધાંતવિચાર અને પ્રત્યક્ષ વિવેચન વચ્ચે ય વારંવાર વિ-સંવાદ દેખાય છે. કોઈ અભ્યાસી સિદ્ધાંતચર્ચામાં કળાના પ્રાણભૂત તત્ત્વ તરીકે આકાર (form)નું મહત્ત્વ કરતો હોય પણ એ જ અભ્યાસી કૃતિવિવેચનમાં આકારનો મુદ્દો સ્વીકારતો જ ન હોય કે સર્વથા ગૌણ બાબત લેખવીને તે ચાલતો હોય એવું ય જોવા મળશે&lt;br /&gt;
(૫)	સંસ્કૃત કાવ્યમીમાંસા તેમજ પાશ્ચાત્ય સાહિત્યશાસ્ત્ર બંનેય પરંપરાની વિચારણાઓનું આપણે અધ્યયન કરીએ છીએ, પણ એમાંના બીજરૂપ ખ્યાલોને આપણા સમસામયિક પ્રશ્નો સાથે સાંકળીને તેની નવેસરથી વ્યાખ્યાવિચારણા કરવા ખાસ પ્રેરાતા નથી. આવી પરંપરામાંથી પ્રાપ્ત થતી સિદ્ધાંતચર્ચાઓ, એ રીતે, ઘણખરું તો સારસંક્ષેપ કે ભાષાન્તર જેવી બની રહે છે. સુરેશ જોષીના મતે ભૂતકાળનું ઘણુંએક વિવેચન હવે ખરચાઈ ખૂટ્યું છે, અને આ ક્ષેત્રમાં નવેસરથી વિચારવાની અનિવાર્યતા ઊભી થઈ છે. અમુક અંશે, અગાઉનું વિવેચન પણ આપણને અન્તરાયરૂપ બની ગયું છે. એ વિવેચનનું પણ વિવેચન થાય થતું રહે એ જ ઇષ્ટ પરિસ્થિતિ છે&lt;br /&gt;
(૬)	રૂપલક્ષી વિવેચનની તેમણે પોતે જે પરંપરા ઊભી કરી તેનું અત્યારે ‘હીનીકરણ’ થયેલું જોવા મળે છે. કહેવાતા આસ્વાદલેખોમાં કૃતિનું વિવરણ કે ગદ્યરૂપાંતર વધુ જોવા મળે છે. નવી વિવેચનાત્મક આબોહવામાં જૂની કૃતિઓના પુનર્મૂલ્યાંકનના ય ઝાઝા પ્રયત્નો દેખાતા નથી.&lt;br /&gt;
(૭)	ફિલસૂફી, ભાષાવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર, સંકેતશાસ્ત્ર આદિ વર્તમાન સમયમાં ખેડાઈ રહેલી વિદ્યાશાખાઓની ઉપલબ્ધિઓનો આપણા વિવેચને લાભ લીધો નથી. એને કારણે આપણી ‘રુચિનું પરિમાણ’ સંકુચિત બની રહ્યું છે એમ સુરેશ જોષી કહે છે.&lt;br /&gt;
(૮)	આપણા અભ્યાસીઓ વિવેચનના સિદ્ધાંતોને હજીય જડતાથી વળગવાનું વલણ બતાવે છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો આખરે તો કૃતિઓના રસાનુભવને અનુસરે છે. પણ સાહિત્યશાસ્ત્ર વર્ણનલક્ષી બનવાને બદલે આદેશલક્ષી બને ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક લેખાય. સિદ્ધાંતો અને વિભાવનાઓ વિવેચ્ય કૃતિ પરત્વે ખૂબ જાગૃતપણે વિવેકપૂર્વક યોજવાનાં રહે.&lt;br /&gt;
(૯)	તરુણ પેઢીના લેખકોએ સ્થાપિત મૂલ્યો, સામાજિક વાસ્તવ અને સંસ્કૃતિબોધને વેગળા રાખી અરાજકતાને તાગવાના – તેની અનંત શક્યતાઓનો પાર પામવાના – પ્રયત્નો કર્યા. આગલા યુગમાં વાસ્તવિકતા અમુક ‘જડ બૌદ્ધિક વિભાવનાઓના ચોકઠામાં’ બંધાઈને ‘કુંઠિત’ થઈ ગઈ હતી તેને પુનઃ ઉપલબ્ધ કરવાના એ પ્રયત્નો હતા. નવા વિવેચનને માટે આ ક્ષણે એક મહત્ત્વની કામગીરી આવી હતી  – મૃત વાસ્તવિકતા સાથે પુનઃ સંપર્ક સાધવાની પણ એમાં તે ઊણું ઊતર્યું. નવીનતાનો આભાસ લઈને આવેલી કૃતિઓમાં સાચી કઈ, કૃતક કઈ, તેને અંગે બારીકમાં બારીક વિશ્લેષણ દ્વારા નિર્ણય કરવાની, અને સાચી કળાકૃતિની પ્રતિષ્ઠા કરવાની તાતી જરૂરિયાત હતી, પણ તે થઈ શક્યું નથી.&lt;br /&gt;
(૧૦)	ગઈ પેઢીનાં કૃતિવિવેચનો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવાનું પણ એટલું જ આવશ્યક છે. દરેક વિવેચનરીતિની જે કંઈ વિશેષતા, જે કંઈ મર્યાદા હોય, તેની ય નોંધ લેવાની રહે છે. કૃતિ વિશેના અંગત ગમાઅણગમા કે મૂલ્યાંકનને બાજુએ રાખી, તેની સંરચના તપાસીને તેનું કળાકીય મૂલ્ય ઉદ્‌ભાસિત કરી આપવું જોઈએ.&lt;br /&gt;
(૧૧)	વાલેરી કે ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓએ પોતાના સર્જનની પૂર્વતૈયારી રૂપે કાવ્યકળા વિશે ઘણું ઊંડું ચિંતનમનન કરેલું દેખાય છે. તેમની સર્જનપ્રવૃત્તિ પાછળ સર્જક તરીકે તેમની અમુક સભાનતા કામ કરતી રહી છે. કળાનાં જે આગવાં ધોરણો કે મૂલ્યો તેઓ ઝંખે છે તેને અનુરૂપ તેઓ રચનામાં સક્રિય બન્યા છે. આપણે ત્યાં સર્જકો પાસેથી એવા સ્વચ્છ સુરેખ અહેવાલો બહુ મળતા નથી. લેખકો બહુ બહુ તો પોતાના આશય કે પ્રેરણાની વાતો કરે, પણ પોતાની કળાપ્રવૃત્તિનું હાર્દ ખુલ્લું કરી આપે કે કળા વિશેની આગવી વિભાવના સ્પષ્ટ કરે એવી, તીક્ષ્ણ પ્રખર બૌદ્ધિકતાવાળી ચર્ચા ભાગ્યે જ મળશે.&lt;br /&gt;
(૧૨)	આપણા વિવેચનને આપણે નરી આત્મલક્ષિતા (subjectivity)થી બચાવી લેવું જોઈએ, અને છતાં વિવેચકનો personal voice એમાંથી લુપ્ત થવો ન જોઈએ.&lt;br /&gt;
(૧૩)	સાહિત્યના અધ્યાપનમાં વિશુદ્ધ રસકીય સંવિત્તિ ખીલવવાને બદલે કૃતિ નિમિત્તે કે તેની આસપાસ બીજું જે કંઈ બોલીએ છીએ, તેથી કશું જ ફલપ્રદ નીવડતું નથી. પ્રશ્ન ખરેખર તો ભાવકમાં તેમ સમાજજીવનમાં કુંઠિત થઈ જવા આવેલી રસસંવિત્તિને મુક્ત કરવાનો છે. સમાજ એ રીતે જ સંસ્કારી બની શકશે.&lt;br /&gt;
(૧૪)	સમાજ રાજકારણ અર્થકારણ – એમ પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં ભારે ઊથલપાથલો થઈ રહી હોય, અરાજકતા વ્યાપી ગયાનાં ચિહ્નો વરતાતાં હોય, ત્યારે સાહિત્યનો અધ્યાપક અને વિવેચક કેવી રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવશે? કૃતિઓ સાથે કઈ રીતે કામ પાડશે? અધ્યાપન-વિવેચનની સમસ્યાઓનું સ્વરૂપ જ આથી બદલાઈ જતું નથી? આપણા સર્જનાત્મક સાહિત્યમાં વર્તમાન માનવીના આંતરસંઘર્ષોનો કોઈ પડઘો જ પડતો ન હોય તો કૃતિમાં રજૂ થતું કાલ્પનિક જગત અને બહારની અરાજકતા એ બે વચ્ચે કોઈ રીતે ય તે મેળ સાધી શકશે? સુરેશ જોષી કહે છે કે આ આખોય પ્રશ્ન આજના સંદર્ભે સર્જનવિવેચનની પ્રવૃત્તિઓની પ્રસ્તુતતાનો છે. આપણા સાહિત્યના અભ્યાસીઓ/વિવેચકો સામે આ રીતે આજની વિષમતા જ પડકારરૂપ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ભાવકનું વિવેચકે સર્જાતા સાહિત્યની સાથે અનુસંધાન કેળવી આપવાનું છે.&lt;br /&gt;
(૧૫)	સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે.&lt;br /&gt;
‘માકર્‌સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્‌સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્‌સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્‌સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્‌સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે.&lt;br /&gt;
૨&lt;br /&gt;
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે.&lt;br /&gt;
(અ) પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પાયાની સંજ્ઞાઓ/વિભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું. યથાવકાશ તેની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવી.&lt;br /&gt;
(બ) વિવેચનસિદ્ધાંતના બીજભૂત વિચારો જેમાં પડ્યા હોય તેવાં પાશ્ચાત્ય લખાણો (કે તેના અંશો) અનુવાદરૂપે મૂકવાં કે તેનો સારાંશ આપવો.&lt;br /&gt;
(ક)	સંસ્કૃત કાવ્યવિચાર અને પાશ્ચાત્ય વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયોને એકબીજાની પડખે મૂકી તુલનાત્મક વિચારણા કરવી અથવા એ તરફ સંકેત કરવો.&lt;br /&gt;
(ડ) આપણા આધુનિક સાહિત્યના વિવેચન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો (કે તેના વિભાવો)ને ય સમર્થ રીતે વિનિયોજી શકાય, એમ દૃષ્ટાંતો લઈને બતાવવું.&lt;br /&gt;
ડૉ. હરિવલ્લભ ભાયાણીની આ રીતની સર્વ વિવેચનપ્રવૃત્તિ, દેખીતી રીતે જ, ચોક્કસ અભિગમ લઈને ચાલી છે, ચોક્કસ હેતુપૂર્વક ચાલી છે. સ્વાતંત્ર્યોત્તર સમયમાં આપણે ત્યાં અવનવી સાહિત્યવિચારણાઓ પશ્ચિમમાંથી આવી ત્યારે પરંપરાગત અને આધુનિક વિચારણાઓ વચ્ચે ટકરામણ ઊભી થઈ. તેમણે એ સમયે વેધક દૃષ્ટિએ જોઈ લીધું કે આપણા વર્તમાન વિવેચનમાં વિભાવનાઓ/વિચારણાઓ પરત્વે ઘણા ગૂંચવાડાઓ પ્રવર્તી રહ્યા છે. આકારલક્ષી વિવેચનની હિમાયત થઈ રહી છે, છતાં ઘણુંખરું કૃતિવિવેચન વિવેચકની ‘અંગત છાપ’ પર આધારિત છે. પશ્ચિમમાં વિવેચનને વધુ ને વધુ વ્યવસ્થિત, વધુ ને વધુ ચોકસાઈવાળું અને વસ્તુલક્ષી કોટિનું બનાવવાના પ્રયત્નો આરંભાયા છે, અને તેમાં ભાષાલક્ષી તપાસ આગવો ભાગ ભજવી રહી છે, એમ પણ તેમણે જોયું. એટલે આપણા વિવેચનમાં વ્યવસ્થા ઊભી કરવાનો તેમનો આ સંનિષ્ઠ પ્રયત્ન છે.&lt;br /&gt;
તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘કાવ્યમાં શબ્દ’-માં વિવેચનની કેટલીક પાયાની સંજ્ઞાઓ ‘શૈલી’ ‘છંદ’ ‘અછાંદસ’ ‘લય’ ‘કાવ્યાર્થ’ ‘આકૃતિ’ ‘ઈમેયજ’ ‘પ્રતીક’ ‘શુદ્ધ કવિતા’ ‘સર્જનપ્રક્રિયા’ આદિનું સ્પષ્ટીકરણ આ રીતે ધ્યાન ખેંચે છે. એમાં વિચારોની વિશદતા અને ચોકસાઈ સહજ સિદ્ધ થયાં છે.&lt;br /&gt;
જાણીતું છે કે પાશ્ચાત્ય વિવેચનમાં છેલ્લા બેત્રણ દાયકાઓમાં ભાષાલક્ષી, શૈલીલક્ષી, સંરચનાલક્ષી અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. રશિયન ફૉર્માલિઝમ અને પ્રાગ સ્કૂલના અભિગમોએ વિવેચનના સંદર્ભે, ખાસ તો, ભાષાના સ્વરૂપ અને બંધારણના પ્રશ્નો કેન્દ્રમાં આણ્યા. સાહિત્ય પણ સૌ પ્રથમ અને અંતે તો ભાષાકીય નિર્માણ છે, ભાષામાં અને ભાષા દ્વારા અસ્તિત્વમાં આવેલું નિર્માણ છે. એટલે, ત્યાં સાહિત્યની ભાષાના પ્રશ્નો એકદમ કેન્દ્રમાં આવ્યા. વિવેચનનું કાર્ય હવે મૂલ્યાંકન કે રહસ્યઘટનનું નહિ, કૃતિના વર્ણન-વિશ્લેષણનું છે એમ આ જૂથના અભ્યાસીઓએ કહ્યું. વિશિષ્ટ કૃતિની ઉપલબ્ધિમાં નહિ, વ્યાપક સાહિત્યની ‘સાહિત્યિકતા’ (literariness) તપાસવામાં તેમનો ખરેખર તો મુખ્ય રસ હતો. સાહિત્યની ભાષા એ જો સામાન્ય વ્યવહારની ભાષાનું જ પુનર્વિધાન હોય, તો એ પુનર્વિધાનની પ્રક્રિયાનું વર્ણન આપવું જોઈએ એમ તેમને લાગ્યું. આમ વિવેચનમાં ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો જે રીતે પુરસ્કાર પામ્યા એ ઘટનાએ જ કદાચ ડૉ. ભાયાણીને વિવેચનક્ષેત્રમાં આકર્ષ્યા હોય, ગમે તે હો, ભાષાશાસ્ત્રની તેમની અનન્ય સજ્જતા તેમના વિચારવિમર્શમાં પૂરી તાર્કિક ચુસ્તી આણે છે, અને તેમની વિવેચનદૃષ્ટિને આગવો પરિપ્રેક્ષ્ય અર્પે છે. કૃતિના વર્ણન-વિશ્લેષણ-વિવરણ તરફનો તેમનો ઝોક સમજવાનું એ રીતે મુશ્કેલ નથી. પશ્ચિમના જાણીતા અભ્યાસી યાકોબ્સનનું તેઓ જે મંતવ્ય ટાંકે છે તે સૂચક છે : ‘...આધુનિક સમયમાં જે ભાષાવિજ્ઞાની કાવ્યભાષા માટે જાગૃત કર્ણેન્દ્રિય ધરાવતો ન હોય, અને જે સાહિત્યવિવેચક ભાષાના પ્રશ્નો તથા અભ્યાસ-પદ્ધતિઓથી વિમુખ હોય તે બંનેને કાલગ્રસ્ત ઘટનાઓ જેવા સમજવા.’૧૩૩ આ મંતવ્યમાં કદાચ થોડી અત્યુક્તિ હશે, પણ ઠીક ઠીક સત્યાંશ એમાં રહ્યો છે. કૃતિમાં પ્રયોજાયેલી ભાષાનું બારીકમાં બારીક પરીક્ષણ કરતાં તેના અર્થ અને સંવેદનની અતિ સૂક્ષ્મ સૂક્ષ્મતર રેખાઓ પ્રગટ થઈ આવે છે. એટલે મૂલ્યાંકન-રહસ્યઘટનમાં પ્રવૃત્ત થતા વિવેચક માટે ય પૂર્ણ ભાષાકીય અભિજ્ઞતાનું અનુસંધાન આવશ્યક છે. ભાષાવિજ્ઞાનનાં ઓજારો લઈને કૃતિની ભાષાનું સમજપૂર્વક અધ્યયનવિવેચન થાય એ હવે અત્યંત જરૂરી બની ગયું છે.&lt;br /&gt;
કૃતિના ‘વિશ્લેષણ’ના બે પ્રકાર ડૉ. ભાયાણીએ ગણાવ્યા છે.&lt;br /&gt;
(૧)	કૃતિની ભાષા અને શૈલીનું પદ્ધતિસરનું વિશ્લેષણ. આ સીમિત પ્રકારનું છે.&lt;br /&gt;
(૨)	કૃતિનું સમગ્રપણે થતું અર્થઘટન અને મૂલ્યાંકન. એ વ્યાપક પ્રકારનું વિશ્લેષણ છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણી એમ કહેવા ચાહે છે કે પહેલા પ્રકારનું વિશ્લેષણ બીજા પ્રકારને ઘણી રીતે ‘સમર્પક’ અને ‘ઉપકારક’ નીવડે છે, નીવડી શકે છે. જો કે વિવેચકનું બધું ધ્યાન કૃતિની ભાષા/શૈલી પર જ કેન્દ્રિત થાય અને કૃતિના મૂલ્યબોધનો જ છેદ ઊડી જાય તો તો વિવેચનનો હેતુ માર્યો જાય એમ બનશે. આ સંદર્ભે રેને વેલેકે આપેલી ‘વિવેચન’ની વ્યાખ્યા તેઓ રજૂ કરે છે : ‘સાહિત્યનું શાસ્ત્રીય અધ્યયન એટલે મૂલ્ય ધરાવતી અને મૂલ્યવાન હોય તેવી રચનાઓ, ધોરણો, અને પ્રક્રિયાઓનું વ્યવસ્થિત અધ્યયન.’૧૩૪ સહેજ ઝીણવટથી જોતાં સમજાશે કે રેને વેલેકની વ્યાખ્યામાં કૃતિના વિશ્લેષણ અને મૂલ્યાંકનની બંનેય પ્રવૃત્તિઓના ખ્યાલો સૂચવાઈ ગયા છે. ડૉ. ભાયાણી એ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે સાહિત્યવિવેચક કૃતિની ‘ઝીણી ઝીણી વિગતો’નું જે રીતે અધ્યયન કરતો જાય છે તેમાંથી તેની સમગ્ર આકૃતિ વિશેની અમુક અપેક્ષાઓ જન્મે છે. બીજી બાજુ, કૃતિની સમગ્રતા અને અખિલાઈ વિશેની અમુક અભિજ્ઞતા ખિલતી આવે છે તેમ તેમ એ વિગતોનું significance–મૂલ્ય–સમજાતું આવે છે. આવી પ્રક્રિયા દ્વારા કૃતિના મૂલ્યાંકન સુધી પહોંચાય છે. આમ કૃતિની ભાષાલક્ષી તપાસ તેના મૂલ્યાંકનમાં મહત્ત્વની ભૂમિકા બની શકે છે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીના બીજા વિવેચનગ્રંથ ‘કાવ્યનું સંવેદન’માં આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર તેમ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વિવરણ/સ્પષ્ટીકરણ આપતા લેખો હવે મહત્ત્વનું સ્થાન લે છે. એમાં સંસ્કૃતની ‘ચમત્કાર’ ‘ગુણ’ ‘રીતિ’ જેવી સંજ્ઞાઓનાં સ્પષ્ટીકરણો આપતાં લખાણો છે, કેટલાંક કૃતિ વિષયક અધ્યયનો/વિવેચનોય છે, અને પાશ્ચાત્ય વિવેચનમીમાંસાનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણોના અંશોય એમાં અનુવાદ રૂપે સંચિત કર્યા છે.&lt;br /&gt;
પ્રસ્તુત સંગ્રહના આરંભનો લેખ ‘કાવ્યનો અનુભવ અને વ્યવહારનો અનુભવ’ આમ તો કાવ્યશાસ્ત્રના ક્ષેત્રના મુદ્દાને સ્પર્શે છે, પણ ભાવકના રસાનુભવનો પ્રશ્ન એમાં કેન્દ્રમાં આવ્યો હોવાથી અહીં એનો નિર્દેશ કર્યો છે. ભારતીય રસમીમાંસામાં સાહિત્યના આસ્વાદ/ચર્વણાવ્યાપારનું જે સ્વરૂપ વર્ણવાયું છે તેની અહીં સંગીન શાસ્ત્રીય ચર્ચા પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યિક શૈલી અને ભાષા (કેટલાક નૂતન અભિગમો)’ શીર્ષકના લેખમાં પાશ્ચાત્ય વિવેચનના ભાષાલક્ષી/શૈલીલક્ષી અભિગમોની વ્યવસ્થિત અને લાઘવભરી ચર્ચા કરી છે. એ અભિગમોની ક્ષમતા/સીમા વિશે ય તેમણે ચર્ચા કરી છે. ભાષાવિજ્ઞાનના પોતાના અધ્યયનના પ્રકાશમાં ભાષાનો ‘સાહિત્યિક’ અને ‘અસાહિત્યિક’ એવો ભેદ કરીને ચાલવું યોગ્ય છે? અથવા આવો ભેદ કરવાનું શક્ય છે?—એવા મૂળભૂત પ્રશ્નને અનુલક્ષીને તેઓ એવી સ્પષ્ટતા આપે છે : “સ્વરૂપ દૃષ્ટિએ સાહિત્ય અને અસાહિત્યની ભાષાઓ વચ્ચે નથી નિતાંત ભેદ કે નથી તદ્દન એકરૂપતા. સાહિત્યિક ભાષા જો ‘એક ભાષા’ જ હોય તો તેના સ્વરૂપને સામાન્ય ભાષાની રીતપદ્ધતિએ જ તપાસી શકાય. એક મતે સાહિત્યક અને અસાહિત્યક ઉક્તિઓને જુદું પાડનાર કોઈ સ્વરૂપગત ધ્રુવ તત્ત્વ નથી. બીજો મત એવો છે કે સાહિત્યિક અસાહિત્યિક ભાષાઓ વચ્ચેનો ભેદ સ્વરૂપગત નહીં પણ સંદર્ભગત છે... ત્રીજો મત, સાહિત્યિક ભાષા અને અસાહિત્યક ભાષા એવું વિરોધી દ્વન્દ્વ તારવવા કરતાં ઉક્તિઓની એક ચડઊતર અખંડ શ્રેણી તારવવી વધુ વ્યવહારુ ગણે છે.”૧૩૫&lt;br /&gt;
ભાષાના ‘સાહિત્યિક’–‘અસાહિત્યિક’ સ્વરૂપના મુદ્દાને આ રીતે સ્પર્શી ડૉ. ભાયાણીએ આધુનિક શૈલીવિજ્ઞાનનું કાર્ય સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. સાહિત્યના અધ્યયનવિવેચનમાં એ વિજ્ઞાન કેવી રીતે ઉપકારક બને છે તે વિશે તેઓ કહે છે : “ભાષાવિજ્ઞાન પર આધારિત શૈલીમીમાંસા ભાષાના સાહિત્યિક ઉપયોગોને તપાસે છે. તે સાહિત્યિક ભાષાનું સૂક્ષ્મ વિશ્લેષણ કરે છે. તેને ચોકસાઈથી વર્ણવવા માટે વધુ વસ્તુલક્ષી પદ્ધતિઓ અને પરિભાષા વિકસાવવાનું તેમનું લક્ષ્ય છે.’૧૩૬ આમ નોંધ્યા પછી એમ પણ કહ્યું છે કે આજનો શૈલીવિચાર હજી ‘ખોજની પ્રારંભિક અવસ્થામાં છે.’&lt;br /&gt;
ઍન્કિવસ્ટે શૈલીવિષયક વિભિન્ન વ્યાખ્યાઓના નીચે પ્રમાણે પ્રકારો પાડ્યા છે :&lt;br /&gt;
(૧)	લેખકના દૃષ્ટિબિંદુ ઉપર આધારિત,&lt;br /&gt;
(૨)	કૃતિની પરલક્ષી તપાસ ઉપર–તેનાં લાક્ષણિક તત્ત્વો ઉપર–આધારિત,&lt;br /&gt;
(૩)	વાચકની છાપ ઉપર આશ્રિત,&lt;br /&gt;
(૪)	ઉપર દર્શાવેલી ત્રણેય વ્યાખ્યાઓનું સંમિશ્રણ.&lt;br /&gt;
આ પૈકી કૃતિને લક્ષતી વ્યાખ્યાઓના ય બે પ્રકારો પાડી શકાય.&lt;br /&gt;
(i)	વસ્તુલક્ષી ધોરણે જેની સત્યતા કે પ્રામાણ્ય તપાસી, ચકાસી, શકાય તેવી&lt;br /&gt;
(ii)	સ્વલક્ષી ચિત્તસંસ્કારો પર આધારિત&lt;br /&gt;
ડૉ. ભાયાણી અહીં સ્પષ્ટ કરે છે કે કૃતિની ભાષાને પ્રધાન તત્ત્વ લેખતી વ્યાખ્યાઓનું સવિશેષ મહત્ત્વ રહે છે. આના અનુસંધાનમાં સાહિત્યભાષાને લગતા વિવિધ અભ્યાસીઓના અભિગમો વિશે – વ્યોલ્ફલિન, ક્રોચે, ફોસ્લર, હાય્‌ડેગર, સાર્ત્ર જેવાની વિચારણાઓ વિશે – તેમ જ રુસી સ્વરૂપવાદ વિશે, અતિ સંક્ષેપમાં તેમણે નિર્દેશો કર્યા છે.&lt;br /&gt;
કૃતિના વિશ્લેષણવ્યાપારની અન્તર્ગત વિવિધ ઘટકોનાં વર્ણનવિશ્લેષણની તેમ કૃતિની સંઘટનાની સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા રજૂ કરી છે. કૃતિના વર્ણ શબ્દ શબ્દગુચ્છ વાક્ય લય અર્થરચના વગેરે મુદ્દાઓને તેઓ અહીં સ્પર્શે છે. ‘સંઘટના’ નિમિત્તે પાશ્ચાત્ય વિવેચનાનો organic wholeનો તેમજ સુઝાન લાન્ગરનો આકાર વિષયક ખ્યાલ પણ એ જ રીતે તેઓ ટૂંકમાં છણે છે. સંઘટનાવિચારમાં યોગ્ય રીતે જ દરેક ઘટક તત્ત્વની ‘સમર્પકતા’ પર તેઓ ભાર મૂકે છે. કહે છે : “કૃતિની વર્ણરચના, શબ્દગોઠવણી, અર્થ-વ્યવસ્થા અને છંદોરચનાના પરસ્પર સાંધા મળવાથી જ સૂક્ષ્મ અને ઉત્કટ સૌંદર્યની નિષ્પત્તિ થતી હોય છે. ઘટકોની અલગ અલગ રમણીયતા હોવા ઉપરાંત એક સમવાય લેખે તેમનાથી જે સિદ્ધ થાય છે તે અવ્યાખ્યેય હોય છે.’૧૩૭&lt;br /&gt;
વિવેચનમાં ભાષાલક્ષી અભિગમ સ્વીકારતા વિવેચકનું કાર્ય સમજાવતાં ડૉ. ભાયાણી કહે છે : “પ્રાસબંધ, છંદોબંધ, વાક્યબંધ, વર્ણરચના વગેરેના આંતરસંબંધો તપાસીને તે તે કૃતિમાં દરેકની સમર્પકતા કેટલી છે તે તારવવું જોઈએ, અને તેને આધારે કૃતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. કૃતિની શબ્દસામગ્રી અને અર્થસામગ્રી વચ્ચેના સંબંધો—સમાન્તરતા, વિરોધ, સમતુલા, સમરેખતા, કે વિષમરેખતા વગેરે – તારવીને તેમ જ અલંકાર પ્રતિરૂપ પ્રતીક વગેરેની યોજનામાંથી પ્રગટતી લયની ભાતો તારવીને તથા સમગ્ર કૃતિમાં વિવિધ ઘટકોનું કઈ રીતે સંયોજન થયું છે તે તપાસીને કૃતિનું જે સંઘટિત સ્વરૂપ પ્રતીત થાય તેનું ચિત્ર દોરવું જોઈએ.”૧૩૮&lt;br /&gt;
કૃતિના મૂલ્યાંકન પરત્વે વિવેચનમીમાંસામાં એક પ્રશ્ન હમણાં કેન્દ્રમાં આવ્યો છે : વિવેચનનું કાર્ય કૃતિનાં ઘટકોનું માત્ર વર્ણન વિવરણ કરવાનું છે કે તેને વિશે જડ્‌જમેન્ટ આપવાનું ય? અને કૃતિની worth વિશે વિવેક કરવાનો છે એમ સ્વીકારો, તો ભાષાલક્ષી અધ્યયન એમાં કેટલું સમર્પક બની શકે? ડૉ ભાયાણી આ અંગે સ્પષ્ટતા કરતાં કહે છે કે બે વિરોધી મંતવ્યો એ વિશે પ્રવર્તે છે :&lt;br /&gt;
(૧) એક વર્ગ એમ માને છે કે કાવ્ય કેવળ આસ્વાદનો વિષય છે. કાવ્યથી તમને આનંદ થાય છે કે નથી થતો – એટલું કહેતાં વાત પૂરી થાય છે. આનંદ શા માટે થયો કે ન થયો તેનું બૌદ્ધિક કે તાર્કિક સ્પષ્ટીકરણ ન આપી શકાય. તાત્પર્ય કે, આસ્વાદમાં એક એવું પ્રાણવાન તત્ત્વ છે જેનો કોઈ તાર્કિક ખુલાસો ન હોઈ શકે.&lt;br /&gt;
(૨) બીજો વર્ગ એમ માને છે કે કાવ્યના રસાસ્વાદનો પૂરેપૂરો ખુલાસો આપી શકાય. આસ્વાદમાં સમર્પક બનતાં એકેએક અંગઉપાંગ વિશે પૂરી ચોકસાઈથી પરીક્ષા કરી શકાય. ડૉ. ભાયાણી વધુમાં સ્પષ્ટ કરે છે કે, વસ્તુલક્ષી વિવેચનના કેટલાક પક્ષકારો તો જેનો વસ્તુલક્ષી ધોરણોએ ખુલાસો જ ન આપી શકાય તેવાં તત્ત્વોને વિવેચનના પ્રદેશની બહાર રાખવાના મતના છે.&lt;br /&gt;
સાચું છે. આધુનિક સમયમાં વિવેચનનું ખરું કામ કૃતિના મૂલ્યાંકનનું નહિ, તેનું સ્પષ્ટીકરણ (elucidation) માત્ર કરવાનું છે એમ આજના અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ કહ્યું છે. ડૉ. ભાયાણીએ આ સંદર્ભમાં એલિયટનું એક કથન પણ ટાંક્યું છે. ‘A critic‘s job is never to judge poem, his job is to elucidate’. આ મતને દોહરાવતાં કહે છે : ‘વિવેચન એટલે માત્ર વર્ણન કે સ્પષ્ટીકરણ, વખાણવું કે વખોડવું નહીં. પ્રયોગશાળાનું કાર્ય પૂરું થાય ત્યાં વિવેચકનું કાર્ય સમાપ્ત થયું.’&lt;br /&gt;
પણ વિવેચનમીમાંસામાં યોજાતી આ ‘વિવરણ’ કે ‘સ્પષ્ટીકરણ’ (elucidation) જેવી સંજ્ઞાના સંકેતો તપાસવાના રહે છે. કેટલાકને મતે elucidation એટલે તો કૃતિનું અર્થઘટન (inter-pretation). ‘અર્થઘટન’ સંજ્ઞા, અગાઉ આપણે નિર્દેશ કરી ગયા છીએ તેમ, અત્યંત રૂપાંતરશીલ (protean) અને છટકણી (clusive) સંજ્ઞા છે. એના સ્વરૂપ અને એના વ્યાપાર વિશે ય વિદ્વાનોમાં મોટા મતભેદ પ્રવર્તે છે. એ જ રીતે કૃતિ વિશેની ‘સમજ’ (understanding)ના ય આગવા પ્રશ્નો છે. ‘સમજ’ પામીએ એમાં મૂલ્યબોધ અંતહિત છે કે ‘સમજ’ પછીનો એ વ્યાપાર છે? તાત્પર્ય કે-understanding અને evaluation વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવાની મોટી અનિવાર્યતા રહે છે. ડૉ. ભાયાણી એમ નોંધે છે કે ‘રસદર્શન’ અને ‘મૂલ્યાંકન’ જેવી સંજ્ઞાના અર્થ-બોધ પરત્વે ય મતમતાંતર જોવા મળશે. તેઓ એક વેધક પ્રશ્ન મૂકે છે : ‘કાવ્યના મર્મનું જે ઉદ્‌ઘાટન પ્રસ્તુત કરાય તેની યથાર્થતાનો નિર્ણય કેવી રીતે કરવો?’ અને તેનું નિરાકરણ આપતાં કહે છે : ‘એટલે જેટલા પ્રમાણમાં વ્યક્તિનિરપેક્ષ ધોરણે આ વિષયમાં વિચારણા થાય તેટલા પ્રમાણમાં વિવેચનની દિશામાં આગળ જવાય. બાકી કાવ્યનું આ જ વિવેચન સાચું તે નક્કી કરવાનો કોઈ માપદંડ આપણી પાસે નથી.’૧૩૯&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ સમુચિત રીતે જ અહીં વિવેચનવ્યાપારને લગતી પાયાની સંજ્ઞાના સંકેતો વિશે મુદ્દાઓ ઊભા કર્યા છે. ‘વર્ણન’ ‘વિવરણ’ ‘સ્પષ્ટીકરણ’ ‘અર્થઘટન’ ‘રસદર્શન’ ‘મૂલ્યાંકન’ એવી બધી જ સંજ્ઞાઓનું શક્ય તેટલું ચુસ્ત કઠોર તાર્કિક સ્પષ્ટીકરણ કરવાની અત્યારે તાતી જરૂરિયાત છે. અને એ બધા વ્યાપારો પરસ્પર ક્યાં અને કેવી રીતે સંકળાયા છે તેનીય બારીક તપાસ કરવાની આવશ્યકતા છે. અને સૌથી મોટો – પ્રશ્નોનો ય પ્રશ્ન – એ રહે છે કે અમુક કૃતિ વિશેનું આ વિવેચન સાચું (true) અને અમુક ખોટું (false) એમ નિર્ણય કરવાને આપણી પાસે ખરેખર કોઈ માપદંડ છે ખરો? સાહિત્યક્ષેત્રમાં એકની એક કૃતિ વિશે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ભિન્ન ભિન્ન પદ્ધતિએ તરેહ તરેહનાં વિવેચનો લખાતાં હોય છે તો એમાં કયાં સાચાં કયાં ખોટાં એ જાતનો સંશય મનમાં ઊગે જ છે. પણ એના આખરી નિર્ણય માટે કોઈ નિકષ ખરો? અથવા, ઓછામાં ઓછું, અમુક વિવેચન વધુ પ્રમાણભૂત અને વધુ સાચું એમ નક્કી કરી શકાય?&lt;br /&gt;
વિવેચનવિચારણાના આ કેન્દ્રીય પ્રશ્નની તપાસમાં ડૉ. ભાયાણી સંસ્કૃત પરંપરાની ‘કૃતિલક્ષી’ પદ્ધતિ – જે ‘વિશ્લેષણમૂલક’ છે – તેનો ખ્યાલ આપે છે. તેમનું એમ કહેવું છે કે એ પરંપરામાં ‘કૃતિની એકેએક વિગતને લક્ષમાં રાખીને’ તેના ઉપાદાન અને તાત્પર્ય (રસ)ની દૃષ્ટિથી’ પાઠનું ‘વિવરણ’ કરવામાં આવે છે. આ ‘વિવરણ’ મોટે ભાગે વિશ્લેણાત્મક હોય. પણ વિશ્લેષણથી તારવેલાં ઘટકોની મૂલવણી ‘રસલક્ષી ઔચિત્યને ધોરણે’ થાય અને એ ‘ધોરણ’ સહૃદય ભાવક પાસેથી મળે છે. તેઓ સ્પષ્ટતા કરતાં કહે છે કે પશ્ચિમના આધુનિક વિવેચનની ગતિવિધિ આ દિશાની છે. દેખીતું છે કે પશ્ચિમના ભાષાલક્ષી/શૈલીલક્ષી/સંરચનાલક્ષી અભિગમો અહીં તેમની નજરમાં રહ્યાં છે. પણ આ પાશ્ચાત્ય અભિગમોનાં કેટલાંક નક્કર પરિણામો છતાં એની મર્યાદાઓ અને મુશ્કેલીઓ તો ત્યાંના જ અભ્યાસીઓએ દર્શાવી છે. કૃતિના મૂલ્યાંકનનો સૈદ્ધાંતિક રીતે અસ્વીકાર કરનારા અભ્યાસીઓ અમુકતમુક કૃતિ માટે પસંદગી બતાવતા હોય જ છે, અથવા અમુકતમુક કૃતિથી પ્રભાવિત થયા હોય છે, અને એને વિશે ચર્ચા કરવાનું સ્વીકારતા હોય છે. સાહિત્યજગતમાં રોજ રોજ પ્રગટ થતી કૃતિઓ સર્વ એક જ બરની છે, એવું તો ભાગ્યે જ કોઈ સ્વીકારી શકે. એટલે મૂલ્યાંકનનો પ્રશ્ન એ અવાસ્તવિક કે મિથ્યા નથી. એ ખરું કે એનાં ધોરણો સ્થાપવાનું કે તેની દૃઢ પ્રતિષ્ઠા કરીને કાયમી વ્યવસ્થા ઊભી કરવાનું ઘણું ઘણું કપરું છે. પણ તેથી એ પ્રશ્નની અવગણના ન થઈ શકે.&lt;br /&gt;
‘શૈલીવિજ્ઞાન અને સાહિત્ય‘ લેખમાં ડૉ. ભાયાણીએ કૃતિના શૈલીલક્ષી અભ્યાસ અને શૈલીવિજ્ઞાનના કાર્યક્ષેત્રનો કંઈક સંક્ષિપ્ત પણ સઘન પરિચય આપ્યો છે. તેઓ નોંધે છે કે પશ્ચિમમાં સાહિત્યિક ભાષાના સ્વરૂપ અંગે વિવિધ અભિગમોથી વિચારવાના વ્યવસ્થિત પ્રયત્નો થઈ રહ્યા છે. ‘સાહિત્યિક શૈલી’ને અંગે જો કે ત્યાંના અભ્યાસીઓમાં સર્વસંમતિ સાધી શકાઈ નથી. શૈલીવિચારના કેટલાક મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(અ) ‘શૈલી’ એટલે ‘પાઠ (‘ટેક્સ્સ્ટ’)ના રૂપનિષ્ઠ ધર્મો.’ આ દૃષ્ટિએ ‘પાઠગત ઘટકો’ અને ‘તેમની વચ્ચેના સંબંધોનું’ ‘વિશ્લેષણ’ જરૂરી બને. ડૉ. ભાયાણી સૂચવે છે કે ભાષાવિશ્લેષણને અહીં માત્ર ‘વાક્ય સુધી સીમિત’ નહિ રાખી શકાય. ‘વાક્ય વાક્ય વચ્ચેના સંબંધો’ને ય તપાસવા પડશે ‘સમગ્ર પાઠ’ને એ રીતે ‘ઉચ્ચતર એકમો’ની ગૂંથણીરૂપે જોવા તપાસવાનો રહેશે અને ‘અર્થવિશ્લેષણ’ને પણ એમાં સમાવવાનું રહેશે&lt;br /&gt;
(બ) ‘શૈલી’ એટલે ‘પ્રયોગવક્રતા’ (ડીવિએશન). આ દૃષ્ટિએ જે પ્રયોગો ‘ચાલુ ધોરણથી ફંટાતા ન્યારા અનોખા કે અલગારી’ હોય તેમની નોંધ લેવાય છે. અને એના પરથી ‘સાહિત્યિક ભાષાનું વૈશિષ્ટ્ય’ તારવવાનો પ્રયાસ થાય છે. જો કે એમાં ‘ધોરણ’ તરીકે કોને ગણવું તેવો પ્રશ્ન થશે. વગેરે&lt;br /&gt;
(ક) શૈલી—ઉક્તિવિકલ્પોમાંથી અમુકની પસંદગી અર્થાત્‌, એકથી વધુ વિકલ્પોમાં વધુ અર્થક્ષમ એકમની પસંદગી.&lt;br /&gt;
(ડ) લાગણી કે રમણીયતા અભિવ્યક્ત કરવાને ‘વક્તવ્યમાં ઉમેરાતો ભાર’ તે શૈલી. વગેરે&lt;br /&gt;
પણ શૈલીલક્ષી અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે વિશે ડૉ. ભાયાણીએ સારી સ્પષ્ટતા કરી છે. ‘કૃતિનો પાઠ એ એક સ્વાયત્ત સાંકેતિક તંત્ર છે, જેમાં ભાષાકીય તંત્ર ઉપરાંત પણ બીજાં અનેક તંત્રો પ્રવર્તતાં હોય છે.’૧૪૦ અને ‘સાહિત્યકૃતિનાં ઘણાં ઘટક તત્ત્વો ભાષાધીન નથી.’૧૪૧ એટલે છેવટે શૈલીનું તંત્ર તો એક સંકુલ રચનાનું એક સ્તર છે, અનેક તંત્રોનું એક અંગભૂત તંત્ર છે, એટલે સમગ્રના રહસ્યમાં એ કેવી રીતે સમર્પક બને છે તે જ ખરી તપાસનો મુદ્દો છે.&lt;br /&gt;
‘કાવ્યનો ‘પ્રતિભાવ’ : કાવ્યાર્થની પ્રતીતિ’ – શીર્ષકની ચર્ચામાં બે મુદ્દાઓની તેમણે સ્પષ્ટતા કરી છે. એમાં પ્રથમ ખંડમાં આપણા વિવેચનલેખોમાં પ્રયોજાતી જતી ‘પ્રતિભાવ’ સંજ્ઞાની અને બીજા ખંડમાં ‘કાવ્યાર્થ’ની સ્પષ્ટતા તેમણે કરી છે. દેખીતી રીતે જ બંને પરસ્પર સંકળાયેલા મુદ્દાઓ છે.&lt;br /&gt;
‘પ્રતિભાવ’ સંજ્ઞાની ચર્ચા કરતાં તેઓ નોંધે છે કે મનોવિજ્ઞાનના વર્તનવાદના પ્રભાવ નીચે સાહિત્યિક પ્રતિભાવ – literary response – જેવી સંજ્ઞા જન્મી છે. – “ ‘ઉત્તેજક’ પદાર્થ તરીકે રહેલી સાહિત્યકૃતિથી ઉત્તેજાઈને તેના સંપર્કમાં આવેલી વ્યક્તિમાં મુખ્યત્વે જે બાહ્ય, દૃશ્ય પ્રભાવચિહ્નો વ્યક્ત થાય તે તેનો પ્રતિભાવ”૧૪૨ પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘પ્રતિભાવ’નો આ ખુલાસો પૂરતો નથી. “...જેઓ કલાકૃતિના આસ્વાદની પ્રક્રિયાને એક અત્યંત સચેતન પ્રવૃત્તિ, સક્રિય પ્રવૃત્તિ, પુનઃ સર્જન અને કંઈક અંશે નવસર્જનમાં વ્યાપૃત કરતી પ્રવૃત્તિ માને છે તેમને માટે આ સંદર્ભમાં ‘પ્રતિભાવ’ શબ્દથી વધુ અળખામણો ભાગ્યે જ કોઈ શબ્દ હશે.”૧૪૩ પ્રાચીન કાવ્યચર્ચામાં ‘આસ્વાદ’ કે ‘ભાવન’ વિશે ઘણી સૂક્ષ્મ દૃષ્ટિની ચર્ચા થયેલી છે, અને તે કાવ્યાનુભવને વર્ણવવા માટે વધુ ઉચિત છે એમ પણ તેઓ નોંધે છે.&lt;br /&gt;
વિવેચનનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં ડૉ. ભાયાણી કહે છે કે “... વિવેચન એ માત્ર ‘પ્રતિભાવ’ની વાત નથી, વિવેચકે અનુભવેલા માત્ર ‘ચમત્કાર’ની વાત નથી, તે તેના ‘ભાવન’ની વાત છે. અને તેનું પ્રયોજન ‘અનુભાવન’ કરાવવાનું, ‘સમસંવેદન’ કરાવવાનું તો ખરું જ, પણ માત્ર એટલું જ નહીં, તે તેના વાચકને પોતાની રીતે ભાવન કરવાની દિશા પણ ચીંધે કે તેવા રસ્તા ને ચાવીઓ પણ સૂચવે. વિવેચકની દૃષ્ટિથી સચેત બનેલી ભાવકની દૃષ્ટિ કૃતિને ઉકેલતાં તેનું આંશિક નવનિર્માણ પણ કરે જ.”૧૪૪&lt;br /&gt;
કાવ્યના ભાવનમાં સહૃદય ખરેખર શું કરે છે? મૂળનો ‘અર્થ’ પામે છે કે કશુંક પોતા તરફથી તે તેમાં આરોપે કે ઉમેરે પણ છે? ભાવક કાવ્યનું પોતાના ચિત્તમાં પુનઃ સર્જન કરે છે એમ કહેવાથી શું સૂચવાય છે – માત્ર રચનાનું મૂળ તાત્પર્ય જ તેને ઉપલબ્ધ થાય છે કે તેનું નવસંસ્કરણ થાય છે? ડૉ. ભાયાણીએ અહીં આસ્વાદ-વિવેચનના બીજા એક મહત્ત્વના પ્રશ્ન પર આંગળી મૂકી છે. એના સ્પષ્ટીકરણમાં તેઓ કહે છે ‘ભાવન’ને જો આપણે ‘સમય પર પથરાતો’ વ્યાપાર ગણીએ (અર્થાત્‌ ‘સંલક્ષ્યક્રમ’ ગણીએ) અને ‘રસનિષ્પત્તિને પરિણતિ’ની ‘કક્ષા’ તરીકે લઈએ તો નીચે પ્રમાણે ભેદ કરી શકાય.&lt;br /&gt;
(૧)	કાવ્યનાં વાક્યોનો સાધારણ અર્થ-વ્યાકરણ અને કોશને માન્ય અર્થ,&lt;br /&gt;
(૨) સમગ્ર કાવ્યના સંદર્ભમાં થતો તેનો અર્થ : તાત્પર્ય,&lt;br /&gt;
(૩) સાહચર્યોને લઈને પ્રતીત થતો અર્થ : ધ્વનિ,&lt;br /&gt;
(૪) અંગત પ્રકૃતિ, અનુભવ, રુચિને લઈને પ્રતીત થતો અર્થ.&lt;br /&gt;
– આમાંના પહેલાં ત્રણને ‘કાવ્ય’માં રહેલા ગણી શકાય. ચોથો ભાવક તરફથી ઉમેરાય છે. ડૉ. ભાયાણી કહે છે કે કૃતિના close-readingમાં ક્યાં સુધી જવું, ‘અનંત વ્યંગ્યાર્થ’ને ક્યાં મર્યાદિત કરવો, એ વિશે આ રીતે નિર્ણય પર આવી શકાય. તેઓ અલબત્ત એ વિશે પૂરતા સભાન છે કે ‘અર્થ’ ત્રીજા અને ‘ચોથા’ વચ્ચે ભેદરેખા દોરવાનું અત્યંત દુષ્કર છે. અને ઘણાં વિવેચનોમાં ચોથા અર્થને ય સહૃદયના ધ્વનિબોધ તરીકે માની લેવામાં આવે છે. તેઓ નોંધે છે કે અર્થના પહેલા બે પ્રકારો વિશે પૂરી સર્વસંમતિ સાધી શકાય, ત્રીજો ચર્ચાક્ષમ છે, જ્યારે ચોથો અર્થ ‘ત્રીજાનો વેશ’ ધરીને વિવેચકને છેતરી જાય એવો ભય રહે છે.&lt;br /&gt;
પણ મને એમ લાગે છે કે કૃતિવિવેચનમાં, ખાસ કરીને મૂલ્યાંકનમાં, ત્રીજા ચોથા પ્રકારના ‘અર્થો’ સાથે વિવેચકને નિસ્બત સંભવે છે. રામનારાયણ પાઠક કહે છે તેમ કૃતિનું (કે વસ્તુનું) મૂલ્ય તેના પોતાનામાં નિહિત રહ્યું હોતું નથી. એનાં ‘ધોરણો’ વિવેચક તેના જીવનદર્શન કે અનુભવવિશ્વમાંથી લઈ આવે છે. કૃતિની worth કે significance જીવનના વ્યાપક સંદર્ભમાં નિર્ણિત નથી થતાં? એટલે કૃતિમાં નિહિત રહેલો ‘અર્થ’ (કે ‘ધ્વનિ’) અને પરંપરાના સંદર્ભમાં તેનું significance – એ બે વચ્ચે પણ સૂક્ષ્મ ભેદરેખા આંકવાની રહે. અલબત્ત, કૃતિના મૂલ્યાંકનનો જેઓ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરતા નથી, તેમને માટે આવો પ્રશ્ન કદાચ ઊઠતો નથી.&lt;br /&gt;
‘એક આસ્વાદસમીક્ષા’ લેખમાં એક રસપ્રદ તપાસ હાથ ધરાઈ છે. ‘જન્મીલું મરણ’ (સિતાંશુ) વિશે આપણા પાંચ મર્મજ્ઞ વિવેચકો ચિનુ મોદી, રાધેશ્યામ શર્મા, દિગીશ મહેતા, સુમન શાહ અને ચંદ્રકાન્ત ટોપીવાળાના આસ્વાદોની આ તાત્ત્વિક તપાસ છે. એકની એક કૃતિ વિશેના આ પાંચ વિવેચકોના આસ્વાદોમાં જે જે બાબતે દૃષ્ટિ કે રુચિભેદ છતો થયો છે તેને અવલોકવા બાબતે ડૉ. ભાયાણીએ બે કસોટીઓ રજૂ કરી છે.&lt;br /&gt;
(૧) કૃતિને રચવામાં યોજેલાં સાધનો અને યુક્તિઓ ભાવકના ચિત્તમાં કેવી અપેક્ષા ઊભી કરે છે અને પૂરે છે. તથા,&lt;br /&gt;
(૨) અનુભૂતિને આકૃત કરીને રસ નિષ્પન્ન કરવામાં એ સાધનો અને યુક્તિઓ કેવાં સાધકબાધક બને છે એને અવલંબીને જ કૃતિની સફળતા અંકાય, નહિ કે કોઈ આદર્શ કે અમૂર્ત ધોરણે.&lt;br /&gt;
ડૉ. ભાયાણીએ રજૂ કરેલી બંને કસોટીઓ સ્વીકારવામાં મુશ્કેલી નથી. એ રીતે જ વિચારવિમર્શ ચલાવવાનો હોય. પણ હજીય પ્રશ્ન રહે જ છે. બીજી કસોટી પર્યાપ્ત છે? કેમ કે, કવિતા, વાર્તા, નવલકથા નાટક આદિ ભિન્ન સ્વરૂપની કૃતિઓના વિવેચનમૂલ્યાંકનમાં જેમણે સારું કામ કર્યું છે તેમના અનુભવો એની સાથે કદાચ પૂરા મેળમાં નહિ હોય. કોઈ નવલકથાની રૂપરચના સંદર્ભે વિવેચક એમ કહે કે એનાં પાત્રો તો સદ્‌ગુણોના કોથળા જેવાં છે, અથવા એની પાસે કાર્યોની સ્વતંત્રતા લેખકે રહેવા દીધી નથી, અથવા આ કે તે પાત્રનું વર્તન અનૈતિક છે, અથવા એમાંની ઘટના તાલમેલિયા અને બનાવટી છે, અથવા એ આખુંય કથાવિશ્વ સામાજિક વાસ્તવથી વિચ્છિન્ન હોઈ અવાસ્તવિક ભાસે છે, ત્યારે, મને એમ લાગે છે કે, આ જાતના નિર્ણયો કૃતિમાંનાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ પરથી બંધાતા છતાં, કૃતિ બહારના કોઈ (જીવન કે કળાતત્ત્વ વિષયક) આદર્શને લક્ષમાં રાખીને જ થઈ શકે.  કૃતિમાં ‘સાધનો’ અને ‘યુક્તિઓ’ દ્વારા જે કંઈ સિદ્ધ થયું છે તે પોતે જ મૂલ્યાંકનનું અંતિમ ધોરણ બની શકે નહિ.&lt;br /&gt;
આસ્વાદ, કૃતિ, અને આસ્વાદક વિશે અંતમાં ‘શિખામણ’ના રૂપમાં મૂકેલી વાત, અલબત્ત, માર્મિક છે. – “આસ્વાદ અને આલોચનાની જાત એક જ, તો પણ અંગત રુચિનો સંસ્પર્શ અને અંગત ઢંગ એ આસ્વાદને આલોચનાથી જુદી તારવી આપે છે : ‘આપણે’ – ભાવનો સૂર, સહભોજનું સહિયારાપણું એ આસ્વાદનું પોતીકું લક્ષણ... આસ્વાદ, વિવરણ, આલોચના, અવલોકન, સમીક્ષા, વિવેચન, સમાલોચના—વગેરે સંજ્ઞાઓને અમરકોશી પર્યાયો બનવા ન દેવા હોય તો વેળાસર ચેતવું...”૧૪૫&lt;br /&gt;
‘કાવ્યનું સંવેદન’ના ‘ચયન’ ભાગમાં ડૉ. ભાયાણીએ આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર અને વિવેચનમીમાંસાને લગતાં અનુવાદ કે સારાનુવાદ જેવાં લખાણો રજૂ કર્યાં છે. આ ક્ષેત્રની પાશ્ચાત્ય વિચારણાનો આ રીતે તેમણે આપણને સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં ઈ ડી. હર્શના લખાણમાંથી તૈયાર કરેલું ‘વિવેચન : અર્થઘટન કે મૂલ્યાંકન?’ અને એલન રોડવેનું ‘પ્રકારનિષ્ઠ વિવેચન’ બેમાં વિવેચનમીમાંસાના પ્રશ્નો કેન્દ્રમાં આવ્યા છે. વિવેચનવ્યાપારની અંતર્ગત અર્થઘટન/મૂલ્યાંકનના જે વ્યાપારો સ્વીકારાય છે (કે અસ્વીકારાય છે) તેને લગતી આ ચર્ચા ઘણી દ્યોતક છે. એનાં તારણો તેમણે જ કાઢી આપ્યાં છે.&lt;br /&gt;
૧.	સાહિત્યકૃતિનું અર્થઘટન (કે સ્વરૂપવિવરણ), જે વિશિષ્ટ માનસિક (આત્મલક્ષી) અભિ-નિવેશથી સાહિત્યકૃતિની અર્થનિષ્પત્તિ થાય છે, તેની સાથે અનિવાર્યપણે સંલગ્ન હોય છે.&lt;br /&gt;
૨.	આ સંલગ્ન આત્મલક્ષી અભિ-નિવેશો અને કૃતિના અર્થો વચ્ચેના સંબંધમાં પ્રભાવો અને મૂલ્યો અનિવાર્યપણે અંતર્ગત હોય છે. એટલે સાહિત્યિક વિવરણમાં મૂલ્યાંકન અંગભૂત જ હોય છે. &lt;br /&gt;
૩.	વિવેકી વિવેચન કૃતિના ‘અર્થ’ નિજી અભિ—નિવેશ અને મૂલ્યના ઐક્યને, બીજા એક—કૃતિને ‘પરાયા’ એવા–અભિનિવેશથી આવરી લે છે, પણ તે ‘પરાયો’ અભિનિવેશ નિજી અભિનિવેશની અખંડતાને બાધક નથી હોતો.&lt;br /&gt;
૪.	આ પરાયા દૃષ્ટિબિંદુથી જે મૂલ્યાંકનો કરી શકાય છે તે ‘શુદ્ધ’ વિવરણ જેવાં જ વસ્તુલક્ષી હોઈ શકે છે.&lt;br /&gt;
‘પ્રકારનિષ્ઠ વિવેચન’ શીર્ષકનો લેખ એલન રોડવેના લેખનો સંક્ષિપ્ત—અનુવાદ છે. સાહિત્યના પ્રકારને લક્ષતા વિવેચનવિચારમાં જે મતમતાંતરો છે તેનો એમાં સુપેરે પરિચય મળે છે. પરિવિવેચન (‘મેટાક્રિટિસિઝમ’) અને આંતરિક વિવેચન’ (‘ઈન્ટ્રિઝિક ક્રિટિઝમ’) એ રીતે વિવેચનના પ્રકારો સ્વીકારીને તેમણે એ ચર્ચા વિકસાવી છે. અહીં એ ચર્ચાને ફરીથી રજૂ કરવાને અવકાશ નથી. પણ એમાંની એક મહત્ત્વની ભૂમિકા અહીં ઉતારીશુંઃ&lt;br /&gt;
“કૃતિને પોતાને સમજવી અને તેનો રસાસ્વાદ કરવો—સાહિત્યકૃતિનો સાહિત્યકૃતિ લેખે આસ્વાદ લેવો—એ આંતરિક વિવેચનનું પ્રયોજન છે. કૃતિની સમજ અને આસ્વાદ દ્વારા, સાહિત્યકૃતિ દ્વારા, બીજા કોઈ વિષયની સમજણ પ્રાપ્ત કરવી—સંસ્કૃતિ, યુગચેતના, મનોવ્યાપાર, પ્રેમભાવના, ચિત્તનાં સ્તરો, નૈતિક મૂલ્યો, સમાજરચના, મૂલ્યસંઘર્ષ વગેરેની સમજણ પ્રાપ્ત કરવી—એ પરિવિવેચનનું પ્રયોજન છે. આંતરિક વિવેચન કેન્દ્રગામી છે—તે કૃતિની ભીતરમાં પ્રવેશે છે. પરિવિવેચન કેન્દ્રોપસારી છે—તે કૃતિમાંથી બહિર્ગતિ કરે છે. આંતરિક વિવેચનને કૃતિના સ્વત્વની સાથે નિસ્બત છે, પરિવિવેચનને કૃતિના ઇતર સાથેના સંબંધો સાથે નિસ્બત છે. આંતરિક વિવેચનને કૃતિના મર્મ સાથે લાગેવળગે છે, પરિવિવેચનને તેના તાત્પર્ય સાથે. બંને ય સાહિત્યિક શોધખોળની સામગ્રીને ઉપયોગમાં લે છે. પણ, સાહિત્યિક, આંતરિક અભિગમ-સંશોધન સામગ્રીનો ઉપયોગ કૃતિને પોતાને સમજવા અને આસ્વાદવા માટે કરે છે, જ્યારે પરિવિવેચન કૃતિની સમજ અને આસ્વાદ કોઈ અન્ય હેતુ સિદ્ધ કરવા ઉપયોગમાં લે છે. પરંતુ પરિવિવેચનને માટે પણ કૃતિનું આંતરિક વિવેચન એક પૂર્વશરત છે : કૃતિને કૃતિ તરીકે પામ્યા પછી જ તેનું અન્ય હેતુઓ માટે શું અને કેટલું તાત્પર્ય છે તે યોગ્ય રીતે જાણી શકાય.”&lt;br /&gt;
એલન રોડે પ્રકારનિષ્ઠ વિવેચનની અમુક ઉપયોગિતા દર્શાવી છે તે પણ ધ્યાનાર્હ છે. પરિવિવેચનની દૃષ્ટિએ તેમ અમુક અંશે આંતરિક વિવેચનમાં ય તે ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’ લેખમાં, પાશ્ચાત્ય બંધારણવાદ અને સાહિત્યને તપાસવાનો તેનો અભિગમ—એ બાબતોને તેઓ વ્યવસ્થિત અને વિશદ રૂપમાં ચર્ચે છે, અને એની તાત્ત્વિક ભૂમિકા સમજવાને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સમુચિત પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. આપણા વિવેચનતત્ત્વવિચારમાં એ રીતે એ લેખ ઘણું મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. અહીં પણ તેમની આખી ચર્ચાને સ્પર્શવાનું શક્ય નથી. પણ એમાંનાં બે ત્રણ મહત્ત્વનાં દૃષ્ટિબિંદુઓ નોંધીશું :&lt;br /&gt;
૧ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય સાહિત્યકૃતિઓનું અર્થઘટન કરવાનું નથી. કૃતિનો નવો અર્થ શોધવા કે અર્થ ઘટાવવા કરતાં વિશેષ તો જે શરતો નીચે કાવ્યાર્થ નિષ્પન્ન થતો હોય છે, તે શરતો નક્કી કરવા આ સાહિત્યવિચાર મથે છે.&lt;br /&gt;
૨ સાહિત્યના ભાવકોએ સાહિત્યકૃતિઓ સાથે કામ પાડતાં પાડતાં એવી વિવિધ સાંકેતિક પ્રણાલીઓ આપોઆપ ગ્રહણ કરી હોય છે, જેને પરિણામે તે અમુક વાક્યસમૂહને સુઘટિત અર્થપૂર્ણ કાવ્ય કે નવલકથા લેખે પામી શકે છે. આ દૃષ્ટિએ સાહિત્યપદાર્થનું અધ્યયન એટલે વ્યક્તિગત કૃતિઓની ચર્ચા નહીં પરંતુ જે પ્રણાલીઓ સાહિત્યને શક્ય બનાવે છે તેમને સમજવાનો પ્રયાસ.&lt;br /&gt;
૩ ભાવકે લાંબા સમયના ભાવન-પરિશીલનથી ‘સાહિત્યિક સામર્થ્ય’ (‘લિટરરી કોમ્પિટન્ઝ’) પ્રાપ્ત કર્યું હોય છે. એ ‘સામર્થ્ય’ જ ઉક્તિઓને સાહિત્યિક બંધારણ અને અર્થવત્તા અર્પી શકે. બંધારણવાદી અભિગમ વાચકની સાહિત્યકૃતિ પાસેની અપેક્ષા પર ભાર મૂકે છે, અને કઈ પ્રણાલીઓ તે તે સમય અને સંસ્કૃતિના સાહિત્ય પરત્વે વિધાયક છે તેની તપાસને સાહિત્યવિચારમાં મૂળભૂત ગણે છે.&lt;br /&gt;
૪ સાહિત્યકૃતિ સ્વાયત્ત, સ્વયંપર્યાપ્ત, નૈસર્ગિક અવયવી જેવી, અને અંતર્વ્યાપ્ત અર્થની ધારક હોય છે એમ કહેવું બરાબર નથી. બંધારણવાદી સાહિત્યવિચાર પ્રમાણે તો પોતે જે પ્રણાલીઓનું તંત્ર પચાવ્યું હોય છે, તેના સંદર્ભમાં જ વાચકો સાહિત્યકૃતિની અર્થવત્તા પામી શકે.&lt;br /&gt;
૫ બંધારણવાદી અભિગમનું લક્ષ્ય જે અંતર્ગત નિયમતંત્ર દ્વારા સાહિત્યિક અનુભવ સિદ્ધ થાય છે તે તંત્રને ખુલ્લું કરી બતાવવાનું છે તે કાવ્યભાષાને લગતો સર્વાશ્લેષી સિદ્ધાંત આપવા માગે છે, કૃતિવિશેષનું અર્થઘટન કરવાનું તેના ક્ષેત્રમાં નથી.&lt;br /&gt;
આ પ્રકારના અભિગમની ચોક્કસ મર્યાદાઓ છે તે પ્રત્યે ડૉ. હરિવલ્લભ ભાયાણીએ આપણું સૌનું ધ્યાન ખેંચ્યું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ’ લેખમાં આપણી વિવેચનપ્રવૃત્તિના સંદર્ભે એક પાયાનો મુદ્દો તેમણે છેડ્યો છે. સંસ્કૃતમાં વિપુલ ‘ટીકાસાહિત્ય’ ખેડાયું છે અને ‘સર્વગ્રાહી તલસ્પર્શી કે સૂક્ષ્મદર્શી વિવેચન’નાં સેંકડો દૃષ્ટાંત મળે છે, એમ દર્શાવી પ્રાચીન વિવેચનરીતિનો તેમણે પુરસ્કાર કર્યો છે. સંસ્કૃત વિવેચનરીતિની ‘સબળતા’ એ રીતે ચકાસી શકાય એવી તેમની પ્રતીતિ રહી છે. આપણું વર્તમાન વિવેચન પશ્ચિમમાંથી ‘નૂતન દૃષ્ટિ’ અને ‘પદ્ધતિ’ સ્વીકારવા તરફ વળ્યું છે ત્યારે સંસ્કૃતની વિવેચનરીતિ આજે એટલી જ બલકે વધુ પ્રમાણભૂત બની રહે એમ તેઓ સૂચવવા ચાહે છે.&lt;br /&gt;
‘એક નિર્મૂળ આશંકા’નું૧૪૬ તેમનું લખાણ આમ તો પત્રચર્ચા રૂપે જન્મ્યું છે. ડૉ. રમણલાલ જોષીએ, તેમના વિશે લીધેલી નોંધ સામેની ટીકા૧૪૭ રૂપે એ જન્મ્યું છે, અને એમાં ડૉ. ભાયાણીનો કંઈક અભિનિવેશ છતો થઈ જાય છે. આપણા અર્વાચીન વિવેચને પાશ્ચાત્ય સાહિત્યવિચારને અનુસરવાનું જે વલણ દાખવ્યું છે તે પરિસ્થિતિની સામે અહીં તેમણે પ્રશ્ન ઊભો કર્યો છે. તેમની મુખ્ય દલીલ કંઈક એ રીતની છે કે પશ્ચિમમાં છેક પ્રાચીન કાળમાં થઈ ગયેલા એરિસ્ટોટલ અને લોન્જાયનસનો સાહિત્યવિચાર જો આપણે આપણા વિવેચનમાં લાગુ પાડી શકતા હોઈએ તો આપણી જ પરંપરાના આનંદવર્ધન કે કુંતકની વિચારણા શા માટે નહિ? સંસ્કૃત પરંપરાની ‘શાકુંતલ’ આદિ કૃતિઓને પાશ્ચાત્ય ‘કાટલે’ જોખવા આપણે પ્રવૃત્ત થતા હોઈએ તો પશ્ચિમના શેઇક્‌સ્પિયર, કાફકા, કામ્યૂ વગેરેને સંસ્કૃત વિવેચનનાં ‘ધોરણો’થી શા માટે જોખી ન શકાય? વગેરે. ડૉ. રમણલાલે એ મતલબનું કહેલું કે આપણા આધુનિક સાહિત્યનાં વિવેચનમૂલ્યાંકન અર્થે સંસ્કૃતના સિદ્ધાંતોને લાગુ પાડતાં પૂર્વે ‘સંસ્કારવા’ પડશે. એ મંતવ્યની ટીકા કરતાં ડૉ. હરિવલ્લભ ભાયાણી એ જાતનું પ્રતિપાદન કરવા ચાહે છે કે સાહિત્યનાં મૂળ તત્ત્વો વિશે-સાહિત્યને સાહિત્ય બનાવનાર ગુણ લક્ષણો વિશે સંસ્કૃત આચાર્યોએ અતિ સૂક્ષ્મ અને શાસ્ત્રીય ચર્ચા કરેલી છે. હજારો કૃતિઓનાં ઝીણવટભર્યાં વિશ્લેષણો પર એ આધારિત છે. તેમના મતે ‘ભારતીય વિવેચન પ્રયોગમૂલક હતું, શાસ્ત્રમૂલક નહિ.’ આપણા વિવેચન સામે પાશ્ચાત્ય અભ્યાસીઓની શબ્દ અર્થ કે રસ વિશેની વિચારણા ઘણી છીછરી અને અધૂરી રહી છે. એટલે સંસ્કૃતના સિદ્ધાંતોને ‘સંસ્કારવાનો’, તેમના મતે, કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી,&lt;br /&gt;
આપણા વિવેચનતત્ત્વવિચારમાં આ એક અતિ કૂટ પ્રશ્ન હવે ઊપસી આવ્યો છે. દેખાય છે તે કરતાં એ અનેક ઘણો સંકુલ અને અટપટો છે. આપણા વિવેચનની આ એક હકીકત છે કે એમાં એના સોસવાસો વર્ષના ઇતિહાસમાં પાશ્ચાત્ય વિવેચનની સતત પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સંસ્કૃતના કાવ્યશાસ્ત્રનો આપણે ત્યાં અભ્યાસ નથી થયો એવું પણ નથી. રસ ધ્વનિ રીતિ આદિ સિદ્ધાંતોનું વિવરણ સમજૂતી આદિ પ્રવૃત્તિઓ આપણે ત્યાં થઈ છે અને રસ ભાવ આદિ પાયાનાં તત્ત્વોનો સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં સ્વીકાર થયો છે. અને સંસ્કૃતની સાહિત્યવિચારણામાં કૃતિના આસ્વાદ વિવરણ અને રસકીય મૂલ્યાંકનનાં ચોક્કસ ધોરણો પ્રતિષ્ઠિત થયેલાં છે. એટલે પાશ્ચાત્ય વિવેચન વિચારની તુલનાએ એ ધોરણોની પ્રતિષ્ઠા થતી રહે એ એટલું જ અનિવાર્ય છે.&lt;br /&gt;
પણ પશ્ચિમના સિદ્ધાંતવિચારમાં તેમ કૃતિવિવેચનમાં લાંબા સમય સુધી કૃતિને વ્યાપકપણે સમાજ અને સંસ્કૃતિના સંદર્ભે જોવા તપાસવાનું વલણ કામ કરતું રહ્યું છે. અનુકરણવાદ (mimesis), અભિવ્યક્તિવાદ (expression theory), વાસ્તવવાદ  (realism), અને પ્રકૃતિવાદ (naturalism), પ્રતીકવાદ (symbolism) આદિ કળામીમાંસાની વિચારધારાઓ સાહિત્ય અને અન્ય લલિત કળાઓને જીવન (કે વિશ્વજીવન કે પ્રકૃતિ કે ઇતિહાસ કે સંસ્કૃતિ કે વિચારધારાઓ આદિ) સાથે સાંકળીને તેનો ‘અર્થ’ કે ‘મૂલ્ય’ સ્પષ્ટ કરવા ચાહે છે. આપણે ત્યાં અર્વાચીન યુગના આરંભે પાશ્ચાત્ય સાહિત્ય અને તેના વિવેચનનો સંપર્ક થયો ત્યારે કળાવિવેચનનાં નવાં મૂલ્યો ય આપણે પ્રતિષ્ઠિત કર્યાં. નવલરામની ગ્રંથસમીક્ષાઓનું બારીકાઈથી અવલોકન કરતાં એવા કેટલાંક નૂતન કળાતત્ત્વો અને મૂલ્યોનો એમાં પુરસ્કાર થયેલો જોઈ શકાશે. નરસિંહરાવ બળવંતરાય રામનારાયણ વિષ્ણુપ્રસાદ ઉમાશંકર સુંદરમ્‌ સુરેશ જોષી જેવા અગ્રણી વિદ્વાનોની ગ્રંથવિવેચનાઓ પાશ્ચાત્ય વિવેચનનાં કયાં નવાં મૂલ્યો કે ધોરણો સાથે કામ પાડે છે તે અવલોકવાનું ઘણું રસપ્રદ નીવડે એમ છે. અહીં મારો મુદ્દો એ છે કે અર્વાચીન સમયમાં આપણું સાહિત્ય જે રીતે વિકસતું ગયું તેની સાથોસાથ કૃતિવિવેચનની જે આગવી પરંપરા ઊભી થઈ તે આપણા સાહિત્યિક/સાંસ્કૃતિક વિકાસનો એક જીવંત તંતુ છે. અને આપણી રસકીય સંવિત્‌ (કે રસકીય સંવેદનશીલતા – aesthetic sensibility) બંને પરંપરાનાં કળાતત્ત્વો અને કળામૂલ્યોને આત્મસાત્‌ કરીને વિકસી છે. એ હકીકતને લક્ષમાં લઈએ તો આપણા આધુનિક સાહિત્યને જોવા તપાસવામાં અને વિશેષતઃ તેના રહસ્યઘટન અને મૂલ્યાંકનમાં – જો વિવેચનનાં એ બે કાર્યો આપણે સ્વીકારીએ તો – સંસ્કૃત વિવેચનના પાયાના ખ્યાલો પર્યાપ્ત નીવડે કે કેમ એ પ્રશ્ન વિચારણીય બની રહે છે.&lt;br /&gt;
‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’માં સાહિત્યના અધ્યયનવિવેચન અર્થે વર્તમાનમાં ખેડાતા જતા ભાષાલક્ષી અભિગમની વ્યવસ્થિત અને વિશદ છણાવટ તેમણે કરી છે. યાકોબ્સનના આ વિશેના ખ્યાલો તેમણે અહીં સ્પષ્ટ રીતે મૂકી આપ્યા છે. એના અનુસંધાનમાં કાવ્યનું સત્ય, આય્‌રની, અલ્યુઝન, મેટેફર જેવાં તત્ત્વોની પણ તપાસ કરી છે. ‘સાહિત્યભાષા—વિજ્ઞાન’ એ લેખમાં ડબ્લ્યૂ ઓ. હેન્ડ્રિક્સના ‘રિલેશન બિટ્‌વીન લિંગ્વિસ્ટિક્સ એન્ડ લિટરરી સ્ટડીઝ’ (‘પોએટિક્સ’, ગ્રંથ-૧૧, ૧૯૭૪) શીર્ષકના લેખની ચર્ચાનો આંશિક અનુવાદ છે. ભાષાવિજ્ઞાન સાહિત્યવિવેચનને ખરેખર ઉપકારક બની શકે કે કેમ એ વિવાદને લક્ષમાં રાખીને હેન્ડ્રિક્સે એમાં ચર્ચા કરી હતી. ડૉ. ભાયાણીએ અહીં એ લેખના મુખ્ય વક્તવ્ય દ્વારા સારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ‘કૃતિના પાઠબંધની સમીક્ષાપદ્ધતિઓ’ – એ પણ પાશ્ચાત્ય અભ્યાસી વેધરિલના ગ્રંથના કેટલાક મહત્ત્વના મુદ્દાઓનું તારણ રજૂ કરે છે. કૃતિના અધ્યયનની આધુનિક દૃષ્ટિ-પદ્ધતિનો એમાં સુપેરે પરિચય મળે છે. ‘હર્મન્યૂટિક વિવેચન’ શીર્ષકની સંક્ષિપ્ત નોંધમાં પુલે આદિની સંવિત્‌લક્ષી વિવેચનરીતિનો પરિચય આપ્યો છે.&lt;br /&gt;
‘સ્વભાવોક્તિ’ (તેનું સ્વરૂપ અને વર્તમાન વિવેચનમાં પ્રસ્તુતતા) લેખમાં પ્રાચીન મીમાંસાના સ્વભાવોક્તિના ખ્યાલની વ્યાખ્યાવિચારણા રજૂ કરી સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાંથી દૃષ્ટાંતો દ્વારા તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે સંસ્કૃતના ‘ભાવિક’ અલંકારનાં સરસ દૃષ્ટાંતો લાભશંકરની રચનાઓમાંથી તેમણે શોધી આપ્યાં છે. ‘ત્રણ કૃતિવિવેચનો’નું તેમનું વિવેચનકર્મ ધ્યાનાર્હ છે. સંસ્કૃત વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ આપણી આધુનિક કૃતિઓના વિવેચન અર્થે પ્રસ્તુત છે એમ બતાવવાનો તેમનો આ ધ્યાનપાત્ર પ્રયોગ છે.&lt;br /&gt;
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
૩&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.&lt;br /&gt;
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’&lt;br /&gt;
 વિવેચકની સજ્જતા લેખે તેમણે તેની ‘સંવેદનશીલતા’નો પ્રથમ સ્વીકાર કર્યો છે. કૃતિના અધ્યયનવિવેચનમાં તેના ઐતિહાસિક સંયોગોની તેમ બીજાં જ્ઞાનવિજ્ઞાનની જાણકારી, અલબત્ત, ઉપકારક બને, પણ તેને માટે પહેલી આવશ્યકતા તે સંવેદનવ્યાપારની છે એમ તેઓ કહે છે. વિવેચ્ય કૃતિ પ્રત્યે ‘વિસ્મય’ જન્મી શકે એટલી કોમળ સંવેદનપટુતા તેનામાં હોવી ઘટે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. વિવેચનવ્યાપારની ક્ષણોમાં કૃતિના સર્જક વિશે તેમ ભાવકસમૂહ વિશે વિચાર કરી જોવા તે પ્રેરાય અથવા ન યે પ્રેરાય પણ પોતાની જાત સાથે તેણે ‘સંવાદ’ કરવો જ પડે છે. વિવેચનમાં વિવેચકની ‘ઉપસ્થિતિ’ સતત વરતાતી રહે એમ તેઓ ઇચ્છે છે. સિદ્ધાંતોનો વિનિયોગ પણ તે કરે ખરો પણ યાંત્રિક રીતે કોઈ સિદ્ધાંત લાગુ પાડવાનું તે પસંદ કરશે નહિ. ડૉ. રમણલાલના મતે વિવેચક માત્ર ‘અનુભવપ્રમાણવાદી’ છે.&lt;br /&gt;
વિવેચનની પ્રક્રિયામાં તેમણે પાંચ ‘સોપાન શ્રેણી’ કલ્પેલી છે : (૧) વિવેચનાર્થ કૃતિની વરણી (૨) કૃષિનું વાચન-ભાવન (૩) કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન (૪) સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત (૫) ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ અને કાર્યના સંદર્ભે અહીં પહેલી સ્પષ્ટતા એ કરવાની રહે છે કે સોપાનશ્રેણીનો પહેલો વ્યાપાર ‘કૃતિની વરણી’ એ વિવેચનના તાત્ત્વિક બંધારણનો અંતર્ગત ભાગ ન લેખી શકાય. વિવેચક વિવેચન અર્થે આ કે તે કૃતિની પસંદગી કરવા પ્રેરાય તેની પાછળ જે તે કૃતિ/કર્તા માટેની વિશેષ રુચિ કે પક્ષપાત હોય પણ કૃતિના આસ્વાદ અનુભાવન પૂર્વેની એ પસંદગી હશે તો તો એ પસંદગીનું કોઈ મહત્ત્વ ન કરી શકાય. વિવેચનની પ્રક્રિયા આસ્વાદને અંતે સભાનતાપૂર્વક આરંભાતી વસ્તુ છે એમ સ્વીકારવું વધુ તાર્કિક છે. વળી, કૃતિના ‘વાચન-ભાવન’ (બીજું સોપાન)થી વિવેચકના ચિત્તમાં ચાલતા આસ્વાદ વ્યાપારનો ખ્યાલ અભિમત હોય તો એ વ્યાપાર પણ વિવેચન નથી. અલબત્ત વિવેચનનો એ સ્રોત છે, આધાર છે. ‘કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન’ એ ત્રીજો વ્યાપાર પણ બીજા ‘વાચન-ભાવન’નો જ વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. ચોથા સોપાનમાં ડૉ. રમણભાઈએ ‘રસકીય વૃત્તાંત’ અને પાંચમામાં ‘મૂલ્યાંકન’ મૂક્યાં છે. હવે, ‘રસકીય વૃત્તાંત’ સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. એથી રસાનુભૂતિના વર્ણન કે અહેવાલનો ખ્યાલ જો તેમને અભિપ્રેત હોય તો તો aesthetic criticism કે આસ્વાદરૂપ લેખના સ્વરૂપનું એ લખાણ નહિ હોય? કૃતિના મૂલ્યાંકન પૂર્વે અનિવાર્યતા આવા કોઈ સોપાનમાંથી વિવેચકને પસાર થવાનું અનિવાર્ય ખરું, એવા પ્રશ્નને અવકાશ રહે જ છે. વિવેચનના અંતિમ તબક્કામાં કૃતિનો મૂલ્યાંકન વ્યાપાર તેમણે મૂક્યો છે. જે રીતે કૃતિના ‘ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય’નો ઉલ્લેખ તેમણે કર્યો છે તે જોતાં ઐતિહાસિક અભિગમ વિવેચનનો અંતર્ગત ભાગ હોય એમ તેમને અભિમત જણાશે. પણ નોંધવું જોઈએ કે આપણા યુગમાં જ વિવેચનના અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનું સ્વરૂપ એવા દરેક અભિગમમાં જુદું જ પોત પ્રગટ કરે છે. આકારવાદી વિવેચનમાં કૃતિના આકારની તપાસ પર જ ઘણો મોટો ભાર મૂકાય છે. કૃતિના ઐતિહાસિક સંદર્ભો એમાં લક્ષમાં લેવાતા જ નથી અથવા સમગ્ર વિવેચનમાં તે અતિ ગૌણ સ્થાન લે છે. ચૈતન્યવાદી વિવેચકો પણ કૃતિની ઐતિહાસિકતાને અતિક્રમી જતા દેખાશે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામની વસ્તુ ઠીક ઠીક રૂપાંતરશીલ (protean) રહી છે. એટલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ખોજ અને તેની ઓળખને વિવેચનની અંતર્ગત અનિવાર્યપણે ચાલતા વ્યાપાર તરીકે સમાવવામાં મુશ્કેલી ઊભી થશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં કેટલાક (અને આપણે ત્યાંય થોડાક) અભ્યાસીઓ સૈદ્ધાંતિક ભૂમિકા પર કૃતિનું મૂલ્યાંકન કરવાનું જરૂરી ગણતા નથી; અથવા, આજના જગતમાં મૂલ્યાંકન શક્ય જ નથી એમ પણ કહેવા પ્રેરાયા છે. ડૉ. રમણલાલે, અલબત્ત, અહીં મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. જો કે, વિવેચન વ્યાપારની અંતર્ગત સમાવાતા કે તેની સાથે સંકળાયેલા ગણાતા ‘અર્થઘટન’ (interpretation)ના વ્યાપારનો નિર્દેશ પણ કર્યો નથી તે મોટું વિસ્મય જગાડે છે.&lt;br /&gt;
વિવેચનકાર્યમાં વિવેચકના પોતાના કળા અને સૌંદર્ય વિષયક ખ્યાલોનું શું? આસ્વાદ-અવબોધમાં તે અંતરાય ન બને? આ જાતના પ્રશ્નો વિવેચનમીમાંસાના કૂટ પ્રશ્નો છે. એ વિશે જુદા જુદા સંદર્ભે અગાઉ આપણે ચર્ચા કરી છે એટલે તેનું પુનરાવર્તન નહિ કરીએ. ડૉ. રમણલાલનું મંતવ્ય એવું છે : “વિવેચકના પોતાના અમુક ખ્યાલો, એનાં પોતાનાં માનસિક વળગણો સાચી સમ-સંવેદનાની ક્રિયામાં અવરોધરૂપ બને છે.”૧૫૦ આ ખ્યાલ અંશતઃ સાચો છે. કૃતિના પોતાના કળા-રૂપને એની સર્વ વિશિષ્ટતાઓ સાથે પામવામાં વિવેચકના પૂર્વ-નિર્ધારિત ખ્યાલો કે અપેક્ષાઓ તાદાત્મ્ય સાધવામાં અમુક અંતરાય રચે છે. પણ, તો પછી, દરેક મહાન વિવેચક કળા અને સૌંદર્યની નિજી ભૂમિકા પરથી વિવેચન કરવા પ્રવૃત્ત નથી થતો? &lt;br /&gt;
વિવેચક કૃતિ વિશેના પોતાના અનુભવને જ્યાં ‘ઘાટ’ આપવા સક્રિય બને છે ત્યાં ‘સાહિત્યકળાના સિદ્ધાંતો’, ‘કૃતિપ્રેરિત જીવનવિભાવો’ ‘ઐતિહાસિક સંદર્ભ’ વગેરે વસ્તુઓ તેના ચિત્તમાં ‘પશ્ચાદ્‌ભૂ’ તરીકે ઉપસ્થિત હોય છે એમ તેઓ નોંધે છે, પણ ત્યાં એ ચર્ચા અટકે છે. આપણે એ વિશે સ્પષ્ટતા રૂપે એટલું ઉમેરી શકીએ કે અનુભવને ઘાટ આપવાની પ્રવૃત્તિ અમુક સ્પષ્ટઅસ્પષ્ટ વિભાવોનો – conceptual frameનો – સ્વીકાર કરીને આરંભાતી હોય છે. અનુભવના વ્યાપમાં આવતી કલાકીય સામગ્રી – જે અમુક સમયના સ્થિત્યંતરો રૂપે એકત્ર થઈ હોય છે – તેનું આકલન જ અમુક વિભાવનાઓની અપેક્ષા રાખે છે. અને વિભાવનાઓના સ્વીકાર સાથે તેમાં કળાના અમુક સિદ્ધાંત કે વાદની ભૂમિકાનું અનુસંધાન રચાતું હોય છે.&lt;br /&gt;
આ વિશેની વિચારણામાં ડૉ. રમણલાલે એક મહત્ત્વની વાતનો સંકેત કર્યો છે : “બધા જ વિવેચનાત્મક અભિગમો અને સંપ્રદાયો જાણે અજાણ્યે કશીક દાર્શનિક પીઠિકા સ્વીકારીને ચાલતા હોય છે. વિવેચકની એને વિશેની સભાનતા એના પ્રત્યક્ષ વિવેચનકાર્યમાં સંભવ છે કે મદદરૂપ નીવડે.”૧૫૧ આ સંદર્ભે પહેલી વાત એ નોંધવાની કે વિવેચનનો અભિગમ કેવળ યાદૃચ્છિક પસંદગીની વસ્તુ જ નથી. ઐતિહાસિક, આકારવાદી, માર્ક્‌સવાદી કે ચૈતન્યવાદી —એવા દરેક અભિગમની દાર્શનિક પીઠિકા પરસ્પરથી સાવ ભિન્ન છે, અને સાહિત્યકળાના સ્વરૂપ અને કાર્ય વિશે એ દરેક અભિગમ આગવા ખ્યાલો સ્વીકારીને ચાલે છે. એટલે વિવેચક જો પોતાના કર્મ અને ધર્મ વિશે પૂરતો સભાન હશે, પોતાનું કાર્ય નિષ્ઠા ગંભીરતા અને પ્રામાણિકતાથી બજાવવા ચાહતો હશે, તો કૃતિ પરત્વેના અભિગમ વિશે તેણે હવે પૂરેપૂરી સમજ કેળવી લેવાની રહેશે.&lt;br /&gt;
વિવેચનમાં મૂલ્યાંકનના પ્રશ્ને તેમણે જે વિચારો રજૂ કર્યા છે તેમાં કેટલાંક ચિંત્ય વિધાનો છે : એક, કળાકૃતિને મૂલવવા માટે ‘દેશકાળથી પર એવાં સાર્વત્રિક ધોરણો’ છે, અને એવાં ધોરણો અનુસાર થતું મૂલ્યાંકન ટકી શકે છે. વિવેચકનું કાર્ય એવાં ‘સ્થાયી ધોરણો’ અનુસાર કૃતિનું મૂલ્ય નક્કી કરવાનું છે.’ પ્રશ્ન થાય કે પૂર્વપશ્ચિમની વિવેચનપરંપરામાં જે જે ‘ધોરણો’ ઊપસી આવ્યાં છે તેમાં ‘સાર્વત્રિક ધોરણો’ કયાં? વિશ્વસાહિત્યની નવી જૂની હર કોઈ યુગની કૃતિને એકસરખી રીતે લાગુ પાડી શકાય તેવાં ‘ધોરણો’ કોને ગણશો? બીજો મુદ્દો એ છે : ‘વિવેચક વિવેચનની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ વચ્ચે ય મેળ બેસાડતો હોય છે.’ આપણે ઉપર જોયું કે વિવેચનના કેટલાક અભિગમોની સાહિત્ય વિશેની પીઠિકા જુદી છે, એ જોતાં ભિન્નભિન્ન પદ્ધતિઓ વચ્ચે મેળ બેસાડવાનું હંમેશાં શક્ય છે?&lt;br /&gt;
કૃતિવિવેચન અર્થે વિવેચકે જીવનનાં તેમ સાહિત્યકળાનાં બંનેયનાં ધોરણો લાગુ પાડવાનાં રહે છે એમ તેઓ કહે છે. એલિયટ-ઉમાશંકરમાંથી તેમણે આ વિશે સમર્થન મેળવી પોતાનો મુદ્દો સ્પષ્ટ કર્યો છે. ઐતિહાસિક, આકારવાદી, ચૈતન્યવાદી અને સંરચનાવાદી અભિગમોનો સાવ અછડતો તેમણે પરિચય આપ્યો છે, પણ તે દરેકની પાછળની સાહિત્યિક વિચારણા સ્પષ્ટ કરી નથી.&lt;br /&gt;
‘આધુનિક વિવેચન’ લેખમાં કૃતિનિષ્ઠ વિવેચનના સીમિત કાર્યક્ષેત્રની સામે વિવેચક માટે આર્નોલ્ડને અભિમત એવું વ્યાપક ક્ષેત્ર તેમણે સૂચવ્યું છે. આપણે આધુનિક વિવેચનમાં ‘બીજી માનવવિદ્યાઓનાં ઓજારો’ કામે લગાડ્યાં છે એવું અવલોકન પણ તેમણે રજૂ કર્યું છે! આપણા વર્તમાન વિવેચનની પરિભાષા વળી સંદિગ્ધ રહી જવા પામી છે, એમ પણ નોંધ્યું છે.&lt;br /&gt;
૧૯૭૩ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આશ્રયે યોજાયેલા એક પરિસંવાદમાં તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય : વિવેચન અવલોકનો’ વિષય પર વક્તવ્ય રજૂ કરેલું. હમણાં બેંગલોરમાં મળેલા એક સેમિનારમાં ‘આપણા સાહિત્યમાં વિવેચનની કોઈ આબોહવા છે ખરી?’ વિષય પર તેમણે બીજું વક્તવ્ય રજૂ કરેલું. એમાં તેમણે આપણા આધુનિક સાહિત્યના વિવેચન મૂલ્યાંકન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિભાવનાઓને લગતો એક મહત્ત્વનો મુદ્દો છેડ્યો છે. તેમનું વક્તવ્ય કંઈક એવું છે કે સંસ્કૃતના પ્રમુખ સિદ્ધાંતોને આપણા પ્રાદેશિક ભાષાસાહિત્યને લાગુ પાડતાં પહેલાં ‘ઠીક ઠીક સંસ્કારવા પડશે.’ ડૉ. ભાયાણીએ એમની આ જાતની માન્યતા સામે વાંધો લીધો છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો વિશ્વસાહિત્યની કૃતિઓનેય લાગુ પાડી શકાય, એવું તેમને અભિમત છે.&lt;br /&gt;
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે.&lt;br /&gt;
૪&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(૧) આજનો તરુણ વિવેચક ઘણીવાર કૃતિના ‘અર્થ’ની અવગણના કરી, તેની ‘આકૃતિ’ની તપાસમાં પ્રવૃત્ત થાય છે, અને એ નિમિત્તે તે કલ્પન લય ભાષાકર્મ પ્રતીક જેવાં તત્ત્વો ચીંધી બતાવે છે. પણ પ્રતીકાદિના સંદર્ભે ‘અર્થવિસ્તાર’ની વાત કરતાં તેના આધારરૂપ એવા કોઈ ‘અર્થ’નો સ્વીકાર તો ત્યાં થાય જ છે. તો કૃતિવિવેચનમાં આ રીતે ‘અર્થ’ના પ્રશ્નને ટાળવાનું વલણ યોગ્ય છે?&lt;br /&gt;
(૨) કાવ્યકૃતિના લય વિશેનું આપણું વિવેચન ઘણુંખરું ‘અંગત છાપો’થી ભર્યું છે. લય વિશેનાં વિધાનો ઘણીવાર રંગદર્શી ભાષામાં રજૂ થાય છે. એના વિશે વસ્તુલક્ષી વિશ્લેષણ કરવાના પ્રયત્નો ભાગ્યે જ થાય છે. જ્યાં સુધી લયના બંધારણ વિશે આંગળી મૂકીને આપણે વાત ન કરી શકીએ ત્યાં સુધી એના વસ્તુલક્ષી વિવેચનની દિશામાં આપણે ગતિ કરી ન શકીએ.&lt;br /&gt;
(૩) કૃતિઓની ભાષાલક્ષી તપાસથી આપણો આસ્વાદ વધુ તીક્ષ્ણ અને સમૃદ્ધ બન્યો છે એમ આપણે સ્વીકારીએ, પણ એનાં ભયસ્થાનો ય આપણે લક્ષમાં રાખવાનાં છે. કૃતિની ભાષા પર વિવેચક પોતે અંગત અર્થોનું આરોપણ કરી રહ્યો હોય એ પણ સંભવિત છે. હકીકતમાં આપણા કૃતિલક્ષી વિવેચનમાં ભાષાકર્મ વિશેનાં વર્ણનો વિવરણોમાં વારંવાર રંગદર્શી ઉદ્રેક છતો થતો રહ્યો છે.&lt;br /&gt;
(૪) સાહિત્યમાં કલ્પન લય ભાષાકર્મ આદિ દ્વારા જે કંઈ રમણીયતા સિદ્ધ થાય છે તેનો આસ્વાદ આપણે કરીએ, પણ એ સર્વની પાછળ કશુંક ‘વ્યંગ્ય’ રહ્યું હોય છે, અને તેની અવગણના ન કરી શકાય. કલ્પનાદિ તત્ત્વો એ વ્યંગ્યને પ્રસ્તુત કરવા આવે છે. એટલે કૃતિવિવેચનમાં એ ‘વ્યંગ્ય’ની ઓળખ, તપાસ, અને તેનું સ્પષ્ટીકરણ એ પણ વિવેચન કાર્યનો જ ભાગ બને છે.&lt;br /&gt;
(૫) સાહિત્યની કૃતિ કંઈ સમાજ સંસ્કૃતિ કે સમયના સંદર્ભોથી સર્વથા નિરપેક્ષપણે સંભવતી નથી. તેના આસ્વાદ-વિવેચનમાં તેના એવા બાહ્ય સંદર્ભો ય વત્તેઓછે અંશે દ્યોતક નીવડી શકે. એટલે વિવેચકે, કૃતિ જે રીતે અવકાશ રચી આપે તે રીતે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવી તપાસવી જોઈએ.&lt;br /&gt;
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે.&lt;br /&gt;
૫&lt;br /&gt;
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે&lt;br /&gt;
‘વિવેચકનું કર્તવ્ય’માં ભાવકની ‘ભાવયિત્રી પ્રતિભા’, સર્જનવ્યાપારથી વિવેચનની ભિન્નતા, વિવેચકની સજ્જતા, વિવેચનનાં ધોરણો, અને વિવેચકની ભૂમિકા – જેવા મુદ્દાઓની સર્વગ્રાહી છણાવટ કરવાનો ઉપક્રમ છે. ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’-લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમની સંક્ષિપ્ત પણ સરળ ચર્ચા છે.&lt;br /&gt;
‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ લેખ આપણી વિવેચનમીમાંસામાં વિશેષ નોંધપાત્ર અર્પણ બની રહે છે. પશ્ચિમમાં આ વિશે જે તાત્ત્વિક ચર્ચાઓ થઈ છે તેનું એમાં અનુસંધાન છે. સાહિત્યની કૃતિ કંઈ અવકાશમાં જન્મતી નથી, તેનો સર્જક ઇતિહાસના કોઈ એક ચોક્કસ તબક્કે ચોક્કસ ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે જીવ્યો હતો. પોતાના સમયનાં સ્થૂળ સૂક્ષ્મ સંચલનો અને પરિબળો તેના સર્જકચિત્તને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અસર કરતાં જ હોય છે. પ્રસિદ્ધ અભ્યાસી ટેઈનના આ વિષયના વિચારોમાંથી સર્મથન મેળવીને આ ચર્ચા તેમણે વિકસાવી છે. તેમની ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
૧. કોઈ પણ સાહિત્યકૃતિ એ આકસ્મિક આવિર્ભાવ નથી. એના યુગનાં પરિબળોએ એમાં અમુક ભાગ ભજવ્યો હોય છે. જ્યાં સુધી કૃતિને એના મૂળના સમય સંદર્ભમાં મૂકીને જોવામાં ન આવે ત્યાં સુધી એનું પૂરું રહસ્ય છતું થતું નથી.&lt;br /&gt;
૨. સાહિત્યમાં નિરૂપાતા અનુભવો લાગણીઓ અને ભાવભાવનાઓનાં જે જે રૂપો વ્યક્ત થાય છે તેને જે તે પ્રજાના મનોમય જીવન સાથે ઘનિષ્ટ સંબંધ હાય છે. સમગ્ર સમાજ – તેના સર્વ સભ્યો – પરસ્પર આંતરિક રીતે જોડાયેલા હોય છે. સર્જકની સંવેદનશીલતા એ સામાજિક સંદર્ભ વચ્ચે ખિલતી હોય છે. સર્જકની વાણી એની ‘પરંપરાની ભોંય પર’, ‘પરિવેશની આબોહવામાં’ ઊઘડે છે. એટલે સાહિત્યના વિવેચકે કૃતિ જે સંયોગો વચ્ચે જન્મી હોય તેને લક્ષમાં લઈને જ ચાલવાનું રહે.&lt;br /&gt;
૩. ભિન્ન ભિન્ન યુગના સાહિત્યકારોની રચનાઓમાં પ્રકારો આકારો શૈલીઓ અને રચનાપ્રણાલિઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, તેનો ખુલાસો તેની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાઓમાંથી મળે છે.&lt;br /&gt;
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય.&lt;br /&gt;
૬&lt;br /&gt;
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે.&lt;br /&gt;
૭&lt;br /&gt;
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.&lt;br /&gt;
(૧)	આપણે ત્યાં હવે વિવેચનનું પણ વિવેચન થવાની જરૂર છે. કૃતિ પાસે જતાં વિવેચકો જે જે ‘વિભાવનાઓનાં ‘માળખાં’ – conceptual framework લઈને જાય છે અને જે જે પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તેને વિશે બારીક દૃષ્ટિની ફેરતપાસ કરવાની જરૂર છે. કૃતિવિવેચનોમાં જે જાતના મતભેદો જન્મે છે તે સર્વના મૂળમાં જે તે વિવેચકની ફિલસૂફીને લગતાં ગૃહીતોમાં ફેર હોય છે. એટલે દરેક વિવેચક કયો વાદ વિચાર કે વિભાવના લઈને ચાલે છે તેની, અને તેની પાછળ રહેલાં સ્પષ્ટ અસ્પષ્ટ ગૃહીતોની ફરી ફરીને તપાસ થતી રહે એ જરૂરનું છે.&lt;br /&gt;
(૨)	કળાકૃતિને એની સ્વાયત્ત એવી વાસ્તવિકતા છે, સત્તા છે. કૃતિના આસ્વાદ અવબોધમાં વિવેચકનો ‘આત્મલક્ષી પરિપ્રેક્ષ્ય’ નિયામક બને છે એ ખરું, પણ વિશેષ સત્તાના બળે કૃતિ પણ ભાવકને પ્રભાવિત કરે છે, એને તેની insularityને અમુક અંશે ભેદી શકે છે. આમ એક બાજુ, વિવેચકનો આગવો દૃષ્ટિકોણ, બીજી બાજુ કૃતિનું આંતરિક સામર્થ્ય – બંને વચ્ચે કશુંક ક્રિયાપ્રતિક્રિયા રૂપે ચાલે છે અને એ રીતે ‘પ્રતિભાવ’ રચાય છે. દરેક ભાવકનો બોધ એ રીતે જુદો સંભવે છે.&lt;br /&gt;
(૩)	વિવેચકના અમુક interests જ કૃતિમાં અમુક તત્ત્વોને મૂલ્યવાન તરીકે લેખવા પ્રેરે છે. માકર્‌સવાદ, ફ્રોયડનો વિશ્લેષણવાદ કે અસ્તિત્વવાદ જેવા કોઈ પણ વાદ કે દૃષ્ટિકોણને સ્વીકારી લઈને વિવેચક કૃતિ પાસે જાય છે ત્યારે ખરેખર તો કૃતિની સ્વાયત્ત સત્તાને જ તે મર્યાદિત કરી દેતો હોય છે.&lt;br /&gt;
(૪)	રોલાં બાર્થ સાહિત્યને ‘વિશિષ્ટ પ્રકારની ભાષા’ રૂપે ઓળખાવે છે. સાહિત્યની કૃતિ ‘પ્રતીકાત્મક’ છે, ‘અનેક પ્રકારના તથ્યની શક્યતા’ તે ધરાવે છે પણ તે કંઈ ‘ઐતિહાસિક હકીકત’ નથી. ‘કૃતિ’ શું છે તેની વ્યાખ્યા, સમજણ તો બદલાતી રહે છે. એ રીતે એ ‘માનવીય ઘટના’ છે’. વિવેચકે પોતાની ભાષાને બને એટલી કૃતિની સર્જનાત્મક ભાષાને અનુરૂપ સર્જવી જોઈએ.&lt;br /&gt;
(૫)	સાહિત્ય વિશેની કેટલીય મૂળભૂત વિભાવનાઓનાં મૂળ ફિલસૂફીમાં રહ્યાં છે. એના ગૃહીતોની ખોજ ચાલુ રહેવી જોઈએ.&lt;br /&gt;
(૬)	આપણા વિવેચન વિશે આપણા અભ્યાસીઓમાં જે કંઈ ‘ફરિયાદ’ છે તેને યથાર્થ રીતે સમજવાને સમીક્ષક પાસે ચોક્કસ frame of reference જોઈએ.&lt;br /&gt;
 (અ)	‘કલા અને મુખ્યત્વે સાહિત્ય અને વિવેચન વિશે ભાવક-વિવેચક પાસે એક દૃષ્ટિબિંદુ હોય છે – પછી ભલે તેણે એ અસંપ્રજ્ઞાતપણે અપનાવેલું હોય, અને/અથવા અસ્પષ્ટ રાખ્યું હોય. દૃષ્ટિબિંદુથી મુક્ત અથવા પર કોઈ સર્જનવિવેચન હોતું નથી. તાર્કિક રીતે એ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી શકાય. ફિલસૂફીના ઇતિહાસનો મોટો ભાગ અધ્યાહાર રહેલા દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવાના પ્રયત્નરૂપે ઘટાવી શકાય.’૧૫૪&lt;br /&gt;
 (બ)	‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગૃત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’૧૫૫&lt;br /&gt;
રસિક શાહ નોંધે છે કે આપણા વર્તમાન વિવેચનના સંદર્ભમાં ‘સર્જન’ ‘પરિશીલન’ અને ‘વિવેચન’ની તાત્ત્વિક વિચારણાઓની તપાસમાં પોતે આ બે પાયાનાં ગૃહીતો સ્વીકારીને ચાલ્યા છે. શ્રી જશવંત શેખડીવાળા અને આ અવલોકનકારના વર્તમાન ગુજરાતી વિવેચન વિશેનાં લખાણોની તેમણે નોંધ લીધી છે. તેમજ, સુરેશ જોષી અને ઉમાશંકર જોશીની કાવ્યવિભાવના વિશેની આ અવલોકનકારની મુખ્ય ભૂમિકા પુરસ્કારતા છતાં સર્જકતા વિશેના એક મુદ્દામાં છતી થતી તાર્કિક મુશ્કેલી અંગે ધ્યાન દોર્યું છે. આ સંદર્ભમાં રસિક શાહે નોંધ્યું છે કે વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની વિચારણામાં છેવટે (૧) ગૃહીત કેવું હોવું જોઈએ, (૨) આંતરસંગતિવાળું ગૃહીત કેવું હોય, (૩) ગૃહીત યોગ્ય અને જરૂરી છે કે નહિ, અને (૪) ગૃહીતની ચકાસણી કેવી રીતે થાય – એવા તાર્કિક પ્રશ્નોની છણાવટ કરવાની રહે.&lt;br /&gt;
(૭)	કળાકૃતિનું સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જેઓ મૂળ ગૃહીત તરીકે સ્વીકારે છે તેમને માટે પછી પ્રાણભૂત પ્રશ્ન એક જ રહે છે : ‘વ્યવહારના તથ્યનું કલાના સત્યરૂપે રૂપાન્તર સર્જક શી રીતે કરે છે? અને એની ઉપપત્તિ એ કે વિવેચનનું પાયાનું કર્તવ્ય તે કૃતિની ભાષા અને રચનારીતિની તપાસ માત્ર બની રહે છે.’ બીજી રીતે – ‘વિવેચનનું કાર્ય કાવ્યકૃતિનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરીને કયા સંઘટનસૂત્રથી અથવા ઋતથી વિશ્લેષ્ય ઘટકોનું અનુસંધાન થાય છે, અને એ રીતે કૃતિ સમગ્રતાનું સ્વરૂપ પામે છે, એ તરફ નિર્દેશ કરીને કૃતિનું structure પ્રગટ કરવાનું છે.’&lt;br /&gt;
&lt;br /&gt;
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે.&lt;br /&gt;
૮&lt;br /&gt;
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્‌ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્‌ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્‌ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે.&lt;br /&gt;
૯&lt;br /&gt;
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે.&lt;br /&gt;
તેમનો આરંભકાળનો એક લેખ ‘વિવેચન પદ્ધતિ વિશે’,૧૫૭ શીર્ષક સૂચવે છે તેમ, વિવેચનની પદ્ધતિઓને લગતા તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શવા ચાહે છે. એમાં રજૂ થયેલી ચર્ચામાં, કેટલુંક અસ્પષ્ટ કે ચિંત્ય કોટિનું રહી ગયેલું લાગશે. પણ આ દિશાની વિચારણામાં પ્રારંભના પ્રયત્ન લેખે એનું અમુક મહત્ત્વ રહે જ છે. સુરેશ જોષીની જેમ તેઓ પણ આપણા વર્તમાન વિવેચનમાં વ્યાપી રહેલી ‘અરાજકતા’ સામે ફરિયાદ કરે છે. તેમનું એમ કહેવું છે કે ‘સંજ્ઞા પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં આપણે ત્યાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન કરે છે, પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાંતિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે.’ તેમનાં આ નિરીક્ષણો એકંદરે સાચાં હોવાનું લાગશે. તેઓ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરે છે કે વિવેચનની તાત્ત્વિક પીઠિકા રચવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર આદિ જ્ઞાનવિજ્ઞાનનો ફાળો રહેવાનો એટલે, જે તે ભાષામાં આ જાતના જ્ઞાનવિજ્ઞાન વિકસ્યાં હશે અને સાહિત્યવિચારમાં તેનો વિનિયોગ થયો હશે તો જ તેનું વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો સાથે અનુસંધાન થઈ શકશે.&lt;br /&gt;
પણ, મને લાગે છે કે, પ્રશ્ન એથી ઘણો વધુ જટિલ છે. કૃતિવિવેચનમાં જો વિજ્ઞાનના જેવી વસ્તુલક્ષિતા સિદ્ધ કરવા આપણે ચાહતા હોઈએ તો પછી વિવેચનની વિભિન્ન પદ્ધતિઓ અને તેની સાથે યુક્ત વિભિન્ન પરિભાષાઓનો સ્વીકાર કઈ રીતે ‘ન્યાયી’ ઠેરવી શકાય? આવી વિભિન્ન પદ્ધતિઓ દ્વારા કૃતિનાં જે રીતનાં વિવેચનો-મૂલ્યાંકનો પ્રાપ્ત થશે તે સર્વને એકસરખાં પ્રમાણભૂત ગણી શકાશે? એમાં કોઈ એક વિવેચન ઉચ્ચ બીજું ઉતરતું, એક વધુ પ્રમાણભૂત બીજું ઓછું – એવા દૃષ્ટિભેદ ઊભા નહિ થાય? તાત્પર્ય કે, પદ્ધતિઓના પ્રશ્ને વિવેચનમીમાંસાના બીજા અનેક નવા તાત્ત્વિક પ્રશ્નો ફૂટી નીકળે છે. કેમ કે, વિવેચનની અનેક પદ્ધતિઓના સ્વીકાર સાથે એકની એક કૃતિ પરત્વે સાવ આત્યંતિક સામે છેડેનાં દૃષ્ટિબિંદુઓ કે પરસ્પર વિરોધી મતો જન્મતા હોય જે એકબીજાનો છેદ પણ ઉડાડતા હોય-તો વિવેચનપ્રવૃત્તિની કોઈ ઉપયોગિતા, સાર્થકતા કે અનિવાર્યતા ખરી? અને વસ્તુલક્ષી ભૂમિકાએ સંપૂર્ણ મતૈક્યની શક્યતા જ ન હોય તો તો વિવેચનને કેવળ ‘આત્મલક્ષીશાસ્ત્ર‘ તરીકે નિભાવી શકાય કે કેમ, તે પણ વિચારવાનું રહે છે.&lt;br /&gt;
ત્રણ વિવેચકો – એક, સાહિત્યકૃતિને માત્ર ‘સાહિત્યિક દૃષ્ટિબિંદુ’થી જોતો હોય, બીજો કૃતિને મનોવિજ્ઞાનના એક ‘case-study’ તરીકે જોતો હોય અને ત્રીજો તેને ‘સામાજિક દૃષ્ટિ’થી નિહાળતો હોય – એ દરેકનો અભિગમ મૂળથી જુદો છે. ત્રણે ‘જુદી જુદી પરિભાષામાં’ રહીને વિચારે છે. તો એ પૈકી કયો અભિગમ સાચો અને પ્રમાણભૂત ગણીશું? ડૉ. શિરીષના આ પ્રશ્નો સાચા છે. આવી દરેક પદ્ધતિ/અભિગમ ખરેખર તો એક જ કૃતિને લક્ષતાં છતાં તેને જુદી જુદી રીતે તે પ્રત્યક્ષ કે અવગત કરે છે. સાહિત્યની ‘સાહિત્યિકતા‘ વિશેની એ દરેકની તાત્ત્વિક ભૂમિકા નિરાળી છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ પણ કળાકૃતિના આસ્વાદ – ભાવનનું નિરપેક્ષ મૂલ્ય પ્રતિષ્ઠિત કરવા ચાહે છે, એટલે વિવેચનની પદ્ધતિઓની પ્રમાણભૂતતાના પ્રશ્નમાં રોકાયા છતાં તેઓ ભારપૂર્વક બતાવવા ચાહે છે કે કૃતિને લગતો કોઈ પણ દૃષ્ટિકોણ વિવેચનની પદ્ધતિને મર્યાદિત બનાવી દેતો હોય તો તે તેના આસ્વાદમાં ય અંતરાય રચી રહે એમ બને. ડૉ. શિરીષ પંચાલ આ વિશે એક મહત્ત્વના મુદ્દાને ય સ્પર્શી રહે છે : “અ-વિવેચન કે કૃતક વિવેચન અને વિવેચન વચ્ચેનું વ્યાવર્તક તત્ત્વ કયું?”૧૫૮ અને ઉત્તરમાં કહે છે : “વ્યાવર્તક તત્ત્વ તરીકે વિવેચનની પદ્ધતિને જ ગણાવી શકાય. આ બધાં અસાહિત્યિક તત્ત્વોની મર્યાદા ચીંધી બતાવતી હોવી જોઈએ. વિવિધ દૃષ્ટિકોણ પાછળ અંગત મમત્વ, રુચિ, પૂર્વગ્રહ કામ કરતા હોવાને કારણે જ દલીલબાજી, હોંસાતુંસી, વિવેચકની પદ્ધતિની ટીકાને બદલે વિવેચકો વિશે જ ઊભરાતાં લખાણો જોવા મળે.”૧૫૯ પણ, વિવેચનની પદ્ધતિ તે કંઈ યાદૃચ્છિક ઉપયોગનો પ્રશ્ન નથી એ વાત હવે સ્પષ્ટ બની ચૂકી છે. દરેક પદ્ધતિ સાહિત્યની સાહિત્યિકતા (literariness)નો આગવો ખ્યાલ સ્વીકારીને ચાલે છે. એટલે આ કે તે પદ્ધતિના સ્વીકાર-અસ્વીકાર પાછળ વિવેચકની સાહિત્યિક વિભાવનાનો પ્રશ્ન પણ પડેલો છે. એટલે આ કંઈ હવે માત્ર અંગત રુચિ કે પૂર્વગ્રહ મમત્વનો પ્રશ્ન ય રહેતો નથી : અંતે, એ સાહિત્યના તત્ત્વબોધનો પ્રશ્ન બને છે.&lt;br /&gt;
વિવેચનની પદ્ધતિની સફળતાનિષ્ફળતાના પ્રશ્નને ડૉ. શિરીષ પંચાલ તેની ભાષાવ્યવસ્થા સાથે સાંકળી આપવા ચાહે છે. તેમનું એમ કહેવું છે કે વિવેચનની ભાષા અને બીજા જ્ઞાનવિજ્ઞાનના વિષયોની ભાષા વચ્ચે સ્પષ્ટ ભેદ રહ્યો છે, અને તે એ કે “અન્ય ભાષાવ્યવસ્થા કેટલાક નિયત કરેલા નિયમોની સીમામાં રહીને પોતાનું coherence ટકાવી રાખે છે, જ્યારે વિવેચનની ભાષાવ્યવસ્થા નિયત કરેલા નિયમોને દર વખતે સ્વીકારી શકતી નથી.”૧૬૦ અહીં ડૉ. શિરીષનું વક્તવ્ય સમજવામાં થોડી મુશ્કેલી છે. અન્ય વિષયોની ભાષાવ્યવસ્થામાં coherence સિદ્ધ કરનાર જે ‘કેટલાક નિયત નિયમો’ની તેઓ વાત કરે છે, એ ‘નિયમો’ કયા તે વિશે અહીં સ્પષ્ટતા મળતી નથી. પણ તાર્કિક ચિંતનના ‘નિયમો’ તેમની નજરમાં હોય એમ અહીં સમજાય છે. કૃતિવિવેચનમાં આવા ‘નિયમો’ હંમેશ સ્વીકારાતા નથી, અને વિવેચનમાં એથી ‘અરાજકતા’ દાખલ થઈ જાય એવી દહેશત તેમણે વ્યક્ત કરી છે. તેઓ એ બાબતે, અલબત્ત, સ્પષ્ટ છે કે દરેક કૃતિનો ‘આગવો સંદર્ભ તેના આગવા નિયમો’ રચી આપે છે, પણ વિવેચનની પદ્ધતિભેદને કારણે કે બીજી રીતે એમાં વિભિન્ન પરિ-ભાષાઓનો વિનિયોગ થાય અને વિવેચનવિચારમાં એથી ‘અરાજકતા’ પ્રવેશી જાય એમ પણ બને! એક રીતે, આ વિવેચનમીમાંસાનો ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે. કૃતિના આસ્વાદ-ભાવન પછીની ક્ષણે વિવેચક તેને પોતાની રીતે વર્ણવવા ચાહે છે. કૃતિમાં જ્યાં સુધી તે લીન હતો, રસતત્ત્વમાં નિમગ્ન હતો, ત્યાં સુધી તેને કૃતિ વિશે વિધાન કરવાને કોઈ અવકાશ નહોતો. પણ જે ક્ષણે પોતાના આસ્વાદ વિશે – જે અનેક ક્ષણો સુધી સમયમાં વિસ્તરેલો, કૃતિની ભાષાના સંયોગે જન્મી જન્મીને ઉપચય પામતો અનુભવ છે તેને વિશે – તે વાત માંડે છે ત્યારે પદ્ધતિનો અને પરિભાષાનો પ્રશ્ન ઊભો થાય જ છે. એક રીતે વિવેચકના મિજાજનો અને બીજી રીતે તેની તાત્ત્વિક દૃષ્ટિનો એ પ્રશ્ન છે. જે વિવેચક કૃતિના અનુભવનાં સૂક્ષ્મતમ તત્ત્વોનો – તેના રમણીય અંશોનો – નિબિડપણે અને સજીવ સંસ્પર્શ કરાવવા ચાહે છે તેનું વલણ વિવેચનની ભાષાને વધુ મૂર્ત વધુ સર્જનાત્મક બનાવવાનું હશે, અને જે વિવેચક કૃતિના અર્થઘટન/મૂલ્યાંકન અર્થે સક્રિય બન્યો હશે તે સ્વાભાવિક રીતે જ તાર્કિક વર્ણન વિશ્લેષણની રીતિ તરફ ઢળશે. પણ આ પ્રશ્ન આટલો સીધોસાદો નથી. ઐતિહાસિક ચરિત્રલક્ષી આકૃતિલક્ષી ભાષાલક્ષી માર્ક્‌સવાદી કે માનસશાસ્ત્રીય – એવા અભિગમો પૈકીનો કોઈ અભિગમ સ્વીકારો એટલે તેની સાથે સાહિત્યની આગવી વિભાવના કે તેના વર્ણનવિશ્લેષણની આગવી રીતિ અને આગવા સંપ્રત્યયો કામમાં લેવાના રહે. એટલે કે, આવા દરેક અભિગમ સાથે વિભાવનાઓનું અમુક રીતનું માળખું – conceptual framework – જોડાઈને આવતું હોય. એટલે વિવેચનની ભાષામાં ‘વ્યવસ્થા’ આણવાનો પ્રશ્ન એક બાજુ તેમાં પ્રયોજાતી બીજભૂત સંજ્ઞાઓ/વિભાવનાઓના તાર્કિક સ્પષ્ટીકરણનો છે, બીજી બાજુ વિવેચન અર્થે પ્રયોજાતી એક યા બીજી પદ્ધતિની પ્રમાણભૂતતાનો છે. અને એક કૃતિના વિવેચનમાં એકથી વધુ પદ્ધતિઓનો વિનિયોગ આવકાર્ય ખરો, પણ અનિવાર્ય ખરો, તેય વિચારવાનું પ્રાપ્ત થાય છે. વિવેચનની ભાષા-વ્યવસ્થાનો પ્રશ્ન એ રીતે તેના અંતિમ પ્રયોજન અને પદ્ધતિના પ્રશ્ન સાથે સંકળાઈ જાય છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલ આ અંગે એમ કહે છે કે વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી અને ‘કૃતિની અવેજી’માં તે ‘વાપરી શકાતી હતી.’ હવે વિજ્ઞાન અને ટેક્‌નોલોજીના વિકાસની સાથોસાથ એવી ‘વર્ણનાત્મક’ ભાષાનો ઉપયોગ રહ્યો નથી; એટલે વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એવો તેઓ અનુરોધ કરે છે. વિવેચનમાં એ રીતે ‘આત્મલક્ષિતા’ની ભૂમિકા ઓછી થશે અને ‘સાથે સાથે આપણી સમક્ષ કૃતિનાં એકેએક ઘટક તત્ત્વોને અન્યોન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ પ્રકટ થઈ આવવાનો’. તેમની આ મુદ્દાની ચર્ચામાં કેટલુંક ચિંત્ય લાગે છે. વિવેચનની ભાષા અત્યાર સુધી ‘વર્ણનાત્મક’ રહી હતી એ જાતનું તેમનું અવલોકન બરાબર છે? પરંપરાગત વિવેચનમાં કૃતિનાં અર્થઘટનો મૂલ્યાંકનોનેય મોટું સ્થાન રહ્યું છે; તો કૃતિને લગતાં એ મૂલ્યવાચી વિધાનોને ‘વર્ણનાત્મક’ કોટિમાં મૂકી શકાય? અને મૂલ્યવાચી વિધાનો જે રીતે કૃતિને વિશે નિર્ણયાત્મક કથન કરે છે તે જોતાં તેને કૃતિની ‘અવેજી’માં આવતી ભાષા કહી શકાય? મને લાગે છે કે મૂલ્યવાચી વિધાનો કૃતિ વિશે કશુંક વિશેષ રૂપે કહે છે, એટલે કૃતિને લગતાં વર્ણનાત્મક વિધાનોથી તે ભિન્ન કોટિનાં સંભવે છે. બીજું, વિવેચનની ભાષા હવે ‘પૃથક્કરણાત્મક’ બનવી જોઈએ એ સાચું, પણ એ ‘પૃથક્કરણ’ વ્યાપાર અંગે તેઓ જે ખ્યાલ બાંધે છે તેમાં ‘એકેએક ઘટક તત્ત્વનો અન્ય સાથે અને કૃતિના કેન્દ્ર સાથેનો સંબંધ’ સ્થાપવાની અપેક્ષા છે, અને એ તો રચનાત્મક વ્યાપારને ય સમાવી લે છે. વિવેચ્ય કૃતિમાં ‘કેન્દ્ર’ જેવું કોઈ તત્ત્વ પકડવું અને સર્વ ઘટકોને તેની સાથે સંબંધમાં બતાવવાં એ આખી પ્રવૃત્તિ ‘પૃથક્‌-કૃત’ ઘટકોને પુનઃ સંયોજિત કરવાની છે. એમાં વિવેચક ઘણું ખરું અંતઃપ્રેરણાથી જ ‘કેન્દ્ર’ જેવું કશુંક ગૃહીત કરીને સમગ્રની રૂપરચના સમજવા પ્રવૃત્ત થતો હોય છે. મને લાગે છે કે વિવેચનમાં ઘટકોને ‘પૃથક્‌’ કરીને જોવામાં, તેના સંબંધો સ્થાપવામાં અને કેન્દ્ર સાથે સાંકળી બતાવવામાં અમુક સર્જનાત્મક કલ્પનાનો ખપ પડે જ છે. કળાકૃતિ કોઈ સ્થૂળ ભૌતિક પદાર્થ નથી. કોઈ ભૌતિક નિયમોની ખોજ એમાં અપેક્ષિત નથી. કૃતિનું હાર્દ પ્રકાશિત કરવાને વિવેચક પ્રવૃત્ત થાય છે ત્યારે તેનું રહસ્ય તેને અવગત થઈ ચૂક્યું હોય છે. પ્રશ્ન એ કે જે કંઈ રહસ્ય તેના ચિત્તમાં ઝબકી ગયું છે તેનું પૂર્ણ અખંડ રૂપ તે જે ભાષામાં પરિબદ્ધ છે તેમાંથી નિખરી આવે છે અને જે ક્ષણે તે પોતાની (પરિ) ભાષામાં તેની વાત કરવા જાય છે ત્યારે, મૂળનું કશુંક ઊણું રહી જાય, તો અર્થઘટન-મૂલ્યાંકન રૂપે તેમાં કશુંક ઉમેરાય પણ, એવું બનતું હોય છે. અને ભાષાની ‘વ્યવસ્થા’નો પ્રશ્ન, અંતે તો, કૃતિના રહસ્યને ઝીલવામાં અને તેને વિશેના તાર્કિક પ્રતિપાદનમાં જે ભાષા ખપમાં લેવાય છે તેની સાર્થકતાનો છે.&lt;br /&gt;
ડૉ. શિરીષ પંચાલે વિવેચનની ભાષાની તાર્કિકતાનો પ્રશ્ન ય, અલબત્ત, અહીં ટૂંકમાં છેડ્યો છે. તેમનું વક્તવ્ય એ છે કે વિવેચકની ભાષામાં વારંવાર ‘વિરોધાભાસી વૈવિધ્ય’ જોવા મળે છે. એક કૃતિની ‘ખરાબ ટીકા’ કરવા પાછળ જે કારણ હોય તે જ કારણ બીજી કોઈ કૃતિની પ્રશંસાનું પ્રેરક બની રહે. રામનારાયણ પાઠકની વિવેચનામાંથી તેમણે એના સમર્થનમાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘વિશ્વગીતા’ની વિવેચનામાં નાનાલાલની ‘અમૂર્તમાં રાચવાની રીત’ની રામનારાયણે ટીકા કરી છે જ્યારે ‘સરસ્વતીચન્દ્ર’માં તેમને એમાંની ચર્ચાઓ સામે વાંધો નથી, બલકે એમાંનું ચિંતન ઇષ્ટ લાગે છે. ડૉ. શિરીષ એ વિશે એવી ટીકાટિપ્પણી કરે છે કે આવા પ્રસંગમાં ‘વિવેચનની પદ્ધતિ જવાબદાર’ છે, તેમનું (રામનારાયણનું) ‘પૂર્વગ્રહયુક્ત માનસ નહિ’; અને વિશેષમાં એમ કહે છે કે વિવેચનની ભાષામાં આ જાતનું વૈવિધ્ય ‘સાહિત્ય સ્વરૂપોના વૈવિધ્યને કારણે પણ’ સંભવે છે. વિવેચનની ભાષાની તાર્કિકતાનો આ મુદ્દો દેખાય છે તેટલો સરળ નથી. એકની એક કૃતિના મૂલ્યાંકનમાં, એની કળાત્મક સિદ્ધિનો ખુલાસો ભિન્ન ભિન્ન કસોટીએ આપવામાં આવતો હોય છે, તેમ એકની એક કૃતિની નિષ્ફળતા વિશે જુદી જુદી રીતે કારણો આપીને ખુલાસાઓ રજૂ થતા હોય છે. ‘સરસ્વતીચંદ્ર’ ‘ઝેર તો પીધાં છે’ ‘અમૃતા’ કે ‘આકાર’ જેવી કૃતિઓ વિશેનાં ભિન્ન ભિન્ન વિવેચકોનાં મંતવ્યો, પ્રતિપાદનો, તેની ભાષાની તાર્કિકતા, બધું નિકટતાથી તપાસવા જેવું છે. એક કૃતિ વિશે એક ધોરણ લક્ષમાં લઈ એક વિવેચક તેનું ગૌરવ કરે તેની કળાત્મક સિદ્ધિ બિરદાવે, એ જ કૃતિ વિશે બીજો વિવેચક બીજું ધોરણ આગળ ધરી તેની ઊણપ બતાવે – એવું વિવેચનના ઇતિહાસમાં વારંવાર બનતું રહ્યું છે. એટલે પ્રશ્ન છેવટે કૃતિવિવેચન અર્થે આ કે તે ધોરણોની પ્રસ્તુતતાનો બને છે.&lt;br /&gt;
કૃતિવિવેચનમાં યોજાતી પરિભાષા કેવળ ‘સાહિત્યિક’ જ હોય એમ પણ અભિપ્રેત નથી, જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓનો એમાં યથાવકાશ વિનિયોગ ભલે થાય, પણ એ રીતે વિવેચનામાં અમુક વિચારવલણોનો પ્રવેશ થાય અને તે ‘સંકુચિત’ બને તે ઇષ્ટ નથી. ડૉ. શિરીષ એમ સ્પષ્ટ કરવા ચાહે છે કે જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રની જે કોઈ પરિભાષા વિવેચનમાં સ્વીકારાય તેમાં તેના વિશિષ્ટ ક્ષેત્રનો ‘આગવો સન્દર્ભ’ ભૂંસાઈ જઈને ‘સાહિત્યિક સંદર્ભ’ પ્રગટવો જોઈએ. તેમનું તાત્પર્ય કદાચ એ છે કે સમાજવિજ્ઞાન મનોવિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનની પરિભાષા કૃતિના વર્ણન-વિવેચનમાં યોજાય તો તે હાર્દને વ્યક્ત કરવામાં ઉપકારક બને એ જરૂરી છે, અને એ રીતે એના અર્થવિકાસનીય અપેક્ષા રહે છે. એથી ઊલટું, આવી પરિભાષાનો ચુસ્તપણે વિનિયોગ કરતાં તે મૂળના રહસ્યને રુંધી દેશે કે સીમિત કરશે. આ તેમનો મુદ્દો ધ્યાનાર્હ છે જ. પણ સાથે નોંધવું જોઈએ કે કોઈ પણ કૃતિના વિવેચનમાં જ્ઞાનવિજ્ઞાનની પરિભાષાઓના વિનિયોગ સાથે કૃતિના રહસ્યમાં નવું પરિમાણ ઊભું થાય છે. જેમ કે, રાજેન્દ્ર શાહ કે મકરંદની અમુક રચનામાં જે સંવેદન વ્યક્ત થયું છે તેમાં ‘રહસ્યવાદ’નું તત્ત્વ ભળ્યું છે કે રહસ્યવાદી વલણ છતું થાય છે એમ કહેતાં પ્રસ્તુત કૃતિના ‘અર્થ’માં એક નવું પરિમાણ નથી ઉમેરાતું? અથવા ‘અમૃતા’નાં પાત્રો ‘અસ્તિત્વવાદી’ વિચારણાથી પ્રેરિત છે એવા નિરીક્ષણ સાથે કૃતિના અર્થમાં એક નવો પ્રકાશ નથી ઉમેરાતો? મને એમ લાગે છે કે અજ્ઞાત (unconscious) કે સામૂહિક અવચેતન (collective unconscious) જેવી માનસશાસ્ત્રીય સંજ્ઞાઓ, ‘સામાજિક સંઘર્ષ’ કે ‘સામાજિક પ્રક્રિયા’ જેવી સમાજશાસ્ત્રીય સંજ્ઞાઓ ‘અસ્તિત્વવાદ’ ‘પરાયાપણું’ ‘સ્વાતંત્ર્ય’ ‘પસંદગી’ જેવી આધુનિક ફિલસૂફીની સંજ્ઞાઓ વિવેચનમાં સ્વીકારાય છે તે સાથે કૃતિના અર્થબોધને ચોક્કસ નવો પરિપ્રેક્ષ્ય મળે છે.’ ‘હેમ્લેટ’ના મુખ્ય પાત્ર હેમ્લેટમાં ઇડિપસ ગ્રંથિના ખ્યાલ દ્વારા જે પરીક્ષણ થયું તેથી એ આખાયે નાટકને નવું અર્થપરિમાણ મળ્યું એટલે અન્ય વિજ્ઞાનની ભાષા કૃતિવિવેચનમાં આવે ત્યારે તે કૃતિના અર્થમાં સર્વથા ‘સમાઈ’ જતી નથી, પોતે જે ક્ષેત્રમાંથી આવી છે તેનો અર્થબોધ ઉમેરાતાં કૃતિને વિશેષ પરિમાણ અર્પે છે, એમ મને લાગે છે.&lt;br /&gt;
વિવેચક પોતાના ‘વ્યક્તિત્વ’નું વિવેચનમાં આક્રમણ કરે તેની સામે ડૉ. શિરીષે સાવધાની ઉચ્ચારી છે. વિવેચનની ભાષામાં ‘અંગત પ્રતિભાવ’ જોડાતો હોવાથી અમુક અંશે એમાં ‘શૈલી’ ‘અલંકાર’ને અવકાશ રહે છે ખરો, પણ કૃતિ વિશેનો સૂક્ષ્મ પ્રતિભાવ તેનાથી ઢંકાઈ જાય કે પછી વિચારોનું દારિદ્ર્ય છુપાવવા જ અલંકારો યોજાય, તો તે ત્યાં હાનિકારક છે. તેઓ કહે છે કે ‘કોઈ વિવેચકની પદ્ધતિમાં રહેલાં અતાર્કિકતા, માપદંડોની અસંગતિ, વિરોધાભાસનું કારણ વિવેચકની ભાષામાં કોઈ (nucleus) ના અભાવમાં રહેલું છે.’ વિવેચનની ભાષાના કેન્દ્રમાં સર્વપ્રથમ ‘ભાષા દ્વારા રચાયેલી કૃતિ’ હોવી જોઈએ. અર્થાત્‌ કૃતિ સ્વયં તેની નિર્ધારક હોય એ મહત્ત્વનું છે. તેઓ એ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે કે ઉત્તમોત્તમ સાહિત્ય કૃતિઓને નજરમાં રાખીને વિવેચકે ચાલવાનું છે. આ રીતે અન્ય ભાષાની (કે પોતાની ભાષાની) ઉત્તમ અને સામાન્ય કૃતિઓ વચ્ચે વિવેક કરીને ચાલશે તો તેમાં તેની ‘ભાષાની વ્યવસ્થા’ પણ નીપજી આવશે.&lt;br /&gt;
વિવેચનના આધુનિકતમ અભિગમો વિશે પણ ડૉ. શિરીષ પંચાલ સંનિષ્ઠભાવે અધ્યયન કરી રહ્યા છે. ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’ લેખમાં નવ્ય વિવેચનની આવશ્યક ભૂમિકા રજૂ કરી તેના અનુસંધાનમાં ચૈતન્યલક્ષી, રશિયન સ્વરૂપવાદી, સંરચનાવાદી અને વિઘટનવાદીઓની મુખ્ય મુખ્ય વિચારણા સંક્ષેપમાં સુપેરે તેમણે મૂકી આપી છે. આ દિશાની આપણી વિવેચનમીમાંસામાં એ ઘણો મહત્ત્વનો લેખ છે. વિશદ નિરૂપણને કારણે એનું આગવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. ‘સાહિત્યનો મૃત્યુઘંટ’ લેખમાં ય પાશ્ચાત્ય વિવેચનવિચારમાં અને વ્યાપકપણે ત્યાંના સાંસ્કૃતિક/દાર્શનિક ચિંતનમાં જે કટોકટી ઊભી થઈ છે તેનું એક સરસ ચિત્ર રજૂ કર્યું છે.&lt;br /&gt;
‘છેલ્લા દાયકાનું વિવેચન’ તેમનો એક બીજો ઘણો મહત્ત્વપૂર્ણ લેખ છે. આધુનિકતાવાદના પ્રભાવ નીચે આપણે ત્યાં સર્જનવિવેચનના ક્ષેત્રે જે નવાં વલણો સક્રિય બન્યાં તેની અને વિવેચનના નવા અભિગમોની તેમણે એમાં સંગીન અધ્યયનલક્ષી ચર્ચા કરી છે. સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદ અને રૂપવાદી વિવેચનની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી પરંપરાગત વિવેચનવિચારની સામે તેની પ્રતિષ્ઠા કરી છે, અને ગુજરાતીના અભ્યાસીઓએ ચર્ચેલા વિવેચનાત્મક મુદ્દાઓની સૂક્ષ્મ દૃષ્ટિએ ફેરતપાસ પણ હાથ ધરી છે. રૂપવાદી અભિગમ પછી બંધારણવાદી ચૈતન્યવાદી અને તુલનાત્મક અભિગમ જે રીતે આપણે ત્યાં ચર્ચાવા લાગ્યો છે. તેની ય તેમણે સમીક્ષાત્મક નોંધ લીધી છે.&lt;br /&gt;
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્‌ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે.&lt;br /&gt;
૧૦&lt;br /&gt;
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે.&lt;br /&gt;
આરંભથી જ ડૉ. ચન્દ્રકાન્તે કવિતાની આગવી વિભાવના રચવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિતા એ ‘ભાષાની કલા’ છે. સર્જક કવિ ભાષાની સાથે કામ પાડે છે અને ‘નવી ભાષા’ જન્માવે છે. સાહિત્યના આસ્વાદમાં આથી ‘ભાષાસંવેદન’ જ મુખ્ય વસ્તુ છે. આગલા યુગોમાં કવિતાએ લગભગ હંમેશાં જ્ઞાનવિજ્ઞાન કે વિચારોના વાહન તરીકેનું કામ આપ્યું છે. કહો કે ફિલસૂફી અધ્યાત્મવિચાર સમાજદર્શન કે બીજા કોઈ પણ તત્ત્વબોધને ઝીલવા કવિતાએ ‘માધ્યમ’ તરીકે (કે ‘સાધન’ તરીકે) જ કામ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ એમાં કાવ્યભાષા પણ કવિને પૂર્વજ્ઞાત અને ઇષ્ટ એવા વિચાર કે દર્શનના વર્ણન અર્થે પ્રયોજાતી રહી છે. અને એ સમયના ભાવકો/વિવેચકો પણ એવી કૃતિઓમાંથી ઘણું ખરું તો કવિના વિચાર કે દર્શનને પકડવા આતુર રહેતા જણાશે. કવિના ભાષાકર્મનો અને તેમાં જ નિહિત રહેલા ‘ભાષાસંવેદન’નો તેમને ખાસ સંપર્ક નહોતો. એટલે, પરંપરાગત અધ્યયન/વિવેચનમાં કવિકર્મ જે રીતે ભાષા દ્વારા અને ભાષાની અંતર્ગત ચાલે છે તે પ્રક્રિયા વિશે તેમની સભાનતા કેળવાઈ નહોતી. સર્જક જો પોતાના વિચારોને ભાષામાં માત્ર ‘અનુવાદ’ કરીને ચાલતો, તો ભાવક એ ‘અનુ-વાદ‘માં મૂળના એ વિચારને પકડવા પૂરતો પ્રવૃત્ત થતો. ડૉ. ટોપીવાળાએ પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશેના પોતાના અધ્યયન-પરિશીલનમાંથી અસંખ્ય અવતરણો આપીને પોતાનો આ જાતનો મુદ્દો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સર્જન-વિવેચનના તત્ત્વવિચારમાં આ રીતે તેઓ ભાષાને કેન્દ્રમાં આણે છે. કવિ ‘ભાષામાં’ વ્યવહાર કરતો નથી, ‘ભાષા સાથે’ વ્યવહાર કરે છે એમ તેઓ કહે છે. સંસ્કૃતિને વશ રહેલી કે તેનાથી નિયંત્રિત થયેલી ભાષા સામે કવિનો વિદ્રોહ છે, સંગ્રામ છે. વ્યવહારમાં નિરંતર વપરાશથી લપટી અને નિશ્ચેષ્ટ બની ગયેલી ભાષાની જડ તરાહોને – તેની સ્થિતિચુસ્તતાને – કવિ તોડવા મથે છે, અને એ રીતે રૂઢ ભાષા સામે વિદ્રોહ કરીને તે નવીન કોટિનો ‘અર્થ’ કે નવીન ચેતના જન્માવે છે. સર્જકતા વિશેનો તેમનો આ ખ્યાલ, અલબત્ત, આત્યંતિક વલણોમાં છતો થાય છે. કવિ ‘અનુભવ’ને ‘શબ્દાવવા’ નથી માગતો, ‘શબ્દને અનુભાવવા’ માગે છે એમ પણ તેઓ કહે છે. અહીં કોઈ ઘટનાને શબ્દ સુધી પહોંચાડવાનો પ્રશ્ન નથી, શબ્દ સ્વયં ‘ઘટના’ બની રહે એમ તેમને અભિપ્રેત છે. તાત્પર્ય કે, શબ્દ હવે પૂર્વબોધિત વિચાર કે વિભાવની અવેજીમાં આવતો નથી, તે સ્વયં ઘટનારૂપે આત્મપ્રતિષ્ઠિત છે. વ્યવહારની ભાષામાં જો ‘પ્રાથમિક સર્જકતા’નું તત્ત્વ સ્વીકારીએ તો કવિ એમાં ‘દ્વૈતીયિક સર્જકતા’ રચે છે; વ્યક્તિ-વિશિષ્ટ એવું રૂપ તેમાં નિર્માણ કરે છે. ‘સાચી ભાષા’ તે આ કવિનિર્મિત ભાષા જ છે એમ તેમનું કહેવું છે. કાવ્યનિર્માણની પ્રક્રિયા વિશે વધુ સ્પષ્ટીકરણ કરતાં તેઓ એમ કહે છે કે કવિએ ભાષાના ‘ત્રણ કોઠાઓ’ને ઓળંગી જવાના રહે છે. એક, રોજિંદા વ્યવહારની ભાષા; બે, પોતાની ભાષામાં લખતા અન્ય સાહિત્યકારોએ ખેડેલી ભાષા; અને ત્રણ, કવિએ પોતે જ પોતાની પૂર્વકાલીન કૃતિઓમાં પ્રયોજેલી ભાષા. એ ત્રણેનાં માળખાંને તોડીને વિઘટિત કરીને તે જાણે કે નવું જ માળખું – નવું જ સંઘટન – નિર્માણ કરે છે. દરેક કાવ્ય એ રીતે ભાષાના પુનર્વિધાન દ્વારા નિર્માણ થયેલી નવી ભાષા અને નવું તંત્ર છે. વ્યવહારમાં પ્રયોજાતા functional proseથી એની ઊલટી દિશાની ગતિ છે. અર્થની સંકુલતાઓ અને સંદિગ્ધતાઓનું એમાં અપાર મૂલ્ય છે. શબ્દો હવે બહારની દુનિયાના નિર્દેશક મટી અંદર વળે છે, અંતઃનિર્દેશક બને છે. વ્યવહારની ભાષાનું ખરેખર આ ઘણું ‘ઘનીભૂત‘ રૂપ છે. ‘તાર્કિક વિધાનો’ અને ‘તાર્કિક અર્થો’નો એમાં લોપ થયો છે. એમાં જો કોઈ ‘અર્થ’ પ્રતીત થાય છે, તો તે ભિન્ન કોટિનો સંભવે છે. ખરું મૂલ્ય, આમ છતાં, એને જન્માવનાર કાવ્યભાષાનું છે. ભાવકે/વિવેચકે કવિતામાં આ ભાષાકર્મને અને તેમાં સંયુક્ત ‘ભાષાસંવેદન’ને આસ્વાદનું છે. તેનું જ વર્ણન-વિશ્લેષણ રજૂ કરવાનું છે.&lt;br /&gt;
‘અપરિચિત અ અપરિચિત બ’માં ઉમાશંકર રાજેન્દ્ર મકરંદ ઉશનસ્‌ સુરેશ દલાલ લાભશંકર મહેશ દવે રાવજી આદિ કવિઓની કવિતા વિશે સમીક્ષા રૂપે જે કંઈ ચર્ચા કરી છે તેમાં એ દરેકની ભાષાના સર્જનાત્મક આવિષ્કારો પર તેમની વિશેષ નજર મંડાયેલી છે. ભાષાકર્મની સૂક્ષ્મ તપાસ દ્વારા કૃતિના સાચા કાવ્યમય અંશોની કે કૃતક પદાવલિની નોંધ કરી તેનું મૂલ્યાંકન કરવા તેઓ પ્રેરાયા છે. આપણા કૃતિવિવેચનના ઇતિહાસમાં આ એક ધ્યાનપાત્ર એવું પ્રસ્થાન રહ્યું છે.&lt;br /&gt;
‘પ્રતિ–ભાષાનું કવચ’ ગ્રંથમાં તેમણે કાવ્યચર્ચાનાં જે લખાણો રજૂ કર્યાં છે તેમાં ભાષાલક્ષી અભિગમ વધુ વ્યવસ્થિત અને નક્કર રૂપ લેતો લાગે છે. જો કે ‘પરાવ્યક્તિ અને સંદિગ્ધતા’ જેવા લખાણમાં કેટલીક વિચારણા વિવાદ જગાડી શકે તેવી છે. પણ અહીં એવા વિવાદમાં રોકાઈશું નહિ. માત્ર વિવેચનના સ્વરૂપ અને પદ્ધતિના પ્રશ્ને એક બે બાબતોનો નિર્દેશ કરીશું. એક, આ ગ્રંથમાં ઉમાશંકર આદિ કવિઓની દરેકની એક એક કૃતિ લઈને તેમણે તેનું વ્યવસ્થિત વર્ણન-વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધીના આપણા કાવ્યાસ્વાદો વધુ તો અંગત છાપ પર નિર્ભર હતા, પ્રભાવરૂપ (impressionistic) હતા. ડૉ. ટોપીવાલા કૃતિની ભાષાની તપાસ દ્વારા એની વસ્તુલક્ષી ભૂમિકા દર્શાવે છે. બે, આ જાતના વર્ણન–વિશ્લેષણની સાથે (કે અંતે) કૃતિના મૂલ્યાંકનનો તેમણે કોઈ ઉપક્રમ સ્વીકાર્યો નથી. ભાષાલક્ષી તપાસ અર્થે ય વિવેચકે આ કે તે સિદ્ધાંત સ્વીકારવાનો રહે છે. પણ મૂળ પ્રશ્ન જુદો છે. આ જાતની તપાસ કૃતિમાં genuine poetryની ખાતરી કરાવી શકે? કૃતિની ઉત્કૃષ્ટતા કે મહત્તાનો નિર્દેશ કરી શકે? પ્રશ્નો વિચારણીય રહે જ છે.&lt;br /&gt;
‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ શીર્ષકના લેખમાં ડૉ. ચન્દ્રકાન્તે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે જે નિજી ખ્યાલ રજૂ કર્યો છે તેની ય અહીં નોંધ લેવાની રહે છે. પોતાના મતની સ્થાપના કરતાં તેઓ એમ કહે છે કે આ સદીમાં વિશ્વયુદ્ધો પછી કાવ્યસર્જનની ગતિવૃત્તિ ઉત્તરોત્તર બદલાતી રહી છે. કવિતા હવે ‘મૂલ્યભાર’માંથી મુક્ત થઈ ‘પ્રતિ-મૂલ્યો’ તરફ વધી રહી છે. હવે કળાનિર્માણ-સર્જકતા-નું સાર્વભૌમત્વ સ્વીકારાતું જાય છે. એ રીતે કવિતા પરમ મૂલ્ય તરીકે પ્રતિષ્ઠિત થતી રહી છે. કળાકૃતિ સ્વયં એક સ્વાયત્ત આત્મનિર્ભર અને અનન્ય પર તેમજ ‘નિરર્થક’ વસ્તુ બની રહી છે. આ કલાની અવેજીમાં બીજી કોઈ વસ્તુ આવી શકે નહિ. કળાકૃતિનો ‘અપરોક્ષ સંનિકર્ષ (violent immediacy)’ એ સમગ્ર ‘સર્જન ભાવન વ્યાપારના કેન્દ્રમાં’ આવ્યો છે. તેમના મતે આ ‘અપરોક્ષ સંનિકર્ષે શુદ્ધ કળાનો મહિમા કર્યો છે, અને એ રીતે એને ‘મુક્તિવાદ’ (Libertarianism) તરફ વાળી છે.&lt;br /&gt;
ડૉ. ચન્દ્રકાન્ત એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે કલાસર્જનની ગતિવિધિ જો આ રીતે બદલાઈ હોઈ તો તેની સાથોસાથ ‘વિવેચનના સંપ્રત્યયો’ પણ બદલવાના રહે છે. અને વિવેચન આમ જો ન કરી શકે તો આખીય એ પ્રવૃત્તિ જ વ્યર્થ નીવડશે. તેઓ આપણું ધ્યાન દોરે છે કે શુદ્ધ કળાના વાદીઓ, આથી જ, વિવેચનનો બહિષ્કાર કરવા પ્રેરાયા છે. વિવેચનની પ્રવૃત્તિ કૃતિના પ્રત્યક્ષ સંવેદનમાં અંતરાયરૂપ બને છે એમ તેમનું કહેવું છે. અત્યાર સુધી વિવેચને કળાતત્ત્વની-રમણીયતાની-ઉપેક્ષા કરીને કેવળ નૈતિક સામાજિક મનોવૈજ્ઞાનિક કે આધ્યાત્મિક અર્થો શોધવાની અને/અથવા એ રીતે અર્થઘટનો કરવાની પ્રવૃત્તિ કરી છે. પણ કૃતિનો કૃતિલક્ષી વિચાર કરવાનું ટાળ્યું છે કૃતિની સંઘટનામાંથી ઉત્ક્રાંતિ થઈ આવતા વિશિષ્ટ સંવેદનને પામવાને બદલે કૃતિની આસપાસ ઘૂમતા રહેવાનું વલણ આપણા વિવેચકોએ દાખવ્યું છે. પણ વિવેચને જો કૃતિની આસપાસ ઘૂમવાનું જ કર્યું હોય તો વિવેચકનો કાંકરો કાઢી નાખવામાં આવે તેમાં કશું અઘટિત થતું નથી એમ તેઓ કહે છે. તાત્પર્ય કે, ‘શુદ્ધ કળા’ આજે જે રીતે ગતિ કરી રહી છે તેને આજના વિવેચને અનુસરવાનું રહે છે. કૃતિગત સંવેદનાને હવે તેણે કેન્દ્રમાં સ્થાપવાની રહે છે. વિવેચકે કૃતિ સાથેના પોતાના સીધા મુકાબલાનો આલેખ આપવાનો છે. વિવેચનપ્રવૃત્તિ હવે અન્યને ઉદ્દેશીને કે અન્યને અર્થે નહિ, પોતાને અર્થે ચલાવવાની છે, જાત સાથેની એક રીતની એ ‘મથામણ’ છે, ‘આત્મલક્ષી પ્રક્રિયા’ છે. કૃતિના મુકાબલા સાથે પોતાનામાં સર્જાતી sensibilityને તે કેવી રીતે ઓળખે છે, તેનું જ મહત્ત્વ છે. શુદ્ધ વિવેચન એ રીતે જ સંભવે છે. પણ, ડૉ. ચંદ્રકાન્તની વાત પહેલી નજરે સાચી, છતાં પ્રશ્નો જગાડે જ છે. દોસ્તોએવ્સ્કી, એલિયટ કે કામૂની કૃતિનો મુકાબલો કરતાં જે સંકુલ ‘સંવેદન’ ભાવક/વિવેચક અનુભવે છે તેમાં ‘અર્થો’ અને ‘મૂલ્યો’ની અમુક ભાત પડેલી છે, અને બહારના વિશ્વના આપણા અનુભવો અર્થબોધો (કે અર્થબોધની મથામણો) અને મૂલ્યકટોકટીઓ તરફ તેનો સંકેત છે, તેમાં કશોક આપણા અનુભવના રહસ્યનો જીવંત ધબકાર પ્રતીત થાય છે. એટલે ભાવક/વિવેચક એમાં કૃતિના સંવેદનને (કે પોતાની sensibility)ને તાગી જોતાં આવી પ્રતીતિ અનુભવે છે, તો તેનો છેદ ઊડાડી શકાશે? કૃતિમાં – કૃતિ દ્વારા – કશુંક બાહ્ય જીવનનું તત્ત્વ પ્રકાશિત થતું અનુભવાય, તો તેનો અસ્વીકાર કરવો?&lt;br /&gt;
‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અવાસ્તવ’ એ ડૉ. ચન્દ્રકાન્તનો એક મહત્ત્વપૂર્ણ અધ્યયનલેખ છે. જાણીતા પાશ્ચાત્ય અભ્યાસી રોલાં બાર્થની વિવેચનવિચારણાનો અહીં તેમણે સુપેરે પરિચય કરાવ્યો છે. એમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે : &lt;br /&gt;
૧. 	સાહિત્ય ભાષા દ્વારા પ્રગટ થાય છે, એમ નહિ, ખરેખર તો ભાષા સ્વયં સાહિત્ય દ્વારા પ્રગટ થાય છે. બાર્થ આ રીતે આપણને ઉત્કટપણે ભાષાના માધ્યમ વિશે સભાન બનાવવા ચાહે છે.&lt;br /&gt;
૨. 	લેખન એ માત્ર ‘સંકેતોની વ્યવસ્થા છે’. એક રીતે એ ‘કૃત્રિમ સંકેતોની વ્યવસ્થા છે’. સાહિત્યનું આવી કોઈ વ્યવસ્થાના રૂપમાં જન્મવું એનો અર્થ જ એ કે એનું સ્વરૂપ જીવનથી જુદું છે.&lt;br /&gt;
૩. 	‘સાહિત્ય અંતરસ્થ સંબદ્ધ સંકેતોની વ્યવસ્થા હોવાથી’ સાહિત્યનો અર્થ જે જન્મે છે તે સંકેતોની પાછળ રહેલા વાસ્તવિક જીવનના ખરેખરા પદાર્થોના નિર્દેશોથી નહિ, પરંતુ સંકેતો જેનાથી રચાયા હોય એની સામગ્રીની ભિન્નતામાંથી જન્મે છે.&lt;br /&gt;
૪. 	‘સાહિત્ય વિચારસંક્રમણનું માધ્યમ કે પૂર્વે વિચારીને પછી તૈયાર કરેલી સામગ્રી નથી. સાહિત્ય ખરેખર તો ભાષાથી કંઈ વિશેષ નથી. ભાષા જે સંકેતોની વ્યવસ્થા છે એનું અંતસ્તત્ત્વ ઉપદેશમાં સંદેશમાં કે નિશ્ચિત અર્થઘટનમાં નથી, પણ વ્યવસ્થામાં છે. સાહિત્યવિવેચકે આ વ્યવસ્થાને તપાસવાની છે. જેમ ભાષાવિજ્ઞાની વાક્યનો અર્થ નિષ્પન્ન કરતો નથી પણ વાક્યની જે સંરચના દ્વારા અર્થસંક્રમણ શક્ય બને છે તે સંરચનાને સ્થાપિત કરતો હોય છે; તેમ સાહિત્યવિવેચકે સંરચના સ્થાપિત કરવાની છે’૧૬૧&lt;br /&gt;
૫. 	સાહિત્યકૃતિઓને પોતાને કોઈ એક નિશ્ચિત અંતઃસ્થિત અને અપરિવર્ત્યશીલ અર્થ હોતો નથી. વિવેચક સામે કૃતિ એક ‘પ્રહેલિકા’ની જેમ આવી ઊભે છે અને એનો આગવી રીતે ઉકેલ શોધવાનો છે. જો કે એનો કોઈ એક નિશ્ચિત ઉકેલ હોતો નથી. માનવીને સ્વાતંત્ર્ય મળ્યું છે અને એટલે જ તે ભાષાની ઘટનાને જુદી જુદી રીતે ઘટાવી શકે છે.&lt;br /&gt;
૬. 	કૃતિમાં ત્રણ રીતની ‘અનંતતા’નો સામનો કરવાને બાર્થ સૂચવે છે. એક, વ્યવહારના ભાષાસાહિત્યના સંકેતો ‘ભાષાના આ સમુદ્રમાંથી’ સર્જક ખેંચતો હોય છે. બે, સંકેતો – જેને પોતાને કોઈ નિશ્ચિત સીમા હોતી નથી. ત્રણ, કૃતિ પોતે જે ‘આગળ પાછળ અને બહાર બધે એક સુવ્યવસ્થિત પ્રક્રિયા રૂપે વિસ્તરતી રહેતી હોય છે. આ સમગ્ર ઘટનાને લક્ષમાં લેતાં સ્પષ્ટ થશે કે એનો કોઈ નિશ્ચિત અર્થ સંભવતો જ નથી. ભાવક જે કંઈ ‘અર્થ’ એને અર્પે તે જ એનો અર્થ. વિવેચનમાં આ રીતે plurality of critical language જન્મે છે.&lt;br /&gt;
૭. 	બાર્થના મત પ્રમાણે કૃતિની સંરચના નહિ, કૃતિની ‘વિવૃત્તતા’ને કારણે ભાવક એમાં જે સંરચના જૂએ છે તે મહત્ત્વની વસ્તુ છે. બાર્થ ખરેખર તો ‘સંરચના’ (structure) પર નહિ, ‘સંરચનાકરણ’ (structuration)ની પ્રક્રિયા પર જ બધો ભાર મૂકે છે. કૃતિનો ‘દેખીતો નક્કર ગર્ભભાગ’ બાર્થની દૃષ્ટિએ કેવળ ‘ખાલીપો’ છે. કૃતિ પહેલાં કશું હોતું નથી. તેમ કૃતિનો ખરેખર કોઈ ‘અર્થ’ સ્પષ્ટ કરવાનો નથી. કૃતિ વાચકને પોતાની રીતે જેટલું વધુ ‘પુનર્લેખન’ કરવાને અવકાશ આપે તેટલું તેનું વધુ મહત્ત્વ, સાહિત્ય તરીકે તે કૃતિ તેટલી ચઢિયાતી.&lt;br /&gt;
૮. સાહિત્યક્ષેત્રમાં હવે ભાવક કેન્દ્રમાં આવ્યો છે. તે હવે કૃતિનો ‘નિર્માતા’ બન્યો છે.&lt;br /&gt;
૯.	લેખકને પોતાની કૃતિ દ્વારા કશું ‘કહેવાનું’ હોતું નથી ભાષા સાથેનો ‘સાતત્યભર્યો સંઘર્ષ’ – ‘સર્જનશીલ સંઘર્ષ’ એ જ તેનું લેખકકર્મ.&lt;br /&gt;
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે.&lt;br /&gt;
૧૧&lt;br /&gt;
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે.&lt;br /&gt;
આપણા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીના સર્જનવિવેચનની ઊંડી સમગ્રલક્ષી તપાસ તેમણે પીએચ.ડી.ની ઉપાધિ માટેના મહાનિબંધમાં હાથ ધરી હતી, જે હવે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી તેમણે પ્રકાશિત કર્યો છે. સુવિદિત છે તેમ, સુરેશ જોષી દ્વારા આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં—સર્જન વિવેચન બંને ય ક્ષેત્રમાં–મોટા વળાંકો આરંભાયા, અને આપણા સાહિત્યના ઇતિહાસની એ એક અફર ઘટના બની રહે છે. એટલે તેમના સર્જનવિવેચનના અધ્યયનસંશોધનનું સહજ જ વિશેષ મૂલ્ય ઊભું થાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે : એ મહાનિબંધમાં ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ શીર્ષકના ખંડમાંનું અધ્યયન વિવરણ, સુરેશ જોષી દ્વારા પુરસ્કૃત રૂપવાદી કળામીમાંસા અને તેમાંથી ફલિત થતા રૂપવાદી વિવેચન (કે આકારવાદી વિવેચન)ને સમજવા ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રચી આપે છે. નોંધવું જોઈએ કે સુરેશ જોષીએ સાહિત્યકળા અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે સતત જે રીતે ચર્ચાવિચારણાઓ કરી તે લગભગ બધી જ છૂટક લેખોના રૂપમાં આવી છે તેમની મુખ્ય ભૂમિકા અલબત્ત રૂપવાદી કળા અને વિવેચનની છે. પણ તેઓ જેમ જેમ પશ્ચિમના વિવેચનના નવા નવા વાદો અને વિચારણાઓનો પરિચય કરતા અને કરાવતા ગયા, તેમ તેમ પોતાની મૂળ ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવા, નવી વિચારણાને પોતાની ભૂમિકા સાથે સાંકળી લેવા, તેમ તેની આલોચના કરવા તેઓ પ્રેરાયા છે. એમાં એ રીતે પુનરાવર્તન પણ ઠીક ઠીક થવા પામ્યું છે. આવી વેરવિખેર પડેલી ચર્ચાવિચારણાઓમાંથી સુરેશ જોષીને ઇષ્ટ એવી રૂપવાદી વિચારણાનું સમુચિત આકલન કરવાનું, તેમાંથી વ્યવસ્થિત સુગ્રથિત અને આંતરસંગતિવાળો સિદ્ધાંત રચવાનું તેમ જ તેના સૂચિતાર્થો સ્પષ્ટ કરવાનું કે ઘટાવવાનું મુશ્કેલ કાર્ય ડૉ. સુમન શાહને ફાળે આવ્યું હતું જે તેમણે સુપેરે પાર પાડ્યું છે, એમ કહી શકાય કે સુરેશ જોષીની હમણાં સુધીની (મતલબ, મહાનિબંધ લખાઈ ચૂક્યો ત્યાં સુધીની) વિચારણાઓ પાછળ જે રીતનું aesthetics રહ્યું હતું તેને સમગ્રમાં જોવાને આ ખંડનું અધ્યયન-સંશોધન ઘણું દ્યોતક બની રહે છે. રૂપલક્ષી કળા અને રૂપલક્ષી વિવેચન વિશેની આ તપાસમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયા છે, તેની વિસ્તૃત નોંધ લેવાને અહીં અવકાશ નથી. અને આમેય સુરેશ જોષી વિશેના ખંડકમાં તેમની મુખ્ય ભૂમિકા આપણે સ્પર્શી ચૂક્યા છે, એ કારણે ય અહીં તેનું પુનરાવર્તન કરીશું નહિ. અહીં એટલું જ સૂચવીશું કે સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદી અભિગમ વિશે તેમ જ તેમણે ચર્ચેલા અન્ય અભિગમો અને તેના પ્રશ્નો વિશે ડૉ. સુમન શાહે અહીં સરસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.&lt;br /&gt;
‘વિવેચનનું અનિવાર્ય’ લેખની ચર્ચામાં ડૉ. સુમન શાહ ‘સ્વતંત્ર રીતે... વિવેચનકર્મનું અસ્તિત્વ ધારણ કરનારી અનિવાર્ય ભોંય’ની તપાસ કરવા પ્રવૃત્ત થયા છે. પ્રસ્તુત વિષયની પાશ્ચાત્ય ચર્ચાનું એમાં સ્પષ્ટ અનુસંધાન રહ્યું છે. એમાં સહૃદય ભાવક માટે સાહિત્યકૃતિના ‘વૈયક્તિક ભાવન’ પર તેમણે વિશેષ ભાર મૂક્યો છે : “કળાકૃતિ વિશેની કશી પણ વાતના મૂળમાં, કેન્દ્રમાં, આવું વૈયક્તિક ભાવન હોવું અનિવાર્ય છે. વિવેચન મૂલ્યાંકન કે ચર્ચામીમાંસાનું એ જ બીજ છે, જીવાતુભૂત તત્ત્વ છે.”૧૬૨ તેમની આ ભૂમિકા બિલકુલ સાચી અને સ્વીકાર્ય છે. ડૉ. સુમન આપણી વર્તમાન વિવેચનપ્રવૃત્તિને નજરમાં રાખી એવું અવલોકન કરવા પ્રેરાયા છે કે કૃતિ સાથેના ‘જીવંત સંનિકર્ષમાંથી’ જન્મી આવતા રસબોધને સ્થાને ઘણી ય વાર પરિભાષાઓની જટાજાળ જોવા મળે છે. વિવેચનમાં સાહિત્ય વિષયક ‘પાંડિત્ય’ને અમુક હદ સુધી જ સ્થાન હોય, એમ તેમનું કહેવું છે. ખરી અનિવાર્યતા કૃતિ વિશેની સૂક્ષ્મતર સંવેદના ઝીલવાની છે. કેવળ સૈદ્ધાંતિક વિવેચનના વિનિયોગ દ્વારા – પરિભાષાઓના ઉપયોગ દ્વારા - કૃતિને તે ન્યાય કરી શકશે નહિ. આપણા પ્રાચીન સાહિત્યાચાર્યોએ ‘સહૃદય’નું જે રીતે અનન્ય મહત્ત્વ કર્યું છે તે તરફ તેઓ આપણું લક્ષ ખેંચે છે. “અલૌકિક આનંદાનુભવનો અધિકાર એક માત્ર સહૃદયને છે વિવેચનમાં મૂલસ્થ છે, મૌલિભૂત પણ છે.”૧૬૩ કાવ્યના ભાવન અર્થે આમ ભાવક પાસે પણ આગવી પ્રતિભા જોઈએ. ‘સહૃદયતાને’ વેદનશીલતા રૂપે ઘટાવી ડૉ. સુમન એમાં સમગ્રલક્ષી ક્રમિક વિકાસ – cumulative progress – હોવાનું નોંધે છે. દરેક કૃતિના ભાવનમાંથી સહૃદયની ‘વેદનશીલતા’ ‘સમૃદ્ધ કે સશક્ત’ થઈ ત્યારે જ કહેવાય, જ્યારે બીજી કળાકૃતિને પામવા એમાંથી નવું બળ નવી શક્તિ પ્રાપ્ત થાય. આપણા આચાર્યોએ સહૃદયતાના વિકાસ અર્થે કાવ્યાનુશીલન કરવાનું જરૂરી ગણ્યું છે, પણ એ કંઈ નીતિ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોની ખોજ કરવા ઝંખતું ‘બહુશ્રુતત્વ’ નથી. વિવેચન એ કંઈ આસ્વાદથી અળગી રીતે ચાલતી બહુશ્રુતતાની ખોજ નથી. કૃતિમાંથી પ્રાપ્ત થતો ‘શુદ્ધ વૈયક્તિક’ રસાનુભવ પોતે જ ‘કલાકીય મૂલ્યો’નો સ્રોત બને છે અને એનું જ તો ખરું મહત્ત્વ છે. ભાવકે, અલબત્ત, પોતાની આ વેદનશીલતાને ‘સુસજ્જ‘ બનાવવાની રહે. ભાવનની પ્રક્રિયા દરમિયાન એ વેદનશીલતા તેને માટે ‘દૃષ્ટિ’ અને ‘દર્પણ’ બંને બની રહેવાં જોઈએ.&lt;br /&gt;
વિવેચનવ્યાપાર, અલબત્ત, આ ભાવનથી જુદી વસ્તુ છે; જો કે વિવેચન અર્થે ભાવન સ્વયં ‘બીજ રૂપ’ છે, મૂળ ભૂમિકા રૂપ છે, અને એ રીતે જ એ અનિવાર્ય છે. બીજી રીતે, ‘ભાવન’ પૂર્ણતયા subjective છે, જ્યારે વિવેચનમાં વિવેચકે Objective બનવાનું છે. ડૉ. સુમન શાહ નોંધે છે કે આ Objective બનવાની ક્ષણે જ અપ્રસ્તુત એવા ઐતિહાસિક સંદર્ભમાં કે પરંપરાઓમાં કે પરિભાષાની જટાજાળમાં ભાવક ગૂંચવાઈ પડે એવો ભય રહ્યો છે. સાર્ત્રના કાર્યના એક સંદર્ભમાંથી તેઓ એવો નિષ્કર્ષ તારવી આપે છે કે “આદર્શ વિવેચન એ ભાવન અને વિભાવન વચ્ચે ઊભા થતા tensionનો જ નકશો હોય છે, આલેખ હોય છે.”૧૬૪ અર્થાત્‌ ‘ભાવન’માંથી વિભાવન બાંધવાની એક જે પ્રક્રિયા ચાલે છે તેમાં કશુંક dialectically વિકસતું આવે છે. આ જાતનું વિભાવન, તેઓ ઉમેરે છે કે, ત્રીજા જ વાચક માટે છે. એ રીતે એ ‘સપ્રયોજન’ પ્રવૃત્તિ છે. ડૉ. સુમન એવા મતના છે કે વિવેચનની ‘રીતિ’માં વિવેચકના આગવા વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવતી હોય છે. જો કે એમાં ‘શૈલી’નું નિર્માણ ભલે હોય, ‘પરિભાષા’નું ‘બંધન’ ન હોવું જોઈએ. તેમનું એમ કહેવું છે કે પારિભાષિક માળખું આદર્શ વિવેચનકર્મ માટે ઘણી વાર નકામું અને કાલગ્રસ્ત હોય છે. આદર્શ વિવેચનમાં પરિભાષા ઉત્ક્રાન્ત થતી હોય છે. એ હાથવગું સાધન, મદદકર્તૃ હોઈ શકે પણ એના અભાવમાં વિવેચક પંગુ ન બની જવો જોઈએ. કલાનુભવ જ એટલો બધો તરવરાટભર્યો, પ્રાણ ધબકતો હોય છે કે બોલનારની વાતમાં જ ભાષાને નવાં પરિમાણ ફૂટે. આ અર્થમાં પારિભાષિક સંજ્ઞાઓનું સશક્ત વિવેચનમાં સંમાર્જન સંવર્ધન થતું હોય છે અને ને ઉત્ક્રાન્તિ – ક્રમ સ્થપાતો હોય છે.”૧૬૫ ડૉ. સુમન શાહની આ વિચારણાનું તાત્પર્ય સમજવાનું મુશ્કેલ નથી. તેમને એમ સૂચવવું છે કે કૃતિના આસ્વાદ ભાવનની સૂક્ષ્મતમ છટાઓને છેવટે ભાષામાં ઝીલવાની છે; અને સંભવ એ છે કે પરિભાષાની જટાજાળ એની એ સર્વ સૂક્ષ્મતાઓ અને વિશિષ્ટતાઓને ઢાંકી દે. એટલે, પરિભાષાનો વિનિયોગ થાય ત્યારે પણ એનો ‘અર્થવિકાસ’ ભાવનના વર્ણનની સાથોસાથ થતો રહે એમ બનવું જોઈએ.&lt;br /&gt;
કૃતિ વિશેના વિવેચનમાં ખરેખર તો કૃતિ પોતે જ સાર્વભૌમ છે, સર્વેસર્વા છે, નહિ કે વિવેચનના સિદ્ધાંતો (કે તેમાં યોજાતી પરિભાષા). વિવેચનનું પરમ પ્રયોજન જ વિવેચ્ય કૃતિનું હાર્દ ખુલ્લું કરવાનું છે. વિવેચકની અંતિમ નિષ્ઠા કૃતિમાં જ હોય, હોવી જોઈએ. ડૉ. સુમને બીજો એક મુદ્દો એ છેડ્યો છે કે વિવેચક કંઈ કૃતિનો નિષ્ક્રિય ભોક્તા નથી જ. ભાવન દરમ્યાન તેણે કૃતિનું સક્રિયપણે પુનઃસર્જન કરવાનું છે. કલાકૃતિની ‘પૂર્ણતા રચી લેવી’ એ તેની જવાબદારી છે. જો કે ‘પૂર્ણતા’ રચવાની એ પ્રક્રિયામાં ભયસ્થાનો ઓછાં નથી. વિવેચક કૃતિને પોતાને જ ‘પૂર્ણતા’માં પામે છે કે કશુંક આત્મલક્ષી ઉમેરણ કે આરોપણ પોતાના તરફથી કરે છે એનો વિવેક કરવાનું કાર્ય અતિ નાજુક અને તેથી મુશ્કેલ છે.&lt;br /&gt;
પ્રસ્તુત લેખની ચર્ચામાં ડૉ. સુમન કળાકૃતિના આસ્વાદ ભાવનની પરિશુદ્ધિ પર સતત ભાર મૂકતા રહ્યા છે. વિવેચનમાં રૂઢ બનેલાં ધોરણો અને તેની પાછળનાં શાસ્ત્રો આદિના વિસ્તાર સામે તેઓ આથી સ્વાભાવિક રીતે જ વાંધો લેવા પ્રેરાયા છે ‘પરંપરાગત’ અને ‘ફૂલેલા ફાલેલા’ એ વિવેચનશાસ્ત્રની સામે તેમની ફરિયાદ છે. તેઓ કહેવા માગે છે કે એવાં ‘ધોરણો’ ‘શાસ્ત્રો’ ‘મૂલ્યો’ કે ‘ભાષ્યો’ ભાવકને કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં આવતાં રોકે છે. તેમનો આ ભય અલબત્ત, ખોટો નથી, એમ આપણે કહેવું જોઈએ, પણ સાથે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે ભાવનને જ્યાં વિભાવન રૂપે મૂકવા વિવેચક પ્રવૃત્ત થાય છે – અને ભાવનના વિભાવનની વાત તેમણે સ્વીકારી છે – ત્યાં જાણ્યેઅજાણ્યે ય કોઈક સિદ્ધાંત કોઈક ધોરણ કે મૂલ્યબોધ અનુસ્યૂત રહ્યો હોય છે. વિવેચનનું વિધાન વર્ણનાત્મક હોય, અર્થઘટનાત્મક હોય કે મૂલ્યવાચક હોય, તેની પાછળ ઘણું ખરું કોઈક principle નિયામકતત્ત્વ તરીકે પ્રચ્છન્નપણે કામ કરતો હોય છે. ડૉ. સુમને એવી સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો છે કે વિવેચક ભાવન પછી વિભાવનમાં રોકાય છે ત્યારે તે અમુક ‘એસ્થેટિક્સ’ને અનુસરતો હોય છે. પણ એ ‘એસ્થેટિક્સ’ તે પરંપરાગત સૌંદર્યમીમાંસાની વિચારસરણી કે કળાના અમુકતમુક ખ્યાલો નહિ, પણ કૃતિના ‘સમગ્ર structure અને આવશ્યક શિસ્તવાળી પોતાની વેદનશીલતાના મુકાબલામાં, એના tensionમાંથી જન્મેલી total patterns એસ્થેટિક’ છે એમ અર્થ લેવાનો છે. જો કે આપણે એ વિશે તરત કહી શકીએ કે tensionમાંથી ‘total pattern‘ નીપજાવવામાં કળાવિચારની અમુક કોટિઓ અને અમુક વિભાવનાઓનો વિનિયોગ હોવાનો જ. અનુભવ માત્રને-રસાનુભવને પણ અલૌકિક સ્તરનો અનુભવ કહ્યો છે – કોઈ પણ રીતે પેટર્નમાં ઢાળવાનો ઉપક્રમ કળાકીય કોટિઓ/વિભાવોની અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
‘નવ્ય વિવેચન પછી’ પુસ્તિકામાં ડૉ. સુમને ત્રીસીચાળીસીમાં પશ્ચિમના વિવેચનમાં વધુ તો અમેરિકામાં પ્રવર્તેલા ‘નવ્ય વિવેચન’ની સંક્ષિપ્ત ભૂમિકા બાંધી તેના અનુસંધાનમાં તે પછી જન્મેલા નવા વિવેચનાત્મક અભિગમોનો ટૂંકો અધ્યયનલક્ષી પરિચય આપ્યો છે. એમાં ભાષાલક્ષી, સંરચનાલક્ષી અને સંવિતલક્ષી અભિગમોની તેમણે જે રીતે છણાવટ કરી છે તેથી આ ક્ષેત્રની આપણી ચર્ચાવિચારણામાં એક મહત્ત્વનું પ્રકરણ ઉમેરાતું જણાશે. જો કે, કોઈ કોઈ સંદર્ભે એમાં વસ્તુવિચાર કંઈક ક્લિષ્ટ કે અસ્પષ્ટ રહી ગયો છે પણ એ સિવાય તેમની ચર્ચાવિકાસની ભૂમિકા સુગ્રાહ્ય છે. ‘નવ્ય વિવેચન’ના અનુસંધાનમાં, એ અભિગમની પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા દર્શાવાયેલી મર્યાદાઓ અને ઊણપો અને તેને અતિક્રમી જવાના તેમના પ્રયત્નોની ભૂમિકા સુપેરે મૂકી આપી છે. સાહિત્યવિવેચનનો ભાષાલક્ષી અભિગમ, એ વિશેનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પાશ્ચાત્ય દૃષ્ટિબિંદુઓને લક્ષમાં લઈને તેમણે સ્પષ્ટ કર્યો છે. એ જ રીતે ‘સંરચનાવાદ અને સાહિત્યવિવેચન’ ખંડની ચર્ચામાં સંરચનાવાદી અભિગમ વિશે તેમણે ઠીક ઠીક વિસ્તારથી અધ્યયનપૂત ચર્ચાઓ કરી છે અંતમાં આવા અભિગમના નિદર્શન લેખે કિશોર જાદવની ટૂંકી વાર્તા ‘લેબીરીન્થ’નું વર્ણન-વિશ્લેષણ રજૂ કર્યું છે. આ પુસ્તિકાનું પ્રકાશન એ રીતે આપણી વિવેચનમીમાંસાના વિકાસમાં મહત્ત્વનું અર્પણ બની રહે છે. સંરચનાવાદ વિશે ડૉ. સુમન સતત અધ્યયનમાં પ્રવૃત્ત થયા જણાય છે. પાછળથી આ વિશે તેમણે બીજો એક વિસ્તૃત અધ્યયનલેખ આપ્યો છે. &lt;br /&gt;
‘વિવેચનના ૨૫ મુદ્દાઓ’ શીર્ષકના એક તાજેતરના લખાણમાં વિવેચનના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિના મુદ્દાઓ મૂક્યા છે. એમાં ચર્ચા ખમી શકે તેવા મહત્ત્વના તાત્ત્વિક મુદ્દાઓ પડેલા છે.&lt;br /&gt;
‘વિવેચનની દિશા અને દશા’ની લેખશ્રેણીમાં આપણી વિવેચનાની ગતિવિધિઓને અવલોકવાનો નિજી કહી શકાય તેવો તેમનો દૃષ્ટિકોણ કામ કરી રહ્યો છે. આપણા વિવેચનના સર્વતોમુખી વિકાસની ઉદાત્ત ભાવના જ તેમને આપણી વર્તમાન પરિસ્થિતિનું કડક નિરીક્ષણ કરવા પ્રેરે છે.&lt;br /&gt;
“માકર્‌સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્‌સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્‌સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્‌સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે.&lt;br /&gt;
૧૨&lt;br /&gt;
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્‌ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે.&lt;br /&gt;
‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ એ પુસ્તક આઠ પ્રકરણમાં વહેંચાયું છે. પહેલું પ્રસ્તાવના રૂપ પ્રકરણ આ અભિગમનું મહત્ત્વ સ્પષ્ટ કરવાને રજૂ થયું છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે આપણે ત્યાં મોટા વળાંકો આવતા રહ્યા છે, સર્જનનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ એને મૂલવવાને આવશ્યક નવાં parameters આવ્યાં નથી એમ તેઓ કહે છે. તેમની એ વાતમાં ઘણું તથ્ય છે. વળી આપણે ત્યાં નવી કવિતા–સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતા—જે રીતે કવિચિત્તના અજ્ઞાત સ્તરનાં સંવેદનોને પ્રકટ કરતી થઈ, અને તેના અધ્યયન-વિવેચન અર્થે આ જાતના interdisciplinary approachની મોટી અનિવાર્યતા ઊભી થઈ ત્યારે પણ, આપણું વિવેચન એવે વખતે જરૂરી માળખું પૂરું પાડી શક્યું નથી એમ તેઓ કહે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : ‘કવિતાનું સીધુ સાદું મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કરેલું વિવરણ વધુ ફળદાયી નીવડી શકે એવું લાગે છે. મનોવિજ્ઞાનલક્ષી વિવેચનમાં આપણે શું હોવું જોઈએ – તેવાં મૂલ્યોની ચર્ચા કરી શકીએ નહીં. કારણ કે મનોવિજ્ઞાન કેટલેક અંશે descriptive છે, નહીં કે nomative, અમુક કવિતા સારી છે કે ખરાબ એવું વિધાન આવો વિવેચક કરી શકે નહીં.’ તો આપણે નોંધવાનું રહે છે કે આ રીતે આ અભિગમ સર્જક કે ભાવકચિત્તની ઘટનાઓ વિશે ખુલાસાઓ આપી શકે, પણ કૃતિની ઉચ્ચાવચતાનાં ધોરણો રચી આપી શકે નહિ. મનોવૈજ્ઞાનિક અભિગમથી કૃતિની તપાસ કરવામાં આવે ત્યારે પણ psychological explanation એ કૃતિના ‘અર્થ’નો આંશિક ખુલાસો જ બની શકે, સમગ્ર કૃતિનો રહસ્યબોધ એ નથી જ.&lt;br /&gt;
બીજા પ્રકરણનો વિષય ધ્યાનપાત્ર છે : સર્જનપ્રક્રિયા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, એમાં સર્જનને પ્રેરતાં માનસિક બળોનો –આવેગમુકિત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, લઘુતાગ્રંથિ સામે સંપૂર્તિ, પરપીડનવૃત્તિ, અનુકૂલન આદિનો – વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. એ ચર્ચામાં ફ્રોય્‌ડને અભિમત unconsciousનો ખ્યાલ પાયામાં રહ્યો છે. તેઓ દર્શાવે છે કે ગાંધીયુગની કવિતા (અને તેનાં પ્રતીકોય) ચેતન સ્તરની નીપજ હતી, જ્યારે એ પછીની કવિતા અચેતનની અભિવ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો, અગાઉની કવિતા ego કે super egoના સ્તરેથી આવતી હતી, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કવિતા id માંથી જન્મી છે. સંસ્કૃતિ નીતિમત્તા સદાચાર આદિના નિષેધોથી તે મુક્ત છે. મધુ કોઠારીનું આ અવલોકન ઘણે અંશે સ્વીકારી શકાય તેવું છે. પણ પૂરતાં દૃષ્ટાંતો લઈને તેમણે આ ચર્ચાને વિકસાવી નથી. પ્રકરણ ત્રીજામાં કવિનું વ્યક્તિત્વ અને ચોથામાં વિવેચકનું મનોવૈજ્ઞાનિક વિશ્વ, તેમણે આ જ રીતે અધ્યયનનો વિષય બનાવ્યું છે. અહીં પણ તેમનું અધ્યયન-ચિંતન પૂરતાં દૃષ્ટાંતોના અભાવે કંઈક ઊણું રહી જાય છે. પાંચમા પ્રકરણમાં ‘સાપ’ અને ‘શબ’ એ બે પ્રતીકોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવિમર્શ કર્યો છે. અહીં તેમણે દૃષ્ટાંતો ઘણાં લીધાં છે, પણ એ પ્રતીકો કવિચિત્તમાં કેવી રીતે બંધાવા પામે, અથવા કવિચિત્તની અમુક વૃત્તિઓ લાગણીઓ એમાં શી રીતે સાકાર થાય, શી રીતે આવું strange પ્રતીકાત્મક રૂપ લે – તે વિશે પૂરતો ખુલાસો આપ્યો નથી. યુંગનો archetypes – આદિમરૂપનો વિચાર છઠ્ઠા પ્રકરણમાં અને ‘સૂરજ’નો એક archetype તરીકેનો વિચાર સાતમામાં થયો છે. છેલ્લા આઠમા પ્રકરણમાં જયંત પાઠકની રચના ‘મૃત્યુ’નું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘રસદર્શન’ કરાવવાનો ઉપક્રમ છે. એકંદરે, મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રાથમિક પરિચય મેળવવાને આ પુસ્તક કામ આવે એવું છે.&lt;br /&gt;
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે.&lt;br /&gt;
૧૩&lt;br /&gt;
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે.&lt;br /&gt;
આ લખનારે પણ આ વિશે કેટલાંક લખાણો પ્રગટ કર્યાં છે તેનો નમ્રભાવે નિર્દેશ કરવાનો રહે. (૧) ‘વિવેચન’ની સંજ્ઞા વિશે (૨) ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ (૩) ‘આપણા સાહિત્યમાં પ્રકારલક્ષી વિવેચન’ (૪) ‘આકૃતિવાદ’ની ભૂમિકામાં (૫) ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ (૬) ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (૭) ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૮) ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ (૮) ‘આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ’ (૧૦) ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ – આ સર્વ સ્વતંત્ર રૂપના અધ્યયનલેખો છે. ઉપરાંત, રોલાં બાર્થ, જ્યોર્જ પુલે, જ્હોન લેચર, રેને વેલેક આદિ પાશ્ચાત્ય અભ્યાસીઓના આ વિશેના કેટલા મહત્ત્વપૂર્ણ લેખોના (કે તેના અમુક અંશોના) અનુવાદો પણ પ્રગટ કર્યા છે.&lt;br /&gt;
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/IV_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AA%B6%E0%AB%80%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87777</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/IV_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AA%B6%E0%AB%80%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87777"/>
		<updated>2025-04-27T08:16:14Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| IV. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી–મુનશી યુગ)|}}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચેથી રસલક્ષી સાહિત્યનાં બળવાન વલણો ત્યારે ગતિશીલ બને છે, અને કનૈયાલાલ મુનશી એ વળાંકની રેખા પર ઊભા છે. તેમની બહુમુખી પ્રતિભા, આમ તો, સાહિત્ય વકીલાત રાજકારણ વહીવટ કેળવણી આદિ વિભિન્ન ક્ષેત્રોમાં એકીસાથે સક્રિય બની છે. પણ અહીં આપણને તેમની સાહિત્યક્ષેત્રની અને વિશેષતઃ તેમની વિવેચનતત્ત્વવિચારની પ્રવૃત્તિ સાથે નિસ્બત છે. તેમણે વિવેચનના ક્ષેત્રમાં તે સમયે જે કેટલુંક કામ કરેલું, તે આજે કદાચ એટલું ગંભીરતાથી લેવાતું નથી; પણ સાહિત્ય કળા વિશે તેમજ વિવેચન વિશે જે જાતના ખ્યાલો તેમણે પ્રગટ કરેલા, તેનું આપણા સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની ચર્ચાવિચારણામાં તાત્ત્વિક મુશ્કેલીઓ આજે વરતાય, તેમની કળાદૃષ્ટિ અને રુચિની અમુક મર્યાદાઓ પણ એકદમ સ્પષ્ટપણે બતાવી શકાય, પણ આપણે સ્મરણમાં રાખવાનું છે કે આ સદીના આરંભે લલિત સાહિત્યની પ્રાણપ્રતિષ્ઠા કરનારા સર્જકો અને વિવેચકોમાં તેઓ સાચે જ એક અગ્રણી છે. આપણે અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીના બીજા ત્રીજા દાયકા સુધી ‘સાહિત્ય’ સંજ્ઞાનો અતિ વિશાળ અર્થ લેવામાં આવતો હતો. રસલક્ષી સાહિત્ય ઉપરાંત જ્ઞાનમૂલક કે બોધદાયી સર્વ સાહિત્ય એમાં સમાઈ જતું હતું. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી રમણભાઈ નીલકંઠે જે વ્યાખ્યાન રજૂ કરેલું, તેમાંયે ‘સાહિત્ય’ને આવા વિશાળ અર્થમાં લેવામાં આવ્યું છે. લોર્ડ મોર્લિ, હડસન, અને ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૧મી આવૃત્તિ, ‘સાહિત્ય’ અધિકરણના લેખક જેમ્સ કેલી) આદિની સાહિત્ય વિશેની વ્યાખ્યા નોંધી તેમણે સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય’ – એવું વિધાન કરી તેમાં થોડી સ્પષ્ટતા આણવાનો પ્રયત્ન ય કર્યો છે. “વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં ‘સાહિત્ય’ શબ્દ ઉત્પન્ન થાય.”૫૦ આમ, એ ચર્ચા વાણીની શિષ્ટ રજૂઆત પર આવીને અટકે છે. પણ બોધમૂલક સાહિત્યથી રસલક્ષી સાહિત્યની ભિન્નતા ત્યાં આંકી આપવામાં આવી નથી, તે સૂચક છે. વિજયરાય વૈદ્યના ‘સાહિત્ય’ શીર્ષકના લેખ(પ્રગટ થયો ૧૯૨૯)માં એવા ભેદ સ્પષ્ટ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય કે, બીજા ત્રીજા દાયકાના સાહિત્યવિચારમાં શુદ્ધ રસલક્ષી સાહિત્ય વિશેની અભિજ્ઞતા તીવ્ર બની આવી છે. અને એમાં કનૈયાલાલ મુનશીની ચર્ચાવિચારણાઓનું ય આગવું સ્થાન છે. તેમના મતે સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’ એ બે પ્રાણભૂત તત્ત્વો છે; અને સાહિત્યનું મુખ્ય પ્રયોજન ભાવકોને આનંદ આપવાનું છે, રસબોધ કરાવવાનું છે. જો કે પોતાના સાહિત્યમાં રસતત્ત્વની સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કરવાનું તેમનાથી ઓછું જ બન્યું છે, કળાકાર તરીકે કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ તેમનામાં ઊંડે રોપાયેલી છે, અને તેને અતિક્રમી જવાનું તેમનાથી ખાસ બન્યું નથી. પણ રસલક્ષી સાહિત્ય માટેની તેમની હિમાયત સાચી હતી. મુશ્કેલી એમાં એટલી જ કે સાહિત્ય રસ કળા વિવેચન આદિ પાયાના મુદ્દાઓની તેમણે જે કંઈ ચર્ચા કરી, તેમાં તટસ્થ પર્યેષકબુદ્ધિ અને સૂક્ષ્મ દૃષ્ટિનું ચિંતન નથી, પોતાને પ્રિય એવા કેટલાક ખ્યાલોનું કેવળ વાગ્મિતાભર્યું ઉચ્ચારણ છે.&lt;br /&gt;
જીવનમાં તેમ સાહિત્યમાં મુનશી જડ પ્રણાલિકાઓના વિરોધી રહ્યા છે. વ્યક્તિસ્વાતંત્ર્યઃ, પરંપરામુક્તિ, રૂઢિભંજન–એ સર્વ તેમને ઇષ્ટ વસ્તુઓ છે. બોધ કે ઉપદેશથી પ્રેરાયેલા અને નીતિધર્મના ખ્યાલોથી નિયંત્રિત થતા સાહિત્યની તેમણે ભારે ટીકા કરી છે. નીતિને કળાની ‘વિષકન્યા’ લેખવવા સુધી ગયા છે. એક રીતે, તેમની આ જાતની સાહિત્યવિચારણા પશ્ચિમના ‘કળા ખાતર કળા’ના ખ્યાલોથી પ્રેરાયેલી હોવાનું સમજાય છે. ‘રસાસ્વાદનો અધિકાર’ (૧૯૨૬) શીર્ષકના લેખમાં તેમણે મુકત સર્જકતાને આવકારી છે. ‘ભાવિ સાહિત્ય માટે આ તૈયાર થતા રમણીય પૂર્વાશ્રમમાં એક જ દૃષ્ટિ સામાન્ય છે. પોતાની રસિકતાનો અનિયંત્રિત વિકાસ સાધી, વિશિષ્ટ રસદર્શન ને રસસર્જન કરવાની, પોતાની જ દૃષ્ટિથી સરસતા પારખવી અને પોતાની જ ભાવના પ્રમાણે સરસતા સમજાવવી—એ અધિકાર જેવો સરલ દેખાય છે તેવી સરલતાથી સ્વીકારાતો નથી. રસસર્જનનો આ સ્વતંત્ર અધિકાર એ જ અર્વાચીન કળાકારોની અણમોલી પૂંજી છે.”૫૧ સ્પષ્ટપણે મુનશી સર્જકોને સાહિત્યની જૂની રૂઢિઓ અને પ્રણાલિકાઓને વળગી ન રહેતાં, મુકત સ્વૈર સર્જકતા ખિલવવાને તેમને સૌને આહ્‌વાન કરે છે.&lt;br /&gt;
અને, જેમ રાર્જકને પક્ષે, તેમ વિવેચક/ભાવકને પક્ષે તેઓ ‘સ્વતંત્રતા’ની હિમાયત કરે છે. “જેમ કલાકારોને રસદર્શન ને સર્જનનો અધિકાર છે, તેમ રસિકોને રસાસ્વાદનો અધિકાર છે. આ અધિકારથી જ તેમની રસિકતા ખીલે છે. અને રસિકતા વડે જ તેમને આનંદની પ્રાપ્તિ થાય છે.”૫ર અહીં મુનશીનો ખ્યાલ કેવળ વાગ્મિતામાં સરી પડે છે. ‘રસાસ્વાદનો અધિકાર’ પર ભાવકને છે એમ કહેવાથી વાસ્તવમાં કશું જ ફલિત થતું નથી, પણ આ વિશેની અન્ય સંદર્ભોની ચર્ચા જોતાં તેમને ભાવકની રસવૃત્તિ (taste)ની વૈયક્તિકતા અભિમત હોવાનું સમજાય છે. સાહિત્યકૃતિને સાહિત્ય વિશેના રૂઢ ખ્યાલો કે માન્યતાઓથી અળગા કરવાનું સૂચન એમાં પડેલું છે. સાહિત્યકારે રચેલી નવીન સૃષ્ટિ જો જૂના નિયમોમાં બંધાઈ ગઈ નથી; તો ભાવકે પણ એવા જૂના નિયમોને ચુસ્તપણે વળગવાનું નથી. કળા સૌંદર્ય અને રસકીય તત્ત્વોની ઉપલબ્ધિ અર્થે મુક્ત ચિત્તનો અભિગમ તેણે સ્વીકારવો જોઈએ. દરેક કળાકૃતિ જો અગાઉની કૃતિઓ કરતાં કોઈક રીતે વિશેષ છે, સાચા અર્થમાં અપૂર્વ છે, તો તેના આસ્વાદ-આકલન અર્થે ભાવકે પણ પોતાનું યથોચિત orientation કરી લેવાનું રહે જ છે. ‘રસાસ્વાદનો અધિકાર’ બતાવીને તેમણે આ રીતે પોતાના જમાનાના ભાવકોને સાહિત્યવિવેચનના જડ નિયમોથી મુક્ત થવાને સૂચવ્યું હતું. પણ તેમની એ વૈચારિક ભૂમિકા એ જમાનામાં ઘણી ચર્ચાસ્પદ બની હતી. આ. આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાને એની સામે પ્રતિવાદ પણ કર્યો છે.&lt;br /&gt;
સર્જન અને વિવેચનની ચર્ચાવિચારણાઓમાં મુનશી ‘સરસતા’ અને ‘રસિકતા’ જેવી કેન્દ્રીય સંજ્ઞાઓ યોજે છે : “જે જે વસ્તુની માણસ પર સચોટ અસર થાય છે, તેમાંની ઘણી વસ્તુમાં એક લક્ષણ હોય છે – તે સરસતા. આ લક્ષણ માટે એક શક્તિ ઝંખે છે; અને તે લક્ષણ પારખ્યા પછી તે શક્તિ સંતોષાય છે તે શક્તિ તે રસિકતા.”૫૩ મુનશીએ ‘સરસતા’ અને ‘સચોટતા’ વિશે અહીં જે રીતે ભેદ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. તેમને એમ અભિપ્રેત છે કે ‘સરસતા’ એ કૃતિમાં જ નિહિત રહેલો ગુણ છે, જ્યારે ‘રસિકતા’ તે ભાવકની ભાવયિત્રી પ્રતિભાનો અંશ છે. એ શક્તિનું વર્ણન તેઓ આ રીતે કરે છે :&lt;br /&gt;
“આ રસિકતા બુદ્ધિનું લક્ષણ નથી. વિચારનું પરિણામ નથી. જે શક્તિઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અનુભવે છે અને પારખે છે, તેના જેવી એ છે. એ બુદ્ધિથી કાબુમાં રહે, વિચારથી કેળવાય, અભ્યાસથી સુધારાય અને આદર્શ સેવ્યાથી નિર્મળ બને. પણ જેમ સારી અને મીઠી ગંધ સ્વાભાવિક શક્તિથી પરખાય છે, તેમ સરસ અને નરસ, સુંદર અને સામાન્ય કૃતિઓ પણ તેવી જ રીતે પરખાય છે. આ શક્તિ પંચેન્દ્રિયથી નિરાળી નથી. પણ પાંચે શક્તિની પાછળ રહી તેને કેળવે છે અને ઉત્તેજે છે, અને તે શક્તિઓ દ્વારા મેળવેલા આનંદની કસોટી કરે છે. આ શક્તિનાં ત્રણ જુદાં જુદાં અંગ છે. (૧) સરસતાનો આસ્વાદ લેવાની ઉત્કંઠા (૨) સરસતા પારખવાની શક્તિ, અને (૩) સરસતાથી આનંદ મેળવવાની શક્તિ.”૫૪&lt;br /&gt;
મુનશીએ ‘રસિકતા’નો આ જે ખ્યાલ રજૂ કર્યો છે તેની પાછળ સંભવતઃ પાશ્ચાત્ય વિવેચનવિચારની Tasteની વિભાવના રહી છે. મુનશીએ આ વિશે વધુ સ્પષ્ટતા કરતાં નોંધ્યું છે કે વ્યક્તિની અમુક વૃત્તિઓ, તેની કેળવણી, ભાવના, દેશકાલરૂપ સંયોગો આદિ અનેક પરિબળોથી તેની ‘રસિકતા’ (‘કે રસવૃત્તિ’) બંધાય છે, અને સંસ્કારાય છે. દરેક વ્યક્તિના, અલબત્ત, સંયોગો જુદા, પશ્ચાદ્‌ભૂમિકા જુદી, એટલે તેની ‘રસિકતા’ની માત્રા કે કોટિય જુદી. ‘જેટલી ભાવના જુદી, તેટલી સરસતા જોવાની દૃષ્ટિ જુદી. જેટલી દૃષ્ટિ જુદી તેટલો રસાસ્વાદ જુદો. લક્ષ્ય એક જ આનંદપ્રાપ્તિ”. મુનશીની આ ચર્ચામાં બે મુદ્દાઓ પડેલા છે : એક, ‘રસિકતા’ એ તેમના મતે એક સાપેક્ષ તત્ત્વ છે. બીજો, કૃતિનું અંતિમ લક્ષ્ય આનંદની પ્રાપ્તિ છે. આ સંદર્ભમાં આપણે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે કોઈ પણ આકૃતિના સંદર્ભે પ્રાપ્ત થતી રસાનુભૂતિ અને આનંદતત્ત્વ વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. રસાનુભૂતિનું પર્યવસાન આનંદ જ છે, પણ આનંદમાં માત્રાભેદ નથી, રસાનુભૂતિમાં એવો માત્રાભેદ છે.&lt;br /&gt;
સાહિત્યનો વિવેચક, તે મુનશીની દૃષ્ટિએ, ‘સરસતાને પારખનાર’ અને ‘શિષ્ટતાને સાચવનાર’ એવા વર્ગમાંનો જ એક છે. તેનું મુખ્ય કાર્ય ‘સરસતાનું નિરીક્ષણ’ અને તેનું ‘સંરક્ષણ’ છે. વિવેચકોની પ્રવૃત્તિ દ્વારા જ ભાવક વર્ગની ‘સરસતા પારખવાની દૃષ્ટિ’ સૂક્ષ્મ બનતી રહે છે. અને આ વિવેચકોએ જ સામાન્ય વર્ગની રસિકતાને ‘ક્ષુદ્ર તૃપ્તિમાં વિરામ પામતી અટકાવી’ છે. આમ, સાહિત્યના રસાનુભવમાં વિવેચકો ઘણા સહાયભૂત બની રહે છે એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
ભાવકની ‘રસિકતા’ તેના વિશિષ્ટ સંયોગો અને તેના વિશિષ્ટ ઘડતર પર અવલંબે છે, અને એ રીતે વ્યક્તિસાપેક્ષ છે, એમ દર્શાવતા છતાં, અન્ય ચર્ચાના સંદર્ભે મુનશી તેને ‘સર્વકાલીન અને એક જ’ હોવાનું કહે છે, ત્યારે તેમની આ વિશેની ચર્ચામાં રહેલો આંતરવિરોધ છતો થઈ જાય છે.&lt;br /&gt;
સાહિત્યક્ષેત્રમાં વિવેચકે ભજવવાની ભૂમિકા બાબતમાં મુનશીએ એક વિલક્ષણ ખ્યાલ રજૂ કર્યો છે : “વિવેચક એ કલાકાર નથી, તે સર્જક નથી, પ્રચારક છે. તે સરસતાનો સરજનાર નથી. તેમ તે શામાં રહી છે તે નક્કી કરનાર પણ નથી. એક લેખક કહે છે તેમ, producer-બનાવનાર અને consumer-વાપરનાર વચ્ચે તે distributor-વહેંચનાર છે. અને ઘણી વખત વાપરનારના રસાસ્વાદ કે સરસતાની શુદ્ધિ કરતાં પોતાની ઇચ્છા પ્રમાણે તે માલ વહેંચે છે.”૫૫ અહીં ‘માલના વહેંચનાર’ તરીકે વિવેચકની કામગીરીનો તેમણે જે ખ્યાલ રજૂ કર્યો છે તે તેમની વ્યવહારદૃષ્ટથી દૂષિત થયેલો લાગે છે. તાત્ત્વિક દૃષ્ટિએ તેમની આ જાતની ચર્ચાનું આથી ઝાઝું મહત્ત્વ કરી શકાય નહિ. વિવેચન એ સર્જન ગણાય કે કેમ, એ જાતનો પ્રશ્ન આપણે ત્યાં આ સદીના બીજાત્રીજા દાયકામાં ચર્ચાની એરણ પર આવ્યો જણાય છે. વિવેચન અને સર્જન એ બંને પ્રવૃત્તિઓ વિશે એ ગાળામાં તુલનાત્મક વિચાર કરવાનું વલણ પણ જન્મ્યું હતું. સર્જક અને વિવેચક વિશે મુનશીએ વાગ્મિતાભરી વાણીમાં જે જાતની રજૂઆત કરી છે તેમાં બંનેની કામગીરીનો ભેદ રસપ્રદ છે. પણ તેથી વિશેષ તો તેમની ચિંતનરીતિની મર્યાદા સમજવામાં તે દ્યોતક બને છે :&lt;br /&gt;
“કલાકાર સદાએ જીવનનો રસીઓ છે. વિવેચક કૃતિઓનો રસીઓ છે; એનો રસ માત્ર કળામાં જ સમાયો છે. કળાકાર કુસુમને કાંટાથી ભર્યા જીવનમાં પ્રફુલ્લતો પીડાતો રડતો કકળતો ને ઉલ્લાસ માણતો ચાલ્યો જાય છે. એને લથડવાની બીક નથી. પડી રહેવાની તે પરવા કરતો નથી. ભય પોતે તેનો પ્રેરક થઈ બેસે છે. વિવેચક તો ફૂલવેલથી ભરી પગથીઓ પર મોજમાં ચાલ્યો જાય છે. પસંદ પડે તે ફૂલ ચૂંટે છે, સૂંઘે છે, ફેંકી દે છે. કોઈ વાર તો તે નજર પણ નથી કરતો. કોઈને પગે કચરી નાખવામાં પણ તેને દુઃખ નથી...”૫૬&lt;br /&gt;
અને, આ જ શૈલીમાં સર્જક અને વિવેચક બંને વચ્ચેની સરખામણી આગળ ચલાવી છે :&lt;br /&gt;
“કલાકારને જીવન જોડે તાદાત્મ્ય સાધ્યા વિના ચેન પડતું નથી; વિવેચક કલા જોડે તાદાત્મ્ય સાધતાં પણ આત્મગૌરવ ને નિરીક્ષણ વૃત્તિ ખોઈ શકતો નથી. કલાકાર મસ્ત છે; વિવેચક સ્વસ્થ છે. કલાકાર સરખામણી કરવા થોભતો નથી; વિવેચક સરખામણી વિના ડગ ભરી શકતો નથી. કલાકાર વર્ષો જતાં, પોતાના સિવાય ભાગ્યે જ કોઈની કૃતિઓનો રસાસ્વાદ લઈ શકે છે. વિવેચક ભાગ્યે જ એકની કૃતિ પર ધ્યાન આપી શકે છે. કલાકાર નિર્બલતાને એક લહાવો માને છે. વિવેચક પોતાનાં સર્વજ્ઞતા ને સ્વાદ લેવાની શક્તિમાં ખોડ કે ખાંપણ કલ્પી શકતો નથી. જીવનની માફક કલા જોડે તાદાત્મ્ય સાધી કલાકાર તેનું રહસ્ય પારખે છે, અને એક પ્રકારનો વિવેચક થઈ શકે છે. વિવેચક તો વિવેચક જ રહે છે....”૫૭&lt;br /&gt;
સર્જક અને વિવેચક વચ્ચેની આ સરખામણી હજી ય વિસ્તરતી જાય છે, પણ એમાં કોઈ તાર્કિક ચિંતનનું વલણ જ નથી. સર્જક વિવેચક એ બંનેને વિશે નર્યો રોમેન્ટિક ખ્યાલ બાંધીને તેઓ ચાલતા રહ્યા છે એથી ન તો સર્જકને ન તો વિવેચકને – કોઈને ન્યાય કરી શક્યા નથી. બંનેની અલગ પ્રવૃત્તિનું સ્વરૂપ લગીરે સ્પષ્ટ થતું નથી. વિવેચક મનમૌજી વ્યક્તિ હોય, મિજાજમાં વર્તતો હોય, સર્જકોનો દ્વેષી હોય... એવી કંઈક વિચિત્ર છાપ એમાંથી ઊભી થાય છે. આ જાતની વિચારણાને બાજુએ રાખીએ તો ય ચાલે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય ‘સરસતાનું અન્વેષણ’ કરવાનું છે એમ બીજા સંદર્ભમાં તેઓ કહે છે. જો કે ભાવકને આનંદપ્રાપ્તિનો પંથ બતાવવો એ જ તેની મુખ્ય ફરજ છે એમ તેઓ ભારપૂર્વક નોંધે છે. આ સંદર્ભમાં ‘સરસતા’નું સંરક્ષણ કરવાની વિવેચકને માથે જવાબદારી છે એમ પણ તેઓ સ્પષ્ટ કરે છે. તેમના મતે વિવેચક પાસે ‘જ્ઞાન’ અને ‘સહાનુભૂતિ’ એ બંને વસ્તુઓ જરૂરી છે. ‘જ્ઞાન’માં દેખીતી રીતે જ વિવિધ પ્રકારના સાહિત્યનો, કાવ્યશાસ્ત્રનો તેમ બીજી સંબંધિત વિદ્યાઓનો તેઓ સમાવેશ કરવા ચાહે છે, જ્યારે ‘સહાનુભૂતિ’થી સહૃદયતાનો ખ્યાલ તેમને અભિપ્રેત છે. વળી, જુદી જ પરંપરામાંથી આવતા લેખકને કે તેની કૃતિઓને માણવા રુચિની ઉદારતા જોઈએ એમ તેઓ કહે છે. વિવેચકમાં વિદ્વત્તા કરતાં ય વધુ તો ‘કલ્પના’ તથા ‘જીવનનાં વૈવિધ્ય અને સમૃદ્ધિ ભોગવવાની અદ્‌ભુત શક્તિ’ પણ તેઓ જરૂરી ગણે છે. વિવેચકની સજ્જતા વિશેનો મુનશીનો આ ખ્યાલ સ્વીકારવામાં ભાગ્યે જ કશી મુશ્કેલી હોય.&lt;br /&gt;
