<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=KhyatiJoshi</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=KhyatiJoshi"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/KhyatiJoshi"/>
	<updated>2026-05-02T01:36:42Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A8%E0%AB%A6&amp;diff=60936</id>
		<title>રચનાવલી/૨૨૦</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A8%E0%AB%A6&amp;diff=60936"/>
		<updated>2023-05-09T12:02:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૨૦. નેલી ઝાક્સ   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપે મડદાંઓના ઢગલા જોયા છે. બબ્બે વિશ્વયુદ્ધો અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આધુનિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને લાખોની સંખ્યામાં ગણતરીપૂર્વક અને પદ્ધતિપૂર્વક હિટલરને હાથે જે યહુદીઓનો સંહાર થયો છે એનો વિશ્વના ઇતિહાસમાં કોઈ જોટો નથી. પૃથ્વી પરથી યહુદીઓને નેસ્તનાબુદ કરવાના આવા પ્રયત્નો અનેકવાર થયા છે પણ મૃત્યુ છાવણીઓમાં એક જગ્યાએ એકઠા કરી ગૅસ ચૅમ્બરમાં ગૂંગળાવી મારી નાંખીને એને સામૂહિક ભઠ્ઠીમાં હોમવાના થોર અને ઘાતકી કૃત્યને એક આબ્બા કોનર નામના યહુદી કવિએ જબરદસ્ત વાચા આપી છે. કહે છે : ‘અમારા પિતાએ, ઈશ્વરની કૃપાથી ચાલીસ ચાલીસ વર્ષથી એક જ ઑવનમાંથી બ્રેડ લીધા કર્યો એમણે ક્યારેય કહ્યું નહીં કે ઑવનોમાં સમસ્ત લોકો ભૂંજાઈને ધૂમાડો થઈ શકે છે અને કશું બન્યું ન હોય એમ ઈશ્વરની દયાથી જગત ચાલ્યા કરે છે.’ કહેવાય છે કે હિટલરની આવી મૃત્યુ છાવણીઓમાં આઉસવિત્સની છાવણી ભયંકરમાં ભયંકર હતી. તેથી જ ટી.ડબલ્યુ અડોર્નો જેવા ચિંતકે કહ્યું કે, ‘આઉસવિત્સ પછી કવિતા લખવી શક્ય નથી.’ પણ યહુદીઓને લલાટે ચોટેલી યાતના હંમેશા એમની ભીતરનો ઊંડો સૂર બની છે. &lt;br /&gt;
નેલી ઝાક્સ ઘોર યાતનામાંથી ઊંડો સૂર ઊભો કરતી યહુદી કવિ છે. ૧૮૯૧માં બર્લિનમાં જન્મેલી નેલી ઝાક્સે ૧૭ વર્ષની ઉંમરથી કવિતા લખવી શરૂ કરેલી. કેટલીક પ્રગટ થયેલી પણ મોટા ભાગની કવિતા અપ્રગટ રહેલી. નેલી જર્મનભાષામાં લખતી અને પ્રારંભમાં ગ્યોથે અને શિલરનો એના પર પ્રભાવ રહ્યો. પણ હિટલર સત્તામાં આવ્યો અને નાત્સીઓનો જુલ્મ દિન-બ-દિન વકર્યો ત્યારે નેલીએ એકલવાસ સાધ્યો જર્મન અને યહુદી રહસ્યવાદીઓનું સાહિત્ય વાંચ્યું અને તક મળતાં જ એ સ્વીડન પલાયન થઈ ગઈ. સ્વીડનમાં નેલી કવિ તરીકે પુષ્ઠ બની. હોલ્ડરલિન અને રિલ્કે જેવા જર્મન કવિઓ અને બાઈબલનો જૂનો કરાર એને પ્રેરણા આપતા રહ્યા ૧૯૬૬માં યહુદી કવિ સેમ્યુઅલ એગ્નોન સાથે નેલી ઝાક્સને નોબેલ ઇનામ મળ્યું ૧૯૭૦માં નેલી અવસાન પામી. &lt;br /&gt;
બાઈબલના જૂના કરારને અનુસરનારા કવિઓ અને લેટિન ગ્રીક તેમજ ખ્રિસ્તી યુરોપ પરંપરાને અનુસરનારા કવિઓ વચ્ચે ભેદ છે. યુરોપીય કવિ એવું માને છે કે બબ્બે વિશ્વયુદ્ધો અને યહુદી હત્યાકાંડની જંગાલિયતે સભ્યતાનો અને મૂલ્યોનો ખાત્મો બોલાવ્યો છે. રોઝેવિચ જેવો કવિ માને છે કે એનાં કાવ્યો એણે શબ્દોના ખંડેરોમાંથી, શબ્દોના ઊકરડાઓ અને મોટામસ કબ્રસ્તાનમાંથી રચ્યા છે. ટૂંકમાં યુરોપીય કવિ વ્યક્તિગત વેદનાને વર્ણવે છે. ત્યારે, જૂના કરારને અનુસરતા કવિઓ પોતાના લોકોનો અવાજ બનવા મથે છે. યહુદીઓની ત્યારે, જૂના કરારને અનુસરતા કવિઓ પોતાના રાષ્ટ્રીયતા એમનો ધર્મ છે અને ધર્મની ચેતનાનો પોતે એક અંશ છે એવી માન્યતા રહી છે. યહુદીઓ હંમેશા દેશવટો ભોગવતા રહ્યા. અલાયદી વસાહતોમાં જીવતા રહ્યા. હતાશા અને આશા, બલિ અને આશ્વાસન યહુદીઓના ઇતિહાસમાં જોડેજોડે ચાલ્યાં છે. આથી જ યહુદી કવિ પોતાની જાતને નથી વ્યક્ત કરવા માગતો કે નથી એ પોતાની કોઈ કબુલાત કરવા માગે છે. સ્વતંત્ર કવિતાની સૃષ્ટિ પણ રચવા નથી માગતો. યહુદી કવિ એક અર્થમાં ધાર્મિક છે પણ એ જડ નથી, રહસ્યવાદી છે. યાતનામાં જાણે કે એને જીવનનો સાર દેખાય છે. આથી જ યુરોપીય કવિ સામૂહિક યાતનાની સાથે કામ પાડવામાં નિષ્ફળ જાય છે ત્યાં યહુદી કવિ એ સામગ્રીને પલટાવી નાંખે છે અને જાડી હકીકતોને ભયંકર રીતે અંતિમરૂપ આપે છે. નેલી ઝાક્સ જેવી યહુદી કવિમાં આ બધાની આપણને ખાતરી થાય છે. &lt;br /&gt;
નેલી એક જ પંક્તિમાં યાતનાનો પરિચય આપે છે કહે છે : ‘જ્યાં તમે ઊભા છો તે વેદનાની નાભિ છે.’ અન્ય જગ્યાએ યાતનાનો જુદો પરિચય કરાવે છે. નેલી ઇઝરાયેલને કહે છેઃ તેં સાંજના સૂરજના લોહીમાં તારી જાતને ફંગોળી છે જાણે કે એક યાતના બીજી યાતનાને શોધે છે. તારો પડછાયો લાંબો છે અને તારે માટે મોડો પડ્યો છે. નેલી ઝાક્સે આપેલું સાક્ષાત મૃત્યુનું ચિત્ર જુએ છે. કહે છે : ‘આ કેવું મૃત્યુ! બધા મદદગાર ફરિસ્તાઓ એમની લોહી નીંગરતી પાંખે કાળના કાંટાળા તાર પર છિન્નભિન્ન લટકી રહ્યા છે.’ કયારેક નેલીની યાતના દિવસ અને રાતનાં રૂપોને પણ બદલી નાખે છે. કહે છે : ‘રાત્રિ એક કાળો વાઘ, ગર્જ્યો અને ત્યાં દિવસ નામનો ઘાવ ફંગોળાયો તણખાઓથી નીંગરતો’ ક્યારેય મનુષ્યની ચીસનો લૅન્ડસ્કેપ ચીતરતા નેલીએ યાતનાને નક્કરરૂપ આપ્યું છે કહે છે : ‘ચીસનાં તીરો લોહિયાળ ભાથામાંથી છૂટતાં’ યાતના છાવણીઓની મૃત્યુભઠ્ઠીઓની ચીમનીઓને નેલીએ નિષ્ઠુરતાથી રજૂ કરી છે : ‘ઓ ચીમનીઓ! ચતુરાઈથી નિર્માયેલા મૃત્યુના નિવાસો પરની ઓ ચીમનીઓ, જ્યારે ઇઝરાયેલનું શરીર હવામાં ધૂમાડો થઈને દૂર વહી ગયું. તારાએ એને આવકાર્યું. ચીમનીની સફાઈ અને તારો કાળો ધબ્બો દૂર થઈ ગયો!’ &lt;br /&gt;
નેલીએ ‘પથ્થરોનું વૃંદગાન’ કાવ્યમાં પથ્થરોને બોલતા કર્યા છે. એમાં મનુષ્ય અને પથ્થરની સરખામણીથી ઘાતકી મનુષ્યને રજૂ કર્યા છે. પથ્થર કહે છે : ‘અમને જ્યારે કોઈ અડકે છે એ કંદતી દીવાલને અડકે છે. તમારો વિલાપ હીરાની પેઠે અમારી કઠિનતાને કાપે છે. કઠિનતા ચૂરચૂર થાય છે. અને કોમળ હૃદય બની જાય છે. પણ તમે પથ્થરમાં પલટાઓ છો.’ &lt;br /&gt;
નેલી ઝાક્સ જર્મનીમાં નાત્સી યાતનામાંથી ગુજરી છે અને છટકીને બહાર ચાલી ગઈ છે. પરંતુ એના પોતાના કહેવાય એવા લાખો લોકોને ચીમનીમાંથી ધૂમાડા થઈ ઊડતા સાંભળ્યા છે, હજી પણ મૃત્યુ છાવણીઓ, બૉમ્બ વર્ષો, બળજબરીથી કરાવાયેલા વસ્તીઓનાં સ્થળાંતરો, અપહરણ અને બાનમાં રીંબાતા નિર્દોષ જીવો – આ બધાં કૃત્યો ચાલુ જ છે. સંસ્કૃતિનું કર્યું કારવ્યું સતત ધૂળમાં મળ્યા કરે છે તેથી જ નેલી ઝાક્સની જેમ આપણે પણ પૂછી શકીએ કે ‘કેટકેટલા દરિયાઓ વિલીન થયા છે આ રેતમાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૯&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AF&amp;diff=60935</id>
		<title>રચનાવલી/૨૧૯</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AF&amp;diff=60935"/>
		<updated>2023-05-09T12:02:29Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૨૧૯. બાઇબલ    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્યને આદિકાળથી એક કુતૂહલ રહ્યું છે. આ સમગ્ર સૃષ્ટિનો ઉદ્ગમ કઈ રીતે થયો હશે, એની રચના કઈ રીતે અને કોણે કરી હશે, એનાં ચક્રો આટલાં નિયમિત કઈ રીતે ચાલ્યા કરતાં હશે, જીવસૃષ્ટિ કઈ રીતે અસ્તિત્વમાં આવી હશે, પહેલો માનવ કોણ હશે – આવાં આવાં રહસ્યો મનુષ્ય માટે લગભગ અણઉકલ્યા રહ્યાં છે.&lt;br /&gt;
બ્રહ્માંડમીમાંસા કે વિશ્વમીમાંસામાં ઈ.સ.ની બીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક ગણિતશાસ્ત્રી અને ખગોળવિદ ટોલમીની ધારણા પ્રમાણે પહેલાં તો તો પૃથ્વી જ વિશ્વનું કેન્દ્ર હતી અને ગ્રહનક્ષત્રો પૃથ્વીની આસપાસ ઘૂમતાં હતાં પણ પોલિશ કોપરનિક્સે ૧૬મી સદીમાં ખગોળવિદ્યામાં હલચલ મચાવી અને એણે એ ભ્રમને ભાંગી નાંખ્યો. જણાવ્યું કે પૃથ્વી તેમજ અન્ય ગ્રહો, નક્ષત્રો સૂર્યની ફરતે ફરે છે. આ પછી તો આજે વિશ્વમીમાંસાએ આપણી સૂર્યમાળા જેવી અસંખ્ય સૂર્યમાળા આ બ્રહ્માંડમાં છે એવો નિર્દેશ આપ્યો છે અને સ્વીકાર્યું છે કે બ્રહ્માંડમાં વિસ્તાર અને સંકોચનના વારાફેરા આવ્યા કરે છે. બધું બ્રહ્માંડના વિસ્તારના વારામાં વિકસ્યું છે. &lt;br /&gt;
બીજી બાજુ ડાર્વિને બતાવ્યું કે પૃથ્વી પર જીવસૃષ્ટિ રાતોરાત કે નોવાના વહાણમાંથી નથી ઊતરી આવી પણ જગતની ઉત્ક્રાંતિમાં આપણી પૂર્વજ પેઢીઓએ અસ્તિત્વને ટકાવવાની કટોકટીમાં કેટલાક વિકલ્પોમાંથી કુદરતી ફેરફારની પસંદગી કરી છે. વિશ્વમીમાંસાનું સત્ય છે કે ઉત્ક્રાંતિવાદનું સત્ય - આવાં સત્યો વિજ્ઞાનનાં સત્યો છે. &lt;br /&gt;
પણ પ્રાચીન કાળમાં આવો વૈજ્ઞાનિક વિકાસ હજી થયો નહોતો ત્યારે શ્રદ્ધાના બળથી સાક્ષીભાવે માણસે જે સૃષ્ટિ માટેની ધારણાઓ ઉપસાવી છે એ હજી રોમાંચક છે. એમાં માત્ર કલ્પનાનું નહીં પણ વિજ્ઞાનનું વિકસ્યા વગરનું સત્ય છુપાયેલું પડ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં ‘એકોડમ બહુસ્યામ્’ જેવા સૂત્રમાં બ્રહ્માંડ વિસ્તારનો નિયમ અને અવતારોમાં  ઉત્ક્રાંતિવાદનો નિયમ પડેલો છે, તો બાઈબલમાં પણ સૃષ્ટિનો ઉદ્ગમ અને સૃષ્ટિની ઉત્ક્રાંતિનો નિયમ છુપાયેલો છે. પ્રાચીનકાળમાં મનુષ્ય વેદોમાં કે બાઈબલમાં સૃષ્ટિ અંગેની ધારણાઓ કરી છે એમાં એના વિકસતા માનસનું, એની પ્રારંભિક મુગ્ધ ચેતનાનું અને પ્રકૃતિ સાથેના એના સંવાદનું કાવ્યપ્રતિબિંબ પડેલું છે. &lt;br /&gt;
બાઈબલ છે તો ખ્રિસ્તીઓનું ધર્મશાસ્ત્ર. એના જૂના કરાર અને નવા કરાર એવા બે ભાગ છે. હિબ્રૂમાં લખાયેલા જૂના કરારમાં અને મુખ્યત્વે ગ્રીકમાં લખાયેલા નવા કરારમાં યહુદી પ્રજાનો ઇતિહાસ છે, એમાં એમની સંસ્કૃતિનો આલેખ છે. એમાં ધર્મવિચાર છે અને માનવજીવન માટેનો શુભસંદેશ પણ છે. આ બધું છતાં બાઈબલમાં કવિતા છે. જીવતું અને રમતું આદિમ ગદ્ય છે. બાઈબલ તો સાહિત્યનું સાહિત્ય છે પશ્ચિમના સાહિત્યમાંથી, પશ્ચિમનાં શિલ્પ અને સ્થાપત્યમાંથી, એની ચિત્રકલામાંથી જો બાઈબલને ખસેડી લ્યો તો પશ્ચિમના કલા અને સાહિત્યનો પોણો ભાગ આઘારબિન્દુ ખસી જતા જમીનદોસ્ત થઈને ઊભો રહે. વિશ્વ સાહિત્ય પર બાઈબલનું ઘણું મોટું ઋણ છે. &lt;br /&gt;
તેથી તો વિશ્વની જુદી જુદી ભાષાઓમાં બાઈબલના જેટલા અનુવાદ થયા છે એટલા કોઈ પણ પુસ્તકના થયા નથી. ગુજરાતીમાં પણ ગુજરાતી ગદ્ય હજી વિકસવાનું શરૂ કરતું હતું ત્યારે બાઈબલનો અનુવાદ થઈ ચૂક્યો હતો. ગુજરાતી ભાષામાં બાઈબલ’નો ઉત્તમ અનુવાદ છેવટે આપણને નગીનદાસ પારેખ અને ઈસુદાસ કવેલી પાસેથી મળ્યો છે. &lt;br /&gt;
સાહિત્યના સાહિત્ય તરીકે બાઈબલના જૂના કરારનો વિશ્વની ઉત્પત્તિ અંગેનો પહેલો અધ્યાય જ મંત્રમુગ્ધ કરી દેનારો છે એમાં ઘાટછૂટ વગરની આકારહીન અરાજકતાને ઈશ્વર કઈ રીતે સ્વરૂપ આપે છે, કઈ રીતે પ્રકાશ અને અંધકાર, પૃથ્વી અને સ્વર્ગ, ભૂમિ અને સમુદ્ર, વનસ્પતિ અને વૃક્ષો, સૂર્ય અને ચન્દ્ર, જલચરો અને પંખીઓ, સરિસૃપો અને પ્રાણીઓના દ્વિમુખી વિભાગોને અંતે ઈશ્વર કઈ રીતે પુરુષ અને સ્ત્રીને રચે છે એનું દિવસવાર ટૂંકા ટૂંકા લયપૂર્ણ ગદ્ય વિસ્તારોમાં આબેહૂબ વર્ણન થયું છે. &lt;br /&gt;
અધ્યાયનો ઉઘાડ આ રીતે થયો છે : ‘શરૂમાં ઈશ્વરે સ્વર્ગ અને પૃથ્વી સર્જ્યા’ આ પછી અધ્યાયમાં ‘અને’ ‘અને’થી ઊઘડતા નાના નાના પરિચ્છેદો લયભરી ચાલ તો બતાવે છે, સાથે સાથે આપણી આંખ સામે જાણે કે ઈશ્વરની એક પછી એક લીલાને રજૂ કરે છે. પૃથ્વી ઘાટછૂટ વગરની હતી. ચારે બાજુ શૂન્ય હતું, અંધારું ઊંડે સુધી છવાયેલું હતું અને ઈશ્વરનો આત્મા ચારેબાજુ જલ પર ઘૂમી રહ્યો હતો. &lt;br /&gt;
આ પછી ઈશ્વર આદેશ કરે છે : ‘પ્રકાશ પ્રગટો અને પ્રકાશ પ્રગટ્યો’ આદેશ અને એના અમલરૂપે તરત થતું કાર્ય છેવટ સુધી નાટ્યાત્મક કુતૂહલ અને ચમત્કારને ટકાવી રાખે છે. &lt;br /&gt;
નાનાં નાનાં વાક્યો અને નાના નાના પરિચ્છેદો કેવો મોટો પ્રભાવ પાડી શકે, બહારથી જરીક અમથી દેખાતી વાક્યોની ટોચ નીચે કેટલો ઊંડો વિચારનો વિસ્તાર હોઈ શકે, ટૂંકા ટૂંકા લયના વિવિધ વળાંકો કઈ રીતે આપણને જકડી લઈ શકે એનો અનુભવ કરવો હોય તો ‘બાઈબલ’નું સાહિત્ય વાંચવું પડે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૮&lt;br /&gt;
|next = ૨૨૦&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AE&amp;diff=60934</id>
		<title>રચનાવલી/૨૧૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AE&amp;diff=60934"/>
		<updated>2023-05-09T12:02:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૮. એકાન્તવાસનાં સો વર્ષ (ગાર્સિયા માર્કિવઝ ગ્રેબિયલ) |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લેખક આપણા જગતને અધૂરું અને અલૂણું અનુભવે છે અને પોતાની અપાર કલ્પનાશક્તિથી એને પૂર્ણ કરવા એમાં એ ઘણું ઉમેરતો જતો હોય છે. જીવાતા રોજિંદા જીવનની સાથે આપણા મનના ઊંડાણમાં ચાલતા બુટ્ટાઓને અને તરંગોને પણ સામેલ કરીને એ એક એવું જગત રચે છે જેમાં બધું ખરેખરું લાગે અને છતાં બધું અટપટું હોય. આવું જાદુઈ જગત (મેજિક રિયાલીઝમ) જર્મન લેખકો ઊભું કરતા. એનું જોઈને પહેલાં તો અમેરિકામાં પણ કેટલાક ચિત્રકારોએ એવું જગત ઊભું કર્યું પછી તો દક્ષિણના લેટિન અમેરિકન લેખકોમાં બોર્ટેસ, ક્યૂબન કથાકાર આલેજો વગેરેએ પણ એવું જગત ઊભું કર્યું. પણ એ બધામાં દક્ષિણ અમેરિકાના કોલમ્બિયાના કૅરેબિયન કાંઠાનો ગાર્સિયા માર્કિવઝ ગ્રેબિયલ ૧૯૮૨માં નૉબેલ ઇનામ મેળવીને એકદમ વિખ્યાત થઈ ગયો છે. એણે પણ એની ટૂંકીવાર્તાઓ અને નવલકથાઓમાં ખરેખરા જગતની સામે પોતાના તરંગ તુક્કાઓને ગોઠવીને એક આકર્ષક કાલ્પનિક જગત ઊભું કર્યું છે. આ બાબતમાં એની સૌથી વધુ જાણીતી ‘એકાન્તવાસનાં સો વર્ષ’ નવલકથા છે. એના તિલસ્માતી જગતમાં એ સાધારણને અસાધારણ સાથે ભેળવે છે અને જાતજાતનાં દૃશ્યોમાં મિશ્રણો કરીને રંગભભકભર્યા જગતને જન્મ આપે છે, ટૂંકમાં હાસ્ય અને અતિશયોક્તિ દ્વારા સામાન્ય લાગતા પ્રસંગોને નાટ્યાત્મક રીતે બદલી નાંખે છે. &lt;br /&gt;
માર્કિવઝ આર્કાતાકા નામના કોલમ્બિયાના કાંઠાના નાના ગામમાં ગરીબ માતાપિતાને ત્યાં ૧૯૨૮માં જન્મેલો. નાનપણમાં જ માનું અવસાન થતાં એ પોતાનાં નાના-નાની સાથે જ ઊછર્યો. પછી પત્રકારત્વ અને કાયદાનું શિક્ષણ બોગોતા યુનિવર્સિટીમાં પૂરું કરીને એ પત્રકાર અને સંવાદદાતા બન્યો. માર્ક્વિઝ વારંવાર જણાવે છે કે એના નાનીના ઘરથી દૂર ગયા પછી એના જીવનમાં કોઈ ખાસ નવી ઘટના નથી ઘટી. નાનીનો કરિબિયન કોલમ્બિયાના લોકસાહિત્યનો વારસો એનામાં ઉત્સાહપૂર્વક ધબકતો થયો. અને એ વારસાએ જ માર્ક્વિઝને રોજિંદા જગત અને મનના તરંગોના જગતને એકાકાર કરવાનું શીખવ્યું. માર્કિવઝને કહે છે કે મને હંમેશાં એ વાતની નવાઈ લાગે છે કે લોકો મારી રચનાઓમાં રહેલા કલ્પના જગતની પ્રશંસા કરતા રહ્યા છે. પણ હકીકતમાં તો મારી રચનાઓમાં એવું એક પણ વાક્ય નથી જેને રોજિંદા જીવન સાથે નાતો ન હોય. &lt;br /&gt;
‘એકાન્તવાસનાં સો વર્ષ’ પહેલાં એણે ચારેક નવલકથાઓ લખેલી. ખરેખર તો એ બધી નવલકથાઓ આ સમર્થ નવલકથાની પૂર્વતૈયારીરૂપ નવલકથાઓ હતી. માણ્વિઝના કહેવા પ્રમાણે આ નવલકથા એની પાસે એકદમ ઊતરી આવી છે. એક દિવસ ઘેર પહોંચીને એણે પત્નીને જણાવ્યું કે - ‘મને જરાય કનડીશ નહીં - ખાસ કરીને પૈસાની બાબતમાં’ અને એણે ૧૩ વર્ષની ઉંમરથી કલ્પેલી નવલકથા લખવી શરૂ કરી. દિવસના આઠ દસ કલાકને હિસાબે ૧૮ મહિના એ કામ કરતો રહ્યો. એણે નવલકથા પૂરી કરી ત્યારે પત્નીએ કહ્યું, ‘મિત્રો પાસેથી ઉધાર લઈ લઈને દેવું વધતું ગયું. છે અને છ મહિનાનું ભાડું પણ ચઢી ગયું છે.’ પણ માર્કિવઝ પાછો ડૂબી ગયો. ફરીથી લખતો રહ્યો, સુધારતો રહ્યો, વાક્યે વાક્યને માંજતો રહ્યો. છેવટે એનાં પહેલાં ત્રણ પ્રકરણો એણે કાર્લોસ ફ્યુએન્નિસ ૫૨ મોકલ્યાં. કાર્લોસ એટલો પ્રભાવિત થયો કે એણે મેક્સિકન સામયિકને લખ્યું : &#039;હમણાં જ ‘એકાન્તવાસનાં સો વર્ષ’નાં ૨૫ પાનાં પૂરા કર્યાં છે અને એ એક અદ્ભુત અનુભવ છે.&#039; ૧૯૬૭માં આર્જેન્ટિનાથી આ નવલકથા પ્રગટ થતા એની બધી નકલ એક અઠવાડિયામાં ખપી ગયેલી. &lt;br /&gt;
આજે એની લગભગ ૨૦ લાખ નકલ ખપી ગઈ છે અને ત્રીસેક ભાષામાં એનો અનુવાદ થયો છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની એ હક્કદાર બની છે. કારણ એમાં માનવજાતના એકાન્તવાસનો માપદંડ છે, અનેક અત્યાચારો અને વિનાશ છતાં, અનેકવાર તરછોડાયા છતાં એમાં માનવજાતનો પ્રતિભાવ છે. મોટી રેલ, આફતો, રોગચાળાઓ, દુકાળો, રાજકીય, સામાજિક ઊથલપાથલો કે સદીઓ પર સદીઓનાં મહાયુદ્ધો આવ્યાં છતાં મૃત્યુ પર જીવનનો વિજય થતો એમાં દર્શાવ્યો છે. &lt;br /&gt;
‘એકાન્તવાસનાં સો વર્ષ’માં આમ તો એક દૂરના નાનકડા તૂટતા જતા તદ્દન કાલ્પનિક ગામ માકોન્ક્રોના સો વર્ષનો અહેવાલ છે, જે સગોત્ર લગ્નથી પીડાતા બ્યુન્દિયાસ કુટુંબની સાત પેઢીની આંખોનો સાક્ષી બન્યો છે. કથા ૧૯મી સદીથી શરૂઆતમાં આરંભ પામે છે અને ગામ માકોન્દોની સ્થાપના કરનાર યુવાન પૂર્વજ જોસ આર્કાદિયો બ્યુન્દ્રિયાસથી માંડી પેઢીના છેલ્લા સભ્યના મૃત્યુ સુધીનો ગાળો આવરી લે છે. ગામનું ભાગ્ય અને કુટુંબનું ભાગ્ય એકબીજા સાથે સંકળાયેલાં રહે છે. ઇઝરાઇલની વિચરતી જાતિઓની જેમ ગામની પ્રજાનો ઈતિહાસ અહીં કોઈ એક કુટુંબમાંથી થયેલી એમની ઉત્પત્તિના સંદર્ભમાં સમજી શકાય તેવો છે.&lt;br /&gt;
‘એકાન્તવાસનાં સો વર્ષ’ નવલકથા ક્રમસંખ્યા વગરના વીસ પ્રકરણમાં વહેંચાયેલી છે. કથા સીધી લીટીમાં આગળ નથી વધતી પણ પાત્રોની સ્મૃતિઓમાં થઈને આડીઅવળી વહેતી રહી છે. કુટુંબનો પહેલો વડો જોસ આર્કાદિયો અને એની પત્ની ઊર્સુલાના સગોત્ર લગ્ન છે અને સગોત્ર લગ્નથી ડુક્કરની પૂંછડી સાથે બેડોળ બાળક જન્મે એવા ભયને કારણે ઊર્સુલા પત્નીધર્મ નિભાવતી નથી. પણ એકવાર મહેણું મારનાર એગ્વિલારને ભાલાથી ખત્મ કરી આગભભકો થયેલો આવિયો પત્ની પર બળાત્કાર કરે છે. આ પછી એને અને એની પત્નીને એગ્વિલારનું ભૂત સતાવતું રહેતાં બ્યુન્દ્રિયાસ કુટુંબના એના મિત્રો સાથે જંગલમાં થઈ લાંબો પ્રવાસ આદરે છે. ત્યાં આર્કાદિયોને અરીસાની દીવાલોના મકાનોના નગરનું સ્વપ્ન આવે છેઅને એ માકોન્દો ગામની સ્થાપના કરે છે. ત્યાંથી સાત પેઢી સુધી વાત આગળ ચાલે છે. માકોદ્ઘોમાં પશુપંખી માણસોને પાગલ કરી નાખે એવુ ગરમીનું મોજું આવે છે, પછી અનિદ્રાનો રોગ ફેલાય છે અને બધાની સ્મૃતિ ઘસાતી ઘસાતી નાશ પામે છે. છેવટે બ્યુન્દિયાસ કુટુંબમાં બાકી રહેલા બે સભ્યો પર કુટુંબનો શાપ ઊતરે છે. પૂછડિયું બાળક જન્મે છે અને જન્મતાવેંત પહેલે જ દહાડે એને કીડીઓ ખાઈને ખત્મ કરી નાખે છે. કુટુંબ કથા દ્વારા કોલમ્બિયાની કથા અને કોલમ્બિયાની કથા દ્વારા સમગ્ર માનવજાતની કથા કહેતી આ નવલકથા એક રીતે નહીં પણ અનેક રીતે વાંચવી પડે તેવી છે, ઝટ ગળે ઊતરે એવી નથી. પણ એકવાર ગળે ઊતરી તો પછી દિવસો સુધી એ જુદા જુદા માર્ગોએ લઈ જઈને ભમાવ્યા કરે એવી પ્રાણવાન છે. આથી જ પાબ્લો નેરુદા આ નવલકથાઓને ‘દોન કિહોતે’ પછીનો સ્પેનિશ ભાષામાં થયેલો સૌથી મોટો આવિષ્કાર સમજે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૭&lt;br /&gt;
|next = ૨૧૯&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AD&amp;diff=60933</id>
		<title>રચનાવલી/૨૧૭</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AD&amp;diff=60933"/>
		<updated>2023-05-09T12:01:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૨૧૭. સાધારણોનું ગીત (પાબ્લો નેરુદા)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘કવિતા તો બ્રેડ જેવી છે અસાધારણ અને અકલ્પ્ય વિશાળ માનવપરિવારના સાક્ષરોથી માંડી કોશિયા સુધીના દરેક દ્વારા એનો સહભોગ થવો જોઈએ. હું કબૂલ કરું છું કે સરલ લખવું એ મારે માટે કઠિનમાં કઠિન કાર્ય છે.’- ગાંધીજીની જેમ આ રીતે સર્વસાધારણ મનુષ્યને તાકીને કહેનારો અને લખનારો કોઈ કવિ વીસમી સદીમાં થયો હોય અને બધા જ ચંદનમહેલમાં મહાલનારા આધુનિક કવિઓની સામે થયો હોય તો તે જગતનો એક જ કવિ છે અને તે છે પાબ્લો નેરુદા, પશ્ચિમના સાહિત્યની સામે આજે જ્યારે દેશીવાદનો ઊહાપોહ ઊઠ્યો છે અને સમાજથી વિમુખ શુદ્ધ સાહિત્યની સામે આજે જ્યારે સાહિત્યને સામાજિક કાર્ય ભેળવવામાં આવી રહ્યું છે ત્યારે આ કવિને યાદ કરવો જ પડે. &lt;br /&gt;
પાબ્લો નેરુદા ગરજીને કહેતા કે મારે બધી જ વસ્તુને ‘હેન્ડલ&#039; જોઈએ – પછી એ કપ હોય કે પછી એ કોઈ ઓજાર હોય. ઉપયોગિતા વગરની કોઈ વસ્તુ પાબ્લોને ન ખપે, સાહિત્ય પણ ન ખપે. સાહિત્યને પણ સામાજિક ઉપયોગ માટે વાપરતા પાબ્લો ખચકાયો નથી. &lt;br /&gt;
લેટિન અમેરિકાના ચીલી રાજ્યના સ્પેનિશ ભાષાનો આ કવિ જેમ જેમ એની આસપાસનું જગત બદલાતું રહ્યું તેમ તેમ પોતાની કવિતાને પણ બદલતો રહ્યો છે. દરેક વખતે એ પોતાની જૂની લખવાની રીતને છોડીને નવી લખવાની રીતને આગળ ધરતો રહ્યો છે. આ કવિએ પોતાની કારકિર્દીનો આરંભ તો પ્રેમકાવ્યોથી કરેલો. એણે ઉઘાડા શૃંગારના દેહને ઉપસાવતાં પ્રેમકાવ્યો લખ્યાં પછી બર્મા રંગૂન રાજદૂત તરીકે મુકાતા એકલો પડી ગયો. આથી ધૂંધળાં સ્વપ્ન જેવાં કાવ્યો લખ્યાં, પછી નિરાશા અને હતાશા સાથે મૃત્યુકાવ્યો લખ્યાં, આ પછી કવિને લાગ્યું કે નિરાશા અને મૃત્યુનાં કાવ્યો લખીને પોતે લોકોનો દ્રોહ કરી રહ્યો છે અને એવું વિચારી લોકોની પીડાને અંકે કરવા માંડી. કવિએ કહ્યું કે, ‘દરેકની બધી જ પીડા મને આપો અને હું એને આશામાં પલટી નાંખીશ.’ લોકોને માટે લોકો સુધી પહોંચવા માટે લોકતરફી સાહિત્યની ખેવના સાથે આ કવિએ એક મોટુંમસ મહાકાવ્ય લખ્યું. એનું નામ છે ‘સાધારણોનું ગીત’ (કેન્ટો જનરલ) &lt;br /&gt;
અમેરિકાને ગાતું આ મહાકાવ્ય પાંચસો પાનામાં પથરાયેલું છે. એમાં ૨૦,૦૦૦ જેટલાં પદો, ૩૨૦ કાવ્યોમાં સમાવવામાં આવ્યાં છે. એમાં મુખ્ય ૧૫ પ્રકરણો છે. યુરોપથી છુટા પડેલા અમેરિકાના નવા જગતમાં ન્યાય માટે સંઘર્ષ ખેડતા અને પ્રગતિ તેમજ વિકાસને નામે આર્થિક સામ્રાજ્યવાદી વલણો વચ્ચે સપડાયેલા મનુષ્યની એમાં કથા છે. ૧૯૫૦માં બહાર પડેલું આ મહાકાવ્ય રાજકીય કારણસર કેટલોક સમય પોતાના જ દેશમાં - ચીલીમાં જ પ્રતિબંધિત રહ્યું. &lt;br /&gt;
કવિએ એમાં અમેરિકાના ભૂતકાળની સંસ્કૃતિથી શરૂ કરી વર્તમાન રાજકારણ સુધીના પથરાટને વર્ણવ્યો છે. એમાં કવિએ અમેરિકાના વિજેતાઓનો, અમેરિકાના અનામી યોદ્ધાઓનો, એના સરમુખત્યારોનો તેમજ પીડાતી પ્રજાના પ્રતિનિધિઓનો અવાજ ઊંચક્યો છે. એમ કહો કે અનેક અવાજ દાખલ કર્યા છે. નેરુદા વારંવાર એમાં કથા કહેનારને બદલ્યા કરે છે. એટલે મહાકાવ્યમાં ઘણા બધા અવાજો એકઠા થતા જોવાય છે. &lt;br /&gt;
કટોકટીની સ્પર્ધામાંથી જન્મેલા ઇતિહાસને પાબ્લો રજૂ કરવા માંગે છે. ચીલીમાં રહીને, સ્પેનમાં રહીને અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે રહીને જે પોતાનો સામ્યવાદી રાજકારણનો અભિગમ ઊભો થયો છે એને કવિ વ્યક્ત કરે છે, એ રીતે આ અમેરિકાનું વિશિષ્ટ આશાવાદી મહાકાવ્ય છે. &lt;br /&gt;
જૂના જગત પર નવા જગતનો વિજય, મૃત્યુ પર જીવનનો વિજયનો એનો વિષય છે, યુરોપ મૃત્યુના ગતીમાં જઈ યુદ્ધને અંતે ઉદાસ પોતાની અંદર ઊતરતું જતું હતું ત્યારે અમેરિકા નવા જીવનને ઊંબરે ઊભું હતું. યુરોપની સફરે જઈ પાબ્લોએ પહેલીવાર ચીલીનો, હિસ્પેનિક જગતનો, લેટિન કે સ્પેનિશ અમેરિકાનો મિજાજ એમાં ઝીલ્યો છે. &lt;br /&gt;
આ મહાકાવ્યમાં બીજું પ્રકરણ ‘માચ્યુપિચ્યુ’ પરનું છે અને એના બાર જેટલા વિભાગો છે. દેશવટો ભોગવીને ૧૯૪૩માં નેરુદા જ્યારે ચીલી પાછો ફરતો ત્યારે પેરુમાં આવેલા ૭૦૦૦ ફૂટ ઊંચા માચ્યુપિચ્યુ શિખરો સુધી નેરુદાએ પ્રવાસ કરેલો. આ પ્રવાસના સંસ્કારોમાંથી આ પ્રકરણ રચાયું છે અને તે આ મહાકાવ્યનું ઊંચામાં ઊંચું શિખર છે. &lt;br /&gt;
આ શિખર પર અમેરિકાની મૂળ રહેવાસી પ્રજા ઈન્કાનું બહુ પહેલાં લુપ્ત થયેલું નગર છે. પાબ્લો એ નગર સાથે પોતાની જાતને જોડે છે અને વિસરાયેલા નગરવાસીઓની યાતના દ્વારા પોતે પ્રગટ થવા ચાહે છે. પાબ્લો નેરુદા કહે છે : ‘મને મૌન આપો, પાણી આપો, આશા આપો, સંઘર્ષ આપો, લોઢું આપો,જ્વાલામુખીઓ આપો, લોહચુંબકોની જેમ ભલે વળગે શરીરો પર મારા શરીરને. આવો, જલદી આવો, મારી શિરાઓમાં, મારા મુખમાં, મારી ભાષા બનીને બોલો, મારું લોહી બનીને બોલો.’&lt;br /&gt;
શરૂમાં બાઇબલની જેવી સત્તાવાચક ભાષાથી શરૂ થયેલું આ મહાકાવ્ય પ્રજાની સાથે અંગત વાતચીતમાં ઊતરતું હોય એમ સંવાદવાચક બનીને ઊભું રહે છે. કવિ ઉચ્ચારે છે કે, ‘જે બધા મૃત્યુમાં પોઢી ગયા છે હું એ બધાનો સગો છું. હું લોક છું.’ &lt;br /&gt;
આ મહાકાવ્ય કલાત્મક પ્રચારનું છે. એમાં વાચન કરતા રજૂઆત વધારે છે એ સાહિત્યિક છે એથી વધુ નાટ્યાત્મક છે ચલચિત્ર જેવી એની અસર છે. આ ચલચિત્ર વાચકના મનમાં ચાલે છે. દરેક વાચક એ વાંચતો હોય મહાકાવ્ય અને અનુભવતો હોય નાટક એવું લાગ્યા વગર રહેતું નથી. પાબ્લોએ રહસ્યની, ભાવોની અને અલંકારોની તરકીબો દ્વારા પાંચસો પાના સુધી વાચકને જકડી રાખવાનો યત્ન કર્યો છે. &lt;br /&gt;
સામાન્ય માણસને કેન્દ્રમાં રાખી, સામાન્ય માણસને પહોંચતુ કરવા લખાયેલું આ, એક રીતે જોઈએ તો, અસામાન્ય મહાકાવ્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૬&lt;br /&gt;
|next = ૨૧૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AC&amp;diff=60932</id>
		<title>રચનાવલી/૨૧૬</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AC&amp;diff=60932"/>
		<updated>2023-05-09T12:01:27Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૬. યર્મા (લોર્કા)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વીસમી સદીના પાંચ ઉત્તમ કવિઓના નામ આપવાનું કોઈ કહે તો જર્મન કવિ રિલ્કે, ગ્રીક કવિ કેવેફી, ફ્રેન્ચ કવિ વાલેરી અને આંગ્લ કવિ એલિયટની સાથે સ્પેનિશ કવિ ફેધેરીકો ગાર્સિયા લોર્કાનું નામ અવશ્ય જરૂર લેવું પડે — એવું લોર્કાનું સાહિત્ય જગત છે. ૧૮૯૯માં જન્મી ૧૯૩૬માં અવસાન પામેલા લોર્કાએ સ્પેનની લોક પરંપરાની અને જિપ્સી જીવનની અઢળક સમૃદ્ધિને પોતાની પ્રતિભાના બળથી ખેંચી સ્પેનિશ કવિતાને આંતરરાષ્ટ્રીય સાહિત્યનો દરજ્જો અપાવ્યો છે. જેમ લોર્કાની કવિતાનું જગત નિરાળું છે, તેમ એની કેટલીક નાટ્યકૃતિઓનું જગત પણ નિરાળું છે. લોકજીવનની ધાક ઝીલતી અને નાટ્યાત્મકની સાથે કાવ્યાત્મક બનતી લોર્કાની નાટ્યકૃત્તિઓ વિશ્વનાટ્યનો અમૂલ્ય વારસો છે. લોર્કાની અત્યંત જાણીતી નાટ્યકૃતિ ‘યર્મા’ની તળપદતાને કેટલેક અંશે સમજી સંવેદીને ગુજરાતી ભાષામાં ‘રણને તરસ ગુલાબ’નીમાં રૂપાંતરિત કરી આપનાર મહેન્દ્ર અમીન છે. એમણે મૂળ સ્પેનિશ નાટ્યકૃતિનું અંગ્રેજીના અનુવાદ પરથી રૂપાન્તર કર્યું છે. અસાઇત સાહિત્ય સભાએ એનુ પ્રકાશન કરેલું છે. &lt;br /&gt;
પરંતુ આ નાટ્યકૃતિના પ્રકાશન પહેલાં ‘કોરસ’ના ઉપક્રમે ગુજરાતી રંગભૂમિની સવા શતાબ્દીના ઊજવણી વર્ષ નિમિત્તે બાવીસેક વર્ષ પહેલાં દિગ્દર્શક નિમેશ દેસાઈએ એના અમદાવાદ, મુંબઈ, સુરત, મોરબી ખાતે લગભગ એકવીસ જેટલા શૉ કર્યા છે. એકવીસ પાત્રોના રસાલા સાથે લોર્કાની આ યશસ્વી કૃતિનું મંચન કરવા માટે દિગ્દર્શકની હિંમત અને એના બિનધંધાદારી નાટ્યસાહસ માટે દાદ દેવી પડે તેમ છે. રૂપાંતરકાર મહેન્દ્ર અમીને લોર્કાની ‘યમ’ નાટ્યકૃતિને પૂરા ગુજરાતી માહોલમાં રજૂ કરવાનો આશય રાખ્યો છે તેથી મૂળ નાટકનાં પાત્રોથી માંડીને બોલી સહિતનું બધું તળપદા સ્તરે ઉતાર્યું છે. &lt;br /&gt;
‘યર્મા’નું નાટ્યવસ્તુ એક નારીના માતૃત્વની તરસનું છે, અને રૂપાંતરમાં મુખ્ય નાયિકા તરીકે ગુજરાતી રૂપાન્તરમાં લીલી કેન્દ્રમાં છે. લીલીની સંતાનતરસ અને એની પીડાને ઉપસાવવા માટે પાત્રો અને દૃશ્યોનાં વિવિધ આયોજનો થયાં છે. નાટક કુલ ત્રણ અંકનું બનેલું છે અને દરેક અંકમાં બે દૃશ્યો મૂકાયેલાં છે. &lt;br /&gt;
પહેલા અંકના પહેલા દશ્યમાંથી ખબર પડે છે કે એકબાજુ લીલીને સંતાનની તીવ્ર ઝંખના છે, તો બીજી બાજુ એનો પતિ જુગલ ‘આંઈ મોજથી રહેશું નિરાંતે આપણું ગાડું બરાબર હાલેસે, માથે છોકરાં-બોકરાંની કોઈ બબાલ કે ચંત્યા નથી.&amp;quot; જેવો વિચાર ધરાવે છે. લીલીનો સંતાન માટેનો અજંપો તીવ્ર સ્તરે રજૂ થયો છે : ‘વરહાદ ઈની ઝીંકના જોરે જ ભલભલા બરછટ વ્હાણાને ય હુંવાળા કરી મેલે છે. ને વાવણી કે રોપણી વના ઓલ્યું ઘાસ રાતોરાત ફૂટાડી દીયે છે.’ લીલી અને જુગલની વાતો પરથી સ્પષ્ટ થાય છે કે જુગલ વંધ્ય તો છે જ પણ શંકાશીલ પણ છે. બધુ સુખ આપવા છતાં જુગલને ‘લીલી બહાર હાલી નેકળે’ તે ગમતું નથી. પહેલા દૃશ્યનો બીજો ભાગ મેના સામેનો છે. એક બાળકની માતા મેના તેના માતૃત્વનાં સંવેદનો રજૂ કરે છે અને લીલીની પીડાને વળ આપે છે. મેના કહે છે : ‘તે કોઈ દિ જીવતા પંખીડાને હાથમાં ઝાલીને દાબ્યું છે.... બસ તંઈ, ઠીક એવું જ થાય. આનો ફફડાટ માંહ્ય લોહીમાં ઝાઝો લાગે.’ લીલી માતૃત્વના અનુભવ માટે કોઈ પણ કષ્ટ વેઠવા તૈયાર છે. એને ખબર છે કે ‘છોકરું ખોળે ધરવું ઈ કાંઈ ગુલાબની છડી હાથમાં ઝાલવા જેવું થોડું છે.’ આ પછી આ દૃશ્યમાં વીરમનો પ્રવેશ છે જેમાં લીલીનો પૂર્વકાળનો વીરમ પ્રત્યેનો પક્ષપાત છે. પહેલા અંકના બીજા દૃશ્યમાં વૃદ્ધાઓ પાસે પહોંચેલી લીલી વૃદ્ધાઓએ રજૂ કરેલી માતૃત્વની સ્મૃતિઓ વચ્ચે મૂકાય છે. પોતાનો ખોળો ખાલી છે એની વસમી પીડા સાથે લીલી કહે છે : ‘ના, ના માડી તમારે મને કંઈ કહેવું પડશે, મારે શું કરવું? તમે જે કહેશો ઈ હંધુય હું કરીશ. મારી આંખ્યું માંય હોય ભોંકવાનું કહેશોને તો ઈ ય કરીશ.’ લીલી વૃદ્ધાઓ આગળ પોતાનો કોઈ વાંક નથી કહી. પતિના વંધ્યત્વનો સંકેત કરે છે : ‘આદમીમાં આદમી જ ગોતવાનો?’ &lt;br /&gt;
પણ બીજી બાજુ એની શંકાને સીમા નથી. બહેનોને સંભળાવે છે : ‘આંય મારા ઘેર અમથા રોટલા તોડવા નથ તેડી લાવ્યો તમને, મારા રોટલા મારું જીવતર ખેતરમાં સે, પણ મારી ઇજ્જત આબરુ મારા ઘરમાં સે.’ જુગલ લીલી આગળ કબૂલ કરે છે : ‘મારા માંહ્ય ખોટ હશે હું ક્યાં ના કહું છું’ પણ એને લીલીનો ભરોસો જોઈએ છે. પણ પીડાના ઝાંખરાંમાં પડેલી લીલી કહે છે : ‘મારે પાણી પીવું છે ને પાણી નથ કે ગીલાસે ય નથી. મારે ડુંગરા ચઢવા છે ને ટાંટિયા નથ. મારે ચણિયા ગૂંથવા છે ને દોરા જડતા નથ.’ ફરીને મેનાનું પાત્ર દાખલ થાય અને લીલીને થાય છે કે ‘જે ખેડૂતની સ્ત્રી છોકરા જણી નો કે, ઈના મૂલ કોડીના’ લીલી મેના આગળ કબૂલ કરે છે કે ઘરવાળો અને એની બહેનો ત્રણે જણ એની સામે પડ્યાં છે. ફરી વીરમનો પ્રવેશ થાય છે પણ લીલી અને વીરમ વચ્ચે પૂરો સંયમ છે. &lt;br /&gt;
ત્રીજા અંકના પહેલા દૃશ્યમાં વાંઝણી બાઇડિયું છોરા માટે બાધા લેવા વૃદ્ધાઓ પાસે જાય છે, તેમાં લીલી પણ પહોંચે છે. લીલીના મનમાં જુગલ માટે હેત નથી પણ જુગલ જ એનો બેલી છે એવો એનો સંસ્કાર છે પણ લીલી ઘરબહાર ગઈ છે એ વાત જુગલથી સહન થતી નથી. તો પણ બીજા અંકનું પહેલું દૃશ્ય પાંચ ધોબણો વચ્ચે અન્ય પાત્ર જુગલને સ્પષ્ટ કરે છે કે, ‘તારું ભૂંડું ગોઠવાયેલું છે અને એમના દ્વારા જાણ થાય છે કે દેખાય એવું કાંઈ કહેતા કંઈ કર્યું નથ તારી લીલી પર પહેરો રાખવા માટે જુગલે પોતાની બે બાયડીએ ત્રીજા અંકના બીજા એટલે કે છેલ્લા બહેનોને બોલાવી છે. તો બીજા દૃશ્યમાં જુગલે દૃશ્યમાં વૃદ્ધા જણાવે છે કે, ‘તારી ગોદ ખાલી એક બાજુ પોતાની જાતને વેઠમાં ડુબાડી દીધી રહી સે ઈનું કારણ તારો ઘરવાળો સે’ અને વૃદ્ધા પોતાના દીકરા સાથે લીલીને પરણાવવા પ્રસ્તાવ મૂકે છે. લીલી રોકડું પરખાવે છે : ‘આઈ હું કોઈ આદમીને ગોતવા આવી નથ, હમજ્યા ને?’ જુગલ છાનોમાનો આ વાત સાંભળી જાય છે અને જુગલ લીલીને છોકરાની આશા મેલી પોતાને પ્રેમ કરવા લીલીને નિમંત્રે છે. લીલી આવેશમાં જુગલનું ગળું દબાવી એને મારી નાંખે છે. નાટકની પરાકાષ્ઠા લીલીની ઉક્તિમાં આવે છે: મારી પાંહે ઢુંકતા જ નઈ, મેં મારા દીકરાને ગળે ટૂંપો દઈ દીધો છે. મેં જાતે થઈને મારા હાથે કરીને મારા દીકરાને મારી નાંખ્યો છે.’ બાળક ન દઈ શકનાર નપુંસક પતિની હત્યા દ્વારા લીલી જાણે ‘દીકરાને ટૂંપો દીધો હોય’ એવી તીવ્ર સંવેદનામાં પહોંચી જાય છે. હવે દીકરાની કોઈ શક્યતા વિશે વિચારવાનું જ એને માટે રહ્યું નહીં.&lt;br /&gt;
નપુસંક પતિ છતાં અન્ય કોઈ પુરુષનો વિચાર ન કરનાર લીલી અંતે પોતાની પીડામાં પતિને જ ટૂંપો દઈ દે છે અને એ રીતે દીકરાની ઝંખનામાંથી છૂટે છે એ નાટકની કરુણ ક્ષણ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૫&lt;br /&gt;
|next = ૨૧૭&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AB&amp;diff=60931</id>
		<title>રચનાવલી/૨૧૫</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AB&amp;diff=60931"/>
		<updated>2023-05-09T12:00:57Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૨૧૫. દોલ્બો ધર્મપ્રવચનો (સેન્ટ ઑગસ્ટિન)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સમયના ગર્ભમાં શું શું છુપાયેલું પડ્યું રહે છે એનો ખ્યાલ આવવો મુશ્કેલ છે. કોઈએક દટાયેલી નગરી કે મૂર્તિ મળી આવે, પુસ્તકોના ભંડારમાંથી કોઈ જૂની પુરાણી ભૂલાયેલી ગ્રંથ જડી આવે, ક્યારેક કોઈના પત્રવ્યવહારનો થોકડો હાથ ચડી જાય - અને ઇતિહાસ બદલાઈ જાય છે. આપણે નવેસરથી સંસ્કૃતિને ઓળખતા થઈએ છીએ. આપણો સાહિત્ય અંગેનો ખ્યાલ બદલાઈ જાય છે અને ક્યારેક તો આપણને નવેસરથી વ્યક્તિનો પરિચય થાય છે. &lt;br /&gt;
આવું જ થયું છે સૅન્ટ ઑગસ્ટિનની બાબતમાં. ખ્રિસ્તી ધર્મના અત્યંત જાણીતા લેટિન પાદરી સેન્ટ ઑગસ્ટિન ઈ.સ.ના ૩૫૪થી ૪૩૦નાં વર્ષોમાં થઈ ગયા. બિનખ્રિસ્તી પિતા અને ખ્રિસ્તી માતાને ત્યાં ઉત્તર આફ્રિકાના નુમિડિયામાં જન્મેલા ઑગસ્ટિનનું યુવાજીવન મોજશોખમાં ગયું, પણ ઈ.સ. ૩૮૭માં એમનો બાપ્ટિઝમ સંસ્કાર થયા પછી ઈ.સ. ૩૯૬માં એમની ઉત્તર આફ્રિકાના હિપ્પો (આજનું બૉન)માં બિશપ તરીકે નિયુક્તિ થયેલી. બિનખ્રિસ્તી પ્રવાહોની સામે હજી ખ્રિસ્તીધર્મ પગભર થતો આવતો હતો અને ભારે વિવાદોનો સમય હતો એવે વખતે એમણે ખ્રિસ્તી ધર્મના બચાવની સક્રિય કામગીરી બજાવેલી અને ખ્રિસ્તી વિચારધારા પર એમનો મોટો પ્રભાવ પડેલો. &lt;br /&gt;
કેટલાક એકરારો આપતું આત્મકથા જેવું એમનું ‘સાક્ષી’ કે લોકોના મનમાંથી રોમને ભૂંસી નાંખવા કમર કસતું એમનું ‘ઈશ્વરનું નગર’ એમનાં જાણીતાં પુસ્તકો છે. પાપ, યૌન સંબંધ અને મૃત્યુ જેવા વિષયો પર સતત ચિંતવન કરતાં એમનાં લગભગ ત્રાણુ જેટલાં પુસ્તકો છે એટલું જ નહીં પણ પોતાના અવસાન પહેલાં આબધાં લખાણો એમણે કાલાનુક્રમે બિલકુલ વ્યવસ્થામાં ગોઠવી આપેલાં મળી આવે છે. આ સાહિત્ય દ્વારા સૅન્ટ ઑગસ્ટિનની એક ચોક્કસ છબી બંધાયેલી છે. આ છબીમાં આત્મકથા દ્વારા માતા તરફનો વધારે પડતો ઝોક, યૌનસંબંધ માટેનો તિરસ્કાર, ખ્રિસ્તી ધર્મનું મૂળભૂત પાપ અને એ માટેનો આગ્રહ — જેવાં લક્ષણો એકદમ આગળ તરી આવે છે. &lt;br /&gt;
પરંતુ ૧૯૭૫માં વીએનાના જોહનીઝ ડિવજાકને પોતાના સંશોધન દરમ્યાન અકસ્માતે સૅન્ટ ઓંગસ્ટિનના લાંબા સત્તાવીશ પત્રો હાથ ચડ્યા છે. આ પત્રો ઑગસ્ટિને જીવનના છેલ્લા દશકામાં લખેલા છે; અને સ્પષ્ટ બતાવે છે કે અંતમાં એમનું જીવન કલ્પનાથી પણ વધુ યાતનાગ્રસ્ત હોવા છતાં પોતાના કાર્યમાં એ મક્કમ રહ્યા છે. &lt;br /&gt;
બીજી બાજુ ૧૯૯૦માં ફ્રાન્ક્વા દોલ્બોને સૅન્ટ ઑગસ્ટિનનાં છવ્વીસ ધર્મપ્રવચનો હાથ ચઢ્યાં છે. આથી આ ધર્મપ્રવચનો દોલ્બો ધર્મપ્રવચનો તરીકે ઓળખાયા છે સૅન્ટ ઑગસ્ટિના પત્રોએ અને ખાસ તો આ નવા જડેલા ‘દોલ્બો ધર્મપ્રવચનો’એ એક નવા સૅન્ટ ઑગસ્ટિનનો પરિચય આપ્યો છે. પોતાના સમયમાં જીવંત બિનખ્રિસ્તીવાદની સામે ખ્રિસ્તી ધર્મને સ્થાપવા સૅન્ટ ઑગસ્ટિનને જે ઝઝૂમવું પડેલું છે એની કેટલીક તસ્વીરો એમાંથી ઊભરે છે. &lt;br /&gt;
કહેવાય છે કે, ‘દોલ્બો ધર્મપ્રવચનો’ પ્રવચનોની યથાતથ નોંધ છે. એમાં સૅન્ટ ઑગસ્ટિનનો જાણે કે જીવતો અવાજ ઝલાયેલો છે. દોલ્ગોએ પોતે કહ્યું છે કે આ પ્રવચનોના વાચનમાંથી પસાર થતાં લાગે છે કે બહુ દૂરના ભૂતકાળમાં અવસાન પામેલા કોઈ મિત્રનો અવાજ આપણે જાણે કે ટેઇપરેકોર્ડર પર સાંભળતા હોઈએ. એમાંનું એક પ્રવચન તો ૧૫૦૦ પંક્તિનું છે એને રજૂ કરતા ઑગસ્ટિનને ત્રણેક ક્લાક થયા છે. કોલાહલ કરતા અનેક દેવોમાં શ્રદ્ધા ધરાવતા બિનખ્રિસ્તી ટોળા સામે માંડ પગભર થતા આવતા ખ્રિસ્તીવાદનો આ પાદરી કઈ રીતે ઝઝૂમ્યો હશે એનું ચિત્ર ‘ધર્મપ્રવચન’માંથી પસાર થતા કલ્પી શકાય છે.&lt;br /&gt;
ઑગસ્ટિન સમજાવે છે કે તમારી આસપાસના જગતનો સંવાદ જુઓ, આ ખેડાયેલાં ખેતરો જુઓ. આ જંગલો જુઓ, આ બધું આપણે ચાહીએ છીએ. આ નગરને જુઓ, એની વ્યવસ્થાને જુઓ, કતારબંધ ઊભેલા મકાનો જુઓ, કલાઓની વિવિધતા જુઓ, માનવભાષાની વિવિધતા જુઓ, સ્મૃતિની શક્તિ જુઓ, ‘માનવવાણી&#039;ની સ્ફૂરણાને જુઓ. આ બધા પાછળ ઈશ્વર છે અને એ ઇચ્છે છે કે તમે એને જુઓ. ઈશ્વરનું ચિંતવન કરો અને સદા ઈશ્વરને કહો કે તારો ચહેરો જોવા ઉત્સુક છું. &lt;br /&gt;
સૌથી વધુ ધ્યાન ખેંચે એવી બાબત તો સૅન્ટ ઑગસ્ટિને ‘ધર્મપ્રવચનો’ અંગે કરેલો ખુલાસો છે. કહે છે કે અમે ઉપદેશ આપનારા અને પુસ્તકો લખનારા, ધર્મગ્રંથો લખાયા છે, એનાથી બહુ જુદી રીતે લખીએ છીએ. અમે તો હજી આગળ વધતા હોઈએ ત્યારે લખતા હોઈએ છીએ. અમે દરરોજ કંઈક નવું શીખીએ છીએ, અમે જવાબો શોધતા હોઈએ છીએ ત્યારે જ લખતા હોઈએ છીએ અને સમજ માટે ઈશ્વરનાં બારણાં ખટખટાવતાં હોઈએ છીએ ત્યારે જ ઉપદેશ આપતા હોઈએ છીએ મારા વતી મારી સૌને વિનંતી છે કે મારી બાબતમાં મારો કોઈ પૂર્વનો ઉપદેશ કે મારો કોઈ પૂર્વનો ગ્રંથ – ‘એને પવિત્ર માનીને ન ચાલશો —’ આટલું કહ્યા પછી સૅન્ટ ઑગસ્ટિનની છબી અતિ ગૌરવવાળી ઊભી થતી જોઈ શકાય છે. કહે છે : ‘હું સાચું શું છે એ કહું છું ત્યારે કોઈ એ પ્રમાણે વર્તતાં નથી પણ મારી ખોટી રીતે ટીકા કરનારાઓ તરફ હશે એના કરતાં એમના પ્રતિ મારો વધુ ગુસ્સો હશે, જેઓ મારા વખાણ કરતા હશે અને મારા લખાણોને બાબાવાક્ય પ્રમાણ ગણીને ચાલતા હશે.’ &lt;br /&gt;
કૃપા સિદ્ધાંત, ઈશ્વરની પસંદગી, અસહાય ઇચ્છાશક્તિની કરુણ અસહાયતા – આ બધું ઑગસ્ટિને કેથોલિક ચર્ચમાંથી ચુસ્યું છે એવું વારંવાર એનાં લખાણોમાં જોનારને ‘દોલ્બો ધર્મપ્રવચનો’ ખાતરી કરાવશે કે સૅન્ટ ઑગસ્ટિને જીવનના અંત સુધી કૃપાદૃષ્ટિ અને દિવ્યશક્તિને મનુષ્યની આંતરિકતા સાથે, એના અધ્યાત્મ સાથે સાંકળ્યાં છે. ઈશ્વરની કૃપાદૃષ્ટિના સંદર્ભમાં એ સ્પષ્ટપણે માને છે કે એમાં સ્ત્રી પુરુષ વચ્ચે, બાળકો અને મોટાઓ વચ્ચે કે સાક્ષર અને નિરક્ષર વચ્ચે કોઈ ભેદ નથી. &lt;br /&gt;
‘દોલ્બો ધર્મપ્રવચનો’નો સૂર એ છે કે ઈશ્વરે દરેક હૃદયમાં ગૌરવ કે મહિમાનો એવો ભાર મૂક્યો છે કે એ ભાર દ્વારા દરેક જણ માળામાં પાછા વળતાં કબૂતરોની જેમ, પૃથ્વીભણી ધસતા પથ્થરની જેમ, ઝળહળતા તારાઓ ભણી જવા ભભકતી જ્યોતિની જેમ, એના ‘નૈસર્ગિક ઘર’ તરફ જબરદસ્ત રીતે આકર્ષાય છે. &lt;br /&gt;
આ સૂર હજી આજે પણ આપણને સોળસો વર્ષ વટાવીને, અહીં આવીને સ્પર્શે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૪&lt;br /&gt;
|next = ૨૧૬&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AA&amp;diff=60930</id>
		<title>રચનાવલી/૨૧૪</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%AA&amp;diff=60930"/>
