<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Meghdhanu</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Meghdhanu"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/Meghdhanu"/>
	<updated>2026-07-21T15:00:55Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.45.0</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93&amp;diff=112929</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93&amp;diff=112929"/>
		<updated>2026-07-21T14:36:01Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૫ આદિભક્તિયુગના કવિઓ|કેશવરામ કા. શાસ્ત્રી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ભીમ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમ એની ‘હરિલીલા-ષોડશકલા’ (ભાગવત-સારાનુવાદ, વિ. સં. ૧૫૪૧–ઈ.સ. ૧૪૮૫) અને સંસ્કૃત ભાષાના૧ ‘પ્રબોધચન્દ્રોદય’ નાટકના ‘ચોપાઈ–પૂર્વછાયુ’માં કરેલા ગુજરાતી પદ્યાનુવાદ (વિ. સં. ૧૫૪૬–ઈ.સ. ૧૪૯૦) થી૨ જાણવામાં આવ્યો છે. આ બંને કૃતિ છપાઈ ગઈ છે. આમાંની ‘હરિલીલાષોડશકલા’ એણે ‘સિદ્ધક્ષેત્ર, માધવ સરસ્વતી, રુદ્રદેવ, શ્રીકર્દમ યતિ&#039;3 વગેરેથી કહી શકાતા ઉત્તર ગુજરાતના તીર્થધામ ‘સિદ્ધપુર&#039;માં રહીને રચી હોવાનું પકડાય છે, જ્યારે ‘પ્રબોધ–પ્રકાશ’ની તો–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ભવભયભંજન શ્રીભારતી, પંચ પ્રવાહ વહિ સરસ્વતી,&lt;br /&gt;
શ્રીસોમેશ્વર નિજ આવાસ, ભુવિ માંહિ બીજું કૈલાસ. ૭૩&lt;br /&gt;
&lt;br /&gt;
તીરથતિલક ક્ષેત્ર–પ્રભાસ, ત્યાં વસઇ દ્વિજ નરસિંહ વ્યાસ,&lt;br /&gt;
તે ઘરિ સેવક વૈષ્ણવદાસ, કીધું એહિ પ્રબોધપ્રકાશ.૭૪’૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ જ્યાં સોમેશ્વરનો પોતાનો આવાસ છે તેવા પ્રભાસક્ષેત્રમાં નરસિંહ વ્યાસ નામના બ્રાહ્મણના ઘેર રહીને રચના કરી સ્પષ્ટ સમજાય છે.&lt;br /&gt;
એનું વતન આ બેમાંથી કયું એ કહી શકાય નહિ, પણ બંને તીર્થોમાં એ રહેલો છે. નરસિંહ વ્યાસ એનો આશ્રયદાતા હશે, કારણ કે ‘પ્રબોધપ્રકાશ’ના આરંભમાં એણે પોતે રચેલા બે સંસ્કૃત શ્લોકોમાં ગુરુપુરુષોત્તમને નમન કરી શ્રીનૃસિંહના પ્રસાદ (અનુગ્રહ)થી રચના કર્યાની એ પ્રતિજ્ઞા કરે છે.૫ ૬ઠ્ઠા અંકને અંતે ‘શ્રી પુરુષોત્તમ તણા પ્રસાદ&#039;નો પણ ઉલ્લેખ કરી લે છે.૬ ‘વેદાંત-પારગ&#039; પુરુષોત્તમ અને બીજા આશ્રયદાતા નરસિંહ વ્યાસની કૃપાનું ઋણ એ સ્વીકારે છે.‘હરિલીલા-ષોડશકલા’માં પણ ગુરુનું ઋણ એણે સ્વીકાર્યું છે, પણ ત્યાં ‘મહારિષિ’, ‘દ્વિજ’ એવો મભ્ભમ જ ઉલ્લેખ કરે છે,૭ જેનાં વ્યક્ત નામ એ ‘પ્રબોધપ્રકાશ’માં આપે છે. આ મહારિષિ’ ‘દ્વિજ’–પાછળથી ‘પુરુષોત્તમ’ એ ભાલણ હોવા વિશે સંભાવના કરવામાં આવેલી,૮ પણ હવે એ મતને કોઈ સ્થાન રહ્યું નથી, ભાલણ ભીમનો ઉત્તરકાલીન સિદ્ધ થયો હોવાને કારણે.&lt;br /&gt;
‘હરિલીલા-ષોડશકલા&#039; એ સોળ ખંડોમાં કરેલો ભાગવત પુરાણનો પદ્યાત્મક સંક્ષેપ છે. એની પાછળ એને બળ પં. બોપદેવે કરેલા ભાગવતપુરાણના ‘હરિલીલાવિવેક’ સંજ્ઞાવાળા ૧૦૮ શ્લોકોના સંસ્કૃત ગ્રંથનું છે૯ અને એનો આધાર રાખી લગભગ ૨૦૦૦ કડીઓની રચના સાધી આપી છે. એણે ચંદ્રની કલાની ઉપમા આપીને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સોલ કલા સંજીવની, બીજું બિંબ મયંક,&lt;br /&gt;
પૂરી પાતકનાશિની, હોસઇ કલા નિકલંક – ૭૦’૧૦ (હ. લી., કલા ૧ લી)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
–એમ રચના આગળ લંબાવી છે.&lt;br /&gt;
આમ તો ભાગવતની કથાનો સંક્ષેપ જ છે, પરંતુ એના ઉપર એના સમકાલની અસર છે. દશમસ્કંધની કથા આપતાં ‘રુક્મિણી&#039;ના વિવાહના પ્રસંગમાં વિદર્ભદેશને બદલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલા માધવપુર (ઘેડ. જિ. જૂનાગઢ)માં એ લગ્નની ઉજવણીનો ખ્યાલ આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘દ્વારાવતી ભણી સાંચર્યા કેશવ બલભદ્ર વીર.&lt;br /&gt;
પુક્યા તે માધવપુરી, નગરી વસઇ સાગરિ તીર. ૧&lt;br /&gt;
તિંહા મહાનદી મધુમતી, અતિ ઉછવ રુપિણીવન માહિ.&lt;br /&gt;
હાથ મેલાવુ હરિ તણુ, હુઇ રાણી રુક્મણી-વિવાહ.&lt;br /&gt;
સુરનર પન્નગ આવિયા.૨’૧૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અર્થાત્ મધુમતી–મધવંતી નજીક આવેલ માધવપુરમાં દર વર્ષે જે ચૈત્ર સુદિ ૯ થી ૧૩ તિથિના પાંચ દિવસના મેળાના પ્રસંગમાં તિથિ ૧૨ ના દિવસે મોટા સમારંભથી નજીકના રુપેણ વનમાં શ્રીકૃષ્ણનાં રુક્મિણી સાથેનાં લગ્ન ઊજવાય છે તેને ખ્યાલમાં રાખી ભીમે આ વિધાન કર્યું છે એ સ્પષ્ટ છે. ભીમે આ દીર્ઘ કાવ્યમાં મુખ્યત્વે તો ‘ચુપઇ’ અને ‘પૂર્વછાયુ’ (દોહા)-નો ઉપયોગ કર્યો છે. વધારામાં ક્યાંક ‘ચાલતી ચુપૈ’ એટલે સવૈયાની દેશી પણ આપી છે. વધુમાં જેઓને નાનાં કડવાં કહી શકાય તેવા નાના નાના એકમ ‘પ્રબંધ’ મથાળે પણ આપ્યા છે. પ્રસંગવશાત્ અડયલ, પદ્ધડી, અઢૈયા, દોહા, સોરઠા, ગાથા, વસ્તુ, ભુજંગપ્રયાતની ચાલ, છપ્પય વગેરે પણ ઉપયોગમાં લીધા છે. વળી અત્રતત્ર ‘ગીત’, ‘ધૂલ’ વગેરે આપ્યાં છે તે ‘ગેયતા’ તેમજ ‘કાવ્યબંધ’ ની દૃષ્ટિએ ખાસ મહત્ત્વનાં કહી શકાય. શરૂમાં તો સંખ્યાબંધ સંસ્કૃત શ્લોકો ઉતારી એના પદ્યાનુવાદ આપ્યા છે, ઉપોદ્ઘાતના રૂપમાં.૧૨ એણે પદોને અંતે ‘ભીમ ભણઇ’૧૩ એવી છાપ ‘નામા મ્હણે’, ‘ભણે નરસિંયો’ જેવા પ્રકારે આપેલ છે. ૬ઠ્ઠી કલામાં ‘વેલાઉલિ વાણી ગીત’. (‘બિલાવલ રાગનું ગીત’) અને આઠમી કલામાં પ્રહ્લાદે કરેલું સ્તવન ‘રાગ દેશાખ ગીત’ એ બંને સવૈયાની દેશીનાં છે.૧૪ એ જ ઢાળનું બારમી કલામાં રાસક્રીડા-પ્રસંગમાં આપેલું એક ગીત :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|3em}}રાસ-વસંત-વિરાડી ગીત&lt;br /&gt;
‘આનંદ એક અભિનવુ રે વૃંદાવન મઝારિ.&lt;br /&gt;
વંશ વજાવઇ વિઠ્ઠલ રે, તેણઇ છંદઇ નાચિ નારિ.&lt;br /&gt;
વૃદાંવનિ ગોપી નાચઇ રે, તેણઇ રંગિ રાચિ રામ. વૃંદા.&lt;br /&gt;
નાદ મધુર સ્વરિ આલપઇ રે, ગાઈ હરિવિલાસ.&lt;br /&gt;
સુંદરી સવિ નવયૌવન્ન રે રંગભરિ ખેલઇ રાસ. વૃંદા.&lt;br /&gt;
પાખલિ વૃંદ વનિતા તણું રે, માહિ સામલવંન.&lt;br /&gt;
ભીમ ભણઇ : અંતર લય લાગુ, ધિન ધિન ગોપીજન. વૃંદા.’૧૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમે ‘अङ्गनामङ्गनामन्तरे माधव:’ એ લીલા શુકના ‘કૃષ્ણકર્ણામૃત’ના પદ્યનો ભાવ આપતું એક ગીત રાસક્રીડાના પ્રસંગમાં આપ્યું છે, એનો ઢાળ પણ નવીન જણાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}ગીત ધન્યાશ્રી&lt;br /&gt;
&lt;br /&gt;
માધવ અંતરિ નારી, અંગના અંતરિ હરિ,&lt;br /&gt;
રાસક્રીડા વૃંદાવનિ રમઇ આનંદ-ભરિ...&lt;br /&gt;
પહિરણિ પીત પટુલી, હીર ચીર ચૂનડી ફાલી,&lt;br /&gt;
સોવર્ણ માણિક મોતી ભૂષણિ ભૂષિત બાલી. નંદા.&lt;br /&gt;
વીણા મૃદંગ તાલ સુસ્વરિ વંશ વાઅંતી.&lt;br /&gt;
નાનાવિધ નૃત્ય કરઇ, મધુર ગીત ગાઅંતી. નંદા.&lt;br /&gt;
પરમ ભગતિ–લીણી ધન્ય તે ગોલણી નારી,&lt;br /&gt;
ભીમઇ-ચઇ સ્વામી શ્રીકૃષ્ણઇ સંસારસાગર તારી. નંદ’૧૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમે ‘કારિકા’ અને ‘ત્રૂટક’ની પદ્ધતિનો ‘ફાગુ’–નો પ્રકાર થોડા ભેદે આપ્યો છે;&lt;br /&gt;
જેવોકે&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
રાગ સીધૂઉ&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કૃષ્ણ કહઇ: મુઝ આપુ એ માગ એ, નાગ ન વાલઇ તેહા, હઠિ ચડ્યુ એ.&lt;br /&gt;
ભણઇ પુંતાર: અબુઝ ગોપાલ એ. હાલ પુહુતું હવઇ તમ તણુ એ.&lt;br /&gt;
{{gap|8em}}ત્રૌટક&lt;br /&gt;
તહ્મતણ પુહુતુ હાલ, છૂટુ નહી થઇ બાલ. કોપિ ચડ્યુ અંબુષ્ઠ, મોડિઉ ગજ અતિદુષ્ટ.&lt;br /&gt;
આવતું દેખી એહ, હરિ પૂછિ સાહ્યુ તેહ, તાણિઉં કરતુ ચીસ, પાછું ધનુષ પંચવીસ.’૧૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમે રુક્મિણીહરણના પ્રસંગે પાંચ ‘ધૂલ’ આપ્યાં છે.૧૮ કર્મણમંત્રીની કૃતિમાં જે પ્રકારનાં ‘ધૂલ’ મળે છે તેવાં આ નથી, પરંતુ નાકરથી લઈ પછીના આખ્યાનકારોમાં ‘ધૂલ-ઢાલ-ઊથલો’ એકમનાં મોટાં કડવાં મળે છે તેવો જ આ નાનો એકમ છે. ‘પ્રબંધ’ કહી પછી એને છેડે ‘વલણ’ આપે છે એ પ્રકાર ‘ફાગુ’ કોટિનો જ કહી શકાય. રુક્મૈયાના માનખંડના પ્રસંગમાં યોજાયેલું નીચેનું ‘ધૂલ’ કાવ્યબંધનો તેમજ ભીમની કવનશક્તિનો પણ ખ્યાલ આપશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}ધવલ ૪થું રાગ શ્રી-રાગ&lt;br /&gt;
&lt;br /&gt;
‘રુક્મઇઉ રાઉત ભલુ, બલ બોલાઇ દિઇ ગાલિ :&lt;br /&gt;
કિમ જાઇસિ રે તૂં જીવતુ મઝ આગલિ રે વનચર ગોવાલ?&lt;br /&gt;
ચીતાઈ મારયુ માઉલુ, હવઇ ખૂટુ રે કાન્હડ તુઝ કાલ.&lt;br /&gt;
બહિનિ લેઇ પાછું વલૂં, દેખંતાં સવિ ભૂપાલ.&lt;br /&gt;
કરી પ્રતિજ્ઞા એ સાંચરયું.&lt;br /&gt;
&lt;br /&gt;
{{gap|6em}}પ્રબંધ&lt;br /&gt;
સાંચરઇ વેગઇ ક્રોધભરી અક્ષૌહિણી દલ એક,&lt;br /&gt;
સંગ્રામ માંડ્યું કૃષ્ણ-શૂં. મૂકઇ બાણ અનેક.&lt;br /&gt;
શિર કૂંચ મૂછિ કાપિયાં લીલયાં શ્રીજગનાથ.&lt;br /&gt;
તે પશુની પરિ-બાંધિયું, રથિ ઘાતિ લીધુ સાધિ.&lt;br /&gt;
રુક્મણી માગઇ માન : માધવ, બંધ બાલક છોડિ,&lt;br /&gt;
અપરાધ ક્ષમિ સાલા તણા, તહ્મનઇ લાગઇ ખોડિ.&lt;br /&gt;
બલભદ્ર આવ્યા, કૃષ્ણ વારયા, વેગઇ કાપ્યા બંધ.&lt;br /&gt;
કેશવ તણુ મહિમા જાણ્યુ, ચરણિ નામ્યું કંધ.&lt;br /&gt;
{{gap|6em}}વલણ&lt;br /&gt;
હરિચરણિ નામ્યું કંધ, વેગિ સંધિ કીધી રામિ.&lt;br /&gt;
નિજ નૈયર દીધૂં તેહનઇ, ગણનાથ કીધો સ્વામિ.’૧૯&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમાં ‘સરસ્વતીધઉલ’ના પ્રકારમાં ‘પ્રબંધ’નો બંધ–‘હરિગીતની દેશી’નો પકડી શકાય છે. આરંભના તો બે દોહરા જ છે, જ્યારે ‘વલણ’માં હરિગીતના ઢાળની જ બે પંક્તિ પરખાય છે.&lt;br /&gt;
ભીમે કાવ્યાંતે ‘ધન્યાશ્રી’ રાગમાં ‘કલશ’નું એક ગીત આપ્યું છે.૨૦ જૈન રચનાઓમાં આ પદ્ધતિ જાણીતી છે. આમ ભીમે ‘હરિલીલા-ષોડશકલા’માં પોતાના સમય સુધીમાં જૈન જૈનેતર ઢાળો પ્રચારમાં હતા. તેઓને સમુચિત ઉપયોગ કરી લીધો છે. એની પાસે ભાષાની સારી હથોટી છે, જેના બળે એ રોચકતા લાવી આપી શકે છે. નૃસિંહજન્મ-સમયે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્રીનરસિંહ કોષિ ધડહડઈ, મંદિર કોટ કોશીસાં પડઇ.&lt;br /&gt;
ગર્જિત કરિ બગાઇ બહૂ, દેવ-અસુર બલ નાઠૂં સહૂ.&lt;br /&gt;
ગહવર ગુફા સરીખૂં વયણ, જ્વલિત-પાવક બિહૂ નયણ.&lt;br /&gt;
કર નખ સટા ડસણ વિકરાલ, હિરણ્યકશિપુ જાણ્યુ કાલ.&lt;br /&gt;
શંકા અસુર તણા મન માહિ, નાઠા હરિણ તણી પરિ ચાહિ&lt;br /&gt;
ઝડપીનઇ લીધુ જગનાથિ, ચડ્યુ કપોત શીચાણા હાથિ.’૨૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્યમાં પોતે એક વાર દ્વારકાની યાત્રાએ ગયો હોવાનું અને સાત સંસ્કૃત શ્લોકોથી પ્રભુની સ્તુતિ કર્યાનું તો નોંધે છે, પણ ભગવાને સ્વમુખથી સંસ્કૃતમાં કહ્યું કે ‘મારી કૃપાથી તને મારામાં દૃઢ ભક્તિ થશે’ અને પરિણામે ત્યારથી એની ભક્તિ નિશ્ચલ થયાનું એ સંસ્કૃત શ્લોકમાં નોંધે છે.૨૨ આ એની ભક્તિની તન્મયતાનું દ્યોતક છે.&lt;br /&gt;
‘પ્રબોધચંદ્રોદય’ નાટક વિક્રમની ૧૧મી સદીમાં મગધના રાજા કીર્તિવર્માના રાજ્યકાલમાં મૂળ લેખક કૃષ્ણમિશ્ર નામના કવિએ રચ્યું અને એના જ દરબારમાં ભજવાયું. એવું પ્રસ્તાવનામાં આવે છે.૨૩ અનુવાદ કરતાં ભીમે તો –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અવની કેરુ ભાર ઊતારિ આવ્યા હરિ દ્વારિકા મઝાર. ૩૦૨૩અ&lt;br /&gt;
{{gap|8em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
સભામાંહિ બઇઠા ધરી ધીર છપન કોટિ યાદવ વીર;&lt;br /&gt;
સુભટ મહારથ સમરથ શૂર, નિજ સેવક ઉદ્ધવ અક્રૂર. ૩૨&lt;br /&gt;
રાજા ગુણસાગર ગોવ્યંદ શ્રીપતિ પૂરણ પરમાનંદ.&lt;br /&gt;
ધર્મશિલા હરિ આગલિ સાર રચિયૂં નાટક કરી વિચાર.૩૩’૨૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ એના શ્રીદ્વારકાધીશ તરફના ઊંડા ભક્તિભાવનું માત્ર દ્યોતક છે; આ નાટક દ્વારકામાં નથી રચાયું કે નથી ભજવાયું.૨૫&lt;br /&gt;
‘પ્રબોધપ્રકાશ’માં મુખ્યત્વે ચોપાઈ અને પૂર્વછાયો (દોહા)નો પ્રયોગ જોવા મળે છે; વચ્ચે વચ્ચે વસ્તુ, પદ્ધડી, મડયલ, જડયલ, ભુજંગપ્રયાતની ચાલ, અને છપ્પયનો પણ પ્રયોગ કરી લીધેલ છે.૨૬ આ નાટક, પ્રમાણમાં, સંક્ષિપ્ત અનુવાદ માત્ર છે એટલે ભીમની પ્રતિભાનો આમાંથી પરિચય ન મળે; આમ છતાં ક્યાંક ક્યાંક એણે શક્તિ બતાવવા પ્રયત્ન કર્યો છે. નીચેનો પાંચમા અંકમાંનો ‘મોહ’ અને ‘વિવેક’નાં દળો વચ્ચેનો યુદ્ધનો પ્રસંગ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}અથ કવિતા&lt;br /&gt;
‘ભડઇ કટક રિપુ વિકટ, સભટ ઘટિ આયુધ કૂટઇ&lt;br /&gt;
શબ્દ નિઘડ કટકટઈ, કન્ધ – સન્ધાન વછૂટઇ&lt;br /&gt;
તૂટઇ કટિતર–બાંહ શકલ સન્નાહ મુગટમણિ,&lt;br /&gt;
રુધિર નદી, પલ-પંક, કંક-રંકા સમરાંગણિ.&lt;br /&gt;
ગજરથ તુરગ પાઈદલ બહુલા પ્રાણહીન પુહુવિં પડઇ,&lt;br /&gt;
રાજા વિવેક એકલ-મલ્લ મહામોહ સરિસુ ભડઇ.૩૧’૨૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એણે ત્રીજા અંકમાં ૩, ૬, ૮, ૧૧ એ કડીની ‘ચાલતી ચુપઇ’ આપી છે તે ‘સવૈયાની ચાલ’ છે.૨૮&lt;br /&gt;
ભીમે પોતાની શક્તિ પ્રમાણે સમકાલીન સાહિત્યકારોની હરોળમાં પણ થોડુંક આગલું સ્થાન મેળવવામાં શક્તિનો ઉપયોગ કર્યો છે. ધ્યાનમાં લેવા જેવું તો એ છે કે ‘વિઠ્ઠલ’ એની રચનાઓમાં આવી ગયો છે.૨૯ ‘વિઠ્ઠલ’ શબ્દનું પ્રદાન વારકરી સંતોનું છે, એ વિશે આજે મતભેદ નથી.&lt;br /&gt;
ભીમ સંસ્કૃત ભાષાનો જ્ઞાતા હોવાનું ઉપરની એની બંને કૃતિઓ જોતાં કહી શકાય એમ છે. ‘હરિલીલા-ષોડશકલા’માં એણે થોડા શ્લોક સંસ્કૃતમાં રચ્યાનું આપણે જોયું છે. ‘यं युगे जीवनं यदुकुलमंडनं’ થી શરૂ થતું ‘ભીમ’ની છાપનું ઝૂલણાના ઢાળની ૩ કડીઓનું સંસ્કૃત પદ મળી આવ્યું છે૩૦ તે એની રચના હોય તો એ અસંભવિત નહિ હોય. સ્વતંત્ર રીતે નોંધાયેલું ‘જપિ–ન રસને નામ વિમલ રાઘવ તણૂં સુષકરં સંસાર–શોકહરણં’ એ પ્રકારનું સંસ્કૃત-ગુજરાતી મિશ્ર પદ ‘ભીમ કેશવદાસ કર જોડી વીનવિ, દેવ દેવેસ ઇમ ઇસ બોલિ’ એ રીતની છેલ્લી પંક્તિવાળું ચાર કડીઓનું જાણવામાં આવ્યું છે૩૧ તે પણ એની રચના હોય. આ પદ જો ભીમનું હોય તો નરસિંહ મહેતાનાં હારસમેનાં પદોને આમેજ કરી લઈ પ્રથમ પચાસ પદોની ‘હારમાળા’ ઊભી કરવામાં આવી અને પછી ચોસઠ–ચોર્યાશી વગેરેના ક્રમ ઊભા થયા તેઓમાં આરંભમાં સંન્યાસીઓ સાથેનો વાદપ્રસંગ ખડો કરવામાં આવ્યો છે, આ પ્રસંગમાં એક રામભક્ત ‘ભીમ’ પણ એક પાત્ર તરીકે આવે છે.૩૨ આ ‘રામભક્ત’ ભીમના મુખમાં ‘જપિ-ન રસને નામ વિમલ રાઘવતણૂં’ એ ‘જપિ-ન નરસૈં વિમલ નામ રાઘવતણૂં’ એ રીતે મુકાયું છે.૩૩ આણે એક સંભાવના ઊભી કરી છે કે નરસિંહ મહેતાના ‘હારસમે’નાં પદોને સંકલિત કરી ‘હારમાલા’નો એક ક્રમ ઊભો કરવામાં આવ્યો તે કદાચ આ જ ‘ભીમ’ને હાથે. ભીમ ‘હારમાલા’માં બીજા સંન્યાસીઓ જેવો સંન્યાસી ન હોતાં રામભક્ત તરીકે ભાગ ભજવે છે. ભીમના મુખમાં પ્રથમનાં ૧૩ પદોમાં નરસિંહ અને ભીમની વચ્ચે ટપાટપી યોજાઈ છે, આમાંનું ૧૦મું પદ તે આ ઉપરનું પદ છે. પછી વચ્ચે અન્ય સંન્યાસીઓની સાથેના વાદ પછી ૩૦મા પદમાં ફરી ભીમ આવે છે,૩૪ બહારનાં અને માંડલિકના દરબારમાંના વાદનાં થઈ ભીમની છાપનાં ૧૧ પદ જોવા મળે છે. ૩૦ મા પદમાં ભીમ ‘વૈરાગ્ય’નું સમર્થન કરે છે, જેનો નરસિંહ મહેતાના મુખમાં પ્રતિકાર જોવા મળે છે. હકીકતે નરસિંહ મહેતાના અવસાન પછી ભીમને હાથે ‘હારમાલા’ની સંકલના થવાની શક્યતાને આનાથી બળ મળે છે. અહીં જૂની પ્રતોમાં ભીમની છાપનાં બીજાં પણ નાનાં ત્રણેક પદ–એક ગણપતિનાં સ્તવનનું, બીજું સરસ્વતીને નમન કરવાનું, અને ત્રીજું ‘રાઘવ–રામ’ના સ્તવનનું.૩૫ મળે છે એ પણ આ ભીમનાં હોઈ શકે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કર્મણ મંત્રી [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કર્મણ મંત્રી એનાં ‘સીતાહરણ’૩૭ કિંવા ‘રામાયણ’ કે ‘રામકથા’ના અંતભાગના ‘સંવત પનર છવ્વીસઇ સીતાહરણ વિચાર, કર જોડી કર્મણ તવઇ અહ્યહ ગિરાઆધાર’થી૩૮ લખેલ છે એ પરથી સમજાય છે. કે એ ઈ. ૧૪૭૦ (સં. ૧૫૨૬)માં હયાત હશે.&lt;br /&gt;
એણે પોતાના એક કાવ્યમાં પોતાને માટે ‘મંત્રી’ વિશેષણ આપ્યું હોઈ એ કોઈક રાજ્યનો કારભારી કોટિનો પુરુષ હોય. એક મહત્ત્વની વસ્તુ એ પણ જાણવા મળે છે કે વિ.સં. ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)માં રચાયેલા પદ્મનાભના ‘કાન્હડદે-પ્રબંધ’માંની પંક્તિઓ ‘સીતાહરણ’ની કેટલીક પંક્તિઓ સાથે મળતાપણું ધરાવે છે૩૯ અને પ્રસંગ પણ એકસરખા વર્ણિત થયા જોવા મળે છે, તેથી એ બંને કવિઓનો નિકટતાનો સંબંધ પણ હોય. આ રીતે પદ્મનાભ વીરસિંહ અને કર્મણ કદાચ એક જ પ્રદેશના પણ હોઈ શકે. ‘કાન્હડદે-પ્રબંધ’ પશ્ચિમ મારવાડમાંના જોધપુર નજીકના જાલોરમાં રચાયેલો છે.૪૦ વીરસિંહ અને કર્મણ પણ ત્યાંના કે નિકટના પ્રદેશના હોય. નામ ઉપરથી કદાચ એ વણિક મેશ્રી હોઈ શકે. કવિ તરીકે કર્મણમાં કાંઈ વિશેષ મળતું નથી. રામાયણનું વસ્તુ લઈ હકીકતને રામકથા સરળ ભાષામાં પદબદ્ધ કરવાનો એનો માત્ર પ્રયત્ન છે. આ આખ્યાનમાં ‘પવાડુ’ મથાળે ચાલુ સવૈયાની દેશી ઉપરાંત ‘દોહા-ચોપાઈ’ છંદોના ઢાળ, અને એક માત્ર ‘છપ્પય’ પણ પ્રયોજેલ છે. ૪૯૫ કડીઓની આ રચનામાં એક ‘સપનગીત’૪૧અને ચાર ‘ધૂલ’૪૨ પણ આપ્યાં છે. આ ગીત ‘સવૈયાની દેશી’માં છે અને એમાં એણે નરસિંહ મહેતાના પ્રકારની પોતાની છાપ આપી છે. ‘સપનગીત’ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|6em}}રાગ ભુપાલી&lt;br /&gt;
‘એક અચરજ સહી! આ ભણૂં બોલઇ ત્રિજટા બહિન,&lt;br /&gt;
રામ લક્ષ્મણ બિહૂ જાણૂં લંકા આવ્યા વાનર-સેનિ.&lt;br /&gt;
મઇ લાધૂં સપનું, સખી! -ધ્રુવપદ&lt;br /&gt;
બાંધી પાજ નીરિ તિહાં નિશ્ચલ; સાથિ હનમત ભીંછ:&lt;br /&gt;
વિકટરૂપ દીસઇ વાનરા; રૌદ્ર ઘણા માંહિ રીંછ. મંઇ૰&lt;br /&gt;
&lt;br /&gt;
માતા સીતા! જાણૂં વાનર ત્રિકૂટિ ગઢિ ચડિયા,&lt;br /&gt;
સવા લાખ સુત, રાવણુ રાણુ, કુંભકર્ણ રણિ પડિયા. મંઇ૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાણૂં લંક વિભીષણ દીધી, અમર કોડિ તિહાં મલિયા:&lt;br /&gt;
મંત્રી કર્મણ-ચુ સ્વામી અયોધ્યા રામ સીતા લેઈ વલિયા. મંઇ૰૪૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એણે આપેલાં ‘ધૂલ’નો, પરંપરાનો ઢાળ હરિગીતનો ન લેતાં સવૈયાની દેશીનો લીધો છે, એટલો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’માંના ‘સરસ્વતી ધઉલ’ અને નરસિંહ મહેતાની ચાતુરીઓના ઢાળથી જુદો છે.&lt;br /&gt;
ગુજરાત–સૌરાષ્ટ્રના વિસ્તૃત ભૂભાગની અને પશ્ચિમ મારવાડની તત્કાલીન સાહિત્યિક ભાષાની એકાત્મકતા હતી એ જૈન તેમજ જૈનેતર રચનાઓ આ બેઉ ભૂભાગમાં રચાયા કરી છે એનાથી સમજાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જનાર્દન ત્રવાડી [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની સાહિત્યની સેવાનો સમય વિ.સં. ૧૫૪૮(ઈ.સ. ૧૪૯૨) નિશ્ચિત છે તે જનાર્દન ત્રવાડીનું પદોના ઝૂમખારૂપે રચાયેલું ‘ઉષાહરણ’ જાણવામાં આવ્યું છે.૪૩ એણે પોતાનો આછો પરિચય પોતાનાં પદોમાં આપ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ખડાયતા વિપ્ર નીંબાસુત બોલિ, ભણઇ ત્રવાડી જનાર્દન.’૪૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અમરાવતીઇ ઉપનુ ગ્રંથ રત્નની ખાણિ.&lt;br /&gt;
સંવત પનર અડતાલ વરસ માસ દામોદર સાર,&lt;br /&gt;
ભણઇ જનાર્દન કાર્ત્તિકી એકાદશી ગુરુવાર.’૪૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અમરાવતી–ઉમરેઠમાં નીંબાના પુત્ર ત્રવાડી જનાર્દને ‘સં. ૧૫૪૮ના કાર્ત્તિક(સુદ)૧૧ ને ગુરૂવારે [ઈ. ૧૪૯૨] ઉષાહરણની રચના કરી’. ‘અમરાવતી’ એ ‘ઉમરેઠ’નું સંસ્કૃતીકરણ માત્ર છે, કારણ કે ખડાયતા બ્રાહ્મણોની વસ્તી ‘ઉમરેઠ’માં છે, નહિ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં.૪૬&lt;br /&gt;
એની મુદ્રિત વાચનામાં જુદા જુદા રાગોના મથાળે ‘કડવું’ શબ્દ મુકાયેલો છે. હકીકતે ૨૨૦ કડીઓનું આ ‘ઉષાહરણ’ કાવ્ય ૩૬ પદોમાં વહેંચાયેલું છે. બંધની દૃષ્ટિએ એ બધાં નથી શુદ્ધ પદ કે હજી નથી બન્યાં ‘કડવાં’. ‘કડવાં’એ દૃષ્ટિએ નથી બન્યાં કે આરંભમાં ધ્રુવાની કડીઓ જોવા નથી મળતી અને ‘ઢાલ’ પણ ‘ઊથલા’ અને ‘વલણ’ને માટે તો પચીસેક વર્ષ પછી નાકરની રચનાઓમાં જવું પડે છે. જનાર્દને ચોખ્ખી ૩ થી લઈ ૯ કડીઓ સુધીમાં ઝૂમખાં આપ્યાં છે, જેનું સામ્ય નરસિંહ મહેતાનાં પદો સાથે લાગે; પરંતુ નરસિંહે ચાર કે પાંચ સાદા જ બંધ પ્રયોજ્યા છે, જ્યારે જનાર્દને આઠ જેટલા બંધોનું વૈવિધ્ય સાધ્યું છે.&lt;br /&gt;
કાવ્યના વિષય તરીકે એણે ઉષા-અનિરુદ્ધનું જાણીતું વસ્તુ લીધું છે. એણે તે તે પ્રસંગને લાઘવથી, પણ રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉષાના જન્મ-સમયની વધામણીનું ચિત્ર :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘નિજ ગુરુ માગઇ વધામણી એ રા-ઘરિ બેટી પાઉધારિ.&lt;br /&gt;
રૂપિ તે ત્રિભુવનમોહની એ, લક્ષણ નઇ ગુણસાર.&lt;br /&gt;
નહીં રંભા, નહીં ઉરવસી એ, મેનકા નહીં એહ સમાન.&lt;br /&gt;
દ્વિજવરનઇ રાઇ રીઝિઉ એ, બૂઝિઉ જગ-ફલ કોડિ.&lt;br /&gt;
દેવ ગંધર્વ ને નાગ માંહી એ, જોસ્યૂં એહની જોડિ.&lt;br /&gt;
આકાશ શબ્દ ઇમ ઉચ્ચરઇ એ ઇચ્છાવર વરસિ કુમારિ.&lt;br /&gt;
જનાર્દન ભણઇ : પ્રાણિ કાંઈ નુહઇ એ, હુંનિ ન ટલઇ સંસારિ.’૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આલંકારિક દૃષ્ટિએ કવિ સિદ્ધિને વરી શકતો નથી. કદાચ તેથી જ બંધની દૃષ્ટિએ વૈવિધ્ય તરફ એણે મીટ માંડી છે. યાદવોનું સૈન્ય ચડી આવે છે ત્યારે એ ‘વસંતવિલાસ’માંના સાંકળી બંધનો આશ્રય લઈ રોચકતા લાવવા આયાસ કરે છે; જેમ કે–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઉદ્ધવ વલિયા ઉતાવલા રે, વાઉલા યાદવ યોધિ,&lt;br /&gt;
વાડી વન ઊમેલિયાં રે, મેલિયાં કરી વિરોધ.&lt;br /&gt;
ઝાલર ભેરી વાજિયાં રે, ગાજિયાં ગહિરાં નિસાણ.&lt;br /&gt;
દૃષ્ટ ચડ્યાં દલદવડ્યાં રે, કાયર પડઇ પરાણ.&lt;br /&gt;
બાણઇ બલિયા ચલાવિયા રે, અનંગિ એક ઠામિ.&lt;br /&gt;
પોલિઆ પાડિ બૂંબડી રે, ચડવડી ચઢાઉ બહાર.&lt;br /&gt;
પ્રથમ પલા તે પાડિયા રે, યાદવિ વિસમિ પ્રહારિ’ વગેરે.૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમાં પણ કોઈ કોઈ પંક્તિમાં સાંકળી આપી શકતો નથી. ક્વચિત્ વેગ સાધવા પ્રયત્ન કરે છે; જેવો કે, સ્વપ્નમાં અનિરુદ્ધને જોયા પછી ચિત્રલેખાને એ લાવી આપવા કહે છે ત્યારનો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઉષા માઝમ રાયણી જાગી રે, અંગ જવાલા લાગી રે,&lt;br /&gt;
મુહનઇ કલંગ જ લાગૂં રે, કન્યાવ્રત માહારું ભાગૂં રે.&lt;br /&gt;
સયર ભણિઃ સુણ બાઇ રે, કન્યાવ્રત કેમઇ નહીં જાઇ રે.&lt;br /&gt;
ઉષા કહઇ : મુઝ તે વરુ રે, અવર પુરુષ પિતા ગુરુ રે.&lt;br /&gt;
વર વરસ્યું એ જોખિ રે, નહિતુ પ્રાણ તજું તન સોખિ રે.&lt;br /&gt;
ઉષા, પ્રતિજ્ઞા નવિ લીજઇ રે, સહિયરનૂં તે વાર્યું કીજઇ રે.&lt;br /&gt;
સહિયર કહે : મન માણુ રે, એ વર ઘરથી જાણ્યું રે.&lt;br /&gt;
સુહણઇ તે લાખ બંધાઈ રે, તે વિહાણઇ મિથ્યા થાઈ રે.&lt;br /&gt;
જનાર્દન ભણઇ : ઉષા બોલી રે, તુહનિ રક્ષા કરઇ હિંગોલી રે.&lt;br /&gt;
તો મનિ નવિ આણે તાપ રે, ઉમા શંકર શિર માય બાપ રે.’૪૯&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હકીકતે ૨૨૦ કડીઓના આ કાવ્યમાં કવિપ્રતિભાનો ચમત્કાર તદ્દન સ્વલ્પ છે, જ્યારે બંધવૈવિધ્ય સાધી કળાનો ઓપ સાધવાનો પ્રયત્ન સવિશેષ જોવા મળે છે. એક વસ્તુ દેખાય છે કે આ રચનાને વીરસિંહના ઉષાહરણના કથાનક સાથે સામ્ય છે, પરંતુ બંને વચ્ચેનો ગાળો જોતાં રાજસ્થાનના વીરસિંહનું કાવ્ય જનાર્દનના જોવામાં આવ્યાનું શક્ય નથી. હકીકતે બંનેએ હરિવંશ અને ભાગવતના કથાનકનું અનુસરણ કર્યું છે, જેમાં વીરસિંહ કાવ્યચમત્કૃતિ સાધી આપે છે, જનાર્દન નહિ. આ સમયગાળા દરમ્યાન કવિ વાસુએ (ઈ. ૧૪૮૪-૯૪; સં. ૧૫૪૦-૫૦) સરળ રીતે ‘સગાળશા આખ્યાન’ દુહા અને ચોપાઈમાં લખ્યું છે. એમાંનાં કરુણ રસની જમાવટ કરતાં બે પદ આકર્ષક છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વીરસિંહ [૧૬મી સદી આરંભ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કડવાબદ્ધ આખ્યાનોની કેડી ભાલણે આપી ‘આખ્યાનયુગ’નું સંસ્થાપન કરી આપ્યું તે પૂર્વે પણ મહાભારત–રામાયણ–અન્ય પુરાણોમાંથી કોઈ કોઈ વસ્તુ લઈ સળંગબંધનાં આખ્યાન-પ્રકારનાં બીજ રોપનાર નરસિંહ મહેતાને બાદ કરતાં એના ઉત્તર કાલમાં થયેલા આખ્યાનો ગાનારા સાહિત્યકારોમાં વીરસિંહ (‘વરસંગ’) કદાચ જાણવામાં આવેલો પહેલો છે.૫૦ એણે લગભગ એક હજાર અર્ધ-કડીઓ(પંક્તિઓ)માં રચી આપેલું ‘ઉષાહરણ’ પ્રબંધ-કોટિનું કથાકાવ્ય છે, અને સ્વરૂપ ઉપરથી જાણે કે ‘કાન્હડદે-પ્રબંધ’ની અદલોઅદલ ધાટી ઉપર રચાયેલું હોય, કારણ કે જેમ એમાં ‘ગીતો’ આવે છે તે પ્રમાણે ‘કાન્હડદે-પ્રબંધ’ની ભટાઉલીની જેમ ગદ્ય પણ આવે છે.૫૧ વીરસિંહ વિશે એના ‘ઉષાહરણ’માં પાંચેક સ્થળે ‘વરસંગ’ની છાપ આપી છે.૫૨ એ સિવાય વિશેષ કશું જાણવામાં આવ્યું નથી. ‘ઉષાહરણ’ની એક માત્ર પાટણમાંથી મળી હોવાથી એ પાટણ કે આસપાસના વતની હોવાનું અનુમાન થઈ શકે. આ હસ્તપ્રતની લે. ઈ. ૧૫૧૩ હોવાથી વીરસિંહ ઈ. ૧૬મી સદીના આરંભ સુધી થયો હોવાનું અનુમાન થાય છે. એણે હરિવંશ અને ભાગવત પુરાણમાંથી વસ્તુ લઈ ‘ઉષાહરણ’ (હકીકતે તો ‘અનિરુદ્ધહરણ’)ની વિશદ રચના કરી આપી છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ વિચાર કરતાં શૃંગાર અને વીરરસનો એક સારો નમૂનો એની પાસેથી મળે છે. કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે, પણ કવિએ ચમત્કૃતિ આપીને એને કાવ્ય કોટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પાર્વતીની ભૂષાનું વર્ણન કરતાં જોવા મળે છે કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|7em}}કેદારુ&lt;br /&gt;
‘માથા ઊપરી મણિઝલકંતી કલાવંતઇ તિ કાલ,&lt;br /&gt;
હેમરાખડી રતન બઇઠાં એ શામાસિરિ વાલ. નિશિ૰&lt;br /&gt;
દીશિ વયણ રાતડી રસના, ઊંપરિ પંડુર નેત્ર૰&lt;br /&gt;
સહિથિઇ સીંદૂર ભરીની હંસ મોતી લગ શેત્ર. નિશિ૰&lt;br /&gt;
વાંસઇ અહિ દીસતુ દીરઘ સાહાતુ પૂછ સરેહિ,&lt;br /&gt;
ખાંતિ કરી ગૂંથુ ક્ષામોદરિ વેણિ-ગોફણુ એહ. નિશિ૰&lt;br /&gt;
સાહી વીણિ સકતિ ઇમ બોલઇ, જુ હુઇ વલગતિ નાગ,&lt;br /&gt;
તું યોગિની જાણજાલવી નિતિ હરકંઠિ વિલાગ. નિશિ૰&lt;br /&gt;
છાંડી વીણી વાલ કિયા મુકતા; અમયા એ પરિ કીધી.&lt;br /&gt;
વરસંગ ભણઇ : પ્રીતીતિ ઉપની તુ દીવડી શગ કીધી. નિશિ૰’૫૩&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાર્વતી અને દીપકની હોડ મૂકી કવિએ દીવામાં ‘શગ’ કેમ થાય છે એની કવિપ્રતિભોત્થ કલ્પના રજૂ કરી આપી છે.&lt;br /&gt;
આ કાવ્યમાં કવિએ યથાસ્થાન ગૌરીપૂજન માટે પૌરાણિક કર્મકાંડની પદ્ધતિમાં દેખાતો અને સાથે પોતાના સમયમાં પ્રચલિત એવો ક્રમ સારા સ્વરૂપમાં ચીતર્યો છેઃ કેટલાક સામાજિક વિધિ પણ આપ્યા છે. આપણને ‘કાન્હડદે-પ્રબંધ’માં મળે છે તેવાં નગર ગઢ સેના યુદ્ધ વગેરેનાં પણ આકર્ષક વર્ણન આ કાવ્યમાં જોવા મળે છે. મુખ્યત્વે એણે ‘દુહા’ અને ‘ચુપઈ’નો બંધ પસંદ કર્યો છે, આમ છતાં ભુજંગપ્રયાત વસ્તુ ગાથા પદ્ધડી સારસી એ છંદોનો પણ ઉપયોગ કરી લીધો છેઃ ચોપાઈ દાવટીનો બંધ પણ જોવા મળે છે. ખાસ ધ્યાન ખેંચે છે તે જુદા જુદા ઢાળમાં આપેલી દેશીઓનાં ગીત છે. એવું એક ગીત ઉપરનું ‘કેદારુ’ રાગનું જોયું; એ ચોપાઈ દાવટી–બંધમાં છે. સૌથી પહેલું ૮૨ મી લીટી પછી દોહાબંધનું આવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|7em}}ધવલ ધન્યાસી&lt;br /&gt;
‘સીસિઇ શંકર તુહ નમિ રે, નમિઅ નહી દિનરાત,&lt;br /&gt;
લેખૂં લાગૂં નાલિયરે, પડિ અતિ ફણાગર પત્તિ,&lt;br /&gt;
સાંભલિ શિવ દેવા, બાણાસુર બોલિ, દેવ નહિ તહ્ય તોલિ. સાંભલિ.’૫૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાલુ દુહા-બંધ ઉપર કેટલેક ઠેકાણે રાગનાં નામ લખવામાં આવ્યાં છે. સંભવ છે કે કવિ તરફથી ભિન્ન ભિન્ન રાગોમાં તે તે પંક્તિઓ ગાવાની હશે એ દૃષ્ટિએ એ મૂકવામાં આવ્યા હોય.&lt;br /&gt;
વીરસિંહે ‘કાન્હડદે-પ્રબંધ’ જોયો લાગે છે, કારણ કે કેટલાંક વર્ણનોમાં સામ્ય અનુભવાય છે. વીરસિંહ આગળ વધી એમાં વૈવિધ્ય પણ સાધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|5em}}ધુલ રાગ દેશાખ&lt;br /&gt;
&lt;br /&gt;
‘ઇમ બોલઇ રષિમિણિ જોડી બે હાથ એ&lt;br /&gt;
નાથ ન ચેતું એ અહ્મતણોઈ, દૂરિ દાવાનલ દેખું એ દેવ એ, ૭૬૦&lt;br /&gt;
જલતું એ પાઇતલિ પેખું નહિ એ.&lt;br /&gt;
પેખું નહિ પર ન્યાતિ સખિ પડ્યા, ઘર અનુધ્યાન,&lt;br /&gt;
સુણિ વીનતિ અમ્હ દેવ તું બ્રહ્મમંડણ દેવ એ :&lt;br /&gt;
તું સૃષ્ટિ સવિ આધાર, જાનન જન આસાર.&lt;br /&gt;
પહિરિયાં પીલાં ચીર, નવિ લાજ આણિ આહીર.&lt;br /&gt;
સખિ સમુક યાદવ, પછી સુત સાહું લાસ, ૭૬૫&lt;br /&gt;
વર ચાહતાં ખટ માસ, વલી આજ પુહતી આસ.&lt;br /&gt;
વલી આજ પુહતી આસ સ્વામી પ્રી પરજાવ્યાં પ્રિથિવીણી.&lt;br /&gt;
સાર કરિ–ને સ્વામી શ્રીરંગધરા ઈમ બોલઈ રાણી રુષિમણી.૫૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
‘ભરતેશ્વર-બાહુબલિ રાસ’ (ઈ. ૧૧૮૫) માંના ‘સરસ્વતીધઉલ’નો આ ઢાળ છે. અંતે બોલીનો જે પ્રકાર એણે પ્રયોજ્યો છે તે માણિકચંદ્રસૂરિના ‘પૃથ્વીચંદ્રચરિત’-ના પ્રાસવાળા વાક્યખંડોના પ્રકારનો છે. પદ્મનાભના ‘કાન્હડદે-પ્રબંધ’ની ‘ભટાઉલિ’નું ગદ્ય સારું છે તો વીરસિંહનું આ ગદ્ય એની પ્રાસાત્મક વાક્યરચનાથી જુદું પડે છે :૫૬&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘આઠમઇ અવતારિ, કંસ માલાખાડિ મારી,&lt;br /&gt;
બલિ તણુ બાણ મનાવય હારિ, યાદવવંશ વધારિ, સોલસહસ્ર નારી,&lt;br /&gt;
વરસિંગ ભણઇ દ્વાપરયુગ મઝારિ’.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રાપ્ત એવો પહેલો સળંગબંધના આખ્યાનનો રચયિતા વીરસિંહ ઉષા-અનિરુદ્ધનું પૌરાણિક કથાનક, પૂર્વના પ્રચલિત કાવ્યબંધનું ગદ્ય સમેત વૈવિધ્ય સાધી, આપે છે એ રીતે નોંધપાત્ર બની રહે છે. એના નામ ઉપરથી એ રાજપૂત હશે; એણે પોતાના કાવ્યમાં છત્રીસ-કુળી રાજપૂતોની યાદી આપી છે૫૭ તેથી એવું માનવા મન થાય, પરંતુ સાહિત્યકાર તરીકે તો એ યુગનું એક સારું ગુજરાતી આખ્યાનકાવ્ય એ અર્પી જાય છે, એ રીતે એનું મૂલ્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માંડણ બંધારો [ઈ. ૧૬મી સદી આરંભ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પદ્મનાભ વીરસિંહ અને કર્મણમંત્રીનો સમકાલીન માત્ર નહિ, એ જ પશ્ચિમ મારવાડનો કહી શકાય તેવો સાહિત્યકાર માંડણ બંધારો માલૂમ પડી આવ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શીરોહી સારણ સાનિધિ કરી કથા આવી મનશિધિ.&lt;br /&gt;
આવ્યો કુલે બંધારા તણઇ, લીધુ જનમ કૃત આપણઇં. ૧૨&lt;br /&gt;
&lt;br /&gt;
માતા મેધૂ-ઉદરિ નિવાસ, વૈષ્ણવ ભક્ત સવ્હૂંનું દાસ,&lt;br /&gt;
...સત્યઇં કૂડઇ મિશિ માંડણ મુખિ હરિનાંમ આવશિ.૧૩.૫૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રીતે પશ્ચિમ મારવાડના, આબુની ઉત્તરે આવેલા શિરોહીનો રહેવાસી અને બંધારા જ્ઞાતિનો સમજાય છે. એની માતાનું નામ ‘મેઘૂ’ અને એના ‘હનુમંતાખ્યાન’માં જણાવ્યા પ્રમાણે એના પિતાનું નામ હરિ હતું.’૫૯ અંબાલાલ બુ. જાનીએ ‘શિરોહી’ને ‘ઊના–શિહોર’ ગણી૬૦ કવિ સૌરાષ્ટ્રનો હોવાનો મત આપ્યો છે, પણ એ રીતે ‘શિહોર’ કહેવું હોય તો ગોહિલવાડનું સુપ્રસિદ્ધ ‘શિહોર&#039; શા માટે ન લેવાય? પરંતુ ‘શિરોહી&#039; એવો ઉલ્લેખ થયેલો હોઈ જોડણી-દોષ જોવાની જરૂર નથી. પદ્મનાભ વીરસિંહ અને કર્મણ મંત્રી પશ્ચિમ મારવાડમાં રચનાઓ કરતા મળે જ છે. કહેવાની જરૂર નથી કે આજે પણ શિરોહીનો જેમાં સમાવેશ છે તેવા ભિન્નમાળ–શ્રીમાળના પ્રદેશની બોલી ગુજરાતીને મળતી છે. સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યોના પુનર્ઘટન સમયે આબુ અને શિરોહીનો પ્રદેશ થોડાં વર્ષ ઉપર રાજસ્થાનને સોંપાયો તે પૂર્વે ગુજરાતનો જ ભાગ હતો.&lt;br /&gt;
આ કવિની ‘પ્રબોધબત્રીસી&#039; મુદ્રિત કૃતિ ઉપરાંત ‘રામાયણ’, ‘રુક્માંગદ કથા’ અને ‘પાંડવવિષ્ટિ&#039; એ ત્રણે અપ્રસિદ્ધ કૃતિ પણ જાણવામાં આવી છે.૬૧ ‘હનુમંતાખ્યાન’ રામાયણના જ પ્રથમના ૩૦ ખંડોમાં આવી જાય છે.&lt;br /&gt;
‘પ્રબોધબત્રીસી’ એ ૨૦-૨૦ ષટ્પદી ચોપાઈની ૩૨ વીશીઓમાં રચાયેલું જ્ઞાનમૂલક કાવ્ય છે. અખાના છપ્પાઓના સંગ્રહમાંનાં ભિન્ન ભિન્ન અંગોમાં સમાજના ચિત્રને ઉપસાવતી સાચી સમજદારીની શિખામણમૂલક જ્ઞાનગોષ્ઠી મળે છે તેવી જ આ જ્ઞાનગોષ્ઠી છે. આ પદ્ધતિની કવિતા માંડણ અને અખા સિવાય બીજા કોઈ સાહિત્યકાર પાસેથી મળી જાણી નથી. અને અખાએ પણ માંડણનું જ અનુકરણ કર્યું છે, કેટલુંક લીધું પણ છે.૬૨ નરહરિએ આ પ્રકારે વિષય-નિરૂપણ કર્યું છે, પરંતુ એ ‘ગીતા&#039;ઓના રૂપમાં.૬૩ માંડણનો સમાજનો અભ્યાસ ઉચ્ચ કોટિનો કહી શકાય એણે ‘પ્રબોધબત્રીસી&#039;માં ૪૦૦ થી ૫૦૦ જેટલી કહેવતો વણી લઈ પોતાની વાણીને માર્મિકતાથી સમૃદ્ધ કરી છે. એની પ્રત્યેક વીશી ઊંડા બોધ અને તત્ત્વજ્ઞાનથી ભરેલી છે. અખાને જે જાતનો ગુરુને માટે અનુભવ બંધાયો હતો તેનાં મૂળ માંડણમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એની પાંખડ ઉપરની ટકોર :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાખંડી ગુરુ માથઇ કર્યા, વાયી વેદ ઉવટિ સાંચર્યા.&lt;br /&gt;
ધર્મ તણી હાંણિ નવિ સર્યું : ઉપરિ અતિ ધન વાવર્યું :&lt;br /&gt;
મિથ્યાલાપિ હૌઆ સંયમી, ‘ભઇસિ કેડિ પાડી નીગમી.&#039; ૮૧&lt;br /&gt;
&lt;br /&gt;
પાખંડી પૂજા આદરી, બઇઠા મૂરત પાખલિ ફિરી.&lt;br /&gt;
કહિ કલયુગનુ જોઉ પાર, એહવા ભક્ત ગુરુ તેહ વાર.&lt;br /&gt;
‘નારિ સતી પુરુષ તિમ સતુ, ગાધિ ગૂણિ કલશીનુ પિતુ. ૮૨.૬૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જ પ્રસંગે એણે માર્મિક કહેવતોનો ખડકલો કરી વચનમાં ચોટ લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઘોડઇ ચડ્યા કોઈ નવિ કલઇ, ચડિ ગાધિ સહુ જોવા મિલઇ.’&lt;br /&gt;
જુ બઇઠા નવિ નિરખઈ કોઈ, તું ઉભા દીઠઇ શું હોઇ&#039;? ૮૩&lt;br /&gt;
‘મીચઇ આંખ, ન મીચઇ હૈઆ, ન ચલઇ કાછ, ચાલઇ ધોતીઆં&#039;.&lt;br /&gt;
‘લાઇ ભૂતી વિભૂતી ન લઇ, તન સાંકલી નઇ મન સાંકલઇ.&#039;&lt;br /&gt;
‘દાંમી ઉંટ સહિ નવિ કોઇ, એ ગાહાદિ દામંતાં જોઇ&#039;. ૮૪&lt;br /&gt;
&lt;br /&gt;
‘અંગિ રાખ, મનઇ રાખડી; બાહરિ બાંગ, માંહિ બાંગડી.&#039;&lt;br /&gt;
‘ભાલિ ચંદન, મન માંહિ ચાંદલી, માંહિ વન, અંતરિ વલી.&#039;&lt;br /&gt;
‘બે ગુડીયા સંયારા દોર, અણ દેખણી તે રાજા ચોર&#039;. ૮૫.૬૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બેશક કહેવતોનો ખડકલો થતાં રચના કર્કશ થઈ પડે છે. આમ છતાં ‘લોકોક્તિ&#039;ના રૂપમાં એ કહેવતો નવી પણ ઊભી કરેલી હોઈ કવિની શક્તિનો પણ પરિચય આપે છે. એણે કહેવતોનો કોશ જ કરી આપ્યો છે, જે અખાને એના છપ્પાઓમાં કામ લાગ્યો છે.&lt;br /&gt;
‘રામાયણ’ ૭૦-૭૦, ૭૫-૭૫ કડીઓના ખંડ પાડતું ૭૦ ખંડોનું આખ્યાનકાવ્ય છે.૬૬ એણે શુદ્ધ ચોપાઈ–બંધ સ્વીકારી ખંડના અંતભાગે પૂર્વછાયુ આપેલ છે, જે પ્રકાર ભીમના ‘પ્રબોધપ્રકાશ&#039; (અનુવાદ) માં તેમજ પછીના અન્ય આખ્યાનકારોનાં સળંગ બંધનાં આખ્યાનોમાં પણ મળે છે. રામાયણના જાણીતા કથાનકમાં એણે કોઈ વિશિષ્ટ પ્રદાન નથી કર્યું, આમ છતાં એની પાસે કહેવાની હથોટી છે. રામના વનવાસમાં ભરત મળવા જાય છે એ પ્રસંગે જોઈએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘બિસારી સવિ લોકપ્રધાન, એ તું અહ્મ નઇ દ્યુ સવિ માંન.&lt;br /&gt;
જાશૂં યિહાં રામ લક્ષમણા, વાલી લાવિસુ ભ્રાત્રિ આપણા. ૯૬&lt;br /&gt;
&lt;br /&gt;
સહુઇ રાજા લોક સજ થાઇ, સાથંઇ અંતેઉરિ સવિ જાઇ.&lt;br /&gt;
સર્વ અયોધ્યાનાં યે લોક, સાથિ ચાલ્યા ટાલણ શોક. ૯૭&lt;br /&gt;
&lt;br /&gt;
લીધૂં શેન સંઘાતઇ ઘણૂં, જાઉં રામ છતા યિહાં સૂણૂં,&lt;br /&gt;
લીધી કેડી, ગહન બહુ ગમ્યાં, ત્રણ જણાં યિહાં વીસમ્યાં. ૯૮&lt;br /&gt;
&lt;br /&gt;
યે યે ભૂમિ રામ રહ્યા જાણિ, કરઈ પ્રમાંણ શીસ નવિ કાંણિ.&lt;br /&gt;
તેણી ભોમિં લોટઇ શર નમી, તું આઘુ ચાલઇ અવની. ૯૯&lt;br /&gt;
&lt;br /&gt;
ચિત્રકોટિ જાંણ્યાં ત્યાંહા છતાં, મેહેલ્યુ રથ યોજના છતાં,&lt;br /&gt;
પાલુ પલઇ ભક્તિ મનિ ષરી, અંતરિ રામચરણ શર ધરી. ૧૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
લક્ષ્મણ અવની દ્રમદ્રમકાર, ચાલ્યુ આવ કોઈ દલ ભાર.&lt;br /&gt;
સહી એ ભરથ પાણિ વનિ ગણી, ખારી રાજ નિકંટક મણી. ૧૦૧&lt;br /&gt;
&lt;br /&gt;
નવ બાંણ સાધી રુહુ સ્વામિ, ચાલ્યુ આવઇ શત્રુ વિરાંમિ.&lt;br /&gt;
વાસ્યુ રામઇ બાંધવ આપણુ, એ હઇ દશરથ રાજા તણુ. ૧૦૨&lt;br /&gt;
&lt;br /&gt;
જાણ્યુ ભરત આવતુ રાંમિ, બિઠા વ્રખ તલઇ વિશ્રાંતિ.&lt;br /&gt;
મેહેલી મઢી બાહરિ આવીઆ, લઘુ બાંધવ આવત પેષીઆ. ૧૦૩ ૬૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પછી ભરતની સરલતા સરળ શબ્દોમાં નિરૂપવામાં આવી છે. કાવ્યગત ચમત્કૃતિ આમાં નથી, પરંતુ લોકચિત્ર આમાં સાહજિક રીતે સુલભ છે.&lt;br /&gt;
‘રુક્માંગદકથા’ પણ રામાયણના કાવ્યબંધવાળું જ આખ્યાન છે.૬૮ એમાં પણ નિરાડંબર કથનપદ્ધતિ જ જોવા મળે છે. ‘પાંડવવિષ્ટિ&#039; (તૂટક)૬૯ પણ આ પ્રકારનું સરળ નિરાડંબર આખ્યાન છે અને કોઈ વિશિષ્ટ શક્તિનો પરિચય આપતું નથી.‘પૂર્વછાયુ’ વાળી ચોપાઈના એકમથી રચાયેલાં આખ્યાનોનો, કહેવો હોય તો, માંડણને પુરસ્કારક કહી શકાય. એનું ‘સતભામાનું રૂસણું&#039; જોવા મળ્યું નથી,૭૦ પરંતુ માંડણે પદો લખ્યાં હોય એવું પણ જોવા મળે છે.૭૧ આશ્ચર્ય એ છે કે નરસિંહ મહેતાનાં પદોમાં મરાઠી ભાષાની અસર જોવા મળે છે તેવી અસર ‘માંડણ’ની છાપનાં પદોમાં પણ જોવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|6em}}રાગ મહ્લાર&lt;br /&gt;
&lt;br /&gt;
‘સાગર બોલિ, સાંભલિ નામા તૂં ગુણ–પાર ન જાણૂં રે.&lt;br /&gt;
આણુ કવણ ઓપમા?&lt;br /&gt;
યે ઉપગાર તિ કીઉલા અહ્મચિ,&lt;br /&gt;
કેતા કરૂં અવષાંણૂં કે જાણૂં ન પાર તુહ્મ. -ડુઢિ.&lt;br /&gt;
જેહચા પાઉ શેવિં સુરપતિ શીતાપતિ શ્રીરાંમો,&lt;br /&gt;
તે અહ્મ સાંહાંમા કીઉલા મુરારિ, ધન ધન તુઝા નામો. ૧&lt;br /&gt;
&lt;br /&gt;
નાઇં તિ અહ્મચિં ગુણ કીઉલા નામાં શીપ વિચારુ રે.&lt;br /&gt;
કારણિ અવતારો.&lt;br /&gt;
માઝિ મુગતાફલ ઉપવલિ રયીયલિ બહુ હારો, ચડાવીલિ ભૂપાલો. ૨&lt;br /&gt;
&lt;br /&gt;
સોઇ દ્વારકાં શશિહર સોહિ મોહિ સૈઅલ સંસારો.&lt;br /&gt;
ફેરી દેઉલ અહ્મ સંનિધિ કેઉલા મંડણચા દાતારો. ૩’૭૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માંડણ દ્વારકાની યાત્રાએ ગયો હોય તે સમયે ઉપરનું પદ રચ્યું હશે. એ આ પછીના પદથી કહી શકાય :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; બીજું નામ ‘એકાદશી મહિમા&#039;. આ કૃતિની લે.ઈ. ૧૫૧૮ મળતી હોવાથી માંડણ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયો હોવાનું અનુમાન થઈ શકે [જુઓઃ ગુજરાતી સાહિત્યકોશ:૧]&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અહ્મો આઇલા રે હરિ ઉષામંડલ ભણી જૂ ઘણી સાંભળી રૌરચિ વાત.&lt;br /&gt;
અહ્મા કીધલિ રે હરિ તીર્થ દ્વારાવતી દુર્મતિ મેલીઆં કર્મ કોટી.&lt;br /&gt;
સારીલિ રે હરિ ગોમતી –મજ્જન વ્રજ ન વાધતાં મેર મોટી. અહ્મો૰&lt;br /&gt;
અહ્મો પેષી લઇ રે હરિ મૂરતિ તાહરી, સાંભરી ઉદર માત પીડ.&lt;br /&gt;
નમીલિ રે હરિ શીસ સાંમલ–વ્રન જ મન તાપીલિ તન ભીડ. અહ્મો૰&lt;br /&gt;
અહ્મો વિઠલા રે હરિ ધર્મ-શભાસનિ, વાસ ન વછુંણિ સ્વર્ગ સ્વામી.&lt;br /&gt;
લીધલિ મંડણ ચરણ-શરણાધાર, સંસારવેદના વિવિધ વામી. અહ્મો૰&#039;૭૩&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપરનાં પદોમાંનું બીજું પદ તો સ્પષ્ટ રીતે ‘ઝૂલણા&#039;ના ઢાળનું છે અને નરસિંહ મહેતાના ઝૂલણાનાં પદોમાં જેમ નામદેવના અભંગોના ઢાળનું અનુકરણ સુલભ છે તે પ્રમાણે આ પદમાં પણ સુલભ છે. ‘કીઉલા’ વગેરે રૂપોનો પ્રયોગ અને ‘વિઠ્ઠલ’ શબ્દનો પ્રયોગ પણ એની શાખ પૂરે છે. ‘પેથડરાસ&#039; જેવી જૈન રાસરચનામાં પણ આ પ્રકારનાં ભૂતકૃદંતોનો પ્રયોગ અજાણ્યો નથી.૭૪ ‘પ્રબોધબત્રીસી&#039;માં ‘બહુ તીરથ મઇ જોયો હરી&#039; વગેરેથી માંડણે યાત્રાઓ ઠીક ઠીક કરી હોવાનું સમજાય છે. શ્રીવલ્લભાચાર્ય ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવ્યા એ પૂર્વે દક્ષિણી વારકરી સંતોનો અને એમના અભંગ–સાહિત્યનો પરિચય આ રીતે કહી શકાય એમ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;શ્રીધર અડાલજો [ઈ. ૧૬મી સદી આરંભે હયાત]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાલણનો સમકાલીન કહી શકાય તેવો આખ્યાનપ્રકારને ખેડનારો એક શ્રીધર અડાલજો મોઢ જૂનાગઢ (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૫૬૫ (ઈ.સ. ૧૫૦૯)માં હયાત હતો એવું એના ‘રાવણ-મંદોદરી સંવાદ&#039; નામના સંવાદ–કાવ્યના અંતભાગથી જાણવામાં આવ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પનર પાંસઠઇ જીરણ-દુર્ગ નિવાસ,&lt;br /&gt;
પૂરણ ચ્ચારી ચોપઈ બિસઇ બાંધી બુદ્ધિપ્રકાસિ. ૨.&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;****&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
સોય મંત્રી સહમા-સુતન કવિતા શીધર નામ,&lt;br /&gt;
ઉતપતિ મોઢ અડાલજા, તસ ભૂઠા શ્રીરામ. ૫.’૭૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના પિતાનું નામ ‘સહમો&#039; હતું અને એ ‘મંત્રી&#039; હતો. અર્થાત્ જૂનાગઢમાં માંડલિકનું રાજ્ય વિ. સં. ૧૫૨૯ (ઈ. ૧૪૭૩) માં ખતમ થયું ત્યારે એ રાજ્યમાં મંત્રી–પદે હોય અથવા મુસ્લિમ સૂબો સત્તા ઉપર આવતાં એ અડાલજ કે અમદાવાદથી સૂબાના મંત્રી તરીકે આવ્યો હોય. શ્રીધર અડાલજો મોઢ હોઈ જૂનાગઢનો જૂનો વતની તો નહિ જ હોય.&lt;br /&gt;
એની પ્રાપ્ત રચનાઓમાં ‘રાવણ-મંદોદરી સંવાદ&#039; રામચંદ્રજી સાથેના રાવણના વિગ્રહમાંથી રાવણને દૂર રહેવા માટેની મંદોદરીની દલીલોને લગતું સંવાદકાવ્ય છે. એ આ સંવાદકાવ્યમાં પોતાને ‘કવિતા&#039; (सं. कवयिता) અને ‘કવિ&#039; કહે છે.&lt;br /&gt;
આ સંવાદકાવ્ય જોતાં એનું એ વિશેષણ સાર્થક કહી શકાય એમ છે. માંડણે ‘પ્રબોધબત્રીસી&#039;માં જેમ કહેવતો જૂની અને નવી ભરી આપી છે તે પ્રમાણે શ્રીધરે પણ આ સંવાદકાવ્યમાં ભરી આપી છે. એ પોતે પણ ‘ઉખાણાનું’ પ્રયોજન કહે પણ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘મઇં ઉખાણા અતિઘણા કીધા કવિત મઝારિ.&lt;br /&gt;
કાપડિ ભરતાં કાપડી વરઇ નવેણી વારિ.’૭૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને કાવ્યનો ઉઠાવ કરતાં પણ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘રઢિ રાવણ, મતિ-મંદોદરી, કરિસી કવિત ઉખાણિ કરી;&lt;br /&gt;
રામકથા સોનું નઇ સરહું, સોય કવિ શ્રીધર જડસિ ખરહું&#039;.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માંડણની રચનામાં વાંચતાં કંટાળો ઊપજે છે, પણ શ્રીધર કંટાળામાંથી બચાવી લે છે.&lt;br /&gt;
સીતાના હરણના વિષયમાં રાવણ પ્રતિ મંદોદરીનું કથન :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ખરું વયણ મંદોદરી ભણિ: રાવણ, મતિ મૂંઢિ તહ્ય તણિ.&lt;br /&gt;
આગઇ અગણિત અંતેઉરી, વલી તઇ સીતા સ્યાહાનઈ હરી?&lt;br /&gt;
&lt;br /&gt;
કાશ્યપ વંશ તણી કુલ-વહૂ સુર નર પન્નગ જાણી સહૂ.&lt;br /&gt;
જો આમિષ અતિ મીઠઉં હોઇ, પીંડી તણું ન પ્રાસિ કોઇ.&#039;૭૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
રાવણ એનો જવાબ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કોઇ ન (મઝ) કહાવી મઇદાનવી, મિ રાવણ પરિ કીધી નવિ.&lt;br /&gt;
એ બેટી રાય જનક ઋષિ તણી, બ્રહ્માદિક જાણી બ્રાહ્મણી.&lt;br /&gt;
&lt;br /&gt;
ખત્રી તણી ખભેડી પડી, અન્ન ઉદક પાખિ રડવડી.&lt;br /&gt;
કાદવિ ખુતી કવલી ગાય, પૂંછડ લેવા પરઠઉ પાય.’૭૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બંનેની દલીલો એક એકને વિચારમાં નાખે તેવી કવિએ આપી છે, એમાં કવિની મુત્સદ્દીગીરીનો પણ ખ્યાલ સહજ રીતે આવે છે.&lt;br /&gt;
આખા સંવાદને અંતે મંદોદરીને ઈશ્વર અને બ્રહ્મા તરફથી રાવણ અને કુંભકરણના અવતારની હકીકત કહેવામાં આવી છે, જેનાથી મંદોદરીને રાવણના વિષયમાં જે ક્રોધ હતો–અણગમો ઊભો થયેલો તેનું નિવારણ થાય છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘રીસ નિવારૂં રાણી ભણઇ, લાગિ પાગિ પિતામહ તણઇ,&lt;br /&gt;
પ્રીઅ સરસો કીધો પ્રસંગ, વલ્યા વિધાતા વરતો રંગ.&lt;br /&gt;
&lt;br /&gt;
કંથ કપટ નઇ કામિની કલહિ અજાયુદ્ધ પરિ જાસઇ વિલહિ.&lt;br /&gt;
ધરિ ગુલ રાડિ ન પાડિ વિસલ, ચખિ દેતાં કાયા કુશલ.&#039;૭૯&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીધર કહેવતો અને રૂઢિપ્રયોગો એવી રીતે વણી લે છે કે એ કર્ણકટુ થઈ પડતાં નથી. આ રચનાને ‘શુદ્ધ આખ્યાન’ ન કહી શકાય. એણે પ્રસંગ ઉપજાવી કાઢેલો છે, બંને પાત્રો માત્ર પૌરાણિક છે. છંદની દૃષ્ટિએ માંડણની જેમ ષટ્પદી ચોપાઈ ન સ્વીકારતાં અષ્ટપદી ચોપાઈ સ્વીકારી છે.&lt;br /&gt;
આખ્યાન–કોટિનું એનું ‘ગૌરીચરિત્ર’ છે. એ એણે જૂનાગઢમાં બેસી નથી લખ્યું, પરંતુ સોમનાથ પાટણમાં રચ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગાય ઈશ્વરચરિત્ર-ગૌરી, સાંભળે સહજે કરી,&lt;br /&gt;
તેના પિંડ પાતક જઈ, પુણ્ય થાય માઘમજ્જંન સરી. ૩&lt;br /&gt;
&lt;br /&gt;
સરસ્વતી–સાયર–નીર નિર્મળ, સોમશિરે ધારા ઢળે,&lt;br /&gt;
પુણ્ય તણા પ્રભાવ વાધે, જે કો ગાય સાંભળે. ૪&lt;br /&gt;
&lt;br /&gt;
શ્રીધર–સ્વામી ચરિત્ર શિવનાં ભાવે ગાતાં સાંભળે,&lt;br /&gt;
મન–મનોરથ પૂર્ણ હોય, કૈલાસપતિ પ્રેમે મળે. ૫.’૮૦&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાગરમાં જ્યાં સરસ્વતી નદીનાં નિર્મળ જળ સોમનાથના શિર ઉપર વહે છે ત્યાં ‘ગૌરી ચરિત્ર&#039; ગાનારને ફ્ળ મળે છે એમ કહ્યાથી શ્રીધરે સોમનાથમાં બેસી આ ચરિત્ર રચ્યું હોય એમ કહી શકાય. સંભવ છે કે શ્રીધર સોમનાથમાં જઈને રહ્યો હોય. મોઢ વણિકોની વસ્તી આજે પણ સોમનાથ પાટણમાં છે એટલે એનો પ્રભાસ પાટણમાં ક્ષણિક કે કાયમી વાસ થયો હોય તો એ અસંભવિત નથી.&lt;br /&gt;
સંવાદકાવ્યોનો પ્રવાહ નરસિંહ મહેતાના ‘રાધાકૃષ્ણસંવાદ&#039; કિંવા ‘દાણલીલા&#039; અને ભાલણના ‘શિવભીલડીસંવાદ&#039; કે ‘હરસંવાદ&#039; એ કાવ્યોમાં જોવા મળે છે, તો એ જ પ્રકાર શ્રીધરના ‘રાવણમંદોદરીસંવાદ&#039;માં પણ અનુભવાય છે. પોતે એની એક વધુ રચના ‘ગૌરીચરિત્ર&#039;થી આપે છે. ૧૬ કડવાંઓમાં રચાયેલું આ કાવ્ય નરસિંહ મહેતાની ‘ચાતુરીઓ&#039;નાં નાનાં નાનાં પદોના પ્રકારના – અંદર ધ્રુવકડી અને ઢાળવાળા પ્રકારના-કાવ્યબંધમાં મળે છે, શ્રીધરે આ બધામાં જે વૈવિધ્ય સાધ્યું છે તે ઢાળની પૂર્વેની ધ્રુવ-કડીના છેલ્લા ચરણના શબ્દોના આવર્તનનું છે, જે આપણને ‘ભરતેશ્વર- બાહુબલિરાસ’નાં ‘સરસ્વતીધઉલો’ અને મોડેના ‘ધઉલ–ધૂલ&#039;નો ખ્યાલ આપે છે. નરસિંહની ‘ચાતુરી’ઓમાં જે પ્રકારની કવિપ્રતિભાનાં દર્શન થાય છે તેવા પ્રકારના ‘ગૌરીચરિત્ર&#039;માં દર્શન થતાં નથી, સાદું આખ્યાન જ બની રહે છે; જેમકે&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|6em}}કડવું ૩ જું – રાગ ચાલતો&lt;br /&gt;
‘રૂપ તે લીધેલું રે, ભીલીનું ભવાની રે, નાની તે થઈ રે વરસ નવ સાતની એ.૧&lt;br /&gt;
શિવજી જ્યાં બેઠા રે, સમાધિ ધરીને રે, ત્યાં આગળ ભીલડીએ રાગ અલાપિયો રે. ૨&lt;br /&gt;
{{gap|8em}}ઢાળ&lt;br /&gt;
રાગ અલાપિયો ટોડી ગતનો, મલ્હાર ગાયો મન ધરી.&lt;br /&gt;
સાતમી શરતે નૃત્ય માંડ્યું, ભાવ ભૈરવનો કરી. ૩&lt;br /&gt;
&lt;br /&gt;
મન ધરી મેરુ સમાન માયા, પાન પેહેર્યાં વન તણાં,&lt;br /&gt;
મોરંગ મસ્તકે વેણ વાંકી, શ્રવણ ટોડર સોહામણાં. ૪&lt;br /&gt;
&lt;br /&gt;
સોહામણી ડિલ તણી ચોળી, ગળે ગુંજા-હાર રે.&lt;br /&gt;
ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે. ૫&lt;br /&gt;
&lt;br /&gt;
હર ધરી હૈયે હશી ગાયે, ચક્ષ ચાલ કરે ઘણું :&lt;br /&gt;
મન્મથ જમલો આણી રાખી, રૂપ રચ્યું ભીલી તણું. ૬.’૮૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કડવાને અંતે ‘વલણ&#039; કે ‘ઊથલો&#039; શબ્દ લખ્યો નથી, પરંતુ એ પ્રકારના આવર્તનવાળી એક–બે કડી આપી કડવાનું સમાપન સાધી લેવામાં આવ્યું છે, જેનો પૂરો વિકાસ તો નાકરનાં આખ્યાનોમાં મળે છે. શ્રીધરે એવા વલણના છેલ્લા ચરણમાં કડવાના આરંભના ચરણનું આવર્તન લીધું છે, એ જુદો પ્રકાર છે. કવિતાની દૃષ્ટિએ આ કાવ્યમાં શ્રીધર કાંઈ વિશેષ અર્પી શકતો નથી, સાદો સંવાદ જ આપે છે. બેશક, એની પાસે શબ્દસમૃદ્ધિ સારી છે, જેના બળ ઉપર એ શ્રવણરમ્ય નાનું આખ્યાન સિદ્ધ કરી આપે છે અને ‘સંવાદકાવ્ય’ લેખે એ ગુજરાતી કાવ્યોમાં સ્થાન સાચવી શકે એવું પ્રદાન તો અવશ્ય કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કીકુ વસહી [ઈ. ૧૬મી મધ્યભાગ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સળંગ બંધમાં ભગવાન શ્રીકૃષ્ણની બાલલીલા ગાનારો આખ્યાનકાર કીકુ વસહી દક્ષિણ ગુજરાતમાં થયેલો જાણવામાં આવ્યો છે. એના ‘બાલચરિત&#039; નામના આખ્યાનને અંતે એણે પોતાનો પરિચય ઠીક ઠીક આપ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘આદિ ઉતપતિ કવિ તણી નયર અનાઉલિ ઠાંમ.&lt;br /&gt;
ઋષિ અજાચી સર્જિયા, થિર થાપ્યા શ્રીરામ. ૬૨૩&lt;br /&gt;
&lt;br /&gt;
ઉત્તમ કુલ ઉદીચનૂં, વિશ્વંભર વર દીધ.&lt;br /&gt;
કર આપુ, કરસણ કરૂં, દેવિ દાતા કીધ. ૬૫૪&lt;br /&gt;
&lt;br /&gt;
ગણદેવી ગણ નયરનું નરહરિ નામિં નામ.&lt;br /&gt;
વાડિવ-વંશિ અવતર્યું, વિશ વાશિ તીણી ઠામિ. ૬૨૫&lt;br /&gt;
&lt;br /&gt;
વસહી ગોદા-સંભઅ, કહિ કીકુ કર જોડિ,&lt;br /&gt;
બાલચરિત્ર નરહરિ સુણી ભવભવબંધન છોડી.’ ૬૨૬’ ૮૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આનો આશય એ છે કે ઉત્તરમાંથી આવેલા બ્રાહ્મણો ‘અનાવલા&#039; ગામમાં આવ્યા અને ત્યાં અયાચક વૃત્તિ ધારણ કરી કૃષિનો ધંધો કરતા હતા. એવું એક કુલ ગણદેવીમાં જઈને રહ્યું, તેમાં નરહરિ નામના ‘વસહી’ અવટંકના બ્રાહ્મણને ત્યાં ‘ગોદા’ (સંભવતઃ ‘ગોદાવરી&#039; માતા)ની કૂખે કીકુનો જન્મ થયો હતો, જેણે ‘બાલચરિત્ર’ બનાવ્યું. ઐતિહાસિક દૃષ્ટિએ વિચારતાં અહીં એને હાથે એક મહત્ત્વનો ખુલાસો મળી જાય છે કે ‘ઉદીચ’નું ઉત્તમ કુલ એટલે કે ઔદીચ્ય બ્રાહ્મણનું કુલ ‘અનાવળા&#039;માં આવી રહ્યું હતું તેઓમાં જે ‘વસહી&#039; (આજનું ‘વશી&#039;) કુટુંબ હતું તેમાં કીકુ જન્મ્યો હતો, અર્થાત્ ‘અનાવળા&#039; બ્રાહ્મણો ‘અનાવળા&#039; (સં. अन्नपद्रक – प्रा.-अन्नउल्लअ-) ગામ પરથી પ્રથિત થયા, જે મૂળમાં ‘ઉદીચી&#039; દિશામાંથી આવેલા-સંભવતઃ ‘ઔદીચ્ય&#039; બ્રાહ્મણ હતા.&lt;br /&gt;
‘બાલચરિત્ર&#039; ૬૩૦ કડીઓનું દોહા અને ચોપાઈમાં રચાયેલું સળંગ બંધનું આખ્યાન પ્રકારનું કાવ્ય છે. એ પોતાને ‘કવિ’ કહે છે અને મધ્યકાલીન ગુજરાતી કવિઓની સાથે મુલવણી કરતાં એ થોડેક અંશે કવિતાને રોચક બનાવવા સમર્થ થાય છે ખરો. શ્રી કૃષ્ણના યમુનાના ધરામાં ઝંપાપાત પછીનું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સુણી વાત માતા દડવડી રુદન કરિ, ચાલિ અડવડી,&lt;br /&gt;
નંદ ગોપ મનિ વિહવલ થાઈ, નયરલોક–શૂં યમુના જાઇ. ૨૫૫&lt;br /&gt;
&lt;br /&gt;
ગોકુલ સકલ સુણી ખલભલ્યૂં, નંદ કેડિ સવિ આવિ ભિલ્યૂં.&lt;br /&gt;
ગોપનારિ સહૂ સાથે જાઇ, હરિવિલાપ યશોદા માય. ૨૫૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; ‘બાલચરિત&#039; કે ‘કૃષ્ણચરિત&#039; નામના એના કાવ્યની નકલ (લે.ઈ.) ૧૫૪૪ આસપાસ થઈ હોવાથી કવિ એ સમય સુધીમાં થયો હોવાનું અનુમાન કરી શકાય છે.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કહિ માતા મહીધરનિ કાજ, કરૂં પ્રાણ સવિ માહરા ત્યાજ્ય.&lt;br /&gt;
ઝંપાવાનિ આઘી થાઇ, અવર નારિ સહૂ બાંહિ સાહિ. ૨૫૭&lt;br /&gt;
&lt;br /&gt;
નંદ નિસાસા મૂકિ ઘણા, ઘસિ હાથ હઈઇ આપણા.&lt;br /&gt;
દુ:ખ કહિનિ કહ્યૂં ન જાય, પુત્રવિયોગ નહી સહિવાય. ૨૫૮.&#039; ૮૩&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પરંતુ પ્રેમાનંદની પ્રતિભા એની પાસે નથી, એ કાવ્યચમત્કૃતિ, રસાપેક્ષી લાવી શકતો નથી, સાદાં ચિત્ર ઊભાં કરે છે. ગુણ એક જ છે અને એ એણે નકામું લંબાણ ન કરતાં ભાગવતાનુસાર કથાનક સાચવી આપ્યું છે એ.&lt;br /&gt;
એનું બીજું કાવ્ય ‘અંગદવિષ્ટિ&#039; છે.’૮૪ સાઠ છપ્પાઓમાં સીતાને સોંપી દેવાની વિષ્ટિ કરવા વાલિપુત્ર અંગદ લંકામાં રાવણના દરબારમાં ગયાનું અને ત્યાં રાવણ સાથે સંવાદ કર્યાનું આ કાવ્યમાં વર્ણન થયું છે. કાવ્યમાં પ્રયોજવામાં આવેલો ‘છપ્પય’ બંધ વાણીમાં બળ પૂરતો અનુભવી શકાય છે. આ સંવાદકાવ્યમાંના સંવાદમાં અંગદ રામનાં વખાણ કરે છે અને રાવણ રામની નિંદા કરે છે. આરંભમાં અંગદ રાવણની સભામાં પ્રવેશે છે ત્યાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અવલોક્યુ અંગદ સભા સહૂ દસશર દીઠા.&lt;br /&gt;
ઇચ્છાઇ રૂપને કરી, રૂધિ માયા તવ બિઠા.&lt;br /&gt;
તવ વાલિપુત્ર બોલિયુ સબલ પણ સમરથ ધાઇ&lt;br /&gt;
જે રાવણની મા કૌસિકી તે ભૂંડ તણી પરિ વ્યાઇ.&lt;br /&gt;
ઇણિ દૂધ વિણાસ્યા જન, રાજકાજ કાંઈ ન સરયું.&lt;br /&gt;
સુણી વચન વંનરા તણું તવ પ્રગટ રૂપ રાજા ધ૨યું. ૪.’૮૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નીચેનો બે વચ્ચેનો સંવાદ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;(અંગદ) ‘લીધી જાણે લંક, દસિ શિર તાહરાં કાપી,&lt;br /&gt;
પાછા વલસી રામ રાજ વિભીષણ આપી.&lt;br /&gt;
તવ રંડાસિ રાણીઅર, રાજ લંકાનું જાસિ;&lt;br /&gt;
ગજ રથ હય સહૂ સેન સજન-શૂં નિગ્રહ થાસિ,&lt;br /&gt;
રાવણ રાઇ સુણી વનતી ઉત્તર એક અંગદ કહ્યું.&lt;br /&gt;
જેણિ વાલ હેલાં વધ્યો, જેહની કક્ષા પર માંહિ રહ્યો. ૧૩.&lt;br /&gt;
&lt;br /&gt;
(રાવણ) મનસ્ય માત્ર એ રામ, કપ્ય ગિરિનાં સાવિજડાં,&lt;br /&gt;
કુંભકરણ જાગસિ ભક્ષ કરિસિ જ હવડાં,&lt;br /&gt;
મુઝ મુષિ કોઇ ન ઉગરિ, સહીસ તૂં સાચૂં જાણહ.&lt;br /&gt;
ચાલ્યુ રણ સાહમઉ તવ પડસિ ભંગાણહ.&lt;br /&gt;
દ્રુડઇ દિહુ દિશિ વંનરાં, તહ્યે ચપલ જાતિ જાશુ પલી.&lt;br /&gt;
વિગોસિ લક્ષમણ રામનિ જિમ લંકા નહીં આવી વલી. ૧૪&lt;br /&gt;
&lt;br /&gt;
(અંગદ) ઐહણિ હણ્યું સખાહ સબલ સંગ્રામિ જીતુ&lt;br /&gt;
ફરસરામ અતિશૂર તેજ-બલ-હીણ કીધુ.&lt;br /&gt;
સુરપનષ વિગોઈ, ખર દૂસર તે મારયા,&lt;br /&gt;
કબંધ નિ વિરાધ અશા તિહાં સંહારયા&lt;br /&gt;
સાગર જ બાંધી આવિયા, શૂં રાક્ષસ મછર જ કરિ’?&lt;br /&gt;
દશરથ-દ્વારિ તૂં રાવણ યશા દીવટિયા દીવી ધરિ. ૭.’૮૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ આ કાવ્યમાં માત્ર અંગદવિષ્ટિથી ન અટકતાં રામ-રાવણના યુદ્ધને પણ આવરી લે છે. ઈંદ્રીજતે આવી ઘોર સંહાર કર્યો એ કાંઈક તેજીલી બાનીમાં મૂર્ત કરવા કવિ પ્રયત્ન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઉતપતિ આગાશ, રહ્યુ રવિકર્ણ મધ્ય જઇ,&lt;br /&gt;
બાણવૃષ્ટિ તે કરિ આપ અદૃષ્ટિ થઈ,&lt;br /&gt;
પડ્યૂં વંનર-સૈન, અંગદિ આયુધ ભેદ્યાં.&lt;br /&gt;
સુભટ થયા સાહામુઆ તાસ તકે શર છેદ્યાં,&lt;br /&gt;
લક્ષ્મણરાય હોઈ મૂરછ અવર સેન પાડયૂં ઘણૂં,&lt;br /&gt;
રાવણ-ઘરિ દુંદુભ વાજ્યા તું હરષ્યૂં દલ રાક્ષસ તણૂં. ’૮૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્યમાં કવિએ કુંભકર્ણને યુદ્ધસમયે નિદ્રામાંથી જગાડવાનો પ્રસંગ થોડો વધુ આકર્ષક આપ્યો છે, એક ‘વીરકાવ્ય’ તરીકે રજૂ કરવાનો કવિનો પ્રયત્ન છે, જેમાં ‘છપ્પય’ છંદ એને વધુ સહાયક બની રહે છે. શામળની ‘અંગદવિષ્ટિ&#039;નાં મૂળ આટલાં જૂનાં જોઈ શકાય ખરાં.&lt;br /&gt;
કોઈ કીકુનું ‘સોઢી અને દેવડાનું ગીત&#039; ઐતિહાસિક પ્રકારનું જાણવામાં આવ્યું છે૮૮ તે કીકુ આ જ કીકુ વસહી છે કે નહિ એમ કહી શકાય એમ નથી, ગીતમાં વિશેષ પરિચય સૂચવાયો નથી. કીકુનાં કાવ્યોની નકલ વિ. સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪) જેટલા જૂના સમયની સુલભ હોઈ, એટલા જૂના સમયમાં દક્ષિણ ગુજરાતમાંથી કવિએ સાહિત્યસર્જન કર્યું છે, એ દૃષ્ટિએ પણ કીકુ નોંધપાત્ર બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;દેહલ [ઈ. ૧૭મી સદી આરંભ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મોડેથી જનતાપીએ જેમાંના વસ્તુ પોતાના ‘અભિમન્યુ આખ્યાન’માં ઉપયોગ કરી લીધાં જાણવામાં આવ્યાં છે તે ‘અભિવન-ઊઝણૂં’ (‘અભિમન્યુની વિદાય&#039;) [લે.ઈ. ૧૬૨૪] નામના ગુજરાતી ભાષામાં અભિમન્યુના વધને લગતા પહેલા માલૂમ પડેલા કાવ્યનો કર્તા કોઈ દેહલ ૧૫મી સદીના અંતભાગમાં થયો હોય એવું ધારવામાં આવ્યું છે.૮૯ હવે તો પ્રસિદ્ધ થયેલા એના ૪૦૬ કડીઓના કહી શકાય તેવા આ કાવ્યમાં ‘દેહલ ભણઇ&#039; ‘દેઅલ કહિ’૯૦ જેવા છૂટાછવાયા ઉલ્લેખ સિવાય વધુ માહિતી મળતી નથી. આ નાનું કાવ્ય ચોપાઈ–ચરણાકુળ–દોહરાની દેશીઓમાં રચાયેલું છે, જેમાં દોહરાની દેશીનું પ્રમાણ ઓછું છે, મુખ્ય પ્રવાહ ચોપાઈ–ચરણાકુલનો છે. મહાભારત–રામાયણ–પુરાણોમાંનાં ઉપાખ્યાનો અને નાનાં મોટાં કથાનકોને લોકભાષામાં ઉતારવાનો પ્રયત્ન કરનાર બધા પ્રતિભાવાન કવિઓ નહોતા, આત્મસંતોષ ખાતર અને શ્રોતાઓના મનોરંજન માટે પ્રયત્ન શરૂ થયા હતા તેવો આ પ્રયત્ન છે. જાણે કે કથાના અંતભાગ તરફ પહોંચવાની અધીરાઈ હોય એમ દેહલ ઝડપથી આગળ વધે છે, જેને કારણે જમાવવા જેવાં સ્થાન સાદા કથાનકથી આગળ કાંઈ આપી શકતાં નથી. આમ છતાં પ્રસંગોની વિશિષ્ટતાને કારણે ક્યાંક ચમકારા લાવવામાં કેટલેક અંશે શક્તિ મેળવે છે. કૃષ્ણે અહિલોચનના ગુરુ તરીકે લીધેલું બ્રાહ્મણનું રૂપ અને પેટીમાં પૂરી કરેલો એનો વિનાશઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ખભિ જનોઇ, જોસી–કરિ ટીપણૂં, બ્રાહ્મણરૂપ જ લીધૂં ઘણૂં.&lt;br /&gt;
આઘાંપાછાં જોસી ડગલાં ભરિ, મૂંહનિ તૂં ભ્રાંતિ જકહેની કરિ? ૧૫&lt;br /&gt;
&lt;br /&gt;
હાથ પગ મૂહ સરિખો વાન, હૂં જાણૂં તૂં માહરુ યજમાન.&lt;br /&gt;
જરાસિંધુ, ડાહલ શિશુપાલ, મુરુ દાણવ મારિઉ નિરધાર. ૧૬&lt;br /&gt;
&lt;br /&gt;
નરકાસુર નિરદલુ નિરવાણિ, અહિદાણવનાં કરું વખાણ.&#039;&lt;br /&gt;
‘કુહુ, માહારા ગુરુ, હરિ કેવડા?’ ‘તું સરિખા નિ જાણે તૂં જેવડા. ૧૭ &lt;br /&gt;
&lt;br /&gt;
તું સરિખુ નિ તૂં જેવડું, જાણૂં કૃષ્ણ તુઝ પ્રમાણિ ઘડ્યું.&lt;br /&gt;
તૂં માંહિ રહઇ તું માંઇ સોઇ, બાલા! પિસિ પ્રમાણૂં જોઇ.&#039; ૧૮&lt;br /&gt;
&lt;br /&gt;
પિસી દાણવ પરમાણૂં લીઇઉં, તવ નારાયણ તાલૂં દીઉં.&lt;br /&gt;
‘કાં રે માહરા ગુરુજી! તમ્યો હાંસૂ કરુ? જે જોઈઇં તે મુખિ ઉચરું. ૧૯&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ મારીને સારિસું કામ, તુમનિ દૂયારિકા સારિખું આપિસું ઠામ.&lt;br /&gt;
ગુરુ હુઇ તે હાસૂં નવિ કરિ.&#039; માંહિથી દાણવ મૂંઝી મરિ. ૨૦.&lt;br /&gt;
&lt;br /&gt;
‘આગિ હાસિ હિરણાખસ હણો, હાસિં દૈત્ય કોઇ નવિ ગણો.&lt;br /&gt;
હાસિં મારિઉ વન્નર વાલિ, હાસિ બલિ ચાંપિઉ પઇઆલ. ૨૧&lt;br /&gt;
&lt;br /&gt;
પૈઆલિ પિસી મારિઉ સાંખુઉ, હણિઉ જરાસિંઘ હાંસિ જૂઉ.&lt;br /&gt;
હાસિ દંત દલ્યા શિશુપાલ, હાસિ રાવણ રોલિઉ કાલ. ૨૨&lt;br /&gt;
&lt;br /&gt;
હાસિ મારિઉ મિ મામો કંસ, અવર દૈત્યનો ટાલિઉ વંસ.&lt;br /&gt;
તે હાંસું હવિ તુઝનિ કરું. કાલા મૂરિખ! તિ કમ મરું?&#039; ૨૩&lt;br /&gt;
&lt;br /&gt;
માહિ થિક બોલઇ દાણવરાય, મનમાં ચીંતવિ નવો ઉપાય :&lt;br /&gt;
‘જો તૂં કૃષ્ણ ત્રિભુવનકીનાથ, એક વાર દિઉનિ ચુરંગ બાથ! ૨૪&lt;br /&gt;
&lt;br /&gt;
‘ગુલિ મરિ તેહનિ વિષ કિમ દીજઇં? જીતૂં ફલૂં કહુ કિમ હરીઇં?&lt;br /&gt;
ઘણિ દિવસિ માહરાં સીધાં કાજ, તાહરાં જૂનાં પૂરવિજ ન મેલૂં આજ’. ૨૫&lt;br /&gt;
&lt;br /&gt;
માંહિ થિકુ દાણવ ઊછલિ, ત્રિભુવનપતિ ભાર ઊપરિ ધરિ.&lt;br /&gt;
માંહિ થિકુ જીવ થિઉ હવિ મંદ, તિહારિ પાંજરું લીધૂં કંધિ. ૨૬’૯૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ અહિલોચનનો જીવાત્મા એ પેટી દ્વારકાના રાજમહેલમાં મૂકેલી અને પટરાણીઓના આપેલા ઉત્સાહથી સુભદ્રાએ ખોલતાં સુભદ્રાના ગર્ભમાં રહ્યો અને અભિમન્યુરૂપે અવતાર પામ્યો. કવિ પ્રસંગને બહલાવી શકતો નથી.&lt;br /&gt;
અભિમન્યુ જ્યારે ચક્ર ભેદવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે એ વાત સાંભળી સુભદ્રા કલ્પાંત કરે છે એ પ્રસંગે કવિએ પ્રસંગોચિત ગીત ‘રાગ વિરાડી’માં મૂક્યું છે, જે કેટલેક અંશે કરુણરસનો ચમકારો આપી જાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘તૂં કાં વિરાંસીઉં, ધરમરાજન! માહરા ધરમના ધોરી? તૂં કાં વિરાંસીઉં?&lt;br /&gt;
વિરાંસીઉં, કૂંતાના કૂયાર! માહરા ધરમના ધોરી! તૂં કાં વિરાસીઉં? ૧૧૧&lt;br /&gt;
&lt;br /&gt;
ધરમનંદન દૂરિ વિમાસુ, મૂઢ મતિ મ લાઈ;&lt;br /&gt;
ભીમ નિ નકુલ સહિદે વરાસ્યા, બાલિ રણવટ બાંધિ. ૧૧૨&lt;br /&gt;
&lt;br /&gt;
સારંગધરં રણિ સંગ્રામ જીતા, યાદવ છપ્પન કોડિ,&lt;br /&gt;
રણવટિ તેહનિ બાંધીઇં, ‘રાયનિ સુભદ્રા દોઇ કર જોડિ.&lt;br /&gt;
&lt;br /&gt;
‘માહરા ધર્મના ધોરી, તૂં કાં વિરાંસીઉં?&#039; ૧૧૩&#039; વગેરે. ૯૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિએ આ કાવ્યમાં ઠેર ઠેર સંવાદોની યોજના કરી છે, જેને લઈ થોડીક નાટ્યોચિતતા ખડી થાય છે, અને તેથી જ વાંચવા-સાંભળવાનું દિલ થાય છે. ક્વચિત્, એ વાણીના અલંકાર પણ પ્રયોજી લે છે, પણ સ્વાભાવિક રીતે જ આવી ગયેલા. એ પણ ઉપમા રૂપક જેવા જ. કવિ કરતાં એક વાર્તાકાર તરીકે એ વધારે દીપે છે. એ મહાભારતની મૂળ કથામાં નથી તેવા ચમત્કાર પરંપરાથી જાણવામાં આવ્યા છે તે ઉમેરી કથાને મલાવે છે; જેવા કે અહિલોચનનો જીવ સુભદ્રાના ઉદરમાં પ્રવેશે છે, ગર્ભમાંના અભિમન્યુને ઉદ્દેશી શ્રીકૃષ્ણ ચક્રવ્યૂહની કથા કહે ને ગર્ભ હુંકારો આપે, મંછાપૂતળી ઊડીને કૃષ્ણને મારી નાખવાના અહિલોચનના ઈરાદાની જાણ કરે, અભિમન્યુના લગ્નની કંકોત્રી બાણથી સ્વર્ગ અને પાતાળમાં મોકલવામાં આવે, અભિમન્યુની જાન માટેનાં પકવાન ભીમ ખાઈ જતાં કૃષ્ણની કૃપાથી વાસણો ભરાઈ જાય, લગ્ન વખતે ઉત્તર અભિમન્યુની આંખો ઉત્તરાને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે, રણક્ષેત્રમાં ઉંદરનું સ્વરૂપ લઈ કૃષ્ણ અભિમન્યુના ધનુષની દોરી કાતરી ખાય, મૃત્યુ પછી અભિમન્યુ સ્વર્ગમાં અર્જુન સાથે વાત કરે, વગેરે ગણાવી શકાય. આમાં મધ્યકાલીન લોકમાનસની છાપ જોઈ શકાય છે.૯૩ જાનની સજાવટ, વિદાય, લગ્નસમારંભ ને ભોજનસામગ્રીની તૈયારી વગેરે પાછળ તત્કાલીન સમાજચિત્ર વરતાય છે; એટલા પૂરતી કવિની સફળતા છે. દેહલની આ કૃતિ પછીથી વિકસેલાં ‘અભિમન્યુ આખ્યાનો’ને ઠીક ઠીક ઉપયોગમાં આવે છે, એ રીતે પણ એ ધ્યાન ખેંચે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧ અં.બુ. જાની, હરિલીલાષોડશકલા (ઈ. ૧૯૨૮)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨ કે. કા. શાસ્ત્રી, ‘પ્રબોધપ્રકાશ’(ભીમ-કૃત) (૧૯૬૩)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. હ.લી.ષો.કલા, પૃ. ૨૧૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪ પ્રબોધપ્રકાશ પૃ. ૩૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫ એ જ, પૃ. ૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬ એ જ, પૃ. ૭૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭ હ.લી.ષો.કલા, પૃ. ૧૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮ કૌમુદી (માસિક), ૧૯૨૧, પૃ. ૨૨૨-૨૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯ હરિલીલાષોડશકલા પૃ. ૨૧૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦ એ જ ૧૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧ એ જ, ૧૭૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨ એ જ, ક. ૨-૪લ,૧૨-૨૨લ, ૯૬-૯૭લ, ૧૧૩લ, ૧૨૧ વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩ એ જ, ૫ વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪ એ જ, ૬૮-૬૯લ, ૧૦૩-૧૦૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫ એ જ, ૧૫૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬ એ જ, ૧૫૪-૧૫૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭ એ જ ૧૬૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮ એ જ, ૧૭૪-૧૮૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯ એ જ, ૧૭૮-૧૭૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦ એ જ, ૨૧૬-૨૧૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧ એ જ, ૧૦૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨ એ જ, ૧૫-૧૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩ કૃષ્ણમિશ્ર, પ્રબોધચન્દ્રોદય (નાટક, સં.), પૃ.૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪ પ્રબોધપ્રકાશ પૃ. ૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫ આમ લખવાનો એક પ્રઘાત હતો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬ આ પૂર્વે આ છંદો જૈન સાહિત્યકારોને હાથે પણ વપરાયા છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭ પ્રબોધપ્રકાશ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮ એ જ, પૃ. ૨૯-૩૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯ હ.લી. ષો. કલા પૃ. ૧૫૩: ‘રાગ-વસંત-વિરાડી ગીત&#039;માંના ધ્રુવ-પદમાં&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦ ગુ. વિ. સભા. હ. લિ. પુસ્તક નં. ૫૫૨ ડઃ ‘કવિચરિત&#039; માં પૃ. ૯૯-૧૦૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧ એ જ, અને ‘કવિચરિત&#039;, પૃ. ૯૯-૧૦૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨ કે. કા. શાસ્ત્રી, ‘હારસમેનાં પદ અને હારમાળા’ (૨ જી આવૃત્તિ), પૃ. ૩૬ (પદ, થું) વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩ એ જ, પૃ. ૪૦ (જપ્ય-નિં જિહવાં વિમલ નામ.....)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪ એ જ, પૃ. ૩૬લ ૩૭લ ૪૦ વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫ એ જ, પદ ૩૦ મું. પૃ. ૫૬. ૧૧ ૫, તે ૨,૪, ૬, ૮, ૧૦, ૧૨, ૩૦, ૩૨, ૩૪, ૩૮, ૪૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬ ગુ. વિ. સ. ભા. હ. લિ. પુસ્તક નં. ૫૫૨ ડ: માં&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭ પંદરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યમાં પૃ. ૨૪-૭૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮ એ જ, પૃ. ૨૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯ એ જ, પ્રસ્તાવના, પૃ. ૧૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦ ડા. પી. દેરાસરી, ‘કાન્હડદે-પ્રબંધ’ (૧ લી આવૃત્તિ), કડી ૩૩૮, પૃ. ૧૦૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧ પં. શ. પ્રા. ગુ. કા. પૃ. ૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨ એ જ, પૃ. ૪૫-૫૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩ ‘વડોદરા મિસેલેની’માં, અને પછી કે. હે. ધ્રુવ, પં. શ. પ્રા. ગુ. કાવ્ય. પૃ. ૭૫-૯૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૪ પં. શ. પ્રા. ગુ. કાવ્ય પૃ. ૯૫ અને ૯૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫ એ જ, પૃ. ૭૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬ કે. હ. ધ્રુવ : પાદટીપમાં દક્ષિણની ‘ઉમરાવતી’ નો સંભવ ઓછો કહી ‘અમરેલી’ની સંભાવના કરી છે. જુઓ એ જ પ્રસ્તાવના, પૃ. ૧૯ની પાદટીપ ૨૦મી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭ એ જ, પૃ. ૭૮ કડવું ૭ મું&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮ એ જ, પૃ. ૮૯ કડવું ૨૩ મું&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯ એ જ, પૃ. ૮૧- કડવું ૧૨ મું&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦ ભો. જે. સાંડેસરા, ‘ઉષાહરણ,’ (૧૯૩૮) ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક&#039; વર્ષ ૧-૨, પૃ. ૨૪૩-૩૬૨, ૪૧૦-૪૨૦, ૧૦૧-૧૦૯, ૩૧૧-૩૨૬, ૪૩૩-૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧ એ જ, પૃ. ૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨ એ જ, ૩૧૯, ૩૨૬, ૪૩૫, ૪૩૭, ૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩ એ જ, ૩૧૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪ એ જ, ૩૧૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫ એ જ, ૪૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬ એ જ, ૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭ એ જ. ૪૪૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮ શંકરપ્રસાદ છ. રાવળ, ‘પ્રબોધ-બત્રીસી’ પૃ. ૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૯ ગુજરાત વિદ્યાસભા હસ્તલિખિત પુસ્તકસંગ્રહ, નં. ૫૫૨ - બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૦ અં. બુ. જાની, ‘હરિલીલા-ષોડશકલા’ પ્રસ્તાવના, પૃ. ૯૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૧ કે. કા. શાસ્ત્રી, ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી&#039;, પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૨ કે. કા. શાસ્ત્રી, ‘કવિચરિત’ (૨ જી આવૃત્તિ,) પૃ. ૫૭૫-૫૮૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૩ એ જ, પૃ. ૫૪૩-૫૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૪ ‘પ્રબોધબત્રીસી’ પૃ. ૧૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૫ એ જ, પૃ. ૧૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૬ ગુવિ હપુસ્તક સંગ્રહ નં. ૫૫૨-બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૭ એ જ, નં. ૫૫૨-અ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૮ એ જ, નં. ૫૫૨-બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૯ એ જ, નં. ૩૪૮-બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૦ ગુ. હા. સં. યાદી પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૧ જુઓ ૬૮મી સંદર્ભનોંધ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૧ ‘કવિચરિત&#039; પૃ. ૮૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૩ એ જ, પૃ. ૮૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૪ કે. કા. શાસ્ત્રી, ‘આપણા કવિઓ&#039;, પૃ. ૨૦૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૫ શંકરપ્રસાદ રાવળ, ‘પ્રબોધબત્રીસી’ (૧૯૩૦) અને ‘રાવણમંદોદરી સંવાદ’, ‘કવિચરિતમાંથી (કે. કા., શાસ્ત્રી), પૃ. ૧૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૬ ‘રાવણમંદોદરી સંવાદ&#039; પૃ. ૧૧૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૭ એ જ, પૃ. ૮૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૮ એ જ, પૃ. ૮૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૯ એ જ, પૃ. ૧૧૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૦ બૃહત્કાવ્યદોહન, ગ્રંથ -૬ પૃ. ૪૮૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૧ એ જ, પૃ. ૪૮૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૨ ‘કવિચરિત&#039; પૃ. ૧૩૭ અને ક. મા. મુનશી, ‘નરસિંહયુગના કવિઓ&#039; (ફા. ગુ. સ. ત્રૈ.) પૃ. ૧૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૩ ફા. ગુ. સ. ત્રૈમાસિક, વર્ષ ૧, પૃ. ૧૪૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૪ હરિનારાયણ આચાર્ય, ‘અંગદવિષ્ટિ&#039;-બુ. પ્ર. વર્ષ ૭૦ મું ડિસે. ૧૯૨૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૫ એ જ, પૃ. ૩૫૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૬ એ જ, પૃ. ૩૫૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૭ એ જ, પૃ. ૩૫૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૮ ફાર્બસ ગુજરાતી સભા-હસ્તલિખિત પુસ્તક નં. ૩૯૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૯ મંજુલાલ ર. મજમૂદાર, ‘અભિમન્યુ-આખ્યાન’ (જનતાપીનું), પ્રસ્તાવના, પૃ. ૫૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૦ શિવલાલ તુ. જેસલપુરા ‘અભિવન-ઊઝણૂં’ વિ. સં. ૧૬૮૦ (ઈ.સ. ૧૬૨૪) ની વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રત ઉપરથી સંપાદન, પૃ. ૧ અને ૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૧ એ જ, પૃ. ૩૮-૩૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૨ એ જ, પૃ. ૪૯-૫૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૩ એ જ, પ્રસ્તાવના, પૃ. ૨૬-૨૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નરસિંહ મહેતા&lt;br /&gt;
|next = ભાલણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93&amp;diff=112928</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%86%E0%AA%A6%E0%AA%BF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AF%E0%AB%81%E0%AA%97%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93&amp;diff=112928"/>
		<updated>2026-07-21T14:30:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૫ આદિભક્તિયુગના કવિઓ|કેશવરામ કા. શાસ્ત્રી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ભીમ [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમ એની ‘હરિલીલા-ષોડશકલા’ (ભાગવત-સારાનુવાદ, વિ. સં. ૧૫૪૧–ઈ.સ. ૧૪૮૫) અને સંસ્કૃત ભાષાના૧ ‘પ્રબોધચન્દ્રોદય’ નાટકના ‘ચોપાઈ–પૂર્વછાયુ’માં કરેલા ગુજરાતી પદ્યાનુવાદ (વિ. સં. ૧૫૪૬–ઈ.સ. ૧૪૯૦) થી૨ જાણવામાં આવ્યો છે. આ બંને કૃતિ છપાઈ ગઈ છે. આમાંની ‘હરિલીલાષોડશકલા’ એણે ‘સિદ્ધક્ષેત્ર, માધવ સરસ્વતી, રુદ્રદેવ, શ્રીકર્દમ યતિ&#039;3 વગેરેથી કહી શકાતા ઉત્તર ગુજરાતના તીર્થધામ ‘સિદ્ધપુર&#039;માં રહીને રચી હોવાનું પકડાય છે, જ્યારે ‘પ્રબોધ–પ્રકાશ’ની તો–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ભવભયભંજન શ્રીભારતી, પંચ પ્રવાહ વહિ સરસ્વતી,&lt;br /&gt;
શ્રીસોમેશ્વર નિજ આવાસ, ભુવિ માંહિ બીજું કૈલાસ. ૭૩&lt;br /&gt;
&lt;br /&gt;
તીરથતિલક ક્ષેત્ર–પ્રભાસ, ત્યાં વસઇ દ્વિજ નરસિંહ વ્યાસ,&lt;br /&gt;
તે ઘરિ સેવક વૈષ્ણવદાસ, કીધું એહિ પ્રબોધપ્રકાશ.૭૪’૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ જ્યાં સોમેશ્વરનો પોતાનો આવાસ છે તેવા પ્રભાસક્ષેત્રમાં નરસિંહ વ્યાસ નામના બ્રાહ્મણના ઘેર રહીને રચના કરી સ્પષ્ટ સમજાય છે.&lt;br /&gt;
એનું વતન આ બેમાંથી કયું એ કહી શકાય નહિ, પણ બંને તીર્થોમાં એ રહેલો છે. નરસિંહ વ્યાસ એનો આશ્રયદાતા હશે, કારણ કે ‘પ્રબોધપ્રકાશ’ના આરંભમાં એણે પોતે રચેલા બે સંસ્કૃત શ્લોકોમાં ગુરુપુરુષોત્તમને નમન કરી શ્રીનૃસિંહના પ્રસાદ (અનુગ્રહ)થી રચના કર્યાની એ પ્રતિજ્ઞા કરે છે.૫ ૬ઠ્ઠા અંકને અંતે ‘શ્રી પુરુષોત્તમ તણા પ્રસાદ&#039;નો પણ ઉલ્લેખ કરી લે છે.૬ ‘વેદાંત-પારગ&#039; પુરુષોત્તમ અને બીજા આશ્રયદાતા નરસિંહ વ્યાસની કૃપાનું ઋણ એ સ્વીકારે છે.‘હરિલીલા-ષોડશકલા’માં પણ ગુરુનું ઋણ એણે સ્વીકાર્યું છે, પણ ત્યાં ‘મહારિષિ’, ‘દ્વિજ’ એવો મભ્ભમ જ ઉલ્લેખ કરે છે,૭ જેનાં વ્યક્ત નામ એ ‘પ્રબોધપ્રકાશ’માં આપે છે. આ મહારિષિ’ ‘દ્વિજ’–પાછળથી ‘પુરુષોત્તમ’ એ ભાલણ હોવા વિશે સંભાવના કરવામાં આવેલી,૮ પણ હવે એ મતને કોઈ સ્થાન રહ્યું નથી, ભાલણ ભીમનો ઉત્તરકાલીન સિદ્ધ થયો હોવાને કારણે.&lt;br /&gt;
‘હરિલીલા-ષોડશકલા&#039; એ સોળ ખંડોમાં કરેલો ભાગવત પુરાણનો પદ્યાત્મક સંક્ષેપ છે. એની પાછળ એને બળ પં. બોપદેવે કરેલા ભાગવતપુરાણના ‘હરિલીલાવિવેક’ સંજ્ઞાવાળા ૧૦૮ શ્લોકોના સંસ્કૃત ગ્રંથનું છે૯ અને એનો આધાર રાખી લગભગ ૨૦૦૦ કડીઓની રચના સાધી આપી છે. એણે ચંદ્રની કલાની ઉપમા આપીને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સોલ કલા સંજીવની, બીજું બિંબ મયંક,&lt;br /&gt;
પૂરી પાતકનાશિની, હોસઇ કલા નિકલંક – ૭૦’૧૦ (હ. લી., કલા ૧ લી)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
–એમ રચના આગળ લંબાવી છે.&lt;br /&gt;
આમ તો ભાગવતની કથાનો સંક્ષેપ જ છે, પરંતુ એના ઉપર એના સમકાલની અસર છે. દશમસ્કંધની કથા આપતાં ‘રુક્મિણી&#039;ના વિવાહના પ્રસંગમાં વિદર્ભદેશને બદલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલા માધવપુર (ઘેડ. જિ. જૂનાગઢ)માં એ લગ્નની ઉજવણીનો ખ્યાલ આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘દ્વારાવતી ભણી સાંચર્યા કેશવ બલભદ્ર વીર.&lt;br /&gt;
પુક્યા તે માધવપુરી, નગરી વસઇ સાગરિ તીર. ૧&lt;br /&gt;
તિંહા મહાનદી મધુમતી, અતિ ઉછવ રુપિણીવન માહિ.&lt;br /&gt;
હાથ મેલાવુ હરિ તણુ, હુઇ રાણી રુક્મણી-વિવાહ.&lt;br /&gt;
સુરનર પન્નગ આવિયા.૨’૧૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અર્થાત્ મધુમતી–મધવંતી નજીક આવેલ માધવપુરમાં દર વર્ષે જે ચૈત્ર સુદિ ૯ થી ૧૩ તિથિના પાંચ દિવસના મેળાના પ્રસંગમાં તિથિ ૧૨ ના દિવસે મોટા સમારંભથી નજીકના રુપેણ વનમાં શ્રીકૃષ્ણનાં રુક્મિણી સાથેનાં લગ્ન ઊજવાય છે તેને ખ્યાલમાં રાખી ભીમે આ વિધાન કર્યું છે એ સ્પષ્ટ છે. ભીમે આ દીર્ઘ કાવ્યમાં મુખ્યત્વે તો ‘ચુપઇ’ અને ‘પૂર્વછાયુ’ (દોહા)-નો ઉપયોગ કર્યો છે. વધારામાં ક્યાંક ‘ચાલતી ચુપૈ’ એટલે સવૈયાની દેશી પણ આપી છે. વધુમાં જેઓને નાનાં કડવાં કહી શકાય તેવા નાના નાના એકમ ‘પ્રબંધ’ મથાળે પણ આપ્યા છે. પ્રસંગવશાત્ અડયલ, પદ્ધડી, અઢૈયા, દોહા, સોરઠા, ગાથા, વસ્તુ, ભુજંગપ્રયાતની ચાલ, છપ્પય વગેરે પણ ઉપયોગમાં લીધા છે. વળી અત્રતત્ર ‘ગીત’, ‘ધૂલ’ વગેરે આપ્યાં છે તે ‘ગેયતા’ તેમજ ‘કાવ્યબંધ’ ની દૃષ્ટિએ ખાસ મહત્ત્વનાં કહી શકાય. શરૂમાં તો સંખ્યાબંધ સંસ્કૃત શ્લોકો ઉતારી એના પદ્યાનુવાદ આપ્યા છે, ઉપોદ્ઘાતના રૂપમાં.૧૨ એણે પદોને અંતે ‘ભીમ ભણઇ’૧૩ એવી છાપ ‘નામા મ્હણે’, ‘ભણે નરસિંયો’ જેવા પ્રકારે આપેલ છે. ૬ઠ્ઠી કલામાં ‘વેલાઉલિ વાણી ગીત’. (‘બિલાવલ રાગનું ગીત’) અને આઠમી કલામાં પ્રહ્લાદે કરેલું સ્તવન ‘રાગ દેશાખ ગીત’ એ બંને સવૈયાની દેશીનાં છે.૧૪ એ જ ઢાળનું બારમી કલામાં રાસક્રીડા-પ્રસંગમાં આપેલું એક ગીત :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|3em}}રાસ-વસંત-વિરાડી ગીત&lt;br /&gt;
‘આનંદ એક અભિનવુ રે વૃંદાવન મઝારિ.&lt;br /&gt;
વંશ વજાવઇ વિઠ્ઠલ રે, તેણઇ છંદઇ નાચિ નારિ.&lt;br /&gt;
વૃદાંવનિ ગોપી નાચઇ રે, તેણઇ રંગિ રાચિ રામ. વૃંદા.&lt;br /&gt;
નાદ મધુર સ્વરિ આલપઇ રે, ગાઈ હરિવિલાસ.&lt;br /&gt;
સુંદરી સવિ નવયૌવન્ન રે રંગભરિ ખેલઇ રાસ. વૃંદા.&lt;br /&gt;
પાખલિ વૃંદ વનિતા તણું રે, માહિ સામલવંન.&lt;br /&gt;
ભીમ ભણઇ : અંતર લય લાગુ, ધિન ધિન ગોપીજન. વૃંદા.’૧૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમે ‘अङ्गनामङ्गनामन्तरे माधव:’ એ લીલા શુકના ‘કૃષ્ણકર્ણામૃત’ના પદ્યનો ભાવ આપતું એક ગીત રાસક્રીડાના પ્રસંગમાં આપ્યું છે, એનો ઢાળ પણ નવીન જણાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}ગીત ધન્યાશ્રી&lt;br /&gt;
&lt;br /&gt;
માધવ અંતરિ નારી, અંગના અંતરિ હરિ,&lt;br /&gt;
રાસક્રીડા વૃંદાવનિ રમઇ આનંદ-ભરિ...&lt;br /&gt;
પહિરણિ પીત પટુલી, હીર ચીર ચૂનડી ફાલી,&lt;br /&gt;
સોવર્ણ માણિક મોતી ભૂષણિ ભૂષિત બાલી. નંદા.&lt;br /&gt;
વીણા મૃદંગ તાલ સુસ્વરિ વંશ વાઅંતી.&lt;br /&gt;
નાનાવિધ નૃત્ય કરઇ, મધુર ગીત ગાઅંતી. નંદા.&lt;br /&gt;
પરમ ભગતિ–લીણી ધન્ય તે ગોલણી નારી,&lt;br /&gt;
ભીમઇ-ચઇ સ્વામી શ્રીકૃષ્ણઇ સંસારસાગર તારી. નંદ’૧૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમે ‘કારિકા’ અને ‘ત્રૂટક’ની પદ્ધતિનો ‘ફાગુ’–નો પ્રકાર થોડા ભેદે આપ્યો છે;&lt;br /&gt;
જેવોકે&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
રાગ સીધૂઉ&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કૃષ્ણ કહઇ: મુઝ આપુ એ માગ એ, નાગ ન વાલઇ તેહા, હઠિ ચડ્યુ એ.&lt;br /&gt;
ભણઇ પુંતાર: અબુઝ ગોપાલ એ. હાલ પુહુતું હવઇ તમ તણુ એ.&lt;br /&gt;
{{gap|8em}}ત્રૌટક&lt;br /&gt;
તહ્મતણ પુહુતુ હાલ, છૂટુ નહી થઇ બાલ. કોપિ ચડ્યુ અંબુષ્ઠ, મોડિઉ ગજ અતિદુષ્ટ.&lt;br /&gt;
આવતું દેખી એહ, હરિ પૂછિ સાહ્યુ તેહ, તાણિઉં કરતુ ચીસ, પાછું ધનુષ પંચવીસ.’૧૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભીમે રુક્મિણીહરણના પ્રસંગે પાંચ ‘ધૂલ’ આપ્યાં છે.૧૮ કર્મણમંત્રીની કૃતિમાં જે પ્રકારનાં ‘ધૂલ’ મળે છે તેવાં આ નથી, પરંતુ નાકરથી લઈ પછીના આખ્યાનકારોમાં ‘ધૂલ-ઢાલ-ઊથલો’ એકમનાં મોટાં કડવાં મળે છે તેવો જ આ નાનો એકમ છે. ‘પ્રબંધ’ કહી પછી એને છેડે ‘વલણ’ આપે છે એ પ્રકાર ‘ફાગુ’ કોટિનો જ કહી શકાય. રુક્મૈયાના માનખંડના પ્રસંગમાં યોજાયેલું નીચેનું ‘ધૂલ’ કાવ્યબંધનો તેમજ ભીમની કવનશક્તિનો પણ ખ્યાલ આપશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}ધવલ ૪થું રાગ શ્રી-રાગ&lt;br /&gt;
&lt;br /&gt;
‘રુક્મઇઉ રાઉત ભલુ, બલ બોલાઇ દિઇ ગાલિ :&lt;br /&gt;
કિમ જાઇસિ રે તૂં જીવતુ મઝ આગલિ રે વનચર ગોવાલ?&lt;br /&gt;
ચીતાઈ મારયુ માઉલુ, હવઇ ખૂટુ રે કાન્હડ તુઝ કાલ.&lt;br /&gt;
બહિનિ લેઇ પાછું વલૂં, દેખંતાં સવિ ભૂપાલ.&lt;br /&gt;
કરી પ્રતિજ્ઞા એ સાંચરયું.&lt;br /&gt;
&lt;br /&gt;
{{gap|4em}}પ્રબંધ&lt;br /&gt;
સાંચરઇ વેગઇ ક્રોધભરી અક્ષૌહિણી દલ એક,&lt;br /&gt;
સંગ્રામ માંડ્યું કૃષ્ણ-શૂં. મૂકઇ બાણ અનેક.&lt;br /&gt;
શિર કૂંચ મૂછિ કાપિયાં લીલયાં શ્રીજગનાથ.&lt;br /&gt;
તે પશુની પરિ-બાંધિયું, રથિ ઘાતિ લીધુ સાધિ.&lt;br /&gt;
રુક્મણી માગઇ માન : માધવ, બંધ બાલક છોડિ,&lt;br /&gt;
અપરાધ ક્ષમિ સાલા તણા, તહ્મનઇ લાગઇ ખોડિ.&lt;br /&gt;
બલભદ્ર આવ્યા, કૃષ્ણ વારયા, વેગઇ કાપ્યા બંધ.&lt;br /&gt;
કેશવ તણુ મહિમા જાણ્યુ, ચરણિ નામ્યું કંધ.&lt;br /&gt;
{{gap|4em}}વલણ&lt;br /&gt;
હરિચરણિ નામ્યું કંધ, વેગિ સંધિ કીધી રામિ.&lt;br /&gt;
નિજ નૈયર દીધૂં તેહનઇ, ગણનાથ કીધો સ્વામિ.’૧૯&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમાં ‘સરસ્વતીધઉલ’ના પ્રકારમાં ‘પ્રબંધ’નો બંધ–‘હરિગીતની દેશી’નો પકડી શકાય છે. આરંભના તો બે દોહરા જ છે, જ્યારે ‘વલણ’માં હરિગીતના ઢાળની જ બે પંક્તિ પરખાય છે.&lt;br /&gt;
ભીમે કાવ્યાંતે ‘ધન્યાશ્રી’ રાગમાં ‘કલશ’નું એક ગીત આપ્યું છે.૨૦ જૈન રચનાઓમાં આ પદ્ધતિ જાણીતી છે. આમ ભીમે ‘હરિલીલા-ષોડશકલા’માં પોતાના સમય સુધીમાં જૈન જૈનેતર ઢાળો પ્રચારમાં હતા. તેઓને સમુચિત ઉપયોગ કરી લીધો છે. એની પાસે ભાષાની સારી હથોટી છે, જેના બળે એ રોચકતા લાવી આપી શકે છે. નૃસિંહજન્મ-સમયે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્રીનરસિંહ કોષિ ધડહડઈ, મંદિર કોટ કોશીસાં પડઇ.&lt;br /&gt;
ગર્જિત કરિ બગાઇ બહૂ, દેવ-અસુર બલ નાઠૂં સહૂ.&lt;br /&gt;
ગહવર ગુફા સરીખૂં વયણ, જ્વલિત-પાવક બિહૂ નયણ.&lt;br /&gt;
કર નખ સટા ડસણ વિકરાલ, હિરણ્યકશિપુ જાણ્યુ કાલ.&lt;br /&gt;
શંકા અસુર તણા મન માહિ, નાઠા હરિણ તણી પરિ ચાહિ&lt;br /&gt;
ઝડપીનઇ લીધુ જગનાથિ, ચડ્યુ કપોત શીચાણા હાથિ.’૨૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્યમાં પોતે એક વાર દ્વારકાની યાત્રાએ ગયો હોવાનું અને સાત સંસ્કૃત શ્લોકોથી પ્રભુની સ્તુતિ કર્યાનું તો નોંધે છે, પણ ભગવાને સ્વમુખથી સંસ્કૃતમાં કહ્યું કે ‘મારી કૃપાથી તને મારામાં દૃઢ ભક્તિ થશે’ અને પરિણામે ત્યારથી એની ભક્તિ નિશ્ચલ થયાનું એ સંસ્કૃત શ્લોકમાં નોંધે છે.૨૨ આ એની ભક્તિની તન્મયતાનું દ્યોતક છે.&lt;br /&gt;
‘પ્રબોધચંદ્રોદય’ નાટક વિક્રમની ૧૧મી સદીમાં મગધના રાજા કીર્તિવર્માના રાજ્યકાલમાં મૂળ લેખક કૃષ્ણમિશ્ર નામના કવિએ રચ્યું અને એના જ દરબારમાં ભજવાયું. એવું પ્રસ્તાવનામાં આવે છે.૨૩ અનુવાદ કરતાં ભીમે તો –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અવની કેરુ ભાર ઊતારિ આવ્યા હરિ દ્વારિકા મઝાર. ૩૦૨૩અ&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
સભામાંહિ બઇઠા ધરી ધીર છપન કોટિ યાદવ વીર;&lt;br /&gt;
સુભટ મહારથ સમરથ શૂર, નિજ સેવક ઉદ્ધવ અક્રૂર. ૩૨&lt;br /&gt;
રાજા ગુણસાગર ગોવ્યંદ શ્રીપતિ પૂરણ પરમાનંદ.&lt;br /&gt;
ધર્મશિલા હરિ આગલિ સાર રચિયૂં નાટક કરી વિચાર.૩૩’૨૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ એના શ્રીદ્વારકાધીશ તરફના ઊંડા ભક્તિભાવનું માત્ર દ્યોતક છે; આ નાટક દ્વારકામાં નથી રચાયું કે નથી ભજવાયું.૨૫&lt;br /&gt;
‘પ્રબોધપ્રકાશ’માં મુખ્યત્વે ચોપાઈ અને પૂર્વછાયો (દોહા)નો પ્રયોગ જોવા મળે છે; વચ્ચે વચ્ચે વસ્તુ, પદ્ધડી, મડયલ, જડયલ, ભુજંગપ્રયાતની ચાલ, અને છપ્પયનો પણ પ્રયોગ કરી લીધેલ છે.૨૬ આ નાટક, પ્રમાણમાં, સંક્ષિપ્ત અનુવાદ માત્ર છે એટલે ભીમની પ્રતિભાનો આમાંથી પરિચય ન મળે; આમ છતાં ક્યાંક ક્યાંક એણે શક્તિ બતાવવા પ્રયત્ન કર્યો છે. નીચેનો પાંચમા અંકમાંનો ‘મોહ’ અને ‘વિવેક’નાં દળો વચ્ચેનો યુદ્ધનો પ્રસંગ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}અથ કવિતા&lt;br /&gt;
‘ભડઇ કટક રિપુ વિકટ, સભટ ઘટિ આયુધ કૂટઇ&lt;br /&gt;
શબ્દ નિઘડ કટકટઈ, કન્ધ – સન્ધાન વછૂટઇ&lt;br /&gt;
તૂટઇ કટિતર–બાંહ શકલ સન્નાહ મુગટમણિ,&lt;br /&gt;
રુધિર નદી, પલ-પંક, કંક-રંકા સમરાંગણિ.&lt;br /&gt;
ગજરથ તુરગ પાઈદલ બહુલા પ્રાણહીન પુહુવિં પડઇ,&lt;br /&gt;
રાજા વિવેક એકલ-મલ્લ મહામોહ સરિસુ ભડઇ.૩૧’૨૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એણે ત્રીજા અંકમાં ૩, ૬, ૮, ૧૧ એ કડીની ‘ચાલતી ચુપઇ’ આપી છે તે ‘સવૈયાની ચાલ’ છે.૨૮&lt;br /&gt;
ભીમે પોતાની શક્તિ પ્રમાણે સમકાલીન સાહિત્યકારોની હરોળમાં પણ થોડુંક આગલું સ્થાન મેળવવામાં શક્તિનો ઉપયોગ કર્યો છે. ધ્યાનમાં લેવા જેવું તો એ છે કે ‘વિઠ્ઠલ’ એની રચનાઓમાં આવી ગયો છે.૨૯ ‘વિઠ્ઠલ’ શબ્દનું પ્રદાન વારકરી સંતોનું છે, એ વિશે આજે મતભેદ નથી.&lt;br /&gt;
ભીમ સંસ્કૃત ભાષાનો જ્ઞાતા હોવાનું ઉપરની એની બંને કૃતિઓ જોતાં કહી શકાય એમ છે. ‘હરિલીલા-ષોડશકલા’માં એણે થોડા શ્લોક સંસ્કૃતમાં રચ્યાનું આપણે જોયું છે. ‘यं युगे जीवनं यदुकुलमंडनं’ થી શરૂ થતું ‘ભીમ’ની છાપનું ઝૂલણાના ઢાળની ૩ કડીઓનું સંસ્કૃત પદ મળી આવ્યું છે૩૦ તે એની રચના હોય તો એ અસંભવિત નહિ હોય. સ્વતંત્ર રીતે નોંધાયેલું ‘જપિ–ન રસને નામ વિમલ રાઘવ તણૂં સુષકરં સંસાર–શોકહરણં’ એ પ્રકારનું સંસ્કૃત-ગુજરાતી મિશ્ર પદ ‘ભીમ કેશવદાસ કર જોડી વીનવિ, દેવ દેવેસ ઇમ ઇસ બોલિ’ એ રીતની છેલ્લી પંક્તિવાળું ચાર કડીઓનું જાણવામાં આવ્યું છે૩૧ તે પણ એની રચના હોય. આ પદ જો ભીમનું હોય તો નરસિંહ મહેતાનાં હારસમેનાં પદોને આમેજ કરી લઈ પ્રથમ પચાસ પદોની ‘હારમાળા’ ઊભી કરવામાં આવી અને પછી ચોસઠ–ચોર્યાશી વગેરેના ક્રમ ઊભા થયા તેઓમાં આરંભમાં સંન્યાસીઓ સાથેનો વાદપ્રસંગ ખડો કરવામાં આવ્યો છે, આ પ્રસંગમાં એક રામભક્ત ‘ભીમ’ પણ એક પાત્ર તરીકે આવે છે.૩૨ આ ‘રામભક્ત’ ભીમના મુખમાં ‘જપિ-ન રસને નામ વિમલ રાઘવતણૂં’ એ ‘જપિ-ન નરસૈં વિમલ નામ રાઘવતણૂં’ એ રીતે મુકાયું છે.૩૩ આણે એક સંભાવના ઊભી કરી છે કે નરસિંહ મહેતાના ‘હારસમે’નાં પદોને સંકલિત કરી ‘હારમાલા’નો એક ક્રમ ઊભો કરવામાં આવ્યો તે કદાચ આ જ ‘ભીમ’ને હાથે. ભીમ ‘હારમાલા’માં બીજા સંન્યાસીઓ જેવો સંન્યાસી ન હોતાં રામભક્ત તરીકે ભાગ ભજવે છે. ભીમના મુખમાં પ્રથમનાં ૧૩ પદોમાં નરસિંહ અને ભીમની વચ્ચે ટપાટપી યોજાઈ છે, આમાંનું ૧૦મું પદ તે આ ઉપરનું પદ છે. પછી વચ્ચે અન્ય સંન્યાસીઓની સાથેના વાદ પછી ૩૦મા પદમાં ફરી ભીમ આવે છે,૩૪ બહારનાં અને માંડલિકના દરબારમાંના વાદનાં થઈ ભીમની છાપનાં ૧૧ પદ જોવા મળે છે. ૩૦ મા પદમાં ભીમ ‘વૈરાગ્ય’નું સમર્થન કરે છે, જેનો નરસિંહ મહેતાના મુખમાં પ્રતિકાર જોવા મળે છે. હકીકતે નરસિંહ મહેતાના અવસાન પછી ભીમને હાથે ‘હારમાલા’ની સંકલના થવાની શક્યતાને આનાથી બળ મળે છે. અહીં જૂની પ્રતોમાં ભીમની છાપનાં બીજાં પણ નાનાં ત્રણેક પદ–એક ગણપતિનાં સ્તવનનું, બીજું સરસ્વતીને નમન કરવાનું, અને ત્રીજું ‘રાઘવ–રામ’ના સ્તવનનું.૩૫ મળે છે એ પણ આ ભીમનાં હોઈ શકે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કર્મણ મંત્રી [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કર્મણ મંત્રી એનાં ‘સીતાહરણ’૩૭ કિંવા ‘રામાયણ’ કે ‘રામકથા’ના અંતભાગના ‘સંવત પનર છવ્વીસઇ સીતાહરણ વિચાર, કર જોડી કર્મણ તવઇ અહ્યહ ગિરાઆધાર’થી૩૮ લખેલ છે એ પરથી સમજાય છે. કે એ ઈ. ૧૪૭૦ (સં. ૧૫૨૬)માં હયાત હશે.&lt;br /&gt;
એણે પોતાના એક કાવ્યમાં પોતાને માટે ‘મંત્રી’ વિશેષણ આપ્યું હોઈ એ કોઈક રાજ્યનો કારભારી કોટિનો પુરુષ હોય. એક મહત્ત્વની વસ્તુ એ પણ જાણવા મળે છે કે વિ.સં. ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)માં રચાયેલા પદ્મનાભના ‘કાન્હડદે-પ્રબંધ’માંની પંક્તિઓ ‘સીતાહરણ’ની કેટલીક પંક્તિઓ સાથે મળતાપણું ધરાવે છે૩૯ અને પ્રસંગ પણ એકસરખા વર્ણિત થયા જોવા મળે છે, તેથી એ બંને કવિઓનો નિકટતાનો સંબંધ પણ હોય. આ રીતે પદ્મનાભ વીરસિંહ અને કર્મણ કદાચ એક જ પ્રદેશના પણ હોઈ શકે. ‘કાન્હડદે-પ્રબંધ’ પશ્ચિમ મારવાડમાંના જોધપુર નજીકના જાલોરમાં રચાયેલો છે.૪૦ વીરસિંહ અને કર્મણ પણ ત્યાંના કે નિકટના પ્રદેશના હોય. નામ ઉપરથી કદાચ એ વણિક મેશ્રી હોઈ શકે. કવિ તરીકે કર્મણમાં કાંઈ વિશેષ મળતું નથી. રામાયણનું વસ્તુ લઈ હકીકતને રામકથા સરળ ભાષામાં પદબદ્ધ કરવાનો એનો માત્ર પ્રયત્ન છે. આ આખ્યાનમાં ‘પવાડુ’ મથાળે ચાલુ સવૈયાની દેશી ઉપરાંત ‘દોહા-ચોપાઈ’ છંદોના ઢાળ, અને એક માત્ર ‘છપ્પય’ પણ પ્રયોજેલ છે. ૪૯૫ કડીઓની આ રચનામાં એક ‘સપનગીત’૪૧અને ચાર ‘ધૂલ’૪૨ પણ આપ્યાં છે. આ ગીત ‘સવૈયાની દેશી’માં છે અને એમાં એણે નરસિંહ મહેતાના પ્રકારની પોતાની છાપ આપી છે. ‘સપનગીત’ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}રાગ ભુપાલી&lt;br /&gt;
‘એક અચરજ સહી! આ ભણૂં બોલઇ ત્રિજટા બહિન,&lt;br /&gt;
રામ લક્ષ્મણ બિહૂ જાણૂં લંકા આવ્યા વાનર-સેનિ.&lt;br /&gt;
મઇ લાધૂં સપનું, સખી! -ધ્રુવપદ&lt;br /&gt;
બાંધી પાજ નીરિ તિહાં નિશ્ચલ; સાથિ હનમત ભીંછ:&lt;br /&gt;
વિકટરૂપ દીસઇ વાનરા; રૌદ્ર ઘણા માંહિ રીંછ. મંઇ૰&lt;br /&gt;
&lt;br /&gt;
માતા સીતા! જાણૂં વાનર ત્રિકૂટિ ગઢિ ચડિયા,&lt;br /&gt;
સવા લાખ સુત, રાવણુ રાણુ, કુંભકર્ણ રણિ પડિયા. મંઇ૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાણૂં લંક વિભીષણ દીધી, અમર કોડિ તિહાં મલિયા:&lt;br /&gt;
મંત્રી કર્મણ-ચુ સ્વામી અયોધ્યા રામ સીતા લેઈ વલિયા. મંઇ૰૪૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એણે આપેલાં ‘ધૂલ’નો, પરંપરાનો ઢાળ હરિગીતનો ન લેતાં સવૈયાની દેશીનો લીધો છે, એટલો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ’માંના ‘સરસ્વતી ધઉલ’ અને નરસિંહ મહેતાની ચાતુરીઓના ઢાળથી જુદો છે.&lt;br /&gt;
ગુજરાત–સૌરાષ્ટ્રના વિસ્તૃત ભૂભાગની અને પશ્ચિમ મારવાડની તત્કાલીન સાહિત્યિક ભાષાની એકાત્મકતા હતી એ જૈન તેમજ જૈનેતર રચનાઓ આ બેઉ ભૂભાગમાં રચાયા કરી છે એનાથી સમજાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જનાર્દન ત્રવાડી [ઈ. ૧૫મી સદી ઉત્તરાર્ધ]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેની સાહિત્યની સેવાનો સમય વિ.સં. ૧૫૪૮(ઈ.સ. ૧૪૯૨) નિશ્ચિત છે તે જનાર્દન ત્રવાડીનું પદોના ઝૂમખારૂપે રચાયેલું ‘ઉષાહરણ’ જાણવામાં આવ્યું છે.૪૩ એણે પોતાનો આછો પરિચય પોતાનાં પદોમાં આપ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ખડાયતા વિપ્ર નીંબાસુત બોલિ, ભણઇ ત્રવાડી જનાર્દન.’૪૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અમરાવતીઇ ઉપનુ ગ્રંથ રત્નની ખાણિ.&lt;br /&gt;
સંવત પનર અડતાલ વરસ માસ દામોદર સાર,&lt;br /&gt;
ભણઇ જનાર્દન કાર્ત્તિકી એકાદશી ગુરુવાર.’૪૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અમરાવતી–ઉમરેઠમાં નીંબાના પુત્ર ત્રવાડી જનાર્દને ‘સં. ૧૫૪૮ના કાર્ત્તિક(સુદ)૧૧ ને ગુરૂવારે [ઈ. ૧૪૯૨] ઉષાહરણની રચના કરી’. ‘અમરાવતી’ એ ‘ઉમરેઠ’નું સંસ્કૃતીકરણ માત્ર છે, કારણ કે ખડાયતા બ્રાહ્મણોની વસ્તી ‘ઉમરેઠ’માં છે, નહિ કે સૌરાષ્ટ્રના અમરેલીમાં.૪૬&lt;br /&gt;
એની મુદ્રિત વાચનામાં જુદા જુદા રાગોના મથાળે ‘કડવું’ શબ્દ મુકાયેલો છે. હકીકતે ૨૨૦ કડીઓનું આ ‘ઉષાહરણ’ કાવ્ય ૩૬ પદોમાં વહેંચાયેલું છે. બંધની દૃષ્ટિએ એ બધાં નથી શુદ્ધ પદ કે હજી નથી બન્યાં ‘કડવાં’. ‘કડવાં’એ દૃષ્ટિએ નથી બન્યાં કે આરંભમાં ધ્રુવાની કડીઓ જોવા નથી મળતી અને ‘ઢાલ’ પણ ‘ઊથલા’ અને ‘વલણ’ને માટે તો પચીસેક વર્ષ પછી નાકરની રચનાઓમાં જવું પડે છે. જનાર્દને ચોખ્ખી ૩ થી લઈ ૯ કડીઓ સુધીમાં ઝૂમખાં આપ્યાં છે, જેનું સામ્ય નરસિંહ મહેતાનાં પદો સાથે લાગે; પરંતુ નરસિંહે ચાર કે પાંચ સાદા જ બંધ પ્રયોજ્યા છે, જ્યારે જનાર્દને આઠ જેટલા બંધોનું વૈવિધ્ય સાધ્યું છે.&lt;br /&gt;
કાવ્યના વિષય તરીકે એણે ઉષા-અનિરુદ્ધનું જાણીતું વસ્તુ લીધું છે. એણે તે તે પ્રસંગને લાઘવથી, પણ રોચક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉષાના જન્મ-સમયની વધામણીનું ચિત્ર :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘નિજ ગુરુ માગઇ વધામણી એ રા-ઘરિ બેટી પાઉધારિ.&lt;br /&gt;
રૂપિ તે ત્રિભુવનમોહની એ, લક્ષણ નઇ ગુણસાર.&lt;br /&gt;
નહીં રંભા, નહીં ઉરવસી એ, મેનકા નહીં એહ સમાન.&lt;br /&gt;
દ્વિજવરનઇ રાઇ રીઝિઉ એ, બૂઝિઉ જગ-ફલ કોડિ.&lt;br /&gt;
દેવ ગંધર્વ ને નાગ માંહી એ, જોસ્યૂં એહની જોડિ.&lt;br /&gt;
આકાશ શબ્દ ઇમ ઉચ્ચરઇ એ ઇચ્છાવર વરસિ કુમારિ.&lt;br /&gt;
જનાર્દન ભણઇ : પ્રાણિ કાંઈ નુહઇ એ, હુંનિ ન ટલઇ સંસારિ.’૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આલંકારિક દૃષ્ટિએ કવિ સિદ્ધિને વરી શકતો નથી. કદાચ તેથી જ બંધની દૃષ્ટિએ વૈવિધ્ય તરફ એણે મીટ માંડી છે. યાદવોનું સૈન્ય ચડી આવે છે ત્યારે એ ‘વસંતવિલાસ’માંના સાંકળી બંધનો આશ્રય લઈ રોચકતા લાવવા આયાસ કરે છે; જેમ કે–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઉદ્ધવ વલિયા ઉતાવલા રે, વાઉલા યાદવ યોધિ,&lt;br /&gt;
વાડી વન ઊમેલિયાં રે, મેલિયાં કરી વિરોધ.&lt;br /&gt;
ઝાલર ભેરી વાજિયાં રે, ગાજિયાં ગહિરાં નિસાણ.&lt;br /&gt;
દૃષ્ટ ચડ્યાં દલદવડ્યાં રે, કાયર પડઇ પરાણ.&lt;br /&gt;