મુનશી એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વિવેચનનાં ધોરણો મુખ્યત્વે ‘શિષ્ટ સાહિત્ય’ના અધ્યયન પરિશીલનમાંથી ઊભાં થતાં હોય છે. એટલે વિવેચક આવા શિષ્ટ સાહિત્યનું પરિશીલન જારી રાખે તો તેની રુચિ ખિલતી આવે, એમ તેઓ નોંધે છે. પણ આ સાથે સાવધાનીનો સૂર પણ તેઓ કાઢે છે. તેઓ કહે છે કે શિષ્ટ કૃતિઓના ‘આદર્શો’ પર વધુ પડતો ભાર મૂકવાથી વિવેચકની રુચિ કુંઠિત થઈ જાય એવો ભય છે. તેમને અહીં એમ સૂચવવું છે કે શિષ્ટ સાહિત્યના અધ્યયનમાંથી વિવેચનનાં જે ધોરણો ઊભાં થતાં આવે છે તેને વિવેચકે જડતાથી વળગી રહેવાનું નથી. સર્જાતી જતી નવી કૃતિઓના વિવેચનમાં એ ધોરણો કેટલે અંશે પ્રસ્તુત છે, તે વિશે તેણે સતત વિવેક કરીને ચાલવાનું રહે છે. કૃતિમાંથી રસાનુભવ મળે એ જ પર્યાપ્ત છે, એ પછી વિવેચનનાં જૂનાં ધોરણોને જડતાથી વળગી રહેવાનું નથી.&lt;br /&gt;
કૃતિના આસ્વાદ વિવેચન વિશેની મુનશીની ચર્ચાવિચારણામાં, આમ છતાં, મૂળથી ગૂંચ ઊભી થતી દેખાય છે. અમુક સંદર્ભે, કૃતિના રસાનુભવને જ અંતિમ પ્રયોજન ગણી વિવેચનનાં ધોરણો કે નિયમોને બાજુએ રાખવાની તેઓ વાત કરે છે. બીજા સંદર્ભે દરેક સાહિત્યકૃતિનું રહસ્ય તેના વિશિષ્ટ યુગના સંદર્ભે સ્પષ્ટ કરવું જોઈએ, એમ તેઓ કહે છે. એક બાજુ, આનંદતત્ત્વની ઉપલબ્ધિ પર ભાર મૂકી તેઓ રસલક્ષી વિવેચન (aesthetic criticism)નો ખ્યાલ પુરસ્કારવા ચાહે છે, બીજી બાજુ કૃતિની ઐતિહાસિકતાના મુદ્દાને આગળ ધરી historical approachને આગળ ધરતા જણાશે. પણ આ બે અભિગમો એક નથી, તેમ તેનો સમન્વય કરવાનું ય સરળ નથી. પાશ્ચાત્ય વિવેચનમાં ભિન્ન ભિન્ન રીતે આ અભિગમો પ્રતિષ્ઠિત થયેલા છે. બંને વિવેચનપ્રવૃત્તિ સ્વરૂપ અને પ્રયોજન પરત્વે જુદી છે.&lt;br /&gt;
વિવેચનના અભિગમો વિશેની આવી ગૂંચ વચ્ચે વળી વિવેચકે કૃતિની ઐતિહાસિકતાને ઓળંગી જવાની છે, એમ પણ તેમણે કહ્યું છે. ‘સાહિત્યનો કોઈ એક યુગ બીજાને માટે ધોરણ બાંધી શકે નહિ’ – એવી ભૂમિકા સ્વીકારતા છતાં – ‘દરેક યુગને પોતાના નિયમો હોય, અને જો સર્વોપરિ સામાન્ય નિયમો નક્કી કરવા હોય તો દરેક યુગના દરેક નિયમો તેમાં સમાઈ શકે એવા નિયમો ઘડવા જોઈએ’—એવો અનુરોધ કરે છે. પણ વિવેચનના સર્વવ્યાપી સર્વકાલીન એવા નિયમો વિશેની તેમની આ જાતની વિચારણા, અંતે, એક ભાવિ શક્યતા બનીને થંભી જાય છે.&lt;br /&gt;
સાહિત્યકૃતિના વિવેચનમાં અભિગમ વિશેની આ જાતની ગૂંચ, ‘શિષ્ટાચારી વિવેચન’ અને ‘આનંદલક્ષી વિવેચન’ એવા જે બે પ્રકારો તેમણે પાડ્યા છે, તેમાં ય વિસ્તરતી રહી છે. ‘શિષ્ટાચારી’ પદ્ધતિનું તેઓ આ રીતે વર્ણન કરે છે : “શિષ્ટાચારી વિવેચનની પદ્ધતિ ઘણી જ સહેલી હતી. કયા પ્રકારની કૃતિ છે? એરિસ્ટોટલ દંડી શું કહે છે? કયો રસ છે? રસની વ્યાખ્યા જુઓ. કેવો નાયક છે? કેવી નાયિકા છે? કયા અલંકાર છે? આ પ્રમાણે ચિઠ્ઠી ચોડી યોગ્ય ખાનામાં મુકી દીધી એટલે વિવેચન પૂરું થયું.”૫૮ આ પદ્ધતિ વધુ તો પ્રાચીન સંસ્કૃત પરંપરાની વિવરણ પદ્ધતિને અનુલક્ષે છે, એમ સમજવામાં ખાસ મુશ્કેલી નથી. (દંડીની સાથે એરિસ્ટોટલનો નિર્દેશ આકસ્મિક હશે?) એની સામે ‘આનંદલક્ષી’ પદ્ધતિમાં કૃતિની ‘ઐતિહાસિકતા’ને લક્ષમાં લેવાનું તેઓ સૂચવે છે! અને એને ‘ઉત્ક્રાન્તિવાદી વિવેચન’ તરીકે પણ તેઓ તેને ઓળખાવે છે. મુનશી કહે છે કે આ પદ્ધતિ પ્રમાણે વિવેચકનું પહેલું કર્તવ્ય તે કૃતિના ‘સ્વરૂપનો ઇતિહાસ’ અને તેની ‘ઉત્ક્રાંતિ’ નોંધવાનું છે. સ્પષ્ટતા કરતાં મુનશી કહે છે કે નાટકની કોઈ કૃતિ પર વિવેચન કરવાનું હોય, તો તેનું સંસ્કૃત પરંપરાનું ગુજરાતી પરંપરાનું અને અંગ્રેજી પરંપરાનું—એમ ત્રણેયમાં વિકસેલું સ્વરૂપ ચર્ચી તેનો વિકાસક્રમ આલેખવો, અને એ સ્વરૂપો એકાકાર કેવી રીતે થયાં, તે બધુંય સ્પષ્ટ કરવું જોઈએ. વળી, કૃતિવિવેચનના ભાગ રૂપે જે તે કૃતિ કઈ સાહિત્યિક પરંપરામાં આવી છે. આગળ પાછળના યુગને તે કેવી રીતે જોડે છે, અને એ આખી પરંપરામાં તેનું શું સ્થાન છે તે પણ તેણે નિર્ણિત કરવાનું છે. કંઈક અચરજ થાય એવી વાત છે કે આ જાતના કૃતિવિવેચનને મુનશી ‘આનંદલક્ષી’ પદ્ધતિનો ભાગ લેખવે છે! અને એ અચરજ વળી ત્યારે વધી જાય છે, જ્યારે ‘તત્ત્વદર્શી વિવેચન’નેય તેઓ એમાં સમાવી લેવા ચાહે છે! જુઓ : ‘આનંદલક્ષી વિવેચનનો એક પ્રકાર તત્ત્વદર્શી વિવેચન છે. સરસતા શું છે તે તત્ત્વજ્ઞાનની મદદ વડે નક્કી કરે છે, અને પછી તેવી સરસતા કૃતિમાં છે કે નહિ તેનો નિર્ણય કરે છે.’ અહીં ‘સરસતા’ વિશેની તાત્ત્વિક ચર્ચા પણ આનંદલક્ષી વિવેચનમાં જોડાઈ જાય છે!&lt;br /&gt;
‘આનંદલક્ષી પદ્ધતિ’ના વ્યાપમાં ‘રસદર્શી વિવેચન’ જેવી અલગ કોટિ સ્વીકારી, એ પદ્ધતિમાં એનું મુખ્ય સ્થાન છે એમ પણ મુનશી નોંધે છે. એથી ‘આનંદલક્ષી પદ્ધતિ’ અને ‘રસદર્શી વિવેચન’ના ખ્યાલો ગૂંચાતા જણાશે પણ ‘રસદર્શી વિવેચન’ વિશેનો તેમનો ખ્યાલ પણ વિલક્ષણ છે : “ખરા વિવેચનમાં કૃતિનાં રંગ, છાયા ને તેજ, આત્માને શરીર પ્રતિબિંબિત થવાં જોઈએ”૫૯ – એમ તેઓ એનો પ્રથમ ખુલાસો આપે છે. કૃતિનાં ઘટક તત્ત્વો વિશે તાર્કિક વિશ્લેષણનો નહિ, કૃતિના સમગ્ર સત્ત્વને અખિલાઈમાં ઝીલવાનો એમાં ખ્યાલ છે. પણ એના અનુસંધાનમાં કર્તાના વ્યક્તિત્વદર્શનનેય અહીં તેઓ સમાવી લેવા ચાહે છે. “સરસતાની પરખ કરવા તે કઈ સામગ્રી વડે ઉદ્‌ભવી, તેને કેવી રસવૃત્તિએ સર્જાવી, તેને સરજનારની રસિકતા કેવી હતી, તે રસવૃત્તિ કેવા વ્યક્તિત્વમાંથી પ્રગટી અને તે વ્યક્તિત્વ કેવા સંયોગોમાં ઘડાયું તે બધાને શોધી સરસતાના સર્જનની ક્રિયા સર્જકના દૃષ્ટિબિંદુથી વર્ણવવી જોઈએ”૬૦ એટલે આ ‘રસદર્શી વિવેચન’માં ય પ્રશ્ન માત્ર રસકીય અંશોની ઓળખ કરવાનો કે તે નિમિત્તે આહ્‌લાદની અનુભૂતિને વર્ણવવાનો નથી, ‘સરસતા’ના સ્રોત તરીકે કર્તાની રસવૃત્તિ કે રસિકતા, અને તેનાં ઘડતરપોષક બળોને ચર્ચવાનો ય છે. એક રીતે biographic criticismનો અભિગમ અહીં ભળી જાય છે. અથવા વુડબેરી જેને esthetic criticism તરીકે ઓળખાવે છે, તે પદ્ધતિ સાથે અહીં અમુક અનુસંધાન થયેલું જોઈ શકાશે. વુડબેરીના મતે કલાકૃતિ કંઈ જડ ભૌતિક પદાર્થ નથી. કળાકાર આત્માની એ જીવંત ધબકતી રચના છે. એમાં પ્રવેશ કરતાં કળાકારના આત્માનું વિશ્વ જાણે કે ખુલ્લું થાય છે. ભાવક એ રીતે કૃતિના સંપર્કે એના કળાકારના આત્માને ઓળખવા પામે છે, અને વિવેચનનું કાર્ય એ આત્માના વિશ્વને વર્ણવવાનું છે. પણ મુનશી તો કળાકારના ‘આત્મા’નો પરિચય ઉપરાંત તેનાં રસરુચિને ઘડનારા કૌટુંબિક સંયોગો વિચારસરણીઓ આદિને ય એમાં સમાવી લેવા ચાહે છે.&lt;br /&gt;
‘સંસ્કારાત્મક વિવેચન’ (impressionistic criticism)ને પણ મુનશી ‘આનંદલક્ષી પદ્ધતિ’ની અંતર્ગત સમાવે છે. એનું વર્ણન કરતાં તેઓ કહે છે : “આ વિવેચન કરતી વખતે વિવેચક શાસ્ત્રકાર કે સરખામણી કરનાર, ઉત્ક્રાંતિવાદી કે રસદર્શી થતો નથી. તે કલાકારની માફક કૃતિનો રસીયો થઈ બેસે છે. તેના ભાવને ઊર્મિને પળ વાર પોતાનાં કરી તેની જોડે તાદાત્મ્ય સાધે છે. તેને ધ્યેય ગણી સમાધિની અવસ્થા ભોગવે છે. કાંપતે હૃદયે તે કૃતિનો ઉપભોગ કરે છે. તેમાં રહેલી નાદ ને અર્થની અવિયોજ્ય મોહકતા સમજે છે. તેમાં સમાયેલાં રસદર્શન ને સર્જનનાં રહસ્યો પારખે છે. તેની સરસતા લુંટે છે. પોતાની કરે છે. અને કવિ, પ્રિયતમા જોડે તાદાત્મ્ય સાધતાં જેમ કવિતા ઉચ્ચારે છે તેમ સમાધિની મસ્તીમાં પોતાના સંસ્કારો ઉચ્ચારે છે. આ ઉચ્ચારણ માત્ર વિવેચન નથી; કલાત્મક કૃતિ છે.”૬૧ અહીં ખરેખર તો ‘સંસ્કારાત્મક વિવેચન’ની રીતિનું બહુ ટૂંકું વર્ણન મળે છે.&lt;br /&gt;
મુનશીના વિવેચનવિચારમાં આમ વિભિન્ન અભિગમોનો કેટલોક ખ્યાલ આપવાનો પ્રયત્ન છે, પણ આ વિશેની ચર્ચામાં ઠીક ઠીક ગૂંચો રહી ગઈ છે. કમનસીબે, અભિગમો વિશેની સમજ વિશદ કરવાને બદલે ગૂંચવાડામાં જ આપણને મૂકી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંકી વાર્તાના ક્ષેત્રે જેમણે મોટું નવપ્રસ્થાન આરંભ્યું, એ ધૂમકેતુએ સાહિત્યસર્જન અને વિવેચનના પ્રશ્નો વિશેય કેટલુંક ચિંતન કરેલું છે. વિવેચનનું સ્વરૂપ અને કાર્ય, સર્જન અને વિવેચનનો સંબંધ, વિવેચકની ભૂમિકા વગેરે મુદ્દાઓ તેમણે સ્પર્શેલા છે. વિવેચનના સ્વરૂપ વિશે તેમણે એક માર્મિક વાત કહી છે. “......શબ્દોમાં વ્યક્ત કરવા ધારેલા છતાં પણ સુપ્ત રહેલા અનેક અર્થો શોધી કાઢવાનું કામ વિવેચન કરે છે. સર્જન અને વિવેચન એ એક જ માનસિક સ્થિતિનાં બે પાસાં છે. અથવા તમે એમ કહો, કે સર્જનમાં રહેલી વધારે ચેતનાનો અભ્યાસ એટલે અવલોકન : વિવેચન.”૬૨ તેમણે વિવેચન દ્વારા સર્જકની ચેતનાના વિશેષને પામવાનો ખ્યાલ અહીં આગવી રીતે મુક્યો છે. વિવેચકે, અલબત્ત, કૃતિની સાથોસાથ કર્તા વિશેય જાણવું જોઈએ એમ તેઓ કહે છે, ત્યારે કેવળ કૃતિ દ્વારા નહિ, અન્યથા જાણકારી મેળવવાનું તેઓ કહે છે. તે આપણે લક્ષમાં લેવાનું રહે. સર્જકનું સત્ય પણ એક ‘માનવનું’ સત્ય હોઈ ‘મર્યાદિત’ અને ‘સાપેક્ષ’ રૂપનું સંભવે છે, તેમ વિવેચકનું ‘વક્તવ્ય’ પણ છેવટે એક ‘મત’થી વિશેષ કશું નથી એમ તેઓ કહે છે. વળી વિવેચકની સચ્ચાઈ પર તેઓ ઘણો ભાર મૂકે છે. સર્જન કરતાં પણ વિવેચનનો મનોવ્યાપાર ‘ઘણો વધારે જટિલ અને વધારે જાતજાગૃતિ’ માગનારો છે, એમ તેઓ માને છે. ‘દરેક ક્ષણે જે લખ્યું તેને તોળવું અને તોળ્યા પછી કસવું અને કસ્યા પછી એનો આંક કાઢવો એ કામ દેખાય છે એટલું સહેલું નથી,’ એમ તેઓ કહે છે.&lt;br /&gt;
જાણીતા નવલકથાકાર રમણલાલ દેસાઈએ પણ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તે સમયમાં રૂઢ બનેલા કેટલાક ખ્યાલો ‘વિવેચન સાહિત્ય’ લેખમાં મૂકેલા છે.&lt;br /&gt;
જૂની સાક્ષરપેઢીના એક અભ્યાસી મોહનલાલ પાર્વતીશંકર દવેએ, કંઈક સુખદ આશ્ચર્ય થાય તેવી વાત છે, ‘વિવેચન’ શીર્ષકથી ૧૯૪૧માં પુસ્તક પ્રગટ કર્યું હતું, અને એમાં ગ્રંથસમીક્ષા અને ગ્રંથસમીક્ષક વિશે ઠીક ઠીક વિસ્તારથી ચર્ચા કરી હતી. નિકૃષ્ટ કે વંધ્ય સમીક્ષાઓ સામે તેમણે ત્યાં ઊહાપોહ કર્યો છે. જો કે સમજપૂર્વકની ઊંચી કોટિની સમીક્ષાઓનું મૂલ્ય પણ તેમણે સ્વીકાર્યું છે. તેમની ચર્ચામાં બેત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે. એક, વિચચકે ‘આખી રચનાને એકી નજરે નિહાળવી’ એ તેમને ઘણું જરૂરી લાગ્યું છે. કૃતિના અલગ અલગ અંગોને અવલોકવાનું પૂરતું નથી : સમગ્ર રચનાને, તેની પાછળની આયોજક-દૃષ્ટિ સમેત ઓળખવાની છે. બે, વિવેચકે ગ્રંથકાર, વાચક, અને સાહિત્યનો વિકાસક્રમ—ત્રણેને લક્ષમાં રાખી ‘પોતાના પ્રગટ કરેલા વિચારોથી શું પરિણામ આવશે’ તેનો ‘યોગ્ય વિચાર’ કરી પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. ત્રણ, સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોનાં લક્ષણો કે તેના નિયમો શાસ્ત્રકારની ‘કલ્પનાના તરંગો’ નથી પણ ‘પ્રમાણભૂત ગ્રંથોને આધારે તારવી કઢાયેલાં શુદ્ધ સત્યો’ છે. જો કે વિવેચકે એને વિશે જડતાથી પાલન કરવાનું નથી. ચાર, વિવેચકમાં ‘સર્વગ્રાહી રસિકતા’ કે ‘સ્વભાવસિદ્ધ સહૃદયતા’ એ વિવેચન અર્થે સૌ પ્રથમ આવશ્યકતા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સદીના બીજા-ત્રીજા દાયકામાં આપણા સાહિત્યજગતમાં નવાં પરિબળો ગતિશીલ બનતાં જોઈ શકાશે. સર્જનના ક્ષેત્રે જેમ રસલક્ષી સાહિત્યનાં નવાં વહેણાં વહેતાં થયાં, તેમ વિવેચનના ક્ષેત્રમાં પણ નવાં વિચારવલણો કામ કરતાં થયાં. એમાં ખરેખર તો પરસ્પરભિન્ન વિચારણાઓનો પ્રભાવ જોઈ શકાશે. એક બાજુ ગાંધીજીની જીવન વિચારણાની ધારા, બીજી બાજુ રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યવાદ, ત્રીજી બાજુ રશિયન ક્રાંતિ અને સામ્યવાદ – એમ અનેક દિશાઓમાંથી અસરો આવવા લાગી હતી. સાહિત્ય જગતનું ચિત્ર વધુ ને વધુ સંકુલ બની રહ્યું હતું. આવી સંકુલ ગતિવિધિઓ વચ્ચે આપણા વિવેચનક્ષેત્રમાં – વિજયરાય વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ – એ ત્રણ અભ્યાસીઓ દ્વારા આરંભાતી વિવેચન પ્રવૃત્તિ મહત્ત્વની બની રહે છે.&lt;br /&gt;
વિજયરાય વૈદ્યે વિવેચનના ક્ષેત્રમાં વિશેષતઃ કૃતિ/કર્તા/પ્રવાહને લક્ષતાં લખાણો પ્રગટ કર્યાં છે. જો કે વિવેચનતત્ત્વવિચારમાં ખાસ કોઈ ધ્યાનપાત્ર લખાણ મળતું નથી. ‘વિવેચન અને વિવેચક’ શીર્ષકના લેખમાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે ઘણી સંક્ષિપ્ત ચર્ચા તેમણે કરી છે. વિવેચક કૃતિ વિશે સારાસારનો વિવેક કરે, પણ તે પહેલાં તે કૃતિનો ભાવક છે એમ તેઓ કહે છે. કૃતિમાંથી મળતો આનંદ-રસાનુભવ-જ, પછીથી, તેના વિવેચનની મુખ્ય ભૂમિકા બને છે એમ પણ તેઓ કહે છે : ‘તેના વિવેચનની સાર્થકતા તેટલી જ, જેટલો સાહિત્યનો નિરામય ઉપભોગ તે રસિકોને કરાવી શકે, અથવા શાસ્ત્રનું ઉન્નતિકર જ્ઞાન તે જિજ્ઞાસુઓને સંપાદન કરાવી શકે’. વિજયરાય પણ વિશ્વનાથે પુરસ્કારેલાં વિવેચકનાં ત્રણ શીલો – ‘રસમય’ ‘જ્ઞાનમય’ અને ‘શીલમય’–ની અનિવાર્યતા દર્શાવે છે.&lt;br /&gt;
વિવેચનના બે પ્રકારો તેમણે દર્શાવ્યા છે : (૧) સાહિત્ય રચનાના સિદ્ધાતોનું, એનાં લક્ષણો, પ્રકાર તથા પદ્ધતિનું નિરુપણ કરનારા ગ્રંથો (૨) સાહિત્ય કૃતિઓનું રસદર્શન કરાવનારા ગ્રંથો. સાહિત્યની સિદ્ધાંતચર્ચા કરનારા વિદ્વાનોને તેમણે ‘નિયામકો’ તરીકે, અને કૃતિનું રસદર્શન કરાવનારા વિવેચકોને તેમણે ‘રસયોગીઓ’ તરીકે ઓળખાવ્યા છે. વિજયરાય એ જાતનું નિરીક્ષણ નોંધે છે કે – ‘જે વિવેચક કૃતિના અંતર્ગત રસસ્વરૂપ સાથે મુકાબલે ઓછું અનુસંધાન કરી શકે તેનાં વિવેચનોમાં સર્જકતા ગૌણ પદે – અને વિવરણ, અર્થગ્રહણ કે પૃથક્કરણના ગુણો પ્રધાનપદે રહેવાના’, આવા વિવેચકની પ્રવૃત્તિ દેખીતી રીતે જ ‘હૃદયના કરતાં બુદ્ધિના વ્યાપાર વડે અધિક અંશે થતી હોઈ તે સાહિત્યનો સારો વિચારક કે સમર્થ નિરૂપક બનવા ભણી વધારે વળતો હોય છે.’&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ કરતાં તેમણે તેમાં છ જેટલા ગુણોની અપેલા રજૂ કરી છે. એક, ઊર્મિ તથા બુદ્ધિની સંપત્તિ; બે, સાહિત્ય માટે ઘનિષ્ઠ અનુરાગ; ત્રણ, શક્ય તેટલી ભાષાઓના ઉત્તમ સાહિત્યનું વાચન; ચાર, ઉચ્ચ ને પરિશુદ્ધ બનેલી નિત્ય જાગૃત રસવૃત્તિ; પાંચ ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને ન્યાય બુદ્ધિ છે, સરલ રસવાહી તેજસ્વી કે પછી સંકુલ ને ગૌરવાન્વિત શૈલી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અવિરત ખંતભર્યો સ્વાધ્યાય, ભરપૂર સાહિત્યપ્રીતિ અને સાહિત્યનિષ્ઠા, નિર્ભીક સત્યકથન અને અડગ આત્મશ્રદ્ધા—એ બધા ગુણોથી વિશ્વનાથની વિવેચના અંકિત થયેલી છે. જીવનભર તેઓ વિવેચનના ઉપાસક રહ્યા. સાહિત્યકળાને લગતી કેટલીક સિદ્ધાંતચર્ચાઓ તેમણે આપી છે, પણ તેમનું કંઈક વધુ નોંધપાત્ર અર્પણ ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં છે. નરસિંહરાવ અને બળવંતરાયની જેમ તેમણે અનેક વિસ્તૃત અધ્યયનલક્ષી વિવેચનો પ્રગટ કર્યાં છે. પણ આપણે માટે અહીં અવલોકનનો વિષય તે તેમનાં વિવેચનતત્ત્વવિચારનાં લખાણો છે. ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘પ્રાંશુલભ્ય ફળ’, ‘વિવેચનની સર્જકતા’ અને ‘વિવેચનની પવિત્રતા’ – જેવા વિસ્તૃત લેખોમાં તેમની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. ખરી વાત એ છે કે આરંભના બે લેખોમાં રજૂ થયેલા વિચારોનું જ પછીથી લગભગ પીંજણ ચાલતું રહેલું છે. એમાં અગાઉના કેટલાક મુદ્દાઓ વિશે થોડું સ્પષ્ટીકરણ પણ મળે, તો બીજુ ઘણું પુનરાવર્તન પણ જોવા મળે. એમાં ખરી મુશ્કેલી એ વાતની છે કે પ્રસ્તુત મુદ્દાની સ્વતંત્રપણે તાત્ત્વિક ચર્ચાવિચારણા સાથે સમકાલીન ગુજરાતીની વિવેચનપરિસ્થિતિ વિશેની ટીકા ટિપ્પણીઓ ય એમાં કેટલાક સંદર્ભે ભળી ગઈ છે.&lt;br /&gt;
બિલકુલ આરંભના ‘વિવેચનનો આદર્શ’ શીર્ષકના લેખમાં તેમણે વિવેચનનું સ્વરૂપ, કાર્ય (કે કાર્યક્ષેત્ર) અને વિવેચકની ભૂમિકાના પ્રશ્નોની વિગતે ચર્ચા કરી છે. વિવેચક પણ એની આગવી રીતે સર્જક છે (અને વિવેચન પણ એક પ્રકારનું સર્જન જ છે) એમ પ્રતિપાદિત કરવાનો અતિ ઉત્સાહભર્યો પ્રયત્ન તેમણે એમાં કર્યો છે. અને અહીં રજૂ કરેલો ખ્યાલ તેઓ છેવટ સુધી દોહરાવતા રહ્યા છે. એની પાછળ, દેખીતી રીતે જ, પશ્ચિમના આનાતોલ ફ્રાંસ, મેન્કન, સ્પીંગર્ન જેવા વિવેચકોની પ્રેરણા રહી છે.&lt;br /&gt;
આપણા સાહિત્યવિચારમાં તેમ વિવેચનમીમાંસામાં ઠીક ઠીક સમય સુધી પરમ સત્ય અને પરમ સૌંદર્ય જેવા મૂલ્યોનો સહજ સ્વીકાર થતો રહ્યો છે. જો કે સાહિત્યકળાના સંદર્ભે એ ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ની ઊંડી તત્ત્વચર્ચાના ખાસ પ્રયત્નો દેખાતા નથી. વિશ્વનાથ ભટ્ટ પણ ‘વિવેચક’ ‘આજન્મ સૌંદર્યશોધક’ અને ‘સત્યભક્ત’ છે એમ કહે છે, અને ઉમેરે છે કે તેના હૃદયમાં હંમેશ ‘અલૌકિક સૌન્દર્યની ભાવના પ્રજ્વલિત રહેતી હોય છે. તાત્પર્ય કે, ‘સૌન્દર્ય’ની અનન્ય ઝંખના વિવેચકને વિવેચનમાં પ્રેરી રહી હોય છે. જો કે સાહિત્યાદિ કળાઓથી અલગપણે ‘અલૌકિક સૌન્દર્ય’ની પૂર્વ સત્તા સ્વીકાર્યા પછી, કૃતિમાં વ્યક્ત થતા ‘સૌન્દર્ય’ સાથે તેને સાંકળી આપવાનો તેમનો કોઈ ઉપક્રમ દેખાતો નથી.&lt;br /&gt;
‘વિવેચક પણ કવિ, એના યથાર્થ ઉચ્ચ સ્વરૂપમાં વિવેચક પણ કવિના જેવો જ સર્જનશીલ કલાકાર’૬૩ એવું પ્રતિપાદન કરવાનો તેમનો જે પ્રયત્ન છે, તેમાં વિવેચનના સ્વરૂપ વિશેની ગૂંચ કે ગેરસમજ છતી થઈ જાય છે. (આપણે આગળ જોઈશું કે રામનારાયણ પાઠક જેવા તેજસ્વી અને વેધક દૃષ્ટિવાળા અભ્યાસીએ તેમના પ્રતિપાદનમાં રહેલી નિર્બળતાઓ બરોબર પકડી હતી, અને એ વિશે સારી સ્પષ્ટતા પણ કરી હતી.) પોતાના મતની સ્થાપના કરતાં વિશ્વનાથે નરસિંહરાવની વિચારણાનું એક કથન (અર્ધજરતી ન્યાયે જ) યુક્તિપૂર્વક ઉપાડી લઈ પોતાના મતના સમર્થનમાં લેવા પ્રયત્ન કર્યો છે. ‘વસ્તુતઃ સર્જક અને વિવેચક બંને જોડિયા ભાઈઓ છે’– નરસિંહરાવમાંથી આટલું જ વિધાન લઈ તેમણે બંનેની સમાનતા સ્થાપવાની મથામણ કરી છે. (નરસિંહરાવે સર્જનને synthesisનો અને વિવેચનને analysisનો વ્યાપાર ગણાવ્યો હતો, અને એ રીતે બંને વચ્ચેનો મૂળભૂત તફાવત પણ નોંધ્યો હતો, પણ વિશ્વનાથ એ વસ્તુ ધ્યાનમાં લેતા નથી.) તેમનું પ્રતિપાદન એ છે કે બાહ્ય જગતના કોઈ પદાર્થ કે પરિસ્થિતિના સંનિકર્ષથી કવિના ચિત્તમાં જે રીતની ‘ઊર્મિઓ’ જન્મે છે, અને અન્યના ચિત્તમાં સંક્રાંત થઈ શકે તેવી કૃતિનું તે જે રીતે નિર્માણ કરે છે, એવી જ રીતે સાહિત્યકૃતિના સંયોગે વિવેચકમાં પણ અમુક ‘ઊર્મિઓ’ જન્મે છે, અને એ ‘ઊર્મિઓ’ બીજાનામાં સંક્રાંત કરવાને તે વિવેચનકૃતિ રચતો હોય છે. વિવેચન એ રીતે સર્જન બની રહે છે, અને વિવેચક તે સર્જક.&lt;br /&gt;
વિશ્વનાથે અહીં ખરેખર તો ‘સર્જન’ અને ‘વિવેચન’ એ બંનેય સંકુલ ચૈતસિક પ્રવૃત્તિઓનું અતિ સરલીકરણ કરી નાંખ્યું છે. પહેલી વાત તો એ કે બહારના કે અંદરના કોઈ પણ પદાર્થના સંનિકર્ષથી કવિચિત્તમાં જે સંકુલ સંવેદન જન્મી પડે છે, જે રીતની અનુભૂતિ–પ્રક્રિયા આરંભાય છે, તેને વર્ણવવા માટે યોજેલો ‘ઊર્મિ’ શબ્દ પર્યાપ્ત નથી, તેમ કોઈ કવિતા વાર્તા નવલકથા કે નાટકને માણ્યા પછી વિવેચક જે વિવેચન લખે છે તે કંઈ તેની નરી ઊર્મિનો ઉદ્‌ગાર નથી જ. સાહિત્યાદિ કળાઓનો તે ઊંડો મર્મજ્ઞ અભ્યાસી હશે, તેની રમણીયતાના ગ્રહણની શક્તિ સૂક્ષ્મ અને સતેજ હશે, તેની બૌદ્ધિક ચેતના પ્રોજ્જ્વલ હશે, તો તો કૃતિ વિશે અનેક દૃષ્ટિએ તે વિચાર કરવા પ્રેરાશે. બલકે, જે કોઈ રમણીય તત્ત્વોની તે પ્રતિષ્ઠા કરવા ચાહે છે તેને અનુલક્ષીને તે પ્રસંગે તાત્ત્વિક ભૂમિકાને ય સ્પર્શશે. કૃતિનાં રમણીય અને અરમણીય તત્ત્વોના તેના વિવેકમાં તેની તેજસ્વી મેધા કામ કરી રહી હોય છે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામના વ્યાપારમાં કેવળ ઊર્મિવ્યાપાર નહિ, બૌદ્ધિક સંપ્રજ્ઞતાય પ્રવર્તે છે. વિશ્વનાથ ભટ્ટ, વિવેચન પણ આગવી રીતનું સર્જન છે એમ પ્રતિપાદિત કરવાના અતિ ઉત્સાહમાં, વિવેચન તે નર્યો ઊર્મિવ્યાપાર હોય એમ માનવા મનાવવા મથે છે. સંભવ છે કે વિવેચક કૃતિના આસ્વાદની ક્ષણોમાં જે રીતે ભાવવિભોર બને છે, તે દશાને જ વિવેચનમાં લેખવવાની તેમણે ભૂલ કરી હોય. વાસ્તવમાં, પોતાના વિવેચનવિચારમાં એકથી વધુ સંદર્ભે વિવેચકની વિવેકબુદ્ધિ અને તોલનશક્તિનો ય તેમણે સ્વીકાર કર્યો જ છે. તેમની એ જાતની વિચારણા આ આરંભની ભૂમિકા સાથે મેળમાં નથી.&lt;br /&gt;
છતાં, વિશ્વનાથની દલીલ જારી રહે છે. કવિ જો બાહ્ય જગતના પદાર્થ કે પરિસ્થિતિથી ઊર્મિનો સ્પંદ અનુભવે છે, તો વિવેચક વળી બીજા કોઈ સર્જકની કૃતિ માણીને ઊર્મિસ્પંદ અનુભવે છે. એકનું નિમિત્ત બાહ્ય જગતનો પદાર્થ, બીજાનું કવિરચિત કૃતિ; પણ બંને ય ‘ઊર્મિ’નો સ્પંદ જ અનુભવે છે એમ તેમનું કહેવું છે. પણ આ જાતની તેમની ચર્ચાવિચારણા જોતાં એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે સર્જન અને વિવેચન—બંનેય માનસિક ઘટનાની તેમની સમજ મૂળથી જ ઊણી રહી ગયેલી લાગશે. કવિની રચનામાં બાહ્ય જગતનો કોઈ પદાર્થ કોઈ વ્યક્તિ કોઈ ઘટના કે કોઈ દૃશ્ય નિમિત્ત બને, કવિચિત્તમાં એવી કોઈ વસ્તુ સંવેદન જગાડે અને તેને આગવી રીતે પ્રેરક બળ બની રહે, પણ આવું બાહ્ય નિમિત્ત, કાવ્યરચનાના લગભગ બધા જ પ્રસંગોમાં, સર્જકચિત્તને (કે સર્જક–કલ્પનાને) અણધારી રીતે માત્ર ધક્કો આપનાર પ્રારંભિક બળ જ રહે છે. એ ધક્કા સાથે કવિચિત્તમાં જે સર્જકશક્તિ મુક્ત થાય છે તે એક સ્વતંત્ર સ્વસંચાલિત વ્યાપાર સંભવે છે. એલિયટ કહે છે તેમ, કવિચિત્ત તો એવી ક્ષણોમાં ઉદ્‌ભૂત થતાં અનેકવિધ સંવેદનોના રાસાયણિક સંયોજન અર્થે માત્ર catalytic agent બની રહે છે. કવિના અજ્ઞાત સ્તરમાં દટાઈ પડેલી અશ્મિભૂત લાગણીઓ વિચારો કલ્પનો આદિ એ સંયોજનમાં જોડાતાં આવે છે. આ ઘટનામાં ધક્કો આપનાર બહારની વસ્તુ તો સાચેસાચ બહાર રહી જાય, કૃતિના હાર્દમાં તેનો પ્રવેશ જ ન હોય એવું ય ઘણી વાર બનતું હોય છે. અથવા, એવી વસ્તુનો કૃતિમાં પ્રવેશ થયો હોય તો પણ, સર્જકકલ્પનાના સઘન સંસ્પર્શે તેનું રૂપાંતર થઈ ચૂકયું હોય છે. કવિની સૃષ્ટિમાં જે એક નવી વ્યવસ્થા (order) અને નવું રહસ્ય નિર્માણ થયું છે, તેનો તે અવિભાજ્ય અંશ બની ચૂકી હોય છે. સર્જનની પ્રક્રિયા, વાસ્તવમાં વિશ્વનાથ બતાવે છે તેવી, માત્ર ઊર્મિમય ઉદ્‌ગારની વસ્તુ નથી. એક રીતે, કાવ્યસર્જન એ teleological structure છે. એમાં કવિના અનુભવો સંવેદનો વિચારો આદિનું સંકુલ રૂપ નિર્માણ થાય છે. બલકે, મૂર્તતા અને ઘનતા પામેલી સંવેદના કલ્પનો પ્રતીકો મિથોના આશ્રયે વ્યંજનાનો વિસ્તાર સાધી આપતી હોય છે. વિશ્વનાથ આવી એક સંકુલ ઘટનાને માત્ર ઊર્મિ પ્રગટીકરણ લેખે વર્ણવે તે પૂરતું નથી જ.    &lt;br /&gt;
અને, વિવેચનનો વ્યાપાર, આથી, તત્ત્વતઃ ભિન્ન છે. વિવેચકને અમુકતમુક કૃતિ વાંચતાં ‘ઊર્મિ’ જન્મે એમ કહેવું ય પૂરતું નથી—કૃતિના સમગ્ર સંકુલ પ્રતિભાવની સાથોસાથ વિવેચકના ચિત્તમાં કેટલીક વાર આહ્‌લાદ કે પ્રસન્નતાની અતિ માત્રા જન્મે, કેટલીક વાર વિસ્મયની લાગણીય એમાં ભળે, તો નબળી કે નિષ્ફળ કૃતિ વાંચતાં નિરાશા કે અરુચિની લાગણી થાય, તો આવી સહચારી લાગણીઓ કંઈ વિવેચનનું અનિવાર્ય જીવાતુભૂત તત્ત્વ નથી—પણ વિવેચક કૃતિ વિશેની ‘ઊર્મિ’નો ઉદ્‌ગાર કાઢે એટલું પૂરતું નથી. કૃતિના એ સમગ્ર સંકુલ પ્રતિભાવને તેણે સાદ્યંત રજૂ કરવાનો છે. પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી એની વાત કરવાની છે. સર્જક માટે બહારનો પદાર્થ ખરેખર નિમિત્ત-pretext-બની રહે, રચનાની ક્ષણ પછી એ પદાર્થ કે વસ્તુસ્થિતિ સાથેનું કશું જ અનુસંધાન ન રહે, અને સ્વયંસંચાલિત સર્જક કલ્પના પોતે જ કૃતિમાં સ્વાયત્ત શક્તિ રૂપે પ્રવર્તતી રહે; એ રીતે ત્યાં બાહ્ય પદાર્થથી સર્વથા અલગ અને સ્વાયત્ત રૂપ એક નવું વિશ્વ – નવી વ્યવસ્થા – નિર્માણ થાય છે. વિવેચક આવી કોઈ સર્જકકલ્પનાના બળે નવું વિશ્વ રચી શકે નહિ. તેનું કામ વિવેચ્ય કૃતિનું હાર્દ પ્રગટ કરવાનું, કૃતિના રમણીય અંશોનો વિવેક કરવાનું તેમ યથાવકાશ કૃતિની કળાત્મક ગુણવત્તાનો અંદાજ આપવાનું છે. એટલે પ્રસ્તુત કૃતિ સાથે છેવટ સુધી તંતોતંત અનુસંધાન તેણે જાળવવાનું છે. કૃતિ વિશે વર્ણન અર્થઘટન કે મૂલ્યાંકન રૂપે તે જે કંઈ કહેશે તેની આધારભૂમિ કૃતિ જ રહે છે. કૃતિ જ તેના પ્રતિભાવનું, ચિંતનમનનનું, તેમ મૂલ્યાંકનનું ખરું locus standi રહે છે અને જો કોઈ વિવેચક કૃતિનો આધાર છોડી દઈને કલ્પનાનું વૈકલ્પિક વિશ્વ ઊભું કરી દે, કે એક કવિની કૃતિ કે (સર્જકપ્રતિભા) વિશે બીજો કવિ સ્વકીય કલ્પનાનું કાવ્ય રચે, તો એવી રચનાને, સર્જકતાના સંસ્પર્શને કારણે, બીજી સર્જન કૃતિનું મહત્ત્વ ભલે આપો, વિવેચનની કૃતિ એ નથી જ બનતી, એ વાત સ્મરણમાં રાખવાની છે.&lt;br /&gt;
વિવેચન એક પ્રકારનું સર્જન છે, એમ કહ્યા પછી વિશ્વનાથ વિવેચનમાં શાસ્ત્ર અને કલા, ચિંતન અને સર્જન, એવા ભિન્ન વ્યાપારોનું ‘સુભગ સંયોજન’ થાય છે એમ પણ કહેવા પ્રેરાયા છે. જુદા જુદા વિવેચકો, બલકે એકનો એક વિવેચક, કૃતિવિવેચનના જુદા જુદા પ્રસંગે ચિંતન અને સર્જનની જુદી જુદી માત્રા બતાવે છે એમ પણ તેઓ નોંધે છે. પણ આ જાતના અવલોકન પછી યે વિવેચન એક રીતનું સર્જન જ છે એ ખ્યાલ અભિનિવેશપૂર્વક તેઓ દોહરાવતા રહ્યા છે. એમાં આથી, સ્વાભાવિક રીતે જ અતાર્કિકતા દાખલ થઈ ગઈ છે. ‘સર્જકનું ઉપાદાન પ્રત્યક્ષ જીવન છે, ત્યારે વિવેચકનું ઉપાદાન સર્જનપ્રતિબિંબિત પરોક્ષ જીવન છે : સર્જક ઈશ્વરનિર્મિત સૃષ્ટિનું આલેખન કરે છે, ત્યારે વિવેચક કવિનિર્મિત સાહિત્ય સૃષ્ટિનું આલેખન કરે છે’ આ જાતનો ભેદ કરી તરત જ તેઓ સ્પષ્ટતા કરે છે કે અહીં માત્ર ‘ઉપાદાન’નો ફેર છે, પણ તેય ‘ઉપલક’ જ છે. અહીં સાહિત્ય સૃષ્ટિ અને પ્રાકૃતિક પદાર્થ વચ્ચેનો સ્વરૂપભેદ પણ તેમણે લક્ષમાં લીધો નથી. તેમ કવિના જગત પ્રત્યેના અભિગમ કરતાં વિવેચકનો કૃતિ પરત્વેનો અભિગમ કઈ રીતે જુદો પડે છે, તેની નોંધ પણ લીધી નથી.&lt;br /&gt;
વિવેચન એ આગવી રીતનું ‘સર્જન’ છે, ‘રસમય કલા’ છે–એ માન્યતાના સમર્થનમાં વિવેચનની શૈલીનું તેઓ અલગપણે મહત્ત્વ કરવા પ્રેરાયા છે. ‘શૈલી’ એ વિવેચકની ‘સ્વભાવસિદ્ધ સૌન્દર્યભક્તિને પરિણામે સ્વયમેવ’ પ્રગટ થતું એવું એક અવિયોજ્ય અંગ’ છે એમ તેઓ કહે છે. જો કે એ ‘શૈલી’નાં લક્ષણોની કે સૌન્દર્યતત્ત્વ સાથેના તેના સંબંધની ચર્ચા તેમણે છેડી નથી.&lt;br /&gt;
વિવેચકની પ્રતિભાનું મુખ્ય લક્ષણ ‘રસજ્ઞતા’ કે ‘સહૃદયતા’ છે એમ કહે છે – યોગ્ય રીતે જ કહે છે, પણ ‘રસજ્ઞતા’ને તેઓ વિવેચકમાં (જાણે કે અલગ રૂપે) રહેલા ‘કવિત્વ’ સાથે સાંકળી આપવાનો પ્રયત્ન કરે છે. પણ એથી તો ચર્ચામાં ગૂંચવાડો ઊભો થતો લાગે છે. ‘રસજ્ઞતા’ અને ‘કવિત્વ’ જેવી બે ભિન્ન શક્તિઓની તેમણે સ્પષ્ટતા કરી નથી.&lt;br /&gt;
વિવેચક ‘આત્મા’ના ત્રણ ભિન્ન ‘કોશો’ તેમણે સ્વીકાર્યા છે : (૧) રસમય (૨) જ્ઞાનમય અને (૩) શીલમય. ‘કવિત્વ-કવિજનોચિત સૌંદર્યભકિત’ તે એનો ‘રસમય કોશ.’ સાહિત્યાદિ કળાઓ વિશેનું, જગતનાં અન્ય સાહિત્યોનું, સાહિત્યિક પરંપરાઓ આદિનું જ્ઞાન તે ‘જ્ઞાનમય કોશ’ અને વિવેચકનું વ્યક્તિગત ચારિત્ર્ય તે ‘શીલમય કોશ’.&lt;br /&gt;
‘રસમય કોશ’ને અનુલક્ષીને વિવેચકની રસવૃત્તિ અને કવિત્વશક્તિના મુદ્દાઓ તેમણે છણ્યા છે. To judge of poets is only the faculty of poets : કવિઓનું મૂલ્યાંકન કરવાને કવિચિત્તની શક્તિ જોઈએ એવી બેન જોન્સનની વિચારણા તેમને સહજ જ અનુકૂળ બની છે. વિવેચકમાં રહેલી કવિત્વશક્તિ જ કૃતિમાં પ્રગટ થતા ‘સૌંદર્ય’ની ઓળખ કરી શકે છે. પણ સૌંદર્યબોધના પ્રશ્ને તેમની ચર્ચામાં ફરી ગૂંચ જન્મે છે. વિવેચક નિરંતર ‘સૌન્દર્યદેવી’નું ‘દર્શન’ કરવા ઝંખે છે, ‘સૌન્દર્યની કોઈ અપૂર્વ ભાવના’ તેના અંતરમાં રહી હોય છે—આ જાતની ચર્ચામાં તેઓ કૃતિથી નિરપેક્ષ રૂપમાં સૌંદર્યની શાશ્વત ભાવના સ્વીકારીને ચાલતા દેખાય છે “...પોતાના ચિત્તમાં એણે જે ભાવના રાખેલી હોય છે તે તો પરમોત્કૃષ્ટ સૌન્દર્યની જ રાખેલી હોય છે. એટલે વિશ્વનું ગમે તેવું સૌંદર્ય પણ એ પરમોત્કૃષ્ટ સૌન્દર્યની ભાવના આગળ તો અનિવાર્ય રીતે જ અપૂર્ણ લાગે છે. તેથી એ તે વાસ્તવ સૌન્દર્યને પોતાની સૌંદર્યભાવના સાથે સરખાવી જુએ છે. એ ભાવનાના પ્રમાણમાં તે કેટલું ઊણું ઊતર્યું તેનું માપ કાઢે છે. એમ ઊણું ઊતરવાનું શું કારણ તેની તપાસ કરે છે અને એ કારણો શી રીતે દૂર થઈ શકે એનો વિચાર કરે છે. આવી રીતે સૌંદર્યનું પૂજન, પરીક્ષણ અને પરિશોધન એ વિવેચકની મુખ્ય પ્રવૃત્તિ છે.”૬૪&lt;br /&gt;
કોઈને પણ પ્રશ્ન થાય કે વિવેચક જેનું પૂજન પરીક્ષણ અને પરિશોધન કરવા પ્રવૃત્ત થાય છે તે સૌંદર્ય પોતે શી વસ્તુ છે? વિશ્વનાથ એનો ઉત્તર આપે છે : “સૌંદર્ય એટલે કેવળ રૂપસૌંદર્ય નહિ પણ રૂપનું, ગુણનું, બુદ્ધિનું બળનું, શરીરનું, આત્માનું એમ સર્વ પ્રકારનું સૌંદર્ય. ગીતાના શબ્દોમાં કહીએ તો ‘યદ્‌ યદ્‌ વિભૂતિમત્‌ સત્ત્વં શ્રીમદ્‌ ઊર્જીતમેવ વા’ એ સઘળું સૌંદર્ય. અર્થાત્‌ સૌંદર્ય એટલે કોઈ પણ પ્રકારની ઉચ્ચતા, ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા, ભાવના અને આ ભાવનારૂપ સૌંદર્યની પૂજા એ જ વિવેચકનો ધર્મ”૬૫ અને આ વ્યાખ્યાવિચારણાના સંદર્ભમાં તેઓ પ્લેટોના વિચારો રજૂ કરે છે. પૃથ્વી પરની બધી વસ્તુઓ તો ‘અપૂર્ણ પ્રતિબિંબો’ જેવી છે, અને તે દરેકનું પૂર્ણ બિંબ તો ભાવનાલોકમાં રહ્યું છે, એવો પ્લેટોનો વિચાર તેઓ નોંધે છે, અને એના પ્રકાશમાં વિવેચકના કાર્ય વિશે ફરીથી સ્પષ્ટતા કરે છે : “વિવેચકનું કાર્ય આ અપૂર્ણ પ્રતિબિંબોની મૂળ પૂર્ણ બિંબો સાથે તુલના કર્યા કરવી, એમાં મૂળ બિંબોના જેટલા અંશો ઊતરી આવ્યા હોય તેનું સ્તવન કરવું અને જેટલા રહી ગયા હોય તેનું ભાન કરાવવું એ છે, વિવેચક એટલે પ્રકૃતિથી જ પરમ ભાવના વિહારી પુરુષ.”૬૬&lt;br /&gt;
વિવેચકના કાર્ય વિશેની વિશ્વનાથની આ ચર્ચા એકથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓ ઊભા કરી આપે છે. અહીં તેઓ પ્લેટોનો ભાવનાવાદ સ્વીકારીને ચાલ્યા છે, પણ એના સૂચિતાર્થો ફરી તપાસી જવાના રહે છે.&lt;br /&gt;
એક, ‘સૌંદર્ય’ નામની પરમ ભાવનાનો – એક લોકોત્તર સત્તાનો –વિશ્વનાથ અહીં પૂર્વસ્વીકાર કરીને ચાલે છે. પણ એ ભાવનાલોકનું સત્ત્વ આપણને પૂરેપૂરું ભાગ્યે જ પ્રત્યક્ષ થાય છે. એટલે માનવબુદ્ધિ માટે સંભવતઃ એનો અતિ અલ્પાંશ જ ગ્રહણક્ષમ બને પણ આવા કોઈ ભાવનારૂપ સત્ત્વ વિશે પૂરી જાણ ન હોય, તો વિવેચક વિવેચ્ય કૃતિમાં એની તપાસ શી રીતે કરે?&lt;br /&gt;
બીજું, ‘સૌંદર્ય’ એ કેવળ ભૌતિક સૌંદર્યની બાબત નથી. નીતિ ધર્મ જેવા હૃદયધર્મનો એમાં સમાવેશ થાય છે. એટલે કવિની વાઙ્‌મય રચનામાં એની તપાસ શી રીતે કરવી? અને જે કોઈ સૌંદર્ય વ્યક્તિના તેમ વિશ્વના જીવનમાં સર્વવ્યાપી છે તેની તપાસ શબ્દરચનામાં શી રીતે શક્ય છે?&lt;br /&gt;
ત્રીજું, ‘સૌંદર્ય’ સ્વયં પૂર્ણ રૂપ હોય, અને માનવીનું સર્જન કે આ જગતનો હરકોઈ પદાર્થ તેની તુલનામાં અપૂર્ણ જ હોય, તો તો કૃતિની કળાત્મક શ્રેષ્ઠતાનો પ્રશ્ન જ અપ્રસ્તુત બની રહે છે. ખરી વાત એ છે કે સાહિત્યકૃતિમાં વ્યક્ત થતા જે કોઈ તત્ત્વને આપણે ‘રમણીય’ કહેવા પ્રેરાઈએ છીએ, તેની વ્યાખ્યા કરીએ તો જ વિવેચનનો સાચી દિશામાં આરંભ થશે.&lt;br /&gt;
વિવેચનમીમાંસા માટે વિશ્વનાથ જેવાનો આ રીતનો ચિંતનાત્મક અભિગમ આથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જન્માવી આપે છે. તેમના મતે કૃતિવિવેચનમાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની હંમેશ ખોજ કરવામાં આવે છે, અથવા કૃતિની કળાત્મક શ્રેષ્ઠતા અર્થે સત્યબોધ જેવું મૂલ્ય મહત્ત્વનું બની રહે છે, તો તે ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ શું છે? વિશ્વજીવનમાં નિહિત રહેલું ‘સૌંદર્ય’ કે ‘સત્ય’ સાહિત્યસૃષ્ટિમાં કયા રૂપે આવે છે? કૃતિની કળાત્મક સિદ્ધિમાં એ ‘સૌંદર્ય’ કે ‘સત્ય’ નિરપેક્ષ કસોટી બને છે? વગેરે.&lt;br /&gt;
વિવેચકમાં ‘રસજ્ઞતા’ અને તેનો અનુબંધ જેની સાથે રહ્યો છે ‘કવિત્વશક્તિ’ ઉપરાંત ‘નિષ્પક્ષતા’ અને ‘સમતોલતા’ જેવા ગુણો પણ જોઈએ એમ વિશ્વનાથ કહે છે. તેમનો આ ખ્યાલ સાચો છે.&lt;br /&gt;
વિશ્વનાથે એમના સમયમાં મુનશી જેવા લેખક-વિવેચકે સ્પર્શેલા ‘વિવેચનના નિયમો’ને લગતા પ્રશ્નને ય ટૂંકમાં છેડ્યો છે. વિવેચક સામે એવો આક્ષેપ ત્યારે કરવામાં આવતો હતો કે તે ‘પ્રણાલિકાનો પૂજારી’ છે અને કળાનિર્માણના રૂઢ ‘પરંપરાગત નિયમો’ને ચુસ્તપણે વળગી રહેવાનું તેનું વલણ હોય છે; જ્યારે સર્જક તો સદાયે નવાં નવાં કળારૂપો રચવામાં રાચે છે. એટલે, રૂઢ નિયમોને વળગીને ચાલનાર વિવેચક નવી રીતિની રચનાને માણી શકે નહિ, અને જૂના નિયમોના ઢાંચામાં કૃતિને ઢાળવા જતાં તેને યથાર્થ રૂપમાં પામી શકે નહિ. વિશ્વનાથ ભટ્ટ આ મુદ્દા વિશે એવું નિરાકરણ રજૂ કરે છે કે વિવેચક તો ‘સૌંદર્ય’ માત્રનો ‘પૂજારી’ છે, એટલે નવી રીતિની કૃતિમાંય જો કોઈ સૌંદર્યની ઝલક પ્રગટ થઈ હશે તો તેની ‘સહજબુદ્ધિ’ તરત તેને ઓળખી લેશે. સર્જકના ‘પ્રણાલિકાભંગ’ માટે ઊલટાનો તે અભિનંદન આપશે. અહીં વિશ્વનાથની ભૂમિકા ધ્યાનપાત્ર છે. સૌંદર્યની જ ખેવના કરતો વિવેચક, કળાનિર્માણના જૂના કે નવા કોઈ રીતના નિયમોને જડતાથી લાગુ પાડવાનો પ્રયત્ન ન કરતાં ‘સહજબુદ્ધિ’થી તે કૃતિને પામવાનો પ્રયત્ન કરશે.&lt;br /&gt;
આ સંદર્ભમાં આસ્વાદ આકલનના વ્યાપાર વિશે વિશ્વનાથે રજૂ કરેલું વર્ણન પણ ધ્યાનાર્હ છે : “વસ્તુતઃ સાચો વિવેચક હોય છે તે તો, સૌંદર્યનું આકલન સૌથી પહેલું તર્કબુદ્ધિથી કે વિદ્વત્તાથી નહિ, પણ પોતાની સહજોપલબ્ધિથી જ કરે છે. પછી એક વાર એવું આકલન કર્યા પછી તેની કસોટીને સમર્થન કરવા માટે તર્કબુદ્ધિ તેમ વિદ્વત્તા બંનેનો ઉપયોગ અવશ્ય કરે છે. પણ સૌંદર્યનું પ્રથમ આકલન તે સહજોપલબ્ધિથી જ કરે છે. એટલે પછી કોઈ કૃતિ નવીન માર્ગે વિચરીને સૌંદર્ય પ્રગટાવતી હોય તો પણ તે નિષ્પક્ષ રીતે તેનો આસ્વાદ કરીને તેનું મૂલ્ય આંકી શકશે આવી રીતે એની સૌંદર્યભક્તિ એને સર્વથા પૂર્વગ્રહમુક્ત અને નિષ્પક્ષપાતી બનાવશે.”૬૭&lt;br /&gt;
કૃતિવિવેચનનું સ્વરૂપ સમજવામાં વિશ્વનાથની આ ભૂમિકા ઠીક ઠીક દ્યોતક બની રહે એમ છે. કૃતિની રમણીયતાનું જ્ઞાન વિવેચકને માત્ર સહજોપલબ્ધિ રૂપે થાય છે, કોઈ બૌદ્ધિક કે તાર્કિક વ્યાપારના પરિણામ રૂપે નહિ. અને આ રીતે તે જે રમણીયતાનું ગ્રહણ કરે છે, તે પછી તેનો ખુલાસો કરવા તે પોતાની વિદ્વત્તાને કામે લગાડે છે. વિશ્વનાથ ભટ્ટને અહીં એટલું જ પ્રતિપાદિત કરવું છે કે વિવેચક કોઈ પણ–જૂની નવી કે નવતર રીતિની–કૃતિનો મુકાબલો કરે છે ત્યારે, બૌદ્ધિક ભૂમિકાએથી કળાનિર્માણના આ કે તે નિયમને લાગુ પાડી બતાવવાનો તેનો પહેલો ઉપક્રમ હોતો જ નથી. એટલે સર્વથા નવીન રીતિના ઉન્મેષને ય તે સહજ રીતે પામી શકશે. ‘સૌંદર્યભક્તિ’ જ તેને જડ નિયમોની ઉપર ઉઠાવશે. પણ તેમના આ વિચારની સાથે બીજો એક મઝાનો મુદ્દો અહીં જડી આવે છે. આપણે જોયું કે વિવેચનવ્યાપારની અંતર્ગત, સહજોપલબ્ધિનું જ્ઞાન અને તેને અનુષંગે કૃતિવિષયક વિચારવિમર્શને ય તેઓ અહીં સમાવી લે છે. વિવેચન એ સર્જનાત્મક વસ્તુ છે એવું સિદ્ધ કરવાના અભિનિવેશમાં અગાઉ તેમણે તેને માત્ર ઊર્મિમય વ્યાપાર લેખવ્યું હતું! અહીં સુખદ આશ્ચર્ય વચ્ચે વિવેચનનું વધુ યથાર્થ સ્વરૂપ તેઓ રજૂ કરી શક્યા છે.&lt;br /&gt;
જો કે કૃતિમાં સહજોપલબ્ધિથી પ્રાપ્ત થતા ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણું સ્પષ્ટીકરણ માગે છે. નવલકથા નાટક જેવાં વિસ્તારી કથામૂલક સ્વરૂપોમાં આ સૌંદર્યની ઉપલબ્ધિ કઈ ક્ષણે સંભવે છે? કૃતિના સૌંદર્યને તેની સમગ્ર રચનાસૃષ્ટિમાંથી નિષ્પન્ન થતું સ્વીકારીએ, તો એની ઉપલબ્ધિ રચનાને અંતે થાય એ જ તારણ પર આવવું પડે. તો કૃતિનાં અનેક દૃશ્યો અનેક બનાવો અનેક ભાવસંઘર્ષો આદિની ક્ષણોમાં જે રસાનુભૂતિ થતી રહે છે તેને કઈ સંજ્ઞાથી ઓળખાવીશું? અહીં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું દૃષ્ટિબિંદુ દ્યોતક નીવડશે. “રમણીયતા કે સામાન્ય અર્થમાં સૌન્દર્ય (રમણીયતામાં ભવ્ય કે રૌદ્રરમ્ય (Sublime) સુન્દર (Beautiful) અને ચારુ (Pretty, graceful)નો સમાવેશ થવો જોઈએ.) અને રસને જુદાં જુદાં તત્ત્વ તરીકે સ્વીકારવાં જોઈએ. રસ એ આસ્વાદ રૂપ છે, કાળના પ્રવાહ સાથે એ આસ્વાદ ઓછો વત્તો આહ્‌લાદક થાય, પણ રસમાં ક્રમ છે, એ કૃતિ સાથે કાલમાં પ્રવર્તે છે. રસને સમગ્ર કૃતિ સાથે સંબંધ હોવા છતાં તેમાં કૃતિના ઘટકોની સાથે રહેતો પરંતુ વિશિષ્ટ ક્રમ છે. એ ક્રમના દરેક બિન્દુએ તેની આગળ થઈ ગયેલા કૃતિઅનુભવના સંસ્કાર ભેગા થાય છે અને એમ રસાનુભવમાં સંસ્કારોનું વિશિષ્ટ વહન ચાલે છે. પરંતુ રમણીયતા કે સૌન્દર્યમાં ક્રમ નથી. કૃતિનું સૌદર્ય એ કૃતિના અવગાહનને અંતે થતો યુગપત્‌ સાક્ષાત્કાર છે. એમાં કાલનો ક્રમ નથી, કાલની મર્યાદા કે અવધિ નથી. આગળ કહ્યું તેમ સૌન્દર્યબોધ એ કૃતિનો સમગ્ર વિમર્શ છે, મનને લેનીન કરતી વિશિષ્ટ અવસ્થા છે જેમાં કૃતિ અંગેનાં બધાં જ સંવેદનોની અન્વિતિ થાય છે. સૌંદર્યબોધ એ અખંડ, અક્રમ, સંપૂર્ણ, સમન્વિત અવસ્થા છે. રમણીયતા એ રસના તત્ત્વને પચાવી લઈને ઉત્પન્ન થયેલી સ્થિતિ છે”૬૮ કૃતિની રમણીયતાને બોધ આ રીતે સમગ્ર કૃતિના ધ્વનિ સાથે જોડાયેલું તત્ત્વ છે અથવા કૃતિના રસાનુભવને અંતે થતો ચમત્કૃતિભર્યો રહસ્યબોધ છે. સાહિત્યકૃતિના તત્ત્વવિચારમાં ‘સૌંદર્ય’ કે ‘રમણીયતા’ને તેમાં વ્યંજિત થતા રહસ્ય સાથે સાંકળી ન શકાય તે તેનો ખ્યાલ ધૂંધળો અને આભાસી બની રહે એવો ભય છે.&lt;br /&gt;
સૌંદર્યની ઉપાસના કરતો વિવેચક સહજ જ કૃતિમાં પ્રગટ થતી ‘સૌંદર્ય’ની ઝલક જોતાં તેમાં ગુણ પ્રત્યક્ષ કરશે અને તેની ઊણપ વરતી જતાં દોષ બતાવશે, અને એ રીતે તેનું વિવેચન સમતોલ બનશે, એમ વિશ્વનાથ નોંધે છે. જો કે કૃતિના ગુણદોષનો વિવેક કરવાનું તેઓ માને છે તેટલું સહેલું નથી. કૃતિ સાથે વિવેચકના encounteringની પ્રક્રિયા અત્યંત સંકુલ હોય છે. સાહિત્યકળા વિશેની સમજ બદલાય, અપેક્ષા બદલાય, તેમ વિવેચકના પ્રતિભાવો પણ જુદી જ રીતે આકાર લેતા જણાશે. ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪) વિશે બળવંતરાય, રામનારાયણ, ઉમાશંકર, એ બધાંના કરતાં સુરેશ જોષીનો પ્રતિભાવ જુદી રીતનો છે. કેમ કે સાહિત્યકળાના સ્વરૂપ વિશે સુરેશ જોષીની આગવી સમજ છે, આગવી અપેક્ષા છે. એટલે, કૃતિમાં ‘સૌંદર્ય’ની ઓળખ કરવી એ પ્રયોગથી ઝાઝું કશું જ ફલિત થતું નથી. અંતે પ્રશ્ન એ આવે છે : કૃતિમાં વિવેચક કયાં aesthetic કે extra-aesthetic valuesની ખોજ કરે છે. તેની એવી ખોજ પાછળ સંભવતઃ આગવું aesthetic રહ્યું હોય. વિશ્વનાથના મતે વિવેચકે નીચેનાં કાર્યો કરવાનાં છે :&lt;br /&gt;
(૧)	કૃતિના સૌંદર્યની ઓળખ કરાવવી, અર્થાત્‌ સૌંદર્યમાં સમર્પક ગુણોની નોંધ લેવી.&lt;br /&gt;
(૨)	કૃતિની અપૂર્ણતાઓ નોંધવી. અર્થાત્‌, ‘સૌંદર્ય’ને હાનિકારક બાબતો બતાવવી.&lt;br /&gt;
(૩)	કૃતિનું માત્ર વિવરણ’ જ નહી, તેનું મૂલ્યાંકન પણ તેણે કરવાનું છે.&lt;br /&gt;
(૪)	સર્જકને સર્જનની પૂર્ણતાની વધુ નજીક પહોંચવાને પ્રેરવો. અર્થાત્‌, રચનાત્મક સૂચનો વડે દિશાદર્શન કરાવવું.&lt;br /&gt;
(૫)	સાચો વિવેચક સૌંદર્યની ઉચ્ચતર-ઊર્ધ્વતર ભૂમિકાની ઓળખ કરાવે અને સર્જક વાચક સમાજ–સૌનું એ ભૂમિકા તરફ લક્ષ્ય ખેંચે.&lt;br /&gt;
(૬)	વિવેચક માત્ર સૌંદર્યપૂજક નથી, સૌંદર્ય પરીક્ષક અને સૌંદર્યશાસ્ત્રી પણ હોવો જોઈએ. સૌંદર્યશાસ્ત્રીઓની જેમ આ વિશે તેની પાસે વિશાળ જ્ઞાન હોવું જોઈએ.&lt;br /&gt;
વિશ્વનાથ ભટ્ટ આ રીતે વિવેચક પાસે સૌંદર્યમીમાંસાની અપેક્ષા પણ રાખે છે, તે નોંધવા જેવું છે. બળવંતરાય ઠાકોરે પણ વિવેચનના કાર્યક્ષેત્રમાં કૃતિવિવેચનનાં ધોરણોથી લઈ ભિન્ન પરંપરાની સૌંદર્યમીમાંસાની તુલના પરીક્ષણ પૃથક્કરણ અને સમન્વય વ્યાપારને સમાવવા આગ્રહ રાખ્યો છે તે વાત આપણે આગળ જોઈ ગયા.&lt;br /&gt;
વિશ્વનાથે વિવેચકમાં સૌંદર્યદૃષ્ટાની તેમ ન્યાયાધીશની એમ બેવડી ભૂમિકાની અપેક્ષા રાખી છે. સૌંદર્યભક્તિ સાથે સંગીન વિદ્વત્તાનો સુભગ યોગ તેનામાં થયો હોવો જોઈએ એમ તેઓ કહે છે. સમુચિત ન્યાય તોળવાને ન્યાયાધીશ પાસે ધારાશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન જોઈએ, એટલું જ નહિ, ભૂતકાળમાં જુદા જુદા પ્રસંગે એ ધારાશાસ્ત્રો કેવી કેવી રીતે વિનિયોજાયાં હતાં, તેનું ય બને તેટલું વિશાળ જ્ઞાન તેની પાસે હોવું જોઈએ. વિવેચક પાસે એ રીતે રસશાસ્ત્રનું પૂરું જ્ઞાન હોવું જોઈએ અને ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓના વિવેચનમાં અગાઉના વિવેચકોએ રસશાસ્ત્રના નિયમોને કેવી કેવી રીતે લાગુ પાડ્યા હતા તેની પણ શક્ય તેટલી જાણકારી હોવી જોઈએ. જોકે વિવેચનસાહિત્યને લગતી આવી બધી જાણકારીઓ છતાં દરેક નવીન કૃતિ તેની સામે પડકાર બનીને આવી ઊભે છે દરેક પ્રસંગે કૃતિને કયા પરિપ્રેક્ષ્યમાં જોવી ઘટે, કયાં ધોરણો નજર સામે રાખીને વિચારવું રહે, એને લગતો સૂઝભર્યો નિર્ણય પોતે જ કરવાનો રહે છે.&lt;br /&gt;
વિશ્વનાથે વિવેચનના સ્વરૂપ વિશે રજૂ કરેલી વ્યાખ્યા તેમની આ વિશેની ચર્ચામાં નવો emphasis લઈને આવી છે :&lt;br /&gt;
“વિવેચન એટલે એક રીતે તોલન, પરીક્ષણ, મૂલ્યાંકનની પ્રવૃત્તિ. એટલે સામાન્ય તોલન પરીક્ષણ આદિને માટે જેમ તાજવાં તોલાં નિકષ આદિ સાધનોને સદાય હાજર રાખવાં પડે છે, તેમ વિવેચનમાં પણ ભૂતકાળના સર્વોત્તમ સર્જન વિવેચન ગ્રંથોરૂપી તોલન પરીક્ષણ સાધનો સદા હાજર રાખવાં જોઈએ.”૬૯&lt;br /&gt;
આ અંગે પહેલી વાત એ કે વિવેચનમાં અહીં જે રીતે તેમણે ‘તોલન’ ‘પરીક્ષણ’ અને ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ સમાવી છે તે જોતાં વિવેચનની અંતર્ગત તાર્કિક ચિંતન અને તારતમ્યવિવેકનો સમાવેશ તેઓ અહીં કરે છે. કૃતિના પ્રતિભાવ પછીની ક્ષણે આરંભાતી વિચારવિમર્શની સૂક્ષ્મ સંકુલ પ્રક્રિયાનો એમાં સ્વીકાર છે. સ્વાભાવિક રીતે જ, વિવેચન એક પ્રકારનું સર્જન છે, કલાનિર્માણ છે, એ ખ્યાલનો અહીં છેદ ઊડી જાય છે, પણ, આ રીતે, વિવેચનનાં કાર્યો ગણાવતા છતાં, તેની તાત્ત્વિક ભૂમિકાને અવગણતા હોય તેમ, પાછળના અન્ય લેખોમાં ફરી ફરીને વિવેચન એ સર્જન છે એમ તેઓ દોહરાવતા રહ્યા છે.&lt;br /&gt;
વ્યવહારજીવનમાં તોલન અર્થે ત્રાજવાં તોલમાપ આદિનો ઉપયોગ થાય છે, તેમ કૃતિવિવેચનમાં ય કૃતિની ગુણવત્તાના તોલન અર્થે માપ કે માપદંડ જેવું સંભવે છે, એમ વિશ્વનાથ બતાવે છે. વિવેચનમીમાંસામાં વારંવાર મૂલ્યાંકનનાં ‘ધોરણો’ (norms), કસોટી (criteria) ‘માપદંડો’ (yardstick/measure) કે ‘નિકષ’નો નિર્દેશ કરવામાં આવે છે. પણ વ્યવહારજીવનનાં ત્રાજવાં સાથેની આ જાતની સરખામણી વિવેચનની ખરી પરિસ્થિતિ પર વેધક પ્રકાશ નાખવાને બદલે તેમાં ગૂંચવાડો ઊભો કરે છે, એમ મને લાગે છે. વ્યવહારજીવનમાં દરેક પ્રજા અમુક તોલમાપ નક્કી કરીને ચાલે છે, અને તે આખી પ્રજા માટે વ્યાપાર/વ્યવહારમાં સ્વીકાર પામે છે. સાહિત્યના જગતમાં આવાં કોઈ સ્થિર નિશ્ચિત તોલમાપનો ખ્યાલ જ કદાચ ગેરસમજ ઊભી કરશે. કલાવિચારના વિકાસ સાથે નવાં નવાં મૂલ્યો ઊભાં થતાં આવે છે અને અગાઉનાં મૂલ્યોના ઉચ્ચાવચતાના ક્રમમાં – hierarchyમાં – નવી વ્યવસ્થા ઊભી કરવી પડે છે.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો વિચાર કરતાં વિશ્વનાથ એમ કહે છે કે શ્રેષ્ઠ સાહિત્યકૃતિઓનું તેણે સતત ચિંતનપરિશીલન કર્યું હોવું જોઈએ. તેણે પોતાની સિવાયની કોઈ એક બીજી મહાપ્રજાના ‘સાહિત્યરાશિનો‘ પણ ઘનિષ્ઠ પરિચય કેળવવો જોઈએ. જગતસાહિત્યની સર્વોત્કૃષ્ટ કૃતિઓ વિશેનું તેનું જ્ઞાન જેટલું વિશાળ તેટલું વિવેચક તરીકે તેનું કામ વિશેષ સફળ રહેવાનું. તેઓ એવો ખુલાસો આપે છે – ‘વિવેચનમાં કેવળ રસિકતા સર્વ પ્રસંગે યથાર્થ નિર્ણયો આપી શકે નહિ, એકલી સહજોપલબ્ધિ પર સર્વ પ્રસંગે આધાર નહિ રાખી શકાય. રસિકતાને વિદ્વત્તાનો ટેકો જોઈએ. સહજોપલબ્ધિમાં અધ્યયનનું બળ ઉમેરવું જોઈશે. તો જ વિવેચક છાતી ઠોકીને કોઈ પણ ચુકાદો આપી શકશે અને તો જ એનો ચુકાદો સર્વસ્વીકાર્ય બની શકશે.’ આમ, વિવેચકમાં ‘રસજ્ઞતા’ની સાથોસાથ વિદ્યાવ્યાસંગની ઘણી મોટી જરૂર છે એમ તેઓ નોંધ છે.&lt;br /&gt;
વિવેચકમાં ત્રીજા ‘શીલમય કોશ‘ની પણ તેમણે આવશ્યકતા દર્શાવી છે. વિવેચકનું ‘શીલ‘ એટલે અડગ સત્યનિષ્ઠા, કૃતિ/કર્તા વિશે તેના મનમાં જે અભિપ્રાય બંધાવા પામે તેને પૂરી પ્રામાણિકતા સચ્ચાઈ અને હિંમતથી જાહેર કરવાની તત્પરતા. સર્જક વિશેનો કોઈ રાગદ્વેષ તેના અભિપ્રાયને વિકૃત ન કરે કે કોઈના ડરથી અભિપ્રાય બદલે નહિ – એ પ્રકારની અડગ નિશ્ચિલતા તે શીલ. વિશ્વનાથે ગણાવેલો આ ‘શીલમય કોશ’, આમ જુઓ તો, વિવેચનવ્યાપારથી અલગ બાબત છે. વિવેચનાત્મક અભિપ્રાયના જાહેર પ્રકાશન સાથે એને વધુ નિસ્બત છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
વિવેચ્ય કૃતિ પરત્વે વિવેચકનો અભિગમ કેવો હોય, કેવો હોવો જોઈએ, એ પ્રશ્ન વિવેચકમીમાંસાનો એક અતિ કૂટ પ્રશ્ન છે. કૃતિ/કર્તા વિશે વિવેચકને કોઈ રાગદ્વેષ કોઈ પૂર્વગ્રહ હોવાં ન જોઈએ એ વાત સમજવામાં ને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. આગળના યુગનો આદર્શ રહ્યો છે : ‘કૃતિને જેવી છે તેવી’ ઓળખવી. વિશ્વનાથ કહે છે કે વિવેચક પાસે સાહિત્યાદિ બાબતોમાં ‘અંગત મત કે વિચાર જેવું’ હોય ખરું, પણ કૃતિના વિવેચન પ્રસંગે તેણે તે વચ્ચે લાવવાનાં નથી. તેઓ એટલે સુધી કહેવા જાય છે કે વિવેચકે ધર્મ સમાજ રાજકારણ સાહિત્યકળા એમ જીવનના બધા જ વિષયોમાં ચિંતનમનન કરીને ‘આગવી પ્રતીતિ’ કેળવી હશે તો તે ય વિવેચનમાં અંતરાય રૂપ ન બનવી જોઈએ. ‘સ્વકીય મંતવ્યોને અનુસરે’ તેટલું જ સુંદર અને આવકાર્ય, બીજું નહિ, આવો કોઈ ભાવ તે પોતાનામાં બંધાવા દેતો નથી. વિવેચન કરતી વેળા તે ‘જાણે કે સર્વ પ્રકારની પરંપરા વાદોથી પર બનીને કેવળ નિર્મળ સૌંદર્યપરાયણ રસલક્ષી દૃષ્ટિથી’ જ બધી કૃતિઓનું ‘નિરીક્ષણ કરે છે’, અને ‘પોતાનાથી ભિન્ન મતાનુસારી હોવા છતાં’ એમાં ‘બીજી રીતે જો સાચું સૌંદર્ય’ છતું થતું હોય તો તેની કદર કર્યા વિના તે રહેશે નહિ. આ અંગે તેઓ નિશ્ચયાત્મક ભાષામાં કહે છે : “વિવેચક સર્વ વિષયોમાં સાંપ્રદાયિકતાથી પર બનીને સ્વતંત્ર દૃષ્ટિએ સાહિત્યપરીક્ષા કરી શકશે તો જ એ સૌંદર્યને સમજી શકશે.”૭૦&lt;br /&gt;
વિશ્વનાથ અહીં વિવેચ્ય કૃતિની indentity કે recognitionના એક અત્યંત પાયાના મુદ્દાને કદાચ અણજાણપણે જ સ્પર્શી રહ્યા છે. અહીં બે અલગ મુદ્દાઓ, અલબત્ત, ગૂંચવાયેલા પડ્યા છે :&lt;br /&gt;
એક, વિવેચ્ય કૃતિને વિવેચક કેવી રીતે જૂએ અને સ્વીકારે છે? ‘કૃતિ જેવી છે તેવી’ને ઓળખવા કલાવિચાર અંગેના બધા જ ખ્યાલો–બધી જ પ્રતીતિઓ-થી સર્વથા મુક્ત થઈને તે પ્રતિભાવ પાડી શકે? પોતાની આંતરિક પ્રતીતિઓથી અળગા બનવાનું શક્ય છે? અને, કદાચ શક્ય હોય, તો તે ઇષ્ટ ખરું? વિવેચનના ઇતિહાસમાં આપણે જોઈ શકીશું કે મહાન પ્રતિભાશાળી વિવેચકોએ જે રીતે વિવેચનનાં લખાણો પ્રગટ કર્યાં છે તેમાં કળા અને સર્જન વિશેની તેમની આગવી પ્રતીતિઓ અભિપ્રાયમાં નિર્ણાયક બની જ છે. એલિયટ, લિવિસ કે બ્રેડબરીનાં વિવેચનો (અને આપણે ત્યાં બળવંતરાય રામનારાયણ વિષ્ણુપ્રસાદ ઉમાશંકર કે સુરેશ જોષીનાં વિવેચનો) આપણને આ જ તારણ પર લઈ જશે. એટલે વિવેચ્ય કૃતિની ઓળખમાં વિવેચક પોતાની આંતરપ્રતીતિઓથી મુક્ત થઈ શકે ખરો એ પ્રશ્ન જ રહે છે.&lt;br /&gt;
બે, વિવેચક સાહિત્યાદિ વિષયોને લગતા ખ્યાલો માન્યતાઓ અને પ્રતીતિઓથી પર થઈ, કેવળ કૃતિના ‘સૌંદર્ય’ને પામી શકે ખરો? કૃતિમાં વ્યક્ત થતું ‘સૌંદર્ય’ એ કોઈ કળાવિચાર કે તત્ત્વવિચારથી સાવ અલગપણે સંભવતું તત્ત્વ છે? કૃતિમાંની ‘રમણીયતા’ કે ‘સૌંદર્ય‘ને, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ તેમ, કૃતિ સમગ્રના ધ્વનિથી અલગ પાડીને વિચારી શકાય ખરું? જો કૃતિના ‘સૌંદર્ય‘ કે ‘રમણીયતા’ના તત્ત્વને તેમાં વ્યક્ત થતા અર્થ ભાવ કે મૂલ્યો સાથે સાંકળીએ તો વિવેચક એનો સાવ તટસ્થપણે નિષ્ક્રિયપણે સ્વીકાર કરી શકે ખરો? ઉ. ત. આકારવાદી વિવેચક કળાકૃતિને જે રીતે જૂએ છે અને તેમાં જે અર્થો અને મૂલ્યોની ખોજ કરે છે તેથી માર્ક્‌સવાદી વિવેચક જુદી જ રીતે કૃતિને જૂએ છે અને જુદાં જ મૂલ્યોની ખોજ કરે છે. આપણે પશ્ચિમના અને ભારતની અન્ય ભાષાઓના વિવેચનસાહિત્યમાં માકર્‌સવાદી અભિગમે પુરસ્કૃત કરેલાં મૂલ્યોનો ખ્યાલ કરીએ, ત્યારે તરત સ્પષ્ટ થાય છે કે કૃતિના ધ્વનિ અને રમણીયતા બોધના ખ્યાલો જ તેમના જુદા છે. તાત્પર્ય કે, કૃતિમાં વ્યક્ત થતા માનવસંદર્ભો, તેના અર્થો, આદિથી સ્વતંત્ર અને અલગ રૂપમાં ‘સૌંદર્ય’ની સત્તા સંભવી શકે નહિ.&lt;br /&gt;
વિવેચક પોતાનો ધર્મ બરાબર બજાવી શકે, તે માટે તેણે સર્જનપ્રવૃત્તિમાં ન પડવું જોઈએ એવો એક વિચિત્ર ખ્યાલ વિશ્વનાથે રજૂ કર્યો છે. તેમનું એમ માનવું છે કે સર્જનકાર્યમાં પ્રવૃત્ત થતાં તેની દૃષ્ટિ સંકુચિત બની જાય છે. પોતે જે પ્રકારની સર્જનપદ્ધતિ ઊભી કરે તે જ સાચી અને બીજી બધી ખોટી એવી ગ્રંથિ તેના મનમાં જાણ્યે અજાણ્યે ય બંધાવા લાગે છે. વિશ્વનાથની આ માન્યતામાં ઝાઝું તથ્ય જ નથી. છતાં માની લઈએ કે એમાં તથ્ય છે, તો ય આપણે એમ કહીશું કે સર્જનના ક્ષેત્રમાં તે પ્રવૃત્ત થાય તે વધુ આવકાર્ય બાબત છે. પ્રતિભા હશે તો મૂલ્યવાન સર્જનો તેની પાસેથી મળશે. વિવેચન કરતાં સર્જનની પ્રવૃત્તિ આગવું મૂલ્ય ધરાવે છે. ઉત્કૃષ્ટ સર્જનોનો અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે.&lt;br /&gt;
એલિયટે આથી કંઈક જુદો ખ્યાલ રજૂ કર્યો છે તે આ પ્રસંગે સ્મરણમાં તરી આવશે. તેમણે કવિતાના ‘સામાજિક કાર્ય’નો મુદ્દો સ્પષ્ટ કરતાં એમ કહેલું કે કવિતાએ કયાં કાર્યો બજાવવાં ઘટે એ મુદ્દા વિશે લોકો વાત કરવા બેસે ત્યારે ઘણું ખરું જે વિશિષ્ટ શૈલીની કવિતા લખવાનું તેમને રુચે તેની જ વાત કરશે, એવા લોકો જો કવિઓ પોતે હોય તો તો ખાસ. અહીં એલિયટને એટલું જ સૂચવવું છે કે કવિતાનાં કાર્યો વિશે જો કવિઓ વાત કરશે તો પોતાને ઇષ્ટ કવિતાને વિશે જ કરશે. તેમનો દૃષ્ટિકોણ એ રીતે સીમિત બની જાય છે એમ એમાં અભિપ્રેત છે. જો કે તેઓ પોતાના ચિત્તમાં ચાલતી સર્જનપ્રક્રિયાના ગાઢ સાક્ષી રહ્યા હોવાથી તેમના વિચાર વધુ સૂક્ષ્મ અને વેધક નીવડી આવવા સંભવ છે એમ આપણે ઉમેરી શકીએ.&lt;br /&gt;
‘વિવેચનની અગત્ય’ શીર્ષકના લેખમાં ઉપરની ચર્ચાના કેટલાક મુદ્દાઓ નવેસરથી વિગતે સ્પષ્ટ કરવામાં આવ્યા છે, તો સારું એવું પુનરાવર્તન પણ એમાં જોવા મળશે. સાહિત્યના સર્વાંગી વિકાસ અર્થે તેમ તેનાં ધારણપોષણ અને જતન અર્થે વિવેચનની પ્રવૃત્તિ અત્યંત અનિવાર્ય છે એ ખ્યાલ અહીં ભારપૂર્વક રજૂ થયો છે. તેમની સમજ એવી છે કે સર્જનાત્મક સાહિત્યના વિકાસવિસ્તારમાં વિવેચન પ્રેરણા આપી શકે, નવપ્રસ્થાન અર્થે દિશાસૂચન કરી શકે, માર્ગદર્શન આપી શકે, અને એ રીતે સાહિત્ય જગતમાં તે મોટું વિધાયક બળ બની શકે. તત્કાલીન ગુજરાતી સાહિત્યની ગતિવિધિઓને લક્ષમાં રાખી વિવેચકો માટે તેમણે જે કાર્યસૂચિ રજૂ કરી છે તે પણ ધ્યાનાર્હ છે. આપણા વિશિષ્ટ સંયોગો વચ્ચે વિવેચકે કઈ ભૂમિકા ભજવવાની છે, અથવા કઈ ભૂમિકા તે ભજવી શકે, તેનો રસપ્રદ સંકેત એમાં મળશે.&lt;br /&gt;
(૧)	ગુજરાતને અંગ્રેજી સંસ્કૃત ફારસી આદિ શિષ્ટ સાહિત્યોની વિશેષતાઓ તે સમજાવે.&lt;br /&gt;
(૨)	ગુજરાતી સાહિત્યમાં ન હોય છતાં એને જરૂરનાં હોય એવાં તત્ત્વોની ગુજરાતના લેખકોને ઓળખાણ કરાવે. એ તત્ત્વો પોતાના સાહિત્યમાં ઉમેરવા એમને ઇલાજો બતાવે.&lt;br /&gt;
(૩)	બીજા સાહિત્યમાં ખીલ્યા હોય અને ગુજરાતી સાહિત્યમાં જેનું નામનિશાન ન હોય એવા વિષયો તરફ એમનું લક્ષ દોરે તથા સ્વસાહિત્યમાં એ ઉતારવા એમને પ્રેરે.&lt;br /&gt;
(૪)	શિક્ષિત વર્ગમાં સાહિત્યસેવાનો ઉત્સાહ પ્રકટાવવાનું અને એને માટે તેને તત્પર કરવાનું કામ પણ તે કરે. તાત્પર્ય કે, સાહિત્ય ક્ષેત્રમાં તરુણ પેઢીને દીક્ષા આપવાનું કામ તે કરે.&lt;br /&gt;
(૫)	ભાવક વર્ગની સાહિત્ય રુચિ કેળવવી, સંસ્કારવી, પરિમાર્જિત કરવી. શિષ્ટ સાહિત્ય માટે રુચિ જન્મે, હલકા ને તુચ્છ સાહિત્ય પ્રત્યે તિરસ્કારભાવ જન્મે તે રીતે તેનાં મનોવલણોને ઘાટ આપશે.&lt;br /&gt;
(૬)	સ્વભાષાની તેમ પરભાષાની પ્રાચીન અર્વાચીન મહાન કૃતિઓના વાચન-પરિશીલન કરી તેનાં વિભિન્ન તત્ત્વોનું તે નિરૂપણ કરે, તેની ઉત્કૃષ્ટતા બતાવે, તુલના કરી તેના ઇષ્ટતમ અંશોની પ્રતિષ્ઠા કરે.&lt;br /&gt;
(૭)	ભૂતકાળની જે જે સાહિત્યિક પ્રથાઓ/પ્રણાલિકાઓ હ્રાસ પામી હોય તેના પુનરુદ્ધાર અર્થે તે પ્રયત્ન કરે.&lt;br /&gt;
(૮)	ગુજરાતના પ્રજાજીવનની સમસ્ત પ્રવૃત્તિઓને નિહાળે, એનો સડો દૂર કરે, એના ઉત્કૃષ્ટ અંશોને વિકસાવે અને એના પ્રજાજીવનનું ઊંડું અધ્યયન કરી તેને સર્વથા સન્માર્ગે વાળવા પ્રયત્ન કરે.&lt;br /&gt;
આ આખી કાર્યસૂચિ જોતાં તરત જ સમજાશે કે વિવેચક માત્ર સાહિત્યનો નહિ પ્રજાના સંસ્કાર-જીવનનો ય રક્ષક અને ચિકિત્સક છે. મેથ્યુ આર્નોલ્ડે વિવેચકને જે રીતે જીવન સમસ્તનો સમીક્ષક લેખવ્યો હતો તેવી જ કંઈક ભૂમિકા વિશ્વનાથે પણ અહીં સૂચવી છે. પણ અહીં ખાસ તો એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે વિવેચક આવી બધી પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક કરે, જોમપૂર્વક કરે, તો તેથી બહુ બહુ તો નવીન સર્જન અર્થે અમુક અનુકૂળ વાતાવરણ ઊભું થાય, પણ તેથી ઉત્કૃષ્ટ સર્જન બની આવશે જ એવું કહી શકાય નહિ. મહાન સર્જન અર્થે મહાન પ્રતિભા જોઈએ. અને એ ય સાચું છે કે આવી મહાન પ્રતિભા પર વિવેચકો ભાગ્યે જ કશો પ્રભાવ પાડી શકે. વિવેચકો અસર પાડે છે મધ્યમ કોટીના કે અલ્પસત્ત્વ સર્જકો પર, પણ સાથે એ ય સાચું કે મહાન વિવેચકો કેટલીક વાર સાહિત્યના મુખ્ય વહેણને બદલી નાખી શક્યા છે.&lt;br /&gt;
વિવેચન પણ એક રીતનું સર્જન છે એવી તેમની વિચારણાનો આપણા અગ્રણી વિવેચક રામનારાયણ પાઠકે પ્રતિવાદ કરેલો અને ચુસ્ત તાર્કિક દલીલો દ્વારા એમ બતાવેલું કે વિવેચનનું સ્વરૂપ સર્જનથી તત્ત્વતઃ ભિન્ન છે. પણ વિશ્વનાથને રામનારાયણ પાઠકની વિચારણાથી કદાચ સમાધાન થયું નહિ હોય, એટલે વિવેચકની ‘પ્રતિષ્ઠા’ કરવા ફરીને તેઓ વધુ અભિનિવેશપૂર્વક મથ્યા છે. વિવેચક આગવી રીતનો સર્જક છે એમ સ્થાપી શકાય તો જ તેની પ્રતિષ્ઠા ઊભી થાય એવી કંઈક (ગેર)સમજથી વિવેચનની ‘સર્જનશીલતા’ બતાવવા તેમણે ફરીફરીને પ્રયત્ન કર્યો છે. મુશ્કેલી એ વાતની છે કે વિવેચકને માટે – આર્નોલ્ડને અભિમત ભૂમિકા સ્વીકારતા છતાં – વિવેચન એ ‘શુદ્ધ સર્જન’ છે એવું રટણ જારી રાખે છે.&lt;br /&gt;
‘વિવેચકની સર્જકતા’ લેખમાં ય તેમણે પોતાની પ્રિય માન્યતાનું જ ફરીથી વિવરણ કર્યું છે. જો કે એમાં તાર્કિક દૃષ્ટિએ ગૂંચો ય રહી જવા પામી છે. વિવેચનના સ્વરૂપ અને કાર્ય સમજાવવાને તેમણે અહીં નિકષરેખાનું રૂપક યોજ્યું છે. ‘સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ તે વિવેચન’—એવી વ્યાખ્યા તેમણે રજૂ કરી છે. પણ નિકષરેખાનું રૂપક જ ચર્ચાને ઢાંકી દે છે. હૃદય પર સાહિત્યકૃતિની નિકષરેખા આંકી દેવી અને તેની બાજુમાં ચકાસણી અર્થે સાહિત્યશાસ્ત્રના નિયમો અને સર્વમાન્ય શિષ્ટ કૃતિઓની રેખાઓ આંકી લેવી, અને એ રીતે વિવેચ્ય કૃતિની પરીક્ષા કરવી – એ ખ્યાલ જ અધૂરો અને ગેરમાર્ગે દોરી જનારો છે. કૃતિવિવેચનમાં કસોટી અર્થે વિવેચક ખરેખર કઈ કૃતિઓને નજરમાં રાખશે? કયા સિદ્ધાંતોને બાજુમાં મૂકશે? અને આવા કોઈ સિદ્ધાંતને નવી રીતિની કૃતિમાં કેવી રીતે લાગુ પાડી બતાવશે?&lt;br /&gt;
કૃતિ પરત્વેના અભિગમની બાબતમાં કદાચ વધુ યથાર્થ હકીકત તો એ છે કે કૃતિના આસ્વાદની આરંભની ક્ષણે (કે કદાચ તેનીય પૂર્વે) વિવેચક પોતાને Orient કરી રહ્યો હોય છે. કૃતિના આકાર અને શૈલી વિશેષના ગ્રહણનો પ્રયત્ન આરંભાય છે, ત્યાં તેની પાછળ કામ કરતા રચનાત્મક સિદ્ધાંત–Creative Principle–ને ય પકડવા તે મથી રહ્યો હોય છે. અને કૃતિનો આસ્વાદ પૂરો થતાં સુધીમાં કૃતિનાં સમૃદ્ધ તત્ત્વોથી તે પ્રભાવિત થઈ ચૂક્યો હોય છે. (અથવા કૃતિની ન્યૂનતાઓથી ખિન્ન બન્યો હોય છે.) એટલે તેના આસ્વાદમાં જ કૃતિના મૂલ્યનો લગભગ અંદાજ આવી ચૂક્યો હોય છે. હૃદય પર પહેલાં કૃતિની ‘નિકષરેખા‘ અંકાય, અને પછીની ક્ષણે તે અન્ય કૃતિઓ અને સિદ્ધાંતો સામે તુલનામાં મૂકાય અને તેની પરીક્ષા થાય, એવો સ્પષ્ટ અલગ ક્રમ સંભવતો નથી.&lt;br /&gt;
વિવેચનની આ પ્રક્રિયામાં વિવેચક નિકષ સ્થાને ‘બુદ્ધિ‘ને નહિ, ‘ઊર્મિ‘ને સ્વીકારે છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે; અને પોતાના એ મતનું પાશ્ચાત્ય સાહિત્યકાર ડી. એચ. લૉરેન્સમાંથી તેમણે સમર્થન મેળવ્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ ‘સહૃદયતા’નો જે ખ્યાલ રજૂ કરેલો તે પણ તેમને અભિમત ‘ઊર્મિ’ની કસોટીનો જ છે એમ પણ તેઓ ઘટાવી આપે છે. પણ તેમની આ બધી ય ચર્ચાવિચારણા સરલીકરણના દોષમાં સરી પડી છે. સાહિત્યના આસ્વાદની પ્રક્રિયા, અલબત્ત, માત્ર બૌદ્ધિક વ્યાપાર કે તાર્કિક વ્યાપાર નથી. પણ તે કેવળ ઊર્મિવ્યાપાર પણ નથી. ભાવક/વિવેચકની ‘સહૃદયતા‘ (અથવા પ્રાચીન અલંકારિકોએ જેને ‘ભાવયિત્રી‘ પ્રતિભા કહી છે તે) કંઈ માત્ર ઊર્મિવ્યાપાર નથી. પણ વિશ્વનાથનો ફરી ફરીને પ્રયત્ન વિવેચનની ‘સર્જકતા’ કે ‘કળાત્મકતા‘ની પ્રતિષ્ઠા કરવાનો રહ્યો છે, એટલે વિવેચન તે ઊર્મિમય કે ઊર્મિરૂપ વ્યાપાર જ છે એમ સિદ્ધ કરવા મથી રહ્યા છે. શાસ્ત્રોને માત્ર ‘બુદ્ધિ’ સાથે નિસ્બત રહે છે, જ્યારે વિવેચનને માત્ર ‘ઊર્મિ‘ સાથે, એમ પણ તેઓ કહે છે, અને વળી દલીલ કરે છે કે, શાસ્ત્રીય સંશોધનમાં અત્યંત અનિવાર્ય એવી ‘વૈજ્ઞાનિક ચોકસાઈ‘ કે ‘એકરૂપતા‘ વિવેચનમાં સંભવતી નથી. એટલે જ વિવેચન એક પ્રકારનું સર્જન જ છે!&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપવિચારમાં કૃતિનો આસ્વાદ અને તેની વસ્તુનું આકલન કે અર્થઘટન કે મૂલ્યાંકન – જેવી પ્રક્રિયાઓને અલગ રૂપમાં જોઈ ન શકાતાં આવી ગૂંચો ઉદ્‌ભવી હોય એમ સમજાય છે. સ્તોલ્નિઝ બતાવે છે તેમ, કૃતિના રસાનુભવની તીવ્રતમ ક્ષણોમાં–તલ્લીનતાની એ ઉત્કટતમ ક્ષણોમાં–ભાવકની ભાવયિત્રી કૃતિથી અળગી થઈને તેને વિશે ભાગ્યે જ બૌદ્ધિક પ્રશ્નો કરે છે, અથવા તાર્કિક ચિંતનમાં તે ભાગ્યે જ રોકાય છે. આવી ક્ષણોમાં કૃતિ સાથેનો સંનિકર્ષ, અલબત્ત, એક અતિ સંકુલ ચૈતસિક ઘટના સંભવે છે. ભાવકની ચેતના અતિ સતેજ પ્રત્યગ્ર અને સન્નધ બનીને ત્યારે પ્રવર્તે છે, અને એમાં એની ભાવયિત્રી સમગ્રતયા સંડોવાતી હોય છે. પણ કૃતિના આસ્વાદની ક્ષણો પોતે કંઈ વિવેચન વ્યાપાર નથી જ. એ તો, કૃતિ પૂરી થતાં, ભાવક પોતે કૃતિના અનુભવથી અળગો થઈ એનું આકલન કરવા, એમાં સ્પર્શી ગયેલાં રમણીય તત્ત્વોનું અલગ ગ્રહણ કરવા, એમાંના ‘અર્થો’ અને ‘મૂલ્યો’ની નોંધ લેવા પ્રવૃત્ત થાય છે, ત્યાંથી વિવેચનની ગતિ આરંભાય છે. કૃતિનો આસ્વાદ, મૂલ્યસભર રસાનુભવ–એ વિવેચનની આધાર ભૂમિ છે, સ્વયં વિવેચન નથી. અને હકીકતમાં આસ્વાદની સામગ્રીને વિવેચક ફરીથી ‘ઓળખવા’ અને ‘સમજવા’ સક્રિય બને છે, ત્યાં તે અનુભવને કોઈક રીતે formulate કરવા મથે છે કે વિભાવનાઓની અમુક કોટિમાં ઢાળીને સમજવા મથે છે. આમ ત્યાં બૌદ્ધિક વ્યાપારનું અનુસંધાન થાય છે. વિશ્વનાથ માને છે તેમ એ નર્યો ઊર્મિવ્યાપાર નથી.&lt;br /&gt;
એકની એક કૃતિ વિશે ભાવકો/વિવેચકો જુદો જુદો અભિપ્રાય વ્યક્ત કરે છે, તેનું કારણ પણ, તેમના મતે વિવેચન એ ઊર્મિરૂપ વ્યાપાર છે, તે છે. પણ તેમની આ સમજ પણ બરાબર નથી. કૃતિ વિશેનાં મતમતાંતરો પાછળ તેમની ભિન્ન રુચિ અને દૃષ્ટિ કામ કરી રહ્યાં હોય છે. દરેક વિવેચક પોતાની સામે આવેલી કૃતિને, કળાતત્ત્વ વિશેની તેની અમુક દૃષ્ટિના પ્રકાશમાં જોવા મથતો હોય છે, અને એ રીતે તેની અપેક્ષા પૂરી સંતોષાય છે અથવા સંતોષાતી નથી. વિવેચનમીમાંસાનો ખરેખર આ એક કૂટ પ્રશ્ન છે.&lt;br /&gt;
કાવ્યની રસાનુભૂતિ એ ભાવકના કેવળ ઊર્મિવ્યાપારની પ્રક્રિયા છે, એવા પોતાના ખ્યાલનું સમર્થન મેળવવા એબરક્રોમ્બિની વિચારણા તેઓ ઉતારે છે :&lt;br /&gt;
‘The existence of a work of art, in fact, is not material at all, but spiritual. It is a continually creative existence, for it exists by continually creating experience. In one sense, this means that it is a continually changing existence; for the experiences it creates must always be individual and therefore unique experiences. Yet in another sense, it is always the same. For it always exists in unbroken connexion with its author who forms the experiences, he gives...’૭૧&lt;br /&gt;
દેખીતું છે કે એબરક્રોમ્બિ અહીં કલા વિષયક એક વિશિષ્ટ પ્રકારનો ચૈતન્યવાદી દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે. કાવ્યને કોઈ ભૌતિક વસ્તુલક્ષી સત્તા હોતી નથી, ભાવકના અંતરમાં અનુભવરૂપે જ તે અસ્તિત્વમાં આવે છે એમ તેમનું કહેવું છે. જુદી જુદી ક્ષણના અનુભવો જુદા પડેય છે, અને છતાં તેની મૂળભૂત identity લુપ્ત થતી નથી. એબરક્રોમ્બિને કદાચ એમ સૂચવવું છે કે ચિત્રશિલ્પ આદિ કળાઓ કરતાં સાહિત્યકળા જરા જુદો પ્રશ્ન ઊભો કરે છે. પણ પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં ભાવકના ઊર્મિવ્યાપારને નહિ, સમગ્ર ‘અનુભવ’ને તેઓ અનુલક્ષે છે; અને, ઊર્મિવ્યાપાર કરતાં ‘અનુભવ’ સ્વરૂપતઃ ભિન્ન વસ્તુ છે. પણ વિશ્વનાથે અહીં એબરક્રોમ્બિનું તાત્પર્ય જ બરોબર પકડ્યું નથી, એમ કહેવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
વિવેચકના કાર્યની સફળતા વિશે તેમણે એક ‘કસોટી’ રજૂ કરી છે : સાહિત્યના કોઈ ગ્રંથ કે ગ્રંથકાર વિશે અત્યાર સુધી ગૂઢ રહેલું પણ સર્વમાન્ય બની જાય એવું કોઈ સત્ય તેણે પહેલી વાર પ્રકાશમાં મૂક્યું છે ખરું અને તે પણ વાચકોને આનંદ આપે એવા મનોહર આકારમાં મૂર્ત કરી શક્યો છે ખરો? કસોટી વિશે ભાગ્યે જ બેમત હોઈ શકે, પણ વિવેચનાત્મક લખાણમાં ય ‘મનોહર આકાર’ની તેઓ અપેક્ષા રાખે છે!&lt;br /&gt;
‘મોટા વિવેચક’ વિશેનો વિશ્વનાથનો ખ્યાલ તેમની આ કસોટીનું જ વિસ્તરણ છે : ‘જે વિવેચક જેટલી વધુ સંખ્યાના સાહિત્યકારો કે સાહિત્યકૃતિઓના સંબંધમાં સર્વસ્વીકાર્ય બની જાય એવું રહસ્યદર્શન જેટલા વધુ પ્રમાણમાં કરાવી શકેલ હોય, જેણે સૌથી વિશેષ ગ્રંથો ગ્રંથકારો કે સાહિત્યપ્રશ્નોના સંબંધમાં સૌથી વિશેષ સાચા અભિપ્રાયો સ્થાપિત કરવામાં જેટલો વધુ ફાળો આપેલ હોય, અને એ બધું વિવેચન પાછું વિવેચ્ય કૃતિને ખાતર નહિ પણ સ્વતંત્ર સાહિત્ય તરીકે આકર્ષે ને આસ્વાદવું ગમે એવી સુભગ શૈલીમાં કર્યું હોય–કેવળ સાહિત્યકૃતિ તરીકે ઉચ્ચ કોટિનો આનંદ આપે એવી રસાળ શૈલીમાં કર્યું હોય અર્થાત્‌ દર્શન ને વર્ણન ઉભય કવિકાર્યમાં જેણે જેટલી વિશેષ શક્તિ દાખવેલ હોય તેટલે અંશે તે મોટો વિવેચક ગણાય.’&lt;br /&gt;
‘વિવેચકની સર્જકતા’ લેખમાં, શીર્ષક સૂચવે છે તેમ, આ જ ખ્યાલનું પુનરુચ્ચારણ છે. અહીં સ્કૉટ જેમ્સની આ જાતની ચર્ચામાંથી તેમણે સમર્થન મેળવવા પ્રયત્ન કર્યો છે. વિવેચન એ સર્જન જ છે એમ બતાવવાના ઉત્સાહમાં, શેઇક્‌સ્પિયરની સાહિત્યસૃષ્ટિ વિષયક આર્નોલ્ડની, તેમ હોમર વિષયક કવિ કિટ્‌સની કાવ્યરચનાને તેઓ અહીં આગળ ધરે છે! અન્ય સર્જકો વિશેના આ પ્રતિભાવો સ્વયં કાવ્યરૂપ છે. અને વિવેચકો પણ આ જ રીતે અન્ય કવિઓ/ લેખકો વિશે પ્રતિભાવો ઝીલતા હોય છે, એટલે વિવેચનો પણ સર્જનો જ છે! અહીં જે તર્કદોષ છે તે સ્વયંસ્પષ્ટ છે. કોઈ એક કવિ વિશે બીજો કવિ કાવ્ય રચે એ ઘટના કરતાં વિવેચન જુદી જ વસ્તુ છે એ સ્પષ્ટ કરવાની હવે ભાગ્યે જ જરૂર રહે છે.&lt;br /&gt;
‘વિવેચનની પવિત્રતા’ લેખમાં ય તેમને ખાસ નવું કહેવાનું નથી. વિવેચક તો સર્જક કરતાંયે ચઢિયાતો છે એવો એક ખોટો ખ્યાલ તેમના મન પર સવાર થઈ ગયો છે. ‘સર્જન-વિવેચન ઉભયમાં કવિત્વ છે. પણ વિવેચનમાં કવિત્વ ઉપરાંત શિવત્વ પણ છે....’ – આવી તેમની સમજ ભાગ્યે જ સ્વીકારી શકાશે. લાંબા સમયની વિચારણાઓનો નિષ્કર્ષ આપતા હોય તેમ વિવેચકમાં સત્યનિષ્ઠા, રસિકતા, વિદ્વત્તા, તોલનશક્તિ અને વિશદ મનોમુકુર જોઈએ એ વિશેય તેમણે અહીં પુનરુચ્ચારણ કર્યું છે. કપરામાં કપરા, વિષમમાં વિષમ સંજોગોમાં યે વિવેચકે પોતાના વિવેચનાત્મક નિર્ણયોને પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી વ્યક્ત કરવા જોઈએ, અને એ રીતે પોતાના ‘શીલ’નું જતન કરવું જોઈએ, એવી હિમાયત તેમણે ભારપૂર્વક રજૂ કરી છે. પણ એના વ્યાજબીપણા વિશે ભાગ્યે જ કોઈ વાંધો લેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગાંધીયુગની આબોહવામાં ગતિ કરતા અગ્રણી સાહિત્યકારોમાં રામનારાયણ પાઠકનું વિશિષ્ટ સ્થાન છે. કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ હાસ્યલેખ પિંગળવિચાર આદિ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા આગવી રીતનું અર્પણ કરી ચૂકી છે. પણ તેમના સમગ્ર જીવનકાર્યમાંથી વધુ સ્પષ્ટ અને કદાચ વધુ પ્રભાવશાળી મૂર્તિ ઊપસે છે તે તો પ્રખર મેધાવી ચિંતકની, મર્મજ્ઞ વિવેચકની, અને વ્યુત્પન્ન પંડિતની. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમની પ્રતિભાની ઓળખ આપતાં કહ્યું છે : “ઉદ્યમ, સાવધાની, આકારનિર્માણની સૂઝ, અનેક વિદ્યાક્ષેત્રમાં મનોગતિ, પ્રસન્ન દ્યુતિમય પ્રજ્ઞાની મર્મજ્ઞતા અને ભાવશક્તિ રામનારાયણને અગ્રણી સાક્ષર તરીકે સ્થાપે છે.”૭૨ ગાંધીજીની જીવનભાવનાના કેટલાક સૌમ્ય દીપ્તિમંત અંશો તેમની પ્રતિભાએ સૂક્ષ્મ સ્તરે ઝીલ્યા છે, અને છતાં નિજી પ્રતિભાનો આગવી રીતે તેમણે વિકાસ સાધ્યો છે. એ સમયના બીજા ચિંતકોની જેમ ટૉલ્સ્ટૉયને અભિમત કળાવિચાર પણ તેમણે ઝીલ્યો છે. કળામાં, એ રીતે નૈતિકતાનો તેમ તેની સંક્રમણક્ષમતાનો તેમણે આગ્રહ કેળવ્યો છે. વિવેચકચિંતક તરીકે તેમની પ્રેરણા અને ગતિ વિશેષતઃ ભારતીય અલંકારશાસ્ત્રમાં રહી છે; પણ બારીક નજરે અવલોકન કરનારને તરત સમજાશે કે પાશ્ચાત્ય કળાવિચારનાં અનેક ઇષ્ટ તત્ત્વો તેમણે પોતાના વિવેચનમાં આત્મસાત કરી લીધાં છે.&lt;br /&gt;
પાશ્ચાત્ય વિવેચનની આપણા સાહિત્ય પર ઘણી મોટી અસરો પડેલી છે – આપણા અર્વાચીન સાહિત્યના ઇતિહાસની એ એક નક્કર અવિભાજ્ય હકીકત છે – એ વસ્તુનો સ્વીકાર કરીને તેઓ આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા છે. પણ પાશ્ચાત્ય કળાવિચારની પરિભાષાઓને કે તેની પાછળ રહેલા તત્ત્વવિચારને યથાર્થ રૂપમાં ન સમજાયાથી એના ઐતિહાસિક ઊગમ અને વિકાસનો પૂરો ખ્યાલ ન કરાયાથી આપણી કાવ્યચર્ચાઓમાં ઠીક ઠીક ગૂંચવાડાઓ ય રહ્યા કર્યા છે, એમ તેમનું કહેવું છે. આ વિશે તેમણે એવું મંતવ્ય પણ રજૂ કર્યું છે કે આપણા પ્રાચીન અલંકારશાસ્ત્રના અનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારોને આધુનિક પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ઘટાવીને કૃતિવિવેચનમાં તેને નવેસરથી પ્રયોજી શકાય છે. આમ સાહિત્યવિવેચનના છેક મૂળગામી પ્રશ્નોને તેમણે સ્પર્શ્યા છે. સાહિત્યવિચાર અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રોમાં તેમનું એકસરખું મૂલ્યવાન અર્પણ રહ્યું છે.&lt;br /&gt;
‘વિવેચક, સર્જક કે કવિ ગણાય?’ શીર્ષકના લેખમાં રામનારાયણે સર્જન અને વિવેચનની પ્રવૃત્તિઓની બારીક દૃષ્ટિએ ભેદરેખા આંકી આપી છે. વિશ્વનાથ ભટ્ટના ‘વિવેચનનો આદર્શ’ શીર્ષકના લેખમાંથી ઉપસ્થિત થતા મુદ્દાઓની ફેરતપાસરૂપે આ ચર્ચા તેમણે વિકસાવી છે.&lt;br /&gt;
‘વિવેચક પણ કવિના જેવો જ સર્જનશીલ કલાકાર’ – એવા વિશ્વનાથના વિધાનને અનુલક્ષીને રામનારાયણ એમ સ્પષ્ટતા કરે છે કે એક વિશિષ્ટ અર્થમાં આ વિધાન સાથે હું સહમત થઈ શકું; તે એ રીતે કે આપણે વાણી દ્વારા જ્યારે પણ આપણું મનોગત વ્યક્ત કરીએ છીએ, અમૂર્ત સ્વરૂપના વિચારને વાણીના ઉપાદાન દ્વારા મૂર્ત કરીએ છીએ, તેને પણ ચોક્કસ વિલક્ષણ અર્થમાં સર્જનાત્મક ઘટના આપણે લેખવતા હોઈએ છીએ; અને એ અર્થમાં વિવેચકને સર્જક લેખી શકાય ખરો. પણ એ જાતનો અર્થ લેતાં તો ઇતિહાસ, વિજ્ઞાનનો લેખક કે હરકોઈ લેખકચિંતક સર્જકની કોટિમાં આવશે! પણ, રામનારાયણ પાઠક આપણું ધ્યાન દોરે છે કે, વિશ્વનાથ વિવેચકને એ અર્થમાં સર્જક લેખતા નથી. તેમને એથી જુદું અભિપ્રેત છે.&lt;br /&gt;
‘સર્જન’ શબ્દનો બીજો પણ એક અર્થ રામનારાયણ પાઠક નોંધે છે. તેઓ કહે છે : તત્ત્વદૃષ્ટિએ જોતાં ઇંદ્રિયો દ્વારા મન પર બાહ્ય જગતના જે જે સંસ્કારો પડે છે, તેને આપણું મન એ ને એ રૂપમાં લેતું નથી. પણ તે સંસ્કારો ઉપર પોતે પોતાના સ્વરૂપ પ્રમાણે કામ કરે છે, અને એ રીતે તેનું રૂપ બદલાય છે અને એ નવીન સંસ્કાર જ – નવું રૂપ જ – જ્ઞાનનો વિષય બને છે. આ અર્થમાં જ્ઞાનની પ્રક્રિયામાં હંમેશાં સર્જનનો અંશ રહ્યો હોય જ છે. વિજ્ઞાનમાં પણ વૈજ્ઞાનિકો creative leap લે જ છે. તાત્પર્ય કે, જ્ઞાનની ઉપલબ્ધિની પ્રક્રિયામાં સર્જનાત્મક વ્યાપાર સંકળાયેલો હોય છે. વિવેચક કૃતિ વિશે જે રીતે પોતાનો મનોભાવ વ્યક્ત કરે છે, તેમાં અનિવાર્યપણે આવો જ્ઞાનવ્યાપાર જોડાયેલો જ છે; અને એટલે અંશે વિવેચનમાંય ‘સર્જન’નું તત્ત્વ દાખલ થાય છે; પણ વિશ્વનાથને આવો અર્થ પણ ઇષ્ટ નથી.&lt;br /&gt;
આટલી ભૂમિકા સ્પષ્ટ કરી રામનારાયણે વિશ્વનાથની દલીલમાં રહેલી ભૂલ છતી કરી આપી છે. વિશ્વનાથનું મુખ્ય પ્રતિપાદન એમ છે કે બાહ્ય જગતના પદાર્થ કે વિષયના સંસ્પર્શથી પોતાના ચિત્તમાં જન્મેલી ઊર્મિઓને અન્યના ચિત્તમાં સંક્રાંત કરી શકાય તેવી રીતે કવિ અભિવ્યક્તિ સાધે છે; અને તેની કૃતિને આપણે કલા કે સર્જન તરીકે ઓળખાવીએ છીએ. વિવેચક પણ એ જ રીતે સાહિત્યકૃતિ વિશે (કવિની જેમ જ પદાર્થ કે વિષય તરીકે તે માત્ર સાહિત્યકૃતિ સ્વીકારે છે) પોતાની ઊર્મિ વ્યક્ત કરે છે, એટલે તે પણ કવિ છે, કલાકાર છે. વિચક્ષણ દૃષ્ટિવાળા રામનારાયણ પાઠક, વિશ્વનાથનો તર્કદોષ અહીં બરોબર પકડી શક્યા છે. તેમણે સર્જન કરતાં વિવેચનની પ્રવૃત્તિ તત્ત્વતઃ જુદી છે એમ સમર્થ રીતે બતાવ્યું છે. તેઓ કહે છે કે સર્જનની બાબતમાં કવિને ઊર્મિનો ધક્કો આપનાર પદાર્થ સાથે પછીથી સંબંધ રહેતો જ નથી. બાહ્ય જગતનો પદાર્થ કે પરિસ્થિતિ તો નિમિત્ત માત્ર રહી જાય છે. રચનાની ક્ષણોમાં પછીથી કવિનું આંતરિક વિશ્વ છતું થવા લાગે છે. વિવેચનની બાબતમાં આમ બનતું નથી. વિવેચકે વિવેચ્ય કૃતિ સાથે અંત સુધી તંતોતંત અનુસંધાન જાળવી રાખવાનું છે. આ વિશે આપણે અગાઉ નિર્દેશ કરી ગયા છીએ તેમ, વિવેચકે તો કૃતિનું જ હાર્દ ખુલ્લું કરવાનું છે, તેના જ અર્થો અને મૂલ્યો પ્રકાશમાં આણવાનાં છે, તેની સમસ્ત વિવેચન પ્રક્રિયામાં locus standi કૃતિ જ રહે છે. વિવેચનનું પ્રયોજન સ્પષ્ટ કરતાં તેઓ કહે છે :&lt;br /&gt;
“વિવેચનનું મુખ્ય પ્રયોજન જ એ છે કે તેણે કાવ્યનું સૌંદર્ય બતાવવું. કાવ્યનું જેમ સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ વિવેચનનું નથી. વિવેચનનું ઠેઠ સુધી વિષયભૂત વસ્તુ સાથે અનુસંધાન રહ્યા જ કરે છે. વિવેચનનું મુખ્ય પ્રયોજન જ એ છે કે કાવ્યમાં ક્યાં સૌંદર્ય છે તે બતાવવું. કાવ્યનું પ્રયોજન અને દાવો એ છે કે તેનામાં પોતામાં સૌંદર્ય છે. પછી એ સૌંદર્ય તમે જગતમાં જોઈ શકો કે નહિ, તેની સાથે તેને સંબંધ નથી. વિવેચન એમ કદી કહી શકે નહિ, કે જુઓ મારામાં આ સૌંદર્ય છે, પછી એ સૌંદર્ય તમે કાવ્યમાં જોઈ શકો કે નહિ તેની સાથે મારે સંબંધ નથી. કાવ્ય સ્વયંપૂર્ણ સ્વાયત્ત છે. વિવેચન હંમેશાં પરાયત્ત છે.”૭૩&lt;br /&gt;
રામનારાયણ પાઠકે સર્જન અને વિવેચનની કૃતિ વિશે અહીં છેક તાત્ત્વિક ભૂમિકાએથી જે ભેદ કર્યો છે તે અત્યંત ધ્યાનાર્હ છે. તેમનું મુખ્ય પ્રતિપાદન અહીં એ છે કે કળાકૃતિને એની નિજી સ્વાયત્તતા છે, આત્મપર્યાપ્ત સત્તા છે. પોતાના આંતરિક સત્ત્વને બળે સાહિત્યજગતમાં તે સ્વતંત્ર અને અનન્ય સ્થાન ભોગવે છે. તેનું જે કંઈ મૂલ્ય છે, મહત્ત્વ છે, તે પોતાની અંતર્ગત રહ્યું છે. બીજી રીતે કહીએ તો, કળાકૃતિ સ્વનિર્દેશક છે વિવેચનનું લખાણ ગમે તેવું ઉત્કૃષ્ટ કોટિનું તોયે તે પરાવલંબી છે. તેનું મૂલ્ય તે વિવેચ્ય કૃતિનું હાર્દ ખુલ્લું કરવામાં કેટલું સફળ રહે છે, તેનાથી નિર્ધારિત થાય છે. તે, આ રીતે, પોતે આત્મપર્યાપ્ત જ નથી.&lt;br /&gt;
સર્જન અને વિવેચન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં રામનારાયણ પાઠક વધુમાં નોંધે છે કે શાસ્ત્ર ‘જે છે’ તેને ‘શોધીને’ બતાવે છે, કળા ‘નવું નિર્માણ’ કરે છે. એ દૃષ્ટિએ વિવેચન તો કૃતિમાં ‘જે કંઈ પડ્યું છે’ તેનું જ કથન કરે છે; સાચા અર્થમાં તે સર્જન નથી. વિવેચકે લખેલું લખાણ એ કોઈ અપૂર્વ રૂપની ‘નવી સૃષ્ટિ’ નથી જ. એમ બને છે કે વિવેચક અમુક કૃતિમાંથી અગાઉ કોઈ ભાવકે વિવેચકે ન બતાવેલું ‘સૌંદર્યતત્ત્વ’ શોધી બતાવે, પણ એ ય ત્યાં પહેલેથી કૃતિમાં નિહિત રહ્યું હતું જ. એ કઈ નવું નિર્માણ તો નથી જ. રામનારાયણ પાઠક પોતાના વક્તવ્યના સમર્થનમાં બીજી એક દલીલ મૂકે છે કે વૈજ્ઞાનિક પણ સામાન્ય માણસ ન જાણતો હોય તેવું ઘણું બતાવે છે, પણ તેથી તેની ખોજ સર્જન બનતી નથી : એ વિજ્ઞાન જ રહે છે. વિવેચનની પ્રવૃત્તિ, તેમના મતે, ઇતિહાસકારના કાર્યને વધુ મળતી આવે છે. “ઇતિહાસકાર જેમ કાંઈ નવી જ યોજના કે ઘટના અમુક અમુક નક્કી થયેલી હકીકતના ખુલાસા તરીકે મૂકે છે અને અમુક જમાનાની પરિસ્થિતિ અને માનસ સમજાવે છે, જેમ જીવનચરિત્રલેખક ચરિત્રનાયકનાં કાર્યો બતાવી તેનો ખુલાસો અમુક માનસથી કરે છે, તેમ જ વિવેચક કાવ્યના બનાવો અને પાત્રોનાં કાર્યોનો ખુલાસો અમુક માનસથી અથવા અમુક યોજના બતાવીને કરે છે.”૭૪ રામનારાયણની આ ચર્ચા ઘણી માર્મિક અને દ્યોતક છે. કવિતાનું વિશ્વ તો જે છે તે જ રહે છે વિવેચક તેનો પાર પામવા અમુક ‘યોજના’ (hypothesis?) રજૂ કરે છે અને એ રીતે કૃતિની ઘટના પાત્રોનાં કાર્યો ભાવજગત આદિનો ખુલાસો આપવા મથી રહે છે. કલાનું વિશ્વ વ્યંજનાના અસીમ અવકાશ સુધી વિસ્તરી રહ્યું હોય છે. ભાવસંવેદનો વિચારો અર્થો અને મૂલ્યોની એ એક અતિસંકુલ સૃષ્ટિ સંભવે છે. એનું જે કંઈ રહસ્ય છે તે ગર્ભિત છે, પ્રચ્છન્ન છે, સૂચિત છે. એને તાર્કિક વિધાનોમાં તારવી કે સારવી શકાય નહિ. એને વિશે વિવેચક જે કંઈ કહે તે કોઈ વૈજ્ઞાનિકોના કથન જેવું સત્ય કથન હોતું નથી. એ વધુ તો ઇતિહાસકારની hypothesis જેવું હોય છે.&lt;br /&gt;
વિશ્વનાથ ભટ્ટે એક એવી દલીલ કરી હતી કે, સર્જક જેમ પોતાની કૃતિ દ્વારા ભાવકોમાં અમુક ઊર્મિ જગાડે છે. તેમ વિવેચક પણ પોતાના લખાણ દ્વારા તેના વાચકમાં અમુક ભાવોર્મિ જગાડે છે. રામનારાયણ એનો પ્રતિ-વાદ કરતાં એમ કહે છે કે વિવેચન દ્વારા જો ભાવકોમાં અમુક ભાવોર્મિ જન્મે છે, તો તેનો મૂળ સ્રોત કલાકૃતિ સ્વયં છે. આમ, વિશ્વનાથની દલીલોનો રદિયો આપી તેઓ સ્પષ્ટ કહે છે કે, સ્વતંત્ર સર્જન કરતા ચિત્રકાર કે કવિના વ્યાપાર કરતાં વિવેચકનો વિવેચનવ્યાપાર જુદી વસ્તુ છે; અને વિવેચનને માટે પણ ‘સર્જન’ શબ્દ લાગુ પાડતાં આપણી સમજણમાં મોટો ગોટાળો થવા સંભવ છે.&lt;br /&gt;
‘સાહિત્યસમીક્ષા’ લેખમાં સાહિત્યવિવેચનની જ પણ એક વિશિષ્ટ પ્રવૃત્તિ લેખે ‘સમીક્ષા’ (અર્થાત્‌ ‘અવલોકન’ ‘review’)નો તેમણે કંઈક વિગતે વિચાર કર્યો છે. આરંભમાં તેમણે ‘વિવેચન’ અને ‘સમીક્ષા’ વચ્ચે સૂક્ષ્મ ભેદ કર્યો છે. તેઓ કહે છે કે ‘સમીક્ષા’નો સામાન્ય અર્થ જ વિવેચન થાય અને સમીક્ષાને વ્યાપક વિવેચનપ્રવૃત્તિના અર્થમાં આપણે પ્રયોજતા પણ હોઈએ છીએ. પણ પ્રસ્તુત લેખની ચર્ચામાં ‘સમીક્ષા’થી તેમને reviewing activity જ અભિમત છે. ‘ચાલુ સાહિત્ય’ની ‘ચાલુ સમીક્ષા’નો ખ્યાલ તેમને એ શબ્દથી સૂચવવો છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સમીક્ષાપ્રવૃત્તિ એ વૃત્તવિદ્યા (Journalism)નો જ એક ભાગ છે. ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં લેતાં, ‘સર્વ પ્રકારના ગ્રંથો’ની સમીક્ષા વિશે તેમને અહીં કહેવું છે. વર્તમાનપત્રો/સામયિકોમાં ગ્રંથસમીક્ષાની કટારો અર્થે જ્ઞાનવિજ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા એ કામ થાય, તો એ આદર્શ સ્થિતિ છે. પણ વારંવાર કોઈ એક યા એકબે સમીક્ષકોને ભાગે આ બધું કામ આવી પડતું હોય છે. એટલે આવો સમીક્ષક બહુશ્રુત હોય તો જ તે પોતાનું કામ સારી રીતે પાર પાડી શકે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
વર્તમાનપત્રોમાં રજૂ થતી સમીક્ષાઓ તેમના મતે ‘શુદ્ધ સાહિત્ય’ નથી. શુદ્ધ સાહિત્ય જે રીતે સર્જકની સહજ પ્રેરણા કે સંવેદનામાંથી જન્મે છે, તે રીતે આ વૃત્તવિવેચન જન્મ્યું હોતું નથી એ તો સમયની સાથે, ઇચ્છા અનિચ્છાને વચમાં આણ્યા સિવાય, સતત ચલાવવાની પ્રવૃત્તિ છે. સમીક્ષકને કોઈ ગ્રંથ માટે લખવાની પ્રેરણા થાય, ન થાય, પણ ત્યાં સુધી રાહ જોવાની રહેતી જ નથી. ગમતાં ન ગમતાં પુસ્તકો વિશે પસંદગીને ય ઝાઝો અવકાશ નથી. નવાં નવાં પ્રકાશનોના ઢગ તેની આસપાસ ખડકાતા જાય છે, અને શક્ય તેટલા ગ્રંથો વિશે લખવાને, કામને પહોંચી વળવાને, તે હંમેશ મથતો રહે છે. કેટલીક વાર તંત્રીમંડળ કે સંપાદક મંડળના સભ્યોએ આંકી દીધેલી રીતિનીતિને તેણે અનુસરવું પડે છે. દેખીતી રીતે જ ગ્રંથસમીક્ષાને વૃતસમીક્ષાની ઘણી મર્યાદાઓ, ઘણાં નિયંત્રણો, વળગેલાં છે.&lt;br /&gt;
સાહિત્યસમીક્ષાને અનુલક્ષીને તેઓ એક પાયાના મુદ્દાને સ્પર્શે છે : “સાહિત્યસમીક્ષા એ ચુકાદો આપવાની બાબત નથી. ચુકાદામાં વિશિષ્ટ હકીકતને નિશ્ચિત કરેલા ચોકઠામાં બેસાડવાની હોય છે, જે ક્રિયામાં તેની વિશેષતા હણાઈ જાય છે. સાહિત્યની સમીક્ષામાં સાહિત્યની કૃતિને તેના વિશેષ રૂપે જ સમજવાની છે અને તેની વિશેષતાના રસોપભોગનાં દૃષ્ટિબિંદુઓ દર્શાવવાનાં છે. એમાં સામાન્ય નિયમો પણ વિશેષના આકલન માટે જ આવે છે.”૭૫ રામનારાયણના આ વિચારનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. સાહિત્યની કૃતિ એક અપૂર્વ સર્જન છે, અને એના આગવા રચનાગત નિયમને અનુવર્તીને એ અસ્તિત્વમાં આવી છે. તો એની વિશેષતાને ગાળીને એની તપાસ કરવામાં મૂળથી જ દોષ જન્મે છે. અગાઉના સાહિત્યસિદ્ધાંતોના જડ ચોકઠામાં બેસાડવા જતાં એની વિશેષતા જ જો લુપ્ત થઈ જતી હોય તો એ પ્રયત્ન મૂળથી જ ખોટો છે. અલબત્ત, વિવેચનના જે સામાન્ય નિયમો છે, તે સર્વથા અપ્રસ્તુત પણ ઠરતા નથી. કૃતિના વિશેષને રેખાંકિત કરતાં છતાં ય, તેને તે વિવેકપૂર્વક લાગુ પાડી શકાય.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક સામે મોટું જોખમ તો એ છે કે સમીક્ષ્ય કૃતિ વિશે ઠરીને લખવાને તેની પાસે સમય હોતો નથી. સ્વતંત્ર મૌલિક પ્રતિભાવ ઝીલવાને બદલે ઘણી વાર તે રૂઢ વિવેચનાત્મક પદાવલિ ‘cliche’-થી કામ કાઢી લે છે; અથવા, સમીક્ષ્ય કૃતિને વાતાવરણમાં કળા સર્જન અને સાહિત્ય વિશે પ્રચલિત કે ફેશનરૂપ બની ગયેલી વિચારસરણીમાં ઘટાવી લેવાને તે પ્રેરાય છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક પાસે પણ મોટી સજ્જતાની તેઓ અપેક્ષા રાખે છે : “જેને સર્જનસાહિત્ય કહીએ તેની સમીક્ષા માટે પણ વિશાળ વાચન જોઈએ, સમીક્ષકને સાહિત્યના સર્વ પ્રકારોની જાણ હોવી જોઈએ. તે વિના તે નવી કૃતિનો અર્થ અને તેનું તાત્પર્ય પૂરેપૂરું સમજી ન શકે. તેમ જ તેણે જુદા જુદા દેશોનાં સાહિત્યોનો અને વિવેચનવ્યાપારનો પરિચય રાખવો જોઈએ. સર્જકને માત્ર એક દેશનું પ્રભુત્વ બસ થાય, વિવેચકને કદી નહિ. વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ. વિવેચન એક રીતે ફિલસૂફીની પ્રવૃત્તિ છે.”૭૬&lt;br /&gt;
વિવેચન એક રીતે ‘ફિલસૂફીની પ્રવૃત્તિ’ છે, એમ તેમણે અંતના વાક્યમાં કહ્યું, તેથી ઘણાને આશ્ચર્ય થશે. વિવેચકનું કામ તો કૃતિના રસ કે સૌંદર્યને માણવાનું છે, અને તેની જ વાત કરવાનું છે. તો ફિલસૂફીને એમાં સ્થાન ક્યાં? આ પ્રશ્નનો ય ઉત્તર મળે એમ છે. પરંપરાગત ફિલસૂફીએ જીવન અને જગત વિશે પરમ સત્યની ખોજ કરવાનું સ્વીકાર્યું હતું. જ્ઞાનવિજ્ઞાનના સર્વ વિષયોનાં સત્યોની પાછળ જે કોઈ પરમ કે અંતિમ સત્ય નિહિત રહ્યું હોય, તેને પામવાની તેની પ્રતિજ્ઞા હતી એ રીતે પરંપરાગત ફિલસૂફી સત્ય સૌંદર્ય અને નીતિ જેવાં મૂલ્યોની ઊંડી ખોજ કરવામાં રોકાઈ હતી. તેમ છતાં તેની ખોજનું ક્ષેત્ર જીવનનાં સર્વ ક્ષેત્રોને આવરી લે તેટલું વિશાળ રહ્યું હતું. સાહિત્યની સૃષ્ટિ પણ માનવજીવનનાં અનંતવિધ રૂપોની ઝલક રજૂ કરે છે. સર્જકોની દૃષ્ટિ નિરંતર નવો ‘અર્થ’ – નવું મૂલ્ય શોધે છે. એટલે વિવેચકે સાહિત્યસૃષ્ટિમાં પ્રવેશતાં જીવનના શક્ય તેટલા વધુ વિષયોની જાણકારી મેળવી લેવી જોઈએ. કૃતિમાં વ્યક્ત થતા ‘અર્થ’ કે ‘સત્ય’ની સૂક્ષ્મ ઓળખ થાય, તે માટે આવી વ્યાપક અભિજ્ઞતા જરૂરી છે, એમ તેઓ માને છે.&lt;br /&gt;
વિવેચકે પોતાની સજ્જતા વધારવાને આપણી પરંપરાની ઉત્તમ કૃતિઓ વિશે, તેમાં યે વધુ તો પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓ વિશે, સ્વતંત્ર મૌલિક દૃષ્ટિએ પર્યેષણા કરવી જોઈએ એ વિશે અગાઉ જે કંઈ કહેવાઈ ચૂક્યું હોય તેનાથી વિશેષ, કશુંક નવું, તે કહી શકે છે ખરો, એ પ્રશ્ન તેને માટે કસોટી બને છે. કૃતિના આસ્વાદનમાં સૂક્ષ્મતા આવે તે માટે અભ્યાસ વધારતા રહેવાની જરૂર છે. બીજી બાજુ, વિવેચન અર્થે વધુ વિશાળ, વધુ વ્યાપક અને ચિરંતન ધોરણોની ખોજ તેણે જારી રાખવી જોઈએ.&lt;br /&gt;
કૃતિવિવેચન વિશે કંઈક વધુ સંગીન અને તત્ત્વાન્વેષી ભૂમિકા તેમના ‘વિવેચનનાં મૂલ્યો’ શીર્ષકના લેખની ચર્ચામાં મળે છે. કાવ્યકળા કે સાહિત્યકળા વિશેની તેમની આગવી વિભાવના એમાં અનુસ્યૂત રહી છે. વિવેચનનાં જે મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા તેઓ ઉત્સુક છે તે વાસ્તવમાં સાહિત્ય વિશેની સમજમાં ગર્ભિત રહ્યાં છે, અથવા એમ કહીએ કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની તેમની સમજ સાથે માર્મિક સંબંધ ધરાવે છે.&lt;br /&gt;
આખાય વિષયની માંડણી કરતાં તેઓ કહે છે કે કાવ્યનું મૂલ્ય તેના પ્રયોજન પર આધારિત છે અને એ છે રસનિષ્પત્તિનું, રસાનુભૂતિનું. આ ભૂમિકા પરથી તેઓ એવા તારણ પર પહોંચે છે કે જે કાવ્યમાં વધુ રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચુ. રસાનુભૂતિને તેઓ ‘વિશિષ્ટ આનંદ’ તરીકે ઓળખાવે છે. એટલે એ પ્રયોજનની સિદ્ધિ પર કાવ્યના મૂલ્યનો આધાર છે એમ તેમનું તાત્પર્ય છે. પણ ‘રસાનુભૂતિ’ એ કૃતિના મૂલ્યાંકનનું સૌથી પ્રથમ ધોરણ હોવા છતાં એની માત્રાનો ભેદ ઓળખવાનું મુશ્કેલ છે એમ અહીં નોંધવું જોઈએ.&lt;br /&gt;
કાવ્યના પરીક્ષકને – સુસજ્જ પરીક્ષકને – ‘સહૃદય’ સંજ્ઞાથી તેઓ ઓળખાવે છે અને તેની ઓળખ આપતાં કહે છે : “જેનું હૃદય સંસ્કાર ગ્રહણ કરવા કાબેલ હોય, જેણે જગતનો બહોળો અનુભવ લીધો હોય, અને તે સાથે જેણે ઉત્તમ કાવ્યો સારી રીતે વાંચ્યાં હોય તે સહૃદય કહેવાય. એવો સહૃદય પછી જે કાવ્યને ઉત્તમ કહે તે કાવ્ય ઉત્તમ.”૭૭ પણ કોઈ સહૃદય આ કે તે કૃતિને ઉત્તમ કહી દે તેટલાથી અર્થ સરતો નથી. એ કાવ્ય ‘કયા ધોરણે ઉત્તમ છે’ તે કહેવું જોઈએ, એટલું જ નહિ, ‘એ ધોરણ ક્યાંથી સિદ્ધ થઈને આવ્યું,’ ‘કઈ રીતે ઘડાઈને આવ્યું’ તે પણ બતાવવું જોઈએ. (એફ. આર. લિવિસની કૃતિ નિમિત્તે રેને વેલેકે કરેલી આ જાતની ચર્ચાનો અગાઉ નિર્દેશ કર્યો તે અહીં સ્મરણમાં આવશે. લિવિસ એમ માને છે કે વિવેચકે કૃતિ વિશે બને તેટલો જીવંત પ્રતિ-ભાવ એની સર્વ સૂક્ષ્મતાઓ અને સંકુલતાઓ સમેત પ્રસ્તુત કરવાનો છે, કૃતિ વિશેના મૂલ્યબોધનાં કોઈ ધોરણો કે સૂત્રો નોંધવાની આવશ્યકતા નથી. આથી ભિન્ન રેને વેલેક એમ માને છે કે વિવેચકે કૃતિના મૂલ્યાંકન અંગે સ્વીકારેલ ‘ધોરણો’ કે ‘કસોટી’ઓનો નિર્દેશ પણ કરવો જોઈએ તેમ તેની તાત્ત્વિક ભૂમિકા પણ સ્પષ્ટ કરી આપવી જોઈએ.) રામનારાયણ પાઠકના મતે કૃતિ વિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણોની તપાસ અનિવાર્ય છે.&lt;br /&gt;
વિવેચક માટે તેઓ નીચેનાં કાર્યો બતાવે છે :&lt;br /&gt;
(૧) કવિએ કેવી રીતે કઈ કઈ ખૂબીઓથી, ભાષાની કઈ કઈ ભંગિઓથી, વસ્તુને રજૂ કરી તે તેણે બતાવવાનું છે. અર્થાત્‌, ભાષાકર્મ, અભિવ્યક્તિની રીતિઓ, રચના પ્રણાલિઓ, આદિની તપાસ તેમને અભિમત છે.&lt;br /&gt;
(૨) કવિએ પોતાની કૃતિમાં પ્રગટ કરેલી વસ્તુ તરફ જે ભાવ વ્યક્ત કર્યો છે તે સ્પષ્ટપણે અને અસરકારક રીતે, કશીય સંદિગ્ધતા વિના, રજૂ થયો છે કે કેમ તેની તપાસ કરવી. એક રીતે પહેલા કાર્યનું જ આ વિસ્તરણ છે. કવિનો ભાવ સફળ રીતે અભિવ્યક્ત પામ્યો છે કે નહિ એની પરીક્ષાની આ વાત છે. જો કે આ જાતની તપાસ મુશ્કેલ છે.&lt;br /&gt;
(૩) વિવેચકનું ખરું કાર્ય કૃતિનો ભાવ સ્પષ્ટ કરી તેનું યથાર્થ મૂલ્યાંકન કરવાનું છે એમ તેઓ કહે છે. અભિવ્યક્તિની સફળતા તપાસ્યા પછી તેને ભાગે આ ઘણું કપરું નિર્ણયાત્મક કાર્ય બજાવવાનું રહે છે. કૃતિમાં વ્યક્ત થયેલો ભાવ ઉચિત છે કે અનુચિત તેનો પણ વિવેચકે નિર્ણય કરવાનો છે. રામનારાયણ પાઠકના પોતાના શબ્દોમાં—“કવિએ ધારણ કરેલો અથવા કહો કે કાવ્યમાં નિષ્પન્ન કરેલો ભાવ, કવિની પોતાની બાલિશતા કે અપૂર્ણતા, અનુદારતા, હૃદયસંકોચ, અંગત લોલુપતા કે હૃદયની શક્તિની મર્યાદા–હૃદયદૌર્બલ્ય કે એવા કોઈ કારણથી, એ સમગ્ર ચિત્તના ભાવને બદલે કોઈ એકદેશીય જ કોઈ હલકી કક્ષાનો જ ભાવ તો નથી આવી ગયોને?”૭૮ અને વધુમાં સ્પષ્ટતા કરતાં કહે છે : “કાવ્યનું મૂલ્યાંકન તે આ જ. સમગ્ર જીવનની દૃષ્ટિએ એ ભાવનું સ્થાન આંકવું તે... ભાવનું મૂલ્યાંકન એટલે ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી કરેલી ચર્ચા. એ ચર્ચા દાર્શનિક philosophic – છે, વિવેચન આ દૃષ્ટિએ દાર્શનિક બને છે.”૭૯&lt;br /&gt;
કૃતિવિવેચનમાં મૂલ્યાંકનના મુદ્દાને સ્પર્શતી રામનારાયણ પાઠકની આ ચર્ચા, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, તેમની સાહિત્ય સ્વરૂપ વિશેની વિશિષ્ટ સમજથી પ્રેરાયેલી છે. કાવ્યની સ્વતંત્રતા સ્વીકારતા છતાં ‘ભાવક’ ‘ભાષા’ ‘વસ્તુ’ અને ‘કવિ’ એ ચાર દ્વારા તેઓ તેનો જીવન સાથે માર્મિક સંબંધ જૂએ છે. એ સંબંધ ‘સર્વતોભદ્ર છે, કાવ્યમાં આંતરબાહ્ય સર્વત્ર, અણુએ અણુમાં વ્યાપ્ત’ છે એમ તેઓ કહે છે. કવિની કલ્પના સ્વતંત્ર રીતે વિહરતી છતાં તે ‘આપણા આત્માની જ કલ્પના’ છે અને આત્માના સ્વભાવથી વિસંવાદી રીતે વિહરે જ નહિ’ – એવી તેમની પ્રતીતિ રહી છે. કાવ્યના અનુભવનું સ્વરૂપ વર્ણવતાં તેઓ એક સ્વતંત્ર અને મૌલિક દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. “કાવ્યનો અનુભવ આપણા સમસ્ત આત્માને અનુકૂળ છે માટે તેમાં આનંદ અનુભવાય છે અને સમસ્ત આત્માને એટલે આત્માની ગોચર-અગોચર જ્ઞાત-અજ્ઞાત બુદ્ધિ–હૃદય–નીતિ સર્વ શક્તિઓથી સંપન્ન આત્માને. એટલે વ્યવહારમાં જે વસ્તુ આત્માને ક્લેશકર લાગે, આત્માની નીતિબુદ્ધિને ક્લેશકર લાગે, અરુચિકર લાગે, અનુચિત લાગે તે કાવ્યમાં અન્યથા ન લાગે... સમસ્ત આત્માને અનુકૂલ ન હોય એવો કોઈ અનુભવ સુંદર હોઈ શકે નહિ.” એટલે રામનારાયણના મતે વ્યવહારનો કોઈ પણ ભાવ જે અનીતિમાન હીન કે વિકૃત લાગે, તેને કાવ્યમાં સ્થાન હોઈ શકે નહિ. એટલે જ તેઓ કાવ્યમાં આલેખાતા ભાવની નૈતિક દૃષ્ટિએ સમીક્ષા ચાહે છે.&lt;br /&gt;
પણ તેમનો આ અભિગમ, પહેલી નજરે દેખાય છે તેટલો સરળ નથી. કૃતિમાં રજૂ થયેલા ભાવનું મૂલ્યાંકન કરનાર વિવેચક પાસે જીવનનું સમગ્રલક્ષી દર્શન જોઈએ. તેનો આત્મા પૂર્ણ સંવાદિતા અને અખિલાઈ સિદ્ધ કરી શક્યો હોવો જોઈએ. પ્રશ્ન કેવળ શ્લીલ અશ્લીલ કે નૈતિક અનૈતિકનો નથી. સમગ્ર આત્માની સાથે ‘અનુકૂલતા’ સાધવાનો છે. મૂલ્યાંકનની આ કસોટી, કોઈ પણ રીતે જુઓ, દુર્ગાહ્ય અને દુષ્કર છે. રામનારાયણ કૃતિવિવેચનને દાર્શનિક philosophic લેખવે છે તે એક રીતે સૂચક છે. દર્શનના અધ્યયન ચિંતન દ્વારા વિવેચકની પ્રજ્ઞા પરિણત થાય તો જ કદાચ ભાવનું મૂલ્ય (worth) નિર્ણિત થઈ શકે.&lt;br /&gt;
રામનારાયણના વિવેચનતત્ત્વવિચારમાં આમ કેટલાક કૂટ પ્રશ્નો ઊભા થાય છે. અને એ કૂટ પ્રશ્નો છે માટે જ ગંભીર ધ્યાન માગે છે. કૃતિમાં ભાવની અભિવ્યક્તિની રીતિની તપાસ એ એવડો મોટો પ્રશ્ન નથી. પણ કવિનો ‘વસ્તુ’ વિશેનો ‘ભાવ’ કૃતિમાં પૂરો ઊતર્યો છે કે નહિ, તેનો નિર્ણય કરવાને તો રચના-પાઠ પૂર્વેના તેના મનોગતને લક્ષમાં લેવું પડે. પણ માનસશાસ્ત્રીય દૃષ્ટિએ એ શક્ય નથી. કળાકૃતિના અનુલક્ષ્યમાં સંક્રમણ (communication)નો સિદ્ધાંત જેઓ સ્વીકારવા જાય છે તેમની સામે આ જ પ્રશ્ન જરા જુદી રીતે આવી ઊભે છે. પણ એથી ય મોટી મુશ્કેલી તે કૃતિમાં રજૂ થતી ‘ભાવની’ worth નક્કી કરવાની છે. બૌદ્ધિક કે તાર્કિક ભૂમિકાએથી આ પ્રશ્નો કદાચ ઉકલી શકે તેવા આ પ્રશ્નો જ નથી. છતાં મહાન પ્રતિભાશાળી વિવેચકો કૃતિવિવેચનમાં રજૂ થયેલા જીવનના અનુભવોનેય કોઈક રીતે સમીક્ષામાં લેતા હોય છે. રામનારાયણ પાઠકની મૂળ ભૂમિકા આ રીતે અત્યંત ધ્યાનાર્હ બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૬}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં પૃ. ૬ પર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાનું હૃદ્‌ગત ખુલ્લું કરતાં કહે છે : ‘હું અધ્યાત્મવાદી છું, જીવનનાં સકલ ક્ષેત્રોની વિચારણામાં ભાવનાવાદી છું. પણ મારી વિદ્યા સંપત્તિ, મતિ અને અનુભૂતિ સીમિત છે. અંતિમ દૃષ્ટિએ સકલ જીવન અને વિશ્વ એક પરમ ગૂઢ રહસ્ય છે. અને એનો ભેદ પામી શકાતો નથી, તેથી આ ગોષ્ઠિ છેવટે તો શ્રદ્ધાની બની રહે છે.’૮૧ અને પછી પૃષ્ઠ ૭ પર નમ્રતાથી નિવેદન કરતાં કહે છે... ‘આવી આસ્થાથી હું મને પોતાને વિવેચક કરતાં માત્ર મુક્ત સહૃદય ગણું.’૮૨ સાક્ષરી કારકિર્દીનાં દીર્ઘ ચિંતનમનન પછી ઉચ્ચારાતા આ શબ્દો પાછળ તેમની પરિણત પ્રજ્ઞાનો સ્વર સંભળાય છે. સુવિદિત છે તેમ, તેમની સાક્ષરી પ્રતિભા વિવેચનના ક્ષેત્રમાં જ બહુધા વિહરતી રહી છે. આપણા કવિઓ લેખકો અને ચિંતકો વિશે તેમણે સમીક્ષાઓ કરી છે, કૃતિઓ અને સાહિત્યપ્રવાહનાં અવલોકનો ય કર્યાં છે, પણ આપણા સાહિત્ય ક્ષેત્રમાં તેમની સિદ્ધાંતચર્ચા કદાચ સૌથી વધુ મહત્ત્વની બની રહે છે. સાક્ષરશ્રી ગોવર્ધનરામ, નરસિંહરાવ, અને આ. આનંદશંકર ધ્રુવ—એ ત્રણ સાક્ષરો તેમની ભક્તિભાવનાનું ભાજન રહ્યા છે, કહો કે, એ સાક્ષરોનો સાક્ષરધર્મ તેમણે અંગીકાર કરી લીધો છે, અને એમનું જીવનકાર્ય તેમણે જાણે કે સ્વતંત્ર રીતે આગળ ચલાવ્યું છે.&lt;br /&gt;
સિદ્ધાંતવિચારમાં ગઈ સદીના કેટલાક મહાન પાશ્ચાત્ય ચિંતકો, તેમાંયે વિશેષ કરીને મેથ્યુ આર્નોલ્ડ કોલિંગવુડ બ્રેડલી જેવા, તેમને પ્રેરક રહ્યા છે. વ્યાપકપણે પાશ્ચાત્ય સાહિત્યવિચાર તેમની વિવેચનવિચારણાની ભૂમિકામાં રહ્યો છે એમ કહીએ તો ય અતિશયોક્તિ નહિ થાય. પણ તેમનું સાહિત્યચિંતન કેવળ પુસ્તકિયા રહ્યું નથી. વ્યાપક જીવનતત્ત્વવિચારથી એ પુષ્ટ બન્યું છે. વ્યક્તિ અને સમાજનાં શ્રેય અને ઉન્નતિનો ખ્યાલ એમાં જોડાયેલો રહ્યો છે. સાહિત્યના પરમ પ્રયોજન તરીકે શુદ્ધ આનંદનું–રસાનુભૂતિનું—મૂલ્ય સ્વીકારતા છતાં એમાં જીવનનાં બીજાં ઉદાત્ત મૂલ્યોનો પુરસ્કાર પણ તેઓ કરતા રહ્યા છે. આ. આનંદશંકરે પ્રતિપાદિત કર્યું હતું કે સાહિત્યની અસર ભાવકના માત્ર ઊર્મિતંત્ર કે બુદ્ધિ કે નીતિભાવના જેવા કોઈ એક ખંડ પૂરતી જ મર્યાદિત હોતી નથી : સમગ્ર આત્માને તે સ્પર્શે છે. આવી વ્યાપક ભૂમિકાએથી તેમણે લાંબા સમય સુધી સાહિત્ય અને સૌંદર્યતત્ત્વ વિશે ચિંતન કર્યું છે. તેમની સાહિત્યચર્ચા વારંવાર સૌંદર્યમીમાંસાના સ્તરે પહોંચે છે, અને કળા સૌંદર્ય અને સર્જકતાના પાયાના પ્રશ્નોની છણાવટ કરે છે. એમાં મૌલિક દૃષ્ટિની પર્યેષણા છે, તેમ પરંપરાગત પ્રશ્નોની ફેરતપાસ પણ છે. બહુશ્રુત પાંડિત્ય, સૂક્ષ્મ સુકુમાર રસજ્ઞતા, અને જીવનની ઉદાત્ત ભાવના એ ત્રણ તેમના વિવેચનનાં ધારકપોષક તત્ત્વો બની રહ્યાં છે.&lt;br /&gt;
વિવેચક તરીકેની પોતાની કારકિર્દીના આરંભે ‘વિવેચનની પ્રતિષ્ઠા’ શીર્ષકનો તેમણે એક મહત્ત્વપૂર્ણ લેખ પ્રગટ કર્યો હતો. એમાં આમ જુઓ તો વિવેચનપ્રવૃત્તિની પ્રતિષ્ઠા કરવાનો અને એ નિમિત્તે વિવેચકના કાર્ય વિશે ચર્ચા કરવાનો એક સમર્થ પ્રયત્ન છે; અને મહત્ત્વની વાત એ છે કે, વિવેચનનાં મૂલ્યોની આધારભૂમિ બનતા ‘સાહિત્ય’ વિશેની તેમની પોતીકી સમજ પણ એમાં વ્યક્ત થાય છે; તો, બીજી બાજુ, વિવેચનની જે પ્રવૃત્તિનો ગંભીરતાથી પોતે અંગીકાર કરી રહ્યા હતા, તેના તરફની તેમની ઊંડી નિસ્બત અને ઉત્તરદાયિત્વ ય છતું થાય છે. સુખદ બાબત એ છે કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે તેઓ ફરી ફરીને વિચારતા રહ્યા છે. વિવેચનતત્ત્વ વિશે અલગ સ્વતંત્ર ચર્ચા જો કે ઓછી છે, પણ સાહિત્ય ચર્ચાના ભાગ રૂપે આ વિશે તેઓ વારંવાર છણાવટ કરતા રહ્યા છે. જો કે આમ બનવું સ્વાભાવિક પણ છે. કૃતિવિવેચનમાં જે ધોરણો અને કસોટીઓ પ્રયોજાતાં હોય છે, કહો કે જે મૂલ્યોનો પુરસ્કાર કરવામાં આવતો હોય છે, તેનો આધાર તો સાહિત્યવિચાર જ છે.&lt;br /&gt;
સાહિત્ય અને તેનું વિવેચન – એ આખી ય પ્રવૃત્તિ, પ્રજાજીવનનાં આંતરબાહ્ય વહેણો સાથે, તેની સ્થૂળ સૂક્ષ્મ ગતિવિધિઓ સાથે, કોઈક સ્તરે સંકળાયેલી હોય છે, એમ વિષ્ણુપ્રસાદ કહે છે : “કલા, સામાન્ય રીતે; સામાન્ય રીતે જ – નિયમ તરીકે નહીં – જનરુચિ સામાજિક જીવનતરેહો અને સાહિત્યને પણ આવરી લેતા આર્થિક અને રાજકીય પ્રવાહોને સૂક્ષ્મ રીતે અનુસરે છે. તેવી રીતે વિવેચનની તત્ત્વચર્ચા પણ સાહિત્યની નવી નવી સૃષ્ટિનો સમાસ કરતી આગળ વધે છે. સાહિત્ય અને વિવેચન બંને જાણે સ્થિતસ્ય સમર્થન કરવા જ પ્રવર્તતાં હોય એમ લાગે છે. અને સ્થિતનું સમર્થન ના હોય તેનો વિરોધ હોય તો પણ જે સ્થિત છે તેને જ મહત્ત્વ આપતા વર્તુલમાં તે ફર્યા કરે છે.”૮૩ વિષ્ણુપ્રસાદની આ વિચારણા ધ્યાનાર્હ છે. કોઈ પણ સમૃદ્ધ સાહિત્ય પરંપરાને, તેના ઉદ્‌ભવવિકાસના લાંબા પટ પર અવલોકતાં, આ વિચાર પકડવાનું મુશ્કેલ રહેતું નથી. સાહિત્યમાં સ્વીકારાતી જીવનસામગ્રી-અનુભવો વિચારો માન્યતાઓ મૂલ્યો આદિ, તેની નિરૂપણ રીતિ શૈલી અને રચનાપ્રણાલિઓ, સાહિત્યના આકાર અને પ્રકાર એ સર્વને સમકાલીન પ્રજાજીવન સાથે ક્યાંક કોઈક સ્તરે આંતરિક સંબંધ રહ્યો હોય જ છે. કોઈ પણ એક યુગની સાહિત્યપ્રવૃત્તિ તેની પૂર્વેના કે તેના અનુગામી યુગની પ્રવૃત્તિથી અગર જુદી પડે છે, તો એ કોઈ આકસ્મિક ઘટના નથી. એની પાછળ અમુક સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું પ્રવર્તન રહ્યું હોય છે. સર્જકની નિજી પ્રતિભાનું એથી આપણે જરીકે અવમૂલ્યન કરતા નથી. પ્રતિભાની અનન્યતાનો આપણે સ્વીકાર કરીએ જ છીએ. અભિપ્રેત એટલું છે કે પ્રતિભા પણ નર્યા શૂન્યાવકાશમાં કામ કરતી નથી. આસપાસનાં અસંખ્ય સ્થૂળ સૂક્ષ્મ પરિબળોને તે ઝીલતી રહે છે. અને તેના પર કામ કરતી રહે છે. વિષ્ણુપ્રસાદે સાહિત્ય પ્રવૃત્તિને એ રીતે વ્યાપક સમાજજીવનના સંદર્ભે અવલોકવાની દૃષ્ટિ રાખી છે. પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચન પ્રવૃત્તિને ય તેઓ વ્યાપક જીવન જોડે સાંકળી લઈને વિચારે છે. સાહિત્યજગતમાં જે રીતે નવા નવા કળાત્મક ઉન્મેષો પ્રગટતા રહે છે, નવી રચનારીતિ અને નવા આકારો નીપજતા રહે છે, તેમ તેને વિશે અવનવી દૃષ્ટિએ વિવેચન થતું રહે છે; નવીન કળાવિચારની પ્રતિષ્ઠા થાય છે, અને વિવેચનનાં નવાં મૂલ્યો ઊભાં થાય છે. વિવેચનપ્રવૃત્તિ એક બાજુ લેખકની કૃતિને સમજવા પ્રવૃત્ત થાય છે; તો બીજી બાજુ ભાવકોને એના રમણીય અંશોની ઓળખ કરાવવા ચાહે છે. આમ, એ પ્રવૃત્તિ ય વિશાળ જનસમુદાયને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં સ્પર્શી રહે છે. વિવેચક ખરેખર તો સમાજની રુચિ કેળવવા બંધાયેલો છે, અને સમાજ પ્રત્યે તેનું મોટું ઉત્તરદાયિત્વ છે એમ પણ વિષ્ણુપ્રસાદ માને છે.&lt;br /&gt;
કોઈ એક સમયની સર્જનાત્મક પરિસ્થિતિને વિવેચક બદલી શકે ખરો? વિવેચન પ્રવૃત્તિ સર્જકોને સીધી કોઈ રીતે ઉપયોગી ખરી? વિષ્ણુપ્રસાદનો મત એ છે કે ‘વિવેચક, બહુધા, મહાન સર્જક ઉપર કશી અસર પાડી શકતો નથી. તે તેની રમણીયતાને સમજવાને દૃષ્ટિબિંદુ નિર્ધારી આપે છે. તે અસર કરે છે મહાન સર્જકના અનુકરણ કરનારાઓ ઉપર’.૮૪ વિષ્ણુપ્રસાદનું આ જાતનું સ્પષ્ટીકરણ સ્વીકારવામાં ભાગ્યે જ કશી મુશ્કેલી હોય. મહાન પ્રતિભા જ્યારે સર્જનની પ્રવૃત્તિમાં રોકાય છે ત્યારે તે આત્મનિર્ભર અને આત્મનિષ્ઠ બનીને પ્રવર્તે છે. વિવેચકને ઇષ્ટ એવા કોઈ ખ્યાલને અનુસરવાનો કે તેનું સમર્થન મેળવીને ચાલવાનો એમાં કોઈ પ્રયત્ન હોતો નથી.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિના બે અલગ પ્રકારો તેમણે નોંધ્યા છે : (૧) સાહિત્યતત્ત્વનો વિચાર, અર્થાત્‌, સાહિત્ય વિષયક ફિલસૂફી કે રસમીમાંસા (૨) સાહિત્યકૃતિઓનું વિવેચન-મૂલ્યાંકન. આ બંને ક્ષેત્રો પરસ્પર સંબંધ ધરાવે છે એમ તેઓ નોંધે છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ છે કે સાહિત્યકળા વિશે થોડોક પણ સ્પષ્ટ ખ્યાલ ન હોય તો કૃતિનું વિવેચન શક્ય નથી. એક બાજુ સાહિત્ય કૃતિઓનાં વિવેચન અધ્યયન પરથી સમગ્ર સાહિત્યની વિભાવના રચાય છે અને સાહિત્ય વિવેચનનાં ધોરણો પ્રતિષ્ઠિત થાય છે, બીજી બાજુ એ વિભાવના અને ધોરણોના ઉપલક્ષ્યમાં આપણે કૃતિઓના મૂલ્યાંકન તરફ વળીએ છીએ. આખી ય પ્રવૃત્તિ આમ એક બીજાને અસર કરતી રહે છે. વિષ્ણુપ્રસાદની વિવેચન-મીમાંસામાં આ એક મહત્ત્વની ઉપલબ્ધિ સમો વિચાર છે. કોઈ પણ પ્રાણવાન પરંપરામાં સર્જાતા જતા સાહિત્યને અને તેના વિવેચનને આવો માર્મિક સંબંધ હોવાનું જણાશે.&lt;br /&gt;
કૃતિના આસ્વાદ-વિવેચન અર્થે વિવેચકે કોઈ પૂર્વપરિચિત કળાવિચાર કે વિવેચનનાં ધોરણો લઈને તેની પાસે જવાનું નથી એમ પણ કેટલાક કહે છે. વિવેચકે સ્વચ્છ દર્પણ જેવું ચિત્ત લઈને કૃતિ પાસે જવું જોઈએ, એવો પણ આગ્રહ તેઓ કરતા હોય છે. પણ આસ્વાદ અવબોધ અને મૂલ્યાંકનની સમગ્ર સંકુલ ચૈતસિક પ્રક્રિયાને તેમણે લક્ષમાં લીધી હોય એમ જણાતું નથી. વિવેચક જ્યારે સાહિત્યકૃતિનાં ભાવ સંવેદનો, ઘટનાઓ, પાત્રો, પરિસ્થિતિઓ – એમ એક સાહિત્યિક ઘટનામાંથી પસાર થાય છે ત્યારે એવા દરેક સંદર્ભનો કે સમગ્ર (આ)કૃતિનો ‘અર્થ’ તે કેવી રીતે પામે છે? કૃતિનાં ઘટકોને તે કેવી રીતે અલગ પાડે છે અને કઈ રીતે જોડે છે? જે કોઈ સંદર્ભે તેને ‘અર્થ’ કે ‘મૂલ્ય’ની પ્રતીતિ થાય છે, તે ઘટના ‘અર્થ’ કે ‘મૂલ્ય’ની બાબતમાં નિરપેક્ષ હોય છે? મને લાગે છે કે વિવેચકનું રુચિતંત્ર અમુક રીતે કેળવાયું હોય છે. કળાનાં અમુક રમણીય તત્ત્વો માટે તેની રુચિ બંધાવા પામી હોય છે. પોતાની ભાષાના તેમ અન્ય પરંપરાના સાહિત્યના ઊંડા અધ્યયન-પરિશીલનમાંથી કળાકીય ઉત્કૃષ્ટતાના અમુક ખ્યાલો તેના મનમાં જાણ્યેઅજાણ્યે ય બંધાઈ ચૂક્યા હોય છે, વિવેચનનાં અમુક ધોરણો કે કસોટીઓ જેવું, અને સંભવતઃ કળાનાં મૂલ્યોમાં ઉચ્ચાવચક્રમ (hierarchy) જેવું, તેમના મનમાં રચાતું આવ્યું હોય છે. કૃતિના આસ્વાદની ક્ષણોમાં ભાવકની જે ચેતના સક્રિય બને છે તે કોઈ શૂન્યવત્‌ અવકાશ નહિ, નિષ્ક્રિય અરીસારૂપ અવકાશ નહિ, સક્રિય સંનિકર્ષમાં આવતી સુસજ્જ ચેતના છે. અને અમુક રમણીય તત્ત્વોની સ્વીકૃતિમાં તેની એ આંતરિક ચેતના સ્વયં નિર્ણાયક બનતી હોય છે.&lt;br /&gt;
વિષ્ણુપ્રસાદ માને છે કે વિવેચનની પ્રવૃત્તિ કોઈ રીતે ‘વિજ્ઞાન’ બની શકે નહિ. સાહિત્યસર્જનમાં તેના સર્જકના વ્યક્તિત્વનો નિજી અંશ એવો તો ‘અનિવાર્ય અને અવિયોજ્ય રીતે’ ભળી ગયો હોય છે કે તેના વિવેચન પરીક્ષણનું ‘વ્યાકરણ’ રચી શકાય નહિ. સાહિત્યમાં તેજસ્વી પ્રતિભાઓ સતત નવાનવા ઉન્મેષો પ્રગટાવતી રહે છે, એટલે અગાઉની અમુક કૃતિઓને નજરમાં રાખીને બાંધેલી કળાની વિભાવના અને તેના વિવેચનના નિયમો વળી સતત સંસ્કારી લેવાની આવશ્યકતા ઊભી થાય છે. વિષ્ણુપ્રસાદ સ્પષ્ટ કરે છે કે તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર કે સંપત્તિશાસ્ત્ર વિશે જેટલી ચોકસાઈથી વિચારણા થઈ શકે તેટલી કળાવિવેચનને અંગે થઈ શકે નહિ. બહુ બહુ તો તેની મીમાંસા થઈ શકે, ઈશ્વર જેવા કોઈ અગોચર તત્ત્વ વિશે અમુક રીતની મીમાંસા થઈ શકે તેમ એનું કારણ દર્શાવતાં કહે છે : સર્જનના મૂળમાં જ કશુંક એવું અગોચર અને અવર્ણનીય તત્ત્વ રહ્યું છે, જેને પૂરેપૂરું તાર્કિક વિચારણામાં ઝીલી ન શકાય. આવું કોઈ રહસ્યમય તત્ત્વ કવિને પોતાના મૂળ અનુભવમાં જ નિહિત રહેલું પ્રતીત થાય છે, એ જ તેને સર્જનમાં પ્રેરે છે, અને એ જ તેને તથા ભાવકને આહ્‌લાદનું કારણ બને છે. આમ કળાસર્જનમાં મૂળથી જ કશુંક વૈયક્તિક તત્ત્વ-રહસ્યના આવરણમાં પ્રચ્છન્ન રૂપે – ઊતરી આવ્યું હોય છે, અને કળાના કોઈ સિદ્ધાંતવિચારમાં એને પૂરેપૂરું પકડી શકાતું નથી. અને એટલે જ વિવેચનને વિજ્ઞાનની ભૂમિકાએ સ્થાપી શકાતું નથી.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિનો પ્રભાવ સહૃદય/વિવેચકના કૃતિજનિત આહ્‌લાદમાંથી થાય છે એવી તેમની સમજ ઉપરના વિચારનું જ તાર્કિક વિસ્તરણ છે. સાહિત્યકૃતિ વાંચતાં સહૃદયના અંતરને ભરી દેતો જે આહ્‌લાદ જન્મે છે, તે જ વિવેચનપ્રવૃત્તિનો ખરો સ્રોત છે, તે જ તેનું પ્રેરક બળ છે, અને મૂલ્યબોધનું અધિષ્ઠાન પણ છે એમ તેઓ કહે છે. આસ્વાદની પ્રક્રિયાને લક્ષતી તેમણે ‘અનુભાવના’ની વિશેષ શક્તિ સહૃદયમાં સ્થાપી છે તે આ સંદર્ભે ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે કે કળાના અનુભવમાં લૌકિક સુખદુઃખથી પર એવું કોઈક તત્ત્વ રહ્યું હોય છે. એ તત્ત્વ આનંદ ન હોય તો પણ ‘ચિત્તને અનુકૂળ વેદના’ છે. આથી ‘આનંદ (pleasure)ને સ્થાને આપણે ‘પરનિર્વૃત્તિ’ કે ‘વૃત્તિઓની તલ્લીનતા (transport) ભાવસમાધિ મૂકી શકીએ.’૮૫ વધુમાં તેઓ સ્પષ્ટ કરે છે કે રસાનુભૂતિની આ ક્ષણે ભાવકની બુદ્ધિ શિથિલ થતી નથી પણ તીવ્ર ને સૂક્ષ્મ બનીને પ્રવર્તે છે. એમાં ‘વિવેક અને વીર્ય’ પ્રગટ થાય છે. ‘રજૂ થયેલી પરિસ્થિતિમાં તેને વ્યવસ્થા સમગ્રતા અનિવાર્યતા ને રહસ્યમયતા જણાય છે. એના જ્ઞાનથી, અવબોધથી, સત્ય દર્શનથી ચિત્તમાં વિકાસની પ્રસન્નતા અનુભવાય છે.’૮૬ અને આવી ક્ષણને હૃદયની ‘મુદામય’ કે ‘પ્રીતિ’ની અવસ્થા તરીકે ઓળખાવી શકાય એમ તેઓ કહે છે. ‘ભિન્ન ભિન્ન કે પરસ્પર વિરુદ્ધ આદર્શ કે વિચારતાત્પર્યવાળાં કાવ્યો વિશે પણ ભાવક તલ્લીનતા તદાકારતા અનુભવી શકે એ મનુષ્યમાં રહેલી સમાન ભાવની શક્તિથી જ શક્ય બને છે. અનુભાવના શક્તિ તે આ જ સમસંવેદનની શક્તિ.’—એ રીતે ‘અનુભાવનાશક્તિ’નું વર્ણન પણ તેમણે આપ્યું છે.&lt;br /&gt;
કૃતિના આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચકની ચેતના સમગ્રતયા સક્રિય બને છે એમ નોંધી તેઓ વધુમાં સ્પષ્ટતા કરે છે : ‘જ્ઞાન સ્મૃતિ અને સંવેદનના પૂરા વ્યાપારથી’ કૃતિમાં લીન થવાની વિવેચકની તત્પરતા તથા શક્તિ જોઈએ. એ કંઈ માત્ર હૃદયનો કે બુદ્ધિનો કે સ્મૃતિનો એકદેશીય વ્યાપાર નથી. ચિત્તની બધી શક્તિઓ પરસ્પર સંવાદી બનીને તેમાં સક્રિય બનતી હોય છે. સમૃદ્ધ કળાકૃતિ ભાવકના હૃદયમાં જે અપૂર્વ આહ્‌લાદ જન્માવે છે તે વિવેચનની આધારશિલા છે. રામનારાયણ પાઠકની જેમ વિષ્ણુપ્રસાદ પણ રસાનુભવની ‘ઉત્કટતા’ને કૃતિના ‘ગુણનો ગજ’ બને એવી સંભાવનારૂપે સ્વીકારે છે. અલબત્ત, ‘આનંદ’નું સ્વરૂપ તેણે તપાસવાનું રહે છે. આપણે અહીં નોંધવું જોઈએ કે કળાના આનંદ જેવા અતિ સૂક્ષ્મ તત્ત્વની પરીક્ષા કરવાનું સરળ નથી. બુદ્ધિનાં ઓજારોથી એનું ગ્રહણ કરવાનું અત્યંત મુશ્કેલ છે. પણ, આ સંદર્ભમાં વિષ્ણુપ્રસાદ, યથાર્થ રીતે જ, આનંદના સ્રોતસમી કૃતિને તેના ‘અખિલ સ્વ-રૂપે’ તપાસવાનું સૂચવે છે.&lt;br /&gt;
“કયો વિચાર મૂળથી ફૂલ સુધી શાખાપ્રશાખામાં ફરતો ઘાટ લેવા પ્રયત્ન કરે છે તે એને જણાશે. જેના પુનઃ કલ્પનમાં વિવેચનને સુખ લાગે છે તેના મૂળમાં કયો સર્જક રહસ્યાત્મક ભાવવિચાર પડ્યો છે તે એ શોધી કાઢશે અને એના રમણીય આવિષ્કારમાં સાહિત્યકારે શી કલા યોજી છે—અથવા એનાથી શી યોજાઈ ગઈ છે—તે તપાસશે.”૮૭ અહીં સ્પષ્ટ જોઈ શકાશે કે કૃતિની રૂપ-નિર્મિતિમાં સક્રિય બનેલા ઋતને ગ્રહણ કરવાની વાત શ્રી વિષ્ણુપ્રસાદ કરે છે. આખી કૃતિનો વિકાસવિસ્તાર જે કોઈ બીજરૂપ વસ્તુમાંથી થયો છે તેને શોધી તેના અનુલક્ષ્યમાં કૃતિના અંગેઅંગનો ‘અર્થ‘ પામવાનો છે. સાહિત્ય કૃતિની સજીવ એકતા (organic unity)નો ખ્યાલ તેમને અહીં અભિપ્રેત હોય એમ જણાશે. (નવ્ય વિવેચક ક્લિન્થ બ્રૂક્સે પણ સાહિત્યકૃતિની સજીવ એકતા વૃક્ષના રૂપકથી સ્પષ્ટ કરેલી છે.) જોકે વિષ્ણુપ્રસાદ આકારવાદી નથી. તેમની સાહિત્યચર્ચામાં કૃતિની સજીવ એકતા અને અખિલાઈનો આ રીતે સ્વીકાર છે, પણ આકૃતિમાં જ સાહિત્યકારનું વિશ્વ પરિબદ્ધ નથી. સાહિત્યને વ્યાપક જીવન જોડે ઊંડો, ઘણો ઊંડો સંબંધ છે, એમ સ્વીકારીને તેઓ ચાલે છે. એટલું જ નહિ, જીવનનાં મૂલ્યોને પ્રસ્તુત કરવા જ કળાકાર તેને વિશિષ્ટ ઘાટ આપે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
અહીં બીજી એક વાત નોંધવાની રહે છે; અને તે એ કે કૃતિમાં મૂળથી ફૂલ સુધી શાખાપ્રશાખામાં ઘાટ લેવા ફરતા બીજભૂત વિચાર કે ભાવતત્ત્વને પકડવાનું સહેલું નથી, કદાચ એ અતિ મુશ્કેલ કામ છે. આધુનિક સમયની સંકુલ વ્યંજનાસભર કવિતામાં આવી બીજરૂપ વસ્તુને પકડવાનું તો આત્યંતિક જ મુશ્કેલ. નવ્ય વિવેચકોએ કૃતિનિષ્ઠ વિવેચનની જે પરંપરા ઊભી કરી–અથવા, તેમના દ્વારા જે પરંપરા ઊભી થઈ–તેમાં સૌથી મુશ્કેલ નિર્ણયાત્મક પ્રશ્ન તે દરેક વિશિષ્ટ આકૃતિ પાછળ સક્રિય બનેલી બીજરૂપ વસ્તુનું ગ્રહણ કરવાનો છે. કેમ કે, કૃતિના અનુભવમાં જે કોઈ ભાવ કે વિચારતત્ત્વને બીજરૂપે સ્વીકારીએ તે કેવળ એક hypothesisનું મૂલ્ય ધરાવતું હશે. કોઈ તાર્કિક વિચાર વિશ્લેષણથી તેની અનિવાર્ય સત્તા કૃતિમાં સ્થાપી શકાતી નથી. વિવેચક માટે કૃતિના આકલનનું કાર્ય એ રીતે પડકાર રૂપ બની રહે છે. સામાન્ય રીતે, સહજોપલબ્ધિ દ્વારા આવી કોઈ વસ્તુનું ગ્રહણ કરીને તે આ પ્રવૃત્તિમાં સક્રિય બનતો હોય છે.&lt;br /&gt;
વિવેચન વ્યાપારને અનુલક્ષીને વિષ્ણુપ્રસાદ બીજા તબક્કાનો જે ખ્યાલ આપે છે તે પણ ધ્યાનાર્હ છે : “ભાવો સમૃદ્ધ થતા થતા રસનું કેમ નિષ્પાદ કરે છે, કોઈ નવો ભાવયુક્ત વિચાર વીજળીની ચપળતાથી કવિ કેમ ચમત્કાર બનાવે છે, સમગ્ર કૃતિનો સંસ્કાર કોઈ અખંડ સુંદર આકાર જન્માવતી વ્યવસ્થાનો કેમ ખ્યાલ આપે છે, એ બધું ધીરજથી અને નિષ્ઠાથી તે વિલોકે છે. કવિ શું પ્રતિપાદિત કે પ્રગટ કરવા મથે છે તથા ભાષાલય આદિથી નીપજતાં સમગ્ર રૂપ દ્વારા પ્રતિપાદનમાં એને કેટલી સફળતા મળી છે એ જુવે છે. વિવેચનમાં આ પૃથક્કરણાત્મક તારણ અને પૂર્વોકત હૃદયનો આનંદ સમન્વિત થવો ઘટે.”૮૮ આ ચર્ચામાં કૃતિના આકલન પછીના વિશ્લેષણવ્યાપારની તેઓ વાત કરવા ચાહે છે કૃતિનો રસાનુભવ કે આનંદ એમાં લુપ્ત થતો નથી. અર્થાત્‌ આનંદના મૂળમાં જે રહસ્યાત્મક ભાવ રહ્યો છે તેનું અનુસંધાન તો છેવટ સુધી જારી રહે છે, પણ હવે વિવેચક એ આનંદના પ્રભાવમાં રહેલાં ‘કારણો’ની ખોજ આરંભે છે. કૃતિમાંની ભાષાભિવ્યક્તિ લય આદિ તત્ત્વોની સમર્પકતાનો વિચાર એ રીતે થાય છે. આમ જુઓ તો, ભાવકની આનંદાનુભૂતિ એ કેવળ આત્મલક્ષી બાબત છે, એનું વર્ણન એના સ્રોત રૂપ એની કળાકૃતિના સંદર્ભ વિના ભાગ્યે જ સંભવે છે. પ્રશ્ન વિવેચક પોતાના કળાત્મક અનુભવ સાથે કેવી રીતે કામ પાડે તેનો છે.&lt;br /&gt;
વિવેચન એ સર્જન છે કે શાસ્ત્ર, એવો વિવાદ જે સમયે આપણે ત્યાં ઉગ્ર બન્યો હતો ત્યારે વિષ્ણુપ્રસાદ પણ આ વિશે ચર્ચાવિચારણા કરવા ઉદ્યુક્ત બન્યા હતા. વિવેચનની ‘સર્જકતા’નો તેઓ પણ આગવી રીતે પુરસ્કાર કરે છે તે સૂચક છે : “વસ્તુલક્ષી અવગાહન ને પૃથક્કરણ અને આત્મલક્ષી આનંદનો જેટલા પ્રમાણમાં વિવેચનમાં સમન્વય થાય, વિવેચન જેટલે અંશે અનુભવેલા આનંદના ઉત્સાહથી અનુપ્રાણિત થાય તેટલે અંશે તેમાં સર્જનના ગુણો આવવાના. વળી, વાચક વિવેચકનો પ્રતિભાવ લેખકની ભાવસૃષ્ટિમાં જ પુરાઈ રહેતો નથી. વિવેચક અને સર્જકની વૈયક્તિક સૂક્ષ્મ સંપત્તિ જુદી જુદી અને કદાચ જુદી જુદી સામાજિક ભૂમિકાની પણ હોય. વિવેચકનો પ્રતિભાવપિંડ પણ કૃતિને વળગેલો છતાં મુકત રીતે આકાર લે છે. એને લીધે સર્જનના અંશો વિવેચનમાં પ્રવેશી શકે.”૮૯ આપણે અહીં ખાસ નોંધવાનું છે કે વિવેચનના લખાણને તેઓ પૂર્ણતયા સર્જનની કોટિનું કે સર્જનાત્મક સ્વરૂપનું લેખવતા નથી. ‘સર્જનના અંશો’ એમાં પ્રવેશે, પ્રવેશી શકે, એટલું જ એમને કહેવું છે. અલબત્ત, આ રીતે વિવેચનરીતિમાં પ્રભાવવાદી (impressionistic) વલણોને તેઓ અવકાશ રચી આપે છે. કૃતિ વાંચતાં અનુભવાયેલી પ્રસન્નતા, આનંદોદ્રેક, અને ઉત્સાહભાવ વિવેચનમાં વ્યક્ત થાય એ વસ્તુ તેમને સ્વીકાર્ય છે. વળી, વિવેચકનો પ્રતિભાવ કૃતિ સાથે જોડાયેલો છતાં તેની પરિસીમામાં બદ્ધ થઈ જતો નથી. તેમાંના કોઈ ને કોઈ મુદ્દા નિમિત્તે, સંબંધિત પ્રશ્ન વિશે કે બીજી રીતે થોડીક મુક્ત વિચારણાને ય અવકાશ રહે છે. વિજ્ઞાનના વિષયમાં વિચારવિશ્લેષણની જે ચુસ્તતા અને જે શિસ્ત સંભવે છે તે વિવેચનમાં સંભવતી નથી એમ તેમને અભિપ્રેત છે. જો કે આ રીતે મુક્ત નિરૂપણમાં સર્જકતાનાં કયાં તત્ત્વોને સ્વીકારી શકાય, ક્યાં સુધી તે નિર્વાહ્ય ગણાય તે પ્રશ્નો ય વિચારવાના રહે છે.&lt;br /&gt;
પણ વિવેચકનું કાર્ય તેની આનંદાનુભૂતિના આલેખનમાં તેમ તેના વિશ્લેષણ વ્યાપારમાં પૂરું થતું નથી. દરેક સાહિત્યકૃતિ જીવનનું કોઈ રહસ્ય લઈને આવી હોય છે, જીવનવિચાર કે જીવનમૂલ્ય તરફ લેખકનું વલણ કેવું છે તેના સંકેત લઈને આવી હોય છે. આ રીતે સર્જકની સાહિત્યપ્રવૃત્તિ ભાવકના ચિત્ત પર કોઈ ‘વિશિષ્ટ સંસ્કાર’ મૂકી જાય છે. વિવેચકે એવા સંસ્કારનું મૂલ્ય પણ તપાસવાનું રહે છે. એક રીતે, સાહિત્યની જે સૂક્ષ્મ અસરો વાચકના મન પર પડે છે તેની સમીક્ષા તેણે હાથ ધરવાની છે. કાર્ય અત્યંત કપરું છે તેનો સ્વીકાર કરીને તેઓ ચાલે છે. પણ વિવેચક માટે એ જ તો મોટો ધર્મ છે. તાત્પર્ય કે સાહિત્યના વિવેચનના ભાગરૂપે વિવેચકે મૂલ્યબોધની ચિકિત્સા કરવાની છે. એ માટે વિવેચક પાસે જીવનનું ઊંડું જ્ઞાન જોઈએ, વિશાળ અનુભવ અને કલ્પનાશક્તિ જોઈએ, આંતરપ્રતીતિ જોઈએ, પરિણત પ્રજ્ઞા જોઈએ. વિષ્ણુપ્રસાદ માને છે કે મોટા વિવેચકો સાહિત્યની વિવેચના નિમિત્તે સમાજ અને સંસ્કૃતિની વિવેચના પણ કરે છે. જીવનનાં ઉદાત્ત મૂલ્યો અને ભાવનાઓનો તેઓ સતત પુરસ્કાર કરે છે, તો તેનુ સંરક્ષણ-જતન પણ કરે છે : કહે છે – “કૃતિકૃતિનાં કવિકવિનાં વિવિધ રહસ્યોના તારતમ્યનિર્ણયનું કામ કોઈ પણ પ્રજાની માનસિક જીવંતતા અને પ્રગતિ માટે અનિવાર્ય છે”૯૦ તેમના વિવેચનવિચારની આ એક મહત્ત્વની ભૂમિકા છે.&lt;br /&gt;
વિવેચનના (કે વિવેચકના) કાર્યનું સ્પષ્ટીકરણ કરતાં તેઓ કહે છે :  “સહૃદયતા ને કલ્પનાથી સમજવું ને માણવું, ઐતિહાસિક ને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવી, અને વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં કૃતિમાંના જીવનરહસ્યને કે કર્તાના જીવનદર્શનને મૂકી આપવું એ ત્રિવિધ કર્તવ્ય વિવેચકનું છે. એના ત્રીજા પ્રકારના કર્તવ્યમાં તે જીવન-ફિલસૂફ અને કલા-ફિલસૂફ બને છે. અથવા તેની પોતાની ફિલસૂફીને ઉપયોગમાં લે છે.”૯૧ વિષ્ણુપ્રસાદની આ વિચારણા જરા નિકટતાથી જોવાની રહે છે. કૃતિને ‘સમજવા’ની અને ‘માણવા‘ની વાત, અલબત્ત, સ્પષ્ટ સમજાય તેવી છે. એના અનુસંધાનમાં વિવેચ્ય કૃતિને “ઐતિહાસિક’ અને ‘તુલનાત્મક’ દૃષ્ટિએ તપાસવાની તેમણે જે વાત કરી તે પણ ધ્યાનાર્હ છે. સાહિત્યકૃતિ જે ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે નીપજી આવી હોય છે, તે સર્વેને લક્ષમાં લઈ કૃતિની મૂલ્યવત્તાનો વિવેચકે વિચાર કરવાનો છે એમ તેઓ કહે છે. પશ્ચિમમાં ટેઈન આદિ અભ્યાસીઓએ વિવેચનમાં ઐતિહાસિક અભિગમની પ્રતિષ્ઠા કરેલી તેની સાથે વિષ્ણુપ્રસાદનો મત સરખાવી શકાય. પણ વિવેચકના ત્રીજા કાર્યનો જે ખ્યાલ રજૂ કર્યો છે તે વિચારણા માગે છે. કૃતિના ‘જીવનરહસ્ય’ને કે કર્તાના ‘જીવનદર્શન’ને ‘વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં’ મૂકવા જતાં, વિવેચકના પોતાના દર્શન સામે તપાસતાં, મૂળ કૃતિ કે કર્તાને અન્યાય ન થાય? સાહિત્યકારે તો એનું એક આગવું વિશ્વ રચ્યું છે. એ એના પોતાના સંદર્ભમાં આત્મપર્યાપ્ત છે અને એવી કૃતિમાંથી તારવેલા ‘રહસ્ય’ કે ‘દર્શન’ને વર્તમાન સમયનાં જ્ઞાનવિજ્ઞાનની એરણ પર કસવાનું જરૂરી છે ખરું? વ્યાજબી છે ખરું? અને વર્તમાનમાં પરસ્પરવિરોધી અનેક તત્ત્વચર્ચાઓ વિકસતી જતી હોય તેમાં કઈ વિચારણાને તે નિકષ તરીકે સ્વીકારશે? રામનારાયણ પાઠકની જેમ વિષ્ણુપ્રસાદ પણ વિવેચક પાસે ફિલસૂફની દૃષ્ટિ માગે છે. કૃતિમાં વ્યક્ત થયેલા ‘રહસ્ય’ કે ‘દર્શન’ની પણ સમીક્ષા કરવાની છે, અને કૃતિનું એ રીતે અંતિમ મૂલ્ય આંકવાનું છે એમ તેઓ કહે છે. પણ એ જાતની સમીક્ષામાં સર્જકતાનો મુદ્દો અંતે અપ્રસ્તુત બની જશે.&lt;br /&gt;
ઐતિહાસિક અભિગમ વિશે વિષ્ણુપ્રસાદના મંતવ્યને આપણે, અલબત્ત, યથાર્થ પરિપ્રેક્ષ્યમાં લેવાનું રહે છે. તેઓ એમ બતાવવા ચાહે છે કે ‘વિકસતું વિવેચન ભાનપૂર્વક’... ‘તુલનાત્મક અને ઐતિહાસિક’ બની રહે છે. એના દૃષ્ટાંત લેખે આપણી મધ્યકાલીન કૃતિઓનો તેઓ નિર્દેશ કરે છે. ‘સામાજિક સંનિવેશમાં’ આખ્યાન રજૂ થતું, તેને પૂરેપૂરું લક્ષમાં લીધા વિના, તેને બરોબર સમજ્યા વિના, તેનું કોઈ પણ વિવેચનમૂલ્યાંકન અધૂરું જ રહેવાનું એમ તેઓ કહે છે. તેમની અપેક્ષા તો એવી છે કે ભાલણ પ્રેમાનંદના સમયની ધર્મભાવના (કે ધર્મશ્રદ્ધા)ને પણ ઓળખી લેવાની રહે. મિલ્ટનકૃત ‘પેરેડાય્‌ઝ લોસ્ટ’ના વિવેચન માટે ય આ એટલું જ સાચું છે. આમ વિષ્ણુપ્રસાદે વિવેચનના ઐતિહાસિક અભિગમનો સહજભાવે સ્વીકાર કર્યો જણાશે.&lt;br /&gt;
પાશ્ચાત્ય વિવેચનની પરંપરામાં વિવેચનના વિવિધ અભિગમો (કે પદ્ધતિઓ)નો ઉદ્‌ભવવિકાસ એક રસપ્રદ ઘટના બની રહે છે. આ સદીના ત્રીજા ચોથા પાંચમા દાયકામાં અમેરિકામાં ‘નવ્ય વિવેચન‘ (new criticism, formalistic criticism તરીકે ય ઓળખાતું રહ્યું છે) જન્મ્યું અને વિકસ્યું, તે પૂર્વે પરંપરાગત વિવેચનમાં-ચરિત્રલક્ષી અભિગમ (biographical approach), સ્વરૂપલક્ષી અભિગમ (generic approach), ઐતિહાસિક અભિગમ (historical approach), નીતિલક્ષી અભિગમ (moral approach), પ્રભાવવાદી અભિગમ (impressionism), રસલક્ષી અભિગમ (aesthetic criticism), સર્જનાત્મક વિવેચન (creative criticism)-જેવી વિભિન્ન ‘રીતિઓ’ અસ્તિત્વમાં આવી હતી. એના પુરસ્કર્તા સર્જકો/વિવેચકોએ, અલબત્ત, આવી ‘રીતિ’ વિશે સભાનપણે વિચાર્યું હતું એટલે ત્યાં એવી રીતિ કે અભિગમનો સભાન સ્વીકાર અને તેમાંથી સહજ જન્મી આવતા વિવેચનની અલગ ધારા કે અલગ તબક્કા જોઈ શકાશે. જોકે ત્યાંયે છેક ગઈ સદી સુધી આવા એકથી વધુ અભિગમોને, યથાવકાશ, જાણ્યેઅજાણ્યે સમાવી લઈને ચાલતું વિવેચન પણ મોટો પ્રવાહ રચે છે.&lt;br /&gt;
આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સાહિત્યના આકાર અને આકારવાદની ચર્ચાઓ શરૂ થઈ અને સુરેશ જોષી દ્વારા આકારવાદી વિવેચનની પ્રવૃતિ આરંભાઈ, તે સાથે આપણા વિવેચનની પદ્ધતિઓ/અભિગમો વિશે કેટલીક ત્રૂટક ચર્ચા વિચારણાઓ પણ શરૂ થઈ, પણ સ્વાતંત્ર્ય પહેલાંના આપણા વિવેચનમાં આ અંગે સભાનપણે ખાસ ચર્ચાઓ થઈ નથી. અલબત્ત, બળવંતરાયના વિવેચનવિચારમાં તેમ વિષ્ણુપ્રસાદમાં ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિઓ વિશે પ્રાસંગિક ઉલ્લેખો મળે છે. અને એ રીતે એનું મહત્ત્વ પણ છે. પણ આપણી આગલી પેઢીના વિદ્વાનોએ ઘણું ખરું તો કૃતિ વિવેચનમાં યથાવકાશ કર્તાનું ચરિત્ર, તેનું મનોરાજ્ય, તેની સામાજિક ઐતિહાસિક પરિસ્થતિ, કૃતિનું સ્વરૂપ, રચનાગત પ્રણાલિઓ, પરંપરાઓ, સંબંધિત વિચારસરણીઓ આદિનો સાથે સાથે વિચાર કરવાનું વલણ કેળવ્યું હતું. વિષ્ણુપ્રસાદ પણ ઐતિહાસિક તુલનાત્મક અભિગમનો જે નિર્દેશ કરે છે, તેમાં તેમને કૃતિ/કર્તા વિશેના બાહ્ય સંદર્ભોની સમીક્ષા વિશેષ અભિપ્રેત છે. ગોવર્ધનરામની પ્રસિદ્ધ કૃતિ ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪) વિશેનું તેમનું અધ્યયન-વિવેચન આ અભિગમનું સરસ દૃષ્ટાંત બની રહે છે.&lt;br /&gt;
વિવેચકનું પરમ કર્તવ્ય કૃતિનું મૂલ્યાંકન છે. એ માટે વિવેચકે જીવનનાં ઉદાત્ત અને શ્રેયસ્કર તત્ત્વોને લક્ષમાં લેવાનાં રહે. ‘સાહિત્યનો ગર્ભ જીવન છે’ એ તેમના ચિંતન-વિવેચનની કેન્દ્રીય ભૂમિકા છે. “જીવનની વિશાળતા, તેનાં ઊંડાણ અને સનાતનતાનો કેટલો સ્પર્શ તેમાં થાય છે, તેના ઉપર તેની અંતિમ મૂલ્યવત્તા અને મહાનતાનો આધાર છે.... અન્ય ગુજરાતી નવલકથાઓ કરતાં ‘સરસ્વતીચંદ્ર’ મહાન છે તે એમાં પ્રતિબિંબિત થતી જીવનની સૂક્ષ્મતા અને વિશાળતાને લીધે; આપણાં આખ્યાનો કરતાં મહાભારત રામાયણ મહાન છે તે પણ એમાં વરતાતી વ્યાપકતા અને ક્રાન્તદૃષ્ટિને લીધે. સાહિત્યકૃતિ જીવન વૈચિત્ર્યનો, જીવન વ્યાપી સત્યનો અને નિતાન્ત રમણીયતાનો યુગપત જેટલો બોધ કરાવે તેટલી તેની ઉચ્ચતા.”૯૨ સાહિત્યના વિવેચનમાં આમ તેની ભાષા, લય, શૈલી, આકારની તપાસથી માંડીને તેમાં રજૂ થતા જીવન વિચારના મૂલ્યાંકન સુધીનાં કાર્યો સમાઈ જાય છે. ટી. એસ. એલિયટે આ વિશે રજૂ કરેલા મંતવ્ય સાથે એને મૂકી શકાય. એલિયટનું વિધાન છે : “The ‘greatness’ of literature cannot be determined solely by literary standards, though we must remember that whether it is literature or not can be determined by literary standards.”૯૩ વિષ્ણુપ્રસાદની દૃષ્ટિમાંય મહાન પ્રશિષ્ટ સાહિત્ય રહ્યું છે. એટલે જ ‘મહાન સાહિત્ય’ની તેમને ખેવના રહી છે; અને એવા મહાન સાહિત્યના મૂલ્યાંકન અર્થે કેવળ સાહિત્યિક ધોરણો પૂરતાં નહિ થાય, જીવનનાં ધોરણો ત્યાં લાગુ પાડવાનાં રહે છે, એમ તેઓ પ્રતિપાદિત કરી રહે છે&lt;br /&gt;
વિવેચકના ‘ચારિત્ર્ય’નો અને તેની સજ્જતા વિશેનો તેમનો ખ્યાલ પણ ધ્યાનાર્હ છે : “વિવેચક જેટલો નમ્ર તેટલો નિષ્ઠાવાળો થઈ, શુદ્ધ બુદ્ધિથી પોતાની ચેતનાને સાહિત્યકૃતિને સોંપે છે. સાહિત્યકૃતિ એના ચિત્તને સંપૂર્ણપણે અસર કરી શકે એવી વૃત્તિથી એ વાંચે છે. કૃતિમાં વર્ણવેલી લાગણીઓ અનુભવવા એ સહૃદય છે. કૃતિમાં ઉપસાવેલાં ચિત્રો જોવા એ કલ્પનાશીલ છે; સામ્ય અને વિરોધના વૈચિત્ર્યથી ઉદ્‌ભવતા સૌંદર્યને ઓળખવા તેને આંખ છે. વિચારોનાં ઊંડાણોને પહોંચી વળવા તેને જ્ઞાન અને બુદ્ધિ છે. આ બધાનો સમાવેશ સહૃદયતામાં થઈ શકે.”૯૪ વગેરે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિમાં, ‘ભાવકની ‘સહૃદયતા’નો સ્વીકાર કરીએ તોયે, એકની એક કૃતિ વિશે વારંવાર તીવ્ર મતભેદો પ્રવર્તતા હોય છે. વિવેચનનો આખો ઇતિહાસ એ રીતે મતમતાંતરોથી ભર્યો છે. તો આ જાતનાં મતમતાંતરો કોઈ રીતે દૂર કરી શકાય? કે ઓછાં કરી શકાય? કેવળ વૈયક્તિક રુચિઅરુચિથી મુક્ત એવું કોઈ ‘શાસ્ત્ર’ ઊભું કરી આપી શકાય ખરું? – વિવેચનમીમાંસાના આ કૂટ પ્રશ્નો રહ્યા છે. વિષ્ણુપ્રસાદ આ સંદર્ભમાં એમ સ્પષ્ટતા કરે છે કે કૃતિ વિશેના અનુભવો અને અભિપ્રાયોમાં એકેએક ભાવક મૂળભૂત રીતે જુદો પડતો હોય તો તો વિવેચનને શાસ્ત્રીય ભૂમિકા પર ઉઠાવવાનું શક્ય જ ન બને. પણ દરેક પ્રજા પોતાની પરંપરામાં રચાયેલી/રચાતી આવતી કૃતિઓ વિશે જે રીતે પ્રતિભાવ પાડે છે, તેને બિરદાવે છે કે તિરસ્કારે છે, તેમાં તેના લાક્ષણિક રુચિતંત્રના અણસાર મળે છે. તેમના પ્રતિભાવોમાં જ્યાં ઘણી સમાનતા જોવા મળે છે ત્યાં કળાનાં કે જીવનનાં અમુક મૂલ્યો માટેની પસંદગી કે રુચિ પ્રગટ થાય છે. સાહિત્યકળાના સ્વરૂપ અને કાર્ય વિશેની, તેની ઉપયોગિતા વિશેની, અમુક વ્યાપક સમજ અને સ્વીકારની ભૂમિકા છતી થાય છે. સર્જકોવિવેચકો સાહિત્યકૃતિઓ વિશે જે રીતે ચર્ચાવિચારણાઓ કરતા રહે છે તેમાંય અમુક મૂલ્યો માટે સર્વસંમતિ, સર્વસંમતિ નહિ તો ય બહુમતિ, વર્તાય છે. એટલે આ બધી બાબતોને લક્ષમાં લઈને વિષ્ણુપ્રસાદ એવી આસ્થા પ્રગટ કરે છે કે સાહિત્યની કળા અને સૌંદર્યતત્ત્વ વિશે અમુક ધોરણો ચોક્કસપણે નિર્ણિત કરી શકાય એમ છે. “સાહિત્યને સિદ્ધાંતો છે અને તદ્‌નુસાર તેના તે જ નહિ પણ સાહિત્યના શુદ્ધ અને ઉચ્ચ રૂપને અનુકૂલ વિવેચનના પણ સિદ્ધાંતો છે.”૯૫ અને આ વિશે સ્પષ્ટીકરણ કરતાં નોંધે છે : “જીવનની બીજી ઘટનાઓ માફક, વનસ્પતિજીવન કે પ્રાણીજીવનની ઘટનાઓ માફક, સાહિત્ય એ ઘટના છે, હકીકત છે. તેનો ઉદ્‌ભવ, તેનું ઉપાદાન, લોકહૃદયમાં અર્થાત્‌ યોગ્ય પરિસ્થિતિમાં તેની અસર, એ સર્વ ધ્યાનમાં લઈ એ સર્જનના નિયમો શોધી કાઢવાના છે. સાહિત્યથી સ્વતંત્ર નિયમોનું અસ્તિત્વ કલ્પી તેને લાગુ પાડવાનું કામ વિવેચનશાસ્ત્રીનું નથી. ઉચ્ચ સાહિત્યમાં નિયમો જે પ્રવર્તતા લેખાતા હોય તેનું વ્યાપ્તિનિબંધનનું કામ વિવેચનનું છે ખરું.”૯૬ વિષ્ણુપ્રસાદને આ ચર્ચામાં જે વસ્તુ અભિપ્રેત છે તે પકડવાનું મુશ્કેલ નથી. વિવેચનનું ય શાસ્ત્ર રચી શકાય એમ તેમને કહેવું છે. ‘ઉત્કૃષ્ટ સર્જનોમાં જે જે નિયમો વ્યાપકપણે પ્રવર્તતા હોવાનું પ્રતીત થાય’ તેને અનુલક્ષીને વિવેચનનાં ‘અમુક વ્યાપક ધોરણો’ બાંધી શકાય. પણ અહીં સાહિત્યકૃતિઓને વનસ્પતિ છોડ આદિ પ્રાકૃતિક પ્રદાર્થોની સાથે મૂકીને વિચારવા જતાં થોડી ગૂંચ ઊભી થતી જણાય છે. જે અર્થમાં વનસ્પતિશાસ્ત્રી માટે વનસ્પતિજગતની કોઈ પણ જાત specie એક fact છે કે પ્રાણીજગતમાં કોઈ પ્રાણી fact છે, એ અર્થમાં સાહિત્યકૃતિને fact ન લેખી શકાય. કોઈ પણ કળાકૃતિ-સાહિત્ય ચિત્ર શિલ્પ કોઈપણ એમાં નિહિત રહેલા, કહો કે માનવપ્રતિભાએ મૂર્તિમંત કરેલા, કોઈ અપૂર્વ રહસ્યને કારણે મૂલ્યસભર વસ્તુ છે. અને એ મૂલ્યની અસ્તિતા સહૃદય જ ઓળખી શકે. બલકે, એકની એક કૃતિના મૂલ્ય પરત્વે સહૃદયોમાં ય મોટા મતભેદ સંભવે છે. તાત્પર્ય કે, કલાકૃતિનું ontological status પ્રાકૃતિક પદાર્થોથી જુદું છે. અને, એટલે જ, વનસ્પતિ કે પ્રાણીજગતમાં inductionalથી વ્યાપ્તિ બાંધી શકાય તેવા નિયમો સાહિત્યના ઉદ્‌ભવવિકાસને અનુલક્ષીને બાંધી શકાય નહિ. સાહિત્યની ગતિવિધિનાં, એના આકાર શૈલી અને રચનાપરિવર્તનનાં અમુક ચોક્કસ વલણો, અલબત્ત, તારવી શકાય. અગાઉ વિષ્ણુપ્રસાદે રજૂ કરેલું મંતવ્ય ફરીથી ઉલ્લેખીએ તો, તેની ‘મીમાંસા’ રચી શકાય પણ તેનું ભૌતિક વિજ્ઞાનો જેવું વિજ્ઞાન તો ન રચી શકાય.&lt;br /&gt;
વિવેચનમીમાંસાનો બીજો મહત્ત્વનો મુદ્દો આ સાથે વિષ્ણુપ્રસાદે છેડ્યો છે. સાહિત્યકૃતિમાં તેના સર્જકનો વિશિષ્ટ અનુભવ મૂર્તિમંત થયો હોવાથી તેને વિશિષ્ટ રૂપ મળ્યું છે. દરેક કૃતિ એ રીતે અનન્ય હોય છે. દરેકમાં કશુંક અપૂર્વ વ્યક્ત થયું હોય છે. તો એવી અ-પૂર્વ કૃતિને મૂલવવા અગાઉના કૃતિસમૂહો પરથી તારવેલાં વિવેચનનાં ધોરણો કેટલે અંશે ઉપકારક બને, કેટલે અંશે પ્રસ્તુત બને, તે પણ વિચારવાનું રહે. કેટલાક એમ કહે છે કે દરેક કૃતિને મૂલવવાનાં આગવાં ધારણો/કસોટીઓ જે તે કૃતિમાંથી જ શોધી લેવાનાં રહે છે. વિષ્ણુપ્રસાદ એની સામે વાંધો લે છે કે વાસ્તવમાં એ રીતે તો કૃતિ કૃતિ વચ્ચે ઉચ્ચાવચતાના – તારતમ્યના – નિર્ણય અર્થે કોઈ ધોરણ/કસોટી રહેતાં જ નથી. વિવેચનપ્રવૃત્તિ સામે આમ મૂળથી એક મોટી આપત્તિ ઊભી થાય છે. દરેક કૃતિમાં કશુંક અનન્ય છે. પણ એ તત્ત્વને કારણે અન્ય કૃતિઓ સાથે તેની તુલના જ ન થઈ શકે એવું તો નથી. વિવેચનનું આપણે જેને ‘ધોરણ‘ તરીકે સ્થાપ્યું (કે ‘કસોટી’ તરીકે આપણે જેનો સ્વીકાર કર્યો) તે કોઈ એકાકી કૃતિમાંથી જન્મ્યું હોતું નથી. અસંખ્ય કૃતિઓની કળાત્મક ઉત્કૃષ્ટતાનો ખુલાસો એ આપી શકે તો જ ‘ધોરણ’/ ‘કસોટી’ તરીકે તે માન્ય થાય. ‘ધોરણ’ (કે ‘કસોટી’)ની સ્થાપના જ, આમ, અસંખ્ય કૃતિઓની તુલના પર અવલંબે છે એમ કહી શકાય.&lt;br /&gt;
‘કૃતિના મૂલ્યાંકન અર્થે કૃતિ જ ધોરણો પૂરાં પાડે છે‘ અથવા ‘દરેક કૃતિના મૂલ્યાંકન અર્થે વિવેચકે એમાં પડેલાં ધોરણો જ લાગુ પાડવાનાં છે, બીજાં નહિ’ – આ જાતનાં સૂત્રો પાછળનો મર્મ કંઈક જુદો છે. વિવેચકે નવા આકારની કૃતિના આસ્વાદ મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતાં તેને પૂર્વજ્ઞાત એવા કોઈ નિયમોના ચુસ્ત ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરવાનો નથી, પણ કૃતિના વિશિષ્ટ આકારને ઝીલવા મનને મુક્ત રાખવાનું છે. પણ કૃતિમાં પ્રવેશ કરતાં તેની અભિવ્યક્તિની રીતિ, રચનાપ્રણાલિઓ, રચનાગત તરાહો, ઘટકોના અન્વયો, કલ્પનોત્થ ઊઠાવ (fictionality) અને તેનો આગવો વ્યવસ્થાક્રમ (order) એ બધું લક્ષમાં લઈ કૃતિનો આગવો આકાર અને તેની પાછળ કામ કરતા સર્જનાત્મક સિદ્ધાંતની ખોજ કરી લેવાની છે. આ રીતે વિશિષ્ટ રચનાગત ભાત કે આકૃતિને યથાર્થ રૂપમાં પકડવાનું તેને માટે શક્ય બનશે. અને પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતના વિશિષ્ટ આકૃતિના બોધમાં અગાઉ તેના અધ્યયનમાં આવેલી કૃતિઓની ભાષા, રચનારીતિ, ઘટકોના અન્વયો આદિના નિયમો પ્રત્યક્ષપણે નહિ, તો પરોક્ષપણે ઉપકારક બની રહેશે.&lt;br /&gt;
કૃતિ વિશેનો વિવેચનાત્મક અભિપ્રાય પ્રમાણભૂત બને, તે માટે વિવેચકે સર્જકનું પ્રસ્તુત કૃતિની રચના પાછળ ખરેખર કયું ‘ધ્યેય‘ હતું, તે પણ લક્ષમાં લેવાનું છે એમ વિષ્ણુપ્રસાદ કહે છે. પ્રસ્તુત કળાકૃતિના નિર્માણમાં સર્જકનું ‘વાસ્તવિક’ અને ‘પ્રામાણિક’ ધ્યેય શું હતું, એણે ‘પ્રાપ્ય સામગ્રી’ વડે શું સિદ્ધ કર્યું, કેટલું સિદ્ધ કર્યું, વગેરે પ્રશ્નોનો પણ વિવેચકે ખ્યાલ કરવો જોઈએ. અને એથી વિશેષ સર્જકે જે કંઈ ‘ધ્યેય’ નક્કી કર્યું છે, તે ભાવક હૃદયને કેટલું સંતોષે છે તે અંગેય તેણે વિવેકવિચાર કરવાનો રહે છે. આ આખો પ્રશ્ન artist‘s intentionનો છે. અગાઉ મણિલાલે આ જાતનો મુદ્દો છેડેલો, તેને અનુલક્ષીને આપણે સમીક્ષા કરી જ છે. તેનું પુનરાવર્તન અહીં નહિ કરીએ.&lt;br /&gt;
ચિત્રશિલ્પ આદિ લલિત કલાઓની તુલનામાં સાહિત્યકલા એક મહત્ત્વની બાબતમાં જુદી પડે છે એમ તેઓ કહે છે. તેમનું પ્રતિપાદન એમ છે કે સાહિત્યનું માધ્યમ ભાષા છે અને એ ચિત્રશિલ્પાદિ કળાઓનાં માધ્યમથી એ રીતે વિશિષ્ટ છે કે એમાં માનવકાર્ય-Human Action-નું આલેખન ગતિશીલ રૂપમાં સંભવે છે. નવલકથા નાટક મહાકાવ્ય પ્રબંધ આદિ કથામૂલક સ્વરૂપોમાં ‘કાર્યની મહત્તા’ પ્રગટ થાય છે અને એ કારણે ઊર્મિકાવ્ય કરતાં તે ચઢિયાતાં છે એમ તેઓ માને છે. જીવનનાં મૂલ્યોની તપાસ વિવેચકે માનવીના આ ક્રિયાશીલ રૂપને લક્ષમાં રાખીને કરવાની છે. જીવનના ઉદાત્ત અર્થો અને મૂલ્યો ‘ક્રિયાધર્મ’ રૂપે જ ઉપલબ્ધ થાય છે. નવલકથા નાટક જેવાં સ્વરૂપોમાં જ નહિ, ઊર્મિકાવ્ય જેવી ભાવપ્રધાન રચનામાંયે ‘ક્રિયા’ને લક્ષમાં લેવાની છે. સાહિત્યના આકારની દૃષ્ટિએ આ એક ધ્યાનપાત્ર મુદ્દો છે. એમાં નૈતિક અર્થનો મૂલ્યવાન મુદ્દો છે. વિષ્ણુપ્રસાદ નોંધે છે કે યોગ્ય પ્રમાણમાં ‘ક્રિયાના નિરૂપણનો અભાવ’ એ ભારતીય સાહિત્યનું લક્ષણ છે, તેમ તેનો દોષ પણ છે.&lt;br /&gt;
વિવેચકે સાહિત્યશાસ્ત્રનું કળાવિચારનું ગમે તેટલું વિશાળ અધ્યયન કર્યું હશે, પણ કૃતિવિશેષના આસ્વાદ મૂલ્યાંકનમાં છેવટે તેનું ‘અંતઃકરણ’ જ અંતિમ કસોટી બને છે. આ વાત બીજી રીતે મૂકીએ તો, દરેક વિશિષ્ટ કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે અમુક ધોરણ લાગુ પાડવાનું વ્યાજબી કહેવાય કે નહિ એવો નિર્ણયાત્મક (crucial) પ્રશ્ન તેને પોતે ઉકેલવાનો આવે છે; અને તે વખતે તેણે પોતે જ પોતાની સમગ્ર સમજ અને વિવેકદૃષ્ટિને લક્ષીને ચોક્કસ નિર્ણય લેવાનો રહે છે – આવી personal decisionની પ્રક્રિયામાંથી વિવેચકે હંમેશાં પસાર થવાનું આવે જ છે.&lt;br /&gt;
સાહિત્યકળામાં જે જે અર્થો મૂલ્યો અને ભાવનાઓ આપણે ઝંખીએ છીએ, અથવા કૃતિમાં વ્યક્ત થયેલા જે જે અર્થો ભાવનાઓ અને મૂલ્યો આપણને પ્રગાઢપણે સ્પર્શે છે, એ સર્વને આપણા તત્ત્વદર્શન સાથે ઊંડા સ્તરેથી સંબંધ રહ્યો હોય છે એમ પણ વિષ્ણુપ્રસાદ માને છે : “આપણી ફિલસૂફી, આપણું જીવન દર્શન, વિશ્વ પાછળ રહેલા અને તેને આવરીને નિયમમાં રાખનાર તત્ત્વ વિશે આપણી કલ્પના, જીવનની પરમ સાર્થકતા વિશે, જીવનસાફલ્ય વિશે, શ્રેયસ વિશે આપણી શ્રદ્ધા, એ સર્વને આપણી કલાની સાર્થકતા વિશેની કલ્પનાને અપરિહાર્ય સંબંધ છે. આપણી રસાસ્વાદની મીમાંસાને, નિરતિશય આનંદની વિચારણાને આપણી પરમતત્ત્વની વિચારણા સાથે ગાઢ સંબંધ છે.”૯૭ તેમની આ વિચારણા ઘણી ધ્યાનપાત્ર છે. કળા સર્જકતા અને સૌંદર્યના ખ્યાલો છેવટે તો ક્યાંક આપણા તત્ત્વદર્શન સાથે જોડાયેલા હોવાનું સમજાશે. અભિનવનું રસચિંતન શૈવાદ્વૈતની ભૂમિકા પર પ્રતિષ્ઠિત થયેલું છે એ તો જાણીતી વાત છે. પાશ્ચાત્ય પરંપરાના બે મહાન આદ્ય ચિંતકો પ્લેટો અને એરિસ્ટોટલની કળાવિચારણાને તેમની આગવી તત્ત્વદૃષ્ટિએ જુદો જ વળાંક આપ્યો હતો તે ય એટલી જ જાણીતી વાત છે. વિવેચકે આથી કળાકૃતિમાં મૂર્ત થતા અર્થો અને મૂલ્યોનો પોતાની સાંસ્કૃતિક પરંપરાના સંદર્ભે પણ વિચાર કરવાનો રહે છે. સાહિત્યસર્જન અને વિવેચન બંને પ્રવૃત્તિઓ એ રીતે ધર્મ દર્શન અને સંસ્કૃતિ સાથે ઊંડો માર્મિક સંબંધ ધરાવે છે.&lt;br /&gt;
ભાવકની રસવૃત્તિ(taste)ની સાપેક્ષતાના મુદ્દાને ય વિષ્ણુપ્રસાદે સ્પર્શ્યો છે. એ અંગે, મુનશીએ રજૂ કરેલો વિચાર અને આ. આનંદશંકરનો એ વિશેનો પ્રતિવાદ – એમ એક ઊહાપોહ તેમની પૂર્વે આરંભાઈ ચૂક્યો હતો. કૃતિના આસ્વાદમાં ભાવક સર્વથા સ્વતંત્ર છે, કોઈ નિયમો તેને બાંધતા નથી, એ મતલબનું મુનશીએ ઉચ્ચારણ કર્યું હતું. આ. આનંદશંકરની જેમ વિષ્ણુપ્રસાદ પણ એ સિદ્ધાંતની સામે વાંધો લે છે. કેવળ વૈયક્તિક રુચિને આધારે કૃતિનું વિવેચન ન થાય. એ રીતે વિવેચનપ્રવૃત્તિમાં કશી વ્યવસ્થા જેવું જ ન રહે, માત્ર અરાજકતા જ ફેલાય, એવી સાવધાની તેમણે ઉચ્ચારી છે. અલબત્ત, આસ્વાદમૂલ્યાંકનમાં વિવેચકના વ્યક્તિત્વનો-પ્રતિભાનો આગવો સંસ્પર્શ હોઈ શકે, આગવો મૂલ્યબોધ પણ સંભવે, પણ એની પાછળ પણ આગવું rationale પડ્યું હોય, પડ્યું હોવું જોઈએ, એવી તેમની અપેક્ષા રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૭}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રી સુંદરમ્‌ની સાહિત્યપ્રવૃત્તિ એમના સમવયસ્ક કવિમિત્ર ઉમાશંકર જોશીની જેમ છેલ્લાં પંચાવન સાઠ વર્ષના ગાળા પર વિસ્તરી રહેલી છે. કવિતા ટૂંકી વાર્તા નાટક વિવેચન નિબંધ પ્રવાસકથા આદિ વિભિન્ન ક્ષેત્રોમાં તેમની કલમ ગતિ કરતી રહી છે. જો કે આપણા સાહિત્ય જગતમાં વધુ તો કવિ તરીકે જ તેઓ જાણીતા રહ્યા છે. એથી વિવેચક કે ટૂંકી વાર્તાના સર્જક કે પ્રવાસકથા લેખક તરીકે તેમની જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ છે, તેના તરફ પણ કંઈક દુર્લક્ષ થયું હોવાનું ય લાગ્યા કરે છે. પણ ત્રીસીના ગાળાના આ સાહિત્યકારે લગભગ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં પોતાની શક્તિનો પૂરો હિસાબ આપ્યો છે, તેમની આગવી પ્રતિભાની મુદ્રા તેમના સમગ્ર સર્જન ચિંતનમાં અંકિત થયેલી છે. અલબત્ત, આટલા લાંબા સમયપટ પર જેમની કારકિર્દી વિસ્તરી હોય તેવા સાહિત્યકારની જીવનદૃષ્ટિમાં કે કળાદૃષ્ટિમાં કશુંક પણ પરિવર્તન ન આવ્યું હોય તો જ આશ્ચર્ય. અને, સુંદરમ્‌ની કારકિર્દીમાં તો ચોખ્ખો વળાંક આવ્યો છે. સુવિદિત છે તેમ, પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં જઈ વસ્યા અને યોગના માર્ગે વળી ગયા. એ સાથે તેમની જીવનગતિ બદલાઈ; અને તેમના સાહિત્યસર્જનમાં તેમ ચિંતનવિવેચનમાં શ્રી અરવિંદના જીવનદર્શનની ચોક્કસ નિર્ણયાત્મક અસરો પડી છે. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ ‘અર્વાચીન કવિતા’ ૧૯૪૬માં પ્રગટ થયો તેની પ્રસ્તાવનામાં કાવ્યકળા વિશે તેમણ જે વિચારો રજૂ કર્યા, તેમાં શ્રી અરવિંદની વિચારણાનો કદાચ પહેલી વાર ઘેરો પ્રભાવ પડ્યો છે. એ પછી તેમણે જીવન વિશે તેમ કવિતા વિશે જે કંઈ વિચારણાઓ કરી તેમાં સ્વાભાવિક રીતે જ એ વિચારણાનું ગાઢ અનુસંધાન રહ્યું છે. સાહિત્યના અભ્યાસીઓએ એક વાત જરૂર નોંધી હશે કે, પિસ્તાળીસ સુધીના ગાળામાં તેમણે જે કેટલોક સાહિત્ય વિચાર કર્યો હતો તેમાં તેમની સામાજિક અભિજ્ઞતા અમુક રીતે કામ કરી રહી હતી. ‘સાહિત્યચિંતન’માં આ ગાળાનાં જે કેટલાંક લખાણો ગ્રંથસ્થ થયાં છે, તેમાં પ્રગતિવાદી વિચારોનો અમુક પ્રભાવ જોઈ શકાશે. જો કે કવિતામાં સાહિત્ય માત્રમાં-રસતત્ત્વની પ્રતિષ્ઠા કરવાનું વલણ પણ આરંભથી એટલું જ બળવાન રહ્યું છે; બલકે, ‘અર્વાચીન કવિતા’માં આપણા નાનામોટા બધા જ કવિઓ વિશે તેમણે જે રીતે મૂલ્યાંકન કર્યું છે તેમાં રસકીય મૂલ્યનો વ્યાપક સ્વીકાર છે, વિવેચનનું તેમને મન એ પાયાનું મૂલ્ય રહ્યું છે. પાછળથી તેમણે જે કાવ્યચિંતન કર્યું તેમાં વિશેષે તો શ્રી અરવિંદને અભિમત કાવ્યભાવનાનું જ વિવરણ જોઈ શકાશે. કાવ્યમાં વ્યક્ત થતા ‘રસ’ને આધ્યાત્મિક દર્શનના પ્રકાશમાં ઘટાવવાનો તેમનો એમાં મુખ્ય ઉપક્રમ રહ્યો છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે જે કેટલુંક ચિંતન કર્યું – એમાંનું ઘણુંખરું તો ઉત્તરકાળનું છે – તેમાં શ્રી અરવિંદ દર્શનની ચોક્કસ પ્રેરણા રહી હોવાનું સમજાશે.&lt;br /&gt;