		<updated>2023-05-09T12:00:37Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૪. ઓમોન રા (વિક્ટોર પેલેવિન)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તોલ્સતોયે એકવાર કહ્યું હતું કે રશિયન લેખક એ જે લખે છે એના સ્વરૂપ અંગે ચિંતા કરતો નથી એને બદલે એ લેખક ઇચ્છે તે નીપજાવી લે છે અને જેમાં એ વ્યક્ત થવું હોય છે તે સ્વરૂપમાં એ વ્યક્ત કરવા સમર્થ હોય છે. આજે સાહિત્યમાં સ્વરૂપો અને ખાસ તો નવલકથાનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે એક લાકડીએ અને એક ધોરણે લગભગ હંકારાઈ રહ્યું છે ત્યારે રશિયામાં તોલ્સતોયના શબ્દોને સાચા પાડતા વિક્ટોર પેલેવિન અને યુરી મિલોસ્લાવ્સ્કી જેવા નવલકથાકારો હજી નવલકથાના સુવર્ણકાળના મિજાજને તેમજ પુશ્કિન ગોગલના વારસાને જાળવીને રશિયાની અપૂર્વતાને પ્રગટાવી રહ્યા છે. તેમાં ય યુરી મિલોસ્લાવ્સ્કીના પ્રભાવને આગળ વધારતો વિક્ટોર પેલેવિન ‘ન્યૂયોર્કર’ સામયિક જણાવે છે તેમ આજના યુરોપના ઉત્તમ યુવા નવલકથાકારોમાંનો એક છે અને એની સરખામણી ફ્રાન્ઝ કાફકા અને જોસેફ ટેલર સાથે થઈ રહી છે. &lt;br /&gt;
છત્રીસ વર્ષની ઉંમરનો વિક્તોર પેલેવિન રશિયાના સૉવિયેટ મહાસંઘના પતનને અંતે આવેલા પેરેસ્ટ્રોઇકા કાળ પછીના સમયની પેઢીનો બુલંદ અવાજ છે. રશિયાની આધુનિક જીવનની અંધાધૂંધી અને એની વિસંગતિને આ નવલકથાકાર પોતાની કલ્પનાના ગંભીર ગુબ્બારાઓ દ્વારા અર્થ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ઉન્માદ અને ખરાબીએ ચઢેલા આજના રશિયન માહોલમાં પેલેવિનની કલ્પનાઓનાં મૂળ પડેલાં છે. પેલેવિન કહે છે કે જો તમે સાધારણ જીવન જીવવા માંગતા હો તો રશિયા પૃથ્વી પરની નકામામાં નકામી જગા છે, પણ જો તમે લેખક હો અને જો તમારી બુદ્ધિમાં, તમારા દિમાગ પર શ્રદ્ધા હોય તો કદાચ એ ઉત્તમ જગા છે. રશિયન પ્રજા સોવિયેત સંઘને વિશ્વમાં એક ચિરસ્થાયી વ્યવસ્થા માનતી હતી. માનતી હતી કે એ ક્યારેય બદલાશે નહીં અને ઓચિંતી એ વ્યવસ્થા ભાંગી પડી. રશિયન પ્રજાને ખબર પડી કે ઓળખ સદંતર ભૂંસાઈ જતી હોય છે. આનો આઘાત રશિયાનો લેખક પોતાના લેખનમાં સમાવીને ચાલી રહ્યો છે. &lt;br /&gt;
સૉવિયેટ કાળાસમુદ્રની હૉટલમાં જંતુ તરીકે અને મનુષ્ય તરીકે એક સાથે જીવતાં પાત્રોને દર્શાવતી પેલેવિનની ‘જંતુઓનું જીવન’ નવલકથા કે આધુનિક મૉસ્કોની માનસિક હૉસ્પિટલમાં કવિ પાત્રની આસપાસ ગૂંથાતી ‘ચેપાયેવ’ નવલકથા જાણીતી છે. તે જ રીતે જાહેર મુતરડીની રખેવાળ નાયિકા વેરા પાવલોવાની આદર્શ વિચારધારાને રજૂ કરતી ‘વેરા પાવલોવાનું નવમું સ્વપ્ન&#039; કે મરઘાં ઘરમાં બે મરથી બચ્ચાના જીવન ચિંતનને રજૂ કરતી ‘સાધુ અને છ અંગૂઠા’ જેવી એની નવલિકાઓ પણ જાણીતી છે. એની નવલકથા ‘ઓમોન રા’નો એન્ડ્ર્યુ બ્રોમફીલ્ડે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. &lt;br /&gt;
એક જમાનામાં સોવિયેટ અવકાશ કાર્યક્રમ સોવિયેટ સંઘના નાગરિકોને માટે ગર્વનો અને આનંદનો વિષય હતો પણ એ અત્યારે સાવ મૃતપ્રાય છે. ચન્દ્ર અને ગ્રહોની સફર હવે ફિક્કી પડી ગઈ છે. આ પરિસ્થિતિમાં રશિયન અવકાશ કાર્યક્રમ પર સીધો કટાક્ષ કરવાને બદલે પેલેવિને આ જે ગર્વ અને. આનંદનો લોપ થયો છે એને નવલકથાનો વિષય બનાવ્યો છે. આ નવલકથાનો નાયક ઓમોન છે. રશિયન ભાષામાં એનો અર્થ ‘સોવિયેટનાં વિશિષ્ટ લશ્કરી દળો’ એવો થાય છે. ઓર્મોનના પિતા પોલિસમાં છે અને આ પોલિસપિતા પોતાના પુત્રની ફત્તેહ ઝંખે છે, ઓમાન સાથે ‘રા’ જોડાવાથી ઇજિપ્તના સૂર્યદેવની તેજસ્વિતાનો અર્થ ઓમોન સાથે જોડાયેલો છે. ઓમોન લશ્કરના અવકાશ કાર્યક્રમમાં જોડાય છે અને બહુ વહેલો એનો ભ્રમ ભાંગી જાય છે. પણ યુવાનો હોવાથી થોડોઘણો એનો ભ્રમ ચાલુ રહે છે. ઓમોનમાં એક પ્રકારની નિર્દોષતા છે અને વૉલ્તેરની જેમ પેલેવિન જેવો નવલકથાકાર પણ માને છે કે કુટિલો હંમેશાં ફાવે છે કારણ કે કુટિલ હોય છે; જ્યારે સારા માણસો સારા હોવાથી ક્યારેય કશું શીખતા નથી. કુટિલ અને સારાઓની વચ્ચે એક મોટી ખાઈ છે અને તેથી કુટિલ ક્યારેય સુધરતો નથી અને સારો માણસ ક્યારેય બગડતો નથી. ઓમોન એવો નિર્દોષ નાયક છે. &lt;br /&gt;
એના ઉપરી વડાઓ એને સૉવિયેટ અવકાશયાત્રા માટે લઈ જાય છે અને જણાવે છે કે ચન્દ્ર પર એક સ્વયંસંચાલિત અવકાશયાન છૂટું મુકવાનું છે. ઓમોન એ અંગેની ટુકડીનો એક માણસ છે. હકીકતમાં અવકાશયાન સ્વયંસંચાલિત નહોતું પણ એમાં કોઈ અવકાશયાત્રીને મોકલવાનો હતો અને આ યાત્રા એકમાર્ગી જ રહેવાની હતી. ઓમોનનો ઉપરી વડો ઓમોનને સમજાવે છે કે અમેરિકાએ અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતાર્યા છે એમનું ધ્યેય શાંતિનું છે પણ મધ્ય આફ્રિકાના માણસોને ખબર પડશે ત્યારે? (ઉપરીનો ઈશારો એકબાજુ ગરીબાઈ અને બીજી બાજુ અપાર દ્રવ્યરાશિનાં વિનાશ તરફ હતો.) આ પછી ઉપરી વડો ઉમેરે છે કે આ તબક્કે અવકાશયાત્રી સાથેનું યાન મોકલવું ગજાબહાર છે પણ સ્વયંસંચાલિત યાન તો જરૂ૨ મોકલી શકાય તેમ છે. ઉપરી વડાનો આડંબર એથી આગળ વધે છે. કહે છે કે, ‘આ અમેરિકનો માણસોની જિંદગી સાથે ખેલે છે, એને જોખમમાં મૂકે છે આપણે તો માત્ર યંત્રોને જ જોખમમાં મૂકીએ છીએ. વિચાર એવો છે કે વિશિષ્ટ રીતે સ્વયંસંચાલિત યાન મોકલવું છે જે ધરતી પર વૈજ્ઞાનિક માહિતી પહોંચાડી શકે.’ આ બધી પરિસ્થિતિ વચ્ચે માત્ર સાંભળ્યા કરતો ઓમોન એના વડાને પૂછે છે : ‘મને પૂછવાની રજા છે?’ વડો કહે છે : ‘પૂછો’. ઓમોન પૂછે છે : ‘આપણું યાન એ ચોક્કસ સ્વયંસંચાલિત છે ને?’ વડો જવાબ આપે છે : ‘સ્વયં સંચાલિત છે.’ ઓમોન છેવટે પૂછે છે : ‘તો પછી મારી એમાં શું જરૂર છે?’ આવું પૂછતાં જ વડાએ મસ્તક નીચે ઢાળી દીધું અને એક નિઃશ્વાસ નાંખ્યો. પ્રપંચ અને આડંબરનો પડદો ચીરાઈ ગયો છે પણ નવલકથાને અંતે ઓમોન પોતાને ચંદ્ર પર ઊતરેલો જુએ છે. ચન્દ્ર પણ મૉસ્કો જેવો જ અંધારો અને ભયજનક ભાસે છે. &lt;br /&gt;
કપોલકલ્પનાના વૈજ્ઞાનિક તરંગો પર તરતી આ નવલકથા રશિયાની પરિસ્થિતિ, એનું માનસ, એના પ્રપંચો અને એના આડંબરને બરાબર ખુલ્લાં કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૩&lt;br /&gt;
|next = ૨૧૫&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A9&amp;diff=60929</id>
		<title>રચનાવલી/૨૧૩</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A9&amp;diff=60929"/>
		<updated>2023-05-09T12:00:14Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૩. ઝિમા જંક્શન (યેવતુશેન્કો)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
રશિયન કવિતામાં ૧૯મી સદીમાં એક અત્યંત લોકપ્રસિદ્ધ કવિ થયો અને તે પુશ્કિન. વીસમી સદીમાં બીજો લોકપ્રસિદ્ધ કવિ તે માયકોકી અને માયકોવ્સ્કી પછી રશિયાની ક્લબોમાં, ફેક્ટરીઓમાં, યુનિવર્સિટીઓમાં અને એનાં થિયેટરોમાં કાવ્યવાચનો દ્વારા તરખાટ મચાવનાર કવિ છે યેવગેની યેવતુશેન્કો, રશિયન ક્રાંતિ અને ગૃહયુદ્ધ પછી ઘણે લાંબે અંતરાલે ૧૯૩૩માં સાઇબીરીયામાં ઇર્કુત્સક અને સરોવર બેયકાલની પશ્ચિમે ટ્રાન્સસાઇબૅરિયન રેલ્વે પર આવેલા દૂરના નાના કસબા ઝિમામાં જન્મેલો યેવતુશેન્કો એની પેઢીના રશિયાનો એકદમ નિર્ભીક પ્રવક્તા છે. યેવતુશેન્કો સ્થિર અને સલામત સૉવિયેટ યુનિયનમાં જન્મ્યો છે અને ઊછર્યો છે અને તેથી એનામાં જૂની સમાજવ્યવસ્થા અને નવી સમાજવ્યવસ્થા અંગેનો સંઘર્ષ ભાગ્યે જ રહ્યો છે. અલબત્ત દરેક નવી પેઢી જૂની પેઢીને જે રીતે જોતી આવે અને જૂનાં મૂલ્યોને નવી આંખે તપાસતી આવે એવો દૃષ્ટિનો પ્રભાવ યેવતુશેન્કોની કવિતામાં જરૂર છે. &lt;br /&gt;
યુક્રેનિયન, રશિયન અને તાતીરનું મિશ્ર લોહી ધરાવતા ખેડૂત પરિવારમાં જન્મેલો યેવતુશેન્કો બાળપણ સાઈબીરિયામાં પસાર કરી પોતાના ભૂ- વિજ્ઞાની પિતા સાથે પછીનો સમય મૉસ્કોમાં વીતાવે છે અને પોતે પણ કઝાકિસ્તાન અને અલ્તાઈની ભૂ- વૈજ્ઞાનિક ખોજોમાં ભાગ લે છે. યેવતુશેન્કો સારો રમતવીર રહ્યો. સાઇકલિંગ, પિંગપોંગ, ફૂટબોલ એની માનીતી પ્રવૃત્તિ રહી અને એની પહેલી કાવ્યરચનાઓ પણ રમતજગતના સામયિકોમાં જ પ્રગટ થતી રહી. ૧૯૫૨થી શરૂ કરીને એના અનેક કાવ્યસંગ્રહો બહાર આવ્યા આમ તો સ્ટાલિનનાં છેલ્લાં વર્ષોમાં રાજનૈતિક વિચારધારાઓ દ્વારા કવિતાને ટૂંપો દેવાઈ ચૂક્યો હતો, પણ યેવતુશેન્કોની નવી પ્રતિભા અને ઊભરતા આત્મવિશ્વાસ સાથે આગળ આવે છે. કોઈ ઉપરથી એના સત્યને થોપે એ એને મંજૂર નથી, યેવતુશેન્કોએ પોતાની રીતે જ સત્યની શોધ આદરી અને એ એની નિસ્બત રહી. તત્કાલીન વિવેચકો હિંસક વિદ્વેષથી એના પર તૂટી પડેલા, પણ એના વિશે ઉત્સાહી લેખો પણ નહોતા લખાયા એવું નથી. &lt;br /&gt;
યેવતુશેન્કોનો અવાજ તાજો છે. એમાં અલબત્ત પ્રયોગો ઓછા છે પણ માયકોવ્સ્કીની જેમ યેવતુશેન્કો પણ મિજાજે ક્રાંતિકારી છે સ્થગિતતા અને આડંબર પર એને સખત તિરસ્કાર છે. માયકોવ્સ્કીની જેમ એ બળુકો છે. એનાં કાવ્યોમાં તળપદો રંગ છે જ્યારે યેવતુશેન્કોની કવિતા મોટેથી વાંચીએ છીએ ત્યારે જ એ કવિતાની શક્તિની આપણને ખબર પડે છે. ગામડામાંથી શહેરમાં આવેલા યેવતુશેન્કોના દિમાગમાં એનું વતન હંમેશાં ચોંટેલું રહ્યું છે. &lt;br /&gt;
તેથી જ કદાચ એનાં કાવ્યોમાં ‘ઝિમા જંક્શન&#039; ખૂબ પ્રખ્યાત થયું છે. ‘ઝિમા જંક્શન&amp;quot; યેવતુશેન્કોની સુંદર અને સુદીર્ઘ રચના છે. ૧૯૫૬માં પ્રકાશિત થયેલું એનું આ કાવ્ય સોવિયેટ યુનિયનમાં યેવતુશેન્કોની લોકપ્રિયતા અને એની પ્રખ્યાતિનું કારણ બન્યું છે. નવ વર્ષની વયે વતન છોડીને ગયેલો યેવતુશેન્કો જ્યારે વીસ વર્ષની યુવાન વયે ઝિમામાં પાછો ફરે છે એની આત્મકથા આ કાવ્યમાં છે. એમાં વતનને બાળપણ સહિત પાછું મેળવવાનો પ્રયત્ન છે. જુદી જુદી વ્યક્તિઓ તેમજ પ્રસંગોનો સામનો છે, અને ઝિમાની કુદરત, એનાં ખેતરો, એની નદી, એના જંગલો એનું આકાશ અને એની લીલી ભૂમિનો વિગતે પરિચય છે. યેવતુશેન્કો યુદ્ધનાં વર્ષો દરમ્યાન ઝિમામાં ઊછર્યો હતો. ૧૯૫૩માં જ્યારે એ સ્વજનોને મળવા ઝિમા આવ્યો ત્યારે પણ આધુનિક રશિયાના ઇતિહાસમાં મહત્ત્વનાં વર્ષો હતાં. માર્ચમાં સ્ટાલિન મૃત્યુ પામ્યો, એને ‘હૉલ ઑવ કૉલમ્સ’માં રાખવામાં આવ્યો. ડૉક્ટરનો પ્લોટ ખોટો ઠર્યો, નિર્દોષ ડૉક્ટરો છૂટી ગયા, પોલિસના એક મહત્ત્વના વડા બેરિયાની ધરપકડ થઈ — આ બધી જોરદાર જાહેર વિગતો, કવિના અંગતજીવનની વિગતો અને જંગલ, નદી, ખેતરો, વૃક્ષોની જીવંત ઝીણવટભરી વિગતો અહીં સરસ રીતે વણાયેલી છે.&lt;br /&gt;
યેવતુશેન્કો એના સ્વજનોનો ‘ઝેન્કા’ કે ‘ઝેન્યા’ છે. એના મોટા કાકા, નાના કાકા, એની કાકી વગેરેની ચરિત્ર રેખાઓ, બોર વીણવા માટે જંગલમાં સાથે આવેલી સ્ત્રીઓમાંની એક સ્ત્રીની વેદના અને તેની સાચા પ્રેમની તલાશ, નદીકાંઠે માછલી પકડતો વૃદ્ધ, કસબાનું કૉફી હાઉસ, ઝિમા રેલ્વે જંક્શન, મિત્ર વોવ્યાનો મેળાપ આ બધી કડીઓ પરસ્પર ગૂંથાયેલી છે. કાવ્યને અંતે કવિ ઝીમાનું છેલ્લું ઘર વટાવી, સૂર્યના તડકામાં ચઢીને ટેકરીઓને ટોચે પહોંચી ત્યાં લાંબો સમય ઊભે છે, ટોચેથી સ્ટેશનનું મકાન, ફાર્મહાઉસિસ, કોઠારો વગેરે જુએ છે અને ઝિમા જંક્શન કવિને બોલતું સંભળાય છે : ‘તારી કોઈ જુદી અલાયદી પરિસ્થિતિ નથી. તારી શોધ, તારો સંઘર્ષ, તારા નિર્માણો... તારા ચિરકાલના પ્રશ્નનો તને કોઈ જવાબ ન જડે તો ચિંતા ન કરતો, ધૈર્ય ધર, ધ્યાન ધર, સાંભળ. શોધ. શોધ. જગત આખું ઘૂમી વળ. સત્ય કરતાં સુખ ચિત્ત સાથે વધુ સંયુક્ત છે ને છતાં સત્ય સિવાય સુખ હયાતી ધરાવતું નથી. ચિત્તમાં મને ધારી રાખ. હું તને જોતું રહીશ. તું મારા ભણી પાછો ફરી શકે છે. હવે જા.’ અને ઝિમા જંક્શનનો અવાજ સાંભળ્યા પછી કવિ છેલ્લી પંક્તિ ઉમેરે છે કે ‘હું ગયો અને હું જતો રહું છું.’ &lt;br /&gt;
સાઇબીરિયામાં વતનની મુલાકાત કવિના ઊભા થયેલા પ્રતિભાવોને બળવાન દૃશ્યોમાં ‘ઝિમા જંક્શન’ રજૂ કરે છે; એમાં ન તો કવિનો અવાજ નીરસ છે, ન તો કવિની ભાષા અક્કડ છે. ક્યારેક લોકગીતના ટૂંકા લયોને પણ પકડીને ચાલતી કવિની છંદધારા પ્રાસ સાથે નિયમિત છે.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૨&lt;br /&gt;
|next = ૨૧૪&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A8&amp;diff=60928</id>
		<title>રચનાવલી/૨૧૨</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A8&amp;diff=60928"/>
		<updated>2023-05-09T11:59:23Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૨. પાયાનો ખાડો (આન્દ્રેઈ પ્લાનોતોવ)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘તમારા માટે મનુષ્ય હોવું માત્ર એક ટેવ હશે, મારે માટે તો એ આનંદ ઉત્સવ છે.’ આવું કહેનારો કોઈ અન્ય ગ્રહથી ઊતરી આવેલો જીવ જ હોઈ શકે અને આ જીવ તે અન્ય કોઈ નહિ પણ વીસમી સદીનો રશિયાનો અત્યંત અસાધારણ લેખક આન્દ્રેઈ પ્લાનોતોય છે. પશ્ચિમના સાહિત્યમાં હજી એ એટલો જાણીતો નથી એનું કારણ કદાચ એ છે કે એનાં લખાણોનો અનુવાદ કરવો એ ખૂબ અઘરી વાત છે. વળી એ રશિયન રાજકીય જમાતનો પણ લેખક નથી, કે એનું ઝટ નામ લેવાય એ જુદા પ્રકારનો લેખક છે. કથાવસ્તુ પાત્રો પરાકાષ્ઠા કે ઉપસંહાર જેવું એની કૃતિઓમાં એકદમ ઓછું હોય છે. અનુભવો પણ એવા મૂકે છે કે જેને સંવેદવા પાંચ ઇન્દ્રિયોની બહારની ઇન્દ્રિયો જોઈએ. ભાષા તો એ બોલાતી રશિયન ભાષા જ વાપરે છે પણ એમાં એવા નાના નાના ફેરફારો કરી બેસે છે કે વાક્યે વાક્યે ફકરાએ ફકરાએ અર્થ ખોળવાઈ જતાં નવી જ લાગણી અને નવા વિચારનો સામનો કરવો પડે છે. &lt;br /&gt;
આન્દ્રેઈ પ્લાનોતોવની નામના તો એના મરણ પછી થઈ છે. ૧૯૫૧માં ખૂબ ગરીબીમાં ક્ષય રોગથી એનું અવસાન થયું. જીવનનાં છેલ્લા વર્ષોમાં તો એ કોઈ સાહિત્ય સંસ્થાના મકાનમાં ચોકીદારની કોટડીમાં રહેતો હતો. પાનખરમાં પીળાં પાંદડાંના ઢગલા વાળતો. વર્ગો ભરવા માટે આવતા વિદ્યાર્થીઓ એને જોતાં, ખાસ તો સાંભળતાં પણ કોઈનું એના તરફ ધ્યાન નહોતું. કોઈક કહેતું કે આ ગાંડાએ થોડી વાર્તાઓ લખેલી છે. &lt;br /&gt;
પ્લાનોતોવનો જન્મ ૧૮૯૯માં કોઈ નાના ગામમાં થયેલો. કુટુંબનો એ સૌથી મોટો દીકરો, દસ સભ્યોના પરિવારનું ભરણપોષણ નાની વયે એને માથે આવ્યું. પહેલાં ટ્રેન મિકેનિક, છાપખાનામાં ફોરમેન અને પછી કોઈ છાપામાં પત્રકાર તરીકે એ જુદાં જુદાં કામોમાં જોતરાયેલો રહ્યો. એની યુવાવસ્થા દરમ્યાન જ રશિયન ક્રાન્તિ થઈ. એની આસપાસનું જગત મોટી સામજિક ઊથલપાથલમાંથી પસાર થતું હતું, જેમાં ભાંગફોડ ઝાઝી અને રચનાત્મક કાર્ય ઓછું થઈ રહ્યું હતું. સમાજમાં ઠેરઠેર નવા માણસો નવા વર્ગો તા પર આવ્યા. નવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ બૉલ્વેશિકોએ નવા વિશ્વનું વચન આપ્યું. ધરતી પર સ્વર્ગ ઉતારવાની, સંપૂર્ણ સુખની ખાતરી આપી પણ આ અંગે પ્લાનોતોવે એવી રીતે લખ્યું કે સાહિત્યના ક્ષેત્રમાં એને હાંસિયામાં ફેંકી દેવામાં આવ્યો. પ્લાનોતોવમાં રચનાત્મક કાર્યોનો ઉત્સાહ હતો પણ એ કોઈ સંપૂર્ણપણે રશિયન સામ્યવાદી વિચારસરણીને વરેલો નહોતો.&lt;br /&gt;
આમ છતાં એ રશિયન સ્વપ્નસેવીઓથી જુદો નહોતો. રશિયન સ્વપ્નસેવી પોતાને અને પરિવારને જ સુખી કરવા નહોતો માગતો પણ માનવજાતને સુખી કરવાને અધીર હતો. એવું કહેવાય છે કે પશ્ચિમનો માણસ કોઈ નાનું યંત્ર શોધવાનું પસંદ કરે, જે ખરેખર કામ કરતું હોય, પછી ભલે એનું સામૂહિક ઉત્પાદન થાય. પણ રશિયનોને તો ભવ્યતાનો તાવ ચઢેલો હોય. અધીર થઈને જેવું તેવું આયોજન કરી નાંખે, મસમોટું, મહત્ત્વકાંક્ષી કદી કોઈએ કર્યું ન હોય તેવું ઊભું કરી નાંખે પણ એ ખરેખર કામ કરતું ન હોય. &lt;br /&gt;
રશિયનેનો આ મિજાજ પ્લાનોતોવમાં વિચિત્ર રીતે ઊતર્યો છે.ગૌણ ગણાતી બાબતો પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય બનીને આવે છે. પાત્રો કારણ વિના પ્રવેશે છે અને અદશ્ય થઈ જાય છે. એના નાયકો કોઈ મહત્ત્વની કામગીરીમાં સંડોવાયેલા હોય છે અને એમનું સમગ્ર ચિત્ત એમાં મૂકી દેતાં હોય છે પણ ભૂલભરી ગણતરી કે આપત્તિ એમની કામગીરીનું પરિણામ પૂરેપૂરું નષ્ટ કરી દે છે. અલબત્ત એમનું જીવન કીડી કે માખીની જેમ ભાંગી પડતું નથી પણ તરત એ નાયકો નવી સમજ અને સૂઝ સાથે નવા કામમાં લાગી જાય છે. પ્લાનોતોવનાં લખાણોમાં મુખ્ય વાત બુદ્ધિના અને હૃદયના સુખની છે. સુખ ખરેખર શું છે, સુખ કઈ રીતે અને શા માટે આવે છે, સુખને કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે જાળવી વગેરેમાં રચ્યોપચ્યો પ્લાનોતોવ કોઈ મનુષ્ય નહીં પણ કોઈ અન્ય પ્રકારનો જીવ ભાસે છે. &lt;br /&gt;
પ્લાનોતોવની ઘણી બધી શરૂની વાર્તાઓમાં ભૌતિકશાસ્ત્ર કે ટેકનોલોજી કલ્પી ન શકે એવા કોઈ તોતિંગ ઇલેક્ટ્રીક યંત્રની કલ્પના આવ્યા કરે છે. આ યંત્ર મનુષ્યની ઇચ્છાશક્તિ કે એના વિચારને આંટી મારે છે. આ યંત્ર દ્વારા આખી પૃથ્વીને ઊંધીચત્તી કરી શકાય દૂરના તારાઓને નાથી શકાય. નાના ગ્રહને સમુદ્રમાં તોડી પાડી વહાણને ડુબાડી શકાય, સમુદ્રમાં વિરાટ મોજું ઉછાળી શકાય – એવું એવું કલ્પનામાં આવે છે છતાં આ વૈજ્ઞાનિક કથાઓ નથી. પ્લાનોતોવના નાયકો કુદરતી પરિબળોનો કબજો લઈ પોતાનો વિનાશ નોતરે છે. &lt;br /&gt;
પ્લાનોતોવ માને છે કે આજે યા કાલે માનવવિચારની શક્તિ કશુંક પહેલાં ન હોય એવું શોધી કાઢશે અને પછી સુખ જ સુખ હશે. રોજિંદા પશ્ચિમની યાતનામાંથી મુક્તિ હશે. પ્લાનોતોવની વાર્તાઓમાં આવતી આવી વૈજ્ઞાનિક બબાલો એ કોઈ પાત્રોની હાંસી ઉડાડવા માટે નથી આવતી. પ્લાનોતોવની એમાં પૂરી આસ્થા રહેલી છે. એક પત્રમાં પ્લાનોતોવ લખે છે કે ખેતરો, ગ્રામપ્રદેશ, એની માતા કે ચર્ચના ઘંટારવ ઉપરાંત સ્ટીમ એન્જિન, યંત્રો, તીણી વ્હીલસોને પણ એ ચાહે છે એ માને છે કે બધું માનવસર્જિત છે અને કશું આપમેળે નથી આવતું. ત્યાં સુધી કહે છે કે એ એવા ભ્રમમાં હતો કે માણસો બાળકોને પણ કોઈ ફેક્ટરીમાં બનાવતા હશે. છોડવા, ભિખારીઓ, ઇલેક્ટ્રીસિટી, લોકોમોટિવ એન્જિન, વ્હીસલ — ધરતીકંપ આ બધા વચ્ચે કોઈ કડી છે. આ બધાં પર એકસરખાં જન્મનિશાન છે. ઊગતું ઘાસ અને કામ કરતું વરાળ એન્જિન બંનેની એક જ પ્રકારની યાંત્રિકતા છે.&lt;br /&gt;
પ્લાનોતોવે એની જાણીતી રચના ‘પાયાનો ખાડો’ (ધ ફાઉન્ડેશન પિટ)માં આથી જ દર્શાવ્યું છે કે આ એવું વિશ્વ છે ત્યાં પ્રાણીઓ ઘાસ, પથ્થર, વીજપ્રવાહ, માનવીઓ એટલે કે ચેતન અને જડ– બધું જ એના પાયામાં સમાન અને એક સરખું છે. આ બધાં હયાતી ધરાવે છે. આ હયાતી પાછળ જે ‘યાતના છે અને પ્લાનોતોવ સફળ યાતના’ કે ‘શૌર્યપૂર્ણ યાતના’ કહે છે. પ્લાનાતોવને મતે દુઃખ જરૂરિયાત, અસુખ  આ બધું તો વેઠીએ છીએ પણ આપણે સુખ, પ્રેમ અને આનંદ પણ વેઠીએ જ છીએ. પ્લાનોતોવની હયાતીમાં એનું બહુ જ ઓછું સાહિત્ય પ્રકાશિત થયું છે. જેમ જેમ એના અનુવાદો હવે પ્રગટ થતા આવે છે તેમ તેમ એ જુદા પ્રકારનો લેખક છે એવી ખાતરી સાહિત્યજગતને થતી આવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૧&lt;br /&gt;
|next = ૨૧૩&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A7&amp;diff=60927</id>
		<title>રચનાવલી/૨૧૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A7&amp;diff=60927"/>
		<updated>2023-05-09T11:59:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૧. ચેરીની વાડી (ચૅખોવ)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ટૂંકી વાર્તાના ક્ષેત્રે રશિયાનો મોપાસાં ગણાયેલો એન્તોન ચેખોવ મોટો નાટકકાર પણ છે જીવનને જેવું છે તેવું રજૂ કરનારા રંગમંચોની સામે એણે કહેલું કે, ‘રંગભૂમિ એ કલા છે’ અને સાથે ચેતવણી ઉચ્ચારેલી કે ‘ભૂલતા નહીં કે રંગમંચને ચોથી દીવાલ નથી. એટલે જ ચૅખોવે નાટકમાં આવતા એક એક વાક્યને બરાબર રચવું પડે છે એના પર ભાર મૂકેલો. ગોર્કી જેવા રશિયાના લેખકે ચેખોવનાં નાટકો માટે ત્યાં સુધી કહ્યું કે ચૅખોવ એક શબ્દમાત્રમાં પાત્રને ઊભું કરે છે અને એક વાક્યમાં તો વાર્તા કહી નાંખે છે. રશિયાના રૂઢિગત રંગમંચની કાયાપલટ કરી નાંખવામાં મોસ્કો આર્ટ થિયેટરના દિગ્દર્શકો કોન્સ્તાનિન સ્તાનિસ્લાવ્સ્કી તેમજ લાદિમિર નેમિરોવિચ રોન્શેન્કો અને નાટકકાર ચેખાવનો મોટો ફાળો રહ્યો છે. આ બંને દિગ્દર્શકો તેમજ આ નાટકકારે જગતના નાટકનો ચહેરો પણ બદલી નાંખવામાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. આવા સમર્થ નાટકકાર ચેખોવનાં ચાર નાટકો ‘ધ સીગલ’, ‘અંકલ વાન્યા’, ‘થ્રી સિસ્ટર્સ’ અને ‘ધ ચેરી ઓરચાર્ડ’નું જગતનાં ઉત્તમ નાટકોમાં સ્થાન છે. ચેખોવે કોમિકને એની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું છે. &lt;br /&gt;
ચૅખોવનાં નાટકો એની પૂર્વે થઈ ગયેલાં રશિયન નાટકોથી એકદમ જુદાં પડે છે આત્મહત્યા, દુઃખી લગ્નજીવન જેવી કથાઓ તો આ નાટકોમાં પણ છે પણ ચૅખોવનો હેતુ એકદમ જુદો હતો. એના નાટકનો સૂર સપાટી પરથી નહિ પણ ઊંડાણમાંથી પ્રગટ થતો હતો. ચૅખોવનાં નાટકો ‘શાંત સત્ય’ના આગ્રહી છે. એ સત્યને ગાઈવગાડીને રજૂ કર્યા વિના એને સંદિગ્ધ રાખીને રહસ્યમય રીતે રજૂ કરે છે. એનાં નાટકોમાં દેખીતી રીતે ધામધૂમ નથી હોતી. સ્થાનક પણ પાતળું હોય છે, પણ એમાં આડકતરી રીતે જબરદસ્ત ગતિ હોય છે. &lt;br /&gt;
નાટકને લાગણીવેગથી ભરી દીધા વગર કે રોતલ બનાવ્યા વગર એ સંયમથી કામ લે છે. આને કારણે ચૅખોવનાં નાટકોને રજૂ કરતી વખતે દિગ્દર્શકોને ઘણી મુશ્કેલીઓ પડી છે. કૉમેડી હોવા છતાં એને કૉમેડીની રીતે રજૂ ન કરાય અને ટ્રેજેડીમાં એને લઈ ન શકાય એવી રજૂઆતની આકરી શરત સુધી પહોંચવા માટે ચૅખોવના નાટકોને બહુ રાહ જોવી પડી છે. કાંય પણ અતિરેક કે ઘેરા રંગને રજુ કરવામાં ચેખોવ માનતો નથી એનાં નાટકો એના પોતાના જમાનામાં ઓછાં સફળ થયાં એનું કારણ ચેખોવનાં નાટકોનો પ્રભાવ ઓછો હતો એવું નહોતું પણ એમાં એક પ્રકારની વિશેષતા અને અસાધારણતા હતી. ચૅખોવનાં નાટકોમાં કોમિક અને ટ્રેજિકનું અદ્ભુત મિશ્રણ એને જીવનના અને પાત્રોના નિર્મમ નિરીક્ષણ સુધી પહોંચાડે છે પણ એમાં એની મનુષ્યસ્વભાવની ઊંડી સમજ પ્રગટ થાય છે. પોતે સંડોવાયા વગર અને પ્રેક્ષકને પણ સંડોવ્યા વિના ચૅખોવ બહુ જુદી રીતે નાટકમાં સંડોવાય છે અને છતાં બ્રેખ્તની જેમ એ આંચકા આપીને કે વારંવાર સભાન કરીને સત્ય સાથે પ્રેક્ષકોને સાંકળતો નથી. &lt;br /&gt;
ગરીબ મા-બાપને ત્યાં જન્મેલો અને બાપની નાદારી જોઈ ચૂકેલો તેમજ નાની વયથી ક્ષયની જીવલેણ બિમારીથી પીડાતો ચૅખોવ એક ડૉક્ટર તરીકે માનવપ્રેમી હતો જ, પણ એક લેખક તરીકેની એની કરુણા જે રીતે એનાં નાટકોમાં પ્રસરેલી છે એ બહુ ઓછામાં જોવા મળે છે. ‘ચેરીની વાડી&#039; નાટકમાં ૧૯મી સદીના અંતમાં રશિયન સમાજ એક મોટા પરિવર્તનમાંથી પસાર થતો હતો અને સામાજિક સમાનતા તરફ વળી રહ્યો હતો. એની જીવનગતિને ચૅખોવે પકડી છે. રશિયાના જાગીરદારો અને જમીનદારોની જાહોજલાલી ઘટતી આવતી હતી, એમનો પ્રભાવ ઓછો થતો આવતો હતો. શોભાનો છતાં બિનનફાકારક બની ગયેલી જાગીરદાર વર્ગ અહીં ‘ચૅરીની વાડી’ દ્વારા સૂચવાયો છે. ‘ચરીની વાડી’ સુંદર છતાં નફાકારક ન રહી અને કુહાડીને લાયક બની, એવું જાગીરદાર વર્ગનું થયું છે ‘ચૅરીની વાડી’ નાટકમાં માલિકો લાચારીને કારણે કુટુંબની જાગીર કઈ રીતે લીલામમાં ગુમાવે છે એની આસપાસની કથા છે.&lt;br /&gt;
ફ્રાન્સમાં ઉડાવપણે પાંચ વર્ષ ગાળ્યા પછી લ્યુબોવ રોનેવ્સ્ક્યા અને એની દીકરી આન્યાને રશિયામાં મની જાગીર પર પાછા ફરવું પડે છે. ત્યાં પરિવાર ઉપરાંતના બીજા સભ્યો પણ જાગીર અને જાગીર સાથે સંકળાયેલી ચૅરીની વાડી દેવાના કારણે લીલામમાં હાથથી જતી ન રહે એને બચાવવા લાગી ગયા છે. વેપારી મિત્ર લોપાખિન સલાહ આપે છે કે સ્ટેશન નજીક છે અને નદી પણ નજીક છે. જો ચૅરીની વાડીને જમીનદોસ્ત કરી જાગીર પર સહેલાણીઓ માટે સમર કૉટેો ઊભાં કરવામાં આવે તો દેવું સહેલાઈથી ભરપાઈ થઈ શકે તેમ છે પરંતુ કુટુંબના સભ્યો આ પ્રસ્તાવનો સ્વીકાર કરવા રાજી નથી. રોનેયાનો ભાઈ ગેયેલ પણ પોતાની રીતે પૈસા ઊભા કરવામાં નિષ્ફળ જાય છે આથી જાગીર લીલામમાં ચાલી જાય છે અને એને વેપારી લોપાખિન જ ખરીદી લે છે. રોનેવ્સક્યા પરિવાર સાથે જાગીર છોડી જાય છે. છેલ્લા દૃશ્યમાં આખી જિંદગી પરિવારની ચાકરીમાં લાગેલો ફીર્સ જાગીરના એક ઓરડામાં પુરાઈને ચેરીની વાડી પર પડતા કુહાડાના ટચાકા સાંભળી રહે છે. &lt;br /&gt;
નવા પરિવર્તનનો સમય ઝટ ગળે ઊતરતો નથી અને પ્રમાણમાં કષ્ટદાયી હોય છે. ૧૪ વર્ષ પછી થનારી રશિયન ક્રાંતિના આછા અણસાર ચૅખોવે આ રચનામાં રમતા મૂક્યા છે જૂનાં મૂલ્યોની વિદાય અને નવાં મૂલ્યોનાં આગમન - આ બંનેનાં દુઃખને તટસ્થ રીતે જોતું આ નાટક ચૅખોવનું વિશિષ્ટ નાટક છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૧૦&lt;br /&gt;
|next = ૨૧૨&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A6&amp;diff=60926</id>
		<title>રચનાવલી/૨૧૦</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A7%E0%AB%A6&amp;diff=60926"/>
		<updated>2023-05-09T11:58:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૧૦. અપરાધ અને સજા (દોસ્તોયેવસ્કી)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એવું કહેવાયું છે કે પાપ કર્યા વિના જીવવું મુશ્કેલ છે. એનો અર્થ એ થયો કે મનુષ્ય મનુષ્યની સામે સીધો યા આડકતરો અપરાધ કર્યા વિના રહેતો નથી અને મનુષ્ય મનુષ્ય સામે અપરાધ કર્યા પછી એનાથી ઊભી થતી યાતના અને વેદનાથી એને ભરપાઈ કરે છે. આવી જ કોઈ વાતને લઈને ફિયોદોર મિખાઇલોવિચ દોસ્તોયેવ્સ્કી (૧૮૨૧-૧૮૮૧)એ એના નાયક રાસ્કોલનિકોલની કથા ‘અપરાધ અને સજા’ (‘ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ’)માં વણી લીધી છે. ‘અપરાધ અને સજા&#039;નું સ્થાન માત્ર રશિયન નવલકથાઓમાં જ નહીં પણ વિશ્વની નવલકથાઓમાં ઊંચેરું છે. &lt;br /&gt;
ઝારની સામે રાજકીય ગુનો કર્યાનો આક્ષેપ દોસ્તોયેવ્સ્કી પર આવતા એને નવ વર્ષનાં જેલ અને દેશવટો મળે છે. સજા ભોગવીને પાછા ફર્યા બાદ દોસ્તોયેવ્સ્કીએ જે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, લઘુનવલો અને પત્રકારી લેખન કર્યા, એ બધામાં ૧૮૬૬માં પ્રકાશિત થયેલી ‘અપરાધ અને સજા’ એની સૌથી લોકપ્રિય અને સમર્થ નવલકથા છે. નાયક દ્વારા થતી હત્યાની આસપાસ નાયકના માનસના પલટાઓ અને પલટાઓમાં અપરાધભાવ સાથેની અસહ્ય પીડા — આ બધું બતાવે છે કે આ નવલકથા માત્ર જાસૂસી નવલકથા નથી, માત્ર રહસ્યકથા નથી પરંતુ અપરાધી ચેતનાનાં ઊંડાણો ઉલેચતી માનસકથા છે. &lt;br /&gt;
સેન્ટ પિટ્સબર્ગનો ગરીબ વિદ્યાર્થી રાસ્કોલનિકોલ કોઈએક હત્યાની યોજના કરે છે અને યોજના પ્રમાણે વૃદ્ધ વિધવા અને એની બહેનની હત્યા કરીને એમના ઝર-ઝવેરાતને ચોરી લે છે. પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું ફરમાન થતાં ભૂખ અને બિમારીથી ત્રસ્ત રાસ્કોલનિકોલ કબૂલાત કરી લેવાનો નિર્ણય તો કરે છે પણ પોલીસ તો ભાડૂત તરીકે એને ઘરમાલિકને રકમ નહોતી આપી એની ફરિયાદ અંગે જ પૂછતાછ કરે છે. એટલે એ હાશકારો અનુભવે છે. પણ પોલીસની પૂછતાછ દરમ્યાન એ એવો જવાબ આપે છે કે એને અંગે શંકા ઊભી થાય છે. &lt;br /&gt;
આ પછી ચાર દિવસ સખત તાવમાં પીડાતા રાસ્કોલનિકોલે સંનેપાતમાં જે જવાબ આપ્યા એને કારણે એને અંગેની શંકા ઓર વધે છે. થોડા દિવસ પછી રાસ્કોલનિકોલ બહાર જઈ ખૂનીઓની યાદી વાંચતો હોય છે ત્યારે એક જાસૂસ એનો પીછો કરે છે અને એની સાથેની વાતચીત દરમ્યાન ઘણી માહિતી કઢાવે છે પણ રાસ્કોલનિકોલ પર તહોમત મૂકી શકાય એવો કોઈ પુરાવો એને મળતો નથી. &lt;br /&gt;
ગુનાશોધક વિભાગના વડા દારા રાસ્કોલનિકોલની જાતજાતના પ્રશ્નો પૂછીને માનસિક સતામણી થતી રહે છે. રાસ્કોલનિકોલના મનમાં એવું ઠસી ગયું હતું કે કોઈ પણ પ્રતિભાવાન વ્યક્તિ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ગમે તે કરી શકે છે અને પોતે એક પ્રતિભાવાન વ્યક્તિ છે. વળી એની એવી પણ માન્યતા હતી કે હત્યાનું કામ કરીને એણે પુણ્યનું કામ કર્યું છે. વિધવા વૃદ્ધાને અને એની બહેનને યાતનામાંથી ઉગારી લીધાં છે અને પોતાની ગરીબાઈ દૂર કરી આગળ અભ્યાસનો પ્રબંધ કર્યો છે. આ કારણોએ રાસ્કોનિકોલ પોતાની જાતને બચાવ્યા કરતો હતો. &lt;br /&gt;
દરમ્યાનમાં રાસ્કોલનિકોલ સોનિયા નામની એક વેશ્યાના પરિચયમાં આવે છે અને એની સાથે બાઇબલ વાંચે છે. આવી નીચલા દરજ્જાની નારીની ઈશ્વરશ્રદ્ધાથી રાસ્કોલનિકોલ ખૂબ પ્રભાવિત થાય છે. સોનિયા તરફ એને અપાર અનુકંપા જાગે છે. અને એ સોનિયાને ખાતરી આપે છે કે પોતે એને બંને હત્યાના ભેદ અંગે કહેશે. આ વાત બાજુની રૂમમાં સ્વિદ્રિગેયલોવ સાંભળી જાય છે. છેવટે સ્વિદ્રિગેયલોવ રાસ્કોલનિકોલે કરેલી હત્યાના ભેદ જાણી જતાં એ રાસ્કોલનિકોલને તંગ કરે છે. એક બાજુ ગુનાશોધક વિભાગના વડાની દૃઢ થયેલી શંકા અને બીજી બાજુ વિદ્રિગેયલોવે જાણી લીધેલું રહસ્ય આ બંનેને કારણે રાસ્કોલનિકોલની નીંદર હરામ થઈ જાય છે.&lt;br /&gt;
મા અને બહેન તરફથી પ્રેમની પૂરી ખાતરી થતાં અને સોનિયાની શુદ્ધ લાગણી જોતાં રાસ્કોલનિકોલ પોલિસ પાસે બ્યાન આપવા છેવટે તૈયાર થાય છે. એના પર મુકદ્દમો ચાલે છે અને આઠ વર્ષની સાઇબીરિયામાં જેલ મળે છે. સોનિયા રાસ્કોલનિકોવની પાછળ પાછળ સાઇબીરિયા જાય છે. અને ત્યાં જેલની નજીકમાં કોઈ ગામમાં રહી લોકોની સેવામાં પોતાનું મન પરોવે છે. સોનિયાની સહાયથી રાસ્કોલનિકોલનો છેવટે નવો જન્મ થાય છે. &lt;br /&gt;
આ તો નવલકથાની મુખ્ય કથા છે. આ ઉપરાંત રાસ્કોલનિકોલ સાથે જોડાયેલાં બીજાં અનેક પાત્રોની કથા એમાં વણાયેલી છે. અન્ય પાત્રોની મદદથી રાસ્કોલનિકોલને ખાતરી થાય છે કે ફક્ત બુદ્ધિ અને તર્કથી એ પોતાની જિંદગી પર કાબૂ રાખી શકતો નથી. એમ કરવાથી તો જિંદગી ખાલીપાથી અને ખોટા ઘમંડથી ઉબાઈ જાય છે. એને એની પણ ખાતરી થાય છે કે સુખ મળતું નથી, મેળવવાનું હોય છે અને એ યાતના દ્વારા જ મળે છે. દરેક વ્યક્તિએ પોતાનો ક્રોસ પોતે વહન કરવાનો રહે છે. &lt;br /&gt;
આમ હત્યારાના મનના બદલાવોનાં નાનાં નાનાં રેખાંકનોથી, સોનિયા જેવી વેશ્યાની બાબતમાં સમાજથી તરછોડાયેલા તરફ બતાવેલી સહાનુભૂતિથી અને ૧૯મી સદીના રશિયન શહેરમાં ગરીબાઈથી ખદબદતી વસતીનાં વર્ણનોમાં દાખવેલી વાસ્તવિકતાથી દોસ્તોયેવ્સ્કીએ ‘અપરાધ અને સજા’ નવલકથાને ઉત્તમ કોટિએ પહોંચાડી છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૯&lt;br /&gt;
|next = ૨૧૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AF&amp;diff=60925</id>
		<title>રચનાવલી/૨૦૯</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AF&amp;diff=60925"/>
		<updated>2023-05-09T11:58:24Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૯. કાળીની રાણી (પુશ્કિન)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક રશિયન લેખકે નવા કવિઓને સલાહ આપી છે : ‘તમે દરેક જણ તમારે પોતપોતાને રસ્તે જાઓ, રસ્તો નાનો હોય કે મોટો, તમારે જે લેવો હોય તે લો પણ પુશ્કિનને ટાળીને આગળ ન વધજો. જો એવું કરશો તો તમે તમને જ હાનિ પહોંચાડશો.’ કોણ છે આ પુશ્કિન? &lt;br /&gt;
આ એ પુશ્કિન છે જેને વિશે નિકોલાઈ ગૉગોલે કહેલું કે પુશ્કિન એક અસાધારણ ઘટના છે અને કદાચ રશિયન ચેતનાની અપૂર્વ ઘટના છે. આ એ પુશ્કિન છે જેને વિશે વિસારિયોન બેલિન્સ્કીએ કહેલું કે પુશ્કિન એક એવી સર્જક પ્રતિભા છે, એક એવું ઐતિહાસિક પરિબળ છે જે વર્તમાન વિશે કામ કરતાં કરતાં ભવિષ્યને રચે છે. આ એ પુશ્કિન છે જેના વિશે લિયો તોલ્સ્ટોયે કહેલું કે દરેક લેખકે એનો અભ્યાસ કરવો જોઈએ. મેં હમણાં જ કર્યો છે અને એને વાંચતા જે મને લાભ થયો છે એ હું કહી શકતો નથી. આ એ પુશ્કિન છે જેના વિષે ઈવાન ગોન્ચોરોવે કહેલું કરે પુશ્કિનમાં બધાં જ બીજ, બધા જ આરંભો છુપાયેલાં છે જે પછીથી રશિયન કલાના બધા પ્રકારો અને સ્વરૂપોમાં વિકસિત થયાં છે. &lt;br /&gt;
આમ, પુશ્કિનમાં રશિયાનું પ્રાકૃતિક વિશ્વ, રશિયાની ચેતના, રશિયન ભાષા અને રશિયન પાત્રો શુદ્ધરૂપે પ્રતિબિંબિત થાય છે. પુનરુત્થાનકાળના અને ફ્રેન્ચ ક્રાંતિના વિચારોથી ઘડાયેલો આ રશિયન લેખક એના વિશિષ્ટ રાજકીય અભિગમને કારણે બબ્બેવાર દેશનિકાલ પામેલો અને છેવટે નિકોલસ પહેલાએ એને માફી બક્ષીને મોસ્કોમાં રાખ્યો ત્યારે પત્નીના કારણે એક લશ્કરી અમલદાર સાથે સંઘર્ષમાં આવી એની સાથે દ્વન્દ્વયુદ્ધ ખેલી મરણતોલ થવાઈને એનું માત્ર ૩૮ વર્ષની ઉંમરે મૃત્યુ થયું. આ નાના જીવનના ગાળામાં પુશ્કિન રશિયન સમાજ અને રશિયન સાહિત્ય પર અમીટ છાપ છોડી ગયો છે. &lt;br /&gt;
પહેલાં લેખનની રોમેન્ટિક શરૂઆત કરીને પુશ્કિન બહુ ઝડપથી વાસ્તવવાદ તરફ કરી ગયો. ખોટી કૃત્રિમ આડંબરી શૈલીની જગ્યાએ એને સીધી, ચોકસાઈભરી સ્પષ્ટ શૈલીનો આગ્રહ રાખ્યો અને ૧૯મી સદીના આવનારા વાસ્તવવાદનો દઢ પાયો નાખ્યો. &lt;br /&gt;
એણે ઊર્મિકાવ્યો લખ્યાં, એણે કથાકાવ્યો લખ્યાં, એણે પદ્યનાટકો અને પદ્યકથાઓ પર પણ હાથ અજમાવ્યો. એ બધામાં ‘યેવગેની ઓનેજિન’ એ એની પદ્યમાં નવલકથારૂપે લખાયેલી સમર્થ કૃતિ છે. ગદ્ય લખવાની શરૂઆત એની કવિ તરીકેની કારકિર્દીનો નવો વળાંક સૂચવે છે. પુશ્કિને અનેક ગદ્યલખાણો કર્યાં એમાં ‘સદ્ગત ઈવાન પેત્રોવિચ બેલ્કિનની કથાઓ’, ‘કેપ્ટનની દીકરી&amp;quot; અને ‘કાળીની રાણી’ જાણીતાં છે. &lt;br /&gt;
‘કાળીની રાણી’ની કથા આ પ્રમાણે છેઃ નારુમોવના નિવાસે જુગાર રમનારા વચ્ચે તોમ્સ્કી એની પોતાની ઉમરાવદાદીમા ક્યારે ય જુગાર નથી રમતી એ બાબતનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. આથી બીજા એને કહે છે કે ૮૦ વર્ષની બુટ્ટી જુગાર નથી રમતી એમાં નોંધવા જેવું શું છે? આની સામે તોમ્સ્કી ઉમરાવદાદીની વાત રજૂ કરે છે. યુવાવયે દાદી જુગારમાં ઘણુંબધું હારીને ઘરે આવેલાં. પોતાના પતિને એ ભરપાઈ કરવાનું કહેતાં પતિ એને છેવટની ના સંભળાવી દે છે. આથી તેઓ મિત્ર જર્મનનો સંપર્ક સાધે છે. જર્મન ઉમરાવ દાદીને એક કરામત શીખવે છે : દાદીમા ફરીને જુગાર રમવા જાય છે ત્રણ પાનાં પસંદ કરે છે. ઉપરા ઉપરી ત્રણ પાન રમે છે અને કરામત પ્રમાણે બધું જીતીને પાછાં આવે છે. આ રહસ્ય પછી ઉમરાવદાદી પોતાના હારેલા એક જુગારી દીકરાને બતાવે છે પણ એ શરતે કે જિંદગીમાં એ ક્યારેય ફરી જુગાર ન રમે. દીકરી ચેપલિન્સ્કી જીતી આવે છે. તોમ્સ્કી આ વાત કરતો હતો ત્યારે હેર્માન પણ ત્યાં બઠો હતો એણે જિંદગીમાં ક્યારેય પત્તાને હાથ અડાડ્યો નહોતો.&lt;br /&gt;
તોમ્સ્કીની ઉમરાવ દાદી ૮૦ વર્ષની ઉંમરે નોકરચાકર સાથે હજી પૂરા દબદબા સાથે જીવી રહી છે, અને પોતાની સાથે લિસાવેતા ઈવાનોના નામની યુવતીને સંગાથી તરીકે આશ્રય આપ્યો છે. આ લિસાવેતાને બારીએ બેઠેલી હેર્માન જોઈ જાય છે અને લિસાવેતા પણ સતત પોતાને તાકી રહેલા હેર્માન તરફ ખેંચાય છે. પત્રવ્યવહારોને અંતે હેર્માન લિસાવેતાને મળવા મજબૂર કરે છે, ઉમરાવદીદીની ગેરહાજરીમાં મળવાનું ગોઠવાય છે. લિસાવેતા એને મકાનનો નકશો અને એના ખંડનું સ્થાન પત્ર મારફતે સમજાવે છે. તકનો લાભ લઈને હેર્માન આવે છે પણ લિસાવેતાના ખંડમાં ન જતાં ઉમરાવદાદીના ખંડમાં છુપાય છે. પાર્ટીમાંથી રાત્રે પાછી ફરીને આવેલી ઉમરાવદાદી પાસે હેર્માન પત્તાની કરામત જાણવાનો પિસ્તોલની અણીએ આગ્રહ રાખે છે એમાં ઉમરાવ દાદીનું મૃત્યુ થાય છે. &lt;br /&gt;
આ પછી રાહ જોતી લિસાવેતાના ખંડમાં પહોંચીને હેર્માન બધી વાત સ્પષ્ટ કરે છે. લિસાવેતાને આઘાત લાગે છે એને ખબર પડે છે કે એને ચાહવાનું તો હેર્મોનનું માત્ર નાટક હતું. એનો ઈરાદો મકાનમાં પેસવાનો અને કરામત જાણી પૈસા કમાવાનો હતો. આ બાજુ હેર્માનની અપરાધવૃત્તિ એને કોરી ખાય છે. એ ઉમરાવદાદીની અંતિમક્રિયામાંથી ઘેર પાછો ફરે છે ત્યારે રાત્રે ઉમરાવ દાદી એને દેખા દે છે અને તીરી, સત્તો અને એક્કો એમ ત્રણ પાનાનું રહસ્ય છતું કરે છે અને એની પાસે વચન લે છે કે એ લિસાવેતાને પરણશે. હેર્મોનની પીડા ઓછી નથી. આ ત્રણ પાનાના સંદર્ભો એને ચારેબાજુથી ઘેરી લે છે. છેવટે એ જુગાર રમવા જાય છે અને બે બાજી જીતી છેલ્લી બાજી વખતે ભૂલમાં એક્કાને બદલે કાળીની રાણીને ખોલી બેસે છે એને લાગે છે કે કાળીની રાણીના પત્તામાંથી ઉમરાવ દાદી એની સામે ઝીણી આંખે હસી રહી છે. &lt;br /&gt;
છ ભાગમાં વિસ્તરેલી આ લઘુનવલમાં હેર્માનનો અપરાધ ઊડીને આંખે વળગે એવો છે. લિસાવેતા સાથે એણે કરેલી છેતરપીંડી અને ભય પ્રસારીને મૃત્યુ તરફ ધકેલેલી ઉમરાવદાદી હેર્માનનો પીછો કરે છે. હેર્માનની આંતરિક પીડાને પુશ્કિન વાચાળ બન્યા વગર ચમત્કારી ઘટનાઓ સર્જીને વ્યક્ત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૮&lt;br /&gt;
|next = ૨૧૦&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AE&amp;diff=60924</id>
		<title>રચનાવલી/૨૦૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AE&amp;diff=60924"/>
		<updated>2023-05-09T11:58:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૮. ક્રોસ પર્પસ (આલ્બેર કામૂ)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધુનિકતાવાદની બોલબાલા વખતે લોકો રિલ્કે અને બૉદલેરની સાથે કાફકા, સાર્ત્ર અને કામૂના નામ દરેક સાહિત્યપ્રેમીની જીભે હતાં. આમ તો ફ્રાન્સના આધુનિક તખ્તા ઉપર ત્રણ મોટાં નામ છે : આન્દ્રે, મારો, ઝાં પૉલ સાલ્શે અને આલ્બેર કામૂ પણ એમાં સૌથી સમર્થ કામૂ, આધુનિક જીવનની ધસારાબંધ પ્રવૃત્તિની અર્થહીનતાને અને ઈશ્વર વગરના જગતમાં પડકારનારું કોઈ તત્ત્વ ન રહેતા બધું જ સ્વીકારપાત્ર બને કે કેમ એની સમસ્યાને કામૂએ બરાબર ઉપસાવી. ગ્રીક સિસિફસના પાત્રને અભિશાપ હતો કે એણે પર્વત પર પથ્થર ચઢાવવાનો અને પર્વતની ટોચે જઈ પથ્થર ગબડાવવાનો. ફરી નીચે આવી એ પથ્થર ટોચ પર લઈ જવાનો અને ફરી ગબડાવવાનો. આ નિરર્થક ક્રિયા એણે જિંદગીભર કર્યે જ રાખવાની. આલ્બેર કામૂએ સિસિફસના અભિશપ્ત પાત્રમાં સુખ મૂક્યું અને બતાવ્યું કે દરેકે સિસિફસ બનવાનું છે અને સાથે સાથે સુખી થવાનું છે. નિરર્થકતા સાથે સુખ અને દંભને જોડનાર કામૂએ ઈશ્વર વગરના જગતમાં મનુષ્યના અન્ય મનુષ્ય સાથેના સંબંધને બહુ મોટું વજન આપ્યું. કામૂએ ઠસાવ્યું કે એક મનુષ્યના સંબંધમાં જ બીજો મનુષ્ય ગુનો કરે છે. &lt;br /&gt;
કામૂની નવલકથાઓમાં, નિબંધોમાં, નાટકોમાં આ જ ફિલસૂફી ધબકે છે. મનુષ્યના અન્તઃકરણની આવી સમસ્યાઓ પર પ્રકાશ પાડતાં એનાં લખાણોને લક્ષ્યમાં રાખી આલ્બેર કામૂને ૧૯૫૭નું સાહિત્યનું નૉબેલ ઈનામ આપવામાં આવેલું. પણ ઇનામ મળ્યાના ત્રીજા જ વર્ષે કામૂ મોટર અકસ્માતમાં મૃત્યુ પામે છે. માત્ર ૪૭ વર્ષની આયુમાં કામુએ જે કીર્તિ મેળવેલી એનો આધાર એનાં ચાર મહત્ત્વનાં પુસ્તકો પર છે. ‘ધી આઉટ સાઇડર’, ‘ધ પ્લેગ’, ‘ધ ફૉલ’ અને ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘એક્સાઇલ એન્ડ ધ કિંગડમ’ &lt;br /&gt;
‘ધી આઉટ સાઇડર’માં કામૂએ સમાજ વચ્ચે અજાણ્યા બની જતાં આધુનિક માણસની વાતને એની પૂરેપૂરી નિરર્થકતા વચ્ચે મૂકી આપી છે. અકસ્માતે સ્વબચાવમાં ખૂન કરનાર નાયકને મહાગુનેગાર ઠેરવવાનો ઉપહાસાત્મક પ્રયત્ન આઘાત આપે તેવો છે. તો ધ પ્લેગમાં જર્મન નાત્સીઓએ ફ્રાન્સને પોતાની એડી નીચે થોડો વખત માટે કચડેલું એની રૂપકકથા કરેલી છે. ઊંદરો જેવા નાત્સીઓએ મહારોગ ફેલાવીને પોતાના કબજા હેઠળના યુરોપને વિખૂટું પાડી દીધું હતું, એના અણસાર આ કથામાં પથરાયેલા પડેલા છે. ‘ધ ફૉલ’માં મનુષ્યની ગુનાહિત વૃત્તિ અને એની સ્વતંત્રતાનો સંઘર્ષ મૂક્યો છે. ટૂંકી વાર્તાના સંગ્રહમાં ‘ધર્મપરિત્યાગી’ (ધ રેનિગેડ) સૌથી પ્રભાવક વાર્તા છે. આ ઉપરાંત કામૂએ નાટકો પણ લખ્યાં છે એમાં ‘આંધળે બહેરું’ (ક્રોસ-પર્પસ) નાટક જોઈએ. એનું ગુજરાતીમાં કદાચ સુરેશ જોષીએ આ નાટકનું ભાષાંતર પણ કર્યું છે. &lt;br /&gt;