બાણઇ બલિયા ચલાવિયા રે, અનંગિ એક ઠામિ.&lt;br /&gt;
પોલિઆ પાડિ બૂંબડી રે, ચડવડી ચઢાઉ બહાર.&lt;br /&gt;
પ્રથમ પલા તે પાડિયા રે, યાદવિ વિસમિ પ્રહારિ’ વગેરે.૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમાં પણ કોઈ કોઈ પંક્તિમાં સાંકળી આપી શકતો નથી. ક્વચિત્ વેગ સાધવા પ્રયત્ન કરે છે; જેવો કે, સ્વપ્નમાં અનિરુદ્ધને જોયા પછી ચિત્રલેખાને એ લાવી આપવા કહે છે ત્યારનો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઉષા માઝમ રાયણી જાગી રે, અંગ જવાલા લાગી રે,&lt;br /&gt;
મુહનઇ કલંગ જ લાગૂં રે, કન્યાવ્રત માહારું ભાગૂં રે.&lt;br /&gt;
સયર ભણિઃ સુણ બાઇ રે, કન્યાવ્રત કેમઇ નહીં જાઇ રે.&lt;br /&gt;
ઉષા કહઇ : મુઝ તે વરુ રે, અવર પુરુષ પિતા ગુરુ રે.&lt;br /&gt;
વર વરસ્યું એ જોખિ રે, નહિતુ પ્રાણ તજું તન સોખિ રે.&lt;br /&gt;
ઉષા, પ્રતિજ્ઞા નવિ લીજઇ રે, સહિયરનૂં તે વાર્યું કીજઇ રે.&lt;br /&gt;
સહિયર કહે : મન માણુ રે, એ વર ઘરથી જાણ્યું રે.&lt;br /&gt;
સુહણઇ તે લાખ બંધાઈ રે, તે વિહાણઇ મિથ્યા થાઈ રે.&lt;br /&gt;
જનાર્દન ભણઇ : ઉષા બોલી રે, તુહનિ રક્ષા કરઇ હિંગોલી રે.&lt;br /&gt;
તો મનિ નવિ આણે તાપ રે, ઉમા શંકર શિર માય બાપ રે.’૪૯&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હકીકતે ૨૨૦ કડીઓના આ કાવ્યમાં કવિપ્રતિભાનો ચમત્કાર તદ્દન સ્વલ્પ છે, જ્યારે બંધવૈવિધ્ય સાધી કળાનો ઓપ સાધવાનો પ્રયત્ન સવિશેષ જોવા મળે છે. એક વસ્તુ દેખાય છે કે આ રચનાને વીરસિંહના ઉષાહરણના કથાનક સાથે સામ્ય છે, પરંતુ બંને વચ્ચેનો ગાળો જોતાં રાજસ્થાનના વીરસિંહનું કાવ્ય જનાર્દનના જોવામાં આવ્યાનું શક્ય નથી. હકીકતે બંનેએ હરિવંશ અને ભાગવતના કથાનકનું અનુસરણ કર્યું છે, જેમાં વીરસિંહ કાવ્યચમત્કૃતિ સાધી આપે છે, જનાર્દન નહિ. આ સમયગાળા દરમ્યાન કવિ વાસુએ (ઈ. ૧૪૮૪-૯૪; સં. ૧૫૪૦-૫૦) સરળ રીતે ‘સગાળશા આખ્યાન’ દુહા અને ચોપાઈમાં લખ્યું છે. એમાંનાં કરુણ રસની જમાવટ કરતાં બે પદ આકર્ષક છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વીરસિંહ [૧૬મી સદી આરંભ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કડવાબદ્ધ આખ્યાનોની કેડી ભાલણે આપી ‘આખ્યાનયુગ’નું સંસ્થાપન કરી આપ્યું તે પૂર્વે પણ મહાભારત–રામાયણ–અન્ય પુરાણોમાંથી કોઈ કોઈ વસ્તુ લઈ સળંગબંધનાં આખ્યાન-પ્રકારનાં બીજ રોપનાર નરસિંહ મહેતાને બાદ કરતાં એના ઉત્તર કાલમાં થયેલા આખ્યાનો ગાનારા સાહિત્યકારોમાં વીરસિંહ (‘વરસંગ’) કદાચ જાણવામાં આવેલો પહેલો છે.૫૦ એણે લગભગ એક હજાર અર્ધ-કડીઓ(પંક્તિઓ)માં રચી આપેલું ‘ઉષાહરણ’ પ્રબંધ-કોટિનું કથાકાવ્ય છે, અને સ્વરૂપ ઉપરથી જાણે કે ‘કાન્હડદે-પ્રબંધ’ની અદલોઅદલ ધાટી ઉપર રચાયેલું હોય, કારણ કે જેમ એમાં ‘ગીતો’ આવે છે તે પ્રમાણે ‘કાન્હડદે-પ્રબંધ’ની ભટાઉલીની જેમ ગદ્ય પણ આવે છે.૫૧ વીરસિંહ વિશે એના ‘ઉષાહરણ’માં પાંચેક સ્થળે ‘વરસંગ’ની છાપ આપી છે.૫૨ એ સિવાય વિશેષ કશું જાણવામાં આવ્યું નથી. ‘ઉષાહરણ’ની એક માત્ર પાટણમાંથી મળી હોવાથી એ પાટણ કે આસપાસના વતની હોવાનું અનુમાન થઈ શકે. આ હસ્તપ્રતની લે. ઈ. ૧૫૧૩ હોવાથી વીરસિંહ ઈ. ૧૬મી સદીના આરંભ સુધી થયો હોવાનું અનુમાન થાય છે. એણે હરિવંશ અને ભાગવત પુરાણમાંથી વસ્તુ લઈ ‘ઉષાહરણ’ (હકીકતે તો ‘અનિરુદ્ધહરણ’)ની વિશદ રચના કરી આપી છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ વિચાર કરતાં શૃંગાર અને વીરરસનો એક સારો નમૂનો એની પાસેથી મળે છે. કથાવસ્તુ સુપ્રસિદ્ધ છે, પણ કવિએ ચમત્કૃતિ આપીને એને કાવ્ય કોટિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પાર્વતીની ભૂષાનું વર્ણન કરતાં જોવા મળે છે કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|5em}}કેદારુ&lt;br /&gt;
‘માથા ઊપરી મણિઝલકંતી કલાવંતઇ તિ કાલ,&lt;br /&gt;
હેમરાખડી રતન બઇઠાં એ શામાસિરિ વાલ. નિશિ૰&lt;br /&gt;
દીશિ વયણ રાતડી રસના, ઊંપરિ પંડુર નેત્ર૰&lt;br /&gt;
સહિથિઇ સીંદૂર ભરીની હંસ મોતી લગ શેત્ર. નિશિ૰&lt;br /&gt;
વાંસઇ અહિ દીસતુ દીરઘ સાહાતુ પૂછ સરેહિ,&lt;br /&gt;
ખાંતિ કરી ગૂંથુ ક્ષામોદરિ વેણિ-ગોફણુ એહ. નિશિ૰&lt;br /&gt;
સાહી વીણિ સકતિ ઇમ બોલઇ, જુ હુઇ વલગતિ નાગ,&lt;br /&gt;
તું યોગિની જાણજાલવી નિતિ હરકંઠિ વિલાગ. નિશિ૰&lt;br /&gt;
છાંડી વીણી વાલ કિયા મુકતા; અમયા એ પરિ કીધી.&lt;br /&gt;
વરસંગ ભણઇ : પ્રીતીતિ ઉપની તુ દીવડી શગ કીધી. નિશિ૰’૫૩&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાર્વતી અને દીપકની હોડ મૂકી કવિએ દીવામાં ‘શગ’ કેમ થાય છે એની કવિપ્રતિભોત્થ કલ્પના રજૂ કરી આપી છે.&lt;br /&gt;
આ કાવ્યમાં કવિએ યથાસ્થાન ગૌરીપૂજન માટે પૌરાણિક કર્મકાંડની પદ્ધતિમાં દેખાતો અને સાથે પોતાના સમયમાં પ્રચલિત એવો ક્રમ સારા સ્વરૂપમાં ચીતર્યો છેઃ કેટલાક સામાજિક વિધિ પણ આપ્યા છે. આપણને ‘કાન્હડદે-પ્રબંધ’માં મળે છે તેવાં નગર ગઢ સેના યુદ્ધ વગેરેનાં પણ આકર્ષક વર્ણન આ કાવ્યમાં જોવા મળે છે. મુખ્યત્વે એણે ‘દુહા’ અને ‘ચુપઈ’નો બંધ પસંદ કર્યો છે, આમ છતાં ભુજંગપ્રયાત વસ્તુ ગાથા પદ્ધડી સારસી એ છંદોનો પણ ઉપયોગ કરી લીધો છેઃ ચોપાઈ દાવટીનો બંધ પણ જોવા મળે છે. ખાસ ધ્યાન ખેંચે છે તે જુદા જુદા ઢાળમાં આપેલી દેશીઓનાં ગીત છે. એવું એક ગીત ઉપરનું ‘કેદારુ’ રાગનું જોયું; એ ચોપાઈ દાવટી–બંધમાં છે. સૌથી પહેલું ૮૨ મી લીટી પછી દોહાબંધનું આવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|5em}}ધવલ ધન્યાસી&lt;br /&gt;
‘સીસિઇ શંકર તુહ નમિ રે, નમિઅ નહી દિનરાત,&lt;br /&gt;
લેખૂં લાગૂં નાલિયરે, પડિ અતિ ફણાગર પત્તિ,&lt;br /&gt;
સાંભલિ શિવ દેવા, બાણાસુર બોલિ, દેવ નહિ તહ્ય તોલિ. સાંભલિ.’૫૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાલુ દુહા-બંધ ઉપર કેટલેક ઠેકાણે રાગનાં નામ લખવામાં આવ્યાં છે. સંભવ છે કે કવિ તરફથી ભિન્ન ભિન્ન રાગોમાં તે તે પંક્તિઓ ગાવાની હશે એ દૃષ્ટિએ એ મૂકવામાં આવ્યા હોય.&lt;br /&gt;
વીરસિંહે ‘કાન્હડદે-પ્રબંધ’ જોયો લાગે છે, કારણ કે કેટલાંક વર્ણનોમાં સામ્ય અનુભવાય છે. વીરસિંહ આગળ વધી એમાં વૈવિધ્ય પણ સાધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|5em}}ધુલ રાગ દેશાખ&lt;br /&gt;
&lt;br /&gt;
‘ઇમ બોલઇ રષિમિણિ જોડી બે હાથ એ&lt;br /&gt;
નાથ ન ચેતું એ અહ્મતણોઈ, દૂરિ દાવાનલ દેખું એ દેવ એ, ૭૬૦&lt;br /&gt;
જલતું એ પાઇતલિ પેખું નહિ એ.&lt;br /&gt;
પેખું નહિ પર ન્યાતિ સખિ પડ્યા, ઘર અનુધ્યાન,&lt;br /&gt;
સુણિ વીનતિ અમ્હ દેવ તું બ્રહ્મમંડણ દેવ એ :&lt;br /&gt;
તું સૃષ્ટિ સવિ આધાર, જાનન જન આસાર.&lt;br /&gt;
પહિરિયાં પીલાં ચીર, નવિ લાજ આણિ આહીર.&lt;br /&gt;
સખિ સમુક યાદવ, પછી સુત સાહું લાસ, ૭૬૫&lt;br /&gt;
વર ચાહતાં ખટ માસ, વલી આજ પુહતી આસ.&lt;br /&gt;
વલી આજ પુહતી આસ સ્વામી પ્રી પરજાવ્યાં પ્રિથિવીણી.&lt;br /&gt;
સાર કરિ–ને સ્વામી શ્રીરંગધરા ઈમ બોલઈ રાણી રુષિમણી.૫૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
‘ભરતેશ્વર-બાહુબલિ રાસ’ (ઈ. ૧૧૮૫) માંના ‘સરસ્વતીધઉલ’નો આ ઢાળ છે. અંતે બોલીનો જે પ્રકાર એણે પ્રયોજ્યો છે તે માણિકચંદ્રસૂરિના ‘પૃથ્વીચંદ્રચરિત’-ના પ્રાસવાળા વાક્યખંડોના પ્રકારનો છે. પદ્મનાભના ‘કાન્હડદે-પ્રબંધ’ની ‘ભટાઉલિ’નું ગદ્ય સારું છે તો વીરસિંહનું આ ગદ્ય એની પ્રાસાત્મક વાક્યરચનાથી જુદું પડે છે :૫૬&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘આઠમઇ અવતારિ, કંસ માલાખાડિ મારી,&lt;br /&gt;
બલિ તણુ બાણ મનાવય હારિ, યાદવવંશ વધારિ, સોલસહસ્ર નારી,&lt;br /&gt;
વરસિંગ ભણઇ દ્વાપરયુગ મઝારિ’.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રાપ્ત એવો પહેલો સળંગબંધના આખ્યાનનો રચયિતા વીરસિંહ ઉષા-અનિરુદ્ધનું પૌરાણિક કથાનક, પૂર્વના પ્રચલિત કાવ્યબંધનું ગદ્ય સમેત વૈવિધ્ય સાધી, આપે છે એ રીતે નોંધપાત્ર બની રહે છે. એના નામ ઉપરથી એ રાજપૂત હશે; એણે પોતાના કાવ્યમાં છત્રીસ-કુળી રાજપૂતોની યાદી આપી છે૫૭ તેથી એવું માનવા મન થાય, પરંતુ સાહિત્યકાર તરીકે તો એ યુગનું એક સારું ગુજરાતી આખ્યાનકાવ્ય એ અર્પી જાય છે, એ રીતે એનું મૂલ્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માંડણ બંધારો [ઈ. ૧૬મી સદી આરંભ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પદ્મનાભ વીરસિંહ અને કર્મણમંત્રીનો સમકાલીન માત્ર નહિ, એ જ પશ્ચિમ મારવાડનો કહી શકાય તેવો સાહિત્યકાર માંડણ બંધારો માલૂમ પડી આવ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શીરોહી સારણ સાનિધિ કરી કથા આવી મનશિધિ.&lt;br /&gt;
આવ્યો કુલે બંધારા તણઇ, લીધુ જનમ કૃત આપણઇં. ૧૨&lt;br /&gt;
&lt;br /&gt;
માતા મેધૂ-ઉદરિ નિવાસ, વૈષ્ણવ ભક્ત સવ્હૂંનું દાસ,&lt;br /&gt;
...સત્યઇં કૂડઇ મિશિ માંડણ મુખિ હરિનાંમ આવશિ.૧૩.૫૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રીતે પશ્ચિમ મારવાડના, આબુની ઉત્તરે આવેલા શિરોહીનો રહેવાસી અને બંધારા જ્ઞાતિનો સમજાય છે. એની માતાનું નામ ‘મેઘૂ’ અને એના ‘હનુમંતાખ્યાન’માં જણાવ્યા પ્રમાણે એના પિતાનું નામ હરિ હતું.’૫૯ અંબાલાલ બુ. જાનીએ ‘શિરોહી’ને ‘ઊના–શિહોર’ ગણી૬૦ કવિ સૌરાષ્ટ્રનો હોવાનો મત આપ્યો છે, પણ એ રીતે ‘શિહોર’ કહેવું હોય તો ગોહિલવાડનું સુપ્રસિદ્ધ ‘શિહોર&#039; શા માટે ન લેવાય? પરંતુ ‘શિરોહી&#039; એવો ઉલ્લેખ થયેલો હોઈ જોડણી-દોષ જોવાની જરૂર નથી. પદ્મનાભ વીરસિંહ અને કર્મણ મંત્રી પશ્ચિમ મારવાડમાં રચનાઓ કરતા મળે જ છે. કહેવાની જરૂર નથી કે આજે પણ શિરોહીનો જેમાં સમાવેશ છે તેવા ભિન્નમાળ–શ્રીમાળના પ્રદેશની બોલી ગુજરાતીને મળતી છે. સ્વરાજ્ય મળ્યા પછી રાજ્યોના પુનર્ઘટન સમયે આબુ અને શિરોહીનો પ્રદેશ થોડાં વર્ષ ઉપર રાજસ્થાનને સોંપાયો તે પૂર્વે ગુજરાતનો જ ભાગ હતો.&lt;br /&gt;
આ કવિની ‘પ્રબોધબત્રીસી&#039; મુદ્રિત કૃતિ ઉપરાંત ‘રામાયણ’, ‘રુક્માંગદ કથા’ અને ‘પાંડવવિષ્ટિ&#039; એ ત્રણે અપ્રસિદ્ધ કૃતિ પણ જાણવામાં આવી છે.૬૧ ‘હનુમંતાખ્યાન’ રામાયણના જ પ્રથમના ૩૦ ખંડોમાં આવી જાય છે.&lt;br /&gt;
‘પ્રબોધબત્રીસી’ એ ૨૦-૨૦ ષટ્પદી ચોપાઈની ૩૨ વીશીઓમાં રચાયેલું જ્ઞાનમૂલક કાવ્ય છે. અખાના છપ્પાઓના સંગ્રહમાંનાં ભિન્ન ભિન્ન અંગોમાં સમાજના ચિત્રને ઉપસાવતી સાચી સમજદારીની શિખામણમૂલક જ્ઞાનગોષ્ઠી મળે છે તેવી જ આ જ્ઞાનગોષ્ઠી છે. આ પદ્ધતિની કવિતા માંડણ અને અખા સિવાય બીજા કોઈ સાહિત્યકાર પાસેથી મળી જાણી નથી. અને અખાએ પણ માંડણનું જ અનુકરણ કર્યું છે, કેટલુંક લીધું પણ છે.૬૨ નરહરિએ આ પ્રકારે વિષય-નિરૂપણ કર્યું છે, પરંતુ એ ‘ગીતા&#039;ઓના રૂપમાં.૬૩ માંડણનો સમાજનો અભ્યાસ ઉચ્ચ કોટિનો કહી શકાય એણે ‘પ્રબોધબત્રીસી&#039;માં ૪૦૦ થી ૫૦૦ જેટલી કહેવતો વણી લઈ પોતાની વાણીને માર્મિકતાથી સમૃદ્ધ કરી છે. એની પ્રત્યેક વીશી ઊંડા બોધ અને તત્ત્વજ્ઞાનથી ભરેલી છે. અખાને જે જાતનો ગુરુને માટે અનુભવ બંધાયો હતો તેનાં મૂળ માંડણમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એની પાંખડ ઉપરની ટકોર :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાખંડી ગુરુ માથઇ કર્યા, વાયી વેદ ઉવટિ સાંચર્યા.&lt;br /&gt;
ધર્મ તણી હાંણિ નવિ સર્યું : ઉપરિ અતિ ધન વાવર્યું :&lt;br /&gt;
મિથ્યાલાપિ હૌઆ સંયમી, ‘ભઇસિ કેડિ પાડી નીગમી.&#039; ૮૧&lt;br /&gt;
&lt;br /&gt;
પાખંડી પૂજા આદરી, બઇઠા મૂરત પાખલિ ફિરી.&lt;br /&gt;
કહિ કલયુગનુ જોઉ પાર, એહવા ભક્ત ગુરુ તેહ વાર.&lt;br /&gt;
‘નારિ સતી પુરુષ તિમ સતુ, ગાધિ ગૂણિ કલશીનુ પિતુ. ૮૨.૬૪&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જ પ્રસંગે એણે માર્મિક કહેવતોનો ખડકલો કરી વચનમાં ચોટ લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઘોડઇ ચડ્યા કોઈ નવિ કલઇ, ચડિ ગાધિ સહુ જોવા મિલઇ.’&lt;br /&gt;
જુ બઇઠા નવિ નિરખઈ કોઈ, તું ઉભા દીઠઇ શું હોઇ&#039;? ૮૩&lt;br /&gt;
‘મીચઇ આંખ, ન મીચઇ હૈઆ, ન ચલઇ કાછ, ચાલઇ ધોતીઆં&#039;.&lt;br /&gt;
‘લાઇ ભૂતી વિભૂતી ન લઇ, તન સાંકલી નઇ મન સાંકલઇ.&#039;&lt;br /&gt;
‘દાંમી ઉંટ સહિ નવિ કોઇ, એ ગાહાદિ દામંતાં જોઇ&#039;. ૮૪&lt;br /&gt;
&lt;br /&gt;
‘અંગિ રાખ, મનઇ રાખડી; બાહરિ બાંગ, માંહિ બાંગડી.&#039;&lt;br /&gt;
‘ભાલિ ચંદન, મન માંહિ ચાંદલી, માંહિ વન, અંતરિ વલી.&#039;&lt;br /&gt;
‘બે ગુડીયા સંયારા દોર, અણ દેખણી તે રાજા ચોર&#039;. ૮૫.૬૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બેશક કહેવતોનો ખડકલો થતાં રચના કર્કશ થઈ પડે છે. આમ છતાં ‘લોકોક્તિ&#039;ના રૂપમાં એ કહેવતો નવી પણ ઊભી કરેલી હોઈ કવિની શક્તિનો પણ પરિચય આપે છે. એણે કહેવતોનો કોશ જ કરી આપ્યો છે, જે અખાને એના છપ્પાઓમાં કામ લાગ્યો છે.&lt;br /&gt;
‘રામાયણ’ ૭૦-૭૦, ૭૫-૭૫ કડીઓના ખંડ પાડતું ૭૦ ખંડોનું આખ્યાનકાવ્ય છે.૬૬ એણે શુદ્ધ ચોપાઈ–બંધ સ્વીકારી ખંડના અંતભાગે પૂર્વછાયુ આપેલ છે, જે પ્રકાર ભીમના ‘પ્રબોધપ્રકાશ&#039; (અનુવાદ) માં તેમજ પછીના અન્ય આખ્યાનકારોનાં સળંગ બંધનાં આખ્યાનોમાં પણ મળે છે. રામાયણના જાણીતા કથાનકમાં એણે કોઈ વિશિષ્ટ પ્રદાન નથી કર્યું, આમ છતાં એની પાસે કહેવાની હથોટી છે. રામના વનવાસમાં ભરત મળવા જાય છે એ પ્રસંગે જોઈએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘બિસારી સવિ લોકપ્રધાન, એ તું અહ્મ નઇ દ્યુ સવિ માંન.&lt;br /&gt;
જાશૂં યિહાં રામ લક્ષમણા, વાલી લાવિસુ ભ્રાત્રિ આપણા. ૯૬&lt;br /&gt;
&lt;br /&gt;
સહુઇ રાજા લોક સજ થાઇ, સાથંઇ અંતેઉરિ સવિ જાઇ.&lt;br /&gt;
સર્વ અયોધ્યાનાં યે લોક, સાથિ ચાલ્યા ટાલણ શોક. ૯૭&lt;br /&gt;
&lt;br /&gt;
લીધૂં શેન સંઘાતઇ ઘણૂં, જાઉં રામ છતા યિહાં સૂણૂં,&lt;br /&gt;
લીધી કેડી, ગહન બહુ ગમ્યાં, ત્રણ જણાં યિહાં વીસમ્યાં. ૯૮&lt;br /&gt;
&lt;br /&gt;
યે યે ભૂમિ રામ રહ્યા જાણિ, કરઈ પ્રમાંણ શીસ નવિ કાંણિ.&lt;br /&gt;
તેણી ભોમિં લોટઇ શર નમી, તું આઘુ ચાલઇ અવની. ૯૯&lt;br /&gt;
&lt;br /&gt;
ચિત્રકોટિ જાંણ્યાં ત્યાંહા છતાં, મેહેલ્યુ રથ યોજના છતાં,&lt;br /&gt;
પાલુ પલઇ ભક્તિ મનિ ષરી, અંતરિ રામચરણ શર ધરી. ૧૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
લક્ષ્મણ અવની દ્રમદ્રમકાર, ચાલ્યુ આવ કોઈ દલ ભાર.&lt;br /&gt;
સહી એ ભરથ પાણિ વનિ ગણી, ખારી રાજ નિકંટક મણી. ૧૦૧&lt;br /&gt;
&lt;br /&gt;
નવ બાંણ સાધી રુહુ સ્વામિ, ચાલ્યુ આવઇ શત્રુ વિરાંમિ.&lt;br /&gt;
વાસ્યુ રામઇ બાંધવ આપણુ, એ હઇ દશરથ રાજા તણુ. ૧૦૨&lt;br /&gt;
&lt;br /&gt;
જાણ્યુ ભરત આવતુ રાંમિ, બિઠા વ્રખ તલઇ વિશ્રાંતિ.&lt;br /&gt;
મેહેલી મઢી બાહરિ આવીઆ, લઘુ બાંધવ આવત પેષીઆ. ૧૦૩ ૬૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પછી ભરતની સરલતા સરળ શબ્દોમાં નિરૂપવામાં આવી છે. કાવ્યગત ચમત્કૃતિ આમાં નથી, પરંતુ લોકચિત્ર આમાં સાહજિક રીતે સુલભ છે.&lt;br /&gt;
‘રુક્માંગદકથા’ પણ રામાયણના કાવ્યબંધવાળું જ આખ્યાન છે.૬૮ એમાં પણ નિરાડંબર કથનપદ્ધતિ જ જોવા મળે છે. ‘પાંડવવિષ્ટિ&#039; (તૂટક)૬૯ પણ આ પ્રકારનું સરળ નિરાડંબર આખ્યાન છે અને કોઈ વિશિષ્ટ શક્તિનો પરિચય આપતું નથી.‘પૂર્વછાયુ’ વાળી ચોપાઈના એકમથી રચાયેલાં આખ્યાનોનો, કહેવો હોય તો, માંડણને પુરસ્કારક કહી શકાય. એનું ‘સતભામાનું રૂસણું&#039; જોવા મળ્યું નથી,૭૦ પરંતુ માંડણે પદો લખ્યાં હોય એવું પણ જોવા મળે છે.૭૧ આશ્ચર્ય એ છે કે નરસિંહ મહેતાનાં પદોમાં મરાઠી ભાષાની અસર જોવા મળે છે તેવી અસર ‘માંડણ’ની છાપનાં પદોમાં પણ જોવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|4em}}રાગ મહ્લાર&lt;br /&gt;
&lt;br /&gt;
‘સાગર બોલિ, સાંભલિ નામા તૂં ગુણ–પાર ન જાણૂં રે.&lt;br /&gt;
આણુ કવણ ઓપમા?&lt;br /&gt;
યે ઉપગાર તિ કીઉલા અહ્મચિ,&lt;br /&gt;
કેતા કરૂં અવષાંણૂં કે જાણૂં ન પાર તુહ્મ. -ડુઢિ.&lt;br /&gt;
જેહચા પાઉ શેવિં સુરપતિ શીતાપતિ શ્રીરાંમો,&lt;br /&gt;
તે અહ્મ સાંહાંમા કીઉલા મુરારિ, ધન ધન તુઝા નામો. ૧&lt;br /&gt;
&lt;br /&gt;
નાઇં તિ અહ્મચિં ગુણ કીઉલા નામાં શીપ વિચારુ રે.&lt;br /&gt;
કારણિ અવતારો.&lt;br /&gt;
માઝિ મુગતાફલ ઉપવલિ રયીયલિ બહુ હારો, ચડાવીલિ ભૂપાલો. ૨&lt;br /&gt;
&lt;br /&gt;
સોઇ દ્વારકાં શશિહર સોહિ મોહિ સૈઅલ સંસારો.&lt;br /&gt;
ફેરી દેઉલ અહ્મ સંનિધિ કેઉલા મંડણચા દાતારો. ૩’૭૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માંડણ દ્વારકાની યાત્રાએ ગયો હોય તે સમયે ઉપરનું પદ રચ્યું હશે. એ આ પછીના પદથી કહી શકાય :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
* બીજું નામ ‘એકાદશી મહિમા&#039;. આ કૃતિની લે.ઈ. ૧૫૧૮ મળતી હોવાથી માંડણ ઈ. ૧૬મી સદી પૂર્વાર્ધ સુધીમાં થયો હોવાનું અનુમાન થઈ શકે [જુઓઃ ગુજરાતી સાહિત્યકોશ:૧]&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અહ્મો આઇલા રે હરિ ઉષામંડલ ભણી જૂ ઘણી સાંભળી રૌરચિ વાત.&lt;br /&gt;
અહ્મા કીધલિ રે હરિ તીર્થ દ્વારાવતી દુર્મતિ મેલીઆં કર્મ કોટી.&lt;br /&gt;
સારીલિ રે હરિ ગોમતી –મજ્જન વ્રજ ન વાધતાં મેર મોટી. અહ્મો૰&lt;br /&gt;
અહ્મો પેષી લઇ રે હરિ મૂરતિ તાહરી, સાંભરી ઉદર માત પીડ.&lt;br /&gt;
નમીલિ રે હરિ શીસ સાંમલ–વ્રન જ મન તાપીલિ તન ભીડ. અહ્મો૰&lt;br /&gt;
અહ્મો વિઠલા રે હરિ ધર્મ-શભાસનિ, વાસ ન વછુંણિ સ્વર્ગ સ્વામી.&lt;br /&gt;
લીધલિ મંડણ ચરણ-શરણાધાર, સંસારવેદના વિવિધ વામી. અહ્મો૰&#039;૭૩&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપરનાં પદોમાંનું બીજું પદ તો સ્પષ્ટ રીતે ‘ઝૂલણા&#039;ના ઢાળનું છે અને નરસિંહ મહેતાના ઝૂલણાનાં પદોમાં જેમ નામદેવના અભંગોના ઢાળનું અનુકરણ સુલભ છે તે પ્રમાણે આ પદમાં પણ સુલભ છે. ‘કીઉલા’ વગેરે રૂપોનો પ્રયોગ અને ‘વિઠ્ઠલ’ શબ્દનો પ્રયોગ પણ એની શાખ પૂરે છે. ‘પેથડરાસ&#039; જેવી જૈન રાસરચનામાં પણ આ પ્રકારનાં ભૂતકૃદંતોનો પ્રયોગ અજાણ્યો નથી.૭૪ ‘પ્રબોધબત્રીસી&#039;માં ‘બહુ તીરથ મઇ જોયો હરી&#039; વગેરેથી માંડણે યાત્રાઓ ઠીક ઠીક કરી હોવાનું સમજાય છે. શ્રીવલ્લભાચાર્ય ગુજરાત-સૌરાષ્ટ્રમાં આવ્યા એ પૂર્વે દક્ષિણી વારકરી સંતોનો અને એમના અભંગ–સાહિત્યનો પરિચય આ રીતે કહી શકાય એમ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;શ્રીધર અડાલજો [ઈ. ૧૬મી સદી આરંભે હયાત]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાલણનો સમકાલીન કહી શકાય તેવો આખ્યાનપ્રકારને ખેડનારો એક શ્રીધર અડાલજો મોઢ જૂનાગઢ (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૫૬૫ (ઈ.સ. ૧૫૦૯)માં હયાત હતો એવું એના ‘રાવણ-મંદોદરી સંવાદ&#039; નામના સંવાદ–કાવ્યના અંતભાગથી જાણવામાં આવ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પનર પાંસઠઇ જીરણ-દુર્ગ નિવાસ,&lt;br /&gt;
પૂરણ ચ્ચારી ચોપઈ બિસઇ બાંધી બુદ્ધિપ્રકાસિ. ૨.&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;****&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
સોય મંત્રી સહમા-સુતન કવિતા શીધર નામ,&lt;br /&gt;
ઉતપતિ મોઢ અડાલજા, તસ ભૂઠા શ્રીરામ. ૫.’૭૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એના પિતાનું નામ ‘સહમો&#039; હતું અને એ ‘મંત્રી&#039; હતો. અર્થાત્ જૂનાગઢમાં માંડલિકનું રાજ્ય વિ. સં. ૧૫૨૯ (ઈ. ૧૪૭૩) માં ખતમ થયું ત્યારે એ રાજ્યમાં મંત્રી–પદે હોય અથવા મુસ્લિમ સૂબો સત્તા ઉપર આવતાં એ અડાલજ કે અમદાવાદથી સૂબાના મંત્રી તરીકે આવ્યો હોય. શ્રીધર અડાલજો મોઢ હોઈ જૂનાગઢનો જૂનો વતની તો નહિ જ હોય.&lt;br /&gt;
એની પ્રાપ્ત રચનાઓમાં ‘રાવણ-મંદોદરી સંવાદ&#039; રામચંદ્રજી સાથેના રાવણના વિગ્રહમાંથી રાવણને દૂર રહેવા માટેની મંદોદરીની દલીલોને લગતું સંવાદકાવ્ય છે. એ આ સંવાદકાવ્યમાં પોતાને ‘કવિતા&#039; (सं. कवयिता) અને ‘કવિ&#039; કહે છે.&lt;br /&gt;
આ સંવાદકાવ્ય જોતાં એનું એ વિશેષણ સાર્થક કહી શકાય એમ છે. માંડણે ‘પ્રબોધબત્રીસી&#039;માં જેમ કહેવતો જૂની અને નવી ભરી આપી છે તે પ્રમાણે શ્રીધરે પણ આ સંવાદકાવ્યમાં ભરી આપી છે. એ પોતે પણ ‘ઉખાણાનું’ પ્રયોજન કહે પણ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘મઇં ઉખાણા અતિઘણા કીધા કવિત મઝારિ.&lt;br /&gt;
કાપડિ ભરતાં કાપડી વરઇ નવેણી વારિ.’૭૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને કાવ્યનો ઉઠાવ કરતાં પણ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘રઢિ રાવણ, મતિ-મંદોદરી, કરિસી કવિત ઉખાણિ કરી;&lt;br /&gt;
રામકથા સોનું નઇ સરહું, સોય કવિ શ્રીધર જડસિ ખરહું&#039;.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માંડણની રચનામાં વાંચતાં કંટાળો ઊપજે છે, પણ શ્રીધર કંટાળામાંથી બચાવી લે છે.&lt;br /&gt;
સીતાના હરણના વિષયમાં રાવણ પ્રતિ મંદોદરીનું કથન :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ખરું વયણ મંદોદરી ભણિ: રાવણ, મતિ મૂંઢિ તહ્ય તણિ.&lt;br /&gt;
આગઇ અગણિત અંતેઉરી, વલી તઇ સીતા સ્યાહાનઈ હરી?&lt;br /&gt;
&lt;br /&gt;
કાશ્યપ વંશ તણી કુલ-વહૂ સુર નર પન્નગ જાણી સહૂ.&lt;br /&gt;
જો આમિષ અતિ મીઠઉં હોઇ, પીંડી તણું ન પ્રાસિ કોઇ.&#039;૭૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
રાવણ એનો જવાબ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કોઇ ન (મઝ) કહાવી મઇદાનવી, મિ રાવણ પરિ કીધી નવિ.&lt;br /&gt;
એ બેટી રાય જનક ઋષિ તણી, બ્રહ્માદિક જાણી બ્રાહ્મણી.&lt;br /&gt;
&lt;br /&gt;
ખત્રી તણી ખભેડી પડી, અન્ન ઉદક પાખિ રડવડી.&lt;br /&gt;
કાદવિ ખુતી કવલી ગાય, પૂંછડ લેવા પરઠઉ પાય.’૭૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બંનેની દલીલો એક એકને વિચારમાં નાખે તેવી કવિએ આપી છે, એમાં કવિની મુત્સદ્દીગીરીનો પણ ખ્યાલ સહજ રીતે આવે છે.&lt;br /&gt;
આખા સંવાદને અંતે મંદોદરીને ઈશ્વર અને બ્રહ્મા તરફથી રાવણ અને કુંભકરણના અવતારની હકીકત કહેવામાં આવી છે, જેનાથી મંદોદરીને રાવણના વિષયમાં જે ક્રોધ હતો–અણગમો ઊભો થયેલો તેનું નિવારણ થાય છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘રીસ નિવારૂં રાણી ભણઇ, લાગિ પાગિ પિતામહ તણઇ,&lt;br /&gt;
પ્રીઅ સરસો કીધો પ્રસંગ, વલ્યા વિધાતા વરતો રંગ.&lt;br /&gt;
&lt;br /&gt;
કંથ કપટ નઇ કામિની કલહિ અજાયુદ્ધ પરિ જાસઇ વિલહિ.&lt;br /&gt;
ધરિ ગુલ રાડિ ન પાડિ વિસલ, ચખિ દેતાં કાયા કુશલ.&#039;૭૯&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીધર કહેવતો અને રૂઢિપ્રયોગો એવી રીતે વણી લે છે કે એ કર્ણકટુ થઈ પડતાં નથી. આ રચનાને ‘શુદ્ધ આખ્યાન’ ન કહી શકાય. એણે પ્રસંગ ઉપજાવી કાઢેલો છે, બંને પાત્રો માત્ર પૌરાણિક છે. છંદની દૃષ્ટિએ માંડણની જેમ ષટ્પદી ચોપાઈ ન સ્વીકારતાં અષ્ટપદી ચોપાઈ સ્વીકારી છે.&lt;br /&gt;
આખ્યાન–કોટિનું એનું ‘ગૌરીચરિત્ર’ છે. એ એણે જૂનાગઢમાં બેસી નથી લખ્યું, પરંતુ સોમનાથ પાટણમાં રચ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગાય ઈશ્વરચરિત્ર-ગૌરી, સાંભળે સહજે કરી,&lt;br /&gt;
તેના પિંડ પાતક જઈ, પુણ્ય થાય માઘમજ્જંન સરી. ૩&lt;br /&gt;
&lt;br /&gt;
સરસ્વતી–સાયર–નીર નિર્મળ, સોમશિરે ધારા ઢળે,&lt;br /&gt;
પુણ્ય તણા પ્રભાવ વાધે, જે કો ગાય સાંભળે. ૪&lt;br /&gt;
&lt;br /&gt;
શ્રીધર–સ્વામી ચરિત્ર શિવનાં ભાવે ગાતાં સાંભળે,&lt;br /&gt;
મન–મનોરથ પૂર્ણ હોય, કૈલાસપતિ પ્રેમે મળે. ૫.’૮૦&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાગરમાં જ્યાં સરસ્વતી નદીનાં નિર્મળ જળ સોમનાથના શિર ઉપર વહે છે ત્યાં ‘ગૌરી ચરિત્ર&#039; ગાનારને ફ્ળ મળે છે એમ કહ્યાથી શ્રીધરે સોમનાથમાં બેસી આ ચરિત્ર રચ્યું હોય એમ કહી શકાય. સંભવ છે કે શ્રીધર સોમનાથમાં જઈને રહ્યો હોય. મોઢ વણિકોની વસ્તી આજે પણ સોમનાથ પાટણમાં છે એટલે એનો પ્રભાસ પાટણમાં ક્ષણિક કે કાયમી વાસ થયો હોય તો એ અસંભવિત નથી.&lt;br /&gt;
સંવાદકાવ્યોનો પ્રવાહ નરસિંહ મહેતાના ‘રાધાકૃષ્ણસંવાદ&#039; કિંવા ‘દાણલીલા&#039; અને ભાલણના ‘શિવભીલડીસંવાદ&#039; કે ‘હરસંવાદ&#039; એ કાવ્યોમાં જોવા મળે છે, તો એ જ પ્રકાર શ્રીધરના ‘રાવણમંદોદરીસંવાદ&#039;માં પણ અનુભવાય છે. પોતે એની એક વધુ રચના ‘ગૌરીચરિત્ર&#039;થી આપે છે. ૧૬ કડવાંઓમાં રચાયેલું આ કાવ્ય નરસિંહ મહેતાની ‘ચાતુરીઓ&#039;નાં નાનાં નાનાં પદોના પ્રકારના – અંદર ધ્રુવકડી અને ઢાળવાળા પ્રકારના-કાવ્યબંધમાં મળે છે, શ્રીધરે આ બધામાં જે વૈવિધ્ય સાધ્યું છે તે ઢાળની પૂર્વેની ધ્રુવ-કડીના છેલ્લા ચરણના શબ્દોના આવર્તનનું છે, જે આપણને ‘ભરતેશ્વર- બાહુબલિરાસ’નાં ‘સરસ્વતીધઉલો’ અને મોડેના ‘ધઉલ–ધૂલ&#039;નો ખ્યાલ આપે છે. નરસિંહની ‘ચાતુરી’ઓમાં જે પ્રકારની કવિપ્રતિભાનાં દર્શન થાય છે તેવા પ્રકારના ‘ગૌરીચરિત્ર&#039;માં દર્શન થતાં નથી, સાદું આખ્યાન જ બની રહે છે; જેમકે&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|6em}}કડવું ૩ જું – રાગ ચાલતો&lt;br /&gt;
‘રૂપ તે લીધેલું રે, ભીલીનું ભવાની રે, નાની તે થઈ રે વરસ નવ સાતની એ.૧&lt;br /&gt;
શિવજી જ્યાં બેઠા રે, સમાધિ ધરીને રે, ત્યાં આગળ ભીલડીએ રાગ અલાપિયો રે. ૨&lt;br /&gt;
{{gap|8em}}ઢાળ&lt;br /&gt;
રાગ અલાપિયો ટોડી ગતનો, મલ્હાર ગાયો મન ધરી.&lt;br /&gt;
સાતમી શરતે નૃત્ય માંડ્યું, ભાવ ભૈરવનો કરી. ૩&lt;br /&gt;
&lt;br /&gt;
મન ધરી મેરુ સમાન માયા, પાન પેહેર્યાં વન તણાં,&lt;br /&gt;
મોરંગ મસ્તકે વેણ વાંકી, શ્રવણ ટોડર સોહામણાં. ૪&lt;br /&gt;
&lt;br /&gt;
સોહામણી ડિલ તણી ચોળી, ગળે ગુંજા-હાર રે.&lt;br /&gt;
ચુનડી ચરણા કુસુમ કેરા, ભીલડી ઓપે અપાર રે. ૫&lt;br /&gt;
&lt;br /&gt;
હર ધરી હૈયે હશી ગાયે, ચક્ષ ચાલ કરે ઘણું :&lt;br /&gt;
મન્મથ જમલો આણી રાખી, રૂપ રચ્યું ભીલી તણું. ૬.’૮૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કડવાને અંતે ‘વલણ&#039; કે ‘ઊથલો&#039; શબ્દ લખ્યો નથી, પરંતુ એ પ્રકારના આવર્તનવાળી એક–બે કડી આપી કડવાનું સમાપન સાધી લેવામાં આવ્યું છે, જેનો પૂરો વિકાસ તો નાકરનાં આખ્યાનોમાં મળે છે. શ્રીધરે એવા વલણના છેલ્લા ચરણમાં કડવાના આરંભના ચરણનું આવર્તન લીધું છે, એ જુદો પ્રકાર છે. કવિતાની દૃષ્ટિએ આ કાવ્યમાં શ્રીધર કાંઈ વિશેષ અર્પી શકતો નથી, સાદો સંવાદ જ આપે છે. બેશક, એની પાસે શબ્દસમૃદ્ધિ સારી છે, જેના બળ ઉપર એ શ્રવણરમ્ય નાનું આખ્યાન સિદ્ધ કરી આપે છે અને ‘સંવાદકાવ્ય’ લેખે એ ગુજરાતી કાવ્યોમાં સ્થાન સાચવી શકે એવું પ્રદાન તો અવશ્ય કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કીકુ વસહી [ઈ. ૧૬મી મધ્યભાગ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સળંગ બંધમાં ભગવાન શ્રીકૃષ્ણની બાલલીલા ગાનારો આખ્યાનકાર કીકુ વસહી દક્ષિણ ગુજરાતમાં થયેલો જાણવામાં આવ્યો છે. એના ‘બાલચરિત&#039; નામના આખ્યાનને અંતે એણે પોતાનો પરિચય ઠીક ઠીક આપ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘આદિ ઉતપતિ કવિ તણી નયર અનાઉલિ ઠાંમ.&lt;br /&gt;
ઋષિ અજાચી સર્જિયા, થિર થાપ્યા શ્રીરામ. ૬૨૩&lt;br /&gt;
&lt;br /&gt;
ઉત્તમ કુલ ઉદીચનૂં, વિશ્વંભર વર દીધ.&lt;br /&gt;
કર આપુ, કરસણ કરૂં, દેવિ દાતા કીધ. ૬૫૪&lt;br /&gt;
&lt;br /&gt;
ગણદેવી ગણ નયરનું નરહરિ નામિં નામ.&lt;br /&gt;
વાડિવ-વંશિ અવતર્યું, વિશ વાશિ તીણી ઠામિ. ૬૨૫&lt;br /&gt;
&lt;br /&gt;
વસહી ગોદા-સંભઅ, કહિ કીકુ કર જોડિ,&lt;br /&gt;
બાલચરિત્ર નરહરિ સુણી ભવભવબંધન છોડી.’ ૬૨૬’ ૮૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આનો આશય એ છે કે ઉત્તરમાંથી આવેલા બ્રાહ્મણો ‘અનાવલા&#039; ગામમાં આવ્યા અને ત્યાં અયાચક વૃત્તિ ધારણ કરી કૃષિનો ધંધો કરતા હતા. એવું એક કુલ ગણદેવીમાં જઈને રહ્યું, તેમાં નરહરિ નામના ‘વસહી’ અવટંકના બ્રાહ્મણને ત્યાં ‘ગોદા’ (સંભવતઃ ‘ગોદાવરી&#039; માતા)ની કૂખે કીકુનો જન્મ થયો હતો, જેણે ‘બાલચરિત્ર’ બનાવ્યું. ઐતિહાસિક દૃષ્ટિએ વિચારતાં અહીં એને હાથે એક મહત્ત્વનો ખુલાસો મળી જાય છે કે ‘ઉદીચ’નું ઉત્તમ કુલ એટલે કે ઔદીચ્ય બ્રાહ્મણનું કુલ ‘અનાવળા&#039;માં આવી રહ્યું હતું તેઓમાં જે ‘વસહી&#039; (આજનું ‘વશી&#039;) કુટુંબ હતું તેમાં કીકુ જન્મ્યો હતો, અર્થાત્ ‘અનાવળા&#039; બ્રાહ્મણો ‘અનાવળા&#039; (સં. अन्नपद्रक – प्रा.-अन्नउल्लअ-) ગામ પરથી પ્રથિત થયા, જે મૂળમાં ‘ઉદીચી&#039; દિશામાંથી આવેલા-સંભવતઃ ‘ઔદીચ્ય&#039; બ્રાહ્મણ હતા.&lt;br /&gt;
‘બાલચરિત્ર&#039; ૬૩૦ કડીઓનું દોહા અને ચોપાઈમાં રચાયેલું સળંગ બંધનું આખ્યાન પ્રકારનું કાવ્ય છે. એ પોતાને ‘કવિ’ કહે છે અને મધ્યકાલીન ગુજરાતી કવિઓની સાથે મુલવણી કરતાં એ થોડેક અંશે કવિતાને રોચક બનાવવા સમર્થ થાય છે ખરો. શ્રી કૃષ્ણના યમુનાના ધરામાં ઝંપાપાત પછીનું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સુણી વાત માતા દડવડી રુદન કરિ, ચાલિ અડવડી,&lt;br /&gt;
નંદ ગોપ મનિ વિહવલ થાઈ, નયરલોક–શૂં યમુના જાઇ. ૨૫૫&lt;br /&gt;
&lt;br /&gt;
ગોકુલ સકલ સુણી ખલભલ્યૂં, નંદ કેડિ સવિ આવિ ભિલ્યૂં.&lt;br /&gt;
ગોપનારિ સહૂ સાથે જાઇ, હરિવિલાપ યશોદા માય. ૨૫૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; ‘બાલચરિત&#039; કે ‘કૃષ્ણચરિત&#039; નામના એના કાવ્યની નકલ (લે.ઈ.) ૧૫૪૪ આસપાસ થઈ હોવાથી કવિ એ સમય સુધીમાં થયો હોવાનું અનુમાન કરી શકાય છે.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કહિ માતા મહીધરનિ કાજ, કરૂં પ્રાણ સવિ માહરા ત્યાજ્ય.&lt;br /&gt;
ઝંપાવાનિ આઘી થાઇ, અવર નારિ સહૂ બાંહિ સાહિ. ૨૫૭&lt;br /&gt;
&lt;br /&gt;
નંદ નિસાસા મૂકિ ઘણા, ઘસિ હાથ હઈઇ આપણા.&lt;br /&gt;
દુ:ખ કહિનિ કહ્યૂં ન જાય, પુત્રવિયોગ નહી સહિવાય. ૨૫૮.&#039; ૮૩&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પરંતુ પ્રેમાનંદની પ્રતિભા એની પાસે નથી, એ કાવ્યચમત્કૃતિ, રસાપેક્ષી લાવી શકતો નથી, સાદાં ચિત્ર ઊભાં કરે છે. ગુણ એક જ છે અને એ એણે નકામું લંબાણ ન કરતાં ભાગવતાનુસાર કથાનક સાચવી આપ્યું છે એ.&lt;br /&gt;
એનું બીજું કાવ્ય ‘અંગદવિષ્ટિ&#039; છે.’૮૪ સાઠ છપ્પાઓમાં સીતાને સોંપી દેવાની વિષ્ટિ કરવા વાલિપુત્ર અંગદ લંકામાં રાવણના દરબારમાં ગયાનું અને ત્યાં રાવણ સાથે સંવાદ કર્યાનું આ કાવ્યમાં વર્ણન થયું છે. કાવ્યમાં પ્રયોજવામાં આવેલો ‘છપ્પય’ બંધ વાણીમાં બળ પૂરતો અનુભવી શકાય છે. આ સંવાદકાવ્યમાંના સંવાદમાં અંગદ રામનાં વખાણ કરે છે અને રાવણ રામની નિંદા કરે છે. આરંભમાં અંગદ રાવણની સભામાં પ્રવેશે છે ત્યાં :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘અવલોક્યુ અંગદ સભા સહૂ દસશર દીઠા.&lt;br /&gt;
ઇચ્છાઇ રૂપને કરી, રૂધિ માયા તવ બિઠા.&lt;br /&gt;
તવ વાલિપુત્ર બોલિયુ સબલ પણ સમરથ ધાઇ&lt;br /&gt;
જે રાવણની મા કૌસિકી તે ભૂંડ તણી પરિ વ્યાઇ.&lt;br /&gt;
ઇણિ દૂધ વિણાસ્યા જન, રાજકાજ કાંઈ ન સરયું.&lt;br /&gt;
સુણી વચન વંનરા તણું તવ પ્રગટ રૂપ રાજા ધ૨યું. ૪.’૮૫&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નીચેનો બે વચ્ચેનો સંવાદ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;(અંગદ) ‘લીધી જાણે લંક, દસિ શિર તાહરાં કાપી,&lt;br /&gt;
પાછા વલસી રામ રાજ વિભીષણ આપી.&lt;br /&gt;
તવ રંડાસિ રાણીઅર, રાજ લંકાનું જાસિ;&lt;br /&gt;
ગજ રથ હય સહૂ સેન સજન-શૂં નિગ્રહ થાસિ,&lt;br /&gt;
રાવણ રાઇ સુણી વનતી ઉત્તર એક અંગદ કહ્યું.&lt;br /&gt;
જેણિ વાલ હેલાં વધ્યો, જેહની કક્ષા પર માંહિ રહ્યો. ૧૩.&lt;br /&gt;
&lt;br /&gt;
(રાવણ) મનસ્ય માત્ર એ રામ, કપ્ય ગિરિનાં સાવિજડાં,&lt;br /&gt;
કુંભકરણ જાગસિ ભક્ષ કરિસિ જ હવડાં,&lt;br /&gt;
મુઝ મુષિ કોઇ ન ઉગરિ, સહીસ તૂં સાચૂં જાણહ.&lt;br /&gt;
ચાલ્યુ રણ સાહમઉ તવ પડસિ ભંગાણહ.&lt;br /&gt;
દ્રુડઇ દિહુ દિશિ વંનરાં, તહ્યે ચપલ જાતિ જાશુ પલી.&lt;br /&gt;
વિગોસિ લક્ષમણ રામનિ જિમ લંકા નહીં આવી વલી. ૧૪&lt;br /&gt;
&lt;br /&gt;
(અંગદ) ઐહણિ હણ્યું સખાહ સબલ સંગ્રામિ જીતુ&lt;br /&gt;
ફરસરામ અતિશૂર તેજ-બલ-હીણ કીધુ.&lt;br /&gt;
સુરપનષ વિગોઈ, ખર દૂસર તે મારયા,&lt;br /&gt;
કબંધ નિ વિરાધ અશા તિહાં સંહારયા&lt;br /&gt;
સાગર જ બાંધી આવિયા, શૂં રાક્ષસ મછર જ કરિ’?&lt;br /&gt;
દશરથ-દ્વારિ તૂં રાવણ યશા દીવટિયા દીવી ધરિ. ૭.’૮૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ આ કાવ્યમાં માત્ર અંગદવિષ્ટિથી ન અટકતાં રામ-રાવણના યુદ્ધને પણ આવરી લે છે. ઈંદ્રીજતે આવી ઘોર સંહાર કર્યો એ કાંઈક તેજીલી બાનીમાં મૂર્ત કરવા કવિ પ્રયત્ન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઉતપતિ આગાશ, રહ્યુ રવિકર્ણ મધ્ય જઇ,&lt;br /&gt;
બાણવૃષ્ટિ તે કરિ આપ અદૃષ્ટિ થઈ,&lt;br /&gt;
પડ્યૂં વંનર-સૈન, અંગદિ આયુધ ભેદ્યાં.&lt;br /&gt;
સુભટ થયા સાહામુઆ તાસ તકે શર છેદ્યાં,&lt;br /&gt;
લક્ષ્મણરાય હોઈ મૂરછ અવર સેન પાડયૂં ઘણૂં,&lt;br /&gt;
રાવણ-ઘરિ દુંદુભ વાજ્યા તું હરષ્યૂં દલ રાક્ષસ તણૂં. ’૮૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્યમાં કવિએ કુંભકર્ણને યુદ્ધસમયે નિદ્રામાંથી જગાડવાનો પ્રસંગ થોડો વધુ આકર્ષક આપ્યો છે, એક ‘વીરકાવ્ય’ તરીકે રજૂ કરવાનો કવિનો પ્રયત્ન છે, જેમાં ‘છપ્પય’ છંદ એને વધુ સહાયક બની રહે છે. શામળની ‘અંગદવિષ્ટિ&#039;નાં મૂળ આટલાં જૂનાં જોઈ શકાય ખરાં.&lt;br /&gt;
કોઈ કીકુનું ‘સોઢી અને દેવડાનું ગીત&#039; ઐતિહાસિક પ્રકારનું જાણવામાં આવ્યું છે૮૮ તે કીકુ આ જ કીકુ વસહી છે કે નહિ એમ કહી શકાય એમ નથી, ગીતમાં વિશેષ પરિચય સૂચવાયો નથી. કીકુનાં કાવ્યોની નકલ વિ. સં. ૧૬૦૦ (ઈ.સ. ૧૫૪૪) જેટલા જૂના સમયની સુલભ હોઈ, એટલા જૂના સમયમાં દક્ષિણ ગુજરાતમાંથી કવિએ સાહિત્યસર્જન કર્યું છે, એ દૃષ્ટિએ પણ કીકુ નોંધપાત્ર બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;દેહલ [ઈ. ૧૭મી સદી આરંભ સુધીમાં]&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મોડેથી જનતાપીએ જેમાંના વસ્તુ પોતાના ‘અભિમન્યુ આખ્યાન’માં ઉપયોગ કરી લીધાં જાણવામાં આવ્યાં છે તે ‘અભિવન-ઊઝણૂં’ (‘અભિમન્યુની વિદાય&#039;) [લે.ઈ. ૧૬૨૪] નામના ગુજરાતી ભાષામાં અભિમન્યુના વધને લગતા પહેલા માલૂમ પડેલા કાવ્યનો કર્તા કોઈ દેહલ ૧૫મી સદીના અંતભાગમાં થયો હોય એવું ધારવામાં આવ્યું છે.૮૯ હવે તો પ્રસિદ્ધ થયેલા એના ૪૦૬ કડીઓના કહી શકાય તેવા આ કાવ્યમાં ‘દેહલ ભણઇ&#039; ‘દેઅલ કહિ’૯૦ જેવા છૂટાછવાયા ઉલ્લેખ સિવાય વધુ માહિતી મળતી નથી. આ નાનું કાવ્ય ચોપાઈ–ચરણાકુળ–દોહરાની દેશીઓમાં રચાયેલું છે, જેમાં દોહરાની દેશીનું પ્રમાણ ઓછું છે, મુખ્ય પ્રવાહ ચોપાઈ–ચરણાકુલનો છે. મહાભારત–રામાયણ–પુરાણોમાંનાં ઉપાખ્યાનો અને નાનાં મોટાં કથાનકોને લોકભાષામાં ઉતારવાનો પ્રયત્ન કરનાર બધા પ્રતિભાવાન કવિઓ નહોતા, આત્મસંતોષ ખાતર અને શ્રોતાઓના મનોરંજન માટે પ્રયત્ન શરૂ થયા હતા તેવો આ પ્રયત્ન છે. જાણે કે કથાના અંતભાગ તરફ પહોંચવાની અધીરાઈ હોય એમ દેહલ ઝડપથી આગળ વધે છે, જેને કારણે જમાવવા જેવાં સ્થાન સાદા કથાનકથી આગળ કાંઈ આપી શકતાં નથી. આમ છતાં પ્રસંગોની વિશિષ્ટતાને કારણે ક્યાંક ચમકારા લાવવામાં કેટલેક અંશે શક્તિ મેળવે છે. કૃષ્ણે અહિલોચનના ગુરુ તરીકે લીધેલું બ્રાહ્મણનું રૂપ અને પેટીમાં પૂરી કરેલો એનો વિનાશઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ખભિ જનોઇ, જોસી–કરિ ટીપણૂં, બ્રાહ્મણરૂપ જ લીધૂં ઘણૂં.&lt;br /&gt;
આઘાંપાછાં જોસી ડગલાં ભરિ, મૂંહનિ તૂં ભ્રાંતિ જકહેની કરિ? ૧૫&lt;br /&gt;
&lt;br /&gt;
હાથ પગ મૂહ સરિખો વાન, હૂં જાણૂં તૂં માહરુ યજમાન.&lt;br /&gt;
જરાસિંધુ, ડાહલ શિશુપાલ, મુરુ દાણવ મારિઉ નિરધાર. ૧૬&lt;br /&gt;
&lt;br /&gt;
નરકાસુર નિરદલુ નિરવાણિ, અહિદાણવનાં કરું વખાણ.&#039;&lt;br /&gt;
‘કુહુ, માહારા ગુરુ, હરિ કેવડા?’ ‘તું સરિખા નિ જાણે તૂં જેવડા. ૧૭ &lt;br /&gt;
&lt;br /&gt;
તું સરિખુ નિ તૂં જેવડું, જાણૂં કૃષ્ણ તુઝ પ્રમાણિ ઘડ્યું.&lt;br /&gt;
તૂં માંહિ રહઇ તું માંઇ સોઇ, બાલા! પિસિ પ્રમાણૂં જોઇ.&#039; ૧૮&lt;br /&gt;
&lt;br /&gt;
પિસી દાણવ પરમાણૂં લીઇઉં, તવ નારાયણ તાલૂં દીઉં.&lt;br /&gt;
‘કાં રે માહરા ગુરુજી! તમ્યો હાંસૂ કરુ? જે જોઈઇં તે મુખિ ઉચરું. ૧૯&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ મારીને સારિસું કામ, તુમનિ દૂયારિકા સારિખું આપિસું ઠામ.&lt;br /&gt;
ગુરુ હુઇ તે હાસૂં નવિ કરિ.&#039; માંહિથી દાણવ મૂંઝી મરિ. ૨૦.&lt;br /&gt;
&lt;br /&gt;
‘આગિ હાસિ હિરણાખસ હણો, હાસિં દૈત્ય કોઇ નવિ ગણો.&lt;br /&gt;
હાસિં મારિઉ વન્નર વાલિ, હાસિ બલિ ચાંપિઉ પઇઆલ. ૨૧&lt;br /&gt;
&lt;br /&gt;
પૈઆલિ પિસી મારિઉ સાંખુઉ, હણિઉ જરાસિંઘ હાંસિ જૂઉ.&lt;br /&gt;
હાસિ દંત દલ્યા શિશુપાલ, હાસિ રાવણ રોલિઉ કાલ. ૨૨&lt;br /&gt;
&lt;br /&gt;
હાસિ મારિઉ મિ મામો કંસ, અવર દૈત્યનો ટાલિઉ વંસ.&lt;br /&gt;
તે હાંસું હવિ તુઝનિ કરું. કાલા મૂરિખ! તિ કમ મરું?&#039; ૨૩&lt;br /&gt;
&lt;br /&gt;
માહિ થિક બોલઇ દાણવરાય, મનમાં ચીંતવિ નવો ઉપાય :&lt;br /&gt;
‘જો તૂં કૃષ્ણ ત્રિભુવનકીનાથ, એક વાર દિઉનિ ચુરંગ બાથ! ૨૪&lt;br /&gt;
&lt;br /&gt;
‘ગુલિ મરિ તેહનિ વિષ કિમ દીજઇં? જીતૂં ફલૂં કહુ કિમ હરીઇં?&lt;br /&gt;
ઘણિ દિવસિ માહરાં સીધાં કાજ, તાહરાં જૂનાં પૂરવિજ ન મેલૂં આજ’. ૨૫&lt;br /&gt;
&lt;br /&gt;
માંહિ થિકુ દાણવ ઊછલિ, ત્રિભુવનપતિ ભાર ઊપરિ ધરિ.&lt;br /&gt;
માંહિ થિકુ જીવ થિઉ હવિ મંદ, તિહારિ પાંજરું લીધૂં કંધિ. ૨૬’૯૧&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ અહિલોચનનો જીવાત્મા એ પેટી દ્વારકાના રાજમહેલમાં મૂકેલી અને પટરાણીઓના આપેલા ઉત્સાહથી સુભદ્રાએ ખોલતાં સુભદ્રાના ગર્ભમાં રહ્યો અને અભિમન્યુરૂપે અવતાર પામ્યો. કવિ પ્રસંગને બહલાવી શકતો નથી.&lt;br /&gt;
અભિમન્યુ જ્યારે ચક્ર ભેદવાની પ્રતિજ્ઞા કરે છે ત્યારે એ વાત સાંભળી સુભદ્રા કલ્પાંત કરે છે એ પ્રસંગે કવિએ પ્રસંગોચિત ગીત ‘રાગ વિરાડી’માં મૂક્યું છે, જે કેટલેક અંશે કરુણરસનો ચમકારો આપી જાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘તૂં કાં વિરાંસીઉં, ધરમરાજન! માહરા ધરમના ધોરી? તૂં કાં વિરાંસીઉં?&lt;br /&gt;
વિરાંસીઉં, કૂંતાના કૂયાર! માહરા ધરમના ધોરી! તૂં કાં વિરાસીઉં? ૧૧૧&lt;br /&gt;
&lt;br /&gt;
ધરમનંદન દૂરિ વિમાસુ, મૂઢ મતિ મ લાઈ;&lt;br /&gt;
ભીમ નિ નકુલ સહિદે વરાસ્યા, બાલિ રણવટ બાંધિ. ૧૧૨&lt;br /&gt;
&lt;br /&gt;
સારંગધરં રણિ સંગ્રામ જીતા, યાદવ છપ્પન કોડિ,&lt;br /&gt;
રણવટિ તેહનિ બાંધીઇં, ‘રાયનિ સુભદ્રા દોઇ કર જોડિ.&lt;br /&gt;
&lt;br /&gt;
‘માહરા ધર્મના ધોરી, તૂં કાં વિરાંસીઉં?&#039; ૧૧૩&#039; વગેરે. ૯૨&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિએ આ કાવ્યમાં ઠેર ઠેર સંવાદોની યોજના કરી છે, જેને લઈ થોડીક નાટ્યોચિતતા ખડી થાય છે, અને તેથી જ વાંચવા-સાંભળવાનું દિલ થાય છે. ક્વચિત્, એ વાણીના અલંકાર પણ પ્રયોજી લે છે, પણ સ્વાભાવિક રીતે જ આવી ગયેલા. એ પણ ઉપમા રૂપક જેવા જ. કવિ કરતાં એક વાર્તાકાર તરીકે એ વધારે દીપે છે. એ મહાભારતની મૂળ કથામાં નથી તેવા ચમત્કાર પરંપરાથી જાણવામાં આવ્યા છે તે ઉમેરી કથાને મલાવે છે; જેવા કે અહિલોચનનો જીવ સુભદ્રાના ઉદરમાં પ્રવેશે છે, ગર્ભમાંના અભિમન્યુને ઉદ્દેશી શ્રીકૃષ્ણ ચક્રવ્યૂહની કથા કહે ને ગર્ભ હુંકારો આપે, મંછાપૂતળી ઊડીને કૃષ્ણને મારી નાખવાના અહિલોચનના ઈરાદાની જાણ કરે, અભિમન્યુના લગ્નની કંકોત્રી બાણથી સ્વર્ગ અને પાતાળમાં મોકલવામાં આવે, અભિમન્યુની જાન માટેનાં પકવાન ભીમ ખાઈ જતાં કૃષ્ણની કૃપાથી વાસણો ભરાઈ જાય, લગ્ન વખતે ઉત્તર અભિમન્યુની આંખો ઉત્તરાને પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે, રણક્ષેત્રમાં ઉંદરનું સ્વરૂપ લઈ કૃષ્ણ અભિમન્યુના ધનુષની દોરી કાતરી ખાય, મૃત્યુ પછી અભિમન્યુ સ્વર્ગમાં અર્જુન સાથે વાત કરે, વગેરે ગણાવી શકાય. આમાં મધ્યકાલીન લોકમાનસની છાપ જોઈ શકાય છે.૯૩ જાનની સજાવટ, વિદાય, લગ્નસમારંભ ને ભોજનસામગ્રીની તૈયારી વગેરે પાછળ તત્કાલીન સમાજચિત્ર વરતાય છે; એટલા પૂરતી કવિની સફળતા છે. દેહલની આ કૃતિ પછીથી વિકસેલાં ‘અભિમન્યુ આખ્યાનો’ને ઠીક ઠીક ઉપયોગમાં આવે છે, એ રીતે પણ એ ધ્યાન ખેંચે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧ અં.બુ. જાની, હરિલીલાષોડશકલા (ઈ. ૧૯૨૮)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨ કે. કા. શાસ્ત્રી, ‘પ્રબોધપ્રકાશ’(ભીમ-કૃત) (૧૯૬૩)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. હ.લી.ષો.કલા, પૃ. ૨૧૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪ પ્રબોધપ્રકાશ પૃ. ૩૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫ એ જ, પૃ. ૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬ એ જ, પૃ. ૭૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭ હ.લી.ષો.કલા, પૃ. ૧૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮ કૌમુદી (માસિક), ૧૯૨૧, પૃ. ૨૨૨-૨૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯ હરિલીલાષોડશકલા પૃ. ૨૧૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦ એ જ ૧૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧ એ જ, ૧૭૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨ એ જ, ક. ૨-૪લ,૧૨-૨૨લ, ૯૬-૯૭લ, ૧૧૩લ, ૧૨૧ વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩ એ જ, ૫ વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪ એ જ, ૬૮-૬૯લ, ૧૦૩-૧૦૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫ એ જ, ૧૫૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬ એ જ, ૧૫૪-૧૫૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭ એ જ ૧૬૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮ એ જ, ૧૭૪-૧૮૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯ એ જ, ૧૭૮-૧૭૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦ એ જ, ૨૧૬-૨૧૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧ એ જ, ૧૦૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨ એ જ, ૧૫-૧૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩ કૃષ્ણમિશ્ર, પ્રબોધચન્દ્રોદય (નાટક, સં.), પૃ.૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪ પ્રબોધપ્રકાશ પૃ. ૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫ આમ લખવાનો એક પ્રઘાત હતો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬ આ પૂર્વે આ છંદો જૈન સાહિત્યકારોને હાથે પણ વપરાયા છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭ પ્રબોધપ્રકાશ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮ એ જ, પૃ. ૨૯-૩૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯ હ.લી. ષો. કલા પૃ. ૧૫૩: ‘રાગ-વસંત-વિરાડી ગીત&#039;માંના ધ્રુવ-પદમાં&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦ ગુ. વિ. સભા. હ. લિ. પુસ્તક નં. ૫૫૨ ડઃ ‘કવિચરિત&#039; માં પૃ. ૯૯-૧૦૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧ એ જ, અને ‘કવિચરિત&#039;, પૃ. ૯૯-૧૦૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨ કે. કા. શાસ્ત્રી, ‘હારસમેનાં પદ અને હારમાળા’ (૨ જી આવૃત્તિ), પૃ. ૩૬ (પદ, થું) વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩ એ જ, પૃ. ૪૦ (જપ્ય-નિં જિહવાં વિમલ નામ.....)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪ એ જ, પૃ. ૩૬લ ૩૭લ ૪૦ વગેરે&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫ એ જ, પદ ૩૦ મું. પૃ. ૫૬. ૧૧ ૫, તે ૨,૪, ૬, ૮, ૧૦, ૧૨, ૩૦, ૩૨, ૩૪, ૩૮, ૪૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬ ગુ. વિ. સ. ભા. હ. લિ. પુસ્તક નં. ૫૫૨ ડ: માં&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭ પંદરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યમાં પૃ. ૨૪-૭૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮ એ જ, પૃ. ૨૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯ એ જ, પ્રસ્તાવના, પૃ. ૧૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦ ડા. પી. દેરાસરી, ‘કાન્હડદે-પ્રબંધ’ (૧ લી આવૃત્તિ), કડી ૩૩૮, પૃ. ૧૦૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧ પં. શ. પ્રા. ગુ. કા. પૃ. ૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨ એ જ, પૃ. ૪૫-૫૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩ ‘વડોદરા મિસેલેની’માં, અને પછી કે. હે. ધ્રુવ, પં. શ. પ્રા. ગુ. કાવ્ય. પૃ. ૭૫-૯૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૪ પં. શ. પ્રા. ગુ. કાવ્ય પૃ. ૯૫ અને ૯૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫ એ જ, પૃ. ૭૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬ કે. હ. ધ્રુવ : પાદટીપમાં દક્ષિણની ‘ઉમરાવતી’ નો સંભવ ઓછો કહી ‘અમરેલી’ની સંભાવના કરી છે. જુઓ એ જ પ્રસ્તાવના, પૃ. ૧૯ની પાદટીપ ૨૦મી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭ એ જ, પૃ. ૭૮ કડવું ૭ મું&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮ એ જ, પૃ. ૮૯ કડવું ૨૩ મું&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯ એ જ, પૃ. ૮૧- કડવું ૧૨ મું&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦ ભો. જે. સાંડેસરા, ‘ઉષાહરણ,’ (૧૯૩૮) ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક&#039; વર્ષ ૧-૨, પૃ. ૨૪૩-૩૬૨, ૪૧૦-૪૨૦, ૧૦૧-૧૦૯, ૩૧૧-૩૨૬, ૪૩૩-૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧ એ જ, પૃ. ૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨ એ જ, ૩૧૯, ૩૨૬, ૪૩૫, ૪૩૭, ૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩ એ જ, ૩૧૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪ એ જ, ૩૧૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫ એ જ, ૪૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬ એ જ, ૪૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭ એ જ. ૪૪૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮ શંકરપ્રસાદ છ. રાવળ, ‘પ્રબોધ-બત્રીસી’ પૃ. ૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૯ ગુજરાત વિદ્યાસભા હસ્તલિખિત પુસ્તકસંગ્રહ, નં. ૫૫૨ - બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૦ અં. બુ. જાની, ‘હરિલીલા-ષોડશકલા’ પ્રસ્તાવના, પૃ. ૯૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૧ કે. કા. શાસ્ત્રી, ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી&#039;, પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૨ કે. કા. શાસ્ત્રી, ‘કવિચરિત’ (૨ જી આવૃત્તિ,) પૃ. ૫૭૫-૫૮૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૩ એ જ, પૃ. ૫૪૩-૫૫૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૪ ‘પ્રબોધબત્રીસી’ પૃ. ૧૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૫ એ જ, પૃ. ૧૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૬ ગુવિ હપુસ્તક સંગ્રહ નં. ૫૫૨-બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૭ એ જ, નં. ૫૫૨-અ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૮ એ જ, નં. ૫૫૨-બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬૯ એ જ, નં. ૩૪૮-બ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૦ ગુ. હા. સં. યાદી પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૧ જુઓ ૬૮મી સંદર્ભનોંધ&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૧ ‘કવિચરિત&#039; પૃ. ૮૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૩ એ જ, પૃ. ૮૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૪ કે. કા. શાસ્ત્રી, ‘આપણા કવિઓ&#039;, પૃ. ૨૦૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૫ શંકરપ્રસાદ રાવળ, ‘પ્રબોધબત્રીસી’ (૧૯૩૦) અને ‘રાવણમંદોદરી સંવાદ’, ‘કવિચરિતમાંથી (કે. કા., શાસ્ત્રી), પૃ. ૧૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૬ ‘રાવણમંદોદરી સંવાદ&#039; પૃ. ૧૧૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૭ એ જ, પૃ. ૮૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૮ એ જ, પૃ. ૮૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭૯ એ જ, પૃ. ૧૧૧&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૦ બૃહત્કાવ્યદોહન, ગ્રંથ -૬ પૃ. ૪૮૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૧ એ જ, પૃ. ૪૮૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૨ ‘કવિચરિત&#039; પૃ. ૧૩૭ અને ક. મા. મુનશી, ‘નરસિંહયુગના કવિઓ&#039; (ફા. ગુ. સ. ત્રૈ.) પૃ. ૧૪૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૩ ફા. ગુ. સ. ત્રૈમાસિક, વર્ષ ૧, પૃ. ૧૪૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૪ હરિનારાયણ આચાર્ય, ‘અંગદવિષ્ટિ&#039;-બુ. પ્ર. વર્ષ ૭૦ મું ડિસે. ૧૯૨૩&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૫ એ જ, પૃ. ૩૫૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૬ એ જ, પૃ. ૩૫૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૭ એ જ, પૃ. ૩૫૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૮ ફાર્બસ ગુજરાતી સભા-હસ્તલિખિત પુસ્તક નં. ૩૯૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮૯ મંજુલાલ ર. મજમૂદાર, ‘અભિમન્યુ-આખ્યાન’ (જનતાપીનું), પ્રસ્તાવના, પૃ. ૫૬&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૦ શિવલાલ તુ. જેસલપુરા ‘અભિવન-ઊઝણૂં’ વિ. સં. ૧૬૮૦ (ઈ.સ. ૧૬૨૪) ની વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિરની હસ્તપ્રત ઉપરથી સંપાદન, પૃ. ૧ અને ૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૧ એ જ, પૃ. ૩૮-૩૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૨ એ જ, પૃ. ૪૯-૫૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯૩ એ જ, પ્રસ્તાવના, પૃ. ૨૬-૨૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નરસિંહ મહેતા&lt;br /&gt;
|next = ભાલણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112907</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112907"/>
		<updated>2026-07-21T02:42:24Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિ&amp;lt;small&amp;gt;कवि&amp;lt;/small&amp;gt;&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ&amp;lt;ref&amp;gt;નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt; ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા&amp;lt;ref&amp;gt;ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt; તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ&amp;lt;ref&amp;gt;‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt; પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે&amp;lt;ref&amp;gt;સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt; કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,&amp;lt;ref&amp;gt;મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt; દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે&amp;lt;ref&amp;gt;એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt; —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.&amp;lt;ref&amp;gt;એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt; નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’&amp;lt;ref&amp;gt;આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,&amp;lt;ref&amp;gt;‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt; અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ&amp;lt;ref&amp;gt;પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.&amp;lt;ref&amp;gt;પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&#039;&#039;&#039;અદ્વૈતાનુભવની અષ્ટપદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt; જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી&amp;lt;ref&amp;gt;એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt; ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt; તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt; એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)&amp;lt;ref&amp;gt;બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt; આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt; સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt; એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt; ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.&amp;lt;ref&amp;gt;મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt; આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt; આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.&amp;lt;ref&amp;gt;દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt; ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.&amp;lt;ref&amp;gt;અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt; અને મૃત્યુ ૬૬ વર્ષની વયે&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt; (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,&amp;lt;ref&amp;gt;એ જ.&amp;lt;/ref&amp;gt; એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
:::(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
:::(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
:::(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
:::(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.&amp;lt;ref&amp;gt;આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt; તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. પુત્રનો વિવાહ –&#039;&#039;&#039; ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. પુત્રીનું મામેરું –&#039;&#039;&#039; વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. હૂંડી –&#039;&#039;&#039; જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. હારસમેનાં પદ –&#039;&#039;&#039; જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૫. ઝારીનાં પદ –&#039;&#039;&#039; સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૬. પવિત્ર પ્રસંગ –&#039;&#039;&#039; નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ&amp;lt;ref&amp;gt;દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt; – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt; – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰&amp;lt;ref&amp;gt;અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.&amp;lt;ref&amp;gt;કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’&amp;lt;ref&amp;gt;‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),&amp;lt;ref&amp;gt;હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt; ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt; કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.&amp;lt;ref&amp;gt;દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.&amp;lt;ref&amp;gt;એ જ.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰&amp;lt;ref&amp;gt;એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt; ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt; ‘ભનઈ વિદ્યાપતિ’&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt; એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt; નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt; બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt; હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની&amp;lt;ref&amp;gt;સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt; આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’&amp;lt;ref&amp;gt;‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt; આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)&amp;lt;ref&amp;gt;સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt; કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = જૈન સાહિત્ય – ૧&lt;br /&gt;
|next = આદિભક્તિયુગના કવિઓ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112906</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112906"/>
		<updated>2026-07-21T02:33:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિ&amp;lt;small&amp;gt;कवि&amp;lt;/small&amp;gt;&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ&amp;lt;ref&amp;gt;નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt; ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા&amp;lt;ref&amp;gt;ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt; તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ&amp;lt;ref&amp;gt;‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt; પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે&amp;lt;ref&amp;gt;સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt; કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,&amp;lt;ref&amp;gt;મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt; દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે&amp;lt;ref&amp;gt;એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt; —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.&amp;lt;ref&amp;gt;એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt; નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’&amp;lt;ref&amp;gt;આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,&amp;lt;ref&amp;gt;‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt; અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ&amp;lt;ref&amp;gt;પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.&amp;lt;ref&amp;gt;પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&#039;&#039;&#039;અદ્વૈતાનુભવની અષ્ટપદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt; જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી&amp;lt;ref&amp;gt;એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt; ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt; તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt; એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)&amp;lt;ref&amp;gt;બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt; આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt; સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt; એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt; ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.&amp;lt;ref&amp;gt;મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt; આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt; આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.&amp;lt;ref&amp;gt;દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt; ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.&amp;lt;ref&amp;gt;અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt; અને મૃત્યુ ૬૬ વર્ષની વયે&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt; (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,&amp;lt;ref&amp;gt;એ જ.&amp;lt;/ref&amp;gt; એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.&amp;lt;ref&amp;gt;આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt; તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ&amp;lt;ref&amp;gt;દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt; – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt; – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰&amp;lt;ref&amp;gt;અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.&amp;lt;ref&amp;gt;કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’&amp;lt;ref&amp;gt;‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),&amp;lt;ref&amp;gt;હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt; ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt; કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.&amp;lt;ref&amp;gt;દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.&amp;lt;ref&amp;gt;એ જ.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰&amp;lt;ref&amp;gt;એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt; ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt; ‘ભનઈ વિદ્યાપતિ’&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt; એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt; નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt; બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt; હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની&amp;lt;ref&amp;gt;સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt; આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’&amp;lt;ref&amp;gt;‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt; આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)&amp;lt;ref&amp;gt;સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt; કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = જૈન સાહિત્ય – ૧&lt;br /&gt;
|next = આદિભક્તિયુગના કવિઓ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112905</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112905"/>
		<updated>2026-07-21T02:30:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&#039;ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે.&lt;br /&gt;
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. &#039;ગુજરાતી સાહિત્યકોશ&#039;માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{rh|||&#039;&#039;&#039;– ચિમનલાલ ત્રિવેદી&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;પરામર્શક}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદક-પરિચય&lt;br /&gt;
|next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112904</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112904"/>
		<updated>2026-07-21T02:28:13Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિ&amp;lt;small&amp;gt;कवि&amp;lt;/small&amp;gt;&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ&amp;lt;ref&amp;gt;નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt; ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા&amp;lt;ref&amp;gt;ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt; તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ&amp;lt;ref&amp;gt;‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt; પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે&amp;lt;ref&amp;gt;સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt; કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,&amp;lt;ref&amp;gt;મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt; દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે&amp;lt;ref&amp;gt;એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt; —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.&amp;lt;ref&amp;gt;એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt; નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’&amp;lt;ref&amp;gt;આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,&amp;lt;ref&amp;gt;‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt; અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ&amp;lt;ref&amp;gt;પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.&amp;lt;ref&amp;gt;પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt; જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી&amp;lt;ref&amp;gt;એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt; ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt; તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt; એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)&amp;lt;ref&amp;gt;બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt; આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt; સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt; એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt; ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.&amp;lt;ref&amp;gt;મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt; આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt; આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’&amp;lt;ref&amp;gt;ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.&amp;lt;ref&amp;gt;દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt; ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.&amp;lt;ref&amp;gt;અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt; અને મૃત્યુ ૬૬ વર્ષની વયે&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt; (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,&amp;lt;ref&amp;gt;એ જ.&amp;lt;/ref&amp;gt; એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.&amp;lt;ref&amp;gt;આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt; તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ&amp;lt;ref&amp;gt;દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt; – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt; – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰&amp;lt;ref&amp;gt;અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા&amp;lt;ref&amp;gt;દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.&amp;lt;ref&amp;gt;કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’&amp;lt;ref&amp;gt;‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),&amp;lt;ref&amp;gt;હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt; ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt; કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.&amp;lt;ref&amp;gt;દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.&amp;lt;ref&amp;gt;એ જ.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰&amp;lt;ref&amp;gt;એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt; ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt; ‘ભનઈ વિદ્યાપતિ’&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt; એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt; નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt; બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં&amp;lt;ref&amp;gt;શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt; હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની&amp;lt;ref&amp;gt;સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt; આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’&amp;lt;ref&amp;gt;‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt; આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)&amp;lt;ref&amp;gt;સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt; કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = જૈન સાહિત્ય – ૧&lt;br /&gt;
|next = આદિભક્તિયુગના કવિઓ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112903</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112903"/>
		<updated>2026-07-21T02:18:27Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિ&amp;lt;small&amp;gt;कवि&amp;lt;/small&amp;gt;&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ૧&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt; ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા૨&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt; તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ૩&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt; પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ૪&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે૫&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt; કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,૬&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt; દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે૭&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt; —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.૮&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt; નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’૯&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,૧૦&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt; અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ૧૧&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.૧૨&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી૧૩&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt; જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી૧૪&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt; ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,૧૬&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt; તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’૧૭&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt; એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)૧૮&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt; આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.૧૯&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt; સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt; એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.૨૨&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt; ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.૨૩&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt; આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૨૪&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૨૫&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.૨૬&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે૨૭&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt; આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’૩૦&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt; ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.૩૨&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt; અને મૃત્યુ ૬૬ વર્ષની વયે33&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt; (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૩૪&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,૩૫ &amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt; એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.૩૬&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt; તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ૩૭&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt; – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર૩૮&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt; – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰૩૯&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા૪૦&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt; – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),૪૩&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt; ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે૪૫&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt; કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.૪૬&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.૪૭&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰૪૮&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.૪૯&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt; ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’૫૦&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव૫૧&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt; ‘ભનઈ વિદ્યાપતિ’પર&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt; એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.૫૩&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt; નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.૫૪&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt; બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં૫૫&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt; હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની૫૬&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt; આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’૫૭&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt; આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)૫૮&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt; કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
 {{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112896</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112896"/>
		<updated>2026-07-20T16:39:10Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ref upto 30 updated&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિकवि&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ૧&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt; ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા૨&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt; તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ૩&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt; પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ૪&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે૫&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt; કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,૬&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt; દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે૭&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt; —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.૮&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt; નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’૯&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,૧૦&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt; અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ૧૧&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.૧૨&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી૧૩&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt; જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી૧૪&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt; ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,૧૬&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt; તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’૧૭&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt; એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)૧૮&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt; આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.૧૯&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt; સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt; એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.૨૨&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt; ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.૨૩&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt; આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૨૪&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૨૫&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.૨૬&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે૨૭&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt; આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’૩૦&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧ ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.૩૨ અને મૃત્યુ ૬૬ વર્ષની વયે33 (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૩૪&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,૩૫ એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.૩૬ તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ૩૭ – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર૩૮ – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰૩૯ – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા૪૦ – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),૪૩ ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે૪૫ કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.૪૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.૪૯ ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’૫૦&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव૫૧ ‘ભનઈ વિદ્યાપતિ’પર એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.૫૩ નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.૫૪ બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં૫૫ હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની૫૬ આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’૫૭ આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)૫૮ કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
 {{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112895</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112895"/>
		<updated>2026-07-20T16:18:36Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિकवि&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ૧ ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા૨ તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ૩ પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ૪ પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે૫ કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,૬ દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે૭ —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.૮ નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’૯, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,૧૦ અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ૧૧દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.૧૨&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી૧૩ જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી૧૪ મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫ ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,૧૬ તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’૧૭ એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)૧૮ આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.૧૯ સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦ ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧ એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.૨૨ ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.૨૩ આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૨૪ આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૨૫ તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.૨૬&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે૨૭ ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯ આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’૩૦&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧ ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.૩૨ અને મૃત્યુ ૬૬ વર્ષની વયે33 (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૩૪&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,૩૫ એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.૩૬ તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ૩૭ – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર૩૮ – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰૩૯ – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા૪૦ – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),૪૩ ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે૪૫ કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.૪૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.૪૯ ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’૫૦&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव૫૧ ‘ભનઈ વિદ્યાપતિ’પર એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.૫૩ નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.૫૪ બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં૫૫ હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની૫૬ આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’૫૭ આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)૫૮ કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
 {{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112894</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112894"/>
		<updated>2026-07-20T16:12:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિकवि&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ૧ ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા૨ તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ૩ પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ૪ પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે૫ કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,૬ દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે૭ —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.૮ નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’૯, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,૧૦ અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ૧૧દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.૧૨&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી૧૩ જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી૧૪ મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫ ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,૧૬ તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’૧૭ એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)૧૮ આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.૧૯ સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦ ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧ એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.૨૨ ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.૨૩ આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૨૪ આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૨૫ તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.૨૬&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે૨૭ ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯ આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’૩૦&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧ ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.૩૨ અને મૃત્યુ ૬૬ વર્ષની વયે33 (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૩૪&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,૩૫ એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.૩૬ તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ૩૭ – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર૩૮ – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰૩૯ – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા૪૦ – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),૪૩ ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે૪૫ કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.૪૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.૪૯ ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’૫૦&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव૫૧ ‘ભનઈ વિદ્યાપતિ’પર એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.૫૩ નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.૫૪ બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં૫૫ હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની૫૬ આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’૫૭ આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)૫૮ કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
 {{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112893</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112893"/>
		<updated>2026-07-20T16:11:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}} {{Poem2Open}}  &amp;#039;&amp;#039;&amp;#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&amp;#039;&amp;#039;&amp;#039;  &amp;#039;&amp;#039;&amp;#039;આદિकवि&amp;#039;&amp;#039;&amp;#039;  {{Poem2Open}} ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિकवि&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ૧ ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા૨ તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ૩ પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ૪ પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે૫ કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,૬ દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે૭ —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.૮ નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’૯, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,૧૦ અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ૧૧દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.૧૨&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી૧૩ જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી૧૪ મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫ ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,૧૬ તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’૧૭ એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)૧૮ આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.૧૯ સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦ ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧ એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.૨૨ ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.૨૩ આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૨૪ આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૨૫ તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.૨૬&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે૨૭ ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯ આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’૩૦&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧ ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.૩૨ અને મૃત્યુ ૬૬ વર્ષની વયે33 (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૩૪&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,૩૫ એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.૩૬ તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ૩૭ – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર૩૮ – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰૩૯ – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા૪૦ – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),૪૩ ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે૪૫ કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.૪૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.૪૯ ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’૫૦&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव૫૧ ‘ભનઈ વિદ્યાપતિ’પર એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.૫૩ નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.૫૪ બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં૫૫ હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની૫૬ આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’૫૭ આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)૫૮ કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
 {{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7&amp;diff=112892</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/જૈન સાહિત્ય – ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%9C%E0%AB%88%E0%AA%A8_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E2%80%93_%E0%AB%A7&amp;diff=112892"/>
		<updated>2026-07-20T15:18:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૩ જૈન સાહિત્ય-૧ (ઈ.સ. ૧૪૫૦–૧૬૦૦)|રમણલાલ ચી. શાહ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