‘અર્વાચીન કવિતા’ની ઉપર નિર્દિષ્ટ પ્રસ્તાવનામાં સુંદરમ્‌ની વિવેચનતત્ત્વ વિશે આરંભની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે. કાવ્યકળાના સ્વરૂપનો અને તેના કાર્યનો વિચાર એમાં ભૂમિકા રૂપે રહેલો છે. શ્રી અરવિંદને અભિમત જીવન વિચાર પણ એમાં જોડાયેલો જ છે :&lt;br /&gt;
“...કળાએ–કાવ્યે પોતાનો સ્વધર્મ–સૌંદર્યનું, રસનું, આનંદનું નિર્માણ–ક્યારે સાધ્યો ગણાય? આ પ્રશ્ન છે રસના અનુભવનો, સૌંદર્યની જ્ઞપ્તિનો, આનંદની સિદ્ધિનો, જીવનમાં સ્થૂલ ઉપકરણો અને આવરણોમાંથી બળાત્કારે માર્ગ કરીને બહુ જ કુંઠિત રીતે રસ-સૌંદર્ય અને આનંદનાં જે ઝરણ વહે છે તેના આદિમ્‌ સ્રોત પાસે કળાકારે પહોંચવાનું છે.”૯૮ અને તેમના મતે આ જ કાર્ય ભોક્તા-સહૃદય વિવેચકનું ય છે : “જેવી રીતે જમીનનો રસ શેરડીનાં મૂળિયાંમાંથી ચડતો ચડતો અમુક પેરાઈએ પહોંચીને તેનું મિષ્ટતમ રૂપ પામે છે, તેવી રીતે કાવ્યનો શબ્દ, તેના લય, તેમાંનું તત્ત્વદર્શન રહસ્ય એ નિરૂપણની કોક અગમ્ય અપૃથક્કરણીય ક્રિયા દ્વારા અમુક કક્ષાએ રસવત્‌ બને છે, રસોત્પાદક, રસવાહ બને છે. એ શબ્દનું શ્રવણ થતાં, લયનું શ્રવણ થતાં, તેમાંના તત્ત્વની ઝાંખી થતાં, આપણા સંવેદનતંત્રમાં એક પ્રકારનો ઉત્કટ, ઘન, તીવ્ર, નિબિડ ઝંકાર થઈ રહે છે. કંઈક અપ્રાકૃત અનુભૂતિ અનુભવાય છે. આવી ત્રિવિધ સર્વાંગીન નિબિડતાનું નિર્માણ કરવું યા તેનું પોતામાં અનુસર્જન કરવું એ છે કવિનું કાર્ય, ભોક્તાનું સહૃદયનું વિવેચકનું કાર્ય.”૯૯&lt;br /&gt;
કૃતિનું પોતાનામાં રસલક્ષી સર્જન એ સર્જક માટે – તેમ વિવેચક માટે – સમાન કાર્ય બની રહે છે. સુંદરમ્‌ની આ વિચારણામાં બે વિશિષ્ટ મુદ્દાઓ પડેલા છે. એક, રસનિષ્પત્તિની ઘટના એ અમુક ઊર્ધ્વ ચેતનાના સ્તરે સંભવે છે. પ્રાકૃતતાના સ્તરેથી સર્જક/વિવેચકે ઊંચા ઊઠવાની અપેક્ષા એમાં છે. જો કે સંસ્કૃતના આચાર્યોએ રસને અલૌકિક ગણ્યો જ છે, અને લૌકિક/પ્રાકૃત ભાવસંવેદનથી તેની અલગ સત્તા સ્વીકારી છે તેમાં તેમની આ જાતની સમજ જ રહી છે એમ લાગે. પણ સહેજ ઊંડી તપાસ કરતાં જણાશે કે રસચૈતન્યના ઊર્ધ્વારોહણની સુંદરમે જે વાત કહી છે તેમાં શ્રી અરવિંદને અભિમત જીવનદર્શન અનુસ્યૂત રહ્યું છે, અને એ રીતે તેમની રસ વિચારણાને આગવી દાર્શનિક દૃષ્ટિ મળી છે, એમ આપણે અહીં નોંધવું જોઈએ. બીજો મુદ્દો એ કે, સર્જકના પરમ ગંતવ્ય સ્થાન તરીકે રસની પરમ સત્તા (Absolute)ની પ્રતિષ્ઠા તેમણે કરી, તો વિવેચકને પક્ષે પણ એ રસની ઉપલબ્ધિ એ જ મુખ્ય પ્રયોજન બની રહે છે. પણ આ જાતના અભિગમને કારણે કૃતિના અર્થઘટનના, મૂલ્યાંકનના કે મતમતાંતરોના તાર્કિક (કે તાત્ત્વિક) પ્રશ્નો તેમને માટે ગૌણ બાબત બની રહે છે.&lt;br /&gt;
પણ, સુંદરમ્‌ની વિવેચનતત્ત્વચર્ચા તેમના આગવા દૃષ્ટિકોણથી જુદો જ મરોડ લે છે. તેમણે ભોક્તાના/વિવેચકના સંવેદનતંત્રની વિકાસદશાને લગતો મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. તેમનું એમ કહેવું છે કે વિવેચકનું સંવેદનતંત્ર જેટલું સૂક્ષ્મ અને અનુભવક્ષમ અને પટુતમ તેટલો તેનો રસાનુભવ વધુ તીવ્ર અને વધુ સઘન હોય છે. ભાવકો/વિવેચકોના રસાનુભવમાં ભિન્ન ભિન્ન માત્રાનો સ્વીકાર કરીને તેઓ આ રીતે ચાલ્યા છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે ભાવકના ચિત્તની અમુક પ્રાકૃત દશા અને તેની કુંઠાઓને કારણે જ આવો માત્રાભેદ સંભવે છે. કાવ્યકળા વિશેના ચિંતનમનન દ્વારા તેમ જ અન્ય ભાવકોની પ્રસ્તુત કૃતિ વિશેની અનુભૂતિઓ સાથે તુલના દ્વારા તેણે પોતાનું રસતંત્ર ખિલવવાનું છે. આ માટે, અલબત્ત, ઉત્કૃષ્ટ કવિતાનો સીધેસીધો અને સઘન પરિચય ઘણો ઉપકારક નીવડી શકે. સુંદરમ્‌ એમ પ્રતિપાદન કરવા ચાહે છે કે ભાવકો/વિવેચકોના રુચિવિકાસની વિવિધ કક્ષાઓને કારણે પણ વિવેચ્ય કૃતિઓની ગુણ સમૃદ્ધિ વિશે ઘણા અભિપ્રાયભેદો સંભવે છે. રસાનુભવની જે કંઈ આંતરક્ષમતા હોય તે પ્રમાણમાં તેઓ રસાનુભૂતિ કરી શકશે. અહીં આપણી સામે નવો મુદ્દો ઊભો થાય છે. કૃતિના વસ્તુલક્ષી કોટિના ગુણદોષો એક વાત છે, ભાવકની કક્ષા બીજો મુદ્દો છે. એ રીતે રસાનુભૂતિની સાપેક્ષતાનો એક વાસ્તવિક જટિલ કોયડો છે એ વાતનું તેઓ સૂચન કરી રહે છે. ભાવકના અધિકારના પ્રશ્નને સ્પષ્ટપણે તેઓ મૂકી આપે છે : “ઉચ્ચ કોટિનો રસાનુભવ, સૌંદર્યજ્ઞપ્તિ–આનંદદર્શન એ પણ સંવેદનતંત્રના પરિપાકનો વિષય છે. આ વસ્તુને આપણે અધિકારભેદથી ઓળખતા આવ્યા છીએ : આ અધિકાર વસ્તુતઃ છે અનુભવશક્તિનો વિકાસ, સંવેદનક્ષમતા, ગ્રહણશીલતા, રુચિ અને સંસ્કારનો અનુભવબળે તેમ જ આંતરિક સામર્થ્યના આવિર્ભાવને લીધે ક્રમશઃ ઉપચય પામેલો પરિપાક.”૧૦૦ તાત્પર્ય કે, વિવેચકના પક્ષે ઘણા મોટા અધિકારની તેમણે અપેક્ષા રાખી છે.&lt;br /&gt;
સર્જનપ્રવૃત્તિનું સુંદરમે યોગ્ય રીતે જ ગૌરવ કર્યું છે. વિવેચન મહત્ત્વનું ખરું પણ સર્જનનું તે ‘ઉપજીવિત’ છે તે વાત સરસ રીતે તેમણે સમજાવી છે. ‘કાવ્ય જે આપી શકે તે વિવેચન નહિ આપી શકે’ એમ તેઓ કહે છે. વાસ્તવમાં વિવેચન જે કંઈ કરવા માગે છે તેનો સમગ્ર આધાર સર્જનાત્મક સાહિત્ય છે. નોંધે છે : “કવિ એ પોતે જ રસ–પ્રકર્ષનો આદિ દૃષ્ટા અને સ્રષ્ટા છે. એ જ મહાગુરુ છે. કાવ્યનાં ધોરણો સર્જનાર, તેને વિકસાવનાર કે તેમાં પલટો લાવનાર કવિ પોતે છે. કવિની કવિતા, કાવ્યથી ભિન્ન એવી અનેક વસ્તુઓમાંથી સંસ્કારો લેતી છતાં, છેવટે તો પોતાના જ આંતરિક સત્ત્વમાંથી, પોતાની જ આંતરગતિથી દોરાઈને, પ્રેરાઈને પોતાનું રૂપ બાંધે છે. કવિ પોતે જ નવી ઉત્કૃષ્ટતાઓની ઝાંખી કરે છે અને તેમને સાકાર કરે છે.”૧૦૧ સુંદરમ્‌નું તાત્પર્ય એ છે કે ભિન્ન ભિન્ન આકાર અને ભિન્ન ભિન્ન રીતિનાં સર્જનો દ્વારા સર્જક કલાનાં નવાં શિખરો સર કરે છે, નવી રીતની ઉત્કૃષ્ટતાઓ નિપજાવી આપે છે, અને એ રીતે સાહિત્યની રૂપરચનાના નવા નિયમોની ખોજ કરવા તેમ ઉત્કૃષ્ટતાનાં નવાં જ ધોરણો ઊભાં કરવા વિવેચકોને પ્રેરે છે. એટલે વિવેચનના નિયમો કે ધોરણોનો સ્રોત તો સર્જનાત્મક સાહિત્ય છે એ સુંદરમ્‌ની વાત સાચી છે. પણ આપણે એની સાથે સ્પષ્ટીકરણ રૂપે કહેવાનું રહે છે કે આવા નિયમો કે ધોરણોની ઓળખ અને તેનું તાર્કિક વિશ્લેષણ, વિવેચન દ્વારા જ આરંભાય છે. સર્જકો પોતે ય વિવેચકની ભૂમિકામાં આ જાતની પ્રવૃત્તિ કરતા હોય છે. કવિ કાન્તે પોતાના સમયમાં ‘અતિ જ્ઞાન’ ‘વસંત વિજય’ આદિ વિશિષ્ટ આકારની જે પ્રસંગમૂલક રચનાઓ આપી, તેની કળાત્મક વિશેષતાઓ, ‘ખંડકાવ્ય’ તરીકેની તેની આગવી રચનારીતિ, અને તેનાં મૂલ્યાંકનનાં ધોરણો આપણા સુપ્રતિષ્ઠિત વિવેચક રામનારાયણ પાઠકે જ અંકે કરી આપ્યાં હતાં. તાત્પર્ય કે, નવી જ રીતિની કૃતિઓમાં આગવો નિયમ કામ કરી રહ્યો હોય તેની ઓળખ, વ્યાખ્યાવિચાર, અને તેની ઉત્કૃષ્ટતાનું તર્કસૂત્ર નિર્માણ એ જાતનું કામ વિવેચન ઉપાડી લે છે. એટલું જ નહિ, સૈદ્ધાંતિક ભૂમિકા પર તેની વ્યવસ્થિત ચર્ચા વિચારણાઓ દ્વારા તેનું સમર્થન કરવા પ્રયત્ન કરે છે. આ રીતે કળાનાં ઉત્કૃષ્ટ તત્ત્વોના સ્વીકાર-પુરસ્કાર સાથે જે તે યુગમાં આગવી critical climate જન્મે છે. તે સર્જાતા સાહિત્યને પ્રગટ નહિ તો પ્રચ્છન્નપણે પ્રેરક બળ બની રહે છે. વિવેચન સર્જકોને આ કે તે પ્રકારની કૃતિઓ રચવાને આદેશ ન જ આપે, ન જ આપી શકે; પણ ઉત્કૃષ્ટ કળાત્મક મૂલ્યોના પુરસ્કાર કે સમર્થન દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિને દિશાસંકેત જરૂર કરી શકે; અથવા તેને માટે મોટું પ્રેરકબળ બનીને તેમાં વળાંક પણ સર્જી શકે.&lt;br /&gt;
‘વિવેચનનો રસ’ લેખમાં સુંદરમે વિવેચનના સ્વરૂપ અને કાર્યને લગતી કેટલીક નક્કર વાસ્તવિક ભૂમિકાએથી ચર્ચા કરી છે. જો કે એમાંય તેમની આધ્યાત્મિક દૃષ્ટિનો અમુક પાસ તો બેઠેલો છે જ. વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકે વિવેચન પણ એક રીતનું સર્જન છે, કૃતિ વિશેની વિવેચકની ઊર્મિ જ એનો ઊગમસ્રોત છે, અને વિવેચનનું લખાણ, તેની શૈલી, પણ રસલક્ષી હોવી જોઈએ એ જાતના ખ્યાલો પ્રચલિત કર્યા હતા, તેની આલોચના રૂપે આ લેખ જન્મેલો છે. આ અંગે સુંદરમે સ્પષ્ટ કર્યું છે કે, સર્જનની કૃતિમાં વીર શૃંગાર કરુણ આદિ રસોને જે રીતે અવકાશ મળે છે, તેવો વિવેચનમાં ન જ હોય. કવિની જેમ રસનિર્માણનું કાર્ય વિવેચકનું નથી જ. એ ખરું કે કૃતિના આસ્વાદની ક્ષણે ભાવકમાં વિવેચકમાં વારંવાર વિસ્મય કે નિરાશા કે અરુચિ કે પ્રસન્નતાની લાગણી જેવી લાગણી સંચલિત થતી હોય છે; પણ એ તો કૃતિના રસબોધની સાથે સહઅસ્તિત્વ ધરાવતી લાગણીઓ છે. અને કૃતિમાં નિરૂપાયેલાં વિવિધ ભાવસંવેદનો સાથે સહચારી હોવા છતાં તેનો એ આંતરિક અને અનિવાર્ય અંશ નથી. સુંદરમ્‌ નોંધે છે : “વસ્તુસ્થિતિ એ છે કે વિવેચકનું કાર્ય તત્ત્વતઃ ઊર્મિસર્જનનું નથી. કલાકૃતિમાં રહેલા સૌન્દર્ય અને સત્યનું સ્વરૂપ પ્રકટ કરવું, સામાન્ય દૃષ્ટિને ન સમજાય તેવી કળાનિર્મિતિની ખૂબીઓ, સૌન્દર્યના અંશો, તેનાં ગૂઢ રહસ્યો છતાં કરવાં એ તલસ્પર્શી સૂક્ષ્મદૃષ્ટા વિવેચકનું કાર્ય છે. આ કાર્ય તે કેટલા યથાતથ્યથી કરી શકે છે, સૌન્દર્યની પરખમાં તે કેવી દક્ષતા બતાવે છે, તેના પર તેના કાર્યની સફળતાનો આધાર છે.”૧૦૨ અને વધુમાં સ્પષ્ટતા કરતાં કહે છે : “સૌંદર્યપરીક્ષણની આ પ્રવૃત્તિની પાછળ જે નિયામક વ્યાપાર છે તે ઊર્મિનો નહિ, પણ બુદ્ધિનો હોય છે. વિવેચકના કાર્યની કરોડ છે સૌંદર્યદર્શન, એનું ગ્રહણ તે જે સૂક્ષ્મ પટુતાથી કરે, સર્જકની પેઠે સૌંદર્યનિર્માણનાં તત્ત્વોને પણ સહજબુદ્ધિ intuitionથી પકડી લે અને તીક્ષ્ણ બુદ્ધિપ્રભાવથી તેનો જે સ્ફોટ કરે એ છે વિવેચકનો કાર્યપ્રદેશ.”૧૦૩&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ અને કાર્યના મુદ્દા પર સુંદરમ્‌ની આ ચર્ચા વેધક પ્રકાશ નાખે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સાહિત્યકૃતિનું ‘સૌંદર્યદર્શન’ એ જ વિવેચકના ‘કાર્યની કરોડ’ છે. એનું ગ્રહણ વિવેચકની ‘સહજબુદ્ધિ’ (intuition) દ્વારા થાય છે. એ પછી જ સૌંદર્યબોધમાં આવેલાં તત્ત્વોનું તે બૌદ્ધિક વિશ્લેષણ આરંભે છે. આમ વિવેચન કોઈ રીતે ઊર્મિનો એકાંગી વ્યાપાર નથી જ. સુંદરમ્‌ એમ પણ કહે છે કે વિવેચકને તેમ કોઈ પણ વાચકને વિવેચનમાં જે કંઈ રસ પડે છે તે તો કૃતિના ‘તત્ત્વપ્રકાશ’ની, ‘અનધિગતને અધિગત કરવાની’ ‘અજ્ઞાતને જ્ઞાત કરવાની’ પ્રક્રિયામાંથી જન્મે છે. વિવેચકના ચિત્તમાં આવો જે એક વ્યાપાર ચાલે છે તેનું જો નામ જ પાડવું હોય તો તેને માત્ર ‘શાંતરસ’ લેખે જ ઓળખાવી શકાય. કેમ કે, કૃતિનાં સૌંદર્યતત્ત્વોનું ગ્રહણ કરવાનો તેમ તેને પ્રકાશિત કરવાનો આ વ્યાપાર છે. વાચકને એ વાંચીને ચિત્તમાં અમુક શાંતિની અનુભૂતિ થાય છે. સુંદરમ્‌ની વિવેચનમીમાંસામાં વાચકના ‘શાંતરસ’નો આ કંઈક વિલક્ષણ ખ્યાલ છે. આ સંદર્ભે ચર્ચા કરતાં તેઓ આગળ જે કંઈ કહે છે તે જોતાં કંઈક આશ્ચર્ય થાય તેવું છે. “વિવિધ રીતે સૌંદર્યનો અને સત્યનો તત્ત્વ પ્રકાશ કરતું વિવેચન પણ જ્યારે ઉત્તમ સત્યનિષ્ઠાથી પ્રવર્તે છે, ત્યારે વાચકની શંકાકુશંકાઓનો, તેના રાગદ્વેષોનો, અને અજ્ઞાનનો પરિહાર કરતું તેને આ શાંતની પ્રકાશમય પરમ ભૂમિકામાં લઈ જાય છે.”૧૦૪ અહીં, વિવેચનનું લખાણ વાંચતાં ભાવકનું મન ‘શાંત... પ્રકાશમય પરમ ભૂમિકા’માં પહોંચે છે–એ જાતની સુંદરમ્‌ની માન્યતા, દેખીતી રીતે જ, તેમની આધ્યાત્મિક દૃષ્ટિથી પ્રેરાયેલી છે. કેટલાંક વિવેચનો આપણને સર્જનના જેવો આહ્‌લાદ આપે છે, તેનું કારણ વિવેચકનો પોતાનો ‘ઉત્સાહ’ નહિ, પણ કૃતિની રમણીયતા તેણે જે ‘કૌશલથી’ પ્રગટ કરી આપી, તે છે. સુંદરમ્‌ વળી એમ નોંધે છે કે કૃતિના ‘એકના એક તત્ત્વનો સ્ફોટ’ કરવામાં જુદા જુદા વિવેચકોની જુદી જુદી શૈલી છતી થાય છે. પણ એવી શૈલીઓમાં ‘શાંતરસ‘થી પ્રેરાયેલી શૈલી માટે તેમનો પક્ષપાત પ્રગટ થાય છે : “વિવેચકની ઉત્તમમાં ઉત્તમ શૈલી તો તે કે જે વાચકને વધારેમાં વધારે પ્રસાદપૂર્વક અને ઓછામાં ઓછા અંતરાય દ્વારા કૃતિના સૌંદર્ય પાસે લઈ જાય. જે વિવેચન વાચકમાં કેવળ ક્ષોભ મૂકી જાય, તેનામાં કોઈ રાગનું કે દ્વેષનું સિંચન કરવા પ્રયત્ન કરતું લાગે, તેમાં કંઈક તત્ત્વની વિકૃતિ હોય છે. સર્વગ્રાહી વિવેચક વસ્તુઓનો ઊહ અને અપોહ કરે છે, સાચું અને ખોટું, શુદ્ધ અને વિકૃત જુદું તારવે છે, એમ તેને કરવું પડે છે, તથાપિ એ સર્વને અંતે તે સમન્વયની કે સર્વ અંશોને આલોકિત કરતી પ્રકાશની ભૂમિમાં લઈ ગયા વગર રહેતું નથી અને એ સ્થિતિમાં પહોંચી મનુષ્યનું ચિત્ત એક મધુર તેજસ્વી સૌમ્ય અને શાંત ભાવ અનુભવે છે.”૧૦૫&lt;br /&gt;
સુંદરમે અહીં બે મુદ્દાઓ છેડ્યા છે : એક વિવેચનની શૈલીનો, બીજો વિવેચનના વાચનથી પ્રાપ્ત થતી સૌમ્ય શાંતિની અનુભૂતિનો. એ પૈકી ‘શૈલી’થી તેમને લખાણની રીતિનો ખ્યાલ જ અભિમત છે, વર્તમાન વિવેચનમીમાંસાનો ‘પદ્ધતિ’ (method) કે ‘અભિગમ’ (approach)નો ખ્યાલ અભિપ્રેત નથી. વિવેચકોનાં વિવેચનોમાં શૈલી ભલે બદલાતી રહે, તેમનું લખાણ અંતે તો ‘એકના એક તત્ત્વનો જ વિસ્ફોટ‘ કરે છે; એ સર્વ લખાણોનું એક જ પરમ લક્ષ્ય હોય છે – ‘કૃતિનું સૌંદર્યદર્શન’. અહીં આપણે એમ નોંધવાનું રહે છે કે સાહિત્યકૃતિ વિશે વિવેચકો જુદી જુદી રીતે કે જુદી જુદી શૈલીએ પોતાની વાત કહે તો ય સૌનું ‘વકતવ્ય’ અંતે એક જ છે. અર્થાત્‌ બધા શૈલીભેદ છતાં ય તે સર્વનું લક્ષ્ય ‘સૌંદર્યતત્ત્વ’ તે એક અને અખંડ છે. આમ, કૃતિમાં વ્યક્ત થતા સૌંદર્ય કે રસની પરમ સત્તાને સ્વીકારી લઈને તેઓ ચાલ્યા છે, એટલે જુદા જુદા વિવેચકોનાં એકની એક કૃતિ વિશેનાં મતમતાંતરો, વિરોધી અર્થઘટનો, કે પદ્ધતિભેદો આદિના તાત્ત્વિક પ્રશ્નો તેમને એટલા મહત્ત્વના લાગતા નથી. હકીકતમાં વિશાળ વિવેચનસાહિત્યના અર્થબોધ અર્થઘટન કે મૂલ્યાંકનના અનેક કૂટ પ્રશ્નોનો આપણે આજે સામનો કરી રહ્યા છીએ. જુદી જુદી રીતે સજ્જ થયેલા ભાવકો/વિવેચકો કળા વિશે આગવી આગવી સમજ લઈને કૃતિ પાસે જતા હોય છે, અને કળાનાં મૂલ્યોની બાબતમાં મૂળથી જ તેમની પ્રતીતિઓ જુદી હોય એમ જોવા મળશે. પ્રશ્ન એક રીતે ચિંતનપદ્ધતિનો ય છે. કૃતિમાં નિહિત રહેલા ‘રસ’ કે ‘સૌંદર્ય’ની એક પરમ સત્તા સ્વીકારી લીધા પછી અર્થબોધ કે અર્થઘટનની ભિન્નતા કેવળ આભાસી બાબતો લાગશે. વળી વિવેચનથી ભાવકચિત્તમાં શાંતમધુર સૌમ્ય દશા જન્મે એવી તેમની અપેક્ષા સાચી, પણ વિવેચનપ્રવૃત્તિ માટે એ લક્ષ્ય એટલું પ્રસ્તુત નથી.&lt;br /&gt;
સુંદરમ્‌ના દૃષ્ટિએ વિવેચકની નિસ્બત (કે ઉત્તરદાયિત્વ) કેવળ વિવેચ્ય કૃતિ કે કર્તા પૂરતી સીમિત રહેતી નથી. વિવેચકે લોકોશ્રેયનો ખ્યાલ પણ કરવાનો છે. ‘લોકબુદ્ધિનો વિકાસ કરવો’ – એ પણ વિવેચકે કરવાનું કામ છે. તેઓ એમ નોંધે છે કે લોકોમાં સાહિત્યનો આસ્વાદ લેવાની ક્ષમતા કેળવાય એ માટે – “વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર પ્રવર્તાવવો, તેની બુદ્ધિને પટુકરણ કરવી, તેનામાં નિર્ભેળ સત્યને પેદા કરવાની, સૌંદર્યને બુદ્ધિના ઉપકરણથી પણ ગ્રહણ કરવાની જરૂર સમજાવવી અને પોતે પણ ઊર્મિના ચંચલ અને અસ્થિર પાયા ઉપર ઊભા રહેવાને બદલે વિશુદ્ધ બુદ્ધિના શિખર ઉપર ઊભા રહી, કળામાં થતી સૌંદર્ય અને સત્યની ગતિનો આલેખ કરવો એ બધાં નાનાંસૂનાં કામો નથી. સર્જનથી આ ભિન્ન પ્રકારની પ્રક્રિયા છે. એ વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર છે, એનું પોતાનું ગૌરવ છે, અને તેની આગવી ચરિતાર્થતા છે.”૧૦૫&lt;br /&gt;
કળાનો આસ્વાદ લેવાની લોકોની શક્તિ ખીલે, અભિરુચિ કેળવાય, તે માટે વિવેચકે સતત તેમની બૌદ્ધિક ચેતનાને સંકોરતા રહેવાનું છે, તેની સૂક્ષ્મતાઓની માવજત કરવાની છે. કેવળ ઊર્મિલતાથી કૃતિનું સૌંદર્ય પૂરેપૂરું ન જ પામી શકાય. એ માટે સ્વસ્થ સ્થિર દ્યુતિમય એવી બુદ્ધિશક્તિનો ય વિનિયોગ થવો ઘટે. વિવેચનવ્યાપારની અંતર્ગત આમ બૌદ્ધિકતાનું પ્રવર્તન તેઓ સ્વીકારે છે. અને, વિવેચનનાં બે પરમ મૂલ્યો તરીકે તેઓ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની ફરીફરીને સ્થાપના કરવા ચાહે છે, જો કે એ બે ભાવનાઓનું રહસ્ય તેમની આગવી દાર્શનિક વિચારણાઓના પ્રકાશમાં જ સમજી શકાય.&lt;br /&gt;
‘સર્જકોનું સંમેલન’ ‘પરાવરની યાત્રા’ અને એવાં બીજાં ઉત્તરકાલીન વિવેચનાત્મક લખાણોમાં, સર્જન અને વિવેચન, બંને ય પ્રવૃત્તિઓ વિશે ઘણું ખરું તેઓ સાથોસાથ વિચારતા રહ્યા છે. પાછળના સમયનાં આ બધાં લખાણો આધ્યાત્મિક પરિભાષામાં રજૂ થયાં છે. શ્રી અરવિંદનું દર્શન અને તેમની કાવ્યભાવનાનું સીધું અનુસંધાન એમાં જોઈ શકાય. આપણા સર્જાતા જતા સાહિત્યના વિવેચનના પ્રશ્નો સાથે – નક્કર વાસ્તવિક પ્રશ્નો સાથે – તેમની એમાં ખાસ નિસ્બત દેખાતી નથી. બલકે સર્જન અને વિવેચન બંનેય પ્રવૃત્તિઓનું કેવળ ભાવનારૂપ જ એમાં પ્રગટ થતું રહ્યું છે. બંનેય પ્રવૃત્તિઓના ઊગમમાં, સ્વરૂપમાં, અમુક ચોક્કસ ‘વૃત્તિભેદ’ અને ‘રીતિ ભેદ’ રહ્યો હોવાનું ય તેઓ નોંધે છે, પણ બંનેનું અંતિમ લક્ષ્ય એક જ છે, એ વાત પર બધો ભાર તેઓ મૂકતા રહ્યા છે. નરસિંહરાવે કહેલું કે કવિ અને વિવેચક બંને જોડિયા ભાઈઓ જ છે. તેમના એ ખ્યાલનું પણ કંઈક આગવી રીતે તેઓ અર્થઘટન કરવા પ્રેરાયા છે.&lt;br /&gt;
‘વિવેચન‘ સંજ્ઞાનો ઘણીએક ચર્ચાવિચારણાના સંદર્ભે સુંદરમ્‌ વિશાળમાં વિશાળ અર્થ લઈને ચાલ્યા છે. ગ્રંથાવલોકનો, કૃતિઓને લગતાં અધ્યયનો, અને સિદ્ધાંતચર્ચાઓ સર્વ એમાં સમાઈ જાય તે રીતે તેઓ એ સંજ્ઞાને પ્રયોજે છે. પણ એ સંજ્ઞાને અતિવિસ્તારીને, ખેંચીને, કૃતિના વાચન દરમ્યાન ‘ભાવકના ચિત્તમાં પ્રતિક્ષણે ચાલી રહેલા પ્રતિસંવેદન’નેય તેનો તેમાં સમાવી લેવા ચાહે છે. કંઈક વિચિત્ર લાગે તેવી ભૂમિકા વળી ત્યારે ઊભી થાય છે જ્યારે, ચોપડી વાંચતાં ભાવકને કંટાળો આવે અને તે બગાસું ખાય, તો તેની એ ચેષ્ટા પણ એક રીતનું વિવેચન જ છે એમ તેઓ કહી બેસે છે! અહીં વિવેચનના સ્વરૂપવિચારનો મુદ્દો બિનજરૂરી રીતે તેમણે ગૂંચવ્યો છે. બગાસું ખાય એટલે વાચકને કૃતિમાં રસ પડતો નથી એવું તારણ પણ હંમેશાં સાચું નથી. અતિશય શ્રમ, થાક, બોજ, અનિદ્રા કે એવાં બીજાં કારણોથી પણ બગાસું આવી શકે. પણ, માની લઈએ કે, કૃતિ નીરસ લાગી હોય અને બગાસું ખાધું હોય, તો પણ ‘વિવેચનપ્રવૃત્તિ’નું એ સાચું સ્વરૂપ નથી જ. ‘વિવેચન’ નામની વિદ્યાકીય પ્રવૃત્તિ, ખરેખર તે, ભાવક પોતાના રસાનુભવને અનુલક્ષીને ભાષામાં રજૂઆત કરવાની શરૂઆત કરે છે તેની સાથે આરંભાય છે. કૃતિ વિશે મનમાં ગમોઅણગમો જે કંઈ ભાવ જન્મે તે બહુ બહુ તો વિવેચનની ભૂમિકા લેખી શકાય, પણ જ્યાં સુધી ભાષાનાં વિધાનોરૂપે વાત મુકાય નહિ, ત્યાં સુધી વિવેચનપ્રવૃત્તિનો આરંભ થયો ગણાય નહિ. ઉત્તમોત્તમ વિવેચનો જોતાં જણાશે કે તે કેવળ સ્વૈર યાદૃચ્છિક ઉદ્‌ગાર નથી – ચોક્કસ પ્રયોજનને અનુરૂપ તેમાં ચિંતનવિવેચન ચાલતું હોય છે. બલકે, વિવેચકનો કૃતિનો પ્રતિભાવ એમાં ચોક્કસ વિભાવનાઓના માળખામાં રજૂ થયો હોય છે. તાત્પર્ય કે, વિદ્યાકીય પ્રવૃત્તિ લેખે એનું આગવું પ્રયોજન સંભવે છે, આગવી સંરચના સંભવે છે.&lt;br /&gt;
કૃતિના વાચન દરમ્યાન ભાવકના ચિત્તમાં ક્ષણે ક્ષણે જે રીતે ‘પ્રતિસંવેદન’ જન્મતું રહે છે તેને પણ વિવેચનવ્યાપાર લેખવવામાં ગૂંચ ઊભી થાય છે. માત્ર સુંદરમ્‌ની ચર્ચામાં જ નહિ, આપણા બીજા અનેક અગ્રણી વિવેચકોમાં આવી ગૂંચ જોવા મળશે. વાસ્તવમાં આસ્વાદની પ્રક્રિયા-આસ્વાદની ક્ષણોમાં ચાલતી ચૈતસિક પ્રક્રિયા – એ એક વસ્તુ છે, આસ્વાદ પછીની ક્ષણે એને વિશે ધારણ કરેલો ‘ભાવ’ કે ‘દૃષ્ટિકોણ’ બીજી વસ્તુ છે. આજે આપણે જેને ‘આસ્વાદ’-રૂપ લખાણો કે આસ્વાદરૂપ વિવેચનો કહીએ છીએ, તે પણ ભાવકચિત્તની આસ્વાદ પ્રક્રિયાથી વસ્તુતઃ ભિન્ન છે. આસ્વાદની ક્ષણોમાં ભાવક કૃતિની ‘ભાષા’માં તન્મય રહે છે, તેને અવલંબીને જ ચેતોવિસ્તાર સાધે છે, જ્યારે આસ્વાદરૂપ વિવેચનમાં એ અનુભવનો અમુક રીતે તારવી લીધેલો, અને અમુક અંશે અમૂર્ત રૂપનો, નકશો રજૂ થાય છે મૂળ ભાષાસંદર્ભને ખરેખર હવે જુદી જ પરિભાષામાં ઘટાવાયો છે. એ રીતે આસ્વાદથી વિવેચન ભિન્ન છે, એમ બંને પ્રવૃત્તિની ભિન્નતા આપણે લક્ષમાં રાખવાની રહે.&lt;br /&gt;
એ ખરું કે નવલકથા વાંચતાં વાંચતાં વચ્ચેની વિસામાની ક્ષણોમાં, કે ઉત્તમ ફિલ્મ કે નાટક જોતાં વચ્ચેની ક્ષણોમાં ભાવકો/સામાજિકો કોઈને કોઈ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરતા હોય છે. સાવ નકામી નવલકથા વાંચતાં વારંવાર એના દોષો વિશે એનો ભાવક અભિજ્ઞ બનીને ઉદ્‌ગારો કાઢતો હોય છે. તો ઉત્તમ કૃતિ માટે પ્રશંસાના શબ્દો ઉચ્ચારતો રહે છે. અને આવી બધી જ પ્રતિક્રિયાઓને, આમ તો, વિવેચનપ્રવૃત્તિની ભૂમિકા તરીકે મૂલ્ય સંભવે છે. અને ભાવક કે સામાજિક ‘નવલકથા સરસ છે’ ‘નાટક સરસ છે’ (અથવા ‘નવલકથા સાવ નિષ્ફળ છે’ કે ‘નાટક સાવ કંટાળાજનક છે’) જેવા સ્વયંભૂ ઉદ્‌ગારો કાઢી બેસે છે ત્યારે એમાં વિવેચનનો ‘અંકુર’ જોઈ શકાય, પણ વિવેચનની એ કોઈ હેતુપૂર્વકની સભાનતાપૂર્વકની વ્યવસ્થિત હાથ ધરાયેલી પ્રવૃત્તિ નથી. કૃતિના વાચન દરમ્યાન (કે ફિલ્મ કે નાટક જોતાં) વચ્ચે વચ્ચે ઉચ્ચારતાં એ critical utterance ને એનું teleological structure સિદ્ધ કરવાનું બાકી છે. વિવેચક કૃતિ વિશે આવાં પ્રાસંગિક ઉચ્ચારણો કરીને અટકી જાય તો એનું ઝાઝું મૂલ્ય ઊભું ન થાય. પોતે કૃતિ વિશે જે પ્રતિભાવ ઝીલ્યો છે તેમાં કૃતિનું હાર્દ પ્રગટ કરવાની દિશામાં તે અંતર્મુખ બને છે. તેની આ એક આંતરિક ખોજ કહી શકાય. કૃતિને ઉપલબ્ધ કરવાના તેના આ પ્રયત્નમાં તે સમુચિત conceptual frame સ્વીકારે છે. કૃતિની આંતર ગુણવત્તા (inner worth)નો નિર્ણય કરવા પ્રેરાય છે. આમ કૃતિના ‘અર્થ‘ની ખોજ, આકલન, વિવરણ, સ્પષ્ટીકરણ, અર્થ—ઘટન, મૂલ્યાંકન એમ અનેક વ્યાપારો તેમાં જોડાય છે. કૃતિનું મૂલ્ય નિર્ણિત કરવાની ક્ષણે વિવેચક ખરેખર તો કૃતિ સાથે જોડાયેલો છતાં તેનાથી ‘દશાંગુલ’ ઊંચે ઊઠે છે. તેને મૂલ્યનિર્ણય, અલબત્ત, એક અતિ જટિલ ઘટના છે. કૃતિના સબળ નિર્બળ અંશોને તોલી જોવાની અને સમગ્રતયા તેની ગુણસમૃદ્ધિનો નિર્ણય કરવાની આ બાબત છે; પણ આ જ તબક્કે કૃતિને વ્યાપક સંદર્ભમાં, એની પરંપરા વચ્ચે મૂકીને જોવાની આવશ્યકતા ઊભી થાય છે. કૃતિની ‘અર્થવત્તા’, આમ, જે તે કૃતિની આગવી પશ્ચાદ્‌ભૂમિકાને ય લક્ષમાં લઈને નિર્ણિત થતી હોય એમ જોવા મળશે. તાત્પર્ય કે વિવેચનનાં સુવિકસિત રૂપો તે આસ્વાદનની ચૈતસિક પ્રક્રિયાથી ભિન્ન કોટિના વ્યાપારોની પ્રાપ્તિ છે.&lt;br /&gt;
વિવેચન વ્યાપાર તે કૃતિના આસ્વાદ લેનાર વિવેચકમાં જ ચાલે છે એવું નથી, સર્જનની ક્ષણો દરમ્યાન ખુદ સર્જકના ચિત્તમાં ચાલે છે, એમ સુંદરમ્‌ પ્રતિપાદિત કરવા ચાહે છે. તેમની દલીલ એ છે કે વિવેચક પાસે જે પૂર્ણ રચના આવે છે, તે ખરેખર તો સર્જકને પ્રાપ્ત થયેલી અંતની વસ્તુ છે. દરમ્યાન અનેક તબક્કે છેકભૂંસનો વ્યાપાર ચાલતો જ હોય છે. રચનાની ક્ષણોમાં અનેક પંકિતઓ ‘ઘડાઈ ઘડાઈને ભાંગી ચૂકી’ હોય છે. યોગ્ય શબ્દ કે શબ્દસમૂહની પસંદગીના, તેની કળાત્મક ક્ષમતા કે સાર્થકતાના નિર્ણયના પ્રસંગો તેને આવ્યા જ હોય છે. આ રીતે તો સર્જાયેલી કૃતિમાં સર્જનની ક્રિયા કેટલી, વિવેચનની કેટલી એનો ભેદ કરવાનું ય લગભગ અશક્ય બની જાય છે એમ તેઓ કહે છે આવી ક્ષણોમાં સર્જક અને વિવેચક માત્ર ‘જોડિયા ભાઈઓ’ જ નથી રહેતા, બંને તત્ક્ષણ પૂરતા તો એકાકાર – એક વ્યક્તિ બની જાય છે. સુંદરમ્‌ આ મુદ્દો સ્પષ્ટ કરતાં વધુમાં કહે છે : “આત્મા જેવી રીતે કર્તા હોય છે અને સાથે સાથે દૃષ્ટા અને સાક્ષી પણ હોય છે, એના જેવું આ કંઈક બનતું હોય છે અને અહીં પછી કવિ અને વિવેચકનું દ્વન્દ્વ એક શુદ્ધ અદ્વૈતમાં જઈને ઊભું રહે છે.”૧૦૭ એ ખરું કે સર્જનની ક્ષણોમાં કવિ પોતાની અનુભૂતિને પૂર્ણ રૂપ આપવા સક્રિય બને છે ત્યારે ભાષાભિવ્યક્તિથી વસ્તુવિધાન સુધીના પ્રશ્નોય તેની સામે ઊભા થાય છે. પ્રસંગે પ્રસંગે અમુક શબ્દ કલ્પન કે પ્રતીકના વિનિયોગ પરત્વે તેની સમર્પકતાનો (કે કાર્યક્ષમતાનો) ખ્યાલ પણ તેને કરવાનો આવે છે. અલબત્ત, સર્જકશક્તિની આસાધારણ ભીંસમાં કે લોકોત્તર પ્રેરણાની ક્ષણોમાં તેને ઘણું બધું સહજ રીતે ઉપલબ્ધ થાય કે સામેથી આવી મળતું લાગે અને રચના સિદ્ધ કરવામાં કોઈ મોટો અવરોધ ન આવે એ પણ શક્ય છે. પણ બીજાં દૃષ્ટાંતોમાં કવિ લેખકો સામે ભાવસંવેદનનાં સ્તરો ખુલ્લા કરવાના પ્રયત્નમાં ભાષાના ઉપકરણ સાથે મથામણ ઘણી કરવાની આવી હોય. ડગલે ને પગલે શબ્દની પસંદગીનો-ઔચિત્યનો-નિર્ણય પણ કરવો પડ્યો હોય. ટૂંકી વાર્તા નવલકથા કે નાટક જેવાં સ્વરૂપોમાં વસ્તુસંયોજનને હર તબક્કે આવી રીતે કોઈ ‘નિર્ણય’ કરવાનું જરૂરી બન્યું હોય. આ રીતે કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન તેને જે નિર્ણયો કરવાના આવ્યા હોય તેને બીજા વધુ સમુચિત શબ્દના અભાવે ‘વિવેચનકર્મ’ critical act – તરીકે તમે ભલે ઓળખાવો, પણ રચાઈ ચૂકેલી કૃતિ વિશે કોઈ મોટો વિવેચક જે પ્રૌઢ પક્વ દૃષ્ટિનું વિવેચન કરે છે તેની સાથે એને ગૂંચવી દેવાનું નથી. ‘વિવેચન’ ખરેખર સર્જન પછીની, સર્જન પર આધારિત પ્રવૃત્તિ છે. મૂળ વાત એ છે કે કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન કવિને-સર્જકને જે critical act સ્વીકારવું પડે છે તે, અને કૃતિના સર્જન પછી વિવેચકે લખેલું criticism, બંનેનાં પ્રયોજન બંનેની સંરચના અને બંનેની ગતિ ભિન્ન છે. કવિનું પરમ લક્ષ્ય એક સ્વાયત્ત અખંડ એવું વિશ્વ રચવાનું છે. તેનું એ creation સૌ પ્રથમ અને અંતે એક aesthetic object છે. રચનાપ્રક્રિયાની ક્ષણોમાં આથી કવિને જે રીતે નિર્ણય કરવાનું કે વિવેક કરવાનું આવે છે તેમાં સર્જકતા સ્વયં નિર્ણાયક બળ બને છે, અને સર્જકતા સ્વયં અંતિમ લક્ષ્ય બને છે. એની અંતર્ગત critical actની પ્રક્રિયા આત્મગત થઈ જાય છે. બીજી રીતે કહીએ તો કવિનું એ critical act સમસ્ત સર્જનાત્મક ઘટનાને જ unfold કરવામાં સહાયક બને છે. જે કંઈ સ્વયંસંચાલિત સર્જકચેતના રૂપે વ્યક્ત થતું આવે છે તેની પ્રક્રિયામાં તેણે સહાયભૂત બનવાનું છે. આથી ભિન્ન, રચાયેલી કૃતિ વિશે જે વિવેચનપ્રવૃત્તિ આરંભાય છે, તેમાં કૃતિનાં રમણીય તત્ત્વોની ઓળખ ઉપરાંત સમગ્રતયા તેની worth નિર્ણિત કરવાનો પ્રસંગ આવે છે. એ સાથે સમસ્ત પરંપરાનો પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં લેવાનો રહે છે. અને કૃતિના મૂલ્યાંકનમાં વિવેચક એ પરંપરામાંથી મેળવેલાં ધોરણો કસોટીઓ લાગુ પાડે છે. એનું સ્વરૂપ અને પ્રયોજન આમ મૂળભૂત રીતે જુદું પડે છે.&lt;br /&gt;
સર્જનની ક્ષણોમાં સર્જક-વિવેચકનું ‘અદ્વૈત’ બતાવ્યા પછી, વ્યવહારની ભૂમિકાએ, બંને વચ્ચે અમુક દ્વૈતની ભૂમિકા ય સુંદરમ્‌ સ્વીકારે છે. બંને વચ્ચે ‘દૃષ્ટિભેદ, રુચિભેદ, રસભેદ, ધ્વનિભેદ, શક્તિભેદની પરંપરા’ સર્જાતી રહે છે એમ પણ તેઓ નોંધે છે. આપણે ઉમેરવું જોઈએ કે વિવેચનમીમાંસાના બધા જ કૂટ પ્રશ્નો આ ‘દ્વૈત‘ની ભૂમિકામાંથી ઊભા થાય છે. સાહિત્યનાં અર્થઘટનો મૂલ્યાંકનોમાં પાર વગરના મતભેદનું કારણ જ એ છે. પણ તેમનો ભાવનાત્મક અભિગમ તેમને એ નક્કર વાસ્તવિક પ્રશ્નોને આભાસી લેખવા પ્રેરે છે. અલબત્ત, કેટલાક સંદર્ભે વ્યવહારના સ્તર પર આવીને વિચાર્યું છે, ત્યાં પરિસ્થિતિનો સ્વીકાર કરીને અટકે છે. પણ ફરીને ભાવનાલોક પ્રતિ તેઓ મીટ માંડી રહે છે. સર્જન અને વિવેચન બંનેય પ્રવૃત્તિઓ પાછળનો ‘ધબકાર’ એક જ છે, બંનેની ગતિ ‘એકરૂપ’ નહિ તોય ‘સમાંતર’ તો છે જ, એવી સમજ તેઓ વ્યક્ત કરતા રહે છે. હકીકતમાં, તેમની વિવેચનવિચારણામાં ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ એ બે પરમ મૂલ્યો સતત કેન્દ્રમાં આવતાં રહ્યાં છે. સર્જક અને વિવેચક બંનેની પ્રવૃત્તિના મૂળમાં એ બે મૂલ્યો રહ્યાં છે. બંનેની ખોજ એક જ દિશાની છે. વિવેચકની પણ આ કારણે ‘આગવી સર્જકતા’ સંભવે છે, એમ તેઓ માને છે. તેમની આ પ્રકારની વિચારણા પાછળ રહેલી દાર્શનિક દૃષ્ટિ નીચેની કંડિકામાં સરસ રીતે રજૂ થઈ છે :&lt;br /&gt;
“આખુંય જીવન એક મહાસત્ય તરફ કોઈ મહારસ અને સૌંદર્ય તરફ ગતિમાન બની રહેલું છે. એ સત્ય અને સૌંદર્ય, રસ અને આનંદ, એક રીતે તો જગત ઉપર જાણે ઝૂલી રહેલાં છે અને માણસો તેમને ઝીલે તેની રાહ જોતાં હોય છે. એ ઝીલનારાઓમાં પ્રથમ તે કવિ છે, અદૃષ્ટ અને અનનુભૂતને તે પ્રથમ જૂએ છે, અનુભવે છે, અને કલકલ કંઠે માનવતા આગળ તેનો સંદેશ તે રેલાવે છે. હવામાં તરતી અને ફરતી સૃષ્ટિને તે પૃથ્વી ઉપર ઉતારે છે, જગતનાં સમતલ સમથળ પાણીમાં તે નવી નવી છોળો ઉછાળે છે. અને વિવેચક આ સૌંદર્ય અને રસના મહાસમારોહનો મંડપ જાણે સાચવીને ઊભો રહે છે. એના સ્વસ્થ ગંભીર પ્રજ્ઞામંડિત ચિત્ત વડે તે આ બધી ગતિઓને આલોકિત કરતો રહે છે, અને કવિમુખે જે વ્યક્ત બન્યું છે તેને વધુ વ્યક્ત કરી આપે છે, કવિએ સાકાર કરેલા સૌંદર્યને તે વધુ સાકાર કરી આપે છે. કવિએ આલેખેલી રેખાઓને તે વધારે સુરેખ કરી આપે છે. આ બે જણ મળીને વિશ્વની સૌંદર્યનૌકાનાં સઢ અને સુકાન જાણે સાચવે છે. અને એ નૌકામાં બેસી પૃથ્વીની માનવતા પોતાની આનંદયાત્રા આદરે છે.”૧૦૮&lt;br /&gt;
સુંદરમ્‌ની આ વિચારણા વિશે આપણે થોડીક ટીકાટિપ્પણી રજૂ કરીએ તે પહેલાં તેમની આ જાતની વિચારણાનો સહેજ જુદો સંદર્ભ પણ જોઈ લઈએ.&lt;br /&gt;
“કળાકારના હાથે જે સર્જન થાય છે તે બ્રહ્માના વિશ્વસર્જન જેવો જ વ્યાપાર છે. વિશ્વના સર્જનવ્યાપારની અંદર અંતર્ગત હોવા છતાં કળાકાર અન્ય માનવો કરતાં એક ઉન્નતતર ભૂમિકા પર પહોંચીને જગતમાં થતાં અન્ય પ્રાકૃતિક નિર્માણોમાં એક નૂતન અપ્રાકૃતિક નિર્માણ કરે છે. વિવેચક એ અપ્રાકૃતિક નિર્માણના રહસ્યને શોધતો શોધતો એ નિર્માતાના સર્જનવ્યાપારને એના ફલિત કાર્યથી માંડી તેના ઉત્પાદક મૂલ સુધીની સ્થિતિઓને તથા ક્રિયાઓને અવલોકતો અને અનુસરતો બ્રહ્માના પણ મૂળ સ્થાન એવા બ્રહ્મમાં પહોંચે છે. બંને મળીને સૌંદર્ય અને સત્યના પ્રાદુર્ભાવની આદિથી તે અંત સુધીની સર્વ ક્રિયાઓને સ્પર્શી આવે છે, સ્પર્શી આવી શકે છે. અને જગતને એની સત્ય અને સૌંદર્ય પ્રત્યેની યાત્રામાં એક પગલું આગળ ભરાવે છે. પ્રાકૃત માનવના એ અપ્રાકૃત અગ્રેસરો બને છે, સત્ય અને સૌંદર્યના એ પ્રથમ સંદેશવાહકો બને છે, આદિ સ્થાપકો બને છે, બની શકે છે.”૧૦૯&lt;br /&gt;
સુંદરમ્‌ કેવળ શ્રદ્ધાની ભૂમિકાએથી આ જાતના ખ્યાલો રજૂ કરે છે, તે સ્વયંસ્પષ્ટ છે. આ વિશ્વજીવનની અંદર સક્રિયપણે કામ કરતી સર્જકશક્તિનો તેમ તેની કોઈ વિકાસયાત્રાનો ખ્યાલ શ્રદ્ધાથી સ્વીકારીને તેઓ અહીં ગતિ કરતા દેખાશે. એ જ સર્જકશક્તિ સર્જકમાં અને વિવેચકમાંય કામ કરે છે. એ રીતે સર્જક તો અગોચર શક્તિનું વાહન માત્ર જ રહે છે. પ્રાકૃત માનસને જે ગોચર નથી તે ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની ઝલક સર્જક જોઈ શકે છે. પણ વિવેચકને ભાગે એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની ‘રેખાઓ’ વધુ ‘ઘૂંટવા’ સિવાય ખાસ કશું કામ રહેતું નથી! બંને ય એક જ ‘સૌંદર્ય’ અને એક જ ‘સત્ય’ને લક્ષ્ય કરી રહ્યા હોય છે. ફરક માત્ર દિશાનો છે. સર્જક ‘મૂલતત્ત્વ’ને મૂર્ત ઇંદ્રિયગોચર રૂપ અર્પે છે, વિવેચક એ રૂપનું અવગાહન કરી પેલા ‘મૂલતત્ત્વ’ સુધી પહોંચે છે. જે રીતે તેમણે વિશ્વજીવનની ગતિવિધિનું સ્વરૂપ વર્ણવ્યું છે, તેમાં સર્જક કે વિવેચક માટે જીવનના અજ્ઞાત ખણ્ડમાં સાહસને માટે અવકાશ જ રહેતો નથી.&lt;br /&gt;
પ્રસંગોપાત્ત, સુંદરમે ‘સહૃદય’ની વ્યાખ્યા કરી છે, જે ધ્યાનાર્હ છે :&lt;br /&gt;
“સહૃદય એટલે કે પ્રથમ તો જેનામાં હૃદય છે, સંવેદનશીલતા છે, સંવેદનોની ઉચ્ચમાં ઉચ્ચ અનુભૂતિએ પહોંચવાની શક્તિ છે, અને ઉપરાંત તે કાવ્ય પ્રત્યે કવિ પ્રત્યે અનુકૂળ હૃદયવાળો, સહાનુભૂતિશીલ છે; એ કોઈ કારણે તદ્દન અ-હૃદય heart-less નિષ્ઠુર બનીને કૃતિને ચીરવા બેઠેલો નથી. પણ એક ઋજુ સમભાવપૂર્ણ ચિત્તથી કૃતિને અવલોકે છે, સમજે છે, તેના ગુણઅવગુણોને ઓળખે છે અને કવિને કાંઈ કહેવું હોય, કાંઈ દોષ બતાવવા હોય ત્યારે પણ તે સહૃદયતાથી બતાવે છે.”૧૧૦&lt;br /&gt;
સહૃદયની તેમની આ કલ્પના સાથે પૂરા સંમત થઈ શકીશું.&lt;br /&gt;
ભવભૂતિએ ભવિષ્યમાં પોતાને કોઈક ‘સમાનધર્મા‘ વિવેચક મળે એવી કામના પ્રગટ કરી હતી. એ સંદર્ભને અનુલક્ષીને સુંદરમે એક માર્મિક ટકોર કરી છે. કહે છે કે આવો ‘સમાનધર્મા’ પણ કોઈ વાર ભૂલાવામાં પડી જાય એમ બને. એટલે વિવેચક ‘સમાનધર્મા’ તો હોય જ, પણ કાલિદાસે દર્શાવ્યું છે તેમ તે ‘સંત’ કે ‘સત્‌’ પુરુષ પણ હોવો જોઈએ, અર્થાત્‌, તે ‘સત્ય’માં સ્થિર થયેલો હોવો જોઈએ. પણ વિવેચક કયા ‘સત્ય’ને અનુસરશે? સુંદરમ્‌નો ઉકેલ છે : તેનું ‘અંતઃકરણ’ જેને સ્વીકારે તેને. પણ હજી ય સંશયગ્રસ્ત આધુનિક માનસ પ્રશ્ન કરી શકે : સર્જકના સત્યથી પોતાનું સત્ય ભિન્ન હોય તો? પણ અધ્યાત્મમાર્ગે વળેલા સુંદરમ્‌ને આવો પ્રશ્ન જ કદાચ વ્યર્થ લાગશે. ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ (અને ‘સૌંદર્ય’નું જ બીજું રૂપ તે ‘રસ’-‘મહારસ’) જેવાં પરમ મૂલ્યો જ અંતે સત્ય છે, એટલે વ્યવહારના સ્તરે અનુભવાતા તેના વિભિન્ન આવિર્ભાવોનો દેખીતો ભેદ અંતે લય જ પામશે...&lt;br /&gt;
પણ સાહિત્ય અને વિવેચનના પ્રશ્નોને જેઓ બૌદ્ધિકતાના સ્તરેથી સમજવા માગે છે તેમને માટે ‘સત્ય’ ‘સૌંદર્ય’ અને ‘રસ’-‘મહારસ’ જેવી પાયાની સંજ્ઞાઓ નવેસરથી વ્યાખ્યા માગે છે. કૃતિમાં વ્યક્ત થતું સૌંદર્ય તે શું, સત્ય તે શું, ભાષાભિવ્યક્તિના સ્તરે તેની તપાસ શી રીતે થાય, અને વિશ્વજીવનનાં એવાં જે કોઈ તત્ત્વો હોય તેની સાથેનો તેનો સંબંધ કેવો? – વગેરે પ્રશ્નોને તેણે બૌદ્ધિક સ્તરેથી માંડી આપવાના રહે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૮.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક કારકિર્દી છેલ્લા પાંચ સાડાપાંચ દાયકાઓને આવરી લે છે. કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન સંપાદન, સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો – એમ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા લગભગ એકસરખી ઊંચાઈએ ગતિ કરતી રહી છે. તેમની લેખનપ્રવૃત્તિ ત્રીસીની આબોહવામાં આરંભાઈ હતી અને એ સમયનાં ભાવ અને ભાવના તેમના સર્જન વિવેચનના પોતમાં જાણે કે ઊતરી ગયાં છે. તેમની વિકાસોન્મુખ પ્રતિભા પૂર્વપશ્ચિમ પ્રાચીન અર્વાચીન હર કોઈ પરંપરાના સર્જન અને ચિંતનને ઝીલવા ઉત્સુક રહી છે. જીવનના રમણીય અને ભદ્ર, વિશાળ અને ઉન્નત અંશો કોઈ પણ દિશામાંથી આવે, તેમનું મન ઉદારતાથી તેને સ્વીકારવા ચાહે છે. એ રીતે ઉદાર અભિજાત કળારુચિ, ઉન્નત પ્રશિષ્ટ સાહિત્ય માટેનો પક્ષવાદ, તેજસ્વી બુદ્ધિ, બૃહદ્‌ જીવનસંદર્ભમાં વિચારવાની વૃત્તિ–એ તેમની સાહિત્યપ્રવૃત્તિનાં મુખ્ય લક્ષણો બની રહે છે. સાહિત્યવિવેચનમાં કૃતિવિવેચન તેમ સિદ્ધાંતચર્ચા બંને ક્ષેત્રે તેમણે વિપુલ લેખનકામ કર્યું છે. પણ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઝાઝું લખવાને તેમને તક મળી જણાતી નથી.&lt;br /&gt;
‘વિવેચન : કલા કે શાસ્ત્ર?’ લેખમાં, તેમના કંઈક આગલી પેઢીના કે સમકાલીન – વિજયરાય વૈદ્ય વિશ્વનાથ ભટ્ટ આદિએ વિવેચન પણ એક રીતનું સર્જન છે એવા પ્રચલિત કરેલા ખ્યાલની ફેરતપાસ કરવા તેઓ પ્રેરાયા છે. વિવેચનને ‘કલા’ (કે ‘સર્જન’) તરીકે ઓળખાવવામાં જાણે કે ‘બહુમાન’ થતું હોય એવી વ્યાપક માન્યતા છે એવી એ વિદ્વાનોની લાગણી તેઓ નોંધે છે. વિવેચક, સર્જક કલાકારથી જરીકે નીચો કે ઉતરતો નથી એવું સિદ્ધ કરવાના પોતાની આસપાસ જે જાતના પ્રયત્નો થઈ રહ્યા હશે, તે જોઈ તેમને કશુંક વિસ્મય થયા કર્યું છે. તેમનું માનવું છે કે રંગદર્શી વલણ (રોમાન્ટિસીઝમ)ની અસર વિવેચકો પર પડી છે, એટલે જ સર્જકની જેમ તેઓ સ્વતંત્ર સ્વાયત્ત હોવાનો દાવો કરી રહ્યા હોય. ઓસ્કાર વાઈલ્ડ મિડલટન મરી વગેરે સાહિત્યકારોએ વિવેચનને કલા જેવી જ સ્વાયત્ત પ્રવૃત્તિ લેખવવાનો જે રીતે પ્રયત્ન કર્યો હતો, તેનો તેઓ પરિચય પણ આપે છે. સ્પિંગર્નના ‘સર્જક વિવેચના’ ગ્રંથની ચર્ચા ય છેડે છે. એ પછી વિશ્વનાથ ભટ્ટનો આ જાતનો ઊહાપોહ અને રામનારાયણ પાઠકનો પ્રતિવાદ એ વિશેની ય તેઓ વાત કરે છે. ઉમાશંકર આ રીતે આ મુદ્દાની પશ્ચાદ્‌ભૂમિકા રજૂ કરી પોતાનું મંતવ્ય ટૂંકમાં રજૂ કરે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે વિવેચન એ ‘પરોપજીવી’ પ્રવૃત્તિ છે. અને કલાની પ્રતિષ્ઠા તેને આપી શકાય નહિ. એક કવિ બીજા કોઈ કવિની કલાકૃતિ વિશે કશુંક સ્પંદન ઝીલી સ્વતંત્ર કૃતિ રચે તો તે વિવેચન બનતું નથી. ખરેખર તો કાવ્યાદિ કલાઓની જેમ તે કોઈ સ્વયંપર્યાપ્ત સ્વાયત્ત સૃષ્ટિ નથી, તેમ રસનિષ્પત્તિ તેનું લક્ષ્ય નથી. “કોઈ કલાકૃતિથી રસનિષ્પત્તિ થાય છે કે નહિ અને કેવી થાય છે એ કહેવાનું કામ વિવેચનનું છે. વિવેચન રસનિષ્પત્તિની પ્રક્રિયા સમજાવે, એ આડેનાં વિઘ્નોનો નિર્દેશ કરે, પોષક તત્ત્વો હોય તેમનો પરિચય કરાવે, અને એ રીતે અંતે અવિદગ્ધ ભાવકને પોતાની કક્ષાએ લાવી એ પણ કલાકૃતિના સંપર્કમાં ‘અવિઘ્ના સંવિત્‌’ અનુભવી શકે, એમાં પોતે યથાશક્ય મદદરૂપ થાય. આ કાર્ય વિવેચકને માટે નાનુંસૂનું કે ઓછા ગૌરવનું નથી.”૧૧૧ વિવેચકમાં ‘ભાવયિત્રી’ પ્રતિભાનું ઉમાશંકર પણ અપ્રતિમ મહત્ત્વ કરે છે. કહે છે – કારયિત્રી અને ભાવયિત્રી બંને ય પ્રતિભાઓનું ‘વીજળીના બે છેડાની જેમ’ ‘યુગપત્‌ મિલન’ થાય છે ત્યારે ‘રસનો પ્રકાશ’ થાય છે. ‘સંગ્રહસ્થાનમાં પધરાવેલી એક પ્રતિમા આખો વખત તો એક પથ્થર માત્ર છે. પણ જ્યારે કોઈ રસજ્ઞ, કોઈ ભાવકોત્તમ, આવી પહોંચે છે ત્યારે ભાવક–પ્રતિભા એને રસ–સજીવ બનાવી દે છે.’ અને ઉમાશંકર ઉમેરે છે : ‘સર્જકે પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભાથી નિર્મેલી સૃષ્ટિનો રસ તો સામે ઊંચી ભાવક-પ્રતિભા ધરાવનાર જ લૂંટી શકે, એટલે એવો ભાવક એ ખરે જ સર્જકનો સમાનધર્મા ગણાવાને પાત્ર છે. બંને પ્રતિભાનો સમાન ધર્મ છે રસાનુભવ.’૧૧૨&lt;br /&gt;
રસાનુભવથી વિવેચનપ્રવૃત્તિની ભિન્નતા તેમણે આ રીતે આંકી આપી છેઃ ‘વિવેચક તો એવો ભાવકોત્તમ છે જે સમાધિ છૂટ્યા પછી પોતાની રસયાત્રાનો નકશો આંકી બતાવે, રસાનુભવનું વ્યાકરણ આપણી આગળ મૂકે, અને એ રીતે એના જેવી જ રસસમાધિ સાધવામાં આપણને સહાયરૂપ થાય. જેમ બધા જ ભાવકો આ ન કરી શકે તેમ સંભવ છે કે સર્જક પોતે પોતાની કલાકૃતિ વિશે પણ ન કરી શકે. વિવેચકનું કાર્ય આ રીતે વિચારમૂલક છે. વિવેચક એ તત્ત્વદર્શી છે, કલાકારની સર્જકપ્રતિભાને અનુરૂપ ભાવક-પ્રતિભા પોતામાં પ્રગટાવનારો સર્જકનો સમાનધર્મા હોવા ઉપરાંત બીજાઓને એવા સમાનધર્મા બનાવવા મથનાર રસતત્ત્વવિદ્‌ છે.’ અહીં રસાનુભવથી વિવેચનને સ્વચ્છ રીતે તેમણે અલગ પાડી આપ્યું છે. કૃતિમાં તલ્લીન થવું, તીવ્રતમ રસાનુભૂતિની કોટિએ પહોંચવું, એ ઘટના વિવેચન માટેની પૂર્વશરત છે, પણ અનુભવની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી, એ તેમનો ખ્યાલ સાચો છે.&lt;br /&gt;
‘સંસ્કૃતિ‘ના ૨૦૦મા અંક માટે ‘સો વરસનું સરવૈયું’ અને ‘વિવેચનના પ્રશ્નો’ શીર્ષક હેઠળ તેમણે આ વિષયમાં થોડું વધુ ચિંતનમનન કર્યું છે. વિવેચનમીમાંસાના કેટલાક પાયાના મુદ્દાઓને તેઓ ત્યાં સ્પર્શે છે. ‘વિવેચન’ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : ‘વિવેચન એ કવિ અને ભાવક એ બન્નેની સર્જનપ્રવૃત્તિને વિષય કરે છે પણ પોતે છે દ્વિવિધ સર્જનપ્રવૃત્તિનો યથાશક્ય બૌદ્ધિક આલેખ’.૧૧૩ બીજા એક સંદર્ભમાં ફરી વ્યાખ્યા આપી છે : ‘વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધકથા’.૧૧૪ બંને ય વ્યાખ્યાઓને લક્ષમાં લેતાં તરત સ્પષ્ટ થશે કે વિવેચનવ્યાપારને તેઓ ઊર્મિવ્યાપાર માત્ર લેખતા નથી. આસ્વાદ વિશેનો એ બુદ્ધિપૂત આલેખ છે એમ કહે છે. આપણે લક્ષમાં ‘રાખવાનું છે કે ભાવકના આસ્વાદવ્યાપારને તેમણે તેની ‘સર્જનપ્રવૃતિ’ લેખે ઓળખાવી છે. સર્જકની કૃતિને કેવળ નિષ્ક્રિયભાવે ભાવક પામી શકતો નથી. સમગ્ર રચનાનું પોતાના ચિત્તમાં તેણે પુનઃ સર્જન કરીને તેનું અનુભાવન કરવાનું હોય છે. પણ, ઉમાશંકર આ બાબતે પૂરા સ્પષ્ટ છે કે આસ્વાદની પ્રક્રિયા સ્વયં તે વિવેચન નથી. વિવેચન એ પછી આરંભાય છે જ્યારે વિવેચક પોતાના ‘આસ્વાદ’ને વિષય કરીને તેનું ‘વર્ણન-વિશ્લેષણ’ શરૂ કરે છે. ભાવક પોતાના ભાવનનો અહેવાલ જે ક્ષણે આરંભે ત્યાંથી જ ‘બુદ્ધિનો ઇલાકો’ આરંભાઈ ચૂકે છે એમ તેઓ નોંધે છે.&lt;br /&gt;
વિવેચન એ સર્જન (કે કળા) છે કે શાસ્ત્ર–એવો એક વિવાદ આપણે ત્યાં ઠીક ઠીક લાંબા સમય સુધી ચાલતો રહ્યો છે. મુનશી બળવંતરાય વિજયરાય વિશ્વનાથ રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સુંદરમ્‌ આદિ આપણા અનેક વિદ્વાનોએ આ અંગે પ્રસંગોપાત્ત પોતાનું મંતવ્ય રજૂ કર્યું જ છે. ઉમાશંકર પણ આ વિશે સ્પષ્ટીકરણ કરવા પ્રેરાયા છે : “વિવેચન એ વિજ્ઞાન-પ્રયોગશાળાની નીપજ નથી જ. કેમકે એને પ્રમાણભૂત બનાવનાર પાયાનું તત્ત્વ છે વિવેચકને થયેલો કલાકૃતિનો અંગત આનંદાનુભવ અને એની કિંમત છે વિવેચકે વ્યક્તિ તરીકે કરેલું એ મૂલ્યાંકન છે એમાં. વિજ્ઞાનની અનેક શાખાઓનો (માનસવિજ્ઞાન, શબ્દાર્થવિજ્ઞાન આદિનો) લાભ એ લેશે, પણ એ સ્વયં. વ્યક્તિરંગી અને મૂલ્યોમાં રાચનારું હોઈ વિજ્ઞાન હોવાથી ઘણું દૂર છે.”૧૧૫ વિવેચનના સ્વરૂપવિચારમાં અહીં તેમણે વિવેચકના બૌદ્ધિકવ્યાપારની વાત કરી છે. તેઓ અહીં વિવેચકની વિશિષ્ટ પ્રતિભા પર ભાર મૂકે છે. વિવેચનમાં તાર્કિક કોટિના વર્ણનવિશ્લેષણને, અલબત્ત, સ્થાન છે જ, છતાં એના હાર્દમાં વિવેચકની નિજી વ્યક્તિતા કામ કરી રહી હોય છે એમ તેમને કહેવું છે. ‘અંગત આનંદાનુભવ’ વિવેચનનો મૂળ સ્રોત છે, એટલે એ વસ્તુ સમગ્ર વર્ણનવિવેચનમાં આધારભૂમિ ય છે, નિયામક બળ પણ છે. પણ વિશેષ ધ્યાનપાત્ર મુદ્દો એ છે કે ‘વ્યક્તિરંગી’ એવું એ વિવેચન ‘મૂલ્યોમાં રાચનારું’ હોય છે. વિવેચકનો પોતાનો મૂલ્યબોધ એમાં નિર્ધારક બની રહે છે—શકે છે—એમ તેમને અભિપ્રેત જણાય છે. વિવેચનમાં એ રીતે વૈયક્તિકતા કે આત્મલક્ષિતાનું તત્ત્વ તેના મર્મ સુધી ઊતરી જાય છે. તેઓ કહે છે કે વિવેચન પણ ‘માનવચિત્તની નીપજ’ હોઈ, ગુણવત્તામાં એ પણ ઉત્કૃષ્ટ હોઈ શકે, પણ શુદ્ધ સર્જનની કોટિમાં તે ન જ આવી શકે. વિવેચન એ એક કૃતિ નિમિત્તે નિપજાવેલું બીજું સર્જન નથી જ. ઉમાશંકર વધુમાં એમ પણ નોંધે છે કે ઘણાએક કવિઓની કવિતા કરતાં કોઈ મહાન વિવેચકનું અમુક લખાણ ઊંચી કક્ષાનું જોવા મળે, પણ તોય હકીકત તો રહે જ છે કે વિશ્વસાહિત્યમાં સર્જનની જે ઊંચાઈ સિદ્ધ થયેલી છે તે વિવેચને સિદ્ધ કરવી બાકી છે.&lt;br /&gt;
વિવેચકની કામગીરીનો ખ્યાલ આપતાં ઉમાશંકર કહે છે : ‘વિવેચકનું મુખ્ય કામ કલાકૃતિને કલાકૃતિ તરીકે પામવામાં – એનો આનંદ અનુભવવામાં મદદરૂપ થવાનું છે.”૧૧૬ એલિયટે વિવેચનના કાર્યની ચર્ચા કરતાં કૃતિનાં – enjoyment અને understanding – એ બે બાબતો પર ખાસ ભાર મૂક્યો છે. ઉમાશંકર એલિયટના એ ખ્યાલોનો અહીં પુરસ્કાર કરે છે. વિવેચકની ‘અવબોધકથા‘ અન્ય ભાવકોને એ કૃતિનો આસ્વાદ લેવામાં ઉપકારક નીવડી શકે એમ તેઓ માને છે. આવી ‘અવબોધકથા‘ જો ‘યથાર્થ રીતે’ રજૂ થઈ હોય તો ‘કાવ્યમાત્રમાં અવબોધનાં (સંઘટનસૂત્ર પકડવું વગેરે) કોઈ કોઈ તત્ત્વો’ વિશે તે ભાવકને જાગ્રત કરી શકે; મતલબ કે, ‘આસ્વાદનું વ્યાકરણ’ તે આપી શકે. તેમની આ વિચારણા થોડી સ્પષ્ટતા માગે છે. સાહિત્ય ક્ષેત્રમાં દરેક નોંધપાત્ર સર્જનકૃતિ રચનાનો આગવો સિદ્ધાંત – creative કે formative principle – લઈને આવે છે, એ જોતાં દરેક કૃતિના આસ્વાદનું ‘વ્યાકરણ’ જુદું સંભવે છે, દરેક કૃતિ સાથેનું encountering કંઈક જુદી રીતે કરવાનું રહે છે.&lt;br /&gt;
ઉમાશંકર એમ માને છે કે સત્ત્વવંત લેખકો-સર્જકો તેમ વિવેચકો—કોઈ ‘શાળા’ સાથે જોડાવાનો પ્રસંગ આવે ત્યારે પણ એના ‘ચોકઠામાં બંધાઈ જતા નથી, ઊફરા વિહરે છે.’ તેમના આ ખ્યાલ સાથે આપણે કદાચ પૂરેપૂરા સંમત થઈ શકીશું નહિ. પ્રતિભાશાળી સર્જક સાહિત્યકળા વિશે કે રચનારીતિ વિશે અમુક ખ્યાલો ધરાવતો હોય તો તેના સર્જનની દિશા એવા ખ્યાલોથી જરીકે બદલાય જ નહિ એવું તો નથી. સર્જકતાના પ્રબળતમ ઉન્મેષથી પ્રેરાતો છતાં ય કૃતિના આકાર રચનાબંધ કે રચનારીતિ વિશે અમુક ખ્યાલો તેને તેમાં પ્રેરક કે વિધાયક બળ બની રહેતા હોય છે. ફ્લોબેર કે ઝોલા જેવા વાસ્તવવાદી–પ્રકૃતિવાદી કથાસર્જકો, માલામેં બૉદલેર વાલેરી આદિ ફ્રેંચ પ્રતીકવાદી કવિઓ, બેકેટ જેવો નાટ્યસર્જક કે રોબ્બ ગ્રિયે જેવો નવલકથાકાર—સર્જકતાનો અનવરુદ્ધ વિસ્તાર સાધતા છતાં કૃતિના આકાર કે રચનારીતિ વિશેના અમુક ચોક્કસ ખ્યાલને અનુસરતા જણાશે. વિવેચકની ભૂમિકાનો પ્રશ્ન, અલબત્ત, આથી જુદો છે. કેમ કે, વિવેચ્ય કૃતિને તે ન્યાય કરવા પ્રવૃત્ત થયો હોય છે. એક વ્યાપક સમજ રહી છે કે તેણે કૃતિ – ‘જેવી છે તેવી’ને–ઓળખવાની છે, પોતાના સૈદ્ધાંતિક ખ્યાલોના ચોકઠામાં બેસાડી જોવાનો તેણે પ્રયત્ન કરવાનો નથી. વળી, આપણી એવી એક અપેક્ષા પણ રહી છે કે વિવેચકે પોતાની વૈચારિક ભૂમિકા ત્યજીને, તેને અતિક્રમી જઈને, સર્જકના વિશ્વ સાથે તાદાત્મ્ય સાધવાનું છે. પણ અહીં જ વિવેચનમીમાંસાનો એક કૂટ પ્રશ્ન ઊભો થાય છે. અગાઉ જુદા જુદા અનેક સંદર્ભે એ વસ્તુનો આપણે નિર્દેશ કરતા રહ્યા છે કે વિવેચકને ય જો આગવી પ્રતિભા હોય, કલા વિશે સૌંદર્ય અને સર્જન વિશે અમુક ચોક્કસ પ્રતીતિઓ હોય, તો કૃતિના આસ્વાદ-વિવેચનમાં અત્યંત સૂક્ષ્મ સ્તરેથી તે પણ નિર્ધારક બની રહે છે. ઐતિહાસિક, આકારવાદી, માકર્‌સવાદી–એવો કોઈ અભિગમ અત્યંત નિષ્ઠા ગંભીરતા અને પ્રામાણિકતાથી જેમણે સ્વીકાર્યો છે તેમને માટે કલાકૃતિ વ્યાપક સમાજજીવનના કે વિશ્વજીવનના સંદર્ભમાં જુદું જુદું સ્થાન લે છે. એટલે, ‘સત્ત્વવંત’ હોય અને છતાં પોતાને ઇષ્ટ એવી ‘શાળા’થી ઊફરો જવા પ્રેરાય, એમ સહેલાઈથી માની શકાતું નથી.&lt;br /&gt;
સાહિત્યક્ષેત્રની ઉપલબ્ધિઓ અને સમકાલીન વિવેચનપ્રવૃત્તિ એ બે વચ્ચે સુનિશ્ચિત કાર્યકરણ સંબંધ સ્થાપવાનું મુશ્કેલ છે, આમ છતાં ‘સર્જનયુગ’ની સાથોસાથ ‘વિવેચનયુગ’ પણ જન્મતો હોય છે, એવો ખ્યાલ પણ ઉમાશંકરે પુરસ્કાર્યો છે. રચાતા જતા સાહિત્ય વિશે ત્યારે વિવેચન ભાવકોને માર્ગદર્શન આપી શકે, તેમ લેખકોને પણ તેમની કૃતિઓને જોવાનું ‘દૃષ્ટિબિંદુ’ આપી શકે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નવ્ય વિવેચને’ શાસ્ત્રના નિયમો, ‘નીતિવાદ’ અને ‘ઐતિહાસિક ચોકઠામાંથી’ કાવ્યકૃતિને અલગ કરી અને માત્ર ‘કાવ્યપદારથ’ પર જ બધું લક્ષ્ય તેણે કેન્દ્રિત કર્યું એમ નોંધી ઉમાશંકર નવ્ય વિવેચનને પુરસ્કારે છે. પણ એની પદ્ધતિ/અભિગમ વિશે વિગતે છણાવટ કરવા રોકાતા નથી. ‘સાક્ષરી વિવેચન’ (academic criticism) તે મુખ્યત્વે ‘અભ્યાસપ્રધાન પ્રવૃત્તિ’ છે એમ કહી એ જાતનું વિવેચન ‘સાહિત્યિક વિવેચન’ની કોટિએ તો થોડાંક દૃષ્ટાંતોમાં જ પહોંચી શકે એમ પણ ઉમેરે છે. અહીં સાક્ષરતા - scholarship - અને વિવેચન criticismની સૂક્ષ્મ ભિન્નતા આંકી લેવાની જરૂર વરતાય છે. આપણે એમ કહી શકીએ કે સાહિત્યકૃતિઓનો વારંવાર વિભિન્ન પ્રયોજનથી અભ્યાસ થતો હોય છે. સાક્ષરી અધ્યયન કૃતિનાં રસકીય મૂલ્યોની ઓળખ કે વિવેચન–મૂલ્યાંકનના હેતુથી નહિ, પણ કૃતિમાંના સામાજિક નૈતિક દાર્શનિક કે ભાષાકીય એવા કોઈ ને કોઈ પાસાંનો (કે પ્રશ્નોનો) શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવાનો ઉપક્રમ એમાં હોય છે. જેમ કે, ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪)માં તત્કાલીન દેશી રાજ્યો–બ્રિટીશ શાસન વચ્ચેના સંબંધોનું, લક્ષ્યાલક્ષ્ય દર્શનનું, ગોવર્ધનરામની પ્રીતિમીમાંસાનું આગવી રીતે અધ્યયન થઈ શકે. એવાં ‘સાક્ષરી વિવેચન’નું પ્રયોજન જ જુદું હોય છે, એટલે એવાં અધ્યયનોમાં પ્રતિપાદનરીતિ પણ જુદી પડવાની. એ જ રીતે અખાની આ કે તે કૃતિઓની હસ્તપ્રતની પ્રમાણભૂતતાની તપાસમાં કોઈ અધ્યયનકર્તા રોકાય તો એને ય આપણે ‘સાક્ષરી વિવેચન’ કહીશું. પણ આવાં સાક્ષરી વિવેચનો કૃતિના આસ્વાદ અવબોધ કે મૂલ્યાંકન પૂર્વે કૃતિને યથાર્થ રૂપમાં જોવાને પરિપ્રેક્ષ્ય પૂરો પાડે, કે સાચો પાઠ મેળવી આપે અને એ રીતે સહાયક બને. અને કેટલાંક ભાષાલક્ષી કે કલ્પન પ્રતીક મિથ વિષયક અધ્યયનો વળી કૃતિના હાર્દમાં પ્રવેશ કરવાને ઘણાં માર્મિક ઓજારો પૂરાં પાડે છે એમ કહેવું જોઈએ. પ્રશ્ન, અભ્યાસી કૃતિના કયાં પાસાંનું સૂક્ષ્મ અધ્યયન કરે તેને લગતો છે.&lt;br /&gt;
આપણી વિવેચનપ્રવૃત્તિઓને અનુલક્ષીને તેમણે ‘રીઝે તો ચાટે ખીજે તો કાટે શૈલી’ ‘ચોવટ શૈલી’ ‘થાભડભાણ શૈલી’ ‘છેદ ઉડાડવા શૈલી’ ‘મગમરી અનિર્ણય શૈલી’ ‘દૂધ દહિયાં શૈલી’ ‘શુક શૈલી’ ‘સાહિત્યિક શૈલી’ ‘ગુલાલ ગબારા શૈલી’ ‘ગુણપક્ષ દોષપક્ષ શૈલી’ ‘ઉપર હાથ શૈલી’ વગેરેનો ટૂંકો નિર્દેશ કર્યો છે. વ્યવહારના સ્તરેથી, વિવેચકનાં વૃત્તિવલણોના સંદર્ભે, આ જે વિચારો મૂક્યા છે તેની પાછળ કોઈ તાત્ત્વિક ભૂમિકા જણાતી નથી.&lt;br /&gt;
આપણા વિવેચક સામે પૂર્વપશ્ચિમની બે ભિન્ન પરંપરાની સાહિત્ય વિચારણાઓ પડી છે, અને યથાવકાશ તે બંનેની સહાય લઈ શકે એવી તેમની સમજ રહી છે. પણ આ આખો પ્રશ્ન કદાચ એટલો સીધો સાદો નથી. વિવેચન અર્થે મૂલ્યાંકનના કયા માપદંડો કયાં ધોરણો કઈ કસોટીઓ તમે આજના સાહિત્ય સંદર્ભે લાગુ પાડવા સ્વીકારો છો અથવા પ્રસ્તુત ગણો છો, તેને લગતો એક મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે. ભારતમાં તેમ પશ્ચિમમાં સાહિત્યની કળા વિશે (તેમ સૌંદર્ય અને સર્જકતા વિશે) અનેક ભિન્ન ભિન્ન સિદ્ધાંતો/વાદો વિકસ્યા છે. કૃતિવિવેચનનાં ધોરણો/કસોટીઓ એવા સિદ્ધાંત વિચારમાં અનુસ્યૂત રહ્યાં હોય છે. એટલે વિવેચકે આ અંગે પૂરું અધ્યયન ચિંતન કરીને મૂલ્યાંકનનાં ધોરણો વિશે ઊંડી વિશદ સમજ કેળવી લેવાની રહે. તાત્પર્ય કે, પશ્ચિમની કે ભારતની સાહિત્ય મીમાંસાનો યાદૃચ્છિકપણે સ્વીકારવાનો આ પ્રશ્ન નથી. વિવેચકે આ વિશે પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ થવાનો, અને એ પ્રક્રિયામાં પોતાના વ્યક્તિત્વની અખિલાઈ સિદ્ધ કરવાનો પ્રશ્ન પણ પડેલો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૯.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીસીચાળીસીના ગાળામાં આપણા સાહિત્યક્ષેત્રમાં પ્રગતિવાદનું કંઈક શક્તિશાળી મોજું ફરી વળ્યું, અને સાહિત્યના સર્જનવિવેચનમાં માકર્‌સવાદી દૃષ્ટિનો વિનિયોગ કરવાનું વલણ પણ કેટલોક સમય સક્રિય રહ્યું હતું, એની પણ અહીં આપણે નોંધ લેવાની રહે છે. રવિશંકર મહેતા, બકુલેશ, જિતુભાઈ, નીરુભાઈ, નવલરામ ત્રિવેદી, રમણલાલ દેસાઈ, ભોગીલાલ ગાંધી, ઉમાશંકર, સુંદરમ્‌, જયંતિ દલાલ અને બીજા પણ કેટલાક સાહિત્યકારો એ આંદોલનમાં ભળ્યા હતા કે એના સમર્થક બન્યા હતા. જો કે આપણા બીજા લેખકો તટસ્થ રહ્યા હતા અને કેટલાકે પ્રગતિવાદી સાહિત્યની સામે અમુક વાંધાઓ ય ઊભા કર્યા હતા. ગમે તેમ, પ્રગતિવાદ આપણા સાહિત્યમાં ઊંડાં મૂળ નાખી શક્યો નહોતો, તેમ જે કંઈ આંદોલન એ સમયે ચાલ્યું તેમાંથી ઉત્કૃષ્ટ કોટિનું ઝાઝું સાહિત્ય પણ પ્રાપ્ત થયું નહોતું –એ એક ઐતિહાસિક હકીકત રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે સર્જન વિવેચનને જોવાને માર્ક્‌સવાદી દૃષ્ટિનું અનુસંધાન ત્યારે થયું હતું. ઉમાશંકર નીરુ દેસાઈ અને ભોગીલાલ ગાંધી જેવા અભ્યાસીઓએ ત્યારે માર્ક્‌સવાદી અભિગમની છણાવટ કરતાં કેટલાંક લખાણો ય પ્રગટ કરેલાં, પણ એની જોઈએ એવી ઊંડી અને વ્યાપક અસરો જોવા મળતી નથી.&lt;br /&gt;
ત્રીસીના ગાળામાં ઉમાશંકરે કવિતાના સ્વરૂપ વિશે જે ચર્ચાવિચારણા આરંભી તેમાં ‘કાવ્ય અને પ્રાગતિકતા’ લેખ તેમની વૈયક્તિક કારકિર્દીના સંદર્ભમાં તેમ ગુજરાતી કાવ્યતત્ત્વવિચારના સંદર્ભમાં ય મહત્ત્વનો બની રહે છે. માકર્‌સવાદી વિચારણાની સ્પષ્ટ પ્રેરણા એમાં જોઈ શકાશે. ‘શુદ્ધ કાવ્ય’ના ઉપાસકો કાવ્યની સૃષ્ટિ ‘અન્યનિરપેક્ષ સ્વયંસંપૂર્ણ સ્વયંસ્થિત કેવલ આત્મનિષ્ઠ’ હોવાનું લેખવે છે તેની સામે તેઓ વાંધો લે છે. કવિતાને વ્યાપક જીવનતત્ત્વ સાથે સંબંધ છે, એટલું જ નહિ, વ્યક્તિના અને સમાજના જીવનને જે નિયમો નિયંત્રિત કરે છે તે જ કવિતાની સૃષ્ટિને પણ નિયંત્રે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
નીરુ દેસાઈના ‘માકર્‌સવાદ અને સાહિત્ય’ લેખમાં માકર્‌સવાદને અભિમત સામાજિક/દાર્શનિક વિચારણાઓનું સીધું અનુસંધાન રહ્યું છે. વ્યક્તિ અને સમાજના વિકાસની dialectical processની ભૂમિકા તેમણે અહીં પુરસ્કારી છે.&lt;br /&gt;
ભોગીલાલ ગાંધીના ત્રણ લેખો – ‘સાહિત્ય અને પ્રગતિ’ ‘માર્ક્‌સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ અને ‘ગુજરાતી વિવેચનસાહિત્ય ઉપર માકર્‌સવાદની અસર’ – સાહિત્યના અધ્યયન-વિવેચનમાં માર્ક્‌સવાદી અભિગમને લગતા મુદ્દાઓ અને ગુજરાતીમાં ચાલેલા પ્રગતિવાદની તપાસને અનુલક્ષે છે. પ્રથમ લેખમાં – ‘પ્રગતિવાદી સાહિત્ય’ સામે જે જાતના વાંધાઓ લેવામાં આવે છે તેને નજરમાં રાખી એ અભિગમની સિદ્ધિમર્યાદાઓનો વિચાર કરવાનો તેમનો ઉપક્રમ છે. રામનારાયણ પાઠક જેવા વિદ્વાન વિવેચકે પ્રગતિવાદ સામે જે મુદ્દાઓ ઊભા કર્યા હતા તેને પ્રત્યુત્તર આપવાનો એમાં સમર્થ પ્રયત્ન છે. કૉડવેલ અને સી. ડી. લૂઈ જેવા પાશ્ચાત્ય ચિંતકો-વિવેચકોની વિચારણાના પ્રકાશમાં તેમણે પ્રગતિવાદ સામેનાં ભયસ્થાનો ય બતાવ્યાં છે. ‘માકર્‌સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ લેખમાં માકર્‌સ અને લેનિનની કળાદૃષ્ટિ અને રુચિનો તેમ તેમને અભિમત મૂલ્યોનો વિગતે પરિચય આપ્યો છે. ત્રીજા લેખમાં સમકાલીન ગુજરાતમાં પ્રવર્તેલા પ્રગતિવાદી આંદોલનની ટૂંકી સુરેખ ભૂમિકા રજૂ કરી છે, અને એ અભિગમ જે સાહિત્યકળાને પુરસ્કારે છે અને જે મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા ધારે છે તેનો સારી રીતે પરિચય આપ્યો છે. ભોગીલાલની ચર્ચાવિચારણામાં બેત્રણ મુદ્દાઓ તરત ધ્યાન ખેંચે છે. એક, સાહિત્યને જીવન સાથે-વ્યક્તિ અને સમાજ સાથે ગાઢ સંબંધ છે. વાસ્તવનિરૂપણને નામે લેખકે બાહ્ય અને ઉપરછલી વાસ્તવિકતા આલેખીને સંતોષ માનવાનો નથી. વ્યક્તિ અને સમાજ જીવનને પ્રેરતાં ઘાટ આપતાં દિશા આપતાં ગહન સંકુલ આંતરિક બળોને તેણે આલેખવાનાં છે. બીજું, સાહિત્ય માત્ર પ્રચારાત્મક છે. ત્રીજું, શિવતત્ત્વ તરફ તેની દૃષ્ટિ મંડાયેલી હોવી જોઈએ. ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ વચ્ચે કદાચ સુમેળ સરળતાથી સાધી શકાતો હશે, પણ સર્જકોએ ‘શિવતત્ત્વ’ને ય આરાધવાનું છે. શિવતત્ત્વ અને સૌંદર્ય કે સત્ય વચ્ચેનો વિસંવાદ/સંઘર્ષ પણ તેમની સાહિત્યસામગ્રી બની શકે, વગેરે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૦.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કથાસાહિત્યના ક્ષેત્રે આગવી પ્રતિભાની મુદ્રા અંકિત કરી જનારા સદ્‌ગત ચુનીલાલ મડિયાએ વિવેચનના ક્ષેત્રેય કેટલુંક નોંધપાત્ર અર્પણ કર્યું છે. વિવેચન-પ્રવૃત્તિ અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે કેટલાંક પ્રાસંગિક લખાણો પ્રગટ કર્યાં છે. ‘વિવેચકની કામગીરી’ ‘વિવેચન, વિશેષણ, વિવેક’ ‘વિવેચકોના વિવેચકોના વિવેચકો’ જેવા લેખોમાં ખાસ કોઈ તાત્ત્વિક મુદ્દાઓ નથી, માત્ર તેમનાં કેટલાંક વલણો એમાં છતાં થાય છે. તેમના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(૧)	પ્રો. અનંતરાય રાવળે વિવેચકની સહૃદયતા પર ભાર મૂકી કૃતિના ‘ગુણગ્રાહી વિવેચન’નો પક્ષવાદ કર્યો, તેની સામે મડિયાએ વાંધો લીધો છે. માત્ર ગુણકિર્તન થાય અને દોષો પ્રત્યે આંખમીંચામણાં થાય ત્યારે સાહિત્યનાં મૂલ્યો ધીમે ધીમે નીચે ઊતરે એમ તેમનું કહેવું છે. ગુણદર્શન વિવેચક ભલે કરે, પણ તે નર્યું ‘થાબડભાણિક’ બને ત્યારે મોટો ખતરો ઊભો થાય છે.&lt;br /&gt;
(૨)	વિવેચનના ક્ષેત્રે કૃતિના વિવેચન-પરીક્ષણમાં બારીક દૃષ્ટિના અભાવે કેટલાંક રૂઢ લપટાં પડી ગયેલાં વિશેષણોથી કામ કાઢી લેવામાં આવે છે. પણ એથી વિવેચનપ્રવૃત્તિને મોટી હાનિ થાય છે.&lt;br /&gt;
(૩)	તેજસ્વી અને દૃષ્ટિસંપન્ન વિવેચક આવતી કાલના સાહિત્યનો ‘વૈતાલિક’ હોઈ શકે. વિવેચનનું એ રીતે અમુક ગૌરવ પણ છે, પણ સર્જનનું સ્થાન તે લઈ ન શકે. સર્જનને બદલે જ્યારે વિદ્વત્તા વધુ પૂજાવા લાગે ત્યારે સમાજ ‘ક્ષીણપ્રાણ’ થઈ રહ્યો છે એમ જ માનવાનું રહે.&lt;br /&gt;
(૪)	સર્જાતા સાહિત્યને વિવેચન સીધી રીતે ભાગ્યે જ ઉપયોગી નીવડે. વિવેચન એ માટે ‘સાહિત્યિક આબોહવા‘ નિર્માણ કરીને જરૂર સહાય કરી શકે.&lt;br /&gt;
ઉમાશંકરની પેઢીના સાહિત્યકારો અને અભ્યાસીઓમાં પ્રો. મનસુખલાલ ઝવેરી, પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, ડૉ. ઇન્દ્રવદન દવે, ડૉ. બિપિન ઝવેરી, ડૉ. હસિત બૂચ, ડૉ. ઈશ્વરલાલ દવે, પ્રો. અનંતરાય રાવળ, ડૉ. ધીરુભાઈ ઠાકર, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી ઉશનસ્‌, ડૉ. જયંત પાઠક આદિએ વિવેચનના પ્રશ્નો કે સમકાલીન વિવેચનની પ્રવૃત્તિ નિમિત્તે પ્રસંગોપાત્ત પોતાના વિચારો રજૂ કરેલા છે. વિવેચનમીમાંસાના કોઈ ખાસ નવા પ્રશ્નો ઊભા કરવાનો ઉપક્રમ એમાં નથી. પણ દરેક અભ્યાસીએ આ જાતનાં લખાણોમાં આગવી રીતે વિવરણ કર્યું છે કે કંઈક જુદા જ ભાર સાથે પ્રચલિત ખ્યાલો રજૂ કર્યા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/IV_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AA%B6%E0%AB%80%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87776</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/IV_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80-%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AA%B6%E0%AB%80%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87776"/>
		<updated>2025-04-27T08:14:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading| IV. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી–મુનશી યુગ)|}} {{center|૧.}} {{Poem2Open}} આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| IV. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી–મુનશી યુગ)|}}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચેથી રસલક્ષી સાહિત્યનાં બળવાન વલણો ત્યારે ગતિશીલ બને છે, અને કનૈયાલાલ મુનશી એ વળાંકની રેખા પર ઊભા છે. તેમની બહુમુખી પ્રતિભા, આમ તો, સાહિત્ય વકીલાત રાજકારણ વહીવટ કેળવણી આદિ વિભિન્ન ક્ષેત્રોમાં એકીસાથે સક્રિય બની છે. પણ અહીં આપણને તેમની સાહિત્યક્ષેત્રની અને વિશેષતઃ તેમની વિવેચનતત્ત્વવિચારની પ્રવૃત્તિ સાથે નિસ્બત છે. તેમણે વિવેચનના ક્ષેત્રમાં તે સમયે જે કેટલુંક કામ કરેલું, તે આજે કદાચ એટલું ગંભીરતાથી લેવાતું નથી; પણ સાહિત્ય કળા વિશે તેમજ વિવેચન વિશે જે જાતના ખ્યાલો તેમણે પ્રગટ કરેલા, તેનું આપણા સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની ચર્ચાવિચારણામાં તાત્ત્વિક મુશ્કેલીઓ આજે વરતાય, તેમની કળાદૃષ્ટિ અને રુચિની અમુક મર્યાદાઓ પણ એકદમ સ્પષ્ટપણે બતાવી શકાય, પણ આપણે સ્મરણમાં રાખવાનું છે કે આ સદીના આરંભે લલિત સાહિત્યની પ્રાણપ્રતિષ્ઠા કરનારા સર્જકો અને વિવેચકોમાં તેઓ સાચે જ એક અગ્રણી છે. આપણે અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીના બીજા ત્રીજા દાયકા સુધી ‘સાહિત્ય’ સંજ્ઞાનો અતિ વિશાળ અર્થ લેવામાં આવતો હતો. રસલક્ષી સાહિત્ય ઉપરાંત જ્ઞાનમૂલક કે બોધદાયી સર્વ સાહિત્ય એમાં સમાઈ જતું હતું. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી રમણભાઈ નીલકંઠે જે વ્યાખ્યાન રજૂ કરેલું, તેમાંયે ‘સાહિત્ય’ને આવા વિશાળ અર્થમાં લેવામાં આવ્યું છે. લોર્ડ મોર્લિ, હડસન, અને ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૧મી આવૃત્તિ, ‘સાહિત્ય’ અધિકરણના લેખક જેમ્સ કેલી) આદિની સાહિત્ય વિશેની વ્યાખ્યા નોંધી તેમણે સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય’ – એવું વિધાન કરી તેમાં થોડી સ્પષ્ટતા આણવાનો પ્રયત્ન ય કર્યો છે. “વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં ‘સાહિત્ય’ શબ્દ ઉત્પન્ન થાય.”૫૦ આમ, એ ચર્ચા વાણીની શિષ્ટ રજૂઆત પર આવીને અટકે છે. પણ બોધમૂલક સાહિત્યથી રસલક્ષી સાહિત્યની ભિન્નતા ત્યાં આંકી આપવામાં આવી નથી, તે સૂચક છે. વિજયરાય વૈદ્યના ‘સાહિત્ય’ શીર્ષકના લેખ(પ્રગટ થયો ૧૯૨૯)માં એવા ભેદ સ્પષ્ટ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય કે, બીજા ત્રીજા દાયકાના સાહિત્યવિચારમાં શુદ્ધ રસલક્ષી સાહિત્ય વિશેની અભિજ્ઞતા તીવ્ર બની આવી છે. અને એમાં કનૈયાલાલ મુનશીની ચર્ચાવિચારણાઓનું ય આગવું સ્થાન છે. તેમના મતે સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’ એ બે પ્રાણભૂત તત્ત્વો છે; અને સાહિત્યનું મુખ્ય પ્રયોજન ભાવકોને આનંદ આપવાનું છે, રસબોધ કરાવવાનું છે. જો કે પોતાના સાહિત્યમાં રસતત્ત્વની સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કરવાનું તેમનાથી ઓછું જ બન્યું છે, કળાકાર તરીકે કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ તેમનામાં ઊંડે રોપાયેલી છે, અને તેને અતિક્રમી જવાનું તેમનાથી ખાસ બન્યું નથી. પણ રસલક્ષી સાહિત્ય માટેની તેમની હિમાયત સાચી હતી. મુશ્કેલી એમાં એટલી જ કે સાહિત્ય રસ કળા વિવેચન આદિ પાયાના મુદ્દાઓની તેમણે જે કંઈ ચર્ચા કરી, તેમાં તટસ્થ પર્યેષકબુદ્ધિ અને સૂક્ષ્મ દૃષ્ટિનું ચિંતન નથી, પોતાને પ્રિય એવા કેટલાક ખ્યાલોનું કેવળ વાગ્મિતાભર્યું ઉચ્ચારણ છે.&lt;br /&gt;
જીવનમાં તેમ સાહિત્યમાં મુનશી જડ પ્રણાલિકાઓના વિરોધી રહ્યા છે. વ્યક્તિસ્વાતંત્ર્યઃ, પરંપરામુક્તિ, રૂઢિભંજન–એ સર્વ તેમને ઇષ્ટ વસ્તુઓ છે. બોધ કે ઉપદેશથી પ્રેરાયેલા અને નીતિધર્મના ખ્યાલોથી નિયંત્રિત થતા સાહિત્યની તેમણે ભારે ટીકા કરી છે. નીતિને કળાની ‘વિષકન્યા’ લેખવવા સુધી ગયા છે. એક રીતે, તેમની આ જાતની સાહિત્યવિચારણા પશ્ચિમના ‘કળા ખાતર કળા’ના ખ્યાલોથી પ્રેરાયેલી હોવાનું સમજાય છે. ‘રસાસ્વાદનો અધિકાર’ (૧૯૨૬) શીર્ષકના લેખમાં તેમણે મુકત સર્જકતાને આવકારી છે. ‘ભાવિ સાહિત્ય માટે આ તૈયાર થતા રમણીય પૂર્વાશ્રમમાં એક જ દૃષ્ટિ સામાન્ય છે. પોતાની રસિકતાનો અનિયંત્રિત વિકાસ સાધી, વિશિષ્ટ રસદર્શન ને રસસર્જન કરવાની, પોતાની જ દૃષ્ટિથી સરસતા પારખવી અને પોતાની જ ભાવના પ્રમાણે સરસતા સમજાવવી—એ અધિકાર જેવો સરલ દેખાય છે તેવી સરલતાથી સ્વીકારાતો નથી. રસસર્જનનો આ સ્વતંત્ર અધિકાર એ જ અર્વાચીન કળાકારોની અણમોલી પૂંજી છે.”૫૧ સ્પષ્ટપણે મુનશી સર્જકોને સાહિત્યની જૂની રૂઢિઓ અને પ્રણાલિકાઓને વળગી ન રહેતાં, મુકત સ્વૈર સર્જકતા ખિલવવાને તેમને સૌને આહ્‌વાન કરે છે.&lt;br /&gt;
 	અને, જેમ રાર્જકને પક્ષે, તેમ વિવેચક/ભાવકને પક્ષે તેઓ ‘સ્વતંત્રતા’ની હિમાયત કરે છે. “જેમ કલાકારોને રસદર્શન ને સર્જનનો અધિકાર છે, તેમ રસિકોને રસાસ્વાદનો અધિકાર છે. આ અધિકારથી જ તેમની રસિકતા ખીલે છે. અને રસિકતા વડે જ તેમને આનંદની પ્રાપ્તિ થાય છે.”૫ર અહીં મુનશીનો ખ્યાલ કેવળ વાગ્મિતામાં સરી પડે છે. ‘રસાસ્વાદનો અધિકાર’ પર ભાવકને છે એમ કહેવાથી વાસ્તવમાં કશું જ ફલિત થતું નથી, પણ આ વિશેની અન્ય સંદર્ભોની ચર્ચા જોતાં તેમને ભાવકની રસવૃત્તિ (taste)ની વૈયક્તિકતા અભિમત હોવાનું સમજાય છે. સાહિત્યકૃતિને સાહિત્ય વિશેના રૂઢ ખ્યાલો કે માન્યતાઓથી અળગા કરવાનું સૂચન એમાં પડેલું છે. સાહિત્યકારે રચેલી નવીન સૃષ્ટિ જો જૂના નિયમોમાં બંધાઈ ગઈ નથી; તો ભાવકે પણ એવા જૂના નિયમોને ચુસ્તપણે વળગવાનું નથી. કળા સૌંદર્ય અને રસકીય તત્ત્વોની ઉપલબ્ધિ અર્થે મુક્ત ચિત્તનો અભિગમ તેણે સ્વીકારવો જોઈએ. દરેક કળાકૃતિ જો અગાઉની કૃતિઓ કરતાં કોઈક રીતે વિશેષ છે, સાચા અર્થમાં અપૂર્વ છે, તો તેના આસ્વાદ-આકલન અર્થે ભાવકે પણ પોતાનું યથોચિત orientation કરી લેવાનું રહે જ છે. ‘રસાસ્વાદનો અધિકાર’ બતાવીને તેમણે આ રીતે પોતાના જમાનાના ભાવકોને સાહિત્યવિવેચનના જડ નિયમોથી મુક્ત થવાને સૂચવ્યું હતું. પણ તેમની એ વૈચારિક ભૂમિકા એ જમાનામાં ઘણી ચર્ચાસ્પદ બની હતી. આ. આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાને એની સામે પ્રતિવાદ પણ કર્યો છે.&lt;br /&gt;
સર્જન અને વિવેચનની ચર્ચાવિચારણાઓમાં મુનશી ‘સરસતા’ અને ‘રસિકતા’ જેવી કેન્દ્રીય સંજ્ઞાઓ યોજે છે : “જે જે વસ્તુની માણસ પર સચોટ અસર થાય છે, તેમાંની ઘણી વસ્તુમાં એક લક્ષણ હોય છે – તે સરસતા. આ લક્ષણ માટે એક શક્તિ ઝંખે છે; અને તે લક્ષણ પારખ્યા પછી તે શક્તિ સંતોષાય છે તે શક્તિ તે રસિકતા.”૫૩ મુનશીએ ‘સરસતા’ અને ‘સચોટતા’ વિશે અહીં જે રીતે ભેદ કર્યો છે તે ધ્યાનપાત્ર છે. તેમને એમ અભિપ્રેત છે કે ‘સરસતા’ એ કૃતિમાં જ નિહિત રહેલો ગુણ છે, જ્યારે ‘રસિકતા’ તે ભાવકની ભાવયિત્રી પ્રતિભાનો અંશ છે. એ શક્તિનું વર્ણન તેઓ આ રીતે કરે છે :&lt;br /&gt;
“આ રસિકતા બુદ્ધિનું લક્ષણ નથી. વિચારનું પરિણામ નથી. જે શક્તિઓ શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અનુભવે છે અને પારખે છે, તેના જેવી એ છે. એ બુદ્ધિથી કાબુમાં રહે, વિચારથી કેળવાય, અભ્યાસથી સુધારાય અને આદર્શ સેવ્યાથી નિર્મળ બને. પણ જેમ સારી અને મીઠી ગંધ સ્વાભાવિક શક્તિથી પરખાય છે, તેમ સરસ અને નરસ, સુંદર અને સામાન્ય કૃતિઓ પણ તેવી જ રીતે પરખાય છે. આ શક્તિ પંચેન્દ્રિયથી નિરાળી નથી. પણ પાંચે શક્તિની પાછળ રહી તેને કેળવે છે અને ઉત્તેજે છે, અને તે શક્તિઓ દ્વારા મેળવેલા આનંદની કસોટી કરે છે. આ શક્તિનાં ત્રણ જુદાં જુદાં અંગ છે. (૧) સરસતાનો આસ્વાદ લેવાની ઉત્કંઠા (૨) સરસતા પારખવાની શક્તિ, અને (૩) સરસતાથી આનંદ મેળવવાની શક્તિ.”૫૪&lt;br /&gt;
મુનશીએ ‘રસિકતા’નો આ જે ખ્યાલ રજૂ કર્યો છે તેની પાછળ સંભવતઃ પાશ્ચાત્ય વિવેચનવિચારની Tasteની વિભાવના રહી છે. મુનશીએ આ વિશે વધુ સ્પષ્ટતા કરતાં નોંધ્યું છે કે વ્યક્તિની અમુક વૃત્તિઓ, તેની કેળવણી, ભાવના, દેશકાલરૂપ સંયોગો આદિ અનેક પરિબળોથી તેની ‘રસિકતા’ (‘કે રસવૃત્તિ’) બંધાય છે, અને સંસ્કારાય છે. દરેક વ્યક્તિના, અલબત્ત, સંયોગો જુદા, પશ્ચાદ્‌ભૂમિકા જુદી, એટલે તેની ‘રસિકતા’ની માત્રા કે કોટિય જુદી. ‘જેટલી ભાવના જુદી, તેટલી સરસતા જોવાની દૃષ્ટિ જુદી. જેટલી દૃષ્ટિ જુદી તેટલો રસાસ્વાદ જુદો. લક્ષ્ય એક જ આનંદપ્રાપ્તિ”. મુનશીની આ ચર્ચામાં બે મુદ્દાઓ પડેલા છે : એક, ‘રસિકતા’ એ તેમના મતે એક સાપેક્ષ તત્ત્વ છે. બીજો, કૃતિનું અંતિમ લક્ષ્ય આનંદની પ્રાપ્તિ છે. આ સંદર્ભમાં આપણે એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે કોઈ પણ આકૃતિના સંદર્ભે પ્રાપ્ત થતી રસાનુભૂતિ અને આનંદતત્ત્વ વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. રસાનુભૂતિનું પર્યવસાન આનંદ જ છે, પણ આનંદમાં માત્રાભેદ નથી, રસાનુભૂતિમાં એવો માત્રાભેદ છે.&lt;br /&gt;
સાહિત્યનો વિવેચક, તે મુનશીની દૃષ્ટિએ, ‘સરસતાને પારખનાર’ અને ‘શિષ્ટતાને સાચવનાર’ એવા વર્ગમાંનો જ એક છે. તેનું મુખ્ય કાર્ય ‘સરસતાનું નિરીક્ષણ’ અને તેનું ‘સંરક્ષણ’ છે. વિવેચકોની પ્રવૃત્તિ દ્વારા જ ભાવક વર્ગની ‘સરસતા પારખવાની દૃષ્ટિ’ સૂક્ષ્મ બનતી રહે છે. અને આ વિવેચકોએ જ સામાન્ય વર્ગની રસિકતાને ‘ક્ષુદ્ર તૃપ્તિમાં વિરામ પામતી અટકાવી’ છે. આમ, સાહિત્યના રસાનુભવમાં વિવેચકો ઘણા સહાયભૂત બની રહે છે એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
ભાવકની ‘રસિકતા’ તેના વિશિષ્ટ સંયોગો અને તેના વિશિષ્ટ ઘડતર પર અવલંબે છે, અને એ રીતે વ્યક્તિસાપેક્ષ છે, એમ દર્શાવતા છતાં, અન્ય ચર્ચાના સંદર્ભે મુનશી તેને ‘સર્વકાલીન અને એક જ’ હોવાનું કહે છે, ત્યારે તેમની આ વિશેની ચર્ચામાં રહેલો આંતરવિરોધ છતો થઈ જાય છે.&lt;br /&gt;
સાહિત્યક્ષેત્રમાં વિવેચકે ભજવવાની ભૂમિકા બાબતમાં મુનશીએ એક વિલક્ષણ ખ્યાલ રજૂ કર્યો છે : “વિવેચક એ કલાકાર નથી, તે સર્જક નથી, પ્રચારક છે. તે સરસતાનો સરજનાર નથી. તેમ તે શામાં રહી છે તે નક્કી કરનાર પણ નથી. એક લેખક કહે છે તેમ, producer-બનાવનાર અને consumer-વાપરનાર વચ્ચે તે distributor-વહેંચનાર છે. અને ઘણી વખત વાપરનારના રસાસ્વાદ કે સરસતાની શુદ્ધિ કરતાં પોતાની ઇચ્છા પ્રમાણે તે માલ વહેંચે છે.”૫૫ અહીં ‘માલના વહેંચનાર’ તરીકે વિવેચકની કામગીરીનો તેમણે જે ખ્યાલ રજૂ કર્યો છે તે તેમની વ્યવહારદૃષ્ટથી દૂષિત થયેલો લાગે છે. તાત્ત્વિક દૃષ્ટિએ તેમની આ જાતની ચર્ચાનું આથી ઝાઝું મહત્ત્વ કરી શકાય નહિ. વિવેચન એ સર્જન ગણાય કે કેમ, એ જાતનો પ્રશ્ન આપણે ત્યાં આ સદીના બીજાત્રીજા દાયકામાં ચર્ચાની એરણ પર આવ્યો જણાય છે. વિવેચન અને સર્જન એ બંને પ્રવૃત્તિઓ વિશે એ ગાળામાં તુલનાત્મક વિચાર કરવાનું વલણ પણ જન્મ્યું હતું. સર્જક અને વિવેચક વિશે મુનશીએ વાગ્મિતાભરી વાણીમાં જે જાતની રજૂઆત કરી છે તેમાં બંનેની કામગીરીનો ભેદ રસપ્રદ છે. પણ તેથી વિશેષ તો તેમની ચિંતનરીતિની મર્યાદા સમજવામાં તે દ્યોતક બને છે :&lt;br /&gt;
“કલાકાર સદાએ જીવનનો રસીઓ છે. વિવેચક કૃતિઓનો રસીઓ છે; એનો રસ માત્ર કળામાં જ સમાયો છે. કળાકાર કુસુમને કાંટાથી ભર્યા જીવનમાં પ્રફુલ્લતો પીડાતો રડતો કકળતો ને ઉલ્લાસ માણતો ચાલ્યો જાય છે. એને લથડવાની બીક નથી. પડી રહેવાની તે પરવા કરતો નથી. ભય પોતે તેનો પ્રેરક થઈ બેસે છે. વિવેચક તો ફૂલવેલથી ભરી પગથીઓ પર મોજમાં ચાલ્યો જાય છે. પસંદ પડે તે ફૂલ ચૂંટે છે, સૂંઘે છે, ફેંકી દે છે. કોઈ વાર તો તે નજર પણ નથી કરતો. કોઈને પગે કચરી નાખવામાં પણ તેને દુઃખ નથી...”૫૬&lt;br /&gt;
અને, આ જ શૈલીમાં સર્જક અને વિવેચક બંને વચ્ચેની સરખામણી આગળ ચલાવી છે :&lt;br /&gt;
“કલાકારને જીવન જોડે તાદાત્મ્ય સાધ્યા વિના ચેન પડતું નથી; વિવેચક કલા જોડે તાદાત્મ્ય સાધતાં પણ આત્મગૌરવ ને નિરીક્ષણ વૃત્તિ ખોઈ શકતો નથી. કલાકાર મસ્ત છે; વિવેચક સ્વસ્થ છે. કલાકાર સરખામણી કરવા થોભતો નથી; વિવેચક સરખામણી વિના ડગ ભરી શકતો નથી. કલાકાર વર્ષો જતાં, પોતાના સિવાય ભાગ્યે જ કોઈની કૃતિઓનો રસાસ્વાદ લઈ શકે છે. વિવેચક ભાગ્યે જ એકની કૃતિ પર ધ્યાન આપી શકે છે. કલાકાર નિર્બલતાને એક લહાવો માને છે. વિવેચક પોતાનાં સર્વજ્ઞતા ને સ્વાદ લેવાની શક્તિમાં ખોડ કે ખાંપણ કલ્પી શકતો નથી. જીવનની માફક કલા જોડે તાદાત્મ્ય સાધી કલાકાર તેનું રહસ્ય પારખે છે, અને એક પ્રકારનો વિવેચક થઈ શકે છે. વિવેચક તો વિવેચક જ રહે છે....”૫૭&lt;br /&gt;
સર્જક અને વિવેચક વચ્ચેની આ સરખામણી હજી ય વિસ્તરતી જાય છે, પણ એમાં કોઈ તાર્કિક ચિંતનનું વલણ જ નથી. સર્જક વિવેચક એ બંનેને વિશે નર્યો રોમેન્ટિક ખ્યાલ બાંધીને તેઓ ચાલતા રહ્યા છે એથી ન તો સર્જકને ન તો વિવેચકને – કોઈને ન્યાય કરી શક્યા નથી. બંનેની અલગ પ્રવૃત્તિનું સ્વરૂપ લગીરે સ્પષ્ટ થતું નથી. વિવેચક મનમૌજી વ્યક્તિ હોય, મિજાજમાં વર્તતો હોય, સર્જકોનો દ્વેષી હોય... એવી કંઈક વિચિત્ર છાપ એમાંથી ઊભી થાય છે. આ જાતની વિચારણાને બાજુએ રાખીએ તો ય ચાલે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય ‘સરસતાનું અન્વેષણ’ કરવાનું છે એમ બીજા સંદર્ભમાં તેઓ કહે છે. જો કે ભાવકને આનંદપ્રાપ્તિનો પંથ બતાવવો એ જ તેની મુખ્ય ફરજ છે એમ તેઓ ભારપૂર્વક નોંધે છે. આ સંદર્ભમાં ‘સરસતા’નું સંરક્ષણ કરવાની વિવેચકને માથે જવાબદારી છે એમ પણ તેઓ સ્પષ્ટ કરે છે. તેમના મતે વિવેચક પાસે ‘જ્ઞાન’ અને ‘સહાનુભૂતિ’ એ બંને વસ્તુઓ જરૂરી છે. ‘જ્ઞાન’માં દેખીતી રીતે જ વિવિધ પ્રકારના સાહિત્યનો, કાવ્યશાસ્ત્રનો તેમ બીજી સંબંધિત વિદ્યાઓનો તેઓ સમાવેશ કરવા ચાહે છે, જ્યારે ‘સહાનુભૂતિ’થી સહૃદયતાનો ખ્યાલ તેમને અભિપ્રેત છે. વળી, જુદી જ પરંપરામાંથી આવતા લેખકને કે તેની કૃતિઓને માણવા રુચિની ઉદારતા જોઈએ એમ તેઓ કહે છે. વિવેચકમાં વિદ્વત્તા કરતાં ય વધુ તો ‘કલ્પના’ તથા ‘જીવનનાં વૈવિધ્ય અને સમૃદ્ધિ ભોગવવાની અદ્‌ભુત શક્તિ’ પણ તેઓ જરૂરી ગણે છે. વિવેચકની સજ્જતા વિશેનો મુનશીનો આ ખ્યાલ સ્વીકારવામાં ભાગ્યે જ કશી મુશ્કેલી હોય.&lt;br /&gt;
મુનશી એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વિવેચનનાં ધોરણો મુખ્યત્વે ‘શિષ્ટ સાહિત્ય’ના અધ્યયન પરિશીલનમાંથી ઊભાં થતાં હોય છે. એટલે વિવેચક આવા શિષ્ટ સાહિત્યનું પરિશીલન જારી રાખે તો તેની રુચિ ખિલતી આવે, એમ તેઓ નોંધે છે. પણ આ સાથે સાવધાનીનો સૂર પણ તેઓ કાઢે છે. તેઓ કહે છે કે શિષ્ટ કૃતિઓના ‘આદર્શો’ પર વધુ પડતો ભાર મૂકવાથી વિવેચકની રુચિ કુંઠિત થઈ જાય એવો ભય છે. તેમને અહીં એમ સૂચવવું છે કે શિષ્ટ સાહિત્યના અધ્યયનમાંથી વિવેચનનાં જે ધોરણો ઊભાં થતાં આવે છે તેને વિવેચકે જડતાથી વળગી રહેવાનું નથી. સર્જાતી જતી નવી કૃતિઓના વિવેચનમાં એ ધોરણો કેટલે અંશે પ્રસ્તુત છે, તે વિશે તેણે સતત વિવેક કરીને ચાલવાનું રહે છે. કૃતિમાંથી રસાનુભવ મળે એ જ પર્યાપ્ત છે, એ પછી વિવેચનનાં જૂનાં ધોરણોને જડતાથી વળગી રહેવાનું નથી.&lt;br /&gt;
કૃતિના આસ્વાદ વિવેચન વિશેની મુનશીની ચર્ચાવિચારણામાં, આમ છતાં, મૂળથી ગૂંચ ઊભી થતી દેખાય છે. અમુક સંદર્ભે, કૃતિના રસાનુભવને જ અંતિમ પ્રયોજન ગણી વિવેચનનાં ધોરણો કે નિયમોને બાજુએ રાખવાની તેઓ વાત કરે છે. બીજા સંદર્ભે દરેક સાહિત્યકૃતિનું રહસ્ય તેના વિશિષ્ટ યુગના સંદર્ભે સ્પષ્ટ કરવું જોઈએ, એમ તેઓ કહે છે. એક બાજુ, આનંદતત્ત્વની ઉપલબ્ધિ પર ભાર મૂકી તેઓ રસલક્ષી વિવેચન (aesthetic criticism)નો ખ્યાલ પુરસ્કારવા ચાહે છે, બીજી બાજુ કૃતિની ઐતિહાસિકતાના મુદ્દાને આગળ ધરી historical approachને આગળ ધરતા જણાશે. પણ આ બે અભિગમો એક નથી, તેમ તેનો સમન્વય કરવાનું ય સરળ નથી. પાશ્ચાત્ય વિવેચનમાં ભિન્ન ભિન્ન રીતે આ અભિગમો પ્રતિષ્ઠિત થયેલા છે. બંને વિવેચનપ્રવૃત્તિ સ્વરૂપ અને પ્રયોજન પરત્વે જુદી છે.&lt;br /&gt;
વિવેચનના અભિગમો વિશેની આવી ગૂંચ વચ્ચે વળી વિવેચકે કૃતિની ઐતિહાસિકતાને ઓળંગી જવાની છે, એમ પણ તેમણે કહ્યું છે. ‘સાહિત્યનો કોઈ એક યુગ બીજાને માટે ધોરણ બાંધી શકે નહિ’ – એવી ભૂમિકા સ્વીકારતા છતાં – ‘દરેક યુગને પોતાના નિયમો હોય, અને જો સર્વોપરિ સામાન્ય નિયમો નક્કી કરવા હોય તો દરેક યુગના દરેક નિયમો તેમાં સમાઈ શકે એવા નિયમો ઘડવા જોઈએ’—એવો અનુરોધ કરે છે. પણ વિવેચનના સર્વવ્યાપી સર્વકાલીન એવા નિયમો વિશેની તેમની આ જાતની વિચારણા, અંતે, એક ભાવિ શક્યતા બનીને થંભી જાય છે.&lt;br /&gt;
સાહિત્યકૃતિના વિવેચનમાં અભિગમ વિશેની આ જાતની ગૂંચ, ‘શિષ્ટાચારી વિવેચન’ અને ‘આનંદલક્ષી વિવેચન’ એવા જે બે પ્રકારો તેમણે પાડ્યા છે, તેમાં ય વિસ્તરતી રહી છે. ‘શિષ્ટાચારી’ પદ્ધતિનું તેઓ આ રીતે વર્ણન કરે છે : “શિષ્ટાચારી વિવેચનની પદ્ધતિ ઘણી જ સહેલી હતી. કયા પ્રકારની કૃતિ છે? એરિસ્ટોટલ દંડી શું કહે છે? કયો રસ છે? રસની વ્યાખ્યા જુઓ. કેવો નાયક છે? કેવી નાયિકા છે? કયા અલંકાર છે? આ પ્રમાણે ચિઠ્ઠી ચોડી યોગ્ય ખાનામાં મુકી દીધી એટલે વિવેચન પૂરું થયું.”૫૮ આ પદ્ધતિ વધુ તો પ્રાચીન સંસ્કૃત પરંપરાની વિવરણ પદ્ધતિને અનુલક્ષે છે, એમ સમજવામાં ખાસ મુશ્કેલી નથી. (દંડીની સાથે એરિસ્ટોટલનો નિર્દેશ આકસ્મિક હશે?) એની સામે ‘આનંદલક્ષી’ પદ્ધતિમાં કૃતિની ‘ઐતિહાસિકતા’ને લક્ષમાં લેવાનું તેઓ સૂચવે છે! અને એને ‘ઉત્ક્રાન્તિવાદી વિવેચન’ તરીકે પણ તેઓ તેને ઓળખાવે છે. મુનશી કહે છે કે આ પદ્ધતિ પ્રમાણે વિવેચકનું પહેલું કર્તવ્ય તે કૃતિના ‘સ્વરૂપનો ઇતિહાસ’ અને તેની ‘ઉત્ક્રાંતિ’ નોંધવાનું છે. સ્પષ્ટતા કરતાં મુનશી કહે છે કે નાટકની કોઈ કૃતિ પર વિવેચન કરવાનું હોય, તો તેનું સંસ્કૃત પરંપરાનું ગુજરાતી પરંપરાનું અને અંગ્રેજી પરંપરાનું—એમ ત્રણેયમાં વિકસેલું સ્વરૂપ ચર્ચી તેનો વિકાસક્રમ આલેખવો, અને એ સ્વરૂપો એકાકાર કેવી રીતે થયાં, તે બધુંય સ્પષ્ટ કરવું જોઈએ. વળી, કૃતિવિવેચનના ભાગ રૂપે જે તે કૃતિ કઈ સાહિત્યિક પરંપરામાં આવી છે. આગળ પાછળના યુગને તે કેવી રીતે જોડે છે, અને એ આખી પરંપરામાં તેનું શું સ્થાન છે તે પણ તેણે નિર્ણિત કરવાનું છે. કંઈક અચરજ થાય એવી વાત છે કે આ જાતના કૃતિવિવેચનને મુનશી ‘આનંદલક્ષી’ પદ્ધતિનો ભાગ લેખવે છે! અને એ અચરજ વળી ત્યારે વધી જાય છે, જ્યારે ‘તત્ત્વદર્શી વિવેચન’નેય તેઓ એમાં સમાવી લેવા ચાહે છે! જુઓ : ‘આનંદલક્ષી વિવેચનનો એક પ્રકાર તત્ત્વદર્શી વિવેચન છે. સરસતા શું છે તે તત્ત્વજ્ઞાનની મદદ વડે નક્કી કરે છે, અને પછી તેવી સરસતા કૃતિમાં છે કે નહિ તેનો નિર્ણય કરે છે.’ અહીં ‘સરસતા’ વિશેની તાત્ત્વિક ચર્ચા પણ આનંદલક્ષી વિવેચનમાં જોડાઈ જાય છે!&lt;br /&gt;
‘આનંદલક્ષી પદ્ધતિ’ના વ્યાપમાં ‘રસદર્શી વિવેચન’ જેવી અલગ કોટિ સ્વીકારી, એ પદ્ધતિમાં એનું મુખ્ય સ્થાન છે એમ પણ મુનશી નોંધે છે. એથી ‘આનંદલક્ષી પદ્ધતિ’ અને ‘રસદર્શી વિવેચન’ના ખ્યાલો ગૂંચાતા જણાશે પણ ‘રસદર્શી વિવેચન’ વિશેનો તેમનો ખ્યાલ પણ વિલક્ષણ છે : “ખરા વિવેચનમાં કૃતિનાં રંગ, છાયા ને તેજ, આત્માને શરીર પ્રતિબિંબિત થવાં જોઈએ”૫૯ – એમ તેઓ એનો પ્રથમ ખુલાસો આપે છે. કૃતિનાં ઘટક તત્ત્વો વિશે તાર્કિક વિશ્લેષણનો નહિ, કૃતિના સમગ્ર સત્ત્વને અખિલાઈમાં ઝીલવાનો એમાં ખ્યાલ છે. પણ એના અનુસંધાનમાં કર્તાના વ્યક્તિત્વદર્શનનેય અહીં તેઓ સમાવી લેવા ચાહે છે. “સરસતાની પરખ કરવા તે કઈ સામગ્રી વડે ઉદ્‌ભવી, તેને કેવી રસવૃત્તિએ સર્જાવી, તેને સરજનારની રસિકતા કેવી હતી, તે રસવૃત્તિ કેવા વ્યક્તિત્વમાંથી પ્રગટી અને તે વ્યક્તિત્વ કેવા સંયોગોમાં ઘડાયું તે બધાને શોધી સરસતાના સર્જનની ક્રિયા સર્જકના દૃષ્ટિબિંદુથી વર્ણવવી જોઈએ”૬૦ એટલે આ ‘રસદર્શી વિવેચન’માં ય પ્રશ્ન માત્ર રસકીય અંશોની ઓળખ કરવાનો કે તે નિમિત્તે આહ્‌લાદની અનુભૂતિને વર્ણવવાનો નથી, ‘સરસતા’ના સ્રોત તરીકે કર્તાની રસવૃત્તિ કે રસિકતા, અને તેનાં ઘડતરપોષક બળોને ચર્ચવાનો ય છે. એક રીતે biographic criticismનો અભિગમ અહીં ભળી જાય છે. અથવા વુડબેરી જેને esthetic criticism તરીકે ઓળખાવે છે, તે પદ્ધતિ સાથે અહીં અમુક અનુસંધાન થયેલું જોઈ શકાશે. વુડબેરીના મતે કલાકૃતિ કંઈ જડ ભૌતિક પદાર્થ નથી. કળાકાર આત્માની એ જીવંત ધબકતી રચના છે. એમાં પ્રવેશ કરતાં કળાકારના આત્માનું વિશ્વ જાણે કે ખુલ્લું થાય છે. ભાવક એ રીતે કૃતિના સંપર્કે એના કળાકારના આત્માને ઓળખવા પામે છે, અને વિવેચનનું કાર્ય એ આત્માના વિશ્વને વર્ણવવાનું છે. પણ મુનશી તો કળાકારના ‘આત્મા’નો પરિચય ઉપરાંત તેનાં રસરુચિને ઘડનારા કૌટુંબિક સંયોગો વિચારસરણીઓ આદિને ય એમાં સમાવી લેવા ચાહે છે.&lt;br /&gt;
‘સંસ્કારાત્મક વિવેચન’ (impressionistic criticism)ને પણ મુનશી ‘આનંદલક્ષી પદ્ધતિ’ની અંતર્ગત સમાવે છે. એનું વર્ણન કરતાં તેઓ કહે છે : “આ વિવેચન કરતી વખતે વિવેચક શાસ્ત્રકાર કે સરખામણી કરનાર, ઉત્ક્રાંતિવાદી કે રસદર્શી થતો નથી. તે કલાકારની માફક કૃતિનો રસીયો થઈ બેસે છે. તેના ભાવને ઊર્મિને પળ વાર પોતાનાં કરી તેની જોડે તાદાત્મ્ય સાધે છે. તેને ધ્યેય ગણી સમાધિની અવસ્થા ભોગવે છે. કાંપતે હૃદયે તે કૃતિનો ઉપભોગ કરે છે. તેમાં રહેલી નાદ ને અર્થની અવિયોજ્ય મોહકતા સમજે છે. તેમાં સમાયેલાં રસદર્શન ને સર્જનનાં રહસ્યો પારખે છે. તેની સરસતા લુંટે છે. પોતાની કરે છે. અને કવિ, પ્રિયતમા જોડે તાદાત્મ્ય સાધતાં જેમ કવિતા ઉચ્ચારે છે તેમ સમાધિની મસ્તીમાં પોતાના સંસ્કારો ઉચ્ચારે છે. આ ઉચ્ચારણ માત્ર વિવેચન નથી; કલાત્મક કૃતિ છે.”૬૧ અહીં ખરેખર તો ‘સંસ્કારાત્મક વિવેચન’ની રીતિનું બહુ ટૂંકું વર્ણન મળે છે.&lt;br /&gt;
મુનશીના વિવેચનવિચારમાં આમ વિભિન્ન અભિગમોનો કેટલોક ખ્યાલ આપવાનો પ્રયત્ન છે, પણ આ વિશેની ચર્ચામાં ઠીક ઠીક ગૂંચો રહી ગઈ છે. કમનસીબે, અભિગમો વિશેની સમજ વિશદ કરવાને બદલે ગૂંચવાડામાં જ આપણને મૂકી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંકી વાર્તાના ક્ષેત્રે જેમણે મોટું નવપ્રસ્થાન આરંભ્યું, એ ધૂમકેતુએ સાહિત્યસર્જન અને વિવેચનના પ્રશ્નો વિશેય કેટલુંક ચિંતન કરેલું છે. વિવેચનનું સ્વરૂપ અને કાર્ય, સર્જન અને વિવેચનનો સંબંધ, વિવેચકની ભૂમિકા વગેરે મુદ્દાઓ તેમણે સ્પર્શેલા છે. વિવેચનના સ્વરૂપ વિશે તેમણે એક માર્મિક વાત કહી છે. “......શબ્દોમાં વ્યક્ત કરવા ધારેલા છતાં પણ સુપ્ત રહેલા અનેક અર્થો શોધી કાઢવાનું કામ વિવેચન કરે છે. સર્જન અને વિવેચન એ એક જ માનસિક સ્થિતિનાં બે પાસાં છે. અથવા તમે એમ કહો, કે સર્જનમાં રહેલી વધારે ચેતનાનો અભ્યાસ એટલે અવલોકન : વિવેચન.”૬૨ તેમણે વિવેચન દ્વારા સર્જકની ચેતનાના વિશેષને પામવાનો ખ્યાલ અહીં આગવી રીતે મુક્યો છે. વિવેચકે, અલબત્ત, કૃતિની સાથોસાથ કર્તા વિશેય જાણવું જોઈએ એમ તેઓ કહે છે, ત્યારે કેવળ કૃતિ દ્વારા નહિ, અન્યથા જાણકારી મેળવવાનું તેઓ કહે છે. તે આપણે લક્ષમાં લેવાનું રહે. સર્જકનું સત્ય પણ એક ‘માનવનું’ સત્ય હોઈ ‘મર્યાદિત’ અને ‘સાપેક્ષ’ રૂપનું સંભવે છે, તેમ વિવેચકનું ‘વક્તવ્ય’ પણ છેવટે એક ‘મત’થી વિશેષ કશું નથી એમ તેઓ કહે છે. વળી વિવેચકની સચ્ચાઈ પર તેઓ ઘણો ભાર મૂકે છે. સર્જન કરતાં પણ વિવેચનનો મનોવ્યાપાર ‘ઘણો વધારે જટિલ અને વધારે જાતજાગૃતિ’ માગનારો છે, એમ તેઓ માને છે. ‘દરેક ક્ષણે જે લખ્યું તેને તોળવું અને તોળ્યા પછી કસવું અને કસ્યા પછી એનો આંક કાઢવો એ કામ દેખાય છે એટલું સહેલું નથી,’ એમ તેઓ કહે છે.&lt;br /&gt;
જાણીતા નવલકથાકાર રમણલાલ દેસાઈએ પણ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તે સમયમાં રૂઢ બનેલા કેટલાક ખ્યાલો ‘વિવેચન સાહિત્ય’ લેખમાં મૂકેલા છે.&lt;br /&gt;
જૂની સાક્ષરપેઢીના એક અભ્યાસી મોહનલાલ પાર્વતીશંકર દવેએ, કંઈક સુખદ આશ્ચર્ય થાય તેવી વાત છે, ‘વિવેચન’ શીર્ષકથી ૧૯૪૧માં પુસ્તક પ્રગટ કર્યું હતું, અને એમાં ગ્રંથસમીક્ષા અને ગ્રંથસમીક્ષક વિશે ઠીક ઠીક વિસ્તારથી ચર્ચા કરી હતી. નિકૃષ્ટ કે વંધ્ય સમીક્ષાઓ સામે તેમણે ત્યાં ઊહાપોહ કર્યો છે. જો કે સમજપૂર્વકની ઊંચી કોટિની સમીક્ષાઓનું મૂલ્ય પણ તેમણે સ્વીકાર્યું છે. તેમની ચર્ચામાં બેત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે. એક, વિચચકે ‘આખી રચનાને એકી નજરે નિહાળવી’ એ તેમને ઘણું જરૂરી લાગ્યું છે. કૃતિના અલગ અલગ અંગોને અવલોકવાનું પૂરતું નથી : સમગ્ર રચનાને, તેની પાછળની આયોજક-દૃષ્ટિ સમેત ઓળખવાની છે. બે, વિવેચકે ગ્રંથકાર, વાચક, અને સાહિત્યનો વિકાસક્રમ—ત્રણેને લક્ષમાં રાખી ‘પોતાના પ્રગટ કરેલા વિચારોથી શું પરિણામ આવશે’ તેનો ‘યોગ્ય વિચાર’ કરી પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. ત્રણ, સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોનાં લક્ષણો કે તેના નિયમો શાસ્ત્રકારની ‘કલ્પનાના તરંગો’ નથી પણ ‘પ્રમાણભૂત ગ્રંથોને આધારે તારવી કઢાયેલાં શુદ્ધ સત્યો’ છે. જો કે વિવેચકે એને વિશે જડતાથી પાલન કરવાનું નથી. ચાર, વિવેચકમાં ‘સર્વગ્રાહી રસિકતા’ કે ‘સ્વભાવસિદ્ધ સહૃદયતા’ એ વિવેચન અર્થે સૌ પ્રથમ આવશ્યકતા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સદીના બીજા-ત્રીજા દાયકામાં આપણા સાહિત્યજગતમાં નવાં પરિબળો ગતિશીલ બનતાં જોઈ શકાશે. સર્જનના ક્ષેત્રે જેમ રસલક્ષી સાહિત્યનાં નવાં વહેણાં વહેતાં થયાં, તેમ વિવેચનના ક્ષેત્રમાં પણ નવાં વિચારવલણો કામ કરતાં થયાં. એમાં ખરેખર તો પરસ્પરભિન્ન વિચારણાઓનો પ્રભાવ જોઈ શકાશે. એક બાજુ ગાંધીજીની જીવન વિચારણાની ધારા, બીજી બાજુ રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યવાદ, ત્રીજી બાજુ રશિયન ક્રાંતિ અને સામ્યવાદ – એમ અનેક દિશાઓમાંથી અસરો આવવા લાગી હતી. સાહિત્ય જગતનું ચિત્ર વધુ ને વધુ સંકુલ બની રહ્યું હતું. આવી સંકુલ ગતિવિધિઓ વચ્ચે આપણા વિવેચનક્ષેત્રમાં – વિજયરાય વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ – એ ત્રણ અભ્યાસીઓ દ્વારા આરંભાતી વિવેચન પ્રવૃત્તિ મહત્ત્વની બની રહે છે.&lt;br /&gt;
વિજયરાય વૈદ્યે વિવેચનના ક્ષેત્રમાં વિશેષતઃ કૃતિ/કર્તા/પ્રવાહને લક્ષતાં લખાણો પ્રગટ કર્યાં છે. જો કે વિવેચનતત્ત્વવિચારમાં ખાસ કોઈ ધ્યાનપાત્ર લખાણ મળતું નથી. ‘વિવેચન અને વિવેચક’ શીર્ષકના લેખમાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે ઘણી સંક્ષિપ્ત ચર્ચા તેમણે કરી છે. વિવેચક કૃતિ વિશે સારાસારનો વિવેક કરે, પણ તે પહેલાં તે કૃતિનો ભાવક છે એમ તેઓ કહે છે. કૃતિમાંથી મળતો આનંદ-રસાનુભવ-જ, પછીથી, તેના વિવેચનની મુખ્ય ભૂમિકા બને છે એમ પણ તેઓ કહે છે : ‘તેના વિવેચનની સાર્થકતા તેટલી જ, જેટલો સાહિત્યનો નિરામય ઉપભોગ તે રસિકોને કરાવી શકે, અથવા શાસ્ત્રનું ઉન્નતિકર જ્ઞાન તે જિજ્ઞાસુઓને સંપાદન કરાવી શકે’. વિજયરાય પણ વિશ્વનાથે પુરસ્કારેલાં વિવેચકનાં ત્રણ શીલો – ‘રસમય’ ‘જ્ઞાનમય’ અને ‘શીલમય’–ની અનિવાર્યતા દર્શાવે છે.&lt;br /&gt;
વિવેચનના બે પ્રકારો તેમણે દર્શાવ્યા છે : (૧) સાહિત્ય રચનાના સિદ્ધાતોનું, એનાં લક્ષણો, પ્રકાર તથા પદ્ધતિનું નિરુપણ કરનારા ગ્રંથો (૨) સાહિત્ય કૃતિઓનું રસદર્શન કરાવનારા ગ્રંથો. સાહિત્યની સિદ્ધાંતચર્ચા કરનારા વિદ્વાનોને તેમણે ‘નિયામકો’ તરીકે, અને કૃતિનું રસદર્શન કરાવનારા વિવેચકોને તેમણે ‘રસયોગીઓ’ તરીકે ઓળખાવ્યા છે. વિજયરાય એ જાતનું નિરીક્ષણ નોંધે છે કે – ‘જે વિવેચક કૃતિના અંતર્ગત રસસ્વરૂપ સાથે મુકાબલે ઓછું અનુસંધાન કરી શકે તેનાં વિવેચનોમાં સર્જકતા ગૌણ પદે – અને વિવરણ, અર્થગ્રહણ કે પૃથક્કરણના ગુણો પ્રધાનપદે રહેવાના’, આવા વિવેચકની પ્રવૃત્તિ દેખીતી રીતે જ ‘હૃદયના કરતાં બુદ્ધિના વ્યાપાર વડે અધિક અંશે થતી હોઈ તે સાહિત્યનો સારો વિચારક કે સમર્થ નિરૂપક બનવા ભણી વધારે વળતો હોય છે.’&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ કરતાં તેમણે તેમાં છ જેટલા ગુણોની અપેલા રજૂ કરી છે. એક, ઊર્મિ તથા બુદ્ધિની સંપત્તિ; બે, સાહિત્ય માટે ઘનિષ્ઠ અનુરાગ; ત્રણ, શક્ય તેટલી ભાષાઓના ઉત્તમ સાહિત્યનું વાચન; ચાર, ઉચ્ચ ને પરિશુદ્ધ બનેલી નિત્ય જાગૃત રસવૃત્તિ; પાંચ ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને ન્યાય બુદ્ધિ છે, સરલ રસવાહી તેજસ્વી કે પછી સંકુલ ને ગૌરવાન્વિત શૈલી.&lt;br /&gt;
૪&lt;br /&gt;
અવિરત ખંતભર્યો સ્વાધ્યાય, ભરપૂર સાહિત્યપ્રીતિ અને સાહિત્યનિષ્ઠા, નિર્ભીક સત્યકથન અને અડગ આત્મશ્રદ્ધા—એ બધા ગુણોથી વિશ્વનાથની વિવેચના અંકિત થયેલી છે. જીવનભર તેઓ વિવેચનના ઉપાસક રહ્યા. સાહિત્યકળાને લગતી કેટલીક સિદ્ધાંતચર્ચાઓ તેમણે આપી છે, પણ તેમનું કંઈક વધુ નોંધપાત્ર અર્પણ ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં છે. નરસિંહરાવ અને બળવંતરાયની જેમ તેમણે અનેક વિસ્તૃત અધ્યયનલક્ષી વિવેચનો પ્રગટ કર્યાં છે. પણ આપણે માટે અહીં અવલોકનનો વિષય તે તેમનાં વિવેચનતત્ત્વવિચારનાં લખાણો છે. ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘પ્રાંશુલભ્ય ફળ’, ‘વિવેચનની સર્જકતા’ અને ‘વિવેચનની પવિત્રતા’ – જેવા વિસ્તૃત લેખોમાં તેમની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. ખરી વાત એ છે કે આરંભના બે લેખોમાં રજૂ થયેલા વિચારોનું જ પછીથી લગભગ પીંજણ ચાલતું રહેલું છે. એમાં અગાઉના કેટલાક મુદ્દાઓ વિશે થોડું સ્પષ્ટીકરણ પણ મળે, તો બીજુ ઘણું પુનરાવર્તન પણ જોવા મળે. એમાં ખરી મુશ્કેલી એ વાતની છે કે પ્રસ્તુત મુદ્દાની સ્વતંત્રપણે તાત્ત્વિક ચર્ચાવિચારણા સાથે સમકાલીન ગુજરાતીની વિવેચનપરિસ્થિતિ વિશેની ટીકા ટિપ્પણીઓ ય એમાં કેટલાક સંદર્ભે ભળી ગઈ છે.&lt;br /&gt;
બિલકુલ આરંભના ‘વિવેચનનો આદર્શ’ શીર્ષકના લેખમાં તેમણે વિવેચનનું સ્વરૂપ, કાર્ય (કે કાર્યક્ષેત્ર) અને વિવેચકની ભૂમિકાના પ્રશ્નોની વિગતે ચર્ચા કરી છે. વિવેચક પણ એની આગવી રીતે સર્જક છે (અને વિવેચન પણ એક પ્રકારનું સર્જન જ છે) એમ પ્રતિપાદિત કરવાનો અતિ ઉત્સાહભર્યો પ્રયત્ન તેમણે એમાં કર્યો છે. અને અહીં રજૂ કરેલો ખ્યાલ તેઓ છેવટ સુધી દોહરાવતા રહ્યા છે. એની પાછળ, દેખીતી રીતે જ, પશ્ચિમના આનાતોલ ફ્રાંસ, મેન્કન, સ્પીંગર્ન જેવા વિવેચકોની પ્રેરણા રહી છે.&lt;br /&gt;
આપણા સાહિત્યવિચારમાં તેમ વિવેચનમીમાંસામાં ઠીક ઠીક સમય સુધી પરમ સત્ય અને પરમ સૌંદર્ય જેવા મૂલ્યોનો સહજ સ્વીકાર થતો રહ્યો છે. જો કે સાહિત્યકળાના સંદર્ભે એ ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ની ઊંડી તત્ત્વચર્ચાના ખાસ પ્રયત્નો દેખાતા નથી. વિશ્વનાથ ભટ્ટ પણ ‘વિવેચક’ ‘આજન્મ સૌંદર્યશોધક’ અને ‘સત્યભક્ત’ છે એમ કહે છે, અને ઉમેરે છે કે તેના હૃદયમાં હંમેશ ‘અલૌકિક સૌન્દર્યની ભાવના પ્રજ્વલિત રહેતી હોય છે. તાત્પર્ય કે, ‘સૌન્દર્ય’ની અનન્ય ઝંખના વિવેચકને વિવેચનમાં પ્રેરી રહી હોય છે. જો કે સાહિત્યાદિ કળાઓથી અલગપણે ‘અલૌકિક સૌન્દર્ય’ની પૂર્વ સત્તા સ્વીકાર્યા પછી, કૃતિમાં વ્યક્ત થતા ‘સૌન્દર્ય’ સાથે તેને સાંકળી આપવાનો તેમનો કોઈ ઉપક્રમ દેખાતો નથી.&lt;br /&gt;
‘વિવેચક પણ કવિ, એના યથાર્થ ઉચ્ચ સ્વરૂપમાં વિવેચક પણ કવિના જેવો જ સર્જનશીલ કલાકાર’૬૩ એવું પ્રતિપાદન કરવાનો તેમનો જે પ્રયત્ન છે, તેમાં વિવેચનના સ્વરૂપ વિશેની ગૂંચ કે ગેરસમજ છતી થઈ જાય છે. (આપણે આગળ જોઈશું કે રામનારાયણ પાઠક જેવા તેજસ્વી અને વેધક દૃષ્ટિવાળા અભ્યાસીએ તેમના પ્રતિપાદનમાં રહેલી નિર્બળતાઓ બરોબર પકડી હતી, અને એ વિશે સારી સ્પષ્ટતા પણ કરી હતી.) પોતાના મતની સ્થાપના કરતાં વિશ્વનાથે નરસિંહરાવની વિચારણાનું એક કથન (અર્ધજરતી ન્યાયે જ) યુક્તિપૂર્વક ઉપાડી લઈ પોતાના મતના સમર્થનમાં લેવા પ્રયત્ન કર્યો છે. ‘વસ્તુતઃ સર્જક અને વિવેચક બંને જોડિયા ભાઈઓ છે’– નરસિંહરાવમાંથી આટલું જ વિધાન લઈ તેમણે બંનેની સમાનતા સ્થાપવાની મથામણ કરી છે. (નરસિંહરાવે સર્જનને synthesisનો અને વિવેચનને analysisનો વ્યાપાર ગણાવ્યો હતો, અને એ રીતે બંને વચ્ચેનો મૂળભૂત તફાવત પણ નોંધ્યો હતો, પણ વિશ્વનાથ એ વસ્તુ ધ્યાનમાં લેતા નથી.) તેમનું પ્રતિપાદન એ છે કે બાહ્ય જગતના કોઈ પદાર્થ કે પરિસ્થિતિના સંનિકર્ષથી કવિના ચિત્તમાં જે રીતની ‘ઊર્મિઓ’ જન્મે છે, અને અન્યના ચિત્તમાં સંક્રાંત થઈ શકે તેવી કૃતિનું તે જે રીતે નિર્માણ કરે છે, એવી જ રીતે સાહિત્યકૃતિના સંયોગે વિવેચકમાં પણ અમુક ‘ઊર્મિઓ’ જન્મે છે, અને એ ‘ઊર્મિઓ’ બીજાનામાં સંક્રાંત કરવાને તે વિવેચનકૃતિ રચતો હોય છે. વિવેચન એ રીતે સર્જન બની રહે છે, અને વિવેચક તે સર્જક.&lt;br /&gt;
વિશ્વનાથે અહીં ખરેખર તો ‘સર્જન’ અને ‘વિવેચન’ એ બંનેય સંકુલ ચૈતસિક પ્રવૃત્તિઓનું અતિ સરલીકરણ કરી નાંખ્યું છે. પહેલી વાત તો એ કે બહારના કે અંદરના કોઈ પણ પદાર્થના સંનિકર્ષથી કવિચિત્તમાં જે સંકુલ સંવેદન જન્મી પડે છે, જે રીતની અનુભૂતિ–પ્રક્રિયા આરંભાય છે, તેને વર્ણવવા માટે યોજેલો ‘ઊર્મિ’ શબ્દ પર્યાપ્ત નથી, તેમ કોઈ કવિતા વાર્તા નવલકથા કે નાટકને માણ્યા પછી વિવેચક જે વિવેચન લખે છે તે કંઈ તેની નરી ઊર્મિનો ઉદ્‌ગાર નથી જ. સાહિત્યાદિ કળાઓનો તે ઊંડો મર્મજ્ઞ અભ્યાસી હશે, તેની રમણીયતાના ગ્રહણની શક્તિ સૂક્ષ્મ અને સતેજ હશે, તેની બૌદ્ધિક ચેતના પ્રોજ્જ્વલ હશે, તો તો કૃતિ વિશે અનેક દૃષ્ટિએ તે વિચાર કરવા પ્રેરાશે. બલકે, જે કોઈ રમણીય તત્ત્વોની તે પ્રતિષ્ઠા કરવા ચાહે છે તેને અનુલક્ષીને તે પ્રસંગે તાત્ત્વિક ભૂમિકાને ય સ્પર્શશે. કૃતિનાં રમણીય અને અરમણીય તત્ત્વોના તેના વિવેકમાં તેની તેજસ્વી મેધા કામ કરી રહી હોય છે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામના વ્યાપારમાં કેવળ ઊર્મિવ્યાપાર નહિ, બૌદ્ધિક સંપ્રજ્ઞતાય પ્રવર્તે છે. વિશ્વનાથ ભટ્ટ, વિવેચન પણ આગવી રીતનું સર્જન છે એમ પ્રતિપાદિત કરવાના અતિ ઉત્સાહમાં, વિવેચન તે નર્યો ઊર્મિવ્યાપાર હોય એમ માનવા મનાવવા મથે છે. સંભવ છે કે વિવેચક કૃતિના આસ્વાદની ક્ષણોમાં જે રીતે ભાવવિભોર બને છે, તે દશાને જ વિવેચનમાં લેખવવાની તેમણે ભૂલ કરી હોય. વાસ્તવમાં, પોતાના વિવેચનવિચારમાં એકથી વધુ સંદર્ભે વિવેચકની વિવેકબુદ્ધિ અને તોલનશક્તિનો ય તેમણે સ્વીકાર કર્યો જ છે. તેમની એ જાતની વિચારણા આ આરંભની ભૂમિકા સાથે મેળમાં નથી.&lt;br /&gt;
છતાં, વિશ્વનાથની દલીલ જારી રહે છે. કવિ જો બાહ્ય જગતના પદાર્થ કે પરિસ્થિતિથી ઊર્મિનો સ્પંદ અનુભવે છે, તો વિવેચક વળી બીજા કોઈ સર્જકની કૃતિ માણીને ઊર્મિસ્પંદ અનુભવે છે. એકનું નિમિત્ત બાહ્ય જગતનો પદાર્થ, બીજાનું કવિરચિત કૃતિ; પણ બંને ય ‘ઊર્મિ’નો સ્પંદ જ અનુભવે છે એમ તેમનું કહેવું છે. પણ આ જાતની તેમની ચર્ચાવિચારણા જોતાં એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે સર્જન અને વિવેચન—બંનેય માનસિક ઘટનાની તેમની સમજ મૂળથી જ ઊણી રહી ગયેલી લાગશે. કવિની રચનામાં બાહ્ય જગતનો કોઈ પદાર્થ કોઈ વ્યક્તિ કોઈ ઘટના કે કોઈ દૃશ્ય નિમિત્ત બને, કવિચિત્તમાં એવી કોઈ વસ્તુ સંવેદન જગાડે અને તેને આગવી રીતે પ્રેરક બળ બની રહે, પણ આવું બાહ્ય નિમિત્ત, કાવ્યરચનાના લગભગ બધા જ પ્રસંગોમાં, સર્જકચિત્તને (કે સર્જક–કલ્પનાને) અણધારી રીતે માત્ર ધક્કો આપનાર પ્રારંભિક બળ જ રહે છે. એ ધક્કા સાથે કવિચિત્તમાં જે સર્જકશક્તિ મુક્ત થાય છે તે એક સ્વતંત્ર સ્વસંચાલિત વ્યાપાર સંભવે છે. એલિયટ કહે છે તેમ, કવિચિત્ત તો એવી ક્ષણોમાં ઉદ્‌ભૂત થતાં અનેકવિધ સંવેદનોના રાસાયણિક સંયોજન અર્થે માત્ર catalytic agent બની રહે છે. કવિના અજ્ઞાત સ્તરમાં દટાઈ પડેલી અશ્મિભૂત લાગણીઓ વિચારો કલ્પનો આદિ એ સંયોજનમાં જોડાતાં આવે છે. આ ઘટનામાં ધક્કો આપનાર બહારની વસ્તુ તો સાચેસાચ બહાર રહી જાય, કૃતિના હાર્દમાં તેનો પ્રવેશ જ ન હોય એવું ય ઘણી વાર બનતું હોય છે. અથવા, એવી વસ્તુનો કૃતિમાં પ્રવેશ થયો હોય તો પણ, સર્જકકલ્પનાના સઘન સંસ્પર્શે તેનું રૂપાંતર થઈ ચૂકયું હોય છે. કવિની સૃષ્ટિમાં જે એક નવી વ્યવસ્થા (order) અને નવું રહસ્ય નિર્માણ થયું છે, તેનો તે અવિભાજ્ય અંશ બની ચૂકી હોય છે. સર્જનની પ્રક્રિયા, વાસ્તવમાં વિશ્વનાથ બતાવે છે તેવી, માત્ર ઊર્મિમય ઉદ્‌ગારની વસ્તુ નથી. એક રીતે, કાવ્યસર્જન એ teleological structure છે. એમાં કવિના અનુભવો સંવેદનો વિચારો આદિનું સંકુલ રૂપ નિર્માણ થાય છે. બલકે, મૂર્તતા અને ઘનતા પામેલી સંવેદના કલ્પનો પ્રતીકો મિથોના આશ્રયે વ્યંજનાનો વિસ્તાર સાધી આપતી હોય છે. વિશ્વનાથ આવી એક સંકુલ ઘટનાને માત્ર ઊર્મિ પ્રગટીકરણ લેખે વર્ણવે તે પૂરતું નથી જ.    &lt;br /&gt;
અને, વિવેચનનો વ્યાપાર, આથી, તત્ત્વતઃ ભિન્ન છે. વિવેચકને અમુકતમુક કૃતિ વાંચતાં ‘ઊર્મિ’ જન્મે એમ કહેવું ય પૂરતું નથી—કૃતિના સમગ્ર સંકુલ પ્રતિભાવની સાથોસાથ વિવેચકના ચિત્તમાં કેટલીક વાર આહ્‌લાદ કે પ્રસન્નતાની અતિ માત્રા જન્મે, કેટલીક વાર વિસ્મયની લાગણીય એમાં ભળે, તો નબળી કે નિષ્ફળ કૃતિ વાંચતાં નિરાશા કે અરુચિની લાગણી થાય, તો આવી સહચારી લાગણીઓ કંઈ વિવેચનનું અનિવાર્ય જીવાતુભૂત તત્ત્વ નથી—પણ વિવેચક કૃતિ વિશેની ‘ઊર્મિ’નો ઉદ્‌ગાર કાઢે એટલું પૂરતું નથી. કૃતિના એ સમગ્ર સંકુલ પ્રતિભાવને તેણે સાદ્યંત રજૂ કરવાનો છે. પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી એની વાત કરવાની છે. સર્જક માટે બહારનો પદાર્થ ખરેખર નિમિત્ત-pretext-બની રહે, રચનાની ક્ષણ પછી એ પદાર્થ કે વસ્તુસ્થિતિ સાથેનું કશું જ અનુસંધાન ન રહે, અને સ્વયંસંચાલિત સર્જક કલ્પના પોતે જ કૃતિમાં સ્વાયત્ત શક્તિ રૂપે પ્રવર્તતી રહે; એ રીતે ત્યાં બાહ્ય પદાર્થથી સર્વથા અલગ અને સ્વાયત્ત રૂપ એક નવું વિશ્વ – નવી વ્યવસ્થા – નિર્માણ થાય છે. વિવેચક આવી કોઈ સર્જકકલ્પનાના બળે નવું વિશ્વ રચી શકે નહિ. તેનું કામ વિવેચ્ય કૃતિનું હાર્દ પ્રગટ કરવાનું, કૃતિના રમણીય અંશોનો વિવેક કરવાનું તેમ યથાવકાશ કૃતિની કળાત્મક ગુણવત્તાનો અંદાજ આપવાનું છે. એટલે પ્રસ્તુત કૃતિ સાથે છેવટ સુધી તંતોતંત અનુસંધાન તેણે જાળવવાનું છે. કૃતિ વિશે વર્ણન અર્થઘટન કે મૂલ્યાંકન રૂપે તે જે કંઈ કહેશે તેની આધારભૂમિ કૃતિ જ રહે છે. કૃતિ જ તેના પ્રતિભાવનું, ચિંતનમનનનું, તેમ મૂલ્યાંકનનું ખરું locus standi રહે છે અને જો કોઈ વિવેચક કૃતિનો આધાર છોડી દઈને કલ્પનાનું વૈકલ્પિક વિશ્વ ઊભું કરી દે, કે એક કવિની કૃતિ કે (સર્જકપ્રતિભા) વિશે બીજો કવિ સ્વકીય કલ્પનાનું કાવ્ય રચે, તો એવી રચનાને, સર્જકતાના સંસ્પર્શને કારણે, બીજી સર્જન કૃતિનું મહત્ત્વ ભલે આપો, વિવેચનની કૃતિ એ નથી જ બનતી, એ વાત સ્મરણમાં રાખવાની છે.&lt;br /&gt;
વિવેચન એક પ્રકારનું સર્જન છે, એમ કહ્યા પછી વિશ્વનાથ વિવેચનમાં શાસ્ત્ર અને કલા, ચિંતન અને સર્જન, એવા ભિન્ન વ્યાપારોનું ‘સુભગ સંયોજન’ થાય છે એમ પણ કહેવા પ્રેરાયા છે. જુદા જુદા વિવેચકો, બલકે એકનો એક વિવેચક, કૃતિવિવેચનના જુદા જુદા પ્રસંગે ચિંતન અને સર્જનની જુદી જુદી માત્રા બતાવે છે એમ પણ તેઓ નોંધે છે. પણ આ જાતના અવલોકન પછી યે વિવેચન એક રીતનું સર્જન જ છે એ ખ્યાલ અભિનિવેશપૂર્વક તેઓ દોહરાવતા રહ્યા છે. એમાં આથી, સ્વાભાવિક રીતે જ અતાર્કિકતા દાખલ થઈ ગઈ છે. ‘સર્જકનું ઉપાદાન પ્રત્યક્ષ જીવન છે, ત્યારે વિવેચકનું ઉપાદાન સર્જનપ્રતિબિંબિત પરોક્ષ જીવન છે : સર્જક ઈશ્વરનિર્મિત સૃષ્ટિનું આલેખન કરે છે, ત્યારે વિવેચક કવિનિર્મિત સાહિત્ય સૃષ્ટિનું આલેખન કરે છે’ આ જાતનો ભેદ કરી તરત જ તેઓ સ્પષ્ટતા કરે છે કે અહીં માત્ર ‘ઉપાદાન’નો ફેર છે, પણ તેય ‘ઉપલક’ જ છે. અહીં સાહિત્ય સૃષ્ટિ અને પ્રાકૃતિક પદાર્થ વચ્ચેનો સ્વરૂપભેદ પણ તેમણે લક્ષમાં લીધો નથી. તેમ કવિના જગત પ્રત્યેના અભિગમ કરતાં વિવેચકનો કૃતિ પરત્વેનો અભિગમ કઈ રીતે જુદો પડે છે, તેની નોંધ પણ લીધી નથી.&lt;br /&gt;
વિવેચન એ આગવી રીતનું ‘સર્જન’ છે, ‘રસમય કલા’ છે–એ માન્યતાના સમર્થનમાં વિવેચનની શૈલીનું તેઓ અલગપણે મહત્ત્વ કરવા પ્રેરાયા છે. ‘શૈલી’ એ વિવેચકની ‘સ્વભાવસિદ્ધ સૌન્દર્યભક્તિને પરિણામે સ્વયમેવ’ પ્રગટ થતું એવું એક અવિયોજ્ય અંગ’ છે એમ તેઓ કહે છે. જો કે એ ‘શૈલી’નાં લક્ષણોની કે સૌન્દર્યતત્ત્વ સાથેના તેના સંબંધની ચર્ચા તેમણે છેડી નથી.&lt;br /&gt;
વિવેચકની પ્રતિભાનું મુખ્ય લક્ષણ ‘રસજ્ઞતા’ કે ‘સહૃદયતા’ છે એમ કહે છે – યોગ્ય રીતે જ કહે છે, પણ ‘રસજ્ઞતા’ને તેઓ વિવેચકમાં (જાણે કે અલગ રૂપે) રહેલા ‘કવિત્વ’ સાથે સાંકળી આપવાનો પ્રયત્ન કરે છે. પણ એથી તો ચર્ચામાં ગૂંચવાડો ઊભો થતો લાગે છે. ‘રસજ્ઞતા’ અને ‘કવિત્વ’ જેવી બે ભિન્ન શક્તિઓની તેમણે સ્પષ્ટતા કરી નથી.&lt;br /&gt;
વિવેચક ‘આત્મા’ના ત્રણ ભિન્ન ‘કોશો’ તેમણે સ્વીકાર્યા છે : (૧) રસમય (૨) જ્ઞાનમય અને (૩) શીલમય. ‘કવિત્વ-કવિજનોચિત સૌંદર્યભકિત’ તે એનો ‘રસમય કોશ.’ સાહિત્યાદિ કળાઓ વિશેનું, જગતનાં અન્ય સાહિત્યોનું, સાહિત્યિક પરંપરાઓ આદિનું જ્ઞાન તે ‘જ્ઞાનમય કોશ’ અને વિવેચકનું વ્યક્તિગત ચારિત્ર્ય તે ‘શીલમય કોશ’.&lt;br /&gt;
‘રસમય કોશ’ને અનુલક્ષીને વિવેચકની રસવૃત્તિ અને કવિત્વશક્તિના મુદ્દાઓ તેમણે છણ્યા છે. To judge of poets is only the faculty of poets : કવિઓનું મૂલ્યાંકન કરવાને કવિચિત્તની શક્તિ જોઈએ એવી બેન જોન્સનની વિચારણા તેમને સહજ જ અનુકૂળ બની છે. વિવેચકમાં રહેલી કવિત્વશક્તિ જ કૃતિમાં પ્રગટ થતા ‘સૌંદર્ય’ની ઓળખ કરી શકે છે. પણ સૌંદર્યબોધના પ્રશ્ને તેમની ચર્ચામાં ફરી ગૂંચ જન્મે છે. વિવેચક નિરંતર ‘સૌન્દર્યદેવી’નું ‘દર્શન’ કરવા ઝંખે છે, ‘સૌન્દર્યની કોઈ અપૂર્વ ભાવના’ તેના અંતરમાં રહી હોય છે—આ જાતની ચર્ચામાં તેઓ કૃતિથી નિરપેક્ષ રૂપમાં સૌંદર્યની શાશ્વત ભાવના સ્વીકારીને ચાલતા દેખાય છે “...પોતાના ચિત્તમાં એણે જે ભાવના રાખેલી હોય છે તે તો પરમોત્કૃષ્ટ સૌન્દર્યની જ રાખેલી હોય છે. એટલે વિશ્વનું ગમે તેવું સૌંદર્ય પણ એ પરમોત્કૃષ્ટ સૌન્દર્યની ભાવના આગળ તો અનિવાર્ય રીતે જ અપૂર્ણ લાગે છે. તેથી એ તે વાસ્તવ સૌન્દર્યને પોતાની સૌંદર્યભાવના સાથે સરખાવી જુએ છે. એ ભાવનાના પ્રમાણમાં તે કેટલું ઊણું ઊતર્યું તેનું માપ કાઢે છે. એમ ઊણું ઊતરવાનું શું કારણ તેની તપાસ કરે છે અને એ કારણો શી રીતે દૂર થઈ શકે એનો વિચાર કરે છે. આવી રીતે સૌંદર્યનું પૂજન, પરીક્ષણ અને પરિશોધન એ વિવેચકની મુખ્ય પ્રવૃત્તિ છે.”૬૪&lt;br /&gt;
કોઈને પણ પ્રશ્ન થાય કે વિવેચક જેનું પૂજન પરીક્ષણ અને પરિશોધન કરવા પ્રવૃત્ત થાય છે તે સૌંદર્ય પોતે શી વસ્તુ છે? વિશ્વનાથ એનો ઉત્તર આપે છે : “સૌંદર્ય એટલે કેવળ રૂપસૌંદર્ય નહિ પણ રૂપનું, ગુણનું, બુદ્ધિનું બળનું, શરીરનું, આત્માનું એમ સર્વ પ્રકારનું સૌંદર્ય. ગીતાના શબ્દોમાં કહીએ તો ‘યદ્‌ યદ્‌ વિભૂતિમત્‌ સત્ત્વં શ્રીમદ્‌ ઊર્જીતમેવ વા’ એ સઘળું સૌંદર્ય. અર્થાત્‌ સૌંદર્ય એટલે કોઈ પણ પ્રકારની ઉચ્ચતા, ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા, ભાવના અને આ ભાવનારૂપ સૌંદર્યની પૂજા એ જ વિવેચકનો ધર્મ”૬૫ અને આ વ્યાખ્યાવિચારણાના સંદર્ભમાં તેઓ પ્લેટોના વિચારો રજૂ કરે છે. પૃથ્વી પરની બધી વસ્તુઓ તો ‘અપૂર્ણ પ્રતિબિંબો’ જેવી છે, અને તે દરેકનું પૂર્ણ બિંબ તો ભાવનાલોકમાં રહ્યું છે, એવો પ્લેટોનો વિચાર તેઓ નોંધે છે, અને એના પ્રકાશમાં વિવેચકના કાર્ય વિશે ફરીથી સ્પષ્ટતા કરે છે : “વિવેચકનું કાર્ય આ અપૂર્ણ પ્રતિબિંબોની મૂળ પૂર્ણ બિંબો સાથે તુલના કર્યા કરવી, એમાં મૂળ બિંબોના જેટલા અંશો ઊતરી આવ્યા હોય તેનું સ્તવન કરવું અને જેટલા રહી ગયા હોય તેનું ભાન કરાવવું એ છે, વિવેચક એટલે પ્રકૃતિથી જ પરમ ભાવના વિહારી પુરુષ.”૬૬&lt;br /&gt;
વિવેચકના કાર્ય વિશેની વિશ્વનાથની આ ચર્ચા એકથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓ ઊભા કરી આપે છે. અહીં તેઓ પ્લેટોનો ભાવનાવાદ સ્વીકારીને ચાલ્યા છે, પણ એના સૂચિતાર્થો ફરી તપાસી જવાના રહે છે.&lt;br /&gt;
એક, ‘સૌંદર્ય’ નામની પરમ ભાવનાનો – એક લોકોત્તર સત્તાનો –વિશ્વનાથ અહીં પૂર્વસ્વીકાર કરીને ચાલે છે. પણ એ ભાવનાલોકનું સત્ત્વ આપણને પૂરેપૂરું ભાગ્યે જ પ્રત્યક્ષ થાય છે. એટલે માનવબુદ્ધિ માટે સંભવતઃ એનો અતિ અલ્પાંશ જ ગ્રહણક્ષમ બને પણ આવા કોઈ ભાવનારૂપ સત્ત્વ વિશે પૂરી જાણ ન હોય, તો વિવેચક વિવેચ્ય કૃતિમાં એની તપાસ શી રીતે કરે?&lt;br /&gt;
બીજું, ‘સૌંદર્ય’ એ કેવળ ભૌતિક સૌંદર્યની બાબત નથી. નીતિ ધર્મ જેવા હૃદયધર્મનો એમાં સમાવેશ થાય છે. એટલે કવિની વાઙ્‌મય રચનામાં એની તપાસ શી રીતે કરવી? અને જે કોઈ સૌંદર્ય વ્યક્તિના તેમ વિશ્વના જીવનમાં સર્વવ્યાપી છે તેની તપાસ શબ્દરચનામાં શી રીતે શક્ય છે?&lt;br /&gt;
ત્રીજું, ‘સૌંદર્ય’ સ્વયં પૂર્ણ રૂપ હોય, અને માનવીનું સર્જન કે આ જગતનો હરકોઈ પદાર્થ તેની તુલનામાં અપૂર્ણ જ હોય, તો તો કૃતિની કળાત્મક શ્રેષ્ઠતાનો પ્રશ્ન જ અપ્રસ્તુત બની રહે છે. ખરી વાત એ છે કે સાહિત્યકૃતિમાં વ્યક્ત થતા જે કોઈ તત્ત્વને આપણે ‘રમણીય’ કહેવા પ્રેરાઈએ છીએ, તેની વ્યાખ્યા કરીએ તો જ વિવેચનનો સાચી દિશામાં આરંભ થશે.&lt;br /&gt;
વિવેચનમીમાંસા માટે વિશ્વનાથ જેવાનો આ રીતનો ચિંતનાત્મક અભિગમ આથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જન્માવી આપે છે. તેમના મતે કૃતિવિવેચનમાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની હંમેશ ખોજ કરવામાં આવે છે, અથવા કૃતિની કળાત્મક શ્રેષ્ઠતા અર્થે સત્યબોધ જેવું મૂલ્ય મહત્ત્વનું બની રહે છે, તો તે ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ શું છે? વિશ્વજીવનમાં નિહિત રહેલું ‘સૌંદર્ય’ કે ‘સત્ય’ સાહિત્યસૃષ્ટિમાં કયા રૂપે આવે છે? કૃતિની કળાત્મક સિદ્ધિમાં એ ‘સૌંદર્ય’ કે ‘સત્ય’ નિરપેક્ષ કસોટી બને છે? વગેરે.&lt;br /&gt;
વિવેચકમાં ‘રસજ્ઞતા’ અને તેનો અનુબંધ જેની સાથે રહ્યો છે ‘કવિત્વશક્તિ’ ઉપરાંત ‘નિષ્પક્ષતા’ અને ‘સમતોલતા’ જેવા ગુણો પણ જોઈએ એમ વિશ્વનાથ કહે છે. તેમનો આ ખ્યાલ સાચો છે.&lt;br /&gt;
વિશ્વનાથે એમના સમયમાં મુનશી જેવા લેખક-વિવેચકે સ્પર્શેલા ‘વિવેચનના નિયમો’ને લગતા પ્રશ્નને ય ટૂંકમાં છેડ્યો છે. વિવેચક સામે એવો આક્ષેપ ત્યારે કરવામાં આવતો હતો કે તે ‘પ્રણાલિકાનો પૂજારી’ છે અને કળાનિર્માણના રૂઢ ‘પરંપરાગત નિયમો’ને ચુસ્તપણે વળગી રહેવાનું તેનું વલણ હોય છે; જ્યારે સર્જક તો સદાયે નવાં નવાં કળારૂપો રચવામાં રાચે છે. એટલે, રૂઢ નિયમોને વળગીને ચાલનાર વિવેચક નવી રીતિની રચનાને માણી શકે નહિ, અને જૂના નિયમોના ઢાંચામાં કૃતિને ઢાળવા જતાં તેને યથાર્થ રૂપમાં પામી શકે નહિ. વિશ્વનાથ ભટ્ટ આ મુદ્દા વિશે એવું નિરાકરણ રજૂ કરે છે કે વિવેચક તો ‘સૌંદર્ય’ માત્રનો ‘પૂજારી’ છે, એટલે નવી રીતિની કૃતિમાંય જો કોઈ સૌંદર્યની ઝલક પ્રગટ થઈ હશે તો તેની ‘સહજબુદ્ધિ’ તરત તેને ઓળખી લેશે. સર્જકના ‘પ્રણાલિકાભંગ’ માટે ઊલટાનો તે અભિનંદન આપશે. અહીં વિશ્વનાથની ભૂમિકા ધ્યાનપાત્ર છે. સૌંદર્યની જ ખેવના કરતો વિવેચક, કળાનિર્માણના જૂના કે નવા કોઈ રીતના નિયમોને જડતાથી લાગુ પાડવાનો પ્રયત્ન ન કરતાં ‘સહજબુદ્ધિ’થી તે કૃતિને પામવાનો પ્રયત્ન કરશે.&lt;br /&gt;
આ સંદર્ભમાં આસ્વાદ આકલનના વ્યાપાર વિશે વિશ્વનાથે રજૂ કરેલું વર્ણન પણ ધ્યાનાર્હ છે : “વસ્તુતઃ સાચો વિવેચક હોય છે તે તો, સૌંદર્યનું આકલન સૌથી પહેલું તર્કબુદ્ધિથી કે વિદ્વત્તાથી નહિ, પણ પોતાની સહજોપલબ્ધિથી જ કરે છે. પછી એક વાર એવું આકલન કર્યા પછી તેની કસોટીને સમર્થન કરવા માટે તર્કબુદ્ધિ તેમ વિદ્વત્તા બંનેનો ઉપયોગ અવશ્ય કરે છે. પણ સૌંદર્યનું પ્રથમ આકલન તે સહજોપલબ્ધિથી જ કરે છે. એટલે પછી કોઈ કૃતિ નવીન માર્ગે વિચરીને સૌંદર્ય પ્રગટાવતી હોય તો પણ તે નિષ્પક્ષ રીતે તેનો આસ્વાદ કરીને તેનું મૂલ્ય આંકી શકશે આવી રીતે એની સૌંદર્યભક્તિ એને સર્વથા પૂર્વગ્રહમુક્ત અને નિષ્પક્ષપાતી બનાવશે.”૬૭&lt;br /&gt;
કૃતિવિવેચનનું સ્વરૂપ સમજવામાં વિશ્વનાથની આ ભૂમિકા ઠીક ઠીક દ્યોતક બની રહે એમ છે. કૃતિની રમણીયતાનું જ્ઞાન વિવેચકને માત્ર સહજોપલબ્ધિ રૂપે થાય છે, કોઈ બૌદ્ધિક કે તાર્કિક વ્યાપારના પરિણામ રૂપે નહિ. અને આ રીતે તે જે રમણીયતાનું ગ્રહણ કરે છે, તે પછી તેનો ખુલાસો કરવા તે પોતાની વિદ્વત્તાને કામે લગાડે છે. વિશ્વનાથ ભટ્ટને અહીં એટલું જ પ્રતિપાદિત કરવું છે કે વિવેચક કોઈ પણ–જૂની નવી કે નવતર રીતિની–કૃતિનો મુકાબલો કરે છે ત્યારે, બૌદ્ધિક ભૂમિકાએથી કળાનિર્માણના આ કે તે નિયમને લાગુ પાડી બતાવવાનો તેનો પહેલો ઉપક્રમ હોતો જ નથી. એટલે સર્વથા નવીન રીતિના ઉન્મેષને ય તે સહજ રીતે પામી શકશે. ‘સૌંદર્યભક્તિ’ જ તેને જડ નિયમોની ઉપર ઉઠાવશે. પણ તેમના આ વિચારની સાથે બીજો એક મઝાનો મુદ્દો અહીં જડી આવે છે. આપણે જોયું કે વિવેચનવ્યાપારની અંતર્ગત, સહજોપલબ્ધિનું જ્ઞાન અને તેને અનુષંગે કૃતિવિષયક વિચારવિમર્શને ય તેઓ અહીં સમાવી લે છે. વિવેચન એ સર્જનાત્મક વસ્તુ છે એવું સિદ્ધ કરવાના અભિનિવેશમાં અગાઉ તેમણે તેને માત્ર ઊર્મિમય વ્યાપાર લેખવ્યું હતું! અહીં સુખદ આશ્ચર્ય વચ્ચે વિવેચનનું વધુ યથાર્થ સ્વરૂપ તેઓ રજૂ કરી શક્યા છે.&lt;br /&gt;
જો કે કૃતિમાં સહજોપલબ્ધિથી પ્રાપ્ત થતા ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણું સ્પષ્ટીકરણ માગે છે. નવલકથા નાટક જેવાં વિસ્તારી કથામૂલક સ્વરૂપોમાં આ સૌંદર્યની ઉપલબ્ધિ કઈ ક્ષણે સંભવે છે? કૃતિના સૌંદર્યને તેની સમગ્ર રચનાસૃષ્ટિમાંથી નિષ્પન્ન થતું સ્વીકારીએ, તો એની ઉપલબ્ધિ રચનાને અંતે થાય એ જ તારણ પર આવવું પડે. તો કૃતિનાં અનેક દૃશ્યો અનેક બનાવો અનેક ભાવસંઘર્ષો આદિની ક્ષણોમાં જે રસાનુભૂતિ થતી રહે છે તેને કઈ સંજ્ઞાથી ઓળખાવીશું? અહીં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું દૃષ્ટિબિંદુ દ્યોતક નીવડશે. “રમણીયતા કે સામાન્ય અર્થમાં સૌન્દર્ય (રમણીયતામાં ભવ્ય કે રૌદ્રરમ્ય (Sublime) સુન્દર (Beautiful) અને ચારુ (Pretty, graceful)નો સમાવેશ થવો જોઈએ.) અને રસને જુદાં જુદાં તત્ત્વ તરીકે સ્વીકારવાં જોઈએ. રસ એ આસ્વાદ રૂપ છે, કાળના પ્રવાહ સાથે એ આસ્વાદ ઓછો વત્તો આહ્‌લાદક થાય, પણ રસમાં ક્રમ છે, એ કૃતિ સાથે કાલમાં પ્રવર્તે છે. રસને સમગ્ર કૃતિ સાથે સંબંધ હોવા છતાં તેમાં કૃતિના ઘટકોની સાથે રહેતો પરંતુ વિશિષ્ટ ક્રમ છે. એ ક્રમના દરેક બિન્દુએ તેની આગળ થઈ ગયેલા કૃતિઅનુભવના સંસ્કાર ભેગા થાય છે અને એમ રસાનુભવમાં સંસ્કારોનું વિશિષ્ટ વહન ચાલે છે. પરંતુ રમણીયતા કે સૌન્દર્યમાં ક્રમ નથી. કૃતિનું સૌદર્ય એ કૃતિના અવગાહનને અંતે થતો યુગપત્‌ સાક્ષાત્કાર છે. એમાં કાલનો ક્રમ નથી, કાલની મર્યાદા કે અવધિ નથી. આગળ કહ્યું તેમ સૌન્દર્યબોધ એ કૃતિનો સમગ્ર વિમર્શ છે, મનને લેનીન કરતી વિશિષ્ટ અવસ્થા છે જેમાં કૃતિ અંગેનાં બધાં જ સંવેદનોની અન્વિતિ થાય છે. સૌંદર્યબોધ એ અખંડ, અક્રમ, સંપૂર્ણ, સમન્વિત અવસ્થા છે. રમણીયતા એ રસના તત્ત્વને પચાવી લઈને ઉત્પન્ન થયેલી સ્થિતિ છે”૬૮ કૃતિની રમણીયતાને બોધ આ રીતે સમગ્ર કૃતિના ધ્વનિ સાથે જોડાયેલું તત્ત્વ છે અથવા કૃતિના રસાનુભવને અંતે થતો ચમત્કૃતિભર્યો રહસ્યબોધ છે. સાહિત્યકૃતિના તત્ત્વવિચારમાં ‘સૌંદર્ય’ કે ‘રમણીયતા’ને તેમાં વ્યંજિત થતા રહસ્ય સાથે સાંકળી ન શકાય તે તેનો ખ્યાલ ધૂંધળો અને આભાસી બની રહે એવો ભય છે.&lt;br /&gt;
સૌંદર્યની ઉપાસના કરતો વિવેચક સહજ જ કૃતિમાં પ્રગટ થતી ‘સૌંદર્ય’ની ઝલક જોતાં તેમાં ગુણ પ્રત્યક્ષ કરશે અને તેની ઊણપ વરતી જતાં દોષ બતાવશે, અને એ રીતે તેનું વિવેચન સમતોલ બનશે, એમ વિશ્વનાથ નોંધે છે. જો કે કૃતિના ગુણદોષનો વિવેક કરવાનું તેઓ માને છે તેટલું સહેલું નથી. કૃતિ સાથે વિવેચકના encounteringની પ્રક્રિયા અત્યંત સંકુલ હોય છે. સાહિત્યકળા વિશેની સમજ બદલાય, અપેક્ષા બદલાય, તેમ વિવેચકના પ્રતિભાવો પણ જુદી જ રીતે આકાર લેતા જણાશે. ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪) વિશે બળવંતરાય, રામનારાયણ, ઉમાશંકર, એ બધાંના કરતાં સુરેશ જોષીનો પ્રતિભાવ જુદી રીતનો છે. કેમ કે સાહિત્યકળાના સ્વરૂપ વિશે સુરેશ જોષીની આગવી સમજ છે, આગવી અપેક્ષા છે. એટલે, કૃતિમાં ‘સૌંદર્ય’ની ઓળખ કરવી એ પ્રયોગથી ઝાઝું કશું જ ફલિત થતું નથી. અંતે પ્રશ્ન એ આવે છે : કૃતિમાં વિવેચક કયાં aesthetic કે extra-aesthetic valuesની ખોજ કરે છે. તેની એવી ખોજ પાછળ સંભવતઃ આગવું aesthetic રહ્યું હોય. વિશ્વનાથના મતે વિવેચકે નીચેનાં કાર્યો કરવાનાં છે :&lt;br /&gt;
(૧)	કૃતિના સૌંદર્યની ઓળખ કરાવવી, અર્થાત્‌ સૌંદર્યમાં સમર્પક ગુણોની નોંધ લેવી.&lt;br /&gt;
(૨)	કૃતિની અપૂર્ણતાઓ નોંધવી. અર્થાત્‌, ‘સૌંદર્ય’ને હાનિકારક બાબતો બતાવવી.&lt;br /&gt;
(૩)	કૃતિનું માત્ર વિવરણ’ જ નહી, તેનું મૂલ્યાંકન પણ તેણે કરવાનું છે.&lt;br /&gt;
(૪)	સર્જકને સર્જનની પૂર્ણતાની વધુ નજીક પહોંચવાને પ્રેરવો. અર્થાત્‌, રચનાત્મક સૂચનો વડે દિશાદર્શન કરાવવું.&lt;br /&gt;
(૫)	સાચો વિવેચક સૌંદર્યની ઉચ્ચતર-ઊર્ધ્વતર ભૂમિકાની ઓળખ કરાવે અને સર્જક વાચક સમાજ–સૌનું એ ભૂમિકા તરફ લક્ષ્ય ખેંચે.&lt;br /&gt;
(૬)	વિવેચક માત્ર સૌંદર્યપૂજક નથી, સૌંદર્ય પરીક્ષક અને સૌંદર્યશાસ્ત્રી પણ હોવો જોઈએ. સૌંદર્યશાસ્ત્રીઓની જેમ આ વિશે તેની પાસે વિશાળ જ્ઞાન હોવું જોઈએ.&lt;br /&gt;
વિશ્વનાથ ભટ્ટ આ રીતે વિવેચક પાસે સૌંદર્યમીમાંસાની અપેક્ષા પણ રાખે છે, તે નોંધવા જેવું છે. બળવંતરાય ઠાકોરે પણ વિવેચનના કાર્યક્ષેત્રમાં કૃતિવિવેચનનાં ધોરણોથી લઈ ભિન્ન પરંપરાની સૌંદર્યમીમાંસાની તુલના પરીક્ષણ પૃથક્કરણ અને સમન્વય વ્યાપારને સમાવવા આગ્રહ રાખ્યો છે તે વાત આપણે આગળ જોઈ ગયા.&lt;br /&gt;
વિશ્વનાથે વિવેચકમાં સૌંદર્યદૃષ્ટાની તેમ ન્યાયાધીશની એમ બેવડી ભૂમિકાની અપેક્ષા રાખી છે. સૌંદર્યભક્તિ સાથે સંગીન વિદ્વત્તાનો સુભગ યોગ તેનામાં થયો હોવો જોઈએ એમ તેઓ કહે છે. સમુચિત ન્યાય તોળવાને ન્યાયાધીશ પાસે ધારાશાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન જોઈએ, એટલું જ નહિ, ભૂતકાળમાં જુદા જુદા પ્રસંગે એ ધારાશાસ્ત્રો કેવી કેવી રીતે વિનિયોજાયાં હતાં, તેનું ય બને તેટલું વિશાળ જ્ઞાન તેની પાસે હોવું જોઈએ. વિવેચક પાસે એ રીતે રસશાસ્ત્રનું પૂરું જ્ઞાન હોવું જોઈએ અને ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓના વિવેચનમાં અગાઉના વિવેચકોએ રસશાસ્ત્રના નિયમોને કેવી કેવી રીતે લાગુ પાડ્યા હતા તેની પણ શક્ય તેટલી જાણકારી હોવી જોઈએ. જોકે વિવેચનસાહિત્યને લગતી આવી બધી જાણકારીઓ છતાં દરેક નવીન કૃતિ તેની સામે પડકાર બનીને આવી ઊભે છે દરેક પ્રસંગે કૃતિને કયા પરિપ્રેક્ષ્યમાં જોવી ઘટે, કયાં ધોરણો નજર સામે રાખીને વિચારવું રહે, એને લગતો સૂઝભર્યો નિર્ણય પોતે જ કરવાનો રહે છે.&lt;br /&gt;
વિશ્વનાથે વિવેચનના સ્વરૂપ વિશે રજૂ કરેલી વ્યાખ્યા તેમની આ વિશેની ચર્ચામાં નવો emphasis લઈને આવી છે :&lt;br /&gt;
“વિવેચન એટલે એક રીતે તોલન, પરીક્ષણ, મૂલ્યાંકનની પ્રવૃત્તિ. એટલે સામાન્ય તોલન પરીક્ષણ આદિને માટે જેમ તાજવાં તોલાં નિકષ આદિ સાધનોને સદાય હાજર રાખવાં પડે છે, તેમ વિવેચનમાં પણ ભૂતકાળના સર્વોત્તમ સર્જન વિવેચન ગ્રંથોરૂપી તોલન પરીક્ષણ સાધનો સદા હાજર રાખવાં જોઈએ.”૬૯&lt;br /&gt;
આ અંગે પહેલી વાત એ કે વિવેચનમાં અહીં જે રીતે તેમણે ‘તોલન’ ‘પરીક્ષણ’ અને ‘મૂલ્યાંકન’ની પ્રવૃત્તિ સમાવી છે તે જોતાં વિવેચનની અંતર્ગત તાર્કિક ચિંતન અને તારતમ્યવિવેકનો સમાવેશ તેઓ અહીં કરે છે. કૃતિના પ્રતિભાવ પછીની ક્ષણે આરંભાતી વિચારવિમર્શની સૂક્ષ્મ સંકુલ પ્રક્રિયાનો એમાં સ્વીકાર છે. સ્વાભાવિક રીતે જ, વિવેચન એક પ્રકારનું સર્જન છે, કલાનિર્માણ છે, એ ખ્યાલનો અહીં છેદ ઊડી જાય છે, પણ, આ રીતે, વિવેચનનાં કાર્યો ગણાવતા છતાં, તેની તાત્ત્વિક ભૂમિકાને અવગણતા હોય તેમ, પાછળના અન્ય લેખોમાં ફરી ફરીને વિવેચન એ સર્જન છે એમ તેઓ દોહરાવતા રહ્યા છે.&lt;br /&gt;
વ્યવહારજીવનમાં તોલન અર્થે ત્રાજવાં તોલમાપ આદિનો ઉપયોગ થાય છે, તેમ કૃતિવિવેચનમાં ય કૃતિની ગુણવત્તાના તોલન અર્થે માપ કે માપદંડ જેવું સંભવે છે, એમ વિશ્વનાથ બતાવે છે. વિવેચનમીમાંસામાં વારંવાર મૂલ્યાંકનનાં ‘ધોરણો’ (norms), કસોટી (criteria) ‘માપદંડો’ (yardstick/measure) કે ‘નિકષ’નો નિર્દેશ કરવામાં આવે છે. પણ વ્યવહારજીવનનાં ત્રાજવાં સાથેની આ જાતની સરખામણી વિવેચનની ખરી પરિસ્થિતિ પર વેધક પ્રકાશ નાખવાને બદલે તેમાં ગૂંચવાડો ઊભો કરે છે, એમ મને લાગે છે. વ્યવહારજીવનમાં દરેક પ્રજા અમુક તોલમાપ નક્કી કરીને ચાલે છે, અને તે આખી પ્રજા માટે વ્યાપાર/વ્યવહારમાં સ્વીકાર પામે છે. સાહિત્યના જગતમાં આવાં કોઈ સ્થિર નિશ્ચિત તોલમાપનો ખ્યાલ જ કદાચ ગેરસમજ ઊભી કરશે. કલાવિચારના વિકાસ સાથે નવાં નવાં મૂલ્યો ઊભાં થતાં આવે છે અને અગાઉનાં મૂલ્યોના ઉચ્ચાવચતાના ક્રમમાં – hierarchyમાં – નવી વ્યવસ્થા ઊભી કરવી પડે છે.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો વિચાર કરતાં વિશ્વનાથ એમ કહે છે કે શ્રેષ્ઠ સાહિત્યકૃતિઓનું તેણે સતત ચિંતનપરિશીલન કર્યું હોવું જોઈએ. તેણે પોતાની સિવાયની કોઈ એક બીજી મહાપ્રજાના ‘સાહિત્યરાશિનો‘ પણ ઘનિષ્ઠ પરિચય કેળવવો જોઈએ. જગતસાહિત્યની સર્વોત્કૃષ્ટ કૃતિઓ વિશેનું તેનું જ્ઞાન જેટલું વિશાળ તેટલું વિવેચક તરીકે તેનું કામ વિશેષ સફળ રહેવાનું. તેઓ એવો ખુલાસો આપે છે – ‘વિવેચનમાં કેવળ રસિકતા સર્વ પ્રસંગે યથાર્થ નિર્ણયો આપી શકે નહિ, એકલી સહજોપલબ્ધિ પર સર્વ પ્રસંગે આધાર નહિ રાખી શકાય. રસિકતાને વિદ્વત્તાનો ટેકો જોઈએ. સહજોપલબ્ધિમાં અધ્યયનનું બળ ઉમેરવું જોઈશે. તો જ વિવેચક છાતી ઠોકીને કોઈ પણ ચુકાદો આપી શકશે અને તો જ એનો ચુકાદો સર્વસ્વીકાર્ય બની શકશે.’ આમ, વિવેચકમાં ‘રસજ્ઞતા’ની સાથોસાથ વિદ્યાવ્યાસંગની ઘણી મોટી જરૂર છે એમ તેઓ નોંધ છે.&lt;br /&gt;
વિવેચકમાં ત્રીજા ‘શીલમય કોશ‘ની પણ તેમણે આવશ્યકતા દર્શાવી છે. વિવેચકનું ‘શીલ‘ એટલે અડગ સત્યનિષ્ઠા, કૃતિ/કર્તા વિશે તેના મનમાં જે અભિપ્રાય બંધાવા પામે તેને પૂરી પ્રામાણિકતા સચ્ચાઈ અને હિંમતથી જાહેર કરવાની તત્પરતા. સર્જક વિશેનો કોઈ રાગદ્વેષ તેના અભિપ્રાયને વિકૃત ન કરે કે કોઈના ડરથી અભિપ્રાય બદલે નહિ – એ પ્રકારની અડગ નિશ્ચિલતા તે શીલ. વિશ્વનાથે ગણાવેલો આ ‘શીલમય કોશ’, આમ જુઓ તો, વિવેચનવ્યાપારથી અલગ બાબત છે. વિવેચનાત્મક અભિપ્રાયના જાહેર પ્રકાશન સાથે એને વધુ નિસ્બત છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
વિવેચ્ય કૃતિ પરત્વે વિવેચકનો અભિગમ કેવો હોય, કેવો હોવો જોઈએ, એ પ્રશ્ન વિવેચકમીમાંસાનો એક અતિ કૂટ પ્રશ્ન છે. કૃતિ/કર્તા વિશે વિવેચકને કોઈ રાગદ્વેષ કોઈ પૂર્વગ્રહ હોવાં ન જોઈએ એ વાત સમજવામાં ને સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. આગળના યુગનો આદર્શ રહ્યો છે : ‘કૃતિને જેવી છે તેવી’ ઓળખવી. વિશ્વનાથ કહે છે કે વિવેચક પાસે સાહિત્યાદિ બાબતોમાં ‘અંગત મત કે વિચાર જેવું’ હોય ખરું, પણ કૃતિના વિવેચન પ્રસંગે તેણે તે વચ્ચે લાવવાનાં નથી. તેઓ એટલે સુધી કહેવા જાય છે કે વિવેચકે ધર્મ સમાજ રાજકારણ સાહિત્યકળા એમ જીવનના બધા જ વિષયોમાં ચિંતનમનન કરીને ‘આગવી પ્રતીતિ’ કેળવી હશે તો તે ય વિવેચનમાં અંતરાય રૂપ ન બનવી જોઈએ. ‘સ્વકીય મંતવ્યોને અનુસરે’ તેટલું જ સુંદર અને આવકાર્ય, બીજું નહિ, આવો કોઈ ભાવ તે પોતાનામાં બંધાવા દેતો નથી. વિવેચન કરતી વેળા તે ‘જાણે કે સર્વ પ્રકારની પરંપરા વાદોથી પર બનીને કેવળ નિર્મળ સૌંદર્યપરાયણ રસલક્ષી દૃષ્ટિથી’ જ બધી કૃતિઓનું ‘નિરીક્ષણ કરે છે’, અને ‘પોતાનાથી ભિન્ન મતાનુસારી હોવા છતાં’ એમાં ‘બીજી રીતે જો સાચું સૌંદર્ય’ છતું થતું હોય તો તેની કદર કર્યા વિના તે રહેશે નહિ. આ અંગે તેઓ નિશ્ચયાત્મક ભાષામાં કહે છે : “વિવેચક સર્વ વિષયોમાં સાંપ્રદાયિકતાથી પર બનીને સ્વતંત્ર દૃષ્ટિએ સાહિત્યપરીક્ષા કરી શકશે તો જ એ સૌંદર્યને સમજી શકશે.”૭૦&lt;br /&gt;
વિશ્વનાથ અહીં વિવેચ્ય કૃતિની indentity કે recognitionના એક અત્યંત પાયાના મુદ્દાને કદાચ અણજાણપણે જ સ્પર્શી રહ્યા છે. અહીં બે અલગ મુદ્દાઓ, અલબત્ત, ગૂંચવાયેલા પડ્યા છે :&lt;br /&gt;
એક, વિવેચ્ય કૃતિને વિવેચક કેવી રીતે જૂએ અને સ્વીકારે છે? ‘કૃતિ જેવી છે તેવી’ને ઓળખવા કલાવિચાર અંગેના બધા જ ખ્યાલો–બધી જ પ્રતીતિઓ-થી સર્વથા મુક્ત થઈને તે પ્રતિભાવ પાડી શકે? પોતાની આંતરિક પ્રતીતિઓથી અળગા બનવાનું શક્ય છે? અને, કદાચ શક્ય હોય, તો તે ઇષ્ટ ખરું? વિવેચનના ઇતિહાસમાં આપણે જોઈ શકીશું કે મહાન પ્રતિભાશાળી વિવેચકોએ જે રીતે વિવેચનનાં લખાણો પ્રગટ કર્યાં છે તેમાં કળા અને સર્જન વિશેની તેમની આગવી પ્રતીતિઓ અભિપ્રાયમાં નિર્ણાયક બની જ છે. એલિયટ, લિવિસ કે બ્રેડબરીનાં વિવેચનો (અને આપણે ત્યાં બળવંતરાય રામનારાયણ વિષ્ણુપ્રસાદ ઉમાશંકર કે સુરેશ જોષીનાં વિવેચનો) આપણને આ જ તારણ પર લઈ જશે. એટલે વિવેચ્ય કૃતિની ઓળખમાં વિવેચક પોતાની આંતરપ્રતીતિઓથી મુક્ત થઈ શકે ખરો એ પ્રશ્ન જ રહે છે.&lt;br /&gt;
બે, વિવેચક સાહિત્યાદિ વિષયોને લગતા ખ્યાલો માન્યતાઓ અને પ્રતીતિઓથી પર થઈ, કેવળ કૃતિના ‘સૌંદર્ય’ને પામી શકે ખરો? કૃતિમાં વ્યક્ત થતું ‘સૌંદર્ય’ એ કોઈ કળાવિચાર કે તત્ત્વવિચારથી સાવ અલગપણે સંભવતું તત્ત્વ છે? કૃતિમાંની ‘રમણીયતા’ કે ‘સૌંદર્ય‘ને, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ તેમ, કૃતિ સમગ્રના ધ્વનિથી અલગ પાડીને વિચારી શકાય ખરું? જો કૃતિના ‘સૌંદર્ય‘ કે ‘રમણીયતા’ના તત્ત્વને તેમાં વ્યક્ત થતા અર્થ ભાવ કે મૂલ્યો સાથે સાંકળીએ તો વિવેચક એનો સાવ તટસ્થપણે નિષ્ક્રિયપણે સ્વીકાર કરી શકે ખરો? ઉ. ત. આકારવાદી વિવેચક કળાકૃતિને જે રીતે જૂએ છે અને તેમાં જે અર્થો અને મૂલ્યોની ખોજ કરે છે તેથી માર્ક્‌સવાદી વિવેચક જુદી જ રીતે કૃતિને જૂએ છે અને જુદાં જ મૂલ્યોની ખોજ કરે છે. આપણે પશ્ચિમના અને ભારતની અન્ય ભાષાઓના વિવેચનસાહિત્યમાં માકર્‌સવાદી અભિગમે પુરસ્કૃત કરેલાં મૂલ્યોનો ખ્યાલ કરીએ, ત્યારે તરત સ્પષ્ટ થાય છે કે કૃતિના ધ્વનિ અને રમણીયતા બોધના ખ્યાલો જ તેમના જુદા છે. તાત્પર્ય કે, કૃતિમાં વ્યક્ત થતા માનવસંદર્ભો, તેના અર્થો, આદિથી સ્વતંત્ર અને અલગ રૂપમાં ‘સૌંદર્ય’ની સત્તા સંભવી શકે નહિ.&lt;br /&gt;
વિવેચક પોતાનો ધર્મ બરાબર બજાવી શકે, તે માટે તેણે સર્જનપ્રવૃત્તિમાં ન પડવું જોઈએ એવો એક વિચિત્ર ખ્યાલ વિશ્વનાથે રજૂ કર્યો છે. તેમનું એમ માનવું છે કે સર્જનકાર્યમાં પ્રવૃત્ત થતાં તેની દૃષ્ટિ સંકુચિત બની જાય છે. પોતે જે પ્રકારની સર્જનપદ્ધતિ ઊભી કરે તે જ સાચી અને બીજી બધી ખોટી એવી ગ્રંથિ તેના મનમાં જાણ્યે અજાણ્યે ય બંધાવા લાગે છે. વિશ્વનાથની આ માન્યતામાં ઝાઝું તથ્ય જ નથી. છતાં માની લઈએ કે એમાં તથ્ય છે, તો ય આપણે એમ કહીશું કે સર્જનના ક્ષેત્રમાં તે પ્રવૃત્ત થાય તે વધુ આવકાર્ય બાબત છે. પ્રતિભા હશે તો મૂલ્યવાન સર્જનો તેની પાસેથી મળશે. વિવેચન કરતાં સર્જનની પ્રવૃત્તિ આગવું મૂલ્ય ધરાવે છે. ઉત્કૃષ્ટ સર્જનોનો અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે.&lt;br /&gt;
એલિયટે આથી કંઈક જુદો ખ્યાલ રજૂ કર્યો છે તે આ પ્રસંગે સ્મરણમાં તરી આવશે. તેમણે કવિતાના ‘સામાજિક કાર્ય’નો મુદ્દો સ્પષ્ટ કરતાં એમ કહેલું કે કવિતાએ કયાં કાર્યો બજાવવાં ઘટે એ મુદ્દા વિશે લોકો વાત કરવા બેસે ત્યારે ઘણું ખરું જે વિશિષ્ટ શૈલીની કવિતા લખવાનું તેમને રુચે તેની જ વાત કરશે, એવા લોકો જો કવિઓ પોતે હોય તો તો ખાસ. અહીં એલિયટને એટલું જ સૂચવવું છે કે કવિતાનાં કાર્યો વિશે જો કવિઓ વાત કરશે તો પોતાને ઇષ્ટ કવિતાને વિશે જ કરશે. તેમનો દૃષ્ટિકોણ એ રીતે સીમિત બની જાય છે એમ એમાં અભિપ્રેત છે. જો કે તેઓ પોતાના ચિત્તમાં ચાલતી સર્જનપ્રક્રિયાના ગાઢ સાક્ષી રહ્યા હોવાથી તેમના વિચાર વધુ સૂક્ષ્મ અને વેધક નીવડી આવવા સંભવ છે એમ આપણે ઉમેરી શકીએ.&lt;br /&gt;
‘વિવેચનની અગત્ય’ શીર્ષકના લેખમાં ઉપરની ચર્ચાના કેટલાક મુદ્દાઓ નવેસરથી વિગતે સ્પષ્ટ કરવામાં આવ્યા છે, તો સારું એવું પુનરાવર્તન પણ એમાં જોવા મળશે. સાહિત્યના સર્વાંગી વિકાસ અર્થે તેમ તેનાં ધારણપોષણ અને જતન અર્થે વિવેચનની પ્રવૃત્તિ અત્યંત અનિવાર્ય છે એ ખ્યાલ અહીં ભારપૂર્વક રજૂ થયો છે. તેમની સમજ એવી છે કે સર્જનાત્મક સાહિત્યના વિકાસવિસ્તારમાં વિવેચન પ્રેરણા આપી શકે, નવપ્રસ્થાન અર્થે દિશાસૂચન કરી શકે, માર્ગદર્શન આપી શકે, અને એ રીતે સાહિત્ય જગતમાં તે મોટું વિધાયક બળ બની શકે. તત્કાલીન ગુજરાતી સાહિત્યની ગતિવિધિઓને લક્ષમાં રાખી વિવેચકો માટે તેમણે જે કાર્યસૂચિ રજૂ કરી છે તે પણ ધ્યાનાર્હ છે. આપણા વિશિષ્ટ સંયોગો વચ્ચે વિવેચકે કઈ ભૂમિકા ભજવવાની છે, અથવા કઈ ભૂમિકા તે ભજવી શકે, તેનો રસપ્રદ સંકેત એમાં મળશે.&lt;br /&gt;
(૧)	ગુજરાતને અંગ્રેજી સંસ્કૃત ફારસી આદિ શિષ્ટ સાહિત્યોની વિશેષતાઓ તે સમજાવે.&lt;br /&gt;
(૨)	ગુજરાતી સાહિત્યમાં ન હોય છતાં એને જરૂરનાં હોય એવાં તત્ત્વોની ગુજરાતના લેખકોને ઓળખાણ કરાવે. એ તત્ત્વો પોતાના સાહિત્યમાં ઉમેરવા એમને ઇલાજો બતાવે.&lt;br /&gt;
(૩)	બીજા સાહિત્યમાં ખીલ્યા હોય અને ગુજરાતી સાહિત્યમાં જેનું નામનિશાન ન હોય એવા વિષયો તરફ એમનું લક્ષ દોરે તથા સ્વસાહિત્યમાં એ ઉતારવા એમને પ્રેરે.&lt;br /&gt;
(૪)	શિક્ષિત વર્ગમાં સાહિત્યસેવાનો ઉત્સાહ પ્રકટાવવાનું અને એને માટે તેને તત્પર કરવાનું કામ પણ તે કરે. તાત્પર્ય કે, સાહિત્ય ક્ષેત્રમાં તરુણ પેઢીને દીક્ષા આપવાનું કામ તે કરે.&lt;br /&gt;
(૫)	ભાવક વર્ગની સાહિત્ય રુચિ કેળવવી, સંસ્કારવી, પરિમાર્જિત કરવી. શિષ્ટ સાહિત્ય માટે રુચિ જન્મે, હલકા ને તુચ્છ સાહિત્ય પ્રત્યે તિરસ્કારભાવ જન્મે તે રીતે તેનાં મનોવલણોને ઘાટ આપશે.&lt;br /&gt;
(૬)	સ્વભાષાની તેમ પરભાષાની પ્રાચીન અર્વાચીન મહાન કૃતિઓના વાચન-પરિશીલન કરી તેનાં વિભિન્ન તત્ત્વોનું તે નિરૂપણ કરે, તેની ઉત્કૃષ્ટતા બતાવે, તુલના કરી તેના ઇષ્ટતમ અંશોની પ્રતિષ્ઠા કરે.&lt;br /&gt;
(૭)	ભૂતકાળની જે જે સાહિત્યિક પ્રથાઓ/પ્રણાલિકાઓ હ્રાસ પામી હોય તેના પુનરુદ્ધાર અર્થે તે પ્રયત્ન કરે.&lt;br /&gt;
(૮)	ગુજરાતના પ્રજાજીવનની સમસ્ત પ્રવૃત્તિઓને નિહાળે, એનો સડો દૂર કરે, એના ઉત્કૃષ્ટ અંશોને વિકસાવે અને એના પ્રજાજીવનનું ઊંડું અધ્યયન કરી તેને સર્વથા સન્માર્ગે વાળવા પ્રયત્ન કરે.&lt;br /&gt;
આ આખી કાર્યસૂચિ જોતાં તરત જ સમજાશે કે વિવેચક માત્ર સાહિત્યનો નહિ પ્રજાના સંસ્કાર-જીવનનો ય રક્ષક અને ચિકિત્સક છે. મેથ્યુ આર્નોલ્ડે વિવેચકને જે રીતે જીવન સમસ્તનો સમીક્ષક લેખવ્યો હતો તેવી જ કંઈક ભૂમિકા વિશ્વનાથે પણ અહીં સૂચવી છે. પણ અહીં ખાસ તો એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે વિવેચક આવી બધી પ્રવૃત્તિઓ ઉત્સાહપૂર્વક કરે, જોમપૂર્વક કરે, તો તેથી બહુ બહુ તો નવીન સર્જન અર્થે અમુક અનુકૂળ વાતાવરણ ઊભું થાય, પણ તેથી ઉત્કૃષ્ટ સર્જન બની આવશે જ એવું કહી શકાય નહિ. મહાન સર્જન અર્થે મહાન પ્રતિભા જોઈએ. અને એ ય સાચું છે કે આવી મહાન પ્રતિભા પર વિવેચકો ભાગ્યે જ કશો પ્રભાવ પાડી શકે. વિવેચકો અસર પાડે છે મધ્યમ કોટીના કે અલ્પસત્ત્વ સર્જકો પર, પણ સાથે એ ય સાચું કે મહાન વિવેચકો કેટલીક વાર સાહિત્યના મુખ્ય વહેણને બદલી નાખી શક્યા છે.&lt;br /&gt;
વિવેચન પણ એક રીતનું સર્જન છે એવી તેમની વિચારણાનો આપણા અગ્રણી વિવેચક રામનારાયણ પાઠકે પ્રતિવાદ કરેલો અને ચુસ્ત તાર્કિક દલીલો દ્વારા એમ બતાવેલું કે વિવેચનનું સ્વરૂપ સર્જનથી તત્ત્વતઃ ભિન્ન છે. પણ વિશ્વનાથને રામનારાયણ પાઠકની વિચારણાથી કદાચ સમાધાન થયું નહિ હોય, એટલે વિવેચકની ‘પ્રતિષ્ઠા’ કરવા ફરીને તેઓ વધુ અભિનિવેશપૂર્વક મથ્યા છે. વિવેચક આગવી રીતનો સર્જક છે એમ સ્થાપી શકાય તો જ તેની પ્રતિષ્ઠા ઊભી થાય એવી કંઈક (ગેર)સમજથી વિવેચનની ‘સર્જનશીલતા’ બતાવવા તેમણે ફરીફરીને પ્રયત્ન કર્યો છે. મુશ્કેલી એ વાતની છે કે વિવેચકને માટે – આર્નોલ્ડને અભિમત ભૂમિકા સ્વીકારતા છતાં – વિવેચન એ ‘શુદ્ધ સર્જન’ છે એવું રટણ જારી રાખે છે.&lt;br /&gt;
‘વિવેચકની સર્જકતા’ લેખમાં ય તેમણે પોતાની પ્રિય માન્યતાનું જ ફરીથી વિવરણ કર્યું છે. જો કે એમાં તાર્કિક દૃષ્ટિએ ગૂંચો ય રહી જવા પામી છે. વિવેચનના સ્વરૂપ અને કાર્ય સમજાવવાને તેમણે અહીં નિકષરેખાનું રૂપક યોજ્યું છે. ‘સહૃદયના હૃદયરૂપી નિકષ પર પડેલી રેખાઓનું રસમય નિરૂપણ તે વિવેચન’—એવી વ્યાખ્યા તેમણે રજૂ કરી છે. પણ નિકષરેખાનું રૂપક જ ચર્ચાને ઢાંકી દે છે. હૃદય પર સાહિત્યકૃતિની નિકષરેખા આંકી દેવી અને તેની બાજુમાં ચકાસણી અર્થે સાહિત્યશાસ્ત્રના નિયમો અને સર્વમાન્ય શિષ્ટ કૃતિઓની રેખાઓ આંકી લેવી, અને એ રીતે વિવેચ્ય કૃતિની પરીક્ષા કરવી – એ ખ્યાલ જ અધૂરો અને ગેરમાર્ગે દોરી જનારો છે. કૃતિવિવેચનમાં કસોટી અર્થે વિવેચક ખરેખર કઈ કૃતિઓને નજરમાં રાખશે? કયા સિદ્ધાંતોને બાજુમાં મૂકશે? અને આવા કોઈ સિદ્ધાંતને નવી રીતિની કૃતિમાં કેવી રીતે લાગુ પાડી બતાવશે?&lt;br /&gt;
કૃતિ પરત્વેના અભિગમની બાબતમાં કદાચ વધુ યથાર્થ હકીકત તો એ છે કે કૃતિના આસ્વાદની આરંભની ક્ષણે (કે કદાચ તેનીય પૂર્વે) વિવેચક પોતાને Orient કરી રહ્યો હોય છે. કૃતિના આકાર અને શૈલી વિશેષના ગ્રહણનો પ્રયત્ન આરંભાય છે, ત્યાં તેની પાછળ કામ કરતા રચનાત્મક સિદ્ધાંત–Creative Principle–ને ય પકડવા તે મથી રહ્યો હોય છે. અને કૃતિનો આસ્વાદ પૂરો થતાં સુધીમાં કૃતિનાં સમૃદ્ધ તત્ત્વોથી તે પ્રભાવિત થઈ ચૂક્યો હોય છે. (અથવા કૃતિની ન્યૂનતાઓથી ખિન્ન બન્યો હોય છે.) એટલે તેના આસ્વાદમાં જ કૃતિના મૂલ્યનો લગભગ અંદાજ આવી ચૂક્યો હોય છે. હૃદય પર પહેલાં કૃતિની ‘નિકષરેખા‘ અંકાય, અને પછીની ક્ષણે તે અન્ય કૃતિઓ અને સિદ્ધાંતો સામે તુલનામાં મૂકાય અને તેની પરીક્ષા થાય, એવો સ્પષ્ટ અલગ ક્રમ સંભવતો નથી.&lt;br /&gt;