‘આંધળે બહેરું’માં રજૂ થયેલું નાટકનું કથાનક કદાચ કામૂને જૂના સમાચાર પત્રમાંથી મળ્યું હોય કારણ આ નાટ્યવસ્તુનો ઉલ્લેખ કામૂને ‘ધ આઉટ સાઇડર’ના નાયક મુરસોલ પાસે કરાવ્યો છે. મુરસોલ ચટાઈની નીચેથી એક જૂનું સમાચાર પત્ર કાઢે છે અને એમાં એક ખૂનકથા છપાયેલી વાંચે છે. એનો કેટલોક ભાગ જડતો નથી પણ મુરસોલને લાગે છે કે એ ઝેકોસ્લાવકિયાના કોઈ ગામમાં બનેલો બનાવ છે. &lt;br /&gt;
મુરસોલે ઉલ્લેખેલી આ જ વાતને કામૂએ ‘આંધળે બહેરું’માં ગૂંથી લીધી છે. કોઈ એક ગામમાં રહેતા માણસે વિદેશમાં પોતનું ભાગ્ય અજમાવવા ઘર છોડ્યું અને પછી પચ્ચીસેક વર્ષ બાદ ધન કમાઈને એ પત્ની તથા બાળક સાથે પોતાના દેશમાં પાછો ફરે છે. આ દરમ્યાન એની માતા અને બહેન, એ જે નાનકડા ગામમાં જન્મ્યો હતો ત્યાં એક હૉટલ ચલાવતાં હતાં. નાયકને થયું કે એ માતા અને બહેનોને આશ્ચર્યમાં મૂકી દે. આથી પત્ની અને બાળકને અન્ય જગ્યાએ છોડીને એ માતાની હૉટલ પર આવે છે. ખોટે નામે રૂમ નોંધાવે છે. માતા અને બહેન એને સહેજ પણ ઓળખી શકતી નથી જમતી વેળાએ પોતાની પાસે મોટી રકમ છે એવું વાતવાતમાં જાહેર કરે છે. આ કારણે રાતને સમયે માતા અને બહેન મળીને આગન્તુકનું કાસળ કાઢી નાંખે છે. એની પાસેના પૈસા લઈને મૃત શરીરને નદીમાં હડસેલી દે છે. બીજે દિવસે સવારે એની પત્ની આવે છે અને એકદમ ઓળખ આપી દે છે. આઘાતથી માતા લટકી પડે છે અને બહેન કૂવો કરે છે.&lt;br /&gt;
નાટકમાં ભેજિયા અંધકારભર્યા પ્રદેશમાંથી ઉજાસવાળા પ્રદેશમાં જવાની માતા અને બહેનની મહત્ત્વકાંક્ષાની પડછે નાટ્યવસ્તુને ગતિશીલ રીતે લેખકે ઉઘાડ્યું છે. બન્નેના ઇરાદા અહીં જે ટકરાય છે અને અજાણતા જે હત્યાનું પાપ થાય છે એની નિરર્થકતા કામૂએ કેન્દ્રમાં રાખી છે. મનુષ્યનું અન્ય મનુષ્ય સંદર્ભે પાપ એ એની કઠિન સમસ્યા છે, અને એવી કઠિન સમસ્યાનું આ નાટક છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૭&lt;br /&gt;
|next = ૨૦૯&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AD&amp;diff=60923</id>
		<title>રચનાવલી/૨૦૭</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AD&amp;diff=60923"/>
		<updated>2023-05-09T11:57:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૭. માદામ બૉવરી (ગુસ્તાવ ફ્લોબેર)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધુનિક નવલકથાનો પ્રણેતા કોણ? પદ્યની જેમ ગદ્યની શક્તિનો પહેલો દૃષ્ટા કોણ? ગદ્યનો સમર્થ સ્વામી કોણ? ગદ્યને પદ્ય જેવું લયાત્મક અને વિજ્ઞાનની ભાષા જેવું નિશ્ચિત બનાવનાર પહેલો સાહસિક કોણ? જગતની વીગતે વીગત ચીતરે ને તોયે કાવ્યાત્મક રહે એવો પહેલો રોમેન્ટિક કોણ? સાહિત્યની સાચી નિસ્બત સાહિત્ય પોતે જ છે એવું પહેલીવાર માનનાર અને મનાવનાર કોણ?— આ બધાનો એક જ જવાબ છે અને તે છે જગપ્રસિદ્ધ નવલકથા ‘માદામ બૉવરી&#039;નો સર્જક ગુસ્તાવ ફ્લોબેર. &lt;br /&gt;
ફ્રાન્સના એમાં ૧૮૨૧માં ડૉક્ટર પિતાને ત્યાં ચોથા સંતાન તરીકે એનો જન્મ. ખૂબ વાંચનારો પણ બેળે બેબે ઇચ્છા વિરુદ્ધ કાયદાના અભ્યાસમાં પેરિસ ખાતે આગળ તો વધ્યો પણ વિક્તર હ્યુગો, લૂઈઝ કોલેત જેવા મિત્રવર્તુળને કારણે એનું લેખનનું કાર્ય વધુ પ્રોત્સાહિત થયું. ૧૮૪૫માં અપસ્મારનો ભોગ બનતાં જીવન તરફની દૃષ્ટિ બદલાઈ ગઈ. લૉબેર બે સ્ત્રીઓના સંપર્કમાં આવ્યો. એમાં એલિસા ગ્લેમિન્ગર મોટી ઉંમરની હતી અને એ પ્રેમ લગભગ અશારીરિક રહ્યો, ત્યારે લૂઈઝ કોલેતને ફૂલોબેરનું પ્રબળ આકર્ષણ હોવા છતાં કૉલેતને અવગણીને લગભગ લૉબરે હૂંફાળો ઓરડો, નિરાંત અને જોઈતાં પુસ્તકોને પસંદ કરેલાં આવા એકાન્તમાંથી અને લેખનના સતત મહાવરાથી લૉબેરે ‘માદામ બૉવરીનું સર્જન કર્યું છે. પોતાનાં સ્વપ્નો તેમજ આદર્શો અને વાસ્તવિક જગત વચ્ચેના સંઘર્ષને જે જીરવી શકતા નથી તે હતાશા અને દુ:ખને ભેટે છે. ફ્લૉબેરે પણ એવી નાયિકાની કલ્પના કરી છે જે પોતાની કલ્પનાના જગતને જીવવા માટે વાસ્તવિક જગતને ચાતરીને ચાલવા જાય છે અને કરુણ અંજામનો ભોગ બને છે. &lt;br /&gt;
કથા આ પ્રકારે છે. આ મધ્યમવર્ગીય કુટુંબનું ફરજંદ શાર્ક બાવરી ડૉક્ટર બને છે. અને એક તોસ્તે નામના ગામમાં પોતાની ડૉક્ટરી શરૂ કરે છે. પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે માને કારણે એ પરણે છે પણ પત્ની મૃત્યુ પામે છે. વિધુર શાર્લ બાવરી એક દર્દીની દીકરી એમ્મા સાથે પરિચયમાં આવે છે અને એની સાથે લગ્ન કરે છે. એમ્મા શરૂમાં આ લગ્નથી ખૂબ રાજી છે પણ એના કેટલાક છીછરા રૉમેન્ટિક ખ્યાલોને કારણે એની જિંદગ્ધ નીરસ લાગવા માંડે છે. નવી જિંદગી અંગેનો એનો ભ્રમ ભાંગી જાય છે. &lt;br /&gt;
એમ્માના સુખ માટે ડૉક્ટર ધીખતી ડૉક્ટરી છોડી તોસ્તેથી મોટા કસબા યોંવિલમાં વસે છે, ત્યાં એમ્માને દીકરીનો જન્મ થાય છે આમ છતાં એમ્માનું અસુખ ચાલુ રહે છે. આ દરમ્યાન એમ્માની લિયો તરફની રૉમેન્ટિક ઝંખના વધી જાય છે પણ લિયો કાયદાનો અભ્યાસ કરવા નગર છોડી જાય છે તેથી એમ્માના કંટાળો અને હતાશા ઔર વધી જાય છે. એમ્મા ફરજનું ભાન ગુમાવતી જાય છે પત્ની અને માતા તરીકેની ફરજ નિભાવી શકતી નથી. શાર્લ બૉવરીની એને સુખી કરવાની બધી જ મથામણ એળે જાય છે. ન તો એને પતિના પ્રેમનું મૂલ્ય છે, ન તો પતિના એ સમર્પિત પ્રેમને એ સમજી શકે છે. &lt;br /&gt;
છેવટે એમ્માને રોદોલ્ફ સાથે સંબંધ બંધાય છે. એ એક સ્થાનિક જમીનદાર છે. પણ એમ્માનો ઉપયોગ કરી રોદોલ્ફ પણ એમ્માને છોડી દે છે. એમ્મા ભયંકર માંદી પડે છે. સાજા થયા પછી એમ્મા ફરી અકસ્માતે લિયોં સાથે સંકળાય છે. લિયો સાથે એશ કરવામાં એ પૈસા વેડફતી જાય છે અને દેવાદાર બનતી આવે છે. ટાંચ આવતી અટકાવવા ડૉક્ટરની જાણબહાર એ રોદોલ્ફ અને લિયોનો પૈસા માટે સંપર્ક કરે છે પણ બંને પૈસા આપવા માટે નનૈયો ભણે છે. છેવટે શરમ અને દુઃખની મારી એમ્મા ઝેર લે છે. આ પછી ડૉક્ટર એમ્મા તરફના પ્રેમને કારણે એનાં સ્મૃતિચિન્હો વચ્ચે ટકી રહેવા પ્રયત્ન કરે છે, પણ પાછળથી રોદોલ્ફના મળી આવેલા પત્ર દ્વારા ડૉક્ટરને એમ્માની બેવફાઈની ખબર પડે છે. ભાંગી પડેલો ડૉક્ટર પોતાની એકની એક દીકરીને ગરીબાઈમાં સબડતી મૂકીને મૃત્યુ પામે છે.&lt;br /&gt;
આ નવલકથા ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગમાં નવ, બીજા વિભાગમાં પંદર અને ત્રીજા વિભાગમાં અગિયાર એમ કુલ પાંત્રીસ પ્રકરણોમાં પથરાયેલી આ નવલકથા એની કથા કરતાં કથાની માવજતને કારણે ઉત્તમ ગણાયેલી છે. એમાં વીગતો એટલી બધી હૂબહૂ લાગે છે, રજૂઆત એટલી તટસ્થ થઈ છે અને ભાષા-શૈલી એટલી બધી કાળજીપૂર્વક ઘડાયેલી છે કે ધારી અસર ઊભી કરી શકે છે. આ નવલકથાને અનૈતિક અને અધાર્મિક ગણીને એની પર એના જમાનામાં પ્રતિબંધ મુકાયેલો. ફ્લોબેર અને ફલૉબેરની નવલકથાના પ્રકાશક પર કેસ પણ મંડાયેલો, પણ ફલૉબેરનો વિજય થયો હતો.&lt;br /&gt;
આ વિજય નવલકથામાં આવતાં ઊંડા માનવીય સંવેદનોને આભારી છે. એમાં માનવમૂઢતાનો અને માનવમનના રોગનો અભ્યાસ પડેલો છે. &lt;br /&gt;
આજે જગતની નવલકથાઓમાં માદામ બૉવરી’નું અનેરું સ્થાન છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૬&lt;br /&gt;
|next = ૨૦૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AC&amp;diff=60922</id>
		<title>રચનાવલી/૨૦૬</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AC&amp;diff=60922"/>
		<updated>2023-05-09T11:56:38Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૬. બાળક (વિક્ટર હ્યુગો)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ફ્રેંચ કવિ બૉદલેરનું એક કાવ્ય છે : ‘આ જગતની બહાર ક્યાંય પણ’ આ કાવ્યમાં કવિ મન સાથે વાત કરે છે. મન નારાજ છે. એને ગોઠતું નથી. તો કવિ કહે છે કે ચાલ તને લિસ્બન લઈ જાઉં એ હુંફાળો પ્રદેશ છે. પણ મન કોઈ જવાબ આપતું નથી. કવિ આગળ પૂછે છે કે તો પછી તને રોટરદમ ગમે કે નહિ? મન મૂંગુ રહે છે કવિ હિંમત કરી વધુ આગળ પૂછે છે કે કદાચ તને બાટેવિયા ગમશે. મન એક હરફ ઉચ્ચારતું નથી. કવિ હવે સાહસ કરે છે. કહે છે આપણે ટોર્નિયો માટે આપણા બિસ્તરા ઉપાડીએ. અરે તેથી પણ આગળ જઈએ બાલ્ટિકના છેક છેડે જઈએ અને મન મોટેથી બરાડે છે ક્યાંય પણ આ જગતની બહાર ક્યાંય પણ.&#039; બૉદલેરના આ કાવ્યમાં મનની જવાબ ‘આ જગતની બહાર ક્યાંય પણ&#039; ઓચિંતો વિસ્ફોટની જેમ આવે છે. બૉદલેરના આ કાવ્યમાં ધીમે ધીમે પરાકાષ્ઠાએ લઈ જઈ આઘાત આપવાની તરકીબ છે. એના મૂળની તો જ્યારે બૉદલેરની પૂર્વે થઈ ગયેલા ફ્રેંચ કવિ વિક્તૉર હ્યુગોનું એક કાવ્ય ‘બાળક’ વાંચો ત્યારે ખબર પડે. વિક્તૉર હ્યુગોએ પણ ‘બાળક’ કાવ્યમાં ધીમે ધીમે આગળ વધતી વાતને પરાકાષ્ઠાએ પહોંચાડીને આઘાત આપ્યો છે. આવું કાવ્ય પૂરું થયા પછી દિવસોના દિવસો સુધી મનમાં આગળ વધ્યા કરે છે. &lt;br /&gt;
‘બાળક’ કાવ્ય વિસ્તાર હ્યુગોનો ‘પૂર્વનાં કાવ્યો&amp;quot; નામે એક કાવ્યસંગ્રહ છે, એમાં પડેલું છે. ૧૮૩૦માં તુર્કીઓથી ગ્રીક લોકોને આઝાદી મળી. પરંતુ ૧૮૨૧માં તુર્કીઓ સામે ગ્રીકલોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલેલો અને તુર્કીઓ દ્વારા જે ચારેબાજુ ભયાનક વિનાશ વેરાયેલો એની ભૂમિકા લઈને આ કાવ્ય ચાલે છે. યુદ્ધનો કે હિંસાનો પ્રભાવ બાળમાનસ પર કેવો પડે છે એનું એ જબરદસ્ત ઉદાહરણ છે. આજે આપણી આસપાસ રાજકારણની ગુંડાગીરી અને એનું અપરાધીકરણ જે રીતે ફૂલ્યાં ફાલ્યાં છે અને આજની ફિલ્મો જે રીતે સેન્સર બૉર્ડમાંથી પસાર થઈને હિંસા અને અત્યાચારના ભયંકર કાલ્પનિક દૃશ્યો સાથે મારફાડ કરતી રજૂ થઈ રહી છે એની વચ્ચે ઊછરતી ઊગતી નિર્દોષ બાલપેઢીને વર્તમાન જગત શો વારસો આપશે એની ઊંડી ચિંતામાં લઈ જાય એવું વિક્તોર હ્યુગોનું કાવ્ય છે. &lt;br /&gt;
તુર્કીઓ ચારેબાજુ તારાજી વેરીને પસાર થઈ ગયા છે. એ દૃશ્ય સાથે કાવ્ય ઊઘડે છે. ગ્રીસનો કોઈ કિઓસ ટાપુ છે. એનો ઉદાસ રેતીકાંઠો છે. આસપાસની ઝાડી એમાં પડછાયાઓ પાડી રહી છે. આ એ જ ટાપુ છે જેમાં હરિયાળા પર્વતો, મહેલો અને મહેલોમાં દર રાત્રિએ થતા જલસાઓ પહેલાં પ્રતિબિંબિત થયા હતા. &lt;br /&gt;
આજે ટાપુ સાવ નિર્જન છે. ના, કાળી પડેલી દીવાલોને અઢેલીને એક ભૂરી આંખવાળું બાળક બેઠું છે. નાનું ગ્રીકબાળક. એનું મોં નીચું ઢળી ગયું છે. બાળકના આશ્રયરૂપે એક કાંટાળું ઝાડ ઊભું છે, ભયાનક તબાહીની વચ્ચે બાળકની જેમ જ ભુલાયેલું. &lt;br /&gt;
આ બાજુ બિચારું ઉઘાડપગું બાળક અને બીજી બાજુ તીણા ખડકો છે. એની આંખમાંથી આંસુ લ્હોવા માટે સમુદ્ર, અને આકાશમાંથી ફરીવાર કોઈ પ્રકાશનો ઉલ્લાસ એના પર પડે એનું માથું ઊંચકાય. &lt;br /&gt;
કવિ પૂછે છે બાળક તને શું જોઈએ છે? એવું તે તને હું શું આપું જે તને ફરી રમતોજમતો કરી દે, ફરી તને આનંદથી કિલ્લોલતો કરી મૂકે. તારા વિખરાયેલા વાળને ફરી ઠીક કરી દે હું તને શું આપું કે તારું દુઃખ છેદાઈ જાય? તારી આંખ જેવાં તને નીલકમલ જોઈએ છે? બહુ ઊંચા ઝાડનું મજાનું ફળ તને જોઈએ છે? જંગલનું પંખી આવે અને તને હસતું કરી જાય એમ તું ઇચ્છે છે? તને શું જોઈએ છે? ફળ, ફૂલ, એકદમ, સુંદર પંખી? &lt;br /&gt;
અને.. ભૂરી આંખોવાળું ગ્રીકબાળક બોલી ઊઠે છે : મને ગન પાવડર અને ગોળી જોઈએ છે. &lt;br /&gt;
વિક્ટોર હ્યુગોએ ‘બાળક’ શીર્ષક આપીને મોટો વિરોધાભાસ ઊભો કર્યો છે. બાળકની નિર્દોષતા છીનવી લેવી, એના જેવો મોટો અપરાધ કોઈ પણ સમાજનો બીજો કયો હોઈ શકે? ફલ, ફૂળ અને સુંદર પંખીમાં આનંદ લેવાની વયે બાળક ગન પાવડર અને ગોળી માગે એમાં કાવ્યમાં સતત મૂંગા રહેલા બાળકનો ભયાનક વિસ્ફોટ છે. ભૂતકાળ અને વર્તમાનમાં તો માનવજાતે વિનાશ વેર્યો છે પણ માનવજાતે ભવિષ્યમાં પણ વિનાશ વેરી દીધો છે, એના પરનો વ્યંગ અહીં પૂરેપૂરો પામી શકાય છે. &lt;br /&gt;
૧૮મી સદીના અંતમાં જન્મેલ લામાર્તિન, નેર્વલ જેવા ફ્રેન્ચ રોમેન્ટિક કવિઓમાં વિક્તૉર હ્યુગોનું સ્થાન છે. વિક્તોર હ્યુગોને આમ તો એમની જગવિખ્યાત નવલકથા ‘લે મિઝરેબ્લ’થી લોકો ઓળખે છે પણ કવિ તરીકે પણ વિક્તૉર હ્યુગોનું સ્થાન જરાયે ઊતરતું નથી, એવું ‘બાળક’ જેવા કાવ્યને જોતાં લાગ્યા વગર રહે નહીં. હ્યુગોએ સેંકડો કાવ્યો લખ્યાં છે. બાળકો માટેનો પ્રેમ એનો હંમેશા વ્યક્ત થતો રહ્યો છે. અહીં ‘બાળક’ કાવ્યમાં પણ તુર્કી સામેના ગ્રીક સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો પ્રસંગ લઈને અને એ પ્રસંગ વચ્ચે બાળકને મૂકીને સમાજની માંદગી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીં કાવ્ય બાળક માટેનું છે, પણ સંદેશો સમાજ માટેનો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૫&lt;br /&gt;
|next = ૨૦૭&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AB&amp;diff=60921</id>
		<title>રચનાવલી/૨૦૫</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AB&amp;diff=60921"/>
		<updated>2023-05-09T11:56:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૫. વૉલ્તેરની કથાઓ   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘જો ઈશ્વર હયાતી ન ધરાવતો હોય તો એને ક્યાંકથી ઊભો કરવો જોઈએ’; ‘તમે જે કહો છો એની સાથે હું સંમત નથી પણ તમારા એ કહેવાના અધિકારનો હું મરીને પણ બચાવ કરું’, ‘કલમનો ઉપયોગ કરો અને યુદ્ધ શરૂ કરો&amp;quot;— આ પ્રસિદ્ધ ઉક્તિઓ બીજા કોઈની નથી પણ આન્દ્રે મારો જેને ફ્રાન્સનો આધ્યાત્મિક પિતા’ કહે છે એ ફ્રેન્ચ ફિસૂફ, ઇતિહાસકાર, નિબંધકાર, કથાકાર વૉલ્તેરની છે. આ વૉલ્તેરને ફ્રાન્સના ક્રાન્તિવીરોએ પાછળથી પોતાનો નાયક જાહેર કરેલો, કારણ વિચારોના સ્વાતંત્ર્ય માટે અને માનવ અધિકાર માટે વૉલ્તેર છેવટ સુધી એક સક્રિય બુદ્ધિજીવી તરીકે ઝઝૂમતો રહેલો. &lt;br /&gt;
આખી જિંદગી પોતાની મુક્ત બૌદ્ધિક ચેતના સાથે વૉલ્તેર સંસ્થાઓને, નિયમોના માળખાંઓને, રાજ્યોના સત્તાધીશોને તિરસ્કારતો રહેલો. ચર્ચ સાથે, સરકાર સાથે, કાયદા સાથે અને એ જમાનાના સ્થાપિત બુદ્ધિજીવીઓ સાથે એકસરખો એનો સંઘર્ષ ચાલુ રહેલો. વક્રતા, સંક્ષેપ અને વિશેષ પ્રકારના તરંગિત તર્કથી એનાં લખાણો, લાલિત્ય, જાળવીને પણ આઘાતજનક રીતે કઠોર બની શકતાં. પાદરીઓ વિશે એ ત્રાટકીને લખે છે : ‘એ વર્ણસંકર ઓલાદો છે. ઈશ્વરનાં હજારો રૂપ ઉત્પાદિત કરે છે. ઈશ્વરને ખાય છે, ઈશ્વરને પીએ છે. ઈશ્વરને મૂતરે છે અને ઈશ્વરને હંગે છે’ આમ વૉલ્તરે આખી જિંદગી દુશ્મનો ઊભા કર્યા કર્યા. &lt;br /&gt;
વૉલ્તેર અપૂર્વ યુરોપીય પરંપરાનો પાયો નાંખ્યો. વૉલ્તરની ચેતના જ હ્યુગો અને ઝોલા મારફતે છેક સાર્ત્ર અને કામૂ સુધી પમાય છે. વૉલ્તરે બતાવ્યું કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની જેમ નીતિમત્તાનો નિયમ પણ વિશ્વમાં બધે જ લાગુ પડે છે. સારાં કર્મ, બરાબર લીધેલો નિર્ણય અને સાચું કૃત્ય, એ સફરજનના પડવા જેટલું જ અફર છે. અલબત્ત વૉલ્તરે એ બતાવ્યું નથી કે લડાઈ કેવી રીતે જીતી શકાય પણ એણે એ ચોક્કસ બતાવ્યું છે કે લડાઈનું મેદાન કર્યું છે એને મતે સભ્યતાના બે મોટા અભિશાપ છે અને તે છે : કટ્ટર જાતિવાદ અને કટ્ટર વર્ગવાદ, વોલ્તેરના ચાલી ગયાને બસો વર્ષ વીતી ગયાં તેમ છતાં વૉલ્તેરની વાત હજી પણ એટલી જ સાચી છે. આજે પણ નરસંહાર થાય છે, મૃત્યુદંડના ફતવાઓ બહાર પડે છે, રંગભેદને નામે સફાયા છે, જાતિદ્વેષથી લૂંટફાટ વિફરે છે. વૉલ્તેરનો આ બધા પરનો વ્યંગપૂર્ણ વિષાદ ભૂલાઈ એવો નથી. &lt;br /&gt;
વૉલ્તેરની સાહિત્યિક પ્રતિભામાં કવિની કપોલવૃત્તિ છે તો વકીલની દલીલ કરવાની આવડત પણ છે. એ એને એના સફળ વકીલ પિતા ફ્રાન્સવા આરુએના સંસ્કારરૂપે મળેલી છે. ઈ.સ. ૧૯૭૪માં જન્મેલો વૉલ્તેર કાયદાના અભ્યાસ બાદ ઈ.સ. ૧૭૧૭માં કૉર્ટના અપમાન બદલ જેલમાં જાય છે અને ત્યાંથી પદ્યમાં કરુણાન્તિકા લખીને બહાર આવી પોતાનું નામ કમાય છે. પછીના દાયકામાં ફ્રાન્સમાં વૉલ્તેરની કીર્તિ ટોચે પહોંચે છે. ૧૦૨૬માં એક ઉમરાવને હાથે માર ખાતા વૉલ્તેર ગાંઠ બાંધે છે કે બદ્ધિજીવીએ અન્ય શસ્ત્રો દ્વારા સામનો કરવો જોઈએ. આનો આઘાત વૉલ્તેરની જિંદગીના માર્ગને બદલી નાખે છે. &lt;br /&gt;
વૉલ્તેર પ્રવાસો શરૂ કરે છે. એનું મોટા ભાગનું જીવન ફ્રાન્સની બહાર ઇંગ્લૅન્ડ, હોલેન્ડ, સ્વિટઝર્લેન્ડ, જર્મનીમાં વીત્યું પણ ફ્રાન્સમાં એની હાજરી ધબકતી રહે છે. જીવનના છેલ્લા મહિનાઓમાં એ ફ્રાન્સ પાછો ફરે છે. મૃત્યુશૈય્યા પર પાદરી એના શયતાનને છોડી દેવાનું કહેતાં વૉલ્તેર જવાબ આપે છે : ‘આ નવા દુશ્મનો ઊભા કરવાનો સમય નથી.’ ૧૭૭૮માં એના દેહને શેમ્પેન વિસ્તારની ગુપ્ત જગામાં દફનાવવામાં આવે છે. પરંતુ ૧૩ વર્ષ બાદ ૧૭૯૧માં ફ્રાન્સની ક્રાન્તિના નાયક તરીકે ફરી એને પેરિસ પૉંતેઓન (જ્યાં પ્રસિદ્ધ ફ્રેન્ચોને દફનાવવામાં આવે છે.)માં દફનાવવામાં આવ્યો. આમ વૉલ્તેરે મર્યા પછી પણ બે વાર વંટોળ ઊભો કર્યો.&lt;br /&gt;
વૉલ્તેરનાં લખાણો ‘ધ વૉલ્તેર ફાઉન્ડેશન’ મારફતે ૧૫૦ ગ્રંથમાં સંઘરવામાં આવ્યાં છે. એમાંથી એની બે કથાઓ ખાસ સંભારવા જેવી છે. ‘સફેદ સાંઢ&#039; (૧૭૩૩)માં એની અન્ય કથાઓની માફક ધર્માંધો આવે છે, રઝળપાટો આવે છે અને સાચું બોલતાં પ્રાણીઓ આવે છે. અહીં રૂપાળી રાજકુંવરી આમાસિદા એક મોટામસ સાંઢના પ્રેમમાં પડે છે. ધર્મપુરોહિતો બંને પર સજા ફટકારે છે પણ કુંવરી પોતાને અને સાંઢને બચાવવામાં સફળ થાય છે. આ કથામાં રાજકુંવરીના સહાયક તરીકે ફિલસૂફ મામ્બ્રેનું પાત્ર આવે છે એ વૉલ્તેરનું પોતાનું જ ઠઠ્ઠાચિત્ર છે. મામ્બ્રે કુંવરી અને સાંઢને આવી પડતી આફતોમાંથી બચાવે છે અને સાંઢ એક રૂપાળા રાજકુંવરમાં પલ્ટાઈ જાય છે એ જુએ છે. આ ફેરફાર મામ્બુ સિવાય બધાને નવાઈ પમાડે છે. મામ્બ્રે એના મહેલમાં પાછો ફરે છે અને બની ગયેલી ઘટનાઓ પર વિચારે છે ત્યાં બહારથી લોકો ‘રાજા ઘણું જીવો’, ‘રાજા હવે મૂંગા નથી’—ના નારાઓ લગાવે છે. &lt;br /&gt;
આ કથામાં જેમ ધાર્મિક અસહિષ્ણુતાની વાત છે તેમ એની બીજી કથા ‘નિખાલસ’ (‘કાંદિદ. ૧૭૫૯’)માં પણ અન્યાય, રોગચાળો, અજ્ઞાનતા, ક્રૂરતાની સાથે ધાર્મિક ઝનૂનને વૉલ્તરે વ્યક્ત કર્યું છે ‘કાંદિદ’ વૉલ્તરની સમર્થ કૃતિ ગણાય છે જેમાં એનાં બધાં જ સાહસોનો સાર સમાયેલો છે. કાંદિદ એક યુવાન છે, એના ચહેરા પર એનો આત્મા દેખાય એવો એ નિખાલસ છે. કાંદિદ જર્મની, પોર્ટુગલ, ઇંગ્લેન્ડ, ઓલ્ડોરાડો, કોન્સ્ટેન્ટિનોપલ, ઈટલી, વગેરે સ્થળોએ પ્રવાસ કરે છે અને યાતનાઓનો સામનો કરે છે તેમજ જીવનની ભયંકરતાનો સાક્ષી બને છે, એમાં લિસ્બનનો ધરતીકંપ, સ્પેનની અદાલતી તપાસ, જર્મનયુદ્ધો, ઈંગ્લૅન્ડમાં તૂતક પર મારી નંખાતો નૌકાધિકારી જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ આવે છે. કાંદિદના આ પ્રવાસમાં એની સાથે આશાવાદી પોંગ્લાસ અને નિરાશાવાદી માર્તિ છે. આ બે સાથે કાંદિદનો સંવાદ ચાલતો રહે છે. એક સ્થળે કાંદિદ પૂછે છે ‘પણ આ જગત કયા હેતુ માટે રચાયું છે?’ તો જવાબમાં માર્તિ કહે છે ‘આપણને પાગલ કરવા માટે&amp;quot; એ જ રીતે પોંગ્લાસ થોડો સમય માટે કાંદિદથી અલગ થઈ પાછો મળે છે ત્યારે એનું અડધું ખવાયેલું નાક, જોઈ કાંદિદ એનું કારણ પૂછે છે તો પૉગ્લાસ કાંદિદને સ્ત્રીઓ દ્વારા ફેલાતા ચેપી રોગનો સિલસિલાબંધ ઇતિહાસ કહી સંભળાવે છે. આશાવાદી પૉંગ્લાસ આ રોગ સામે ટકી તો જાય છે પણ આ જીવલેણ ચેપ એ જગતમાં જરૂરી સામગ્રી છે એવું આગ્રહપૂર્વક હસાવવા માટે જીવી જાય છે. વૉલ્તેરનો વ્યંગ અહીં વાંચી શકાય છે. &lt;br /&gt;
બુદ્ધિસ્વાતંત્ર્યનું હાર્દ વ્યંગમાં રહ્યું છે અને વ્યંગમાં બુદ્ધિ અને હાસ્ય બંને વણાયેલાં છે અને વ્યંગ એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે એવું દૃઢપણે જણાવતા વૉલ્તેરે એકમાત્ર મનુષ્ય જ રોઈ શકે છે અને હસી શકે છે એમ કહી મનુષ્યને અન્ય પ્રાણીઓથી અલગ દરજ્જો આપ્યો છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૪&lt;br /&gt;
|next = ૨૦૬&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AA&amp;diff=60920</id>
		<title>રચનાવલી/૨૦૪</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%AA&amp;diff=60920"/>
		<updated>2023-05-09T11:56:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૨૦૪. ફીદ્રા (રેસિન)     |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અંગ્રેજી નાટકકાર શેક્સપિયરને તો ઘણા બધા ઓળખે છે. પણ જાણકારો ફ્રેન્ચ નાટકકાર ઝાં રેસિનને પણ ઓળખે છે. સત્તરમી સદીમાં ફ્રાન્સમાં મોલિયેર સાથે ઝાં રેસિનનું નામ પણ જાણીતું છે. મોલિયેર સુખાન્ત નાટકો લખતો. મનુષ્યને સમાજનું ફરજંદ સમજતો અને સામાજિક પરિસ્થિતિમાંથી ઊભી થતી મનુષ્ય સ્વભાવની અને એની નબળાઈઓની ઠેકડી ઉડાડતો, જ્યારે ઝાં રેસિન દુઃખાન્ત કે કરુણાન્ત નાટકો લખતો. માણસના ઊંડાણમાં રહેલી લાગણીઓ અને સંવેદનાઓના વિરોધોની ભવ્ય ભાષામાં રજૂઆત કરતો. શેક્સપિયરનાં નાટકોની સરખામણીમાં ઝાં રેસિનનાં નાટકો વધારે ચુસ્ત છે અને એમાં સમય, સ્થળ અને મનુષ્યોનાં વર્તનની એક ચોક્કસ પ્રકારની વધુ પાબંદી જોવાય છે. અલબત્ત તેમ છતાં શેક્સપિયર શેક્સપિયર છે અને રેસિન રેસિન છે. &lt;br /&gt;
ફ્રાન્સમાં ૧૬૩૯માં જન્મેલાં રેસિન પેરિસ આવીને કવિ ફોન્તેનના પરિચયમાં આવે છે અને ફોન્તેન અને નાટકો લખવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ એનાં શરૂનાં નાટકો નિષ્ફળ જાય છે. આથી રેસિન કોઈ એકાન્ત જગાએ લાંબા ગાળા માટે જતો રહે છે. ફરી પેરિસ આવીને રાજદરબારમાં સ્થાન મેળવે છે અને નાટકકાર તરીકે એની ચડતી શરૂ થાય છે. રેસિન એ સમયના મોલિયેર અને કોર્નેય જેવા મોખરાના નાટકકારોની પંગતમાં બેસે છે. એ જાહોજલાલીમાં જીવ્યો. વારંવાર પેરિસ આવતો. થોડો સમય એણે લૂઈ ચૌદમા માટે ઇતિહાસકાર તરીકે પણ કામ કર્યું. &lt;br /&gt;
રેસિન ૧૬૯૯માં અવસાન પામ્યો ત્યારે એના નામે બારેક જેટલાં નાટકો ચઢેલાં હતાં. એમાં ગ્રીક નાટકકાર યુરિપિડિઝને અનુસરીને રેસિને ‘ઈજનિયા’ અને ‘ફીદ્રા’ જેવાં બે નાટકો પણ આપ્યાં છે. એમાં ‘ફીદ્રા’ નાટક તો મોલિયેરના હરીફો દ્વારા ચલાવાતા રંગમંચ પર ભજવાયેલું અને ખૂબ સફળ રહેલું. &lt;br /&gt;
રેસિને ‘ફીદ્રા’ નાટક લખવામાં યુરિપિડિઝના ‘હિપોલિટ્સ’ નાટકની મદદ લીધી છે, તો પ્લુતાર્કના થીસૂસ પરના જીવનચરિત્રની પણ મદદ લીધી છે. સાવકા પુત્રના પ્રેમમાં પડતી માતાના પાત્રની આસપાસ વણાયેલા આ નાટકમાં રેસિને માણસના ઊંડા મનનાં દબાણો અને માણસની બુદ્ધિ પરનો કાબૂ - આ બે વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. એક નારી કઈ રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યા વિના અનુચિત પ્રેમમાં પડી, ઇર્ષ્યાથી પ્રપંચો રચી એક કરતાં અનેકનાં મૃત્યુ નોતરે છે અને પશ્ચાત્તાપથી કબૂલાત આપી અંતે પોતાનું પણ મૃત્યુ નોતરે છે, એનું ભયજગત અને કરુણજગત રેસિને હૂબહૂ ખડું કર્યું છે. રેસિનની ખૂબી એ છે કે મૂળ ગ્રીક નાટકમાં પુત્ર કેન્દ્રમાં હતો જ્યારે અહીં માતા કન્દ્રમાં છે. મૂળ નાટકમાં અધવચ્ચે માતા મૃત્યુ પામે છે, જ્યારે અહીં માતા છેવટ સુધી જાત સાથે સંઘર્ષ કરતી રહી છે. મૂળમાં તો એ એકાદ બે દૃશ્યોમાં જ રજૂ થઈ છે; જ્યારે આ નાટક માતાની આસપાસ ફરે છે. રેસિનની સ્ત્રીપાત્રો રજૂ કરવાની ફાવટ હંમેશા વખણાયેલી છે. &lt;br /&gt;
‘ફીદ્રા’ નાટક પાંચ અંકમાં અને ઓગણત્રીસ દૃશ્યોમાં વહેંચાયેલું છે. પહેલા અંકનાં પાંચ દૃશ્યોને બાદ કરતાં બાકીના ચારે ય અંકોમાં છ દૃશ્યો છે અને એમાં ય દરેક અંકમાં એકાદ દશ્ય તો સાવ જ ટચુકડું રજૂ થયું છે. પહેલા અંકમાં પુત્ર હિપોલિટસ શૂરવી૨ પિતા થીસૂસને શોધવા નીકળવાની તૈયારીમાં છે અને પિતાએ એથેન્સ પર કબજો મેળવેલો એ શત્રુની બહેન આરિસિયાના પ્રેમમાં છે. આ બાજુ સાવકી માતા ફીદ્રાને પુત્ર તરફની વાસના પીડી રહી છે. ત્યાં રાજા થીસૂસના મૃત્યુના સમાચાર આવતા લગ્નનું બંધન ન રહ્યું હોવાથી ફીદ્રાને મોકળું મેદાન દેખાય છે. પણ પુત્ર હિપોલિટસનો આરિસિયા તરફનો પ્રેમ એના માર્ગમાં રૂકાવટ છે. બીજા અંકમાં આરિસિયાને શંકા છે કે એની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવશે. થીસૂસે એને કારાગારમાં મૂકી છે પણ હિપોલિટસ એની આગળ પ્રેમનો એકરાર કરે છે : ‘ઓહ કુંવરી હું સમુદ્રમાં ઝંપલાવું કે ઊડવા માટે ઈકરસની પાંખો ચોરી લાવું? પ્રેમ જાણે મિડાસનો સ્પર્શ છે જે મારા જગતને સુવર્ણમાં પલટી રહ્યો છે.’ હિપોલિટસનું આરિસિયા તરફનું આકર્ષણ અપૂર્વ છે. માતા ફીદ્રાનું પુત્ર હિપોલિટસ તરફનું આકર્ષણ વધતું જાય છે પણ હિપોલિટસ એનો અસ્વીકાર કરે છે. &lt;br /&gt;
ત્રીજા અંકમાં થીસૂસ મર્યો નથી, જીવે છે એવા સમાચાર આવે છે અને દાસી ઈનોની ફીદ્રાને વેર લેવા ઉશ્કેરે છે. ચોથા અંકમાં દાસી ઈનોની મારફતે ફીદ્રા હિપોલિટસે પોતા પર બળાત્કાર કર્યો છે એવું આળ ચડાવે છે. પિતા સળગી ઊઠે છે. હિપોલિટસ કહે છે કે જો તમે પુરાવાઓ વગર મને તિરસ્કારવા માગતા હો તો મારે કોઈ બચાવ કરવો નથી. હિપોલિટસ દેશવટે જતાં પહેલાં આરિસિયાને મળીને પતિ-પત્ની તરીકે શપથ લે છે. તિરસ્કારનો તિરસ્કારથી બદલો લેવા જતાં ફીદ્રાને શાણપણ આવે છે અને દાસી ઇનોનીને કાઢી મૂકે છે. દાસી ઈનોની આપઘાત કરે છે. પાંચમાં અંકમાં હિપોલિટસનું એના રથના ઘોડા ખડક સાથે અથડાતા મોત થાય છે. રાણી ફીદ્રા પણ ઝેર લઈને થીસૂસ ઓગળ હિપોલિટસની નિર્દોષતા જાહેર કરે છે. એકલો રહી ગયેલો રાજા થીસૂસ હિપોલિટ્સની અંતિમ ઇચ્છા પ્રમાણે શત્રુની બહેન આરિસિયા તરફનો વર્તાવ બદલીને એનો દીકરી તરીકે સ્વીકાર કરે છે, અને રાજ્યની વારસ જાહેર કરે છે. &lt;br /&gt;
નૈતિક વ્યવહાર અંગેની જવાબદારીનો ઇન્કાર કરતાં એક નારી દ્વારા સર્જાતી પરિવારની દારુણ અને કરુણ કથા રજૂ કરતું આ નાટક જગતનાં કેટલાંક ઉત્તમ નાટકોમાંનું એક છે. ઇર્ષ્યાના આવેગ-ઘેલછાને અનુસરીને મનુષ્ય ચેતનાના અંધારા પ્રદેશોને ઉઘાડવામાં અને તે ય ઉત્તમ કોટિના પઘ દ્વારા ઉઘાડવામાં આ નાટકે એના સમકાલીનોનો ઉગ્ર વિરોધ સહન કર્યો છે. &lt;br /&gt;
૧૭મી સદીની કોર્નેલિયસ યેન્સેનની ધાર્મિક વિચારણાના મહત્ત્વના તંતુઓને રેસિને સ્ત્રી-પુરુષના સંબંધમાં અહીં વણી લીધા છે. યેન્સેન કહે છે પ્રકૃતિથી જ મનુષ્યનું ચિત્ત વિકૃત હોય છે અને શુભને જીરવવા સમર્થ હોતું નથી. ઈશ્વર પ્રીતિ માટેની શક્તિ તો કેળવવી પડે છે. જેને ઈશ્વરકૃપા પ્રાપ્ત થાય છે તે વ્યક્તિને આ શક્તિ મળી રહે છે. ફીદ્રાના પાત્રને વિકૃત અને અશક્ત બતાવ્યા છતાં રેસિને પેન્સનના સૂત્ર મુજબ એને પ્રયત્નપૂર્વક અંતે શુભને વળગતું બતાવ્યું છે. આનો અર્થ એ થયો છે કે નાટકમાં ઉપર ઉપરથી દેખાતા અકલાત્મક વાસ્તવવાદની નીચે એક કલાત્મક સંઘટન પડેલું છે અને એ જ આ નાટકનો ચિરંજીવી અંશ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૩&lt;br /&gt;
|next = ૨૦૫&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A9&amp;diff=60919</id>
		<title>રચનાવલી/૨૦૩</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A9&amp;diff=60919"/>
		<updated>2023-05-09T11:55:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૩. રોશફૂકો   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે ત્યાં પ્રાચીન સાહિત્યમાં સોંસરવા ઊતરી જાય એવાં દૃષ્ટાંતોથી પાણીદાર મોતી જેવાં સુભાષિતોનો તોટો નથી. સંસારનું ડહાપણ અને શાણપણ એમાં સઘન બનીને સ્ફટિકની જેમ ચમકતું હોય છે. સંસ્કૃતમાં તો કહેવાયું છે કે સુભાષિતથી ગીતથી અને યુવતીની લીલાથી જો મન ભેદાઈ ન જાય તો એ પશુ છે અથવા યોગી છે. મધ્યકાળમાં પણ તુલસી, કબીર, રહીમનની સાખીઓ અંધારામાં પડતા પ્રકાશ શેરડાની જેમ આપણી અંદર પ્રવેશી જાય છે, એવી વેધકતા ધરાવે છે. હજી ગઈકાલ સુધી આપણી ગુજરાતી કવિતામાં ચોટદાર મુક્તકો લખવાનો ચાલ ચાલુ હતો. આવાં જ સુભાષિતો, મુક્તકો કે સૂક્તિઓથી તત્કાલીન સમાજને આંચકા આપનાર ફ્રેન્ચ લેખક લા રોશફૂંકો પણ સંભારવા જેવો છે. ફરક એટલો જ છે કે રોશફૂકોની સૂક્તિઓમાં એક પ્રકારની અંગત કડવાશનો સ્વાદ ભરેલો છે. &lt;br /&gt;
૧૬૧૩માં પેરિસમાં જન્મેલા રોશફ્કોને બ્રુકનું બિરુદ મળેલું હતું. શરૂમાં એસૈન્યમાં હતો. યુવાવસ્થામાં હતો ત્યારે એના પરિવારે અને એણે પોતે રાજદરબારમાં સત્તા અને પ્રતિષ્ઠાનો ભરપૂર લાભ લીધો હતો પણ લૂઈ ચૌદમાના અમલમાં ધીમે ધીમે પરિવારની જાહોજલાલી ઓસરતી ગઈ. રાજાની મહેરબાની ઘટતી ગઈ. નિષ્ફળતા અને હારને કારણે રોશફૂકોની રાજકીય અને લશ્કરી કારકિર્દી જોખમમાં આવી પડી. એની કોઠીને જલાવી રાખ કરી દેવામાં આવી. એનો દીકરો લડાઈમાં માર્યો ગયો એને પોતાને પણ લડાઈમાં એવો ઘાવ થયો જેને કારણે એ લગભગ અંધાપામાં જીવ્યો, ગરીબાઈ અને અનેક પ્રેયસીઓની બેવફાઈને કારણે એના માટે જીવનની કોઈ પ્રસન્નતા રહી નહીં. બધી એનો સામાજિક પરિવેશ અને એની કારકિર્દીની કરુણતા જોઈએ છીએ ત્યારે એની સૂક્તિઓમાં રહેલા ડંખનો, એની બધે જ વાંકી ફરતી નજરનો, માણસો પ્રત્યેના એના દ્વેષનો ખુલાસો મળે છે. જાણીતા ફ્રેન્ચ વિવેચક સેન્ત બવ તો રોશફૂકોમાં કટાક્ષપૂર્ણ સ્મિત વેરતો એક માંજેલો માનવદ્વેષી જુએ છે.&lt;br /&gt;
એ વાત સાચી છે કે રોશફૂકો વાંકી ડોકે, કાગડાની નજરે જુએ છે. ચાંચથી ગળફા ગૂંથે છે. પ્રેમ, પ્રતિષ્ઠા, મૈત્રીનું ઘોર પૃથક્કરણ કરે છે. પણ વાસ્તવમાં ઉપર ઉપરથી દેખાતા એના માનવદ્વેષની પાછળ એનો અઢળક માનવપ્રેમ પડેલો છે. જગતને એ સુધારવા નથી નીકળ્યો. એ પ્રચલિત અર્થમાં નીતિવાદી નથી, જે ‘મનુષ્ય પ્રકૃતિ આવી હોવી જોઈએ.’ કહીને આદેશો આપે કે નીતિવચનો ફટકારે. પરંતુ એ જુદા અર્થમાં નીતિવાદી છે. એ ખૂબ ગુંચવાયેલી પરિસ્થિતિઓ પર એકદમ સરલતાથી આંગળી મૂકી દર્શાવે છે કે ‘મનુષ્ય પ્રકૃતિ આવી છે.’ રોશકોએ સૂક્તિઓમાં નથી કોઈ નૈતિક બોધપાઠ મૂક્યો કે નથી કોઈ સીધી શીખામણો દીધી. એની સૂક્તિઓમાં જગતને ખૂબ નજીકથી જોયા પછીની અને સંસારને ખૂબ ઝીણી આંખે તપાસ્યા પછીની કોઈ એક સમજદારીનાં એનાં બુન્દ બંધાયેલાં છે, જે આપણને તત્કાળ આંજી નાંખે છે. &lt;br /&gt;
જેમ કે, રોશફૂકો એમ કહે છે કે, ‘દંભ એ દુર્ગુણે સદ્ગુણને આપેલો ઉપહાર છે.’ ત્યારે દંભી બનીને સારા દેખાવાનો ડોળ કરતો માણસ આપણી સમક્ષ એકદમ પારદર્શક રીતે હાજર થઈ જાય છે. એ જ વાતને જરા જૂદી રીતે રજૂ કરતા રોશફૂંકો લખે છે : ‘આપણાં સુંદર કૃત્યો પરત્વે આપણને શરમાવાનું થાય જો એની પાછળના આશયોને જગત જાણી જાય’ જગતમાં સારાં દેખાઈને સારાં કૃત્યો કરનારાઓના આશયો ચોખ્ખા નથી હોતા એના પર રોશફૂકોનો અહીં આકરો પ્રહાર છે. દંભને લક્ષ્ય કરીને બીજી પણ એની એક સૂક્તિ છે : બીજાઓથી આપણી જાતને છૂપાવવાની આપણને એવી તો આદત પડી જાય છે કે અંતે આપણે આપણને આપણાથી છૂપાવીએ છીએ.’ આપણો આ દંભ આપણાં કૃત્યોને છાવરવા માટે ફિલસૂફીની જાળ રચે છે. અને એના તાર્કિક સમર્થનો શોધે છે. પરંતુ ત્યાં પણ રોશફૂકોએ ઘા કર્યો છે. કહે છે કે : ‘ભૂતકાળ અને ભવિષ્યનાં દુષ્કૃત્યો ૫૨ ફિલસૂફી સહેલાઈથી વિજય મેળવે છે, પણ વર્તમાનનાં દુષ્કૃત્યો ફિલસૂફી પર વિજય મેળવે છે.’ થઈ ગયેલાં અને થનારાં દુષ્કૃત્યો કરતાં થતાં આવતાં દુષ્કૃત્યો પર કાબૂ મેળવવો જરૂરી છે પણ એ જ મોટે ભાગે મનુષ્ય પ્રકૃતિની બહાર છે. &lt;br /&gt;
મનુષ્યનો દોષ સાર્વત્રિક છે એનાથી કોઈ મુક્ત નથી. નહિ તો મનુષ્યજાત સદીઓથી લડતી આવી છે તો શાણપણ મેળવીને ક્યાંક અને ક્યારેક લડતા અટકી ગઈ હોત. પણ ના, ઝઘડા ચાલુ જ છે. રોશફૂકો કહે છે કે : બધા દોષો જો એકબાજુ હોય તો ઝઘડાઓ લાંબો સમય ચાલી શકે નહિ. &lt;br /&gt;
રોશફૂકોએ પ્રેમ વિશે પણ કેટલાંક માર્મિક નિરીક્ષણો રજૂ કર્યાં છે, ‘કેટલાક લોકો એવા છે જેમણે પ્રેમ વિશે સાંભળ્યું ન હોત તો તેઓ પ્રેમમાં પડ્યા ન હોત.’ પ્રેમનો અનુભવ નર્યો પોતાનો છે. ઘણાઓ પરકાનો અનુભવ ઓઢીને ચાલે છે. એમને ક્યારે ય પ્રેમ થયો જ નથી હોતો, એની અહીં વેધક રજૂઆત છે. સાથે સાથે સાચો પ્રેમ કેટલી વિરલ વસ્તુ છે એની રોશોને બરાબર જાણ છે; અને તેથી એ પ્રેમ અને ભૂતને સાથે મૂકે છે કહે છે કે ‘સાચા પ્રેમનું ભૂત જેવું છે. બધા એને વિશે વાતો કરે છે પણ ભાગ્યે જ કોઈએ એને જોયો હોય છે. પ્રેમના દુષ્પરિણામોની પણ રોશફૂકોને ખબર છે. કહે છે : ‘બધા આવેગો આપણને ભૂલ કરવા તરફ દોરી જાય છે.’ પણ પ્રેમાવેગ તો સૌથી મોટી હાસ્યાસ્પદ ભૂલ તરફ લઈ જાય છે.’ પ્રેમના દુષ્પરિણામ પરની આથી પણ સચોટ એની બીજી સૂક્તિ છે : ‘જો પ્રેમને તમે એનાં પરિણામોથી તોળવા જશો તો મૈત્રી કરતાં શત્રુતા સાથે એની વધુ સમાનતા છે.’&lt;br /&gt;
રોશફૂકો ક્યારેક મનુષ્યને એના મૂળમાંથી એવો પકડે છે કે ક્ષણભર આપણે ડઘાઈ જઈએ. પ્રશંસા સંદર્ભે મનુષ્યને ઉઘાડો પાડતા એ ઉચ્ચારે છે : પ્રશંસાને નકારવી એનો અર્થ એ થયો કે બમણી પ્રશંસા સાંભળવી છે.’ ને છેલ્લે એના એક જબરા કટાક્ષને જોઈને આપણે રોશફ્કોની વાતનો અંત લાવીએ. રોશફ્કો કહે છે : ‘આપણને કંટાળો આપનારાને આપણે ઘણીવાર માફ કરી દઈએ છીએ. પણ આપણે જેને કંટાળો આપીએ છીએ એમને આપણે ક્યારેય માફ કરી શકતા નથી.’ &lt;br /&gt;
રોશફૂકોની આ પ્રકારની સૂક્તિઓનો સંગ્રહ ‘મેક્સિમ્સ’ ૧૬૬૫માં છદ્મનામથી પ્રગટ થયો હતો. એના જીવનકાળમાં ૧૬૯૫, ૧૯૬૬, ૧૬૭૧, ૧૬૭૫, ૧૬૭૮ એમ એની પાંચ આવૃત્તિઓ થઈ. ૧૬૭૮માં એની સંવર્ધિત આવૃત્તિ બહાર આવી હતી. આવા દોષદેખા અને વાંકદેખા લેખકનો તો મનુષ્યજાતિને વધુમાં વધુ ખપ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૨&lt;br /&gt;
|next = ૨૦૪&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8&amp;diff=60918</id>
		<title>રચનાવલી/૨૦૨</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A8&amp;diff=60918"/>
		<updated>2023-05-09T11:55:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૨૦૨. હાફીઝની ગઝલો    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બેગમ અખ઼રથી માંડીને જગજિતસિંઘ સુધીના ગાયકોથી ગઝલ આજે ઘેર ઘેર ગુંજતી થઈ ગઈ છે. મુશાયરાઓએ અને મહેફિલોએ પણ ગઝલને લોકપ્રિય કરી છે. ગુજરાતી સાહિત્યમાં બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા અને ક્લાપીથી શરૂ થયેલી ગઝલે આજે ઠેર ઠેર સામયિકોમાં ધૂમ મચાવી છે. આજે તો કવિ એટલે જાણે ગઝલકાર એવો અર્થ લઈને ચાલવાનો વારો આવ્યો છે. જુદી જુદી કડીઓ (શેરો)માં બદલાતા પ્રાસ (કાફિયા) અને ટેક (રદીફ)થી જુદા જુદા ભાવોને રજૂ કરતી ગઝલ ઝટ ગળે ઊતરી જાય એવું સરલ કાઠું મોટેભાગે ધરાવે છે. અને સાંભળતાવેંત સાંભળનારને ખુશ કરી જાય એવી કરામતો એમાં રહેલી હોય છે. &lt;br /&gt;
ભારતમાં ગઝલ આવી ફારસી સાહિત્યના પરિચયને કારણે અંગ્રેજોએ સ્થાપેલી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત, અંગ્રેજી અને ફારસી શીખવવાની શરૂઆત થતાં ગઝલમાં લોકોની દિલચશ્પી વધતી ગઈ. ફારસી સાહિત્ય એ ગઝલનું પિયર છે. એમાં ય ફારસી સાહિત્યના સુવર્ણકાળની જાહોજલાલી અને પૂર્વના સાહિત્યની પ્રશિષ્ટતાની ઝલક જો કોઈએ સૌથી વધુ દેખાડી હોય તો તે કવિ હાફિઝે.&lt;br /&gt;
હાફિઝ તો ફારસી કવિનું ઉપનામ છે. ૧૩૯૦માં શિરાઝમાં જન્મેલા હાફિઝનું મૂળ નામ તો શમસુદીન મોહમ્મદ છે. કુરાનને કંઠસ્થ રાખનારા ‘હાફિઝ’ કહેવાય છે. એટલે કે જે યાદ રાખે તે હાફિઝ, હાફિઝ ઉપનામ એક રીતે સાર્થક છે કારણ કે હાફિઝના આશ્રયદાતા હાજી કિવામુદ્દીને સ્થાપેલી મદ્રેસામાં હાફિઝ દરવિશ હતો. અને કુરાન શીખવતો હતો. વળી હાફિઝે બહુ વહેલેરો ફિલસૂફી, કવિતા અને અધ્યાત્મવિદ્યાનો ગંભીર અભ્યાસ આદરી દીધો હતો. ઈશ્ક, ફૂલ, સુરા અને બુલબુલને વારંવાર પોતાની રચનાઓમાં ગાતા હાફિઝે અનેક સાહિત્ય પ્રકારોમાં કામ કરેલું પણ હાફિઝની ગઝલોનો સંગ્રહ ‘દિવાન’ દુનિયાભરમાં જાણીતો છે. એના પોતાના મુલ્કમાં પણ એની નામના છે. એનો ‘દિવાન’ સૌથી વધુ લોકપ્રિય છે. ફારસીઓ તો ઘણીવાર એના ‘દિવાન’ને ખોલીને અકસ્માતથી પાનું હાથ આવતાં એના કોઈ શેર પર આંગળી મૂકી એમાંથી પોતાનું ભવિષ્ય શોધે છે. પોતાના જવાબો ખોળે છે. &lt;br /&gt;
આવો જ જવાબ હાફિઝના મૃત્યુ વખતે એના ‘દિવાન&#039;માંથી શોધવો પડેલો. એની કેટલીક ગઝલો વાંધાજનક લાગતાં હાફિઝની દફનવિધિ રોકી દેવામાં આવી હતી. આ ઝઘડાનો નિકાલ લાવવા માટે એની કેટલીક ગઝલો કાપલીઓ પર લખવામાં આવેલી અને પછી એક કુંજામાં મૂકીને કોઈ બાળક પાસે કાપલી ઉઠાવવામાં આવેલી. દંતકથા પ્રમાણે એવું કહેવાય છે કે અકસ્માતે બાળકે ઉપાડેલી કાપલીમાં એવું આવ્યું કે હાફિઝનો યોગ્ય રીતે દફનવિધિ કરવો કે જેથી એને સ્વર્ગ મળે. &lt;br /&gt;
અલબત્ત સદીઓથી ઝઘડો ચાલી આવે છે કે હાફિઝની ગઝલોનો સીધેસીધો અર્થ કરવો જોઈએ કે પછી એ ગઝલોને જુદી રીતે વાંચવી જોઈએ. હાફિઝને એક ફારસી ફિલસૂફ કે કુરાનના અભ્યાસી તરીકે જ જુએ છે એ એક પક્ષ લે છે; જ્યારે એને એક હુંફાળા માણસ તરીકે જુએ છે એ બીજો પક્ષ લે છે. બહારથી સુખવાદી લાગતી એની ગઝલોની પાછળ ઊંડો રહસ્યવાદ છે, એમાં કોઈ શંકા નથી. &lt;br /&gt;
માનો કે એ રહસ્યવાદનો તમે સ્વીકાર નથી કરતા, તો પણ એની ગઝલોમાં ભાવોની જે અભિવ્યક્તિ છે એ એટલી જીવંત છે, હુંફાળી છે કે કવિની ગંભીર નિસ્બતથી આપણે મોં ફેરવી લઈ શકતા નથી. હાફિઝની એક ગઝલ અંગે રસપ્રદ કિસ્સો છે. એક ગઝલમાં હાફિઝે માશુકાના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ઓવારી દેવાની વાત કરી છે. આ ગઝલ અંગે વિજેતા શાસક તૈમુરલંગને ખબર પડે છે અને એ વાંચે છે વાંચતા વેંત એ હાફિઝને હાજર થવા ફરમાન કાઢે છે. હાફિઝ આવતા હાફિઝને ઠપકારીને તૈમુર લંગ કહે છે કે જે તારી સત્તામાં નથી એને તું બીજા ૫૨ કઈ રીતે ઓવારી દઈ શકે. કહેવાય છે કે હાફિઝે સહેજ પણ ખચકાયા વગર જવાબ આપેલો કે આવી ઉદારતાને કારણે જ તો એ વિજેતાના ધ્યાન પર આવ્યો છે. આ ‘દિવાન’માં સમરકંદ બુખારા ઉપરાંત વારંવાર હાફિઝના જન્મસ્થળ શિરાજનો પણ ઉલ્લેખ આવે છે. &lt;br /&gt;
હાફિઝની ફારસી ગઝલનું સૌંદર્ય અન્ય ભાષામાં ઉતારવું કે અનુવાદમાં મૂકવું સહેલું નથી. એક ગઝલમાં હાફિઝ કહે છે કે સવારના પહોરમાં પૂર્વનો પવન મારી માશુકાના ઝુલ્ફમાંથી સુગંધ વહી લાવે છે અને મારું મૂર્ખ હૃદય તરત જ નવી વેદનામાં ઢળી જાય છે. તો બીજી ગઝલમાં એ કહે છે : ‘હું વિચારું છું કે મારા દિલના બગીચામાંથી એ ફૂલ મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. કારણ કે દરેક દિલની યાતનામાં ઊગતા એ ફૂલને વેદનાનાં ફળ બેસે છે.’ &lt;br /&gt;
હાફિઝ ગઝલોમાં એની માશુકાનું વર્ણન કરે છે, સ્ત્રી અને પુરુષના ઇશ્કને ગાય છે, અને સુરાનો પણ મહિમા કરે છે. આ બધામાં સ્થૂળ વસ્તુઓની પાછળ ઊંડો અધ્યાત્મિક અર્થ પડેલો છે કે કેમ એ અંગે સતત વિવાદ ચાલ્યા કરે છે તેમ છતાં હાફિઝની ગઝલોનું આકર્ષણ એનું પોતાનું છે. &lt;br /&gt;
સ્વાભાવિક સુખવાદ, માનવભાવોથી ધબકતાં પ્રતીકો અને બધે જ એક પ્રકારની મધુરતાનો સ્વાદ — આ બધું ઉપરાંત હાફિઝની ગઝલોમાં એક પ્રકારનું ઊંડાણ અને ગંભીરતા છે. આજ સુધી આ જ કારણે હાફિઝનો ‘દિવાન’ જગમશહુર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૧&lt;br /&gt;