ઈ.સ.ના બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યનો પ્રવાહ ઈ.સ.ના ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બને છે. આ ગાળામાં નાનામોટા બસો કરતાં વધુ જૈન સાધુ અને શ્રાવક કવિઓએ પોતાનું કાવ્યપૂર વહેવડાવ્યું છે. રાસ, ફાગુ અને બારમાસીના પ્રકારોમાંથી રાસનો કાવ્યપ્રકાર આ ગાળામાં સૌથી વધુ ખેડાયેલો છે. જૂની ધાટી પ્રમાણે સો કરતાંયે ઓછી કડીની, ઘણું ખરું એક જ રચનાબંધમાં લખાયેલી, થોડીક રાસકૃતિઓ પણ આપણને આ ગાળામાં મળે છે, તો ઠીક ઠીક વિસ્તારવાળી, ભાષા, ઠવણિ, અધિકાર, કડવક કે પ્રસ્તાવમાં વિભક્ત થયેલી લગભગ ત્રણ હજાર કરતાંય વધુ કડીમાં લખાયેલી, સુદીર્ઘ રાસકૃતિઓ પણ આપણને સાંપડે છે. કવિઓ ક્યારેક કથાવસ્તુવિહીન, માત્ર ઉપદેશાત્મક રાસકૃતિઓની પણ રચના કરે છે, પણ એકંદરે તો સુરસિક અને સવિસ્તર કથાનકો તરફ હવે રાસકારોની નજર પહોંચી છે. પ્રસંગોને તેઓ બહલાવે છે. વર્ણનો, અલંકારો, સુભાષિતોનો ઉપયોગ વધ્યો છે. અને કથાવસ્તુ પર નિર્ભર એવું ઉપદેશનું ગાન તો એમની રચનાના મૂળમાં જ રહેલું છે. આ દોઢસો વર્ષના ગાળામાં આપણને બસો કરતાંયે વધુ રાસકૃતિઓ જોવા મળે છે અને નષ્ટ થયેલી કૃતિઓની વાત બાજુ પર રાખીએ તો પણ, ભંડારોમાં કે વ્યક્તિઓ પાસે સચવાઈ રહેલી અને નહિ નોંધાયેલી એવી કૃતિઓ પણ હજુ ઘણી હશે. જે નોંધાયેલી કૃતિઓ છે તેમાંથી પ્રકાશિત થયેલી કૃતિઓ તો જૂજ છે. ઘણી બધી કૃતિઓ તો હજુ અપ્રકાશિત જ છે, અને એ બધી પ્રકાશિત થતાં (જે થતાં અલબત્ત હજુ સહેજે એક સૈકા કરતાં પણ વધુ સમય જશે) એ કૃતિઓના સવિગત અભ્યાસ સાથે આ સમયના સાહિત્યનો ઇતિહાસ નવેસરથી લખાવો જરૂરી બનશે.&lt;br /&gt;
આ ગાળામાં રાસનું કદ જેમ વિસ્તાર પામ્યું તેમ એના કથાવસ્તુનું ફલક પણ ઠીક ઠીક વિસ્તાર પામ્યું. તેમાં માત્ર ચુસ્ત ધાર્મિક વિષયોની મર્યાદા ન રહેતાં, ચરિત્ર ઉપરાંત ઇતિહાસ અને લોકકથાના ક્ષેત્ર સુધી તે વિસ્તાર પામે છે. એમાંનાં કેટલાંક કથાનકો જૈન ધર્મગ્રંથોમાંથી લેવાયાં છે. તો કેટલાંક લોકકથામાંથી લેવાયાં છે અને તેને જૈન સ્વરૂપ અપાયું છે. અલબત્ત, આ બધાં કથાનકોની પસંદગી પાછળ કવિનું ધ્યેય તો ધર્મોપદેશ આપવાનું જ રહ્યું છે. આ ગાળામાં લખાયેલી રાસકૃતિઓમાં આ રીતે મદનરેખા, ત્રિવિક્રમ, શાલિભદ્ર, વિદ્યાવિલાસ, ધર્મદત્ત, દર્શાર્ણભદ્ર, ઋષભદેવ, ભરત-બાહુબલિ, મત્સ્યોદરકુમાર, જાવડ, ભાવડ, રોહિણીઆ ચોર, આર્દ્રકુમાર, ચંદનબાળા, સ્થૂલિભદ્ર, દેવરાજ-વચ્છરાજ, સનતકુમાર, સાગરદત્ત, કુલધ્વજકુમાર, સુંદરરાજા, લલિતાંગકુમાર, ગજસુકમાલ, ગજસિંહકુમાર, રાજા વિક્રમ, શ્રીપાળ રાજા, ઈલાતીપુત્ર, ઋષિદત્તા, રત્નાસારકુમાર, યશોધર, કલાવતી, કમલાવતી, ચંપકમાલા, અગડદત્ત, શીલવતી, સુમતિ-નાગિલ, તેતલીપુત્ર, બાપા ખુમાણ, અંબડ, મેઘકુમાર, હરિશ્ચન્દ્ર, ક્ષુલ્લકકુમાર, સુબાહુ, રાજસિંહ, શિવદત્ત, માધવાનલ, ગોરોબાદલ, મારૂઢોલા, તેજસાર, શાંબપ્રદ્યુમ્ન, મહાબળ, શાંતિનાથ, કનક શેઠ, રૂપચંદકુંવર, પ્રભાવતી, સુરસુંદરી, રત્નકુમાર ઇત્યાદિનાં કથાનકો લેવાયાં છે.&lt;br /&gt;
રાસની અપેક્ષાએ ફાગુ, બારમાસી, વિવાહલો, ઇત્યાદિ પ્રકારની કૃતિઓ આ ગાળામાં એટલી મોટી સંખ્યામાં નથી લખાઈ. બીજી બાજુ, સ્તવન, સજઝાય, પૂજા, છંદ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના આ ગાળામાં સવિશેષ થવા લાગી હતી. સ્તવન એ ગેય પ્રકારની પાંચસાત કડીની લઘુ રચના છે. સ્તવન શબ્દ સૂચવે છે તે પ્રમાણે એ સ્તુતિના પ્રકારની કૃતિ છે. જૈન કવિઓ બહુધા પોતાના તીર્થંકરની સ્તુતિ આ ગેય રચનામાં કરે છે. તીર્થંકરના ગુણોની પ્રશંસા કરતાં કરતાં કેટલીકવાર કવિ પોતાના આત્માના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થે છે અને એમ કરતાં કેટલીકવાર પોતાના મનના ભાવો વ્યક્ત કરે છે. આથી સ્તવન એ ઊર્મિકાવ્યનો પ્રકાર બને છે. પરંતુ બધાં જ સ્તવનો શુદ્ધ ઊર્મિકાવ્યની કોટિમાં બેસી શકે એવાં નથી. કેટલીક વાર કવિ ચોવીસ તીર્થંકરો ઉપરાંત વીસ વિહરમાન જિનેશ્વરો અથવા કેટલાંક સુપ્રસિદ્ધ તીર્થો અને મહાન પર્વોને ઉદ્દેશીને પણ સ્તવનોની રચના કરે છે. સ્તવન એ દેરાસરોમાં ચૈત્યવંદન કરતી વખતે અથવા કોઈ ધાર્મિક ક્રિયા કરતી વખતે ગાવાની રચના છે. ઉત્તરકાલીન કેટલાક કવિઓએ પ્રત્યેક તીર્થંકર માટે એક સ્તવન એમ ચોવીસ તીર્થંકર માટે ચોવીસ સ્તવનના ગુચ્છની રચના કરી છે. એ પ્રકારનો સ્તવનગુચ્છ ચોવીસીના નામથી ઓળખાય છે. સત્તરમા-અઢારમા સૈકામાં છૂટક સ્તવનો ઉપરાંત ચોવીસીની રચના પુષ્કળ થયેલી છે અને યશોવિજયજી જેવા કવિએ તો એક નહિ પણ ત્રણ એવી ચોવીસીની રચના કરી છે. એ સમયમાં તો સ્તવનના પ્રકારની કૃતિઓમાં તત્ત્વવિચારણાને પણ કેટલાક કવિઓએ ગૂંથી લીધી છે. અને કેટલીકવાર સ્તવન એક લઘુ રચના ન રહેતાં ૩૫૦ જેટલી કડીની સુદીર્ઘ રચના પણ બની છે.&lt;br /&gt;
સ્તવન ઉપરાંત સજઝાય અથવા સઝાય (સ્વાધ્યાય પરથી)ના પ્રકારની રચનાઓ પણ, આ સમયમાં ઠીકઠીક લખાઈ છે. જૈન મંદિરોમાં સ્તુતિ માટે જેમ સ્તવનના પ્રકારની રચનાઓ થઈ તેમ જૈન ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કે અન્ય ધાર્મિક વિવિધિ માટે, તો ક્યારેક કેવળ સ્વાધ્યાય માટે, આ પ્રકારની ગેય રચનાઓ લખાવા લાગી. એમાં એવા વિષયો પસંદ કરવામાં આવતા કે જેથી પાપની આલોચના થાય, કષાયોનો ક્ષય થાય, જીવન શુદ્ધ બને અને કર્મક્ષય થતાં આત્મા ઉન્નત દશા પ્રાપ્ત કરે. આથી સજઝાયોનો હેતુ કે ઉપદેશ આત્મચિંતનનો રહેતો. અઢાર પાપસ્થાન, ક્રોધ, માન, માયા, લોભ, નવતત્ત્વ, બાર વ્રત, અષ્ટકર્મ, અગિયાર બોલ, ઇત્યાદિ ઘણા વિષયો પર સજઝાયો લખાયેલી છે. ક્યારેક કોઈ પ્રસંગ કે કથાનક પરથી કે આત્મચિંતનના હેતુથી લખાયેલી સજઝાયોમાં તેવા પ્રસંગ કે કથાનકનું સંક્ષેપમાં નિરૂપણ થયેલું હોય છે. પાંચ પાંડવની સજઝાય, સોળ સતીની સજઝાય, ખંધકસૂરિની સજઝાય, વીરસેન સજઝાય, દઢપ્રહારી સજઝાય ઇત્યાદિ સજઝાયોમાં એ પ્રમાણે નિરૂપણ જોવા મળશે.&lt;br /&gt;
જૈન મંદિરોમાં સવારસાંજ સ્તુતિ કરવાને અર્થે સ્તવનો લખાયાં. ઘરે કે ઉપાશ્રયમાં સવાર સાંજ પ્રતિક્રમણ અર્થે અને અન્ય સમયે સામાયિક વગેરે ધાર્મિક ક્રિયા કરતી વખતે સ્વાધ્યાય અર્થે સજઝાયો લખાઈ. પ્રભાતમાં ઊઠી તરત ગાવા માટે પ્રભાતિયાં અથવા છંદ લખાયાં. તદુપરાંત આ સમયમાં બીજો એક પ્રકાર વિકસ્યો તે પૂજાનો છે. તીર્થંકર ભગવાનની પ્રતિમાને વિધિપૂર્વક સ્નાન (પ્રક્ષાલ) કરાવી પૂજા કરવા માટે સ્નાત્રપૂજા નામની કૃતિઓ લખાઈ. વળી ખાસ પ્રસંગે બપોરના સમયે તીર્થંકર ભગવાનની સ્નાત્રપૂજા કરતાં કરતાં ઉત્સવની જેમ વાજિંત્રો સહિત ગાવા માટેની પૂજાના પ્રકારની રચનાઓ લખાઈ, જેની પરંપરા આજે પણ મૂર્તિપૂજક જૈનોમાં ચાલુ છે. આ પૂજાઓમાં ઉત્તર-કાલીન કવિ વીરવિજયની પૂજાઓ ઘણી જ લોકપ્રિય બની ગઈ હતી અને આજે પણ ઘણે ભાગે વીરવિજયની પૂજાઓ ગવાય છે. પણ વીરવિજય પહેલાં પણ, ઈ.સ. ૧૪૦૦થી ૧૬૦૦ના ગાળામાં કવિ દેપાળ, સકલચંદ્ર ઉપાધ્યાય, સાધુકીર્તિ, પ્રીતિવિમલ, ઇત્યાદિ કવિઓએ આ પ્રકારને ખેડ્યો છે. દોઢસો વર્ષના આ ગાળામાં અને ત્યાર પછીના સમયમાં લખાયેલી સંખ્યાબંધ પૂજાકૃતિઓમાં અષ્ટપ્રકાર, પંચકલ્યાણક, વીસસ્થાનક, નવપદ, બારવ્રત, અંતરાયકર્મ, સત્તરભેદ, પિસ્તાલીસ આગમ, ચોસઠ પ્રકાર, નવાણું પ્રકાર, અષ્ટપદ, ઋષિમંડલ, પંચજ્ઞાન, ૧૦૮ પ્રકાર, પંચ મહાવ્રત ઇત્યાદિ વિષયો લેવાયા છે અને એની રચનાઓ વિવિધ રાગરાગિણીઓમાં થયેલી છે. કદમાં તે પચાસ-સાઠ કડીથી બસો કરતાં યે વધુ કડીમાં લખાયેલી છે.&lt;br /&gt;
ઈ.સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના ગાળામાં લખાયેલી વિવિધ પ્રકારની આટલી બધી કૃતિઓનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સરળ નથી, કારણ કે તેમાંની ઘણીબધી હજી અપ્રકાશિત છે. એટલે શક્ય તેટલા કવિઓની અને તેમની કૃતિઓનો પરિચય અહીં આપણે કરીશું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હરસેવક&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હરસેવક નામના (પ્રથમ ગ્રંથના સમય-ગાળામાં થયેલા) કવિએ મયણરેહાનો રાસ નામની એક રાસકૃતિની રચના સં. ૧૪૧૩ માં (ઈ.સ. ૧૩૫૭) કુકડી ગામમાં ચાતુર્માસ દરમિયાન કરેલી જણાય છે. કર્યો ચોમાસો શબ્દો પરથી જણાય છે કે આ કોઈ શ્રાવક-ગૃહસ્થ નહિ પણ સાધુ કવિ હોવા જોઈએ, જોકે એમાં એમણે પોતાના ગુરુનો કે પરંપરાનો કંઈ નિર્દેશ કર્યો નથી. આ રાસની રચના કવિએ ૧૮૭ કડીમાં કરી છે. એમાં એમણે મદનરેખાનો વૃત્તાંત વર્ણવ્યો છે. આરંભમાં કવિએ પરનારીગમનના વ્યસનનો નિર્દેશ કર્યો છે. અવંતિ દેશના સુદર્શન નામના નગરના રાજા મણિરથની કુદિષ્ટ પોતાના નાના ભાઈ યુગબાહુની પતિવ્રતા પત્ની મદનરેખા પર પડે છે, એટલે મદનરેખાને મેળવવા માટે કામસક્ત મણિરથ નાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખાને તેની ખબર પડતાં તે નાસી છૂટે છે અને ચારિત્ર ધારણ કરે છે અને બીજી બાજુ મણિરથ રાજા સર્પદંશથી મૃત્યુ પામે છે. કવિની ભાષામાં રાજસ્થાની ભાષાની અસર વિશેષ જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શાલિસૂરિ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માણિક્યસુંદરસૂરિએ એમના પૃથ્વીચંદ્ર-ચરિત (ર.ઈ. ૧૪૨૨)માં, શાલિસૂરિના વિરાટપર્વમાંથી પંક્તિઓ ઉદ્ધૃત કરી છે એ પરથી આ કવિનો સમય ઈ. ૧૪૨૨ પહેલાંનો ગણી શકાય.&lt;br /&gt;
દક્ષિણગોગ્રહણ (૧૦૧ શ્લોક) અને ઉત્તરગોગ્રહણ (૮૨ શ્લોક) એવા બે ખંડોમાં રચાયેલી વિરાટપર્વ (મુદ્રિત) બે-ત્રણ બાબતે વિશેષ ધ્યાનપાત્ર છે : (૧) વિરાટપર્વના કથાનકનું આલેખન આ કૃતિમાં જૈન મહાભારતની પરંપરાને નહીં પણ મૂળ વ્યાસકૃત મહાભારતને અનુસરે છે. અને અન્ય મધ્યકાલીન કવિઓની વિરાટપર્વ-કથાઓને મુકાબલે એ સઘન છે. મહત્ત્વના પ્રસંગો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલા ખંડમાં, દ્રૌપદી પર મોહિત થયેલા કીચક અને એના ભાઈઓના ભીમ દ્વારા થયેલા વધનું તેમજ સુશર્મા અને વિરાટ વચ્ચે થયેલા યુદ્ધનું આલેખન છે ને બીજા ખંડમાં વિરાટ રાજાના પુત્ર ઉત્તરે અર્જુનની મદદથી કૌરવોને હરાવ્યાનું કથાનક આલેખાયું છે. (૨) કવિએ માત્રામેળને બદલે વિવિધ અક્ષરમેળ છંદો પ્રયોજ્યા છે. ઇન્દ્રવજ્રા- ઉપેન્દ્રવજ્રા, રથોદ્ધતા, સ્વાગતા, દ્રુતવિલંબિત, વસંતતિલકા, માલિની જેવા છંદો કવિએ કુશળતાથી પ્રયોજ્યા છે. ને ક્યાંક એક જ શ્લોકમાં છંદનાં મિશ્રણો પણ યોજ્યાં છે. જે કવિનું છંદપ્રભુત્વ બતાવે છે. (૩) કૃતિમાં સહજ સંયોજન પામેલી લોકોક્તિઓ આ કૃતિની ત્રીજી મહત્ત્વની વિશેષતા છે. આવતિ લખમિ પાઈ કુણ ઠેલઈ (દ.ગોગ્રહણ, શ્લોક-૧૦), કિમઈ અજાણિઉં ફલુનૈવ ખાજઈ (દ.ગો. ૨૬): ચંદ્રિ આજ તુઝ નામુ લિહાવઉં (દ.ગો.:૨૨), વગેરે. આ કારણે મધ્યકાલીન વિરાટપર્વ-કૃતિઓમાં શાલિસૂરિની કૃતિ નોખી તરી આવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;દેપાળ / દેપો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ.સ.ના પંદરમા શતકના અંતભાગમાં દેપાળ (દેવપાલ) નામના કવિએ રાસ, ફાગુ, ધવલ, હરિયાળી, પૂજા, ભાસ ઇત્યાદિ પ્રકારની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે, એમાંની ઘણીખરી અપ્રસિદ્ધ છે.&lt;br /&gt;
કવિ ઋષભદાસે ઈ.સ. ૧૬૧૪માં (સં. ૧૬૭૦માં) રચેલા પોતાના કુમારપાળરાસમાં પોતાના પુરોગામી કવિઓનો ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળનો પણ નિર્દેશ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હંસરાજ, વાછો, દેપાલ, માલ હેમની બુદ્ધિ વિશાલ,&lt;br /&gt;
સુસાધુ, સમરો, સુરચંદ, શીતલ વચન જિમ સારદચંદ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોચર વ્યવહારી રાસમાં નિર્દેશ થયો છે તે પ્રમાણે દેપાલ દિલ્હીના પ્રસિદ્ધ દેસલહાર શાહ સમરો અને સારંગનો આશ્રિત હતો. પરંતુ તે ગુજરાતમાં પણ પુષ્કળ ફર્યો હતો અને એણે ઘણું ખરું ગુજરાતમાં રહીને પોતાની કૃતિઓની રચના કરેલી જણાય છે. કવિએ રચેલી કૃતિઓમાં શ્રેણિક અને અભયકુમારના બુદ્ધિચાતુર્યને ૩૬૧ કડીઓમાં આલેખતી શ્રેણિક અભયકુમાર ચરિતઃ ૧૮૧ કડીની જંબૂસ્વામી પંચભવ ચોપાઈ (ર.ઈ. ૧૪૬૬): ૩૫૦ કડીની સમ્યક્ત્વ બારવ્રત કુલક ચોપાઈ (ર.ઈ. ૧૪૭૮): ૧૮૦ કડીનો જાવડભાવડ રાસ, રૂઢિપ્રયોગો - કહેવતો - નિરૂપણ શૈલીની વિશેષતા બતાવતી ચંદનબાલા ચરિત્રચોપાઈ. ૨૭૭ કડીની રોહિણેય પ્રબંધ, ૨૭ કડીની આર્દ્રકુમાર ધવલ, તીર્થવર્ણનની કૃતિઓ શત્રુંજય ચૈત્યપરિપાટી અને પાર્શ્વનાથ જીરાઉલા-રાસ, સ્નાત્રપૂજા આદિ વિશેષ નોંધપાત્ર છે.&lt;br /&gt;
કવિ દેપાળ ભોજક હોવાને લીધે સંગીતના તત્ત્વની એને સારી સૂઝ હોય એમ જણાય છે. એની કૃતિઓની ભાષામાં પ્રાસાનુપ્રાસ, પ્રાસાદિકતા, છંદ-બાનીની છટા અને લયબદ્ધતાનું તત્ત્વ તરત નજરે ચડે છે. ઉ.ત. જંબૂસ્વામી પંચભવવર્ણન ચોપાઈમાં એ લખે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગોયમ ગણહર પય નમી આરાહિસુ અરિહંત&lt;br /&gt;
હૃદયકમલ અહનિસ વસઈ ભવભંજણ ભગવંત.&lt;br /&gt;
&lt;br /&gt;
ભવભંજણ ભગવંતનું આણ અખંડ વહેસિ,&lt;br /&gt;
સીલ સિરોમણિ ગુણ નિલઉ, જંબુ કુમર વર્ણસુ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ઋષિવર્ધન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અંચલ ગચ્છના જયકીર્તિસૂરિના આ શિષ્યની માત્ર એક જ કૃતિ મળે છે નલરાજ ચુપઈ. મધ્યકાળમાં નળદમયંતીની કથા (જૈન પરંપરા પ્રમાણે નલ-દવદંતીની કથા) વિશે લખાયેલી રાસકૃતિઓમાં ઈ.સ. ૧૪૫૬ (સં. ૧૫૧૨) માં રચાયેલી આ કૃતિ આ ગાળાની નોંધપાત્ર કૃતિ છે. નલરાજ ચુપઈ અથવા નલરાય-દવદંતી ચરિતના નામની આ કૃતિની રચના કવિએ દુહા, ચોપાઈ અને ભિન્ન ભિન્ન દેશીઓમાં પ્રયોજેલી ઢાળોમાં કરી છે. કદની દૃષ્ટિએ આ રાસ નાનો છે. લગભગ સાડાત્રણસો જેટલી કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. રાસના કથાવસ્તુ માટે કવિએ મુખ્યત્વે આધાર લીધો છે – હેમચંદ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનો, એટલે કે જૈન પરંપરાનુસાર ચાલી આવતી નલ-દવદંતીની કથાનો. નલદવદંતીની જૈન કથા એના પૂર્વ ભવોના વૃત્તાંત્તથી–વીરમતી અને મમ્મણના ભવની અને ધણ ધૂસરીના ભવની કથાથી–શરૂ થાય છે અને કવિએ પણ એ જ પ્રમાણે આલેખન કર્યું છે. પરંતુ કવિએ આરંભના ભાગમાં જ પ્રયોજેલી નલદવદંતીના માહાત્મ્યને વર્ણવતી નીચેની કડી કેટલીક ઢાલોની ધ્રુવકડી તરીકે પણ પ્રયોજેલી જણાય છે. કદાચ લહિયાઓએ પણ એ પ્રમાણે કર્યું હોય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુણ્ય સિલોક નલહવિખ્યાત, મહાસતી ભીમી અવદાત :&lt;br /&gt;
જિમ જિમ શ્રવણે સુણીઈ છેક, તિમ તિમ જાગઈ ધર્મ વિવેક.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નલ-દવદંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને ઉલાલાની ઢાલમાં દવદંતીનું ચિત્ર કવિએ ખડું કર્યું છે. ઓછી છતાં કાવ્યગુણયુક્ત પંક્તિઓમાં આ આલેખન થયું હોવાથી તે કંઈક વિશિષ્ટતાવાળું બન્યું છે. નિષધ રાજાના રાજ્યની સમૃદ્ધિનું અને નળના જન્મમહોત્સવનું કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુક્ત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. યૌવનિ ચડીય સંપૂરઈ, રતિરંભા મદ ચૂરઈ એવી દવદંતીનું સ્વયંવરમંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનોહર છે. નલદવદંતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં કવિના સમયની લગ્ન વિધિનું પ્રતિબિમ્બ પડેલું જણાય છે. નવરંગ ચૂંદડી ઓઢી નળરાજાનું એની બહેને લૂણ ઉતાર્યું એવો અહીં કવિએ કરેલો નિર્દેશ સામાન્ય રીતે નળદમયંતી વિશેની અન્ય કૃતિઓમાં જોવા મળતો નથી. વનમાં નળદવદંતી વિખૂટાં પડે છે તે ઘટના પછી નળની તપાસ માટે ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદવદંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે કવિએ વર્ણવેલી ઘટના જૈન પરંપરાની નલકથામાં નથી. પરંતુ કવિએ તે રામચંદ્રસૂરિના નલવિલાસ નાટકમાંથી લીધેલી જણાય છે. નળ છેવટે ભૌતિક સુખમાં જીવન પસાર કરે છે તે સમયે એને એના સ્વર્ગસ્થ પિતા નિષધ દેવલોકમાંથી આવીને ઉપદેશ આપે છે તે પ્રસંગ કવિએ સંક્ષેપમાં સરસ મૂક્યો છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંચલ યૌવન, ધન, સંસારિ, વિષ જિમ વિષય દુ:ખ ભંડાર,&lt;br /&gt;
જીવન ભોગિ તૃપત ન થાઈ, પુણ્ય પાપ બે સાથિ જાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
રાસની છેલ્લી બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરા, રાસની રચનાસાલ, રચનાસ્થળ અને ફલશ્રુતિ જણાવી રાસ પૂરો કરે છે. કવિનો આ રાસ કદમાં નાનો છે કારણ કે એ સમયે હજુ લાંબા રાસ લખાતા નહિ, પરંતુ એથી કવિને પ્રસંગોના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે, ક્યાંક તો માત્ર નિર્દેશ કરીને પણ ચલાવવું પડ્યું છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણશક્તિ છે એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નલદવદંતી વિશેના કેટલા ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;બ્રહ્મજિનદાસ / જિનદાસ બ્રહ્મ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ.ના પંદરમા સૈકાના ઉત્તરાર્ધમાં કેટલીક રાસકૃતિઓની રચના કરી છે. દિગંબર સંપ્રદાયના આ કવિ પોતાની કૃતિમાં બ્રહ્મજિણદાસ અથવા જિણદાસ બ્રહ્મચારીના નામથી પોતાનો ઉલ્લેખ કરે છે. આ વિદ્વાન કવિએ સંસ્કૃતમાં રામચરિત નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં દરેક સર્ગને અંતે ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી ‘વિરચિત’ એમ આપ્યું છે. દિગંબરોમાં સાધુ થવા માટે પ્રથમ બ્રહ્મચારી થવું જોઈએ. જિનદાસ બ્રહ્મચારીની અવસ્થામાં હતા ત્યારે જ એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. એમણે રચેલી કૃતિઓમાં દુહાબદ્ધ ૨૦૪ કડીની સુગંધદશમી કથા વિશિષ્ટ છે. સુગંધદશમી વ્રતનો વિવિધ લોકપ્રિય ઢાળોમાં મહિમા આલેખતી આ કૃતિ આ પરંપરાની એક નોંધપાત્ર કૃતિ છે. એમની રાસકૃતિઓમાં હરિવંશરાસ (ઈ.સ. ૧૪૬૪), યશોધર રાસ, આદિનાથ રાસ, શ્રેણિક રાસ, કરકુંડ રાસ, હનુમંત રાસ, સમકિત સારા રાસ, સાસરવાસોનો રાસ એટલા રાસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ધર્મપચીસી નામની ૨૭ કડીની એક હિંદી લઘુકૃતિ પણ ઉપલબ્ધ છે. કવિની ભાષા સરળ છે અને ઉપમા દૃષ્ટાંત ઇત્યાદિ અલંકારો કવિ સહજ રીતે પ્રયોજે છે ને એમાં હિંદી - રાજસ્થાનીની છાંટ પણ વરતાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વચ્છ ભંડારી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના ભક્ત શ્રાવક વચ્છ ભંડારીએ રચેલી જીવભવસ્થિતિરાસ, મૃગાંકલેખા રાસ અને નવપલ્લવ પાર્શ્વ કલશ એ ત્રણ કૃતિઓ મળે છે.&lt;br /&gt;
કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે એમણે ઈ.સ. ૧૪૬૭ના ફાગણ સુદ ૧૩ને રવિવારે જીવભવસ્થિતિ રાસની રચના પૂર્ણ કરી છે. સિદ્ધાન્ત રાસ અથવા પ્રવચનસાર એવાં બીજાં બે નામ ધરાવતી આ કૃતિની રચના બે હજાર કરતાં યે વધુ કડીમાં વિવિધ રાગ અને દેશીમાં થયેલી છે. આ કૃતિમાં કવિએ જીવની ભવસ્થિતિનું વર્ણન સૈદ્ધાન્તિક ચર્ચા સાથે કર્યું છે. કવિ લખે છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જીણિ પરિઈ જીવભવ સ્થિતિ, તે અતિ અલક્ષ અપાર,&lt;br /&gt;
એક જીવ આસન્ન ભવ તરઈ, એક ફિરઈ અનંત સંસારિ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિની બીજી કૃતિ મૃગાંકલેખા રાસ પહેલાં કરતાં કદમાં નાની છે. એમાં રચનાસાલનો સ્પષ્ટ ઉલ્લેખ હોય એમ જણાયું નથી. પરંતુ તે આશરે ઈ.સ. ૧૪૮૮ પહેલાંની હોય એમ જણાય છે. ૪૦૨ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિમાં કવિનો આશય મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખવાનો છે અને આ દ્વારા શીલનો મહિમા દર્શાવવાનો છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને સીલ સિરોમણિ એવી મૃગાંકલેખાના વૃત્તાન્તનો પ્રારંભ કરે છે. ઉજ્જૈની નગરીના અવંતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધર્મનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાનાં લગ્ન સાગરચંદ્ર નાના શ્રેષ્ઠિપુત્ર સાથે થાય છે. પણ કોઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને બોલાવતો નથી અને દેશાવર ચાલ્યો જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યા પછી ધર્મધ્યાનમાં સમય વીતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એક વાર દૈવી ગુટિકાની મદદથી રાતોરાત લાંબું અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછો ચાલ્યો જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાને અસતી ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનો પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સંકટોમાં આવી પડતી મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પોતાના શીલને બચાવે છે અને છેવટે પોતાના સાગરચંદ્ર પતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વીતાવે છે.&lt;br /&gt;
દુહા, ચોપાઈ, અને વિવિધ દેશીની ઢાલમાં રચાયેલી આ કૃતિમાં કવિ ઉપદેશ પ્રધાન અદ્ભુતરસિક કથાવસ્તુ પ્રવાહી અને વેગવંતી શૈલીએ આલેખે છે. નવપલ્લવ પાર્શ્ર્વનાથ કલશ નામના લઘુકૃતિમાં કવિ વચ્છ ભંડારીએ સૌરાષ્ટ્રમાં આવેલા મંગળપુર-માંગરોળના પાર્શ્ર્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;લાવણ્યસમય&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ લાવણ્યસમય ઈ.સ. પંદરમા સૈકાના એક સમર્થ કવિ થઈ ગયા. ‘વીર જિનેશ્વર કેરો શિષ્ય ગૌતમ નામ જપો નિશદિશ&#039; એ પંક્તિથી શરૂ થતો એમનો ગૌતમ સ્વામીનો છંદ આજ દિવસ સુધી જૈનોમાં રોજેરોજ ગવાતો આવ્યો છે. એટલે કે સાધારણ જૈન સમાજ આજે પણ યશોવિજયજી, આનંદઘનજી, જિનહર્ષ ઉદયરત્ન, પદ્મવિજય, દેવચંદ્ર, વીરવિજય ઇત્યાદિ કવિઓથી જેમ સુપરિચત છે તેમ લાવણ્યસમયથી પણ સુપરિચિત છે.&lt;br /&gt;
લાવણ્યસમયનો જન્મ ઈ.સ. ૧૪૬૫માં અમદાવાદમાં અજદરપુરામાં થયો હતો. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ ઝમકલદેવી હતું. લાવણ્યસમયનું જન્મનામ લહુરાજ (લઘુરાજ) હતું. એ સમયે અજદરપુરામાં જૈન મંદિરની પાસે આવેલા ઉપાશ્રયમાં મુનિ સમયરત્ન બિરાજમાન હતા. શ્રીધરે એમને લહુરાજના જન્માક્ષર બતાવ્યા. તે જોઈ સમયરત્ને કહ્યું : આ બાળક મહાન તપસ્વી, કોઈ મોટો યતિ, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારો થશે. મુનિ સમયરત્નના કહેવાથી માતાપિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને તે મુજબ એને પાટણમાં સમયરત્નના ગુરુ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેનું નામ લાવણ્યસમય રાખવામાંઆવ્યું. મુનિ સમયરત્ને લાવણ્યસમયને નાની વયથી જ સારું અધ્યયન કરાવ્યું હતું. સોળમે વર્ષે તો લાવણ્યસમય કવિતાની રચના કરવા લાગ્યા હતા. એમણે લખેલા વિમલપ્રબંધની ચૂલિકામાં તેઓ પોતાને વિશે જણાવે છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નવમઈ વરસિ દિખવર દીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ,&lt;br /&gt;
સરસતિ માત મયા તવ લહી, વરસ સોલમ વાણી હુઈ,&lt;br /&gt;
રચિયા રાસ સુંદર-સંબંધ, છંદ કવિત ચુપઈ પ્રબંધ,&lt;br /&gt;
વિવિધ ગીત બહુ કરિયા વિવાદ રચીઆ દીપસૂરિ સંવાદ,&lt;br /&gt;
સરસ કથા હરીઆલી કવઈ, મોટા મંત્રીરાય રંજવઈ,&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ લાવણ્યસમયે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહલો, સ્તવન, સઝાય, છંદ, હમચડી, હરિયાળી, વિનતી ઇત્યાદિ પ્રકારની ૪૨ જેટલી નાની મોટી કૃતિઓની રચના કરી છે. એમના સમયમાં તેઓ એક પ્રભાવશાળી પંડિત કવિ હતા. એ સમયના મુસલમાન રાજ્યકર્તાઓ પણ લાવણ્યસમયનું ઘણું માન જાળવતા હતા. મેવાડના મહારાણા રત્નસિંહના મંત્રી કર્માશાહે શત્રુંજય તીર્થનો સાતમો જીર્ણોદ્ધાર કરાવ્યો તે આ લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યો હતો એવો નિર્દેશ શત્રુંજય ઉપરના ઈ.સ. ૧૫૨૨ ના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતું નથી, પરંતુ ઈ.સ. ૧૫૩૩માં એમણે અમદાવાદમાં યશોભદ્રસૂરિ રાસની રચના કરી છે ત્યાં સુધી એટલે કે અડસઠ વર્ષની ઉંમર સુધી તેઓ વિદ્યમાન હતા એમ કહી શકાય.&lt;br /&gt;
એમની કૃતિઓમાંથી ઘણીખરી કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે. એમની કેટલીક મહત્ત્વની કૃતિઓ આ મુજબ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વિમલપ્રબંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમની કૃતિઓમાં સૌથી સમર્થ અને યશદાયી કૃતિ તે વિમલપ્રબંધ છે. ઈ.સ. ૧૫૧૨માં કવિએ એની રચના કરી છે. ચૂલિકા સહિત નવ ખંડની ૧૩૫૬ જેટલી કડીમાં લખાયેલી આ કૃતિને કવિએ એમાં પ્રબંધ ઉપરાંત કેટલેક સ્થળે રાસ તરીકે અથવા રાસપ્રબંધ તરીકે ઓળખાવી છે, પરંતુ સ્વરૂપે તે પ્રબંધના પ્રકારની જ છે. અલબત્ત એ જેમ પ્રબંધ છે, તેમ ચરિતાત્મક પદ્યકૃતિ પણ છે, કારણ કે સોલંકી યુગમાં રાજા ભીમ પહેલાના સમયમાં થઈ ગયેલા સુપ્રસિદ્ધ જૈન મંત્રી વિમલનું ચરિત્ર એમાં આલેખાયું છે. વિમલ મંત્રીએ આબુ પર્વત પર દેલવાડામાં બંધાવેલ વિમલવસહી નામનું જૈન મંદિર એની કલાકામગરીને કારણે આજે તો જગતભરમાં સુપ્રસિદ્ધ છે. કવિ લાવણ્યસમયના સમયમાં પણ એની કીર્તિ ચારે બાજુ પ્રસરેલી હતી જ અને વિમલમંત્રીનું જીવન આદરણીય અને અનુકરણીય હતું. એથી કવિએ એ દ્વારા ધર્મનો મહિમા ગાવા અને ધર્મોપદેશ આપવાના હેતુથી આ કૃતિની રચના કરેલી છે. વિમલ મંત્રીના સમય પછી લગભગ પાંચસો વર્ષે કવિ લાવણ્યસમયે આ કૃતિની રચના કરી છે, જે સમયે અલબત્ત કવિ હોવા છતાં એમાં ઐતિહાસિક ઘટનાઓના આલેખનના પ્રમાણ કરતાં સામાજિક અને ધાર્મિક બાબતોનું નિરૂપણ વિશેષ થયું છે. ઇતિહાસ અને કવિતાની દૃષ્ટિએ નહિ એટલું સામાજિક પરિસ્થિતિ અને લોકાચારના નિરુપણની દૃષ્ટિએ એનું મૂલ્ય છે. તેમ છતાં ઇતિહાસના સંશોધન માટે તે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે એમાં પણ શંકા નથી.&lt;br /&gt;
વિમલપ્રબંધમાં કાન્હડદેપ્રબંધની સરખામણીએ કથાપ્રવાહ મંદ ગતિએ વહે છે. વળી એમાં પ્રસંગો પણ, કૃતિના કદની અપેક્ષાએ ઓછા છે. આ પ્રબંધમાં વિમલ મંત્રીના જીવનને જ મુખ્યપણે આલેખવાનો કવિનો આશય હોવાથી તે પ્રશસ્તિકાવ્ય જેવો બની જાય છે. એમાં શ્રી વીરમતી, રાજા ભીમદેવ, ઠઠાનગરનો રાજ, રોમનગરના સુલતાનો અને એમની બીબીઓ, જૈન સાધુ ધર્મઘોષસૂરિ ઇત્યાદિ ગૌણ પાત્રોનું આલેખન પણ એટલું સુરેખ થયું છે. વિમલના પાત્રાલેખનમાં એનાં રાજદ્વારી કાર્યોને જેટલું પ્રાધાન્ય અપાયું છે, એના કરતાં એનાં ધાર્મિક કાર્યોને વિશેષ પ્રાધાન્ય અપાયું છે. પરંતુ જૈન સાધુકવિને હાથે તેમ બનવું સ્વાભાવિક છે. વસ્તુતઃ એ પ્રકારના નિરુપણ માટે કવિએ વિમલ મંત્રીના પાત્રની યોગ્ય જ પસંદગી કરી છે. એમ કહી શકાય.&lt;br /&gt;
આ પ્રબંધની રચના કવિએ મુખ્યત્વે ચોપાઈના બંધમાં કરી છે અને એમાં દુહા, વસ્તુ, પવાડુ, દેશીઓના ઢાળનો પણ ઉપયોગ કર્યો છે. કવિની બાની ક્યારેક પ્રસાદમય તો ક્યારેક ઓજસવંતી બને છે. કવિએ આ પ્રબંધમાં અલંકારોમાં ઉપમા ઉપરાંત અર્થાન્તરન્યાસનો પણ ઠીકઠીક ઉપયોગ કર્યો છે. પરિણામે એમની કેટલીક પંક્તિઓ સુભાષિત કે કહેવત જેવી બની ગઈ છે. ઉ. ત. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એક વયરી, વિષવેલડી એ બિહું, ત્રીજી વ્યાધિ,&lt;br /&gt;
જાઉ ઉગતી છેદીઇ, તુ સિરિ હુઈ સમાધિ.&lt;br /&gt;
કડૂઆં ફલ નવિ લાગઈ અંબિ, સોનઈ કિમ્હઈ ન લાગઈ સંખિ,&lt;br /&gt;
માણિકિ મલ ન બઈસઈ સાર, સીલ ન ચૂકઈ વિમલ કુંઆર.&lt;br /&gt;
નાહનઉં સીહ તણઉ બાચડુ, મોટા મયગલથી તે વડુ.&lt;br /&gt;
બોલઈ બોલઈ વાધઈ રાઢિ, કાંટઈ કાંટઈ વાધઈ વાડિ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કલિયુગનું વર્ણન, રોમનગરના સુલતાનની બીબીઓનો પ્રસંગ, બંભનિયાના રાજા સાથેનો યુદ્ધપ્રસંગ, વિમલનો ચંદ્રાવતીમાં સત્કાર ઇત્યાદિ પ્રસંગોના નિરૂપણમાં કવિ લાવણ્યસમયની વર્ણનશક્તિનો સારો પરિચય મળી રહે છે. ધર્મોપદેશપ્રધાન કૃતિ હોવાને કારણે એનો પ્રધાન રસ શાંત હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં કેટલાક પ્રસંગોના આલેખનમાં વીરરસ અને હાસ્યરસનું પણ અચ્છું નિરુપણ થયું છે. આમ સમગ્રપણે જોતાં વિમલપ્રબંધ આપણા મધ્યકાલીન સાહિત્યની અને વિશેષતઃ આપણા પ્રબંધસાહિત્યની એક મહત્ત્વની કૃતિ છે એમ અવશ્ય કહી શકાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;‘કરસંવાદ’&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ વરસીતપના પારણે શ્રેયાંસ-કુમારને ત્યાં પધારે છે એ પ્રસંગે શ્રેયાંસકુમાર ભગવાનને ઇક્ષુરસ વહોરાવે છે. તે પ્રસંગે ભગવાનના બે હાથમાંથી કયો હાથ ભિક્ષા માટે આગળ આવે એ વિશે બંને હાથ વચ્ચે વિવાદ થાય છે, અને જમણો અને ડાબો બંને હાથ પોતપોતાની મહત્તા બતાવવાનો પ્રયત્ન કરે છે. છેવટે બંનેની મહત્તા બતાવી ભગવાન બંને વચ્ચે સંપ કરાવે છે. એ ‘કરસંવાદ’ (રચના ઈ.સ. ૧૫૧૯)નું કથાવસ્તુ છે. આ કલ્પિત સંવાદની રચના કવિએ દોહરો અને ચોપાઈની ૭૦ કડીમાં કરી છે, જેમાં ચાતુરી અને વિનોદના તત્ત્વ ઉપરાંત કવિની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિની અને જ્યોતિષના જ્ઞાનની પ્રતીતિ થાય છે. (કવિ સમયસુંદરે અને નયનસુંદરે અનુક્રમે ઈ.સ. ૧૬૦૯ માં અને ઈ.સ. ૧૬૧૭ માં રચેલા નલ-દવદંતી રાસમાં પણ દવદંતીના ત્યાગ સમયે વસ્ત્ર ફાડવાનું કામ નળનો કયો હાથ કરે એ પ્રસંગે કરસંવાદની યોજના કરી છે.)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;* નેમિરંગરત્નાકરછંદ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નેમિનાથના જીવનચરિત્રને લઈ મધ્યકાળના અનેક કવિઓએ નાની-મોટી સંખ્યાબંધ રચનાઓ કરી છે. એટલે, આ વિષયની કૃતિઓની તેરમી સદીથી ઓગણીસમી સદી સુધીની સુદીર્ઘ અને સમૃદ્ધ પરંપરા જોવા મળે છે. પ્રસ્તુત કૃતિ એ પરંપરામાં ઘણી વિશિષ્ટ કહી શકાય તેવી અને તત્કાલીન ભાષાસ્વરૂપ તેમજ સાહિત્યિક અને સાંસ્કૃતિક અભ્યાસ માટે ઘણી મહત્ત્વની કૃતિ છે. આ જ કવિએ નેમિનાથ હમચડી નામે અન્ય એક રચના પણ કરી છે. તેથી આ કૃતિ, વિષયનું પ્રકારાન્તરે પુનરાવર્તન ન બની રહે તેની કાળજી કવિએ લીધી છે.&lt;br /&gt;
અધિકાર: ૧ (૯૦ કડી) અને અધિકાર: ૨ (૧૬૨ કડી) એવા બે ખંડોમાં અહીં નેમિનાથના જન્મથી માંડીને તેમના કિશોરવયના પરાક્રમ, લગ્ન કરવાનો તેમનો અસ્વીકાર, યાદવ રાજા ઉગ્રસેન અને રાણી શિલાદેવીની પુત્રી રાજિમતી સાથે નેમિનાથના લગ્ન કરાવવાનો કૃષ્ણનો પ્રયત્ન, વસંતખેલ દ્વારા કૃષ્ણપત્નીઓ અને ગોપીઓનો નેમિનાથને સંસાર માટે ઉદ્યુક્ત કરવાનો પ્રયત્ન, એમના આગ્રહને વશ લગ્ન માટે નેમિનાથની સંમતિ, લગ્નપ્રસંગે ભોજનાદિ માટે થનારી જીવહિંસાથી નેમિનાથને જાગેલી વિરક્તિ, એમનો સંસારત્યાગ, આશાભંગ રાજિમતીની વિરહવ્યથા, ગિરનાર પર્વત પર નેમિનાથની તપસ્યા, દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્તિ, રાજિમતી અને સંસારીઓને નેમિનાથની દેશના – એવા પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે.&lt;br /&gt;
રાજિમતીની વિરહવેદનાનું વર્ણન કરતો ખંડ (૨.૮૧ થી ૧૧૧) આ કૃતિનો સૌથી વધુ આસ્વાદ્ય અંશ છે. કવિ જેટલા કથાકથનમાં નહીં તેટલા ભાવનિરૂપણમાં પોતાની પ્રતિભાનો પરિચય આપે છે તેના ઉદાહરણ તરીકે એ નોંધપાત્ર છે. આ કાવ્યાત્મક ખંડ દ્વારા કવિની પ્રતિભાનો પરિચય પણ મળી રહે છે. આ કથાખંડ સાથે નેમિનાથ - રાજિમતીના બારમાસા / બારમાસીની પરંપરાની તુલના કરી શકાય. વિરહિણી નાયિકાના મનોભાવને પ્રગટ કરતાં કેટલાંક સર્વ સાધારણ ઉપાદાનો એમાં કુશળતાથી પ્રયોજાયાં છે. રાજિમતી અથવા કોઈપણ વિરહિણીના સંદર્ભે પ્રયોજવાની એની સમૃદ્ધ પરંપરા હતી. આ પરંપરાગત ઉપાદાનો ઉપરાંત બારમાસી જેવાં વિરહકાવ્યોની પરંપરા કવિએ પૂરેપૂરી આત્મસાત કરી છે ને આ રાજિમતીના વિરહભાવ નિરૂપણમાં સફળતાથી પ્રયોજી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ખિણિ ખાટઇં ખિણિ વાટઈ લોટઈ, ખિણિ ઉંબરિ ખિણિ ઊભી ઓટઇં,&lt;br /&gt;
ખિણિ ભીતરિ ખિણિ વલી આંગણઈએ, પ્રીય વિણ સૂની વલીઆ ગણઈએ. (૨.૮૫)&lt;br /&gt;
&lt;br /&gt;
સુણિ સુણિ સહિયર આજ રાજ મુજ ન ગમઈ દીઠઉં.&lt;br /&gt;
ભોજનિ કૂર કપૂર પૂર નવિ લાગઈ મીઠઉં.&lt;br /&gt;
કોમલ કમલ મૃણાલ વિરહદવ-ઝાલ ન ઝલ્લઈ,&lt;br /&gt;
પ્રિય દીઠઉ પરતખિ સોઈ મન માંહઈ સલ્લઈ (૨.૧૦૦-૧૦૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નેમિનાથ વિષયક કૃતિઓમાં જોવા ન મળતા હોય એવા એક-બે પ્રસંગો આ કૃતિમાં મળે છે. એક તો, પોતાનાથી બળવાન નેમિકુમારના લગ્ન કરાવવા (એ રીતે એને સંસારમાં જોડી બળહીન કરવા?)નો કૃષ્ણપ્રયત્ન વિશિષ્ટ છે. એ માટે વસંતખેલનું આયોજન અને કૃષ્ણવધૂઓ (ગોપીઓ) દ્વારા દિયરને પરણવા માટે રાજી કરવાની યુક્તિ કવિની આગવી કલ્પના છે. એમાં કૃષ્ણ-ગોપીઓના રાસનું સાદૃશ્ય જોઈ શકાય તેમ છે. આ સંદર્ભે પ્રયોજાયેલો ચંદ્રાઉલી (કડી ૧-૫૬) શબ્દ રાસલીલાની પરંપરા વિશે કવિની જાણકારી સૂચવે છે. દિયર-ભોજાઈના રંગોત્સવ (હોળી)નો સામાજિક સંદર્ભ પણ તેમાં જોઈ શકાય. આ પ્રસંગમાં ગોપીઓ-નેમિકુમાર વચ્ચેનો સંવાદ નેમિનાથવિષયક પૂર્વકૃતિઓમાં નથી તેવું કવિનું પોતીકું ઉમેરણ છે. તેમાં ગૃહસ્થ જીવનની મુશ્કેલીઓ અને સ્ત્રીસ્વભાવનું, સ્ત્રી દ્વારા પતિ પર થતા અત્યાચારોનું સમાજચિત્ર ઝિલાયું છે. એ દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે. એ જ રીતે, કાવ્યના અંતે નેમિનાથનો રાજિમતીને ઉપદેશ પણ કવિનો વિશિષ્ટ ઉમેરો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં, ઝડઝમક પ્રાસાનુપ્રાસવાળી ભાષામાં ને વિવિધ માત્રામેળ (ચારણી) છંદોમાં લખાયેલી કૃતિને છંદ તરીકે ઓળખાવવાની રૂઢ પરંપરા હતી. એ પ્રણાલિકામાં આ કૃતિને નેમિરંગરત્નાકર છંદ એવું નામ આપવામાં આવ્યું છે. જો કે એક હસ્તપ્રતમાં રંગરત્નાકર પ્રબંધ એવું શીર્ષક જોવા મળે છે. સ્વયં કવિએ જ મંગલાચરણના અનુષ્ટુપમાં આ બન્ને પ્રકારોનો એક સાથે નિર્દેશ કર્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સ્મૃત્વા શ્રી શારદાં નેમેશ્છન્દોભિર્વિવિધૈવરૈઃ&lt;br /&gt;
પ્રબન્ધં બન્ધુરં કુર્વૈ રંગરત્નાકરાભિધમ્&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નવ છંદબંધઈ કિય પ્રબંધઈ, સ્તવિઉ નેમિજિણસરો (૨.૧૫૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જો કે કાન્હડદે પ્રબંધ કે આ જ કવિની વિમલપ્રબંધ જેવી પ્રબંધ-રચનાઓની જેમ એમાં ઐતિહાસિક કથાસંદર્ભનું લક્ષણ જણાતું નથી, જૈન તીર્થંકર નેમિનાથનું ચરિત્ર એમાં કેન્દ્રસ્થાને છે, એટલે એ ચરિત્રાત્મક કથાનકનું પ્રબંધલક્ષણ ધરાવે છે. અહીં વળી, તે સળંગ, સુસંકલિત ને વ્યવસ્થિત રચના-આયોજનનું લક્ષણ પણ જાળવે છે, નવ નવ છંદઈ કવિત કહઉં (૧.૫) એ પંક્તિમાં છંદ ઉપરાંત કવિત એ શબ્દપ્રયોગ તેમજ કહઉ (લિખઉ નહીં) એ ક્રિયાપદ એ ત્રણે દ્વારા ચારણી શૈલીનાં રચનાલક્ષણો સ્પષ્ટ રીતે સૂચવાયાં છે.&lt;br /&gt;
કૃતિમાં છંદોવૈવિધ્ય ઘણું છે. દુહા, રોળા, છપ્પો, હરિગીત, આર્યા ચરણાકુળ (સૌથી વધુ આ છંદ પ્રયોજાયો છે.), પદ્માવતી, ત્રિભંગી, મરહટ્ઠા (આ ત્રણે નિકટના છંદ છે) દુમિલ, પધડી (પધ્ધરિ) વગેરે છંદોમાં કવિકૌશલ્યનો પરિચય મળી રહે છે. છંદો પણ ઘણા સાફસૂથરા છે.&lt;br /&gt;
છંદની જેમ કવિનું ભાષાપ્રભુત્વ પણ પ્રશંસનીય છે. છંદ ભાગ્યે જ કૃત્રિમ બને એ રીતે શબ્દો સહજતાથી પ્રયોજાયા છે. સમગ્ર કૃતિ શબ્દલાલિત્યથી ઓપે છે. પ્રાસાનુપ્રાસ, ખાસ તો આન્તર્યમક અને અંત્યાનુપ્રાસ સહજ રીતે છતાં દૃઢપણે જળવાયા છે. (એથી છંદના નાદસૌન્દર્યની સારી પ્રતીતિ થાય છે). મૌલિક અલંકારોના વિનિયોગથી નિષ્પન્ન થતી કાવ્યાત્મકતાની બાબતમાં આ કૃતિ આગળ પડતી છે એમ કહી શકાતું નથી. એટલું જ નહીં, પરંપરાગત ઉપાદાનો અલંકારોનો પણ કવિ ઓછો ઉપયોગ કરે છે એથી એક પ્રકારની સાદગીનો અનુભવ થાય છે.&lt;br /&gt;
અન્ય મધ્યકાલીન કૃતિઓ જેમ આ કૃતિમાં પણ તત્કાલીન સમાજસંદર્ભ વણાઈ ગયો હોય તેવાં ઘણાં સ્થાનો છે. જન્મ, ઉછેર, લગ્ન, આભૂષણો, પહેરવેશ, રીતિરિવાજ, માન્યતાઓ, ઉત્સવો, પ્રથા-પરંપરાઓ વગેરેને લગતા કેટલાક ઉલ્લેખો કૃતિની સમૃદ્ધિમાં વધારો કરે છે.&lt;br /&gt;
નેમિનાથ હમચડી – કવિએ ૮૪ કડીની એ વિષય પર હમચડીના સ્વરૂપની એક લઘુકૃતિની રચના ઈ.સ. ૧૫૦૮માં કરી છે. આ કૃતિ સામૂહિક નૃત્ય સાથે ગાવા માટે ખાસ લખાયેલી હોઈ તેના હરિગીતિકા છંદની સંગીતની છટા પણ અનુભવી શકાય એમ છે. કવિએ આ નાનકડી કૃતિને મનોરમ ભાવચિત્રો, પ્રસંગચિત્રો તથા મનોહર અલંકારો અને ભાષામાધુર્યથી મંડિત કરી છે. તત્કાલીન લોકાચાર પર સુંદર પ્રકાશ પાડતી આ કૃતિ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
સ્થૂલભદ્ર એકવીસો – જૈનોમાં પ્રાતઃસ્મરણી મનાતા આચાર્ય સ્થૂલિભદ્રની સ્તુતિ રૂપે કવિએ વારાફરતી યોજેલી એવી દેશી અને હરિગીતની એકવીસ કડીની આ રચના કરી છે. ઈ.સ. ૧૪૯૭માં દિવાળીમાં રચાયેલી આ કૃતિમાં પોતાની પૂર્વપ્રિયા ગણિકા કોશાને ત્યાં સાધુ થયા પછી તરત ચાતુર્માસ રહેવાની ગુરુની આજ્ઞા થતાં સ્થૂલિભદ્ર કોશાને ત્યાં એ પ્રમાણે સંપૂર્ણપણે કામજિતા બનીને રહેવા ઉપરાંત કામવિજેતા થઈ કોશાને પણ સંયમ માટે પ્રતિબોધ પમાડે છે. એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંતર્યમકની ચમત્કૃતિવાળી તથા પ્રાસની સંકલનાવાળી તથા દેશીની કડીના છેલ્લા અર્ધા ચરણના ત્યાર પછીની કડીમાં આવર્તનવાળી આ લઘુકૃતિ એના પ્રસંગનિરૂપણની છટા તથા શબ્દમાધુર્યને લીધે આસ્વાદ્ય બની છે.&lt;br /&gt;
&lt;br /&gt;
નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને સેરિસા પાર્શ્વનાથ સ્તવ - કવિ લાવણ્યસમયે પોતાની કૃતિઓમાં પોતે જ નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ઈ.સ. ૧૫૦૨માં નવપલ્લવ પાર્શ્વનાથનાના તીર્થની તથા ઈ.સ. ૧૫૦૬માં સેરિસા પાર્શ્વનાથ નામના તીર્થની એમણે યાત્રા કરી હતી અને એ બંને યાત્રા પ્રસંગે પોતે અનુક્રમે ૩૫ કડીની નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને ૧૫ કડીની સેરીસા પાર્શ્વનાથ સ્તવ નામની સ્તુતિના પ્રકારની રચના કરી હતી. આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનનાં બીજાં બે તીર્થસ્થળો તે અંતરીક્ષ પાર્શ્વનાથ અને જીરાઉલા પાર્શ્વનાથ વિશે પણ તેમણે રચનાઓ કરી છે.&lt;br /&gt;
લાવણ્યસમયે સિદ્ધાંતચર્ચાની જે કેટલીક કૃતિઓ રચી છે એમાં મૂર્તિનિષેધનું અનાકુલ ખંડન અને મૂર્તિપૂજા-વિચારનું પ્રતિપાદન કરતી, ૧૧૮ કડીની લુંકટવદન ચપેટ - ચોપાઈ / સિદ્ધાંત ચોપાઈ (ર. ઈ. ૧૪૮૭) તથા જૈન સિદ્ધાંતો વિશે શિષ્ય ગૌતમના મનમાં જાગેલા સંશયોનું મહાવીર સ્વામીએ કરેલું નિરાકરણ નિરૂપતી (અમૃતવાણી- અભિધાન/ ગૌતમપૃચ્છા ચોપાઈ (ર. ઈ. ૧૪૮૯) મુખ્ય છે.&lt;br /&gt;
લાવણ્યસમયની અન્ય કૃતિઓ આ મુજબ છે : &lt;br /&gt;
આલોયણ વિનતી, સેરીસાપાર્શ્વનાથ સ્તવન, રાવણમંદોદરી સંવાદ, વૈરાગ્ય વિનતી, સુરપ્રિય કેવલી રાસ, દેવરાજ-વચ્છરાજ ચોપાઈ, અન્તરિક પાર્શ્વનાથ છંદ, ચતુર્વિશતિ જિન સ્તવન, સૂર્યદીપવાદ છંદ, સુમતિસાધુ વિવાહલો, બલિભદ્ર - યશોભદ્રરાસ, ગૌતમ રાસ, ગૌતમ છંદ, પંચતીર્થસ્તવન, જીરાઉલા પાર્શ્વનાથ વિનતી, રાજિમતી ગીત, ઓગણત્રીસ ભાવના, પાર્શ્વનાથ જિનસ્તવન પ્રભાતી, આત્મપ્રબોધ, નેમરાજુલ બારમાસો, વૈરાગ્યોપદેશ, ગર્ભવેલી, ગૌરી સાંવલી, ગીતવિવાદ તથા કેટલીક સઝાયો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
જ્ઞાનચંદ્ર&lt;br /&gt;
સોરઠ ગચ્છના ક્ષમાચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથાસાહિત્ય વિષયક ત્રણ કૃતિઓ મળી આવે છે : (૧) વંકચૂલનો પવાડઉ રાસ (ઈ.સ. ૧૫૧૧), (૨) વેતાલ પચવીસી (ઈ.સ. ૧૫૩૯) અને (૩) સિંહાસન બત્રીસી (ઈ.સ. ૧૫૪૫). આ ઉપરાંત કવિએ ૧૮ કડીમાં નેમિ-રાજલ બારમાસી કૃતિની પણ રચના કરેલી છે. કવિની કૃતિઓમાં એમની સિંહાસન બત્રીસી સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. કવિની પાસે વાર્તાકથનની વેગવંતી શૈલી છે. સ્થળે સ્થળે એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણનો આપ્યાં છે અને એમાં કહેવતો, સુભાષિતો પણ વણી લીધાં છે. ઇન્દ્રસભાનું વર્ણન, નગર ફરતા બનાવેલા તાંબાના કોટનું વર્ણન, ગણિકા અને ભર્તૃહરિના પ્રસંગનું વર્ણન, વિક્રમના ઉપવનવિહારનું વર્ણન, દેવીની શક્તિનું વર્ણન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિનો પરિચય થાય છે. કવિએ અન્ય પદ્યવાર્તાકારોની જેમ નારીસ્વભાવ, દરિદ્રતા, જુગાર વગેરે વિષયો ઉપર પ્રસંગે પ્રસંગે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં છે અને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે.&lt;br /&gt;
આ કૃતિ ભાષા, છંદ, વર્ણનો, અલંકારો, સૂક્તિઓ ઇત્યાદિની દૃષ્ટિએ મહત્ત્વની બની રહે છે અને આ વિષયની જૈન કવિઓની કૃતિઓમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી યોગ્યતા ધરાવે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સહજસુંદર&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈસવી સનના સોળમા સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિઓમાં કવિ સહજસુંદર ગણનાપાત્ર છે. ઈ.સ. ૧૫૧૪ થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુંદરે ઈલાતીપુત્ર સજઝાય, ગુણરત્નાકર છંદ, ઋષિદત્તારાસ, રત્નાકુમાર ચોપાઈ, આત્મરાજ રાસ, પરદેશી રાજાનો રાસ, શુકરાજસાહેલી, જંબુ અંતરંગ રાસ, યૌવન-જરાસંવાદ, તેતલીમંત્રીનો રાસ, આંખકાનસંવાદ, સરસ્વતી છંદ, આદિનાથ શત્રુંજયસ્તવન, શાલિભદ્ર સજઝાય, જઈતવેલિ ઇત્યાદિ રાસ, સ્તવન, સઝાય, છંદ, સંવાદના પ્રકારની નાનીમોટી કૃતિઓની રચના કરી છે. ગુણરત્નાકર છંદ અને ઋષિદત્તા રાસ એમાં વિશેષ મહત્ત્વની છે.&lt;br /&gt;
સહજસુંદર ઉપકેશ ગચ્છના આચાર્ય સિદ્ધિસૂરિના શિષ્ય રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેઓ સંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. એમણે સંસ્કૃતમાં વ્યાકરણે પ્રથમ પાદઃ નામના ગ્રંથની રચના ઈ.સ. ૧૫૨૫માં કરી હોવાનો ઉલ્લેખ મળે છે. સંસ્કૃત ભાષા ઉપરના તેમના પ્રભુત્વને કારણે તેનો પ્રભાવ તેમની ગુજરાતી કૃતિઓ ઉપર પણ પડ્યો છે. એથી એમની કૃતિઓમાં ક્યારેક સંસ્કૃત તત્સમ શબ્દોનો ઉપયોગ વધુ જોવા મળે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;* ગુણરત્નાકર છંદ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જૈન પરંપરામાં અતિપ્રસિદ્ધ સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને વિવિધ (ચારણી) છંદમાં રજૂ કરતી ૪૧૯ કડીની આ દીર્ઘરચના (ઈ. ૧૫૧૬)ને સ્થૂલિભદ્ર છંદ એવા અપરનામે પણ ઓળખાવવામાં આવે છે. જો કે લગભગ બધી જ હસ્તપ્રતોમાં ગુણરત્નાકર છંદ એ નામનો જ નિર્દેશ થયો છે. કૃતિના નાયક સ્થૂલિભદ્રને ગુણોના રત્નાકર કહેવામાં આવે છે એ દૃષ્ટિએ કૃતિનામ સાર્થક છે.&lt;br /&gt;
સમગ્ર કૃતિના કથાનકને ચાર ‘અધિકાર&#039; (પ્રકરણ)માં વિભાજિત કરીને મૂક્યું છે. દરેક અધિકારમાં અનુક્રમે ૬૮, ૧૬૦, ૧૦૪, ૮૭ છંદ (=કડી) મળે છે. આવી યોજનાને લીધે સમગ્ર કૃતિ સુદૃઢ આકાર ધારણ કરે છે. કથાનકના ખંડો વચ્ચે પણ એથી સંતુલન સધાયું છે.&lt;br /&gt;
કૃતિનો આરંભ પરંપરાગત રીતે, સરસ્વતીની સ્તુતિથી થાય છે. સ્થૂલિભદ્રના ગુણવર્ણન માટે દેવી પાસે બુદ્ધિ, મતિ અને વાણીની યાચના કવિ કરે છે. એ પછી પચીસેક કડીમાં સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ કરવામાં આવી છે, તથા નેમિનાથ કથાને મુકાબલે સ્થૂલિભદ્રકથાની વિશેષતા બતાવવામાં આવી છે.&lt;br /&gt;
આટલા પ્રાસ્તાવિક પછી કૃતિ મૂળ કથા ભણી વળે છે : પાડલપુર (મૂળ પાટલિપુત્ર) નું વર્ણન નગરવર્ણનની મધ્યકાલીન પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. નગરના રાજા નંદનો પરિચય અને તેમના બ્રાહ્મણમંત્રી શકટાલ અને તેની પત્ની લાછલદેવી (લાચ્છલ દે)ને ઘેર સ્થૂલિભદ્રના જન્મપ્રસંગ આગળ કવિ પહેલો અધિકાર પૂરો કરે છે. &lt;br /&gt;
બીજો અધિકાર પણ સરસ્વતીની સ્તુતિથી આરંભાય છે. સ્થૂલિભદ્રના જન્મમહોત્સવનું વર્ણન, શૈશવ-ઉછેર-વિદ્યાભ્યાસ વગેરે વિગતો સાથે માતાપિતાના વાત્સલ્યનું, સ્થૂલિભદ્રના યૌવનસંક્રમણનું તેમજ વનવિહારનું વર્ણન વિશેષ નોંધપાત્ર છે.&lt;br /&gt;
આ પછી, સ્થૂલિભદ્રના કોશાને ત્યાં આગમનથી માંડીને સ્થૂલિભદ્ર-કોશાનો પ્રેમ સંવાદ, સ્થૂલિભદ્રને રીઝવવાના કોશાના પ્રયાસો, બન્નેના ભોગવિલાસ અને રંગરાગનાં વર્ણનો સાથે બીજો અધિકાર પૂરો થાય છે. 	&lt;br /&gt;
ત્રીજા અધિકારમાં, આરંભે, રાજખટપટને કારણે રાજા શકટાલના મૃત્યુનો નિર્દેશ છે, શ્રીયક રાજ્યના મંત્રીપદનો પ્રસ્તાવ લઈ મોટાભાઈ સ્થૂલિભદ્રને તેડવા આવે છે. સ્થૂલિભદ્રનું જીવનની સાર્થકતા વિશેનું મનોમંથન પિતાના મૃત્યુની પશ્ચાદ્ભૂમાં આરંભાય છે. કોશા તેમને ન જવા વિનંતી કરે છે. કોશાને સમજાવી સ્થૂલિભદ્ર રાજસભામાં આવે છે, ને મંત્રીપદનો અસ્વીકાર કરે છે. રાજખટપટ સ્ત્રી-આસક્તિ વગેરેનું ચિંતન કર્યા પછી તે વૈરાગ્ય સ્વીકારવાનો નિર્ણય કરે છે. સૌ રાજપુરુષો એને ઠપકો આપે છે. આ બાજુ કોશા વિરહવેદના અનુભવે છે.&lt;br /&gt;
આ પછી સ્થૂલિભદ્રનું ગુરુને ત્યાં આગમન, શાસ્ત્રાભ્યાસ, ચાતુર્માસ ગાળવા માટે કોશાના ઘરની પસંદગી, ગુરુની ચેતવણી તથા આદેશ, સાધુવેશે સ્થૂલિભદ્રનું કોશાને ત્યાં આગમન, કોશાનો આનંદ તથા તેણે કરેલા સ્વાગત વગેરેનું વીસ કડી (=છંદ)માં સંક્ષિપ્ત વર્ણન સાથે ત્રીજો અધિકાર પૂરો થાય છે.&lt;br /&gt;
આ અધિકારમાં, સ્થૂલિભદ્રનો સંયમસ્વીકાર અને કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે ગુરુઆજ્ઞાનો પ્રસ્તાવ – આ બે મુખ્ય પ્રસંગોને આધારે કવિ સ્થૂલિભદ્રના મનોસંઘર્ષના તથા દૃઢ સંકલ્પશક્તિના તો બીજી બાજુ કોશાની વિરહવેદના ને હૃદયવ્યથાના કાવ્યાત્મક વર્ણન માટે સર્જનશક્તિને પ્રયોજે છે.&lt;br /&gt;
ચોથા – અંતિમ અધિકારમાં સાધુવ્રતધારી સ્થૂલિભદ્રને પુનઃ મોહ પમાડવાના-રીઝવવાના કોશાના પ્રયાસો ને તે કારણે સ્થૂલિભદ્ર કોશાને ઉપદેશ વચનોથી પ્રતિબોધ પમાડે છે તેનું આલેખન થયું છે.&lt;br /&gt;
સ્થૂલિભદ્ર સંયમશીલની કપરી કસોટી પાર કરી ગુરુ પાસે જાય છે. ગુરુ અન્ય ચાતુર્માસી મુનિઓ કરતાં સ્થૂલિભદ્રનો વિશેષ આદર કરે છે. આથી બીજા સાધુઓને સ્થૂલિભદ્રની ઈર્ષા થાય છે. આવો એક ઈર્ષાળુ (સિંહગુફા-વાસી) મુનિ, સ્થૂલિભદ્રની જેમ, કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા નિર્ણય કરે છે. પરંતુ મોહપાશમાં ફસાય છે. એ કથાનક ટૂંકમાં વર્ણવાયું છે.&lt;br /&gt;
અંતે, સ્થૂલિભદ્રની ગુણપ્રશંસા, ફલશ્રુતિ, રચનાવર્ષ ને કવિનાનિર્દેશ સાથે કૃતિ પૂરી થાય છે.&lt;br /&gt;
સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને લઈ, મધ્યકાળમાં, ૧૪મીથી ૧૯મી સદી દરમ્યાન ફાગુ, રાસા, બારમાસા, વેલી, છંદ, ચોપાઈ, દુહા, ચંદ્રાયણિ, સ્તવન-સઝાય, એકવીસો, એકત્રીસો, બાસઠીઓ જેવા દીર્ઘ ને લઘુ, કથનાત્મક ને વર્ણનાત્મક મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં સંખ્યાબંધ કૃતિઓની રચના કરવામાં આવી છે. આ બધામાં કવિ સહજસુંદરની કૃતિ ગુણરત્નાકરછંદ કાવ્યાત્મકતાની દૃષ્ટિએ ખાસ નોંધપાત્ર છે.&lt;br /&gt;
આ બધી રચનાઓનો મૂળ સ્રોત પ્રાકૃત (માગધી)માં લખાયેલી ‘ઉપદેશમાલા’ (કર્તા ધર્મદાસ ગણિ, ૨. વિ. સં. ૫૦) માં આવતું સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક છે. આ ઉપરાંત ઉત્તરાધ્યાયનસૂત્ર પરની સુખબોધાવૃત્તિ (કર્તા : નેમિચંદ્રસૂરિ, ૨. સં. ૧૧૨૯), ‘યોગશાસ્ત્ર’ (કર્તા : હેમચંદ્રાચાર્ય), ‘શીલોપદેશમાલા&#039; (કર્તા : જયકીર્તિસૂરિ), ‘ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ’/ કથાકોશ (કર્તા : શુભશીલમુનિ), ‘ઉપદેશપ્રસાદ’ (કર્તા : આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરિશ્વરજી) જેવા જૈનધર્મના પ્રચલિત ગ્રન્થોમાં પણ આ કથાનક જોવા મળે છે.&lt;br /&gt;
કવિ સહજસુંદર મુખ્યત્વે ‘ઉપદેશમાલા’ના કથાપ્રસંગોને જ અનુસરે છે. ‘ઉત્તરાધ્યાયનસૂત્ર’માં સ્થૂલિભદ્રનું કથાનક સ્ત્રી-પરિષહના દૃષ્ટાંત રૂપે જ મળે છે. આ મૂળ પ્રયોજનને પણ કવિ જાળવે છે. (કદાચ આ કારણોસર જ નેમિનાથ કથાનકથી સ્થૂલિભદ્ર કથાનક તેમને ચઢિયાતું લાગે છે.) સ્થૂલિભદ્રના ચાતુર્માસનિર્ણય ઉપરાંત રથવાહનો કથાસંકેત આ પ્રયોજનને આધાર બનાવે છે. સિંહગુફાવાસી મુનિનું કથાનક પણ પ્રયોજનને પૂરક બને છે. ગુરુના ‘દુક્કર&#039;, ‘દુક્કર&#039; એ બે વારના ધન્યવાદ પણ આ સંદર્ભે યોગ્ય લાગે છે.&lt;br /&gt;
‘ગુણરત્નાકર છંદ&#039;માં કવિએ સ્થૂલિભદ્રની કથાના મૂળ આધારસ્રોતોમાં મળતા ઘણાય પ્રસંગોનો માત્ર નિર્દેશ કરીને ચલાવી લીધું છે. પ્રથમ અધિકારમાં (૨૧ થી ૪૦ કડીમાં) સ્થૂલિભદ્રના પૂર્વજીવનના અને સાધુજીવનના ઘણાખરા પ્રસંગોનો માત્ર સંકેત જ કરવામાં આવ્યો છે. સ્થૂલિભદ્રની ચરિત્રકથા જો પૂરેપૂરી જાણતા હોઈએ તો જ એટલા સંકેતો માત્રથી કથાપ્રસંગોનો પર્યાપ્ત પરિચય પામી શકીએ.&lt;br /&gt;
‘ગુણરત્નાકરછંદ&#039;માં સ્થૂલિભદ્રની ચરિત્રકથા રજૂ થઈ છે. એટલે આ દીર્ઘ કથનાત્મક કૃતિ કહેવાય, પરંતુ મધ્યકાલીન કથનપરંપરાની ઘણી લાક્ષણિતાઓ અહીં જોવા મળતી નથી. કવિ જો કથનાત્મક કાવ્યની પરંપરામાં સ્થૂલિભદ્ર ચરિત્રની રજૂઆત- રચના કરવા માંગતા હોત તો મૂળ કથાનકના ઘણા પ્રસંગોનો વિસ્તાર કર્યો હોત. પરંતુ કવિ વર્ણન અને ભાવનિરૂપણને જ પ્રાધાન્ય આપે છે. આમ કથનને બદલે કાવ્યાત્મક વર્ણનો અને પાત્રોની સંવેદનાનું આલેખન કરવાનું કવિનું મુખ્ય લક્ષ્ય છે. કૃતિમાં આવા વર્ણનાત્મક ખંડો જ વધારે આકર્ષક ને આસ્વાદ્ય જણાય છે.&lt;br /&gt;
આ કૃતિમાં નગરવર્ણન, વનવર્ણન, નાયિકાના રૂપસૌન્દર્યનું તેમજ શણગાર, આભૂષણોનું વર્ણન, શૃંગારક્રીડાનું વર્ણન, વસંત-વર્ષાનું ઋતુવર્ણન જેવા વર્ણનોમાં મધ્યકાલીન પરંપરા જોવા મળે છે. બીજી રીતે તેને તરતા-પ્રવાહી કૃતિ પાઠ (floating text) તરીકે પણ ઓળખાવી શકાય. મધ્યકાળના કવિઓ જરૂરિયાત પ્રમાણે તેનો પોતાની કૃતિમાં વિનિયોગ કરે છે. એમાં ક્યારેક પોતીકો વિશેષ પણ કવિ પ્રગટાવે છે.&lt;br /&gt;
‘ગુણરત્નાકર છંદ&#039;માં કવિની પ્રતિભાનો પરિચય આપી રહે તેવા વર્ણનખંડો મળે છે. કોશાના સૌન્દર્યના વર્ણન (અધિ. ૨ છંદ ૧૧૩)માં પરંપરાથી જુદી-વિશિષ્ટ રીતે મેઘનું રૂપક યોજવામાં આવ્યું છે. (છંદ ૧૧૪ માં તેનું અનુસંધાન જોવા મળે છે) તે જોઈએ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારી સરોવર સબલ, સકલ, મુખ કમલ મનોહર&lt;br /&gt;
ભમુહ ભમર રણઝતિ, નયનયુગ મીન સહોદર&lt;br /&gt;
પ્રેમ તણઉ જલ બહુલ, વયણરસલહિરિ લલત્તિ,&lt;br /&gt;
કબરી જલશેવાલ, પાલિ યૌવન મયમત્તી,&lt;br /&gt;
નવ ચક્કવાડ થણહસ્યુગલ, કરઈ રંગ રામતિ રમલિ&lt;br /&gt;
શ્રી થૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઈ હંસહંસી જમલિ,&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોશાની વિરહાવસ્થાનું વર્ણન (અધિ. ૩ – છંદ ૬૨થી ૭૮) પરંપરાગત ઉપાદાનો છતાં યમકસાંકળી, પ્રાસાનુપાસ અને ભાવાવેગને લીધે ધ્યાનપાત્ર બન્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝરમરિ વરસઈ નયણે કાજલ, રોતા ગલી ગયઉં સબિ કાજલ&lt;br /&gt;
ક્ષણિ છાંહિઈં ક્ષણિ ઊભી તક્કઈ, રીસભરી સહીઅર સ્યઉં તડકઈ&lt;br /&gt;
ક્ષણિ ભીતરિ ઉંબરિ ક્ષિણિ ખેલઈ, ચઉકિ ચડી નીસાસા મેહલઈ&lt;br /&gt;
ક્ષણિ લોટઈ ઓટઈ દુખ મોટઈ ચીઊ વિણ ધાન કિસ્યઉં નવિ બોટઈ&lt;br /&gt;
{{right|(અધિ.૩: ૬૩-૬૪)}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિની કાવ્યાત્મકતા નિર્માણ કરવામાં અર્થના અલંકારોનો વિશેષ ફાળો રહ્યો છે. પ્રાચીન અને મધ્યકાલીન પ્રણાલિકા પ્રમાણેના તેમજ પરંપરાગત ઉપાદાનોના વિનિયોગ છતાં કવિ અલંકારોમાં સારી કવિત્વશક્તિ પ્રગટ કરી શક્યા છે. અલંકારોનું વૈવિધ્ય પણ સારું જાળવાયું છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત, અર્થાંતરન્યાસ, અતિશયોક્તિ, સ્વાભાવોક્તિ જેવા અલંકારો આસ્વાદ્ય બન્યા છે. થોડા ઉદાહરણ જોઈએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તું સુકમાલ જિસી જલપોયણી (૧.૬)&lt;br /&gt;
સ્વાતિ નક્ષત્રઇં સીપ જિમ ગરભ ધરઇ તિમ હેલિ (૧.૬૨)&lt;br /&gt;
કોશા હઇડઇ આવટઇ જિમ કાંચલીઉ નાગ (૩.૫૪)&lt;br /&gt;
કંચૂકસ બાંધી ગોલા સાંધી ઘૂમઇ ગોફણ ગાત્ર (૨.૧૪૫)&lt;br /&gt;
મધુર વયણ બોલઇ મુખિ ઝીણી, જાણે ફૂલ ખિરઇ... (૨.૧૫૧)&lt;br /&gt;
હેવ ઊડાડઉં કેમ હાથિ પોપટ બઈટ્ટઉ (૨.૬૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઉપરાંત, વર્ણાનુપ્રાસ, યમક, અંત્યાનુપ્રાસ, જેવા શબ્દાલંકારો અને રવાનુકારી શબ્દોના વિનિયોગથી કવિ વિધવિધ છંદોના નાદસૌંદર્યની સમર્થ પ્રતીતિ કરાવી શકે છે. આ પ્રકારનું ધ્વનિસ્વર-સૌન્દર્ય સમગ્ર કૃતિની પ્રભાવકતા ઊભી કરવામાં મોટો ભાગ ભજવે છે.&lt;br /&gt;
આ કૃતિમાં આર્યા, અડયલ્લ (અરિલ્લ) જડયલ્લ, મડયલ, મંડલિ, ત્રિભંગી, વૃદ્ધનારાસ, પધ્ધડી, છપ્પય (=ષટ્પદ) હાટકી, દુહા, સારસી, ભુજંગપ્રયાત, તોટક, મુકતાદામ જેવા લગભગ વીસેક અક્ષરમેળ માત્રામેળ છંદો કવિએ પ્રયોજ્યા છે. આ છંદોની ચારણી પરંપરા કવિએ પૂરી આત્મસાત કરેલી જણાય છે. સૌથી વધુ દુહા છંદ પ્રયોજાયો છે. માત્ર એકવાર સંસ્કૃત અનુષ્ટુપ ‘શ્લોક&#039; સંજ્ઞાથી પ્રયોજાયો છે. (અધિ. ૧ છંદ-૧૫) આ કૃતિમાં છંદ બદલાતાં છંદનામનિર્દેશ અચૂક કરવામાં આવ્યો છે. આ કવિ લીલાવતી છંદ સારો લખી શકે છે. બધા છંદોમાં આ જ છંદ સૌથી વધુ સ્પર્શી જાય તેવો છે. સ્થૂલિભદ્રની બાળક્રીડાનું વર્ણન લીલાવતી છંદમાં કવિએ કુશળતાથી કર્યું છે. (અધિ. ૨ છંદ ૨૦ થી ૨૩) એમાંથી એક દૃષ્ટાંત જોઈએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલઇ ચમકંતઉ, ઘમઘમકંતઉ, રમઝમકંતઉ કમકંતઉ,&lt;br /&gt;
રૂડઇ દીસંતઉ, મુખિ બોલંતઉ, હીઈ હીંસંતઉ, રીંખંતઉ.&lt;br /&gt;
લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલખંતઉ&lt;br /&gt;
પુહવીતલિ પડતઉ, પુત્ર આખડતઉ, ન રહઈ રડતઉ, ઠણકંતઉ. (અધિ. ૨-૨૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃતિમાં સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભનો સાવ અભાવ નથી છતાં પણ અન્ય મધ્યકાલીન કૃતિઓ એ વડે જે સમૃદ્ધ બની છે તેવું આ કૃતિની બાબતમાં કહી શકાય તેમ નથી. આ રચનામાં પારસી બોલીનો સંદર્ભ, કોકશાસ્ત્રનો (કામસૂત્ર- ચોર્યાસી કામાસનોનો) સંદર્ભ, સૂડાં બહોંતેરીની કથાનો સંદર્ભ (અધિ. ૨ છંદ ૫૭) તથા ફિરંગી ટોપીનો સંદર્ભ (અધિ. ૨-૧૭) જેવા વિશિષ્ટ સંદર્ભો મળે છે જે ધ્યાનપાત્ર છે. રાજસેવા અને રાજ્યતંત્રના વિવરણમાં (અધિ. ૩. ૩૧ થી ૪૦) લાંચનો સંદર્ભ આવે છે. (લેતા પર લંચા, નહીં ખલ ખેંચા : ૩.૩૮), એ તત્કાલીન રાજકારભારની દૃષ્ટિએ મહત્ત્વનો છે.&lt;br /&gt;
મધ્યકાલીન સાહિત્યની લાક્ષણિકતા પ્રમાણે આ કૃતિનું મુખ્ય પ્રયોજન ધર્મબોધનું છે એ સ્પષ્ટ છે. એમાં પણ આ વિશિષ્ટ કથાનક સાથે તો એ પહેલેથી સંકળાયેલું રહ્યું છે. આ કવિપ્રયોજન કૃતિમાં અનેક સ્થળે ઉપદેશ, બોધ, વ્યવહારજ્ઞાનની રીતે યથાપ્રસંગ પ્રગટે છે. ખાસ તો, સંગ-અલંગ, વેશ્યાગમન, ભોગવિલાસ જેવી બાબતોનો સંદર્ભ કવિ માટે અનુકૂળ બની રહે છે. ત્રીજા અધિકારના ૮૧ થી ૯૫ સુધીના છંદોમાં તો જૈન તત્ત્વજ્ઞાન અને આચારવિચારનું સૂક્ષ્મ સ્તરે આલેખન થયું છે. એ માટે ઘણા પારિભાષિક શબ્દો પણ પ્રયોજાયા છે. આ ઉલ્લેખો સાંપ્રદાયિક કવિતાનું લક્ષણ વિશેષપણે પ્રગટાવે છે.&lt;br /&gt;
ઋષિદત્તારાસ (ઈ.સ. ૧૫૧૬)માં કવિએ ઋષિદત્તાના શીલનો મહિમા ગાયો છે, તેમાંની આરંભની થોડી પંક્તિઓ જુઓ, જે કવિના ભાષાપ્રભુત્વની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કઈ કવિત કરું મન ભવિ સાસણ દેવ તણઈ પરભાવિ,&lt;br /&gt;
સિદ્ધસૂરિ ગુરુપય નમીય સીલ શિરોમણિ ગુણ સંયુતા,&lt;br /&gt;
નમિ અનોપમા શ્રી ઋષિદત્તા જલધિસુતા જંગ તે સમીય.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;લાવણ્યરત્ન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જ ગાળાના બીજા એક નોંધનીય કવિ તે લાવણ્યરત્ન છે. તેઓ તપગચ્છના સાધુપંડિત ધનદેવના શિષ્ય સુરહંસના શિષ્ય હતા. વત્સરાજ દેવરાજ રાસમાં કવિએ સુપ્રસિદ્ધ આચાર્ય સોમસુંદરસૂરિથી પોતાની ગુરુપરંપરાનો નિર્દેશ કર્યો છે. લાવણ્યરત્ને આ રાસ ઉપરાંત યશોધરચરિત્ર (ઈ.સ. ૧૫૧૯), મત્સ્યોદર રાસ, કલાવતી રાસ અને કમલાવતી રાસની રચના કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પાર્શ્વચન્દ્રસૂરિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વડતપગચ્છના પુણ્યરત્નના શિષ્ય સાધુરત્નના શિષ્ય પાર્શ્વચન્દ્રસૂરિએ રાસના પ્રકારની બે જ કૃતિની રચના કરેલી જણાય છે અને તે પણ કદમાં ઘણી નાની છે. આ બે કૃતિઓ તે ઈ.સ. ૧૫૧૪માં રચેલી ૮૬ કડીની કૃતિ વસ્તુપાલ તેજપાલ રાસ અને ૪૨ કડીની રચના જિનપ્રતિમા સ્થાપના રાસ, પરંતુ તે ઉપરાંત એમણે સંખ્યાબંધ નાનીનાની કૃતિઓની રચના કરી છે. નાની કૃતિઓમાં પોતાના ગચ્છ, ગુરુપરંપરા ઇત્યાદિના ઉલ્લેખને અવકાશ નથી. ખંધકચરિત્ર સઝાયમાં એમણે પોતાના ગચ્છ અને ગુરુનો આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વડતપ ગચ્છિ ગુણરયણ નિધાન, સાહુરયણ પંડિત સુપ્રધાન,&lt;br /&gt;
પાર્શ્વચન્દ્ર નામે તસુ સીસ, તિણિ કીધો મિન આણી જગીસ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાર્શ્વચન્દ્રસૂરિ હમીરપુર નગરના પ્રાગ્વંશના વેલ્હગશાહના પુત્ર હતા. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૧માં થયો હતો. એમની માતાનું નામ વિમલાદે હતું. પાર્શ્વચન્દ્રે નવ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. ઈ.સ. ૧૫૦૯માં તેમને આચાર્યપદ આપવામાં આવ્યું હતું. તેઓ એક સમર્થ મહાન જૈનાચાર્ય હતા અને ઈ.સ. ૧૫૪૩માં એમને ‘યુગપ્રધાન’નું બિરુદ આપવામાં આવ્યું હતું. જોધપુરમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. એમણે ઘણા રાજવીઓને અને અન્ય રજપૂતોને ઉપદેશ આપ્યો હતો. એમના પરથી પાર્શ્વચન્દ્ર ગચ્છ (પાયચંદ ગચ્છ) નીકળ્યો હતો.&lt;br /&gt;
પાર્શ્વચન્દ્રસૂરિએ વિવેકશતક, દૂહાશતક, એષણાશતક ઇત્યાદિ શતકના પ્રકારની અને પાક્ષિકછત્રીશી ઇત્યાદિ છત્રીશીના પ્રકારની કૃતિઓની રચના કરી છે. તદુપરાંત સાધુવંદના, અતિચાર ચોપાઈ, ચરિત્ર મનોરથમાલા, શ્રાવક મનોરથમાલા, આત્મશિક્ષા, જિનપ્રતિભા, સ્થાપના વિજ્ઞપ્તિ, અમરદ્વાર, સપ્તતિકા, નિયતાનિયત, પ્રશ્નોત્તર પ્રદીપિકા, બ્રહ્મચર્ય, દશ સમાધિસ્થાન કુલ, સ્તર ભેદી પૂજા, અગિયાર બોલ સઝાય, વંદનદોષ, આરાધના, મોટી, આરાધના-નાની, ઉપદેશરહસ્ય ગીત, વિધિવિચાર, વીતરાગ સ્તવન, શાંતિજિન સ્તવન, રૂપકમાલા, ખંધકચરિત્ર, કેશિ પ્રદેશિબંધ, સંવેગબત્રીસી, સંવરકુલક ઇત્યાદિ ઘણી નાનીનાની કૃતિઓની રચના કરી છે. એ બધી કૃતિઓમાં રાસ કે પ્રબંધ કે ચરિત્રના પ્રકારની કૃતિ કરતાં આરાધનાના વિષયની કેટલીક કૃતિઓ કદમાં મોટી છે. એમની એક કૃતિ ૪૦૬ કડી જેટલી મોટી છે. શ્રી પાર્શ્વચન્દ્રસૂરિએ આ રીતે ચરિત્રાદિ વર્ણનાત્મક કૃતિઓ કરતાં શાસ્ત્રીય નિરૂપણની ઉપદેશના પ્રકારની કૃતિઓનું સર્જન સવિશેષ કર્યું છે. આત્મશિક્ષામાં કવિ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રે અભિમાની જીવડા, તું કિમ પામિસિ પાર,&lt;br /&gt;
લઘુ છલ નિરખે પારકા, તું તિહનો ભંડાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિની કેટલીક કૃતિઓની કલશની પંક્તિઓ – અંતિમ ચાર પંક્તિઓ-પ્રાસાનુપ્રાસયુક્ત અને કવિના ભાષાપ્રભુત્વના નમૂનારૂપ હોય છે. ઉ.દા. સાધુવંદનાની કળશની પંક્તિઓ જુઓ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઈમ જનવાણી જોઈ હિયઈ આણી મઈ ભણ્યા,&lt;br /&gt;
ભવતરણ તારણ, દુઃખવારણ સાધુ ગુરુ મુખિ જે સુણ્યા,&lt;br /&gt;
ઈમ અચ્છઇ મુનિવર જેય હોસ્યઇ, કાલિ અનંતઇ જે હુઆ,&lt;br /&gt;
તે સત છંદિહ શ્રી પાસચંદઈ મનિ આણંદઇ સંથુઆ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને આ જુઓ એકાદશવચનદ્રાંત્રિશિકાની કળશની પંક્તિઓ:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સેવા કરયંઇ ભવજલ તરિયંઇ ધરિયંઇ હિયડંઇ ગુરુ વયણં,&lt;br /&gt;
પરમારથ ગ્રહિયંઇ શિવસુખ લહીંઇ રહિયંઇ આદર જિનશરણં&lt;br /&gt;
ઈગ્યાર પદારથ ભાખ્યા સમરથ સાંભલિ ભતિયણ સદ્વહિયે,&lt;br /&gt;
જે થાઈ ઇકચિત પામઇ સમકિત શ્રી પાસચદ્ર ઇણિ પરિ કહએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વિનયદેવસૂરિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોલંકી રાજા પદ્મરાય અને સીતાદેના પુત્ર બ્રહ્મકુંવરનો જન્મ ઈ.સ. ૧૫૧૨માં માલવાના આજણોઠ ગામમાં થયો હતો. દીક્ષા પછી વિનયદેવસૂરિ થયેલા આ કવિ પોતાની કૃતિઓમાં પોતાનો નામોલ્લેખ ‘બ્રહ્મ&#039;ના નામથી ઘણીવાર કરે છે. &lt;br /&gt;
બ્રહ્મકુંવર પોતાના મોટા ભાઈ ધનરાજ સાથે દ્વારકાજીની જાત્રા કરી ગિરનાર ગયા ત્યાં તેમણે અને તેમના મોટાભાઈએ રંગમંડણ ઋષિ પાસે દીક્ષા લીધી. તેઓ બ્રહ્મમુનિ (બ્રહ્મઋષિ) બન્યા. પાર્શ્વચન્દ્રસૂરિના ગુરુના ગુરુ પુણ્યરત્ન પાસે દીક્ષા લેનાર બરદરાજ ઋષિનો (જે પાછળથી વિજયદેવસૂરિ થયા) મેળાપ બ્રહ્મઋષિને પાટણમાં થયો અને પછી તેઓ તેમની સાથે દક્ષિણમાં ઘણે સ્થળે વાદમાં જીત્યા. આચાર્યપદ મળ્યા પછી તે વિનયદેવસૂરિના નામથી ઓળખાયા. તેઓ એક મહાન આચાર્ય હતા અને એમણે કેટલાક સૈદ્ધાન્તિક મતભેદને કારણે સુધર્મગચ્છના નામથી પોતાનો જુદો ગચ્છ સ્થાપ્યો હતો. તેઓ ઈ.સ. ૧૫૯૦માં બરહાનપુરમાં કાળધર્મ પામ્યા હતા. એમના એક શિષ્ય મનજીઋષિએ ઈ.સ. ૧૫૯૦માં વિનયદેવસૂરિ રાસની રચના કરી છે, જેમાં તેમના જીવન અને કાર્યની સવિગત માહિતી આપી છે.&lt;br /&gt;
વિનયદેવસૂરિએ રાસ, ચોપાઈ, વિવાહલો, ધવલ, સ્તવન, ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમણે ઈ.સ. ૧૫૩૭માં સુસઢ ચોપાઈની ૨૪૩ કડીમાં રચના કરી છે, જેમાં સુસઢનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. આ કથાનક મહાનિશીથ સૂત્રમાં આવે છે. સુસઢ એક બ્રાહ્મણીનો પુત્ર હતો. જન્મસમયે જ માતા ગુમાવતાં તે એક કુંભારને ઘેર ઊછર્યો હતો. એણે યુવાનવયે દીક્ષા લીધી હતી, પરંતુ તેનાથી સંયમનું પાલન થઈ શકતું નહોતું એટલે ગુરુએ એને ગચ્છ બહાર કાઢ્યો હતો. રાસને અંતે કવિ ઉપદેશ આપતાં કહે છે કે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં કોઈક એક સજા થાય છે, પરંતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ભવોભવ અનેક દુ:ખ ભોગવવાં પડે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નરપતિ આણા ભંજતા, લબ્ભઈ નિગ્રહ એક,&lt;br /&gt;
જિન આણાં ભંજઈ સહઈ, પરભવિ દુઃખ અનેક.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિનયદેવસૂરિએ ૩૮૯ કડીમાં રચેલી સુદર્શનશેઠ ચોપાઈમાં અનેક યાતના અને કસોટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શન શેઠ પ્રત્યે રાજ્યના પુરોહિતની પત્ની આકર્ષાઈ હતી. પરંતુ તે તેને મેળવવામાં નિષ્ફળ ગઈ એટલે એણે રાણીને ઉશ્કેરી. રાણી પણ સુદર્શનને આકર્ષવામાં નિષ્ફળ ગઈ એટલે એણે સુદર્શન પર ખોટું આળ ચડાવ્યું અને રાજાને ભંભેર્યો. એટલે રાજાએ સુદર્શનને શૂળીએ ચડાવવાનું નક્કી કર્યું. એ સમયે સુદર્શનની સતી જેવી પત્ની મનોરમાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધર્યું. એવામાં રાજાને સાચી વાતની ખબર પડી ગઈ અને સુદર્શન શેઠને શૂળીએ ન ચડાવ્યા. પરંતુ આ ઘટનાથી સુદર્શન શેઠને વૈરાગ્ય થયો અને એમણે દીક્ષા લીધી. તેઓ સુદર્શન મુનિ બન્યા. સાધુ અવસ્થામાં પણ એમની ઘણી કસોટી થઈ, પણ તેમાંથી પણ તે પાર પડ્યા. છેવટે કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગે શીલનો ઉપદેશ આપતાં કવિ લખે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સહ્યા પરીસહ અતિ ઘોર, સુદરશણ મહા મુનિ,&lt;br /&gt;
કાયા કરમ કઠોર, શીલ પાલી શિવપુર ગયા.&lt;br /&gt;
{{gap|6em}}*&lt;br /&gt;
એસો શીલ નિધાન, ભવિયણ હિત કરી આદરો,&lt;br /&gt;
જયો જાઓ નિર્વાણ દેવલોક મેં સાંસો નહી,&lt;br /&gt;
એ ખટ દરસણમાંહિ શીલ અધિકો વખાણીયો,&lt;br /&gt;
તપ સંજમ ખેરુ થાય શીલ વિના એક પલકમાં.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઉપરાંત આ કવિએ ઈ.સ. ૧૫૪૧માં ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ, ઈ.સ. ૧૫૫૬માં નાગિલ-સુમતિ ચોપાઈ, ઈ.સ. ૧૫૭૮માં ભરત-બાહુબલિ રાસ તથા અજાપુત્રરાસની રચના કરી છે. એમની ઇતર કૃતિઓમાં સુધર્મગચ્છ પરીક્ષા, અઢાર પાપસ્થાન પરિહાર ભાષા, નેમિનાથ ધવલ, ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન ગીત, સુપાર્શ્વજિન વિવાહલો, સાધુવંદના, શાંતિનાથ વિવાહલો, વાસુપૂજ્ય સ્વામી ધવલ, જિનરાજનામ સ્તવન, અંતકાલ આરાધના ફલ, પ્રથમ આસ્રવધર કુલક, જિનપ્રતિમા સ્થાપના પ્રબંધ, અષ્ટકર્મવિચાર, સૈદ્ધાન્તિક વિચાર, ઇત્યાદિ સંખ્યાંબંધ બીજી કૃતિઓ રચી છે અને સંસ્કૃતમાં પ્રજ્ઞપ્તિસૂત્ર ઉપર ટીકા અને પાખીસૂત્રવૃત્તિની રચના પણ કરેલી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;દોલતવિજય&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તપગચ્છના સુમતિસાધુની પરંપરામાં પદ્મવિજયના પ્રશિષ્ય શાંતિવિજયના શિષ્ય દોલતવિજયે ખુમાણ રાસની રચના કરી છે. રાસમાં કવિએ રચનાસાલનો નિર્દેશ કર્યો હશે પરંતુ તેની એક માત્ર મળતી પ્રત અપૂર્ણ હોવાથી તે સાલ ચોક્કસપણે જાણી શકાતી નથી. આ રાસમાં કવિએ ચિત્તોડના રાણા ખુમાણ અને તેના વંશજોનો ઇતિહાસ ચારણશાહી પદ્ધતિએ વર્ણવ્યો છે. જૈન સાધુ કવિઓએ ક્યારેક આવી પ્રશસ્તિના પ્રકારની રાસ કૃતિની પણ રચના કરી છે તે આ રાસ પરથી જોઈ શકાય છે. કવિનાં કેટલાંક વર્ણનો જનમનરંજનાર્થે થયેલાં હોય એમ જણાય છે. આરંભમાં કવિ ગણેશને પણ વંદન કરે છે, જે પ્રકારની સ્તુતિ સામાન્યપણે જૈન કવિઓની કૃતિઓમાં જવલ્લે જ જોવા મળે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શિવ સુત સુંઢાલો સબલ, સેવે સુરેશ,&lt;br /&gt;
વિઘન વિદારણ વરદીયણ ગવરીપુત્ર ગણેશ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;અન્ય કવિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ.સ. ૧૪૫૦ થી ૧૫૫૦ સુધીનાં સો વર્ષના આ ગાળામાં બીજા સંખ્યાબંધ કવિઓએ રાસ, ફાગુ, વિવાહલો, પ્રબંધ, સ્તવન, સજઝાય ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે, જેમાંની જવલ્લે જ થોડી કૃતિઓ હજુ પ્રકાશિત થઈ છે. આ કવિઓ અને એમની કૃતિઓમાં નોંધપાત્ર તે આ મુજબ છેઃ&lt;br /&gt;
(૧) સાધુમેરુકૃત - પુણ્યસાર રાસ (૨) સંઘવિમલ (અથવા શુભશીલકૃત) સુદર્શન શ્રેષ્ઠિનો રાસ (૩) સંઘકલશકૃત સમ્યકત્વ રાસ (૪) અજ્ઞાતકૃત ઋષિદત્તા રાસ (૫) આનંદ મુનિકૃત ધર્મલક્ષી મહત્તરા ભાસ (૬) શુભશીલગણિકૃત પ્રસેનજિત રાસ (૭) ઉદયધર્મકૃત ઉપદેશ માલા કથાનક (૮) રત્નશેખરકૃત રત્નચૂડ રાસ (૯) કલ્યાણસાગરકૃત અગડદત્ત રાસ (૧૦) આણદમેરુકૃત કાલકસૂરિ ભાસ (૧૧) મતિશેખરકૃત ધન્નારાસ, કુરગડુ મહર્ષિ રાસ, મહયણરેહા સતી રાસ, ઈલાપુત્ર ચરિત્ર (૧૨) જિનવર્ધનકૃત ધન્નારાસ (૧૩) આશા સુંદરકૃત વિદ્યાવિલાસ ચોપાઈ (૧૪) વિનયચંદ્રકૃત જંબૂસ્વામીનો રાસ (૧૫) લક્ષ્મીસાગર કૃત વસ્તુપાલ તેજપાલ રાસ (૧૬) રાજતિલકગણિકૃત શાલિભદ્ર રાસ (૧૭) રત્નસિંહ શિષ્યકૃત જંબૂસ્વામી રાસ (૧૮) મલયચન્દ્રકૃત સિંહાસન બત્રીસી (૧૯) ભક્તિવિજયકૃત ચિત્રસેન પદ્માવતી રાસ (૨૦) પેથોકૃત પાર્શ્વનાથ દશભવ વિવાહલો (૨૧) લક્ષ્મી રત્નસૂરિકૃત સુરપ્રિયકુમાર રાસ, આઠ કર્મ ચોપાઈ (૨૨) સોમચંદ્રકૃત કામદેવનો રાસ, સુદર્શન રાસ (૨૩) જ્ઞાનસાગરકૃત સિદ્ધચક્ર રાસ (શ્રીપાલ રાસ) (૨૪) મંગલધર્મકૃત મંગલકલશ રાસ, (૨૫) જિનરત્નસૂરિકૃત મંગલકલશ રાસ (૨૬) પુણ્યનંદિકૃત રૂપકમાલા (૨૭) દેવપ્રભગણિ કૃત કુમારપાલ રાસ (૨૮) ઉદયધર્મકૃત મલયસુંદરી રાસ, કથાબત્રીસી (૨૯) ખેમરાજકૃત શ્રાવકાચાર ચોપાઈ, ઈખુકારી રાજા ચોપાઈ (૩૦) સંવેગસુંદરકૃત સારશિખામણ રાસ (૩૧) હેમવિમલસૂરિકૃત મૃગાપુત્ર ચોપાઈ (૩૨) જયવલ્લભકૃત શ્રાવક બારવ્રત રાસ, સ્થૂલભદ્ર બાસઠીઓ, ધન્નાઅણગારનો રાસ (૩૩) સિંહકલશકૃત મુનિપતિ ચરિત્ર (૩૪) શાંતિસૂરિકૃત સાગરદત્ત રાસ (૩૫) જિનસાધુસૂરિકૃત ભરત બાહુબલિરાસ (૩૬) કીર્તિહર્ષકૃત સનતકુમાર ચોપાઈ (૩૭) જયરાજકૃત મત્સ્યોદર રાસ (૩૮) ક્ષમાકલશકૃત સુંદર રાજા રાસ, લલિતાંગ કુમાર રાસ. (૩૯) નેમિકુંજરકૃત ગજ સિંહકુમાર ચોપાઈ (૪૦) લબ્ધિસાગરકૃત શ્રીપાલ રાસ, ધ્વજભુજંગકુમાર રાસ (૪૧) હર્ષકલશકૃત વસુદેવ ચોપાઈ (૪૨) લાવણ્યસિંહકૃત ઢંઢણકુમાર રાસ (૪૩) સિંહકુલકૃત નંદબત્રીસી : સ્વપ્નવિચાર ચોપાઈ (૪૪) હર્ષમુનિકૃત ચંદ્રલેખા ચોપાઈ (૪૫) ઈશ્વરસૂરિકૃત લલિતાંગ ચરિત્ર શ્રીપાલ ચોપાઈ (સિદ્ધચક્ર ચોપાઈ) (૪૬) ધર્મદેવકૃત હરિચન્દ્ર રાજાનો રાસ, અજાપુત્ર રાસ, વયર સ્વામીનો રાસ (૪૭) પદ્મશ્રીકૃત ચારુદત્ત ચરિત્ર (૪૮) ધર્મરુચિકૃત અજાપુત્ર ચોપાઈ (૪૯) કડુઆકૃત લીલાવતી સુમતિવિલાસ રાસ (૫૦) રાજશીલ કૃત વિક્રમખાપર ચરિત ચોપાઈ, અમરસેન વયરસેન ચોપાઈ (૫૧) જયવિજયકૃત મુનિપતિ ચોપાઈ (૫૨) પદ્મસાગરકૃત કયવન્ના ચોપાઈ (૫૩) ધર્મસમુદ્રકૃત સુમિત્રકુમાર રાસઃ પ્રભાકર ગુણાકર ચોપાઈ, કુલધ્વજકુમાર રાસ, શકુંતલા રાસ, રાત્રિભોજનરાસ (૫૪) દેવકલશકૃત ઋષિદત્તા ચોપાઈ (૫૫) કુશળસંયમકૃત હરિબળનો રાસ, સંવેગદ્રુમ મંજરી (૫૬) શુભવર્ધનશિષ્યકૃત અષાઢભૂતિ રાસ (૫૭) રત્નસિંહસૂરિ શિષ્યકૃત જંબૂસ્વામી રાસ (૫૮) ભુવનકીર્તિકૃત કલાવતી ચરિત્ર (૫૯) અમીપાલકૃત મહીપાલનો રાસ (૬૦) સૌભાગ્યસાગરસૂરિશિષ્યકૃત ચંપકમાલા ચરિત્ર (૬૧) ભીમકૃત અગડદત્ત રાસ (૬૨) જયનિધાનકૃત ધર્મદત્ત ધનપતિ રાસ, સુરપ્રિય ચરિતરાસ (૬૩) સાધુરત્નસૂરિ કયવન્નારાસ (૬૪) સેવકકૃત આદિનાથ દેવ રાસ, સુરપ્રિય ચરિતરાસ (૬૫) ઋષભદેવ વિવાહલુ (૬૬) સીમંધર સ્વામી શોભા તરંગ, આર્દ્રકુમાર વિવાહલુ (૬૭) વિજયદેવસૂરિકૃત શીલ રાસ (૬૮) મહીચંદકૃત ઉત્તમ ચરિત્ર ચોપાઈ (૬૯) સમરચંદ્રશિષ્યકૃત શ્રેણિક રાસ (૭૦) કલ્યાણકૃત કૃતકર્મ રાજાધિકાર રાસ (૭૧) કમલમેરુકૃત કલાવતી ચોપાઈ (૭૨) મતિસાગરકૃત લઘુ ક્ષેત્ર સમાસ ચોપાઈઃ સંગ્રહણી રાસ (૭૧) પુણ્યરત્નકૃત નેમિરાસ (યાદવરાસ) (૭૩) વિનયસમુદ્રકૃત આરામશોભા ચોપાઈ, મૃગાવતી ચોપાઈ, ચિત્રસેન પદ્માવતી રાસ, પદ્મચરિત્ર રોહિણેય રાસ (૭૩) કનકકૃત મેઘકુમાર રાસ (૭૪) રાજરત્નસૂરિકૃત હરિબલ માછી ચોપાઈ (૭૫) ભાવકૃત હરિચન્દ્ર પ્રબંધ અંબડ રાસ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સોમવિમલસૂરિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોમવિમલસૂરિ ઈ.સ.ના સોળમા સૈકાના એક પ્રતિભાશાળી આચાર્ય હતા. ઈ.સ. ૧૫૧૮માં કેવળ ચાર વર્ષની વયે તેમણે તપગચ્છના હેમવિમલસૂરિ પાસે દીક્ષા લીધી હતી. સોમવિમલસૂરિના શિષ્ય આણંદસોમે ઈ.સ. ૧૫૬૩માં સોમવિમલસૂરિ રાસની રચના કરી છે, જેમાં સોમવિમલસૂરિના જીવન વિશેની માહિતી સચવાયેલી છે. સોમવિમલસૂરિનું નામ દીક્ષા પૂર્વે જસવંત હતું અને તેઓ ખંભાતના સમધર મંત્રીના વંશજ રૂપવંતના એ પુત્ર. એમની માતાનું નામ અમરાદે. શિરોહીમાં પંડિતપદ, વીજાપુરમાં ઉપાધ્યાયપદ મેળવ્યા પછી ખંભાતમાં આચાર્ય પદવી સોમવિમલસૂરિએ મેળવી હતી અને ઈ.સ. ૧૫૮૧માં તેઓ કાળધર્મ પામ્યા હતા.&lt;br /&gt;
સોમવિમલસૂરિએ શ્રેણિક રાસ, ધમ્મિલરાસ, ચંપક શ્રેષ્ઠી રાસ, અને ક્ષુલ્લક કુમાર રાસ એ ચાર રાસકૃતિઓ ઉપરાંત કુમારગિરિમંડળ, શ્રી શાંતિનાથ સ્તવન, દશ દૃષ્ટાંતના ગીતો, પટ્ટાવલિ સઝાય, ચસિમા શબ્દના ૧૦૧ અર્થની સઝાય ઇત્યાદિ પદ્યકૃતિઓની રચના કરી છે. આ ઉપરાંત એમણે ગુજરાતી ગદ્યમાં કલ્પસૂત્ર બાલાવબોધની રચના પણ કરી છે.&lt;br /&gt;
કવિએ ઈ.સ. ૧૫૪૭માં કુમારગિરિનગરમાં શ્રેણિકરાસની રચના કરી છે. એની કર્તાની હસ્તાક્ષરમાં લખાયેલી હસ્તપ્રત ઉપલબ્ધ છે. આ રાસનું અપર નામ ‘સમ્યક્ત્વસાર રાસ&#039; છે. ચાર ખંડની ૬૮૧ કડીમાં કવિએ આ રાસની રચના કરી છે. સકલ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગૌતમ સ્વામીને પ્રણામ કરીને કવિ રાસની રચનાનો પ્રારંભ કરે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સકલ જિનવર સકલ જિનવર ચરણ વંદેવિ&lt;br /&gt;
દેવી શ્રી સરસતીતણા પાયકમલ બહુ ભક્તિ જુક્તિઓ,&lt;br /&gt;
પ્રણમી ગોયમ સ્વામિવર, સુગુરુપાય, કમલ સ્તઓ,&lt;br /&gt;
શ્રેણિક રાજા ગુણ નિલુઓ, બુદ્ધિ વિશાલ,&lt;br /&gt;
રચિસુ રાસ હું તહતણો, સુણીઓ અતિહિ રસાલ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રાસમાં કવિએ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરના સમયમાં વિદ્યમાન ધર્મપ્રેમી રાજા શ્રેણિકના વૃત્તાન્તનું આલેખન કર્યું છે. રાજગૃહ નગરીના પ્રસેનજિત રાજાને પોતાના પુત્રોમાં શ્રેણિક સૌથી વધુ બુદ્ધિમાન હોવાથી વહાલો હતો. અને એથી તેઓ પોતાની ગાદી શ્રેણિકને સોંપે છે. શ્રેણિક રાજ્ય કરે છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એના પુત્રોમાંથી અજાતશત્રુ કુણિક શ્રેણિકને કેદ કરી ગાદીએ બેસે છે. પરંતુ કુણિક, પોતાને મારી નાખવા આવે છે એમ સમજી પુત્રને હાથે મરવા કરતાં શ્રેણિક આત્મઘાત કરે છે.&lt;br /&gt;
શ્રેણિક રાજા ભગવાન મહાવીરના સમકાલીન હતા અને ભગવાનની ઘણી સભાઓમાં જઈ ઉપદેશ સાંભળતા અને ઘણી વાર પોતાને થતા પ્રશ્નો ભગવાનને પૂછી સમાધાન મેળવતા.&lt;br /&gt;
સોમવિમલસૂરિએ ઈ.સ. ૧૫૩૫માં ખંભાતમાં ‘ધમ્મિલરાસ’ નામની રાસકૃતિની રચના કરી છે. એમાં ધમ્મિલ નામના શ્રેષ્ઠીપુત્રનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. ધમ્મિલ કુશાગ્રપુરના સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને તેની પત્ની સુભદ્રાનો પુત્ર હતો. એનાં લગ્ન યશોમતી નામની એક શ્રેષ્ઠીપુત્રી સાથે થયાં હતાં. પરંતુ ધમ્મિલને યૌવનના સુખોપભોગમાં રસ ન હતો એટલે એનામાં એ માટે રસ જાગે એથી એની માતાએ એને જુગારીઓની સોબત કરાવી, અને તેમ કરતાં એ વેશ્યાઓની સોબતે પણ ચડ્યો. માતાપિતાના અવસાન પછી ધન હતું ત્યાં સુધી યશોમતી ધમ્મિલને મોકલતી રહી. પણ એ ખલાસ થયું એટલે યશોમતી પિયર ચાલી ગઈ અને ધમ્મિલને વેશ્યાએ બહાર કાઢ્યો. એથી ધમ્મિલની આંખ ઊઘડી. ફરી તે ગૃહસ્થ જીવન તરફ વળ્યો, પ્રગતિ સાધી, બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં અને ભોગવિલાસ ભોગવવા લાગ્યો. પરંતુ એથી સંતોષ ન થતાં એક વખત સાધુ પાસે ધર્મોપદેશ સાંભળતાં ફરી એનામાં વૈરાગ્ય જાગ્યો અને છેવટે એણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જયવંતસૂરિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મમ્મટના ‘કાવ્યપ્રકાશ&#039; પર ટીકા લખનાર સંસ્કૃતના પ્રખર પંડિત કવિ જયવંતસૂરિ ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા.&lt;br /&gt;
વડતપગચ્છના ધર્મરત્નસૂરિના બે મુખ્ય શિષ્ય તે વિદ્યામંડનસૂરિ અને વિનયમંડન ઉપાધ્યાય. ઈ.સ. ૧૫૩૧માં કર્મશાહે શત્રુંજય ઉદ્ધાર કરાવ્યો ત્યારે ઋષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા વિદ્યામંડનસૂરિના હસ્તે થઈ હતી અને તે ઉત્સવમાં વિનયમંડન ઉપાધ્યાયે પણ સારો ભાગ લીધો હતો. એ વિનયમંડનના શિષ્ય જયવંતસૂરિ પણ તે સમયે વિદ્યમાન હતા. જયવંતસૂરિએ ‘શૃંગારમંજરી’, ‘ઋષિદત્તા રાસ’, ‘નેમરાજુલ બારમાસ&#039;, સીમંધરસ્તવન, સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ, સ્થૂલભદ્ર મોહનવેલિ, સીમંધરના ચંદ્રઉલા, લોચનકાજલ સંવાદ ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે.&lt;br /&gt;
જયવંતસૂરિની દીર્ઘકૃતિઓમાં શૃંગારમંજરી/શીલવતીરાસ (ઈ.સ. ૧૫૫૮) અને ઋષિદત્તા રાસ (ઈ.સ. ૧૫૮૭) છે. પ્રથમ કૃતિમાં સતી શીલવતીના અને બીજીમાં સતી ઋષિદત્તાના ચરિત્રનું આલેખન છે. શૃંગારમંજરીની રચના ૨૮૦૦ જેટલી કડીમાં છે, જ્યારે ઋષિદત્તા રાસની રચના ૮૫૦ જેટલી કડીમાં થઈ છે. શૃંગારમંજરી કવિની સમર્થ કૃતિ છે. કવિનું આલેખન રસિક અને છટાદાર છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર ઉપરનું કવિનું પ્રભુત્વ સહજ અને પ્રશસ્ય છે. જુઓ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સોવિન ચૂડી કરિ ધરી, ઉરવરિ નવસરહાર,&lt;br /&gt;
ખલકતિ સોવિન મેખલા, પય ઝાંઝર ઝમકાર.&lt;br /&gt;
વેણીદંડ પ્રચંડ એ, જિસુ શેષ ભુયંગ,&lt;br /&gt;
અંગ અભંગ અનંગનું નાગ સુરંગ સળંગ,&lt;br /&gt;
પીન પયોધર ભાર ભર, કટિ તટિ ઝીલું લંક,&lt;br /&gt;
વિકસત ખંજન નયણલાં, ઘણુંહ જિસિઉ ભૂવંક.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હેમરત્નસૂરિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પૂનમ ગચ્છના દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસકૃતિઓ ઉપલબ્ધ છે, એમણે ઈ.સ. ૧૫૪૭માં પાલી નગરમાં ‘શીલવતી કથા’ની રચના કરી છે.&lt;br /&gt;
એ જ વર્ષે ‘લીલાવતી&#039; નામની બીજી એક રાસકૃતિની રચના પણ એમણે કરી છે. ત્યાર પછી (ઈ.સ. ૧૫૮૦)માં એમણે ‘મહીપાલ ચોપાઈ’ની રચના ૬૯૬ કડીમાં કરી છે. ઈ.સ. ૧૫૯૧માં એમણે ૯૧૭ કડીની ‘ગોરા બાદલ કથા’ (અપર નામ ‘પદમણી ચોપાઈ’)ની રચના સાદડી નગરમાં કરી છે. કથાની ફલશ્રુતિ વર્ણવતાં કવિ લખે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગોરા બાદલની એ કથા, કહી સુંણી પરંપરા યથા,&lt;br /&gt;
સાંભલતાં મનવંછિત ફળે, રોગ સોગ દૂષ દોહગ ટલે.&lt;br /&gt;
સાંમ ધરમ સા પુરસા હોઇ, સીલ દૃઢ ફુલવંતી જોઈ,&lt;br /&gt;
હિંદુ ધ્રમ સત પરમાંણ, વાગા સુજસ તણા નિસાંણ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કવિએ ‘સીતાચરિત્ર’ નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. ચોપાઈ, દુહા અને જુદી જુદી દેશીઓની ઢાળમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સર્ગને અંતે કવિ જૈન રામાયણ ‘પદ્મચરિત્ર’ (પઉમચરિય) નો નિર્દેશ કરે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પદમરાજ વાચક સુખદાઇ, પદ્મચરિત્ર ગ્રહી મનમાંહિ,&lt;br /&gt;
હેમસૂરિ ઇમ જંપઇ વાત, ત્રીજા સરગ તણો અવદાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મહીરાજ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ મહીરાજની અત્યાર સુધીમાં માત્ર એક જ કૃતિ ઉપલબ્ધ છે અને તે એમના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી નલ-દવદંતી રાસ. ઈ.સ. ૧૫૫૬માં દુહા, ચોપાઈ અને જુદી જુદી ઢાળોની બધી મળીને સાડાબારસો કડીમાં કવિએ કરેલી આ રચનામાં કથાવિકાસ પ્રમાણે ખંડ પાડવામાં આવ્યા નથી. રાસની શરૂઆત નલ-દવદંતીના પૂર્વભવના પ્રસંગોથી કરી છે. કથાવૃત્તાન્ત માટે કવિએ હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’નો અને દેવપ્રભસૂરિના ‘પાંડવચરિત્ર’નો આધાર લીધેલ જણાય છે, પ્રસંગાલેખન, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન અને દાનશીલાદિના મહિમાના વર્ણનમાં નલ-દવદંતી વિશે રાસકૃતિની રચના કરનારા પોતાના પુરોગામી કવિઓ કરતાં મહીરાજે વિશેષ શક્તિ દાખવી છે, જોકે કેટલેક સ્થળે ઋષિવર્ધન જેવા કવિની છાયા પણ જોઈ શકાય છે. અલબત્ત, બીજી બાજુ કેટલેક સ્થળે કવિની સ્વતંત્ર અને મૌલિક કલ્પનાશક્તિ પણ જોઈ શકાય છે. પ્રસંગે પ્રસંગે દૃષ્ટાન્તો અને સુભાષિતોના પ્રકારની પંક્તિઓ પણ કવિએ પ્રયોજી છે એ રાસની ગુણવત્તામાં ઉમેરો કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કુશળલાભ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વાચક કુશળલાભ ઈ.સ. ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે પોતાની કૃતિઓમાં પોતાની ગુરુપરંપરાનો થોડોક નિર્દેશ કર્યો છે. ‘તેજસાર રાસ’માં અને ‘અગડદત્ત રાસ’માં તેઓ પોતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરે છે. કુશળલાભ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના હતા અને રાજસ્થાન તરફ તેમનો વિહાર વિશેષ રહેલો જણાય છે. એમણે પોતાની બે મહત્ત્વની રાસકૃતિઓનું સર્જન રાજસ્થાનમાં જેસલમેરમાં કર્યું હતું. તેમણે ખંભાતના સ્થંભનક પાર્શ્વનાથની અને પારકરના ગોડી પાર્શ્વનાથની જાત્રા કરી હતી. કુશળલાભે રચેલો ‘નવકાર મંત્રનો છંદ’ આજે પણ જૈનોમાં ગવાય છે.&lt;br /&gt;
કવિ કુશળલાભે રચેલી અને હાલ ઉપલબ્ધ કૃતિઓ આ પ્રમાણે છે : (૧) માધવાનલ ચોપાઈ (ઈ.સ. ૧૫૬૦), (૨) મારૂઢોલાની ચોપાઈ (ઈ.સ. ૧૫૬૧), (૩) જિનરક્ષિત જિનપાલિત સંધિ (૧૫૬૫), (૪) તેજસાર રાસ (ઈ.સ. ૧૫૬૮), (૫) અગડદત્તરાસ (ઈ.સ. ૧૫૬૯), (૬) સ્તંભન પાર્શ્વનાથ સ્તવન, (૭) ગોડી પાર્શ્વનાથ સ્તવન (૮) નવકાર મંત્રનો છંદ.&lt;br /&gt;
એમની સૌથી નોંધપાત્ર કૃતિ માધવાનલકામકંદલા ચોપાઈ (માધવાનલ પ્રબંધ)ની રચના ઈ.સ. ૧૫૬૦ (વિ. સ. ૧૬૧૬)માં ફાગણ સુદ ૧૩ને રવિવારે જેસલમેરમાં થઈ હતી. જેસલમેરના મહારાજા યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુંવર રાજા હરિરાજના કુતૂહલ અર્થે આ કૃતિની રચના કરી હતી એવો નિર્દેશ કૃતિમાં છે.&lt;br /&gt;
દુહા અને વિશેષે ચોપાઈ બંધમાં થયેલી આ રચનામાં વચ્ચે વચ્ચે સંસ્કૃત શ્લોક પણ મૂકવામાં આવ્યા છે, અને પ્રાકૃત ગાથાઓ પણ આપવામાં આવી છે. ૬૬૬ કડીની આ કૃતિને કવિએ ઠવણિ કે કડવક ઇત્યાદિમાં વિભક્ત કરી નથી. તેમજ તેમાં ચોપાઈ ઉપરાંત ભિન્ન ભિન્ન દેશીની ઢાળો પણ પ્રયોજવામાં આવી નથી. માધવાનલ અને કામકંદલાની કથાનાં મૂળ લોકકથામાં રહેલાં છે અને કુશળલાભે પણ ઇતર કેટલાક જૈન કવિઓની જેમ લોકકથામાંથી કથાનક પસંદ કરી પોતાની આ કૃતિની રચના કરી છે. આ અદ્ભુતરસિક કથામાં માધવ અને કામકંદલાના પ્રેમ અને વિરહના પ્રસંગોમાં કવિએ શૃંગારરસનું પણ સારું નિરૂપણ કર્યું છે. કવિની આ કૃતિને એમના પુરોગામી કાયસ્થ કવિ ગણપતિએ ઈ.સ. ૧૫૧૮માં આઠ સર્ગમાં દુહાની ૨૫૦ કડીમાં રચેલ ‘માધવાનલકામકંદલાદોગ્ધક’ સાથે સરખાવવા જેવી છે.&lt;br /&gt;
‘મારૂ ઢોલાની ચોપાઈ’-ની રચના પણ કવિએ જેસલમેરમાં ઈ.સ. ૧૫૬૧માં હરિરાજની વિનંતીથી કરી હતી. માધવાનલ ચોપાઈની કથાની જેમ આ કથા પણ કવિએ લોકકથામાંથી લીધેલી છે. રાજસ્થાનમાં મારૂઢોલાની કથા એ સમયે વિશેષ લોકપ્રિય હતી. દુહા અને ચોપાઈની કડીઓમાં રચાયેલી આ કૃતિમાં વચ્ચે વચ્ચે ‘વાત’માં, ગદ્યકંડિકાઓ આપવામાં આવી છે, જે પૂર્વકાલીન રાસાઓમાંના ‘વસ્તુ’ની કંડિકાઓ કરતાં મોટી છે. મારુવણીનો ઢોલા માટેનો ઝુરાપો ને એના સંદેશા વિપ્રલંભશૃંગારની આ કૃતિનું મુખ્ય કેન્દ્ર છે. કવિએ સાતસો ગાથા પ્રમાણ આ કૃતિમાં શૃંગાર અને અદ્ભુત રસથી સભર કથાનું નિરૂપણ કર્યું છે. કવિએ કથાનું સમાપન લોકકથામાં આવે છે તે જ રીતે કર્યું છે, એટલે કે ધર્મોપદેશની દૃષ્ટિથી એને લંબાવી નથી અને ઢોલા-મારૂને દીક્ષા લેતાં બતાવ્યાં નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;હીરકલશ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખરતર ગચ્છના દેવતિલક ઉપાધ્યાયના શિષ્ય હર્ષપ્રભના શિષ્ય હીરકલશ ઈ.સ. ના સોળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓનો વિહાર ઘણું ખરું રાજસ્થાન તરફ રહેલો હતો એમ એમની કૃતિઓનાં રચનાસ્થળ જોતાં જણાય છે. એમણે ઈ.સ. ૧૫૫૮માં નાગોર નગરમાં, ‘આરાધના ચોપાઈ’, ઈ.સ. ૧૫૬૦માં ‘અઢાર નાતરાંની સઝાય&#039;, ઈ.સ. ૧૫૬૧માં કનકપુરીમાં, ‘કુમતિવિધ્વંસન ચોપાઈ&#039;, ઈ.સ. ૧૫૬૨માં બિકાનેરમાં ‘મુનિપતિચરિત્ર ચોપાઈ&#039;, ઈ.સ. ૧૫૬૬માં રાજલદેસરમાં ‘સુપન સઝાય&#039;, ઈ.સ. ૧૫૬૮માં સવાલખ દેશમાં ‘સમ્યક્ત્વ કૌમુદી રાસ&#039;, ઈ.સ. ૧૫૭૬માં વાસડે નગરમાં ‘જંબૂચોપાઈ&#039;, ઈ.સ. ૧૫૮૭માં બિકાનેરમાં ‘જીભદાંત સંવાદ’ એટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જે હજુ અપ્રકાશિત છે.કવિ હીરકલશ જ્યોતિષના પણ સારા જાણકાર હતા અને એમની ‘જ્યોતિષસાર’ નામની પદ્યમાં રચેલી એક કૃતિ પણ મળે છે. એમની રાસ સઝાય ઇત્યાદિ કૃતિઓમાં ક્યારેક કૃતિની રચના સાલ ઉપરાંત માસ-તિથિની સાથે નક્ષત્રનો પણ ઉલ્લેખ થયેલો હોય છે. વળી કવિ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિના નામોલ્લેખ સાથે દર્શાવે છે.&lt;br /&gt;
કવિની કૃતિઓમાં ૬૯૩ કડીમાં રચાયેલી ‘સમ્યક્ત્વ કૌમુદી રાસ&#039;, ૮૩ કડીમાં રચાયેલી ‘આરાધના ચોપાઈ’ તથા ‘કુમતિવિધ્વંસે ચોપાઈ’માં કથાનિરૂપણ કરતાં તત્ત્વચર્ચા વિશેષ થયેલી છે. કવિની સુદીર્ઘ કૃતિ ‘સિંહાસનબત્રીસી&#039; બે હજાર કરતાં વધુ કડીમાં લખાયેલી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વાચક નયસુંદર&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ.સ. ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા જૈન કવિઓમાં વાચક નયસુંદર એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચ્છની પરંપરામાં શ્રી ધનરત્નસૂરિના બે શિષ્યો ભાનુમેરૂ ઉપાધ્યાય અને વાચક માણિક્યરત્ન એ બે પૈકી ભાનુમેરૂના શિષ્ય હતા. તેઓ માણિક્યરત્નના લઘુ બંધુ હતા એવો પોતે પોતાની રાસકૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે. નયસુંદરની એક શિષ્યા સાધ્વી શ્રી હેમશ્રીએ ‘કનકાવતી આખ્યાન&#039; નામની રાસકૃતિની રચના કરી છે. જૈન સાધ્વીઓમાં હેમશ્રી એક વિરલ કવિયત્રી હતાં.&lt;br /&gt;
કવિ નયસુંદર પંડિતકવિ હતા. તેઓ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ફારસી ઇત્યાદિ ભાષાઓના પણ સારા જાણકાર હતા. એમણે કાવ્યશાસ્ત્રનો પણ સારો અભ્યાસ કર્યો હશે એમ એમની કૃતિઓ પરથી જોઈ શકાય છે. કવિ નયસુંદરની કૃતિઓ આ પ્રમાણે ઉપલબ્ધ છે : (૧) યશોધરનૃપ ચોપાઈ (ઈ.સ. ૧૫૬૨) (૨) રૂપચંદકુંવર રાસ (ઈ.સ. ૧૫૮૧), (૩) શત્રુંજયમંડન તીર્થોદ્ધાર રાસ (ઈ.સ. ૧૫૮૨) (૪) પ્રભાવતીરાસ (ઈ.સ. ૧૫૮૪) (૫) સુરસુંદરી રાસ (ઈ.સ. ૧૫૯૦), (૬) નળદમયંતી રાસ (ઈ.સ. ૧૬૦૯), (૭) ગિરનાર ઉદ્ધાર રાસ, (૮) શીલરક્ષા પ્રકાશ રાસ (ઈ.સ. ૧૬૧૩), (૯) આત્મપ્રતિબોધ, (૧૦) શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, (૧૧) શાંતિનાથ સ્તવન. કવિની આ કૃતિઓમાં ‘નળદમયંતી રાસ’ અને ‘રૂપચંદકુંવર રાસ&#039; એમની સમર્થ કૃતિઓ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;નલદમયંતી રાસ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ નયસુંદરની રાસકૃતિ ‘નળદમયંતી રાસ’ એ વિષયની જૈન પરંપરાની અન્ય રાસકૃતિઓ કરતાં જુદી જ ભાત પાડે છે. કવિએ ઈ.સ. ૧૬૦૯માં કરેલી આ રચના માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’નો આધાર લઈને કરી છે. જૈન પરંપરામાં ‘નલાયન’ મહાકાવ્ય એક વિલક્ષણ કૃતિ છે કારણ કે એમાં મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ થયો છે. ૧૦ સ્કંધના ૯૯ સર્ગના ૪૦૫૦ શ્લોકમાં લખાયેલા આ મહાકાવ્યને કવિ નયસુંદરે ૧૬ પ્રસ્તાવની લગભગ ૨૪૦૦ કડીમાં ઉતાર્યું છે. એથી દેખીતી રીતે જ મૂળ કૃતિના શબ્દશઃ અનુવાદને આ રાસમાં અવકાશ નથી. કેટલેક સ્થળે નયસુંદરે મૂળના પ્રસંગ જતા કર્યા છે, તો કેટલેક સ્થળે કલ્પનાનો વિસ્તાર કર્યો છે, તો કોઈક સ્થળે પોતાની કલ્પના પ્રમાણે ઉમેરા પણ કર્યાં છે. દા.ત. ‘નલાયન’ મહાકાવ્યમાં કોઈ એક પથિક નળરાજા પાસે આવી દંડકારણ્યની ઉત્પત્તિની વાત કરે છે, પરંતુ નયસુંદરે એ પ્રસંગ છોડી દીધો છે. નળની વિરહાવસ્થાનું વર્ણન ‘નલાયન’કારે આ સ્થળે એક શ્લોકમાં પતંગિયું, ભમરો, હાથી વગેરેનાં ઉદાહરણ આપી કર્યું છે, તો નયસુંદરે તે માટે આઠ કડી પ્રયોજી છે, જુઓ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ મદન રંગે મોહિયા, પ્રાણી ત્યજે નિજ પ્રાણ,&lt;br /&gt;
જે પંડિતા ગુણમંડિતા, ક્ષણ થાય તેહ અજાણ,&lt;br /&gt;
પડતાં રે પ્રમદાજાળમાં જળજંતુ ને શિંગાળા,&lt;br /&gt;
અતિ પીવરા જે ધીવરા, તેહું પડે તતકાળ,&lt;br /&gt;
ઇન્દ્રિ એકેકી મોકળે, પ્રાણી લહે દુઃખ દેખિ,&lt;br /&gt;
આલાન બંધનિ જગ પડ્યો, લોલુપી સ્પર્શ વિશેષ.&lt;br /&gt;
{{gap|6em}}*&lt;br /&gt;
ઇમ એકે આચર્યા, વિષય દેય પંચત્વ,&lt;br /&gt;
પાંચે પરગટ પરવશે, કિમ સુખે રહેશો સત્ત્વ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હંસ નળની કીર્તિનું વર્ણન કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરતાં કવિ નયસુંદર પોતાની કલ્પના પ્રમાણે ઉમેરો કરે છે. બારેક કડીમાં કરેલા એ વર્ણનમાંથી થોડીક પંક્તિ જુઓ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ કીરતિ કન્યા જગમાંહી, રાજન ખેલ કરે ઉચ્છાંહિ,&lt;br /&gt;
ક્રીડા ભૂમિ હિમાચલ કર્યા, પૂર્ણચન્દ્ર કંદુક કર ધર્યાં.&lt;br /&gt;
ખડોખલિ ખીરોધદિ તાસ, શિજયા દિગ્ગજ દંતનિવાસ,&lt;br /&gt;
ઓઢણિ સુરગંગા શશિમુખી, ગોદેવી તેહની પ્રિય સખી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ હંસ દમયંતી આગળ નળની કીર્તિની પ્રશંસા કરે છે તે પ્રસંગના નિરૂપણમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિની આપણને પ્રતીતિ થાય છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિર્મળ નળ-કીરતિની તુલા નાવી શશિ સંપૂરણ કલા.&lt;br /&gt;
તે ભણી મૃગ કલંક સો વહી, એ ઉપમા કારણ કવિ કહિ,&lt;br /&gt;
નલનૃપ શત્રુતણા આવાસ, પડ્યા ભૂમિ તેણિ ઉગ્યા ઘાસ,&lt;br /&gt;
તે ચરિવા મૃગ આવે સોઈ, તો શશિ નલકીરતિ સમ હોય.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
એકંદરે સંક્ષિપ્ત ભાવાનુવાદ તરીકે વિચારીએ તો બાણભટ્ટની કાદંબરીના ભાલણે કરેલા અનુવાદની યાદ અપાવે એવો, બલકે એથી પણ વિશેષ સમર્થ આ અનુવાદ છે.&lt;br /&gt;
આ રાસમાં નયસુંદરની પોતાની તરી આવતી વિશિષ્ટતા એ છે કે એમણે સ્થળે સ્થળે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિંદી, ફારસી સુભાષિતો મૂક્યાં છે, અને એમાંનાં કેટલાંકનો ગુજરાતી પદ્યાનુવાદ પણ આપ્યો છે. એ સુભાષિતો પણ કવિની વિદ્વત્તાની પ્રતીતિ કરાવે એવાં છે. કવિ પાસે જેમ ઉચ્ચ અનુવાદશક્તિ છે તેમ ઉચ્ચ કવિત્વશક્તિ પણ છે, જેની પ્રતીતિ આખો રાસ વાંચતાં વારંવાર થાય છે. કવિની વાણી અનાયાસ, અસ્ખલિત વહી જાય છે. કવિ પાસે અસાધારણ ભાષાપ્રભુત્વ છે જે એમની પંક્તિઓને સઘન બનાવે છે અને એને સામાન્યતામાં કે બિનજરૂરી વિસ્તારમાં સરી પડતી અટકાવે છે. એમની ભાષામાં ઓજસ પણ છે અને માધુર્ય પણ છે, આડંબર છે અને શબ્દ-વિલાસ પણ છે.&lt;br /&gt;
કવિ નયસુંદરની આ રાસકૃતિ આપણી મધ્યકાલીન ઉત્તમ સાહિત્યકૃતિઓની હરોળમાં સ્થાન પામે એવી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
રૂપચંદકુંવર રાસ : કવિ નયસુંદરે વીજાપુર નગરમાં છ ખંડમાં આ રાસની રચના કરી છે. એમાં રૂપચંદકુંવરનું કથાનક આલેખાયું છે. ઉજ્જયિની નગરમાં રાજ કરતા રાજા વિક્રમના રાજ્યમાં ધનદત્ત શ્રેષ્ઠી અને એની ભાર્યાં ધનસુંદરીને થયેલા ચાર પુત્રોમાં છેલ્લો પુત્ર તે રૂપચંદ. રૂપચંદ ભણીગણી મોટો થાય છે એટલે રૂપસુંદરી નામની કન્યા સાથે એનાં લગ્ન થાય છે. ત્યાર પછી કનોજ નગરીના રાજા ગુણચંદની કુંવરી સૌભાગ્યસુંદરીને રૂપચંદ પ્રત્યે આકર્ષણ થાય છે. બંને એકાંતમાં મળે છે, સમસ્યાઓ દ્વારા સંકેત થાય છે અને ગાંધર્વવિવાહથી જોડાય છે. એ વાતની વિક્રમ રાજાને ખબર પડે છે. તે રૂપચંદ પાસેથી વાત કઢાવવાનો, જુદી જુદી સમસ્યાઓનો અર્થ જાણવાનો પ્રયત્ન કરે છે, ખૂબ મારે છે, પરંતુ રૂપચંદ કશો ખુલાસો કે એકરાર કરતો નથી. છેવટે રાજા એને શૂળીએ ચડાવવાનો નિર્ણય કરે છે. તો પણ રૂપચંદ મક્કમ રહે છે. તે સમયે પ્રધાન રાજાને વચન આપે છે અને રૂપચંદને મુક્ત કરાવે છે. રૂપચંદ પાસેથી બધી સમસ્યાઓના અર્થ જાણવા હોય તો વિક્રમ રાજાએ પોતાની પુત્રી મદનમંજરીને રૂપચંદ સાથે પરણાવવી જોઈએ એવા પ્રધાનના સૂચનને રાજા સ્વીકારે છે. મદનમંજરી પોતાની કુશળતાથી અને પ્રેમથી રૂપચંદ પાસેથી બધી માહિતી મેળવી રાજાને કહે છે. રાજા એથી પ્રસન્ન થઈ સૌભાગ્યસુંદરી સાથે એનાં વિધિપૂર્વક લગ્ન કરાવે છે. આમ ત્રણ પત્નીઓ – રૂપસુંદરી, સૌભાગ્યસુંદરી અને મદનમંજરી – સાથે ભોગવિલાસ ભોગવતો, સુખમાં દિવસોનું નિર્ગમન રૂપચંદ કરતો હતો. એવામાં ઉજ્જયિનીમાં પધારેલા જૈન આચાર્ય સિદ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉપર ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતો. સૂરિએ સંસારની અસારતા, મનુષ્યભવની દુર્લભતા, અજ્ઞાની જીવનાં કર્મો, મૃત્યુ પાસે સર્વની અધીનતા ઇત્યાદિ પર વિવેચન કરી ઉપદેશ આપ્યો. રૂપચંદે પૂછતાં બીજે દિવસે સૂરિએ પોતાના જ્યોતિષજ્ઞાનના આધારે એને જણાવ્યું કે એનું આયુષ્ય હવે માત્ર છ માસનું છે. એ સાંભળી, વિચારી માતાપિતા તથા પત્નીઓને સમજાવી રૂપચંદે સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એની સાથે એની પત્નીઓએ અને પાંચેક વડીલોએ પણ દીક્ષા લીધી. છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખના કરી, આયુષ્યપૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.&lt;br /&gt;
કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણનો, અલંકારો, સુભાષિતો ઇત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરૂપી છે. આ કથા મૌલિક છે, પરંતુ કેટલાંક કથાઘટકો કવિએ બીજેથી લીધેલાં જણાય છે. કવિએ રાસને અંતે પોતે કહ્યું છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેતો ચરિત્ર માંહેલો ચરી, કેતો કહ્યો સ્વબુદ્ધે કરી,&lt;br /&gt;
કેતી વાત સુણી તે કહી, અધિકું ઓછું ખામું સહી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગારરસનું નિરૂપણ પણ કવિએ ઠીક ઠીક કર્યું છે. તેમ છતાં કવિનો આશય કૃતિને શાંતપર્યવસાયી બનાવવાનો છે એ સ્પષ્ટ છે. કવિ પોતે કહે છે : ‘પ્રથમ શૃંગાર રસ થાપિયો, છેડો શાંત રસે વ્યાપિયો.’ કવિ નયસુંદરકૃત ‘રૂપચંદકુંવર રાસ’ આપણા સમગ્ર રાસ-સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મંગલમાણિક્ય&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આગમ બિડાલંબ ગચ્છના મુનિરત્નસૂરિની પરંપરાના ભાનુભટ્ટના શિષ્ય કવિ મંગલમાણિક્યે રચેલી બે રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે બંને હજુ અપ્રકાશિત છે. એમણે ઈ.સ. ૧૫૮૨માં ઉજ્જયિની નગરીમાં ‘વિક્રમરાજ અને ખાપર ચોરનો રાસ’ની રચના કરી છે. વિક્રમ વિશે જે જુદી જુદી ગદ્યકથાઓ અને રાસ લખાયેલા છે તેનો અભ્યાસ કરી કવિએ આ વીરરસપ્રધાન કૃતિની રચના કરી છે એમ પોતે નિર્દેશ કર્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વિક્રમ સિંહાસન છઈ બત્રીસ, કથા વૈતાલણી પંચવીસ,&lt;br /&gt;
પંચદંડ છત્રની કથા, વિક્રમચરિત્ર લીલાવઈ કથા,&lt;br /&gt;
પ્રવેસપરકાયની વાત, સીલમતી ખાપરની ખ્યાતિ,&lt;br /&gt;
વિક્રમપ્રબંધ અછઈ જે ઘણા, કહઈતા પાર નહી ગુણા,&lt;br /&gt;
ઇતિ ઉમાહુ અંગિસું ધરી ગુરુ કવિ સંત ચરણ અણુસરી,&lt;br /&gt;
ગદ્યકથા રાસ ઉદ્ધર, રચિઉ પ્રબંધ વીરરસ સાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રાસની રચના કર્યાં પછી કવિએ એ જ વર્ષે ઉજ્જયિનીમાં ચાતુર્માસ દરમિયાન ‘અંબડ કથાનક ચોપાઈ’ની રચના પણ શરૂ કરી દીધી હતી, જે પછીના વર્ષમાં પૂર્ણ કરી હતી. ‘સાત આદેશ’માં રચાયેલી ભિન્ન ભિન્ન રસ નિરૂપતી આ રાસકૃતિ કવિએ પોતાના મિત્ર લાડજીને સંભળાવવા માટે રચી હતી, એવો પોતે રાસમાં જુદે જુદે સ્થળે નિર્દેશ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મિત્ર લાડજી સુણિવા કાજી, વાંચી કથા વિડાલંબી રાજી,&lt;br /&gt;
કહઈ વાચક મંગલમાણિક્ય, અંબડ કથા રસઈ અધિકય,&lt;br /&gt;