વિવેચનની આ પ્રક્રિયામાં વિવેચક નિકષ સ્થાને ‘બુદ્ધિ‘ને નહિ, ‘ઊર્મિ‘ને સ્વીકારે છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે; અને પોતાના એ મતનું પાશ્ચાત્ય સાહિત્યકાર ડી. એચ. લૉરેન્સમાંથી તેમણે સમર્થન મેળવ્યું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ ‘સહૃદયતા’નો જે ખ્યાલ રજૂ કરેલો તે પણ તેમને અભિમત ‘ઊર્મિ’ની કસોટીનો જ છે એમ પણ તેઓ ઘટાવી આપે છે. પણ તેમની આ બધી ય ચર્ચાવિચારણા સરલીકરણના દોષમાં સરી પડી છે. સાહિત્યના આસ્વાદની પ્રક્રિયા, અલબત્ત, માત્ર બૌદ્ધિક વ્યાપાર કે તાર્કિક વ્યાપાર નથી. પણ તે કેવળ ઊર્મિવ્યાપાર પણ નથી. ભાવક/વિવેચકની ‘સહૃદયતા‘ (અથવા પ્રાચીન અલંકારિકોએ જેને ‘ભાવયિત્રી‘ પ્રતિભા કહી છે તે) કંઈ માત્ર ઊર્મિવ્યાપાર નથી. પણ વિશ્વનાથનો ફરી ફરીને પ્રયત્ન વિવેચનની ‘સર્જકતા’ કે ‘કળાત્મકતા‘ની પ્રતિષ્ઠા કરવાનો રહ્યો છે, એટલે વિવેચન તે ઊર્મિમય કે ઊર્મિરૂપ વ્યાપાર જ છે એમ સિદ્ધ કરવા મથી રહ્યા છે. શાસ્ત્રોને માત્ર ‘બુદ્ધિ’ સાથે નિસ્બત રહે છે, જ્યારે વિવેચનને માત્ર ‘ઊર્મિ‘ સાથે, એમ પણ તેઓ કહે છે, અને વળી દલીલ કરે છે કે, શાસ્ત્રીય સંશોધનમાં અત્યંત અનિવાર્ય એવી ‘વૈજ્ઞાનિક ચોકસાઈ‘ કે ‘એકરૂપતા‘ વિવેચનમાં સંભવતી નથી. એટલે જ વિવેચન એક પ્રકારનું સર્જન જ છે!&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપવિચારમાં કૃતિનો આસ્વાદ અને તેની વસ્તુનું આકલન કે અર્થઘટન કે મૂલ્યાંકન – જેવી પ્રક્રિયાઓને અલગ રૂપમાં જોઈ ન શકાતાં આવી ગૂંચો ઉદ્‌ભવી હોય એમ સમજાય છે. સ્તોલ્નિઝ બતાવે છે તેમ, કૃતિના રસાનુભવની તીવ્રતમ ક્ષણોમાં–તલ્લીનતાની એ ઉત્કટતમ ક્ષણોમાં–ભાવકની ભાવયિત્રી કૃતિથી અળગી થઈને તેને વિશે ભાગ્યે જ બૌદ્ધિક પ્રશ્નો કરે છે, અથવા તાર્કિક ચિંતનમાં તે ભાગ્યે જ રોકાય છે. આવી ક્ષણોમાં કૃતિ સાથેનો સંનિકર્ષ, અલબત્ત, એક અતિ સંકુલ ચૈતસિક ઘટના સંભવે છે. ભાવકની ચેતના અતિ સતેજ પ્રત્યગ્ર અને સન્નધ બનીને ત્યારે પ્રવર્તે છે, અને એમાં એની ભાવયિત્રી સમગ્રતયા સંડોવાતી હોય છે. પણ કૃતિના આસ્વાદની ક્ષણો પોતે કંઈ વિવેચન વ્યાપાર નથી જ. એ તો, કૃતિ પૂરી થતાં, ભાવક પોતે કૃતિના અનુભવથી અળગો થઈ એનું આકલન કરવા, એમાં સ્પર્શી ગયેલાં રમણીય તત્ત્વોનું અલગ ગ્રહણ કરવા, એમાંના ‘અર્થો’ અને ‘મૂલ્યો’ની નોંધ લેવા પ્રવૃત્ત થાય છે, ત્યાંથી વિવેચનની ગતિ આરંભાય છે. કૃતિનો આસ્વાદ, મૂલ્યસભર રસાનુભવ–એ વિવેચનની આધાર ભૂમિ છે, સ્વયં વિવેચન નથી. અને હકીકતમાં આસ્વાદની સામગ્રીને વિવેચક ફરીથી ‘ઓળખવા’ અને ‘સમજવા’ સક્રિય બને છે, ત્યાં તે અનુભવને કોઈક રીતે formulate કરવા મથે છે કે વિભાવનાઓની અમુક કોટિમાં ઢાળીને સમજવા મથે છે. આમ ત્યાં બૌદ્ધિક વ્યાપારનું અનુસંધાન થાય છે. વિશ્વનાથ માને છે તેમ એ નર્યો ઊર્મિવ્યાપાર નથી.&lt;br /&gt;
એકની એક કૃતિ વિશે ભાવકો/વિવેચકો જુદો જુદો અભિપ્રાય વ્યક્ત કરે છે, તેનું કારણ પણ, તેમના મતે વિવેચન એ ઊર્મિરૂપ વ્યાપાર છે, તે છે. પણ તેમની આ સમજ પણ બરાબર નથી. કૃતિ વિશેનાં મતમતાંતરો પાછળ તેમની ભિન્ન રુચિ અને દૃષ્ટિ કામ કરી રહ્યાં હોય છે. દરેક વિવેચક પોતાની સામે આવેલી કૃતિને, કળાતત્ત્વ વિશેની તેની અમુક દૃષ્ટિના પ્રકાશમાં જોવા મથતો હોય છે, અને એ રીતે તેની અપેક્ષા પૂરી સંતોષાય છે અથવા સંતોષાતી નથી. વિવેચનમીમાંસાનો ખરેખર આ એક કૂટ પ્રશ્ન છે.&lt;br /&gt;
કાવ્યની રસાનુભૂતિ એ ભાવકના કેવળ ઊર્મિવ્યાપારની પ્રક્રિયા છે, એવા પોતાના ખ્યાલનું સમર્થન મેળવવા એબરક્રોમ્બિની વિચારણા તેઓ ઉતારે છે :&lt;br /&gt;
‘The existence of a work of art, in fact, is not material at all, but spiritual. It is a continually creative existence, for it exists by continually creating experience. In one sense, this means that it is a continually changing existence; for the experiences it creates must always be individual and therefore unique experiences. Yet in another sense, it is always the same. For it always exists in unbroken connexion with its author who forms the experiences, he gives...’૭૧&lt;br /&gt;
દેખીતું છે કે એબરક્રોમ્બિ અહીં કલા વિષયક એક વિશિષ્ટ પ્રકારનો ચૈતન્યવાદી દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે. કાવ્યને કોઈ ભૌતિક વસ્તુલક્ષી સત્તા હોતી નથી, ભાવકના અંતરમાં અનુભવરૂપે જ તે અસ્તિત્વમાં આવે છે એમ તેમનું કહેવું છે. જુદી જુદી ક્ષણના અનુભવો જુદા પડેય છે, અને છતાં તેની મૂળભૂત identity લુપ્ત થતી નથી. એબરક્રોમ્બિને કદાચ એમ સૂચવવું છે કે ચિત્રશિલ્પ આદિ કળાઓ કરતાં સાહિત્યકળા જરા જુદો પ્રશ્ન ઊભો કરે છે. પણ પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં ભાવકના ઊર્મિવ્યાપારને નહિ, સમગ્ર ‘અનુભવ’ને તેઓ અનુલક્ષે છે; અને, ઊર્મિવ્યાપાર કરતાં ‘અનુભવ’ સ્વરૂપતઃ ભિન્ન વસ્તુ છે. પણ વિશ્વનાથે અહીં એબરક્રોમ્બિનું તાત્પર્ય જ બરોબર પકડ્યું નથી, એમ કહેવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
વિવેચકના કાર્યની સફળતા વિશે તેમણે એક ‘કસોટી’ રજૂ કરી છે : સાહિત્યના કોઈ ગ્રંથ કે ગ્રંથકાર વિશે અત્યાર સુધી ગૂઢ રહેલું પણ સર્વમાન્ય બની જાય એવું કોઈ સત્ય તેણે પહેલી વાર પ્રકાશમાં મૂક્યું છે ખરું અને તે પણ વાચકોને આનંદ આપે એવા મનોહર આકારમાં મૂર્ત કરી શક્યો છે ખરો? કસોટી વિશે ભાગ્યે જ બેમત હોઈ શકે, પણ વિવેચનાત્મક લખાણમાં ય ‘મનોહર આકાર’ની તેઓ અપેક્ષા રાખે છે!&lt;br /&gt;
‘મોટા વિવેચક’ વિશેનો વિશ્વનાથનો ખ્યાલ તેમની આ કસોટીનું જ વિસ્તરણ છે : ‘જે વિવેચક જેટલી વધુ સંખ્યાના સાહિત્યકારો કે સાહિત્યકૃતિઓના સંબંધમાં સર્વસ્વીકાર્ય બની જાય એવું રહસ્યદર્શન જેટલા વધુ પ્રમાણમાં કરાવી શકેલ હોય, જેણે સૌથી વિશેષ ગ્રંથો ગ્રંથકારો કે સાહિત્યપ્રશ્નોના સંબંધમાં સૌથી વિશેષ સાચા અભિપ્રાયો સ્થાપિત કરવામાં જેટલો વધુ ફાળો આપેલ હોય, અને એ બધું વિવેચન પાછું વિવેચ્ય કૃતિને ખાતર નહિ પણ સ્વતંત્ર સાહિત્ય તરીકે આકર્ષે ને આસ્વાદવું ગમે એવી સુભગ શૈલીમાં કર્યું હોય–કેવળ સાહિત્યકૃતિ તરીકે ઉચ્ચ કોટિનો આનંદ આપે એવી રસાળ શૈલીમાં કર્યું હોય અર્થાત્‌ દર્શન ને વર્ણન ઉભય કવિકાર્યમાં જેણે જેટલી વિશેષ શક્તિ દાખવેલ હોય તેટલે અંશે તે મોટો વિવેચક ગણાય.’&lt;br /&gt;
‘વિવેચકની સર્જકતા’ લેખમાં, શીર્ષક સૂચવે છે તેમ, આ જ ખ્યાલનું પુનરુચ્ચારણ છે. અહીં સ્કૉટ જેમ્સની આ જાતની ચર્ચામાંથી તેમણે સમર્થન મેળવવા પ્રયત્ન કર્યો છે. વિવેચન એ સર્જન જ છે એમ બતાવવાના ઉત્સાહમાં, શેઇક્‌સ્પિયરની સાહિત્યસૃષ્ટિ વિષયક આર્નોલ્ડની, તેમ હોમર વિષયક કવિ કિટ્‌સની કાવ્યરચનાને તેઓ અહીં આગળ ધરે છે! અન્ય સર્જકો વિશેના આ પ્રતિભાવો સ્વયં કાવ્યરૂપ છે. અને વિવેચકો પણ આ જ રીતે અન્ય કવિઓ/ લેખકો વિશે પ્રતિભાવો ઝીલતા હોય છે, એટલે વિવેચનો પણ સર્જનો જ છે! અહીં જે તર્કદોષ છે તે સ્વયંસ્પષ્ટ છે. કોઈ એક કવિ વિશે બીજો કવિ કાવ્ય રચે એ ઘટના કરતાં વિવેચન જુદી જ વસ્તુ છે એ સ્પષ્ટ કરવાની હવે ભાગ્યે જ જરૂર રહે છે.&lt;br /&gt;
‘વિવેચનની પવિત્રતા’ લેખમાં ય તેમને ખાસ નવું કહેવાનું નથી. વિવેચક તો સર્જક કરતાંયે ચઢિયાતો છે એવો એક ખોટો ખ્યાલ તેમના મન પર સવાર થઈ ગયો છે. ‘સર્જન-વિવેચન ઉભયમાં કવિત્વ છે. પણ વિવેચનમાં કવિત્વ ઉપરાંત શિવત્વ પણ છે....’ – આવી તેમની સમજ ભાગ્યે જ સ્વીકારી શકાશે. લાંબા સમયની વિચારણાઓનો નિષ્કર્ષ આપતા હોય તેમ વિવેચકમાં સત્યનિષ્ઠા, રસિકતા, વિદ્વત્તા, તોલનશક્તિ અને વિશદ મનોમુકુર જોઈએ એ વિશેય તેમણે અહીં પુનરુચ્ચારણ કર્યું છે. કપરામાં કપરા, વિષમમાં વિષમ સંજોગોમાં યે વિવેચકે પોતાના વિવેચનાત્મક નિર્ણયોને પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી વ્યક્ત કરવા જોઈએ, અને એ રીતે પોતાના ‘શીલ’નું જતન કરવું જોઈએ, એવી હિમાયત તેમણે ભારપૂર્વક રજૂ કરી છે. પણ એના વ્યાજબીપણા વિશે ભાગ્યે જ કોઈ વાંધો લેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગાંધીયુગની આબોહવામાં ગતિ કરતા અગ્રણી સાહિત્યકારોમાં રામનારાયણ પાઠકનું વિશિષ્ટ સ્થાન છે. કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ હાસ્યલેખ પિંગળવિચાર આદિ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા આગવી રીતનું અર્પણ કરી ચૂકી છે. પણ તેમના સમગ્ર જીવનકાર્યમાંથી વધુ સ્પષ્ટ અને કદાચ વધુ પ્રભાવશાળી મૂર્તિ ઊપસે છે તે તો પ્રખર મેધાવી ચિંતકની, મર્મજ્ઞ વિવેચકની, અને વ્યુત્પન્ન પંડિતની. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમની પ્રતિભાની ઓળખ આપતાં કહ્યું છે : “ઉદ્યમ, સાવધાની, આકારનિર્માણની સૂઝ, અનેક વિદ્યાક્ષેત્રમાં મનોગતિ, પ્રસન્ન દ્યુતિમય પ્રજ્ઞાની મર્મજ્ઞતા અને ભાવશક્તિ રામનારાયણને અગ્રણી સાક્ષર તરીકે સ્થાપે છે.”૭૨ ગાંધીજીની જીવનભાવનાના કેટલાક સૌમ્ય દીપ્તિમંત અંશો તેમની પ્રતિભાએ સૂક્ષ્મ સ્તરે ઝીલ્યા છે, અને છતાં નિજી પ્રતિભાનો આગવી રીતે તેમણે વિકાસ સાધ્યો છે. એ સમયના બીજા ચિંતકોની જેમ ટૉલ્સ્ટૉયને અભિમત કળાવિચાર પણ તેમણે ઝીલ્યો છે. કળામાં, એ રીતે નૈતિકતાનો તેમ તેની સંક્રમણક્ષમતાનો તેમણે આગ્રહ કેળવ્યો છે. વિવેચકચિંતક તરીકે તેમની પ્રેરણા અને ગતિ વિશેષતઃ ભારતીય અલંકારશાસ્ત્રમાં રહી છે; પણ બારીક નજરે અવલોકન કરનારને તરત સમજાશે કે પાશ્ચાત્ય કળાવિચારનાં અનેક ઇષ્ટ તત્ત્વો તેમણે પોતાના વિવેચનમાં આત્મસાત કરી લીધાં છે.&lt;br /&gt;
પાશ્ચાત્ય વિવેચનની આપણા સાહિત્ય પર ઘણી મોટી અસરો પડેલી છે – આપણા અર્વાચીન સાહિત્યના ઇતિહાસની એ એક નક્કર અવિભાજ્ય હકીકત છે – એ વસ્તુનો સ્વીકાર કરીને તેઓ આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા છે. પણ પાશ્ચાત્ય કળાવિચારની પરિભાષાઓને કે તેની પાછળ રહેલા તત્ત્વવિચારને યથાર્થ રૂપમાં ન સમજાયાથી એના ઐતિહાસિક ઊગમ અને વિકાસનો પૂરો ખ્યાલ ન કરાયાથી આપણી કાવ્યચર્ચાઓમાં ઠીક ઠીક ગૂંચવાડાઓ ય રહ્યા કર્યા છે, એમ તેમનું કહેવું છે. આ વિશે તેમણે એવું મંતવ્ય પણ રજૂ કર્યું છે કે આપણા પ્રાચીન અલંકારશાસ્ત્રના અનેક સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારોને આધુનિક પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ઘટાવીને કૃતિવિવેચનમાં તેને નવેસરથી પ્રયોજી શકાય છે. આમ સાહિત્યવિવેચનના છેક મૂળગામી પ્રશ્નોને તેમણે સ્પર્શ્યા છે. સાહિત્યવિચાર અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રોમાં તેમનું એકસરખું મૂલ્યવાન અર્પણ રહ્યું છે.&lt;br /&gt;
‘વિવેચક, સર્જક કે કવિ ગણાય?’ શીર્ષકના લેખમાં રામનારાયણે સર્જન અને વિવેચનની પ્રવૃત્તિઓની બારીક દૃષ્ટિએ ભેદરેખા આંકી આપી છે. વિશ્વનાથ ભટ્ટના ‘વિવેચનનો આદર્શ’ શીર્ષકના લેખમાંથી ઉપસ્થિત થતા મુદ્દાઓની ફેરતપાસરૂપે આ ચર્ચા તેમણે વિકસાવી છે.&lt;br /&gt;
‘વિવેચક પણ કવિના જેવો જ સર્જનશીલ કલાકાર’ – એવા વિશ્વનાથના વિધાનને અનુલક્ષીને રામનારાયણ એમ સ્પષ્ટતા કરે છે કે એક વિશિષ્ટ અર્થમાં આ વિધાન સાથે હું સહમત થઈ શકું; તે એ રીતે કે આપણે વાણી દ્વારા જ્યારે પણ આપણું મનોગત વ્યક્ત કરીએ છીએ, અમૂર્ત સ્વરૂપના વિચારને વાણીના ઉપાદાન દ્વારા મૂર્ત કરીએ છીએ, તેને પણ ચોક્કસ વિલક્ષણ અર્થમાં સર્જનાત્મક ઘટના આપણે લેખવતા હોઈએ છીએ; અને એ અર્થમાં વિવેચકને સર્જક લેખી શકાય ખરો. પણ એ જાતનો અર્થ લેતાં તો ઇતિહાસ, વિજ્ઞાનનો લેખક કે હરકોઈ લેખકચિંતક સર્જકની કોટિમાં આવશે! પણ, રામનારાયણ પાઠક આપણું ધ્યાન દોરે છે કે, વિશ્વનાથ વિવેચકને એ અર્થમાં સર્જક લેખતા નથી. તેમને એથી જુદું અભિપ્રેત છે.&lt;br /&gt;
‘સર્જન’ શબ્દનો બીજો પણ એક અર્થ રામનારાયણ પાઠક નોંધે છે. તેઓ કહે છે : તત્ત્વદૃષ્ટિએ જોતાં ઇંદ્રિયો દ્વારા મન પર બાહ્ય જગતના જે જે સંસ્કારો પડે છે, તેને આપણું મન એ ને એ રૂપમાં લેતું નથી. પણ તે સંસ્કારો ઉપર પોતે પોતાના સ્વરૂપ પ્રમાણે કામ કરે છે, અને એ રીતે તેનું રૂપ બદલાય છે અને એ નવીન સંસ્કાર જ – નવું રૂપ જ – જ્ઞાનનો વિષય બને છે. આ અર્થમાં જ્ઞાનની પ્રક્રિયામાં હંમેશાં સર્જનનો અંશ રહ્યો હોય જ છે. વિજ્ઞાનમાં પણ વૈજ્ઞાનિકો creative leap લે જ છે. તાત્પર્ય કે, જ્ઞાનની ઉપલબ્ધિની પ્રક્રિયામાં સર્જનાત્મક વ્યાપાર સંકળાયેલો હોય છે. વિવેચક કૃતિ વિશે જે રીતે પોતાનો મનોભાવ વ્યક્ત કરે છે, તેમાં અનિવાર્યપણે આવો જ્ઞાનવ્યાપાર જોડાયેલો જ છે; અને એટલે અંશે વિવેચનમાંય ‘સર્જન’નું તત્ત્વ દાખલ થાય છે; પણ વિશ્વનાથને આવો અર્થ પણ ઇષ્ટ નથી.&lt;br /&gt;
આટલી ભૂમિકા સ્પષ્ટ કરી રામનારાયણે વિશ્વનાથની દલીલમાં રહેલી ભૂલ છતી કરી આપી છે. વિશ્વનાથનું મુખ્ય પ્રતિપાદન એમ છે કે બાહ્ય જગતના પદાર્થ કે વિષયના સંસ્પર્શથી પોતાના ચિત્તમાં જન્મેલી ઊર્મિઓને અન્યના ચિત્તમાં સંક્રાંત કરી શકાય તેવી રીતે કવિ અભિવ્યક્તિ સાધે છે; અને તેની કૃતિને આપણે કલા કે સર્જન તરીકે ઓળખાવીએ છીએ. વિવેચક પણ એ જ રીતે સાહિત્યકૃતિ વિશે (કવિની જેમ જ પદાર્થ કે વિષય તરીકે તે માત્ર સાહિત્યકૃતિ સ્વીકારે છે) પોતાની ઊર્મિ વ્યક્ત કરે છે, એટલે તે પણ કવિ છે, કલાકાર છે. વિચક્ષણ દૃષ્ટિવાળા રામનારાયણ પાઠક, વિશ્વનાથનો તર્કદોષ અહીં બરોબર પકડી શક્યા છે. તેમણે સર્જન કરતાં વિવેચનની પ્રવૃત્તિ તત્ત્વતઃ જુદી છે એમ સમર્થ રીતે બતાવ્યું છે. તેઓ કહે છે કે સર્જનની બાબતમાં કવિને ઊર્મિનો ધક્કો આપનાર પદાર્થ સાથે પછીથી સંબંધ રહેતો જ નથી. બાહ્ય જગતનો પદાર્થ કે પરિસ્થિતિ તો નિમિત્ત માત્ર રહી જાય છે. રચનાની ક્ષણોમાં પછીથી કવિનું આંતરિક વિશ્વ છતું થવા લાગે છે. વિવેચનની બાબતમાં આમ બનતું નથી. વિવેચકે વિવેચ્ય કૃતિ સાથે અંત સુધી તંતોતંત અનુસંધાન જાળવી રાખવાનું છે. આ વિશે આપણે અગાઉ નિર્દેશ કરી ગયા છીએ તેમ, વિવેચકે તો કૃતિનું જ હાર્દ ખુલ્લું કરવાનું છે, તેના જ અર્થો અને મૂલ્યો પ્રકાશમાં આણવાનાં છે, તેની સમસ્ત વિવેચન પ્રક્રિયામાં locus standi કૃતિ જ રહે છે. વિવેચનનું પ્રયોજન સ્પષ્ટ કરતાં તેઓ કહે છે :&lt;br /&gt;
“વિવેચનનું મુખ્ય પ્રયોજન જ એ છે કે તેણે કાવ્યનું સૌંદર્ય બતાવવું. કાવ્યનું જેમ સ્વતંત્ર અસ્તિત્વ છે તેમ વિવેચનનું નથી. વિવેચનનું ઠેઠ સુધી વિષયભૂત વસ્તુ સાથે અનુસંધાન રહ્યા જ કરે છે. વિવેચનનું મુખ્ય પ્રયોજન જ એ છે કે કાવ્યમાં ક્યાં સૌંદર્ય છે તે બતાવવું. કાવ્યનું પ્રયોજન અને દાવો એ છે કે તેનામાં પોતામાં સૌંદર્ય છે. પછી એ સૌંદર્ય તમે જગતમાં જોઈ શકો કે નહિ, તેની સાથે તેને સંબંધ નથી. વિવેચન એમ કદી કહી શકે નહિ, કે જુઓ મારામાં આ સૌંદર્ય છે, પછી એ સૌંદર્ય તમે કાવ્યમાં જોઈ શકો કે નહિ તેની સાથે મારે સંબંધ નથી. કાવ્ય સ્વયંપૂર્ણ સ્વાયત્ત છે. વિવેચન હંમેશાં પરાયત્ત છે.”૭૩&lt;br /&gt;
રામનારાયણ પાઠકે સર્જન અને વિવેચનની કૃતિ વિશે અહીં છેક તાત્ત્વિક ભૂમિકાએથી જે ભેદ કર્યો છે તે અત્યંત ધ્યાનાર્હ છે. તેમનું મુખ્ય પ્રતિપાદન અહીં એ છે કે કળાકૃતિને એની નિજી સ્વાયત્તતા છે, આત્મપર્યાપ્ત સત્તા છે. પોતાના આંતરિક સત્ત્વને બળે સાહિત્યજગતમાં તે સ્વતંત્ર અને અનન્ય સ્થાન ભોગવે છે. તેનું જે કંઈ મૂલ્ય છે, મહત્ત્વ છે, તે પોતાની અંતર્ગત રહ્યું છે. બીજી રીતે કહીએ તો, કળાકૃતિ સ્વનિર્દેશક છે વિવેચનનું લખાણ ગમે તેવું ઉત્કૃષ્ટ કોટિનું તોયે તે પરાવલંબી છે. તેનું મૂલ્ય તે વિવેચ્ય કૃતિનું હાર્દ ખુલ્લું કરવામાં કેટલું સફળ રહે છે, તેનાથી નિર્ધારિત થાય છે. તે, આ રીતે, પોતે આત્મપર્યાપ્ત જ નથી.&lt;br /&gt;
સર્જન અને વિવેચન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં રામનારાયણ પાઠક વધુમાં નોંધે છે કે શાસ્ત્ર ‘જે છે’ તેને ‘શોધીને’ બતાવે છે, કળા ‘નવું નિર્માણ’ કરે છે. એ દૃષ્ટિએ વિવેચન તો કૃતિમાં ‘જે કંઈ પડ્યું છે’ તેનું જ કથન કરે છે; સાચા અર્થમાં તે સર્જન નથી. વિવેચકે લખેલું લખાણ એ કોઈ અપૂર્વ રૂપની ‘નવી સૃષ્ટિ’ નથી જ. એમ બને છે કે વિવેચક અમુક કૃતિમાંથી અગાઉ કોઈ ભાવકે વિવેચકે ન બતાવેલું ‘સૌંદર્યતત્ત્વ’ શોધી બતાવે, પણ એ ય ત્યાં પહેલેથી કૃતિમાં નિહિત રહ્યું હતું જ. એ કઈ નવું નિર્માણ તો નથી જ. રામનારાયણ પાઠક પોતાના વક્તવ્યના સમર્થનમાં બીજી એક દલીલ મૂકે છે કે વૈજ્ઞાનિક પણ સામાન્ય માણસ ન જાણતો હોય તેવું ઘણું બતાવે છે, પણ તેથી તેની ખોજ સર્જન બનતી નથી : એ વિજ્ઞાન જ રહે છે. વિવેચનની પ્રવૃત્તિ, તેમના મતે, ઇતિહાસકારના કાર્યને વધુ મળતી આવે છે. “ઇતિહાસકાર જેમ કાંઈ નવી જ યોજના કે ઘટના અમુક અમુક નક્કી થયેલી હકીકતના ખુલાસા તરીકે મૂકે છે અને અમુક જમાનાની પરિસ્થિતિ અને માનસ સમજાવે છે, જેમ જીવનચરિત્રલેખક ચરિત્રનાયકનાં કાર્યો બતાવી તેનો ખુલાસો અમુક માનસથી કરે છે, તેમ જ વિવેચક કાવ્યના બનાવો અને પાત્રોનાં કાર્યોનો ખુલાસો અમુક માનસથી અથવા અમુક યોજના બતાવીને કરે છે.”૭૪ રામનારાયણની આ ચર્ચા ઘણી માર્મિક અને દ્યોતક છે. કવિતાનું વિશ્વ તો જે છે તે જ રહે છે વિવેચક તેનો પાર પામવા અમુક ‘યોજના’ (hypothesis?) રજૂ કરે છે અને એ રીતે કૃતિની ઘટના પાત્રોનાં કાર્યો ભાવજગત આદિનો ખુલાસો આપવા મથી રહે છે. કલાનું વિશ્વ વ્યંજનાના અસીમ અવકાશ સુધી વિસ્તરી રહ્યું હોય છે. ભાવસંવેદનો વિચારો અર્થો અને મૂલ્યોની એ એક અતિસંકુલ સૃષ્ટિ સંભવે છે. એનું જે કંઈ રહસ્ય છે તે ગર્ભિત છે, પ્રચ્છન્ન છે, સૂચિત છે. એને તાર્કિક વિધાનોમાં તારવી કે સારવી શકાય નહિ. એને વિશે વિવેચક જે કંઈ કહે તે કોઈ વૈજ્ઞાનિકોના કથન જેવું સત્ય કથન હોતું નથી. એ વધુ તો ઇતિહાસકારની hypothesis જેવું હોય છે.&lt;br /&gt;
વિશ્વનાથ ભટ્ટે એક એવી દલીલ કરી હતી કે, સર્જક જેમ પોતાની કૃતિ દ્વારા ભાવકોમાં અમુક ઊર્મિ જગાડે છે. તેમ વિવેચક પણ પોતાના લખાણ દ્વારા તેના વાચકમાં અમુક ભાવોર્મિ જગાડે છે. રામનારાયણ એનો પ્રતિ-વાદ કરતાં એમ કહે છે કે વિવેચન દ્વારા જો ભાવકોમાં અમુક ભાવોર્મિ જન્મે છે, તો તેનો મૂળ સ્રોત કલાકૃતિ સ્વયં છે. આમ, વિશ્વનાથની દલીલોનો રદિયો આપી તેઓ સ્પષ્ટ કહે છે કે, સ્વતંત્ર સર્જન કરતા ચિત્રકાર કે કવિના વ્યાપાર કરતાં વિવેચકનો વિવેચનવ્યાપાર જુદી વસ્તુ છે; અને વિવેચનને માટે પણ ‘સર્જન’ શબ્દ લાગુ પાડતાં આપણી સમજણમાં મોટો ગોટાળો થવા સંભવ છે.&lt;br /&gt;
‘સાહિત્યસમીક્ષા’ લેખમાં સાહિત્યવિવેચનની જ પણ એક વિશિષ્ટ પ્રવૃત્તિ લેખે ‘સમીક્ષા’ (અર્થાત્‌ ‘અવલોકન’ ‘review’)નો તેમણે કંઈક વિગતે વિચાર કર્યો છે. આરંભમાં તેમણે ‘વિવેચન’ અને ‘સમીક્ષા’ વચ્ચે સૂક્ષ્મ ભેદ કર્યો છે. તેઓ કહે છે કે ‘સમીક્ષા’નો સામાન્ય અર્થ જ વિવેચન થાય અને સમીક્ષાને વ્યાપક વિવેચનપ્રવૃત્તિના અર્થમાં આપણે પ્રયોજતા પણ હોઈએ છીએ. પણ પ્રસ્તુત લેખની ચર્ચામાં ‘સમીક્ષા’થી તેમને reviewing activity જ અભિમત છે. ‘ચાલુ સાહિત્ય’ની ‘ચાલુ સમીક્ષા’નો ખ્યાલ તેમને એ શબ્દથી સૂચવવો છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સમીક્ષાપ્રવૃત્તિ એ વૃત્તવિદ્યા (Journalism)નો જ એક ભાગ છે. ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં લેતાં, ‘સર્વ પ્રકારના ગ્રંથો’ની સમીક્ષા વિશે તેમને અહીં કહેવું છે. વર્તમાનપત્રો/સામયિકોમાં ગ્રંથસમીક્ષાની કટારો અર્થે જ્ઞાનવિજ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા એ કામ થાય, તો એ આદર્શ સ્થિતિ છે. પણ વારંવાર કોઈ એક યા એકબે સમીક્ષકોને ભાગે આ બધું કામ આવી પડતું હોય છે. એટલે આવો સમીક્ષક બહુશ્રુત હોય તો જ તે પોતાનું કામ સારી રીતે પાર પાડી શકે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
વર્તમાનપત્રોમાં રજૂ થતી સમીક્ષાઓ તેમના મતે ‘શુદ્ધ સાહિત્ય’ નથી. શુદ્ધ સાહિત્ય જે રીતે સર્જકની સહજ પ્રેરણા કે સંવેદનામાંથી જન્મે છે, તે રીતે આ વૃત્તવિવેચન જન્મ્યું હોતું નથી એ તો સમયની સાથે, ઇચ્છા અનિચ્છાને વચમાં આણ્યા સિવાય, સતત ચલાવવાની પ્રવૃત્તિ છે. સમીક્ષકને કોઈ ગ્રંથ માટે લખવાની પ્રેરણા થાય, ન થાય, પણ ત્યાં સુધી રાહ જોવાની રહેતી જ નથી. ગમતાં ન ગમતાં પુસ્તકો વિશે પસંદગીને ય ઝાઝો અવકાશ નથી. નવાં નવાં પ્રકાશનોના ઢગ તેની આસપાસ ખડકાતા જાય છે, અને શક્ય તેટલા ગ્રંથો વિશે લખવાને, કામને પહોંચી વળવાને, તે હંમેશ મથતો રહે છે. કેટલીક વાર તંત્રીમંડળ કે સંપાદક મંડળના સભ્યોએ આંકી દીધેલી રીતિનીતિને તેણે અનુસરવું પડે છે. દેખીતી રીતે જ ગ્રંથસમીક્ષાને વૃતસમીક્ષાની ઘણી મર્યાદાઓ, ઘણાં નિયંત્રણો, વળગેલાં છે.&lt;br /&gt;
સાહિત્યસમીક્ષાને અનુલક્ષીને તેઓ એક પાયાના મુદ્દાને સ્પર્શે છે : “સાહિત્યસમીક્ષા એ ચુકાદો આપવાની બાબત નથી. ચુકાદામાં વિશિષ્ટ હકીકતને નિશ્ચિત કરેલા ચોકઠામાં બેસાડવાની હોય છે, જે ક્રિયામાં તેની વિશેષતા હણાઈ જાય છે. સાહિત્યની સમીક્ષામાં સાહિત્યની કૃતિને તેના વિશેષ રૂપે જ સમજવાની છે અને તેની વિશેષતાના રસોપભોગનાં દૃષ્ટિબિંદુઓ દર્શાવવાનાં છે. એમાં સામાન્ય નિયમો પણ વિશેષના આકલન માટે જ આવે છે.”૭૫ રામનારાયણના આ વિચારનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. સાહિત્યની કૃતિ એક અપૂર્વ સર્જન છે, અને એના આગવા રચનાગત નિયમને અનુવર્તીને એ અસ્તિત્વમાં આવી છે. તો એની વિશેષતાને ગાળીને એની તપાસ કરવામાં મૂળથી જ દોષ જન્મે છે. અગાઉના સાહિત્યસિદ્ધાંતોના જડ ચોકઠામાં બેસાડવા જતાં એની વિશેષતા જ જો લુપ્ત થઈ જતી હોય તો એ પ્રયત્ન મૂળથી જ ખોટો છે. અલબત્ત, વિવેચનના જે સામાન્ય નિયમો છે, તે સર્વથા અપ્રસ્તુત પણ ઠરતા નથી. કૃતિના વિશેષને રેખાંકિત કરતાં છતાં ય, તેને તે વિવેકપૂર્વક લાગુ પાડી શકાય.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક સામે મોટું જોખમ તો એ છે કે સમીક્ષ્ય કૃતિ વિશે ઠરીને લખવાને તેની પાસે સમય હોતો નથી. સ્વતંત્ર મૌલિક પ્રતિભાવ ઝીલવાને બદલે ઘણી વાર તે રૂઢ વિવેચનાત્મક પદાવલિ ‘cliche’-થી કામ કાઢી લે છે; અથવા, સમીક્ષ્ય કૃતિને વાતાવરણમાં કળા સર્જન અને સાહિત્ય વિશે પ્રચલિત કે ફેશનરૂપ બની ગયેલી વિચારસરણીમાં ઘટાવી લેવાને તે પ્રેરાય છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક પાસે પણ મોટી સજ્જતાની તેઓ અપેક્ષા રાખે છે : “જેને સર્જનસાહિત્ય કહીએ તેની સમીક્ષા માટે પણ વિશાળ વાચન જોઈએ, સમીક્ષકને સાહિત્યના સર્વ પ્રકારોની જાણ હોવી જોઈએ. તે વિના તે નવી કૃતિનો અર્થ અને તેનું તાત્પર્ય પૂરેપૂરું સમજી ન શકે. તેમ જ તેણે જુદા જુદા દેશોનાં સાહિત્યોનો અને વિવેચનવ્યાપારનો પરિચય રાખવો જોઈએ. સર્જકને માત્ર એક દેશનું પ્રભુત્વ બસ થાય, વિવેચકને કદી નહિ. વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ. વિવેચન એક રીતે ફિલસૂફીની પ્રવૃત્તિ છે.”૭૬&lt;br /&gt;
વિવેચન એક રીતે ‘ફિલસૂફીની પ્રવૃત્તિ’ છે, એમ તેમણે અંતના વાક્યમાં કહ્યું, તેથી ઘણાને આશ્ચર્ય થશે. વિવેચકનું કામ તો કૃતિના રસ કે સૌંદર્યને માણવાનું છે, અને તેની જ વાત કરવાનું છે. તો ફિલસૂફીને એમાં સ્થાન ક્યાં? આ પ્રશ્નનો ય ઉત્તર મળે એમ છે. પરંપરાગત ફિલસૂફીએ જીવન અને જગત વિશે પરમ સત્યની ખોજ કરવાનું સ્વીકાર્યું હતું. જ્ઞાનવિજ્ઞાનના સર્વ વિષયોનાં સત્યોની પાછળ જે કોઈ પરમ કે અંતિમ સત્ય નિહિત રહ્યું હોય, તેને પામવાની તેની પ્રતિજ્ઞા હતી એ રીતે પરંપરાગત ફિલસૂફી સત્ય સૌંદર્ય અને નીતિ જેવાં મૂલ્યોની ઊંડી ખોજ કરવામાં રોકાઈ હતી. તેમ છતાં તેની ખોજનું ક્ષેત્ર જીવનનાં સર્વ ક્ષેત્રોને આવરી લે તેટલું વિશાળ રહ્યું હતું. સાહિત્યની સૃષ્ટિ પણ માનવજીવનનાં અનંતવિધ રૂપોની ઝલક રજૂ કરે છે. સર્જકોની દૃષ્ટિ નિરંતર નવો ‘અર્થ’ – નવું મૂલ્ય શોધે છે. એટલે વિવેચકે સાહિત્યસૃષ્ટિમાં પ્રવેશતાં જીવનના શક્ય તેટલા વધુ વિષયોની જાણકારી મેળવી લેવી જોઈએ. કૃતિમાં વ્યક્ત થતા ‘અર્થ’ કે ‘સત્ય’ની સૂક્ષ્મ ઓળખ થાય, તે માટે આવી વ્યાપક અભિજ્ઞતા જરૂરી છે, એમ તેઓ માને છે.&lt;br /&gt;
વિવેચકે પોતાની સજ્જતા વધારવાને આપણી પરંપરાની ઉત્તમ કૃતિઓ વિશે, તેમાં યે વધુ તો પ્રાચીન પ્રશિષ્ટ કૃતિઓ વિશે, સ્વતંત્ર મૌલિક દૃષ્ટિએ પર્યેષણા કરવી જોઈએ એ વિશે અગાઉ જે કંઈ કહેવાઈ ચૂક્યું હોય તેનાથી વિશેષ, કશુંક નવું, તે કહી શકે છે ખરો, એ પ્રશ્ન તેને માટે કસોટી બને છે. કૃતિના આસ્વાદનમાં સૂક્ષ્મતા આવે તે માટે અભ્યાસ વધારતા રહેવાની જરૂર છે. બીજી બાજુ, વિવેચન અર્થે વધુ વિશાળ, વધુ વ્યાપક અને ચિરંતન ધોરણોની ખોજ તેણે જારી રાખવી જોઈએ.&lt;br /&gt;
કૃતિવિવેચન વિશે કંઈક વધુ સંગીન અને તત્ત્વાન્વેષી ભૂમિકા તેમના ‘વિવેચનનાં મૂલ્યો’ શીર્ષકના લેખની ચર્ચામાં મળે છે. કાવ્યકળા કે સાહિત્યકળા વિશેની તેમની આગવી વિભાવના એમાં અનુસ્યૂત રહી છે. વિવેચનનાં જે મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા તેઓ ઉત્સુક છે તે વાસ્તવમાં સાહિત્ય વિશેની સમજમાં ગર્ભિત રહ્યાં છે, અથવા એમ કહીએ કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની તેમની સમજ સાથે માર્મિક સંબંધ ધરાવે છે.&lt;br /&gt;
આખાય વિષયની માંડણી કરતાં તેઓ કહે છે કે કાવ્યનું મૂલ્ય તેના પ્રયોજન પર આધારિત છે અને એ છે રસનિષ્પત્તિનું, રસાનુભૂતિનું. આ ભૂમિકા પરથી તેઓ એવા તારણ પર પહોંચે છે કે જે કાવ્યમાં વધુ રસ પડે તે કાવ્યનું મૂલ્ય ઊંચુ. રસાનુભૂતિને તેઓ ‘વિશિષ્ટ આનંદ’ તરીકે ઓળખાવે છે. એટલે એ પ્રયોજનની સિદ્ધિ પર કાવ્યના મૂલ્યનો આધાર છે એમ તેમનું તાત્પર્ય છે. પણ ‘રસાનુભૂતિ’ એ કૃતિના મૂલ્યાંકનનું સૌથી પ્રથમ ધોરણ હોવા છતાં એની માત્રાનો ભેદ ઓળખવાનું મુશ્કેલ છે એમ અહીં નોંધવું જોઈએ.&lt;br /&gt;
કાવ્યના પરીક્ષકને – સુસજ્જ પરીક્ષકને – ‘સહૃદય’ સંજ્ઞાથી તેઓ ઓળખાવે છે અને તેની ઓળખ આપતાં કહે છે : “જેનું હૃદય સંસ્કાર ગ્રહણ કરવા કાબેલ હોય, જેણે જગતનો બહોળો અનુભવ લીધો હોય, અને તે સાથે જેણે ઉત્તમ કાવ્યો સારી રીતે વાંચ્યાં હોય તે સહૃદય કહેવાય. એવો સહૃદય પછી જે કાવ્યને ઉત્તમ કહે તે કાવ્ય ઉત્તમ.”૭૭ પણ કોઈ સહૃદય આ કે તે કૃતિને ઉત્તમ કહી દે તેટલાથી અર્થ સરતો નથી. એ કાવ્ય ‘કયા ધોરણે ઉત્તમ છે’ તે કહેવું જોઈએ, એટલું જ નહિ, ‘એ ધોરણ ક્યાંથી સિદ્ધ થઈને આવ્યું,’ ‘કઈ રીતે ઘડાઈને આવ્યું’ તે પણ બતાવવું જોઈએ. (એફ. આર. લિવિસની કૃતિ નિમિત્તે રેને વેલેકે કરેલી આ જાતની ચર્ચાનો અગાઉ નિર્દેશ કર્યો તે અહીં સ્મરણમાં આવશે. લિવિસ એમ માને છે કે વિવેચકે કૃતિ વિશે બને તેટલો જીવંત પ્રતિ-ભાવ એની સર્વ સૂક્ષ્મતાઓ અને સંકુલતાઓ સમેત પ્રસ્તુત કરવાનો છે, કૃતિ વિશેના મૂલ્યબોધનાં કોઈ ધોરણો કે સૂત્રો નોંધવાની આવશ્યકતા નથી. આથી ભિન્ન રેને વેલેક એમ માને છે કે વિવેચકે કૃતિના મૂલ્યાંકન અંગે સ્વીકારેલ ‘ધોરણો’ કે ‘કસોટી’ઓનો નિર્દેશ પણ કરવો જોઈએ તેમ તેની તાત્ત્વિક ભૂમિકા પણ સ્પષ્ટ કરી આપવી જોઈએ.) રામનારાયણ પાઠકના મતે કૃતિ વિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણોની તપાસ અનિવાર્ય છે.&lt;br /&gt;
વિવેચક માટે તેઓ નીચેનાં કાર્યો બતાવે છે :&lt;br /&gt;
(૧) કવિએ કેવી રીતે કઈ કઈ ખૂબીઓથી, ભાષાની કઈ કઈ ભંગિઓથી, વસ્તુને રજૂ કરી તે તેણે બતાવવાનું છે. અર્થાત્‌, ભાષાકર્મ, અભિવ્યક્તિની રીતિઓ, રચના પ્રણાલિઓ, આદિની તપાસ તેમને અભિમત છે.&lt;br /&gt;
(૨) કવિએ પોતાની કૃતિમાં પ્રગટ કરેલી વસ્તુ તરફ જે ભાવ વ્યક્ત કર્યો છે તે સ્પષ્ટપણે અને અસરકારક રીતે, કશીય સંદિગ્ધતા વિના, રજૂ થયો છે કે કેમ તેની તપાસ કરવી. એક રીતે પહેલા કાર્યનું જ આ વિસ્તરણ છે. કવિનો ભાવ સફળ રીતે અભિવ્યક્ત પામ્યો છે કે નહિ એની પરીક્ષાની આ વાત છે. જો કે આ જાતની તપાસ મુશ્કેલ છે.&lt;br /&gt;
(૩) વિવેચકનું ખરું કાર્ય કૃતિનો ભાવ સ્પષ્ટ કરી તેનું યથાર્થ મૂલ્યાંકન કરવાનું છે એમ તેઓ કહે છે. અભિવ્યક્તિની સફળતા તપાસ્યા પછી તેને ભાગે આ ઘણું કપરું નિર્ણયાત્મક કાર્ય બજાવવાનું રહે છે. કૃતિમાં વ્યક્ત થયેલો ભાવ ઉચિત છે કે અનુચિત તેનો પણ વિવેચકે નિર્ણય કરવાનો છે. રામનારાયણ પાઠકના પોતાના શબ્દોમાં—“કવિએ ધારણ કરેલો અથવા કહો કે કાવ્યમાં નિષ્પન્ન કરેલો ભાવ, કવિની પોતાની બાલિશતા કે અપૂર્ણતા, અનુદારતા, હૃદયસંકોચ, અંગત લોલુપતા કે હૃદયની શક્તિની મર્યાદા–હૃદયદૌર્બલ્ય કે એવા કોઈ કારણથી, એ સમગ્ર ચિત્તના ભાવને બદલે કોઈ એકદેશીય જ કોઈ હલકી કક્ષાનો જ ભાવ તો નથી આવી ગયોને?”૭૮ અને વધુમાં સ્પષ્ટતા કરતાં કહે છે : “કાવ્યનું મૂલ્યાંકન તે આ જ. સમગ્ર જીવનની દૃષ્ટિએ એ ભાવનું સ્થાન આંકવું તે... ભાવનું મૂલ્યાંકન એટલે ભાવની સમગ્ર જીવનદૃષ્ટિથી કરેલી ચર્ચા. એ ચર્ચા દાર્શનિક philosophic – છે, વિવેચન આ દૃષ્ટિએ દાર્શનિક બને છે.”૭૯&lt;br /&gt;
કૃતિવિવેચનમાં મૂલ્યાંકનના મુદ્દાને સ્પર્શતી રામનારાયણ પાઠકની આ ચર્ચા, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, તેમની સાહિત્ય સ્વરૂપ વિશેની વિશિષ્ટ સમજથી પ્રેરાયેલી છે. કાવ્યની સ્વતંત્રતા સ્વીકારતા છતાં ‘ભાવક’ ‘ભાષા’ ‘વસ્તુ’ અને ‘કવિ’ એ ચાર દ્વારા તેઓ તેનો જીવન સાથે માર્મિક સંબંધ જૂએ છે. એ સંબંધ ‘સર્વતોભદ્ર છે, કાવ્યમાં આંતરબાહ્ય સર્વત્ર, અણુએ અણુમાં વ્યાપ્ત’ છે એમ તેઓ કહે છે. કવિની કલ્પના સ્વતંત્ર રીતે વિહરતી છતાં તે ‘આપણા આત્માની જ કલ્પના’ છે અને આત્માના સ્વભાવથી વિસંવાદી રીતે વિહરે જ નહિ’ – એવી તેમની પ્રતીતિ રહી છે. કાવ્યના અનુભવનું સ્વરૂપ વર્ણવતાં તેઓ એક સ્વતંત્ર અને મૌલિક દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. “કાવ્યનો અનુભવ આપણા સમસ્ત આત્માને અનુકૂળ છે માટે તેમાં આનંદ અનુભવાય છે અને સમસ્ત આત્માને એટલે આત્માની ગોચર-અગોચર જ્ઞાત-અજ્ઞાત બુદ્ધિ–હૃદય–નીતિ સર્વ શક્તિઓથી સંપન્ન આત્માને. એટલે વ્યવહારમાં જે વસ્તુ આત્માને ક્લેશકર લાગે, આત્માની નીતિબુદ્ધિને ક્લેશકર લાગે, અરુચિકર લાગે, અનુચિત લાગે તે કાવ્યમાં અન્યથા ન લાગે... સમસ્ત આત્માને અનુકૂલ ન હોય એવો કોઈ અનુભવ સુંદર હોઈ શકે નહિ.” એટલે રામનારાયણના મતે વ્યવહારનો કોઈ પણ ભાવ જે અનીતિમાન હીન કે વિકૃત લાગે, તેને કાવ્યમાં સ્થાન હોઈ શકે નહિ. એટલે જ તેઓ કાવ્યમાં આલેખાતા ભાવની નૈતિક દૃષ્ટિએ સમીક્ષા ચાહે છે.&lt;br /&gt;
પણ તેમનો આ અભિગમ, પહેલી નજરે દેખાય છે તેટલો સરળ નથી. કૃતિમાં રજૂ થયેલા ભાવનું મૂલ્યાંકન કરનાર વિવેચક પાસે જીવનનું સમગ્રલક્ષી દર્શન જોઈએ. તેનો આત્મા પૂર્ણ સંવાદિતા અને અખિલાઈ સિદ્ધ કરી શક્યો હોવો જોઈએ. પ્રશ્ન કેવળ શ્લીલ અશ્લીલ કે નૈતિક અનૈતિકનો નથી. સમગ્ર આત્માની સાથે ‘અનુકૂલતા’ સાધવાનો છે. મૂલ્યાંકનની આ કસોટી, કોઈ પણ રીતે જુઓ, દુર્ગાહ્ય અને દુષ્કર છે. રામનારાયણ કૃતિવિવેચનને દાર્શનિક philosophic લેખવે છે તે એક રીતે સૂચક છે. દર્શનના અધ્યયન ચિંતન દ્વારા વિવેચકની પ્રજ્ઞા પરિણત થાય તો જ કદાચ ભાવનું મૂલ્ય (worth) નિર્ણિત થઈ શકે.&lt;br /&gt;
રામનારાયણના વિવેચનતત્ત્વવિચારમાં આમ કેટલાક કૂટ પ્રશ્નો ઊભા થાય છે. અને એ કૂટ પ્રશ્નો છે માટે જ ગંભીર ધ્યાન માગે છે. કૃતિમાં ભાવની અભિવ્યક્તિની રીતિની તપાસ એ એવડો મોટો પ્રશ્ન નથી. પણ કવિનો ‘વસ્તુ’ વિશેનો ‘ભાવ’ કૃતિમાં પૂરો ઊતર્યો છે કે નહિ, તેનો નિર્ણય કરવાને તો રચના-પાઠ પૂર્વેના તેના મનોગતને લક્ષમાં લેવું પડે. પણ માનસશાસ્ત્રીય દૃષ્ટિએ એ શક્ય નથી. કળાકૃતિના અનુલક્ષ્યમાં સંક્રમણ (communication)નો સિદ્ધાંત જેઓ સ્વીકારવા જાય છે તેમની સામે આ જ પ્રશ્ન જરા જુદી રીતે આવી ઊભે છે. પણ એથી ય મોટી મુશ્કેલી તે કૃતિમાં રજૂ થતી ‘ભાવની’ worth નક્કી કરવાની છે. બૌદ્ધિક કે તાર્કિક ભૂમિકાએથી આ પ્રશ્નો કદાચ ઉકલી શકે તેવા આ પ્રશ્નો જ નથી. છતાં મહાન પ્રતિભાશાળી વિવેચકો કૃતિવિવેચનમાં રજૂ થયેલા જીવનના અનુભવોનેય કોઈક રીતે સમીક્ષામાં લેતા હોય છે. રામનારાયણ પાઠકની મૂળ ભૂમિકા આ રીતે અત્યંત ધ્યાનાર્હ બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૬}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં પૃ. ૬ પર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાનું હૃદ્‌ગત ખુલ્લું કરતાં કહે છે : ‘હું અધ્યાત્મવાદી છું, જીવનનાં સકલ ક્ષેત્રોની વિચારણામાં ભાવનાવાદી છું. પણ મારી વિદ્યા સંપત્તિ, મતિ અને અનુભૂતિ સીમિત છે. અંતિમ દૃષ્ટિએ સકલ જીવન અને વિશ્વ એક પરમ ગૂઢ રહસ્ય છે. અને એનો ભેદ પામી શકાતો નથી, તેથી આ ગોષ્ઠિ છેવટે તો શ્રદ્ધાની બની રહે છે.’૮૧ અને પછી પૃષ્ઠ ૭ પર નમ્રતાથી નિવેદન કરતાં કહે છે... ‘આવી આસ્થાથી હું મને પોતાને વિવેચક કરતાં માત્ર મુક્ત સહૃદય ગણું.’૮૨ સાક્ષરી કારકિર્દીનાં દીર્ઘ ચિંતનમનન પછી ઉચ્ચારાતા આ શબ્દો પાછળ તેમની પરિણત પ્રજ્ઞાનો સ્વર સંભળાય છે. સુવિદિત છે તેમ, તેમની સાક્ષરી પ્રતિભા વિવેચનના ક્ષેત્રમાં જ બહુધા વિહરતી રહી છે. આપણા કવિઓ લેખકો અને ચિંતકો વિશે તેમણે સમીક્ષાઓ કરી છે, કૃતિઓ અને સાહિત્યપ્રવાહનાં અવલોકનો ય કર્યાં છે, પણ આપણા સાહિત્ય ક્ષેત્રમાં તેમની સિદ્ધાંતચર્ચા કદાચ સૌથી વધુ મહત્ત્વની બની રહે છે. સાક્ષરશ્રી ગોવર્ધનરામ, નરસિંહરાવ, અને આ. આનંદશંકર ધ્રુવ—એ ત્રણ સાક્ષરો તેમની ભક્તિભાવનાનું ભાજન રહ્યા છે, કહો કે, એ સાક્ષરોનો સાક્ષરધર્મ તેમણે અંગીકાર કરી લીધો છે, અને એમનું જીવનકાર્ય તેમણે જાણે કે સ્વતંત્ર રીતે આગળ ચલાવ્યું છે.&lt;br /&gt;
સિદ્ધાંતવિચારમાં ગઈ સદીના કેટલાક મહાન પાશ્ચાત્ય ચિંતકો, તેમાંયે વિશેષ કરીને મેથ્યુ આર્નોલ્ડ કોલિંગવુડ બ્રેડલી જેવા, તેમને પ્રેરક રહ્યા છે. વ્યાપકપણે પાશ્ચાત્ય સાહિત્યવિચાર તેમની વિવેચનવિચારણાની ભૂમિકામાં રહ્યો છે એમ કહીએ તો ય અતિશયોક્તિ નહિ થાય. પણ તેમનું સાહિત્યચિંતન કેવળ પુસ્તકિયા રહ્યું નથી. વ્યાપક જીવનતત્ત્વવિચારથી એ પુષ્ટ બન્યું છે. વ્યક્તિ અને સમાજનાં શ્રેય અને ઉન્નતિનો ખ્યાલ એમાં જોડાયેલો રહ્યો છે. સાહિત્યના પરમ પ્રયોજન તરીકે શુદ્ધ આનંદનું–રસાનુભૂતિનું—મૂલ્ય સ્વીકારતા છતાં એમાં જીવનનાં બીજાં ઉદાત્ત મૂલ્યોનો પુરસ્કાર પણ તેઓ કરતા રહ્યા છે. આ. આનંદશંકરે પ્રતિપાદિત કર્યું હતું કે સાહિત્યની અસર ભાવકના માત્ર ઊર્મિતંત્ર કે બુદ્ધિ કે નીતિભાવના જેવા કોઈ એક ખંડ પૂરતી જ મર્યાદિત હોતી નથી : સમગ્ર આત્માને તે સ્પર્શે છે. આવી વ્યાપક ભૂમિકાએથી તેમણે લાંબા સમય સુધી સાહિત્ય અને સૌંદર્યતત્ત્વ વિશે ચિંતન કર્યું છે. તેમની સાહિત્યચર્ચા વારંવાર સૌંદર્યમીમાંસાના સ્તરે પહોંચે છે, અને કળા સૌંદર્ય અને સર્જકતાના પાયાના પ્રશ્નોની છણાવટ કરે છે. એમાં મૌલિક દૃષ્ટિની પર્યેષણા છે, તેમ પરંપરાગત પ્રશ્નોની ફેરતપાસ પણ છે. બહુશ્રુત પાંડિત્ય, સૂક્ષ્મ સુકુમાર રસજ્ઞતા, અને જીવનની ઉદાત્ત ભાવના એ ત્રણ તેમના વિવેચનનાં ધારકપોષક તત્ત્વો બની રહ્યાં છે.&lt;br /&gt;
વિવેચક તરીકેની પોતાની કારકિર્દીના આરંભે ‘વિવેચનની પ્રતિષ્ઠા’ શીર્ષકનો તેમણે એક મહત્ત્વપૂર્ણ લેખ પ્રગટ કર્યો હતો. એમાં આમ જુઓ તો વિવેચનપ્રવૃત્તિની પ્રતિષ્ઠા કરવાનો અને એ નિમિત્તે વિવેચકના કાર્ય વિશે ચર્ચા કરવાનો એક સમર્થ પ્રયત્ન છે; અને મહત્ત્વની વાત એ છે કે, વિવેચનનાં મૂલ્યોની આધારભૂમિ બનતા ‘સાહિત્ય’ વિશેની તેમની પોતીકી સમજ પણ એમાં વ્યક્ત થાય છે; તો, બીજી બાજુ, વિવેચનની જે પ્રવૃત્તિનો ગંભીરતાથી પોતે અંગીકાર કરી રહ્યા હતા, તેના તરફની તેમની ઊંડી નિસ્બત અને ઉત્તરદાયિત્વ ય છતું થાય છે. સુખદ બાબત એ છે કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે તેઓ ફરી ફરીને વિચારતા રહ્યા છે. વિવેચનતત્ત્વ વિશે અલગ સ્વતંત્ર ચર્ચા જો કે ઓછી છે, પણ સાહિત્ય ચર્ચાના ભાગ રૂપે આ વિશે તેઓ વારંવાર છણાવટ કરતા રહ્યા છે. જો કે આમ બનવું સ્વાભાવિક પણ છે. કૃતિવિવેચનમાં જે ધોરણો અને કસોટીઓ પ્રયોજાતાં હોય છે, કહો કે જે મૂલ્યોનો પુરસ્કાર કરવામાં આવતો હોય છે, તેનો આધાર તો સાહિત્યવિચાર જ છે.&lt;br /&gt;
સાહિત્ય અને તેનું વિવેચન – એ આખી ય પ્રવૃત્તિ, પ્રજાજીવનનાં આંતરબાહ્ય વહેણો સાથે, તેની સ્થૂળ સૂક્ષ્મ ગતિવિધિઓ સાથે, કોઈક સ્તરે સંકળાયેલી હોય છે, એમ વિષ્ણુપ્રસાદ કહે છે : “કલા, સામાન્ય રીતે; સામાન્ય રીતે જ – નિયમ તરીકે નહીં – જનરુચિ સામાજિક જીવનતરેહો અને સાહિત્યને પણ આવરી લેતા આર્થિક અને રાજકીય પ્રવાહોને સૂક્ષ્મ રીતે અનુસરે છે. તેવી રીતે વિવેચનની તત્ત્વચર્ચા પણ સાહિત્યની નવી નવી સૃષ્ટિનો સમાસ કરતી આગળ વધે છે. સાહિત્ય અને વિવેચન બંને જાણે સ્થિતસ્ય સમર્થન કરવા જ પ્રવર્તતાં હોય એમ લાગે છે. અને સ્થિતનું સમર્થન ના હોય તેનો વિરોધ હોય તો પણ જે સ્થિત છે તેને જ મહત્ત્વ આપતા વર્તુલમાં તે ફર્યા કરે છે.”૮૩ વિષ્ણુપ્રસાદની આ વિચારણા ધ્યાનાર્હ છે. કોઈ પણ સમૃદ્ધ સાહિત્ય પરંપરાને, તેના ઉદ્‌ભવવિકાસના લાંબા પટ પર અવલોકતાં, આ વિચાર પકડવાનું મુશ્કેલ રહેતું નથી. સાહિત્યમાં સ્વીકારાતી જીવનસામગ્રી-અનુભવો વિચારો માન્યતાઓ મૂલ્યો આદિ, તેની નિરૂપણ રીતિ શૈલી અને રચનાપ્રણાલિઓ, સાહિત્યના આકાર અને પ્રકાર એ સર્વને સમકાલીન પ્રજાજીવન સાથે ક્યાંક કોઈક સ્તરે આંતરિક સંબંધ રહ્યો હોય જ છે. કોઈ પણ એક યુગની સાહિત્યપ્રવૃત્તિ તેની પૂર્વેના કે તેના અનુગામી યુગની પ્રવૃત્તિથી અગર જુદી પડે છે, તો એ કોઈ આકસ્મિક ઘટના નથી. એની પાછળ અમુક સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું પ્રવર્તન રહ્યું હોય છે. સર્જકની નિજી પ્રતિભાનું એથી આપણે જરીકે અવમૂલ્યન કરતા નથી. પ્રતિભાની અનન્યતાનો આપણે સ્વીકાર કરીએ જ છીએ. અભિપ્રેત એટલું છે કે પ્રતિભા પણ નર્યા શૂન્યાવકાશમાં કામ કરતી નથી. આસપાસનાં અસંખ્ય સ્થૂળ સૂક્ષ્મ પરિબળોને તે ઝીલતી રહે છે. અને તેના પર કામ કરતી રહે છે. વિષ્ણુપ્રસાદે સાહિત્ય પ્રવૃત્તિને એ રીતે વ્યાપક સમાજજીવનના સંદર્ભે અવલોકવાની દૃષ્ટિ રાખી છે. પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચન પ્રવૃત્તિને ય તેઓ વ્યાપક જીવન જોડે સાંકળી લઈને વિચારે છે. સાહિત્યજગતમાં જે રીતે નવા નવા કળાત્મક ઉન્મેષો પ્રગટતા રહે છે, નવી રચનારીતિ અને નવા આકારો નીપજતા રહે છે, તેમ તેને વિશે અવનવી દૃષ્ટિએ વિવેચન થતું રહે છે; નવીન કળાવિચારની પ્રતિષ્ઠા થાય છે, અને વિવેચનનાં નવાં મૂલ્યો ઊભાં થાય છે. વિવેચનપ્રવૃત્તિ એક બાજુ લેખકની કૃતિને સમજવા પ્રવૃત્ત થાય છે; તો બીજી બાજુ ભાવકોને એના રમણીય અંશોની ઓળખ કરાવવા ચાહે છે. આમ, એ પ્રવૃત્તિ ય વિશાળ જનસમુદાયને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં સ્પર્શી રહે છે. વિવેચક ખરેખર તો સમાજની રુચિ કેળવવા બંધાયેલો છે, અને સમાજ પ્રત્યે તેનું મોટું ઉત્તરદાયિત્વ છે એમ પણ વિષ્ણુપ્રસાદ માને છે.&lt;br /&gt;
કોઈ એક સમયની સર્જનાત્મક પરિસ્થિતિને વિવેચક બદલી શકે ખરો? વિવેચન પ્રવૃત્તિ સર્જકોને સીધી કોઈ રીતે ઉપયોગી ખરી? વિષ્ણુપ્રસાદનો મત એ છે કે ‘વિવેચક, બહુધા, મહાન સર્જક ઉપર કશી અસર પાડી શકતો નથી. તે તેની રમણીયતાને સમજવાને દૃષ્ટિબિંદુ નિર્ધારી આપે છે. તે અસર કરે છે મહાન સર્જકના અનુકરણ કરનારાઓ ઉપર’.૮૪ વિષ્ણુપ્રસાદનું આ જાતનું સ્પષ્ટીકરણ સ્વીકારવામાં ભાગ્યે જ કશી મુશ્કેલી હોય. મહાન પ્રતિભા જ્યારે સર્જનની પ્રવૃત્તિમાં રોકાય છે ત્યારે તે આત્મનિર્ભર અને આત્મનિષ્ઠ બનીને પ્રવર્તે છે. વિવેચકને ઇષ્ટ એવા કોઈ ખ્યાલને અનુસરવાનો કે તેનું સમર્થન મેળવીને ચાલવાનો એમાં કોઈ પ્રયત્ન હોતો નથી.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિના બે અલગ પ્રકારો તેમણે નોંધ્યા છે : (૧) સાહિત્યતત્ત્વનો વિચાર, અર્થાત્‌, સાહિત્ય વિષયક ફિલસૂફી કે રસમીમાંસા (૨) સાહિત્યકૃતિઓનું વિવેચન-મૂલ્યાંકન. આ બંને ક્ષેત્રો પરસ્પર સંબંધ ધરાવે છે એમ તેઓ નોંધે છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ છે કે સાહિત્યકળા વિશે થોડોક પણ સ્પષ્ટ ખ્યાલ ન હોય તો કૃતિનું વિવેચન શક્ય નથી. એક બાજુ સાહિત્ય કૃતિઓનાં વિવેચન અધ્યયન પરથી સમગ્ર સાહિત્યની વિભાવના રચાય છે અને સાહિત્ય વિવેચનનાં ધોરણો પ્રતિષ્ઠિત થાય છે, બીજી બાજુ એ વિભાવના અને ધોરણોના ઉપલક્ષ્યમાં આપણે કૃતિઓના મૂલ્યાંકન તરફ વળીએ છીએ. આખી ય પ્રવૃત્તિ આમ એક બીજાને અસર કરતી રહે છે. વિષ્ણુપ્રસાદની વિવેચન-મીમાંસામાં આ એક મહત્ત્વની ઉપલબ્ધિ સમો વિચાર છે. કોઈ પણ પ્રાણવાન પરંપરામાં સર્જાતા જતા સાહિત્યને અને તેના વિવેચનને આવો માર્મિક સંબંધ હોવાનું જણાશે.&lt;br /&gt;
કૃતિના આસ્વાદ-વિવેચન અર્થે વિવેચકે કોઈ પૂર્વપરિચિત કળાવિચાર કે વિવેચનનાં ધોરણો લઈને તેની પાસે જવાનું નથી એમ પણ કેટલાક કહે છે. વિવેચકે સ્વચ્છ દર્પણ જેવું ચિત્ત લઈને કૃતિ પાસે જવું જોઈએ, એવો પણ આગ્રહ તેઓ કરતા હોય છે. પણ આસ્વાદ અવબોધ અને મૂલ્યાંકનની સમગ્ર સંકુલ ચૈતસિક પ્રક્રિયાને તેમણે લક્ષમાં લીધી હોય એમ જણાતું નથી. વિવેચક જ્યારે સાહિત્યકૃતિનાં ભાવ સંવેદનો, ઘટનાઓ, પાત્રો, પરિસ્થિતિઓ – એમ એક સાહિત્યિક ઘટનામાંથી પસાર થાય છે ત્યારે એવા દરેક સંદર્ભનો કે સમગ્ર (આ)કૃતિનો ‘અર્થ’ તે કેવી રીતે પામે છે? કૃતિનાં ઘટકોને તે કેવી રીતે અલગ પાડે છે અને કઈ રીતે જોડે છે? જે કોઈ સંદર્ભે તેને ‘અર્થ’ કે ‘મૂલ્ય’ની પ્રતીતિ થાય છે, તે ઘટના ‘અર્થ’ કે ‘મૂલ્ય’ની બાબતમાં નિરપેક્ષ હોય છે? મને લાગે છે કે વિવેચકનું રુચિતંત્ર અમુક રીતે કેળવાયું હોય છે. કળાનાં અમુક રમણીય તત્ત્વો માટે તેની રુચિ બંધાવા પામી હોય છે. પોતાની ભાષાના તેમ અન્ય પરંપરાના સાહિત્યના ઊંડા અધ્યયન-પરિશીલનમાંથી કળાકીય ઉત્કૃષ્ટતાના અમુક ખ્યાલો તેના મનમાં જાણ્યેઅજાણ્યે ય બંધાઈ ચૂક્યા હોય છે, વિવેચનનાં અમુક ધોરણો કે કસોટીઓ જેવું, અને સંભવતઃ કળાનાં મૂલ્યોમાં ઉચ્ચાવચક્રમ (hierarchy) જેવું, તેમના મનમાં રચાતું આવ્યું હોય છે. કૃતિના આસ્વાદની ક્ષણોમાં ભાવકની જે ચેતના સક્રિય બને છે તે કોઈ શૂન્યવત્‌ અવકાશ નહિ, નિષ્ક્રિય અરીસારૂપ અવકાશ નહિ, સક્રિય સંનિકર્ષમાં આવતી સુસજ્જ ચેતના છે. અને અમુક રમણીય તત્ત્વોની સ્વીકૃતિમાં તેની એ આંતરિક ચેતના સ્વયં નિર્ણાયક બનતી હોય છે.&lt;br /&gt;
વિષ્ણુપ્રસાદ માને છે કે વિવેચનની પ્રવૃત્તિ કોઈ રીતે ‘વિજ્ઞાન’ બની શકે નહિ. સાહિત્યસર્જનમાં તેના સર્જકના વ્યક્તિત્વનો નિજી અંશ એવો તો ‘અનિવાર્ય અને અવિયોજ્ય રીતે’ ભળી ગયો હોય છે કે તેના વિવેચન પરીક્ષણનું ‘વ્યાકરણ’ રચી શકાય નહિ. સાહિત્યમાં તેજસ્વી પ્રતિભાઓ સતત નવાનવા ઉન્મેષો પ્રગટાવતી રહે છે, એટલે અગાઉની અમુક કૃતિઓને નજરમાં રાખીને બાંધેલી કળાની વિભાવના અને તેના વિવેચનના નિયમો વળી સતત સંસ્કારી લેવાની આવશ્યકતા ઊભી થાય છે. વિષ્ણુપ્રસાદ સ્પષ્ટ કરે છે કે તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર કે સંપત્તિશાસ્ત્ર વિશે જેટલી ચોકસાઈથી વિચારણા થઈ શકે તેટલી કળાવિવેચનને અંગે થઈ શકે નહિ. બહુ બહુ તો તેની મીમાંસા થઈ શકે, ઈશ્વર જેવા કોઈ અગોચર તત્ત્વ વિશે અમુક રીતની મીમાંસા થઈ શકે તેમ એનું કારણ દર્શાવતાં કહે છે : સર્જનના મૂળમાં જ કશુંક એવું અગોચર અને અવર્ણનીય તત્ત્વ રહ્યું છે, જેને પૂરેપૂરું તાર્કિક વિચારણામાં ઝીલી ન શકાય. આવું કોઈ રહસ્યમય તત્ત્વ કવિને પોતાના મૂળ અનુભવમાં જ નિહિત રહેલું પ્રતીત થાય છે, એ જ તેને સર્જનમાં પ્રેરે છે, અને એ જ તેને તથા ભાવકને આહ્‌લાદનું કારણ બને છે. આમ કળાસર્જનમાં મૂળથી જ કશુંક વૈયક્તિક તત્ત્વ-રહસ્યના આવરણમાં પ્રચ્છન્ન રૂપે – ઊતરી આવ્યું હોય છે, અને કળાના કોઈ સિદ્ધાંતવિચારમાં એને પૂરેપૂરું પકડી શકાતું નથી. અને એટલે જ વિવેચનને વિજ્ઞાનની ભૂમિકાએ સ્થાપી શકાતું નથી.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિનો પ્રભાવ સહૃદય/વિવેચકના કૃતિજનિત આહ્‌લાદમાંથી થાય છે એવી તેમની સમજ ઉપરના વિચારનું જ તાર્કિક વિસ્તરણ છે. સાહિત્યકૃતિ વાંચતાં સહૃદયના અંતરને ભરી દેતો જે આહ્‌લાદ જન્મે છે, તે જ વિવેચનપ્રવૃત્તિનો ખરો સ્રોત છે, તે જ તેનું પ્રેરક બળ છે, અને મૂલ્યબોધનું અધિષ્ઠાન પણ છે એમ તેઓ કહે છે. આસ્વાદની પ્રક્રિયાને લક્ષતી તેમણે ‘અનુભાવના’ની વિશેષ શક્તિ સહૃદયમાં સ્થાપી છે તે આ સંદર્ભે ધ્યાનપાત્ર છે. તેઓ કહે છે કે કળાના અનુભવમાં લૌકિક સુખદુઃખથી પર એવું કોઈક તત્ત્વ રહ્યું હોય છે. એ તત્ત્વ આનંદ ન હોય તો પણ ‘ચિત્તને અનુકૂળ વેદના’ છે. આથી ‘આનંદ (pleasure)ને સ્થાને આપણે ‘પરનિર્વૃત્તિ’ કે ‘વૃત્તિઓની તલ્લીનતા (transport) ભાવસમાધિ મૂકી શકીએ.’૮૫ વધુમાં તેઓ સ્પષ્ટ કરે છે કે રસાનુભૂતિની આ ક્ષણે ભાવકની બુદ્ધિ શિથિલ થતી નથી પણ તીવ્ર ને સૂક્ષ્મ બનીને પ્રવર્તે છે. એમાં ‘વિવેક અને વીર્ય’ પ્રગટ થાય છે. ‘રજૂ થયેલી પરિસ્થિતિમાં તેને વ્યવસ્થા સમગ્રતા અનિવાર્યતા ને રહસ્યમયતા જણાય છે. એના જ્ઞાનથી, અવબોધથી, સત્ય દર્શનથી ચિત્તમાં વિકાસની પ્રસન્નતા અનુભવાય છે.’૮૬ અને આવી ક્ષણને હૃદયની ‘મુદામય’ કે ‘પ્રીતિ’ની અવસ્થા તરીકે ઓળખાવી શકાય એમ તેઓ કહે છે. ‘ભિન્ન ભિન્ન કે પરસ્પર વિરુદ્ધ આદર્શ કે વિચારતાત્પર્યવાળાં કાવ્યો વિશે પણ ભાવક તલ્લીનતા તદાકારતા અનુભવી શકે એ મનુષ્યમાં રહેલી સમાન ભાવની શક્તિથી જ શક્ય બને છે. અનુભાવના શક્તિ તે આ જ સમસંવેદનની શક્તિ.’—એ રીતે ‘અનુભાવનાશક્તિ’નું વર્ણન પણ તેમણે આપ્યું છે.&lt;br /&gt;
કૃતિના આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચકની ચેતના સમગ્રતયા સક્રિય બને છે એમ નોંધી તેઓ વધુમાં સ્પષ્ટતા કરે છે : ‘જ્ઞાન સ્મૃતિ અને સંવેદનના પૂરા વ્યાપારથી’ કૃતિમાં લીન થવાની વિવેચકની તત્પરતા તથા શક્તિ જોઈએ. એ કંઈ માત્ર હૃદયનો કે બુદ્ધિનો કે સ્મૃતિનો એકદેશીય વ્યાપાર નથી. ચિત્તની બધી શક્તિઓ પરસ્પર સંવાદી બનીને તેમાં સક્રિય બનતી હોય છે. સમૃદ્ધ કળાકૃતિ ભાવકના હૃદયમાં જે અપૂર્વ આહ્‌લાદ જન્માવે છે તે વિવેચનની આધારશિલા છે. રામનારાયણ પાઠકની જેમ વિષ્ણુપ્રસાદ પણ રસાનુભવની ‘ઉત્કટતા’ને કૃતિના ‘ગુણનો ગજ’ બને એવી સંભાવનારૂપે સ્વીકારે છે. અલબત્ત, ‘આનંદ’નું સ્વરૂપ તેણે તપાસવાનું રહે છે. આપણે અહીં નોંધવું જોઈએ કે કળાના આનંદ જેવા અતિ સૂક્ષ્મ તત્ત્વની પરીક્ષા કરવાનું સરળ નથી. બુદ્ધિનાં ઓજારોથી એનું ગ્રહણ કરવાનું અત્યંત મુશ્કેલ છે. પણ, આ સંદર્ભમાં વિષ્ણુપ્રસાદ, યથાર્થ રીતે જ, આનંદના સ્રોતસમી કૃતિને તેના ‘અખિલ સ્વ-રૂપે’ તપાસવાનું સૂચવે છે.&lt;br /&gt;
“કયો વિચાર મૂળથી ફૂલ સુધી શાખાપ્રશાખામાં ફરતો ઘાટ લેવા પ્રયત્ન કરે છે તે એને જણાશે. જેના પુનઃ કલ્પનમાં વિવેચનને સુખ લાગે છે તેના મૂળમાં કયો સર્જક રહસ્યાત્મક ભાવવિચાર પડ્યો છે તે એ શોધી કાઢશે અને એના રમણીય આવિષ્કારમાં સાહિત્યકારે શી કલા યોજી છે—અથવા એનાથી શી યોજાઈ ગઈ છે—તે તપાસશે.”૮૭ અહીં સ્પષ્ટ જોઈ શકાશે કે કૃતિની રૂપ-નિર્મિતિમાં સક્રિય બનેલા ઋતને ગ્રહણ કરવાની વાત શ્રી વિષ્ણુપ્રસાદ કરે છે. આખી કૃતિનો વિકાસવિસ્તાર જે કોઈ બીજરૂપ વસ્તુમાંથી થયો છે તેને શોધી તેના અનુલક્ષ્યમાં કૃતિના અંગેઅંગનો ‘અર્થ‘ પામવાનો છે. સાહિત્ય કૃતિની સજીવ એકતા (organic unity)નો ખ્યાલ તેમને અહીં અભિપ્રેત હોય એમ જણાશે. (નવ્ય વિવેચક ક્લિન્થ બ્રૂક્સે પણ સાહિત્યકૃતિની સજીવ એકતા વૃક્ષના રૂપકથી સ્પષ્ટ કરેલી છે.) જોકે વિષ્ણુપ્રસાદ આકારવાદી નથી. તેમની સાહિત્યચર્ચામાં કૃતિની સજીવ એકતા અને અખિલાઈનો આ રીતે સ્વીકાર છે, પણ આકૃતિમાં જ સાહિત્યકારનું વિશ્વ પરિબદ્ધ નથી. સાહિત્યને વ્યાપક જીવન જોડે ઊંડો, ઘણો ઊંડો સંબંધ છે, એમ સ્વીકારીને તેઓ ચાલે છે. એટલું જ નહિ, જીવનનાં મૂલ્યોને પ્રસ્તુત કરવા જ કળાકાર તેને વિશિષ્ટ ઘાટ આપે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
અહીં બીજી એક વાત નોંધવાની રહે છે; અને તે એ કે કૃતિમાં મૂળથી ફૂલ સુધી શાખાપ્રશાખામાં ઘાટ લેવા ફરતા બીજભૂત વિચાર કે ભાવતત્ત્વને પકડવાનું સહેલું નથી, કદાચ એ અતિ મુશ્કેલ કામ છે. આધુનિક સમયની સંકુલ વ્યંજનાસભર કવિતામાં આવી બીજરૂપ વસ્તુને પકડવાનું તો આત્યંતિક જ મુશ્કેલ. નવ્ય વિવેચકોએ કૃતિનિષ્ઠ વિવેચનની જે પરંપરા ઊભી કરી–અથવા, તેમના દ્વારા જે પરંપરા ઊભી થઈ–તેમાં સૌથી મુશ્કેલ નિર્ણયાત્મક પ્રશ્ન તે દરેક વિશિષ્ટ આકૃતિ પાછળ સક્રિય બનેલી બીજરૂપ વસ્તુનું ગ્રહણ કરવાનો છે. કેમ કે, કૃતિના અનુભવમાં જે કોઈ ભાવ કે વિચારતત્ત્વને બીજરૂપે સ્વીકારીએ તે કેવળ એક hypothesisનું મૂલ્ય ધરાવતું હશે. કોઈ તાર્કિક વિચાર વિશ્લેષણથી તેની અનિવાર્ય સત્તા કૃતિમાં સ્થાપી શકાતી નથી. વિવેચક માટે કૃતિના આકલનનું કાર્ય એ રીતે પડકાર રૂપ બની રહે છે. સામાન્ય રીતે, સહજોપલબ્ધિ દ્વારા આવી કોઈ વસ્તુનું ગ્રહણ કરીને તે આ પ્રવૃત્તિમાં સક્રિય બનતો હોય છે.&lt;br /&gt;
વિવેચન વ્યાપારને અનુલક્ષીને વિષ્ણુપ્રસાદ બીજા તબક્કાનો જે ખ્યાલ આપે છે તે પણ ધ્યાનાર્હ છે : “ભાવો સમૃદ્ધ થતા થતા રસનું કેમ નિષ્પાદ કરે છે, કોઈ નવો ભાવયુક્ત વિચાર વીજળીની ચપળતાથી કવિ કેમ ચમત્કાર બનાવે છે, સમગ્ર કૃતિનો સંસ્કાર કોઈ અખંડ સુંદર આકાર જન્માવતી વ્યવસ્થાનો કેમ ખ્યાલ આપે છે, એ બધું ધીરજથી અને નિષ્ઠાથી તે વિલોકે છે. કવિ શું પ્રતિપાદિત કે પ્રગટ કરવા મથે છે તથા ભાષાલય આદિથી નીપજતાં સમગ્ર રૂપ દ્વારા પ્રતિપાદનમાં એને કેટલી સફળતા મળી છે એ જુવે છે. વિવેચનમાં આ પૃથક્કરણાત્મક તારણ અને પૂર્વોકત હૃદયનો આનંદ સમન્વિત થવો ઘટે.”૮૮ આ ચર્ચામાં કૃતિના આકલન પછીના વિશ્લેષણવ્યાપારની તેઓ વાત કરવા ચાહે છે કૃતિનો રસાનુભવ કે આનંદ એમાં લુપ્ત થતો નથી. અર્થાત્‌ આનંદના મૂળમાં જે રહસ્યાત્મક ભાવ રહ્યો છે તેનું અનુસંધાન તો છેવટ સુધી જારી રહે છે, પણ હવે વિવેચક એ આનંદના પ્રભાવમાં રહેલાં ‘કારણો’ની ખોજ આરંભે છે. કૃતિમાંની ભાષાભિવ્યક્તિ લય આદિ તત્ત્વોની સમર્પકતાનો વિચાર એ રીતે થાય છે. આમ જુઓ તો, ભાવકની આનંદાનુભૂતિ એ કેવળ આત્મલક્ષી બાબત છે, એનું વર્ણન એના સ્રોત રૂપ એની કળાકૃતિના સંદર્ભ વિના ભાગ્યે જ સંભવે છે. પ્રશ્ન વિવેચક પોતાના કળાત્મક અનુભવ સાથે કેવી રીતે કામ પાડે તેનો છે.&lt;br /&gt;
વિવેચન એ સર્જન છે કે શાસ્ત્ર, એવો વિવાદ જે સમયે આપણે ત્યાં ઉગ્ર બન્યો હતો ત્યારે વિષ્ણુપ્રસાદ પણ આ વિશે ચર્ચાવિચારણા કરવા ઉદ્યુક્ત બન્યા હતા. વિવેચનની ‘સર્જકતા’નો તેઓ પણ આગવી રીતે પુરસ્કાર કરે છે તે સૂચક છે : “વસ્તુલક્ષી અવગાહન ને પૃથક્કરણ અને આત્મલક્ષી આનંદનો જેટલા પ્રમાણમાં વિવેચનમાં સમન્વય થાય, વિવેચન જેટલે અંશે અનુભવેલા આનંદના ઉત્સાહથી અનુપ્રાણિત થાય તેટલે અંશે તેમાં સર્જનના ગુણો આવવાના. વળી, વાચક વિવેચકનો પ્રતિભાવ લેખકની ભાવસૃષ્ટિમાં જ પુરાઈ રહેતો નથી. વિવેચક અને સર્જકની વૈયક્તિક સૂક્ષ્મ સંપત્તિ જુદી જુદી અને કદાચ જુદી જુદી સામાજિક ભૂમિકાની પણ હોય. વિવેચકનો પ્રતિભાવપિંડ પણ કૃતિને વળગેલો છતાં મુકત રીતે આકાર લે છે. એને લીધે સર્જનના અંશો વિવેચનમાં પ્રવેશી શકે.”૮૯ આપણે અહીં ખાસ નોંધવાનું છે કે વિવેચનના લખાણને તેઓ પૂર્ણતયા સર્જનની કોટિનું કે સર્જનાત્મક સ્વરૂપનું લેખવતા નથી. ‘સર્જનના અંશો’ એમાં પ્રવેશે, પ્રવેશી શકે, એટલું જ એમને કહેવું છે. અલબત્ત, આ રીતે વિવેચનરીતિમાં પ્રભાવવાદી (impressionistic) વલણોને તેઓ અવકાશ રચી આપે છે. કૃતિ વાંચતાં અનુભવાયેલી પ્રસન્નતા, આનંદોદ્રેક, અને ઉત્સાહભાવ વિવેચનમાં વ્યક્ત થાય એ વસ્તુ તેમને સ્વીકાર્ય છે. વળી, વિવેચકનો પ્રતિભાવ કૃતિ સાથે જોડાયેલો છતાં તેની પરિસીમામાં બદ્ધ થઈ જતો નથી. તેમાંના કોઈ ને કોઈ મુદ્દા નિમિત્તે, સંબંધિત પ્રશ્ન વિશે કે બીજી રીતે થોડીક મુક્ત વિચારણાને ય અવકાશ રહે છે. વિજ્ઞાનના વિષયમાં વિચારવિશ્લેષણની જે ચુસ્તતા અને જે શિસ્ત સંભવે છે તે વિવેચનમાં સંભવતી નથી એમ તેમને અભિપ્રેત છે. જો કે આ રીતે મુક્ત નિરૂપણમાં સર્જકતાનાં કયાં તત્ત્વોને સ્વીકારી શકાય, ક્યાં સુધી તે નિર્વાહ્ય ગણાય તે પ્રશ્નો ય વિચારવાના રહે છે.&lt;br /&gt;
પણ વિવેચકનું કાર્ય તેની આનંદાનુભૂતિના આલેખનમાં તેમ તેના વિશ્લેષણ વ્યાપારમાં પૂરું થતું નથી. દરેક સાહિત્યકૃતિ જીવનનું કોઈ રહસ્ય લઈને આવી હોય છે, જીવનવિચાર કે જીવનમૂલ્ય તરફ લેખકનું વલણ કેવું છે તેના સંકેત લઈને આવી હોય છે. આ રીતે સર્જકની સાહિત્યપ્રવૃત્તિ ભાવકના ચિત્ત પર કોઈ ‘વિશિષ્ટ સંસ્કાર’ મૂકી જાય છે. વિવેચકે એવા સંસ્કારનું મૂલ્ય પણ તપાસવાનું રહે છે. એક રીતે, સાહિત્યની જે સૂક્ષ્મ અસરો વાચકના મન પર પડે છે તેની સમીક્ષા તેણે હાથ ધરવાની છે. કાર્ય અત્યંત કપરું છે તેનો સ્વીકાર કરીને તેઓ ચાલે છે. પણ વિવેચક માટે એ જ તો મોટો ધર્મ છે. તાત્પર્ય કે સાહિત્યના વિવેચનના ભાગરૂપે વિવેચકે મૂલ્યબોધની ચિકિત્સા કરવાની છે. એ માટે વિવેચક પાસે જીવનનું ઊંડું જ્ઞાન જોઈએ, વિશાળ અનુભવ અને કલ્પનાશક્તિ જોઈએ, આંતરપ્રતીતિ જોઈએ, પરિણત પ્રજ્ઞા જોઈએ. વિષ્ણુપ્રસાદ માને છે કે મોટા વિવેચકો સાહિત્યની વિવેચના નિમિત્તે સમાજ અને સંસ્કૃતિની વિવેચના પણ કરે છે. જીવનનાં ઉદાત્ત મૂલ્યો અને ભાવનાઓનો તેઓ સતત પુરસ્કાર કરે છે, તો તેનુ સંરક્ષણ-જતન પણ કરે છે : કહે છે – “કૃતિકૃતિનાં કવિકવિનાં વિવિધ રહસ્યોના તારતમ્યનિર્ણયનું કામ કોઈ પણ પ્રજાની માનસિક જીવંતતા અને પ્રગતિ માટે અનિવાર્ય છે”૯૦ તેમના વિવેચનવિચારની આ એક મહત્ત્વની ભૂમિકા છે.&lt;br /&gt;
વિવેચનના (કે વિવેચકના) કાર્યનું સ્પષ્ટીકરણ કરતાં તેઓ કહે છે :  “સહૃદયતા ને કલ્પનાથી સમજવું ને માણવું, ઐતિહાસિક ને તુલનાત્મક દૃષ્ટિએ આલોચના કરવી, અને વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં કૃતિમાંના જીવનરહસ્યને કે કર્તાના જીવનદર્શનને મૂકી આપવું એ ત્રિવિધ કર્તવ્ય વિવેચકનું છે. એના ત્રીજા પ્રકારના કર્તવ્યમાં તે જીવન-ફિલસૂફ અને કલા-ફિલસૂફ બને છે. અથવા તેની પોતાની ફિલસૂફીને ઉપયોગમાં લે છે.”૯૧ વિષ્ણુપ્રસાદની આ વિચારણા જરા નિકટતાથી જોવાની રહે છે. કૃતિને ‘સમજવા’ની અને ‘માણવા‘ની વાત, અલબત્ત, સ્પષ્ટ સમજાય તેવી છે. એના અનુસંધાનમાં વિવેચ્ય કૃતિને “ઐતિહાસિક’ અને ‘તુલનાત્મક’ દૃષ્ટિએ તપાસવાની તેમણે જે વાત કરી તે પણ ધ્યાનાર્હ છે. સાહિત્યકૃતિ જે ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે નીપજી આવી હોય છે, તે સર્વેને લક્ષમાં લઈ કૃતિની મૂલ્યવત્તાનો વિવેચકે વિચાર કરવાનો છે એમ તેઓ કહે છે. પશ્ચિમમાં ટેઈન આદિ અભ્યાસીઓએ વિવેચનમાં ઐતિહાસિક અભિગમની પ્રતિષ્ઠા કરેલી તેની સાથે વિષ્ણુપ્રસાદનો મત સરખાવી શકાય. પણ વિવેચકના ત્રીજા કાર્યનો જે ખ્યાલ રજૂ કર્યો છે તે વિચારણા માગે છે. કૃતિના ‘જીવનરહસ્ય’ને કે કર્તાના ‘જીવનદર્શન’ને ‘વર્તમાન સમયની બૌદ્ધિક હવામાં’ મૂકવા જતાં, વિવેચકના પોતાના દર્શન સામે તપાસતાં, મૂળ કૃતિ કે કર્તાને અન્યાય ન થાય? સાહિત્યકારે તો એનું એક આગવું વિશ્વ રચ્યું છે. એ એના પોતાના સંદર્ભમાં આત્મપર્યાપ્ત છે અને એવી કૃતિમાંથી તારવેલા ‘રહસ્ય’ કે ‘દર્શન’ને વર્તમાન સમયનાં જ્ઞાનવિજ્ઞાનની એરણ પર કસવાનું જરૂરી છે ખરું? વ્યાજબી છે ખરું? અને વર્તમાનમાં પરસ્પરવિરોધી અનેક તત્ત્વચર્ચાઓ વિકસતી જતી હોય તેમાં કઈ વિચારણાને તે નિકષ તરીકે સ્વીકારશે? રામનારાયણ પાઠકની જેમ વિષ્ણુપ્રસાદ પણ વિવેચક પાસે ફિલસૂફની દૃષ્ટિ માગે છે. કૃતિમાં વ્યક્ત થયેલા ‘રહસ્ય’ કે ‘દર્શન’ની પણ સમીક્ષા કરવાની છે, અને કૃતિનું એ રીતે અંતિમ મૂલ્ય આંકવાનું છે એમ તેઓ કહે છે. પણ એ જાતની સમીક્ષામાં સર્જકતાનો મુદ્દો અંતે અપ્રસ્તુત બની જશે.&lt;br /&gt;
ઐતિહાસિક અભિગમ વિશે વિષ્ણુપ્રસાદના મંતવ્યને આપણે, અલબત્ત, યથાર્થ પરિપ્રેક્ષ્યમાં લેવાનું રહે છે. તેઓ એમ બતાવવા ચાહે છે કે ‘વિકસતું વિવેચન ભાનપૂર્વક’... ‘તુલનાત્મક અને ઐતિહાસિક’ બની રહે છે. એના દૃષ્ટાંત લેખે આપણી મધ્યકાલીન કૃતિઓનો તેઓ નિર્દેશ કરે છે. ‘સામાજિક સંનિવેશમાં’ આખ્યાન રજૂ થતું, તેને પૂરેપૂરું લક્ષમાં લીધા વિના, તેને બરોબર સમજ્યા વિના, તેનું કોઈ પણ વિવેચનમૂલ્યાંકન અધૂરું જ રહેવાનું એમ તેઓ કહે છે. તેમની અપેક્ષા તો એવી છે કે ભાલણ પ્રેમાનંદના સમયની ધર્મભાવના (કે ધર્મશ્રદ્ધા)ને પણ ઓળખી લેવાની રહે. મિલ્ટનકૃત ‘પેરેડાય્‌ઝ લોસ્ટ’ના વિવેચન માટે ય આ એટલું જ સાચું છે. આમ વિષ્ણુપ્રસાદે વિવેચનના ઐતિહાસિક અભિગમનો સહજભાવે સ્વીકાર કર્યો જણાશે.&lt;br /&gt;
પાશ્ચાત્ય વિવેચનની પરંપરામાં વિવેચનના વિવિધ અભિગમો (કે પદ્ધતિઓ)નો ઉદ્‌ભવવિકાસ એક રસપ્રદ ઘટના બની રહે છે. આ સદીના ત્રીજા ચોથા પાંચમા દાયકામાં અમેરિકામાં ‘નવ્ય વિવેચન‘ (new criticism, formalistic criticism તરીકે ય ઓળખાતું રહ્યું છે) જન્મ્યું અને વિકસ્યું, તે પૂર્વે પરંપરાગત વિવેચનમાં-ચરિત્રલક્ષી અભિગમ (biographical approach), સ્વરૂપલક્ષી અભિગમ (generic approach), ઐતિહાસિક અભિગમ (historical approach), નીતિલક્ષી અભિગમ (moral approach), પ્રભાવવાદી અભિગમ (impressionism), રસલક્ષી અભિગમ (aesthetic criticism), સર્જનાત્મક વિવેચન (creative criticism)-જેવી વિભિન્ન ‘રીતિઓ’ અસ્તિત્વમાં આવી હતી. એના પુરસ્કર્તા સર્જકો/વિવેચકોએ, અલબત્ત, આવી ‘રીતિ’ વિશે સભાનપણે વિચાર્યું હતું એટલે ત્યાં એવી રીતિ કે અભિગમનો સભાન સ્વીકાર અને તેમાંથી સહજ જન્મી આવતા વિવેચનની અલગ ધારા કે અલગ તબક્કા જોઈ શકાશે. જોકે ત્યાંયે છેક ગઈ સદી સુધી આવા એકથી વધુ અભિગમોને, યથાવકાશ, જાણ્યેઅજાણ્યે સમાવી લઈને ચાલતું વિવેચન પણ મોટો પ્રવાહ રચે છે.&lt;br /&gt;
આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સાહિત્યના આકાર અને આકારવાદની ચર્ચાઓ શરૂ થઈ અને સુરેશ જોષી દ્વારા આકારવાદી વિવેચનની પ્રવૃતિ આરંભાઈ, તે સાથે આપણા વિવેચનની પદ્ધતિઓ/અભિગમો વિશે કેટલીક ત્રૂટક ચર્ચા વિચારણાઓ પણ શરૂ થઈ, પણ સ્વાતંત્ર્ય પહેલાંના આપણા વિવેચનમાં આ અંગે સભાનપણે ખાસ ચર્ચાઓ થઈ નથી. અલબત્ત, બળવંતરાયના વિવેચનવિચારમાં તેમ વિષ્ણુપ્રસાદમાં ઐતિહાસિક તુલનાત્મક પદ્ધતિઓ વિશે પ્રાસંગિક ઉલ્લેખો મળે છે. અને એ રીતે એનું મહત્ત્વ પણ છે. પણ આપણી આગલી પેઢીના વિદ્વાનોએ ઘણું ખરું તો કૃતિ વિવેચનમાં યથાવકાશ કર્તાનું ચરિત્ર, તેનું મનોરાજ્ય, તેની સામાજિક ઐતિહાસિક પરિસ્થતિ, કૃતિનું સ્વરૂપ, રચનાગત પ્રણાલિઓ, પરંપરાઓ, સંબંધિત વિચારસરણીઓ આદિનો સાથે સાથે વિચાર કરવાનું વલણ કેળવ્યું હતું. વિષ્ણુપ્રસાદ પણ ઐતિહાસિક તુલનાત્મક અભિગમનો જે નિર્દેશ કરે છે, તેમાં તેમને કૃતિ/કર્તા વિશેના બાહ્ય સંદર્ભોની સમીક્ષા વિશેષ અભિપ્રેત છે. ગોવર્ધનરામની પ્રસિદ્ધ કૃતિ ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪) વિશેનું તેમનું અધ્યયન-વિવેચન આ અભિગમનું સરસ દૃષ્ટાંત બની રહે છે.&lt;br /&gt;
વિવેચકનું પરમ કર્તવ્ય કૃતિનું મૂલ્યાંકન છે. એ માટે વિવેચકે જીવનનાં ઉદાત્ત અને શ્રેયસ્કર તત્ત્વોને લક્ષમાં લેવાનાં રહે. ‘સાહિત્યનો ગર્ભ જીવન છે’ એ તેમના ચિંતન-વિવેચનની કેન્દ્રીય ભૂમિકા છે. “જીવનની વિશાળતા, તેનાં ઊંડાણ અને સનાતનતાનો કેટલો સ્પર્શ તેમાં થાય છે, તેના ઉપર તેની અંતિમ મૂલ્યવત્તા અને મહાનતાનો આધાર છે.... અન્ય ગુજરાતી નવલકથાઓ કરતાં ‘સરસ્વતીચંદ્ર’ મહાન છે તે એમાં પ્રતિબિંબિત થતી જીવનની સૂક્ષ્મતા અને વિશાળતાને લીધે; આપણાં આખ્યાનો કરતાં મહાભારત રામાયણ મહાન છે તે પણ એમાં વરતાતી વ્યાપકતા અને ક્રાન્તદૃષ્ટિને લીધે. સાહિત્યકૃતિ જીવન વૈચિત્ર્યનો, જીવન વ્યાપી સત્યનો અને નિતાન્ત રમણીયતાનો યુગપત જેટલો બોધ કરાવે તેટલી તેની ઉચ્ચતા.”૯૨ સાહિત્યના વિવેચનમાં આમ તેની ભાષા, લય, શૈલી, આકારની તપાસથી માંડીને તેમાં રજૂ થતા જીવન વિચારના મૂલ્યાંકન સુધીનાં કાર્યો સમાઈ જાય છે. ટી. એસ. એલિયટે આ વિશે રજૂ કરેલા મંતવ્ય સાથે એને મૂકી શકાય. એલિયટનું વિધાન છે : “The ‘greatness’ of literature cannot be determined solely by literary standards, though we must remember that whether it is literature or not can be determined by literary standards.”૯૩ વિષ્ણુપ્રસાદની દૃષ્ટિમાંય મહાન પ્રશિષ્ટ સાહિત્ય રહ્યું છે. એટલે જ ‘મહાન સાહિત્ય’ની તેમને ખેવના રહી છે; અને એવા મહાન સાહિત્યના મૂલ્યાંકન અર્થે કેવળ સાહિત્યિક ધોરણો પૂરતાં નહિ થાય, જીવનનાં ધોરણો ત્યાં લાગુ પાડવાનાં રહે છે, એમ તેઓ પ્રતિપાદિત કરી રહે છે&lt;br /&gt;
વિવેચકના ‘ચારિત્ર્ય’નો અને તેની સજ્જતા વિશેનો તેમનો ખ્યાલ પણ ધ્યાનાર્હ છે : “વિવેચક જેટલો નમ્ર તેટલો નિષ્ઠાવાળો થઈ, શુદ્ધ બુદ્ધિથી પોતાની ચેતનાને સાહિત્યકૃતિને સોંપે છે. સાહિત્યકૃતિ એના ચિત્તને સંપૂર્ણપણે અસર કરી શકે એવી વૃત્તિથી એ વાંચે છે. કૃતિમાં વર્ણવેલી લાગણીઓ અનુભવવા એ સહૃદય છે. કૃતિમાં ઉપસાવેલાં ચિત્રો જોવા એ કલ્પનાશીલ છે; સામ્ય અને વિરોધના વૈચિત્ર્યથી ઉદ્‌ભવતા સૌંદર્યને ઓળખવા તેને આંખ છે. વિચારોનાં ઊંડાણોને પહોંચી વળવા તેને જ્ઞાન અને બુદ્ધિ છે. આ બધાનો સમાવેશ સહૃદયતામાં થઈ શકે.”૯૪ વગેરે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિમાં, ‘ભાવકની ‘સહૃદયતા’નો સ્વીકાર કરીએ તોયે, એકની એક કૃતિ વિશે વારંવાર તીવ્ર મતભેદો પ્રવર્તતા હોય છે. વિવેચનનો આખો ઇતિહાસ એ રીતે મતમતાંતરોથી ભર્યો છે. તો આ જાતનાં મતમતાંતરો કોઈ રીતે દૂર કરી શકાય? કે ઓછાં કરી શકાય? કેવળ વૈયક્તિક રુચિઅરુચિથી મુક્ત એવું કોઈ ‘શાસ્ત્ર’ ઊભું કરી આપી શકાય ખરું? – વિવેચનમીમાંસાના આ કૂટ પ્રશ્નો રહ્યા છે. વિષ્ણુપ્રસાદ આ સંદર્ભમાં એમ સ્પષ્ટતા કરે છે કે કૃતિ વિશેના અનુભવો અને અભિપ્રાયોમાં એકેએક ભાવક મૂળભૂત રીતે જુદો પડતો હોય તો તો વિવેચનને શાસ્ત્રીય ભૂમિકા પર ઉઠાવવાનું શક્ય જ ન બને. પણ દરેક પ્રજા પોતાની પરંપરામાં રચાયેલી/રચાતી આવતી કૃતિઓ વિશે જે રીતે પ્રતિભાવ પાડે છે, તેને બિરદાવે છે કે તિરસ્કારે છે, તેમાં તેના લાક્ષણિક રુચિતંત્રના અણસાર મળે છે. તેમના પ્રતિભાવોમાં જ્યાં ઘણી સમાનતા જોવા મળે છે ત્યાં કળાનાં કે જીવનનાં અમુક મૂલ્યો માટેની પસંદગી કે રુચિ પ્રગટ થાય છે. સાહિત્યકળાના સ્વરૂપ અને કાર્ય વિશેની, તેની ઉપયોગિતા વિશેની, અમુક વ્યાપક સમજ અને સ્વીકારની ભૂમિકા છતી થાય છે. સર્જકોવિવેચકો સાહિત્યકૃતિઓ વિશે જે રીતે ચર્ચાવિચારણાઓ કરતા રહે છે તેમાંય અમુક મૂલ્યો માટે સર્વસંમતિ, સર્વસંમતિ નહિ તો ય બહુમતિ, વર્તાય છે. એટલે આ બધી બાબતોને લક્ષમાં લઈને વિષ્ણુપ્રસાદ એવી આસ્થા પ્રગટ કરે છે કે સાહિત્યની કળા અને સૌંદર્યતત્ત્વ વિશે અમુક ધોરણો ચોક્કસપણે નિર્ણિત કરી શકાય એમ છે. “સાહિત્યને સિદ્ધાંતો છે અને તદ્‌નુસાર તેના તે જ નહિ પણ સાહિત્યના શુદ્ધ અને ઉચ્ચ રૂપને અનુકૂલ વિવેચનના પણ સિદ્ધાંતો છે.”૯૫ અને આ વિશે સ્પષ્ટીકરણ કરતાં નોંધે છે : “જીવનની બીજી ઘટનાઓ માફક, વનસ્પતિજીવન કે પ્રાણીજીવનની ઘટનાઓ માફક, સાહિત્ય એ ઘટના છે, હકીકત છે. તેનો ઉદ્‌ભવ, તેનું ઉપાદાન, લોકહૃદયમાં અર્થાત્‌ યોગ્ય પરિસ્થિતિમાં તેની અસર, એ સર્વ ધ્યાનમાં લઈ એ સર્જનના નિયમો શોધી કાઢવાના છે. સાહિત્યથી સ્વતંત્ર નિયમોનું અસ્તિત્વ કલ્પી તેને લાગુ પાડવાનું કામ વિવેચનશાસ્ત્રીનું નથી. ઉચ્ચ સાહિત્યમાં નિયમો જે પ્રવર્તતા લેખાતા હોય તેનું વ્યાપ્તિનિબંધનનું કામ વિવેચનનું છે ખરું.”૯૬ વિષ્ણુપ્રસાદને આ ચર્ચામાં જે વસ્તુ અભિપ્રેત છે તે પકડવાનું મુશ્કેલ નથી. વિવેચનનું ય શાસ્ત્ર રચી શકાય એમ તેમને કહેવું છે. ‘ઉત્કૃષ્ટ સર્જનોમાં જે જે નિયમો વ્યાપકપણે પ્રવર્તતા હોવાનું પ્રતીત થાય’ તેને અનુલક્ષીને વિવેચનનાં ‘અમુક વ્યાપક ધોરણો’ બાંધી શકાય. પણ અહીં સાહિત્યકૃતિઓને વનસ્પતિ છોડ આદિ પ્રાકૃતિક પ્રદાર્થોની સાથે મૂકીને વિચારવા જતાં થોડી ગૂંચ ઊભી થતી જણાય છે. જે અર્થમાં વનસ્પતિશાસ્ત્રી માટે વનસ્પતિજગતની કોઈ પણ જાત specie એક fact છે કે પ્રાણીજગતમાં કોઈ પ્રાણી fact છે, એ અર્થમાં સાહિત્યકૃતિને fact ન લેખી શકાય. કોઈ પણ કળાકૃતિ-સાહિત્ય ચિત્ર શિલ્પ કોઈપણ એમાં નિહિત રહેલા, કહો કે માનવપ્રતિભાએ મૂર્તિમંત કરેલા, કોઈ અપૂર્વ રહસ્યને કારણે મૂલ્યસભર વસ્તુ છે. અને એ મૂલ્યની અસ્તિતા સહૃદય જ ઓળખી શકે. બલકે, એકની એક કૃતિના મૂલ્ય પરત્વે સહૃદયોમાં ય મોટા મતભેદ સંભવે છે. તાત્પર્ય કે, કલાકૃતિનું ontological status પ્રાકૃતિક પદાર્થોથી જુદું છે. અને, એટલે જ, વનસ્પતિ કે પ્રાણીજગતમાં inductionalથી વ્યાપ્તિ બાંધી શકાય તેવા નિયમો સાહિત્યના ઉદ્‌ભવવિકાસને અનુલક્ષીને બાંધી શકાય નહિ. સાહિત્યની ગતિવિધિનાં, એના આકાર શૈલી અને રચનાપરિવર્તનનાં અમુક ચોક્કસ વલણો, અલબત્ત, તારવી શકાય. અગાઉ વિષ્ણુપ્રસાદે રજૂ કરેલું મંતવ્ય ફરીથી ઉલ્લેખીએ તો, તેની ‘મીમાંસા’ રચી શકાય પણ તેનું ભૌતિક વિજ્ઞાનો જેવું વિજ્ઞાન તો ન રચી શકાય.&lt;br /&gt;
વિવેચનમીમાંસાનો બીજો મહત્ત્વનો મુદ્દો આ સાથે વિષ્ણુપ્રસાદે છેડ્યો છે. સાહિત્યકૃતિમાં તેના સર્જકનો વિશિષ્ટ અનુભવ મૂર્તિમંત થયો હોવાથી તેને વિશિષ્ટ રૂપ મળ્યું છે. દરેક કૃતિ એ રીતે અનન્ય હોય છે. દરેકમાં કશુંક અપૂર્વ વ્યક્ત થયું હોય છે. તો એવી અ-પૂર્વ કૃતિને મૂલવવા અગાઉના કૃતિસમૂહો પરથી તારવેલાં વિવેચનનાં ધોરણો કેટલે અંશે ઉપકારક બને, કેટલે અંશે પ્રસ્તુત બને, તે પણ વિચારવાનું રહે. કેટલાક એમ કહે છે કે દરેક કૃતિને મૂલવવાનાં આગવાં ધારણો/કસોટીઓ જે તે કૃતિમાંથી જ શોધી લેવાનાં રહે છે. વિષ્ણુપ્રસાદ એની સામે વાંધો લે છે કે વાસ્તવમાં એ રીતે તો કૃતિ કૃતિ વચ્ચે ઉચ્ચાવચતાના – તારતમ્યના – નિર્ણય અર્થે કોઈ ધોરણ/કસોટી રહેતાં જ નથી. વિવેચનપ્રવૃત્તિ સામે આમ મૂળથી એક મોટી આપત્તિ ઊભી થાય છે. દરેક કૃતિમાં કશુંક અનન્ય છે. પણ એ તત્ત્વને કારણે અન્ય કૃતિઓ સાથે તેની તુલના જ ન થઈ શકે એવું તો નથી. વિવેચનનું આપણે જેને ‘ધોરણ‘ તરીકે સ્થાપ્યું (કે ‘કસોટી’ તરીકે આપણે જેનો સ્વીકાર કર્યો) તે કોઈ એકાકી કૃતિમાંથી જન્મ્યું હોતું નથી. અસંખ્ય કૃતિઓની કળાત્મક ઉત્કૃષ્ટતાનો ખુલાસો એ આપી શકે તો જ ‘ધોરણ’/ ‘કસોટી’ તરીકે તે માન્ય થાય. ‘ધોરણ’ (કે ‘કસોટી’)ની સ્થાપના જ, આમ, અસંખ્ય કૃતિઓની તુલના પર અવલંબે છે એમ કહી શકાય.&lt;br /&gt;
‘કૃતિના મૂલ્યાંકન અર્થે કૃતિ જ ધોરણો પૂરાં પાડે છે‘ અથવા ‘દરેક કૃતિના મૂલ્યાંકન અર્થે વિવેચકે એમાં પડેલાં ધોરણો જ લાગુ પાડવાનાં છે, બીજાં નહિ’ – આ જાતનાં સૂત્રો પાછળનો મર્મ કંઈક જુદો છે. વિવેચકે નવા આકારની કૃતિના આસ્વાદ મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતાં તેને પૂર્વજ્ઞાત એવા કોઈ નિયમોના ચુસ્ત ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરવાનો નથી, પણ કૃતિના વિશિષ્ટ આકારને ઝીલવા મનને મુક્ત રાખવાનું છે. પણ કૃતિમાં પ્રવેશ કરતાં તેની અભિવ્યક્તિની રીતિ, રચનાપ્રણાલિઓ, રચનાગત તરાહો, ઘટકોના અન્વયો, કલ્પનોત્થ ઊઠાવ (fictionality) અને તેનો આગવો વ્યવસ્થાક્રમ (order) એ બધું લક્ષમાં લઈ કૃતિનો આગવો આકાર અને તેની પાછળ કામ કરતા સર્જનાત્મક સિદ્ધાંતની ખોજ કરી લેવાની છે. આ રીતે વિશિષ્ટ રચનાગત ભાત કે આકૃતિને યથાર્થ રૂપમાં પકડવાનું તેને માટે શક્ય બનશે. અને પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતના વિશિષ્ટ આકૃતિના બોધમાં અગાઉ તેના અધ્યયનમાં આવેલી કૃતિઓની ભાષા, રચનારીતિ, ઘટકોના અન્વયો આદિના નિયમો પ્રત્યક્ષપણે નહિ, તો પરોક્ષપણે ઉપકારક બની રહેશે.&lt;br /&gt;
કૃતિ વિશેનો વિવેચનાત્મક અભિપ્રાય પ્રમાણભૂત બને, તે માટે વિવેચકે સર્જકનું પ્રસ્તુત કૃતિની રચના પાછળ ખરેખર કયું ‘ધ્યેય‘ હતું, તે પણ લક્ષમાં લેવાનું છે એમ વિષ્ણુપ્રસાદ કહે છે. પ્રસ્તુત કળાકૃતિના નિર્માણમાં સર્જકનું ‘વાસ્તવિક’ અને ‘પ્રામાણિક’ ધ્યેય શું હતું, એણે ‘પ્રાપ્ય સામગ્રી’ વડે શું સિદ્ધ કર્યું, કેટલું સિદ્ધ કર્યું, વગેરે પ્રશ્નોનો પણ વિવેચકે ખ્યાલ કરવો જોઈએ. અને એથી વિશેષ સર્જકે જે કંઈ ‘ધ્યેય’ નક્કી કર્યું છે, તે ભાવક હૃદયને કેટલું સંતોષે છે તે અંગેય તેણે વિવેકવિચાર કરવાનો રહે છે. આ આખો પ્રશ્ન artist‘s intentionનો છે. અગાઉ મણિલાલે આ જાતનો મુદ્દો છેડેલો, તેને અનુલક્ષીને આપણે સમીક્ષા કરી જ છે. તેનું પુનરાવર્તન અહીં નહિ કરીએ.&lt;br /&gt;
ચિત્રશિલ્પ આદિ લલિત કલાઓની તુલનામાં સાહિત્યકલા એક મહત્ત્વની બાબતમાં જુદી પડે છે એમ તેઓ કહે છે. તેમનું પ્રતિપાદન એમ છે કે સાહિત્યનું માધ્યમ ભાષા છે અને એ ચિત્રશિલ્પાદિ કળાઓનાં માધ્યમથી એ રીતે વિશિષ્ટ છે કે એમાં માનવકાર્ય-Human Action-નું આલેખન ગતિશીલ રૂપમાં સંભવે છે. નવલકથા નાટક મહાકાવ્ય પ્રબંધ આદિ કથામૂલક સ્વરૂપોમાં ‘કાર્યની મહત્તા’ પ્રગટ થાય છે અને એ કારણે ઊર્મિકાવ્ય કરતાં તે ચઢિયાતાં છે એમ તેઓ માને છે. જીવનનાં મૂલ્યોની તપાસ વિવેચકે માનવીના આ ક્રિયાશીલ રૂપને લક્ષમાં રાખીને કરવાની છે. જીવનના ઉદાત્ત અર્થો અને મૂલ્યો ‘ક્રિયાધર્મ’ રૂપે જ ઉપલબ્ધ થાય છે. નવલકથા નાટક જેવાં સ્વરૂપોમાં જ નહિ, ઊર્મિકાવ્ય જેવી ભાવપ્રધાન રચનામાંયે ‘ક્રિયા’ને લક્ષમાં લેવાની છે. સાહિત્યના આકારની દૃષ્ટિએ આ એક ધ્યાનપાત્ર મુદ્દો છે. એમાં નૈતિક અર્થનો મૂલ્યવાન મુદ્દો છે. વિષ્ણુપ્રસાદ નોંધે છે કે યોગ્ય પ્રમાણમાં ‘ક્રિયાના નિરૂપણનો અભાવ’ એ ભારતીય સાહિત્યનું લક્ષણ છે, તેમ તેનો દોષ પણ છે.&lt;br /&gt;
વિવેચકે સાહિત્યશાસ્ત્રનું કળાવિચારનું ગમે તેટલું વિશાળ અધ્યયન કર્યું હશે, પણ કૃતિવિશેષના આસ્વાદ મૂલ્યાંકનમાં છેવટે તેનું ‘અંતઃકરણ’ જ અંતિમ કસોટી બને છે. આ વાત બીજી રીતે મૂકીએ તો, દરેક વિશિષ્ટ કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે અમુક ધોરણ લાગુ પાડવાનું વ્યાજબી કહેવાય કે નહિ એવો નિર્ણયાત્મક (crucial) પ્રશ્ન તેને પોતે ઉકેલવાનો આવે છે; અને તે વખતે તેણે પોતે જ પોતાની સમગ્ર સમજ અને વિવેકદૃષ્ટિને લક્ષીને ચોક્કસ નિર્ણય લેવાનો રહે છે – આવી personal decisionની પ્રક્રિયામાંથી વિવેચકે હંમેશાં પસાર થવાનું આવે જ છે.&lt;br /&gt;
સાહિત્યકળામાં જે જે અર્થો મૂલ્યો અને ભાવનાઓ આપણે ઝંખીએ છીએ, અથવા કૃતિમાં વ્યક્ત થયેલા જે જે અર્થો ભાવનાઓ અને મૂલ્યો આપણને પ્રગાઢપણે સ્પર્શે છે, એ સર્વને આપણા તત્ત્વદર્શન સાથે ઊંડા સ્તરેથી સંબંધ રહ્યો હોય છે એમ પણ વિષ્ણુપ્રસાદ માને છે : “આપણી ફિલસૂફી, આપણું જીવન દર્શન, વિશ્વ પાછળ રહેલા અને તેને આવરીને નિયમમાં રાખનાર તત્ત્વ વિશે આપણી કલ્પના, જીવનની પરમ સાર્થકતા વિશે, જીવનસાફલ્ય વિશે, શ્રેયસ વિશે આપણી શ્રદ્ધા, એ સર્વને આપણી કલાની સાર્થકતા વિશેની કલ્પનાને અપરિહાર્ય સંબંધ છે. આપણી રસાસ્વાદની મીમાંસાને, નિરતિશય આનંદની વિચારણાને આપણી પરમતત્ત્વની વિચારણા સાથે ગાઢ સંબંધ છે.”૯૭ તેમની આ વિચારણા ઘણી ધ્યાનપાત્ર છે. કળા સર્જકતા અને સૌંદર્યના ખ્યાલો છેવટે તો ક્યાંક આપણા તત્ત્વદર્શન સાથે જોડાયેલા હોવાનું સમજાશે. અભિનવનું રસચિંતન શૈવાદ્વૈતની ભૂમિકા પર પ્રતિષ્ઠિત થયેલું છે એ તો જાણીતી વાત છે. પાશ્ચાત્ય પરંપરાના બે મહાન આદ્ય ચિંતકો પ્લેટો અને એરિસ્ટોટલની કળાવિચારણાને તેમની આગવી તત્ત્વદૃષ્ટિએ જુદો જ વળાંક આપ્યો હતો તે ય એટલી જ જાણીતી વાત છે. વિવેચકે આથી કળાકૃતિમાં મૂર્ત થતા અર્થો અને મૂલ્યોનો પોતાની સાંસ્કૃતિક પરંપરાના સંદર્ભે પણ વિચાર કરવાનો રહે છે. સાહિત્યસર્જન અને વિવેચન બંને પ્રવૃત્તિઓ એ રીતે ધર્મ દર્શન અને સંસ્કૃતિ સાથે ઊંડો માર્મિક સંબંધ ધરાવે છે.&lt;br /&gt;
ભાવકની રસવૃત્તિ(taste)ની સાપેક્ષતાના મુદ્દાને ય વિષ્ણુપ્રસાદે સ્પર્શ્યો છે. એ અંગે, મુનશીએ રજૂ કરેલો વિચાર અને આ. આનંદશંકરનો એ વિશેનો પ્રતિવાદ – એમ એક ઊહાપોહ તેમની પૂર્વે આરંભાઈ ચૂક્યો હતો. કૃતિના આસ્વાદમાં ભાવક સર્વથા સ્વતંત્ર છે, કોઈ નિયમો તેને બાંધતા નથી, એ મતલબનું મુનશીએ ઉચ્ચારણ કર્યું હતું. આ. આનંદશંકરની જેમ વિષ્ણુપ્રસાદ પણ એ સિદ્ધાંતની સામે વાંધો લે છે. કેવળ વૈયક્તિક રુચિને આધારે કૃતિનું વિવેચન ન થાય. એ રીતે વિવેચનપ્રવૃત્તિમાં કશી વ્યવસ્થા જેવું જ ન રહે, માત્ર અરાજકતા જ ફેલાય, એવી સાવધાની તેમણે ઉચ્ચારી છે. અલબત્ત, આસ્વાદમૂલ્યાંકનમાં વિવેચકના વ્યક્તિત્વનો-પ્રતિભાનો આગવો સંસ્પર્શ હોઈ શકે, આગવો મૂલ્યબોધ પણ સંભવે, પણ એની પાછળ પણ આગવું rationale પડ્યું હોય, પડ્યું હોવું જોઈએ, એવી તેમની અપેક્ષા રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૭}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રી સુંદરમ્‌ની સાહિત્યપ્રવૃત્તિ એમના સમવયસ્ક કવિમિત્ર ઉમાશંકર જોશીની જેમ છેલ્લાં પંચાવન સાઠ વર્ષના ગાળા પર વિસ્તરી રહેલી છે. કવિતા ટૂંકી વાર્તા નાટક વિવેચન નિબંધ પ્રવાસકથા આદિ વિભિન્ન ક્ષેત્રોમાં તેમની કલમ ગતિ કરતી રહી છે. જો કે આપણા સાહિત્ય જગતમાં વધુ તો કવિ તરીકે જ તેઓ જાણીતા રહ્યા છે. એથી વિવેચક કે ટૂંકી વાર્તાના સર્જક કે પ્રવાસકથા લેખક તરીકે તેમની જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ છે, તેના તરફ પણ કંઈક દુર્લક્ષ થયું હોવાનું ય લાગ્યા કરે છે. પણ ત્રીસીના ગાળાના આ સાહિત્યકારે લગભગ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં પોતાની શક્તિનો પૂરો હિસાબ આપ્યો છે, તેમની આગવી પ્રતિભાની મુદ્રા તેમના સમગ્ર સર્જન ચિંતનમાં અંકિત થયેલી છે. અલબત્ત, આટલા લાંબા સમયપટ પર જેમની કારકિર્દી વિસ્તરી હોય તેવા સાહિત્યકારની જીવનદૃષ્ટિમાં કે કળાદૃષ્ટિમાં કશુંક પણ પરિવર્તન ન આવ્યું હોય તો જ આશ્ચર્ય. અને, સુંદરમ્‌ની કારકિર્દીમાં તો ચોખ્ખો વળાંક આવ્યો છે. સુવિદિત છે તેમ, પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં જઈ વસ્યા અને યોગના માર્ગે વળી ગયા. એ સાથે તેમની જીવનગતિ બદલાઈ; અને તેમના સાહિત્યસર્જનમાં તેમ ચિંતનવિવેચનમાં શ્રી અરવિંદના જીવનદર્શનની ચોક્કસ નિર્ણયાત્મક અસરો પડી છે. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ ‘અર્વાચીન કવિતા’ ૧૯૪૬માં પ્રગટ થયો તેની પ્રસ્તાવનામાં કાવ્યકળા વિશે તેમણ જે વિચારો રજૂ કર્યા, તેમાં શ્રી અરવિંદની વિચારણાનો કદાચ પહેલી વાર ઘેરો પ્રભાવ પડ્યો છે. એ પછી તેમણે જીવન વિશે તેમ કવિતા વિશે જે કંઈ વિચારણાઓ કરી તેમાં સ્વાભાવિક રીતે જ એ વિચારણાનું ગાઢ અનુસંધાન રહ્યું છે. સાહિત્યના અભ્યાસીઓએ એક વાત જરૂર નોંધી હશે કે, પિસ્તાળીસ સુધીના ગાળામાં તેમણે જે કેટલોક સાહિત્ય વિચાર કર્યો હતો તેમાં તેમની સામાજિક અભિજ્ઞતા અમુક રીતે કામ કરી રહી હતી. ‘સાહિત્યચિંતન’માં આ ગાળાનાં જે કેટલાંક લખાણો ગ્રંથસ્થ થયાં છે, તેમાં પ્રગતિવાદી વિચારોનો અમુક પ્રભાવ જોઈ શકાશે. જો કે કવિતામાં સાહિત્ય માત્રમાં-રસતત્ત્વની પ્રતિષ્ઠા કરવાનું વલણ પણ આરંભથી એટલું જ બળવાન રહ્યું છે; બલકે, ‘અર્વાચીન કવિતા’માં આપણા નાનામોટા બધા જ કવિઓ વિશે તેમણે જે રીતે મૂલ્યાંકન કર્યું છે તેમાં રસકીય મૂલ્યનો વ્યાપક સ્વીકાર છે, વિવેચનનું તેમને મન એ પાયાનું મૂલ્ય રહ્યું છે. પાછળથી તેમણે જે કાવ્યચિંતન કર્યું તેમાં વિશેષે તો શ્રી અરવિંદને અભિમત કાવ્યભાવનાનું જ વિવરણ જોઈ શકાશે. કાવ્યમાં વ્યક્ત થતા ‘રસ’ને આધ્યાત્મિક દર્શનના પ્રકાશમાં ઘટાવવાનો તેમનો એમાં મુખ્ય ઉપક્રમ રહ્યો છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે જે કેટલુંક ચિંતન કર્યું – એમાંનું ઘણુંખરું તો ઉત્તરકાળનું છે – તેમાં શ્રી અરવિંદ દર્શનની ચોક્કસ પ્રેરણા રહી હોવાનું સમજાશે.&lt;br /&gt;
‘અર્વાચીન કવિતા’ની ઉપર નિર્દિષ્ટ પ્રસ્તાવનામાં સુંદરમ્‌ની વિવેચનતત્ત્વ વિશે આરંભની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે. કાવ્યકળાના સ્વરૂપનો અને તેના કાર્યનો વિચાર એમાં ભૂમિકા રૂપે રહેલો છે. શ્રી અરવિંદને અભિમત જીવન વિચાર પણ એમાં જોડાયેલો જ છે :&lt;br /&gt;
“...કળાએ–કાવ્યે પોતાનો સ્વધર્મ–સૌંદર્યનું, રસનું, આનંદનું નિર્માણ–ક્યારે સાધ્યો ગણાય? આ પ્રશ્ન છે રસના અનુભવનો, સૌંદર્યની જ્ઞપ્તિનો, આનંદની સિદ્ધિનો, જીવનમાં સ્થૂલ ઉપકરણો અને આવરણોમાંથી બળાત્કારે માર્ગ કરીને બહુ જ કુંઠિત રીતે રસ-સૌંદર્ય અને આનંદનાં જે ઝરણ વહે છે તેના આદિમ્‌ સ્રોત પાસે કળાકારે પહોંચવાનું છે.”૯૮ અને તેમના મતે આ જ કાર્ય ભોક્તા-સહૃદય વિવેચકનું ય છે : “જેવી રીતે જમીનનો રસ શેરડીનાં મૂળિયાંમાંથી ચડતો ચડતો અમુક પેરાઈએ પહોંચીને તેનું મિષ્ટતમ રૂપ પામે છે, તેવી રીતે કાવ્યનો શબ્દ, તેના લય, તેમાંનું તત્ત્વદર્શન રહસ્ય એ નિરૂપણની કોક અગમ્ય અપૃથક્કરણીય ક્રિયા દ્વારા અમુક કક્ષાએ રસવત્‌ બને છે, રસોત્પાદક, રસવાહ બને છે. એ શબ્દનું શ્રવણ થતાં, લયનું શ્રવણ થતાં, તેમાંના તત્ત્વની ઝાંખી થતાં, આપણા સંવેદનતંત્રમાં એક પ્રકારનો ઉત્કટ, ઘન, તીવ્ર, નિબિડ ઝંકાર થઈ રહે છે. કંઈક અપ્રાકૃત અનુભૂતિ અનુભવાય છે. આવી ત્રિવિધ સર્વાંગીન નિબિડતાનું નિર્માણ કરવું યા તેનું પોતામાં અનુસર્જન કરવું એ છે કવિનું કાર્ય, ભોક્તાનું સહૃદયનું વિવેચકનું કાર્ય.”૯૯&lt;br /&gt;
કૃતિનું પોતાનામાં રસલક્ષી સર્જન એ સર્જક માટે – તેમ વિવેચક માટે – સમાન કાર્ય બની રહે છે. સુંદરમ્‌ની આ વિચારણામાં બે વિશિષ્ટ મુદ્દાઓ પડેલા છે. એક, રસનિષ્પત્તિની ઘટના એ અમુક ઊર્ધ્વ ચેતનાના સ્તરે સંભવે છે. પ્રાકૃતતાના સ્તરેથી સર્જક/વિવેચકે ઊંચા ઊઠવાની અપેક્ષા એમાં છે. જો કે સંસ્કૃતના આચાર્યોએ રસને અલૌકિક ગણ્યો જ છે, અને લૌકિક/પ્રાકૃત ભાવસંવેદનથી તેની અલગ સત્તા સ્વીકારી છે તેમાં તેમની આ જાતની સમજ જ રહી છે એમ લાગે. પણ સહેજ ઊંડી તપાસ કરતાં જણાશે કે રસચૈતન્યના ઊર્ધ્વારોહણની સુંદરમે જે વાત કહી છે તેમાં શ્રી અરવિંદને અભિમત જીવનદર્શન અનુસ્યૂત રહ્યું છે, અને એ રીતે તેમની રસ વિચારણાને આગવી દાર્શનિક દૃષ્ટિ મળી છે, એમ આપણે અહીં નોંધવું જોઈએ. બીજો મુદ્દો એ કે, સર્જકના પરમ ગંતવ્ય સ્થાન તરીકે રસની પરમ સત્તા (Absolute)ની પ્રતિષ્ઠા તેમણે કરી, તો વિવેચકને પક્ષે પણ એ રસની ઉપલબ્ધિ એ જ મુખ્ય પ્રયોજન બની રહે છે. પણ આ જાતના અભિગમને કારણે કૃતિના અર્થઘટનના, મૂલ્યાંકનના કે મતમતાંતરોના તાર્કિક (કે તાત્ત્વિક) પ્રશ્નો તેમને માટે ગૌણ બાબત બની રહે છે.&lt;br /&gt;
પણ, સુંદરમ્‌ની વિવેચનતત્ત્વચર્ચા તેમના આગવા દૃષ્ટિકોણથી જુદો જ મરોડ લે છે. તેમણે ભોક્તાના/વિવેચકના સંવેદનતંત્રની વિકાસદશાને લગતો મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. તેમનું એમ કહેવું છે કે વિવેચકનું સંવેદનતંત્ર જેટલું સૂક્ષ્મ અને અનુભવક્ષમ અને પટુતમ તેટલો તેનો રસાનુભવ વધુ તીવ્ર અને વધુ સઘન હોય છે. ભાવકો/વિવેચકોના રસાનુભવમાં ભિન્ન ભિન્ન માત્રાનો સ્વીકાર કરીને તેઓ આ રીતે ચાલ્યા છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે ભાવકના ચિત્તની અમુક પ્રાકૃત દશા અને તેની કુંઠાઓને કારણે જ આવો માત્રાભેદ સંભવે છે. કાવ્યકળા વિશેના ચિંતનમનન દ્વારા તેમ જ અન્ય ભાવકોની પ્રસ્તુત કૃતિ વિશેની અનુભૂતિઓ સાથે તુલના દ્વારા તેણે પોતાનું રસતંત્ર ખિલવવાનું છે. આ માટે, અલબત્ત, ઉત્કૃષ્ટ કવિતાનો સીધેસીધો અને સઘન પરિચય ઘણો ઉપકારક નીવડી શકે. સુંદરમ્‌ એમ પ્રતિપાદન કરવા ચાહે છે કે ભાવકો/વિવેચકોના રુચિવિકાસની વિવિધ કક્ષાઓને કારણે પણ વિવેચ્ય કૃતિઓની ગુણ સમૃદ્ધિ વિશે ઘણા અભિપ્રાયભેદો સંભવે છે. રસાનુભવની જે કંઈ આંતરક્ષમતા હોય તે પ્રમાણમાં તેઓ રસાનુભૂતિ કરી શકશે. અહીં આપણી સામે નવો મુદ્દો ઊભો થાય છે. કૃતિના વસ્તુલક્ષી કોટિના ગુણદોષો એક વાત છે, ભાવકની કક્ષા બીજો મુદ્દો છે. એ રીતે રસાનુભૂતિની સાપેક્ષતાનો એક વાસ્તવિક જટિલ કોયડો છે એ વાતનું તેઓ સૂચન કરી રહે છે. ભાવકના અધિકારના પ્રશ્નને સ્પષ્ટપણે તેઓ મૂકી આપે છે : “ઉચ્ચ કોટિનો રસાનુભવ, સૌંદર્યજ્ઞપ્તિ–આનંદદર્શન એ પણ સંવેદનતંત્રના પરિપાકનો વિષય છે. આ વસ્તુને આપણે અધિકારભેદથી ઓળખતા આવ્યા છીએ : આ અધિકાર વસ્તુતઃ છે અનુભવશક્તિનો વિકાસ, સંવેદનક્ષમતા, ગ્રહણશીલતા, રુચિ અને સંસ્કારનો અનુભવબળે તેમ જ આંતરિક સામર્થ્યના આવિર્ભાવને લીધે ક્રમશઃ ઉપચય પામેલો પરિપાક.”૧૦૦ તાત્પર્ય કે, વિવેચકના પક્ષે ઘણા મોટા અધિકારની તેમણે અપેક્ષા રાખી છે.&lt;br /&gt;
સર્જનપ્રવૃત્તિનું સુંદરમે યોગ્ય રીતે જ ગૌરવ કર્યું છે. વિવેચન મહત્ત્વનું ખરું પણ સર્જનનું તે ‘ઉપજીવિત’ છે તે વાત સરસ રીતે તેમણે સમજાવી છે. ‘કાવ્ય જે આપી શકે તે વિવેચન નહિ આપી શકે’ એમ તેઓ કહે છે. વાસ્તવમાં વિવેચન જે કંઈ કરવા માગે છે તેનો સમગ્ર આધાર સર્જનાત્મક સાહિત્ય છે. નોંધે છે : “કવિ એ પોતે જ રસ–પ્રકર્ષનો આદિ દૃષ્ટા અને સ્રષ્ટા છે. એ જ મહાગુરુ છે. કાવ્યનાં ધોરણો સર્જનાર, તેને વિકસાવનાર કે તેમાં પલટો લાવનાર કવિ પોતે છે. કવિની કવિતા, કાવ્યથી ભિન્ન એવી અનેક વસ્તુઓમાંથી સંસ્કારો લેતી છતાં, છેવટે તો પોતાના જ આંતરિક સત્ત્વમાંથી, પોતાની જ આંતરગતિથી દોરાઈને, પ્રેરાઈને પોતાનું રૂપ બાંધે છે. કવિ પોતે જ નવી ઉત્કૃષ્ટતાઓની ઝાંખી કરે છે અને તેમને સાકાર કરે છે.”૧૦૧ સુંદરમ્‌નું તાત્પર્ય એ છે કે ભિન્ન ભિન્ન આકાર અને ભિન્ન ભિન્ન રીતિનાં સર્જનો દ્વારા સર્જક કલાનાં નવાં શિખરો સર કરે છે, નવી રીતની ઉત્કૃષ્ટતાઓ નિપજાવી આપે છે, અને એ રીતે સાહિત્યની રૂપરચનાના નવા નિયમોની ખોજ કરવા તેમ ઉત્કૃષ્ટતાનાં નવાં જ ધોરણો ઊભાં કરવા વિવેચકોને પ્રેરે છે. એટલે વિવેચનના નિયમો કે ધોરણોનો સ્રોત તો સર્જનાત્મક સાહિત્ય છે એ સુંદરમ્‌ની વાત સાચી છે. પણ આપણે એની સાથે સ્પષ્ટીકરણ રૂપે કહેવાનું રહે છે કે આવા નિયમો કે ધોરણોની ઓળખ અને તેનું તાર્કિક વિશ્લેષણ, વિવેચન દ્વારા જ આરંભાય છે. સર્જકો પોતે ય વિવેચકની ભૂમિકામાં આ જાતની પ્રવૃત્તિ કરતા હોય છે. કવિ કાન્તે પોતાના સમયમાં ‘અતિ જ્ઞાન’ ‘વસંત વિજય’ આદિ વિશિષ્ટ આકારની જે પ્રસંગમૂલક રચનાઓ આપી, તેની કળાત્મક વિશેષતાઓ, ‘ખંડકાવ્ય’ તરીકેની તેની આગવી રચનારીતિ, અને તેનાં મૂલ્યાંકનનાં ધોરણો આપણા સુપ્રતિષ્ઠિત વિવેચક રામનારાયણ પાઠકે જ અંકે કરી આપ્યાં હતાં. તાત્પર્ય કે, નવી જ રીતિની કૃતિઓમાં આગવો નિયમ કામ કરી રહ્યો હોય તેની ઓળખ, વ્યાખ્યાવિચાર, અને તેની ઉત્કૃષ્ટતાનું તર્કસૂત્ર નિર્માણ એ જાતનું કામ વિવેચન ઉપાડી લે છે. એટલું જ નહિ, સૈદ્ધાંતિક ભૂમિકા પર તેની વ્યવસ્થિત ચર્ચા વિચારણાઓ દ્વારા તેનું સમર્થન કરવા પ્રયત્ન કરે છે. આ રીતે કળાનાં ઉત્કૃષ્ટ તત્ત્વોના સ્વીકાર-પુરસ્કાર સાથે જે તે યુગમાં આગવી critical climate જન્મે છે. તે સર્જાતા સાહિત્યને પ્રગટ નહિ તો પ્રચ્છન્નપણે પ્રેરક બળ બની રહે છે. વિવેચન સર્જકોને આ કે તે પ્રકારની કૃતિઓ રચવાને આદેશ ન જ આપે, ન જ આપી શકે; પણ ઉત્કૃષ્ટ કળાત્મક મૂલ્યોના પુરસ્કાર કે સમર્થન દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિને દિશાસંકેત જરૂર કરી શકે; અથવા તેને માટે મોટું પ્રેરકબળ બનીને તેમાં વળાંક પણ સર્જી શકે.&lt;br /&gt;
‘વિવેચનનો રસ’ લેખમાં સુંદરમે વિવેચનના સ્વરૂપ અને કાર્યને લગતી કેટલીક નક્કર વાસ્તવિક ભૂમિકાએથી ચર્ચા કરી છે. જો કે એમાંય તેમની આધ્યાત્મિક દૃષ્ટિનો અમુક પાસ તો બેઠેલો છે જ. વિશ્વનાથ ભટ્ટ જેવા વિવેચકે વિવેચન પણ એક રીતનું સર્જન છે, કૃતિ વિશેની વિવેચકની ઊર્મિ જ એનો ઊગમસ્રોત છે, અને વિવેચનનું લખાણ, તેની શૈલી, પણ રસલક્ષી હોવી જોઈએ એ જાતના ખ્યાલો પ્રચલિત કર્યા હતા, તેની આલોચના રૂપે આ લેખ જન્મેલો છે. આ અંગે સુંદરમે સ્પષ્ટ કર્યું છે કે, સર્જનની કૃતિમાં વીર શૃંગાર કરુણ આદિ રસોને જે રીતે અવકાશ મળે છે, તેવો વિવેચનમાં ન જ હોય. કવિની જેમ રસનિર્માણનું કાર્ય વિવેચકનું નથી જ. એ ખરું કે કૃતિના આસ્વાદની ક્ષણે ભાવકમાં વિવેચકમાં વારંવાર વિસ્મય કે નિરાશા કે અરુચિ કે પ્રસન્નતાની લાગણી જેવી લાગણી સંચલિત થતી હોય છે; પણ એ તો કૃતિના રસબોધની સાથે સહઅસ્તિત્વ ધરાવતી લાગણીઓ છે. અને કૃતિમાં નિરૂપાયેલાં વિવિધ ભાવસંવેદનો સાથે સહચારી હોવા છતાં તેનો એ આંતરિક અને અનિવાર્ય અંશ નથી. સુંદરમ્‌ નોંધે છે : “વસ્તુસ્થિતિ એ છે કે વિવેચકનું કાર્ય તત્ત્વતઃ ઊર્મિસર્જનનું નથી. કલાકૃતિમાં રહેલા સૌન્દર્ય અને સત્યનું સ્વરૂપ પ્રકટ કરવું, સામાન્ય દૃષ્ટિને ન સમજાય તેવી કળાનિર્મિતિની ખૂબીઓ, સૌન્દર્યના અંશો, તેનાં ગૂઢ રહસ્યો છતાં કરવાં એ તલસ્પર્શી સૂક્ષ્મદૃષ્ટા વિવેચકનું કાર્ય છે. આ કાર્ય તે કેટલા યથાતથ્યથી કરી શકે છે, સૌન્દર્યની પરખમાં તે કેવી દક્ષતા બતાવે છે, તેના પર તેના કાર્યની સફળતાનો આધાર છે.”૧૦૨ અને વધુમાં સ્પષ્ટતા કરતાં કહે છે : “સૌંદર્યપરીક્ષણની આ પ્રવૃત્તિની પાછળ જે નિયામક વ્યાપાર છે તે ઊર્મિનો નહિ, પણ બુદ્ધિનો હોય છે. વિવેચકના કાર્યની કરોડ છે સૌંદર્યદર્શન, એનું ગ્રહણ તે જે સૂક્ષ્મ પટુતાથી કરે, સર્જકની પેઠે સૌંદર્યનિર્માણનાં તત્ત્વોને પણ સહજબુદ્ધિ intuitionથી પકડી લે અને તીક્ષ્ણ બુદ્ધિપ્રભાવથી તેનો જે સ્ફોટ કરે એ છે વિવેચકનો કાર્યપ્રદેશ.”૧૦૩&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ અને કાર્યના મુદ્દા પર સુંદરમ્‌ની આ ચર્ચા વેધક પ્રકાશ નાખે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે સાહિત્યકૃતિનું ‘સૌંદર્યદર્શન’ એ જ વિવેચકના ‘કાર્યની કરોડ’ છે. એનું ગ્રહણ વિવેચકની ‘સહજબુદ્ધિ’ (intuition) દ્વારા થાય છે. એ પછી જ સૌંદર્યબોધમાં આવેલાં તત્ત્વોનું તે બૌદ્ધિક વિશ્લેષણ આરંભે છે. આમ વિવેચન કોઈ રીતે ઊર્મિનો એકાંગી વ્યાપાર નથી જ. સુંદરમ્‌ એમ પણ કહે છે કે વિવેચકને તેમ કોઈ પણ વાચકને વિવેચનમાં જે કંઈ રસ પડે છે તે તો કૃતિના ‘તત્ત્વપ્રકાશ’ની, ‘અનધિગતને અધિગત કરવાની’ ‘અજ્ઞાતને જ્ઞાત કરવાની’ પ્રક્રિયામાંથી જન્મે છે. વિવેચકના ચિત્તમાં આવો જે એક વ્યાપાર ચાલે છે તેનું જો નામ જ પાડવું હોય તો તેને માત્ર ‘શાંતરસ’ લેખે જ ઓળખાવી શકાય. કેમ કે, કૃતિનાં સૌંદર્યતત્ત્વોનું ગ્રહણ કરવાનો તેમ તેને પ્રકાશિત કરવાનો આ વ્યાપાર છે. વાચકને એ વાંચીને ચિત્તમાં અમુક શાંતિની અનુભૂતિ થાય છે. સુંદરમ્‌ની વિવેચનમીમાંસામાં વાચકના ‘શાંતરસ’નો આ કંઈક વિલક્ષણ ખ્યાલ છે. આ સંદર્ભે ચર્ચા કરતાં તેઓ આગળ જે કંઈ કહે છે તે જોતાં કંઈક આશ્ચર્ય થાય તેવું છે. “વિવિધ રીતે સૌંદર્યનો અને સત્યનો તત્ત્વ પ્રકાશ કરતું વિવેચન પણ જ્યારે ઉત્તમ સત્યનિષ્ઠાથી પ્રવર્તે છે, ત્યારે વાચકની શંકાકુશંકાઓનો, તેના રાગદ્વેષોનો, અને અજ્ઞાનનો પરિહાર કરતું તેને આ શાંતની પ્રકાશમય પરમ ભૂમિકામાં લઈ જાય છે.”૧૦૪ અહીં, વિવેચનનું લખાણ વાંચતાં ભાવકનું મન ‘શાંત... પ્રકાશમય પરમ ભૂમિકા’માં પહોંચે છે–એ જાતની સુંદરમ્‌ની માન્યતા, દેખીતી રીતે જ, તેમની આધ્યાત્મિક દૃષ્ટિથી પ્રેરાયેલી છે. કેટલાંક વિવેચનો આપણને સર્જનના જેવો આહ્‌લાદ આપે છે, તેનું કારણ વિવેચકનો પોતાનો ‘ઉત્સાહ’ નહિ, પણ કૃતિની રમણીયતા તેણે જે ‘કૌશલથી’ પ્રગટ કરી આપી, તે છે. સુંદરમ્‌ વળી એમ નોંધે છે કે કૃતિના ‘એકના એક તત્ત્વનો સ્ફોટ’ કરવામાં જુદા જુદા વિવેચકોની જુદી જુદી શૈલી છતી થાય છે. પણ એવી શૈલીઓમાં ‘શાંતરસ‘થી પ્રેરાયેલી શૈલી માટે તેમનો પક્ષપાત પ્રગટ થાય છે : “વિવેચકની ઉત્તમમાં ઉત્તમ શૈલી તો તે કે જે વાચકને વધારેમાં વધારે પ્રસાદપૂર્વક અને ઓછામાં ઓછા અંતરાય દ્વારા કૃતિના સૌંદર્ય પાસે લઈ જાય. જે વિવેચન વાચકમાં કેવળ ક્ષોભ મૂકી જાય, તેનામાં કોઈ રાગનું કે દ્વેષનું સિંચન કરવા પ્રયત્ન કરતું લાગે, તેમાં કંઈક તત્ત્વની વિકૃતિ હોય છે. સર્વગ્રાહી વિવેચક વસ્તુઓનો ઊહ અને અપોહ કરે છે, સાચું અને ખોટું, શુદ્ધ અને વિકૃત જુદું તારવે છે, એમ તેને કરવું પડે છે, તથાપિ એ સર્વને અંતે તે સમન્વયની કે સર્વ અંશોને આલોકિત કરતી પ્રકાશની ભૂમિમાં લઈ ગયા વગર રહેતું નથી અને એ સ્થિતિમાં પહોંચી મનુષ્યનું ચિત્ત એક મધુર તેજસ્વી સૌમ્ય અને શાંત ભાવ અનુભવે છે.”૧૦૫&lt;br /&gt;
સુંદરમે અહીં બે મુદ્દાઓ છેડ્યા છે : એક વિવેચનની શૈલીનો, બીજો વિવેચનના વાચનથી પ્રાપ્ત થતી સૌમ્ય શાંતિની અનુભૂતિનો. એ પૈકી ‘શૈલી’થી તેમને લખાણની રીતિનો ખ્યાલ જ અભિમત છે, વર્તમાન વિવેચનમીમાંસાનો ‘પદ્ધતિ’ (method) કે ‘અભિગમ’ (approach)નો ખ્યાલ અભિપ્રેત નથી. વિવેચકોનાં વિવેચનોમાં શૈલી ભલે બદલાતી રહે, તેમનું લખાણ અંતે તો ‘એકના એક તત્ત્વનો જ વિસ્ફોટ‘ કરે છે; એ સર્વ લખાણોનું એક જ પરમ લક્ષ્ય હોય છે – ‘કૃતિનું સૌંદર્યદર્શન’. અહીં આપણે એમ નોંધવાનું રહે છે કે સાહિત્યકૃતિ વિશે વિવેચકો જુદી જુદી રીતે કે જુદી જુદી શૈલીએ પોતાની વાત કહે તો ય સૌનું ‘વકતવ્ય’ અંતે એક જ છે. અર્થાત્‌ બધા શૈલીભેદ છતાં ય તે સર્વનું લક્ષ્ય ‘સૌંદર્યતત્ત્વ’ તે એક અને અખંડ છે. આમ, કૃતિમાં વ્યક્ત થતા સૌંદર્ય કે રસની પરમ સત્તાને સ્વીકારી લઈને તેઓ ચાલ્યા છે, એટલે જુદા જુદા વિવેચકોનાં એકની એક કૃતિ વિશેનાં મતમતાંતરો, વિરોધી અર્થઘટનો, કે પદ્ધતિભેદો આદિના તાત્ત્વિક પ્રશ્નો તેમને એટલા મહત્ત્વના લાગતા નથી. હકીકતમાં વિશાળ વિવેચનસાહિત્યના અર્થબોધ અર્થઘટન કે મૂલ્યાંકનના અનેક કૂટ પ્રશ્નોનો આપણે આજે સામનો કરી રહ્યા છીએ. જુદી જુદી રીતે સજ્જ થયેલા ભાવકો/વિવેચકો કળા વિશે આગવી આગવી સમજ લઈને કૃતિ પાસે જતા હોય છે, અને કળાનાં મૂલ્યોની બાબતમાં મૂળથી જ તેમની પ્રતીતિઓ જુદી હોય એમ જોવા મળશે. પ્રશ્ન એક રીતે ચિંતનપદ્ધતિનો ય છે. કૃતિમાં નિહિત રહેલા ‘રસ’ કે ‘સૌંદર્ય’ની એક પરમ સત્તા સ્વીકારી લીધા પછી અર્થબોધ કે અર્થઘટનની ભિન્નતા કેવળ આભાસી બાબતો લાગશે. વળી વિવેચનથી ભાવકચિત્તમાં શાંતમધુર સૌમ્ય દશા જન્મે એવી તેમની અપેક્ષા સાચી, પણ વિવેચનપ્રવૃત્તિ માટે એ લક્ષ્ય એટલું પ્રસ્તુત નથી.&lt;br /&gt;
સુંદરમ્‌ના દૃષ્ટિએ વિવેચકની નિસ્બત (કે ઉત્તરદાયિત્વ) કેવળ વિવેચ્ય કૃતિ કે કર્તા પૂરતી સીમિત રહેતી નથી. વિવેચકે લોકોશ્રેયનો ખ્યાલ પણ કરવાનો છે. ‘લોકબુદ્ધિનો વિકાસ કરવો’ – એ પણ વિવેચકે કરવાનું કામ છે. તેઓ એમ નોંધે છે કે લોકોમાં સાહિત્યનો આસ્વાદ લેવાની ક્ષમતા કેળવાય એ માટે – “વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર પ્રવર્તાવવો, તેની બુદ્ધિને પટુકરણ કરવી, તેનામાં નિર્ભેળ સત્યને પેદા કરવાની, સૌંદર્યને બુદ્ધિના ઉપકરણથી પણ ગ્રહણ કરવાની જરૂર સમજાવવી અને પોતે પણ ઊર્મિના ચંચલ અને અસ્થિર પાયા ઉપર ઊભા રહેવાને બદલે વિશુદ્ધ બુદ્ધિના શિખર ઉપર ઊભા રહી, કળામાં થતી સૌંદર્ય અને સત્યની ગતિનો આલેખ કરવો એ બધાં નાનાંસૂનાં કામો નથી. સર્જનથી આ ભિન્ન પ્રકારની પ્રક્રિયા છે. એ વિશુદ્ધ બુદ્ધિવ્યાપાર છે, એનું પોતાનું ગૌરવ છે, અને તેની આગવી ચરિતાર્થતા છે.”૧૦૫&lt;br /&gt;
કળાનો આસ્વાદ લેવાની લોકોની શક્તિ ખીલે, અભિરુચિ કેળવાય, તે માટે વિવેચકે સતત તેમની બૌદ્ધિક ચેતનાને સંકોરતા રહેવાનું છે, તેની સૂક્ષ્મતાઓની માવજત કરવાની છે. કેવળ ઊર્મિલતાથી કૃતિનું સૌંદર્ય પૂરેપૂરું ન જ પામી શકાય. એ માટે સ્વસ્થ સ્થિર દ્યુતિમય એવી બુદ્ધિશક્તિનો ય વિનિયોગ થવો ઘટે. વિવેચનવ્યાપારની અંતર્ગત આમ બૌદ્ધિકતાનું પ્રવર્તન તેઓ સ્વીકારે છે. અને, વિવેચનનાં બે પરમ મૂલ્યો તરીકે તેઓ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની ફરીફરીને સ્થાપના કરવા ચાહે છે, જો કે એ બે ભાવનાઓનું રહસ્ય તેમની આગવી દાર્શનિક વિચારણાઓના પ્રકાશમાં જ સમજી શકાય.&lt;br /&gt;
‘સર્જકોનું સંમેલન’ ‘પરાવરની યાત્રા’ અને એવાં બીજાં ઉત્તરકાલીન વિવેચનાત્મક લખાણોમાં, સર્જન અને વિવેચન, બંને ય પ્રવૃત્તિઓ વિશે ઘણું ખરું તેઓ સાથોસાથ વિચારતા રહ્યા છે. પાછળના સમયનાં આ બધાં લખાણો આધ્યાત્મિક પરિભાષામાં રજૂ થયાં છે. શ્રી અરવિંદનું દર્શન અને તેમની કાવ્યભાવનાનું સીધું અનુસંધાન એમાં જોઈ શકાય. આપણા સર્જાતા જતા સાહિત્યના વિવેચનના પ્રશ્નો સાથે – નક્કર વાસ્તવિક પ્રશ્નો સાથે – તેમની એમાં ખાસ નિસ્બત દેખાતી નથી. બલકે સર્જન અને વિવેચન બંનેય પ્રવૃત્તિઓનું કેવળ ભાવનારૂપ જ એમાં પ્રગટ થતું રહ્યું છે. બંનેય પ્રવૃત્તિઓના ઊગમમાં, સ્વરૂપમાં, અમુક ચોક્કસ ‘વૃત્તિભેદ’ અને ‘રીતિ ભેદ’ રહ્યો હોવાનું ય તેઓ નોંધે છે, પણ બંનેનું અંતિમ લક્ષ્ય એક જ છે, એ વાત પર બધો ભાર તેઓ મૂકતા રહ્યા છે. નરસિંહરાવે કહેલું કે કવિ અને વિવેચક બંને જોડિયા ભાઈઓ જ છે. તેમના એ ખ્યાલનું પણ કંઈક આગવી રીતે તેઓ અર્થઘટન કરવા પ્રેરાયા છે.&lt;br /&gt;
‘વિવેચન‘ સંજ્ઞાનો ઘણીએક ચર્ચાવિચારણાના સંદર્ભે સુંદરમ્‌ વિશાળમાં વિશાળ અર્થ લઈને ચાલ્યા છે. ગ્રંથાવલોકનો, કૃતિઓને લગતાં અધ્યયનો, અને સિદ્ધાંતચર્ચાઓ સર્વ એમાં સમાઈ જાય તે રીતે તેઓ એ સંજ્ઞાને પ્રયોજે છે. પણ એ સંજ્ઞાને અતિવિસ્તારીને, ખેંચીને, કૃતિના વાચન દરમ્યાન ‘ભાવકના ચિત્તમાં પ્રતિક્ષણે ચાલી રહેલા પ્રતિસંવેદન’નેય તેનો તેમાં સમાવી લેવા ચાહે છે. કંઈક વિચિત્ર લાગે તેવી ભૂમિકા વળી ત્યારે ઊભી થાય છે જ્યારે, ચોપડી વાંચતાં ભાવકને કંટાળો આવે અને તે બગાસું ખાય, તો તેની એ ચેષ્ટા પણ એક રીતનું વિવેચન જ છે એમ તેઓ કહી બેસે છે! અહીં વિવેચનના સ્વરૂપવિચારનો મુદ્દો બિનજરૂરી રીતે તેમણે ગૂંચવ્યો છે. બગાસું ખાય એટલે વાચકને કૃતિમાં રસ પડતો નથી એવું તારણ પણ હંમેશાં સાચું નથી. અતિશય શ્રમ, થાક, બોજ, અનિદ્રા કે એવાં બીજાં કારણોથી પણ બગાસું આવી શકે. પણ, માની લઈએ કે, કૃતિ નીરસ લાગી હોય અને બગાસું ખાધું હોય, તો પણ ‘વિવેચનપ્રવૃત્તિ’નું એ સાચું સ્વરૂપ નથી જ. ‘વિવેચન’ નામની વિદ્યાકીય પ્રવૃત્તિ, ખરેખર તે, ભાવક પોતાના રસાનુભવને અનુલક્ષીને ભાષામાં રજૂઆત કરવાની શરૂઆત કરે છે તેની સાથે આરંભાય છે. કૃતિ વિશે મનમાં ગમોઅણગમો જે કંઈ ભાવ જન્મે તે બહુ બહુ તો વિવેચનની ભૂમિકા લેખી શકાય, પણ જ્યાં સુધી ભાષાનાં વિધાનોરૂપે વાત મુકાય નહિ, ત્યાં સુધી વિવેચનપ્રવૃત્તિનો આરંભ થયો ગણાય નહિ. ઉત્તમોત્તમ વિવેચનો જોતાં જણાશે કે તે કેવળ સ્વૈર યાદૃચ્છિક ઉદ્‌ગાર નથી – ચોક્કસ પ્રયોજનને અનુરૂપ તેમાં ચિંતનવિવેચન ચાલતું હોય છે. બલકે, વિવેચકનો કૃતિનો પ્રતિભાવ એમાં ચોક્કસ વિભાવનાઓના માળખામાં રજૂ થયો હોય છે. તાત્પર્ય કે, વિદ્યાકીય પ્રવૃત્તિ લેખે એનું આગવું પ્રયોજન સંભવે છે, આગવી સંરચના સંભવે છે.&lt;br /&gt;
કૃતિના વાચન દરમ્યાન ભાવકના ચિત્તમાં ક્ષણે ક્ષણે જે રીતે ‘પ્રતિસંવેદન’ જન્મતું રહે છે તેને પણ વિવેચનવ્યાપાર લેખવવામાં ગૂંચ ઊભી થાય છે. માત્ર સુંદરમ્‌ની ચર્ચામાં જ નહિ, આપણા બીજા અનેક અગ્રણી વિવેચકોમાં આવી ગૂંચ જોવા મળશે. વાસ્તવમાં આસ્વાદની પ્રક્રિયા-આસ્વાદની ક્ષણોમાં ચાલતી ચૈતસિક પ્રક્રિયા – એ એક વસ્તુ છે, આસ્વાદ પછીની ક્ષણે એને વિશે ધારણ કરેલો ‘ભાવ’ કે ‘દૃષ્ટિકોણ’ બીજી વસ્તુ છે. આજે આપણે જેને ‘આસ્વાદ’-રૂપ લખાણો કે આસ્વાદરૂપ વિવેચનો કહીએ છીએ, તે પણ ભાવકચિત્તની આસ્વાદ પ્રક્રિયાથી વસ્તુતઃ ભિન્ન છે. આસ્વાદની ક્ષણોમાં ભાવક કૃતિની ‘ભાષા’માં તન્મય રહે છે, તેને અવલંબીને જ ચેતોવિસ્તાર સાધે છે, જ્યારે આસ્વાદરૂપ વિવેચનમાં એ અનુભવનો અમુક રીતે તારવી લીધેલો, અને અમુક અંશે અમૂર્ત રૂપનો, નકશો રજૂ થાય છે મૂળ ભાષાસંદર્ભને ખરેખર હવે જુદી જ પરિભાષામાં ઘટાવાયો છે. એ રીતે આસ્વાદથી વિવેચન ભિન્ન છે, એમ બંને પ્રવૃત્તિની ભિન્નતા આપણે લક્ષમાં રાખવાની રહે.&lt;br /&gt;
એ ખરું કે નવલકથા વાંચતાં વાંચતાં વચ્ચેની વિસામાની ક્ષણોમાં, કે ઉત્તમ ફિલ્મ કે નાટક જોતાં વચ્ચેની ક્ષણોમાં ભાવકો/સામાજિકો કોઈને કોઈ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરતા હોય છે. સાવ નકામી નવલકથા વાંચતાં વારંવાર એના દોષો વિશે એનો ભાવક અભિજ્ઞ બનીને ઉદ્‌ગારો કાઢતો હોય છે. તો ઉત્તમ કૃતિ માટે પ્રશંસાના શબ્દો ઉચ્ચારતો રહે છે. અને આવી બધી જ પ્રતિક્રિયાઓને, આમ તો, વિવેચનપ્રવૃત્તિની ભૂમિકા તરીકે મૂલ્ય સંભવે છે. અને ભાવક કે સામાજિક ‘નવલકથા સરસ છે’ ‘નાટક સરસ છે’ (અથવા ‘નવલકથા સાવ નિષ્ફળ છે’ કે ‘નાટક સાવ કંટાળાજનક છે’) જેવા સ્વયંભૂ ઉદ્‌ગારો કાઢી બેસે છે ત્યારે એમાં વિવેચનનો ‘અંકુર’ જોઈ શકાય, પણ વિવેચનની એ કોઈ હેતુપૂર્વકની સભાનતાપૂર્વકની વ્યવસ્થિત હાથ ધરાયેલી પ્રવૃત્તિ નથી. કૃતિના વાચન દરમ્યાન (કે ફિલ્મ કે નાટક જોતાં) વચ્ચે વચ્ચે ઉચ્ચારતાં એ critical utterance ને એનું teleological structure સિદ્ધ કરવાનું બાકી છે. વિવેચક કૃતિ વિશે આવાં પ્રાસંગિક ઉચ્ચારણો કરીને અટકી જાય તો એનું ઝાઝું મૂલ્ય ઊભું ન થાય. પોતે કૃતિ વિશે જે પ્રતિભાવ ઝીલ્યો છે તેમાં કૃતિનું હાર્દ પ્રગટ કરવાની દિશામાં તે અંતર્મુખ બને છે. તેની આ એક આંતરિક ખોજ કહી શકાય. કૃતિને ઉપલબ્ધ કરવાના તેના આ પ્રયત્નમાં તે સમુચિત conceptual frame સ્વીકારે છે. કૃતિની આંતર ગુણવત્તા (inner worth)નો નિર્ણય કરવા પ્રેરાય છે. આમ કૃતિના ‘અર્થ‘ની ખોજ, આકલન, વિવરણ, સ્પષ્ટીકરણ, અર્થ—ઘટન, મૂલ્યાંકન એમ અનેક વ્યાપારો તેમાં જોડાય છે. કૃતિનું મૂલ્ય નિર્ણિત કરવાની ક્ષણે વિવેચક ખરેખર તો કૃતિ સાથે જોડાયેલો છતાં તેનાથી ‘દશાંગુલ’ ઊંચે ઊઠે છે. તેને મૂલ્યનિર્ણય, અલબત્ત, એક અતિ જટિલ ઘટના છે. કૃતિના સબળ નિર્બળ અંશોને તોલી જોવાની અને સમગ્રતયા તેની ગુણસમૃદ્ધિનો નિર્ણય કરવાની આ બાબત છે; પણ આ જ તબક્કે કૃતિને વ્યાપક સંદર્ભમાં, એની પરંપરા વચ્ચે મૂકીને જોવાની આવશ્યકતા ઊભી થાય છે. કૃતિની ‘અર્થવત્તા’, આમ, જે તે કૃતિની આગવી પશ્ચાદ્‌ભૂમિકાને ય લક્ષમાં લઈને નિર્ણિત થતી હોય એમ જોવા મળશે. તાત્પર્ય કે વિવેચનનાં સુવિકસિત રૂપો તે આસ્વાદનની ચૈતસિક પ્રક્રિયાથી ભિન્ન કોટિના વ્યાપારોની પ્રાપ્તિ છે.&lt;br /&gt;
વિવેચન વ્યાપાર તે કૃતિના આસ્વાદ લેનાર વિવેચકમાં જ ચાલે છે એવું નથી, સર્જનની ક્ષણો દરમ્યાન ખુદ સર્જકના ચિત્તમાં ચાલે છે, એમ સુંદરમ્‌ પ્રતિપાદિત કરવા ચાહે છે. તેમની દલીલ એ છે કે વિવેચક પાસે જે પૂર્ણ રચના આવે છે, તે ખરેખર તો સર્જકને પ્રાપ્ત થયેલી અંતની વસ્તુ છે. દરમ્યાન અનેક તબક્કે છેકભૂંસનો વ્યાપાર ચાલતો જ હોય છે. રચનાની ક્ષણોમાં અનેક પંકિતઓ ‘ઘડાઈ ઘડાઈને ભાંગી ચૂકી’ હોય છે. યોગ્ય શબ્દ કે શબ્દસમૂહની પસંદગીના, તેની કળાત્મક ક્ષમતા કે સાર્થકતાના નિર્ણયના પ્રસંગો તેને આવ્યા જ હોય છે. આ રીતે તો સર્જાયેલી કૃતિમાં સર્જનની ક્રિયા કેટલી, વિવેચનની કેટલી એનો ભેદ કરવાનું ય લગભગ અશક્ય બની જાય છે એમ તેઓ કહે છે આવી ક્ષણોમાં સર્જક અને વિવેચક માત્ર ‘જોડિયા ભાઈઓ’ જ નથી રહેતા, બંને તત્ક્ષણ પૂરતા તો એકાકાર – એક વ્યક્તિ બની જાય છે. સુંદરમ્‌ આ મુદ્દો સ્પષ્ટ કરતાં વધુમાં કહે છે : “આત્મા જેવી રીતે કર્તા હોય છે અને સાથે સાથે દૃષ્ટા અને સાક્ષી પણ હોય છે, એના જેવું આ કંઈક બનતું હોય છે અને અહીં પછી કવિ અને વિવેચકનું દ્વન્દ્વ એક શુદ્ધ અદ્વૈતમાં જઈને ઊભું રહે છે.”૧૦૭ એ ખરું કે સર્જનની ક્ષણોમાં કવિ પોતાની અનુભૂતિને પૂર્ણ રૂપ આપવા સક્રિય બને છે ત્યારે ભાષાભિવ્યક્તિથી વસ્તુવિધાન સુધીના પ્રશ્નોય તેની સામે ઊભા થાય છે. પ્રસંગે પ્રસંગે અમુક શબ્દ કલ્પન કે પ્રતીકના વિનિયોગ પરત્વે તેની સમર્પકતાનો (કે કાર્યક્ષમતાનો) ખ્યાલ પણ તેને કરવાનો આવે છે. અલબત્ત, સર્જકશક્તિની આસાધારણ ભીંસમાં કે લોકોત્તર પ્રેરણાની ક્ષણોમાં તેને ઘણું બધું સહજ રીતે ઉપલબ્ધ થાય કે સામેથી આવી મળતું લાગે અને રચના સિદ્ધ કરવામાં કોઈ મોટો અવરોધ ન આવે એ પણ શક્ય છે. પણ બીજાં દૃષ્ટાંતોમાં કવિ લેખકો સામે ભાવસંવેદનનાં સ્તરો ખુલ્લા કરવાના પ્રયત્નમાં ભાષાના ઉપકરણ સાથે મથામણ ઘણી કરવાની આવી હોય. ડગલે ને પગલે શબ્દની પસંદગીનો-ઔચિત્યનો-નિર્ણય પણ કરવો પડ્યો હોય. ટૂંકી વાર્તા નવલકથા કે નાટક જેવાં સ્વરૂપોમાં વસ્તુસંયોજનને હર તબક્કે આવી રીતે કોઈ ‘નિર્ણય’ કરવાનું જરૂરી બન્યું હોય. આ રીતે કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન તેને જે નિર્ણયો કરવાના આવ્યા હોય તેને બીજા વધુ સમુચિત શબ્દના અભાવે ‘વિવેચનકર્મ’ critical act – તરીકે તમે ભલે ઓળખાવો, પણ રચાઈ ચૂકેલી કૃતિ વિશે કોઈ મોટો વિવેચક જે પ્રૌઢ પક્વ દૃષ્ટિનું વિવેચન કરે છે તેની સાથે એને ગૂંચવી દેવાનું નથી. ‘વિવેચન’ ખરેખર સર્જન પછીની, સર્જન પર આધારિત પ્રવૃત્તિ છે. મૂળ વાત એ છે કે કૃતિની રચનાપ્રક્રિયા દરમ્યાન કવિને-સર્જકને જે critical act સ્વીકારવું પડે છે તે, અને કૃતિના સર્જન પછી વિવેચકે લખેલું criticism, બંનેનાં પ્રયોજન બંનેની સંરચના અને બંનેની ગતિ ભિન્ન છે. કવિનું પરમ લક્ષ્ય એક સ્વાયત્ત અખંડ એવું વિશ્વ રચવાનું છે. તેનું એ creation સૌ પ્રથમ અને અંતે એક aesthetic object છે. રચનાપ્રક્રિયાની ક્ષણોમાં આથી કવિને જે રીતે નિર્ણય કરવાનું કે વિવેક કરવાનું આવે છે તેમાં સર્જકતા સ્વયં નિર્ણાયક બળ બને છે, અને સર્જકતા સ્વયં અંતિમ લક્ષ્ય બને છે. એની અંતર્ગત critical actની પ્રક્રિયા આત્મગત થઈ જાય છે. બીજી રીતે કહીએ તો કવિનું એ critical act સમસ્ત સર્જનાત્મક ઘટનાને જ unfold કરવામાં સહાયક બને છે. જે કંઈ સ્વયંસંચાલિત સર્જકચેતના રૂપે વ્યક્ત થતું આવે છે તેની પ્રક્રિયામાં તેણે સહાયભૂત બનવાનું છે. આથી ભિન્ન, રચાયેલી કૃતિ વિશે જે વિવેચનપ્રવૃત્તિ આરંભાય છે, તેમાં કૃતિનાં રમણીય તત્ત્વોની ઓળખ ઉપરાંત સમગ્રતયા તેની worth નિર્ણિત કરવાનો પ્રસંગ આવે છે. એ સાથે સમસ્ત પરંપરાનો પરિપ્રેક્ષ્ય ધ્યાનમાં લેવાનો રહે છે. અને કૃતિના મૂલ્યાંકનમાં વિવેચક એ પરંપરામાંથી મેળવેલાં ધોરણો કસોટીઓ લાગુ પાડે છે. એનું સ્વરૂપ અને પ્રયોજન આમ મૂળભૂત રીતે જુદું પડે છે.&lt;br /&gt;
સર્જનની ક્ષણોમાં સર્જક-વિવેચકનું ‘અદ્વૈત’ બતાવ્યા પછી, વ્યવહારની ભૂમિકાએ, બંને વચ્ચે અમુક દ્વૈતની ભૂમિકા ય સુંદરમ્‌ સ્વીકારે છે. બંને વચ્ચે ‘દૃષ્ટિભેદ, રુચિભેદ, રસભેદ, ધ્વનિભેદ, શક્તિભેદની પરંપરા’ સર્જાતી રહે છે એમ પણ તેઓ નોંધે છે. આપણે ઉમેરવું જોઈએ કે વિવેચનમીમાંસાના બધા જ કૂટ પ્રશ્નો આ ‘દ્વૈત‘ની ભૂમિકામાંથી ઊભા થાય છે. સાહિત્યનાં અર્થઘટનો મૂલ્યાંકનોમાં પાર વગરના મતભેદનું કારણ જ એ છે. પણ તેમનો ભાવનાત્મક અભિગમ તેમને એ નક્કર વાસ્તવિક પ્રશ્નોને આભાસી લેખવા પ્રેરે છે. અલબત્ત, કેટલાક સંદર્ભે વ્યવહારના સ્તર પર આવીને વિચાર્યું છે, ત્યાં પરિસ્થિતિનો સ્વીકાર કરીને અટકે છે. પણ ફરીને ભાવનાલોક પ્રતિ તેઓ મીટ માંડી રહે છે. સર્જન અને વિવેચન બંનેય પ્રવૃત્તિઓ પાછળનો ‘ધબકાર’ એક જ છે, બંનેની ગતિ ‘એકરૂપ’ નહિ તોય ‘સમાંતર’ તો છે જ, એવી સમજ તેઓ વ્યક્ત કરતા રહે છે. હકીકતમાં, તેમની વિવેચનવિચારણામાં ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ એ બે પરમ મૂલ્યો સતત કેન્દ્રમાં આવતાં રહ્યાં છે. સર્જક અને વિવેચક બંનેની પ્રવૃત્તિના મૂળમાં એ બે મૂલ્યો રહ્યાં છે. બંનેની ખોજ એક જ દિશાની છે. વિવેચકની પણ આ કારણે ‘આગવી સર્જકતા’ સંભવે છે, એમ તેઓ માને છે. તેમની આ પ્રકારની વિચારણા પાછળ રહેલી દાર્શનિક દૃષ્ટિ નીચેની કંડિકામાં સરસ રીતે રજૂ થઈ છે :&lt;br /&gt;
“આખુંય જીવન એક મહાસત્ય તરફ કોઈ મહારસ અને સૌંદર્ય તરફ ગતિમાન બની રહેલું છે. એ સત્ય અને સૌંદર્ય, રસ અને આનંદ, એક રીતે તો જગત ઉપર જાણે ઝૂલી રહેલાં છે અને માણસો તેમને ઝીલે તેની રાહ જોતાં હોય છે. એ ઝીલનારાઓમાં પ્રથમ તે કવિ છે, અદૃષ્ટ અને અનનુભૂતને તે પ્રથમ જૂએ છે, અનુભવે છે, અને કલકલ કંઠે માનવતા આગળ તેનો સંદેશ તે રેલાવે છે. હવામાં તરતી અને ફરતી સૃષ્ટિને તે પૃથ્વી ઉપર ઉતારે છે, જગતનાં સમતલ સમથળ પાણીમાં તે નવી નવી છોળો ઉછાળે છે. અને વિવેચક આ સૌંદર્ય અને રસના મહાસમારોહનો મંડપ જાણે સાચવીને ઊભો રહે છે. એના સ્વસ્થ ગંભીર પ્રજ્ઞામંડિત ચિત્ત વડે તે આ બધી ગતિઓને આલોકિત કરતો રહે છે, અને કવિમુખે જે વ્યક્ત બન્યું છે તેને વધુ વ્યક્ત કરી આપે છે, કવિએ સાકાર કરેલા સૌંદર્યને તે વધુ સાકાર કરી આપે છે. કવિએ આલેખેલી રેખાઓને તે વધારે સુરેખ કરી આપે છે. આ બે જણ મળીને વિશ્વની સૌંદર્યનૌકાનાં સઢ અને સુકાન જાણે સાચવે છે. અને એ નૌકામાં બેસી પૃથ્વીની માનવતા પોતાની આનંદયાત્રા આદરે છે.”૧૦૮&lt;br /&gt;
સુંદરમ્‌ની આ વિચારણા વિશે આપણે થોડીક ટીકાટિપ્પણી રજૂ કરીએ તે પહેલાં તેમની આ જાતની વિચારણાનો સહેજ જુદો સંદર્ભ પણ જોઈ લઈએ.&lt;br /&gt;
“કળાકારના હાથે જે સર્જન થાય છે તે બ્રહ્માના વિશ્વસર્જન જેવો જ વ્યાપાર છે. વિશ્વના સર્જનવ્યાપારની અંદર અંતર્ગત હોવા છતાં કળાકાર અન્ય માનવો કરતાં એક ઉન્નતતર ભૂમિકા પર પહોંચીને જગતમાં થતાં અન્ય પ્રાકૃતિક નિર્માણોમાં એક નૂતન અપ્રાકૃતિક નિર્માણ કરે છે. વિવેચક એ અપ્રાકૃતિક નિર્માણના રહસ્યને શોધતો શોધતો એ નિર્માતાના સર્જનવ્યાપારને એના ફલિત કાર્યથી માંડી તેના ઉત્પાદક મૂલ સુધીની સ્થિતિઓને તથા ક્રિયાઓને અવલોકતો અને અનુસરતો બ્રહ્માના પણ મૂળ સ્થાન એવા બ્રહ્મમાં પહોંચે છે. બંને મળીને સૌંદર્ય અને સત્યના પ્રાદુર્ભાવની આદિથી તે અંત સુધીની સર્વ ક્રિયાઓને સ્પર્શી આવે છે, સ્પર્શી આવી શકે છે. અને જગતને એની સત્ય અને સૌંદર્ય પ્રત્યેની યાત્રામાં એક પગલું આગળ ભરાવે છે. પ્રાકૃત માનવના એ અપ્રાકૃત અગ્રેસરો બને છે, સત્ય અને સૌંદર્યના એ પ્રથમ સંદેશવાહકો બને છે, આદિ સ્થાપકો બને છે, બની શકે છે.”૧૦૯&lt;br /&gt;
સુંદરમ્‌ કેવળ શ્રદ્ધાની ભૂમિકાએથી આ જાતના ખ્યાલો રજૂ કરે છે, તે સ્વયંસ્પષ્ટ છે. આ વિશ્વજીવનની અંદર સક્રિયપણે કામ કરતી સર્જકશક્તિનો તેમ તેની કોઈ વિકાસયાત્રાનો ખ્યાલ શ્રદ્ધાથી સ્વીકારીને તેઓ અહીં ગતિ કરતા દેખાશે. એ જ સર્જકશક્તિ સર્જકમાં અને વિવેચકમાંય કામ કરે છે. એ રીતે સર્જક તો અગોચર શક્તિનું વાહન માત્ર જ રહે છે. પ્રાકૃત માનસને જે ગોચર નથી તે ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની ઝલક સર્જક જોઈ શકે છે. પણ વિવેચકને ભાગે એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ની ‘રેખાઓ’ વધુ ‘ઘૂંટવા’ સિવાય ખાસ કશું કામ રહેતું નથી! બંને ય એક જ ‘સૌંદર્ય’ અને એક જ ‘સત્ય’ને લક્ષ્ય કરી રહ્યા હોય છે. ફરક માત્ર દિશાનો છે. સર્જક ‘મૂલતત્ત્વ’ને મૂર્ત ઇંદ્રિયગોચર રૂપ અર્પે છે, વિવેચક એ રૂપનું અવગાહન કરી પેલા ‘મૂલતત્ત્વ’ સુધી પહોંચે છે. જે રીતે તેમણે વિશ્વજીવનની ગતિવિધિનું સ્વરૂપ વર્ણવ્યું છે, તેમાં સર્જક કે વિવેચક માટે જીવનના અજ્ઞાત ખણ્ડમાં સાહસને માટે અવકાશ જ રહેતો નથી.&lt;br /&gt;
પ્રસંગોપાત્ત, સુંદરમે ‘સહૃદય’ની વ્યાખ્યા કરી છે, જે ધ્યાનાર્હ છે :&lt;br /&gt;
“સહૃદય એટલે કે પ્રથમ તો જેનામાં હૃદય છે, સંવેદનશીલતા છે, સંવેદનોની ઉચ્ચમાં ઉચ્ચ અનુભૂતિએ પહોંચવાની શક્તિ છે, અને ઉપરાંત તે કાવ્ય પ્રત્યે કવિ પ્રત્યે અનુકૂળ હૃદયવાળો, સહાનુભૂતિશીલ છે; એ કોઈ કારણે તદ્દન અ-હૃદય heart-less નિષ્ઠુર બનીને કૃતિને ચીરવા બેઠેલો નથી. પણ એક ઋજુ સમભાવપૂર્ણ ચિત્તથી કૃતિને અવલોકે છે, સમજે છે, તેના ગુણઅવગુણોને ઓળખે છે અને કવિને કાંઈ કહેવું હોય, કાંઈ દોષ બતાવવા હોય ત્યારે પણ તે સહૃદયતાથી બતાવે છે.”૧૧૦&lt;br /&gt;
સહૃદયની તેમની આ કલ્પના સાથે પૂરા સંમત થઈ શકીશું.&lt;br /&gt;
ભવભૂતિએ ભવિષ્યમાં પોતાને કોઈક ‘સમાનધર્મા‘ વિવેચક મળે એવી કામના પ્રગટ કરી હતી. એ સંદર્ભને અનુલક્ષીને સુંદરમે એક માર્મિક ટકોર કરી છે. કહે છે કે આવો ‘સમાનધર્મા’ પણ કોઈ વાર ભૂલાવામાં પડી જાય એમ બને. એટલે વિવેચક ‘સમાનધર્મા’ તો હોય જ, પણ કાલિદાસે દર્શાવ્યું છે તેમ તે ‘સંત’ કે ‘સત્‌’ પુરુષ પણ હોવો જોઈએ, અર્થાત્‌, તે ‘સત્ય’માં સ્થિર થયેલો હોવો જોઈએ. પણ વિવેચક કયા ‘સત્ય’ને અનુસરશે? સુંદરમ્‌નો ઉકેલ છે : તેનું ‘અંતઃકરણ’ જેને સ્વીકારે તેને. પણ હજી ય સંશયગ્રસ્ત આધુનિક માનસ પ્રશ્ન કરી શકે : સર્જકના સત્યથી પોતાનું સત્ય ભિન્ન હોય તો? પણ અધ્યાત્મમાર્ગે વળેલા સુંદરમ્‌ને આવો પ્રશ્ન જ કદાચ વ્યર્થ લાગશે. ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ (અને ‘સૌંદર્ય’નું જ બીજું રૂપ તે ‘રસ’-‘મહારસ’) જેવાં પરમ મૂલ્યો જ અંતે સત્ય છે, એટલે વ્યવહારના સ્તરે અનુભવાતા તેના વિભિન્ન આવિર્ભાવોનો દેખીતો ભેદ અંતે લય જ પામશે...&lt;br /&gt;
પણ સાહિત્ય અને વિવેચનના પ્રશ્નોને જેઓ બૌદ્ધિકતાના સ્તરેથી સમજવા માગે છે તેમને માટે ‘સત્ય’ ‘સૌંદર્ય’ અને ‘રસ’-‘મહારસ’ જેવી પાયાની સંજ્ઞાઓ નવેસરથી વ્યાખ્યા માગે છે. કૃતિમાં વ્યક્ત થતું સૌંદર્ય તે શું, સત્ય તે શું, ભાષાભિવ્યક્તિના સ્તરે તેની તપાસ શી રીતે થાય, અને વિશ્વજીવનનાં એવાં જે કોઈ તત્ત્વો હોય તેની સાથેનો તેનો સંબંધ કેવો? – વગેરે પ્રશ્નોને તેણે બૌદ્ધિક સ્તરેથી માંડી આપવાના રહે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૮.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક કારકિર્દી છેલ્લા પાંચ સાડાપાંચ દાયકાઓને આવરી લે છે. કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન સંપાદન, સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો – એમ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા લગભગ એકસરખી ઊંચાઈએ ગતિ કરતી રહી છે. તેમની લેખનપ્રવૃત્તિ ત્રીસીની આબોહવામાં આરંભાઈ હતી અને એ સમયનાં ભાવ અને ભાવના તેમના સર્જન વિવેચનના પોતમાં જાણે કે ઊતરી ગયાં છે. તેમની વિકાસોન્મુખ પ્રતિભા પૂર્વપશ્ચિમ પ્રાચીન અર્વાચીન હર કોઈ પરંપરાના સર્જન અને ચિંતનને ઝીલવા ઉત્સુક રહી છે. જીવનના રમણીય અને ભદ્ર, વિશાળ અને ઉન્નત અંશો કોઈ પણ દિશામાંથી આવે, તેમનું મન ઉદારતાથી તેને સ્વીકારવા ચાહે છે. એ રીતે ઉદાર અભિજાત કળારુચિ, ઉન્નત પ્રશિષ્ટ સાહિત્ય માટેનો પક્ષવાદ, તેજસ્વી બુદ્ધિ, બૃહદ્‌ જીવનસંદર્ભમાં વિચારવાની વૃત્તિ–એ તેમની સાહિત્યપ્રવૃત્તિનાં મુખ્ય લક્ષણો બની રહે છે. સાહિત્યવિવેચનમાં કૃતિવિવેચન તેમ સિદ્ધાંતચર્ચા બંને ક્ષેત્રે તેમણે વિપુલ લેખનકામ કર્યું છે. પણ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઝાઝું લખવાને તેમને તક મળી જણાતી નથી.&lt;br /&gt;
‘વિવેચન : કલા કે શાસ્ત્ર?’ લેખમાં, તેમના કંઈક આગલી પેઢીના કે સમકાલીન – વિજયરાય વૈદ્ય વિશ્વનાથ ભટ્ટ આદિએ વિવેચન પણ એક રીતનું સર્જન છે એવા પ્રચલિત કરેલા ખ્યાલની ફેરતપાસ કરવા તેઓ પ્રેરાયા છે. વિવેચનને ‘કલા’ (કે ‘સર્જન’) તરીકે ઓળખાવવામાં જાણે કે ‘બહુમાન’ થતું હોય એવી વ્યાપક માન્યતા છે એવી એ વિદ્વાનોની લાગણી તેઓ નોંધે છે. વિવેચક, સર્જક કલાકારથી જરીકે નીચો કે ઉતરતો નથી એવું સિદ્ધ કરવાના પોતાની આસપાસ જે જાતના પ્રયત્નો થઈ રહ્યા હશે, તે જોઈ તેમને કશુંક વિસ્મય થયા કર્યું છે. તેમનું માનવું છે કે રંગદર્શી વલણ (રોમાન્ટિસીઝમ)ની અસર વિવેચકો પર પડી છે, એટલે જ સર્જકની જેમ તેઓ સ્વતંત્ર સ્વાયત્ત હોવાનો દાવો કરી રહ્યા હોય. ઓસ્કાર વાઈલ્ડ મિડલટન મરી વગેરે સાહિત્યકારોએ વિવેચનને કલા જેવી જ સ્વાયત્ત પ્રવૃત્તિ લેખવવાનો જે રીતે પ્રયત્ન કર્યો હતો, તેનો તેઓ પરિચય પણ આપે છે. સ્પિંગર્નના ‘સર્જક વિવેચના’ ગ્રંથની ચર્ચા ય છેડે છે. એ પછી વિશ્વનાથ ભટ્ટનો આ જાતનો ઊહાપોહ અને રામનારાયણ પાઠકનો પ્રતિવાદ એ વિશેની ય તેઓ વાત કરે છે. ઉમાશંકર આ રીતે આ મુદ્દાની પશ્ચાદ્‌ભૂમિકા રજૂ કરી પોતાનું મંતવ્ય ટૂંકમાં રજૂ કરે છે. તેઓ સ્પષ્ટપણે કહે છે કે વિવેચન એ ‘પરોપજીવી’ પ્રવૃત્તિ છે. અને કલાની પ્રતિષ્ઠા તેને આપી શકાય નહિ. એક કવિ બીજા કોઈ કવિની કલાકૃતિ વિશે કશુંક સ્પંદન ઝીલી સ્વતંત્ર કૃતિ રચે તો તે વિવેચન બનતું નથી. ખરેખર તો કાવ્યાદિ કલાઓની જેમ તે કોઈ સ્વયંપર્યાપ્ત સ્વાયત્ત સૃષ્ટિ નથી, તેમ રસનિષ્પત્તિ તેનું લક્ષ્ય નથી. “કોઈ કલાકૃતિથી રસનિષ્પત્તિ થાય છે કે નહિ અને કેવી થાય છે એ કહેવાનું કામ વિવેચનનું છે. વિવેચન રસનિષ્પત્તિની પ્રક્રિયા સમજાવે, એ આડેનાં વિઘ્નોનો નિર્દેશ કરે, પોષક તત્ત્વો હોય તેમનો પરિચય કરાવે, અને એ રીતે અંતે અવિદગ્ધ ભાવકને પોતાની કક્ષાએ લાવી એ પણ કલાકૃતિના સંપર્કમાં ‘અવિઘ્ના સંવિત્‌’ અનુભવી શકે, એમાં પોતે યથાશક્ય મદદરૂપ થાય. આ કાર્ય વિવેચકને માટે નાનુંસૂનું કે ઓછા ગૌરવનું નથી.”૧૧૧ વિવેચકમાં ‘ભાવયિત્રી’ પ્રતિભાનું ઉમાશંકર પણ અપ્રતિમ મહત્ત્વ કરે છે. કહે છે – કારયિત્રી અને ભાવયિત્રી બંને ય પ્રતિભાઓનું ‘વીજળીના બે છેડાની જેમ’ ‘યુગપત્‌ મિલન’ થાય છે ત્યારે ‘રસનો પ્રકાશ’ થાય છે. ‘સંગ્રહસ્થાનમાં પધરાવેલી એક પ્રતિમા આખો વખત તો એક પથ્થર માત્ર છે. પણ જ્યારે કોઈ રસજ્ઞ, કોઈ ભાવકોત્તમ, આવી પહોંચે છે ત્યારે ભાવક–પ્રતિભા એને રસ–સજીવ બનાવી દે છે.’ અને ઉમાશંકર ઉમેરે છે : ‘સર્જકે પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભાથી નિર્મેલી સૃષ્ટિનો રસ તો સામે ઊંચી ભાવક-પ્રતિભા ધરાવનાર જ લૂંટી શકે, એટલે એવો ભાવક એ ખરે જ સર્જકનો સમાનધર્મા ગણાવાને પાત્ર છે. બંને પ્રતિભાનો સમાન ધર્મ છે રસાનુભવ.’૧૧૨&lt;br /&gt;
રસાનુભવથી વિવેચનપ્રવૃત્તિની ભિન્નતા તેમણે આ રીતે આંકી આપી છેઃ ‘વિવેચક તો એવો ભાવકોત્તમ છે જે સમાધિ છૂટ્યા પછી પોતાની રસયાત્રાનો નકશો આંકી બતાવે, રસાનુભવનું વ્યાકરણ આપણી આગળ મૂકે, અને એ રીતે એના જેવી જ રસસમાધિ સાધવામાં આપણને સહાયરૂપ થાય. જેમ બધા જ ભાવકો આ ન કરી શકે તેમ સંભવ છે કે સર્જક પોતે પોતાની કલાકૃતિ વિશે પણ ન કરી શકે. વિવેચકનું કાર્ય આ રીતે વિચારમૂલક છે. વિવેચક એ તત્ત્વદર્શી છે, કલાકારની સર્જકપ્રતિભાને અનુરૂપ ભાવક-પ્રતિભા પોતામાં પ્રગટાવનારો સર્જકનો સમાનધર્મા હોવા ઉપરાંત બીજાઓને એવા સમાનધર્મા બનાવવા મથનાર રસતત્ત્વવિદ્‌ છે.’ અહીં રસાનુભવથી વિવેચનને સ્વચ્છ રીતે તેમણે અલગ પાડી આપ્યું છે. કૃતિમાં તલ્લીન થવું, તીવ્રતમ રસાનુભૂતિની કોટિએ પહોંચવું, એ ઘટના વિવેચન માટેની પૂર્વશરત છે, પણ અનુભવની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી, એ તેમનો ખ્યાલ સાચો છે.&lt;br /&gt;
‘સંસ્કૃતિ‘ના ૨૦૦મા અંક માટે ‘સો વરસનું સરવૈયું’ અને ‘વિવેચનના પ્રશ્નો’ શીર્ષક હેઠળ તેમણે આ વિષયમાં થોડું વધુ ચિંતનમનન કર્યું છે. વિવેચનમીમાંસાના કેટલાક પાયાના મુદ્દાઓને તેઓ ત્યાં સ્પર્શે છે. ‘વિવેચન’ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : ‘વિવેચન એ કવિ અને ભાવક એ બન્નેની સર્જનપ્રવૃત્તિને વિષય કરે છે પણ પોતે છે દ્વિવિધ સર્જનપ્રવૃત્તિનો યથાશક્ય બૌદ્ધિક આલેખ’.૧૧૩ બીજા એક સંદર્ભમાં ફરી વ્યાખ્યા આપી છે : ‘વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધકથા’.૧૧૪ બંને ય વ્યાખ્યાઓને લક્ષમાં લેતાં તરત સ્પષ્ટ થશે કે વિવેચનવ્યાપારને તેઓ ઊર્મિવ્યાપાર માત્ર લેખતા નથી. આસ્વાદ વિશેનો એ બુદ્ધિપૂત આલેખ છે એમ કહે છે. આપણે લક્ષમાં ‘રાખવાનું છે કે ભાવકના આસ્વાદવ્યાપારને તેમણે તેની ‘સર્જનપ્રવૃતિ’ લેખે ઓળખાવી છે. સર્જકની કૃતિને કેવળ નિષ્ક્રિયભાવે ભાવક પામી શકતો નથી. સમગ્ર રચનાનું પોતાના ચિત્તમાં તેણે પુનઃ સર્જન કરીને તેનું અનુભાવન કરવાનું હોય છે. પણ, ઉમાશંકર આ બાબતે પૂરા સ્પષ્ટ છે કે આસ્વાદની પ્રક્રિયા સ્વયં તે વિવેચન નથી. વિવેચન એ પછી આરંભાય છે જ્યારે વિવેચક પોતાના ‘આસ્વાદ’ને વિષય કરીને તેનું ‘વર્ણન-વિશ્લેષણ’ શરૂ કરે છે. ભાવક પોતાના ભાવનનો અહેવાલ જે ક્ષણે આરંભે ત્યાંથી જ ‘બુદ્ધિનો ઇલાકો’ આરંભાઈ ચૂકે છે એમ તેઓ નોંધે છે.&lt;br /&gt;
વિવેચન એ સર્જન (કે કળા) છે કે શાસ્ત્ર–એવો એક વિવાદ આપણે ત્યાં ઠીક ઠીક લાંબા સમય સુધી ચાલતો રહ્યો છે. મુનશી બળવંતરાય વિજયરાય વિશ્વનાથ રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સુંદરમ્‌ આદિ આપણા અનેક વિદ્વાનોએ આ અંગે પ્રસંગોપાત્ત પોતાનું મંતવ્ય રજૂ કર્યું જ છે. ઉમાશંકર પણ આ વિશે સ્પષ્ટીકરણ કરવા પ્રેરાયા છે : “વિવેચન એ વિજ્ઞાન-પ્રયોગશાળાની નીપજ નથી જ. કેમકે એને પ્રમાણભૂત બનાવનાર પાયાનું તત્ત્વ છે વિવેચકને થયેલો કલાકૃતિનો અંગત આનંદાનુભવ અને એની કિંમત છે વિવેચકે વ્યક્તિ તરીકે કરેલું એ મૂલ્યાંકન છે એમાં. વિજ્ઞાનની અનેક શાખાઓનો (માનસવિજ્ઞાન, શબ્દાર્થવિજ્ઞાન આદિનો) લાભ એ લેશે, પણ એ સ્વયં. વ્યક્તિરંગી અને મૂલ્યોમાં રાચનારું હોઈ વિજ્ઞાન હોવાથી ઘણું દૂર છે.”૧૧૫ વિવેચનના સ્વરૂપવિચારમાં અહીં તેમણે વિવેચકના બૌદ્ધિકવ્યાપારની વાત કરી છે. તેઓ અહીં વિવેચકની વિશિષ્ટ પ્રતિભા પર ભાર મૂકે છે. વિવેચનમાં તાર્કિક કોટિના વર્ણનવિશ્લેષણને, અલબત્ત, સ્થાન છે જ, છતાં એના હાર્દમાં વિવેચકની નિજી વ્યક્તિતા કામ કરી રહી હોય છે એમ તેમને કહેવું છે. ‘અંગત આનંદાનુભવ’ વિવેચનનો મૂળ સ્રોત છે, એટલે એ વસ્તુ સમગ્ર વર્ણનવિવેચનમાં આધારભૂમિ ય છે, નિયામક બળ પણ છે. પણ વિશેષ ધ્યાનપાત્ર મુદ્દો એ છે કે ‘વ્યક્તિરંગી’ એવું એ વિવેચન ‘મૂલ્યોમાં રાચનારું’ હોય છે. વિવેચકનો પોતાનો મૂલ્યબોધ એમાં નિર્ધારક બની રહે છે—શકે છે—એમ તેમને અભિપ્રેત જણાય છે. વિવેચનમાં એ રીતે વૈયક્તિકતા કે આત્મલક્ષિતાનું તત્ત્વ તેના મર્મ સુધી ઊતરી જાય છે. તેઓ કહે છે કે વિવેચન પણ ‘માનવચિત્તની નીપજ’ હોઈ, ગુણવત્તામાં એ પણ ઉત્કૃષ્ટ હોઈ શકે, પણ શુદ્ધ સર્જનની કોટિમાં તે ન જ આવી શકે. વિવેચન એ એક કૃતિ નિમિત્તે નિપજાવેલું બીજું સર્જન નથી જ. ઉમાશંકર વધુમાં એમ પણ નોંધે છે કે ઘણાએક કવિઓની કવિતા કરતાં કોઈ મહાન વિવેચકનું અમુક લખાણ ઊંચી કક્ષાનું જોવા મળે, પણ તોય હકીકત તો રહે જ છે કે વિશ્વસાહિત્યમાં સર્જનની જે ઊંચાઈ સિદ્ધ થયેલી છે તે વિવેચને સિદ્ધ કરવી બાકી છે.&lt;br /&gt;
વિવેચકની કામગીરીનો ખ્યાલ આપતાં ઉમાશંકર કહે છે : ‘વિવેચકનું મુખ્ય કામ કલાકૃતિને કલાકૃતિ તરીકે પામવામાં – એનો આનંદ અનુભવવામાં મદદરૂપ થવાનું છે.”૧૧૬ એલિયટે વિવેચનના કાર્યની ચર્ચા કરતાં કૃતિનાં – enjoyment અને understanding – એ બે બાબતો પર ખાસ ભાર મૂક્યો છે. ઉમાશંકર એલિયટના એ ખ્યાલોનો અહીં પુરસ્કાર કરે છે. વિવેચકની ‘અવબોધકથા‘ અન્ય ભાવકોને એ કૃતિનો આસ્વાદ લેવામાં ઉપકારક નીવડી શકે એમ તેઓ માને છે. આવી ‘અવબોધકથા‘ જો ‘યથાર્થ રીતે’ રજૂ થઈ હોય તો ‘કાવ્યમાત્રમાં અવબોધનાં (સંઘટનસૂત્ર પકડવું વગેરે) કોઈ કોઈ તત્ત્વો’ વિશે તે ભાવકને જાગ્રત કરી શકે; મતલબ કે, ‘આસ્વાદનું વ્યાકરણ’ તે આપી શકે. તેમની આ વિચારણા થોડી સ્પષ્ટતા માગે છે. સાહિત્ય ક્ષેત્રમાં દરેક નોંધપાત્ર સર્જનકૃતિ રચનાનો આગવો સિદ્ધાંત – creative કે formative principle – લઈને આવે છે, એ જોતાં દરેક કૃતિના આસ્વાદનું ‘વ્યાકરણ’ જુદું સંભવે છે, દરેક કૃતિ સાથેનું encountering કંઈક જુદી રીતે કરવાનું રહે છે.&lt;br /&gt;
ઉમાશંકર એમ માને છે કે સત્ત્વવંત લેખકો-સર્જકો તેમ વિવેચકો—કોઈ ‘શાળા’ સાથે જોડાવાનો પ્રસંગ આવે ત્યારે પણ એના ‘ચોકઠામાં બંધાઈ જતા નથી, ઊફરા વિહરે છે.’ તેમના આ ખ્યાલ સાથે આપણે કદાચ પૂરેપૂરા સંમત થઈ શકીશું નહિ. પ્રતિભાશાળી સર્જક સાહિત્યકળા વિશે કે રચનારીતિ વિશે અમુક ખ્યાલો ધરાવતો હોય તો તેના સર્જનની દિશા એવા ખ્યાલોથી જરીકે બદલાય જ નહિ એવું તો નથી. સર્જકતાના પ્રબળતમ ઉન્મેષથી પ્રેરાતો છતાં ય કૃતિના આકાર રચનાબંધ કે રચનારીતિ વિશે અમુક ખ્યાલો તેને તેમાં પ્રેરક કે વિધાયક બળ બની રહેતા હોય છે. ફ્લોબેર કે ઝોલા જેવા વાસ્તવવાદી–પ્રકૃતિવાદી કથાસર્જકો, માલામેં બૉદલેર વાલેરી આદિ ફ્રેંચ પ્રતીકવાદી કવિઓ, બેકેટ જેવો નાટ્યસર્જક કે રોબ્બ ગ્રિયે જેવો નવલકથાકાર—સર્જકતાનો અનવરુદ્ધ વિસ્તાર સાધતા છતાં કૃતિના આકાર કે રચનારીતિ વિશેના અમુક ચોક્કસ ખ્યાલને અનુસરતા જણાશે. વિવેચકની ભૂમિકાનો પ્રશ્ન, અલબત્ત, આથી જુદો છે. કેમ કે, વિવેચ્ય કૃતિને તે ન્યાય કરવા પ્રવૃત્ત થયો હોય છે. એક વ્યાપક સમજ રહી છે કે તેણે કૃતિ – ‘જેવી છે તેવી’ને–ઓળખવાની છે, પોતાના સૈદ્ધાંતિક ખ્યાલોના ચોકઠામાં બેસાડી જોવાનો તેણે પ્રયત્ન કરવાનો નથી. વળી, આપણી એવી એક અપેક્ષા પણ રહી છે કે વિવેચકે પોતાની વૈચારિક ભૂમિકા ત્યજીને, તેને અતિક્રમી જઈને, સર્જકના વિશ્વ સાથે તાદાત્મ્ય સાધવાનું છે. પણ અહીં જ વિવેચનમીમાંસાનો એક કૂટ પ્રશ્ન ઊભો થાય છે. અગાઉ જુદા જુદા અનેક સંદર્ભે એ વસ્તુનો આપણે નિર્દેશ કરતા રહ્યા છે કે વિવેચકને ય જો આગવી પ્રતિભા હોય, કલા વિશે સૌંદર્ય અને સર્જન વિશે અમુક ચોક્કસ પ્રતીતિઓ હોય, તો કૃતિના આસ્વાદ-વિવેચનમાં અત્યંત સૂક્ષ્મ સ્તરેથી તે પણ નિર્ધારક બની રહે છે. ઐતિહાસિક, આકારવાદી, માકર્‌સવાદી–એવો કોઈ અભિગમ અત્યંત નિષ્ઠા ગંભીરતા અને પ્રામાણિકતાથી જેમણે સ્વીકાર્યો છે તેમને માટે કલાકૃતિ વ્યાપક સમાજજીવનના કે વિશ્વજીવનના સંદર્ભમાં જુદું જુદું સ્થાન લે છે. એટલે, ‘સત્ત્વવંત’ હોય અને છતાં પોતાને ઇષ્ટ એવી ‘શાળા’થી ઊફરો જવા પ્રેરાય, એમ સહેલાઈથી માની શકાતું નથી.&lt;br /&gt;
સાહિત્યક્ષેત્રની ઉપલબ્ધિઓ અને સમકાલીન વિવેચનપ્રવૃત્તિ એ બે વચ્ચે સુનિશ્ચિત કાર્યકરણ સંબંધ સ્થાપવાનું મુશ્કેલ છે, આમ છતાં ‘સર્જનયુગ’ની સાથોસાથ ‘વિવેચનયુગ’ પણ જન્મતો હોય છે, એવો ખ્યાલ પણ ઉમાશંકરે પુરસ્કાર્યો છે. રચાતા જતા સાહિત્ય વિશે ત્યારે વિવેચન ભાવકોને માર્ગદર્શન આપી શકે, તેમ લેખકોને પણ તેમની કૃતિઓને જોવાનું ‘દૃષ્ટિબિંદુ’ આપી શકે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નવ્ય વિવેચને’ શાસ્ત્રના નિયમો, ‘નીતિવાદ’ અને ‘ઐતિહાસિક ચોકઠામાંથી’ કાવ્યકૃતિને અલગ કરી અને માત્ર ‘કાવ્યપદારથ’ પર જ બધું લક્ષ્ય તેણે કેન્દ્રિત કર્યું એમ નોંધી ઉમાશંકર નવ્ય વિવેચનને પુરસ્કારે છે. પણ એની પદ્ધતિ/અભિગમ વિશે વિગતે છણાવટ કરવા રોકાતા નથી. ‘સાક્ષરી વિવેચન’ (academic criticism) તે મુખ્યત્વે ‘અભ્યાસપ્રધાન પ્રવૃત્તિ’ છે એમ કહી એ જાતનું વિવેચન ‘સાહિત્યિક વિવેચન’ની કોટિએ તો થોડાંક દૃષ્ટાંતોમાં જ પહોંચી શકે એમ પણ ઉમેરે છે. અહીં સાક્ષરતા - scholarship - અને વિવેચન criticismની સૂક્ષ્મ ભિન્નતા આંકી લેવાની જરૂર વરતાય છે. આપણે એમ કહી શકીએ કે સાહિત્યકૃતિઓનો વારંવાર વિભિન્ન પ્રયોજનથી અભ્યાસ થતો હોય છે. સાક્ષરી અધ્યયન કૃતિનાં રસકીય મૂલ્યોની ઓળખ કે વિવેચન–મૂલ્યાંકનના હેતુથી નહિ, પણ કૃતિમાંના સામાજિક નૈતિક દાર્શનિક કે ભાષાકીય એવા કોઈ ને કોઈ પાસાંનો (કે પ્રશ્નોનો) શાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવાનો ઉપક્રમ એમાં હોય છે. જેમ કે, ‘સરસ્વતીચંદ્ર’ (૧-૪)માં તત્કાલીન દેશી રાજ્યો–બ્રિટીશ શાસન વચ્ચેના સંબંધોનું, લક્ષ્યાલક્ષ્ય દર્શનનું, ગોવર્ધનરામની પ્રીતિમીમાંસાનું આગવી રીતે અધ્યયન થઈ શકે. એવાં ‘સાક્ષરી વિવેચન’નું પ્રયોજન જ જુદું હોય છે, એટલે એવાં અધ્યયનોમાં પ્રતિપાદનરીતિ પણ જુદી પડવાની. એ જ રીતે અખાની આ કે તે કૃતિઓની હસ્તપ્રતની પ્રમાણભૂતતાની તપાસમાં કોઈ અધ્યયનકર્તા રોકાય તો એને ય આપણે ‘સાક્ષરી વિવેચન’ કહીશું. પણ આવાં સાક્ષરી વિવેચનો કૃતિના આસ્વાદ અવબોધ કે મૂલ્યાંકન પૂર્વે કૃતિને યથાર્થ રૂપમાં જોવાને પરિપ્રેક્ષ્ય પૂરો પાડે, કે સાચો પાઠ મેળવી આપે અને એ રીતે સહાયક બને. અને કેટલાંક ભાષાલક્ષી કે કલ્પન પ્રતીક મિથ વિષયક અધ્યયનો વળી કૃતિના હાર્દમાં પ્રવેશ કરવાને ઘણાં માર્મિક ઓજારો પૂરાં પાડે છે એમ કહેવું જોઈએ. પ્રશ્ન, અભ્યાસી કૃતિના કયાં પાસાંનું સૂક્ષ્મ અધ્યયન કરે તેને લગતો છે.&lt;br /&gt;
આપણી વિવેચનપ્રવૃત્તિઓને અનુલક્ષીને તેમણે ‘રીઝે તો ચાટે ખીજે તો કાટે શૈલી’ ‘ચોવટ શૈલી’ ‘થાભડભાણ શૈલી’ ‘છેદ ઉડાડવા શૈલી’ ‘મગમરી અનિર્ણય શૈલી’ ‘દૂધ દહિયાં શૈલી’ ‘શુક શૈલી’ ‘સાહિત્યિક શૈલી’ ‘ગુલાલ ગબારા શૈલી’ ‘ગુણપક્ષ દોષપક્ષ શૈલી’ ‘ઉપર હાથ શૈલી’ વગેરેનો ટૂંકો નિર્દેશ કર્યો છે. વ્યવહારના સ્તરેથી, વિવેચકનાં વૃત્તિવલણોના સંદર્ભે, આ જે વિચારો મૂક્યા છે તેની પાછળ કોઈ તાત્ત્વિક ભૂમિકા જણાતી નથી.&lt;br /&gt;
આપણા વિવેચક સામે પૂર્વપશ્ચિમની બે ભિન્ન પરંપરાની સાહિત્ય વિચારણાઓ પડી છે, અને યથાવકાશ તે બંનેની સહાય લઈ શકે એવી તેમની સમજ રહી છે. પણ આ આખો પ્રશ્ન કદાચ એટલો સીધો સાદો નથી. વિવેચન અર્થે મૂલ્યાંકનના કયા માપદંડો કયાં ધોરણો કઈ કસોટીઓ તમે આજના સાહિત્ય સંદર્ભે લાગુ પાડવા સ્વીકારો છો અથવા પ્રસ્તુત ગણો છો, તેને લગતો એક મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે. ભારતમાં તેમ પશ્ચિમમાં સાહિત્યની કળા વિશે (તેમ સૌંદર્ય અને સર્જકતા વિશે) અનેક ભિન્ન ભિન્ન સિદ્ધાંતો/વાદો વિકસ્યા છે. કૃતિવિવેચનનાં ધોરણો/કસોટીઓ એવા સિદ્ધાંત વિચારમાં અનુસ્યૂત રહ્યાં હોય છે. એટલે વિવેચકે આ અંગે પૂરું અધ્યયન ચિંતન કરીને મૂલ્યાંકનનાં ધોરણો વિશે ઊંડી વિશદ સમજ કેળવી લેવાની રહે. તાત્પર્ય કે, પશ્ચિમની કે ભારતની સાહિત્ય મીમાંસાનો યાદૃચ્છિકપણે સ્વીકારવાનો આ પ્રશ્ન નથી. વિવેચકે આ વિશે પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ થવાનો, અને એ પ્રક્રિયામાં પોતાના વ્યક્તિત્વની અખિલાઈ સિદ્ધ કરવાનો પ્રશ્ન પણ પડેલો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૯.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીસીચાળીસીના ગાળામાં આપણા સાહિત્યક્ષેત્રમાં પ્રગતિવાદનું કંઈક શક્તિશાળી મોજું ફરી વળ્યું, અને સાહિત્યના સર્જનવિવેચનમાં માકર્‌સવાદી દૃષ્ટિનો વિનિયોગ કરવાનું વલણ પણ કેટલોક સમય સક્રિય રહ્યું હતું, એની પણ અહીં આપણે નોંધ લેવાની રહે છે. રવિશંકર મહેતા, બકુલેશ, જિતુભાઈ, નીરુભાઈ, નવલરામ ત્રિવેદી, રમણલાલ દેસાઈ, ભોગીલાલ ગાંધી, ઉમાશંકર, સુંદરમ્‌, જયંતિ દલાલ અને બીજા પણ કેટલાક સાહિત્યકારો એ આંદોલનમાં ભળ્યા હતા કે એના સમર્થક બન્યા હતા. જો કે આપણા બીજા લેખકો તટસ્થ રહ્યા હતા અને કેટલાકે પ્રગતિવાદી સાહિત્યની સામે અમુક વાંધાઓ ય ઊભા કર્યા હતા. ગમે તેમ, પ્રગતિવાદ આપણા સાહિત્યમાં ઊંડાં મૂળ નાખી શક્યો નહોતો, તેમ જે કંઈ આંદોલન એ સમયે ચાલ્યું તેમાંથી ઉત્કૃષ્ટ કોટિનું ઝાઝું સાહિત્ય પણ પ્રાપ્ત થયું નહોતું –એ એક ઐતિહાસિક હકીકત રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે સર્જન વિવેચનને જોવાને માર્ક્‌સવાદી દૃષ્ટિનું અનુસંધાન ત્યારે થયું હતું. ઉમાશંકર નીરુ દેસાઈ અને ભોગીલાલ ગાંધી જેવા અભ્યાસીઓએ ત્યારે માર્ક્‌સવાદી અભિગમની છણાવટ કરતાં કેટલાંક લખાણો ય પ્રગટ કરેલાં, પણ એની જોઈએ એવી ઊંડી અને વ્યાપક અસરો જોવા મળતી નથી.&lt;br /&gt;
ત્રીસીના ગાળામાં ઉમાશંકરે કવિતાના સ્વરૂપ વિશે જે ચર્ચાવિચારણા આરંભી તેમાં ‘કાવ્ય અને પ્રાગતિકતા’ લેખ તેમની વૈયક્તિક કારકિર્દીના સંદર્ભમાં તેમ ગુજરાતી કાવ્યતત્ત્વવિચારના સંદર્ભમાં ય મહત્ત્વનો બની રહે છે. માકર્‌સવાદી વિચારણાની સ્પષ્ટ પ્રેરણા એમાં જોઈ શકાશે. ‘શુદ્ધ કાવ્ય’ના ઉપાસકો કાવ્યની સૃષ્ટિ ‘અન્યનિરપેક્ષ સ્વયંસંપૂર્ણ સ્વયંસ્થિત કેવલ આત્મનિષ્ઠ’ હોવાનું લેખવે છે તેની સામે તેઓ વાંધો લે છે. કવિતાને વ્યાપક જીવનતત્ત્વ સાથે સંબંધ છે, એટલું જ નહિ, વ્યક્તિના અને સમાજના જીવનને જે નિયમો નિયંત્રિત કરે છે તે જ કવિતાની સૃષ્ટિને પણ નિયંત્રે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
નીરુ દેસાઈના ‘માકર્‌સવાદ અને સાહિત્ય’ લેખમાં માકર્‌સવાદને અભિમત સામાજિક/દાર્શનિક વિચારણાઓનું સીધું અનુસંધાન રહ્યું છે. વ્યક્તિ અને સમાજના વિકાસની dialectical processની ભૂમિકા તેમણે અહીં પુરસ્કારી છે.&lt;br /&gt;
ભોગીલાલ ગાંધીના ત્રણ લેખો – ‘સાહિત્ય અને પ્રગતિ’ ‘માર્ક્‌સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ અને ‘ગુજરાતી વિવેચનસાહિત્ય ઉપર માકર્‌સવાદની અસર’ – સાહિત્યના અધ્યયન-વિવેચનમાં માર્ક્‌સવાદી અભિગમને લગતા મુદ્દાઓ અને ગુજરાતીમાં ચાલેલા પ્રગતિવાદની તપાસને અનુલક્ષે છે. પ્રથમ લેખમાં – ‘પ્રગતિવાદી સાહિત્ય’ સામે જે જાતના વાંધાઓ લેવામાં આવે છે તેને નજરમાં રાખી એ અભિગમની સિદ્ધિમર્યાદાઓનો વિચાર કરવાનો તેમનો ઉપક્રમ છે. રામનારાયણ પાઠક જેવા વિદ્વાન વિવેચકે પ્રગતિવાદ સામે જે મુદ્દાઓ ઊભા કર્યા હતા તેને પ્રત્યુત્તર આપવાનો એમાં સમર્થ પ્રયત્ન છે. કૉડવેલ અને સી. ડી. લૂઈ જેવા પાશ્ચાત્ય ચિંતકો-વિવેચકોની વિચારણાના પ્રકાશમાં તેમણે પ્રગતિવાદ સામેનાં ભયસ્થાનો ય બતાવ્યાં છે. ‘માકર્‌સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ લેખમાં માકર્‌સ અને લેનિનની કળાદૃષ્ટિ અને રુચિનો તેમ તેમને અભિમત મૂલ્યોનો વિગતે પરિચય આપ્યો છે. ત્રીજા લેખમાં સમકાલીન ગુજરાતમાં પ્રવર્તેલા પ્રગતિવાદી આંદોલનની ટૂંકી સુરેખ ભૂમિકા રજૂ કરી છે, અને એ અભિગમ જે સાહિત્યકળાને પુરસ્કારે છે અને જે મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા ધારે છે તેનો સારી રીતે પરિચય આપ્યો છે. ભોગીલાલની ચર્ચાવિચારણામાં બેત્રણ મુદ્દાઓ તરત ધ્યાન ખેંચે છે. એક, સાહિત્યને જીવન સાથે-વ્યક્તિ અને સમાજ સાથે ગાઢ સંબંધ છે. વાસ્તવનિરૂપણને નામે લેખકે બાહ્ય અને ઉપરછલી વાસ્તવિકતા આલેખીને સંતોષ માનવાનો નથી. વ્યક્તિ અને સમાજ જીવનને પ્રેરતાં ઘાટ આપતાં દિશા આપતાં ગહન સંકુલ આંતરિક બળોને તેણે આલેખવાનાં છે. બીજું, સાહિત્ય માત્ર પ્રચારાત્મક છે. ત્રીજું, શિવતત્ત્વ તરફ તેની દૃષ્ટિ મંડાયેલી હોવી જોઈએ. ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ વચ્ચે કદાચ સુમેળ સરળતાથી સાધી શકાતો હશે, પણ સર્જકોએ ‘શિવતત્ત્વ’ને ય આરાધવાનું છે. શિવતત્ત્વ અને સૌંદર્ય કે સત્ય વચ્ચેનો વિસંવાદ/સંઘર્ષ પણ તેમની સાહિત્યસામગ્રી બની શકે, વગેરે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૧૦.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કથાસાહિત્યના ક્ષેત્રે આગવી પ્રતિભાની મુદ્રા અંકિત કરી જનારા સદ્‌ગત ચુનીલાલ મડિયાએ વિવેચનના ક્ષેત્રેય કેટલુંક નોંધપાત્ર અર્પણ કર્યું છે. વિવેચન-પ્રવૃત્તિ અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે કેટલાંક પ્રાસંગિક લખાણો પ્રગટ કર્યાં છે. ‘વિવેચકની કામગીરી’ ‘વિવેચન, વિશેષણ, વિવેક’ ‘વિવેચકોના વિવેચકોના વિવેચકો’ જેવા લેખોમાં ખાસ કોઈ તાત્ત્વિક મુદ્દાઓ નથી, માત્ર તેમનાં કેટલાંક વલણો એમાં છતાં થાય છે. તેમના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે :&lt;br /&gt;
(૧)	પ્રો. અનંતરાય રાવળે વિવેચકની સહૃદયતા પર ભાર મૂકી કૃતિના ‘ગુણગ્રાહી વિવેચન’નો પક્ષવાદ કર્યો, તેની સામે મડિયાએ વાંધો લીધો છે. માત્ર ગુણકિર્તન થાય અને દોષો પ્રત્યે આંખમીંચામણાં થાય ત્યારે સાહિત્યનાં મૂલ્યો ધીમે ધીમે નીચે ઊતરે એમ તેમનું કહેવું છે. ગુણદર્શન વિવેચક ભલે કરે, પણ તે નર્યું ‘થાબડભાણિક’ બને ત્યારે મોટો ખતરો ઊભો થાય છે.&lt;br /&gt;