|next = ૨૦૩&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7&amp;diff=60917</id>
		<title>રચનાવલી/૨૦૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7&amp;diff=60917"/>
		<updated>2023-05-09T11:54:56Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૧. અંધાપો (જોસ સારામાગો) |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હું કશું બચાવી શકું એમ નથી. પણ હું કાંઈ કરી શકું તો તે એ કે હું જે વિચારું છું અને જે અનુભવું છું એ વિશે માત્ર લખી શકું. માનવતાવાદી સમસ્યા અંગેનો મોટા ભાગનો ઉકેલ જગત લાવી શક્યું હોત પણ એમાંની એક પણ સમસ્યાનો ઉકેલ લાવવાની વાત તો બાજુએ રહી, હકીકતમાં ઘણીબધી સમસ્યાઓને વકરાવી છે, એવા જગતને જોવાથી ઊપડતી વેદના વિશે માત્ર લખી શકું.’ આ ઉદ્ગાર પોર્ટુગલ લેખક જોસ સારામાગોનો છે, એને ખબર છે કે વાસ્તવમાં ઉકેલ હાથવગો નથી તેથી સારામાગો વારંવાર તરંગતુક્કા દોડાવીને નવલકથાઓમાં પોતીકું જગત રચે છે. &lt;br /&gt;
સારામાગો અશક્યને શક્ય બનાવવાનું કલ્પે છે. સ્વપ્નાઓ અને ભ્રમણાઓને એમાં ઉમેરે છે. સારામાગોની નવલકથાઓમાં ઓચિંતો કોઈ મોટો બનાવ બને છે. એની એક નવલકથામાં સ્પેન અને પોર્ટુગલ જેવા દેશો પોતાના મુખ્ય યુરોપખંડથી છૂટા થઈને આટલાન્ટિક સાગરમાં તરતાં થઈ જાય છે અને યુરોપની બાકીની પ્રજા માંદલા દેશોથી છુટકારો પામવાનો અહેસાસ કરે છે, તો એની બીજી નવલકથામાં ઈશુ ખ્રિસ્તને બાઈબલની કથાથી વિરુદ્ધ કુંવારી માતાનો પુત્ર ન બતાવતા પિતા જોસેફના સત્ત્વમાં ઈશ્વર પોતાનું સત્ત્વ મૂકે છે અને એમ ઈશુના જન્મનો પ્રશ્ન ઊભો કરે છે. એટલું જ નહિ પણ હેરોડ આયોજનપૂર્વક રાજ્યનાં બધાં બાળકોને મારી નાખવા આવે છે ત્યારે ઈશુને એકલાને બચાવી લઈ પોતાનામાં અને ઈશુમાં હંમેશ માટે અપરાધ અને બલિદાનની લાગણીઓ મૂકે છે. &lt;br /&gt;
સારામાગોની આવી જ એક ત્રીજી નવલકથા છે. એનું નામ છે ‘અંધાપો.’ વિચારો કે કોઈ પણ સમાજમાં બધા જ જો આંધળા થઈ જાય તો કેવી પરિસ્થિતિ જન્મે! ‘અંધાપો નવલકથાના પહેલા જ પાના પરથી અંધાપો ગંભીરપણે ઘર કરે છે. ટ્રાફિક લાઇટ પાસે કારમાં બેઠેલો માણસ એકદમ ઓચિંતો આંધળો થઈ જાય છે. પછી તો એનો અંધાપો વ્યક્તિએ વ્યક્તિમાં પ્રસરવા માંડે છે. વ્યક્તિ કોઈકને જુએ અને સામી વ્યક્તિ આંધળી થઈ જાય. થોડા દિવસમાં નગરના બધા જ નગરજનો આ નવલકથામાં આંધળા થઈ જાય છે. એકમાત્ર આંખના ડૉક્ટરની પત્ની જ આંધળી થતી નથી. એ જ પહેલા આંધળાને તપાસે છે. આ ડૉક્ટરની દેખતી પત્ની અને એની આસપાસ એકઠું થયેલું આંધળુ જૂથ – આની વિગતો પર નવલકથા આગળ વધે છે. ડૉક્ટરની પત્નીની આંખે જ બધું બતાવવામાં આવે છે, કારણ બીજુ કોઈ ત્યાં છે જ નહીં જે બધું જોઈ શકે.’&lt;br /&gt;
અને પછી તો નવલકથામાં થોડી જ વારમાં અસ્તવ્યસ્તતા અને સ્વાર્થી પશુવૃત્તિઓ પ્રગટ થવા માંડે છે. આપણે જાણીએ છીએ એવી ચોરીચપાટી, બળાત્કાર, સામૂહિક આંતક, નાગાઈ, ખૂન વગેરે વચ્ચે આપણે મુકાઈ જઈએ છીએ. સરકારી તંત્ર નિષ્ફળ જાય છે. નથી રેડિયો, નથી દવા, એક એક ઓરડો અને એક એક ગલી મળ અને ગંદકીથી ઉભરાય છે. આત્મસન્માનની ભાવના અને નૈતિક વ્યવહારની જવાબદારી - એ બધું હવામાં અદૃશ્ય થઈ જાય છે. કારણ કે એકબીજા પર આંખ રાખનાર કોઈ રહ્યું નહીં. &lt;br /&gt;
આ રીતે લેખકની ઊથલપાથલ થયેલી દુનિયામાં માનવીય અવનતિનું એક મોટું નાટક ઊભું થાય છે અને એ પણ એક જ માત્ર દેખતી ડૉક્ટરની પત્નીની આંખ દ્વારા અને એના મનોભાવો દ્વારા ઊભું થાય છે. પરંતુ સાથે સાથે એ પણ જોવાય છે કે નવલકથાનાં પાત્રોમાં એકબીજા પર નભવાની વાતનો અંદરખાને સ્વીકાર થતો જાય છે. એમનામાં એકબીજા પ્રત્યેની એક પ્રકારની મૃદુતા જન્મે છે. આ તબક્કે સમાજ આખામાં વ્યાપી ગયેલા અંધાપામાં રાજકારણનો કેટલો હસ્તક્ષેપ થઈ શકે તેમજ માનવ યાતના કેટલી અનિવાર્ય છે એના પ્રશ્ન પર પણ નવલકથા પ્રકાશ ફેંકે છે.&lt;br /&gt;
નવલકથાને અંતે વ્યાધિગ્રસ્ત નગરમાં નથી વીજળી, નથી પાણી, નથી ખોરાક અને ડૉક્ટરની પત્ની સાથેના જૂથને આખરે સુવા માટે એક એપાર્ટમેન્ટ જડી આવે છે. રાત્રે વરસાદ પડે છે અને ડૉક્ટરની પત્ની ઝરૂખામાં ધસે છે : ‘આ બંધ ન થવો જોઈએ’ એવું બબડીને એ રસોડામાં સાબુ, ડીટર્જન્ટ બ્રશને શોધે છે જેથી થોડુંક ચોખ્ખું કરી શકાય. કાંઈ નહીં તો આ અસહ્ય જીવ પરના મેલને, શરીરના મેલને પછી કહે છે કે, ‘બંને સરખાં છે’ ડૉક્ટરની પત્નીને ધોવામાં મદદ કરવા બીજી બે આંધળી સ્ત્રીઓ જોડાય છે બધાં કહે છે: ‘જગત આખામાં આપણે જ એવી એક સ્ત્રી છીએ જેને બે આંખ છે અને છ હાથ છે.’ &lt;br /&gt;
એમાંની એક આંધળી સ્ત્રી કહે છે : ‘ઈશ્વર આ બધું જુએ છે.’ ત્યારે ડૉક્ટરની પત્ની કહે છે ‘એ પણ નથી જોતો. આખું આકાશ વાદળાંઓથી છવાયેલું છે.’ આ પછી ત્રણે સ્ત્રીઓ એકવાર સુંદર હતી એનો અહેસાસ અનુભવે છે. નવલકથાનો અંત જાણે કે પ્રતીતિ કરાવે છે કે યાતના દ્વારા જ પૂરી માનવતાને હાંસલ કરી શકાય છે. &lt;br /&gt;
કોઈ પણ જાતના પરિચ્છેદો વગર અલ્પવિરામ કે પૂર્ણવિરામનાં ચિહ્નો વગર, કોણ બોલે છે અને કાં પૂરું કરે છે એનાં અવતરણ ચિહ્નો વગર લખાયેલી સારામાગોની નવલકથા વાચકને એક એક ડગલે સાવધ રહેવાનો અવસર પૂરો પાડે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦૦&lt;br /&gt;
|next = ૨૦૨&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A6&amp;diff=60916</id>
		<title>રચનાવલી/૨૦૦</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A6&amp;diff=60916"/>
		<updated>2023-05-09T11:54:23Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૨૦૦. ટ્રેનો પર ચાંપતો પહેરો (બોહુમિલ હ્રબલ)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પહેલા વિશ્વયુદ્ધમાં હારેલું જર્મની બમણા જોરે બીજા વિશ્વયુદ્ધને છંછેડે છે અને હિટલરની સરમુખત્યારી હેઠળ સામ્રાજ્ય વિસ્તાર આદરે છે. આ દરમ્યાન યુદ્ધખોરી અને નરસંહાર સાથે એક પછી એક જે પ્રદેશ હડપ થવા માંડે છે એમાં ઝેકોસ્લોવાકિયા પણ આવી જાય છે. પોલાન્ડ કે ફ્રાન્સ પર જર્મની જેવો કબ્જો જમાવે છે એવો જ કબ્જો એ ઝેકોસ્લોવેકિયા પર પણ જમાવે છે. જર્મનોની ક્રૂરતા અને બર્બરતાનો ઇતિહાસમાં કોઈ જોટો નથી. એમણે ફેલાવેલા ભય અને આતંકની કોઈ સીમા નથી, આ રીતે યુદ્ધ સમયના જર્મન તાબામાં આવી પડેલા ઝેકોસ્લોવેકિયાની સ્થિતિની ઝેક લેખક બોહુમિલ હૂબલે એની નવલકથા ‘ટ્રેનો પર ચાંપતો પહેરો’ (‘અ ક્લૉઝ વોચ ઓન ધ ટ્રેન્સ’)માં એક ઝલક આપી છે. &lt;br /&gt;
૧૯૧૪માં જન્મેલા બોહુમિલ હૂબલે પ્રાહમાં રહીને કાયદાનો અભ્યાસ કરેલો છે, પણ ૧૯૩૯ પછીના જર્મનોના તાબામાં ગયેલા ઝેકોસ્લોવાકિયામાં વકીલાત કરવી અશક્ય હોવાથી અને જાતજાતનાં કામો કરવા પડ્યાં છે. નોટરીના ક્લર્ક તરીકે, ટપાલી તરીકે, સ્ટીલના કારખાનાના મજદૂર તરીકે, થિયેટરના કર્મચારી તરીકે તો એણે અનુભવ લીધો પણ રેલ્વેના લાઇન્સમેન તેમજ ટ્રેનડિસ્પેચરનો પણ એણે અનુભવ લીધો. રેલ્વેનો અનુભવ એને એની આ નવલકથામાં કામમાં આવ્યો છે. અલબત્ત ૧૯૬૨ પછી આ લેખકે માત્ર સાહિત્યસર્જન પાછળ જ સમય ગાળ્યો છે તેમ છતાં એની આ પહેલી નવલકથા અત્યંત મહત્ત્વની પુરવાર થઈ છે. ‘ઊંડાણમાં પડેલ મોતી’, ‘ઉત્સાહવીરો’, ‘પુખ્ત છાત્રો માટે નૃત્યના પાઠો’ અને ‘હું હવે જેમાં રહેવા ઇચ્છતો નથી તે મકાન પર વેચાણની નોટિસ’ વગેરે આ લેખકની અન્ય નોંધપાત્ર રચનાઓ છે પણ આ લેખકનો યશ ‘ટ્રેનો પર ચાંપતો પહેરો પર’ મુખ્યત્વે ટકેલો છે. &lt;br /&gt;
આ નવલકથાનો નાયક મિલોઝ ડ્રમા એક અત્યંત ભોળો અને નિર્દોષ યુવક છે એને જ મુખે કથા કહેવાયેલી છે. જર્મનીના તાબામાં ગયેલા ઝેકોસ્લોવાકિયાના એક નાના પણ અત્યંત મહત્ત્વના રેલ્વે સ્ટેશન પર એ નવા શિખાઉ તરીકે કામગીરી બજાવી રહ્યો છે. સ્ટેશન, સ્ટેશનની ટ્રાફિક ઑફિસ, પ્લેટફોર્મ અને આવતી જતી ટ્રેનોની આસપાસ આ નવલકથા આકાર લે છે. &lt;br /&gt;
શરૂમાં મિલોઝ એના પિતાનો, પિતાના પિતાનો અને એના પિતાનો પરિચય આવે છે. ૧૮૩૦માં જન્મેલા એના પ્રપિતામહ લ્યૂક લશ્કરમાં ડ્રમરબૉય તરીકે ફરજ પર હતા. પણ એ જમાનામાં છોકરાઓ સૈનિકો પર પથરા ફેંકતા એમાં રસ્તાનો એક પથરો લ્યૂકને ઘૂંટણમાં વાગેલો અને અપંગ બનેલો. એને પેન્શન મળતું, રમની બાટલી અને તમાકુ પીધે રાખી લ્યૂક અડ્ડાઓમાં ઘૂમ્યા કરતા. મિલોઝ જણાવે છે એક પણ વર્ષ એવું નહીં ગયું હોય કે મારા પ્રપિતામહે લોકોનો માર ન ખાધો હોય. - મિલોઝના પિતામહ વિલેમ હિપ્નોટિસ્ટ હતા અને નાનાં સર્કસોમાં કામ કરે રાખતા. પણ જર્મનો આખા પ્રદેશ પર કબજો કરવા સરહદ વટાવી પ્રાહ તરફ જતા હતા, ત્યારે કોઈએ નહીં અને મિલોઝના પિતામહે હિંમત કરેલી અને હિપ્નોટીઝમના જોરે જર્મનોને અટકાવતા એમની સામે ગયા હતા. જર્મન સૈન્યની ટેન્કો ચાલી આવતી હતી, ત્યારે હાથ પસારી આંખ માંડી, ‘ફરી જાઓ અને પાછા ફરો&amp;quot;નું સૂચન કરતા એ સામે ઊભા રહી ગયા પણ ટેન્ક આગળ વધી અને એમના પર ફરી વળી. એમનું માથું કચડાઈ ગયું અને પછી જર્મનોને રોકનારું કોઈ રહ્યું નહીં. કેટલાકે પિતામહને મૂર્ખ ઠેરવ્યા પણ કેટલાકને લાગ્યું કે એમની જેમ જો એકે એક જણ સશસ્ત્ર જર્મનોની સામે ગયો હોત તો જર્મનોની શું ઓકાત હતી? મિલોઝના મર્મમાં આ અનુભવ ઊંડો પડેલો હતો. &lt;br /&gt;
સ્ટેશનની ટ્રાફિક ઑફિસમાં વિચિત્ર સ્ટેશન માસ્ટર, સાહસિક ડિસ્પેચર અને સુન્દર ટેલિગ્રાફિસ્ટ સાથે ટેલિફૉનની ઘંટડીઓ, ટેલિગ્રાફની ટકટક અને સિગ્નલની સિસ્ટમ વચ્ચે કામ કરતો મિલોઝ જતી આવતી ટ્રેનોને બહુ નજુકથી જુએ છે. આ ટ્રેનો જ એને બહા૨ના જગતમાં ચાલી રહેલી ખાનાખરાબીનાં ચિત્રો પહોંચાડ્યાં કરે છે. ગુડ્ઝ ટ્રેન, પેસેન્જર ટ્રેન, મેઇલ ટ્રેન, લશ્કરી સરંજામ વહન કરતી કે સરહદ પરથી ટીપાઈને પાછી ફરતી ટ્રેનો જુદી જુદી કથા કહે છે. ગુડ્ઝ ટ્રેનમાં મૂંગા પ્રાણીઓની દિવસો સુધી ખોરાકપાણી વગર થતી હેરાફેરી કે ડબ્બાનું એક પણ અંગ સાજું ન બચ્યું હોય અને દરેક દરવાજા પર લોહીના ધબ્બા લાગ્યા હોય એવી લશ્કરી ટ્રેનોમાં મિલોઝ જર્મનોની લોહીતરસને છતી થતી જુએ છે. જર્મનોની જંગાલિયત ટ્રેનોની દશા અને એમાં આવતા અમલદારોની મનોદશા દ્વારા પ્રગટ થઈ છે. &lt;br /&gt;
એક બાજુ સ્ત્રીપ્રસંગમાં એકવાર નિષ્ફળ ગયેલો મિલોઝ સ્ટેશનની ટ્રાફિક ઑફિસમાં એક સ્ત્રીપ્રસંગમાં પહેલીવાર સફળ થતાં વિશ્વાસ હાંસલ કરે છે. તો બીજી બાજુ ટ્રાફિક ઑફિસનો ડિસ્પેચર મિલોઝને લશ્કરી દારૂગોળો લઈ જતી ટ્રેનને ઉડાડી મૂકવાના કાવતરામાં સામેલ કરે છે. સ્ત્રીપ્રસંગે આવેલો વિશ્વાસ અને પિતામહ સાથેનો જર્મનોનો ક્રૂર વ્યવહાર મિલોઝને સાહસ કરવા પ્રેરે છે. અંધારી બરફ વરસતી રાત્રે સિગ્નલના થાંભલા પર ચઢી પસાર થતી ટ્રેઇનના વચલા કોઈ ડબ્બા પર બૉમ્બ ફેંકી મિલોઝ ટ્રેનને ઉડાડવામાં સફળ થાય છે પણ સાથે સાથે જીવલેણ રીતે જર્મનની ગોળીએ ઘવાય છે. મિલોઝના અંતિમ ઉદ્ગારો સાથે મિલોઝની વાત અને કથા એક સાથે પૂરી થાય છે. &lt;br /&gt;
રેલ્વે જગતનું હૂબહૂ ચિત્ર ખડું કરતી આ નવલકથાએ નાના એક સ્ટેશનની વાત દ્વારા બીજા વિશ્વયુદ્ધના સમયના સમસ્ત વાતાવરણને પ્રતિબિંબિત કરી દીધું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૯&lt;br /&gt;
|next = ૨૦૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AF&amp;diff=60915</id>
		<title>રચનાવલી/૧૯૯</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AF&amp;diff=60915"/>
		<updated>2023-05-09T11:54:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૯. જંતુઓની ક્રીડા (યોસેફ ચાપેક, કારેલ ચાપેક)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્ય જાતિના ઉદયકાળથી માંડીને આજે પણ પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેના કે ક્લિન્ટન અને મૉનિકાના પતંગિયા જેવા ચંચળ પ્રેમ કિસ્સાઓ બનતા રહે છે. આજે પણ બહુરાષ્ટ્રીય ઉદ્યોગો અને વિશ્વના મૂડીવાદ વચ્ચે સમૃદ્ધિ હડપ કરી ગયેલા મુઠ્ઠીભરોની સામે કરોડો એવા છે જે ભૂખમરા, અભાવ અને ગરીબાઈથી સબડતા રહે છે; આજે પણ બબ્બે વિશ્વયુદ્ધનો મહાવિનાશ જોયા પછી ઠંડા યુદ્ધની ગરમી ઓસરતા ત્રીજું વિશ્વયુદ્ધ બારણાં ખખડાવી રહ્યું છે. ચંચળતા, હડપગીરી અને યુદ્ધનાં આ વૃતાન્તો મનુષ્યજાત માટે નવાં નથી અને કદાચ એટલે જ આ વિનાશક અને ઘાતક વૃત્તિઓને સમજવા માટે મનુષ્ય એને નજીકથી જોવા કે વક્રતાથી જોવા વારંવાર પ્રયાસ કર્યો છે. અનેક કથાકારો અને નાટકકારોનો પુરુષાર્થ આપણાથી અજાણ્યો નથી. ૧૯૨૩માં પ્રસિદ્ધ ઝુક નાટકકાર બંધુઓ યોસેફ ચોપેક (૧૮૮૭-૧૯૪૫) અને કારેલ ચોપેક (૧૮૯૦-૧૯૩૮) ‘જંતુઓની ક્રીડા’ (ધ ઇન્સેક્ટ પ્લે) નાટકમાં આ જ વૃત્તિઓને જંતુઓના જીવનની આડશે જોઈ છે અને નાટકમાં એક મોટુ રાજકીય રૂપક અને લશ્કરી પલટણની ભયંકરતા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે. &lt;br /&gt;
એટલે કે, પાત્રો તરીકે જંતુઓ હોય, વ્યવહાર અને વર્તન જંતુઓ કરતાં હોય, વાત જંતુઓની થતી હોય, પણ ઉપરઉપરથી જંતુઓના દેખાતા આ નાટકમાં અંદરખાને મનુષ્યજાતિના સમાજજીવન પર અને એના રાજકીય જીવન પર નાટકે વેધક પ્રકાશ પાડ્યો છે. ૧૯૨૩માં આ નાટક લખાયેલું હોવા છતાં આટલાં વર્ષો પછી પણ વિશ્વની મનુષ્યસ્થિતિમાં કોઈ ફરક જોવાતો નથી. આજે પણ આ નાટક મનુષ્યજીવનની કરુણ બાજુઓને હસતાં હસતાં અડકી જાય છે. જંતુઓનું રૂપક સફળ થવાનું કારણ આ બંને નાટ્યકાર બંધુઓ પર ફ્રાન્સના જાણીતા જંતુવિજ્ઞાની ઝાં આન્રી ફાબ્રનો પ્રભાવ છે.&lt;br /&gt;
આમ તો આ ‘જંતુઓની ક્રીડા&#039; નાટક ત્રણ અંકમાં રચાયેલી કૉમેડી છે. ઉપરાંત નાટકની શરૂમાં એક પ્રવેશક છે અને એને અંતમાં ઉપસંહાર છે અને આ જંતુઓના જીવન વચ્ચે એક વેગ્રન્ટ નામે રખડું આદમી છે, જે નાટકમાં બનતી ક્રિયાઓનો સાક્ષી છે અને ક્યારેક જંતુઓની અડફેટે પણ એ ચડી જાય છે પણ વેગ્નન્ટ ત્રણ અંકોને જોડનારી કડીરૂપ પાત્ર છે. &lt;br /&gt;
પ્રવેશકમાં જ આ રખડુ પોતાની ઓળખાણ આપે છે કે ‘જો મને તમારી જેમ મૂળિયાં હોત તો હું રખડુની જેમ આખા જગતમાં ભમતો ન હોત. જો મારાં મૂળિયાં જમીનમાં હોત તો હું આકાશને જોતો હોત પણ હું માણસ છું હું લોકોને જોઉં છું.’ &lt;br /&gt;
પહેલા અંકમાં આ રખડુ પતંગિયાના જગતમાં મૂકાયેલો છે. ફેલિક્સ નામના કવિ-પતંગિયાની આસપાસ આઇરિસ અને વિક્તોર તેમજ ક્લાથી અને ઓતોકાર નામના જુગલ પતંગિયાં ગોઠવાયેલાં છે. ફેલિક્સ કવિ તરીકે વેદનાગ્રસ્ત છે. એ માને છે કે યુવા વય વેદનાની વય છે અને એમાં ય કવિને માટે તો વેદના સોગણી થઈને આવે છે. આઇરિસનું અને ક્લાયથીનું ફેલિક્સ તરફ ખેંચાણ છે. પણ બંને એક-બીજાની ઈર્ષ્યાળુ છે આઇરિસ પોતાની પાછળ દોડતા વિક્ટોરને એક પંખી ચાંચમાં પકડી મારી ખાય છે એનો ઉલ્લાસ બતાવે છે અને તરત ઓતોકાર એની પાછળ પડે છે એનું ધ્યાન કરે છે, તો ક્લાયથી ફેલિક્સ તરફ ખેંચાયેલી છે એનો આતોકારને ખાસ્સો વસવસો છે. આવું સનાતન પ્રેમીઓનું સનાતન જૂઠ છે જે સનાતન રીતે ચાલુ રહે છે, એનાં ચિત્રો નાટકકારે પતંગિયાના જગતને રજૂ કરીને ઝડપ્યાં છે. રખડુ કહે છે કે ‘કેવી એ પ્રેમકીડા કરે છે, કેવા કટાક્ષો ફેંકે છે. સતત શિકાર બનતી માદા રેશમી પાંખો પછવાડે લોલુપ ઝીણકાં શરીરો એને એ લોકો પ્રેમ કહે છે.’ &lt;br /&gt;
બીજા અંકમાં એક રેતાળ ટેકરો છે, જેના પર થોડુંક ઘાસ છે. એની ડાબે માખનું રહેઠાણ છે અને જમણે કંસારીનું ખાલી બાકોરું છે. અહીં આક્રમણખોર અને લૂંટમાર જીવડાંઓને એકઠાં કર્યાં છે એમાં નર વંદો છે, માદા વંદો છે, એક મોટી માખ છે. નર કંસારી છે અને માદા કંસારી છે. કોશેટામાંથી બહાર આવું આવું કરતા જન્મવા પામતો જીવ છે. મોટી માખ કંસારીઓને મારી મારીને પોતાના બચ્ચાને ખવડાવે છે. નરકંસારી અને માદા કંસારી આવનાર બાળકના રોમાંચમાં રાચે છે. આ બધા વચ્ચે એક પરજીવી છે, જે મારતો નથી પણ મારેલું-વધેલું ખાય છે. પણ એને ઓછું મળે છે ને તેથી ભૂખે મરે છે. મોટી નરમાખ ગર્ભવતી માદા કંસારીને ખાઈ જાય છે તેથી પરજીવી કહે છે : ‘એ સંગ્રહમાં વધારો કરવા માંગે છે એ એકઠું કરે છે. આ ખરાબ કામ છે. નહીં કે? આ અન્યાયનું ઉદાહરણ નથી? કેમ એક પાસે બધો જથ્થો એકઠો થયેલો હોય છે, જ્યારે બીજો ભૂખે મરે છે?’ આ અંક જીવન જીવનનો શિકાર છે એવા સૂર પર પૂરો થાય છે. &lt;br /&gt;
ત્રીજો અંક કીડીઓને રજૂ કરે છે. રાફડા વચ્ચે કડક શિસ્તમાં રહેતી કીડીઓ સતત પરિશ્રમ કર્યા કરે છે અને હુકમનું પાલન કર્યા કરે છે. ઘાસનાં બે તણખલા વચ્ચેની જગ્યા માટે કથ્થઈ કીડીઓ પીળી કીડીઓ સાથે યુદ્ધે ચઢે છે. એક સરમુખત્યાર થઈ બેસે છે અને છેવટ સુધી બધાને અંધારામાં નાખી કથ્થઈ કીડીઓના કટકને પીળી કીડીઓ સામે જાય છે. કથ્થઈ કીડીનો સરમુખત્યાર અને પત્રકારો જૂઠાણું રમ્યા કરે છે. અંતે પીળી કીડીઓના પ્રમુખની જીત થાય છે. કહે છે : ‘શાબાશ પીળી કીડીઓ બધાં જ કત્લ પામ્યાં આપણો રસ્તો ઘાસના બે તણખલાં વચ્ચે છે. પીળી કીડીઓનો હવે આ પ્રવેશ છે. હું પોતાને આ જગતનો સ્વામી જાહેર કરું છું.’ ત્યાં પેલો રખડુ, ‘કમબખ્ત ઓ જંતુડા, મૂર્ખ જંતુડા’ કહી એની તરફ ધસી બૂટની એડી નીચે એને કચડી નાખે છે. એક જન્મે છે અને બીજો મરે છે અને પ્રજા એટલી ને એટલી રહે છે છતાં એ બધાં વચ્ચે જીવન એક ઉલ્લાસ છે – એવો સંદેશો ઉપસંહારમાં વહેતો થયો છે. &lt;br /&gt;
આ નાટક સનાતન પ્રશ્નોને પૂરી કાવ્યાત્મકતાથી રજૂ કરે છે; અને રાજકીય તેમજ સામાજિક વ્યવસ્થાઓની દયા પર મનુષ્ય હંમેશાં નભતો આવ્યો છે એવો ડંખ મારી વાચકને છોડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૮&lt;br /&gt;
|next = ૨૦૦&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AE&amp;diff=60914</id>
		<title>રચનાવલી/૧૯૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AE&amp;diff=60914"/>
		<updated>2023-05-09T11:53:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૮. ધ કોકેસિયન ચૉક સર્કલ (બર્ટોલ્ટ બ્રેખ્ટ)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઇંગ્લેન્ડમાં જેમ સ્ટ્રેટફર્ડ અને શેક્સપિયરનાં નાટકોનું તીર્થ છે તેમ જર્મનીમાં બર્લિન એ બર્ટોલ્ટ બ્રેખ્ટના નાટકોનું તીર્થ છે. ૧૯૮૭માં બર્લિન જવાનું થયું ત્યારે મનમાં ઇચ્છા હતી કે પૂર્વ બર્લિનમાં જઈને પણ બર્ટોલ્ટ બ્રેખ્ટના થિયેટરમાં એના કોઈ નાટકને જોવું. પણ વેકેશન ગાળો હોવાથી થિયેટર બંધ હતું અને પૂર્વ બર્લિનમાં જવાનું ન રહ્યું, રહ્યો માત્ર વસવસો. &lt;br /&gt;
આજે ટી.વી. પર સીરિયલો જોતા હોઈએ, કોઈ લાગણીસભર દૃશ્ય જોયું હોય ત્યાં ફટ દઈને કોઈ કમર્શિયલ બ્રેક આવી પડે છે અને તમને દૃશ્યમાં સંડોવાતા તાત્કાલિક કાપી નાંખે છે. હા, અહીં અક્કલ ગીરવે મૂકતો કોમર્શિયલ બ્રેક હોય છે પણ બ્રેખ્ટ એનાં નાટકોમાં જાણીબૂઝીને એવા વિરોધો ઊભા કરે છે કે પ્રેક્ષક એમાં સંપૂર્ણ સંડોવાઈ જઈ પોતાની વિચારશક્તિને બંધ ન કરી બેસે. બ્રેખ્ટનાં નાટકોમાં આમ તો અવરોધ પ્રેક્ષકોને તટસ્થતાપૂર્વક વિચારતો કરવા માટે આવતો હોય છે. બ્રેન્ટની માન્યતા છે કે નાટક જોતી વેળાએ પાત્રોની લાગણીઓને તટસ્થ ભૂમિકા પરથી જોવાની છે. નાટક એ નાટક છે અને એમાં જીવનની કાલ્પનિક અભિવ્યક્તિ છે એ માટે પ્રેક્ષકે હંમેશાં સજાગ રહેવું જોઈએ. પ્રેક્ષકો સાથે પાત્રની સીધી વાતચીત, નાટકને અટકાવીને આવતું ગીત વગેરે વગેરે દ્વારા શ્રેષ્ટ નાટકમાં અવરોધ ઊભું કરતો. બ્રેખ્ટનું મુખ્ય ધ્યેય વાસ્તવિકતાને આનંદ સાથે જોડવાનું હતું. આ માટે નાટકમાં અવરોધો કે અખતરાઓ તો કરવા પડે પણ બ્રેખ્ટ માને છે કે તેમ કરવા જતાં અલબત્ત એમાંથી સત્ત્વશાળી કશુંક બાદ થઈ જવું જોઈએ નહીં. જગતના દશપંદર ઉત્તમ નાટકકારોનાં નામ લેવાતાં હોય તો બર્ટોલ્ટ બ્રેખ્ટનું સ્થાન એમાં અવશ્ય હોય એવો સમર્થ એ જર્મન નાટ્યકાર છે. &lt;br /&gt;
૧૮૯૮માં આઉસબર્ગમાં જન્મેલા બ્રેખ્ટનું અવસાન ૧૯૫૯માં થયું પણ એની કારકિર્દીનાં મહત્ત્વના વર્ષો ૧૯૨૦થી ૧૯૩૦ દરમ્યાનનાં છે. હિટલર ૧૯૩૩માં સત્તામાં આવતા બ્રેખ્ટે જર્મની છોડ્યું. ૧૯૪૧માં અમેરિકામાં વસવાટ કર્યો અને ત્યાં ૧૯૪૭ સુધી રહ્યો. આ છ વર્ષના ગાળામાં એણે છએક નાટકો રચ્યાં, એમાં લેખક તરીકેના એના યુદ્ધ અને દેશવટા પરના પ્રતિભાવો પડેલા છે. આ નાટકોમાં સૌથી વધુ જાણીતું નાટક છે ઃ ‘ધ કોકેસિયન ચોક સર્કલ.’ &lt;br /&gt;
અમેરિકામાં લખાયેલું આ નાટક એ સમયના અમેરિકાના બ્રોડવે રંગમંચના વેપારી નાટ્ય ધોરણોની સામે લખાયેલું હતું. આ નાટકમાં નાની નાની વિગતોને મહત્ત્વ અપાયું છે તો સાથે સાથે કરકસરનું મૂલ્ય પણ ઓછું નથી અંકાયુ. આમ તો એમાં રજૂ થયેલ કથાનક પણ જાણીતું છે. બાઇબલમાં સોલમને આપેલો ન્યાય અને ચીની વાર્તામાં રજૂ થયેલી ચૉક વર્તુળની કસોટી જાણીતાં છે. એ જ વાતનો અહીં નાટકકારે પોતાની રીતે ઉપયોગ કર્યો છે. શ્રીમંત ઘરાણાના રાજવી બાળકને બચાવી, ઉછેરી મોટો કરનાર આ નાટકની નાયિકા કઈ રીતે પોતે બાળકની માતા ન હોવા છતાં બાળકની માતા પુરવાર થાય છે એનાં નાજુક સંવેદનો આ નાટકમાં ઝીલાયેલાં છે. પણ બ્રેખ્ટે આ નાટકની શરૂઆતમાં એક પ્રવેશક મૂક્યો છે. &lt;br /&gt;
આ પ્રવેશકને મુખ્યકથા સાથે જોડ્યો છે. યુદ્ધના વિનાશ પછી યોજના આયોગ એક ખીણને સિંચાઈથી ફળદ્રુપ બનાવવા માગે છે અને સ્થળાંતર કરી ગયેલા એના મૂળ પશુપાલકો ઘાસિયા જમીન તરીકે એનો ફરીને કબ્જો માંગે છે. આ બેમાંથી ખીણ કોને મળવી જોઈએ એના વિવાદ દરમ્યાન આવેલા નિષ્ણાત અને કૃષિ વિજ્ઞાની સમક્ષ ગ્રામજનો એક લોકનાટક રજૂ કરે છે, જેમાં નાયિકા ગ્રૂશાની કથા અને એને અંગેનો ચુકાદો રજૂ થયો છે. &lt;br /&gt;
નાટક છ દૃશ્યમાં પથરાયેલું છે. નુખામાં રાજપલટો થતાં અને ત્યાંના ગવર્નરની હત્યા થતાં ગવર્નરની પત્ની ભાગતાં ભાગતાં પોતાના પોષાકોને લઈ જવાની જલદીમાં પોતાના બાળકને છોડી જાય છે. આ બાળક દાસી ગ્રૂશાના હાથમાં આવે છે. ગ્રૂશાને ખબર છે કે બાળક રાજવી કુટુંબનું છે અને ગવર્નરનું છે. જો એની ખબર બળવાખોરોને પડી જાય તો બાળકની સાથે એનો પોતાનો જાન પણ સલામત નથી. ગ્રૂશા બાળકને લઈને જાતજાતનાં સંકટો વટાવતી, ઊંડી ખીણ પરના તૂટું તૂટું થતાં પુલને પણ જીવસટોસટ વટાવતી પોતાના ભાઈ પાસે પહોંચે છે આ દરમ્યાન ગ્રૂશાને આ બાળક માટે અપાર મમતા જન્મી ચૂકી હોય છે. &lt;br /&gt;
પોતે એક સૈનિકના પ્રેમનો સ્વીકાર કરેલો હોવા છતાં ગ્રૂશા બાળકના ભરણપોષણ ખાતર અન્ય સાથેના લગ્ન પણ કબૂલ રાખે છે. છેવટે બળવાખોરો બાળકને શોધતાં શોધતાં ગ્રૂશા સુધી પહોંચે છે. ગ્રૂશાને અદાલતમાં હાજર કરવામાં આવે છે. ફરી રાજપલટો થયો છે અને ગવર્નરની પત્નીને પણ બાળકો કબજો જોઈએ છે. છેવટે ન્યાયાધીશ ચૉકથી એક વર્તુળ દોરીને બાળકને વચ્ચે ઊભું રાખે છે, અને ગ્રૂશા તેમજ ગવર્નરની પત્નીને કહે છે કે બાવડાના જોરથી જે બાળકને વર્તુળની બહાર પોતા તરફ ખેંચી જશે એને બાળકનો કબજો મળશે. ગ્રૂશા બાળકને ખેંચતી નથી. ન્યાયાધીશ પૂછે છે કે એણે બાળકને કેમ ખેંચ્યું નહીં. ગ્રૂશા જણાવે છે કે મેં એને ઉછેર્યો છે. હું એના હાથની નાજુકાઈ જાણું છું એના હાથને હું છૂટો પડી જવા દઉં?’ ન્યાયાધીશ છેવટે ગ્રૂશાને સાચી માતા જાહેર કરે છે. અંતના ભાગમાં બ્રેખ્ટ કહે છે કે જે લાયક હોય એને માટે એ વસ્તુ છે. હુંફભરી મમતા હોય, બાળક એનું છે. સારી રીતે હાંકે છે વાહન એનું છે અને સારી રીતે સીંચીને વાડીઓ ઉછેરે ખીણ એમની છે. આમ અંતના ન્યાય સાથે શરૂનો પ્રવેશક જોડાઈ જાય છે. &lt;br /&gt;
નાટકની ભીતર નાટકની ભજવણી અને અનેક લોકગમ્ય ગીતોની રજૂઆતવાળું આ નાટક અનેકવાર સફળતાથી ભજવાયું છે. વર્ષો પહેલા ગુજરાતીમાં પણ ચિનુ મોદીએ કરેલા અનુવાદનો નિમેષ દેસાઈએ ‘ખમ્મા’ નામે નાટકનો શૉ કરેલો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૭&lt;br /&gt;
|next = ૧૯૯&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AD&amp;diff=60913</id>
		<title>રચનાવલી/૧૯૭</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AD&amp;diff=60913"/>
		<updated>2023-05-09T11:53:17Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૯૭. મુકદ્દમો (ફ્રાન્ઝ કાફકા)     |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માનવજાતના અપરાધો અસંખ્ય જુદા જુદા કદ આકારના અને અસંખ્ય જુદી જુદી રીતના હોય છે, એને ઝાલનારી કોઈ પણ રાજ્યના કે રાષ્ટ્રના ન્યાયતંત્રની નાની મોટી જાળ વારંવાર નિષ્ફળ જાય છે, એટલું જ નહિ પણ ન પકડવાનું પણ એમાં પકડી બેસે છે. ન્યાયતંત્ર દ્વારા અજાણે થતા જઘન્ય અપરાધ અને એની અસંગતતાની પણ એક ઇતિહાસ છે. રાજ્યશાસનની ધૂન અને એનો તરંગ પણ ક્યારેક એની પર ચડી બેસે છે. કુરુક્ષેત્રમાં થયેલા મહાભારતથી માંડી વિશ્વયુદ્ધો અને અખાતયુદ્ધની માનવ ઇતિહાસની ગાથા પાછળ સંહારનો કોઈ પણ તર્ક મુકાયો હોય તો તે ન્યાયપૂર્ણ છે એની સર્વાંશે ખાતરી તો ક્યારેય થવાની નથી. આમ તો કોઈ પણ જીવસંહાર પોતે જ કુદરતી ન્યાય વિરુદ્ધની ઘટના છે. તો સ્ટાલિન, હિટલર કે મુસોલિનીએ કરેલા નરસંહારના તર્કનો તો છેડો મળે જ ક્યાંથી? અને એમાં ય હિટલરે કરેલા કરપીણ યહુદીસંહારનું પ્રકરણ તો માનવસભ્યતાના દીર્ઘપટ પર સૌથી વધુ જંગાલિયતભર્યું છે. &lt;br /&gt;
આવી થનારી ઘોર ઘટનાઓ કે ઘટનાઓ પર દોરી જતી દારુણ પરિસ્થિતિઓની ગંધ સમર્થ લેખકની ઇન્દ્રિયોને ન આવે તો જ નવાઈ. લેખકને ક્યારેક અજાણતા પયગંબર કહેવાયો છે તે અમસ્તો નહીં. જર્મન ભાષાનો આવો જ એક પ્રસિદ્ધ કથાકાર ફ્રાન્ઝ કાફકા છે. જર્મનીમાં બનનારી ઉટપુટાંગ તર્કરહિત ઘટનાઓનો અણસાર એના સાહિત્યમાં વેરાયેલો પડ્યો છે. સવારે વહેલા ઊઠીને મોટામસ જીવડામાં પલટાઈ પોતાની દુર્ગતિ જોતો કાફકાની લઘુનવલ ‘રૂપાંતર’નો કારકુન ગ્રેગર સામ્સા હોય, ‘કિલ્લા&#039; સુધી પહોંચી ભૂલભુલામણીમાં અટવાયેલો સંદેશાવાહક હોય કે એક દિવસ સવારે ઓચિંતા અજાણ્યા શખ્સોને હાથે ઝડપાતો બૅન્કમેન હોય બધે જ એના અણસાર છે. &lt;br /&gt;
કાફકાના કથાસાહિત્યમાં સીધેસીધું જગત દેખાતું નથી. આ જગત સ્વપ્ન જેવું ઉટપટાંગ છે છતાં એનો કોઈ ઊંડો અર્થ નીકળતો હોય એવું અટપટું છે ક્યારેક તો સપાટી પરના એકબીજા સાથે ભાગ્યે જ સંકળાય છે એટલે કે દૃશ્યોને દેખીતી રીતે કોઈ એકબીજા સાથે સંબંધ હોય એવું લાગતું નથી. પણ આવા ઉટપુટાંગ જગતમાં ખરેખર તો કાફકાએ આપણી આસપાસના જગતની દુષ્ટતાને મોટી કરીને બતાવી જુદી રીતે આપણું ધ્યાન ખેંચ્યું છે. આપણા એકબીજાના વ્યવહારોમાં રહેલી ક્રૂરતાને કાફકાએ બહુ નજીકથી વર્ણવી છે. &lt;br /&gt;
જર્મન ભાષાની પ્રાહ શહેરની યહૂદી કોમમાં જન્મેલા ફ્રાન્ઝ કાફકાએ ૧૯૦૬માં કાયદાશાસ્ત્રમાં ઉપાધિ મેળવેલી અને કોઈ એક મજૂર કચેરીમાં હોદ્દો લીધેલો. ૧૯૨૪માં એ ક્ષયથી મૃત્યુ પામ્યો ત્યારે પોતાના મિત્ર મેક્સ બ્રોડને એણે પોતાના બધા સાહિત્યનો નાશ કરવા કહેલું. પણ મિત્રે કાફકાની ઇચ્છા વિરુદ્ધ એનું સાહિત્ય પ્રકાશિત કર્યું કાફકા આજે જગતના ઉત્તમ કથાકારોમાંનો એક સાબિત થયો છે. &lt;br /&gt;
કાફકાની કાયદાશાસ્ત્રની ઉપાધિ અને મજૂરકચેરીનો એનો હોદ્દો – આ બંને અનુભવ એની બહુ જાણીતી નવલકથા ‘મુકદ્દમો’ (ધ ટ્રાયલ)માં રૂપાંતર પામીને દાખલ થયો છે. એના કથાસાહિત્યમાં એક પ્રકારની એકલતા, અંદરનો સંઘર્ષ અને શ્રદ્ધા માટેની શોધ જે જોવા મળે છે તે ‘મુકમો’માં પણ જોઈ શકાય છે. આ નવલકથાને ઉત્તમ રીતે ચલચિત્રમાં પણ રૂપાંતરિત કરવામાં આવી છે. એમાં અંધારી ગલીઓ, પડછાયા પાડતા મકાનોના ખૂણાઓ, ખાલી ગોદામના ચિત્રવિચિત્ર વિસ્તારો અને ખરાબ સ્વપ્નની દુનિયામાં પલટી નાંખતો ઝાંખો પ્રકાશ ~~ આ બધું એકદમ ધ્યાન ખેંચે છે. &lt;br /&gt;
‘મુકદ્દમો’ નવલકથા નાયક જોસેફ કે.ની કથા છે. એક સવારે એના ઘરમાં અજાણ્યા બે માણસો આવે છે અને એને ખબર નથી એવા કોઈ ગુના હેઠળ એને કેદ પકડે છે. આ પછી એની પર એક મોટા ગોદામ જેવા મકાનમાં મુકદ્દમો ચાલે છે. પહેલીવાર હકડેઠઠ ભરાયેલી કોર્ટમાં ચિત્ર-વિચિત્ર કાર્યવાહી થાય છે પણ જોસેફ કે. જ્યારે બીજીવાર કોર્ટમાં જાય છે ત્યારે કોર્ટ તદન ખાલીખમ હોય છે. પોતાને શા માટે પકડ્યો છે તે જાણવા માટે જોસેફ કે. એક વકીલને રોકે છે પણ વકીલ એના કરતાં પણ ઓછી જાણકારીવાળો સાબિત થાય છે. આ પછી જોસેફ કે. એક ચિત્રકારની મદદ લેવા તૈયાર થાય છે. એને થાય કે એ કદાચ એને ઉગારી શકે. પણ ચિત્રકાર એવી ભાષામાં વાત કરે છે કે જોસેફ કે.ને કંઈ પલ્લે પડતું નથી ખરે કંટાળી જોસેફ કે. એક પાદરીનો સંપર્ક કરે છે. દર્દીને પણ એના ગુનાની કોઈ ખબર પડતી નથી તે તો પેલા અજાણ્યા બે માણસો આવે છે. જોસેફ કે.ને ધસડે છે અને ઠંડે કલેજે એનું ખૂન કરે છે.&lt;br /&gt;
કોઈ પણ વાંકગુના વગર એક વ્યક્તિને પકડી એની પર માનસિક ત્રાસ ગુજારી એની પર મુકદ્દમો ચલાવી એને ઓચિંતું મારી નાંખનારું આસપાસનું જગત એના જમાનામાં કદાચ અવાસ્તવિક લાગ્યું હશે પણ જર્મનીમાં યહુદીપ્રજાનો વાંકગુના વગર હિટલરને હાથે ક્રૂરસંહાર થયા પછી કાફકાના અવાસ્તવિક જગતનો અર્થ વણઉકલ્યો રહેતો નથી. માનવ સમાજમાં રહેલા ઢંગધડા વગરની કાયદાની વ્યવસ્થાની હાંસી ઉડાડતી આ કથાએ માણસને બહુ નજીકથી જોયો છે. કાફકાની દુઃસ્વપ્નની કથાસૃષ્ટિમાં આપણી દુનિયાનું હાર્દ ધબકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૬&lt;br /&gt;
|next = ૧૯૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AC&amp;diff=60912</id>
		<title>રચનાવલી/૧૯૬</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AC&amp;diff=60912"/>
		<updated>2023-05-09T11:52:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૯૬. ઉલ્લાસભર્યું વિજ્ઞાન (નિત્શે)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણે ‘સત્યમેવ જયતે’ રટતા આવ્યા છીએ, પણ ક્યારેય પૂછતા નથી કે ‘સત્ય શું છે?’ અને એનાથી વધારે આગળ વધી એવું પણ પૂછતા નથી કે ‘સત્ય કોનું છે?’ આવા બે જબરદસ્ત પ્રશ્નો ઉઠાવી બધાં જ મૂલ્યોની ફેરવિચારણા દ્વારા પશ્ચિમના જગતને તળેઉપર કરી નાખનાર ઓગણીસમી સદીના મોટા ફિલસૂફ નિત્શેનું આ મૃત્યુ શતાબ્દીનું વર્ષ છે. ૨૫ ઑગસ્ટ ૧૯૦૦ને દિને અવસાન પામનાર આ ફિલસૂફનું ક્યારેય નહોતું એટલું આજે મહત્ત્વ છે. ઓગણીસમી સદીને અંતે જે પ્રશ્નો આ ફિલસૂફે ઉઠાવેલા એ જ પ્રશ્નો વીસમી સદીના અંતે દોહરાઈને ઊભા છે. આજના સાયબરયુગમાં મૂલ્યો જેવું કાંઈ રહ્યું નથી. ખરાખોટાના ખ્યાલ અંગેનો ભેદ લગભગ ભૂંસાઈ ગયો છે. ટેકનોલોજીએ જબરો ધસારો કર્યો છે. માહિતીએ કાળો કેર વર્તાવ્યો છે. માણસોએ લગભગ ધૂણવા માંડ્યું છે. આ છેડેથી પેલે છે. એમણે દોડાદોડ માંડી છે. આ દોડાદોડ મૂલ્યો વગરની હોડ છે. નિત્શેને એના સમયનું જગત મૂલ્યો વગરનું, અર્થ વગરનું અને તેથી અસહ્ય લાગેલું. એને લાગેલું કે વિજ્ઞાન અને તર્કવાદ-બુદ્ધિવાદે ઈશ્વરને મારી નાંખ્યો છે. માણસોના હૃદયમાં ઈશ્વર મરી પરવાર્યો છે; અને ઇશ્વર વગરનું જગત અર્થહીન છે. &lt;br /&gt;
નિત્શેએ એના ‘ઉલ્લાસભર્યું વિજ્ઞાન’ (ધ ગે સાયન્સ) નામના પુસ્તકમાં બહુ જાણીતી એક દૃષ્ટાંત કથા આપી છે. આ દૃષ્ટાંતકથામાં એક પાગલ સવારના પહોરમાં ફાનસ સળગાવીને બજાર વચ્ચે જાય છે એની વાત છે. &lt;br /&gt;
નિત્શે કહે છે : ‘તમે સાંભળ્યું નથી કે એક પાગલ માણસ ઝળહળતી સવારે ફાનસ સળગાવીને બજાર ભણી દોડ્યો હતો? એ દોડતાં દોડતાં એકસરખી બૂમો મારતો હતો : હું ઈશ્વરને શોધું છું, હું ઈશ્વરને શોધું છું. ઈશ્વ૨માં ન માનનારાઓમાંથી કેટલાક ત્યાં આવીને ટોળે વળીને ઊભા હતા. એ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. એકે કહ્યું ‘આનો અર્થ એ નથી કે તે એને ખોઈ દીધો છે?’ તો બીજો કહે ‘બાળકની જેમ એ રસ્તો ભૂલી ગયો છે કે શું?’ કે પછી સંતાઈ ગયો છે? આપણાથી બી તો નથી ગયો ને? ક્યાંક બીજે તો નથી ચાલ્યો ગયો ને?’ ~ ને એમ એ ટોળું બુમરાણ મચાવતું રહ્યું અને હસતું રહ્યું. પેલો પાગલ માણસ ટોળું ચીરીને એની વચ્ચે જઈને ઊભો અને એણે વેધક નજર નાંખી. &lt;br /&gt;
એ બરાડ્યો : ‘ઇશ્વર ક્યાં ગયો છે એ હું તમને કહું. આપણે ઈશ્વરને મારી નાખ્યો છે. મેં અને સૌએ મળીને ઈશ્વરને મારી નાખ્યો છે. પણ આ આપણે કર્યું શી રીતે? આપણે આખો ને આખો સમુદ્ર પી શી રીતે ગયા? આખું ને આખું આકાશ કઈ રીતે વાદળીથી લૂછી નાખ્યું? સૂર્યથી પૃથ્વીને અલગ કરીને આપણે કર્યું શું? હવે એ ક્યાં જઈ રહી છે? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? બધા સૂર્યથી દૂર? આપણે એકધારા પડી નથી રહ્યા? આગળ, પાછળ, બાજુમાં બધી દિશાઓમાં? હવે કશું ઉપર જેવું કે પછી કશું ડાબા-જમણા જેવું છે ખરું? આપણે અનંત શૂન્યતામાં ભટકી નથી રહ્યા? આપણને સાવ ખાલી અવકાશનો શ્વાસ અનુભવાતો નથી? આ અવકાશ વધુ ઠંડોગાર નથી બન્યો? રાત હવે વધુ ને વધુ વીંટળાતી રહેતી નથી? સવારમાં ફાનસ સળગાવવાં ન જોઈએ? ઈશ્વરને દફનાવતા ઘોરખોદિયાઓનો અવાજ આપણને સંભળાતો નથી? ઈશ્વર સડી રહ્યો છે એની ગંધ આપણને આવતી નથી? ઈશ્વર સુધ્ધાં સડી રહ્યો છે, ઈશ્વર મરી ગયો છે ઈશ્વર મરેલો પડ્યો છે અને એને આપણે જ મારી નાંખ્યો છે. હત્યારાના પણ હત્યારા એવા આપણે આપણને કઈ રીતે સાંત્વન આપીશું? જગતનું આજ સુધીનું જે મહાનતમ અને શુદ્ધતમ હતું એને આપણે જ આપણા છરાઓથી લોહીલુહાણ કરી નાંખ્યું છે? આપણા પરથી આ લોહીના ડાધ કોણ લૂછશે? કયા પાણીએ આપણે ચોખ્ખા થઈશું? કઈ નવી અંત્યેષ્ટિ ક્રિયાઓ હવે શોધી કાઢીશું? &lt;br /&gt;
આ પછી પેલો પાગલ ચૂપ થઈ ગયો. એની આસપાસના સાંભળનારાઓ પણ ચૂપ થઈ ગયા. એની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. પેલા પાગલે એનું ફાનસ જમીન પર ફેંક્યું. ફાનસ તૂટયું, અને બુઝાઈ ગયું. પછી પાગલે કહ્યું ‘હું ખૂબ વહેલો આવ્યો છું. મારો સમય હજી આવ્યો નથી. આ ભયંકર ઘટના હજી ઘટવાની છે. હજી એ આવી રહી છે. હજી એ મનુષ્યોને કાને પડી નથી, વીજળી અને ગર્જના પહોંચતા કાયમ સમય લે છે. તારાઓનું તેજ પણ પહોંચતા સમય લે છે. કાર્યો થઈ ગયાં પછી એ સંભળાય કે દેખાય એ માટે સમય લે છે. આ કાર્યનું અંતર હજી ખૂબ દૂરના તારાઓથી પણ દૂરનું છે.’ &lt;br /&gt;
આ પછી કહેવાય છે કે પાગલ જુદાં જુદાં ચર્ચોમાં ગયો અને એણે મરસિયાં ગાયાં. લોકોએ એને શાંત પાડી જ્યારે જ્યારે બહાર કાઢ્યો ત્યારે એ બોલેલો : ‘આ બધાં ચર્ચો ઈશ્વરની કબરો નથી તો બીજું છે શું?&#039;&lt;br /&gt;
આ દષ્ટાંતકથામાં પાગલ એ બીજું કોઈ નથી પણ જાણે કે નિત્શે પોતે છે. અને બજારના લોકો એ એના સમકાલીનો છે. નિત્શેની સમગ્ર ફિલસૂફીનો પાયો આ દૃષ્ટાંતકથામાં પડેલો છે. નિત્શે હંમેશાં એની આસપાસના જગત પર વિચારતો રહ્યો, જગત જે દેખાય છે એની પાછળ જઈ એ ખરેખર કેવું છે એ એને શોધતો રહ્યો અને નૈતિક મૂલ્યોનું નવેસરથી મૂલ્યાંકન કરતો રહ્યો. અને નૈતિક મૂલ્યોનું નવેસરથી મૂલ્યાંકન કરતો રહ્યો. નિત્શે તો માનતો કે ફિલસૂફનું કામ જ ‘નવાં મૂલ્યો’ને ઊભા કરવાનું છે. નિત્શે માનવજાતિ માટે ઉપાય શોધી ન શક્યો. પણ માનવજાતિના રોગને તો એ બરાબર પારખી શક્યો છે. નિત્શેએ મહામાનવ (સુપરમેન)ની કલ્પના કરી કહ્યું કે જેમ મનુષ્યો વાનરને જોઈને હસે છે તેમ મહામાનવ માનવને જઈને ભવિષ્યમાં હસતો હશે. &lt;br /&gt;
ઈ.સ. ૧૮૪૪માં પ્રેસિયાના રોકેનમાં જન્મેલા નિત્યેની માન્યતા હતી કે નાચતા તારાને અવતારવો હોય તો વ્યક્તિમાં બધું અસ્તવ્યસ્ત જોઈએ. નિત્શેના જીવનનાં છેલ્લાં વર્ષો લગભગ અંદરની અસ્તવ્યસ્તમાં પસાર થયાં હતાં. નિત્શેને એ જમાનાના માણસો ભાગ્યે જ સમજી શક્યા હતા. કેટલાકે એમ કહેલું કે અમે જ્યારે અને સાંભળીએ છીએ ત્યારે આગ પાસે ઊભા હોઈએ તેવો અનુભવ થાય છે. કેટલાક એને દુષ્ટ કહેવાની હદે પણ ગયા છે. એવું કહેવાય છે કે નિત્શે જેના પ્રેમમાં પડેલો એ લૂ સૅલોમ પણ હઠાગ્રહી ફિલસૂફને ચાહતી હોવા છતાં એના જેવા દૃઢાગ્રહી મનુષ્યથી ગભરાઈને ભાગી છૂટેલી. નિત્શે રસપ્રદ રીતે આ અંગે કહે છે : ‘કાંઈ નહીં, ન તો મેં જગત ઘડ્યું છે, ન તો લૂ સેલૉમને ઘડી છે. જો મેં ઘડ્યાં હોત તો બંને લગભગ પરિપૂર્ણતાની નજીક હોત.&#039; જે હો તે, નિત્શેનો ખરેખર ઉદય તો એના અવસાન બાદ થયો છે. એક શતાબ્દી બાદ નિત્શે આધુનિક નહીં પણ આજના અનુઆધુનિક યુગમાં પણ સૌથી વધુ ખપનો ફિલસૂફ પુરવાર થયો છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૫&lt;br /&gt;
|next = ૧૯૭&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AB&amp;diff=60911</id>
		<title>રચનાવલી/૧૯૫</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AB&amp;diff=60911"/>
		<updated>2023-05-09T11:52:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૫. ઈસ્સાના હાઇકુઓ   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘ઈકેબાના’ને નામે ફૂલ ગોઠવવાની કલા, ‘બોન્સાઈ’ને નામે લઘુવૃક્ષો ઉછેરવાની કલા, ‘કરાટે’ના નામે સ્વરક્ષણ માટે શરીરને સશક્ત કરવાની કલા, ‘હા૨ાકીરી’ને નામે કોઈ હેતુ માટે ખપી જવાની કલા - એમ જપાને જાતજાતની રીતે એની સંસ્કૃતિનો પરિચય આપ્યો છે. બરાબર એ જ રીતે જપાનથી ‘હાઇકુ’ને નામે કવિતાની કલા ગુજરાતીમાં ઊતરી છે. પાંચ, સાત, પાંચ અક્ષરોનું અનુક્રમે ત્રણ પંક્તિનું રચાતું હાઇકુ સ્નેહરશ્મિ જેવા કવિના હાથે આપણે ત્યાં ખૂબ પ્રચલિત થયું છે. &lt;br /&gt;
સાત સદી સુધી વિકાસ પામી, સત્તરમી સદીમાં પૂરબહારમાં ખીલેલું આ સાહિત્યસ્વરૂપ લાગણીને વ્યક્ત કરવા અને લાગણીને ઉત્તેજવા માટેનું સ્વરૂપ છે. એમાં માનવકાર્યો કરતાં માનવલાગણી કેન્દ્રમાં છે. હાઈકુમાં બહુ થોડું મૂકેલું હોય છે એને વાચકે ઝાઝુ કરીને વાંચવું પડે છે. એમાંથી ભાતભાતના અર્થ જડતા રહે છે. કારણ એમાં અર્થને ઠાંસી ઠાંસીને ભરેલો હોય છે. &lt;br /&gt;
જપાનના હાઈકુજગતમાં બાશોનું નામ મોટું છે એના પછી બુસોન અને ઇસ્સા બે મોટા કવિઓ છે એમાં ય ઈસ્સા હાઇકુ કવિઓમાં સૌથી વધુ લોકપ્રિય છે બાશોની જેમ એની પાસે પયગંબરી આવેશ નથી કે સોનની જેમ એની પાસે ચમકદમક નથી એટલે એની કવિતા સમજવી અઘરી કે ઓછી લાગણીવાળી બન્યા વગર એના હૃદયની વાતને સીધી મૂકે છે અને તેથી લોકો ઇસ્સાને વધુ ચાહે છે. &lt;br /&gt;
ઇસ્સાનું જીવન એકંદરે દુ:ખી વીત્યું છે. બાળપણમાં જ એને માતા ગુમાવી દીધેલી અને સાવકીમાએ ખાસ્સો ત્રાસ આપેલો છે. કહેવાય છે કે ઈસ્સા નવ વર્ષનો હતો ત્યારે ગામના ઉત્સવમાં બધાં જ બાળકો નવાં કપડાં પહેરીને આવ્યાં ત્યારે ઇસ્સા ચીંથરેહાલ હતો. બાળકો એની સાથે રમ્યા નહીં અને એની આ એકલતાને રજૂ કરવા ઇસ્સાએ લખ્યું : ચકલી આવ / આપણે બે રમીએ / મા વિના સાવ’ ઈસ્સા ચૌદ વર્ષનો થયો એટલે બાપે એને ઘરથી દૂર મોકલી આપ્યો. વીસ વર્ષ સુધી ઈસ્સા ઘર-બહાર ઈડોમાં રહ્યો. ક્યારેક ક્યારેક આવતો ખરો, પણ ઈસ્સા ગરીબનો ગરીબ જ રહેલો. ત્યારબાદ નસીબનું પાંદડું ફરતાં જ્યાં ઇસ્સાને સફળતા મળવા માંડી ત્યાં એનું પિતાનું અવસાન થયું. &lt;br /&gt;