તે ગુરુકૃપા તણો આદેશ, પૂરા સાત હૂઆ આદેશ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સકલચંદ્ર ઉપાધ્યાય&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ.સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન કવિ સકલચંદ્ર ઉપાધ્યાય પોતાની કૃતિઓમાં સુપ્રસિદ્ધ અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે, પરંતુ કોઈ વખત પોતાને વિજયદાનસૂરિના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. એટલે વિજયદાનસૂરિ એમના દીક્ષાગુરુ હોવાનો સંભવ છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે ‘મૃગાવતી આખ્યાન’, ‘વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ રાસ’ ઉપરાંત ‘સાધુવંદના’, ‘સતરભેદી પૂજા’, ‘એકવીસ પ્રકારી પૂજા’, ‘બાર ભાવના’, ‘સજઝાય’, ‘વીર વર્ધમાન જિનવેલિ’, ‘ગણધરવાદ સ્તવન’, ‘સાધુકલ્પલતા’, ‘મહાવીર હીંચસ્તવન’, ‘ઋષભ સમતા સરલતા સ્તવન’, ‘વીરજિત સ્તવન’, ‘કુમતિદોષવિજ્ઞાપ્તિકા’, ‘શ્રી સીમંધર સ્તવન’, ‘ગૌતમપૃચ્છા’, ‘વયરસ્વામી સઝાય’, ‘હીરવિજયસૂરિદેશના સુરવેલિ’, ‘મુનિશિક્ષા સઝાય’, ‘ચતુર્વિંશતિ સ્તવન’, ‘પાર્શ્વનાથ સ્તવન’ ઇત્યાદિ ઘણી લઘુ કૃતિઓની રચના કરી છે.&lt;br /&gt;
કવિની મોટી કૃતિઓમાં ચેટક રાજાની પુત્રી સુપ્રસિદ્ધ સતી મૃગાવતીના ચરિત્ર વિશેની કૃતિ ‘મૃગાવતી આખ્યાન’ છે. દુહા, ચોપાઈ, અને ભિન્ન ભિન્ન દેશીઓની ઢાળની ૭૨૫ જેટલી કડીમાં લખાયેલી આ રાસકૃતિ માટે કવિએ પોતે ‘આખ્યાન’ શબ્દ પ્રયોજેલો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મૃગાવતી સુસતી આખ્યાન, શીલ રખોપા કીજેજી,&lt;br /&gt;
સતી સવે નિતુ સુણ્યો ભણ્યો, હીરવિજય ગુરરાજઈજી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિની આ કૃતિ સિવાય બીજી કૃતિઓ જોતાં જણાય છે કે કવિએ રાસ કરતાં સ્તવન, સઝાય, પૂજા, ઇત્યાદિ પ્રકારની લઘુ કૃતિઓની રચના વિશેષ કરી છે. કવિ પોતે સંગીતના સારા જાણકાર હતા અને આ પ્રકારની લઘુકૃતિઓમાં સંગીતની જાણકારી વિશેષ જરૂરી હોય છે. કવિની ભાષામાં લયમાધુર્ય અને પ્રાસાદિકતા જોઈ શકાય છે. ‘એકવીસ પ્રકારી પૂજા’ને અંતે કળશની પંક્તિઓ જુઓ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;થુણિયો થુણિયો રે, પ્રભુ ચિત અંતરમેં થુણિયો,&lt;br /&gt;
ત્રણ્ય ભુવનમાં નહીં તુજ તોલે, તે મેં મનમાં ધરિયો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘વીર વર્ધમાન જિનવેલિ’માં આરંભની આશાઉરી રાગની પંક્તિઓ જુઓ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નંદનકું તિસલા હુલરાવંઈ પૂતઇ મોહ્યા ઇંદારે,&lt;br /&gt;
તુઝ ગુણ લાડેકડાના ગાવતિ, સુરનરનારિના વૃંદા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સકલચંદ્ર ઉપાધ્યાય સંસ્કૃતના વિદ્વાન પંડિત હતા. એમણે સંસ્કૃતમાં ‘પ્રતિષ્ઠાકલ્પ’ નામની કૃતિની રચના કરી છે. એમની ગુજરાતી કૃતિઓમાં પણ ક્યાંક ક્યાંક એમણે સંસ્કૃતમાં શ્લોક રચીને મૂકેલા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સાધ્વીશ્રી હેમશ્રી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જૈન સાધુકવિઓએ ગુજરાતી ભાષામાં બારમાથી અઢારમા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુદ્રિત થઈ પ્રકાશમાં આવતાં પણ ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિઓ ખાસ જોવા મળતી નથી. ઈ.સ.ના સોળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે સાધ્વીશ્રી હેમશ્રીકૃત ‘કનકાવતી આખ્યાન’. વડતપગચ્છના ધન્યરત્નસૂરિના શિષ્ય સુપ્રસિદ્ધ કવિ નયસુંદરની આ શિષ્યાએ ઈ.સ. ૧૫૮૮માં આ કૃતિની રચના કરેલી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૃધ તપાગછ-મંડન દીનકર, શ્રી ધનરત્નસૂરીરાય,&lt;br /&gt;
અમરરત્ન સૂરિ પાટપટોધર, ભાનુમેરુ શિષ્ય કહેઈવાય,&lt;br /&gt;
ગુણગણધર મંડિત વઈરાગી, નયસુંદર રષિરાય,&lt;br /&gt;
વાચક માંહિ મુખ્ય ભણીજઈ, તસ સિષ્યણી ગુણ ગાય,&lt;br /&gt;
કથામાંહઈ કહઈ રસાલુ, કનકાવતી સંબંધ,&lt;br /&gt;
કનકાવતી આખ્યાન રચઉ મઈ, સૂઅણાં સરસ સંબંધ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૩૬૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવિયત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી કનકાવતીના વૃત્તાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિદ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ કેવાં કેવાં સંકટો આવી પડે છે, એક રાજપુત્ર અજિતસેનનો એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે, અને અનેક વર્ષ રાજ ભોગવી દીક્ષા લે છે એ કથાનું અદ્ભુતરસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;માલદેવ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ.સ.ના સોળમા સૈકાના અંતભાગમાં થયેલા આ કવિ વડગચ્છના પુણ્યપ્રભસૂરિના શિષ્ય ભાવદેવસૂરિના શિષ્ય હતા. કવિ ઋષભદાસે પોતાના પુરોગામી વિદ્વાન કવિઓના કરેલા નામોલ્લેખમાં માલદેવનો પણ નિર્દેશ છે. માલદેવે રાસ, ફાગુ, પ્રબંધ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના કરી છે. માલદેવ અને એમના ગુરુનો વિહાર સિંધ, પંજાબ અને રાજસ્થાનમાં વિશેષ રહેલો જણાય છે. માલદેવની કૃતિઓમાં અત્યારે ઉપલબ્ધ છે : (૧) પુરંદરકુમાર ચોપાઈ, (૨) ભોજપ્રબંધ, (૩) વિક્રમચરિત્ર પંચદંડકથા, (૪) દેવદત્તચોપાઈ, (૫) અગ્નિરથ ચોપાઈ, (૬) સુરસુંદરી ચોપાઈ, (૭) વીરાંગદ ચોપાઈ, (૮) માલદેવ શિક્ષા ચોપાઈ, (૯) સ્થૂલિભદ્ર ફાગ, (૧૦) રાજુલ-નેમિનાથ ધમાલ અને (૧૧) શીલબત્રીસી. આમાંની ઘણીખરી કૃતિઓ હજુ અપ્રસિદ્ધ રહી છે.&lt;br /&gt;
માલદેવની કૃતિઓ કદમાં મોટી છે. એની ‘ભોજપ્રબંધ’ અને ‘વિક્રમચરિત્ર પંચદંડકથા’ નામની કૃતિઓ તો લગભગ પંદરસો કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે અને ‘દેવદત્ત ચોપાઈ’, ‘વીરાંગદ ચોપાઈ’ ઇત્યાદિ કૃતિઓ પાંચસો કરતાં પણ વધુ કડીમાં લખાયેલી છે. માલદેવ પાસે કથા-નિરૂપણની સારી શક્તિ જણાય છે. વળી ઉપમા અને દૃષ્ટાન્ત તેઓ વારંવાર પ્રયોજે છે એટલે એમની વાણી પણ અલંકૃત બને છે. દુહા સોરઠામાં પ્રયોજેલી એમની કેટલીક પંક્તિઓ તો સુભાષિત જેવી બની ગઈ છે. જયરંગ કવિએ સં. ૧૭૨૧માં પોતાના ‘કયવન્ના રાસ’માં માલદેવની પંક્તિઓ ટાંકી છે, જે માલદેવની પંક્તિઓની લોકપ્રિયતા દર્શાવે છે. માલદેવની એ પ્રકારની પંક્તિઓનાં થોડાં ઉદાહરણો જુઓ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રીતિ નહિ જોબન વિના, ધન બિનુ નાહીં ઘાટ,&lt;br /&gt;
માલ ધર્મ બિનુ સુખુ નહીં, ગુરુ બિનુ નાહીં વાટ.(ભોજપ્રબંધ)&lt;br /&gt;
&lt;br /&gt;
મુઓ સુત ખિણ ઈક દહે, વિનુ જાયો કૃતિ તેઉ,&lt;br /&gt;
દહે જન્મ લગુ મુઢ સુત, સૌ દુઃખ સહીઈ તેઉ.(પુરંદરકુમાર ચોપાઈ)&lt;br /&gt;
&lt;br /&gt;
ગુણસમુદ્ર સદ્ગુરુ વિના, શિષ્ય ન જાણઇ મર્મ,&lt;br /&gt;
બિનુ દીપકિ અંધાર માંહિ, કરિ સકિય કિઉં કર્મ. (વિક્રમચરિત પંચદંડકથા)&lt;br /&gt;
&lt;br /&gt;
વરત ભલી જઈ આપણી, ગ્રાહક તઉ જગુ હોઉ,&lt;br /&gt;
ખોટઉ નાણઉ આપઉ, તઉ તસ લેઈ ન કોઈ. (દેવદત્તચોપાઈ)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદ્મસુંદર&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લિવંદણિકગચ્છના માણિક્યસુંદરના શિષ્ય પદ્મસુંદર ઉપાધ્યાય ઈ.સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે કેટલીક રાસકૃતિઓની રચના કરેલી મળે છે. એમનો રચનાકાળ, ઉપલબ્ધ કૃતિઓને આધારે, ઈ.સ. ૧૫૮૬થી ઈ.સ. ૧૫૯૧ સુધીનો મનાય છે. એમણે ‘શ્રીસાર ચોપાઈ’ (ઈ.સ. ૧૫૮૬), ‘શ્રીપાલ ચોપાઈ’ (ઈ.સ. ૧૫૮૮), ‘રત્નમાલા રાસ’ (ઈ.સ. ૧૫૮૮), ‘કથાચૂડ ચોપાઈ’ (ઈ.સ. ૧૫૮૮), ‘ઈશાનચંદ્ર વિજ્યા ચોપાઈ’ (ઈ.સ. ૧૫૮૮) અને ‘શ્રીદત્ત ચોપાઈ’ (ઈ.સ. ૧૫૮૮) ની રચના કરી છે. આ બધી કૃતિઓ એમણે તારંગાજી તીર્થની પાસે આવેલા ચાડા નામના ગામમાં કરી છે એવો તે દરેક કૃતિમાં નિર્દેશ છે. ‘શ્રીસાર ચોપાઈ’ની રચના કર્યાં પછી બીજી પાંચે રાસ-કૃતિઓની રચના એમણે એક જ વર્ષમાં ઈ.સ. ૧૫૮૮માં કરી છે. એટલે આ કવિએ આ પછી પણ બીજી ઘણી કૃતિઓની રચના કરી હોવાનો સંભવ છે, જે કાં તો લુપ્ત થઈ હોય અથવા વણનોંધાયેલી ક્યાંક રહી હોય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ગુણવિનય&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખરતરગચ્છના ક્ષેત્રશાખાના જયસોમ ઉપાધ્યાયના શિષ્ય કવિ ગુણવિનય સંસ્કૃતના વિદ્વાન પંડિત અને સમર્થ ટીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. એ કૃતિઓની પદાવલીમાં એમની સંસ્કૃતભાષાની સજ્જતાનો પ્રભાવ પડેલો છે. ‘કર્મચંદ્ર વંશાવલી પ્રબંધ’, ‘અંજનાસુંદરી પ્રબંધ,’ ‘જંબૂરાસ’, ‘કલાવતી ચોપાઈ’, ‘જીવસ્વરૂપ ચોપાઈ’, ‘નળ-દમયંતી પ્રબંધ’, ‘પ્રશ્નોત્તર માલિકા’, ‘ધન્નાશાલિભદ્રચોપાઈ’, ‘મૂલદેવ-કુમાર ચોપાઈ’, ‘અગડદત્ત રાસ’, ‘લુંપકમત-તમોદિનકર ચોપાઈ’, ‘તપા-એકાવન બોલ ચોપાઈ’, ‘રંગ જિનસ્તવન’, ‘દુમુહ પ્રત્યેક બુદ્ધ ચોપાઈ&#039;, ‘ગુરુપટ્ટાવલી&#039;, ‘બારવ્રત જોડી,’ ‘શત્રુંજય ચૈત્યપરિપાટી સ્તવન’, ‘અંચલમત સ્વરૂપ વર્ણન&#039; ઇત્યાદિ એમની કૃતિઓ ઉપલબ્ધ છે. કવિએ ઘણીખરી કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ યુગપ્રધાન આચાર્ય જિનચંદ્રસૂરિથી જણાવી છે, અને ઘણીખરી કૃતિઓમાં એની રચના સાલનો નિર્દેશ પણ કર્યો છે. ઈ.સ. ૧૬૨૧માં ‘લુંપક મત-તમો-દિનકર ચોપાઈની રચના કરી તેટલા ગાળામાં એકવીસ જેટલી ગુજરાતી અને બારેક જેટલી સંસ્કૃતમાં એમણે રચના કરી છે.&lt;br /&gt;
ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં આ ઉપરાંત બીજા સંખ્યાબંધ જૈન કવિઓએ રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સઝાય, પૂજા ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે, જેમાંની ઘણીખરી હજુ અપ્રસિદ્ધ રહી છે. એવી કૃતિઓમાંની કેટલીક મહત્ત્વની નીચે પ્રમાણે છે :&lt;br /&gt;
(૧) સુમતિ મુનિકૃત અગડદત્ત રાસ, (૨) દર્શન કવિકૃત ચંદ્રાયણો રાસ, (૩) જગાઋષિકૃત‘વિચારમંજરી’, (૪) પુણ્યસાગરકૃત સુબાહુ સંધિ, (૫) વિમલચરિત્ર કૃત રાજસિંહ રાસ, (૬) રાજપાળકૃત જંબૂકુમાર રાસ, (૭) હર્ષવિમલકૃત બારવ્રત સજઝાય, (૮) પ્રમોદશીલ કૃત શ્રીસીમંધર જિનસ્ત્રોત્રઃ વીરસેના સજઝાયઃ ખંધસૂરિ સજઝાય, (૯) સહજરત્નકૃત વૈરાગ્યવિનતિ, વિહરમાન સ્તવન, (૧૦) દેવગુપ્તસૂરિ-શિષ્યકૃત અમર મિત્રાનંદ રાસ, (૧૧) હેમરાજકૃત ધન્નારાસ (૧) પ્રીતિવિજય કૃત બારવ્રત રાસ (૧) હર્ષરાજકૃત સુરસેન રાસ (૧૪) લાવણ્યકીર્તિકૃત રામકૃષ્ણ ચોપાઈ : ગજસુકમાલ રાસ (૧૫) વિનયસાગર કૃત સોમચંદ રાજાની ચોપાઈ : ચિત્રસેન પદ્માવતી રાસ (૧૬) માનકૃત કીર્તિધર સુકોસલ પ્રબંધ (૧૭) સાધુકીર્તિકૃત સતરભેદી પૂજાઃ આષાઢભૂતિ પ્રબંધ (૧૮) દેવશીલકૃત વેતાલ પંચવસી રાસ (૧૯) આણંદસોમકૃત સોમવિમલસૂરિરાસ (૨૦) ભીમ ભાવસારકૃત શ્રેણિક રાસ, નાગદત્તનો રાસ (૨૧) સુમતિકીર્તિસૂરિકૃત ધર્મપરીક્ષાઃ ધર્મધ્યાન રાસ (૨૨) રત્નસુંદરકૃત પંચોપાખ્યાન ચતુષ્પદિ (૨૩) કનકસોમકૃત આર્દ્રકુમાર ચોપાઈ મંગલકલશ ચોપાઈ (૨૬) હીરકુશલકૃત કુમારપાલ રાસ (૨૭) ધર્મરત્નકૃત જયવિજય ચોપાઈ(૨૮) વચ્છરાજકૃત સમ્યકત્વ કૌમુદી રાસ, નીતિશાસ્ત્ર પંચાખ્યાન (૨૯) કલ્યાણદેવકૃત દેવરાજ વચ્છરાજ ચોપાઈ (૩૦) વિજયશેખરકૃત રત્નકુમાર રાસઃ યશોભદ્ર ચોપાઈ (૩૧) પ્રીતિવિમલકૃત મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ (૩૨) દયાકુશલકૃત લાભોદય રાસ, વિજયસિંહસૂરિ રાસ (૩૩) વિવેકહર્ષકૃત હીરવિજયસૂરિનો રાસ (૩૪) જયચંદ્રકૃત રસરત્ન રાસ (૩૫) લલિતપ્રભકૃત ચંદરાજાનો રાસ (૩૬) મતિસાગરકૃત ચંપકસેન રાસ (૩૭) કમલશેખરકૃત નવતત્ત્વ ચોપાઈ, પ્રદ્યુમ્નકુમાર ચોપાઈ (૩૮) ભાનુમંદિરશિષ્યકૃત દેવકુમાર ચરિત્ર (૩૯) સમયધ્વજકૃત સીતા ચોપાઈ (૪૦) હેમરાજકૃત ધન્નારાસ, બુદ્ધિરાસ (૪૧) મેઘરાજકૃત શાન્તિનાથ ચરિત્ર (૪૨) મલ્લિદાસકૃત જંબૂસ્વામી રાસ (૪૩) રંગવિમલકૃત દ્રુપદી ચોપાઈ (૪૪) ભવાનકૃત વંકચૂલ રાસ (૪૫) રત્નવિમલકૃત દામનક રાસ (૪૬) નયરત્નશિષ્યકૃત પ્રતિબોધ રાસ (૪૭) કમલહર્ષકૃત અમરસેન વયસેન રાસ, નર્મદાસુંદરી પ્રબંધ (૫૦) વિનયશેખરકૃત યશોભદ્ર ચોપાઈ (૫૧) સિદ્ધિસૂરિકૃત સિંહાસન બત્રીસી, ‘કલધ્વજકુમાર’ રાસ અને શિવદત્ત રાસ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt; આ પ્રકરણમાં ‘નેમિરંગરત્નાકરછંદ’ (લાવણ્યસમય) તથા ‘ગુણરત્નાકરછંદ’ (સહજસુંદર) વિશેનાં લખાણ રાજેશ પંડ્યાનાં છે. – સં.&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
|next = નરસિંહ મહેતા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%8B&amp;diff=112891</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%8B&amp;diff=112891"/>
		<updated>2026-07-20T15:03:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૨ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો|ચંદ્રકાન્ત મહેતા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યના મધ્યકાળનું સમયફલક ઈ. ૧૨મી સદીથી ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધીનું ગણાયું છે. એ સમયગાળામાં ઘણાં સાહિત્યસ્વરૂપો ઉદ્ભવ્યાં, વિકસ્યાં, રૂપાંતરિત થયાં અને કાળગ્રસ્ત થયાં. ગુજરાતી ભાષાની દૂરદૂરની સીમા આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણ ‘સિદ્ધહેમ’ પાસે મૂકી શકાય. એમાં તે સમયે બોલાતી ભાષામાં પ્રચલિત ભિન્ન ભિન્ન પ્રકારનાં મુક્તકો છે. એથી સાહિત્યસ્વરૂપોની ચર્ચાનો આરંભ મુક્તકોથી થાય તેમાં ઔચિત્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મુક્તક :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુક્તકને ડોલરરાય માંકડ લઘુકાવ્યનો એક પ્રભેદ માને છે.&amp;lt;ref&amp;gt;‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૪૬&amp;lt;/ref&amp;gt; એ સ્વરૂપ મૂળ તો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યું છે. દંડીએ તથા ‘અગ્નિપુરાણ&#039;માં મુક્તકની આપેલી વ્યાખ્યા&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૬&amp;lt;/ref&amp;gt; પરથી એટલું તારવી શકાય છે કે એ ચાર ચરણનું હોવું જોઈએ, એમાં ચમત્કારક્ષમતા હોવી જોઈએ. આમાંનું પહેલું લક્ષણ કાવ્યના બાહ્યસ્વરૂપ પરત્વે છે, જ્યારે બીજું લક્ષણ અંતઃસ્વરૂપ પરત્વે છે. ડોલરરાય માંકડ મુક્તકમાં વસ્તુપસંદગી અને ભાવાભિવ્યક્તિ બન્નેમાં મિતાક્ષરતા હોવી જોઈએ એમ માને છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૪૯&amp;lt;/ref&amp;gt; આ ઉપરાંત એક શ્લોક કે એક કડીમાં પૂરું થતું હોય, એનો વિચાર એક જ વાક્યમાં વ્યક્ત થાય એવો હોય, એમાં ચમત્કૃતિ હોય, એકાદ સંચારી ઊર્મિ હોય, એટલાં તત્ત્વો પણ એમણે આવશ્યક માન્યાં છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt; ‘કાવ્યાનુશાસન&#039;માં મુક્તક વિષેની ટીકામાં, મુક્તક એક જ છંદમાં હોવું જોઈએ એમ જણાવ્યું છે.&amp;lt;ref&amp;gt;‘કાવ્યાદર્શ’, દ્વિતીય પરિચ્છેદ, શ્લોક : ૩&amp;lt;/ref&amp;gt; આ લક્ષણ મુક્તકની સમગ્રતાની દૃષ્ટિએ અગત્યનું છે.&lt;br /&gt;
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તકનો પ્રકાર સ્વતંત્ર રીતે પ્રબંધો, રાસાઓ, કથાઓ, તેમજ લોકસાહિત્યની દુહાબદ્ધ વાર્તાઓમાં મળે છે. એ મુક્તકો પર સંસ્કૃત મુક્તકોની ઘેરી અસર છે. કેટલીકવાર તો સંસ્કૃત મુક્તકો જ કથાઓમાં અવતારેલાં હોય છે. હેમચન્દ્રના ‘સિદ્ધહેમ&#039;માં માત્ર દુહામાં રચાયેલાં અપભ્રંશ મુક્તકો મળે છે. તે પછી ‘પ્રબંધચિંતામણિ’(ઈ. ૧૩૦૫)માં સંસ્કૃત તેમજ અપભ્રંશ બન્ને ભાષામાં રચાયેલાં મુક્તકો મળે છે. નરપતિકૃત ‘નંદબત્રીસી’ (ઈ. ૧૪૮૯)માં સંસ્કૃત મુક્તકોના અનુવાદ તેમજ સ્વતંત્ર ગુજરાતી મુક્તકો મળે છે. અશોક-રોહિણી રાસ&#039; (ઈ. ૧૭૩૪)માં સંસ્કૃત મુક્તકો, એનાં ભાષાંતરો, તથા સ્વતંત્ર ગુજરાતી મુક્તકો મળે છે. આમ ગુજરાતી મુક્તકો સંસ્કૃત મુક્તકોની જ આગળ વધેલી સંતતિ છે.આવાં મુક્તકો વાતચીતને પ્રસંગે બોલાતાં. તેમ જ વ્યવહારને પ્રસંગે પ્રસંગોચિત મુક્તક કહેવું એ એક પ્રકારની આભિજાત્યની નિશાની ગણાતી. સંસ્કૃત સુભાષિતમાં મોટેભાગે અનુષ્ટુપ વપરાતો તેમ ગુજરાતીમાં વિશેષતઃ દુહાનો પ્રયોગ થતો. હેમચન્દ્રાચાર્યે ‘સિદ્ધહેમ&#039;માં જે મુક્તકો આપ્યાં છે, તે દુહામાં જ છે.&lt;br /&gt;
મુક્તકો બે કારણે રચાતાં. એક પ્રકારનાં મુક્તકો સુભાષિતો તરીકે રચાતાં, તો બીજા પ્રકારનાં પ્રબંધો અને કથામાં મૂકવા રચાતાં. આથી એકનાં એક મુક્તકો આપણને અનેક કૃતિમાં નજરે ચઢે છે. હેમચન્દ્રથી દયારામ સુધીના સમયગાળામાં વિપુલ પ્રમાણમાં મુક્તકો દૃષ્ટિએ પડે છે. લોકસાહિત્યમાં પણ મુક્તકોનું અનેરું સ્થાન છે.&lt;br /&gt;
રસદૃષ્ટિએ વિચારતાં હેમચન્દ્ર અને પછીના યુગોમાં શૃંગારનું નિરૂપણ ચમત્કારિક રીતે થયું છે. જેમ કે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વાયસુ ઉડાવત્તીઅએ, પિયુ દિઠ્ઠઉ સહસત્તિ&lt;br /&gt;
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફૂટ તડત્તિ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(કાગડાને ઉડાડતી [પિયુવિરહથી દૂબળી થઈ ગયેલી] સ્ત્રીએ ઓચિંતો એના પિયુને આવતો જોયો. એથી એની અર્ધી ચૂડીઓ [દુબળા હાથ પરથી] જમીન પર પડી અને અર્ધી પિયુને જોતાં જ એ હર્ષથી ફૂલી ગઈ એથી] ફટ કરતી તૂટી ગઇ).&lt;br /&gt;
‘સિદ્ધહેમ&#039;માં વીરરસનાં કરુણનાં અને શાન્તરસનાં મુક્તકો છે. એક મુક્તકમાં રણમાં માર્યા ગયેલા એક વીરસૈનિકની પત્ની એની સખીને કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભલ્લા હુઆ જો મારિયા, બહિણિ મારા કંતુ&lt;br /&gt;
લજ્જે જં તુ વયસિ સહુ, જઈ ભગ્ગા ઘર એન્તુ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(હે બ્હેન! મારા કંથ રણભૂમિમાં લડતાંલડતાં માર્યા ગયા એ સારું જ થયું, કારણ કે જો એ યુદ્ધમાંથી ભાગીને ઘેર આવ્યા હોત તો મારે સખીઓ સામે લાજી મરવાનું થાત).&lt;br /&gt;
મુક્તક નાનું કાવ્યસ્વરૂપ હોવા છતાં એમાં અલંકારોને સારો એવો અવકાશ રહેતો. પંદરમી સદીની નીચેની અન્યોક્તિમાં પ્રિયતમ પ્રિયતમાના સ્નેહ વિષે ભ્રમરનો આશ્રય લઈ શંકા વ્યક્ત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભમરા રોઈ રણઝણઈ, મુખિ મૂકી નિસાસી&lt;br /&gt;
રે કાંટાલિ કેતકી, તાહરુ સિઉ વિસાસ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હેમચન્દ્રના દુહામાંથી એક સ્વાભાવોક્તિનું દૃષ્ટાન્ત –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિય સંગપિ કઉ ણિંદડી, પિયહો પરોપખહો કેમ્મ&lt;br /&gt;
મઈ બિણ્ણિવિ વિષણ્ણસિઆ, નિંદન એમ્મ ન તેમ્મ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(પ્રિય-સંગમાં ક્યાંથી નિદ્રા આવે? પ્રિયનો વિયોગ હોય ત્યારે પણ ક્યાંથી નિદ્રા આવે? આમ બન્ને તરફ વિનાશ છે. નિદ્રા આમ પણ નથી ને તેમ પણ નથી.)&lt;br /&gt;
આ રીતે મુક્તકમાં અલંકારવૈવિધ્ય સારા પ્રમાણમાં રહેલું છે.&lt;br /&gt;
છંદની દૃષ્ટિએ મુક્તક માટે પ્રચલિત છંદ દુહો છે. માંડણ બંધારાએ, અખાએ, ભીમે ચોપાઈમાં મુક્તકો રચ્યાં છે. અખાએ ચારને બદલે છ પંક્તિની ચોપાઈ પ્રયોજી હોવાથી એને ભૂલથી છપ્પા નામ અપાયું છે. પણ એ છપ્પા પિંગળના છપ્પા નથી એને ષટ્પદી ચોપાઈનું નામ આપી શકાય. અખાની પૂર્વે માંડણ બંધારાએ એવી ચોપાઈ રચી છે. અખો તો ક્યારેક છથી આગળ વધીને આઠ પંક્તિઓ સુધી ચોપાઈ લંબાવે છે. વચ્છરાજકૃત ‘રસમંજરી&#039;માં, શામળની વાર્તાઓમાં તથા નરભેરામની રચનાઓમાં છપ્પામાં રચાયેલાં મુક્તકો મળે છે.&lt;br /&gt;
અખાની ષટ્પદી ચોપાઈમાં રચાયેલાં મુક્તકો તત્ત્વજ્ઞાનનાં કે ઉપદેશનાં હોય છે. એમાં પ્રથમ ચાર પંક્તિમાં અમુક પરિસ્થિતિ આલેખી છેલ્લાં બે ચરણમાં કાં તો કહેવત ટાંકી હોય છે. અથવા બોધ તારવ્યો હોય છે. જેમ કે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ,&lt;br /&gt;
તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન,&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?&lt;br /&gt;
&lt;br /&gt;
છંદની દૃષ્ટિએ મુક્તકનો વિચાર કરતાં, દુહા અને સોરઠા, તે પછી ચોપાઈ, ષટ્પદી ચોપાઈ અને છપ્પા દૃષ્ટિએ પડે છે.&lt;br /&gt;
મુક્તકનો એક વિશિષ્ટ પ્રકાર, સમસ્યા, ઉખાણાં કે પ્રહેલિકા છે. પ્રહેલિકાની વ્યાખ્યા આપતાં ડોલરરાય માંકડે કહ્યું છે – ‘પ્રહેલિકા એટલે બીજાને સંદેહમાં, સંશયમાં નાખે તેવું વર્ણનીય વસ્તુનું નામ ગુપ્ત રાખવું તે.&#039;&amp;lt;ref&amp;gt;એ જ, દ્વિતીય પરિચ્છેદ, શ્લોક ૨&amp;lt;/ref&amp;gt; દંડીએ કાવ્યાદર્શમાં જણાવ્યું છે કે આનંદજનક વાર્તાલાપ ચાલતો હોય ત્યારે વિનોદ ખાતર બુદ્ધિશાળીઓ સમક્ષ, પોતાનું ચાતુર્ય દર્શાવવા અને સામાના ચાતુર્યની પરીક્ષા કરવા પ્રહેલિકાનો ઉપયોગ થતો.&amp;lt;ref&amp;gt;એ જ, શ્લોક ૩&amp;lt;/ref&amp;gt; પ્રહેલિકામાં અમુક પદાર્થ ક્રિયા કે વસ્તુનાં બાહ્ય લક્ષણો આપ્યાં હોય છે પણ એનું નામ જણાવાયું હોતું નથી. મધ્યકાલીન સાહિત્યમાં એ સ્વરૂપ એટલું વ્યાપક હતું કે જૈન, જૈનેતર બધા વાર્તાકારો એનો છૂટથી ઉપયોગ કરતા. વિબુદ્ધ પ્રેમીઓ સમય વ્યતીત કરવા, મુગ્ધાઓ બુદ્ધિશાળી વરની પસંદગી કરવા એમ વિવિધ રીતે પ્રહેલિકા પ્રયોજતી. કુશળલાભકૃત ‘કામકંદલા ચોપાઈ&#039;માં નાયકનાયિકા રાત્રિ વિતાવવા એકબીજાને સમસ્યાઓ પૂછે છે, જેમાં એક શ્લોકમાં સમસ્યા હોય છે, અને બીજા શ્લોકમાં એનો ઉત્તર હોય છે. જેમ કે નાયક નાયિકાને પૂછે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બહુ દિવસે પ્રી આવિઉ, મોતી આપ્યાં તેણ&lt;br /&gt;
થણ કરકમ બે ઝાલિયાં, હસી હસી નાંખ્યાં તેહ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બહુ દિવસ પછી આવેલો પ્રિયતમ પ્રિયતમાને મોતી લાવીને આપે છે. તો એને હાથમાં પકડી હસીને બાજુમાં મૂકી દે છે. અહીં પ્રિયતમા શાથી ભૂલાવામાં પડી અને એણે કઈ માનસિક પ્રક્રિયાને કારણે મોતી નાંખી દીધાં તેનો બુદ્ધિપૂર્વક વિચાર કરી ઉત્તર આપવાનો છે. ઉત્તરમાં માધવાનલ કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કરતત્તો ઉજ્જ્વલ વિમલ, નયને કજ્જલ રેહ&lt;br /&gt;
થણ કરી ભૂલી ગુંજા ફલિ, તિસ હસી નાંખ્યા તેહ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(એનો હાથ રતાશ ભરેલો ઉજ્જ્વળ હતો, આંખમાં કાજળની રેખા હતી, (એના પ્રતિબિંબથી) મોતી ચણોઠી જેવાં લાગ્યાં, તેથી હસીને ફેંકી દીધાં)&lt;br /&gt;
લોકસાહિત્યમાં પણ કથાઓમાં સમસ્યાનો ઉપયોગ થતો હોય છે. ‘સોનહલામણ’ની વાર્તામાં નાયિકા સોને એની સમસ્યા ઉકેલે તેની જોડે પરણવાની પ્રતિજ્ઞા લીધી છે. એમાં પ્રથમ પંક્તિમાં સમસ્યા પૂછી હોય છે. અને દ્વિતીય પંક્તિમાં એનો ઉત્તર હોય છે, ને એમ બે પંક્તિનું મુક્તક બને છે. સોન પૂછે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઘણ વણ ઘડિયાં, એરણ વણ અભાડિયાં નહિ’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(હથોડા વગર ઘડેલા ને એરણને તો અડ્યાં જ ન હોય એવા અલંકાર કયા?)&lt;br /&gt;
&lt;br /&gt;
આના ઉત્તરમાં હલામણ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સરવડ સ્વાંતતણાં, મળે તો મોતી નીપજે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(સ્વાતિનક્ષત્રમાં સરવડાં થકી નીપજતા છીપોમાં મોતી)&lt;br /&gt;
અહીં બન્ને પંક્તિઓ સંશ્લિષ્ટ છે. મુક્તકમાં જે ચમત્કૃતિ હોવી જોઈએ તે આમાં છે.&lt;br /&gt;
વાર્તામાં બન્ને પંક્તિમાં પ્રશ્ન પૂછ્યો હોય એવી સમસ્યાઓ પણ મળે છે. જેમકે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શિયા સરોવર દેખાડ જ્યાં પાણી કે નવ પાળ&lt;br /&gt;
તાસ તણે કોળાંલડે, પંખી વાહુજ્યાં ડાળ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિયાજીએ ઉત્તર આપ્યો ‘સરોવર તે કાન, ને પક્ષી તે કાનમાં પહેરેલી તોળી અથવા વાળી&#039;.&lt;br /&gt;
આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં સમસ્યાનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. એ યુગમાં માનવની વ્યવહારુ બુદ્ધિનો તાગ કાઢવાનું સમસ્યા એ એક વિશ્વસનીય સાધન મનાતું. મુક્તકોની જેમ એકની એક સમસ્યા આપણને અનેક વાર્તાઓમાં મળે છે. એ વાર્તામાં પ્રયુક્ત હોવા છતાં વાર્તાથી ભિન્ન એ સ્વયંપર્યાપ્ત સાહિત્યપ્રકાર હતો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુક્તકમાં લાગણી પાસાદાર હોય છે. જ્યારે પદમાં લાગણી પ્રવાહી હોય છે. ‘પદ’ સંસ્કૃત શબ્દ છે જે ચરણના અર્થમાં પ્રયોજાય છે. આમ પદનો અર્થવિસ્તાર ચરણમાંથી કડીમાં અને પછી કડીસમૂહમાં થયો. ડોલરરાય માંકડે પદને સ્વતંત્ર કાવ્યરૂપ માન્યું નથી, પણ એને લઘુકાવ્યનો એક પ્રકાર ગણ્યું છે.&amp;lt;ref&amp;gt;‘ગુજરાતી કાવ્યપ્રકારો’ પૃ. ૧૯૫&amp;lt;/ref&amp;gt; એ મુક્તક કરતાં મોટો તથા આખ્યાન કરતાં નાનો – એ બેની વચ્ચેનો કાવ્યપ્રકાર છે.&lt;br /&gt;
પદ વૈષ્ણવ શાક્ત, વેદાંતીઓ, શૈવ તથા જૈન એમ બધા જ કવિઓએ રચ્યાં છે. જૈન કવિઓએ સ્તવન, સજ્જાય, વંદન વગેરે સંજ્ઞાથી રચેલાં કાવ્યો પદનાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. દયારામનાં પદ, ગરબા તથા ગરબી વચ્ચે ખાસ ભેદ જણાતો નથી. પ્રીતમની દાણની ગરબીઓને પદ સંજ્ઞા અપાઈ છે. રણછોડભક્તનાં પદોમાં રાગ ગરબી એવો ઉલ્લેખ છે. નરસિંહનાં પ્રભાતિયાં એ પણ પદો જ છે.&lt;br /&gt;
પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. જે ઊર્મિની પદમાં અભિવ્યક્તિ થાય છે તે બે પ્રકારની છે. એક પ્રેમલક્ષણા ભક્તિની અને બીજી ઉપદેશાત્મક. નરસિંહ, મીરાં કે પ્રેમાનંદ (પ્રેમસખી) ગોપીભાવે જે કાવ્યોચિત ઊર્મિ અનુભવતાં – મિલન માટેનો તલસાટ, મિલન થતાં ઉદ્ભવતો હર્ષોતિરેક, કૃષ્ણ જોડેની પ્રણયક્રીડાનું કાલ્પનિક ચિત્રનિરૂપણ, એ બધાની પાછળ પ્રેમલક્ષણા ભક્તિની ઊર્મિ રહેલી છે. જેમ કે નરસિંહના આ પદમાં –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આજ સપરમો દહાડો મારા વાલા રે&lt;br /&gt;
હરિ આવ્યા મારે ઘેર, કાન છોગાળા રે&lt;br /&gt;
શેરી વળાવું સોહામણી મારા વાલા રે&lt;br /&gt;
ફૂલડિયાં વેરાવું નીત, કહાન છોગાળા રે&lt;br /&gt;
સેજ પાથરણાં પાથરું, મારા વહાલા રે&lt;br /&gt;
તે ઉપર બેસો પ્રાણાધાર, કાન છોગાળા રે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઊર્મિ પદમાં નિરૂપાતાં કાં તો કથનાત્મક રૂપ લેતી, અથવા વર્ણનાત્મક. કેટલાંક પદોમાં વર્ણનો પાત્રના મુખમાં ઉક્તિરૂપે આવતાં. જેમ કે મીરાંબાઈનું –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;છાનોમાનો આવે કહાન, પાછલી જ રાતે રે&lt;br /&gt;
વેણુમાંહી ભૈરવ ગાયો, આવીને પ્રભાતે રે&lt;br /&gt;
સમ ખાઈને સૂતી હતી, નહિ બોલું હરિ સાથે રે&lt;br /&gt;
દ્વાર ઉઘાડી પાયે લાગું, મોરલી કેરા નાદે રે....&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદમાં ગોપીની કથનાત્મક ઉક્તિ છે. તો નરસિંહના આ પદમાં ઊર્મિએ વર્ણનાત્મક રૂપ લીધું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રૂમઝૂમ નાદે નેપૂર બાજે, ઝાંઝરના ઝમકાર રે&lt;br /&gt;
તાલીતાલ મૃદંગ ધૂને નાચે, હરિ કિંકણી રણકારે રે&lt;br /&gt;
એક વેણ મહુઅરે વાહે, કામિની કેલ કરતાં રે&lt;br /&gt;
શિર પર સોહે રાખલડી રે, ઝલકે ભમરી લેતાં રે&lt;br /&gt;
કાને કુંડળ મુગુટે મહામણિ, શોભા કહી મનભાવે રે&lt;br /&gt;
ભણે નરસૈયો આનંદભયો અતિ, હરિ ભામિની ભાવે રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં હરિ માટેની લાગણી રસોચિત સામગ્રી અને ગોપી તથા કૃષ્ણના વસ્ત્રાભૂષણના વર્ણન દ્વારા આલેખાઈ છે. વર્ણનાત્મક પદોમાં શરૂઆતમાં તો વર્ણન લાગણીની અભિવ્યક્તિની એક રીતિ હતી. તેથી શરૂઆતનાં પદો ટૂંકાં હતાં પણ પછીનાં કાવ્યોમાં વર્ણન આવવું જ જોઈએ એવી પરિપાટી બંધાતાં વર્ણનપ્રધાન કાવ્યોમાં ઊર્મિતત્ત્વ ઘટતું ગયું. જેમ કે થાળનાં પદોમાં ભોજનસામગ્રીનું વર્ણન આવે. તો એ વર્ણન, પ્રભુમિલનની ઝંખના વ્યક્ત કરવા અને તેને નિમંત્રવા પ્રયોજાય છે. શરૂઆતનાં નરસિંહ વગેરેનાં કાવ્યોમાં, થાળનાં પદોમાં ઇષ્ટદેવ પધરાવવાની વિનંતિને મહત્ત્વનું સ્થાન હોય છે. એથી એમાં ભોજનસામગ્રીની યાદી જ આવવા લાગી. એથી ઊર્મિમાંથી ધાર્મિક રૂઢિ તરફ પદનું સંક્રમણ થતું ગયું.&lt;br /&gt;
પદની ઉત્પત્તિ અને વિકાસમાં આપણાં મંદિરોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મંદિરોમાં જુદે જુદે સમયે થતાં દર્શન વખતે અને પૂજા કરતી વખતે પદો ગાવાનો રિવાજ છે. એથી મંદિરમાં જેટલીવાર દર્શન થાય, જેમ કે મંગળાનાં, રાજભોગનાં, શણગારનાં, ઉત્થાનનાં, હિંડોળાનાં, કૃષ્ણનાં જન્મસમયનાં, જન્માષ્ટમીનાં, હોળી સમયનાં, તે સમયે સમયાનુરૂપ ગાવા માટે પદો રચાતાં. ભજનસંસ્થાઓએ પણ પદની ઉત્પત્તિ અને વિકાસમાં માતબર ફાળો આપ્યો છે. ભજનમંડળીઓમાં ધર્માનુરાગી જીવો, અગમનિગમનાં સંસારની અસારતાનાં, ઈશ્વરના માહાત્મ્યનાં ગીતો ગવાતાં. ભજન મંડળીઓ મોટેભાગે આખી રાત બેસતી, વારતહેવારે સવારથી સાંજ સુધી બેસતી. એમાં ગાવા માટે પદો રચાતાં.&lt;br /&gt;
મધ્યકાલીન પદોનો રચનાર આમજનતામાંનો જ એક જીવ હોવાથી એમાં અલંકારો પણ રોજબરોજના જીવનમાંથી જ વીણાતા. એથી એનું વક્તવ્ય, અદનામાં અદના માણસ સુધી પહોંચી જતું. જેમ કે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા&lt;br /&gt;
સાકર ને શેલડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પેલું લોકગીત –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હું તો દાતણ કરું ને હરિ સાંભરે રે&lt;br /&gt;
મારાં દાતણિયાં રહી રહી જાય રે. – હું તો દાતણ૰&lt;br /&gt;
હું તો નાવણ કરું ને હરિ સાંભરે રે. &lt;br /&gt;
મારાં નાવણિયાં રહી રહી જાય રે. – હું તો દાતણ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– દર્શાવે છે કે પદનો ધાર્મિક અને સામાજિક જીવનની જરૂરિયાતમાંથી ઉદ્ભવ થયો. મધ્યકાલીન કવિઓ ક્યારેક પોતાની વ્યક્તિગત લાગણીઓનું પણ નિરૂપણ કરતા, એવાં પદો મોટેભાગે ભક્તિની ખુમારી દર્શાવતાં પદો છે. જેમ કે મીરાંબાઈનું આ પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રીત પૂરવની તે શું કરું, હો રાણાજી&lt;br /&gt;
પ્રીત પૂરવની તે શું કરું?&lt;br /&gt;
હો મેવાડા રાણા મનડું લોભાણું તેનું શું કરું?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ પોતાની વ્યક્તિગત મનોદશાને વ્યક્ત કરતું હોવા છતાં એનો સંબંધ તો ઈશ્વરભક્તિ જોડે છે.&lt;br /&gt;
પદોનો રસદૃષ્ટિએ વિચાર કરતાં મધ્યકાળમાં માધુર્યભક્તિનું પ્રાધાન્ય હોવાથી શૃંગારનાં પદો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એ પ્રકારનાં પદોમાં રાધા, ગોપીઓ અને શ્રીકૃષ્ણ તથા શિવ અને ભીલડી ઇત્યાદિ પૌરાણિક પાત્રોના પ્રણયના ભાવોનું નિરૂપણ થતું –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચૈતર ચંપો મો’રિયો ને મોર્યાં દાડમ દ્રાખ,&lt;br /&gt;
કોયલડી ટહુકા કરે, બેઠી આંબલી ડાળ,&lt;br /&gt;
કે આણાં મોકલ ને મોરાર.&lt;br /&gt;
વૈશાખે વન વેડિયાં, ને વેડી આંબા શાખ&lt;br /&gt;
રસે ભરેલો વાડકો મને કોણ કહેશે તું ચાખ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પદમાં શૃંગારનું પ્રાધાન્ય એટલું બધું રહેતું, કે જૈન સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ પણ જીવાત્મા-પરમાત્માનો સંબંધ શૃંગારની પરિભાષામાં નિહાળતા. જૈન કવિ આનંદઘનજી પ્રેમલક્ષણા ભક્તિનો ભાવ વ્યક્ત કરતાં કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિયાબીન સુધબુધ ખૂંદી હો&lt;br /&gt;
વિરહ ભુજંગ નિત્ય સમે&lt;br /&gt;
મેરી સેજલડી, સૂની હો&lt;br /&gt;
નિશદિન જોઉ તારી વાટડી&lt;br /&gt;
ઘેરે આવોને ઢોલા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મધ્યકાલીન શૃંગારરસનાં પદોમાં પ્રસંગો તથા નિરુપણરીતિનું પુષ્કળ વૈવિધ્ય રહેતું. દયારામના આ પદમાં પ્રણયજન્ય ઈર્ષાનું રસપ્રદ રીતે નિરૂપણ થયું છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને&lt;br /&gt;
શું શોર કરે, વાંસલડી, તું તારી જાત વિચારને.&lt;br /&gt;
તેં એવાં કામણ શા કીધાં, શામળિયે મુખ ચુંબન દીધાં&lt;br /&gt;
મન વ્રજ વાસીનાં હરી લીધાં – હો વાંસલડી૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાલણનું નીચેનું પદ એક લાક્ષણિક દ્રષ્ટાન્ત છે. રાધા કૃષ્ણની જોડે રજની રમી આવી છે. રસ્તામાં એની સખી મળે છે. જે એને સાચી વાત પૂછતાં રાધા ઉડાઉ જવાબ આપે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કહેને કામિની, તું કાંહાં સાસ ભરાણી&lt;br /&gt;
પરસેવો એમ કહાં વળ્યો, તારી ભમર બેહુ ભીંજાણીજી?&lt;br /&gt;
{{right|– સાચું બોલોજી૰}}&lt;br /&gt;
રાધા કહે, ભૂલી પડી વાટ મેં નવ જાણીજી&lt;br /&gt;
વનમાં બહેની એકલી અતિશે તાંહાં ઊંગાણી&lt;br /&gt;
{{right|– સાંભળ સજનીજી૰}}&lt;br /&gt;
આજે વેણી ગૂંથી હસીને, છૂટી કેમ વિખરાણીજી&lt;br /&gt;
ઉતાવળી એવી કહે શી, જુડી નવ બંધાણીજી&lt;br /&gt;
{{right|– સાચું બોલોજી૰}}&lt;br /&gt;
ભમરો આવી શિરપર બેઠો ઉડાડતાં શિર છૂટ્યું જી&lt;br /&gt;
જતન કરીને બાંધતાં, વચ્ચેથી નાડું તૂટ્યું જી&lt;br /&gt;
{{right|– સાંભળ સજનીજી૰}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર પછી શાન્તરસનાં પદો પણ સંખ્યાબંધ મળે છે. એ પદો જ્ઞાનનાં છે, અને જ્ઞાનપ્રાપ્તિ થતાં દિવ્યતત્ત્વની ઝાંખી થઈ હોય, તેવાં અગમનિગમનાં પદો છે. જ્ઞાનની મસ્તી પણ ભક્તિની મસ્તી જેવી જ કાવ્યમય હોય છે. નીચેના પદમાં જ્ઞાન થતાં જે આનંદોર્મિ પ્રગટે છે અને ભવ્યતાએ પહોંચે છે તેની ઝાંખી નરસિંહ નીચેના પદમાં કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે&lt;br /&gt;
શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી&lt;br /&gt;
જડ ને ચેતન્ય રસ કહી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી,&lt;br /&gt;
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાના પારણામાંહી ઝૂલે&lt;br /&gt;
બત્તીવિણ તેલ વિણ સૂત્રવિણ જે બળી&lt;br /&gt;
અચળ ઝળકે સદા અનલ દીવો&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહરાવ આ પદ માટે કહે છે, ‘દુનિયાના સાહિત્યમાં આ કદાચ પ્રથમ સ્થાન ભોગવે એવું કાવ્ય છે. એમાં ઊંચામાં ઊંચા તાત્ત્વિક વિચારોને અજબ શક્તિથી ગૂંથ્યા છે... અહીં કવિએ જ્ઞાન અને ભક્તિનું એકીકરણ કર્યું છે.&#039;&amp;lt;ref&amp;gt;ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા, ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક : ૨, પૃ. ૨૧૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
અખાના આ પદમાં જ્ઞાનની મસ્તી ઋજુ અને કર્ણરંજક શબ્દોમાં વ્યક્ત થઈ છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ&lt;br /&gt;
પરપંચ પાર મહારાજ, એ પૂરણ બ્રહ્મ સ્તવું એ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શાંતરસના પદોમાં એક તરફ જ્ઞાનના આનંદની કે આશ્ચર્યની ઊર્મિઓ હોય છે, તેવી જ રીતે અન્ય એક લાગણી જગત પ્રત્યેના નિર્વેદની છે. એનાં અનેક ચિત્રો દ્વારા જગત પ્રત્યેનો અણગમો ઉપજાવવાનો પ્રયત્ન હોય છે. ભોજા ભગતનું નીચેનું પદ એ પ્રકારનું લાક્ષણિક દ્રષ્ટાન્ત છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.&lt;br /&gt;
લીપ્યું ને ગૂંપ્યું આંગણું, ને કાઢવા વેળા થઈ&lt;br /&gt;
અડશો મા તમે અભડાશો, એમ લોક કરે ચતુરાઈ...&lt;br /&gt;
ઘરની નારી ઘડી ન મૂકે, એ પણ અળગી રહી&lt;br /&gt;
ભોજો ભગત કહે કંથ વળાવી, તરત બીજે ગઈ...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ક્યારેક ભક્તિનાં પદોમાં વીરરસોચિત ઉક્તિઓ મળે છે. પ્રીતમનું આ પદ જુઓ:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને&lt;br /&gt;
પરથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ સ્વામીના પદમાં તો ભક્ત જાણે રણમધ્યમાં ગયો હોય ને કવિ એને યુદ્ધ કરવા પાનો ચઢાવતો હોય તેવી રીતે એને સંબોધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રે શિરસાટે નટવરને વરીએ,&lt;br /&gt;
પાછાં તે પગલાં નવ ભરીએ;&lt;br /&gt;
રે સમજ્યા વિના નવ નીસરીએ,&lt;br /&gt;
રે રણમધ્યે જઈને નવ ડરીએ;&lt;br /&gt;
ત્યાં મુખ પાણી રાખી મરીએ રે –&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વીરરસની પરિભાષામાં રચાયેલાં પદોની જેમ આશ્ચર્યવત્ જ્ઞાનનાં પદોમાં – જેને અદ્ભુતરસનાં કહી શકાય તેવાં પદોમાં ધીરા ભગતનું આ લાક્ષણિક પદ ધ્યાન ખેંચે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ&lt;br /&gt;
અજાજુથ માંહે રે, સમરથ ગાજે સહી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવાં પદોમાં વસ્તુ કરતાં રજૂઆતમાં જ ચમત્કૃતિ રહી હોય છે. એમાં અવળવાણીનું બીજ રહેલું છે.&lt;br /&gt;
પદના પ્રકાર વિષે વિચારતાં વસ્તુદૃષ્ટિએ પ્રથમ ભજન આવે છે. ભજનમાં ઈશ્વરસ્તુતિ, જગતનું મિથ્યાત્વ, પરબ્રહ્મની મહત્તા તથા ભવ્યતા, આત્માપરમાત્માનું સાયુજ્ય, પરમતત્ત્વ જોડે એકતા સધાતાં આનંદમૂર્છા, જગત પ્રત્યેનો નિર્વેદ, ઈશ્વરશ્રદ્ધા એમ વિધવિધ ભાવો આલેખાયેલા હોય છે. ભજનની વિશેષતા એ છે કે ભક્ત ઈશ્વર પાસે કશી યાચના કરતો નથી કારણ કે એ જાણે છે કે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ભજન રચનારને એની પ્રતીતિ થઈ હોય છે એથી મંદિરના દેવ કરતાં અખિલ બ્રહ્માંડમાં એક છતાં જૂજવે રૂપે ભાસતા શ્રીહરિની એ ઉપાસના કરે છે. ઈશ્વરના સ્વરૂપની ઝાંખી થતાં એના હૃદયમાંથી વાણી સ્ફૂરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&lt;br /&gt;
જૂજવે રૂપે અનંત ભાસે&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું&lt;br /&gt;
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. (નરસિંહ)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મંદિરની પૂજાવિધિ જોડે સંકળાયેલાં પદો જેવાં કે ભગવાનને જગાડવા પ્રભાતિયાં, વસ્ત્રાભૂષણ પહેરાવતી વખતે શણગારનાં પદો, પોઢાડતી વખતે શયનનાં પદો, પારણામાં ઝૂલાવતી વખતે હિંડોળાનાં, આરતી ઉતારતી વખતે આરતીનાં પદો, જૈન ચૈત્યવંદન, કે સ્નાત્રપૂજાનાં પદો. – જૈન મંદિરોમાં દર્શન કરતી વખતે ગવાતાં તે ચૈતન્યવંદનનાં પદોમાં દેવનું સંકીર્તન કરાવતું, દેવને સ્નાન કરાવતી વખતે અને પુષ્પ ચઢાવતી વખતે ગવાતાં પદો સ્નાત્રપૂજા કહેવાય છે. પ્રભાતિયાં, હિંડોળાનાં, શણગારનાં કે થાળનાં પદોમાં જુદે જુદે નિમિત્તે ઈશ્વરનું સ્તવન જ હોય છે. જેમ કે આભૂષણ દેવને કેવાં શોભે છે તે દર્શાવાયું હોય છે. હિંડોળાનાં પદોમાં હિંડોળામાં દેવ કેવા શોભે છે તે વર્ણવાયું હોય છે, તેથી એને કીર્તન કહેવામાં અનૌચિત્ય નથી. વસન્તનાં હોળીનાં કે ફાગનાં પદો મધ્યયુગમાં બહોળા પ્રમાણમાં પ્રચલિત હતાં. હોળી ખેલવી કે વસંતપંચમી ઉજવવી એ સામૂહિક ઉજવણીનું એક અંગ હતું. તેને ધાર્મિકતાનો પાશ આપવા કવિઓ પૌરાણિક પાત્રોનું આલંબન લઈ એ ઉત્સવ નિમિત્તે શૃંગારિક પદો રચાતાં. એ પદોમાં પણ ઇષ્ટદેવનાં ગુણગાન હોવાથી એને કીર્તનનાં પદો કહી શકાય. જે સંભોગશૃંગારનાં પદોમાં હોળી કે વસંતનું આલંબન લેવાતું, તેમ મહિનાનાં પદોમાં માસે માસે પ્રવૃત્તિમાં થતાં પરિવર્તનોથી વિરહવ્યથા કેવી કારમી બનતી જાય છે તે દર્શાવાતું. એવા વિરહના બાર માસ પ્રથમ જૈન કવિઓએ રચ્યા છે. વિનયચન્દ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ આપણું પ્રથમ બારમાસીનું પદ છે. એ ઈ. ૧૨૧૩માં રચાયું છે. નેમિનાથની રાહ જોતી રાજિમતીની વિરહવ્યથા પ્રત્યેક માસે કેવી જીવલેણ બનતી જાય છે તે એમાં દર્શાવાયું છે. કાવ્યનો આરંભ શ્રાવણ માસથી થાય છે અને ઋતુપરિવર્તનનું આલંબન લઈ રસજમાવટ કરવામાં આવી છે. અષાઢ મહિનો વીતી ગયા પછી અધિકમાસે નેમિનાથ આવે છે અને વિપ્રલંભ સંયોગમાં પરિણમે છે.&lt;br /&gt;
નરસિંહ મહેતાકૃત રાધાકૃષ્ણની બારમાસી એ જૈનેતર કવિની પ્રથમ બારમાસી છે. એમાં કૃષ્ણ મથુરા ગયા છે, રાધા એમના આગમનની પ્રતીક્ષા કરે છે. એમાં પ્રકૃતિનો ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ થયો છે. કાર્તિક માસથી વિરહ શરૂ થાય છે અને અશ્વિન માસમાં કૃષ્ણ આવે છે. બન્નેના મિલનથી કાવ્ય પૂરું થાય છે. પછીના કવિઓએ પણ બારમાસીમાં એ રીત અપનાવી છે. લોકસાહિત્યમાં પણ બારમાસનાં પદો મળે છે.&lt;br /&gt;
વિરહનાં બારમાસનાં પદોની જેમ વિરહનાં વારનાં પદો પણ રચાયાં છે. એમાં વિરહનું આયુષ્ય સાત દિવસનું જ રહેતું, અને આઠમે દિવસે પ્રણયીઓનું મિલન થતું. ભાલણના `મહાદેવજીના સાત વાર’માં પાર્વતીનો મહાદેવ માટેનો વિરહ સોમવારથી શરૂ થાય છે અને રવિવારે મહાદેવ આવી પહોંચતાં વિરહનો અંત આવે છે. આ પ્રકારનાં પદો અત્યંત ટૂંકાં હોવાથી એમાં પ્રકૃતિવર્ણનને ઝાઝો અવકાશ રહેતો નથી અને સાત દિવસનો ટૂંકો ગાળો વિરહવ્યથાને તીવ્ર બનાવી શકતો નથી. એવું જ તિથિનાં પદોનું છે. એમાં પ્રત્યેક તિથિએ અમુક બનાવ બન્યો એમ કહેવાયું છે. જેમ કે પ્રીતમના તિથિના પદમાં પ્રત્યેક તિથિએ કૃષ્ણના જીવનના અમુક બનાવનો ઉલ્લેખ છે. એ રીતે પડવાથી પૂર્ણિમા સુધી, કવિએ સંક્ષેપમાં કૃષ્ણની બાળલીલા ગાઈ છે. આરંભ કૃષ્ણના જન્મ પૂર્વેથી થાય છે, ને પૂર્ણિમાએ રાસક્રીડાથી કાવ્યનો અંત આવે છે.&lt;br /&gt;
મંદિર જોડે સંકળાયેલો અને પૂજાના વિનિયોગમાંથી ઉદ્ભવેલો એવો બીજો એક પ્રકાર આરતીનો છે. ‘આરતી’ પૂજાની વિધિનું એક સ્વરૂપ છે. બધા સંપ્રદાયનાં મંદિરોમાં દેવની આરતી ઉતારાય છે. આરતીનો આરંભ દેવના જયોચ્ચારથી થતો. એમાં દેવનો મહિમા ગવાતો, એનાં સ્વરૂપનું કે આભૂષણનું વર્ણન આવતું. વૈષ્ણવમંદિરોમાં જ્યારે જ્યારે દર્શન થતાં ત્યારે પ્રત્યેક વેળા આરતી ઉતારાતી. જ્યારે અન્ય મંદિરોમાં પ્રાતઃકાળે અને સાયંકાળે આરતી ઉતારાતી. પણ સંધ્યા આરતીનું વિશેષ મહત્ત્વ હોય છે. આરતીનાં પદોમાં વિષય અને નિરૂપણરીતિનું પુષ્કળ વૈવિધ્ય હોય છે. વિષ્ણુના દશાવતાર, શંકરનાં દ્વાદશ જયોતિર્લિંગ, દેવીનાં વિવિધ સ્વરૂપો અને એને વિષેની પૌરાણિક કથાઓનો ઉલ્લેખ થતો. મોટેભાગે પ્રથમ પંક્તિ જ ધ્રુવપદ રૂપે રહેતી. આરતી સંઘગાન હોવાથી, એમાં સ્વરમાધુર્ય, તથા ગેયતા તરફ વિશેષ લક્ષ અપાતું, અને પ્રાસનું માધુર્ય જળવાતું. ગુજરાતમાં ઘણે સ્થળે મંદિરોમાં હરિ-હર બન્નેની મૂર્તિઓ જોડેજોડ હતી તેમ જ અર્ધું અંગ શંકરનું અને અર્ધું વિષ્ણુનું એવી મૂર્તિઓ પણ હતી. એથી ત્યાં હરિહરની સહિયારી આરતી થતી. જેમ કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જય હરિહરા, વિભુ જય હરિહરા&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
કમળનયન કેશવને, શિવજીને ત્રિનયના&lt;br /&gt;
કૌસ્તુભમણિ કેશવને, શિવજીને રૂંઢમાળા&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પદ નાનું કાવ્યસ્વરૂપ હોવા છતાં એમાં કથાઓ પણ કહેવાતી. એવી કથાઓમાં કાં તો એક જ ઘટનાનું નિરૂપણ હોય અથવા ઘટનાપરંપરા ક્રમિક રીતે નિરૂપી હોય. એક જ ઘટનાનું કથન હોય એવાં પદોમાં નરસિંહ મહેતાની હૂંડી, કૃષ્ણની બાળલીલા, ઇત્યાદિ આવતાં. ક્યારેક પૌરાણિક કથાઓમાં કવિ પોતાનું ઉમેરણ કરતો. જેમ કે હરગોવનની કૃષ્ણલીલામાં કૃષ્ણ સાજાસમા રહે તે માટે જશોદાએ અંબાજીની બાધા રાખેલી. તેથી બાધા ઉતરાવવા એ કૃષ્ણને અંબાજી લઈ જઈને ત્યાં વાળ ઉતરાવે છે, તેનું નિરૂપણ કર્યું છે.&lt;br /&gt;
જૈન સજ્જાયોમાં પણ કથાઓ આવતી. જેમાં કોઈ ત્યાગી પુરુષ કે મુનિના જીવનપ્રસંગનું આલેખન થયું. જેમ કે, લબ્ધવિજયજીની ‘ઈલાયચી પુત્રની સજ્જાય’માં ઇલાયચજીએ કેવા સંજોગોમાં વૈરાગ્ય ઉપજવાથી દીક્ષા લીધી તે દર્શાવાયું છે. એવી સંખ્યાબંધ કથાપ્રધાન સજ્જાયો મળે છે. ક્યારેક કથાપ્રધાન સજ્જાયોમાં સંવાદશૈલી અપનાવાઈ હોય છે. જેમ કે ભોજલના ‘કાચબાકાચબી&#039;ના ભજનમાં કાચબાની ઉક્તિથી આરંભ થયો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કળકળમાં કાચબી કૂડી, રામૈયાની રીત છે રૂડી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આખું પદ ‘કાચબાકાચબી&#039;ના સંવાદના રૂપમાં છે. મધ્યકાલીન સાહિત્યમાં આવાં અનેક સંવાદનાં પદો મળે છે. નરસિંહના લોકપ્રચલિત ‘નાગદમન&#039;ના પદમાં પણ નાગિણ અને કૃષ્ણનો સંવાદ જ આદિથી અંત સુધી છે.&lt;br /&gt;
સંવાદની જેમ બીજી રીતિ આત્મકથનની હતી. દયારામનું ઘણું જાણીતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી,&lt;br /&gt;
શ્યામ રંગ સમીપે ન જાવું&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}} &lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ ગોપીના આત્મકથનથી શરૂ થાય છે. આખું પદ એનું આત્મકથન જ છે.&lt;br /&gt;
લોકસાહિત્યમાં પણ સંવાદ અને સ્વગતોક્તિશૈલીનાં પદો મળે છે. નીચેના લોકગીતમાં એક સંતાનવિહીન સ્ત્રી, સંતાનવાળા ઘરનાં રમણીય ચિત્રો એક પછી એક રજૂ કરી પોતાની કરુણસ્થિતિ અસરકારકતાથી વ્યક્ત કરતી દર્શાવાઈ છે. એ કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું&lt;br /&gt;
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે&lt;br /&gt;
વાંઝિયાં મેણાં માડી દોહ્યલાં&lt;br /&gt;
પાણીડાં ભરીને ઊભી રહી&lt;br /&gt;
છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે – વાંઝિયાં૰&lt;br /&gt;
ધોયો ને ધફોયો મારો સાળુડો&lt;br /&gt;
ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે – વાંઝિયાં૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નીચેના લોકગીતમાં આરંભની બે પંક્તિઓમાં કવિએ ભૂમિકા બાંધી છે. અને પછી આખું કાવ્ય પતિ અને પત્નીના સંવાદરૂપે રજૂ થયું છે. સમપંક્તિમાં પત્નીની ઉક્તિ છે. તો વિષમ પંક્તિમાં પતિની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;લવિંગ કેરી લાકડીયે રામે સીતાને માર્યા જો&lt;br /&gt;
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પત્ની, પતિને કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રામ તમારે બોલડિયે, હું પરઘેર દળવા જઈશ જો&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો પતિ, એને વળતો ઉત્તર આપે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
એમ સંવાદ આગળ ચાલે છે.&lt;br /&gt;
પદનું સૌથી અગત્યનું અંગ ધ્રુવપદ કે ટેકની પંક્તિ છે. થોડે થોડે અંતરે જે પંક્તિ ફરી ફરી ગવાતી તે ટેકની પંક્તિ કહેવાતી. આખી પંક્તિને બદલે કેટલીકવાર થોડા શબ્દનું જ પુનરુચ્ચારણ થતું ત્યારે એ શબ્દો ધ્રુવપદ કહેવાતા. જૈન કવિઓ ટેકની પંક્તિને આંકણી પણ કહેતા. ઘણીવાર ટેકની પંક્તિમાં જ મુખ્ય વિચાર આવતો હોય છે. પછીની પંક્તિમાં તો મુખ્ય વિચાર વ્યક્ત કરવા દૃષ્ટાંતો જ આપ્યાં હોય છે, જેમ કે નરસિંહનાં પદમાં પહેલી પંક્તિમાં વિચાર રજૂ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછીની પંક્તિમાં એના સમર્થનમાં હરિશ્ચન્દ્ર, રામ, નળ વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. આ કારણે ટેકની પંક્તિ અથવા ધ્રુવપદ, ઘણાં ચોટદાર હોવાં જોઈએ. નરસિંહના ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039;, પ્રીતમના પદ ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને&#039; જેવાં પદોની અર્ધી સફળતા એની ધ્રુવપદની પસંદગીમાં રહેલી છે. ટેકની પંક્તિ દરેક પદમાં હોવી જોઈએ એવો નિયમ નથી, પણ ટેકની પંક્તિ કે ધ્રુવપદવાળાં પદો અને ટેકની પંક્તિ કે ધ્રુવપદ વિનાનાં પદોમાં ફરક એ છે કે ધ્રુવપદ વિનાનાં પદોમાં પ્રાસ જળવાયા હોય છે. જ્યારે ટેકની પંક્તિવાળાં પદોમાં ટેકની પંક્તિ જ પ્રાસની રજૂઆત પૂરી કરે છે. તેમ છતાં ટેકની પંક્તિ પણ હોય અને પ્રાસ પણ જળવાયા હોય એવાં પદો પણ મળે છે : જેમ કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
રૂમઝૂમ નાદે ને નેપૂર બાજે, ઝાંઝરનાં ઝમકાર રે&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તાલીતાલ મૃદંગ ધૂને નાચે, કરિકિંકણી રણકાર રે – રૂમઝૂમ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ નરસિંહના સમયથી દયારામના સમય સુધી (અને આજે પણ) પદનો પ્રવાહ અખંડ વહ્યો જાય છે. આ સમયગાળામાં અનેક નવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં અને વિકસ્યાં. પણ તેથી પદને કશી આંચ આવી નથી. કારણ કે ભિન્નભિન્ન રુચિ અને સંપ્રદાયના લોકોને નિજ નિજ ભાવાભિવ્યક્તિને આલેખવાનો એમાં પૂરતો અવકાશ રહેતો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદમાળા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કથનપ્રધાન ઊર્મિકાવ્યોમાં એક પદ કથન માટે ટૂંકું પડવાથી વસ્તુ એક પદમાંથી અનેક પદમાં વિસ્તરવા લાગ્યું. વળી સામાન્યજનને ભજનની એક ધૂન અથવા એક જ પદમાં આવતી હરિશ્ચન્દ્ર, નળ વગેરેની નામાવલિથી, કે એક નાના પદમાં સમાઈ શકે એવી કથાથી સંતોષ ન થાય, તેથી ભાગવત, અન્ય પુરાણો અને નરસિંહના જીવનમાંથી પ્રસંગો લઈને પદો દ્વારા કથા કહેવાની રીત અમલમાં આવી અને એ રીતે પદમાંથી પદમાળાનું સ્વરૂપ વિકસ્યું. નરસિંહે જ ‘સુદામાચરિત’, ‘હારમાળા’ જેવી પદમાળાઓ રચી છે અને કથાના નિરૂપણ માટે પદનું સ્વરૂપ ફાવતું હોવાથી એણે પૌરાણિક કથાના નિરૂપણ માટે પદોની શૃંખલા રચી અને પ્રસંગો બદલાતા જાય તે સાથે ઢાળ પણ બદલાતા જાય એવી યોજના કરી. એ રીતે પદમાળાનું સ્વરૂપ ઉદ્ભવ્યું, નરસિંહ પછી આખ્યાનકવિ પ્રેમાનંદે ‘ભ્રમરપચીશી&#039; પદમાળા આ રીતે રચી છે. પ્રેમસખી પ્રેમાનંદ કૃત ‘તુલસીવિવાહ&#039; પણ આ સ્વરૂપનું કાવ્ય છે. પુરાણમાંથી કથાવસ્તુ લીધું હોય તો પણ કવિ એમાં ફેરફારો કરી શકતો.&lt;br /&gt;
કથાના વસ્તુનિરૂપણની દ્રષ્ટિએ વિચારતાં કેટલાંકમાં પ્રત્યેક પદે વસ્તુનો વિકાસ થયો હોય છે. એથી કાવ્ય સુશૃંખલિત લાગે છે. જ્યારે અન્ય પ્રકારની પદમાળાઓમાં વસ્તુનો વણાટ ફીકો નજરે પડે છે. એમાંનાં ઘણાં પદોનો કથાના વિકાસમાં કશો ફાળો નથી હોતો. પ્રેમાનંદનું ‘ભ્રમરપચીસી&#039;, પ્રેમાનંદસ્વામીનું ‘તુલસીવિવાહ’ એ શિથિલ બંધવાળી રચનાઓ છે. જ્યારે નરસિંહનું ‘સુદામાચરિત’ કે ‘શામળશાનો વિવાહ&#039; દ્રઢબંધવાળી રચનાઓ છે. આ બે સિવાય એક ત્રીજા પ્રકારની પદ પદમાળા છે જે મહિના તથા તિથિની પદમાળા છે. જેમાં પ્રત્યેક વિરહમાસનું, કે તિથિનું વર્ણન એકએક પદમાં કર્યું હોય છે અને પ્રત્યેક માસે કે તિથિએ વિયોગવ્યથા તીવ્રતર બનતી જાય છે, અને અંત તરફ આવતાં એ ભાવ પરાકાષ્ટાએ પહોંચે છે.&lt;br /&gt;
આ પદમાળાના સ્વરૂપને દુર્ગાશંકર શાસ્ત્રીએ ખંડકાવ્યની સંજ્ઞા આપી છે,&amp;lt;ref&amp;gt;‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’ ખંડ-૫, વિભાગ-૩, પૃ. ૫૬&amp;lt;/ref&amp;gt; જ્યારે કે. હ. ધ્રુવે એને આખ્યાનની સંજ્ઞા આપી છે,&amp;lt;ref&amp;gt; ‘સાહિત્ય અને વિવેચન’ ભાગ-૨ પૃ. ૨૫૨&amp;lt;/ref&amp;gt; પણ આ સ્વરૂપ ખંડકાવ્ય તેમ જ આખ્યાનથી તદ્દન ભિન્ન છે. જો કે ખંડકાવ્યની જેમ આરંભમાં, મુખ્ય પ્રસંગને અનુરૂપ ભૂમિકા, ભાવવૈવિધ્ય, ભાવાનુરૂપ છંદપરિવર્તન, આલેખાયેલા પ્રસંગોનું એક મુખ્ય પ્રસંગ તરફ ઢળણ, એવાં કેટલાંક તત્ત્વો ખંડકાવ્ય અને પદમાળામાં સમાન હોવા છતાં એ ખંડકાવ્ય નથી. આખ્યાન તથા પદમાળામાં કથાતત્ત્વ, ધાર્મિક ઉદ્દેશ, રસવૈવિધ્ય, મંગળાચરણ અને ફળશ્રુતિ એટલાં તત્ત્વો સમાન હોવા છતાં એ આખ્યાન પણ નથી.&lt;br /&gt;
પદમાળાનો આરંભ ઇષ્ટદેવના સ્તવન કે મંગળાચરણથી થતો. ખંડકાવ્યમાં જેમ પ્રસંગ કે ભાવ બદલાતાં છંદ બદલાય છે તેવી રીતે કેટલીક પદમાળામાં પ્રત્યેક પદના રાગો બદલાય છે. ખંડકાવ્યની જેમ જ ભાવવૈવિધ્ય, અને મુખ્ય ભાવ કે પ્રસંગ તરફ દોરી જતા બીજા પ્રસંગો પદમાળામાં હોય છે. વળી ખંડકાવ્યના કવિ ભાવાનુકૂળ વાતાવરણ સર્જવા પ્રકૃતિવર્ણનનો ઉદ્દીપનવિભાવ તરીકે ઉપયોગ કરતા, તેવો જ પ્રકૃતિનો ઉપયોગ ‘બારમાસી&#039;ની પદમાળામાં થયેલો હોય છે. તેમ છતાં ‘સુદામાચરિત’ જેવી પદમાળાને ખંડકાવ્ય કહી શકાય નહીં, પરંતુ જો કડવાંને આખ્યાનનું આવશ્યક અંગ ન માનીએ તથા મંગળાચરણ, ઇષ્ટદેવસ્તુતિ વગેરેને અનાવશ્યક માનીએ અને પ્રકૃતિવર્ણનને બિનજરૂરી માનીએ તો કદાચ ‘સુદામાચરિત્ર’ જેવી કૃતિને આખ્યાનની નજીક મૂકી શકાય.&lt;br /&gt;
પદમાળાનો જીવન જોડેનો સંબંધ વિચારતાં ભક્તના જીવનને આલેખતી પદમાળામાં સમકાલીન જીવનનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાયું હોય છે. નરસિંહવિષયક પદમાળાઓમાં નાગરજાતિની ઈર્ષા, સંકીર્ણ મનોદશા, અન્યની કફોડી સ્થિતિ જોઈને રાજી થવાની કુમતિ વગેરે પ્રતીતિકર રીતે દર્શાવાઈ છે. એક દૃષ્ટિએ જોઈએ તો ‘શામળશાનો વિવાહ&#039; તથા મોતીરામકૃત ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ&#039; કાવ્યોમાં વાર્તાનું કેન્દ્ર નાગરી ન્યાત છે. નરસિંહકૃત ‘હારમાળા&#039;માં વિવિધ સંપ્રદાયના લોકો વચ્ચેના વૈમનસ્યનું ચિત્રણ છે. પ્રેમસખી પ્રેમાનંદ કૃત ‘તુલસીવિવાહ&#039;માં તત્કાલીન લગ્નસમારંભમાં ગવાતાં ગીતો, તથા રીતરિવાજો વિષેની માહિતી મળે છે. આ પ્રમાણે પદમાળામાં ઋતુપરિવર્તનને લીધે લોકોની જીવનરીતિમાં થતા ફેરફારો દર્શાવાતા, તેમ જ સમાજચિત્રણ પણ થતું, તેમ જ પ્રકૃતિવર્ણનને પૂરો અવકાશ રહેતો.&lt;br /&gt;
પદમાળાનો રસદ્રષ્ટિએ વિચાર કરતાં પ્રથમ એક જ રસનું જેમાં નિરૂપણ થયું હોય અને એ રસનો ક્રમિક વિકાસ દર્શાવાયો હોય તેવી મહિનાની પદમાળા તથા પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી&#039; જેવી રચનાઓ છે. એ પ્રકારની પદમાળામાં પ્રેમાનંદ, માણિક્યવિજય રત્નેશ્વર, રામૈયા તથા દ્વારકો, વગેરેનું યોગદાન છે, બીજા પ્રકારની પદમાળામાં એક જ રસનું નિરુપણ હોય પણ રસ પરાકાષ્ટાએ પહોંચતો ન હોય અને કાવ્યમાં સાદ્યંત રસનો પ્રવાહ સમથલ હોય એની તિથિની કે રાવણ મંદોદરી, કે રાધા અને ગોપીકૃષ્ણના સંવાદની પદમાળાઓ, તથા ‘અઢાર પાપસ્થાનની સજ્જાય&#039;, ‘શિયળની નવતાડ&#039;, ‘તુલસીવિવાહ&#039; જેવી પદમાળાઓ છે. ત્રીજા પ્રવાહમાં ‘શામળશાનો વિવાહ&#039; જેવી પદમાળાઓ, કે જેમાં એક મુખ્ય રસ હોય અને તેને પોષનારા બીજા આનુષંગી રસો હોય, તથા રસસંક્રમણ સહજ રીતે થયું હોય તેવી કૃતિઓ છે.&lt;br /&gt;
બારમાસીનો પ્રકાર એટલો લોકપ્રિય હતો કે, જૈન કવિ માણિક્યસુંદરે, રાજિમતીના વિરહની બારમાસી રચી છે. રાજિમતીના નેમિનાથની રાહ જુએ છે. રામભક્ત રામૈયો સીતાના વિરહની બારમાસી રચે છે, એમાં સીતા જાણે ઘરમાં બેઠી હોય, પ્રોષિતભર્તૃકાના નિયમો પાળતી હોય, અને રામ પરદેશ ગયા છે તેની રાહ જોતી હોય એવી રીતનું નિરૂપણ થયું છે, બાર મહિનામાં એક વખત પણ અશોકવાટિકા કે રાવણનો ઉલ્લેખ નથી. બારમાસ પૂરા થવા આવે છે ત્યારે એકાએક કવિને ભાસ થાય છે કે આ સીતાના બારમાસ છે, એટલે આસો માસે પાજ બાંધ્યાનો ઉલ્લેખ આવે છે. રાજેની બારમાસીની પદમાળા તથા ઇન્દ્રાવતી એવા નામથી કાવ્યરચના કરનાર પ્રાણનાથની ‘વિરહની બારમાસી&#039; ભાવાભિવ્યક્તિ તથા શૈલીમાધુર્યને કારણે વિશેષ નોંધપાત્ર લાગે છે.&lt;br /&gt;
શૃંગાર પછી કરુણરસની પદમાળા જે ‘ભ્રમરપચ્ચીસી&#039;, ‘વિરહગીતા’, ‘ઉદ્ધવગીતા&#039; વગેરે નામોથી ઓળખાય છે તેમાં કૃષ્ણના ગોકુળથી મથુરા જવાને કારણે નંદ, જશોદા, તથા ગોપીઓનો ઝુરાપો નિરૂપાયો છે. તેમને સાંત્વન આપવા કૃષ્ણ ઉદ્ધવ દ્વારા જ્ઞાનનો સંદેશ પાઠવે છે. એ પ્રસંગ ભાગવતમાં નથી, પણ મધ્યકાલીન કવિતામાં ‘ભ્રમરગીતા&#039; એ નામથી પ્રચલિત કરવામાં આવ્યો. એમાં ગોપીઓની વિરહની તીવ્ર વેદના ભ્રમરને ઉદ્દેશીને ઉચ્ચારાયલી એમની વક્રોક્તિઓ છે, એ કારણથી ‘ભ્રમરગીતા’ કે ‘ભ્રમરપચ્ચીસી&#039; નામ અપાયું. સમય જતાં ભ્રમરનું પાત્ર અનિવાર્ય ન રહેતાં, અને ભ્રમરને ઉપાલંભ આપીને કૃષ્ણને એ વચનો પહોંચાડવાને બદલે ગોપીઓ સીધેસીધો જ ઉપાલંભ પોતાની વેદનાસહિત ઉદ્ધવ મારફત કહેવડાવે છે. એથી ભ્રમરગીતાને બદલે ‘રસિકગીતા’ (ભીમ); ‘વિરહગીતા’ (પ્રીતમ); ‘વિરહગીતા&#039; (રાજે); ઇત્યાદિ નામો કવિઓએ આપ્યાં છે. એમાં કેટલીક પદમાળાઓ કડવાંબદ્ધ છે, પણ એ કડવાં પદકલ્પ છે, એટલાં ટૂંકાં છે, તથા આખ્યાનનાં કડવાંથી એટલાં ભિન્ન છે કે એનો સમાવેશ પદમાળામાં જ કરવો પડે.&lt;br /&gt;
પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી&#039;માં પચીસ ઊર્મિસભર પદો છે. ઉદ્ધવ જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપે છે ત્યારે જશોદા કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અમો અજ્ઞાનીનાં મન કાળો કામળો રે,&lt;br /&gt;
તેને ચઢે ના બીજો રંગ, કે પહેલી શ્યામતા રે&lt;br /&gt;
ગુણહીન ગોવાળિયા લોક, જ્ઞાન નથી પામતા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી કૃષ્ણને મહેણાં મારે છે, ને કટાક્ષ કરતાં કરતાં કુબ્જાની ઈર્ષા વ્યક્ત કરતાં કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામમાં પેસતાં કન્યા પામ્યો, ચોળવી પડી ના પીઠી રે,&lt;br /&gt;
વર કાળો ને કન્યા ખોડી, લોક હસાવા ઠીઠી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બ્રેહેદેવ, ભીમ, પ્રીતમ, મુક્તાનંદ, રાજે વગેરેએ રચેલી આ ભ્રમયુક્ત કે ભ્રમરહિત ગીતાનામી પદમાળાઓમાં રાજેની ‘વિરહગીતા&#039;, ભાવાભિવ્યક્તિ તથા રચના દૃષ્ટિએ વધુ આકર્ષક છે.&lt;br /&gt;
કરુણ પછી શાન્તરસની પદમાળાઓ વિષે વિચારતાં એમાં વિપ્રલંભ કે કરુણના મહિનાઓ અથવા ગીતાનામી પદમાળાઓની જેમ જ્ઞાનના મહિનાની પદમાળા આવે છે. જ્ઞાનના મહિનાની જેમ જ્ઞાનની તિથિની પણ પદમાળાઓ છે. જ્ઞાનના મહિનાની પદમાળાઓમાં પ્રત્યેક મહિને જીવને ઉપદેશ આપેલો હોય છે. એમાં એક મહિનાના ઉપદેશને બીજા મહિનાના ઉપદેશ જોડે કશો સંબંધ હોતો નથી. તેમ જ જ્ઞાનના ઉત્તરોત્તર વિકાસનો કશો ક્રમ પણ હોતો નથી. જેમ કે ભોજો એના જ્ઞાનમાસની શરૂઆત આ પ્રમાણે કરે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જીવ કારતકે કરની વિચાર, કે&#039;ની ક્યાંથી આવીઓ&lt;br /&gt;
મહામુક્તામણિ મનુષ્યદેહ શે પુણ્યે પામીયો&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}.&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કથનને ગમે તે માસમાં મૂકી શકાય, પ્રીતમની જ્ઞાનની બારમાસીમાં દરેક પદ સાખીથી શરૂ થાય છે. મંગળાચરણમાં ગુરુસ્તુતિ છે. કારતકથી બારમાસીની શરૂઆત થાય છે. કારતકમાં અજ્ઞાન છે. માગશરે મરણનો ભય, ને માયાની મોહિનીમાં ન ફસાવાની જીવને ચેતવણી છે. પોષમાં કર્તાહર્તા હરિ છે એ ભાન કવિ કરાવે છે. એ રીતે એમાં કશી ક્રમબદ્ધતા નથી. એ કવિની અન્ય બારમાસીમાં મંગળાચરણ નથી કે સાખીથી આરંભ પણ થયો નથી.&lt;br /&gt;
જ્ઞાનમાસની જેમ જ્ઞાનની તિથિની પદમાળા પણ રચાયેલી છે. એમાં કેવળ ઉપદેશને બદલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ દર્શાવેલો હોય છે. તેથી એ પદમાળાને શુદ્ધ જ્ઞાનની પદમાળા કહી શકાય. એમાં પડવા(પ્રતિપદા)થી આરંભ થાય છે અને પૂર્ણિમાથી એનો અન્ત આવે છે. દામોદરાશ્રમની જ્ઞાનની તિથિમાં પડવાથી શરૂઆત થઈ છે. પણ એકાદશી આવતાં જીવ ચૈતન્ય એક થયું. ‘બ્રહ્મસ્વરૂપ ભાસ્યું&#039; એમ કહ્યું છે એટલે આગળ જવાનો માર્ગ અવરોધાય છે, ને પૂર્ણિમા સુધી આવતાં કવિને મુશ્કેલી પડે છે.&lt;br /&gt;
ઉદયરત્નકૃત શિયળની નવવાડ, કે જયવિજયજીકૃત ‘અઢાર પાપસ્થાનની સજ્જાય&#039;માં સીધો જ ઉપદેશ આપ્યો છે. પ્રથમ પદમાળામાં શીલવાન પુરુષોએ કયાં કયાં નવ તત્ત્વોથી દૂર રહેવું જોઈએ તે કહ્યું છે તો બીજામાં અઢાર પાપસ્થાનોનાં નામ જણાવી તેનો ત્યાગ કરવા જણાવ્યું છે.&lt;br /&gt;
વસ્તુદ્રષ્ટિએ પદમાળાની વિચારણા કરતાં પ્રથમ કથાનો પ્રકાર આવે છે. નરસિંહકૃત ‘શામળશાનો વિવાહ&#039;, ‘હારમાળા&#039;, મોતીરામકૃત, ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ&#039; કથાપ્રધાન પદમાળાઓ છે. એમાં નરસિંહ એક પાત્ર હોવા છતાં, નાયક તો કૃષ્ણ જ છે, કારણ એ જ સક્રિય હોય છે. એ પદમાળાઓ ભક્તની લાજ રાખવા કૃષ્ણ જે ચમત્કારો કરે છે તે જ કેન્દ્રવર્તી પ્રસંગ છે એમાં કૃષ્ણ જ સાદ્યંત સક્રિય છે.&lt;br /&gt;
કેટલીક પદમાળાઓમાં કેન્દ્રવર્તી પ્રસંગની પૂર્વેની પાર્શ્વભૂમિ આપી હોય છે. નરસિંહના ‘શામળશાનો વિવાહ’માં પ્રારંભના શામળશાના વિવાહપૂર્વેની પાર્શ્વભૂમિ આપી છે. નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં ‘જદુપતિનાથ તે મિત્ર છે તમતણા&#039; એવી સુદામાપત્નીની ઉક્તિથી કાવ્યારંભ થાય છે. મોતીરામકૃત ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ&#039;માં પણ પાર્શ્વભૂમિ વિના સીધો જ કાવ્યારંભ થાય છે. ‘નરસિંહની કૃષ્ણલીલા&#039;ની પદમાળામાં મંગળાચરણ છે. પછી તરત જ કથાનું માહાત્મ્ય જણાવ્યું છે. પછી કથાની શરૂઆત થાય છે.&lt;br /&gt;
કથનપ્રધાન પદમાળામાં કવિ પોતાને મનફાવતું ઉમેરણ કરી શકતો. ‘શામળશાનો વિવાહ&#039;માં નરસિંહ દ્વારકામાં કૃષ્ણને ત્યાં અતિથિ થઈને રહ્યો ત્યારે કૃષ્ણે એનું કેવું ભાવભીનું સ્વાગત કર્યું તેનું ચાર પદો સુધી લંબાણથી વર્ણન કર્યું છે. પદમાળામાં ભોજનસામગ્રી, વસ્ત્રાભૂષણ ઇત્યાદિનાં વર્ણનો પણ સારા પ્રમાણમાં આવતાં.&lt;br /&gt;
કેટલીક પદમાળામાં કથા સુગ્રથિત હોય છે. જ્યારે કેટલીકમાં કથાનો વણાટ ફીસો હોય છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ સુઘટ્ટ કથાપ્રસંગોની ગૂંથણીનો પ્રકાર છે. જ્યારે નરસિંહની ‘હારમાળા’ એ શિથિલ વણાટવાળી કૃતિ છે. એમાં કેટલાંક પદો એવાં છે જેનો કાવ્યના વસ્તુ જોડે સીધો સંબંધ નથી. સુગ્રથિત પદમાળાઓ ટૂંકી હોય છે. કારણ કે એમાં કવિનું લક્ષ્ય માત્ર કથાનકના જ પ્રસ્તુતીકરણ તરફ હોય છે. ‘હારમાળા&#039; જેવી પદમાળામાં પદોના રાગ આપ્યા હોય છે. અને ભાવપરિવર્તન સાથે રાગ પણ બદલાય છે.&lt;br /&gt;
પદમાળામાં સંવાદનું સ્વરૂપ પણ પ્રચલિત હતું. એ કથનરીતિની પદમાળામાં પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી&#039; સિવાય અન્ય પદમાળામાં કવિ વચ્ચે આવતો નથી, ને પાત્રોને જ બોલવા દે છે. રઘુનાથદાસની પદમાળામાં મોટેભાગે રાધાની ઉક્તિ છે અને રાધાકૃષ્ણનો સંવાદ છે. જેમાં કુશળતાથી બન્નેના વ્યક્તિત્વને દર્શાવ્યું છે. રણછોડની ‘રાવણમંદોદરી સંવાદ&#039;ની પદમાળાની રચના જુદા પ્રકારની છે. પ્રથમ ચાર પદોમાં મંદોદરીની વિનંતિ તથા રાવણનો ઉત્તર છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા પદમાં અનુક્રમે રામલક્ષ્મણનો, રાવણનો અને દૂતનો સંવાદ છે. અંતિમ બે પદોમાં રાવણ અને મંદોદરીનો સંવાદ છે. શરૂઆતનાં ચાર પદોમાં રાવણમંદોદરીનો સંવાદ રામ સેતુ બાંધીને આવ્યા નથી ત્યારનો છે. જ્યારે અંતિમ બે પદોનો સંવાદ રામ સૈન્ય લઈને આવ્યા તે સમયનો છે. પણ આ બદલાયેલી પરિસ્થિતિથી રાવણમંદોદરી અજાણ હોય એમ લાગે છે, કારણ મંદોદરીનું પાત્ર અત્યંત સંવેદનશીલ છે. એની વાણી પહેલાનાં બે પદો જેવી જ છે. ભાઈશંકરકૃત ‘લક્ષ્મીપાર્વતીનો સંવાદ&#039; ભિન્ન પ્રકારનો છે. લક્ષ્મી પાર્વતીને ત્યાં બેસવા જાય છે, ત્યાં બન્ને સંસ્કારવિહીન સ્ત્રીઓની જેમ અત્યંત હલકી ભાષામાં ગાળાગાળી કરે છે.&lt;br /&gt;
આ રીતે પદમાંથી પદમાળાનો ઉદ્ભવ થયો અને એ સ્વરૂપ વિકસ્યું. પ્રારંભિક પદમાળાઓ જોતાં જ્યાં વસ્તુ કથનપ્રધાન હતું ત્યાં પદમાળાની રચના થઈ પણ આખ્યાનના સ્વરૂપનો વિકાસ થતાં પદમાળાનાં વળતાં પાણી થયાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ગરબો-ગરબી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગરબો અને ગરબી બન્ને સંઘનૃત્યના પ્રકારો છે. નૃત્ય કરતાં કરતાં જે ગીતો ગવાતાં તે ગરબો અને ગરબી કહેવાયાં. બન્ને નવરાત્રીને સમયે ઠેરઠેર ગવાતાં. બન્ને શક્તિઉત્સવ જોડે સંકળાયેલાં હતાં. ગરબા નવરાત્રીને સમયે ગવાતા હતા તેનો ઉલ્લેખ મહિનાનાં કાવ્યોમાં થયો છે. પ્રેમાનંદની ‘બારમાસી&#039;માં આસો મહિનાનો ઉલ્લેખ આવતાં કહ્યું છે :&lt;br /&gt;
નવ રે દિવસ નવરાત્રીના ગોરી ગરબા ગાય.&lt;br /&gt;
રત્નેશ્વર અને રણછોડ ભક્તનાં ‘બારમાસ&#039;માં પણ નવરાત્રીમાં ગરબા ગાવાનો ઉલ્લેખ છે. ગરબી વિષે દલપતરામે કહ્યું છે – ગુજરાતનાં શહેરો અને ગામડાંમાં આસો મહિનાના પહેલા પક્ષમાં (નવરાત્રીમાં) તે ગવાય છે.’&amp;lt;ref&amp;gt;‘કચ્છ ગરબાવળી’ – દલપતરામ&amp;lt;/ref&amp;gt; આમ ગરબો-ગરબી બન્ને નવરાત્રીના શક્તિઉત્સવ જોડે સંકળાયેલાં હતાં.&lt;br /&gt;
ગરબો અને ગરબી મૂળ તો સ્વરૂપદર્શી નામ નથી પણ વસ્તુદર્શી નામ છે. ગરબો એટલે જેમાં છિદ્ર પાડ્યાં હોય એવો માટીનો ઘડો જે ગરબો કહેવાયો; અને દીવો પ્રગટાવવાની લાકડાની ઘોડીને ગરબી નામ અપાતું. એની આસપાસ વર્તુળાકારે ફરતાં ફરતાં જે ગીતો ગવાતાં તે પછીથી ગરબો અને ગરબી કહેવાયાં.&lt;br /&gt;
કૃતિનું ઓળખનું આંતરપ્રમાણ આપણને ગરબામાં મળી રહે છે. જ્યારે ગરબીમાં મળતું નથી. ગરબો સ્થૂલ સ્વરૂપનો હોવાથી, એ વિસ્તારવાળો હોવાથી એમાં મંગળાચરણ, ફળશ્રુતિ વગેરે હોય છે. અને ફળશ્રુતિમાં એ કૃતિ ગરબો છે એવો ઉલ્લેખ આવે છે. જ્યારે ગરબી લઘુરૂપ હોવાથી એમાં એ બધા માટે અવકાશ રહેતો નથી. ગરબીનું બંધારણ અને તેની રચના અત્યંત સુશ્લિષ્ટ હોય છે એમાં એક જ ઊર્મિ કે એક જ પ્રસંગનું નિરૂપણ શક્ય છે. આ ઉપરાંત ગરબા અને ગરબીમાં એક મહત્ત્વનું પાર્થક્ય એ છે કે ‘પુરુષો ગાય તે ગરબી અને સ્ત્રીઓ ગાય તે ગરબો&#039;&amp;lt;ref&amp;gt;‘રાસકુંજ’ (બીજી આવૃત્તિ)ની પ્રસ્તાવના&amp;lt;/ref&amp;gt; એમ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે. સામે પક્ષે ગરબો પુરુષ ગાય અને ગરબી સ્ત્રીઓ ગાય એવા લોકગીતના ગરબામાં આંતરપ્રમાણો મળી રહે છે.&amp;lt;ref&amp;gt;‘રઢિયાળી રાત’ ભાગ-૨, પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt; ડોલરરાય માંકડ કહે છે, ‘આજે પણ તળ ગુજરાતમાં નવરાત્રિમાં ગવાય તેને ગરબા કહે છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં ગવાય તેને ગરબી કહે છે. હોય છે તો એનું એ જ વસ્તુ, એનાં એ જ કાવ્યો, પણ નામ પરત્વે બન્ને પ્રદેશમાં આવો તફાવત છે.’&amp;lt;ref&amp;gt;‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૫૮&amp;lt;/ref&amp;gt; આ બધું દર્શાવે છે કે ગરબાગરબીનો ગાનારની દ્રષ્ટિએ પણ ભેદ પાડવામાં આવ્યો છે.&lt;br /&gt;
ગરબા અને ગરબીનો મૂળ સંબંધ દેવીભક્તિ જોડે હોવા છતાં ધીમેધીમે એનો વિસ્તાર થતાં વિષ્ણુ તથા કૃષ્ણભક્તિનો વિષય પણ એમાં આવરી લેવાયો. તેમજ લોકગીતોમાં તથા વલ્લભ ભટના ‘કળિકાળનો ગરબો’, ‘કજોડાંનો ગરબો&#039; તથા લોકગીતોની ગરબીમાં સમાજની સમસ્યાઓનું નિરૂપણ થતું ગયું, એથી સામાજિક જીવનનાં ચિત્રોને ભક્તિ જોડે સાંકળી લેવામાં આવ્યાં. દા.ત. ‘કળિકાળનો ગરબો&#039; અને ‘કજોડાંનો ગરબો’માં આમ તો વૃદ્ધ પતિની જુવાન પત્નીની દુર્દશા દર્શાવાઈ છે, પણ એ યુવતી ગોરમાને સંબોધીને વર્ણવે છે, અને અંતમાં એ ગોરમાને સમર્થ ધણી આપવા વિનવણી કરે છે. એટલું જ નહિ પણ સહુને માટે એવી યાચના કરે છે. કૃષ્ણના યુગમાં પણ કવિતામાં સમકાલીન સમાજનું આરોપણ થયું છે. જેમ કે દયારામની ‘શીખ સાસુજી દે છે રે વહુની રંગે–ઢંગે&#039; એ ગરબીમાં કે ‘રાજેની ‘બોલી ઊઠ્યાં બાઈજી વહુઆરુ રે. આવડી ક્યાં લાગી વાર એ નવ સારું રે&#039;માં ગોપી અને એની સાસુનો સંવાદ છે. તેમાં સમકાલીન રંગ છે – લોકગીતોની ગરબીમાં નિર્ભેળ સમાજદર્શન કરાવાયું હોય છે. ‘મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત’ કે ‘મારો ગરબો રે રમે રાજને દરબાર, રમતો રમતો રે ગયો કુંભારીને દ્વાર&#039; ઇત્યાદિમાં સમાજદર્શન કરાવાયું હોય છે. એમ કહી શકાય કે, વસ્તુદૃષ્ટિએ વિચારતાં ભક્તિનો મૂળ ઉદ્દેશ લક્ષમાં રાખી ભક્તિમાંથી ક્રમશઃ વ્યવહાર તરફ સંક્રમણ થતું ગયું. અને ગરબાગરબીના સ્વરૂપ દ્વારા ગ્રામજનતાની વિવિધ સમસ્યાઓ તથા ભાવસંવેદનો એ સ્વરૂપમાં વ્યક્ત થતાં ગયાં.&amp;lt;ref&amp;gt;‘ધરતીનું ધાવણ ભાગ-૨,’ પૃ. ૧૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
ગરબાગરબીનો રસદૃષ્ટિએ વિચાર કરતાં પ્રથમ શૃંગાર લઈએ. કારણ કે આ પ્રકારનાં કાવ્યોમાં શૃંગારને ઉદ્દીપન અને વ્યભિચારી ભાવોનાં વૈવિધ્યનો પૂર્ણ લાભ મળે છે. ગરબાગરબીના શૃંગારમાં મુખ્ય પાત્રો કૃષ્ણ અને રાધા કે ગોપીઓ હોય છે. ગરબા મોટેભાગે શક્તિભક્તિ સાથે સંકળાયેલા હોવા છતાં એમાં રાધાકૃષ્ણ અને ગોપીની પ્રણયલીલા વિવિધ રીતે વર્ણવાતી. જેમ કે ‘આંખ મીંચામણીનો ગરબો’, ‘રાસનો ગરબો’, ‘ચન્દ્રાવલિનો ગરબો&#039;, શૃંગારક્રીડાનાં નાયકનાયિકા વિશેષે કરીને રાધા અને કૃષ્ણ જ હોય છે. એમાં કાં તો બેમાંથી એક જણની આત્મોક્તિ હોય છે અથવા બન્નેનો સંવાદ હોય છે, ક્યારેક કૃષ્ણ રાધાને ખુશ કરવા એની પ્રશંસા કરે છે. એ રાધાને કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મારે ઠરવાનો ઠામ એક તારી જાતડી જો,&lt;br /&gt;
રાતદિવસ ધ્યાન તારું મનમાં જો,&lt;br /&gt;
નિદ્રા થાતાં તને દેખું છું સ્વપ્નમાં જો&lt;br /&gt;
મારી રસના રાધારટણ મૂકતી નથી જો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ક્યારેક વાંસળી પિયુનું અધરામૃત પીએ છે તે માટે રાધા એની ઈર્ષા કરે છે. વલ્લભ ભટના ‘સતભામાનો ગરબો&#039;માં પારિજાતનું પુષ્પ કૃષ્ણે રૂક્મિણીને આપ્યું તેથી સતભામા છંછેડાઈ છે. કૃષ્ણને કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘જાણજો મૂઈ સતભામાય, કરી મન વાળજો રે લોલ&lt;br /&gt;
પાપી પિતા અમારો અંધ કે લંપટ લાવિયો રે લોલ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ ઈર્ષ્યા, કટાક્ષ, રુસણું એ બધાં દ્વારા કૃષ્ણ માટેનો એનો પ્રેમ વ્યક્ત થયો છે. જોકે આમ કરવા જતાં દૈવી પાત્રોને સામાન્ય જેવાં દર્શાવતાં એમનું દેવત્વ જળવાતું નથી.&lt;br /&gt;
ગરબાગરબીમાં શૃંગારક્રીડાનું સ્થાન પનઘટ હોય છે. રાધા તથા ગોપીઓ પાણી ભરવા જાય, ત્યારે બેડું માથે ચઢાવવા કોઈની મદદ જોઈએ. એ સમયે કૃષ્ણ ત્યાં હાજર હોય, એને ગોપીઓ બેડું ચઢાવવા કહે ત્યારે કૃષ્ણ અટકચાળાં કરે અને એ રીતે શૃંગારલીલાની શરૂઆત થાય. એનાં થોકબંધ દ્રષ્ટાન્તો ગરબીમાં મળે છે. દયારામની ગરબી તથા લોકગીતમાં પનઘટલીલાનાં રમ્ય દ્રષ્ટાન્તો મળે છે. વલ્લભના ‘આંખમીંચામણાનો ગરબો&#039;માં સંભોગશૃંગારનું પણ નિરૂપણ થયું છે.&lt;br /&gt;
ગરબાગરબીમાં વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા, એથી રાધા અને ગોપી કેવાં ઝૂરે છે, તેના નિરૂપણ દ્વારા મળે છે.&lt;br /&gt;
લોકસાહિત્યના ગરબામાં ગોકુળિયાનું આક્રંદ દર્શાવતાં સારથીને રથ પાછો વાળવા માટે કહ્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હાં રે ફેરો ગોકુળ રથવાળા,&lt;br /&gt;
હાં રે તમે નંદ જશોદાના લાલ.&lt;br /&gt;
ગાયું રે તલખે ને વાછરું રે તલખે&lt;br /&gt;
તલખે ગોપ બિચારા&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં સમગ્ર ગોકુળની કરુણ દશા કવિએ તાદૃશ કરાવી છે. વલ્લભ ભટ્ટે એના ‘કજોડાંનો ગરબો&#039;માં વૃદ્ધ સાથેના લગ્નને પરિણામે બાલિકાવધૂની કરુણદશા નાયિકા દ્વારા અસરકારક રીતે વર્ણવી છે. એ ગોરમાને પોતાની કરુણતા જણાવે છે. એટલે સામાજિક ગરબામાં પણ ભક્તિનું તત્ત્વ જળવાયું છે.&lt;br /&gt;
અદ્ભુતરસ માત્ર ગરબામાં જ નિરૂપાયો છે. એમાં દેવીના ચમત્કારો, તથા કૃષ્ણના બાલ્યજીવનના ચમત્કારો નિરૂપાયા છે. ‘મહાકાળીનો ગરબો&#039;માં પતાઈ રાવળે માતા પર કુદૃષ્ટિ કરી તેથી માતાએ આપેલા શાપનું વર્ણન છે. જો કે ચમત્કાર પોષે છે તો ભક્તિરસને. રણછોડના ‘ચંડીપાઠ&#039;માં મહિષાસુર, શુંભનિશુંભ અને દેવી, એ ત્રણેયની માયાનું નિરુપણ કર્યું છે. રાક્ષસોનાં લોહીનાં ટીપામાંથી બીજા રાક્ષસોની ઉત્પત્તિ, દેવીના કોપમાંથી અંબિકાનો જન્મ, મહિષાસુર કુંજર થયો, દેવીએ કુંજરને વીંધ્યો, એટલે કુંજરમાંથી પુરુષ પ્રગટ્યો, પુરુષને મારતાં તેમાંથી ભેંસારૂપ થયું, વગેરે અદ્ભુત પ્રસંગો કવિએ આલેખ્યા છે. આમ અદ્ભુત રસ વિશેષે દેવી અને અસુરોની માયાનું આલેખન લઈને દર્શાવાયો છે.&lt;br /&gt;
દેવી અને અસુરોના યુદ્ધકૌશલ દ્વારા ગરબામાં વીરરસની જમાવટ થતી હોય છે. રણછોડકૃત ‘ચંડીપાઠ&#039;માં જે યુદ્ધવર્ણન છે તેમાં ઘટનાઓની ત્વરિતગતિ તથા બન્ને પક્ષોની યુદ્ધ કરવાની નિપુણતા દર્શાવી રસજમાવટ થઈ હોય છે. વલ્લભ ભટ્ટના ‘ધનુષધારીનો ગરબો&#039;માં ભંડાસુર અને ધેનાદેવીનું યુદ્ધ અસરકારક રીતે વર્ણવાયું છે. મધ્યકાલીન કવિતામાં વીરરસના નિરૂપણમાં, બન્ને પક્ષો સમાન શક્તિશાળી દર્શાવાતા કે જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.&lt;br /&gt;
લોકસાહિત્યની વીરરસની ગરબીમાં ‘સોનલ ગરાસણી&#039;ની ગરબી પત્નીપ્રેમઅર્થે વીરત્વ દર્શાવતી અનન્ય કહી શકાય એવી ગરબી છે. સોનલ ગરાસણી વિવાહિતા છે. એ સહિયરો જોડે રમતી હતી ત્યાં મુસલમાનોએ એને પકડી, એ પ્રસંગથી ગરબીનો આરંભ થાય છે. રસ્તામાં દાદાનો દેશ આવ્યો. એણે જાણ્યું કે દાદા છોડાવશે, પણ દાદાએ તો પકડનારાઓને ગાયો આપી છૂટકારો મેળવ્યો. કાકાએ ખાડું આપ્યું. તો યે ન છૂટી. ભાઈએ વછેરાં આપ્યાં, પણ એ ન છૂટી ત્યાં એના સ્વામીનો દેશ આવ્યો. એણે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્યારે સ્વામીએ દીધી માથા કેરી મોળયું જો&lt;br /&gt;
માથા કેરી મોળયું જો&lt;br /&gt;
ધડાકે છૂટી સોનલ ગરાસણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મેઘાણી કહે છે, કે આ ગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે માથાનું મોળયું આપવા તલવારભેર નીકળતા પુરુષના પડકારનો ધડાકે વિજય થાય છે.&amp;lt;ref&amp;gt; ‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૦૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
વલ્લભ ભટ કૃત ‘આનંદનો ગરબો&#039;, દયારામકૃત ‘ચાતુરીનો ગરબો&#039;, વગેરે શાન્તરસની રચનાઓ છે. એ ગરબાઓ કાં તો વર્ણનપ્રધાન હોય છે જેમાં અંગ અને વસ્ત્રાભૂષણનાં વર્ણનો આવે છે. અથવા ઉપદેશપ્રધાન હોય છે.&lt;br /&gt;
વસ્તુદૃષ્ટિએ ગરબાગરબીનો વિચાર કરતાં એમાં પ્રથમ વર્ણન આવે છે. દેવદેવીનાં અંગનાં, આભૂષણનાં તથા વસ્ત્રનાં વર્ણનો ગરબામાં મળે છે. એ વર્ણનો પ્રચલિત પ્રણાલિ અનુસાર હોય છે. જેમ કે દાડમની કળી જેવા દાંત, પોપટ જેવું નાક, પરવાળાં જેવા હોઠ ઇત્યાદિ. વસ્ત્રાભૂષણનાં વર્ણનોમાં તત્કાલીન ગુજરાતમાં પહેરાતાં વસ્ત્રાભૂષણ વિષેની માહિતી મળે છે. ‘આરાસુરનો ગરબો&#039;માં દેવીની પૂજાવિધિનું વર્ણન છે. જેમાં પૂજાવિધિની એકેએક વિગત આપી છે. પાદપ્રક્ષાલન, ચંદનલેપ, પુષ્પસમર્પણ, અબીલ ગુલાલનાં છાંટણાં, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઇત્યાદિનો ઉલ્લેખ આવે છે. વર્ણનના ગરબામાં ભાણદાસની ‘ગગનમંડળની ગાગરડી&#039; ગરબી એના કલ્પનાવૈભવને માટે ગરબી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનની અધિકારી છે. એમાં સૂર્યચન્દ્રનો દીપક કરી, પૃથ્વીનું કોડિયું બનાવી, એમાં સાત સમુદ્રનાં જળ જેટલું તેલ પૂરી, ગગનને ગરબો બનાવી, શેષનાગની ઈંઢોણી કરી, તેત્રીસ કોટિ છિદ્રવાળો અહર્નિશ ઝળહળતો ને અમૃત વર્ષાવતો ગરબો માથે મૂકીને રમતી આદ્યશક્તિ ભવાનીનું જે વર્ણન છે તે કવિની કલ્પનાપ્રતિભાનું દ્યોતક છે.&lt;br /&gt;
વર્ણન પછી કથા. કથા વિશેષે કરીને ગરબામાં હોય છે અને દેવીના અસુરો સામેના યુદ્ધવિષયક હોય છે, જેમાં એણે અસુરોને કેવી રીતે પરાજિત કરીને સંહાર્યા તેની વિગત હોય છે. બીજી કથા અત્યંત પ્રચલિત હતી. કાલિકાએ, એની પર કુદૃષ્ટિ કરનાર પતાઈ રાવળને શાપ આપ્યો, અને એ શાપ કેવી રીતે ફળ્યો તેની કથા વલ્લભ ભટ્ટે ‘મહાકાળીનો ગરબો&#039;માં આલેખી છે. દયારામના ‘મોહિની સ્વરૂપનો ગરબો&#039; તથા રણછોડજી દિવાનકૃત ‘ચંડીપાઠ&#039;માં દેવીએ દૈત્યને શી રીતે સંહાર્યા તે કથા મુનિ સુરથરાજાને કહે છે; તો ‘ધનુષધારીનો ગરબો&#039;માં નારદના પૂછવાથી બ્રહ્મ દેવે કયા સંજોગોમાં ધનુષ્ય ધારણ કર્યું તેની કથા કહે છે. એમાં પૌરાણિક કથાના કથક અને શ્રોતા જાળવી રાખ્યા છે. એ શૈલીની દૃષ્ટિએ વિશેષતા છે.&lt;br /&gt;
લોકસાહિત્યની ગરબીમાં પણ પૌરાણિક કથાઓને લોકપ્રચલિત માન્યતાઓ અનુસાર રજૂ કરી છે. જેમ કે ‘રૂડા રામની ગરબી&#039;માં રામની કથાને જુદું સ્વરૂપ આપ્યું છે. એમાં દશરથને કૌશલ્યા તથા કૈકેયી બે જ રાણીઓ હતી. દશરથનો અંગૂઠો પાકેલો, જેને કૌશલ્યાએ મુખમાં ધર્યો એટલે એ ફૂટી ગયો. કૌશલ્યા કોગળા કરવા ગઈ. દશરથ જાગ્યા ત્યારે કૈકેયી સામે હતી. એટલે એમણે માન્યું કે એની સેવાથી અંગુઠો ફૂટ્યો, એટલે વરદાન માગવા કહ્યું. તેવી રીતે એક કથાપ્રધાન ગરબીમાં દેવકીને જશોદાની બહેન જણાવી છે. બે જુદે જુદે ઠેકાણે પરણાવેલી બહેનો કૂવા પર પાણી ભરવા જાય છે. ત્યાં જશોદા દેવકીને પૂછે છે કે એ કેમ સૂકાઈ છે તો દેવકી કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મેં તો સાત જણ્યાં ને હજી વાંઝિયાં રે લોલ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્યારે જશોદાએ કહ્યું, તને કહાન જન્મશે, એ વખતે મને તેડજે. કહાનનો જન્મ થયો. માસીને બોલાવ્યાં. કહાન ગેડીએ રમતા થયા. એમની ગેડી એક ડોસીને વાગી. તેણે મહેણું માર્યું. ‘તારાં બાપનાં હતાં તે વેર વાળજે રે લોલ&#039; એટલે કૃષ્ણે મામાની શોધ ચલાવી –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સાંકડી શેરીમાં મામો સામો મળ્યા રે લોલ&lt;br /&gt;
ભાણેજ દેખીને મામો સંતાઈ ગયા રે લોલ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં પાત્રોનાં નામ જ પૌરાણિક જ છે. પૌરાણિક કથા જોડે એનો કશો સંબંધ નથી.&lt;br /&gt;
ગરબા ગરબીનો રચનાની દ્રષ્ટિએ વિચાર કરતાં, એમાં પ્રથમ સંવાદ આવે છે. સાદ્યન્ત સંવાદ તો ફક્ત ગરબીમાં જ હોય છે. ને એ સંવાદ કૃષ્ણ અને ગોપી વચ્ચે હોય છે. સ્થળ પનઘટ હોય છે. અથવા દાણને માટે રાધા કે ગોપીઓ જોડે કૃષ્ણ વાક્યુદ્ધમાં ઊતરે છે. અને બન્ને પક્ષોની વાક્ચાતુરીની હરીફાઈ ચાલે છે. જેમાં અંતે કૃષ્ણ જ જીતતા હોય છે. લોકસાહિત્યની એક ગરબીમાં રાજા અને ભીલડીનો સંવાદ છે. રાજા ભીલડીના રૂપ પર મુગ્ધ થયો છે, અને એને જાતજાતનાં પ્રલોભનો આપે છે. જેને ભીલડી તુચ્છકારે છે. જેમ કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તને રાજા બોલાવે રંગ ભીલડી,&lt;br /&gt;
મારી મેડિયું જોવા આવરે – રંગ ભીલડી&lt;br /&gt;
તારી મેડિયું જોઈ હું શું કરું&lt;br /&gt;
મારે છાપરાં સવા લાખનાં – રંગ ભીલડી&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ભેંસો જોવા બોલાવે છે. ત્યારે એના પાડા સવાલાખ છે એમ કહે છે. મૂછો જોવા બોલાવે છે, ત્યારે ભીલડી એનાં પાડાનાં પૂછડાં એનાથી સારાં છે એમ કહે છે. આ સંવાદમાં બન્ને પાત્રોના વ્યક્તિત્વની લાક્ષણિકતા સુપેરે દર્શાવાઈ છે.&lt;br /&gt;
સંવાદ પછી સંદેશના સ્વરૂપ પર આવતાં એ સ્વરૂપ પણ ફક્ત ગરબીઓમાં જ મળે છે. કૃષ્ણ જશોદા તથા ગોપીઓને ઉદ્ધવ દ્વારા જ્ઞાનનો સંદેશો મોકલે છે. ત્યારે જશોદા તથા ગોપીઓ કૃષ્ણને ઉપાલંભ આપતો વળતો સંદેશ કૃષ્ણને મોકલે છે. ગોપી અને જશોદાના સંદેશમાં એમની કરુણ દશાનું ચિત્ર સુપેરે દર્શાવાયું છે.&lt;br /&gt;
સંદેશા પછી સ્તુતિના પ્રકાર પર આવતાં, ગરબા ગરબી બન્નેમાં વિવિધ દેવી-દેવતાનાં મહિમાગાન હોય છે. કેટલીકવાર સ્તુતિમાં કવિઓને ઔચિત્યનું ભાન રહેતું નથી. વલ્લભ ભટ્ટના ‘આનંદનો ગરબો’માં દેવીની સ્તુતિ કરતાં વિષ્ણુના દશાવતારનું આરોપણ દેવીમાં કર્યું છે. તો જીવરાજે ‘શંકરસ્તુતિ&#039;માં શંકરે દ્રૌપદીનાં નવસે નવાણું ચીર પૂર્યાં એમ કહ્યું છે.&lt;br /&gt;
ગરબાગરબીની રચનાવિષયક ચર્ચા કરતાં એ લક્ષમાં રાખવાનું છે કે બન્ને સંઘનૃત્યનાં સ્વરૂપો હોવાને કારણે અને સંઘગાન હોવાને લીધે, એની રચના ગેયતામૂલક હતી, એથી પ્રાસ, યમક, ટેક, પાદાન્તે અથવા પાદની મધ્યમાં `લોલ&#039; જેવાં પૂરકો, એ બધાનું એમાં મહત્ત્વનું સ્થાન છે, પાદાન્તે ‘લોલ’ બહુધા ગરબામાં જ આવતું. ગરબીમાં એ ક્વચિત જ મળે છે. શ્રેષ્ઠ ગરબાકાર વલ્લભ ભટ્ટે ગરબામાં લોલનો પ્રયોગ કર્યો છે. એની ગરબીમાં ‘લોલ&#039; આવતું નથી. દયારામની સંખ્યાબંધ ગરબીઓમાં પાદાન્તે લોલ માત્ર બે જ ગરબીમાં મળે છે.&lt;br /&gt;
આ સ્વરૂપ સાથે રાસ અને રાસડાના પ્રકારનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. રાસ અને રાસડા બન્ને સંઘનૃત્યના પ્રકારો છે. રાસ પુરુષો રમે છે. જ્યારે રાસડા સ્ત્રીઓ રમે છે. રાસના વિષય વિશેષતઃ કૃષ્ણ અને ગોપીઓ જોડે સંકળાયેલા હોય છે. મૂળ તો રાસડામાં પણ કૃષ્ણગીતો હતાં. પણ પાછળથી એનું અનુસંધાન સામાજિક અને કુટુંબજીવન જોડે રહ્યું. રાસ મુખ્યત્વે દાંડિયારાસ છે. રાસડા તાલીનૃત્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;રાસા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સ્વરૂપ મુખ્યત્વે જૈન સાહિત્યનું હોવાથી એનો આરંભ તીર્થંકર કે તીર્થંકરોના વંદનથી થતો. ઘણું કરીને સઘળા તીર્થંકરોનું વંદન કરાતું. એ પ્રાથમિક વંદન પછી સરસ્વતી કે અન્ય કોઈ દેવીની સ્તુતિ પણ પ્રાયઃ સર્વે રાસાઓમાં થતી. બારમી સદીમાં રચાયેલા પ્રથમ ઉપલબ્ધ રાસ શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર બાહુબલિરાસ&#039;માં પ્રારંભ ઋષભદેવના પુત્રો નાયક હોવાથી ઋષભદેવને પ્રણામ કરી સરસ્વતીનું સ્મરણ કરી કાવ્યારંભ કર્યો છે. ૧૪મી શતાબ્દીમાં રચાયેલા સમરારાસુમાં પણ શરૂઆત આદિશ્વર, બધા અરિહંત અને પછી સરસ્વતી વંદનાથી થાય છે. ૧૫મી શતાબ્દીના હીરાણંદસૂરિ રચિત ‘વિદ્યાવિલાસ પવાડો’માં પણ પ્રથમ જિનેશ્વરને વંદન કરીને પછી સરસ્વતીવંદન છે. ૧૬મી સદીના લાવણ્યસમયરચિત ‘વચ્છરાજ દેવરાજ રાસ’માં ૧૭મી સદીમાં ઋષભદેવ કૃત ‘રૂપચંદકુંવરરાસ&#039;માં પણ બધા સિધ્ધોને ચરણે નમન કરી પછી સરસ્વતીને વંદન છે. ૧૮મી સદીના વિનયવિજયસૂરિના ‘શ્રીપાલરાસ’માં પહેલાં સરસ્વતીવંદન છે, અને પછી સિદ્ધચક્રને વંદન છે, તો એ જ સદીના કુશળલાભની ‘માધવાનલ કામકંદલા ચોપાઈ&#039;માં ફક્ત સરસ્વતીવંદનાથી જ આરંભ કરાયો છે. આ રીતે પ્રત્યેક સદીના રાસાઓમાં ઇષ્ટદેવના વંદન અને સરસ્વતીના વંદનથી આરંભ થતો હોય છે. રાસાનું સ્વરૂપ ક્રમશઃ બદલાતું હોવા છતાં આ મંગળાચરણ તો યથાવત્ રહ્યું છે. સરસ્વતી ઉપરાંત ક્યારેક ચક્રેશ્વરી કે અંબિકાનું સ્તવન પણ આવતું હોય છે. પંદરમી સદી પછીના રાસાઓમાં તો કથામાં વારંવાર પાત્ર મુશ્કેલીમાં આવી પડતાં દેવીનું આગમની થતું અને દેવી ચમત્કાર કરીને પાત્રની મુશ્કેલી ટાળતી, અહીં એ નોંધવું જોઈએ કે મંગળાચરણ કે ઈશ્વર દેવસ્તુતિ ને સરસ્વતીવંદનાથી કાવ્યારંભ એ તો સમગ્ર મધ્યકાલીન દીર્ઘકાવ્યોની પ્રણાલી છે. આખ્યાનકાવ્યોમાં પણ મંગળાચરણથી આરંભ થયો છે.&lt;br /&gt;
જેમ રાસાઓના આરંભમાં તીર્થંકરની વંદના આવતી તેવી રીતે કાવ્યાન્તે કવિ પોતાનું નામ, પોતાના ગુરુનું નામ, ગ્રન્થરચ્યાસાલ, ફળશ્રુતિ વગેરે આવતાં. પંદરમી સદી પછીના રાસાઓમાં જે ધાર્મિક સિદ્ધાંતના પ્રતિપાદનાર્થે રાસ રચાતો. તે સિદ્ધાંતનો પણ ઉલ્લેખ થતો. સામાન્ય રીતે રાસાના રચયિતા મોટે ભાગે સાધુ હોવાને કારણે પોતાના ગુરુનું નામ આપતા. ઋષભદાસ સાધુ નહોતા તેથી એમના પિતાના નામનો ઉલ્લેખ કરે છે. બારમી શતાબ્દિમાં રચાયેલા ‘ભરતેશ્વર બાહુબલિરાસ&#039;માં કવિએ પોતાનું નામ, રચ્યા સાલ, તિથિ તથા વાર આપ્યાં છે તે રચ્યા સાલ નથી, પણ રાસાના નાયક સમરસિંહે જે સાલમાં જે તિથિએ, ઋષભદેવની મૂર્તિની શેત્રુંજય પર સ્થાપના કરી, તેનો ઉલ્લેખ છે. ૧૫મી સદીના સાધુહંસકૃત ‘શાલિભદ્રરાસ&#039;માં પણ પોતાના ગુરુનો પરિચય, રચ્યા સાલ, મહિનો, તિથિ, વાર તથા ફળશ્રુતિ આપેલાં છે. સોળમી સદીમાં લાવણ્યસમયે, ‘વચ્છરાજ દેવરાજરાસ&#039;માં પોતાનો પરિચય જરા જુદી રીતે આપ્યો છે. એમાં કહ્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલો અક્ષર લાભનો, બીજો ભવનો જાણી&lt;br /&gt;
ત્રીજો પુણ્યવંત બીજલુંએ – માબ્હતંડે&lt;br /&gt;
આગલિ સમય કવેઈ –&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ ‘લા&#039;, ‘વ&#039; અને ‘ણ્ય&#039; એ ત્રણ પોતાના નામના અક્ષરો સૂચવી પછી એને સમય લગાડવાથી પોતાનું નામ બને છે એમ જણાવ્યું છે. એ કાળમાં સમસ્યાનું પ્રચલન હતું અને બુદ્ધિની પરીક્ષા માટે સમસ્યા અનેક રાસાઓમાં પ્રયુક્ત થઈ છે, સત્તરમી સદીમાં ઋષભદાસ એના ‘હીરવિજયસૂરિરાસ&#039;માં આત્મપરિચયમાં સમસ્યાનો જ ઉપયોગ કરે છે. જેમ કે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ અખ્ખર ‘ઋષિ&#039; ધરતી લેહ, મેષ ‘લા&#039; તણો&lt;br /&gt;
અખ્ખર ભવ તમો શાલિભદ્રતણો નયનમો તેહ.&lt;br /&gt;
કુસુમ ‘દા&#039; મનો વેદમોભણે.&lt;br /&gt;
વિમલ ‘સ&#039; હી અખ્ખર બાણમો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ પિંગળની પરિભાષા પ્રમાણે એક માટે ચંદ, બીજા માટે નયન, ત્રીજા માટે ભવન, ચોથા માટે વેદ, અને પાંચમાં માટે બાણ સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. આજ પરિભાષા એમણે મહિના, વાર અને તિથિ માટે વાપરી છે. એ કારણે જે ત્રણ પંક્તિમાં કહી શકાય તે બાવીસ પંક્તિમાં કહ્યું છે. આ પરથી રાસામાં વિસ્તાર શી રીતે થતો ગયો તેનો ખ્યાલ આવશે. અઢારમી સદીના રાસાઓમાં ફળશ્રુતિ કે કવિનો પરિચય પ્રણાલી અનુસાર અપાયો છે.&lt;br /&gt;
રાસાઓના અંતમાં કર્તાનું નામ, રચ્યા સાલ, કવિનો આત્મપરિચય એ બધામાં ફળશ્રુતિ એ મહત્ત્વનો અંશ હતો, કારણ કે એથી કર્તાના વક્તવ્યની શ્રોતાઓ પર સચોટ અસર થતી, અને સામાન્ય કથાથી રાસાની કથાને જુદો પાડનારો એ અંશ હતો.&lt;br /&gt;
રાસાનું ત્રીજું મહત્ત્વનું અંગ ધર્મોપદેશ છે. સમગ્ર રાસાસાહિત્ય, પછી એ કથાપ્રધાન હોય કે ન હોય, પણ એનું ધ્યેય તો ધર્મોપદેશ આપવાનું હતું. એ ઉપદેશ આપવાની રીત ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન હતી. પંદરમી સદી પૂર્વેના, અને પછીની સદીઓમાં રચાયેલા રાસાઓમાં જે ભેદ હતો, તે ધર્મોપદેશનાં સાધનનો હતો. પંદરમી સદીની પૂર્વેના રાસાઓમાં સીધો જ ધર્મોપદેશ આવતો પણ પછીના રાસાઓમાં ક્યારેક સીધો તો ક્યારેક પાત્રો દ્વારા કે પ્રસંગના નિરૂપણ દ્વારા પરોક્ષ ઉપદેશ આપ્યો હોય છે. ઈ. ૧૧૮૫માં રચાયેલા વિનયચન્દ્રના ‘સપ્તપદી રાસ&#039;માં મંગળાચરણ પછી સીધો ઉપદેશ છે. કવિ રાસ ખેલનારને કે પાઠકને બાર વ્રત કરવાનું કહી, બાર વ્રતની યાદી આપે છે. શાલિભદ્રસૂરિકૃત ‘બુદ્ધિરાસ&#039; તો સાદ્યન્ત ઉપદેશકાવ્ય જ છે. એ જ કવિના ‘ભરતેશ્વર બાહુબલિરાસ&#039;માં ભરતે એમના ભાઈ બાહુબલિને હણવા ચક્ર મોકલ્યું, પણ ચક્ર ભરતના જ ગોત્રને હણતું નથી તેથી ભરત વિમાસણમાં પડે છે ત્યારે બાહુબલિ કહે છે, ‘જા તું જીત્યો, હું હાર્યો.&#039; એ શબ્દોથી ભરતનું હૃદયપરિવર્તન થાય છે અને એને અહિંસાનું માહાત્મ્ય સમજાય છે. ૧૫મી સદીના લાવણ્યસમયરચિત ‘વચ્છરાજ દેવરાજરાસ&#039;માં દયાનું મહત્ત્વ સમજાવવા કથાની રચના કરી છે એવું કવિએ સ્પષ્ટતઃ કહ્યું છે. સત્તરમી સદીમાં રચાયેલા દર્શનવિજયના ‘પ્રેમલાલાચ્છીરાસ&#039;માં કાવ્યારંભે શીલનું મહત્ત્વ સમજાવવા કથાની રચના કરી છે, તે દર્શાવતાં કવિ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીલ પ્રભાવિ સુખ ઘણું, શીલ સુગતિ દાતાર&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
શીલ અધિકાર કવઈ કવિ, દેવ, ગુરુ, ધર્મ પસાય&lt;br /&gt;
ચંદને સર મનિ ધરી, રાસ રચું સુખદાય.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઉપરાંત આપત્તિ સમયે નાયિકાને મુખે કવિ ઉચ્ચારાવે છે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કષ્ટ પડી જો રાખીઈ, શીલતણી નિજ – ટેક&lt;br /&gt;
તો જગિ કીરતિ વિતરઈ...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ વસ્તુગૂંથણીમાં, શ્રોતાઓના ચિત્ત પર શીલની શક્તિ સ્થાપિત કરવાનું કવિનું લક્ષ્ય છે.&lt;br /&gt;
સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં નયસુંદરે રચેલા ‘રૂપચંદકુંવર રાસ&#039;માં જૈનધર્મની મહત્તા સ્થાપિત કરતાં કહ્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તત્ત્વદ્રષ્ટિએ જોતા હતા સ્યાદવાદ શુદ્ધ પંથ&lt;br /&gt;
અવર એકાન્તિક મત જેટલા, મત તેહિ જ ઉન્માદ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ રાસમાં સર્વ ધાર્મિક સિદ્ધાંતોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. અઢારમી સદીના અંતમાં મુનિ પદ્મવિજયે રચેલા ‘જયાનંદકેવલીરાસ&#039;માં દર્શાવ્યું છે કે જયાનંદ પર દેવી હિંસક હુમલો કરે છે. પણ જયાનંદ અહિંસક રહીને નવકારમંત્ર ભણે છે, પરિણામે દેવીએ હિંસાનો ત્યાગ કર્યો. એ જ રાસની અનેક આડકથાઓમાં અરણ્યવાસી જૈનમુનિના પ્રભાવથી, મૃગ, સારસ વગેરે પશુપક્ષીઓ ‘સમકિતધારી&#039; થઈને જિનવરની આણ માને છે. એથી રાજાના સૈનિકો મૃગયા રમવા ત્યાં આવ્યા પણ કોઈ પણ પશુપક્ષીને એક પણ તીર વાગ્યું નહિ.&lt;br /&gt;
અહિંસાની જેમ બીજો મહત્ત્વનો સિદ્ધાંત કર્મવાદનો છે. સત્કર્મોનાં લાભદાયી ફળો અને કુકર્મોનાં માઠાં ફળો કથામાં અસરકારક રીતે દર્શાવી શકાય. સોળમા સૈકામાં નયસુંદરે રચેલા ‘સુરસુંદરીરાસ&#039;માં કવિ પ્રત્યક્ષ રીતે કર્મવાદનો સિદ્ધાંત કેવો મહત્ત્વનો છે, તે સમજાવતાં કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કર્મ વિપાક ન કોઈ સાઈ, નાંખે કર્મ મહાભવખાઈ&lt;br /&gt;
નવનૃપ કુબજ સુખાર અભ્યાસી, હરિચંદ વેચાવિયાં માંહી કાશી&lt;br /&gt;
કર્મે રાવણ કાઈ શાબાશી, કૌરવ સંતતિ કર્મે વિણાસી&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જૈન ધર્મ ઈશ્વરમાં માનતો નથી, તેથી કર્મફળનું મહત્ત્વ અત્યધિક છે. જૈન ધર્મગ્રન્થોમાં ક્યાંય ઈશ્વરસ્તુતિ આવતી નથી. એથી પાત્ર પર જ્યારે દુઃખ પડે છે, ત્યારે એ એમ માને છે, કે એ એનાં કર્મનું ફળ છે. એક દ્રષ્ટિએ રાસાના લેખકો પ્રત્યક્ષ રીતે કર્મવાદનો ઉપદેશ આપતા તો અન્ય પક્ષે કર્મનું ફળ દર્શાવવા પાત્રના દુઃખનું કારણ એના પૂર્વજન્મની કરણી છે એમ પુરવાર કરવા પાત્રોના અનેક પૂર્વજન્મોની કથાઓ કહેતા. પંદરમી સદી પછીના રાસાઓમાં વિસ્તાર માટે પૂર્વજન્મની કથાઓ પણ મહદંશે જવાબદાર છે. બાણની કાદંબરીમાં અને જાતકકથાઓમાં પણ પૂર્વભવની કથાઓ આવે છે, ને એ રીતે જૈનોના કર્મ સિદ્ધાંતમાં ઠીક રીતે ગોઠવાઈ જાય છે. પંદરમી સદી પછીના પ્રત્યેક કથામૂલક રાસમાં નાયક અને નાયિકાના પૂર્વભવની કથાઓ અચૂક આલેખાતી. એ કથાઓ દ્વારા કયું પાત્ર, કયા કર્મને લીધે કેવી સજા ભોગવે છે તે શ્રોતાઓને સમજાવાતું. તદુપરાંત પૂર્વભવની કથાઓના નિરૂપણને કારણે એક કથામાં અનેક કથાઓ કહી શકાતી. અઢારમી સદીના અંતમાં પદ્મવિજયકૃત ‘જયાનંદકેવલીરાસ&#039;માં તેમજ ‘અશોકરોહિણીરાસ&#039;માં અવાન્તરકથાનાં પાત્રોની પણ પૂર્વભવની કથાઓ આલેખાઈ છે. ‘જયાનંદકેવલીરાસ&#039;માં જયાનંદના પૂર્વેના ચાર ભવોની કથા કહી છે, તો ‘અશોકરોહિણીરાસ&#039;માં અશોક, તેનાં આઠ સંતાનો, રોહિણીના બે પૂર્વજન્મો એમ બધું મળીને અગિયાર જણના પૂર્વભવની કથાઓ છે. પૂર્વભવના કથાના કથનની પણ એક પ્રણાલિ હતી. વાર્તાનો અન્ત આવે ત્યારે નાયકના સ્થાનમાં કોઈ મુનિ આવી ચઢે. પાત્રો એમનો ઉપદેશ સાંભળે, પછી પોતાના પૂર્વભવ વિષે મુનિને પૂછે, મુનિ એમના પૂર્વભવનો વૃત્તાંત કહે, પછી પાત્રો એમની પાસે દીક્ષા લે. આ ક્રમ પ્રત્યેક રાસામાં સચવાયો હોય છે. પંદરમી સદીની પૂર્વેના રાસાઓમાં તો દીક્ષાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને જ રાસાઓ રચાતા, ચૌદમી સદીનો ‘જિનકુશલ સૂરિપટ્ટાભિષેક રાસ&#039; દીક્ષાના પ્રસંગને કેન્દ્રમાં રાખી રચાયેલો રાસ છે. ક્યારેક દીક્ષાના પ્રસંગને વિવાહનું રૂપક આપીને રાસાઓ રચાયા છે. જેમ કે જિનપદ્મસૂરિ વિવાહલુ&#039; અને પંદરમી સદીનો ‘જિનોદયસૂરિ વિવાહલુ’. પંદરમી સદી પૂર્વેના અને પંદરમી સદી પછીના દીક્ષાના પ્રસંગને નિરૂપતા રાસાઓમાં એ પ્રભેદ હતો, કે પૂર્વેના રાસા એક જ ઐતિહાસિક વ્યક્તિના દીક્ષાના પ્રસંગને વર્ણવતા જ્યારે પછીના રાસાઓમાં તો કાવ્યાન્તે અનેક વ્યક્તિ દીક્ષા લેતી. સત્તરમી સદીમાં રચાયેલા ‘નલદમયંતીરાસમાં&#039; નળ, દમયંતી, નળનો ભાઈ, અને ઋતુપર્ણ અને બીજા બે જણ, એમ છ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે છે. એ જ સદીના કેશરાજકૃત ‘રામયશોરસાયન રાસ’માં રાજા સુગ્રીવ, શત્રુઘ્ન અને બીજા સોળ હજાર રાજાઓ દીક્ષા ગ્રહણ કરે છે. હનુમાન પણ દીક્ષા ગ્રહણ કરે છે. જૈનધર્મમાં કર્મને ખપાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેથી અંતે દીક્ષાનો પ્રસંગ નિરૂપાતો.&lt;br /&gt;
આ રીતે ધાર્મિક સિદ્ધાંત સ્પષ્ટ રીતે સમજાય એ ઉદ્દેશથી કરેલી વસ્તુગૂંથણી, તીર્થમાહાત્મ્ય, કર્મવાદને પ્રતીતિકર રીતે સમજાવવા પૂર્વજન્મની કથાઓનું નિરૂપણ, અને મુનિઓના ધર્મોપદેશને પરિણામે નાયક અને બીજાં અનેક પાત્રોનું દીક્ષાગ્રહણ એ રાસાઓનું મહત્ત્વનું લક્ષણ છે.&lt;br /&gt;
રાસાઓનું ચોથું મહત્ત્વનું લક્ષણ તે પ્રકૃતિવર્ણન, મંદિર અને પૂજાવિધિનું વર્ણન, નગરવર્ણનો, સ્ત્રીપુરુષ અંગ અને વેષભૂષાનાં વર્ણનો. નોંધવું જોઈએ કે પૂજાવિધિનાં વર્ણનો એ રાસાની વિશેષતા હતી. બીજાં વર્ણનો આખ્યાન, કથાવાર્તા, ફાગુ વગેરે સ્વરૂપોમાં પણ આવતાં. પ્રારંભના રાસાઓમાં આ વર્ણનો ટૂંકાં હતાં પણ પછીના રાસાઓમાં વર્ણનોનો વિસ્તાર વધતો ગયો. પંદરમી સદી પૂર્વેના રાસાઓ, પ્રસંગપ્રધાન કે વર્ણનપ્રધાન હતા. ‘રેવંતગિરિ રાસુ’, જિનેશ્વરસૂરિ વિવાહલુ&#039; આદિ વર્ણનપ્રધાન રાસાઓ છે જ્યારે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’, ‘સમરારાસુ’, સિરિથુલિભદ્ર રાસ&#039; વગેરેમાં થોડેવત્તે અંશે કથાનું તત્ત્વ હતું. પણ તે પછીના રાસાઓમાં કથાની જોડે વર્ણનો પણ ભળ્યાં.&lt;br /&gt;
આ વર્ણનોનાં એકાદ બે દ્રષ્ટાન્તો જોઈએ. ૧૬મી સદીમાં લાવણ્યસમયે રચેલા ‘વચ્છરાજ દેવરાજરાસ&#039;માંના વનવર્ણનની થોડી પંક્તિઓ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વનગવ્હર તે કહિયે કિસૂ, સૂરજ કિરણ ન ફૂટે ઈસુ,&lt;br /&gt;
વાજે વાયુ, શીતળ વાય,&lt;br /&gt;
સાવજ તણા યૂથ ગહગહે, ચંચલચપલ ન સહ્યા રહે&lt;br /&gt;
વાઘસિંહ ગાજે ગડગડે, તિણ નાદે ધરતી ધડધડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સત્તરમી સદીમાં ઉદયરત્નરચિત ‘લીલાવતીરાસ&#039;માં મહિયારીના વેષમાં લીલાવતીનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અજબ બની એ આહિરડી, મલપતી મોહન વેલ&lt;br /&gt;
રૂપે રંભ હરાવતી, ગજપતિ આંબે ગેલ&lt;br /&gt;
ધોલી ધાબલી પહિરણે, વિચવિચ રાતાતાર&lt;br /&gt;
કોરે કાલા કાંગરા, ગલે ગુંજાનો હાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નગરવર્ણનોમાં પ્રથમ જંબુદ્વીપ, પછી ભારત, પછી પ્રાંત, અને પછી નગર એ ક્રમ રહેતો. સ્ત્રીના અંગવર્ણનમાં પણ પરંપરાનું જ અનુસરણ થતું જેમ કે પોપટની ચાંચ જેવું નાક, દાડમની કળી જેવા દાંત, પરવાળાં જેવા હોઠ ઇત્યાદિ.&lt;br /&gt;
રાસાનાં આ સામાન્ય લક્ષણો ઉપરાંત પંદરમી સદી પછીના રાસાઓમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે. એમાં કથાતત્ત્વો તો હોય છે, અને એક મુખ્યકથાની જોડે અનેક અવાન્તર કથાઓની ગૂંથણી થઈ હોય છે. આ અવાન્તર કથાઓ મૂળ કથાનું પાત્ર પોતાના વક્તવ્યના સમર્થનમાં કહેતું. કેટલીકવાર પાત્રો એકબીજાને દ્રષ્ટાન્તકથા કહેતા. આ પ્રકારની ગૂંથણીથી કથામાં સર્વાંગસૂત્રતા રહેતી નથી. ઘણીવાર એકની એક અવાન્તર કથા અનેક રાસાઓમાં જડે છે. એ અવાન્તરકથાઓમાં શૃંગાર તથા અદ્ભુતરસ પ્રધાનપણે આલેખાતો. એમાં શૃંગાર એ હેતુથી નિરૂપાતો કે કથાનાયક કથાને અંતે દીક્ષા લે તે પૂર્વે એણે સંસારીરસનો પૂર્ણાંશે, ઉપભોગ કર્યો હોય, જેથી સંસારમાં એની વાસના ન રહે. એથી નાયક અનેક સ્ત્રીઓને પરણે, અને સંભોગનું વિશેષ પ્રમાણમાં નિરૂપણ થતું. વાર્તાને રસપ્રદ બનાવવા એમાં મેલી વિદ્યાથી માણસનું પશુપક્ષીમાં ફેરવાવું, વૃક્ષોનું અધ્ધર ઊડવું, વગેરે અદ્ભુત પ્રસંગો પણ યોજાતા.રાસામાં સુભાષિતો, મુક્તકો તથા પ્રહેલિકાઓ પ્રચુર પ્રમાણમાં આવતાં. જોકે કથાવાર્તા સ્વરૂપમાં પણ એ પ્રચુર માત્રામાં હોય છે. એટલે એ રાસાનું વિશિષ્ટ લક્ષણ છે એવું નથી. પ્રહેલિકા કે સમસ્યાનો ઉપયોગ, કાળનિર્ગમન કરવા અથવા નાયકનાયિકાની બુદ્ધિની કસોટી કરવા રાસા અને કથાવાર્તામાં થતો હોય છે, રાસામાં સમકાલીન સમાજનું પણ પ્રતિબિંબ પડતું હોય છે. જેમ કે, ‘રૂપચંદકુંવરરાસ’, ‘જયાનંદકેવલીરાસ’ ઇત્યાદિમાં જ્યારે રાજા મોટું પગલું ભરે ત્યારે મહાજન હડતાલ પાડતું, તેનો ઉલ્લેખ છે. તેમ જ ‘કુસુમશ્રીરાસ’, ‘શીલાવતીનો રાસ’, ‘શ્રીપાળાનો રાસ&#039;માં છેક ગુજરાતના વેપારીઓ દરિયાપાર વેપાર અર્થે જતા તેના ઉલ્લેખ આવે છે.&lt;br /&gt;