(૨)	વિવેચનના ક્ષેત્રે કૃતિના વિવેચન-પરીક્ષણમાં બારીક દૃષ્ટિના અભાવે કેટલાંક રૂઢ લપટાં પડી ગયેલાં વિશેષણોથી કામ કાઢી લેવામાં આવે છે. પણ એથી વિવેચનપ્રવૃત્તિને મોટી હાનિ થાય છે.&lt;br /&gt;
(૩)	તેજસ્વી અને દૃષ્ટિસંપન્ન વિવેચક આવતી કાલના સાહિત્યનો ‘વૈતાલિક’ હોઈ શકે. વિવેચનનું એ રીતે અમુક ગૌરવ પણ છે, પણ સર્જનનું સ્થાન તે લઈ ન શકે. સર્જનને બદલે જ્યારે વિદ્વત્તા વધુ પૂજાવા લાગે ત્યારે સમાજ ‘ક્ષીણપ્રાણ’ થઈ રહ્યો છે એમ જ માનવાનું રહે.&lt;br /&gt;
(૪)	સર્જાતા સાહિત્યને વિવેચન સીધી રીતે ભાગ્યે જ ઉપયોગી નીવડે. વિવેચન એ માટે ‘સાહિત્યિક આબોહવા‘ નિર્માણ કરીને જરૂર સહાય કરી શકે.&lt;br /&gt;
ઉમાશંકરની પેઢીના સાહિત્યકારો અને અભ્યાસીઓમાં પ્રો. મનસુખલાલ ઝવેરી, પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, ડૉ. ઇન્દ્રવદન દવે, ડૉ. બિપિન ઝવેરી, ડૉ. હસિત બૂચ, ડૉ. ઈશ્વરલાલ દવે, પ્રો. અનંતરાય રાવળ, ડૉ. ધીરુભાઈ ઠાકર, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી ઉશનસ્‌, ડૉ. જયંત પાઠક આદિએ વિવેચનના પ્રશ્નો કે સમકાલીન વિવેચનની પ્રવૃત્તિ નિમિત્તે પ્રસંગોપાત્ત પોતાના વિચારો રજૂ કરેલા છે. વિવેચનમીમાંસાના કોઈ ખાસ નવા પ્રશ્નો ઊભા કરવાનો ઉપક્રમ એમાં નથી. પણ દરેક અભ્યાસીએ આ જાતનાં લખાણોમાં આગવી રીતે વિવરણ કર્યું છે કે કંઈક જુદા જ ભાર સાથે પ્રચલિત ખ્યાલો રજૂ કર્યા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87775</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87775"/>
		<updated>2025-04-27T08:03:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{Block center|&amp;lt;poem&amp;gt;&amp;lt;/poem&amp;gt;}}{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| III. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા  વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે.&lt;br /&gt;
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
અલબત્ત, નવલરામની જીવનકથામાં એ યુગના એ મહાન સમીક્ષકની વિવેચનપ્રવૃત્તિ તેમ જ તેમના અન્ય સાહિત્ય વિશે ગોર્વધનરામે ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કર્યું છે. તેમનો પોતાનો વિવેચનાત્મક અભિગમ એમાં તરફ ધ્યાન ખેંચે છે. નવલરામના સર્જન-વિવેચનને અવલોકવાને તેઓ નવલરામની વિદ્યાપ્રાપ્તિ અને માનસિક સજ્જતાનો, તેમનાં રુચિવલણોનો, તેમજ તેમના જીવન અને સાહિત્યને જોવા સમજવાનો વિશાળ પરિપ્રેક્ષ્ય સ્વીકારે છે. ચરિત્રાત્મક (biographical), નીતિપરક (moral), અને ઐતિહાસિક (historical) એમ વિભિન્ન અભિગમો એમાં એકત્રપણે કામ કરતા જોઈ શકાશે. નવલરામે પોતે ગ્રંથસમીક્ષાઓ/વિવેચનો અર્થે જે પદ્ધતિ નિપજાવી લીધી હતી તેમાંય આવા અભિગમો એકત્ર થયેલા હતા. પણ નવલરામે કે ગોવર્ધનરામે વિવેચન અર્થે પોતે યોજેલી પદ્ધતિ વિશે સંપ્રજ્ઞપણે ખાસ તત્ત્વચિંતન કર્યું દેખાતું નથી. પણ સાહિત્યકળાના સ્વરૂપ વિશે તેમ તેનાં પ્રયોજનો વિશે તેઓ જે રીતે વિચારી રહ્યા હતા, કહો કે સાહિત્યને યથાર્થ રૂપે પામવા તેમના મનમાં જે ખ્યાલો પડ્યા હતા, તે તેમના વિવેચનાત્મક અભિગમ સાથે સારી રીતે મેળમાં છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
નવલરામની ગ્રંથપરીક્ષાપ્રવૃત્તિની ચર્ચાને અનુલક્ષીને ગોવર્ધનરામ પોતે પુસ્તકપરીક્ષક કે વિવેચકનું કાર્ય આ રીતે સ્પષ્ટ કરે છે : “પુસ્તકપરીક્ષકનું ખરેખરું કામ તો એ છે કે એક તો નવીન અપ્રસિદ્ધ ગ્રંથકારમાં યોગ્યતા હોય તો તે દર્શાવી આપી પ્રગટ કરી એ ગ્રંથકારનો હાથ ઝાલી સાક્ષરવર્ગ આગળ એને પ્રસિદ્ધ કરવો. અને બીજું, પ્રતિષ્ઠિત ગ્રંથકારના ગુણનું પૃથક્કરણ કરી વાંચનારાઓ આગળ એ ગુણો પારદર્શક કરી આપવા.”૧૪ ગોવર્ધનરામ નોંધે છે કે નવલરામે આ ધર્મ ઘણા વિવેકપૂર્વક બજાવ્યો છે, અને તેમના વિવેચનકાર્યમાં જે ઠરેલપણું જોવા મળ્યું તેની પણ તેમણે પ્રશંસા કરી છે. પણ અહીં આપણને પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. નવલરામ અને ગોવર્ધનરામ બન્ને વિવેચનપ્રવૃત્તિને સાહિત્યના સર્જક અને ભાવક બંને સાથે સાંકળીને જૂએ છે. વિવેચકને બન્ને તરફ ચોક્કસ ઉત્તરદાયિત્વ છે, નૈતિક કર્તવ્ય છે, એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી ગ્રંથકારોના ગ્રંથોની પરીક્ષા સાથે નવલરામનું નામ વધારે જોડાયેલું છે’ – એમ નોંધી નવલરામે ગ્રંથપરીક્ષક તરીકે કેવી તો કપરી કામગીરી બજાવી છે તે વિશે તેઓ આપણું ધ્યાન ખેંચે છે. ગ્રંથપરીક્ષકનું કાર્ય અને કાર્યક્ષેત્ર વર્ણવતાં તેઓ એક મહત્ત્વની ભૂમિકા રજૂ કરે છે. એ યુગની વ્યાપક સમજ એમાં છતી થાય છે.&lt;br /&gt;
“...પણ આ દેશના તેમ જ પરદેશના સર્વ વિદ્વાનોનો મત એવો છે કે, ગ્રંથપરીક્ષા એટલે ગ્રંથમાં સારું શું છે તે જાણવું અને જણાવવું. ગ્રંથમાં તો શું પણ સર્વત્ર પરીક્ષાનો એ જ હેતુ છે કે ફલાણાએ શું કામ કર્યું તે જોવું; શું કામ કર્યું એટલે શું સારું કામ કર્યું. કોઈએ શું કામ નથી કર્યું તેની પરીક્ષા નથી હોતી. કોઈએ કેટલું નઠારું કામ કર્યું એટલું જ માત્ર જોવા જવું એવી પરીક્ષા કોઈ સુપરીક્ષક માથે લેતો નથી. ફૂલની સુવાસના જોનાર હોય છે. દુર્ગન્ધ શોધનાર અભાગિયા હોતા નથી. ગ્રંથપરીક્ષક એ ગ્રંથરૂપ પુષ્પોનો ભોગી ભ્રમર છે. તે સ્થળેથી પરાગ અને મધુના પરમાણુ શોધી કાઢી તેનો સંચય કરે છે, અને એના રચેલા મધપૂડાઓનું મધ તેને પોતાને તેમ અન્ય લોકને કામે લાગે છે. ગ્રંથના ગુણની પરીક્ષા કરવી, એ ગુણનો જાતે ઉપભોગ કરી આનંદ અનુભવવો, અને એ આનંદ પામવા ગ્રંથના વાંચનારાઓને સમર્થ કરવા, પોતે સરસ અન્ન જમવું અને બીજાને જમાડવા – આ આનંદની ઉજાણી આપવી, એ જ ગ્રંથપરીક્ષકનો અભિલાષ હોય છે. એ અભિલાષ જેને ન હોય તે પરીક્ષક જ નથી.”૧૫&lt;br /&gt;
વિવેચકના અવલોકનીય કૃતિ પરત્વેના અભિગમમાં અહીં જુદો ઝોક વરતાશે. પરીક્ષક કૃતિના ગુણદોષની પરીક્ષા કરે, ભલે કરે, તેનું મુખ્ય પ્રયોજન કૃતિનો આસ્વાદ લેવાનું અને ભાવકોને તેમાં સંમિલિત કરવાનું છે. કૃતિની કેવળ નિંદા—કેવળ દોષદર્શનની વૃત્તિ—તેમને ઇષ્ટ નથી. કૃતિ પરત્વે આમ positive attitude કેળવવાનો તેઓ આગ્રહ રાખે છે. અગર કૃતિમાં વિવેચક દોષ જૂએ તો પણ તેની ગુણસમૃદ્ધિના સ્વીકાર પુરસ્કાર સાથે જુએ. સર્જકના પ્રયત્નને પૂરા સમભાવથી તેણે ઓળખવાનો છે. પરીક્ષકમાં જ્યાં સુધી પ્રસ્તુત કૃતિ (કે કર્તા) પરત્વે ‘અનુકંપા’ જન્મતી નથી—‘અનુકંપા’ દ્વારા તેમને સહૃદયભાવ અભિપ્રેત હોવાનું સમજાય છે—ત્યાં સુધી તેમાંના ‘ગુણ જોવાની દૃષ્ટિ’ ‘ઉઘડતી’ નથી એમ તેઓ કહે છે. વિવેચનપ્રવૃત્તિને લગતો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. સાહિત્યકળાના પ્રશ્નો વિશે વિવેચકમાં ઘણી ઊંડી જાણકારી હોય, વિશાળ જ્ઞાનવિજ્ઞાનનો સંપર્ક હોય, પણ કૃતિને સહૃદયભાવે જોવાની તત્પરતા ન હોય, તો તેની એ સજ્જતા ભાગ્યે જ કાર્યસાધક નીવડે. કૃતિના સૂક્ષ્મતમ રમણીય અંશોનું ગ્રહણ કરવા તેમ તેનું હાર્દ ઓળખવા, તેનું સમગ્ર ચિત્ત પૂરેપૂરું કૃતિને અભિમુખ બની રહેવું જોઈએ. કૃતિ કે કર્તા વિશેનો અજ્ઞાતરૂપનો અણગમો કે અરુચિનો ભાવ કૃતિના હાર્દ સુધી પહોંચવામાં અંતરાય રચી દે, તેની રસકીય ચેતનાને કૃતિના સર્જનાત્મક અંશોમાં વિસ્તરતાં પહેલાં જ કુંઠિત કરી દે, એવો પૂરો સંભવ રહે છે.&lt;br /&gt;
કૃતિના વિવેચન-મૂલ્યાંકનનો એક કૂટ પ્રશ્ન અહીં રોપાયેલો છે. વિવેચકે કૃતિના ‘ગુણો’ બતાવવાના છે એમ આપણે કહીએ છીએ, ત્યારે ય ‘ગુણતત્ત્વ’ કંઈ કૃતિમાં સહેલાઈથી locate કરી આપી શકાય તેવી વસ્તુ નથી, એ આપણે સ્મરણમાં રાખવાનું છે. અંતે, ‘સાહિત્યિક ગુણ’—એ મૂલ્યબોધની વસ્તુ છે. કૃતિના આસ્વાદની પ્રક્રિયામાં ભાવયિત્રી પ્રતિભા એની સાથે જે રીતે encountering કરે છે, તેમાં આ જાતનો મૂલ્યબોધ સંભવે છે. અભિનવગુપ્તે સહૃદયની આંતરક્ષમતાનું વર્ણન કરતાં આમ કહ્યું છે : “સહૃદય તો તે જેનું મનોમુકુર કાવ્યાનુશીલનના અભ્યાસથી વિશદીભૂત થયું છે, ‘વર્ણનીય’ સાથે તન્મય બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે, અને હૃદયસંવાદની ક્ષમતાવાળું છે.”૧૬ અભિનવે મનોમુકુરને વિશદીભૂત હોવાનું અનિવાર્ય લેખ્યું છે, પણ મર્મજ્ઞ અભ્યાસીઓએ નોંધ્યું જ હશે કે ભાવકચિત્તની ‘વિશદતા’ એ કોઈ શૂન્ય ભાવાવસ્થા નથી : કાવ્યાનુશીલનથી, તેના દીર્ઘ અભ્યાસથી, તે ‘વિશદ’ બન્યું છે એમ તેમનું કહેવું છે. અર્થાત્‌ કૃતિનાં રમણીય—અરમણીય તત્ત્વોને ઓળખવા બાબતે ચિત્તમાં કોઈ સંદિગ્ધતા નથી, કોઈ ગૂંચ નથી. એટલે, રમણીયતાના બોધ પરત્વે ચિત્તમાં કશીક સ્થિર દ્યુતિમય દૃષ્ટિની તેમને અહીં અપેક્ષા છે. પણ, એ સાથે જ, ‘હૃદયસંવાદ’ની ક્ષમતા જોઈએ એમ તેઓ કહે છે. ગોવર્ધનરામે આગવી રીતે આ જ વિચાર સ્પષ્ટ કર્યો છે.&lt;br /&gt;
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.&lt;br /&gt;
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.&lt;br /&gt;
લેખના આરંભમાં જ તેઓ ટીકાપ્રવૃત્તિનું માહાત્મ્ય રજૂ કરવા પ્રેરાયા છે. આ સંદર્ભે એક જૂનો સંદર્ભ તેમણે ટાંક્યો છે. શ્રી ભોજરાજે પોતાની ‘રાજમાર્તંડ’ નામની યોત્રસૂત્રવિષયક ટીકાના મંગલાન્તે એક માર્મિક ટકોર કરી છે : “જે દુર્બોધ હોય તેને ‘એ તો સ્પષ્ટ છે’ એમ કહીને (ટીકાકારો) તજી દે છે, ને જે સ્પષ્ટાર્થ હોઈ તેના ઉપર પંડિતાઈ બતાવવા નકામા નકામા સમાસાદિનો વિગ્રહ સમજાવવાનું ડોળ કરી બહુ ટાયલું વિસ્તારે છે. જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવળ નિરૂપયોગી બહુ બહુ વાતો દાખલ કરી ઊલટો વાંચનારને મિથ્યા ભ્રમ પેદા કરે છે. એમ પ્રાયશઃ ટીકા કરનારા શુદ્ધ સવસ્તુ (?) હોય તેને કેવળ ચુંથી નાખે છે.”૧૭ દેખીતું છે કે શ્રી ભોજરાજ અહીં પોતાના જમાનાના અમુક બની બેઠેલા ટીકાકારોને ઉઘાડા પાડવા માગે છે. મણિલાલ આ સંદર્ભ રજૂ કરી તરત જ નોંધે છે કે શ્રી ભોજરાજે આ જે નિંદા કરી છે તે શ્રી શંકરાચાર્ય કે શ્રી મલ્લીનાથ જેવા મહાન પ્રતિભાશાળી પુરુષોને લક્ષમાં રાખીને નહિ જ કરી હોય. આ અંગે વધુ નિરાકરણ કરતાં તેઓ નોંધે છે : “યદ્યપિ ટીકાકારો મૂલવસ્તુનો વિકલવ કરનારા છે એ નિઃસંશય છે. તથાપિ ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર, આદિ અનેક દર્શનોના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે?”૧૮ અને એના સમર્થનમાં ઉમેરે છે : “કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે તેમ તેના પાશ્ચાત્ય સમધર્મા શેક્સપીઅરને જરવાઈનસે અમર કર્યો છે.”૧૯ અહીં વક્તવ્યની રજૂઆતમાં મણિલાલનો લાક્ષણિક તર્કવાદ ધ્યાનપાત્ર છે. વિવેચનની ઊણપો મર્યાદાઓ અને નિષ્ફળતાઓ તેમને ધ્યાન બહાર નથી, પણ એ બધુંય સ્વીકાર્યા પછી વિવેચનની અનિવાર્યતા તો ઊભી રહે જ છે, એમ તેમને અભિપ્રેત છે. તેઓ સ્પષ્ટપણે નોંધે છે કે કૃતિના ‘ગુણો’ની ગણના તેના ઉદ્‌ભવની સાથે જ થાય એવું ક્વચિત જ બને છે. પણ કૃતિમાં આંતરસત્ત્વ હોય તો એની ગણના વહેલીમોડી થયા વિના રહેતી નથી.&lt;br /&gt;
પોતાના જમાનામાં વિવેચન કે સમીક્ષા અર્થે પ્રચલિત બનેલા ‘ટીકા’ શબ્દની વ્યાખ્યા કરતાં મણિલાલ કહે છે : “ટીકા શબ્દનો મુલ અર્થ તો સ્પષ્ટીકરણ, વિશેષ વિચાર, વિવેચન અવલોકન એટલો જ છે.”ર૦ આ રીતે ‘ટીકા’ શબ્દ સાથે એ સમયમાં માત્ર નિંદાનો જે ખ્યાલ વ્યવહારજગતમાં પ્રચલિત હતો તેને તેઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કૃતિ/કર્તા વિશે કેવળ નિંદામાં રાચતો વિવેચક કોઈ રીતે ધ્યાનાર્હ નથી; તેમના મંતવ્યોને લેખામાં જ ન લેવાં, એવી પણ તેઓ હિમાયત કરે છે. બીજી બાજુ, લેખકોને અનુલક્ષીને તેઓ તેમને મતસહિષ્ણુતા કેળવવાને કહે છે. કોઈ કૃતિ વિશે સમીક્ષક ટીકાટિપ્પણી કરે કે ભિન્ન મત દર્શાવે તેથી કોઈએ આ બાબતે અસહિષ્ણુ બનવાનું નથી. લોકોમાં એવી એક સમજ પ્રચલિત છે કે ‘સો શાણાનો મત એક જ.’ પણ મણિલાલ કહે છે કે આ વાત બરોબર નથી. –“અમારું માનવું તો એમ જ છે કે મતભેદ એ કોઈ પણ દેશની વિદ્યાસમૃદ્ધિનું ચિન્હ છે, ને જેમ વસ્તુગત્યા અનિવાર્ય છે તેમ લાભકારી છે. સત્ય છે તે એવું નથી કે મતાંતર સહન ન કરી શકે. જે અસત્ય છે તે જ મતાંતર સહન કરવા અસમર્થ છે. ગમે તે બાજુએથી જુઓ પણ સત્ય પ્રતિભા સર્વથા એકરૂપે જ સમજાશે... મતાંતર સહન કરવું એ અતિ ઉદાર બુદ્ધિ અને વિશાળ વિદ્યા-પ્રસારનું ફલ અથવા લક્ષણ છે. ત્યારે લોક એમ સમજે છે કે ટીકા થઈ એટલે જ દોષ સિદ્ધ થયો તે ભ્રમ છે. એટલું જ નહિ પણ જેના ઉપર ટીકા નથી થતી તે દોષવાળું’ છે એમ હોવાનો સંભવ છે...”૨૧ અને આ સંદર્ભે તેઓ એક અતિ સમર્થ વિધાન કરે છે : “જે ગ્રંથ જે લેખ જે ઉક્તિ વિદ્વદ્‌ચર્ચાને યોગ્ય થઈ તે યદ્યપિ મતમતાંતરગ્રસ્ત હોય તથાપિ સાર્થ છે. ધન્ય છે. ઉત્તમ છે. વિશુદ્ધ છે.”૨૨ સમકાલીન માનસને ઉદ્દેશીને થયેલી આ ચર્ચા, આમ તો, પ્રાસંગિક જેવી છે, પણ એમાં મણિલાલની એક વિશેષ આસ્થા પ્રગટ થાય છે. વિશિષ્ટ દૃષ્ટિબિંદુ કે વિશિષ્ટ વ્યક્તિત્વનો અંશ લઈને આવતી કૃતિ અન્ય પ્રતિભાને પડકારે, પ્રચલિત ખ્યાલને આઘાત આપે, તો તે સહેજે વિવાદાસ્પદ નીવડવાની જ. પણ એવી કૃતિ પ્રાણવાન અંશ લઈને આવી હોવાથી અનેક દિશાની ટીકાઓ આલોચનાઓ છતાં તે અખંડ અને અક્ષત રહેવાની છે. જે સત્ત્વહીન છે, નિષ્પ્રાણ છે. નિર્જીવ છે, તે કૃતિ કોઈ મતમતાંતરને પડકારી શકે નહિ. જેમાં સામર્થ્ય છે, સત્ત્વ છે, પ્રાણશક્તિ છે, તે જ સામાને પડકારે છે. આમ, મણિલાલ વિવેચનપ્રવૃત્તિની સંગીન પ્રતિષ્ઠા કરી શક્યા છે.&lt;br /&gt;
આપણા દેશમાં પ્રાચીન સમયે ચાલેલી ટીકાપ્રવૃત્તિ અને અર્વાચીન સમયમાં પશ્ચિમમાં પ્રચલિત થયેલી ગ્રંથાવલોકન (review) પ્રવૃત્તિ વચ્ચે મણિલાલે જે સૂક્ષ્મ ભેદ કર્યો છે તે દ્યોતક છે : “પ્રાચીન ટીકામાં, જે હોય તેનો જ આશય સ્પષ્ટ કરાય છે. અવલોકનમાં તે ઉપરાંત તે વિષયનું સાંગ સ્ફોટન નિરૂપાય છે. જે વિષય હોય તે જ વિષયને પુનઃ અવલોકી તેનું રૂપ જેવું નિરૂપ કે આલેખ્યું હોય તેવું અન્ય રીતે પણ મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવું એ અવલોકનનો વિષય છે.”૨૩ મણિલાલને અહીં સૂચવવું છે કે પ્રાચીન ‘ટીકા’ પદ્ધતિમાં કૃતિના અંગ ઉપાંગનું અલગ વિવરણ થાય છે, અને કર્તાનો ‘આશય’ સમજવાનો ઉપક્રમ તેમાં હોય છે. જ્યારે અર્વાચીન ‘અવલોકન’માં એ વસ્તુ ઉપરાંત કૃતિના ‘વિષય’નું ‘સાંગ સ્ફોટન’ નિરૂપાય છે. તાત્પર્ય કે, કૃતિમાં રજૂ થયેલા સમગ્ર વિષયને અનુલક્ષીને સમીક્ષા થાય છે. જો કે (review) લેખે ‘અવલોકન’નું પ્રયોજન કૃતિના વિસ્તૃત સર્વાંગી અધ્યયન-પરિશીલન કરતાં સીમિત છે એ હકીકત તરફ પણ તેઓ આપણું લક્ષ્ય દોરે છે : “અવલોકનનો હેતુ તો માત્ર એટલો જ છે કે પ્રકૃત વિષય જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરતાં તેના ઈતરથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મૂકવો. એમ કરતાં હેયોપાદેય અંશ બતાવવા પડે તેમાં કંઈ હાનિ નથી, પણ તે બતાવવા એ જ અવલોકનનો હેતુ નથી. બીજી રીતે બોલીએ તો પ્રકૃત લેખકને ઉપદેશ આપવો એ અવલોકનનો હેતુ કે વિષય નથી, તન્નિરુપિત વિષયને સ્પષ્ટ કરી વાચકોને શુદ્ધ બોધ કરવો એ તેનો હેતુ ને વિષય છે.”૨૪ મણિલાલની આ ચર્ચા કંઈક અસ્પષ્ટ છે. પણ તેમને અહીં કદાચ એમ પ્રતિપાદિત કરવું છે કે review (અવલોકન) કરનાર કૃતિના વર્ણ્યવિષયનું exposition કરે તો ય તે પૂરતું હશે, કૃતિની કળાત્મક સિદ્ધિ અસિદ્ધિના પ્રશ્નમાં તે ઊંડો ન ઊતરે તો ય ચાલશે.&lt;br /&gt;
અવલોકનકારે પૂરા સમભાવથી, કર્તાના મૂળ આશયને લક્ષમાં રાખીને, અવલોકનમાં પ્રવૃત્ત થવાનું છે એમ મણિલાલ કહે છે : “વિષયને રૂપાંતરે નિરૂપનારને પણ સહન કરવો એ અવલોકનકારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પોતે તે વિષયને કેવો નિરૂપિત એ બતાવવાનું કામ તેનું નથી, પણ જેવો નિરૂપિત કર્યો છે તેવા શા પ્રકારે કર્યો છે તથા તેમાં શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે”૨૫ કૃતિના અવલોકન અર્થે પ્રવૃત્ત થતાં તે જે રીતે ઘાટ પામી છે એની પાછળ કર્તાનો પોતીકો એવો જે ખ્યાલ કામ કરી રહ્યા છે તેની અવલોકનકારે પ્રથમ નોંધ લેવાની છે. આ ચર્ચા જો કે સર્જન વિવેચન અને ચિંતનની સર્વ પ્રકારની કૃતિઓને લક્ષતી હોવાથી સર્જનાત્મક કૃતિઓના વિવેચનના અમુક પ્રશ્નો ઢંકાઈ જવા પામ્યા છે. સર્જનાત્મક કૃતિમાં સર્જકનો મૂળ ‘આશય’ (Intention) શો હતો એ વિશે નિર્ણય કરવાનું સહેલું નથી. કૃતિની રચના પૂર્વે સર્જકે, ક્યાંય પણ નોંધ વ્યાખ્યાન કે જાહેર ઉદ્‌ગાર રૂપે, પોતાની અમુક અમુક કૃતિની રચનામાં પોતાનો અમુક ‘આશય’ હતો, અથવા પોતે એ કૃતિમાં અમુક વસ્તુ રજૂ કરવા ચાહતો હતો એમ કહ્યું હોય તો એવો ‘આશય’ એ એક વસ્તુ છે, અને સર્જનકર્મને અંતે સિદ્ધ થયેલી કળાકૃતિ એ બીજી વસ્તુ છે. સર્જનની પ્રક્રિયામાં મૂળની અનુભવસામગ્રી અજ્ઞાતપણે કે અણધારી રીતે નવા જ અર્થો અને નવાં જ મૂલ્યો છતાં કરી આપે એમ બનતું હોય છે. સર્જનની સમસ્ત પ્રક્રિયામાં સર્જકચિત્તની આંતરિક ખોજ ચાલતી રહે છે. એટલે કૃતિના આરંભે ઉપલબ્ધ થયેલી વસ્તુસામગ્રી અંતમાં પૂર્ણરૂપ ધરે છે ત્યાં સુધીમાં તેનું ઓછુંવત્તું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એટલે કૃતિની રચના પૂર્વેનો સર્જકનો પ્રગટ આશય અપ્રસ્તુત બની રહે છે. પણ, તો પછી, કૃતિના વિશિષ્ટ આકાર પાછળ કોઈ ‘આશય’, કોઈ ‘નિયામક તત્ત્વ’ જ નહિ હોય? પ્રશ્ન અતિ કૂટ છે. આ ‘આશય’ કે ‘નિયામક તત્ત્વ’ તે રચના પૂર્વે સર્જકે જાહેર કરેલી વસ્તુ નથી : સર્જનાત્મક કૃતિના હાર્દમાં અનુસ્યૂત રહેલી એ વસ્તુ છે. સર્જનની ક્ષણોમાં રચાતા આવતા અંશોમાં એ એક કેન્દ્રીય ગતિ-શીલ તત્ત્વ રૂપે સક્રિય બને છે, જો કે એને કોઈ કારિકા કે તર્કવિધાન રૂપે ઘટાવી ન શકાય. એક રીતે સમસ્ત કૃતિને, તેની રૂપરચનાને, આવું કોઈ ગતિશીલ તત્ત્વ નિયંત્રિત કરે છે. એટલે કે કૃતિ સ્વયં એનો આવિષ્કાર કરે છે. અહીં ‘આશય’ એ સમસ્ત કૃતિમાં વ્યાપી રહેલું—પ્રવર્તક બનેલું તત્ત્વ છે.&lt;br /&gt;
નવ્ય વિવેચકોમાં વિલિયમ વિમ્સોત્‌ અને મોન્રો બિયડર્‌ઝલીએ The Intentional Fallacy નામે એક સમર્થ લેખ કર્યો છે, તેમાં સાહિત્યકૃતિની સ્વતંત્ર સ્વાયત્ત સત્તા સ્થાપવાને કર્તાના ‘આશય’થી તેને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યના ‘અર્થ’ને કર્તાના ‘આશય’ને અનુલક્ષીને નહિ, તેના સંસિદ્ધ આકારને લક્ષીને ઘટાવવાનો છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે. જો કે તેમનો એ સિદ્ધાંત વિવાદમુક્ત નથી. કૃતિવિવેચનમાં અમુક અર્થઘટન વધુ વ્યાજબી છે, વધુ પ્રમાણભૂત છે, એ જાતની ચર્ચા જાણ્યે અજાણ્યે ય કર્તાની વિવક્ષાને ધોરણ તરીકે સ્વીકારી લેતી હોય એમ જોવા મળેશે.&lt;br /&gt;
બીજી બાજુ, કર્તાને ‘વિવક્ષિત અર્થ’ કે ‘આશય’ તે જ કળાકૃતિનો એક માત્ર ‘અર્થ’ એમ લેતાં, સમૃદ્ધ કૃતિનાં વિભિન્ન અર્થઘટનોને માટે અવકાશ રહેશે નહિ. ‘હેમ્લેટ’ જેવી અનન્ય ટ્રેજડીનું માનસશાસ્ત્રીય, માર્ક્‌સવાદી, મિથિકલ એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ આપણા સમયમાં અર્થઘટન થતું રહ્યું છે. હવે જો એના સર્જક શેઈક્‌સ્પિયરને વિવક્ષિત ‘અર્થ’ને જ પ્રમાણભૂત ગણીએ-જો કે, એ કૃતિમાં શેઈક્‌સ્પિયરને ખરેખર શું વિવક્ષિત હતું તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી–તો પાછળના સમયના બીજા અનેક સર્જકો વિવેચકોનાં અર્થઘટનો ખોટાં ન ઠરે? એટલે, લેખકના મૂળ ‘આશય’ને મણિલાલ લક્ષમાં લઈને ચાલવાનું કહે છે, પણ author’s intention કે intended meaningના પ્રશ્નો તાત્ત્વિક ભૂમિકાએથી ઉકેલવાના રહે છે. આજની પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા આ વિશે ઘણી ઊંડી તપાસ કરી ચૂકી છે.&lt;br /&gt;
મણિલાલ પ્રાચીન પરંપરાના અભ્યાસી છે, અને તે માટે પક્ષપાતી પણ છે. ટીકાકારો/વિવેચકો માટે પ્રાચીન શાસ્ત્રોમાંથી તેઓ માર્ગદર્શક સિદ્ધાંતો શોધી લાવ્યા છે. નોંધે છે કે આપણાં શાસ્ત્રોમાં ‘અનુબંધ ચતુષ્ટ્ય’નો વિવેક રાખેલો છે. દરેક અવલોકનકારે એ ચાર ‘અનુબંધ’ જાળવીને અવલોકન કરવું, એથી ‘દોષ’ થવાનો સંભવ ઓછો રહે છે : (૧) વિષય—એટલે લેખનો વિષય (૨) સંબંધ–લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયનો સંબંધ (૩) પ્રયોજન એ લેખની પ્રવૃત્તિનું કારણ (૪) અધિકાર–કોને માટે એ લેખ લખાયો છે તે.&lt;br /&gt;
મણિલાલ આ સંદર્ભે સ્પષ્ટતા કરે છે કે આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલોકન કર્યું હોય તો ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જતાં પ્રકૃત વિષયના રૂપને જ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય’ અને અવલોકનકાર એ રીતે ‘પોતાના કૃત્યમાં વિજયી નીવડે.’ અવલોકન અર્થે પ્રાચીન શાસ્ત્રને અભિમત એવી આ જે ભૂમિકા મણિલાલે રજૂ કરી તેમાં પ્રકૃત કૃતિને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવા અવલોકવાનો ઉપક્રમ પડેલો છે. પણ, અહીં પણ, સર્જનની તેમ ચિંતનની કૃતિઓનો સાથોસાથ વિચાર કરવામાં મુશ્કેલી રહી છે. ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જાય’ તે રીતે અવલોકન કરવાનો આદર્શ તેમણે અહીં પુરસ્કાર્યો છે, પણ સર્જનાત્મક કૃતિઓના સંદર્ભે એ આદર્શ શક્ય છે? અથવા તો શક્ય છે, તો વ્યાજબી છે? એ ખરું કે વિવેચનને ‘શાસ્ત્ર’ની કોટિએ સ્થાપવાના અનેક આધુનિક ચિંતકો વિવેચકો દ્વારા સમર્થ પ્રયત્નો થયા છે, વિવેચનની પદ્ધતિને ‘વૈજ્ઞાનિક’ બનાવવાના પ્રયત્નો ય હાથ ધરાયા છે, પણ હજી સુધી એ ‘વિજ્ઞાન’ બની શક્યું નથી, અને નજીકના ભવિષ્યમાં બનશે એવાં કોઈ એંધાણ વરતાતાં નથી. કૃતિના અવલોકન/વિવેચનમાં અનિવાર્યતયા વિવેચકનું કશુંક personal કશુંક subjective ઊતરી આવ્યું હોય છે. કૃતિના મૂલ્યબોધમાં તેનાં આગવાં રુચિવલણો અને આગવાં કળાદૃષ્ટિ જ્ઞાત કે અજ્ઞાતપણે નિર્ણાયક બની હોય છે. વાસ્તવમાં, કૃતિના રસગ્રહણની ક્ષણોમાં જ કશુંક વૈયક્તિક રૂપે પમાતું હોય છે.&lt;br /&gt;
વિવેચનમીમાંસામાં, ખરેખર તો, મણિલાલે સ્પર્શેલો આ મુદ્દો એક બીજો પાયાનો પ્રશ્ન બને છે. કર્તાને ‘ન્યાય’ કરવો છે. એ માટે આર્નોલ્ડને અભિમત ‘seeing things as they are’-નો આદર્શ આપણે નજર સમક્ષ રાખવા માગીએ છીએ. પણ સાહિત્ય કૃતિ એના વિશિષ્ટ ontological statusને કારણે તો પડકારરૂપ બને છે. સુવિદિત છે કે શબ્દના માધ્યમમાં વિશિષ્ટ રીતે કંડારાયેલી કૃતિ સ્વયં એક સંકુલ ભાવસૃષ્ટિ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અર્થો-અર્થચ્છાયાઓ અને મૂલ્યોના સંદર્ભો એમાં સજીવપણે ગૂંથાયેલા છે. રચનાગત તેમ સાંસ્કૃતિક મૂલ્યો એમાં સાથોસાથ રજૂ થતાં હોય છે. પણ કૃતિનું રહસ્ય કોઈ તાર્કિક વિધાન રૂપે તારવી શકાય નહિ. ભાવકની અખિલ વ્યક્તિતા કૃતિની સાથે encounter કરે છે, ત્યારે એ સંનિકર્ષમાં કૃતિમાંનાં મૂલ્યો ઉદ્‌ભાસિત થવા લાગે છે. ભાવકની જેવી જેવી સજ્જતા, જેવા જેવા તેના interests, તે પ્રમાણે અર્થો અને મૂલ્યોની ભાત તેમાં ઊપસી આવે એવો સંભવ છે. વિદ્વાનો અને વિવેચકોનો એક મોટો વર્ગ આજે કળાકૃતિમાં કોઈ એક જ નિશ્ચિત અને નિરપેક્ષ અર્થ સ્વીકારી લઈને ચાલવા તત્પર નથી. કૃતિના સંકુલ અનુભવને તમે કઈ વિભાવના કે વિભાવનાઓના માળખામાં રહીને જૂઓ છે, તે પ્રમાણે તેનું રહસ્ય છતું થશે એમ તેઓ કહેવા માગે છે. તાત્પર્ય કે, કૃતિ ‘જેવી છે તેવી’ને ઓળખવી એ ખ્યાલ આજે તો વિવાદાસ્પદ બની રહ્યો છે.&lt;br /&gt;
મણિલાલ એમ પણ નોંધે છે કે વિવેચ્ય કૃતિ વિશે વિવેચક સીધેસીધો જ મત જાહેર કરે પણ તેના સમર્થનમાં કોઈ જાતનું સ્પષ્ટીકરણ ન આપે, કોઈ આધાર ન આપે, દાખલા દૃષ્ટાંત કે પુરાવો ન આપે, તો તેનો મત ભાગ્યે જ સ્વીકાર્ય બનશે. બીજી બાજુ, કૃતિ વિશેનો અભિપ્રાય પૂરતાં કારણો અને પૂરતી સાબિતી સાથે રજૂ થયો હશે તો વાચકને માટે ભિન્ન લાગતો અભિપ્રાય પણ પ્રતીતિકર બનશે, તેને સંભવતઃ સ્વીકાર્ય બનશે. વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત, આમ, તાર્કિક પ્રતિપાદન (logical discourse)ને મહત્ત્વનું સ્થાન છે, એમ મણિલાલ સૂચવી દે છે. વિવેચન માત્ર અભિપ્રાય વ્યક્ત કરીને થંભી જાય તે પૂરતું નથી. એ અભિપ્રાય પાછળ કૃતિમાંના આધારો હોવા જોઈએ, બલકે એવા અભિપ્રાય/નિર્ણય પર પહોંચવાની તાર્કિક ભૂમિકા યે સ્પષ્ટ થવી જોઈએ. વિવેચનના સ્વરૂપમાં આમ તાર્કિક ચિંતનની પ્રક્રિયા દ્વારા તેનો વિશેષ પુદ્‌ગલ બંધાવા પામે છે.&lt;br /&gt;
‘વિવેચન’ નામની પ્રવૃત્તિના સ્વરૂપવિચારમાં, આમ જુઓ તો, મૂળથી જ મુશ્કેલી રહી છે. વિવેચક કૃતિના ‘રહસ્ય’ને પ્રકાશમાં લાવવા ચાહે છે, અને એ ‘રહસ્ય’ની ઓળખ તેને ‘સ્વ-સંવેદન’થી—‘આત્મપ્રતિતી’થી—થાય છે. કોઈ તાર્કિક ચિંતન દ્વારા કે કાર્યકારણના પ્રતિપાદન દ્વારા એ ‘રહસ્ય’ સુધી પહોંચી શકાતું નથી. સહૃદયને એની સહજ જ્ઞાન રૂપે ઉપલબ્ધિ થાય છે, જીવંત અનુભૂતિરૂપે એની પ્રતીતિ થાય છે. એટલે એવા જીવંત સંવેદ્ય તત્ત્વને અનુલક્ષીને કૃતિ વિશે વાત કરવા જાય છે ત્યારે તેની સામે અનિવાર્યતયા એક dilemma ઊભો થાય છે. મૂળનું રહસ્ય જે આકારમાં, જે ભાષામાં, વ્યક્ત થયું છે, તેને બીજી રીતે મૂકતાં તે ઓછેવત્તે અંશે નંદવાઈ જાય છે. અને છતાં તેને જે કંઈ મૂલ્યવાન લાધ્યું છે, તેની બને તેટલી બુદ્ધિગ્રાહ્ય રજૂઆત પણ કરવાની છે. તે પોતાના વિવેચન—exposition, description interpretation કે evaluation—કોઈ પણ સ્તરના આલેખનમાં તાર્કિક પ્રતિપાદન કરવા જાય છે, અને ત્યાં મૂળના રહસ્યમય અંશ સાથેનું અનુસંધાન તૂટી જતું હોય એમ લાગશે. આથી સર્જકોનો એક વર્ગ વિવેચનપ્રવૃત્તિને વંધ્ય ગણાવતો થયો છે. અને જેઓ આ પ્રવૃત્તિમાં રોકાયા છે તેમાં પણ બે ભિન્ન વિરોધી વલણો કામ કરતાં રહ્યાં છે. એક વિવેચકવર્ગ કૃતિના સજીવ સંવેદ્ય તત્ત્વોનું અખિલાઈમાં ગ્રહણ કરવા creative criticism કે appreciation પર બધો ભાર મૂકે છે, જ્યારે બીજો વર્ગ કૃતિ વિશેના જીવંત પ્રતિભાવોની ચર્ચા વધુ વ્યવસ્થિત, વધુ બુદ્ધિગ્રાહ્ય અને વ્યાપક સ્વીકૃતિ પામે તેવી શિસ્તબદ્ધ બનાવવાનો આગ્રહી છે. વિવેચન કળા છે કે શાસ્ત્ર, કળાસખી છે કે શાસ્ત્રસખી, એ પ્રશ્ન એ રીતે એના સ્વરૂપના હાર્દમાં પડેલો એક કેન્દ્રીય તાત્ત્વિક પ્રશ્ન છે.&lt;br /&gt;
કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્રના સંબંધને સ્પર્શે એવી એક પાયાની બાબત પણ મણિલાલે છેડી છે : “શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોકનકારને સિદ્ધપ્રદ છે કે નહિ?”૨૬–આવો પ્રશ્ન મૂકી તેઓ તરત સ્પષ્ટતા કરે છે કે આ શંકાના સમાધાન પરત્વે ‘એકમત્ય’ સંભવી શકે નહિ. ઉમેરે છે કે–“મહાન સાહિત્યકારોની કૃતિઓ સ્વયં શાસ્ત્રની પણ કારણરૂપ છે.”૨૭ મણિલાલને અહીં એમ અભિપ્રેત છે કે સાહિત્યજગતમાં સતત નવી નવી કૃતિઓ રચાતી આવે છે, અને એ રચનાઓ કંઈ આગલા યુગના કળાના સિદ્ધાંતો/નિયમોને ચુસ્તપણે અનુસરતી હોતી નથી. એટલે, આવી કૃતિઓના વિવેચનમાં કળાશાસ્ત્રના નિયમોને જડપણે લાગુ પાડવાના નથી. બલકે, પેઢીએ પેઢીએ રચાઈ આવતી મહાન કૃતિઓને અનુલક્ષીને સાહિત્યકળાનું સ્વરૂપ અને તેના વિવેચનનાં ધોરણો નવેસરથી નિપજાવી લેવાનાં રહે. આમ છતાં સાહિત્યના અમુક વ્યાપક સિદ્ધાંતોનો ત્યાગ કરવાનું પણ ઇષ્ટ નથી એમ તેઓ કહે છે : “સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે અસિદ્ધ ગણાય તો પણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાળ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બાધ નથી.”૨૮ આપણે આ અગાઉ નોંધી ગયા છે તેમ, વિવેચનક્ષેત્રમાં મતમતાંતરો દૂર કરવાને નવલરામે પણ સાહિત્યકળાના ‘અચળ નિયમો’ની સ્થાપના કરવાને સર્વસંમત એવી ‘સભા’ ઊભી કરવાને સૂચવ્યું હતું. મણિલાલ પણ અહીં ‘અનાદિ ઇતિહાસથી સિદ્ધ’ એવા ‘નિયમો’ની વિવેચન અર્થે હિમાયત કરે છે. પણ આ ‘નિયમો’ કયા તેનો તેમણે નિર્દેશ કર્યો નથી. નોંધવું જોઈએ કે વિદ્વાનોનો એક વર્ગ, આજે વિવેચનક્ષેત્રમાં આવા કોઈ ‘શાશ્વત’ અને ‘અચળ’ નિયમો સંભવી શકે કે કેમ તે વિશે જ સંશય વ્યક્ત કરી રહ્યો છે.&lt;br /&gt;
સાહિત્યચર્ચામાં મણિલાલનો અમુક ઝોક પ્રાચીન કાવ્યશાસ્ત્ર તરફનો છે. એમાં અમુક રૂઢિગ્રસ્ત રુચિ હોવાનુંય કદાચ લાગે, પણ સર્જનના અવનવા ઉન્મેષોને ઉદારતાથી આવકારવાનું તેમનું વલણ રહ્યું દેખાય છે. તેઓ કહે છે : “સર્વત્ર નૂતનતાનો ઉદ્‌ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે.” અને તરત જ ઉમેરે પણ છે : ‘પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે.”૨૯ મણિલાલ અહીં એકીસાથે પરંપરાનું અનુસંધાન અને સર્જકતાની નવીન ગતિ, બંનેનો પુરસ્કાર કરતા જણાશે. પ્રતિભાશાળી સર્જક પોતાના કે પૂર્વસમયના કળાસિદ્ધાંતોને વશ થઈ બંધાઈ જતો નથી, તેની પ્રાણવાન સર્જકતા એવા રૂઢ સિદ્ધાંતોને અતિક્રમી જતી હોય છે. પણ તેની સર્જકતાની ગતિ કંઈ તંત્રહીન કે નિયમહીન વ્યાપાર પણ નથી. એમાં જે વિશ્વ નિર્માણ થવા પામ્યું છે તેને તેનો આગવો રચનાગત નિયમ સંભવે છે, તેમાં આગવી રીતે વ્યવસ્થા જન્મી હોય છે. પણ આવું, નવીન વ્યવસ્થાવાળું, વિશ્વ રચવાની તેની દૃષ્ટિ શાસ્ત્રના અભ્યાસથી ખુલી હોય છે. તાત્પર્ય કે, સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી તેની કળાવિષયક સમજ વિશદ બની હોય તો જ નવી રચનામાં વ્યવસ્થા અને આકાર તે સિદ્ધ કરી શકશે.&lt;br /&gt;
અવલોકનકારના કાર્ય વિશે મણિલાલ ફરી નવેસરથી વ્યાખ્યા વિચારણા એ કરે છે, ત્યાં તેમની ચર્ચામાં એક વિશેષ દૃષ્ટિબિંદુ ઉમેરાયું છે. તેઓ કહે છે એ કે અવલોકનકારે માત્ર ‘નાના નાના લેખનું’ અવલોકન જ કરવાનું નથી, ‘આખા વિશ્વનું, જનસ્વભાવનું ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે, કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્‌ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે’. દેખીતી રીતે જ, વિવેચકનું કાર્યક્ષેત્ર અહીં કૃતિની બહાર વિસ્તરી જતું રહ્યું છે. સાહિત્ય વિશ્વજીવનનું–બહારી દુનિયાનું પ્રતિવિધાન કરે છે, અથવા તેનું પ્રતિબિંબ ઝીલે છે, અથવા તેનું અનુકરણ કરે છે એવો એક ખ્યાલ અહીં ગૃહીત રહ્યો છે. વિવેચકને આ સર્વ બહારી સૃષ્ટિનું – લોકજીવનનું જ્ઞાન હોવું જોઈએ; અને છતાં, સાહિત્યની સર્જનાત્મક સૃષ્ટિમાં તેણે તેનું જડતાથી અવલોકન કરવાનું નથી. સંભવાસંભવનો તેણે ખ્યાલ કરીને ચાલવાનું છે. જો કે સાહિત્યની કૃતિમાં જે તંત્ર ઊભું થાય છે, સંભવરૂપ નવી ઘટનાઓનું સંયોજન થાય છે, તેની પાછળ કોઈ એક સરખો નિયમ કામ કરતો નથી. આત્યંતિક વાસ્તવવાદી નવલકથા કે ટૂંકી વાર્તામાં સંભવાસંભવનો જે નિયમ/નિયમો કામ કરે છે, તેથી ભિન્ન એવા પ્રતીકાત્મક નિર્માણમાં, કપોલકલ્પિતના કે એબ્સર્ડના વિશ્વમાં જુદા જ નિયમો પ્રવર્તે છે. આવા સર્જનાત્મક વિશ્વમાં ઘટનાના સંભવાસંભવનો નિયમ કંઈ સ્થૂળ બાહ્ય જગતના નિરીક્ષણમાંથી મળતો હોતો નથી. જે તે વિશિષ્ટ કૃતિના કેન્દ્રમાં વ્યાપારશીલ બનેલી સર્જકકલ્પનામાં એ નિહિત રહ્યો હોય છે. ખરેખર તો વાસ્તવવાદી કથાઓમાં ય ઘટનાઓ કાર્યો કે પરિસ્થિતિઓ જે રીતે નિર્માણ થતી આવે છે તેમાં પણ સંભવાસંભવનો નિયમ કંઈ હંમેશાં સામાજિક જીવનના અવલોકનમાંથી આવતો હોતો નથી. એવા દૃષ્ટાંતમાં તેના લેખકને અભિમત અમુક દૃષ્ટિબિંદુ કે રહસ્યબિંદુ નિયામક બનતુ હોય છે. આમ છતાં લોકસૃષ્ટિની ઊંડી ગતિનું અવલોકન અને અનુભવ વિવેચકને જરૂરી છે જ.&lt;br /&gt;
અવલોકનકારે કૃતિની ઘટનાઓના સંદર્ભે ‘શક્યતા’ અને ‘ઉપયોગ’ જેવી બાબતો ઉપરાંત તેનાં ‘દેશકાળાદિ’ને ય લક્ષમાં લેવાનાં છે, એમ તેઓ કહે છે. આ મુદ્દાને તેઓ ‘ઔચિત્ય’ના ખ્યાલમાં છેવટે સમાવી લે છે. આ રીતે ‘દેશકાળાદિ’ને તેઓ અનુલક્ષે છે, તે સાથે અવલોકનકાર માટે વળી એક વિશેષ પરિપ્રેક્ષ્ય ઊભો થાય છે. પશ્ચિમના ઐતિહાસિક અભિગમનો સંકેત એમાં વાંચી શકાય ખરો, પણ પશ્ચિમમાં આ અભિગમ વિશેની ચર્ચા, સાહિત્યની કળા વિશે અમુક ચોક્કસ આગવી સમજ લઈને ચાલી છે. ‘સાહિત્ય’ નામની ઘટના એના લેખકના યુગનાં આંતરબાહ્ય અનેક પરિબળોનું પરિણામ છે, અને ઐતિહાસિક પ્રક્રિયામાં સમયના નિશ્ચિત બિંદુએ તેનું અફર સ્થાન છે એટલે એ કૃતિનો મર્મ પૂરેપૂરો ઊકલી આવે તે માટે, એને ઘડનારાં સર્વ પરિબળો અને સંયોગોને લક્ષમાં લેવાનાં રહે. મણિલાલની ચર્ચામાં આવી સ્પષ્ટ તાત્ત્વિક ભૂમિકા નથી. છતાં કૃતિને યથાર્થ રૂપમાં પામવાને તેનાં ‘દેશકાળાદિ’ને લક્ષમાં લેવાનું તેઓ કહે છે તે ઘણું સૂચક બની રહે છે.&lt;br /&gt;
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.&lt;br /&gt;
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.&lt;br /&gt;
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિની અનિવાર્યતા દર્શાવતાં રમણભાઈ કહે છે : “સાહિત્યમાં જેનો સમાવેશ થઈ શકે એવા વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મૂકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે. તેમ – હેમ્ર સંલક્ષ્યતે હ્યમ્નૌ વિશુદ્ધિઃ શ્યામિકાઽપિ વા || ‘સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.”૩૦ અહીં રમણભાઈએ સાહિત્યની ‘શુદ્ધિ’ અર્થે વિવેચનની ઘણી મોટી અનિવાર્યતા છે એમ કહ્યું. પણ ‘સાહિત્ય’ સંજ્ઞાથી તેમને અહીં કેવળ સર્જનાત્મક સાહિત્ય જ નહિ, ચિંતન વિવેચનનું સર્વ સાહિત્ય અભિપ્રેત છે, તે આપણે લક્ષમાં રાખવાનું છે.&lt;br /&gt;
વિવેચનનું કાર્ય રેખાંકિત કરી આપતાં તેઓ કહે છે કે કૃતિમાંના ગુણ અને દોષ, ખૂબી અને ખામી, અલગ પાડીને તેણે બતાવવાનાં છે. એ માટે કૃતિનું ‘સમસ્ત સ્વરૂપ’ લક્ષમાં લઈ એવા ગુણ દોષોની બરોબર ‘તુલના’ કરવી જોઈએ એમ તેઓ કહે છે. એ રીતે ‘યથાયોગ્ય તુલના’ થશે ત્યારે જ તે વાચકોને અને લેખકોને લાભપ્રદ નીવડશે. આવા વિવેચનથી, ખરેખર તો, લેખકોને પોતાને પોતાની કૃતિઓની સાચી ‘કિંમત’ સમજાશે. રમણભાઈ ભારપૂર્વક નોંધે છે કે ‘દોષૈક દર્શન’ એ વિવેચનનું કાર્ય નથી.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ તેમણે પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક સેઈન્ટસબરીની ચર્ચામાંથી લીધો છે. એ વિવેચકમાંથી તેમણે જે એક મોટું અવતરણ આપ્યું છે, તેમાં નીચેના બે ત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે :&lt;br /&gt;
એક, સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચકે વાંચવું જોઈએ, બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. સાહિત્યના ઇતિહાસમાંના કોઈ એક યુગના કે કોઈ પણ યુગના ગણનાપાત્ર સાહિત્યકારના સાહિત્યને ટાળીને ચાલશે તો તેના દૃષ્ટિબિંદુમાં ‘સુસ્થતા’ નહિ જળવાય.&lt;br /&gt;
બે, બીજી ભાષાઓના સાહિત્યનું પણ બને તેટલું વિશાળ વાંચન કરવું જોઈએ. એ રીતે જ તેને પોતાના સાહિત્યને જોવાનો યથાર્થ પરિપ્રેક્ષ્ય મળશે.&lt;br /&gt;
ત્રણ, વિવેચકે ભિન્ન ભિન્ન ગ્રંથો, ગ્રંથકારો અને સાહિત્યોની ‘તુલના’ કરતા રહેવું જોઈએ. દરેક ગ્રંથ/ગ્રંથકાર/સાહિત્યની વિશિષ્ટતા એ રીતે વધુ સમજાશે. જો કે, એક પરંપરાના ગ્રંથ કે ગ્રંથકારમાં અન્યના જેવા ગુણ નથી એ જાતનો નકારાત્મક ભાવ જન્મી પડે અને એ માટે અરુચિ થાય, એ સામે તેણે સાવચેતી રાખવાની છે.&lt;br /&gt;
ચાર, કોઈ પણ ગ્રંથને વાંચ્યા વિના તેને વિશે અમુક અપેક્ષા ન બાંધવી જોઈએ. સાચો આદર્શ તો એ છે કે કૃતિનું અનુભાવન કરતાં કરતાં તેની જેવી છાપ ઊપસતી આવે તેને યથાર્થ રૂપમાં ઝીલતા જવાની તત્પરતા તેણે દાખવવી જોઈએ. રમણભાઈના શબ્દોમાં “જે પટ ઉપર તે છબી પડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવી જોઈએ અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ. પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ રેખા છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”૩૧ રમણભાઈએ રજૂ કરેલો આ આદર્શ, આમ તો, આવકાર્ય લાગશે. પણ એની પાછળનું ગૃહીત પોતે જ વિવાદાસ્પદ બને એમ છે. આપણે આ અગાઉ મણિલાલે રજૂ કરેલા આ જાતના ખ્યાલની ટીકાટિપ્પણી કરતાં નોંધ્યું છે કે વિવેચક/ભાવકનું ચિત્ત અરીસા જેવું સર્વથા તટસ્થ નિષ્ક્રિય અને પારદર્શી હોતું નથી. જીવન અને કળા વિશેના અમુક interests કે values અનુભાવનની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ ભજવતાં હોય છે એટલે ભિન્ન ભિન્ન કળાદૃષ્ટિ અને રુચિ ધરાવતા વિવેચકોના ચિત્તપટ પર કૃતિની એક સરખી ‘છબી’ ઝીલાય એમ બનતું હોતું નથી. એક રીતે ચિત્તપટને અરીસા જેવું કલ્પીએ અને તેની સપાટી પર છબીને પ્રતિબિંબિત થતી હોવાનું માનીએ, ત્યાંથી ખરી મુશ્કેલી આરંભાય છે.&lt;br /&gt;
ગ્રંથવિવેચનને અનુલક્ષીને રમણભાઈએ એમના સમયમાં કોઈક જૂથમાં ચર્ચાતા રહેલા વિવેચનના ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’નો નિર્દેશ કરીને તેનો ટૂંકો પરિચય આપ્યો છે ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વિશે તેઓ એવો ભેદ કરી આપે છે કે ‘નિયમો’ તે કૃતિમાંની ‘વસ્તુ છંદ ભાષા અને શૈલી જેવી ઓછી મહત્ત્વની બાબતો વિશે સંભવે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ સાહિત્યના ‘મુદ્દાની બાબતો’ વિશે હોય છે. સમસ્ત કૃતિનાં વાંચનથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા ‘સિદ્ધાંતો’ વિશેની છે એમ રમણભાઈ સ્પષ્ટ કરે છે. આ વિશે વળી તેઓ એમ ઉમેરે છે કે વિવેચનવ્યાપારમાં ‘નિયમો’ ગૌણ વસ્તુ બની રહે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ મુખ્ય બાબત છે, અને તે જ ‘વિચારમાં લેવા યોગ્ય છે’. વિવેચનમાં પ્રયોજાતા ‘નિયમો’ કૃતિના ગુણદોષનું દર્શન કરવામાં સહાયક બને છે, પણ આ ‘નિયમો’ સમયની સાથે બદલાતા રહે છે; જ્યારે ‘સિદ્ધાંતો’ માનવીના મનને લગતા હોવાથી શાશ્વત છે. ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વચ્ચે રમણભાઈએ જે રીતે ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે તે પરથી એમ સમજાય છે કે તેમણે લક્ષેલા ‘નિયમો’ તે કૃતિના રચનાગત તત્ત્વોને અનુલક્ષે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ કૃતિની માનવજીવન પર – વ્યક્તિ અને સમાજ પર –પડનારી વ્યાપક ઊંડી અસરોને અનુલક્ષે છે. કૃતિવિવેચન અર્થે ટી. એસ. એલિયટે કલાનાં અને જીવનનાં ધોરણોની વાત કરી છે, તેનું અહીં સહજ સ્મરણ થશે.&lt;br /&gt;
આ મુદ્દાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં રમણભાઈએ એમ નોંધ્યું છે કે “નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે, પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે અને જમાને જમાને રુચિઓ બદલાય પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ, રસિકતાનાં ધારણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણ કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ.”૩૨&lt;br /&gt;
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.&lt;br /&gt;
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩&lt;br /&gt;
નરસિંહરાવે અહીં, આમ જુઓ તો, સર્જન અને વિવેચન વ્યાપારનો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે; તો વિવેચકને માટે વિશેષ સજ્જતાની વાત પણ કરી છે. બિલકુલ કવિની નહિ, પણ તેના જેવી ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ એ વિવેચકની પ્રથમ આવશ્યકતા છે એ હકીકત અહીં તેઓ ભારપૂર્વક નોંધવા ચાહે છે. ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે કવિ એક આગવું વિશ્વ રચે છે. પોતાના હૃદયના ભાવ કે વિચારને એ મૂર્ત ઐન્દ્રિયિક રૂપમાં પામવા પ્રયત્ન કરે છે, અને સર્જનની ઘટનામાં તેની ઊર્મિઓ, વિચારો, કલ્પનાઓ – સર્વ તત્ત્વોનું ‘સંયોજન’ થવા પામે છે. સમસ્ત રચનાપ્રક્રિયા દરમ્યાન સર્જક પોતાના સંવેદિત વિચાર કે ભાવચિત્રને બને તેટલું તાદૃશરૂપે ગ્રહણ કરતો રહે છે. વિવેચક સામે જ્યારે કવિની એ કૃતિ આવી ઊભે છે, ત્યારે તેનાં રહસ્યો ઉકેલવાને કવિના જેવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ તેની પાસે હોવાં ઘટે. વિવેચકે પણ અનુભાવનની સમસ્ત પ્રક્રિયા દરમ્યાન એવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે એ કૃતિ પોતાના ચિત્તમાં ફરીથી રચતા જવાનું છે. આ અર્થમાં તે કવિનો ‘જોડિયો ભાઈ’ છે કવિની જેમ કૃતિને સાક્ષાત્કારવાને જરૂરી સજ્જતા—અને સાક્ષાત્કારની પ્રક્રિયા—એટલી ભૂમિકાએ તે કવિ જોડે અમુક સામ્ય ધરાવે છે. પણ ‘સર્જન’ અને ‘વિવેચન’ બંને પ્રવૃત્તિ, તેનાં સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ પરત્વે, મૂળભૂત રીતે જુદી છે એ વાત પણ નરસિંહરાવ આપણા ધ્યાનમાં લાવવા ચાહે છે ‘સર્જન’ જો વિભિન્ન સામગ્રીતત્ત્વોનું ‘સંયોજન’ છે; તો વિવેચન કૃતિનાં કળાતત્ત્વો વિશેનું ‘પૃથક્કરણ’ છે. અહીં તેમને એમ સૂચવવું છે કે આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચક કૃતિનું પોતાના ચિત્તમાં જે રીતે પુનઃસર્જન કરે છે, તે ‘સાક્ષાત્કાર’ની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી. આસ્વાદ પછીની ક્ષણોમાં કૃતિનાં ઘટકોનું તે ‘વિશ્લેષણ’ આરંભે છે ત્યારે જ ખરેખરો વિવેચનવ્યાપાર આરંભાય છે. વિવેચનના સ્વરૂપવિચાર સંદર્ભે, આમ, તેઓ ‘પૃથક્કરણ’ને મહત્ત્વનું સ્થાન આપે છે.&lt;br /&gt;
પણ, વિવેચનની અંતર્ગત ‘પૃથક્કરણ’નો વ્યાપાર સમાવિષ્ટ થતો હોવા છતાં વિવેચન તેમાં સીમિત થઈ જતું નથી. આપણા સાહિત્યનાં તેમ વિશ્વસાહિત્યનાં ઉત્તમોત્તમ કૃતિલક્ષી વિવેચનો લક્ષમાં લેતાં જણાશે કે એમાં ઘણું બીજું બને છે. કૃતિનાં મહત્ત્વપૂર્ણ ઘટકોને વિવેચકો અલગ પાડીને વિચારે છે, તો તે કૃતિના સમગ્ર રહસ્યને ઉકેલવા માટે જ કરે છે. દરેક ઘટકની રસકીય ક્ષમતાનો અને સમગ્ર કૃતિમાં તેની સમર્પકતાનો તે વિવેકવિચાર કરે છે. કૃતિનાં ઘટકોનું આ કે તે સિદ્ધાંતને અનુસરીને નર્યું યાંત્રિક વિશ્લેષણ કરવામાં આવે તો તે વંધ્ય નીવડવા સંભવ છે. દૃષ્ટિસંપન્ન વિવેચક આવાં રસકીય ઘટકોના પરસ્પર સંબંધ અને કૃતિમાં પડેલા રચનાગત સિદ્ધાંત (formative principle)ને સતત નજરમાં રાખીને તેની ચર્ચા કરશે. કૃતિમાં તે દરેકનું કાર્ય (function) શું છે તે જ તેનો મુખ્ય પ્રશ્ન હશે. એટલે, નર્યા વિશ્લેષણવ્યાપારથી કશું જ સિદ્ધ નહિ થાય, કૃતિ સમગ્રની વ્યંજના, તેનું રહસ્ય કે તેનું મૂલ્ય આવા વિશ્લેષણમાં ભાગ્યે જ ઝીલાશે. વિવેચકે આથી એ ઘટકોની રહસ્યબિંદુ તરફની ગતિ ય ઓળખવાની રહેશે. તાત્પર્ય કે, વિવેચક કૃતિઓનાં ઘટકો પાસાંઓ વિશે પૃથક્‌ રૂપમાં વિચારે છે ત્યારે પણ રચનાત્મક દૃષ્ટિએ તે તેનો અંદાજ બાંધવા પ્રેરાય છે. વિવેચનની અંતર્ગત વિશ્લેષણ વ્યાપારની સાથે આમ એક ભિન્ન દિશાની પ્રવૃત્તિ ય ચાલતી રહે છે. બલકે, કૃતિની અખિલાઈ અને સમગ્રતાની અભિજ્ઞતા જ આ જાતના વ્યાપારમાં દ્યોતક નીવડે છે. વિવેચક કૃતિમાંનાં ઘટકોને અલગ પાડે છે તે તો તેના પુનઃ વિધાન અર્થે જ; એ રીતે વિવેચનમાં કેવળ બૌદ્ધિક વિશ્લેષણ નહિ, કશુંક સર્જનાત્મક સંયોજન પણ સંભવે છે. અને એટલે જ વિવેચનનું તાત્ત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવાય છે. &lt;br /&gt;
નરસિંહરાવની સમસ્ત વિવેચનવિચારણામાં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ શીર્ષકની ચર્ચા આગવું ધ્યાન રોકે છે. કવિતાના રસાનુભવને વર્ણવવાની બે ભિન્ન ‘પદ્ધતિઓ’ તરફ તેઓ ત્યાં વિચાર કરવા પ્રેરાયા છે. એ પૈકી પહેલી, સંસ્કૃત રસશાસ્ત્રને અને બીજી પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી પદ્ધતિ છે. ત્રણ પંક્તિની એક ટૂંકી ગેય રચનાને લઈ તેમણે એ બે ‘પદ્ધતિઓ’નો વિનિયોગ કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન રસશાસ્ત્રની પદ્ધતિને અનુલક્ષીને પ્રસ્તુત કડીમાંનાં ભાવવિભાવાદિનો તેમણે પરિચય આપ્યો છે. જ્યારે પાશ્ચાત્ય પદ્ધતિને અનુરૂપ એ પંક્તિઓમાં ક્રમશઃ ઉપચિત થતા ‘અર્થ’નું પ્રગટીકરણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પાશ્ચાત્ય પદ્ધતિમાં અર્થસંયોજનની રીતિ કે આકૃતિની અમુક અપેક્ષા સૂચવવી છે. કૃતિનાં ‘રસદર્શન’ની પદ્ધતિઓ વિશેનો આ વિચાર એમણે પોતે આગળ ચલાવ્યો નથી, તેમ તે સમયના બીજા વિવેચકોએ તેને અપનાવ્યો નથી. આસ્વાદલક્ષી વિવેચનનો એ પ્રયત્ન ઉપેક્ષિત જ રહ્યો છે. પણ રસકીય પ્રક્રિયાને વિવેચનવ્યાપારમાં ખેંચી લાવવાનો તેમનો આ સ્તુત્ય પ્રયત્ન છે. રસદર્શનની પાશ્ચાત્ય પદ્ધતિ વિશેની તેમની સમજ નીચેના વિવરણમાં છતી થાય છે : “આ ગીતમાં ભાવનું મધ્યબિંદુ ‘જિયરા ડોલે રે’ એ બોલમાં આવી રહ્યું છે, અને બીજા પદાર્થ તે આસપાસની સામગ્રી થઈ પરિપોષક છે, એ બોલવું પાશ્ચાત્ય સંપ્રદાયાનુસાર છે. તે સંપ્રદાય પ્રમાણે ઉપર જે સ્થૂલ પ્રકારે વિભાવાદિક સમુદાયનું વિવેચન કર્યું છે તેવા સૂક્ષ્મ વિભાવાદિક વ્યર્થ ન તપાસતાં જે અંતે જતાં પ્રાપ્ત થાય છે તેનું સાક્ષાત્‌ પ્રકાશન કરવાની રીતિ છે.”૩૪ કૃતિના ‘અર્થ’નું કેન્દ્રબિંદુ શોધી તેમાં અન્ય ઘટકો શી રીતે સમર્પક બને છે તેની તપાસ પાશ્ચાત્ય પદ્ધતિમાં થાય છે, એમ તેમને અહીં સૂચવવું છે.&lt;br /&gt;
રસદર્શનની આ બંને પદ્ધતિઓ ‘વ્યંજના’ને ઉકેલવાની બે ભિન્ન પ્રવૃત્તિઓ છે, અને બંને દ્વારા કૃતિમાં નિહિત રહેલો એક જ ‘અર્થ’ (એક જ ‘રહસ્ય’ કે એક જ વ્યંજના) પ્રકાશિત થાય છે, એમ તેઓ માનતા જણાય છે. તેમની આવી માન્યતા સમજવાનું મુશ્કેલ પણ નથી. લાંબા સમય સુધી આપણા સર્જકો અને વિવેચકો સાહિત્ય કૃતિઓમાં અમુક ‘નિરપેક્ષ અર્થ’ (Absolute Meaning)નું અસ્તિત્વ સ્વીકારીને ચાલતા રહ્યા છે. કૃતિનું વિવેચન કોઈ પણ પદ્ધતિએ કરો, કોઈ પણ શૈલીએ કરો, કોઈ પણ પરિભાષામાં કરો, એ સર્વનું લક્ષ્ય સ્થાન પેલો ‘નિરપેક્ષ અર્થ’ જ છે. આ કે તે વિવેચકનું અર્થવિવરણ કે અર્થઘટન એ લક્ષ્યને પામે નહિ, તો પણ એની ગતિ – એની દિશા – એ તરફની હોય છે એમ તેમણે ગૃહીત કરી લીધું હતું. એ ‘નિરપેક્ષ અર્થ’ કદાચ અક્ષય્ય વસ્તુ છે, કદાચ અભેદ્ય વસ્તુ છે, પણ એવા કશાક ‘અર્થ’ની સત્તા સ્વીકારી લઈને જ વિવેચકો ચાલતા રહ્યા દેખાય છે. વિવેચનમીમાંસાની સામે આજે આ એક કૂટ પ્રશ્ન બન્યો છે.&lt;br /&gt;
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.&lt;br /&gt;
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૬.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.&lt;br /&gt;
રાજશેખરે વિવેચકોના, ‘અરોચકી’ ‘સતૃણાભ્યવહારી’ ‘મત્સરી’ અને ‘તત્ત્વાભિનિવેશી’ – એવા ચાર વર્ગો સ્વીકારેલા છે. એ પૈકી ચોથા ‘તત્ત્વાભિનિવેશી’ વિવેચકો જ સાહિત્યને ખરેખર ઉપકાર બની શકે એવી આ. આનંદશંકરની સમજ રહી છે. તેમનું કહેવું એમ પણ છે કે આપણે ત્યાં કાવ્યકળાની ‘તત્ત્વાભિનિવેશી’ ચર્ચાઓ ઘણી ઓછી થઈ છે, અને વાચકો-વિવેચકો-સર્જકોમાં ‘સારાસારગ્રાહી દૃષ્ટિ’નો ઘણો અભાવ વતાય છે વિવેચકોમાં ખરેખર તો ‘વિશ્વકવિઓના ગુણ પારખી’ તેનો આસ્વાદ લેવાની ક્ષમતા હોવી જોઈએ; પણ આપણે આપણાં ‘ઘરદીવડાં’થી જ મુગ્ધ રહીએ છીએ અને એથી આપણી રસવૃત્તિ ઘણી જ સંકુચિત બની રહે છે.&lt;br /&gt;
કવિ અને વિવેચકની ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં તેઓ અલંકારની સહાયથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે : “સુવર્ણ એક જાતના ૫ત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કરનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને.”૩૫ આમ કવિને પક્ષે સર્જનવ્યાપારમાં અમુક રીતના critical actની અને વિવેચકને કૃતિ પામવા કવિના જેવા imaginative actની જરૂર તેઓ દર્શાવે છે.&lt;br /&gt;
આપણા સર્જનવિવેચનના ઉદ્‌ભવવિકાસમાં પાશ્ચાત્ય વિચારોની મોટી પ્રેરણા રહી છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં તેમનું દૃષ્ટિબિંદુ ધ્યાનાર્હ છે. તેઓ કહે છે કે “આપણાં કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઈએ અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિંદુ સ્વાભાવિક છે.”૩૬ પણ તેમને આથી વિશેષ પણ કહેવાનું છે : “કોઈ પણ પ્રજા, પરદેશી સાથે આત્માની આપ-લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખિલવી શકતી નથી. જેમ જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખૂવે છે તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે.”૩૭ તાત્પર્ય કે, આપણા સાહિત્યના વિકાસ અર્થે પૂર્વપશ્ચિમ કોઈ પણ પરંપરાના વિચારો આપણે યથાવકાશ સ્વીકારીને આત્મસાત કરવા જોઈએ. તેમની આ જાતની વિચારણાનો સૂચિતાર્થ એમ થાય કે પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનનાં મૂલ્યો આપણે વિવેચનવિચારમાં યથાવકાશ આમેજ કરી લેવાં જોઈએ.&lt;br /&gt;
આ. આનંદશંકરે બદલાતા રાજકીય-સામાજિક સંદર્ભમાં સર્જકો વિવેચકો માટે એક મહત્ત્વનો પ્રશ્ન છેડ્યો છે. સ્વાભાવિક રીતે જ, પોતાના સમયની સાહિત્યિક પરિસ્થિતિ તેમની સામે છે. તેઓ કહે છે કે સર્જકોની સામે અત્યારે વિવિધ સ્તરના વાચકો છે. સર્જક એ પૈકી કયા વર્ગની ‘આરાધના’ કરશે? અને વિવેચક પણ સર્જકના ધર્મને કેવી રીતે જોશે-સ્વીકારશે? તેઓ એવું અવલોકન રજૂ કરે છે કે વર્તમાન સમય democratic છે, અને સામાન્ય જનસમાજનાં રુચિવલણો સાહિત્ય સર્જનમાં કોઈક રીતે પ્રેરક કે નિયામક બળ બની રહે એમ છે. આવી પરિસ્થિતિમાં વિવેચકોએ જાગ્રત દૃષ્ટિએ વિવેચન પ્રવૃત્તિ કરવાની રહે છે – “ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ.”૩૮ આમ છતાં, આવા વિવેચકો ‘લોકસમુદાયના’ ‘democratic સાહિત્યની’ અવગણના ન કરે એ પણ મહત્ત્વનું છે. માત્ર આવા ‘પ્રાકૃતજનના’ સાહિત્યમાં ‘ભ્રાંત અને ઉપરછલ્લી દૃષ્ટિનું નિરૂપણ’ હોવાની પણ અમુક સંભાવના રહે છે, અને વિવેચકે એ વિશે હંમેશ જાગ્રત રહેવાનું છે.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રમાં નીચેની પ્રવૃત્તિઓ તેમણે સમાવી છે.&lt;br /&gt;
(૧)	કલાના – અને તે ઉપરથી સાહિત્યના – તત્ત્વનું અન્વેષણ કરવું.&lt;br /&gt;
(૨)	સાહિત્યના વિવિધ પ્રકાર અને એનાં સ્વરૂપલક્ષણોની વ્યાખ્યાવિચારણા કરવી.&lt;br /&gt;
(૩)	અમુક કૃતિના ગુણદોષો તપાસવા.&lt;br /&gt;
(૪)	ગુણદોષનો વિચાર પડતો મૂકી, માત્ર એનું સૂક્ષ્મ સ્વરૂપ એના ઊંડાણમાં જ ઊતરીને સમજવું અને સ્પષ્ટ કરવું.&lt;br /&gt;
(૫) સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન – જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે – વિશિષ્ટ કૃતિનું નિરીક્ષણ કરવું, અને એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ખેડવો.&lt;br /&gt;
અહીં, ચોથી પ્રવૃત્તિથી તેમને માત્ર કૃતિલક્ષી કે રસલક્ષી વિવેચનનો ખ્યાલ, અને પાંચમી પ્રવૃત્તિથી ‘સર્જનાત્મક વિવેચન’ અભિપ્રેત હોય એમ લાગે છે. નોંધપાત્ર છે કે કલાતત્ત્વવિચારના પ્રશ્નોનેય તેઓ વિવેચનમીમાંસા કે વિવેચનપ્રવૃત્તિમાં સમાવી લે છે. સાહિત્ય અને વિવેચનશાસ્ત્ર પરસ્પર સંકળાયેલાં છે, પરસ્પરને ઉપકારક છે, એમ પણ તેમને અભિમત છે. ‘જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચું વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે’ – એમ તેઓ કહે છે; જો કે એની તેમણે વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.&lt;br /&gt;
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૭.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનની વિભાવનાને યથાર્થ રૂપમાં સમજવાને, અલબત્ત, તેમની સાહિત્યકળા વિશેની સમજ લક્ષમાં લેવાની રહે છે. અગાઉ નિર્દેશ કર્યો તેમ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેનો તેમનો ખ્યાલ તેમણે રજૂ કરેલી સાહિત્યવિચારણા સાથે સીધો મેળમાં છે; બલકે, તેનું સ્વાભાવિક વિસ્તરણ છે. આ અંગે સૌ પ્રથમ નોંધવાનું કે ગોવર્ધનરામ, મણિલાલ અને આ. આનંદશંકર ધ્રુવ જેવા અદ્વૈતવાદી ચિંતકો, અને રમણભાઈ અને નરસિંહરાવ જેવા પ્રાર્થનાસમાજી ચિંતકોથી બળવંતરાયની દાર્શનિક ભૂમિકા મૂળભૂત રીતે જુદી પડે છે. પ્રાચીન ધર્મદર્શન કે કોઈ સંપ્રદાયની વિચારણાઓમાં તેમની શ્રદ્ધા ઠરતી નથી, તેમ કોઈ રૂઢ પરંપરાગત દર્શનનો સ્વીકાર કરીને તેઓ પ્રવૃત્ત થતા નથી. તેમનો અભિગમ મૂળથી જ બુદ્ધિવાદીનો રહ્યો છે. જીવન જગત અને સાહિત્ય સર્વ વિશે સર્વથા અરૂઢ રીતિએ અને સ્વતંત્ર પર્યેષક દૃષ્ટિએ વિચારવિમર્શ કરવાનું તેમને પ્રિય છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોની જેમ તેમનો ઝોક વિજ્ઞાનવાદ તરફ રહ્યો છે. ખાસ કરીને ‘સ્વરૂપાનુભૂતિ’ અને ‘સાહિત્ય અને શીલ’ જેવા નિબંધોમાં તેમણે વિશ્વજીવન અને માનવની સમુત્ક્રાંતિને લગતી જે કેટલીક ચર્ચાવિચારણાઓ કરી છે, તેને લક્ષમાં લેતાં અજ્ઞેયવાદી તરીકે તેમને ઓળખાવી શકાય. બ્રહ્માંડના આદિ કે અંત વિશે માનવબુદ્ધિ તાગ લઈ શકે તેમ નથી. ‘વ્યક્તમધ્ય’ એવું જે જીવન આપણા અનુભવમાં આવે છે, અને એમાં જેટલું બુદ્ધિની ઊંડળમાં આવી શકે એમ છે, તેટલું જ સત્ય માનવી પામી શકે. બધાંય જ્ઞાનવિજ્ઞાન, આ રીતે, ચેતનવિકાસના ક્રમમાં ઊઘડતાં ખિલતાં રહ્યાં છે. રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ પણ વિકાસક્રમમાં એ રીતે આગવું સ્થાન ધરાવે છે.&lt;br /&gt;
સાહિત્ય અને વિવેચનને લગતો તત્ત્વવિચાર બળવંતરાયે આ વિકાસવાદના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. સાહિત્યની રચનામાં સર્જકની પ્રતિભાનું મહત્ત્વ, અલબત્ત, તેઓ સ્વીકારે છે. ‘પ્રતિભાબીજની માવજત’ વિશે તેમણે લેખ પણ લખ્યો છે. આમ છતાં, સાહિત્યકૃતિને પ્રેરનારાં પોષનારાં પરિબળોનો ય તેઓ સ્વીકાર કરે છે; બલકે, સાહિત્યને એના લેખકના વિશિષ્ટ સામાજિક/ઐતિહાસિક સંયોગોનું પરિણામ લેખવતા જણાય છે : “પ્રજા અને તેનું અમર સાહિત્ય અન્યોન્યાશ્રયી ભાવે છે : સાહિત્ય ઉપજે છે પ્રજાના અનુભવ, પ્રજાની કલ્પના, પ્રજાની આંતરડીમાંથી; પ્રજાની નિખાલસતાનાં લક્ષણો સાહિત્યમાં વાસ્તવિકતા, પ્રામાણિકતા અને રસિકતાના ગુણ સીંચે છે, અને એ સર્જાયેલું સાહિત્ય ઊછરતી પ્રજાના ચારિત્ર, કલ્પના, ભાવના, કર્તવ્યબુદ્ધિ, આદિને પોષે છે, વાળે છે. અમુક વળ દઈને અમુક આમળા ચડાવે છે. પ્રજાનું લોહી ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સ્થૂળ કારણ છે, પ્રજાનું સાહિત્ય ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સૂક્ષ્મ કારણ છે. ઊછરતી પ્રજાના ઝમાને ઝમાને નવા પ્રત્યક્ષ થતા અનુભવ કર્તવ્ય દર્શનાદિ પ્રજાની પ્રકૃતિ ઘડાવાનાં નિમિત્ત કારણ છે, અને સાહિત્યની સફળતા, ઝમાને ઝમાને તેનું મૂલ્યાંકન તે ઝમાનાના સત્યને અનુરૂપ હોય, તેમાં છે.”૩૯ બળવંતરાય, આમ, ભારપૂર્વક પ્રતિપાદિત કરવા ચાહે છે કે સાહિત્યના સ્વરૂપમાં સામાજિક/ ઐતિહાસિક પરિબળે વત્તેઓછે અંશે નિર્ણાયક બની રહે છે.&lt;br /&gt;
પ્રજાજીવનના વિકાસક્રમમાં, દરેક તબક્કે, આગવી તાસીરવાળું સાહિત્ય એ રીતે સંભવે છે. માનવબુદ્ધિ કોઈ શાશ્વત ‘સત્ય’ને પામી શકતી નથી, માત્ર પોતાના સમયમાં બદ્ધ એવાં ‘સત્યો’નું જ તે આકલન કરે છે; પણ નવું ‘સત્ય’ પ્રગટ નથી થયું, ત્યાં સુધી જ એ જૂનું સત્ય સ્વીકારવાનું રહે છે. સાહિત્યાદિ કળાઓમાં મૂર્ત થતાં ‘સત્યો’ પણ એ રીતે કોઈ શાશ્વત સત્યો નથી : જે તે યુગનાં ‘સત્યો’ જ તેમાં આર્વિભૂત થાય છે. એટલે દરેક નવો જમાનો જ પોતાનાં નવાં ‘સત્યો’ના પ્રકાશમાં સાહિત્ય કૃતિઓનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન-કરે, એ આવશ્યક છે. વળી, સાહિત્યાદિ પ્રવૃત્તિઓ માનવજાતિના વિકાસમાં જેટલે અંશે ‘શ્રેયસ્કર’ નીવડે, તેટલે અંશે જ તે આવકાર્ય ગણાશે. સૌંદર્ય અને કળા – બંને તેમને મન એકી સાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ છે. સર્જક પોતાની રચનામાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે. એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ સ્વયં ઈષ્ટ વસ્તુઓ છે-terminal values-જેવી પ્રાપ્તિઓ છે. પણ માનવજાતિના વિકાસક્રમમાં તેનું ‘સાધન’ લેખે ય સ્થાન રહે છે – કહો કે તેને instrumental value પણ પ્રાપ્ત થાય છે. બળવંતરાય કહે છે : “કલા ધર્મ રાષ્ટ્ર નીતિ એ સર્વ પ્રેયો વસ્તુ છે ત્યાં જ લગી, જ્યાં લગી તે આપણને શ્રેય મેળવવાને કાજે ઊજમવાન રાખે : એ સર્વ ભાવનાસિદ્ધિ માટેનાં સાધન હોવાનું પોતાનું કર્તવ્ય બજાવતાં રહે, ત્યાં લગી જ પ્રેય છે.”૪૦&lt;br /&gt;
વિશ્વજીવનની ઉત્ક્રાંતિમાં બહુ થોડી કૃતિઓ સમયના પ્રવાહની સામે ટકી રહે છે. બળવંતરાયને મન એવી સત્ત્વશીલ કૃતિઓનું જ સાચું મૂલ્ય છે. સાહિત્યની ભાવના એવી થોડીક મહાન કૃતિઓ પરથી જ બંધાય, બાંધવી ઘટે, એવી પણ તેમની માન્યતા રહી છે. અને વિવેચન વિશે જે થોડાક ખ્યાલો અહીં તહીં વેરવિખેર પડ્યા છે. તેમાંય એવા મહાન સાહિત્ય માટેની તેમની જિકર વરતાય છે.&lt;br /&gt;
બળવંતરાયનો પોતાનો વિવેચનાત્મક અભિગમ – નર્મદ નવલરામ મણિલાલ ગોવર્ધનરામ ન્હાનાલાલ મુનશી આદિ અર્વાચીન યુગના સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિને જોવા તપાસવાની અને મૂલવવાની તેમની રીતિમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કર્તાનું માનસ, વ્યક્તિત્વ ઘડતર, અને વિચારસૃષ્ટિ, ઐતિહાસિક સામાજિક પરિસ્થિતિ, સમકાલીન સાહિત્યિક પરંપરાઓ, આદિ સર્વ પાસાંઓને લક્ષમાં લઈને દરેકનો વિચાર કરવા તેઓ પ્રેરાયા છે. એમાં ચરિત્રમૂલક ઐતિહાસિક સાંસ્કૃતિક કે વિચારલક્ષી – એમ એકથી વધુ અભિગમો એકત્ર થતા હોવાનું જોઈ શકાશે. &lt;br /&gt;
સર્જન અને વિવેચન એ બંને ય પ્રવૃત્તિઓ તેમને મન એક પ્રકારે ‘આચરણ’ – action of a living being – જેવી છે, બંને પરસ્પર અનિવાર્ય રીતે સંકળાયેલી છે, અને બંનેય પ્રજાજીવન પર મોટી અસર પાડનારી છે, એમ તેઓ માને છે : “કલા અને વિવેચના અન્યોન્ય અવિનાભાવે સંલગ્ન છે. કલાસર્જન (art creation) જીવનનો એટલે સજીવન વ્યક્તિના આચરણનો (action of a living being) એક પ્રકાર છે. જેમ આચરણ પહેલાં, આચરણ સાથે, અને આચરણ પછી ચિંતન એટલે વિચારણ, કાર્યકારણઘટના, લક્ષ્યપ્રયત્નઘટના, સાધન નિર્માણઘટના આદિ રૂપે અનિવાર્ય આવશ્યક અને લાભકારક છે, આચરણનું જ અવિભાજ્ય અંગ લેખાવાને પાત્ર છે, તેમ સર્જન અને વિવેચનની જોડીનું પણ સમજી લેવાનું પ્રાપ્ત થાય છે.”૪૧ બળવંતરાયની આ વિચારણાના સૂચિતાર્થો ધ્યાનમાં લેવા જેવા છે. સાહિત્યની રચના, અલબત્ત, તેમના મતે એક અતિ સૌમ્ય સૂક્ષ્મ અને સત્ત્વશીલ તત્ત્વ છે; પણ સ્વરૂપથી તે તેના સર્જકનું ‘આચરણ’ પણ છે. તે ઇચ્છે કે ન ઇચ્છે, જાહેર જીવનમાં તે એક સક્રિય બળ બનીને પ્રવર્તે છે. એટલે જ, સર્જકને પક્ષે એ એક નૈતિક બળ પણ બની રહે છે. વિવેચનની પ્રવૃત્તિ પણ એ જ રીતે વિવેચકનું ‘આચરણ’ બની રહે છે. વિવેચક ઇચ્છાશક્તિ એમાં સક્રિય બને છે. સાહિત્યિક પરિસ્થિતિ – અને વ્યાપકપણે સાંસ્કૃતિક પરિસ્થિતિ – પર તેની ઓછીવત્તી સૂક્ષ્મ અસરો પડે છે. સર્જક તેમ વિવેચક બંનેય પક્ષે, આથી, તેમનાં દરેકનાં ‘આચરણો’ની નૈતિક અસરોનો પણ ખ્યાલ કરવાનો રહે છે. એમાંથી એમ પણ ફલિત થાય છે કે સાહિત્યકૃતિ કે તેના કર્તા પરત્વે જ નહિ, સમસ્ત પ્રજાના શ્રેયાશ્રેયને અંગે ય તેમને ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થાય છે. માનવજાતિના વિકાસક્રમમાં બંનેએ આગવી ભૂમિકા ભજવવાની રહે છે :&lt;br /&gt;
“...વળી કવિતા અને વિવેચના અન્યોન્યાશ્રયી છે. સ્વતંત્ર વિચારબળે આપણી વિવેચનાને આપણે જેમ બિનંગત (ઈમ્પર્સનલ) સાચી અને ઊંડી બનાવીશું તેમ તેમ આપણી કવિતા પણ ખીલશે, અને આપણી કવિતા જેમ ખીલશે તેમ તેમ ઉછરતી પેઢીઓમાં ચારિત્ર્યને યોગ્ય વલણ અને ગુણવત્તા અને બળ મળતાં જશે. સાહિત્ય તો જીવનનો પડઘો માત્ર એ મત એકદેશી અને સાહિત્યના ગૌરવનું અનભિજ્ઞ છે. કાલપ્રવાહમાં જીવનવિકાસ અને જીવનસમુત્ક્રાંતિની સર્જક જે સૂક્ષ્મ અને સૌમ્ય શક્તિઓ પ્રવર્તે છે તેમાંની એક પ્રમુખ શક્તિ સાહિત્ય છે. સાહિત્યની સમુત્ક્રાંતિ માટે મથનારો દેશસેવક જીવનસમુત્ક્રાંતિ માટે પણ મથી રહ્યો છે. સાહિત્ય કે વિવેચનામાં વિપથગામી વલણોને ઉગતાં જ ના દાબી દેવાય તો જીવનક્ષેત્રે પણ એ ચેપી ઝેર પ્રસરવા માંડે છે. વેળાસર લાલબત્તી ધરતી વિવેચના જીવનક્ષેત્રમાં પણ સારી સેવા બજાવે છે.”૪૨&lt;br /&gt;
બળવંતરાયની વિચારણામાં આ એક લાક્ષણિક ભૂમિકા છે. જીવનના વિકાસવાદને લક્ષમાં રાખીને સાહિત્યસર્જન અને વિવેચનની ઉપયોગિતાનો અહીં તેઓ વિચાર કરવા પ્રેરાયા છે; અને, એક રીતે, તેમનો નૈતિક અભિગમ એમાં દેખાઈ આવે છે. સાહિત્યમાં તેમ વિવેચનમાં કોઈ પણ ‘વિપથગામી વલણ’ ચલાવી લઈ શકાય નહિ, એમ તેઓ કહે છે. પણ આ ‘વિપથગામી વલણો’ કયાં તે નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ છે. જીવનવિકાસમાં કયું તત્ત્વ શ્રેયસ્કર, કયું અશ્રેયસ્કર, કયું ઇષ્ટ કયું અનિષ્ટ, એ નિર્ણિત કેવી રીતે કરીશું? કેવળ નીતિ-અનીતિના પ્રચલિત ખ્યાલથી દોરવાઈને સર્જક કે વિવેચક ચાલવા જાય તો તે તેના હૃદ્‌ગત ‘સત્ય’ અને ‘સૌંદર્ય’નો દ્રોહ નહિ થાય? અને પ્રજાના ચારિત્ર્ય ઘડતર અર્થે કઈ કૃતિ લાભદાયી છે કઈ નથી, તે વિશે વિવેચક કેવી રીતે નિર્ણય કરી શકે? પ્રશ્નો જટિલ છે.&lt;br /&gt;
વિવેચકની ભૂમિકા વિશે બળવંતરાયે જે જે વિચારો રજૂ કર્યા છે, તેમાં પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન વિવેચક મેથ્યુ આર્નોલ્ડની પ્રેરણા હોવાનું પણ જોઈ શકાશે. બળવંતરાયનું એમ કહેવું છે કે વિદ્યાપીઠના ઉત્તમ આચાર્યો અને તેજસ્વી તરુણો દ્વારા એક બાજુ સર્જાતા સાહિત્યના ‘ઉત્તમાંશો’ વિશે ‘સતત ગંભીર અપક્ષ નિરીક્ષા’ ચાલવી જોઈએ, વર્ણ્યવિષયના ‘કોણેકોણમાં’ તેમની તેજસ્વી મેધા ફરી વળવી જોઈએ; બીજી બાજુ, સાહિત્યને પોષક વિચારો નિષ્પન્ન થતા રહેવા જોઈએ. તેમને મતે ‘સત્ય’ ‘શીલ’ અને ‘સૌંદર્ય’ એ ત્રણ ચિરંતન મૂલ્યો છે. સર્જકે અને વિવેચકે બંનેએ ત્રણેનું જતન કરવાનું છે. નોંધવું જોઈએ કે, કૃતિ વિવેચનમાં તેમણે આ મૂલ્યોનું સતત સમર્થન કરવાનો આગ્રહ દર્શાવ્યો છે. જો કે આ જાતનાં નિરપેક્ષ મૂલ્યોના સ્વીકાર સાથે સર્જનના તેમ વિવેચનના પ્રશ્નો જટિલ બને છે. સર્જનમાં ‘સત્ય’ કેવી રીતે પ્રગટ થાય, ‘શીલ’નું જતન શી રીતે થાય કે ‘સૌંદર્ય’ જેવું મૂલ્ય કેવી રીતે મૂર્તિમંત થાય તે પ્રશ્નો વિવેચન/સૌંદર્યમીમાંસાના કાયમી પ્રશ્નો છે. મૂલ્યાંકનનાં બીજાં ધોરણો, અલબત્ત, એ ત્રણને મુકાબલે ગૌણ છે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય, અલબત્ત, કૃતિના ગુણદોષ બતાવવાનું છે. જો કે નરી ગુણગ્રાહકતા વંધ્ય છે. એનાથી કોઈને ન્યાય થતો નથી – ન કૃતિને, ન કર્તાને, ન ભાવકને. એ રીતે વાંચનારની ‘ઉન્નતિ’ થતી નથી, તેમ કળાના ક્ષેત્રમાં ‘શુદ્ધિ’ કે ‘પ્રગતિ’ સધાતી નથી. તેમ વિવેચનને પોતાને માટે પણ એ હિતકર નથી. એટલે વિવેચકે કૃતિના ગુણો અને દોષો બંને બતાવવા, પ્રમાણસર બતાવવા, એ જ ખરો માર્ગ છે. બળવંતરાયની દલીલ એ કે ‘કેટલાક દોષ એવા ઉગ્ર હોય કે તેમાં કૃતિના બધાયે ગુણ ડૂબી જાય; કોઈક ગુણ એવો ઉજ્જ્વળ હોય કે તેમાં કૃતિના બધાયે દોષ ડૂબી જાય. ત્યારે તો રસિકોએ ગુણૈકદૃષ્ટિ વા દોષૈકદૃષ્ટિ જ પ્રબોધવી પડે. કેમ કે કલાની ભાવના અને અને સૌન્દર્યની વિશુદ્ધિ એમ કર્યા વગર રક્ષાય જ નહિ.”૪૩&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિને બને તેટલી બિનંગત તટસ્થ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાની બળવંતરાયે ભારે હિમાયત કરી છે. અંગત રુચિ રાગદ્વેષ આદિ વલણોથી મુક્ત કરી આ આખીય પ્રવૃત્તિને પૂરી શાસ્ત્રીય બનાવવી જોઈએ એમ તેઓ માને છે. ‘સાહિત્યની શિષ્ટ અદાલતમાં કૃતિઓના ગુણદોષો ઉપર જ ચુકાદા આપવાના છે.’ અને એમાં અંગત રાગદ્વેષનો પાશ ના હોય તેવા ‘ચુકાદા જ શિષ્ટ સંમતિ મેળવવાને લાયક’ ઠરે છે. સાચો વિવેચક ‘ધીરજની’ ‘અભયની’ ‘નિઃસ્પૃહ મૂર્તિ’ હોવો જોઈએ. સરેરાશ વાચક અંગત રુચિઅરુચિ કે રાગદ્વેષથી પ્રેરાઈને કે પ્રમાણભાન ગુમાવીને મૂલ્યાંકન કરી બેસે પણ વિવેચકમાં કૃતિ વિશે, બિનંગત બનીને, તેની શાસ્ત્રીય તુલના કરવાની ક્ષમતા હોવી જોઈએ.&lt;br /&gt;
જો કે વિવેચનનું (એટલે કે વિવેચકનું) કાર્યક્ષેત્ર તેમણે ઘણું ઘણું વિસ્તારી મૂક્યું છે. કૃતિના વિવેચન–મૂલ્યાંકનમાં એ કાર્ય પૂરું થતું નથી. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની તપાસ પણ તેણે કરવાની છે. વિવેચકના કાર્ય પ્રદેશનો તેમનો આખો નકશો જોવા જેવો છે.&lt;br /&gt;
“વિવેચના કલાસખી છે તેમ શાસ્ત્રસખી પણ છે. કવિતા અને સાહિત્યકૃતિઓના ગુણદોષ જાતિ પ્રકાર સિદ્ધિ કલાસામગ્રી આદિ તપાસવાં એ વિવેચનાનું પ્રિય કાર્ય છે. જાણીતા દાખલાઓ સાથે નવાને મૂકી સરખામણીઓ કરવી, ભેદો જોવા અને તારતમ્ય વિચારવાં એ વિવેચનની પ્રિય પદ્ધતિ છે. આમ કરતાં કરતાં કલામીમાંસા રસશાસ્ત્ર અને વાઙ્‌મયને લગતાં વર્ણન પ્રધાન અને વ્યવસ્થાપક (normative) વિજ્ઞાનો બંધાય છે. વ્યાપ્તિઓ સૂઝે છે, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ વર્જાય છે, સૌને સ્વીકારવાં પડે એવાં ધોરણ વધતાં વધતાં તે સર્વ અન્યોન્યસમર્થક સમૂહ બની શાસ્ત્રની પદવી પામે છે. સજાતીય શાસ્ત્રોના મુકાબલા પણ થાય છે. અને આ આખા વિચારણાપ્રવાહમાં સપાટી તળેનાં રહસ્યોનાં સંશોધન અને મનન તે જ મીમાંસા વા પર્યેષણા છે. વળી કાળબળે બે જુદી જુદી સંસ્કૃતિઓ પાસે પાસે આવી જાય, ત્યારે તેમના વાઙ્‌મયની સાથે તેમનાં કલાશાસ્ત્રો અને રસમીમાંસા પણ એકબીજાંને ભેટે છે. અને એક બીજાં ઉપર પડે છે. એક બીજાંને ચૂમે પણ ખરાં, એકબીજાને કચરે અને કરડે પણ ખરાં. જે બુદ્ધિઓ આ કુરકુરિયા જોડીનાં ચેષ્ટા સ્પર્ધા અને ગેલઝઘડા, આ બે જુદી જુદી પરિસ્થિતિમાં ઉછરેલી બહેનોનાં રીસામણાં અને મનામણાં અનુભવવા જેટલી અધિકારી છે તે તુર્ત જોઈ પણ લે છે, જે આ બે બ્હેનો જેવી દેખાય છે ખરી, પણ તે બે નહીં એક જ હોવી જોઈએ, અથ ચ હોવી જોઈએ એક, તો તે એક શી રીતે એ નવો પ્રશ્ન સંક્રાંતિસમયની ગૂંચ ઉકેલણીના જેવો જ મહાપ્રશ્ન એ વિરલ બુદ્ધિઓમાં જન્મે છે.”૪૪&lt;br /&gt;
બળવંતરાયે આ રીતે જે ખ્યાલો રજૂ કર્યા તેને અનુલક્ષીને ટીકાટિપ્પણી રૂપે થોડુંક કહેવાનું રહે.&lt;br /&gt;
એક, સાહિત્યવિવેચનનો પણ પ્રજાજીવનના વિકાસ સાથે જ વિકાસ થતો રહે છે. વળી કૃતિચર્ચાઓમાંથી સામાન્ય નિયમો/ધોરણો નીપજી આવે છે, અને ભિન્ન સંસ્કૃતિના વિવેચનના નિયમો તેમ સૌંદર્યમીમાંસાના ખ્યાલોની તુલના કરતાં કરતાં સર્વસાધારણ તત્ત્વો બહાર આવે છે. પ્રજાપ્રજાની સંસ્કૃતિઓના ટકરાવમાંથી, આ રીતે, વધુ વ્યાપક અને સમન્વિત કળાવિચાર પણ જન્મી આવે. વિકાસક્રમની તેમની તાત્ત્વિક ભૂમિકાને અનુરૂપ તેમની આ ચર્ચા છે.&lt;br /&gt;
બે, અગાઉ કૃતિવિવેચનમાં બિનંગતતા નિષ્પક્ષતા તાટસ્થ્ય અને વસ્તુલક્ષી ખોજને લીધે તે પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય કોટિની બને, બનવી જોઈએ, એમ કહ્યું હતું. અહીં વિવેચનના પ્રશ્નોને સૌંદર્યમીમાંસા (aesthetics) અને વિવેચનતત્ત્વવિચાર (philospohy of criticism)ના સ્તરે લઈ જવાની પ્રવૃત્તિને તેમણે ‘શાસ્ત્ર’માં મૂકી છે. અહીં ‘શાસ્ત્ર’ દ્વારા ખરેખર તો તેઓ, જુદા જ સ્તરની વિવેચનમીમાંસાના ખ્યાલને સ્પર્શી રહે છે.&lt;br /&gt;
ત્રણ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ/પરંપરાઓમાં વિકસતો કળાતત્ત્વવિચાર વાસ્તવમાં, એક જ મૂળભૂત વસ્તુને અનુલક્ષે છે એમ તેઓ ગૃહીત કરીને ચાહે છે. બધી જ કળામીમાંસા ‘સૌંદર્ય’ ‘સત્ય’ અને ‘શીલ’ના કોઈ નિરપેક્ષ મૂલ્યને ઊપાસે છે. બધી જ કળાવિચારણાઓની ગતિ આમ એક જ અંતિમ લક્ષ્ય તરફની છે&lt;br /&gt;
બળવંતરાયની આ વિચારણા, દેખીતી રીતે જ, વિવેચક માટે અતિ દુષ્કર કર્તવ્ય ઊભું કરે છે. આ રીતે કળામીમાંસાના ક્ષેત્રમાં ચાલતી તેની ગતિ કેટલે અંશે કૃતિવિવેચનમાં ઉપકારક બને, અથવા તેને માટે કળાતત્ત્વવિચાર ખરેખર આવશ્યક છે કે કેમ, એ મુદ્દો ય વિચારણા માગે છે. એફ. આર. લિવિસ જેવા વિવેચક એમ માને છે કે વિવેચકનું મુખ્ય કામ વિવેચ્ય કૃતિ વિશેના જીવંત પુદ્‌ગલરૂપ પણ સંકુલ પ્રતિભાવ ઉપલબ્ધ કરી આપવાનું છે, તેને વિશે ચૂકાદો આપવાનું નહિ. બીજી રીતે, વિવેચકે કૃતિ વિશેના પ્રતિભાવને એની સૂક્ષ્મતમ રેખાઓમાં ગ્રહણ કરવાનો છે; અને એનું જ નિરૂપણ કે વિવરણ કરવાનું છે. પણ વિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ કે ‘કસોટીઓ’ વિશે તાત્ત્વિક સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા નથી. રેને વેલેક, આથી ભિન્ન, વિવેચક કૃતિવિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ અને ‘કસોટીઓ’ વિશે પણ સ્પષ્ટતા કરે, તેની તાત્ત્વિક ભૂમિકા રજૂ કરે, એવી અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
આ આખો મુદ્દો કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર, અને સૌંદર્યશાસ્ત્રના અધ્યયનક્ષેત્ર કે કાર્યક્ષેત્રની સરહદ રેખા આંકી લેવાની ફરજ પાડે છે. વિવેચક વિશિષ્ટ કૃતિ વિશે ગુણદોષની ચર્ચા કરે, તેના રમણીય અંશોનો પુરસ્કાર કરે, કે તેની કળાત્મક સિદ્ધિઅસિદ્ધિનો ખ્યાલ કરે – ત્યાં સુધી તે કૃતિવિવેચનના ક્ષેત્રમાં ગતિ કરે છે એમ કહી શકાય. પણ કૃતિના ગુણદોષની વિચારણામાં ‘ધોરણ’ કે ‘કસોટી’નો તે નિર્દેશ કરે છે, ત્યારે તેનું એ ‘ધોરણ’ કે ‘કસોટી’ સાવ યાદૃચ્છિક વસ્તુ ન હોઈ શકે. સાહિત્યકળા વિશેના અમુક સિદ્ધાંત કે વાદનો એમાં સ્વીકાર રહ્યો જ હોય છે. ઉત્કૃષ્ટ કળાની અપેક્ષા સાથે અમુક કળાવિચાર સહજ રીતે એમાં સંકળાયેલો હોય કે નિહિત રહ્યો હોય એમ જોવા મળશે. વિવેચક કૃતિવિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓ પાછળની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું સ્વીકારે યા ન સ્વીકારે, ધોરણો/કસોટીઓને યથાર્થ રૂપમાં સમજવાનો કોઈ પણ ઉપક્રમ કળાના સિદ્ધાંત તરફ દોરી જાય છે. ઓસ્બોર્ન તો એટલે સુધી કહે છે : There can be no single judgement of practical criticism which does not involve latent doctrines of asthetics.૪૫ કૃતિવિવેચનમાં એકેય એવો મૂલ્યનિર્ણય ન હોય જેમાં સૌંદર્યમીમાંસાનો કોઈ ને કોઈ સિદ્ધાંત નિહિત રહ્યો ન હોય. પણ કળાકૃતિના મૂલ્યાંકનનાં ધોરણો/કસોટીઓ પાછળ રહેલી તાત્ત્વિક ભૂમિકાની તપાસ, તેની તાર્કિક ચકાસણી, એ બધા પ્રશ્નો સાહિત્યશાસ્ત્રના પંડિતો કે સૌંદર્યમીમાંસકો માટે રહેવા દઈએ એ જ બરોબર છે. પણ, કૃતિવિવેચક ચાહે તો સાહિત્યશાસ્ત્રના અને તેથીય આગળ સૌંદર્યમીમાંસાના પ્રશ્નોમાં રસ લઈ શકે, અને તે ક્ષેત્રમાં ય પૂરતી સજ્જતા કેળવીને ગતિ કરી શકે. અલબત્ત, સાહિત્યશાસ્ત્રના સ્તરેથી કે સૌંદર્યમીમાંસાના સ્તરેથી તાત્ત્વિક પ્રશ્નોની માંડણી કરવી – એ કૃતિવિવેચન કરતાં ભિન્ન પ્રવૃત્તિ છે, ભિન્ન પ્રકારની શિસ્ત છે.&lt;br /&gt;
સાહિત્યકલા ‘સ્ફુટાર્થવતી વાણીના માધ્યમ’માં જન્મે છે, તેથી બીજી બધી લલિત કલાઓને મુકાબલે તેમાં મતભેદનું વર્તુલ વધુ મર્યાદિત સંભવે, એવી પણ બળવંતરાયે માન્યતા વ્યક્ત કરી છે. જો કે, આવો વ્યાપક નિયમ તારવવામાં મોટું જોખમ છે. ચિત્ર કે શિલ્પના ક્ષેત્રમાં વધુ મતભેદ સંભવે, સાહિત્યના ક્ષેત્રમાં નહિ–એ જાતનો ખ્યાલ આજે ભાગ્યે જ સ્વીકારાશે. આધુનિકતાવાદી અને તેમાંયે પ્રયોગશીલ કૃતિ ભારે મતમતાંતરનો વિષય બનતી હોય છે. &lt;br /&gt;
વિવેચકની સજ્જતા અંગે બળવંતરાય નોંધે છે : “પુખ્ત વિવેકની સાથે સૂક્ષ્મ રુચિતંત્ર, કવિતાપરંપરા, છંદપરંપરા આદિનું ઝીણું અને સંગીન જ્ઞાન, બ્હોળો અનુભવ, વિવિધ શૈલીઓ અને કળાજાતિઓ સાથે સહાનુભૂતિ, પરિસ્થિતિમાં તેમ કવિના ચિત્તતંત્રમાં પ્રવેશવાની કલ્પના, અને બીજું પણ ઘણું શાસ્ત્રીય તુલનાત્મક ઐતિહાસિક પર્યેષક વિવેચનાનું ગંભીર પચરંગી કર્તવ્ય માગી જ લે છે.”૪૬&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓને બળવંતરાય ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા રૂપે વિકસતી જૂએ છે. એટલે કોઈ પણ કૃતિને યથાર્થ રૂપમાં જોવા-સમજવાને તેના વિશિષ્ટ સંયોગોને લક્ષમાં લેવાના રહે. દેખીતી રીતે જ, કૃતિવિવેચનનો આ ઐતિહાસિક અભિગમ છે. જો કે, એમાં ચરિત્રલક્ષી કે વિચારલક્ષી ભૂમિકા પણ વારંવાર જોડાતી રહે છે. ‘સોરાબ અને રુસ્તમ’ શીર્ષકના તેમના વિસ્તૃત અભ્યાસલેખમાં મહાકવિ ફિરદૌસી અને અંગ્રેજ કવિ આર્નલ્ડ—એ બેની સોરાબરુસ્તમની કથામૂલક કવિતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. બંને કવિઓની રચનાઓમાં જે સ્વરૂપભેદ કે શૈલીભેદ વરતાય છે તેના મૂળમાં ઊતરી બંને પાછળની ભિન્ન સાંસ્કૃતિક પરંપરાનો તેઓ ત્યાં વિગતે પરિચય આપે છે. તેમનું કહેવું એમ છે : “કોઈ પણ કલ્પના સર્જનમાં કલ્પક પાત્રોના ચરિત્ર અને આચરણોની જે સંકલના ગૂંથે છે તે તેના સર્જનનું હાર્દ વ્યક્ત કરે છે. કલાકૃતિનાં દેશકાલ પરિસ્થિતિ આદિ જેમ આપણને પરિચિત જગતથી ભિન્ન અને દૂર સુદૂર, તેમ તેની સંકલના સમજવી મુશ્કેલ થઈ પડે છે, અને સહાનુભૂતિ પ્રવૃત્ત કરવાને આપણી કને વધારે ઇતિહાસજ્ઞાન માગી લે છે. પ્રસ્તુત કૃતિ કઈ કલા જાતિની છે અને તેની પાછળ એ જાતિની પરંપરા કયા પ્રકારની હતી તે પણ આપણે ધ્યાનમાં રાખવું ઘટે.”૪૭ અહીં તેમણે એક અતિ મહત્ત્વની વાત કરી કે વિવેચક સામે પોતાના દેશકાળથી ઘણી દૂરની સાવ ભિન્ન પરંપરાની કૃતિ આવે છે, ત્યારે તેને માટે ‘સહાનુભૂતિ પ્રવૃત્ત’ કરવાને તેનું સાચું ઇતિહાસજ્ઞાન જરૂરી છે. કોઈ પણ કલાકૃતિને એના સ્થળકાળના સંદર્ભોથી ઉતરડીને જોવા જતાં ન્યાય નહિ થાય. તાત્પર્ય કે કલાકૃતિના સ્વરૂપમાં સમકાલીનતાનાં અમુક તત્ત્વો પડ્યાં હોય છે. એવાં તત્ત્વો વિશે પૂરી સમજ અને સહાનુભૂતિ વિના કૃતિના હાર્દમાં પ્રવેશવાનું મુશ્કેલ.&lt;br /&gt;
આપણી સદીમાં વિવેચનના ઐતિહાસિક અભિગમ સામે નવ્ય વિવેચકોએ ઊભો કરેલો મુદ્દો જોવા જેવો છે. અલબત્ત, નવ્ય વિવેચકો એમ કહેવા માગતા નથી કે કૃતિમાં ઐતિહાસિક અંશો પ્રવેશતા જ નથી. તેમનું એમ કહેવું છે કે આવા ઐતિહાસિક અંશોનો તો કાર્યકારણભાવે ખુલાસો આપી શકાય છે, પણ કૃતિનું જે સાચું હાર્દ છે, ગહનતમ રહસ્ય છે, તેને આવા ખુલાસાથી સમજાવી શકાય નહિ. ઐતિહાસિક સંયોગો અને પરિબળોને લક્ષમાં લઈ કાર્યકારણભાવે તેના અમુક બાહ્ય સ્વરૂપની સ્પષ્ટતા કર્યા પછી જે residue રૂપ—એક અતાગ અવર્ણનીય અંશ શેષ રહે છે, તે જ કળાકર્મનો વિશેષ છે. નવ્ય વિવેચકોએ, આથી, કળાકૃતિને આરંભમાં તો ઐતિહાસિક સંદર્ભોથી વિચ્છિન્ન કરીને જોવા માટે અનુરોધ કર્યો; પણ પછીથી કૃતિને વધુ યથાર્થ રૂપમાં સમજવાને એના ઐતિહાસિક સંદર્ભોને ય કોઈ ખપમાં લેવા ચાહે, તેની સામે વાંધો લીધો નથી. ક્લિન્થ બૂક્સ જેવા વિવેચકની ભૂમિકા એ રીતે ધ્યાનપાત્ર છે :&lt;br /&gt;
“If literary history has not been emphasized in the pages that follow, it is not because I discount its importance or because I have failed to take into account. It is rather that I have been anxious to see what residuum, if any, is left after we have referred the poem to its cultural matrix.”૪૮ (હવે પછીનાં પૃષ્ઠોમાં, સાહિત્યના ઇતિહાસ પર જો મેં ભાર મૂક્યો ન હોય, તો તે એ કારણે તો નહિ કે એનું મહત્ત્વ હું ઓછું લેખવા માગું છું. અથવા એ આખી બાબત મારા ધ્યાનમાં આવી નથી; પણ તે એટલા માટે કે કલાકૃતિને એના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકી જોયા પછી ય એમાં એનો કોઈ કલાત્મક સારભૂત અંશ (residuum) શેષ રહે છે કે નહિ તે જોવામાં મને રસ હતો.) આમ, ઐતિહાસિક અભિગમ અને નવ્ય વિવેચકોનો આકારવાદી અભિગમ–એ બે યાદૃચ્છિકપણે સ્વીકારી શકાય તેવી બાબત નથી. સાહિત્યકલાના સ્વરૂપ વિશે તમે કઈ સમજ ધરાવો છો, સાહિત્યની કઈ વિભાવના લઈને ચાલો છો, તે મુદ્દો અહીં અત્યંત મહત્ત્વનો બને છે. બળવંતરાયની સાહિત્યવિચારણા પાછળની તાત્ત્વિક ભૂમિકા, કદાચ, એટલી સ્પષ્ટ નથી; તો પણ, એમાં સાહિત્ય એ ઐતિહાસિક સંયોગો અને પરિબળોની નીપજ છે એ ભૂમિકા સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
‘સોરાબ અને રુસ્તમ’ વિશેના વિવેચનમાં ઐતિહાસિક ભૂમિકા સ્વીકારાઈ છે એ તો ખરું જ; એમાં સાથોસાથ તુલનાત્મક પદ્ધતિનો પણ સ્વીકાર છે. તુલનાત્મક સાહિત્ય – comparative literature – વિશે એ સમયે આપણે ત્યાં એવી કોઈ વિચારધારા નહોતી કે ખાસ અભિજ્ઞતા જન્મી નહોતી. પણ અન્ય ભાષાના વિવેચનમાંથી clue લઈને કે કેવળ આંતરસૂઝથી તેમણે અહીં તુલનાત્મક અભિગમ સ્વીકાર્યો છે. ફિરદૌસી અને આર્નલ્ડની કૃતિઓના સ્વરૂપભેદ અને શૈલીભેદને લક્ષમાં લઈ તેમણે બંનેની પરંપરાનું હાર્દ ખૂલ્લું કરવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અને કાવ્યપરંપરાના ખ્યાલો વિશે બળવંતરાયની ટીકાટિપ્પણીઓ ખરેખર માર્મિક અને તત્ત્વગ્રાહી છે. તેમના મતે મધ્યયુગીન સંસ્કૃત પરંપરાના કવિઓની રસદૃષ્ટિ ‘એકથી વધુ દૃષ્ટિએ દૂષિત’ અને ‘હીન’ થયેલી છે. પશ્ચિમની કાવ્યમીમાંસાના અભ્યાસથી એ વાત હવે સ્પષ્ટ થવા લાગી છે, એમ તેઓ કહે છે. જો કે આપણે ત્યાં કેવળ રૂઢ અલંકારશાસ્ત્રમાં ગતિ કરતા વિદ્વાનોને આ વાત બરોબર સમજાઈ નથી એવી તેમની માન્યતા છે. પાછળના સમયના અલંકારશાસ્ત્રીઓ પરંપરાપ્રાપ્ત મતો અને વિચારવલણોને જેમના તેમ સ્વીકારતા રહ્યા છે. સ્વતંત્ર પર્યેષકબુદ્ધિથી કાવ્યતત્ત્વનો ફેરવિચાર કરવાની તેમનામાં વૃત્તિ દેખાતી નથી. ‘મેઘદૂત’ વિશે મલ્લિનાથની ટીકાને અનુલક્ષીને તેમણે રજૂ કરેલું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ નોંધે છે કે... એ જમાનાનું રુચિતંત્ર કાલિદાસમાં જ્યાં ત્યાં આવી કામી દશાનું જ રહસ્ય શોધે એ સ્વાભાવિક છે. એટલે કાલિદાસ જેવા કવિઓને રૂઢ રુચિવૃત્તિથી કે પરંપરાગત કળાદૃષ્ટિએ નહિ, સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવવા જોઈએ. અહીં તેમની ચર્ચામાં ગૂંચ ઊભી થતી હોવાનું લાગશે. અગાઉ ઐતિહાસિક અભિગમને લગતો ખ્યાલ સ્પષ્ટ કરતાં વિવેચ્ય કૃતિને એના મૂળ ઐતિહાસિક/સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાને તેમણે અનુરોધ કર્યો હતો. અહીં તેઓ આધુનિક કળાવિચારના પ્રકાશમાં કાલિદાસાદિ કવિઓનું મૂલ્યાંકન કરવાને સૂચવે છે. તો, વિવેચનમીમાંસાનો આ એક ઘણો મોટો કૂટ પ્રશ્ન થયો! વિવેચકે પ્રાચીન મધ્યકાલીન પરંપરાના સાહિત્યને કેવી રીતે જોવું અને મૂલવવું ઘટે? કૃતિ/કર્તાને ‘ન્યાય’ કરવાની હંમેશાં વાત થાય છે. પણ આ ‘ન્યાય કરવો’ એટલે શું? સાહિત્યકૃતિને ન્યાય કરવો એટલે એનું સાચું ‘રહસ્ય’ પામવું, પણ તો એ કેવી રીતે શક્ય બને? સાહિત્યકૃતિને એવો કોઈ નિરપેક્ષ ‘અર્થ’ સંભવે છે ખરો, જે સમય જતાં ય કે દૂર સ્થળકાળમાં અવિકારી અને અપરિવર્ત્ય જળવાઈ રહે? અંતે, સાહિત્યકૃતિ એ કોઈ સમયબદ્ધ–ઇતિહાસબદ્ધ વસ્તુ છે કે સમયાતીત, તેનો ય ખ્યાલ કરવાનો આવે. આજે વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે ભૂતકાળની કૃતિઓનું રહસ્ય વર્તમાનની ભૂમિકા પરથી જ સમજી શકાય. અર્થાત્‌, કૃતિને આપણી આજની સાંસ્કૃતિક ભૂમિકાએથી તેનું રહસ્ય ઘટાવીને–તેનું પુનઃ અર્થઘટન કરી આપીને–જ સાચી રીતે સમજી શકો. અને બીજા કેટલાક તો એમ કહે છે કે ભૂતકાળની કૃતિને તમે વર્તમાનની ભૂમિકાથી અળગા થઈને જોઈ જ ન શકો. અર્થાત્‌ ભૂતકાળની કોઈ પણ કૃતિનું હાર્દ વર્તમાનના સંદર્ભમાં જ પ્રગટ થતું હોય છે. એટલે આ પ્રશ્ન, અંતે, જ્ઞાનમીમાંસાના ક્ષેત્રમાં આપણને દોરી જતો જણાશે.&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓ સામાજિક હકીકત – social facts – છે, એમ બળવંતરાયે કહ્યું, અને સમાજજીવનના વિકાસ અર્થે તેનું અનન્ય મહત્ત્વ પણ તેમણે સ્વીકાર્યું; છતાં, કળાકૃતિઓ સર્વજનભોગ્ય હોય એમ તેઓ માનતા નથી. ઉત્તમ કળાકૃતિ માણવાને ભાવક અધિકારી હોવો જોઈએ, તેનામાં એ વિશે પૂરી સજ્જતા હોવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું છે. માતૃભાષામાં લખાયેલી પણ ખરેખરી નીવડી આવેલી કળાકૃતિના અનુભાવન અર્થે ય ભાવક પાસે મોટી તૈયારી જોઈએ. ‘બુદ્ધિ જ્ઞાન અને કવિતા પરિચયના પ્રમાણમાં જ – તેની કલ્પનાની કેળવણીના પ્રમાણમાં જ – તે ગ્રહણ કરી શકશે’, એમ તેઓ કહે છે. ગાંધીજી જ્યારે સાહિત્ય લોકગમ્ય બને તેની હિમાયત કરતા હતા, ત્યારે બળવંતરાય જેવા, ભાવકની રસગ્રહણ શક્તિ ખિલવવાને આગ્રહ રાખતા હતા : “કલાકૃતિના અણુ-અણુમાં અનુસ્યૂત કલાનો આત્મા, રસ-સંસ્કાર પામેલી બુદ્ધિ અને સૂક્ષ્મ સબળ બનેલી કલ્પનાને સંવેદ્ય છે, ન અન્યથા... કલા પામર ઇંદ્રિયો વડે ગ્રાહ્ય વસ્તુ જ નથી. કલાસૌન્દર્ય બુદ્ધિ અને કલ્પનાના ગ્રાહ્ય સૂક્ષ્મીકરણે જ બને છે.”૪૮  &lt;br /&gt;
સાહિત્ય અને વિવેચન બંનેય માનવસમુત્ક્રાંતિના ક્રમમાં વિકસતી, વિકાસશીલ, અને વિકાસોન્મુખ વસ્તુઓ છે. જે તે યુગનાં ‘સત્યો’ બંનેના હાર્દમાં નિહિત રહ્યાં હોય છે. અને સર્જકે તેમ વિવેચકે, જ્યાં સુધી જીવન અને જગત વિશે નવાં ‘સત્યો’ ઉદ્‌ભાસિત ન થાય ત્યાં સુધી એ ‘સત્યો’ને વળગી રહેવાનું છે, કે તેને જ અનુસરવાનું છે, એમ તેઓ કહે છે. પણ પ્રાપ્ત થયેલાં ‘સત્યો’ પણ કોઈ જડ વસ્તુ નથી. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’  એ ન્યાયે ‘સત્ય’ ‘સત્ય’ વચ્ચે ટકરામણો ચાલતી રહે છે, અને નવું ‘સત્ય’ પ્રકાશિત થાય છે. એટલે વિવેચન અર્થે જે તે યુગનાં પોતાનાં ‘સત્યો’ને જ લક્ષમાં લેવાનાં રહે, અને જ્યારે નવાં ‘સત્યો’ જડશે અને નવું શાસ્ત્ર ઊભું થશે, ત્યારે વિવેચનમાં એક નવી વ્યવસ્થા ઊભી થઈ હશે, કે રચવી પડશે.&lt;br /&gt;
પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87774</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87774"/>
		<updated>2025-04-27T07:59:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{Block center|&amp;lt;poem&amp;gt;&amp;lt;/poem&amp;gt;}}{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| III. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા  વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે.&lt;br /&gt;
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
અલબત્ત, નવલરામની જીવનકથામાં એ યુગના એ મહાન સમીક્ષકની વિવેચનપ્રવૃત્તિ તેમ જ તેમના અન્ય સાહિત્ય વિશે ગોર્વધનરામે ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કર્યું છે. તેમનો પોતાનો વિવેચનાત્મક અભિગમ એમાં તરફ ધ્યાન ખેંચે છે. નવલરામના સર્જન-વિવેચનને અવલોકવાને તેઓ નવલરામની વિદ્યાપ્રાપ્તિ અને માનસિક સજ્જતાનો, તેમનાં રુચિવલણોનો, તેમજ તેમના જીવન અને સાહિત્યને જોવા સમજવાનો વિશાળ પરિપ્રેક્ષ્ય સ્વીકારે છે. ચરિત્રાત્મક (biographical), નીતિપરક (moral), અને ઐતિહાસિક (historical) એમ વિભિન્ન અભિગમો એમાં એકત્રપણે કામ કરતા જોઈ શકાશે. નવલરામે પોતે ગ્રંથસમીક્ષાઓ/વિવેચનો અર્થે જે પદ્ધતિ નિપજાવી લીધી હતી તેમાંય આવા અભિગમો એકત્ર થયેલા હતા. પણ નવલરામે કે ગોવર્ધનરામે વિવેચન અર્થે પોતે યોજેલી પદ્ધતિ વિશે સંપ્રજ્ઞપણે ખાસ તત્ત્વચિંતન કર્યું દેખાતું નથી. પણ સાહિત્યકળાના સ્વરૂપ વિશે તેમ તેનાં પ્રયોજનો વિશે તેઓ જે રીતે વિચારી રહ્યા હતા, કહો કે સાહિત્યને યથાર્થ રૂપે પામવા તેમના મનમાં જે ખ્યાલો પડ્યા હતા, તે તેમના વિવેચનાત્મક અભિગમ સાથે સારી રીતે મેળમાં છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
નવલરામની ગ્રંથપરીક્ષાપ્રવૃત્તિની ચર્ચાને અનુલક્ષીને ગોવર્ધનરામ પોતે પુસ્તકપરીક્ષક કે વિવેચકનું કાર્ય આ રીતે સ્પષ્ટ કરે છે : “પુસ્તકપરીક્ષકનું ખરેખરું કામ તો એ છે કે એક તો નવીન અપ્રસિદ્ધ ગ્રંથકારમાં યોગ્યતા હોય તો તે દર્શાવી આપી પ્રગટ કરી એ ગ્રંથકારનો હાથ ઝાલી સાક્ષરવર્ગ આગળ એને પ્રસિદ્ધ કરવો. અને બીજું, પ્રતિષ્ઠિત ગ્રંથકારના ગુણનું પૃથક્કરણ કરી વાંચનારાઓ આગળ એ ગુણો પારદર્શક કરી આપવા.”૧૪ ગોવર્ધનરામ નોંધે છે કે નવલરામે આ ધર્મ ઘણા વિવેકપૂર્વક બજાવ્યો છે, અને તેમના વિવેચનકાર્યમાં જે ઠરેલપણું જોવા મળ્યું તેની પણ તેમણે પ્રશંસા કરી છે. પણ અહીં આપણને પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. નવલરામ અને ગોવર્ધનરામ બન્ને વિવેચનપ્રવૃત્તિને સાહિત્યના સર્જક અને ભાવક બંને સાથે સાંકળીને જૂએ છે. વિવેચકને બન્ને તરફ ચોક્કસ ઉત્તરદાયિત્વ છે, નૈતિક કર્તવ્ય છે, એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી ગ્રંથકારોના ગ્રંથોની પરીક્ષા સાથે નવલરામનું નામ વધારે જોડાયેલું છે’ – એમ નોંધી નવલરામે ગ્રંથપરીક્ષક તરીકે કેવી તો કપરી કામગીરી બજાવી છે તે વિશે તેઓ આપણું ધ્યાન ખેંચે છે. ગ્રંથપરીક્ષકનું કાર્ય અને કાર્યક્ષેત્ર વર્ણવતાં તેઓ એક મહત્ત્વની ભૂમિકા રજૂ કરે છે. એ યુગની વ્યાપક સમજ એમાં છતી થાય છે.&lt;br /&gt;
“...પણ આ દેશના તેમ જ પરદેશના સર્વ વિદ્વાનોનો મત એવો છે કે, ગ્રંથપરીક્ષા એટલે ગ્રંથમાં સારું શું છે તે જાણવું અને જણાવવું. ગ્રંથમાં તો શું પણ સર્વત્ર પરીક્ષાનો એ જ હેતુ છે કે ફલાણાએ શું કામ કર્યું તે જોવું; શું કામ કર્યું એટલે શું સારું કામ કર્યું. કોઈએ શું કામ નથી કર્યું તેની પરીક્ષા નથી હોતી. કોઈએ કેટલું નઠારું કામ કર્યું એટલું જ માત્ર જોવા જવું એવી પરીક્ષા કોઈ સુપરીક્ષક માથે લેતો નથી. ફૂલની સુવાસના જોનાર હોય છે. દુર્ગન્ધ શોધનાર અભાગિયા હોતા નથી. ગ્રંથપરીક્ષક એ ગ્રંથરૂપ પુષ્પોનો ભોગી ભ્રમર છે. તે સ્થળેથી પરાગ અને મધુના પરમાણુ શોધી કાઢી તેનો સંચય કરે છે, અને એના રચેલા મધપૂડાઓનું મધ તેને પોતાને તેમ અન્ય લોકને કામે લાગે છે. ગ્રંથના ગુણની પરીક્ષા કરવી, એ ગુણનો જાતે ઉપભોગ કરી આનંદ અનુભવવો, અને એ આનંદ પામવા ગ્રંથના વાંચનારાઓને સમર્થ કરવા, પોતે સરસ અન્ન જમવું અને બીજાને જમાડવા – આ આનંદની ઉજાણી આપવી, એ જ ગ્રંથપરીક્ષકનો અભિલાષ હોય છે. એ અભિલાષ જેને ન હોય તે પરીક્ષક જ નથી.”૧૫&lt;br /&gt;
વિવેચકના અવલોકનીય કૃતિ પરત્વેના અભિગમમાં અહીં જુદો ઝોક વરતાશે. પરીક્ષક કૃતિના ગુણદોષની પરીક્ષા કરે, ભલે કરે, તેનું મુખ્ય પ્રયોજન કૃતિનો આસ્વાદ લેવાનું અને ભાવકોને તેમાં સંમિલિત કરવાનું છે. કૃતિની કેવળ નિંદા—કેવળ દોષદર્શનની વૃત્તિ—તેમને ઇષ્ટ નથી. કૃતિ પરત્વે આમ positive attitude કેળવવાનો તેઓ આગ્રહ રાખે છે. અગર કૃતિમાં વિવેચક દોષ જૂએ તો પણ તેની ગુણસમૃદ્ધિના સ્વીકાર પુરસ્કાર સાથે જુએ. સર્જકના પ્રયત્નને પૂરા સમભાવથી તેણે ઓળખવાનો છે. પરીક્ષકમાં જ્યાં સુધી પ્રસ્તુત કૃતિ (કે કર્તા) પરત્વે ‘અનુકંપા’ જન્મતી નથી—‘અનુકંપા’ દ્વારા તેમને સહૃદયભાવ અભિપ્રેત હોવાનું સમજાય છે—ત્યાં સુધી તેમાંના ‘ગુણ જોવાની દૃષ્ટિ’ ‘ઉઘડતી’ નથી એમ તેઓ કહે છે. વિવેચનપ્રવૃત્તિને લગતો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. સાહિત્યકળાના પ્રશ્નો વિશે વિવેચકમાં ઘણી ઊંડી જાણકારી હોય, વિશાળ જ્ઞાનવિજ્ઞાનનો સંપર્ક હોય, પણ કૃતિને સહૃદયભાવે જોવાની તત્પરતા ન હોય, તો તેની એ સજ્જતા ભાગ્યે જ કાર્યસાધક નીવડે. કૃતિના સૂક્ષ્મતમ રમણીય અંશોનું ગ્રહણ કરવા તેમ તેનું હાર્દ ઓળખવા, તેનું સમગ્ર ચિત્ત પૂરેપૂરું કૃતિને અભિમુખ બની રહેવું જોઈએ. કૃતિ કે કર્તા વિશેનો અજ્ઞાતરૂપનો અણગમો કે અરુચિનો ભાવ કૃતિના હાર્દ સુધી પહોંચવામાં અંતરાય રચી દે, તેની રસકીય ચેતનાને કૃતિના સર્જનાત્મક અંશોમાં વિસ્તરતાં પહેલાં જ કુંઠિત કરી દે, એવો પૂરો સંભવ રહે છે.&lt;br /&gt;
કૃતિના વિવેચન-મૂલ્યાંકનનો એક કૂટ પ્રશ્ન અહીં રોપાયેલો છે. વિવેચકે કૃતિના ‘ગુણો’ બતાવવાના છે એમ આપણે કહીએ છીએ, ત્યારે ય ‘ગુણતત્ત્વ’ કંઈ કૃતિમાં સહેલાઈથી locate કરી આપી શકાય તેવી વસ્તુ નથી, એ આપણે સ્મરણમાં રાખવાનું છે. અંતે, ‘સાહિત્યિક ગુણ’—એ મૂલ્યબોધની વસ્તુ છે. કૃતિના આસ્વાદની પ્રક્રિયામાં ભાવયિત્રી પ્રતિભા એની સાથે જે રીતે encountering કરે છે, તેમાં આ જાતનો મૂલ્યબોધ સંભવે છે. અભિનવગુપ્તે સહૃદયની આંતરક્ષમતાનું વર્ણન કરતાં આમ કહ્યું છે : “સહૃદય તો તે જેનું મનોમુકુર કાવ્યાનુશીલનના અભ્યાસથી વિશદીભૂત થયું છે, ‘વર્ણનીય’ સાથે તન્મય બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે, અને હૃદયસંવાદની ક્ષમતાવાળું છે.”૧૬ અભિનવે મનોમુકુરને વિશદીભૂત હોવાનું અનિવાર્ય લેખ્યું છે, પણ મર્મજ્ઞ અભ્યાસીઓએ નોંધ્યું જ હશે કે ભાવકચિત્તની ‘વિશદતા’ એ કોઈ શૂન્ય ભાવાવસ્થા નથી : કાવ્યાનુશીલનથી, તેના દીર્ઘ અભ્યાસથી, તે ‘વિશદ’ બન્યું છે એમ તેમનું કહેવું છે. અર્થાત્‌ કૃતિનાં રમણીય—અરમણીય તત્ત્વોને ઓળખવા બાબતે ચિત્તમાં કોઈ સંદિગ્ધતા નથી, કોઈ ગૂંચ નથી. એટલે, રમણીયતાના બોધ પરત્વે ચિત્તમાં કશીક સ્થિર દ્યુતિમય દૃષ્ટિની તેમને અહીં અપેક્ષા છે. પણ, એ સાથે જ, ‘હૃદયસંવાદ’ની ક્ષમતા જોઈએ એમ તેઓ કહે છે. ગોવર્ધનરામે આગવી રીતે આ જ વિચાર સ્પષ્ટ કર્યો છે.&lt;br /&gt;
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.&lt;br /&gt;
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.&lt;br /&gt;
લેખના આરંભમાં જ તેઓ ટીકાપ્રવૃત્તિનું માહાત્મ્ય રજૂ કરવા પ્રેરાયા છે. આ સંદર્ભે એક જૂનો સંદર્ભ તેમણે ટાંક્યો છે. શ્રી ભોજરાજે પોતાની ‘રાજમાર્તંડ’ નામની યોત્રસૂત્રવિષયક ટીકાના મંગલાન્તે એક માર્મિક ટકોર કરી છે : “જે દુર્બોધ હોય તેને ‘એ તો સ્પષ્ટ છે’ એમ કહીને (ટીકાકારો) તજી દે છે, ને જે સ્પષ્ટાર્થ હોઈ તેના ઉપર પંડિતાઈ બતાવવા નકામા નકામા સમાસાદિનો વિગ્રહ સમજાવવાનું ડોળ કરી બહુ ટાયલું વિસ્તારે છે. જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવળ નિરૂપયોગી બહુ બહુ વાતો દાખલ કરી ઊલટો વાંચનારને મિથ્યા ભ્રમ પેદા કરે છે. એમ પ્રાયશઃ ટીકા કરનારા શુદ્ધ સવસ્તુ (?) હોય તેને કેવળ ચુંથી નાખે છે.”૧૭ દેખીતું છે કે શ્રી ભોજરાજ અહીં પોતાના જમાનાના અમુક બની બેઠેલા ટીકાકારોને ઉઘાડા પાડવા માગે છે. મણિલાલ આ સંદર્ભ રજૂ કરી તરત જ નોંધે છે કે શ્રી ભોજરાજે આ જે નિંદા કરી છે તે શ્રી શંકરાચાર્ય કે શ્રી મલ્લીનાથ જેવા મહાન પ્રતિભાશાળી પુરુષોને લક્ષમાં રાખીને નહિ જ કરી હોય. આ અંગે વધુ નિરાકરણ કરતાં તેઓ નોંધે છે : “યદ્યપિ ટીકાકારો મૂલવસ્તુનો વિકલવ કરનારા છે એ નિઃસંશય છે. તથાપિ ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર, આદિ અનેક દર્શનોના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે?”૧૮ અને એના સમર્થનમાં ઉમેરે છે : “કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે તેમ તેના પાશ્ચાત્ય સમધર્મા શેક્સપીઅરને જરવાઈનસે અમર કર્યો છે.”૧૯ અહીં વક્તવ્યની રજૂઆતમાં મણિલાલનો લાક્ષણિક તર્કવાદ ધ્યાનપાત્ર છે. વિવેચનની ઊણપો મર્યાદાઓ અને નિષ્ફળતાઓ તેમને ધ્યાન બહાર નથી, પણ એ બધુંય સ્વીકાર્યા પછી વિવેચનની અનિવાર્યતા તો ઊભી રહે જ છે, એમ તેમને અભિપ્રેત છે. તેઓ સ્પષ્ટપણે નોંધે છે કે કૃતિના ‘ગુણો’ની ગણના તેના ઉદ્‌ભવની સાથે જ થાય એવું ક્વચિત જ બને છે. પણ કૃતિમાં આંતરસત્ત્વ હોય તો એની ગણના વહેલીમોડી થયા વિના રહેતી નથી.&lt;br /&gt;
પોતાના જમાનામાં વિવેચન કે સમીક્ષા અર્થે પ્રચલિત બનેલા ‘ટીકા’ શબ્દની વ્યાખ્યા કરતાં મણિલાલ કહે છે : “ટીકા શબ્દનો મુલ અર્થ તો સ્પષ્ટીકરણ, વિશેષ વિચાર, વિવેચન અવલોકન એટલો જ છે.”ર૦ આ રીતે ‘ટીકા’ શબ્દ સાથે એ સમયમાં માત્ર નિંદાનો જે ખ્યાલ વ્યવહારજગતમાં પ્રચલિત હતો તેને તેઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કૃતિ/કર્તા વિશે કેવળ નિંદામાં રાચતો વિવેચક કોઈ રીતે ધ્યાનાર્હ નથી; તેમના મંતવ્યોને લેખામાં જ ન લેવાં, એવી પણ તેઓ હિમાયત કરે છે. બીજી બાજુ, લેખકોને અનુલક્ષીને તેઓ તેમને મતસહિષ્ણુતા કેળવવાને કહે છે. કોઈ કૃતિ વિશે સમીક્ષક ટીકાટિપ્પણી કરે કે ભિન્ન મત દર્શાવે તેથી કોઈએ આ બાબતે અસહિષ્ણુ બનવાનું નથી. લોકોમાં એવી એક સમજ પ્રચલિત છે કે ‘સો શાણાનો મત એક જ.’ પણ મણિલાલ કહે છે કે આ વાત બરોબર નથી. –“અમારું માનવું તો એમ જ છે કે મતભેદ એ કોઈ પણ દેશની વિદ્યાસમૃદ્ધિનું ચિન્હ છે, ને જેમ વસ્તુગત્યા અનિવાર્ય છે તેમ લાભકારી છે. સત્ય છે તે એવું નથી કે મતાંતર સહન ન કરી શકે. જે અસત્ય છે તે જ મતાંતર સહન કરવા અસમર્થ છે. ગમે તે બાજુએથી જુઓ પણ સત્ય પ્રતિભા સર્વથા એકરૂપે જ સમજાશે... મતાંતર સહન કરવું એ અતિ ઉદાર બુદ્ધિ અને વિશાળ વિદ્યા-પ્રસારનું ફલ અથવા લક્ષણ છે. ત્યારે લોક એમ સમજે છે કે ટીકા થઈ એટલે જ દોષ સિદ્ધ થયો તે ભ્રમ છે. એટલું જ નહિ પણ જેના ઉપર ટીકા નથી થતી તે દોષવાળું’ છે એમ હોવાનો સંભવ છે...”૨૧ અને આ સંદર્ભે તેઓ એક અતિ સમર્થ વિધાન કરે છે : “જે ગ્રંથ જે લેખ જે ઉક્તિ વિદ્વદ્‌ચર્ચાને યોગ્ય થઈ તે યદ્યપિ મતમતાંતરગ્રસ્ત હોય તથાપિ સાર્થ છે. ધન્ય છે. ઉત્તમ છે. વિશુદ્ધ છે.”૨૨ સમકાલીન માનસને ઉદ્દેશીને થયેલી આ ચર્ચા, આમ તો, પ્રાસંગિક જેવી છે, પણ એમાં મણિલાલની એક વિશેષ આસ્થા પ્રગટ થાય છે. વિશિષ્ટ દૃષ્ટિબિંદુ કે વિશિષ્ટ વ્યક્તિત્વનો અંશ લઈને આવતી કૃતિ અન્ય પ્રતિભાને પડકારે, પ્રચલિત ખ્યાલને આઘાત આપે, તો તે સહેજે વિવાદાસ્પદ નીવડવાની જ. પણ એવી કૃતિ પ્રાણવાન અંશ લઈને આવી હોવાથી અનેક દિશાની ટીકાઓ આલોચનાઓ છતાં તે અખંડ અને અક્ષત રહેવાની છે. જે સત્ત્વહીન છે, નિષ્પ્રાણ છે. નિર્જીવ છે, તે કૃતિ કોઈ મતમતાંતરને પડકારી શકે નહિ. જેમાં સામર્થ્ય છે, સત્ત્વ છે, પ્રાણશક્તિ છે, તે જ સામાને પડકારે છે. આમ, મણિલાલ વિવેચનપ્રવૃત્તિની સંગીન પ્રતિષ્ઠા કરી શક્યા છે.&lt;br /&gt;
આપણા દેશમાં પ્રાચીન સમયે ચાલેલી ટીકાપ્રવૃત્તિ અને અર્વાચીન સમયમાં પશ્ચિમમાં પ્રચલિત થયેલી ગ્રંથાવલોકન (review) પ્રવૃત્તિ વચ્ચે મણિલાલે જે સૂક્ષ્મ ભેદ કર્યો છે તે દ્યોતક છે : “પ્રાચીન ટીકામાં, જે હોય તેનો જ આશય સ્પષ્ટ કરાય છે. અવલોકનમાં તે ઉપરાંત તે વિષયનું સાંગ સ્ફોટન નિરૂપાય છે. જે વિષય હોય તે જ વિષયને પુનઃ અવલોકી તેનું રૂપ જેવું નિરૂપ કે આલેખ્યું હોય તેવું અન્ય રીતે પણ મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવું એ અવલોકનનો વિષય છે.”૨૩ મણિલાલને અહીં સૂચવવું છે કે પ્રાચીન ‘ટીકા’ પદ્ધતિમાં કૃતિના અંગ ઉપાંગનું અલગ વિવરણ થાય છે, અને કર્તાનો ‘આશય’ સમજવાનો ઉપક્રમ તેમાં હોય છે. જ્યારે અર્વાચીન ‘અવલોકન’માં એ વસ્તુ ઉપરાંત કૃતિના ‘વિષય’નું ‘સાંગ સ્ફોટન’ નિરૂપાય છે. તાત્પર્ય કે, કૃતિમાં રજૂ થયેલા સમગ્ર વિષયને અનુલક્ષીને સમીક્ષા થાય છે. જો કે (review) લેખે ‘અવલોકન’નું પ્રયોજન કૃતિના વિસ્તૃત સર્વાંગી અધ્યયન-પરિશીલન કરતાં સીમિત છે એ હકીકત તરફ પણ તેઓ આપણું લક્ષ્ય દોરે છે : “અવલોકનનો હેતુ તો માત્ર એટલો જ છે કે પ્રકૃત વિષય જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરતાં તેના ઈતરથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મૂકવો. એમ કરતાં હેયોપાદેય અંશ બતાવવા પડે તેમાં કંઈ હાનિ નથી, પણ તે બતાવવા એ જ અવલોકનનો હેતુ નથી. બીજી રીતે બોલીએ તો પ્રકૃત લેખકને ઉપદેશ આપવો એ અવલોકનનો હેતુ કે વિષય નથી, તન્નિરુપિત વિષયને સ્પષ્ટ કરી વાચકોને શુદ્ધ બોધ કરવો એ તેનો હેતુ ને વિષય છે.”૨૪ મણિલાલની આ ચર્ચા કંઈક અસ્પષ્ટ છે. પણ તેમને અહીં કદાચ એમ પ્રતિપાદિત કરવું છે કે review (અવલોકન) કરનાર કૃતિના વર્ણ્યવિષયનું exposition કરે તો ય તે પૂરતું હશે, કૃતિની કળાત્મક સિદ્ધિ અસિદ્ધિના પ્રશ્નમાં તે ઊંડો ન ઊતરે તો ય ચાલશે.&lt;br /&gt;
અવલોકનકારે પૂરા સમભાવથી, કર્તાના મૂળ આશયને લક્ષમાં રાખીને, અવલોકનમાં પ્રવૃત્ત થવાનું છે એમ મણિલાલ કહે છે : “વિષયને રૂપાંતરે નિરૂપનારને પણ સહન કરવો એ અવલોકનકારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પોતે તે વિષયને કેવો નિરૂપિત એ બતાવવાનું કામ તેનું નથી, પણ જેવો નિરૂપિત કર્યો છે તેવા શા પ્રકારે કર્યો છે તથા તેમાં શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે”૨૫ કૃતિના અવલોકન અર્થે પ્રવૃત્ત થતાં તે જે રીતે ઘાટ પામી છે એની પાછળ કર્તાનો પોતીકો એવો જે ખ્યાલ કામ કરી રહ્યા છે તેની અવલોકનકારે પ્રથમ નોંધ લેવાની છે. આ ચર્ચા જો કે સર્જન વિવેચન અને ચિંતનની સર્વ પ્રકારની કૃતિઓને લક્ષતી હોવાથી સર્જનાત્મક કૃતિઓના વિવેચનના અમુક પ્રશ્નો ઢંકાઈ જવા પામ્યા છે. સર્જનાત્મક કૃતિમાં સર્જકનો મૂળ ‘આશય’ (Intention) શો હતો એ વિશે નિર્ણય કરવાનું સહેલું નથી. કૃતિની રચના પૂર્વે સર્જકે, ક્યાંય પણ નોંધ વ્યાખ્યાન કે જાહેર ઉદ્‌ગાર રૂપે, પોતાની અમુક અમુક કૃતિની રચનામાં પોતાનો અમુક ‘આશય’ હતો, અથવા પોતે એ કૃતિમાં અમુક વસ્તુ રજૂ કરવા ચાહતો હતો એમ કહ્યું હોય તો એવો ‘આશય’ એ એક વસ્તુ છે, અને સર્જનકર્મને અંતે સિદ્ધ થયેલી કળાકૃતિ એ બીજી વસ્તુ છે. સર્જનની પ્રક્રિયામાં મૂળની અનુભવસામગ્રી અજ્ઞાતપણે કે અણધારી રીતે નવા જ અર્થો અને નવાં જ મૂલ્યો છતાં કરી આપે એમ બનતું હોય છે. સર્જનની સમસ્ત પ્રક્રિયામાં સર્જકચિત્તની આંતરિક ખોજ ચાલતી રહે છે. એટલે કૃતિના આરંભે ઉપલબ્ધ થયેલી વસ્તુસામગ્રી અંતમાં પૂર્ણરૂપ ધરે છે ત્યાં સુધીમાં તેનું ઓછુંવત્તું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એટલે કૃતિની રચના પૂર્વેનો સર્જકનો પ્રગટ આશય અપ્રસ્તુત બની રહે છે. પણ, તો પછી, કૃતિના વિશિષ્ટ આકાર પાછળ કોઈ ‘આશય’, કોઈ ‘નિયામક તત્ત્વ’ જ નહિ હોય? પ્રશ્ન અતિ કૂટ છે. આ ‘આશય’ કે ‘નિયામક તત્ત્વ’ તે રચના પૂર્વે સર્જકે જાહેર કરેલી વસ્તુ નથી : સર્જનાત્મક કૃતિના હાર્દમાં અનુસ્યૂત રહેલી એ વસ્તુ છે. સર્જનની ક્ષણોમાં રચાતા આવતા અંશોમાં એ એક કેન્દ્રીય ગતિ-શીલ તત્ત્વ રૂપે સક્રિય બને છે, જો કે એને કોઈ કારિકા કે તર્કવિધાન રૂપે ઘટાવી ન શકાય. એક રીતે સમસ્ત કૃતિને, તેની રૂપરચનાને, આવું કોઈ ગતિશીલ તત્ત્વ નિયંત્રિત કરે છે. એટલે કે કૃતિ સ્વયં એનો આવિષ્કાર કરે છે. અહીં ‘આશય’ એ સમસ્ત કૃતિમાં વ્યાપી રહેલું—પ્રવર્તક બનેલું તત્ત્વ છે.&lt;br /&gt;
નવ્ય વિવેચકોમાં વિલિયમ વિમ્સોત્‌ અને મોન્રો બિયડર્‌ઝલીએ The Intentional Fallacy નામે એક સમર્થ લેખ કર્યો છે, તેમાં સાહિત્યકૃતિની સ્વતંત્ર સ્વાયત્ત સત્તા સ્થાપવાને કર્તાના ‘આશય’થી તેને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યના ‘અર્થ’ને કર્તાના ‘આશય’ને અનુલક્ષીને નહિ, તેના સંસિદ્ધ આકારને લક્ષીને ઘટાવવાનો છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે. જો કે તેમનો એ સિદ્ધાંત વિવાદમુક્ત નથી. કૃતિવિવેચનમાં અમુક અર્થઘટન વધુ વ્યાજબી છે, વધુ પ્રમાણભૂત છે, એ જાતની ચર્ચા જાણ્યે અજાણ્યે ય કર્તાની વિવક્ષાને ધોરણ તરીકે સ્વીકારી લેતી હોય એમ જોવા મળેશે.&lt;br /&gt;
બીજી બાજુ, કર્તાને ‘વિવક્ષિત અર્થ’ કે ‘આશય’ તે જ કળાકૃતિનો એક માત્ર ‘અર્થ’ એમ લેતાં, સમૃદ્ધ કૃતિનાં વિભિન્ન અર્થઘટનોને માટે અવકાશ રહેશે નહિ. ‘હેમ્લેટ’ જેવી અનન્ય ટ્રેજડીનું માનસશાસ્ત્રીય, માર્ક્‌સવાદી, મિથિકલ એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ આપણા સમયમાં અર્થઘટન થતું રહ્યું છે. હવે જો એના સર્જક શેઈક્‌સ્પિયરને વિવક્ષિત ‘અર્થ’ને જ પ્રમાણભૂત ગણીએ-જો કે, એ કૃતિમાં શેઈક્‌સ્પિયરને ખરેખર શું વિવક્ષિત હતું તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી–તો પાછળના સમયના બીજા અનેક સર્જકો વિવેચકોનાં અર્થઘટનો ખોટાં ન ઠરે? એટલે, લેખકના મૂળ ‘આશય’ને મણિલાલ લક્ષમાં લઈને ચાલવાનું કહે છે, પણ author’s intention કે intended meaningના પ્રશ્નો તાત્ત્વિક ભૂમિકાએથી ઉકેલવાના રહે છે. આજની પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા આ વિશે ઘણી ઊંડી તપાસ કરી ચૂકી છે.&lt;br /&gt;
મણિલાલ પ્રાચીન પરંપરાના અભ્યાસી છે, અને તે માટે પક્ષપાતી પણ છે. ટીકાકારો/વિવેચકો માટે પ્રાચીન શાસ્ત્રોમાંથી તેઓ માર્ગદર્શક સિદ્ધાંતો શોધી લાવ્યા છે. નોંધે છે કે આપણાં શાસ્ત્રોમાં ‘અનુબંધ ચતુષ્ટ્ય’નો વિવેક રાખેલો છે. દરેક અવલોકનકારે એ ચાર ‘અનુબંધ’ જાળવીને અવલોકન કરવું, એથી ‘દોષ’ થવાનો સંભવ ઓછો રહે છે : (૧) વિષય—એટલે લેખનો વિષય (૨) સંબંધ–લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયનો સંબંધ (૩) પ્રયોજન એ લેખની પ્રવૃત્તિનું કારણ (૪) અધિકાર–કોને માટે એ લેખ લખાયો છે તે.&lt;br /&gt;
મણિલાલ આ સંદર્ભે સ્પષ્ટતા કરે છે કે આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલોકન કર્યું હોય તો ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જતાં પ્રકૃત વિષયના રૂપને જ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય’ અને અવલોકનકાર એ રીતે ‘પોતાના કૃત્યમાં વિજયી નીવડે.’ અવલોકન અર્થે પ્રાચીન શાસ્ત્રને અભિમત એવી આ જે ભૂમિકા મણિલાલે રજૂ કરી તેમાં પ્રકૃત કૃતિને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવા અવલોકવાનો ઉપક્રમ પડેલો છે. પણ, અહીં પણ, સર્જનની તેમ ચિંતનની કૃતિઓનો સાથોસાથ વિચાર કરવામાં મુશ્કેલી રહી છે. ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જાય’ તે રીતે અવલોકન કરવાનો આદર્શ તેમણે અહીં પુરસ્કાર્યો છે, પણ સર્જનાત્મક કૃતિઓના સંદર્ભે એ આદર્શ શક્ય છે? અથવા તો શક્ય છે, તો વ્યાજબી છે? એ ખરું કે વિવેચનને ‘શાસ્ત્ર’ની કોટિએ સ્થાપવાના અનેક આધુનિક ચિંતકો વિવેચકો દ્વારા સમર્થ પ્રયત્નો થયા છે, વિવેચનની પદ્ધતિને ‘વૈજ્ઞાનિક’ બનાવવાના પ્રયત્નો ય હાથ ધરાયા છે, પણ હજી સુધી એ ‘વિજ્ઞાન’ બની શક્યું નથી, અને નજીકના ભવિષ્યમાં બનશે એવાં કોઈ એંધાણ વરતાતાં નથી. કૃતિના અવલોકન/વિવેચનમાં અનિવાર્યતયા વિવેચકનું કશુંક personal કશુંક subjective ઊતરી આવ્યું હોય છે. કૃતિના મૂલ્યબોધમાં તેનાં આગવાં રુચિવલણો અને આગવાં કળાદૃષ્ટિ જ્ઞાત કે અજ્ઞાતપણે નિર્ણાયક બની હોય છે. વાસ્તવમાં, કૃતિના રસગ્રહણની ક્ષણોમાં જ કશુંક વૈયક્તિક રૂપે પમાતું હોય છે.&lt;br /&gt;
વિવેચનમીમાંસામાં, ખરેખર તો, મણિલાલે સ્પર્શેલો આ મુદ્દો એક બીજો પાયાનો પ્રશ્ન બને છે. કર્તાને ‘ન્યાય’ કરવો છે. એ માટે આર્નોલ્ડને અભિમત ‘seeing things as they are’-નો આદર્શ આપણે નજર સમક્ષ રાખવા માગીએ છીએ. પણ સાહિત્ય કૃતિ એના વિશિષ્ટ ontological statusને કારણે તો પડકારરૂપ બને છે. સુવિદિત છે કે શબ્દના માધ્યમમાં વિશિષ્ટ રીતે કંડારાયેલી કૃતિ સ્વયં એક સંકુલ ભાવસૃષ્ટિ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અર્થો-અર્થચ્છાયાઓ અને મૂલ્યોના સંદર્ભો એમાં સજીવપણે ગૂંથાયેલા છે. રચનાગત તેમ સાંસ્કૃતિક મૂલ્યો એમાં સાથોસાથ રજૂ થતાં હોય છે. પણ કૃતિનું રહસ્ય કોઈ તાર્કિક વિધાન રૂપે તારવી શકાય નહિ. ભાવકની અખિલ વ્યક્તિતા કૃતિની સાથે encounter કરે છે, ત્યારે એ સંનિકર્ષમાં કૃતિમાંનાં મૂલ્યો ઉદ્‌ભાસિત થવા લાગે છે. ભાવકની જેવી જેવી સજ્જતા, જેવા જેવા તેના interests, તે પ્રમાણે અર્થો અને મૂલ્યોની ભાત તેમાં ઊપસી આવે એવો સંભવ છે. વિદ્વાનો અને વિવેચકોનો એક મોટો વર્ગ આજે કળાકૃતિમાં કોઈ એક જ નિશ્ચિત અને નિરપેક્ષ અર્થ સ્વીકારી લઈને ચાલવા તત્પર નથી. કૃતિના સંકુલ અનુભવને તમે કઈ વિભાવના કે વિભાવનાઓના માળખામાં રહીને જૂઓ છે, તે પ્રમાણે તેનું રહસ્ય છતું થશે એમ તેઓ કહેવા માગે છે. તાત્પર્ય કે, કૃતિ ‘જેવી છે તેવી’ને ઓળખવી એ ખ્યાલ આજે તો વિવાદાસ્પદ બની રહ્યો છે.&lt;br /&gt;
મણિલાલ એમ પણ નોંધે છે કે વિવેચ્ય કૃતિ વિશે વિવેચક સીધેસીધો જ મત જાહેર કરે પણ તેના સમર્થનમાં કોઈ જાતનું સ્પષ્ટીકરણ ન આપે, કોઈ આધાર ન આપે, દાખલા દૃષ્ટાંત કે પુરાવો ન આપે, તો તેનો મત ભાગ્યે જ સ્વીકાર્ય બનશે. બીજી બાજુ, કૃતિ વિશેનો અભિપ્રાય પૂરતાં કારણો અને પૂરતી સાબિતી સાથે રજૂ થયો હશે તો વાચકને માટે ભિન્ન લાગતો અભિપ્રાય પણ પ્રતીતિકર બનશે, તેને સંભવતઃ સ્વીકાર્ય બનશે. વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત, આમ, તાર્કિક પ્રતિપાદન (logical discourse)ને મહત્ત્વનું સ્થાન છે, એમ મણિલાલ સૂચવી દે છે. વિવેચન માત્ર અભિપ્રાય વ્યક્ત કરીને થંભી જાય તે પૂરતું નથી. એ અભિપ્રાય પાછળ કૃતિમાંના આધારો હોવા જોઈએ, બલકે એવા અભિપ્રાય/નિર્ણય પર પહોંચવાની તાર્કિક ભૂમિકા યે સ્પષ્ટ થવી જોઈએ. વિવેચનના સ્વરૂપમાં આમ તાર્કિક ચિંતનની પ્રક્રિયા દ્વારા તેનો વિશેષ પુદ્‌ગલ બંધાવા પામે છે.&lt;br /&gt;
‘વિવેચન’ નામની પ્રવૃત્તિના સ્વરૂપવિચારમાં, આમ જુઓ તો, મૂળથી જ મુશ્કેલી રહી છે. વિવેચક કૃતિના ‘રહસ્ય’ને પ્રકાશમાં લાવવા ચાહે છે, અને એ ‘રહસ્ય’ની ઓળખ તેને ‘સ્વ-સંવેદન’થી—‘આત્મપ્રતિતી’થી—થાય છે. કોઈ તાર્કિક ચિંતન દ્વારા કે કાર્યકારણના પ્રતિપાદન દ્વારા એ ‘રહસ્ય’ સુધી પહોંચી શકાતું નથી. સહૃદયને એની સહજ જ્ઞાન રૂપે ઉપલબ્ધિ થાય છે, જીવંત અનુભૂતિરૂપે એની પ્રતીતિ થાય છે. એટલે એવા જીવંત સંવેદ્ય તત્ત્વને અનુલક્ષીને કૃતિ વિશે વાત કરવા જાય છે ત્યારે તેની સામે અનિવાર્યતયા એક dilemma ઊભો થાય છે. મૂળનું રહસ્ય જે આકારમાં, જે ભાષામાં, વ્યક્ત થયું છે, તેને બીજી રીતે મૂકતાં તે ઓછેવત્તે અંશે નંદવાઈ જાય છે. અને છતાં તેને જે કંઈ મૂલ્યવાન લાધ્યું છે, તેની બને તેટલી બુદ્ધિગ્રાહ્ય રજૂઆત પણ કરવાની છે. તે પોતાના વિવેચન—exposition, description interpretation કે evaluation—કોઈ પણ સ્તરના આલેખનમાં તાર્કિક પ્રતિપાદન કરવા જાય છે, અને ત્યાં મૂળના રહસ્યમય અંશ સાથેનું અનુસંધાન તૂટી જતું હોય એમ લાગશે. આથી સર્જકોનો એક વર્ગ વિવેચનપ્રવૃત્તિને વંધ્ય ગણાવતો થયો છે. અને જેઓ આ પ્રવૃત્તિમાં રોકાયા છે તેમાં પણ બે ભિન્ન વિરોધી વલણો કામ કરતાં રહ્યાં છે. એક વિવેચકવર્ગ કૃતિના સજીવ સંવેદ્ય તત્ત્વોનું અખિલાઈમાં ગ્રહણ કરવા creative criticism કે appreciation પર બધો ભાર મૂકે છે, જ્યારે બીજો વર્ગ કૃતિ વિશેના જીવંત પ્રતિભાવોની ચર્ચા વધુ વ્યવસ્થિત, વધુ બુદ્ધિગ્રાહ્ય અને વ્યાપક સ્વીકૃતિ પામે તેવી શિસ્તબદ્ધ બનાવવાનો આગ્રહી છે. વિવેચન કળા છે કે શાસ્ત્ર, કળાસખી છે કે શાસ્ત્રસખી, એ પ્રશ્ન એ રીતે એના સ્વરૂપના હાર્દમાં પડેલો એક કેન્દ્રીય તાત્ત્વિક પ્રશ્ન છે.&lt;br /&gt;
કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્રના સંબંધને સ્પર્શે એવી એક પાયાની બાબત પણ મણિલાલે છેડી છે : “શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોકનકારને સિદ્ધપ્રદ છે કે નહિ?”૨૬–આવો પ્રશ્ન મૂકી તેઓ તરત સ્પષ્ટતા કરે છે કે આ શંકાના સમાધાન પરત્વે ‘એકમત્ય’ સંભવી શકે નહિ. ઉમેરે છે કે–“મહાન સાહિત્યકારોની કૃતિઓ સ્વયં શાસ્ત્રની પણ કારણરૂપ છે.”૨૭ મણિલાલને અહીં એમ અભિપ્રેત છે કે સાહિત્યજગતમાં સતત નવી નવી કૃતિઓ રચાતી આવે છે, અને એ રચનાઓ કંઈ આગલા યુગના કળાના સિદ્ધાંતો/નિયમોને ચુસ્તપણે અનુસરતી હોતી નથી. એટલે, આવી કૃતિઓના વિવેચનમાં કળાશાસ્ત્રના નિયમોને જડપણે લાગુ પાડવાના નથી. બલકે, પેઢીએ પેઢીએ રચાઈ આવતી મહાન કૃતિઓને અનુલક્ષીને સાહિત્યકળાનું સ્વરૂપ અને તેના વિવેચનનાં ધોરણો નવેસરથી નિપજાવી લેવાનાં રહે. આમ છતાં સાહિત્યના અમુક વ્યાપક સિદ્ધાંતોનો ત્યાગ કરવાનું પણ ઇષ્ટ નથી એમ તેઓ કહે છે : “સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે અસિદ્ધ ગણાય તો પણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાળ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બાધ નથી.”૨૮ આપણે આ અગાઉ નોંધી ગયા છે તેમ, વિવેચનક્ષેત્રમાં મતમતાંતરો દૂર કરવાને નવલરામે પણ સાહિત્યકળાના ‘અચળ નિયમો’ની સ્થાપના કરવાને સર્વસંમત એવી ‘સભા’ ઊભી કરવાને સૂચવ્યું હતું. મણિલાલ પણ અહીં ‘અનાદિ ઇતિહાસથી સિદ્ધ’ એવા ‘નિયમો’ની વિવેચન અર્થે હિમાયત કરે છે. પણ આ ‘નિયમો’ કયા તેનો તેમણે નિર્દેશ કર્યો નથી. નોંધવું જોઈએ કે વિદ્વાનોનો એક વર્ગ, આજે વિવેચનક્ષેત્રમાં આવા કોઈ ‘શાશ્વત’ અને ‘અચળ’ નિયમો સંભવી શકે કે કેમ તે વિશે જ સંશય વ્યક્ત કરી રહ્યો છે.&lt;br /&gt;
સાહિત્યચર્ચામાં મણિલાલનો અમુક ઝોક પ્રાચીન કાવ્યશાસ્ત્ર તરફનો છે. એમાં અમુક રૂઢિગ્રસ્ત રુચિ હોવાનુંય કદાચ લાગે, પણ સર્જનના અવનવા ઉન્મેષોને ઉદારતાથી આવકારવાનું તેમનું વલણ રહ્યું દેખાય છે. તેઓ કહે છે : “સર્વત્ર નૂતનતાનો ઉદ્‌ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે.” અને તરત જ ઉમેરે પણ છે : ‘પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે.”૨૯ મણિલાલ અહીં એકીસાથે પરંપરાનું અનુસંધાન અને સર્જકતાની નવીન ગતિ, બંનેનો પુરસ્કાર કરતા જણાશે. પ્રતિભાશાળી સર્જક પોતાના કે પૂર્વસમયના કળાસિદ્ધાંતોને વશ થઈ બંધાઈ જતો નથી, તેની પ્રાણવાન સર્જકતા એવા રૂઢ સિદ્ધાંતોને અતિક્રમી જતી હોય છે. પણ તેની સર્જકતાની ગતિ કંઈ તંત્રહીન કે નિયમહીન વ્યાપાર પણ નથી. એમાં જે વિશ્વ નિર્માણ થવા પામ્યું છે તેને તેનો આગવો રચનાગત નિયમ સંભવે છે, તેમાં આગવી રીતે વ્યવસ્થા જન્મી હોય છે. પણ આવું, નવીન વ્યવસ્થાવાળું, વિશ્વ રચવાની તેની દૃષ્ટિ શાસ્ત્રના અભ્યાસથી ખુલી હોય છે. તાત્પર્ય કે, સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી તેની કળાવિષયક સમજ વિશદ બની હોય તો જ નવી રચનામાં વ્યવસ્થા અને આકાર તે સિદ્ધ કરી શકશે.&lt;br /&gt;
અવલોકનકારના કાર્ય વિશે મણિલાલ ફરી નવેસરથી વ્યાખ્યા વિચારણા એ કરે છે, ત્યાં તેમની ચર્ચામાં એક વિશેષ દૃષ્ટિબિંદુ ઉમેરાયું છે. તેઓ કહે છે એ કે અવલોકનકારે માત્ર ‘નાના નાના લેખનું’ અવલોકન જ કરવાનું નથી, ‘આખા વિશ્વનું, જનસ્વભાવનું ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે, કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્‌ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે’. દેખીતી રીતે જ, વિવેચકનું કાર્યક્ષેત્ર અહીં કૃતિની બહાર વિસ્તરી જતું રહ્યું છે. સાહિત્ય વિશ્વજીવનનું–બહારી દુનિયાનું પ્રતિવિધાન કરે છે, અથવા તેનું પ્રતિબિંબ ઝીલે છે, અથવા તેનું અનુકરણ કરે છે એવો એક ખ્યાલ અહીં ગૃહીત રહ્યો છે. વિવેચકને આ સર્વ બહારી સૃષ્ટિનું – લોકજીવનનું જ્ઞાન હોવું જોઈએ; અને છતાં, સાહિત્યની સર્જનાત્મક સૃષ્ટિમાં તેણે તેનું જડતાથી અવલોકન કરવાનું નથી. સંભવાસંભવનો તેણે ખ્યાલ કરીને ચાલવાનું છે. જો કે સાહિત્યની કૃતિમાં જે તંત્ર ઊભું થાય છે, સંભવરૂપ નવી ઘટનાઓનું સંયોજન થાય છે, તેની પાછળ કોઈ એક સરખો નિયમ કામ કરતો નથી. આત્યંતિક વાસ્તવવાદી નવલકથા કે ટૂંકી વાર્તામાં સંભવાસંભવનો જે નિયમ/નિયમો કામ કરે છે, તેથી ભિન્ન એવા પ્રતીકાત્મક નિર્માણમાં, કપોલકલ્પિતના કે એબ્સર્ડના વિશ્વમાં જુદા જ નિયમો પ્રવર્તે છે. આવા સર્જનાત્મક વિશ્વમાં ઘટનાના સંભવાસંભવનો નિયમ કંઈ સ્થૂળ બાહ્ય જગતના નિરીક્ષણમાંથી મળતો હોતો નથી. જે તે વિશિષ્ટ કૃતિના કેન્દ્રમાં વ્યાપારશીલ બનેલી સર્જકકલ્પનામાં એ નિહિત રહ્યો હોય છે. ખરેખર તો વાસ્તવવાદી કથાઓમાં ય ઘટનાઓ કાર્યો કે પરિસ્થિતિઓ જે રીતે નિર્માણ થતી આવે છે તેમાં પણ સંભવાસંભવનો નિયમ કંઈ હંમેશાં સામાજિક જીવનના અવલોકનમાંથી આવતો હોતો નથી. એવા દૃષ્ટાંતમાં તેના લેખકને અભિમત અમુક દૃષ્ટિબિંદુ કે રહસ્યબિંદુ નિયામક બનતુ હોય છે. આમ છતાં લોકસૃષ્ટિની ઊંડી ગતિનું અવલોકન અને અનુભવ વિવેચકને જરૂરી છે જ.&lt;br /&gt;
અવલોકનકારે કૃતિની ઘટનાઓના સંદર્ભે ‘શક્યતા’ અને ‘ઉપયોગ’ જેવી બાબતો ઉપરાંત તેનાં ‘દેશકાળાદિ’ને ય લક્ષમાં લેવાનાં છે, એમ તેઓ કહે છે. આ મુદ્દાને તેઓ ‘ઔચિત્ય’ના ખ્યાલમાં છેવટે સમાવી લે છે. આ રીતે ‘દેશકાળાદિ’ને તેઓ અનુલક્ષે છે, તે સાથે અવલોકનકાર માટે વળી એક વિશેષ પરિપ્રેક્ષ્ય ઊભો થાય છે. પશ્ચિમના ઐતિહાસિક અભિગમનો સંકેત એમાં વાંચી શકાય ખરો, પણ પશ્ચિમમાં આ અભિગમ વિશેની ચર્ચા, સાહિત્યની કળા વિશે અમુક ચોક્કસ આગવી સમજ લઈને ચાલી છે. ‘સાહિત્ય’ નામની ઘટના એના લેખકના યુગનાં આંતરબાહ્ય અનેક પરિબળોનું પરિણામ છે, અને ઐતિહાસિક પ્રક્રિયામાં સમયના નિશ્ચિત બિંદુએ તેનું અફર સ્થાન છે એટલે એ કૃતિનો મર્મ પૂરેપૂરો ઊકલી આવે તે માટે, એને ઘડનારાં સર્વ પરિબળો અને સંયોગોને લક્ષમાં લેવાનાં રહે. મણિલાલની ચર્ચામાં આવી સ્પષ્ટ તાત્ત્વિક ભૂમિકા નથી. છતાં કૃતિને યથાર્થ રૂપમાં પામવાને તેનાં ‘દેશકાળાદિ’ને લક્ષમાં લેવાનું તેઓ કહે છે તે ઘણું સૂચક બની રહે છે.&lt;br /&gt;
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.&lt;br /&gt;
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.&lt;br /&gt;
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિની અનિવાર્યતા દર્શાવતાં રમણભાઈ કહે છે : “સાહિત્યમાં જેનો સમાવેશ થઈ શકે એવા વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મૂકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે. તેમ – હેમ્ર સંલક્ષ્યતે હ્યમ્નૌ વિશુદ્ધિઃ શ્યામિકાઽપિ વા || ‘સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.”૩૦ અહીં રમણભાઈએ સાહિત્યની ‘શુદ્ધિ’ અર્થે વિવેચનની ઘણી મોટી અનિવાર્યતા છે એમ કહ્યું. પણ ‘સાહિત્ય’ સંજ્ઞાથી તેમને અહીં કેવળ સર્જનાત્મક સાહિત્ય જ નહિ, ચિંતન વિવેચનનું સર્વ સાહિત્ય અભિપ્રેત છે, તે આપણે લક્ષમાં રાખવાનું છે.&lt;br /&gt;
વિવેચનનું કાર્ય રેખાંકિત કરી આપતાં તેઓ કહે છે કે કૃતિમાંના ગુણ અને દોષ, ખૂબી અને ખામી, અલગ પાડીને તેણે બતાવવાનાં છે. એ માટે કૃતિનું ‘સમસ્ત સ્વરૂપ’ લક્ષમાં લઈ એવા ગુણ દોષોની બરોબર ‘તુલના’ કરવી જોઈએ એમ તેઓ કહે છે. એ રીતે ‘યથાયોગ્ય તુલના’ થશે ત્યારે જ તે વાચકોને અને લેખકોને લાભપ્રદ નીવડશે. આવા વિવેચનથી, ખરેખર તો, લેખકોને પોતાને પોતાની કૃતિઓની સાચી ‘કિંમત’ સમજાશે. રમણભાઈ ભારપૂર્વક નોંધે છે કે ‘દોષૈક દર્શન’ એ વિવેચનનું કાર્ય નથી.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ તેમણે પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક સેઈન્ટસબરીની ચર્ચામાંથી લીધો છે. એ વિવેચકમાંથી તેમણે જે એક મોટું અવતરણ આપ્યું છે, તેમાં નીચેના બે ત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે :&lt;br /&gt;
એક, સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચકે વાંચવું જોઈએ, બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. સાહિત્યના ઇતિહાસમાંના કોઈ એક યુગના કે કોઈ પણ યુગના ગણનાપાત્ર સાહિત્યકારના સાહિત્યને ટાળીને ચાલશે તો તેના દૃષ્ટિબિંદુમાં ‘સુસ્થતા’ નહિ જળવાય.&lt;br /&gt;
બે, બીજી ભાષાઓના સાહિત્યનું પણ બને તેટલું વિશાળ વાંચન કરવું જોઈએ. એ રીતે જ તેને પોતાના સાહિત્યને જોવાનો યથાર્થ પરિપ્રેક્ષ્ય મળશે.&lt;br /&gt;
ત્રણ, વિવેચકે ભિન્ન ભિન્ન ગ્રંથો, ગ્રંથકારો અને સાહિત્યોની ‘તુલના’ કરતા રહેવું જોઈએ. દરેક ગ્રંથ/ગ્રંથકાર/સાહિત્યની વિશિષ્ટતા એ રીતે વધુ સમજાશે. જો કે, એક પરંપરાના ગ્રંથ કે ગ્રંથકારમાં અન્યના જેવા ગુણ નથી એ જાતનો નકારાત્મક ભાવ જન્મી પડે અને એ માટે અરુચિ થાય, એ સામે તેણે સાવચેતી રાખવાની છે.&lt;br /&gt;
ચાર, કોઈ પણ ગ્રંથને વાંચ્યા વિના તેને વિશે અમુક અપેક્ષા ન બાંધવી જોઈએ. સાચો આદર્શ તો એ છે કે કૃતિનું અનુભાવન કરતાં કરતાં તેની જેવી છાપ ઊપસતી આવે તેને યથાર્થ રૂપમાં ઝીલતા જવાની તત્પરતા તેણે દાખવવી જોઈએ. રમણભાઈના શબ્દોમાં “જે પટ ઉપર તે છબી પડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવી જોઈએ અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ. પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ રેખા છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”૩૧ રમણભાઈએ રજૂ કરેલો આ આદર્શ, આમ તો, આવકાર્ય લાગશે. પણ એની પાછળનું ગૃહીત પોતે જ વિવાદાસ્પદ બને એમ છે. આપણે આ અગાઉ મણિલાલે રજૂ કરેલા આ જાતના ખ્યાલની ટીકાટિપ્પણી કરતાં નોંધ્યું છે કે વિવેચક/ભાવકનું ચિત્ત અરીસા જેવું સર્વથા તટસ્થ નિષ્ક્રિય અને પારદર્શી હોતું નથી. જીવન અને કળા વિશેના અમુક interests કે values અનુભાવનની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ ભજવતાં હોય છે એટલે ભિન્ન ભિન્ન કળાદૃષ્ટિ અને રુચિ ધરાવતા વિવેચકોના ચિત્તપટ પર કૃતિની એક સરખી ‘છબી’ ઝીલાય એમ બનતું હોતું નથી. એક રીતે ચિત્તપટને અરીસા જેવું કલ્પીએ અને તેની સપાટી પર છબીને પ્રતિબિંબિત થતી હોવાનું માનીએ, ત્યાંથી ખરી મુશ્કેલી આરંભાય છે.&lt;br /&gt;
ગ્રંથવિવેચનને અનુલક્ષીને રમણભાઈએ એમના સમયમાં કોઈક જૂથમાં ચર્ચાતા રહેલા વિવેચનના ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’નો નિર્દેશ કરીને તેનો ટૂંકો પરિચય આપ્યો છે ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વિશે તેઓ એવો ભેદ કરી આપે છે કે ‘નિયમો’ તે કૃતિમાંની ‘વસ્તુ છંદ ભાષા અને શૈલી જેવી ઓછી મહત્ત્વની બાબતો વિશે સંભવે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ સાહિત્યના ‘મુદ્દાની બાબતો’ વિશે હોય છે. સમસ્ત કૃતિનાં વાંચનથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા ‘સિદ્ધાંતો’ વિશેની છે એમ રમણભાઈ સ્પષ્ટ કરે છે. આ વિશે વળી તેઓ એમ ઉમેરે છે કે વિવેચનવ્યાપારમાં ‘નિયમો’ ગૌણ વસ્તુ બની રહે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ મુખ્ય બાબત છે, અને તે જ ‘વિચારમાં લેવા યોગ્ય છે’. વિવેચનમાં પ્રયોજાતા ‘નિયમો’ કૃતિના ગુણદોષનું દર્શન કરવામાં સહાયક બને છે, પણ આ ‘નિયમો’ સમયની સાથે બદલાતા રહે છે; જ્યારે ‘સિદ્ધાંતો’ માનવીના મનને લગતા હોવાથી શાશ્વત છે. ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વચ્ચે રમણભાઈએ જે રીતે ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે તે પરથી એમ સમજાય છે કે તેમણે લક્ષેલા ‘નિયમો’ તે કૃતિના રચનાગત તત્ત્વોને અનુલક્ષે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ કૃતિની માનવજીવન પર – વ્યક્તિ અને સમાજ પર –પડનારી વ્યાપક ઊંડી અસરોને અનુલક્ષે છે. કૃતિવિવેચન અર્થે ટી. એસ. એલિયટે કલાનાં અને જીવનનાં ધોરણોની વાત કરી છે, તેનું અહીં સહજ સ્મરણ થશે.&lt;br /&gt;
આ મુદ્દાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં રમણભાઈએ એમ નોંધ્યું છે કે “નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે, પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે અને જમાને જમાને રુચિઓ બદલાય પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ, રસિકતાનાં ધારણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણ કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ.”૩૨&lt;br /&gt;
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.&lt;br /&gt;
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩&lt;br /&gt;
નરસિંહરાવે અહીં, આમ જુઓ તો, સર્જન અને વિવેચન વ્યાપારનો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે; તો વિવેચકને માટે વિશેષ સજ્જતાની વાત પણ કરી છે. બિલકુલ કવિની નહિ, પણ તેના જેવી ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ એ વિવેચકની પ્રથમ આવશ્યકતા છે એ હકીકત અહીં તેઓ ભારપૂર્વક નોંધવા ચાહે છે. ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે કવિ એક આગવું વિશ્વ રચે છે. પોતાના હૃદયના ભાવ કે વિચારને એ મૂર્ત ઐન્દ્રિયિક રૂપમાં પામવા પ્રયત્ન કરે છે, અને સર્જનની ઘટનામાં તેની ઊર્મિઓ, વિચારો, કલ્પનાઓ – સર્વ તત્ત્વોનું ‘સંયોજન’ થવા પામે છે. સમસ્ત રચનાપ્રક્રિયા દરમ્યાન સર્જક પોતાના સંવેદિત વિચાર કે ભાવચિત્રને બને તેટલું તાદૃશરૂપે ગ્રહણ કરતો રહે છે. વિવેચક સામે જ્યારે કવિની એ કૃતિ આવી ઊભે છે, ત્યારે તેનાં રહસ્યો ઉકેલવાને કવિના જેવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ તેની પાસે હોવાં ઘટે. વિવેચકે પણ અનુભાવનની સમસ્ત પ્રક્રિયા દરમ્યાન એવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે એ કૃતિ પોતાના ચિત્તમાં ફરીથી રચતા જવાનું છે. આ અર્થમાં તે કવિનો ‘જોડિયો ભાઈ’ છે કવિની જેમ કૃતિને સાક્ષાત્કારવાને જરૂરી સજ્જતા—અને સાક્ષાત્કારની પ્રક્રિયા—એટલી ભૂમિકાએ તે કવિ જોડે અમુક સામ્ય ધરાવે છે. પણ ‘સર્જન’ અને ‘વિવેચન’ બંને પ્રવૃત્તિ, તેનાં સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ પરત્વે, મૂળભૂત રીતે જુદી છે એ વાત પણ નરસિંહરાવ આપણા ધ્યાનમાં લાવવા ચાહે છે ‘સર્જન’ જો વિભિન્ન સામગ્રીતત્ત્વોનું ‘સંયોજન’ છે; તો વિવેચન કૃતિનાં કળાતત્ત્વો વિશેનું ‘પૃથક્કરણ’ છે. અહીં તેમને એમ સૂચવવું છે કે આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચક કૃતિનું પોતાના ચિત્તમાં જે રીતે પુનઃસર્જન કરે છે, તે ‘સાક્ષાત્કાર’ની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી. આસ્વાદ પછીની ક્ષણોમાં કૃતિનાં ઘટકોનું તે ‘વિશ્લેષણ’ આરંભે છે ત્યારે જ ખરેખરો વિવેચનવ્યાપાર આરંભાય છે. વિવેચનના સ્વરૂપવિચાર સંદર્ભે, આમ, તેઓ ‘પૃથક્કરણ’ને મહત્ત્વનું સ્થાન આપે છે.&lt;br /&gt;
પણ, વિવેચનની અંતર્ગત ‘પૃથક્કરણ’નો વ્યાપાર સમાવિષ્ટ થતો હોવા છતાં વિવેચન તેમાં સીમિત થઈ જતું નથી. આપણા સાહિત્યનાં તેમ વિશ્વસાહિત્યનાં ઉત્તમોત્તમ કૃતિલક્ષી વિવેચનો લક્ષમાં લેતાં જણાશે કે એમાં ઘણું બીજું બને છે. કૃતિનાં મહત્ત્વપૂર્ણ ઘટકોને વિવેચકો અલગ પાડીને વિચારે છે, તો તે કૃતિના સમગ્ર રહસ્યને ઉકેલવા માટે જ કરે છે. દરેક ઘટકની રસકીય ક્ષમતાનો અને સમગ્ર કૃતિમાં તેની સમર્પકતાનો તે વિવેકવિચાર કરે છે. કૃતિનાં ઘટકોનું આ કે તે સિદ્ધાંતને અનુસરીને નર્યું યાંત્રિક વિશ્લેષણ કરવામાં આવે તો તે વંધ્ય નીવડવા સંભવ છે. દૃષ્ટિસંપન્ન વિવેચક આવાં રસકીય ઘટકોના પરસ્પર સંબંધ અને કૃતિમાં પડેલા રચનાગત સિદ્ધાંત (formative principle)ને સતત નજરમાં રાખીને તેની ચર્ચા કરશે. કૃતિમાં તે દરેકનું કાર્ય (function) શું છે તે જ તેનો મુખ્ય પ્રશ્ન હશે. એટલે, નર્યા વિશ્લેષણવ્યાપારથી કશું જ સિદ્ધ નહિ થાય, કૃતિ સમગ્રની વ્યંજના, તેનું રહસ્ય કે તેનું મૂલ્ય આવા વિશ્લેષણમાં ભાગ્યે જ ઝીલાશે. વિવેચકે આથી એ ઘટકોની રહસ્યબિંદુ તરફની ગતિ ય ઓળખવાની રહેશે. તાત્પર્ય કે, વિવેચક કૃતિઓનાં ઘટકો પાસાંઓ વિશે પૃથક્‌ રૂપમાં વિચારે છે ત્યારે પણ રચનાત્મક દૃષ્ટિએ તે તેનો અંદાજ બાંધવા પ્રેરાય છે. વિવેચનની અંતર્ગત વિશ્લેષણ વ્યાપારની સાથે આમ એક ભિન્ન દિશાની પ્રવૃત્તિ ય ચાલતી રહે છે. બલકે, કૃતિની અખિલાઈ અને સમગ્રતાની અભિજ્ઞતા જ આ જાતના વ્યાપારમાં દ્યોતક નીવડે છે. વિવેચક કૃતિમાંનાં ઘટકોને અલગ પાડે છે તે તો તેના પુનઃ વિધાન અર્થે જ; એ રીતે વિવેચનમાં કેવળ બૌદ્ધિક વિશ્લેષણ નહિ, કશુંક સર્જનાત્મક સંયોજન પણ સંભવે છે. અને એટલે જ વિવેચનનું તાત્ત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવાય છે. &lt;br /&gt;
નરસિંહરાવની સમસ્ત વિવેચનવિચારણામાં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ શીર્ષકની ચર્ચા આગવું ધ્યાન રોકે છે. કવિતાના રસાનુભવને વર્ણવવાની બે ભિન્ન ‘પદ્ધતિઓ’ તરફ તેઓ ત્યાં વિચાર કરવા પ્રેરાયા છે. એ પૈકી પહેલી, સંસ્કૃત રસશાસ્ત્રને અને બીજી પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી પદ્ધતિ છે. ત્રણ પંક્તિની એક ટૂંકી ગેય રચનાને લઈ તેમણે એ બે ‘પદ્ધતિઓ’નો વિનિયોગ કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન રસશાસ્ત્રની પદ્ધતિને અનુલક્ષીને પ્રસ્તુત કડીમાંનાં ભાવવિભાવાદિનો તેમણે પરિચય આપ્યો છે. જ્યારે પાશ્ચાત્ય પદ્ધતિને અનુરૂપ એ પંક્તિઓમાં ક્રમશઃ ઉપચિત થતા ‘અર્થ’નું પ્રગટીકરણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પાશ્ચાત્ય પદ્ધતિમાં અર્થસંયોજનની રીતિ કે આકૃતિની અમુક અપેક્ષા સૂચવવી છે. કૃતિનાં ‘રસદર્શન’ની પદ્ધતિઓ વિશેનો આ વિચાર એમણે પોતે આગળ ચલાવ્યો નથી, તેમ તે સમયના બીજા વિવેચકોએ તેને અપનાવ્યો નથી. આસ્વાદલક્ષી વિવેચનનો એ પ્રયત્ન ઉપેક્ષિત જ રહ્યો છે. પણ રસકીય પ્રક્રિયાને વિવેચનવ્યાપારમાં ખેંચી લાવવાનો તેમનો આ સ્તુત્ય પ્રયત્ન છે. રસદર્શનની પાશ્ચાત્ય પદ્ધતિ વિશેની તેમની સમજ નીચેના વિવરણમાં છતી થાય છે : “આ ગીતમાં ભાવનું મધ્યબિંદુ ‘જિયરા ડોલે રે’ એ બોલમાં આવી રહ્યું છે, અને બીજા પદાર્થ તે આસપાસની સામગ્રી થઈ પરિપોષક છે, એ બોલવું પાશ્ચાત્ય સંપ્રદાયાનુસાર છે. તે સંપ્રદાય પ્રમાણે ઉપર જે સ્થૂલ પ્રકારે વિભાવાદિક સમુદાયનું વિવેચન કર્યું છે તેવા સૂક્ષ્મ વિભાવાદિક વ્યર્થ ન તપાસતાં જે અંતે જતાં પ્રાપ્ત થાય છે તેનું સાક્ષાત્‌ પ્રકાશન કરવાની રીતિ છે.”૩૪ કૃતિના ‘અર્થ’નું કેન્દ્રબિંદુ શોધી તેમાં અન્ય ઘટકો શી રીતે સમર્પક બને છે તેની તપાસ પાશ્ચાત્ય પદ્ધતિમાં થાય છે, એમ તેમને અહીં સૂચવવું છે.&lt;br /&gt;
રસદર્શનની આ બંને પદ્ધતિઓ ‘વ્યંજના’ને ઉકેલવાની બે ભિન્ન પ્રવૃત્તિઓ છે, અને બંને દ્વારા કૃતિમાં નિહિત રહેલો એક જ ‘અર્થ’ (એક જ ‘રહસ્ય’ કે એક જ વ્યંજના) પ્રકાશિત થાય છે, એમ તેઓ માનતા જણાય છે. તેમની આવી માન્યતા સમજવાનું મુશ્કેલ પણ નથી. લાંબા સમય સુધી આપણા સર્જકો અને વિવેચકો સાહિત્ય કૃતિઓમાં અમુક ‘નિરપેક્ષ અર્થ’ (Absolute Meaning)નું અસ્તિત્વ સ્વીકારીને ચાલતા રહ્યા છે. કૃતિનું વિવેચન કોઈ પણ પદ્ધતિએ કરો, કોઈ પણ શૈલીએ કરો, કોઈ પણ પરિભાષામાં કરો, એ સર્વનું લક્ષ્ય સ્થાન પેલો ‘નિરપેક્ષ અર્થ’ જ છે. આ કે તે વિવેચકનું અર્થવિવરણ કે અર્થઘટન એ લક્ષ્યને પામે નહિ, તો પણ એની ગતિ – એની દિશા – એ તરફની હોય છે એમ તેમણે ગૃહીત કરી લીધું હતું. એ ‘નિરપેક્ષ અર્થ’ કદાચ અક્ષય્ય વસ્તુ છે, કદાચ અભેદ્ય વસ્તુ છે, પણ એવા કશાક ‘અર્થ’ની સત્તા સ્વીકારી લઈને જ વિવેચકો ચાલતા રહ્યા દેખાય છે. વિવેચનમીમાંસાની સામે આજે આ એક કૂટ પ્રશ્ન બન્યો છે.&lt;br /&gt;
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.&lt;br /&gt;
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.&lt;br /&gt;
{{center|૬.}}&lt;br /&gt;
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.&lt;br /&gt;
રાજશેખરે વિવેચકોના, ‘અરોચકી’ ‘સતૃણાભ્યવહારી’ ‘મત્સરી’ અને ‘તત્ત્વાભિનિવેશી’ – એવા ચાર વર્ગો સ્વીકારેલા છે. એ પૈકી ચોથા ‘તત્ત્વાભિનિવેશી’ વિવેચકો જ સાહિત્યને ખરેખર ઉપકાર બની શકે એવી આ. આનંદશંકરની સમજ રહી છે. તેમનું કહેવું એમ પણ છે કે આપણે ત્યાં કાવ્યકળાની ‘તત્ત્વાભિનિવેશી’ ચર્ચાઓ ઘણી ઓછી થઈ છે, અને વાચકો-વિવેચકો-સર્જકોમાં ‘સારાસારગ્રાહી દૃષ્ટિ’નો ઘણો અભાવ વતાય છે વિવેચકોમાં ખરેખર તો ‘વિશ્વકવિઓના ગુણ પારખી’ તેનો આસ્વાદ લેવાની ક્ષમતા હોવી જોઈએ; પણ આપણે આપણાં ‘ઘરદીવડાં’થી જ મુગ્ધ રહીએ છીએ અને એથી આપણી રસવૃત્તિ ઘણી જ સંકુચિત બની રહે છે.&lt;br /&gt;
કવિ અને વિવેચકની ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં તેઓ અલંકારની સહાયથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે : “સુવર્ણ એક જાતના ૫ત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કરનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને.”૩૫ આમ કવિને પક્ષે સર્જનવ્યાપારમાં અમુક રીતના critical actની અને વિવેચકને કૃતિ પામવા કવિના જેવા imaginative actની જરૂર તેઓ દર્શાવે છે.&lt;br /&gt;
આપણા સર્જનવિવેચનના ઉદ્‌ભવવિકાસમાં પાશ્ચાત્ય વિચારોની મોટી પ્રેરણા રહી છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં તેમનું દૃષ્ટિબિંદુ ધ્યાનાર્હ છે. તેઓ કહે છે કે “આપણાં કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઈએ અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિંદુ સ્વાભાવિક છે.”૩૬ પણ તેમને આથી વિશેષ પણ કહેવાનું છે : “કોઈ પણ પ્રજા, પરદેશી સાથે આત્માની આપ-લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખિલવી શકતી નથી. જેમ જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખૂવે છે તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે.”૩૭ તાત્પર્ય કે, આપણા સાહિત્યના વિકાસ અર્થે પૂર્વપશ્ચિમ કોઈ પણ પરંપરાના વિચારો આપણે યથાવકાશ સ્વીકારીને આત્મસાત કરવા જોઈએ. તેમની આ જાતની વિચારણાનો સૂચિતાર્થ એમ થાય કે પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનનાં મૂલ્યો આપણે વિવેચનવિચારમાં યથાવકાશ આમેજ કરી લેવાં જોઈએ.&lt;br /&gt;
આ. આનંદશંકરે બદલાતા રાજકીય-સામાજિક સંદર્ભમાં સર્જકો વિવેચકો માટે એક મહત્ત્વનો પ્રશ્ન છેડ્યો છે. સ્વાભાવિક રીતે જ, પોતાના સમયની સાહિત્યિક પરિસ્થિતિ તેમની સામે છે. તેઓ કહે છે કે સર્જકોની સામે અત્યારે વિવિધ સ્તરના વાચકો છે. સર્જક એ પૈકી કયા વર્ગની ‘આરાધના’ કરશે? અને વિવેચક પણ સર્જકના ધર્મને કેવી રીતે જોશે-સ્વીકારશે? તેઓ એવું અવલોકન રજૂ કરે છે કે વર્તમાન સમય democratic છે, અને સામાન્ય જનસમાજનાં રુચિવલણો સાહિત્ય સર્જનમાં કોઈક રીતે પ્રેરક કે નિયામક બળ બની રહે એમ છે. આવી પરિસ્થિતિમાં વિવેચકોએ જાગ્રત દૃષ્ટિએ વિવેચન પ્રવૃત્તિ કરવાની રહે છે – “ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ.”૩૮ આમ છતાં, આવા વિવેચકો ‘લોકસમુદાયના’ ‘democratic સાહિત્યની’ અવગણના ન કરે એ પણ મહત્ત્વનું છે. માત્ર આવા ‘પ્રાકૃતજનના’ સાહિત્યમાં ‘ભ્રાંત અને ઉપરછલ્લી દૃષ્ટિનું નિરૂપણ’ હોવાની પણ અમુક સંભાવના રહે છે, અને વિવેચકે એ વિશે હંમેશ જાગ્રત રહેવાનું છે.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રમાં નીચેની પ્રવૃત્તિઓ તેમણે સમાવી છે.&lt;br /&gt;
(૧)	કલાના – અને તે ઉપરથી સાહિત્યના – તત્ત્વનું અન્વેષણ કરવું.&lt;br /&gt;
(૨)	સાહિત્યના વિવિધ પ્રકાર અને એનાં સ્વરૂપલક્ષણોની વ્યાખ્યાવિચારણા કરવી.&lt;br /&gt;
(૩)	અમુક કૃતિના ગુણદોષો તપાસવા.&lt;br /&gt;
(૪)	ગુણદોષનો વિચાર પડતો મૂકી, માત્ર એનું સૂક્ષ્મ સ્વરૂપ એના ઊંડાણમાં જ ઊતરીને સમજવું અને સ્પષ્ટ કરવું.&lt;br /&gt;
(૫) સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન – જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે – વિશિષ્ટ કૃતિનું નિરીક્ષણ કરવું, અને એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ખેડવો.&lt;br /&gt;