પિતાના અવસાન વખતે ઈસ્સા હાજર હતો અને પિતાએ એને બધી મિલ્કત સુપ્રત પણ કરેલી. તેમ છતાં એની સાવકી મા અને સાવકા ભાઈએ પિતાના વસિયતનામાને ગણકાર્યા વિના ઈસ્સાને કશું પરખાવ્યું નહીં. ઈસ્સા પાછો ઈડો પહોંચ્યો. ધીરે ધીરે એની પ્રતિભાનો સ્વીકાર થવા માંડ્યો પણ એનું હૃદય વતન માટે તલસતું હતું એને ઊંડે ઊડે મિલ્કત અંગે ઇચ્છા પણ હતી એને માટે એ વારંવાર જતો પણ ખરો. આ સંદર્ભમાં એનું એક હાઇકું મળે છે : ‘આવું વતન / અડકું તો ચોગમ / શૂળોનાં વન’ ઈસ્સાને છેવટે મિલ્કત મળી અને ઈસ્સાએ ત્યાં રહેવાનું પણ શરૂ કર્યું. આ દરમ્યાન એના હૃદયની બધી કડવાશ ધોવાઈ ગઈ હતી. એણે પોતે કહ્યું છે કે કોઈ નવો માણસ બની ગયો. પહેલા નવા વર્ષે એ લખે છે : ‘નરી નવાઈ / જન્મઘરે સવારે / વસંત છાઈ’ એ જ વર્ષે ઈસ્સાના એનાથી અડધી ઉંમરની ગ્રામ કન્યા કિકુ સાથે લગ્ન થયા. દસ વર્ષ પછી કિકુનું અવસાન થયું. ઈસ્સા કિકુને ખૂબ ચાહતો હતો. અને તેની સાથેનું એનું સુખી દાંપત્યજીવન હતું. એને પાંચ બાળકો થયાં. પણ બધાં જ નાનપણમાં ગુજરી ગયાં. ઈસ્સાએ લખ્યું છે : ‘ઊડ્યાં ઝાકળ | મલિન વિશ્વ, નહીં | આપણું કામ’ અહીં બાળકોને ઝાકળ કલ્પ્યાં છે અને જાણે કે મલિન વિશ્વમાં પોતાનું કોઈ કામ નથી એમ વિચારીને ઝાકળની જેમ ઊડી ગયાં. &lt;br /&gt;
ઈસ્સાની વેદના કેટલેક અંશે તાત્ત્વિક પણ હતી. એની પાસે બુસોન જેવી અનાસક્તિ નહોતી કે બાશોના જેવી સંપૂર્ણ સ્વીકારની ભૂમિકા નહોતી. એ વખતના પ્રણાલિગત બૌદ્ધધર્મથી એને પૂરો સંતોષ નહોતો. ખરેખર તો ઇસ્સા સતત પ્રણાલિઓ સાથે લડતો રહ્યો છે. અલબત્ત, એના સમયની સામાજિક પ્રણાલિઓ સામેનો એનો બળવો નિષ્ફળ જવા જ સર્જાયેલો હતો. એને ઊંચનીચનો, ગરીબ-તવંગરનો ભેદ ગમતો નહોતો પણ એ અંગે કશું જ કરી શકયો નહોતો. ઘણીવાર તો ગરીબાઈના કારણે એનાં કપડાં હોવા જોઈએ એથી પણ વધુ ચીંથરેહાલ રાખીને એ ફરતો હતો. એ વખતના અમીર ઉમરાવો તરફની એની ઉદ્દંડતા પણ જાણીતી છે. &lt;br /&gt;
હાઈકુના જગતમાં ઈસ્સા ક્રાંતિકારી છે. એની પૂર્વે લખાયેલાં હાઈકુઓથી એનાં હાઈકુ એકદમ જુદાં પડે છે એની હાઇકુની બળવાખોરીને કારણે ઇસ્સાને હાઇકુ શિક્ષકના પદથી પણ અળગો કરવામાં આવેલો. આજે પણ ઘણા એના હાઇકુને હાઇકુ તરીકે સ્વીકારવા તૈયાર નથી પણ ઈસ્સા હંમેશાં એના હાઈકુને મઠારતો રહ્યો છે. &lt;br /&gt;
ઈસ્સાના હાઈકુને સમજાવતા ચ્યુસાકો ત્સુસોદા બતાવે છે કે બાશોના હાઈકુને જો ત્રણ બાજુ છે અને ચિયોના હાઈકુને જો એક બાજુ છે, તો ઈસ્સાના હાઈકુને બે બાજુઓ છે, લાગણીની બાજુને પલટાવતો ઈસ્સાના હાઈકુનો દમામ જોવા જેવો છે : ‘પીગળે હીમ / ને ગામ ઉભરાતું / બાળકટોળે’ આ હાઈકુની પહેલી બે પક્તિ જીવ ઊંચો કરી દે છે. હિમ પીગળતા અને ઉભરાતા ગામ તણાયુંની દુ:ખદ કલ્પના ઊભી થાય ન થાય ત્યાં ત્રીજી પંક્તિ બાળક ટોળાનો પ્રવેશ આપીને ચિત્રને ઉલ્લાસથી ભરી દે છે. ઈસ્સાએ એક હાઈકુમાં ઊડતાં પતંગિયાંઓને અને પિંજરના પંખીને સામસામે મૂક્યાં છે તો પણ એથી આગળ વધીને ઊડતા પતંગિયાઓને જોતા પિંજરના પંખીની આંખને કેન્દ્રમાં મૂકી છે અને એની ઇર્ષ્યાને ચૂપ રાખી છે : ‘પતંગિયાંઓ | જુએ પિંજર પંખી / આંખો જોઈ કે?&#039; ભર ઉનાળાના તડકામાં પર્વતો એની રમણીયતા ગુમાવી બેસે છે અને બોજ જેવા બની જાય છે, એવો સ્નાયુગત અનુભવ કરાવતું એનું હાઇકુ પણ જોવા જેવું છે : ‘શિનાને રસ્તે / શી ગરમી! પર્વત / બનતા બોજ’ ક્યારેક કાગળનું છિદ્ર જેવું ક્ષુદ્ર છિદ્ર પણ કોઈ વિરાટ પટનો અનુભવ કરાવી શકે છે એનો રોમાંચ પણ જોઈ લઈએ : ‘સરસ દૃશ્ય / કાગળ છિદ્રમાંથી / આકાશગંગા’ &lt;br /&gt;
સીધા હૃદય સાથે વાત કરતાં અને હૃદયમાં ઊતરી હૃદયમાં ઠરીઠામ રહેતાં ઇસ્સાનાં હાઈકુ જપાની કવિતાવારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૪&lt;br /&gt;
|next = ૧૯૬&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AA&amp;diff=60910</id>
		<title>રચનાવલી/૧૯૪</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%AA&amp;diff=60910"/>
		<updated>2023-05-09T11:52:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૪. સમ્રાટ ઇડિપસ (સોફક્લિસ)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટી – ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં ભાગ્યે જ સાહસ કરે છે,પણ એ ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલું વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ચિત્રકલા પ્રદર્શન, ચલચિત્ર સમારોહ, કવિ મિલનો અને ગોષ્ઠિઓથી માંડીને પ્રાયોગિક બિનધંધાદારી નાટકોની ભજવણી સુધીનાં સાહસોથી ધબકતું રહે છે. એના પ્રાણરૂપ સુભાષ શાહ છે. સુભાષ શાહના લેખન-દિગ્દર્શન હેઠળ તાજેતરમાં ગ્રીક નાટકકાર સોફક્લિસનું નાટક ‘સમ્રાટ ઈડિપસ’ ભજવાયું, ગુજરાતના પાટનગર અમદાવાદની વાણિજ્યશૂરી પ્રજા વચ્ચે આવા નાટકને હાથ અડકાડવો એ પણ હિંમત માગે છે, તો અહીં તો તાલીમ ન પામેલા ઉત્સાહી બિનધંધાદારી નટ-નટીઓ દ્વારા આ નાટક સૂઝપૂર્વક રજૂ થયું. અમિત વ્યાસે શરીરના અપૂર્વ સૌષ્ઠવથી નાયક ઇડિપસની પ્રતિમા ખડી કરી, નૈમિશ નાણાવટીએ સહજ અભિનયથી ક્રેઓનના પાત્રનું આકર્ષણ સર્જ્યું, તો તરુણા દીક્ષિતે પ્રતાપી રાણી જોકેસ્ટાની વેદનાને જવાબદારીપૂર્વક ઉભારી. આ ત્રણે અદાકારો અમીટ છાપ છોડી ગયા. રંગમંચ પર નહીવત્ સામગ્રી સાથે સંવાદો અને વિષયના મર્મ ઉદ્ઘાટનથી આ નાટક દિલ જીતી લે છે. નાટકમાં વચ્ચે વચ્ચે થતો સામૂહિક મર્મરધ્વનિ ગુંજારવ-જન્મતા કરુણને અને વિકસતા કરણને પોષે છે. આ નાટકના અહીં તો વધુ શૉ થવા જોઈએ, ગુજરાતના અન્ય નગરોમાં પણ એ પહોંચવું જોઈએ. &lt;br /&gt;
હિન્દુઓના પ્રાચીન વેદો જેમ માનવ જાતની મોંઘી મૂડી છે તેમ પ્રાચીન ગ્રીક પ્રજાની ઊંડી આચારનીતિ, સૌંદર્ય રુચિ અને ઉદાત્ત જીવનરીતિ એમાં પ્રતિબિંબિત થાય છે. એમાં ય ગ્રીક કણનાટકોમાં નાયકો દ્વારા અજ્ઞાનને કારણે કે કોઈક ક્ષણિક નિર્બળતાના કારણે થતી ભૂલ કેવા દુર્દેવ તરફ ખેંચી જાય છે એનું દર્શન પ્રેક્ષકોને જીવનના અંતિમ હાર્દમાં લઈ જનારું છે. કરુણનાટકના પ્રણેતા ઇસ્કિલસનાં ‘પ્રોમેશિયસ અનબાઉન્ડ’, ‘એગ્મેમ્નોન&amp;quot;, ‘ઓરેસ્ટિસ’ નાટકો જાણીતાં છે, તો યુરિપિડીઝનાં ‘મિડિયા’ ‘ધટ્રોઝન વિમન’, ‘અલ્સેસ્ટિસ’ નાટકો જાણીતાં છે. સોફક્લિસનાં કરુણ નાટકો આ બાબતમાં બેનમૂન છે. પુરોગામી એસ્કિલસ મનુષ્ય અને ગ્રીકદેવોના સંબંધોને પ્રકાશિત કરે છે એની સામે સોફક્લિસ માત્ર મનુષ્યને કેન્દ્રમાં લાવે છે અને ભયંકર દબાવ હેઠળ મનુષ્ય કઈ રીતે વર્તે છે એની પાત્રલક્ષી કરુણતા ઊભી કરે છે. મનુષ્યનું અજ્ઞાન એ સોફક્લિસના નાટકનું મુખ્ય કથાવસ્તુ છે. &lt;br /&gt;
ઇ.સ. પૂર્વે ૪૯૫-૪૦૯ની વચ્ચે થઈ ગયેલા અને એથેન્સની નજીકના કોલનસમાં જન્મેલા સોફક્લિસે ૧૨૫ જેટલાં કરુણ નાટકો લખ્યાં છે, તેમાંથી સાતક બચવા પામ્યાં છે.’ ઈડિપસ એટ કોલનસ’, ‘ઇલેક્ટ્રા’, ‘ફ્લિક્ટીટીઝ&amp;quot;, ‘આજેક્સ’, ‘એન્ટિગની&#039; જેવાં નાટકોમાં સમ્રાટ ઇડિપસ (ઇડિપસ રેક્સ)નું સ્થાન મોખરે છે. ‘સમ્રાટ ઈડિપસ’ કૃતક શૈલીથી ઉત્તમ શૈલી તરફ ખસેલા ઉત્તરકાલીન સોફક્લિસનું ફરજંદ છે. &lt;br /&gt;
‘સમ્રાટ ઇડિયસ’નું નાટ્યવસ્તુ આવું છે : ઇડિપસ થીબ્ઝના રાજા લાઇઅસ અને એની રાણી જોકેસ્ટાનો પુત્ર છે પણ અન્ય રાજ્યમાં ઊછરીને મોટો થયેલો ઇડિપસ અજાણતા પિતાની હત્યા કરે છે અને દુર્ભાગ્યવશ પોતાની માતાને જ પરણી બેસે છે. માતા દ્વારા એને સંતાનો થાય છે પણ સમય જતાં રાજ્યમાં મહામારી અને ભૂખમરો ઊતરતાં એના કારણની શોધ ઇડિપસને એના પોતાના રહસ્ય તરફ લઈ જાય છે. જોકેસ્ટાને ખબર પડે છે કે પોતાનો પતિ ઇડિપસ પોતાનો પુત્ર છે એ સાથે એ ગળે ફાંસો દઈ લટકી પડે છે, જ્યારે ઇડિપસ પશ્ચાત્તાપમાં પોતાની આંખો ફોડી દેશવટે ચાલ્યો જાય છે. &lt;br /&gt;
અગમ્યગમન કે સપિંડ સંભોગથી ઉત્પન્ન થતી સ્થિતિમાંથી જન્મતો આ નાટકનો કરુણ અકલ્પ્ય છે. નાયક ગમે તેટલું ઇચ્છે તો પણ એ એના દુર્દેવને દૂર કરી શકે તેમ નથી. આ અપરિવર્તનીય કરુણ છે.  આનો કોઈ ઈલાજ નથી. આ યૌનવિષય કે હત્યાનું નાટક નથી. પણ મનુષ્યજ્ઞાનની સીમિતતા અને અસહ્ય યાતના વચ્ચે ટકવાની એની ક્ષમતાનું નાટક છે. પ્રચ્છન્ન રહેતા અગમ્ય અને રહસ્યમય પરિબળો મનુષ્યના ભાગ્યને ઘડે છે. મનુષ્ય ગમે એટલો સારો હોય કે એનો હેતુ ગમે એટલો સારો હોય પણ કુદરતી નિયમનો ભંગ થતાં એને સજા મળે છે. એની યાતના પણ એને વેઠવી પડે છે. મનુષ્ય લાખ ઇચ્છવા છતાં એ વિરાટ નિયતિનું મહોરું બનીને રહી જાય છે. મનુષ્ય હોવાની મનુષ્યને સંવેદનતંત્ર હોવાની અને એ સંવેદનતંત્રને કારણે નીપજતી અપાર વેદના વેઠવાની દુર્નિવાર અભિશાપદશા મનુષ્યને મળેલી છે. એ એનું દુર્દેવ પણ છે અને એ એનું બલ પણ છે. કદાચ વેદના જ મનુષ્યના મનુષ્યત્વનો સાચો પરિચય છે. ગ્રીક નાટકોનો કરુણ મનુષ્ય સંવેદનશીલ તંત્રનો અને છેવટે મનુષ્યના મનુષ્યત્વનો પરિચય આપે છે. &lt;br /&gt;
સામાન્ય રીતે પુત્રની પિતા તરફની અકળ ઇર્ષ્યા અને માતા તરફનું એનું આકર્ષણ જોવા મળે છે, તો પુત્રીની માતા તરફની ઇર્ષ્યા અને પિતા તરફનું આકર્ષણ જોવા મળે છે. આ અકળ વૃત્તિઓને ઓળખાવવામાં મનોવૈજ્ઞાનિક ફ્રોઇડનો ફાળો મહત્ત્વના છે. ફ્રોઈડે પુત્રના માતા તરફના આકર્ષણને માટે આ જ નાટકના પાત્રને ખપમાં લીધું છે અને એને ‘ઇડિપસ ગ્રંથિ’ એવું નામ આપ્યું છે. &lt;br /&gt;
‘સમ્રાટ ઇડિપસ’નો સર્વોત્તમ નાટ્યપ્રપંચ એના વિષયવસ્તુનો પ્રભાવ અને એની ભયાવહતા એને વિશ્વસાહિત્યમાં સમર્થ પ્રશિષ્ટ કૃતિઓ વચ્ચે મૂકી આપે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૩&lt;br /&gt;
|next = ૧૯૫&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A9&amp;diff=60909</id>
		<title>રચનાવલી/૧૯૩</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A9&amp;diff=60909"/>
		<updated>2023-05-09T11:51:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૩. એક્સેસ્ટિસ (યૂરિપિડીઝ)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
રોબર્ટ બ્રાઉનિંગ અને ઇલિઝાબેથ બ્રાઉનિંગની જેમ ટેડ હ્યુજ અને સીલ્વિયા પ્લાથ સાહિત્યકાર દંપતી હતાં. સીલ્વિયા પ્લાથની આત્મહત્યાને કારણે ટેડ હ્યુજની આસપાસ શંકાનું વર્તુળ દોરાયું હતું પરંતુ હ્યુઝના મરણ પછી પ્રકાશિત થયેલો એનો ગ્રીક નાટકકાર યુરિપિડિઝના નાટકનો અંગ્રેજી અનુવાદ ટેડ હ્યુજના પતિ તરીકેના વિશ્વને ઠીક ઠીક ખોલી આપે છે. હ્યુઝે યૂરિપિડીઝના નાટક એક્સેસ્ટિસનો માત્ર અનુવાદ નથી કર્યો પણ જરૂર પડી છે ત્યાં એમાં ફેરફારો કર્યા છે, કેટલુંક છોડી દીધું છે, કેટલુંક ઉમેર્યું છે અને દૃષ્ટિબિંદુઓ પણ બદલ્યાં છે. એક રીતે કહો તો હ્યુજે રૂપાંતર આપ્યું છે એમાં એણે મનુષ્યનો વિજય અને મૃત્યુ પર થતી પ્રેમની સરસાઈને આગળ મૂક્યાં છે. આમ તો હ્યુજ એની ઊંડી લાગણીઓને પ્રગટ કરવા માટે એની કવિતામાં પંખીઓ, પ્રાણીઓ, જંતુઓ અને પ્રકૃતિનાં દૃશ્યોની મદદ લે છે. બરાબર એ જ રીતે હ્યુજે જ્યારે જ્યારે ગ્રીક પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદ કર્યા છે ત્યારે ત્યારે એ સર્વને એણે પોતાના હેતુઓમાં ઢાળ્યા છે. &lt;br /&gt;
ગ્રીક નાટકકારોમાં યુરિપિડીઝ વિવાદાસ્પદ નાટકકાર રહ્યો છે અને એનું ‘એક્સેસ્ટિસ’ નાટક પણ ખાસ્સું વિવાદાસ્પદ રહ્યું છે. ૧૯૬૮માં જ્હોન વિલ્સને તો આ ગ્રીક નાટક પરનો જાતજાતનો વિવાદ ઊભો કરતા લેખોનું સંપાદન કરેલું છે કહેવાય છે કે યુરિપિડિઝનું આ નાટક વિવેચકો માટે રણાંગણ બની ચૂક્યું છે. આ નાટક સુખાન્ત કહેવાય કે દુઃખાન્ત કહેવાય એની ચર્ચા એકધારી ચાલી છે. કેટલાકે એમાં સુખાન્ત નાટક અને દુઃખાન્ત નાટકને એક સાથે પણ જોયાં છે. &lt;br /&gt;
આપણે ત્યાં સત્યવાન અને સાવિત્રી મારફતે કે પશ્ચિમમાં ઓર્ફિયસ અને યુરિડિકે મારફતે આ નાટકનું વસ્તુ જાણીતું છે, જેમાં પતિ કે પત્નીમાંથી કોઈ એક મૃત્યુ પામે અને પછી એને મૃત્યુ પાસેથી છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવે. આ નાટકમાં પણ રાજા એડમીટસને મૃત્યુથી બચાવવા માટે રાણી એલ્સેસ્ટિસ સ્વેચ્છાએ પોતાના પ્રાણની આહુતિ આપે છે, અને પછી પરાક્રમી મિત્ર હેરબ્લિઝ એક્સેસ્ટિસને મૃત્યુના મોમાંથી પાછી લાવે છે. &lt;br /&gt;
મૂળકથા પ્રમાણે પોતની દીકરી એક્સેસ્ટિસને પરણવા માગતા થેસાલીના ફીરી પ્રદેશના રાજવી એડમીટસ સમક્ષ પિતા પેલિયાસ શરત મૂકે છે કે સિંહો અને રીંછો જોડેલા રથમાં જો એડમીટસ આવે તો જ એક્સેસ્ટિસ પરણાવું. એડમીટસ આ શરત દેવ એપોલોની મદદથી પૂરી કરે છે. આ પછી દેવ એપોલો ભાગ્યદેવીઓને સહમત કરે છે અને જો એડમીટસના પિતા, માતા કે એની પત્ની એને માટે મરવા તૈયાર હોય તો એડમીટસને મૃત્યુથી ઉગારવા માંગે છે. એડમીટસના બદલે પત્ની એક્સેસ્ટિસ મૃત્યુ પામે છે પણ હેરક્લીઝ એને મૃત્યુ લોકમાંથી છોડાવી લાવે છે. &lt;br /&gt;
યૂરિપિડીઝના ટૂંકા નાટકના પહેલા અડધા ભાગમાં દેવ એપોલોની પ્રસ્તાવના રજૂ થઈ છે અને પછી એપોલો અને મૃત્યુ વચ્ચે વિવાદ થાય છે. મૃત્યુ એલ્સેસ્ટિસને લેવા આવ્યું છે. દેવ એપોલો કહે છે કે એ શક્ય નથી, પણ મૃત્યુ એસ્ટેસ્ટિને લઈ જવા મક્કમ છે. આ પછી ઘેરા શોકના વાતાવરણમાં દૃશ્ય ખૂલે છે, જેમાં એક્સેસ્ટિસ ધીમે અવસાન પામી રહી છે. એ પતિ અને સંતાનોની વિદાય લઈ રહી છે. સંતાનોની ઉપેક્ષા ન કરવા અને બીજીવાર લગ્ન ન કરવા એક્સેસ્ટિસ પતિને ભાવવિવશ બની સમજાવી રહી છે, અને મૃત્યુને નજીક આવતું જોઈ રહી છે. આ દૃશ્ય પછી જે વૃદ્ધ પિતાએ એડમીટસને બદલે મૃત્યુ પામવાની ના કહી હતી તે એની સાથે એડમીટસનો ઉગ્ર વિવાદ ચાલે છે છેવટે એડમીટસ ખાલી ખંડમાં અંત્યેષ્ટિ પછી પાછો ફરે છે. &lt;br /&gt;
નાટકના પછીના અડધા ભાગમાં શોકમગ્ન વાતાવરણ વચ્ચે પરાક્રમી હેરક્લીઝનું આગમન થાય છે. હેરક્લીઝ એના માલિક યૂરિસ્થીઅસ સોંપેલાં પરાક્રમોને પૂરાં કરવાં નીકળ્યો છે અને અહીં થોભ્યો છે. એક સારા મિત્ર તરીકે એડમીટસ પોતાની પત્નીના અવસાનના સમાચાર હેરક્લીઝને પહોંચે અને એના સત્કારમાં બાધા આવે એવું નથી ઇચ્છતો પણ છેવટે હેરક્લીઝને એક્સેસ્ટિસની કબર પાસે જઈ, મૃત્યુની સાથે બાથ ભીડીને વિજય મેળવીને પુત્રીને દોરતા પિતાની અદામાં પાછો ફરે છે અને આવરણમાં રાખેલી મૂંગી એક્સેસ્ટિસને એની ઓળખાણ આપ્યા વગર એડમીટસને ભેટ ધરે છે. એડમીટસને તંગ કરવા રહસ્યને થોડીવાર એ પકડી પણ રાખે છે. &lt;br /&gt;
હ્યુજે રૂપાંતર કરતી વેળાએ ત્રણ મહત્ત્વના ફેરફારો કર્યા છે. એડમીટસને જ્યારે દેવ એપોલોએ વચન આપ્યું કે તારે બદલે જો તારા પિતા, તારી માતા કે તારી પત્ની મૃત્યુ પામવા તૈયાર હોય તો તને મૃત્યુથી બચાવી શકાય. આથી એડમીટસે પ્રયત્ન કર્યો પિતા અને માતામાંથી કોઈ તૈયાર થતું નથી. છેવટે એની પત્ની એલ્સેસ્ટિસ એને માટે મરવા તૈયાર થાય છે. આ પ્રકારે પોતાના મૃત્યુ માટે આજીજી કરતા એડમીટસને બદલે હ્યુજે આ કામ દેવ એપોલોને સોંપ્યું અને એમાં ય એપોલોને પણ એલ્સેસ્ટિસને પૂછવું નથી પડ્યું. ખુદ એલ્સેસ્ટિસ સ્વેચ્છાએ મરવા માટે આગળ આવે છે. ઉપરાંત એલ્સિસ્ટિસ મૃત્યુ બિછાને છે ત્યારે યૂરિપિડીઝ એડમીટસ પાસે એવું કહેવડાવે છે કે કોઈ કારીગર પાસે એલ્સેસ્ટિસનું હૂબહૂ પૂતળું તૈયા૨ કરાવશે અને એ રીતે પત્નીના અભાવને ભૂલશે. પરંતુ હ્યુજ આ કામ દેવ ગરવાઈથી મૂકે છે : ‘હું શું કરીશ? કારીગર પાસે તારું પૂતળું રચાવીશ? મારી શય્યામાં મૂકીશ અને એને એક્સેસ્ટિસ કહીશ? ભયંકર, ભયંકર, તું એ ક્યારેય હોઈ શકે નહીં.’ યુરિપિડીઝમાં તો મૃત્યુ પામેલી પત્નીને અવેજીરૂપે કોઈકને સ્વીકારવાની આડકતરી વાત છે આ ભાગને હ્યુજે ઉગારી લીધો છે. &lt;br /&gt;
હ્યુજે ગ્રીક નાટકના રૂપાન્તર દ્વારા એ બતાવવા - પ્રયત્ન કર્યો છે કે શરૂમાં સ્વાર્થી દેખાતો એડમીટસ અન્તમાં જુદો બની જાય છે એને સમજાય છે કે પત્નીના જીવનના બદલામાં પોતાને મળેલ જીવનદાનનો પત્નીના અભાવમાં કોઈ અર્થ રહેતો નથી. નાટકની પરાકાષ્ટારૂપે એ ઉચ્ચારે છે : ‘હવે હું સમજ્યો.’ હ્યુજે પતિ અને પત્નીના સંબંધનો આદર્શ રજૂ કર્યો છે અને માનવ યાતના તરફની દેવોની ઠંડી ક્રૂરતા માટે ફરિયાદ ઉઠાવી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૨&lt;br /&gt;
|next = ૧૯૪&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A8&amp;diff=60908</id>
		<title>રચનાવલી/૧૯૨</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A8&amp;diff=60908"/>
		<updated>2023-05-09T11:51:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૨. ઓડીસી (હોમર)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આધારસ્થંભ જેમ ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેવાં મહાકાવ્યો છે, તેમ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના આધારસ્થંભ જેવાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ મહાકાવ્યો છે. યુરોપની પ્રજાનો એમાં મૂલ્યવાન અનુભવ પડેલો છે. ઈ.સ. પૂર્વે આઠમી નવમી સદીથી આજ સુધી એ માનવઇતિહાસ, માનવકેળવણી અને માનવ સંવદનાનો વારસો રહ્યાં છે એટલું જ નહિ યુરોપીય સાહિત્યના માપદંડ રહ્યાં છે. આ બે મહાકાવ્યોએ ઊભાં કરેલાં ધોરણો અને વિચારધારાથી યુરોપીય સાહિત્ય મપાતું રહ્યું છે. &lt;br /&gt;
આ બે મહાકાવ્યોનો રચનાર ગ્રીક મહાકવિ હોમર છે. અલબત્ત, આ મહાકવિ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. એના જન્મસ્થળ અંગેની અને એના સમય અંગેની અનેક ધારણાઓ આગળ ધરવામાં આવી છે એટલું જ નહીં ‘ઓડિસી’માં ટ્રોયના પતન અંગે ગીત લલકારતા એક અંધ રાજકવિ ડિમોડકસને ધ્યાનમાં રાખીને પરંપરાથી એવી માન્યતા પણ ચાલી આવે છે કે હોમર અંધ હતો. હોમરનાં હોવા વિશે પણ શંકા ઉઠાવવામાં આવી છે કેટલાક કહે છે કે બે મહાકાવ્યો હોમરનાં નથી પણ પ્રજાનાં સામૂહિક સાહસો છે. તો કેટલાક વળી એવું કહે છે કે બંને મહાકાવ્યો શૈલીમાં બહુ જુદા હોવાથી એક જ હાથે લખાયેલાં નથી પણ આજના વિવેચકોએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે બંને મહાકાવ્યો હોમરનાં જ છે અને હોમરની જુદી જુદી વયે લખાયા હોવાથી જીવનની બદલાયેલી દૃષ્ટિ અને જુદી શૈલીનો એમાં પરિચય થાય છે. જોવાની વાત એ છે કે હોમરનાં હોવા કે ન હોવા વિશે પડકાર થયો છે, પણ આ મહાકાવ્યોનું જે ભર્યું ભર્યું કાવ્યત્વ છે એની સામે કોઈએ પડકાર કર્યો નથી, કરી શકે તેમ પણ નથી. &lt;br /&gt;
હોમરે પહેલાં ‘ઇલિયડ’ લખ્યું છે, જેમાં ટ્રોયના પતનની કથા છે; જ્યારે ‘ઓડિસી’માં ટ્રોયના પતન પછીના દશ વર્ષથી શરૂ થતી ઓડિસ્યૂસ અંગેની કથા છે. એમાં મુખ્યત્વે ઓડિસ્યૂસના રખડપાટની કથા છે.&lt;br /&gt;
ઓડિસ્યૂસ ઇથાકાનો રાજા છે. પોતાના મોટા લશ્કર સાથે એ એગમેમ્નોન સાથે જોડાઈ રહ્યો છે અને એગમેમ્નોન મેનેલાઅસને હેલન પાછી સોંપવા ટ્રોયનગર પર જબરો હલ્લો કરવા જઈ રહ્યો છે. દશ વર્ષના લોહિયાળ યુદ્ધ બાદ નગર પડે છે અને અકીઅન યોદ્ધાઓ ઘર તરફ દરિયાઈ માર્ગે પાછા ફરે છે. ઓડિસ્યૂસ મહાકાવ્યનો પ્રારંભ થાય છે ત્યારે ટ્રોય પડ્યાને દશ વર્ષ વીતી ગયાં છે. &lt;br /&gt;
પણ ઓડિસ્યૂસ હજી સુધી ઘેર પાછો ફર્યો નથી. બીજા બધા જ યોદ્ધાઓ સહીસલામત પોતપોતાને વતન પહોંચી ગયા છે. અથવા તો યુદ્ધમાં ખપી ગયા છે પણ ઈથાકાના રાજા ઓડિસ્યૂસ અંગે કોઈ સમાચાર નથી. &lt;br /&gt;
ઓડિસ્યૂસની ગેરહાજરીમાં ઇથાકાના ઉમરાવો અને ઈથાકારાજ્ય નજીકના ઉમ૨ાવો લાલચુ નજરે ઇથાકાના મહેલમાં એકઠા થયા છે એમને એમ છે કે કેમ કરીને ઓડિસ્યૂસની પત્ની પનેલપીનું મન ઓગળે અને એમના પર રીઝે. પણ પતિપરાયણ પનેલપી પોતાના પતિના સ્મરણમાં ખોવાયેલી અને પુર્નલગ્ન ઇચ્છતી નથી આ બાજુ ઉમરાવો પનેલપીનું મન ફરે એની રાહ જોતા બેઠા છે અને પોતાના એશઆરામ અને વિલાસમાં રાજ્યનાં નાણાં વેડફી રહ્યા છે ઉપરાંત ચાકરોને ભ્રષ્ટ કરી રહ્યા છે પણ ઓડિસ્યૂસનો પુત્ર ટેલિમેક્સ જેવો મોટો થયો કે તરત જ એ જુદા જુદા અકીયન રાજાઓનો સંપર્ક કરે છે અને પોતાના પિતા જીવે છે કે નહીં એ વિશે જાણવા કોશિશ શરૂ કરે છે. &lt;br /&gt;
આ દશ વર્ષ દરમ્યાન ઓડિસ્યૂસ જગતમાં રખડે છે. દરિયાઈ દેવ પસીડન એના પર યાતના પર યાતના ગુજારતા રહે છે પણ ઓડિસ્યૂસ માન્યામાં ન આવે એવાં પરાક્રમો અને સાહસો સાથે બહાર આવે છે. ઓડિસ્યૂસનું વહાણ અને એના બધા માણસોનો નાશ થાય છે પણ એના બહાદુર સૈન્યમાંથી એ એકલો બચેલો હોવા છતાં પૂરેપૂરો ઝઝૂમે છે. આખરે ફીએશિયનોના રાજાની સહાયથી એ ઈથાકા પહોંચે છે. &lt;br /&gt;
ઓડિસ્યૂસ દેવી અથીનીને પ્રિય હોવાથી અથીની પણ એને મદદ કરે છે અને એ રીતે ઓડિસ્યૂસ ઉમરાવોને સજા આપી ફરીને પોતાને ઈથાકાના રાજા તરીકે સ્થાપે છે. પુત્ર ટેલિમેક્સ અને પિતા ઓડિસ્યૂસનો મેળાપ થાય છે. &lt;br /&gt;
‘ઓડિસી’ કથામાં ઓડિસ્યૂસ એકલો ભાગ્યને જીતવા મથે છે અને સફળતાપૂર્વક દેવો, મનુષ્યો અને પ્રકૃતિની સામે વિજય હાંસલ કરે છે. કોઈ એક સમર્થ વ્યક્તિના અનુભવો અને વ્યક્તિત્વ પર અહીં ધ્યાન કેન્દ્રિત હોવાથી આ મહાકાવ્ય ઉત્તમ પ્રકારે ગૂંથાયેલું લાગે છે. હોમરની ઉપમાઓ પણ આપણા કાલિદાસ કવિની ઉપમાઓની જેમ આકર્ષક છે. વળી, આ મહાકાવ્ય મૌખિક પરંપરાનું હોવાથી એમાંના છંદ, એમાં આવતાં વિશેષણો એમાં આવતી બોલચાલની છટાઓ, એમાં આવતાં પુનરાવર્તનો પણ એને સુન્દર બનાવે છે. આજે તો પુરાતત્ત્વવિદોના સંશોધનને કારણે, ગ્રીક લેખકોની મથામણને કારણે અને તુલનાત્મક તેમજ નૃવંશશાસ્ત્રીય અભ્યાસોને કારણે એવું પણ સાબિત થયું છે કે ટ્રોય નામનું નગર હતું અને વિનાશકારી યુદ્ધ પણ થયું હતું. આમ આ મહાકાવ્ય માનવઇતિહાસની કડી પણ બની શક્યું છે. &lt;br /&gt;
સૌ પ્રથમ નર્મદે હોમરનાં બંને મહાકાવ્યોનો સાર ‘નર્મગદ્ય’માં આપેલો છે અને તાજેતરમાં હોમરના બીજા મહાકાવ્ય ‘ઇલિયડ&amp;quot;નો જયંત પંડ્યાનો ગુજરાતી પદ્યાનુવાદ પ્રાપ્ય બન્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૧&lt;br /&gt;
|next = ૧૯૩&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A7&amp;diff=60907</id>
		<title>રચનાવલી/૧૯૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A7&amp;diff=60907"/>
		<updated>2023-05-09T11:51:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૯૧. ખુલાસાનોંધ (જમાલ કમાલ)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મધ્ય એશિયામાં પહેલાં જે તુર્કિસ્તાન હતું એ ૧૯મી સદીમાં રશિયાના ઝારના હાથમાં ગયું અને છેવટે ચીન અને રશિયા વચ્ચે વહેંચાયુ. તુર્કિસ્તાનનો પૂર્વભાગ ચીનના તાબામાં અને પશ્ચિમભાગ રશિયાના તાબામાં ગયો. રશિયાની ૧૯૧૭ની બોલ્શેવિક ક્રાંતિ પછી પણ તુર્કિસ્તાનનો છૂટકારો ન થયો. તુર્કિસ્તાનનું રશિયાકરણ થતું રહ્યું. ૧૯૨૪માં તુર્કિસ્તાનનો વિલય કરીને કઠપૂતળી જેવા ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન કિર્ધિઝસ્તાન તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, જેવાં પ્રજાસત્તાકો ઊભાં કરવામાં આવ્યાં પણ પ્રજાસત્તાકોની ભૌતિક સંપત્તિ અને એમની આંતરિક સંપત્તિનાં ધોવાણો ચાલુ રહ્યાં. પ્રજા રશિયન શાસકોથી ત્રસ્ત રહી. પ્રજાસત્તાકના પ્રતિનિધિઓ પર રશિયાનો અંકુશ કેવો હશે એનો અંદાજ તો એક જ પ્રસંગથી આવે એવો છે. પ્રમુખ ઇસ્લામ કારિપોવે ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન પૂર્ણ સ્વતંત્ર થયાની ઘોષણા કરી ત્યારે ત્યાંની સંસદમાં સન્નાટો છવાઈ ગયો. પ્રમુખે કહ્યું ‘શી વાત છે, કોઈ તાળીથી આ વાતને વધાવતું પણ નથી?’ ત્યારે તાળીઓના ગડગડાટથી અને શોરથી વાતને વધાવી લેવામાં આવી. તુર્કિસ્તાનનો ઇતિહાસ તો બધાં શાસનો દરમ્યાન રફેદફે થયો છે, એની સંસ્કૃતિ એની પાસેથી લગભગ ખૂંચવી લેવામાં આવી છે. આવી પ્રજાની વેદના વિશિષ્ટ છે. આ વેદનાને પોતે સમજે તો ય બીજાને પહોંચાડવાની મથામણ લગભગ નિષ્ફળ જાય તેવી છે. &lt;br /&gt;
૧૯૩૮માં જન્મેલા ઉઝબેકિસ્તાનના કવિ જમાલ કમાલે આ સ્થિતિને પોતાની રચના ‘ખુલાસાનોંધ’માં મૂકી છે. જમાલ કમાલે બુખારાની ઇન્સ્ટિટયૂટમાં સાહિત્યનો અભ્યાસ કર્યાં છે. ૧૯૭૨થી ભાષાના ક્ષેત્રમાં સંશોધન આરંભ્યું છે. તાશ્કંદની ભાષા અને સાહિત્યની સંસ્થામાં કામ કર્યું, ગુલામ પ્રકાશનમાં મુખ્ય સંપાદક તરીકે પણ સેવા બજાવી. ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન લેખક યુનિયનના નિયામક તરીકે એમની વરણી થયેલી. &lt;br /&gt;
‘જગત મારા હૃદયમાં પ્રવેશે છે.’ (૧૯૬૮), ‘હસન અને ચાંદ&#039; (૧૯૭૪) ‘પીધે રાખતો પ્યાલો’ (૧૯૮૦) વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમની રચના ‘ખુલાસા નોંધ’માં દૂર દૂરના ભૂતકાળની પેઢીઓથી માંડી આવનારી પેઢીઓને સાંકળીને ચાલે છે. સતત સમજાવવાની અને સમજ્યા છતાં અને લાખ પ્રયત્ન છતાં સમજને બીજાઓ સુધી ન પહોંચાડવાની મનુષ્ય જાતિની અશક્તિને એમાં બરાબર દર્શાવી છે. એમાં રશિયાના સંસ્થાનશાસક અમલદારો પરનો કટાક્ષ પણ બરાબર ઊતર્યો છે. રચનાનો પ્રારંભ જ ધ્યાન ખેંચે છે : ‘મારી જૂની તરકીબ અજમાવીને / ફરીને મેં આજે ખુલાસાનોંધ લખી નાંખી છે | અગડંબગડું શબ્દોની મદદથી / મેં કશુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.’ અહીં કોઈ ભૂલ થઈ હોય અને ખુલાસો માગ્યો હોય એવી સ્થિતિ છે જ, પણ કોઈ પણ વાતને વ્યક્ત કરવામાં શબ્દો ઓછા પડે છે એની મૂંઝવણ પણ દાખલ કરી છે. મજા તો ખુલાસાનોંધ જ્યારે ઉપરી અધિકારી પાસે પહોંચે છે ત્યારે જે બને છે તેમાં છે : ‘મારા ઉપરી અધિકારીએ મારી સામે તાકીને જોયું / પણ ખુલાસાનોંધ તૈયાર હતી / અને મને કોઈ ઈજા પહોંચે એમ નહોતી / એ કશું બોલ્યો નહીં એ પણ કોઈને / ખુલાસા નોંધ લખવા માંડ્યો બિચારો!&#039; રાજવહીવટી તંત્રની યાંત્રિકતા અને જડતાને કવિએ અહીં અડફેટે લીધી છે. &lt;br /&gt;
પણ પછી કવિ કહે છે : ‘ધારો કે આ વાત અટકે તો પણ જિંદગી આસાન બની જાય તેમ નથી. કા૨ણ હજારો વર્ષોથી માણસો ખુલાસા નોંધ લખી રહ્યા છે.’ કવિ ઇતિહાસમાં પહોંચે છે. કહે છે : ‘દૂર દૂરની આવનારી પેઢીઓને સંબોધીને / માણસે પથ્થરો પર લખાણો કર્યે રાખ્યાં’ ને પછી ઇતિહાસમાંથી કવિ સીધો વર્તમાનમાં આવે છે. ‘અદ્યતન છાપાઓ સામયિકો, પુસ્તકો એ હકીકતમાં એકજાતની ખુલાસાનોંધો જ નથી?&amp;quot; અણગણ સિરનામાઓ પર અને કચેરીઓ પર ખુલાસાનોંધો લખાતી રહે છે. વહાણોનાં વહાણો અને વિમાનોનાં વિમાનો ભરીને જગત ખુલાસાનોંધો મોકલે રાખે છે અને ત્યાં ન અટકતા, દૂરદૂરના તારાઓ અને ગ્રહો સુધી ખુલાસાનોંધો મોકલાતી રહે છે.’ &lt;br /&gt;
ટૂંકમાં માણસ કાગળ ચીતર્યે રાખે છે, પત્રો લખે રાખે છે. કવિ કહે છે આમ છતાં માણસની દશા તો જુઓ. આટઆટલી નોંધો આટઆટલા કરારો, પ્રસ્તાવો પછી પણ જગતમાં આટઆટલી દુશ્મનાવટ, આટઆટલો વિખવાદ અને અવિશ્વાસ છે. ખરી વાત તો એ છે કે આટઆટલા પ્રયત્ન છતાં બે વ્યક્તિ પણ ક્યારેય એકબીજાને સમજી શકી છે? &lt;br /&gt;
તો, ભૂતકાળની પેઢીએ એની પછીની પેઢીઓ માટે લખ્યું અને વર્તમાન એની પછીની ભવિષ્યની પેઢીઓ માટે લખતો રહેશે તો પણ જગતમાં એકબીજાની સમજમાં વધારો નહીં થાય. માણસો માણસો વચ્ચેની ગેરસમજ અને એ ગેરસમજથી ઊભાં થતાં નર્કોનો કોઈ હિસાબ નથી. વિપ્લવ, યુદ્ધ, હિંસા, અત્યાચારના મૂળમાં સંદેશાઓ ન પહોંચ્યાનો અભાવ છે. કૃષ્ણ કહી ગયા, બુદ્ધ કહી ગયા, ઈશુ કહી ગયા, ગાંધી કહી ગયા પણ બધા સંદેશાઓ ક્યાં ગયા? મનુષ્યજાતિની કરુણતાને લક્ષમાં રાખીને છેલ્લે કવિ કહે છે : ‘મારા ઉદાર સમકાલીનો / માત્ર તમારા વંશજને માફી બક્ષો / એ જગતને સમજી શક્યો ખરો / પણ સમજાવવામાં કામયાબ ન રહ્યો.’ &lt;br /&gt;
‘ખુલાસાનોંધ’ રચના, આજે ટેકનિકલ યુગમાં લાખો કરોડો સંદેશાઓની દોડધામ વચ્ચે વ્યર્થ જતા આંતરિક સંદેશાઓની કથા કહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૯૦&lt;br /&gt;
|next = ૧૯૨&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6&amp;diff=60906</id>
		<title>રચનાવલી/૧૯૦</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AF%E0%AB%A6&amp;diff=60906"/>
		<updated>2023-05-09T11:50:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૯૦. આઉત્સવિત્સામાંથી ઉગાર (પ્રિમો લેવી)     |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા વિશ્વયુદ્ધની હારોહાર લાખો નિર્દોષ યહૂદીઓને મૃત્યુ છાવણીમાં ધકેલી હિટલરે ગેસચેમ્બરમાં હોમ્યા એ એવી માનવજાતની ઘોર યાતનાકથા છે કે એ મૃત્યુ છાવણીમાંથી રડ્યા ખડ્યા બચીને પાછા ફરેલાંઓને ત્યાંના નજરે જોયેલા રાક્ષસીકૃત્યોએ અવાક કરી દીધેલાં. વર્ષો સુધી તો આ વાત માનવા કોઈ તૈયાર નહોતું. ઈટાલીના પ્રિમો લેવી એવા એક લેખક છે જેણે ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું કે તરત ૧૯૪૭માં ‘આઉશવિત્સમાંથી ઉગરેલા&#039; (સર્વાયવલ ઇન આઉશવિત્સ) જેવું પુસ્તક લખ્યું. આઉશવિત્સ હિટલરે ઊભી કરેલી અનેક મૃત્યુ છાવણીઓમાંની એક છાવણી હતી અને એનાં વીતકની એમાં કથા હતી. પણ વાચકો મળ્યા નહીં. પુસ્તકની ૨૫૦૦ નકલમાંથી થોડીક ખપી અને બાકીની પૂરમાં તણાઈ ગઈ. ૧૯૫૮માં કોઈ પુસ્તક પ્રકાશકે એને ફરીને છાપ્યું. સફળતા મળી અને એનાથી પ્રોત્સાહિત થઈને પ્રિમોએ બાકીની વીતક એના બીજા પુસ્તક ‘વિલંબ’માં રજૂ કરી. આમ તો ઇટાલિયન પ્રિમો લેવીના કોઈ પણ લખાણ પર આઉશવિત્સની મૃત્યુછાવણીના ઘેરા પડછાયા પથરાયેલા છે. &lt;br /&gt;
ઈટાલીના ત્યૂરિનમાં ૧૯૧૯માં જન્મેલા પ્રિમો લેવી જર્મનોનું આક્રમણ થતાં યહુદીઓએ પ્રતિકાર કરવા માટે રચેલી ટુકડીમાં સભ્ય બને છે અને લગભગ ત્રણ મહિના સુધી આલ્પસ પર્વતની તળેટીમાં સશસ્ત્ર ઝૂઝે છે પણ અંતે ફાસિસ્ટોએ દગો કરતા એમની ટુકડી પકડાઈ ગઈ. પ્રિમો લેવીને ૬૪૯માં યહુદીઓ સાથે આઉશવિત્સની મૃત્યુછાવણીમાં મોકલી આપવામાં આવે છે. ત્યાં પ્રિમો પર ૧૭૪૫૧૭ કેદી નંબર છપાય છે. ૧૯૪૫માં જર્મનીઓ મૃત્યુ છાવણી વિખેરી નાંખી ત્યાં સુધી પ્રિમો આઉશવિત્સમાં રહે છે. ૬૪૯માંથી માત્ર ૨૩ બચેલાઓ સાથે પ્રિમો યુક્રેન, રોમાનિયા, હંગેરી જર્મનીમાં રઝળતાં રઝળતાં અંતે ટ્યૂરિન પહોંચે છે. પ્રિમોના કહેવા પ્રમાણે વીસ મહિના ‘બહુ રંગી’ જીવન પછી એનું ‘એક રંગી’ જીવન શરૂ થાય છે.&lt;br /&gt;
પ્રિમો મૂળે રસાયણના જાણકાર હતા અને પરણીને કોઈ સ્થાનિક રંગની કંપનીમાં સ્થિર થાય છે પણ વીસ મહિનાનો પાશવી અનુભવ પ્રિમોને અંદરથી ઠરવા દેતો નથી. યુદ્ધ અને હીટલરનાં કરપીણ કૃત્યોથી પ્રિમોનું યહુદીપણું સતેજ થાય છે : ‘આ બેવડો અનુભવ આ જાતિદ્વેષના નિયમો, અને મૃત્યુ છાવણી સ્ટીલની પ્લેટ પર કશુંક અંકાય એમ જડબેસલાખ અંકાઈ ગયાં છે. આ ક્ષણે હું યહુદી છું. ડેવિડનો તારક એમણે મારાં કપડા પર સીવ્યો નથી, મારા પર સીવ્યો છે.’ &lt;br /&gt;
આ પછી આઉશવિત્સનો એક અનુભવ હંમેશાં આઉશવિત્સ એક સ્મરણ તરીકે પ્રિમોમાં ઘુમરાયા કરે છે. અલબત્ત જર્મનોને યહુદીઓના કરેલા નરસંહાર પછી કોઈ સાહિત્ય રચાવું શક્ય જ નથી – એવી એક તીવ્ર લાગણી છતાં ઘણાઓ દ્વારા ‘હોલોકોસ્ટ’ - નરસંહાર પર લખાતું રહ્યું છે. કોઈકે દારુણ વ્યથાથી લખ્યું છે, કોઈકે પ્રબળ ક્રોધથી લખ્યું છે, કોઈકે વક્રતાથી લખ્યું છે, કોઈકે રગ્ણતાથી લખ્યું છે. પરંતુ, આ બધામાં પ્રિમો લેવીનું લખાણ એની ટાઢી સંવેદનશીલતાના કારણે જુદું પડી જાય છે. પ્રિમો રસાયણશાસ્ત્રી છે અને તેથી એનો બહુ જૂદો સૂર એના પુસ્તક ‘આઉશવિત્સમાંથી ઉગાર’માં સંભળાય છે. &lt;br /&gt;
બીજા જેમ સાક્ષી થયા છે, તેમ પ્રિમો પણ મૃત્યુ છાવણીનો સાક્ષી થયો છે. વીસ મહિના કેવી રીતે ગુજાર્યા એ જણાવતાં એણે અનેક પુસ્તકોનો સહારો લીધો છે. એણે શું કર્યું, એણે શું વિચાર્યું, એણે શું અનુભવ્યું એ જાણવું હોય તો પ્રિમોને જ વાંચવો પડે. ત્યાં શું બન્યું એનો તંતોતંત અહેવાલ આર્મી એમાંથી જાતને છોડાવવાનો એનો પ્રયત્ન છે. એની વ્યથા દારૂણ છે. કહે છે : ‘અમે બચી ગયેલાઓ સાચા સાક્ષીઓ છીએ જ નહીં અમે તો નગણ્ય લઘુમતી છીએ. અમે ભાગ્યની બલિહારીથી છેક તળિયે નથી પહોંચ્યા જેમણે રાક્ષસી કૃત્ય જોયું તો તેઓ તો એ બધું કહેવા પાછા ફર્યા નથી અથવા એમને હંમેશ માટે મૂંગા કરી દેવામાં આવ્યા છે.’ પ્રિમોના લખાણમાં સૌથી જુદો સૂર છે તે બચી ગયાના અપરાધનો સૂર છે. બચી ગયાની શરમ છે. એને થાય છે કે પોતે કઈ રીતે ઊગરી ગયો? બીજાઓએ જે સમાધાન ન સ્વીકાર્યુ એવું સમાધાન પોતે કર્યું છે?એની જગ્યાએ બીજાઓ મૃત્યુ પામ્યા છે? આવા વિચિત્ર સવાલો પ્રિમોને જંપવા નહોતા દેતા. મૃત્યુ નથી પામ્યો એની શરમ પ્રિમોના લખાણની કેન્દ્રવર્તી નિસ્બત રહી છે. અન્યત્ર પ્રિમોએ એક નાની કવિતામાં કહ્યું છે કે : ‘ઓ ગતાત્માઓ દૂર ઊભા રહો, મને એકલો છોડો. જતા રહો. મેં કોઈને લૂંટ્યા નથી. મેં કોઈનો કોળિયો છિનવ્યો નથી. કોઈ મારે બદલે મર્યું નથી. જતા રહો પાછા ધુમ્મસમાં. હું જો જીવું છું, શ્વાસ લઉં છું, ખાઉં છું, પીવું છું, અને ઓઢું છું તો એ મારો કોઈ દોષ નથી.’ &lt;br /&gt;
પણ ‘આઉશવિત્સમાંથી ઉગાર’ પ્રિમોનું પહેલું પુસ્તક છે. એમાં એ દિલ ખોલીને અહેવાલ આપતો નથી. એમાં એ જાણી જોઈને તટસ્થ રહ્યો છે. એને દહેશત હતી કે લખાણ અતિ લાગણીસભર બની જશે તો લોકોને વિશ્વાસ નહીં બેસે અને તેથી એમાં એણે પોતે નિર્ણાયક બનવાને બદલે સાક્ષી રહેવાનું પસંદ કર્યું છે. &lt;br /&gt;
એક રીતે જોઈએ તો પ્રિમોએ આ પુસ્તક ફેક્ટરીઓમાં દર અઠવાડિયે અપાતા ઉત્પાદનના અહેવાલની જેમ લખ્યું છે પણ તેથી એ સરલ છે એમ માનવાની ભૂલ કરવા જેવી નથી. એમાં કોઈ પણ ભૂલ વગરની ઝીણવટ છે. વિગતે વિગતમાં વજન છે. માણસો મૃત્યુ છાવણીમાં કઈ રીતે જાત તોડતા અને કઈ રીતે મરતા રહેતા એનું રજેરજ વર્ણન છે. આમ છતાં પ્રિમોની હતાશા પાર વગરની છે. અન્યત્ર પ્રિમો કહે છે કે ‘આજે હું જાણું છું કે આ રીતે માણસને શબ્દોના વાઘા પહેરાવી છાપેલા પાન ઉપર જીવિત કરવો એ વાહિયાત કામ છે.’ આ હતાશા જ છેવટે પ્રિમોને ૧૯૮૭ના એપ્રિલમાં આત્મહત્યા ભણી લઈ ગઈ. વીસ મહિનાના નર્કે પ્રિમોના અંદરની ઊભી કરેલી નારકી યાતનાનો કોઈ ઉપાય ન રહ્યો. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૯&lt;br /&gt;
|next = ૧૯૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AF&amp;diff=60905</id>
		<title>રચનાવલી/૧૮૯</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AF&amp;diff=60905"/>
		<updated>2023-05-09T11:50:15Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૯. હેન્રી ચોથો (પિરાન્દેલો)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જગતના નાટ્ય સાહિત્યમાં સ્ટ્રિન્ડબર્ગ અને ઇબ્સનના નામ જેટલું આદરપાત્ર નામ ઈટાલિયન નાટકકાર લૂઈજી પિરાન્દેલોનું છે. એ વાત જુદી છે કે વિવેચકોએ એના નિરાશાવાદને પસંદ નથી કર્યો, એનાં નાટકોને નક્કી વિષયને સાબિત કરવાના પ્રયત્નો તરીકે વગોવ્યાં છે, એની ફાસીવાદી સાથેની સંડોવણી પણ શંકાસ્પદ છે, પણ ૧૯૩૬માં નૉબેલ ઈનામ મેળવનાર આ નાટકકારે એનાં નાટકોમાં એક નવો નાટ્યપ્રકાર, એક પોતાની નવી રંગભૂમિ, એક પોતાનું આગવું પ્રેક્ષકવૃંદ ઊભાં કરેલાં. એનું નાટક સિસિલીપ્રદેશની ભૂમિમાં અને સિસિલીની લોકરંગભૂમિમાં રોપાયેલું હોય તો પણ જગતના કોઈ પણ ખૂણે ભજવાય ત્યારે લોકો પર પ્રભાવ પાડવાનો ગુણ ધરાવે છે. પિરાન્દેલોના નાટકની મહત્ત્વની ખૂબી એ છે કે કોઈ પણ દિગ્દર્શક એને હાથમાં લે તો એને પોતાની રીતે ઢાળી શકે એ પ્રકારની એમાં સહેતુક ગોઠવણો છે. પિરાન્દેલોનું નાટક સહેલાઈથી રંગભૂમિની નીપજ બની શકે એવી એમાં ભરપૂર ક્ષમતા રહી છે. &lt;br /&gt;
પિરાન્દેલો માને છે કે આપણે જીવીએ છીએ પણ આપણે આપણું નિરીક્ષણ કરતા નથી. આપણી જાતનું નિરીક્ષણ કરવા માટે, આપણી જાતની સાથે મુકાબલો કરવા માટે, નાટકના સ્વરૂપ જેવી બીજી કોઈ જરૂરી વસ્તુ નથી. નાટક દ્વારા મનુષ્ય વેદના અનુભવે છે અને એ વેદના મનુષ્યને એની અસલ હયાતીનું ભાન કરાવે છે. માનવ પરિસ્થિતિઓની વિવિધ ગતિઓ તો નાટકમાં જ દર્શાવી શકાય છે એવી શ્રદ્ધા સાથે પિરાન્દેલોએ નાટકો લખ્યાં છે. &lt;br /&gt;
હા, પિરાન્દેલોએ આરંભમાં કવિતા કરી છે, સાતેક જેટલી નવલકથાઓ લખી છે અને પંદરેક વાર્તા સંગ્રહો આપ્યા છે. પણ એમાં નાટકોનો પ્રભાવ આધુનિક રંગભૂમિ પર સીધો કે આડકતરો સમર્થ રીતે રહ્યો છે. મનુષ્યમાં રહેલો મૂળભૂત વિષાદ એની ધ્યેયપૂર્ણ જીવનવૃત્તિનૈનિરર્થક બનાવે છે એવો સૂર એના લેખનમાં હંમેશાં ઊઠતો રહ્યો છે. સાથે સાથે એણે સમાજને વ્યક્તિ પર લદાયેલા ભાર રૂપે જોયો છે. &lt;br /&gt;
એનું કારણ કદાચ પિરાન્દેલોના પોતાના અંગત જીવનની કરુણતા છે. પિરાન્દેલો સમૃદ્ધ માતાપિતાનું ફરજંદ હોવા છતાં પિતાના એ આજ્ઞાંકિત પુત્રે ૧૮૯૪માં એના પિતાના વેપારી ભાગીદારની, કદી ન જોયેલી દીકરી સાથેનું લગ્ન સ્વીકાર્યું, પણ પિતાની સલ્ફરની ખાણોમાં પાણી ભરાઈ જતા અને વેપાર તૂટી પડતાં કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું. પિરાન્દેલોની પત્ની પર એની ઘેરી અસર થતાં એ માનસિક સમતુલા ગુમાવી બેઠી. પિરાન્દેલો પોતાની બધી બચત પત્નીને આપવા છતાં પત્નીની માનસિક હાલત બગડતી ગઈ. એના અસાધ્ય ગાંડપણને પિરાન્દેલોએ વેંઢાર્યે રાખ્યું. સિગ્નોરા પિરાન્દેલો ૧૯૧૮માં અવસાન પામી. &lt;br /&gt;
જગતનો આભાસ અને જગતની વાસ્તવિકતા – આ બે વચ્ચેના વિરોધ તરફ પિરાન્દેલોનું જે આકર્ષણ જોઈએ છીએ એનો ઘેરો સંબંધ કદાચ પિચન્દેલોના આ યાતનાગ્રસ્ત ગૃહજીવન સાથે હોવાની સંભાવના છે. એટલે, એનાં નાટકોમાં ‘સત્ય સાથે હંમેશા પ્રશ્નાર્થ રહ્યો છે. પિરાન્જેલોનાં ૪૩ જેટલાં નાટકોમાં સાચા છો તમે- (તમે એમ માનો તો)’ ‘લેખકની શોધમાં છ પાત્રો’ વગેરે પાત્રો વગેરે પ્રસિદ્ધ નાટકો છે, પણ એમાં હેન્રી ચોથો&amp;quot; પિરાન્દેલોનું સમર્થ નાટક ગણાયું છે. પિરાન્દેલોના અંગત જીવનની કરુણતાને આ નાટક સાથે સીધો સંબંધ છે. અહીં નાટકકાર ગાંડપણ સાથે તો કામ પાડે છે પણ વાસ્તવિકતા અને શાણપણ સાથેના ગાંડપણના સંબંધને પણ તપાસે છે. પીડાગ્રસ્ત ગાંડો માણસ શાણાઓના સમાગમમાં આવે છે અને શાણાઓની ભ્રષ્ટ જીવનરીતિઓને ખુલ્લી કરે છે. કહેવાય છે તેમ પિરાન્દેલોનાં નાટકોમાં પાત્રો નગ્ન મહોરાં’ઓનું કામ કરે છે અને દેખાવનું, ભ્રાન્તિનું, જટિલ ગૂંચનું અને નિરૂપાય સંદિગ્ધતાનું જગત ઊભું કરે છે. એમ કરીને પિરાન્દેલો એના પ્રેક્ષકોને સ્વીકૃત અવાસ્તવિકતામાં કેદ કરે છે, જે અવાસ્તવિકતા પ્રેક્ષકોના પોતાના ભાવજગત પર અને વિચાર જગત પર તીવ્ર પ્રકાશ ફેંકે છે.&lt;br /&gt;
‘હેન્રી ચોથો’ પણ ‘સત્ય શું છે?’— ના પ્રશ્ન સાથે સંકળાયેલું ત્રણ અંકમાં વિસ્તરેલું એક કરુણ નાટક છે. ક્લબમાં જર્મન સામયિકનાં પાનાં ફેરવતાં ફેરવતાં બેલ્જેડી માત્ર ફોટાઓ જોતો હતો, કારણ એને જર્મન ભાષા આવડતી નહોતી; ત્યાં એની નજર જર્મનીના કેયઝરના ફોટા પર ઠરે છે. બૉનમાં વિદ્યાર્થી તરીકેના એ ફોટામાં કેયઝર ઘોડા પર સવાર હતો અને પ્રાચીન જર્મનીના સોનેરી લેબાશમાં સજ્જ હતો. આ ફોટો જોતાં બેલ્જેડીને સૂઝ્યું કે આવનાર ઉત્સવમાં દરેક જણ કોઈને કોઈ પાત્ર રજૂ કરે - રાજા, કુંવર, એની રાણી, બધા જ ઘોડા પર સવાર. બેલ્ક્રેડીના સૂઝ્યા પ્રમાણે નાટકનો નાયક હેન્રી ચોથો બનીને ઘોડા પર સવાર થાય છે અને ઉત્સવ વખતે ઘોડા પરથી પડી જતાં એને માથામાં ઈજા પહોંચે છે. નાયક બેભાન અવસ્થામાંથી ભાનમાં આવે છે ખરો, પણ હેન્રી ચોથાની ભૂમિકા ભજવતો હતો એ ભૂમિકામાંથી બહાર આવી શકતો નથી. પોતે સમૃદ્ધ હતો તેથી મિત્રો અને ભાડૂતી માણસો સહિત નાયક એ જ ભૂમિકા ભજવ્યા કરે છે.&lt;br /&gt;
નાટકમાં ભૂમિકા ભૂમિકા જ રહે, ભૂમિકા વાસ્તવિક બની જાય, નાયક ભૂમિકાને છોડી ન શકે, ભૂમિકા છોડે અને છતાં ભૂમિકા ભૂમિકા જ રહે – એમ સભાનપણે ભૂમિકામાં કેદ રહે છે. પિરાન્દેલો આમ અણઉકલ્યા વાસ્તવના નિરૂપણ દ્વારા જીવનની નજીકમાં નજીક જતી ગતિવાળા નાટકનો સ્વામી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૮&lt;br /&gt;