આ રાસાઓ વિવિધ ઢાળો અને છંદોમાં રચાતા. આથી રાસા રચનારા કાવ્યને અનેક વિભાગમાં વહેંચી નાખતા. જેવા કે, અધિકાર ઉલ્લાસ, ખંડ એ વિભાગીકરણના સંસ્કૃત પ્રકારો છે. કડવક, ભાષા કે ઠવણી એ પ્રકારનું વિભાગીકરણ પંદરમી સદી અને તે પૂર્વેના રાસાઓમાં મળે છે. જ્યારે અધિકાર, ખંડ, પ્રસ્તાવ, ઉલ્લાસ આપણને પંદરમી સદી પછીના રાસાઓમાં મળે છે. પંદરમી સદી પૂર્વે રાસાઓના છંદો પણ લગભગ નિશ્ચિત જ છે. દુહા, ચોપાઈ, સોરઠા, રોળા વગેરે છંદો આવતા. જ્યારે પછીના રાસાઓમાં દેશી ઢાળો અને બંધો વપરાતા. રાસાઓને ડોલરરાય માંકડ સ્વતંત્ર કાવ્ય-પ્રકાર લેખતા નથી પરંતુ એને કથાશૈલીનું ખંડકાવ્ય લેખે છે.૧૭&lt;br /&gt;
રાસા ઇતિહાસને જાળવી રાખે છે. સમાજજીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ આપે છે, વાર્તા કહે છે. મુક્તકો દ્વારા સંસારજ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતાં તેમ જ શ્રાવ્યકાવ્યો પણ હતાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આખ્યાન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભોજના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આખ્યાનસંજ્ઞા તલ્લભતે યદ્યભિનયન પઠન ગાયન ।&lt;br /&gt;
ગ્રાન્થિકઃ એકઃ કથયતિ ગોવિન્દવદવહિતે સવસિ ||૨||&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અર્થાત્ જેને એક જ કથા વાંચનાર અભિનય કરીને, પાઠ કરીને, અને ગાઈને એકત્રિત થયેલા શ્રોતાઓને સંભળાવે છે તે આખ્યાન કહેવાય જેમ કે ગોવિંદાખ્યાન.&lt;br /&gt;
આપણા ગુજરાતી આખ્યાનને વધુમાં વધુ મળતી આવતી આ વ્યાખ્યા છે. કારણ, આપણાં આખ્યાનોમાં રામાયણ, મહાભારત, ભાગવત જેવી મોટી કથામાં ઉપદેશ આપવા માટે મુકાયેલી હરિશ્ચન્દ્ર, નળ, પ્રહ્લાદ જેવાની કથાઓ. જે ઉપાખ્યાનો હતી, તેને આપણા માણભટો ગાઈને, વીંટીથી માણને તાલ આપતા આપતા, સાભિનય શ્રોતાઓની સમક્ષ રજૂ કરતા. જોકે નરસિંહ વિષયક આખ્યાનો પુરાણકથા ન હોવાને કારણે આખ્યાન કહી શકાય નહિ, પણ ધર્મોપદેશના આશયથી કોઈ પણ કથા, અભિનયસહિત ગાઈને, કહેવાની હોય એટલી છૂટ મૂકીએ તો સમગ્ર ગુજરાતી આખ્યાનને આ વ્યાખ્યામાં સમાવી શકાય. અહીં જે અભિનયનો ઉલ્લેખ છે તે વાચિક અને આંગિક અભિનય છે, આહાર્ય (વેષભૂષા વગેરે) નહીં.&lt;br /&gt;
આખ્યાનની મહત્ત્વની લાક્ષણિકતા તે એની કડવાંબદ્ધતા. આપણાં બધાં આખ્યાનો કડવાંબદ્ધ છે. કડવું સંસ્કૃત શબ્દ ‘કડવક’ પરથી આવ્યો છે. આમ આપણાં આખ્યાનોનાં કડવાં ‘કડવક&#039; સંધિબદ્ધ કાવ્યોમાંથી ઊતરી આવ્યાં છે. આ કડવાંને પણ પોતાનું સ્વયંપર્યાપ્ત બંધારણ છે. સામાન્ય રીતે કડવું ત્રણ વિભાગમાં વિભક્ત થયેલું હોય છે :&lt;br /&gt;
૧. મુખબંધ : જે રાગમાં આખું કડવું ચાલવાનું હોય છે, તે રાગની વિષયપ્રવેશ કરાવતી એક કે બે-ચાર પંક્તિઓ. મુખબંધમાં પંક્તિઓની સંખ્યા વિષે કોઈ નિશ્ચિત નિયમો નથી. પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં પ્રથમ કડવાનો મુખબંધ દોઢ પંક્તિનો, દસમા કડવાનો એક પંક્તિનો અને પચીસમા કડવાનો ત્રણ પંક્તિનો છે. જ્યારે એના ‘ચન્દ્રહાસાખ્યાન’માં પહેલા કડવામાં મુખબંધ ચાર પંક્તિનો અને ઓગણીસમા કડવાનો મુખબંધ દસ પંક્તિનો છે.&lt;br /&gt;
૨. ઢાળ : એ મુખબંધ પછી એ જ રાગનો ઢાળ ચાલ કે દોઢી નામનો કડવાંનો ભાગ છે. એમાં પ્રસંગનું કે ઘટનાનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું હોય છે.&lt;br /&gt;
૩. વલણ અથવા ઉથલો : કડવાનો અંતિમ ભાગ છે. જેની અમુક વિશિષ્ટતાઓ છે. એ બે પંક્તિનો હોય છે અને પ્રથમ પંક્તિમાં ઢાળમાં કે ‘પૂર્વછાયા&#039;માં દ્વિતીય પંક્તિનો ઉત્તરાર્ધ તે ઢાળ કે વલણની પંક્તિનો પૂર્વાર્ધ બને છે. જેમકે પ્રેમાનંદકૃત ‘મામેરું’માં –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|6em}}ઢાળ&lt;br /&gt;
જો નહિ આવો સુંદરશ્યામ, તો નાગર સાથે કામ&lt;br /&gt;
{{gap|6em}}વલણ&lt;br /&gt;
નાગર સાથે કામ છે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રીતે એક તરફ મુખબંધ યા પૂર્વછાયો અને ઢાળનું તો બીજા તરફ ઢાળ વા પૂર્વછાયો અને વલણનું પારસ્પરિક અનુસંધાન રહેતું. ઘણીવાર વલણ એક કડવા અને બીજા કડવા વચ્ચે સાંધણકડી રૂપ હતું. વલણની બીજી પંક્તિનો ઉત્તરાર્ધ તે પછીનાં કડવાંની પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ બનતો હોય એવી રચના સામાન્ય રીતે પ્રચલિત હતી. જેમકે પ્રેમાનંદના ‘ચન્દ્રહાસ આખ્યાન’માં ૧૯મા કડવામાં વલણની બીજી પંક્તિ છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવાં વચન સુણી ભૂપનાં, મેધાવિની વાણી વદે રે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– પછી વીસમા કડવાની પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મેધાવિની એમ ઉચ્ચરે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ વલણ એ કડવાનું મહત્ત્વનું અંગ હતું. એમાં પ્રથમ પંક્તિમાં આ કડવામાં કયો પ્રસંગ નિરૂપાયો તેનો સંક્ષેપ આવતો અને દ્વિતીય પંક્તિમાં હવે પછીના કડવામાં શું આવશે તેનો ઉલ્લેખ હોય છે. કડવાનાં ત્રણે અંગો – રાગસૂચક મુખબંધ, ઢાળ અને વલણ આખ્યાનને સુસંકલિત બનાવતાં.&lt;br /&gt;
આખ્યાનનું બીજું મહત્ત્વનું અંગ એનું કથાતત્ત્વ છે. આખ્યાન કથાકાવ્ય છે, પણ અન્ય કથાકાવ્યોથી એ રીતે જુદું પડે છે કે આખ્યાન ધર્મકથા છે, અને કથા શ્રોતાઓની ધર્માનુરાગીતા જાગૃત કરવા તથા દૃઢ કરવા રચાઈ હોય છે. જ્યારે અન્ય કથાઓ મનોરંજન માટે જ રચાઈ હોય છે.&lt;br /&gt;
આખ્યાનમાં જે કથાઓ રજૂ થતી તે અન્ય કથાસાહિત્યથી એ રીતે ભિન્ન છે કે એ કથાઓનો મુખ્ય ઉદ્દેશ તો ભિન્ન ભિન્ન સંપ્રદાયના તથા સંપ્રદાય જોડે ન સંકળાયેલા લોકોમાં ધર્મભાવના સિંચવાનો હતો. એટલે માણભટો જે આખ્યાનો લોકોની મેદની સમક્ષ ગાઈ – બજાવીને રજૂ કરતા. જેથી એમાં ઉપદેશનું તત્ત્વ, કથારસને દાબી ન દે. એ કથાઓ પુરાણોમાંથી, કે શ્રીકૃષ્ણે ભક્તોને સંકટ સમયે સહાય કરેલી તે પ્રસંગોનું વિસ્તારથી નિરૂપણ કરતા. જેમ કે, નરસિંહના પિતાનું શ્રાદ્ધ, દીકરીનું સીમંત, શામળશાનાં લગ્ન. એ બધા પ્રસંગોમાં કૃષ્ણે જે સહાય કરેલી તે પ્રસંગો કથાવસ્તુ તરીકે પસંદ કર્યા છે. સગાળશા, ચેલૈયા, કબીર વગેરે ભક્તોનાં જીવનના પ્રસંગો પર આખ્યાનો રચાયાં છે. મહાભારત, રામાયણ, શ્રીમદ્ભાગવતમાંથી પાત્રો લઈને આખ્યાનોની રચના થઈ છે. એ ઉપરાંત ભાગવતના ‘દશમસ્કંધ’ને આધારે પણ આખ્યાનોની રચના થઈ છે. આમ છતાં કવિ મૂળ કથામાં યથેચ્છ ફેરફાર કરતા, કૃતિને સ્થાનક રંગ આપતા, કારણકે એ આખ્યાનો સમકાલીન સમાજની આમજનતાની સમક્ષ રજૂ કરવાનાં હતાં. એથી મહાકાવ્યો કે પુરાણની જોડે જેને કથા સંબંધ ન હોય તેવા પ્રસંગો પણ સાંકળી લેવાતા. જેમકે વાસુ એના સગાળશા આખ્યાનમાં સગાળશાને મહાભારતના કર્ણના અવતાર તરીકે ઓળખાવે છે. નાકર પણ સગાળશાની ઓળખાણ એવી જ રીતે આપે છે. પૌરાણિક આખ્યાનોમાં પણ બે પ્રવાહો દૃષ્ટિએ પડે છે. પહેલા પ્રવાહમાં કવિઓ મૂળ કથાને અનુસરે છે, કશો ફેરફાર કરતા નથી. ભાલણનું ‘ચંડી આખ્યાન’, હરિદાસનું ‘ધ્રુવાખ્યાન’, માધવકૃત ‘ઉષાહરણ’ એ સઘળામાં કવિ એ મૂળ કથાને જ પૂર્ણતઃ અનુસરે છે. જ્યારે બીજા વિભાગમાં મૂળ કથાને પોતાની આગવી રીતે, કાટછાંટ કરતાં ને ઉમેરણ કરતાં એવાં આખ્યાનો આવે છે.&lt;br /&gt;
આખ્યાનકારો મૂળ કથામાં જે ફેરફાર કે ઉમેરણ કરતા તે બધા શ્રોતાઓ કથારસ માણી શકે તે હેતુથી કરતા, જેમકે મધ્યકાલીન ‘નળાખ્યાનો’માં આવતા મત્સ્યસંજીવની, હારચોરી, એ પ્રસંગો મૂળ મહાભારતમાં નથી. ક્યારેક આવા ફેરફારો પાત્રનું ગૌરવ વધારે છે તો ક્યારેક પૌરાણિક પાત્રોને નષ્ટગૌરવ અને શ્રીહીન બનાવે છે. જેમ કે ‘અભિમન્યુ આખ્યાન’માં અભિમન્યુની હત્યા કરવા માટે, કૃષ્ણ એક પછી એક તરકટ રચે છે, એથી એવું લાગે છે કે મહાભારતના કૃષ્ણ આગળ ‘અભિમન્યુ આખ્યાન’ના કૃષ્ણને શરમથી માથું નીચું ઢાળી દેવું પડે. તેવી રીતે ‘સુદામાચરિત’માં ભાગવતના બ્રહ્મવેત્તા સુદામાને સ્થાને પ્રેમાનંદે કૃષ્ણની ઈર્ષા કરતો અને ઘેર પાછા ફરતાં ખાલી હાથે આવવું પડ્યું, તેથી ‘મૂળગા મારા તાંદુલ ગયા’ કહેતો સુદામો કે એ જ કવિના ‘નળાખ્યાન’માં આદર્શ શીલવતી, તથા સર્વગુણસંપન્ન પત્ની દમયંતી જોડે હલકા માનવીની જેમ વર્તતો એને ભાંડતો નળ, પુરાણની કથાઓને જનમનરંજક બનાવવા માણભટ્ટો એમાં કેવી વિકૃતિ આચરતા તે દર્શાવે છે. બીજી તરફ પુરાણના ખલનાયકોને ઉદાત્ત બનાવવાના પ્રયત્નો પણ દ્રષ્ટિએ પડે છે. પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ કે વજિયાના ‘રણજંગ’માં મંદોદરી રાવણને રામની જોડે સલાહ કરવા વિનવે છે, તેના ઉત્તરમાં કવિએ રાવણને રામની પ્રશસ્તિ કરતો દર્શાવ્યો છે.&lt;br /&gt;
આખ્યાનમાં ક્યારેક લોકપ્રચલિત માન્યતા વણી લેવામાં આવતી. નાકરે એના ‘ઓખાહરણ’માં બાણાસુરનું સવારમાં મોઢું જોવું ન પડે માટે ચાંડાલણી આડો સાવરણો ધરે છે. ને રાજાના અભયવચન પછી એ ખુલાસો કરે છે કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રાતઃ સમે જોવું નહિ વાંઝિયાનું વાન&lt;br /&gt;
તમારે કોઈ છોરું નથી, સાંભળો ને રાજન&lt;br /&gt;
તે માટે સંમાર્જની આડી કીધી મેં રાય.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જ પ્રમાણે નાકરે અલુણાવ્રતની કથાને ઓખા સાથે ગણેશપુરાણમાંથી લઈને સાંકળી છે. &lt;br /&gt;
કવિએ સવારમાં વાંઝિયાનું મોઢું જોવું એ અપશુકન ગણાય એવો વહેમ ‘ઓખાહરણ’માં વણી લીધો. શુભશુકન વિષેની માન્યતા ‘નળાખ્યાન’માં સાંકળી નળ દમયંતીના સ્વયંવર માટે જવા નીકળે છે ત્યારે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અતિ શીઘ્રે સાંચરિયો રાય, શુકન મળી સુવાસી ગાય.&lt;br /&gt;
કુરંગકુરંગીને સાથ, આગળ ઊતર્યાં જમણે હાથ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ક્યારેક કવિને અંત ન્યાયયુક્ત ન લાગ્યો હોય ત્યારે એ ગાંઠનો પ્રસંગ ઉમેરી એને ન્યાયયુક્ત બનાવે છે. જેમકે ‘નળાખ્યાન’માં લગ્નલોલુપ ઋતુપર્ણ હોંશે હોંશે વિદર્ભ જાય અને હતાશ થઈને પાછો ફરે, એ પ્રેમાનંદને સુખદ અંત ન લાગ્યો, તેથી કવિએ એને દમયંતીની ભાણેજ જોડે પરણાવ્યો અને સર્વ રીતે મધુરેણ સમાપયેતનો સિદ્ધાંત જાળવ્યો.&lt;br /&gt;
આખ્યાનકારોની દૃષ્ટિ કથા કહેતી વખતે હંમેશાં શ્રોતાઓ પર સ્થિર થતી. એટલે એ શ્રોતાઓને સુપરિચિત એવી, અને આત્મીય લાગે એવી સૃષ્ટિનું નિર્માણ કરતા. આમ દૈવી પાત્રોનું પણ માનવીકરણ અથવા ગુજરાતીકરણ થતું. જેથી એ પાત્રો શ્રોતાઓને પોતીકાં લાગે. પ્રેમાનંદના ‘હૂંડી’માંના શામળશા શેઠ કે ‘મામેરું’માં દામોદર દોશી બનાવીને જ કૃષ્ણને કવિ લઈ આવે છે. પૌરાણિક પાત્રોનાં લગ્નમાં પણ ગુજરાતની જ લગ્નવિધિ થાય છે અને એ સમયમાં પ્રચલિત ગુજરાતી લગ્નગીતો ગવાય છે. ‘મામેરું’માં કુંવરબાઈની સાસુસહિત સમગ્ર નાગરસ્ત્રીસમાજ રજૂ થયો છે.&lt;br /&gt;
‘સુદામાચરિત’માં કૃષ્ણ સામાન્ય માણસની જેમ સુદામાની મજાક કરતાં પૂછે છે, ‘ભાભી અમારાં વઢકણાં તે શું લોહીડું શોષે?’ ‘નળાખ્યાન’માં દમયંતીના સ્વયંવરમાં આવેલા દેવો એકબીજાની ઈર્ષા કરતા દર્શાવાયા. એ રીતે પૌરાણિક પાત્રોનું શ્રોતાઓ જેમનાથી સુપરિચિત હોય એવું માનવીકરણ કરાતું, એક રીતે કહીએ તો ગુજરાતીકરણ કરાતું. મુરારી કૃત ‘ઈશ્વરવિવાહ’માં પાર્વતીની સખીઓનાં કમળાદે, દેવળદે જેવાં નામો હોય, આખ્યાનમાં દરેક લગ્નમાં પીઠી ચોળાતી હોય, વરરાજા ઘોડે ચડીને પરણવા જતા હોય, સાસુ જમાઈને પોંખતી હોય, નાક ખેંચતી હોય એવી બધી લગ્નની વિગતો હોય ત્યારે શ્રોતાઓને પોતાની આસપાસની સૃષ્ટિ જ આખ્યાનોમાં પ્રતિબિંબિત થતી લાગે.&lt;br /&gt;
વસ્તુગૂંથણીની દૃષ્ટિએ પૌરાણિક આખ્યાનોમાં મંગળાચરણ પછી પહેલા કડવામાં પ્રસંગાનુકૂળ ભૂમિકા રચાતી, અર્થાત્ કાવ્યના મુખ્ય પ્રસંગો પૂર્વેની ઘટનાઓ સંક્ષેપમાં રજૂ થતી. જેમકે પ્રેમાનંદના ‘રણયજ્ઞ’માં કાવ્યનો મુખ્ય પ્રસંગ રામરાવણના યુદ્ધથી શરૂ થાય છે. તેથી આરંભમાં યુદ્ધકાંડની પૂર્વેના પ્રસંગો સંક્ષેપમાં રજૂ કર્યાં છે જેથી કાવ્યના મુખ્ય પ્રસંગને શ્રોતાઓ સહેલાઈથી સમજી શકે.&lt;br /&gt;
જ્યારે મૂળ કથાનું એક પાત્ર અન્ય પાત્રને દૃષ્ટાન્ત કથા કહેતું હોય, ત્યારે મૂળ કથામાં જે કથક અને શ્રોતાનો ઉલ્લેખ થયો હોય, તે આખ્યાનમાં યથાવત્ રહેતો. ગુજરાતી આખ્યાનકારો, મૂળ કથાના આખ્યાતા અને શ્રોતા, તેમ જ દૃષ્ટાન્તકથાના આખ્યાતા તથા શ્રોતા મૂળ પ્રમાણેના જ રાખતા. જેમ કે મહાભારતના ‘નલોપાખ્યાન’માં મૂળ કથા વૈશમ્પાયનમુનિ જન્મેજયને કહે છે, અને કથાનું એક પાત્ર યુધિષ્ઠિર અર્જુનવિરહે દુઃખી છે, તેને સાંત્વન આપવા બૃહદશ્વમુનિ તેને નળનું ઉપાખ્યાન કહે છે. ગુજરાતીમાં નળાખ્યાન સ્વતંત્ર કૃતિ હોવા છતાં વૈશંપાયન જનમેજયને નળની કથા કહે છે એ પ્રમાણે શરૂઆત કરી. પછી યુધિષ્ઠિરનું દુઃખ દર્શાવી બૃહદશ્વ મુનિ જ નળનું આખ્યાન કહે છે, એમ દર્શાવાયું છે. આ રીતે આખ્યાનમાં પણ ઉપાખ્યાનની કથનરીતિ જળવાઈ છે.&lt;br /&gt;
પ્રસંગનિરૂપણની દ્રષ્ટિએ વિચારતાં આખ્યાનકાર ફક્ત પ્રસંગોનું નિરૂપણ જ કરતો નથી, પણ પાત્રોની માનસપ્રક્રિયા, અને મનોવ્યાપારો પણ દર્શાવે છે. પાત્રોનાં અંગવસ્ત્રાભૂષણનાં, નગરનાં, વનનાં, સ્વયંવરનાં વર્ણન કરે છે અને પોતાનું વર્ણનકૌશલ દર્શાવે છે. તથા સમકાલીન યુગની સમાજરચનાની ઝાંખી કરાવે છે. નળાખ્યાનમાં હંસે દમયંતી સમક્ષ કરેલું નળનું વર્ણન, ભયંકર વનમાં દમયંતીનો ત્યાગ કરતી વખતે નળના મનમાં પરસ્પરવિરોધી વૃત્તિઓનું ઘમસાણ, હારચોરીના આળ વખતે દમયંતીની મનોવેદના આખ્યાનકારોની કથાના પ્રસ્તુતીકરણની શક્તિનાં દ્યોતક છે.&lt;br /&gt;
જોકે આખ્યાનકારોનાં કેટલાંક વર્ણનો રસને બાધક અને કથાપ્રવાહને સ્થગિત કરનારાં પણ નીવડે છે. વનવર્ણનોમાં વૃક્ષોની કે ભોજનમાં વર્ણનોમાં વાનગીઓની યાદી આવતી, જે રસાસ્વાદમાં બાધક નીવડે છે. એમ લાગે છે કે એ યુગના શ્રોતાજનોનાં રસ અને રુચિને એ અનુરૂપ હશે.&lt;br /&gt;
કથાપ્રવાહને સ્થગિત કરનારું અન્ય એક તત્ત્વ, આખ્યાન ધર્મકથા હોવાથી એમાં લાંબી ઈશ્વરસ્તુતિઓ આવતી, જે કથાને આગળ ધપાવવામાં વિક્ષેપક હતી. કાલિદાસકૃત ‘પ્રહલાદાખ્યાન’માં એટલી બધી સ્તુતિઓ આવે છે કે કથા તો માત્ર અનેક સ્તુતિઓની સાંધણકડી બની રહે છે અને આખ્યાન સ્તુતિસંગ્રહ જેવું બની જાય છે. ભાલણના ‘ચંડીઆખ્યાન’માં ૫૮ પંક્તિઓની ત્રણ દીર્ઘ ઈશ્વરસ્તુતિઓ આવે છે.&lt;br /&gt;
આખ્યાનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ રસવૈવિધ્ય છે. આખ્યાનનું વિસ્તૃત કથાફલક હોવાથી કવિને વિવિધ રસોનું નિરૂપણ કરવા પૂરતો અવકાશ મળી રહેતો; ને કવિ એકાદ બે રસોને પ્રધાનતયા નિરૂપી, ઇતર ગૌણ રસોનું આલંબન લેતો અને એ રીતે શ્રોતાઓને કથારસમાં તલ્લીન બનાવી દેતો. પ્રેમાનંદ જેવા સમર્થ કવિ તો એની આગવી એવી રસસંક્રાન્તિની કલાથી અત્યંત લોકપ્રિય બને છે. પ્રેમાનંદ પૂર્વે, ભાલણના ‘નળાખ્યાન’માં, કે ઉદ્ધવના રામાયણમાં ક્યાંક રસસંક્રાંતિ જડે છે. પરંતુ રસસંક્રાંતિની કળામાં ઉચ્ચોચ્ચ સ્થાનનો અધિકારી તો પ્રેમાનંદ જ છે. એ એક રસમાંથી એટલી ત્વરાથી અને સરળતાથી સંક્રમણ કરે છે કે આપણને એ વિષે ખબર જ પડતી નથી. એનું કારણ એ છે કે એ ચાલુ રસના વિભાવને સ્થાનચ્યુત કર્યા વિના એ જ વિભાવને, અન્ય રસના વિભાવ તરીકે સ્થાપે છે. એથી રસસંક્રાંતિથી રસાસ્વાદમાં બાધા નડતી નથી. જેમ કે ‘રણયજ્ઞ’માં ઇન્દ્રજીત અને રામના યુદ્ધમાં વીરરસનું નિરૂપણ થયું છે. યુદ્ધમાં રામ નાગપાશથી બંધાય છે. તે જોઈને સીતા આક્રંદ કરવા લાગે છે. વીરરસનો આલંબન વિભાવ રામ છે, તો સીતાના આક્રંદમાં જે કરુણ છે તેનો આલંબન વિભાવ પણ રામ છે. આમ વીરરસમાંથી કરુણમાં સંક્રમણ કરતી વખતે રામને જ વિભાવ રાખીને કવિ રસસંક્રમણ કરે છે. ‘નળાખ્યાન’માં પણ શૃંગાર, કરુણ, અદ્ભુત એમ સંક્રમણ થતું રહે છે.&lt;br /&gt;
આખ્યાનનું ચોથું મહત્ત્વનું લક્ષણ એ શ્રોતાઓ સમક્ષ સાભિનય ગવાતું હોવાથી, આખ્યાનકારો પોતાનાં કડવાં માટે મધુર રાગની દેશીઓ પસંદ કરતા, ને એ રાગમાં ગાઈ વાતાવરણને ગૂંજતું કરતા. જ્યારે દમયંતી પોતાનાં સંતાનોને મોસાળ પાઠવે છે ત્યારે એના કંઠમાં મૂકેલી મેવાડાની દેશી–મોસાળે પધારે રે મારાં બાડુઆં... અથવા દમયંતીની કરુણ દશા વ્યક્ત કરતી રામગ્રી પ્રેમાનંદ ગાતો હશે, કે ‘વિનવે દેવડી હો, વીરાને વલવલી’ એ મેવાડો, કે ‘મારું માણકડું રિસાવ્યું રે શામળિયા એ વેરાડી રાગમાં દેવકી કે જશોદાના વિલાપને એ ગાતો હશે, ત્યારે શ્રોતાઓની આંખોમાંથી અશ્રુનાં પૂર વહેતાં હશે. એ જ રીતે બીજા રસનાં કડવાં માટે પણ કહી શકાય. આમ વિવિધ રાગરાગિણીવાળાં કડવાં પણ આખ્યાનનું અનિવાર્ય અંગ હતું.&lt;br /&gt;
આખ્યાનનું પાંચમું મહત્ત્વનું અંગ કવિએ પોતાનો અને કાવ્યનો પરિચય આપ્યો હોય તે છે. તે માટે કવિ કાવ્યના પ્રથમ કડવાનો અથવા અંતિમ કડવાનો ઉપયોગ કરે છે. એમાં કવિ પોતાના કુટુંબનો, ગામનો, કાવ્ય ક્યાં અને ક્યારે રચાયું ને આખ્યાન કયે સ્થળે ગવાયું તેનો પરિચય આપે છે, જેમકે : નાકરના ‘ઓખાહરણ’માં –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીસાવળ કૂડી અવતર્યો, વીરક્ષેત્રમાં વાસજી&lt;br /&gt;
કર જોડીને કરે વિનંતી, નાકર હરિનો દાસજી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં કાવ્ય વિષે માહિતી આપતાં કવિ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આણિક પર્વની મૂળ કથામાં નૈષધની લીલા ભાખીજી&lt;br /&gt;
મુહૂર્ત કીધું સુરત મધ્યે; થયું પૂરણ નંદરબારજી&lt;br /&gt;
&lt;br /&gt;
સંવત સત્તર બાર વર્ષે પોષ સુદિ બીજ ગુરુવારજી&lt;br /&gt;
દ્વિતીયા ચંદ્રદર્શનની વેળા થઈ પૂર્ણ કથા વિસ્તારજી&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાકર એના ‘હરિશ્ચન્દ્રાખ્યાન’માં કયા રાગો પ્રયોજ્યા છે તેનાં નામ કડવાંસંખ્યા, વગેરેની માહિતી આપતા જણાય છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રામગ્રી, દેસાખ ને આશાવરી, ભૂપાળ ને ધન્યાક્ષરી&lt;br /&gt;
રામકલી, વેરાડી, શોખ, સામેરી, સોરઠીનો જોગ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આખ્યાનનું છઠ્ઠું અંગ ફળશ્રુતિ છે, આખ્યાનકારો આખ્યાનશ્રવણથી શો ઐહિક લાભ થાય તે જણાવતા. એ શ્રોતાઓને આકર્ષવાની એક રીત હતી. જે આખ્યાનનું એક આવશ્યક અંગ બની ગયું. આ ફળશ્રુતિ સામાન્યતઃ અંતમાં આવતી. પણ કોઈવાર કવિ કાવ્યારંભે પણ એ જણાવતો ને ક્યારેક વચ્ચે પણ એનો ઉલ્લેખ કરતો. કાલિદાસકૃત ‘પ્રહલાદાખ્યાન’માં પહેલા કડવામાં બે પંક્તિમાં ફળશ્રુતિ આપી છે. પછી બીજા કડવામાં ને અંતમાં પણ આપે છે. હરિદાસ એના ‘સીતાસ્વયંવર’માં છ વાર ફળશ્રુતિ આપે છે. આ સિવાય ક્યારેક પાત્ર પણ ફળશ્રુતિ ઉચ્ચારે છે. પ્રેમાનંદના ‘ઓખાહરણ’માં બ્રહ્મા, હરિરામના ‘સીતાસ્વયંવર’માં વાલ્મીકિ, તો તુલસીએ તેના ‘ધ્રુવાખ્યાન’માં અને આધાર ભટે ‘શામળશાનો વિવાહ’માં ભગવાન પાસે ફળશ્રુતિ ઉચ્ચારાવી છે.&lt;br /&gt;
આ રીતે આખ્યાનનું સાહિત્યસ્વરૂપ ભાલણથી શરૂ થયું, અને વિષ્ણુદાસ આદિથી પોષાયું અને પ્રેમાનંદમાં એ વિકાસની પરાકાષ્ટાએ પહોંચ્યું. પ્રેમાનંદ પછી આખ્યાનનાં વળતાં પાણી થાય છે. એનું એક કારણ પ્રેમાનંદના સમયમાં ગરબાનું સ્વરૂપ વિશેષ પ્રચલિત થયું. એ અરસામાં શામળ જેવો વાર્તાકાર થયો એ કારણે પણ આખ્યાનના વિકાસ પર અસર કરી હશે. એ ઉપરાંત પ્રેમાનંદે આખ્યાનનાં સ્વરૂપને એવી કક્ષા પર મૂકી દીધું – પૂર્ણતાએ પહોંચાડી દીધું કે પછી એમાં વધુ વિકાસની કશી શક્યતા હતી નહીં.&amp;lt;ref&amp;gt;‘મધ્યકાલીન ગુજરાતી આખ્યાન’, શશિન ઓઝા, પૃ. ૧૬૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આખ્યાનકારોએ મહાકાવ્યો અને પુરાણોને ગુજરાતી લેબાસમાં આમજનતા સુધી પહોંચાડ્યાં, માણભટોએ એ સ્વરૂપ દ્વારા ધર્મ અને ભક્તિની ધારા વહેવડાવી તથા સંસ્કારનું સિંચન કર્યું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કથા-વાર્તા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કથા અને વાર્તા શબ્દો મધ્યકાલીન સાહિત્યમાં એકબીજાના પર્યાયરૂપે વપરાતા. આખ્યાનમાં જેમ ધર્મકથાઓ આવતી તેમ કથાવાર્તામાં સામાજિક કથાઓ આવતી.  આમ છતાં આખ્યાનની અસરથી કથા-વાર્તાનું સાહિત્ય અલિપ્ત રહી શક્યું નથી. આખ્યાનમાં જેમ વાર્તાની શરૂઆત મંગળાચરણ કે ઇષ્ટદેવની સ્તુતિથી, ને વાર્તાને અન્તે કવિનો પરિચય કે ફળશ્રુતિ આવતાં, તેવી જ રીતે કથાવાર્તામાં પણ આરંભમાં ઇષ્ટદેવની સ્તુતિ તથા મંગળાચરણ આવતાં અને અંતે ફળશ્રુતિ પણ આવતી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ પણ આખ્યાનની પૌરાણિક કથાઓમાંથી લેવાતી. જેમ કે નળને કર્કોટક નાગ અગ્નિમાંથી એને બચાવ્યો તેથી વરદાન આપે છે, તે જ રીતે શામળની ‘મદનમોહના’માં પણ મોહના સાપને આગમાંથી બચાવે છે, એટલે સાપ એને વરદાન આપે છે. આખ્યાનની જેમ કથાવાર્તામાં પણ પ્રત્યક્ષ કથનશૈલી છે.&lt;br /&gt;
આ કથા-વાર્તા પર સંસ્કૃત તેમજ જૈનકથાઓની પ્રબળ અસર હતી. જેમ સંસ્કૃત કથાઓમાં, દશકુમારચરિત, પંચતંત્ર, કાદંબરી વગેરેમાં એક કથામાં અનેક આંતરકથાઓ ગૂંથાયેલી છે, અને કથાનું એક પાત્ર, પોતાના વક્તવ્યના સમર્થનમાં બીજા પાત્રને કથા કહે છે, તે જ રીતિ જૈન રાસાઓમાં નજરે પડે છે. અને તેનું જ પુનરાવર્તન જૈનેતર કથાવાર્તાસાહિત્યમાં પણ થયેલું નજરે ચઢે છે. દૃષ્ટાન્ત તરીકે, શામળની મદનમોહનામાં પંડિત મદનમોહનાને, તથા મોહના મદનને તથા પંડિતને છ દૃષ્ટાન્તકથાઓ કહે છે. આવી જ નિરૂપણરીતિ સમગ્ર કથાસાહિત્યમાં જડે છે. જૈનકથાઓમાં જેમ અનેક જન્મોની કથાઓ આવે છે, તેવી જ રીતે શિવદાસકૃત ‘હંસાઉલી’માં, વીરજીકૃત ‘કામાવતી’માં તથા શામળકૃત ‘ઉદ્યમકર્મસંવાદ’માં આવે છે. ડોલરરાય માંકડ કહે છે, ‘આ કથાશૈલીમાં એક કથા નથી હોતી પણ એકથી વધુ વાર્તાનાં ગુચ્છ હોય છે. અને એક વાર્તામાંથી બીજી ફૂટે એવી એની કથનશૈલી હોય છે. શામળાદિની કથાશૈલીમાં કાદંબરી વગેરેની કથાશૈલીનું સીધું સાતત્ય નથી, પણ બૃહદ્કથાની કથાશૈલીનું સીધું સાતત્ય છે.’&amp;lt;ref&amp;gt;‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૧૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
સંસ્કૃત તથા જૈન કથાઓની બીજી અસર વાર્તામાં વચ્ચે આવતાં ડહાપણનાં મુક્તકો તથા પ્રહેલિકાઓ છે. આ મુક્તકો તથા પ્રહેલિકાઓ ઘણીવાર સંસ્કૃતમાં જ આવતાં. જૈન કથાઓમાં સંસાર તરફ ઘૃણા ઉપજાવવા, શ્રોતાઓમાં વૈરાગ્ય પ્રેરવા, અને તેમને કામવાસનાથી દૂર રાખવા સ્ત્રીનિંદા સારી પેઠે થતી, અને સ્ત્રીપાત્રોને કુટિલ ચીતરવામાં આવતાં. જૈન રાસાઓની આ અસર જૈનેતર કથાઓ પર પણ પડી છે, ને એમાં પણ કાં તો વાર્તાકાર જાતે જ સ્ત્રીનિંદા કરે છે અથવા તો સ્ત્રીઓને દુરાચારી તથા કુટિલ દર્શાવે છે. આની સાથે એ પણ કહેવું જોઈએ કે આ વાર્તાઓમાં નારીપાત્રો જ વિશેષ તેજસ્વી લાગે છે. એ પોતે જ પતિની પસંદગી કરે છે, અને પ્રેમી આનાકાની કરે તો જબરદસ્તીથી એને પરણે છે. પુરુષ વેશમાં ફરે છે, અનેક સાહસો કરે છે, અને એ વેશમાં અનેક સ્ત્રીઓને પરણે છે. ‘હંસાવલીવિક્રમચરિત્ર’ની હંસાવલી, શામળની ‘પદ્માવતી’ વાર્તામાં સુલોચના ને પદ્માવતી; એની ‘મદનમોહના’ની નાયિકા મોહના વગેરે આ પ્રકારની મધ્યકાલીન વાર્તાઓની પ્રતિનિધિ નાયિકાઓ છે. આથી સ્ત્રીપાત્રો સમક્ષ પુરુષપાત્રો અત્યંત નમાલાં તથા નિસ્તેજ લાગે છે.&lt;br /&gt;
મધ્યકાલીન વાર્તા શ્રોતાઓ માટે એક એવી સૃષ્ટિ ઊભી કરતી કે, જ્યાં એ લોકો વાસ્તવિક સૃષ્ટિનાં બંધનો ને નિષેધોમાંથી મુક્ત થઈ યથેચ્છ વિહરી શકે. ધર્મકથાના ઉચ્ચ આદર્શો જ્યારે અકળાવી મૂકે ત્યારે ધર્મ અને નીતિનું સામ્રાજ્ય જ્યાં ન હોય એવી સૃષ્ટિમાં શ્રોતાઓને પલાયન કરવાની સગવડ વાર્તા પૂરી પાડતી. આ વાર્તાઓમાં કન્યા પોતે જ પ્રેમલગ્ન કરતી, કારણ કે બાળલગ્નના રિવાજને કારણે કન્યાને વ્યવહારજીવનમાં એ છૂટ મળતી નહિ, ઘૂમટા અને લાજ કાઢવાનો રિવાજ હોવાથી સ્ત્રીઓનું મુખ જોવા મળતું નહિ એવા યુગમાં પુરુષના વેશમાં ફરતી, અને પુરુષના જેવાં સાહસો કરતી સ્ત્રી વાર્તાઓમાં મળતી, પરન્તુ લોકકથાની વાર્તાઓમાં આપણને વાસ્તવિક પરિસ્થિતિનાં દર્શન થાય છે. એમાં પલાયનવાદ નથી, આથી એમાં મોટેભાગે પ્રેમીઓનો કરુણ અંજામ જ દર્શાવેલો હોય છે.&lt;br /&gt;
કથાઓના નિરૂપણની દૃષ્ટિએ એને બે વિભાગોમાં વહેંચી શકાય : પ્રેમકથાઓ અને અદ્ભુત કથાઓ. પ્રેમકથાઓમાં પ્રથમ દૃષ્ટિએ પ્રેમ, પછી વિરહ અને અંતે પુનર્મિલન એ જાતનો ક્રમ રહેતો. માધવકૃત ‘રૂપસુંદરકથા’, ગોપાળ ભટ્ટનું ‘ફૂલાંચરિત્ર’, શામળની ‘મદનમોહના’ ને ‘પદ્માવતી’, એ સર્વે, તેમજ લોકકથાની ‘મેહ-ઉજળી’, ‘નાગ-નાગમદે’, ‘શેણી-વિજાણંદ’; એ પ્રેમકથાઓ છે. એમાં પ્રથમ દૃષ્ટિએ પ્રેમનો વિકાસ, દંપતીનું અલગ થવું ને મિલન એ ક્રમ છે. એમાં પ્રેમત્રિકોણ આવતો નથી. એમાં વિઘ્નો માબાપ કે સમાજ તરફથી જ આવે છે. આ કથાઓ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : પ્રથમ વિભાગમાં વર્ણનપ્રધાન કથાઓ આવે છે, જેમાં વર્ણનોની અધિકતા હોય છે, બીજી કથનપ્રધાન જેમાં ગતિમય નિરૂપણ હોય છે, અને ત્રીજી ‘શેણીવિજાણંદ’ જેવી ભાવપ્રધાન કથાઓ, જેમાં હૃદયના ભાવોનું જ સવિશેષ ચિત્રણ હોય છે.&lt;br /&gt;
બીજો મુખ્ય વિભાગ કૌતુકપ્રધાન અથવા અદ્ભુત કથાઓનો છે. એમાં ચમત્કારોની અધિકતા હોય છે. ‘પંચદંડ’, ‘વિક્રમની કથાઓ’ તથા ‘નંદબત્રીસી’ વગેરે ચમત્કારપ્રધાન કથાઓ છે. આ ચમત્કારો કાં તો ધાર્મિક શ્રદ્ધા વધારવા અથવા સામાન્ય જનની કૌતુકપ્રિયતા સંતોષવા નિરૂપાતા. ‘નંદબત્રીસી’માં પ્રધાનપત્ની એના સતીત્વના પ્રભાવે વિના અગ્નિએ બળે અને રાજાને સજીવન કરે એ ધર્મશ્રદ્ધા જન્માવનારો ચમત્કાર છે. જ્યારે ‘વિદ્યાવિલાસિની’ જેવી કથામાં માનવનું પોપટમાં પરિવર્તન થાય એ સામાન્ય જનની કુતૂહલપ્રિયતા જન્માવવા માટે યોજાયેલો ચમત્કાર છે. આ પ્રમાણે ગુજરાતી વાર્તાકારો વસ્તુ અને રીતિ દૃષ્ટિએ જે પરંપરાને અનુસરતા તે અતિ પ્રાચીન છે. બૃહત્કથામંજરી, કથાસરિત્સાગર, એની પણ પહેલાંથી વિક્રમની કથાઓ ચાલી આવે છે. એ જ પરંપરા લોકમુખે વહેતી ગુજરાતના કથાસાહિત્યમાં આવે છે. એમાંની કેટલીય કથાઓ રાસામાં જુદું રૂપ લે છે, કેટલાક કવિઓને હાથે એને છંદોબદ્ધ રૂપ મળે છે. અને કેટલીક લોકવાર્તા કંઠસ્થ સાહિત્યમાં ચાલી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાનમૂલક ખંડકાવ્યો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક જ્ઞાનનાં કડવાંબદ્ધ કાવ્યો જેવાં કે, અખાકૃત ‘અખેગીતા’, બ્રેહેદેવકૃત ‘ભ્રમરગીતા’, પ્રીતમકૃત ‘સરસગીતા’, ભાણદાસકૃત ‘હસ્તામલક’, દયારામકૃત ‘રસિકવલ્લભ’ વગેરે આ પ્રકારનાં કાવ્યો છે. એમાં ‘અખેગીતા’માં છે તેમ અદ્વૈતના સિદ્ધાંતોને દૃષ્ટાંતો દ્વારા નિરૂપ્યો છે, તો ‘રસિકવલ્લભ’માં છે તેમ પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતને વિસ્તારથી સમજાવ્યો હોય છે. આમાં મોટેભાગે અમુક સિદ્ધાંતનું પ્રતિપાદન કરીને ‘અખેગીતા’માં કે ‘રસિકવલ્લભ’માં છે તેમ અન્ય સિદ્ધાંતોનું ખંડન કર્યું હોય છે. આ બધી કૃતિઓને ગીતા નામ અપાયું હોય છે. અને એ અર્થમાં એમાં ગુરુશિષ્યના સંવાદરૂપે આધ્યાત્મિક સિદ્ધાંતનું પ્રતિપાદન થતું. એનો આરંભ પરબ્રહ્મની કે આદ્યનિરંજન કે એવા કોઈ અમૂર્ત તત્ત્વની સ્તુતિથી થતો. એમાં ફળશ્રુતિ ‘અખેગીતા’માં છે તેમ કાં તો આવતી જ નથી, અથવા તો ‘આંતરદૃષ્ટિ ઉઘડશે અહંકાર ટળશે’ એ પ્રકારની હોય છે. એમાં શાન્તરસનું જ સાદ્યન્ત નિરૂપણ હોય છે. એ શાંતરસ પણ ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘જેમાં બધા રસો વિવર્ત છે એવો સ્થાયી રસ હોય છે.’&amp;lt;ref&amp;gt;‘અખો એક અધ્યયન’ (૧૯૪૧), પૃ. ૩૦&amp;lt;/ref&amp;gt; આ કૃતિઓ કડવાબદ્ધ છે. એમાં સિદ્ધાંતના વિશદીકરણ અર્થે દૃષ્ટાંતો સારા પ્રમાણમાં આવતાં હોય છે. એમાં જ્ઞાનનું પ્રતિપાદન થયું હોવાથી લાગણીનો ઉદ્રેક જોવા મળતો નથી, છતાં, ‘અખેગીતા’માં ‘અભિનવો આનંદ આજ’માં છે તેમ પરબ્રહ્મ જોડેની એકતાના અનુભવનો આનંદ લાગણીસભર શબ્દોમાં વ્યક્ત થયો હોય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વીરકાવ્યો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મધ્યકાળમાં બે ઐતિહાસિક વીરકાવ્યો મળે છે : શ્રીધરનું ‘રણમલ્લછંદ’ અને પદ્મનાભનું ‘કાન્હડદેપ્રબંધ’. બન્ને કાવ્યોના નાયકો ઐતિહાસિક વ્યક્તિ છે, અને એમણે મુસ્લિમોના આક્રમણ સામે કરેલા યુદ્ધનું એમાં વર્ણન છે. ‘રણમલ્લછંદ’ને કેશવ હ. ધ્રુવે પોવાડો કહ્યો છે.&amp;lt;ref&amp;gt;‘પ્રાચીન ગુર્જર કાવ્ય’, પ્રસ્તાવના, ૧૯૨૭&amp;lt;/ref&amp;gt; પોવાડો ગેય કાવ્યનો પ્રકાર હોવાથી એમાં ગેયતાને અનુકૂળ એવા પ્રાસ-અનુપ્રાસ, વર્ણસગાઈ, ઝડઝમક વગેરે છે. જ્યારે ‘કાન્હડદેપ્રબંધ’માં વિસ્તાર, જટિલતા, વર્ણનોની અને કથનરીતિની વિવિધતા છે. એમાં અદ્ભુત રસના પ્રસંગો છે, પૂર્વજન્મની કથાઓ છે. એમાં શૃંગાર, કરુણ વગેરે છે તેથી રસવૈવિધ્ય આવ્યું છે, એમાં ગણપતિ, સરસ્વતીની સ્તુતિથી કરેલું મંગળાચરણ છે, સમકાલીન રીતિરવાજ, રૂઢિઓનું આલેખન થયું છે, એથી એમાં આખ્યાન તથા રાસા બન્નેનાં તત્ત્વો ગૂંથાયાં છે. એ બન્ને વીરરસનાં કાવ્યોમાં થોકબંધ ફારસી શબ્દો છે. ‘રણમલ્લછંદ’માં આદિથી અંતસુધી એક જ પાત્રની વીરતાનું વર્ણન છે. જ્યારે કાન્હડદેપ્રબંધમાં અનેક પાત્રોની વીરતાનો પરિચય મળે છે. એની બીજી એક વિશેષતા એ છે કે સમકાલીન યુદ્ધ કેવી રીતે ખેલાતાં, તેનું અને સુલતાનની છાવણીનું એમાં વિસ્તારથી વર્ણન કર્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ફાગુ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પ્રકારનાં કાવ્યોમાં વસંતનાં વર્ણનો, વસંતની માનવના મન પર થતી માદક અસરનું ચિત્રણ, હોળી ખેલવાની તથા શૃંગારક્રીડાની વાતો આવે છે. આ પ્રકારનાં કાવ્યોમાં પ્રથમ વસંતનું વર્ણન આવતું અને પ્રકૃતિના મદીલા વાતાવરણનો માનવને કેવો નશો ચઢે છે તે દર્શાવાતું. ત્યારપછી વિરહી સ્ત્રીને પ્રકૃતિ કેવી દુ:ખી કરે છે તે દર્શાવી, પ્રિયતમના આગમનનાં એંધાણ આપી, પછી પ્રિયતમનું મિલન, અને વિપ્રલંભમાંથી સંભોગ શૃંગારનું નિરૂપણ એ જાતનો ક્રમ હોય છે. જૈન ફાગુકાવ્યમાં નેમિનાથ ને રાજિમતી આવે, અજૈનમાં રાધાકૃષ્ણ આવે. ‘વસન્તવિલાસ’માં એવાં કોઈ પૌરાણિક પાત્રોનો આધાર લીધા વિના જ સામાન્ય સ્ત્રીના વિપ્રલંભ અને સંભોગ શૃંગારનાં ચિત્રો આલેખાયાં છે.&lt;br /&gt;
મધ્યકાળમાં માનવનાં જીવન આજે છે તેવા જટિલ નહોતાં. સમગ્ર જીવન રૂઢિબદ્ધ હતું. સાહિત્યનું અમુક અમુક પ્રસંગોએ પ્રયોજન હતું, અને એ માંગ અનુસાર પુરવઠો પૂરવામાં આવતો. એ યુગમાં સુધારણા પણ ધર્મ પરત્વે જ થતી અને કાર્યમાં સાહિત્યની મદદ મળ્યાં કરતી. આ જ કારણથી એક જ સાહિત્યસ્વરૂપનો વાર્તા કહેવા માટે, ઊર્મિની અભિવ્યક્તિ માટે, પ્રસંગકથન માટે, મંદિરમાં પૂજા માટે, ઉપદેશ આપવા કે નૃત્ય જોડે ગાવા માટે ઉપયોગ થતો. પદો પણ ગવાતાં, પ્રારંભિક કાળના રાસા પણ ગવાતા, ગરબા-ગરબી પણ ગવાતાં ને આખ્યાનો પણ ગવાતાં. જૈન રાસામાં પણ કથા કહેવાતી, તેમજ વત્સરાજ કે શામળની વિશિષ્ટ કથનશૈલીમાં પણ વાર્તા કહેવાતી. આથી જ આખ્યાનમાં કે ‘કાન્હડદેપ્રબંધ’ જેવી કે ‘અખેગીતા’ જેવી કૃતિઓમાં પણ પદો આવતાં, અને ધર્મકથા કહેવા માટે પણ પદનો ઉપયોગ થતો. મધ્યકાળનું સાહિત્ય ધાર્મિક કે સામાજિક રૂઢિમાંથી ઉદ્ભવ્યું હોવા છતાં એમાં રસ, આલેખનરીતિ તથા વસ્તુમાં સારા પ્રમાણમાં વિવિધતા રહેતી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;0&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપર મધ્યકાળના મહત્ત્વના સાહિત્યપ્રકારોનો પરિચય કરાવ્યો છે. તેમ છતાં, એ સમયમાં પ્રચલિત અસંખ્ય પ્રકારો વિશે વિગતે લખવું અહીં શક્ય નથી. જૈન સાહિત્યનો પરિચય આપતા લેખોમાં તેમજ અન્યત્ર પણ કેટલાક સાહિત્યપ્રકારો વિશે તે તે સ્થળે નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં, સંક્ષેપમાં, કેટલાક પ્રકીર્ણ પ્રકારોનો ઉલ્લેખ કરીશું.&lt;br /&gt;
મધ્યકાળમાં ‘સલોકા સાહિત્ય’ સારી પેઠે ખેડાયું છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘જૈન ગૂર્જર કવિઓ’, ‘સલોકાનો સંચય’ (હી. ર. કાપડિયા) તથા ‘પ્રાચીન કાવ્યો કી રૂપ-પરમ્પરા’ (અગરચંદ નાહટા) જેવાં પુસ્તકો જોવાથી એની પ્રતીતિ થશે. હરિવલ્લભ ભાયાણીએ કવિ શામળ ભટ્ટ રચિત ‘રૂસ્તમનો સલોકો’ના સંપાદનની ભૂમિકામાં સલોકાસૂચિ આપી છે. એમાં આ કાવ્યપ્રકારની જૈન તથા જૈનેતર કૃતિઓ વિશે નોંધ છે.&lt;br /&gt;
‘સલોકો’ એ સંસ્કૃત श्लोक પરથી સલોક-શલોક–સલોકો–શલોકો એ રીતે ઊતરી આવ્યો છે. મધ્યકાળમાં પદ્યબદ્ધ શૌર્યસ્તુતિના સ્વરૂપની રચના માટે આ શબ્દ પ્રયોજાયો છે. ‘ભાણનો સલોકો’, ‘રૂસ્તમનો સલોકો’, ‘રણછોડજીનો શલોકો’માં ઐતિહાસિક પ્રસંગ સાથે સંબદ્ધ વ્યક્તિની પદ્યબદ્ધ શૌર્યસ્તુતિ છે. આપણા પ્રબંધ અને પવાડાનો એ વારસ છે. પરંતુ આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં લગ્નાદિ ઉત્સવ પ્રસંગે ‘શલોકા’ બોલવાનો રિવાજ છે. એ પ્રસંગે પ્રાસબદ્ધ પંક્તિઓમાં જાહેરમાં પ્રશસ્તિગાન થાય છે. એક વ્યક્તિ લયબદ્ધ રીતે એક કડી બોલે અને સામેથી હોકારાનો લલકાર થાય એવી પદ્ધતિ એમાં હોય છે. માંહ્યરામાં વર તેમજ કન્યા તરફથી એવા સલોકા બોલાતા. કવિ પ્રભુરામે ‘રામવિવાહના શલોકા’ લખેલા છે. ‘વર્ણક-સમુચ્ચય’માં પણ એવી એક કૃતિ સંગ્રહાઈ છે. વિદ્યા અને ચાતુરીની કસોટી માટે બોલાતા આવા શ્લોકો ક્રમેક્રમે પ્રાસબદ્ધ લયરચના તરીકે વિકસીને ફટાણાંની જેમ મહેણાં-ટોણાંવાળા બન્યા હોય એ સંભવિત છે. તેમ છતાં, ઉપલબ્ધ કૃતિઓ પરથી કહી શકાય કે ‘રામવિવાહનો સલોકા’ જેવામાં દેવસ્તુતિને, ‘ભાણનો સલોકો’ (ગંગાદાસ), ‘રૂસ્તમનો સલોકો’, ‘રણછોડજીનો સલોકો’ (શામળ) જેવી કૃતિઓમાં વ્યક્તિની પરાક્રમસ્તુતિને મહત્ત્વ મળ્યું છે. આથી ‘સલોકો’ અને ‘પવાડો’ વચ્ચેનો ભેદ લગભગ નષ્ટ થયો. ‘રૂસ્તમનો સલોકો’ ‘રૂસ્તમનો પવાડો’ તરીકે પણ જાણીતો છે. વિશ્વનાથ જાનીએ ‘ગનીમનો પવાડો’ લખ્યો છે. પરંતુ ‘પવાડો’ વ્યક્તિનાં વિશિષ્ટ કાર્યોના વર્ણન માટે હતો તે પાછળથી વીરકાવ્ય માટે રૂઢ થયેલો છે.&lt;br /&gt;
‘વિવાહલુ’, ‘વિવાહ’, ‘વેલિ’-‘વેલ’ જેવા પ્રકારો, સામાન્યપણે, જૈનકવિઓએ વિશેષ ખેડ્યા છે. ‘વિવાહલુ’માં તત્ત્વજ્ઞાનદૃષ્ટિએ વિવાહનું રૂપક ઘટાવાયું હોય છે. જૈનેતર કવિઓમાં ભાલણ, નાકર, દીવાળીબાઈ, રાધાબાઈ, રણછોડ, ગિરધર, દયારામ આદિ અનેક કવિઓએ સીતા, શિવ, રામ, કૃષ્ણ, વગેરેનાં વિવાહ-કાવ્યો લખ્યાં છે. ‘વેલિ’, ‘વેલ’ સંજ્ઞા પણ વિવાહના અર્થમાં પ્રયોજાઈ છે. વજિયાની ‘સીતાવેલ’માં રામસીતાના વિવાહની કથા નિરૂપાઈ છે. દયારામની ‘ભક્તવેલ’ પણ એ જ ઢબની છે. ‘વલ્લભવેલ’માં ‘વેલ’ શબ્દ વંશ-વેલના અર્થમાં ચરિત્રકૃતિ રૂપે આવે છે. માંગલિક પ્રસંગોએ ગવાતાં ધવલમંગલ ગીતો ‘ધવલ-ધોળ’ તરીકે જાણીતાં છે. નેમિનાથ, ઋષભદેવ વિશે આવાં અનેક ધોળપદ લખાયાં છે.&lt;br /&gt;
રૂપક કાવ્યમાં જુદાં જુદાં રૂપકો દ્વારા નિરાકારભાવમાં સજીવારોપણ દ્વારા વસ્તુનું નિરૂપણ થતું હોય છે, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં પરમહંસ રાજા અને ચેતના રાણીનું, ‘વિવેકવણઝારો’–(પ્રેમાનંદ)માં વિવેકરૂપી વણઝારનું, ‘જીવરાજ શેઠની મુસાફરી’ (જીવરામ ભટ્ટ) વગેરે અનેક દીર્ઘ રૂપકકાવ્યો જાણીતાં છે. નરસિંહ, મીરાં, ધીરો, દયારામ વગેરે અનેકનાં કેટલાંક પદોમાં પણ સળંગ વાણિજ્ય આદિનાં રૂપકો ગૂંથાયેલાં છે.&lt;br /&gt;
બારમાસીનો કાવ્યપ્રકાર, ફાગુની જેમ, મધ્યકાળમાં ખૂબ ખેડાયો છે. એક એક મહિનાનું એક એક પદમાં વર્ણન કરી બારે માસના વિશિષ્ટ વર્ણન સાથે, નાયિકાવિરહ આલેખતા આ પ્રકારમાં, મુખ્યપણે વિપ્રલંભ શૃંગાર સાથે કરુણનું નિરૂપણ હોય છે. અંત મિલનથી આવે છે. રત્નાના અને રાજેના ‘મહિના’ પ્રસિદ્ધ છે. તત્કાલીન સમાજજીવનમાં પરદેશ જતા પુરુષોના દીર્ઘ પ્રવાસો સાથે આ પ્રકારને નજીકનો સંબંધ છે.&lt;br /&gt;
કૃષ્ણ-રાધાનું જૈનેતર માટે તેમ નેમિ-રાજુલનું વિરહગાન જૈન કવિઓ માટે અવલંબનરૂપ હતું. જૈન કવિઓએ આ પ્રકારનાં પદ, વાર, તિથિઓ, મહિનાઓની રચના કરી છે. ‘નેમિનાથ ચતુષ્પદિકા’ ‘નેમિનાથ રાજિમતી બારમાસ’ તેમજ અનેક અપ્રગટ બારમાસીઓ આનાં ઉદાહરણો છે. જુદા જુદા કવિઓએ અસાડ, ચૈત્ર એમ જુદાજુદા મહિનાથી કાવ્યનો આરંભ કર્યો છે. બારમાસનું ચક્ર કેટલાક કવિઓએ જ્ઞાનોપદેશ માટે પણ નિરૂપ્યું છે. અખો, પ્રીતમ જેવાના ‘જ્ઞાનમાસ’ એનાં ઉદાહરણો છે. લોકસાહિત્યમાં આવતાં ઋતુગીતો, લોકકથાની બારમાસીઓ પણ સુખ્યાત છે. ‘માધવાનલ-કામકુંદલાપ્રબંધ’માં વિરહની તેમ ભોગની બારમાસી વણી લીધી છે. આ ઉપરાંત મૃત સ્વજનનું સ્મરણ ગાતાં મરશિયાનાં ઋતુકાવ્ય, કણબીના બારમાસ જેવી કૃતિઓ પણ રચાઈ છે.&lt;br /&gt;
છંદ પ્રકારમાં મુખ્યત્વે દેવસ્તુતિ જ હોય છે. ‘ઈશ્વરી છંદ’ (શ્રીધર), ‘મયણછંદ’ (મયણબમ્ભ), ‘અંબિકા છંદ’ (કીર્તિમેરુ), ‘અંબિકાનો છંદ’, ‘ભવાનીનો છંદ’, (નાકર), ‘રંગરત્નાકરનેમિનાથછંદ’ ‘શ્રીસૂર્યદીવા-વાદ છંદ’ (લાવણ્યસમય), ‘ભારતીછંદ’ (સંઘવિજય), ‘શારદા છંદ’, ‘રાવ જેતસીરો છંદ’, ‘ગુણરત્નાકર છંદ’ વગેરેમાં દેવ-દેવીની સ્તુતિઓ, સ્તોત્રો, શૃંગારનાં નિરૂપણો, ચરિત્ર તેમ સંવાદ પણ છે. ‘નેમિરંગરત્નાકરછંદ’માં પૌરાણિક પણ ઉદાત્ત પ્રસંગ આલેખાયો છે. ‘રણમલ્લછંદ’ એ વીરરસનું જુદા જ પ્રકારનું કાવ્ય છે. ઝડઝમકવાળી ભાષાના એ પ્રબંધ જ છે.&lt;br /&gt;
ચર્ચરી એ રાસની જેમ ઉત્સવાદિ પ્રસંગે ગવાતી રચનાને અપાયેલી સંજ્ઞા છે. એવી જ એક સંજ્ઞા ‘હમચડી’–હીંચ પણ છે. જૈન ગચ્છોની આચાર્ય-પરંપરાના વર્ણન માટે ‘પટ્ટાવલી’–‘ગુર્વાવલી’ પણ લખાઈ છે.&lt;br /&gt;
ઉપદેશપ્રધાન પદ્યસાહિત્યમાં ‘માતૃકા-કક્કામાં માસ, તિથિ, વારની સંકલનાની જેમ વર્ણમાલાની કડીબદ્ધ સંકલના જોવા મળે છે. ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’માં આવી કેટલીક પ્રાચીન કૃતિઓ સંગ્રહાઈ છે. એમાં પ્રત્યેક વર્ણથી પ્રારંભાઈને પદ્યો રચાયાં છે. એને પાછળથી ‘બાવની’ એવું નામ પણ અપાયું છે. અખો, પ્રીતમ જેવાએ પણ આ પ્રકાર ખેડ્યો છે. એ જ રીતે, વ્યવહાર-સલાહ વગેરે આપવા માટે ‘હિતશિક્ષા’નો પ્રકાર પણ લખાયો છે. ભોજા જેવા કવિએ સમાજ વગેરેમાં જોવા મળતાં દંભ માટે ‘ચાબખા’નો પ્રકાર આપ્યો છે. હાસ્ય-કટાક્ષ દ્વારા ઉપદેશ અને સુધારણાનો હેતુ એમાં સમાયેલો છે. ધીરાએ એનાં પદોને ‘કાફી’ સંજ્ઞા આપી છે.&lt;br /&gt;
‘નામેહ’, ‘નામા’ પ્રકારમાં પારસીઓએ કેટલાક ચરિત્રગ્રંથો આપ્યા છે. ‘ઝરથોસ્તનામેહ’ અને ‘સિયાવક્ષનામેહ’ એના નમૂના છે.&lt;br /&gt;
ઋતુની અનુભવવાણીને આલેખતાં ભડલી-વાક્યો પણ ગુજરાતીમાં જાણીતાં છે. એમાં દીર્ઘ અનુભવ અને કુદરતના નિરીક્ષણને આધારે કેટલાંક પરિણામો સૂત્રાત્મક રીતે સચવાયાં છે. ખેડૂત વર્ગમાં, વરસાદ વગેરે અંગેનાં કેટલાંક દુહા-પદ્યો અત્યંત પ્રચલિત છે. ઋતુરહસ્યોને સંક્ષેપમાં પ્રગટ કરતી એ વાણી, ભવિષ્યવાણી તરીકે પ્રચાર પામી છે. લાંબા અનુભવ પછી ઋતુપલટાઓમાં જોવા મળતા કેટલાક નિયમો એમાં છટાદાર વાણીમાં વ્યક્ત થયા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ભૂમિકા&lt;br /&gt;
|next = જૈન સાહિત્ય – ૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%8B&amp;diff=112890</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B3%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%82%E0%AA%AA%E0%AB%8B&amp;diff=112890"/>
		<updated>2026-07-20T14:58:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૨ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો|ચંદ્રકાન્ત મહેતા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યના મધ્યકાળનું સમયફલક ઈ. ૧૨મી સદીથી ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધીનું ગણાયું છે. એ સમયગાળામાં ઘણાં સાહિત્યસ્વરૂપો ઉદ્ભવ્યાં, વિકસ્યાં, રૂપાંતરિત થયાં અને કાળગ્રસ્ત થયાં. ગુજરાતી ભાષાની દૂરદૂરની સીમા આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણ ‘સિદ્ધહેમ’ પાસે મૂકી શકાય. એમાં તે સમયે બોલાતી ભાષામાં પ્રચલિત ભિન્ન ભિન્ન પ્રકારનાં મુક્તકો છે. એથી સાહિત્યસ્વરૂપોની ચર્ચાનો આરંભ મુક્તકોથી થાય તેમાં ઔચિત્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મુક્તક :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુક્તકને ડોલરરાય માંકડ લઘુકાવ્યનો એક પ્રભેદ માને છે.૧&amp;lt;ref&amp;gt;૧. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૪૬&amp;lt;/ref&amp;gt; એ સ્વરૂપ મૂળ તો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યું છે. દંડીએ તથા ‘અગ્નિપુરાણ&#039;માં મુક્તકની આપેલી વ્યાખ્યા૨&amp;lt;ref&amp;gt;૨. એ જ, પૃ. ૧૪૬&amp;lt;/ref&amp;gt; પરથી એટલું તારવી શકાય છે કે એ ચાર ચરણનું હોવું જોઈએ, એમાં ચમત્કારક્ષમતા હોવી જોઈએ. આમાંનું પહેલું લક્ષણ કાવ્યના બાહ્યસ્વરૂપ પરત્વે છે, જ્યારે બીજું લક્ષણ અંતઃસ્વરૂપ પરત્વે છે. ડોલરરાય માંકડ મુક્તકમાં વસ્તુપસંદગી અને ભાવાભિવ્યક્તિ બન્નેમાં મિતાક્ષરતા હોવી જોઈએ એમ માને છે.૩&amp;lt;ref&amp;gt;૩. એ જ, પૃ. ૧૪૯&amp;lt;/ref&amp;gt; આ ઉપરાંત એક શ્લોક કે એક કડીમાં પૂરું થતું હોય, એનો વિચાર એક જ વાક્યમાં વ્યક્ત થાય એવો હોય, એમાં ચમત્કૃતિ હોય, એકાદ સંચારી ઊર્મિ હોય, એટલાં તત્ત્વો પણ એમણે આવશ્યક માન્યાં છે.૪&amp;lt;ref&amp;gt;૪. એ જ, પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt; ‘કાવ્યાનુશાસન&#039;માં મુક્તક વિષેની ટીકામાં, મુક્તક એક જ છંદમાં હોવું જોઈએ એમ જણાવ્યું છે.૫&amp;lt;ref&amp;gt;૫. ‘કાવ્યાદર્શ’, દ્વિતીય પરિચ્છેદ, શ્લોક : ૩&amp;lt;/ref&amp;gt; આ લક્ષણ મુક્તકની સમગ્રતાની દૃષ્ટિએ અગત્યનું છે.&lt;br /&gt;
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુક્તકનો પ્રકાર સ્વતંત્ર રીતે પ્રબંધો, રાસાઓ, કથાઓ, તેમજ લોકસાહિત્યની દુહાબદ્ધ વાર્તાઓમાં મળે છે. એ મુક્તકો પર સંસ્કૃત મુક્તકોની ઘેરી અસર છે. કેટલીકવાર તો સંસ્કૃત મુક્તકો જ કથાઓમાં અવતારેલાં હોય છે. હેમચન્દ્રના ‘સિદ્ધહેમ&#039;માં માત્ર દુહામાં રચાયેલાં અપભ્રંશ મુક્તકો મળે છે. તે પછી ‘પ્રબંધચિંતામણિ’(ઈ. ૧૩૦૫)માં સંસ્કૃત તેમજ અપભ્રંશ બન્ને ભાષામાં રચાયેલાં મુક્તકો મળે છે. નરપતિકૃત ‘નંદબત્રીસી’ (ઈ. ૧૪૮૯)માં સંસ્કૃત મુક્તકોના અનુવાદ તેમજ સ્વતંત્ર ગુજરાતી મુક્તકો મળે છે. અશોક-રોહિણી રાસ&#039; (ઈ. ૧૭૩૪)માં સંસ્કૃત મુક્તકો, એનાં ભાષાંતરો, તથા સ્વતંત્ર ગુજરાતી મુક્તકો મળે છે. આમ ગુજરાતી મુક્તકો સંસ્કૃત મુક્તકોની જ આગળ વધેલી સંતતિ છે.આવાં મુક્તકો વાતચીતને પ્રસંગે બોલાતાં. તેમ જ વ્યવહારને પ્રસંગે પ્રસંગોચિત મુક્તક કહેવું એ એક પ્રકારની આભિજાત્યની નિશાની ગણાતી. સંસ્કૃત સુભાષિતમાં મોટેભાગે અનુષ્ટુપ વપરાતો તેમ ગુજરાતીમાં વિશેષતઃ દુહાનો પ્રયોગ થતો. હેમચન્દ્રાચાર્યે ‘સિદ્ધહેમ&#039;માં જે મુક્તકો આપ્યાં છે, તે દુહામાં જ છે.&lt;br /&gt;
મુક્તકો બે કારણે રચાતાં. એક પ્રકારનાં મુક્તકો સુભાષિતો તરીકે રચાતાં, તો બીજા પ્રકારનાં પ્રબંધો અને કથામાં મૂકવા રચાતાં. આથી એકનાં એક મુક્તકો આપણને અનેક કૃતિમાં નજરે ચઢે છે. હેમચન્દ્રથી દયારામ સુધીના સમયગાળામાં વિપુલ પ્રમાણમાં મુક્તકો દૃષ્ટિએ પડે છે. લોકસાહિત્યમાં પણ મુક્તકોનું અનેરું સ્થાન છે.&lt;br /&gt;
રસદૃષ્ટિએ વિચારતાં હેમચન્દ્ર અને પછીના યુગોમાં શૃંગારનું નિરૂપણ ચમત્કારિક રીતે થયું છે. જેમ કે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વાયસુ ઉડાવત્તીઅએ, પિયુ દિઠ્ઠઉ સહસત્તિ&lt;br /&gt;
અધ્ધા વલયા મહિહિ ગય, અધ્ધા ફૂટ તડત્તિ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(કાગડાને ઉડાડતી [પિયુવિરહથી દૂબળી થઈ ગયેલી] સ્ત્રીએ ઓચિંતો એના પિયુને આવતો જોયો. એથી એની અર્ધી ચૂડીઓ [દુબળા હાથ પરથી] જમીન પર પડી અને અર્ધી પિયુને જોતાં જ એ હર્ષથી ફૂલી ગઈ એથી] ફટ કરતી તૂટી ગઇ).&lt;br /&gt;
‘સિદ્ધહેમ&#039;માં વીરરસનાં કરુણનાં અને શાન્તરસનાં મુક્તકો છે. એક મુક્તકમાં રણમાં માર્યા ગયેલા એક વીરસૈનિકની પત્ની એની સખીને કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભલ્લા હુઆ જો મારિયા, બહિણિ મારા કંતુ&lt;br /&gt;
લજ્જે જં તુ વયસિ સહુ, જઈ ભગ્ગા ઘર એન્તુ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(હે બ્હેન! મારા કંથ રણભૂમિમાં લડતાંલડતાં માર્યા ગયા એ સારું જ થયું, કારણ કે જો એ યુદ્ધમાંથી ભાગીને ઘેર આવ્યા હોત તો મારે સખીઓ સામે લાજી મરવાનું થાત).&lt;br /&gt;
મુક્તક નાનું કાવ્યસ્વરૂપ હોવા છતાં એમાં અલંકારોને સારો એવો અવકાશ રહેતો. પંદરમી સદીની નીચેની અન્યોક્તિમાં પ્રિયતમ પ્રિયતમાના સ્નેહ વિષે ભ્રમરનો આશ્રય લઈ શંકા વ્યક્ત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભમરા રોઈ રણઝણઈ, મુખિ મૂકી નિસાસી&lt;br /&gt;
રે કાંટાલિ કેતકી, તાહરુ સિઉ વિસાસ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હેમચન્દ્રના દુહામાંથી એક સ્વાભાવોક્તિનું દૃષ્ટાન્ત –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિય સંગપિ કઉ ણિંદડી, પિયહો પરોપખહો કેમ્મ&lt;br /&gt;
મઈ બિણ્ણિવિ વિષણ્ણસિઆ, નિંદન એમ્મ ન તેમ્મ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(પ્રિય-સંગમાં ક્યાંથી નિદ્રા આવે? પ્રિયનો વિયોગ હોય ત્યારે પણ ક્યાંથી નિદ્રા આવે? આમ બન્ને તરફ વિનાશ છે. નિદ્રા આમ પણ નથી ને તેમ પણ નથી.)&lt;br /&gt;
આ રીતે મુક્તકમાં અલંકારવૈવિધ્ય સારા પ્રમાણમાં રહેલું છે.&lt;br /&gt;
છંદની દૃષ્ટિએ મુક્તક માટે પ્રચલિત છંદ દુહો છે. માંડણ બંધારાએ, અખાએ, ભીમે ચોપાઈમાં મુક્તકો રચ્યાં છે. અખાએ ચારને બદલે છ પંક્તિની ચોપાઈ પ્રયોજી હોવાથી એને ભૂલથી છપ્પા નામ અપાયું છે. પણ એ છપ્પા પિંગળના છપ્પા નથી એને ષટ્પદી ચોપાઈનું નામ આપી શકાય. અખાની પૂર્વે માંડણ બંધારાએ એવી ચોપાઈ રચી છે. અખો તો ક્યારેક છથી આગળ વધીને આઠ પંક્તિઓ સુધી ચોપાઈ લંબાવે છે. વચ્છરાજકૃત ‘રસમંજરી&#039;માં, શામળની વાર્તાઓમાં તથા નરભેરામની રચનાઓમાં છપ્પામાં રચાયેલાં મુક્તકો મળે છે.&lt;br /&gt;
અખાની ષટ્પદી ચોપાઈમાં રચાયેલાં મુક્તકો તત્ત્વજ્ઞાનનાં કે ઉપદેશનાં હોય છે. એમાં પ્રથમ ચાર પંક્તિમાં અમુક પરિસ્થિતિ આલેખી છેલ્લાં બે ચરણમાં કાં તો કહેવત ટાંકી હોય છે. અથવા બોધ તારવ્યો હોય છે. જેમ કે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ,&lt;br /&gt;
તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન,&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?&lt;br /&gt;
&lt;br /&gt;
છંદની દૃષ્ટિએ મુક્તકનો વિચાર કરતાં, દુહા અને સોરઠા, તે પછી ચોપાઈ, ષટ્પદી ચોપાઈ અને છપ્પા દૃષ્ટિએ પડે છે.&lt;br /&gt;
મુક્તકનો એક વિશિષ્ટ પ્રકાર, સમસ્યા, ઉખાણાં કે પ્રહેલિકા છે. પ્રહેલિકાની વ્યાખ્યા આપતાં ડોલરરાય માંકડે કહ્યું છે – ‘પ્રહેલિકા એટલે બીજાને સંદેહમાં, સંશયમાં નાખે તેવું વર્ણનીય વસ્તુનું નામ ગુપ્ત રાખવું તે.&#039;૬&amp;lt;ref&amp;gt;૬. એ જ, દ્વિતીય પરિચ્છેદ, શ્લોક ૨&amp;lt;/ref&amp;gt; દંડીએ કાવ્યાદર્શમાં જણાવ્યું છે કે આનંદજનક વાર્તાલાપ ચાલતો હોય ત્યારે વિનોદ ખાતર બુદ્ધિશાળીઓ સમક્ષ, પોતાનું ચાતુર્ય દર્શાવવા અને સામાના ચાતુર્યની પરીક્ષા કરવા પ્રહેલિકાનો ઉપયોગ થતો.૭&amp;lt;ref&amp;gt;૭. એ જ, શ્લોક ૩&amp;lt;/ref&amp;gt; પ્રહેલિકામાં અમુક પદાર્થ ક્રિયા કે વસ્તુનાં બાહ્ય લક્ષણો આપ્યાં હોય છે પણ એનું નામ જણાવાયું હોતું નથી. મધ્યકાલીન સાહિત્યમાં એ સ્વરૂપ એટલું વ્યાપક હતું કે જૈન, જૈનેતર બધા વાર્તાકારો એનો છૂટથી ઉપયોગ કરતા. વિબુદ્ધ પ્રેમીઓ સમય વ્યતીત કરવા, મુગ્ધાઓ બુદ્ધિશાળી વરની પસંદગી કરવા એમ વિવિધ રીતે પ્રહેલિકા પ્રયોજતી. કુશળલાભકૃત ‘કામકંદલા ચોપાઈ&#039;માં નાયકનાયિકા રાત્રિ વિતાવવા એકબીજાને સમસ્યાઓ પૂછે છે, જેમાં એક શ્લોકમાં સમસ્યા હોય છે, અને બીજા શ્લોકમાં એનો ઉત્તર હોય છે. જેમ કે નાયક નાયિકાને પૂછે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બહુ દિવસે પ્રી આવિઉ, મોતી આપ્યાં તેણ&lt;br /&gt;
થણ કરકમ બે ઝાલિયાં, હસી હસી નાંખ્યાં તેહ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બહુ દિવસ પછી આવેલો પ્રિયતમ પ્રિયતમાને મોતી લાવીને આપે છે. તો એને હાથમાં પકડી હસીને બાજુમાં મૂકી દે છે. અહીં પ્રિયતમા શાથી ભૂલાવામાં પડી અને એણે કઈ માનસિક પ્રક્રિયાને કારણે મોતી નાંખી દીધાં તેનો બુદ્ધિપૂર્વક વિચાર કરી ઉત્તર આપવાનો છે. ઉત્તરમાં માધવાનલ કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કરતત્તો ઉજ્જ્વલ વિમલ, નયને કજ્જલ રેહ&lt;br /&gt;
થણ કરી ભૂલી ગુંજા ફલિ, તિસ હસી નાંખ્યા તેહ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(એનો હાથ રતાશ ભરેલો ઉજ્જ્વળ હતો, આંખમાં કાજળની રેખા હતી, (એના પ્રતિબિંબથી) મોતી ચણોઠી જેવાં લાગ્યાં, તેથી હસીને ફેંકી દીધાં)&lt;br /&gt;
લોકસાહિત્યમાં પણ કથાઓમાં સમસ્યાનો ઉપયોગ થતો હોય છે. ‘સોનહલામણ’ની વાર્તામાં નાયિકા સોને એની સમસ્યા ઉકેલે તેની જોડે પરણવાની પ્રતિજ્ઞા લીધી છે. એમાં પ્રથમ પંક્તિમાં સમસ્યા પૂછી હોય છે. અને દ્વિતીય પંક્તિમાં એનો ઉત્તર હોય છે, ને એમ બે પંક્તિનું મુક્તક બને છે. સોન પૂછે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ઘણ વણ ઘડિયાં, એરણ વણ અભાડિયાં નહિ’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(હથોડા વગર ઘડેલા ને એરણને તો અડ્યાં જ ન હોય એવા અલંકાર કયા?)&lt;br /&gt;
&lt;br /&gt;
આના ઉત્તરમાં હલામણ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સરવડ સ્વાંતતણાં, મળે તો મોતી નીપજે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
(સ્વાતિનક્ષત્રમાં સરવડાં થકી નીપજતા છીપોમાં મોતી)&lt;br /&gt;
અહીં બન્ને પંક્તિઓ સંશ્લિષ્ટ છે. મુક્તકમાં જે ચમત્કૃતિ હોવી જોઈએ તે આમાં છે.&lt;br /&gt;
વાર્તામાં બન્ને પંક્તિમાં પ્રશ્ન પૂછ્યો હોય એવી સમસ્યાઓ પણ મળે છે. જેમકે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શિયા સરોવર દેખાડ જ્યાં પાણી કે નવ પાળ&lt;br /&gt;
તાસ તણે કોળાંલડે, પંખી વાહુજ્યાં ડાળ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિયાજીએ ઉત્તર આપ્યો ‘સરોવર તે કાન, ને પક્ષી તે કાનમાં પહેરેલી તોળી અથવા વાળી&#039;.&lt;br /&gt;
આ રીતે મધ્યકાલીન સાહિત્યમાં સમસ્યાનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. એ યુગમાં માનવની વ્યવહારુ બુદ્ધિનો તાગ કાઢવાનું સમસ્યા એ એક વિશ્વસનીય સાધન મનાતું. મુક્તકોની જેમ એકની એક સમસ્યા આપણને અનેક વાર્તાઓમાં મળે છે. એ વાર્તામાં પ્રયુક્ત હોવા છતાં વાર્તાથી ભિન્ન એ સ્વયંપર્યાપ્ત સાહિત્યપ્રકાર હતો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુક્તકમાં લાગણી પાસાદાર હોય છે. જ્યારે પદમાં લાગણી પ્રવાહી હોય છે. ‘પદ’ સંસ્કૃત શબ્દ છે જે ચરણના અર્થમાં પ્રયોજાય છે. આમ પદનો અર્થવિસ્તાર ચરણમાંથી કડીમાં અને પછી કડીસમૂહમાં થયો. ડોલરરાય માંકડે પદને સ્વતંત્ર કાવ્યરૂપ માન્યું નથી, પણ એને લઘુકાવ્યનો એક પ્રકાર ગણ્યું છે.૮&amp;lt;ref&amp;gt;૮. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’ પૃ. ૧૯૫&amp;lt;/ref&amp;gt; એ મુક્તક કરતાં મોટો તથા આખ્યાન કરતાં નાનો – એ બેની વચ્ચેનો કાવ્યપ્રકાર છે.&lt;br /&gt;
પદ વૈષ્ણવ શાક્ત, વેદાંતીઓ, શૈવ તથા જૈન એમ બધા જ કવિઓએ રચ્યાં છે. જૈન કવિઓએ સ્તવન, સજ્જાય, વંદન વગેરે સંજ્ઞાથી રચેલાં કાવ્યો પદનાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. દયારામનાં પદ, ગરબા તથા ગરબી વચ્ચે ખાસ ભેદ જણાતો નથી. પ્રીતમની દાણની ગરબીઓને પદ સંજ્ઞા અપાઈ છે. રણછોડભક્તનાં પદોમાં રાગ ગરબી એવો ઉલ્લેખ છે. નરસિંહનાં પ્રભાતિયાં એ પણ પદો જ છે.&lt;br /&gt;
પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. જે ઊર્મિની પદમાં અભિવ્યક્તિ થાય છે તે બે પ્રકારની છે. એક પ્રેમલક્ષણા ભક્તિની અને બીજી ઉપદેશાત્મક. નરસિંહ, મીરાં કે પ્રેમાનંદ (પ્રેમસખી) ગોપીભાવે જે કાવ્યોચિત ઊર્મિ અનુભવતાં – મિલન માટેનો તલસાટ, મિલન થતાં ઉદ્ભવતો હર્ષોતિરેક, કૃષ્ણ જોડેની પ્રણયક્રીડાનું કાલ્પનિક ચિત્રનિરૂપણ, એ બધાની પાછળ પ્રેમલક્ષણા ભક્તિની ઊર્મિ રહેલી છે. જેમ કે નરસિંહના આ પદમાં –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આજ સપરમો દહાડો મારા વાલા રે&lt;br /&gt;
હરિ આવ્યા મારે ઘેર, કાન છોગાળા રે&lt;br /&gt;
શેરી વળાવું સોહામણી મારા વાલા રે&lt;br /&gt;
ફૂલડિયાં વેરાવું નીત, કહાન છોગાળા રે&lt;br /&gt;
સેજ પાથરણાં પાથરું, મારા વહાલા રે&lt;br /&gt;
તે ઉપર બેસો પ્રાણાધાર, કાન છોગાળા રે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઊર્મિ પદમાં નિરૂપાતાં કાં તો કથનાત્મક રૂપ લેતી, અથવા વર્ણનાત્મક. કેટલાંક પદોમાં વર્ણનો પાત્રના મુખમાં ઉક્તિરૂપે આવતાં. જેમ કે મીરાંબાઈનું –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;છાનોમાનો આવે કહાન, પાછલી જ રાતે રે&lt;br /&gt;
વેણુમાંહી ભૈરવ ગાયો, આવીને પ્રભાતે રે&lt;br /&gt;
સમ ખાઈને સૂતી હતી, નહિ બોલું હરિ સાથે રે&lt;br /&gt;
દ્વાર ઉઘાડી પાયે લાગું, મોરલી કેરા નાદે રે....&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદમાં ગોપીની કથનાત્મક ઉક્તિ છે. તો નરસિંહના આ પદમાં ઊર્મિએ વર્ણનાત્મક રૂપ લીધું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રૂમઝૂમ નાદે નેપૂર બાજે, ઝાંઝરના ઝમકાર રે&lt;br /&gt;
તાલીતાલ મૃદંગ ધૂને નાચે, હરિ કિંકણી રણકારે રે&lt;br /&gt;
એક વેણ મહુઅરે વાહે, કામિની કેલ કરતાં રે&lt;br /&gt;
શિર પર સોહે રાખલડી રે, ઝલકે ભમરી લેતાં રે&lt;br /&gt;
કાને કુંડળ મુગુટે મહામણિ, શોભા કહી મનભાવે રે&lt;br /&gt;
ભણે નરસૈયો આનંદભયો અતિ, હરિ ભામિની ભાવે રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં હરિ માટેની લાગણી રસોચિત સામગ્રી અને ગોપી તથા કૃષ્ણના વસ્ત્રાભૂષણના વર્ણન દ્વારા આલેખાઈ છે. વર્ણનાત્મક પદોમાં શરૂઆતમાં તો વર્ણન લાગણીની અભિવ્યક્તિની એક રીતિ હતી. તેથી શરૂઆતનાં પદો ટૂંકાં હતાં પણ પછીનાં કાવ્યોમાં વર્ણન આવવું જ જોઈએ એવી પરિપાટી બંધાતાં વર્ણનપ્રધાન કાવ્યોમાં ઊર્મિતત્ત્વ ઘટતું ગયું. જેમ કે થાળનાં પદોમાં ભોજનસામગ્રીનું વર્ણન આવે. તો એ વર્ણન, પ્રભુમિલનની ઝંખના વ્યક્ત કરવા અને તેને નિમંત્રવા પ્રયોજાય છે. શરૂઆતનાં નરસિંહ વગેરેનાં કાવ્યોમાં, થાળનાં પદોમાં ઇષ્ટદેવ પધરાવવાની વિનંતિને મહત્ત્વનું સ્થાન હોય છે. એથી એમાં ભોજનસામગ્રીની યાદી જ આવવા લાગી. એથી ઊર્મિમાંથી ધાર્મિક રૂઢિ તરફ પદનું સંક્રમણ થતું ગયું.&lt;br /&gt;
પદની ઉત્પત્તિ અને વિકાસમાં આપણાં મંદિરોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મંદિરોમાં જુદે જુદે સમયે થતાં દર્શન વખતે અને પૂજા કરતી વખતે પદો ગાવાનો રિવાજ છે. એથી મંદિરમાં જેટલીવાર દર્શન થાય, જેમ કે મંગળાનાં, રાજભોગનાં, શણગારનાં, ઉત્થાનનાં, હિંડોળાનાં, કૃષ્ણનાં જન્મસમયનાં, જન્માષ્ટમીનાં, હોળી સમયનાં, તે સમયે સમયાનુરૂપ ગાવા માટે પદો રચાતાં. ભજનસંસ્થાઓએ પણ પદની ઉત્પત્તિ અને વિકાસમાં માતબર ફાળો આપ્યો છે. ભજનમંડળીઓમાં ધર્માનુરાગી જીવો, અગમનિગમનાં સંસારની અસારતાનાં, ઈશ્વરના માહાત્મ્યનાં ગીતો ગવાતાં. ભજન મંડળીઓ મોટેભાગે આખી રાત બેસતી, વારતહેવારે સવારથી સાંજ સુધી બેસતી. એમાં ગાવા માટે પદો રચાતાં.&lt;br /&gt;
મધ્યકાલીન પદોનો રચનાર આમજનતામાંનો જ એક જીવ હોવાથી એમાં અલંકારો પણ રોજબરોજના જીવનમાંથી જ વીણાતા. એથી એનું વક્તવ્ય, અદનામાં અદના માણસ સુધી પહોંચી જતું. જેમ કે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બોલ મા બોલ મા બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા&lt;br /&gt;
સાકર ને શેલડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પેલું લોકગીત –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હું તો દાતણ કરું ને હરિ સાંભરે રે&lt;br /&gt;
મારાં દાતણિયાં રહી રહી જાય રે. – હું તો દાતણ૰&lt;br /&gt;
હું તો નાવણ કરું ને હરિ સાંભરે રે. &lt;br /&gt;
મારાં નાવણિયાં રહી રહી જાય રે. – હું તો દાતણ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– દર્શાવે છે કે પદનો ધાર્મિક અને સામાજિક જીવનની જરૂરિયાતમાંથી ઉદ્ભવ થયો. મધ્યકાલીન કવિઓ ક્યારેક પોતાની વ્યક્તિગત લાગણીઓનું પણ નિરૂપણ કરતા, એવાં પદો મોટેભાગે ભક્તિની ખુમારી દર્શાવતાં પદો છે. જેમ કે મીરાંબાઈનું આ પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રીત પૂરવની તે શું કરું, હો રાણાજી&lt;br /&gt;
પ્રીત પૂરવની તે શું કરું?&lt;br /&gt;
હો મેવાડા રાણા મનડું લોભાણું તેનું શું કરું?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ પોતાની વ્યક્તિગત મનોદશાને વ્યક્ત કરતું હોવા છતાં એનો સંબંધ તો ઈશ્વરભક્તિ જોડે છે.&lt;br /&gt;
પદોનો રસદૃષ્ટિએ વિચાર કરતાં મધ્યકાળમાં માધુર્યભક્તિનું પ્રાધાન્ય હોવાથી શૃંગારનાં પદો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એ પ્રકારનાં પદોમાં રાધા, ગોપીઓ અને શ્રીકૃષ્ણ તથા શિવ અને ભીલડી ઇત્યાદિ પૌરાણિક પાત્રોના પ્રણયના ભાવોનું નિરૂપણ થતું –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચૈતર ચંપો મો’રિયો ને મોર્યાં દાડમ દ્રાખ,&lt;br /&gt;
કોયલડી ટહુકા કરે, બેઠી આંબલી ડાળ,&lt;br /&gt;
કે આણાં મોકલ ને મોરાર.&lt;br /&gt;
વૈશાખે વન વેડિયાં, ને વેડી આંબા શાખ&lt;br /&gt;
રસે ભરેલો વાડકો મને કોણ કહેશે તું ચાખ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પદમાં શૃંગારનું પ્રાધાન્ય એટલું બધું રહેતું, કે જૈન સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ પણ જીવાત્મા-પરમાત્માનો સંબંધ શૃંગારની પરિભાષામાં નિહાળતા. જૈન કવિ આનંદઘનજી પ્રેમલક્ષણા ભક્તિનો ભાવ વ્યક્ત કરતાં કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિયાબીન સુધબુધ ખૂંદી હો&lt;br /&gt;
વિરહ ભુજંગ નિત્ય સમે&lt;br /&gt;
મેરી સેજલડી, સૂની હો&lt;br /&gt;
નિશદિન જોઉ તારી વાટડી&lt;br /&gt;
ઘેરે આવોને ઢોલા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મધ્યકાલીન શૃંગારરસનાં પદોમાં પ્રસંગો તથા નિરુપણરીતિનું પુષ્કળ વૈવિધ્ય રહેતું. દયારામના આ પદમાં પ્રણયજન્ય ઈર્ષાનું રસપ્રદ રીતે નિરૂપણ થયું છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને&lt;br /&gt;
શું શોર કરે, વાંસલડી, તું તારી જાત વિચારને.&lt;br /&gt;
તેં એવાં કામણ શા કીધાં, શામળિયે મુખ ચુંબન દીધાં&lt;br /&gt;
મન વ્રજ વાસીનાં હરી લીધાં – હો વાંસલડી૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાલણનું નીચેનું પદ એક લાક્ષણિક દ્રષ્ટાન્ત છે. રાધા કૃષ્ણની જોડે રજની રમી આવી છે. રસ્તામાં એની સખી મળે છે. જે એને સાચી વાત પૂછતાં રાધા ઉડાઉ જવાબ આપે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કહેને કામિની, તું કાંહાં સાસ ભરાણી&lt;br /&gt;
પરસેવો એમ કહાં વળ્યો, તારી ભમર બેહુ ભીંજાણીજી?&lt;br /&gt;
{{right|– સાચું બોલોજી૰}}&lt;br /&gt;
રાધા કહે, ભૂલી પડી વાટ મેં નવ જાણીજી&lt;br /&gt;
વનમાં બહેની એકલી અતિશે તાંહાં ઊંગાણી&lt;br /&gt;
{{right|– સાંભળ સજનીજી૰}}&lt;br /&gt;
આજે વેણી ગૂંથી હસીને, છૂટી કેમ વિખરાણીજી&lt;br /&gt;
ઉતાવળી એવી કહે શી, જુડી નવ બંધાણીજી&lt;br /&gt;
{{right|– સાચું બોલોજી૰}}&lt;br /&gt;
ભમરો આવી શિરપર બેઠો ઉડાડતાં શિર છૂટ્યું જી&lt;br /&gt;
જતન કરીને બાંધતાં, વચ્ચેથી નાડું તૂટ્યું જી&lt;br /&gt;
{{right|– સાંભળ સજનીજી૰}}&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર પછી શાન્તરસનાં પદો પણ સંખ્યાબંધ મળે છે. એ પદો જ્ઞાનનાં છે, અને જ્ઞાનપ્રાપ્તિ થતાં દિવ્યતત્ત્વની ઝાંખી થઈ હોય, તેવાં અગમનિગમનાં પદો છે. જ્ઞાનની મસ્તી પણ ભક્તિની મસ્તી જેવી જ કાવ્યમય હોય છે. નીચેના પદમાં જ્ઞાન થતાં જે આનંદોર્મિ પ્રગટે છે અને ભવ્યતાએ પહોંચે છે તેની ઝાંખી નરસિંહ નીચેના પદમાં કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે&lt;br /&gt;
શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી&lt;br /&gt;
જડ ને ચેતન્ય રસ કહી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી,&lt;br /&gt;
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાના પારણામાંહી ઝૂલે&lt;br /&gt;
બત્તીવિણ તેલ વિણ સૂત્રવિણ જે બળી&lt;br /&gt;
અચળ ઝળકે સદા અનલ દીવો&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહરાવ આ પદ માટે કહે છે, ‘દુનિયાના સાહિત્યમાં આ કદાચ પ્રથમ સ્થાન ભોગવે એવું કાવ્ય છે. એમાં ઊંચામાં ઊંચા તાત્ત્વિક વિચારોને અજબ શક્તિથી ગૂંથ્યા છે... અહીં કવિએ જ્ઞાન અને ભક્તિનું એકીકરણ કર્યું છે.&#039;૯&amp;lt;ref&amp;gt;૯. ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા, ગ્રંથ અને ગ્રંથકાર પુસ્તક : ૨, પૃ. ૨૧૫&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
અખાના આ પદમાં જ્ઞાનની મસ્તી ઋજુ અને કર્ણરંજક શબ્દોમાં વ્યક્ત થઈ છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું એ&lt;br /&gt;
પરપંચ પાર મહારાજ, એ પૂરણ બ્રહ્મ સ્તવું એ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શાંતરસના પદોમાં એક તરફ જ્ઞાનના આનંદની કે આશ્ચર્યની ઊર્મિઓ હોય છે, તેવી જ રીતે અન્ય એક લાગણી જગત પ્રત્યેના નિર્વેદની છે. એનાં અનેક ચિત્રો દ્વારા જગત પ્રત્યેનો અણગમો ઉપજાવવાનો પ્રયત્ન હોય છે. ભોજા ભગતનું નીચેનું પદ એ પ્રકારનું લાક્ષણિક દ્રષ્ટાન્ત છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.&lt;br /&gt;
લીપ્યું ને ગૂંપ્યું આંગણું, ને કાઢવા વેળા થઈ&lt;br /&gt;
અડશો મા તમે અભડાશો, એમ લોક કરે ચતુરાઈ...&lt;br /&gt;
ઘરની નારી ઘડી ન મૂકે, એ પણ અળગી રહી&lt;br /&gt;
ભોજો ભગત કહે કંથ વળાવી, તરત બીજે ગઈ...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ક્યારેક ભક્તિનાં પદોમાં વીરરસોચિત ઉક્તિઓ મળે છે. પ્રીતમનું આ પદ જુઓ:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને&lt;br /&gt;
પરથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ સ્વામીના પદમાં તો ભક્ત જાણે રણમધ્યમાં ગયો હોય ને કવિ એને યુદ્ધ કરવા પાનો ચઢાવતો હોય તેવી રીતે એને સંબોધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રે શિરસાટે નટવરને વરીએ,&lt;br /&gt;
પાછાં તે પગલાં નવ ભરીએ;&lt;br /&gt;
રે સમજ્યા વિના નવ નીસરીએ,&lt;br /&gt;
રે રણમધ્યે જઈને નવ ડરીએ;&lt;br /&gt;
ત્યાં મુખ પાણી રાખી મરીએ રે –&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વીરરસની પરિભાષામાં રચાયેલાં પદોની જેમ આશ્ચર્યવત્ જ્ઞાનનાં પદોમાં – જેને અદ્ભુતરસનાં કહી શકાય તેવાં પદોમાં ધીરા ભગતનું આ લાક્ષણિક પદ ધ્યાન ખેંચે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તરણાં ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ&lt;br /&gt;
અજાજુથ માંહે રે, સમરથ ગાજે સહી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવાં પદોમાં વસ્તુ કરતાં રજૂઆતમાં જ ચમત્કૃતિ રહી હોય છે. એમાં અવળવાણીનું બીજ રહેલું છે.&lt;br /&gt;
પદના પ્રકાર વિષે વિચારતાં વસ્તુદૃષ્ટિએ પ્રથમ ભજન આવે છે. ભજનમાં ઈશ્વરસ્તુતિ, જગતનું મિથ્યાત્વ, પરબ્રહ્મની મહત્તા તથા ભવ્યતા, આત્માપરમાત્માનું સાયુજ્ય, પરમતત્ત્વ જોડે એકતા સધાતાં આનંદમૂર્છા, જગત પ્રત્યેનો નિર્વેદ, ઈશ્વરશ્રદ્ધા એમ વિધવિધ ભાવો આલેખાયેલા હોય છે. ભજનની વિશેષતા એ છે કે ભક્ત ઈશ્વર પાસે કશી યાચના કરતો નથી કારણ કે એ જાણે છે કે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ભજન રચનારને એની પ્રતીતિ થઈ હોય છે એથી મંદિરના દેવ કરતાં અખિલ બ્રહ્માંડમાં એક છતાં જૂજવે રૂપે ભાસતા શ્રીહરિની એ ઉપાસના કરે છે. ઈશ્વરના સ્વરૂપની ઝાંખી થતાં એના હૃદયમાંથી વાણી સ્ફૂરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&lt;br /&gt;
જૂજવે રૂપે અનંત ભાસે&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું&lt;br /&gt;
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. (નરસિંહ)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મંદિરની પૂજાવિધિ જોડે સંકળાયેલાં પદો જેવાં કે ભગવાનને જગાડવા પ્રભાતિયાં, વસ્ત્રાભૂષણ પહેરાવતી વખતે શણગારનાં પદો, પોઢાડતી વખતે શયનનાં પદો, પારણામાં ઝૂલાવતી વખતે હિંડોળાનાં, આરતી ઉતારતી વખતે આરતીનાં પદો, જૈન ચૈત્યવંદન, કે સ્નાત્રપૂજાનાં પદો. – જૈન મંદિરોમાં દર્શન કરતી વખતે ગવાતાં તે ચૈતન્યવંદનનાં પદોમાં દેવનું સંકીર્તન કરાવતું, દેવને સ્નાન કરાવતી વખતે અને પુષ્પ ચઢાવતી વખતે ગવાતાં પદો સ્નાત્રપૂજા કહેવાય છે. પ્રભાતિયાં, હિંડોળાનાં, શણગારનાં કે થાળનાં પદોમાં જુદે જુદે નિમિત્તે ઈશ્વરનું સ્તવન જ હોય છે. જેમ કે આભૂષણ દેવને કેવાં શોભે છે તે દર્શાવાયું હોય છે. હિંડોળાનાં પદોમાં હિંડોળામાં દેવ કેવા શોભે છે તે વર્ણવાયું હોય છે, તેથી એને કીર્તન કહેવામાં અનૌચિત્ય નથી. વસન્તનાં હોળીનાં કે ફાગનાં પદો મધ્યયુગમાં બહોળા પ્રમાણમાં પ્રચલિત હતાં. હોળી ખેલવી કે વસંતપંચમી ઉજવવી એ સામૂહિક ઉજવણીનું એક અંગ હતું. તેને ધાર્મિકતાનો પાશ આપવા કવિઓ પૌરાણિક પાત્રોનું આલંબન લઈ એ ઉત્સવ નિમિત્તે શૃંગારિક પદો રચાતાં. એ પદોમાં પણ ઇષ્ટદેવનાં ગુણગાન હોવાથી એને કીર્તનનાં પદો કહી શકાય. જે સંભોગશૃંગારનાં પદોમાં હોળી કે વસંતનું આલંબન લેવાતું, તેમ મહિનાનાં પદોમાં માસે માસે પ્રવૃત્તિમાં થતાં પરિવર્તનોથી વિરહવ્યથા કેવી કારમી બનતી જાય છે તે દર્શાવાતું. એવા વિરહના બાર માસ પ્રથમ જૈન કવિઓએ રચ્યા છે. વિનયચન્દ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા’ આપણું પ્રથમ બારમાસીનું પદ છે. એ ઈ. ૧૨૧૩માં રચાયું છે. નેમિનાથની રાહ જોતી રાજિમતીની વિરહવ્યથા પ્રત્યેક માસે કેવી જીવલેણ બનતી જાય છે તે એમાં દર્શાવાયું છે. કાવ્યનો આરંભ શ્રાવણ માસથી થાય છે અને ઋતુપરિવર્તનનું આલંબન લઈ રસજમાવટ કરવામાં આવી છે. અષાઢ મહિનો વીતી ગયા પછી અધિકમાસે નેમિનાથ આવે છે અને વિપ્રલંભ સંયોગમાં પરિણમે છે.&lt;br /&gt;
નરસિંહ મહેતાકૃત રાધાકૃષ્ણની બારમાસી એ જૈનેતર કવિની પ્રથમ બારમાસી છે. એમાં કૃષ્ણ મથુરા ગયા છે, રાધા એમના આગમનની પ્રતીક્ષા કરે છે. એમાં પ્રકૃતિનો ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ થયો છે. કાર્તિક માસથી વિરહ શરૂ થાય છે અને અશ્વિન માસમાં કૃષ્ણ આવે છે. બન્નેના મિલનથી કાવ્ય પૂરું થાય છે. પછીના કવિઓએ પણ બારમાસીમાં એ રીત અપનાવી છે. લોકસાહિત્યમાં પણ બારમાસનાં પદો મળે છે.&lt;br /&gt;
વિરહનાં બારમાસનાં પદોની જેમ વિરહનાં વારનાં પદો પણ રચાયાં છે. એમાં વિરહનું આયુષ્ય સાત દિવસનું જ રહેતું, અને આઠમે દિવસે પ્રણયીઓનું મિલન થતું. ભાલણના `મહાદેવજીના સાત વાર’માં પાર્વતીનો મહાદેવ માટેનો વિરહ સોમવારથી શરૂ થાય છે અને રવિવારે મહાદેવ આવી પહોંચતાં વિરહનો અંત આવે છે. આ પ્રકારનાં પદો અત્યંત ટૂંકાં હોવાથી એમાં પ્રકૃતિવર્ણનને ઝાઝો અવકાશ રહેતો નથી અને સાત દિવસનો ટૂંકો ગાળો વિરહવ્યથાને તીવ્ર બનાવી શકતો નથી. એવું જ તિથિનાં પદોનું છે. એમાં પ્રત્યેક તિથિએ અમુક બનાવ બન્યો એમ કહેવાયું છે. જેમ કે પ્રીતમના તિથિના પદમાં પ્રત્યેક તિથિએ કૃષ્ણના જીવનના અમુક બનાવનો ઉલ્લેખ છે. એ રીતે પડવાથી પૂર્ણિમા સુધી, કવિએ સંક્ષેપમાં કૃષ્ણની બાળલીલા ગાઈ છે. આરંભ કૃષ્ણના જન્મ પૂર્વેથી થાય છે, ને પૂર્ણિમાએ રાસક્રીડાથી કાવ્યનો અંત આવે છે.&lt;br /&gt;
મંદિર જોડે સંકળાયેલો અને પૂજાના વિનિયોગમાંથી ઉદ્ભવેલો એવો બીજો એક પ્રકાર આરતીનો છે. ‘આરતી’ પૂજાની વિધિનું એક સ્વરૂપ છે. બધા સંપ્રદાયનાં મંદિરોમાં દેવની આરતી ઉતારાય છે. આરતીનો આરંભ દેવના જયોચ્ચારથી થતો. એમાં દેવનો મહિમા ગવાતો, એનાં સ્વરૂપનું કે આભૂષણનું વર્ણન આવતું. વૈષ્ણવમંદિરોમાં જ્યારે જ્યારે દર્શન થતાં ત્યારે પ્રત્યેક વેળા આરતી ઉતારાતી. જ્યારે અન્ય મંદિરોમાં પ્રાતઃકાળે અને સાયંકાળે આરતી ઉતારાતી. પણ સંધ્યા આરતીનું વિશેષ મહત્ત્વ હોય છે. આરતીનાં પદોમાં વિષય અને નિરૂપણરીતિનું પુષ્કળ વૈવિધ્ય હોય છે. વિષ્ણુના દશાવતાર, શંકરનાં દ્વાદશ જયોતિર્લિંગ, દેવીનાં વિવિધ સ્વરૂપો અને એને વિષેની પૌરાણિક કથાઓનો ઉલ્લેખ થતો. મોટેભાગે પ્રથમ પંક્તિ જ ધ્રુવપદ રૂપે રહેતી. આરતી સંઘગાન હોવાથી, એમાં સ્વરમાધુર્ય, તથા ગેયતા તરફ વિશેષ લક્ષ અપાતું, અને પ્રાસનું માધુર્ય જળવાતું. ગુજરાતમાં ઘણે સ્થળે મંદિરોમાં હરિ-હર બન્નેની મૂર્તિઓ જોડેજોડ હતી તેમ જ અર્ધું અંગ શંકરનું અને અર્ધું વિષ્ણુનું એવી મૂર્તિઓ પણ હતી. એથી ત્યાં હરિહરની સહિયારી આરતી થતી. જેમ કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જય હરિહરા, વિભુ જય હરિહરા&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
કમળનયન કેશવને, શિવજીને ત્રિનયના&lt;br /&gt;
કૌસ્તુભમણિ કેશવને, શિવજીને રૂંઢમાળા&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પદ નાનું કાવ્યસ્વરૂપ હોવા છતાં એમાં કથાઓ પણ કહેવાતી. એવી કથાઓમાં કાં તો એક જ ઘટનાનું નિરૂપણ હોય અથવા ઘટનાપરંપરા ક્રમિક રીતે નિરૂપી હોય. એક જ ઘટનાનું કથન હોય એવાં પદોમાં નરસિંહ મહેતાની હૂંડી, કૃષ્ણની બાળલીલા, ઇત્યાદિ આવતાં. ક્યારેક પૌરાણિક કથાઓમાં કવિ પોતાનું ઉમેરણ કરતો. જેમ કે હરગોવનની કૃષ્ણલીલામાં કૃષ્ણ સાજાસમા રહે તે માટે જશોદાએ અંબાજીની બાધા રાખેલી. તેથી બાધા ઉતરાવવા એ કૃષ્ણને અંબાજી લઈ જઈને ત્યાં વાળ ઉતરાવે છે, તેનું નિરૂપણ કર્યું છે.&lt;br /&gt;
જૈન સજ્જાયોમાં પણ કથાઓ આવતી. જેમાં કોઈ ત્યાગી પુરુષ કે મુનિના જીવનપ્રસંગનું આલેખન થયું. જેમ કે, લબ્ધવિજયજીની ‘ઈલાયચી પુત્રની સજ્જાય’માં ઇલાયચજીએ કેવા સંજોગોમાં વૈરાગ્ય ઉપજવાથી દીક્ષા લીધી તે દર્શાવાયું છે. એવી સંખ્યાબંધ કથાપ્રધાન સજ્જાયો મળે છે. ક્યારેક કથાપ્રધાન સજ્જાયોમાં સંવાદશૈલી અપનાવાઈ હોય છે. જેમ કે ભોજલના ‘કાચબાકાચબી&#039;ના ભજનમાં કાચબાની ઉક્તિથી આરંભ થયો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કળકળમાં કાચબી કૂડી, રામૈયાની રીત છે રૂડી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આખું પદ ‘કાચબાકાચબી&#039;ના સંવાદના રૂપમાં છે. મધ્યકાલીન સાહિત્યમાં આવાં અનેક સંવાદનાં પદો મળે છે. નરસિંહના લોકપ્રચલિત ‘નાગદમન&#039;ના પદમાં પણ નાગિણ અને કૃષ્ણનો સંવાદ જ આદિથી અંત સુધી છે.&lt;br /&gt;
સંવાદની જેમ બીજી રીતિ આત્મકથનની હતી. દયારામનું ઘણું જાણીતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી,&lt;br /&gt;
શ્યામ રંગ સમીપે ન જાવું&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}} &lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ ગોપીના આત્મકથનથી શરૂ થાય છે. આખું પદ એનું આત્મકથન જ છે.&lt;br /&gt;
લોકસાહિત્યમાં પણ સંવાદ અને સ્વગતોક્તિશૈલીનાં પદો મળે છે. નીચેના લોકગીતમાં એક સંતાનવિહીન સ્ત્રી, સંતાનવાળા ઘરનાં રમણીય ચિત્રો એક પછી એક રજૂ કરી પોતાની કરુણસ્થિતિ અસરકારકતાથી વ્યક્ત કરતી દર્શાવાઈ છે. એ કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું&lt;br /&gt;
પગલીનો પાડનાર દ્યોને રન્નાદે&lt;br /&gt;
વાંઝિયાં મેણાં માડી દોહ્યલાં&lt;br /&gt;
પાણીડાં ભરીને ઊભી રહી&lt;br /&gt;
છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે – વાંઝિયાં૰&lt;br /&gt;
ધોયો ને ધફોયો મારો સાળુડો&lt;br /&gt;
ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે – વાંઝિયાં૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નીચેના લોકગીતમાં આરંભની બે પંક્તિઓમાં કવિએ ભૂમિકા બાંધી છે. અને પછી આખું કાવ્ય પતિ અને પત્નીના સંવાદરૂપે રજૂ થયું છે. સમપંક્તિમાં પત્નીની ઉક્તિ છે. તો વિષમ પંક્તિમાં પતિની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;લવિંગ કેરી લાકડીયે રામે સીતાને માર્યા જો&lt;br /&gt;
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પત્ની, પતિને કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રામ તમારે બોલડિયે, હું પરઘેર દળવા જઈશ જો&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો પતિ, એને વળતો ઉત્તર આપે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
એમ સંવાદ આગળ ચાલે છે.&lt;br /&gt;
પદનું સૌથી અગત્યનું અંગ ધ્રુવપદ કે ટેકની પંક્તિ છે. થોડે થોડે અંતરે જે પંક્તિ ફરી ફરી ગવાતી તે ટેકની પંક્તિ કહેવાતી. આખી પંક્તિને બદલે કેટલીકવાર થોડા શબ્દનું જ પુનરુચ્ચારણ થતું ત્યારે એ શબ્દો ધ્રુવપદ કહેવાતા. જૈન કવિઓ ટેકની પંક્તિને આંકણી પણ કહેતા. ઘણીવાર ટેકની પંક્તિમાં જ મુખ્ય વિચાર આવતો હોય છે. પછીની પંક્તિમાં તો મુખ્ય વિચાર વ્યક્ત કરવા દૃષ્ટાંતો જ આપ્યાં હોય છે, જેમ કે નરસિંહનાં પદમાં પહેલી પંક્તિમાં વિચાર રજૂ કર્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછીની પંક્તિમાં એના સમર્થનમાં હરિશ્ચન્દ્ર, રામ, નળ વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. આ કારણે ટેકની પંક્તિ અથવા ધ્રુવપદ, ઘણાં ચોટદાર હોવાં જોઈએ. નરસિંહના ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039;, પ્રીતમના પદ ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને&#039; જેવાં પદોની અર્ધી સફળતા એની ધ્રુવપદની પસંદગીમાં રહેલી છે. ટેકની પંક્તિ દરેક પદમાં હોવી જોઈએ એવો નિયમ નથી, પણ ટેકની પંક્તિ કે ધ્રુવપદવાળાં પદો અને ટેકની પંક્તિ કે ધ્રુવપદ વિનાનાં પદોમાં ફરક એ છે કે ધ્રુવપદ વિનાનાં પદોમાં પ્રાસ જળવાયા હોય છે. જ્યારે ટેકની પંક્તિવાળાં પદોમાં ટેકની પંક્તિ જ પ્રાસની રજૂઆત પૂરી કરે છે. તેમ છતાં ટેકની પંક્તિ પણ હોય અને પ્રાસ પણ જળવાયા હોય એવાં પદો પણ મળે છે : જેમ કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
રૂમઝૂમ નાદે ને નેપૂર બાજે, ઝાંઝરનાં ઝમકાર રે&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તાલીતાલ મૃદંગ ધૂને નાચે, કરિકિંકણી રણકાર રે – રૂમઝૂમ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ નરસિંહના સમયથી દયારામના સમય સુધી (અને આજે પણ) પદનો પ્રવાહ અખંડ વહ્યો જાય છે. આ સમયગાળામાં અનેક નવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં અને વિકસ્યાં. પણ તેથી પદને કશી આંચ આવી નથી. કારણ કે ભિન્નભિન્ન રુચિ અને સંપ્રદાયના લોકોને નિજ નિજ ભાવાભિવ્યક્તિને આલેખવાનો એમાં પૂરતો અવકાશ રહેતો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદમાળા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કથનપ્રધાન ઊર્મિકાવ્યોમાં એક પદ કથન માટે ટૂંકું પડવાથી વસ્તુ એક પદમાંથી અનેક પદમાં વિસ્તરવા લાગ્યું. વળી સામાન્યજનને ભજનની એક ધૂન અથવા એક જ પદમાં આવતી હરિશ્ચન્દ્ર, નળ વગેરેની નામાવલિથી, કે એક નાના પદમાં સમાઈ શકે એવી કથાથી સંતોષ ન થાય, તેથી ભાગવત, અન્ય પુરાણો અને નરસિંહના જીવનમાંથી પ્રસંગો લઈને પદો દ્વારા કથા કહેવાની રીત અમલમાં આવી અને એ રીતે પદમાંથી પદમાળાનું સ્વરૂપ વિકસ્યું. નરસિંહે જ ‘સુદામાચરિત’, ‘હારમાળા’ જેવી પદમાળાઓ રચી છે અને કથાના નિરૂપણ માટે પદનું સ્વરૂપ ફાવતું હોવાથી એણે પૌરાણિક કથાના નિરૂપણ માટે પદોની શૃંખલા રચી અને પ્રસંગો બદલાતા જાય તે સાથે ઢાળ પણ બદલાતા જાય એવી યોજના કરી. એ રીતે પદમાળાનું સ્વરૂપ ઉદ્ભવ્યું, નરસિંહ પછી આખ્યાનકવિ પ્રેમાનંદે ‘ભ્રમરપચીશી&#039; પદમાળા આ રીતે રચી છે. પ્રેમસખી પ્રેમાનંદ કૃત ‘તુલસીવિવાહ&#039; પણ આ સ્વરૂપનું કાવ્ય છે. પુરાણમાંથી કથાવસ્તુ લીધું હોય તો પણ કવિ એમાં ફેરફારો કરી શકતો.&lt;br /&gt;
કથાના વસ્તુનિરૂપણની દ્રષ્ટિએ વિચારતાં કેટલાંકમાં પ્રત્યેક પદે વસ્તુનો વિકાસ થયો હોય છે. એથી કાવ્ય સુશૃંખલિત લાગે છે. જ્યારે અન્ય પ્રકારની પદમાળાઓમાં વસ્તુનો વણાટ ફીકો નજરે પડે છે. એમાંનાં ઘણાં પદોનો કથાના વિકાસમાં કશો ફાળો નથી હોતો. પ્રેમાનંદનું ‘ભ્રમરપચીસી&#039;, પ્રેમાનંદસ્વામીનું ‘તુલસીવિવાહ’ એ શિથિલ બંધવાળી રચનાઓ છે. જ્યારે નરસિંહનું ‘સુદામાચરિત’ કે ‘શામળશાનો વિવાહ&#039; દ્રઢબંધવાળી રચનાઓ છે. આ બે સિવાય એક ત્રીજા પ્રકારની પદ પદમાળા છે જે મહિના તથા તિથિની પદમાળા છે. જેમાં પ્રત્યેક વિરહમાસનું, કે તિથિનું વર્ણન એકએક પદમાં કર્યું હોય છે અને પ્રત્યેક માસે કે તિથિએ વિયોગવ્યથા તીવ્રતર બનતી જાય છે, અને અંત તરફ આવતાં એ ભાવ પરાકાષ્ટાએ પહોંચે છે.&lt;br /&gt;
આ પદમાળાના સ્વરૂપને દુર્ગાશંકર શાસ્ત્રીએ ખંડકાવ્યની સંજ્ઞા આપી છે,૧૦&amp;lt;ref&amp;gt;૧૦. ‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’ ખંડ-૫, વિભાગ-૩, પૃ. ૫૬&amp;lt;/ref&amp;gt; જ્યારે કે. હ. ધ્રુવે એને આખ્યાનની સંજ્ઞા આપી છે,૧૧&amp;lt;ref&amp;gt;૧૧. ‘સાહિત્ય અને વિવેચન’ ભાગ-૨ પૃ. ૨૫૨&amp;lt;/ref&amp;gt; પણ આ સ્વરૂપ ખંડકાવ્ય તેમ જ આખ્યાનથી તદ્દન ભિન્ન છે. જો કે ખંડકાવ્યની જેમ આરંભમાં, મુખ્ય પ્રસંગને અનુરૂપ ભૂમિકા, ભાવવૈવિધ્ય, ભાવાનુરૂપ છંદપરિવર્તન, આલેખાયેલા પ્રસંગોનું એક મુખ્ય પ્રસંગ તરફ ઢળણ, એવાં કેટલાંક તત્ત્વો ખંડકાવ્ય અને પદમાળામાં સમાન હોવા છતાં એ ખંડકાવ્ય નથી. આખ્યાન તથા પદમાળામાં કથાતત્ત્વ, ધાર્મિક ઉદ્દેશ, રસવૈવિધ્ય, મંગળાચરણ અને ફળશ્રુતિ એટલાં તત્ત્વો સમાન હોવા છતાં એ આખ્યાન પણ નથી.&lt;br /&gt;
પદમાળાનો આરંભ ઇષ્ટદેવના સ્તવન કે મંગળાચરણથી થતો. ખંડકાવ્યમાં જેમ પ્રસંગ કે ભાવ બદલાતાં છંદ બદલાય છે તેવી રીતે કેટલીક પદમાળામાં પ્રત્યેક પદના રાગો બદલાય છે. ખંડકાવ્યની જેમ જ ભાવવૈવિધ્ય, અને મુખ્ય ભાવ કે પ્રસંગ તરફ દોરી જતા બીજા પ્રસંગો પદમાળામાં હોય છે. વળી ખંડકાવ્યના કવિ ભાવાનુકૂળ વાતાવરણ સર્જવા પ્રકૃતિવર્ણનનો ઉદ્દીપનવિભાવ તરીકે ઉપયોગ કરતા, તેવો જ પ્રકૃતિનો ઉપયોગ ‘બારમાસી&#039;ની પદમાળામાં થયેલો હોય છે. તેમ છતાં ‘સુદામાચરિત’ જેવી પદમાળાને ખંડકાવ્ય કહી શકાય નહીં, પરંતુ જો કડવાંને આખ્યાનનું આવશ્યક અંગ ન માનીએ તથા મંગળાચરણ, ઇષ્ટદેવસ્તુતિ વગેરેને અનાવશ્યક માનીએ અને પ્રકૃતિવર્ણનને બિનજરૂરી માનીએ તો કદાચ ‘સુદામાચરિત્ર’ જેવી કૃતિને આખ્યાનની નજીક મૂકી શકાય.&lt;br /&gt;
પદમાળાનો જીવન જોડેનો સંબંધ વિચારતાં ભક્તના જીવનને આલેખતી પદમાળામાં સમકાલીન જીવનનું યથાર્થ પ્રતિબિંબ ઝીલાયું હોય છે. નરસિંહવિષયક પદમાળાઓમાં નાગરજાતિની ઈર્ષા, સંકીર્ણ મનોદશા, અન્યની કફોડી સ્થિતિ જોઈને રાજી થવાની કુમતિ વગેરે પ્રતીતિકર રીતે દર્શાવાઈ છે. એક દૃષ્ટિએ જોઈએ તો ‘શામળશાનો વિવાહ&#039; તથા મોતીરામકૃત ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ&#039; કાવ્યોમાં વાર્તાનું કેન્દ્ર નાગરી ન્યાત છે. નરસિંહકૃત ‘હારમાળા&#039;માં વિવિધ સંપ્રદાયના લોકો વચ્ચેના વૈમનસ્યનું ચિત્રણ છે. પ્રેમસખી પ્રેમાનંદ કૃત ‘તુલસીવિવાહ&#039;માં તત્કાલીન લગ્નસમારંભમાં ગવાતાં ગીતો, તથા રીતરિવાજો વિષેની માહિતી મળે છે. આ પ્રમાણે પદમાળામાં ઋતુપરિવર્તનને લીધે લોકોની જીવનરીતિમાં થતા ફેરફારો દર્શાવાતા, તેમ જ સમાજચિત્રણ પણ થતું, તેમ જ પ્રકૃતિવર્ણનને પૂરો અવકાશ રહેતો.&lt;br /&gt;
પદમાળાનો રસદ્રષ્ટિએ વિચાર કરતાં પ્રથમ એક જ રસનું જેમાં નિરૂપણ થયું હોય અને એ રસનો ક્રમિક વિકાસ દર્શાવાયો હોય તેવી મહિનાની પદમાળા તથા પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી&#039; જેવી રચનાઓ છે. એ પ્રકારની પદમાળામાં પ્રેમાનંદ, માણિક્યવિજય રત્નેશ્વર, રામૈયા તથા દ્વારકો, વગેરેનું યોગદાન છે, બીજા પ્રકારની પદમાળામાં એક જ રસનું નિરુપણ હોય પણ રસ પરાકાષ્ટાએ પહોંચતો ન હોય અને કાવ્યમાં સાદ્યંત રસનો પ્રવાહ સમથલ હોય એની તિથિની કે રાવણ મંદોદરી, કે રાધા અને ગોપીકૃષ્ણના સંવાદની પદમાળાઓ, તથા ‘અઢાર પાપસ્થાનની સજ્જાય&#039;, ‘શિયળની નવતાડ&#039;, ‘તુલસીવિવાહ&#039; જેવી પદમાળાઓ છે. ત્રીજા પ્રવાહમાં ‘શામળશાનો વિવાહ&#039; જેવી પદમાળાઓ, કે જેમાં એક મુખ્ય રસ હોય અને તેને પોષનારા બીજા આનુષંગી રસો હોય, તથા રસસંક્રમણ સહજ રીતે થયું હોય તેવી કૃતિઓ છે.&lt;br /&gt;
બારમાસીનો પ્રકાર એટલો લોકપ્રિય હતો કે, જૈન કવિ માણિક્યસુંદરે, રાજિમતીના વિરહની બારમાસી રચી છે. રાજિમતીના નેમિનાથની રાહ જુએ છે. રામભક્ત રામૈયો સીતાના વિરહની બારમાસી રચે છે, એમાં સીતા જાણે ઘરમાં બેઠી હોય, પ્રોષિતભર્તૃકાના નિયમો પાળતી હોય, અને રામ પરદેશ ગયા છે તેની રાહ જોતી હોય એવી રીતનું નિરૂપણ થયું છે, બાર મહિનામાં એક વખત પણ અશોકવાટિકા કે રાવણનો ઉલ્લેખ નથી. બારમાસ પૂરા થવા આવે છે ત્યારે એકાએક કવિને ભાસ થાય છે કે આ સીતાના બારમાસ છે, એટલે આસો માસે પાજ બાંધ્યાનો ઉલ્લેખ આવે છે. રાજેની બારમાસીની પદમાળા તથા ઇન્દ્રાવતી એવા નામથી કાવ્યરચના કરનાર પ્રાણનાથની ‘વિરહની બારમાસી&#039; ભાવાભિવ્યક્તિ તથા શૈલીમાધુર્યને કારણે વિશેષ નોંધપાત્ર લાગે છે.&lt;br /&gt;
શૃંગાર પછી કરુણરસની પદમાળા જે ‘ભ્રમરપચ્ચીસી&#039;, ‘વિરહગીતા’, ‘ઉદ્ધવગીતા&#039; વગેરે નામોથી ઓળખાય છે તેમાં કૃષ્ણના ગોકુળથી મથુરા જવાને કારણે નંદ, જશોદા, તથા ગોપીઓનો ઝુરાપો નિરૂપાયો છે. તેમને સાંત્વન આપવા કૃષ્ણ ઉદ્ધવ દ્વારા જ્ઞાનનો સંદેશ પાઠવે છે. એ પ્રસંગ ભાગવતમાં નથી, પણ મધ્યકાલીન કવિતામાં ‘ભ્રમરગીતા&#039; એ નામથી પ્રચલિત કરવામાં આવ્યો. એમાં ગોપીઓની વિરહની તીવ્ર વેદના ભ્રમરને ઉદ્દેશીને ઉચ્ચારાયલી એમની વક્રોક્તિઓ છે, એ કારણથી ‘ભ્રમરગીતા’ કે ‘ભ્રમરપચ્ચીસી&#039; નામ અપાયું. સમય જતાં ભ્રમરનું પાત્ર અનિવાર્ય ન રહેતાં, અને ભ્રમરને ઉપાલંભ આપીને કૃષ્ણને એ વચનો પહોંચાડવાને બદલે ગોપીઓ સીધેસીધો જ ઉપાલંભ પોતાની વેદનાસહિત ઉદ્ધવ મારફત કહેવડાવે છે. એથી ભ્રમરગીતાને બદલે ‘રસિકગીતા’ (ભીમ); ‘વિરહગીતા’ (પ્રીતમ); ‘વિરહગીતા&#039; (રાજે); ઇત્યાદિ નામો કવિઓએ આપ્યાં છે. એમાં કેટલીક પદમાળાઓ કડવાંબદ્ધ છે, પણ એ કડવાં પદકલ્પ છે, એટલાં ટૂંકાં છે, તથા આખ્યાનનાં કડવાંથી એટલાં ભિન્ન છે કે એનો સમાવેશ પદમાળામાં જ કરવો પડે.&lt;br /&gt;
પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી&#039;માં પચીસ ઊર્મિસભર પદો છે. ઉદ્ધવ જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપે છે ત્યારે જશોદા કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અમો અજ્ઞાનીનાં મન કાળો કામળો રે,&lt;br /&gt;
તેને ચઢે ના બીજો રંગ, કે પહેલી શ્યામતા રે&lt;br /&gt;
ગુણહીન ગોવાળિયા લોક, જ્ઞાન નથી પામતા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી કૃષ્ણને મહેણાં મારે છે, ને કટાક્ષ કરતાં કરતાં કુબ્જાની ઈર્ષા વ્યક્ત કરતાં કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામમાં પેસતાં કન્યા પામ્યો, ચોળવી પડી ના પીઠી રે,&lt;br /&gt;
વર કાળો ને કન્યા ખોડી, લોક હસાવા ઠીઠી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બ્રેહેદેવ, ભીમ, પ્રીતમ, મુક્તાનંદ, રાજે વગેરેએ રચેલી આ ભ્રમયુક્ત કે ભ્રમરહિત ગીતાનામી પદમાળાઓમાં રાજેની ‘વિરહગીતા&#039;, ભાવાભિવ્યક્તિ તથા રચના દૃષ્ટિએ વધુ આકર્ષક છે.&lt;br /&gt;
કરુણ પછી શાન્તરસની પદમાળાઓ વિષે વિચારતાં એમાં વિપ્રલંભ કે કરુણના મહિનાઓ અથવા ગીતાનામી પદમાળાઓની જેમ જ્ઞાનના મહિનાની પદમાળા આવે છે. જ્ઞાનના મહિનાની જેમ જ્ઞાનની તિથિની પણ પદમાળાઓ છે. જ્ઞાનના મહિનાની પદમાળાઓમાં પ્રત્યેક મહિને જીવને ઉપદેશ આપેલો હોય છે. એમાં એક મહિનાના ઉપદેશને બીજા મહિનાના ઉપદેશ જોડે કશો સંબંધ હોતો નથી. તેમ જ જ્ઞાનના ઉત્તરોત્તર વિકાસનો કશો ક્રમ પણ હોતો નથી. જેમ કે ભોજો એના જ્ઞાનમાસની શરૂઆત આ પ્રમાણે કરે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જીવ કારતકે કરની વિચાર, કે&#039;ની ક્યાંથી આવીઓ&lt;br /&gt;
મહામુક્તામણિ મનુષ્યદેહ શે પુણ્યે પામીયો&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}.&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કથનને ગમે તે માસમાં મૂકી શકાય, પ્રીતમની જ્ઞાનની બારમાસીમાં દરેક પદ સાખીથી શરૂ થાય છે. મંગળાચરણમાં ગુરુસ્તુતિ છે. કારતકથી બારમાસીની શરૂઆત થાય છે. કારતકમાં અજ્ઞાન છે. માગશરે મરણનો ભય, ને માયાની મોહિનીમાં ન ફસાવાની જીવને ચેતવણી છે. પોષમાં કર્તાહર્તા હરિ છે એ ભાન કવિ કરાવે છે. એ રીતે એમાં કશી ક્રમબદ્ધતા નથી. એ કવિની અન્ય બારમાસીમાં મંગળાચરણ નથી કે સાખીથી આરંભ પણ થયો નથી.&lt;br /&gt;
જ્ઞાનમાસની જેમ જ્ઞાનની તિથિની પદમાળા પણ રચાયેલી છે. એમાં કેવળ ઉપદેશને બદલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ દર્શાવેલો હોય છે. તેથી એ પદમાળાને શુદ્ધ જ્ઞાનની પદમાળા કહી શકાય. એમાં પડવા(પ્રતિપદા)થી આરંભ થાય છે અને પૂર્ણિમાથી એનો અન્ત આવે છે. દામોદરાશ્રમની જ્ઞાનની તિથિમાં પડવાથી શરૂઆત થઈ છે. પણ એકાદશી આવતાં જીવ ચૈતન્ય એક થયું. ‘બ્રહ્મસ્વરૂપ ભાસ્યું&#039; એમ કહ્યું છે એટલે આગળ જવાનો માર્ગ અવરોધાય છે, ને પૂર્ણિમા સુધી આવતાં કવિને મુશ્કેલી પડે છે.&lt;br /&gt;
ઉદયરત્નકૃત શિયળની નવવાડ, કે જયવિજયજીકૃત ‘અઢાર પાપસ્થાનની સજ્જાય&#039;માં સીધો જ ઉપદેશ આપ્યો છે. પ્રથમ પદમાળામાં શીલવાન પુરુષોએ કયાં કયાં નવ તત્ત્વોથી દૂર રહેવું જોઈએ તે કહ્યું છે તો બીજામાં અઢાર પાપસ્થાનોનાં નામ જણાવી તેનો ત્યાગ કરવા જણાવ્યું છે.&lt;br /&gt;
વસ્તુદ્રષ્ટિએ પદમાળાની વિચારણા કરતાં પ્રથમ કથાનો પ્રકાર આવે છે. નરસિંહકૃત ‘શામળશાનો વિવાહ&#039;, ‘હારમાળા&#039;, મોતીરામકૃત, ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ&#039; કથાપ્રધાન પદમાળાઓ છે. એમાં નરસિંહ એક પાત્ર હોવા છતાં, નાયક તો કૃષ્ણ જ છે, કારણ એ જ સક્રિય હોય છે. એ પદમાળાઓ ભક્તની લાજ રાખવા કૃષ્ણ જે ચમત્કારો કરે છે તે જ કેન્દ્રવર્તી પ્રસંગ છે એમાં કૃષ્ણ જ સાદ્યંત સક્રિય છે.&lt;br /&gt;
કેટલીક પદમાળાઓમાં કેન્દ્રવર્તી પ્રસંગની પૂર્વેની પાર્શ્વભૂમિ આપી હોય છે. નરસિંહના ‘શામળશાનો વિવાહ’માં પ્રારંભના શામળશાના વિવાહપૂર્વેની પાર્શ્વભૂમિ આપી છે. નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં ‘જદુપતિનાથ તે મિત્ર છે તમતણા&#039; એવી સુદામાપત્નીની ઉક્તિથી કાવ્યારંભ થાય છે. મોતીરામકૃત ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ&#039;માં પણ પાર્શ્વભૂમિ વિના સીધો જ કાવ્યારંભ થાય છે. ‘નરસિંહની કૃષ્ણલીલા&#039;ની પદમાળામાં મંગળાચરણ છે. પછી તરત જ કથાનું માહાત્મ્ય જણાવ્યું છે. પછી કથાની શરૂઆત થાય છે.&lt;br /&gt;
કથનપ્રધાન પદમાળામાં કવિ પોતાને મનફાવતું ઉમેરણ કરી શકતો. ‘શામળશાનો વિવાહ&#039;માં નરસિંહ દ્વારકામાં કૃષ્ણને ત્યાં અતિથિ થઈને રહ્યો ત્યારે કૃષ્ણે એનું કેવું ભાવભીનું સ્વાગત કર્યું તેનું ચાર પદો સુધી લંબાણથી વર્ણન કર્યું છે. પદમાળામાં ભોજનસામગ્રી, વસ્ત્રાભૂષણ ઇત્યાદિનાં વર્ણનો પણ સારા પ્રમાણમાં આવતાં.&lt;br /&gt;
કેટલીક પદમાળામાં કથા સુગ્રથિત હોય છે. જ્યારે કેટલીકમાં કથાનો વણાટ ફીસો હોય છે. નરસિંહનું ‘સુદામાચરિત્ર’ સુઘટ્ટ કથાપ્રસંગોની ગૂંથણીનો પ્રકાર છે. જ્યારે નરસિંહની ‘હારમાળા’ એ શિથિલ વણાટવાળી કૃતિ છે. એમાં કેટલાંક પદો એવાં છે જેનો કાવ્યના વસ્તુ જોડે સીધો સંબંધ નથી. સુગ્રથિત પદમાળાઓ ટૂંકી હોય છે. કારણ કે એમાં કવિનું લક્ષ્ય માત્ર કથાનકના જ પ્રસ્તુતીકરણ તરફ હોય છે. ‘હારમાળા&#039; જેવી પદમાળામાં પદોના રાગ આપ્યા હોય છે. અને ભાવપરિવર્તન સાથે રાગ પણ બદલાય છે.&lt;br /&gt;
પદમાળામાં સંવાદનું સ્વરૂપ પણ પ્રચલિત હતું. એ કથનરીતિની પદમાળામાં પ્રેમાનંદની ‘ભ્રમરપચ્ચીસી&#039; સિવાય અન્ય પદમાળામાં કવિ વચ્ચે આવતો નથી, ને પાત્રોને જ બોલવા દે છે. રઘુનાથદાસની પદમાળામાં મોટેભાગે રાધાની ઉક્તિ છે અને રાધાકૃષ્ણનો સંવાદ છે. જેમાં કુશળતાથી બન્નેના વ્યક્તિત્વને દર્શાવ્યું છે. રણછોડની ‘રાવણમંદોદરી સંવાદ&#039;ની પદમાળાની રચના જુદા પ્રકારની છે. પ્રથમ ચાર પદોમાં મંદોદરીની વિનંતિ તથા રાવણનો ઉત્તર છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા પદમાં અનુક્રમે રામલક્ષ્મણનો, રાવણનો અને દૂતનો સંવાદ છે. અંતિમ બે પદોમાં રાવણ અને મંદોદરીનો સંવાદ છે. શરૂઆતનાં ચાર પદોમાં રાવણમંદોદરીનો સંવાદ રામ સેતુ બાંધીને આવ્યા નથી ત્યારનો છે. જ્યારે અંતિમ બે પદોનો સંવાદ રામ સૈન્ય લઈને આવ્યા તે સમયનો છે. પણ આ બદલાયેલી પરિસ્થિતિથી રાવણમંદોદરી અજાણ હોય એમ લાગે છે, કારણ મંદોદરીનું પાત્ર અત્યંત સંવેદનશીલ છે. એની વાણી પહેલાનાં બે પદો જેવી જ છે. ભાઈશંકરકૃત ‘લક્ષ્મીપાર્વતીનો સંવાદ&#039; ભિન્ન પ્રકારનો છે. લક્ષ્મી પાર્વતીને ત્યાં બેસવા જાય છે, ત્યાં બન્ને સંસ્કારવિહીન સ્ત્રીઓની જેમ અત્યંત હલકી ભાષામાં ગાળાગાળી કરે છે.&lt;br /&gt;
આ રીતે પદમાંથી પદમાળાનો ઉદ્ભવ થયો અને એ સ્વરૂપ વિકસ્યું. પ્રારંભિક પદમાળાઓ જોતાં જ્યાં વસ્તુ કથનપ્રધાન હતું ત્યાં પદમાળાની રચના થઈ પણ આખ્યાનના સ્વરૂપનો વિકાસ થતાં પદમાળાનાં વળતાં પાણી થયાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ગરબો-ગરબી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગરબો અને ગરબી બન્ને સંઘનૃત્યના પ્રકારો છે. નૃત્ય કરતાં કરતાં જે ગીતો ગવાતાં તે ગરબો અને ગરબી કહેવાયાં. બન્ને નવરાત્રીને સમયે ઠેરઠેર ગવાતાં. બન્ને શક્તિઉત્સવ જોડે સંકળાયેલાં હતાં. ગરબા નવરાત્રીને સમયે ગવાતા હતા તેનો ઉલ્લેખ મહિનાનાં કાવ્યોમાં થયો છે. પ્રેમાનંદની ‘બારમાસી&#039;માં આસો મહિનાનો ઉલ્લેખ આવતાં કહ્યું છે :&lt;br /&gt;
નવ રે દિવસ નવરાત્રીના ગોરી ગરબા ગાય.&lt;br /&gt;
રત્નેશ્વર અને રણછોડ ભક્તનાં ‘બારમાસ&#039;માં પણ નવરાત્રીમાં ગરબા ગાવાનો ઉલ્લેખ છે. ગરબી વિષે દલપતરામે કહ્યું છે – ગુજરાતનાં શહેરો અને ગામડાંમાં આસો મહિનાના પહેલા પક્ષમાં (નવરાત્રીમાં) તે ગવાય છે.’૧૨&amp;lt;ref&amp;gt;૧૨. ‘કચ્છ ગરબાવળી’ – દલપતરામ&amp;lt;/ref&amp;gt; આમ ગરબો-ગરબી બન્ને નવરાત્રીના શક્તિઉત્સવ જોડે સંકળાયેલાં હતાં.&lt;br /&gt;
ગરબો અને ગરબી મૂળ તો સ્વરૂપદર્શી નામ નથી પણ વસ્તુદર્શી નામ છે. ગરબો એટલે જેમાં છિદ્ર પાડ્યાં હોય એવો માટીનો ઘડો જે ગરબો કહેવાયો; અને દીવો પ્રગટાવવાની લાકડાની ઘોડીને ગરબી નામ અપાતું. એની આસપાસ વર્તુળાકારે ફરતાં ફરતાં જે ગીતો ગવાતાં તે પછીથી ગરબો અને ગરબી કહેવાયાં.&lt;br /&gt;
કૃતિનું ઓળખનું આંતરપ્રમાણ આપણને ગરબામાં મળી રહે છે. જ્યારે ગરબીમાં મળતું નથી. ગરબો સ્થૂલ સ્વરૂપનો હોવાથી, એ વિસ્તારવાળો હોવાથી એમાં મંગળાચરણ, ફળશ્રુતિ વગેરે હોય છે. અને ફળશ્રુતિમાં એ કૃતિ ગરબો છે એવો ઉલ્લેખ આવે છે. જ્યારે ગરબી લઘુરૂપ હોવાથી એમાં એ બધા માટે અવકાશ રહેતો નથી. ગરબીનું બંધારણ અને તેની રચના અત્યંત સુશ્લિષ્ટ હોય છે એમાં એક જ ઊર્મિ કે એક જ પ્રસંગનું નિરૂપણ શક્ય છે. આ ઉપરાંત ગરબા અને ગરબીમાં એક મહત્ત્વનું પાર્થક્ય એ છે કે ‘પુરુષો ગાય તે ગરબી અને સ્ત્રીઓ ગાય તે ગરબો&#039;૧૩&amp;lt;ref&amp;gt;૧૩. ‘રાસકુંજ’ (બીજી આવૃત્તિ)ની પ્રસ્તાવના&amp;lt;/ref&amp;gt; એમ ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે. સામે પક્ષે ગરબો પુરુષ ગાય અને ગરબી સ્ત્રીઓ ગાય એવા લોકગીતના ગરબામાં આંતરપ્રમાણો મળી રહે છે.૧૪&amp;lt;ref&amp;gt;૧૪. ‘રઢિયાળી રાત’ ભાગ-૨, પૃ. ૧૫૩&amp;lt;/ref&amp;gt; ડોલરરાય માંકડ કહે છે, ‘આજે પણ તળ ગુજરાતમાં નવરાત્રિમાં ગવાય તેને ગરબા કહે છે. સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં ગવાય તેને ગરબી કહે છે. હોય છે તો એનું એ જ વસ્તુ, એનાં એ જ કાવ્યો, પણ નામ પરત્વે બન્ને પ્રદેશમાં આવો તફાવત છે.’૧૫&amp;lt;ref&amp;gt;૧૫. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૫૮&amp;lt;/ref&amp;gt; આ બધું દર્શાવે છે કે ગરબાગરબીનો ગાનારની દ્રષ્ટિએ પણ ભેદ પાડવામાં આવ્યો છે.&lt;br /&gt;
ગરબા અને ગરબીનો મૂળ સંબંધ દેવીભક્તિ જોડે હોવા છતાં ધીમેધીમે એનો વિસ્તાર થતાં વિષ્ણુ તથા કૃષ્ણભક્તિનો વિષય પણ એમાં આવરી લેવાયો. તેમજ લોકગીતોમાં તથા વલ્લભ ભટના ‘કળિકાળનો ગરબો’, ‘કજોડાંનો ગરબો&#039; તથા લોકગીતોની ગરબીમાં સમાજની સમસ્યાઓનું નિરૂપણ થતું ગયું, એથી સામાજિક જીવનનાં ચિત્રોને ભક્તિ જોડે સાંકળી લેવામાં આવ્યાં. દા.ત. ‘કળિકાળનો ગરબો&#039; અને ‘કજોડાંનો ગરબો’માં આમ તો વૃદ્ધ પતિની જુવાન પત્નીની દુર્દશા દર્શાવાઈ છે, પણ એ યુવતી ગોરમાને સંબોધીને વર્ણવે છે, અને અંતમાં એ ગોરમાને સમર્થ ધણી આપવા વિનવણી કરે છે. એટલું જ નહિ પણ સહુને માટે એવી યાચના કરે છે. કૃષ્ણના યુગમાં પણ કવિતામાં સમકાલીન સમાજનું આરોપણ થયું છે. જેમ કે દયારામની ‘શીખ સાસુજી દે છે રે વહુની રંગે–ઢંગે&#039; એ ગરબીમાં કે ‘રાજેની ‘બોલી ઊઠ્યાં બાઈજી વહુઆરુ રે. આવડી ક્યાં લાગી વાર એ નવ સારું રે&#039;માં ગોપી અને એની સાસુનો સંવાદ છે. તેમાં સમકાલીન રંગ છે – લોકગીતોની ગરબીમાં નિર્ભેળ સમાજદર્શન કરાવાયું હોય છે. ‘મેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત’ કે ‘મારો ગરબો રે રમે રાજને દરબાર, રમતો રમતો રે ગયો કુંભારીને દ્વાર&#039; ઇત્યાદિમાં સમાજદર્શન કરાવાયું હોય છે. એમ કહી શકાય કે, વસ્તુદૃષ્ટિએ વિચારતાં ભક્તિનો મૂળ ઉદ્દેશ લક્ષમાં રાખી ભક્તિમાંથી ક્રમશઃ વ્યવહાર તરફ સંક્રમણ થતું ગયું. અને ગરબાગરબીના સ્વરૂપ દ્વારા ગ્રામજનતાની વિવિધ સમસ્યાઓ તથા ભાવસંવેદનો એ સ્વરૂપમાં વ્યક્ત થતાં ગયાં.&amp;lt;ref&amp;gt;૧૬. ‘ધરતીનું ધાવણ ભાગ-૨,’ પૃ. ૧૯&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