અહીં, ચોથી પ્રવૃત્તિથી તેમને માત્ર કૃતિલક્ષી કે રસલક્ષી વિવેચનનો ખ્યાલ, અને પાંચમી પ્રવૃત્તિથી ‘સર્જનાત્મક વિવેચન’ અભિપ્રેત હોય એમ લાગે છે. નોંધપાત્ર છે કે કલાતત્ત્વવિચારના પ્રશ્નોનેય તેઓ વિવેચનમીમાંસા કે વિવેચનપ્રવૃત્તિમાં સમાવી લે છે. સાહિત્ય અને વિવેચનશાસ્ત્ર પરસ્પર સંકળાયેલાં છે, પરસ્પરને ઉપકારક છે, એમ પણ તેમને અભિમત છે. ‘જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચું વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે’ – એમ તેઓ કહે છે; જો કે એની તેમણે વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.&lt;br /&gt;
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.&lt;br /&gt;
{{center|૭.}}&lt;br /&gt;
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનની વિભાવનાને યથાર્થ રૂપમાં સમજવાને, અલબત્ત, તેમની સાહિત્યકળા વિશેની સમજ લક્ષમાં લેવાની રહે છે. અગાઉ નિર્દેશ કર્યો તેમ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેનો તેમનો ખ્યાલ તેમણે રજૂ કરેલી સાહિત્યવિચારણા સાથે સીધો મેળમાં છે; બલકે, તેનું સ્વાભાવિક વિસ્તરણ છે. આ અંગે સૌ પ્રથમ નોંધવાનું કે ગોવર્ધનરામ, મણિલાલ અને આ. આનંદશંકર ધ્રુવ જેવા અદ્વૈતવાદી ચિંતકો, અને રમણભાઈ અને નરસિંહરાવ જેવા પ્રાર્થનાસમાજી ચિંતકોથી બળવંતરાયની દાર્શનિક ભૂમિકા મૂળભૂત રીતે જુદી પડે છે. પ્રાચીન ધર્મદર્શન કે કોઈ સંપ્રદાયની વિચારણાઓમાં તેમની શ્રદ્ધા ઠરતી નથી, તેમ કોઈ રૂઢ પરંપરાગત દર્શનનો સ્વીકાર કરીને તેઓ પ્રવૃત્ત થતા નથી. તેમનો અભિગમ મૂળથી જ બુદ્ધિવાદીનો રહ્યો છે. જીવન જગત અને સાહિત્ય સર્વ વિશે સર્વથા અરૂઢ રીતિએ અને સ્વતંત્ર પર્યેષક દૃષ્ટિએ વિચારવિમર્શ કરવાનું તેમને પ્રિય છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોની જેમ તેમનો ઝોક વિજ્ઞાનવાદ તરફ રહ્યો છે. ખાસ કરીને ‘સ્વરૂપાનુભૂતિ’ અને ‘સાહિત્ય અને શીલ’ જેવા નિબંધોમાં તેમણે વિશ્વજીવન અને માનવની સમુત્ક્રાંતિને લગતી જે કેટલીક ચર્ચાવિચારણાઓ કરી છે, તેને લક્ષમાં લેતાં અજ્ઞેયવાદી તરીકે તેમને ઓળખાવી શકાય. બ્રહ્માંડના આદિ કે અંત વિશે માનવબુદ્ધિ તાગ લઈ શકે તેમ નથી. ‘વ્યક્તમધ્ય’ એવું જે જીવન આપણા અનુભવમાં આવે છે, અને એમાં જેટલું બુદ્ધિની ઊંડળમાં આવી શકે એમ છે, તેટલું જ સત્ય માનવી પામી શકે. બધાંય જ્ઞાનવિજ્ઞાન, આ રીતે, ચેતનવિકાસના ક્રમમાં ઊઘડતાં ખિલતાં રહ્યાં છે. રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ પણ વિકાસક્રમમાં એ રીતે આગવું સ્થાન ધરાવે છે.&lt;br /&gt;
સાહિત્ય અને વિવેચનને લગતો તત્ત્વવિચાર બળવંતરાયે આ વિકાસવાદના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. સાહિત્યની રચનામાં સર્જકની પ્રતિભાનું મહત્ત્વ, અલબત્ત, તેઓ સ્વીકારે છે. ‘પ્રતિભાબીજની માવજત’ વિશે તેમણે લેખ પણ લખ્યો છે. આમ છતાં, સાહિત્યકૃતિને પ્રેરનારાં પોષનારાં પરિબળોનો ય તેઓ સ્વીકાર કરે છે; બલકે, સાહિત્યને એના લેખકના વિશિષ્ટ સામાજિક/ઐતિહાસિક સંયોગોનું પરિણામ લેખવતા જણાય છે : “પ્રજા અને તેનું અમર સાહિત્ય અન્યોન્યાશ્રયી ભાવે છે : સાહિત્ય ઉપજે છે પ્રજાના અનુભવ, પ્રજાની કલ્પના, પ્રજાની આંતરડીમાંથી; પ્રજાની નિખાલસતાનાં લક્ષણો સાહિત્યમાં વાસ્તવિકતા, પ્રામાણિકતા અને રસિકતાના ગુણ સીંચે છે, અને એ સર્જાયેલું સાહિત્ય ઊછરતી પ્રજાના ચારિત્ર, કલ્પના, ભાવના, કર્તવ્યબુદ્ધિ, આદિને પોષે છે, વાળે છે. અમુક વળ દઈને અમુક આમળા ચડાવે છે. પ્રજાનું લોહી ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સ્થૂળ કારણ છે, પ્રજાનું સાહિત્ય ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સૂક્ષ્મ કારણ છે. ઊછરતી પ્રજાના ઝમાને ઝમાને નવા પ્રત્યક્ષ થતા અનુભવ કર્તવ્ય દર્શનાદિ પ્રજાની પ્રકૃતિ ઘડાવાનાં નિમિત્ત કારણ છે, અને સાહિત્યની સફળતા, ઝમાને ઝમાને તેનું મૂલ્યાંકન તે ઝમાનાના સત્યને અનુરૂપ હોય, તેમાં છે.”૩૯ બળવંતરાય, આમ, ભારપૂર્વક પ્રતિપાદિત કરવા ચાહે છે કે સાહિત્યના સ્વરૂપમાં સામાજિક/ ઐતિહાસિક પરિબળે વત્તેઓછે અંશે નિર્ણાયક બની રહે છે.&lt;br /&gt;
પ્રજાજીવનના વિકાસક્રમમાં, દરેક તબક્કે, આગવી તાસીરવાળું સાહિત્ય એ રીતે સંભવે છે. માનવબુદ્ધિ કોઈ શાશ્વત ‘સત્ય’ને પામી શકતી નથી, માત્ર પોતાના સમયમાં બદ્ધ એવાં ‘સત્યો’નું જ તે આકલન કરે છે; પણ નવું ‘સત્ય’ પ્રગટ નથી થયું, ત્યાં સુધી જ એ જૂનું સત્ય સ્વીકારવાનું રહે છે. સાહિત્યાદિ કળાઓમાં મૂર્ત થતાં ‘સત્યો’ પણ એ રીતે કોઈ શાશ્વત સત્યો નથી : જે તે યુગનાં ‘સત્યો’ જ તેમાં આર્વિભૂત થાય છે. એટલે દરેક નવો જમાનો જ પોતાનાં નવાં ‘સત્યો’ના પ્રકાશમાં સાહિત્ય કૃતિઓનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન-કરે, એ આવશ્યક છે. વળી, સાહિત્યાદિ પ્રવૃત્તિઓ માનવજાતિના વિકાસમાં જેટલે અંશે ‘શ્રેયસ્કર’ નીવડે, તેટલે અંશે જ તે આવકાર્ય ગણાશે. સૌંદર્ય અને કળા – બંને તેમને મન એકી સાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ છે. સર્જક પોતાની રચનામાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે. એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ સ્વયં ઈષ્ટ વસ્તુઓ છે-terminal values-જેવી પ્રાપ્તિઓ છે. પણ માનવજાતિના વિકાસક્રમમાં તેનું ‘સાધન’ લેખે ય સ્થાન રહે છે – કહો કે તેને instrumental value પણ પ્રાપ્ત થાય છે. બળવંતરાય કહે છે : “કલા ધર્મ રાષ્ટ્ર નીતિ એ સર્વ પ્રેયો વસ્તુ છે ત્યાં જ લગી, જ્યાં લગી તે આપણને શ્રેય મેળવવાને કાજે ઊજમવાન રાખે : એ સર્વ ભાવનાસિદ્ધિ માટેનાં સાધન હોવાનું પોતાનું કર્તવ્ય બજાવતાં રહે, ત્યાં લગી જ પ્રેય છે.”૪૦&lt;br /&gt;
વિશ્વજીવનની ઉત્ક્રાંતિમાં બહુ થોડી કૃતિઓ સમયના પ્રવાહની સામે ટકી રહે છે. બળવંતરાયને મન એવી સત્ત્વશીલ કૃતિઓનું જ સાચું મૂલ્ય છે. સાહિત્યની ભાવના એવી થોડીક મહાન કૃતિઓ પરથી જ બંધાય, બાંધવી ઘટે, એવી પણ તેમની માન્યતા રહી છે. અને વિવેચન વિશે જે થોડાક ખ્યાલો અહીં તહીં વેરવિખેર પડ્યા છે. તેમાંય એવા મહાન સાહિત્ય માટેની તેમની જિકર વરતાય છે.&lt;br /&gt;
બળવંતરાયનો પોતાનો વિવેચનાત્મક અભિગમ – નર્મદ નવલરામ મણિલાલ ગોવર્ધનરામ ન્હાનાલાલ મુનશી આદિ અર્વાચીન યુગના સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિને જોવા તપાસવાની અને મૂલવવાની તેમની રીતિમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કર્તાનું માનસ, વ્યક્તિત્વ ઘડતર, અને વિચારસૃષ્ટિ, ઐતિહાસિક સામાજિક પરિસ્થિતિ, સમકાલીન સાહિત્યિક પરંપરાઓ, આદિ સર્વ પાસાંઓને લક્ષમાં લઈને દરેકનો વિચાર કરવા તેઓ પ્રેરાયા છે. એમાં ચરિત્રમૂલક ઐતિહાસિક સાંસ્કૃતિક કે વિચારલક્ષી – એમ એકથી વધુ અભિગમો એકત્ર થતા હોવાનું જોઈ શકાશે. &lt;br /&gt;
સર્જન અને વિવેચન એ બંને ય પ્રવૃત્તિઓ તેમને મન એક પ્રકારે ‘આચરણ’ – action of a living being – જેવી છે, બંને પરસ્પર અનિવાર્ય રીતે સંકળાયેલી છે, અને બંનેય પ્રજાજીવન પર મોટી અસર પાડનારી છે, એમ તેઓ માને છે : “કલા અને વિવેચના અન્યોન્ય અવિનાભાવે સંલગ્ન છે. કલાસર્જન (art creation) જીવનનો એટલે સજીવન વ્યક્તિના આચરણનો (action of a living being) એક પ્રકાર છે. જેમ આચરણ પહેલાં, આચરણ સાથે, અને આચરણ પછી ચિંતન એટલે વિચારણ, કાર્યકારણઘટના, લક્ષ્યપ્રયત્નઘટના, સાધન નિર્માણઘટના આદિ રૂપે અનિવાર્ય આવશ્યક અને લાભકારક છે, આચરણનું જ અવિભાજ્ય અંગ લેખાવાને પાત્ર છે, તેમ સર્જન અને વિવેચનની જોડીનું પણ સમજી લેવાનું પ્રાપ્ત થાય છે.”૪૧ બળવંતરાયની આ વિચારણાના સૂચિતાર્થો ધ્યાનમાં લેવા જેવા છે. સાહિત્યની રચના, અલબત્ત, તેમના મતે એક અતિ સૌમ્ય સૂક્ષ્મ અને સત્ત્વશીલ તત્ત્વ છે; પણ સ્વરૂપથી તે તેના સર્જકનું ‘આચરણ’ પણ છે. તે ઇચ્છે કે ન ઇચ્છે, જાહેર જીવનમાં તે એક સક્રિય બળ બનીને પ્રવર્તે છે. એટલે જ, સર્જકને પક્ષે એ એક નૈતિક બળ પણ બની રહે છે. વિવેચનની પ્રવૃત્તિ પણ એ જ રીતે વિવેચકનું ‘આચરણ’ બની રહે છે. વિવેચક ઇચ્છાશક્તિ એમાં સક્રિય બને છે. સાહિત્યિક પરિસ્થિતિ – અને વ્યાપકપણે સાંસ્કૃતિક પરિસ્થિતિ – પર તેની ઓછીવત્તી સૂક્ષ્મ અસરો પડે છે. સર્જક તેમ વિવેચક બંનેય પક્ષે, આથી, તેમનાં દરેકનાં ‘આચરણો’ની નૈતિક અસરોનો પણ ખ્યાલ કરવાનો રહે છે. એમાંથી એમ પણ ફલિત થાય છે કે સાહિત્યકૃતિ કે તેના કર્તા પરત્વે જ નહિ, સમસ્ત પ્રજાના શ્રેયાશ્રેયને અંગે ય તેમને ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થાય છે. માનવજાતિના વિકાસક્રમમાં બંનેએ આગવી ભૂમિકા ભજવવાની રહે છે :&lt;br /&gt;
“...વળી કવિતા અને વિવેચના અન્યોન્યાશ્રયી છે. સ્વતંત્ર વિચારબળે આપણી વિવેચનાને આપણે જેમ બિનંગત (ઈમ્પર્સનલ) સાચી અને ઊંડી બનાવીશું તેમ તેમ આપણી કવિતા પણ ખીલશે, અને આપણી કવિતા જેમ ખીલશે તેમ તેમ ઉછરતી પેઢીઓમાં ચારિત્ર્યને યોગ્ય વલણ અને ગુણવત્તા અને બળ મળતાં જશે. સાહિત્ય તો જીવનનો પડઘો માત્ર એ મત એકદેશી અને સાહિત્યના ગૌરવનું અનભિજ્ઞ છે. કાલપ્રવાહમાં જીવનવિકાસ અને જીવનસમુત્ક્રાંતિની સર્જક જે સૂક્ષ્મ અને સૌમ્ય શક્તિઓ પ્રવર્તે છે તેમાંની એક પ્રમુખ શક્તિ સાહિત્ય છે. સાહિત્યની સમુત્ક્રાંતિ માટે મથનારો દેશસેવક જીવનસમુત્ક્રાંતિ માટે પણ મથી રહ્યો છે. સાહિત્ય કે વિવેચનામાં વિપથગામી વલણોને ઉગતાં જ ના દાબી દેવાય તો જીવનક્ષેત્રે પણ એ ચેપી ઝેર પ્રસરવા માંડે છે. વેળાસર લાલબત્તી ધરતી વિવેચના જીવનક્ષેત્રમાં પણ સારી સેવા બજાવે છે.”૪૨&lt;br /&gt;
બળવંતરાયની વિચારણામાં આ એક લાક્ષણિક ભૂમિકા છે. જીવનના વિકાસવાદને લક્ષમાં રાખીને સાહિત્યસર્જન અને વિવેચનની ઉપયોગિતાનો અહીં તેઓ વિચાર કરવા પ્રેરાયા છે; અને, એક રીતે, તેમનો નૈતિક અભિગમ એમાં દેખાઈ આવે છે. સાહિત્યમાં તેમ વિવેચનમાં કોઈ પણ ‘વિપથગામી વલણ’ ચલાવી લઈ શકાય નહિ, એમ તેઓ કહે છે. પણ આ ‘વિપથગામી વલણો’ કયાં તે નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ છે. જીવનવિકાસમાં કયું તત્ત્વ શ્રેયસ્કર, કયું અશ્રેયસ્કર, કયું ઇષ્ટ કયું અનિષ્ટ, એ નિર્ણિત કેવી રીતે કરીશું? કેવળ નીતિ-અનીતિના પ્રચલિત ખ્યાલથી દોરવાઈને સર્જક કે વિવેચક ચાલવા જાય તો તે તેના હૃદ્‌ગત ‘સત્ય’ અને ‘સૌંદર્ય’નો દ્રોહ નહિ થાય? અને પ્રજાના ચારિત્ર્ય ઘડતર અર્થે કઈ કૃતિ લાભદાયી છે કઈ નથી, તે વિશે વિવેચક કેવી રીતે નિર્ણય કરી શકે? પ્રશ્નો જટિલ છે.&lt;br /&gt;
વિવેચકની ભૂમિકા વિશે બળવંતરાયે જે જે વિચારો રજૂ કર્યા છે, તેમાં પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન વિવેચક મેથ્યુ આર્નોલ્ડની પ્રેરણા હોવાનું પણ જોઈ શકાશે. બળવંતરાયનું એમ કહેવું છે કે વિદ્યાપીઠના ઉત્તમ આચાર્યો અને તેજસ્વી તરુણો દ્વારા એક બાજુ સર્જાતા સાહિત્યના ‘ઉત્તમાંશો’ વિશે ‘સતત ગંભીર અપક્ષ નિરીક્ષા’ ચાલવી જોઈએ, વર્ણ્યવિષયના ‘કોણેકોણમાં’ તેમની તેજસ્વી મેધા ફરી વળવી જોઈએ; બીજી બાજુ, સાહિત્યને પોષક વિચારો નિષ્પન્ન થતા રહેવા જોઈએ. તેમને મતે ‘સત્ય’ ‘શીલ’ અને ‘સૌંદર્ય’ એ ત્રણ ચિરંતન મૂલ્યો છે. સર્જકે અને વિવેચકે બંનેએ ત્રણેનું જતન કરવાનું છે. નોંધવું જોઈએ કે, કૃતિ વિવેચનમાં તેમણે આ મૂલ્યોનું સતત સમર્થન કરવાનો આગ્રહ દર્શાવ્યો છે. જો કે આ જાતનાં નિરપેક્ષ મૂલ્યોના સ્વીકાર સાથે સર્જનના તેમ વિવેચનના પ્રશ્નો જટિલ બને છે. સર્જનમાં ‘સત્ય’ કેવી રીતે પ્રગટ થાય, ‘શીલ’નું જતન શી રીતે થાય કે ‘સૌંદર્ય’ જેવું મૂલ્ય કેવી રીતે મૂર્તિમંત થાય તે પ્રશ્નો વિવેચન/સૌંદર્યમીમાંસાના કાયમી પ્રશ્નો છે. મૂલ્યાંકનનાં બીજાં ધોરણો, અલબત્ત, એ ત્રણને મુકાબલે ગૌણ છે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય, અલબત્ત, કૃતિના ગુણદોષ બતાવવાનું છે. જો કે નરી ગુણગ્રાહકતા વંધ્ય છે. એનાથી કોઈને ન્યાય થતો નથી – ન કૃતિને, ન કર્તાને, ન ભાવકને. એ રીતે વાંચનારની ‘ઉન્નતિ’ થતી નથી, તેમ કળાના ક્ષેત્રમાં ‘શુદ્ધિ’ કે ‘પ્રગતિ’ સધાતી નથી. તેમ વિવેચનને પોતાને માટે પણ એ હિતકર નથી. એટલે વિવેચકે કૃતિના ગુણો અને દોષો બંને બતાવવા, પ્રમાણસર બતાવવા, એ જ ખરો માર્ગ છે. બળવંતરાયની દલીલ એ કે ‘કેટલાક દોષ એવા ઉગ્ર હોય કે તેમાં કૃતિના બધાયે ગુણ ડૂબી જાય; કોઈક ગુણ એવો ઉજ્જ્વળ હોય કે તેમાં કૃતિના બધાયે દોષ ડૂબી જાય. ત્યારે તો રસિકોએ ગુણૈકદૃષ્ટિ વા દોષૈકદૃષ્ટિ જ પ્રબોધવી પડે. કેમ કે કલાની ભાવના અને અને સૌન્દર્યની વિશુદ્ધિ એમ કર્યા વગર રક્ષાય જ નહિ.”૪૩&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિને બને તેટલી બિનંગત તટસ્થ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાની બળવંતરાયે ભારે હિમાયત કરી છે. અંગત રુચિ રાગદ્વેષ આદિ વલણોથી મુક્ત કરી આ આખીય પ્રવૃત્તિને પૂરી શાસ્ત્રીય બનાવવી જોઈએ એમ તેઓ માને છે. ‘સાહિત્યની શિષ્ટ અદાલતમાં કૃતિઓના ગુણદોષો ઉપર જ ચુકાદા આપવાના છે.’ અને એમાં અંગત રાગદ્વેષનો પાશ ના હોય તેવા ‘ચુકાદા જ શિષ્ટ સંમતિ મેળવવાને લાયક’ ઠરે છે. સાચો વિવેચક ‘ધીરજની’ ‘અભયની’ ‘નિઃસ્પૃહ મૂર્તિ’ હોવો જોઈએ. સરેરાશ વાચક અંગત રુચિઅરુચિ કે રાગદ્વેષથી પ્રેરાઈને કે પ્રમાણભાન ગુમાવીને મૂલ્યાંકન કરી બેસે પણ વિવેચકમાં કૃતિ વિશે, બિનંગત બનીને, તેની શાસ્ત્રીય તુલના કરવાની ક્ષમતા હોવી જોઈએ.&lt;br /&gt;
જો કે વિવેચનનું (એટલે કે વિવેચકનું) કાર્યક્ષેત્ર તેમણે ઘણું ઘણું વિસ્તારી મૂક્યું છે. કૃતિના વિવેચન–મૂલ્યાંકનમાં એ કાર્ય પૂરું થતું નથી. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની તપાસ પણ તેણે કરવાની છે. વિવેચકના કાર્ય પ્રદેશનો તેમનો આખો નકશો જોવા જેવો છે.&lt;br /&gt;
“વિવેચના કલાસખી છે તેમ શાસ્ત્રસખી પણ છે. કવિતા અને સાહિત્યકૃતિઓના ગુણદોષ જાતિ પ્રકાર સિદ્ધિ કલાસામગ્રી આદિ તપાસવાં એ વિવેચનાનું પ્રિય કાર્ય છે. જાણીતા દાખલાઓ સાથે નવાને મૂકી સરખામણીઓ કરવી, ભેદો જોવા અને તારતમ્ય વિચારવાં એ વિવેચનની પ્રિય પદ્ધતિ છે. આમ કરતાં કરતાં કલામીમાંસા રસશાસ્ત્ર અને વાઙ્‌મયને લગતાં વર્ણન પ્રધાન અને વ્યવસ્થાપક (normative) વિજ્ઞાનો બંધાય છે. વ્યાપ્તિઓ સૂઝે છે, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ વર્જાય છે, સૌને સ્વીકારવાં પડે એવાં ધોરણ વધતાં વધતાં તે સર્વ અન્યોન્યસમર્થક સમૂહ બની શાસ્ત્રની પદવી પામે છે. સજાતીય શાસ્ત્રોના મુકાબલા પણ થાય છે. અને આ આખા વિચારણાપ્રવાહમાં સપાટી તળેનાં રહસ્યોનાં સંશોધન અને મનન તે જ મીમાંસા વા પર્યેષણા છે. વળી કાળબળે બે જુદી જુદી સંસ્કૃતિઓ પાસે પાસે આવી જાય, ત્યારે તેમના વાઙ્‌મયની સાથે તેમનાં કલાશાસ્ત્રો અને રસમીમાંસા પણ એકબીજાંને ભેટે છે. અને એક બીજાં ઉપર પડે છે. એક બીજાંને ચૂમે પણ ખરાં, એકબીજાને કચરે અને કરડે પણ ખરાં. જે બુદ્ધિઓ આ કુરકુરિયા જોડીનાં ચેષ્ટા સ્પર્ધા અને ગેલઝઘડા, આ બે જુદી જુદી પરિસ્થિતિમાં ઉછરેલી બહેનોનાં રીસામણાં અને મનામણાં અનુભવવા જેટલી અધિકારી છે તે તુર્ત જોઈ પણ લે છે, જે આ બે બ્હેનો જેવી દેખાય છે ખરી, પણ તે બે નહીં એક જ હોવી જોઈએ, અથ ચ હોવી જોઈએ એક, તો તે એક શી રીતે એ નવો પ્રશ્ન સંક્રાંતિસમયની ગૂંચ ઉકેલણીના જેવો જ મહાપ્રશ્ન એ વિરલ બુદ્ધિઓમાં જન્મે છે.”૪૪&lt;br /&gt;
બળવંતરાયે આ રીતે જે ખ્યાલો રજૂ કર્યા તેને અનુલક્ષીને ટીકાટિપ્પણી રૂપે થોડુંક કહેવાનું રહે.&lt;br /&gt;
એક, સાહિત્યવિવેચનનો પણ પ્રજાજીવનના વિકાસ સાથે જ વિકાસ થતો રહે છે. વળી કૃતિચર્ચાઓમાંથી સામાન્ય નિયમો/ધોરણો નીપજી આવે છે, અને ભિન્ન સંસ્કૃતિના વિવેચનના નિયમો તેમ સૌંદર્યમીમાંસાના ખ્યાલોની તુલના કરતાં કરતાં સર્વસાધારણ તત્ત્વો બહાર આવે છે. પ્રજાપ્રજાની સંસ્કૃતિઓના ટકરાવમાંથી, આ રીતે, વધુ વ્યાપક અને સમન્વિત કળાવિચાર પણ જન્મી આવે. વિકાસક્રમની તેમની તાત્ત્વિક ભૂમિકાને અનુરૂપ તેમની આ ચર્ચા છે.&lt;br /&gt;
બે, અગાઉ કૃતિવિવેચનમાં બિનંગતતા નિષ્પક્ષતા તાટસ્થ્ય અને વસ્તુલક્ષી ખોજને લીધે તે પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય કોટિની બને, બનવી જોઈએ, એમ કહ્યું હતું. અહીં વિવેચનના પ્રશ્નોને સૌંદર્યમીમાંસા (aesthetics) અને વિવેચનતત્ત્વવિચાર (philospohy of criticism)ના સ્તરે લઈ જવાની પ્રવૃત્તિને તેમણે ‘શાસ્ત્ર’માં મૂકી છે. અહીં ‘શાસ્ત્ર’ દ્વારા ખરેખર તો તેઓ, જુદા જ સ્તરની વિવેચનમીમાંસાના ખ્યાલને સ્પર્શી રહે છે.&lt;br /&gt;
ત્રણ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ/પરંપરાઓમાં વિકસતો કળાતત્ત્વવિચાર વાસ્તવમાં, એક જ મૂળભૂત વસ્તુને અનુલક્ષે છે એમ તેઓ ગૃહીત કરીને ચાહે છે. બધી જ કળામીમાંસા ‘સૌંદર્ય’ ‘સત્ય’ અને ‘શીલ’ના કોઈ નિરપેક્ષ મૂલ્યને ઊપાસે છે. બધી જ કળાવિચારણાઓની ગતિ આમ એક જ અંતિમ લક્ષ્ય તરફની છે&lt;br /&gt;
બળવંતરાયની આ વિચારણા, દેખીતી રીતે જ, વિવેચક માટે અતિ દુષ્કર કર્તવ્ય ઊભું કરે છે. આ રીતે કળામીમાંસાના ક્ષેત્રમાં ચાલતી તેની ગતિ કેટલે અંશે કૃતિવિવેચનમાં ઉપકારક બને, અથવા તેને માટે કળાતત્ત્વવિચાર ખરેખર આવશ્યક છે કે કેમ, એ મુદ્દો ય વિચારણા માગે છે. એફ. આર. લિવિસ જેવા વિવેચક એમ માને છે કે વિવેચકનું મુખ્ય કામ વિવેચ્ય કૃતિ વિશેના જીવંત પુદ્‌ગલરૂપ પણ સંકુલ પ્રતિભાવ ઉપલબ્ધ કરી આપવાનું છે, તેને વિશે ચૂકાદો આપવાનું નહિ. બીજી રીતે, વિવેચકે કૃતિ વિશેના પ્રતિભાવને એની સૂક્ષ્મતમ રેખાઓમાં ગ્રહણ કરવાનો છે; અને એનું જ નિરૂપણ કે વિવરણ કરવાનું છે. પણ વિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ કે ‘કસોટીઓ’ વિશે તાત્ત્વિક સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા નથી. રેને વેલેક, આથી ભિન્ન, વિવેચક કૃતિવિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ અને ‘કસોટીઓ’ વિશે પણ સ્પષ્ટતા કરે, તેની તાત્ત્વિક ભૂમિકા રજૂ કરે, એવી અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
આ આખો મુદ્દો કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર, અને સૌંદર્યશાસ્ત્રના અધ્યયનક્ષેત્ર કે કાર્યક્ષેત્રની સરહદ રેખા આંકી લેવાની ફરજ પાડે છે. વિવેચક વિશિષ્ટ કૃતિ વિશે ગુણદોષની ચર્ચા કરે, તેના રમણીય અંશોનો પુરસ્કાર કરે, કે તેની કળાત્મક સિદ્ધિઅસિદ્ધિનો ખ્યાલ કરે – ત્યાં સુધી તે કૃતિવિવેચનના ક્ષેત્રમાં ગતિ કરે છે એમ કહી શકાય. પણ કૃતિના ગુણદોષની વિચારણામાં ‘ધોરણ’ કે ‘કસોટી’નો તે નિર્દેશ કરે છે, ત્યારે તેનું એ ‘ધોરણ’ કે ‘કસોટી’ સાવ યાદૃચ્છિક વસ્તુ ન હોઈ શકે. સાહિત્યકળા વિશેના અમુક સિદ્ધાંત કે વાદનો એમાં સ્વીકાર રહ્યો જ હોય છે. ઉત્કૃષ્ટ કળાની અપેક્ષા સાથે અમુક કળાવિચાર સહજ રીતે એમાં સંકળાયેલો હોય કે નિહિત રહ્યો હોય એમ જોવા મળશે. વિવેચક કૃતિવિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓ પાછળની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું સ્વીકારે યા ન સ્વીકારે, ધોરણો/કસોટીઓને યથાર્થ રૂપમાં સમજવાનો કોઈ પણ ઉપક્રમ કળાના સિદ્ધાંત તરફ દોરી જાય છે. ઓસ્બોર્ન તો એટલે સુધી કહે છે : There can be no single judgement of practical criticism which does not involve latent doctrines of asthetics.૪૫ કૃતિવિવેચનમાં એકેય એવો મૂલ્યનિર્ણય ન હોય જેમાં સૌંદર્યમીમાંસાનો કોઈ ને કોઈ સિદ્ધાંત નિહિત રહ્યો ન હોય. પણ કળાકૃતિના મૂલ્યાંકનનાં ધોરણો/કસોટીઓ પાછળ રહેલી તાત્ત્વિક ભૂમિકાની તપાસ, તેની તાર્કિક ચકાસણી, એ બધા પ્રશ્નો સાહિત્યશાસ્ત્રના પંડિતો કે સૌંદર્યમીમાંસકો માટે રહેવા દઈએ એ જ બરોબર છે. પણ, કૃતિવિવેચક ચાહે તો સાહિત્યશાસ્ત્રના અને તેથીય આગળ સૌંદર્યમીમાંસાના પ્રશ્નોમાં રસ લઈ શકે, અને તે ક્ષેત્રમાં ય પૂરતી સજ્જતા કેળવીને ગતિ કરી શકે. અલબત્ત, સાહિત્યશાસ્ત્રના સ્તરેથી કે સૌંદર્યમીમાંસાના સ્તરેથી તાત્ત્વિક પ્રશ્નોની માંડણી કરવી – એ કૃતિવિવેચન કરતાં ભિન્ન પ્રવૃત્તિ છે, ભિન્ન પ્રકારની શિસ્ત છે.&lt;br /&gt;
સાહિત્યકલા ‘સ્ફુટાર્થવતી વાણીના માધ્યમ’માં જન્મે છે, તેથી બીજી બધી લલિત કલાઓને મુકાબલે તેમાં મતભેદનું વર્તુલ વધુ મર્યાદિત સંભવે, એવી પણ બળવંતરાયે માન્યતા વ્યક્ત કરી છે. જો કે, આવો વ્યાપક નિયમ તારવવામાં મોટું જોખમ છે. ચિત્ર કે શિલ્પના ક્ષેત્રમાં વધુ મતભેદ સંભવે, સાહિત્યના ક્ષેત્રમાં નહિ–એ જાતનો ખ્યાલ આજે ભાગ્યે જ સ્વીકારાશે. આધુનિકતાવાદી અને તેમાંયે પ્રયોગશીલ કૃતિ ભારે મતમતાંતરનો વિષય બનતી હોય છે. &lt;br /&gt;
વિવેચકની સજ્જતા અંગે બળવંતરાય નોંધે છે : “પુખ્ત વિવેકની સાથે સૂક્ષ્મ રુચિતંત્ર, કવિતાપરંપરા, છંદપરંપરા આદિનું ઝીણું અને સંગીન જ્ઞાન, બ્હોળો અનુભવ, વિવિધ શૈલીઓ અને કળાજાતિઓ સાથે સહાનુભૂતિ, પરિસ્થિતિમાં તેમ કવિના ચિત્તતંત્રમાં પ્રવેશવાની કલ્પના, અને બીજું પણ ઘણું શાસ્ત્રીય તુલનાત્મક ઐતિહાસિક પર્યેષક વિવેચનાનું ગંભીર પચરંગી કર્તવ્ય માગી જ લે છે.”૪૬&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓને બળવંતરાય ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા રૂપે વિકસતી જૂએ છે. એટલે કોઈ પણ કૃતિને યથાર્થ રૂપમાં જોવા-સમજવાને તેના વિશિષ્ટ સંયોગોને લક્ષમાં લેવાના રહે. દેખીતી રીતે જ, કૃતિવિવેચનનો આ ઐતિહાસિક અભિગમ છે. જો કે, એમાં ચરિત્રલક્ષી કે વિચારલક્ષી ભૂમિકા પણ વારંવાર જોડાતી રહે છે. ‘સોરાબ અને રુસ્તમ’ શીર્ષકના તેમના વિસ્તૃત અભ્યાસલેખમાં મહાકવિ ફિરદૌસી અને અંગ્રેજ કવિ આર્નલ્ડ—એ બેની સોરાબરુસ્તમની કથામૂલક કવિતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. બંને કવિઓની રચનાઓમાં જે સ્વરૂપભેદ કે શૈલીભેદ વરતાય છે તેના મૂળમાં ઊતરી બંને પાછળની ભિન્ન સાંસ્કૃતિક પરંપરાનો તેઓ ત્યાં વિગતે પરિચય આપે છે. તેમનું કહેવું એમ છે : “કોઈ પણ કલ્પના સર્જનમાં કલ્પક પાત્રોના ચરિત્ર અને આચરણોની જે સંકલના ગૂંથે છે તે તેના સર્જનનું હાર્દ વ્યક્ત કરે છે. કલાકૃતિનાં દેશકાલ પરિસ્થિતિ આદિ જેમ આપણને પરિચિત જગતથી ભિન્ન અને દૂર સુદૂર, તેમ તેની સંકલના સમજવી મુશ્કેલ થઈ પડે છે, અને સહાનુભૂતિ પ્રવૃત્ત કરવાને આપણી કને વધારે ઇતિહાસજ્ઞાન માગી લે છે. પ્રસ્તુત કૃતિ કઈ કલા જાતિની છે અને તેની પાછળ એ જાતિની પરંપરા કયા પ્રકારની હતી તે પણ આપણે ધ્યાનમાં રાખવું ઘટે.”૪૭ અહીં તેમણે એક અતિ મહત્ત્વની વાત કરી કે વિવેચક સામે પોતાના દેશકાળથી ઘણી દૂરની સાવ ભિન્ન પરંપરાની કૃતિ આવે છે, ત્યારે તેને માટે ‘સહાનુભૂતિ પ્રવૃત્ત’ કરવાને તેનું સાચું ઇતિહાસજ્ઞાન જરૂરી છે. કોઈ પણ કલાકૃતિને એના સ્થળકાળના સંદર્ભોથી ઉતરડીને જોવા જતાં ન્યાય નહિ થાય. તાત્પર્ય કે કલાકૃતિના સ્વરૂપમાં સમકાલીનતાનાં અમુક તત્ત્વો પડ્યાં હોય છે. એવાં તત્ત્વો વિશે પૂરી સમજ અને સહાનુભૂતિ વિના કૃતિના હાર્દમાં પ્રવેશવાનું મુશ્કેલ.&lt;br /&gt;
આપણી સદીમાં વિવેચનના ઐતિહાસિક અભિગમ સામે નવ્ય વિવેચકોએ ઊભો કરેલો મુદ્દો જોવા જેવો છે. અલબત્ત, નવ્ય વિવેચકો એમ કહેવા માગતા નથી કે કૃતિમાં ઐતિહાસિક અંશો પ્રવેશતા જ નથી. તેમનું એમ કહેવું છે કે આવા ઐતિહાસિક અંશોનો તો કાર્યકારણભાવે ખુલાસો આપી શકાય છે, પણ કૃતિનું જે સાચું હાર્દ છે, ગહનતમ રહસ્ય છે, તેને આવા ખુલાસાથી સમજાવી શકાય નહિ. ઐતિહાસિક સંયોગો અને પરિબળોને લક્ષમાં લઈ કાર્યકારણભાવે તેના અમુક બાહ્ય સ્વરૂપની સ્પષ્ટતા કર્યા પછી જે residue રૂપ—એક અતાગ અવર્ણનીય અંશ શેષ રહે છે, તે જ કળાકર્મનો વિશેષ છે. નવ્ય વિવેચકોએ, આથી, કળાકૃતિને આરંભમાં તો ઐતિહાસિક સંદર્ભોથી વિચ્છિન્ન કરીને જોવા માટે અનુરોધ કર્યો; પણ પછીથી કૃતિને વધુ યથાર્થ રૂપમાં સમજવાને એના ઐતિહાસિક સંદર્ભોને ય કોઈ ખપમાં લેવા ચાહે, તેની સામે વાંધો લીધો નથી. ક્લિન્થ બૂક્સ જેવા વિવેચકની ભૂમિકા એ રીતે ધ્યાનપાત્ર છે :&lt;br /&gt;
“If literary history has not been emphasized in the pages that follow, it is not because I discount its importance or because I have failed to take into account. It is rather that I have been anxious to see what residuum, if any, is left after we have referred the poem to its cultural matrix.”૪૮ (હવે પછીનાં પૃષ્ઠોમાં, સાહિત્યના ઇતિહાસ પર જો મેં ભાર મૂક્યો ન હોય, તો તે એ કારણે તો નહિ કે એનું મહત્ત્વ હું ઓછું લેખવા માગું છું. અથવા એ આખી બાબત મારા ધ્યાનમાં આવી નથી; પણ તે એટલા માટે કે કલાકૃતિને એના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકી જોયા પછી ય એમાં એનો કોઈ કલાત્મક સારભૂત અંશ (residuum) શેષ રહે છે કે નહિ તે જોવામાં મને રસ હતો.) આમ, ઐતિહાસિક અભિગમ અને નવ્ય વિવેચકોનો આકારવાદી અભિગમ–એ બે યાદૃચ્છિકપણે સ્વીકારી શકાય તેવી બાબત નથી. સાહિત્યકલાના સ્વરૂપ વિશે તમે કઈ સમજ ધરાવો છો, સાહિત્યની કઈ વિભાવના લઈને ચાલો છો, તે મુદ્દો અહીં અત્યંત મહત્ત્વનો બને છે. બળવંતરાયની સાહિત્યવિચારણા પાછળની તાત્ત્વિક ભૂમિકા, કદાચ, એટલી સ્પષ્ટ નથી; તો પણ, એમાં સાહિત્ય એ ઐતિહાસિક સંયોગો અને પરિબળોની નીપજ છે એ ભૂમિકા સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
‘સોરાબ અને રુસ્તમ’ વિશેના વિવેચનમાં ઐતિહાસિક ભૂમિકા સ્વીકારાઈ છે એ તો ખરું જ; એમાં સાથોસાથ તુલનાત્મક પદ્ધતિનો પણ સ્વીકાર છે. તુલનાત્મક સાહિત્ય – comparative literature – વિશે એ સમયે આપણે ત્યાં એવી કોઈ વિચારધારા નહોતી કે ખાસ અભિજ્ઞતા જન્મી નહોતી. પણ અન્ય ભાષાના વિવેચનમાંથી clue લઈને કે કેવળ આંતરસૂઝથી તેમણે અહીં તુલનાત્મક અભિગમ સ્વીકાર્યો છે. ફિરદૌસી અને આર્નલ્ડની કૃતિઓના સ્વરૂપભેદ અને શૈલીભેદને લક્ષમાં લઈ તેમણે બંનેની પરંપરાનું હાર્દ ખૂલ્લું કરવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અને કાવ્યપરંપરાના ખ્યાલો વિશે બળવંતરાયની ટીકાટિપ્પણીઓ ખરેખર માર્મિક અને તત્ત્વગ્રાહી છે. તેમના મતે મધ્યયુગીન સંસ્કૃત પરંપરાના કવિઓની રસદૃષ્ટિ ‘એકથી વધુ દૃષ્ટિએ દૂષિત’ અને ‘હીન’ થયેલી છે. પશ્ચિમની કાવ્યમીમાંસાના અભ્યાસથી એ વાત હવે સ્પષ્ટ થવા લાગી છે, એમ તેઓ કહે છે. જો કે આપણે ત્યાં કેવળ રૂઢ અલંકારશાસ્ત્રમાં ગતિ કરતા વિદ્વાનોને આ વાત બરોબર સમજાઈ નથી એવી તેમની માન્યતા છે. પાછળના સમયના અલંકારશાસ્ત્રીઓ પરંપરાપ્રાપ્ત મતો અને વિચારવલણોને જેમના તેમ સ્વીકારતા રહ્યા છે. સ્વતંત્ર પર્યેષકબુદ્ધિથી કાવ્યતત્ત્વનો ફેરવિચાર કરવાની તેમનામાં વૃત્તિ દેખાતી નથી. ‘મેઘદૂત’ વિશે મલ્લિનાથની ટીકાને અનુલક્ષીને તેમણે રજૂ કરેલું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ નોંધે છે કે... એ જમાનાનું રુચિતંત્ર કાલિદાસમાં જ્યાં ત્યાં આવી કામી દશાનું જ રહસ્ય શોધે એ સ્વાભાવિક છે. એટલે કાલિદાસ જેવા કવિઓને રૂઢ રુચિવૃત્તિથી કે પરંપરાગત કળાદૃષ્ટિએ નહિ, સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવવા જોઈએ. અહીં તેમની ચર્ચામાં ગૂંચ ઊભી થતી હોવાનું લાગશે. અગાઉ ઐતિહાસિક અભિગમને લગતો ખ્યાલ સ્પષ્ટ કરતાં વિવેચ્ય કૃતિને એના મૂળ ઐતિહાસિક/સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાને તેમણે અનુરોધ કર્યો હતો. અહીં તેઓ આધુનિક કળાવિચારના પ્રકાશમાં કાલિદાસાદિ કવિઓનું મૂલ્યાંકન કરવાને સૂચવે છે. તો, વિવેચનમીમાંસાનો આ એક ઘણો મોટો કૂટ પ્રશ્ન થયો! વિવેચકે પ્રાચીન મધ્યકાલીન પરંપરાના સાહિત્યને કેવી રીતે જોવું અને મૂલવવું ઘટે? કૃતિ/કર્તાને ‘ન્યાય’ કરવાની હંમેશાં વાત થાય છે. પણ આ ‘ન્યાય કરવો’ એટલે શું? સાહિત્યકૃતિને ન્યાય કરવો એટલે એનું સાચું ‘રહસ્ય’ પામવું, પણ તો એ કેવી રીતે શક્ય બને? સાહિત્યકૃતિને એવો કોઈ નિરપેક્ષ ‘અર્થ’ સંભવે છે ખરો, જે સમય જતાં ય કે દૂર સ્થળકાળમાં અવિકારી અને અપરિવર્ત્ય જળવાઈ રહે? અંતે, સાહિત્યકૃતિ એ કોઈ સમયબદ્ધ–ઇતિહાસબદ્ધ વસ્તુ છે કે સમયાતીત, તેનો ય ખ્યાલ કરવાનો આવે. આજે વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે ભૂતકાળની કૃતિઓનું રહસ્ય વર્તમાનની ભૂમિકા પરથી જ સમજી શકાય. અર્થાત્‌, કૃતિને આપણી આજની સાંસ્કૃતિક ભૂમિકાએથી તેનું રહસ્ય ઘટાવીને–તેનું પુનઃ અર્થઘટન કરી આપીને–જ સાચી રીતે સમજી શકો. અને બીજા કેટલાક તો એમ કહે છે કે ભૂતકાળની કૃતિને તમે વર્તમાનની ભૂમિકાથી અળગા થઈને જોઈ જ ન શકો. અર્થાત્‌ ભૂતકાળની કોઈ પણ કૃતિનું હાર્દ વર્તમાનના સંદર્ભમાં જ પ્રગટ થતું હોય છે. એટલે આ પ્રશ્ન, અંતે, જ્ઞાનમીમાંસાના ક્ષેત્રમાં આપણને દોરી જતો જણાશે.&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓ સામાજિક હકીકત – social facts – છે, એમ બળવંતરાયે કહ્યું, અને સમાજજીવનના વિકાસ અર્થે તેનું અનન્ય મહત્ત્વ પણ તેમણે સ્વીકાર્યું; છતાં, કળાકૃતિઓ સર્વજનભોગ્ય હોય એમ તેઓ માનતા નથી. ઉત્તમ કળાકૃતિ માણવાને ભાવક અધિકારી હોવો જોઈએ, તેનામાં એ વિશે પૂરી સજ્જતા હોવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું છે. માતૃભાષામાં લખાયેલી પણ ખરેખરી નીવડી આવેલી કળાકૃતિના અનુભાવન અર્થે ય ભાવક પાસે મોટી તૈયારી જોઈએ. ‘બુદ્ધિ જ્ઞાન અને કવિતા પરિચયના પ્રમાણમાં જ – તેની કલ્પનાની કેળવણીના પ્રમાણમાં જ – તે ગ્રહણ કરી શકશે’, એમ તેઓ કહે છે. ગાંધીજી જ્યારે સાહિત્ય લોકગમ્ય બને તેની હિમાયત કરતા હતા, ત્યારે બળવંતરાય જેવા, ભાવકની રસગ્રહણ શક્તિ ખિલવવાને આગ્રહ રાખતા હતા : “કલાકૃતિના અણુ-અણુમાં અનુસ્યૂત કલાનો આત્મા, રસ-સંસ્કાર પામેલી બુદ્ધિ અને સૂક્ષ્મ સબળ બનેલી કલ્પનાને સંવેદ્ય છે, ન અન્યથા... કલા પામર ઇંદ્રિયો વડે ગ્રાહ્ય વસ્તુ જ નથી. કલાસૌન્દર્ય બુદ્ધિ અને કલ્પનાના ગ્રાહ્ય સૂક્ષ્મીકરણે જ બને છે.”૪૮  &lt;br /&gt;
સાહિત્ય અને વિવેચન બંનેય માનવસમુત્ક્રાંતિના ક્રમમાં વિકસતી, વિકાસશીલ, અને વિકાસોન્મુખ વસ્તુઓ છે. જે તે યુગનાં ‘સત્યો’ બંનેના હાર્દમાં નિહિત રહ્યાં હોય છે. અને સર્જકે તેમ વિવેચકે, જ્યાં સુધી જીવન અને જગત વિશે નવાં ‘સત્યો’ ઉદ્‌ભાસિત ન થાય ત્યાં સુધી એ ‘સત્યો’ને વળગી રહેવાનું છે, કે તેને જ અનુસરવાનું છે, એમ તેઓ કહે છે. પણ પ્રાપ્ત થયેલાં ‘સત્યો’ પણ કોઈ જડ વસ્તુ નથી. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’  એ ન્યાયે ‘સત્ય’ ‘સત્ય’ વચ્ચે ટકરામણો ચાલતી રહે છે, અને નવું ‘સત્ય’ પ્રકાશિત થાય છે. એટલે વિવેચન અર્થે જે તે યુગનાં પોતાનાં ‘સત્યો’ને જ લક્ષમાં લેવાનાં રહે, અને જ્યારે નવાં ‘સત્યો’ જડશે અને નવું શાસ્ત્ર ઊભું થશે, ત્યારે વિવેચનમાં એક નવી વ્યવસ્થા ઊભી થઈ હશે, કે રચવી પડશે.&lt;br /&gt;
પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87773</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87773"/>
		<updated>2025-04-27T07:59:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{Block center|&amp;lt;poem&amp;gt;&amp;lt;/poem&amp;gt;}}{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| III. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા  વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે.&lt;br /&gt;
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે.&lt;br /&gt;
{{center|૨.}}&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
અલબત્ત, નવલરામની જીવનકથામાં એ યુગના એ મહાન સમીક્ષકની વિવેચનપ્રવૃત્તિ તેમ જ તેમના અન્ય સાહિત્ય વિશે ગોર્વધનરામે ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કર્યું છે. તેમનો પોતાનો વિવેચનાત્મક અભિગમ એમાં તરફ ધ્યાન ખેંચે છે. નવલરામના સર્જન-વિવેચનને અવલોકવાને તેઓ નવલરામની વિદ્યાપ્રાપ્તિ અને માનસિક સજ્જતાનો, તેમનાં રુચિવલણોનો, તેમજ તેમના જીવન અને સાહિત્યને જોવા સમજવાનો વિશાળ પરિપ્રેક્ષ્ય સ્વીકારે છે. ચરિત્રાત્મક (biographical), નીતિપરક (moral), અને ઐતિહાસિક (historical) એમ વિભિન્ન અભિગમો એમાં એકત્રપણે કામ કરતા જોઈ શકાશે. નવલરામે પોતે ગ્રંથસમીક્ષાઓ/વિવેચનો અર્થે જે પદ્ધતિ નિપજાવી લીધી હતી તેમાંય આવા અભિગમો એકત્ર થયેલા હતા. પણ નવલરામે કે ગોવર્ધનરામે વિવેચન અર્થે પોતે યોજેલી પદ્ધતિ વિશે સંપ્રજ્ઞપણે ખાસ તત્ત્વચિંતન કર્યું દેખાતું નથી. પણ સાહિત્યકળાના સ્વરૂપ વિશે તેમ તેનાં પ્રયોજનો વિશે તેઓ જે રીતે વિચારી રહ્યા હતા, કહો કે સાહિત્યને યથાર્થ રૂપે પામવા તેમના મનમાં જે ખ્યાલો પડ્યા હતા, તે તેમના વિવેચનાત્મક અભિગમ સાથે સારી રીતે મેળમાં છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
નવલરામની ગ્રંથપરીક્ષાપ્રવૃત્તિની ચર્ચાને અનુલક્ષીને ગોવર્ધનરામ પોતે પુસ્તકપરીક્ષક કે વિવેચકનું કાર્ય આ રીતે સ્પષ્ટ કરે છે : “પુસ્તકપરીક્ષકનું ખરેખરું કામ તો એ છે કે એક તો નવીન અપ્રસિદ્ધ ગ્રંથકારમાં યોગ્યતા હોય તો તે દર્શાવી આપી પ્રગટ કરી એ ગ્રંથકારનો હાથ ઝાલી સાક્ષરવર્ગ આગળ એને પ્રસિદ્ધ કરવો. અને બીજું, પ્રતિષ્ઠિત ગ્રંથકારના ગુણનું પૃથક્કરણ કરી વાંચનારાઓ આગળ એ ગુણો પારદર્શક કરી આપવા.”૧૪ ગોવર્ધનરામ નોંધે છે કે નવલરામે આ ધર્મ ઘણા વિવેકપૂર્વક બજાવ્યો છે, અને તેમના વિવેચનકાર્યમાં જે ઠરેલપણું જોવા મળ્યું તેની પણ તેમણે પ્રશંસા કરી છે. પણ અહીં આપણને પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. નવલરામ અને ગોવર્ધનરામ બન્ને વિવેચનપ્રવૃત્તિને સાહિત્યના સર્જક અને ભાવક બંને સાથે સાંકળીને જૂએ છે. વિવેચકને બન્ને તરફ ચોક્કસ ઉત્તરદાયિત્વ છે, નૈતિક કર્તવ્ય છે, એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી ગ્રંથકારોના ગ્રંથોની પરીક્ષા સાથે નવલરામનું નામ વધારે જોડાયેલું છે’ – એમ નોંધી નવલરામે ગ્રંથપરીક્ષક તરીકે કેવી તો કપરી કામગીરી બજાવી છે તે વિશે તેઓ આપણું ધ્યાન ખેંચે છે. ગ્રંથપરીક્ષકનું કાર્ય અને કાર્યક્ષેત્ર વર્ણવતાં તેઓ એક મહત્ત્વની ભૂમિકા રજૂ કરે છે. એ યુગની વ્યાપક સમજ એમાં છતી થાય છે.&lt;br /&gt;
“...પણ આ દેશના તેમ જ પરદેશના સર્વ વિદ્વાનોનો મત એવો છે કે, ગ્રંથપરીક્ષા એટલે ગ્રંથમાં સારું શું છે તે જાણવું અને જણાવવું. ગ્રંથમાં તો શું પણ સર્વત્ર પરીક્ષાનો એ જ હેતુ છે કે ફલાણાએ શું કામ કર્યું તે જોવું; શું કામ કર્યું એટલે શું સારું કામ કર્યું. કોઈએ શું કામ નથી કર્યું તેની પરીક્ષા નથી હોતી. કોઈએ કેટલું નઠારું કામ કર્યું એટલું જ માત્ર જોવા જવું એવી પરીક્ષા કોઈ સુપરીક્ષક માથે લેતો નથી. ફૂલની સુવાસના જોનાર હોય છે. દુર્ગન્ધ શોધનાર અભાગિયા હોતા નથી. ગ્રંથપરીક્ષક એ ગ્રંથરૂપ પુષ્પોનો ભોગી ભ્રમર છે. તે સ્થળેથી પરાગ અને મધુના પરમાણુ શોધી કાઢી તેનો સંચય કરે છે, અને એના રચેલા મધપૂડાઓનું મધ તેને પોતાને તેમ અન્ય લોકને કામે લાગે છે. ગ્રંથના ગુણની પરીક્ષા કરવી, એ ગુણનો જાતે ઉપભોગ કરી આનંદ અનુભવવો, અને એ આનંદ પામવા ગ્રંથના વાંચનારાઓને સમર્થ કરવા, પોતે સરસ અન્ન જમવું અને બીજાને જમાડવા – આ આનંદની ઉજાણી આપવી, એ જ ગ્રંથપરીક્ષકનો અભિલાષ હોય છે. એ અભિલાષ જેને ન હોય તે પરીક્ષક જ નથી.”૧૫&lt;br /&gt;
વિવેચકના અવલોકનીય કૃતિ પરત્વેના અભિગમમાં અહીં જુદો ઝોક વરતાશે. પરીક્ષક કૃતિના ગુણદોષની પરીક્ષા કરે, ભલે કરે, તેનું મુખ્ય પ્રયોજન કૃતિનો આસ્વાદ લેવાનું અને ભાવકોને તેમાં સંમિલિત કરવાનું છે. કૃતિની કેવળ નિંદા—કેવળ દોષદર્શનની વૃત્તિ—તેમને ઇષ્ટ નથી. કૃતિ પરત્વે આમ positive attitude કેળવવાનો તેઓ આગ્રહ રાખે છે. અગર કૃતિમાં વિવેચક દોષ જૂએ તો પણ તેની ગુણસમૃદ્ધિના સ્વીકાર પુરસ્કાર સાથે જુએ. સર્જકના પ્રયત્નને પૂરા સમભાવથી તેણે ઓળખવાનો છે. પરીક્ષકમાં જ્યાં સુધી પ્રસ્તુત કૃતિ (કે કર્તા) પરત્વે ‘અનુકંપા’ જન્મતી નથી—‘અનુકંપા’ દ્વારા તેમને સહૃદયભાવ અભિપ્રેત હોવાનું સમજાય છે—ત્યાં સુધી તેમાંના ‘ગુણ જોવાની દૃષ્ટિ’ ‘ઉઘડતી’ નથી એમ તેઓ કહે છે. વિવેચનપ્રવૃત્તિને લગતો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. સાહિત્યકળાના પ્રશ્નો વિશે વિવેચકમાં ઘણી ઊંડી જાણકારી હોય, વિશાળ જ્ઞાનવિજ્ઞાનનો સંપર્ક હોય, પણ કૃતિને સહૃદયભાવે જોવાની તત્પરતા ન હોય, તો તેની એ સજ્જતા ભાગ્યે જ કાર્યસાધક નીવડે. કૃતિના સૂક્ષ્મતમ રમણીય અંશોનું ગ્રહણ કરવા તેમ તેનું હાર્દ ઓળખવા, તેનું સમગ્ર ચિત્ત પૂરેપૂરું કૃતિને અભિમુખ બની રહેવું જોઈએ. કૃતિ કે કર્તા વિશેનો અજ્ઞાતરૂપનો અણગમો કે અરુચિનો ભાવ કૃતિના હાર્દ સુધી પહોંચવામાં અંતરાય રચી દે, તેની રસકીય ચેતનાને કૃતિના સર્જનાત્મક અંશોમાં વિસ્તરતાં પહેલાં જ કુંઠિત કરી દે, એવો પૂરો સંભવ રહે છે.&lt;br /&gt;
કૃતિના વિવેચન-મૂલ્યાંકનનો એક કૂટ પ્રશ્ન અહીં રોપાયેલો છે. વિવેચકે કૃતિના ‘ગુણો’ બતાવવાના છે એમ આપણે કહીએ છીએ, ત્યારે ય ‘ગુણતત્ત્વ’ કંઈ કૃતિમાં સહેલાઈથી locate કરી આપી શકાય તેવી વસ્તુ નથી, એ આપણે સ્મરણમાં રાખવાનું છે. અંતે, ‘સાહિત્યિક ગુણ’—એ મૂલ્યબોધની વસ્તુ છે. કૃતિના આસ્વાદની પ્રક્રિયામાં ભાવયિત્રી પ્રતિભા એની સાથે જે રીતે encountering કરે છે, તેમાં આ જાતનો મૂલ્યબોધ સંભવે છે. અભિનવગુપ્તે સહૃદયની આંતરક્ષમતાનું વર્ણન કરતાં આમ કહ્યું છે : “સહૃદય તો તે જેનું મનોમુકુર કાવ્યાનુશીલનના અભ્યાસથી વિશદીભૂત થયું છે, ‘વર્ણનીય’ સાથે તન્મય બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે, અને હૃદયસંવાદની ક્ષમતાવાળું છે.”૧૬ અભિનવે મનોમુકુરને વિશદીભૂત હોવાનું અનિવાર્ય લેખ્યું છે, પણ મર્મજ્ઞ અભ્યાસીઓએ નોંધ્યું જ હશે કે ભાવકચિત્તની ‘વિશદતા’ એ કોઈ શૂન્ય ભાવાવસ્થા નથી : કાવ્યાનુશીલનથી, તેના દીર્ઘ અભ્યાસથી, તે ‘વિશદ’ બન્યું છે એમ તેમનું કહેવું છે. અર્થાત્‌ કૃતિનાં રમણીય—અરમણીય તત્ત્વોને ઓળખવા બાબતે ચિત્તમાં કોઈ સંદિગ્ધતા નથી, કોઈ ગૂંચ નથી. એટલે, રમણીયતાના બોધ પરત્વે ચિત્તમાં કશીક સ્થિર દ્યુતિમય દૃષ્ટિની તેમને અહીં અપેક્ષા છે. પણ, એ સાથે જ, ‘હૃદયસંવાદ’ની ક્ષમતા જોઈએ એમ તેઓ કહે છે. ગોવર્ધનરામે આગવી રીતે આ જ વિચાર સ્પષ્ટ કર્યો છે.&lt;br /&gt;
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!&lt;br /&gt;
{{center|૩.}}&lt;br /&gt;
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.&lt;br /&gt;
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.&lt;br /&gt;
લેખના આરંભમાં જ તેઓ ટીકાપ્રવૃત્તિનું માહાત્મ્ય રજૂ કરવા પ્રેરાયા છે. આ સંદર્ભે એક જૂનો સંદર્ભ તેમણે ટાંક્યો છે. શ્રી ભોજરાજે પોતાની ‘રાજમાર્તંડ’ નામની યોત્રસૂત્રવિષયક ટીકાના મંગલાન્તે એક માર્મિક ટકોર કરી છે : “જે દુર્બોધ હોય તેને ‘એ તો સ્પષ્ટ છે’ એમ કહીને (ટીકાકારો) તજી દે છે, ને જે સ્પષ્ટાર્થ હોઈ તેના ઉપર પંડિતાઈ બતાવવા નકામા નકામા સમાસાદિનો વિગ્રહ સમજાવવાનું ડોળ કરી બહુ ટાયલું વિસ્તારે છે. જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવળ નિરૂપયોગી બહુ બહુ વાતો દાખલ કરી ઊલટો વાંચનારને મિથ્યા ભ્રમ પેદા કરે છે. એમ પ્રાયશઃ ટીકા કરનારા શુદ્ધ સવસ્તુ (?) હોય તેને કેવળ ચુંથી નાખે છે.”૧૭ દેખીતું છે કે શ્રી ભોજરાજ અહીં પોતાના જમાનાના અમુક બની બેઠેલા ટીકાકારોને ઉઘાડા પાડવા માગે છે. મણિલાલ આ સંદર્ભ રજૂ કરી તરત જ નોંધે છે કે શ્રી ભોજરાજે આ જે નિંદા કરી છે તે શ્રી શંકરાચાર્ય કે શ્રી મલ્લીનાથ જેવા મહાન પ્રતિભાશાળી પુરુષોને લક્ષમાં રાખીને નહિ જ કરી હોય. આ અંગે વધુ નિરાકરણ કરતાં તેઓ નોંધે છે : “યદ્યપિ ટીકાકારો મૂલવસ્તુનો વિકલવ કરનારા છે એ નિઃસંશય છે. તથાપિ ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર, આદિ અનેક દર્શનોના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે?”૧૮ અને એના સમર્થનમાં ઉમેરે છે : “કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે તેમ તેના પાશ્ચાત્ય સમધર્મા શેક્સપીઅરને જરવાઈનસે અમર કર્યો છે.”૧૯ અહીં વક્તવ્યની રજૂઆતમાં મણિલાલનો લાક્ષણિક તર્કવાદ ધ્યાનપાત્ર છે. વિવેચનની ઊણપો મર્યાદાઓ અને નિષ્ફળતાઓ તેમને ધ્યાન બહાર નથી, પણ એ બધુંય સ્વીકાર્યા પછી વિવેચનની અનિવાર્યતા તો ઊભી રહે જ છે, એમ તેમને અભિપ્રેત છે. તેઓ સ્પષ્ટપણે નોંધે છે કે કૃતિના ‘ગુણો’ની ગણના તેના ઉદ્‌ભવની સાથે જ થાય એવું ક્વચિત જ બને છે. પણ કૃતિમાં આંતરસત્ત્વ હોય તો એની ગણના વહેલીમોડી થયા વિના રહેતી નથી.&lt;br /&gt;
પોતાના જમાનામાં વિવેચન કે સમીક્ષા અર્થે પ્રચલિત બનેલા ‘ટીકા’ શબ્દની વ્યાખ્યા કરતાં મણિલાલ કહે છે : “ટીકા શબ્દનો મુલ અર્થ તો સ્પષ્ટીકરણ, વિશેષ વિચાર, વિવેચન અવલોકન એટલો જ છે.”ર૦ આ રીતે ‘ટીકા’ શબ્દ સાથે એ સમયમાં માત્ર નિંદાનો જે ખ્યાલ વ્યવહારજગતમાં પ્રચલિત હતો તેને તેઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કૃતિ/કર્તા વિશે કેવળ નિંદામાં રાચતો વિવેચક કોઈ રીતે ધ્યાનાર્હ નથી; તેમના મંતવ્યોને લેખામાં જ ન લેવાં, એવી પણ તેઓ હિમાયત કરે છે. બીજી બાજુ, લેખકોને અનુલક્ષીને તેઓ તેમને મતસહિષ્ણુતા કેળવવાને કહે છે. કોઈ કૃતિ વિશે સમીક્ષક ટીકાટિપ્પણી કરે કે ભિન્ન મત દર્શાવે તેથી કોઈએ આ બાબતે અસહિષ્ણુ બનવાનું નથી. લોકોમાં એવી એક સમજ પ્રચલિત છે કે ‘સો શાણાનો મત એક જ.’ પણ મણિલાલ કહે છે કે આ વાત બરોબર નથી. –“અમારું માનવું તો એમ જ છે કે મતભેદ એ કોઈ પણ દેશની વિદ્યાસમૃદ્ધિનું ચિન્હ છે, ને જેમ વસ્તુગત્યા અનિવાર્ય છે તેમ લાભકારી છે. સત્ય છે તે એવું નથી કે મતાંતર સહન ન કરી શકે. જે અસત્ય છે તે જ મતાંતર સહન કરવા અસમર્થ છે. ગમે તે બાજુએથી જુઓ પણ સત્ય પ્રતિભા સર્વથા એકરૂપે જ સમજાશે... મતાંતર સહન કરવું એ અતિ ઉદાર બુદ્ધિ અને વિશાળ વિદ્યા-પ્રસારનું ફલ અથવા લક્ષણ છે. ત્યારે લોક એમ સમજે છે કે ટીકા થઈ એટલે જ દોષ સિદ્ધ થયો તે ભ્રમ છે. એટલું જ નહિ પણ જેના ઉપર ટીકા નથી થતી તે દોષવાળું’ છે એમ હોવાનો સંભવ છે...”૨૧ અને આ સંદર્ભે તેઓ એક અતિ સમર્થ વિધાન કરે છે : “જે ગ્રંથ જે લેખ જે ઉક્તિ વિદ્વદ્‌ચર્ચાને યોગ્ય થઈ તે યદ્યપિ મતમતાંતરગ્રસ્ત હોય તથાપિ સાર્થ છે. ધન્ય છે. ઉત્તમ છે. વિશુદ્ધ છે.”૨૨ સમકાલીન માનસને ઉદ્દેશીને થયેલી આ ચર્ચા, આમ તો, પ્રાસંગિક જેવી છે, પણ એમાં મણિલાલની એક વિશેષ આસ્થા પ્રગટ થાય છે. વિશિષ્ટ દૃષ્ટિબિંદુ કે વિશિષ્ટ વ્યક્તિત્વનો અંશ લઈને આવતી કૃતિ અન્ય પ્રતિભાને પડકારે, પ્રચલિત ખ્યાલને આઘાત આપે, તો તે સહેજે વિવાદાસ્પદ નીવડવાની જ. પણ એવી કૃતિ પ્રાણવાન અંશ લઈને આવી હોવાથી અનેક દિશાની ટીકાઓ આલોચનાઓ છતાં તે અખંડ અને અક્ષત રહેવાની છે. જે સત્ત્વહીન છે, નિષ્પ્રાણ છે. નિર્જીવ છે, તે કૃતિ કોઈ મતમતાંતરને પડકારી શકે નહિ. જેમાં સામર્થ્ય છે, સત્ત્વ છે, પ્રાણશક્તિ છે, તે જ સામાને પડકારે છે. આમ, મણિલાલ વિવેચનપ્રવૃત્તિની સંગીન પ્રતિષ્ઠા કરી શક્યા છે.&lt;br /&gt;
આપણા દેશમાં પ્રાચીન સમયે ચાલેલી ટીકાપ્રવૃત્તિ અને અર્વાચીન સમયમાં પશ્ચિમમાં પ્રચલિત થયેલી ગ્રંથાવલોકન (review) પ્રવૃત્તિ વચ્ચે મણિલાલે જે સૂક્ષ્મ ભેદ કર્યો છે તે દ્યોતક છે : “પ્રાચીન ટીકામાં, જે હોય તેનો જ આશય સ્પષ્ટ કરાય છે. અવલોકનમાં તે ઉપરાંત તે વિષયનું સાંગ સ્ફોટન નિરૂપાય છે. જે વિષય હોય તે જ વિષયને પુનઃ અવલોકી તેનું રૂપ જેવું નિરૂપ કે આલેખ્યું હોય તેવું અન્ય રીતે પણ મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવું એ અવલોકનનો વિષય છે.”૨૩ મણિલાલને અહીં સૂચવવું છે કે પ્રાચીન ‘ટીકા’ પદ્ધતિમાં કૃતિના અંગ ઉપાંગનું અલગ વિવરણ થાય છે, અને કર્તાનો ‘આશય’ સમજવાનો ઉપક્રમ તેમાં હોય છે. જ્યારે અર્વાચીન ‘અવલોકન’માં એ વસ્તુ ઉપરાંત કૃતિના ‘વિષય’નું ‘સાંગ સ્ફોટન’ નિરૂપાય છે. તાત્પર્ય કે, કૃતિમાં રજૂ થયેલા સમગ્ર વિષયને અનુલક્ષીને સમીક્ષા થાય છે. જો કે (review) લેખે ‘અવલોકન’નું પ્રયોજન કૃતિના વિસ્તૃત સર્વાંગી અધ્યયન-પરિશીલન કરતાં સીમિત છે એ હકીકત તરફ પણ તેઓ આપણું લક્ષ્ય દોરે છે : “અવલોકનનો હેતુ તો માત્ર એટલો જ છે કે પ્રકૃત વિષય જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરતાં તેના ઈતરથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મૂકવો. એમ કરતાં હેયોપાદેય અંશ બતાવવા પડે તેમાં કંઈ હાનિ નથી, પણ તે બતાવવા એ જ અવલોકનનો હેતુ નથી. બીજી રીતે બોલીએ તો પ્રકૃત લેખકને ઉપદેશ આપવો એ અવલોકનનો હેતુ કે વિષય નથી, તન્નિરુપિત વિષયને સ્પષ્ટ કરી વાચકોને શુદ્ધ બોધ કરવો એ તેનો હેતુ ને વિષય છે.”૨૪ મણિલાલની આ ચર્ચા કંઈક અસ્પષ્ટ છે. પણ તેમને અહીં કદાચ એમ પ્રતિપાદિત કરવું છે કે review (અવલોકન) કરનાર કૃતિના વર્ણ્યવિષયનું exposition કરે તો ય તે પૂરતું હશે, કૃતિની કળાત્મક સિદ્ધિ અસિદ્ધિના પ્રશ્નમાં તે ઊંડો ન ઊતરે તો ય ચાલશે.&lt;br /&gt;
અવલોકનકારે પૂરા સમભાવથી, કર્તાના મૂળ આશયને લક્ષમાં રાખીને, અવલોકનમાં પ્રવૃત્ત થવાનું છે એમ મણિલાલ કહે છે : “વિષયને રૂપાંતરે નિરૂપનારને પણ સહન કરવો એ અવલોકનકારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પોતે તે વિષયને કેવો નિરૂપિત એ બતાવવાનું કામ તેનું નથી, પણ જેવો નિરૂપિત કર્યો છે તેવા શા પ્રકારે કર્યો છે તથા તેમાં શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે”૨૫ કૃતિના અવલોકન અર્થે પ્રવૃત્ત થતાં તે જે રીતે ઘાટ પામી છે એની પાછળ કર્તાનો પોતીકો એવો જે ખ્યાલ કામ કરી રહ્યા છે તેની અવલોકનકારે પ્રથમ નોંધ લેવાની છે. આ ચર્ચા જો કે સર્જન વિવેચન અને ચિંતનની સર્વ પ્રકારની કૃતિઓને લક્ષતી હોવાથી સર્જનાત્મક કૃતિઓના વિવેચનના અમુક પ્રશ્નો ઢંકાઈ જવા પામ્યા છે. સર્જનાત્મક કૃતિમાં સર્જકનો મૂળ ‘આશય’ (Intention) શો હતો એ વિશે નિર્ણય કરવાનું સહેલું નથી. કૃતિની રચના પૂર્વે સર્જકે, ક્યાંય પણ નોંધ વ્યાખ્યાન કે જાહેર ઉદ્‌ગાર રૂપે, પોતાની અમુક અમુક કૃતિની રચનામાં પોતાનો અમુક ‘આશય’ હતો, અથવા પોતે એ કૃતિમાં અમુક વસ્તુ રજૂ કરવા ચાહતો હતો એમ કહ્યું હોય તો એવો ‘આશય’ એ એક વસ્તુ છે, અને સર્જનકર્મને અંતે સિદ્ધ થયેલી કળાકૃતિ એ બીજી વસ્તુ છે. સર્જનની પ્રક્રિયામાં મૂળની અનુભવસામગ્રી અજ્ઞાતપણે કે અણધારી રીતે નવા જ અર્થો અને નવાં જ મૂલ્યો છતાં કરી આપે એમ બનતું હોય છે. સર્જનની સમસ્ત પ્રક્રિયામાં સર્જકચિત્તની આંતરિક ખોજ ચાલતી રહે છે. એટલે કૃતિના આરંભે ઉપલબ્ધ થયેલી વસ્તુસામગ્રી અંતમાં પૂર્ણરૂપ ધરે છે ત્યાં સુધીમાં તેનું ઓછુંવત્તું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એટલે કૃતિની રચના પૂર્વેનો સર્જકનો પ્રગટ આશય અપ્રસ્તુત બની રહે છે. પણ, તો પછી, કૃતિના વિશિષ્ટ આકાર પાછળ કોઈ ‘આશય’, કોઈ ‘નિયામક તત્ત્વ’ જ નહિ હોય? પ્રશ્ન અતિ કૂટ છે. આ ‘આશય’ કે ‘નિયામક તત્ત્વ’ તે રચના પૂર્વે સર્જકે જાહેર કરેલી વસ્તુ નથી : સર્જનાત્મક કૃતિના હાર્દમાં અનુસ્યૂત રહેલી એ વસ્તુ છે. સર્જનની ક્ષણોમાં રચાતા આવતા અંશોમાં એ એક કેન્દ્રીય ગતિ-શીલ તત્ત્વ રૂપે સક્રિય બને છે, જો કે એને કોઈ કારિકા કે તર્કવિધાન રૂપે ઘટાવી ન શકાય. એક રીતે સમસ્ત કૃતિને, તેની રૂપરચનાને, આવું કોઈ ગતિશીલ તત્ત્વ નિયંત્રિત કરે છે. એટલે કે કૃતિ સ્વયં એનો આવિષ્કાર કરે છે. અહીં ‘આશય’ એ સમસ્ત કૃતિમાં વ્યાપી રહેલું—પ્રવર્તક બનેલું તત્ત્વ છે.&lt;br /&gt;
નવ્ય વિવેચકોમાં વિલિયમ વિમ્સોત્‌ અને મોન્રો બિયડર્‌ઝલીએ The Intentional Fallacy નામે એક સમર્થ લેખ કર્યો છે, તેમાં સાહિત્યકૃતિની સ્વતંત્ર સ્વાયત્ત સત્તા સ્થાપવાને કર્તાના ‘આશય’થી તેને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યના ‘અર્થ’ને કર્તાના ‘આશય’ને અનુલક્ષીને નહિ, તેના સંસિદ્ધ આકારને લક્ષીને ઘટાવવાનો છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે. જો કે તેમનો એ સિદ્ધાંત વિવાદમુક્ત નથી. કૃતિવિવેચનમાં અમુક અર્થઘટન વધુ વ્યાજબી છે, વધુ પ્રમાણભૂત છે, એ જાતની ચર્ચા જાણ્યે અજાણ્યે ય કર્તાની વિવક્ષાને ધોરણ તરીકે સ્વીકારી લેતી હોય એમ જોવા મળેશે.&lt;br /&gt;
બીજી બાજુ, કર્તાને ‘વિવક્ષિત અર્થ’ કે ‘આશય’ તે જ કળાકૃતિનો એક માત્ર ‘અર્થ’ એમ લેતાં, સમૃદ્ધ કૃતિનાં વિભિન્ન અર્થઘટનોને માટે અવકાશ રહેશે નહિ. ‘હેમ્લેટ’ જેવી અનન્ય ટ્રેજડીનું માનસશાસ્ત્રીય, માર્ક્‌સવાદી, મિથિકલ એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ આપણા સમયમાં અર્થઘટન થતું રહ્યું છે. હવે જો એના સર્જક શેઈક્‌સ્પિયરને વિવક્ષિત ‘અર્થ’ને જ પ્રમાણભૂત ગણીએ-જો કે, એ કૃતિમાં શેઈક્‌સ્પિયરને ખરેખર શું વિવક્ષિત હતું તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી–તો પાછળના સમયના બીજા અનેક સર્જકો વિવેચકોનાં અર્થઘટનો ખોટાં ન ઠરે? એટલે, લેખકના મૂળ ‘આશય’ને મણિલાલ લક્ષમાં લઈને ચાલવાનું કહે છે, પણ author’s intention કે intended meaningના પ્રશ્નો તાત્ત્વિક ભૂમિકાએથી ઉકેલવાના રહે છે. આજની પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા આ વિશે ઘણી ઊંડી તપાસ કરી ચૂકી છે.&lt;br /&gt;
મણિલાલ પ્રાચીન પરંપરાના અભ્યાસી છે, અને તે માટે પક્ષપાતી પણ છે. ટીકાકારો/વિવેચકો માટે પ્રાચીન શાસ્ત્રોમાંથી તેઓ માર્ગદર્શક સિદ્ધાંતો શોધી લાવ્યા છે. નોંધે છે કે આપણાં શાસ્ત્રોમાં ‘અનુબંધ ચતુષ્ટ્ય’નો વિવેક રાખેલો છે. દરેક અવલોકનકારે એ ચાર ‘અનુબંધ’ જાળવીને અવલોકન કરવું, એથી ‘દોષ’ થવાનો સંભવ ઓછો રહે છે : (૧) વિષય—એટલે લેખનો વિષય (૨) સંબંધ–લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયનો સંબંધ (૩) પ્રયોજન એ લેખની પ્રવૃત્તિનું કારણ (૪) અધિકાર–કોને માટે એ લેખ લખાયો છે તે.&lt;br /&gt;
મણિલાલ આ સંદર્ભે સ્પષ્ટતા કરે છે કે આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલોકન કર્યું હોય તો ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જતાં પ્રકૃત વિષયના રૂપને જ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય’ અને અવલોકનકાર એ રીતે ‘પોતાના કૃત્યમાં વિજયી નીવડે.’ અવલોકન અર્થે પ્રાચીન શાસ્ત્રને અભિમત એવી આ જે ભૂમિકા મણિલાલે રજૂ કરી તેમાં પ્રકૃત કૃતિને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવા અવલોકવાનો ઉપક્રમ પડેલો છે. પણ, અહીં પણ, સર્જનની તેમ ચિંતનની કૃતિઓનો સાથોસાથ વિચાર કરવામાં મુશ્કેલી રહી છે. ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જાય’ તે રીતે અવલોકન કરવાનો આદર્શ તેમણે અહીં પુરસ્કાર્યો છે, પણ સર્જનાત્મક કૃતિઓના સંદર્ભે એ આદર્શ શક્ય છે? અથવા તો શક્ય છે, તો વ્યાજબી છે? એ ખરું કે વિવેચનને ‘શાસ્ત્ર’ની કોટિએ સ્થાપવાના અનેક આધુનિક ચિંતકો વિવેચકો દ્વારા સમર્થ પ્રયત્નો થયા છે, વિવેચનની પદ્ધતિને ‘વૈજ્ઞાનિક’ બનાવવાના પ્રયત્નો ય હાથ ધરાયા છે, પણ હજી સુધી એ ‘વિજ્ઞાન’ બની શક્યું નથી, અને નજીકના ભવિષ્યમાં બનશે એવાં કોઈ એંધાણ વરતાતાં નથી. કૃતિના અવલોકન/વિવેચનમાં અનિવાર્યતયા વિવેચકનું કશુંક personal કશુંક subjective ઊતરી આવ્યું હોય છે. કૃતિના મૂલ્યબોધમાં તેનાં આગવાં રુચિવલણો અને આગવાં કળાદૃષ્ટિ જ્ઞાત કે અજ્ઞાતપણે નિર્ણાયક બની હોય છે. વાસ્તવમાં, કૃતિના રસગ્રહણની ક્ષણોમાં જ કશુંક વૈયક્તિક રૂપે પમાતું હોય છે.&lt;br /&gt;
વિવેચનમીમાંસામાં, ખરેખર તો, મણિલાલે સ્પર્શેલો આ મુદ્દો એક બીજો પાયાનો પ્રશ્ન બને છે. કર્તાને ‘ન્યાય’ કરવો છે. એ માટે આર્નોલ્ડને અભિમત ‘seeing things as they are’-નો આદર્શ આપણે નજર સમક્ષ રાખવા માગીએ છીએ. પણ સાહિત્ય કૃતિ એના વિશિષ્ટ ontological statusને કારણે તો પડકારરૂપ બને છે. સુવિદિત છે કે શબ્દના માધ્યમમાં વિશિષ્ટ રીતે કંડારાયેલી કૃતિ સ્વયં એક સંકુલ ભાવસૃષ્ટિ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અર્થો-અર્થચ્છાયાઓ અને મૂલ્યોના સંદર્ભો એમાં સજીવપણે ગૂંથાયેલા છે. રચનાગત તેમ સાંસ્કૃતિક મૂલ્યો એમાં સાથોસાથ રજૂ થતાં હોય છે. પણ કૃતિનું રહસ્ય કોઈ તાર્કિક વિધાન રૂપે તારવી શકાય નહિ. ભાવકની અખિલ વ્યક્તિતા કૃતિની સાથે encounter કરે છે, ત્યારે એ સંનિકર્ષમાં કૃતિમાંનાં મૂલ્યો ઉદ્‌ભાસિત થવા લાગે છે. ભાવકની જેવી જેવી સજ્જતા, જેવા જેવા તેના interests, તે પ્રમાણે અર્થો અને મૂલ્યોની ભાત તેમાં ઊપસી આવે એવો સંભવ છે. વિદ્વાનો અને વિવેચકોનો એક મોટો વર્ગ આજે કળાકૃતિમાં કોઈ એક જ નિશ્ચિત અને નિરપેક્ષ અર્થ સ્વીકારી લઈને ચાલવા તત્પર નથી. કૃતિના સંકુલ અનુભવને તમે કઈ વિભાવના કે વિભાવનાઓના માળખામાં રહીને જૂઓ છે, તે પ્રમાણે તેનું રહસ્ય છતું થશે એમ તેઓ કહેવા માગે છે. તાત્પર્ય કે, કૃતિ ‘જેવી છે તેવી’ને ઓળખવી એ ખ્યાલ આજે તો વિવાદાસ્પદ બની રહ્યો છે.&lt;br /&gt;
મણિલાલ એમ પણ નોંધે છે કે વિવેચ્ય કૃતિ વિશે વિવેચક સીધેસીધો જ મત જાહેર કરે પણ તેના સમર્થનમાં કોઈ જાતનું સ્પષ્ટીકરણ ન આપે, કોઈ આધાર ન આપે, દાખલા દૃષ્ટાંત કે પુરાવો ન આપે, તો તેનો મત ભાગ્યે જ સ્વીકાર્ય બનશે. બીજી બાજુ, કૃતિ વિશેનો અભિપ્રાય પૂરતાં કારણો અને પૂરતી સાબિતી સાથે રજૂ થયો હશે તો વાચકને માટે ભિન્ન લાગતો અભિપ્રાય પણ પ્રતીતિકર બનશે, તેને સંભવતઃ સ્વીકાર્ય બનશે. વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત, આમ, તાર્કિક પ્રતિપાદન (logical discourse)ને મહત્ત્વનું સ્થાન છે, એમ મણિલાલ સૂચવી દે છે. વિવેચન માત્ર અભિપ્રાય વ્યક્ત કરીને થંભી જાય તે પૂરતું નથી. એ અભિપ્રાય પાછળ કૃતિમાંના આધારો હોવા જોઈએ, બલકે એવા અભિપ્રાય/નિર્ણય પર પહોંચવાની તાર્કિક ભૂમિકા યે સ્પષ્ટ થવી જોઈએ. વિવેચનના સ્વરૂપમાં આમ તાર્કિક ચિંતનની પ્રક્રિયા દ્વારા તેનો વિશેષ પુદ્‌ગલ બંધાવા પામે છે.&lt;br /&gt;
‘વિવેચન’ નામની પ્રવૃત્તિના સ્વરૂપવિચારમાં, આમ જુઓ તો, મૂળથી જ મુશ્કેલી રહી છે. વિવેચક કૃતિના ‘રહસ્ય’ને પ્રકાશમાં લાવવા ચાહે છે, અને એ ‘રહસ્ય’ની ઓળખ તેને ‘સ્વ-સંવેદન’થી—‘આત્મપ્રતિતી’થી—થાય છે. કોઈ તાર્કિક ચિંતન દ્વારા કે કાર્યકારણના પ્રતિપાદન દ્વારા એ ‘રહસ્ય’ સુધી પહોંચી શકાતું નથી. સહૃદયને એની સહજ જ્ઞાન રૂપે ઉપલબ્ધિ થાય છે, જીવંત અનુભૂતિરૂપે એની પ્રતીતિ થાય છે. એટલે એવા જીવંત સંવેદ્ય તત્ત્વને અનુલક્ષીને કૃતિ વિશે વાત કરવા જાય છે ત્યારે તેની સામે અનિવાર્યતયા એક dilemma ઊભો થાય છે. મૂળનું રહસ્ય જે આકારમાં, જે ભાષામાં, વ્યક્ત થયું છે, તેને બીજી રીતે મૂકતાં તે ઓછેવત્તે અંશે નંદવાઈ જાય છે. અને છતાં તેને જે કંઈ મૂલ્યવાન લાધ્યું છે, તેની બને તેટલી બુદ્ધિગ્રાહ્ય રજૂઆત પણ કરવાની છે. તે પોતાના વિવેચન—exposition, description interpretation કે evaluation—કોઈ પણ સ્તરના આલેખનમાં તાર્કિક પ્રતિપાદન કરવા જાય છે, અને ત્યાં મૂળના રહસ્યમય અંશ સાથેનું અનુસંધાન તૂટી જતું હોય એમ લાગશે. આથી સર્જકોનો એક વર્ગ વિવેચનપ્રવૃત્તિને વંધ્ય ગણાવતો થયો છે. અને જેઓ આ પ્રવૃત્તિમાં રોકાયા છે તેમાં પણ બે ભિન્ન વિરોધી વલણો કામ કરતાં રહ્યાં છે. એક વિવેચકવર્ગ કૃતિના સજીવ સંવેદ્ય તત્ત્વોનું અખિલાઈમાં ગ્રહણ કરવા creative criticism કે appreciation પર બધો ભાર મૂકે છે, જ્યારે બીજો વર્ગ કૃતિ વિશેના જીવંત પ્રતિભાવોની ચર્ચા વધુ વ્યવસ્થિત, વધુ બુદ્ધિગ્રાહ્ય અને વ્યાપક સ્વીકૃતિ પામે તેવી શિસ્તબદ્ધ બનાવવાનો આગ્રહી છે. વિવેચન કળા છે કે શાસ્ત્ર, કળાસખી છે કે શાસ્ત્રસખી, એ પ્રશ્ન એ રીતે એના સ્વરૂપના હાર્દમાં પડેલો એક કેન્દ્રીય તાત્ત્વિક પ્રશ્ન છે.&lt;br /&gt;
કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્રના સંબંધને સ્પર્શે એવી એક પાયાની બાબત પણ મણિલાલે છેડી છે : “શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોકનકારને સિદ્ધપ્રદ છે કે નહિ?”૨૬–આવો પ્રશ્ન મૂકી તેઓ તરત સ્પષ્ટતા કરે છે કે આ શંકાના સમાધાન પરત્વે ‘એકમત્ય’ સંભવી શકે નહિ. ઉમેરે છે કે–“મહાન સાહિત્યકારોની કૃતિઓ સ્વયં શાસ્ત્રની પણ કારણરૂપ છે.”૨૭ મણિલાલને અહીં એમ અભિપ્રેત છે કે સાહિત્યજગતમાં સતત નવી નવી કૃતિઓ રચાતી આવે છે, અને એ રચનાઓ કંઈ આગલા યુગના કળાના સિદ્ધાંતો/નિયમોને ચુસ્તપણે અનુસરતી હોતી નથી. એટલે, આવી કૃતિઓના વિવેચનમાં કળાશાસ્ત્રના નિયમોને જડપણે લાગુ પાડવાના નથી. બલકે, પેઢીએ પેઢીએ રચાઈ આવતી મહાન કૃતિઓને અનુલક્ષીને સાહિત્યકળાનું સ્વરૂપ અને તેના વિવેચનનાં ધોરણો નવેસરથી નિપજાવી લેવાનાં રહે. આમ છતાં સાહિત્યના અમુક વ્યાપક સિદ્ધાંતોનો ત્યાગ કરવાનું પણ ઇષ્ટ નથી એમ તેઓ કહે છે : “સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે અસિદ્ધ ગણાય તો પણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાળ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બાધ નથી.”૨૮ આપણે આ અગાઉ નોંધી ગયા છે તેમ, વિવેચનક્ષેત્રમાં મતમતાંતરો દૂર કરવાને નવલરામે પણ સાહિત્યકળાના ‘અચળ નિયમો’ની સ્થાપના કરવાને સર્વસંમત એવી ‘સભા’ ઊભી કરવાને સૂચવ્યું હતું. મણિલાલ પણ અહીં ‘અનાદિ ઇતિહાસથી સિદ્ધ’ એવા ‘નિયમો’ની વિવેચન અર્થે હિમાયત કરે છે. પણ આ ‘નિયમો’ કયા તેનો તેમણે નિર્દેશ કર્યો નથી. નોંધવું જોઈએ કે વિદ્વાનોનો એક વર્ગ, આજે વિવેચનક્ષેત્રમાં આવા કોઈ ‘શાશ્વત’ અને ‘અચળ’ નિયમો સંભવી શકે કે કેમ તે વિશે જ સંશય વ્યક્ત કરી રહ્યો છે.&lt;br /&gt;
સાહિત્યચર્ચામાં મણિલાલનો અમુક ઝોક પ્રાચીન કાવ્યશાસ્ત્ર તરફનો છે. એમાં અમુક રૂઢિગ્રસ્ત રુચિ હોવાનુંય કદાચ લાગે, પણ સર્જનના અવનવા ઉન્મેષોને ઉદારતાથી આવકારવાનું તેમનું વલણ રહ્યું દેખાય છે. તેઓ કહે છે : “સર્વત્ર નૂતનતાનો ઉદ્‌ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે.” અને તરત જ ઉમેરે પણ છે : ‘પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે.”૨૯ મણિલાલ અહીં એકીસાથે પરંપરાનું અનુસંધાન અને સર્જકતાની નવીન ગતિ, બંનેનો પુરસ્કાર કરતા જણાશે. પ્રતિભાશાળી સર્જક પોતાના કે પૂર્વસમયના કળાસિદ્ધાંતોને વશ થઈ બંધાઈ જતો નથી, તેની પ્રાણવાન સર્જકતા એવા રૂઢ સિદ્ધાંતોને અતિક્રમી જતી હોય છે. પણ તેની સર્જકતાની ગતિ કંઈ તંત્રહીન કે નિયમહીન વ્યાપાર પણ નથી. એમાં જે વિશ્વ નિર્માણ થવા પામ્યું છે તેને તેનો આગવો રચનાગત નિયમ સંભવે છે, તેમાં આગવી રીતે વ્યવસ્થા જન્મી હોય છે. પણ આવું, નવીન વ્યવસ્થાવાળું, વિશ્વ રચવાની તેની દૃષ્ટિ શાસ્ત્રના અભ્યાસથી ખુલી હોય છે. તાત્પર્ય કે, સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી તેની કળાવિષયક સમજ વિશદ બની હોય તો જ નવી રચનામાં વ્યવસ્થા અને આકાર તે સિદ્ધ કરી શકશે.&lt;br /&gt;
અવલોકનકારના કાર્ય વિશે મણિલાલ ફરી નવેસરથી વ્યાખ્યા વિચારણા એ કરે છે, ત્યાં તેમની ચર્ચામાં એક વિશેષ દૃષ્ટિબિંદુ ઉમેરાયું છે. તેઓ કહે છે એ કે અવલોકનકારે માત્ર ‘નાના નાના લેખનું’ અવલોકન જ કરવાનું નથી, ‘આખા વિશ્વનું, જનસ્વભાવનું ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે, કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્‌ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે’. દેખીતી રીતે જ, વિવેચકનું કાર્યક્ષેત્ર અહીં કૃતિની બહાર વિસ્તરી જતું રહ્યું છે. સાહિત્ય વિશ્વજીવનનું–બહારી દુનિયાનું પ્રતિવિધાન કરે છે, અથવા તેનું પ્રતિબિંબ ઝીલે છે, અથવા તેનું અનુકરણ કરે છે એવો એક ખ્યાલ અહીં ગૃહીત રહ્યો છે. વિવેચકને આ સર્વ બહારી સૃષ્ટિનું – લોકજીવનનું જ્ઞાન હોવું જોઈએ; અને છતાં, સાહિત્યની સર્જનાત્મક સૃષ્ટિમાં તેણે તેનું જડતાથી અવલોકન કરવાનું નથી. સંભવાસંભવનો તેણે ખ્યાલ કરીને ચાલવાનું છે. જો કે સાહિત્યની કૃતિમાં જે તંત્ર ઊભું થાય છે, સંભવરૂપ નવી ઘટનાઓનું સંયોજન થાય છે, તેની પાછળ કોઈ એક સરખો નિયમ કામ કરતો નથી. આત્યંતિક વાસ્તવવાદી નવલકથા કે ટૂંકી વાર્તામાં સંભવાસંભવનો જે નિયમ/નિયમો કામ કરે છે, તેથી ભિન્ન એવા પ્રતીકાત્મક નિર્માણમાં, કપોલકલ્પિતના કે એબ્સર્ડના વિશ્વમાં જુદા જ નિયમો પ્રવર્તે છે. આવા સર્જનાત્મક વિશ્વમાં ઘટનાના સંભવાસંભવનો નિયમ કંઈ સ્થૂળ બાહ્ય જગતના નિરીક્ષણમાંથી મળતો હોતો નથી. જે તે વિશિષ્ટ કૃતિના કેન્દ્રમાં વ્યાપારશીલ બનેલી સર્જકકલ્પનામાં એ નિહિત રહ્યો હોય છે. ખરેખર તો વાસ્તવવાદી કથાઓમાં ય ઘટનાઓ કાર્યો કે પરિસ્થિતિઓ જે રીતે નિર્માણ થતી આવે છે તેમાં પણ સંભવાસંભવનો નિયમ કંઈ હંમેશાં સામાજિક જીવનના અવલોકનમાંથી આવતો હોતો નથી. એવા દૃષ્ટાંતમાં તેના લેખકને અભિમત અમુક દૃષ્ટિબિંદુ કે રહસ્યબિંદુ નિયામક બનતુ હોય છે. આમ છતાં લોકસૃષ્ટિની ઊંડી ગતિનું અવલોકન અને અનુભવ વિવેચકને જરૂરી છે જ.&lt;br /&gt;
અવલોકનકારે કૃતિની ઘટનાઓના સંદર્ભે ‘શક્યતા’ અને ‘ઉપયોગ’ જેવી બાબતો ઉપરાંત તેનાં ‘દેશકાળાદિ’ને ય લક્ષમાં લેવાનાં છે, એમ તેઓ કહે છે. આ મુદ્દાને તેઓ ‘ઔચિત્ય’ના ખ્યાલમાં છેવટે સમાવી લે છે. આ રીતે ‘દેશકાળાદિ’ને તેઓ અનુલક્ષે છે, તે સાથે અવલોકનકાર માટે વળી એક વિશેષ પરિપ્રેક્ષ્ય ઊભો થાય છે. પશ્ચિમના ઐતિહાસિક અભિગમનો સંકેત એમાં વાંચી શકાય ખરો, પણ પશ્ચિમમાં આ અભિગમ વિશેની ચર્ચા, સાહિત્યની કળા વિશે અમુક ચોક્કસ આગવી સમજ લઈને ચાલી છે. ‘સાહિત્ય’ નામની ઘટના એના લેખકના યુગનાં આંતરબાહ્ય અનેક પરિબળોનું પરિણામ છે, અને ઐતિહાસિક પ્રક્રિયામાં સમયના નિશ્ચિત બિંદુએ તેનું અફર સ્થાન છે એટલે એ કૃતિનો મર્મ પૂરેપૂરો ઊકલી આવે તે માટે, એને ઘડનારાં સર્વ પરિબળો અને સંયોગોને લક્ષમાં લેવાનાં રહે. મણિલાલની ચર્ચામાં આવી સ્પષ્ટ તાત્ત્વિક ભૂમિકા નથી. છતાં કૃતિને યથાર્થ રૂપમાં પામવાને તેનાં ‘દેશકાળાદિ’ને લક્ષમાં લેવાનું તેઓ કહે છે તે ઘણું સૂચક બની રહે છે.&lt;br /&gt;
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.&lt;br /&gt;
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.&lt;br /&gt;
{{center|૪.}}&lt;br /&gt;
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.&lt;br /&gt;
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિની અનિવાર્યતા દર્શાવતાં રમણભાઈ કહે છે : “સાહિત્યમાં જેનો સમાવેશ થઈ શકે એવા વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મૂકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે. તેમ – હેમ્ર સંલક્ષ્યતે હ્યમ્નૌ વિશુદ્ધિઃ શ્યામિકાઽપિ વા || ‘સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.”૩૦ અહીં રમણભાઈએ સાહિત્યની ‘શુદ્ધિ’ અર્થે વિવેચનની ઘણી મોટી અનિવાર્યતા છે એમ કહ્યું. પણ ‘સાહિત્ય’ સંજ્ઞાથી તેમને અહીં કેવળ સર્જનાત્મક સાહિત્ય જ નહિ, ચિંતન વિવેચનનું સર્વ સાહિત્ય અભિપ્રેત છે, તે આપણે લક્ષમાં રાખવાનું છે.&lt;br /&gt;
વિવેચનનું કાર્ય રેખાંકિત કરી આપતાં તેઓ કહે છે કે કૃતિમાંના ગુણ અને દોષ, ખૂબી અને ખામી, અલગ પાડીને તેણે બતાવવાનાં છે. એ માટે કૃતિનું ‘સમસ્ત સ્વરૂપ’ લક્ષમાં લઈ એવા ગુણ દોષોની બરોબર ‘તુલના’ કરવી જોઈએ એમ તેઓ કહે છે. એ રીતે ‘યથાયોગ્ય તુલના’ થશે ત્યારે જ તે વાચકોને અને લેખકોને લાભપ્રદ નીવડશે. આવા વિવેચનથી, ખરેખર તો, લેખકોને પોતાને પોતાની કૃતિઓની સાચી ‘કિંમત’ સમજાશે. રમણભાઈ ભારપૂર્વક નોંધે છે કે ‘દોષૈક દર્શન’ એ વિવેચનનું કાર્ય નથી.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ તેમણે પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક સેઈન્ટસબરીની ચર્ચામાંથી લીધો છે. એ વિવેચકમાંથી તેમણે જે એક મોટું અવતરણ આપ્યું છે, તેમાં નીચેના બે ત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે :&lt;br /&gt;
એક, સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચકે વાંચવું જોઈએ, બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. સાહિત્યના ઇતિહાસમાંના કોઈ એક યુગના કે કોઈ પણ યુગના ગણનાપાત્ર સાહિત્યકારના સાહિત્યને ટાળીને ચાલશે તો તેના દૃષ્ટિબિંદુમાં ‘સુસ્થતા’ નહિ જળવાય.&lt;br /&gt;
બે, બીજી ભાષાઓના સાહિત્યનું પણ બને તેટલું વિશાળ વાંચન કરવું જોઈએ. એ રીતે જ તેને પોતાના સાહિત્યને જોવાનો યથાર્થ પરિપ્રેક્ષ્ય મળશે.&lt;br /&gt;
ત્રણ, વિવેચકે ભિન્ન ભિન્ન ગ્રંથો, ગ્રંથકારો અને સાહિત્યોની ‘તુલના’ કરતા રહેવું જોઈએ. દરેક ગ્રંથ/ગ્રંથકાર/સાહિત્યની વિશિષ્ટતા એ રીતે વધુ સમજાશે. જો કે, એક પરંપરાના ગ્રંથ કે ગ્રંથકારમાં અન્યના જેવા ગુણ નથી એ જાતનો નકારાત્મક ભાવ જન્મી પડે અને એ માટે અરુચિ થાય, એ સામે તેણે સાવચેતી રાખવાની છે.&lt;br /&gt;
ચાર, કોઈ પણ ગ્રંથને વાંચ્યા વિના તેને વિશે અમુક અપેક્ષા ન બાંધવી જોઈએ. સાચો આદર્શ તો એ છે કે કૃતિનું અનુભાવન કરતાં કરતાં તેની જેવી છાપ ઊપસતી આવે તેને યથાર્થ રૂપમાં ઝીલતા જવાની તત્પરતા તેણે દાખવવી જોઈએ. રમણભાઈના શબ્દોમાં “જે પટ ઉપર તે છબી પડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવી જોઈએ અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ. પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ રેખા છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”૩૧ રમણભાઈએ રજૂ કરેલો આ આદર્શ, આમ તો, આવકાર્ય લાગશે. પણ એની પાછળનું ગૃહીત પોતે જ વિવાદાસ્પદ બને એમ છે. આપણે આ અગાઉ મણિલાલે રજૂ કરેલા આ જાતના ખ્યાલની ટીકાટિપ્પણી કરતાં નોંધ્યું છે કે વિવેચક/ભાવકનું ચિત્ત અરીસા જેવું સર્વથા તટસ્થ નિષ્ક્રિય અને પારદર્શી હોતું નથી. જીવન અને કળા વિશેના અમુક interests કે values અનુભાવનની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ ભજવતાં હોય છે એટલે ભિન્ન ભિન્ન કળાદૃષ્ટિ અને રુચિ ધરાવતા વિવેચકોના ચિત્તપટ પર કૃતિની એક સરખી ‘છબી’ ઝીલાય એમ બનતું હોતું નથી. એક રીતે ચિત્તપટને અરીસા જેવું કલ્પીએ અને તેની સપાટી પર છબીને પ્રતિબિંબિત થતી હોવાનું માનીએ, ત્યાંથી ખરી મુશ્કેલી આરંભાય છે.&lt;br /&gt;
ગ્રંથવિવેચનને અનુલક્ષીને રમણભાઈએ એમના સમયમાં કોઈક જૂથમાં ચર્ચાતા રહેલા વિવેચનના ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’નો નિર્દેશ કરીને તેનો ટૂંકો પરિચય આપ્યો છે ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વિશે તેઓ એવો ભેદ કરી આપે છે કે ‘નિયમો’ તે કૃતિમાંની ‘વસ્તુ છંદ ભાષા અને શૈલી જેવી ઓછી મહત્ત્વની બાબતો વિશે સંભવે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ સાહિત્યના ‘મુદ્દાની બાબતો’ વિશે હોય છે. સમસ્ત કૃતિનાં વાંચનથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા ‘સિદ્ધાંતો’ વિશેની છે એમ રમણભાઈ સ્પષ્ટ કરે છે. આ વિશે વળી તેઓ એમ ઉમેરે છે કે વિવેચનવ્યાપારમાં ‘નિયમો’ ગૌણ વસ્તુ બની રહે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ મુખ્ય બાબત છે, અને તે જ ‘વિચારમાં લેવા યોગ્ય છે’. વિવેચનમાં પ્રયોજાતા ‘નિયમો’ કૃતિના ગુણદોષનું દર્શન કરવામાં સહાયક બને છે, પણ આ ‘નિયમો’ સમયની સાથે બદલાતા રહે છે; જ્યારે ‘સિદ્ધાંતો’ માનવીના મનને લગતા હોવાથી શાશ્વત છે. ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વચ્ચે રમણભાઈએ જે રીતે ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે તે પરથી એમ સમજાય છે કે તેમણે લક્ષેલા ‘નિયમો’ તે કૃતિના રચનાગત તત્ત્વોને અનુલક્ષે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ કૃતિની માનવજીવન પર – વ્યક્તિ અને સમાજ પર –પડનારી વ્યાપક ઊંડી અસરોને અનુલક્ષે છે. કૃતિવિવેચન અર્થે ટી. એસ. એલિયટે કલાનાં અને જીવનનાં ધોરણોની વાત કરી છે, તેનું અહીં સહજ સ્મરણ થશે.&lt;br /&gt;
આ મુદ્દાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં રમણભાઈએ એમ નોંધ્યું છે કે “નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે, પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે અને જમાને જમાને રુચિઓ બદલાય પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ, રસિકતાનાં ધારણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણ કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ.”૩૨&lt;br /&gt;
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.&lt;br /&gt;
{{center|૫.}}&lt;br /&gt;
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.&lt;br /&gt;
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩&lt;br /&gt;
નરસિંહરાવે અહીં, આમ જુઓ તો, સર્જન અને વિવેચન વ્યાપારનો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે; તો વિવેચકને માટે વિશેષ સજ્જતાની વાત પણ કરી છે. બિલકુલ કવિની નહિ, પણ તેના જેવી ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ એ વિવેચકની પ્રથમ આવશ્યકતા છે એ હકીકત અહીં તેઓ ભારપૂર્વક નોંધવા ચાહે છે. ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે કવિ એક આગવું વિશ્વ રચે છે. પોતાના હૃદયના ભાવ કે વિચારને એ મૂર્ત ઐન્દ્રિયિક રૂપમાં પામવા પ્રયત્ન કરે છે, અને સર્જનની ઘટનામાં તેની ઊર્મિઓ, વિચારો, કલ્પનાઓ – સર્વ તત્ત્વોનું ‘સંયોજન’ થવા પામે છે. સમસ્ત રચનાપ્રક્રિયા દરમ્યાન સર્જક પોતાના સંવેદિત વિચાર કે ભાવચિત્રને બને તેટલું તાદૃશરૂપે ગ્રહણ કરતો રહે છે. વિવેચક સામે જ્યારે કવિની એ કૃતિ આવી ઊભે છે, ત્યારે તેનાં રહસ્યો ઉકેલવાને કવિના જેવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ તેની પાસે હોવાં ઘટે. વિવેચકે પણ અનુભાવનની સમસ્ત પ્રક્રિયા દરમ્યાન એવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે એ કૃતિ પોતાના ચિત્તમાં ફરીથી રચતા જવાનું છે. આ અર્થમાં તે કવિનો ‘જોડિયો ભાઈ’ છે કવિની જેમ કૃતિને સાક્ષાત્કારવાને જરૂરી સજ્જતા—અને સાક્ષાત્કારની પ્રક્રિયા—એટલી ભૂમિકાએ તે કવિ જોડે અમુક સામ્ય ધરાવે છે. પણ ‘સર્જન’ અને ‘વિવેચન’ બંને પ્રવૃત્તિ, તેનાં સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ પરત્વે, મૂળભૂત રીતે જુદી છે એ વાત પણ નરસિંહરાવ આપણા ધ્યાનમાં લાવવા ચાહે છે ‘સર્જન’ જો વિભિન્ન સામગ્રીતત્ત્વોનું ‘સંયોજન’ છે; તો વિવેચન કૃતિનાં કળાતત્ત્વો વિશેનું ‘પૃથક્કરણ’ છે. અહીં તેમને એમ સૂચવવું છે કે આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચક કૃતિનું પોતાના ચિત્તમાં જે રીતે પુનઃસર્જન કરે છે, તે ‘સાક્ષાત્કાર’ની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી. આસ્વાદ પછીની ક્ષણોમાં કૃતિનાં ઘટકોનું તે ‘વિશ્લેષણ’ આરંભે છે ત્યારે જ ખરેખરો વિવેચનવ્યાપાર આરંભાય છે. વિવેચનના સ્વરૂપવિચાર સંદર્ભે, આમ, તેઓ ‘પૃથક્કરણ’ને મહત્ત્વનું સ્થાન આપે છે.&lt;br /&gt;
પણ, વિવેચનની અંતર્ગત ‘પૃથક્કરણ’નો વ્યાપાર સમાવિષ્ટ થતો હોવા છતાં વિવેચન તેમાં સીમિત થઈ જતું નથી. આપણા સાહિત્યનાં તેમ વિશ્વસાહિત્યનાં ઉત્તમોત્તમ કૃતિલક્ષી વિવેચનો લક્ષમાં લેતાં જણાશે કે એમાં ઘણું બીજું બને છે. કૃતિનાં મહત્ત્વપૂર્ણ ઘટકોને વિવેચકો અલગ પાડીને વિચારે છે, તો તે કૃતિના સમગ્ર રહસ્યને ઉકેલવા માટે જ કરે છે. દરેક ઘટકની રસકીય ક્ષમતાનો અને સમગ્ર કૃતિમાં તેની સમર્પકતાનો તે વિવેકવિચાર કરે છે. કૃતિનાં ઘટકોનું આ કે તે સિદ્ધાંતને અનુસરીને નર્યું યાંત્રિક વિશ્લેષણ કરવામાં આવે તો તે વંધ્ય નીવડવા સંભવ છે. દૃષ્ટિસંપન્ન વિવેચક આવાં રસકીય ઘટકોના પરસ્પર સંબંધ અને કૃતિમાં પડેલા રચનાગત સિદ્ધાંત (formative principle)ને સતત નજરમાં રાખીને તેની ચર્ચા કરશે. કૃતિમાં તે દરેકનું કાર્ય (function) શું છે તે જ તેનો મુખ્ય પ્રશ્ન હશે. એટલે, નર્યા વિશ્લેષણવ્યાપારથી કશું જ સિદ્ધ નહિ થાય, કૃતિ સમગ્રની વ્યંજના, તેનું રહસ્ય કે તેનું મૂલ્ય આવા વિશ્લેષણમાં ભાગ્યે જ ઝીલાશે. વિવેચકે આથી એ ઘટકોની રહસ્યબિંદુ તરફની ગતિ ય ઓળખવાની રહેશે. તાત્પર્ય કે, વિવેચક કૃતિઓનાં ઘટકો પાસાંઓ વિશે પૃથક્‌ રૂપમાં વિચારે છે ત્યારે પણ રચનાત્મક દૃષ્ટિએ તે તેનો અંદાજ બાંધવા પ્રેરાય છે. વિવેચનની અંતર્ગત વિશ્લેષણ વ્યાપારની સાથે આમ એક ભિન્ન દિશાની પ્રવૃત્તિ ય ચાલતી રહે છે. બલકે, કૃતિની અખિલાઈ અને સમગ્રતાની અભિજ્ઞતા જ આ જાતના વ્યાપારમાં દ્યોતક નીવડે છે. વિવેચક કૃતિમાંનાં ઘટકોને અલગ પાડે છે તે તો તેના પુનઃ વિધાન અર્થે જ; એ રીતે વિવેચનમાં કેવળ બૌદ્ધિક વિશ્લેષણ નહિ, કશુંક સર્જનાત્મક સંયોજન પણ સંભવે છે. અને એટલે જ વિવેચનનું તાત્ત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવાય છે. &lt;br /&gt;
નરસિંહરાવની સમસ્ત વિવેચનવિચારણામાં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ શીર્ષકની ચર્ચા આગવું ધ્યાન રોકે છે. કવિતાના રસાનુભવને વર્ણવવાની બે ભિન્ન ‘પદ્ધતિઓ’ તરફ તેઓ ત્યાં વિચાર કરવા પ્રેરાયા છે. એ પૈકી પહેલી, સંસ્કૃત રસશાસ્ત્રને અને બીજી પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી પદ્ધતિ છે. ત્રણ પંક્તિની એક ટૂંકી ગેય રચનાને લઈ તેમણે એ બે ‘પદ્ધતિઓ’નો વિનિયોગ કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન રસશાસ્ત્રની પદ્ધતિને અનુલક્ષીને પ્રસ્તુત કડીમાંનાં ભાવવિભાવાદિનો તેમણે પરિચય આપ્યો છે. જ્યારે પાશ્ચાત્ય પદ્ધતિને અનુરૂપ એ પંક્તિઓમાં ક્રમશઃ ઉપચિત થતા ‘અર્થ’નું પ્રગટીકરણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પાશ્ચાત્ય પદ્ધતિમાં અર્થસંયોજનની રીતિ કે આકૃતિની અમુક અપેક્ષા સૂચવવી છે. કૃતિનાં ‘રસદર્શન’ની પદ્ધતિઓ વિશેનો આ વિચાર એમણે પોતે આગળ ચલાવ્યો નથી, તેમ તે સમયના બીજા વિવેચકોએ તેને અપનાવ્યો નથી. આસ્વાદલક્ષી વિવેચનનો એ પ્રયત્ન ઉપેક્ષિત જ રહ્યો છે. પણ રસકીય પ્રક્રિયાને વિવેચનવ્યાપારમાં ખેંચી લાવવાનો તેમનો આ સ્તુત્ય પ્રયત્ન છે. રસદર્શનની પાશ્ચાત્ય પદ્ધતિ વિશેની તેમની સમજ નીચેના વિવરણમાં છતી થાય છે : “આ ગીતમાં ભાવનું મધ્યબિંદુ ‘જિયરા ડોલે રે’ એ બોલમાં આવી રહ્યું છે, અને બીજા પદાર્થ તે આસપાસની સામગ્રી થઈ પરિપોષક છે, એ બોલવું પાશ્ચાત્ય સંપ્રદાયાનુસાર છે. તે સંપ્રદાય પ્રમાણે ઉપર જે સ્થૂલ પ્રકારે વિભાવાદિક સમુદાયનું વિવેચન કર્યું છે તેવા સૂક્ષ્મ વિભાવાદિક વ્યર્થ ન તપાસતાં જે અંતે જતાં પ્રાપ્ત થાય છે તેનું સાક્ષાત્‌ પ્રકાશન કરવાની રીતિ છે.”૩૪ કૃતિના ‘અર્થ’નું કેન્દ્રબિંદુ શોધી તેમાં અન્ય ઘટકો શી રીતે સમર્પક બને છે તેની તપાસ પાશ્ચાત્ય પદ્ધતિમાં થાય છે, એમ તેમને અહીં સૂચવવું છે.&lt;br /&gt;
રસદર્શનની આ બંને પદ્ધતિઓ ‘વ્યંજના’ને ઉકેલવાની બે ભિન્ન પ્રવૃત્તિઓ છે, અને બંને દ્વારા કૃતિમાં નિહિત રહેલો એક જ ‘અર્થ’ (એક જ ‘રહસ્ય’ કે એક જ વ્યંજના) પ્રકાશિત થાય છે, એમ તેઓ માનતા જણાય છે. તેમની આવી માન્યતા સમજવાનું મુશ્કેલ પણ નથી. લાંબા સમય સુધી આપણા સર્જકો અને વિવેચકો સાહિત્ય કૃતિઓમાં અમુક ‘નિરપેક્ષ અર્થ’ (Absolute Meaning)નું અસ્તિત્વ સ્વીકારીને ચાલતા રહ્યા છે. કૃતિનું વિવેચન કોઈ પણ પદ્ધતિએ કરો, કોઈ પણ શૈલીએ કરો, કોઈ પણ પરિભાષામાં કરો, એ સર્વનું લક્ષ્ય સ્થાન પેલો ‘નિરપેક્ષ અર્થ’ જ છે. આ કે તે વિવેચકનું અર્થવિવરણ કે અર્થઘટન એ લક્ષ્યને પામે નહિ, તો પણ એની ગતિ – એની દિશા – એ તરફની હોય છે એમ તેમણે ગૃહીત કરી લીધું હતું. એ ‘નિરપેક્ષ અર્થ’ કદાચ અક્ષય્ય વસ્તુ છે, કદાચ અભેદ્ય વસ્તુ છે, પણ એવા કશાક ‘અર્થ’ની સત્તા સ્વીકારી લઈને જ વિવેચકો ચાલતા રહ્યા દેખાય છે. વિવેચનમીમાંસાની સામે આજે આ એક કૂટ પ્રશ્ન બન્યો છે.&lt;br /&gt;
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.&lt;br /&gt;
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.&lt;br /&gt;
{{center|૬.}}&lt;br /&gt;
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.&lt;br /&gt;
રાજશેખરે વિવેચકોના, ‘અરોચકી’ ‘સતૃણાભ્યવહારી’ ‘મત્સરી’ અને ‘તત્ત્વાભિનિવેશી’ – એવા ચાર વર્ગો સ્વીકારેલા છે. એ પૈકી ચોથા ‘તત્ત્વાભિનિવેશી’ વિવેચકો જ સાહિત્યને ખરેખર ઉપકાર બની શકે એવી આ. આનંદશંકરની સમજ રહી છે. તેમનું કહેવું એમ પણ છે કે આપણે ત્યાં કાવ્યકળાની ‘તત્ત્વાભિનિવેશી’ ચર્ચાઓ ઘણી ઓછી થઈ છે, અને વાચકો-વિવેચકો-સર્જકોમાં ‘સારાસારગ્રાહી દૃષ્ટિ’નો ઘણો અભાવ વતાય છે વિવેચકોમાં ખરેખર તો ‘વિશ્વકવિઓના ગુણ પારખી’ તેનો આસ્વાદ લેવાની ક્ષમતા હોવી જોઈએ; પણ આપણે આપણાં ‘ઘરદીવડાં’થી જ મુગ્ધ રહીએ છીએ અને એથી આપણી રસવૃત્તિ ઘણી જ સંકુચિત બની રહે છે.&lt;br /&gt;
કવિ અને વિવેચકની ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં તેઓ અલંકારની સહાયથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે : “સુવર્ણ એક જાતના ૫ત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કરનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને.”૩૫ આમ કવિને પક્ષે સર્જનવ્યાપારમાં અમુક રીતના critical actની અને વિવેચકને કૃતિ પામવા કવિના જેવા imaginative actની જરૂર તેઓ દર્શાવે છે.&lt;br /&gt;
આપણા સર્જનવિવેચનના ઉદ્‌ભવવિકાસમાં પાશ્ચાત્ય વિચારોની મોટી પ્રેરણા રહી છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં તેમનું દૃષ્ટિબિંદુ ધ્યાનાર્હ છે. તેઓ કહે છે કે “આપણાં કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઈએ અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિંદુ સ્વાભાવિક છે.”૩૬ પણ તેમને આથી વિશેષ પણ કહેવાનું છે : “કોઈ પણ પ્રજા, પરદેશી સાથે આત્માની આપ-લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખિલવી શકતી નથી. જેમ જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખૂવે છે તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે.”૩૭ તાત્પર્ય કે, આપણા સાહિત્યના વિકાસ અર્થે પૂર્વપશ્ચિમ કોઈ પણ પરંપરાના વિચારો આપણે યથાવકાશ સ્વીકારીને આત્મસાત કરવા જોઈએ. તેમની આ જાતની વિચારણાનો સૂચિતાર્થ એમ થાય કે પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનનાં મૂલ્યો આપણે વિવેચનવિચારમાં યથાવકાશ આમેજ કરી લેવાં જોઈએ.&lt;br /&gt;
આ. આનંદશંકરે બદલાતા રાજકીય-સામાજિક સંદર્ભમાં સર્જકો વિવેચકો માટે એક મહત્ત્વનો પ્રશ્ન છેડ્યો છે. સ્વાભાવિક રીતે જ, પોતાના સમયની સાહિત્યિક પરિસ્થિતિ તેમની સામે છે. તેઓ કહે છે કે સર્જકોની સામે અત્યારે વિવિધ સ્તરના વાચકો છે. સર્જક એ પૈકી કયા વર્ગની ‘આરાધના’ કરશે? અને વિવેચક પણ સર્જકના ધર્મને કેવી રીતે જોશે-સ્વીકારશે? તેઓ એવું અવલોકન રજૂ કરે છે કે વર્તમાન સમય democratic છે, અને સામાન્ય જનસમાજનાં રુચિવલણો સાહિત્ય સર્જનમાં કોઈક રીતે પ્રેરક કે નિયામક બળ બની રહે એમ છે. આવી પરિસ્થિતિમાં વિવેચકોએ જાગ્રત દૃષ્ટિએ વિવેચન પ્રવૃત્તિ કરવાની રહે છે – “ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ.”૩૮ આમ છતાં, આવા વિવેચકો ‘લોકસમુદાયના’ ‘democratic સાહિત્યની’ અવગણના ન કરે એ પણ મહત્ત્વનું છે. માત્ર આવા ‘પ્રાકૃતજનના’ સાહિત્યમાં ‘ભ્રાંત અને ઉપરછલ્લી દૃષ્ટિનું નિરૂપણ’ હોવાની પણ અમુક સંભાવના રહે છે, અને વિવેચકે એ વિશે હંમેશ જાગ્રત રહેવાનું છે.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રમાં નીચેની પ્રવૃત્તિઓ તેમણે સમાવી છે.&lt;br /&gt;
(૧)	કલાના – અને તે ઉપરથી સાહિત્યના – તત્ત્વનું અન્વેષણ કરવું.&lt;br /&gt;
(૨)	સાહિત્યના વિવિધ પ્રકાર અને એનાં સ્વરૂપલક્ષણોની વ્યાખ્યાવિચારણા કરવી.&lt;br /&gt;
(૩)	અમુક કૃતિના ગુણદોષો તપાસવા.&lt;br /&gt;
(૪)	ગુણદોષનો વિચાર પડતો મૂકી, માત્ર એનું સૂક્ષ્મ સ્વરૂપ એના ઊંડાણમાં જ ઊતરીને સમજવું અને સ્પષ્ટ કરવું.&lt;br /&gt;
(૫) સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન – જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે – વિશિષ્ટ કૃતિનું નિરીક્ષણ કરવું, અને એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ખેડવો.&lt;br /&gt;
અહીં, ચોથી પ્રવૃત્તિથી તેમને માત્ર કૃતિલક્ષી કે રસલક્ષી વિવેચનનો ખ્યાલ, અને પાંચમી પ્રવૃત્તિથી ‘સર્જનાત્મક વિવેચન’ અભિપ્રેત હોય એમ લાગે છે. નોંધપાત્ર છે કે કલાતત્ત્વવિચારના પ્રશ્નોનેય તેઓ વિવેચનમીમાંસા કે વિવેચનપ્રવૃત્તિમાં સમાવી લે છે. સાહિત્ય અને વિવેચનશાસ્ત્ર પરસ્પર સંકળાયેલાં છે, પરસ્પરને ઉપકારક છે, એમ પણ તેમને અભિમત છે. ‘જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચું વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે’ – એમ તેઓ કહે છે; જો કે એની તેમણે વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.&lt;br /&gt;
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.&lt;br /&gt;
{{center|૭.}}&lt;br /&gt;
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનની વિભાવનાને યથાર્થ રૂપમાં સમજવાને, અલબત્ત, તેમની સાહિત્યકળા વિશેની સમજ લક્ષમાં લેવાની રહે છે. અગાઉ નિર્દેશ કર્યો તેમ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેનો તેમનો ખ્યાલ તેમણે રજૂ કરેલી સાહિત્યવિચારણા સાથે સીધો મેળમાં છે; બલકે, તેનું સ્વાભાવિક વિસ્તરણ છે. આ અંગે સૌ પ્રથમ નોંધવાનું કે ગોવર્ધનરામ, મણિલાલ અને આ. આનંદશંકર ધ્રુવ જેવા અદ્વૈતવાદી ચિંતકો, અને રમણભાઈ અને નરસિંહરાવ જેવા પ્રાર્થનાસમાજી ચિંતકોથી બળવંતરાયની દાર્શનિક ભૂમિકા મૂળભૂત રીતે જુદી પડે છે. પ્રાચીન ધર્મદર્શન કે કોઈ સંપ્રદાયની વિચારણાઓમાં તેમની શ્રદ્ધા ઠરતી નથી, તેમ કોઈ રૂઢ પરંપરાગત દર્શનનો સ્વીકાર કરીને તેઓ પ્રવૃત્ત થતા નથી. તેમનો અભિગમ મૂળથી જ બુદ્ધિવાદીનો રહ્યો છે. જીવન જગત અને સાહિત્ય સર્વ વિશે સર્વથા અરૂઢ રીતિએ અને સ્વતંત્ર પર્યેષક દૃષ્ટિએ વિચારવિમર્શ કરવાનું તેમને પ્રિય છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોની જેમ તેમનો ઝોક વિજ્ઞાનવાદ તરફ રહ્યો છે. ખાસ કરીને ‘સ્વરૂપાનુભૂતિ’ અને ‘સાહિત્ય અને શીલ’ જેવા નિબંધોમાં તેમણે વિશ્વજીવન અને માનવની સમુત્ક્રાંતિને લગતી જે કેટલીક ચર્ચાવિચારણાઓ કરી છે, તેને લક્ષમાં લેતાં અજ્ઞેયવાદી તરીકે તેમને ઓળખાવી શકાય. બ્રહ્માંડના આદિ કે અંત વિશે માનવબુદ્ધિ તાગ લઈ શકે તેમ નથી. ‘વ્યક્તમધ્ય’ એવું જે જીવન આપણા અનુભવમાં આવે છે, અને એમાં જેટલું બુદ્ધિની ઊંડળમાં આવી શકે એમ છે, તેટલું જ સત્ય માનવી પામી શકે. બધાંય જ્ઞાનવિજ્ઞાન, આ રીતે, ચેતનવિકાસના ક્રમમાં ઊઘડતાં ખિલતાં રહ્યાં છે. રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ પણ વિકાસક્રમમાં એ રીતે આગવું સ્થાન ધરાવે છે.&lt;br /&gt;
સાહિત્ય અને વિવેચનને લગતો તત્ત્વવિચાર બળવંતરાયે આ વિકાસવાદના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. સાહિત્યની રચનામાં સર્જકની પ્રતિભાનું મહત્ત્વ, અલબત્ત, તેઓ સ્વીકારે છે. ‘પ્રતિભાબીજની માવજત’ વિશે તેમણે લેખ પણ લખ્યો છે. આમ છતાં, સાહિત્યકૃતિને પ્રેરનારાં પોષનારાં પરિબળોનો ય તેઓ સ્વીકાર કરે છે; બલકે, સાહિત્યને એના લેખકના વિશિષ્ટ સામાજિક/ઐતિહાસિક સંયોગોનું પરિણામ લેખવતા જણાય છે : “પ્રજા અને તેનું અમર સાહિત્ય અન્યોન્યાશ્રયી ભાવે છે : સાહિત્ય ઉપજે છે પ્રજાના અનુભવ, પ્રજાની કલ્પના, પ્રજાની આંતરડીમાંથી; પ્રજાની નિખાલસતાનાં લક્ષણો સાહિત્યમાં વાસ્તવિકતા, પ્રામાણિકતા અને રસિકતાના ગુણ સીંચે છે, અને એ સર્જાયેલું સાહિત્ય ઊછરતી પ્રજાના ચારિત્ર, કલ્પના, ભાવના, કર્તવ્યબુદ્ધિ, આદિને પોષે છે, વાળે છે. અમુક વળ દઈને અમુક આમળા ચડાવે છે. પ્રજાનું લોહી ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સ્થૂળ કારણ છે, પ્રજાનું સાહિત્ય ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સૂક્ષ્મ કારણ છે. ઊછરતી પ્રજાના ઝમાને ઝમાને નવા પ્રત્યક્ષ થતા અનુભવ કર્તવ્ય દર્શનાદિ પ્રજાની પ્રકૃતિ ઘડાવાનાં નિમિત્ત કારણ છે, અને સાહિત્યની સફળતા, ઝમાને ઝમાને તેનું મૂલ્યાંકન તે ઝમાનાના સત્યને અનુરૂપ હોય, તેમાં છે.”૩૯ બળવંતરાય, આમ, ભારપૂર્વક પ્રતિપાદિત કરવા ચાહે છે કે સાહિત્યના સ્વરૂપમાં સામાજિક/ ઐતિહાસિક પરિબળે વત્તેઓછે અંશે નિર્ણાયક બની રહે છે.&lt;br /&gt;
પ્રજાજીવનના વિકાસક્રમમાં, દરેક તબક્કે, આગવી તાસીરવાળું સાહિત્ય એ રીતે સંભવે છે. માનવબુદ્ધિ કોઈ શાશ્વત ‘સત્ય’ને પામી શકતી નથી, માત્ર પોતાના સમયમાં બદ્ધ એવાં ‘સત્યો’નું જ તે આકલન કરે છે; પણ નવું ‘સત્ય’ પ્રગટ નથી થયું, ત્યાં સુધી જ એ જૂનું સત્ય સ્વીકારવાનું રહે છે. સાહિત્યાદિ કળાઓમાં મૂર્ત થતાં ‘સત્યો’ પણ એ રીતે કોઈ શાશ્વત સત્યો નથી : જે તે યુગનાં ‘સત્યો’ જ તેમાં આર્વિભૂત થાય છે. એટલે દરેક નવો જમાનો જ પોતાનાં નવાં ‘સત્યો’ના પ્રકાશમાં સાહિત્ય કૃતિઓનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન-કરે, એ આવશ્યક છે. વળી, સાહિત્યાદિ પ્રવૃત્તિઓ માનવજાતિના વિકાસમાં જેટલે અંશે ‘શ્રેયસ્કર’ નીવડે, તેટલે અંશે જ તે આવકાર્ય ગણાશે. સૌંદર્ય અને કળા – બંને તેમને મન એકી સાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ છે. સર્જક પોતાની રચનામાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે. એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ સ્વયં ઈષ્ટ વસ્તુઓ છે-terminal values-જેવી પ્રાપ્તિઓ છે. પણ માનવજાતિના વિકાસક્રમમાં તેનું ‘સાધન’ લેખે ય સ્થાન રહે છે – કહો કે તેને instrumental value પણ પ્રાપ્ત થાય છે. બળવંતરાય કહે છે : “કલા ધર્મ રાષ્ટ્ર નીતિ એ સર્વ પ્રેયો વસ્તુ છે ત્યાં જ લગી, જ્યાં લગી તે આપણને શ્રેય મેળવવાને કાજે ઊજમવાન રાખે : એ સર્વ ભાવનાસિદ્ધિ માટેનાં સાધન હોવાનું પોતાનું કર્તવ્ય બજાવતાં રહે, ત્યાં લગી જ પ્રેય છે.”૪૦&lt;br /&gt;
વિશ્વજીવનની ઉત્ક્રાંતિમાં બહુ થોડી કૃતિઓ સમયના પ્રવાહની સામે ટકી રહે છે. બળવંતરાયને મન એવી સત્ત્વશીલ કૃતિઓનું જ સાચું મૂલ્ય છે. સાહિત્યની ભાવના એવી થોડીક મહાન કૃતિઓ પરથી જ બંધાય, બાંધવી ઘટે, એવી પણ તેમની માન્યતા રહી છે. અને વિવેચન વિશે જે થોડાક ખ્યાલો અહીં તહીં વેરવિખેર પડ્યા છે. તેમાંય એવા મહાન સાહિત્ય માટેની તેમની જિકર વરતાય છે.&lt;br /&gt;
બળવંતરાયનો પોતાનો વિવેચનાત્મક અભિગમ – નર્મદ નવલરામ મણિલાલ ગોવર્ધનરામ ન્હાનાલાલ મુનશી આદિ અર્વાચીન યુગના સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિને જોવા તપાસવાની અને મૂલવવાની તેમની રીતિમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કર્તાનું માનસ, વ્યક્તિત્વ ઘડતર, અને વિચારસૃષ્ટિ, ઐતિહાસિક સામાજિક પરિસ્થિતિ, સમકાલીન સાહિત્યિક પરંપરાઓ, આદિ સર્વ પાસાંઓને લક્ષમાં લઈને દરેકનો વિચાર કરવા તેઓ પ્રેરાયા છે. એમાં ચરિત્રમૂલક ઐતિહાસિક સાંસ્કૃતિક કે વિચારલક્ષી – એમ એકથી વધુ અભિગમો એકત્ર થતા હોવાનું જોઈ શકાશે. &lt;br /&gt;
સર્જન અને વિવેચન એ બંને ય પ્રવૃત્તિઓ તેમને મન એક પ્રકારે ‘આચરણ’ – action of a living being – જેવી છે, બંને પરસ્પર અનિવાર્ય રીતે સંકળાયેલી છે, અને બંનેય પ્રજાજીવન પર મોટી અસર પાડનારી છે, એમ તેઓ માને છે : “કલા અને વિવેચના અન્યોન્ય અવિનાભાવે સંલગ્ન છે. કલાસર્જન (art creation) જીવનનો એટલે સજીવન વ્યક્તિના આચરણનો (action of a living being) એક પ્રકાર છે. જેમ આચરણ પહેલાં, આચરણ સાથે, અને આચરણ પછી ચિંતન એટલે વિચારણ, કાર્યકારણઘટના, લક્ષ્યપ્રયત્નઘટના, સાધન નિર્માણઘટના આદિ રૂપે અનિવાર્ય આવશ્યક અને લાભકારક છે, આચરણનું જ અવિભાજ્ય અંગ લેખાવાને પાત્ર છે, તેમ સર્જન અને વિવેચનની જોડીનું પણ સમજી લેવાનું પ્રાપ્ત થાય છે.”૪૧ બળવંતરાયની આ વિચારણાના સૂચિતાર્થો ધ્યાનમાં લેવા જેવા છે. સાહિત્યની રચના, અલબત્ત, તેમના મતે એક અતિ સૌમ્ય સૂક્ષ્મ અને સત્ત્વશીલ તત્ત્વ છે; પણ સ્વરૂપથી તે તેના સર્જકનું ‘આચરણ’ પણ છે. તે ઇચ્છે કે ન ઇચ્છે, જાહેર જીવનમાં તે એક સક્રિય બળ બનીને પ્રવર્તે છે. એટલે જ, સર્જકને પક્ષે એ એક નૈતિક બળ પણ બની રહે છે. વિવેચનની પ્રવૃત્તિ પણ એ જ રીતે વિવેચકનું ‘આચરણ’ બની રહે છે. વિવેચક ઇચ્છાશક્તિ એમાં સક્રિય બને છે. સાહિત્યિક પરિસ્થિતિ – અને વ્યાપકપણે સાંસ્કૃતિક પરિસ્થિતિ – પર તેની ઓછીવત્તી સૂક્ષ્મ અસરો પડે છે. સર્જક તેમ વિવેચક બંનેય પક્ષે, આથી, તેમનાં દરેકનાં ‘આચરણો’ની નૈતિક અસરોનો પણ ખ્યાલ કરવાનો રહે છે. એમાંથી એમ પણ ફલિત થાય છે કે સાહિત્યકૃતિ કે તેના કર્તા પરત્વે જ નહિ, સમસ્ત પ્રજાના શ્રેયાશ્રેયને અંગે ય તેમને ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થાય છે. માનવજાતિના વિકાસક્રમમાં બંનેએ આગવી ભૂમિકા ભજવવાની રહે છે :&lt;br /&gt;
“...વળી કવિતા અને વિવેચના અન્યોન્યાશ્રયી છે. સ્વતંત્ર વિચારબળે આપણી વિવેચનાને આપણે જેમ બિનંગત (ઈમ્પર્સનલ) સાચી અને ઊંડી બનાવીશું તેમ તેમ આપણી કવિતા પણ ખીલશે, અને આપણી કવિતા જેમ ખીલશે તેમ તેમ ઉછરતી પેઢીઓમાં ચારિત્ર્યને યોગ્ય વલણ અને ગુણવત્તા અને બળ મળતાં જશે. સાહિત્ય તો જીવનનો પડઘો માત્ર એ મત એકદેશી અને સાહિત્યના ગૌરવનું અનભિજ્ઞ છે. કાલપ્રવાહમાં જીવનવિકાસ અને જીવનસમુત્ક્રાંતિની સર્જક જે સૂક્ષ્મ અને સૌમ્ય શક્તિઓ પ્રવર્તે છે તેમાંની એક પ્રમુખ શક્તિ સાહિત્ય છે. સાહિત્યની સમુત્ક્રાંતિ માટે મથનારો દેશસેવક જીવનસમુત્ક્રાંતિ માટે પણ મથી રહ્યો છે. સાહિત્ય કે વિવેચનામાં વિપથગામી વલણોને ઉગતાં જ ના દાબી દેવાય તો જીવનક્ષેત્રે પણ એ ચેપી ઝેર પ્રસરવા માંડે છે. વેળાસર લાલબત્તી ધરતી વિવેચના જીવનક્ષેત્રમાં પણ સારી સેવા બજાવે છે.”૪૨&lt;br /&gt;
બળવંતરાયની વિચારણામાં આ એક લાક્ષણિક ભૂમિકા છે. જીવનના વિકાસવાદને લક્ષમાં રાખીને સાહિત્યસર્જન અને વિવેચનની ઉપયોગિતાનો અહીં તેઓ વિચાર કરવા પ્રેરાયા છે; અને, એક રીતે, તેમનો નૈતિક અભિગમ એમાં દેખાઈ આવે છે. સાહિત્યમાં તેમ વિવેચનમાં કોઈ પણ ‘વિપથગામી વલણ’ ચલાવી લઈ શકાય નહિ, એમ તેઓ કહે છે. પણ આ ‘વિપથગામી વલણો’ કયાં તે નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ છે. જીવનવિકાસમાં કયું તત્ત્વ શ્રેયસ્કર, કયું અશ્રેયસ્કર, કયું ઇષ્ટ કયું અનિષ્ટ, એ નિર્ણિત કેવી રીતે કરીશું? કેવળ નીતિ-અનીતિના પ્રચલિત ખ્યાલથી દોરવાઈને સર્જક કે વિવેચક ચાલવા જાય તો તે તેના હૃદ્‌ગત ‘સત્ય’ અને ‘સૌંદર્ય’નો દ્રોહ નહિ થાય? અને પ્રજાના ચારિત્ર્ય ઘડતર અર્થે કઈ કૃતિ લાભદાયી છે કઈ નથી, તે વિશે વિવેચક કેવી રીતે નિર્ણય કરી શકે? પ્રશ્નો જટિલ છે.&lt;br /&gt;
વિવેચકની ભૂમિકા વિશે બળવંતરાયે જે જે વિચારો રજૂ કર્યા છે, તેમાં પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન વિવેચક મેથ્યુ આર્નોલ્ડની પ્રેરણા હોવાનું પણ જોઈ શકાશે. બળવંતરાયનું એમ કહેવું છે કે વિદ્યાપીઠના ઉત્તમ આચાર્યો અને તેજસ્વી તરુણો દ્વારા એક બાજુ સર્જાતા સાહિત્યના ‘ઉત્તમાંશો’ વિશે ‘સતત ગંભીર અપક્ષ નિરીક્ષા’ ચાલવી જોઈએ, વર્ણ્યવિષયના ‘કોણેકોણમાં’ તેમની તેજસ્વી મેધા ફરી વળવી જોઈએ; બીજી બાજુ, સાહિત્યને પોષક વિચારો નિષ્પન્ન થતા રહેવા જોઈએ. તેમને મતે ‘સત્ય’ ‘શીલ’ અને ‘સૌંદર્ય’ એ ત્રણ ચિરંતન મૂલ્યો છે. સર્જકે અને વિવેચકે બંનેએ ત્રણેનું જતન કરવાનું છે. નોંધવું જોઈએ કે, કૃતિ વિવેચનમાં તેમણે આ મૂલ્યોનું સતત સમર્થન કરવાનો આગ્રહ દર્શાવ્યો છે. જો કે આ જાતનાં નિરપેક્ષ મૂલ્યોના સ્વીકાર સાથે સર્જનના તેમ વિવેચનના પ્રશ્નો જટિલ બને છે. સર્જનમાં ‘સત્ય’ કેવી રીતે પ્રગટ થાય, ‘શીલ’નું જતન શી રીતે થાય કે ‘સૌંદર્ય’ જેવું મૂલ્ય કેવી રીતે મૂર્તિમંત થાય તે પ્રશ્નો વિવેચન/સૌંદર્યમીમાંસાના કાયમી પ્રશ્નો છે. મૂલ્યાંકનનાં બીજાં ધોરણો, અલબત્ત, એ ત્રણને મુકાબલે ગૌણ છે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય, અલબત્ત, કૃતિના ગુણદોષ બતાવવાનું છે. જો કે નરી ગુણગ્રાહકતા વંધ્ય છે. એનાથી કોઈને ન્યાય થતો નથી – ન કૃતિને, ન કર્તાને, ન ભાવકને. એ રીતે વાંચનારની ‘ઉન્નતિ’ થતી નથી, તેમ કળાના ક્ષેત્રમાં ‘શુદ્ધિ’ કે ‘પ્રગતિ’ સધાતી નથી. તેમ વિવેચનને પોતાને માટે પણ એ હિતકર નથી. એટલે વિવેચકે કૃતિના ગુણો અને દોષો બંને બતાવવા, પ્રમાણસર બતાવવા, એ જ ખરો માર્ગ છે. બળવંતરાયની દલીલ એ કે ‘કેટલાક દોષ એવા ઉગ્ર હોય કે તેમાં કૃતિના બધાયે ગુણ ડૂબી જાય; કોઈક ગુણ એવો ઉજ્જ્વળ હોય કે તેમાં કૃતિના બધાયે દોષ ડૂબી જાય. ત્યારે તો રસિકોએ ગુણૈકદૃષ્ટિ વા દોષૈકદૃષ્ટિ જ પ્રબોધવી પડે. કેમ કે કલાની ભાવના અને અને સૌન્દર્યની વિશુદ્ધિ એમ કર્યા વગર રક્ષાય જ નહિ.”૪૩&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિને બને તેટલી બિનંગત તટસ્થ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાની બળવંતરાયે ભારે હિમાયત કરી છે. અંગત રુચિ રાગદ્વેષ આદિ વલણોથી મુક્ત કરી આ આખીય પ્રવૃત્તિને પૂરી શાસ્ત્રીય બનાવવી જોઈએ એમ તેઓ માને છે. ‘સાહિત્યની શિષ્ટ અદાલતમાં કૃતિઓના ગુણદોષો ઉપર જ ચુકાદા આપવાના છે.’ અને એમાં અંગત રાગદ્વેષનો પાશ ના હોય તેવા ‘ચુકાદા જ શિષ્ટ સંમતિ મેળવવાને લાયક’ ઠરે છે. સાચો વિવેચક ‘ધીરજની’ ‘અભયની’ ‘નિઃસ્પૃહ મૂર્તિ’ હોવો જોઈએ. સરેરાશ વાચક અંગત રુચિઅરુચિ કે રાગદ્વેષથી પ્રેરાઈને કે પ્રમાણભાન ગુમાવીને મૂલ્યાંકન કરી બેસે પણ વિવેચકમાં કૃતિ વિશે, બિનંગત બનીને, તેની શાસ્ત્રીય તુલના કરવાની ક્ષમતા હોવી જોઈએ.&lt;br /&gt;
જો કે વિવેચનનું (એટલે કે વિવેચકનું) કાર્યક્ષેત્ર તેમણે ઘણું ઘણું વિસ્તારી મૂક્યું છે. કૃતિના વિવેચન–મૂલ્યાંકનમાં એ કાર્ય પૂરું થતું નથી. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની તપાસ પણ તેણે કરવાની છે. વિવેચકના કાર્ય પ્રદેશનો તેમનો આખો નકશો જોવા જેવો છે.&lt;br /&gt;
“વિવેચના કલાસખી છે તેમ શાસ્ત્રસખી પણ છે. કવિતા અને સાહિત્યકૃતિઓના ગુણદોષ જાતિ પ્રકાર સિદ્ધિ કલાસામગ્રી આદિ તપાસવાં એ વિવેચનાનું પ્રિય કાર્ય છે. જાણીતા દાખલાઓ સાથે નવાને મૂકી સરખામણીઓ કરવી, ભેદો જોવા અને તારતમ્ય વિચારવાં એ વિવેચનની પ્રિય પદ્ધતિ છે. આમ કરતાં કરતાં કલામીમાંસા રસશાસ્ત્ર અને વાઙ્‌મયને લગતાં વર્ણન પ્રધાન અને વ્યવસ્થાપક (normative) વિજ્ઞાનો બંધાય છે. વ્યાપ્તિઓ સૂઝે છે, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ વર્જાય છે, સૌને સ્વીકારવાં પડે એવાં ધોરણ વધતાં વધતાં તે સર્વ અન્યોન્યસમર્થક સમૂહ બની શાસ્ત્રની પદવી પામે છે. સજાતીય શાસ્ત્રોના મુકાબલા પણ થાય છે. અને આ આખા વિચારણાપ્રવાહમાં સપાટી તળેનાં રહસ્યોનાં સંશોધન અને મનન તે જ મીમાંસા વા પર્યેષણા છે. વળી કાળબળે બે જુદી જુદી સંસ્કૃતિઓ પાસે પાસે આવી જાય, ત્યારે તેમના વાઙ્‌મયની સાથે તેમનાં કલાશાસ્ત્રો અને રસમીમાંસા પણ એકબીજાંને ભેટે છે. અને એક બીજાં ઉપર પડે છે. એક બીજાંને ચૂમે પણ ખરાં, એકબીજાને કચરે અને કરડે પણ ખરાં. જે બુદ્ધિઓ આ કુરકુરિયા જોડીનાં ચેષ્ટા સ્પર્ધા અને ગેલઝઘડા, આ બે જુદી જુદી પરિસ્થિતિમાં ઉછરેલી બહેનોનાં રીસામણાં અને મનામણાં અનુભવવા જેટલી અધિકારી છે તે તુર્ત જોઈ પણ લે છે, જે આ બે બ્હેનો જેવી દેખાય છે ખરી, પણ તે બે નહીં એક જ હોવી જોઈએ, અથ ચ હોવી જોઈએ એક, તો તે એક શી રીતે એ નવો પ્રશ્ન સંક્રાંતિસમયની ગૂંચ ઉકેલણીના જેવો જ મહાપ્રશ્ન એ વિરલ બુદ્ધિઓમાં જન્મે છે.”૪૪&lt;br /&gt;
બળવંતરાયે આ રીતે જે ખ્યાલો રજૂ કર્યા તેને અનુલક્ષીને ટીકાટિપ્પણી રૂપે થોડુંક કહેવાનું રહે.&lt;br /&gt;
એક, સાહિત્યવિવેચનનો પણ પ્રજાજીવનના વિકાસ સાથે જ વિકાસ થતો રહે છે. વળી કૃતિચર્ચાઓમાંથી સામાન્ય નિયમો/ધોરણો નીપજી આવે છે, અને ભિન્ન સંસ્કૃતિના વિવેચનના નિયમો તેમ સૌંદર્યમીમાંસાના ખ્યાલોની તુલના કરતાં કરતાં સર્વસાધારણ તત્ત્વો બહાર આવે છે. પ્રજાપ્રજાની સંસ્કૃતિઓના ટકરાવમાંથી, આ રીતે, વધુ વ્યાપક અને સમન્વિત કળાવિચાર પણ જન્મી આવે. વિકાસક્રમની તેમની તાત્ત્વિક ભૂમિકાને અનુરૂપ તેમની આ ચર્ચા છે.&lt;br /&gt;
બે, અગાઉ કૃતિવિવેચનમાં બિનંગતતા નિષ્પક્ષતા તાટસ્થ્ય અને વસ્તુલક્ષી ખોજને લીધે તે પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય કોટિની બને, બનવી જોઈએ, એમ કહ્યું હતું. અહીં વિવેચનના પ્રશ્નોને સૌંદર્યમીમાંસા (aesthetics) અને વિવેચનતત્ત્વવિચાર (philospohy of criticism)ના સ્તરે લઈ જવાની પ્રવૃત્તિને તેમણે ‘શાસ્ત્ર’માં મૂકી છે. અહીં ‘શાસ્ત્ર’ દ્વારા ખરેખર તો તેઓ, જુદા જ સ્તરની વિવેચનમીમાંસાના ખ્યાલને સ્પર્શી રહે છે.&lt;br /&gt;
ત્રણ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ/પરંપરાઓમાં વિકસતો કળાતત્ત્વવિચાર વાસ્તવમાં, એક જ મૂળભૂત વસ્તુને અનુલક્ષે છે એમ તેઓ ગૃહીત કરીને ચાહે છે. બધી જ કળામીમાંસા ‘સૌંદર્ય’ ‘સત્ય’ અને ‘શીલ’ના કોઈ નિરપેક્ષ મૂલ્યને ઊપાસે છે. બધી જ કળાવિચારણાઓની ગતિ આમ એક જ અંતિમ લક્ષ્ય તરફની છે&lt;br /&gt;
બળવંતરાયની આ વિચારણા, દેખીતી રીતે જ, વિવેચક માટે અતિ દુષ્કર કર્તવ્ય ઊભું કરે છે. આ રીતે કળામીમાંસાના ક્ષેત્રમાં ચાલતી તેની ગતિ કેટલે અંશે કૃતિવિવેચનમાં ઉપકારક બને, અથવા તેને માટે કળાતત્ત્વવિચાર ખરેખર આવશ્યક છે કે કેમ, એ મુદ્દો ય વિચારણા માગે છે. એફ. આર. લિવિસ જેવા વિવેચક એમ માને છે કે વિવેચકનું મુખ્ય કામ વિવેચ્ય કૃતિ વિશેના જીવંત પુદ્‌ગલરૂપ પણ સંકુલ પ્રતિભાવ ઉપલબ્ધ કરી આપવાનું છે, તેને વિશે ચૂકાદો આપવાનું નહિ. બીજી રીતે, વિવેચકે કૃતિ વિશેના પ્રતિભાવને એની સૂક્ષ્મતમ રેખાઓમાં ગ્રહણ કરવાનો છે; અને એનું જ નિરૂપણ કે વિવરણ કરવાનું છે. પણ વિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ કે ‘કસોટીઓ’ વિશે તાત્ત્વિક સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા નથી. રેને વેલેક, આથી ભિન્ન, વિવેચક કૃતિવિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ અને ‘કસોટીઓ’ વિશે પણ સ્પષ્ટતા કરે, તેની તાત્ત્વિક ભૂમિકા રજૂ કરે, એવી અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
આ આખો મુદ્દો કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર, અને સૌંદર્યશાસ્ત્રના અધ્યયનક્ષેત્ર કે કાર્યક્ષેત્રની સરહદ રેખા આંકી લેવાની ફરજ પાડે છે. વિવેચક વિશિષ્ટ કૃતિ વિશે ગુણદોષની ચર્ચા કરે, તેના રમણીય અંશોનો પુરસ્કાર કરે, કે તેની કળાત્મક સિદ્ધિઅસિદ્ધિનો ખ્યાલ કરે – ત્યાં સુધી તે કૃતિવિવેચનના ક્ષેત્રમાં ગતિ કરે છે એમ કહી શકાય. પણ કૃતિના ગુણદોષની વિચારણામાં ‘ધોરણ’ કે ‘કસોટી’નો તે નિર્દેશ કરે છે, ત્યારે તેનું એ ‘ધોરણ’ કે ‘કસોટી’ સાવ યાદૃચ્છિક વસ્તુ ન હોઈ શકે. સાહિત્યકળા વિશેના અમુક સિદ્ધાંત કે વાદનો એમાં સ્વીકાર રહ્યો જ હોય છે. ઉત્કૃષ્ટ કળાની અપેક્ષા સાથે અમુક કળાવિચાર સહજ રીતે એમાં સંકળાયેલો હોય કે નિહિત રહ્યો હોય એમ જોવા મળશે. વિવેચક કૃતિવિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓ પાછળની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું સ્વીકારે યા ન સ્વીકારે, ધોરણો/કસોટીઓને યથાર્થ રૂપમાં સમજવાનો કોઈ પણ ઉપક્રમ કળાના સિદ્ધાંત તરફ દોરી જાય છે. ઓસ્બોર્ન તો એટલે સુધી કહે છે : There can be no single judgement of practical criticism which does not involve latent doctrines of asthetics.૪૫ કૃતિવિવેચનમાં એકેય એવો મૂલ્યનિર્ણય ન હોય જેમાં સૌંદર્યમીમાંસાનો કોઈ ને કોઈ સિદ્ધાંત નિહિત રહ્યો ન હોય. પણ કળાકૃતિના મૂલ્યાંકનનાં ધોરણો/કસોટીઓ પાછળ રહેલી તાત્ત્વિક ભૂમિકાની તપાસ, તેની તાર્કિક ચકાસણી, એ બધા પ્રશ્નો સાહિત્યશાસ્ત્રના પંડિતો કે સૌંદર્યમીમાંસકો માટે રહેવા દઈએ એ જ બરોબર છે. પણ, કૃતિવિવેચક ચાહે તો સાહિત્યશાસ્ત્રના અને તેથીય આગળ સૌંદર્યમીમાંસાના પ્રશ્નોમાં રસ લઈ શકે, અને તે ક્ષેત્રમાં ય પૂરતી સજ્જતા કેળવીને ગતિ કરી શકે. અલબત્ત, સાહિત્યશાસ્ત્રના સ્તરેથી કે સૌંદર્યમીમાંસાના સ્તરેથી તાત્ત્વિક પ્રશ્નોની માંડણી કરવી – એ કૃતિવિવેચન કરતાં ભિન્ન પ્રવૃત્તિ છે, ભિન્ન પ્રકારની શિસ્ત છે.&lt;br /&gt;
સાહિત્યકલા ‘સ્ફુટાર્થવતી વાણીના માધ્યમ’માં જન્મે છે, તેથી બીજી બધી લલિત કલાઓને મુકાબલે તેમાં મતભેદનું વર્તુલ વધુ મર્યાદિત સંભવે, એવી પણ બળવંતરાયે માન્યતા વ્યક્ત કરી છે. જો કે, આવો વ્યાપક નિયમ તારવવામાં મોટું જોખમ છે. ચિત્ર કે શિલ્પના ક્ષેત્રમાં વધુ મતભેદ સંભવે, સાહિત્યના ક્ષેત્રમાં નહિ–એ જાતનો ખ્યાલ આજે ભાગ્યે જ સ્વીકારાશે. આધુનિકતાવાદી અને તેમાંયે પ્રયોગશીલ કૃતિ ભારે મતમતાંતરનો વિષય બનતી હોય છે. &lt;br /&gt;
વિવેચકની સજ્જતા અંગે બળવંતરાય નોંધે છે : “પુખ્ત વિવેકની સાથે સૂક્ષ્મ રુચિતંત્ર, કવિતાપરંપરા, છંદપરંપરા આદિનું ઝીણું અને સંગીન જ્ઞાન, બ્હોળો અનુભવ, વિવિધ શૈલીઓ અને કળાજાતિઓ સાથે સહાનુભૂતિ, પરિસ્થિતિમાં તેમ કવિના ચિત્તતંત્રમાં પ્રવેશવાની કલ્પના, અને બીજું પણ ઘણું શાસ્ત્રીય તુલનાત્મક ઐતિહાસિક પર્યેષક વિવેચનાનું ગંભીર પચરંગી કર્તવ્ય માગી જ લે છે.”૪૬&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓને બળવંતરાય ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા રૂપે વિકસતી જૂએ છે. એટલે કોઈ પણ કૃતિને યથાર્થ રૂપમાં જોવા-સમજવાને તેના વિશિષ્ટ સંયોગોને લક્ષમાં લેવાના રહે. દેખીતી રીતે જ, કૃતિવિવેચનનો આ ઐતિહાસિક અભિગમ છે. જો કે, એમાં ચરિત્રલક્ષી કે વિચારલક્ષી ભૂમિકા પણ વારંવાર જોડાતી રહે છે. ‘સોરાબ અને રુસ્તમ’ શીર્ષકના તેમના વિસ્તૃત અભ્યાસલેખમાં મહાકવિ ફિરદૌસી અને અંગ્રેજ કવિ આર્નલ્ડ—એ બેની સોરાબરુસ્તમની કથામૂલક કવિતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. બંને કવિઓની રચનાઓમાં જે સ્વરૂપભેદ કે શૈલીભેદ વરતાય છે તેના મૂળમાં ઊતરી બંને પાછળની ભિન્ન સાંસ્કૃતિક પરંપરાનો તેઓ ત્યાં વિગતે પરિચય આપે છે. તેમનું કહેવું એમ છે : “કોઈ પણ કલ્પના સર્જનમાં કલ્પક પાત્રોના ચરિત્ર અને આચરણોની જે સંકલના ગૂંથે છે તે તેના સર્જનનું હાર્દ વ્યક્ત કરે છે. કલાકૃતિનાં દેશકાલ પરિસ્થિતિ આદિ જેમ આપણને પરિચિત જગતથી ભિન્ન અને દૂર સુદૂર, તેમ તેની સંકલના સમજવી મુશ્કેલ થઈ પડે છે, અને સહાનુભૂતિ પ્રવૃત્ત કરવાને આપણી કને વધારે ઇતિહાસજ્ઞાન માગી લે છે. પ્રસ્તુત કૃતિ કઈ કલા જાતિની છે અને તેની પાછળ એ જાતિની પરંપરા કયા પ્રકારની હતી તે પણ આપણે ધ્યાનમાં રાખવું ઘટે.”૪૭ અહીં તેમણે એક અતિ મહત્ત્વની વાત કરી કે વિવેચક સામે પોતાના દેશકાળથી ઘણી દૂરની સાવ ભિન્ન પરંપરાની કૃતિ આવે છે, ત્યારે તેને માટે ‘સહાનુભૂતિ પ્રવૃત્ત’ કરવાને તેનું સાચું ઇતિહાસજ્ઞાન જરૂરી છે. કોઈ પણ કલાકૃતિને એના સ્થળકાળના સંદર્ભોથી ઉતરડીને જોવા જતાં ન્યાય નહિ થાય. તાત્પર્ય કે કલાકૃતિના સ્વરૂપમાં સમકાલીનતાનાં અમુક તત્ત્વો પડ્યાં હોય છે. એવાં તત્ત્વો વિશે પૂરી સમજ અને સહાનુભૂતિ વિના કૃતિના હાર્દમાં પ્રવેશવાનું મુશ્કેલ.&lt;br /&gt;
આપણી સદીમાં વિવેચનના ઐતિહાસિક અભિગમ સામે નવ્ય વિવેચકોએ ઊભો કરેલો મુદ્દો જોવા જેવો છે. અલબત્ત, નવ્ય વિવેચકો એમ કહેવા માગતા નથી કે કૃતિમાં ઐતિહાસિક અંશો પ્રવેશતા જ નથી. તેમનું એમ કહેવું છે કે આવા ઐતિહાસિક અંશોનો તો કાર્યકારણભાવે ખુલાસો આપી શકાય છે, પણ કૃતિનું જે સાચું હાર્દ છે, ગહનતમ રહસ્ય છે, તેને આવા ખુલાસાથી સમજાવી શકાય નહિ. ઐતિહાસિક સંયોગો અને પરિબળોને લક્ષમાં લઈ કાર્યકારણભાવે તેના અમુક બાહ્ય સ્વરૂપની સ્પષ્ટતા કર્યા પછી જે residue રૂપ—એક અતાગ અવર્ણનીય અંશ શેષ રહે છે, તે જ કળાકર્મનો વિશેષ છે. નવ્ય વિવેચકોએ, આથી, કળાકૃતિને આરંભમાં તો ઐતિહાસિક સંદર્ભોથી વિચ્છિન્ન કરીને જોવા માટે અનુરોધ કર્યો; પણ પછીથી કૃતિને વધુ યથાર્થ રૂપમાં સમજવાને એના ઐતિહાસિક સંદર્ભોને ય કોઈ ખપમાં લેવા ચાહે, તેની સામે વાંધો લીધો નથી. ક્લિન્થ બૂક્સ જેવા વિવેચકની ભૂમિકા એ રીતે ધ્યાનપાત્ર છે :&lt;br /&gt;
“If literary history has not been emphasized in the pages that follow, it is not because I discount its importance or because I have failed to take into account. It is rather that I have been anxious to see what residuum, if any, is left after we have referred the poem to its cultural matrix.”૪૮ (હવે પછીનાં પૃષ્ઠોમાં, સાહિત્યના ઇતિહાસ પર જો મેં ભાર મૂક્યો ન હોય, તો તે એ કારણે તો નહિ કે એનું મહત્ત્વ હું ઓછું લેખવા માગું છું. અથવા એ આખી બાબત મારા ધ્યાનમાં આવી નથી; પણ તે એટલા માટે કે કલાકૃતિને એના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકી જોયા પછી ય એમાં એનો કોઈ કલાત્મક સારભૂત અંશ (residuum) શેષ રહે છે કે નહિ તે જોવામાં મને રસ હતો.) આમ, ઐતિહાસિક અભિગમ અને નવ્ય વિવેચકોનો આકારવાદી અભિગમ–એ બે યાદૃચ્છિકપણે સ્વીકારી શકાય તેવી બાબત નથી. સાહિત્યકલાના સ્વરૂપ વિશે તમે કઈ સમજ ધરાવો છો, સાહિત્યની કઈ વિભાવના લઈને ચાલો છો, તે મુદ્દો અહીં અત્યંત મહત્ત્વનો બને છે. બળવંતરાયની સાહિત્યવિચારણા પાછળની તાત્ત્વિક ભૂમિકા, કદાચ, એટલી સ્પષ્ટ નથી; તો પણ, એમાં સાહિત્ય એ ઐતિહાસિક સંયોગો અને પરિબળોની નીપજ છે એ ભૂમિકા સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
‘સોરાબ અને રુસ્તમ’ વિશેના વિવેચનમાં ઐતિહાસિક ભૂમિકા સ્વીકારાઈ છે એ તો ખરું જ; એમાં સાથોસાથ તુલનાત્મક પદ્ધતિનો પણ સ્વીકાર છે. તુલનાત્મક સાહિત્ય – comparative literature – વિશે એ સમયે આપણે ત્યાં એવી કોઈ વિચારધારા નહોતી કે ખાસ અભિજ્ઞતા જન્મી નહોતી. પણ અન્ય ભાષાના વિવેચનમાંથી clue લઈને કે કેવળ આંતરસૂઝથી તેમણે અહીં તુલનાત્મક અભિગમ સ્વીકાર્યો છે. ફિરદૌસી અને આર્નલ્ડની કૃતિઓના સ્વરૂપભેદ અને શૈલીભેદને લક્ષમાં લઈ તેમણે બંનેની પરંપરાનું હાર્દ ખૂલ્લું કરવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અને કાવ્યપરંપરાના ખ્યાલો વિશે બળવંતરાયની ટીકાટિપ્પણીઓ ખરેખર માર્મિક અને તત્ત્વગ્રાહી છે. તેમના મતે મધ્યયુગીન સંસ્કૃત પરંપરાના કવિઓની રસદૃષ્ટિ ‘એકથી વધુ દૃષ્ટિએ દૂષિત’ અને ‘હીન’ થયેલી છે. પશ્ચિમની કાવ્યમીમાંસાના અભ્યાસથી એ વાત હવે સ્પષ્ટ થવા લાગી છે, એમ તેઓ કહે છે. જો કે આપણે ત્યાં કેવળ રૂઢ અલંકારશાસ્ત્રમાં ગતિ કરતા વિદ્વાનોને આ વાત બરોબર સમજાઈ નથી એવી તેમની માન્યતા છે. પાછળના સમયના અલંકારશાસ્ત્રીઓ પરંપરાપ્રાપ્ત મતો અને વિચારવલણોને જેમના તેમ સ્વીકારતા રહ્યા છે. સ્વતંત્ર પર્યેષકબુદ્ધિથી કાવ્યતત્ત્વનો ફેરવિચાર કરવાની તેમનામાં વૃત્તિ દેખાતી નથી. ‘મેઘદૂત’ વિશે મલ્લિનાથની ટીકાને અનુલક્ષીને તેમણે રજૂ કરેલું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ નોંધે છે કે... એ જમાનાનું રુચિતંત્ર કાલિદાસમાં જ્યાં ત્યાં આવી કામી દશાનું જ રહસ્ય શોધે એ સ્વાભાવિક છે. એટલે કાલિદાસ જેવા કવિઓને રૂઢ રુચિવૃત્તિથી કે પરંપરાગત કળાદૃષ્ટિએ નહિ, સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવવા જોઈએ. અહીં તેમની ચર્ચામાં ગૂંચ ઊભી થતી હોવાનું લાગશે. અગાઉ ઐતિહાસિક અભિગમને લગતો ખ્યાલ સ્પષ્ટ કરતાં વિવેચ્ય કૃતિને એના મૂળ ઐતિહાસિક/સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાને તેમણે અનુરોધ કર્યો હતો. અહીં તેઓ આધુનિક કળાવિચારના પ્રકાશમાં કાલિદાસાદિ કવિઓનું મૂલ્યાંકન કરવાને સૂચવે છે. તો, વિવેચનમીમાંસાનો આ એક ઘણો મોટો કૂટ પ્રશ્ન થયો! વિવેચકે પ્રાચીન મધ્યકાલીન પરંપરાના સાહિત્યને કેવી રીતે જોવું અને મૂલવવું ઘટે? કૃતિ/કર્તાને ‘ન્યાય’ કરવાની હંમેશાં વાત થાય છે. પણ આ ‘ન્યાય કરવો’ એટલે શું? સાહિત્યકૃતિને ન્યાય કરવો એટલે એનું સાચું ‘રહસ્ય’ પામવું, પણ તો એ કેવી રીતે શક્ય બને? સાહિત્યકૃતિને એવો કોઈ નિરપેક્ષ ‘અર્થ’ સંભવે છે ખરો, જે સમય જતાં ય કે દૂર સ્થળકાળમાં અવિકારી અને અપરિવર્ત્ય જળવાઈ રહે? અંતે, સાહિત્યકૃતિ એ કોઈ સમયબદ્ધ–ઇતિહાસબદ્ધ વસ્તુ છે કે સમયાતીત, તેનો ય ખ્યાલ કરવાનો આવે. આજે વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે ભૂતકાળની કૃતિઓનું રહસ્ય વર્તમાનની ભૂમિકા પરથી જ સમજી શકાય. અર્થાત્‌, કૃતિને આપણી આજની સાંસ્કૃતિક ભૂમિકાએથી તેનું રહસ્ય ઘટાવીને–તેનું પુનઃ અર્થઘટન કરી આપીને–જ સાચી રીતે સમજી શકો. અને બીજા કેટલાક તો એમ કહે છે કે ભૂતકાળની કૃતિને તમે વર્તમાનની ભૂમિકાથી અળગા થઈને જોઈ જ ન શકો. અર્થાત્‌ ભૂતકાળની કોઈ પણ કૃતિનું હાર્દ વર્તમાનના સંદર્ભમાં જ પ્રગટ થતું હોય છે. એટલે આ પ્રશ્ન, અંતે, જ્ઞાનમીમાંસાના ક્ષેત્રમાં આપણને દોરી જતો જણાશે.&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓ સામાજિક હકીકત – social facts – છે, એમ બળવંતરાયે કહ્યું, અને સમાજજીવનના વિકાસ અર્થે તેનું અનન્ય મહત્ત્વ પણ તેમણે સ્વીકાર્યું; છતાં, કળાકૃતિઓ સર્વજનભોગ્ય હોય એમ તેઓ માનતા નથી. ઉત્તમ કળાકૃતિ માણવાને ભાવક અધિકારી હોવો જોઈએ, તેનામાં એ વિશે પૂરી સજ્જતા હોવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું છે. માતૃભાષામાં લખાયેલી પણ ખરેખરી નીવડી આવેલી કળાકૃતિના અનુભાવન અર્થે ય ભાવક પાસે મોટી તૈયારી જોઈએ. ‘બુદ્ધિ જ્ઞાન અને કવિતા પરિચયના પ્રમાણમાં જ – તેની કલ્પનાની કેળવણીના પ્રમાણમાં જ – તે ગ્રહણ કરી શકશે’, એમ તેઓ કહે છે. ગાંધીજી જ્યારે સાહિત્ય લોકગમ્ય બને તેની હિમાયત કરતા હતા, ત્યારે બળવંતરાય જેવા, ભાવકની રસગ્રહણ શક્તિ ખિલવવાને આગ્રહ રાખતા હતા : “કલાકૃતિના અણુ-અણુમાં અનુસ્યૂત કલાનો આત્મા, રસ-સંસ્કાર પામેલી બુદ્ધિ અને સૂક્ષ્મ સબળ બનેલી કલ્પનાને સંવેદ્ય છે, ન અન્યથા... કલા પામર ઇંદ્રિયો વડે ગ્રાહ્ય વસ્તુ જ નથી. કલાસૌન્દર્ય બુદ્ધિ અને કલ્પનાના ગ્રાહ્ય સૂક્ષ્મીકરણે જ બને છે.”૪૮  &lt;br /&gt;
સાહિત્ય અને વિવેચન બંનેય માનવસમુત્ક્રાંતિના ક્રમમાં વિકસતી, વિકાસશીલ, અને વિકાસોન્મુખ વસ્તુઓ છે. જે તે યુગનાં ‘સત્યો’ બંનેના હાર્દમાં નિહિત રહ્યાં હોય છે. અને સર્જકે તેમ વિવેચકે, જ્યાં સુધી જીવન અને જગત વિશે નવાં ‘સત્યો’ ઉદ્‌ભાસિત ન થાય ત્યાં સુધી એ ‘સત્યો’ને વળગી રહેવાનું છે, કે તેને જ અનુસરવાનું છે, એમ તેઓ કહે છે. પણ પ્રાપ્ત થયેલાં ‘સત્યો’ પણ કોઈ જડ વસ્તુ નથી. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’  એ ન્યાયે ‘સત્ય’ ‘સત્ય’ વચ્ચે ટકરામણો ચાલતી રહે છે, અને નવું ‘સત્ય’ પ્રકાશિત થાય છે. એટલે વિવેચન અર્થે જે તે યુગનાં પોતાનાં ‘સત્યો’ને જ લક્ષમાં લેવાનાં રહે, અને જ્યારે નવાં ‘સત્યો’ જડશે અને નવું શાસ્ત્ર ઊભું થશે, ત્યારે વિવેચનમાં એક નવી વ્યવસ્થા ઊભી થઈ હશે, કે રચવી પડશે.&lt;br /&gt;
પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87772</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87772"/>
		<updated>2025-04-27T07:57:07Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| III. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|  }}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા  વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે.&lt;br /&gt;
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે.&lt;br /&gt;
૨.&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
અલબત્ત, નવલરામની જીવનકથામાં એ યુગના એ મહાન સમીક્ષકની વિવેચનપ્રવૃત્તિ તેમ જ તેમના અન્ય સાહિત્ય વિશે ગોર્વધનરામે ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કર્યું છે. તેમનો પોતાનો વિવેચનાત્મક અભિગમ એમાં તરફ ધ્યાન ખેંચે છે. નવલરામના સર્જન-વિવેચનને અવલોકવાને તેઓ નવલરામની વિદ્યાપ્રાપ્તિ અને માનસિક સજ્જતાનો, તેમનાં રુચિવલણોનો, તેમજ તેમના જીવન અને સાહિત્યને જોવા સમજવાનો વિશાળ પરિપ્રેક્ષ્ય સ્વીકારે છે. ચરિત્રાત્મક (biographical), નીતિપરક (moral), અને ઐતિહાસિક (historical) એમ વિભિન્ન અભિગમો એમાં એકત્રપણે કામ કરતા જોઈ શકાશે. નવલરામે પોતે ગ્રંથસમીક્ષાઓ/વિવેચનો અર્થે જે પદ્ધતિ નિપજાવી લીધી હતી તેમાંય આવા અભિગમો એકત્ર થયેલા હતા. પણ નવલરામે કે ગોવર્ધનરામે વિવેચન અર્થે પોતે યોજેલી પદ્ધતિ વિશે સંપ્રજ્ઞપણે ખાસ તત્ત્વચિંતન કર્યું દેખાતું નથી. પણ સાહિત્યકળાના સ્વરૂપ વિશે તેમ તેનાં પ્રયોજનો વિશે તેઓ જે રીતે વિચારી રહ્યા હતા, કહો કે સાહિત્યને યથાર્થ રૂપે પામવા તેમના મનમાં જે ખ્યાલો પડ્યા હતા, તે તેમના વિવેચનાત્મક અભિગમ સાથે સારી રીતે મેળમાં છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
નવલરામની ગ્રંથપરીક્ષાપ્રવૃત્તિની ચર્ચાને અનુલક્ષીને ગોવર્ધનરામ પોતે પુસ્તકપરીક્ષક કે વિવેચકનું કાર્ય આ રીતે સ્પષ્ટ કરે છે : “પુસ્તકપરીક્ષકનું ખરેખરું કામ તો એ છે કે એક તો નવીન અપ્રસિદ્ધ ગ્રંથકારમાં યોગ્યતા હોય તો તે દર્શાવી આપી પ્રગટ કરી એ ગ્રંથકારનો હાથ ઝાલી સાક્ષરવર્ગ આગળ એને પ્રસિદ્ધ કરવો. અને બીજું, પ્રતિષ્ઠિત ગ્રંથકારના ગુણનું પૃથક્કરણ કરી વાંચનારાઓ આગળ એ ગુણો પારદર્શક કરી આપવા.”૧૪ ગોવર્ધનરામ નોંધે છે કે નવલરામે આ ધર્મ ઘણા વિવેકપૂર્વક બજાવ્યો છે, અને તેમના વિવેચનકાર્યમાં જે ઠરેલપણું જોવા મળ્યું તેની પણ તેમણે પ્રશંસા કરી છે. પણ અહીં આપણને પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. નવલરામ અને ગોવર્ધનરામ બન્ને વિવેચનપ્રવૃત્તિને સાહિત્યના સર્જક અને ભાવક બંને સાથે સાંકળીને જૂએ છે. વિવેચકને બન્ને તરફ ચોક્કસ ઉત્તરદાયિત્વ છે, નૈતિક કર્તવ્ય છે, એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી ગ્રંથકારોના ગ્રંથોની પરીક્ષા સાથે નવલરામનું નામ વધારે જોડાયેલું છે’ – એમ નોંધી નવલરામે ગ્રંથપરીક્ષક તરીકે કેવી તો કપરી કામગીરી બજાવી છે તે વિશે તેઓ આપણું ધ્યાન ખેંચે છે. ગ્રંથપરીક્ષકનું કાર્ય અને કાર્યક્ષેત્ર વર્ણવતાં તેઓ એક મહત્ત્વની ભૂમિકા રજૂ કરે છે. એ યુગની વ્યાપક સમજ એમાં છતી થાય છે.&lt;br /&gt;
“...પણ આ દેશના તેમ જ પરદેશના સર્વ વિદ્વાનોનો મત એવો છે કે, ગ્રંથપરીક્ષા એટલે ગ્રંથમાં સારું શું છે તે જાણવું અને જણાવવું. ગ્રંથમાં તો શું પણ સર્વત્ર પરીક્ષાનો એ જ હેતુ છે કે ફલાણાએ શું કામ કર્યું તે જોવું; શું કામ કર્યું એટલે શું સારું કામ કર્યું. કોઈએ શું કામ નથી કર્યું તેની પરીક્ષા નથી હોતી. કોઈએ કેટલું નઠારું કામ કર્યું એટલું જ માત્ર જોવા જવું એવી પરીક્ષા કોઈ સુપરીક્ષક માથે લેતો નથી. ફૂલની સુવાસના જોનાર હોય છે. દુર્ગન્ધ શોધનાર અભાગિયા હોતા નથી. ગ્રંથપરીક્ષક એ ગ્રંથરૂપ પુષ્પોનો ભોગી ભ્રમર છે. તે સ્થળેથી પરાગ અને મધુના પરમાણુ શોધી કાઢી તેનો સંચય કરે છે, અને એના રચેલા મધપૂડાઓનું મધ તેને પોતાને તેમ અન્ય લોકને કામે લાગે છે. ગ્રંથના ગુણની પરીક્ષા કરવી, એ ગુણનો જાતે ઉપભોગ કરી આનંદ અનુભવવો, અને એ આનંદ પામવા ગ્રંથના વાંચનારાઓને સમર્થ કરવા, પોતે સરસ અન્ન જમવું અને બીજાને જમાડવા – આ આનંદની ઉજાણી આપવી, એ જ ગ્રંથપરીક્ષકનો અભિલાષ હોય છે. એ અભિલાષ જેને ન હોય તે પરીક્ષક જ નથી.”૧૫&lt;br /&gt;
વિવેચકના અવલોકનીય કૃતિ પરત્વેના અભિગમમાં અહીં જુદો ઝોક વરતાશે. પરીક્ષક કૃતિના ગુણદોષની પરીક્ષા કરે, ભલે કરે, તેનું મુખ્ય પ્રયોજન કૃતિનો આસ્વાદ લેવાનું અને ભાવકોને તેમાં સંમિલિત કરવાનું છે. કૃતિની કેવળ નિંદા—કેવળ દોષદર્શનની વૃત્તિ—તેમને ઇષ્ટ નથી. કૃતિ પરત્વે આમ positive attitude કેળવવાનો તેઓ આગ્રહ રાખે છે. અગર કૃતિમાં વિવેચક દોષ જૂએ તો પણ તેની ગુણસમૃદ્ધિના સ્વીકાર પુરસ્કાર સાથે જુએ. સર્જકના પ્રયત્નને પૂરા સમભાવથી તેણે ઓળખવાનો છે. પરીક્ષકમાં જ્યાં સુધી પ્રસ્તુત કૃતિ (કે કર્તા) પરત્વે ‘અનુકંપા’ જન્મતી નથી—‘અનુકંપા’ દ્વારા તેમને સહૃદયભાવ અભિપ્રેત હોવાનું સમજાય છે—ત્યાં સુધી તેમાંના ‘ગુણ જોવાની દૃષ્ટિ’ ‘ઉઘડતી’ નથી એમ તેઓ કહે છે. વિવેચનપ્રવૃત્તિને લગતો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. સાહિત્યકળાના પ્રશ્નો વિશે વિવેચકમાં ઘણી ઊંડી જાણકારી હોય, વિશાળ જ્ઞાનવિજ્ઞાનનો સંપર્ક હોય, પણ કૃતિને સહૃદયભાવે જોવાની તત્પરતા ન હોય, તો તેની એ સજ્જતા ભાગ્યે જ કાર્યસાધક નીવડે. કૃતિના સૂક્ષ્મતમ રમણીય અંશોનું ગ્રહણ કરવા તેમ તેનું હાર્દ ઓળખવા, તેનું સમગ્ર ચિત્ત પૂરેપૂરું કૃતિને અભિમુખ બની રહેવું જોઈએ. કૃતિ કે કર્તા વિશેનો અજ્ઞાતરૂપનો અણગમો કે અરુચિનો ભાવ કૃતિના હાર્દ સુધી પહોંચવામાં અંતરાય રચી દે, તેની રસકીય ચેતનાને કૃતિના સર્જનાત્મક અંશોમાં વિસ્તરતાં પહેલાં જ કુંઠિત કરી દે, એવો પૂરો સંભવ રહે છે.&lt;br /&gt;
કૃતિના વિવેચન-મૂલ્યાંકનનો એક કૂટ પ્રશ્ન અહીં રોપાયેલો છે. વિવેચકે કૃતિના ‘ગુણો’ બતાવવાના છે એમ આપણે કહીએ છીએ, ત્યારે ય ‘ગુણતત્ત્વ’ કંઈ કૃતિમાં સહેલાઈથી locate કરી આપી શકાય તેવી વસ્તુ નથી, એ આપણે સ્મરણમાં રાખવાનું છે. અંતે, ‘સાહિત્યિક ગુણ’—એ મૂલ્યબોધની વસ્તુ છે. કૃતિના આસ્વાદની પ્રક્રિયામાં ભાવયિત્રી પ્રતિભા એની સાથે જે રીતે encountering કરે છે, તેમાં આ જાતનો મૂલ્યબોધ સંભવે છે. અભિનવગુપ્તે સહૃદયની આંતરક્ષમતાનું વર્ણન કરતાં આમ કહ્યું છે : “સહૃદય તો તે જેનું મનોમુકુર કાવ્યાનુશીલનના અભ્યાસથી વિશદીભૂત થયું છે, ‘વર્ણનીય’ સાથે તન્મય બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે, અને હૃદયસંવાદની ક્ષમતાવાળું છે.”૧૬ અભિનવે મનોમુકુરને વિશદીભૂત હોવાનું અનિવાર્ય લેખ્યું છે, પણ મર્મજ્ઞ અભ્યાસીઓએ નોંધ્યું જ હશે કે ભાવકચિત્તની ‘વિશદતા’ એ કોઈ શૂન્ય ભાવાવસ્થા નથી : કાવ્યાનુશીલનથી, તેના દીર્ઘ અભ્યાસથી, તે ‘વિશદ’ બન્યું છે એમ તેમનું કહેવું છે. અર્થાત્‌ કૃતિનાં રમણીય—અરમણીય તત્ત્વોને ઓળખવા બાબતે ચિત્તમાં કોઈ સંદિગ્ધતા નથી, કોઈ ગૂંચ નથી. એટલે, રમણીયતાના બોધ પરત્વે ચિત્તમાં કશીક સ્થિર દ્યુતિમય દૃષ્ટિની તેમને અહીં અપેક્ષા છે. પણ, એ સાથે જ, ‘હૃદયસંવાદ’ની ક્ષમતા જોઈએ એમ તેઓ કહે છે. ગોવર્ધનરામે આગવી રીતે આ જ વિચાર સ્પષ્ટ કર્યો છે.&lt;br /&gt;
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!&lt;br /&gt;
૩&lt;br /&gt;
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.&lt;br /&gt;
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.&lt;br /&gt;
લેખના આરંભમાં જ તેઓ ટીકાપ્રવૃત્તિનું માહાત્મ્ય રજૂ કરવા પ્રેરાયા છે. આ સંદર્ભે એક જૂનો સંદર્ભ તેમણે ટાંક્યો છે. શ્રી ભોજરાજે પોતાની ‘રાજમાર્તંડ’ નામની યોત્રસૂત્રવિષયક ટીકાના મંગલાન્તે એક માર્મિક ટકોર કરી છે : “જે દુર્બોધ હોય તેને ‘એ તો સ્પષ્ટ છે’ એમ કહીને (ટીકાકારો) તજી દે છે, ને જે સ્પષ્ટાર્થ હોઈ તેના ઉપર પંડિતાઈ બતાવવા નકામા નકામા સમાસાદિનો વિગ્રહ સમજાવવાનું ડોળ કરી બહુ ટાયલું વિસ્તારે છે. જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવળ નિરૂપયોગી બહુ બહુ વાતો દાખલ કરી ઊલટો વાંચનારને મિથ્યા ભ્રમ પેદા કરે છે. એમ પ્રાયશઃ ટીકા કરનારા શુદ્ધ સવસ્તુ (?) હોય તેને કેવળ ચુંથી નાખે છે.”૧૭ દેખીતું છે કે શ્રી ભોજરાજ અહીં પોતાના જમાનાના અમુક બની બેઠેલા ટીકાકારોને ઉઘાડા પાડવા માગે છે. મણિલાલ આ સંદર્ભ રજૂ કરી તરત જ નોંધે છે કે શ્રી ભોજરાજે આ જે નિંદા કરી છે તે શ્રી શંકરાચાર્ય કે શ્રી મલ્લીનાથ જેવા મહાન પ્રતિભાશાળી પુરુષોને લક્ષમાં રાખીને નહિ જ કરી હોય. આ અંગે વધુ નિરાકરણ કરતાં તેઓ નોંધે છે : “યદ્યપિ ટીકાકારો મૂલવસ્તુનો વિકલવ કરનારા છે એ નિઃસંશય છે. તથાપિ ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર, આદિ અનેક દર્શનોના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે?”૧૮ અને એના સમર્થનમાં ઉમેરે છે : “કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે તેમ તેના પાશ્ચાત્ય સમધર્મા શેક્સપીઅરને જરવાઈનસે અમર કર્યો છે.”૧૯ અહીં વક્તવ્યની રજૂઆતમાં મણિલાલનો લાક્ષણિક તર્કવાદ ધ્યાનપાત્ર છે. વિવેચનની ઊણપો મર્યાદાઓ અને નિષ્ફળતાઓ તેમને ધ્યાન બહાર નથી, પણ એ બધુંય સ્વીકાર્યા પછી વિવેચનની અનિવાર્યતા તો ઊભી રહે જ છે, એમ તેમને અભિપ્રેત છે. તેઓ સ્પષ્ટપણે નોંધે છે કે કૃતિના ‘ગુણો’ની ગણના તેના ઉદ્‌ભવની સાથે જ થાય એવું ક્વચિત જ બને છે. પણ કૃતિમાં આંતરસત્ત્વ હોય તો એની ગણના વહેલીમોડી થયા વિના રહેતી નથી.&lt;br /&gt;
પોતાના જમાનામાં વિવેચન કે સમીક્ષા અર્થે પ્રચલિત બનેલા ‘ટીકા’ શબ્દની વ્યાખ્યા કરતાં મણિલાલ કહે છે : “ટીકા શબ્દનો મુલ અર્થ તો સ્પષ્ટીકરણ, વિશેષ વિચાર, વિવેચન અવલોકન એટલો જ છે.”ર૦ આ રીતે ‘ટીકા’ શબ્દ સાથે એ સમયમાં માત્ર નિંદાનો જે ખ્યાલ વ્યવહારજગતમાં પ્રચલિત હતો તેને તેઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કૃતિ/કર્તા વિશે કેવળ નિંદામાં રાચતો વિવેચક કોઈ રીતે ધ્યાનાર્હ નથી; તેમના મંતવ્યોને લેખામાં જ ન લેવાં, એવી પણ તેઓ હિમાયત કરે છે. બીજી બાજુ, લેખકોને અનુલક્ષીને તેઓ તેમને મતસહિષ્ણુતા કેળવવાને કહે છે. કોઈ કૃતિ વિશે સમીક્ષક ટીકાટિપ્પણી કરે કે ભિન્ન મત દર્શાવે તેથી કોઈએ આ બાબતે અસહિષ્ણુ બનવાનું નથી. લોકોમાં એવી એક સમજ પ્રચલિત છે કે ‘સો શાણાનો મત એક જ.’ પણ મણિલાલ કહે છે કે આ વાત બરોબર નથી. –“અમારું માનવું તો એમ જ છે કે મતભેદ એ કોઈ પણ દેશની વિદ્યાસમૃદ્ધિનું ચિન્હ છે, ને જેમ વસ્તુગત્યા અનિવાર્ય છે તેમ લાભકારી છે. સત્ય છે તે એવું નથી કે મતાંતર સહન ન કરી શકે. જે અસત્ય છે તે જ મતાંતર સહન કરવા અસમર્થ છે. ગમે તે બાજુએથી જુઓ પણ સત્ય પ્રતિભા સર્વથા એકરૂપે જ સમજાશે... મતાંતર સહન કરવું એ અતિ ઉદાર બુદ્ધિ અને વિશાળ વિદ્યા-પ્રસારનું ફલ અથવા લક્ષણ છે. ત્યારે લોક એમ સમજે છે કે ટીકા થઈ એટલે જ દોષ સિદ્ધ થયો તે ભ્રમ છે. એટલું જ નહિ પણ જેના ઉપર ટીકા નથી થતી તે દોષવાળું’ છે એમ હોવાનો સંભવ છે...”૨૧ અને આ સંદર્ભે તેઓ એક અતિ સમર્થ વિધાન કરે છે : “જે ગ્રંથ જે લેખ જે ઉક્તિ વિદ્વદ્‌ચર્ચાને યોગ્ય થઈ તે યદ્યપિ મતમતાંતરગ્રસ્ત હોય તથાપિ સાર્થ છે. ધન્ય છે. ઉત્તમ છે. વિશુદ્ધ છે.”૨૨ સમકાલીન માનસને ઉદ્દેશીને થયેલી આ ચર્ચા, આમ તો, પ્રાસંગિક જેવી છે, પણ એમાં મણિલાલની એક વિશેષ આસ્થા પ્રગટ થાય છે. વિશિષ્ટ દૃષ્ટિબિંદુ કે વિશિષ્ટ વ્યક્તિત્વનો અંશ લઈને આવતી કૃતિ અન્ય પ્રતિભાને પડકારે, પ્રચલિત ખ્યાલને આઘાત આપે, તો તે સહેજે વિવાદાસ્પદ નીવડવાની જ. પણ એવી કૃતિ પ્રાણવાન અંશ લઈને આવી હોવાથી અનેક દિશાની ટીકાઓ આલોચનાઓ છતાં તે અખંડ અને અક્ષત રહેવાની છે. જે સત્ત્વહીન છે, નિષ્પ્રાણ છે. નિર્જીવ છે, તે કૃતિ કોઈ મતમતાંતરને પડકારી શકે નહિ. જેમાં સામર્થ્ય છે, સત્ત્વ છે, પ્રાણશક્તિ છે, તે જ સામાને પડકારે છે. આમ, મણિલાલ વિવેચનપ્રવૃત્તિની સંગીન પ્રતિષ્ઠા કરી શક્યા છે.&lt;br /&gt;
આપણા દેશમાં પ્રાચીન સમયે ચાલેલી ટીકાપ્રવૃત્તિ અને અર્વાચીન સમયમાં પશ્ચિમમાં પ્રચલિત થયેલી ગ્રંથાવલોકન (review) પ્રવૃત્તિ વચ્ચે મણિલાલે જે સૂક્ષ્મ ભેદ કર્યો છે તે દ્યોતક છે : “પ્રાચીન ટીકામાં, જે હોય તેનો જ આશય સ્પષ્ટ કરાય છે. અવલોકનમાં તે ઉપરાંત તે વિષયનું સાંગ સ્ફોટન નિરૂપાય છે. જે વિષય હોય તે જ વિષયને પુનઃ અવલોકી તેનું રૂપ જેવું નિરૂપ કે આલેખ્યું હોય તેવું અન્ય રીતે પણ મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવું એ અવલોકનનો વિષય છે.”૨૩ મણિલાલને અહીં સૂચવવું છે કે પ્રાચીન ‘ટીકા’ પદ્ધતિમાં કૃતિના અંગ ઉપાંગનું અલગ વિવરણ થાય છે, અને કર્તાનો ‘આશય’ સમજવાનો ઉપક્રમ તેમાં હોય છે. જ્યારે અર્વાચીન ‘અવલોકન’માં એ વસ્તુ ઉપરાંત કૃતિના ‘વિષય’નું ‘સાંગ સ્ફોટન’ નિરૂપાય છે. તાત્પર્ય કે, કૃતિમાં રજૂ થયેલા સમગ્ર વિષયને અનુલક્ષીને સમીક્ષા થાય છે. જો કે (review) લેખે ‘અવલોકન’નું પ્રયોજન કૃતિના વિસ્તૃત સર્વાંગી અધ્યયન-પરિશીલન કરતાં સીમિત છે એ હકીકત તરફ પણ તેઓ આપણું લક્ષ્ય દોરે છે : “અવલોકનનો હેતુ તો માત્ર એટલો જ છે કે પ્રકૃત વિષય જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરતાં તેના ઈતરથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મૂકવો. એમ કરતાં હેયોપાદેય અંશ બતાવવા પડે તેમાં કંઈ હાનિ નથી, પણ તે બતાવવા એ જ અવલોકનનો હેતુ નથી. બીજી રીતે બોલીએ તો પ્રકૃત લેખકને ઉપદેશ આપવો એ અવલોકનનો હેતુ કે વિષય નથી, તન્નિરુપિત વિષયને સ્પષ્ટ કરી વાચકોને શુદ્ધ બોધ કરવો એ તેનો હેતુ ને વિષય છે.”૨૪ મણિલાલની આ ચર્ચા કંઈક અસ્પષ્ટ છે. પણ તેમને અહીં કદાચ એમ પ્રતિપાદિત કરવું છે કે review (અવલોકન) કરનાર કૃતિના વર્ણ્યવિષયનું exposition કરે તો ય તે પૂરતું હશે, કૃતિની કળાત્મક સિદ્ધિ અસિદ્ધિના પ્રશ્નમાં તે ઊંડો ન ઊતરે તો ય ચાલશે.&lt;br /&gt;
અવલોકનકારે પૂરા સમભાવથી, કર્તાના મૂળ આશયને લક્ષમાં રાખીને, અવલોકનમાં પ્રવૃત્ત થવાનું છે એમ મણિલાલ કહે છે : “વિષયને રૂપાંતરે નિરૂપનારને પણ સહન કરવો એ અવલોકનકારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પોતે તે વિષયને કેવો નિરૂપિત એ બતાવવાનું કામ તેનું નથી, પણ જેવો નિરૂપિત કર્યો છે તેવા શા પ્રકારે કર્યો છે તથા તેમાં શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે”૨૫ કૃતિના અવલોકન અર્થે પ્રવૃત્ત થતાં તે જે રીતે ઘાટ પામી છે એની પાછળ કર્તાનો પોતીકો એવો જે ખ્યાલ કામ કરી રહ્યા છે તેની અવલોકનકારે પ્રથમ નોંધ લેવાની છે. આ ચર્ચા જો કે સર્જન વિવેચન અને ચિંતનની સર્વ પ્રકારની કૃતિઓને લક્ષતી હોવાથી સર્જનાત્મક કૃતિઓના વિવેચનના અમુક પ્રશ્નો ઢંકાઈ જવા પામ્યા છે. સર્જનાત્મક કૃતિમાં સર્જકનો મૂળ ‘આશય’ (Intention) શો હતો એ વિશે નિર્ણય કરવાનું સહેલું નથી. કૃતિની રચના પૂર્વે સર્જકે, ક્યાંય પણ નોંધ વ્યાખ્યાન કે જાહેર ઉદ્‌ગાર રૂપે, પોતાની અમુક અમુક કૃતિની રચનામાં પોતાનો અમુક ‘આશય’ હતો, અથવા પોતે એ કૃતિમાં અમુક વસ્તુ રજૂ કરવા ચાહતો હતો એમ કહ્યું હોય તો એવો ‘આશય’ એ એક વસ્તુ છે, અને સર્જનકર્મને અંતે સિદ્ધ થયેલી કળાકૃતિ એ બીજી વસ્તુ છે. સર્જનની પ્રક્રિયામાં મૂળની અનુભવસામગ્રી અજ્ઞાતપણે કે અણધારી રીતે નવા જ અર્થો અને નવાં જ મૂલ્યો છતાં કરી આપે એમ બનતું હોય છે. સર્જનની સમસ્ત પ્રક્રિયામાં સર્જકચિત્તની આંતરિક ખોજ ચાલતી રહે છે. એટલે કૃતિના આરંભે ઉપલબ્ધ થયેલી વસ્તુસામગ્રી અંતમાં પૂર્ણરૂપ ધરે છે ત્યાં સુધીમાં તેનું ઓછુંવત્તું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એટલે કૃતિની રચના પૂર્વેનો સર્જકનો પ્રગટ આશય અપ્રસ્તુત બની રહે છે. પણ, તો પછી, કૃતિના વિશિષ્ટ આકાર પાછળ કોઈ ‘આશય’, કોઈ ‘નિયામક તત્ત્વ’ જ નહિ હોય? પ્રશ્ન અતિ કૂટ છે. આ ‘આશય’ કે ‘નિયામક તત્ત્વ’ તે રચના પૂર્વે સર્જકે જાહેર કરેલી વસ્તુ નથી : સર્જનાત્મક કૃતિના હાર્દમાં અનુસ્યૂત રહેલી એ વસ્તુ છે. સર્જનની ક્ષણોમાં રચાતા આવતા અંશોમાં એ એક કેન્દ્રીય ગતિ-શીલ તત્ત્વ રૂપે સક્રિય બને છે, જો કે એને કોઈ કારિકા કે તર્કવિધાન રૂપે ઘટાવી ન શકાય. એક રીતે સમસ્ત કૃતિને, તેની રૂપરચનાને, આવું કોઈ ગતિશીલ તત્ત્વ નિયંત્રિત કરે છે. એટલે કે કૃતિ સ્વયં એનો આવિષ્કાર કરે છે. અહીં ‘આશય’ એ સમસ્ત કૃતિમાં વ્યાપી રહેલું—પ્રવર્તક બનેલું તત્ત્વ છે.&lt;br /&gt;
નવ્ય વિવેચકોમાં વિલિયમ વિમ્સોત્‌ અને મોન્રો બિયડર્‌ઝલીએ The Intentional Fallacy નામે એક સમર્થ લેખ કર્યો છે, તેમાં સાહિત્યકૃતિની સ્વતંત્ર સ્વાયત્ત સત્તા સ્થાપવાને કર્તાના ‘આશય’થી તેને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યના ‘અર્થ’ને કર્તાના ‘આશય’ને અનુલક્ષીને નહિ, તેના સંસિદ્ધ આકારને લક્ષીને ઘટાવવાનો છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે. જો કે તેમનો એ સિદ્ધાંત વિવાદમુક્ત નથી. કૃતિવિવેચનમાં અમુક અર્થઘટન વધુ વ્યાજબી છે, વધુ પ્રમાણભૂત છે, એ જાતની ચર્ચા જાણ્યે અજાણ્યે ય કર્તાની વિવક્ષાને ધોરણ તરીકે સ્વીકારી લેતી હોય એમ જોવા મળેશે.&lt;br /&gt;
બીજી બાજુ, કર્તાને ‘વિવક્ષિત અર્થ’ કે ‘આશય’ તે જ કળાકૃતિનો એક માત્ર ‘અર્થ’ એમ લેતાં, સમૃદ્ધ કૃતિનાં વિભિન્ન અર્થઘટનોને માટે અવકાશ રહેશે નહિ. ‘હેમ્લેટ’ જેવી અનન્ય ટ્રેજડીનું માનસશાસ્ત્રીય, માર્ક્‌સવાદી, મિથિકલ એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ આપણા સમયમાં અર્થઘટન થતું રહ્યું છે. હવે જો એના સર્જક શેઈક્‌સ્પિયરને વિવક્ષિત ‘અર્થ’ને જ પ્રમાણભૂત ગણીએ-જો કે, એ કૃતિમાં શેઈક્‌સ્પિયરને ખરેખર શું વિવક્ષિત હતું તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી–તો પાછળના સમયના બીજા અનેક સર્જકો વિવેચકોનાં અર્થઘટનો ખોટાં ન ઠરે? એટલે, લેખકના મૂળ ‘આશય’ને મણિલાલ લક્ષમાં લઈને ચાલવાનું કહે છે, પણ author’s intention કે intended meaningના પ્રશ્નો તાત્ત્વિક ભૂમિકાએથી ઉકેલવાના રહે છે. આજની પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા આ વિશે ઘણી ઊંડી તપાસ કરી ચૂકી છે.&lt;br /&gt;
મણિલાલ પ્રાચીન પરંપરાના અભ્યાસી છે, અને તે માટે પક્ષપાતી પણ છે. ટીકાકારો/વિવેચકો માટે પ્રાચીન શાસ્ત્રોમાંથી તેઓ માર્ગદર્શક સિદ્ધાંતો શોધી લાવ્યા છે. નોંધે છે કે આપણાં શાસ્ત્રોમાં ‘અનુબંધ ચતુષ્ટ્ય’નો વિવેક રાખેલો છે. દરેક અવલોકનકારે એ ચાર ‘અનુબંધ’ જાળવીને અવલોકન કરવું, એથી ‘દોષ’ થવાનો સંભવ ઓછો રહે છે : (૧) વિષય—એટલે લેખનો વિષય (૨) સંબંધ–લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયનો સંબંધ (૩) પ્રયોજન એ લેખની પ્રવૃત્તિનું કારણ (૪) અધિકાર–કોને માટે એ લેખ લખાયો છે તે.&lt;br /&gt;