|next = ૧૯૦&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AE&amp;diff=60904</id>
		<title>રચનાવલી/૧૮૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AE&amp;diff=60904"/>
		<updated>2023-05-09T11:49:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૮. આર્સેનિયો (મોન્તાલે)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એકધારા લોખંડની સાંકળ જેવા જડબેસલાક માંડ માંડ ચસતા દિવસોથી કોણ વાજ નથી આવી ગયું? રોજિંદા નિત્યક્રમથી કોણ કંટાળી નથી ગયું? ઘરેડમાં રહેલા જીવનથી ઊબકો કોને નથી આવ્યો? દરરોજની દોડદોડ અને તોય ઠેરના ઠેર એવું સાવ ગતિ વગરનું નીરસ જીવવું કોને પસંદ છે? દરેક જણ કોઈ ચમત્કાર ઇચ્છે છે. દરેક જણ રાહ જુએ છે. કોઈ ચમત્કાર એને ઉગારી લે. આવો ચમત્કાર ઇટાલીના જાણીતા કવિ યુજિન મોન્તાલેએ પણ ઇચ્છેલો. સમયની રગશિયા ક્ષણોને તોડી નાખવા એણે જીવ પર આવી પ્રયત્ન કરેલો, પણ નિષ્ફળ ગયેલો. ચમત્કાર થતો થતો રહી ગયો. ચમત્કાર થયો જ નહીં. જૂઠા એકસૂરીલા જીવાતા જીવન સાથે એ જડાયેલો રહ્યો. આસપાસના જગતથી છૂટકારો પામી શકાય એવું મનુષ્યના ભાગ્યમાં લખાયેલું જ નથી. &lt;br /&gt;
કવિ મોન્તાલેની આવી હતાશા એની પ્રસિદ્ધ કાવ્યરચના ‘આર્મેનિયો&#039;માં પ્રગટ થઈ છે. મોન્તાલેની ‘આર્સેનિયો&amp;quot; કાવ્યરચના એના કાવ્યસંગ્રહ ‘કટલ માછલીના હાડકાં’માં સચવાયેલી છે. અન્ય રચનાઓની જેમ આ રચનામાં પણ કટલ માછલીનાં હાડકાં પ્રતીક બનીને આવ્યાં છે મોન્તાલે ૫૨ એના જન્મસ્થળ લિગુરિયાના દરિયાકાંઠાની અસર ખાસ્સી છે. આ દરિયાકાંઠા પર વિખરાયેલાં કટલ માછલીઓનાં હાડકાં (એટલે સમુદ્ર ફૅનો) મોન્તાલેના કાવ્યમાં વારંવાર ડોકાય છે. સમુદ્રકાંઠે આવાં સફેદ સમુદ્રફેનો દરિયામાંથી તણાઈ આવેલા કૂચડા જોડે, રેતી અને દરિયાઈ વેલાઓ વચ્ચે પડ્યાં રહે છે. દરિયાનું દરેક મોજું એને વારંવાર ઉપર તળે કરી આમતેમ ફંગોળે છે અને એમાં જીવન તેમજ ગતિનો આભાસ ઊભો થાય છે. ઓર્સેનિયો’માં જીવનની આવી જ ગતિ વગરની ગતિ-નિર્જીવ ગતિને મોન્તાલે રજૂ કરવા ધારી છે. &lt;br /&gt;
‘ઓર્સેનિયો’ એ મોન્તાલે પોતાના રચેલા પાત્રને દીધેલું કાલ્પનિક નામ છે. કાવ્યના આરંભમાં વંટોળ ચકરાતો ચકરાતો છતો પર અને ખુલ્લી જગ્યાઓમાં ધૂળ ઉડાડી રહ્યો છે. હૉટલોની ચળકતી બારીઓની સામે સૂતરાઉ કપડાંની ઝૂલ ઓઢીને ઘોડા ગતિહીન ઊભા છે. આર્સોનિયો’ દરિયા તરફ આગળ વધે છે. દિવસ વરસાદી છે અલપઝલપ સૂરજ દેખાઈ રહ્યો છે, ત્યાં કાંસીજોડાનો અવાજ સમયની જડબેસલાક ક્ષણોને તોડીફોડી નાખે છે. &lt;br /&gt;
લાગે છે કે જાણે કોઈ બીજું જ જગત ખૂલ્યું. આર્સેનિયો આગળ વધે છે. દૂર ઊંચે જલસ્તંભ તોળાઈ રહ્યો છે. વંટોળમાં સમુદ્રી વાદળો આમતેમ ઘસડાઈ રહ્યા છે. એને થાય છે કે કાંઠાના કાંકરાઓને કચડતો પગ આજે ભલે પડતો, ભલે પગ દરિયાઈ વેલામાં આજે ગૂંચવતો. ઘણા વખતથી રાહ જોવાતી હતી એ ક્ષણ આવી ગઈ છે. આ ક્ષણ જ એને ગતિહીન ગતિ, જડબેસલાક સમયમાંથી ઉગારશે. &lt;br /&gt;
ત્યાં તાડનાં ઝુંડ વચ્ચે વાયોલિનના સૂરના ફુવારા ઊડી રહ્યા છે. ઓચિંતો કડાકો થાય છે. આકાશના ભૂરા ખૂણે વ્યાધતારાના આછા પ્રકાશમાં તોફાન સારું લાગે છે. સાંજ એકદમ નજીક છે. રતુંબડ આકાશના પટ પર વીજળી ચમકે છે તો કિંમતી ધાતુના વૃક્ષની ડાળીઓ ફેલાતી લાગે છે. જિપ્સીઓના નગારાં તોફાનને તાલ આપી રહ્યાં છે કાંઠા પર અંધારુ સાંજને રાતમાં પલટે છે. પૃથ્વી અને આકાશ વચ્ચે કાળો પડછાયો છવાઈ જાય છે એકલદોકલ નૌકાઓ તરી રહી છે, એના દીવા ટમટમે છે. &lt;br /&gt;
ને ઓચિંતો આકાશનો ધ્રુજારો. મુશળધાર વર્ષા, પાણીને શોષતી રેતી આસપાસ કાદવ કાદવ. કાંઠા પરની દુકાનોના લીરેલીરા, તંબુઓ, હોટલની બારીઓ પર ફાટીને ફફડતા કાગળના લેમ્પ આ બધા વચ્ચે તૂટું તૂટું મૂળિયાને બાઝી રહેલા નેતર જેવો આર્સેનિયો. શેરીઓ, પોર્ચ, દીવાલો, દર્પણો વેરવિખેર. આર્સેનિયો આ વિલાતી ક્ષણોમાં ચારેબાજુ ઠંડાગાર બેજાન વસ્તુઓના ઢેર વચ્ચે ઊભો છે. ગૂંગળાતા જીવન માટે એક તક ઊભી થઈ અને તારાઓની રાખ ભેગી એ તકને વંટોળ ક્યાંક ઉડાડી ગયો. &lt;br /&gt;
તો આ છે આર્સેનિયોનું ચમત્કાર અંગે બંધાતુ અને વિખેરાતું આશાનું વિશ્વ. જીવનને કૌતુકથી જોનારા છે એમણે હંમેશાં કુદરતમાંથી આશ્વાસન શોધ્યું છે. કુદરતને મનુષ્યના સુખ-દુ:ખમાં ભાગીદાર સમજી છે. પણ મોન્તાલેનું માનવું જુદું છે. એક મુલાકાતમાં જણાવ્યું છે તે પ્રમાણે મોન્તાલે ૫૨ બર્ગસૉ અને બુઝુ જેવા ફિલસૂફોની અસર છે તેથી જ મોન્તાલે જીવનને એક લોખંડની સાંકળનું ગુંચળું કલ્પે છે, જે ચક્રાકાર ગૂંચળાનો ઉકલતો જતો છેડો છેવટે મૃત્યુમાં જઈને પડે છે. બહુ ગતિશીલ લાગે છે ખરું, પણ વાસ્તવમાં કોઈ ગતિ જ નથી. &lt;br /&gt;
આર્સેનિયોના પાત્ર દ્વારા આપણા જીવનની બહુ દુ:ખતી રગ ઉપર કવિએ હાથ મૂક્યો છે. એમાં સમાધાન સાંપડતું નથી. ઘેરી હતાશાનો અનુભવ થાય છે. પણ આર્સેનિયોનો અનુભવ આપણને જીવનની કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની હામ આપી જાય છે. કવિની હતાશાની પાછળ મનુષ્યજાતિ માટે હામનો સંદેશ છે. જીવનમાં ચમત્કાર ભલે શક્ય નથી પણ ગમે તેવી પરિસ્થિતિમાં ઘોર હતાશા પ્રેરતી પરિસ્થિતિમાં પણ મનુષ્ય ટકી રહેવાનું જે કૌવત બતાવે છે એમાં જ મોટો ચમત્કાર પડેલો છે. &lt;br /&gt;
કવિ મોન્તાલે લિગુરિયાના દરિયાકાંઠાને પોતાની રચનાઓમાં જીવતો ઝાલ્યો છે એથી એની અનેક રચનાઓમાં ખાતરી થાય છે. આ રચના પણ એવી જ ખાતરી જન્માવે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૭&lt;br /&gt;
|next = ૧૮૯&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AD&amp;diff=60903</id>
		<title>રચનાવલી/૧૮૭</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AD&amp;diff=60903"/>
		<updated>2023-05-09T11:49:16Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૭. સિલ્વિયા (જ્યાકોમો લેઓપાર્દી)   |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘લોકો ક્યારેય માનવાના નથી, પણ બે જ સત્ય છે : એક છે તેઓ કશું જાણતા નથી અને બીજું છે તેઓ કશું જ નથી.&#039; માનવજાતની નિયતિ માટે આવા કઠોર વચન ઉચ્ચારનાર ઇટાલિયન સાહિત્યનો મોટો કવિ જ્યાકોમો લેઓપાર્દી (૧૭૯૮-૧૮૩૭) આગળ વધીને કહે છે કે ‘આ જગત એક કોકડું છે અને તે ક્યારેય ઉકલે તેવું નથી. લેખાજોખા કરીએ છીએ ત્યારે સમજાય છે કે માનવ-જીવન એક દુઃખદ ઘટના છે. વ્યક્તિ જેટલી બુદ્ધિશાળી અને સંવેદનશીલ એટલી એ સુખી રહેવા માટે ઓછી લાયક, મનુષ્યો જેને સુખ ગણે છે એ કેવળ આભાસ પર ટકેલું છે’ જીવન વિશેનો આવો નકારાત્મક સૂર ૧૯મી સદીના પૂર્વાર્ધમાં યુરોપના પછાતમાં પછાત ઇટલી દેદના પછાતમાં પછાત પ્રાન્તના પછાતમાં પછાત કસબામાં બેઠેલો કવિ કાઢે છે ત્યારે ઘણા બધા વિવેચકોએ એના કારણરૂપે લેઓપાર્દીની ઝમ્યા કરતી આંખો, એનું ખૂંધવાળું માંદલુ અને બેડોળ શરીર અને એની અડધીપડધી અપંગ દશાને આગળ ઘર્યાં છે. &lt;br /&gt;
લેઓપાર્દીએ એનો સણસણતો જવાબ આપ્યો છે. કહે છે : ઇટાલિયન પતિનો એની પત્ની વિશેનો જેવો અભિગમ છે બરાબર એવો જ લોકોનો જીવન માટેનો અભિગમ છે. ઇટાલિયન પતિ માન્ય રાખે છે કે એની પત્ની વફાદાર છે, ભલેને પછી પુરાવાઓ તદ્દન એની વિરૂદ્ધ જતા હોય. જીવન વિશેની આવી કડવાશ પાછળ લેઓપાર્દીની જીવન વિશેની ઊંડી સમજ છે. એ જાણે છે કે કુદરતે મનુષ્યને તર્કબુદ્ધિ આપ્યાં છે જે એને હંમેશાં જીવનની નરી તુચ્છતાને જોવા પ્રેરે છે, તો વિરોધાભાસ એવો છે કે કુદરતે સાથે સાથે આ તર્કબુદ્ધિ સૂતાં પડી રહે અને આ કઠોર સત્યથી દૂર રહીએ એ માટે મોટા મોટા રાષ્ટ્રીય, ધાર્મિક, સામાજિક, રોમેન્ટિક વિચારો જન્માવ્યા કરીએ એ માટેનાં સાધનો પણ આપ્યાં છે. &lt;br /&gt;
લેઓપાર્દીને ખ્રિસ્તીવાદનો મોટો વારસો મળેલો. નાનપણથી પિતાના સમૃદ્ધ ગ્રંથાલયનો બેસુમાર ઉપયોગ એને હાથવગો રહેલો પણ આસ્મા અને કબજિયાતથી પીડાતા આ કવિને ઊંડે ઊંડે ખાતરી હતી કે કોઈ સ્ત્રી એના તરફ આકર્ષાવાની નથી એનો પ્રેમ ક્યારેય કોઈ સ્વીકારવાનું નથી. બહુ કિશોરવયથી એ મરણની ઇચ્છાથી પીડાય છે અને તેથી જ એને નક્કર કશુંક હાથ લાગે છે તે એ જ કે કશું નક્કર જગતમાં છે જ નહીં, ધર્મનો અને યુવાન વયનો ભ્રમ ભાંગી જાય છે. લેઓપાર્દી માટે સુખ હંમેશાં અલભ્ય ચીજ બની જાય છે. એનું આવું નકારાત્મક આંતરિક જગત લેઓપાર્દીની કવિતાઓમાં, એના ફિલસૂફી અંગેના લેખોમાં અને ત્રણ હજાર જેટલાં પાનાં ભરીને તૈયાર એની નોંધપોથીમાં પડેલું છે. &lt;br /&gt;
આમ છતાં વિરોધ એવો છે કે લેઓપાર્દીને સાહિત્યની શક્તિમાં વિશ્વાસ છે. એ કહે છે કે સાહિત્ય ભલે વસ્તુની નિરર્થકતાને બરાબર ઝીલી બતાવે, જીવનના અનિવાર્ય દુઃખોનો તીવ્ર અનુભવ કરાવે કે અત્યંત ઘેરી નિરાશા વ્યક્ત કરે પણ સાહિત્ય તે છતાં આશ્વાસન આપે છે. આપણા ઉત્સાહને વધારે છે. આવો વિરોધ કેવી રીતે શક્ય બને છે તે લેઓપાર્દીએ એની કાવ્યરચના ‘સિલ્વિયા’માં બતાવ્યું છે. આ કાવ્યરચના લેઓપાર્દીએ ૧૮૨૮માં પીઝામાં રહીને કરેલી એમાં જેને ‘સિલ્વિયા&#039; તરીકે સંબોધન થયું છે તે લેઓપાર્દીના પરિવારના કોચમેનની દીકરી તેરેસા ફાતોરિની છે. ૨૧ વર્ષની વયે ૧૮૧૮માં તેરેસા ગુજરી ગઈ ત્યારે લેઓપાર્દી વીસ વર્ષનો હતો. દશ વર્ષ પછી આ કાવ્ય લખાયેલું છે. &lt;br /&gt;
દશ વર્ષ પછી તેરેસાના મૃત્યુનું સ્મરણ થતાં લખાયેલા આ કાવ્ય પાછળ કવિની એક પ્રબળ માન્યતા પડેલી છે. લેઓપાર્દી માને છે કે ઇન્દ્રિયોની મર્યાદાઓની સામે અને બૌદ્ધિક સમસ્યાઓની સામે જે ખાલી જગા ઉભી થાય છે એને મુક્તપણે ભરી દેવામાં મન આનંદ અનુભવે છે. હકીકત એ છે કે મન હંમેશાં દોહરાવે છે. સ્મૃતિ પ્રસંગને ફરીને થડે છે. અલબત્ત, એમાં ‘પડછાયા’થી વિશેષ કશું હોતું નથી પણ એક ભ્રમ રહે છે કે આપણું બધું જ તો લુપ્ત નથી થઈ ગયું ‘સિલ્વિયા&#039;માં પણ લેઓપાર્દી વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યને બહુ જુદી રીતે ગૂંથે છે. &lt;br /&gt;
કાવ્યની શરૂઆતમાં કવિ પૂછે છે : ‘સિલ્વિયા યાદ છે તને હજી / એ તારા મર્ત્યજીવનનો સમય?&#039; મૃત સિલ્વિયા હજી આજે પણ સાંભળતી હોય એમ કવિ સંબોધન કરે છે, અને એનો વર્તમાન રચે છે : ‘શાન્ત ખંડો / બહારની શેરીઓ / તારા એકધારા ગીતથી ગુંજતી હતી / જ્યારે સ્ત્રી સહજ કામમાં વ્યસ્ત / તું બેઠી હતી&#039; સાથે કવિ એ સમયનો પોતાનો વર્તમાન મૂકી પૈતૃક ઘરમાંથી બહાર આવી ઝરૂખે ઊભી ગીત સાંભળતા જે અનુભવ થતો તે રજૂ કરે છે : હું પ્રસન્ન આકાશને / સોનેરી શેરીઓને અને બગીચાઓને બહાર જોતો રહેતો અને છેક દૂર... આ બાજુ સમુદ્ર અને પેલી બાજુ પહાડ/ મેં શું અનુભવ્યું એ કોઈ ભંગુર જિહ્વા કહી શકે તેમ નથી.’ આ પછી કવિ એ સમયના આનંદદાયી વર્તમાનની પરાકાષ્ઠા લાવે છે : ‘એ સુખદ વિચારો / એ આશાઓ એ લાગણીઓ સિલ્વિયા / કેવું અદ્ભુત હતું એ જીવન / એ ભાગ્ય’ પણ પછી તરત જ સ્મૃતિના વર્તમાનને આંતરીને સ્મૃતિની ભવિષ્યની ઘટના ઘટે છે : ‘સિલ્વિયા, હજી હિમ ઘાસને સૂકવી દે, એ પહેલાં તો / કોઈ ગુપ્ત બિમારીની તું ભોગ બની / તું સુકુમાર, નષ્ટ થતી રહી / તારા જીવનને વિકસતું તે જોયું નહીં&#039; સિલ્વિયા અને કવિની આશા બંને એક સાથે વિલાય છે; અને જગતની કઠોરતા અંગે કવિ પ્રશ્ન કરે છે : ‘જગત આ છે? / આ આનંદ, આ પ્રેમ, આ અનુભવ / જેની ભેગા થઈને આપણે આટલી વાર્તા કરીએ છીએ? માનવજાતની આ નિયતિ છે?’ &lt;br /&gt;
કાવ્યનો અંત અત્યંત વેધક છે. કવિ કહે છે : ‘સત્યની સહેજસાજ ઝાંખી થઈ / ને તું નષ્ટ થઈ ને દૂર રહી તેં ચીંધ્યાં / ઠંડુગાર મૃત્યુ અને રાહ જોતી કબર.’ &lt;br /&gt;
લેઓપાર્દીએ કરાવેલો જગતનો દુઃખદ અને કઠોર અનુભવ સાદગીથી છતાં એવી સંવેદનશીલતાથી ધબકતો થયો છે કે કવિના જગતમાંથી પાછા ફર્યા પછી આપણી જીવવાની સમતુલા જોખમાતી નથી, પણ જીવનને જોવાની આપણી દૃષ્ટિ વધુ પરિપક્વ થાય છે. ઇટાલિયન સાહિત્યનો આ સમર્થ કવિ વિષાદની ફિલસૂફી મારફતે આપણને જીવનની વધુ નજીક લાવી મૂકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૬&lt;br /&gt;
|next = ૧૮૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AC&amp;diff=60902</id>
		<title>રચનાવલી/૧૮૬</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AC&amp;diff=60902"/>
		<updated>2023-05-09T11:48:56Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૬. દિકામરન (બોકાશિયો)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જગતની કોઈ સંસ્કૃતિ એવી નથી જે કથારસ પર ઊછરી નથી. દરેક બાળક દૂધ પીતાં પીતાં કથા સાંભળતું આવે છે અને કથા સાંભળતાં સાંભળતાં મોટું થતું આવે છે અને પછી એ પુખ્ત બને છે તો પણ એનામાંનું બાળક મરતું નથી. એને કથાઓ જોઈતી જ રહે છે. લોકસાહિત્ય અને સાહિત્યનાં ઘણાં મૂળ આ કથારસમાં પડેલાં છે. આપણે ત્યાં બૃહત્કથાસાગર અને બૃહત્કથામંજરી જેવા મોટા કથાઓના ગ્રંથો છે. હિતોપદેશ અને પંચતંત્રની કથાઓ છે. વળી, ઇસપની કથાઓ, અરબિયન નાઇટ્સની કથાઓ, કેન્ટરબરી ટેલ્સ વગેરે પણ જાણીતી છે. એ જ રીતે ઇટલીમાં નવજાગૃતિના સમય દરમ્યાન ઈ.સ. ૧૩૧૩-૧૩૭૫ વચ્ચે થયેલા ગ્યોવન્ની બોકાશિયોની કથાઓ પણ જાણીતી છે. &lt;br /&gt;
નવજાગૃતિના સમયમાં ઇટલીમાં ત્રણ અગ્રણી લેખકો હતા. દાન્તે, પેટ્રાર્ક અને બોકાશિયો. દાન્તેના મૃત્યુ વખતે બોકશિયો હજી બાળક હતો, પણ પેટ્રાર્ક તો બોકાસિયાનો મિત્ર હતો. દાન્તેનું ‘ડિવાઇન કોમેડી’માં મુખ્ય કામ અધ્યાત્મ અંગેનું હતું, તો પેટ્રાર્કનું મુખ્ય કામ સાહિત્યકાર તરીકેનું હતું. પણ બોકાશિયોએ બંનેથી જુદા પડી બધી જ પ્રણાલિઓ તોડી નાંખી અને નવું જીવંત સાહિત્ય રચ્યું. નવા જીવંત સાહિત્યમાં સામાન્ય માણસની વાત મૂકી. આ બાબતમાં બોકાશિયોની ‘વિકામરન’ જાણીતી સાહિત્યરચના છે, એમાં ૧૦૦ કથાઓ વળેલી છે પણ આ કથાઓ બોધકથાઓ નથી. બોકાશિયો કથા દ્વારા નૈતિક અને સામાજિક ભ્રષ્ટ જીવનને ખુલ્લું પાડે છે અને પાત્રોને ભાગ્યને હવાલે છોડી દઈને અને નૈતિક જવાબદારીમાંથી મુક્ત કરી દે છે. &lt;br /&gt;
સ્ત્રી અને પુરુષને એણે જેવાં જોયાં અને જેવાં એ સમજ્યો એ પ્રમાણે એની બધી જ મૂર્ખતા સાથે અને બધી જ બેવફાઈ સાથે ચીતરે છે. સ્થૂળને બરાબર સ્થૂળ રીતે રજૂ કરે છે. વિરોધાભાસોનો વારંવાર ઉપયોગ કરે છે. વાંકાદેખાપણા સાથે પાત્રની નરી વાસ્તવિકતાને એ ઉપસાવે છે. સાથે સાથે જુદી જુદી શૈલીઓને પણ એ અજમાવે છે. બોકાશિયો આ બધા દ્વારા મધ્યકાલીનતાને વટાવી જાય છે એટલે કે એનું સાહિત્ય માત્ર મધ્યકાલીન વારસો નથી એના સમયની બહાર પણ એ પહોંચ્યું છે અને આજે એણે વિશ્વસાહિત્યમાં જગા કરી છે. &lt;br /&gt;
ઇટાલિયન લેખક અને માનવતાવાદી બોકાશિયોનો જન્મ ફ્લોરેન્સમાં ત્યાંના એક વેપારીને ત્યાં થયેલો. મોટા ભાગની એની બંધાતી કારકિર્દીનો સમય નેપલ્સમાં વીત્યો. ત્યાં જ એણે સાહિત્યનો અભ્યાસ આદર્યો અને કેટલુંક સાહિત્ય રચ્યું. ૧૪૩૦માં પાછો એ લોરેન્સ આવ્યો. ત્યાર પછી ૧૩૪૮માં એણે ફ્લોરેન્સના કાળોતરા રોગચાળાને નજરોનજર જોયો. &lt;br /&gt;
૧૦૦ કથાઓનો સંગ્રહ, એની ‘વિકામરન’ રચનામાં એણે ફ્લોરેન્સના આ મહારોગને ભૂમિકારૂપે સ્વીકાર્યો છે. લોરેન્સમાં પ્લેગનો ભયંકર ઉપદ્રવ હતો ત્યારે સાત યુવતી અને ત્રણ યુવાનોનું જૂથ અકસ્માતે એક ચર્ચમાં ભેગું થાય છે અને શહેરની બહાર ગામડાંઓમાં ચાલી જાય છે. ગ્રામજગતમાં એકબીજાના આનંદ માટે દશ દિવસ સુધી દરેક જણ વારાફરતી નક્કી કરેલા નિયમો મુજબ વાર્તા કહે છે. આ સો કથાઓથી ‘વિકામરન’નું કાઠું બંધાયું છે એમાં પ્રેમ-શૌર્યની કથાથી માંડીને પ્રહસન કથાઓ, સુખાન્ત કથાઓ અને કરુણાન્ત કથાઓની વિવિધતાઓ પડેલી છે. &lt;br /&gt;
ઉદાહરણરૂપે એક કથા જોઈએ. ઈસાબેત્તા એના ત્રણ વેપારી ભાઈઓ સાથે મેસિનામાં રહેતી હતી. ત્યાં લોરેન્ઝો નામે યુવાન ભાઈઓનો બધો વેપાર સંભાળતો હતો. ઈસાબેત્તા અને લોરેન્ઝો પ્રેમમાં પડે છે. એકવાર મોટોભાઈ ઈસાબેત્તાને લોરેન્ઝોના ઓરડામાંથી નીકળતી જોઈ જાય છે પણ કશું કહેતો નથી. બીજા દિવસે ત્રણે ભાઈઓ નક્કી કરે છે કે વાતને વણસતી અટકાવવી. &lt;br /&gt;
આ પછી ત્રણે ભાઈઓ લોરેન્ઝો સાથે વેપાર અર્થે પ્રવાસે જાય છે અને ત્યાં છૂપી રીતે લોરેન્ઝોની હત્યા કરી એને દાટી દે છે. ઘેર પાછા ફર્યા પછી ત્રણે ભાઈઓ ઈસાબેત્તાના લોરેન્ઝો અંગેના પ્રશ્નોના કોઈ જવાબ આપતા નથી. ઈસાબેત્તા ખૂબ રડે છે અને ભાઈઓના આશ્વાસનને સ્વીકારતી નથી. &lt;br /&gt;
એક રાતે લોરેન્ઝો ઈસાબેત્તાના સ્વપ્નમાં આવે છે અને એની સાથે શું બનેલું તેમજ એને ક્યાં દાટ્યો છે એ વિશે જણાવે છે. ભાઈઓને કશું કહ્યા વગર ઇસાબેત્તા જણાવેલી જગાએ જાય છે, જ્યાં એને લોરેન્ઝોનું શબ મળે છે. ઇસાબેત્તા લોરેન્ઝોના માથાને કાપીને ઘેર લાવે છે અને કૂંડામાં દાટી એના પર સુગંધી છોડ વાવે છે. ઇસાબેત્તાનાં આંસુઓ સીંચાતાં રહેતાં એને ફૂલ આવે છે. &lt;br /&gt;
ઇસાબેત્તાને છોડ પાસે રડતી જોઈને ભાઈઓને શંકા જાય છે ભાઈઓ કૂંડાને સંતાડી દે છે. ઇસાબેત્તા કૂંડા અંગે વારંવાર પૂછપરછ કર્યા કરે છે તેથી ભાઈઓનું કુતુહલ વધે છે. છેવટે શોધ કરતાં ભાઈઓને લોરેન્ઝોનું માથું કૂંડામાંથી મળી આવે છે. આ બાજુ ભાઈઓ શરમના માર્યા શહેર છોડીને રહે છે અને ભગ્ન હૃદયની ઈસાબેત્તા મૃત્યુ પામે છે. &lt;br /&gt;
અલબત્ત આ અને આવી કથાઓ માટે બોકાશિયોએ અનેક કથાઓમાંથી લૂંટ જરૂર કરી છે પણ રજૂઆતની શૈલી નોખી છે. એનું ગદ્ય પોતીકું છે, અનોખું છે એટલું જ નહિ, પણ ચોસર, શેક્સપિયર, ડ્રાયડન, કીટ્સ, ટેનીસન, લોન્ગફેલો જેવા કવિઓ પર એનો ખાસ્સો પ્રભાવ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૫&lt;br /&gt;
|next = ૧૮૭&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AB&amp;diff=60901</id>
		<title>રચનાવલી/૧૮૫</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AB&amp;diff=60901"/>
		<updated>2023-05-09T11:48:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૫. હારફિશ (નજીબ મેહફૂઝ)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈલેક્ટ્રોનિક વિજ્ઞાનના એક છત્ર નીચે આવી ગયેલું વિશ્વ નાનું ને નાનું થતુ કુટુંબ જેવું બનતું આવે છે ત્યારે ધર્મના નામે અતિ સંકુચિત કટ્ટરવાદીઓ ફતવાઓ બહાર પાડી રહ્યા છે. સલમાન રશદીનું માથું ઇરાનના ખોમૈનીના હુકમને હવાલે છે, તો ઇજિપ્તના અરબી સાહિત્યના નોબેલ પુસ્કાર વિજેતા નવલકથાકાર નજીબ મેહફૂઝ પર પણ કટ્ટરવાદીઓ દ્વારા હુમલા થઈ રહ્યા છે. મુસ્લિમ રાજ્યોમાં લેખકની સ્થિતિ અંગે મેહફૂઝને જાહેરમાં પોતાનો અભિપ્રાય ઉચ્ચારવા માટે ફરજ પાડવામાં આવી ત્યારે એણે ખુલ્લેઆમ વાણીસ્વાતંત્ર્યનો પક્ષ લીધો અને ખોમૈનીના ફતવાનો વિરોધ કર્યો. કટ્ટરવાદીઓએ વળતા હુમલામાં મેહફૂઝને ઈશ્વરનિંદા માટે ધર્મત્યાગ માટે અને ગુપ્ત સભાના સભ્ય તરીકે દોષિત ઠેરવ્યા, ઉપરાંત મેહફૂઝે ઇઝરાયેલ સાથેના કેમ્પ ડેવિડ સન્ધિકરાર મુજબ ઇઝરાયેલ સાથેના સહઅસ્તિત્વની તરફેણ કરી એ પણ કટ્ટરવાદીઓના રોષનું કારણ બની છે. &lt;br /&gt;
બીજી બાજુ ઇલેક્ટ્રોનિક સંચાલનના મહારોલર તળે વિશ્વની સંસ્કૃતિઓના ચહેરાઓ ભૂસાઈ રહ્યા છે. પ્રત્યેક સંસ્કૃતિ પોતાનું સ્વત્વ ગુમાવી રહી છે; ત્યારે નજીબ મેહફૂઝ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ ઇજિપ્તના અરબી નવલકથાસાહિત્યમાં ગાલ્સવર્ધી અને ટોમસ માનના નમૂનાઓ ૫૨ જે વાસ્તવિકતા રચતા હતા એને છોડીને હવે પોતાની ઇજિપ્તની સંસ્કૃતિના મૌખિક કથાવાર્તાના નમૂનાઓ પર રૂપકો અને પ્રતીકોથી ખચિત જુદા પ્રકારની વાસ્તવિકતા રચી રહ્યા છે. &lt;br /&gt;
આમ તો, મેહફૂઝની લેખક તરીકેની પ્રતિષ્ઠા એમણે ઇજિપ્તની રાજધાનીની કાહિરો શહેરને લક્ષ્ય કરીને ત્રણ નવલકથાઓ લખી ત્યારથી જામેલી છે. આ નવલકથામાં મેહફૂઝે નારીની ક્રમશઃ મુક્તિને મધ્યમવર્ગમાં ઓસરતી જતી ધાર્મિક આસ્થાને અને વધતી જતી પશ્ચિમની સંસ્કૃતિ અને વિજ્ઞાનની મહત્તાને રજૂ કરી છે. આ ત્રણ નવલકથામાં ૧૯૧૯ની ક્રાંતિથી માંડી બીજા વિશ્વયુદ્ધ સુધીની કાહિરોમાં વસતા એક પરિવારની બે પેઢીની ઊથલપાથલની ઘટનાઓ છે ‘અલઅરહમ&#039;માં ધારાવાહી નવલકથા તરીકે પ્રક્ટ થયેલી ‘ગેબેલવીનાં સંતાનો’માં રજૂ થયેલ ધાર્મિક અને રાજકીય વિચારોને કારણે મેહફ્ઝ પર તવાઈ આવેલી પણ તેમ છતાં એમણે ‘ચોર અને કૂત્તાઓ’ (૧૯૬૧) અને ‘નાઇલ પર ડામાડોળ (૧૯૬૬)માં સમાજના ઉચ્ચ વર્ગના પલાયનવાદ પર પ્રહાર કરતાં કરતાં નાસરના શાસનની વિડંબના કરેલી અને નાસરનો ખોફ વહોરેલો. &lt;br /&gt;
મેહફૂઝ આ બધી નવલકથાઓમાં યુરોપીય વાસ્તવવાદની જેમ જે ચિત્રણ કરેલું એનાથી છેવટે ઉંબાઈ ગયા અને વધુ સઘન, વધુ કાવ્યાત્મક પણ ઓછી આધુનિક નવલકથાના રૂપ તરફ વળી ગયા અને ઇજિપ્તની મૌખિક કથા પરંપરાને કામમાં લેવાનું શરૂ કર્યું. એનું પરિણામ ‘હારફિશ’ (Harfish) નવલકથામાં જોવાય છે કેથરીન કૉબહામ દ્વારા અને ડબલડે પ્રકાશન મારફતે આજે અંગ્રેજીમાં એનો અનુવાદ સુલભ બન્યો છે. &lt;br /&gt;
‘હારફિશ’ અરબી શબ્દ છે. એનો અર્થ થાય છે : મુફલિસો કે ‘ગરીબ નિમ્નવર્ગ&amp;quot; આ નવલકથામાં જૂના કાહિરો શહેરની કોઈ એક ગલીમાં રહેતાં સાધારણ લોકોની અને ખાસ તો ગલીના કબીલાના નેતાઓની પેઢી દર પેઢીની કથા છે. આશુર નામનો પહેલો નેતા શહેરમાં પ્લેગ ફેલાવાનો છે એવી ખબર મળતાં પત્ની અને બાળક સાથે રણમાં ચાલ્યો જાય છે અને પછી પાછો આવીને કબજો લઈ ગરીબોને ધન વહેંચીને ગલીની આર્થિક હાલત સુધારે છે પણ પછી એક રાતે આશુર રહસ્યમય રીતે ગૂમ થઈ જાય છે. આથી વેપારીઓ રાજી થાય છે. આસપાસના દુશ્મનો સાથે લડી લડીને આશુરનો દીકરો શામ્સ નવી નેતા બને છે. આ પછી ત્રીજા નેતા સુલેમાનથી પડતી શરૂ થાય છે. ગરીબોમાં વહેંચાતુ ધન હવે માત્ર કબીલાના ઉમરાવોમાં વહેંચાય છે. ઉમરાવો માલદાર થતા જાય છે અને ગલીના મુફલિસોને ભાગે સહન કરવાનું આવે છે. &lt;br /&gt;
સુલેમાનના દીકરાઓ પૈસા અને સત્તા પાછળ પડી જાય છે. નેતાઓ ગલીના લોકોના રક્ષક બનવાને બદલે એમના શોષક બનતા જાય છે. ત્રણ પેઢી સુધી આ પતન ચાલુ રહે છે. લોકો આશુરના જમાનાના દિવસો પાછા ફરે એની રાહ જોતા રહે છે. ગલાલ જેવો નેતા ભયંકર જુલમગાર બને છે. &lt;br /&gt;
એવામાં કાહિરોમાં દુકાળ પડે છે.વેપારીઓ અનાજની સંઘરાખોરી શરૂ કરે છે આથી લોકો વિફરીને ત્રાટકે છે તો, લોકોને સજા થાય છે અને અમીરોને રક્ષણ મળે છે. આવે વખતે આશુરનો કોઈ વંશજ ફક્ત અલ-બાબ લોકોમાં જોશ ભરે છે અને લોકોમાં ચિનગારી ચાંપે છે. કબીલાનો નાશ કરવામાં આવે છે, નેતાને હાંકી કાઢવામાં આવે છે અને અલબાલને નેતા નીમવામાં આવે છે, આ પછી આશુર નામનો કોઈ અજાણ્યો યુવાન ગલીની બાગડોર સંભાળી લે છે. એ અમીરો પર કરવેરા ઝીંકે છે. લોકપ્રિય નાગરિક સેના રચે છે, ધંધા- રોજગાર ઊભા કરે છે અને મદ્રેસાઓ સ્થાપે છે. આમ ગલીનાં લોકોમાં એક નવો યુગ શરૂ થાય છે. ‘હારફિશ’ નવલકથાનો આ નર્યો સાર ભાગ્યે જ નવલકથાનો સ્વાદ આપી શકે. આ નવલકથા નથી પણ અનેક કથાઓનો હારડો છે. અહીં કથાઓમાં નાયક એક નથી પણ દરેક કથામાં શિકાર તો લોકો જ બન્યા કરે છે. કથાઓની હારમાળામાં ઇજિપ્તની મૌખિક કથાપદ્ધતિનું, કથા કહેવાની રીતિનું માળખું છે. એમાં થોકબંધ પાત્રો છે. મૌખિક પરંપરામાં સ્મૃતિની તાલીમ શિક્ષણનો એક મહત્ત્વનો ભાગ હોય છે, એ રીતે પાત્રોને ખાસ યાદ રાખવા પડે તેમ છે. વળી મેહફૂતે ભાષા બિલકુલ પરંપરાગત રાખી છે, છતાં એમાં પોતાના તરફથી નવું બળ ઉમેર્યું છે. &lt;br /&gt;
આ રીતે ‘હારફિશ’ બળવાન નેતાઓની આસપાસ ગૂંથાયેલી કથા છે. આ નેતાઓમાં કોક લોભી છે, કોક લાલચુ છે, કોક જુલ્મી છે, કોક લોકોનો રાહબર છે. લોકોનું અને કબીલાનું ભાગ્ય એમની ચડતીપડતી એમના આ નેતાઓ પર આધારિત છે. આમજનતા હંમેશાં કોઈ બળવાન નેતાની શોધમાં રહે છે. એને ન્યાય જોઈએ છે. એને રક્ષણ જોઈએ છે. એક રીતે જોઈએ તો ઇજિપ્તની સારા શાસક અંગેની શોધની કથા છે. પણ આ કથા સમસ્ત માનવજાતની રૂપક કથા છે. મુઠ્ઠીભર શાસકો કે નેતાઓના હાથમાં સપડાતી કે એમના હાથથી ઊગરતી માનવજાતની ચઢતી પડતીની આ સનાતન કથા છે. &lt;br /&gt;
આ પછી મહેઝે આ જ પ્રકારની ‘હજાર રાત્રિની રાત્રિઓ’ (૧૯૮૨) અને ‘ઇબ્ન ફતૌમાની સફર’ (૧૯૯૩) નામે બીજી બે નવલકથા આપી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૪&lt;br /&gt;
|next = ૧૮૬&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AA&amp;diff=60900</id>
		<title>રચનાવલી/૧૮૪</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%AA&amp;diff=60900"/>
		<updated>2023-05-09T11:48:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૮૪. રહસ્યો (નુરુદીન ફારાહ)     |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માણસને ઓળખવો હશે તો એકલા વિજ્ઞાનથી નહીં ચાલે. એકલા વિજ્ઞાને જગતને અને માણસને ખાડામાં નાખ્યા છે. માણસની શ્રદ્ધા, એની કપોળકલ્પના, એના દિવા તરંગો, એની માન્યતાઓ, એના વિધિવિધાનો, એની રૂઢિઓ, એના રીતરિવાજો અને એની પ્રણાલિઓ આ બધાંને પણ સાથે લઈને ચાલવું પડશે, પશ્ચિમના જગતે નર્યા તર્કનો આધાર લઈને માણસની આંતરિક સમૃદ્ધિની ઉપેક્ષા કરી છે. પશ્ચિમનું સાહિત્ય એની જ દુહાઈ દઈ રહ્યું છે. પશ્ચિમના આવા સાહિત્યની સામે પૂર્વના કેટલાક લેખકોએ અને માથાફરેલ આફ્રિકી નવલકથાકારોએ એમના પોતાના પ્રદેશની હવાને પોતાનાં લેખનોમાં ફૂંકી છે. આવા લેખકોમાં છેલ્લા પચીસ વર્ષથી આગળ તરી આવેલા ઘણાં નામોની વચ્ચે નુરુદીન ફારાહનું નામ મહત્ત્વનું છે. &lt;br /&gt;
આફ્રિકાના પૂર્વકાંઠે કેન્યા અને ઇથોપિયાને અડીને આવેલા સોમાલિયા પ્રદેશનો ચહેરો ઝડપથી બદલાઈ રહ્યો છે. સોમાલિયાના પ્રદેશવાસીઓનો ઇતિહાસ બતાવે છે કે એમણે ભૂતકાળમાં દૂર દૂર એશિયાના ઘણા દેશો સુધી વેપારી તરીકે જંગી વહાણવટું ખેડ્યું છે. સાથે સાથે છેલ્લા દાયકાઓમાં રખડતા પશુધારી કબીલાઓમાંથી ઘણા બધાએ વિશ્વબજારમાં ઝંપલાવ્યું છે. આમ છતાં એમની જૂની માન્યતાઓ અને શ્રદ્ધાઓ બહુ બદલાયેલી નથી. બાપ અને દીકરો, મા અને દીકરી જુદી જુદી જીવનશૈલીથી જીવતાં હોવા છતાં એમણે એકબીજાનો સંપર્ક ગુમાવ્યો નથી. &lt;br /&gt;
નુરુદ્દીન ફારાહ આવા સોમાલિયા પ્રદેશોમાંથી આવે છે. એની માતા તરફથી સોમાલિયાની મૌખિક પરપંરા વારસામાં મળી છે. વળી, ભણાવી ગણાવીને મોટો કર્યો છતાં પુત્ર છેવટે માત્ર લેખક બનીને ઊભો રહ્યો એનો એના પિતાને રંજ છે પણ નુરુદીન ફારાહ કહે છે કે ‘હું મારા માતાપિતાથી બહુ જુદા જગતમાં જીવું છું. અમે મળીએ છીએ ત્યારે પ્રવાસીઓ વિશ્રામ કક્ષમાં મળે એમ મળીએ છીએ. અમારી દિશાઓ જુદી જુદી છે.’&lt;br /&gt;
નુરુદ્દીન ફારાહની શરૂની ત્રણ નવલકથાઓએ એને માટે ખાસ્સો યશ કમાવી આપ્યો છે, તો દેશવટો પણ રળી આપેલો. સરમુખત્યારના હાથમાં રહેલા સોમાલિયાની એમાં કથની છે. આ ત્રણ નવલકથાઓમાં પરિવારોની આંટીઘૂંટી સાથે ભયાવહ રાજનીતિના તાંતણાઓ ગૂંથાયેલા છે. એમાં પરદેશી શાસકો ચાલી ગયા પછીની યાતનાઓ, એના ભર્યા, એની મહત્ત્વાકાંક્ષાઓને વર્ણવ્યાં છે. ખાસ તો નુરુદ્દીન ફારાહનો સ્ત્રીપાત્રો તરફનો અભિગમ જુદો છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર ગુજારેલા અત્યાચારોથી એ સભાન છે એની સમર્થ નવલકથાઓમાં એ રહસ્યો પ્રગટ કરવા ઇચ્છતો નથી કે પછી પ્રગટ કરી શકતો નથી પણ એમાં એની કલ્પનાની વિશિષ્ટતા અને સમૃદ્ધિ જોવાય છે. &lt;br /&gt;
નુરુદીન ફારાહની તાજેતરની નવલકથાનું શીર્ષક જ ‘રહસ્યો’ છે. એવું લાગે છે કે નુરુદીનને સોમાલિયાના રાજકારણ કરતાં પરિવારોનાં કાવાદાવા, જાદુટોણાં, જાતીય વૃત્તિ- વગેરેમાં વધુ રસ છે. ‘રહસ્યો’માં આમ તો સાહિત્યમાં અનેકવાર આવી ગયેલી પિતાની શોધનો વિષય ઝડપ્યો છે. અહીં પિતાની શોધ નીકળેલા એક પાત્રની, એટલે કે કાલામાનની કથા છે. પણ એ કથાને લેખકે ૧૯૯૧ની આસપાસમાં સોમાલિયામાં જે વંશીય લાવા ફાટી નીકળેલો એની પહેલાં એને ગોઠવેલી છે. સોમાલિયાની રાજધાની મોગાડિશુની ગલીઓમાં સશસ્ત્ર માણસો ઘૂમી રહ્યા છે. ધોરીમાર્ગો પર અંતરાયો ખડા કરવામાં આવ્યા છે. લોકોને માટે મહત્ત્વનો પ્રશ્ન એ બની ગયો છે કે એ બધાં ક્યાંથી ઊતરી આવ્યા છે. દરેક જણ આ કે તે કબીલામાં પોતાના મૂળ પડેલાં છે તેવું ખોદીને ખણીને શોધી કાઢી રહ્યા છે. નગારાઓ સાથે ટોળાંઓ રખડી રહ્યાં છે, અને નર્યા વેરઝેરનાં ગાણાં ગવાઈ રહ્યાં છે. પોતાના મૂળની શોધમાં નીકળેલી પ્રજાની વચ્ચે કાલામાન એનું મૂળ, એના પિતા કોણ છે એનું રહસ્ય શોધી રહ્યો છે.&lt;br /&gt;
કાલામાન આઠ વર્ષનો હતો ત્યારે પણ એને પોતાનું નામ કાંઈ વિચિત્ર લાગેલું. પોતાના દાદા નોશો પાસે પહોંચી પોતાનું નામ કોણે પાડ્યું એ કાલામાન જાણવા માંગે છે. આંબાના ઝાડ નીચે લાકડાના વાટકામાં ફળનું સલાડ ખાતાં ખાતાં દાદા જણાવે છે કે, ‘મારા કે તારા પિતાના નામથી સ્વતંત્ર તું ઊભો રહે એ માટે મેં તારું એવું નામ પાડ્યું છે. દાદા કાલામાનના જન્મ અંગેનું સ્મરણ કરતાં જણાવે છે કે એક ચકલી આવેલી એણે કહેલું કે પ્રસૂતિ કપરી હશે. સ્વપ્નમાં એક માખ આવેલી એણે કહેલું કે નવા જન્મેલા બાળકને જીવતું રાખવું હોય તો આમલીનો રસ પાજો. એક કાગડો જન્મ વખતે હાજર થયો અને ઝાડની ડાળી પરથી બોલેલો : ‘કાલામાન, કાલામાન.’ દાદા વાતને ટાળે છે. તેથી કાલામાનને થાય છે કે કોઈ રહસ્ય જરૂર છે.’ &lt;br /&gt;
વળી ઉંમરમાં નાનો બાળક હતો તો પણ શોલૂન્ગોએ જાદટોણાં કરીને કાલામાનને વશમાં કરેલો, અને એને જાતીય રમતોમાં જોતરેલો. એ જ શોલૂન્ગોએ કાલામાનને પોતાનું રહસ્ય જાણવા ઉત્સુક કરેલો. પણ પછી કેટલોક સમય માટે શોલૂન્ગો સોમાલિયા છોડી અમેરિકા જતી રહે છે. ત્યાં લગ્ન કરે છે અને ફરી મોગાડિશુ પાછી ફરે છે. કદાચ એ પ્રાદેશિક સેનાને આર્થિક મદદ પણ પહોંચાડતી હોય. પણ શોલૂન્ગોનું મુખ્ય ધ્યેય તો સોમાલિયાના પુરુષોએ બળજબરીથી રચેલા એમના નિષેધોને તોડી પાડવાનું હતું, એમાં એ કાલામનના દાદા નોત્રોને પણ છોડતી નથી. &lt;br /&gt;
આ બાજુ કાલામાન ધીમે ધીમે પિતાની શોધમાં આગળ વધે છે. વંશીય રમખાણોમાં રસ્તા વચ્ચે પડેલા મનુષ્યોના શબોની નજીકથી પસાર થવા છતાં કાલામાનનું ધ્યાન એ તરફ નથી. એ આરબાકો પાસે પહોંચે છે અને આરબાકો એને કેટલીક વ્યક્તિઓના નામ અને કેટલીક તારીખ આપે છે. આ ઉપરથી કાલામાન પોતા અંગેની વાત શોધી કાઢી લે છે. &lt;br /&gt;
એની મા બનનારી સ્ત્રીના દુર્ભાગ્યની એ વાત હતી. એક પુરુષ ભૂખાળવો થઈને એની પાછળ પડી ખોટા લગ્નના પ્રમાણપત્ર દ્વારા સ્ત્રીને ફસાવે છે. આ પ્રમાણપત્રને જુગારમાં જીતી લઈને કોઈ બીજો પુરુષ સ્ત્રીને બ્લેકમેઇલ કરવા માંડે છે અને વર્ષોસુધી એ યુવાન સ્ત્રીને પોતાનો શિકાર બનાવે છે. આ પછી કોઈ એક સજ્જન એ યુવાન સ્ત્રીને છોડાવે છે એટલું જ નહીં એનો પતિ હોય, એના પુત્રનો પિતા હોય એમ એની સાથે ઘર માંડે છે પણ છેવટે કાલામાનને ખબર પડે છે કે એનો સાચો પિતા એને ક્યારેય મળવાનો જ નથી એ પોતે પોતાની મા ઉપર થયેલા સામૂહિક બળાત્કારનું ફરજંદ હતો. &lt;br /&gt;
આમ, લોકોની વંશીય ઓળખ અને કાલામાનની પોતાની ઓળખ, એમ સમાન્તર ચાલતી પ્રવૃત્તિમાં અલબત્ત લોકોની વંશીય ઓળખ કરતાં જુદી રીતે, કોઈ ખૂન-ખરાબા કે દ્વેષ વગર કાલામાન પોતાની શોધ પૂરી કરે છે, એ આ નવલકથાનો કરુણ છતાં ઉદ્દામ સંદેશ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૩&lt;br /&gt;
|next = ૧૮૫&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A9&amp;diff=60899</id>
		<title>રચનાવલી/૧૮૩</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A9&amp;diff=60899"/>
		<updated>2023-05-09T11:47:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૮૩. નવવધૂ (ઑસ્ટિન બુકેન્યા)     |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘કોઈના ઘર વિશે આપણને માત્ર ઉપરના છાપરા જેટલી ઉપલક જ ખબર હોય છે. ઘરમાં જે રહેતું હોય છે તેને જે ધૂળ અને જાળાં ક્યાં જામ્યાં છે તેની ખબર હોય છે.’ આ ઉક્તિ યુગાન્ડાના આફ્રિકી નાટકકાર ઑસ્ટિન બુકેન્યાના નાટક ‘નવવધૂ’ના એક પાત્રની છે. આપણી કેવી કરુણા છે કે દરેક માણસને અંદરથી સમજવો અઘરો છે. આપણને દરેક માણસની ઉપલક જ ખબર હોય છે. કોઈને અંદરથી જોઈ શકતા નથી. માણસ માત્રની આ વેદના તો ખરી જ, પણ એની સામે ઑસ્ટિન બુકેન્યાને એમ પણ કહેવું છે કે દરેક પ્રજા વિશે બહારથી તમે જે જાણો છો તે ઘરના છાપરાને જાણ્યા બરાબર છે. જ્યાં સુધી તમે પ્રજાના કે સંસ્કૃતિના ન હો ત્યાં સુધી તમે એનાં ધૂળ અને જાળાંને જોઈ શક્તા નથી. ઑસ્ટિન બુકેન્યા આપણને આફ્રિકી પ્રજાની સંસ્કૃતિઓના જગતમાં લઈ જવા મથે છે પણ સાથે ચેતવણી પણ આપે છે. કહે છે કે : ‘કેટલાક એમ કહે છે કે આફ્રિકા વિશેની નવલકથા વાંચવાથી આફ્રિકન જનજીવનનો તાગ મળી શકશે. તો એ વાતમાં કાંઈ માલ નથી કારણ સર્જનાત્મક નવલકથામાં સમાજનો વાસ્તવિક દસ્તાવેજ હોતો નથી. પણ આપણે ઑસ્ટિન બુકેન્યાને કહીશું કે અમારે આફ્રિકી જીવનનો દસ્તાવેજ નથી જોઈતો. દસ્તાવેજ તો છાપરું બતાવશે. અમને તો સર્જનાત્મક સાહિત્યનો ખપ છે, આખરે તો સર્જનાત્મક સાહિત્ય જ આપણને અંદર ઉતારી ધૂળ અને જાળાંની સાથે એની આંતરિક ખૂબીઓ બતાવશે. &lt;br /&gt;
આજે આફ્રિકી સાહિત્યની બોલબાલા છે. ગુલામી માનસના પ્રતીક સમા અંગ્રેજી નમૂનાઓ બાજુએ રાખી આફ્રિકી લેખકો પોતાની ભાષાઓમાં પોતાનાં મૂળિયાંઓ તરફ વળ્યા છે. વર્ષો સુધી સંસ્થાનવાદી વિદેશી સત્તાની સામે ઝઝૂમી મુક્તિ મેળવ્યા પછી હવે ઘરના જ સરમુખત્યારોનો એમને સામનો કરવાનો આવ્યો છે. કહેવાય છે કે એમનો આ જંગ ‘બીજી આઝાદી’ માટેનો છે. યુગાન્ડાના ઇદી અમીન જેવા ક્રૂર શાસકના ખોફની સામે ઑસ્ટિન બુકેન્યા જેવા નાટકકારને ક્યારેક વતનને છોડી અને સ્થાનિક રંગભૂમિને છોડી દૂર પણ જવું પડ્યું છે. પરંતુ આ બધા અવરોધો વચ્ચે આફ્રિકી લેખકોની આજની ત્રીજી પેઢી સાહિત્યના સ્વૈરવિહારને ત્યજી માર્કસવાદી વિચારસીમાઓ ત્યજી સર્જનની નવી જ ક્ષિતિજો ઉઘાડી રહી છે, જેમાં વિશ્વશાંતિ પર્યાવરણથી માંડી સ્ત્રી-પુરુષની સમાનતાના મુદ્દાઓ તો વણાયેલા છે. પણ આફ્રિકી જાતિઓની મૌખિક પરંપરાનાં સંગીત અને આદિ નૃત્યોની સાથે સાથે એમનાં ધર્મરહસ્યોથી ભરપૂર વિધિવિધાનો પણ વણાયેલાં છે. &lt;br /&gt;
ઑસ્ટિન બુકન્યાનાં નાટકો પણ આ બધો વારસો લઈને ચાલે છે. વળી, નાટકકાર ઉપરાંત કવિ અને નવલકથાકાર હોવાથી બુકેન્યાનાં નાટકોમાં ભાષાની તાજગીનો કોઈ નવો સ્વાદ ભળ્યો છે. બુકેન્યાના ‘બ્રાઈડ’ નાટકનો કુમારપાળ દેસાઈ દ્વારા ‘નવવધૂ’ને નામે ગુજરાતી અનુવાદ થયો છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીએ એને પ્રકાશિત કર્યો છે તેથી ગુજરાતી સાહિત્યમાં આફ્રિકી સાહિત્યનો ઉમેરો થયો છે. &lt;br /&gt;
‘નવવધૂ’ નાટકમાં આફ્રિકાની વિશિષ્ટ સંસ્કૃતિની રૂઢિવિધિઓ વચ્ચે બે પેઢીનો મુકાબલો કેન્દ્ર સ્થાને છે. પરંતુ આ સંઘર્ષમાંથી યુદ્ધ અને હિંસાની સામે શાંતિ અને પ્રેમની જે વાત અનાયાસ ઊપસીને બહાર આવે છે એનો મહિમા વધુ છે. નાટ્યવસ્તુ તો એવું છે કે યુવાવર્ગનો પ્રતિનિધિ ને નેતા લેકિન્ડો પોતાની જાતિ વચ્ચે વિદેશીગણાતી નામ્બુઆને પરણવા ઇચ્છે છે અને એના માર્ગમાં વડીલો તરફથી તેમજ ધર્મસ્થાન તરફથી અવરોધો ઊભા કરવામાં આવે છે, જે છેવટે સુખાન્તમાં પરિણમે છે. આ સીધા સાદા નાટ્યવસ્તુને નાટકકાર બુકેન્યાએ સંગીત, નૃત્ય અને રૂઢિઓની વિશિષ્ટતાથી તેમજ વિવિધ પાત્રોની ખાસિયતોથી પ્રાણવાન બનાવ્યું છે એટલું નહિ પણ બુકેન્યાએ ભાષામાં વાપરેલા અલંકારો તો આફ્રિકી જીવનનો સીધો ધબકાર ઝીલતા હોય એમ ગોઠવાયેલા છે. &lt;br /&gt;
નાટકમાં ચાર દૃશ્યો છે. પહેલું દૃશ્ય ‘નવલોહિયાનું નૃત્ય’માં યુવકો અને યુવતીઓ નૃત્યની રાણી બનનારી નામ્બુઆની રાહ જુએ છે પણ યુવતીઓમાં નામ્બુઆ માટે ખાસ્સી ઈર્ષા છે. તો વડીલોમાં તેના વિદેશીપણાને કારણે ખાસ્સો રોષ છે. તેથી યુવા વર્ગનો નેતા લેકિન્ડોને પોતાના પિતા શુન્ડુનો સામનો કરવો પડે છે. ‘મંદિરનું દૃશ્ય’ નામે બીજા દૃશ્યમાં વાંગાદેવનો સત્તાખોર પુજારી લેરેમા અને એની પત્ની મુકુમ્બુ પોતાના એકમાત્ર મરેલા પુત્રની ખોપરીને જાળવીને એને જીવતો સમજ્યા કરે છે અને પુત્રની ખોપરીને પરણાવવાના બહાને નામ્બુઆને પરણવાની ઇચ્છાથી પુજારી નામ્બુઆના પિતાને ભોળવે છે. ‘વાડી’ના દૃશ્યમાં ખોપરી સાથે પરણાવવા તૈયાર થયેલા પોતાના પતિની સામે નામ્બુઆની માતા ટાટુ વિરોધ કરે છે પણ પુજારી સાથેના આ સંબંધથી પોતાના કુટુંબનું વિદેશીપણું ચાલ્યું જશે અને જાતિમાં એમનો સ્વીકાર થશે એવી વાત એની પત્નીને સમજાવે છે. ચોથા દૃશ્ય ‘ખોપડીની વાત’માં નામ્બુઆને પુત્રવધૂ તરીકે તૈયાર કરી મંદિરમાં મૂકી એવે ટાણે લેકિન્ડો યુવાવર્ગ સાથે આવી પહોંચી પુજારીના દીકરાની સાચવેલી ખોપરીના ચુરા કરી નાંખી, પૂજારીની બદદાનતને ખુલ્લી કરે છે. છેવટે બાજી સમજી જઈને પુજારી પોતે જ લેકિન્ડો અને નામ્બુઆનો વિવાહ રચી આપે છે. &lt;br /&gt;
મંદિરમાં વાંગાદેવ અને એને અંગેની શ્રદ્ધા, પૂર્વજો અને મૃતાત્માઓ અંગેની માન્યતા, યુવા વર્ગને સુન્નત દ્વારા થતો યૌવન સંસ્કાર આ બધાંથી નાટક એક જુદા વાતાવરણનો અનુભવ આપે છે, તો અલંકારોનો અનુભવ પણ જોવા જેવો છે. નામ્બુઆનું વર્ણન જુઓ : ‘રાતના વાસી દૂધ જેવી એની આંખો, તાડનાં નવાં પાંદડાંઓ સરખી લોચા જેવી આંગળીઓ,’ પુજારી લેરેમાની ઉક્તિ જુઓ : ‘તમારા છુંદણાંના ઘામાંથી સુવાસિત પરુ નીકળશે એવી આશા રાખીને બેઠા’તા તમે’ જુવાનિયાનું વર્ણન જુઓ ‘કોફીના છોડનાં ફૂલ પર ભમતી મધમાખીઓની જેમ તેની પાછળ ઘૂમી રહ્યા છે.’ નામ્બુઆ પાણીનો ઘડો ભરીને લાવી છે પણ ખિજાયેલી માતા એને કહે છે : ‘તું એમ ધારતી હોય કે હું તારો ઘડો ઉતરાવીશ તો ઘાસને શેરડી માનવા જેવી તારી ભૂલ થાય છે.’ નામ્બુઆની મા ટાટુને ખબર પડે છે કે નામ્બુઆ લેકિન્ડોના પ્રેમમાં છે એટલે લેકિન્ડો તને અડક્યો ખરો?’ એવું પૂછીને ઉમેરે છે :‘મેં તો એવો કોઈ કૂતરો જોયો નથી જે પોતાના દાંત વચ્ચે દાબી રાખેલું માંસ સાચવીને રાખી શકે.’ ચિત્તમાં હંમેશ માટે ચોંટીજાય એવી આ કહેતી છે. &lt;br /&gt;
કુમારપાળ દેસાઈએ ગુજરાતી અનુવાદ મૂળ રચનાની સાદગી અને એના તળપદાપણાને પ્રમાણમાં અકબંધ સાચવીને કર્યો છે, એમ કહી શકાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૨&lt;br /&gt;
|next = ૧૮૪&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A8&amp;diff=60898</id>
		<title>રચનાવલી/૧૮૨</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A8&amp;diff=60898"/>
		<updated>2023-05-09T11:47:22Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૨. અવમાનના (કોત્ઝી)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આફ્રિકાનું નામ પડે અને અગ્રેજો, અંગ્રેજોની રંગભેદ નીતિ, સમગ્ર અશ્વેત પ્રજાનું એક યા બીજા બહાને થતું શોષણ, એમના પરનો અત્યાચાર – બધું નજર સમક્ષ આવ્યા વગર રહેતું નથી. ગાંધીજીનો અહિંસક લડાઈનો અને અસહકારનો ખ્યાલ પણ આવી જ આફ્રિકાની ભૂમિકામાં રોપાયેલો છે, એની આપણને ખબર છે. નેલ્સન મન્ડેલા બહુજાતીય રાષ્ટ્રના પ્રમુખ ચૂંટાયા એ સાથે દક્ષિણ આફ્રિકાની ન્યાય અને સમાનતાની લડતનો જાણે કે એક તબક્કો પૂરો થયો. &lt;br /&gt;