ગરબાગરબીનો રસદૃષ્ટિએ વિચાર કરતાં પ્રથમ શૃંગાર લઈએ. કારણ કે આ પ્રકારનાં કાવ્યોમાં શૃંગારને ઉદ્દીપન અને વ્યભિચારી ભાવોનાં વૈવિધ્યનો પૂર્ણ લાભ મળે છે. ગરબાગરબીના શૃંગારમાં મુખ્ય પાત્રો કૃષ્ણ અને રાધા કે ગોપીઓ હોય છે. ગરબા મોટેભાગે શક્તિભક્તિ સાથે સંકળાયેલા હોવા છતાં એમાં રાધાકૃષ્ણ અને ગોપીની પ્રણયલીલા વિવિધ રીતે વર્ણવાતી. જેમ કે ‘આંખ મીંચામણીનો ગરબો’, ‘રાસનો ગરબો’, ‘ચન્દ્રાવલિનો ગરબો&#039;, શૃંગારક્રીડાનાં નાયકનાયિકા વિશેષે કરીને રાધા અને કૃષ્ણ જ હોય છે. એમાં કાં તો બેમાંથી એક જણની આત્મોક્તિ હોય છે અથવા બન્નેનો સંવાદ હોય છે, ક્યારેક કૃષ્ણ રાધાને ખુશ કરવા એની પ્રશંસા કરે છે. એ રાધાને કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મારે ઠરવાનો ઠામ એક તારી જાતડી જો,&lt;br /&gt;
રાતદિવસ ધ્યાન તારું મનમાં જો,&lt;br /&gt;
નિદ્રા થાતાં તને દેખું છું સ્વપ્નમાં જો&lt;br /&gt;
મારી રસના રાધારટણ મૂકતી નથી જો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ક્યારેક વાંસળી પિયુનું અધરામૃત પીએ છે તે માટે રાધા એની ઈર્ષા કરે છે. વલ્લભ ભટના ‘સતભામાનો ગરબો&#039;માં પારિજાતનું પુષ્પ કૃષ્ણે રૂક્મિણીને આપ્યું તેથી સતભામા છંછેડાઈ છે. કૃષ્ણને કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘જાણજો મૂઈ સતભામાય, કરી મન વાળજો રે લોલ&lt;br /&gt;
પાપી પિતા અમારો અંધ કે લંપટ લાવિયો રે લોલ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ ઈર્ષ્યા, કટાક્ષ, રુસણું એ બધાં દ્વારા કૃષ્ણ માટેનો એનો પ્રેમ વ્યક્ત થયો છે. જોકે આમ કરવા જતાં દૈવી પાત્રોને સામાન્ય જેવાં દર્શાવતાં એમનું દેવત્વ જળવાતું નથી.&lt;br /&gt;
ગરબાગરબીમાં શૃંગારક્રીડાનું સ્થાન પનઘટ હોય છે. રાધા તથા ગોપીઓ પાણી ભરવા જાય, ત્યારે બેડું માથે ચઢાવવા કોઈની મદદ જોઈએ. એ સમયે કૃષ્ણ ત્યાં હાજર હોય, એને ગોપીઓ બેડું ચઢાવવા કહે ત્યારે કૃષ્ણ અટકચાળાં કરે અને એ રીતે શૃંગારલીલાની શરૂઆત થાય. એનાં થોકબંધ દ્રષ્ટાન્તો ગરબીમાં મળે છે. દયારામની ગરબી તથા લોકગીતમાં પનઘટલીલાનાં રમ્ય દ્રષ્ટાન્તો મળે છે. વલ્લભના ‘આંખમીંચામણાનો ગરબો&#039;માં સંભોગશૃંગારનું પણ નિરૂપણ થયું છે.&lt;br /&gt;
ગરબાગરબીમાં વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા, એથી રાધા અને ગોપી કેવાં ઝૂરે છે, તેના નિરૂપણ દ્વારા મળે છે.&lt;br /&gt;
લોકસાહિત્યના ગરબામાં ગોકુળિયાનું આક્રંદ દર્શાવતાં સારથીને રથ પાછો વાળવા માટે કહ્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હાં રે ફેરો ગોકુળ રથવાળા,&lt;br /&gt;
હાં રે તમે નંદ જશોદાના લાલ.&lt;br /&gt;
ગાયું રે તલખે ને વાછરું રે તલખે&lt;br /&gt;
તલખે ગોપ બિચારા&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં સમગ્ર ગોકુળની કરુણ દશા કવિએ તાદૃશ કરાવી છે. વલ્લભ ભટ્ટે એના ‘કજોડાંનો ગરબો&#039;માં વૃદ્ધ સાથેના લગ્નને પરિણામે બાલિકાવધૂની કરુણદશા નાયિકા દ્વારા અસરકારક રીતે વર્ણવી છે. એ ગોરમાને પોતાની કરુણતા જણાવે છે. એટલે સામાજિક ગરબામાં પણ ભક્તિનું તત્ત્વ જળવાયું છે.&lt;br /&gt;
અદ્ભુતરસ માત્ર ગરબામાં જ નિરૂપાયો છે. એમાં દેવીના ચમત્કારો, તથા કૃષ્ણના બાલ્યજીવનના ચમત્કારો નિરૂપાયા છે. ‘મહાકાળીનો ગરબો&#039;માં પતાઈ રાવળે માતા પર કુદૃષ્ટિ કરી તેથી માતાએ આપેલા શાપનું વર્ણન છે. જો કે ચમત્કાર પોષે છે તો ભક્તિરસને. રણછોડના ‘ચંડીપાઠ&#039;માં મહિષાસુર, શુંભનિશુંભ અને દેવી, એ ત્રણેયની માયાનું નિરુપણ કર્યું છે. રાક્ષસોનાં લોહીનાં ટીપામાંથી બીજા રાક્ષસોની ઉત્પત્તિ, દેવીના કોપમાંથી અંબિકાનો જન્મ, મહિષાસુર કુંજર થયો, દેવીએ કુંજરને વીંધ્યો, એટલે કુંજરમાંથી પુરુષ પ્રગટ્યો, પુરુષને મારતાં તેમાંથી ભેંસારૂપ થયું, વગેરે અદ્ભુત પ્રસંગો કવિએ આલેખ્યા છે. આમ અદ્ભુત રસ વિશેષે દેવી અને અસુરોની માયાનું આલેખન લઈને દર્શાવાયો છે.&lt;br /&gt;
દેવી અને અસુરોના યુદ્ધકૌશલ દ્વારા ગરબામાં વીરરસની જમાવટ થતી હોય છે. રણછોડકૃત ‘ચંડીપાઠ&#039;માં જે યુદ્ધવર્ણન છે તેમાં ઘટનાઓની ત્વરિતગતિ તથા બન્ને પક્ષોની યુદ્ધ કરવાની નિપુણતા દર્શાવી રસજમાવટ થઈ હોય છે. વલ્લભ ભટ્ટના ‘ધનુષધારીનો ગરબો&#039;માં ભંડાસુર અને ધેનાદેવીનું યુદ્ધ અસરકારક રીતે વર્ણવાયું છે. મધ્યકાલીન કવિતામાં વીરરસના નિરૂપણમાં, બન્ને પક્ષો સમાન શક્તિશાળી દર્શાવાતા કે જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.&lt;br /&gt;
લોકસાહિત્યની વીરરસની ગરબીમાં ‘સોનલ ગરાસણી&#039;ની ગરબી પત્નીપ્રેમઅર્થે વીરત્વ દર્શાવતી અનન્ય કહી શકાય એવી ગરબી છે. સોનલ ગરાસણી વિવાહિતા છે. એ સહિયરો જોડે રમતી હતી ત્યાં મુસલમાનોએ એને પકડી, એ પ્રસંગથી ગરબીનો આરંભ થાય છે. રસ્તામાં દાદાનો દેશ આવ્યો. એણે જાણ્યું કે દાદા છોડાવશે, પણ દાદાએ તો પકડનારાઓને ગાયો આપી છૂટકારો મેળવ્યો. કાકાએ ખાડું આપ્યું. તો યે ન છૂટી. ભાઈએ વછેરાં આપ્યાં, પણ એ ન છૂટી ત્યાં એના સ્વામીનો દેશ આવ્યો. એણે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્યારે સ્વામીએ દીધી માથા કેરી મોળયું જો&lt;br /&gt;
માથા કેરી મોળયું જો&lt;br /&gt;
ધડાકે છૂટી સોનલ ગરાસણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મેઘાણી કહે છે, કે આ ગીત આપણા પૌરુષને રોમાંચિત કરે છે, કારણ કે એમાં પોતાની સ્ત્રીને છોડાવવા માટે માથાનું મોળયું આપવા તલવારભેર નીકળતા પુરુષના પડકારનો ધડાકે વિજય થાય છે.૧૭&amp;lt;ref&amp;gt;૧૭. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૦૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
વલ્લભ ભટ કૃત ‘આનંદનો ગરબો&#039;, દયારામકૃત ‘ચાતુરીનો ગરબો&#039;, વગેરે શાન્તરસની રચનાઓ છે. એ ગરબાઓ કાં તો વર્ણનપ્રધાન હોય છે જેમાં અંગ અને વસ્ત્રાભૂષણનાં વર્ણનો આવે છે. અથવા ઉપદેશપ્રધાન હોય છે.&lt;br /&gt;
વસ્તુદૃષ્ટિએ ગરબાગરબીનો વિચાર કરતાં એમાં પ્રથમ વર્ણન આવે છે. દેવદેવીનાં અંગનાં, આભૂષણનાં તથા વસ્ત્રનાં વર્ણનો ગરબામાં મળે છે. એ વર્ણનો પ્રચલિત પ્રણાલિ અનુસાર હોય છે. જેમ કે દાડમની કળી જેવા દાંત, પોપટ જેવું નાક, પરવાળાં જેવા હોઠ ઇત્યાદિ. વસ્ત્રાભૂષણનાં વર્ણનોમાં તત્કાલીન ગુજરાતમાં પહેરાતાં વસ્ત્રાભૂષણ વિષેની માહિતી મળે છે. ‘આરાસુરનો ગરબો&#039;માં દેવીની પૂજાવિધિનું વર્ણન છે. જેમાં પૂજાવિધિની એકેએક વિગત આપી છે. પાદપ્રક્ષાલન, ચંદનલેપ, પુષ્પસમર્પણ, અબીલ ગુલાલનાં છાંટણાં, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઇત્યાદિનો ઉલ્લેખ આવે છે. વર્ણનના ગરબામાં ભાણદાસની ‘ગગનમંડળની ગાગરડી&#039; ગરબી એના કલ્પનાવૈભવને માટે ગરબી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાનની અધિકારી છે. એમાં સૂર્યચન્દ્રનો દીપક કરી, પૃથ્વીનું કોડિયું બનાવી, એમાં સાત સમુદ્રનાં જળ જેટલું તેલ પૂરી, ગગનને ગરબો બનાવી, શેષનાગની ઈંઢોણી કરી, તેત્રીસ કોટિ છિદ્રવાળો અહર્નિશ ઝળહળતો ને અમૃત વર્ષાવતો ગરબો માથે મૂકીને રમતી આદ્યશક્તિ ભવાનીનું જે વર્ણન છે તે કવિની કલ્પનાપ્રતિભાનું દ્યોતક છે.&lt;br /&gt;
વર્ણન પછી કથા. કથા વિશેષે કરીને ગરબામાં હોય છે અને દેવીના અસુરો સામેના યુદ્ધવિષયક હોય છે, જેમાં એણે અસુરોને કેવી રીતે પરાજિત કરીને સંહાર્યા તેની વિગત હોય છે. બીજી કથા અત્યંત પ્રચલિત હતી. કાલિકાએ, એની પર કુદૃષ્ટિ કરનાર પતાઈ રાવળને શાપ આપ્યો, અને એ શાપ કેવી રીતે ફળ્યો તેની કથા વલ્લભ ભટ્ટે ‘મહાકાળીનો ગરબો&#039;માં આલેખી છે. દયારામના ‘મોહિની સ્વરૂપનો ગરબો&#039; તથા રણછોડજી દિવાનકૃત ‘ચંડીપાઠ&#039;માં દેવીએ દૈત્યને શી રીતે સંહાર્યા તે કથા મુનિ સુરથરાજાને કહે છે; તો ‘ધનુષધારીનો ગરબો&#039;માં નારદના પૂછવાથી બ્રહ્મ દેવે કયા સંજોગોમાં ધનુષ્ય ધારણ કર્યું તેની કથા કહે છે. એમાં પૌરાણિક કથાના કથક અને શ્રોતા જાળવી રાખ્યા છે. એ શૈલીની દૃષ્ટિએ વિશેષતા છે.&lt;br /&gt;
લોકસાહિત્યની ગરબીમાં પણ પૌરાણિક કથાઓને લોકપ્રચલિત માન્યતાઓ અનુસાર રજૂ કરી છે. જેમ કે ‘રૂડા રામની ગરબી&#039;માં રામની કથાને જુદું સ્વરૂપ આપ્યું છે. એમાં દશરથને કૌશલ્યા તથા કૈકેયી બે જ રાણીઓ હતી. દશરથનો અંગૂઠો પાકેલો, જેને કૌશલ્યાએ મુખમાં ધર્યો એટલે એ ફૂટી ગયો. કૌશલ્યા કોગળા કરવા ગઈ. દશરથ જાગ્યા ત્યારે કૈકેયી સામે હતી. એટલે એમણે માન્યું કે એની સેવાથી અંગુઠો ફૂટ્યો, એટલે વરદાન માગવા કહ્યું. તેવી રીતે એક કથાપ્રધાન ગરબીમાં દેવકીને જશોદાની બહેન જણાવી છે. બે જુદે જુદે ઠેકાણે પરણાવેલી બહેનો કૂવા પર પાણી ભરવા જાય છે. ત્યાં જશોદા દેવકીને પૂછે છે કે એ કેમ સૂકાઈ છે તો દેવકી કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મેં તો સાત જણ્યાં ને હજી વાંઝિયાં રે લોલ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્યારે જશોદાએ કહ્યું, તને કહાન જન્મશે, એ વખતે મને તેડજે. કહાનનો જન્મ થયો. માસીને બોલાવ્યાં. કહાન ગેડીએ રમતા થયા. એમની ગેડી એક ડોસીને વાગી. તેણે મહેણું માર્યું. ‘તારાં બાપનાં હતાં તે વેર વાળજે રે લોલ&#039; એટલે કૃષ્ણે મામાની શોધ ચલાવી –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સાંકડી શેરીમાં મામો સામો મળ્યા રે લોલ&lt;br /&gt;
ભાણેજ દેખીને મામો સંતાઈ ગયા રે લોલ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં પાત્રોનાં નામ જ પૌરાણિક જ છે. પૌરાણિક કથા જોડે એનો કશો સંબંધ નથી.&lt;br /&gt;
ગરબા ગરબીનો રચનાની દ્રષ્ટિએ વિચાર કરતાં, એમાં પ્રથમ સંવાદ આવે છે. સાદ્યન્ત સંવાદ તો ફક્ત ગરબીમાં જ હોય છે. ને એ સંવાદ કૃષ્ણ અને ગોપી વચ્ચે હોય છે. સ્થળ પનઘટ હોય છે. અથવા દાણને માટે રાધા કે ગોપીઓ જોડે કૃષ્ણ વાક્યુદ્ધમાં ઊતરે છે. અને બન્ને પક્ષોની વાક્ચાતુરીની હરીફાઈ ચાલે છે. જેમાં અંતે કૃષ્ણ જ જીતતા હોય છે. લોકસાહિત્યની એક ગરબીમાં રાજા અને ભીલડીનો સંવાદ છે. રાજા ભીલડીના રૂપ પર મુગ્ધ થયો છે, અને એને જાતજાતનાં પ્રલોભનો આપે છે. જેને ભીલડી તુચ્છકારે છે. જેમ કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તને રાજા બોલાવે રંગ ભીલડી,&lt;br /&gt;
મારી મેડિયું જોવા આવરે – રંગ ભીલડી&lt;br /&gt;
તારી મેડિયું જોઈ હું શું કરું&lt;br /&gt;
મારે છાપરાં સવા લાખનાં – રંગ ભીલડી&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ભેંસો જોવા બોલાવે છે. ત્યારે એના પાડા સવાલાખ છે એમ કહે છે. મૂછો જોવા બોલાવે છે, ત્યારે ભીલડી એનાં પાડાનાં પૂછડાં એનાથી સારાં છે એમ કહે છે. આ સંવાદમાં બન્ને પાત્રોના વ્યક્તિત્વની લાક્ષણિકતા સુપેરે દર્શાવાઈ છે.&lt;br /&gt;
સંવાદ પછી સંદેશના સ્વરૂપ પર આવતાં એ સ્વરૂપ પણ ફક્ત ગરબીઓમાં જ મળે છે. કૃષ્ણ જશોદા તથા ગોપીઓને ઉદ્ધવ દ્વારા જ્ઞાનનો સંદેશો મોકલે છે. ત્યારે જશોદા તથા ગોપીઓ કૃષ્ણને ઉપાલંભ આપતો વળતો સંદેશ કૃષ્ણને મોકલે છે. ગોપી અને જશોદાના સંદેશમાં એમની કરુણ દશાનું ચિત્ર સુપેરે દર્શાવાયું છે.&lt;br /&gt;
સંદેશા પછી સ્તુતિના પ્રકાર પર આવતાં, ગરબા ગરબી બન્નેમાં વિવિધ દેવી-દેવતાનાં મહિમાગાન હોય છે. કેટલીકવાર સ્તુતિમાં કવિઓને ઔચિત્યનું ભાન રહેતું નથી. વલ્લભ ભટ્ટના ‘આનંદનો ગરબો’માં દેવીની સ્તુતિ કરતાં વિષ્ણુના દશાવતારનું આરોપણ દેવીમાં કર્યું છે. તો જીવરાજે ‘શંકરસ્તુતિ&#039;માં શંકરે દ્રૌપદીનાં નવસે નવાણું ચીર પૂર્યાં એમ કહ્યું છે.&lt;br /&gt;
ગરબાગરબીની રચનાવિષયક ચર્ચા કરતાં એ લક્ષમાં રાખવાનું છે કે બન્ને સંઘનૃત્યનાં સ્વરૂપો હોવાને કારણે અને સંઘગાન હોવાને લીધે, એની રચના ગેયતામૂલક હતી, એથી પ્રાસ, યમક, ટેક, પાદાન્તે અથવા પાદની મધ્યમાં `લોલ&#039; જેવાં પૂરકો, એ બધાનું એમાં મહત્ત્વનું સ્થાન છે, પાદાન્તે ‘લોલ’ બહુધા ગરબામાં જ આવતું. ગરબીમાં એ ક્વચિત જ મળે છે. શ્રેષ્ઠ ગરબાકાર વલ્લભ ભટ્ટે ગરબામાં લોલનો પ્રયોગ કર્યો છે. એની ગરબીમાં ‘લોલ&#039; આવતું નથી. દયારામની સંખ્યાબંધ ગરબીઓમાં પાદાન્તે લોલ માત્ર બે જ ગરબીમાં મળે છે.&lt;br /&gt;
આ સ્વરૂપ સાથે રાસ અને રાસડાના પ્રકારનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. રાસ અને રાસડા બન્ને સંઘનૃત્યના પ્રકારો છે. રાસ પુરુષો રમે છે. જ્યારે રાસડા સ્ત્રીઓ રમે છે. રાસના વિષય વિશેષતઃ કૃષ્ણ અને ગોપીઓ જોડે સંકળાયેલા હોય છે. મૂળ તો રાસડામાં પણ કૃષ્ણગીતો હતાં. પણ પાછળથી એનું અનુસંધાન સામાજિક અને કુટુંબજીવન જોડે રહ્યું. રાસ મુખ્યત્વે દાંડિયારાસ છે. રાસડા તાલીનૃત્ય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;રાસા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સ્વરૂપ મુખ્યત્વે જૈન સાહિત્યનું હોવાથી એનો આરંભ તીર્થંકર કે તીર્થંકરોના વંદનથી થતો. ઘણું કરીને સઘળા તીર્થંકરોનું વંદન કરાતું. એ પ્રાથમિક વંદન પછી સરસ્વતી કે અન્ય કોઈ દેવીની સ્તુતિ પણ પ્રાયઃ સર્વે રાસાઓમાં થતી. બારમી સદીમાં રચાયેલા પ્રથમ ઉપલબ્ધ રાસ શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર બાહુબલિરાસ&#039;માં પ્રારંભ ઋષભદેવના પુત્રો નાયક હોવાથી ઋષભદેવને પ્રણામ કરી સરસ્વતીનું સ્મરણ કરી કાવ્યારંભ કર્યો છે. ૧૪મી શતાબ્દીમાં રચાયેલા સમરારાસુમાં પણ શરૂઆત આદિશ્વર, બધા અરિહંત અને પછી સરસ્વતી વંદનાથી થાય છે. ૧૫મી શતાબ્દીના હીરાણંદસૂરિ રચિત ‘વિદ્યાવિલાસ પવાડો’માં પણ પ્રથમ જિનેશ્વરને વંદન કરીને પછી સરસ્વતીવંદન છે. ૧૬મી સદીના લાવણ્યસમયરચિત ‘વચ્છરાજ દેવરાજ રાસ’માં ૧૭મી સદીમાં ઋષભદેવ કૃત ‘રૂપચંદકુંવરરાસ&#039;માં પણ બધા સિધ્ધોને ચરણે નમન કરી પછી સરસ્વતીને વંદન છે. ૧૮મી સદીના વિનયવિજયસૂરિના ‘શ્રીપાલરાસ’માં પહેલાં સરસ્વતીવંદન છે, અને પછી સિદ્ધચક્રને વંદન છે, તો એ જ સદીના કુશળલાભની ‘માધવાનલ કામકંદલા ચોપાઈ&#039;માં ફક્ત સરસ્વતીવંદનાથી જ આરંભ કરાયો છે. આ રીતે પ્રત્યેક સદીના રાસાઓમાં ઇષ્ટદેવના વંદન અને સરસ્વતીના વંદનથી આરંભ થતો હોય છે. રાસાનું સ્વરૂપ ક્રમશઃ બદલાતું હોવા છતાં આ મંગળાચરણ તો યથાવત્ રહ્યું છે. સરસ્વતી ઉપરાંત ક્યારેક ચક્રેશ્વરી કે અંબિકાનું સ્તવન પણ આવતું હોય છે. પંદરમી સદી પછીના રાસાઓમાં તો કથામાં વારંવાર પાત્ર મુશ્કેલીમાં આવી પડતાં દેવીનું આગમની થતું અને દેવી ચમત્કાર કરીને પાત્રની મુશ્કેલી ટાળતી, અહીં એ નોંધવું જોઈએ કે મંગળાચરણ કે ઈશ્વર દેવસ્તુતિ ને સરસ્વતીવંદનાથી કાવ્યારંભ એ તો સમગ્ર મધ્યકાલીન દીર્ઘકાવ્યોની પ્રણાલી છે. આખ્યાનકાવ્યોમાં પણ મંગળાચરણથી આરંભ થયો છે.&lt;br /&gt;
જેમ રાસાઓના આરંભમાં તીર્થંકરની વંદના આવતી તેવી રીતે કાવ્યાન્તે કવિ પોતાનું નામ, પોતાના ગુરુનું નામ, ગ્રન્થરચ્યાસાલ, ફળશ્રુતિ વગેરે આવતાં. પંદરમી સદી પછીના રાસાઓમાં જે ધાર્મિક સિદ્ધાંતના પ્રતિપાદનાર્થે રાસ રચાતો. તે સિદ્ધાંતનો પણ ઉલ્લેખ થતો. સામાન્ય રીતે રાસાના રચયિતા મોટે ભાગે સાધુ હોવાને કારણે પોતાના ગુરુનું નામ આપતા. ઋષભદાસ સાધુ નહોતા તેથી એમના પિતાના નામનો ઉલ્લેખ કરે છે. બારમી શતાબ્દિમાં રચાયેલા ‘ભરતેશ્વર બાહુબલિરાસ&#039;માં કવિએ પોતાનું નામ, રચ્યા સાલ, તિથિ તથા વાર આપ્યાં છે તે રચ્યા સાલ નથી, પણ રાસાના નાયક સમરસિંહે જે સાલમાં જે તિથિએ, ઋષભદેવની મૂર્તિની શેત્રુંજય પર સ્થાપના કરી, તેનો ઉલ્લેખ છે. ૧૫મી સદીના સાધુહંસકૃત ‘શાલિભદ્રરાસ&#039;માં પણ પોતાના ગુરુનો પરિચય, રચ્યા સાલ, મહિનો, તિથિ, વાર તથા ફળશ્રુતિ આપેલાં છે. સોળમી સદીમાં લાવણ્યસમયે, ‘વચ્છરાજ દેવરાજરાસ&#039;માં પોતાનો પરિચય જરા જુદી રીતે આપ્યો છે. એમાં કહ્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલો અક્ષર લાભનો, બીજો ભવનો જાણી&lt;br /&gt;
ત્રીજો પુણ્યવંત બીજલુંએ – માબ્હતંડે&lt;br /&gt;
આગલિ સમય કવેઈ –&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ ‘લા&#039;, ‘વ&#039; અને ‘ણ્ય&#039; એ ત્રણ પોતાના નામના અક્ષરો સૂચવી પછી એને સમય લગાડવાથી પોતાનું નામ બને છે એમ જણાવ્યું છે. એ કાળમાં સમસ્યાનું પ્રચલન હતું અને બુદ્ધિની પરીક્ષા માટે સમસ્યા અનેક રાસાઓમાં પ્રયુક્ત થઈ છે, સત્તરમી સદીમાં ઋષભદાસ એના ‘હીરવિજયસૂરિરાસ&#039;માં આત્મપરિચયમાં સમસ્યાનો જ ઉપયોગ કરે છે. જેમ કે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ અખ્ખર ‘ઋષિ&#039; ધરતી લેહ, મેષ ‘લા&#039; તણો&lt;br /&gt;
અખ્ખર ભવ તમો શાલિભદ્રતણો નયનમો તેહ.&lt;br /&gt;
કુસુમ ‘દા&#039; મનો વેદમોભણે.&lt;br /&gt;
વિમલ ‘સ&#039; હી અખ્ખર બાણમો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ પિંગળની પરિભાષા પ્રમાણે એક માટે ચંદ, બીજા માટે નયન, ત્રીજા માટે ભવન, ચોથા માટે વેદ, અને પાંચમાં માટે બાણ સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. આજ પરિભાષા એમણે મહિના, વાર અને તિથિ માટે વાપરી છે. એ કારણે જે ત્રણ પંક્તિમાં કહી શકાય તે બાવીસ પંક્તિમાં કહ્યું છે. આ પરથી રાસામાં વિસ્તાર શી રીતે થતો ગયો તેનો ખ્યાલ આવશે. અઢારમી સદીના રાસાઓમાં ફળશ્રુતિ કે કવિનો પરિચય પ્રણાલી અનુસાર અપાયો છે.&lt;br /&gt;
રાસાઓના અંતમાં કર્તાનું નામ, રચ્યા સાલ, કવિનો આત્મપરિચય એ બધામાં ફળશ્રુતિ એ મહત્ત્વનો અંશ હતો, કારણ કે એથી કર્તાના વક્તવ્યની શ્રોતાઓ પર સચોટ અસર થતી, અને સામાન્ય કથાથી રાસાની કથાને જુદો પાડનારો એ અંશ હતો.&lt;br /&gt;
રાસાનું ત્રીજું મહત્ત્વનું અંગ ધર્મોપદેશ છે. સમગ્ર રાસાસાહિત્ય, પછી એ કથાપ્રધાન હોય કે ન હોય, પણ એનું ધ્યેય તો ધર્મોપદેશ આપવાનું હતું. એ ઉપદેશ આપવાની રીત ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન હતી. પંદરમી સદી પૂર્વેના, અને પછીની સદીઓમાં રચાયેલા રાસાઓમાં જે ભેદ હતો, તે ધર્મોપદેશનાં સાધનનો હતો. પંદરમી સદીની પૂર્વેના રાસાઓમાં સીધો જ ધર્મોપદેશ આવતો પણ પછીના રાસાઓમાં ક્યારેક સીધો તો ક્યારેક પાત્રો દ્વારા કે પ્રસંગના નિરૂપણ દ્વારા પરોક્ષ ઉપદેશ આપ્યો હોય છે. ઈ. ૧૧૮૫માં રચાયેલા વિનયચન્દ્રના ‘સપ્તપદી રાસ&#039;માં મંગળાચરણ પછી સીધો ઉપદેશ છે. કવિ રાસ ખેલનારને કે પાઠકને બાર વ્રત કરવાનું કહી, બાર વ્રતની યાદી આપે છે. શાલિભદ્રસૂરિકૃત ‘બુદ્ધિરાસ&#039; તો સાદ્યન્ત ઉપદેશકાવ્ય જ છે. એ જ કવિના ‘ભરતેશ્વર બાહુબલિરાસ&#039;માં ભરતે એમના ભાઈ બાહુબલિને હણવા ચક્ર મોકલ્યું, પણ ચક્ર ભરતના જ ગોત્રને હણતું નથી તેથી ભરત વિમાસણમાં પડે છે ત્યારે બાહુબલિ કહે છે, ‘જા તું જીત્યો, હું હાર્યો.&#039; એ શબ્દોથી ભરતનું હૃદયપરિવર્તન થાય છે અને એને અહિંસાનું માહાત્મ્ય સમજાય છે. ૧૫મી સદીના લાવણ્યસમયરચિત ‘વચ્છરાજ દેવરાજરાસ&#039;માં દયાનું મહત્ત્વ સમજાવવા કથાની રચના કરી છે એવું કવિએ સ્પષ્ટતઃ કહ્યું છે. સત્તરમી સદીમાં રચાયેલા દર્શનવિજયના ‘પ્રેમલાલાચ્છીરાસ&#039;માં કાવ્યારંભે શીલનું મહત્ત્વ સમજાવવા કથાની રચના કરી છે, તે દર્શાવતાં કવિ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીલ પ્રભાવિ સુખ ઘણું, શીલ સુગતિ દાતાર&lt;br /&gt;
{{gap|6em}}&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;&lt;br /&gt;
શીલ અધિકાર કવઈ કવિ, દેવ, ગુરુ, ધર્મ પસાય&lt;br /&gt;
ચંદને સર મનિ ધરી, રાસ રચું સુખદાય.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઉપરાંત આપત્તિ સમયે નાયિકાને મુખે કવિ ઉચ્ચારાવે છે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કષ્ટ પડી જો રાખીઈ, શીલતણી નિજ – ટેક&lt;br /&gt;
તો જગિ કીરતિ વિતરઈ...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ વસ્તુગૂંથણીમાં, શ્રોતાઓના ચિત્ત પર શીલની શક્તિ સ્થાપિત કરવાનું કવિનું લક્ષ્ય છે.&lt;br /&gt;
સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં નયસુંદરે રચેલા ‘રૂપચંદકુંવર રાસ&#039;માં જૈનધર્મની મહત્તા સ્થાપિત કરતાં કહ્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તત્ત્વદ્રષ્ટિએ જોતા હતા સ્યાદવાદ શુદ્ધ પંથ&lt;br /&gt;
અવર એકાન્તિક મત જેટલા, મત તેહિ જ ઉન્માદ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ રાસમાં સર્વ ધાર્મિક સિદ્ધાંતોમાં અહિંસાને પ્રથમ સ્થાન આપ્યું છે. અઢારમી સદીના અંતમાં મુનિ પદ્મવિજયે રચેલા ‘જયાનંદકેવલીરાસ&#039;માં દર્શાવ્યું છે કે જયાનંદ પર દેવી હિંસક હુમલો કરે છે. પણ જયાનંદ અહિંસક રહીને નવકારમંત્ર ભણે છે, પરિણામે દેવીએ હિંસાનો ત્યાગ કર્યો. એ જ રાસની અનેક આડકથાઓમાં અરણ્યવાસી જૈનમુનિના પ્રભાવથી, મૃગ, સારસ વગેરે પશુપક્ષીઓ ‘સમકિતધારી&#039; થઈને જિનવરની આણ માને છે. એથી રાજાના સૈનિકો મૃગયા રમવા ત્યાં આવ્યા પણ કોઈ પણ પશુપક્ષીને એક પણ તીર વાગ્યું નહિ.&lt;br /&gt;
અહિંસાની જેમ બીજો મહત્ત્વનો સિદ્ધાંત કર્મવાદનો છે. સત્કર્મોનાં લાભદાયી ફળો અને કુકર્મોનાં માઠાં ફળો કથામાં અસરકારક રીતે દર્શાવી શકાય. સોળમા સૈકામાં નયસુંદરે રચેલા ‘સુરસુંદરીરાસ&#039;માં કવિ પ્રત્યક્ષ રીતે કર્મવાદનો સિદ્ધાંત કેવો મહત્ત્વનો છે, તે સમજાવતાં કહે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કર્મ વિપાક ન કોઈ સાઈ, નાંખે કર્મ મહાભવખાઈ&lt;br /&gt;
નવનૃપ કુબજ સુખાર અભ્યાસી, હરિચંદ વેચાવિયાં માંહી કાશી&lt;br /&gt;
કર્મે રાવણ કાઈ શાબાશી, કૌરવ સંતતિ કર્મે વિણાસી&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જૈન ધર્મ ઈશ્વરમાં માનતો નથી, તેથી કર્મફળનું મહત્ત્વ અત્યધિક છે. જૈન ધર્મગ્રન્થોમાં ક્યાંય ઈશ્વરસ્તુતિ આવતી નથી. એથી પાત્ર પર જ્યારે દુઃખ પડે છે, ત્યારે એ એમ માને છે, કે એ એનાં કર્મનું ફળ છે. એક દ્રષ્ટિએ રાસાના લેખકો પ્રત્યક્ષ રીતે કર્મવાદનો ઉપદેશ આપતા તો અન્ય પક્ષે કર્મનું ફળ દર્શાવવા પાત્રના દુઃખનું કારણ એના પૂર્વજન્મની કરણી છે એમ પુરવાર કરવા પાત્રોના અનેક પૂર્વજન્મોની કથાઓ કહેતા. પંદરમી સદી પછીના રાસાઓમાં વિસ્તાર માટે પૂર્વજન્મની કથાઓ પણ મહદંશે જવાબદાર છે. બાણની કાદંબરીમાં અને જાતકકથાઓમાં પણ પૂર્વભવની કથાઓ આવે છે, ને એ રીતે જૈનોના કર્મ સિદ્ધાંતમાં ઠીક રીતે ગોઠવાઈ જાય છે. પંદરમી સદી પછીના પ્રત્યેક કથામૂલક રાસમાં નાયક અને નાયિકાના પૂર્વભવની કથાઓ અચૂક આલેખાતી. એ કથાઓ દ્વારા કયું પાત્ર, કયા કર્મને લીધે કેવી સજા ભોગવે છે તે શ્રોતાઓને સમજાવાતું. તદુપરાંત પૂર્વભવની કથાઓના નિરૂપણને કારણે એક કથામાં અનેક કથાઓ કહી શકાતી. અઢારમી સદીના અંતમાં પદ્મવિજયકૃત ‘જયાનંદકેવલીરાસ&#039;માં તેમજ ‘અશોકરોહિણીરાસ&#039;માં અવાન્તરકથાનાં પાત્રોની પણ પૂર્વભવની કથાઓ આલેખાઈ છે. ‘જયાનંદકેવલીરાસ&#039;માં જયાનંદના પૂર્વેના ચાર ભવોની કથા કહી છે, તો ‘અશોકરોહિણીરાસ&#039;માં અશોક, તેનાં આઠ સંતાનો, રોહિણીના બે પૂર્વજન્મો એમ બધું મળીને અગિયાર જણના પૂર્વભવની કથાઓ છે. પૂર્વભવના કથાના કથનની પણ એક પ્રણાલિ હતી. વાર્તાનો અન્ત આવે ત્યારે નાયકના સ્થાનમાં કોઈ મુનિ આવી ચઢે. પાત્રો એમનો ઉપદેશ સાંભળે, પછી પોતાના પૂર્વભવ વિષે મુનિને પૂછે, મુનિ એમના પૂર્વભવનો વૃત્તાંત કહે, પછી પાત્રો એમની પાસે દીક્ષા લે. આ ક્રમ પ્રત્યેક રાસામાં સચવાયો હોય છે. પંદરમી સદીની પૂર્વેના રાસાઓમાં તો દીક્ષાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને જ રાસાઓ રચાતા, ચૌદમી સદીનો ‘જિનકુશલ સૂરિપટ્ટાભિષેક રાસ&#039; દીક્ષાના પ્રસંગને કેન્દ્રમાં રાખી રચાયેલો રાસ છે. ક્યારેક દીક્ષાના પ્રસંગને વિવાહનું રૂપક આપીને રાસાઓ રચાયા છે. જેમ કે જિનપદ્મસૂરિ વિવાહલુ&#039; અને પંદરમી સદીનો ‘જિનોદયસૂરિ વિવાહલુ’. પંદરમી સદી પૂર્વેના અને પંદરમી સદી પછીના દીક્ષાના પ્રસંગને નિરૂપતા રાસાઓમાં એ પ્રભેદ હતો, કે પૂર્વેના રાસા એક જ ઐતિહાસિક વ્યક્તિના દીક્ષાના પ્રસંગને વર્ણવતા જ્યારે પછીના રાસાઓમાં તો કાવ્યાન્તે અનેક વ્યક્તિ દીક્ષા લેતી. સત્તરમી સદીમાં રચાયેલા ‘નલદમયંતીરાસમાં&#039; નળ, દમયંતી, નળનો ભાઈ, અને ઋતુપર્ણ અને બીજા બે જણ, એમ છ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે છે. એ જ સદીના કેશરાજકૃત ‘રામયશોરસાયન રાસ’માં રાજા સુગ્રીવ, શત્રુઘ્ન અને બીજા સોળ હજાર રાજાઓ દીક્ષા ગ્રહણ કરે છે. હનુમાન પણ દીક્ષા ગ્રહણ કરે છે. જૈનધર્મમાં કર્મને ખપાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેથી અંતે દીક્ષાનો પ્રસંગ નિરૂપાતો.&lt;br /&gt;
આ રીતે ધાર્મિક સિદ્ધાંત સ્પષ્ટ રીતે સમજાય એ ઉદ્દેશથી કરેલી વસ્તુગૂંથણી, તીર્થમાહાત્મ્ય, કર્મવાદને પ્રતીતિકર રીતે સમજાવવા પૂર્વજન્મની કથાઓનું નિરૂપણ, અને મુનિઓના ધર્મોપદેશને પરિણામે નાયક અને બીજાં અનેક પાત્રોનું દીક્ષાગ્રહણ એ રાસાઓનું મહત્ત્વનું લક્ષણ છે.&lt;br /&gt;
રાસાઓનું ચોથું મહત્ત્વનું લક્ષણ તે પ્રકૃતિવર્ણન, મંદિર અને પૂજાવિધિનું વર્ણન, નગરવર્ણનો, સ્ત્રીપુરુષ અંગ અને વેષભૂષાનાં વર્ણનો. નોંધવું જોઈએ કે પૂજાવિધિનાં વર્ણનો એ રાસાની વિશેષતા હતી. બીજાં વર્ણનો આખ્યાન, કથાવાર્તા, ફાગુ વગેરે સ્વરૂપોમાં પણ આવતાં. પ્રારંભના રાસાઓમાં આ વર્ણનો ટૂંકાં હતાં પણ પછીના રાસાઓમાં વર્ણનોનો વિસ્તાર વધતો ગયો. પંદરમી સદી પૂર્વેના રાસાઓ, પ્રસંગપ્રધાન કે વર્ણનપ્રધાન હતા. ‘રેવંતગિરિ રાસુ’, જિનેશ્વરસૂરિ વિવાહલુ&#039; આદિ વર્ણનપ્રધાન રાસાઓ છે જ્યારે ‘ભરતેશ્વર બાહુબલિરાસ’, ‘સમરારાસુ’, સિરિથુલિભદ્ર રાસ&#039; વગેરેમાં થોડેવત્તે અંશે કથાનું તત્ત્વ હતું. પણ તે પછીના રાસાઓમાં કથાની જોડે વર્ણનો પણ ભળ્યાં.&lt;br /&gt;
આ વર્ણનોનાં એકાદ બે દ્રષ્ટાન્તો જોઈએ. ૧૬મી સદીમાં લાવણ્યસમયે રચેલા ‘વચ્છરાજ દેવરાજરાસ&#039;માંના વનવર્ણનની થોડી પંક્તિઓ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વનગવ્હર તે કહિયે કિસૂ, સૂરજ કિરણ ન ફૂટે ઈસુ,&lt;br /&gt;
વાજે વાયુ, શીતળ વાય,&lt;br /&gt;
સાવજ તણા યૂથ ગહગહે, ચંચલચપલ ન સહ્યા રહે&lt;br /&gt;
વાઘસિંહ ગાજે ગડગડે, તિણ નાદે ધરતી ધડધડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સત્તરમી સદીમાં ઉદયરત્નરચિત ‘લીલાવતીરાસ&#039;માં મહિયારીના વેષમાં લીલાવતીનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અજબ બની એ આહિરડી, મલપતી મોહન વેલ&lt;br /&gt;
રૂપે રંભ હરાવતી, ગજપતિ આંબે ગેલ&lt;br /&gt;
ધોલી ધાબલી પહિરણે, વિચવિચ રાતાતાર&lt;br /&gt;
કોરે કાલા કાંગરા, ગલે ગુંજાનો હાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નગરવર્ણનોમાં પ્રથમ જંબુદ્વીપ, પછી ભારત, પછી પ્રાંત, અને પછી નગર એ ક્રમ રહેતો. સ્ત્રીના અંગવર્ણનમાં પણ પરંપરાનું જ અનુસરણ થતું જેમ કે પોપટની ચાંચ જેવું નાક, દાડમની કળી જેવા દાંત, પરવાળાં જેવા હોઠ ઇત્યાદિ.&lt;br /&gt;
રાસાનાં આ સામાન્ય લક્ષણો ઉપરાંત પંદરમી સદી પછીના રાસાઓમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે. એમાં કથાતત્ત્વો તો હોય છે, અને એક મુખ્યકથાની જોડે અનેક અવાન્તર કથાઓની ગૂંથણી થઈ હોય છે. આ અવાન્તર કથાઓ મૂળ કથાનું પાત્ર પોતાના વક્તવ્યના સમર્થનમાં કહેતું. કેટલીકવાર પાત્રો એકબીજાને દ્રષ્ટાન્તકથા કહેતા. આ પ્રકારની ગૂંથણીથી કથામાં સર્વાંગસૂત્રતા રહેતી નથી. ઘણીવાર એકની એક અવાન્તર કથા અનેક રાસાઓમાં જડે છે. એ અવાન્તરકથાઓમાં શૃંગાર તથા અદ્ભુતરસ પ્રધાનપણે આલેખાતો. એમાં શૃંગાર એ હેતુથી નિરૂપાતો કે કથાનાયક કથાને અંતે દીક્ષા લે તે પૂર્વે એણે સંસારીરસનો પૂર્ણાંશે, ઉપભોગ કર્યો હોય, જેથી સંસારમાં એની વાસના ન રહે. એથી નાયક અનેક સ્ત્રીઓને પરણે, અને સંભોગનું વિશેષ પ્રમાણમાં નિરૂપણ થતું. વાર્તાને રસપ્રદ બનાવવા એમાં મેલી વિદ્યાથી માણસનું પશુપક્ષીમાં ફેરવાવું, વૃક્ષોનું અધ્ધર ઊડવું, વગેરે અદ્ભુત પ્રસંગો પણ યોજાતા.રાસામાં સુભાષિતો, મુક્તકો તથા પ્રહેલિકાઓ પ્રચુર પ્રમાણમાં આવતાં. જોકે કથાવાર્તા સ્વરૂપમાં પણ એ પ્રચુર માત્રામાં હોય છે. એટલે એ રાસાનું વિશિષ્ટ લક્ષણ છે એવું નથી. પ્રહેલિકા કે સમસ્યાનો ઉપયોગ, કાળનિર્ગમન કરવા અથવા નાયકનાયિકાની બુદ્ધિની કસોટી કરવા રાસા અને કથાવાર્તામાં થતો હોય છે, રાસામાં સમકાલીન સમાજનું પણ પ્રતિબિંબ પડતું હોય છે. જેમ કે, ‘રૂપચંદકુંવરરાસ’, ‘જયાનંદકેવલીરાસ’ ઇત્યાદિમાં જ્યારે રાજા મોટું પગલું ભરે ત્યારે મહાજન હડતાલ પાડતું, તેનો ઉલ્લેખ છે. તેમ જ ‘કુસુમશ્રીરાસ’, ‘શીલાવતીનો રાસ’, ‘શ્રીપાળાનો રાસ&#039;માં છેક ગુજરાતના વેપારીઓ દરિયાપાર વેપાર અર્થે જતા તેના ઉલ્લેખ આવે છે.&lt;br /&gt;
આ રાસાઓ વિવિધ ઢાળો અને છંદોમાં રચાતા. આથી રાસા રચનારા કાવ્યને અનેક વિભાગમાં વહેંચી નાખતા. જેવા કે, અધિકાર ઉલ્લાસ, ખંડ એ વિભાગીકરણના સંસ્કૃત પ્રકારો છે. કડવક, ભાષા કે ઠવણી એ પ્રકારનું વિભાગીકરણ પંદરમી સદી અને તે પૂર્વેના રાસાઓમાં મળે છે. જ્યારે અધિકાર, ખંડ, પ્રસ્તાવ, ઉલ્લાસ આપણને પંદરમી સદી પછીના રાસાઓમાં મળે છે. પંદરમી સદી પૂર્વે રાસાઓના છંદો પણ લગભગ નિશ્ચિત જ છે. દુહા, ચોપાઈ, સોરઠા, રોળા વગેરે છંદો આવતા. જ્યારે પછીના રાસાઓમાં દેશી ઢાળો અને બંધો વપરાતા. રાસાઓને ડોલરરાય માંકડ સ્વતંત્ર કાવ્ય-પ્રકાર લેખતા નથી પરંતુ એને કથાશૈલીનું ખંડકાવ્ય લેખે છે.૧૭&lt;br /&gt;
રાસા ઇતિહાસને જાળવી રાખે છે. સમાજજીવનની ઝાંખી કરાવે છે, ધર્મોપદેશ આપે છે, વાર્તા કહે છે. મુક્તકો દ્વારા સંસારજ્ઞાન આપે છે. સમસ્યાઓ દ્વારા બુદ્ધિની રમત કરવાની તક આપે છે. એ નૃત્ય અને ગેય કાવ્યો હતાં તેમ જ શ્રાવ્યકાવ્યો પણ હતાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આખ્યાન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભોજના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આખ્યાનસંજ્ઞા તલ્લભતે યદ્યભિનયન પઠન ગાયન ।&lt;br /&gt;
ગ્રાન્થિકઃ એકઃ કથયતિ ગોવિન્દવદવહિતે સવસિ ||૨||&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અર્થાત્ જેને એક જ કથા વાંચનાર અભિનય કરીને, પાઠ કરીને, અને ગાઈને એકત્રિત થયેલા શ્રોતાઓને સંભળાવે છે તે આખ્યાન કહેવાય જેમ કે ગોવિંદાખ્યાન.&lt;br /&gt;
આપણા ગુજરાતી આખ્યાનને વધુમાં વધુ મળતી આવતી આ વ્યાખ્યા છે. કારણ, આપણાં આખ્યાનોમાં રામાયણ, મહાભારત, ભાગવત જેવી મોટી કથામાં ઉપદેશ આપવા માટે મુકાયેલી હરિશ્ચન્દ્ર, નળ, પ્રહ્લાદ જેવાની કથાઓ. જે ઉપાખ્યાનો હતી, તેને આપણા માણભટો ગાઈને, વીંટીથી માણને તાલ આપતા આપતા, સાભિનય શ્રોતાઓની સમક્ષ રજૂ કરતા. જોકે નરસિંહ વિષયક આખ્યાનો પુરાણકથા ન હોવાને કારણે આખ્યાન કહી શકાય નહિ, પણ ધર્મોપદેશના આશયથી કોઈ પણ કથા, અભિનયસહિત ગાઈને, કહેવાની હોય એટલી છૂટ મૂકીએ તો સમગ્ર ગુજરાતી આખ્યાનને આ વ્યાખ્યામાં સમાવી શકાય. અહીં જે અભિનયનો ઉલ્લેખ છે તે વાચિક અને આંગિક અભિનય છે, આહાર્ય (વેષભૂષા વગેરે) નહીં.&lt;br /&gt;
આખ્યાનની મહત્ત્વની લાક્ષણિકતા તે એની કડવાંબદ્ધતા. આપણાં બધાં આખ્યાનો કડવાંબદ્ધ છે. કડવું સંસ્કૃત શબ્દ ‘કડવક’ પરથી આવ્યો છે. આમ આપણાં આખ્યાનોનાં કડવાં ‘કડવક&#039; સંધિબદ્ધ કાવ્યોમાંથી ઊતરી આવ્યાં છે. આ કડવાંને પણ પોતાનું સ્વયંપર્યાપ્ત બંધારણ છે. સામાન્ય રીતે કડવું ત્રણ વિભાગમાં વિભક્ત થયેલું હોય છે :&lt;br /&gt;
૧. મુખબંધ : જે રાગમાં આખું કડવું ચાલવાનું હોય છે, તે રાગની વિષયપ્રવેશ કરાવતી એક કે બે-ચાર પંક્તિઓ. મુખબંધમાં પંક્તિઓની સંખ્યા વિષે કોઈ નિશ્ચિત નિયમો નથી. પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં પ્રથમ કડવાનો મુખબંધ દોઢ પંક્તિનો, દસમા કડવાનો એક પંક્તિનો અને પચીસમા કડવાનો ત્રણ પંક્તિનો છે. જ્યારે એના ‘ચન્દ્રહાસાખ્યાન’માં પહેલા કડવામાં મુખબંધ ચાર પંક્તિનો અને ઓગણીસમા કડવાનો મુખબંધ દસ પંક્તિનો છે.&lt;br /&gt;
૨. ઢાળ : એ મુખબંધ પછી એ જ રાગનો ઢાળ ચાલ કે દોઢી નામનો કડવાંનો ભાગ છે. એમાં પ્રસંગનું કે ઘટનાનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું હોય છે.&lt;br /&gt;
૩. વલણ અથવા ઉથલો : કડવાનો અંતિમ ભાગ છે. જેની અમુક વિશિષ્ટતાઓ છે. એ બે પંક્તિનો હોય છે અને પ્રથમ પંક્તિમાં ઢાળમાં કે ‘પૂર્વછાયા&#039;માં દ્વિતીય પંક્તિનો ઉત્તરાર્ધ તે ઢાળ કે વલણની પંક્તિનો પૂર્વાર્ધ બને છે. જેમકે પ્રેમાનંદકૃત ‘મામેરું’માં –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;{{gap|6em}}ઢાળ&lt;br /&gt;
જો નહિ આવો સુંદરશ્યામ, તો નાગર સાથે કામ&lt;br /&gt;
{{gap|6em}}વલણ&lt;br /&gt;
નાગર સાથે કામ છે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ રીતે એક તરફ મુખબંધ યા પૂર્વછાયો અને ઢાળનું તો બીજા તરફ ઢાળ વા પૂર્વછાયો અને વલણનું પારસ્પરિક અનુસંધાન રહેતું. ઘણીવાર વલણ એક કડવા અને બીજા કડવા વચ્ચે સાંધણકડી રૂપ હતું. વલણની બીજી પંક્તિનો ઉત્તરાર્ધ તે પછીનાં કડવાંની પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ બનતો હોય એવી રચના સામાન્ય રીતે પ્રચલિત હતી. જેમકે પ્રેમાનંદના ‘ચન્દ્રહાસ આખ્યાન’માં ૧૯મા કડવામાં વલણની બીજી પંક્તિ છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવાં વચન સુણી ભૂપનાં, મેધાવિની વાણી વદે રે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– પછી વીસમા કડવાની પ્રથમ પંક્તિનો પૂર્વાર્ધ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મેધાવિની એમ ઉચ્ચરે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ વલણ એ કડવાનું મહત્ત્વનું અંગ હતું. એમાં પ્રથમ પંક્તિમાં આ કડવામાં કયો પ્રસંગ નિરૂપાયો તેનો સંક્ષેપ આવતો અને દ્વિતીય પંક્તિમાં હવે પછીના કડવામાં શું આવશે તેનો ઉલ્લેખ હોય છે. કડવાનાં ત્રણે અંગો – રાગસૂચક મુખબંધ, ઢાળ અને વલણ આખ્યાનને સુસંકલિત બનાવતાં.&lt;br /&gt;
આખ્યાનનું બીજું મહત્ત્વનું અંગ એનું કથાતત્ત્વ છે. આખ્યાન કથાકાવ્ય છે, પણ અન્ય કથાકાવ્યોથી એ રીતે જુદું પડે છે કે આખ્યાન ધર્મકથા છે, અને કથા શ્રોતાઓની ધર્માનુરાગીતા જાગૃત કરવા તથા દૃઢ કરવા રચાઈ હોય છે. જ્યારે અન્ય કથાઓ મનોરંજન માટે જ રચાઈ હોય છે.&lt;br /&gt;
આખ્યાનમાં જે કથાઓ રજૂ થતી તે અન્ય કથાસાહિત્યથી એ રીતે ભિન્ન છે કે એ કથાઓનો મુખ્ય ઉદ્દેશ તો ભિન્ન ભિન્ન સંપ્રદાયના તથા સંપ્રદાય જોડે ન સંકળાયેલા લોકોમાં ધર્મભાવના સિંચવાનો હતો. એટલે માણભટો જે આખ્યાનો લોકોની મેદની સમક્ષ ગાઈ – બજાવીને રજૂ કરતા. જેથી એમાં ઉપદેશનું તત્ત્વ, કથારસને દાબી ન દે. એ કથાઓ પુરાણોમાંથી, કે શ્રીકૃષ્ણે ભક્તોને સંકટ સમયે સહાય કરેલી તે પ્રસંગોનું વિસ્તારથી નિરૂપણ કરતા. જેમ કે, નરસિંહના પિતાનું શ્રાદ્ધ, દીકરીનું સીમંત, શામળશાનાં લગ્ન. એ બધા પ્રસંગોમાં કૃષ્ણે જે સહાય કરેલી તે પ્રસંગો કથાવસ્તુ તરીકે પસંદ કર્યા છે. સગાળશા, ચેલૈયા, કબીર વગેરે ભક્તોનાં જીવનના પ્રસંગો પર આખ્યાનો રચાયાં છે. મહાભારત, રામાયણ, શ્રીમદ્ભાગવતમાંથી પાત્રો લઈને આખ્યાનોની રચના થઈ છે. એ ઉપરાંત ભાગવતના ‘દશમસ્કંધ’ને આધારે પણ આખ્યાનોની રચના થઈ છે. આમ છતાં કવિ મૂળ કથામાં યથેચ્છ ફેરફાર કરતા, કૃતિને સ્થાનક રંગ આપતા, કારણકે એ આખ્યાનો સમકાલીન સમાજની આમજનતાની સમક્ષ રજૂ કરવાનાં હતાં. એથી મહાકાવ્યો કે પુરાણની જોડે જેને કથા સંબંધ ન હોય તેવા પ્રસંગો પણ સાંકળી લેવાતા. જેમકે વાસુ એના સગાળશા આખ્યાનમાં સગાળશાને મહાભારતના કર્ણના અવતાર તરીકે ઓળખાવે છે. નાકર પણ સગાળશાની ઓળખાણ એવી જ રીતે આપે છે. પૌરાણિક આખ્યાનોમાં પણ બે પ્રવાહો દૃષ્ટિએ પડે છે. પહેલા પ્રવાહમાં કવિઓ મૂળ કથાને અનુસરે છે, કશો ફેરફાર કરતા નથી. ભાલણનું ‘ચંડી આખ્યાન’, હરિદાસનું ‘ધ્રુવાખ્યાન’, માધવકૃત ‘ઉષાહરણ’ એ સઘળામાં કવિ એ મૂળ કથાને જ પૂર્ણતઃ અનુસરે છે. જ્યારે બીજા વિભાગમાં મૂળ કથાને પોતાની આગવી રીતે, કાટછાંટ કરતાં ને ઉમેરણ કરતાં એવાં આખ્યાનો આવે છે.&lt;br /&gt;
આખ્યાનકારો મૂળ કથામાં જે ફેરફાર કે ઉમેરણ કરતા તે બધા શ્રોતાઓ કથારસ માણી શકે તે હેતુથી કરતા, જેમકે મધ્યકાલીન ‘નળાખ્યાનો’માં આવતા મત્સ્યસંજીવની, હારચોરી, એ પ્રસંગો મૂળ મહાભારતમાં નથી. ક્યારેક આવા ફેરફારો પાત્રનું ગૌરવ વધારે છે તો ક્યારેક પૌરાણિક પાત્રોને નષ્ટગૌરવ અને શ્રીહીન બનાવે છે. જેમ કે ‘અભિમન્યુ આખ્યાન’માં અભિમન્યુની હત્યા કરવા માટે, કૃષ્ણ એક પછી એક તરકટ રચે છે, એથી એવું લાગે છે કે મહાભારતના કૃષ્ણ આગળ ‘અભિમન્યુ આખ્યાન’ના કૃષ્ણને શરમથી માથું નીચું ઢાળી દેવું પડે. તેવી રીતે ‘સુદામાચરિત’માં ભાગવતના બ્રહ્મવેત્તા સુદામાને સ્થાને પ્રેમાનંદે કૃષ્ણની ઈર્ષા કરતો અને ઘેર પાછા ફરતાં ખાલી હાથે આવવું પડ્યું, તેથી ‘મૂળગા મારા તાંદુલ ગયા’ કહેતો સુદામો કે એ જ કવિના ‘નળાખ્યાન’માં આદર્શ શીલવતી, તથા સર્વગુણસંપન્ન પત્ની દમયંતી જોડે હલકા માનવીની જેમ વર્તતો એને ભાંડતો નળ, પુરાણની કથાઓને જનમનરંજક બનાવવા માણભટ્ટો એમાં કેવી વિકૃતિ આચરતા તે દર્શાવે છે. બીજી તરફ પુરાણના ખલનાયકોને ઉદાત્ત બનાવવાના પ્રયત્નો પણ દ્રષ્ટિએ પડે છે. પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ કે વજિયાના ‘રણજંગ’માં મંદોદરી રાવણને રામની જોડે સલાહ કરવા વિનવે છે, તેના ઉત્તરમાં કવિએ રાવણને રામની પ્રશસ્તિ કરતો દર્શાવ્યો છે.&lt;br /&gt;
આખ્યાનમાં ક્યારેક લોકપ્રચલિત માન્યતા વણી લેવામાં આવતી. નાકરે એના ‘ઓખાહરણ’માં બાણાસુરનું સવારમાં મોઢું જોવું ન પડે માટે ચાંડાલણી આડો સાવરણો ધરે છે. ને રાજાના અભયવચન પછી એ ખુલાસો કરે છે કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રાતઃ સમે જોવું નહિ વાંઝિયાનું વાન&lt;br /&gt;
તમારે કોઈ છોરું નથી, સાંભળો ને રાજન&lt;br /&gt;
તે માટે સંમાર્જની આડી કીધી મેં રાય.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ જ પ્રમાણે નાકરે અલુણાવ્રતની કથાને ઓખા સાથે ગણેશપુરાણમાંથી લઈને સાંકળી છે. &lt;br /&gt;
કવિએ સવારમાં વાંઝિયાનું મોઢું જોવું એ અપશુકન ગણાય એવો વહેમ ‘ઓખાહરણ’માં વણી લીધો. શુભશુકન વિષેની માન્યતા ‘નળાખ્યાન’માં સાંકળી નળ દમયંતીના સ્વયંવર માટે જવા નીકળે છે ત્યારે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અતિ શીઘ્રે સાંચરિયો રાય, શુકન મળી સુવાસી ગાય.&lt;br /&gt;
કુરંગકુરંગીને સાથ, આગળ ઊતર્યાં જમણે હાથ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ક્યારેક કવિને અંત ન્યાયયુક્ત ન લાગ્યો હોય ત્યારે એ ગાંઠનો પ્રસંગ ઉમેરી એને ન્યાયયુક્ત બનાવે છે. જેમકે ‘નળાખ્યાન’માં લગ્નલોલુપ ઋતુપર્ણ હોંશે હોંશે વિદર્ભ જાય અને હતાશ થઈને પાછો ફરે, એ પ્રેમાનંદને સુખદ અંત ન લાગ્યો, તેથી કવિએ એને દમયંતીની ભાણેજ જોડે પરણાવ્યો અને સર્વ રીતે મધુરેણ સમાપયેતનો સિદ્ધાંત જાળવ્યો.&lt;br /&gt;
આખ્યાનકારોની દૃષ્ટિ કથા કહેતી વખતે હંમેશાં શ્રોતાઓ પર સ્થિર થતી. એટલે એ શ્રોતાઓને સુપરિચિત એવી, અને આત્મીય લાગે એવી સૃષ્ટિનું નિર્માણ કરતા. આમ દૈવી પાત્રોનું પણ માનવીકરણ અથવા ગુજરાતીકરણ થતું. જેથી એ પાત્રો શ્રોતાઓને પોતીકાં લાગે. પ્રેમાનંદના ‘હૂંડી’માંના શામળશા શેઠ કે ‘મામેરું’માં દામોદર દોશી બનાવીને જ કૃષ્ણને કવિ લઈ આવે છે. પૌરાણિક પાત્રોનાં લગ્નમાં પણ ગુજરાતની જ લગ્નવિધિ થાય છે અને એ સમયમાં પ્રચલિત ગુજરાતી લગ્નગીતો ગવાય છે. ‘મામેરું’માં કુંવરબાઈની સાસુસહિત સમગ્ર નાગરસ્ત્રીસમાજ રજૂ થયો છે.&lt;br /&gt;
‘સુદામાચરિત’માં કૃષ્ણ સામાન્ય માણસની જેમ સુદામાની મજાક કરતાં પૂછે છે, ‘ભાભી અમારાં વઢકણાં તે શું લોહીડું શોષે?’ ‘નળાખ્યાન’માં દમયંતીના સ્વયંવરમાં આવેલા દેવો એકબીજાની ઈર્ષા કરતા દર્શાવાયા. એ રીતે પૌરાણિક પાત્રોનું શ્રોતાઓ જેમનાથી સુપરિચિત હોય એવું માનવીકરણ કરાતું, એક રીતે કહીએ તો ગુજરાતીકરણ કરાતું. મુરારી કૃત ‘ઈશ્વરવિવાહ’માં પાર્વતીની સખીઓનાં કમળાદે, દેવળદે જેવાં નામો હોય, આખ્યાનમાં દરેક લગ્નમાં પીઠી ચોળાતી હોય, વરરાજા ઘોડે ચડીને પરણવા જતા હોય, સાસુ જમાઈને પોંખતી હોય, નાક ખેંચતી હોય એવી બધી લગ્નની વિગતો હોય ત્યારે શ્રોતાઓને પોતાની આસપાસની સૃષ્ટિ જ આખ્યાનોમાં પ્રતિબિંબિત થતી લાગે.&lt;br /&gt;
વસ્તુગૂંથણીની દૃષ્ટિએ પૌરાણિક આખ્યાનોમાં મંગળાચરણ પછી પહેલા કડવામાં પ્રસંગાનુકૂળ ભૂમિકા રચાતી, અર્થાત્ કાવ્યના મુખ્ય પ્રસંગો પૂર્વેની ઘટનાઓ સંક્ષેપમાં રજૂ થતી. જેમકે પ્રેમાનંદના ‘રણયજ્ઞ’માં કાવ્યનો મુખ્ય પ્રસંગ રામરાવણના યુદ્ધથી શરૂ થાય છે. તેથી આરંભમાં યુદ્ધકાંડની પૂર્વેના પ્રસંગો સંક્ષેપમાં રજૂ કર્યાં છે જેથી કાવ્યના મુખ્ય પ્રસંગને શ્રોતાઓ સહેલાઈથી સમજી શકે.&lt;br /&gt;
જ્યારે મૂળ કથાનું એક પાત્ર અન્ય પાત્રને દૃષ્ટાન્ત કથા કહેતું હોય, ત્યારે મૂળ કથામાં જે કથક અને શ્રોતાનો ઉલ્લેખ થયો હોય, તે આખ્યાનમાં યથાવત્ રહેતો. ગુજરાતી આખ્યાનકારો, મૂળ કથાના આખ્યાતા અને શ્રોતા, તેમ જ દૃષ્ટાન્તકથાના આખ્યાતા તથા શ્રોતા મૂળ પ્રમાણેના જ રાખતા. જેમ કે મહાભારતના ‘નલોપાખ્યાન’માં મૂળ કથા વૈશમ્પાયનમુનિ જન્મેજયને કહે છે, અને કથાનું એક પાત્ર યુધિષ્ઠિર અર્જુનવિરહે દુઃખી છે, તેને સાંત્વન આપવા બૃહદશ્વમુનિ તેને નળનું ઉપાખ્યાન કહે છે. ગુજરાતીમાં નળાખ્યાન સ્વતંત્ર કૃતિ હોવા છતાં વૈશંપાયન જનમેજયને નળની કથા કહે છે એ પ્રમાણે શરૂઆત કરી. પછી યુધિષ્ઠિરનું દુઃખ દર્શાવી બૃહદશ્વ મુનિ જ નળનું આખ્યાન કહે છે, એમ દર્શાવાયું છે. આ રીતે આખ્યાનમાં પણ ઉપાખ્યાનની કથનરીતિ જળવાઈ છે.&lt;br /&gt;
પ્રસંગનિરૂપણની દ્રષ્ટિએ વિચારતાં આખ્યાનકાર ફક્ત પ્રસંગોનું નિરૂપણ જ કરતો નથી, પણ પાત્રોની માનસપ્રક્રિયા, અને મનોવ્યાપારો પણ દર્શાવે છે. પાત્રોનાં અંગવસ્ત્રાભૂષણનાં, નગરનાં, વનનાં, સ્વયંવરનાં વર્ણન કરે છે અને પોતાનું વર્ણનકૌશલ દર્શાવે છે. તથા સમકાલીન યુગની સમાજરચનાની ઝાંખી કરાવે છે. નળાખ્યાનમાં હંસે દમયંતી સમક્ષ કરેલું નળનું વર્ણન, ભયંકર વનમાં દમયંતીનો ત્યાગ કરતી વખતે નળના મનમાં પરસ્પરવિરોધી વૃત્તિઓનું ઘમસાણ, હારચોરીના આળ વખતે દમયંતીની મનોવેદના આખ્યાનકારોની કથાના પ્રસ્તુતીકરણની શક્તિનાં દ્યોતક છે.&lt;br /&gt;
જોકે આખ્યાનકારોનાં કેટલાંક વર્ણનો રસને બાધક અને કથાપ્રવાહને સ્થગિત કરનારાં પણ નીવડે છે. વનવર્ણનોમાં વૃક્ષોની કે ભોજનમાં વર્ણનોમાં વાનગીઓની યાદી આવતી, જે રસાસ્વાદમાં બાધક નીવડે છે. એમ લાગે છે કે એ યુગના શ્રોતાજનોનાં રસ અને રુચિને એ અનુરૂપ હશે.&lt;br /&gt;
કથાપ્રવાહને સ્થગિત કરનારું અન્ય એક તત્ત્વ, આખ્યાન ધર્મકથા હોવાથી એમાં લાંબી ઈશ્વરસ્તુતિઓ આવતી, જે કથાને આગળ ધપાવવામાં વિક્ષેપક હતી. કાલિદાસકૃત ‘પ્રહલાદાખ્યાન’માં એટલી બધી સ્તુતિઓ આવે છે કે કથા તો માત્ર અનેક સ્તુતિઓની સાંધણકડી બની રહે છે અને આખ્યાન સ્તુતિસંગ્રહ જેવું બની જાય છે. ભાલણના ‘ચંડીઆખ્યાન’માં ૫૮ પંક્તિઓની ત્રણ દીર્ઘ ઈશ્વરસ્તુતિઓ આવે છે.&lt;br /&gt;
આખ્યાનનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ રસવૈવિધ્ય છે. આખ્યાનનું વિસ્તૃત કથાફલક હોવાથી કવિને વિવિધ રસોનું નિરૂપણ કરવા પૂરતો અવકાશ મળી રહેતો; ને કવિ એકાદ બે રસોને પ્રધાનતયા નિરૂપી, ઇતર ગૌણ રસોનું આલંબન લેતો અને એ રીતે શ્રોતાઓને કથારસમાં તલ્લીન બનાવી દેતો. પ્રેમાનંદ જેવા સમર્થ કવિ તો એની આગવી એવી રસસંક્રાન્તિની કલાથી અત્યંત લોકપ્રિય બને છે. પ્રેમાનંદ પૂર્વે, ભાલણના ‘નળાખ્યાન’માં, કે ઉદ્ધવના રામાયણમાં ક્યાંક રસસંક્રાંતિ જડે છે. પરંતુ રસસંક્રાંતિની કળામાં ઉચ્ચોચ્ચ સ્થાનનો અધિકારી તો પ્રેમાનંદ જ છે. એ એક રસમાંથી એટલી ત્વરાથી અને સરળતાથી સંક્રમણ કરે છે કે આપણને એ વિષે ખબર જ પડતી નથી. એનું કારણ એ છે કે એ ચાલુ રસના વિભાવને સ્થાનચ્યુત કર્યા વિના એ જ વિભાવને, અન્ય રસના વિભાવ તરીકે સ્થાપે છે. એથી રસસંક્રાંતિથી રસાસ્વાદમાં બાધા નડતી નથી. જેમ કે ‘રણયજ્ઞ’માં ઇન્દ્રજીત અને રામના યુદ્ધમાં વીરરસનું નિરૂપણ થયું છે. યુદ્ધમાં રામ નાગપાશથી બંધાય છે. તે જોઈને સીતા આક્રંદ કરવા લાગે છે. વીરરસનો આલંબન વિભાવ રામ છે, તો સીતાના આક્રંદમાં જે કરુણ છે તેનો આલંબન વિભાવ પણ રામ છે. આમ વીરરસમાંથી કરુણમાં સંક્રમણ કરતી વખતે રામને જ વિભાવ રાખીને કવિ રસસંક્રમણ કરે છે. ‘નળાખ્યાન’માં પણ શૃંગાર, કરુણ, અદ્ભુત એમ સંક્રમણ થતું રહે છે.&lt;br /&gt;
આખ્યાનનું ચોથું મહત્ત્વનું લક્ષણ એ શ્રોતાઓ સમક્ષ સાભિનય ગવાતું હોવાથી, આખ્યાનકારો પોતાનાં કડવાં માટે મધુર રાગની દેશીઓ પસંદ કરતા, ને એ રાગમાં ગાઈ વાતાવરણને ગૂંજતું કરતા. જ્યારે દમયંતી પોતાનાં સંતાનોને મોસાળ પાઠવે છે ત્યારે એના કંઠમાં મૂકેલી મેવાડાની દેશી–મોસાળે પધારે રે મારાં બાડુઆં... અથવા દમયંતીની કરુણ દશા વ્યક્ત કરતી રામગ્રી પ્રેમાનંદ ગાતો હશે, કે ‘વિનવે દેવડી હો, વીરાને વલવલી’ એ મેવાડો, કે ‘મારું માણકડું રિસાવ્યું રે શામળિયા એ વેરાડી રાગમાં દેવકી કે જશોદાના વિલાપને એ ગાતો હશે, ત્યારે શ્રોતાઓની આંખોમાંથી અશ્રુનાં પૂર વહેતાં હશે. એ જ રીતે બીજા રસનાં કડવાં માટે પણ કહી શકાય. આમ વિવિધ રાગરાગિણીવાળાં કડવાં પણ આખ્યાનનું અનિવાર્ય અંગ હતું.&lt;br /&gt;
આખ્યાનનું પાંચમું મહત્ત્વનું અંગ કવિએ પોતાનો અને કાવ્યનો પરિચય આપ્યો હોય તે છે. તે માટે કવિ કાવ્યના પ્રથમ કડવાનો અથવા અંતિમ કડવાનો ઉપયોગ કરે છે. એમાં કવિ પોતાના કુટુંબનો, ગામનો, કાવ્ય ક્યાં અને ક્યારે રચાયું ને આખ્યાન કયે સ્થળે ગવાયું તેનો પરિચય આપે છે, જેમકે : નાકરના ‘ઓખાહરણ’માં –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીસાવળ કૂડી અવતર્યો, વીરક્ષેત્રમાં વાસજી&lt;br /&gt;
કર જોડીને કરે વિનંતી, નાકર હરિનો દાસજી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં કાવ્ય વિષે માહિતી આપતાં કવિ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આણિક પર્વની મૂળ કથામાં નૈષધની લીલા ભાખીજી&lt;br /&gt;
મુહૂર્ત કીધું સુરત મધ્યે; થયું પૂરણ નંદરબારજી&lt;br /&gt;
&lt;br /&gt;
સંવત સત્તર બાર વર્ષે પોષ સુદિ બીજ ગુરુવારજી&lt;br /&gt;
દ્વિતીયા ચંદ્રદર્શનની વેળા થઈ પૂર્ણ કથા વિસ્તારજી&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાકર એના ‘હરિશ્ચન્દ્રાખ્યાન’માં કયા રાગો પ્રયોજ્યા છે તેનાં નામ કડવાંસંખ્યા, વગેરેની માહિતી આપતા જણાય છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રામગ્રી, દેસાખ ને આશાવરી, ભૂપાળ ને ધન્યાક્ષરી&lt;br /&gt;
રામકલી, વેરાડી, શોખ, સામેરી, સોરઠીનો જોગ&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આખ્યાનનું છઠ્ઠું અંગ ફળશ્રુતિ છે, આખ્યાનકારો આખ્યાનશ્રવણથી શો ઐહિક લાભ થાય તે જણાવતા. એ શ્રોતાઓને આકર્ષવાની એક રીત હતી. જે આખ્યાનનું એક આવશ્યક અંગ બની ગયું. આ ફળશ્રુતિ સામાન્યતઃ અંતમાં આવતી. પણ કોઈવાર કવિ કાવ્યારંભે પણ એ જણાવતો ને ક્યારેક વચ્ચે પણ એનો ઉલ્લેખ કરતો. કાલિદાસકૃત ‘પ્રહલાદાખ્યાન’માં પહેલા કડવામાં બે પંક્તિમાં ફળશ્રુતિ આપી છે. પછી બીજા કડવામાં ને અંતમાં પણ આપે છે. હરિદાસ એના ‘સીતાસ્વયંવર’માં છ વાર ફળશ્રુતિ આપે છે. આ સિવાય ક્યારેક પાત્ર પણ ફળશ્રુતિ ઉચ્ચારે છે. પ્રેમાનંદના ‘ઓખાહરણ’માં બ્રહ્મા, હરિરામના ‘સીતાસ્વયંવર’માં વાલ્મીકિ, તો તુલસીએ તેના ‘ધ્રુવાખ્યાન’માં અને આધાર ભટે ‘શામળશાનો વિવાહ’માં ભગવાન પાસે ફળશ્રુતિ ઉચ્ચારાવી છે.&lt;br /&gt;
આ રીતે આખ્યાનનું સાહિત્યસ્વરૂપ ભાલણથી શરૂ થયું, અને વિષ્ણુદાસ આદિથી પોષાયું અને પ્રેમાનંદમાં એ વિકાસની પરાકાષ્ટાએ પહોંચ્યું. પ્રેમાનંદ પછી આખ્યાનનાં વળતાં પાણી થાય છે. એનું એક કારણ પ્રેમાનંદના સમયમાં ગરબાનું સ્વરૂપ વિશેષ પ્રચલિત થયું. એ અરસામાં શામળ જેવો વાર્તાકાર થયો એ કારણે પણ આખ્યાનના વિકાસ પર અસર કરી હશે. એ ઉપરાંત પ્રેમાનંદે આખ્યાનનાં સ્વરૂપને એવી કક્ષા પર મૂકી દીધું – પૂર્ણતાએ પહોંચાડી દીધું કે પછી એમાં વધુ વિકાસની કશી શક્યતા હતી નહીં.૧૮&amp;lt;ref&amp;gt;૧૮. ‘મધ્યકાલીન ગુજરાતી આખ્યાન’, શશિન ઓઝા, પૃ. ૧૬૦&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આખ્યાનકારોએ મહાકાવ્યો અને પુરાણોને ગુજરાતી લેબાસમાં આમજનતા સુધી પહોંચાડ્યાં, માણભટોએ એ સ્વરૂપ દ્વારા ધર્મ અને ભક્તિની ધારા વહેવડાવી તથા સંસ્કારનું સિંચન કર્યું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કથા-વાર્તા&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કથા અને વાર્તા શબ્દો મધ્યકાલીન સાહિત્યમાં એકબીજાના પર્યાયરૂપે વપરાતા. આખ્યાનમાં જેમ ધર્મકથાઓ આવતી તેમ કથાવાર્તામાં સામાજિક કથાઓ આવતી.  આમ છતાં આખ્યાનની અસરથી કથા-વાર્તાનું સાહિત્ય અલિપ્ત રહી શક્યું નથી. આખ્યાનમાં જેમ વાર્તાની શરૂઆત મંગળાચરણ કે ઇષ્ટદેવની સ્તુતિથી, ને વાર્તાને અન્તે કવિનો પરિચય કે ફળશ્રુતિ આવતાં, તેવી જ રીતે કથાવાર્તામાં પણ આરંભમાં ઇષ્ટદેવની સ્તુતિ તથા મંગળાચરણ આવતાં અને અંતે ફળશ્રુતિ પણ આવતી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ પણ આખ્યાનની પૌરાણિક કથાઓમાંથી લેવાતી. જેમ કે નળને કર્કોટક નાગ અગ્નિમાંથી એને બચાવ્યો તેથી વરદાન આપે છે, તે જ રીતે શામળની ‘મદનમોહના’માં પણ મોહના સાપને આગમાંથી બચાવે છે, એટલે સાપ એને વરદાન આપે છે. આખ્યાનની જેમ કથાવાર્તામાં પણ પ્રત્યક્ષ કથનશૈલી છે.&lt;br /&gt;
આ કથા-વાર્તા પર સંસ્કૃત તેમજ જૈનકથાઓની પ્રબળ અસર હતી. જેમ સંસ્કૃત કથાઓમાં, દશકુમારચરિત, પંચતંત્ર, કાદંબરી વગેરેમાં એક કથામાં અનેક આંતરકથાઓ ગૂંથાયેલી છે, અને કથાનું એક પાત્ર, પોતાના વક્તવ્યના સમર્થનમાં બીજા પાત્રને કથા કહે છે, તે જ રીતિ જૈન રાસાઓમાં નજરે પડે છે. અને તેનું જ પુનરાવર્તન જૈનેતર કથાવાર્તાસાહિત્યમાં પણ થયેલું નજરે ચઢે છે. દૃષ્ટાન્ત તરીકે, શામળની મદનમોહનામાં પંડિત મદનમોહનાને, તથા મોહના મદનને તથા પંડિતને છ દૃષ્ટાન્તકથાઓ કહે છે. આવી જ નિરૂપણરીતિ સમગ્ર કથાસાહિત્યમાં જડે છે. જૈનકથાઓમાં જેમ અનેક જન્મોની કથાઓ આવે છે, તેવી જ રીતે શિવદાસકૃત ‘હંસાઉલી’માં, વીરજીકૃત ‘કામાવતી’માં તથા શામળકૃત ‘ઉદ્યમકર્મસંવાદ’માં આવે છે. ડોલરરાય માંકડ કહે છે, ‘આ કથાશૈલીમાં એક કથા નથી હોતી પણ એકથી વધુ વાર્તાનાં ગુચ્છ હોય છે. અને એક વાર્તામાંથી બીજી ફૂટે એવી એની કથનશૈલી હોય છે. શામળાદિની કથાશૈલીમાં કાદંબરી વગેરેની કથાશૈલીનું સીધું સાતત્ય નથી, પણ બૃહદ્કથાની કથાશૈલીનું સીધું સાતત્ય છે.’૧૯&amp;lt;ref&amp;gt;૧૯. ‘ગુજરાતી કાવ્યપ્રકારો’, પૃ. ૧૧૨&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
સંસ્કૃત તથા જૈન કથાઓની બીજી અસર વાર્તામાં વચ્ચે આવતાં ડહાપણનાં મુક્તકો તથા પ્રહેલિકાઓ છે. આ મુક્તકો તથા પ્રહેલિકાઓ ઘણીવાર સંસ્કૃતમાં જ આવતાં. જૈન કથાઓમાં સંસાર તરફ ઘૃણા ઉપજાવવા, શ્રોતાઓમાં વૈરાગ્ય પ્રેરવા, અને તેમને કામવાસનાથી દૂર રાખવા સ્ત્રીનિંદા સારી પેઠે થતી, અને સ્ત્રીપાત્રોને કુટિલ ચીતરવામાં આવતાં. જૈન રાસાઓની આ અસર જૈનેતર કથાઓ પર પણ પડી છે, ને એમાં પણ કાં તો વાર્તાકાર જાતે જ સ્ત્રીનિંદા કરે છે અથવા તો સ્ત્રીઓને દુરાચારી તથા કુટિલ દર્શાવે છે. આની સાથે એ પણ કહેવું જોઈએ કે આ વાર્તાઓમાં નારીપાત્રો જ વિશેષ તેજસ્વી લાગે છે. એ પોતે જ પતિની પસંદગી કરે છે, અને પ્રેમી આનાકાની કરે તો જબરદસ્તીથી એને પરણે છે. પુરુષ વેશમાં ફરે છે, અનેક સાહસો કરે છે, અને એ વેશમાં અનેક સ્ત્રીઓને પરણે છે. ‘હંસાવલીવિક્રમચરિત્ર’ની હંસાવલી, શામળની ‘પદ્માવતી’ વાર્તામાં સુલોચના ને પદ્માવતી; એની ‘મદનમોહના’ની નાયિકા મોહના વગેરે આ પ્રકારની મધ્યકાલીન વાર્તાઓની પ્રતિનિધિ નાયિકાઓ છે. આથી સ્ત્રીપાત્રો સમક્ષ પુરુષપાત્રો અત્યંત નમાલાં તથા નિસ્તેજ લાગે છે.&lt;br /&gt;
મધ્યકાલીન વાર્તા શ્રોતાઓ માટે એક એવી સૃષ્ટિ ઊભી કરતી કે, જ્યાં એ લોકો વાસ્તવિક સૃષ્ટિનાં બંધનો ને નિષેધોમાંથી મુક્ત થઈ યથેચ્છ વિહરી શકે. ધર્મકથાના ઉચ્ચ આદર્શો જ્યારે અકળાવી મૂકે ત્યારે ધર્મ અને નીતિનું સામ્રાજ્ય જ્યાં ન હોય એવી સૃષ્ટિમાં શ્રોતાઓને પલાયન કરવાની સગવડ વાર્તા પૂરી પાડતી. આ વાર્તાઓમાં કન્યા પોતે જ પ્રેમલગ્ન કરતી, કારણ કે બાળલગ્નના રિવાજને કારણે કન્યાને વ્યવહારજીવનમાં એ છૂટ મળતી નહિ, ઘૂમટા અને લાજ કાઢવાનો રિવાજ હોવાથી સ્ત્રીઓનું મુખ જોવા મળતું નહિ એવા યુગમાં પુરુષના વેશમાં ફરતી, અને પુરુષના જેવાં સાહસો કરતી સ્ત્રી વાર્તાઓમાં મળતી, પરન્તુ લોકકથાની વાર્તાઓમાં આપણને વાસ્તવિક પરિસ્થિતિનાં દર્શન થાય છે. એમાં પલાયનવાદ નથી, આથી એમાં મોટેભાગે પ્રેમીઓનો કરુણ અંજામ જ દર્શાવેલો હોય છે.&lt;br /&gt;
કથાઓના નિરૂપણની દૃષ્ટિએ એને બે વિભાગોમાં વહેંચી શકાય : પ્રેમકથાઓ અને અદ્ભુત કથાઓ. પ્રેમકથાઓમાં પ્રથમ દૃષ્ટિએ પ્રેમ, પછી વિરહ અને અંતે પુનર્મિલન એ જાતનો ક્રમ રહેતો. માધવકૃત ‘રૂપસુંદરકથા’, ગોપાળ ભટ્ટનું ‘ફૂલાંચરિત્ર’, શામળની ‘મદનમોહના’ ને ‘પદ્માવતી’, એ સર્વે, તેમજ લોકકથાની ‘મેહ-ઉજળી’, ‘નાગ-નાગમદે’, ‘શેણી-વિજાણંદ’; એ પ્રેમકથાઓ છે. એમાં પ્રથમ દૃષ્ટિએ પ્રેમનો વિકાસ, દંપતીનું અલગ થવું ને મિલન એ ક્રમ છે. એમાં પ્રેમત્રિકોણ આવતો નથી. એમાં વિઘ્નો માબાપ કે સમાજ તરફથી જ આવે છે. આ કથાઓ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : પ્રથમ વિભાગમાં વર્ણનપ્રધાન કથાઓ આવે છે, જેમાં વર્ણનોની અધિકતા હોય છે, બીજી કથનપ્રધાન જેમાં ગતિમય નિરૂપણ હોય છે, અને ત્રીજી ‘શેણીવિજાણંદ’ જેવી ભાવપ્રધાન કથાઓ, જેમાં હૃદયના ભાવોનું જ સવિશેષ ચિત્રણ હોય છે.&lt;br /&gt;
બીજો મુખ્ય વિભાગ કૌતુકપ્રધાન અથવા અદ્ભુત કથાઓનો છે. એમાં ચમત્કારોની અધિકતા હોય છે. ‘પંચદંડ’, ‘વિક્રમની કથાઓ’ તથા ‘નંદબત્રીસી’ વગેરે ચમત્કારપ્રધાન કથાઓ છે. આ ચમત્કારો કાં તો ધાર્મિક શ્રદ્ધા વધારવા અથવા સામાન્ય જનની કૌતુકપ્રિયતા સંતોષવા નિરૂપાતા. ‘નંદબત્રીસી’માં પ્રધાનપત્ની એના સતીત્વના પ્રભાવે વિના અગ્નિએ બળે અને રાજાને સજીવન કરે એ ધર્મશ્રદ્ધા જન્માવનારો ચમત્કાર છે. જ્યારે ‘વિદ્યાવિલાસિની’ જેવી કથામાં માનવનું પોપટમાં પરિવર્તન થાય એ સામાન્ય જનની કુતૂહલપ્રિયતા જન્માવવા માટે યોજાયેલો ચમત્કાર છે. આ પ્રમાણે ગુજરાતી વાર્તાકારો વસ્તુ અને રીતિ દૃષ્ટિએ જે પરંપરાને અનુસરતા તે અતિ પ્રાચીન છે. બૃહત્કથામંજરી, કથાસરિત્સાગર, એની પણ પહેલાંથી વિક્રમની કથાઓ ચાલી આવે છે. એ જ પરંપરા લોકમુખે વહેતી ગુજરાતના કથાસાહિત્યમાં આવે છે. એમાંની કેટલીય કથાઓ રાસામાં જુદું રૂપ લે છે, કેટલાક કવિઓને હાથે એને છંદોબદ્ધ રૂપ મળે છે. અને કેટલીક લોકવાર્તા કંઠસ્થ સાહિત્યમાં ચાલી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;જ્ઞાનમૂલક ખંડકાવ્યો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક જ્ઞાનનાં કડવાંબદ્ધ કાવ્યો જેવાં કે, અખાકૃત ‘અખેગીતા’, બ્રેહેદેવકૃત ‘ભ્રમરગીતા’, પ્રીતમકૃત ‘સરસગીતા’, ભાણદાસકૃત ‘હસ્તામલક’, દયારામકૃત ‘રસિકવલ્લભ’ વગેરે આ પ્રકારનાં કાવ્યો છે. એમાં ‘અખેગીતા’માં છે તેમ અદ્વૈતના સિદ્ધાંતોને દૃષ્ટાંતો દ્વારા નિરૂપ્યો છે, તો ‘રસિકવલ્લભ’માં છે તેમ પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતને વિસ્તારથી સમજાવ્યો હોય છે. આમાં મોટેભાગે અમુક સિદ્ધાંતનું પ્રતિપાદન કરીને ‘અખેગીતા’માં કે ‘રસિકવલ્લભ’માં છે તેમ અન્ય સિદ્ધાંતોનું ખંડન કર્યું હોય છે. આ બધી કૃતિઓને ગીતા નામ અપાયું હોય છે. અને એ અર્થમાં એમાં ગુરુશિષ્યના સંવાદરૂપે આધ્યાત્મિક સિદ્ધાંતનું પ્રતિપાદન થતું. એનો આરંભ પરબ્રહ્મની કે આદ્યનિરંજન કે એવા કોઈ અમૂર્ત તત્ત્વની સ્તુતિથી થતો. એમાં ફળશ્રુતિ ‘અખેગીતા’માં છે તેમ કાં તો આવતી જ નથી, અથવા તો ‘આંતરદૃષ્ટિ ઉઘડશે અહંકાર ટળશે’ એ પ્રકારની હોય છે. એમાં શાન્તરસનું જ સાદ્યન્ત નિરૂપણ હોય છે. એ શાંતરસ પણ ઉમાશંકર જોશી કહે છે તેમ, ‘જેમાં બધા રસો વિવર્ત છે એવો સ્થાયી રસ હોય છે.’૨૦&amp;lt;ref&amp;gt;૨૦. ‘અખો એક અધ્યયન’ (૧૯૪૧), પૃ. ૩૦&amp;lt;/ref&amp;gt; આ કૃતિઓ કડવાબદ્ધ છે. એમાં સિદ્ધાંતના વિશદીકરણ અર્થે દૃષ્ટાંતો સારા પ્રમાણમાં આવતાં હોય છે. એમાં જ્ઞાનનું પ્રતિપાદન થયું હોવાથી લાગણીનો ઉદ્રેક જોવા મળતો નથી, છતાં, ‘અખેગીતા’માં ‘અભિનવો આનંદ આજ’માં છે તેમ પરબ્રહ્મ જોડેની એકતાના અનુભવનો આનંદ લાગણીસભર શબ્દોમાં વ્યક્ત થયો હોય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;વીરકાવ્યો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મધ્યકાળમાં બે ઐતિહાસિક વીરકાવ્યો મળે છે : શ્રીધરનું ‘રણમલ્લછંદ’ અને પદ્મનાભનું ‘કાન્હડદેપ્રબંધ’. બન્ને કાવ્યોના નાયકો ઐતિહાસિક વ્યક્તિ છે, અને એમણે મુસ્લિમોના આક્રમણ સામે કરેલા યુદ્ધનું એમાં વર્ણન છે. ‘રણમલ્લછંદ’ને કેશવ હ. ધ્રુવે પોવાડો કહ્યો છે.૨૧&amp;lt;ref&amp;gt;૨૧. ‘પ્રાચીન ગુર્જર કાવ્ય’, પ્રસ્તાવના, ૧૯૨૭&amp;lt;/ref&amp;gt; પોવાડો ગેય કાવ્યનો પ્રકાર હોવાથી એમાં ગેયતાને અનુકૂળ એવા પ્રાસ-અનુપ્રાસ, વર્ણસગાઈ, ઝડઝમક વગેરે છે. જ્યારે ‘કાન્હડદેપ્રબંધ’માં વિસ્તાર, જટિલતા, વર્ણનોની અને કથનરીતિની વિવિધતા છે. એમાં અદ્ભુત રસના પ્રસંગો છે, પૂર્વજન્મની કથાઓ છે. એમાં શૃંગાર, કરુણ વગેરે છે તેથી રસવૈવિધ્ય આવ્યું છે, એમાં ગણપતિ, સરસ્વતીની સ્તુતિથી કરેલું મંગળાચરણ છે, સમકાલીન રીતિરવાજ, રૂઢિઓનું આલેખન થયું છે, એથી એમાં આખ્યાન તથા રાસા બન્નેનાં તત્ત્વો ગૂંથાયાં છે. એ બન્ને વીરરસનાં કાવ્યોમાં થોકબંધ ફારસી શબ્દો છે. ‘રણમલ્લછંદ’માં આદિથી અંતસુધી એક જ પાત્રની વીરતાનું વર્ણન છે. જ્યારે કાન્હડદેપ્રબંધમાં અનેક પાત્રોની વીરતાનો પરિચય મળે છે. એની બીજી એક વિશેષતા એ છે કે સમકાલીન યુદ્ધ કેવી રીતે ખેલાતાં, તેનું અને સુલતાનની છાવણીનું એમાં વિસ્તારથી વર્ણન કર્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ફાગુ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પ્રકારનાં કાવ્યોમાં વસંતનાં વર્ણનો, વસંતની માનવના મન પર થતી માદક અસરનું ચિત્રણ, હોળી ખેલવાની તથા શૃંગારક્રીડાની વાતો આવે છે. આ પ્રકારનાં કાવ્યોમાં પ્રથમ વસંતનું વર્ણન આવતું અને પ્રકૃતિના મદીલા વાતાવરણનો માનવને કેવો નશો ચઢે છે તે દર્શાવાતું. ત્યારપછી વિરહી સ્ત્રીને પ્રકૃતિ કેવી દુ:ખી કરે છે તે દર્શાવી, પ્રિયતમના આગમનનાં એંધાણ આપી, પછી પ્રિયતમનું મિલન, અને વિપ્રલંભમાંથી સંભોગ શૃંગારનું નિરૂપણ એ જાતનો ક્રમ હોય છે. જૈન ફાગુકાવ્યમાં નેમિનાથ ને રાજિમતી આવે, અજૈનમાં રાધાકૃષ્ણ આવે. ‘વસન્તવિલાસ’માં એવાં કોઈ પૌરાણિક પાત્રોનો આધાર લીધા વિના જ સામાન્ય સ્ત્રીના વિપ્રલંભ અને સંભોગ શૃંગારનાં ચિત્રો આલેખાયાં છે.&lt;br /&gt;
મધ્યકાળમાં માનવનાં જીવન આજે છે તેવા જટિલ નહોતાં. સમગ્ર જીવન રૂઢિબદ્ધ હતું. સાહિત્યનું અમુક અમુક પ્રસંગોએ પ્રયોજન હતું, અને એ માંગ અનુસાર પુરવઠો પૂરવામાં આવતો. એ યુગમાં સુધારણા પણ ધર્મ પરત્વે જ થતી અને કાર્યમાં સાહિત્યની મદદ મળ્યાં કરતી. આ જ કારણથી એક જ સાહિત્યસ્વરૂપનો વાર્તા કહેવા માટે, ઊર્મિની અભિવ્યક્તિ માટે, પ્રસંગકથન માટે, મંદિરમાં પૂજા માટે, ઉપદેશ આપવા કે નૃત્ય જોડે ગાવા માટે ઉપયોગ થતો. પદો પણ ગવાતાં, પ્રારંભિક કાળના રાસા પણ ગવાતા, ગરબા-ગરબી પણ ગવાતાં ને આખ્યાનો પણ ગવાતાં. જૈન રાસામાં પણ કથા કહેવાતી, તેમજ વત્સરાજ કે શામળની વિશિષ્ટ કથનશૈલીમાં પણ વાર્તા કહેવાતી. આથી જ આખ્યાનમાં કે ‘કાન્હડદેપ્રબંધ’ જેવી કે ‘અખેગીતા’ જેવી કૃતિઓમાં પણ પદો આવતાં, અને ધર્મકથા કહેવા માટે પણ પદનો ઉપયોગ થતો. મધ્યકાળનું સાહિત્ય ધાર્મિક કે સામાજિક રૂઢિમાંથી ઉદ્ભવ્યું હોવા છતાં એમાં રસ, આલેખનરીતિ તથા વસ્તુમાં સારા પ્રમાણમાં વિવિધતા રહેતી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&#039;&#039;&#039;0&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપર મધ્યકાળના મહત્ત્વના સાહિત્યપ્રકારોનો પરિચય કરાવ્યો છે. તેમ છતાં, એ સમયમાં પ્રચલિત અસંખ્ય પ્રકારો વિશે વિગતે લખવું અહીં શક્ય નથી. જૈન સાહિત્યનો પરિચય આપતા લેખોમાં તેમજ અન્યત્ર પણ કેટલાક સાહિત્યપ્રકારો વિશે તે તે સ્થળે નિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં, સંક્ષેપમાં, કેટલાક પ્રકીર્ણ પ્રકારોનો ઉલ્લેખ કરીશું.&lt;br /&gt;
મધ્યકાળમાં ‘સલોકા સાહિત્ય’ સારી પેઠે ખેડાયું છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ અને ‘જૈન ગૂર્જર કવિઓ’, ‘સલોકાનો સંચય’ (હી. ર. કાપડિયા) તથા ‘પ્રાચીન કાવ્યો કી રૂપ-પરમ્પરા’ (અગરચંદ નાહટા) જેવાં પુસ્તકો જોવાથી એની પ્રતીતિ થશે. હરિવલ્લભ ભાયાણીએ કવિ શામળ ભટ્ટ રચિત ‘રૂસ્તમનો સલોકો’ના સંપાદનની ભૂમિકામાં સલોકાસૂચિ આપી છે. એમાં આ કાવ્યપ્રકારની જૈન તથા જૈનેતર કૃતિઓ વિશે નોંધ છે.&lt;br /&gt;
‘સલોકો’ એ સંસ્કૃત श्लोक પરથી સલોક-શલોક–સલોકો–શલોકો એ રીતે ઊતરી આવ્યો છે. મધ્યકાળમાં પદ્યબદ્ધ શૌર્યસ્તુતિના સ્વરૂપની રચના માટે આ શબ્દ પ્રયોજાયો છે. ‘ભાણનો સલોકો’, ‘રૂસ્તમનો સલોકો’, ‘રણછોડજીનો શલોકો’માં ઐતિહાસિક પ્રસંગ સાથે સંબદ્ધ વ્યક્તિની પદ્યબદ્ધ શૌર્યસ્તુતિ છે. આપણા પ્રબંધ અને પવાડાનો એ વારસ છે. પરંતુ આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં લગ્નાદિ ઉત્સવ પ્રસંગે ‘શલોકા’ બોલવાનો રિવાજ છે. એ પ્રસંગે પ્રાસબદ્ધ પંક્તિઓમાં જાહેરમાં પ્રશસ્તિગાન થાય છે. એક વ્યક્તિ લયબદ્ધ રીતે એક કડી બોલે અને સામેથી હોકારાનો લલકાર થાય એવી પદ્ધતિ એમાં હોય છે. માંહ્યરામાં વર તેમજ કન્યા તરફથી એવા સલોકા બોલાતા. કવિ પ્રભુરામે ‘રામવિવાહના શલોકા’ લખેલા છે. ‘વર્ણક-સમુચ્ચય’માં પણ એવી એક કૃતિ સંગ્રહાઈ છે. વિદ્યા અને ચાતુરીની કસોટી માટે બોલાતા આવા શ્લોકો ક્રમેક્રમે પ્રાસબદ્ધ લયરચના તરીકે વિકસીને ફટાણાંની જેમ મહેણાં-ટોણાંવાળા બન્યા હોય એ સંભવિત છે. તેમ છતાં, ઉપલબ્ધ કૃતિઓ પરથી કહી શકાય કે ‘રામવિવાહનો સલોકા’ જેવામાં દેવસ્તુતિને, ‘ભાણનો સલોકો’ (ગંગાદાસ), ‘રૂસ્તમનો સલોકો’, ‘રણછોડજીનો સલોકો’ (શામળ) જેવી કૃતિઓમાં વ્યક્તિની પરાક્રમસ્તુતિને મહત્ત્વ મળ્યું છે. આથી ‘સલોકો’ અને ‘પવાડો’ વચ્ચેનો ભેદ લગભગ નષ્ટ થયો. ‘રૂસ્તમનો સલોકો’ ‘રૂસ્તમનો પવાડો’ તરીકે પણ જાણીતો છે. વિશ્વનાથ જાનીએ ‘ગનીમનો પવાડો’ લખ્યો છે. પરંતુ ‘પવાડો’ વ્યક્તિનાં વિશિષ્ટ કાર્યોના વર્ણન માટે હતો તે પાછળથી વીરકાવ્ય માટે રૂઢ થયેલો છે.&lt;br /&gt;
‘વિવાહલુ’, ‘વિવાહ’, ‘વેલિ’-‘વેલ’ જેવા પ્રકારો, સામાન્યપણે, જૈનકવિઓએ વિશેષ ખેડ્યા છે. ‘વિવાહલુ’માં તત્ત્વજ્ઞાનદૃષ્ટિએ વિવાહનું રૂપક ઘટાવાયું હોય છે. જૈનેતર કવિઓમાં ભાલણ, નાકર, દીવાળીબાઈ, રાધાબાઈ, રણછોડ, ગિરધર, દયારામ આદિ અનેક કવિઓએ સીતા, શિવ, રામ, કૃષ્ણ, વગેરેનાં વિવાહ-કાવ્યો લખ્યાં છે. ‘વેલિ’, ‘વેલ’ સંજ્ઞા પણ વિવાહના અર્થમાં પ્રયોજાઈ છે. વજિયાની ‘સીતાવેલ’માં રામસીતાના વિવાહની કથા નિરૂપાઈ છે. દયારામની ‘ભક્તવેલ’ પણ એ જ ઢબની છે. ‘વલ્લભવેલ’માં ‘વેલ’ શબ્દ વંશ-વેલના અર્થમાં ચરિત્રકૃતિ રૂપે આવે છે. માંગલિક પ્રસંગોએ ગવાતાં ધવલમંગલ ગીતો ‘ધવલ-ધોળ’ તરીકે જાણીતાં છે. નેમિનાથ, ઋષભદેવ વિશે આવાં અનેક ધોળપદ લખાયાં છે.&lt;br /&gt;
રૂપક કાવ્યમાં જુદાં જુદાં રૂપકો દ્વારા નિરાકારભાવમાં સજીવારોપણ દ્વારા વસ્તુનું નિરૂપણ થતું હોય છે, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’માં પરમહંસ રાજા અને ચેતના રાણીનું, ‘વિવેકવણઝારો’–(પ્રેમાનંદ)માં વિવેકરૂપી વણઝારનું, ‘જીવરાજ શેઠની મુસાફરી’ (જીવરામ ભટ્ટ) વગેરે અનેક દીર્ઘ રૂપકકાવ્યો જાણીતાં છે. નરસિંહ, મીરાં, ધીરો, દયારામ વગેરે અનેકનાં કેટલાંક પદોમાં પણ સળંગ વાણિજ્ય આદિનાં રૂપકો ગૂંથાયેલાં છે.&lt;br /&gt;
બારમાસીનો કાવ્યપ્રકાર, ફાગુની જેમ, મધ્યકાળમાં ખૂબ ખેડાયો છે. એક એક મહિનાનું એક એક પદમાં વર્ણન કરી બારે માસના વિશિષ્ટ વર્ણન સાથે, નાયિકાવિરહ આલેખતા આ પ્રકારમાં, મુખ્યપણે વિપ્રલંભ શૃંગાર સાથે કરુણનું નિરૂપણ હોય છે. અંત મિલનથી આવે છે. રત્નાના અને રાજેના ‘મહિના’ પ્રસિદ્ધ છે. તત્કાલીન સમાજજીવનમાં પરદેશ જતા પુરુષોના દીર્ઘ પ્રવાસો સાથે આ પ્રકારને નજીકનો સંબંધ છે.&lt;br /&gt;
કૃષ્ણ-રાધાનું જૈનેતર માટે તેમ નેમિ-રાજુલનું વિરહગાન જૈન કવિઓ માટે અવલંબનરૂપ હતું. જૈન કવિઓએ આ પ્રકારનાં પદ, વાર, તિથિઓ, મહિનાઓની રચના કરી છે. ‘નેમિનાથ ચતુષ્પદિકા’ ‘નેમિનાથ રાજિમતી બારમાસ’ તેમજ અનેક અપ્રગટ બારમાસીઓ આનાં ઉદાહરણો છે. જુદા જુદા કવિઓએ અસાડ, ચૈત્ર એમ જુદાજુદા મહિનાથી કાવ્યનો આરંભ કર્યો છે. બારમાસનું ચક્ર કેટલાક કવિઓએ જ્ઞાનોપદેશ માટે પણ નિરૂપ્યું છે. અખો, પ્રીતમ જેવાના ‘જ્ઞાનમાસ’ એનાં ઉદાહરણો છે. લોકસાહિત્યમાં આવતાં ઋતુગીતો, લોકકથાની બારમાસીઓ પણ સુખ્યાત છે. ‘માધવાનલ-કામકુંદલાપ્રબંધ’માં વિરહની તેમ ભોગની બારમાસી વણી લીધી છે. આ ઉપરાંત મૃત સ્વજનનું સ્મરણ ગાતાં મરશિયાનાં ઋતુકાવ્ય, કણબીના બારમાસ જેવી કૃતિઓ પણ રચાઈ છે.&lt;br /&gt;
છંદ પ્રકારમાં મુખ્યત્વે દેવસ્તુતિ જ હોય છે. ‘ઈશ્વરી છંદ’ (શ્રીધર), ‘મયણછંદ’ (મયણબમ્ભ), ‘અંબિકા છંદ’ (કીર્તિમેરુ), ‘અંબિકાનો છંદ’, ‘ભવાનીનો છંદ’, (નાકર), ‘રંગરત્નાકરનેમિનાથછંદ’ ‘શ્રીસૂર્યદીવા-વાદ છંદ’ (લાવણ્યસમય), ‘ભારતીછંદ’ (સંઘવિજય), ‘શારદા છંદ’, ‘રાવ જેતસીરો છંદ’, ‘ગુણરત્નાકર છંદ’ વગેરેમાં દેવ-દેવીની સ્તુતિઓ, સ્તોત્રો, શૃંગારનાં નિરૂપણો, ચરિત્ર તેમ સંવાદ પણ છે. ‘નેમિરંગરત્નાકરછંદ’માં પૌરાણિક પણ ઉદાત્ત પ્રસંગ આલેખાયો છે. ‘રણમલ્લછંદ’ એ વીરરસનું જુદા જ પ્રકારનું કાવ્ય છે. ઝડઝમકવાળી ભાષાના એ પ્રબંધ જ છે.&lt;br /&gt;
ચર્ચરી એ રાસની જેમ ઉત્સવાદિ પ્રસંગે ગવાતી રચનાને અપાયેલી સંજ્ઞા છે. એવી જ એક સંજ્ઞા ‘હમચડી’–હીંચ પણ છે. જૈન ગચ્છોની આચાર્ય-પરંપરાના વર્ણન માટે ‘પટ્ટાવલી’–‘ગુર્વાવલી’ પણ લખાઈ છે.&lt;br /&gt;
ઉપદેશપ્રધાન પદ્યસાહિત્યમાં ‘માતૃકા-કક્કામાં માસ, તિથિ, વારની સંકલનાની જેમ વર્ણમાલાની કડીબદ્ધ સંકલના જોવા મળે છે. ‘પ્રાચીન ગુર્જરકાવ્યસંગ્રહ’માં આવી કેટલીક પ્રાચીન કૃતિઓ સંગ્રહાઈ છે. એમાં પ્રત્યેક વર્ણથી પ્રારંભાઈને પદ્યો રચાયાં છે. એને પાછળથી ‘બાવની’ એવું નામ પણ અપાયું છે. અખો, પ્રીતમ જેવાએ પણ આ પ્રકાર ખેડ્યો છે. એ જ રીતે, વ્યવહાર-સલાહ વગેરે આપવા માટે ‘હિતશિક્ષા’નો પ્રકાર પણ લખાયો છે. ભોજા જેવા કવિએ સમાજ વગેરેમાં જોવા મળતાં દંભ માટે ‘ચાબખા’નો પ્રકાર આપ્યો છે. હાસ્ય-કટાક્ષ દ્વારા ઉપદેશ અને સુધારણાનો હેતુ એમાં સમાયેલો છે. ધીરાએ એનાં પદોને ‘કાફી’ સંજ્ઞા આપી છે.&lt;br /&gt;
‘નામેહ’, ‘નામા’ પ્રકારમાં પારસીઓએ કેટલાક ચરિત્રગ્રંથો આપ્યા છે. ‘ઝરથોસ્તનામેહ’ અને ‘સિયાવક્ષનામેહ’ એના નમૂના છે.&lt;br /&gt;
ઋતુની અનુભવવાણીને આલેખતાં ભડલી-વાક્યો પણ ગુજરાતીમાં જાણીતાં છે. એમાં દીર્ઘ અનુભવ અને કુદરતના નિરીક્ષણને આધારે કેટલાંક પરિણામો સૂત્રાત્મક રીતે સચવાયાં છે. ખેડૂત વર્ગમાં, વરસાદ વગેરે અંગેનાં કેટલાંક દુહા-પદ્યો અત્યંત પ્રચલિત છે. ઋતુરહસ્યોને સંક્ષેપમાં પ્રગટ કરતી એ વાણી, ભવિષ્યવાણી તરીકે પ્રચાર પામી છે. લાંબા અનુભવ પછી ઋતુપલટાઓમાં જોવા મળતા કેટલાક નિયમો એમાં છટાદાર વાણીમાં વ્યક્ત થયા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ભૂમિકા&lt;br /&gt;
|next = જૈન સાહિત્ય – ૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112889</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112889"/>
		<updated>2026-07-20T14:54:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Part 1Book Cover.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા|ભૂમિકા]] &lt;br /&gt;
| ભોગીલાલ સાંડેસરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૨&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો|મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો]]&lt;br /&gt;
| ચંદ્રકાન્ત મહેતા&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૩&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/જૈન સાહિત્ય – ૧|જૈન સાહિત્ય – ૧]]&lt;br /&gt;
| રમણલાલ ચી. શાહ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા|નરસિંહ મહેતા]] &lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૫&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ|આદિભક્તિયુગના કવિઓ]] &lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૬&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભાલણ|ભાલણ]]&lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૭&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રબંધ અને પદ્મનાભ|પ્રબંધ અને પદ્મનાભ]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૮&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ફાગુસાહિત્ય|ફાગુસાહિત્ય]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૯&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મીરાં|મીરાં]] &lt;br /&gt;
| નિરંજન ભગત&lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૦ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ|અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ]] &lt;br /&gt;
| સુભાષ દવે&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખો|અખો]]&lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૨&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા|અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા]]&lt;br /&gt;
| ભૂપેન્દ્ર ત્રિવેદી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Gujarati_Sahityano_Itihas_Granth_2_Part_1Book_Cover.jpg&amp;diff=112888</id>
		<title>File:Gujarati Sahityano Itihas Granth 2 Part 1Book Cover.jpg</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Gujarati_Sahityano_Itihas_Granth_2_Part_1Book_Cover.jpg&amp;diff=112888"/>
		<updated>2026-07-20T14:22:20Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Meghdhanu uploaded a new version of File:Gujarati Sahityano Itihas Granth 2 Part 1Book Cover.jpg&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;=={{int:filedesc}}==&lt;br /&gt;
{{Information&lt;br /&gt;
|description={{lua|1=Ekatra}}&lt;br /&gt;
|date=2026-07-20&lt;br /&gt;
|source=Ekatra&lt;br /&gt;
|author=Ekatra&lt;br /&gt;
|permission=&lt;br /&gt;
|other versions=&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
=={{int:license-header}}==&lt;br /&gt;
{{subst:uwl}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:Book Cover]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112887</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112887"/>
		<updated>2026-07-20T14:21:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Part 1Book Cover.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા|ભૂમિકા]] &lt;br /&gt;
| ભોગીલાલ સાંડેસરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૨&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો|મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો]]&lt;br /&gt;
| ચંદ્રકાન્ત મહેતા&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૩&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/જૈન સાહિત્ય-૧|જૈન સાહિત્ય-૧]]&lt;br /&gt;
| રમણલાલ ચી. શાહ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા|નરસિંહ મહેતા]] &lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૫&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ|આદિભક્તિયુગના કવિઓ]] &lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૬&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભાલણ|ભાલણ]]&lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૭&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રબંધ અને પદ્મનાભ|પ્રબંધ અને પદ્મનાભ]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૮&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ફાગુસાહિત્ય|ફાગુસાહિત્ય]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૯&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મીરાં|મીરાં]] &lt;br /&gt;
| નિરંજન ભગત&lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૦ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ|અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ]] &lt;br /&gt;
| સુભાષ દવે&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખો|અખો]]&lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૨&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા|અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા]]&lt;br /&gt;
| ભૂપેન્દ્ર ત્રિવેદી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Gujarati_Sahityano_Itihas_Granth_2_Part_1Book_Cover.jpg&amp;diff=112886</id>
		<title>File:Gujarati Sahityano Itihas Granth 2 Part 1Book Cover.jpg</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Gujarati_Sahityano_Itihas_Granth_2_Part_1Book_Cover.jpg&amp;diff=112886"/>
		<updated>2026-07-20T14:20:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Uploaded a work by Ekatra from Ekatra with UploadWizard&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;=={{int:filedesc}}==&lt;br /&gt;
{{Information&lt;br /&gt;
|description={{lua|1=Ekatra}}&lt;br /&gt;
|date=2026-07-20&lt;br /&gt;
|source=Ekatra&lt;br /&gt;
|author=Ekatra&lt;br /&gt;
|permission=&lt;br /&gt;
|other versions=&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
=={{int:license-header}}==&lt;br /&gt;
{{subst:uwl}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:Book Cover]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=112873</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=112873"/>
		<updated>2026-07-20T03:31:15Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૧ ભૂમિકા|ભોગીલાલ સાંડેસરા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. ૧૪૫૦ થી ૧૮૫૦ સુધીનો આશરે ચાર શતાબ્દીનો કાલખંડ એ વાસ્તવિક અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ છે. નરસિંહ પૂર્વેના સાહિત્યને પ્રાચીન ગુજરાતી કે મારુગુર્જર સાહિત્ય કહી શકાય. એનીયે પહેલાં ઉત્તરકાલીન અપભ્રંશ તથા અપભ્રંશ ઐતિહાસિક પૂર્વક્રમમાં રહેલાં છે. પ્રથમ ઉત્તર ભારત ઉપર અને પછી બાકીના ભારત ઉપર તુર્કો અને મુસ્લિમ ધર્મ પાળતા પરદેશીઓનો વિજય થયો ત્યારે ઊભા થયેલા ધાર્મિક-સામાજિક અનેકવિધ નવા પ્રશ્નોના સંદર્ભમાં ભારતીય માનસને અને ભારતીય સંસ્કારિતાના એક નવા જ યુગને અભિવ્યક્તિ આપવાનું કાર્ય ભારતીય ભાષાઓએ નવેસરથી ઉપાડી લીધું. લોકપ્રચલિત કથ્ય ભાષાઓએ તત્કાલીન સમાજની વ્યાવહારિક જરૂરિયાતો પૂરી પાડવાની હતી તે સાથે દેશની અંદર જ દેશની સંસ્કારિતા માટે લડત ચલાવવાની હતી. ભારતીય જીવન એના જૂના ચીલાઓમાં જ ચાલતું રહ્યું હોત તો સંભવ છે કે નવ્ય ભારતીય ભાષાઓનાં સાહિત્યનો જન્મ અને વિકાસ એકાદ-બે શતાબ્દી જેટલો મોડો થયો હોત. ભારતીય વિચારપ્રવાહના નાયકોએ પોતાના પૂર્વજોના ઉચ્ચ સાંસ્કારિક અને આધ્યાત્મિક વિચારોનો આમવર્ગમાં પ્રચાર કરવા માટે લોકભાષાઓનું માધ્યમ સ્વીકાર્યું; હિન્દુઓના તાત્ત્વિક એકેશ્વરવાદનો તેમણે આધાર લીધો અને મુસ્લિમોના નિર્ગુણ એકેશ્વરવાદ સાથે એનો સ્વાભાવિક સમન્વય સાધવા પ્રયત્ન કર્યો. આ પ્રયત્નોનું વાહન મુખ્યત્વે નવ્ય ભારતીય ભાષાઓ બની. પ્રાદેશિક સાહિત્યોનો આ રીતે વિકાસ થતાં વિભિન્ન પ્રદેશોના વ્યક્તિત્વના વિકાસને વેગ મળ્યો. સાંસ્કારિક અને ભાષાકીય પ્રદેશના ઘડતરને રાજકીય એકમની ઘટના દ્વારા પણ ઉત્તેજન મળ્યું. પ્રદેશના ઘડતરમાં બીજાં તત્ત્વો સાથે વાહન-વ્યવહારનાં સાધનો-માર્ગોનુંયે વિશિષ્ટ મહત્ત્વ છે. જેમકે ગુજરાતના સ્વભાવ-ઘડતરમાં એના લાંબા સમુદ્રકિનારાઓ અને વિદેશી વેપારે અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમ પ્રથમ પાટણમાં અને પછી અમદાવાદમાં સ્વતંત્ર ગુજરાતી સલ્તનતની સ્થાપનાએ તથા એની સ્થિર થયેલી દૃઢતાએ મારવાડ અને ગુજરાતની પ્રાયઃ સમાન ભાષાને – જેમાં બોલીભેદો હશે જ – ગુજરાત અને મારવાડની બે સ્વતંત્ર ભાષાઓ રૂપે વિકસવાનો અવકાશ આપ્યો. ઈસવીસનની પંદરમી સદીના આરંભમાં અમદાવાદની સ્થાપનાની ઘટના નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય કવનકાળથી થોડાક દશકા જેટલી જ જૂની છે.&lt;br /&gt;
પૂર્વકાળના અને આપણા અભ્યાસવિષય કાલખંડના સાહિત્યનાં પ્રેરક બળો બહુધા સમાન હતાં. આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણમાં ઉદ્ધૃત થયેલા પ્રેમશૌર્ય અને સામાન્ય ઉપદેશના દુહાઓનું સાતત્ય અર્વાચીન કાળ સુધી રહેલું છે એ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના ઐતિહાસિક જીવન અને લોકસાહિત્ય ઉપરથી જણાય છે. સંસ્કૃતનો સુભાષિતછંદ જેમ અનુષ્ટુપ તેમ અપભ્રંશ અને ગુજરાતી-રાજસ્થાનીનો સુભાષિતછંદ દુહો. દુહા વિષે કોઈ વિદગ્ધ કહેલો એક જૂનો ગુજરાતી દુહો છે —&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દૂહો તિહાં કહીજઇ, જિહાં હોહિ લોક સુજાણ;&lt;br /&gt;
અધૂરઇ પૂરઉ કરઇ, પૂરઇ કઇ વખાણ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પંદરમા સૈકા પછીના ગુજરાતી હસ્તલિખિત સાહિત્યમાં સુભાષિતોના—પ્રાસ્તાવિક દુહાના અનેક સમૃદ્ધ સંગ્રહો મળે છે, જેમાંના કેટલાક સ્વ. ચિમનલાલ દલાલે, શ્રી મધુસૂદન મોદીએ, અને આ લેખકે છપાવ્યા છે. આ સિવાય જૂની પદ્યવારતાઓ અને આખ્યાનોમાં, રાસા આદિમાં દુહા અને અન્ય છંદોમાં રચાયેલાં પુષ્કળ સુભાષિતો–મુક્તકો ઉદ્ધૃત થયેલાં છે, જેનો ‘સુભાષિતરત્નભાંડાગાર&#039; જેવો મોટો સંગ્રહ સંકલિત થઈ શકે. શિષ્ટ સાહિત્યનો લોકસાહિત્ય સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સમન્વય અહીં જોઈ શકાય છે અને મધ્યકાલીન સાહિત્યના અનેક પ્રકારોમાં લોકસાહિત્યનો પ્રભાવ વિવિધ રીતે અને વિવિધ કોટિએ વરતાય છે.&lt;br /&gt;
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ એ પ્રાભાવિક પ્રેરક બળ હતું, કેમકે જીવનનાં અનેક અંગો ધર્મરંગે રંગાયેલાં હતાં. એમાં વ્યાપક અર્થમાં ધર્મજીવન ઉપરાંત આર્યધર્મના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે. પહેલાં જૈન ધર્મ લઈએ, કેમ કે નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનું કારણ એ નથી કે જૈનેતર સાહિત્ય રચાયું જ નહિ હોય; એમ હોવું શક્ય કે સંભવિત નથી. પણ જૈન-ગ્રન્થભંડારોની સામાજિક સંગોપનપદ્ધતિને કારણે જૈન સાહિત્ય વ્યવસ્થિત રીતે સચવાયું એટલો જ એનો અર્થ છે. જૈનેતરકૃત જે થોડુંક સાહિત્ય મળે છે તે પણ જૈન ભંડારોમાં સચવાયું છે તે હકીકત આ વિધાનનું એક પ્રમાણ છે.&lt;br /&gt;
પંદરમા સૈકા પછીના કાલખંડમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે; જૈનેતર સાહિત્ય પણ અર્વાક્તન સમયમાં આવતા જઈએ તેમ તેમ સારું સચવાયેલું છે. એથી પરસ્પરથી કેટલેક અંશે સંપૃક્ત છતાં લગભગ સમાન્તર વહેતા આ બંને પ્રવાહોના તુલનાત્મક અભ્યાસ માટે પણ પર્યાપ્ત અવકાશ રહે છે.&lt;br /&gt;
ભાગવત–વૈષ્ણવ ધર્મનો વિકાસ અને પ્રચાર શતાબ્દીઓ પૂર્વેથી લગભગ સમગ્ર ભારતમાં હતો, અને તેના પ્રભાવમાંથી ગુજરાત મુક્ત રહી શકે નહિ. ચૌલુક્યયુગથી માંડી ગુજરાતનું સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષાનું સાહિત્ય (જેમાં હેમચન્દ્રે ઉદ્ધૃત કરેલા રાધાકૃષ્ણ વિષેના દુહાનો પણ સમાવેશ થાય છે) એ વાતના પ્રમાણરૂપ છે. નરસિંહ-મીરાંની ઉત્કટ ભક્તિજ્વાળાનો ઉદ્ભવ કંઈ આકસ્મિક નહોતો, પણ દેશભરમાં પ્રવર્તમાન પ્રબળ ભક્તિ-આંદોલનનો અંશ હોઈ વિશિષ્ટ પ્રતિભાવાન વ્યક્તિઓ દ્વારા અભિવ્યક્તિ પામ્યો હતો. પણ પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યના આગમન પછી ગુજરાતના ધાર્મિક જીવનમાં શાન્ત પરિવર્તન આવ્યું. જૈન ધર્મની અનુયાયી અનેક વણિક જ્ઞાતિઓ વૈષ્ણવ બની. અહિંસા, તપ અને દાનધર્મની આર્યધર્મસંમત પૂર્વપરંપરાનો સ્વીકાર કરી, વલ્લભાચાર્યે એમાં સેવાનો આનંદ અને ઉત્સવોનો ઉલ્લાસ ઉમેરીને પ્રજાજીવનને સાચા અર્થમાં નવપલ્લવતા અર્પી, ભક્તિમાર્ગનો મહાયાન સર્વ પ્રકારના અધિકારીઓ માટે ચાલુ કર્યો. મધ્યકાળના અર્વાક્તન છેડે વિદ્યમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદે એને આચારશુદ્ધિ અને સાત્ત્વિકતાનો પુટ આપ્યો. ભક્તિમાર્ગના આશ્રયથી અને ભક્તિ-જ્ઞાનના ઉપાસક, આમ જનતાની વચ્ચે રહેનારા સંતભક્તોના સરલ આચાર અને સાદી પણ મરમી વાણીના પ્રભાવથી સામાજિક જીવનના આતંકોને હિન્દુ સમાજ કંઈક સ્વસ્થ રીતે પચાવી શક્યો. શ્રીમદ્ ભાગવત આમ તો પુરાણગ્રન્થ હોવા છતાં મધ્યકાલીન સાહિત્યના એક પરિબળ રૂપ બન્યો હતો.&lt;br /&gt;
સ્માર્ત ધર્મ, પુરાણોક્ત ધર્મ, શિવપૂજા અને શક્તિપૂજા ઉપરાંત અતિપ્રાચીન કાળથી ચાલ્યા આવતા લોકધર્મો સમાજમાં પ્રચલિત હતા. રામાયણ-મહાભારત ઉપરાંત પુરાણો આદિને આધારે વિવિધ પ્રકારોમાં રચાયેલું સાહિત્ય આથી મધ્યકાળમાં છે; શાક્ત સંપ્રદાયનું સાહિત્ય પણ છે. લોકધર્મોને બાદ કરતાં ઉપર્યુક્ત સર્વ સંપ્રદાયોમાં ગુજરાતી ઉપરાંત ઓછાવત્તા પ્રમાણમાં સંસ્કૃત અને પ્રાકૃતમાં પણ સાહિત્ય રચાયું છે. આથી આ સમયના ગુજરાતી સાહિત્યનો વિચાર સમગ્ર ધાર્મિક-સામાજિક જીવન અને સાહિત્યપ્રવૃત્તિના સંદર્ભમાં કરવો જોઈએ.&lt;br /&gt;
પ્રાચીન ભારતમાં ઉપનિષદપ્રોક્ત સર્વાત્મભાવમાંથી ઉદ્ભવેલો એકેશ્વરવાદ અને નિર્ગુણવાદ હતો અને ઉપરટપકે દેખાતો બહુદેવવાદનો આભાસ વસ્તુતઃ એકેશ્વરવાદને દૃઢ કરવા માટે હતો. પણ ઉત્તર ભારતના તુર્કી વિજય પછી મુસ્લિમ એકેશ્વરવાદ અને નિરાકાર ઈશ્વરની ઉપાસનાએ સમન્વયાત્મક શ્રદ્ધાને અદકો વેગ આપ્યો અને સંત-પ્રણાલીના ઉદ્ભવ અને વિકાસની ભૂમિકા તૈયાર થઈ. મધ્યકાલીન રહસ્યવાદનું એમાં મિશ્રણ અને રસાયણ થયું. ગુજરાતમાં પણ એની અસર સ્વાભાવિક રીતે થઈ. નાથયોગીઓની મરમી વાણી, સૂફીઓની મસ્તી અને વૈષ્ણવોની પ્રેમલક્ષણા ભક્તિ અને અનુભવનો આત્મવિશ્વાસ એ બધું એ સંતવાણીમાં સંભળાય છે; (-એમાંની કેટલીક ગ્રંથસ્થ થઈ છે અને ઘણી નથી થઈ-) માર્ગી બાવાઓનાં, તુરી જોગી ફકીરનાં ભજનોમાં પણ સંભળાય છે. જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો વિચાર પણ આ સાથે જાય, જેમાં એક બાજુ વેદાન્તનો ઉપદેશ આપતી સ્વતંત્ર કે અનૂદિત કૃતિઓ છે, તો બીજી બાજુ વસ્તો, બુટિયો, ગોપાળ, ધનરાજ, અખો આદિની આધ્યાત્મિક અનુભવના પરિપાક સમી કૃતિઓ છે. યોગી આનંદઘનજી અને મહાપંડિત યશોવિજયજી જેવા જૈન કવિઓની કૃતિઓ પણ આ બીજી કોટિમાં આવે. &lt;br /&gt;
આ સંતવાણીને તથા ભક્તિસંપ્રદાયને ઊર્મિપ્રાણિત પદપ્રકાર અનુકૂળ આવ્યો. અંદાજે હજારો પદો રચાયાં હશે. એમાં જ્ઞાન અને ઉપદેશનાં પદો પણ છે. આખ્યાનો કે પદ્યવારતાઓમાં ઘનીભૂત બનતી ઊર્મિની અભિવ્યક્તિ માટે અથવા વૃત્તાંતકથનમાં વચ્ચે વચ્ચે વિરામ માટે પણ પદો મુકાય છે. આખ્યાન રૂપમાં રચાયેલી ‘અખેગીતા’ જેવી તત્ત્વજ્ઞાનવિષયક કૃતિઓમાં પણ વચ્ચે વચ્ચે પદો આવે છે. પદપ્રકારનાં શિખરો મુખ્યત્વે નરસિંહ, મીરાં, રાજે, દયારામ, પ્રેમાનંદસખી આદિમાં સર થયાં છે.&lt;br /&gt;
આખ્યાન એ કથાત્મક કવિતા રજૂ કરે છે. એ દૃષ્ટિએ આ જ પ્રકારની કવિતા રજૂ કરતા જૂના સાહિત્યપ્રકાર ‘રાસ’ અથવા ‘રાસો’ સાથે એને ગાઢ સંબંધ છે. અથવા એમ કહી શકાય કે ‘આખ્યાન’ અને ‘રાસ’ એ વાસ્તવિક રીતે જોતાં એક જ પ્રકાર છે, અને તે જૈનેતર પરંપરામાં મુખ્યત્વે આખ્યાન તરીકે, અને જૈન પરંપરામાં ‘રાસ’ તરીકે ઓળખાયો. નાકર અને વિષ્ણુદાસ જેવા પ્રસિદ્ધ જૈનેતર આખ્યાનકારોએ અનુક્રમે પોતાનાં ‘નળાખ્યાન’ અને ‘રુકમાંગદપુરી’ એ આખ્યાનો માટે ‘રાસ’ શબ્દ પ્રયોજ્યો છે અને ભાલણે પણ ‘દશમસ્કંધ’માં એ અર્થમાં ‘રાસ’નો પ્રયોગ કર્યો છે. જૂની ગુજરાતીમાં ‘રાસ’ અને ‘આખ્યાન’ એ બંનેય સામાન્ય રીતે ધર્મકથાને અને કેટલીકવાર ઐતિહાસિક વસ્તુને (અલબત્ત, ઘણું ખરું તો એના કલ્પનામિશ્રિત સ્વરૂપમાં) કાવ્યવિષય બનાવે છે. જૈન રાસાઓ ઉપાશ્રયોમાં અથવા શ્રાવકોના ઘરમાં નાના શ્રોતાવર્ગ આગળ ગવાતા હતા, જ્યારે આખ્યાનોનું કથકો અથવા માણભટ્ટો દ્વારા જાહેર સ્થળોમાં મોટી મેદની સમક્ષ ગાન થતું હતું. બંને પ્રકારમાં વસ્તુ અને સાહિત્યિક ‘પ્રયોજન’ (‘મોટિફ’) ધાર્મિક હતાં, તોપણ રાસ હંમેશાં ઉપાશ્રયના વાતાવરણમાં રહ્યો અને ઉપદેશાત્મક તત્ત્વમાંથી મુક્ત થઈ શક્યો નહિ, જ્યારે આખ્યાન વિભિન્ન રુચિ અને રસવૃત્તિવાળી મેદની સમક્ષ ગવાતું હોઈ તેના રચિયતાઓએ ઉપદેશના તત્ત્વ નીચે રંજન ચેપાઈ જાય નહિ એની સતત કાળજી રાખી. સંસ્કૃત પ્રાકૃતાદિ નહિ જાણનાર જનસમાજને મનોરંજક રીતે ધર્મકથાઓ સંભળાવવાની વૃત્તિમાંથી જન્મેલા આ સાહિત્યપ્રકારનાં પ્રસ્તુત બે નામો સહેજ વિભિન્ન સ્વરૂપે થયેલો વિકાસ માત્ર દર્શાવે છે.&lt;br /&gt;
રાસ અને આખ્યાનના સંબંધનો વિચાર કરતાં રાસ અને પ્રબન્ધનું સ્વાભાવિક સ્મરણ થાય છે. સાદા સંસ્કૃત ગદ્યમાં અને કવચિત્ પદ્યમાં રચાયેલાં ઐતિહાસિક કે અર્ધ-ઐતિહાસિક કથાનકોને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રબન્ધ’ કહે છે. પણ જૂના ગુજરાતી સાહિત્યમાં તો રાસ જેવી જ કથાપ્રધાન રચનાઓને ‘પ્રબન્ધ’ નામ અપાયેલું જોવામાં આવે છે, જેમ કે ‘વિમલપ્રબન્ધ’, ‘કાન્હડદેપ્રબન્ધ’, ‘હમ્મીરપ્રબન્ધ’ આદિ. અલબત્ત, આ રીતે જેમને ‘પ્રબન્ધ’ નામ અપાયું છે એવી રચનાઓ કોઈ ઐતિહાસિક વસ્તુ પરત્વે હોય છે એટલું પેલા સંસ્કૃત પ્રબન્ધો સાથે એનું સામ્ય ખરું. જોકે એમાંયે ‘વિમલપ્રબન્ધ’ અને ‘કાન્હડદેપ્રબન્ધ’ને કેટલીક હસ્તપ્રતોની પુસ્તિકાઓમાં ‘રાસ’ કહ્યા છે. બીજી બાજુ, ‘વસ્તુપાલ-તેજપાલરાસ’, ‘સમરારાસ’, ‘પેથડરાસ’, ‘કુમારપાલરાસ’ અને એવી ઐતિહાસિક વ્યક્તિ કે વૃત્તાન્તો પરત્વે રચાયેલી કૃતિઓને ‘પ્રબન્ધ’ કહેવામાં આવી નથી. માત્રામેળ છંદોમાં રચાયેલી ઐતિહાસિક કૃતિઓ ‘પ્રબન્ધ’ કહેવાય અને દેશીમાં રચાયેલી ‘રાસ’ કહેવાય એવી એક માન્યતા છે, પણ તે સાધાર નથી, કેમ કે દેશીબદ્ધ રાસોની જેમ માત્રામેળ છંદોમાં રચાયેલા રાસો પણ મોટી સંખ્યામાં મળે છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે ગુજરાતીમાં રાસ અને પ્રબન્ધ વચ્ચેની ભેદરેખા બહુ સ્પષ્ટ નથી. બલકે, બંનેને અલગ સાહિત્યપ્રકારો તરીકે વર્ણવવા એ પણ વધારે પડતું છે.&lt;br /&gt;
એ જ રીતે દેશીબદ્ધ રચનાને આખ્યાનનું એક વ્યાવર્તક લક્ષણ ગણવામાં આવે છે, તે પણ આખ્યાનના પ્રારંભિક યુગ માટે બધી રીતે સાચું ગણી શકાય નહિ. વીરસિંહકૃત ‘ઉષાહરણ’, (ઈ. ૧૪૬૪ આસપાસ), કર્મણકૃત ‘સીતાહરણ’ (ઈ. ૧૪૭૦, આસપાસ), માંડણકૃત ‘રામાયણ’ અને ‘રુકમાંગદકથા’ (ઈ.નો ૧૬મો સૈકો) આદિ આખ્યાનો ચોપાઈ આદિ માત્રામેળ છંદોમાં રચાયેલાં છે. જૈન રાસા અને જૈનેતર આખ્યાનની સમાન રચનાપરંપરાની આપણે હમણાં વાત કરી તે અહીં પ્રયોગમાં સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારની રચનાઓમાં વચ્ચે વચ્ચે પદો મૂકવાની પરંપરા પણ બંનેમાં સમાન છે.&lt;br /&gt;
આ તો મુખ્યત્વે સ્વરૂપની વાત થઈ. રાસ અને આખ્યાન એ જૂના ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. જનસમૂહનું એના જેવું અને જેટલું સમારાધન બીજા કોઈ પ્રકારે કર્યું નથી. રાસ અથવા આખ્યાન તરીકે ઓળખાવી શકાય એવી સેંકડો કૃતિઓ ઉપલબ્ધ છે.&lt;br /&gt;
રાસ-આખ્યાન સાથે જેની તુલના કરી શકાય એવો બીજો સાહિત્યપ્રકાર કથા અથવા પદ્ય-વારતા છે. એના મૂળમાં લોકવાર્તા છે, પણ એનું સાહિત્યિક રૂપ આનંદલક્ષી કથાનું છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં કથાનું આનંદલક્ષી રૂપ પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી, ગુણાઢ્યકૃત લુપ્ત ‘બૃહત્કથા’માં (તથા ‘કથાસરિત્સાગર,’ ‘બૃહત્કથામંજરી’ આદિ એનાં સંસ્કૃત રૂપાન્તરોમાં), ધાર્મિક રૂપ પાલિ ‘જાતક’માં અને ‘બૃહત્કથા’ના જૈન ધર્મકથા લેખે થયેલા રૂપાન્તર ‘વસુદેવ-હિંડી’માં તથા નીતિશાસ્ત્રલક્ષી વ્યાવહારિક રૂપ ‘પંચતંત્ર’માં જણાય છે. એ કથાઓનો વારસો વિવિધ ફેરફારો અને પરિવૃદ્ધિ સાથે પ્રાકૃત અને અપભ્રંશ દ્વારા ગુજરાતીમાં આવ્યો છે, અને પ્રાચીન કાળથી માંડી ઓગણીસમા સૈકા સુધી એ કથાઓ સામાન્યતઃ પદ્યમાં તેમજ કેટલીક વાર ગદ્યમાંયે મળે છે. ઘણીવાર એ જૂની કથાનું નવસંસ્કરણ હોય છે, તો પ્રસંગોપાત્ત સંસ્કૃત કથાનું કે કથાગ્રન્થનું ગદ્ય ભાષાન્તર કે રૂપાન્તર હોય છે. ઉદાહરણ તરીકે, ‘કાદંબરી’, ‘પંચતંત્ર’, ‘બિલ્હણકથા’, ‘ધૂર્તાખ્યાન’, આદિનાં આવાં પદ્ય કે ગદ્યમાં થયેલાં ભાષાન્તર-રૂપાન્તરો છે. એમાં પણ પદ્યરચનાની દૃષ્ટિએ જોઈએ તો, માત્રામેળ છંદોમાં તેમ જ દેશીઓમાં એમ બંને રીતે રચાયેલી પદ્યવારતાઓ મળે છે. આનંદલક્ષી કથાઓનો સૌથી મોટો લેખક શામળ છે. જોકે એની પછી ઠેઠ અર્વાચીન કાળના સીમાડા સુધી એવી રચનાઓની પરંપરા ચાલુ રહેલી છે. એમાં કંઈક અપવાદરૂપ ગણી શકાય એવી જૈન કવિઓએ રચેલી પદ્યવારતાઓ છે. અલબત્ત, એમાંયે વચ્ચે વચ્ચે આવતા ધર્મોપદેશ અને છેલ્લે નાયક-નાયિકા દીક્ષા લે એવી ઘટનાઓ સિવાય બધું આનંદલક્ષી છે. અર્થાત્ જૈન કથાલેખકો અને કવિઓએ ધર્મોપદેશ અર્થે જનમનરંજનનું આ સાધન સ્વીકાર્યું હતું. ઠેઠ પાંચમા સૈકા આસપાસ ‘વસુદેવ-હિંડી’ના કર્તા સંઘદાસગણિ કહે છે કે ‘કામકથામાં રક્ત જનોને શૃંગારકથાના વ્યપદેશથી ધર્મ જ કહું છું’ – અને આગળ ઉમેરે છે કે, ‘વિદ્વજ્જનોના હૃદયમાં નિક્ષિપ્ત થયેલી કામકથા પણ પરિણામવશાત્ ધર્મકથા સાથે સંયોજિત થાય છે.’&lt;br /&gt;
પદ, આખ્યાન, રાસ, વારતા આદિની જેમ ફાગુ પણ જૂના ગુજરાતી સાહિત્યનો એક મુખ્ય પ્રકાર છે. એનું નામ જ સૂચવે છે તેમ (સંસ્કૃત फल्गु, પ્રાકૃત ફગ્ગુ = ‘વસંત’) એ વસંતવર્ણનનો પ્રકાર હોઈ માનવભાવ અને પ્રકૃતિનું સમન્વિત સુભગ આલેખન એ એની એક વિશિષ્ટતા છે. ગુજરાતી ભાષાના ઠેઠ આરંભકાળથી ઓગણીસમા સૈકા સુધી રચાયેલા ફાગુના પુષ્કળ નમૂના મળે છે; વસ્તુ, નિરૂપણ, છંદોરચના આદિની દૃષ્ટિએ આ સાહિત્યપ્રકારે સાધેલા વિકાસનો ઐતિહાસિક તેમજ નિરપેક્ષ દૃષ્ટિએ અભ્યાસ કરવા માટે પૂરતી સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે. જૈનેતર ફાગુઓ માત્ર દસેક મળ્યા છે, જ્યારે ઉપલબ્ધ જૈન ફાગુઓની સંખ્યા અંદાજે સો ઉપરની હશે. (સંસ્કૃતમાં પણ જયદેવની અષ્ટપદીઓની જેમ ગેય છંદોમાં રચાયેલા થોડાક જૈન ફાગુઓ મળ્યા છે એનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ). તુલના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે વસંતવર્ણનનું એક જ મૂળ સાહિત્યસ્વરૂપ બંનેય પરંપરામાં સહેજ પ્રકારાન્તરે વિકસ્યું છે. વસંતવર્ણન ઉપરાંત વસંતક્રીડા એ ફાગુનો વિષય છે, અને શૃંગારના બંને પ્રકારો–વિપ્રલંભ અને સંભોગ–નું એમાં નિરૂપણ હોય છે. પ્રાચીનતર અપભ્રંશમાં આપણને રાસુ વગેરે પ્રકારોના નમૂના મળે છે તેમ ફાગુના મળતા નથી, અને તેથી સાહિત્યપ્રકાર લેખે ફાગુનું મૂળ ચોક્કસરૂપે સમજવાનાં સાધનો નથી. પણ સંસ્કૃત સાહિત્યનાં ઋતુવર્ણનનાં કાવ્યો સાથે એની તુલના કરી શકાય. જૂના ગુજરાતી પ્રગટ-અપ્રગટ ફાગુઓમાંથી મેં એકત્ર કરેલાં અવતરણો બતાવે છે કે ફાગુ એ જાહેરમાં વિવિધ રીતે નૃત્યાદિ સાથે ગવાતો પ્રકાર હતો—ઓછામાં ઓછું એના પ્રાચીનતર સ્વરૂપમાં તો હતો. નૃત્યકાવ્ય કે ગેયરૂપકને કંઈક મળતો એ પ્રકાર હશે અને લોકસાહિત્યમાંથી શિષ્ટ સાહિત્યમાં સ્વીકારાયો હશે. અલબત્ત, જેમ જે આ પ્રકાર પોતાના મૂળ સ્વરૂપથી દૂર જતો ગયો અને શિષ્ટસાહિત્યના એક પ્રકાર લેખે જ વિકસતો અથવા કહો કે પલટાતો ગયો તેમ તેમ એના જાહેરમાં પ્રયોગની શક્યતા ઓછી થતી ગઈ. (ફાગુ એ જાહેરમાં કે નિદાન સમુદાયમાં ગાવાનો પ્રકાર હતો એની નિશાનીઓ એની છંદોરચનામાં પણ છે. દુહા કે રોળા જેવા માત્રામેળ છંદોના પ્રારંભમાં, છંદનો ખરેખર અંશ નહિ એવાં ‘અહે’, ‘અહ’ કે ‘અરે’ જેવાં લટકણિયાં મુકાયાં છે તે જાહેરમાં એ છંદો લલકારવાની અનુકૂળતા માટે હશે). પાછળના સમયમાં ફાગુમાં કેટલીક એકવિધતા આવી ગઈ. એવા પણ ફાગુઓ રચાયા છે, જેમને નામ માત્ર ફાગુ ગણી શકાય. પણ એકંદરે જોતાં ચૌદમા શતકથી માંડી કેટલાક સૈકા સુધી માનવભાવો સાથે પ્રકૃતિનું ગાન ગાતી, શૃંગાર સાથે ત્યાગ અને વૈરાગ્યના તરંગો ઉછાળતી કવિતા આ સાહિત્યપ્રકારે આપી છે. આખ્યાન કે રાસા કરતાં આનું સ્વરૂપ ટૂંકું છે, પણ ‘વસંતવિલાસ’, ‘ચુપઈફાગુ’ કે ‘વિરહદૈસાઉરિ ફાગુ’ જેવી કૃતિઓ બાદ કરતાં મોટે ભાગે એમાં કંઈક ઇતિવૃત્ત આવતું હોઈ હોરી કે ધમાર જેવાં વસંતખેલનાં ટૂંકા પદો કરતાં એમાં વૈવિધ્યને વિશેષ અવકાશ રહ્યો છે. ‘ષડ્ઋતુવિરહવર્ણન’ (દયારામ) જેવાં ઋતુવર્ણનનાં કાવ્યો, બારમાસીઓ, તિથિ-વારનાં કાવ્યોને પણ અહીં યાદ કરવાં જોઈએ. બીજા કેટલાક ગૌણ પદ્યાત્મક સાહિત્યપ્રકારો જૂના ગુજરાતી સાહિત્યમાં છે, પણ એ સર્વેનો નિર્દેશ આ પ્રાસ્તાવિક લેખમાં આવશ્યક નથી.&lt;br /&gt;
જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યલખાણો વિરલ કે અણછતાં હતાં એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ બદલાતો જાય છે. ચૌદમા સૈકાથી માંડી જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. અર્વાચીન કાળમાં ગદ્ય ઘણાબધા સાહિત્યપ્રકારોનું વાહન બન્યું છે એવું જોકે એ સમયમાં નહોતું. ગદ્યનું પ્રયોગક્ષેત્ર સીમિત હતું, તો પણ એ સીમિતક્ષેત્રમાંયે ગદ્યનાં થોડાંક, અલગ અલગ રૂપો મળે છે. સંસ્કૃત કે પ્રાકૃત કે વ્રજભાષાના ગ્રંથોના કે કવચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકારૂપ બાલાવબોધો અને ટબાઓ; અક્ષરના રૂપના માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં પદ્યમાં લેવાતી બધી છૂટ ભોગવતા પ્રાસયુક્ત ગદ્ય ‘બોલી’માં રચાયેલ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ અને ‘સભાશૃંગાર’ જેવા વર્ણકસંગ્રહો; અજ્ઞાતકર્તૃક ‘કાલકાચાર્યકથા&#039; જેવી, ક્વચિત્ અલંકારપ્રચુર અને ક્વચિત્ સહેલા રસળતા ગદ્યમાં રચાયેલી કથાઓ અને ‘કાદંબરી કથાનક&#039; જેવા કથાસંક્ષેપો; દાર્શનિક ચર્ચાઓ, વાદવિવાદો અને પ્રશ્નોત્તરીઓ; ‘ઔક્તિક&#039; તરીકે ઓળખાતા, ગુજરાતી દ્વારા સંસ્કૃત શીખવા માટેના સંખ્યાબંધ વ્યાકરણગ્રંથો (એમાં નાનકડો ગુજરાતી-સંસ્કૃત શબ્દકોશ પણ હોય છે) – જેમાં સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’ અને કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક&#039; જેવાં ભાષાના ઇતિહાસનાં સીમાચિહ્નોનો સમાવેશ થાય છે—સ્વામિનારાયણનાં ‘વચનામૃતો&#039;નું પ્રવચનશૈલીનું વિશદ અને પ્રવાહી ગદ્ય : એ જૂના ગુજરાતી ગદ્યસાહિત્યનાં પ્રાપ્ત વિવિધ રૂપો છે. અત્યારે ઉપલબ્ધ થતું જૂનું ગદ્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો ‘બૃહત્કાવ્યદોહન&#039;ના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા ઓછામાં ઓછા સો ગ્રંથો તો સહેજે ભરાય. જોકે જુદા જુદા પ્રાચીન ગ્રંથભંડારો અને સંગ્રહોમાં જે ગદ્યસાહિત્ય મારા જોવામાં આવ્યું છે તે વિચારતાં લાગે છે કે આ વિધાનમાં સંભવ અત્યુક્તિનો નહિ પણ અલ્પોક્તિનો છે.&lt;br /&gt;