મણિલાલ આ સંદર્ભે સ્પષ્ટતા કરે છે કે આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલોકન કર્યું હોય તો ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જતાં પ્રકૃત વિષયના રૂપને જ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય’ અને અવલોકનકાર એ રીતે ‘પોતાના કૃત્યમાં વિજયી નીવડે.’ અવલોકન અર્થે પ્રાચીન શાસ્ત્રને અભિમત એવી આ જે ભૂમિકા મણિલાલે રજૂ કરી તેમાં પ્રકૃત કૃતિને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવા અવલોકવાનો ઉપક્રમ પડેલો છે. પણ, અહીં પણ, સર્જનની તેમ ચિંતનની કૃતિઓનો સાથોસાથ વિચાર કરવામાં મુશ્કેલી રહી છે. ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જાય’ તે રીતે અવલોકન કરવાનો આદર્શ તેમણે અહીં પુરસ્કાર્યો છે, પણ સર્જનાત્મક કૃતિઓના સંદર્ભે એ આદર્શ શક્ય છે? અથવા તો શક્ય છે, તો વ્યાજબી છે? એ ખરું કે વિવેચનને ‘શાસ્ત્ર’ની કોટિએ સ્થાપવાના અનેક આધુનિક ચિંતકો વિવેચકો દ્વારા સમર્થ પ્રયત્નો થયા છે, વિવેચનની પદ્ધતિને ‘વૈજ્ઞાનિક’ બનાવવાના પ્રયત્નો ય હાથ ધરાયા છે, પણ હજી સુધી એ ‘વિજ્ઞાન’ બની શક્યું નથી, અને નજીકના ભવિષ્યમાં બનશે એવાં કોઈ એંધાણ વરતાતાં નથી. કૃતિના અવલોકન/વિવેચનમાં અનિવાર્યતયા વિવેચકનું કશુંક personal કશુંક subjective ઊતરી આવ્યું હોય છે. કૃતિના મૂલ્યબોધમાં તેનાં આગવાં રુચિવલણો અને આગવાં કળાદૃષ્ટિ જ્ઞાત કે અજ્ઞાતપણે નિર્ણાયક બની હોય છે. વાસ્તવમાં, કૃતિના રસગ્રહણની ક્ષણોમાં જ કશુંક વૈયક્તિક રૂપે પમાતું હોય છે.&lt;br /&gt;
વિવેચનમીમાંસામાં, ખરેખર તો, મણિલાલે સ્પર્શેલો આ મુદ્દો એક બીજો પાયાનો પ્રશ્ન બને છે. કર્તાને ‘ન્યાય’ કરવો છે. એ માટે આર્નોલ્ડને અભિમત ‘seeing things as they are’-નો આદર્શ આપણે નજર સમક્ષ રાખવા માગીએ છીએ. પણ સાહિત્ય કૃતિ એના વિશિષ્ટ ontological statusને કારણે તો પડકારરૂપ બને છે. સુવિદિત છે કે શબ્દના માધ્યમમાં વિશિષ્ટ રીતે કંડારાયેલી કૃતિ સ્વયં એક સંકુલ ભાવસૃષ્ટિ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અર્થો-અર્થચ્છાયાઓ અને મૂલ્યોના સંદર્ભો એમાં સજીવપણે ગૂંથાયેલા છે. રચનાગત તેમ સાંસ્કૃતિક મૂલ્યો એમાં સાથોસાથ રજૂ થતાં હોય છે. પણ કૃતિનું રહસ્ય કોઈ તાર્કિક વિધાન રૂપે તારવી શકાય નહિ. ભાવકની અખિલ વ્યક્તિતા કૃતિની સાથે encounter કરે છે, ત્યારે એ સંનિકર્ષમાં કૃતિમાંનાં મૂલ્યો ઉદ્‌ભાસિત થવા લાગે છે. ભાવકની જેવી જેવી સજ્જતા, જેવા જેવા તેના interests, તે પ્રમાણે અર્થો અને મૂલ્યોની ભાત તેમાં ઊપસી આવે એવો સંભવ છે. વિદ્વાનો અને વિવેચકોનો એક મોટો વર્ગ આજે કળાકૃતિમાં કોઈ એક જ નિશ્ચિત અને નિરપેક્ષ અર્થ સ્વીકારી લઈને ચાલવા તત્પર નથી. કૃતિના સંકુલ અનુભવને તમે કઈ વિભાવના કે વિભાવનાઓના માળખામાં રહીને જૂઓ છે, તે પ્રમાણે તેનું રહસ્ય છતું થશે એમ તેઓ કહેવા માગે છે. તાત્પર્ય કે, કૃતિ ‘જેવી છે તેવી’ને ઓળખવી એ ખ્યાલ આજે તો વિવાદાસ્પદ બની રહ્યો છે.&lt;br /&gt;
મણિલાલ એમ પણ નોંધે છે કે વિવેચ્ય કૃતિ વિશે વિવેચક સીધેસીધો જ મત જાહેર કરે પણ તેના સમર્થનમાં કોઈ જાતનું સ્પષ્ટીકરણ ન આપે, કોઈ આધાર ન આપે, દાખલા દૃષ્ટાંત કે પુરાવો ન આપે, તો તેનો મત ભાગ્યે જ સ્વીકાર્ય બનશે. બીજી બાજુ, કૃતિ વિશેનો અભિપ્રાય પૂરતાં કારણો અને પૂરતી સાબિતી સાથે રજૂ થયો હશે તો વાચકને માટે ભિન્ન લાગતો અભિપ્રાય પણ પ્રતીતિકર બનશે, તેને સંભવતઃ સ્વીકાર્ય બનશે. વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત, આમ, તાર્કિક પ્રતિપાદન (logical discourse)ને મહત્ત્વનું સ્થાન છે, એમ મણિલાલ સૂચવી દે છે. વિવેચન માત્ર અભિપ્રાય વ્યક્ત કરીને થંભી જાય તે પૂરતું નથી. એ અભિપ્રાય પાછળ કૃતિમાંના આધારો હોવા જોઈએ, બલકે એવા અભિપ્રાય/નિર્ણય પર પહોંચવાની તાર્કિક ભૂમિકા યે સ્પષ્ટ થવી જોઈએ. વિવેચનના સ્વરૂપમાં આમ તાર્કિક ચિંતનની પ્રક્રિયા દ્વારા તેનો વિશેષ પુદ્‌ગલ બંધાવા પામે છે.&lt;br /&gt;
‘વિવેચન’ નામની પ્રવૃત્તિના સ્વરૂપવિચારમાં, આમ જુઓ તો, મૂળથી જ મુશ્કેલી રહી છે. વિવેચક કૃતિના ‘રહસ્ય’ને પ્રકાશમાં લાવવા ચાહે છે, અને એ ‘રહસ્ય’ની ઓળખ તેને ‘સ્વ-સંવેદન’થી—‘આત્મપ્રતિતી’થી—થાય છે. કોઈ તાર્કિક ચિંતન દ્વારા કે કાર્યકારણના પ્રતિપાદન દ્વારા એ ‘રહસ્ય’ સુધી પહોંચી શકાતું નથી. સહૃદયને એની સહજ જ્ઞાન રૂપે ઉપલબ્ધિ થાય છે, જીવંત અનુભૂતિરૂપે એની પ્રતીતિ થાય છે. એટલે એવા જીવંત સંવેદ્ય તત્ત્વને અનુલક્ષીને કૃતિ વિશે વાત કરવા જાય છે ત્યારે તેની સામે અનિવાર્યતયા એક dilemma ઊભો થાય છે. મૂળનું રહસ્ય જે આકારમાં, જે ભાષામાં, વ્યક્ત થયું છે, તેને બીજી રીતે મૂકતાં તે ઓછેવત્તે અંશે નંદવાઈ જાય છે. અને છતાં તેને જે કંઈ મૂલ્યવાન લાધ્યું છે, તેની બને તેટલી બુદ્ધિગ્રાહ્ય રજૂઆત પણ કરવાની છે. તે પોતાના વિવેચન—exposition, description interpretation કે evaluation—કોઈ પણ સ્તરના આલેખનમાં તાર્કિક પ્રતિપાદન કરવા જાય છે, અને ત્યાં મૂળના રહસ્યમય અંશ સાથેનું અનુસંધાન તૂટી જતું હોય એમ લાગશે. આથી સર્જકોનો એક વર્ગ વિવેચનપ્રવૃત્તિને વંધ્ય ગણાવતો થયો છે. અને જેઓ આ પ્રવૃત્તિમાં રોકાયા છે તેમાં પણ બે ભિન્ન વિરોધી વલણો કામ કરતાં રહ્યાં છે. એક વિવેચકવર્ગ કૃતિના સજીવ સંવેદ્ય તત્ત્વોનું અખિલાઈમાં ગ્રહણ કરવા creative criticism કે appreciation પર બધો ભાર મૂકે છે, જ્યારે બીજો વર્ગ કૃતિ વિશેના જીવંત પ્રતિભાવોની ચર્ચા વધુ વ્યવસ્થિત, વધુ બુદ્ધિગ્રાહ્ય અને વ્યાપક સ્વીકૃતિ પામે તેવી શિસ્તબદ્ધ બનાવવાનો આગ્રહી છે. વિવેચન કળા છે કે શાસ્ત્ર, કળાસખી છે કે શાસ્ત્રસખી, એ પ્રશ્ન એ રીતે એના સ્વરૂપના હાર્દમાં પડેલો એક કેન્દ્રીય તાત્ત્વિક પ્રશ્ન છે.&lt;br /&gt;
કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્રના સંબંધને સ્પર્શે એવી એક પાયાની બાબત પણ મણિલાલે છેડી છે : “શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોકનકારને સિદ્ધપ્રદ છે કે નહિ?”૨૬–આવો પ્રશ્ન મૂકી તેઓ તરત સ્પષ્ટતા કરે છે કે આ શંકાના સમાધાન પરત્વે ‘એકમત્ય’ સંભવી શકે નહિ. ઉમેરે છે કે–“મહાન સાહિત્યકારોની કૃતિઓ સ્વયં શાસ્ત્રની પણ કારણરૂપ છે.”૨૭ મણિલાલને અહીં એમ અભિપ્રેત છે કે સાહિત્યજગતમાં સતત નવી નવી કૃતિઓ રચાતી આવે છે, અને એ રચનાઓ કંઈ આગલા યુગના કળાના સિદ્ધાંતો/નિયમોને ચુસ્તપણે અનુસરતી હોતી નથી. એટલે, આવી કૃતિઓના વિવેચનમાં કળાશાસ્ત્રના નિયમોને જડપણે લાગુ પાડવાના નથી. બલકે, પેઢીએ પેઢીએ રચાઈ આવતી મહાન કૃતિઓને અનુલક્ષીને સાહિત્યકળાનું સ્વરૂપ અને તેના વિવેચનનાં ધોરણો નવેસરથી નિપજાવી લેવાનાં રહે. આમ છતાં સાહિત્યના અમુક વ્યાપક સિદ્ધાંતોનો ત્યાગ કરવાનું પણ ઇષ્ટ નથી એમ તેઓ કહે છે : “સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે અસિદ્ધ ગણાય તો પણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાળ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બાધ નથી.”૨૮ આપણે આ અગાઉ નોંધી ગયા છે તેમ, વિવેચનક્ષેત્રમાં મતમતાંતરો દૂર કરવાને નવલરામે પણ સાહિત્યકળાના ‘અચળ નિયમો’ની સ્થાપના કરવાને સર્વસંમત એવી ‘સભા’ ઊભી કરવાને સૂચવ્યું હતું. મણિલાલ પણ અહીં ‘અનાદિ ઇતિહાસથી સિદ્ધ’ એવા ‘નિયમો’ની વિવેચન અર્થે હિમાયત કરે છે. પણ આ ‘નિયમો’ કયા તેનો તેમણે નિર્દેશ કર્યો નથી. નોંધવું જોઈએ કે વિદ્વાનોનો એક વર્ગ, આજે વિવેચનક્ષેત્રમાં આવા કોઈ ‘શાશ્વત’ અને ‘અચળ’ નિયમો સંભવી શકે કે કેમ તે વિશે જ સંશય વ્યક્ત કરી રહ્યો છે.&lt;br /&gt;
સાહિત્યચર્ચામાં મણિલાલનો અમુક ઝોક પ્રાચીન કાવ્યશાસ્ત્ર તરફનો છે. એમાં અમુક રૂઢિગ્રસ્ત રુચિ હોવાનુંય કદાચ લાગે, પણ સર્જનના અવનવા ઉન્મેષોને ઉદારતાથી આવકારવાનું તેમનું વલણ રહ્યું દેખાય છે. તેઓ કહે છે : “સર્વત્ર નૂતનતાનો ઉદ્‌ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે.” અને તરત જ ઉમેરે પણ છે : ‘પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે.”૨૯ મણિલાલ અહીં એકીસાથે પરંપરાનું અનુસંધાન અને સર્જકતાની નવીન ગતિ, બંનેનો પુરસ્કાર કરતા જણાશે. પ્રતિભાશાળી સર્જક પોતાના કે પૂર્વસમયના કળાસિદ્ધાંતોને વશ થઈ બંધાઈ જતો નથી, તેની પ્રાણવાન સર્જકતા એવા રૂઢ સિદ્ધાંતોને અતિક્રમી જતી હોય છે. પણ તેની સર્જકતાની ગતિ કંઈ તંત્રહીન કે નિયમહીન વ્યાપાર પણ નથી. એમાં જે વિશ્વ નિર્માણ થવા પામ્યું છે તેને તેનો આગવો રચનાગત નિયમ સંભવે છે, તેમાં આગવી રીતે વ્યવસ્થા જન્મી હોય છે. પણ આવું, નવીન વ્યવસ્થાવાળું, વિશ્વ રચવાની તેની દૃષ્ટિ શાસ્ત્રના અભ્યાસથી ખુલી હોય છે. તાત્પર્ય કે, સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી તેની કળાવિષયક સમજ વિશદ બની હોય તો જ નવી રચનામાં વ્યવસ્થા અને આકાર તે સિદ્ધ કરી શકશે.&lt;br /&gt;
અવલોકનકારના કાર્ય વિશે મણિલાલ ફરી નવેસરથી વ્યાખ્યા વિચારણા એ કરે છે, ત્યાં તેમની ચર્ચામાં એક વિશેષ દૃષ્ટિબિંદુ ઉમેરાયું છે. તેઓ કહે છે એ કે અવલોકનકારે માત્ર ‘નાના નાના લેખનું’ અવલોકન જ કરવાનું નથી, ‘આખા વિશ્વનું, જનસ્વભાવનું ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે, કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્‌ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે’. દેખીતી રીતે જ, વિવેચકનું કાર્યક્ષેત્ર અહીં કૃતિની બહાર વિસ્તરી જતું રહ્યું છે. સાહિત્ય વિશ્વજીવનનું–બહારી દુનિયાનું પ્રતિવિધાન કરે છે, અથવા તેનું પ્રતિબિંબ ઝીલે છે, અથવા તેનું અનુકરણ કરે છે એવો એક ખ્યાલ અહીં ગૃહીત રહ્યો છે. વિવેચકને આ સર્વ બહારી સૃષ્ટિનું – લોકજીવનનું જ્ઞાન હોવું જોઈએ; અને છતાં, સાહિત્યની સર્જનાત્મક સૃષ્ટિમાં તેણે તેનું જડતાથી અવલોકન કરવાનું નથી. સંભવાસંભવનો તેણે ખ્યાલ કરીને ચાલવાનું છે. જો કે સાહિત્યની કૃતિમાં જે તંત્ર ઊભું થાય છે, સંભવરૂપ નવી ઘટનાઓનું સંયોજન થાય છે, તેની પાછળ કોઈ એક સરખો નિયમ કામ કરતો નથી. આત્યંતિક વાસ્તવવાદી નવલકથા કે ટૂંકી વાર્તામાં સંભવાસંભવનો જે નિયમ/નિયમો કામ કરે છે, તેથી ભિન્ન એવા પ્રતીકાત્મક નિર્માણમાં, કપોલકલ્પિતના કે એબ્સર્ડના વિશ્વમાં જુદા જ નિયમો પ્રવર્તે છે. આવા સર્જનાત્મક વિશ્વમાં ઘટનાના સંભવાસંભવનો નિયમ કંઈ સ્થૂળ બાહ્ય જગતના નિરીક્ષણમાંથી મળતો હોતો નથી. જે તે વિશિષ્ટ કૃતિના કેન્દ્રમાં વ્યાપારશીલ બનેલી સર્જકકલ્પનામાં એ નિહિત રહ્યો હોય છે. ખરેખર તો વાસ્તવવાદી કથાઓમાં ય ઘટનાઓ કાર્યો કે પરિસ્થિતિઓ જે રીતે નિર્માણ થતી આવે છે તેમાં પણ સંભવાસંભવનો નિયમ કંઈ હંમેશાં સામાજિક જીવનના અવલોકનમાંથી આવતો હોતો નથી. એવા દૃષ્ટાંતમાં તેના લેખકને અભિમત અમુક દૃષ્ટિબિંદુ કે રહસ્યબિંદુ નિયામક બનતુ હોય છે. આમ છતાં લોકસૃષ્ટિની ઊંડી ગતિનું અવલોકન અને અનુભવ વિવેચકને જરૂરી છે જ.&lt;br /&gt;
અવલોકનકારે કૃતિની ઘટનાઓના સંદર્ભે ‘શક્યતા’ અને ‘ઉપયોગ’ જેવી બાબતો ઉપરાંત તેનાં ‘દેશકાળાદિ’ને ય લક્ષમાં લેવાનાં છે, એમ તેઓ કહે છે. આ મુદ્દાને તેઓ ‘ઔચિત્ય’ના ખ્યાલમાં છેવટે સમાવી લે છે. આ રીતે ‘દેશકાળાદિ’ને તેઓ અનુલક્ષે છે, તે સાથે અવલોકનકાર માટે વળી એક વિશેષ પરિપ્રેક્ષ્ય ઊભો થાય છે. પશ્ચિમના ઐતિહાસિક અભિગમનો સંકેત એમાં વાંચી શકાય ખરો, પણ પશ્ચિમમાં આ અભિગમ વિશેની ચર્ચા, સાહિત્યની કળા વિશે અમુક ચોક્કસ આગવી સમજ લઈને ચાલી છે. ‘સાહિત્ય’ નામની ઘટના એના લેખકના યુગનાં આંતરબાહ્ય અનેક પરિબળોનું પરિણામ છે, અને ઐતિહાસિક પ્રક્રિયામાં સમયના નિશ્ચિત બિંદુએ તેનું અફર સ્થાન છે એટલે એ કૃતિનો મર્મ પૂરેપૂરો ઊકલી આવે તે માટે, એને ઘડનારાં સર્વ પરિબળો અને સંયોગોને લક્ષમાં લેવાનાં રહે. મણિલાલની ચર્ચામાં આવી સ્પષ્ટ તાત્ત્વિક ભૂમિકા નથી. છતાં કૃતિને યથાર્થ રૂપમાં પામવાને તેનાં ‘દેશકાળાદિ’ને લક્ષમાં લેવાનું તેઓ કહે છે તે ઘણું સૂચક બની રહે છે.&lt;br /&gt;
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.&lt;br /&gt;
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.&lt;br /&gt;
૪&lt;br /&gt;
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.&lt;br /&gt;
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિની અનિવાર્યતા દર્શાવતાં રમણભાઈ કહે છે : “સાહિત્યમાં જેનો સમાવેશ થઈ શકે એવા વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મૂકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે. તેમ – હેમ્ર સંલક્ષ્યતે હ્યમ્નૌ વિશુદ્ધિઃ શ્યામિકાઽપિ વા || ‘સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.”૩૦ અહીં રમણભાઈએ સાહિત્યની ‘શુદ્ધિ’ અર્થે વિવેચનની ઘણી મોટી અનિવાર્યતા છે એમ કહ્યું. પણ ‘સાહિત્ય’ સંજ્ઞાથી તેમને અહીં કેવળ સર્જનાત્મક સાહિત્ય જ નહિ, ચિંતન વિવેચનનું સર્વ સાહિત્ય અભિપ્રેત છે, તે આપણે લક્ષમાં રાખવાનું છે.&lt;br /&gt;
વિવેચનનું કાર્ય રેખાંકિત કરી આપતાં તેઓ કહે છે કે કૃતિમાંના ગુણ અને દોષ, ખૂબી અને ખામી, અલગ પાડીને તેણે બતાવવાનાં છે. એ માટે કૃતિનું ‘સમસ્ત સ્વરૂપ’ લક્ષમાં લઈ એવા ગુણ દોષોની બરોબર ‘તુલના’ કરવી જોઈએ એમ તેઓ કહે છે. એ રીતે ‘યથાયોગ્ય તુલના’ થશે ત્યારે જ તે વાચકોને અને લેખકોને લાભપ્રદ નીવડશે. આવા વિવેચનથી, ખરેખર તો, લેખકોને પોતાને પોતાની કૃતિઓની સાચી ‘કિંમત’ સમજાશે. રમણભાઈ ભારપૂર્વક નોંધે છે કે ‘દોષૈક દર્શન’ એ વિવેચનનું કાર્ય નથી.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ તેમણે પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક સેઈન્ટસબરીની ચર્ચામાંથી લીધો છે. એ વિવેચકમાંથી તેમણે જે એક મોટું અવતરણ આપ્યું છે, તેમાં નીચેના બે ત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે :&lt;br /&gt;
એક, સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચકે વાંચવું જોઈએ, બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. સાહિત્યના ઇતિહાસમાંના કોઈ એક યુગના કે કોઈ પણ યુગના ગણનાપાત્ર સાહિત્યકારના સાહિત્યને ટાળીને ચાલશે તો તેના દૃષ્ટિબિંદુમાં ‘સુસ્થતા’ નહિ જળવાય.&lt;br /&gt;
બે, બીજી ભાષાઓના સાહિત્યનું પણ બને તેટલું વિશાળ વાંચન કરવું જોઈએ. એ રીતે જ તેને પોતાના સાહિત્યને જોવાનો યથાર્થ પરિપ્રેક્ષ્ય મળશે.&lt;br /&gt;
ત્રણ, વિવેચકે ભિન્ન ભિન્ન ગ્રંથો, ગ્રંથકારો અને સાહિત્યોની ‘તુલના’ કરતા રહેવું જોઈએ. દરેક ગ્રંથ/ગ્રંથકાર/સાહિત્યની વિશિષ્ટતા એ રીતે વધુ સમજાશે. જો કે, એક પરંપરાના ગ્રંથ કે ગ્રંથકારમાં અન્યના જેવા ગુણ નથી એ જાતનો નકારાત્મક ભાવ જન્મી પડે અને એ માટે અરુચિ થાય, એ સામે તેણે સાવચેતી રાખવાની છે.&lt;br /&gt;
ચાર, કોઈ પણ ગ્રંથને વાંચ્યા વિના તેને વિશે અમુક અપેક્ષા ન બાંધવી જોઈએ. સાચો આદર્શ તો એ છે કે કૃતિનું અનુભાવન કરતાં કરતાં તેની જેવી છાપ ઊપસતી આવે તેને યથાર્થ રૂપમાં ઝીલતા જવાની તત્પરતા તેણે દાખવવી જોઈએ. રમણભાઈના શબ્દોમાં “જે પટ ઉપર તે છબી પડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવી જોઈએ અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ. પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ રેખા છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”૩૧ રમણભાઈએ રજૂ કરેલો આ આદર્શ, આમ તો, આવકાર્ય લાગશે. પણ એની પાછળનું ગૃહીત પોતે જ વિવાદાસ્પદ બને એમ છે. આપણે આ અગાઉ મણિલાલે રજૂ કરેલા આ જાતના ખ્યાલની ટીકાટિપ્પણી કરતાં નોંધ્યું છે કે વિવેચક/ભાવકનું ચિત્ત અરીસા જેવું સર્વથા તટસ્થ નિષ્ક્રિય અને પારદર્શી હોતું નથી. જીવન અને કળા વિશેના અમુક interests કે values અનુભાવનની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ ભજવતાં હોય છે એટલે ભિન્ન ભિન્ન કળાદૃષ્ટિ અને રુચિ ધરાવતા વિવેચકોના ચિત્તપટ પર કૃતિની એક સરખી ‘છબી’ ઝીલાય એમ બનતું હોતું નથી. એક રીતે ચિત્તપટને અરીસા જેવું કલ્પીએ અને તેની સપાટી પર છબીને પ્રતિબિંબિત થતી હોવાનું માનીએ, ત્યાંથી ખરી મુશ્કેલી આરંભાય છે.&lt;br /&gt;
ગ્રંથવિવેચનને અનુલક્ષીને રમણભાઈએ એમના સમયમાં કોઈક જૂથમાં ચર્ચાતા રહેલા વિવેચનના ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’નો નિર્દેશ કરીને તેનો ટૂંકો પરિચય આપ્યો છે ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વિશે તેઓ એવો ભેદ કરી આપે છે કે ‘નિયમો’ તે કૃતિમાંની ‘વસ્તુ છંદ ભાષા અને શૈલી જેવી ઓછી મહત્ત્વની બાબતો વિશે સંભવે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ સાહિત્યના ‘મુદ્દાની બાબતો’ વિશે હોય છે. સમસ્ત કૃતિનાં વાંચનથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા ‘સિદ્ધાંતો’ વિશેની છે એમ રમણભાઈ સ્પષ્ટ કરે છે. આ વિશે વળી તેઓ એમ ઉમેરે છે કે વિવેચનવ્યાપારમાં ‘નિયમો’ ગૌણ વસ્તુ બની રહે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ મુખ્ય બાબત છે, અને તે જ ‘વિચારમાં લેવા યોગ્ય છે’. વિવેચનમાં પ્રયોજાતા ‘નિયમો’ કૃતિના ગુણદોષનું દર્શન કરવામાં સહાયક બને છે, પણ આ ‘નિયમો’ સમયની સાથે બદલાતા રહે છે; જ્યારે ‘સિદ્ધાંતો’ માનવીના મનને લગતા હોવાથી શાશ્વત છે. ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વચ્ચે રમણભાઈએ જે રીતે ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે તે પરથી એમ સમજાય છે કે તેમણે લક્ષેલા ‘નિયમો’ તે કૃતિના રચનાગત તત્ત્વોને અનુલક્ષે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ કૃતિની માનવજીવન પર – વ્યક્તિ અને સમાજ પર –પડનારી વ્યાપક ઊંડી અસરોને અનુલક્ષે છે. કૃતિવિવેચન અર્થે ટી. એસ. એલિયટે કલાનાં અને જીવનનાં ધોરણોની વાત કરી છે, તેનું અહીં સહજ સ્મરણ થશે.&lt;br /&gt;
આ મુદ્દાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં રમણભાઈએ એમ નોંધ્યું છે કે “નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે, પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે અને જમાને જમાને રુચિઓ બદલાય પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ, રસિકતાનાં ધારણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણ કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ.”૩૨&lt;br /&gt;
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.&lt;br /&gt;
૫&lt;br /&gt;
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.&lt;br /&gt;
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩&lt;br /&gt;
નરસિંહરાવે અહીં, આમ જુઓ તો, સર્જન અને વિવેચન વ્યાપારનો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે; તો વિવેચકને માટે વિશેષ સજ્જતાની વાત પણ કરી છે. બિલકુલ કવિની નહિ, પણ તેના જેવી ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ એ વિવેચકની પ્રથમ આવશ્યકતા છે એ હકીકત અહીં તેઓ ભારપૂર્વક નોંધવા ચાહે છે. ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે કવિ એક આગવું વિશ્વ રચે છે. પોતાના હૃદયના ભાવ કે વિચારને એ મૂર્ત ઐન્દ્રિયિક રૂપમાં પામવા પ્રયત્ન કરે છે, અને સર્જનની ઘટનામાં તેની ઊર્મિઓ, વિચારો, કલ્પનાઓ – સર્વ તત્ત્વોનું ‘સંયોજન’ થવા પામે છે. સમસ્ત રચનાપ્રક્રિયા દરમ્યાન સર્જક પોતાના સંવેદિત વિચાર કે ભાવચિત્રને બને તેટલું તાદૃશરૂપે ગ્રહણ કરતો રહે છે. વિવેચક સામે જ્યારે કવિની એ કૃતિ આવી ઊભે છે, ત્યારે તેનાં રહસ્યો ઉકેલવાને કવિના જેવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ તેની પાસે હોવાં ઘટે. વિવેચકે પણ અનુભાવનની સમસ્ત પ્રક્રિયા દરમ્યાન એવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે એ કૃતિ પોતાના ચિત્તમાં ફરીથી રચતા જવાનું છે. આ અર્થમાં તે કવિનો ‘જોડિયો ભાઈ’ છે કવિની જેમ કૃતિને સાક્ષાત્કારવાને જરૂરી સજ્જતા—અને સાક્ષાત્કારની પ્રક્રિયા—એટલી ભૂમિકાએ તે કવિ જોડે અમુક સામ્ય ધરાવે છે. પણ ‘સર્જન’ અને ‘વિવેચન’ બંને પ્રવૃત્તિ, તેનાં સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ પરત્વે, મૂળભૂત રીતે જુદી છે એ વાત પણ નરસિંહરાવ આપણા ધ્યાનમાં લાવવા ચાહે છે ‘સર્જન’ જો વિભિન્ન સામગ્રીતત્ત્વોનું ‘સંયોજન’ છે; તો વિવેચન કૃતિનાં કળાતત્ત્વો વિશેનું ‘પૃથક્કરણ’ છે. અહીં તેમને એમ સૂચવવું છે કે આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચક કૃતિનું પોતાના ચિત્તમાં જે રીતે પુનઃસર્જન કરે છે, તે ‘સાક્ષાત્કાર’ની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી. આસ્વાદ પછીની ક્ષણોમાં કૃતિનાં ઘટકોનું તે ‘વિશ્લેષણ’ આરંભે છે ત્યારે જ ખરેખરો વિવેચનવ્યાપાર આરંભાય છે. વિવેચનના સ્વરૂપવિચાર સંદર્ભે, આમ, તેઓ ‘પૃથક્કરણ’ને મહત્ત્વનું સ્થાન આપે છે.&lt;br /&gt;
પણ, વિવેચનની અંતર્ગત ‘પૃથક્કરણ’નો વ્યાપાર સમાવિષ્ટ થતો હોવા છતાં વિવેચન તેમાં સીમિત થઈ જતું નથી. આપણા સાહિત્યનાં તેમ વિશ્વસાહિત્યનાં ઉત્તમોત્તમ કૃતિલક્ષી વિવેચનો લક્ષમાં લેતાં જણાશે કે એમાં ઘણું બીજું બને છે. કૃતિનાં મહત્ત્વપૂર્ણ ઘટકોને વિવેચકો અલગ પાડીને વિચારે છે, તો તે કૃતિના સમગ્ર રહસ્યને ઉકેલવા માટે જ કરે છે. દરેક ઘટકની રસકીય ક્ષમતાનો અને સમગ્ર કૃતિમાં તેની સમર્પકતાનો તે વિવેકવિચાર કરે છે. કૃતિનાં ઘટકોનું આ કે તે સિદ્ધાંતને અનુસરીને નર્યું યાંત્રિક વિશ્લેષણ કરવામાં આવે તો તે વંધ્ય નીવડવા સંભવ છે. દૃષ્ટિસંપન્ન વિવેચક આવાં રસકીય ઘટકોના પરસ્પર સંબંધ અને કૃતિમાં પડેલા રચનાગત સિદ્ધાંત (formative principle)ને સતત નજરમાં રાખીને તેની ચર્ચા કરશે. કૃતિમાં તે દરેકનું કાર્ય (function) શું છે તે જ તેનો મુખ્ય પ્રશ્ન હશે. એટલે, નર્યા વિશ્લેષણવ્યાપારથી કશું જ સિદ્ધ નહિ થાય, કૃતિ સમગ્રની વ્યંજના, તેનું રહસ્ય કે તેનું મૂલ્ય આવા વિશ્લેષણમાં ભાગ્યે જ ઝીલાશે. વિવેચકે આથી એ ઘટકોની રહસ્યબિંદુ તરફની ગતિ ય ઓળખવાની રહેશે. તાત્પર્ય કે, વિવેચક કૃતિઓનાં ઘટકો પાસાંઓ વિશે પૃથક્‌ રૂપમાં વિચારે છે ત્યારે પણ રચનાત્મક દૃષ્ટિએ તે તેનો અંદાજ બાંધવા પ્રેરાય છે. વિવેચનની અંતર્ગત વિશ્લેષણ વ્યાપારની સાથે આમ એક ભિન્ન દિશાની પ્રવૃત્તિ ય ચાલતી રહે છે. બલકે, કૃતિની અખિલાઈ અને સમગ્રતાની અભિજ્ઞતા જ આ જાતના વ્યાપારમાં દ્યોતક નીવડે છે. વિવેચક કૃતિમાંનાં ઘટકોને અલગ પાડે છે તે તો તેના પુનઃ વિધાન અર્થે જ; એ રીતે વિવેચનમાં કેવળ બૌદ્ધિક વિશ્લેષણ નહિ, કશુંક સર્જનાત્મક સંયોજન પણ સંભવે છે. અને એટલે જ વિવેચનનું તાત્ત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવાય છે. &lt;br /&gt;
નરસિંહરાવની સમસ્ત વિવેચનવિચારણામાં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ શીર્ષકની ચર્ચા આગવું ધ્યાન રોકે છે. કવિતાના રસાનુભવને વર્ણવવાની બે ભિન્ન ‘પદ્ધતિઓ’ તરફ તેઓ ત્યાં વિચાર કરવા પ્રેરાયા છે. એ પૈકી પહેલી, સંસ્કૃત રસશાસ્ત્રને અને બીજી પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી પદ્ધતિ છે. ત્રણ પંક્તિની એક ટૂંકી ગેય રચનાને લઈ તેમણે એ બે ‘પદ્ધતિઓ’નો વિનિયોગ કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન રસશાસ્ત્રની પદ્ધતિને અનુલક્ષીને પ્રસ્તુત કડીમાંનાં ભાવવિભાવાદિનો તેમણે પરિચય આપ્યો છે. જ્યારે પાશ્ચાત્ય પદ્ધતિને અનુરૂપ એ પંક્તિઓમાં ક્રમશઃ ઉપચિત થતા ‘અર્થ’નું પ્રગટીકરણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પાશ્ચાત્ય પદ્ધતિમાં અર્થસંયોજનની રીતિ કે આકૃતિની અમુક અપેક્ષા સૂચવવી છે. કૃતિનાં ‘રસદર્શન’ની પદ્ધતિઓ વિશેનો આ વિચાર એમણે પોતે આગળ ચલાવ્યો નથી, તેમ તે સમયના બીજા વિવેચકોએ તેને અપનાવ્યો નથી. આસ્વાદલક્ષી વિવેચનનો એ પ્રયત્ન ઉપેક્ષિત જ રહ્યો છે. પણ રસકીય પ્રક્રિયાને વિવેચનવ્યાપારમાં ખેંચી લાવવાનો તેમનો આ સ્તુત્ય પ્રયત્ન છે. રસદર્શનની પાશ્ચાત્ય પદ્ધતિ વિશેની તેમની સમજ નીચેના વિવરણમાં છતી થાય છે : “આ ગીતમાં ભાવનું મધ્યબિંદુ ‘જિયરા ડોલે રે’ એ બોલમાં આવી રહ્યું છે, અને બીજા પદાર્થ તે આસપાસની સામગ્રી થઈ પરિપોષક છે, એ બોલવું પાશ્ચાત્ય સંપ્રદાયાનુસાર છે. તે સંપ્રદાય પ્રમાણે ઉપર જે સ્થૂલ પ્રકારે વિભાવાદિક સમુદાયનું વિવેચન કર્યું છે તેવા સૂક્ષ્મ વિભાવાદિક વ્યર્થ ન તપાસતાં જે અંતે જતાં પ્રાપ્ત થાય છે તેનું સાક્ષાત્‌ પ્રકાશન કરવાની રીતિ છે.”૩૪ કૃતિના ‘અર્થ’નું કેન્દ્રબિંદુ શોધી તેમાં અન્ય ઘટકો શી રીતે સમર્પક બને છે તેની તપાસ પાશ્ચાત્ય પદ્ધતિમાં થાય છે, એમ તેમને અહીં સૂચવવું છે.&lt;br /&gt;
રસદર્શનની આ બંને પદ્ધતિઓ ‘વ્યંજના’ને ઉકેલવાની બે ભિન્ન પ્રવૃત્તિઓ છે, અને બંને દ્વારા કૃતિમાં નિહિત રહેલો એક જ ‘અર્થ’ (એક જ ‘રહસ્ય’ કે એક જ વ્યંજના) પ્રકાશિત થાય છે, એમ તેઓ માનતા જણાય છે. તેમની આવી માન્યતા સમજવાનું મુશ્કેલ પણ નથી. લાંબા સમય સુધી આપણા સર્જકો અને વિવેચકો સાહિત્ય કૃતિઓમાં અમુક ‘નિરપેક્ષ અર્થ’ (Absolute Meaning)નું અસ્તિત્વ સ્વીકારીને ચાલતા રહ્યા છે. કૃતિનું વિવેચન કોઈ પણ પદ્ધતિએ કરો, કોઈ પણ શૈલીએ કરો, કોઈ પણ પરિભાષામાં કરો, એ સર્વનું લક્ષ્ય સ્થાન પેલો ‘નિરપેક્ષ અર્થ’ જ છે. આ કે તે વિવેચકનું અર્થવિવરણ કે અર્થઘટન એ લક્ષ્યને પામે નહિ, તો પણ એની ગતિ – એની દિશા – એ તરફની હોય છે એમ તેમણે ગૃહીત કરી લીધું હતું. એ ‘નિરપેક્ષ અર્થ’ કદાચ અક્ષય્ય વસ્તુ છે, કદાચ અભેદ્ય વસ્તુ છે, પણ એવા કશાક ‘અર્થ’ની સત્તા સ્વીકારી લઈને જ વિવેચકો ચાલતા રહ્યા દેખાય છે. વિવેચનમીમાંસાની સામે આજે આ એક કૂટ પ્રશ્ન બન્યો છે.&lt;br /&gt;
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.&lt;br /&gt;
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.&lt;br /&gt;
૬&lt;br /&gt;
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.&lt;br /&gt;
રાજશેખરે વિવેચકોના, ‘અરોચકી’ ‘સતૃણાભ્યવહારી’ ‘મત્સરી’ અને ‘તત્ત્વાભિનિવેશી’ – એવા ચાર વર્ગો સ્વીકારેલા છે. એ પૈકી ચોથા ‘તત્ત્વાભિનિવેશી’ વિવેચકો જ સાહિત્યને ખરેખર ઉપકાર બની શકે એવી આ. આનંદશંકરની સમજ રહી છે. તેમનું કહેવું એમ પણ છે કે આપણે ત્યાં કાવ્યકળાની ‘તત્ત્વાભિનિવેશી’ ચર્ચાઓ ઘણી ઓછી થઈ છે, અને વાચકો-વિવેચકો-સર્જકોમાં ‘સારાસારગ્રાહી દૃષ્ટિ’નો ઘણો અભાવ વતાય છે વિવેચકોમાં ખરેખર તો ‘વિશ્વકવિઓના ગુણ પારખી’ તેનો આસ્વાદ લેવાની ક્ષમતા હોવી જોઈએ; પણ આપણે આપણાં ‘ઘરદીવડાં’થી જ મુગ્ધ રહીએ છીએ અને એથી આપણી રસવૃત્તિ ઘણી જ સંકુચિત બની રહે છે.&lt;br /&gt;
કવિ અને વિવેચકની ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં તેઓ અલંકારની સહાયથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે : “સુવર્ણ એક જાતના ૫ત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કરનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને.”૩૫ આમ કવિને પક્ષે સર્જનવ્યાપારમાં અમુક રીતના critical actની અને વિવેચકને કૃતિ પામવા કવિના જેવા imaginative actની જરૂર તેઓ દર્શાવે છે.&lt;br /&gt;
આપણા સર્જનવિવેચનના ઉદ્‌ભવવિકાસમાં પાશ્ચાત્ય વિચારોની મોટી પ્રેરણા રહી છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં તેમનું દૃષ્ટિબિંદુ ધ્યાનાર્હ છે. તેઓ કહે છે કે “આપણાં કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઈએ અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિંદુ સ્વાભાવિક છે.”૩૬ પણ તેમને આથી વિશેષ પણ કહેવાનું છે : “કોઈ પણ પ્રજા, પરદેશી સાથે આત્માની આપ-લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખિલવી શકતી નથી. જેમ જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખૂવે છે તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે.”૩૭ તાત્પર્ય કે, આપણા સાહિત્યના વિકાસ અર્થે પૂર્વપશ્ચિમ કોઈ પણ પરંપરાના વિચારો આપણે યથાવકાશ સ્વીકારીને આત્મસાત કરવા જોઈએ. તેમની આ જાતની વિચારણાનો સૂચિતાર્થ એમ થાય કે પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનનાં મૂલ્યો આપણે વિવેચનવિચારમાં યથાવકાશ આમેજ કરી લેવાં જોઈએ.&lt;br /&gt;
આ. આનંદશંકરે બદલાતા રાજકીય-સામાજિક સંદર્ભમાં સર્જકો વિવેચકો માટે એક મહત્ત્વનો પ્રશ્ન છેડ્યો છે. સ્વાભાવિક રીતે જ, પોતાના સમયની સાહિત્યિક પરિસ્થિતિ તેમની સામે છે. તેઓ કહે છે કે સર્જકોની સામે અત્યારે વિવિધ સ્તરના વાચકો છે. સર્જક એ પૈકી કયા વર્ગની ‘આરાધના’ કરશે? અને વિવેચક પણ સર્જકના ધર્મને કેવી રીતે જોશે-સ્વીકારશે? તેઓ એવું અવલોકન રજૂ કરે છે કે વર્તમાન સમય democratic છે, અને સામાન્ય જનસમાજનાં રુચિવલણો સાહિત્ય સર્જનમાં કોઈક રીતે પ્રેરક કે નિયામક બળ બની રહે એમ છે. આવી પરિસ્થિતિમાં વિવેચકોએ જાગ્રત દૃષ્ટિએ વિવેચન પ્રવૃત્તિ કરવાની રહે છે – “ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ.”૩૮ આમ છતાં, આવા વિવેચકો ‘લોકસમુદાયના’ ‘democratic સાહિત્યની’ અવગણના ન કરે એ પણ મહત્ત્વનું છે. માત્ર આવા ‘પ્રાકૃતજનના’ સાહિત્યમાં ‘ભ્રાંત અને ઉપરછલ્લી દૃષ્ટિનું નિરૂપણ’ હોવાની પણ અમુક સંભાવના રહે છે, અને વિવેચકે એ વિશે હંમેશ જાગ્રત રહેવાનું છે.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રમાં નીચેની પ્રવૃત્તિઓ તેમણે સમાવી છે.&lt;br /&gt;
(૧)	કલાના – અને તે ઉપરથી સાહિત્યના – તત્ત્વનું અન્વેષણ કરવું.&lt;br /&gt;
(૨)	સાહિત્યના વિવિધ પ્રકાર અને એનાં સ્વરૂપલક્ષણોની વ્યાખ્યાવિચારણા કરવી.&lt;br /&gt;
(૩)	અમુક કૃતિના ગુણદોષો તપાસવા.&lt;br /&gt;
(૪)	ગુણદોષનો વિચાર પડતો મૂકી, માત્ર એનું સૂક્ષ્મ સ્વરૂપ એના ઊંડાણમાં જ ઊતરીને સમજવું અને સ્પષ્ટ કરવું.&lt;br /&gt;
(૫) સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન – જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે – વિશિષ્ટ કૃતિનું નિરીક્ષણ કરવું, અને એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ખેડવો.&lt;br /&gt;
અહીં, ચોથી પ્રવૃત્તિથી તેમને માત્ર કૃતિલક્ષી કે રસલક્ષી વિવેચનનો ખ્યાલ, અને પાંચમી પ્રવૃત્તિથી ‘સર્જનાત્મક વિવેચન’ અભિપ્રેત હોય એમ લાગે છે. નોંધપાત્ર છે કે કલાતત્ત્વવિચારના પ્રશ્નોનેય તેઓ વિવેચનમીમાંસા કે વિવેચનપ્રવૃત્તિમાં સમાવી લે છે. સાહિત્ય અને વિવેચનશાસ્ત્ર પરસ્પર સંકળાયેલાં છે, પરસ્પરને ઉપકારક છે, એમ પણ તેમને અભિમત છે. ‘જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચું વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે’ – એમ તેઓ કહે છે; જો કે એની તેમણે વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.&lt;br /&gt;
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.&lt;br /&gt;
૭&lt;br /&gt;
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનની વિભાવનાને યથાર્થ રૂપમાં સમજવાને, અલબત્ત, તેમની સાહિત્યકળા વિશેની સમજ લક્ષમાં લેવાની રહે છે. અગાઉ નિર્દેશ કર્યો તેમ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેનો તેમનો ખ્યાલ તેમણે રજૂ કરેલી સાહિત્યવિચારણા સાથે સીધો મેળમાં છે; બલકે, તેનું સ્વાભાવિક વિસ્તરણ છે. આ અંગે સૌ પ્રથમ નોંધવાનું કે ગોવર્ધનરામ, મણિલાલ અને આ. આનંદશંકર ધ્રુવ જેવા અદ્વૈતવાદી ચિંતકો, અને રમણભાઈ અને નરસિંહરાવ જેવા પ્રાર્થનાસમાજી ચિંતકોથી બળવંતરાયની દાર્શનિક ભૂમિકા મૂળભૂત રીતે જુદી પડે છે. પ્રાચીન ધર્મદર્શન કે કોઈ સંપ્રદાયની વિચારણાઓમાં તેમની શ્રદ્ધા ઠરતી નથી, તેમ કોઈ રૂઢ પરંપરાગત દર્શનનો સ્વીકાર કરીને તેઓ પ્રવૃત્ત થતા નથી. તેમનો અભિગમ મૂળથી જ બુદ્ધિવાદીનો રહ્યો છે. જીવન જગત અને સાહિત્ય સર્વ વિશે સર્વથા અરૂઢ રીતિએ અને સ્વતંત્ર પર્યેષક દૃષ્ટિએ વિચારવિમર્શ કરવાનું તેમને પ્રિય છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોની જેમ તેમનો ઝોક વિજ્ઞાનવાદ તરફ રહ્યો છે. ખાસ કરીને ‘સ્વરૂપાનુભૂતિ’ અને ‘સાહિત્ય અને શીલ’ જેવા નિબંધોમાં તેમણે વિશ્વજીવન અને માનવની સમુત્ક્રાંતિને લગતી જે કેટલીક ચર્ચાવિચારણાઓ કરી છે, તેને લક્ષમાં લેતાં અજ્ઞેયવાદી તરીકે તેમને ઓળખાવી શકાય. બ્રહ્માંડના આદિ કે અંત વિશે માનવબુદ્ધિ તાગ લઈ શકે તેમ નથી. ‘વ્યક્તમધ્ય’ એવું જે જીવન આપણા અનુભવમાં આવે છે, અને એમાં જેટલું બુદ્ધિની ઊંડળમાં આવી શકે એમ છે, તેટલું જ સત્ય માનવી પામી શકે. બધાંય જ્ઞાનવિજ્ઞાન, આ રીતે, ચેતનવિકાસના ક્રમમાં ઊઘડતાં ખિલતાં રહ્યાં છે. રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ પણ વિકાસક્રમમાં એ રીતે આગવું સ્થાન ધરાવે છે.&lt;br /&gt;
સાહિત્ય અને વિવેચનને લગતો તત્ત્વવિચાર બળવંતરાયે આ વિકાસવાદના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. સાહિત્યની રચનામાં સર્જકની પ્રતિભાનું મહત્ત્વ, અલબત્ત, તેઓ સ્વીકારે છે. ‘પ્રતિભાબીજની માવજત’ વિશે તેમણે લેખ પણ લખ્યો છે. આમ છતાં, સાહિત્યકૃતિને પ્રેરનારાં પોષનારાં પરિબળોનો ય તેઓ સ્વીકાર કરે છે; બલકે, સાહિત્યને એના લેખકના વિશિષ્ટ સામાજિક/ઐતિહાસિક સંયોગોનું પરિણામ લેખવતા જણાય છે : “પ્રજા અને તેનું અમર સાહિત્ય અન્યોન્યાશ્રયી ભાવે છે : સાહિત્ય ઉપજે છે પ્રજાના અનુભવ, પ્રજાની કલ્પના, પ્રજાની આંતરડીમાંથી; પ્રજાની નિખાલસતાનાં લક્ષણો સાહિત્યમાં વાસ્તવિકતા, પ્રામાણિકતા અને રસિકતાના ગુણ સીંચે છે, અને એ સર્જાયેલું સાહિત્ય ઊછરતી પ્રજાના ચારિત્ર, કલ્પના, ભાવના, કર્તવ્યબુદ્ધિ, આદિને પોષે છે, વાળે છે. અમુક વળ દઈને અમુક આમળા ચડાવે છે. પ્રજાનું લોહી ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સ્થૂળ કારણ છે, પ્રજાનું સાહિત્ય ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સૂક્ષ્મ કારણ છે. ઊછરતી પ્રજાના ઝમાને ઝમાને નવા પ્રત્યક્ષ થતા અનુભવ કર્તવ્ય દર્શનાદિ પ્રજાની પ્રકૃતિ ઘડાવાનાં નિમિત્ત કારણ છે, અને સાહિત્યની સફળતા, ઝમાને ઝમાને તેનું મૂલ્યાંકન તે ઝમાનાના સત્યને અનુરૂપ હોય, તેમાં છે.”૩૯ બળવંતરાય, આમ, ભારપૂર્વક પ્રતિપાદિત કરવા ચાહે છે કે સાહિત્યના સ્વરૂપમાં સામાજિક/ ઐતિહાસિક પરિબળે વત્તેઓછે અંશે નિર્ણાયક બની રહે છે.&lt;br /&gt;
પ્રજાજીવનના વિકાસક્રમમાં, દરેક તબક્કે, આગવી તાસીરવાળું સાહિત્ય એ રીતે સંભવે છે. માનવબુદ્ધિ કોઈ શાશ્વત ‘સત્ય’ને પામી શકતી નથી, માત્ર પોતાના સમયમાં બદ્ધ એવાં ‘સત્યો’નું જ તે આકલન કરે છે; પણ નવું ‘સત્ય’ પ્રગટ નથી થયું, ત્યાં સુધી જ એ જૂનું સત્ય સ્વીકારવાનું રહે છે. સાહિત્યાદિ કળાઓમાં મૂર્ત થતાં ‘સત્યો’ પણ એ રીતે કોઈ શાશ્વત સત્યો નથી : જે તે યુગનાં ‘સત્યો’ જ તેમાં આર્વિભૂત થાય છે. એટલે દરેક નવો જમાનો જ પોતાનાં નવાં ‘સત્યો’ના પ્રકાશમાં સાહિત્ય કૃતિઓનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન-કરે, એ આવશ્યક છે. વળી, સાહિત્યાદિ પ્રવૃત્તિઓ માનવજાતિના વિકાસમાં જેટલે અંશે ‘શ્રેયસ્કર’ નીવડે, તેટલે અંશે જ તે આવકાર્ય ગણાશે. સૌંદર્ય અને કળા – બંને તેમને મન એકી સાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ છે. સર્જક પોતાની રચનામાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે. એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ સ્વયં ઈષ્ટ વસ્તુઓ છે-terminal values-જેવી પ્રાપ્તિઓ છે. પણ માનવજાતિના વિકાસક્રમમાં તેનું ‘સાધન’ લેખે ય સ્થાન રહે છે – કહો કે તેને instrumental value પણ પ્રાપ્ત થાય છે. બળવંતરાય કહે છે : “કલા ધર્મ રાષ્ટ્ર નીતિ એ સર્વ પ્રેયો વસ્તુ છે ત્યાં જ લગી, જ્યાં લગી તે આપણને શ્રેય મેળવવાને કાજે ઊજમવાન રાખે : એ સર્વ ભાવનાસિદ્ધિ માટેનાં સાધન હોવાનું પોતાનું કર્તવ્ય બજાવતાં રહે, ત્યાં લગી જ પ્રેય છે.”૪૦&lt;br /&gt;
વિશ્વજીવનની ઉત્ક્રાંતિમાં બહુ થોડી કૃતિઓ સમયના પ્રવાહની સામે ટકી રહે છે. બળવંતરાયને મન એવી સત્ત્વશીલ કૃતિઓનું જ સાચું મૂલ્ય છે. સાહિત્યની ભાવના એવી થોડીક મહાન કૃતિઓ પરથી જ બંધાય, બાંધવી ઘટે, એવી પણ તેમની માન્યતા રહી છે. અને વિવેચન વિશે જે થોડાક ખ્યાલો અહીં તહીં વેરવિખેર પડ્યા છે. તેમાંય એવા મહાન સાહિત્ય માટેની તેમની જિકર વરતાય છે.&lt;br /&gt;
બળવંતરાયનો પોતાનો વિવેચનાત્મક અભિગમ – નર્મદ નવલરામ મણિલાલ ગોવર્ધનરામ ન્હાનાલાલ મુનશી આદિ અર્વાચીન યુગના સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિને જોવા તપાસવાની અને મૂલવવાની તેમની રીતિમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કર્તાનું માનસ, વ્યક્તિત્વ ઘડતર, અને વિચારસૃષ્ટિ, ઐતિહાસિક સામાજિક પરિસ્થિતિ, સમકાલીન સાહિત્યિક પરંપરાઓ, આદિ સર્વ પાસાંઓને લક્ષમાં લઈને દરેકનો વિચાર કરવા તેઓ પ્રેરાયા છે. એમાં ચરિત્રમૂલક ઐતિહાસિક સાંસ્કૃતિક કે વિચારલક્ષી – એમ એકથી વધુ અભિગમો એકત્ર થતા હોવાનું જોઈ શકાશે. &lt;br /&gt;
સર્જન અને વિવેચન એ બંને ય પ્રવૃત્તિઓ તેમને મન એક પ્રકારે ‘આચરણ’ – action of a living being – જેવી છે, બંને પરસ્પર અનિવાર્ય રીતે સંકળાયેલી છે, અને બંનેય પ્રજાજીવન પર મોટી અસર પાડનારી છે, એમ તેઓ માને છે : “કલા અને વિવેચના અન્યોન્ય અવિનાભાવે સંલગ્ન છે. કલાસર્જન (art creation) જીવનનો એટલે સજીવન વ્યક્તિના આચરણનો (action of a living being) એક પ્રકાર છે. જેમ આચરણ પહેલાં, આચરણ સાથે, અને આચરણ પછી ચિંતન એટલે વિચારણ, કાર્યકારણઘટના, લક્ષ્યપ્રયત્નઘટના, સાધન નિર્માણઘટના આદિ રૂપે અનિવાર્ય આવશ્યક અને લાભકારક છે, આચરણનું જ અવિભાજ્ય અંગ લેખાવાને પાત્ર છે, તેમ સર્જન અને વિવેચનની જોડીનું પણ સમજી લેવાનું પ્રાપ્ત થાય છે.”૪૧ બળવંતરાયની આ વિચારણાના સૂચિતાર્થો ધ્યાનમાં લેવા જેવા છે. સાહિત્યની રચના, અલબત્ત, તેમના મતે એક અતિ સૌમ્ય સૂક્ષ્મ અને સત્ત્વશીલ તત્ત્વ છે; પણ સ્વરૂપથી તે તેના સર્જકનું ‘આચરણ’ પણ છે. તે ઇચ્છે કે ન ઇચ્છે, જાહેર જીવનમાં તે એક સક્રિય બળ બનીને પ્રવર્તે છે. એટલે જ, સર્જકને પક્ષે એ એક નૈતિક બળ પણ બની રહે છે. વિવેચનની પ્રવૃત્તિ પણ એ જ રીતે વિવેચકનું ‘આચરણ’ બની રહે છે. વિવેચક ઇચ્છાશક્તિ એમાં સક્રિય બને છે. સાહિત્યિક પરિસ્થિતિ – અને વ્યાપકપણે સાંસ્કૃતિક પરિસ્થિતિ – પર તેની ઓછીવત્તી સૂક્ષ્મ અસરો પડે છે. સર્જક તેમ વિવેચક બંનેય પક્ષે, આથી, તેમનાં દરેકનાં ‘આચરણો’ની નૈતિક અસરોનો પણ ખ્યાલ કરવાનો રહે છે. એમાંથી એમ પણ ફલિત થાય છે કે સાહિત્યકૃતિ કે તેના કર્તા પરત્વે જ નહિ, સમસ્ત પ્રજાના શ્રેયાશ્રેયને અંગે ય તેમને ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થાય છે. માનવજાતિના વિકાસક્રમમાં બંનેએ આગવી ભૂમિકા ભજવવાની રહે છે :&lt;br /&gt;
“...વળી કવિતા અને વિવેચના અન્યોન્યાશ્રયી છે. સ્વતંત્ર વિચારબળે આપણી વિવેચનાને આપણે જેમ બિનંગત (ઈમ્પર્સનલ) સાચી અને ઊંડી બનાવીશું તેમ તેમ આપણી કવિતા પણ ખીલશે, અને આપણી કવિતા જેમ ખીલશે તેમ તેમ ઉછરતી પેઢીઓમાં ચારિત્ર્યને યોગ્ય વલણ અને ગુણવત્તા અને બળ મળતાં જશે. સાહિત્ય તો જીવનનો પડઘો માત્ર એ મત એકદેશી અને સાહિત્યના ગૌરવનું અનભિજ્ઞ છે. કાલપ્રવાહમાં જીવનવિકાસ અને જીવનસમુત્ક્રાંતિની સર્જક જે સૂક્ષ્મ અને સૌમ્ય શક્તિઓ પ્રવર્તે છે તેમાંની એક પ્રમુખ શક્તિ સાહિત્ય છે. સાહિત્યની સમુત્ક્રાંતિ માટે મથનારો દેશસેવક જીવનસમુત્ક્રાંતિ માટે પણ મથી રહ્યો છે. સાહિત્ય કે વિવેચનામાં વિપથગામી વલણોને ઉગતાં જ ના દાબી દેવાય તો જીવનક્ષેત્રે પણ એ ચેપી ઝેર પ્રસરવા માંડે છે. વેળાસર લાલબત્તી ધરતી વિવેચના જીવનક્ષેત્રમાં પણ સારી સેવા બજાવે છે.”૪૨&lt;br /&gt;
બળવંતરાયની વિચારણામાં આ એક લાક્ષણિક ભૂમિકા છે. જીવનના વિકાસવાદને લક્ષમાં રાખીને સાહિત્યસર્જન અને વિવેચનની ઉપયોગિતાનો અહીં તેઓ વિચાર કરવા પ્રેરાયા છે; અને, એક રીતે, તેમનો નૈતિક અભિગમ એમાં દેખાઈ આવે છે. સાહિત્યમાં તેમ વિવેચનમાં કોઈ પણ ‘વિપથગામી વલણ’ ચલાવી લઈ શકાય નહિ, એમ તેઓ કહે છે. પણ આ ‘વિપથગામી વલણો’ કયાં તે નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ છે. જીવનવિકાસમાં કયું તત્ત્વ શ્રેયસ્કર, કયું અશ્રેયસ્કર, કયું ઇષ્ટ કયું અનિષ્ટ, એ નિર્ણિત કેવી રીતે કરીશું? કેવળ નીતિ-અનીતિના પ્રચલિત ખ્યાલથી દોરવાઈને સર્જક કે વિવેચક ચાલવા જાય તો તે તેના હૃદ્‌ગત ‘સત્ય’ અને ‘સૌંદર્ય’નો દ્રોહ નહિ થાય? અને પ્રજાના ચારિત્ર્ય ઘડતર અર્થે કઈ કૃતિ લાભદાયી છે કઈ નથી, તે વિશે વિવેચક કેવી રીતે નિર્ણય કરી શકે? પ્રશ્નો જટિલ છે.&lt;br /&gt;
વિવેચકની ભૂમિકા વિશે બળવંતરાયે જે જે વિચારો રજૂ કર્યા છે, તેમાં પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન વિવેચક મેથ્યુ આર્નોલ્ડની પ્રેરણા હોવાનું પણ જોઈ શકાશે. બળવંતરાયનું એમ કહેવું છે કે વિદ્યાપીઠના ઉત્તમ આચાર્યો અને તેજસ્વી તરુણો દ્વારા એક બાજુ સર્જાતા સાહિત્યના ‘ઉત્તમાંશો’ વિશે ‘સતત ગંભીર અપક્ષ નિરીક્ષા’ ચાલવી જોઈએ, વર્ણ્યવિષયના ‘કોણેકોણમાં’ તેમની તેજસ્વી મેધા ફરી વળવી જોઈએ; બીજી બાજુ, સાહિત્યને પોષક વિચારો નિષ્પન્ન થતા રહેવા જોઈએ. તેમને મતે ‘સત્ય’ ‘શીલ’ અને ‘સૌંદર્ય’ એ ત્રણ ચિરંતન મૂલ્યો છે. સર્જકે અને વિવેચકે બંનેએ ત્રણેનું જતન કરવાનું છે. નોંધવું જોઈએ કે, કૃતિ વિવેચનમાં તેમણે આ મૂલ્યોનું સતત સમર્થન કરવાનો આગ્રહ દર્શાવ્યો છે. જો કે આ જાતનાં નિરપેક્ષ મૂલ્યોના સ્વીકાર સાથે સર્જનના તેમ વિવેચનના પ્રશ્નો જટિલ બને છે. સર્જનમાં ‘સત્ય’ કેવી રીતે પ્રગટ થાય, ‘શીલ’નું જતન શી રીતે થાય કે ‘સૌંદર્ય’ જેવું મૂલ્ય કેવી રીતે મૂર્તિમંત થાય તે પ્રશ્નો વિવેચન/સૌંદર્યમીમાંસાના કાયમી પ્રશ્નો છે. મૂલ્યાંકનનાં બીજાં ધોરણો, અલબત્ત, એ ત્રણને મુકાબલે ગૌણ છે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય, અલબત્ત, કૃતિના ગુણદોષ બતાવવાનું છે. જો કે નરી ગુણગ્રાહકતા વંધ્ય છે. એનાથી કોઈને ન્યાય થતો નથી – ન કૃતિને, ન કર્તાને, ન ભાવકને. એ રીતે વાંચનારની ‘ઉન્નતિ’ થતી નથી, તેમ કળાના ક્ષેત્રમાં ‘શુદ્ધિ’ કે ‘પ્રગતિ’ સધાતી નથી. તેમ વિવેચનને પોતાને માટે પણ એ હિતકર નથી. એટલે વિવેચકે કૃતિના ગુણો અને દોષો બંને બતાવવા, પ્રમાણસર બતાવવા, એ જ ખરો માર્ગ છે. બળવંતરાયની દલીલ એ કે ‘કેટલાક દોષ એવા ઉગ્ર હોય કે તેમાં કૃતિના બધાયે ગુણ ડૂબી જાય; કોઈક ગુણ એવો ઉજ્જ્વળ હોય કે તેમાં કૃતિના બધાયે દોષ ડૂબી જાય. ત્યારે તો રસિકોએ ગુણૈકદૃષ્ટિ વા દોષૈકદૃષ્ટિ જ પ્રબોધવી પડે. કેમ કે કલાની ભાવના અને અને સૌન્દર્યની વિશુદ્ધિ એમ કર્યા વગર રક્ષાય જ નહિ.”૪૩&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિને બને તેટલી બિનંગત તટસ્થ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાની બળવંતરાયે ભારે હિમાયત કરી છે. અંગત રુચિ રાગદ્વેષ આદિ વલણોથી મુક્ત કરી આ આખીય પ્રવૃત્તિને પૂરી શાસ્ત્રીય બનાવવી જોઈએ એમ તેઓ માને છે. ‘સાહિત્યની શિષ્ટ અદાલતમાં કૃતિઓના ગુણદોષો ઉપર જ ચુકાદા આપવાના છે.’ અને એમાં અંગત રાગદ્વેષનો પાશ ના હોય તેવા ‘ચુકાદા જ શિષ્ટ સંમતિ મેળવવાને લાયક’ ઠરે છે. સાચો વિવેચક ‘ધીરજની’ ‘અભયની’ ‘નિઃસ્પૃહ મૂર્તિ’ હોવો જોઈએ. સરેરાશ વાચક અંગત રુચિઅરુચિ કે રાગદ્વેષથી પ્રેરાઈને કે પ્રમાણભાન ગુમાવીને મૂલ્યાંકન કરી બેસે પણ વિવેચકમાં કૃતિ વિશે, બિનંગત બનીને, તેની શાસ્ત્રીય તુલના કરવાની ક્ષમતા હોવી જોઈએ.&lt;br /&gt;
જો કે વિવેચનનું (એટલે કે વિવેચકનું) કાર્યક્ષેત્ર તેમણે ઘણું ઘણું વિસ્તારી મૂક્યું છે. કૃતિના વિવેચન–મૂલ્યાંકનમાં એ કાર્ય પૂરું થતું નથી. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની તપાસ પણ તેણે કરવાની છે. વિવેચકના કાર્ય પ્રદેશનો તેમનો આખો નકશો જોવા જેવો છે.&lt;br /&gt;
“વિવેચના કલાસખી છે તેમ શાસ્ત્રસખી પણ છે. કવિતા અને સાહિત્યકૃતિઓના ગુણદોષ જાતિ પ્રકાર સિદ્ધિ કલાસામગ્રી આદિ તપાસવાં એ વિવેચનાનું પ્રિય કાર્ય છે. જાણીતા દાખલાઓ સાથે નવાને મૂકી સરખામણીઓ કરવી, ભેદો જોવા અને તારતમ્ય વિચારવાં એ વિવેચનની પ્રિય પદ્ધતિ છે. આમ કરતાં કરતાં કલામીમાંસા રસશાસ્ત્ર અને વાઙ્‌મયને લગતાં વર્ણન પ્રધાન અને વ્યવસ્થાપક (normative) વિજ્ઞાનો બંધાય છે. વ્યાપ્તિઓ સૂઝે છે, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ વર્જાય છે, સૌને સ્વીકારવાં પડે એવાં ધોરણ વધતાં વધતાં તે સર્વ અન્યોન્યસમર્થક સમૂહ બની શાસ્ત્રની પદવી પામે છે. સજાતીય શાસ્ત્રોના મુકાબલા પણ થાય છે. અને આ આખા વિચારણાપ્રવાહમાં સપાટી તળેનાં રહસ્યોનાં સંશોધન અને મનન તે જ મીમાંસા વા પર્યેષણા છે. વળી કાળબળે બે જુદી જુદી સંસ્કૃતિઓ પાસે પાસે આવી જાય, ત્યારે તેમના વાઙ્‌મયની સાથે તેમનાં કલાશાસ્ત્રો અને રસમીમાંસા પણ એકબીજાંને ભેટે છે. અને એક બીજાં ઉપર પડે છે. એક બીજાંને ચૂમે પણ ખરાં, એકબીજાને કચરે અને કરડે પણ ખરાં. જે બુદ્ધિઓ આ કુરકુરિયા જોડીનાં ચેષ્ટા સ્પર્ધા અને ગેલઝઘડા, આ બે જુદી જુદી પરિસ્થિતિમાં ઉછરેલી બહેનોનાં રીસામણાં અને મનામણાં અનુભવવા જેટલી અધિકારી છે તે તુર્ત જોઈ પણ લે છે, જે આ બે બ્હેનો જેવી દેખાય છે ખરી, પણ તે બે નહીં એક જ હોવી જોઈએ, અથ ચ હોવી જોઈએ એક, તો તે એક શી રીતે એ નવો પ્રશ્ન સંક્રાંતિસમયની ગૂંચ ઉકેલણીના જેવો જ મહાપ્રશ્ન એ વિરલ બુદ્ધિઓમાં જન્મે છે.”૪૪&lt;br /&gt;
બળવંતરાયે આ રીતે જે ખ્યાલો રજૂ કર્યા તેને અનુલક્ષીને ટીકાટિપ્પણી રૂપે થોડુંક કહેવાનું રહે.&lt;br /&gt;
એક, સાહિત્યવિવેચનનો પણ પ્રજાજીવનના વિકાસ સાથે જ વિકાસ થતો રહે છે. વળી કૃતિચર્ચાઓમાંથી સામાન્ય નિયમો/ધોરણો નીપજી આવે છે, અને ભિન્ન સંસ્કૃતિના વિવેચનના નિયમો તેમ સૌંદર્યમીમાંસાના ખ્યાલોની તુલના કરતાં કરતાં સર્વસાધારણ તત્ત્વો બહાર આવે છે. પ્રજાપ્રજાની સંસ્કૃતિઓના ટકરાવમાંથી, આ રીતે, વધુ વ્યાપક અને સમન્વિત કળાવિચાર પણ જન્મી આવે. વિકાસક્રમની તેમની તાત્ત્વિક ભૂમિકાને અનુરૂપ તેમની આ ચર્ચા છે.&lt;br /&gt;
બે, અગાઉ કૃતિવિવેચનમાં બિનંગતતા નિષ્પક્ષતા તાટસ્થ્ય અને વસ્તુલક્ષી ખોજને લીધે તે પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય કોટિની બને, બનવી જોઈએ, એમ કહ્યું હતું. અહીં વિવેચનના પ્રશ્નોને સૌંદર્યમીમાંસા (aesthetics) અને વિવેચનતત્ત્વવિચાર (philospohy of criticism)ના સ્તરે લઈ જવાની પ્રવૃત્તિને તેમણે ‘શાસ્ત્ર’માં મૂકી છે. અહીં ‘શાસ્ત્ર’ દ્વારા ખરેખર તો તેઓ, જુદા જ સ્તરની વિવેચનમીમાંસાના ખ્યાલને સ્પર્શી રહે છે.&lt;br /&gt;
ત્રણ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ/પરંપરાઓમાં વિકસતો કળાતત્ત્વવિચાર વાસ્તવમાં, એક જ મૂળભૂત વસ્તુને અનુલક્ષે છે એમ તેઓ ગૃહીત કરીને ચાહે છે. બધી જ કળામીમાંસા ‘સૌંદર્ય’ ‘સત્ય’ અને ‘શીલ’ના કોઈ નિરપેક્ષ મૂલ્યને ઊપાસે છે. બધી જ કળાવિચારણાઓની ગતિ આમ એક જ અંતિમ લક્ષ્ય તરફની છે&lt;br /&gt;
બળવંતરાયની આ વિચારણા, દેખીતી રીતે જ, વિવેચક માટે અતિ દુષ્કર કર્તવ્ય ઊભું કરે છે. આ રીતે કળામીમાંસાના ક્ષેત્રમાં ચાલતી તેની ગતિ કેટલે અંશે કૃતિવિવેચનમાં ઉપકારક બને, અથવા તેને માટે કળાતત્ત્વવિચાર ખરેખર આવશ્યક છે કે કેમ, એ મુદ્દો ય વિચારણા માગે છે. એફ. આર. લિવિસ જેવા વિવેચક એમ માને છે કે વિવેચકનું મુખ્ય કામ વિવેચ્ય કૃતિ વિશેના જીવંત પુદ્‌ગલરૂપ પણ સંકુલ પ્રતિભાવ ઉપલબ્ધ કરી આપવાનું છે, તેને વિશે ચૂકાદો આપવાનું નહિ. બીજી રીતે, વિવેચકે કૃતિ વિશેના પ્રતિભાવને એની સૂક્ષ્મતમ રેખાઓમાં ગ્રહણ કરવાનો છે; અને એનું જ નિરૂપણ કે વિવરણ કરવાનું છે. પણ વિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ કે ‘કસોટીઓ’ વિશે તાત્ત્વિક સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા નથી. રેને વેલેક, આથી ભિન્ન, વિવેચક કૃતિવિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ અને ‘કસોટીઓ’ વિશે પણ સ્પષ્ટતા કરે, તેની તાત્ત્વિક ભૂમિકા રજૂ કરે, એવી અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
આ આખો મુદ્દો કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર, અને સૌંદર્યશાસ્ત્રના અધ્યયનક્ષેત્ર કે કાર્યક્ષેત્રની સરહદ રેખા આંકી લેવાની ફરજ પાડે છે. વિવેચક વિશિષ્ટ કૃતિ વિશે ગુણદોષની ચર્ચા કરે, તેના રમણીય અંશોનો પુરસ્કાર કરે, કે તેની કળાત્મક સિદ્ધિઅસિદ્ધિનો ખ્યાલ કરે – ત્યાં સુધી તે કૃતિવિવેચનના ક્ષેત્રમાં ગતિ કરે છે એમ કહી શકાય. પણ કૃતિના ગુણદોષની વિચારણામાં ‘ધોરણ’ કે ‘કસોટી’નો તે નિર્દેશ કરે છે, ત્યારે તેનું એ ‘ધોરણ’ કે ‘કસોટી’ સાવ યાદૃચ્છિક વસ્તુ ન હોઈ શકે. સાહિત્યકળા વિશેના અમુક સિદ્ધાંત કે વાદનો એમાં સ્વીકાર રહ્યો જ હોય છે. ઉત્કૃષ્ટ કળાની અપેક્ષા સાથે અમુક કળાવિચાર સહજ રીતે એમાં સંકળાયેલો હોય કે નિહિત રહ્યો હોય એમ જોવા મળશે. વિવેચક કૃતિવિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓ પાછળની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું સ્વીકારે યા ન સ્વીકારે, ધોરણો/કસોટીઓને યથાર્થ રૂપમાં સમજવાનો કોઈ પણ ઉપક્રમ કળાના સિદ્ધાંત તરફ દોરી જાય છે. ઓસ્બોર્ન તો એટલે સુધી કહે છે : There can be no single judgement of practical criticism which does not involve latent doctrines of asthetics.૪૫ કૃતિવિવેચનમાં એકેય એવો મૂલ્યનિર્ણય ન હોય જેમાં સૌંદર્યમીમાંસાનો કોઈ ને કોઈ સિદ્ધાંત નિહિત રહ્યો ન હોય. પણ કળાકૃતિના મૂલ્યાંકનનાં ધોરણો/કસોટીઓ પાછળ રહેલી તાત્ત્વિક ભૂમિકાની તપાસ, તેની તાર્કિક ચકાસણી, એ બધા પ્રશ્નો સાહિત્યશાસ્ત્રના પંડિતો કે સૌંદર્યમીમાંસકો માટે રહેવા દઈએ એ જ બરોબર છે. પણ, કૃતિવિવેચક ચાહે તો સાહિત્યશાસ્ત્રના અને તેથીય આગળ સૌંદર્યમીમાંસાના પ્રશ્નોમાં રસ લઈ શકે, અને તે ક્ષેત્રમાં ય પૂરતી સજ્જતા કેળવીને ગતિ કરી શકે. અલબત્ત, સાહિત્યશાસ્ત્રના સ્તરેથી કે સૌંદર્યમીમાંસાના સ્તરેથી તાત્ત્વિક પ્રશ્નોની માંડણી કરવી – એ કૃતિવિવેચન કરતાં ભિન્ન પ્રવૃત્તિ છે, ભિન્ન પ્રકારની શિસ્ત છે.&lt;br /&gt;
સાહિત્યકલા ‘સ્ફુટાર્થવતી વાણીના માધ્યમ’માં જન્મે છે, તેથી બીજી બધી લલિત કલાઓને મુકાબલે તેમાં મતભેદનું વર્તુલ વધુ મર્યાદિત સંભવે, એવી પણ બળવંતરાયે માન્યતા વ્યક્ત કરી છે. જો કે, આવો વ્યાપક નિયમ તારવવામાં મોટું જોખમ છે. ચિત્ર કે શિલ્પના ક્ષેત્રમાં વધુ મતભેદ સંભવે, સાહિત્યના ક્ષેત્રમાં નહિ–એ જાતનો ખ્યાલ આજે ભાગ્યે જ સ્વીકારાશે. આધુનિકતાવાદી અને તેમાંયે પ્રયોગશીલ કૃતિ ભારે મતમતાંતરનો વિષય બનતી હોય છે. &lt;br /&gt;
વિવેચકની સજ્જતા અંગે બળવંતરાય નોંધે છે : “પુખ્ત વિવેકની સાથે સૂક્ષ્મ રુચિતંત્ર, કવિતાપરંપરા, છંદપરંપરા આદિનું ઝીણું અને સંગીન જ્ઞાન, બ્હોળો અનુભવ, વિવિધ શૈલીઓ અને કળાજાતિઓ સાથે સહાનુભૂતિ, પરિસ્થિતિમાં તેમ કવિના ચિત્તતંત્રમાં પ્રવેશવાની કલ્પના, અને બીજું પણ ઘણું શાસ્ત્રીય તુલનાત્મક ઐતિહાસિક પર્યેષક વિવેચનાનું ગંભીર પચરંગી કર્તવ્ય માગી જ લે છે.”૪૬&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓને બળવંતરાય ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા રૂપે વિકસતી જૂએ છે. એટલે કોઈ પણ કૃતિને યથાર્થ રૂપમાં જોવા-સમજવાને તેના વિશિષ્ટ સંયોગોને લક્ષમાં લેવાના રહે. દેખીતી રીતે જ, કૃતિવિવેચનનો આ ઐતિહાસિક અભિગમ છે. જો કે, એમાં ચરિત્રલક્ષી કે વિચારલક્ષી ભૂમિકા પણ વારંવાર જોડાતી રહે છે. ‘સોરાબ અને રુસ્તમ’ શીર્ષકના તેમના વિસ્તૃત અભ્યાસલેખમાં મહાકવિ ફિરદૌસી અને અંગ્રેજ કવિ આર્નલ્ડ—એ બેની સોરાબરુસ્તમની કથામૂલક કવિતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. બંને કવિઓની રચનાઓમાં જે સ્વરૂપભેદ કે શૈલીભેદ વરતાય છે તેના મૂળમાં ઊતરી બંને પાછળની ભિન્ન સાંસ્કૃતિક પરંપરાનો તેઓ ત્યાં વિગતે પરિચય આપે છે. તેમનું કહેવું એમ છે : “કોઈ પણ કલ્પના સર્જનમાં કલ્પક પાત્રોના ચરિત્ર અને આચરણોની જે સંકલના ગૂંથે છે તે તેના સર્જનનું હાર્દ વ્યક્ત કરે છે. કલાકૃતિનાં દેશકાલ પરિસ્થિતિ આદિ જેમ આપણને પરિચિત જગતથી ભિન્ન અને દૂર સુદૂર, તેમ તેની સંકલના સમજવી મુશ્કેલ થઈ પડે છે, અને સહાનુભૂતિ પ્રવૃત્ત કરવાને આપણી કને વધારે ઇતિહાસજ્ઞાન માગી લે છે. પ્રસ્તુત કૃતિ કઈ કલા જાતિની છે અને તેની પાછળ એ જાતિની પરંપરા કયા પ્રકારની હતી તે પણ આપણે ધ્યાનમાં રાખવું ઘટે.”૪૭ અહીં તેમણે એક અતિ મહત્ત્વની વાત કરી કે વિવેચક સામે પોતાના દેશકાળથી ઘણી દૂરની સાવ ભિન્ન પરંપરાની કૃતિ આવે છે, ત્યારે તેને માટે ‘સહાનુભૂતિ પ્રવૃત્ત’ કરવાને તેનું સાચું ઇતિહાસજ્ઞાન જરૂરી છે. કોઈ પણ કલાકૃતિને એના સ્થળકાળના સંદર્ભોથી ઉતરડીને જોવા જતાં ન્યાય નહિ થાય. તાત્પર્ય કે કલાકૃતિના સ્વરૂપમાં સમકાલીનતાનાં અમુક તત્ત્વો પડ્યાં હોય છે. એવાં તત્ત્વો વિશે પૂરી સમજ અને સહાનુભૂતિ વિના કૃતિના હાર્દમાં પ્રવેશવાનું મુશ્કેલ.&lt;br /&gt;
આપણી સદીમાં વિવેચનના ઐતિહાસિક અભિગમ સામે નવ્ય વિવેચકોએ ઊભો કરેલો મુદ્દો જોવા જેવો છે. અલબત્ત, નવ્ય વિવેચકો એમ કહેવા માગતા નથી કે કૃતિમાં ઐતિહાસિક અંશો પ્રવેશતા જ નથી. તેમનું એમ કહેવું છે કે આવા ઐતિહાસિક અંશોનો તો કાર્યકારણભાવે ખુલાસો આપી શકાય છે, પણ કૃતિનું જે સાચું હાર્દ છે, ગહનતમ રહસ્ય છે, તેને આવા ખુલાસાથી સમજાવી શકાય નહિ. ઐતિહાસિક સંયોગો અને પરિબળોને લક્ષમાં લઈ કાર્યકારણભાવે તેના અમુક બાહ્ય સ્વરૂપની સ્પષ્ટતા કર્યા પછી જે residue રૂપ—એક અતાગ અવર્ણનીય અંશ શેષ રહે છે, તે જ કળાકર્મનો વિશેષ છે. નવ્ય વિવેચકોએ, આથી, કળાકૃતિને આરંભમાં તો ઐતિહાસિક સંદર્ભોથી વિચ્છિન્ન કરીને જોવા માટે અનુરોધ કર્યો; પણ પછીથી કૃતિને વધુ યથાર્થ રૂપમાં સમજવાને એના ઐતિહાસિક સંદર્ભોને ય કોઈ ખપમાં લેવા ચાહે, તેની સામે વાંધો લીધો નથી. ક્લિન્થ બૂક્સ જેવા વિવેચકની ભૂમિકા એ રીતે ધ્યાનપાત્ર છે :&lt;br /&gt;
“If literary history has not been emphasized in the pages that follow, it is not because I discount its importance or because I have failed to take into account. It is rather that I have been anxious to see what residuum, if any, is left after we have referred the poem to its cultural matrix.”૪૮ (હવે પછીનાં પૃષ્ઠોમાં, સાહિત્યના ઇતિહાસ પર જો મેં ભાર મૂક્યો ન હોય, તો તે એ કારણે તો નહિ કે એનું મહત્ત્વ હું ઓછું લેખવા માગું છું. અથવા એ આખી બાબત મારા ધ્યાનમાં આવી નથી; પણ તે એટલા માટે કે કલાકૃતિને એના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકી જોયા પછી ય એમાં એનો કોઈ કલાત્મક સારભૂત અંશ (residuum) શેષ રહે છે કે નહિ તે જોવામાં મને રસ હતો.) આમ, ઐતિહાસિક અભિગમ અને નવ્ય વિવેચકોનો આકારવાદી અભિગમ–એ બે યાદૃચ્છિકપણે સ્વીકારી શકાય તેવી બાબત નથી. સાહિત્યકલાના સ્વરૂપ વિશે તમે કઈ સમજ ધરાવો છો, સાહિત્યની કઈ વિભાવના લઈને ચાલો છો, તે મુદ્દો અહીં અત્યંત મહત્ત્વનો બને છે. બળવંતરાયની સાહિત્યવિચારણા પાછળની તાત્ત્વિક ભૂમિકા, કદાચ, એટલી સ્પષ્ટ નથી; તો પણ, એમાં સાહિત્ય એ ઐતિહાસિક સંયોગો અને પરિબળોની નીપજ છે એ ભૂમિકા સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
‘સોરાબ અને રુસ્તમ’ વિશેના વિવેચનમાં ઐતિહાસિક ભૂમિકા સ્વીકારાઈ છે એ તો ખરું જ; એમાં સાથોસાથ તુલનાત્મક પદ્ધતિનો પણ સ્વીકાર છે. તુલનાત્મક સાહિત્ય – comparative literature – વિશે એ સમયે આપણે ત્યાં એવી કોઈ વિચારધારા નહોતી કે ખાસ અભિજ્ઞતા જન્મી નહોતી. પણ અન્ય ભાષાના વિવેચનમાંથી clue લઈને કે કેવળ આંતરસૂઝથી તેમણે અહીં તુલનાત્મક અભિગમ સ્વીકાર્યો છે. ફિરદૌસી અને આર્નલ્ડની કૃતિઓના સ્વરૂપભેદ અને શૈલીભેદને લક્ષમાં લઈ તેમણે બંનેની પરંપરાનું હાર્દ ખૂલ્લું કરવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અને કાવ્યપરંપરાના ખ્યાલો વિશે બળવંતરાયની ટીકાટિપ્પણીઓ ખરેખર માર્મિક અને તત્ત્વગ્રાહી છે. તેમના મતે મધ્યયુગીન સંસ્કૃત પરંપરાના કવિઓની રસદૃષ્ટિ ‘એકથી વધુ દૃષ્ટિએ દૂષિત’ અને ‘હીન’ થયેલી છે. પશ્ચિમની કાવ્યમીમાંસાના અભ્યાસથી એ વાત હવે સ્પષ્ટ થવા લાગી છે, એમ તેઓ કહે છે. જો કે આપણે ત્યાં કેવળ રૂઢ અલંકારશાસ્ત્રમાં ગતિ કરતા વિદ્વાનોને આ વાત બરોબર સમજાઈ નથી એવી તેમની માન્યતા છે. પાછળના સમયના અલંકારશાસ્ત્રીઓ પરંપરાપ્રાપ્ત મતો અને વિચારવલણોને જેમના તેમ સ્વીકારતા રહ્યા છે. સ્વતંત્ર પર્યેષકબુદ્ધિથી કાવ્યતત્ત્વનો ફેરવિચાર કરવાની તેમનામાં વૃત્તિ દેખાતી નથી. ‘મેઘદૂત’ વિશે મલ્લિનાથની ટીકાને અનુલક્ષીને તેમણે રજૂ કરેલું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ નોંધે છે કે... એ જમાનાનું રુચિતંત્ર કાલિદાસમાં જ્યાં ત્યાં આવી કામી દશાનું જ રહસ્ય શોધે એ સ્વાભાવિક છે. એટલે કાલિદાસ જેવા કવિઓને રૂઢ રુચિવૃત્તિથી કે પરંપરાગત કળાદૃષ્ટિએ નહિ, સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવવા જોઈએ. અહીં તેમની ચર્ચામાં ગૂંચ ઊભી થતી હોવાનું લાગશે. અગાઉ ઐતિહાસિક અભિગમને લગતો ખ્યાલ સ્પષ્ટ કરતાં વિવેચ્ય કૃતિને એના મૂળ ઐતિહાસિક/સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાને તેમણે અનુરોધ કર્યો હતો. અહીં તેઓ આધુનિક કળાવિચારના પ્રકાશમાં કાલિદાસાદિ કવિઓનું મૂલ્યાંકન કરવાને સૂચવે છે. તો, વિવેચનમીમાંસાનો આ એક ઘણો મોટો કૂટ પ્રશ્ન થયો! વિવેચકે પ્રાચીન મધ્યકાલીન પરંપરાના સાહિત્યને કેવી રીતે જોવું અને મૂલવવું ઘટે? કૃતિ/કર્તાને ‘ન્યાય’ કરવાની હંમેશાં વાત થાય છે. પણ આ ‘ન્યાય કરવો’ એટલે શું? સાહિત્યકૃતિને ન્યાય કરવો એટલે એનું સાચું ‘રહસ્ય’ પામવું, પણ તો એ કેવી રીતે શક્ય બને? સાહિત્યકૃતિને એવો કોઈ નિરપેક્ષ ‘અર્થ’ સંભવે છે ખરો, જે સમય જતાં ય કે દૂર સ્થળકાળમાં અવિકારી અને અપરિવર્ત્ય જળવાઈ રહે? અંતે, સાહિત્યકૃતિ એ કોઈ સમયબદ્ધ–ઇતિહાસબદ્ધ વસ્તુ છે કે સમયાતીત, તેનો ય ખ્યાલ કરવાનો આવે. આજે વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે ભૂતકાળની કૃતિઓનું રહસ્ય વર્તમાનની ભૂમિકા પરથી જ સમજી શકાય. અર્થાત્‌, કૃતિને આપણી આજની સાંસ્કૃતિક ભૂમિકાએથી તેનું રહસ્ય ઘટાવીને–તેનું પુનઃ અર્થઘટન કરી આપીને–જ સાચી રીતે સમજી શકો. અને બીજા કેટલાક તો એમ કહે છે કે ભૂતકાળની કૃતિને તમે વર્તમાનની ભૂમિકાથી અળગા થઈને જોઈ જ ન શકો. અર્થાત્‌ ભૂતકાળની કોઈ પણ કૃતિનું હાર્દ વર્તમાનના સંદર્ભમાં જ પ્રગટ થતું હોય છે. એટલે આ પ્રશ્ન, અંતે, જ્ઞાનમીમાંસાના ક્ષેત્રમાં આપણને દોરી જતો જણાશે.&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓ સામાજિક હકીકત – social facts – છે, એમ બળવંતરાયે કહ્યું, અને સમાજજીવનના વિકાસ અર્થે તેનું અનન્ય મહત્ત્વ પણ તેમણે સ્વીકાર્યું; છતાં, કળાકૃતિઓ સર્વજનભોગ્ય હોય એમ તેઓ માનતા નથી. ઉત્તમ કળાકૃતિ માણવાને ભાવક અધિકારી હોવો જોઈએ, તેનામાં એ વિશે પૂરી સજ્જતા હોવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું છે. માતૃભાષામાં લખાયેલી પણ ખરેખરી નીવડી આવેલી કળાકૃતિના અનુભાવન અર્થે ય ભાવક પાસે મોટી તૈયારી જોઈએ. ‘બુદ્ધિ જ્ઞાન અને કવિતા પરિચયના પ્રમાણમાં જ – તેની કલ્પનાની કેળવણીના પ્રમાણમાં જ – તે ગ્રહણ કરી શકશે’, એમ તેઓ કહે છે. ગાંધીજી જ્યારે સાહિત્ય લોકગમ્ય બને તેની હિમાયત કરતા હતા, ત્યારે બળવંતરાય જેવા, ભાવકની રસગ્રહણ શક્તિ ખિલવવાને આગ્રહ રાખતા હતા : “કલાકૃતિના અણુ-અણુમાં અનુસ્યૂત કલાનો આત્મા, રસ-સંસ્કાર પામેલી બુદ્ધિ અને સૂક્ષ્મ સબળ બનેલી કલ્પનાને સંવેદ્ય છે, ન અન્યથા... કલા પામર ઇંદ્રિયો વડે ગ્રાહ્ય વસ્તુ જ નથી. કલાસૌન્દર્ય બુદ્ધિ અને કલ્પનાના ગ્રાહ્ય સૂક્ષ્મીકરણે જ બને છે.”૪૮  &lt;br /&gt;
સાહિત્ય અને વિવેચન બંનેય માનવસમુત્ક્રાંતિના ક્રમમાં વિકસતી, વિકાસશીલ, અને વિકાસોન્મુખ વસ્તુઓ છે. જે તે યુગનાં ‘સત્યો’ બંનેના હાર્દમાં નિહિત રહ્યાં હોય છે. અને સર્જકે તેમ વિવેચકે, જ્યાં સુધી જીવન અને જગત વિશે નવાં ‘સત્યો’ ઉદ્‌ભાસિત ન થાય ત્યાં સુધી એ ‘સત્યો’ને વળગી રહેવાનું છે, કે તેને જ અનુસરવાનું છે, એમ તેઓ કહે છે. પણ પ્રાપ્ત થયેલાં ‘સત્યો’ પણ કોઈ જડ વસ્તુ નથી. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’  એ ન્યાયે ‘સત્ય’ ‘સત્ય’ વચ્ચે ટકરામણો ચાલતી રહે છે, અને નવું ‘સત્ય’ પ્રકાશિત થાય છે. એટલે વિવેચન અર્થે જે તે યુગનાં પોતાનાં ‘સત્યો’ને જ લક્ષમાં લેવાનાં રહે, અને જ્યારે નવાં ‘સત્યો’ જડશે અને નવું શાસ્ત્ર ઊભું થશે, ત્યારે વિવેચનમાં એક નવી વ્યવસ્થા ઊભી થઈ હશે, કે રચવી પડશે.&lt;br /&gt;
પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87771</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/III_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3%E0%AA%BE_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87771"/>
		<updated>2025-04-27T07:55:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading| III. જરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)  |  }}  {{Poem2Open}} {{center|૧.}} નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| III. જરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)  |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|૧.}}&lt;br /&gt;
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા  વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે.&lt;br /&gt;
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે.&lt;br /&gt;
૨.&lt;br /&gt;
સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી.&lt;br /&gt;
અલબત્ત, નવલરામની જીવનકથામાં એ યુગના એ મહાન સમીક્ષકની વિવેચનપ્રવૃત્તિ તેમ જ તેમના અન્ય સાહિત્ય વિશે ગોર્વધનરામે ઠીક ઠીક વિસ્તારથી વિવેચન કર્યું છે. તેમનો પોતાનો વિવેચનાત્મક અભિગમ એમાં તરફ ધ્યાન ખેંચે છે. નવલરામના સર્જન-વિવેચનને અવલોકવાને તેઓ નવલરામની વિદ્યાપ્રાપ્તિ અને માનસિક સજ્જતાનો, તેમનાં રુચિવલણોનો, તેમજ તેમના જીવન અને સાહિત્યને જોવા સમજવાનો વિશાળ પરિપ્રેક્ષ્ય સ્વીકારે છે. ચરિત્રાત્મક (biographical), નીતિપરક (moral), અને ઐતિહાસિક (historical) એમ વિભિન્ન અભિગમો એમાં એકત્રપણે કામ કરતા જોઈ શકાશે. નવલરામે પોતે ગ્રંથસમીક્ષાઓ/વિવેચનો અર્થે જે પદ્ધતિ નિપજાવી લીધી હતી તેમાંય આવા અભિગમો એકત્ર થયેલા હતા. પણ નવલરામે કે ગોવર્ધનરામે વિવેચન અર્થે પોતે યોજેલી પદ્ધતિ વિશે સંપ્રજ્ઞપણે ખાસ તત્ત્વચિંતન કર્યું દેખાતું નથી. પણ સાહિત્યકળાના સ્વરૂપ વિશે તેમ તેનાં પ્રયોજનો વિશે તેઓ જે રીતે વિચારી રહ્યા હતા, કહો કે સાહિત્યને યથાર્થ રૂપે પામવા તેમના મનમાં જે ખ્યાલો પડ્યા હતા, તે તેમના વિવેચનાત્મક અભિગમ સાથે સારી રીતે મેળમાં છે એમ કહેવું જોઈએ.&lt;br /&gt;
નવલરામની ગ્રંથપરીક્ષાપ્રવૃત્તિની ચર્ચાને અનુલક્ષીને ગોવર્ધનરામ પોતે પુસ્તકપરીક્ષક કે વિવેચકનું કાર્ય આ રીતે સ્પષ્ટ કરે છે : “પુસ્તકપરીક્ષકનું ખરેખરું કામ તો એ છે કે એક તો નવીન અપ્રસિદ્ધ ગ્રંથકારમાં યોગ્યતા હોય તો તે દર્શાવી આપી પ્રગટ કરી એ ગ્રંથકારનો હાથ ઝાલી સાક્ષરવર્ગ આગળ એને પ્રસિદ્ધ કરવો. અને બીજું, પ્રતિષ્ઠિત ગ્રંથકારના ગુણનું પૃથક્કરણ કરી વાંચનારાઓ આગળ એ ગુણો પારદર્શક કરી આપવા.”૧૪ ગોવર્ધનરામ નોંધે છે કે નવલરામે આ ધર્મ ઘણા વિવેકપૂર્વક બજાવ્યો છે, અને તેમના વિવેચનકાર્યમાં જે ઠરેલપણું જોવા મળ્યું તેની પણ તેમણે પ્રશંસા કરી છે. પણ અહીં આપણને પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે. નવલરામ અને ગોવર્ધનરામ બન્ને વિવેચનપ્રવૃત્તિને સાહિત્યના સર્જક અને ભાવક બંને સાથે સાંકળીને જૂએ છે. વિવેચકને બન્ને તરફ ચોક્કસ ઉત્તરદાયિત્વ છે, નૈતિક કર્તવ્ય છે, એમ તેમનું કહેવું છે.&lt;br /&gt;
‘અર્વાચીન ગુજરાતી ગ્રંથકારોના ગ્રંથોની પરીક્ષા સાથે નવલરામનું નામ વધારે જોડાયેલું છે’ – એમ નોંધી નવલરામે ગ્રંથપરીક્ષક તરીકે કેવી તો કપરી કામગીરી બજાવી છે તે વિશે તેઓ આપણું ધ્યાન ખેંચે છે. ગ્રંથપરીક્ષકનું કાર્ય અને કાર્યક્ષેત્ર વર્ણવતાં તેઓ એક મહત્ત્વની ભૂમિકા રજૂ કરે છે. એ યુગની વ્યાપક સમજ એમાં છતી થાય છે.&lt;br /&gt;
“...પણ આ દેશના તેમ જ પરદેશના સર્વ વિદ્વાનોનો મત એવો છે કે, ગ્રંથપરીક્ષા એટલે ગ્રંથમાં સારું શું છે તે જાણવું અને જણાવવું. ગ્રંથમાં તો શું પણ સર્વત્ર પરીક્ષાનો એ જ હેતુ છે કે ફલાણાએ શું કામ કર્યું તે જોવું; શું કામ કર્યું એટલે શું સારું કામ કર્યું. કોઈએ શું કામ નથી કર્યું તેની પરીક્ષા નથી હોતી. કોઈએ કેટલું નઠારું કામ કર્યું એટલું જ માત્ર જોવા જવું એવી પરીક્ષા કોઈ સુપરીક્ષક માથે લેતો નથી. ફૂલની સુવાસના જોનાર હોય છે. દુર્ગન્ધ શોધનાર અભાગિયા હોતા નથી. ગ્રંથપરીક્ષક એ ગ્રંથરૂપ પુષ્પોનો ભોગી ભ્રમર છે. તે સ્થળેથી પરાગ અને મધુના પરમાણુ શોધી કાઢી તેનો સંચય કરે છે, અને એના રચેલા મધપૂડાઓનું મધ તેને પોતાને તેમ અન્ય લોકને કામે લાગે છે. ગ્રંથના ગુણની પરીક્ષા કરવી, એ ગુણનો જાતે ઉપભોગ કરી આનંદ અનુભવવો, અને એ આનંદ પામવા ગ્રંથના વાંચનારાઓને સમર્થ કરવા, પોતે સરસ અન્ન જમવું અને બીજાને જમાડવા – આ આનંદની ઉજાણી આપવી, એ જ ગ્રંથપરીક્ષકનો અભિલાષ હોય છે. એ અભિલાષ જેને ન હોય તે પરીક્ષક જ નથી.”૧૫&lt;br /&gt;
વિવેચકના અવલોકનીય કૃતિ પરત્વેના અભિગમમાં અહીં જુદો ઝોક વરતાશે. પરીક્ષક કૃતિના ગુણદોષની પરીક્ષા કરે, ભલે કરે, તેનું મુખ્ય પ્રયોજન કૃતિનો આસ્વાદ લેવાનું અને ભાવકોને તેમાં સંમિલિત કરવાનું છે. કૃતિની કેવળ નિંદા—કેવળ દોષદર્શનની વૃત્તિ—તેમને ઇષ્ટ નથી. કૃતિ પરત્વે આમ positive attitude કેળવવાનો તેઓ આગ્રહ રાખે છે. અગર કૃતિમાં વિવેચક દોષ જૂએ તો પણ તેની ગુણસમૃદ્ધિના સ્વીકાર પુરસ્કાર સાથે જુએ. સર્જકના પ્રયત્નને પૂરા સમભાવથી તેણે ઓળખવાનો છે. પરીક્ષકમાં જ્યાં સુધી પ્રસ્તુત કૃતિ (કે કર્તા) પરત્વે ‘અનુકંપા’ જન્મતી નથી—‘અનુકંપા’ દ્વારા તેમને સહૃદયભાવ અભિપ્રેત હોવાનું સમજાય છે—ત્યાં સુધી તેમાંના ‘ગુણ જોવાની દૃષ્ટિ’ ‘ઉઘડતી’ નથી એમ તેઓ કહે છે. વિવેચનપ્રવૃત્તિને લગતો આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. સાહિત્યકળાના પ્રશ્નો વિશે વિવેચકમાં ઘણી ઊંડી જાણકારી હોય, વિશાળ જ્ઞાનવિજ્ઞાનનો સંપર્ક હોય, પણ કૃતિને સહૃદયભાવે જોવાની તત્પરતા ન હોય, તો તેની એ સજ્જતા ભાગ્યે જ કાર્યસાધક નીવડે. કૃતિના સૂક્ષ્મતમ રમણીય અંશોનું ગ્રહણ કરવા તેમ તેનું હાર્દ ઓળખવા, તેનું સમગ્ર ચિત્ત પૂરેપૂરું કૃતિને અભિમુખ બની રહેવું જોઈએ. કૃતિ કે કર્તા વિશેનો અજ્ઞાતરૂપનો અણગમો કે અરુચિનો ભાવ કૃતિના હાર્દ સુધી પહોંચવામાં અંતરાય રચી દે, તેની રસકીય ચેતનાને કૃતિના સર્જનાત્મક અંશોમાં વિસ્તરતાં પહેલાં જ કુંઠિત કરી દે, એવો પૂરો સંભવ રહે છે.&lt;br /&gt;
કૃતિના વિવેચન-મૂલ્યાંકનનો એક કૂટ પ્રશ્ન અહીં રોપાયેલો છે. વિવેચકે કૃતિના ‘ગુણો’ બતાવવાના છે એમ આપણે કહીએ છીએ, ત્યારે ય ‘ગુણતત્ત્વ’ કંઈ કૃતિમાં સહેલાઈથી locate કરી આપી શકાય તેવી વસ્તુ નથી, એ આપણે સ્મરણમાં રાખવાનું છે. અંતે, ‘સાહિત્યિક ગુણ’—એ મૂલ્યબોધની વસ્તુ છે. કૃતિના આસ્વાદની પ્રક્રિયામાં ભાવયિત્રી પ્રતિભા એની સાથે જે રીતે encountering કરે છે, તેમાં આ જાતનો મૂલ્યબોધ સંભવે છે. અભિનવગુપ્તે સહૃદયની આંતરક્ષમતાનું વર્ણન કરતાં આમ કહ્યું છે : “સહૃદય તો તે જેનું મનોમુકુર કાવ્યાનુશીલનના અભ્યાસથી વિશદીભૂત થયું છે, ‘વર્ણનીય’ સાથે તન્મય બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે, અને હૃદયસંવાદની ક્ષમતાવાળું છે.”૧૬ અભિનવે મનોમુકુરને વિશદીભૂત હોવાનું અનિવાર્ય લેખ્યું છે, પણ મર્મજ્ઞ અભ્યાસીઓએ નોંધ્યું જ હશે કે ભાવકચિત્તની ‘વિશદતા’ એ કોઈ શૂન્ય ભાવાવસ્થા નથી : કાવ્યાનુશીલનથી, તેના દીર્ઘ અભ્યાસથી, તે ‘વિશદ’ બન્યું છે એમ તેમનું કહેવું છે. અર્થાત્‌ કૃતિનાં રમણીય—અરમણીય તત્ત્વોને ઓળખવા બાબતે ચિત્તમાં કોઈ સંદિગ્ધતા નથી, કોઈ ગૂંચ નથી. એટલે, રમણીયતાના બોધ પરત્વે ચિત્તમાં કશીક સ્થિર દ્યુતિમય દૃષ્ટિની તેમને અહીં અપેક્ષા છે. પણ, એ સાથે જ, ‘હૃદયસંવાદ’ની ક્ષમતા જોઈએ એમ તેઓ કહે છે. ગોવર્ધનરામે આગવી રીતે આ જ વિચાર સ્પષ્ટ કર્યો છે.&lt;br /&gt;
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.&lt;br /&gt;
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!&lt;br /&gt;
૩&lt;br /&gt;
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.&lt;br /&gt;
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.&lt;br /&gt;
લેખના આરંભમાં જ તેઓ ટીકાપ્રવૃત્તિનું માહાત્મ્ય રજૂ કરવા પ્રેરાયા છે. આ સંદર્ભે એક જૂનો સંદર્ભ તેમણે ટાંક્યો છે. શ્રી ભોજરાજે પોતાની ‘રાજમાર્તંડ’ નામની યોત્રસૂત્રવિષયક ટીકાના મંગલાન્તે એક માર્મિક ટકોર કરી છે : “જે દુર્બોધ હોય તેને ‘એ તો સ્પષ્ટ છે’ એમ કહીને (ટીકાકારો) તજી દે છે, ને જે સ્પષ્ટાર્થ હોઈ તેના ઉપર પંડિતાઈ બતાવવા નકામા નકામા સમાસાદિનો વિગ્રહ સમજાવવાનું ડોળ કરી બહુ ટાયલું વિસ્તારે છે. જ્યાં જરૂર ન હોય તેવે ઠામે કેવળ નિરૂપયોગી બહુ બહુ વાતો દાખલ કરી ઊલટો વાંચનારને મિથ્યા ભ્રમ પેદા કરે છે. એમ પ્રાયશઃ ટીકા કરનારા શુદ્ધ સવસ્તુ (?) હોય તેને કેવળ ચુંથી નાખે છે.”૧૭ દેખીતું છે કે શ્રી ભોજરાજ અહીં પોતાના જમાનાના અમુક બની બેઠેલા ટીકાકારોને ઉઘાડા પાડવા માગે છે. મણિલાલ આ સંદર્ભ રજૂ કરી તરત જ નોંધે છે કે શ્રી ભોજરાજે આ જે નિંદા કરી છે તે શ્રી શંકરાચાર્ય કે શ્રી મલ્લીનાથ જેવા મહાન પ્રતિભાશાળી પુરુષોને લક્ષમાં રાખીને નહિ જ કરી હોય. આ અંગે વધુ નિરાકરણ કરતાં તેઓ નોંધે છે : “યદ્યપિ ટીકાકારો મૂલવસ્તુનો વિકલવ કરનારા છે એ નિઃસંશય છે. તથાપિ ટીકાકારોને લીધે જ કાવ્ય, શાસ્ત્ર, આદિ અનેક દર્શનોના પ્રણેતા અમરત્વ ભોગવવા સમર્થ થયા છે એમ કોણ નહિ સ્વીકારે?”૧૮ અને એના સમર્થનમાં ઉમેરે છે : “કાલિદાસને જેમ મલ્લિનાથે અમર કર્યો છે તેમ તેના પાશ્ચાત્ય સમધર્મા શેક્સપીઅરને જરવાઈનસે અમર કર્યો છે.”૧૯ અહીં વક્તવ્યની રજૂઆતમાં મણિલાલનો લાક્ષણિક તર્કવાદ ધ્યાનપાત્ર છે. વિવેચનની ઊણપો મર્યાદાઓ અને નિષ્ફળતાઓ તેમને ધ્યાન બહાર નથી, પણ એ બધુંય સ્વીકાર્યા પછી વિવેચનની અનિવાર્યતા તો ઊભી રહે જ છે, એમ તેમને અભિપ્રેત છે. તેઓ સ્પષ્ટપણે નોંધે છે કે કૃતિના ‘ગુણો’ની ગણના તેના ઉદ્‌ભવની સાથે જ થાય એવું ક્વચિત જ બને છે. પણ કૃતિમાં આંતરસત્ત્વ હોય તો એની ગણના વહેલીમોડી થયા વિના રહેતી નથી.&lt;br /&gt;
પોતાના જમાનામાં વિવેચન કે સમીક્ષા અર્થે પ્રચલિત બનેલા ‘ટીકા’ શબ્દની વ્યાખ્યા કરતાં મણિલાલ કહે છે : “ટીકા શબ્દનો મુલ અર્થ તો સ્પષ્ટીકરણ, વિશેષ વિચાર, વિવેચન અવલોકન એટલો જ છે.”ર૦ આ રીતે ‘ટીકા’ શબ્દ સાથે એ સમયમાં માત્ર નિંદાનો જે ખ્યાલ વ્યવહારજગતમાં પ્રચલિત હતો તેને તેઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કૃતિ/કર્તા વિશે કેવળ નિંદામાં રાચતો વિવેચક કોઈ રીતે ધ્યાનાર્હ નથી; તેમના મંતવ્યોને લેખામાં જ ન લેવાં, એવી પણ તેઓ હિમાયત કરે છે. બીજી બાજુ, લેખકોને અનુલક્ષીને તેઓ તેમને મતસહિષ્ણુતા કેળવવાને કહે છે. કોઈ કૃતિ વિશે સમીક્ષક ટીકાટિપ્પણી કરે કે ભિન્ન મત દર્શાવે તેથી કોઈએ આ બાબતે અસહિષ્ણુ બનવાનું નથી. લોકોમાં એવી એક સમજ પ્રચલિત છે કે ‘સો શાણાનો મત એક જ.’ પણ મણિલાલ કહે છે કે આ વાત બરોબર નથી. –“અમારું માનવું તો એમ જ છે કે મતભેદ એ કોઈ પણ દેશની વિદ્યાસમૃદ્ધિનું ચિન્હ છે, ને જેમ વસ્તુગત્યા અનિવાર્ય છે તેમ લાભકારી છે. સત્ય છે તે એવું નથી કે મતાંતર સહન ન કરી શકે. જે અસત્ય છે તે જ મતાંતર સહન કરવા અસમર્થ છે. ગમે તે બાજુએથી જુઓ પણ સત્ય પ્રતિભા સર્વથા એકરૂપે જ સમજાશે... મતાંતર સહન કરવું એ અતિ ઉદાર બુદ્ધિ અને વિશાળ વિદ્યા-પ્રસારનું ફલ અથવા લક્ષણ છે. ત્યારે લોક એમ સમજે છે કે ટીકા થઈ એટલે જ દોષ સિદ્ધ થયો તે ભ્રમ છે. એટલું જ નહિ પણ જેના ઉપર ટીકા નથી થતી તે દોષવાળું’ છે એમ હોવાનો સંભવ છે...”૨૧ અને આ સંદર્ભે તેઓ એક અતિ સમર્થ વિધાન કરે છે : “જે ગ્રંથ જે લેખ જે ઉક્તિ વિદ્વદ્‌ચર્ચાને યોગ્ય થઈ તે યદ્યપિ મતમતાંતરગ્રસ્ત હોય તથાપિ સાર્થ છે. ધન્ય છે. ઉત્તમ છે. વિશુદ્ધ છે.”૨૨ સમકાલીન માનસને ઉદ્દેશીને થયેલી આ ચર્ચા, આમ તો, પ્રાસંગિક જેવી છે, પણ એમાં મણિલાલની એક વિશેષ આસ્થા પ્રગટ થાય છે. વિશિષ્ટ દૃષ્ટિબિંદુ કે વિશિષ્ટ વ્યક્તિત્વનો અંશ લઈને આવતી કૃતિ અન્ય પ્રતિભાને પડકારે, પ્રચલિત ખ્યાલને આઘાત આપે, તો તે સહેજે વિવાદાસ્પદ નીવડવાની જ. પણ એવી કૃતિ પ્રાણવાન અંશ લઈને આવી હોવાથી અનેક દિશાની ટીકાઓ આલોચનાઓ છતાં તે અખંડ અને અક્ષત રહેવાની છે. જે સત્ત્વહીન છે, નિષ્પ્રાણ છે. નિર્જીવ છે, તે કૃતિ કોઈ મતમતાંતરને પડકારી શકે નહિ. જેમાં સામર્થ્ય છે, સત્ત્વ છે, પ્રાણશક્તિ છે, તે જ સામાને પડકારે છે. આમ, મણિલાલ વિવેચનપ્રવૃત્તિની સંગીન પ્રતિષ્ઠા કરી શક્યા છે.&lt;br /&gt;
આપણા દેશમાં પ્રાચીન સમયે ચાલેલી ટીકાપ્રવૃત્તિ અને અર્વાચીન સમયમાં પશ્ચિમમાં પ્રચલિત થયેલી ગ્રંથાવલોકન (review) પ્રવૃત્તિ વચ્ચે મણિલાલે જે સૂક્ષ્મ ભેદ કર્યો છે તે દ્યોતક છે : “પ્રાચીન ટીકામાં, જે હોય તેનો જ આશય સ્પષ્ટ કરાય છે. અવલોકનમાં તે ઉપરાંત તે વિષયનું સાંગ સ્ફોટન નિરૂપાય છે. જે વિષય હોય તે જ વિષયને પુનઃ અવલોકી તેનું રૂપ જેવું નિરૂપ કે આલેખ્યું હોય તેવું અન્ય રીતે પણ મૂલને અધિક પ્રકાશ મળે તેમ સ્પષ્ટ કરવું એ અવલોકનનો વિષય છે.”૨૩ મણિલાલને અહીં સૂચવવું છે કે પ્રાચીન ‘ટીકા’ પદ્ધતિમાં કૃતિના અંગ ઉપાંગનું અલગ વિવરણ થાય છે, અને કર્તાનો ‘આશય’ સમજવાનો ઉપક્રમ તેમાં હોય છે. જ્યારે અર્વાચીન ‘અવલોકન’માં એ વસ્તુ ઉપરાંત કૃતિના ‘વિષય’નું ‘સાંગ સ્ફોટન’ નિરૂપાય છે. તાત્પર્ય કે, કૃતિમાં રજૂ થયેલા સમગ્ર વિષયને અનુલક્ષીને સમીક્ષા થાય છે. જો કે (review) લેખે ‘અવલોકન’નું પ્રયોજન કૃતિના વિસ્તૃત સર્વાંગી અધ્યયન-પરિશીલન કરતાં સીમિત છે એ હકીકત તરફ પણ તેઓ આપણું લક્ષ્ય દોરે છે : “અવલોકનનો હેતુ તો માત્ર એટલો જ છે કે પ્રકૃત વિષય જેવો આલેખાયો હોય તેવો સ્પષ્ટ કરતાં તેના ઈતરથા સિદ્ધ થતા સંપૂર્ણરૂપે વાચક આગળ મૂકવો. એમ કરતાં હેયોપાદેય અંશ બતાવવા પડે તેમાં કંઈ હાનિ નથી, પણ તે બતાવવા એ જ અવલોકનનો હેતુ નથી. બીજી રીતે બોલીએ તો પ્રકૃત લેખકને ઉપદેશ આપવો એ અવલોકનનો હેતુ કે વિષય નથી, તન્નિરુપિત વિષયને સ્પષ્ટ કરી વાચકોને શુદ્ધ બોધ કરવો એ તેનો હેતુ ને વિષય છે.”૨૪ મણિલાલની આ ચર્ચા કંઈક અસ્પષ્ટ છે. પણ તેમને અહીં કદાચ એમ પ્રતિપાદિત કરવું છે કે review (અવલોકન) કરનાર કૃતિના વર્ણ્યવિષયનું exposition કરે તો ય તે પૂરતું હશે, કૃતિની કળાત્મક સિદ્ધિ અસિદ્ધિના પ્રશ્નમાં તે ઊંડો ન ઊતરે તો ય ચાલશે.&lt;br /&gt;
અવલોકનકારે પૂરા સમભાવથી, કર્તાના મૂળ આશયને લક્ષમાં રાખીને, અવલોકનમાં પ્રવૃત્ત થવાનું છે એમ મણિલાલ કહે છે : “વિષયને રૂપાંતરે નિરૂપનારને પણ સહન કરવો એ અવલોકનકારનું પ્રથમ અને મુખ્ય કાર્ય છે. પોતે તે વિષયને કેવો નિરૂપિત એ બતાવવાનું કામ તેનું નથી, પણ જેવો નિરૂપિત કર્યો છે તેવા શા પ્રકારે કર્યો છે તથા તેમાં શું રહસ્ય છે એ સમજાવવાનું તેનું કર્તવ્ય છે”૨૫ કૃતિના અવલોકન અર્થે પ્રવૃત્ત થતાં તે જે રીતે ઘાટ પામી છે એની પાછળ કર્તાનો પોતીકો એવો જે ખ્યાલ કામ કરી રહ્યા છે તેની અવલોકનકારે પ્રથમ નોંધ લેવાની છે. આ ચર્ચા જો કે સર્જન વિવેચન અને ચિંતનની સર્વ પ્રકારની કૃતિઓને લક્ષતી હોવાથી સર્જનાત્મક કૃતિઓના વિવેચનના અમુક પ્રશ્નો ઢંકાઈ જવા પામ્યા છે. સર્જનાત્મક કૃતિમાં સર્જકનો મૂળ ‘આશય’ (Intention) શો હતો એ વિશે નિર્ણય કરવાનું સહેલું નથી. કૃતિની રચના પૂર્વે સર્જકે, ક્યાંય પણ નોંધ વ્યાખ્યાન કે જાહેર ઉદ્‌ગાર રૂપે, પોતાની અમુક અમુક કૃતિની રચનામાં પોતાનો અમુક ‘આશય’ હતો, અથવા પોતે એ કૃતિમાં અમુક વસ્તુ રજૂ કરવા ચાહતો હતો એમ કહ્યું હોય તો એવો ‘આશય’ એ એક વસ્તુ છે, અને સર્જનકર્મને અંતે સિદ્ધ થયેલી કળાકૃતિ એ બીજી વસ્તુ છે. સર્જનની પ્રક્રિયામાં મૂળની અનુભવસામગ્રી અજ્ઞાતપણે કે અણધારી રીતે નવા જ અર્થો અને નવાં જ મૂલ્યો છતાં કરી આપે એમ બનતું હોય છે. સર્જનની સમસ્ત પ્રક્રિયામાં સર્જકચિત્તની આંતરિક ખોજ ચાલતી રહે છે. એટલે કૃતિના આરંભે ઉપલબ્ધ થયેલી વસ્તુસામગ્રી અંતમાં પૂર્ણરૂપ ધરે છે ત્યાં સુધીમાં તેનું ઓછુંવત્તું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એટલે કૃતિની રચના પૂર્વેનો સર્જકનો પ્રગટ આશય અપ્રસ્તુત બની રહે છે. પણ, તો પછી, કૃતિના વિશિષ્ટ આકાર પાછળ કોઈ ‘આશય’, કોઈ ‘નિયામક તત્ત્વ’ જ નહિ હોય? પ્રશ્ન અતિ કૂટ છે. આ ‘આશય’ કે ‘નિયામક તત્ત્વ’ તે રચના પૂર્વે સર્જકે જાહેર કરેલી વસ્તુ નથી : સર્જનાત્મક કૃતિના હાર્દમાં અનુસ્યૂત રહેલી એ વસ્તુ છે. સર્જનની ક્ષણોમાં રચાતા આવતા અંશોમાં એ એક કેન્દ્રીય ગતિ-શીલ તત્ત્વ રૂપે સક્રિય બને છે, જો કે એને કોઈ કારિકા કે તર્કવિધાન રૂપે ઘટાવી ન શકાય. એક રીતે સમસ્ત કૃતિને, તેની રૂપરચનાને, આવું કોઈ ગતિશીલ તત્ત્વ નિયંત્રિત કરે છે. એટલે કે કૃતિ સ્વયં એનો આવિષ્કાર કરે છે. અહીં ‘આશય’ એ સમસ્ત કૃતિમાં વ્યાપી રહેલું—પ્રવર્તક બનેલું તત્ત્વ છે.&lt;br /&gt;
નવ્ય વિવેચકોમાં વિલિયમ વિમ્સોત્‌ અને મોન્રો બિયડર્‌ઝલીએ The Intentional Fallacy નામે એક સમર્થ લેખ કર્યો છે, તેમાં સાહિત્યકૃતિની સ્વતંત્ર સ્વાયત્ત સત્તા સ્થાપવાને કર્તાના ‘આશય’થી તેને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહિત્યના ‘અર્થ’ને કર્તાના ‘આશય’ને અનુલક્ષીને નહિ, તેના સંસિદ્ધ આકારને લક્ષીને ઘટાવવાનો છે એમ તેઓ પ્રતિપાદિત કરવા ચાહે છે. જો કે તેમનો એ સિદ્ધાંત વિવાદમુક્ત નથી. કૃતિવિવેચનમાં અમુક અર્થઘટન વધુ વ્યાજબી છે, વધુ પ્રમાણભૂત છે, એ જાતની ચર્ચા જાણ્યે અજાણ્યે ય કર્તાની વિવક્ષાને ધોરણ તરીકે સ્વીકારી લેતી હોય એમ જોવા મળેશે.&lt;br /&gt;
બીજી બાજુ, કર્તાને ‘વિવક્ષિત અર્થ’ કે ‘આશય’ તે જ કળાકૃતિનો એક માત્ર ‘અર્થ’ એમ લેતાં, સમૃદ્ધ કૃતિનાં વિભિન્ન અર્થઘટનોને માટે અવકાશ રહેશે નહિ. ‘હેમ્લેટ’ જેવી અનન્ય ટ્રેજડીનું માનસશાસ્ત્રીય, માર્ક્‌સવાદી, મિથિકલ એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ આપણા સમયમાં અર્થઘટન થતું રહ્યું છે. હવે જો એના સર્જક શેઈક્‌સ્પિયરને વિવક્ષિત ‘અર્થ’ને જ પ્રમાણભૂત ગણીએ-જો કે, એ કૃતિમાં શેઈક્‌સ્પિયરને ખરેખર શું વિવક્ષિત હતું તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી–તો પાછળના સમયના બીજા અનેક સર્જકો વિવેચકોનાં અર્થઘટનો ખોટાં ન ઠરે? એટલે, લેખકના મૂળ ‘આશય’ને મણિલાલ લક્ષમાં લઈને ચાલવાનું કહે છે, પણ author’s intention કે intended meaningના પ્રશ્નો તાત્ત્વિક ભૂમિકાએથી ઉકેલવાના રહે છે. આજની પાશ્ચાત્ય સૌંદર્યમીમાંસા આ વિશે ઘણી ઊંડી તપાસ કરી ચૂકી છે.&lt;br /&gt;
મણિલાલ પ્રાચીન પરંપરાના અભ્યાસી છે, અને તે માટે પક્ષપાતી પણ છે. ટીકાકારો/વિવેચકો માટે પ્રાચીન શાસ્ત્રોમાંથી તેઓ માર્ગદર્શક સિદ્ધાંતો શોધી લાવ્યા છે. નોંધે છે કે આપણાં શાસ્ત્રોમાં ‘અનુબંધ ચતુષ્ટ્ય’નો વિવેક રાખેલો છે. દરેક અવલોકનકારે એ ચાર ‘અનુબંધ’ જાળવીને અવલોકન કરવું, એથી ‘દોષ’ થવાનો સંભવ ઓછો રહે છે : (૧) વિષય—એટલે લેખનો વિષય (૨) સંબંધ–લેખ અથવા લેખક અને પ્રતિપાદ્ય વિષયનો સંબંધ (૩) પ્રયોજન એ લેખની પ્રવૃત્તિનું કારણ (૪) અધિકાર–કોને માટે એ લેખ લખાયો છે તે.&lt;br /&gt;
મણિલાલ આ સંદર્ભે સ્પષ્ટતા કરે છે કે આ ચાર વાતનો યોગ્ય વિચાર કરી અવલોકન કર્યું હોય તો ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જતાં પ્રકૃત વિષયના રૂપને જ સ્પષ્ટ કરવામાં વળગી રહી શકાય’ અને અવલોકનકાર એ રીતે ‘પોતાના કૃત્યમાં વિજયી નીવડે.’ અવલોકન અર્થે પ્રાચીન શાસ્ત્રને અભિમત એવી આ જે ભૂમિકા મણિલાલે રજૂ કરી તેમાં પ્રકૃત કૃતિને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપીને જોવા અવલોકવાનો ઉપક્રમ પડેલો છે. પણ, અહીં પણ, સર્જનની તેમ ચિંતનની કૃતિઓનો સાથોસાથ વિચાર કરવામાં મુશ્કેલી રહી છે. ‘પોતાના અભિપ્રાયો અંદર ન આવી જાય’ તે રીતે અવલોકન કરવાનો આદર્શ તેમણે અહીં પુરસ્કાર્યો છે, પણ સર્જનાત્મક કૃતિઓના સંદર્ભે એ આદર્શ શક્ય છે? અથવા તો શક્ય છે, તો વ્યાજબી છે? એ ખરું કે વિવેચનને ‘શાસ્ત્ર’ની કોટિએ સ્થાપવાના અનેક આધુનિક ચિંતકો વિવેચકો દ્વારા સમર્થ પ્રયત્નો થયા છે, વિવેચનની પદ્ધતિને ‘વૈજ્ઞાનિક’ બનાવવાના પ્રયત્નો ય હાથ ધરાયા છે, પણ હજી સુધી એ ‘વિજ્ઞાન’ બની શક્યું નથી, અને નજીકના ભવિષ્યમાં બનશે એવાં કોઈ એંધાણ વરતાતાં નથી. કૃતિના અવલોકન/વિવેચનમાં અનિવાર્યતયા વિવેચકનું કશુંક personal કશુંક subjective ઊતરી આવ્યું હોય છે. કૃતિના મૂલ્યબોધમાં તેનાં આગવાં રુચિવલણો અને આગવાં કળાદૃષ્ટિ જ્ઞાત કે અજ્ઞાતપણે નિર્ણાયક બની હોય છે. વાસ્તવમાં, કૃતિના રસગ્રહણની ક્ષણોમાં જ કશુંક વૈયક્તિક રૂપે પમાતું હોય છે.&lt;br /&gt;
વિવેચનમીમાંસામાં, ખરેખર તો, મણિલાલે સ્પર્શેલો આ મુદ્દો એક બીજો પાયાનો પ્રશ્ન બને છે. કર્તાને ‘ન્યાય’ કરવો છે. એ માટે આર્નોલ્ડને અભિમત ‘seeing things as they are’-નો આદર્શ આપણે નજર સમક્ષ રાખવા માગીએ છીએ. પણ સાહિત્ય કૃતિ એના વિશિષ્ટ ontological statusને કારણે તો પડકારરૂપ બને છે. સુવિદિત છે કે શબ્દના માધ્યમમાં વિશિષ્ટ રીતે કંડારાયેલી કૃતિ સ્વયં એક સંકુલ ભાવસૃષ્ટિ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ લાગણીઓ અર્થો-અર્થચ્છાયાઓ અને મૂલ્યોના સંદર્ભો એમાં સજીવપણે ગૂંથાયેલા છે. રચનાગત તેમ સાંસ્કૃતિક મૂલ્યો એમાં સાથોસાથ રજૂ થતાં હોય છે. પણ કૃતિનું રહસ્ય કોઈ તાર્કિક વિધાન રૂપે તારવી શકાય નહિ. ભાવકની અખિલ વ્યક્તિતા કૃતિની સાથે encounter કરે છે, ત્યારે એ સંનિકર્ષમાં કૃતિમાંનાં મૂલ્યો ઉદ્‌ભાસિત થવા લાગે છે. ભાવકની જેવી જેવી સજ્જતા, જેવા જેવા તેના interests, તે પ્રમાણે અર્થો અને મૂલ્યોની ભાત તેમાં ઊપસી આવે એવો સંભવ છે. વિદ્વાનો અને વિવેચકોનો એક મોટો વર્ગ આજે કળાકૃતિમાં કોઈ એક જ નિશ્ચિત અને નિરપેક્ષ અર્થ સ્વીકારી લઈને ચાલવા તત્પર નથી. કૃતિના સંકુલ અનુભવને તમે કઈ વિભાવના કે વિભાવનાઓના માળખામાં રહીને જૂઓ છે, તે પ્રમાણે તેનું રહસ્ય છતું થશે એમ તેઓ કહેવા માગે છે. તાત્પર્ય કે, કૃતિ ‘જેવી છે તેવી’ને ઓળખવી એ ખ્યાલ આજે તો વિવાદાસ્પદ બની રહ્યો છે.&lt;br /&gt;
મણિલાલ એમ પણ નોંધે છે કે વિવેચ્ય કૃતિ વિશે વિવેચક સીધેસીધો જ મત જાહેર કરે પણ તેના સમર્થનમાં કોઈ જાતનું સ્પષ્ટીકરણ ન આપે, કોઈ આધાર ન આપે, દાખલા દૃષ્ટાંત કે પુરાવો ન આપે, તો તેનો મત ભાગ્યે જ સ્વીકાર્ય બનશે. બીજી બાજુ, કૃતિ વિશેનો અભિપ્રાય પૂરતાં કારણો અને પૂરતી સાબિતી સાથે રજૂ થયો હશે તો વાચકને માટે ભિન્ન લાગતો અભિપ્રાય પણ પ્રતીતિકર બનશે, તેને સંભવતઃ સ્વીકાર્ય બનશે. વિવેચનપ્રવૃત્તિની અંતર્ગત, આમ, તાર્કિક પ્રતિપાદન (logical discourse)ને મહત્ત્વનું સ્થાન છે, એમ મણિલાલ સૂચવી દે છે. વિવેચન માત્ર અભિપ્રાય વ્યક્ત કરીને થંભી જાય તે પૂરતું નથી. એ અભિપ્રાય પાછળ કૃતિમાંના આધારો હોવા જોઈએ, બલકે એવા અભિપ્રાય/નિર્ણય પર પહોંચવાની તાર્કિક ભૂમિકા યે સ્પષ્ટ થવી જોઈએ. વિવેચનના સ્વરૂપમાં આમ તાર્કિક ચિંતનની પ્રક્રિયા દ્વારા તેનો વિશેષ પુદ્‌ગલ બંધાવા પામે છે.&lt;br /&gt;
‘વિવેચન’ નામની પ્રવૃત્તિના સ્વરૂપવિચારમાં, આમ જુઓ તો, મૂળથી જ મુશ્કેલી રહી છે. વિવેચક કૃતિના ‘રહસ્ય’ને પ્રકાશમાં લાવવા ચાહે છે, અને એ ‘રહસ્ય’ની ઓળખ તેને ‘સ્વ-સંવેદન’થી—‘આત્મપ્રતિતી’થી—થાય છે. કોઈ તાર્કિક ચિંતન દ્વારા કે કાર્યકારણના પ્રતિપાદન દ્વારા એ ‘રહસ્ય’ સુધી પહોંચી શકાતું નથી. સહૃદયને એની સહજ જ્ઞાન રૂપે ઉપલબ્ધિ થાય છે, જીવંત અનુભૂતિરૂપે એની પ્રતીતિ થાય છે. એટલે એવા જીવંત સંવેદ્ય તત્ત્વને અનુલક્ષીને કૃતિ વિશે વાત કરવા જાય છે ત્યારે તેની સામે અનિવાર્યતયા એક dilemma ઊભો થાય છે. મૂળનું રહસ્ય જે આકારમાં, જે ભાષામાં, વ્યક્ત થયું છે, તેને બીજી રીતે મૂકતાં તે ઓછેવત્તે અંશે નંદવાઈ જાય છે. અને છતાં તેને જે કંઈ મૂલ્યવાન લાધ્યું છે, તેની બને તેટલી બુદ્ધિગ્રાહ્ય રજૂઆત પણ કરવાની છે. તે પોતાના વિવેચન—exposition, description interpretation કે evaluation—કોઈ પણ સ્તરના આલેખનમાં તાર્કિક પ્રતિપાદન કરવા જાય છે, અને ત્યાં મૂળના રહસ્યમય અંશ સાથેનું અનુસંધાન તૂટી જતું હોય એમ લાગશે. આથી સર્જકોનો એક વર્ગ વિવેચનપ્રવૃત્તિને વંધ્ય ગણાવતો થયો છે. અને જેઓ આ પ્રવૃત્તિમાં રોકાયા છે તેમાં પણ બે ભિન્ન વિરોધી વલણો કામ કરતાં રહ્યાં છે. એક વિવેચકવર્ગ કૃતિના સજીવ સંવેદ્ય તત્ત્વોનું અખિલાઈમાં ગ્રહણ કરવા creative criticism કે appreciation પર બધો ભાર મૂકે છે, જ્યારે બીજો વર્ગ કૃતિ વિશેના જીવંત પ્રતિભાવોની ચર્ચા વધુ વ્યવસ્થિત, વધુ બુદ્ધિગ્રાહ્ય અને વ્યાપક સ્વીકૃતિ પામે તેવી શિસ્તબદ્ધ બનાવવાનો આગ્રહી છે. વિવેચન કળા છે કે શાસ્ત્ર, કળાસખી છે કે શાસ્ત્રસખી, એ પ્રશ્ન એ રીતે એના સ્વરૂપના હાર્દમાં પડેલો એક કેન્દ્રીય તાત્ત્વિક પ્રશ્ન છે.&lt;br /&gt;
કૃતિવિવેચન અને સાહિત્યશાસ્ત્રના સંબંધને સ્પર્શે એવી એક પાયાની બાબત પણ મણિલાલે છેડી છે : “શાસ્ત્રસિદ્ધ નિયમાનુસાર વિવેક કરવો એ અવલોકનકારને સિદ્ધપ્રદ છે કે નહિ?”૨૬–આવો પ્રશ્ન મૂકી તેઓ તરત સ્પષ્ટતા કરે છે કે આ શંકાના સમાધાન પરત્વે ‘એકમત્ય’ સંભવી શકે નહિ. ઉમેરે છે કે–“મહાન સાહિત્યકારોની કૃતિઓ સ્વયં શાસ્ત્રની પણ કારણરૂપ છે.”૨૭ મણિલાલને અહીં એમ અભિપ્રેત છે કે સાહિત્યજગતમાં સતત નવી નવી કૃતિઓ રચાતી આવે છે, અને એ રચનાઓ કંઈ આગલા યુગના કળાના સિદ્ધાંતો/નિયમોને ચુસ્તપણે અનુસરતી હોતી નથી. એટલે, આવી કૃતિઓના વિવેચનમાં કળાશાસ્ત્રના નિયમોને જડપણે લાગુ પાડવાના નથી. બલકે, પેઢીએ પેઢીએ રચાઈ આવતી મહાન કૃતિઓને અનુલક્ષીને સાહિત્યકળાનું સ્વરૂપ અને તેના વિવેચનનાં ધોરણો નવેસરથી નિપજાવી લેવાનાં રહે. આમ છતાં સાહિત્યના અમુક વ્યાપક સિદ્ધાંતોનો ત્યાગ કરવાનું પણ ઇષ્ટ નથી એમ તેઓ કહે છે : “સિદ્ધ મહાશયોના પ્રયોગ આગળ શાસ્ત્ર એક સમયે અસિદ્ધ ગણાય તો પણ બાધ નથી; તથાપિ સૂક્ષ્મ અને વિશાળ અવલોકનશક્તિના પ્રભાવે જે નિયમો અનાદિ ઇતિહાસથી સિદ્ધ માન્યા છે તેમનો અનાદર પણ બાધ નથી.”૨૮ આપણે આ અગાઉ નોંધી ગયા છે તેમ, વિવેચનક્ષેત્રમાં મતમતાંતરો દૂર કરવાને નવલરામે પણ સાહિત્યકળાના ‘અચળ નિયમો’ની સ્થાપના કરવાને સર્વસંમત એવી ‘સભા’ ઊભી કરવાને સૂચવ્યું હતું. મણિલાલ પણ અહીં ‘અનાદિ ઇતિહાસથી સિદ્ધ’ એવા ‘નિયમો’ની વિવેચન અર્થે હિમાયત કરે છે. પણ આ ‘નિયમો’ કયા તેનો તેમણે નિર્દેશ કર્યો નથી. નોંધવું જોઈએ કે વિદ્વાનોનો એક વર્ગ, આજે વિવેચનક્ષેત્રમાં આવા કોઈ ‘શાશ્વત’ અને ‘અચળ’ નિયમો સંભવી શકે કે કેમ તે વિશે જ સંશય વ્યક્ત કરી રહ્યો છે.&lt;br /&gt;
સાહિત્યચર્ચામાં મણિલાલનો અમુક ઝોક પ્રાચીન કાવ્યશાસ્ત્ર તરફનો છે. એમાં અમુક રૂઢિગ્રસ્ત રુચિ હોવાનુંય કદાચ લાગે, પણ સર્જનના અવનવા ઉન્મેષોને ઉદારતાથી આવકારવાનું તેમનું વલણ રહ્યું દેખાય છે. તેઓ કહે છે : “સર્વત્ર નૂતનતાનો ઉદ્‌ભવ શાસ્ત્રોલ્લંઘનથી થયો છે.” અને તરત જ ઉમેરે પણ છે : ‘પણ તેમ કરવાની શક્તિ શાસ્ત્રાભ્યાસથી આવી છે.”૨૯ મણિલાલ અહીં એકીસાથે પરંપરાનું અનુસંધાન અને સર્જકતાની નવીન ગતિ, બંનેનો પુરસ્કાર કરતા જણાશે. પ્રતિભાશાળી સર્જક પોતાના કે પૂર્વસમયના કળાસિદ્ધાંતોને વશ થઈ બંધાઈ જતો નથી, તેની પ્રાણવાન સર્જકતા એવા રૂઢ સિદ્ધાંતોને અતિક્રમી જતી હોય છે. પણ તેની સર્જકતાની ગતિ કંઈ તંત્રહીન કે નિયમહીન વ્યાપાર પણ નથી. એમાં જે વિશ્વ નિર્માણ થવા પામ્યું છે તેને તેનો આગવો રચનાગત નિયમ સંભવે છે, તેમાં આગવી રીતે વ્યવસ્થા જન્મી હોય છે. પણ આવું, નવીન વ્યવસ્થાવાળું, વિશ્વ રચવાની તેની દૃષ્ટિ શાસ્ત્રના અભ્યાસથી ખુલી હોય છે. તાત્પર્ય કે, સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી તેની કળાવિષયક સમજ વિશદ બની હોય તો જ નવી રચનામાં વ્યવસ્થા અને આકાર તે સિદ્ધ કરી શકશે.&lt;br /&gt;
અવલોકનકારના કાર્ય વિશે મણિલાલ ફરી નવેસરથી વ્યાખ્યા વિચારણા એ કરે છે, ત્યાં તેમની ચર્ચામાં એક વિશેષ દૃષ્ટિબિંદુ ઉમેરાયું છે. તેઓ કહે છે એ કે અવલોકનકારે માત્ર ‘નાના નાના લેખનું’ અવલોકન જ કરવાનું નથી, ‘આખા વિશ્વનું, જનસ્વભાવનું ને અનેક સંભવોનું, સૂક્ષ્મ અવલોકન કરવાનું છે, કે જેથી વિવિધ કલ્પનાથી ઉદ્‌ભવતાં ચિત્રની શક્યાશક્યતાનો વિવેક કરી તેમાંથી તે સાર કાઢી શકે’. દેખીતી રીતે જ, વિવેચકનું કાર્યક્ષેત્ર અહીં કૃતિની બહાર વિસ્તરી જતું રહ્યું છે. સાહિત્ય વિશ્વજીવનનું–બહારી દુનિયાનું પ્રતિવિધાન કરે છે, અથવા તેનું પ્રતિબિંબ ઝીલે છે, અથવા તેનું અનુકરણ કરે છે એવો એક ખ્યાલ અહીં ગૃહીત રહ્યો છે. વિવેચકને આ સર્વ બહારી સૃષ્ટિનું – લોકજીવનનું જ્ઞાન હોવું જોઈએ; અને છતાં, સાહિત્યની સર્જનાત્મક સૃષ્ટિમાં તેણે તેનું જડતાથી અવલોકન કરવાનું નથી. સંભવાસંભવનો તેણે ખ્યાલ કરીને ચાલવાનું છે. જો કે સાહિત્યની કૃતિમાં જે તંત્ર ઊભું થાય છે, સંભવરૂપ નવી ઘટનાઓનું સંયોજન થાય છે, તેની પાછળ કોઈ એક સરખો નિયમ કામ કરતો નથી. આત્યંતિક વાસ્તવવાદી નવલકથા કે ટૂંકી વાર્તામાં સંભવાસંભવનો જે નિયમ/નિયમો કામ કરે છે, તેથી ભિન્ન એવા પ્રતીકાત્મક નિર્માણમાં, કપોલકલ્પિતના કે એબ્સર્ડના વિશ્વમાં જુદા જ નિયમો પ્રવર્તે છે. આવા સર્જનાત્મક વિશ્વમાં ઘટનાના સંભવાસંભવનો નિયમ કંઈ સ્થૂળ બાહ્ય જગતના નિરીક્ષણમાંથી મળતો હોતો નથી. જે તે વિશિષ્ટ કૃતિના કેન્દ્રમાં વ્યાપારશીલ બનેલી સર્જકકલ્પનામાં એ નિહિત રહ્યો હોય છે. ખરેખર તો વાસ્તવવાદી કથાઓમાં ય ઘટનાઓ કાર્યો કે પરિસ્થિતિઓ જે રીતે નિર્માણ થતી આવે છે તેમાં પણ સંભવાસંભવનો નિયમ કંઈ હંમેશાં સામાજિક જીવનના અવલોકનમાંથી આવતો હોતો નથી. એવા દૃષ્ટાંતમાં તેના લેખકને અભિમત અમુક દૃષ્ટિબિંદુ કે રહસ્યબિંદુ નિયામક બનતુ હોય છે. આમ છતાં લોકસૃષ્ટિની ઊંડી ગતિનું અવલોકન અને અનુભવ વિવેચકને જરૂરી છે જ.&lt;br /&gt;
અવલોકનકારે કૃતિની ઘટનાઓના સંદર્ભે ‘શક્યતા’ અને ‘ઉપયોગ’ જેવી બાબતો ઉપરાંત તેનાં ‘દેશકાળાદિ’ને ય લક્ષમાં લેવાનાં છે, એમ તેઓ કહે છે. આ મુદ્દાને તેઓ ‘ઔચિત્ય’ના ખ્યાલમાં છેવટે સમાવી લે છે. આ રીતે ‘દેશકાળાદિ’ને તેઓ અનુલક્ષે છે, તે સાથે અવલોકનકાર માટે વળી એક વિશેષ પરિપ્રેક્ષ્ય ઊભો થાય છે. પશ્ચિમના ઐતિહાસિક અભિગમનો સંકેત એમાં વાંચી શકાય ખરો, પણ પશ્ચિમમાં આ અભિગમ વિશેની ચર્ચા, સાહિત્યની કળા વિશે અમુક ચોક્કસ આગવી સમજ લઈને ચાલી છે. ‘સાહિત્ય’ નામની ઘટના એના લેખકના યુગનાં આંતરબાહ્ય અનેક પરિબળોનું પરિણામ છે, અને ઐતિહાસિક પ્રક્રિયામાં સમયના નિશ્ચિત બિંદુએ તેનું અફર સ્થાન છે એટલે એ કૃતિનો મર્મ પૂરેપૂરો ઊકલી આવે તે માટે, એને ઘડનારાં સર્વ પરિબળો અને સંયોગોને લક્ષમાં લેવાનાં રહે. મણિલાલની ચર્ચામાં આવી સ્પષ્ટ તાત્ત્વિક ભૂમિકા નથી. છતાં કૃતિને યથાર્થ રૂપમાં પામવાને તેનાં ‘દેશકાળાદિ’ને લક્ષમાં લેવાનું તેઓ કહે છે તે ઘણું સૂચક બની રહે છે.&lt;br /&gt;
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.&lt;br /&gt;
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.&lt;br /&gt;
૪&lt;br /&gt;
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.&lt;br /&gt;
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.&lt;br /&gt;
વિવેચન પ્રવૃત્તિની અનિવાર્યતા દર્શાવતાં રમણભાઈ કહે છે : “સાહિત્યમાં જેનો સમાવેશ થઈ શકે એવા વિષયો ગણાવતાં સર્વ વિષયોના સાહિત્યને નિયંત્રિત કરનારા તથા યોગ્ય મર્યાદામાં રાખનારા વિવેચનસાહિત્યની ગણના કરવાનું ભૂલી જવું ન જોઈએ. વિવેચનની કસોટીમાં સમસ્ત સાહિત્ય જરૂર મૂકાવું જોઈએ. તે વિના ગ્રંથોનું યથાયોગ્ય મૂલ્ય થઈ શકતું નથી. કવિ કાળિદાસ કહે છે. તેમ – હેમ્ર સંલક્ષ્યતે હ્યમ્નૌ વિશુદ્ધિઃ શ્યામિકાઽપિ વા || ‘સુવર્ણને અગ્નિમાં નાખ્યા વિના જણાતું નથી કે તેમાં શુદ્ધતા કેટલી છે અને ભેગને લીધે થયેલી કાળાશ કેટલી છે.”૩૦ અહીં રમણભાઈએ સાહિત્યની ‘શુદ્ધિ’ અર્થે વિવેચનની ઘણી મોટી અનિવાર્યતા છે એમ કહ્યું. પણ ‘સાહિત્ય’ સંજ્ઞાથી તેમને અહીં કેવળ સર્જનાત્મક સાહિત્ય જ નહિ, ચિંતન વિવેચનનું સર્વ સાહિત્ય અભિપ્રેત છે, તે આપણે લક્ષમાં રાખવાનું છે.&lt;br /&gt;
વિવેચનનું કાર્ય રેખાંકિત કરી આપતાં તેઓ કહે છે કે કૃતિમાંના ગુણ અને દોષ, ખૂબી અને ખામી, અલગ પાડીને તેણે બતાવવાનાં છે. એ માટે કૃતિનું ‘સમસ્ત સ્વરૂપ’ લક્ષમાં લઈ એવા ગુણ દોષોની બરોબર ‘તુલના’ કરવી જોઈએ એમ તેઓ કહે છે. એ રીતે ‘યથાયોગ્ય તુલના’ થશે ત્યારે જ તે વાચકોને અને લેખકોને લાભપ્રદ નીવડશે. આવા વિવેચનથી, ખરેખર તો, લેખકોને પોતાને પોતાની કૃતિઓની સાચી ‘કિંમત’ સમજાશે. રમણભાઈ ભારપૂર્વક નોંધે છે કે ‘દોષૈક દર્શન’ એ વિવેચનનું કાર્ય નથી.&lt;br /&gt;
વિવેચકની સજ્જતાનો ખ્યાલ તેમણે પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિવેચક સેઈન્ટસબરીની ચર્ચામાંથી લીધો છે. એ વિવેચકમાંથી તેમણે જે એક મોટું અવતરણ આપ્યું છે, તેમાં નીચેના બે ત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે :&lt;br /&gt;
એક, સૌથી પહેલો અને મહાન નિયમ એ છે કે વિવેચકે વાંચવું જોઈએ, બની શકે ત્યાં સુધી બધું વાંચવું જોઈએ. સાહિત્યના ઇતિહાસમાંના કોઈ એક યુગના કે કોઈ પણ યુગના ગણનાપાત્ર સાહિત્યકારના સાહિત્યને ટાળીને ચાલશે તો તેના દૃષ્ટિબિંદુમાં ‘સુસ્થતા’ નહિ જળવાય.&lt;br /&gt;
બે, બીજી ભાષાઓના સાહિત્યનું પણ બને તેટલું વિશાળ વાંચન કરવું જોઈએ. એ રીતે જ તેને પોતાના સાહિત્યને જોવાનો યથાર્થ પરિપ્રેક્ષ્ય મળશે.&lt;br /&gt;
ત્રણ, વિવેચકે ભિન્ન ભિન્ન ગ્રંથો, ગ્રંથકારો અને સાહિત્યોની ‘તુલના’ કરતા રહેવું જોઈએ. દરેક ગ્રંથ/ગ્રંથકાર/સાહિત્યની વિશિષ્ટતા એ રીતે વધુ સમજાશે. જો કે, એક પરંપરાના ગ્રંથ કે ગ્રંથકારમાં અન્યના જેવા ગુણ નથી એ જાતનો નકારાત્મક ભાવ જન્મી પડે અને એ માટે અરુચિ થાય, એ સામે તેણે સાવચેતી રાખવાની છે.&lt;br /&gt;
ચાર, કોઈ પણ ગ્રંથને વાંચ્યા વિના તેને વિશે અમુક અપેક્ષા ન બાંધવી જોઈએ. સાચો આદર્શ તો એ છે કે કૃતિનું અનુભાવન કરતાં કરતાં તેની જેવી છાપ ઊપસતી આવે તેને યથાર્થ રૂપમાં ઝીલતા જવાની તત્પરતા તેણે દાખવવી જોઈએ. રમણભાઈના શબ્દોમાં “જે પટ ઉપર તે છબી પડે તે બને તેટલી સંભાળથી તૈયાર કરવી જોઈએ અને રેખાઓની યથાસ્થિત મૂર્તિ તેમાં પ્રગટે એવી તૈયારી તેણે કરવી જોઈએ. પણ તે સાથે એ સંભાળ પણ બારીક રીતે લેવી જોઈએ કે પટમાં સૂક્ષ્મતમ રેખા છાયા કે ડાઘનો અપરાધ ન નડે અને પાડવાની છબીનું રૂપ અણુમાં અણુ પ્રમાણમાં બદલાય નહિ.”૩૧ રમણભાઈએ રજૂ કરેલો આ આદર્શ, આમ તો, આવકાર્ય લાગશે. પણ એની પાછળનું ગૃહીત પોતે જ વિવાદાસ્પદ બને એમ છે. આપણે આ અગાઉ મણિલાલે રજૂ કરેલા આ જાતના ખ્યાલની ટીકાટિપ્પણી કરતાં નોંધ્યું છે કે વિવેચક/ભાવકનું ચિત્ત અરીસા જેવું સર્વથા તટસ્થ નિષ્ક્રિય અને પારદર્શી હોતું નથી. જીવન અને કળા વિશેના અમુક interests કે values અનુભાવનની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ ભજવતાં હોય છે એટલે ભિન્ન ભિન્ન કળાદૃષ્ટિ અને રુચિ ધરાવતા વિવેચકોના ચિત્તપટ પર કૃતિની એક સરખી ‘છબી’ ઝીલાય એમ બનતું હોતું નથી. એક રીતે ચિત્તપટને અરીસા જેવું કલ્પીએ અને તેની સપાટી પર છબીને પ્રતિબિંબિત થતી હોવાનું માનીએ, ત્યાંથી ખરી મુશ્કેલી આરંભાય છે.&lt;br /&gt;
ગ્રંથવિવેચનને અનુલક્ષીને રમણભાઈએ એમના સમયમાં કોઈક જૂથમાં ચર્ચાતા રહેલા વિવેચનના ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’નો નિર્દેશ કરીને તેનો ટૂંકો પરિચય આપ્યો છે ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વિશે તેઓ એવો ભેદ કરી આપે છે કે ‘નિયમો’ તે કૃતિમાંની ‘વસ્તુ છંદ ભાષા અને શૈલી જેવી ઓછી મહત્ત્વની બાબતો વિશે સંભવે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ સાહિત્યના ‘મુદ્દાની બાબતો’ વિશે હોય છે. સમસ્ત કૃતિનાં વાંચનથી વાંચનારના મન ઉપર કેવી અસર થાય છે તથા તેની કલ્પના કેવી રીતે ઉત્તેજિત થાય છે એ પરીક્ષા ‘સિદ્ધાંતો’ વિશેની છે એમ રમણભાઈ સ્પષ્ટ કરે છે. આ વિશે વળી તેઓ એમ ઉમેરે છે કે વિવેચનવ્યાપારમાં ‘નિયમો’ ગૌણ વસ્તુ બની રહે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ મુખ્ય બાબત છે, અને તે જ ‘વિચારમાં લેવા યોગ્ય છે’. વિવેચનમાં પ્રયોજાતા ‘નિયમો’ કૃતિના ગુણદોષનું દર્શન કરવામાં સહાયક બને છે, પણ આ ‘નિયમો’ સમયની સાથે બદલાતા રહે છે; જ્યારે ‘સિદ્ધાંતો’ માનવીના મનને લગતા હોવાથી શાશ્વત છે. ‘નિયમો’ અને ‘સિદ્ધાંતો’ વચ્ચે રમણભાઈએ જે રીતે ભેદ કરવાનો પ્રયત્ન કર્યો છે તે પરથી એમ સમજાય છે કે તેમણે લક્ષેલા ‘નિયમો’ તે કૃતિના રચનાગત તત્ત્વોને અનુલક્ષે છે, જ્યારે ‘સિદ્ધાંતો’ કૃતિની માનવજીવન પર – વ્યક્તિ અને સમાજ પર –પડનારી વ્યાપક ઊંડી અસરોને અનુલક્ષે છે. કૃતિવિવેચન અર્થે ટી. એસ. એલિયટે કલાનાં અને જીવનનાં ધોરણોની વાત કરી છે, તેનું અહીં સહજ સ્મરણ થશે.&lt;br /&gt;
આ મુદ્દાનું વિશેષ સ્પષ્ટીકરણ કરતાં રમણભાઈએ એમ નોંધ્યું છે કે “નિયમોને હદ ઉપરાંત મહત્ત્વ આપવાથી વિવેચન કૃત્રિમ થઈ જાય છે, એ ખરું છે, પરંતુ નિયમો પણ રસિકતાનાં કોઈ ધોરણો ઉપર રચાયેલા હોય છે અને જમાને જમાને રુચિઓ બદલાય પરંતુ રસિકતાનું ધોરણ બદલાય નહિ એ લક્ષમાં લેતાં નિયમો છેક અવગણનાપાત્ર છે એમ કહી શકાશે નહિ. અલબત્ત, નિયમોને અક્ષરશઃ વળગી રહેવું ન જોઈએ; પરંતુ નિયમોમાં રહેલું હાર્દ ધ્યાનમાં રાખવું જોઈએ, રસિકતાનાં ધારણો શી રીતે ગોઠવવાં એ અભ્યાસ કરવાની મનને ટેવ પડે અને તુલના કરવામાં મન કસાય એ નિયમોની મોટી કિંમત છે. વિવેચક નિયમોથી માહિતગાર હોવા જોઈએ; પણ નિયમોનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં ન કરવો એ નિર્ધારણ કરવાની વિવેચકમાં શક્તિ હોવી જોઈએ.”૩૨&lt;br /&gt;
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.&lt;br /&gt;
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.&lt;br /&gt;
૫&lt;br /&gt;
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.&lt;br /&gt;
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩&lt;br /&gt;
નરસિંહરાવે અહીં, આમ જુઓ તો, સર્જન અને વિવેચન વ્યાપારનો તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરી આપ્યો છે; તો વિવેચકને માટે વિશેષ સજ્જતાની વાત પણ કરી છે. બિલકુલ કવિની નહિ, પણ તેના જેવી ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ એ વિવેચકની પ્રથમ આવશ્યકતા છે એ હકીકત અહીં તેઓ ભારપૂર્વક નોંધવા ચાહે છે. ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે કવિ એક આગવું વિશ્વ રચે છે. પોતાના હૃદયના ભાવ કે વિચારને એ મૂર્ત ઐન્દ્રિયિક રૂપમાં પામવા પ્રયત્ન કરે છે, અને સર્જનની ઘટનામાં તેની ઊર્મિઓ, વિચારો, કલ્પનાઓ – સર્વ તત્ત્વોનું ‘સંયોજન’ થવા પામે છે. સમસ્ત રચનાપ્રક્રિયા દરમ્યાન સર્જક પોતાના સંવેદિત વિચાર કે ભાવચિત્રને બને તેટલું તાદૃશરૂપે ગ્રહણ કરતો રહે છે. વિવેચક સામે જ્યારે કવિની એ કૃતિ આવી ઊભે છે, ત્યારે તેનાં રહસ્યો ઉકેલવાને કવિના જેવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ તેની પાસે હોવાં ઘટે. વિવેચકે પણ અનુભાવનની સમસ્ત પ્રક્રિયા દરમ્યાન એવી જ ‘પ્રતિભા’ અને ‘કલ્પના’ના બળે એ કૃતિ પોતાના ચિત્તમાં ફરીથી રચતા જવાનું છે. આ અર્થમાં તે કવિનો ‘જોડિયો ભાઈ’ છે કવિની જેમ કૃતિને સાક્ષાત્કારવાને જરૂરી સજ્જતા—અને સાક્ષાત્કારની પ્રક્રિયા—એટલી ભૂમિકાએ તે કવિ જોડે અમુક સામ્ય ધરાવે છે. પણ ‘સર્જન’ અને ‘વિવેચન’ બંને પ્રવૃત્તિ, તેનાં સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ પરત્વે, મૂળભૂત રીતે જુદી છે એ વાત પણ નરસિંહરાવ આપણા ધ્યાનમાં લાવવા ચાહે છે ‘સર્જન’ જો વિભિન્ન સામગ્રીતત્ત્વોનું ‘સંયોજન’ છે; તો વિવેચન કૃતિનાં કળાતત્ત્વો વિશેનું ‘પૃથક્કરણ’ છે. અહીં તેમને એમ સૂચવવું છે કે આસ્વાદની ક્ષણોમાં ભાવક/વિવેચક કૃતિનું પોતાના ચિત્તમાં જે રીતે પુનઃસર્જન કરે છે, તે ‘સાક્ષાત્કાર’ની પ્રક્રિયા સ્વયં વિવેચન નથી. આસ્વાદ પછીની ક્ષણોમાં કૃતિનાં ઘટકોનું તે ‘વિશ્લેષણ’ આરંભે છે ત્યારે જ ખરેખરો વિવેચનવ્યાપાર આરંભાય છે. વિવેચનના સ્વરૂપવિચાર સંદર્ભે, આમ, તેઓ ‘પૃથક્કરણ’ને મહત્ત્વનું સ્થાન આપે છે.&lt;br /&gt;
પણ, વિવેચનની અંતર્ગત ‘પૃથક્કરણ’નો વ્યાપાર સમાવિષ્ટ થતો હોવા છતાં વિવેચન તેમાં સીમિત થઈ જતું નથી. આપણા સાહિત્યનાં તેમ વિશ્વસાહિત્યનાં ઉત્તમોત્તમ કૃતિલક્ષી વિવેચનો લક્ષમાં લેતાં જણાશે કે એમાં ઘણું બીજું બને છે. કૃતિનાં મહત્ત્વપૂર્ણ ઘટકોને વિવેચકો અલગ પાડીને વિચારે છે, તો તે કૃતિના સમગ્ર રહસ્યને ઉકેલવા માટે જ કરે છે. દરેક ઘટકની રસકીય ક્ષમતાનો અને સમગ્ર કૃતિમાં તેની સમર્પકતાનો તે વિવેકવિચાર કરે છે. કૃતિનાં ઘટકોનું આ કે તે સિદ્ધાંતને અનુસરીને નર્યું યાંત્રિક વિશ્લેષણ કરવામાં આવે તો તે વંધ્ય નીવડવા સંભવ છે. દૃષ્ટિસંપન્ન વિવેચક આવાં રસકીય ઘટકોના પરસ્પર સંબંધ અને કૃતિમાં પડેલા રચનાગત સિદ્ધાંત (formative principle)ને સતત નજરમાં રાખીને તેની ચર્ચા કરશે. કૃતિમાં તે દરેકનું કાર્ય (function) શું છે તે જ તેનો મુખ્ય પ્રશ્ન હશે. એટલે, નર્યા વિશ્લેષણવ્યાપારથી કશું જ સિદ્ધ નહિ થાય, કૃતિ સમગ્રની વ્યંજના, તેનું રહસ્ય કે તેનું મૂલ્ય આવા વિશ્લેષણમાં ભાગ્યે જ ઝીલાશે. વિવેચકે આથી એ ઘટકોની રહસ્યબિંદુ તરફની ગતિ ય ઓળખવાની રહેશે. તાત્પર્ય કે, વિવેચક કૃતિઓનાં ઘટકો પાસાંઓ વિશે પૃથક્‌ રૂપમાં વિચારે છે ત્યારે પણ રચનાત્મક દૃષ્ટિએ તે તેનો અંદાજ બાંધવા પ્રેરાય છે. વિવેચનની અંતર્ગત વિશ્લેષણ વ્યાપારની સાથે આમ એક ભિન્ન દિશાની પ્રવૃત્તિ ય ચાલતી રહે છે. બલકે, કૃતિની અખિલાઈ અને સમગ્રતાની અભિજ્ઞતા જ આ જાતના વ્યાપારમાં દ્યોતક નીવડે છે. વિવેચક કૃતિમાંનાં ઘટકોને અલગ પાડે છે તે તો તેના પુનઃ વિધાન અર્થે જ; એ રીતે વિવેચનમાં કેવળ બૌદ્ધિક વિશ્લેષણ નહિ, કશુંક સર્જનાત્મક સંયોજન પણ સંભવે છે. અને એટલે જ વિવેચનનું તાત્ત્વિક સ્વરૂપ સ્પષ્ટ કરવામાં મુશ્કેલી અનુભવાય છે. &lt;br /&gt;
નરસિંહરાવની સમસ્ત વિવેચનવિચારણામાં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’ શીર્ષકની ચર્ચા આગવું ધ્યાન રોકે છે. કવિતાના રસાનુભવને વર્ણવવાની બે ભિન્ન ‘પદ્ધતિઓ’ તરફ તેઓ ત્યાં વિચાર કરવા પ્રેરાયા છે. એ પૈકી પહેલી, સંસ્કૃત રસશાસ્ત્રને અને બીજી પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રને અભિમત એવી પદ્ધતિ છે. ત્રણ પંક્તિની એક ટૂંકી ગેય રચનાને લઈ તેમણે એ બે ‘પદ્ધતિઓ’નો વિનિયોગ કરી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાચીન રસશાસ્ત્રની પદ્ધતિને અનુલક્ષીને પ્રસ્તુત કડીમાંનાં ભાવવિભાવાદિનો તેમણે પરિચય આપ્યો છે. જ્યારે પાશ્ચાત્ય પદ્ધતિને અનુરૂપ એ પંક્તિઓમાં ક્રમશઃ ઉપચિત થતા ‘અર્થ’નું પ્રગટીકરણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને પાશ્ચાત્ય પદ્ધતિમાં અર્થસંયોજનની રીતિ કે આકૃતિની અમુક અપેક્ષા સૂચવવી છે. કૃતિનાં ‘રસદર્શન’ની પદ્ધતિઓ વિશેનો આ વિચાર એમણે પોતે આગળ ચલાવ્યો નથી, તેમ તે સમયના બીજા વિવેચકોએ તેને અપનાવ્યો નથી. આસ્વાદલક્ષી વિવેચનનો એ પ્રયત્ન ઉપેક્ષિત જ રહ્યો છે. પણ રસકીય પ્રક્રિયાને વિવેચનવ્યાપારમાં ખેંચી લાવવાનો તેમનો આ સ્તુત્ય પ્રયત્ન છે. રસદર્શનની પાશ્ચાત્ય પદ્ધતિ વિશેની તેમની સમજ નીચેના વિવરણમાં છતી થાય છે : “આ ગીતમાં ભાવનું મધ્યબિંદુ ‘જિયરા ડોલે રે’ એ બોલમાં આવી રહ્યું છે, અને બીજા પદાર્થ તે આસપાસની સામગ્રી થઈ પરિપોષક છે, એ બોલવું પાશ્ચાત્ય સંપ્રદાયાનુસાર છે. તે સંપ્રદાય પ્રમાણે ઉપર જે સ્થૂલ પ્રકારે વિભાવાદિક સમુદાયનું વિવેચન કર્યું છે તેવા સૂક્ષ્મ વિભાવાદિક વ્યર્થ ન તપાસતાં જે અંતે જતાં પ્રાપ્ત થાય છે તેનું સાક્ષાત્‌ પ્રકાશન કરવાની રીતિ છે.”૩૪ કૃતિના ‘અર્થ’નું કેન્દ્રબિંદુ શોધી તેમાં અન્ય ઘટકો શી રીતે સમર્પક બને છે તેની તપાસ પાશ્ચાત્ય પદ્ધતિમાં થાય છે, એમ તેમને અહીં સૂચવવું છે.&lt;br /&gt;
રસદર્શનની આ બંને પદ્ધતિઓ ‘વ્યંજના’ને ઉકેલવાની બે ભિન્ન પ્રવૃત્તિઓ છે, અને બંને દ્વારા કૃતિમાં નિહિત રહેલો એક જ ‘અર્થ’ (એક જ ‘રહસ્ય’ કે એક જ વ્યંજના) પ્રકાશિત થાય છે, એમ તેઓ માનતા જણાય છે. તેમની આવી માન્યતા સમજવાનું મુશ્કેલ પણ નથી. લાંબા સમય સુધી આપણા સર્જકો અને વિવેચકો સાહિત્ય કૃતિઓમાં અમુક ‘નિરપેક્ષ અર્થ’ (Absolute Meaning)નું અસ્તિત્વ સ્વીકારીને ચાલતા રહ્યા છે. કૃતિનું વિવેચન કોઈ પણ પદ્ધતિએ કરો, કોઈ પણ શૈલીએ કરો, કોઈ પણ પરિભાષામાં કરો, એ સર્વનું લક્ષ્ય સ્થાન પેલો ‘નિરપેક્ષ અર્થ’ જ છે. આ કે તે વિવેચકનું અર્થવિવરણ કે અર્થઘટન એ લક્ષ્યને પામે નહિ, તો પણ એની ગતિ – એની દિશા – એ તરફની હોય છે એમ તેમણે ગૃહીત કરી લીધું હતું. એ ‘નિરપેક્ષ અર્થ’ કદાચ અક્ષય્ય વસ્તુ છે, કદાચ અભેદ્ય વસ્તુ છે, પણ એવા કશાક ‘અર્થ’ની સત્તા સ્વીકારી લઈને જ વિવેચકો ચાલતા રહ્યા દેખાય છે. વિવેચનમીમાંસાની સામે આજે આ એક કૂટ પ્રશ્ન બન્યો છે.&lt;br /&gt;
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.&lt;br /&gt;
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.&lt;br /&gt;
૬&lt;br /&gt;
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.&lt;br /&gt;
રાજશેખરે વિવેચકોના, ‘અરોચકી’ ‘સતૃણાભ્યવહારી’ ‘મત્સરી’ અને ‘તત્ત્વાભિનિવેશી’ – એવા ચાર વર્ગો સ્વીકારેલા છે. એ પૈકી ચોથા ‘તત્ત્વાભિનિવેશી’ વિવેચકો જ સાહિત્યને ખરેખર ઉપકાર બની શકે એવી આ. આનંદશંકરની સમજ રહી છે. તેમનું કહેવું એમ પણ છે કે આપણે ત્યાં કાવ્યકળાની ‘તત્ત્વાભિનિવેશી’ ચર્ચાઓ ઘણી ઓછી થઈ છે, અને વાચકો-વિવેચકો-સર્જકોમાં ‘સારાસારગ્રાહી દૃષ્ટિ’નો ઘણો અભાવ વતાય છે વિવેચકોમાં ખરેખર તો ‘વિશ્વકવિઓના ગુણ પારખી’ તેનો આસ્વાદ લેવાની ક્ષમતા હોવી જોઈએ; પણ આપણે આપણાં ‘ઘરદીવડાં’થી જ મુગ્ધ રહીએ છીએ અને એથી આપણી રસવૃત્તિ ઘણી જ સંકુચિત બની રહે છે.&lt;br /&gt;
કવિ અને વિવેચકની ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં તેઓ અલંકારની સહાયથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે : “સુવર્ણ એક જાતના ૫ત્થરમાંથી પેદા થાય છે અને એની કસોટી કરનાર પત્થર જુદો હોય છે. તથાપિ કવિ જ્યાં પોતાના કાવ્યનો વિવેચક ન થાય અને વિવેચક કવિનું હૃદય અનુભવવા પૂરતો કવિ ન થાય ત્યાં સુધી કાવ્ય આત્મશુદ્ધિ પ્રાપ્ત ન કરે અને વિવેચન મર્મગ્રાહી ન બને.”૩૫ આમ કવિને પક્ષે સર્જનવ્યાપારમાં અમુક રીતના critical actની અને વિવેચકને કૃતિ પામવા કવિના જેવા imaginative actની જરૂર તેઓ દર્શાવે છે.&lt;br /&gt;
આપણા સર્જનવિવેચનના ઉદ્‌ભવવિકાસમાં પાશ્ચાત્ય વિચારોની મોટી પ્રેરણા રહી છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં તેમનું દૃષ્ટિબિંદુ ધ્યાનાર્હ છે. તેઓ કહે છે કે “આપણાં કાવ્યો આપણી ભૂમિમાં જ પાકવાં જોઈએ અને આપણાં વિવેચન પણ સ્વદેશી હોવાં જોઈએ એ દૃષ્ટિબિંદુ સ્વાભાવિક છે.”૩૬ પણ તેમને આથી વિશેષ પણ કહેવાનું છે : “કોઈ પણ પ્રજા, પરદેશી સાથે આત્માની આપ-લે કરવા તૈયાર નથી તે પોતાના આત્માને કદી ખિલવી શકતી નથી. જેમ જેમ પરદેશી રસ ચૂસ્યા કરનાર પોતાના આત્માને ખૂવે છે તેમ એ રસથી વિમુખ રહેનાર પોતાના આત્માને ગૂંગળાવે છે.”૩૭ તાત્પર્ય કે, આપણા સાહિત્યના વિકાસ અર્થે પૂર્વપશ્ચિમ કોઈ પણ પરંપરાના વિચારો આપણે યથાવકાશ સ્વીકારીને આત્મસાત કરવા જોઈએ. તેમની આ જાતની વિચારણાનો સૂચિતાર્થ એમ થાય કે પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનનાં મૂલ્યો આપણે વિવેચનવિચારમાં યથાવકાશ આમેજ કરી લેવાં જોઈએ.&lt;br /&gt;
આ. આનંદશંકરે બદલાતા રાજકીય-સામાજિક સંદર્ભમાં સર્જકો વિવેચકો માટે એક મહત્ત્વનો પ્રશ્ન છેડ્યો છે. સ્વાભાવિક રીતે જ, પોતાના સમયની સાહિત્યિક પરિસ્થિતિ તેમની સામે છે. તેઓ કહે છે કે સર્જકોની સામે અત્યારે વિવિધ સ્તરના વાચકો છે. સર્જક એ પૈકી કયા વર્ગની ‘આરાધના’ કરશે? અને વિવેચક પણ સર્જકના ધર્મને કેવી રીતે જોશે-સ્વીકારશે? તેઓ એવું અવલોકન રજૂ કરે છે કે વર્તમાન સમય democratic છે, અને સામાન્ય જનસમાજનાં રુચિવલણો સાહિત્ય સર્જનમાં કોઈક રીતે પ્રેરક કે નિયામક બળ બની રહે એમ છે. આવી પરિસ્થિતિમાં વિવેચકોએ જાગ્રત દૃષ્ટિએ વિવેચન પ્રવૃત્તિ કરવાની રહે છે – “ખરા વિદગ્ધ અને સંસ્કારી વિવેચકો જડ ન થઈ જાય તો એમની દૃષ્ટિ સહુથી ઉત્તમ છે, અને ખરા કવિને એમના જ મતની દરકાર હોવી જોઈએ.”૩૮ આમ છતાં, આવા વિવેચકો ‘લોકસમુદાયના’ ‘democratic સાહિત્યની’ અવગણના ન કરે એ પણ મહત્ત્વનું છે. માત્ર આવા ‘પ્રાકૃતજનના’ સાહિત્યમાં ‘ભ્રાંત અને ઉપરછલ્લી દૃષ્ટિનું નિરૂપણ’ હોવાની પણ અમુક સંભાવના રહે છે, અને વિવેચકે એ વિશે હંમેશ જાગ્રત રહેવાનું છે.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રમાં નીચેની પ્રવૃત્તિઓ તેમણે સમાવી છે.&lt;br /&gt;
(૧)	કલાના – અને તે ઉપરથી સાહિત્યના – તત્ત્વનું અન્વેષણ કરવું.&lt;br /&gt;
(૨)	સાહિત્યના વિવિધ પ્રકાર અને એનાં સ્વરૂપલક્ષણોની વ્યાખ્યાવિચારણા કરવી.&lt;br /&gt;
(૩)	અમુક કૃતિના ગુણદોષો તપાસવા.&lt;br /&gt;
(૪)	ગુણદોષનો વિચાર પડતો મૂકી, માત્ર એનું સૂક્ષ્મ સ્વરૂપ એના ઊંડાણમાં જ ઊતરીને સમજવું અને સ્પષ્ટ કરવું.&lt;br /&gt;
(૫) સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન – જેમાં વાચકના બોધ માટે નહિ પણ પોતાના જ ઉપભોગ માટે – વિશિષ્ટ કૃતિનું નિરીક્ષણ કરવું, અને એ રીતે એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ખેડવો.&lt;br /&gt;
અહીં, ચોથી પ્રવૃત્તિથી તેમને માત્ર કૃતિલક્ષી કે રસલક્ષી વિવેચનનો ખ્યાલ, અને પાંચમી પ્રવૃત્તિથી ‘સર્જનાત્મક વિવેચન’ અભિપ્રેત હોય એમ લાગે છે. નોંધપાત્ર છે કે કલાતત્ત્વવિચારના પ્રશ્નોનેય તેઓ વિવેચનમીમાંસા કે વિવેચનપ્રવૃત્તિમાં સમાવી લે છે. સાહિત્ય અને વિવેચનશાસ્ત્ર પરસ્પર સંકળાયેલાં છે, પરસ્પરને ઉપકારક છે, એમ પણ તેમને અભિમત છે. ‘જેમ ઊંચું સાહિત્ય વિવેચનશાસ્ત્ર માટે નવું વસ્તુ ઉત્પન્ન કરે છે, તેમ ઊંચું વિવેચન સાહિત્યને નવા માર્ગ સુઝાડે છે’ – એમ તેઓ કહે છે; જો કે એની તેમણે વિગતે છણાવટ કરી નથી.&lt;br /&gt;
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.&lt;br /&gt;
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.&lt;br /&gt;
૭&lt;br /&gt;
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.&lt;br /&gt;
બળવંતરાયની વિવેચનની વિભાવનાને યથાર્થ રૂપમાં સમજવાને, અલબત્ત, તેમની સાહિત્યકળા વિશેની સમજ લક્ષમાં લેવાની રહે છે. અગાઉ નિર્દેશ કર્યો તેમ વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેનો તેમનો ખ્યાલ તેમણે રજૂ કરેલી સાહિત્યવિચારણા સાથે સીધો મેળમાં છે; બલકે, તેનું સ્વાભાવિક વિસ્તરણ છે. આ અંગે સૌ પ્રથમ નોંધવાનું કે ગોવર્ધનરામ, મણિલાલ અને આ. આનંદશંકર ધ્રુવ જેવા અદ્વૈતવાદી ચિંતકો, અને રમણભાઈ અને નરસિંહરાવ જેવા પ્રાર્થનાસમાજી ચિંતકોથી બળવંતરાયની દાર્શનિક ભૂમિકા મૂળભૂત રીતે જુદી પડે છે. પ્રાચીન ધર્મદર્શન કે કોઈ સંપ્રદાયની વિચારણાઓમાં તેમની શ્રદ્ધા ઠરતી નથી, તેમ કોઈ રૂઢ પરંપરાગત દર્શનનો સ્વીકાર કરીને તેઓ પ્રવૃત્ત થતા નથી. તેમનો અભિગમ મૂળથી જ બુદ્ધિવાદીનો રહ્યો છે. જીવન જગત અને સાહિત્ય સર્વ વિશે સર્વથા અરૂઢ રીતિએ અને સ્વતંત્ર પર્યેષક દૃષ્ટિએ વિચારવિમર્શ કરવાનું તેમને પ્રિય છે. આધુનિક પાશ્ચાત્ય વિદ્વાનોની જેમ તેમનો ઝોક વિજ્ઞાનવાદ તરફ રહ્યો છે. ખાસ કરીને ‘સ્વરૂપાનુભૂતિ’ અને ‘સાહિત્ય અને શીલ’ જેવા નિબંધોમાં તેમણે વિશ્વજીવન અને માનવની સમુત્ક્રાંતિને લગતી જે કેટલીક ચર્ચાવિચારણાઓ કરી છે, તેને લક્ષમાં લેતાં અજ્ઞેયવાદી તરીકે તેમને ઓળખાવી શકાય. બ્રહ્માંડના આદિ કે અંત વિશે માનવબુદ્ધિ તાગ લઈ શકે તેમ નથી. ‘વ્યક્તમધ્ય’ એવું જે જીવન આપણા અનુભવમાં આવે છે, અને એમાં જેટલું બુદ્ધિની ઊંડળમાં આવી શકે એમ છે, તેટલું જ સત્ય માનવી પામી શકે. બધાંય જ્ઞાનવિજ્ઞાન, આ રીતે, ચેતનવિકાસના ક્રમમાં ઊઘડતાં ખિલતાં રહ્યાં છે. રાજ્ય સમાજ આદિ સંસ્થાઓ પણ વિકાસક્રમમાં એ રીતે આગવું સ્થાન ધરાવે છે.&lt;br /&gt;
સાહિત્ય અને વિવેચનને લગતો તત્ત્વવિચાર બળવંતરાયે આ વિકાસવાદના પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. સાહિત્યની રચનામાં સર્જકની પ્રતિભાનું મહત્ત્વ, અલબત્ત, તેઓ સ્વીકારે છે. ‘પ્રતિભાબીજની માવજત’ વિશે તેમણે લેખ પણ લખ્યો છે. આમ છતાં, સાહિત્યકૃતિને પ્રેરનારાં પોષનારાં પરિબળોનો ય તેઓ સ્વીકાર કરે છે; બલકે, સાહિત્યને એના લેખકના વિશિષ્ટ સામાજિક/ઐતિહાસિક સંયોગોનું પરિણામ લેખવતા જણાય છે : “પ્રજા અને તેનું અમર સાહિત્ય અન્યોન્યાશ્રયી ભાવે છે : સાહિત્ય ઉપજે છે પ્રજાના અનુભવ, પ્રજાની કલ્પના, પ્રજાની આંતરડીમાંથી; પ્રજાની નિખાલસતાનાં લક્ષણો સાહિત્યમાં વાસ્તવિકતા, પ્રામાણિકતા અને રસિકતાના ગુણ સીંચે છે, અને એ સર્જાયેલું સાહિત્ય ઊછરતી પ્રજાના ચારિત્ર, કલ્પના, ભાવના, કર્તવ્યબુદ્ધિ, આદિને પોષે છે, વાળે છે. અમુક વળ દઈને અમુક આમળા ચડાવે છે. પ્રજાનું લોહી ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સ્થૂળ કારણ છે, પ્રજાનું સાહિત્ય ઊછરતી પ્રજાની પ્રકૃતિનું સૂક્ષ્મ કારણ છે. ઊછરતી પ્રજાના ઝમાને ઝમાને નવા પ્રત્યક્ષ થતા અનુભવ કર્તવ્ય દર્શનાદિ પ્રજાની પ્રકૃતિ ઘડાવાનાં નિમિત્ત કારણ છે, અને સાહિત્યની સફળતા, ઝમાને ઝમાને તેનું મૂલ્યાંકન તે ઝમાનાના સત્યને અનુરૂપ હોય, તેમાં છે.”૩૯ બળવંતરાય, આમ, ભારપૂર્વક પ્રતિપાદિત કરવા ચાહે છે કે સાહિત્યના સ્વરૂપમાં સામાજિક/ ઐતિહાસિક પરિબળે વત્તેઓછે અંશે નિર્ણાયક બની રહે છે.&lt;br /&gt;
પ્રજાજીવનના વિકાસક્રમમાં, દરેક તબક્કે, આગવી તાસીરવાળું સાહિત્ય એ રીતે સંભવે છે. માનવબુદ્ધિ કોઈ શાશ્વત ‘સત્ય’ને પામી શકતી નથી, માત્ર પોતાના સમયમાં બદ્ધ એવાં ‘સત્યો’નું જ તે આકલન કરે છે; પણ નવું ‘સત્ય’ પ્રગટ નથી થયું, ત્યાં સુધી જ એ જૂનું સત્ય સ્વીકારવાનું રહે છે. સાહિત્યાદિ કળાઓમાં મૂર્ત થતાં ‘સત્યો’ પણ એ રીતે કોઈ શાશ્વત સત્યો નથી : જે તે યુગનાં ‘સત્યો’ જ તેમાં આર્વિભૂત થાય છે. એટલે દરેક નવો જમાનો જ પોતાનાં નવાં ‘સત્યો’ના પ્રકાશમાં સાહિત્ય કૃતિઓનું મૂલ્યાંકન-પુનર્મૂલ્યાંકન-કરે, એ આવશ્યક છે. વળી, સાહિત્યાદિ પ્રવૃત્તિઓ માનવજાતિના વિકાસમાં જેટલે અંશે ‘શ્રેયસ્કર’ નીવડે, તેટલે અંશે જ તે આવકાર્ય ગણાશે. સૌંદર્ય અને કળા – બંને તેમને મન એકી સાથે ‘સાધ્ય’ અને ‘સાધન’ છે. સર્જક પોતાની રચનામાં ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ને મૂર્ત કરવા પ્રયત્ન કરે છે. એ ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ સ્વયં ઈષ્ટ વસ્તુઓ છે-terminal values-જેવી પ્રાપ્તિઓ છે. પણ માનવજાતિના વિકાસક્રમમાં તેનું ‘સાધન’ લેખે ય સ્થાન રહે છે – કહો કે તેને instrumental value પણ પ્રાપ્ત થાય છે. બળવંતરાય કહે છે : “કલા ધર્મ રાષ્ટ્ર નીતિ એ સર્વ પ્રેયો વસ્તુ છે ત્યાં જ લગી, જ્યાં લગી તે આપણને શ્રેય મેળવવાને કાજે ઊજમવાન રાખે : એ સર્વ ભાવનાસિદ્ધિ માટેનાં સાધન હોવાનું પોતાનું કર્તવ્ય બજાવતાં રહે, ત્યાં લગી જ પ્રેય છે.”૪૦&lt;br /&gt;
વિશ્વજીવનની ઉત્ક્રાંતિમાં બહુ થોડી કૃતિઓ સમયના પ્રવાહની સામે ટકી રહે છે. બળવંતરાયને મન એવી સત્ત્વશીલ કૃતિઓનું જ સાચું મૂલ્ય છે. સાહિત્યની ભાવના એવી થોડીક મહાન કૃતિઓ પરથી જ બંધાય, બાંધવી ઘટે, એવી પણ તેમની માન્યતા રહી છે. અને વિવેચન વિશે જે થોડાક ખ્યાલો અહીં તહીં વેરવિખેર પડ્યા છે. તેમાંય એવા મહાન સાહિત્ય માટેની તેમની જિકર વરતાય છે.&lt;br /&gt;
બળવંતરાયનો પોતાનો વિવેચનાત્મક અભિગમ – નર્મદ નવલરામ મણિલાલ ગોવર્ધનરામ ન્હાનાલાલ મુનશી આદિ અર્વાચીન યુગના સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિને જોવા તપાસવાની અને મૂલવવાની તેમની રીતિમાં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કર્તાનું માનસ, વ્યક્તિત્વ ઘડતર, અને વિચારસૃષ્ટિ, ઐતિહાસિક સામાજિક પરિસ્થિતિ, સમકાલીન સાહિત્યિક પરંપરાઓ, આદિ સર્વ પાસાંઓને લક્ષમાં લઈને દરેકનો વિચાર કરવા તેઓ પ્રેરાયા છે. એમાં ચરિત્રમૂલક ઐતિહાસિક સાંસ્કૃતિક કે વિચારલક્ષી – એમ એકથી વધુ અભિગમો એકત્ર થતા હોવાનું જોઈ શકાશે. &lt;br /&gt;
સર્જન અને વિવેચન એ બંને ય પ્રવૃત્તિઓ તેમને મન એક પ્રકારે ‘આચરણ’ – action of a living being – જેવી છે, બંને પરસ્પર અનિવાર્ય રીતે સંકળાયેલી છે, અને બંનેય પ્રજાજીવન પર મોટી અસર પાડનારી છે, એમ તેઓ માને છે : “કલા અને વિવેચના અન્યોન્ય અવિનાભાવે સંલગ્ન છે. કલાસર્જન (art creation) જીવનનો એટલે સજીવન વ્યક્તિના આચરણનો (action of a living being) એક પ્રકાર છે. જેમ આચરણ પહેલાં, આચરણ સાથે, અને આચરણ પછી ચિંતન એટલે વિચારણ, કાર્યકારણઘટના, લક્ષ્યપ્રયત્નઘટના, સાધન નિર્માણઘટના આદિ રૂપે અનિવાર્ય આવશ્યક અને લાભકારક છે, આચરણનું જ અવિભાજ્ય અંગ લેખાવાને પાત્ર છે, તેમ સર્જન અને વિવેચનની જોડીનું પણ સમજી લેવાનું પ્રાપ્ત થાય છે.”૪૧ બળવંતરાયની આ વિચારણાના સૂચિતાર્થો ધ્યાનમાં લેવા જેવા છે. સાહિત્યની રચના, અલબત્ત, તેમના મતે એક અતિ સૌમ્ય સૂક્ષ્મ અને સત્ત્વશીલ તત્ત્વ છે; પણ સ્વરૂપથી તે તેના સર્જકનું ‘આચરણ’ પણ છે. તે ઇચ્છે કે ન ઇચ્છે, જાહેર જીવનમાં તે એક સક્રિય બળ બનીને પ્રવર્તે છે. એટલે જ, સર્જકને પક્ષે એ એક નૈતિક બળ પણ બની રહે છે. વિવેચનની પ્રવૃત્તિ પણ એ જ રીતે વિવેચકનું ‘આચરણ’ બની રહે છે. વિવેચક ઇચ્છાશક્તિ એમાં સક્રિય બને છે. સાહિત્યિક પરિસ્થિતિ – અને વ્યાપકપણે સાંસ્કૃતિક પરિસ્થિતિ – પર તેની ઓછીવત્તી સૂક્ષ્મ અસરો પડે છે. સર્જક તેમ વિવેચક બંનેય પક્ષે, આથી, તેમનાં દરેકનાં ‘આચરણો’ની નૈતિક અસરોનો પણ ખ્યાલ કરવાનો રહે છે. એમાંથી એમ પણ ફલિત થાય છે કે સાહિત્યકૃતિ કે તેના કર્તા પરત્વે જ નહિ, સમસ્ત પ્રજાના શ્રેયાશ્રેયને અંગે ય તેમને ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થાય છે. માનવજાતિના વિકાસક્રમમાં બંનેએ આગવી ભૂમિકા ભજવવાની રહે છે :&lt;br /&gt;
“...વળી કવિતા અને વિવેચના અન્યોન્યાશ્રયી છે. સ્વતંત્ર વિચારબળે આપણી વિવેચનાને આપણે જેમ બિનંગત (ઈમ્પર્સનલ) સાચી અને ઊંડી બનાવીશું તેમ તેમ આપણી કવિતા પણ ખીલશે, અને આપણી કવિતા જેમ ખીલશે તેમ તેમ ઉછરતી પેઢીઓમાં ચારિત્ર્યને યોગ્ય વલણ અને ગુણવત્તા અને બળ મળતાં જશે. સાહિત્ય તો જીવનનો પડઘો માત્ર એ મત એકદેશી અને સાહિત્યના ગૌરવનું અનભિજ્ઞ છે. કાલપ્રવાહમાં જીવનવિકાસ અને જીવનસમુત્ક્રાંતિની સર્જક જે સૂક્ષ્મ અને સૌમ્ય શક્તિઓ પ્રવર્તે છે તેમાંની એક પ્રમુખ શક્તિ સાહિત્ય છે. સાહિત્યની સમુત્ક્રાંતિ માટે મથનારો દેશસેવક જીવનસમુત્ક્રાંતિ માટે પણ મથી રહ્યો છે. સાહિત્ય કે વિવેચનામાં વિપથગામી વલણોને ઉગતાં જ ના દાબી દેવાય તો જીવનક્ષેત્રે પણ એ ચેપી ઝેર પ્રસરવા માંડે છે. વેળાસર લાલબત્તી ધરતી વિવેચના જીવનક્ષેત્રમાં પણ સારી સેવા બજાવે છે.”૪૨&lt;br /&gt;
બળવંતરાયની વિચારણામાં આ એક લાક્ષણિક ભૂમિકા છે. જીવનના વિકાસવાદને લક્ષમાં રાખીને સાહિત્યસર્જન અને વિવેચનની ઉપયોગિતાનો અહીં તેઓ વિચાર કરવા પ્રેરાયા છે; અને, એક રીતે, તેમનો નૈતિક અભિગમ એમાં દેખાઈ આવે છે. સાહિત્યમાં તેમ વિવેચનમાં કોઈ પણ ‘વિપથગામી વલણ’ ચલાવી લઈ શકાય નહિ, એમ તેઓ કહે છે. પણ આ ‘વિપથગામી વલણો’ કયાં તે નક્કી કરવાનું અત્યંત મુશ્કેલ છે. જીવનવિકાસમાં કયું તત્ત્વ શ્રેયસ્કર, કયું અશ્રેયસ્કર, કયું ઇષ્ટ કયું અનિષ્ટ, એ નિર્ણિત કેવી રીતે કરીશું? કેવળ નીતિ-અનીતિના પ્રચલિત ખ્યાલથી દોરવાઈને સર્જક કે વિવેચક ચાલવા જાય તો તે તેના હૃદ્‌ગત ‘સત્ય’ અને ‘સૌંદર્ય’નો દ્રોહ નહિ થાય? અને પ્રજાના ચારિત્ર્ય ઘડતર અર્થે કઈ કૃતિ લાભદાયી છે કઈ નથી, તે વિશે વિવેચક કેવી રીતે નિર્ણય કરી શકે? પ્રશ્નો જટિલ છે.&lt;br /&gt;
વિવેચકની ભૂમિકા વિશે બળવંતરાયે જે જે વિચારો રજૂ કર્યા છે, તેમાં પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન વિવેચક મેથ્યુ આર્નોલ્ડની પ્રેરણા હોવાનું પણ જોઈ શકાશે. બળવંતરાયનું એમ કહેવું છે કે વિદ્યાપીઠના ઉત્તમ આચાર્યો અને તેજસ્વી તરુણો દ્વારા એક બાજુ સર્જાતા સાહિત્યના ‘ઉત્તમાંશો’ વિશે ‘સતત ગંભીર અપક્ષ નિરીક્ષા’ ચાલવી જોઈએ, વર્ણ્યવિષયના ‘કોણેકોણમાં’ તેમની તેજસ્વી મેધા ફરી વળવી જોઈએ; બીજી બાજુ, સાહિત્યને પોષક વિચારો નિષ્પન્ન થતા રહેવા જોઈએ. તેમને મતે ‘સત્ય’ ‘શીલ’ અને ‘સૌંદર્ય’ એ ત્રણ ચિરંતન મૂલ્યો છે. સર્જકે અને વિવેચકે બંનેએ ત્રણેનું જતન કરવાનું છે. નોંધવું જોઈએ કે, કૃતિ વિવેચનમાં તેમણે આ મૂલ્યોનું સતત સમર્થન કરવાનો આગ્રહ દર્શાવ્યો છે. જો કે આ જાતનાં નિરપેક્ષ મૂલ્યોના સ્વીકાર સાથે સર્જનના તેમ વિવેચનના પ્રશ્નો જટિલ બને છે. સર્જનમાં ‘સત્ય’ કેવી રીતે પ્રગટ થાય, ‘શીલ’નું જતન શી રીતે થાય કે ‘સૌંદર્ય’ જેવું મૂલ્ય કેવી રીતે મૂર્તિમંત થાય તે પ્રશ્નો વિવેચન/સૌંદર્યમીમાંસાના કાયમી પ્રશ્નો છે. મૂલ્યાંકનનાં બીજાં ધોરણો, અલબત્ત, એ ત્રણને મુકાબલે ગૌણ છે.&lt;br /&gt;
વિવેચકનું કાર્ય, અલબત્ત, કૃતિના ગુણદોષ બતાવવાનું છે. જો કે નરી ગુણગ્રાહકતા વંધ્ય છે. એનાથી કોઈને ન્યાય થતો નથી – ન કૃતિને, ન કર્તાને, ન ભાવકને. એ રીતે વાંચનારની ‘ઉન્નતિ’ થતી નથી, તેમ કળાના ક્ષેત્રમાં ‘શુદ્ધિ’ કે ‘પ્રગતિ’ સધાતી નથી. તેમ વિવેચનને પોતાને માટે પણ એ હિતકર નથી. એટલે વિવેચકે કૃતિના ગુણો અને દોષો બંને બતાવવા, પ્રમાણસર બતાવવા, એ જ ખરો માર્ગ છે. બળવંતરાયની દલીલ એ કે ‘કેટલાક દોષ એવા ઉગ્ર હોય કે તેમાં કૃતિના બધાયે ગુણ ડૂબી જાય; કોઈક ગુણ એવો ઉજ્જ્વળ હોય કે તેમાં કૃતિના બધાયે દોષ ડૂબી જાય. ત્યારે તો રસિકોએ ગુણૈકદૃષ્ટિ વા દોષૈકદૃષ્ટિ જ પ્રબોધવી પડે. કેમ કે કલાની ભાવના અને અને સૌન્દર્યની વિશુદ્ધિ એમ કર્યા વગર રક્ષાય જ નહિ.”૪૩&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિને બને તેટલી બિનંગત તટસ્થ નિષ્પક્ષ અને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાની બળવંતરાયે ભારે હિમાયત કરી છે. અંગત રુચિ રાગદ્વેષ આદિ વલણોથી મુક્ત કરી આ આખીય પ્રવૃત્તિને પૂરી શાસ્ત્રીય બનાવવી જોઈએ એમ તેઓ માને છે. ‘સાહિત્યની શિષ્ટ અદાલતમાં કૃતિઓના ગુણદોષો ઉપર જ ચુકાદા આપવાના છે.’ અને એમાં અંગત રાગદ્વેષનો પાશ ના હોય તેવા ‘ચુકાદા જ શિષ્ટ સંમતિ મેળવવાને લાયક’ ઠરે છે. સાચો વિવેચક ‘ધીરજની’ ‘અભયની’ ‘નિઃસ્પૃહ મૂર્તિ’ હોવો જોઈએ. સરેરાશ વાચક અંગત રુચિઅરુચિ કે રાગદ્વેષથી પ્રેરાઈને કે પ્રમાણભાન ગુમાવીને મૂલ્યાંકન કરી બેસે પણ વિવેચકમાં કૃતિ વિશે, બિનંગત બનીને, તેની શાસ્ત્રીય તુલના કરવાની ક્ષમતા હોવી જોઈએ.&lt;br /&gt;
જો કે વિવેચનનું (એટલે કે વિવેચકનું) કાર્યક્ષેત્ર તેમણે ઘણું ઘણું વિસ્તારી મૂક્યું છે. કૃતિના વિવેચન–મૂલ્યાંકનમાં એ કાર્ય પૂરું થતું નથી. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની તપાસ પણ તેણે કરવાની છે. વિવેચકના કાર્ય પ્રદેશનો તેમનો આખો નકશો જોવા જેવો છે.&lt;br /&gt;
“વિવેચના કલાસખી છે તેમ શાસ્ત્રસખી પણ છે. કવિતા અને સાહિત્યકૃતિઓના ગુણદોષ જાતિ પ્રકાર સિદ્ધિ કલાસામગ્રી આદિ તપાસવાં એ વિવેચનાનું પ્રિય કાર્ય છે. જાણીતા દાખલાઓ સાથે નવાને મૂકી સરખામણીઓ કરવી, ભેદો જોવા અને તારતમ્ય વિચારવાં એ વિવેચનની પ્રિય પદ્ધતિ છે. આમ કરતાં કરતાં કલામીમાંસા રસશાસ્ત્ર અને વાઙ્‌મયને લગતાં વર્ણન પ્રધાન અને વ્યવસ્થાપક (normative) વિજ્ઞાનો બંધાય છે. વ્યાપ્તિઓ સૂઝે છે, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ વર્જાય છે, સૌને સ્વીકારવાં પડે એવાં ધોરણ વધતાં વધતાં તે સર્વ અન્યોન્યસમર્થક સમૂહ બની શાસ્ત્રની પદવી પામે છે. સજાતીય શાસ્ત્રોના મુકાબલા પણ થાય છે. અને આ આખા વિચારણાપ્રવાહમાં સપાટી તળેનાં રહસ્યોનાં સંશોધન અને મનન તે જ મીમાંસા વા પર્યેષણા છે. વળી કાળબળે બે જુદી જુદી સંસ્કૃતિઓ પાસે પાસે આવી જાય, ત્યારે તેમના વાઙ્‌મયની સાથે તેમનાં કલાશાસ્ત્રો અને રસમીમાંસા પણ એકબીજાંને ભેટે છે. અને એક બીજાં ઉપર પડે છે. એક બીજાંને ચૂમે પણ ખરાં, એકબીજાને કચરે અને કરડે પણ ખરાં. જે બુદ્ધિઓ આ કુરકુરિયા જોડીનાં ચેષ્ટા સ્પર્ધા અને ગેલઝઘડા, આ બે જુદી જુદી પરિસ્થિતિમાં ઉછરેલી બહેનોનાં રીસામણાં અને મનામણાં અનુભવવા જેટલી અધિકારી છે તે તુર્ત જોઈ પણ લે છે, જે આ બે બ્હેનો જેવી દેખાય છે ખરી, પણ તે બે નહીં એક જ હોવી જોઈએ, અથ ચ હોવી જોઈએ એક, તો તે એક શી રીતે એ નવો પ્રશ્ન સંક્રાંતિસમયની ગૂંચ ઉકેલણીના જેવો જ મહાપ્રશ્ન એ વિરલ બુદ્ધિઓમાં જન્મે છે.”૪૪&lt;br /&gt;
બળવંતરાયે આ રીતે જે ખ્યાલો રજૂ કર્યા તેને અનુલક્ષીને ટીકાટિપ્પણી રૂપે થોડુંક કહેવાનું રહે.&lt;br /&gt;
એક, સાહિત્યવિવેચનનો પણ પ્રજાજીવનના વિકાસ સાથે જ વિકાસ થતો રહે છે. વળી કૃતિચર્ચાઓમાંથી સામાન્ય નિયમો/ધોરણો નીપજી આવે છે, અને ભિન્ન સંસ્કૃતિના વિવેચનના નિયમો તેમ સૌંદર્યમીમાંસાના ખ્યાલોની તુલના કરતાં કરતાં સર્વસાધારણ તત્ત્વો બહાર આવે છે. પ્રજાપ્રજાની સંસ્કૃતિઓના ટકરાવમાંથી, આ રીતે, વધુ વ્યાપક અને સમન્વિત કળાવિચાર પણ જન્મી આવે. વિકાસક્રમની તેમની તાત્ત્વિક ભૂમિકાને અનુરૂપ તેમની આ ચર્ચા છે.&lt;br /&gt;
બે, અગાઉ કૃતિવિવેચનમાં બિનંગતતા નિષ્પક્ષતા તાટસ્થ્ય અને વસ્તુલક્ષી ખોજને લીધે તે પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય કોટિની બને, બનવી જોઈએ, એમ કહ્યું હતું. અહીં વિવેચનના પ્રશ્નોને સૌંદર્યમીમાંસા (aesthetics) અને વિવેચનતત્ત્વવિચાર (philospohy of criticism)ના સ્તરે લઈ જવાની પ્રવૃત્તિને તેમણે ‘શાસ્ત્ર’માં મૂકી છે. અહીં ‘શાસ્ત્ર’ દ્વારા ખરેખર તો તેઓ, જુદા જ સ્તરની વિવેચનમીમાંસાના ખ્યાલને સ્પર્શી રહે છે.&lt;br /&gt;
ત્રણ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ/પરંપરાઓમાં વિકસતો કળાતત્ત્વવિચાર વાસ્તવમાં, એક જ મૂળભૂત વસ્તુને અનુલક્ષે છે એમ તેઓ ગૃહીત કરીને ચાહે છે. બધી જ કળામીમાંસા ‘સૌંદર્ય’ ‘સત્ય’ અને ‘શીલ’ના કોઈ નિરપેક્ષ મૂલ્યને ઊપાસે છે. બધી જ કળાવિચારણાઓની ગતિ આમ એક જ અંતિમ લક્ષ્ય તરફની છે&lt;br /&gt;
બળવંતરાયની આ વિચારણા, દેખીતી રીતે જ, વિવેચક માટે અતિ દુષ્કર કર્તવ્ય ઊભું કરે છે. આ રીતે કળામીમાંસાના ક્ષેત્રમાં ચાલતી તેની ગતિ કેટલે અંશે કૃતિવિવેચનમાં ઉપકારક બને, અથવા તેને માટે કળાતત્ત્વવિચાર ખરેખર આવશ્યક છે કે કેમ, એ મુદ્દો ય વિચારણા માગે છે. એફ. આર. લિવિસ જેવા વિવેચક એમ માને છે કે વિવેચકનું મુખ્ય કામ વિવેચ્ય કૃતિ વિશેના જીવંત પુદ્‌ગલરૂપ પણ સંકુલ પ્રતિભાવ ઉપલબ્ધ કરી આપવાનું છે, તેને વિશે ચૂકાદો આપવાનું નહિ. બીજી રીતે, વિવેચકે કૃતિ વિશેના પ્રતિભાવને એની સૂક્ષ્મતમ રેખાઓમાં ગ્રહણ કરવાનો છે; અને એનું જ નિરૂપણ કે વિવરણ કરવાનું છે. પણ વિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ કે ‘કસોટીઓ’ વિશે તાત્ત્વિક સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા નથી. રેને વેલેક, આથી ભિન્ન, વિવેચક કૃતિવિવેચનમાં લાગુ પડાતાં ‘ધોરણો’ અને ‘કસોટીઓ’ વિશે પણ સ્પષ્ટતા કરે, તેની તાત્ત્વિક ભૂમિકા રજૂ કરે, એવી અપેક્ષા રાખે છે.&lt;br /&gt;
આ આખો મુદ્દો કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર, અને સૌંદર્યશાસ્ત્રના અધ્યયનક્ષેત્ર કે કાર્યક્ષેત્રની સરહદ રેખા આંકી લેવાની ફરજ પાડે છે. વિવેચક વિશિષ્ટ કૃતિ વિશે ગુણદોષની ચર્ચા કરે, તેના રમણીય અંશોનો પુરસ્કાર કરે, કે તેની કળાત્મક સિદ્ધિઅસિદ્ધિનો ખ્યાલ કરે – ત્યાં સુધી તે કૃતિવિવેચનના ક્ષેત્રમાં ગતિ કરે છે એમ કહી શકાય. પણ કૃતિના ગુણદોષની વિચારણામાં ‘ધોરણ’ કે ‘કસોટી’નો તે નિર્દેશ કરે છે, ત્યારે તેનું એ ‘ધોરણ’ કે ‘કસોટી’ સાવ યાદૃચ્છિક વસ્તુ ન હોઈ શકે. સાહિત્યકળા વિશેના અમુક સિદ્ધાંત કે વાદનો એમાં સ્વીકાર રહ્યો જ હોય છે. ઉત્કૃષ્ટ કળાની અપેક્ષા સાથે અમુક કળાવિચાર સહજ રીતે એમાં સંકળાયેલો હોય કે નિહિત રહ્યો હોય એમ જોવા મળશે. વિવેચક કૃતિવિવેચનમાં મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓ પાછળની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવાનું સ્વીકારે યા ન સ્વીકારે, ધોરણો/કસોટીઓને યથાર્થ રૂપમાં સમજવાનો કોઈ પણ ઉપક્રમ કળાના સિદ્ધાંત તરફ દોરી જાય છે. ઓસ્બોર્ન તો એટલે સુધી કહે છે : There can be no single judgement of practical criticism which does not involve latent doctrines of asthetics.૪૫ કૃતિવિવેચનમાં એકેય એવો મૂલ્યનિર્ણય ન હોય જેમાં સૌંદર્યમીમાંસાનો કોઈ ને કોઈ સિદ્ધાંત નિહિત રહ્યો ન હોય. પણ કળાકૃતિના મૂલ્યાંકનનાં ધોરણો/કસોટીઓ પાછળ રહેલી તાત્ત્વિક ભૂમિકાની તપાસ, તેની તાર્કિક ચકાસણી, એ બધા પ્રશ્નો સાહિત્યશાસ્ત્રના પંડિતો કે સૌંદર્યમીમાંસકો માટે રહેવા દઈએ એ જ બરોબર છે. પણ, કૃતિવિવેચક ચાહે તો સાહિત્યશાસ્ત્રના અને તેથીય આગળ સૌંદર્યમીમાંસાના પ્રશ્નોમાં રસ લઈ શકે, અને તે ક્ષેત્રમાં ય પૂરતી સજ્જતા કેળવીને ગતિ કરી શકે. અલબત્ત, સાહિત્યશાસ્ત્રના સ્તરેથી કે સૌંદર્યમીમાંસાના સ્તરેથી તાત્ત્વિક પ્રશ્નોની માંડણી કરવી – એ કૃતિવિવેચન કરતાં ભિન્ન પ્રવૃત્તિ છે, ભિન્ન પ્રકારની શિસ્ત છે.&lt;br /&gt;