નાબેલ ઇનામ જીતનાર નાદિન ગોર્ડિમરે આ સમયને એની નવલકથાઓમાં છતો કર્યો અને રાજકીય તેમજ સામાજિક પ્રશ્નોને રચનાઓમાં વણ્યા છે. જે એમ. કોત્ઝી પણ દક્ષિણ આફ્રિકાનો લેખક છે પણ ગાર્ડિમર કરતાં બહુ જુદો છે. અલબત્ત ગાર્ડિમરની નવલકથાઓમાં જે નીતિફલક છે એ જ નીતિફલક પર કૉત્નીની પણ નવલકથાઓ ઊભેલી છે. કૉત્ઝીની ‘સાંધ્યભૂમિ’ ‘બર્બરોની રાહ’ અને ‘લોહયુગ’ જેવી નવલકથાઓમાં અંદરખાને રાજકારણની ઝાંય પડેલી હોવા છતાં લેખકે રાજકારણ સાથેની સીધી સંડોવણી જતી કરી છે. આનો અર્થ એ નથી કે કૉત્ની ચંદનમહેલમાં બેસી તુક્કાકથાઓ લડાવે છે. કૉત્ઝી એક ગંભીર નવલકથાકાર છે અને પોતાની વાતને કલાત્મક રીતે મૂકતાં એને આવડે છે. &lt;br /&gt;
આમ છતાં કૉત્ઝીની તાજેતરની નવલકથા ‘અવમાનના’ (ધ ડિસગ્રેસ)માં કેટલાક સળગતા પ્રશ્નો છેડાયા છે. આ નવલકથાને બૂકર ઈનામ મળ્યું છે. બૂકર ઈનામ બીજીવાર મેળવનાર કૉત્ઝી એકમાત્ર લેખક છે. આ નવલકથામાં અનિવાર્યપણે જાતીય વિદ્વેષ તો હાજર છે પણ સાથે સાથે પ્રાણીહક્કો, બળાત્કાર, સ્ત્રી-પુરુષ સંઘર્ષ તેમજ શૈક્ષણિક જગતનાં ઊભરતાં ધોરણો પરત્વે ગૂંચો પણ હાજર છે સહેજ પણ બોલકા થયા વગર ‘અવમાનના’માં કોત્ઝીએ બહુ સંયમપૂર્વક કથા નિરૂપણ કર્યું છે.&lt;br /&gt;
‘અવમાનના&#039;માં એનો નાયક એક અંગ્રેજીનો પ્રાધ્યાપક છે. એનું નામ ડેવિડ લુરી. દક્ષિણ આફ્રિકાના છેવાડે આવેલા કેપટાઉનમાં એ કેપટાઉન યુનિવર્સિટીમાં અધ્યાપન કરે છે અને અંગ્રેજી ભાષા પ્રત્યે ઉદાસીન એવા વિદ્યાર્થીના વર્ગ સાથે પનારું પાડે છે. ડેવિડ લુરી એના અંગત જીવનમાં અને ધંધાદારી જીવનમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ છે. પહેલાં તો લૂરી અર્વાચીન ભાષાઓના વિભાગમાં હતો પણ પ્રશિષ્ટ અને અર્વાચીન ભાષાઓનો વિભાગ બંધ થઈ જતાં હવે એ માત્ર સંપર્ક વ્યવહાર વિભાગનો અધ્યાપક થઈને રહી ગયો છે અને નવાઈની વાત એ છે કે એને ખુદને માણસ માણસ વચ્ચે સંપર્ક વ્યવહાર થઈ શકે છે એવી કોઈ શક્યતા ક્યારેય દેખાઈ નથી. આમ છતાં એણે શીખવવું પડે છે કે સમાજે ભાષાને રચી છે, જેથી મનુષ્યો પોતાના વિચારો, પોતાની લાગણીઓ, પોતાના હેતુઓ એકબીજાને પહોંચાડી શકે. લુરીને એવું પણ લાગે છે કે અંગ્રેજી ભાષા આફ્રિકામાં અનુચિત માધ્યમ છે, એ કોઈ દક્ષિણ આફ્રિકાના સત્યને પ્રગટ કરી શકે નહીં. ડાયનાસોરની જેમ મરેલી અને કાદવમાં પડેલી ભાષા અક્કડ ને અક્કડ થતી ગઈ છે. &lt;br /&gt;
લુરીને બાવન વર્ષ થયાં છે. એણે બે વાર છૂટાછેડા લીધા છે, સોરાયા નામની કોઈ સ્ત્રી સાથે ગુરુવારની સાંજ ગાળીને પોતાનો સમય એણે બરાબર ગોઠવી દીધો છે પણ એકવાર સોરાયા એના બે પુત્રો સાથે બજારમાં મળી જાય છે અને ધીમે ધીમે બંને પક્ષે સંબંધ લુખ્ખો થતાં થતાં લગભગ પૂરો થાય છે, &lt;br /&gt;
ત્યાં લૂરી અંગ્રેજી રોમેન્ટિક કવિતાના વર્ગો લેતાં લેતાં એની એક વિદ્યાર્થિની મેલાની આયઝ્ક સાથે સંકળાય છે. પરંતુ મેલાની સાથેના સંબંધમાં લૂરીને એવું લાગવા માંડે છે કે સસલુ શિયાળના મોમાં સપડાયેલું હોય એમ મેલાની એની સાથે નિષ્ક્રિય રહે છે પણ લુરીને મેલાનીએ પોતાનામાં આગ જન્માવી હોય એવો અનુભવ થાય છે, આખરે મેલાની આ વાત પોતાના મિત્રને, પોતાનાં માતાપિતાને જાહેર કરી દે છે, અને લુરીને યુનિવર્સિટીની શિસ્ત સમિતિ આગળ હાજર થવું પડે છે. અધ્યાપક-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ બરાબર નથી એ ભૂમિકા પર લૂરીના બધા હક્કો છીનવી એને નોકરીમાંથી ફારેગ કરવામાં આવે છે. એને પેન્શનને પાત્ર પણ ગણતા નથી. પહેલા વિભાગનાં આ સાઠ પાનાંનો કથાવિસ્તાર પૂર્વકથા રચે છે. &lt;br /&gt;
આ પછી લૂરી કેપટાઉનથી પૂર્વમાં આવેલા સાલેમમાં રહેતી પોતાની દીકરી લૂસી પાસે આવે છે. લૂસી લૂરીનું મોટી ઉંમરે થયેલું સંતાન છે. લૂસી પાસે એક ફાર્મ છે, અને કૂતરાઓનું એક સરસ સારવાર કેન્દ્ર છે. પોતાના અશ્વેત પાડોશીઓ વચ્ચે અપમાન ધીરજ અને સહનશીલતા સાથે એક શ્વેત સ્ત્રી તરીકે લૂસી દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારનું જીવન જીવી રહી છે. પોતાના એક અશ્વેત પાડોશી પેટ્રસની મદદથી લૂસી સ્થાનિક બજારમાં પોતાનું ઉત્પાદન વેચે છે. પેસનો ડોળો લૂસીની જમીન પર છે. એક દિવસ પેટ્સ ગેરહાજર રહે છે અને કેટલાક અશ્વેત લૂસીના ઘરમાં ઘૂસી એના પિતા સૂરીને બાથરૂમમાં પૂરી, લૂસી પર સામૂહિક બળાત્કાર કરે છે અને જતાં જતાં બાથરૂમમાં પૂરેલા લૂરી પર સ્પિરિટ છાંટી એને બાળી નાંખવાનો પ્રયત્ન કરે છે. &lt;br /&gt;
આમ છતાં લૂરી બચી જાય છે, પણ લૂસી જીવનભરના માનસિક આઘાતમાં સબડે છે. લૂરી જુએ છે કે ‘બહુ ઓછી વસ્તુઓ અને બહુ ઝાઝા માણસો’ – એની આ સમસ્યા છે. પછી એ કાર હોય, બૂટની જોડી હોય કે સિગારેટનું પેકેટ હોય કે સ્ત્રી હોય. લૂરીને લાગે છે કે દયા અને ભયવગરનું કોઈ તોતિંગ માળખું જ કામ કરી રહ્યું છે. &lt;br /&gt;
કદાચ તેથી જ કેપટાઉન જઈને સાલેમમાં લૂસીના ફાર્મ પર પાછા ફરેલા લૂરીને જાણવા મળે છે કે લૂસી માત્ર બળાત્કારથી સગર્ભા નથી પણ પેટ્રસની હરકતોથી બચવા પેટ્રેસે મૂકેલા લગ્નના પ્રસ્તાવને પણ લૂસીએ સ્વીકારી લીધો છે. ભલેને પેટ્સ પછી બે પત્નીઓનો પતિ હોય. પણ લૂસીએ સ્પષ્ટતા કરેલી કે પોતે પેટ્રેસ સાથે લગ્ન સંબંધ નહીં રાખે અને પોતાના ફાર્મને પેસના નામ પર કરી દેશે. શરત એ કે લૂસીના બાળકને પેટ્સ પોતાના કુટુંબનું અંગ બનાવે. લૂસી કહે છે : ‘આ અપમાનજનક છે પણ હું સંમત થઈ છું.’&lt;br /&gt;
રંગભેદની નીતિની નાબૂદી પછી એ નવા શ્વેત-અશ્વેતના ઊભા થયેલા સંબંધો વચ્ચે ગોઠવાયેલી આ નવલકથાએ સમકાલીન સમસ્યાઓને નક્કર રૂપમાં રજૂ કરી છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૧&lt;br /&gt;
|next = ૧૮૩&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A7&amp;diff=60897</id>
		<title>રચનાવલી/૧૮૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A7&amp;diff=60897"/>
		<updated>2023-05-09T11:47:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૧. વેરવિખેર (ચિનૂઆ અચેબે)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચિનૂઆ અચેબે આફ્રિકી લેખકોમાં સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો છે. એની પહેલી જ નવલકથા ‘વેરવિખેર&amp;quot; (થિંગ્સ ફૉલ એપાર્ટ) સમર્થ સાહિત્યકૃતિ ઠરી છે. અંગ્રેજી ભાષી દેશોમાં એ બધે જ વંચાય છે અને ભણાવાય છે. લગભગ ૪૫ જેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા છે અને લાખોની સંખ્યામાં એની નકલો ખપી છે ઉપરાંત નવલકથાનાં રંગમંચ માટે રૂપાન્તરો થયાં છે, એનાં રેડિયો નાટકો અને ટી.વી. શ્રેણીઓ પણ રજૂ થઈ છે. &lt;br /&gt;
પૂર્વ નાઇજીરિયાના ઈગ્બો ભાષા સંસ્કૃતિના ઓગીડી નગરમાં ૧૯૩૦માં ચિનૂઆનો જન્મ ખ્રિસ્તી પિતાને ત્યાં થયો હતો. ચિનુઆના ઘણાં વર્ષો બ્રિટિશ શાસન હેઠળ વીત્યા હતાં. અલબત્ત, આઠ વર્ષની વયે એનું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને કારણે એક ફાયદો થયો કે એના પર પોતાની ઈગ્નો સંસ્કૃતિ અને ભાષાના સંસ્કાર દૃઢ થઈ ચૂકેલા હતા. એક બાજુ પોતાની માતા અને બહેન દ્વારા પારંપારિક ઈગ્બો કથાઓનો વારસો અને બીજી બાજુ પિતાના પુસ્તકાલયમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન—આ બંનેએ ચિનૂઆને પશ્ચિમની સંસ્કૃતિ અને પોતાની સંસ્કૃતિની પરિપક્વ સમજ આપી છે. બંને સંસ્કૃતિના ફાયદા - ગેરફાયદાને એ તટસ્થ રીતે જોઈ શકે છે પણ આફ્રિકી પ્રજાનું ગૌરવ અને એની અસ્મિતા એનામાં ભારોભાર રહ્યાં છે. કૉલેજના શિક્ષણ દરમ્યાન સભાન થયેલા ચિનુઆએ પોતાનું ખ્રિસ્તી નામ આલ્બર્ટ બદલીને ઈગ્બો નામ ચિનૂઆ રાખેલું. &lt;br /&gt;
આફ્રિકાના દૃષ્ટિબિંદુથી આફ્રિકાના ભૂતકાળને જોવાય અને પશ્ચિમની સંસ્કૃતિના દષ્ટિબિંદુથી એને માપવામાં ન આવે એ જોવા માટે એણે કમર કસેલી. શ્વેત સભ્યતા અને શ્વેત પ્રજા જન્મસિદ્ધ ચઢિયાતી નથી એવું બતાવી એ આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રજાનું આદરપૂર્વક સ્થાન રચવા માગતો હતો. આમ કરવામાં ચિનૂઆ કોઈ પ્રચારક નથી રહ્યો. હા એની નવલકથા સામાજિક કાર્ય વધુ કરે છે અને નવલકથાનાં ધોરણો ઓછાં જાળવે છે એવો આક્ષેપ થયો છે પણ આ આક્ષેપની સામે એણે નવલકથાની પોતાની સમજ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે. ચિનુઆ જણાવ્યું છે કે સાહિત્ય મુખ્યત્વે માનવીય છે અને તેથી સાહિત્યનું કામ કલા રચવાનું છે એથી વધુ માનવ પ્રયત્નોને રજૂ કરવાનું છે. આ જ ધ્યેય સાથે ચિનુઆ ખાસ્સો પ્રયોગશીલ રહ્યો છે. &lt;br /&gt;
એણે નવલકથાને આફ્રિકાના વાતાવરણ માટે સદંતર પલટી નાંખી એટલું જ નહીં પણ અંગ્રેજી ભાષાને પલટી નાંખી. અંગ્રેજી ભાષામાં જરૂર પડી ત્યાં ઈગબો ભાષાની રૂઢિઓ અને કહેવતો મૂકી, ઈગ્બો વાતાવરણને સીધું આવવા દીધું, એની માન્યતાઓ અને ધારણાંઓને સીધી પ્રગટ થવા દીધી અને એમ કરતાં કરતાં અંગ્રેજી ભાષામાં એ બધું એવી રીતે ગોઠવ્યું કે અંગ્રેજી ભાષાએ એક નવું રૂપ ધારણ કર્યું. &lt;br /&gt;
આજે ત્રીજા વિશ્વમાં, પૂર્વે જે યુરોપીય સંસ્થાનો હતાં એ સંસ્થાનોએ આઝાદ થયા પછી ગયેલા શાસકોની ભાષામાં લખવું કે પ્રાદેશિક ભાષાઓને ઉત્તેજન આપવું એ એક પેચીદો પ્રશ્ન છે. વળી, એમ પણ મનાય છે કે પોતાની સંસ્કૃતિને પોતાની ભાષામાં જ બરાબર વ્યક્ત કરી શકાય. આ બધી માન્યતાઓ વચ્ચે ચિનુઆએ સમાધાન અને સમન્વયનો નવો માર્ગ કાઢ્યો છે અને બતાવ્યું છે કે વિશ્વવ્યાપી અંગ્રેજી ભાષામાં અનુભવને લઈ આવતો પોતાનો આ નવો અવાજ છે. &lt;br /&gt;
ચિનૂઆ અચેબેએ નવલકથામાં વીસમી સદીની સક્રાન્તિ વખતના નાઇજીરિયન જીવનને અને ખાસ કરીને ઇગ્બો સમાજને રજૂ કર્યાં છે. એમાં પશ્ચિમની અને આફ્રિકાની બે સંસ્કૃતિઓનો સંઘર્ષ વ્યક્તિ અને સમાજ બંને કક્ષાએ રજૂ કર્યો છે. ઓકનોક્વો એ ઇલ્કાબ વગર બાયલાની જેમ ગુજરી ગયેલા આળસુ પિતા ઉનોકાની નિષ્ફળતા સામે સભાનપણે એક શૂરવીર અને સમાજના અગ્રેસર તરીકે ઊભરી આવે છે. &lt;br /&gt;
એકવાર કબીલાની એક સ્ત્રીની બીજા કબીલાવાળા દ્વારા હત્યા થતાં ઉમુઓફિયાના લોકો લડાઈ જાહેર કરી નક્કી કરે છે કે બાજુના કબીલાએ ઉમુઓફિયાના કબીલાને બદલામાં એક યુવાન અને હત્યા પામેલી સ્ત્રીની સામે એક યુવતી આપવાં. યુવતી તો જેની પત્ની મરી ગઈ હતી એની સાથે રહેવા જાય છે પણ યુવાન ઓક્નોક્વોને સુપ્રત કરાય છે. બહારથી સખત દેખાતો ઓક્નોક્વો ધીમે ધીમે યુવાનને પુત્રવત ચાહવા લાગે છે પરંતુ ત્રણ વર્ષ પૂરા થતાં દેવવાણી પ્રમાણે યુવાનની બલિ નક્કી થાય છે અને મિત્રની સલાહ છતાં ઓક્નોક્વો એની હત્યામાં સામેલ થઈ પછીથી અત્યંત દુઃખી થાય છે. &lt;br /&gt;
આ પછી કબીલાના એક અગ્રણીના અવસાન વખતે દારૂ પીને ઉન્માદમાં ઓક્નોક્વોને હાથે ગોળી છૂટતાં અજાણે એક બાળકનું મૃત્યુ નીપજે છે અને કબીલાના નિયમ પ્રમાણે સાત વર્ષ માટે ગામ છોડી એને બીજે ગામ દેશવટે જવું પડે છે. દેશવટાના બીજે વર્ષે એને ખબર મળે છે કે અબામે ગામમાં સાઇકલ લઈને જતાં કોઈ શ્વેતની અશ્વેતોએ હત્યા કરેલી ને તેથી શ્વેતોએ એ પછી આખા ગામને સાફ કરી નાંખેલું. પોતાના ગામમાં શ્વેત મીશનરીઓએ કબજો લીધો છે અને પોતાનો દીકરો પણ વટલાઈ ગયો છે એવું જાણતા એક્નોક્વોની કબીલાના વડા થવાની ઇચ્છા પર પાણી ફરી વળે છે. &lt;br /&gt;
દેશવટો ભોગવીને ગામ પાછા ફર્યા પછી ખ્રિસ્તી પ્રભાવને વધતો જોઈને અને કબીલાનાં કુટુંબોને તૂટતા જોઈને ઓકોનક્વો રંજ અનુભવે છે. એ કબીલાના માણસોને ખ્રિસ્તીઓની વિરુદ્ધ આક્રમણ માટે ઉશ્કેરે છે પણ એને ઠંડો પ્રતિભાવ મળે છે. ઓકોનક્વોને બધી વસ્તુઓ વેરવિખેર થતી લાગે છે ઉમુઓફિયાની બદલાતી સામાજિક પરિસ્થિતિથી ઓકોનક્વો હેરાન છે. બાયલાની જેમ દુર્બળ થઈ જતાં પોતાના જાતભાઈઓ માટે એને અપાર રંજ છે. ખ્રિસ્તીઓ સાથેના છેલ્લા સંઘર્ષમાં ઓકોનક્વો કબીલો જેને ધરતી વિરદ્ધનું પાપ કહે છે તે ઝાડ પર લટકી આત્મહત્યાનું પાપ કરે છે. &lt;br /&gt;
અશ્વેત રીત-રિવાજો, લગ્ન-મૃત્યુ પ્રસંગો, ધર્મગાથાઓ અને શ્રદ્ધા-વહેમો સાકાર કરતી આ કથા દસ્તાવેજ નથી, તો સાથે કલાનો અવેજ પણ બની નથી. એમાં એક સમર્થ લેખકના સામાજિક ધ્યેયની કલાસિદ્ધિ છે.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૦&lt;br /&gt;
|next = ૧૮૨&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A7&amp;diff=60896</id>
		<title>રચનાવલી/૧૮૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A7&amp;diff=60896"/>
		<updated>2023-05-09T11:46:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| ૧૮૧. વેરવિખેર (ચિનૂઆ અચેબે)    |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચિનૂઆ અચેબે આફ્રિકી લેખકોમાં સૌથી વધારે પ્રભાવશાળી રહ્યો છે. એની પહેલી જ નવલકથા ‘વેરવિખેર&amp;quot; (થિંગ્સ ફૉલ એપાર્ટ) સમર્થ સાહિત્યકૃતિ ઠરી છે. અંગ્રેજી ભાષી દેશોમાં એ બધે જ વંચાય છે અને ભણાવાય છે. લગભગ ૪૫ જેટલી ભાષાઓમાં એના અનુવાદ થયા છે અને લાખોની સંખ્યામાં એની નકલો ખપી છે ઉપરાંત નવલકથાનાં રંગમંચ માટે રૂપાન્તરો થયાં છે, એનાં રેડિયો નાટકો અને ટી.વી. શ્રેણીઓ પણ રજૂ થઈ છે. &lt;br /&gt;
પૂર્વ નાઇજીરિયાના ઈગ્બો ભાષા સંસ્કૃતિના ઓગીડી નગરમાં ૧૯૩૦માં ચિનૂઆનો જન્મ ખ્રિસ્તી પિતાને ત્યાં થયો હતો. ચિનુઆના ઘણાં વર્ષો બ્રિટિશ શાસન હેઠળ વીત્યા હતાં. અલબત્ત, આઠ વર્ષની વયે એનું અંગ્રેજી શિક્ષણ શરૂ થયું અને કારણે એક ફાયદો થયો કે એના પર પોતાની ઈગ્નો સંસ્કૃતિ અને ભાષાના સંસ્કાર દૃઢ થઈ ચૂકેલા હતા. એક બાજુ પોતાની માતા અને બહેન દ્વારા પારંપારિક ઈગ્બો કથાઓનો વારસો અને બીજી બાજુ પિતાના પુસ્તકાલયમાંથી અંગ્રેજી પુસ્તકોનું વાચન—આ બંનેએ ચિનૂઆને પશ્ચિમની સંસ્કૃતિ અને પોતાની સંસ્કૃતિની પરિપક્વ સમજ આપી છે. બંને સંસ્કૃતિના ફાયદા - ગેરફાયદાને એ તટસ્થ રીતે જોઈ શકે છે પણ આફ્રિકી પ્રજાનું ગૌરવ અને એની અસ્મિતા એનામાં ભારોભાર રહ્યાં છે. કૉલેજના શિક્ષણ દરમ્યાન સભાન થયેલા ચિનુઆએ પોતાનું ખ્રિસ્તી નામ આલ્બર્ટ બદલીને ઈગ્બો નામ ચિનૂઆ રાખેલું. &lt;br /&gt;
આફ્રિકાના દૃષ્ટિબિંદુથી આફ્રિકાના ભૂતકાળને જોવાય અને પશ્ચિમની સંસ્કૃતિના દષ્ટિબિંદુથી એને માપવામાં ન આવે એ જોવા માટે એણે કમર કસેલી. શ્વેત સભ્યતા અને શ્વેત પ્રજા જન્મસિદ્ધ ચઢિયાતી નથી એવું બતાવી એ આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રજાનું આદરપૂર્વક સ્થાન રચવા માગતો હતો. આમ કરવામાં ચિનૂઆ કોઈ પ્રચારક નથી રહ્યો. હા એની નવલકથા સામાજિક કાર્ય વધુ કરે છે અને નવલકથાનાં ધોરણો ઓછાં જાળવે છે એવો આક્ષેપ થયો છે પણ આ આક્ષેપની સામે એણે નવલકથાની પોતાની સમજ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે. ચિનુઆ જણાવ્યું છે કે સાહિત્ય મુખ્યત્વે માનવીય છે અને તેથી સાહિત્યનું કામ કલા રચવાનું છે એથી વધુ માનવ પ્રયત્નોને રજૂ કરવાનું છે. આ જ ધ્યેય સાથે ચિનુઆ ખાસ્સો પ્રયોગશીલ રહ્યો છે. &lt;br /&gt;
એણે નવલકથાને આફ્રિકાના વાતાવરણ માટે સદંતર પલટી નાંખી એટલું જ નહીં પણ અંગ્રેજી ભાષાને પલટી નાંખી. અંગ્રેજી ભાષામાં જરૂર પડી ત્યાં ઈગબો ભાષાની રૂઢિઓ અને કહેવતો મૂકી, ઈગ્બો વાતાવરણને સીધું આવવા દીધું, એની માન્યતાઓ અને ધારણાંઓને સીધી પ્રગટ થવા દીધી અને એમ કરતાં કરતાં અંગ્રેજી ભાષામાં એ બધું એવી રીતે ગોઠવ્યું કે અંગ્રેજી ભાષાએ એક નવું રૂપ ધારણ કર્યું. &lt;br /&gt;
આજે ત્રીજા વિશ્વમાં, પૂર્વે જે યુરોપીય સંસ્થાનો હતાં એ સંસ્થાનોએ આઝાદ થયા પછી ગયેલા શાસકોની ભાષામાં લખવું કે પ્રાદેશિક ભાષાઓને ઉત્તેજન આપવું એ એક પેચીદો પ્રશ્ન છે. વળી, એમ પણ મનાય છે કે પોતાની સંસ્કૃતિને પોતાની ભાષામાં જ બરાબર વ્યક્ત કરી શકાય. આ બધી માન્યતાઓ વચ્ચે ચિનુઆએ સમાધાન અને સમન્વયનો નવો માર્ગ કાઢ્યો છે અને બતાવ્યું છે કે વિશ્વવ્યાપી અંગ્રેજી ભાષામાં અનુભવને લઈ આવતો પોતાનો આ નવો અવાજ છે. &lt;br /&gt;
ચિનૂઆ અચેબેએ નવલકથામાં વીસમી સદીની સક્રાન્તિ વખતના નાઇજીરિયન જીવનને અને ખાસ કરીને ઇગ્બો સમાજને રજૂ કર્યાં છે. એમાં પશ્ચિમની અને આફ્રિકાની બે સંસ્કૃતિઓનો સંઘર્ષ વ્યક્તિ અને સમાજ બંને કક્ષાએ રજૂ કર્યો છે. ઓકનોક્વો એ ઇલ્કાબ વગર બાયલાની જેમ ગુજરી ગયેલા આળસુ પિતા ઉનોકાની નિષ્ફળતા સામે સભાનપણે એક શૂરવીર અને સમાજના અગ્રેસર તરીકે ઊભરી આવે છે. &lt;br /&gt;
એકવાર કબીલાની એક સ્ત્રીની બીજા કબીલાવાળા દ્વારા હત્યા થતાં ઉમુઓફિયાના લોકો લડાઈ જાહેર કરી નક્કી કરે છે કે બાજુના કબીલાએ ઉમુઓફિયાના કબીલાને બદલામાં એક યુવાન અને હત્યા પામેલી સ્ત્રીની સામે એક યુવતી આપવાં. યુવતી તો જેની પત્ની મરી ગઈ હતી એની સાથે રહેવા જાય છે પણ યુવાન ઓક્નોક્વોને સુપ્રત કરાય છે. બહારથી સખત દેખાતો ઓક્નોક્વો ધીમે ધીમે યુવાનને પુત્રવત ચાહવા લાગે છે પરંતુ ત્રણ વર્ષ પૂરા થતાં દેવવાણી પ્રમાણે યુવાનની બલિ નક્કી થાય છે અને મિત્રની સલાહ છતાં ઓક્નોક્વો એની હત્યામાં સામેલ થઈ પછીથી અત્યંત દુઃખી થાય છે. &lt;br /&gt;
આ પછી કબીલાના એક અગ્રણીના અવસાન વખતે દારૂ પીને ઉન્માદમાં ઓક્નોક્વોને હાથે ગોળી છૂટતાં અજાણે એક બાળકનું મૃત્યુ નીપજે છે અને કબીલાના નિયમ પ્રમાણે સાત વર્ષ માટે ગામ છોડી એને બીજે ગામ દેશવટે જવું પડે છે. દેશવટાના બીજે વર્ષે એને ખબર મળે છે કે અબામે ગામમાં સાઇકલ લઈને જતાં કોઈ શ્વેતની અશ્વેતોએ હત્યા કરેલી ને તેથી શ્વેતોએ એ પછી આખા ગામને સાફ કરી નાંખેલું. પોતાના ગામમાં શ્વેત મીશનરીઓએ કબજો લીધો છે અને પોતાનો દીકરો પણ વટલાઈ ગયો છે એવું જાણતા એક્નોક્વોની કબીલાના વડા થવાની ઇચ્છા પર પાણી ફરી વળે છે. &lt;br /&gt;
દેશવટો ભોગવીને ગામ પાછા ફર્યા પછી ખ્રિસ્તી પ્રભાવને વધતો જોઈને અને કબીલાનાં કુટુંબોને તૂટતા જોઈને ઓકોનક્વો રંજ અનુભવે છે. એ કબીલાના માણસોને ખ્રિસ્તીઓની વિરુદ્ધ આક્રમણ માટે ઉશ્કેરે છે પણ એને ઠંડો પ્રતિભાવ મળે છે. ઓકોનક્વોને બધી વસ્તુઓ વેરવિખેર થતી લાગે છે ઉમુઓફિયાની બદલાતી સામાજિક પરિસ્થિતિથી ઓકોનક્વો હેરાન છે. બાયલાની જેમ દુર્બળ થઈ જતાં પોતાના જાતભાઈઓ માટે એને અપાર રંજ છે. ખ્રિસ્તીઓ સાથેના છેલ્લા સંઘર્ષમાં ઓકોનક્વો કબીલો જેને ધરતી વિરદ્ધનું પાપ કહે છે તે ઝાડ પર લટકી આત્મહત્યાનું પાપ કરે છે. &lt;br /&gt;
અશ્વેત રીત-રિવાજો, લગ્ન-મૃત્યુ પ્રસંગો, ધર્મગાથાઓ અને શ્રદ્ધા-વહેમો સાકાર કરતી આ કથા દસ્તાવેજ નથી, તો સાથે કલાનો અવેજ પણ બની નથી. એમાં એક સમર્થ લેખકના સામાજિક ધ્યેયની કલાસિદ્ધિ છે.  &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૮૦&lt;br /&gt;
|next = ૧૮૦&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A6&amp;diff=60895</id>
		<title>રચનાવલી/૧૮૦</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AE%E0%AB%A6&amp;diff=60895"/>
		<updated>2023-05-09T11:46:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૮૦. રુઓ વ્હાલા દેશ (એલન પેટન)     |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘કોઈ પણ ખ્રિસ્તી દુઃખથી મુક્ત હોય એવું મેં કદી વિચાર્યું નથી. આપણા પ્રભુએ પણ દુ:ખ વેઠ્યું છે અને હું માનતો થયો છું કે તેમણે આપણને યાતનામાંથી ઉગારવા સહન નહોતું કર્યું, એમણે સહન કર્યું હતું. આપણને યાતના જીરવવાનું શીખવાડવા માટે.’ જગતની રચના અને જગતની વાસ્તવિકતા સામે ટકી રહેવાનો આવો ધડખમ સંદેશો એક પાત્ર દ્વારા વહેતો કરનાર લેખક છે દક્ષિણ આફ્રિકાનો એલન પેટન અને એની પ્રસિદ્ધ નવલકથા છે : ‘જુઓ વહાલા દેશ’ (ક્રાય ધ બીલવ્ડ કન્ટ્રી) &lt;br /&gt;
આ નવલકથા છે તો યાતનાની કથા. દક્ષિણ આફ્રિકાની પ્રજાની આપત્તિની કથા, છતાં આ યાતનાની કથા પાછળ એક આશ્વાસન છે. ગુલામીનો ભય અને ભયની ગુલામી વર્ણવતી આ કથા એમાંથી મુક્તિ આપનાર પ્રભાતની રાહ જુએ છે, એ જ આનંદની વાત છે. ૧૯૪૮માં પ્રકાશિત થયેલી આ નવલકથાની ફિલ્મ બની છે અને એણે જગતભરમાં દક્ષિણ આફ્રિકાની કાળી પ્રજાની કાયદા વ્યવસ્થા અંગે ખાસ્સો ઊહાપોહ ઊભો કરેલો. &lt;br /&gt;
આ પુસ્તક વિશે એવું લખાયું છે કે જે કામ અમેરિકાના હબસી ગુલામો માટે ‘અંકલ ટોમ્સ કૅબિને’ કર્યું હતું તે સ્થાનિક આફ્રિકાવાસીઓ માટે આ પુસ્તકે કરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાના પીટર મેરિત્સબર્ગમાં જન્મેલા એલન પેટને નાતાલ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવેલી અને ઇકસોપોમાં લાંબો સમય શિક્ષણ કાર્ય કરેલું. જોહાનિસબર્ગ જેવા મોટા શહેરમાં જઈને ખોટે રસ્તે ચઢી ગયેલા અને લગભગ અસામાજિક તત્ત્વોમાં ફસાઈ ગયેલા યુવાનો માટેના દક્ષિણ આફ્રિકાના એક મોટા સુધારણાઘરમાં એમણે તે૨ વર્ષ સુધી પોતાની સેવાઓ આપેલી. સુધારણાઘરને ન્યાયખાતાને બદલે શિક્ષણખાતા સાથે જોડી ગુનેગાર યુવાનોની સજા અંગેની વિચારણા પણ એમણે નવી દષ્ટિથી કરેલી. એમણે લિબરલ પાર્ટી ઑવ સાઉથ આફ્રિકાની સ્થાપના કરેલી અને એના પ્રમુખ રહેલા. એમણે જાતિ-જાતિ વચ્ચે ભય અને શંકાના સંબંધોને સ્નેહ અને આદરમાં પલટાવવા ખાસ્સું લેખન કાર્ય કરેલું. &lt;br /&gt;
દક્ષિણ આફ્રિકાના એમના આ બધા અનુભવો સાથે, છિન્નભિન્ન થતા આદિમ સમાજનો તેમજ નવા રચાઈ રહેલા સમાજનો ચિતાર એમણે આ નવલકથામાં પૂરી તન્મયતાથી અને છતાં નિષ્પક્ષપાત રીતે પૂર્વગ્રહ મુક્ત રહીને આપ્યો છે. આફ્રિકાની સોનાની ખાણો અને ખાણિયાઓના શોષણની અને આર્થિક નીતિની વાત પણ એમાં વણાયેલી છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે આ સાચી ઘટના છે. લેખક જણાવે છે તેમ આ આખી કથા સાચી ઘટના નથી, પણ એ દસ્તાવેજી શૈલીમાં લખાયેલી છે અને બાઈબલની ભાષાની જેમ એમાં ભાષાની સાદગી અને સરળતા છે. &lt;br /&gt;
નવલકથાનું કથાનક તો બહુ પાંખું છે. ચાલી ગયેલા પુત્રને એક ગામનો પાદરી પિતા જોહાનિસબર્ગ જેવા અટપટા શહેરમાં શોધવા નીકળે છે અને અંતે એનો ગુનેગારના રૂપમાં ભેટો થાય છે. પરંતુ આ ઘટના દરમ્યાન કાળા અને ગોરાઓનો, ગામડાઓ અને શહેરનો, ધર્મ અને અધર્મનો, પિતા અને પુત્રનો, લેખકે જે વિરોધ રચ્યો છે એમાંથી નવલકથા બની છે. &lt;br /&gt;
નવલકથા ત્રણ ખંડમાં રજૂ થઈ છે. પહેલા ખંડમાં દક્ષિણ આફ્રિકાના એક ગામના જૂના પુરાણા ચર્ચના પાદરી કુમાલો પોતાની માંડ બચાવેલી થોડી ઘણી મૂડી સાથે પત્નીને આશ્વાસન આપી પુત્ર એબ્સલમને શોધવા નીકળે છે. પોતાના ખાણિયા પતિની શોધમાં ગયેલી ફોઈને શોધવા ગયેલો એબ્સલમ જોહાનિસબર્ગમાં જ રોકાઈ ગયો છે પણ એનો કોઈ કાગળપત્તર નથી કે એનો કોઈ પત્તો નથી. પાદરી કુમાલો લાંબી મુસાફરીને અંતે જિંદગીમાં પહેલીવાર અજાણ્યા જોહાનિસબર્ગમાં પ્રવેશે છે. પ્રવેશતામાં જ ઠગાય છે પણ એમના સદ્ભાગ્યે એમનો પરિચય એક પરગજુ બીજા પાદરી સિમાન્તુ સાથે થાય છે. &lt;br /&gt;
સિમાન્ગુની મદદથી કુમાલો એબ્સલમની શોધ આદરે છે, એમાં ઘણા વખતથી જુદા પડેલા અને અત્યારે ભ્રષ્ટ રાજકારણી તરીકે કાળાઓનો પક્ષ લેતા નાનાભાઈ જ્હૉન કુમાલોનો પણ ભેટો થાય છે. પાદરી કુમાલોને સુધારણાઘર સુધી પહોંચતા જાણવા મળે છે કે તેમનો દીકરો ચોર બન્યો છે, રખડુની જેમ સ્થળે સ્થળે ભટકે છે, ગભરુ બાળા સમી છોકરી સાથે રહેવા માંડ્યો છે અને એવા બાળકનો પિતા થવાનો છે કે જેને નામ નહિ હોય પણ સાથે એ પણ જાણવા મળે છે કે એમના દીકરાએ છોકરીને તથા ન જન્મેલ બાળકને છોડી દીધાં છે. કાયદા અને પ્રણાલિઓને બાજુએ મૂકીને જીવન જીવે છે. &lt;br /&gt;
ત્યાં છાપામાં ખબર ચમકે છે કે ‘પાર્ક બોલ્ડમાં ખૂન શહેરના જાણીતા ઇજનેરની ગોળીથી હત્યા, હત્યારાઓ દેશી હોવાની ધારણા’ કુમાલાનો ભય સાચો ઠરે છે. એબ્સલને જ બીજા બે યુવાનોને સાથે રાખીને એ હત્યા કરી હોય છે. એક્સલમ ગુનાનો સ્વીકાર કરી લે છે. સિમાન્ગુની મદદ વિના ખર્ચે ગરીબ પાદરી કુમાલોનો પુત્રનો કેસ લડવા એક વકીલ મળી જાય છે, ત્યાં પહેલો ખંડ પૂરો થાય છે. &lt;br /&gt;
બીજા ખંડમાં જેની હત્યા થઈ છે તે જાર્વિસ અને જાર્વિસના પિતા કેન્દ્રમાં આવે છે. જાર્વિસ ગોરો અંગ્રેજ હોવા છતાં કાળાઓના પ્રશ્ને પોતાની અંગ્રેજ પ્રજાની જવાબદારી વિચારનારો અનુકંપાશીલ મનુષ્યપ્રેમી હતો. અકસ્માતે જાર્વિસનો મૂળ પરિવાર પાદરી કુમાલોના ગામની નજીકની ટેકરીએ વસેલો છે અને જાર્વિસના પિતાને હત્યાની ખબર પહોંચ છે. મુકદમો ચાલે છે. એબ્સલમને ફાંસીની સજા થાય છે. જેલમાં એબ્સલેમને પરણાવી સગર્ભા ગભરુ બાળાને લઈને અને પોતાના બહેનના દીકરાને લઈને પાદરી કુમાલો ગામમાં પાછા ફરે છે. &lt;br /&gt;
ત્રીજા ખંડમાં પાછા ફરેલા પાદરી કુમાલોને એમની ગેરહાજરીથી અધીર બનેલા ગામ લોકોના પ્રેમનો અદ્ભુત પરિચય મળે છે. ગામની અભણ અને અણઘડ રીતે ખેતી કરતી પ્રજા, ગામની વેરાન ઘાસિયા ભૂમિ, ગામની અસહ્ય ગરીબી બધાનો કોઈ ઉપાય કરવા પાદરી કુમાલો પોતાના મનને જોતરે છે, અને કાળા ખેડૂત સમાજના પુનઃ સ્થાપન અંગે સક્રિય બને છે. હત્યા પામનાર જાર્વિસનું કાળા પ્રત્યેનું અનુકંપાભર્યું કાર્ય જાર્વિસના પિતા બહુ આશ્ચર્યકારક રીતે આગળ ધપાવે છે અને પાદરી કુમાલોને દૂધની સેવા માટે, ખેતીની સુધારણા અર્થે પોતાની સંપત્તિ પૂરી પાડે છે. એટલુંજ નહીં પોતાના જ પુત્રને મારી નાખનાર પાદરીના પુત્રની દયાની અરજીનો સ્વીકાર થયો કે નહીં તે જાણવા પ્રયત્ન કરે છે પણ દયાની અરજીનો સ્વીકાર થતો નથી. એબ્સલમની પ્રિટોરિયાની જેલમાં થનારી ફાંસીના દિવસે પાદરી કુમાલો ગામ નજીકના પર્વત પર ચાલી જાય છે. પુત્ર અર્થે પ્રાર્થના કરે છે. ત્યાં રાત ગાળે છે અને પ્રભાતની રાહ જુએ છે. &lt;br /&gt;
આ પુસ્તક વિશે જે લખ્યું છે કે ‘આ પુસ્તક એવું છે કે જેને શરૂ કર્યા પછી મૂકી દેવાનું સહન ન થાય કે હિંમત વિના આગળ વાંચી ન શકાય’ એ તદ્દન સાચું છે. ગુજરાતી ભાષામાં જયંત પંડ્યાના હાથે ‘વ્હાલો મારો દેશ&#039; નામે આ પુસ્તકનો અનુવાદ થયો છે. માણસ તરીકે માણસમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકે એ અનુવાદ વાંચી લેવો જોઈએ. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૯&lt;br /&gt;
|next = ૧૮૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AF&amp;diff=60894</id>
		<title>રચનાવલી/૧૭૯</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AF&amp;diff=60894"/>
		<updated>2023-05-09T11:45:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૯. લાલચોળની આત્મકથા (એન કાર્સન) |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એન કાર્સન ગ્રીક કવિતા, ગ્રીક ફિલસૂફી અને ગ્રીક જીવનમાં રચીપચી રહેલી લેખિકા છે. એણે ગ્રીક પ્રેમનો દેવતા ઈરોઝ પર લખ્યું છે. એણે ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં, ઘડપણની વ્યથાને ઘૂંટતા કોલોફોનના ગ્રીક કવિ મિમનેરમસની કવિતાના ખંડોને વિસ્તાર્યા છે. એ જ રીતે એણે સિસિલીના ઉત્તરકાંઠા પરના ગ્રીક નગર હિમેરામાં ઈ.સ. પૂર્વે ૬૫૦માં જન્મેલા કવિ સ્ટેસિકોરોસની ‘જીરીઅન’ જેવી લાંબા પટની રચનાને નમૂનો બનાવી એના પરથી ‘લાલચોળની આત્મકથા’ (ઑટોબાયગ્રાફી ઑવ રેડ) નામે એક નવલકથા રચી છે. અને તે પણ ૧૩૦૦૦ પંક્તિઓની આ નવલકથા પદ્યમાં રચી છે એનાં સુડતાલીસ પ્રકરણો છે. &lt;br /&gt;
સૉક્રેટિસે સમજાવેલું કે એકવાર તો આપણા આત્માઓને પાંખો હતી અને આપણે દેવોની સાથે રહેતા હતા. પણ પછી આપણે બધા દેશવટો ભોગવી રહ્યા છીએ અને તેથી જ્યારે જ્યારે આપણે કશુંક સુંદર જોઈએ છીએ કે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે વખતો વખત આપણે આપણી પાંખોને યાદ કરીએ છીએ. આપણે જ્યારે પ્રેમમાં પડીએ છીએ ત્યારે એક સાથે ઊંડુ સુખ અને ઊંડું દુઃખ અનુભવીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ આપણી પાંખોનો ફફડાટ હોય છે. પ્રેમ અને પાંખોની આવી વાતને એન કાર્સને ‘લાલચોળની આત્મકથા’માં ગૂંથી છે, અલબત્ત, આ નવલકથા કોઈની આત્મકથારૂપે લખાયેલી નથી પણ એનું મુખ્યપાત્ર ‘જીરીઅન’ નવલકથામાં ફોટોગ્રાફ સહિત એની આત્મકથા તૈયાર કરી રહ્યો છે એની વાતને લઈને એનું નામ એ રીતે આપવામાં આવ્યું છે. &lt;br /&gt;
આ કથામાં ત્રણ પાત્રો આવે છે. જીરીઅન, હેરક્લીઝ અને એન્કેશ, ગ્રીક સાહિત્યમાં જીરીઅન એક પૌરાણિક દૈત્યનું પાત્ર છે એને ત્રણ શરીર છે, છ હાથ છે અને છ પગ છે. એ લાલપશુઓના ટોળાની એક ભરવાડ અને એક કૂતરો રાખીને રખેવાળી કરતો હોય છે પરંતુ પોતાના માલિક યુરેસ્થેનિસે હેરક્લીઝને બાર પરાક્રમો માટે આજ્ઞા કરેલી એમાં દશમા પરાક્રમરૂપે હેરક્લીઝ જીરીઅનનાં ઢોરોને પકડી લે છે. ભરવાડ અને કૂતરાને મારે છે અને જીરીઅનને હણે છે. નવા સંશોધન પ્રમાણે મળી આવેલી વિગતો બતાવે છે કે જીરીઅનને એના ભરવાડે હેરક્લીઝ સાથે લડવાની ના પાડી હતી. જીરીઅનની માએ પણ મના કરી હતી. જીરીઅને બંનેની સલાહને અવગણી હતી. બીજી બાજુ હેરક્લીઝને બચાવનાર એથેનાએ જીરીઅનને કોઈની મદદ ન મળે એની પેરવી કરેલી. આખરે હાયડ્રાના લોહીનું ઝેર અણી પર લગાડી એ તીર વડે જીરીઅનનું મસ્તક વીંધી હેરક્લીઝે વિજય મેળવ્યો હતો. મૂળ ગ્રીકકથાનાં આ જીરીઅન અને હેરક્લીઝ જેવાં પાત્રો એન કાર્સનની નવલકથામાં નવે અવતારે આવ્યાં છે. પાત્રો અડધાં આધુનિક છે અને અડધાં પૌરાણિક છે. જીરીઅનને ત્રણ શરીર, છ હાથ અને છ પગ તો નથી પણ એને પાંખો મળેલી છે. વળી જીરીઅન શરીરે લાલચોળ છે અને એનો પડછાયો પણ લાલ પડે છે. &lt;br /&gt;
જીરીઅનના નિશાળના દિવસો બહુ સુખના ન રહ્યા. પણ ચૌદ વર્ષની ઉંમરે એ સોળ વર્ષના હેરક્વીઝના પ્રેમમાં પડે છે. પણ જીરીઅનનો સ્વીકાર થતો નથી. તેથી પ્રેમમાં નાસીપાસ જીરીઅન છેવટે એક સ્થાનિક ગ્રંથાલયમાં નોકરી લે છે. પછી કોઈ અકળ કારણસર જીરીઅન બોનસ એરીઝ જવા વિમાનમાં ચઢે છે. બોનસ એરીઝમાં એને એક ફિલસૂફીના અમેરિકી પ્રોફેસર મળે છે, જે એને ‘લાગણીહીનતા’ પરના પોતાના વ્યાખ્યાનમાં લઈ જાય છે. આ પછી બોનસ એરીઝની ગલીઓમાં ફરતો હતો ત્યાં જીરીઅનને ફરીને હેરક્લીઝનો ઓચિંતો ભેટો થાય છે. પણ આ વખતે હેક્લીઝ સાથે પીંછાથી પણ હળવો&#039; એવો એન્કૅશ હોય છે. આ બંને જ્વાળામુખીના અવાજોને ટેઇપ કરવા નીકળ્યા હોય છે. &lt;br /&gt;
આ નવલકથામાં જ્વાલામુખી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પહેલીવાર ચૌદ વર્ષની ઉંમરે જીરીઅન હેરક્લીઝને મળ્યો હતો ત્યારે હેરક્લીઝના વતનમાં હેરીઝની દાદી જીરીઅનને ફાટતો જ્વાળામુખી જોવા લઈ ગઈ હતી. બીજીવાર જીરીઅન, હેરક્લીઝ અને એન્કેશ તેમજ એન્કેશની માતા એન્ડેશની જન્મભૂમિ લિમામાં જાય છે અને ત્યાંથી દૂર ઉત્તરના કુ નામના ગામમાં પહોંચે છે. ત્યાં લોકો જ્વાળામુખીના ખડક પર ઘરો બાંધીને રહેતા હોય છે અને જ્વાળામુખીના ધખતા ખડક રોટલા શેકતા હોય છે. નવલકથાકાર દર્શાવવા માંગે છે કે ભૂગોળને અને પાત્રને ગાઢ સંબંધ છે. જીરીઅનની પ્રકૃતિ જ્વાળામુખી જેવી છે, એ લાલચોળ છે, એનો પડછાયો પણ લાલ છે, એ પંખાળો લાલચોળ છે. &lt;br /&gt;
ક્યારેક જીરીઅનની લાગણી વર્ણવવા માટે પણ જ્વાળામુખીનો ઉપયોગ થયો છે, જેમાં જીરીઅન પોતાની આંતરિક જીવનની ચીરાડો અને તિરાડોનો ઉલ્લેખ કરે છે. ક્યારેક જીરીઅન પોતાનાં ભીતરી ક્ષેત્રોમાંથી ઉપર ધસી આવતો ટનબંધ ધગધગતો કાળો ધાતુરસ અનુભવે છે. પણ જીરીઅન જ્વાલામુખીના અગ્નિ જેવો માત્ર લાલચોળ જ નથી, એને પાંખો પણ છે. જીરીઅનની આ પાંખો અંગે એશને પહેલીવાર ખબર પડે છે. વિમાની ઠંડી રાતમાં જીરીઅનને ધાબળો ઓઢાઢવા જતા એન્કેશની નજર જીરીઅનની પીઠ પર પડે છે. એન્કેશ પાંખોને જુએ છે અને યાઝકામેક’ જેવો ઉચ્ચાર કરે છે. &lt;br /&gt;
એન્કેશ ‘આઝકામેક&#039;નો અર્થ સમજાવે છે. જીરીઅનને કહે છે કે ‘અત્યારે જુકનો જ્વાલામુખી નિષ્ક્રિય છે પણ જૂના જમાનામાં ગામવાસીઓ જ્વાલામુખીની પૂજા કરતા અને માણસોને જ્વાલામુખીના મોમાં ફેંકતા. બલિ તરીકે નહીં પણ એક કસોટી માટે તેઓ અંદરથી બહાર આવનારા ડાહ્યા માણસોની રાહ જોતા. યાઝકામુકો તો ‘અંદર ગયા, જોયું અને બહાર આવ્યા’ના સાક્ષીઓ છે. આવા માણસો હયાત હતા. એમણે જ્વાલામુખીનો અંદરનો ભાગ જોયો હોય અને પાછા બહાર આવ્યા હોય. એ પાછા કેવી રીતે આવ્યા? પાંખો વાટે. બધી જ નિર્બળતાઓ અને મર્ત્યતા બળીને ખાખ થઈ ગઈ હોય એવા લાલચોળ પાંખોવાળા યાઝકામેકો’ આટલું કહ્યા પછી એન્કેશ જીરીઅનને કહે છે કે તું આ પાંખોનો ઉપયોગ કરે એ મારે જોવું છે. ત્યાં તો એ બંનેની વચ્ચે હેરક્લીઝ આવી ટપકે છે. છેલ્લા દૃશ્યમાં જીરીઅન, હેરક્લીઝ અને એન્કેશ જુકુમાં જુએ છે કે ચોરસ બાકોરામાં લપકતી જ્વાળાઓ વચ્ચે લોકો રોટલા શેકી રહ્યા છે. છેલ્લી પંક્તિઓ છે : ‘આપણે આશ્ચર્યકારક વ્યક્તિઓ છીએ, આપણે અગ્નિના પડોશીઓ છીએ / એવું જીરીઅન વિચારે છે હવે સમય એમની તરફ ધસી રહ્યો છે જ્યાં તેઓ નજીક નજીક હાથને હાથ અડકે એમ ઊભા છે / અમર્ત્યતા એમના ચહેરા પર છે / અને એમની પીઠ પાછળ છે રાત.’ &lt;br /&gt;
આ રીતે અડધાંપડધાં પૌરાણિક પાત્રોની અડધી પડધી વિગતો સાથે કથાને પદ્ય રૂપે રજૂ કરતી આ નવલકથામાં ક્યાંક ક્યાંક એકદમ દબાણવાળા ભાગ લાગે છે, ક્યાંક ક્યાંક એકદમ સૂચનાવાળા ભાગ છે તો ક્યાંક ક્યાંક કવિતાવાળા ભાગ છે. આ દ્વારા એક રહસ્ય સૃષ્ટિ રચાય છે; જેમાં દરેક હ્રદયમાં ધગતા એક જ્વાલામુખીનો ધૂંધળો પરિચય થાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૮&lt;br /&gt;
|next = ૧૮૦&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AE&amp;diff=60893</id>
		<title>રચનાવલી/૧૭૮</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AE&amp;diff=60893"/>
		<updated>2023-05-09T11:45:16Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૮. કોપન હેગન (માઈકલ ફ્રેયન)  |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧૯૨૨માં નૉબેલ પ્રાઇઝ મેળવનાર ડેનિશ ભૌતિકશાસ્ત્રી નીલ્સ હેન્રીક બોર અને ૧૯૩૨માં નૉબેલ પ્રાઈઝ મેળવનાર ભૌતિકશાસ્ત્રી વેરનર કાર્લ હેયઝનબર્ગનો એક કિસ્સો વિજ્ઞાનીઓ અને ઇતિહાસકારોમાં ઘણાં વર્ષો સુધી ચર્ચામાં રહ્યો છે. બંને કુશળ વિજ્ઞાનીઓનો સહયોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં અજોડ ગણાયો છે. બંનેનું આધુનિક ઊર્જાણ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં મૌલિક પ્રદાન છે. બોર અને હેયઝનબર્ગ બંનેનું ભૌતિક જગત અંગેનું તારણ એવું છે કે ભૌતિક જગતને એક સાથે અણુ અને તરંગ એમ બંને રીતે જોઈ શકાય છે આ અર્થઘટનને ‘કોપનહેગન અર્થઘટન&#039; કહેવામાં આવે છે. &lt;br /&gt;
કોપનહેગન ડેન્માર્કની રાજધાની છે. ડેન્માર્કની રાજધાનીમાં રહેતા જૂના સાથી વિજ્ઞાની બોરની, વર્ષો પછી વિજ્ઞાની હેયઝનબર્ગે શા માટે મુલાકાત લીધી તે એક કોયડો રહ્યો છે જર્મન લશ્કરી શાસને હેયઝનબર્ગને અણુ બૉમ્બ બનાવવાની શક્યતા તપાસવા માટે એક સંશોધન કેન્દ્ર ખોલી એનો નિયામક નીમેલો. એણે યુદ્ધના પહેલાં અઠવાડિયાંઓથી માંડી હિટલર હાર્યો ત્યાં સુધીના છેલ્લા લશ્કરી ધડાકાઓ વચ્ચે દક્ષિણ જર્મનીમાં યુરેનિયમ સંશોધન પ્રયોગો ચાલુ રાખેલા.&lt;br /&gt;
પરંતુ હિટલરે યુદ્ધ છેડ્યું એના પછીનાં એકાદ બે વર્ષ બાદ એટલે કે ૧૯૪૧માં હિટલર શાસનની વિરુદ્ધ પડી ગુપ્ત રીતે સાહસ કરી હેયઝનબર્ગે ઓચિંતી જર્મનશાસિત કોપનહેગનમાં બોરની મુલાકાત શા માટે લીધી અને બોરે હેયઝનબર્ગ પર શા માટે ગુસ્સો, ભયંકર ગુસ્સો, ઠાલવ્યો, શા માટે હંમેશ માટે બંને વચ્ચે સંબંધો તૂટી ગયા - એ એક અટકળનો વિષય રહ્યો છે. &lt;br /&gt;
આ અટકળને વિષય બનાવી બ્રિટિશ લેખક માઈકેલ ફ્રેયને કોપનહેગન નામે એક નાટક રચ્યું છે. આઠ નવલકથા અને પંદરેક નાટકોના લખનારા આ ફ્રેયને જે બૌદ્ધિક સ્થિરતાથી અને નૈતિક ગંભીરતાથી વિષયને ચર્ચ્યા છે એ કદાચ એની ભાગ્યે જ અન્ય કોઈ કૃતિમાં જોવા મળે. નાટક અઢાર અઢાર મહિનાઓ સુધી બ્રિટનમાં ભજવાતું રહ્યું છે – પહેલાં ‘રોયલ નેશનલ થિયેટર’માં અને પછી ‘વેસ્ટ એન્ડ&#039;માં. આ નાટક અમેરિકાના ‘બ્રોડ-વે રંગમંચ પર પણ પહોંચ્યું છે. &lt;br /&gt;
મૂળ ઐતિહાસિક કિસ્સામાં ખરેખર શું બન્યું એમાં નાટકકાર ફ્રેયનને બહુ રસ નથી, પણ શું બની શક્યું હોત કે પછી શું બનવું જોઈતું હતું એમાં રસ છે. નાટકનો પ્રભાવ ઊભો કરવા ફ્રેયને ત્રણ ઐતિહાસિક પાત્રોને હાથ ધર્યા છે. નીલ્સ બોર, વર્નર હેયઝનબર્ગ અને બોરની પત્ની માર્ગ્રેથ. અને આ ત્રણ પાત્રોના સંદર્ભમાં અટકળ કે કોયડા બનેલા વિષયને નાટ્યાત્મક બનાવ્યો છે. &lt;br /&gt;
નાટક કોઈ અચોક્કસ સમયમાં ઊઘડે છે. ત્રણે પાત્રો મરી પરવાર્યાં છે. પણ અશાંત છે અને મૃત્યુ પછીના જીવનમાં શોધ કરી રહ્યાં છે. ડેન્માર્ક તરફથી નૉબેલ સન્માનના પ્રતીકરૂપે મળેલા બોરના આલિશાન મકાનમાં સંવાદો ગોઠવાયા છે, પરંતુ રંગમંચ પર રંગસામગ્રીરૂપે માત્ર ત્રણ ખુરશીઓ જ છે; હેયઝનબર્ગનું આવવું, પાછા જવું અને આવવું - એ માત્ર એમાં ક્રિયા રહી છે. આ રીતે ‘કોપનહેગન’ જાણીતા અને ઐતિહાસિક પ્રસંગની કાલ્પનિક રજૂઆત છે. અલબત્ત તેથી જ એમાં મૂળની વ્યક્તિઓ પાત્રો તરીકે ઠીક ઠીક ફેરફાર પામી છે અને ખાસ કરીને હેયઝનબર્ગનું પાત્ર મૂળ કરતાં ખાસ્સું જુદું ઉપસાવવામાં આવ્યું છે. આ નાટ્યનો વિષય બનેલો મૂળનો કિસ્સો ખાસ્સો ગૂંચવાડાભર્યો હશે પણ નાટકકાર ફ્રેયને એને દૃઢ બાહ્યરેખાઓમાં ઝીલ્યો છે. &lt;br /&gt;
‘કોપનહેગન’માં હેયઝનબર્ગ બોરની મુલાકાત એટલા માટે નથી લેતો કે અમેરિકાના બૉમ્બ કાર્યક્રમની એને જાણકારી જોઈએ છીએ. પરંતુ હેયઝનબર્ગનો હેતુ વધારે સાહસિક છે. હેયઝનબર્ગ બોરને કહે છે કે બૉમ્બનો કાર્યક્રમ આરંભ તબક્કામાં છે અને બૉમ્બ બનાવવો અઘરો તથા ખર્ચાળ છે એવું જો તમે અન્ય વિજ્ઞાનીઓને ભારપૂર્વક સમજાવી શકો તો સાથે મળીને આપણે બૉમ્બનો કાર્યક્રમ અટકાવી દઈ શકીએ. આનો અર્થ બોર અને બોરની પત્ની દ્વારા એવો લેવાય છે કે હિટલરે જર્મનીમાંથી યહુદીવિજ્ઞાનીઓને હાંકી કાઢ્યા પછી ત્યાં કાર્યક્રમ સફળ થાય તેમ નથી અને યહૂદીવિજ્ઞાનીઓ મિત્રરાજ્યોમાં જઈને આ કાર્યક્રમ સફળ બનાવે એને હેયઝનબર્ગ અટકાવવા માંગે છે. &lt;br /&gt;
ફ્રેયનનું નાટક કોપનહેગન’ આરંભે અને અંતે એક પ્રશ્ન મૂકે છે : ‘એક ભૌતિકશાસ્ત્રી તરીકે અણુશક્તિના વ્યવહારુ ઉપયોગ પર કાર્ય કરવાનો એને અધિકાર છે ખરો?’ ફ્રેયનને બતાવવું છે કે હેયઝનબર્ગ એ માત્ર વિરોધ કરનારો નેતા નથી પણ એથી ઘણું બધું વધારે છે. ‘બૉમ્બ બનાવવો એ યોગ્ય વસ્તુ છે?’ એવો મૂળભૂત પ્રશ્ન હેયઝનબર્ગે નાટકમાં ઉઠાવ્યો છે. &lt;br /&gt;
ઐતિહાસિક હકીકત એવી છે કે અણુબૉમ્બ અંગેના નાના કાર્યક્રમમાં એક બાજુ યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પછી હેયઝનબર્ગ જર્મનીમાં કાર્ય કરતો રહે છે; જ્યારે બીજી બાજુ બોર પહેલાં સ્વીડન, ત્યાંથી બ્રિટન અને પછી લોસ આલાપોસની ગુપ્ત અમેરિકન પ્રયોગશાળામાં પહોંચીને બૉમ્બની ફૂટવાની રચનાકળ શોધવાનું કાર્ય કરે છે, જે બૉમ્બ છેવટે નાગાસાકી પર ઝીંકાયો છે. &lt;br /&gt;
૧૯૬૩માં રોલ્ફ હોકહુથના ‘ધ ડેપ્યુટી’ નાટકે હિટલરના અમાનુષ યહુદીકાંડ સામે પોપ પાયસ બારમાએ કેમ ચૂપકીદી સેવેલી એનો જે નૈતિક મુદ્દો ઉઠાવ્યો છે એટલો જ સબળ નૈતિક મુદ્દો ફ્રેયને એના કૉપનહેગન નાટકમાં બૉમ્બ અંગે ઉઠાવ્યો છે. બૉમ્બ સહિતના હિટલર અને બૉમ્બ વગરના હિટલરના વિશ્વો વચ્ચેની ભીષણ કલ્પના આ નાટકનું પીઠબળ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૭&lt;br /&gt;