મધ્યકાળનું સાહિત્ય બહુધા ધર્મપ્રધાન કે ધર્મમૂલક છે. સૌથી વિષમ સમયમાંયે સમાજશરીરમાં ધર્મની નાડીમાં ચેતન હોઈ સાહિત્યનું તે અગત્યનું પ્રેરક બળ હતું. એટલે સાહિત્યમાં ધર્મની પ્રધાનતા હોય એ સ્વાભાવિક છે. પણ ‘એક પ્રેમાનંદના પૂજ્ય અપવાદ સિવાય’ બધું મધ્યકાલીન સાહિત્ય કેવળ ધર્મરંગ્યું કે મૃત્યુની પયગંબરી કરનાર હતું એમ કહેવું વાસ્તવિક હકીકતોથી વેગળું છે. જીવનરસ-પ્રેમ અને વિરહ, શૌર્ય અને પરાક્રમ, હર્ષ અને શોક-નું ગાન કોઈ પણ સમાજમાં અને કોઈ પણ પ્રજાના સાહિત્યમાં ન હોય એ બને જ શી રીતે? ‘વસંતવિલાસ&#039; અને એ પ્રકારના અન્ય ફાગુઓ, વૃત્તબદ્ધ શૃંગારકાવ્યો – માધવકૃત ‘રૂપસુન્દર કથા’ અને અજ્ઞાતકર્તૃક ‘ફુલાંચરિત્ર’, નર્બદાચાર્યકૃત ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી&#039; તથા કામશાસ્ત્રવિષયક ગદ્યપદ્યાત્મક કૃતિઓ, ‘બિલ્હણપંચાશિકા&#039;ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો તથા ‘બિલ્હણપંચાશિકા&#039;માંથી પ્રેરણા પામી સ્વતંત્ર રીતે રચાયેલી ‘શશિકલા ચોપાઈ’, ‘મયણછંદ&#039; અને ‘અમૃતકચોલાં&#039; જેવી શૃંગારપ્રધાન કૃતિઓ, ‘ગીતગોવિંદ’ના તથા ‘વાગ્ભટાલંકાર’ અને ‘વિદગ્ધમુખમંડન&#039; જેવા અલંકારગ્રંથોના ગદ્યાનુવાદો, ‘કાદંબરી’નો આખ્યાનરૂપ અને ગદ્યાત્મક સંક્ષેપ, ‘રણમલ્લ છંદ&#039; અને ‘કાન્હડદેપ્રબંધ&#039; જેવાં વીરરસપ્રધાન ઐતિહાસિક કાવ્યો, ‘પંચાખ્યાન&#039; કે ‘પંચતંત્ર&#039;ના પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો, શામળની પદ્યવારતાઓ તથા એના અનેક પુરોગામીઓની એ પ્રકારની બહુસંખ્ય રચનાઓ, ‘રત્નપરીક્ષા&#039; અને ‘ગણિતસાર&#039; જેવી કૃતિઓ—આવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય. પણ સ્થાલીપુલાકન્યાયે ઉપર્યુક્ત વિધાનના સમર્થનમાં આટલાં બસ થશે એમ માનું છું. ભવાઈની સંકલના ચૌદમા સૈકામાં અસાઈતે કરી હતી, પણ ભવાઈના નવા નવા વેશો ઠેઠ અર્વાચીન કાળ સુધી રચાતા અને ભજવાતા રહ્યા છે.&lt;br /&gt;
મધ્યકાલીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલાનો વિચાર આ સાથે પ્રસ્તુત છે. સં. ૧૫૦૮ (ઈ. ૧૪૫૨)માં ચિત્રિત થયેલું ‘વસંતવિલાસ&#039;નું ઓળિયું પ્રાપ્ત થયું ત્યારથી ભારતીય કલાવિવેચકોનું ધ્યાન એ પ્રત્યે આકર્ષિત થયેલું છે. પુષ્કળ જૈન હસ્તપ્રતોમાં એ કલાના નમૂના ઉપલબ્ધ હોઈ કેટલાક એને જૈનાશ્રિત ચિત્રકલા કહે છે. ગુજરાત અને રાજસ્થાનની હસ્તપ્રતોમાં એના નમૂના મળતા હોઈ એને પશ્ચિમ ભારતીય કે ગુજરાતી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ગ્રંથોમાં, જૈન તેમજ જૈનેતર ગ્રંથોમાં આ ચિત્ર ઉપલબ્ધ હોઈ એને ધર્મનિરપેક્ષ કલા ગણવી જોઈએ. પૂર્વોક્ત ચર્ચાના સંદર્ભમાં પૃથક્કરણ કરીએ તો, જૈન ધર્મના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘લોકપ્રકાશ’, ‘કાલકાચાર્યકથા&#039; આદિનો સમાવેશ થાય છે. જૈનેતર સચિત્ર સંસ્કૃત સાહિત્યમાં ‘ગીતગોવિંદ’, ‘બાલગોપાલ સ્મૃતિ’, ‘દુર્ગાસપ્તશતી’, ‘બિલ્હણપંચાશિકા’, ‘મેઘદૂત’, ‘માધવાનલ–કામ–કંદલા&#039;, ‘રતિરહસ્ય&#039;, ‘શાલિહોત્ર&#039;, ‘કાકરત&#039;, આદિ ઉલ્લેખપાત્ર છે. પણ ઉપલબ્ધ જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યકૃતિઓ જે સંખ્યામાં ચિત્રિત થયેલી છે તે ઉપરથી સમાજમાં આ કલાને મળતા વ્યાપક આશ્રયની તથા તે દ્વારા વ્યક્ત થતા જીવનરસની કલ્પના થઈ શકે છે. જો કે અહીં કરાયેલો નિર્દેશ કેવળ ઉદાહરણાત્મક છે, સંપૂર્ણ નથી એ હકીકત નોંધવી જોઈએ. જૈન ગુજરાતી કૃતિઓમાં નલ-દમયંતી ચોપાઈ&#039;, ‘આર્દ્રકુમારરાસ&#039;, ‘ધન્ના-શાલિભદ્રરાસ&#039;, ‘શ્રીપાલરાસ’, ‘માનતુંગમાનવતી રાસ&#039;, ‘હરિબલ ચોપાઈ’, ‘ચંદરાજાનો રાસ&#039;, ‘પ્રિયમેલક રાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, આદિનાં ચિત્રો ઉલ્લેખ પાત્ર છે. જૈનેતર ગુજરાતી સચિત્ર કૃતિઓમાં ‘પંચાખ્યાન&#039;, ‘હરિલીલાષોડશકલા&#039;, &#039;પ્રબોધપ્રકાશ&#039;, ‘ધ્રુવચરિત્ર’, ભાલણકૃત ‘દશમસ્કંધ’, પ્રેમાનંદકૃત ‘મામેરું’, ગિરધરકૃત ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનની વારતા&#039;, પારસી કવિ રૂસ્તમ પેશોતનકૃત ‘અર્દાવિરાફનામેહ&#039;&amp;lt;ref&amp;gt;કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈના સંગ્રહમાં આ આખ્યાનની ૧૦૬ ચિત્રોવાળી હસ્તપ્રત સચવાયેલી છે. એની બીજી સચિત્ર હસ્તપ્રતો પણ એ સંસ્થામાં છે.&amp;lt;/ref&amp;gt; વગેરે કૃતિઓ મળે છે. સાહિત્ય સાથે ચિત્રકળા કેવો તાલ મેળવે છે તે આવી સચિત્ર હસ્તપ્રતોમાંથી જણાય છે. દશાવતારનાં, રાગરાગિણીનાં અને ભોગાસનોનાં ચિત્રોના સંપુટો તથા અનેકવિધ કલાત્મક ગંજીપા મળે છે. શિહોરના રાજમહેલનાં, વડોદરામાં તાંબેકરના વાડાનાં અને સૌરાષ્ટ્રમાં પાડરશિંગાનાં ભીત્તિચિત્રો અને ગ્રન્થસ્થ ચિત્રો વચ્ચેનો ભેદ એટલો જ કે ભીત્તિચિત્રોનું ભૌતિક ફલક સ્વાભાવિક રીતે જ વિશાળ છે, જ્યારે ગ્રંથસ્થ ચિત્રોને હસ્તપ્રતોના માપની સંકુચિત મર્યાદા સ્વીકારવી પડી છે. ચિત્રકલાનો વિષય ગમે તે હોય, પણ એમાં જીવનની અભિવ્યક્તિ છે. મધ્યકાલીન ગુજરાતના વિપુલ ચિત્રિત સાહિત્યને મૃત્યુની પયગંબરી કરતું શી રીતે ગણી શકાય?&lt;br /&gt;
‘રણમલ્લછંદ’ કે ‘કાન્હડદેપ્રબંધ’ જેવા થોડાક અપવાદો બાદ કરતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને રાજ્યાશ્રય નહોતો. ચિત્રકલાને અને ચિત્રિત સાહિત્યને ધનિકાશ્રય હતો ખરો, પણ એકંદરે એ સાહિત્ય સામાન્ય સમાજમાં ઉદ્ભવેલું, વિકસેલું અને વિસ્તરેલું હતું. આથી તે સમયે વ્રજભાષામાં, ચારણી સાહિત્યમાં કે રાજસ્થાની–ડિંગળ આદિમાં રચાયા છે તેવા કાવ્યશાસ્ત્ર, કોશ, છંદઅલંકારાદિ કે નાયિકાભેદના ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં નથી. નરસિંહ, ભાલણ, અખો, શામળ, બ્રહ્માનંદ, પ્રીતમ, દયારામ આદિ અનેકોએ વ્રજભાષામાં ઘણું લખ્યું છે તથા ગુજરાતી કવિઓએ વ્રજભાષામાં કરેલા પ્રદાન વિશે એક કરતાં વધુ મહાનિબંધો લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ અને ગુજરાતી સાહિત્યરચનાની ધારા ગુજરાતમાં લગભગ એક સાથે વહેલી છે. સંસ્કૃત અને વ્રજનું સ્થાન અભ્યાસીઓની રુચિને ઘડનાર અને એમને કાવ્યરચના અને વિદ્યાવ્યાસંગની તાલીમ આપનાર પ્રકૃષ્ટ સાહિત્ય-ભાષાઓ તરીકે હતું. પરંતુ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય તો સમાજની રગેરગમાં વ્યાપેલાં હતાં; સાહિત્યકૃતિઓ બહુધા વાંચવા માટે નહિ, પણ સાંભળવા કે ગાવા માટે હતી એ વસ્તુ વિશિષ્ટ કૃતિઓના બહોળા પ્રચાર માટેનું એક નિમિત્ત કારણ હતી. ગુજરાતી કાવ્યોને લેખબદ્ધ કરવાં એ મુખ્ય નહિ પણ આનુષંગિક બાબત હતી. આપણા મુખ્ય શિષ્ટ કવિઓનાં કાવ્યો, પ્રેમાનંદાદિનાં આખ્યાનો તથા અનેક જ્ઞાતનામા અને અજ્ઞાતનામા કવિઓનાં પદો લોકમુખે સર્વવ્યાપક હતાં અને હજી છે. આપણા પદસાહિત્યનો મોટો ભાગ અલ્પાંશે જ લિપિબદ્ધ થયો હતો અને સંતવાણી તો લોકમુખે જ સંક્રમણ પામતી રહી હતી. સંતવાણીનું વાહન ગુજરાતી લોકબોલી અને ખડીબોલીના મિશ્રણ જેવી ‘સાધુબોલી&#039; છે અને સાધુઓની જેમ તે પણ સતત પરિવ્રજન કરતી રહી છે.&lt;br /&gt;
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જનતાના સર્વ વર્ગોમાં વ્યાપક હતું અને એના પ્રણેતાઓ સમાજના સર્વ સ્તરોમાંથી આવેલા હતા. વિદ્યાવ્યાસંગ જેમનું કર્તવ્ય હતું એવી બ્રાહ્મણ અને નાગર જેવી જ્ઞાતિઓ તથા કવિકર્મ અને બંદિકૃત્ય જેમનો પરંપરાગત વ્યવસાય હતો એવી બારોટ અને ચારણ જેવી જાતિઓના કવિ કે લેખકોની આપણે અહીં વાત નહિ કરીએ. પણ અન્ય જાતિઓના લેખકો અને તેમની કૃતિઓના થોડાક ઉદાહરણરૂપ નિર્દેશોથી ઉપર સૂચવી તેવી વસ્તુસ્થિતિનો કંઈક ખ્યાલ આવશે. &lt;br /&gt;
પ્રસિદ્ધ આખ્યાનકાર નાકર વડોદરાનો દિશાવાલ વણિક હતો અને આખ્યાનો રચીને એક નાગર બ્રાહ્મણ મિત્ર-સંભવતઃ માણભટ્ટના યોગક્ષેમ અર્થે તેને સોંપી દેતો હતો. ‘વલ્લભાખ્યાન&#039;નો કર્તા ગોપાલદાસ અને ‘રસસિન્ધુ’નો કર્તા ગોપાલદાસ વણિક હતા. ‘ગોપાળગીતા&#039;નો કર્તા ગોપાળદાસ નાંદોદનો મોઢ વણિક હતો અને ‘નાસિકેતાખ્યાન’ આદિ રચનાર રણછોડ કપડવંજ પાસે તોરણનો ખડાયતો વણિક હતો. ‘મૃગીસંવાદ&#039;નો કર્તા જાવડ પણ વણિક હતો. ‘કુમારપાલ રાસ’ આદિ અનેક રાસાઓ રચનાર ઋષભદાસ ખંભાતનો શ્રાવક વણિક હતો. તે સિવાય લીંબો, ખીમો, હરખજી, હીરાણંદ (પંદરમા શતકમાં થયેલા ‘વસ્તુપાલરાસ’, ‘વિદ્યાવિલાસપવાડો’ આદિ રચનાર સાધુ હીરાણંદથી ભિન્ન), નેમિદાસ, કર્ણસિંહ, પેથો, પ્રકાશસિંહ, વચ્છભંડારી આદિ શ્રાવક વણિક કવિઓ અને તેમની રચનાઓ જાણવા મળ્યાં છે. પરબત કવિ શ્રાવક ભાવસાર હતો અને લીંબડીનો પાસો કવિ શ્રાવક પાટીદાર હતો. દેપાળ અને મયારામ એ જૈન ધર્માનુયાયી ભોજક કવિઓ હતા. ‘પ્રબોધબત્રીશી’ આદિનો કર્તા માંડણ, આખ્યાનકાર કાશીસુત શેઘજી અને ‘અભિમન્યુ આખ્યાન’નો કર્તા તાપીદાસ બંધારા જ્ઞાતિના હતા. ‘હરિરસ’નો કર્તા પરમાનંદ દીવનો બ્રહ્મક્ષત્રિય – કપડાં છાપનાર કારીગર હતો. ઉચ્ચ કવિત્વયુક્ત ‘મહિના&#039; રચનાર રત્નો ખેડાનો ભાવસાર હતો. પરબત અને ભીમ એ બે કવિઓ જૈન ધર્માનુયાયી ભાવસાર હતા. ‘સુધન્વાખ્યાન’ રચનાર મોરારસુત ગોવિન્દ સુરતનો કંસારો હતો. વેદાન્તી કવિ અખો અમદાવાદનો સોની હતો. ‘બાલચરિત&#039;નો કર્તા કીકો વશી અને ‘પાંડવવિષ્ટિ’નો કર્તા ફૂઢ અનાવિલ બ્રાહ્મણ ખેડૂતો હતા. ‘અર્જુનગીતા&#039;નો કર્તા ધનદાસ ધંધુકાનો પાટીદાર હતો અને નિરાંત ભક્ત દેથાણનો પાટીદાર હતો. ‘ચાબખા&#039; વડે નામાંકિત ભોજો ભગત પણ આખાબોલો અભણ પાટીદાર હતો. ‘રુકિમણીહરણ&#039;નો કર્તા દેવીદાસ ગાન્ધર્વ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિખ્યાત કવિ નિષ્કુળાનંદ પૂર્વાશ્રમના લાલજી સુથાર હતા. ‘ધ્રુવાખ્યાન&#039;નો કર્તા હરિદાસ વાળંદ હતો અને ‘શુકદેવાખ્યાન’નો કર્તા વસ્તો ડોડિયો બોરસદનો ધારાળો હતો. પ્રેમભક્તિનાં ઉત્તમ પદો રચનાર રાજે કેરવાડાનો મોલેસલામ ગરાસિયો હતો. બાપુસાહેબ ગાયકવાડ વડોદરાના રાજકુટુંબનો સંબંધી મરાઠો હતો.&lt;br /&gt;
સંત પ્રણાલીમાં ઉચ્ચ-નીચના કોઈ ભેદ નહોતા; એનું પ્રધાન લક્ષ્ય તો એ ભેદો નિવારી એક ઈશ્વરને ભજવાનું હતું. પંદરમા સૈકામાં ઉત્તર ભારતમાં સ્વામી રામાનંદના શિષ્યમંડળમાં કબીર વણકર, રોહિદાસ ચમાર, સદના ખાટકી, સેના વાળંદ, ધન્ના જાટ, પીપાજી રાજપૂત અને નરહરિ બ્રાહ્મણ હતા. એ જ પરિસ્થિતિ આપણા અભ્યાસવિષય કાલખંડમાં ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના કબીરપંથી સંતકવિઓમાં ભાણદાસ અથવા ભાણસાહેબ લોહાણા હતા. એમના ગુરુ આંબા છઠ્ઠા નામે નિરક્ષર ભરવાડ હતા, જેમનાં ભજનો ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી સંતવાણી’માં પ્રગટ કર્યાં છે. ભાણદાસના પુત્ર ખીમદાસ અથવા ખીમસાહેબ. ભાણસાહેબના એક શિષ્ય રવિસાહેબ એમના સંસ્પર્શમાં આવ્યા પહેલાં રવજી નામે વ્યાજખોર વણિક હતા; ભાણસાહેબે એનો જીવનપલટો કર્યો હતો. રવિસાહેબના એક રાજપૂત શિષ્ય થરાદના ઠાકોર માનસિંહજી તે મોરાર સાહેબ, જેમણે જીવતાં સમાધિ લીધી કહેવાય છે. લીંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા, જેમણે રવિસાહેબને પણ અમુક પ્રસંગે ઉપદેશ કર્યો હતો. રવિ-ભાણ સંપ્રદાયે મસ્ત ભજનોનું વિપુલ સાહિત્ય સર્જ્યું છે, જેમાંનું કેટલુંક ‘રવિ-ભાણ સંપ્રદાયની વાણી&#039; એ નામથી પ્રગટ થયું છે. એ સંપ્રદાયના ભજનિક કવિઓમાંના એક ત્રિકમદાસ ગરોડા અથવા ત્રિકમસાહેબ હરિજન બ્રાહ્મણ હતા અને હોથી સુમરો મુસલમાન હતા. કાજી મહમદશાહનાં ભજનો આજે પણ સૌરાષ્ટ્રમાં ગવાતાં સંભળાય છે.&amp;lt;ref&amp;gt;અર્વાચીન કાળમાં વીસનગરના અનવરમીયાં કાજી (‘અનવર કાવ્ય&#039;) અને પીર સત્તારશાહ આદિની રચનાઓની તુલના આ સાથે થઈ શકે.&amp;lt;/ref&amp;gt; બહુસંખ્ય ભાવવિભોર પદો રચનાર સંત જીવણદાસ અથવા દાસી જીવણ ગોંડળ પાસે ઘોઘવદરના ચમાર હતા.&lt;br /&gt;
સૌરાષ્ટ્રના લોકસમાજની ભજનિક પરંપરા ઉપર મારવાડના ક્ષત્રિય રાજકુમાર રામદેવજી અથવા રામદે પીરે પ્રવર્તાવેલા મહામાર્ગ અથવા નિજારની પણ ઊંડી અસર છે. સૌરાષ્ટ્રના વિખ્યાત સંત અને ભજનક કવિ દેવીદાસ જેમણે પોતાનું જીવન રક્તપીતિયાંની સેવામાં ગાળ્યું હતું તેઓ રબારી હતા, જ્યારે એમનાં શિષ્યા અમરાબાઈ&amp;lt;ref&amp;gt;મધ્યકાલીન સાહિત્યમાં કવયિત્રીઓ – એ અભ્યાસનો એક અલગ વિષય છે. મીરાંબાઈનું વ્યક્તિત્વ અને કૃતિત્વ સૌથી પ્રસિદ્ધ છે. દીવાળીબાઈ, કૃષ્ણાબાઈ, પુરીબાઈ, રાધાબાઈ વગેરેએ ભક્તિનાં પદો ગાયાં છે. એમાંની રાધાબાઈ વડોદરાવાસી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતી. સંસ્કૃત ‘હંસવિલાસ&#039;ના પ્રણેતા, શક્તિ સંપ્રદાયના હંસ મીઠુ અથવા મીઠું મહારાજની શિષ્યા જનીબાઈ નામે રસિક કવયિત્રી થઈ ગઈ. ઓલપાડની નાનીબાઈએ રૂપકપ્રધાન ‘વણઝારો’ રચ્યો છે. સંત નિરાંતની શિષ્યા વણારશીબાઈનાં પદો મળે છે. પીર કાયમુદ્દીન ચિશ્તીના પંથની વોરા કવયિત્રી રતનબાઈની ‘કલામો&#039; ભક્ત કવિઓનાં ભાષા અને ભાવ વ્યક્ત કરે છે. જૈન પરંપરામાં ‘ચારુદત્તચરિત્ર&#039; રચનાર પદ્મશ્રી સાધ્વી અને ‘કનકાવતી આખ્યાન&#039; રચનાર હેમશ્રી સાધ્વી થઈ ગયાં છે. પણ સમગ્ર રીતે જોતાં કવયિત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે અને એમનું પ્રદાન અલ્પ છે. એનું કારણ મુખ્યત્વે સામાજિક પરિસ્થિતિમાં જ ખોળવું રહ્યું ને?&amp;lt;/ref&amp;gt; આયર અને બીજા શિષ્ય શાદુળ ભગત કાઠી હતા. શાદુળ ભગત અથવા ‘શાદલપીર&#039;ની શિષ્યા માંગલબાઈ નામે કાઠિયાણી હતી. રાજકીય ઉત્પાતો અને દુષ્કાળમાં અનાથ બનેલાં બાળકોના આશ્રય માટે મોરબી પાસે વવાણિયામાં ધર્મસ્થાન સ્થાપનાર સંત રામબાઈ, જેઓ ભજનોમાં પોતાને ‘રામુ’ તરીકે ઓળખાવે છે તેઓ આહીર હતા. રામદેવજીના પટ્ટશિષ્ય હરજી ભાટીના શિષ્ય શેલણશોનાં ચેલી લોયણ લુહાર જ્ઞાતિનાં હતાં. એમણે પોતાના એકવારના મિત્ર લાખાને ઉદ્દેશી ‘વાયક&#039; કહ્યાં છે. ગંગાબાઈ અથવા ‘ગંગાસતી’એ પચાસેક પદો પોતાના પુત્ર અજોભાની પત્ની–પુત્રવધૂ પાનબાઈને સંબોધેલાં છે. ગંગાબાઈ ગોહીલ રાજપૂત હતાં. જામનગરના સંત કવિ હમીર કુંભાર હતા. લખમો ભગત માળી હતો.&lt;br /&gt;
આ પૈકી કેટલાંકનાં મરમી ભજનો ‘સોરઠી સંતવાણી’ અને ‘પુરાતન જ્યોત’માં સંઘરાયાં છે. આવાં બીજાં પણ ઉદાહરણો ટાંકી શકાય.&lt;br /&gt;
ખોજા, મતિયા અને વોરા જેવા મુસ્લિમ સંપ્રદાયોએ પોતાની ધાર્મિક કવિતા ગુજરાતીમાં લખી છે. ખોજાપંથી પદસાહિત્યમાં ‘દશાવતાર&#039;, ‘મોમણ ચેતાવણ’, ‘ઈમામવાળાના પ્રછા&#039; વગેરે ભજનસાગરો છે; એની આંતરસામગ્રીમાં કબીર-નાનક જેવો અદ્વૈતવાદનો પાસ જણાય છે.&lt;br /&gt;
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં પારસીઓએ સંસ્કૃતમાં લખ્યું છે&amp;lt;ref&amp;gt;જુઓ એસ.ડી. ભરુચા. સંપાદિત Collected Sanskrit Writings of the Parsees, I-IV &amp;lt;/ref&amp;gt; તેમ ગુજરાતીમાં પણ લખ્યું છે. પારસી ધર્મગ્રન્થોના ગુજરાતી ગદ્યાનુવાદો વિષે અગાઉ ઉલ્લેખ કર્યો છેઃ પણ સત્તરમા શતકમાં સુરતના મોબેદ રુસ્તમ પેશોતન પહેલી વાર ગુજરાતી પદ્યમાં ‘જરથોસ્ત-નામેહ&#039;, ‘શ્યાવક્ષ-નામેહ&#039;, અને ‘અર્દાવિરાફ-નામેહ’ એ સુદીર્ઘ ચરિત્રો આખ્યાનરૂપે આપે છે. સંભવતઃ સોળમા સૈકામાં થયેલા રાંમ નામે પારસી કવિ તથા સત્તરમા સૈકામાં થયેલા બરજોર ફરેદુન તથા નવસારીનિવાસી નોશેરવાન જમશેદ એ પારસી કવિઓ ઉલ્લેખયોગ્ય છે. સત્તરમા શતકના પારસી કવિઓનું ગુજરાતી કવિતાને પ્રદાન એટલું ગણનાપાત્ર છે કે એ વિષે પેરિનબહેન કાપડિયા (પેરિન ડ્રાઈવર)એ એક મહાનિબંધ તૈયાર કર્યો છે. ગુજરાતી સાહિત્યસેવાની પારસીઓની આ પરંપરા અર્વાચીન યુગ સુધી સતત ચાલુ રહેલી છે.&lt;br /&gt;
ઈસવીસનના બારમા શતકના આરંભમાં આચાર્ય હેમચન્દ્રકૃત અપભ્રંશ વ્યાકરણના રચનાકાળ આસપાસ ગુજરાતી ભાષા-સાહિત્યનો આરંભ ગણીએ તો, એ કાળથી માંડી ઈસવીસનના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં(૧૮૫૩માં) અવસાન પામેલા કવિ દયારામના સમય સુધી એટલે કે લગભગ સાડાસાતસો વર્ષ સુધી પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતીનો સાહિત્યસ્રોત વિપુલ અને અવિચ્છિન્ન રીતે વહેતો રહ્યો છે. એમાં હિન્દુઓ, જૈનો, મુસ્લિમો અને પારસીઓની રચનાઓ છે; ભાષાને ખીલવનાર અને તેને વિકાસકોટિએ આગળ લઈ જનાર નરસિંહ, મીરાં, ભાલણ, પ્રેમાનંદ, શામળ, રાજે, દયારામ આદિની કૃતિઓ છે; ભાષાની અભિવ્યક્તિને કસોટીએ ચડાવનાર અને તેની શક્તિઓને સવિશેષ સૂક્ષ્મતા અર્પનાર અખો, કૃષ્ણજી, વસ્તો, યશોવિજય આદિનાં કવિતામાં તત્ત્વજ્ઞાન ગૂંથતાં કાવ્યો છે; કેટલાક વિશિષ્ટ અને આકર્ષક પ્રકારો ધરાવતું વિપુલ ગદ્ય તથા વૈવિધ્યભર્યું શક્તિશાળી પદ્ય છે; સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં જે ઉત્તમ અને ઉપયોગી જણાયું તે બધું ગુજરાતીમાં ઉતારવાનો ભારે પુરુષાર્થ એમાં છે. તે ઉપરાંત એ પ્રાચીન વારસા સાથે ગુજરાત અને ગુજરાતીની આગવી વિશેષતાઓનો સુમેળ સાધતી પણ પુષ્કળ રચનાઓ છે. જીવનમાં તેમ સાહિત્યમાં પરંપરાનું પ્રાધાન્ય હતું એવા યુગમાં વિવિધ ઉદ્દેશથી અને વિવિધ પ્રકારો દ્વારા ગુજરાતી ભાષાની જે અનવરત ઉપાસના થઈ છે અને પચીશીવાર નહિ પણ લગભગ દશકાવાર એ ઉપાસનાનાં ફળ લિખિત સ્વરૂપે, આજે પણ જે ઈયત્તામાં ઉપલબ્ધ છે એનો જોટો ભારતીય આર્ય ભાષાસાહિત્યોના ઇતિહાસમાં, એક માત્ર સિંહાલીઝના અપવાદ સિવાય, ક્યાંય નથી. દયારામના અવસાનકાળે ગુજરાતી ભાષા માત્ર વ્યવહારુ ઉપયોગની કથ્ય ભાષા નહોતી, પણ લગભગ આઠ શતાબ્દીના સતત અને સમર્થ ખેડાણનો વારસો ધરાવનારી સમૃદ્ધ સાહિત્યભાષા હતી.&lt;br /&gt;
વિવિધરંગી ગુજરાતી પ્રજાનું આંતરચૈતન્ય ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો તે મધ્યકાળના કવિઓ, સંતો, ભજનિકો અને કથકો-કથાકારોનો છે. ઇતિહાસના સૌથી વિષમ સમયગાળાઓમાં પણ, એથી, પ્રજાએ પોતાની આંતરિક સમતા સાવ ગુમાવી નહોતી તથા શાન્તિ અને આશ્વાસન પ્રાપ્ત કર્યાં હતાં. ‘ગોવર્ધનરામે કહ્યું છે તેમ, ગામગામ વચ્ચે અંધેર, ધાડલૂંટ ઇત્યાદિને કારણે સંપર્ક રહ્યા નહિ હોય ત્યારે દરેક ગામે પોતાનો આછોપાતળો પણ કવિ નિપજાવ્યો, જેણે નાનકડો સ્થાનિક દીવડો બની લોકોનાં હૈયાંને લીલાં રાખ્યાં. તેમાંના વિશેષ સત્ત્વશાળીની પ્રતિષ્ઠા સ્થાનિક ન રહેતાં પ્રદેશવ્યાપી પણ બની. મધ્યકાળના આ કવિકુળે સમાજને એના સારા દિવસોમાં તેમજ રાજકીય અને નૈતિક વિપત્તિ વેળા બૌદ્ધિક વિનોદ, સાહિત્યરસ, ધર્મલભ્ય આશ્વાસન અને નૈતિક બળ આપ્યું છે, અને સમાજને એકાદ ડગલું આગળ લઈ જવાની સેવા બજાવી છે. ગોવર્ધનરામે આથી સાચું જ કહ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની જાત અને ગુજરાત હૃદયની સચેતનતા ખોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘડી, પલોટી, કેળવી, તેને ભાવક્ષમ, અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો જુદી.’&amp;lt;ref&amp;gt;જુઓ : અનંતરાય રાવળ, ગુજરાતી સાહિત્ય [મધ્યકાલીન], (૧૯૫૪) પૃ. ૨૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=112872</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AD%E0%AB%82%E0%AA%AE%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=112872"/>
		<updated>2026-07-20T03:30:10Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૧ ભૂમિકા|ભોગીલાલ સાંડેસરા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઈ. ૧૪૫૦ થી ૧૮૫૦ સુધીનો આશરે ચાર શતાબ્દીનો કાલખંડ એ વાસ્તવિક અર્થમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ છે. નરસિંહ પૂર્વેના સાહિત્યને પ્રાચીન ગુજરાતી કે મારુગુર્જર સાહિત્ય કહી શકાય. એનીયે પહેલાં ઉત્તરકાલીન અપભ્રંશ તથા અપભ્રંશ ઐતિહાસિક પૂર્વક્રમમાં રહેલાં છે. પ્રથમ ઉત્તર ભારત ઉપર અને પછી બાકીના ભારત ઉપર તુર્કો અને મુસ્લિમ ધર્મ પાળતા પરદેશીઓનો વિજય થયો ત્યારે ઊભા થયેલા ધાર્મિક-સામાજિક અનેકવિધ નવા પ્રશ્નોના સંદર્ભમાં ભારતીય માનસને અને ભારતીય સંસ્કારિતાના એક નવા જ યુગને અભિવ્યક્તિ આપવાનું કાર્ય ભારતીય ભાષાઓએ નવેસરથી ઉપાડી લીધું. લોકપ્રચલિત કથ્ય ભાષાઓએ તત્કાલીન સમાજની વ્યાવહારિક જરૂરિયાતો પૂરી પાડવાની હતી તે સાથે દેશની અંદર જ દેશની સંસ્કારિતા માટે લડત ચલાવવાની હતી. ભારતીય જીવન એના જૂના ચીલાઓમાં જ ચાલતું રહ્યું હોત તો સંભવ છે કે નવ્ય ભારતીય ભાષાઓનાં સાહિત્યનો જન્મ અને વિકાસ એકાદ-બે શતાબ્દી જેટલો મોડો થયો હોત. ભારતીય વિચારપ્રવાહના નાયકોએ પોતાના પૂર્વજોના ઉચ્ચ સાંસ્કારિક અને આધ્યાત્મિક વિચારોનો આમવર્ગમાં પ્રચાર કરવા માટે લોકભાષાઓનું માધ્યમ સ્વીકાર્યું; હિન્દુઓના તાત્ત્વિક એકેશ્વરવાદનો તેમણે આધાર લીધો અને મુસ્લિમોના નિર્ગુણ એકેશ્વરવાદ સાથે એનો સ્વાભાવિક સમન્વય સાધવા પ્રયત્ન કર્યો. આ પ્રયત્નોનું વાહન મુખ્યત્વે નવ્ય ભારતીય ભાષાઓ બની. પ્રાદેશિક સાહિત્યોનો આ રીતે વિકાસ થતાં વિભિન્ન પ્રદેશોના વ્યક્તિત્વના વિકાસને વેગ મળ્યો. સાંસ્કારિક અને ભાષાકીય પ્રદેશના ઘડતરને રાજકીય એકમની ઘટના દ્વારા પણ ઉત્તેજન મળ્યું. પ્રદેશના ઘડતરમાં બીજાં તત્ત્વો સાથે વાહન-વ્યવહારનાં સાધનો-માર્ગોનુંયે વિશિષ્ટ મહત્ત્વ છે. જેમકે ગુજરાતના સ્વભાવ-ઘડતરમાં એના લાંબા સમુદ્રકિનારાઓ અને વિદેશી વેપારે અગત્યનો ભાગ ભજવ્યો છે, તેમ પ્રથમ પાટણમાં અને પછી અમદાવાદમાં સ્વતંત્ર ગુજરાતી સલ્તનતની સ્થાપનાએ તથા એની સ્થિર થયેલી દૃઢતાએ મારવાડ અને ગુજરાતની પ્રાયઃ સમાન ભાષાને – જેમાં બોલીભેદો હશે જ – ગુજરાત અને મારવાડની બે સ્વતંત્ર ભાષાઓ રૂપે વિકસવાનો અવકાશ આપ્યો. ઈસવીસનની પંદરમી સદીના આરંભમાં અમદાવાદની સ્થાપનાની ઘટના નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય કવનકાળથી થોડાક દશકા જેટલી જ જૂની છે.&lt;br /&gt;
પૂર્વકાળના અને આપણા અભ્યાસવિષય કાલખંડના સાહિત્યનાં પ્રેરક બળો બહુધા સમાન હતાં. આચાર્ય હેમચન્દ્રના અપભ્રંશ વ્યાકરણમાં ઉદ્ધૃત થયેલા પ્રેમશૌર્ય અને સામાન્ય ઉપદેશના દુહાઓનું સાતત્ય અર્વાચીન કાળ સુધી રહેલું છે એ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના ઐતિહાસિક જીવન અને લોકસાહિત્ય ઉપરથી જણાય છે. સંસ્કૃતનો સુભાષિતછંદ જેમ અનુષ્ટુપ તેમ અપભ્રંશ અને ગુજરાતી-રાજસ્થાનીનો સુભાષિતછંદ દુહો. દુહા વિષે કોઈ વિદગ્ધ કહેલો એક જૂનો ગુજરાતી દુહો છે —&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દૂહો તિહાં કહીજઇ, જિહાં હોહિ લોક સુજાણ;&lt;br /&gt;
અધૂરઇ પૂરઉ કરઇ, પૂરઇ કઇ વખાણ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પંદરમા સૈકા પછીના ગુજરાતી હસ્તલિખિત સાહિત્યમાં સુભાષિતોના—પ્રાસ્તાવિક દુહાના અનેક સમૃદ્ધ સંગ્રહો મળે છે, જેમાંના કેટલાક સ્વ. ચિમનલાલ દલાલે, શ્રી મધુસૂદન મોદીએ, અને આ લેખકે છપાવ્યા છે. આ સિવાય જૂની પદ્યવારતાઓ અને આખ્યાનોમાં, રાસા આદિમાં દુહા અને અન્ય છંદોમાં રચાયેલાં પુષ્કળ સુભાષિતો–મુક્તકો ઉદ્ધૃત થયેલાં છે, જેનો ‘સુભાષિતરત્નભાંડાગાર&#039; જેવો મોટો સંગ્રહ સંકલિત થઈ શકે. શિષ્ટ સાહિત્યનો લોકસાહિત્ય સાથેનો પ્રત્યક્ષ સંપર્ક અને સમન્વય અહીં જોઈ શકાય છે અને મધ્યકાલીન સાહિત્યના અનેક પ્રકારોમાં લોકસાહિત્યનો પ્રભાવ વિવિધ રીતે અને વિવિધ કોટિએ વરતાય છે.&lt;br /&gt;
પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ એ પ્રાભાવિક પ્રેરક બળ હતું, કેમકે જીવનનાં અનેક અંગો ધર્મરંગે રંગાયેલાં હતાં. એમાં વ્યાપક અર્થમાં ધર્મજીવન ઉપરાંત આર્યધર્મના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ થાય છે. પહેલાં જૈન ધર્મ લઈએ, કેમ કે નરસિંહ પૂર્વેનું ઉપલબ્ધ સાહિત્ય પ્રાયઃ જૈન સાહિત્ય છે. એનું કારણ એ નથી કે જૈનેતર સાહિત્ય રચાયું જ નહિ હોય; એમ હોવું શક્ય કે સંભવિત નથી. પણ જૈન-ગ્રન્થભંડારોની સામાજિક સંગોપનપદ્ધતિને કારણે જૈન સાહિત્ય વ્યવસ્થિત રીતે સચવાયું એટલો જ એનો અર્થ છે. જૈનેતરકૃત જે થોડુંક સાહિત્ય મળે છે તે પણ જૈન ભંડારોમાં સચવાયું છે તે હકીકત આ વિધાનનું એક પ્રમાણ છે.&lt;br /&gt;
પંદરમા સૈકા પછીના કાલખંડમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે; જૈનેતર સાહિત્ય પણ અર્વાક્તન સમયમાં આવતા જઈએ તેમ તેમ સારું સચવાયેલું છે. એથી પરસ્પરથી કેટલેક અંશે સંપૃક્ત છતાં લગભગ સમાન્તર વહેતા આ બંને પ્રવાહોના તુલનાત્મક અભ્યાસ માટે પણ પર્યાપ્ત અવકાશ રહે છે.&lt;br /&gt;
ભાગવત–વૈષ્ણવ ધર્મનો વિકાસ અને પ્રચાર શતાબ્દીઓ પૂર્વેથી લગભગ સમગ્ર ભારતમાં હતો, અને તેના પ્રભાવમાંથી ગુજરાત મુક્ત રહી શકે નહિ. ચૌલુક્યયુગથી માંડી ગુજરાતનું સંસ્કૃત, પ્રાકૃત અને લોકભાષાનું સાહિત્ય (જેમાં હેમચન્દ્રે ઉદ્ધૃત કરેલા રાધાકૃષ્ણ વિષેના દુહાનો પણ સમાવેશ થાય છે) એ વાતના પ્રમાણરૂપ છે. નરસિંહ-મીરાંની ઉત્કટ ભક્તિજ્વાળાનો ઉદ્ભવ કંઈ આકસ્મિક નહોતો, પણ દેશભરમાં પ્રવર્તમાન પ્રબળ ભક્તિ-આંદોલનનો અંશ હોઈ વિશિષ્ટ પ્રતિભાવાન વ્યક્તિઓ દ્વારા અભિવ્યક્તિ પામ્યો હતો. પણ પુષ્ટિમાર્ગના સ્થાપક વલ્લભાચાર્યના આગમન પછી ગુજરાતના ધાર્મિક જીવનમાં શાન્ત પરિવર્તન આવ્યું. જૈન ધર્મની અનુયાયી અનેક વણિક જ્ઞાતિઓ વૈષ્ણવ બની. અહિંસા, તપ અને દાનધર્મની આર્યધર્મસંમત પૂર્વપરંપરાનો સ્વીકાર કરી, વલ્લભાચાર્યે એમાં સેવાનો આનંદ અને ઉત્સવોનો ઉલ્લાસ ઉમેરીને પ્રજાજીવનને સાચા અર્થમાં નવપલ્લવતા અર્પી, ભક્તિમાર્ગનો મહાયાન સર્વ પ્રકારના અધિકારીઓ માટે ચાલુ કર્યો. મધ્યકાળના અર્વાક્તન છેડે વિદ્યમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદે એને આચારશુદ્ધિ અને સાત્ત્વિકતાનો પુટ આપ્યો. ભક્તિમાર્ગના આશ્રયથી અને ભક્તિ-જ્ઞાનના ઉપાસક, આમ જનતાની વચ્ચે રહેનારા સંતભક્તોના સરલ આચાર અને સાદી પણ મરમી વાણીના પ્રભાવથી સામાજિક જીવનના આતંકોને હિન્દુ સમાજ કંઈક સ્વસ્થ રીતે પચાવી શક્યો. શ્રીમદ્ ભાગવત આમ તો પુરાણગ્રન્થ હોવા છતાં મધ્યકાલીન સાહિત્યના એક પરિબળ રૂપ બન્યો હતો.&lt;br /&gt;
સ્માર્ત ધર્મ, પુરાણોક્ત ધર્મ, શિવપૂજા અને શક્તિપૂજા ઉપરાંત અતિપ્રાચીન કાળથી ચાલ્યા આવતા લોકધર્મો સમાજમાં પ્રચલિત હતા. રામાયણ-મહાભારત ઉપરાંત પુરાણો આદિને આધારે વિવિધ પ્રકારોમાં રચાયેલું સાહિત્ય આથી મધ્યકાળમાં છે; શાક્ત સંપ્રદાયનું સાહિત્ય પણ છે. લોકધર્મોને બાદ કરતાં ઉપર્યુક્ત સર્વ સંપ્રદાયોમાં ગુજરાતી ઉપરાંત ઓછાવત્તા પ્રમાણમાં સંસ્કૃત અને પ્રાકૃતમાં પણ સાહિત્ય રચાયું છે. આથી આ સમયના ગુજરાતી સાહિત્યનો વિચાર સમગ્ર ધાર્મિક-સામાજિક જીવન અને સાહિત્યપ્રવૃત્તિના સંદર્ભમાં કરવો જોઈએ.&lt;br /&gt;
પ્રાચીન ભારતમાં ઉપનિષદપ્રોક્ત સર્વાત્મભાવમાંથી ઉદ્ભવેલો એકેશ્વરવાદ અને નિર્ગુણવાદ હતો અને ઉપરટપકે દેખાતો બહુદેવવાદનો આભાસ વસ્તુતઃ એકેશ્વરવાદને દૃઢ કરવા માટે હતો. પણ ઉત્તર ભારતના તુર્કી વિજય પછી મુસ્લિમ એકેશ્વરવાદ અને નિરાકાર ઈશ્વરની ઉપાસનાએ સમન્વયાત્મક શ્રદ્ધાને અદકો વેગ આપ્યો અને સંત-પ્રણાલીના ઉદ્ભવ અને વિકાસની ભૂમિકા તૈયાર થઈ. મધ્યકાલીન રહસ્યવાદનું એમાં મિશ્રણ અને રસાયણ થયું. ગુજરાતમાં પણ એની અસર સ્વાભાવિક રીતે થઈ. નાથયોગીઓની મરમી વાણી, સૂફીઓની મસ્તી અને વૈષ્ણવોની પ્રેમલક્ષણા ભક્તિ અને અનુભવનો આત્મવિશ્વાસ એ બધું એ સંતવાણીમાં સંભળાય છે; (-એમાંની કેટલીક ગ્રંથસ્થ થઈ છે અને ઘણી નથી થઈ-) માર્ગી બાવાઓનાં, તુરી જોગી ફકીરનાં ભજનોમાં પણ સંભળાય છે. જ્ઞાનમાર્ગી કાવ્યધારાનો વિચાર પણ આ સાથે જાય, જેમાં એક બાજુ વેદાન્તનો ઉપદેશ આપતી સ્વતંત્ર કે અનૂદિત કૃતિઓ છે, તો બીજી બાજુ વસ્તો, બુટિયો, ગોપાળ, ધનરાજ, અખો આદિની આધ્યાત્મિક અનુભવના પરિપાક સમી કૃતિઓ છે. યોગી આનંદઘનજી અને મહાપંડિત યશોવિજયજી જેવા જૈન કવિઓની કૃતિઓ પણ આ બીજી કોટિમાં આવે. &lt;br /&gt;
આ સંતવાણીને તથા ભક્તિસંપ્રદાયને ઊર્મિપ્રાણિત પદપ્રકાર અનુકૂળ આવ્યો. અંદાજે હજારો પદો રચાયાં હશે. એમાં જ્ઞાન અને ઉપદેશનાં પદો પણ છે. આખ્યાનો કે પદ્યવારતાઓમાં ઘનીભૂત બનતી ઊર્મિની અભિવ્યક્તિ માટે અથવા વૃત્તાંતકથનમાં વચ્ચે વચ્ચે વિરામ માટે પણ પદો મુકાય છે. આખ્યાન રૂપમાં રચાયેલી ‘અખેગીતા’ જેવી તત્ત્વજ્ઞાનવિષયક કૃતિઓમાં પણ વચ્ચે વચ્ચે પદો આવે છે. પદપ્રકારનાં શિખરો મુખ્યત્વે નરસિંહ, મીરાં, રાજે, દયારામ, પ્રેમાનંદસખી આદિમાં સર થયાં છે.&lt;br /&gt;
આખ્યાન એ કથાત્મક કવિતા રજૂ કરે છે. એ દૃષ્ટિએ આ જ પ્રકારની કવિતા રજૂ કરતા જૂના સાહિત્યપ્રકાર ‘રાસ’ અથવા ‘રાસો’ સાથે એને ગાઢ સંબંધ છે. અથવા એમ કહી શકાય કે ‘આખ્યાન’ અને ‘રાસ’ એ વાસ્તવિક રીતે જોતાં એક જ પ્રકાર છે, અને તે જૈનેતર પરંપરામાં મુખ્યત્વે આખ્યાન તરીકે, અને જૈન પરંપરામાં ‘રાસ’ તરીકે ઓળખાયો. નાકર અને વિષ્ણુદાસ જેવા પ્રસિદ્ધ જૈનેતર આખ્યાનકારોએ અનુક્રમે પોતાનાં ‘નળાખ્યાન’ અને ‘રુકમાંગદપુરી’ એ આખ્યાનો માટે ‘રાસ’ શબ્દ પ્રયોજ્યો છે અને ભાલણે પણ ‘દશમસ્કંધ’માં એ અર્થમાં ‘રાસ’નો પ્રયોગ કર્યો છે. જૂની ગુજરાતીમાં ‘રાસ’ અને ‘આખ્યાન’ એ બંનેય સામાન્ય રીતે ધર્મકથાને અને કેટલીકવાર ઐતિહાસિક વસ્તુને (અલબત્ત, ઘણું ખરું તો એના કલ્પનામિશ્રિત સ્વરૂપમાં) કાવ્યવિષય બનાવે છે. જૈન રાસાઓ ઉપાશ્રયોમાં અથવા શ્રાવકોના ઘરમાં નાના શ્રોતાવર્ગ આગળ ગવાતા હતા, જ્યારે આખ્યાનોનું કથકો અથવા માણભટ્ટો દ્વારા જાહેર સ્થળોમાં મોટી મેદની સમક્ષ ગાન થતું હતું. બંને પ્રકારમાં વસ્તુ અને સાહિત્યિક ‘પ્રયોજન’ (‘મોટિફ’) ધાર્મિક હતાં, તોપણ રાસ હંમેશાં ઉપાશ્રયના વાતાવરણમાં રહ્યો અને ઉપદેશાત્મક તત્ત્વમાંથી મુક્ત થઈ શક્યો નહિ, જ્યારે આખ્યાન વિભિન્ન રુચિ અને રસવૃત્તિવાળી મેદની સમક્ષ ગવાતું હોઈ તેના રચિયતાઓએ ઉપદેશના તત્ત્વ નીચે રંજન ચેપાઈ જાય નહિ એની સતત કાળજી રાખી. સંસ્કૃત પ્રાકૃતાદિ નહિ જાણનાર જનસમાજને મનોરંજક રીતે ધર્મકથાઓ સંભળાવવાની વૃત્તિમાંથી જન્મેલા આ સાહિત્યપ્રકારનાં પ્રસ્તુત બે નામો સહેજ વિભિન્ન સ્વરૂપે થયેલો વિકાસ માત્ર દર્શાવે છે.&lt;br /&gt;
રાસ અને આખ્યાનના સંબંધનો વિચાર કરતાં રાસ અને પ્રબન્ધનું સ્વાભાવિક સ્મરણ થાય છે. સાદા સંસ્કૃત ગદ્યમાં અને કવચિત્ પદ્યમાં રચાયેલાં ઐતિહાસિક કે અર્ધ-ઐતિહાસિક કથાનકોને મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં ‘પ્રબન્ધ’ કહે છે. પણ જૂના ગુજરાતી સાહિત્યમાં તો રાસ જેવી જ કથાપ્રધાન રચનાઓને ‘પ્રબન્ધ’ નામ અપાયેલું જોવામાં આવે છે, જેમ કે ‘વિમલપ્રબન્ધ’, ‘કાન્હડદેપ્રબન્ધ’, ‘હમ્મીરપ્રબન્ધ’ આદિ. અલબત્ત, આ રીતે જેમને ‘પ્રબન્ધ’ નામ અપાયું છે એવી રચનાઓ કોઈ ઐતિહાસિક વસ્તુ પરત્વે હોય છે એટલું પેલા સંસ્કૃત પ્રબન્ધો સાથે એનું સામ્ય ખરું. જોકે એમાંયે ‘વિમલપ્રબન્ધ’ અને ‘કાન્હડદેપ્રબન્ધ’ને કેટલીક હસ્તપ્રતોની પુસ્તિકાઓમાં ‘રાસ’ કહ્યા છે. બીજી બાજુ, ‘વસ્તુપાલ-તેજપાલરાસ’, ‘સમરારાસ’, ‘પેથડરાસ’, ‘કુમારપાલરાસ’ અને એવી ઐતિહાસિક વ્યક્તિ કે વૃત્તાન્તો પરત્વે રચાયેલી કૃતિઓને ‘પ્રબન્ધ’ કહેવામાં આવી નથી. માત્રામેળ છંદોમાં રચાયેલી ઐતિહાસિક કૃતિઓ ‘પ્રબન્ધ’ કહેવાય અને દેશીમાં રચાયેલી ‘રાસ’ કહેવાય એવી એક માન્યતા છે, પણ તે સાધાર નથી, કેમ કે દેશીબદ્ધ રાસોની જેમ માત્રામેળ છંદોમાં રચાયેલા રાસો પણ મોટી સંખ્યામાં મળે છે. આ ઉપરથી સ્પષ્ટ થશે કે ગુજરાતીમાં રાસ અને પ્રબન્ધ વચ્ચેની ભેદરેખા બહુ સ્પષ્ટ નથી. બલકે, બંનેને અલગ સાહિત્યપ્રકારો તરીકે વર્ણવવા એ પણ વધારે પડતું છે.&lt;br /&gt;
એ જ રીતે દેશીબદ્ધ રચનાને આખ્યાનનું એક વ્યાવર્તક લક્ષણ ગણવામાં આવે છે, તે પણ આખ્યાનના પ્રારંભિક યુગ માટે બધી રીતે સાચું ગણી શકાય નહિ. વીરસિંહકૃત ‘ઉષાહરણ’, (ઈ. ૧૪૬૪ આસપાસ), કર્મણકૃત ‘સીતાહરણ’ (ઈ. ૧૪૭૦, આસપાસ), માંડણકૃત ‘રામાયણ’ અને ‘રુકમાંગદકથા’ (ઈ.નો ૧૬મો સૈકો) આદિ આખ્યાનો ચોપાઈ આદિ માત્રામેળ છંદોમાં રચાયેલાં છે. જૈન રાસા અને જૈનેતર આખ્યાનની સમાન રચનાપરંપરાની આપણે હમણાં વાત કરી તે અહીં પ્રયોગમાં સ્પષ્ટ દેખાય છે. આ પ્રકારની રચનાઓમાં વચ્ચે વચ્ચે પદો મૂકવાની પરંપરા પણ બંનેમાં સમાન છે.&lt;br /&gt;
આ તો મુખ્યત્વે સ્વરૂપની વાત થઈ. રાસ અને આખ્યાન એ જૂના ગુજરાતી સાહિત્યનો સૌથી લોકપ્રિય સાહિત્યપ્રકાર છે. જનસમૂહનું એના જેવું અને જેટલું સમારાધન બીજા કોઈ પ્રકારે કર્યું નથી. રાસ અથવા આખ્યાન તરીકે ઓળખાવી શકાય એવી સેંકડો કૃતિઓ ઉપલબ્ધ છે.&lt;br /&gt;
રાસ-આખ્યાન સાથે જેની તુલના કરી શકાય એવો બીજો સાહિત્યપ્રકાર કથા અથવા પદ્ય-વારતા છે. એના મૂળમાં લોકવાર્તા છે, પણ એનું સાહિત્યિક રૂપ આનંદલક્ષી કથાનું છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં કથાનું આનંદલક્ષી રૂપ પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી, ગુણાઢ્યકૃત લુપ્ત ‘બૃહત્કથા’માં (તથા ‘કથાસરિત્સાગર,’ ‘બૃહત્કથામંજરી’ આદિ એનાં સંસ્કૃત રૂપાન્તરોમાં), ધાર્મિક રૂપ પાલિ ‘જાતક’માં અને ‘બૃહત્કથા’ના જૈન ધર્મકથા લેખે થયેલા રૂપાન્તર ‘વસુદેવ-હિંડી’માં તથા નીતિશાસ્ત્રલક્ષી વ્યાવહારિક રૂપ ‘પંચતંત્ર’માં જણાય છે. એ કથાઓનો વારસો વિવિધ ફેરફારો અને પરિવૃદ્ધિ સાથે પ્રાકૃત અને અપભ્રંશ દ્વારા ગુજરાતીમાં આવ્યો છે, અને પ્રાચીન કાળથી માંડી ઓગણીસમા સૈકા સુધી એ કથાઓ સામાન્યતઃ પદ્યમાં તેમજ કેટલીક વાર ગદ્યમાંયે મળે છે. ઘણીવાર એ જૂની કથાનું નવસંસ્કરણ હોય છે, તો પ્રસંગોપાત્ત સંસ્કૃત કથાનું કે કથાગ્રન્થનું ગદ્ય ભાષાન્તર કે રૂપાન્તર હોય છે. ઉદાહરણ તરીકે, ‘કાદંબરી’, ‘પંચતંત્ર’, ‘બિલ્હણકથા’, ‘ધૂર્તાખ્યાન’, આદિનાં આવાં પદ્ય કે ગદ્યમાં થયેલાં ભાષાન્તર-રૂપાન્તરો છે. એમાં પણ પદ્યરચનાની દૃષ્ટિએ જોઈએ તો, માત્રામેળ છંદોમાં તેમ જ દેશીઓમાં એમ બંને રીતે રચાયેલી પદ્યવારતાઓ મળે છે. આનંદલક્ષી કથાઓનો સૌથી મોટો લેખક શામળ છે. જોકે એની પછી ઠેઠ અર્વાચીન કાળના સીમાડા સુધી એવી રચનાઓની પરંપરા ચાલુ રહેલી છે. એમાં કંઈક અપવાદરૂપ ગણી શકાય એવી જૈન કવિઓએ રચેલી પદ્યવારતાઓ છે. અલબત્ત, એમાંયે વચ્ચે વચ્ચે આવતા ધર્મોપદેશ અને છેલ્લે નાયક-નાયિકા દીક્ષા લે એવી ઘટનાઓ સિવાય બધું આનંદલક્ષી છે. અર્થાત્ જૈન કથાલેખકો અને કવિઓએ ધર્મોપદેશ અર્થે જનમનરંજનનું આ સાધન સ્વીકાર્યું હતું. ઠેઠ પાંચમા સૈકા આસપાસ ‘વસુદેવ-હિંડી’ના કર્તા સંઘદાસગણિ કહે છે કે ‘કામકથામાં રક્ત જનોને શૃંગારકથાના વ્યપદેશથી ધર્મ જ કહું છું’ – અને આગળ ઉમેરે છે કે, ‘વિદ્વજ્જનોના હૃદયમાં નિક્ષિપ્ત થયેલી કામકથા પણ પરિણામવશાત્ ધર્મકથા સાથે સંયોજિત થાય છે.’&lt;br /&gt;
પદ, આખ્યાન, રાસ, વારતા આદિની જેમ ફાગુ પણ જૂના ગુજરાતી સાહિત્યનો એક મુખ્ય પ્રકાર છે. એનું નામ જ સૂચવે છે તેમ (સંસ્કૃત फल्गु, પ્રાકૃત ફગ્ગુ = ‘વસંત’) એ વસંતવર્ણનનો પ્રકાર હોઈ માનવભાવ અને પ્રકૃતિનું સમન્વિત સુભગ આલેખન એ એની એક વિશિષ્ટતા છે. ગુજરાતી ભાષાના ઠેઠ આરંભકાળથી ઓગણીસમા સૈકા સુધી રચાયેલા ફાગુના પુષ્કળ નમૂના મળે છે; વસ્તુ, નિરૂપણ, છંદોરચના આદિની દૃષ્ટિએ આ સાહિત્યપ્રકારે સાધેલા વિકાસનો ઐતિહાસિક તેમજ નિરપેક્ષ દૃષ્ટિએ અભ્યાસ કરવા માટે પૂરતી સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે. જૈનેતર ફાગુઓ માત્ર દસેક મળ્યા છે, જ્યારે ઉપલબ્ધ જૈન ફાગુઓની સંખ્યા અંદાજે સો ઉપરની હશે. (સંસ્કૃતમાં પણ જયદેવની અષ્ટપદીઓની જેમ ગેય છંદોમાં રચાયેલા થોડાક જૈન ફાગુઓ મળ્યા છે એનો ઉલ્લેખ અહીં કરવો જોઈએ). તુલના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે વસંતવર્ણનનું એક જ મૂળ સાહિત્યસ્વરૂપ બંનેય પરંપરામાં સહેજ પ્રકારાન્તરે વિકસ્યું છે. વસંતવર્ણન ઉપરાંત વસંતક્રીડા એ ફાગુનો વિષય છે, અને શૃંગારના બંને પ્રકારો–વિપ્રલંભ અને સંભોગ–નું એમાં નિરૂપણ હોય છે. પ્રાચીનતર અપભ્રંશમાં આપણને રાસુ વગેરે પ્રકારોના નમૂના મળે છે તેમ ફાગુના મળતા નથી, અને તેથી સાહિત્યપ્રકાર લેખે ફાગુનું મૂળ ચોક્કસરૂપે સમજવાનાં સાધનો નથી. પણ સંસ્કૃત સાહિત્યનાં ઋતુવર્ણનનાં કાવ્યો સાથે એની તુલના કરી શકાય. જૂના ગુજરાતી પ્રગટ-અપ્રગટ ફાગુઓમાંથી મેં એકત્ર કરેલાં અવતરણો બતાવે છે કે ફાગુ એ જાહેરમાં વિવિધ રીતે નૃત્યાદિ સાથે ગવાતો પ્રકાર હતો—ઓછામાં ઓછું એના પ્રાચીનતર સ્વરૂપમાં તો હતો. નૃત્યકાવ્ય કે ગેયરૂપકને કંઈક મળતો એ પ્રકાર હશે અને લોકસાહિત્યમાંથી શિષ્ટ સાહિત્યમાં સ્વીકારાયો હશે. અલબત્ત, જેમ જે આ પ્રકાર પોતાના મૂળ સ્વરૂપથી દૂર જતો ગયો અને શિષ્ટસાહિત્યના એક પ્રકાર લેખે જ વિકસતો અથવા કહો કે પલટાતો ગયો તેમ તેમ એના જાહેરમાં પ્રયોગની શક્યતા ઓછી થતી ગઈ. (ફાગુ એ જાહેરમાં કે નિદાન સમુદાયમાં ગાવાનો પ્રકાર હતો એની નિશાનીઓ એની છંદોરચનામાં પણ છે. દુહા કે રોળા જેવા માત્રામેળ છંદોના પ્રારંભમાં, છંદનો ખરેખર અંશ નહિ એવાં ‘અહે’, ‘અહ’ કે ‘અરે’ જેવાં લટકણિયાં મુકાયાં છે તે જાહેરમાં એ છંદો લલકારવાની અનુકૂળતા માટે હશે). પાછળના સમયમાં ફાગુમાં કેટલીક એકવિધતા આવી ગઈ. એવા પણ ફાગુઓ રચાયા છે, જેમને નામ માત્ર ફાગુ ગણી શકાય. પણ એકંદરે જોતાં ચૌદમા શતકથી માંડી કેટલાક સૈકા સુધી માનવભાવો સાથે પ્રકૃતિનું ગાન ગાતી, શૃંગાર સાથે ત્યાગ અને વૈરાગ્યના તરંગો ઉછાળતી કવિતા આ સાહિત્યપ્રકારે આપી છે. આખ્યાન કે રાસા કરતાં આનું સ્વરૂપ ટૂંકું છે, પણ ‘વસંતવિલાસ’, ‘ચુપઈફાગુ’ કે ‘વિરહદૈસાઉરિ ફાગુ’ જેવી કૃતિઓ બાદ કરતાં મોટે ભાગે એમાં કંઈક ઇતિવૃત્ત આવતું હોઈ હોરી કે ધમાર જેવાં વસંતખેલનાં ટૂંકા પદો કરતાં એમાં વૈવિધ્યને વિશેષ અવકાશ રહ્યો છે. ‘ષડ્ઋતુવિરહવર્ણન’ (દયારામ) જેવાં ઋતુવર્ણનનાં કાવ્યો, બારમાસીઓ, તિથિ-વારનાં કાવ્યોને પણ અહીં યાદ કરવાં જોઈએ. બીજા કેટલાક ગૌણ પદ્યાત્મક સાહિત્યપ્રકારો જૂના ગુજરાતી સાહિત્યમાં છે, પણ એ સર્વેનો નિર્દેશ આ પ્રાસ્તાવિક લેખમાં આવશ્યક નથી.&lt;br /&gt;
જૂના ગુજરાતી સાહિત્યમાં ગદ્યલખાણો વિરલ કે અણછતાં હતાં એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, પણ જૂના સાહિત્યની શોધ થતી જાય છે તેમ તેમ એ ખ્યાલ બદલાતો જાય છે. ચૌદમા સૈકાથી માંડી જૂની ગુજરાતીમાં ગદ્યસાહિત્ય મળે છે અને એનું વૈપુલ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. અર્વાચીન કાળમાં ગદ્ય ઘણાબધા સાહિત્યપ્રકારોનું વાહન બન્યું છે એવું જોકે એ સમયમાં નહોતું. ગદ્યનું પ્રયોગક્ષેત્ર સીમિત હતું, તો પણ એ સીમિતક્ષેત્રમાંયે ગદ્યનાં થોડાંક, અલગ અલગ રૂપો મળે છે. સંસ્કૃત કે પ્રાકૃત કે વ્રજભાષાના ગ્રંથોના કે કવચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકારૂપ બાલાવબોધો અને ટબાઓ; અક્ષરના રૂપના માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં પદ્યમાં લેવાતી બધી છૂટ ભોગવતા પ્રાસયુક્ત ગદ્ય ‘બોલી’માં રચાયેલ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ અને ‘સભાશૃંગાર’ જેવા વર્ણકસંગ્રહો; અજ્ઞાતકર્તૃક ‘કાલકાચાર્યકથા&#039; જેવી, ક્વચિત્ અલંકારપ્રચુર અને ક્વચિત્ સહેલા રસળતા ગદ્યમાં રચાયેલી કથાઓ અને ‘કાદંબરી કથાનક&#039; જેવા કથાસંક્ષેપો; દાર્શનિક ચર્ચાઓ, વાદવિવાદો અને પ્રશ્નોત્તરીઓ; ‘ઔક્તિક&#039; તરીકે ઓળખાતા, ગુજરાતી દ્વારા સંસ્કૃત શીખવા માટેના સંખ્યાબંધ વ્યાકરણગ્રંથો (એમાં નાનકડો ગુજરાતી-સંસ્કૃત શબ્દકોશ પણ હોય છે) – જેમાં સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’ અને કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક&#039; જેવાં ભાષાના ઇતિહાસનાં સીમાચિહ્નોનો સમાવેશ થાય છે—સ્વામિનારાયણનાં ‘વચનામૃતો&#039;નું પ્રવચનશૈલીનું વિશદ અને પ્રવાહી ગદ્ય : એ જૂના ગુજરાતી ગદ્યસાહિત્યનાં પ્રાપ્ત વિવિધ રૂપો છે. અત્યારે ઉપલબ્ધ થતું જૂનું ગદ્ય એટલું વિપુલ છે કે એનું પ્રકાશન કરવામાં આવે તો ‘બૃહત્કાવ્યદોહન&#039;ના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા ઓછામાં ઓછા સો ગ્રંથો તો સહેજે ભરાય. જોકે જુદા જુદા પ્રાચીન ગ્રંથભંડારો અને સંગ્રહોમાં જે ગદ્યસાહિત્ય મારા જોવામાં આવ્યું છે તે વિચારતાં લાગે છે કે આ વિધાનમાં સંભવ અત્યુક્તિનો નહિ પણ અલ્પોક્તિનો છે.&lt;br /&gt;
મધ્યકાળનું સાહિત્ય બહુધા ધર્મપ્રધાન કે ધર્મમૂલક છે. સૌથી વિષમ સમયમાંયે સમાજશરીરમાં ધર્મની નાડીમાં ચેતન હોઈ સાહિત્યનું તે અગત્યનું પ્રેરક બળ હતું. એટલે સાહિત્યમાં ધર્મની પ્રધાનતા હોય એ સ્વાભાવિક છે. પણ ‘એક પ્રેમાનંદના પૂજ્ય અપવાદ સિવાય’ બધું મધ્યકાલીન સાહિત્ય કેવળ ધર્મરંગ્યું કે મૃત્યુની પયગંબરી કરનાર હતું એમ કહેવું વાસ્તવિક હકીકતોથી વેગળું છે. જીવનરસ-પ્રેમ અને વિરહ, શૌર્ય અને પરાક્રમ, હર્ષ અને શોક-નું ગાન કોઈ પણ સમાજમાં અને કોઈ પણ પ્રજાના સાહિત્યમાં ન હોય એ બને જ શી રીતે? ‘વસંતવિલાસ&#039; અને એ પ્રકારના અન્ય ફાગુઓ, વૃત્તબદ્ધ શૃંગારકાવ્યો – માધવકૃત ‘રૂપસુન્દર કથા’ અને અજ્ઞાતકર્તૃક ‘ફુલાંચરિત્ર’, નર્બદાચાર્યકૃત ‘કોકશાસ્ત્ર ચતુષ્પદી&#039; તથા કામશાસ્ત્રવિષયક ગદ્યપદ્યાત્મક કૃતિઓ, ‘બિલ્હણપંચાશિકા&#039;ના ગદ્યમાં અને પદ્યમાં અનુવાદો તથા ‘બિલ્હણપંચાશિકા&#039;માંથી પ્રેરણા પામી સ્વતંત્ર રીતે રચાયેલી ‘શશિકલા ચોપાઈ’, ‘મયણછંદ&#039; અને ‘અમૃતકચોલાં&#039; જેવી શૃંગારપ્રધાન કૃતિઓ, ‘ગીતગોવિંદ’ના તથા ‘વાગ્ભટાલંકાર’ અને ‘વિદગ્ધમુખમંડન&#039; જેવા અલંકારગ્રંથોના ગદ્યાનુવાદો, ‘કાદંબરી’નો આખ્યાનરૂપ અને ગદ્યાત્મક સંક્ષેપ, ‘રણમલ્લ છંદ&#039; અને ‘કાન્હડદેપ્રબંધ&#039; જેવાં વીરરસપ્રધાન ઐતિહાસિક કાવ્યો, ‘પંચાખ્યાન&#039; કે ‘પંચતંત્ર&#039;ના પદ્ય અને ગદ્યમાં સારસંગ્રહો કે અનુવાદો, શામળની પદ્યવારતાઓ તથા એના અનેક પુરોગામીઓની એ પ્રકારની બહુસંખ્ય રચનાઓ, ‘રત્નપરીક્ષા&#039; અને ‘ગણિતસાર&#039; જેવી કૃતિઓ—આવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય. પણ સ્થાલીપુલાકન્યાયે ઉપર્યુક્ત વિધાનના સમર્થનમાં આટલાં બસ થશે એમ માનું છું. ભવાઈની સંકલના ચૌદમા સૈકામાં અસાઈતે કરી હતી, પણ ભવાઈના નવા નવા વેશો ઠેઠ અર્વાચીન કાળ સુધી રચાતા અને ભજવાતા રહ્યા છે.&lt;br /&gt;
મધ્યકાલીન ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલાનો વિચાર આ સાથે પ્રસ્તુત છે. સં. ૧૫૦૮ (ઈ. ૧૪૫૨)માં ચિત્રિત થયેલું ‘વસંતવિલાસ&#039;નું ઓળિયું પ્રાપ્ત થયું ત્યારથી ભારતીય કલાવિવેચકોનું ધ્યાન એ પ્રત્યે આકર્ષિત થયેલું છે. પુષ્કળ જૈન હસ્તપ્રતોમાં એ કલાના નમૂના ઉપલબ્ધ હોઈ કેટલાક એને જૈનાશ્રિત ચિત્રકલા કહે છે. ગુજરાત અને રાજસ્થાનની હસ્તપ્રતોમાં એના નમૂના મળતા હોઈ એને પશ્ચિમ ભારતીય કે ગુજરાતી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ગ્રંથોમાં, જૈન તેમજ જૈનેતર ગ્રંથોમાં આ ચિત્ર ઉપલબ્ધ હોઈ એને ધર્મનિરપેક્ષ કલા ગણવી જોઈએ. પૂર્વોક્ત ચર્ચાના સંદર્ભમાં પૃથક્કરણ કરીએ તો, જૈન ધર્મના સચિત્ર સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં ‘કલ્પસૂત્ર’, ‘ઉત્તરાધ્યયનસૂત્ર’, ‘સંગ્રહણી’, ‘લોકપ્રકાશ’, ‘કાલકાચાર્યકથા&#039; આદિનો સમાવેશ થાય છે. જૈનેતર સચિત્ર સંસ્કૃત સાહિત્યમાં ‘ગીતગોવિંદ’, ‘બાલગોપાલ સ્મૃતિ’, ‘દુર્ગાસપ્તશતી’, ‘બિલ્હણપંચાશિકા’, ‘મેઘદૂત’, ‘માધવાનલ–કામ–કંદલા&#039;, ‘રતિરહસ્ય&#039;, ‘શાલિહોત્ર&#039;, ‘કાકરત&#039;, આદિ ઉલ્લેખપાત્ર છે. પણ ઉપલબ્ધ જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યકૃતિઓ જે સંખ્યામાં ચિત્રિત થયેલી છે તે ઉપરથી સમાજમાં આ કલાને મળતા વ્યાપક આશ્રયની તથા તે દ્વારા વ્યક્ત થતા જીવનરસની કલ્પના થઈ શકે છે. જો કે અહીં કરાયેલો નિર્દેશ કેવળ ઉદાહરણાત્મક છે, સંપૂર્ણ નથી એ હકીકત નોંધવી જોઈએ. જૈન ગુજરાતી કૃતિઓમાં નલ-દમયંતી ચોપાઈ&#039;, ‘આર્દ્રકુમારરાસ&#039;, ‘ધન્ના-શાલિભદ્રરાસ&#039;, ‘શ્રીપાલરાસ’, ‘માનતુંગમાનવતી રાસ&#039;, ‘હરિબલ ચોપાઈ’, ‘ચંદરાજાનો રાસ&#039;, ‘પ્રિયમેલક રાસ’, ‘પાર્શ્વનાથવિવાહલો’, આદિનાં ચિત્રો ઉલ્લેખ પાત્ર છે. જૈનેતર ગુજરાતી સચિત્ર કૃતિઓમાં ‘પંચાખ્યાન&#039;, ‘હરિલીલાષોડશકલા&#039;, &#039;પ્રબોધપ્રકાશ&#039;, ‘ધ્રુવચરિત્ર’, ભાલણકૃત ‘દશમસ્કંધ’, પ્રેમાનંદકૃત ‘મામેરું’, ગિરધરકૃત ‘રામાયણ’, ‘કુત્બુદ્દીનની વારતા&#039;, પારસી કવિ રૂસ્તમ પેશોતનકૃત ‘અર્દાવિરાફનામેહ&#039;૧&amp;lt;ref&amp;gt;૧. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈના સંગ્રહમાં આ આખ્યાનની ૧૦૬ ચિત્રોવાળી હસ્તપ્રત સચવાયેલી છે. એની બીજી સચિત્ર હસ્તપ્રતો પણ એ સંસ્થામાં છે.&amp;lt;/ref&amp;gt; વગેરે કૃતિઓ મળે છે. સાહિત્ય સાથે ચિત્રકળા કેવો તાલ મેળવે છે તે આવી સચિત્ર હસ્તપ્રતોમાંથી જણાય છે. દશાવતારનાં, રાગરાગિણીનાં અને ભોગાસનોનાં ચિત્રોના સંપુટો તથા અનેકવિધ કલાત્મક ગંજીપા મળે છે. શિહોરના રાજમહેલનાં, વડોદરામાં તાંબેકરના વાડાનાં અને સૌરાષ્ટ્રમાં પાડરશિંગાનાં ભીત્તિચિત્રો અને ગ્રન્થસ્થ ચિત્રો વચ્ચેનો ભેદ એટલો જ કે ભીત્તિચિત્રોનું ભૌતિક ફલક સ્વાભાવિક રીતે જ વિશાળ છે, જ્યારે ગ્રંથસ્થ ચિત્રોને હસ્તપ્રતોના માપની સંકુચિત મર્યાદા સ્વીકારવી પડી છે. ચિત્રકલાનો વિષય ગમે તે હોય, પણ એમાં જીવનની અભિવ્યક્તિ છે. મધ્યકાલીન ગુજરાતના વિપુલ ચિત્રિત સાહિત્યને મૃત્યુની પયગંબરી કરતું શી રીતે ગણી શકાય?&lt;br /&gt;
‘રણમલ્લછંદ’ કે ‘કાન્હડદેપ્રબંધ’ જેવા થોડાક અપવાદો બાદ કરતાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને રાજ્યાશ્રય નહોતો. ચિત્રકલાને અને ચિત્રિત સાહિત્યને ધનિકાશ્રય હતો ખરો, પણ એકંદરે એ સાહિત્ય સામાન્ય સમાજમાં ઉદ્ભવેલું, વિકસેલું અને વિસ્તરેલું હતું. આથી તે સમયે વ્રજભાષામાં, ચારણી સાહિત્યમાં કે રાજસ્થાની–ડિંગળ આદિમાં રચાયા છે તેવા કાવ્યશાસ્ત્ર, કોશ, છંદઅલંકારાદિ કે નાયિકાભેદના ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં નથી. નરસિંહ, ભાલણ, અખો, શામળ, બ્રહ્માનંદ, પ્રીતમ, દયારામ આદિ અનેકોએ વ્રજભાષામાં ઘણું લખ્યું છે તથા ગુજરાતી કવિઓએ વ્રજભાષામાં કરેલા પ્રદાન વિશે એક કરતાં વધુ મહાનિબંધો લખાયા છે. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ અને ગુજરાતી સાહિત્યરચનાની ધારા ગુજરાતમાં લગભગ એક સાથે વહેલી છે. સંસ્કૃત અને વ્રજનું સ્થાન અભ્યાસીઓની રુચિને ઘડનાર અને એમને કાવ્યરચના અને વિદ્યાવ્યાસંગની તાલીમ આપનાર પ્રકૃષ્ટ સાહિત્ય-ભાષાઓ તરીકે હતું. પરંતુ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય તો સમાજની રગેરગમાં વ્યાપેલાં હતાં; સાહિત્યકૃતિઓ બહુધા વાંચવા માટે નહિ, પણ સાંભળવા કે ગાવા માટે હતી એ વસ્તુ વિશિષ્ટ કૃતિઓના બહોળા પ્રચાર માટેનું એક નિમિત્ત કારણ હતી. ગુજરાતી કાવ્યોને લેખબદ્ધ કરવાં એ મુખ્ય નહિ પણ આનુષંગિક બાબત હતી. આપણા મુખ્ય શિષ્ટ કવિઓનાં કાવ્યો, પ્રેમાનંદાદિનાં આખ્યાનો તથા અનેક જ્ઞાતનામા અને અજ્ઞાતનામા કવિઓનાં પદો લોકમુખે સર્વવ્યાપક હતાં અને હજી છે. આપણા પદસાહિત્યનો મોટો ભાગ અલ્પાંશે જ લિપિબદ્ધ થયો હતો અને સંતવાણી તો લોકમુખે જ સંક્રમણ પામતી રહી હતી. સંતવાણીનું વાહન ગુજરાતી લોકબોલી અને ખડીબોલીના મિશ્રણ જેવી ‘સાધુબોલી&#039; છે અને સાધુઓની જેમ તે પણ સતત પરિવ્રજન કરતી રહી છે.&lt;br /&gt;
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જનતાના સર્વ વર્ગોમાં વ્યાપક હતું અને એના પ્રણેતાઓ સમાજના સર્વ સ્તરોમાંથી આવેલા હતા. વિદ્યાવ્યાસંગ જેમનું કર્તવ્ય હતું એવી બ્રાહ્મણ અને નાગર જેવી જ્ઞાતિઓ તથા કવિકર્મ અને બંદિકૃત્ય જેમનો પરંપરાગત વ્યવસાય હતો એવી બારોટ અને ચારણ જેવી જાતિઓના કવિ કે લેખકોની આપણે અહીં વાત નહિ કરીએ. પણ અન્ય જાતિઓના લેખકો અને તેમની કૃતિઓના થોડાક ઉદાહરણરૂપ નિર્દેશોથી ઉપર સૂચવી તેવી વસ્તુસ્થિતિનો કંઈક ખ્યાલ આવશે. &lt;br /&gt;
પ્રસિદ્ધ આખ્યાનકાર નાકર વડોદરાનો દિશાવાલ વણિક હતો અને આખ્યાનો રચીને એક નાગર બ્રાહ્મણ મિત્ર-સંભવતઃ માણભટ્ટના યોગક્ષેમ અર્થે તેને સોંપી દેતો હતો. ‘વલ્લભાખ્યાન&#039;નો કર્તા ગોપાલદાસ અને ‘રસસિન્ધુ’નો કર્તા ગોપાલદાસ વણિક હતા. ‘ગોપાળગીતા&#039;નો કર્તા ગોપાળદાસ નાંદોદનો મોઢ વણિક હતો અને ‘નાસિકેતાખ્યાન’ આદિ રચનાર રણછોડ કપડવંજ પાસે તોરણનો ખડાયતો વણિક હતો. ‘મૃગીસંવાદ&#039;નો કર્તા જાવડ પણ વણિક હતો. ‘કુમારપાલ રાસ’ આદિ અનેક રાસાઓ રચનાર ઋષભદાસ ખંભાતનો શ્રાવક વણિક હતો. તે સિવાય લીંબો, ખીમો, હરખજી, હીરાણંદ (પંદરમા શતકમાં થયેલા ‘વસ્તુપાલરાસ’, ‘વિદ્યાવિલાસપવાડો’ આદિ રચનાર સાધુ હીરાણંદથી ભિન્ન), નેમિદાસ, કર્ણસિંહ, પેથો, પ્રકાશસિંહ, વચ્છભંડારી આદિ શ્રાવક વણિક કવિઓ અને તેમની રચનાઓ જાણવા મળ્યાં છે. પરબત કવિ શ્રાવક ભાવસાર હતો અને લીંબડીનો પાસો કવિ શ્રાવક પાટીદાર હતો. દેપાળ અને મયારામ એ જૈન ધર્માનુયાયી ભોજક કવિઓ હતા. ‘પ્રબોધબત્રીશી’ આદિનો કર્તા માંડણ, આખ્યાનકાર કાશીસુત શેઘજી અને ‘અભિમન્યુ આખ્યાન’નો કર્તા તાપીદાસ બંધારા જ્ઞાતિના હતા. ‘હરિરસ’નો કર્તા પરમાનંદ દીવનો બ્રહ્મક્ષત્રિય – કપડાં છાપનાર કારીગર હતો. ઉચ્ચ કવિત્વયુક્ત ‘મહિના&#039; રચનાર રત્નો ખેડાનો ભાવસાર હતો. પરબત અને ભીમ એ બે કવિઓ જૈન ધર્માનુયાયી ભાવસાર હતા. ‘સુધન્વાખ્યાન’ રચનાર મોરારસુત ગોવિન્દ સુરતનો કંસારો હતો. વેદાન્તી કવિ અખો અમદાવાદનો સોની હતો. ‘બાલચરિત&#039;નો કર્તા કીકો વશી અને ‘પાંડવવિષ્ટિ’નો કર્તા ફૂઢ અનાવિલ બ્રાહ્મણ ખેડૂતો હતા. ‘અર્જુનગીતા&#039;નો કર્તા ધનદાસ ધંધુકાનો પાટીદાર હતો અને નિરાંત ભક્ત દેથાણનો પાટીદાર હતો. ‘ચાબખા&#039; વડે નામાંકિત ભોજો ભગત પણ આખાબોલો અભણ પાટીદાર હતો. ‘રુકિમણીહરણ&#039;નો કર્તા દેવીદાસ ગાન્ધર્વ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના વિખ્યાત કવિ નિષ્કુળાનંદ પૂર્વાશ્રમના લાલજી સુથાર હતા. ‘ધ્રુવાખ્યાન&#039;નો કર્તા હરિદાસ વાળંદ હતો અને ‘શુકદેવાખ્યાન’નો કર્તા વસ્તો ડોડિયો બોરસદનો ધારાળો હતો. પ્રેમભક્તિનાં ઉત્તમ પદો રચનાર રાજે કેરવાડાનો મોલેસલામ ગરાસિયો હતો. બાપુસાહેબ ગાયકવાડ વડોદરાના રાજકુટુંબનો સંબંધી મરાઠો હતો.&lt;br /&gt;
સંત પ્રણાલીમાં ઉચ્ચ-નીચના કોઈ ભેદ નહોતા; એનું પ્રધાન લક્ષ્ય તો એ ભેદો નિવારી એક ઈશ્વરને ભજવાનું હતું. પંદરમા સૈકામાં ઉત્તર ભારતમાં સ્વામી રામાનંદના શિષ્યમંડળમાં કબીર વણકર, રોહિદાસ ચમાર, સદના ખાટકી, સેના વાળંદ, ધન્ના જાટ, પીપાજી રાજપૂત અને નરહરિ બ્રાહ્મણ હતા. એ જ પરિસ્થિતિ આપણા અભ્યાસવિષય કાલખંડમાં ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતના કબીરપંથી સંતકવિઓમાં ભાણદાસ અથવા ભાણસાહેબ લોહાણા હતા. એમના ગુરુ આંબા છઠ્ઠા નામે નિરક્ષર ભરવાડ હતા, જેમનાં ભજનો ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી સંતવાણી’માં પ્રગટ કર્યાં છે. ભાણદાસના પુત્ર ખીમદાસ અથવા ખીમસાહેબ. ભાણસાહેબના એક શિષ્ય રવિસાહેબ એમના સંસ્પર્શમાં આવ્યા પહેલાં રવજી નામે વ્યાજખોર વણિક હતા; ભાણસાહેબે એનો જીવનપલટો કર્યો હતો. રવિસાહેબના એક રાજપૂત શિષ્ય થરાદના ઠાકોર માનસિંહજી તે મોરાર સાહેબ, જેમણે જીવતાં સમાધિ લીધી કહેવાય છે. લીંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા, જેમણે રવિસાહેબને પણ અમુક પ્રસંગે ઉપદેશ કર્યો હતો. રવિ-ભાણ સંપ્રદાયે મસ્ત ભજનોનું વિપુલ સાહિત્ય સર્જ્યું છે, જેમાંનું કેટલુંક ‘રવિ-ભાણ સંપ્રદાયની વાણી&#039; એ નામથી પ્રગટ થયું છે. એ સંપ્રદાયના ભજનિક કવિઓમાંના એક ત્રિકમદાસ ગરોડા અથવા ત્રિકમસાહેબ હરિજન બ્રાહ્મણ હતા અને હોથી સુમરો મુસલમાન હતા. કાજી મહમદશાહનાં ભજનો આજે પણ સૌરાષ્ટ્રમાં ગવાતાં સંભળાય છે.૨&amp;lt;ref&amp;gt;૨. અર્વાચીન કાળમાં વીસનગરના અનવરમીયાં કાજી (‘અનવર કાવ્ય&#039;) અને પીર સત્તારશાહ આદિની રચનાઓની તુલના આ સાથે થઈ શકે.&amp;lt;/ref&amp;gt; બહુસંખ્ય ભાવવિભોર પદો રચનાર સંત જીવણદાસ અથવા દાસી જીવણ ગોંડળ પાસે ઘોઘવદરના ચમાર હતા.&lt;br /&gt;
સૌરાષ્ટ્રના લોકસમાજની ભજનિક પરંપરા ઉપર મારવાડના ક્ષત્રિય રાજકુમાર રામદેવજી અથવા રામદે પીરે પ્રવર્તાવેલા મહામાર્ગ અથવા નિજારની પણ ઊંડી અસર છે. સૌરાષ્ટ્રના વિખ્યાત સંત અને ભજનક કવિ દેવીદાસ જેમણે પોતાનું જીવન રક્તપીતિયાંની સેવામાં ગાળ્યું હતું તેઓ રબારી હતા, જ્યારે એમનાં શિષ્યા અમરાબાઈ૩&amp;lt;ref&amp;gt;૩. મધ્યકાલીન સાહિત્યમાં કવયિત્રીઓ – એ અભ્યાસનો એક અલગ વિષય છે. મીરાંબાઈનું વ્યક્તિત્વ અને કૃતિત્વ સૌથી પ્રસિદ્ધ છે. દીવાળીબાઈ, કૃષ્ણાબાઈ, પુરીબાઈ, રાધાબાઈ વગેરેએ ભક્તિનાં પદો ગાયાં છે. એમાંની રાધાબાઈ વડોદરાવાસી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતી. સંસ્કૃત ‘હંસવિલાસ&#039;ના પ્રણેતા, શક્તિ સંપ્રદાયના હંસ મીઠુ અથવા મીઠું મહારાજની શિષ્યા જનીબાઈ નામે રસિક કવયિત્રી થઈ ગઈ. ઓલપાડની નાનીબાઈએ રૂપકપ્રધાન ‘વણઝારો’ રચ્યો છે. સંત નિરાંતની શિષ્યા વણારશીબાઈનાં પદો મળે છે. પીર કાયમુદ્દીન ચિશ્તીના પંથની વોરા કવયિત્રી રતનબાઈની ‘કલામો&#039; ભક્ત કવિઓનાં ભાષા અને ભાવ વ્યક્ત કરે છે. જૈન પરંપરામાં ‘ચારુદત્તચરિત્ર&#039; રચનાર પદ્મશ્રી સાધ્વી અને ‘કનકાવતી આખ્યાન&#039; રચનાર હેમશ્રી સાધ્વી થઈ ગયાં છે. પણ સમગ્ર રીતે જોતાં કવયિત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે અને એમનું પ્રદાન અલ્પ છે. એનું કારણ મુખ્યત્વે સામાજિક પરિસ્થિતિમાં જ ખોળવું રહ્યું ને?&amp;lt;/ref&amp;gt; આયર અને બીજા શિષ્ય શાદુળ ભગત કાઠી હતા. શાદુળ ભગત અથવા ‘શાદલપીર&#039;ની શિષ્યા માંગલબાઈ નામે કાઠિયાણી હતી. રાજકીય ઉત્પાતો અને દુષ્કાળમાં અનાથ બનેલાં બાળકોના આશ્રય માટે મોરબી પાસે વવાણિયામાં ધર્મસ્થાન સ્થાપનાર સંત રામબાઈ, જેઓ ભજનોમાં પોતાને ‘રામુ’ તરીકે ઓળખાવે છે તેઓ આહીર હતા. રામદેવજીના પટ્ટશિષ્ય હરજી ભાટીના શિષ્ય શેલણશોનાં ચેલી લોયણ લુહાર જ્ઞાતિનાં હતાં. એમણે પોતાના એકવારના મિત્ર લાખાને ઉદ્દેશી ‘વાયક&#039; કહ્યાં છે. ગંગાબાઈ અથવા ‘ગંગાસતી’એ પચાસેક પદો પોતાના પુત્ર અજોભાની પત્ની–પુત્રવધૂ પાનબાઈને સંબોધેલાં છે. ગંગાબાઈ ગોહીલ રાજપૂત હતાં. જામનગરના સંત કવિ હમીર કુંભાર હતા. લખમો ભગત માળી હતો.&lt;br /&gt;
આ પૈકી કેટલાંકનાં મરમી ભજનો ‘સોરઠી સંતવાણી’ અને ‘પુરાતન જ્યોત’માં સંઘરાયાં છે. આવાં બીજાં પણ ઉદાહરણો ટાંકી શકાય.&lt;br /&gt;
ખોજા, મતિયા અને વોરા જેવા મુસ્લિમ સંપ્રદાયોએ પોતાની ધાર્મિક કવિતા ગુજરાતીમાં લખી છે. ખોજાપંથી પદસાહિત્યમાં ‘દશાવતાર&#039;, ‘મોમણ ચેતાવણ’, ‘ઈમામવાળાના પ્રછા&#039; વગેરે ભજનસાગરો છે; એની આંતરસામગ્રીમાં કબીર-નાનક જેવો અદ્વૈતવાદનો પાસ જણાય છે.&lt;br /&gt;
આપણા અભ્યાસપાત્ર કાલખંડમાં પારસીઓએ સંસ્કૃતમાં લખ્યું છે૪&amp;lt;ref&amp;gt;૪. જુઓ એસ.ડી. ભરુચા. સંપાદિત Collected Sanskrit Writings of the Parsees, I-IV &amp;lt;/ref&amp;gt; તેમ ગુજરાતીમાં પણ લખ્યું છે. પારસી ધર્મગ્રન્થોના ગુજરાતી ગદ્યાનુવાદો વિષે અગાઉ ઉલ્લેખ કર્યો છેઃ પણ સત્તરમા શતકમાં સુરતના મોબેદ રુસ્તમ પેશોતન પહેલી વાર ગુજરાતી પદ્યમાં ‘જરથોસ્ત-નામેહ&#039;, ‘શ્યાવક્ષ-નામેહ&#039;, અને ‘અર્દાવિરાફ-નામેહ’ એ સુદીર્ઘ ચરિત્રો આખ્યાનરૂપે આપે છે. સંભવતઃ સોળમા સૈકામાં થયેલા રાંમ નામે પારસી કવિ તથા સત્તરમા સૈકામાં થયેલા બરજોર ફરેદુન તથા નવસારીનિવાસી નોશેરવાન જમશેદ એ પારસી કવિઓ ઉલ્લેખયોગ્ય છે. સત્તરમા શતકના પારસી કવિઓનું ગુજરાતી કવિતાને પ્રદાન એટલું ગણનાપાત્ર છે કે એ વિષે પેરિનબહેન કાપડિયા (પેરિન ડ્રાઈવર)એ એક મહાનિબંધ તૈયાર કર્યો છે. ગુજરાતી સાહિત્યસેવાની પારસીઓની આ પરંપરા અર્વાચીન યુગ સુધી સતત ચાલુ રહેલી છે.&lt;br /&gt;
ઈસવીસનના બારમા શતકના આરંભમાં આચાર્ય હેમચન્દ્રકૃત અપભ્રંશ વ્યાકરણના રચનાકાળ આસપાસ ગુજરાતી ભાષા-સાહિત્યનો આરંભ ગણીએ તો, એ કાળથી માંડી ઈસવીસનના ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં(૧૮૫૩માં) અવસાન પામેલા કવિ દયારામના સમય સુધી એટલે કે લગભગ સાડાસાતસો વર્ષ સુધી પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતીનો સાહિત્યસ્રોત વિપુલ અને અવિચ્છિન્ન રીતે વહેતો રહ્યો છે. એમાં હિન્દુઓ, જૈનો, મુસ્લિમો અને પારસીઓની રચનાઓ છે; ભાષાને ખીલવનાર અને તેને વિકાસકોટિએ આગળ લઈ જનાર નરસિંહ, મીરાં, ભાલણ, પ્રેમાનંદ, શામળ, રાજે, દયારામ આદિની કૃતિઓ છે; ભાષાની અભિવ્યક્તિને કસોટીએ ચડાવનાર અને તેની શક્તિઓને સવિશેષ સૂક્ષ્મતા અર્પનાર અખો, કૃષ્ણજી, વસ્તો, યશોવિજય આદિનાં કવિતામાં તત્ત્વજ્ઞાન ગૂંથતાં કાવ્યો છે; કેટલાક વિશિષ્ટ અને આકર્ષક પ્રકારો ધરાવતું વિપુલ ગદ્ય તથા વૈવિધ્યભર્યું શક્તિશાળી પદ્ય છે; સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં જે ઉત્તમ અને ઉપયોગી જણાયું તે બધું ગુજરાતીમાં ઉતારવાનો ભારે પુરુષાર્થ એમાં છે. તે ઉપરાંત એ પ્રાચીન વારસા સાથે ગુજરાત અને ગુજરાતીની આગવી વિશેષતાઓનો સુમેળ સાધતી પણ પુષ્કળ રચનાઓ છે. જીવનમાં તેમ સાહિત્યમાં પરંપરાનું પ્રાધાન્ય હતું એવા યુગમાં વિવિધ ઉદ્દેશથી અને વિવિધ પ્રકારો દ્વારા ગુજરાતી ભાષાની જે અનવરત ઉપાસના થઈ છે અને પચીશીવાર નહિ પણ લગભગ દશકાવાર એ ઉપાસનાનાં ફળ લિખિત સ્વરૂપે, આજે પણ જે ઈયત્તામાં ઉપલબ્ધ છે એનો જોટો ભારતીય આર્ય ભાષાસાહિત્યોના ઇતિહાસમાં, એક માત્ર સિંહાલીઝના અપવાદ સિવાય, ક્યાંય નથી. દયારામના અવસાનકાળે ગુજરાતી ભાષા માત્ર વ્યવહારુ ઉપયોગની કથ્ય ભાષા નહોતી, પણ લગભગ આઠ શતાબ્દીના સતત અને સમર્થ ખેડાણનો વારસો ધરાવનારી સમૃદ્ધ સાહિત્યભાષા હતી.&lt;br /&gt;
વિવિધરંગી ગુજરાતી પ્રજાનું આંતરચૈતન્ય ટકાવી રાખવામાં સૌથી મોટો ફાળો કોઈનો હોય તો તે મધ્યકાળના કવિઓ, સંતો, ભજનિકો અને કથકો-કથાકારોનો છે. ઇતિહાસના સૌથી વિષમ સમયગાળાઓમાં પણ, એથી, પ્રજાએ પોતાની આંતરિક સમતા સાવ ગુમાવી નહોતી તથા શાન્તિ અને આશ્વાસન પ્રાપ્ત કર્યાં હતાં. ‘ગોવર્ધનરામે કહ્યું છે તેમ, ગામગામ વચ્ચે અંધેર, ધાડલૂંટ ઇત્યાદિને કારણે સંપર્ક રહ્યા નહિ હોય ત્યારે દરેક ગામે પોતાનો આછોપાતળો પણ કવિ નિપજાવ્યો, જેણે નાનકડો સ્થાનિક દીવડો બની લોકોનાં હૈયાંને લીલાં રાખ્યાં. તેમાંના વિશેષ સત્ત્વશાળીની પ્રતિષ્ઠા સ્થાનિક ન રહેતાં પ્રદેશવ્યાપી પણ બની. મધ્યકાળના આ કવિકુળે સમાજને એના સારા દિવસોમાં તેમજ રાજકીય અને નૈતિક વિપત્તિ વેળા બૌદ્ધિક વિનોદ, સાહિત્યરસ, ધર્મલભ્ય આશ્વાસન અને નૈતિક બળ આપ્યું છે, અને સમાજને એકાદ ડગલું આગળ લઈ જવાની સેવા બજાવી છે. ગોવર્ધનરામે આથી સાચું જ કહ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની જાત અને ગુજરાત હૃદયની સચેતનતા ખોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘડી, પલોટી, કેળવી, તેને ભાવક્ષમ, અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો જુદી.’૫&amp;lt;ref&amp;gt;૫. જુઓ : અનંતરાય રાવળ, ગુજરાતી સાહિત્ય [મધ્યકાલીન], (૧૯૫૪) પૃ. ૨૪&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;diff=112871</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%AE_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;diff=112871"/>
		<updated>2026-07-20T03:24:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|પ્રથમ આવૃત્તિનું નિવેદન}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનના અનેક નાનામોટા પ્રયત્નો આ પૂર્વે થયા છે, પરંતુ ચાર ગ્રંથોમાં અને બે હજાર જેટલાં પૃષ્ઠોમાં, વિવિધ વિદ્વાનોના...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|પ્રથમ આવૃત્તિનું નિવેદન}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનના અનેક નાનામોટા પ્રયત્નો આ પૂર્વે થયા છે, પરંતુ ચાર ગ્રંથોમાં અને બે હજાર જેટલાં પૃષ્ઠોમાં, વિવિધ વિદ્વાનોના સહકારથી, ગુજરાતી સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ આલેખવાનો પ્રયાસ આ પ્રથમ વાર જ થાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસનાં જે બે સ્પષ્ટ સ્થિત્યંતરો છે એને લક્ષમાં રાખીને આ ઇતિહાસલેખન હાથ ધરાયું છે.&lt;br /&gt;
પહેલા સ્થિત્યંતરને બે ગ્રંથોમાં વહેંચી નાખ્યું છે : પહેલા ગ્રંથમાં ગુજરાતની ભૌગોલિક અને રાજકીય-સાંસ્કૃતિક ભૂમિકા, ગુજરાતી ભાષાનો વિકાસ અને સાહિત્યિક પૂર્વપરંપરા એટલું સમાવતાં ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના મધ્યકાળને આવરી લેવામાં આવ્યો છે. એના બીજા સ્થિત્યંતરને પણ એ જ રીતે બે ગ્રંથોમાં વહેંચ્યું છે. ત્રીજા ગ્રંથમાં કલાપી સુધીના અને ચોથા ગ્રંથમાં ઝવેરચંદ મેઘાણી સુધીના અર્વાચીન કાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આ બૃહદ્ ઇતિહાસ એમાંની માહિતી અને માવજતથી આપણી વણપુરાયેલી જરૂરિયાતને સંતોષશે એવી આશા છે.&lt;br /&gt;
આ ઇતિહાસલેખન આપણા ભિન્નભિન્ન વિદ્વાન લેખકો દ્વારા થયું છે. એટલે, એક કલમે લખાતા સળંગ ઇતિહાસલેખન કરતાં આ પ્રયત્ન સ્વાભાવિક રીતે જ જુદો પડવાનો. અલબત્ત, સંપાદન દ્વારા એમાં શક્ય એટલી એકવાક્યતા સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાચકની સહાયથી મનોભાવની એકવાક્યતા જળવાશે એવી શ્રદ્ધા પણ છે. તેમ છતાં, સર્વત્ર એ જળવાય એ અપેક્ષા સંપૂર્ણપણે સંતોષી ૰ન પણ શકાય. પણ એમાં વ્યક્ત થયેલ વિવિધ દૃષ્ટિકોણો અને અભિરુચિઓ પણ એક આનુષંગિક લાભ જ છે. આ કાર્યને ન્યાય આપી શકે એવા લગભગ બધા ઉત્તમ વિવેચકોનો સહકાર ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રાર્થેલો છે. અમને જણાવતાં આનંદ થાય છે કે આપણા વિદ્વાનોએ આ કાર્યમાં અમને ઉમંગભેર સહકાર આપ્યો છે. એ સર્વ વિદ્વાનોનો પરિષદ તરફથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.&lt;br /&gt;
સાહિત્યનો ઇતિહાસ આલેખવો એ એક સાહસ છે. જીવંત લેખકોની મનઃસૃષ્ટિનો પાર પામવો એ જ જો દોહ્યલું કામ હોય તો જેઓ હયાત નથી એમને વિશે માહિતી તારવવી અને અનુમાનો સારવવાં એ તો ખરેખરું કપરું કામ છે. પરિણામે, સર્જનને સામાજિક સંદર્ભમાં મૂકી આપીને સમગ્ર પ્રજાના જીવનમાં તેના, આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવકથિત, ‘વાઙ્મય ચૈતન્ય’ના આવિર્ભાવનો આલેખ આપીને કૃતાર્થતા અનુભવવી રહે છે. સાહિત્યના ઇતિહાસે કર્તા અને કૃતિની મૂલવણીનું વિવેચનકાર્ય પણ કરવાનું રહે છે. અનેક લેખકોનો સહકાર મેળવીને સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનો હોય ત્યારે એનો વિવેચનઅંશ વિશેષપણે એકધારો કેટલો ઊપસી આવે એ જોવાનું રહે. બાકી ઝાઝા હાથે તૈયાર થયેલો ઇતિહાસ તત્ત્વતઃ વર્ણનાત્મક રહેવાનો.&lt;br /&gt;
આ કાર્યમાં પરિષદને પ્રેરવા માટે સૌ પ્રથમ આભાર ગુજરાત રાજ્યના એ સમયના મુખ્ય મંત્રીશ્રી સ્વ૰ બળવંતરાય મહેતાનો માનવાનો રહે છે. પરિષદના કાર્યવાહકોનો સામેથી સંપર્ક સાધીને એમણે કરવા જેવાં કામોની અને કામ ઉપાડી શકે એવી સંસ્થાઓની ટીપ માગેલી અને ધરખમ આર્થિક સહાયનું વચન પણ આપેલું. એ પ્રમાણે અનેક સંસ્થાઓ પાસેથી એમણે સૂચનો પણ માગેલાં, ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું આ કાર્ય એમના પ્રોત્સાહનનું જ એક ફળ છે. સામાન્ય વહીવટ વિભાગના તા. ૭-૧૦-૧૯૬૭ના સરકારી ઠરાવ નં. પરચ/૧૦૬૬-૬૭૯૭-આર-થી ગુજરાત સરકારે ચોથી પંચવર્ષીય યોજના હેઠળની યોજના નં. ૫૦૩ અનુસાર વિધિસર આ કાર્ય પરિષદને સોંપ્યું હતું. આ સ્થાને અમે સ્વ૰ બળવંતરાય મહેતાની સાહિત્યસંસ્કાર-પ્રીતિનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ છીએ અને ગુજરાત સરકારનો માતબર આર્થિક અનુદાન માટે આભાર માનીએ છીએ.&lt;br /&gt;
સરકારશ્રીની આ અનુદાનયોજના મુજબ ગુજરાતી સાહિત્ય પરિષદની એ સમયની કાર્યવાહક સમિતિએ એની તા. ૧૪-૧૧-૬૭ની બેઠકમાં સાહિત્યના ઇતિહાસલેખન અંગે માર્ગદર્શન આપવા નીચેના વિદ્વાન સભ્યોની નિયુક્તિ કરી હતી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી	&lt;br /&gt;
શ્રી યશવંત શુક્લ&lt;br /&gt;
શ્રી રસિકલાલ પરીખ		&lt;br /&gt;
શ્રી રામપ્રસાદ બક્ષી&lt;br /&gt;
શ્રી જ્યોતીન્દ્ર દવે		&lt;br /&gt;
શ્રી ભોગીલાલ સાંડેસરા&lt;br /&gt;
શ્રી ઉમાશંકર જોશી		&lt;br /&gt;
શ્રી મનસુખલાલ ઝવેરી&lt;br /&gt;
શ્રી ડોલરરાય માંકડ		&lt;br /&gt;
શ્રી કેશવરામ શાસ્ત્રી&lt;br /&gt;
શ્રી અનંતરાય રાવળ		&lt;br /&gt;
શ્રી હરિવલ્લભ ભાયાણી&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ સમિતિએ પ્રથમ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી યશવંત શુક્લની મુખ્ય સંપાદકો તરીકે નિયુક્તિ કરી હતી અને પાછળથી શ્રી અનંતરાય રાવળની સેવાઓ પણ સંપાદનકાર્ય માટે માગી લીધી હતી. સલાહકાર સમિતિએ વખતોવખત ચર્ચાવિચારણા કરીને આ યોજના હેઠળ ચાર ગ્રંથોમાં ગુજરાતી સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત, પ્રત્યેક ગ્રંથની રૂપરેખા તૈયાર કરીને જુદાજુદા વિદ્વાનોને આ કાર્ય માટે નિમંત્રણ આપવાનું ઠરાવ્યું હતું. એ મુજબ આપણા વિદ્વાન અભ્યાસીઓને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનાં જુદાંજુદાં પ્રકરણો કે એના અંશો તૈયાર કરી આપવાની વિનંતી કરવામાં આવી હતી. સલાહકાર સમિતિના માર્ગદર્શન મુજબ તૈયાર થયેલી યોજનાનો આ પ્રથમ ગ્રંથ આજે પ્રગટ થાય છે. બાકીના ગ્રંથો પણ તૈયાર થઈ રહ્યા છે. બીજો ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રેસમાં જશે. ત્રીજો અને ચોથો ગ્રંથ પણ આ વર્ષ દરમ્યાન પ્રેસમાં આપી શકાય એ માટે તૈયારી ચાલી રહી છે.&lt;br /&gt;
ગુજરાત રાજ્યના ભાષાનિયામક શ્રી હસિતભાઈ બૂચે અને નાયબ ભાષાનિયામક શ્રી ઈશ્વરપ્રસાદ જોષીપુરાએ તથા એમની કચેરીએ અમને વખતોવખત માર્ગદર્શન અને સહકાર આપીને અમારું કામ સરળ બનાવ્યું છે એ માટે અમે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્વ૰ જયંતી દલાલે તેમજ ગુજરાત રાજ્યના એ સમયના નાણામંત્રી શ્રી જશવંત મહેતાએ સંસ્કારપ્રીતિને વશ થઈ આ કાર્યને આગળ ધપાવવામાં પુષ્કળ અંગત રસ લીધો હતો એ માટે એમના તથા પ્રારંભિક સહાય માટે આચાર્યશ્રી વિનોદ અધ્વર્યુના અમે ઋણી છીએ. ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકોએ આ ગ્રંથના છાપકામ અંગે કરી આપેલી સુવિધા માટે એમના પણ અમે આભારી છીએ.&lt;br /&gt;
ગુજરાતની સાહિત્યરસિક પ્રજાને આ ઇતિહાસગ્રંથો ઉપયોગી લાગશે તો ગુજરાતી સાહિત્ય પરિષદ કૃતાર્થતા અનુભવશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{rh|ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&amp;lt;br&amp;gt;સંપાદકો||&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;અમદાવાદ; ૨૮, ફેબ્રુઆરી ૧૯૭૩}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous =બીજી આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
|next = સર્જક-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;diff=112870</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AC%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;diff=112870"/>
		<updated>2026-07-20T03:21:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|બીજી આવૃત્તિનું નિવેદન}} {{Poem2Open}}ગુજરાતી સાહિત્ય પરિષદે ઈ. ૧૯૬૭માં, ગુજરાતી સાહિત્યના બૃહદ ઇતિહાસની યોજના હાથ ધરી એ પછી ઈ. ૧૯૭૩થી ૧૯૮૧ સુધીમાં એના ચાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|બીજી આવૃત્તિનું નિવેદન}}&lt;br /&gt;
{{Poem2Open}}ગુજરાતી સાહિત્ય પરિષદે ઈ. ૧૯૬૭માં, ગુજરાતી સાહિત્યના બૃહદ ઇતિહાસની યોજના હાથ ધરી એ પછી ઈ. ૧૯૭૩થી ૧૯૮૧ સુધીમાં એના ચાર ગ્રંથો પ્રકાશિત થઈ ગયા હતા, ને સમયના ક્રમે મધ્યકાળના આરંભ (આશરે ઈ. ૧૧૫૦)થી ‘ઝવેરચંદ મેઘાણી&#039; સુધી પહોંચાયું હતું. એના પ્રકાશનનાં ૨૦-૨૫ વર્ષો પછી આ ચારે ગ્રંથો અપ્રાપ્ય બન્યા છે – પહેલા બે ગ્રંથો તો વર્ષોથી અપ્રાપ્ય હતા. એટલે પરિષદે આ ચારે ગ્રંથોની બીજી આવૃત્તિઓ પ્રકાશિત કરવાનું વિચાર્યું અને એના શોધન-સંપાદનની જવાબદારી મને તથા પરામર્શનની શ્રી ચિમનલાલ ત્રિવેદીને સોંપવામાં આવી.&lt;br /&gt;
કેવળ પુનર્મુદ્રણને બદલે નવી આવૃત્તિઓ કરવાના પરિષદના નિર્ણય પાછળનું કારણ એ છે કે આ ચારે ગ્રંથોમાંની કેટલીક સામગ્રીની ફેરતપાસ જરૂરી બની હતી. ઈ.  ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદે ‘ગુજરાતી સાહિત્યકોશ’ની કામગીરી આરંભી હતી ને એમાં ઘણાબધા સંદર્ભોની તુલનાત્મક ચકાસણીને પરિણામે જે અધિકૃત વિગતો તારવવામાં આવી હતી એના પ્રકાશમાં સાહિત્યકોશપૂર્વે પ્રકાશિત થયેલી સાહિત્યના ઇતિહાસ, સંશોધન અને વિવેચનના ગ્રંથોમાંની કેટલીક સામગ્રી તથ્યોની દૃષ્ટિએ ફેરવિચાર ને સંમાર્જનને પાત્ર ઠરી હતી. કર્તાઓનાં નામોના, એક જ નામના એકાધિક કર્તાઓના ને એમના કર્તૃત્વના; કર્તાઓના સમય-નિર્ધારણના; રચનાકારો(રચયિતા) અને લેખનકારો(લહિયા)નાં નામોની સંદિગ્ધતાના અને ભેળસેળના; કૃતિઓના રચનાસમયના – કેટલાક પ્રશ્નો ઉપર તરી આવ્યા હતા. ઇતિહાસ-ગ્રંથોની આ નવી આવૃત્તિને, એ બધા સંદર્ભે, અદ્યતન(અપડેટેડ) કરવાનું વિચાર્યું છે. વિવિધ વિદ્વાનોના હાથે સમયાનુક્રમી પ્રકરણોરૂપે આ ઇતિહાસગ્રંથો તૈયાર થયા હોવાથી, શૈલીની ભલે નહીં પણ લેખનપદ્ધતિની શક્ય એટલી એકવાક્યતા ઊભી થાય તો એનું માળખું વધુ શાસ્ત્રીય ને એકરૂપ કરવાનું બની શકે, એ દૃષ્ટિકોણથી પણ સંમાર્જનો કરી લેવાનું રાખ્યું છે.&lt;br /&gt;
જુદેજુદે હાથે, સમયાનુક્રમી પ્રકરણોરૂપે, તૈયાર થતા સંકલિત-સંપાદિત ઇતિહાસ-લેખનના પ્રશ્નો રહેવાના. એટલે એમાં સંપાદકની કામગીરી, ને એનું ઉત્તરદાયિત્વ પણ, વધી જવાનાં. આ ઇતિહાસગ્રંથોની પ્રથમ આવૃત્તિનું સંપાદન, તેમજ સહસંપાદન, ગુજરાતીના ઉત્તમ વિદ્વાનો-સારસ્વતોના હાથમાં સોંપાયેલું હોવાથી તેમજ એના સહયોગી લેખકો તરીકે પણ આપણા કેટલાક તજ્જ્ઞ અભ્યાસીઓની મદદ મળી હોવાથી સાહિત્યના ઇતિહાસને સમૃદ્ધ કરે એવા તેજસ્વી અંશો આ ગ્રંથોમાં અવશ્ય દેખાય છે. તેમ છતાં, ભલે દરેકની આગવી છતાં ભિન્નભિન્ન શૈલીઓના – ને ખાસ તો લેખનપદ્ધતિના – જુદાપણાનો સામનો કરવાનો તો આ બૃહદ્ ઇતિહાસને પણ આવ્યો છે. એ ઘણે અંશે સ્વાભાવિક પણ ગણાય એટલે આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં પણ પરિરૂપ ને લેખનપદ્ધતિની પૂરી એકવાક્યતા સુધી જવું તો શક્ય હતું નહીં છતાં અહીં યથાશક્ય, ને જરૂરી એટલી, એકવાક્યતા સાધવાની મથામણ કરી છે. અલબત્ત, એમ કરવામાં પણ, સ્વાભાવિક રીતે જ, ઘણી જહેમત લેવાની થઈ છે.&lt;br /&gt;
પુસ્તકમાં લેખનપદ્ધતિની એકરૂપતા માટે આ મુજબનાં સંમાર્જન, ફેરફારો અહીં કરી લીધાં છે :&lt;br /&gt;
૧.૧ ‘લ/ળ’ના વિકલ્પવાળા શબ્દોમાં, ગુજરાતીમાં હવે રૂઢ થયેલા ‘ળ’ને જાળવ્યો છે. ઉ.ત. મધ્યકાળ, કુમારપાળ, સકળ વગેરે; પરંતુ કૃતિનામોમાં મૂળનો ‘લ’ જાળવ્યો છે. જેમકે ‘કુમારપાલપ્રબંધ’. તત્સમ પ્રત્યયોવાળાં પદોમાં ‘લ’ રૂઢ રહ્યો છે એટલે ત્યાં પણ એને જાળવ્યો છે : મધ્યકાલીન, તત્કાલીન વગેરે.&lt;br /&gt;
૧.૨ દ્વિરુક્તોને સમાસ ગણીને એનાં પદોને છૂટાંછૂટાં ન લખતાં એકશબ્દરૂપ લખ્યાં છે. જેમકે, ‘ઠેરઠેર’, ‘લઈલઈને’ વગેરે.&lt;br /&gt;
૧.૩ સંદર્ભદર્શક નોંધો તે-તે પાના નીચે નહીં, પણ પ્રકરણને અંતે મુકાયેલી હોવાથી ‘પાદટીપ’ (ફુટનોટ્સ) શબ્દ રાખ્યો નથી, એને બદલે ‘સંદર્ભનોંધ’ શબ્દ મૂક્યો છે. એ રીતે, ‘એજન’નું પણ સર્વત્ર ‘એ જ’ એવું સ્પષ્ટ અર્થ-નિર્દેશકરૂપ મૂક્યું છે.&lt;br /&gt;
૨. કોઈ વિશેષ સંદર્ભ જરૂરી હોય એ સિવાયનાં સ્થાનોમાં બધે સંવતને ઈસવી સનમાં ફેરવીને વર્ષનિર્દેશો કર્યા છે. અલબત્ત, જ્યાં કૃતિનું રચનાવર્ષ વગેરે (એની પંક્તિઓનો આધાર લઈને) તિથિ-વાર-માસ-વર્ષ (સંવત) – એમ સર્વ વિગતો સાથે દર્શાવ્યાં હોય, કે એવા બીજા નિર્ણાયક બનનારા વિગતનિર્દેશો હોય ત્યાં તિથિ-માસ સમેત સંવત તથા ઈસવી સન બંને જાળવ્યાં છે. આ સિવાય બધે જ, સંવત ને ઈસવી સન સાથેસાથે દર્શાવ્યાં હોય એમાંથી ઈસવી સન જ જાળવ્યા છે. આંકડાકીય ભ્રાન્તિની સંભાવનાને ટાળનારી વિશદતાના સંદર્ભે આ ફેરફાર ઉપયોગી જણાયો છે. ગ્રંથમાં બધે જ સદી-નિર્દેશો તો ઈસવી સન પ્રમાણે જ થયા છે (જેમકે, ઈ.ની ૧૨મી સદી, વગેરે) – એ જોતાં પણ ઉપર મુજબના ફેરફારની (=એકવાક્યતાની) ઉપયુક્તતા સમજી શકાશે.&lt;br /&gt;
૩ વિગતોની શુદ્ધિ (કર્તાનામ/કૃતિનામ/કર્તૃત્વ/સમય આદિની શુદ્ધિ), આ ખંડમાં, મુખ્યત્વે ‘ગુજરાતી સાહિત્યકોશ’ ખંડ:૧ (૧૯૮૯)ને સામે રાખીને કરી છે. અલબત્ત, ક્યારેક, જ્યાં બંને વિગતો શંકાસ્પદ લાગી ત્યાં ‘જૈનગૂર્જર કવિઓ’ વગેરે બીજા સંદર્ભોની મદદ લઈને વિગતશુદ્ધિ કરી લીધી છે.&lt;br /&gt;
આવી વિગતશુદ્ધિઓ/વિગતફેરની કોઈ નોંધ ગ્રંથમાં તે-તે સ્થાને (કે અહીં) કરી નથી. અભ્યાસીઓ આ શોધિત-વર્ધિત આવૃત્તિની વિગતોને આજસુધીની યથાશક્ય પ્રમાણિત વિગતો તરીકે સ્વીકારી અને મૂલવી શકશે.&lt;br /&gt;
૪. સંદર્ભનોંધોમાં ગ્રંથનામો ઇટાલિક ટાઈપમાં કરી લીધાં છે.&lt;br /&gt;
૫. ગ્રંથ: ૨ની પહેલી આવૃત્તિ(૧૯૭૬)નું શોધન-વર્ધન તેમજ કેટલીક પુનર્વ્યવસ્થા આ બીજી આવૃત્તિમાં નીચે મુજબ કરેલાં છે :&lt;br /&gt;
૫.૧ ગ્રંથ :૨, ઈ. ૧૪૫૦થી ઈ. ૧૮૫૦ સુધીના સમગ્ર મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસને સમાવતો હોવાથી સ્વાભાવિક રીતે જ એની પૃષ્ઠસંખ્યા વધારે હતી (પાનાં ૮૬૦). એ કારણે, ગ્રંથ દળદાળ થયેલો. આ શોધિત-વર્ધિત આવૃત્તિમાં કેટલાંક ઉમેરણોની સંભાવના હોવાથી પૃષ્ઠસંખ્યા એથી પણ વધવાની હતી. એટલે, ગ્રંથ:૨ને બે ખંડોમાં વહેંચી દીધો છે :&lt;br /&gt;
ગ્રંથ : ૨, ખંડ-૧ : ઈ. ૧૪૫૦થી ઈ.૧૬૫૦&lt;br /&gt;
ગ્રંથ : ૨, ખંડ-૨ : ઈ. ૧૬૫૦થી ઈ. ૧૮૫૦&lt;br /&gt;
એ મુજબ આ ગ્રંથ:૨ ખંડ-૧માં ‘અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા&#039; સુધીનાં પ્રકરણો સમાવ્યાં છે. સમયદૃષ્ટિએ સંગતિ રહે એ માટે, ઈ. ૧૭૫૦ સુધીના સમયગાળાને આવરી લેતું પ્રકરણ ‘જૈન સાહિત્ય-૨’ હવે પછીના ખંડ-૨માં સમાવ્યું છે.&lt;br /&gt;
૫.૨ પ્રથમાવૃત્તિનું પ્રકરણ: ૨ ‘મધ્યકાળના સાહિત્યપ્રકારો’ સાહિત્યસ્વરૂપોના ઐતિહાસિક વિકાસની દૃષ્ટિએ કંઈક અપર્યાપ્ત હતું એથી, એના લેખક ડૉ. ચંદ્રકાન્ત મહેતાની સંમતિથી, ‘મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો’ નામના એમના પુસ્તક (‘મધ્યકાળના સાહિત્યપ્રકારો’ નામે ૧૯૫૪માં પ્રગટ થયેલા એમના જ પુસ્તકની સંવર્ધિત-સંમાર્જિત આવૃત્તિ, ઈ. ૨૦૦૦)નો આધાર લઈને એ પ્રકરણનું અહીં સંવર્ધિત સંપાદન કરી લીધું છે.&lt;br /&gt;
૫.૩ પ્રકરણ : ૩ ‘જૈન સાહિત્ય : ૧’માં મુખ્યત્વે સમયદર્શી ને ક્યાંક અન્ય વિગતોનું પણ સંમાર્જન કરવાનું થયું છે. વળી, કેટલીક મહત્ત્વની કૃતિઓનો પરિચય લખાવીને એમાં ઉમેરી પણ લીધો છે.&lt;br /&gt;
૫.૪ પહેલી આવૃત્તિમાં, પ્રકરણ : ૫ ‘આદિભક્તિયુગના કવિઓ અને ભાલણ’ એમ સંયુક્ત રૂપે હતું એને સંગતિ માટે બે પ્રકરણો રૂપે અલગ કરી લેવામાં આવ્યું છે. (ભાલણના સાહિત્યકાર્યને એક સ્વતંત્ર પ્રકરણનો મોભો મળે એ જરૂરી લાગ્યું છે.) વળી, આદિભક્તિયુગના કવિઓની આનુપૂર્વી, એમના સમયના સંદર્ભમાં બદલી છે. આમ કરવામાં દેખીતી રીતે જ, સંદર્ભનિર્દેશો આદિની પુનર્વ્યવસ્થા પણ કરવાની થઈ છે.&lt;br /&gt;
૫.૫ ‘અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા’માં એક અગત્યના કવિ વસ્તો વિશ્વંભર વિશે લખાણ ઉમેરી લીધું છે.&lt;br /&gt;
સાહિત્યના ઇતિહાસની આ ગ્રંથશ્રેણીની પહેલી આવૃત્તિઓના પ્રકાશન પછી લગભગ એક દાયકે, ગુજરાતી સાહિત્ય પરિષદે જ, ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ:૧ : મધ્યકાલીન’ (૧૯૮૯)નું પ્રકાશન કરેલું, જેમાં તે સમય સુધીના ગુજરાતી સાહિત્ય અંગેના લગભગ બધા જ ઇતિહાસ-વિષયક ગ્રંથો-સંદર્ભોનો ઉપયોગ ને એની સંશુદ્ધિ થયેલાં હોવાથી વિગતોની દૃષ્ટિએ એ અધિકૃત પ્રકાશન હતું. આ બીજી આવૃત્તિ વખતે એ કોશગ્રંથનો વિગત ચકાસણી આદિ માટે વારંવાર ઉપયોગ કરવાનો થયો છે. એ માટે એના સંપાદકોનું ઋણ સ્વીકારું છું.&lt;br /&gt;
૬. ગ્રંથને અંતે મૂકેલી સંદર્ભગ્રંથસૂચિમાં, બિબ્લીઓગ્રાફીની હાલ પ્રચલિત પદ્ધતિ-અનુસાર, વિગતક્રમની એકવાક્યતા નિર્દેશતી, ફેરગોઠવણ કરી લીધી છે.&lt;br /&gt;
સાહિત્યકોશના સંપાદનકાર્યનો અનુભવ આ કામમાં પણ બહુ ઉપયોગી નીવડ્યો છે. ખાસ તો પદ્ધતિ અંગેની ચોકસાઈ ને શિસ્તના સંદર્ભમાં.&lt;br /&gt;
આ ગ્રંથોના પરામર્શક આદરણીય ચિમનભાઈની, સંપાદન અંગે કેટલાક નિર્ણયો લેવાના થયા ત્યાં સંમતિ મળી છે. આ ગ્રંથોની પ્રથમ આવૃત્તિ વખતે, સહાયક સંપાદક તરીકે એમની ઘણી સક્રિય ભૂમિકા રહેલી. એથી, આ બીજી આવૃત્તિમાં એ પરામર્શક હોય એ સર્વથા ઉચિત હતું. એમનાં સૂચનો બહુ ઉપયોગી રહ્યાં છે અને એમણે મને હંમેશાં મોકળાશ આપી છે.&lt;br /&gt;
આ આવૃત્તિમાં, કેટલીક વિગત-ચકાસણી માટે, ‘જૈન સાહિત્ય-૧’માં કૃતિઓ વિશે લખાણો તૈયાર કરી આપવા માટે તેમજ શબ્દસૂચિ માટે ડૉ. રાજેશ પંડ્યાનો પ્રસન્નતાપૂર્વક આભાર માનું છું.&lt;br /&gt;
પરિષદે આ સંપાદન સોંપ્યું એથી સાહિત્યના ઇતિહાસને નવેસરથી ને નિકટથી જોવાની તક મળી. પરિષદનો એ માટે આભારી છું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{rh|&#039;&#039;&#039;વડોદરા; ૧૫, જૂન ૨૦૦૩ &#039;&#039;&#039;||	&#039;&#039;&#039;– રમણ સોની&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે&lt;br /&gt;
|next = પ્રથમ આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%85%E0%AA%B5%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87&amp;diff=112869</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%81%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A3_%E0%AA%85%E0%AA%B5%E0%AA%B8%E0%AA%B0%E0%AB%87&amp;diff=112869"/>
		<updated>2026-07-20T03:19:56Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે}} {{Poem2Open}} ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના ૧થી ૩ અને ૫,૬,૭ ભાગનું પુનર્મુદ્રણ થાય છે એ પરિષદ માટે મોટો અવસર...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસના ૧થી ૩ અને ૫,૬,૭ ભાગનું પુનર્મુદ્રણ થાય છે એ પરિષદ માટે મોટો અવસર છે. &lt;br /&gt;
૧૯૭૩થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં આ ઇતિહાસગ્રંથોના વિવિધ ભાગ શોધિત-સંવર્ધિત અથવા પુનર્મુદ્રિત થઈ પ્રકાશિત થતા રહ્યા છે. આજે પરિષદ પાસે ઇતિહાસગ્રંથોનો પૂરો સેટ ઉપલબ્ધ નથી. ઇતિહાસગ્રંથોના અનઉપલબ્ધ થવાનું આ ચિત્ર ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓની સજ્જતા કેળવવાની વૃત્તિનો પણ પરિચય કરાવે છે. પ્રસ્તુત સંદર્ભમાં ઇતિહાસગ્રંથોનું પુનર્મુદ્રણ કરીએ છીએ.&lt;br /&gt;
આ ઇતિહાસગ્રંથો ગુજરાતી સાહિત્યકારો અને તેમના સર્જનના આલેખનું દર્પણ છે સાથે સાથે આપણી ભાષાના ગૌરવવંતા ઇતિહાસનો આધારભૂત દસ્તાવેજ પણ છે. ગુજરાતી ભાષાના તજ્જ્ઞ વિવેચકોએ આ ઇતિહાસ રચ્યો છે. આટલા વર્ષ દરમિયાન સંખ્યાબંધ વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ અને અધ્યાપકોએ આ ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. આવનાર નવા અભ્યાસીઓ માટે પરિષદે આ ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું છે. સૌ એનો લાભ લેશો.&lt;br /&gt;
સમૂહમાધ્યમોના ઘોંઘાટ વચ્ચે પુસ્તકો સ્થિર છે અને રહેશે જ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{rh|||&#039;&#039;&#039;કીર્તિદા શાહ&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;&#039;&#039;&#039;મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રારંભિક&lt;br /&gt;
|next = બીજી આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=112868</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=112868"/>
		<updated>2026-07-20T03:19:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} &amp;lt;poem&amp;gt;&amp;lt;center&amp;gt; &amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt; ગ્રંથ : ૨ ખંડ : ૧ [ઈ.સ. ૧૪૫૦ - ૧૬૫૦]  &amp;#039;&amp;#039;&amp;#039;પહેલી આવૃત્તિ&amp;#039;&amp;#039;&amp;#039;  &amp;#039;&amp;#039;&amp;#039;સંપાદકો&amp;#039;&amp;#039;&amp;#039; &amp;lt;big&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;/big&amp;gt; &amp;lt;big&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;/big&amp;gt; &amp;lt;big&amp;gt;યશવંત શુક્લ&amp;lt;/big&amp;gt;  &amp;#039;&amp;#039;&amp;#039;સહાયક સંપાદક&amp;#039;&amp;#039;&amp;#039;...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
ગ્રંથ : ૨&lt;br /&gt;
ખંડ : ૧&lt;br /&gt;
[ઈ.સ. ૧૪૫૦ - ૧૬૫૦]&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પહેલી આવૃત્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંપાદકો&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;યશવંત શુક્લ&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સહાયક સંપાદક&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;ચિમનલાલ ત્રિવેદી&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;બીજી આવૃત્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
&#039;&#039;&#039;શોધન-સંપાદન&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;રમણ સોની&lt;br /&gt;
&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પરામર્શક&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;ચિમનલાલ ત્રિવેદી&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;Gujarati Shityano Itihas Granth : 2, Khand : I&#039;&#039;&#039;&lt;br /&gt;
HISTORY OF GUJARATI LITERATURE&lt;br /&gt;
VOL. 2 – I&lt;br /&gt;
Revised Edition: Edited by Raman Soni&lt;br /&gt;
Vetted by Chimanlal Trivedi, 2003&lt;br /&gt;
Published by Gujarati Sahitya Parisad&lt;br /&gt;
© ગુજરાતી સાહિત્ય પરિષદ&lt;br /&gt;
પ્રથમ આવૃત્તિ : ૧૯૭૬&lt;br /&gt;
બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ : ૨૦૦૩&lt;br /&gt;
પુનર્મુદ્રણ : ૨૦૦૬, ૨૦૦૯, ૨૦૧૫, ૨૦૨૧&lt;br /&gt;
પૃષ્ઠસંખ્યા : ૧૬+૪૯૨&lt;br /&gt;
નકલ : ૫૦૦&lt;br /&gt;
કિંમત : ₹ ૩૦૦&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રકાશક :&#039;&#039;&#039;&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ,&lt;br /&gt;
ગોવર્ધનભવન, નદી કિનારે, ‘ટાઇમ્સ’ પાછળ,&lt;br /&gt;
આશ્રમમાર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૦૯&lt;br /&gt;
ફોન નં. : ૨૬૫૮૭૯૪૯, ૨૬૫૭૬૩૭૧&lt;br /&gt;
Email : gspamd@vsnl.net&lt;br /&gt;
Website : www.gujaratisahityaparisad.org&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;ટાઇપસેટિંગ : કલ્પન મુદ્રાંકન&#039;&#039;&#039;&lt;br /&gt;
ઇ-૨, તારાબાગ, પોલિટેકનીક, વડોદરા – ૩૯૦૦૦૨&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મુદ્રક :&#039;&#039;&#039;&lt;br /&gt;
ભગવતી ઑફસેટ,&lt;br /&gt;
સી/૧૬, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથશ્રેણી&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;૧. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	:	ગ્રંથ : ૧&lt;br /&gt;
::(પ્રાચીનકાળ : ઈ.સ. ૧૪૫૦થી ઈ.સ. ૧૬૫૦)&lt;br /&gt;
૨. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	: 	ગ્રંથ : ૨ ખંડ : ૧-૨&lt;br /&gt;
::(મધ્યકાળ : ઈ.સ. ૧૬૫૦થી ૧૮૫૦)&lt;br /&gt;
૩. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	: 	ગ્રંથ : ૩&lt;br /&gt;
::(દલપતરામથી કલાપી)&lt;br /&gt;
૪. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	: 	ગ્રંથ : ૪&lt;br /&gt;
::(ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી)&lt;br /&gt;
૫. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	: 	ગ્રંથ : ૫&lt;br /&gt;
::(ગાંધીયુગીન-અનુગાંધીયુગીન કવિઓ : ઈ.સ. ૧૮૯૫થી ૧૯૩૫)&lt;br /&gt;
૬. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	: 	ગ્રંથ : ૬&lt;br /&gt;
::(ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો : ઈ.સ. ૧૮૯૫થી ૧૯૩૫)&lt;br /&gt;
૭. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	: 	ગ્રંથ : ૭&lt;br /&gt;
::(સ્વાતંત્ર્યોત્તર યુગ-૧ ઈ.સ. ૧૯૧૦થી ૧૯૩૫)&lt;br /&gt;
૮. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 	:	ગ્રંથ : ૮ : ખંડ ૧-૨&lt;br /&gt;
::(સ્વાતંત્ર્યોત્તર યુગ-૨ ઈ.સ. ૧૯૩૬થી ૧૯૫૦)&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E2%80%98%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2&amp;diff=112867</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E2%80%98%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2&amp;diff=112867"/>
		<updated>2026-07-20T03:16:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{SetTitle}} {{Ekatra}}   &amp;lt;br&amp;gt; {{HeaderNav2 |previous =  |next = પ્રારંભિક }}&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Ekatra}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = પ્રારંભિક&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112866</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112866"/>
		<updated>2026-07-20T03:10:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
&amp;lt;!--|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg--&amp;gt;&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; |- &lt;br /&gt;
|૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા|ભૂમિકા]] &lt;br /&gt;
| ભોગીલાલ સાંડેસરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૨&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો|મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો]]&lt;br /&gt;
| ચંદ્રકાન્ત મહેતા&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૩&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/જૈન સાહિત્ય-૧|જૈન સાહિત્ય-૧]]&lt;br /&gt;
| રમણલાલ ચી. શાહ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા|નરસિંહ મહેતા]] &lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૫&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ|આદિભક્તિયુગના કવિઓ]] &lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૬&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભાલણ|ભાલણ]]&lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૭&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રબંધ અને પદ્મનાભ|પ્રબંધ અને પદ્મનાભ]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૮&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ફાગુસાહિત્ય|ફાગુસાહિત્ય]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૯&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મીરાં|મીરાં]] &lt;br /&gt;
| નિરંજન ભગત&lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૦ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ|અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ]] &lt;br /&gt;
| સુભાષ દવે&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખો|અખો]]&lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૨&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા|અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા]]&lt;br /&gt;
| ભૂપેન્દ્ર ત્રિવેદી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112865</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112865"/>
		<updated>2026-07-20T03:10:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
&amp;lt;!--|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg--&amp;gt;&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; |- &lt;br /&gt;
|૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા|ભૂમિકા]] &lt;br /&gt;
| ભોગીલાલ સાંડેસરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૨&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો|મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો]]&lt;br /&gt;
| ચંદ્રકાન્ત મહેતા&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૩&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/જૈન સાહિત્ય-૧|જૈન સાહિત્ય-૧]]&lt;br /&gt;
| રમણલાલ ચી. શાહ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા|નરસિંહ મહેતા]] &lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૫&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/આદિભક્તિયુગના કવિઓ|આદિભક્તિયુગના કવિઓ]] &lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૬&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભાલણ|ભાલણ]]&lt;br /&gt;
| કેશવરામ કા. શાસ્ત્રી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૭&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રબંધ અને પદ્મનાભ|પ્રબંધ અને પદ્મનાભ]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૮&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ફાગુસાહિત્ય|ફાગુસાહિત્ય]]&lt;br /&gt;
| કાન્તિલાલ વ્યાસ&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૯&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મીરાં|મીરાં]] &lt;br /&gt;
| નિરંજન ભગત&lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૦ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ|અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ]] &lt;br /&gt;
| સુભાષ દવે&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખો|અખો]]&lt;br /&gt;
| ઉમાશંકર જોશી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૧૨&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા|અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતા]]&lt;br /&gt;
| ભૂપેન્દ્ર ત્રિવેદી&lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112864</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112864"/>
		<updated>2026-07-20T03:03:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
&amp;lt;!--|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg--&amp;gt;&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; |- &lt;br /&gt;
|૧&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ભૂમિકા|ભૂમિકા]] &lt;br /&gt;
|શિવલાલ જેસલપુરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૪{{gap|0.5em}}&lt;br /&gt;
| પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| ૨&lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – નાકરથી વિષ્ણુદાસ|– નાકરથી વિષ્ણુદાસ]]&lt;br /&gt;
|ચિમનલાલ ત્રિવેદી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – મેગલથી વિશ્વનાથ|– મેગલથી વિશ્વનાથ]]&lt;br /&gt;
|શશિન ઓઝા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રેમાનંદ|પ્રેમાનંદ]] &lt;br /&gt;
|જયંત કોઠારી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા|ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા]] &lt;br /&gt;
|પ્રેમશંકર ભટ્ટ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૭ &lt;br /&gt;
| મધ્યકાલીન કથા પ્રવાહ&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાલીન કથા પ્રવાહ– ઇતિહાસ અને તુલના|– ઇતિહાસ અને તુલના]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યવાર્તા : સ્વરૂપ|– પદ્યવાર્તા : સ્વરૂપ]]&lt;br /&gt;
|રણજિત પટેલ ‘અનામી’ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યાત્મક લોકવાર્તા|– પદ્યાત્મક લોકવાર્તાનાં ૪૦૦ વર્ષ]]&lt;br /&gt;
|હસુ યાજ્ઞિક &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૮ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/શામળ|શામળ]] &lt;br /&gt;
|જનક દવે &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૯ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/જૈનસાહિત્ય – ૩|જૈનસાહિત્ય – ૩]] &lt;br /&gt;
|વાડીલાલ ચોકસી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૦ &lt;br /&gt;
|ઉત્તરકાલીન ભક્તિપદો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઉત્તરકાલીન ભક્તિપદો – ભક્તિનાં પદો|– ભક્તિનાં પદો]]&lt;br /&gt;
|રમેશ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઉત્તરકાલીન ભક્તિપદો – સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ|– સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ]]&lt;br /&gt;
|મહેન્દ્ર પંડ્યા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૧ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/દયારામ|દયારામ]] &lt;br /&gt;
|ઉશનસ્ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૨ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંતકવિતા ધારા|સંતકવિતા ધારા]] &lt;br /&gt;
|નિરંજન રાજ્યગુરુ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પારસી કવિઓ|પારસી કવિઓ]] &lt;br /&gt;
|પેરીન દારા ડ્રાઈવર &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ગદ્યસાહિત્ય|ગદ્યસાહિત્ય]] &lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/લોકસાહિત્ય|લોકસાહિત્ય]] &lt;br /&gt;