સાહિત્યકલા ‘સ્ફુટાર્થવતી વાણીના માધ્યમ’માં જન્મે છે, તેથી બીજી બધી લલિત કલાઓને મુકાબલે તેમાં મતભેદનું વર્તુલ વધુ મર્યાદિત સંભવે, એવી પણ બળવંતરાયે માન્યતા વ્યક્ત કરી છે. જો કે, આવો વ્યાપક નિયમ તારવવામાં મોટું જોખમ છે. ચિત્ર કે શિલ્પના ક્ષેત્રમાં વધુ મતભેદ સંભવે, સાહિત્યના ક્ષેત્રમાં નહિ–એ જાતનો ખ્યાલ આજે ભાગ્યે જ સ્વીકારાશે. આધુનિકતાવાદી અને તેમાંયે પ્રયોગશીલ કૃતિ ભારે મતમતાંતરનો વિષય બનતી હોય છે. &lt;br /&gt;
વિવેચકની સજ્જતા અંગે બળવંતરાય નોંધે છે : “પુખ્ત વિવેકની સાથે સૂક્ષ્મ રુચિતંત્ર, કવિતાપરંપરા, છંદપરંપરા આદિનું ઝીણું અને સંગીન જ્ઞાન, બ્હોળો અનુભવ, વિવિધ શૈલીઓ અને કળાજાતિઓ સાથે સહાનુભૂતિ, પરિસ્થિતિમાં તેમ કવિના ચિત્તતંત્રમાં પ્રવેશવાની કલ્પના, અને બીજું પણ ઘણું શાસ્ત્રીય તુલનાત્મક ઐતિહાસિક પર્યેષક વિવેચનાનું ગંભીર પચરંગી કર્તવ્ય માગી જ લે છે.”૪૬&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓને બળવંતરાય ઐતિહાસિક સામાજિક સંયોગોની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા રૂપે વિકસતી જૂએ છે. એટલે કોઈ પણ કૃતિને યથાર્થ રૂપમાં જોવા-સમજવાને તેના વિશિષ્ટ સંયોગોને લક્ષમાં લેવાના રહે. દેખીતી રીતે જ, કૃતિવિવેચનનો આ ઐતિહાસિક અભિગમ છે. જો કે, એમાં ચરિત્રલક્ષી કે વિચારલક્ષી ભૂમિકા પણ વારંવાર જોડાતી રહે છે. ‘સોરાબ અને રુસ્તમ’ શીર્ષકના તેમના વિસ્તૃત અભ્યાસલેખમાં મહાકવિ ફિરદૌસી અને અંગ્રેજ કવિ આર્નલ્ડ—એ બેની સોરાબરુસ્તમની કથામૂલક કવિતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. બંને કવિઓની રચનાઓમાં જે સ્વરૂપભેદ કે શૈલીભેદ વરતાય છે તેના મૂળમાં ઊતરી બંને પાછળની ભિન્ન સાંસ્કૃતિક પરંપરાનો તેઓ ત્યાં વિગતે પરિચય આપે છે. તેમનું કહેવું એમ છે : “કોઈ પણ કલ્પના સર્જનમાં કલ્પક પાત્રોના ચરિત્ર અને આચરણોની જે સંકલના ગૂંથે છે તે તેના સર્જનનું હાર્દ વ્યક્ત કરે છે. કલાકૃતિનાં દેશકાલ પરિસ્થિતિ આદિ જેમ આપણને પરિચિત જગતથી ભિન્ન અને દૂર સુદૂર, તેમ તેની સંકલના સમજવી મુશ્કેલ થઈ પડે છે, અને સહાનુભૂતિ પ્રવૃત્ત કરવાને આપણી કને વધારે ઇતિહાસજ્ઞાન માગી લે છે. પ્રસ્તુત કૃતિ કઈ કલા જાતિની છે અને તેની પાછળ એ જાતિની પરંપરા કયા પ્રકારની હતી તે પણ આપણે ધ્યાનમાં રાખવું ઘટે.”૪૭ અહીં તેમણે એક અતિ મહત્ત્વની વાત કરી કે વિવેચક સામે પોતાના દેશકાળથી ઘણી દૂરની સાવ ભિન્ન પરંપરાની કૃતિ આવે છે, ત્યારે તેને માટે ‘સહાનુભૂતિ પ્રવૃત્ત’ કરવાને તેનું સાચું ઇતિહાસજ્ઞાન જરૂરી છે. કોઈ પણ કલાકૃતિને એના સ્થળકાળના સંદર્ભોથી ઉતરડીને જોવા જતાં ન્યાય નહિ થાય. તાત્પર્ય કે કલાકૃતિના સ્વરૂપમાં સમકાલીનતાનાં અમુક તત્ત્વો પડ્યાં હોય છે. એવાં તત્ત્વો વિશે પૂરી સમજ અને સહાનુભૂતિ વિના કૃતિના હાર્દમાં પ્રવેશવાનું મુશ્કેલ.&lt;br /&gt;
આપણી સદીમાં વિવેચનના ઐતિહાસિક અભિગમ સામે નવ્ય વિવેચકોએ ઊભો કરેલો મુદ્દો જોવા જેવો છે. અલબત્ત, નવ્ય વિવેચકો એમ કહેવા માગતા નથી કે કૃતિમાં ઐતિહાસિક અંશો પ્રવેશતા જ નથી. તેમનું એમ કહેવું છે કે આવા ઐતિહાસિક અંશોનો તો કાર્યકારણભાવે ખુલાસો આપી શકાય છે, પણ કૃતિનું જે સાચું હાર્દ છે, ગહનતમ રહસ્ય છે, તેને આવા ખુલાસાથી સમજાવી શકાય નહિ. ઐતિહાસિક સંયોગો અને પરિબળોને લક્ષમાં લઈ કાર્યકારણભાવે તેના અમુક બાહ્ય સ્વરૂપની સ્પષ્ટતા કર્યા પછી જે residue રૂપ—એક અતાગ અવર્ણનીય અંશ શેષ રહે છે, તે જ કળાકર્મનો વિશેષ છે. નવ્ય વિવેચકોએ, આથી, કળાકૃતિને આરંભમાં તો ઐતિહાસિક સંદર્ભોથી વિચ્છિન્ન કરીને જોવા માટે અનુરોધ કર્યો; પણ પછીથી કૃતિને વધુ યથાર્થ રૂપમાં સમજવાને એના ઐતિહાસિક સંદર્ભોને ય કોઈ ખપમાં લેવા ચાહે, તેની સામે વાંધો લીધો નથી. ક્લિન્થ બૂક્સ જેવા વિવેચકની ભૂમિકા એ રીતે ધ્યાનપાત્ર છે :&lt;br /&gt;
“If literary history has not been emphasized in the pages that follow, it is not because I discount its importance or because I have failed to take into account. It is rather that I have been anxious to see what residuum, if any, is left after we have referred the poem to its cultural matrix.”૪૮ (હવે પછીનાં પૃષ્ઠોમાં, સાહિત્યના ઇતિહાસ પર જો મેં ભાર મૂક્યો ન હોય, તો તે એ કારણે તો નહિ કે એનું મહત્ત્વ હું ઓછું લેખવા માગું છું. અથવા એ આખી બાબત મારા ધ્યાનમાં આવી નથી; પણ તે એટલા માટે કે કલાકૃતિને એના સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકી જોયા પછી ય એમાં એનો કોઈ કલાત્મક સારભૂત અંશ (residuum) શેષ રહે છે કે નહિ તે જોવામાં મને રસ હતો.) આમ, ઐતિહાસિક અભિગમ અને નવ્ય વિવેચકોનો આકારવાદી અભિગમ–એ બે યાદૃચ્છિકપણે સ્વીકારી શકાય તેવી બાબત નથી. સાહિત્યકલાના સ્વરૂપ વિશે તમે કઈ સમજ ધરાવો છો, સાહિત્યની કઈ વિભાવના લઈને ચાલો છો, તે મુદ્દો અહીં અત્યંત મહત્ત્વનો બને છે. બળવંતરાયની સાહિત્યવિચારણા પાછળની તાત્ત્વિક ભૂમિકા, કદાચ, એટલી સ્પષ્ટ નથી; તો પણ, એમાં સાહિત્ય એ ઐતિહાસિક સંયોગો અને પરિબળોની નીપજ છે એ ભૂમિકા સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી.&lt;br /&gt;
‘સોરાબ અને રુસ્તમ’ વિશેના વિવેચનમાં ઐતિહાસિક ભૂમિકા સ્વીકારાઈ છે એ તો ખરું જ; એમાં સાથોસાથ તુલનાત્મક પદ્ધતિનો પણ સ્વીકાર છે. તુલનાત્મક સાહિત્ય – comparative literature – વિશે એ સમયે આપણે ત્યાં એવી કોઈ વિચારધારા નહોતી કે ખાસ અભિજ્ઞતા જન્મી નહોતી. પણ અન્ય ભાષાના વિવેચનમાંથી clue લઈને કે કેવળ આંતરસૂઝથી તેમણે અહીં તુલનાત્મક અભિગમ સ્વીકાર્યો છે. ફિરદૌસી અને આર્નલ્ડની કૃતિઓના સ્વરૂપભેદ અને શૈલીભેદને લક્ષમાં લઈ તેમણે બંનેની પરંપરાનું હાર્દ ખૂલ્લું કરવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.&lt;br /&gt;
સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અને કાવ્યપરંપરાના ખ્યાલો વિશે બળવંતરાયની ટીકાટિપ્પણીઓ ખરેખર માર્મિક અને તત્ત્વગ્રાહી છે. તેમના મતે મધ્યયુગીન સંસ્કૃત પરંપરાના કવિઓની રસદૃષ્ટિ ‘એકથી વધુ દૃષ્ટિએ દૂષિત’ અને ‘હીન’ થયેલી છે. પશ્ચિમની કાવ્યમીમાંસાના અભ્યાસથી એ વાત હવે સ્પષ્ટ થવા લાગી છે, એમ તેઓ કહે છે. જો કે આપણે ત્યાં કેવળ રૂઢ અલંકારશાસ્ત્રમાં ગતિ કરતા વિદ્વાનોને આ વાત બરોબર સમજાઈ નથી એવી તેમની માન્યતા છે. પાછળના સમયના અલંકારશાસ્ત્રીઓ પરંપરાપ્રાપ્ત મતો અને વિચારવલણોને જેમના તેમ સ્વીકારતા રહ્યા છે. સ્વતંત્ર પર્યેષકબુદ્ધિથી કાવ્યતત્ત્વનો ફેરવિચાર કરવાની તેમનામાં વૃત્તિ દેખાતી નથી. ‘મેઘદૂત’ વિશે મલ્લિનાથની ટીકાને અનુલક્ષીને તેમણે રજૂ કરેલું નિરીક્ષણ ધ્યાનાર્હ છે. તેઓ નોંધે છે કે... એ જમાનાનું રુચિતંત્ર કાલિદાસમાં જ્યાં ત્યાં આવી કામી દશાનું જ રહસ્ય શોધે એ સ્વાભાવિક છે. એટલે કાલિદાસ જેવા કવિઓને રૂઢ રુચિવૃત્તિથી કે પરંપરાગત કળાદૃષ્ટિએ નહિ, સ્વતંત્ર દૃષ્ટિએ મૂલવવા જોઈએ. અહીં તેમની ચર્ચામાં ગૂંચ ઊભી થતી હોવાનું લાગશે. અગાઉ ઐતિહાસિક અભિગમને લગતો ખ્યાલ સ્પષ્ટ કરતાં વિવેચ્ય કૃતિને એના મૂળ ઐતિહાસિક/સાંસ્કૃતિક સંદર્ભમાં જોવાને તેમણે અનુરોધ કર્યો હતો. અહીં તેઓ આધુનિક કળાવિચારના પ્રકાશમાં કાલિદાસાદિ કવિઓનું મૂલ્યાંકન કરવાને સૂચવે છે. તો, વિવેચનમીમાંસાનો આ એક ઘણો મોટો કૂટ પ્રશ્ન થયો! વિવેચકે પ્રાચીન મધ્યકાલીન પરંપરાના સાહિત્યને કેવી રીતે જોવું અને મૂલવવું ઘટે? કૃતિ/કર્તાને ‘ન્યાય’ કરવાની હંમેશાં વાત થાય છે. પણ આ ‘ન્યાય કરવો’ એટલે શું? સાહિત્યકૃતિને ન્યાય કરવો એટલે એનું સાચું ‘રહસ્ય’ પામવું, પણ તો એ કેવી રીતે શક્ય બને? સાહિત્યકૃતિને એવો કોઈ નિરપેક્ષ ‘અર્થ’ સંભવે છે ખરો, જે સમય જતાં ય કે દૂર સ્થળકાળમાં અવિકારી અને અપરિવર્ત્ય જળવાઈ રહે? અંતે, સાહિત્યકૃતિ એ કોઈ સમયબદ્ધ–ઇતિહાસબદ્ધ વસ્તુ છે કે સમયાતીત, તેનો ય ખ્યાલ કરવાનો આવે. આજે વિદ્વાનોનો એક વર્ગ એમ માને છે કે ભૂતકાળની કૃતિઓનું રહસ્ય વર્તમાનની ભૂમિકા પરથી જ સમજી શકાય. અર્થાત્‌, કૃતિને આપણી આજની સાંસ્કૃતિક ભૂમિકાએથી તેનું રહસ્ય ઘટાવીને–તેનું પુનઃ અર્થઘટન કરી આપીને–જ સાચી રીતે સમજી શકો. અને બીજા કેટલાક તો એમ કહે છે કે ભૂતકાળની કૃતિને તમે વર્તમાનની ભૂમિકાથી અળગા થઈને જોઈ જ ન શકો. અર્થાત્‌ ભૂતકાળની કોઈ પણ કૃતિનું હાર્દ વર્તમાનના સંદર્ભમાં જ પ્રગટ થતું હોય છે. એટલે આ પ્રશ્ન, અંતે, જ્ઞાનમીમાંસાના ક્ષેત્રમાં આપણને દોરી જતો જણાશે.&lt;br /&gt;
સાહિત્યાદિ કળાઓ સામાજિક હકીકત – social facts – છે, એમ બળવંતરાયે કહ્યું, અને સમાજજીવનના વિકાસ અર્થે તેનું અનન્ય મહત્ત્વ પણ તેમણે સ્વીકાર્યું; છતાં, કળાકૃતિઓ સર્વજનભોગ્ય હોય એમ તેઓ માનતા નથી. ઉત્તમ કળાકૃતિ માણવાને ભાવક અધિકારી હોવો જોઈએ, તેનામાં એ વિશે પૂરી સજ્જતા હોવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું છે. માતૃભાષામાં લખાયેલી પણ ખરેખરી નીવડી આવેલી કળાકૃતિના અનુભાવન અર્થે ય ભાવક પાસે મોટી તૈયારી જોઈએ. ‘બુદ્ધિ જ્ઞાન અને કવિતા પરિચયના પ્રમાણમાં જ – તેની કલ્પનાની કેળવણીના પ્રમાણમાં જ – તે ગ્રહણ કરી શકશે’, એમ તેઓ કહે છે. ગાંધીજી જ્યારે સાહિત્ય લોકગમ્ય બને તેની હિમાયત કરતા હતા, ત્યારે બળવંતરાય જેવા, ભાવકની રસગ્રહણ શક્તિ ખિલવવાને આગ્રહ રાખતા હતા : “કલાકૃતિના અણુ-અણુમાં અનુસ્યૂત કલાનો આત્મા, રસ-સંસ્કાર પામેલી બુદ્ધિ અને સૂક્ષ્મ સબળ બનેલી કલ્પનાને સંવેદ્ય છે, ન અન્યથા... કલા પામર ઇંદ્રિયો વડે ગ્રાહ્ય વસ્તુ જ નથી. કલાસૌન્દર્ય બુદ્ધિ અને કલ્પનાના ગ્રાહ્ય સૂક્ષ્મીકરણે જ બને છે.”૪૮  &lt;br /&gt;
સાહિત્ય અને વિવેચન બંનેય માનવસમુત્ક્રાંતિના ક્રમમાં વિકસતી, વિકાસશીલ, અને વિકાસોન્મુખ વસ્તુઓ છે. જે તે યુગનાં ‘સત્યો’ બંનેના હાર્દમાં નિહિત રહ્યાં હોય છે. અને સર્જકે તેમ વિવેચકે, જ્યાં સુધી જીવન અને જગત વિશે નવાં ‘સત્યો’ ઉદ્‌ભાસિત ન થાય ત્યાં સુધી એ ‘સત્યો’ને વળગી રહેવાનું છે, કે તેને જ અનુસરવાનું છે, એમ તેઓ કહે છે. પણ પ્રાપ્ત થયેલાં ‘સત્યો’ પણ કોઈ જડ વસ્તુ નથી. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ’  એ ન્યાયે ‘સત્ય’ ‘સત્ય’ વચ્ચે ટકરામણો ચાલતી રહે છે, અને નવું ‘સત્ય’ પ્રકાશિત થાય છે. એટલે વિવેચન અર્થે જે તે યુગનાં પોતાનાં ‘સત્યો’ને જ લક્ષમાં લેવાનાં રહે, અને જ્યારે નવાં ‘સત્યો’ જડશે અને નવું શાસ્ત્ર ઊભું થશે, ત્યારે વિવેચનમાં એક નવી વ્યવસ્થા ઊભી થઈ હશે, કે રચવી પડશે.&lt;br /&gt;
પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87770</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87770"/>
		<updated>2025-04-27T07:49:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;1.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87769</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87769"/>
		<updated>2025-04-27T07:48:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
1&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87768</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87768"/>
		<updated>2025-04-27T07:47:33Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;1&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87767</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87767"/>
		<updated>2025-04-27T07:46:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;1&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87766</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87766"/>
		<updated>2025-04-27T07:45:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&#039;&#039;&#039;૧. &#039;&#039;&#039;&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87765</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87765"/>
		<updated>2025-04-27T07:45:17Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. &#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87698</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87698"/>
		<updated>2025-04-24T15:34:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. &#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87697</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87697"/>
		<updated>2025-04-24T15:33:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. &#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87696</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87696"/>
		<updated>2025-04-24T15:32:01Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૧.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87695</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87695"/>
		<updated>2025-04-24T15:30:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૧.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87694</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87694"/>
		<updated>2025-04-24T15:29:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
૧&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87693</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87693"/>
		<updated>2025-04-24T15:29:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
૧.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87692</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/II_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_(%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%A6%E0%AA%AF%E0%AB%81%E0%AA%97)&amp;diff=87692"/>
		<updated>2025-04-24T15:28:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }} {{Poem2Open}} {{center|&amp;lt;poem&amp;gt;૧.&amp;lt;/poem&amp;gt;}} ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું. આ અંગે, અલબત્ત, આ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૧.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.&lt;br /&gt;
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે. &lt;br /&gt;
ખરેખર તો, વિવેચક જ્યારે નવા નવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવતી કૃતિઓ સાથે કામ પાડવા તૈયાર થાય છે, ત્યારે એ કૃતિઓ સાથેના મુકાબલામાં જ તેને અવનવા પ્રશ્નો થાય, થવા જોઈએ. કૃતિને જોવાતપાસવાનો સાચો અભિગમ કયો, કળાના કયા ખ્યાલો લઈને (કે એવા કશાય ખ્યાલ વિના?) કૃતિ પાસે જવું જોઈએ, જૂનીનવી કૃતિઓને એકસરખાં ધોરણોથી તપાસાય કે તેમાં વિવેકવિચાર કરવો ઘટે, મૂલ્યાંકનનાં ક્યાં ધોરણો સાચાં કયાં ખોટાં, એ ધોરણોનો મૂળ સ્રોત ખરેખર કયાં. આવા અનેક પ્રશ્નો તેના મનમાં અર્ધ કે અલ્પસ્પષ્ટ રૂપમાં પ્રત્યક્ષ થયા હોવા જોઈએ. આપણે એવા બધા પ્રશ્નોને અહીં અલગ રેખાંકિત કરી લેવા ચાહીએ છીએ.&lt;br /&gt;
આપણી અત્યાર સુધીની વિવેચનતત્ત્વવિચારણાને બે તબક્કાઓમાં અલગ પાડીશું. પહેલો તબક્કો નર્મદ-નવલરામના કાર્યથી આરંભી લગભગ ૧૯૫૫ સુધીનો ગણીશું. બીજો તબક્કો ૧૯૫૫ પછીની ચર્ચાઓનો રહેશે. આવી વ્યવસ્થા કરીને વિચારવામાં કેટલીક સુગમતા રહેશે. આપણે જોઈશું કે આ પહેલા તબક્કામાં સાહિત્યકળા વિશે કેટલીક ભિન્ન વિચારણાઓ અસ્તિત્વમાં આવી હતી, તેમ છતાં સ્વાતંત્ર્યોત્તર ગાળાની આધુનિકતાવાદી કળાવિચારણાની સામે, એ ઠીક ઠીક સમાન ભૂમિકા ધરાવે છે. એ ગાળામાં વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વિવેચકની ભૂમિકા વિશે વળી ઘણી સમાન રૂપની સમજ પ્રવર્તતી રહી દેખાય છે. આથી ભિન્ન, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં સહિત્યની કળા અને સર્જકતા વિશેની ભૂમિકા ઘણી મૂળભૂત રીતે બદલાઈ, અને વિવેચનના સ્વરૂપાદિની વિચારણાઓ પણ જુદી જુદી રીતે વિકસી. એક બાજુ, સાહિત્યસર્જનમાં આકાર અને આકારવાદની પ્રતિષ્ઠા થઈ, બીજી બાજુ, વિવેચનવ્યાપારને અનુષંગે ‘આસ્વાદ’નો મહિમા થયો. પાશ્ચાત્ય વિવેચનમાં ‘નવ્ય વિવેચન’, ‘આકારવાદી વિવેચન’ કે ‘રસલક્ષી વિવેચન’ તરીકે જાણીતી થયેલી વિવેચનપ્રવૃત્તિની એમાં મોટી પ્રેરણા રહી છે. સાહિત્યકળાનું મુખ્ય પ્રયોજન જ રસનિષ્પત્તિનું છે, એટલે ભાવક/વિવેચકની કૃતાર્થતા કૃતિની પૂર્ણ રસાનુભૂતિમાં રહી છે એ ખ્યાલ દૃઢમૂલ થયો. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આ રીતે ‘આસ્વાદ’ના નામથી ઓળખાતી વિવેચનપ્રવૃત્તિની જોરશોરથી આપણે ત્યાં પ્રતિષ્ઠા થઈ ત્યારે, બહુ સ્વાભાવિક રીતે જ, આગલા તબક્કાના વિવેચનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ વિશે નવી પેઢીના અભ્યાસીઓમાં તીવ્ર સભાનતા જન્મી પડી. ખરી વાત એ છે કે, આગલા તબક્કામાં વિવેચકોએ કૃતિવિવેચનની જે પ્રવૃત્તિઓ કરી તેમાં તેમણે અપનાવેલી વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ વિશેષ અભિજ્ઞતા નહોતી, કૃતિના વિવેચન-મૂલ્યાંકન અર્થે વારંવાર તેઓ કર્તાના જીવનચરિત્રને, તેની મનોસૃષ્ટિને કે તેના જીવનવિચારને લક્ષમાં લેતા હતા. કૃતિના ઉદ્‌ભવ પાછળની સામાજિક કે માનસિક પરિસ્થિતિની તપાસ કરતા હતા, અને કર્તાના મૂળ આશયને શોધીને કે તેનો અંતઃપ્રેરણાથી સ્વીકાર કરીને તેઓ કૃતિના મૂલ્યાંકનમાં પ્રવૃત્ત થતા હતા. આજે આપણે જેને ચરિત્રલક્ષી વિવેચન, નૈતિક વિવેચન, ઐતિહાસિક અભિગમવાળું વિવેચન, તરીકે ઓળખાવીએ છીએ તેનો ઓછે-વત્તે અંશે તેમાં સંયોગ થઈ જતો હતો. પણ આ જાતના અભિગમો/પદ્ધતિઓ વિશે સભાનતાપૂર્વક વિચારવાનું, કે દરેક અભિગમના વ્યાજબીપણાના પ્રસ્તુતતાના કે પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરવાનું વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આકારવાદી વિવેચનની પ્રતિષ્ઠા સાથે જ આવા બીજા અભિગમોની તાત્ત્વિક ચર્ચા કરવાનું વલણ આપણે ત્યાં જન્મ્યું. અને વળી વિવેચનમીમાંસાના બીજા યે કેટલાક મૂળભૂત પ્રશ્નાને ઊભા કરવાનું આ ગાળામાં જ બન્યું. એ રીતે, સ્વાતંત્ર્યોત્તર ગાળાની વિવેચનતત્ત્વવિચારણા એક જુદા જ તબક્કામાં પ્રવેશતી જણાશે.&lt;br /&gt;
અલબત્ત, નરસિંહરાવે તેમના જમાનામાં કવિતાના ‘રસદર્શન’ની બે ‘પદ્ધતિઓ’ વિશે, પ્રસંગોપાત્ત જ, એક લેખ લખેલો. બળવંતરાયે પણ કવિતાશિક્ષણ નિમિત્તે કાવ્યકૃતિના વસ્તુલક્ષી વર્ણનવિવરણની એક આગવી પરિપાટી ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. વળી, પ્રસંગોપાત્ત વિવેચનની ઐતિહાસિક તુલનાત્મક રીતિનો સંક્ષિપ્ત ખ્યાલ પણ તેમણે રજૂ કર્યો છે. પણ આ જાતના પ્રયત્નો વિવેચનક્ષેત્રમાં વ્યાપક સ્વીકાર પામ્યા નથી. તેમ વિવેચનપદ્ધતિ વિશે એવી કોઈ સભાનતા જગાડવામાં ય તે કારગત નીવડ્યા હોય એમ દેખાતું નથી. આ જાતની પદ્ધતિ વિશેની ખરી તાત્ત્વિક ચર્ચા તો આપણા સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જ આરંભાઈ.&lt;br /&gt;
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૨.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનાં વૃદ્ધિવિકાસ અને તેના શ્રેય અર્થે ‘ટીકા’ (સાહિત્યવિવેચન કે સમીક્ષાના અર્થમાં તેણે આ શબ્દ યોજેલો છે, એમાં વસ્તુ/વ્યક્તિની નિંદા, કટુ આલોચના, કે censureનો એક બાજુ ઢળતો અર્થ તેને અભિમત નથી.) પ્રવૃત્તિનો આરંભ થાય એમ તે ઇચ્છતો હતો. અગાઉના પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તેમ, ગુજરાતીમાં પુસ્તકોની ‘ટીકા કરવાની ચાલ નિકળવી જરૂરી છે’ એમ તેને સમજાઈ ચૂકયું હતું. ગ્રંથની ‘સમજ’ માટે ‘ટીકા પ્રવૃત્તિની અનિવાર્યતા તે અનુભવી રહ્યો હતો. ટીકાનાં પ્રયોજનો અને તેની અગત્ય વિશે તે કહે છે : “જો ટીકા કરનાર ન હોત તો ગ્રંથ સમજાત નહીં, ગુણદોષ માલુમ પડત નહીં, ગ્રંથકાર છકી જાત; તે પછી સારા ગ્રંથ લખત નહીં અને લોકમાં અનાચાર થાત. પોતાનાથી પૂર્વે થયેલા ગ્રંથકારોના દોષગુણ જાણ્યાનો ફાયદો કોઈ ગ્રંથકાર લેતો નથી એમ તો કદી માનવામાં આવનાર જ નહીં. ટીકા કરવાની મુખ્ય મતલબ એ કે સારુંનરસું બતાવવું અને તેમાં વિશેષે નરસું બતાવવું કે જે જલદીથી દૂર કરવું જરૂરનું છે.”૪ અને પોતાના આ ખ્યાલના સમર્થનમાં નર્મદ ઉમેરે છે : “જાંહાં વિદ્યા છે : તાહાં વાદ છે જ, અને તેમાં ટીકા થયા વગર રહેતી જ નથી, જેથી લોકોને અમૂલ્ય લાભ થાય છે.”૫ અહીં આપણે એક વાત એ સ્મરણમાં રાખવાની છે કે નર્મદ ટીકાપ્રવૃત્તિની અનિવાર્યતા માત્ર સર્જનાત્મક સાહિત્યના સંદર્ભે જ નહિ, ચિંતનમનનના બધા જ ગ્રંથો પરત્વે સ્વીકારે છે. કહો કે ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ તેના મનમાં પડ્યો છે. ‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ’નો ખ્યાલ અહીં તે પોતાની રીતે મૂકી રહ્યો છે. આપણે આગળ જોઈશું કે, નવલરામ મણિલાલ ગોવર્ધનરામ આદિ વિદ્વાનો પણ ગ્રંથસમીક્ષાની વાત કરતાં ‘સાહિત્ય’નો વ્યાપકમાં વ્યાપક અર્થ સ્વીકારીને ચાલે છે. એમ બનવું એક રીતે સ્વાભાવિક પણ છે. ‘જ્ઞાનલક્ષી સાહિત્ય’ (Literature of Knowledge) ‘રસલક્ષી સાહિત્ય’ (Literature of Power) એવા સ્પષ્ટ ભેદ કરીને, કેવળ ‘રસલક્ષી સાહિત્ય’ના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ આપણે ત્યાં ક્રમશઃ બંધાનું રહ્યું છે. છેક આ સદીના પૂર્વાર્ધમાં વિજયરાય વૈદ્ય પશ્ચિમના જાણીતા વિવેચક ડિ ક્વિન્સિને અનુસરીને સાહિત્યના આવા બે પ્રકારો પાડે છે, તે ઘટના ઓછી સૂચક નથી. &lt;br /&gt;
નર્મદની દૃષ્ટિએ વિવેચકનું મુખ્ય કાર્ય કૃતિ/કર્તા વિશે મૂલ્યનિર્ણય કરવાનું છે. વિવેચક એ રીતે જડ્‌જની ભૂમિકાએ પ્રતિષ્ઠિત થાય છે. કૃતિના ગુણો અને દોષો બંને ય વિવેચકે ચીંધી બતાવવાના છે, પણ તેમાંની ક્ષતિઓ-ઊણપો તરફ લેખકનું વિશેષ ધ્યાન ખેંચવાનું છે, એમ તે કહેવા ચાહે છે. પણ દોષદર્શન પર ભાર શા માટે? મને એમ સમજાય છે કે અર્વાચીન યુગના બિલકુલ આરંભકાળમાં આપણે ત્યાં તરુણ શિક્ષિતોની પહેલી બીજી પેઢીએ કેવળ ઉત્સાહના ઉદ્રેકમાં જે કંઈ લખ્યું અને છપાવ્યું, તેમાં ઘણી ઘણી કચાશો અને ત્રુટિઓ રહી ગઈ હતી, અને એ સમકાલીન સાહિત્યિક પરિસ્થિતિએ તેને આમ કહેવા પ્રેર્યા હશે. વળી, નર્મદ સ્પષ્ટ કરે છે કે ‘ટીકા’ દ્વારા ગ્રંથનું ‘રહસ્ય’ સુગમ બને છે. જો કે સુગમ શી રીતે બને છે તે વિશે તેણે વિગતે વાત કરી નથી.&lt;br /&gt;
સાહિત્ય અને વિદ્યાઓનાં વૃદ્ધિવિકાસ અર્થે ટીકાપ્રવૃત્તિ અનિવાર્ય છે, એટલું જ નહિ, ‘લોકોના કલ્યાણ’ અર્થે તે વિકસતી રહેતી જોઈએ, એમ પણ તે માને છે. આમ વિવેચકને માત્ર કૃતિ કે કર્તા સાથે જ નહિ, વ્યાપક પ્રજાજીવનનાં શ્રેયાશ્રેય સાથે ય સીધી નિસ્બત રહી છે, એમ તેને સૂચવવું છે.&lt;br /&gt;
વિવેચનપ્રવૃત્તિ સ્વીકારતા અભ્યાસીની સજ્જતા અને અધિકાર વિશે તેણે માર્મિક વાત કહી છે. “જેનામાં સ્વાભાવિક બુદ્ધિ, પ્રાપ્ત કરેલી વિદ્યા અને સારુંનરસું સમજવાનું રસજ્ઞાન છે, તે ટીકા કરવાને યોગ્ય છે. જેને જે વાતની ખબર નથી તેણે તે વાત ઉપર ટીકા કરવી નહીં. જે વાત ઉપર ટીકા કરવી હોય તે વાતનું ટીકા કરનારે થોડુંઘણું પણ અનુભવજ્ઞાન મેળવવું જોઈએ. જેણે સારી ટીકા કરવી છે તેણે તો પૂરું જ્ઞાન મેળવવું જોઈએ.”૬ આ અવતરણમાં ‘સ્વાભાવિક બુદ્ધિ’ સંજ્ઞાથી તેને કદાચ natural talent કે geniusનો ખ્યાલ સૂચવવો છે. વિવેચક પાસે આ પ્રકારની natural talent હોય જ, એ તો પ્રથમ અનિવાર્યતા, પણ એ સાથે પ્રયત્નપૂર્વક તેણે વિદ્યાઓ પણ પ્રાપ્ત કરી હોવી જોઈએ, અને ‘સારુંનરસું સમજવાનું રસજ્ઞાન’ પણ જોઈએ એમ તે કહે છે ‘રસજ્ઞાન’થી તેને રસવૃત્તિ, સૌંદર્યવૃત્તિ, કે tasteનો ખ્યાલ સૂચવવો છે, એ તો તરત સમજાય એવું છે. એ રસવૃત્તિ એવી રીતે કેળવાયેલી હોય કે રસકીય દૃષ્ટિએ ‘સારુંનરસું’નો બારીક વિવેક તે કરી શકે, એમ પણ તે કહેવા ચાહે છે. એક રીતે, પ્રાચીન કાવ્યશાસ્ત્રનો ભાવયિત્રીનો ખ્યાલ તે અહીં પોતાની ભાષામાં મૂકી આપે છે.&lt;br /&gt;
આ સાથે ટીકાપ્રવૃત્તિ કરનારને તે ચેતવણી પણ આપે છે – “ઈનસાફ કરવો અઘરો છે. જો બરાબર ઈનસાફ ન થયો તો બચારો ગ્રંથકાર વગર કારણે માર્યો જાય અથવા સરપાવ લઈ જાય. માટે ટીકા કરનારે બરાબર ન્યાય કરવો જોઈએ. કોઈએ દ્વેષભાવથી ટીકા કરવી નહીં.”૭ નર્મદની આ વાત આજે ય એટલી જ પ્રસ્તુત છે, આવતી કાલેય રહેશે.&lt;br /&gt;
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;૩.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯&lt;br /&gt;
નવલરામે ‘કવિતા’ ‘રસ’ ‘સૌંદર્ય’ ‘હાસ્ય’ આદિ વિષયો પર કેટલુંક તૂટક તૂટક પણ સર્વથા મૌલિક અને સ્વતંત્ર દૃષ્ટિનું ચિંતન કર્યું છે. તેમની તેજસ્વી મેધાનો તણખો તેમનાં આ પ્રકારનાં લગભગ બધાં લખાણોમાં જોઈ શકાશે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા લઈને જન્મેલી આપણી કાવ્યચર્ચાના કેટલાક બિલકુલ પાયાના પ્રશ્નોને તેમણે ત્યાં સ્પર્શ્યા છે. પણ તેમનું એટલું જ, બલકે કેટલાક વિદ્વાનોના મતે વધુ મહત્ત્વનું, અર્પણ તે પ્રત્યક્ષ વિવેચનક્ષેત્રનું છે. આપણા ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં સાચે જ તેઓ મોટા pioneer રહ્યા છે. અલબત્ત, ગ્રંથ-અવલોકન (review)ના હેતુથી તેમનાં ઘણાંએક લખાણો તૈયાર થયાં હતાં, પણ એમાંનાં કેટલાંક વિસ્તૃત પણ તેજસ્વી અધ્યયનો જેવાં બન્યાં છે. ‘કરણઘેલો’ ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ‘કાન્તા’ ‘નાટક-શાળા ને ગોપીચંદ નાટક’ ‘સુબોધ ચિંતામણિ’ ‘કરસનદાસ મૂળજી ચરિત્ર’ જેવાં ગ્રંથવિવેચનો ઉપરાંત ‘પ્રેમાનંદ’ ’કવિ નર્મદાશંકરની કવિતા’ ‘નર્મકવિની પ્રસ્તાવના’ અને ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ’ જેવાં બીજાં વિવેચનાત્મક લખાણોમાં તેમની વિવેચકપ્રતિભા વધુ અખિલાઈમાં સક્રિય બનેલી જોઈ શકાશે. જો કે ગ્રંથ સમીક્ષાની બાબતમાં તેમની પૂર્વે આપણે ત્યાં કોઈ પરંપરા નહોતી, એટલે આ ક્ષેત્રમાં તેમની પ્રવૃત્તિ તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનથી પ્રેરાયેલી હોય તે સમજી શકાય તેમ છે.&lt;br /&gt;
કૃતિવિવેચનની પ્રવૃત્તિ નવલરામે પૂરી ગંભીરતાથી, સંનિષ્ઠાથી, અને લેખક વાચક અને વિશાળ સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વના તીવ્ર ભાન સાથે, સ્વીકારેલી છે. પોતાના સમયની આવશ્યકતાઓને વરતીને તેમણે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિ વિશે આગવી સૂઝ કેળવી લીધી દેખાય છે. જો કે ભિન્ન ભિન્ન પ્રકારની, ભિન્ન ભિન્ન શૈલીની કૃતિઓને અનુલક્ષીને ચર્ચાવિચારણાના મુદ્દાઓ તેઓ બદલતા રહ્યા છે. આમ છતાં, કૃતિવિવેચન પરત્વે તેમનો અમુક સ્થિર અભિગમ રહ્યો છે. જે તે વિવેચ્યકૃતિના સાહિત્યસ્વરૂપ વિશે, કર્તાના આશય વિશે, યથાવકાશ કર્તાના મનોગત વિશે, કૃતિના ‘રહસ્ય’ કે ‘તાત્પર્ય’ વિશે, કૃતિને ઘડનારાં આંતરબાહ્ય પરિબળો વિશે, ભાષાશૈલી રચના-વિધાન કે એવા બીજા રચનાગત પ્રશ્નોને વિશે, ભાવક સમુદાય પર પડનારી સારીમાઠી અસરો વિશે, અને પ્રસંગે કૃતિના ભાષાંતર આદિના પ્રશ્નો વિશે – એમ કૃતિની આસપાસ રહીને તેમ કૃતિના હાર્દમાં જઈ આવીને તેઓ તેનો વિચાર કરવા પ્રેરાયા છે. પણ પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે વિવેચનમાં આટલા ઊંડા પરોવાયા હોવા છતાં નવલરામે વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે સ્વતંત્ર લેખરૂપે પોતાના વિચારો ક્યાંય મૂક્યા નથી. તેમણે પોતે ગ્રંથસમીક્ષક તરીકે જે રીતે ભૂમિકા ભજવી છે, તેમાંથી તેમ તૂટક તૂટક પ્રસંગોપાત્ત રજૂ કરેલા વિચારોમાંથી એ વિશે અંદાજ બાંધવાનો રહે.&lt;br /&gt;
અને, એ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે, વિવેચકને તેમણે પણ નર્મદની જેમ ન્યાય તોળનારના રૂપમાં સ્વીકાર્યો છે. કૃતિના ગુણદોષ અવલોકવા અને તેને વિશે સમગ્રલક્ષી મૂલ્યનિર્ણય કરવો એ તેનું મુખ્ય કાર્ય છે એમ તેઓ માનતા હતા. પણ એ સાથે ભાવકોની રસવૃત્તિ સંસ્કારવી, ખીલવવી, સાહિત્યના શ્રેય અર્થે તેમ સમાજની સંસ્કારિતાના જતન અર્થે સત્ત્વહીન કૃતિઓને જાકારો દેવો, તરુણ લેખકોને પ્રોત્સાહન આપવું તેમ તેના માર્ગદર્શક બનવું, પણ સર્વથા નિષ્ફળ અને અર્થહીન લખાણોને સાહિત્યમાં પ્રતિષ્ઠિત ન થવા દેવાં–એવાં એવાં અનેક કાર્યો તેમણે સ્વીકારેલાં છે. ‘નાટકશાળા’ વિશેના વિવેચનમાં આપણી એ સમયની નાટકશાળાની હીન દશા જોઈને અત્યંત વ્યગ્ર હૈયે નવલરામ લખે છે : “આવી હાલ આપણી નાટકશાળાઓની સ્થિતિ આખા ગુજરાત ખાતે છે, અને તેને સુધારવાનો ખરો ઉપાય એ જ છે કે તેનું વિવેચન, નિરંતર વિવેચન, ખરા રસજ્ઞ પુરુષોની તરફથી થવું જોઈએ... નઠારાં નાટકને કાઢવાનો ઉપાય એ જ છે કે સારાં નાટકને ઓળખી તેને ઉત્તેજન આપવું, અને તેના જે દોષ હોય તે વિવેકથી બતાવવા.”૧૦ વિવેચનના સામર્થ્ય વિશે ત્યારે નવલરામમાં કેટલી ઊંડી શ્રદ્ધા હતી! ‘રામારત્નનિરૂપણ’ લેખમાં, પ્રસંગોપાત્ત, તે સમયના, ઉખાણા જેવી—જોડકણા જેવી—‘કવિતા’ લખનારા તરુણ કવિઓની તેમણે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. આવી કાવ્યાભાસી રચનાઓ કરવાની જે પ્રવૃત્તિ તેમના સમયમાં ફૂલીફાલી હતી તેને રોકવા ‘સખત ટીકાકારો’ની તેમને ઘણી મોટી જરૂરિયાત વરતાઈ હતી. એ સમયે નવી કેળવણીનો પ્રસાર થઈ રહ્યો હતો અને છાપખાનાંઓ નીકળવા લાગ્યાં હતાં, એટલે થોકબંધ કાચુંપાકું સાહિત્ય—વિશેષે તો કાચું સાહિત્ય—પ્રગટ થઈ રહ્યું હતું; અને એ સર્વ સાહિત્યની સમીક્ષા અર્થે જ વિવેચનના ‘ત્રૈમાસિક’ની પણ તેમને ત્યારે મોટી અનિવાર્યતા લાગી હતી. તેઓ સ્પષ્ટપણે માને છે કે વિવેકપૂત વિવેચનના અભાવમાં ‘ભાષા’ ‘બગડે’ છે, અને ‘નઠારી’ ચોપડીઓ વધતી રહે છે. અને એનાં દૂરગામી પરિણામોનો વિચાર પણ તેઓ કરી લે છે : “સૌથી વધારે નઠારું પરિણામ એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, અને વિદ્વત્તાનો શોખ ઘટે છે”૧૧ આમ, નવલરામ વિવેચક સામે ઘણી મોટી જવાબદારી મૂકે છે : સમસ્ત પ્રજાની કળાભિરુચિની ખિલવણી અને વિદ્યાભક્તિ અર્થે, વિવેચકે જ સઘળો પુરુષાર્થ કરવાનો રહે છે. પ્રજાની સંવેદનશીલતા અને સંસ્કારિતાનું તેણે જ જતન સંવર્ધન અને સંરક્ષણ કરવાનું છે. કેવળ કૃતિ કે કર્તા સાથે નહિ, પ્રજાનાં સાહિત્ય સંસ્કાર અને તેની સર્વ માનવવિદ્યાઓ (Humanities)ના વિકાસ અર્થે તેણે પ્રવૃત્ત થવાનું છે.&lt;br /&gt;
પોતાના યુગના સાહિત્યની ગતિવિધિઓને અનુલક્ષી વિવેચકનો ધર્મ સ્પષ્ટ કરતાં એક સંદર્ભમાં તેઓ કહે છે : “જે સમયે કોઈ લખતું નહોતું ત્યારે જેવી રહેમિયત રાખતા હતા તેવી હવે રાખવાની જરૂર નથી. એવી રહેમિયત રાખવાથી સારું ને નઠારું લખાણ અંધેરી નગરીની પેઠે એક જ ભાવે વેચાય છે. સારા ગ્રંથને વખાણવા અને નઠારાને તોડી પાડવા એ ગ્રંથપરીક્ષકોનો દુનિયામાં સઘળે ઠેકાણે ધર્મ ગણાય છે.”૧૨ અહીં પણ કૃતિઓના કડક મૂલ્યાંકનની પ્રવૃત્તિ અર્થે તેઓ જોરદાર હિમાયત કરે છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના તાત્ત્વિક મુદ્દાઓ અંગે તેમણે ક્યાંય વિસ્તૃત ચર્ચા કરી નથી, પણ વિવેચનાત્મક લખાણોમાં ક્યાંક ક્યાંક મૂલ્યવાન વિચારો વેરાયેલા મળી આવે છે ખરા. ‘કવિ નર્મદાશંકરની કવિતા’ શીર્ષકના લેખમાં, અણજાણપણે જ કદાચ, વિવેચનનાં ધોરણોના પ્રશ્નને તેઓ સ્પર્શી રહે છે. ગુજરાતના શિક્ષિત વર્ગમાં કોની કવિતા ચઢિયાતી—નર્મદની કે દલપતરામની—એવો ઉગ્ર વિવાદ ત્યારે જન્મી પડ્યો હતો. નવલરામે ત્યારે જોયું હતું કે નર્મદની કવિતામાં દાખલ થયેલાં નૂતન કળાતત્ત્વો વિશે અમુક જૂથ પસંદગી વ્યક્ત કરતું હતું, બીજું જૂથ તેની સામે અરુચિ પ્રગટ કરતું હતું. એ સંદર્ભમાં નવલરામ કહે છે : “જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે નર્મકવિતાની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત ડાહી, અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય, એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે એમ લાગનું નથી.”૧૩ વિવેચનમીમાંસાના એક કેન્દ્રીય પ્રશ્નને નવલરામ અહીં સ્પર્શી રહ્યા છે. કૃતિ કે કર્તાને વિશે સર્વમાન્ય કે બહુમાન્ય એવા મૂલ્યનિર્ણય (evaluation) અર્થે કૃતિવિવેચનના ‘અચળ’ નિયમોની આવશ્યકતા તેઓ અહીં દર્શાવે છે. એ રીતે ‘નિષ્પક્ષપાતપણાથી’ અને ‘ડહાપણથી’ ‘સર્વમાન્ય એવી સભા’ રચવાનું મહત્ત્વ તેઓ દર્શાવે છે. ‘સભા’ શબ્દથી તેમને consensusનો ખ્યાલ અભિપ્રેત હોવાનું સમજાય છે. આવી ‘સભા’ રચ્યા વિના કૃતિ વિશેનાં મતમતાંતરોનો કોઈ ઉકેલ આવે તેમ નથી એમ તેઓ કહે છે. માત્ર અંગત ‘લાગણી’ કે ‘રુચિ’થી એવો પ્રશ્ન ઊકલી શકશે નહિ. અહીં, અલબત્ત, નવલરામે વિવેચનના ‘અચળ નિયમો’ની વાત કરી છે, પણ કળામીમાંસા અને સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં અત્યારે જે અનેક સિદ્ધાંતો, વાદ અને વિભાવનાઓ પ્રવર્તે છે, અને વળી પેઢીએ પેઢીએ વિવેચનવિચારના ક્ષેત્રમાં જે રીતે ઝડપી ઊથલપાથલ થઈ રહી છે, અને ખંડનમંડનની પ્રવૃત્તિ ચાલી છે, તે જોતાં તેમાં ‘અચળ’ નિયમની શોધ ઘણી મુશ્કેલ બની છે, તેમ તેમણે ઇચ્છેલી ‘સભા’ રચવાનું ય મુશ્કેલ બની ગયું છે. અને છતાં કહેવું જોઈએ કે તેમની આ સમજ અણીશુદ્ધ સાચી છે ‘સભા’ રચવાનું કામ ગમે તેટલું મુશ્કેલ હોય તો પણ કૃતિવિવેચનમાં કંઈક વ્યવસ્થા જેવું નિર્માણ કરવું હોય કે શિસ્ત ઊભી કરવી હોય, તો વિવેચનનાં પ્રાસંગિક અને ટકાઉ મૂલ્યો વચ્ચે નિરંતર વિવેકવિચાર (discrimination)ની જરૂર રહે જ છે.&lt;br /&gt;
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87691</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87691"/>
		<updated>2025-04-24T15:25:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;ref&amp;gt;&amp;lt;/ref&amp;gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’.&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્‌ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે.&lt;br /&gt;
પશ્ચિમમાં આ સદીમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સૌંદર્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માર્ક્સવાદ, ભાષાવિજ્ઞાન, સંરચનાવાદ, જ્ઞાનમીમાંસા આદિ વિભિન્ન જ્ઞાનવિજ્ઞાનના સહયોગમાં એના મૂળભૂત મુદ્દાઓની ચર્ચા ત્યાં આરંભાયેલી છે. કૃતિવિવેચનની સાથોસાથ સાહિત્યચર્ચાઓ તો ખરી જ, પણ વિવેચનમીમાંસાના પ્રશ્નો ય એ ક્ષેત્રમાં ઉમેરાયા છે. એટલે, વિવેચન-પ્રવૃત્તિના સ્વરૂપ અને કાર્ય વિશે, અગાઉ જે રૂઢ ખ્યાલો પ્રચલિત હતા તે હવે હચમચી ઊઠ્યા દેખાય છે.&lt;br /&gt;
એ ખરું કે સાહિત્યક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ એ સર્જનપ્રવૃત્તિ પર અવલંબતી, અને એને અનુષંગે ઉદ્‌ભવેલી, પ્રવૃત્તિ છે, જો કે, સાહિત્યશાસ્ત્રને (જેમ સૌંદર્યમીમાંસાને) જ્ઞાનના એક અલગ અને સ્વતંત્ર વિષય લેખે સ્થાપવાનું વલણ પણ પશ્ચિમમાં જન્મ્યું છે. સાહિત્યશાસ્ત્રના પ્રશ્નોને અલગ પાડીને તપાસીએ, તો જ તેની સાચી ઓળખ થઈ શકે એવી સમજ તેમાં પડેલી છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના ક્ષેત્રની વાત કરીએ તો, પશ્ચિમમાં આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણચાર સૈકાઓથી કે તેથી પણ કંઈક વધુ સમયથી ચાલતી હોવાનું જણાય છે. પણ, વિવેચનના સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ વિશે છેલ્લાં સો દોઢસો વર્ષોમાં ત્યાં નવાનવા ખ્યાલો સક્રિય બન્યા છે. આ સદીના મધ્ય ભાગે તો, કૃતિના મૂલ્યાંકનની શક્યતા વિશે તેમ કૃતિવિવેચનની ઉપયોગિતા વિશેય ત્યાં સંદેહો વ્યક્ત થવા લાગ્યા હતા. સત્ત્વશીલ કૃતિઓની ઓળખ કે સ્વીકૃતિમાં થતો વિલંબ, કૃતિના મૂલ્યાંકનમાં જન્મતા પારાવાર મતભેદો, મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓની બદલાતી ભૂમિકા, વિવેચનના વિધાનની પ્રમાણભૂતતાના પ્રશ્નો, કૃતિવિવેચન અર્થે સ્થિર વસ્તુલક્ષી ભૂમિકાના પ્રશ્નો, વર્તમાન જીવનની વિષમતા અને અરાજકતા, મૂલ્યહ્રાસ અને શૂન્યતાની દશા વચ્ચે મૂલ્યબોધની ભૂમિકા વિશે સંશય—આવાં આવાં કારણોને લીધે વિવેચનની આખીય પ્રવૃત્તિ કોઈ કોઈ સર્જક/વિવેચકને હવે મિથ્યા લાગવા માંડી છે, અથવા તેની ઉપયોગિતા વિશે પ્રશ્નો થવા લાગ્યા છે. પશ્ચિમના એક અભ્યાસી હેન્રી પિયરે ‘The Failures of Criticism’ નામના ગ્રંથમાં વિવેચનપ્રવૃત્તિની નિષ્ફળતાનાં અનેક દૃષ્ટાંતો આપીને આ પ્રવૃત્તિની સામેનાં જોખમો અને પડકારોની સરસ છણાવટ કરી છે. જુદા જુદા યુગની મહાન કૃતિઓ (કે મહાન સર્જકો)ને પિછાણવામાં તેના સમકાલીન વિવેચકો કેવી રીતે ચૂકી ગયા હતા, અને પાછળથી એ કૃતિઓને કેવી રીતે સ્વીકૃતિ મળી હતી તે વિશે તેમણે ઘણી રસપ્રદ ચર્ચાઓ એમાં કરી છે. આમ, વિવેચનપ્રવૃત્તિ સામે પ્રશ્નાર્થચિહ્નો મૂકાતાં રહ્યાં છે, અને છતાં એ પ્રવૃત્તિ અગાઉની જેમ જ એકધારી વણથંભી ચાલુ રહી છે. બલ્કે, એકી સાથે અનેક દિશાઓમાં તેનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. એમ લાગે કે વિવેચન હવે પોતાના સાચા સ્વરૂપને સમજવા અંતર્મુખી બની રહ્યું છે. પોતાના કાર્યવ્યાપાર વિશે, લક્ષ્યો અને પ્રયોજનો વિશે, તેમજ પદ્ધતિઓની સાર્થકતા પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતા વિશે તાત્ત્વિક ભૂમિકાએથી તે વિચાર કરતું થયું છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’—જેવી એક નવી વિદ્યાશાખા, એ રીતે, હવે આકાર લઈ રહી છે.&lt;br /&gt;
આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ.&lt;br /&gt;
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્‌નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે.&lt;br /&gt;
અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્‌ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે.&lt;br /&gt;
આમ અર્વાચીન સાહિત્યનું આપણે ત્યાં મંડાણ થયું, તેની સાથોસાથ જ વિવેચનની પ્રવૃત્તિ પણ આરંભાઈ. અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા નર્મદને વિવેચનપ્રવૃત્તિની મોટી આવશ્યકતા વરતાઈ હતી. ‘ટીકા કરવાની રીત’ શીર્ષકના એક નાના ટાંચણિયા લેખમાં તેણે આ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂરિયાત ભારપૂર્વક સમજાવી છે. તે કહે છે : “ગુજરાતી ભાષામાં અસલથી તે આજ લગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી. અર્થાત્‌, ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત્ત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કહેવાય છે ખરું. માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નીકળવી જરૂરની છે.”૧ જો કે, પુસ્તકોની ‘ટીકા’નું કાર્ય તેને હાથે આરંભાતું નથી. તેના વિદ્વાન મિત્ર નવલરામ, ખરેખર તો, એ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા. પણ, એ વિશે પછીથી.&lt;br /&gt;
આપણે અહીં એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, આપણી મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વિવેચનની પ્રવૃત્તિ ખેડાઈ નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રની ચર્ચાઓને ગુજરાતીમાં મૂકવાનો, તેનું ભાષ્ય રચવાનો, તેનું સારદોહન રજૂ કરવાનો, કે તેના કોઈ એક પાસા વિશે સ્વતંત્ર ચિંતન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન એ ગાળામાં થયો હોય એમ દેખાતું નથી. એ સાચું કે, નર્મદયુગના આરંભમાં ભુજની પાઠશાળામાં વ્રજના અલંકારશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા હતી. કવિ દલપતરામની કાવ્યરુચિ અને શૈલી એ વ્રજ ગ્રંથોના અભ્યાસથી બંધાવા પામી હતી. સભારંજની કવિતાનાં લક્ષણો ધરાવતી એ શૈલીમાં આયુષ્યભર દલપતરામે પદ્યલેખન કર્યું, અને કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે, તેમની પ્રિય બનેલી એ કાવ્યરીતિ અને તેના સંસ્કારો પચાવીને પુષ્ટ થયેલી કાવ્યરુચિ ગઈ સદીના લગભગ અંત સુધી પ્રવર્તતાં રહ્યાં છે. અને, આથી જ, નર્મદની પાશ્ચાત્ય રીતિની કવિતાનો નવલરામે જે રીતે ઉમળકાભેર પુરસ્કાર કર્યો, અને નવી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ઘટના આપણા વિવેચનના ઇતિહાસની સાચે જ એક અપૂર્વ ઘટના બની રહે છે. નર્મદને લખેલા પત્રમાં તેની નવી કવિતાસ્કૂલને આવકારતાં નવલરામે લખ્યું હતું : ‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties,’૨ નર્મદની કવિતામાં પ્રગટ થયેલાં નૂતન રમણીય તત્ત્વોની નવલરામને ઓળખ થઈ ચૂકી હતી. સંભવતઃ પાશ્ચાત્ય કવિતાના વાચનપરિશીલનથી તેમની રુચિ સૂક્ષ્મ બની હતી, પરિમાર્જિત થઈ હતી. નવલરામે પોતાના સમયમાં પ્રગટ થતા સાહિત્યમાંથી જે જે કૃતિઓની સમીક્ષા લખી, તેમાં તેમની એ સૂક્ષ્મ પરિમાર્જિત રુચિનો સુખદ પરિચય થાય છે. પાશ્ચાત્ય કળા-વિચાર અને વિવેચનના નવા ખ્યાલો અને નવાં મૂલ્યોનો એમાં પ્રથમ વાર વિનિયોગ થયેલો છે.&lt;br /&gt;
નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકનો નિબંધ લખ્યો, તેના પૂર્વાર્ધની ચર્ચાવિચારણાઓમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ – વડર્‌ઝવર્થ, શેલી, હાઝલિટ્‌ આદિની કાવ્યવિચારણાના કેટલાક બીજભૂત ખ્યાલો તેણે ટૂંકમાં ઝીલ્યા છે, (અને તેની કાવ્યપ્રવૃત્તિ પર એ રોમેન્ટિક કવિઓની કવિતા અને કાવ્યભાવનાની અમુક ચોક્કસ અસર પણ પડી છે) પણ, તે ઉપરાંત, તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતો રહેલો ‘એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ’ પણ તેના નિબંધમાં થોડું સ્થાન લે છે. નોંધપાત્ર વાત એ છે કે, નિબંધના અંત ભાગમાં સંસ્કૃતના ‘રસ’ના ખ્યાલનેય તે સંક્ષેપમાં મૂકે છે. આમ જુઓ તો, આ આખાય નિબંધમાં કવિતા વિશેના વિભિન્ન સિદ્ધાંતો કેવળ તૂટક તૂટક ગોઠવાયા છે. એમાંથી કોઈ વ્યવસ્થિત આંતરસંગતિવાળો કાવ્યવિચાર તે નિપજાવી શક્યો નથી. તેની પાસે આ વિષયના અભ્યાસની સામગ્રી પણ અપૂરતી જ હતી; પણ, ખરું તો સ્થિરધીર વૃત્તિથી અભ્યાસ કરવાનું તેની પ્રકૃતિમાં નહોતું. છતાં, જેવો છે તેવો, એ નિબંધ એક વાતનો અણસાર આપી જાય છે કે, આપણા વિવેચકો આરંભથી જ પૂર્વપશ્ચિમની વિવેચનાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને તેની સાથે યુક્ત વિભાવનાઓને સાંકળી લઈને વધુ વ્યાપક સાહિત્યવિચાર રચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહ્યા છે.&lt;br /&gt;
આપણે ત્યાં ગ્રંથવિવેચનની પ્રવૃત્તિનો આરંભ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નર્મદ દ્વારા નહિ પણ તેમના મિત્ર અને એ કાર્ય માટે પૂરેપૂરા સુસજ્જ વિદ્વાન વિવેચક નવલરામ દ્વારા થયો. એ યુગમાં નવા યુગનાં શિક્ષણ અને સાહિત્યનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો હતો, અને છાપકામનાં યંત્રોનું આગમન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે સારાંનરસાં પાકાંકાચાં પુસ્તકોનું ઝડપભેર પ્રકાશન થવા લાગ્યું હતું. એવી પરિસ્થિતિમાં નવલરામ ગ્રંથસમીક્ષાની તાકીદ વરતી ગયા હતા. ગંભીરતાથી, જવાબદારીના ભાન સાથે, તેમણે એ પ્રવૃત્તિ સ્વીકારેલી દેખાય છે. તેમની અત્યંત સ્વસ્થ ઠરેલ પ્રકૃતિ, વિદ્યાકીય સજ્જતા, અને સૂક્ષ્મ સુકુમાર રુચિતંત્ર – એવા ગુણોને કારણે નર્મદ કરતાં તેઓ આ કાર્ય માટે વધુ અધિકારી બન્યા હતા. એમની પૂર્વે, મધ્યકાલીન ગુજરાતીમાં, આ પ્રકારની ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ નહોતી. એટલે એની પદ્ધતિ/પરિપાટી તેમણે પોતે જ નિપજાવી લેવાની હતી; અને નોંધવું જોઈએ કે, જુદા જુદા સ્વરૂપની કૃતિઓની તપાસ અર્થે, આવશ્યકતા અનુસાર, અભિગમ પણ તેમણે બદલ્યો છે. વિવેચ્ય કૃતિને મૂલવવાનાં ધોરણો કે કસોટીઓ પણ પ્રસંગે પ્રસંગે તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે; તો કૃતિમાંથી ઊભા થતા વિશિષ્ટ મુદ્દાઓની છણાવટ પણ કરતા રહ્યા છે. એમાં કૃતિના ગુણદોષની ચર્ચાઓ એટલી જ સ્પષ્ટ, નિર્ભીક, અને નિખાલસ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, પાશ્ચાત્ય સાહિત્યના વિશાળ વાચનપરિશીલનથી કેળવાયેલી તેમની વિવેચનદૃષ્ટિમાં પાશ્ચાત્ય કળા અને સૌંદર્યભાવનાનો વિશિષ્ટ વિનિયોગ છે. તેમણે કાવ્યકળા અને સૌંદર્યતત્ત્વ વિશે જે થોડીક તૂટક વિચારણા રજૂ કરી છે, તેમાંય તેમનો મૌલિક તત્ત્વગ્રાહી અભિગમ તરત ધ્યાન ખેંચે છે. (અર્વાચીન યુગને અનુરૂપ નવું કાવ્યશાસ્ત્ર નિર્માણ કરવાની જરૂર તેઓ તે જમાનામાં વરતી ગયા હતા, અને એવું કાવ્યશાસ્ત્ર રચવાનો અભિલાષ પણ તેઓ સેવતા હતા.) આમ, અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં નર્મદ-નવલરામ દ્વારા કાવ્યતત્ત્વવિચાર અને ગ્રંથવિવેચન – બંને ક્ષેત્રમાં પગરણ મંડાયાં.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિના પ્રશ્ને, નવલરામની ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ ખાસ નોંધ માગે છે. પહેલી વાત તો એ કે સંસ્કૃત પરંપરામાં ‘ટીકા’ નામથી ઓળખાતી જે પ્રવૃત્તિ ચાલી હતી, તેથી તેમની વિવેચનાનું ભિન્ન સ્વરૂપ બંધાવા પામ્યું છે. કૃતિ વિવરણ વિવેચન અર્થે એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના તેમ પાશ્ચાત્ય વિવેચનના, બંને પરંપરાના કેટલાક પાયાના ખ્યાલો તેમણે ખપમાં લીધા છે; પણ કૃતિના મૂલ્યાંકનમાં પાશ્ચાત્ય વિવેચનનાં મૂલ્યો અને માપદંડોનો વ્યાપક સ્વીકાર તેમાં થયો હોવાનું જણાશે. વળી, કૃતિને ન્યાય કરવા કર્તાના મૂળ ‘આશય’ (જે ઘણુંખરું ગર્ભિત હોય છે) ને લક્ષમાં લઈને ચાલવાનું તેમણે વલણ કેળવ્યું છે, અને, ખાસ તો કૃતિનો મર્મ સમજાવતાં તેના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભને પણ તેમણે લક્ષમાં લીધા છે. પ્રેમાનંદના પ્રસિદ્ધ આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા, આ રીતે, ઘણી દ્યોતક છે. કૃતિવિવેચનમાં, સ્વાભાવિક રીતે જ, કર્તાનો આશય, તેના યુગની સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ, આખ્યાન પ્રકારની આંતરક્ષમતા—એમ વિભિન્ન બિંદુએથી તેઓ કૃતિને સ્પર્શી રહે છે. તેમણે આ રીતે બાંધી આપેલી ગ્રંથવિવેચનની પરિપાટી જ, આમ તો, ગાંધીમુનશી યુગના અંત સુધી ચાલતી રહી દેખાય છે. અલબત્ત, વિવેચનની સભાનપણે આગવી પદ્ધતિ નિપજાવવાની દિશામાં, આ રીતે, સાક્ષર યુગમાં જ પ્રયત્નો આરંભાયા છે.&lt;br /&gt;
નર્મદ નવલરામથી આરંભાયેલી આપણી આ વિવેચનપ્રવૃત્તિ, પછીથી, મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર, બળવંતરાય, મુનશી, રામનારાયણ, વિજયરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, સુંદરમ્‌, સુરેશ જોષી, ઉપરાંત બીજા અનેક તેજસ્વી વિવેચકો દ્વારા ખેડાતી વિકસતી રહી છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંનેય ક્ષેત્રે સાથોસાથ વિપુલ લેખન કામ થયું છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય બંને પરંપરાના સાહિત્યવિચારોનો ઓછેવત્તે અંશે સંયોગ થતો રહ્યો છે. આપણા કેટલાક અભ્યાસીઓએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી વધુ પ્રેરણા લઈ કામ કર્યું છે; તો બીજાઓ પાશ્ચાત્યમાંથી ઘણું પામ્યા છે. બંનેય પરંપરાના કેટલાક પાયાના ખ્યાલોને સાંકળી લઈને વધુ વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના ય પ્રયત્નો જારી રહ્યા છે. જો કે આ જાતનો અભિગમ હજુ સુધી સંતોષકારક પરિણામ લાવી શક્યો નથી. બલકે, આ સદીમાં પશ્ચિમમાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે સાહિત્યકળા અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રે અનેક પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી વિચારણાઓ જન્મી, વિવિધ વાદો અને ઢંઢેરાઓ રજૂ થયા, તે પછી તે સર્વને લક્ષમાં લઈને તેમાંથી સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે.&lt;br /&gt;
વાસ્તવમાં, છેલ્લાં સો સવાસો વર્ષોના ગાળામાં પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનના મુખ્યગૌણ ખ્યાલો આપણા સિદ્ધાંતવિચારમાં, ક્યારેક કેન્દ્રમાં, ક્યારેક પશ્ચાદ્‌ભૂમિકામાં, રજૂ થતા રહ્યા છે. એ દરેકનાં મૂળ (sources) અને તેનો વિકાસક્રમ આલેખવાનું આ અધ્યયનમાં અભિપ્રેત નથી. એટલે, અહીં એટલું જ સૂચવીશું કે, પાશ્ચાત્ય વિવેચનના ઘણા બીજભૂત વિચારો આપણા વિવેચનમાં અર્ધ કે અલ્પવિકસિત રૂપમાં પડ્યા છે. બીજી બાજુ, સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યાપકપણે તેમ ગહન દૃષ્ટિથી, પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ખાસ તો, અધ્યયન થવા લાગ્યું, તે સાથે સંસ્કૃતની કાવ્યવિચારણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિનો આપણા અભ્યાસીઓ દ્વારા સ્વીકાર થવા લાગ્યો છે. આજે આ બે ભિન્ન પરંપરાની સાહિત્યવિચારણાના મળતા આવતા પાયાના ખ્યાલોને તુલનાત્મક દૃષ્ટિએ જોવા તપાસવાની મોટી અનિવાર્યતા અનુભવાવા લાગી છે.&lt;br /&gt;
અલબત્ત, પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો અને તેની સાથે જન્મેલી-વિકસેલી અનેકવિધ વિભાવનાઓ આપણા સાહિત્યને કેટલે અંશે ઉપકારક છે, અથવા કેટલે અંશે પ્રસ્તુત છે, એવો પ્રશ્ન હમણાં હમણાં પુછાવા લાગ્યો છે. પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ જો ત્યાંની ભિન્ન દાર્શનિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં જન્મ્યા અને વિકસ્યા હોય; અર્થાત્‌, કળા સૌંદર્ય અને સર્જકતાના ખ્યાલો ત્યાં જુદી રીતે પ્રવર્ત્યા હોય; અને, ખાસ તો, ત્યાંનાં ભિન્ન સાહિત્યસ્વરૂપો આકારો અને અનુભવોને તે અનુલક્ષતા હોય–મતલબ કે, ત્યાંના વિવેચનમાં નીપજેલાં ધોરણો/કસોટીઓ જુદાં હોય, તો આપણા સાહિત્યને તે કેવી રીતે ઉપકારક બની શકે—એવા પ્રશ્નને ખરેખર મોટો અવકાશ રહે જ છે. છતાં, નોંધવું જોઈએ કે, વિવેચનની જે પરંપરા અર્વાચીન યુગમાં આપણે ત્યાં બંધાવા પામી, તેની સવિશેષ પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનની છે. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશેના વિચારો સ્વીકારવા પૂરતી જ આ વાત નથી : કૃતિના મૂલ્યાંકન અંગેના ઘણાંખરાં ધોરણો/કસોટીઓ પણ આપણે જાણ્યેઅજાણ્યે પશ્ચિમમાંથી સ્વીકાર્યાં છે. આપણી માતબર ગણાય તેવી કૃતિઓને લાગુ પાડવામાં આવેલાં વિભિન્ન ધોરણો/કસોટીઓની તપાસ કરતાં આ વાતની તરત પ્રતીતિ થશે.&lt;br /&gt;
પણ, આપણી મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યકૃતિઓનાં વિવેચન મૂલ્યાંકન અર્થે પશ્ચિમનાં આ ધોરણો/કસોટીઓ લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી છે કે પ્રસ્તુત છે, તે જાતના પ્રશ્નો ઘણા કૂટ છે. તુલનાત્મક સૌંદર્યમીમાંસા સુધી આપણને એ દોરી જાય તેમ છે. પશ્ચિમના કળાસિદ્ધાંતો અને વિવેચનની વિભાવનાઓ કયા સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં જન્મ્યાં અને વિકસ્યાં, અને તેના તત્ત્વવિચારમાં કયાં ગૃહીતો રહ્યાં છે–વગેરે મુદ્દાઓની તપાસ એ માટે કરવાની રહે છે પણ આ અધ્યયનમાં આપણે એ જાતની તપાસમાં રોકાઈ શકીશું નહિ. એટલું જ નોંધીને ચાલીશું કે, વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે આપણે ત્યાં જે કંઈ ચર્ચા થઈ, તેની મુખ્ય પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનવિચારની રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87690</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87690"/>
		<updated>2025-04-24T15:25:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;ref&amp;gt;&amp;lt;/ref&amp;gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’.&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્‌ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે.&lt;br /&gt;
પશ્ચિમમાં આ સદીમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સૌંદર્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માર્ક્સવાદ, ભાષાવિજ્ઞાન, સંરચનાવાદ, જ્ઞાનમીમાંસા આદિ વિભિન્ન જ્ઞાનવિજ્ઞાનના સહયોગમાં એના મૂળભૂત મુદ્દાઓની ચર્ચા ત્યાં આરંભાયેલી છે. કૃતિવિવેચનની સાથોસાથ સાહિત્યચર્ચાઓ તો ખરી જ, પણ વિવેચનમીમાંસાના પ્રશ્નો ય એ ક્ષેત્રમાં ઉમેરાયા છે. એટલે, વિવેચન-પ્રવૃત્તિના સ્વરૂપ અને કાર્ય વિશે, અગાઉ જે રૂઢ ખ્યાલો પ્રચલિત હતા તે હવે હચમચી ઊઠ્યા દેખાય છે.&lt;br /&gt;
એ ખરું કે સાહિત્યક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ એ સર્જનપ્રવૃત્તિ પર અવલંબતી, અને એને અનુષંગે ઉદ્‌ભવેલી, પ્રવૃત્તિ છે, જો કે, સાહિત્યશાસ્ત્રને (જેમ સૌંદર્યમીમાંસાને) જ્ઞાનના એક અલગ અને સ્વતંત્ર વિષય લેખે સ્થાપવાનું વલણ પણ પશ્ચિમમાં જન્મ્યું છે. સાહિત્યશાસ્ત્રના પ્રશ્નોને અલગ પાડીને તપાસીએ, તો જ તેની સાચી ઓળખ થઈ શકે એવી સમજ તેમાં પડેલી છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના ક્ષેત્રની વાત કરીએ તો, પશ્ચિમમાં આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણચાર સૈકાઓથી કે તેથી પણ કંઈક વધુ સમયથી ચાલતી હોવાનું જણાય છે. પણ, વિવેચનના સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ વિશે છેલ્લાં સો દોઢસો વર્ષોમાં ત્યાં નવાનવા ખ્યાલો સક્રિય બન્યા છે. આ સદીના મધ્ય ભાગે તો, કૃતિના મૂલ્યાંકનની શક્યતા વિશે તેમ કૃતિવિવેચનની ઉપયોગિતા વિશેય ત્યાં સંદેહો વ્યક્ત થવા લાગ્યા હતા. સત્ત્વશીલ કૃતિઓની ઓળખ કે સ્વીકૃતિમાં થતો વિલંબ, કૃતિના મૂલ્યાંકનમાં જન્મતા પારાવાર મતભેદો, મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓની બદલાતી ભૂમિકા, વિવેચનના વિધાનની પ્રમાણભૂતતાના પ્રશ્નો, કૃતિવિવેચન અર્થે સ્થિર વસ્તુલક્ષી ભૂમિકાના પ્રશ્નો, વર્તમાન જીવનની વિષમતા અને અરાજકતા, મૂલ્યહ્રાસ અને શૂન્યતાની દશા વચ્ચે મૂલ્યબોધની ભૂમિકા વિશે સંશય—આવાં આવાં કારણોને લીધે વિવેચનની આખીય પ્રવૃત્તિ કોઈ કોઈ સર્જક/વિવેચકને હવે મિથ્યા લાગવા માંડી છે, અથવા તેની ઉપયોગિતા વિશે પ્રશ્નો થવા લાગ્યા છે. પશ્ચિમના એક અભ્યાસી હેન્રી પિયરે ‘The Failures of Criticism’ નામના ગ્રંથમાં વિવેચનપ્રવૃત્તિની નિષ્ફળતાનાં અનેક દૃષ્ટાંતો આપીને આ પ્રવૃત્તિની સામેનાં જોખમો અને પડકારોની સરસ છણાવટ કરી છે. જુદા જુદા યુગની મહાન કૃતિઓ (કે મહાન સર્જકો)ને પિછાણવામાં તેના સમકાલીન વિવેચકો કેવી રીતે ચૂકી ગયા હતા, અને પાછળથી એ કૃતિઓને કેવી રીતે સ્વીકૃતિ મળી હતી તે વિશે તેમણે ઘણી રસપ્રદ ચર્ચાઓ એમાં કરી છે. આમ, વિવેચનપ્રવૃત્તિ સામે પ્રશ્નાર્થચિહ્નો મૂકાતાં રહ્યાં છે, અને છતાં એ પ્રવૃત્તિ અગાઉની જેમ જ એકધારી વણથંભી ચાલુ રહી છે. બલ્કે, એકી સાથે અનેક દિશાઓમાં તેનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. એમ લાગે કે વિવેચન હવે પોતાના સાચા સ્વરૂપને સમજવા અંતર્મુખી બની રહ્યું છે. પોતાના કાર્યવ્યાપાર વિશે, લક્ષ્યો અને પ્રયોજનો વિશે, તેમજ પદ્ધતિઓની સાર્થકતા પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતા વિશે તાત્ત્વિક ભૂમિકાએથી તે વિચાર કરતું થયું છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’—જેવી એક નવી વિદ્યાશાખા, એ રીતે, હવે આકાર લઈ રહી છે.&lt;br /&gt;
આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ.&lt;br /&gt;
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્‌નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે.&lt;br /&gt;
અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્‌ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે.&lt;br /&gt;
આમ અર્વાચીન સાહિત્યનું આપણે ત્યાં મંડાણ થયું, તેની સાથોસાથ જ વિવેચનની પ્રવૃત્તિ પણ આરંભાઈ. અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા નર્મદને વિવેચનપ્રવૃત્તિની મોટી આવશ્યકતા વરતાઈ હતી. ‘ટીકા કરવાની રીત’ શીર્ષકના એક નાના ટાંચણિયા લેખમાં તેણે આ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂરિયાત ભારપૂર્વક સમજાવી છે. તે કહે છે : “ગુજરાતી ભાષામાં અસલથી તે આજ લગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી. અર્થાત્‌, ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત્ત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કહેવાય છે ખરું. માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નીકળવી જરૂરની છે.”૧ જો કે, પુસ્તકોની ‘ટીકા’નું કાર્ય તેને હાથે આરંભાતું નથી. તેના વિદ્વાન મિત્ર નવલરામ, ખરેખર તો, એ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા. પણ, એ વિશે પછીથી.&lt;br /&gt;
આપણે અહીં એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, આપણી મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વિવેચનની પ્રવૃત્તિ ખેડાઈ નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રની ચર્ચાઓને ગુજરાતીમાં મૂકવાનો, તેનું ભાષ્ય રચવાનો, તેનું સારદોહન રજૂ કરવાનો, કે તેના કોઈ એક પાસા વિશે સ્વતંત્ર ચિંતન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન એ ગાળામાં થયો હોય એમ દેખાતું નથી. એ સાચું કે, નર્મદયુગના આરંભમાં ભુજની પાઠશાળામાં વ્રજના અલંકારશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા હતી. કવિ દલપતરામની કાવ્યરુચિ અને શૈલી એ વ્રજ ગ્રંથોના અભ્યાસથી બંધાવા પામી હતી. સભારંજની કવિતાનાં લક્ષણો ધરાવતી એ શૈલીમાં આયુષ્યભર દલપતરામે પદ્યલેખન કર્યું, અને કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે, તેમની પ્રિય બનેલી એ કાવ્યરીતિ અને તેના સંસ્કારો પચાવીને પુષ્ટ થયેલી કાવ્યરુચિ ગઈ સદીના લગભગ અંત સુધી પ્રવર્તતાં રહ્યાં છે. અને, આથી જ, નર્મદની પાશ્ચાત્ય રીતિની કવિતાનો નવલરામે જે રીતે ઉમળકાભેર પુરસ્કાર કર્યો, અને નવી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ઘટના આપણા વિવેચનના ઇતિહાસની સાચે જ એક અપૂર્વ ઘટના બની રહે છે. નર્મદને લખેલા પત્રમાં તેની નવી કવિતાસ્કૂલને આવકારતાં નવલરામે લખ્યું હતું : ‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties,’૨ નર્મદની કવિતામાં પ્રગટ થયેલાં નૂતન રમણીય તત્ત્વોની નવલરામને ઓળખ થઈ ચૂકી હતી. સંભવતઃ પાશ્ચાત્ય કવિતાના વાચનપરિશીલનથી તેમની રુચિ સૂક્ષ્મ બની હતી, પરિમાર્જિત થઈ હતી. નવલરામે પોતાના સમયમાં પ્રગટ થતા સાહિત્યમાંથી જે જે કૃતિઓની સમીક્ષા લખી, તેમાં તેમની એ સૂક્ષ્મ પરિમાર્જિત રુચિનો સુખદ પરિચય થાય છે. પાશ્ચાત્ય કળા-વિચાર અને વિવેચનના નવા ખ્યાલો અને નવાં મૂલ્યોનો એમાં પ્રથમ વાર વિનિયોગ થયેલો છે.&lt;br /&gt;
નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકનો નિબંધ લખ્યો, તેના પૂર્વાર્ધની ચર્ચાવિચારણાઓમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ – વડર્‌ઝવર્થ, શેલી, હાઝલિટ્‌ આદિની કાવ્યવિચારણાના કેટલાક બીજભૂત ખ્યાલો તેણે ટૂંકમાં ઝીલ્યા છે, (અને તેની કાવ્યપ્રવૃત્તિ પર એ રોમેન્ટિક કવિઓની કવિતા અને કાવ્યભાવનાની અમુક ચોક્કસ અસર પણ પડી છે) પણ, તે ઉપરાંત, તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતો રહેલો ‘એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ’ પણ તેના નિબંધમાં થોડું સ્થાન લે છે. નોંધપાત્ર વાત એ છે કે, નિબંધના અંત ભાગમાં સંસ્કૃતના ‘રસ’ના ખ્યાલનેય તે સંક્ષેપમાં મૂકે છે. આમ જુઓ તો, આ આખાય નિબંધમાં કવિતા વિશેના વિભિન્ન સિદ્ધાંતો કેવળ તૂટક તૂટક ગોઠવાયા છે. એમાંથી કોઈ વ્યવસ્થિત આંતરસંગતિવાળો કાવ્યવિચાર તે નિપજાવી શક્યો નથી. તેની પાસે આ વિષયના અભ્યાસની સામગ્રી પણ અપૂરતી જ હતી; પણ, ખરું તો સ્થિરધીર વૃત્તિથી અભ્યાસ કરવાનું તેની પ્રકૃતિમાં નહોતું. છતાં, જેવો છે તેવો, એ નિબંધ એક વાતનો અણસાર આપી જાય છે કે, આપણા વિવેચકો આરંભથી જ પૂર્વપશ્ચિમની વિવેચનાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને તેની સાથે યુક્ત વિભાવનાઓને સાંકળી લઈને વધુ વ્યાપક સાહિત્યવિચાર રચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહ્યા છે.&lt;br /&gt;
આપણે ત્યાં ગ્રંથવિવેચનની પ્રવૃત્તિનો આરંભ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નર્મદ દ્વારા નહિ પણ તેમના મિત્ર અને એ કાર્ય માટે પૂરેપૂરા સુસજ્જ વિદ્વાન વિવેચક નવલરામ દ્વારા થયો. એ યુગમાં નવા યુગનાં શિક્ષણ અને સાહિત્યનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો હતો, અને છાપકામનાં યંત્રોનું આગમન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે સારાંનરસાં પાકાંકાચાં પુસ્તકોનું ઝડપભેર પ્રકાશન થવા લાગ્યું હતું. એવી પરિસ્થિતિમાં નવલરામ ગ્રંથસમીક્ષાની તાકીદ વરતી ગયા હતા. ગંભીરતાથી, જવાબદારીના ભાન સાથે, તેમણે એ પ્રવૃત્તિ સ્વીકારેલી દેખાય છે. તેમની અત્યંત સ્વસ્થ ઠરેલ પ્રકૃતિ, વિદ્યાકીય સજ્જતા, અને સૂક્ષ્મ સુકુમાર રુચિતંત્ર – એવા ગુણોને કારણે નર્મદ કરતાં તેઓ આ કાર્ય માટે વધુ અધિકારી બન્યા હતા. એમની પૂર્વે, મધ્યકાલીન ગુજરાતીમાં, આ પ્રકારની ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ નહોતી. એટલે એની પદ્ધતિ/પરિપાટી તેમણે પોતે જ નિપજાવી લેવાની હતી; અને નોંધવું જોઈએ કે, જુદા જુદા સ્વરૂપની કૃતિઓની તપાસ અર્થે, આવશ્યકતા અનુસાર, અભિગમ પણ તેમણે બદલ્યો છે. વિવેચ્ય કૃતિને મૂલવવાનાં ધોરણો કે કસોટીઓ પણ પ્રસંગે પ્રસંગે તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે; તો કૃતિમાંથી ઊભા થતા વિશિષ્ટ મુદ્દાઓની છણાવટ પણ કરતા રહ્યા છે. એમાં કૃતિના ગુણદોષની ચર્ચાઓ એટલી જ સ્પષ્ટ, નિર્ભીક, અને નિખાલસ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, પાશ્ચાત્ય સાહિત્યના વિશાળ વાચનપરિશીલનથી કેળવાયેલી તેમની વિવેચનદૃષ્ટિમાં પાશ્ચાત્ય કળા અને સૌંદર્યભાવનાનો વિશિષ્ટ વિનિયોગ છે. તેમણે કાવ્યકળા અને સૌંદર્યતત્ત્વ વિશે જે થોડીક તૂટક વિચારણા રજૂ કરી છે, તેમાંય તેમનો મૌલિક તત્ત્વગ્રાહી અભિગમ તરત ધ્યાન ખેંચે છે. (અર્વાચીન યુગને અનુરૂપ નવું કાવ્યશાસ્ત્ર નિર્માણ કરવાની જરૂર તેઓ તે જમાનામાં વરતી ગયા હતા, અને એવું કાવ્યશાસ્ત્ર રચવાનો અભિલાષ પણ તેઓ સેવતા હતા.) આમ, અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં નર્મદ-નવલરામ દ્વારા કાવ્યતત્ત્વવિચાર અને ગ્રંથવિવેચન – બંને ક્ષેત્રમાં પગરણ મંડાયાં.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિના પ્રશ્ને, નવલરામની ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ ખાસ નોંધ માગે છે. પહેલી વાત તો એ કે સંસ્કૃત પરંપરામાં ‘ટીકા’ નામથી ઓળખાતી જે પ્રવૃત્તિ ચાલી હતી, તેથી તેમની વિવેચનાનું ભિન્ન સ્વરૂપ બંધાવા પામ્યું છે. કૃતિ વિવરણ વિવેચન અર્થે એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના તેમ પાશ્ચાત્ય વિવેચનના, બંને પરંપરાના કેટલાક પાયાના ખ્યાલો તેમણે ખપમાં લીધા છે; પણ કૃતિના મૂલ્યાંકનમાં પાશ્ચાત્ય વિવેચનનાં મૂલ્યો અને માપદંડોનો વ્યાપક સ્વીકાર તેમાં થયો હોવાનું જણાશે. વળી, કૃતિને ન્યાય કરવા કર્તાના મૂળ ‘આશય’ (જે ઘણુંખરું ગર્ભિત હોય છે) ને લક્ષમાં લઈને ચાલવાનું તેમણે વલણ કેળવ્યું છે, અને, ખાસ તો કૃતિનો મર્મ સમજાવતાં તેના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભને પણ તેમણે લક્ષમાં લીધા છે. પ્રેમાનંદના પ્રસિદ્ધ આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા, આ રીતે, ઘણી દ્યોતક છે. કૃતિવિવેચનમાં, સ્વાભાવિક રીતે જ, કર્તાનો આશય, તેના યુગની સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ, આખ્યાન પ્રકારની આંતરક્ષમતા—એમ વિભિન્ન બિંદુએથી તેઓ કૃતિને સ્પર્શી રહે છે. તેમણે આ રીતે બાંધી આપેલી ગ્રંથવિવેચનની પરિપાટી જ, આમ તો, ગાંધીમુનશી યુગના અંત સુધી ચાલતી રહી દેખાય છે. અલબત્ત, વિવેચનની સભાનપણે આગવી પદ્ધતિ નિપજાવવાની દિશામાં, આ રીતે, સાક્ષર યુગમાં જ પ્રયત્નો આરંભાયા છે.&lt;br /&gt;
નર્મદ નવલરામથી આરંભાયેલી આપણી આ વિવેચનપ્રવૃત્તિ, પછીથી, મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર, બળવંતરાય, મુનશી, રામનારાયણ, વિજયરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, સુંદરમ્‌, સુરેશ જોષી, ઉપરાંત બીજા અનેક તેજસ્વી વિવેચકો દ્વારા ખેડાતી વિકસતી રહી છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંનેય ક્ષેત્રે સાથોસાથ વિપુલ લેખન કામ થયું છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય બંને પરંપરાના સાહિત્યવિચારોનો ઓછેવત્તે અંશે સંયોગ થતો રહ્યો છે. આપણા કેટલાક અભ્યાસીઓએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી વધુ પ્રેરણા લઈ કામ કર્યું છે; તો બીજાઓ પાશ્ચાત્યમાંથી ઘણું પામ્યા છે. બંનેય પરંપરાના કેટલાક પાયાના ખ્યાલોને સાંકળી લઈને વધુ વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના ય પ્રયત્નો જારી રહ્યા છે. જો કે આ જાતનો અભિગમ હજુ સુધી સંતોષકારક પરિણામ લાવી શક્યો નથી. બલકે, આ સદીમાં પશ્ચિમમાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે સાહિત્યકળા અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રે અનેક પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી વિચારણાઓ જન્મી, વિવિધ વાદો અને ઢંઢેરાઓ રજૂ થયા, તે પછી તે સર્વને લક્ષમાં લઈને તેમાંથી સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે.&lt;br /&gt;
વાસ્તવમાં, છેલ્લાં સો સવાસો વર્ષોના ગાળામાં પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનના મુખ્યગૌણ ખ્યાલો આપણા સિદ્ધાંતવિચારમાં, ક્યારેક કેન્દ્રમાં, ક્યારેક પશ્ચાદ્‌ભૂમિકામાં, રજૂ થતા રહ્યા છે. એ દરેકનાં મૂળ (sources) અને તેનો વિકાસક્રમ આલેખવાનું આ અધ્યયનમાં અભિપ્રેત નથી. એટલે, અહીં એટલું જ સૂચવીશું કે, પાશ્ચાત્ય વિવેચનના ઘણા બીજભૂત વિચારો આપણા વિવેચનમાં અર્ધ કે અલ્પવિકસિત રૂપમાં પડ્યા છે. બીજી બાજુ, સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યાપકપણે તેમ ગહન દૃષ્ટિથી, પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ખાસ તો, અધ્યયન થવા લાગ્યું, તે સાથે સંસ્કૃતની કાવ્યવિચારણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિનો આપણા અભ્યાસીઓ દ્વારા સ્વીકાર થવા લાગ્યો છે. આજે આ બે ભિન્ન પરંપરાની સાહિત્યવિચારણાના મળતા આવતા પાયાના ખ્યાલોને તુલનાત્મક દૃષ્ટિએ જોવા તપાસવાની મોટી અનિવાર્યતા અનુભવાવા લાગી છે.&lt;br /&gt;
અલબત્ત, પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો અને તેની સાથે જન્મેલી-વિકસેલી અનેકવિધ વિભાવનાઓ આપણા સાહિત્યને કેટલે અંશે ઉપકારક છે, અથવા કેટલે અંશે પ્રસ્તુત છે, એવો પ્રશ્ન હમણાં હમણાં પુછાવા લાગ્યો છે. પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ જો ત્યાંની ભિન્ન દાર્શનિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં જન્મ્યા અને વિકસ્યા હોય; અર્થાત્‌, કળા સૌંદર્ય અને સર્જકતાના ખ્યાલો ત્યાં જુદી રીતે પ્રવર્ત્યા હોય; અને, ખાસ તો, ત્યાંનાં ભિન્ન સાહિત્યસ્વરૂપો આકારો અને અનુભવોને તે અનુલક્ષતા હોય–મતલબ કે, ત્યાંના વિવેચનમાં નીપજેલાં ધોરણો/કસોટીઓ જુદાં હોય, તો આપણા સાહિત્યને તે કેવી રીતે ઉપકારક બની શકે—એવા પ્રશ્નને ખરેખર મોટો અવકાશ રહે જ છે. છતાં, નોંધવું જોઈએ કે, વિવેચનની જે પરંપરા અર્વાચીન યુગમાં આપણે ત્યાં બંધાવા પામી, તેની સવિશેષ પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનની છે. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશેના વિચારો સ્વીકારવા પૂરતી જ આ વાત નથી : કૃતિના મૂલ્યાંકન અંગેના ઘણાંખરાં ધોરણો/કસોટીઓ પણ આપણે જાણ્યેઅજાણ્યે પશ્ચિમમાંથી સ્વીકાર્યાં છે. આપણી માતબર ગણાય તેવી કૃતિઓને લાગુ પાડવામાં આવેલાં વિભિન્ન ધોરણો/કસોટીઓની તપાસ કરતાં આ વાતની તરત પ્રતીતિ થશે.&lt;br /&gt;
પણ, આપણી મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યકૃતિઓનાં વિવેચન મૂલ્યાંકન અર્થે પશ્ચિમનાં આ ધોરણો/કસોટીઓ લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી છે કે પ્રસ્તુત છે, તે જાતના પ્રશ્નો ઘણા કૂટ છે. તુલનાત્મક સૌંદર્યમીમાંસા સુધી આપણને એ દોરી જાય તેમ છે. પશ્ચિમના કળાસિદ્ધાંતો અને વિવેચનની વિભાવનાઓ કયા સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં જન્મ્યાં અને વિકસ્યાં, અને તેના તત્ત્વવિચારમાં કયાં ગૃહીતો રહ્યાં છે–વગેરે મુદ્દાઓની તપાસ એ માટે કરવાની રહે છે પણ આ અધ્યયનમાં આપણે એ જાતની તપાસમાં રોકાઈ શકીશું નહિ. એટલું જ નોંધીને ચાલીશું કે, વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે આપણે ત્યાં જે કંઈ ચર્ચા થઈ, તેની મુખ્ય પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનવિચારની રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87689</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87689"/>
		<updated>2025-04-24T15:23:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;ref&amp;gt;&amp;lt;/ref&amp;gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’.&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્‌ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે.&lt;br /&gt;
પશ્ચિમમાં આ સદીમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સૌંદર્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માર્ક્સવાદ, ભાષાવિજ્ઞાન, સંરચનાવાદ, જ્ઞાનમીમાંસા આદિ વિભિન્ન જ્ઞાનવિજ્ઞાનના સહયોગમાં એના મૂળભૂત મુદ્દાઓની ચર્ચા ત્યાં આરંભાયેલી છે. કૃતિવિવેચનની સાથોસાથ સાહિત્યચર્ચાઓ તો ખરી જ, પણ વિવેચનમીમાંસાના પ્રશ્નો ય એ ક્ષેત્રમાં ઉમેરાયા છે. એટલે, વિવેચન-પ્રવૃત્તિના સ્વરૂપ અને કાર્ય વિશે, અગાઉ જે રૂઢ ખ્યાલો પ્રચલિત હતા તે હવે હચમચી ઊઠ્યા દેખાય છે.&lt;br /&gt;
એ ખરું કે સાહિત્યક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ એ સર્જનપ્રવૃત્તિ પર અવલંબતી, અને એને અનુષંગે ઉદ્‌ભવેલી, પ્રવૃત્તિ છે, જો કે, સાહિત્યશાસ્ત્રને (જેમ સૌંદર્યમીમાંસાને) જ્ઞાનના એક અલગ અને સ્વતંત્ર વિષય લેખે સ્થાપવાનું વલણ પણ પશ્ચિમમાં જન્મ્યું છે. સાહિત્યશાસ્ત્રના પ્રશ્નોને અલગ પાડીને તપાસીએ, તો જ તેની સાચી ઓળખ થઈ શકે એવી સમજ તેમાં પડેલી છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના ક્ષેત્રની વાત કરીએ તો, પશ્ચિમમાં આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણચાર સૈકાઓથી કે તેથી પણ કંઈક વધુ સમયથી ચાલતી હોવાનું જણાય છે. પણ, વિવેચનના સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ વિશે છેલ્લાં સો દોઢસો વર્ષોમાં ત્યાં નવાનવા ખ્યાલો સક્રિય બન્યા છે. આ સદીના મધ્ય ભાગે તો, કૃતિના મૂલ્યાંકનની શક્યતા વિશે તેમ કૃતિવિવેચનની ઉપયોગિતા વિશેય ત્યાં સંદેહો વ્યક્ત થવા લાગ્યા હતા. સત્ત્વશીલ કૃતિઓની ઓળખ કે સ્વીકૃતિમાં થતો વિલંબ, કૃતિના મૂલ્યાંકનમાં જન્મતા પારાવાર મતભેદો, મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓની બદલાતી ભૂમિકા, વિવેચનના વિધાનની પ્રમાણભૂતતાના પ્રશ્નો, કૃતિવિવેચન અર્થે સ્થિર વસ્તુલક્ષી ભૂમિકાના પ્રશ્નો, વર્તમાન જીવનની વિષમતા અને અરાજકતા, મૂલ્યહ્રાસ અને શૂન્યતાની દશા વચ્ચે મૂલ્યબોધની ભૂમિકા વિશે સંશય—આવાં આવાં કારણોને લીધે વિવેચનની આખીય પ્રવૃત્તિ કોઈ કોઈ સર્જક/વિવેચકને હવે મિથ્યા લાગવા માંડી છે, અથવા તેની ઉપયોગિતા વિશે પ્રશ્નો થવા લાગ્યા છે. પશ્ચિમના એક અભ્યાસી હેન્રી પિયરે ‘The Failures of Criticism’ નામના ગ્રંથમાં વિવેચનપ્રવૃત્તિની નિષ્ફળતાનાં અનેક દૃષ્ટાંતો આપીને આ પ્રવૃત્તિની સામેનાં જોખમો અને પડકારોની સરસ છણાવટ કરી છે. જુદા જુદા યુગની મહાન કૃતિઓ (કે મહાન સર્જકો)ને પિછાણવામાં તેના સમકાલીન વિવેચકો કેવી રીતે ચૂકી ગયા હતા, અને પાછળથી એ કૃતિઓને કેવી રીતે સ્વીકૃતિ મળી હતી તે વિશે તેમણે ઘણી રસપ્રદ ચર્ચાઓ એમાં કરી છે. આમ, વિવેચનપ્રવૃત્તિ સામે પ્રશ્નાર્થચિહ્નો મૂકાતાં રહ્યાં છે, અને છતાં એ પ્રવૃત્તિ અગાઉની જેમ જ એકધારી વણથંભી ચાલુ રહી છે. બલ્કે, એકી સાથે અનેક દિશાઓમાં તેનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. એમ લાગે કે વિવેચન હવે પોતાના સાચા સ્વરૂપને સમજવા અંતર્મુખી બની રહ્યું છે. પોતાના કાર્યવ્યાપાર વિશે, લક્ષ્યો અને પ્રયોજનો વિશે, તેમજ પદ્ધતિઓની સાર્થકતા પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતા વિશે તાત્ત્વિક ભૂમિકાએથી તે વિચાર કરતું થયું છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’—જેવી એક નવી વિદ્યાશાખા, એ રીતે, હવે આકાર લઈ રહી છે.&lt;br /&gt;
આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ.&lt;br /&gt;
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે.&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્‌નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે.&lt;br /&gt;
અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્‌ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે.&lt;br /&gt;
આમ અર્વાચીન સાહિત્યનું આપણે ત્યાં મંડાણ થયું, તેની સાથોસાથ જ વિવેચનની પ્રવૃત્તિ પણ આરંભાઈ. અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા નર્મદને વિવેચનપ્રવૃત્તિની મોટી આવશ્યકતા વરતાઈ હતી. ‘ટીકા કરવાની રીત’ શીર્ષકના એક નાના ટાંચણિયા લેખમાં તેણે આ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂરિયાત ભારપૂર્વક સમજાવી છે. તે કહે છે : “ગુજરાતી ભાષામાં અસલથી તે આજ લગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી. અર્થાત્‌, ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત્ત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કહેવાય છે ખરું. માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નીકળવી જરૂરની છે.”૧ જો કે, પુસ્તકોની ‘ટીકા’નું કાર્ય તેને હાથે આરંભાતું નથી. તેના વિદ્વાન મિત્ર નવલરામ, ખરેખર તો, એ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા. પણ, એ વિશે પછીથી.&lt;br /&gt;
આપણે અહીં એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, આપણી મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વિવેચનની પ્રવૃત્તિ ખેડાઈ નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રની ચર્ચાઓને ગુજરાતીમાં મૂકવાનો, તેનું ભાષ્ય રચવાનો, તેનું સારદોહન રજૂ કરવાનો, કે તેના કોઈ એક પાસા વિશે સ્વતંત્ર ચિંતન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન એ ગાળામાં થયો હોય એમ દેખાતું નથી. એ સાચું કે, નર્મદયુગના આરંભમાં ભુજની પાઠશાળામાં વ્રજના અલંકારશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા હતી. કવિ દલપતરામની કાવ્યરુચિ અને શૈલી એ વ્રજ ગ્રંથોના અભ્યાસથી બંધાવા પામી હતી. સભારંજની કવિતાનાં લક્ષણો ધરાવતી એ શૈલીમાં આયુષ્યભર દલપતરામે પદ્યલેખન કર્યું, અને કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે, તેમની પ્રિય બનેલી એ કાવ્યરીતિ અને તેના સંસ્કારો પચાવીને પુષ્ટ થયેલી કાવ્યરુચિ ગઈ સદીના લગભગ અંત સુધી પ્રવર્તતાં રહ્યાં છે. અને, આથી જ, નર્મદની પાશ્ચાત્ય રીતિની કવિતાનો નવલરામે જે રીતે ઉમળકાભેર પુરસ્કાર કર્યો, અને નવી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ઘટના આપણા વિવેચનના ઇતિહાસની સાચે જ એક અપૂર્વ ઘટના બની રહે છે. નર્મદને લખેલા પત્રમાં તેની નવી કવિતાસ્કૂલને આવકારતાં નવલરામે લખ્યું હતું : ‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties,’૨ નર્મદની કવિતામાં પ્રગટ થયેલાં નૂતન રમણીય તત્ત્વોની નવલરામને ઓળખ થઈ ચૂકી હતી. સંભવતઃ પાશ્ચાત્ય કવિતાના વાચનપરિશીલનથી તેમની રુચિ સૂક્ષ્મ બની હતી, પરિમાર્જિત થઈ હતી. નવલરામે પોતાના સમયમાં પ્રગટ થતા સાહિત્યમાંથી જે જે કૃતિઓની સમીક્ષા લખી, તેમાં તેમની એ સૂક્ષ્મ પરિમાર્જિત રુચિનો સુખદ પરિચય થાય છે. પાશ્ચાત્ય કળા-વિચાર અને વિવેચનના નવા ખ્યાલો અને નવાં મૂલ્યોનો એમાં પ્રથમ વાર વિનિયોગ થયેલો છે.&lt;br /&gt;
નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકનો નિબંધ લખ્યો, તેના પૂર્વાર્ધની ચર્ચાવિચારણાઓમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ – વડર્‌ઝવર્થ, શેલી, હાઝલિટ્‌ આદિની કાવ્યવિચારણાના કેટલાક બીજભૂત ખ્યાલો તેણે ટૂંકમાં ઝીલ્યા છે, (અને તેની કાવ્યપ્રવૃત્તિ પર એ રોમેન્ટિક કવિઓની કવિતા અને કાવ્યભાવનાની અમુક ચોક્કસ અસર પણ પડી છે) પણ, તે ઉપરાંત, તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતો રહેલો ‘એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ’ પણ તેના નિબંધમાં થોડું સ્થાન લે છે. નોંધપાત્ર વાત એ છે કે, નિબંધના અંત ભાગમાં સંસ્કૃતના ‘રસ’ના ખ્યાલનેય તે સંક્ષેપમાં મૂકે છે. આમ જુઓ તો, આ આખાય નિબંધમાં કવિતા વિશેના વિભિન્ન સિદ્ધાંતો કેવળ તૂટક તૂટક ગોઠવાયા છે. એમાંથી કોઈ વ્યવસ્થિત આંતરસંગતિવાળો કાવ્યવિચાર તે નિપજાવી શક્યો નથી. તેની પાસે આ વિષયના અભ્યાસની સામગ્રી પણ અપૂરતી જ હતી; પણ, ખરું તો સ્થિરધીર વૃત્તિથી અભ્યાસ કરવાનું તેની પ્રકૃતિમાં નહોતું. છતાં, જેવો છે તેવો, એ નિબંધ એક વાતનો અણસાર આપી જાય છે કે, આપણા વિવેચકો આરંભથી જ પૂર્વપશ્ચિમની વિવેચનાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને તેની સાથે યુક્ત વિભાવનાઓને સાંકળી લઈને વધુ વ્યાપક સાહિત્યવિચાર રચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહ્યા છે.&lt;br /&gt;
આપણે ત્યાં ગ્રંથવિવેચનની પ્રવૃત્તિનો આરંભ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નર્મદ દ્વારા નહિ પણ તેમના મિત્ર અને એ કાર્ય માટે પૂરેપૂરા સુસજ્જ વિદ્વાન વિવેચક નવલરામ દ્વારા થયો. એ યુગમાં નવા યુગનાં શિક્ષણ અને સાહિત્યનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો હતો, અને છાપકામનાં યંત્રોનું આગમન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે સારાંનરસાં પાકાંકાચાં પુસ્તકોનું ઝડપભેર પ્રકાશન થવા લાગ્યું હતું. એવી પરિસ્થિતિમાં નવલરામ ગ્રંથસમીક્ષાની તાકીદ વરતી ગયા હતા. ગંભીરતાથી, જવાબદારીના ભાન સાથે, તેમણે એ પ્રવૃત્તિ સ્વીકારેલી દેખાય છે. તેમની અત્યંત સ્વસ્થ ઠરેલ પ્રકૃતિ, વિદ્યાકીય સજ્જતા, અને સૂક્ષ્મ સુકુમાર રુચિતંત્ર – એવા ગુણોને કારણે નર્મદ કરતાં તેઓ આ કાર્ય માટે વધુ અધિકારી બન્યા હતા. એમની પૂર્વે, મધ્યકાલીન ગુજરાતીમાં, આ પ્રકારની ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ નહોતી. એટલે એની પદ્ધતિ/પરિપાટી તેમણે પોતે જ નિપજાવી લેવાની હતી; અને નોંધવું જોઈએ કે, જુદા જુદા સ્વરૂપની કૃતિઓની તપાસ અર્થે, આવશ્યકતા અનુસાર, અભિગમ પણ તેમણે બદલ્યો છે. વિવેચ્ય કૃતિને મૂલવવાનાં ધોરણો કે કસોટીઓ પણ પ્રસંગે પ્રસંગે તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે; તો કૃતિમાંથી ઊભા થતા વિશિષ્ટ મુદ્દાઓની છણાવટ પણ કરતા રહ્યા છે. એમાં કૃતિના ગુણદોષની ચર્ચાઓ એટલી જ સ્પષ્ટ, નિર્ભીક, અને નિખાલસ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, પાશ્ચાત્ય સાહિત્યના વિશાળ વાચનપરિશીલનથી કેળવાયેલી તેમની વિવેચનદૃષ્ટિમાં પાશ્ચાત્ય કળા અને સૌંદર્યભાવનાનો વિશિષ્ટ વિનિયોગ છે. તેમણે કાવ્યકળા અને સૌંદર્યતત્ત્વ વિશે જે થોડીક તૂટક વિચારણા રજૂ કરી છે, તેમાંય તેમનો મૌલિક તત્ત્વગ્રાહી અભિગમ તરત ધ્યાન ખેંચે છે. (અર્વાચીન યુગને અનુરૂપ નવું કાવ્યશાસ્ત્ર નિર્માણ કરવાની જરૂર તેઓ તે જમાનામાં વરતી ગયા હતા, અને એવું કાવ્યશાસ્ત્ર રચવાનો અભિલાષ પણ તેઓ સેવતા હતા.) આમ, અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં નર્મદ-નવલરામ દ્વારા કાવ્યતત્ત્વવિચાર અને ગ્રંથવિવેચન – બંને ક્ષેત્રમાં પગરણ મંડાયાં.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિના પ્રશ્ને, નવલરામની ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ ખાસ નોંધ માગે છે. પહેલી વાત તો એ કે સંસ્કૃત પરંપરામાં ‘ટીકા’ નામથી ઓળખાતી જે પ્રવૃત્તિ ચાલી હતી, તેથી તેમની વિવેચનાનું ભિન્ન સ્વરૂપ બંધાવા પામ્યું છે. કૃતિ વિવરણ વિવેચન અર્થે એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના તેમ પાશ્ચાત્ય વિવેચનના, બંને પરંપરાના કેટલાક પાયાના ખ્યાલો તેમણે ખપમાં લીધા છે; પણ કૃતિના મૂલ્યાંકનમાં પાશ્ચાત્ય વિવેચનનાં મૂલ્યો અને માપદંડોનો વ્યાપક સ્વીકાર તેમાં થયો હોવાનું જણાશે. વળી, કૃતિને ન્યાય કરવા કર્તાના મૂળ ‘આશય’ (જે ઘણુંખરું ગર્ભિત હોય છે) ને લક્ષમાં લઈને ચાલવાનું તેમણે વલણ કેળવ્યું છે, અને, ખાસ તો કૃતિનો મર્મ સમજાવતાં તેના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભને પણ તેમણે લક્ષમાં લીધા છે. પ્રેમાનંદના પ્રસિદ્ધ આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા, આ રીતે, ઘણી દ્યોતક છે. કૃતિવિવેચનમાં, સ્વાભાવિક રીતે જ, કર્તાનો આશય, તેના યુગની સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ, આખ્યાન પ્રકારની આંતરક્ષમતા—એમ વિભિન્ન બિંદુએથી તેઓ કૃતિને સ્પર્શી રહે છે. તેમણે આ રીતે બાંધી આપેલી ગ્રંથવિવેચનની પરિપાટી જ, આમ તો, ગાંધીમુનશી યુગના અંત સુધી ચાલતી રહી દેખાય છે. અલબત્ત, વિવેચનની સભાનપણે આગવી પદ્ધતિ નિપજાવવાની દિશામાં, આ રીતે, સાક્ષર યુગમાં જ પ્રયત્નો આરંભાયા છે.&lt;br /&gt;
નર્મદ નવલરામથી આરંભાયેલી આપણી આ વિવેચનપ્રવૃત્તિ, પછીથી, મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર, બળવંતરાય, મુનશી, રામનારાયણ, વિજયરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, સુંદરમ્‌, સુરેશ જોષી, ઉપરાંત બીજા અનેક તેજસ્વી વિવેચકો દ્વારા ખેડાતી વિકસતી રહી છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંનેય ક્ષેત્રે સાથોસાથ વિપુલ લેખન કામ થયું છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય બંને પરંપરાના સાહિત્યવિચારોનો ઓછેવત્તે અંશે સંયોગ થતો રહ્યો છે. આપણા કેટલાક અભ્યાસીઓએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી વધુ પ્રેરણા લઈ કામ કર્યું છે; તો બીજાઓ પાશ્ચાત્યમાંથી ઘણું પામ્યા છે. બંનેય પરંપરાના કેટલાક પાયાના ખ્યાલોને સાંકળી લઈને વધુ વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના ય પ્રયત્નો જારી રહ્યા છે. જો કે આ જાતનો અભિગમ હજુ સુધી સંતોષકારક પરિણામ લાવી શક્યો નથી. બલકે, આ સદીમાં પશ્ચિમમાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે સાહિત્યકળા અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રે અનેક પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી વિચારણાઓ જન્મી, વિવિધ વાદો અને ઢંઢેરાઓ રજૂ થયા, તે પછી તે સર્વને લક્ષમાં લઈને તેમાંથી સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે.&lt;br /&gt;
વાસ્તવમાં, છેલ્લાં સો સવાસો વર્ષોના ગાળામાં પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનના મુખ્યગૌણ ખ્યાલો આપણા સિદ્ધાંતવિચારમાં, ક્યારેક કેન્દ્રમાં, ક્યારેક પશ્ચાદ્‌ભૂમિકામાં, રજૂ થતા રહ્યા છે. એ દરેકનાં મૂળ (sources) અને તેનો વિકાસક્રમ આલેખવાનું આ અધ્યયનમાં અભિપ્રેત નથી. એટલે, અહીં એટલું જ સૂચવીશું કે, પાશ્ચાત્ય વિવેચનના ઘણા બીજભૂત વિચારો આપણા વિવેચનમાં અર્ધ કે અલ્પવિકસિત રૂપમાં પડ્યા છે. બીજી બાજુ, સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યાપકપણે તેમ ગહન દૃષ્ટિથી, પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ખાસ તો, અધ્યયન થવા લાગ્યું, તે સાથે સંસ્કૃતની કાવ્યવિચારણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિનો આપણા અભ્યાસીઓ દ્વારા સ્વીકાર થવા લાગ્યો છે. આજે આ બે ભિન્ન પરંપરાની સાહિત્યવિચારણાના મળતા આવતા પાયાના ખ્યાલોને તુલનાત્મક દૃષ્ટિએ જોવા તપાસવાની મોટી અનિવાર્યતા અનુભવાવા લાગી છે.&lt;br /&gt;
અલબત્ત, પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો અને તેની સાથે જન્મેલી-વિકસેલી અનેકવિધ વિભાવનાઓ આપણા સાહિત્યને કેટલે અંશે ઉપકારક છે, અથવા કેટલે અંશે પ્રસ્તુત છે, એવો પ્રશ્ન હમણાં હમણાં પુછાવા લાગ્યો છે. પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ જો ત્યાંની ભિન્ન દાર્શનિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં જન્મ્યા અને વિકસ્યા હોય; અર્થાત્‌, કળા સૌંદર્ય અને સર્જકતાના ખ્યાલો ત્યાં જુદી રીતે પ્રવર્ત્યા હોય; અને, ખાસ તો, ત્યાંનાં ભિન્ન સાહિત્યસ્વરૂપો આકારો અને અનુભવોને તે અનુલક્ષતા હોય–મતલબ કે, ત્યાંના વિવેચનમાં નીપજેલાં ધોરણો/કસોટીઓ જુદાં હોય, તો આપણા સાહિત્યને તે કેવી રીતે ઉપકારક બની શકે—એવા પ્રશ્નને ખરેખર મોટો અવકાશ રહે જ છે. છતાં, નોંધવું જોઈએ કે, વિવેચનની જે પરંપરા અર્વાચીન યુગમાં આપણે ત્યાં બંધાવા પામી, તેની સવિશેષ પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનની છે. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશેના વિચારો સ્વીકારવા પૂરતી જ આ વાત નથી : કૃતિના મૂલ્યાંકન અંગેના ઘણાંખરાં ધોરણો/કસોટીઓ પણ આપણે જાણ્યેઅજાણ્યે પશ્ચિમમાંથી સ્વીકાર્યાં છે. આપણી માતબર ગણાય તેવી કૃતિઓને લાગુ પાડવામાં આવેલાં વિભિન્ન ધોરણો/કસોટીઓની તપાસ કરતાં આ વાતની તરત પ્રતીતિ થશે.&lt;br /&gt;
પણ, આપણી મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યકૃતિઓનાં વિવેચન મૂલ્યાંકન અર્થે પશ્ચિમનાં આ ધોરણો/કસોટીઓ લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી છે કે પ્રસ્તુત છે, તે જાતના પ્રશ્નો ઘણા કૂટ છે. તુલનાત્મક સૌંદર્યમીમાંસા સુધી આપણને એ દોરી જાય તેમ છે. પશ્ચિમના કળાસિદ્ધાંતો અને વિવેચનની વિભાવનાઓ કયા સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં જન્મ્યાં અને વિકસ્યાં, અને તેના તત્ત્વવિચારમાં કયાં ગૃહીતો રહ્યાં છે–વગેરે મુદ્દાઓની તપાસ એ માટે કરવાની રહે છે પણ આ અધ્યયનમાં આપણે એ જાતની તપાસમાં રોકાઈ શકીશું નહિ. એટલું જ નોંધીને ચાલીશું કે, વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે આપણે ત્યાં જે કંઈ ચર્ચા થઈ, તેની મુખ્ય પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનવિચારની રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87688</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87688"/>
		<updated>2025-04-24T15:23:20Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&amp;lt;ref&amp;gt;&amp;lt;/ref&amp;gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }}&lt;br /&gt;
{{center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’.&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્‌ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે.&lt;br /&gt;
પશ્ચિમમાં આ સદીમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સૌંદર્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માર્ક્સવાદ, ભાષાવિજ્ઞાન, સંરચનાવાદ, જ્ઞાનમીમાંસા આદિ વિભિન્ન જ્ઞાનવિજ્ઞાનના સહયોગમાં એના મૂળભૂત મુદ્દાઓની ચર્ચા ત્યાં આરંભાયેલી છે. કૃતિવિવેચનની સાથોસાથ સાહિત્યચર્ચાઓ તો ખરી જ, પણ વિવેચનમીમાંસાના પ્રશ્નો ય એ ક્ષેત્રમાં ઉમેરાયા છે. એટલે, વિવેચન-પ્રવૃત્તિના સ્વરૂપ અને કાર્ય વિશે, અગાઉ જે રૂઢ ખ્યાલો પ્રચલિત હતા તે હવે હચમચી ઊઠ્યા દેખાય છે.&lt;br /&gt;
એ ખરું કે સાહિત્યક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ એ સર્જનપ્રવૃત્તિ પર અવલંબતી, અને એને અનુષંગે ઉદ્‌ભવેલી, પ્રવૃત્તિ છે, જો કે, સાહિત્યશાસ્ત્રને (જેમ સૌંદર્યમીમાંસાને) જ્ઞાનના એક અલગ અને સ્વતંત્ર વિષય લેખે સ્થાપવાનું વલણ પણ પશ્ચિમમાં જન્મ્યું છે. સાહિત્યશાસ્ત્રના પ્રશ્નોને અલગ પાડીને તપાસીએ, તો જ તેની સાચી ઓળખ થઈ શકે એવી સમજ તેમાં પડેલી છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના ક્ષેત્રની વાત કરીએ તો, પશ્ચિમમાં આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણચાર સૈકાઓથી કે તેથી પણ કંઈક વધુ સમયથી ચાલતી હોવાનું જણાય છે. પણ, વિવેચનના સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ વિશે છેલ્લાં સો દોઢસો વર્ષોમાં ત્યાં નવાનવા ખ્યાલો સક્રિય બન્યા છે. આ સદીના મધ્ય ભાગે તો, કૃતિના મૂલ્યાંકનની શક્યતા વિશે તેમ કૃતિવિવેચનની ઉપયોગિતા વિશેય ત્યાં સંદેહો વ્યક્ત થવા લાગ્યા હતા. સત્ત્વશીલ કૃતિઓની ઓળખ કે સ્વીકૃતિમાં થતો વિલંબ, કૃતિના મૂલ્યાંકનમાં જન્મતા પારાવાર મતભેદો, મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓની બદલાતી ભૂમિકા, વિવેચનના વિધાનની પ્રમાણભૂતતાના પ્રશ્નો, કૃતિવિવેચન અર્થે સ્થિર વસ્તુલક્ષી ભૂમિકાના પ્રશ્નો, વર્તમાન જીવનની વિષમતા અને અરાજકતા, મૂલ્યહ્રાસ અને શૂન્યતાની દશા વચ્ચે મૂલ્યબોધની ભૂમિકા વિશે સંશય—આવાં આવાં કારણોને લીધે વિવેચનની આખીય પ્રવૃત્તિ કોઈ કોઈ સર્જક/વિવેચકને હવે મિથ્યા લાગવા માંડી છે, અથવા તેની ઉપયોગિતા વિશે પ્રશ્નો થવા લાગ્યા છે. પશ્ચિમના એક અભ્યાસી હેન્રી પિયરે ‘The Failures of Criticism’ નામના ગ્રંથમાં વિવેચનપ્રવૃત્તિની નિષ્ફળતાનાં અનેક દૃષ્ટાંતો આપીને આ પ્રવૃત્તિની સામેનાં જોખમો અને પડકારોની સરસ છણાવટ કરી છે. જુદા જુદા યુગની મહાન કૃતિઓ (કે મહાન સર્જકો)ને પિછાણવામાં તેના સમકાલીન વિવેચકો કેવી રીતે ચૂકી ગયા હતા, અને પાછળથી એ કૃતિઓને કેવી રીતે સ્વીકૃતિ મળી હતી તે વિશે તેમણે ઘણી રસપ્રદ ચર્ચાઓ એમાં કરી છે. આમ, વિવેચનપ્રવૃત્તિ સામે પ્રશ્નાર્થચિહ્નો મૂકાતાં રહ્યાં છે, અને છતાં એ પ્રવૃત્તિ અગાઉની જેમ જ એકધારી વણથંભી ચાલુ રહી છે. બલ્કે, એકી સાથે અનેક દિશાઓમાં તેનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. એમ લાગે કે વિવેચન હવે પોતાના સાચા સ્વરૂપને સમજવા અંતર્મુખી બની રહ્યું છે. પોતાના કાર્યવ્યાપાર વિશે, લક્ષ્યો અને પ્રયોજનો વિશે, તેમજ પદ્ધતિઓની સાર્થકતા પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતા વિશે તાત્ત્વિક ભૂમિકાએથી તે વિચાર કરતું થયું છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’—જેવી એક નવી વિદ્યાશાખા, એ રીતે, હવે આકાર લઈ રહી છે.&lt;br /&gt;
આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ.&lt;br /&gt;
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે.&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્‌નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે.&lt;br /&gt;
અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્‌ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે.&lt;br /&gt;
આમ અર્વાચીન સાહિત્યનું આપણે ત્યાં મંડાણ થયું, તેની સાથોસાથ જ વિવેચનની પ્રવૃત્તિ પણ આરંભાઈ. અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા નર્મદને વિવેચનપ્રવૃત્તિની મોટી આવશ્યકતા વરતાઈ હતી. ‘ટીકા કરવાની રીત’ શીર્ષકના એક નાના ટાંચણિયા લેખમાં તેણે આ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂરિયાત ભારપૂર્વક સમજાવી છે. તે કહે છે : “ગુજરાતી ભાષામાં અસલથી તે આજ લગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી. અર્થાત્‌, ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત્ત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કહેવાય છે ખરું. માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નીકળવી જરૂરની છે.”૧ જો કે, પુસ્તકોની ‘ટીકા’નું કાર્ય તેને હાથે આરંભાતું નથી. તેના વિદ્વાન મિત્ર નવલરામ, ખરેખર તો, એ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા. પણ, એ વિશે પછીથી.&lt;br /&gt;
આપણે અહીં એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, આપણી મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વિવેચનની પ્રવૃત્તિ ખેડાઈ નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રની ચર્ચાઓને ગુજરાતીમાં મૂકવાનો, તેનું ભાષ્ય રચવાનો, તેનું સારદોહન રજૂ કરવાનો, કે તેના કોઈ એક પાસા વિશે સ્વતંત્ર ચિંતન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન એ ગાળામાં થયો હોય એમ દેખાતું નથી. એ સાચું કે, નર્મદયુગના આરંભમાં ભુજની પાઠશાળામાં વ્રજના અલંકારશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા હતી. કવિ દલપતરામની કાવ્યરુચિ અને શૈલી એ વ્રજ ગ્રંથોના અભ્યાસથી બંધાવા પામી હતી. સભારંજની કવિતાનાં લક્ષણો ધરાવતી એ શૈલીમાં આયુષ્યભર દલપતરામે પદ્યલેખન કર્યું, અને કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે, તેમની પ્રિય બનેલી એ કાવ્યરીતિ અને તેના સંસ્કારો પચાવીને પુષ્ટ થયેલી કાવ્યરુચિ ગઈ સદીના લગભગ અંત સુધી પ્રવર્તતાં રહ્યાં છે. અને, આથી જ, નર્મદની પાશ્ચાત્ય રીતિની કવિતાનો નવલરામે જે રીતે ઉમળકાભેર પુરસ્કાર કર્યો, અને નવી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ઘટના આપણા વિવેચનના ઇતિહાસની સાચે જ એક અપૂર્વ ઘટના બની રહે છે. નર્મદને લખેલા પત્રમાં તેની નવી કવિતાસ્કૂલને આવકારતાં નવલરામે લખ્યું હતું : ‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties,’૨ નર્મદની કવિતામાં પ્રગટ થયેલાં નૂતન રમણીય તત્ત્વોની નવલરામને ઓળખ થઈ ચૂકી હતી. સંભવતઃ પાશ્ચાત્ય કવિતાના વાચનપરિશીલનથી તેમની રુચિ સૂક્ષ્મ બની હતી, પરિમાર્જિત થઈ હતી. નવલરામે પોતાના સમયમાં પ્રગટ થતા સાહિત્યમાંથી જે જે કૃતિઓની સમીક્ષા લખી, તેમાં તેમની એ સૂક્ષ્મ પરિમાર્જિત રુચિનો સુખદ પરિચય થાય છે. પાશ્ચાત્ય કળા-વિચાર અને વિવેચનના નવા ખ્યાલો અને નવાં મૂલ્યોનો એમાં પ્રથમ વાર વિનિયોગ થયેલો છે.&lt;br /&gt;
નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકનો નિબંધ લખ્યો, તેના પૂર્વાર્ધની ચર્ચાવિચારણાઓમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ – વડર્‌ઝવર્થ, શેલી, હાઝલિટ્‌ આદિની કાવ્યવિચારણાના કેટલાક બીજભૂત ખ્યાલો તેણે ટૂંકમાં ઝીલ્યા છે, (અને તેની કાવ્યપ્રવૃત્તિ પર એ રોમેન્ટિક કવિઓની કવિતા અને કાવ્યભાવનાની અમુક ચોક્કસ અસર પણ પડી છે) પણ, તે ઉપરાંત, તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતો રહેલો ‘એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ’ પણ તેના નિબંધમાં થોડું સ્થાન લે છે. નોંધપાત્ર વાત એ છે કે, નિબંધના અંત ભાગમાં સંસ્કૃતના ‘રસ’ના ખ્યાલનેય તે સંક્ષેપમાં મૂકે છે. આમ જુઓ તો, આ આખાય નિબંધમાં કવિતા વિશેના વિભિન્ન સિદ્ધાંતો કેવળ તૂટક તૂટક ગોઠવાયા છે. એમાંથી કોઈ વ્યવસ્થિત આંતરસંગતિવાળો કાવ્યવિચાર તે નિપજાવી શક્યો નથી. તેની પાસે આ વિષયના અભ્યાસની સામગ્રી પણ અપૂરતી જ હતી; પણ, ખરું તો સ્થિરધીર વૃત્તિથી અભ્યાસ કરવાનું તેની પ્રકૃતિમાં નહોતું. છતાં, જેવો છે તેવો, એ નિબંધ એક વાતનો અણસાર આપી જાય છે કે, આપણા વિવેચકો આરંભથી જ પૂર્વપશ્ચિમની વિવેચનાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને તેની સાથે યુક્ત વિભાવનાઓને સાંકળી લઈને વધુ વ્યાપક સાહિત્યવિચાર રચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહ્યા છે.&lt;br /&gt;
આપણે ત્યાં ગ્રંથવિવેચનની પ્રવૃત્તિનો આરંભ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નર્મદ દ્વારા નહિ પણ તેમના મિત્ર અને એ કાર્ય માટે પૂરેપૂરા સુસજ્જ વિદ્વાન વિવેચક નવલરામ દ્વારા થયો. એ યુગમાં નવા યુગનાં શિક્ષણ અને સાહિત્યનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો હતો, અને છાપકામનાં યંત્રોનું આગમન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે સારાંનરસાં પાકાંકાચાં પુસ્તકોનું ઝડપભેર પ્રકાશન થવા લાગ્યું હતું. એવી પરિસ્થિતિમાં નવલરામ ગ્રંથસમીક્ષાની તાકીદ વરતી ગયા હતા. ગંભીરતાથી, જવાબદારીના ભાન સાથે, તેમણે એ પ્રવૃત્તિ સ્વીકારેલી દેખાય છે. તેમની અત્યંત સ્વસ્થ ઠરેલ પ્રકૃતિ, વિદ્યાકીય સજ્જતા, અને સૂક્ષ્મ સુકુમાર રુચિતંત્ર – એવા ગુણોને કારણે નર્મદ કરતાં તેઓ આ કાર્ય માટે વધુ અધિકારી બન્યા હતા. એમની પૂર્વે, મધ્યકાલીન ગુજરાતીમાં, આ પ્રકારની ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ નહોતી. એટલે એની પદ્ધતિ/પરિપાટી તેમણે પોતે જ નિપજાવી લેવાની હતી; અને નોંધવું જોઈએ કે, જુદા જુદા સ્વરૂપની કૃતિઓની તપાસ અર્થે, આવશ્યકતા અનુસાર, અભિગમ પણ તેમણે બદલ્યો છે. વિવેચ્ય કૃતિને મૂલવવાનાં ધોરણો કે કસોટીઓ પણ પ્રસંગે પ્રસંગે તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે; તો કૃતિમાંથી ઊભા થતા વિશિષ્ટ મુદ્દાઓની છણાવટ પણ કરતા રહ્યા છે. એમાં કૃતિના ગુણદોષની ચર્ચાઓ એટલી જ સ્પષ્ટ, નિર્ભીક, અને નિખાલસ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, પાશ્ચાત્ય સાહિત્યના વિશાળ વાચનપરિશીલનથી કેળવાયેલી તેમની વિવેચનદૃષ્ટિમાં પાશ્ચાત્ય કળા અને સૌંદર્યભાવનાનો વિશિષ્ટ વિનિયોગ છે. તેમણે કાવ્યકળા અને સૌંદર્યતત્ત્વ વિશે જે થોડીક તૂટક વિચારણા રજૂ કરી છે, તેમાંય તેમનો મૌલિક તત્ત્વગ્રાહી અભિગમ તરત ધ્યાન ખેંચે છે. (અર્વાચીન યુગને અનુરૂપ નવું કાવ્યશાસ્ત્ર નિર્માણ કરવાની જરૂર તેઓ તે જમાનામાં વરતી ગયા હતા, અને એવું કાવ્યશાસ્ત્ર રચવાનો અભિલાષ પણ તેઓ સેવતા હતા.) આમ, અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં નર્મદ-નવલરામ દ્વારા કાવ્યતત્ત્વવિચાર અને ગ્રંથવિવેચન – બંને ક્ષેત્રમાં પગરણ મંડાયાં.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિના પ્રશ્ને, નવલરામની ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ ખાસ નોંધ માગે છે. પહેલી વાત તો એ કે સંસ્કૃત પરંપરામાં ‘ટીકા’ નામથી ઓળખાતી જે પ્રવૃત્તિ ચાલી હતી, તેથી તેમની વિવેચનાનું ભિન્ન સ્વરૂપ બંધાવા પામ્યું છે. કૃતિ વિવરણ વિવેચન અર્થે એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના તેમ પાશ્ચાત્ય વિવેચનના, બંને પરંપરાના કેટલાક પાયાના ખ્યાલો તેમણે ખપમાં લીધા છે; પણ કૃતિના મૂલ્યાંકનમાં પાશ્ચાત્ય વિવેચનનાં મૂલ્યો અને માપદંડોનો વ્યાપક સ્વીકાર તેમાં થયો હોવાનું જણાશે. વળી, કૃતિને ન્યાય કરવા કર્તાના મૂળ ‘આશય’ (જે ઘણુંખરું ગર્ભિત હોય છે) ને લક્ષમાં લઈને ચાલવાનું તેમણે વલણ કેળવ્યું છે, અને, ખાસ તો કૃતિનો મર્મ સમજાવતાં તેના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભને પણ તેમણે લક્ષમાં લીધા છે. પ્રેમાનંદના પ્રસિદ્ધ આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા, આ રીતે, ઘણી દ્યોતક છે. કૃતિવિવેચનમાં, સ્વાભાવિક રીતે જ, કર્તાનો આશય, તેના યુગની સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ, આખ્યાન પ્રકારની આંતરક્ષમતા—એમ વિભિન્ન બિંદુએથી તેઓ કૃતિને સ્પર્શી રહે છે. તેમણે આ રીતે બાંધી આપેલી ગ્રંથવિવેચનની પરિપાટી જ, આમ તો, ગાંધીમુનશી યુગના અંત સુધી ચાલતી રહી દેખાય છે. અલબત્ત, વિવેચનની સભાનપણે આગવી પદ્ધતિ નિપજાવવાની દિશામાં, આ રીતે, સાક્ષર યુગમાં જ પ્રયત્નો આરંભાયા છે.&lt;br /&gt;
નર્મદ નવલરામથી આરંભાયેલી આપણી આ વિવેચનપ્રવૃત્તિ, પછીથી, મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર, બળવંતરાય, મુનશી, રામનારાયણ, વિજયરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, સુંદરમ્‌, સુરેશ જોષી, ઉપરાંત બીજા અનેક તેજસ્વી વિવેચકો દ્વારા ખેડાતી વિકસતી રહી છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંનેય ક્ષેત્રે સાથોસાથ વિપુલ લેખન કામ થયું છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય બંને પરંપરાના સાહિત્યવિચારોનો ઓછેવત્તે અંશે સંયોગ થતો રહ્યો છે. આપણા કેટલાક અભ્યાસીઓએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી વધુ પ્રેરણા લઈ કામ કર્યું છે; તો બીજાઓ પાશ્ચાત્યમાંથી ઘણું પામ્યા છે. બંનેય પરંપરાના કેટલાક પાયાના ખ્યાલોને સાંકળી લઈને વધુ વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના ય પ્રયત્નો જારી રહ્યા છે. જો કે આ જાતનો અભિગમ હજુ સુધી સંતોષકારક પરિણામ લાવી શક્યો નથી. બલકે, આ સદીમાં પશ્ચિમમાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે સાહિત્યકળા અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રે અનેક પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી વિચારણાઓ જન્મી, વિવિધ વાદો અને ઢંઢેરાઓ રજૂ થયા, તે પછી તે સર્વને લક્ષમાં લઈને તેમાંથી સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે.&lt;br /&gt;
વાસ્તવમાં, છેલ્લાં સો સવાસો વર્ષોના ગાળામાં પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનના મુખ્યગૌણ ખ્યાલો આપણા સિદ્ધાંતવિચારમાં, ક્યારેક કેન્દ્રમાં, ક્યારેક પશ્ચાદ્‌ભૂમિકામાં, રજૂ થતા રહ્યા છે. એ દરેકનાં મૂળ (sources) અને તેનો વિકાસક્રમ આલેખવાનું આ અધ્યયનમાં અભિપ્રેત નથી. એટલે, અહીં એટલું જ સૂચવીશું કે, પાશ્ચાત્ય વિવેચનના ઘણા બીજભૂત વિચારો આપણા વિવેચનમાં અર્ધ કે અલ્પવિકસિત રૂપમાં પડ્યા છે. બીજી બાજુ, સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યાપકપણે તેમ ગહન દૃષ્ટિથી, પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ખાસ તો, અધ્યયન થવા લાગ્યું, તે સાથે સંસ્કૃતની કાવ્યવિચારણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિનો આપણા અભ્યાસીઓ દ્વારા સ્વીકાર થવા લાગ્યો છે. આજે આ બે ભિન્ન પરંપરાની સાહિત્યવિચારણાના મળતા આવતા પાયાના ખ્યાલોને તુલનાત્મક દૃષ્ટિએ જોવા તપાસવાની મોટી અનિવાર્યતા અનુભવાવા લાગી છે.&lt;br /&gt;
અલબત્ત, પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો અને તેની સાથે જન્મેલી-વિકસેલી અનેકવિધ વિભાવનાઓ આપણા સાહિત્યને કેટલે અંશે ઉપકારક છે, અથવા કેટલે અંશે પ્રસ્તુત છે, એવો પ્રશ્ન હમણાં હમણાં પુછાવા લાગ્યો છે. પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ જો ત્યાંની ભિન્ન દાર્શનિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં જન્મ્યા અને વિકસ્યા હોય; અર્થાત્‌, કળા સૌંદર્ય અને સર્જકતાના ખ્યાલો ત્યાં જુદી રીતે પ્રવર્ત્યા હોય; અને, ખાસ તો, ત્યાંનાં ભિન્ન સાહિત્યસ્વરૂપો આકારો અને અનુભવોને તે અનુલક્ષતા હોય–મતલબ કે, ત્યાંના વિવેચનમાં નીપજેલાં ધોરણો/કસોટીઓ જુદાં હોય, તો આપણા સાહિત્યને તે કેવી રીતે ઉપકારક બની શકે—એવા પ્રશ્નને ખરેખર મોટો અવકાશ રહે જ છે. છતાં, નોંધવું જોઈએ કે, વિવેચનની જે પરંપરા અર્વાચીન યુગમાં આપણે ત્યાં બંધાવા પામી, તેની સવિશેષ પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનની છે. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશેના વિચારો સ્વીકારવા પૂરતી જ આ વાત નથી : કૃતિના મૂલ્યાંકન અંગેના ઘણાંખરાં ધોરણો/કસોટીઓ પણ આપણે જાણ્યેઅજાણ્યે પશ્ચિમમાંથી સ્વીકાર્યાં છે. આપણી માતબર ગણાય તેવી કૃતિઓને લાગુ પાડવામાં આવેલાં વિભિન્ન ધોરણો/કસોટીઓની તપાસ કરતાં આ વાતની તરત પ્રતીતિ થશે.&lt;br /&gt;
પણ, આપણી મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યકૃતિઓનાં વિવેચન મૂલ્યાંકન અર્થે પશ્ચિમનાં આ ધોરણો/કસોટીઓ લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી છે કે પ્રસ્તુત છે, તે જાતના પ્રશ્નો ઘણા કૂટ છે. તુલનાત્મક સૌંદર્યમીમાંસા સુધી આપણને એ દોરી જાય તેમ છે. પશ્ચિમના કળાસિદ્ધાંતો અને વિવેચનની વિભાવનાઓ કયા સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં જન્મ્યાં અને વિકસ્યાં, અને તેના તત્ત્વવિચારમાં કયાં ગૃહીતો રહ્યાં છે–વગેરે મુદ્દાઓની તપાસ એ માટે કરવાની રહે છે પણ આ અધ્યયનમાં આપણે એ જાતની તપાસમાં રોકાઈ શકીશું નહિ. એટલું જ નોંધીને ચાલીશું કે, વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે આપણે ત્યાં જે કંઈ ચર્ચા થઈ, તેની મુખ્ય પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનવિચારની રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87687</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0/I_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0_:_%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=87687"/>
		<updated>2025-04-24T15:22:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }} {{Poem2Open}} ૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર {{Poem2Close}} પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|I. વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા | }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧. ‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’.&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્‌ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે.&lt;br /&gt;
પશ્ચિમમાં આ સદીમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. સૌંદર્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માર્ક્સવાદ, ભાષાવિજ્ઞાન, સંરચનાવાદ, જ્ઞાનમીમાંસા આદિ વિભિન્ન જ્ઞાનવિજ્ઞાનના સહયોગમાં એના મૂળભૂત મુદ્દાઓની ચર્ચા ત્યાં આરંભાયેલી છે. કૃતિવિવેચનની સાથોસાથ સાહિત્યચર્ચાઓ તો ખરી જ, પણ વિવેચનમીમાંસાના પ્રશ્નો ય એ ક્ષેત્રમાં ઉમેરાયા છે. એટલે, વિવેચન-પ્રવૃત્તિના સ્વરૂપ અને કાર્ય વિશે, અગાઉ જે રૂઢ ખ્યાલો પ્રચલિત હતા તે હવે હચમચી ઊઠ્યા દેખાય છે.&lt;br /&gt;
એ ખરું કે સાહિત્યક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ એ સર્જનપ્રવૃત્તિ પર અવલંબતી, અને એને અનુષંગે ઉદ્‌ભવેલી, પ્રવૃત્તિ છે, જો કે, સાહિત્યશાસ્ત્રને (જેમ સૌંદર્યમીમાંસાને) જ્ઞાનના એક અલગ અને સ્વતંત્ર વિષય લેખે સ્થાપવાનું વલણ પણ પશ્ચિમમાં જન્મ્યું છે. સાહિત્યશાસ્ત્રના પ્રશ્નોને અલગ પાડીને તપાસીએ, તો જ તેની સાચી ઓળખ થઈ શકે એવી સમજ તેમાં પડેલી છે.&lt;br /&gt;
કૃતિવિવેચનના ક્ષેત્રની વાત કરીએ તો, પશ્ચિમમાં આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણચાર સૈકાઓથી કે તેથી પણ કંઈક વધુ સમયથી ચાલતી હોવાનું જણાય છે. પણ, વિવેચનના સ્વરૂપ પ્રયોજન અને પદ્ધતિ વિશે છેલ્લાં સો દોઢસો વર્ષોમાં ત્યાં નવાનવા ખ્યાલો સક્રિય બન્યા છે. આ સદીના મધ્ય ભાગે તો, કૃતિના મૂલ્યાંકનની શક્યતા વિશે તેમ કૃતિવિવેચનની ઉપયોગિતા વિશેય ત્યાં સંદેહો વ્યક્ત થવા લાગ્યા હતા. સત્ત્વશીલ કૃતિઓની ઓળખ કે સ્વીકૃતિમાં થતો વિલંબ, કૃતિના મૂલ્યાંકનમાં જન્મતા પારાવાર મતભેદો, મૂલ્યાંકનનાં ધોરણો કે કસોટીઓની બદલાતી ભૂમિકા, વિવેચનના વિધાનની પ્રમાણભૂતતાના પ્રશ્નો, કૃતિવિવેચન અર્થે સ્થિર વસ્તુલક્ષી ભૂમિકાના પ્રશ્નો, વર્તમાન જીવનની વિષમતા અને અરાજકતા, મૂલ્યહ્રાસ અને શૂન્યતાની દશા વચ્ચે મૂલ્યબોધની ભૂમિકા વિશે સંશય—આવાં આવાં કારણોને લીધે વિવેચનની આખીય પ્રવૃત્તિ કોઈ કોઈ સર્જક/વિવેચકને હવે મિથ્યા લાગવા માંડી છે, અથવા તેની ઉપયોગિતા વિશે પ્રશ્નો થવા લાગ્યા છે. પશ્ચિમના એક અભ્યાસી હેન્રી પિયરે ‘The Failures of Criticism’ નામના ગ્રંથમાં વિવેચનપ્રવૃત્તિની નિષ્ફળતાનાં અનેક દૃષ્ટાંતો આપીને આ પ્રવૃત્તિની સામેનાં જોખમો અને પડકારોની સરસ છણાવટ કરી છે. જુદા જુદા યુગની મહાન કૃતિઓ (કે મહાન સર્જકો)ને પિછાણવામાં તેના સમકાલીન વિવેચકો કેવી રીતે ચૂકી ગયા હતા, અને પાછળથી એ કૃતિઓને કેવી રીતે સ્વીકૃતિ મળી હતી તે વિશે તેમણે ઘણી રસપ્રદ ચર્ચાઓ એમાં કરી છે. આમ, વિવેચનપ્રવૃત્તિ સામે પ્રશ્નાર્થચિહ્નો મૂકાતાં રહ્યાં છે, અને છતાં એ પ્રવૃત્તિ અગાઉની જેમ જ એકધારી વણથંભી ચાલુ રહી છે. બલ્કે, એકી સાથે અનેક દિશાઓમાં તેનો વિકાસ વિસ્તાર થતો રહ્યો છે. એમ લાગે કે વિવેચન હવે પોતાના સાચા સ્વરૂપને સમજવા અંતર્મુખી બની રહ્યું છે. પોતાના કાર્યવ્યાપાર વિશે, લક્ષ્યો અને પ્રયોજનો વિશે, તેમજ પદ્ધતિઓની સાર્થકતા પ્રસ્તુતતા અને પ્રમાણભૂતતા વિશે તાત્ત્વિક ભૂમિકાએથી તે વિચાર કરતું થયું છે. ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’—જેવી એક નવી વિદ્યાશાખા, એ રીતે, હવે આકાર લઈ રહી છે.&lt;br /&gt;
આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ.&lt;br /&gt;
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે.&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્‌ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્‌નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે.&lt;br /&gt;
અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્‌ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે.&lt;br /&gt;
આમ અર્વાચીન સાહિત્યનું આપણે ત્યાં મંડાણ થયું, તેની સાથોસાથ જ વિવેચનની પ્રવૃત્તિ પણ આરંભાઈ. અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા નર્મદને વિવેચનપ્રવૃત્તિની મોટી આવશ્યકતા વરતાઈ હતી. ‘ટીકા કરવાની રીત’ શીર્ષકના એક નાના ટાંચણિયા લેખમાં તેણે આ પ્રવૃત્તિ શરૂ કરવાની જરૂરિયાત ભારપૂર્વક સમજાવી છે. તે કહે છે : “ગુજરાતી ભાષામાં અસલથી તે આજ લગીમાં જેટલાં પુસ્તકો થયાં છે, તેની ટીકા થઈ નથી. અર્થાત્‌, ગુજરાતીમાં ટીકા કરવાની ચાલ નથી. અલબત્ત ફલાણું સારું છે અને ફલાણું નઠારું છે એમ સ્વાભાવિક તો કહેવાય છે ખરું. માટે પુસ્તકોની ટીકા કરવાની ચાલ નીકળવી જરૂરની છે.”૧ જો કે, પુસ્તકોની ‘ટીકા’નું કાર્ય તેને હાથે આરંભાતું નથી. તેના વિદ્વાન મિત્ર નવલરામ, ખરેખર તો, એ પ્રવૃત્તિના પ્રણેતા બન્યા. પણ, એ વિશે પછીથી.&lt;br /&gt;
આપણે અહીં એમ સ્પષ્ટ કરવાનું રહે છે કે, આપણી મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વિવેચનની પ્રવૃત્તિ ખેડાઈ નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રની ચર્ચાઓને ગુજરાતીમાં મૂકવાનો, તેનું ભાષ્ય રચવાનો, તેનું સારદોહન રજૂ કરવાનો, કે તેના કોઈ એક પાસા વિશે સ્વતંત્ર ચિંતન કરવાનો કોઈ ખાસ પ્રયત્ન એ ગાળામાં થયો હોય એમ દેખાતું નથી. એ સાચું કે, નર્મદયુગના આરંભમાં ભુજની પાઠશાળામાં વ્રજના અલંકારશાસ્ત્રના શિક્ષણની વ્યવસ્થા હતી. કવિ દલપતરામની કાવ્યરુચિ અને શૈલી એ વ્રજ ગ્રંથોના અભ્યાસથી બંધાવા પામી હતી. સભારંજની કવિતાનાં લક્ષણો ધરાવતી એ શૈલીમાં આયુષ્યભર દલપતરામે પદ્યલેખન કર્યું, અને કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે, તેમની પ્રિય બનેલી એ કાવ્યરીતિ અને તેના સંસ્કારો પચાવીને પુષ્ટ થયેલી કાવ્યરુચિ ગઈ સદીના લગભગ અંત સુધી પ્રવર્તતાં રહ્યાં છે. અને, આથી જ, નર્મદની પાશ્ચાત્ય રીતિની કવિતાનો નવલરામે જે રીતે ઉમળકાભેર પુરસ્કાર કર્યો, અને નવી કવિતાની પ્રાણપ્રતિષ્ઠા કરી, એ ઘટના આપણા વિવેચનના ઇતિહાસની સાચે જ એક અપૂર્વ ઘટના બની રહે છે. નર્મદને લખેલા પત્રમાં તેની નવી કવિતાસ્કૂલને આવકારતાં નવલરામે લખ્યું હતું : ‘I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties,’૨ નર્મદની કવિતામાં પ્રગટ થયેલાં નૂતન રમણીય તત્ત્વોની નવલરામને ઓળખ થઈ ચૂકી હતી. સંભવતઃ પાશ્ચાત્ય કવિતાના વાચનપરિશીલનથી તેમની રુચિ સૂક્ષ્મ બની હતી, પરિમાર્જિત થઈ હતી. નવલરામે પોતાના સમયમાં પ્રગટ થતા સાહિત્યમાંથી જે જે કૃતિઓની સમીક્ષા લખી, તેમાં તેમની એ સૂક્ષ્મ પરિમાર્જિત રુચિનો સુખદ પરિચય થાય છે. પાશ્ચાત્ય કળા-વિચાર અને વિવેચનના નવા ખ્યાલો અને નવાં મૂલ્યોનો એમાં પ્રથમ વાર વિનિયોગ થયેલો છે.&lt;br /&gt;
નર્મદે ‘કવિ અને કવિતા’ શીર્ષકનો નિબંધ લખ્યો, તેના પૂર્વાર્ધની ચર્ચાવિચારણાઓમાં અંગ્રેજ રોમેન્ટિક કવિઓ – વડર્‌ઝવર્થ, શેલી, હાઝલિટ્‌ આદિની કાવ્યવિચારણાના કેટલાક બીજભૂત ખ્યાલો તેણે ટૂંકમાં ઝીલ્યા છે, (અને તેની કાવ્યપ્રવૃત્તિ પર એ રોમેન્ટિક કવિઓની કવિતા અને કાવ્યભાવનાની અમુક ચોક્કસ અસર પણ પડી છે) પણ, તે ઉપરાંત, તત્કાલીન પાશ્ચાત્ય વિવેચનમાં ચર્ચાતો રહેલો ‘એરિસ્ટોટલનો અનુકરણવાદ વિ. બેકનનો કલ્પનાવાદ’ પણ તેના નિબંધમાં થોડું સ્થાન લે છે. નોંધપાત્ર વાત એ છે કે, નિબંધના અંત ભાગમાં સંસ્કૃતના ‘રસ’ના ખ્યાલનેય તે સંક્ષેપમાં મૂકે છે. આમ જુઓ તો, આ આખાય નિબંધમાં કવિતા વિશેના વિભિન્ન સિદ્ધાંતો કેવળ તૂટક તૂટક ગોઠવાયા છે. એમાંથી કોઈ વ્યવસ્થિત આંતરસંગતિવાળો કાવ્યવિચાર તે નિપજાવી શક્યો નથી. તેની પાસે આ વિષયના અભ્યાસની સામગ્રી પણ અપૂરતી જ હતી; પણ, ખરું તો સ્થિરધીર વૃત્તિથી અભ્યાસ કરવાનું તેની પ્રકૃતિમાં નહોતું. છતાં, જેવો છે તેવો, એ નિબંધ એક વાતનો અણસાર આપી જાય છે કે, આપણા વિવેચકો આરંભથી જ પૂર્વપશ્ચિમની વિવેચનાના ભિન્ન ભિન્ન સિદ્ધાંતો અને તેની સાથે યુક્ત વિભાવનાઓને સાંકળી લઈને વધુ વ્યાપક સાહિત્યવિચાર રચવાના પ્રયત્નમાં પ્રવૃત્ત રહ્યા છે.&lt;br /&gt;
આપણે ત્યાં ગ્રંથવિવેચનની પ્રવૃત્તિનો આરંભ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નર્મદ દ્વારા નહિ પણ તેમના મિત્ર અને એ કાર્ય માટે પૂરેપૂરા સુસજ્જ વિદ્વાન વિવેચક નવલરામ દ્વારા થયો. એ યુગમાં નવા યુગનાં શિક્ષણ અને સાહિત્યનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો હતો, અને છાપકામનાં યંત્રોનું આગમન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે સારાંનરસાં પાકાંકાચાં પુસ્તકોનું ઝડપભેર પ્રકાશન થવા લાગ્યું હતું. એવી પરિસ્થિતિમાં નવલરામ ગ્રંથસમીક્ષાની તાકીદ વરતી ગયા હતા. ગંભીરતાથી, જવાબદારીના ભાન સાથે, તેમણે એ પ્રવૃત્તિ સ્વીકારેલી દેખાય છે. તેમની અત્યંત સ્વસ્થ ઠરેલ પ્રકૃતિ, વિદ્યાકીય સજ્જતા, અને સૂક્ષ્મ સુકુમાર રુચિતંત્ર – એવા ગુણોને કારણે નર્મદ કરતાં તેઓ આ કાર્ય માટે વધુ અધિકારી બન્યા હતા. એમની પૂર્વે, મધ્યકાલીન ગુજરાતીમાં, આ પ્રકારની ગ્રંથસમીક્ષાની પ્રવૃત્તિ નહોતી. એટલે એની પદ્ધતિ/પરિપાટી તેમણે પોતે જ નિપજાવી લેવાની હતી; અને નોંધવું જોઈએ કે, જુદા જુદા સ્વરૂપની કૃતિઓની તપાસ અર્થે, આવશ્યકતા અનુસાર, અભિગમ પણ તેમણે બદલ્યો છે. વિવેચ્ય કૃતિને મૂલવવાનાં ધોરણો કે કસોટીઓ પણ પ્રસંગે પ્રસંગે તેઓ સ્પષ્ટ કરતા રહ્યા છે; તો કૃતિમાંથી ઊભા થતા વિશિષ્ટ મુદ્દાઓની છણાવટ પણ કરતા રહ્યા છે. એમાં કૃતિના ગુણદોષની ચર્ચાઓ એટલી જ સ્પષ્ટ, નિર્ભીક, અને નિખાલસ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે, પાશ્ચાત્ય સાહિત્યના વિશાળ વાચનપરિશીલનથી કેળવાયેલી તેમની વિવેચનદૃષ્ટિમાં પાશ્ચાત્ય કળા અને સૌંદર્યભાવનાનો વિશિષ્ટ વિનિયોગ છે. તેમણે કાવ્યકળા અને સૌંદર્યતત્ત્વ વિશે જે થોડીક તૂટક વિચારણા રજૂ કરી છે, તેમાંય તેમનો મૌલિક તત્ત્વગ્રાહી અભિગમ તરત ધ્યાન ખેંચે છે. (અર્વાચીન યુગને અનુરૂપ નવું કાવ્યશાસ્ત્ર નિર્માણ કરવાની જરૂર તેઓ તે જમાનામાં વરતી ગયા હતા, અને એવું કાવ્યશાસ્ત્ર રચવાનો અભિલાષ પણ તેઓ સેવતા હતા.) આમ, અર્વાચીન યુગના આરંભે આપણે ત્યાં નર્મદ-નવલરામ દ્વારા કાવ્યતત્ત્વવિચાર અને ગ્રંથવિવેચન – બંને ક્ષેત્રમાં પગરણ મંડાયાં.&lt;br /&gt;
વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિના પ્રશ્ને, નવલરામની ગ્રંથવિવેચનની પ્રવૃત્તિ ખાસ નોંધ માગે છે. પહેલી વાત તો એ કે સંસ્કૃત પરંપરામાં ‘ટીકા’ નામથી ઓળખાતી જે પ્રવૃત્તિ ચાલી હતી, તેથી તેમની વિવેચનાનું ભિન્ન સ્વરૂપ બંધાવા પામ્યું છે. કૃતિ વિવરણ વિવેચન અર્થે એમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના તેમ પાશ્ચાત્ય વિવેચનના, બંને પરંપરાના કેટલાક પાયાના ખ્યાલો તેમણે ખપમાં લીધા છે; પણ કૃતિના મૂલ્યાંકનમાં પાશ્ચાત્ય વિવેચનનાં મૂલ્યો અને માપદંડોનો વ્યાપક સ્વીકાર તેમાં થયો હોવાનું જણાશે. વળી, કૃતિને ન્યાય કરવા કર્તાના મૂળ ‘આશય’ (જે ઘણુંખરું ગર્ભિત હોય છે) ને લક્ષમાં લઈને ચાલવાનું તેમણે વલણ કેળવ્યું છે, અને, ખાસ તો કૃતિનો મર્મ સમજાવતાં તેના સામાજિક/સાંસ્કૃતિક સંદર્ભને પણ તેમણે લક્ષમાં લીધા છે. પ્રેમાનંદના પ્રસિદ્ધ આખ્યાન ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા, આ રીતે, ઘણી દ્યોતક છે. કૃતિવિવેચનમાં, સ્વાભાવિક રીતે જ, કર્તાનો આશય, તેના યુગની સામાજિક/સાંસ્કૃતિક પરિસ્થિતિ, આખ્યાન પ્રકારની આંતરક્ષમતા—એમ વિભિન્ન બિંદુએથી તેઓ કૃતિને સ્પર્શી રહે છે. તેમણે આ રીતે બાંધી આપેલી ગ્રંથવિવેચનની પરિપાટી જ, આમ તો, ગાંધીમુનશી યુગના અંત સુધી ચાલતી રહી દેખાય છે. અલબત્ત, વિવેચનની સભાનપણે આગવી પદ્ધતિ નિપજાવવાની દિશામાં, આ રીતે, સાક્ષર યુગમાં જ પ્રયત્નો આરંભાયા છે.&lt;br /&gt;
નર્મદ નવલરામથી આરંભાયેલી આપણી આ વિવેચનપ્રવૃત્તિ, પછીથી, મણિલાલ, ગોવર્ધનરામ, રમણભાઈ, નરસિંહરાવ, આ. આનંદશંકર, બળવંતરાય, મુનશી, રામનારાયણ, વિજયરાય, વિશ્વનાથ, વિષ્ણુપ્રસાદ, ઉમાશંકર, સુંદરમ્‌, સુરેશ જોષી, ઉપરાંત બીજા અનેક તેજસ્વી વિવેચકો દ્વારા ખેડાતી વિકસતી રહી છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંનેય ક્ષેત્રે સાથોસાથ વિપુલ લેખન કામ થયું છે. એમાં સંસ્કૃત અને પાશ્ચાત્ય બંને પરંપરાના સાહિત્યવિચારોનો ઓછેવત્તે અંશે સંયોગ થતો રહ્યો છે. આપણા કેટલાક અભ્યાસીઓએ સંસ્કૃત અલંકારશાસ્ત્રમાંથી વધુ પ્રેરણા લઈ કામ કર્યું છે; તો બીજાઓ પાશ્ચાત્યમાંથી ઘણું પામ્યા છે. બંનેય પરંપરાના કેટલાક પાયાના ખ્યાલોને સાંકળી લઈને વધુ વ્યાપક અને સર્વગ્રાહી સિદ્ધાંત રચવાના ય પ્રયત્નો જારી રહ્યા છે. જો કે આ જાતનો અભિગમ હજુ સુધી સંતોષકારક પરિણામ લાવી શક્યો નથી. બલકે, આ સદીમાં પશ્ચિમમાં આધુનિકતાવાદના પ્રભાવ નીચે સાહિત્યકળા અને સૌંદર્યમીમાંસાના ક્ષેત્રે અનેક પરસ્પરભિન્ન અને પરસ્પરવિરોધી વિચારણાઓ જન્મી, વિવિધ વાદો અને ઢંઢેરાઓ રજૂ થયા, તે પછી તે સર્વને લક્ષમાં લઈને તેમાંથી સુગ્રથિત સાહિત્યશાસ્ત્ર રચવાનું ઘણું મુશ્કેલ બની ગયું છે.&lt;br /&gt;
વાસ્તવમાં, છેલ્લાં સો સવાસો વર્ષોના ગાળામાં પાશ્ચાત્ય કળાવિચાર અને વિવેચનના મુખ્યગૌણ ખ્યાલો આપણા સિદ્ધાંતવિચારમાં, ક્યારેક કેન્દ્રમાં, ક્યારેક પશ્ચાદ્‌ભૂમિકામાં, રજૂ થતા રહ્યા છે. એ દરેકનાં મૂળ (sources) અને તેનો વિકાસક્રમ આલેખવાનું આ અધ્યયનમાં અભિપ્રેત નથી. એટલે, અહીં એટલું જ સૂચવીશું કે, પાશ્ચાત્ય વિવેચનના ઘણા બીજભૂત વિચારો આપણા વિવેચનમાં અર્ધ કે અલ્પવિકસિત રૂપમાં પડ્યા છે. બીજી બાજુ, સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતોનું વ્યાપકપણે તેમ ગહન દૃષ્ટિથી, પાશ્ચાત્ય વિવેચનના પ્રકાશમાં ખાસ તો, અધ્યયન થવા લાગ્યું, તે સાથે સંસ્કૃતની કાવ્યવિચારણાની સૂક્ષ્માતિસૂક્ષ્મ દૃષ્ટિનો આપણા અભ્યાસીઓ દ્વારા સ્વીકાર થવા લાગ્યો છે. આજે આ બે ભિન્ન પરંપરાની સાહિત્યવિચારણાના મળતા આવતા પાયાના ખ્યાલોને તુલનાત્મક દૃષ્ટિએ જોવા તપાસવાની મોટી અનિવાર્યતા અનુભવાવા લાગી છે.&lt;br /&gt;
અલબત્ત, પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો અને તેની સાથે જન્મેલી-વિકસેલી અનેકવિધ વિભાવનાઓ આપણા સાહિત્યને કેટલે અંશે ઉપકારક છે, અથવા કેટલે અંશે પ્રસ્તુત છે, એવો પ્રશ્ન હમણાં હમણાં પુછાવા લાગ્યો છે. પાશ્ચાત્ય વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ જો ત્યાંની ભિન્ન દાર્શનિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં જન્મ્યા અને વિકસ્યા હોય; અર્થાત્‌, કળા સૌંદર્ય અને સર્જકતાના ખ્યાલો ત્યાં જુદી રીતે પ્રવર્ત્યા હોય; અને, ખાસ તો, ત્યાંનાં ભિન્ન સાહિત્યસ્વરૂપો આકારો અને અનુભવોને તે અનુલક્ષતા હોય–મતલબ કે, ત્યાંના વિવેચનમાં નીપજેલાં ધોરણો/કસોટીઓ જુદાં હોય, તો આપણા સાહિત્યને તે કેવી રીતે ઉપકારક બની શકે—એવા પ્રશ્નને ખરેખર મોટો અવકાશ રહે જ છે. છતાં, નોંધવું જોઈએ કે, વિવેચનની જે પરંપરા અર્વાચીન યુગમાં આપણે ત્યાં બંધાવા પામી, તેની સવિશેષ પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનની છે. વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશેના વિચારો સ્વીકારવા પૂરતી જ આ વાત નથી : કૃતિના મૂલ્યાંકન અંગેના ઘણાંખરાં ધોરણો/કસોટીઓ પણ આપણે જાણ્યેઅજાણ્યે પશ્ચિમમાંથી સ્વીકાર્યાં છે. આપણી માતબર ગણાય તેવી કૃતિઓને લાગુ પાડવામાં આવેલાં વિભિન્ન ધોરણો/કસોટીઓની તપાસ કરતાં આ વાતની તરત પ્રતીતિ થશે.&lt;br /&gt;
પણ, આપણી મધ્યકાલીન-અર્વાચીન સાહિત્યકૃતિઓનાં વિવેચન મૂલ્યાંકન અર્થે પશ્ચિમનાં આ ધોરણો/કસોટીઓ લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી છે કે પ્રસ્તુત છે, તે જાતના પ્રશ્નો ઘણા કૂટ છે. તુલનાત્મક સૌંદર્યમીમાંસા સુધી આપણને એ દોરી જાય તેમ છે. પશ્ચિમના કળાસિદ્ધાંતો અને વિવેચનની વિભાવનાઓ કયા સાહિત્યિક-સાંસ્કૃતિક સંદર્ભોમાં જન્મ્યાં અને વિકસ્યાં, અને તેના તત્ત્વવિચારમાં કયાં ગૃહીતો રહ્યાં છે–વગેરે મુદ્દાઓની તપાસ એ માટે કરવાની રહે છે પણ આ અધ્યયનમાં આપણે એ જાતની તપાસમાં રોકાઈ શકીશું નહિ. એટલું જ નોંધીને ચાલીશું કે, વિવેચનના સ્વરૂપ કાર્ય અને પદ્ધતિઓ વિશે આપણે ત્યાં જે કંઈ ચર્ચા થઈ, તેની મુખ્ય પ્રેરણા પાશ્ચાત્ય વિવેચનવિચારની રહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87685</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87685"/>
		<updated>2025-04-24T15:16:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI તારણો અને સમાપન|VI તારણો અને સમાપન]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87684</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87684"/>
		<updated>2025-04-24T15:11:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI 	તારણો અને સમાપન|VI 	તારણો અને સમાપન]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87683</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87683"/>
		<updated>2025-04-24T15:10:38Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI 	તારણો અને સમાપન|VI 	તારણો અને સમાપન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87682</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87682"/>
		<updated>2025-04-24T15:10:11Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI 	તારણો અને સમાપન|VI 	તારણો અને સમાપન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82&amp;diff=87680</id>
		<title>સાફલ્યટાણું</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AB%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AF%E0%AA%9F%E0%AA%BE%E0%AA%A3%E0%AB%81%E0%AA%82&amp;diff=87680"/>
		<updated>2025-04-24T15:05:15Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = સાફલ્યટાણું&lt;br /&gt;
|author = ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ)&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[સાફલ્યટાણું/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/પરિચય|પરિચય]]&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧. અસહકારનું આહ્વાન|૧. અસહકારનું આહ્વાન]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨. દલુ કલુના સાંનિધ્યમાં|૨. દલુ કલુના સાંનિધ્યમાં]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૩. વિનીત થયો|૩. વિનીત થયો]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૪. ઋષિઓના વંશજ|૪. ઋષિઓના વંશજ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૫. ગાંધીજી અને એમના અનુયાયી|૫. ગાંધીજી અને એમના અનુયાયી]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૬. માનવતાની મહેક|૬. માનવતાની મહેક]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૭. કેટલાક સહાધ્યાયીઓ|૭. કેટલાક સહાધ્યાયીઓ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૮. મહાનગર મુંબઈ|૮. મહાનગર મુંબઈ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૯. એક યાદગાર સાહસ|૯. એક યાદગાર સાહસ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૦. ખાદીનગરની યાત્રા|૧૦. ખાદીનગરની યાત્રા]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૧. ફરીથી મુંબઈ|૧૧. ફરીથી મુંબઈ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી!|૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી!]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૩. ગુજરાત વિદ્યાપીઠ|૧૩. ગુજરાત વિદ્યાપીઠ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૪. એ મુક્ત વાતાવરણ|૧૪. એ મુક્ત વાતાવરણ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૫. સત્યાગ્રહ આશ્રમમાં|૧૫. સત્યાગ્રહ આશ્રમમાં]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૬. ગુજરાત મહાવિદ્યાલય|૧૬. ગુજરાત મહાવિદ્યાલય]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન|૧૭. વિદ્યાપીઠ અને આપણું લોકજીવન]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ|૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ|૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે|૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન|૨૧. વિકાસ, વિઘ્ન ને નવું સોપાન]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે|૨૨. ઇતિહાસ અને રાજશાસ્ત્રના અધ્યાપક તરીકે]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર|૨૩. વિદ્યાપીઠમાં મોટો ફેરફાર]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે|૨૪. નૂતન ગુજરાતના તંત્રીપદે]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૫. સત્યાગ્રહપરિત્રાના તંત્રીપદે|૨૫. સત્યાગ્રહપરિત્રાના તંત્રીપદે]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૬. જેલ અને અંદરની દુનિયા|૨૬. જેલ અને અંદરની દુનિયા]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૭. યરવડા જેલમાં|૨૭. યરવડા જેલમાં]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે|૨૮. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૨૯. અલવિદા સુરત!|૨૯. અલવિદા સુરત!]]&lt;br /&gt;
* [[સાફલ્યટાણું/૩૦. ફરીથી ‘ઓતરાદી દીવાલ&#039;|૩૦. ફરીથી ‘ઓતરાદી દીવાલ&#039;]]&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87679</id>
		<title>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%9A%E0%AA%A8%E0%AA%A4%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=87679"/>
		<updated>2025-04-24T15:03:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Kamalthobhani: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = &lt;br /&gt;
|title = ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
[વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે &lt;br /&gt;
ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન]&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રમોદકુમાર પટેલ&lt;br /&gt;
રીડર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પરિચય|પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા|I 	વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)|II	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)|III	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)|IV	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)|V	ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ)&lt;br /&gt;
* [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/VI 	તારણો અને સમાપન|VI 	તારણો અને સમાપન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Kamalthobhani</name></author>
	</entry>
</feed>