|next = ૧૭૯&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AD&amp;diff=60892</id>
		<title>રચનાવલી/૧૭૭</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AD&amp;diff=60892"/>
		<updated>2023-05-09T11:44:56Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૭. આલ્બર્ટસ બ્રીજ (ટોમ સ્ટોપાર્ડ)  |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તમારી બાજુમાં બેઠેલા માણસ જોડે તમે કાનાફૂસી કરો, તમારા ઓરડામાંથી બીજા ઓરડામાં બેઠેલા માણસ જોડે તમે વાત કરો, ચોથે મજલેથી તમે ભોંયતળિયે ઊભેલા માણસ જોડે વાત કરો, રસ્તામાં દૂર દેખાતા કોઈ પરિચિત માટે તમે બૂમ મારો — આ બધી વખતે તમે તમારા અવાજનો જુદી જુદી રીતે ઉપયોગ કરો છો. એટલું જ નહીં અવાજ પરથી એ માણસ કેટલે અંતરે છે એ પણ કળી શકો છો. આ પરિસ્થિતિનો શ્રવ્ય માધ્યમમાં સૌથી સફળ ઉપયોગ કરનાર અને બેજોડ રેડિયારૂપક લખનાર અંગ્રેજી નાટકકાર ટોમ સ્ટોપાર્ડનું નામ જાણીતું છે. હેરલ્ડ પિન્ટર પછી આધુનિક અંગ્રેજી નાટ્ય સાહિત્યમાં એની મહત્ત્વના નાટકકાર તરીકે ગણના થાય છે, ટૉમ સ્ટોપાર્ડ અવાજોના આવા ઉપયોગ સાથે લખેલું રેડિયોરૂપક આલ્બર્ટસ બ્રીજ (આલ્બર્ટનો પુલ) પ્રી-ઇતાલિયા ઈનામનું હક્કદાર બન્યું છે. આ રેડિયોરૂપક પછી રંગભૂમિ ૫૨ ભજવવાલાયક નાટકમાં રૂપાન્તરિત થયું અને એને પહેલવહેલું ઓક્સફર્ડ થિયેટર ગ્રુપે એડિનબર્ગ ફેસ્ટિવલમાં ૧૯૬૯માં ૨જૂ કરેલું. ગુજરાતીમાં જાણીતા દિગ્દર્શક ભરત દવેએ વર્ષો પહેલાં એના કેટલાક પ્રયોગો કર્યા છે, અને એમાં દિગ્દર્શકે પોતાની કલ્પનાથી નટોના ઉપયોગ દ્વારા માનવપુલ ઊભો કરેલો. આ પુલ અંતે તૂટી પડે છે, એનું હૃદયવિદારક દૃશ્ય હંમેશ માટે મનનો કબ્જો લઈ લેનારું બનેલું. &lt;br /&gt;
આમે ય આ નાટકમાં ભાષા દ્વારા ટોમ સ્ટોપાર્ડ કોલકલ્પનાનો કબ્જો જમાવેલો જોઈ શકાય છે. હું આ નાટકરચના પારદર્શક રીતે નાટ્યાત્મક છે. ક્યારેય પૂરું ન થનારું પુલનું રગકામ આ નાટકના કેન્દ્રમાં છે. પણ પુલનો વિષય નાટકકારને જુદા જુદા અનુભવ તરફ લઈ ગયો છે. પુલ સાથે એકાકાર થઈ ગયેલો રંગારો, પુલ પરથી જોવાતી નગરરચના, પુલની ઊંચાઈ પરથી ટપકાં બની જતી વસ્તુઓ, પુલ પર કામ કરતાં કરતાં નગરથી કપાઈ જતો – માણસ – અને છતાં નગરથી કંટાળી આપઘાત કરવા આવતા માણસને ઊંચાઈએથી નવું બળ પૂરું પાડતું અંતર જેવાં જુદાં જુદાં પાસાંઓથી આ નાટક જાતજાતના અર્થ ઊભા કરે છે. ખાસ તો આધુનિક નગરજીવન, એની યાંત્રિકતા, એની ખીચોખીચતા, એનો ઘોંઘાટ, પ્રામાણિક કરતા ભૂખ્યા માણસોની વધુ વસ્તી, અંત વગરની ગતિથી તૂટી રહેલા જગતના ઊડતા ટુકડાઓથી ઘવાતો માણસ, અનંતતાની ખાતરી વગર બલૂનની જેમ ફૂલી રહેલ નગરની બહારની સપાટી — આ બધાં દ્વારા નાટકકારે બેડોળ બનતા જતા વર્તમાનનું ચિત્ર તો પૂરું પાડ્યું છે પણ સાથે સાથે સ્પર્ધામાં તમારી સામે ધસી આવતા દુઃશ્મન જેવા અન્ય માણસો અને તમારી એકલતાને કે તમારા એકાંતને છીનવી લેતા તમારી એકમાત્ર ઇચ્છાને રોળીટોળી નાખતા જડસું તંત્રોનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. &lt;br /&gt;
નાટકમાં પુલ કેન્દ્રસ્થાને છે. આ પુલ ‘ક્લટનનો અખાતી પુલ&amp;quot; તરીકે જાણીતો છે. કલફટન એક નગર છે અને એના કોઈ શ્રીમંત પૂર્વજે આ પુલ બંધાવેલો છે. આ પુલનું રંગકામ સતત ચાલુ રહે છે. બોબ, ચાર્લી, ડેડ અને આલ્બર્ટ – આ ચાર માણસો પુલને રંગતાં રંગતાં પેલે છેડે પહોંચે ત્યાં સુધીમાં પુલ ફરી રંગવા જેવો થઈ જાય છે અને એમ કથ્થઈ રંગકામ ચાલુ જ રહે છે. એક ઇજનેર કથ્થઈ રંગને બદલે રૂપેરી રંગનું સૂચન કરે છે અને ચેરમેનને જણાવે છે કે નવો રૂપેરી રંગ કથ્થઈ કરતાં ઘણો આકર્ષક રહેશે અને ટકાઉ પણ રહેશે અને તેથી ત્રણ માણસોને રૂખસદ આપી જો એક જ માણસ પાસે કામ લેવાય તો ખર્ચ પણ બચી શકે તેમ છે. &lt;br /&gt;
છેવટે એકલા આલ્બર્ટને ચાલુ રાખવામાં આવે છે. આલ્બર્ટ ફિલસૂફીનો અભ્યાસી છે. એને ખબર છે કે જે લોકો કશું કરી શકતા નથી તે ફિસૂફી કરે છે. તેથી એને આ કામ ગમી ગયું છે. એણે ચાહ્યું હોત તો એ એના પિતાની કંપનીમાં રહી શક્યો હોત. મોટો ઑફિસર બની શક્યો હોત પોતે શિક્ષિત હતો તે છતાં એણે રંગકામ પર પસંદગી ઉતારી. પોતાના ઘરની નોકરાણીને પરણ્યો અને હવે એને એક બાળકી પણ છે. છતાં આલ્બર્ટ દિવસ રાત રંગવાના કામમાંથી ઊંચો નથી આવતો. ક્યારેક તો એને પણ થાય છે કે પુલની આટલી ઊંચાઈએ એ કામ કરે છે. એ પોતે કરોળિયો છે કે માખી છે એની એને શંકા જાય છે. એટલે કે કરોળિયો થઈને આ જાળ ગુંથી રહ્યો છે કે માખી બનીને એ સપડાઈ ગયો છે કે સપડાવાનો છે એને વિશે એ કશું નક્કી નથી કરી શકતો. &lt;br /&gt;
ને ત્યાં એક દિવસ ફ્રેઝર નામે એક માણસ એના જેટલી ઊંચાઈએ પુલ પર આપઘાત કરવા આવે છે પણ આપઘાત કરતો નથી. આલ્બર્ટને પુલ પર માણસ ચઢી આવ્યો તે ગમતું નથી. આલ્બર્ટ એને કૂદી પડવાનું કહે છે. ફ્રેચર વારંવાર જાય છે અને આપઘાત કરવા પાછો આવે છે. ફ્રેઝરનું માનવું છે કે નીચેના નગરજીવનથી કંટાળી એ આપઘાતની ઇચ્છાથી ઉપર આવે છે ખરો, પણ પછી ઉપરથી નીચેનું જગત જોઈને એની આપઘાતની ઇચ્છા મરી પરવારે છે. &lt;br /&gt;
આ બધા વચ્ચે પુલના રંગકામની ગણતરી ખોટી નીકળે છે. પુલનો એક ચતુર્થાંશ ભાગ જ રંગાયેલો છે. બાકીનો ભાગ એમનો એમ રહી જતાં ઊહાપોહ ઊભો થાય છે. ઈજનેર નવો નુસ્ખો અજમાવી એક સાથે રંગકામ માટે ૧૮૦૦ માણસોને એકી સાથે મોકલે છે. આ માણસોને આવતાં જોઈને આલ્બર્ટનું પોતાનું સામ્રાજ્ય છીનવાઈ જતું હોય એવું લાગે છે. આલ્બર્ટ પુલનું રંગકામ કરતાં કરતાં પુલનું એક અંગ બની ચૂક્યો હતો ત્યાં તો આટલા બધા માણસોનું વજન ખમી ન શકતા પુલ કડડભૂસ નીચે આવે છે. &lt;br /&gt;
સાતમા દાયકામાં લખાયેલું આ નાટક આજના વિકસી રહેલા સાઇબરનેટિક જગતનો અણસાર બરાબર આપી શક્યું છે. આજની સંસ્કૃતિ અને સભ્યતા ઝડપી વિકાસની સાથે સાથે એના પતન તરફ જતી હોવાનો આભાસ આ નાટકમાં ઠેરઠેર મુકાયેલો છે. ફ્રેઝર એક જગ્યાએ નાટકમાં જણાવે છે કે ‘માનવ અસ્તિત્વનો ફુગ્ગો ફૂલી રહ્યો છે, વિસ્તરી રહ્યો છે, એ ફટ ફૂટવાનો છે’ એ જ ફ્રેઝર બીજી જગ્યાએ કહે છે : ‘આવતા પ્રલયને ઝાઝો રોકી શકાવાનો નથી.&#039; &lt;br /&gt;
આજનું માહિતી તંત્ર ચોકસાઈ અને કાર્યક્ષમતાની દુહાઈથી જગતને સ૨ ક૨વા નીકળ્યું છે તે કોઈ લાગણીહીન અને સંવેદનહીન દિશામાં ભટકાઈને તૂટી ન પડે એની છૂપી દહેશત આ નાટકમાં પડેલી છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૬&lt;br /&gt;
|next = ૧૭૮&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AC&amp;diff=60891</id>
		<title>રચનાવલી/૧૭૬</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AC&amp;diff=60891"/>
		<updated>2023-05-09T11:44:34Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૬. જ્વાળામુખીની ભીતર (મેલ્કમ લાઉરી)  |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પીવું અને ઢીંચવું - ગુજરાતીમાં આ બે અલગ ક્રિયાઓ છે. પહેલી સાધારણ ક્રિયા છે, બીજી અસાધારણ ક્રિયા છે. બીજી ક્રિયા રોગ છે. આ રોગનો ભોગ બનેલ મેલ્કમ લાઉરીએ આવી માનસિક પરિસ્થિતિનો લેખનમાં ઉપયોગ કર્યો. મેલ્કમની આ માનસિક સ્થિતિ સાથે ડર, દહેશત, આતંક, વિહ્વળતા અને ખાસ તો ત્રસ્તતા સંકળાયેલાં રહ્યાં છે. ડર એ મેલ્કમના લેખનનો મુખ્ય સૂર છે. ૨૯ વર્ષની વયે પિતા પર પત્ર લખતા મેલ્કમ જણાવે છે કે, ‘મુખ્ય સૂર ડર છે. મારા ઘેરા બાળપણમાં વવાયેલા કોઈ ભયાનક ડરમાંથી આજે ઝેરીલા અંકુરો ફૂટી રહ્યા છે.’ &lt;br /&gt;
આમ તો મેલ્કમના જીવનની શરૂઆત સુઘડ હતી. ૧૯૦૯માં ઈંગ્લૅન્ડના લીવરપુલ ખાતે જન્મેલા મેલ્કમના પિતા આર્થર લાઉરીની કપાસની દલાલી હતી અને કુટુંબ સદ્ધર હતું. પણ સત્તર વર્ષની વયે મેલ્કમ ખંડ કરીને એશિયા તરફ જતાં કોઈ માલવાહક જહાજ પર ચઢી જાય છે અને ચાર મહિનાની સફર કરી આવે છે. એનાં પછીનાં વર્ષો પણ કૅમ્બ્રિજમાં તોફાની અને બરબાદીનાં હતાં. એ મોટે ભાગે ઇંગ્લૅન્ડ બહાર અમેરિકા, મેક્સિકો, કેનેડામાં ભમતો રહ્યો. &lt;br /&gt;
મેલ્કમે સતત પીધા તો કર્યું જ. ઉપરાંત અપ્રમાણિકતાઓ પણ પુષ્કળ પ્રમાણમાં આચરી. પત્નીઓ અને સ્ત્રીમિત્રો પર શારીરિક હુમલાઓ કર્યા. મિત્રોને દગા દીધા. ત્યાં સુધી નોંધાયું છે કે મેલ્કમના ભાઈ ભાભી મેલ્કમ રહેવા આવશે તો એ ભયે બારણા નજીક હંમેશાં સૂટકેસ તૈયાર રાખતાં જેથી માલ્કમ આવે તો કહી શકાય કે અરેરે, હમણાં જ અમે હોલી-ડે પ્રવાસ પર નીકળી છીએ, મેક્લમના આવા અસુઘડ જીવનની જેમ એણે લખેલાં કાવ્યોના પણ અસુઘડ ગંજ ઉપર ગંજ ખડકાયે ગયા. આયુષ્યભર કોઈ કાવ્ય સંગ્રહ બહાર ન આવ્યો, પણ એ પ્રતિભાવાન કવિ હતો એમાં કોઈ શંકા નથી. મરણોત્તર એનાં કાવ્યોનું ચયન અને કાવ્યોનો સંચય બહાર પડ્યાં છે. &lt;br /&gt;
મેલ્કમના લેખનમાં પોતાની જાત સાથેનો અનહદ પ્રેમ ડોકાય છે. એ ક્યારેય પોતાની બહાર આવ્યો નહીં. પોતાની જાતથી જ હંમેશાં એ ઘેરાયેલો રહ્યો. કદાચ એટલે જ એક જાણીતા સૉનેટની શરૂઆતમાં એ કહે છે, ‘પીવા સાથે મુક્તિના ખ્યાલો સંકળાયેલા છે, અને પછી સૉનેટના અંતમાં એ એવા કોઈ વેદનામુક્ત મુસાફરખાનાની શોધમાં રહે છે, જેના દરવાજા ખુલ્લા હોય, પવન વાયા કરતો હોય અને જ્યાં કોઈપણ દેવું કર્યા વગર એ હંમેશા માટે પીધા કરે - મેલ્કમની મુક્તિના આ ખ્યાલો એના ઘેરાયેલા બંધિયાર મગજની છલાંગો છે. આ બંધિયારપણાથી ગભરાઈને મેલ્કમે વારંવાર આપઘાતના પ્રયત્નો કર્યા છે. લગભગ આખી જિંદગી એ આવી ખતરનાક માનસિક હાલતમાં જીવ્યો છે, પણ આશ્ચર્યની વાત એ છે કે પોતાની ભીતરના આ ઊંડા નર્કને ચાહતા ચાહતા એ નર્કાગ્નિ વિષે એણે કશુંક નવું તાક્યું છે. પોતાની ભીતરની ભયાનકતાને અનુસરીને એણે એક કાવ્યમાં પોતાની લઘુ-છબી ઉપસાવી છે : ‘એણે ક્યારેય પ્રેમ ભાવ્યો નથી | બધી જ માનવ લાગણીઓની ઉપરવટ એણે માત્ર ભયને જાણ્યો છે / એને મરેલાઓને ગમતા / ઘાસ લીલું નહોતું / ઘાસ એને માટે ઘાસ નહોતું/ સૂર્ય સૂર્ય નહોતો, ગુલાબ ગુલાબ નહોતું / ધૂમાડો ધૂમાડો નહોતો, અંગ અંગ નહોતાં.’ &lt;br /&gt;
આ બધાં વચ્ચે મેલ્કમની સમર્થ ગણાયેલી કૃતિ તો એની નવલકથા ‘જ્વાલામુખીની ભીતર’ (અંડર ધ વલ્કેનો) છે. આ કૃતિએ એને જગમશહુર કર્યો. મેલ્કમે પોતાની આત્મશોધ અને પોતાના આત્મવિનાશ માટે જેમ પીવા સંદર્ભે જાતને સમર્પી દીધેલી, બરાબર એ જ સમર્પણભાવથી તેણે આ નવલકથા પર કામ કર્યું છે. આ નવલકથાનો પ્રદેશ મેક્સિકો છે અને મેક્સિકો નર્કનું પ્રતીક છે એનો નાયક જ્યોફ્રી ફર્મિન મેક્સિકોમાં બે જ્વાલામુખી વચ્ચેના કોઈ નગરમાં રહેતો બ્રિટિશ વાણિજ્યદ્ભૂત છે. એ મિત્રો સાથે વાતચીત કરે છે, પ્રેમ કરે છે કે ટોળામાં રહે છે. પણ પોતાને સાવ એકલો અનુભવે છે અને પોતે સમાજથી કંઈ જુદો માણસ છે અને પાછો પીનારો છે તેથી તે વધારે વિચિત્ર ભાસે છે. આત્મવિનાશ તરફ લઈ જતી નાયકની પીવાની આદત એને જો સ્વર્ગ બતાવે છે તો સાથે સાથે એને જગતથી કાપી પણ નાંખે છે. એની છૂટાછેડા લીધેલી પત્ની વૉન તરફ એને હજી યે પ્રેમ છે પણ એ પૂરો વ્યક્ત કરી શકતો નથી. તો, પોતાના ભાઈ સાથે પત્નીનો સંબંધ છે એ અંગે મનમાં ભડભડતો રોષ પણ પ્રગટ કરી શકતો નથી. એકવાર તો જ્યોફ્રી પ્રાર્થ છે કે કોઈ એના ભીતરની આ ભયંકર યંત્રણામાંથી મુક્ત કરે. છેવટે એની પીધેલી હાલતમાં એ પૂરેપૂરો જવાબ કે પૂરી સમજૂતી ન આપી શકવાને કારણે જુલ્મી પોલિસોને હાથે મોત પામે છે.&lt;br /&gt;
ટૂંકમાં, મેલ્કમ પોતાની મર્યાદાનું લેખનમાં રૂપાંતર કરીને અહીં એક અહંવાદી માનસના બંધિયારપણાના જગતની જોરદાર કથા રચી આપે છે. ભારેલા અગ્નિથી ઘૂંઘવાતી ટોચો અને એને અડીને વણદટાયેલા મડદાંઓની દુર્ગંધ ભરી ઊંડી ખાઈ– આવી બે ધમકીઓભર્યું આ નવલકથાનું કથાનક સપાટી પરની સરળતાથી વધુ કંઈક સૂચવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૫&lt;br /&gt;
|next = ૧૭૭&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AB&amp;diff=60890</id>
		<title>રચનાવલી/૧૭૫</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AB&amp;diff=60890"/>
		<updated>2023-05-09T11:44:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૫. લોસ્ટ હરાઇઝન (જેમ્સ હિલ્ટન)  |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અણુશસ્ત્રોનો નાશ કરવામાં ગલ્લાતલ્લા થઈ રહ્યા છે. અણુસંધિ પર કરાર કરવા કરાવવામાં ઈરાદાઓ અથડાઈ રહ્યા છે. અણુયુદ્ધના ભણકારા માનવજાતને જંપવા દેતા નથી. કાંકથી ને કયાંકથી યુદ્ધના નગારા બજી ઊઠે છે. ક્યાંક એક જાતિ બીજી જાતિને, ક્યાંક એક કબીલો બીજા કબીલાને, ક્યાંક એક ધર્મ બીજા ધર્મને, ચીક એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને ઘર્ષણમાં ઉતારી રહ્યાં છે. બબ્બે વિશ્વયુદ્ધના મોટા પાયે થયેલા નરસંહારો જોયા પછી અને છેલ્લે અખાતી યુદ્ધમાં માનવ સંપત્તિનો વ્યાપક વિનાશ જોયા પછી પણ માનવજાતને ડહાપણ આવતું નથી. આવા ભય અને ઓથાર વચ્ચે કલ્પનાનું સ્વર્ગ રચવું, યુદ્ધ વગરનું, ભય અને આતંક વગરનું જગત કલ્પવું એ એકલોલની એકમાત્ર મિરાત રહી છે. આથી જ જેમ્સ હિલ્ટનની નવલકથા ‘લુપ્ત ક્ષિતિજ’ (લોસ્ટ હરાઇઝન)નું શાંગ્રિલા કપોલકલ્પિત સ્થળ હોવા છતાં આજ સુધી ઝંખનામાં ઊભું થતું રહ્યું છે. &lt;br /&gt;
‘લોસ્ટ હરાઇઝન’નો પ્રભાવ કલ્પી શકાય છે. ૧૯૩૩ની સાલમાં રચાયેલી આ નવલકથા વખતે પહેલા યુદ્ધથી મનુષ્ય ત્રાસી ગયો હતો. અને બીજા યુદ્ધનાં એંધાણ જોતો હતો. વીસમી સદીના ત્રીજા દાયકામાં એ અંધાધૂંધ સમયમાં અને અસ્તવ્યસ્ત ગતમાં મૂલ્યોની શોધમાં ચાલી રહેલી પ્રજાને ‘લૉસ્ટ હરાઇઝન&#039; જેવી નવલકથામાં એમનાં સ્વપ્નો અને એમની આશાઓને એક આધાર મળ્યો હતો. આમ તો ‘લોસ્ટ હરાઇઝન’ એક કપોલકલ્પના આગળ ધરે છે. ઘણા બધા કપોલકલ્પનાના પ્રદેશોની જેમ શાંગ્રિલા પણ એક એવું સ્થળ છે, જ્યાં સદેહે ભાગ્યે જ પહોંચી શકાય અને તેથી આત્મવિનાશી બહારના જગતથી શાંગ્રિલા દૂરનું સ્થળ જ રહ્યું છે, ખૂબ લાંબા આયુષ્ય, સુખ અને સંતોષનું સ્થળ રહ્યું છે. &lt;br /&gt;
‘લોસ્ટ હરાઇઝન’ કથામાં રહેલી કથા છે. હ્યૂ કન્વે ઓક્સફર્ડમાં એક આશાસ્પદ અને દેખાવડો યુવાન વિદ્યાર્થી હતો. નવલકથાકાર રુથરફર્ડ એને ઓળખતા હતા પણ છેલ્લાં દશ વર્ષ કન્વે બ્રિટિશના એલચી તરીકે પૂર્વના દેશોમાં ભમતો રહ્યો હતો. &lt;br /&gt;
રથરફર્ડને એની જાણ ન રહી. પછી એક દિવસ ચુંગકિયાંગની કૅથલિક હૉસ્પિટલમાં રથરફોર્ડની નજરે ફરી હ્યુ કન્વે ચઢે છે પણ હ્યુ એકદમ દૂબળો, થાકેલો અને નિરાશ લાગે છે. હ્યૂ રુથરફર્ડની આગળ પોતાની અસાધારણ આપવીતી રજૂ કરે છે. &lt;br /&gt;
૩૭ વર્ષની ઉંમરે ૧૯૩૧માં હ્યુ બેસ્કલમાં એલચી હતો, પણ એ વખતે બેલ ક્રાંતિથી ઘેરાયેલું હતું. માંડ માંડ થોડા અંગ્રેજોને બચાવીને હ્યુ ભારતના મહારાજાઓએ મોકલેલા ખાસ વિમાનમાં ચઢે છે. જેનો ચાલક કેનર કરીને એક અંગ્રેજ હતો. એની સાથે એના હાથ નીચે કામ કરતો યુવાન ચાર્લ્સ મોલિન્સન છે, વાતોડિયો હેન્રિ બાર્નર્ડ છે, અને અંગ્રેજ મિશનરી કુમારી બ્રિન્કો છે. એકાદ કલાકના વિમાનના ઉડ્ડયન બાદ મોલિન્સનને લાગે છે કે વિમાન નિર્ધારિત માર્ગે ઊડતું નથી અને ચાલક પણ કેનર નથી. હ્યૂ કન્વે પણ તરત જુએ છે કે તેઓ તિબેટની કોઈ પર્વતમાળા પરથી ઊડી રહ્યાં છે બધાની નજર ચાલક પર પડે છે કે ચાલક તો કોઈ ચીની છે. &lt;br /&gt;
ચાલક કોઈ એક ખીણમાં વિમાનનું એકદમ ઊભું ઉતરાણ કરે છે અને ત્યાંના વતનીઓ બંદૂક સાથે એમને વીંટળાઈ વળે છે. વિમાનમાં બળતણ ભરાય છે અને વિમાન પાછુ ઊડવા માંડે છે. ચાલક આ અંગે કોઈ સમજૂતી આપતો નથી. કલાકોના ઉડાણ પછી ચાલક હિમાચલ પર્વતમાળાના કોઈ સમથળ ભાગ પર બળપૂર્વક ઉતરાણ કરે છે. એમાં એ ગંભીર રીતે થવાય છે પણ બધાને નજીકની શાંગ્રિલા લામાસરાઈમાં શરણ લેવાનું કહી મૃત્યુ પામે છે, &lt;br /&gt;
શાંગ્રિલા સુધી પહોંચતા બધાંને લાગે છે કે સમસ્ત નિર્જન પર્વતમાળાની વચ્ચે એ એક ફળદ્રુપ ભૂમિભાગ છે. કોઈ પશ્ચિમના પ્રવાસી દ્વારા ન તો એની શોધ થઈ છે ન તો એનો નકશો બન્યો છે. ત્યાં, બધાને આરામદાયી ઓરડાઓ અને સારું ભોજન આપવામાં આવે છે મોલિન્સન ત્યાંના ચાંગને તરત પૂછે છે કે તેઓ ભારત ક્યારે જઈ શકશે. ચાંગ કહે છે કે શાંગ્રિલા એટલું બધું કપાયેલું છે કે જ્યાં સુધી મજૂરોની ટુકડી પર્વતોમાંથી પાછી નહીં ફરે ત્યાં સુધી કશું કહી શકાય નહીં. બધાંને ખબર પડે છે કે શાંગ્રિલા લામાસરાઈ મહાલામા દ્વારા ચાલે છે. હ્યુને ચાંગની રીતભાત પરથી એવું લાગે છે કે એમને જાણી જોઈને શાંગ્રિલા લાવવામાં આવ્યાં છે અને એમને ક્યારેય જવા દેવામાં આવશે નહીં. &lt;br /&gt;
હ્યુ મહાલામાને મળે છે ત્યારે મહાલામા શાંગ્રિલા સ્થળ અંગે વાત માંડે છે. ઈ.સ. ૧૭૩૪માં પચાસેક વર્ષની આસપાસના પ્રવાસી ફ્રેન્ચ ફાધર પોલે આ બુદ્ધ લમાસરાઈની સ્થાપના કરેલી. અહીંની પ્રસન્ન અને શાંત જીવનશૈલીથી પ્રભાવિત ફાધરે પ્રજાને ખ્રિસ્તી બનાવવાનું છોડી દીધું. લાંબા સમય અને અંતરને કારણે ચર્ચથી પણ એમનો સંબંધ કપાઈ ગયો. પેરોલ અહીં જ રહી ગયા. ધીમે ધીમે એમણે ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધ ધર્મનાં ઉત્તમ તત્ત્વોનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો. ૧૭૮૯માં ફાધર પેરોલ મરણ પથારીએ હતા પણ અહીંનાં ચોખ્ખાં હવાપાણી અને અહીંની સ્થાનિક પ્રજાની કોઈ ચમત્કારિક ઔષધિથી ફાધર પેરોલ બચી ગયા. પેરોલ અહીં શાંત અને અભ્યાસીનું જીવન જીવતા રહ્યા. રડ્યોખડ્યો કોક જ અહીં શાંગ્રિલા આવી ચડતો. અહીં શાંગ્રિલામાં માણસો બહરના જગતના ઘમસાણથી અને એના સંઘર્ષથી મુક્ત બનીને પૂરી સંવાદિતાથી જીવતા અને કામ કરતાં. આ શાંગ્રિલામાંથી પાછું કોઈ ગયું નથી. &lt;br /&gt;
હ્યુને ખબર પડે છે કે નવું યુદ્ધ નજીક આવી રહ્યું છે તેથી સભ્યતા અને સંસ્કૃતિના સંરક્ષણ માટે એમને અહીં લાવવામાં આવ્યાં છે. હ્યુને એ પણ ખબર પડે છે કે મહાલામા પોતે જ ફાધર પેરોલ છે અને ફાધર ૨૫૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. &lt;br /&gt;
હ્યુ બાકીની જિંદગી શાંગ્રિલામાં ગુજારવા તૈયાર છે પણ મોલિન્સન ઇંગ્લૅન્ડ જવા ચાહે છે. અલબત્ત, કુમારી બ્રિલો શાંગ્રિલામાં રહી ખ્રિસ્તી ધર્મમાં પ્રજાને દોરવાની ઇચ્છા ધરાવે છે. બાર્નર્ડ વતનમાં પાછા ફરી ધરપકડ વહોરવા અને કૈદ ભોગવવા ઇચ્છતો નથી. ગ્રંથાલયમાં અને અભ્યાસના દિવસો વીતતા હતા, ત્યાં મહાલામાને પોતાનું મૃત્યુ નજીક દેખાતા હ્યુને સૂત્ર સંભાળી લેવાનું કહે છે. મહાલામાને શ્રદ્ધા હતી કે યુદ્ધમાં આખું જગત નાશ પામવા છતાં હ્યુ કે શાંગ્રિલામાં ઉત્તમ રીતે સંસ્કૃતિને જાળવી રાખી શકશે. &lt;br /&gt;
આ બાજુ મજૂરો આવી જતાં મોલિન્સન ઊપડવાની તૈયારીમાં છે અને હ્યુને સાથે રહી સહાય કરવા વિનંતી કરે છે હ્યુ મોલિન્સનની વિનંતીથી નીકળી તો પડે છે પણ એને ખાતરી હતી કે માનવભય અને માનવચિંતાથી અસ્પષ્ટ એવા એકમાત્ર પૃથ્વી પરના સ્વર્ગીય સ્થળને એ છોડી રહ્યો છે. &lt;br /&gt;
હ્યુની કથા રથરફોર્ડ આગળ પૂરી થાય છે. ત્યાંની હૉસ્પિટલના એક ડૉક્ટર રથરફર્ડને જણાવે છે કે હ્યુને કોઈ વૃદ્ધ ચીની બાઈ દ્વારા અહીં લાવવામાં આવ્યો છે. છેલ્લે રથરફોર્ડને જાણવા મળે છે કે હ્યુ સાજો થઈ ગયો હતો અને ફરી શાંગ્રિલાની શાંતિ અને પ્રસન્નતાની શોધમાં એ ઊંચા હિમાલય ભણી ચાલી નીકળ્યો છે. &lt;br /&gt;
સાહિત્ય ઘણીવાર ઇચ્છાઓની પૂર્તિ કરવાનું કામ કરે છે, અને મનુષ્યની રંગતી શ્રદ્ધાને આધાર આપે છે. ‘લૉસ્ટ હરાઇઝન’ નવલકથા એવા સાહિત્યનું જ પ્રતિનિધિત્વ કરે છે. અને આ પ્રતિનિધિત્વ પાછું સરલ અને વિશેષ પ્રકારના કાવ્યાત્મક ગદ્યથી કરે છે. નવલકથાકાર જેમ્સ હિલ્ટન ૧૯૩૫ પછી હૉલિવુડમાં પહોંચી અનેક ફિલ્મોની પટકથાના લેખક રહી ચૂક્યા છે. આનો લાભ એ થયો કે ‘લૉસ્ટ હરાઇઝન’ નવલકથા ફિલ્મ, ટી.વી. અને રેડિયોના માધ્યમો દ્વારા અગણિત સહૃદયો સુધી પહોંચી છે. આથી જ એને મળેલું હોથોર્નડન ઈનામ સાર્થક થયું છે. જેમ્સ હિલ્ટનનું હૉલિવુડ પહોંચ્યા પછી ૧૯૫૪માં કેન્સરથી અવસાન થયેલું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૪&lt;br /&gt;
|next = ૧૭૬&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AA&amp;diff=60889</id>
		<title>રચનાવલી/૧૭૪</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%AA&amp;diff=60889"/>
		<updated>2023-05-09T11:43:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૪. પ્રેમી (હેરલ્ડ પિન્ટર) |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંસ્કૃતમાં એક શ્લોક છે ઃ એમાં નાયિકા કહે છે કે મારું કૌમાર્ય હરેલું એનો એ પતિ છે, એની એ ચૈત્રી રાત્રિ છે, એની એ ખીલેલી મધુમાલતીની સુગંધ છે, એની એ કદંબ વૃક્ષોમાંથી આવતી પવન લહેરી છે. હું પણ એની એ છું અને છતાં આ રેવાકાંઠે વૃક્ષ હેઠળ પતિ માટે મારું હૃદય કેમ આતુર બન્યું છે! નાયિકાને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. કારણ જગતમાં અતિ પરિચયથી તિરસ્કાર ઊપજે કે લાગણી બુઠ્ઠી થઈ જાય એવું આપણે સતત જોતા આવ્યા છીએ. જીવનનો સ્વભાવ છે. મૃત્યુ કે યુદ્ધનો વારંવારનો અનુભવ માણસને કેવો સંવેદનવગરનો બનાવી દે છે! એ જ રીતે રોજિંદી ઘટનાઓમાં પણ માણસ યાંત્રિક રીતે જીવતી થઈ જાય છે. જડતા એ માણસને મળેલો શાપ છે. અંગારાને રાખ વાળ્યા વગર રહેતી નથી. અને એટલે લગ્નસંસ્થા જેવી લગ્ન સંસ્થામાં પણ પતિ અને પત્ની ટેવવશ જીવતાં થઈ જાય છે. બંને એકબીજાની નોંધ લેવાનું પણ ભૂલી જાય છે. &lt;br /&gt;
યુજિનો યોનેસ્કોના કોઈક નાટકમાં માનો કે એક સ્ત્રી અને પુરુષ મળે છે. પુરુષ પૂછે છે : ‘તમે ક્યાં રહો છો?’ સ્ત્રી જવાબ આપે છે : ‘અમદાવાદમાં’ પુરુષ કહે : ‘હું પણ અમદાવાદમાં રહું છું. પણ અમદાવાદમાં ક્યાં આગળ?’ સ્ત્રી કહે છે : ‘આંબાવાડીમાં.’ પુરુષ કહે છે : ‘હું ય આંબાવાડીમાં રહુ છું પણ આંબાવાડીમાં ક્યાં આગળ?&#039; સ્ત્રી કહે છે : ‘સમર્પણ ફ્લેટ્સમાં‘ પુરુષ કહે છે : ‘ઓહો, હું ય સમર્પણ ફ્લેટ્સમાં રહુ છું. તમારો ફ્લેટનો નંબર શો?&amp;quot; સ્ત્રી કહે છે : ‘બી-૧૭.’ પુરુષ કહે છે : ‘ઓહો, હું પણ એમાં જ રહું છું. આપણે પતિ-પત્ની તો નથી ને?’ સગવડ ખાતર અહીં અમદાવાદનો પરિવેશ લીધો છે પણ જગતના કોઈ પણ ખૂણે રહેતાં પતિ-પત્નીની આ કથા હોઈ શકે. સાથે સાથે જીવવાની ટેવ યાંત્રિકતાની ચુંગાલમાં માણસને માણસની ઓળખ ભુલાવી દે છે. પતિ-પત્નીના સતત સાથે રહેવાના અને અતિપરિચયમાંથી આવતી આવી ઉપેક્ષાનો કોઈ ઉપાય ખરો? હેરલ્ડ પિન્ટરના નાટક ‘પ્રેમી (‘લવર’)માં એનો નુસ્ખો છે. &lt;br /&gt;
૧૯૩૦માં લંડનમાં જન્મેલા હેરલ્ડ પિન્ટર આધુનિક નાટકકારોમાં પ્રસિદ્ધ છે. એમના શરૂનાં ‘ધ રૂમ’, ‘ધ ડમ્બ વેઇટર’, ‘ધ બર્થ-ડે પાર્ટી&amp;quot; જાણીતાં નાટકો છે પણ એને સૌથી વધુ સફળતા મળી ૧૯૬૦માં રજૂ થયેલા ‘ધ કેરેક્ટર’ નાટકમાં એમનાં શરૂનાં નાટકોમાં ખાસ તો માણસોનો એકબીજાથી કપાઈ ગયેલો વ્યવહાર બતાવાયો છે પછી તો ધ હોમકમિંગ ઑલ્ડ ટાઇમ્સ અને ‘નો મેન્સ લૅન્ડ’ જેવા લાંબાં નાટકો પણ હેરલ્ડ પિન્ટરે લખ્યાં. રંગમંચ, રેડિયો અને ટેલીવિઝન પરના નાનાં નાટકો પણ એમણે લખ્યાં. ટેલિવિઝન માટે લખેલાં ટૂંકાં નાટકોમાં ‘પ્રેમી’નું સ્વપ્ન છે. ‘પ્રેમી’ ટેલિપ્લે (દૂરદર્શન નાટક) છે. &lt;br /&gt;
‘પ્રેમી’ બે જ પાત્રોનું નાટક છે, પણ બે પાત્રો ચાર જણની ભૂમિકા કરે છે. પતિ એ પ્રેમી પણ છે અને પત્ની એ રખાત પણ છે. પતિ અને પત્ની, પતિ અને પત્ની ઉપરાંતની ભૂમિકા કરીને પોતાના સંબંધ પર રાખ વળતી અટકાવી સંબંધને જીવંત રાખવા માંગે છે અને તેથી એક રમત શરૂ થાય છે. &lt;br /&gt;
નાટક ખુલતાં જ પતિ પત્નીને પૂછે છે : ‘આજે તારો પ્રેમી આવવાનો છે?’ પત્ની હા પાડે છે. પતિ પૂછે છે : ‘કેટલા વાગે?’ પત્ની જવાબ આપે છે ‘ત્રણ વાગ્યે’ પતિ આગળ પૂછે છે : ‘તમે બંને ઘરમાં જ રહેવાનાં છો કે પછી બહાર જવાનાં છો?&amp;quot; આ પછી એવી ગોઠવણ થાય છે કે સાંજે છ વાગ્યા પહેલા પતિએ ઘેર ન આવવું એક દિવસ પતિ પૂછે છે : ‘આ રીતે બેવફા થઈને બપોર તું તારા પ્રેમી સાથે ગુજારે છે. ત્યારે હું ત્યાં ઑફિસમાં બેલેન્સશીટ અને ગ્રાફ સાથે દટાયેલો હોઉં છું. તને એનો કોઈ વિચાર આવે છે?’ પત્ની કહે છે : ‘હું તમને કેવી રીતે ભૂલું? તમારા ઘરમાં રહું છું.’ પતિ ઉમેરે છે : હા પણ બીજા સાથે પણ પત્ની કહે છે ‘ચાહુ છું તમને.’ &lt;br /&gt;
એક દિવસ પત્ની પતિને કહે છે કે : ‘હું જાણું છું કે તમે તમારી રખાત સાથે રહો છો.’ પતિ કહે છે કે : ‘એ રખાત નથી વેશ્યા છે.’ પત્ની કહે છે : ‘તમે આટલું જલ્દી કબૂલી લેશો એવું મેં નહોતું ધાર્યું’ પતિ કહે છે : ‘તેં પહેલાં આવું સીધું ક્યારેય પૂછેલું પણ નહીં ને! કોઈ પણ ભોગે નિખાલસતા. નિખાલસતા તંદુરસ્ત લગ્નજીવન માટે અનિવાર્ય છે તું સંમત નથી?’ આ પછી પત્ની કહે છે : ‘તમે તો ઉત્તમ રુચિવાળા છો. પછી આવી વેશ્યા સાથે તમારો સંબંધ હોય એ શક્ય નથી.’ આના જવાબમાં પતિએ આપેલો જવાબ નાટકની કૂંચી છે. પતિ કહે છે કે : ‘હું કોઈ તારા જેવી સ્ત્રીની પ્રતિમૂર્તિની શોધમાં નહોતો. તને જે રીતે આદર આપી શકું, તને જે રીતે ચાહી શકું એવી કોઈ સ્ત્રીની શોધમાં હું નહોતો.’ પત્ની કહે છે ‘તમારા આ લફરામાં કોઈ ગૌરવ નથી.’ પતિ કહે છે : ‘મારા લગ્નમાં ગૌરવ છે.’ &lt;br /&gt;
એક તબક્કે પતિ અને પત્ની એકબીજાને પૂછે છે કે બંનેએ પોતપોતાનાં વેશ્યા અને પ્રેમીને એકબીજા વિશે કશુંક કહ્યું છે કે નહિ. પતિ કહે છે : ‘મેં તારે વિશે વાત કરી છે પણ બહુ નાજુકાઈથી. આપણે કોઈ જૂનું પુરાણું મ્યુઝિક બોક્સ જે સંભાળથી વગાડીએ એવી સંભાળથી મેં તારી વાત કરી છે.’ પતિ પ્રશ્ન કરે છે : ‘હું કોક દિવસ વહેલો આવી પડું તો?’ પત્ની કહે છે : ‘હું કોક દિવસ તમારી પાછળ પાછળ આવી ચડું તો?’ &lt;br /&gt;
એક દિવસ પતિ જાહેર કરે છે કે એણે બહુ ચલાવ્યું, હવે એ પ્રેમીને બપોરે પોતાના ઘરમાં નહીં મળવા દે, બહાર મળવું હોય તો છૂટ છે. પત્ની કહે છે કે ‘તમે હંમેશાં સમજ બતાવી છે તમારા જેવી સમજ તો ભાગ્યે જ કોઈનામાં હોય.’ આમ પતિ અને પત્ની એકબીજા સાથે રહીને અન્યના વેશમાં મળ્યા કરી પોતાના જીવનને ધબકતું રાખે છે એની નાટકના અંત ભાગમાં ખાતરી થાય છે. &lt;br /&gt;
લગ્નસંસ્થાને ઉગારવાનો આ નુસખો હોય તો નુસખો પણ આ નુસખો મોટો સંદેશ આપી જાય છે. સતત સાથેસાથે રહેનારે એકબીજાથી ટેવાઈ જવાની જરૂર નથી. સંબંધ એ કોઈ હંમેશ માટે મળી ગયેલી વસ્તુ છે એમ માનીને ચાલવાની ભૂલ ન કરી શકાય. સંબંધ હરક્ષણની જાળવણી માગે છે, રક્ષણ માંગે છે. લગ્નજીવનની તંદુરસ્તી ઝંખતુ આ નાટક એના સફળ નુસ્ખાથી છેવટ સુધી ટકાવી રાખે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૩&lt;br /&gt;
|next = ૧૭૫&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%A9&amp;diff=60888</id>
		<title>રચનાવલી/૧૭૩</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%A9&amp;diff=60888"/>
		<updated>2023-05-09T11:43:20Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૩. ક્રેપની છેલ્લી ટેપ (બેક્ટિ) |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લેખક અવસાન પામે એટલે એની કીર્તિમાં થોડી ઓટ આવવા માંડે એવું ઘણાંબધા કિસ્સાઓમાં બનતું હોય છે, પરંતુ સેમ્યુઅલ બૅકિટ એવો લેખક છે કે ૧૯૮૯માં એનું અવસાન થયું અને આજ સુધીમાં એની ત્રણેક જીવનકથાઓ અને એના પરનાં થોકબંધ વિવેચનો બહાર આવ્યાં છે. અલબત્ત બૅકિટે હંમેશાં ઇચ્છવું હતું કે એનું જીવન નહીં પણ એનાં લખાણો માઇક્રોસ્કોપની નીચે મૂકવામાં આવે. પણ બૅકિટ એવો તો ઊંડો રહસ્યવાદી લેખક હતો, એની આસપાસના લોકોની એને માટે એવી તો મોટી ચાહના હતી અને એનાં લખાણો એવાં તો અહોભાવથી વંચાતા અને ભજવાતા રહ્યાં કે આમ બનવું સ્વાભાવિક હતું. &lt;br /&gt;
ડબ્લીનના ફૉક્સરૉક પરામાં ૧૯૦૬માં જન્મેલા બૅકિટના બાળપણના દિવસો એનાં લખાણો માટે મહત્ત્વના રહ્યા છે. ગમે તે આઇરિશની જેમ બૅકિટ પણ એની મા સાથે ખૂબ વળગેલો રહ્યો. પણ પછી ટ્રિનિટી કૉલેજમાં લીધેલા ફ્રેન્ચના અભ્યાસ બાદ એના જીવનનો મોટો ભાગ માતાથી અને માતૃભૂમિથી દૂર ફ્રાન્સમાં વીત્યો. આથી એણે અંગ્રેજીમાં લખ્યું અને ફ્રેન્ચમાં પણ લખ્યું. પ્રસ્ત, જિદ વગેરે લેખકોને તો એ ચાહતો હતો. શૉપનહાવરનો પણ એના પર પ્રભાવ હતો પરંતુ દાન્તેનું ઘેલું તો બૅકિટને જીવનભર રહ્યું. એવો જ એને શોખ હતો ચિત્રકલાનો. અનેક આર્ટગેલેરીઓમાં આ કારણે એણે રખડ્યા કરેલું. &lt;br /&gt;
આ બધા વચ્ચે જેમ્સ જોય્સનો એના મનમાં આદર્શ હતો, પણ માનસિક અસમતુલનના હુમલાઓ આવ્યા પછી બૅકિટે પોતાનો અવાજ શોધી લીધો હતો. આ સદીના ચોથા દાયકાના છેવટના ભાગમાં બૅકિટ પોતાની માતા સાથે રહેતો હતો ત્યારે કોઈ જબરદસ્ત પરિવર્તનમાંથી એ પસાર થઈ રહ્યો છે એનો અનુભવ કરે છે. આ અનુભવ જ સીધો એના નાટક ‘ક્રેપની છેલ્લી ટેપ&#039;માં ઊતર્યો છે. પોતાના જીવનકથાકાર નોલ્સનને જણાવતાં એ કહે છે કે મારી માના ખંડમાં કોઈ દર્શન થયું આનો અર્થ એટલો જ કે બૅકિટને પોતાના ભવિષ્યનો -કલામાર્ગ કેવો લેવો એનો કોઈ સમર્થ અવબોધ તે વેળાએ થઈ ચૂક્યો.&lt;br /&gt;
હવે એ પોતાનાં લખાણોમાં જીવનની ‘અંધારી બાજુઓ’ને પ્રવેશ આપશે. અતંત્રતા, યાતનાને પ્રવેશ આપશે અને જીવનની હયાતીમાં જે કરુણ સુખ પથરાયેલું છે એને વાચા આપશે. જેમ્સની સમૃદ્ધ શૈલી અને એનું રમતિયાળપણું બૅફિટે છોડી દીધા. બૅકિટે અલંકાર વગરની ભાષાનો માર્ગ અપનાવ્યો, વસ્તુની કરકસરનો માર્ગ અપનાવ્યો, નિષ્ફળતામાં પોતાનો ઉત્કર્ષ શોધતી કલાનો માર્ગ અપનાવ્યો. આ માર્ગ ‘એબ્સર્ડ’નો માર્ગ કહેવાયો, જેમાં આભાસ હેઠળ જીવાતી જીવનની ક્રૂરતાને બૅકિટે ખપમાં લીધી બીજી રીતે કહીએ તો જીવનની વેરવિખેર વિગતોને આભાસી રીતે જોડતી કડીઓને અને દુષ્ટ તર્કને બૅકિટે ફગાવી દીધાં. ‘વેઇટીંગ ફોર ગોદો’ બૅકિટની આ બાબતમાં જગમશહુર ઉત્તમ નાટ્યકૃતિ છે. &lt;br /&gt;
પરંતુ, આ અનુભવની શરૂઆત થઈ, માતાના ખંડમાં. બૅકિટને પોતાની રીતે લખવાનો જે માર્ગ મળ્યો, એ નાટક તો છે ‘ગ્રુપની છેલ્લી ટેપ’. આ નાનું સરખું નાટક બૅકિટની બધી ખૂબીઓને અને એની નાટકકાર તરીકેની વિશેષતાને બરાબર દર્શાવે છે. &lt;br /&gt;
આમ તો આ નાટક એકોક્તિ છે. એકોક્તિમાં બીજા પાત્રની કલ્પના કરીને એ પાત્રને સંબોધીને એક પાત્ર બોલ્યા કરતું હોય છે. પણ અહીં તો બોલનાર અને સાંભળનાર એક જ પાત્ર છે. ફરક એ છે કે સાંભળનાર વર્તમાનમાં છે અને બોલનાર ભૂતકાળમાં છે. અને એક જ વ્યક્તિના આ બે પાસાંઓની વચ્ચે ટેપરેકોર્ડર છે. &lt;br /&gt;
સ્ટેજ પર ટેબલ છે અને ટેબલનાં બે ખાનાંઓમાંથી એકમાં ટેપ કરેલું સ્કૂલ છે અને બીજામાં કોરા સ્કૂલ છે. ક્રેપ પોતે બોલે છે, ગ્રુપ ટેપમાં બોલે છે અને ક્રેપ ટેપમાં પોતાનો અવાજ ટેપ કરવા બોલે છે. એમ ત્રેવડી ભૂમિકા પરથી આ નાટક ઊભું થાય છે. વળી વચ્ચે વચ્ચે બોલાતી વાત વિચારવા માટે વારંવાર ટેપને અટકાવવાનું બન્યા કરે છે. &lt;br /&gt;
ક્રેપના જીવનમાં પણ વિધવા માતાનું સ્મરણ છે. એક નહેરના ઊંચાણ પરના મકાનમાં એ મરણને બિછાને છે. બહારના બાંકડા પરથી કેપ માને જોઈ શકે છે. અને ત્યાં ક્રૅપ કોઈ સફેદ વસ્ત્રમાં સજ્જ નર્સના સંપર્કમાં આવે છે. કદાચ એની સાથે મળવાના ઘણાં પ્રસંગોમાંનો એક પ્રસંગ વર્ણવાયો છે. કાળા ડિબાંગ ખડકો, દીવાદાંડીના પ્રકાશમાં ઊંચે ઊડતાં ફીણો અને વિસારે પાડેલો અંધકાર પણ - તોફાન અને રાત્રિ સાથે સંકળાયેલા અમંગળ અનુભવો સમજના પ્રકાશમાં ઓગળી જાય છે. ક્રુપે આ અનુભવ સાથે પ્રેમના અનુભવને એકરૂપ કરી દીધો છે. પણ &lt;br /&gt;
આ અનુભવનું છટકણું સ્વરૂપ ભૂતકાળમાં જ રહી ગયેલા આ અનુભવની વેદના આખા નાટકને ઘેરી વળે છે. ક્રૅપ કહે છે કે બધું જ બધું ત્યાં છે. બધો જ પ્રકાશ અને અંધકાર, દુકાળ અને ઉત્સવ... ક્રૅપ આ વેદનામાંથી વારંવાર પસાર થવાનું ઇચ્છે છે. ફરી... ફરી... એ જૂની વેદના... એકવારમાં એ બસ નથી... &lt;br /&gt;
આ નાટક બૅકિટના અંગત અનુભવના અપૂર્વ અને ભયજનકરૂપનું ઉદાહરણ છે. બૅકિટે એકવાર જાહેર કરેલું કે નવલકથા લખતાં લખતાં થાક ચઢે ત્યારે થિયેટર એ મારે માટે થાક ઉતારવાનું મુખ્ય સાધન છે, પણ બૅકિટને સૌથી વધુ યશ તો એનાં નાટકોએ જ રળી આપ્યો છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૨&lt;br /&gt;
|next = ૧૭૪&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%A8&amp;diff=60887</id>
		<title>રચનાવલી/૧૭૨</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80/%E0%AB%A7%E0%AB%AD%E0%AB%A8&amp;diff=60887"/>
		<updated>2023-05-09T11:43:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;KhyatiJoshi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧૭૨. મિસિસ ડેલોવે (વર્જિનિયા વુલ્ફ) |}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
યુવાનીમાં એકવાર માનસિક રીતે ભાંગી પડ્યા પછી બીજા વિશ્વયુદ્ધમાં ફરીવાર માનસિક રીતે ભાંગી પડાશે એવી બીકથી અને યુદ્ધના નરસંહારને સ્વીકારી ન શકવાથી પોતાના વતનની નજીકની નદીમાં ઝંપલાવી આત્મઘાત કરનાર સંવેદનશીલ નારીવાદી સ્ત્રીલેખક બીજી કોઈ નહિ પણ એ વર્જિનિયા વુલ્ફ છે. આ સદીનો ત્રીજો ચોથો દાયકો વૂલ્ફ માટે સૌથી સર્જનાત્મક રહ્યો છે. ‘ટુ ધ લાઇટહાઉસ’ (૧૯૨૭), ‘ઓર્લેન્ડો’ (૧૯૨૮) ધ વેવ્ઝ’ (૧૯૩૧) જેવી એમની પ્રયોગાત્મક નવલકથાઓ છે; અને એ બધામાં એની નવલકથા ‘મિસિસ ડેલોવે&#039; (૧૯૨૫)નું પણ સ્થાન છે. &lt;br /&gt;
એની અન્ય નવલકથાઓની જેમ ‘મિસિસ ડેલોવે’માં પણ બહારના જગતનું નહીં એટલું અંદરના જગતનું સ્થાન છે. દર ક્ષણે આપણી આંખ આગળથી બહારનું જગત પ્રવાહની માફક પસાર થાય છે : રસ્તા પર પથરાયેલો આકરો તડકો, દોડતાં વાહનો, બારીમાં આવીને ઊડી જતો કાગડો, કોઈ હાથમાંથી છટકેલું વાસણ, ક્યાંક કોઈએ ચાલુ કરેલું સ્કુટર, ટી.વી.માં ચાલતું શ્રેણીનું કોઈ દૃશ્ય, બરાબર એ રીતે આપણી અંદરનું જગત પણ પ્રવાહની જેમ પસાર થયા કરે છે. એમાં તો વર્તમાનની સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ ભસ્યા કરે છે. સાચા જોડે કલ્પના અને તરંગ પણ ઉમેરાય છે. ઘડીમાં એક સ્થળે તો ઘડીમાં બીજે, ઘડીમાં એક સ્મરણ, તો ઘડીમાં બીજું, ઘડીમાં એક વિચાર તો ઘડીમાં બીજો કોઈ ભાવ, કોઈ મિજાજ, કોઈ સંવેદન આવે છે ને જાય છે એમ કેટલું બધું અડફેટમાં આવ્યાં કરે છે. આ સદીમાં કેટલાક નવલકથાકારોએ બહારના જગતને વર્ણવવાનું છોડીને અંદરનાં જગતને વર્ણવવાનું પસંદ કર્યું. ઉપર ઉપરથી તો બહુ જૂજ પ્રસંગો બને પણ અંદરનાં ઘણાં બધાં ઘમસાણો રજૂ થતાં રહે. આને આંતર ચેતનાપ્રવાહની નવલકથા કહેવાય છે. ‘મિસિસ ડેલોવે’ એવી જ એક નવલકથા છે. &lt;br /&gt;
‘મિસિસ ડેલોવે’માં એક જ દિવસની વાત છે. લંડનમાં રહેવા છતાં એકબીજાથી તદ્દન અજાણ એવાં બે મુખ્ય પાત્રોનાં મનની લાંબી ગતિવિધિઓ લેખકે એમાં રજૂ કરી છે. જૂનની એક સવારે પોતના વૈભવશાળી મકાનમાંથી નીકળી મિસિસ ડેલોવે ખરીદી માટે જઈ રહ્યાં છે. એ દિવસે રાત્રે એમણે એક ભોજન સમારંભ યોજ્યો છે. રસ્તામાં જૂના મિત્ર વ્હાઇટબ્રેડ મળે છે. એનાં પત્ની એવલીન હંમેશાં માંદાં રહે છે ડેલોવેને થાય છે કે નર્સિંગ હોમમાં જોવા જતાં એ કઈ ભેટ લઈ જશે. પણ પછી વિચારે છે કે પહેલાં રાત્રિના સમારંભ માટે પોતે ફૂલો ખરીદી લે. ફૂલોની ખરીદી કરતા હતાં ત્યાં ડેલોવે એક લાંબી ચકચકતી કાર જુએ છે. એ કારની બારીઓના પડદા પાછળ કોણ હશે એનું કૂતુહલ એમને જન્મે છે. પછી કારને બકિંગહામ મહેલ તરફ વળી જતી જોઈને એમને ખાતરી થાય છે કે એ કારમાં રાણી જ હશે. ત્યાં એમને વિમાનનો અવાજ સંભળાયો. એ વિમાન દ્વારા આકાશમાં ટોફીની જાહેરાત લખાતી જોઈ. આકાશમાં જાહેરાત એ જમાનાની ખાસ નવીનતા હતી. ડેલોવેની આસપાસનું ચહલપહલ કરતું લંડન ડેલોવેને ભૂતકાળમાં ખેંચી જાય છે. &lt;br /&gt;
મહેમાનોથી ભર્યુભાદર્યું પોતાના પિતાનું ઘર; શાળા જીવનની બહેનપણી સેલી સીટન; પોતાના મંગેતર રિચર્ડ ડેલોવેને જોઈને સેલીએ કરેલી મજાક; મૈત્રીની ઉષ્મામાં આવેલી ઓટ; પોતાની મોટી થઈ ગયેલી દીકરી ઇલિઝાબેથ, ધાર્મિક ઘેલછાવાળી એની શિક્ષિકા ડૉરિસ કિલ્મન; રિચર્ડને પરણતાં પહેલાં પોતાના જીવનમાં આવેલો, ભારત ચાલી ગયેલો અને ભારત પહોંચતાં પહોંચતાં જ રસ્તામાં કોઈને પરણી બેઠેલો પિટર વૉલ્શ; આ બધું સામટું ડેલોવેના ચિત્તમાં ધસી આવે છે. ખરીદીનો આનંદ લેતાં લેતાં, સરસ હવામાનની વચ્ચે ભૂતકાળનાં આ બધાં સંસ્મરણો તેમજ રાત્રિ ભોજન સમારંભ અંગે કરવાની તૈયારીઓનો વિચાર ડેલોવને ઉષ્માસભર કરી મૂકે છે. &lt;br /&gt;
પણ આ જ વખતે લંડનની શેરીઓમાં એક એવું પાત્ર ભટકી રહ્યું છે જે દુ:ખીદુ:ખી છે. એની સાથે એની ઇટાલિયન પત્ની લુક્રેઝિયા છે પણ સેપ્ટમસ વૉરન સ્મિથને યુદ્ધના બોમ્બનો આઘાત છે. મિત્ર એવન્ઝની યાદ સતાવી રહી છે. એવન્ઝ યુદ્ધ અધિકારી હતો અને યુદ્ધમાં ખપી ગયો હતો. સ્મિથને આઘાત એ વાતનો છે કે પોતાનો એકદમ જિગરી દોસ્ત મૃત્યુ પામ્યો તેમ છતાં એને અંગે એ ખરેખર ઝાઝું કશું અનુભવી ન શક્યો. એની પત્ની લુક્રેઝિયા ડૉ. હોમ્સ પાસે સ્મિથની ચિકિત્સા કરાવે છે પણ સ્મિથ અને સહકાર આપતો નથી. &lt;br /&gt;
આ બાજુ ડેલોવે ખરીદી કરી ઘેર પહોંચે છે; તો બ્રૂટન તરફથી બપોરના ભોજનનું નિમંત્રણ માત્ર એના પતિને જ મળેલું છે એ વાત એને ખટકે છે. ત્યાં ભારતથી પાછો ફરેલો પિટર વૉલ્સ ડેલોવેની મુલાકાત માટે આવી પહોંચે છે. ડેલોવે એને દીકરી ઇલિઝાબેથની ઓળખાણ કરાવે છે; અને રાત્રિના ભોજન માટે નિમંત્રણ આપે છે. &lt;br /&gt;
બીજી તરફ બપોર પછી લુક્રેઝિયા સ્મિત માટે ચિંતિત છે ડૉ. હોમ્ડને બદલીને એ ડૉ. વિલિયમ્સ બ્રેડ શૉની સારવાર શરૂ કરે છે પણ બપોર પછી ડૉ. હોમ્સ સ્મિથના ઘેર આવતા સ્મિથ બારીમાંથી કૂદી આપઘાત કરી નાંખે છે. &lt;br /&gt;
તો, એ જ સમયે ઇલિઝાબેથની શિક્ષિકા ડૉરિસ ફિલ્મન ઇલિઝાબેથને ખરીદી માટે લઈ જાય છે. ડેલોવેને કિલ્મન માટે આદર નથી. એની ઘર્મઘેલછાને કારણે એ દીકરી માટે સાવધ છે. &lt;br /&gt;
છેવટે, ભોજન સમારંભની ઘડી આવી પહોંચે છે. આ સમારંભમાં વિલ્યમ દરે પણ નિયંત્રિત છે. એ થોડો મોડો પડતાં ઘોડો ઘડવાનું કારણ જણાવતા કહે છે કે એના એક યુદ્ધ કાળના દર્દીએ આપઘાત કરી લીધો છે. ડેલોવે આ સાંભળે છે અને અજાણ્યા સ્મિથ સાથે પોતાની જાતને જોડી દે છે એ વિચારે છે કે એની જિંદગી પણ નિષ્ફળ ગયેલી છે અને તેથી કોઈ પણ આઘાતને એ પૂર્ણપણે સમજી શકે છે. પણ એક પછી એક લગભગ બધા મહેમાનો ગયા પછી પિટર વૉલ્સ ડેલોવે પાસે આવીને કહે છે કે હજી પણ વયમાં વૃદ્ધ છતાં સુંદર ડેલોવેને ચાહે છે. &lt;br /&gt;
અહીં નવલકથામાં એકદમ એકલાં લાગતાં પાત્રોને એમની નિયતિ એક સાથે બાંધી રહી છે એ એક મોટો વિરોધાભાસ છે. તેમ છતાં લાગે છે કે ઉત્તમ મનુષ્યો તો એ જ છે જેનામાં બાકી બચી માનવતાની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહેવાની તીવ્ર સભાનતા પડેલી છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧૭૧&lt;br /&gt;
|next = ૧૭૩&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>KhyatiJoshi</name></author>
	</entry>
</feed>