|કનુભાઈ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/લોકનાટ્ય ભવાઈ|લોકનાટ્ય ભવાઈ]] &lt;br /&gt;
|સુધાબહેન દેસાઈ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112863</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112863"/>
		<updated>2026-07-20T03:00:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
&amp;lt;!--|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg--&amp;gt;&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; |- &lt;br /&gt;
|૧૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૨|જૈનસાહિત્ય – ૨]] &lt;br /&gt;
|શિવલાલ જેસલપુરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૪{{gap|0.5em}}&lt;br /&gt;
| પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – નાકરથી વિષ્ણુદાસ|– નાકરથી વિષ્ણુદાસ]]&lt;br /&gt;
|ચિમનલાલ ત્રિવેદી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – મેગલથી વિશ્વનાથ|– મેગલથી વિશ્વનાથ]]&lt;br /&gt;
|શશિન ઓઝા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદ|પ્રેમાનંદ]] &lt;br /&gt;
|જયંત કોઠારી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા|ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા]] &lt;br /&gt;
|પ્રેમશંકર ભટ્ટ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૭ &lt;br /&gt;
| મધ્યકાલીન કથા પ્રવાહ&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ– ઇતિહાસ અને તુલના|– ઇતિહાસ અને તુલના]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યવાર્તા : સ્વરૂપ|– પદ્યવાર્તા : સ્વરૂપ]]&lt;br /&gt;
|રણજિત પટેલ ‘અનામી’ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યાત્મક લોકવાર્તા|– પદ્યાત્મક લોકવાર્તાનાં ૪૦૦ વર્ષ]]&lt;br /&gt;
|હસુ યાજ્ઞિક &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૮ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/શામળ|શામળ]] &lt;br /&gt;
|જનક દવે &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૯ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૩|જૈનસાહિત્ય – ૩]] &lt;br /&gt;
|વાડીલાલ ચોકસી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૦ &lt;br /&gt;
|ઉત્તરકાલીન ભક્તિપદો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – ભક્તિનાં પદો|– ભક્તિનાં પદો]]&lt;br /&gt;
|રમેશ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ|– સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ]]&lt;br /&gt;
|મહેન્દ્ર પંડ્યા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૧ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/દયારામ|દયારામ]] &lt;br /&gt;
|ઉશનસ્ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૨ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંતકવિતા ધારા|સંતકવિતા ધારા]] &lt;br /&gt;
|નિરંજન રાજ્યગુરુ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પારસી કવિઓ|પારસી કવિઓ]] &lt;br /&gt;
|પેરીન દારા ડ્રાઈવર &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ગદ્યસાહિત્ય|ગદ્યસાહિત્ય]] &lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકસાહિત્ય|લોકસાહિત્ય]] &lt;br /&gt;
|કનુભાઈ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકનાટ્ય ભવાઈ|લોકનાટ્ય ભવાઈ]] &lt;br /&gt;
|સુધાબહેન દેસાઈ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| પરિશિષ્ટ &lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧. &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથાસામગ્રી|મધ્યકાલીન કથાસામગ્રીમાં પ્રાપ્ત કથાપ્રકૃતિઓ અને કથાઘટકો ]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨.&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન પદ્યસાહિત્યમાં છંદોબંધ|મધ્યકાલીન પદ્યસાહિત્યમાં છંદોબંધ ]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112862</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7&amp;diff=112862"/>
		<updated>2026-07-20T02:59:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: Created page with &amp;quot;{{#seo: |title_mode= replace |title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation |keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ |description=This is home page for this wiki |image=  |image_alt=Wiki Logo |site...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
&amp;lt;!--|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg--&amp;gt;&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; |- &lt;br /&gt;
|૧૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૨|જૈનસાહિત્ય – ૨]] &lt;br /&gt;
|શિવલાલ જેસલપુરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૪{{gap|0.5em}}&lt;br /&gt;
| પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – નાકરથી વિષ્ણુદાસ|– નાકરથી વિષ્ણુદાસ]]&lt;br /&gt;
|ચિમનલાલ ત્રિવેદી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – મેગલથી વિશ્વનાથ|– મેગલથી વિશ્વનાથ]]&lt;br /&gt;
|શશિન ઓઝા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદ|પ્રેમાનંદ]] &lt;br /&gt;
|જયંત કોઠારી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા|ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા]] &lt;br /&gt;
|પ્રેમશંકર ભટ્ટ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૭ &lt;br /&gt;
| મધ્યકાલીન કથા પ્રવાહ&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ– ઇતિહાસ અને તુલના|– ઇતિહાસ અને તુલના]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યવાર્તા : સ્વરૂપ|– પદ્યવાર્તા : સ્વરૂપ]]&lt;br /&gt;
|રણજિત પટેલ ‘અનામી’ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યાત્મક લોકવાર્તા|– પદ્યાત્મક લોકવાર્તાનાં ૪૦૦ વર્ષ]]&lt;br /&gt;
|હસુ યાજ્ઞિક &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૮ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/શામળ|શામળ]] &lt;br /&gt;
|જનક દવે &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૯ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૩|જૈનસાહિત્ય – ૩]] &lt;br /&gt;
|વાડીલાલ ચોકસી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૦ &lt;br /&gt;
|ઉત્તરકાલીન ભક્તિપદો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – ભક્તિનાં પદો|– ભક્તિનાં પદો]]&lt;br /&gt;
|રમેશ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ|– સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ]]&lt;br /&gt;
|મહેન્દ્ર પંડ્યા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૧ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/દયારામ|દયારામ]] &lt;br /&gt;
|ઉશનસ્ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૨ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંતકવિતા ધારા|સંતકવિતા ધારા]] &lt;br /&gt;
|નિરંજન રાજ્યગુરુ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પારસી કવિઓ|પારસી કવિઓ]] &lt;br /&gt;
|પેરીન દારા ડ્રાઈવર &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ગદ્યસાહિત્ય|ગદ્યસાહિત્ય]] &lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકસાહિત્ય|લોકસાહિત્ય]] &lt;br /&gt;
|કનુભાઈ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકનાટ્ય ભવાઈ|લોકનાટ્ય ભવાઈ]] &lt;br /&gt;
|સુધાબહેન દેસાઈ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| પરિશિષ્ટ &lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧. &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથાસામગ્રી|મધ્યકાલીન કથાસામગ્રીમાં પ્રાપ્ત કથાપ્રકૃતિઓ અને કથાઘટકો ]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨.&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન પદ્યસાહિત્યમાં છંદોબંધ|મધ્યકાલીન પદ્યસાહિત્યમાં છંદોબંધ ]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8&amp;diff=112861</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8&amp;diff=112861"/>
		<updated>2026-07-20T02:58:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨ - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨, ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Sahityano Itihas Granth 2 Khand 2 Book Cover.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨&lt;br /&gt;
|editor = &amp;lt;br&amp;gt;ઉમાશંકર જોશી&amp;lt;br&amp;gt;અનંતરાય રાવળ&amp;lt;br&amp;gt;યશવંત શુક્લ&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે|ઇતિહાસગ્રંથોના પુનર્મુદ્રણ અવસરે]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/બીજી આવૃત્તિનું નિવેદન|બીજી આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રથમ આવૃત્તિનું નિવેદન|પ્રથમ આવૃત્તિનું નિવેદન]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{center|&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot; |- &lt;br /&gt;
|૧૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૨|જૈનસાહિત્ય – ૨]] &lt;br /&gt;
|શિવલાલ જેસલપુરા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૪{{gap|0.5em}}&lt;br /&gt;
| પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – નાકરથી વિષ્ણુદાસ|– નાકરથી વિષ્ણુદાસ]]&lt;br /&gt;
|ચિમનલાલ ત્રિવેદી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદના પુરોગામી આખ્યાનકારો – મેગલથી વિશ્વનાથ|– મેગલથી વિશ્વનાથ]]&lt;br /&gt;
|શશિન ઓઝા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પ્રેમાનંદ|પ્રેમાનંદ]] &lt;br /&gt;
|જયંત કોઠારી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા|ઉત્તર-પ્રેમાનંદ આખ્યાનાદિ કવિતા]] &lt;br /&gt;
|પ્રેમશંકર ભટ્ટ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૭ &lt;br /&gt;
| મધ્યકાલીન કથા પ્રવાહ&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ– ઇતિહાસ અને તુલના|– ઇતિહાસ અને તુલના]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યવાર્તા : સ્વરૂપ|– પદ્યવાર્તા : સ્વરૂપ]]&lt;br /&gt;
|રણજિત પટેલ ‘અનામી’ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથા પ્રવાહ – પદ્યાત્મક લોકવાર્તા|– પદ્યાત્મક લોકવાર્તાનાં ૪૦૦ વર્ષ]]&lt;br /&gt;
|હસુ યાજ્ઞિક &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૮ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/શામળ|શામળ]] &lt;br /&gt;
|જનક દવે &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧૯ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/જૈનસાહિત્ય – ૩|જૈનસાહિત્ય – ૩]] &lt;br /&gt;
|વાડીલાલ ચોકસી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૦ &lt;br /&gt;
|ઉત્તરકાલીન ભક્તિપદો&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – ભક્તિનાં પદો|– ભક્તિનાં પદો]]&lt;br /&gt;
|રમેશ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ|– સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ]]&lt;br /&gt;
|મહેન્દ્ર પંડ્યા &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૧ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/દયારામ|દયારામ]] &lt;br /&gt;
|ઉશનસ્ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૨ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંતકવિતા ધારા|સંતકવિતા ધારા]] &lt;br /&gt;
|નિરંજન રાજ્યગુરુ &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૩ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/પારસી કવિઓ|પારસી કવિઓ]] &lt;br /&gt;
|પેરીન દારા ડ્રાઈવર &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૪ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ગદ્યસાહિત્ય|ગદ્યસાહિત્ય]] &lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૫ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકસાહિત્ય|લોકસાહિત્ય]] &lt;br /&gt;
|કનુભાઈ જાની &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨૬ &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/લોકનાટ્ય ભવાઈ|લોકનાટ્ય ભવાઈ]] &lt;br /&gt;
|સુધાબહેન દેસાઈ &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
| પરિશિષ્ટ &lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૧. &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન કથાસામગ્રી|મધ્યકાલીન કથાસામગ્રીમાં પ્રાપ્ત કથાપ્રકૃતિઓ અને કથાઘટકો ]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
|૨.&lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/મધ્યકાલીન પદ્યસાહિત્યમાં છંદોબંધ|મધ્યકાલીન પદ્યસાહિત્યમાં છંદોબંધ ]]&lt;br /&gt;
|હરિવલ્લભ ભાયાણી &lt;br /&gt;
|- &lt;br /&gt;
| &lt;br /&gt;
|[[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંદર્ભગ્રંથસૂચિ|સંદર્ભગ્રંથસૂચિ]]&lt;br /&gt;
| &lt;br /&gt;
|- &lt;br /&gt;
|} &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સંદર્ભ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8B&amp;diff=112860</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/વાર્તાસંગ્રહો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9%E0%AB%8B&amp;diff=112860"/>
		<updated>2026-07-20T02:54:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| હિમાંશી શેલતના વાર્તાસંગ્રહો   |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{| class=&amp;quot;wikitable&amp;quot;&lt;br /&gt;
|+ વાર્તાસંગ્રહો&lt;br /&gt;
|-&lt;br /&gt;
! સંગ્રહનું નામ !! પ્રથમ આવૃત્તિ !! કુલ વાર્તા&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧. અંતરાલ || ૧૯૮૭ || ૧૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨. અંધારી ગલીમાં સફેદ ટપકાં || ૧૯૯૨ || ૨૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩. એ લોકો || ૧૯૯૭ || ૨૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪. સાંજનો સમય || ૨૦૦૨ || ૧૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫. પંચવાયકા || ૨૦૦૨ || ૦૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬. ખાંડણિયામાં માથું || ૨૦૦૪ || ૧૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭. ગર્ભગાથા || ૨૦૦૯ || ૦૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮. ઘટના પછી || ૨૦૧૧ || ૧૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯. એમનાં જીવન	 || ૨૦૧૫ || ૧૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૦. ધારો કે આ વાર્તા નથી || ૨૦૧૮ || ૧૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૧. આકાશને ચડતી બાલ્કની  || ૨૦૨૨ || ૧૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૨. કોતરમાં રાત  || ૨૦૨૪ || ૧૨ + ૩&lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગોમતીસ્તોત્ર&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;br /&gt;
[[Category:હિમાંશી શેલત]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%97%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0&amp;diff=112859</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/ગોમતીસ્તોત્ર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%97%E0%AB%8B%E0%AA%AE%E0%AA%A4%E0%AB%80%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0&amp;diff=112859"/>
		<updated>2026-07-20T02:53:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| ગોમતીસ્તોત્ર  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આનંદીની કલ્પનામાં હુસેન સાહેબે આલેખેલી જમના પ્રત્યક્ષ. એના ધબકારા પણ આનંદીને સંભળાય અને જો આંખ બંધ કરે તો નદીમાં જળકન્યા પેઠે સેલારા લેતી ભળાય. જમના કેટલી સુંદર હશે તે આનંદી ચોક્કસ વર્ણવી શકે, પણ એ માટે પૂછનારને હુસેન સાહેબની આત્મકથા બાબત માહિતી હોવી જોઈએ. હવે આ વાત આગળ ચલાવવી હોય તો જમનાને ઓળખવી પડે અને એટલે જ હુસેન સાહેબની આત્મકથા સુધી જવું પડે.&lt;br /&gt;
– તો બનેલું એમ કે આ જમના નદી કિનારે ન્હાવા આવે, પછી થોડું પાણીયે ભરી લે અને જરાક તરીને એકાદ ખોબો આનંદ મેળવી લે. સુવર્ણરજની ઢગલીમાંથી પસાર થઈ નદી તટે પહોંચતાં બાલસૂર્યનાં કોમળ કિરણોના ઉજાસમાં બારેક વર્ષના કિશોર મકબૂલે જમનાના અલૌકિક રૂપને જોયું. ધરતી પર ડગલાં ભરતી, માનવકુળની કોઈ કન્યા આવી અનુપમ હોય એ માનવું મુશ્કેલ. કિશોર મકબૂલ સ્તબ્ધ અને મંત્રમુગ્ધ. પછી તો નદીકિનારે એ પૂરી આરતથી પ્રતીક્ષા કરતો હશે, ને મોટે ભાગે જમના ત્યાં આવતી હશે. જમનાનું ઓજસ્વી સૌંદર્ય ઇન્દોર માટે દંતકથા જેવું જ હોવું જોઈએ. એમાં તે એથી લાલખાં દરજીની મલિન નજર એના પર પડી ગઈ, જે કંઈ અસાધારણ હોય તેને ઝપટ મારીને જકડી લેવાનો લાલખાંનો સ્વભાવ. એણે જમનાને પોતાના ઘરમાં ગોઠવી દીધી.&lt;br /&gt;
લગભગ સાતેક વર્ષ બાદ યુવાન મકબૂલને જમના ફરી જોવા મળી. બે બાળકો સોડમાં અને ત્રીજું પેટમાં. દેહ વપરાઈ વપરાઈને ઘસાઈ ગયો છે. દેખાતા અને વણદેખ્યા બોજને વેંઢારતી જમના થાક્યાં-હાર્યાં ડગલાં માંડ માંડ ભરી રહી છે. એના અપ્રતિમ સૌંદર્યની આરાધના કરી ચૂકેલો યુવાન કલાકાર અત્યારના દૃશ્યથી સળગી ઊઠે છે. એક જડસુના હાથે મધમધતા ફૂલની બેરહમ હત્યા એને ક્રોધથી પાગલ બનાવી મૂકે છે. લાલખાં દરજીની દુકાનની પાછલી દીવાલ પર ધગધગતા પેશાબની ધાર માર્યા પછીયે એનો ગુસ્સો ઠંડો પડતો નથી. એ દીવાલ પર જ લાલખાંનો ડરામણો ચહેરો ચીતરીને એને માથે શીંગડા ઉગાડીને લાલખાંનું રાક્ષસી રૂપ ઉઘાડું કરે છે. છતાં ઉકળાટ ખદબદે છે, એટલે અંતે લાલખાંની નિંદા કરતી જલદ કવિતા લખી કાઢે છે. આક્રોશ અને હતાશા વ્યક્ત કરવા માટે આથી વધુ ધારદાર કે અસરકારક કોઈ હથિયાર કલાકાર પાસે નથી.&lt;br /&gt;
મકબૂલની વાત બસ અહીં અટકે છે. પણ આનંદી તો પોતાની રીતે આગળ વધવાની. લાલખાં એની રૂપવતી પત્ની સાથે બીભત્સ વહેવાર કરતો હશે. બીભત્સ એટલે કેવો? જેમકે પોતાના અને આખીયે માનવજાતના ઉદ્‌ભવસ્થાનને સંડોવતા, જગતભરની સ્ત્રીઓનો તિરસ્કાર કરતા પેલા ગંધાતા શબ્દો એ બેફામ ઠાલવતો હશે. આનંદી આવું કલ્પી શકે કારણ કે એણે પોતાના ઘરમાં એ એંઠવાડ ઠલવાતો જોયો છે. હાલતાંચાલતાં, રોજેરોજ, અહીં કે ત્યાં, સ્ત્રીઓના શરીરને અપમાનિત કરતા આ શબ્દો સાંભળીને બળવો કેમ ફાટી નથી નીકળતો એ હકીકતનું એને અપાર આશ્ચર્ય હતું. પોતાના દેહની આવી અવમાનના સ્ત્રીઓ ક્યારથી સ્વીકારતી થઈ હશે? દેવોની ભાષા સંસ્કૃતમાં આ પ્રકારની ગાળો હશે ખરી?&lt;br /&gt;
આનંદીના સવાલો એની અંદર જ ઠરી જતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હુસેન સાહેબે વર્ણવેલી જમનાનો પુનર્જન્મ થયો હશે? સ્થળ તો એમની આત્મકથામાં ઉલ્લેખેલું એ જ. ગુલેરશાહ બાબાની દરગાહ એક કાંઠે અને બીજે કાંઠે શિવાલય. વચ્ચે નદી વહે ખળખળ. સાતેક વર્ષની આનંદી એની મા જોડે આવે અને એવી એક સવારે એણે નદી કાંઠે એક પરી દીઠી. પોતાને પરી જોવા મળી એ ઘટનાથી રોમાંચિત આનંદી દાદીને આ ખબર આપવા દોડી. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  પણ એને પાંખ નહોતી. હશે તો મને દેખાઈ નહીં.&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  એ તો પાણીમાં પલળી જાય એટલે સંભાળીને મૂકી હશે ક્યાંક!&lt;br /&gt;
પરીનું નામ ગોમતી અને આ જાણકારી આનંદીને ઘણી મોડી મળી. ગોમતીને કારણે નદીકિનારો આનંદીનું સ્વર્ગ બની ગયો.&lt;br /&gt;
લાલખાં તો દરેક જમાનામાં હોય. નામરૂપ નોખાં, બાકી મૂળ ધાતુમાં ફરક નહીં. ગરીબ અને ગરજાળ માબાપની પાંચમા નંબરની ગોમતી, સામે લાલસાનો અવતાર ત્રિલોક. એણે પોતાની પહોંચ અને વગના ઘટાટોપમાં અભાવગ્રસ્ત પરિવારને આવરી લઈ બધાના પગ તળે મખમલનાં પાથરણાં કર્યાં. ઓશિયાળાં ન હોય એવાંયે ખરીદાઈ જાય છે તો વળી ગરજાળને ખરીદી લેવામાં શી વાર? ગોમતીનાં મૂલ ચૂકવી દીધાં અને ત્રિલોક એને લઈ આવ્યો.&lt;br /&gt;
આ બન્યું ત્યારે આનંદી ઇન્દોર બહાર અને ભણતરમાં ગળાડૂબ. પાછી આવી કે પહેલી યાદ કરી પોતાની પરીને.&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  ગોમતી છે કે અહીં? કોઈ રજવાડામાં પરણી તો નથી ગઈને? રાજરાણીનું રૂપ બીજે તો શોભે નહીં!&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  રજવાડું? સાંજે અહીં આપણા ઘર કનેથી જ જશે, જાતે જોઈ લેજે તું...&lt;br /&gt;
ગોમતીએ ગલીનો વળાંક લીધો ત્યારે સૂરજ આથમવાની તૈયારી હતી. આનંદી ધા ખાઈ ગઈ, આ ગોમતી? અડખેપડખે બે છોકરા, ત્રીજું પેટમાં, કષ્ટાતી ચાલ. ચહેરાની સુરખી ગાયબ. જોડકું હશે આ વેળા? લમણે જોરદાર પ્રહાર થયો હોય તેમ આનંદી નીચું જોઈ બેસી રહી. ફરી વાર ગોમતી તરફ જોવાની હિંમત ન ચાલી. ત્રિલોકના ઘરની દીવાલ પર શીંગડાવાળો રાક્ષસ ચીતરવાની એની પાસે આવડત નહોતી અને નિંદાની કવિતા લખી કાઢીને જીવને ટાઢો પાડવાની એની દાનત નહોતી.&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  જોઈ ગોમતીને? મળી કે નહીં?&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  ના.&lt;br /&gt;
અજંપો સંતાડવાનો આ સહેલો ને સટ ઉપાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રિલોકની જીભ લપટી, બોલવું બેલગામ. આમેય આ તરફ પુરુષોની ગાળો કુખ્યાત. સ્ત્રીઓ પણ ક્યારેક બોલી પડે પણ એનો ખુદનો દેહ ગાળોમાં ખરડાય એનો થોડો સંકોચ નડે. ત્રિલોક જો બોલવા બેસે તો રુંવે રુંવે આગ લાગે સાંભળનારને. એ ગાળોનો અર્થવિસ્તાર કરવા બેસીએ તો દેહ પર વેરાગ આવે. એ તો સારું કે ગાળનો અર્થવિસ્તાર કોઈ કરવા ન બેસે. સાવ સહજ ભાવે સાંભળી લે, શરીરના એ અંગો પોતાની પાસે હોય જ નહીં એ રીતે, કે પછી ઉધરસના ઠસકાની જેમ, અથવા છીંકની જેમ. રોકી ન શકાતી હોય એવી કુદરતી ક્રિયા માનીને. સ્ત્રીઓ તો ગાળો એ રીતે જ સાંભળે છે ને?&lt;br /&gt;
જો કે એક વખત આનંદીને એની નાની બહેને બરાબર આંતરેલી. પૂછે કે આજે નાનકીને લેવા એના બાપા આવેલા નિશાળે તે ‘આવી આવી’ ગાળ બોલેલા. એનો શો અર્થ?&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  ગાળ કોને દીધી?&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  શી ખબર! કદાચ નાનકીને, કદાચ એની માને, કદાચ ટીચરનેય હોય.&lt;br /&gt;
આનંદીએ ગલ્લાંતલ્લાં કર્યાં. ગાળને શી રીતે સમજાવાય? પણ પેલી ડાહી તો વિસ્તાર કરવા બેઠી. સમજદાર મહિલાની જેમ.&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  જનમ આપનારી મૂળ જગા પવિત્ર ગણાય. ગામની નદી જે પહાડમાંથી નીકળે ત્યાં મેળો ભરાય, ભજનકીર્તન થાય, લોકો માનતા માને અને માથાં ટેકવે. નદીના મૂળનો આવો મહિમા તો માણસજાત કેમ અમુક શબ્દો ગાળમાં ખાસ વાપરે જ વાપરે? &lt;br /&gt;
આનંદી મૂંગીમંતર. કોયડો વણઉકલ્યો. શી રીતે ટકી જાય છે સ્ત્રીઓ?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બેજીવી ગોમતીનું ચિત્ર આનંદીના મનમાં ઝૂલતું રહ્યું. કામમાં, નિરાંતમાં, ઊંઘ આવવાની તૈયારી હોય ત્યારે, અને જાગવાનો સમય હોય ત્યારે ગોમતી દેખાયા કરતી. થોડાં વર્ષો પછી ફરી ઇન્દોર આવવાનું થયું ત્યારે ગોમતીને શોધી કાઢવાનો નિશ્ચય આનંદીની પાછળ પડ્યો. નદી તરફ જતા રસ્તામાં આવતી દુકાનોમાં પૂછપરછ આદરી. &lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  એક ગોમતી હતી અહીં, આખા દેશની સુંદરમાં સુંદર દસ સ્ત્રીઓમાં એની જગ્યા અચૂક હોય એટલી રૂપાળી, ત્રિલોક નામના આદમીને પરણેલી... &lt;br /&gt;
કોઈને કશી ખબર નહોતી. કમાલ કહેવાયને! ગોમતી જેવી અનુપમ સ્ત્રી વિશે કોઈ જાણતું નહોતું. આ તો કેવું લાપરવાહ, સૂકુંભઠ્ઠ શહેર!&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  ફોટુ હૈ હીરોઈન કા?&lt;br /&gt;
એક ગલ્લાવાળાએ ઝીણી આંખ કરી સવાલ ધર્યો. તમારી હીરોઈનો તો કંઈ નથી ગોમતી સામે, આનંદી છંછેડાઈ પડી. રઝળપાટનો અર્થ નહીં. ત્રિલોકને કોઈ જાણતું નથી. એવા ત્રિલોક તો કેટલાયે હોય. એક દુકાને જરા આશા દેખાઈ.&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  અરે, અપના વો ઠાકુરદ્વારવાલા તિરલોક તો નહીં?&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  કૌન? જો ગંદી ગંદી ગાલિયાં દેતા ફીરતા હૈ વો લફંગા?&lt;br /&gt;
&amp;lt;nowiki&amp;gt;:&amp;lt;/nowiki&amp;gt;  વહી નિકમ્મા. મગર ઉસકી ઔરત તો આપ બતાવે વેસી ખૂબસૂરત નહીં... આપ જાઈએ ઠાકુરદ્વાર, પતા કર લીજિયે, શાયદ...&lt;br /&gt;
દિશા જાણી લીધા પછી પણ ઠાકુરદ્વાર એમ ઢૂંકડું ક્યાં? આનંદીનાં ઝડપી પગલાંને અનેક અવરોધ નડ્યા. રસ્તાની બેહદ ગંદકી, રઘવાટભેર દોડતા અસંખ્ય પગ, વાહનોના કર્કશ અવાજો, છાણના પોદળાઓ અને પ્રાણીઓનાં યથેચ્છ ભ્રમણ, છલકાતી નીકોની દુર્ગંધ. આ બેહાલી ઠાકુરદ્વાર તરફ પહોંચાડી શકે ખરી? &lt;br /&gt;
છેવટે આવ્યું તો ખરુંં ઠાકુરદ્વાર. ગલીમાંથી ફૂટતી ગલી અને એનાયે પાછા ફાંટા, ગલીઓની ધારે ધારે ઓરડીઓની હારના બખિયા કોલાહલથી તડતડ તૂટતા હતા. રડવાનો અને ગાળોનો ઘોંઘાટ, વચ્ચે વચ્ચે ટીવી સિરિયલની ચીસાચીસ. આવા સ્થળે ગોમતીનું હોવું એ જ એનું મોટામાં મોટું અપમાન, ભીતરનો ઘૂંઘવાટ આનંદીને દઝાડતો હતો. ગોમતી! ગોમતી! આ દોજખમાં ક્યાં ફસાઈ પડી!&lt;br /&gt;
ઠાકુરદ્વારનો છેડો નજીક હતો. કોઈની ગફલત થઈ હોય એમ બની શકે. ક્યારેક અહીં રહેતી હોય ગોમતી અને હવે એ લોકો ક્યાંક જતાં રહ્યાં હોય. એકાએક આનંદી થંભી ગઈ. ગલીનો ફાંટો જ્યાં પૂરો થતો હતો ત્યાં સફેદ ફૂલોવાળું એક અજાણ્યું વૃક્ષ દેખાયું. નીચે એક ખાટલી ઢાળેલી, તે પર આધેડ દેખાતી એક મા, ચોમેર ફાલેલાં તુલસી વચ્ચે. આ જગ્યા પર વારી ગયાં હોય એમ માંજર ખેરવતાં રહ્યાં હશે, તેમાં જ તો આ તુલસીવન. માની અડખેપડખે બે છોકરા, વય તો નાની નહીં પણ વધવાનું ક્યાંક અટકી ગયું હોય એમ લાગે. એમનાં અસ્થિર માથાં અને ગાફેલ આંખો જાહેર કરી દે કે એમની પાસે એક ખાસ ચીજ નથી જેના વગર એમનાં જીવન હવે શાપિત.&lt;br /&gt;
દેખતાંવેંત અરેરાટી છૂટી જાય એવા આ છોકરાઓનાં મોંમાં મા કોળિયા મૂકી રહી છે. ચંચળ માથાં આમતેમ ડોલતાં અન્નથી પેટ અને પગ ખરડાયાં છે. અપાર ધીરજ અને વણખૂટ વ્હાલથી મા એમને સાફ કરતી જાય છે, ખવડાવતી જાય છે, એમના કાનમાં મીઠા બોલ ઠાલવતી જાય છે. આજે, આ ઘડીએ પ્રલય થવાનો હોય તો પણ એ ઊભી નહીં થાય એટલી તન્મયતાથી.&lt;br /&gt;
ઓરડીની પાછલી તરફ એક આદમીના એલફેલ બોલનો ગંદવાડ રેલાયો છે. દાંત ખોતરતા, ગોબરા, ઓળાનાયે ઓળા જેવા મરદની હયાતી છોકરાનાં જતન કરતી મા માટે છેક અર્થ વિનાની છે. પુરુષબીજની સહાય વિના, ચમત્કારે સર્જાયા હોય એવા છોકરાઓમાં માનો જીવ ઓળધોળ એમનાં ખૂલેલાં મોંનું બ્રહ્માંડ એ ભાળી ગઈ છે.&lt;br /&gt;
પોતાના તરફ આવતી આનંદીને જોઈ મા એના તરફ નજર ફેરવે છે. એ ઘડીએ પેલી આંખોનો ઉજાસ આનંદી પારખી લે છે. આ તો ગોમતી, ચોક્કસ ગમતી જ. એની નજીક પહોંચવા આતુર આનંદી લગભગ દોટ મૂકીને ચરણરજ લેવાની હોય એમ ગોમતી આગળ નમી પડી. ઠાકુરદ્વારના ફાટફાટ કોલાહલમાં આનંદીના તમામ કોયડાઓનું સમાધાન થઈ ગયું. આ ક્ષણ સુધી જે રહસ્ય હાથ લાગ્યું નહોતું તે સહજ રીતે એની હથેળીમાં ગોઠવાઈ ગયું. જે લાધ્યું એના તેજમાં પૃથ્વી પરના બધાયે લાલખાંઓ અને ત્રિલોકોની હયાતીનો સમૂળગો છેદ ઊડી ગયેલો પેખી આનંદીને પાંખો ફૂટી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સજા&lt;br /&gt;
|next = વાર્તાસંગ્રહો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE&amp;diff=112858</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/સજા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE&amp;diff=112858"/>
		<updated>2026-07-20T02:51:38Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| સજા  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ આદમી શું ખરેખર પોતાનો?&lt;br /&gt;
લતા ઝીણી નજરે ઓરડીની બહાર ખાટલી પર પથરાયેલા નરેશને જોઈ રહી. બરછટ, વજનદાર, રૂંવાટીવાળો એક હાથ છાતી પર પડ્યો હતો બીજો શિથિલ થઈને પડખે. છાતીની ધમણ ઊંચીનીચી થતી હતી. ગંજી મેલીદાટ દેખાતી હતી. આટલે દૂરથીયે લતાને એમાંથી ગંદી વાસ આવી અને એની સાથે જ એક જોરદાર ઊબકો.&lt;br /&gt;
અત્યારે તો નરેશ દુનિયાથી બેખબર ઘોરતો હતો. રાતે ખૂબ મોડો આવેલો એટલી લતાને ખબર હતી. આવ્યા પછી એક પણ શબ્દની વાતચીત વગર એ ખાટલી પર આડો થયો અને લાગલો જ નસકોરાં બોલાવવા માંડ્યો. બહુ થાકી ગયો હોય એમ સાફ સમજાય. ચારેક દિવસ પહેલાં લતાના મામાનો છોકરો આવેલો. ખાસ્સો હાંફળોફાંફળો અને ડરી ગયેલો.&lt;br /&gt;
– પકડવાના છે બધ્ધાને. અહીંના જ ત્રીસેક જણ હતા. એમ કે’કે દસબાર જણને તો ખેતરાંમાં જ ઊભા ઊભા સળગાવી દીધા. બે બાઈઓ હતી. જુવાન... એમાંની એકને તો દહાડા હતા... એ બેયને પકડીને એ લોકોએ...&lt;br /&gt;
લતાને કાન પર દાટા મારવાનું ઠીક લાગ્યું હોત. એવા ચસોચસ કે આ બધી વાતો બહારની બહાર જ આંટાફેરા મારતી રહે. છતાં જે સંભળાયું એ તો છેક અંદર સુધી પહોંચ્યું. આ બહાર ખાટલી પર જે માણસ નિરાંતજીવે ઘોરતો હતો તે પણ એ દિવસના પેલા ટોળામાં જ સામેલ હતો. સો ટકા.&lt;br /&gt;
એ દિવસનું ટોળું.&lt;br /&gt;
બેરહમ જીવોની ક્રૂર રમત, હાથમાં સળગતા કાકડા ને લાકડા લોહીનો રેલો નીકળે કે હરખની બેફામ ચિચિયારીઓ. માણસનાં આ કરતૂતોથી ડઘાઈ ગયેલી સ્તબ્ધ સવાર. વળગાડ હોય એવો દેખાતો નરેશ બ્હાવરો – ઉતાવળો ઘરમાં દોડી આવેલો.&lt;br /&gt;
– કેમ આમ? શું થ્યું?&lt;br /&gt;
જવાબ દેવાને બદલે નરેશે લતાને ધકેલી દીધી હતી. કશો જીવનમરણનો સવાલ હોય એમ એ ભાગ્યો હતો. ખાલી હાથે નહીં, માળિયામાંથી બાપાનું કટાઈ ગયેલું ધારિયું લઈને.&lt;br /&gt;
– કઈ બાજુ આમ દોડતા દોડતા? &lt;br /&gt;
લતાના પ્રશ્નનો ઉત્તર વાળવા નરેશ પાસે વખત નહોતો. બધા દાઢીમુછાળા ગયા એટલે પોળ ખાલી થઈ ગઈ. ફફડતી સ્ત્રીઓ એકલી પડી, આપત્તિમાં એકમેકની હૂંફ શોધતી માદાઓ પેઠે સહુ એકઠી થઈ.&lt;br /&gt;
– એવું બોલતા’તા કે આ ફેરો લાગમાં આવેલા છે તે પતાવી જ દો...&lt;br /&gt;
– આ એમ તે કંઈ જીવતાંને પતાવી દેવાય?&lt;br /&gt;
– કેમ, એ લોકો નથી પતાવતા લાગ મળે ત્યારે?&lt;br /&gt;
– કરે તેવું પામે, નિયમ છે સંસારનો.&lt;br /&gt;
– પણ આ કંઈ છેડો છે? કાલે હવારે પાછો એમનો વારો આવહે મારવાનો, તેનું કેમ કરવાનું?&lt;br /&gt;
– એ તો એમ જ થાય, જે થાય તે જોવાનું. &lt;br /&gt;
કાલ કેવી પડશે તેની ચિંતામાં ચર્ચા આગળ વધી નહીં. મોડી રાતે પોળ ખળભળી. વીરરસમાં તરબોળ સશસ્ત્ર સેના પરત. મોટા ભાગના સહુ જીતના નશામાં છાકટા. સ્ત્રીવર્ગને કોઈએ કશી માહિતી વિગતે આપેલી નહીં છતાં ખૂણે-ખૂણે સમાચાર પહોંચી ગયા કે પેલા ભાગતા અગિયારે અગિયારને આગમાં.... બાઈઓમાંની એક મરી ગઈ ને એક ભાગી છૂટી. નરેશ પાનમસાલો ચાવતો-ચાવતો થૂંક્યો અને બોલ્યો કે સાલીને જવા નહોતી દેવી જોઈતી. રઘલો બોલ્યો હતો કે જઈ જઈને કેટલુંક જવાની... આખી ને આખી ફાટી ગઈ છે તે અધવચ્ચે જ તફડી પડવાની...&lt;br /&gt;
એ સ્ત્રીની દુર્દશા ૫૨ ખિખિયાટા કાઢતા બે ચારે એકબીજાને તાળીઓ આપી. એમાં નરેશ પણ હતો જ. રસોડાના જાળિયામાંથી લતાએ એને જોયો. ગેલમાં આવી જઈને તાળી દેતો. એ જ નરેશને કે પરણવા આવ્યો ત્યારે લતા ઉમળકામાં ઠેઠ આકાશે ચડી હતી અને હેઠે આવવાનું નામ સુધ્ધાં લેતી નહોતી.&lt;br /&gt;
– અલી લતુડી, તારો વર તો અદ્દલ રાજેશ ખન્ના જેવો લાગે છે ને કંઈ!&lt;br /&gt;
વીરુમાસીના જમાનામાં એક જ નામ જીભે ઉછળતું અને પછી તો એ સિનેમા જોતાં જ ક્યાં હતાં તે બીજાં નામ યાદ આવે?&lt;br /&gt;
ધમાલ પૂરી થયા પછી જ નરેશનો પગ ઘરમાં જરાતરા ઠર્યો. હજી કામધંધા ચાલુ થયા નહોતા. શહેર મરણતોલ માર ખાઈને ખોડંગાતું હતું. નરેશ અને પોળના બીજા આદમીઓ છાપાં લઈને રોજેરોજ બેસતા. એવામાં વળી એક રાતે નરેશ ઘેર આવ્યો નહીં. પોળના બીજા છએક પુરુષો પણ ફરક્યા નહીં. જાણે કોઈ ગળી ગયું. ન સંદેશો, ન કશા સમાચાર. બધાની મા અને વહુઓ રોકકળ કરે.&lt;br /&gt;
– ગાંડાં છો બધાંયે! એ તો સંતાઈ ગ્યા છે. પકડાઈ જવાની બીકમાં. કેસ ચાલવાના છે એકેએક પર.&lt;br /&gt;
લતાની જીભ ઊંડી ચાલી ગઈ. એને નરેશ પર દાઝ ચડી. કામકાજના ઢંગ નથી અને મોટો ધારિયું લઈને દોડ્યો’તો તે દહાડે... હવે કોણ એના બચાવમાં આવવાનું? એકુએક પકડાઈ જવાના. કેટલા દહાડા સંતાતા રહેશે? પોળમાં તો કેટલીયે વાતો ફરતી થઈ. &lt;br /&gt;
– પેલી એક બાઈ ભાગી ગઈ’તી એણે જ ફરિયાદ કરી. કે’કે બધ્ધાને ઓળખી દેખાડું. વકીલ બી કરેલો છે.&lt;br /&gt;
– મૂઈને શરમ ન આવી? આવું થ્યું હોય તો હું તો મોંયે ન દેખાડું કોઈને! પાછી આવી તેવારે સાવ નાગીપૂગી! છી!&lt;br /&gt;
લતાનું લમણું ગરમીથી ફાટી ગયું. એણે બરાડો પાડ્યો.&lt;br /&gt;
–  તે આ કોઈને શરમ ન આવી બાઈની સાથે એવું કરતાં? જરા મૂકી તો જુઓ તમારી જાતને એ બાઈની જગ્યાએ... એમ કરો તો ખબર પડે..&lt;br /&gt;
રોજ રાતે ઘરનાં બારણાં બંધ કરતી વખતે અંધારામાં ઘરની સામે એક બાઈ ઊભેલી દેખાય છે, ચહેરો ઢાંકીને, સોડિયું વાળીને. લતાને એવું લાગે છે જાણે એ એને તાકીને જોયા કરે છે. આ કઈ બાઈ? પેલી મરી ગઈ તે તો નહીં? કે પછી પેલી બચીને ભાગી છૂટી એ? એનું પેટ જરીક ઊપસેલું દેખાય છે. જોકે અંધારામાં ખાસ ખબર નથી પડતી. લતાના હાથ આગળિયા ૫૨ જ ઠરી જાય છે. માથામાં ભઠ્ઠી ધગધગે છે.&lt;br /&gt;
પોળની બાઈઓ વાટ જુએ છે આદમીઓની, એમના સંદેશાની.&lt;br /&gt;
– એ લોકો હમણાં નહીં આવે. જોતાં નથી રોજ દા’ડે પોલીસ આવે છે તે? પેલી બાઈને તો વકીલ બી મળી ગયો છે. આ તરફ બધા જેવા આવે તેવા પકડાઈ જવાના.&lt;br /&gt;
– હાય, મા! જેલમાં જવાના એ લોકો?&lt;br /&gt;
– સાબિત થાય તો જવુંયે પડે!&lt;br /&gt;
શહેર ટાઢું પડતું ગયું. બળતી ચિતા ઠરી ગઈ. હવે માત્ર અસ્થિવિસર્જન. તૂટીફૂટીને વેરવિખેર થયેલા ધંધાધાપાને થરથરતા હાથ ટેભા મારવામાં જોતરાયા. પોળની ઓરતો બે ટંક ખાવાની જોગવાઈ કરવામાં પડી. જે ભાગી ગયા એને ભરોસે કેટલા દહાડા બેસી રહેવાય? એક સવારે વળી સાવ જુદા જ સમાચારે બારણાં ઠોક્યાં.&lt;br /&gt;
– આ કોઈને હવે નથી પકડવાના.&lt;br /&gt;
– જા, જા, એમ કોણે કીધું? એ તો એ લોક પાછા આવે તે સારુ ફસાવવા માટેની વાતો હશે...&lt;br /&gt;
– ના. સાચ્ચે જ. આપણી જ્યોતિ પેલી સીવણના ક્લાસમાં જાય છે ત્યાં નફીસા કરીને એક આવે છે. પેલાઓના જ એરિયામાંથી. તે કે’તી’તી કે કોઈ ફરિયાદ જ નથી કરવાનું. એમ કે જાણે પાણીમાં રે’વાનું ને મગર જોડે વેર ઠીક નથી.&lt;br /&gt;
– એ લોક ડાહ્યાં છે. વેરઝેરમાં પાર ન આવે એ જાણે. આપણાં કામ પણ પાછાં જોડાયેલાં, એમ લડવડ કરીએ તો ખાઈએ શું? &lt;br /&gt;
– મૂઆ તે કંઈ પાછાં તો આવવાનાં નથી. એક જ બાઈ બચી છે... ને એણે જ ના પાડી ફરિયાદ કરવાની. પછી શું છે?&lt;br /&gt;
– ચાલો, શાંતિ થઈ. હવે આપણાવાળા પાછા આવે તો સારું, લતાની આંખો પોળના નાકાને અડીને પાછી આવી. નરેશ પાછો આવે એવો ખરો? ખબર નહોતી&lt;br /&gt;
સાંભળેલું સાચું. નરેશ પાછો આવ્યો. મોટા ભાગના બધાયે પાછા આવ્યા. પોળમાં જાણે જશ્નનું વાતાવરણ. અવળચંડા છોકરાઓએ તો ફટાકડા સુધ્ધાં ફોડ્યા.&lt;br /&gt;
નરેશની પધરામણીયે રોજના જેવી નહીં. એ એકદમ મસ્તીમાં હતો નહીં ત્યારે તો ચકળવકળ આંખે ભરાતો હતો ઘરમાં. આ તો એકદમ શાનથી બહા૨ ધમાલ કરતા છોકરડાંમાંથી એકને બોલવી સોની નોટ હાથમાં મૂકી.&lt;br /&gt;
– જા, સમોસાં અને આઇસક્રીમ લઈ આવ... પછી લતા તરફ ફરીને આંખ મિચકારી. ઊભો થઈને લતાને બેચાર વખત વળગ્યો, પણ લતાએ એને હડસેલ્યો. આ જાણે લાડ હોય એમ નરેશ તો હરખાતો જ રહ્યો. અમથો અમથો બબડતો રહ્યો. સમોસાં અને આઇસક્રીમ આવ્યાં. વધેલા પૈસા નરેશે પાછા ન લીધા.&lt;br /&gt;
– મોજ કર દોસ્તો જોડે...&lt;br /&gt;
લતાને હાથ ખેંચીને બેસાડી, એના મોંમાં આઇસક્રીમની ચમચી ખોસી.&lt;br /&gt;
– શું કરું? સંતાવાનું ગમે નહીં સાલું... પણ આ તો બીજો રસ્તો જ નહીં... આ તો ખબર પડી કે પેલીએ... અમને તો એમ કે એ મરવાની... પણ... શબ્દો આઇસક્રીમની ચૉકલેટી ઠંડકમાં ઓગળી ગયા. લતાએ માંડ માંડ ખાધું. પેટ ભરીને મનહરની ખોલીમાં યાર-દોસ્તો સાથે ગપસપ માટે નીકળવાનો ક્રમ નરેશે સાચવ્યો. એની પીઠ ફરી કે લતા ઉભડક જીવે પથારીમાં પડી. સાડા અગિયાર-બારની આસપાસ નરેશનો પગ પાછો ઓરડીમાં પડ્યો. ચલ છૈયાં છૈયાં છૈયાં ગણગણતો એ આવ્યો તેવો જ લતાની ઉપર ફસકાયો. ગંધાતી, ફદફદતી લાશ પડી હોય એમ. લતાને અણગમાની ઓકારી આવી. નરેશ આગળ કંઈ કરે કે કશું સમજે એ પહેલાં જ લતાના કસાયેલા હાથનો એક જોરદાર ધક્કો એને લાગ્યો. અણધાર્યા આઘાતથી એ ગાંડોતૂર બની ગયો. એક જ સપાટે પથારીમાંથી ઊભી થઈ ગયેલી લતાને એ આંતરે એવી ક્ષણ આવી જ નહીં. લતા વાવાઝોડું થઈને ઓરડીમાંથી બહાર નીકળી ગઈ. ઓરડીનું બારણું ઝડપભેર બંધ કરી એણે આગળો મારી દીધો.&lt;br /&gt;
હવે ઉત્તેજિત શ્વાસ ધીમા પડી રહ્યા હતા. અંદર ઓરડીમાં કેદ થયેલો નરેશ બારણાં પર લાતો મારી ગાળો સમેત પોતાનો ક્રોધ ઠાલવી રહ્યો હતો. ભલે. થાકશે એની મેળે. પણ આ આદમીને અડવાયે ન દેવાય. છો જાય એને જ્યાં જવું હોય ત્યાં. બહાર પડેલી ખાટલીમાં લતાએ સફાઈ આદરી. ગોદડી ઝાટકી, વળગણી પરથી ચાદર લીધી ને જૂની ચાદર બદલી ઓશીકાની ખોળ પણ નવી નાખી. પછી કોકડું વાળીને સૂવાની આદતને સભાનતાપૂર્વક પલટીને એણે ધીરે ધીરે પોતાનું શરીર ખાટલા પર ફેલાવા દીધું. પેલાં બંધ બારણાં હજી થોડી થોડી વારે ધધડતાં હતાં. મનહરની ખોલીમાંથી અવાજ આવ્યો કે લતાભાભી, આ ચાલે છે કેમનુંક.... લતાએ ટાઢે સ્વરે જવાબ આપ્યો કે એ તો અમથાં જ બારણાં ભટકાય છે!&lt;br /&gt;
ખાટલીમાંથી માથે ફેલાયેલું આકાશ જોવાનું સુખ એ જાણે પહેલી જ વાર અનુભવતી હતી. હવાની લહેરખી લતાની પાંપણ પર પીંછા જેવી ફરફરતી રહી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આજે રાતે&lt;br /&gt;
|next = ગોમતીસ્તોત્ર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE&amp;diff=112857</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/સજા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%9C%E0%AA%BE&amp;diff=112857"/>
		<updated>2026-07-20T02:51:14Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| સજા  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ આદમી શું ખરેખર પોતાનો?&lt;br /&gt;
લતા ઝીણી નજરે ઓરડીની બહાર ખાટલી પર પથરાયેલા નરેશને જોઈ રહી. બરછટ, વજનદાર, રૂંવાટીવાળો એક હાથ છાતી પર પડ્યો હતો બીજો શિથિલ થઈને પડખે. છાતીની ધમણ ઊંચીનીચી થતી હતી. ગંજી મેલીદાટ દેખાતી હતી. આટલે દૂરથીયે લતાને એમાંથી ગંદી વાસ આવી અને એની સાથે જ એક જોરદાર ઊબકો.&lt;br /&gt;
અત્યારે તો નરેશ દુનિયાથી બેખબર ઘોરતો હતો. રાતે ખૂબ મોડો આવેલો એટલી લતાને ખબર હતી. આવ્યા પછી એક પણ શબ્દની વાતચીત વગર એ ખાટલી પર આડો થયો અને લાગલો જ નસકોરાં બોલાવવા માંડ્યો. બહુ થાકી ગયો હોય એમ સાફ સમજાય. ચારેક દિવસ પહેલાં લતાના મામાનો છોકરો આવેલો. ખાસ્સો હાંફળોફાંફળો અને ડરી ગયેલો.&lt;br /&gt;
– પકડવાના છે બધ્ધાને. અહીંના જ ત્રીસેક જણ હતા. એમ કે’કે દસબાર જણને તો ખેતરાંમાં જ ઊભા ઊભા સળગાવી દીધા. બે બાઈઓ હતી. જુવાન... એમાંની એકને તો દહાડા હતા... એ બેયને પકડીને એ લોકોએ...&lt;br /&gt;
લતાને કાન પર દાટા મારવાનું ઠીક લાગ્યું હોત. એવા ચસોચસ કે આ બધી વાતો બહારની બહાર જ આંટાફેરા મારતી રહે. છતાં જે સંભળાયું એ તો છેક અંદર સુધી પહોંચ્યું. આ બહાર ખાટલી પર જે માણસ નિરાંતજીવે ઘોરતો હતો તે પણ એ દિવસના પેલા ટોળામાં જ સામેલ હતો. સો ટકા.&lt;br /&gt;
એ દિવસનું ટોળું.&lt;br /&gt;
બેરહમ જીવોની ક્રૂર રમત, હાથમાં સળગતા કાકડા ને લાકડા લોહીનો રેલો નીકળે કે હરખની બેફામ ચિચિયારીઓ. માણસનાં આ કરતૂતોથી ડઘાઈ ગયેલી સ્તબ્ધ સવાર. વળગાડ હોય એવો દેખાતો નરેશ બ્હાવરો – ઉતાવળો ઘરમાં દોડી આવેલો.&lt;br /&gt;
– કેમ આમ? શું થ્યું?&lt;br /&gt;
જવાબ દેવાને બદલે નરેશે લતાને ધકેલી દીધી હતી. કશો જીવનમરણનો સવાલ હોય એમ એ ભાગ્યો હતો. ખાલી હાથે નહીં, માળિયામાંથી બાપાનું કટાઈ ગયેલું ધારિયું લઈને.&lt;br /&gt;
– કઈ બાજુ આમ દોડતા દોડતા? &lt;br /&gt;
લતાના પ્રશ્નનો ઉત્તર વાળવા નરેશ પાસે વખત નહોતો. બધા દાઢીમુછાળા ગયા એટલે પોળ ખાલી થઈ ગઈ. ફફડતી સ્ત્રીઓ એકલી પડી, આપત્તિમાં એકમેકની હૂંફ શોધતી માદાઓ પેઠે સહુ એકઠી થઈ.&lt;br /&gt;
– એવું બોલતા’તા કે આ ફેરો લાગમાં આવેલા છે તે પતાવી જ દો...&lt;br /&gt;
– આ એમ તે કંઈ જીવતાંને પતાવી દેવાય?&lt;br /&gt;
– કેમ, એ લોકો નથી પતાવતા લાગ મળે ત્યારે?&lt;br /&gt;
– કરે તેવું પામે, નિયમ છે સંસારનો.&lt;br /&gt;
– પણ આ કંઈ છેડો છે? કાલે હવારે પાછો એમનો વારો આવહે મારવાનો, તેનું કેમ કરવાનું?&lt;br /&gt;
– એ તો એમ જ થાય, જે થાય તે જોવાનું. &lt;br /&gt;
કાલ કેવી પડશે તેની ચિંતામાં ચર્ચા આગળ વધી નહીં. મોડી રાતે પોળ ખળભળી. વીરરસમાં તરબોળ સશસ્ત્ર સેના પરત. મોટા ભાગના સહુ જીતના નશામાં છાકટા. સ્ત્રીવર્ગને કોઈએ કશી માહિતી વિગતે આપેલી નહીં છતાં ખૂણે-ખૂણે સમાચાર પહોંચી ગયા કે પેલા ભાગતા અગિયારે અગિયારને આગમાં.... બાઈઓમાંની એક મરી ગઈ ને એક ભાગી છૂટી. નરેશ પાનમસાલો ચાવતો-ચાવતો થૂંક્યો અને બોલ્યો કે સાલીને જવા નહોતી દેવી જોઈતી. રઘલો બોલ્યો હતો કે જઈ જઈને કેટલુંક જવાની... આખી ને આખી ફાટી ગઈ છે તે અધવચ્ચે જ તફડી પડવાની...&lt;br /&gt;
એ સ્ત્રીની દુર્દશા ૫૨ ખિખિયાટા કાઢતા બે ચારે એકબીજાને તાળીઓ આપી. એમાં નરેશ પણ હતો જ. રસોડાના જાળિયામાંથી લતાએ એને જોયો. ગેલમાં આવી જઈને તાળી દેતો. એ જ નરેશને કે પરણવા આવ્યો ત્યારે લતા ઉમળકામાં ઠેઠ આકાશે ચડી હતી અને હેઠે આવવાનું નામ સુધ્ધાં લેતી નહોતી.&lt;br /&gt;
– અલી લતુડી, તારો વર તો અદ્દલ રાજેશ ખન્ના જેવો લાગે છે ને કંઈ!&lt;br /&gt;
વીરુમાસીના જમાનામાં એક જ નામ જીભે ઉછળતું અને પછી તો એ સિનેમા જોતાં જ ક્યાં હતાં તે બીજાં નામ યાદ આવે?&lt;br /&gt;
ધમાલ પૂરી થયા પછી જ નરેશનો પગ ઘરમાં જરાતરા ઠર્યો. હજી કામધંધા ચાલુ થયા નહોતા. શહેર મરણતોલ માર ખાઈને ખોડંગાતું હતું. નરેશ અને પોળના બીજા આદમીઓ છાપાં લઈને રોજેરોજ બેસતા. એવામાં વળી એક રાતે નરેશ ઘેર આવ્યો નહીં. પોળના બીજા છએક પુરુષો પણ ફરક્યા નહીં. જાણે કોઈ ગળી ગયું. ન સંદેશો, ન કશા સમાચાર. બધાની મા અને વહુઓ રોકકળ કરે.&lt;br /&gt;
– ગાંડાં છો બધાંયે! એ તો સંતાઈ ગ્યા છે. પકડાઈ જવાની બીકમાં. કેસ ચાલવાના છે એકેએક પર.&lt;br /&gt;
 લતાની જીભ ઊંડી ચાલી ગઈ. એને નરેશ પર દાઝ ચડી. કામકાજના ઢંગ નથી અને મોટો ધારિયું લઈને દોડ્યો’તો તે દહાડે... હવે કોણ એના બચાવમાં આવવાનું? એકુએક પકડાઈ જવાના. કેટલા દહાડા સંતાતા રહેશે? પોળમાં તો કેટલીયે વાતો ફરતી થઈ. &lt;br /&gt;
– પેલી એક બાઈ ભાગી ગઈ’તી એણે જ ફરિયાદ કરી. કે’કે બધ્ધાને ઓળખી દેખાડું. વકીલ બી કરેલો છે.&lt;br /&gt;
– મૂઈને શરમ ન આવી? આવું થ્યું હોય તો હું તો મોંયે ન દેખાડું કોઈને! પાછી આવી તેવારે સાવ નાગીપૂગી! છી!&lt;br /&gt;
લતાનું લમણું ગરમીથી ફાટી ગયું. એણે બરાડો પાડ્યો.&lt;br /&gt;
–  તે આ કોઈને શરમ ન આવી બાઈની સાથે એવું કરતાં? જરા મૂકી તો જુઓ તમારી જાતને એ બાઈની જગ્યાએ... એમ કરો તો ખબર પડે..&lt;br /&gt;
રોજ રાતે ઘરનાં બારણાં બંધ કરતી વખતે અંધારામાં ઘરની સામે એક બાઈ ઊભેલી દેખાય છે, ચહેરો ઢાંકીને, સોડિયું વાળીને. લતાને એવું લાગે છે જાણે એ એને તાકીને જોયા કરે છે. આ કઈ બાઈ? પેલી મરી ગઈ તે તો નહીં? કે પછી પેલી બચીને ભાગી છૂટી એ? એનું પેટ જરીક ઊપસેલું દેખાય છે. જોકે અંધારામાં ખાસ ખબર નથી પડતી. લતાના હાથ આગળિયા ૫૨ જ ઠરી જાય છે. માથામાં ભઠ્ઠી ધગધગે છે.&lt;br /&gt;
પોળની બાઈઓ વાટ જુએ છે આદમીઓની, એમના સંદેશાની.&lt;br /&gt;
– એ લોકો હમણાં નહીં આવે. જોતાં નથી રોજ દા’ડે પોલીસ આવે છે તે? પેલી બાઈને તો વકીલ બી મળી ગયો છે. આ તરફ બધા જેવા આવે તેવા પકડાઈ જવાના.&lt;br /&gt;
– હાય, મા! જેલમાં જવાના એ લોકો?&lt;br /&gt;
– સાબિત થાય તો જવુંયે પડે!&lt;br /&gt;
શહેર ટાઢું પડતું ગયું. બળતી ચિતા ઠરી ગઈ. હવે માત્ર અસ્થિવિસર્જન. તૂટીફૂટીને વેરવિખેર થયેલા ધંધાધાપાને થરથરતા હાથ ટેભા મારવામાં જોતરાયા. પોળની ઓરતો બે ટંક ખાવાની જોગવાઈ કરવામાં પડી. જે ભાગી ગયા એને ભરોસે કેટલા દહાડા બેસી રહેવાય? એક સવારે વળી સાવ જુદા જ સમાચારે બારણાં ઠોક્યાં.&lt;br /&gt;
– આ કોઈને હવે નથી પકડવાના.&lt;br /&gt;
– જા, જા, એમ કોણે કીધું? એ તો એ લોક પાછા આવે તે સારુ ફસાવવા માટેની વાતો હશે...&lt;br /&gt;
– ના. સાચ્ચે જ. આપણી જ્યોતિ પેલી સીવણના ક્લાસમાં જાય છે ત્યાં નફીસા કરીને એક આવે છે. પેલાઓના જ એરિયામાંથી. તે કે’તી’તી કે કોઈ ફરિયાદ જ નથી કરવાનું. એમ કે જાણે પાણીમાં રે’વાનું ને મગર જોડે વેર ઠીક નથી.&lt;br /&gt;
– એ લોક ડાહ્યાં છે. વેરઝેરમાં પાર ન આવે એ જાણે. આપણાં કામ પણ પાછાં જોડાયેલાં, એમ લડવડ કરીએ તો ખાઈએ શું? &lt;br /&gt;
– મૂઆ તે કંઈ પાછાં તો આવવાનાં નથી. એક જ બાઈ બચી છે... ને એણે જ ના પાડી ફરિયાદ કરવાની. પછી શું છે?&lt;br /&gt;
– ચાલો, શાંતિ થઈ. હવે આપણાવાળા પાછા આવે તો સારું, લતાની આંખો પોળના નાકાને અડીને પાછી આવી. નરેશ પાછો આવે એવો ખરો? ખબર નહોતી&lt;br /&gt;
સાંભળેલું સાચું. નરેશ પાછો આવ્યો. મોટા ભાગના બધાયે પાછા આવ્યા. પોળમાં જાણે જશ્નનું વાતાવરણ. અવળચંડા છોકરાઓએ તો ફટાકડા સુધ્ધાં ફોડ્યા.&lt;br /&gt;
નરેશની પધરામણીયે રોજના જેવી નહીં. એ એકદમ મસ્તીમાં હતો નહીં ત્યારે તો ચકળવકળ આંખે ભરાતો હતો ઘરમાં. આ તો એકદમ શાનથી બહા૨ ધમાલ કરતા છોકરડાંમાંથી એકને બોલવી સોની નોટ હાથમાં મૂકી.&lt;br /&gt;
– જા, સમોસાં અને આઇસક્રીમ લઈ આવ... પછી લતા તરફ ફરીને આંખ મિચકારી. ઊભો થઈને લતાને બેચાર વખત વળગ્યો, પણ લતાએ એને હડસેલ્યો. આ જાણે લાડ હોય એમ નરેશ તો હરખાતો જ રહ્યો. અમથો અમથો બબડતો રહ્યો. સમોસાં અને આઇસક્રીમ આવ્યાં. વધેલા પૈસા નરેશે પાછા ન લીધા.&lt;br /&gt;
– મોજ કર દોસ્તો જોડે...&lt;br /&gt;
લતાને હાથ ખેંચીને બેસાડી, એના મોંમાં આઇસક્રીમની ચમચી ખોસી.&lt;br /&gt;
– શું કરું? સંતાવાનું ગમે નહીં સાલું... પણ આ તો બીજો રસ્તો જ નહીં... આ તો ખબર પડી કે પેલીએ... અમને તો એમ કે એ મરવાની... પણ... શબ્દો આઇસક્રીમની ચૉકલેટી ઠંડકમાં ઓગળી ગયા. લતાએ માંડ માંડ ખાધું. પેટ ભરીને મનહરની ખોલીમાં યાર-દોસ્તો સાથે ગપસપ માટે નીકળવાનો ક્રમ નરેશે સાચવ્યો. એની પીઠ ફરી કે લતા ઉભડક જીવે પથારીમાં પડી. સાડા અગિયાર-બારની આસપાસ નરેશનો પગ પાછો ઓરડીમાં પડ્યો. ચલ છૈયાં છૈયાં છૈયાં ગણગણતો એ આવ્યો તેવો જ લતાની ઉપર ફસકાયો. ગંધાતી, ફદફદતી લાશ પડી હોય એમ. લતાને અણગમાની ઓકારી આવી. નરેશ આગળ કંઈ કરે કે કશું સમજે એ પહેલાં જ લતાના કસાયેલા હાથનો એક જોરદાર ધક્કો એને લાગ્યો. અણધાર્યા આઘાતથી એ ગાંડોતૂર બની ગયો. એક જ સપાટે પથારીમાંથી ઊભી થઈ ગયેલી લતાને એ આંતરે એવી ક્ષણ આવી જ નહીં. લતા વાવાઝોડું થઈને ઓરડીમાંથી બહાર નીકળી ગઈ. ઓરડીનું બારણું ઝડપભેર બંધ કરી એણે આગળો મારી દીધો.&lt;br /&gt;
હવે ઉત્તેજિત શ્વાસ ધીમા પડી રહ્યા હતા. અંદર ઓરડીમાં કેદ થયેલો નરેશ બારણાં પર લાતો મારી ગાળો સમેત પોતાનો ક્રોધ ઠાલવી રહ્યો હતો. ભલે. થાકશે એની મેળે. પણ આ આદમીને અડવાયે ન દેવાય. છો જાય એને જ્યાં જવું હોય ત્યાં. બહાર પડેલી ખાટલીમાં લતાએ સફાઈ આદરી. ગોદડી ઝાટકી, વળગણી પરથી ચાદર લીધી ને જૂની ચાદર બદલી ઓશીકાની ખોળ પણ નવી નાખી. પછી કોકડું વાળીને સૂવાની આદતને સભાનતાપૂર્વક પલટીને એણે ધીરે ધીરે પોતાનું શરીર ખાટલા પર ફેલાવા દીધું. પેલાં બંધ બારણાં હજી થોડી થોડી વારે ધધડતાં હતાં. મનહરની ખોલીમાંથી અવાજ આવ્યો કે લતાભાભી, આ ચાલે છે કેમનુંક.... લતાએ ટાઢે સ્વરે જવાબ આપ્યો કે એ તો અમથાં જ બારણાં ભટકાય છે!&lt;br /&gt;
ખાટલીમાંથી માથે ફેલાયેલું આકાશ જોવાનું સુખ એ જાણે પહેલી જ વાર અનુભવતી હતી. હવાની લહેરખી લતાની પાંપણ પર પીંછા જેવી ફરફરતી રહી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આજે રાતે&lt;br /&gt;
|next = ગોમતીસ્તોત્ર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87&amp;diff=112856</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/આજે રાતે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%86%E0%AA%9C%E0%AB%87_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%87&amp;diff=112856"/>
		<updated>2026-07-20T02:50:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| આજે રાતે  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આજે રાતે હું આત્મહત્યા કરીશ.&lt;br /&gt;
જેને જે કહેવું હોય તે ભલે કહે. કાયર તો કાયર અને ભાગેડુ તો ભાગેડુ. એની સાથે મારે હવે લેપન નથી. જીવન પર પૂર્ણવિરામ મૂકી દેવું છે આજે રાતે. એ પહેલાં આ લખાણ-મારી કલમે છેલ્લું-કવરમાં બીડી સંપાદકને મોકલવા તૈયાર રાખીશ. એટલું કામ ઘરનું કોઈ પણ કરશે. લખાણ છપાશે ત્યારે કેટલાકની આંખો એના પર ફરશે, કેટલાક કદાચ ધ્યાનથી વાંચશે તો કોઈ વળી પાનાં ફેરવી આગળ વધશે, વધુ રસાળ ક્ષેત્રોની શોધમાં.&lt;br /&gt;
મારે તો બધું છોડતાં પહેલાં થોડી વાત જ કરવી છે. એકાદ વ્યક્તિની લાચારીની, એની અસહાય દશાની, એની હયાતીની વિડંબનાની. આવી વાતમાં બધાને રસ ન પડે એમ બને.&lt;br /&gt;
બીજી માર્ચનો દિવસ જેમ તેમ પૂરો થયો. રાત વળી. દિવસ કરતાં અનેકગણી ડરામણી, કશામાં મન લાગે નહીં. સાડાઆઠે ફોન આવ્યો. સામેની શાંતિવન સોસાયટીમાંથી વંદનાબહેનનો. અવાજ ગભરાટથી બેસી ગયેલો અને તરડાયેલો.&lt;br /&gt;
– સૈફી પાર્કમાંથી એક ફેમિલી આવ્યું છે મારે ત્યાં. બીજાં પણ કદાચ આવશે. જોરદાર અફવા છે કે આ તરફ મોટું ટોળું આવે છે. પાંચેક હજારનું. શું કરીએ હવે? આ છએક જણને તો અંદર લીધા છે પણ હવે વધારે આવે તો તમારે ત્યાં મોકલું? અહીં આસપાસમાં કોઈને કહેવાય એમ નથી. ઝટ કહેજો, વખત નથી.&lt;br /&gt;
– પોલીસને ખબર આપી?&lt;br /&gt;
– આપી, પણ એ તો મોડીયે આવે. ગોઠવણ આપણે જ કરવી પડે. એને ભરોરો ન બેસાય.&lt;br /&gt;
– ભલે, મોકલો. કહેજો કે ધમાલ કર્યા વિના આવે. ખબર ન પડવી જોઈએ.&lt;br /&gt;
– મને પૂછે છે કે બકરીઓનું શું કરીએ...&lt;br /&gt;
– છોડી મૂકે. બીજું તો શું થાય?&lt;br /&gt;
– રાતે બેંબેં કરશે તો લોકો જાગી જશે. આપણને ખબર નથી કોણ કેવું વિચારે છે. કદાચ છોને એટલાથી...&lt;br /&gt;
– તો પછી જે થાય તે. એકલા જ ભલે આવે. રોકડ રકમ ભલે સાથે હોય, બીજું ભેગું કરવામાં વખત બગાડે નહીં એમ કહો...&lt;br /&gt;
– તમેય પોલીસને ફોન તો કરો જ. &lt;br /&gt;
– આ હમણાં જ કરું છું.&lt;br /&gt;
આંગળાંને લકવો થઈ ગયો હોય એવું. નંબર સરખા ફરે નહીં. માંડ નંબર લાગ્યો. આ ચાલતું હતું ત્યારે મારું આખુંયે ઘર મારી સામે એકઠું થઈ ગયું.&lt;br /&gt;
– શું થયું? વંદનાબહેન હતાં? મને લાગ્યું જ કે એ હશે.&lt;br /&gt;
– કહે છે આ તરફ ટોળાં આવે છે. કાદરભાઈના ઘર ભણી.&lt;br /&gt;
મારાથી માત્ર કાદરભાઈનું જ નામ લેવાયું. બાકી ગઈ સાલ સૈફી પાર્કમાંથી જ કોઈ મુન્નાભાઈ પકડાયેલા, આતંકવાદીઓ સાથેના ઘરોબાને કારણે. કાદરભાઈની દુકાને તો જૂના જમાનાથી ઘરનાં ગોદડાં, રજાઈ, ઓશીકાં તૈયાર થાય. અમારે વસ્તાર ઝાઝો, મહેમાન બાબતે કદી ઓટ નહીં અને વધારામાં મોટા જયેશની હૉસ્પિટલ એટલે કાદરભાઈ જોડે હિસાબ પૂરો થાય નહીં એમ જ કહેવાય. એમને ત્યાં બનેલાં ગાદલાં પર જ વડસસરાએ છેલ્લા શ્વાસ લીધેલા અને નાની ચકુ એમને ત્યાં બનેલી રેશમી રજાઈ ઓઢીને જ સૂતી, એના પગ રજાઈ બહાર નીકળવા લાગ્યા ત્યાં સુધી.&lt;br /&gt;
– તેં શું કહ્યું વંદનાબહેનને?&lt;br /&gt;
– ના ઓછી પાડું? કહ્યું કે આવી શકે એ લોકો અહીં. અડધી રાતે ન કરે નારાયણ ને કંઈક થાય તો જાય ક્યાં બાપડા?&lt;br /&gt;
કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળવળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યા, વગર લાકડીએ.&lt;br /&gt;
–  શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વના ઊંઘ આવે કેમ કરીને?&lt;br /&gt;
કહ્યું. વિગતો આપ્યા વગર. હકીકતો સંતાડીને, જરા લઘુરૂપમાં ગોઠવીને.&lt;br /&gt;
– ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધું સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી.&lt;br /&gt;
– પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં?&lt;br /&gt;
મારો અવાજ ઉકળાટ પકડતો જતો હતો. એ વચ્ચે પડ્યા. &lt;br /&gt;
– નાગરિકોનું રક્ષણ પોલીસની ફરજ છે. હું હમણાં જ પેલા ચૂડાસમાને ફોન કરું છું.&lt;br /&gt;
– પોલીસને તો જયંતભાઈએ ફોન કરેલો જ છે. તમે જાણો તો છો કે પોલીસ કોઈ જાદુ નથી કરવાની. ગઈકાલે જેનાં ઘર બળી ગયાં એ ત્રણ બાઈઓ મેઈન રોડ પર દોડી ગઈ તોયે પોલીસે ઉગારી નથી એમને, વાંચ્યું નથી?&lt;br /&gt;
– તો ભોગ બધાના! આપણે ઠેકો નથી લીધો ગામને બચાવવાનો. ગામનાં પાપ માથે લેવાની જરૂર નથી.&lt;br /&gt;
– ગામને બચાવવાની વાત નથી. આપણી ત્રેવડ પણ નથી. આ તો વર્ષોથી તમારી નજીક રહે છે અને તમે જેને જાણો છો એમની જ...&lt;br /&gt;
– બધું કર્મ પ્રમાણે થતું રહે છે. આપણે કોઈનો ન્યાય કરવાનો નથી. સાચુંખોટું જોવાની આપણી હેસિયત કેટલી? જે થાય તે સાક્ષીભાવે જોવાથી વધારે માણસથી કશું થતું નથી. પોતે કશું કરવા સમર્થ છે એ માનવું જ ખોટું...&lt;br /&gt;
પુસ્તકોનું સતત વાચન અને વ્યાખ્યાનોના શ્રવણની કાયમી અસર હેઠળ મોટા ભાઈ આવું જ બોલે. નવાઈ ન લાગી.&lt;br /&gt;
મારાં ચાળીસ વર્ષ સ્કૂલમાં કાળા પાટિયાની પડખે અને ચોક-ડસ્ટરના મેળમાં. કાનમાં રાત દિવસ ઘંટ સંભળાય, ગુડ ડે મૅ’મ, ગુડ મૉર્નિંગ ટીચર, બહેન, નમસ્તે... સ્મિતઊજળા ચહેરાઓની વચ્ચે એ ચાળીસ વર્ષ રેશમી પડદાની પેઠે ઊડાઊડ. નિવૃત્તિ તો હજી ગયે સાલ જ આવી. નૈતિક મૂલ્યોનું સિંચન, જીવનઘડતર અને સુદૃઢ વ્યક્તિત્વની કેળવણી જેવા શબ્દો મારા નામ સાથે ચસોચસ વળગાડ્યા હતા સહુએ આરંભનાં દસ પ્રાઇમરીમાં, પછીનાં ત્રીસ હાયર સેકન્ડરીમાં, દર વર્ષે ઓછામાં ઓછા સૌ વિદ્યાર્થીઓ ગણો તોયે અત્યાર સુધીમાં તો કુલ ચારેક હજાર સાથે ઘનિષ્ઠ સંપર્ક. અત્યારે એમાંના ઘણા ચાળીસે પહોંચ્યા હશે કે પાર કરી ગયા હશે. આ દેશના સમજદાર અને સંવેદનશીલ નાગરિકો મને જાણ છે કે એમાંના કેટલાયે ઊંચા સરકારી હોદ્દા પર છે, પોલીસ ખાતામાં છે અને શિક્ષણમાં તો છે જ છે. છેલ્લાં દસ વર્ષથી તો વ્યક્તિત્વવિકાસની શિબિરોમાં નિયમિત જવાનું થાય છે. નિવૃત્તિ પછીયે. આખા રાજ્યનાં છોકરાંઓ હોય. એમ ગણીએ તો કેટકેટલાંને સાવ નજીકથી જાણ્યાં. એ સુનયના ને શબનમ, પેલો નીરવ અને ગૌતમ, લીલી અને તસનીમ, સતબિન્દર અને બૅપ્સી, ફરહાના અને થૉમસ... નથી નામ ભૂલી, નથી ચહેરા. આમાંથી કોઈ પણ રસ્તે ભેટી જાય તો એ જ ઉમળકો, એ જ સ્નેહાદર. મારો હાથ એ બધાંમાંથી કોઈ પણ પકડે તો એમાં વહેતા લોહીની ઉષ્માને રીતસર અડી શકું. એ તમામ કંઈ આ શહેર છોડીને જતા નથી રહ્યા. પ્રત્યેક પીરિયડની દસ મિનિટ ઊંચાં મૂલ્યોની ભીતર પ્રવેશ માટે. માણસ બનાવવાનું કામ હતું, જવાબદારીની ખબર હતી મને. બે દિવસ મેં રાહ જોઈ હતી. કોઈક આવશે ને કહેશે કે આ ખોટું થાય છે, ચાલો રોકવાની કોશિશ કરીએ. કોઈક કહેશે કે રાજીનામું તૈયાર રાખ્યું છે પણ કશું ન કરવાની વાત નહીં કબૂલ કરું. પાંચેક જણને તો પાછળ પડીને મેં જ ઘેર બોલાવ્યાં.&lt;br /&gt;
– ન જવાય બહેન, આવામાં નીકળાય જ નહીં. પોલીસ જ પકડીને ગોંધી દેશે. &lt;br /&gt;
–  આવો વિચાર તમને અત્યારે આવ્યો જ શી રીતે મૅડમ, ટોળાંને તો માથું હોય જ નહીં અને જેને માથું ન હોય એની સાથે ખટપટમાં પડાય જ નહીં.&lt;br /&gt;
– ઇટ ઇઝ યુઝલેસ, મૅ’મ, નૉ પૉઈન્ટ ઇન ડુઇંગ એનીથિન્ગ...&lt;br /&gt;
– દિલ્હી ફોન કરીએ. અહીં તો ટોટલ કૅઓસ છે.&lt;br /&gt;
– આપણી ગુજરાતી ફિલ્મોનાં તો હીરો-હિરોઈન બી નક્કામાં. એ પાઘડાં-ઓઢણીવાળાં આવે ટાણેય ખપનાં નહીં. બાકી બોલિવુડમાંથી કોઈ આવી જાય ને ભાષણબાષણ ફટકારે તો વખત છે ને તોફાન અટકેય ખરાં!&lt;br /&gt;
– પણ રવિન્‌, તું તો સ્વૈચ્છિક સંગઠનોમાં અને ગાંધીવાદી કાર્યકરોમાં ઘણો સક્રિય છે. એ બધાંને ભેગાં ન કરી શકાય? ને સ્ત્રીઓને એકઠી કરવામાં તો લીલી, શબનમ, રચના બધાં જ મદદ કરી શકે.&lt;br /&gt;
– સ્ત્રીઓને ભેગી નહીં કરી શકાય બહેન, એમનાં ભેજાંનો કચરો તમે નથી જોયો એ સારું જ છે. આ આખી ને આખી સોસાયટીઓ સળગાવી ત્યારે અગાશીની પાળે બેસીને નિરાંતે જોતી’તી કેટલીયે બાઈઓ, કોઈના પેટનું પાણી ખળભળ્યું નથી ત્યારે!&lt;br /&gt;
– ને મૅડમ, માણસોને જલાવી દેતાં ટોળામાંથી જે પાંચ પકડાયા છોડાવવા પોલીસચોકીને ઘેરો ઘાલ્યો હતો આઠ હજાર સ્ત્રીઓએ, હાય હાય બોલાવે ત્યાં લગી તો ઠીક, એમને મોંએ ગાળો નીકળી છે... તોબા તોબા...&lt;br /&gt;
પછી મેં પ્રયત્નો છોડી દીધા. કરફયુમાંં રંજન અને અલકા નવરાં પડ્યાં  એટલે રસોડામાં સમય ગાળે. કેક ડેકોરેશન કરતાં રંજન બોલી હતી કે પુઅર મમ્મા, આટલી શિબિરો કરી પણ રમખાણોમાં શાંતિ સ્થાપવા પાંચ જણ પણ ન આવ્યા એને મદદ કરવા. માજી અંદર કોઈક સ્વામીજીની કૅસેટ સાંભળતાં હતાં. સમય આને પર જો હમેં બલ દેતા હૈ, સત્ય, ન્યાય ઔર પ્રેમ કે પથ પર ચલને કી શક્તિ દેતા હૈ વહી ધર્મ હૈ... ધર્મ ન મંદિર મેં બંધ હૈ ન હી કોઈ...&lt;br /&gt;
ફોનની રિંગ. મને ખબર જ હતી એ કોનો ફોન હતો. જયંતભાઈ. ભયના ઘેરામાં ભીંસાયેલો અવાજ, ઉતાવળો, બેબાકળો.&lt;br /&gt;
–  આ લોકોને મોકલું છું. લગભગ પંદરેક જણ છે. વ્યવસ્થા થશે ને?&lt;br /&gt;
– કરીશ. કરવાની જ હોય.&lt;br /&gt;
– ખબર આપી દીધી છે. આવે તો સારી વાત છે. રિસિવર હેઠું. સન્નાટો ચસોચસ કોઈ કંઈ બોલ્યું નહીં.&lt;br /&gt;
– કાયમ આપણે જ માર ખાઈએ છીએ એમ નહીં. કોઈક વાર આપણેય... હું દાઝી ગઈ. મારું જ લોહી હતું. મેં જ મોટો કરેલો પ્રણવ. જેને ભોંય પરનાં ઝીણાં ફૂલો જોતાં અને કીડી પણ કચરાય નહીં એ રીતે ચાલતાં શીખવેલું અને રોજેરોજ આંગળી ચીંધીને આકાશ કેટલું વિશાળ છે તે દેખાડેલું.&lt;br /&gt;
બોલવાનું શું હોય? સાઠ પસાર કરી ચૂકેલી એક સામાન્ય શિક્ષિકા. પેલા મહાશક્તિશાળી, તંતોતંત સાચા સમર્પિત માણસનું વર્ષોનું તપ એળે ગયું હતું તો મારી કોઈ વિસાત નહીં.&lt;br /&gt;
– દાદીમા, હમણાં આવશે દસપંદર જણ આપણે ઘેર...&lt;br /&gt;
– મરજાદીના ઘરમાં માંસાહારીઓ...&lt;br /&gt;
– તે તમારા પૂર્વજો નહોતા ખાતા માંસ?&lt;br /&gt;
રંજનની દલીલ. એને દલીલો કરવાની ગમ્મત પડતી. પોલીસ આવી જાય તો પીડા નહીં. અગ્નિપરીક્ષા આપવાની વખત જ ન આવે. બધું સચવાઈ જાય. એમણે મારી મથામણ જાણી લીધી. અને ફોનને વળગી પડ્યા.&lt;br /&gt;
– કંઈ કરોને યાર ઝડપથી. અફવા કે સાચું જે હોય તે. માત્ર અફવા માની લઈએ તો મૂરખ ઠરીએ. અત્યારે તો સાચું માનીને જ ચાલવું પડે... &lt;br /&gt;
– ‘પ્રદેશ પ્રહરી’માંથી? ત્યાં સાવલિવા છે? જરા આપો તો પ્લીઝ...&lt;br /&gt;
– કોણ ગણેશભાઈ? તમે પોલીસચોકીએ જઈને જરા આટલું કરોને... ને તરત જ, ઇમર્જન્સી ગણજો.&lt;br /&gt;
કોઈકે ઊઠીને બારણાં બંધ કર્યાં. શા માટે બંધ કર્યાં? હમણાં એ બધાં આવી પહોંચશે. ઉપરના રૂમમાં અને બાલ્કનીમાં પંદરેક તો આરામથી સમાઈ શકશે. થોડાંક તો છોકરાંઓ હશે એટલે વાંધો નહીં આવે. પાણી પૂરતું છે. બિસ્કિટ પણ પડ્યાં છે.&lt;br /&gt;
એમણે પાંચ-છ ફોન કર્યા હશે ફટાફટ. પછી કહે કે લો થઈ ગઈ વ્યવસ્થા. હવે હોમમિનિસ્ટરને કોઈ ધર્મસંકટ નહીં નડે. આ ઘડીએ પોલીસ આવશે.&lt;br /&gt;
કોણે કહ્યું કે હું ધર્મસંકટમાં હતી? માણસાઈથી બીજો કોઈ ધર્મ મારો નથી એમ મારે બોલવું હતું પણ એ શબ્દો અત્યારે અસંબદ્ધ લાગ્યા.&lt;br /&gt;
વાગ્યા હતા તો સાડાનવ પણ બહારનું અંધારું બહુ ડરાવતું હતું. સ્ટ્રીટલાઇટો તોફાનીઓએ આગળ જ તોડી હતી એટલે ઘરમાંથી જે પ્રકાશ બહાર રેલાય તે જ. ઓટલા પર પડતી નાની બારી જ ખુલ્લી રાખી હતી. દૂર દૂરથી અવાજો આવ્યા કરતા હતા. પ્રાગ્‌ઐતિહાસિક કાળના ગુફામાનવો સમૂહમાં શિકારે નીકળ્યા હોય એવા. માજીનો હનુમાનચાલીસાનો પાઠ ચાલતો હતો. સમય ચૂકતાં નહીં પાઠનો. એ અધીરા થઈ આમતેમ આંટા મારતા હતા અને પોતે આટઆટલા ફોન કર્યા છતાં કોઈ દોડી ન આવ્યું એનો બળાપો કરતા હતા. બારીમાંથી જરા ડોકું કાઢીને પ્રણવ ચોમેર જોતો હતો, અંધારું ભેદીને&lt;br /&gt;
– આવે છે, આવે છે એ લોકો...&lt;br /&gt;
– કોણ પોલીસને? હું નહોતો કહેતો! તમે અમથાં જ ગભરાઈ જાવ!&lt;br /&gt;
– અરે પોલીસ નહીં, ટોળાંઓ જુઓ સળગતા કાકડા અંધારામાં .&lt;br /&gt;
આંગળીઓ થીજી ગઈ હતી તો પણ વંદનાબહેનને ફોન જોડ્યો. બીકથી અવાજ થોથવાતો હતો.&lt;br /&gt;
– રોકો, રોકો, એમને ત્યાં જ રોકો. આ તરફ તો ટોળાંઓ આવી લાગ્યાં છે.&lt;br /&gt;
– અરે પણ એ તો અહીંથી નીકળી ગયા છે. ક્યાંક રસ્તે જ હશે અધવચ્ચે હવે?&lt;br /&gt;
– ઓ મા! પેલાંઓને બચાવો. પ્રણવ. જલદી... તમે ચાલો મારી જોડે, આપણે ત્યાં પહોંચી જઈએ...&lt;br /&gt;
– ને એમણે મને જકડી લીધી. મુશ્કેટાટ.&lt;br /&gt;
– ગાંડી થા મા! ન જવાય ત્યાં ટોળાં તારું કહેલું નહીં માને. મરી જઈશ તોયે નહીં માને...&lt;br /&gt;
– તો ભલે. આમ બેસી રહેવા કરતાં છો મરી જવાતું!&lt;br /&gt;
– જરા નૉર્મલ માણસની જેમ વરતો મમ્મા, ટોળાંની વચ્ચે એમ દોડી ન જવાય. અત્યાર સુધીમાં કોઈ ગયું હોય એમ સાંભળ્યું છે તમે? તમને એમ લાગે છે કે એ ચિચિયારી પાડતાં ભૂતો તમારી વાત સાંભળશે? એ કંઈ આઠમા ધોરણનો ક્લાસ નથી!&lt;br /&gt;
પછીની ખેંચતાણની વિગતો આપવામાં સાર નથી. પાંચદસ મિનિટમાં તો પિશાચી કોલાહલ અને ભયથી લથબથ ચીસોથી ઘરની દીવાલને ભૂકંપના ઝટકા લાગ્યા.&lt;br /&gt;
– લે, નીકળ્યાં હોત તોયે પહોંચાયું ન હોત. હવે જીત બાળવાનો છે કશો અર્થ?&lt;br /&gt;
બહાર ધુમાડાના ગોટેગોટા, બકરીઓની વ્યાકુળ ભાગદોડ, કૂતરાંની ભસાભસ અને લબકારા લેતા ભડકાઓ, હવામાં પેટ્રોલ, કેરોસીનની અને બળતાં કપડાં સાથે માનવશરીરની ગંધ...&lt;br /&gt;
– બારી તો બંધ કરો હવે!&lt;br /&gt;
– મમ્મા, મમ્મા, આ તો બેભાન થઈ ગઈ કે શું?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ના, બેભાન નહોતી થઈ. માત્ર શરીર ખોટું પડી ગયેલું, લકવો થયો હોય એમ. અમે કોઈએ એકમેક સાથે વાત કરી નહીં. અજાણ્યાં થઈને પડી રહ્યાં. રાત પૂરી થાય એની વાટ જોતાં.&lt;br /&gt;
એ બિહામણી રાત પૂરી તો થઈ પણ સવાર ન પડી. એ વાદળછાયા દિવસે સૂરજ નીક્ળ્યો જ નહીં. કરફ્યુ હતો એટલે સહુ ઘરમાં અટવાતાં રહ્યાં. પોતપોતાનો તાપ લઈને બળતાં. મોડેથી વંદનાબહેનનો ફોન આવ્યો. કાદરભાઈનું આખું કુટુંબ અને એમની જોડે નીકળેલાં બીજાં પણ રાતના બનાવમાં... એ કહેતાં રહ્યાં...&lt;br /&gt;
– હું ને જયંત દોડ્યાં પણ અમને ધક્કે ચડાવીને જ એ લોકો એ... સુમનભાઈને ત્યાંથી અમને મદદ કરવા કોઈ આવે એવા વિચારે દોડ્યાં. એમનું ઘર તો બહારથી જ બંધ કરી દીધું બદમાશોએ...&lt;br /&gt;
મેં ફોન મૂકી દીધો. &lt;br /&gt;
ત્યારથી બોલેલા અને સાંભળેલા, લખેલા અને વાંચેલા શબ્દો મારી સામે ફાંસીને દોરડે લટકતા શબ જેવા ટીંગાય છે. બોલું છું ત્યારે કોઈ શબ્દ સમજાતો નથી, લખું છું ત્યારે એનો અર્થ એની સાથે જતો નથી. આ રમત હવે ચાલુ નથી રાખવી. દસમાની પરીક્ષામાં સંજના નપાસ થઈ ત્યારે એણે આત્મહત્યા કરેલી. એને ઘેર આશ્વાસન આપવા ગઈ ત્યારે હું બોલી હતી કે સંજના મને મળવા આવી હોત તો સારું થાત.&lt;br /&gt;
આજે હું કોઈની પાસે જઈ શકું એમ નથી. મેં કાલે રાતે જે જોયું એવું ફરી જોવું નથી. આજે રાતે હું જીવન પર પૂર્ણવિરામ મૂકીશ, જીવવાની લાયકાત મેં ગઈ રાતે ગુમાવી દીધી છે માટે. આજે રાતે હું–&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કિંમત&lt;br /&gt;
|next = સજા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4&amp;diff=112855</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/કિંમત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4&amp;diff=112855"/>
		<updated>2026-07-20T02:48:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| કિંમત  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને સ્ટેશન તરફ ખૂલતી સાંકડી ગલીઓ લગી, એક કતારમાં ઊભેલી એમની ખોબા જેવડી ઓરડીઓમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ફેલાયા તે સાથે વાતાવરણમાં હલચલ મચી ગઈ. સમાચાર કંઈ સાધારણ તો હતા નહીં.&lt;br /&gt;
જમાનાઓથી એ બધાં અહીં જ, આ ગલીઓમાં જ એમનો ધંધો, જમનાબાઈ જાય ને કલાબાઈ આવે કે ચંદ્રિકા આવે અને મોનીકા જાય, મૂળ તો કશો ફેર નહીં. ચારપાંચ ખોલી તો વળી એવી પણ હતી જેમાં મૌસી ગંગાકિનારે ગઈ હોય કે કોઈ તીરથધામમાં પડી રહી હોય અને અહીં એના હાથ નીચે તૈયાર થયેલી કોઈ ચંપાકલી કે સોના-રૂપા બરાબર ધંધો જમાવી, મૌસીને નિયમિત મનીઑર્ડર મોકલતી હોય. તે બધું તો ઠીક, પણ આવા લિજ્જતદાર સમાચાર એમના ભણી કદી ફરક્યા નહોતા. એમનામાંની જ એક, અહીં જ અટવાતી, બારીએ ચહેરો ટાંગીને બેસતી અને ફેરિયાને બોલાવી સસ્તા કીમ-લિપસ્ટિક ખરીદતી, અઠવાડિયામાં બે વાર નિયમિત અબ્દુલની લારી પર મટન-સમોસાના સિસકારા બોલાવતી મોહના ફિલમના પડદે દેખાવાની હતી અને આ કોઈ અફવા નહોતી. સાવ સાચી, ટકોરાબંધ હકીકત હતી.&lt;br /&gt;
મોહનાની મૌસીનાં ગલોફાં તો ફૂલેલાં જ રહેતાં હતાં હમણાં હમણાં. આવી મજેદાર વાત રસઝરતા હોઠથી જ કહેવાય એટલું તો એ જાણે બરાબર. પાન સરસ રીતે ગોઠવી, નજાકતથી આંગળી બહાર લાવે મોંમાંથી.&lt;br /&gt;
– ફોટુ નિકાલા હતા ને અપની મુન્નીકી પાર્ટી પર. બસ તે ફોટુ ફિલમવાલાએ જોઈ લીધા. ગનીની પહેચાનમાં હતા તે ફિલમવાલા. મોન્નાના ફિગર પર ફિદા બોલા કે મોન્નાની હાઇટ ને ઉસકી હિરોઈનકી હાઇટ એકદમ એક સરીખી, ઈંચેઈંચ&lt;br /&gt;
– ભઈ કમાલ થઈ ગઈ. અપન તો ધંધામાં નઈ નઈ તો બી પંદ્રા સાલથી છીએ. ચુસ્તી બી નથી બદનમાં અવે તો. મોન્ના તો જેસે હલકી છોકરી. અતાપતા પૂછતી અજનબી જૈસી. તે ફટ કરીને ફિલમ લાઇનમાં... નસીબ કી બાત હૈ.&lt;br /&gt;
– મોહના, આતા આમાલા પાર્ટી પાયજે.&lt;br /&gt;
હોઠ વચ્ચે દુપટ્ટો દાબી, લટને કાન પાછળ ધકેલતી, આમળતી મોહના મલકાતી રહી, સવારથી સાંજ સુધી. ફિલમવાળું કંઈ પાકું નહોતું થયું, છતાં એ સાચું હતું કે કો’કે માસીને સંદેશો મોકલ્યો હતો. લાલાજી અને ગની મારફત. માત્ર ઉપર ઉપરથી વાત થઈ હતી. પૂછપરછ સુધી આવીને અટક્યું હતું. મોહનાના થોડા ફોટા લીધા હતા. બે દિવસ પછી ગોઠવાશે અને વધારે વાતચીત થશે એમ બોલેલા. હિરોઈનને ફોટા બતાવવાના છે એવું એકાદ વાક્ય પણ વચ્ચે આવી ગયેલું. મોહના ખીલી ગઈ હતી. આખેઆખી. &lt;br /&gt;
– એ તેરેકુ ક્યા બનાયેગે યે લોગ? શાયદ હિરોઈનકી સહેલી યા તો ફિર...&lt;br /&gt;
– એમ કંઈ હિરોઈનની સહેલી ના બનાય એમાં તો ડાયલોગ બોલવા પડે, હિરોઈનની સહેલી બહેરી મૂંગી તો હોય નહીં... &lt;br /&gt;
– હોય બી ખરી, કેમ નથી હોતી એવી કોઈ?&lt;br /&gt;
– હોતા હૈ, મગર ફિલમમેં નહીં..&lt;br /&gt;
સવારે ડાઘાડૂઘીવાળા અરીસા સામે મોહનાએ શકલ જોઈ પોતાની. આ શકલ હવે કદાચ આખા ઇન્ડિયામાં લોકો જોવાના હતા. સાલા પેલા ખવીસને હવે ખબર પડશે, દસ હજારમાં વેચી ગયો ભડવો તે રહ્યો હવા ખાતો... એટલા પૈસા તો હવે મારે ત્યાં કામ કરતા માણસોને પગારમાં... એક વાર ફિલમ લાઇનમાં ગયા એટલે નાનું-મોટું કામ મળ્યા કરે. આપડે કંઈ ભાવ ખાવા નથી. નાનાં નાનાં કામમાં એક્સ્ટ્રાની જરૂર પડે તોયે બે પાંચ હજાર તો મળતા જ રહે. છોટામોટા સીન કરતા રહેવાનું... મગર શકલ ઠીકઠાક રાખવાની હવે. ક્રીમ-મસાજ બધું રેગુલર કરવું પડે. મૌસીને કહી દેવાય કે ખાવાપીવામાં જૈસાતૈસા ચાલે નહીં. સબજી તાજી, ગાજર ટમાટર ચાહીયે. દહીં મંગતા, દૂધ ન સહી. કાલે ફિલમવાલા આવે ત્યારે ગ્રીન સાડી. બ્લાઉસનું ફીટિંગ જામતું નથી. કાલે તો ઢાંકી દેવાય. પછી નવાં કરાવી લેશું. એક વાર નક્કી થાય એટલે કપડાં માટે મૌસી પૈસા આપે વધારે. આમ બી ખુશ છે. મોન્ના બેટી મોન્ના બેટી તો થવા જ લાગ્યું છે. એક બે સાલ પૈસા કમાઈ લેવાય તો અહીં કોણ રહેવાનું પછી...&lt;br /&gt;
ફિલમવાળા આવવાના હતા તો એક ખોલીમાં, પણ ઊંઘ કોઈને ન આવી. આમેય રાતને દિવસમાં પલટી જતાં અહીં વાર ન લાગે. આવનજાવન સતત ચાલે, પાનના ગલ્લા મધરાત પછી માંડ ઠંડા પડે ન પડે કે મળસ્કે ધમધમતા. સિગારેટ-પાનમસાલાની ઘરાકી તો ચાલુ જ રહે. લાલ કેસરિયા છાંટણાં વિનાની એકેય ઓટલો કે દીવાલ આ તરફ જોવા ન મળે. તેમાં ભળ્યા ચગળવા ગમે તેવા આ ખબર, સુધારાવધારા સાથે રેલાતા, ફેલાતા બેય નાકે અને પડખેની બધી ગલીકૂંચીઓમાં પહોંચી ગયા. જ્યાં પહોંચ્યા ત્યાં એનો રંગ જામતો થયો.&lt;br /&gt;
– મોહના સાલી નસીબવાળી છે. બાકી એનામાં એવું કંઈ છે નહીં. શકલ એકદમ ગમી જાય તેવી થોડી છે એની? એમ તી સુંદરી જુવોને નેપાલવાળી...&lt;br /&gt;
– હા, ઠીક બતાયા. સુંદરી મસ્ત છે એકદમ, ગુલાબી ગુલાબી છે પાછી. પહેલે સે જ ફિલમસ્ટાર. &lt;br /&gt;
– પણ તે બુટકી આહે. આણી પ્લમ્પ...&lt;br /&gt;
– તો ક્યા, જ્યાદા અચ્છી દીખ ૨હી હૈ ઈસસે તો....&lt;br /&gt;
– અપને કો ક્યા? મોન્નાકો ભી પતા ચલેગા. ફિલમવાળા કોઈ શરીફ હોતા નથી. પૈસા ભી બરાબર દેવે તો અચ્છા...&lt;br /&gt;
રેશ્મા અને સલમાને તો હજી એ બાબતનો જ પસ્તાવો થતો હતો કે મુન્નીની પાર્ટીમાં એ બંને શા સારું ગયાં નહીં. ગયાં હોત ને વળી નસીબ જોર કરતું હોત તો દેખાવ તો એમનોયે ક્યાં ખોટો હતો? મોહના કરતાં થોડો ચડિયાતો કહેવાય એવું કેટલાં બધાં કહેતાં હતાં. મોહનાની આંખો થોડી ફાંગી છે. ધ્યાનથી જોઈએ તો તરત ખબર પડી જાય. મૌસીઓએ તો કહેવા જ માંડ્યું છે કે મોહના સવિતાબાઈને માથે બિન્ધાસ્ત છાણાં થાપવાની.&lt;br /&gt;
સવિતાબાઈ તો હરખાઈને ઘેલી થાય છે અને રૂપિયાના ઢગ પગ પાસે જોયા કરે છે. જાડી મૌસી પછી માથું પકડીને રોવાની છે. મોહના તો પાછું વાળીને જુવે તેવી નથી. એક વાર ચલી ગઈ ફિર દેખના મજા...&lt;br /&gt;
દમામદાર લોકો માટે સરભરાની તેવી જ જોગવાઈ કરેલી. એમાં તો મૌસીને કહેવું ના પડે. ફારૂકને ત્યાંથી જ નક્કી કરેલી આઇટમ આવે એવું, ઉપરથી આઇસક્રીમ, સાદો નહીં, કેસર પિસ્તાનો. માળિયાની પેટીઓ ખોલાવી નવા પડદા લગાવડાવ્યા હતા મૌસીએ. બીજી કચરાપટ્ટી મોટા પલંગ નીચે ધકેલી મોટી નવી ચાદર એવી પાથરી દીધી કે ઠેઠ શેતરંજીને અડે. આ તો ઉપર ઉપરની મુલાકાત હતી, પછી સહી-સિક્કા ને બધું તો મોટી હોટલમાં થવાનું હતું. ઠાઠમાઠમાં જ તો થાય એવું. અહીંની ગલીકૂંચીમાં એવા લોક કંઈ વારંવાર આવે નહીં.&lt;br /&gt;
મોહનાને તો પુલ પાસેના બ્યુટીપાર્લરમાં જવું હતું. ચંદ્રિકા અને સુનિતા ત્યાં જતાં કોઈક ખાસ પ્રસંગ હોય તો અને બહુ વખાણ કરતાં. સરસ તૈયાર થયાં હોઈએ તો ફેર પડે જરા, પણ મૌસીએ ના પાડી. બહુ વાર લાગે એમ કહીકહીને. પછી એ લોકો થોડા વહેલા આવી જાય તો મુસીબત થઈ જાય. મોહના એના ડાઘાડૂઘીવાળા ઝાંખા અરીસામાં જોઈને જ તૈયાર થઈ. કાલીએ એની બહારથી મળેલી લિપસ્ટિક લગાડવા આપી. સાડી પહેરવામાં ઠીકઠીક વખત ગયો, ચળકતું રેશમી કપડું શરીર પર રહેવા કરતાં ભોંય પર ઢગલો થવા જ બન્યું હોય તેમ ઘડી ઘડી આંગળીઓની પકડમાંથી છટકી પડતું હતું. &lt;br /&gt;
– પાછળ દાદર પાસે બેસી રે’જો તમે બધી. બોલાવ્યા વગર કોઈએ આવવાનું નથી. પડદા પાછળથી ડોકાં કાઢવાનાં નથી.&lt;br /&gt;
બધાં હાહાઠીઠી કરતાં આઘાંપાછાં થઈ ગયાં. ગમ્મત પડતી હતી ને સાવ નવું લાગતું હતું. આવું તો, જુદી ઉત્તેજના, અપરિચિત એવી.&lt;br /&gt;
બપોર થતાંમાં તો સવિતાબાઈએ બારીએથી વાંકા વળી વળીને ચાર રસ્તાના નાકા તરફ નજરને દોડાવી. મોહના પણ જરા હતાશ થઈ ગઈ. તાજો ચહેરો થાકેલો દેખાય તે તો ખોટું જ. તૈયાર થઈ બેઠાંને નહીં નહીં તોયે બે કલાક ઉપર થયા હશે. કદાચ કોઈ બીજી વધારે સારી દેખાઈ ગઈ હોય તો – છોકરીઓની તો લાંબી કતાર હોય છે ફિલમમાં જવા માટે, એવી માહિતી એની પાસે હતી. કદાચ લાલાજી અને ગની અમથા અમથા જ બધું કરતા હોય, આવી કોઈ ફિલમ બિલમ – પણ તો પછી એ લોકો કેટલા બધા ફોટા લઈ ગયા... સાવ ખાલીખાલી કોઈ એવું કરે?&lt;br /&gt;
– લટ આમળીઆમળીને માથું જો કર્યું તે... કેવું સરસ ઓળેલું હતું... &lt;br /&gt;
મૌસીએ જરા લાડથી એને ટપારી. મોહનાએ લટ કાન પાછળ ધકેલી દીધી ને ત્યાં જ એક સફેદ મોટર ચાર રસ્તાને નાકે આવી ઊભી રહી. બે જણ – ગૉગલ્સવાળા – લાલાજી સંગાથે અંદરથી નીકળ્યા. સીધા મૌસીના ઘર તરફ. મોહના હરખથી હવામાં ફરફરવા લાગી. મોહનાની સાથે સીધી જ વાતચીત થઈ, ગૉગલ્સવાળાઓએ કરી. લાલાજી વચ્ચે વચ્ચે બોલે, જરૂર પડે ત્યાં.&lt;br /&gt;
– સૂચના પ્રમાણે કામ કરવું પડે. નખરાં ન ચાલે. પહેલેથી ચોખવટ કરી લઈએ તો ઠીક. સીન જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે કરવાનું બરાબર છે? &lt;br /&gt;
મોહનાએ હા પાડી, ડોક હલાવીને, તોયે સંતોષ ન થયો હોય તેમ ફરી આ જ સવાલ જુદી જુદી રીતે પુછાયો. એટલે મોહનાએ સવિતાબાઈના કાનમાં કહ્યું કે એને જાણવાની ઇચ્છા છે, કેવા પ્રકારનું કામ છે ફિલમમાં તે...&lt;br /&gt;
– કામ કે બારેમેં મોન્ના પૂછ રહી’થી. ક્યો મોન્ના? ડર મત પૂછ તેરે કુ જો પૂછના હૈ...&lt;br /&gt;
– અબ એકસ્ટ્રા હૈ ઇતના તો સમજ લીજિયે, પૈસે આપકો બરાબર મિલેંગે જીસ પ્રકાર કા કામ હૈ, ઉસકે મુતાબિક પૈસે તો મિલેંગે... લાલાજી કો પૂછો. &lt;br /&gt;
– હાં...હાં... વો તો સબ સમજ લિયા. મોન્ના તો હુશિયાર હૈ. દુબારા બતાના નહીં પડેગા. ફિર ભી ઉસે કરના ક્યા હૈ વો અભી સે પતા ચલે તો...&lt;br /&gt;
– દેખિયે જી, મોહનાજી કી હાઇટ ઔર ફિગર બિલકુલ હમારી હિરોઈનસે મિલતેઝુલતે હૈ... પીછે સે તો પતા હી નહીં ચલતા ઇતના મેલ... એકદમ કાર્બન કાપી...&lt;br /&gt;
– તો?&lt;br /&gt;
– અબ ફિલમમેં એક સીન ક્યા હૈ કી ગાંવ કે બદમાશ લોગ હિરોઈન કો પરેશાન કરતે હૈ... ઉસકે પીછે પડે હે સબ... સરે બાજાર ઉસકે કપડે ઉતાર લેતે હૈ... એક એક કરકે સબ...&lt;br /&gt;
– નહીં નહીં... આપકે લિયે હિચકિચાહટવાલી તો કોઈ બાત હી નહીં હૈ... પૂરા શૉટ હમ પીછે સે લેંગે, ખૂબીસે, શકલ તો દિખાની નહીં હૈ... અબ કિસકો પતા ચલનેવાલા હૈ કી યે કૌન હૈ?&lt;br /&gt;
– હિરોઈનને સાફ બોલા. યે શોટ દેનેમેં તકલીફ હૈ ઉનકો. બિલકુલ હી તૈયાર નહીં. અચ્છા તો યે હુવા કે મોહનાજીકી હાઇટ ઔર પૂરા ફિગર બરાબર હિરોઈન કે સાથ...&lt;br /&gt;
સવિતાબાઈએ મોહના સામે જોયું. મોહના બંગડીઓ પર આંગળી ફેરવી રહી હતી.&lt;br /&gt;
– પૈસે જો ચાહો મિલેંગે. પરેશાની કી બાત નહીં હૈ કોઈ. ભીડમેં બસ ચલે જાના હૈ, શોટ પીછે સે, બાલ હવામેં ઊડ રહે હૈ, બદનપે કુછ નહીં... સિર્ફ પાંચ મિનટકા કામ....&lt;br /&gt;
લાલાજી અને ગની હવે પ્રોત્સાહન આપવા માટે મીઠું મીઠું-ધીમું ધીમું – એમની ખાસ ઢબે બોલવા લાગ્યા. એ લોકો સાથે રહેશે, મોહનાને કોઈ પરેશાની નહીં થાય, ટૅક્સીમાં જવાનું ને આવવાનું. ઘણું નવું નવું જોવા મળશે, સારું લાગશે. મોહના સાંભળતી રહી, જવાબ આપ્યા વગર.&lt;br /&gt;
– તો ફાઇનલ સમજેં અબ? કલ રકમ મિલ જાયેગી, જો તય કર લો. બતા દીજીયે ક્યા દેના હૈ હમેં. ક્યોંકી જરૂરત તો હમેં હૈ હી... હમારા બહોત ઈમ્પાર્ટન્ટ સીન હૈ...&lt;br /&gt;
પડદાની આરપાર જોવા મથતી મોહનાને મૌસીએ ઢંઢોળી.&lt;br /&gt;
– દેખ, કામ મેં તો દમ નહીં. પૈસે જરૂર મિલેંગે યે સચ હૈ. એક બાર કોઈ દેખ લે તો કભી ચાન્સ મીલ ભી સકતા હૈ. માયુસ હોનેકી જરૂરત નહીં. જાયેગી?&lt;br /&gt;
મોહના બેસી રહી, નિરુત્તર.&lt;br /&gt;
મૌસીએ એને ખભે હાથ મૂકી કાનમાં પૂછ્યું :&lt;br /&gt;
– દસ હજારમેં કરેગી કી જ્યાદા બતાયેં? તે ખુદ હી બતા દે અપની કિંમત...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અગિયારમો પત્ર&lt;br /&gt;
|next = આજે રાતે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%85%E0%AA%97%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0&amp;diff=112854</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/અગિયારમો પત્ર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%85%E0%AA%97%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0&amp;diff=112854"/>
		<updated>2026-07-20T02:47:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| અગિયારમો પત્ર  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંબોધન વગરનો આ પત્ર બાજુ પર મૂકી ન દેતાં, પ્લીઝ... જરા લાંબો છે તોયે ધીરજ રાખીને વાંચજો. તમને લખું લખું કરતાં પૂરાં ત્રણ વર્ષ જવા દીધાં છે. કેટલાં, પંચાવન થયાં તમને? હું તો તમારાંથી બારેક વર્ષ મોટી છું. બે દિવસ પછી સડસઠ પૂરાં કરીશ. એ પહેલાં આ પત્ર તમને પહોંચાડવાનો દૃઢ નિર્ધાર છે જ. રાતના સાડા અગિયાર વાગ્યા છે અને આમ તો મારે ઊંઘવાનો સમય ક્યારનોયે વીતી ગયો છે છતાં આજે તો આટલું લખીને જ આંખ બંધ કરીશ.&lt;br /&gt;
તમે મને ઓળખો છો. દીઠે પણ અને નામથી પણ. આપણો પહેલો પરિચય ત્રિલોકજીને ત્યાં થયેલો. યાદ છે તમને? હું એ વખતે એમના સ્ટડીરૂમમાં જ હતી અને તમે ત્યાં આવેલાં. સરસ દેખાતાં હતાં તમે. તમે શા પ્રયોજને આવ્યાં હતાં એ બરાબર યાદ નથી રહ્યું. માત્ર એટલું જ યાદ છે કે તમે ખૂબ જ આત્મવિશ્વાસથી બોલતાં હતાં અને ત્રિલોકજીના અત્યંત પ્રભાવક વ્યક્તિત્વથી અંજાયા વિના પ્રવર્તતા હતા. ચશ્માં ટેબલ પર ગોઠવીને ત્રિલોકજીએ તમારી સામે જે રીતે જોયું હતું એ ક્ષણે જ મારું હૃદય ધબકારો ચૂકી ગયેલું. હું પામી ગયેલી કે આ માણસ હવે તમારી નજીક પહોંચી જવાનો, સો ટકા.&lt;br /&gt;
તમે તો પછી હાથ જોડીને તરત ઊભાં થઈ ગયાં હતાં. એ પહેલાં ત્રિલોકજીએ મારી ઓળખાણ કરાવેલી. એ ઘડીએ અસ્વસ્થ થવાનું કોઈ દેખીતું કારણ નહોતું છતાં હું જરા હચમચી ગયેલી. ત્રિલોકજીના હોઠમાંથી સરેલું અહોભાવભીનું એક નાનકડું વાક્ય કદાચ એ માટે જવાબદાર હોઈ શકે.&lt;br /&gt;
‘ગોલ્ડ મેડલિસ્ટ છે... સાત ભાષા જાણે છે...’ હશે. એ તે કઈ મોટી વાત? મેં ત્યારે આવું કશું વિચારવાની કોશિશ કરેલી. જોકે એમાં હું ખાસ સફળ થઈ નહોતી એ જાણે જુદી વાત.&lt;br /&gt;
પછી જે બન્યું એ આપણે બંને જાણીએ છીએ. ત્રિલોકજીના પ્રભાવમાંથી મુક્ત રહેવાનું તમારે માટે સાવ અશક્ય બની ગયું. એમ જ બનતું આવ્યું હતું વર્ષોથી. મારી બાબતમાં ત્રિલોકજીએ તમને શું કહ્યું હશે એની ખબર નથી, કદાચ એમ કહ્યું હોય કે મને પારિવારિક મુશ્કેલીમાં એમણે મોટી સહાય કરી છે, કદાચ એમ કહ્યું હોય કે મારા બાપુજીને એમની સાથે સારો સંબંધ હોવાથી આ શહેરમાં મારી જવાબદારી એમણે માથે લીધી છે અથવા તો પછી માત્ર એટલું જ કહ્યું હોય કે હું એમની નજીકની મિત્ર છું... જે હશે તે. એમણે જે કહ્યું તે તમે સ્વીકારી લીધું હોય, કે પછી એમ બન્યું હોય કે એમને માટેનું તમારું ખેંચાણ જ એટલું દુર્નિવાર હોય કે આવી બધી વિગતો તમને બિનજરૂરી અને ખંખેરી કાઢવા જેવી લાગી હોય. ત્રિલોકજીની આભા એવી જ હતી.&lt;br /&gt;
સાવ સાચું જ કહીશ, ત્રિલોકજીને તમારી નજીક આવતા જોઈને મને ભયંકર ગુસ્સો આવેલો. પણ એ થોડા સમય પૂરતો જ. શેષ રહ્યો તે વત્સલભાવ, મોટી ખરીને તમારાથી! મને સમજવામાં ગફલત ન કરતાં. આ કોઈ ગુરુતા ગ્રંથિમાં રાચતી વ્યક્તિના બોલ નથી. હું તો સામાન્ય જ રહી છું. આકાશમાં ઊડી શકું એવી નથી મારી કોઈ સિદ્ધિ કે નથી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા. ભણાય એટલું ભણી અને પછી સંશોધન ક્ષેત્રમાં ખૂંપી ગઈ. આરંભે જ ત્રિલોકજી મળી ગયા એટલે મારી કારકિર્દી એમણે ઘડી આપી એમ કહું તો કશી અતિશયોક્તિ નથી. એ દિવસોમાં ત્રિલોકજીનેય કદાચ મારી ચશ્માં ચડાવેલી બદામી આંખોનું આકર્ષણ હશે. હું તો, અલબત્ત, એમની બુદ્ધિમત્તા અને પ્રખર સર્જકતાથી અવાક્‌ બની ગયેલી. પાંચ-પચીસ ઘેલા જુવાનિયાઓ વચ્ચે વજનદાર અવાજમાં તર્કબદ્ધ દલીલો કરતો આ માણસ મને કોઈ કાળે લોકોત્તર લાગતો. યુગપુરુષથી જરીકે ઓછો નહીં. એમને હાથે કશુંક અદ્‌ભુત થવાનું છે એની ગળા સુધીની ખાતરી હતી મને તો. આ અસાધારણ પુરુષની નજીક હોવાની મોહિની વર્ણવું શું કરવા? તમેય જાણો જ છો ને! એટલે મેં જે અનુભવ્યું એની તમને નવાઈ ન લાગવી જોઈએ.&lt;br /&gt;
તમે આવ્યાં અને ત્રિલોકજીના જીવન પર છવાઈ ગયાં ત્યારેય એમનું કર્તવ્યભાન ઊંચું જ રહ્યું હતું. વાતચીતની કુમાશ, સહાયભૂત થવાની તત્પરતા, સહૃદયતા બંધુ અકબંધ. ફરિયાદનો મોકો ન મળે એવું ટકોરાબંધ અને છતાં મને એમ થઈ આવતું કે હું દૂર ધકેલાઈ રહી છું. બહાર કોઈને આ જણાય નહીં. હું પહેલાંની પેઠે જ ત્રિલોકજીને ત્યાં આવતી-જતી. જાણે કશું જ બદલાયું નથી એ રીતે. તમને તો યાદ હશે કે વીસમી સદી પૂરી થઈ એ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજાયેલો. આયોજન ત્રિલોકજીનું હતું. એ પ્રસંગે પ્રગટ થનારી સ્મરણિકાની જવાબદારી મારે માથે હતી અને ત્રિલોકજી તમને લઈને ફરતા. ક્યારેક કોઈ ઉદ્યોગપતિના સંકુલમાં તો ક્યારેક કોઈ અખબારના તંત્રી પાસે. એકાદ બે વખત તો શહેરથી દૂર આવેલા ફાર્મહાઉસ ભણીયે તમે જઈ આવેલાં. આ બધી દોડધામ કામ અંગેની છે એમ ઠસાવવા ત્રિલોકજીએ મરણિયા પ્રયત્નો કર્યા હતા. બિચારા! મૂળ તો આ તમારો સહવાસ મેળવવાની તરકીબ હતી એ તમારાથી અજાણ્યું તો નહીં જ રહ્યું હોય ને!&lt;br /&gt;
અસૂયા નહોતી થતી એવું ખોટું નહીં બોલું. શબ્દશઃ બળતરા થતી હતી, પણ ત્રિલોકજીની ખાસિયત હું જાણું. જો વિરોધ પ્રગટ થયો તો એ ન કરતા હોય તેયે કરવાના. એટલે ચૂપ જ રહી. ચહેરા પરની પ્રસન્નતા લેશ પણ ઝાંખી ન થાય એની કાળજી રાખવામાં તૂટી પડી. અસંતોષ કે અણગમો એકાદ આછી પાતળી રેખામાંય દેખાવા ન દીધો. મારા જમાનામાં હું અભિનય સારો કરી લેતી! અને દુઃખી થવામાં મારા અહંકારને ઠેસ પહોંચતી હતી...&lt;br /&gt;
એ દિવસોમાં ત્રિલોકજીના ઘરમાં એક પત્ની પણ વસતી હતી. તમે મળ્યાં જ હશો એને. પછી તો એ મૃત્યુ પામી. હૃદયરોગનો તીવ્ર હુમલો, સેવા ચાકરી કે ચિંતા, કશું ત્રિલોકજીને ભાગે આવવા ન દીધું. એણેય ત્રિલોકજીને બહુ સાચવેલા એટલે ત્રિલોકજીને ખાલીપો લાગે એ સ્વાભાવિક છે. શોકના આ દિવસોમાં વળી તમે ત્રિલોકજી તરફ વધારે ઢળ્યાં, હું તો એ ઘરની સાવ નજીકની વ્યક્તિ લેખે આ સઘળું જોતી રહી. તમારી હાજરીથી ત્રિલોકજીને શાતા મળે છે એવું સહુ સ્વીકારતા હતા. મેં પણ સ્વીકારી લીધું.&lt;br /&gt;
હવે મુખ્ય વાત. જે કહેવા આ પત્ર લખું છું તે. ત્રિલોકજીના અવસાન પછી, ચારેક મહિના ગયા બાદ, મને એમનાં બહેને બોલાવી. ત્રિલોકજીનું અપ્રગટ સાહિત્ય પુસ્તકરૂપે મૂકવાની એમની યોજના છે. ખાસ તો ત્રિલોકજી પાસે સચવાયા છે એ પત્રો. નેતાઓ, કલાકાર, દેશ વિદેશની નામાંકિત હસ્તીઓ અને સ્વજનોના પત્રો એક મોટી પેટી ભરીને છે, માનશો? ત્રિલોકજી એટલા સાજાસમા હતા કે એમના ચિત્તમાં આવો કોઈ વિચાર આવ્યો જ નહીં હોય બાકી તો એ આયોજનના માણસ, સૂચના આપ્યા વિના જાય નહીં. &lt;br /&gt;
– તો આ પેટીની સામગ્રી મારે વ્યવસ્થિત કરવાની છે અને પછી પત્રો પસંદ કરવાના છે. એમાં અંગત એવું ખાસ્સું છે, પણ ત્રિલોકજીનાં બહેન મને બહારની ગણતાં જ નથી. આ કામ માટે તમને કેમ ન બોલાવ્યાં એમ મનમાં લાવી રખે ખિન્ન થઈ જતાં!&lt;br /&gt;
પેટીમાંથી તમારા પત્રો નીકળ્યા છે, જેમ મારાયે નીકળ્યા જ છે. (એમની પત્નીનાયે છે જ... પણ એ બહારગામ હોય ત્યારે લખેલા. આપણે તો અહીંનાં અહીં છતાં યે...) હા, ચારેક કાગળ તમે વિદેશ ગયેલાં ત્યારે લખાયેલા છે એ ખરું. આ તમામ પત્રો વાંચવા એ કોઈ ઓછું તપ નથી. ત્રિલોકજીએ તમારા પત્રોને ક્રમ આપ્યો છે. દરેક કવર પર લાલ અક્ષરે આલેખેલો ક્રમ. આવા અગિયારમા પત્રમાં તમે લખો છો :&lt;br /&gt;
‘સુ. સાથે તમારા સંબંધો કેવળ શુદ્ધ મૈત્રીના રહ્યા છે અને એમાં સ્ત્રી-પુરુષ વચ્ચે હોય તેવા ખેંચાણનો સદંતર અભાવ છે એ જાણીને કેટલો રોમાંચ થયો છે એ શબ્દમાં શી રીતે દેખાડું? મને ખબર છે કે તમારા આ સંબંધને કારણે તમે કેટલી ટીકા વહોરી લીધી છે. તેજોદ્વેષથી પીડાતા માણસોએ તમને કનડવામાં પાછું વાળીને જોયું નથી. છતાં તમે ડરી નથી ગયા. પ્રતિષ્ઠાને હોડમાં મૂકીનેયે તમે તમારી મૈત્રી સાચવી છે, એનો આદર કર્યો છે. તમારી આ નૈતિક હિંમત અને પારદર્શક વ્યવહાર માટે મારા મનમાં એવી તો ઉત્કટ...’ &lt;br /&gt;
બસ, આપણને જેનો ખપ છે તે માત્ર આટલું. બાકી તમારી બિરદાવલી લાંબી છે. ભલે રહી એને ઠેકાણે.&lt;br /&gt;
મૃત્યુ પામેલી પ્રિય વ્યક્તિ માટે ખોટું બોલવું એ મારે મન અક્ષમ્ય અપરાધ છે. હું જે કહું છું એ સાચું છે એમ સ્વીકારજો અને તેમ કરવામાં મન આનાકાની કરે તો સીધાં મારી પાસે આવજો. મારી સચ્ચાઈની સાબિતી આપવા માટે ત્રિલોકજીના પત્રો મારી પાસે છે જ. વાંચી શકો છો તમે.&lt;br /&gt;
જે કબૂલાત કરું છું એ માટે તૈયાર રહેજો હવે. ત્રિલોકજીએ મારી સાથે બધા જ સંબંધો રાખ્યા હતા. છોછ વગર. અમારાં લગ્ન નહોતાં થયું એટલું જ. બાકી અમે સંસાર તો પૂરેપૂરો ભોગવ્યો છે. એમનાં પત્નીથી અમે અમારો સંબંધ સંતાડ્યો નહોતો. તમને એમણે શું કહ્યું હશે એ કલ્પી શકું છું. પણ એવું કેમ કહ્યું હશે એ સમજાતું નથી. એ દંભ કરી શકે એવા તો નહોતા જ. મારી સાથેના એમના સંબંધને કારણે તમે કદાચ એમની નજીક ન આવી શકો એવી એમને દહેશત હોય અને તમારે માટે એમને એટલી તો તીવ્ર – ખેર, જવા દઈએ. આ અટકળોનો કશો જ અર્થ નથી. આપણે તો સત્ય સાથે નિસ્બત છે.&lt;br /&gt;
તમે પૂછશો કે તમને આમાંનું કશું મેં પહેલાં કેમ કહ્યું નહીં... નહોતું કહેવું મારે. જે પુરુષ માટે સ્નેહ હોય એને લજ્જિત થવું પડે એવું કંઈ કહેવા કરવાની મને ઇચ્છા જ નહોતી. આજે જ્યારે ત્રિલોકજી નથી ત્યારે આ સ્પષ્ટતા કરવાનું ખાસ કારણ છે. મને ખાતરી છે કે આ ચોખ્ખી કબૂલાત પછીયે તમારા એમને માટેના પ્રેમભાવમાં ઓટ આવવાની નથી. એ પૂરા મનુષ્ય રહી શકેલા, પોતાની ચાહના સંતાડ્યા વિના વ્યક્ત થતા ઉષ્માભર્યા માણસ. મર્યાદા પુરુષોત્તમ હોવાના દાવા એમણે વળી ક્યારે કરેલા? ને તો પછી આપણે એમને માથે બોજ શા સારુ લાદવો?&lt;br /&gt;
છતાં તમારે તો એમને જાણવા જ જોઈએ. એ જેવા હતા તેવા જ રૂપમાં. ઢોળ કે વરખવાળા નહીં. તમે એમને ચાહી શક્યાં એટલે એમને પૂરેપૂરા જાણવાનો તમારો અધિકાર છે, જેને બધું સમર્પિત કર્યું એ પુરુષને ઓળખવાનો સ્ત્રીનો અધિકાર. એ તમારો હક્ક યાદ કરાવું છું. મારો આશય માત્ર એટલો જ છે કે તમે ત્રિલોકજીને પૂરા પામો, એમને બરાબર જાણો. જેમ મેં એમને એમની પત્ની પાસેથી જાણ્યા એમ જ... અને ત્રિલોકજીનાં પ્રેમલગ્ન હતાં, કુટુંબના વિરોધ વચ્ચે કરેલાં, ઘેરથી ભાગીને અને મિત્રોની મદદથી, જાણો છો તમે? આ વાત કરેલી એમણે તમને ક્યારેય?&lt;br /&gt;
મૂળ તો એમનું હૃદય પ્રેમથી છલકાતું હતું, સહુને એમ જ લાગે કે આ તો મારી નિકટ જ છે... એકાદ સ્ત્રીને ચાહીને પછી ખાલીખમ થઈ જાય એવા રાંક એ નહોતા. ચોમેર લ્હાણ કરે તોયે એમની ભીતરનું પ્રેમપાત્ર ઊભરાવા કરતું સતત...&lt;br /&gt;
આગળ લખ્યું છે તેમ તમને આ બધું જરા અણગમતું કે અસ્વીકાર્ય લાગે તો ત્રિલોકજીના મારી ઉપર લખેલા પત્રો વાંચી જજો, મેં હજી લગી તો સાચવી રાખ્યા છે. તમારા તમામ પત્રો હું તમને પરત કરવા ઇચ્છું છું અને મારા પત્રો તો હું સળગાવી દઈશ. આ પેટીમાં અન્ય જે પત્રો છે તે ભલે પ્રગટ થતા. આપણા પત્રો પ્રસિદ્ધ થવા માટે નહીં, રાખ થવા માટે જ લખાયેલા તે આપણેય ક્યાં નહોતાં જાણતાં?&lt;br /&gt;
મને લાગે છે કે મારો આ નિર્ણય સાચો છે. કોઈ નબળુ જણ વાંચશે તો એક ઉમદા વ્યક્તિ માટે નાહક ગેરસમજ થશે. કેટલાક માટીપગાઓ ત્રિલોકજીને પોતાના જમાતના ગણી હરખાશે તો કેટલાક ટીકાકારો પેલી નાજુક હકીકતોને ચોમેર ઉછાળી ઉત્સવ મનાવશે. આપણા સંબંધોની ઋજુતા, સૂક્ષ્મતા અને વાસ્તવિકતાને કોઈ પામી નહીં શકે. ત્રિલોકજી માટે આપણને જે લાગણી હતી એને કશા સાથે લેવાદેવા નહોતી એટલે જ હું અસૂયાથી ન બંધાઈ અને તમારું પણ કદાચ એમ જ હશે....જે કદી બંધનરૂપ થયો જ નહીં એ પ્રેમ બહુ ઊંચો હોય છે, બધાંથી ત્યાં ન પહોંચાય. ત્રિલોકજીની ઓજસ્વી છબિ ઝાંખી પડે તે આપણને તો કેવી રીતે ગમે?&lt;br /&gt;
– તો આપણા પત્રો પેટીમાંથી કાઢી લઉં છું. તમારા પત્રો લેવા તમે આવશો ને? મળીશું તો વાતો થશે. એવી વાતો, જે આપણા બે વચ્ચે જ સંભવી શકે. તમારી રાહ જોઉ છું. આવો છો ને? &lt;br /&gt;
લિ. નામની જરૂર જ ક્યાં રહી છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઈતરા&lt;br /&gt;
|next = કિંમત&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%88%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE&amp;diff=112853</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/ઈતરા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%88%E0%AA%A4%E0%AA%B0%E0%AA%BE&amp;diff=112853"/>
		<updated>2026-07-20T02:46:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| ઈતરા |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાંટાળી કેડી પર ચાલીએ તો કાંટા ભોંકાઈ જવાના અને વેદના થવાની, આ બળબળતી રેતીમાં પગ મૂકીએ તો એ દાઝવાના, પેલા અંગારાને હથેળીમાં લઈએ તો ફોલ્લો પડવાનો ને આમ જો તર્ક આગળ ચાલે, કોઈ અવરોધ વિના, તો એવું તારણ નીકળે કે આ-ને પ્રેમ કર્યો એટલે આવું થવાનું જ, પણ તર્કની ખીંટીનો આધાર અહીં લેવાય નહીં. અહીં તો આમ જ, સહજ ભાવે બધું ફગાવી દેવાનું, વારી જવાનું, ન્યોછાવર કરી દેવાનું. પૂછવાનું નહીં કશું. આ તો ફૂલ પર ઝાકળ બનીને સરવાની વાત હતી, ક્યાંક વરસી પડવાની વાત હતી. તું દસ વર્ષ વહેલી મળી હોત તો આવું ન થાત. તારા આવ્યા પહેલાંનો આ સંબંધ... ઘૂઘવતા કાળનાં દસ વર્ષ ઓળંગીને સામે કિનારે ઊભેલા મુકુંદનો હાથ કોઈ પકડે તે પહેલાં પકડી લેવાનું હવે શી રીતે બને? રેતીના ઘરને પણ પગની ઠેસ ન લાગે એની કાળજી રાખીને એ ચાલે છે તો બીજું કંઈ ચણેલું, વધારે નક્કર અને વ્યવસ્થિત, અને તે શી રીતે તોડાય? હવે તો આમ જ, આ રસ્તે જ ચાલ્યા કરવાનું. અજાણ્યા બનવાનું, સમજદાર થવાનું, મર્યાદા, વાસ્તવિકતા, લાચારી, ડહાપણ બધાંનો ભાર ખભે નાખીને ચાલ્યા કરવાનું ને આમ જ આ ટૂંકા દિવસની સાંજ પડી જવાની પણ વિસામો આવવાનો નહીં.&lt;br /&gt;
એક સુંદર માર્ગ, વૃક્ષછાયો, ઝળૂંબી રહેલી પુષ્પખચિત ડાળીઓ પર પંખીનાં ગીત. વેરાયેલાં પુષ્પોથી માર્ગ પણ રંગીન અને કોમળ, કોમળ. ઉપર આસમાની રંગ મોજથી ચાલ્યા કરવાનું. શરત એટલી કે આગળપાછળ જોવાનું નહીં. આગળ જોવાનું નહીં કારણ આગળ કશું આવે નહીં, પાછળ જોવાનું નહીં કારણ પાછળ કશું દેખાય નહીં. વિસામો, પડાવ, આરામ એવું કંઈ નહીં. ચાર દીવાલવાળું કોઈ સ્થાન નહીં. વિરામની વાત નહીં. આ મુસાફરીમાં એની જરૂર કોઈએ સ્વીકારી જ નથી. આમાં તો માત્ર ચાલવાનો જ આનંદ. થાક લાગે ત્યારે એવી ઇચ્છા થાય કોઈ વાર, કે ચણેલી દીવાલોની હૂંફ મળે તો સારું લાગે. કોઈ વૃક્ષ નીચે થોભવું હોય તો થોભી શકાય પણ એમાં હૂંફ ન મળે. રાત-દિવસ ખુલ્લામાં ચાલ્યા કરવાથી મન તલસ્યા કરે પેલી હૂંફ માટે. ઘરની હૂંફ. ત્યાં અથડાટ ભૂલીને નિરાંતે બેસાય, બારણું બંધ કરી બહારની દુનિયાને બહાર રાખી શકાય. કોઈ ખલેલ વિના અલસ ગતિએ ક્ષણો સરતી જાય. એવું અહીં બને તેમ નથી. માર્ગ અલબત્ત, સુંદર છે પણ અહીં ઠરવાનું નથી. એકાદ બે પળ વિસામો લીધા પછી પાછું ચાલવાનું જ છે. વધારે થોભાય એવું કોઈ સ્થાન અહીં આવતું નથી. જોકે આ વિચાર આ માર્ગ ભણી આવતાં પહેલાં કરવો જોઈતો હતો. હવે અહીંથી પાછા જવું કેવી રીતે અને ક્યાં?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તાળીઓના ગડગડાટથી એની તંદ્રા તૂટી. કોણ શું બોલ્યું એની ખબર પડી નહીં. મુકુંદ પૂછે કે પેલાએ મારે માટે શું કહ્યું તો એનાથી જવાબ ન અપાય. એણે કશું સાંભળ્યું જ નહોતું. ન આવી હોત તો સારું થાત એમ લાગ્યું. એમાં પાછું મુકુંદને ખરાબ લાગે; જે પરિસ્થિતિ સમજી વિચારીને સ્વીકારી એમાં ફરિયાદ નહીં કરવાની. મેં તને છેતરી છે? કંઈ સંતાડ્યું છે તારાથી? એમ તો મૃત્યુ પણ સ્વીકારેલી જ પરિસ્થિતિ છે છતાં... પણ આમાં તર્ક થાય નહીં. આમાં તો અસામાન્ય બની જવાનું. સામાન્ય સ્ત્રીઓ જેવી સામાન્ય ઇચ્છા એને હોવી જ ન જોઈએ. આસપાસ જોયું. કેટલીક આંખો બહુ વિચિત્ર રીતે એની સામે તાકી રહી હતી. એ જરા સંકોચાઈ ગઈ. થોડી મૂંઝવણ થઈ આવી. પછી ડોક ટટ્ટાર કરીને એણે મુકુંદ સામે જોયું. મંદાબહેનની બાજુમાં બેઠેલો મુકુંદ સાવ અજાણ્યો હોય એવું લાગતું હતું. સાક્ષીભાવે એ બધું જોઈ રહી. જલદી પતે તો સારું હવે.&lt;br /&gt;
ગણગણાટથી હૉલ ઊભરાઈ ગયો એટલે હાશ અનુભવતી એ ખૂણામાં ઊભી રહી. પરિચિત ચહેરાઓ એકમેક સામે મલકાતા હતા, ક્યાંક હાથ ઊંચા થતા હતા, નમસ્કારની મુદ્રામાં જોડાતા હતા, ઓળખાણ તાજી થતી હતી. એને ખબર હતી કે આવા કોઈ સમારંભ પછી મુકુંદને મળ્યા વગર ચાલી જવાથી એને ખોટું લાગવાનું. બીજું તો કંઈ નહીં, સહેજ હસીને હું જાઉં છું એમ કહેવું જ પડે. મિત્રો-સંબંધીઓના ટોળાને વીંધીને આવતા મુકુંદને ખાસ્સી વાર લાગી. મુકુંદને આપેલો લાલ ગુલાબનો ગુચ્છ મંદાબહેનના હાથમાં હતો. મુકુંદ નજીક આવ્યો. કેવી રીતે આવી છે તું... જતી રહેતી નહીં. તને કોઈ મૂકી જશે અથવા તે થોભ, હમણાં મંદાને મૂકીને આવું છું. ના, ના, એ ઉતાવળથી બોલી. મારે ક્યાં દૂર જવાનું છે? રિક્ષા મળી જશે અથવા ચાલી નાખીશ. તમે જાવ. આમ પણ મોડું થાય છે. એનો અવાજ અકારણ ધારદાર બની ગયો. વાગે એવો. કેમ, તે તો સમજાયું નહીં. કદાચ મંદાબહેનનું સ્મિત એનું કારણ હોઈ શકે. પાછળ પડી છે તું મુકુંદની, પણ મારા કિલ્લામાંથી છટકવું સહેલું નથી. એને પૂરી રાખીશ. તારે તો બહાર જ ઊભા રહેવું પડશે. અને બહાર મોકલીશ તો પણ દોરી બાંધીને, દોરી ખેંચાશે કે પાછો અંદર, મંદાબહેન ફરી મરક્યાં અને અધિકારથી મુકુંદના સ્કૂટર પર ગોઠવાયાં.&lt;br /&gt;
આવો મિસિસ સાથે કોઈ વાર. આપણો બંગલો છે ઉભરાટમાં. બધી સગવડ છે... કોઈ લળીલળીને મુકંદને કહેતું હતું.&lt;br /&gt;
જરૂર આવીશ. ના, એકલો નહીં – અમે, બંને.&lt;br /&gt;
એમને એવું ને કે કામ બહુ ને સમય મળે નહીં.&lt;br /&gt;
એ તો વખત કાઢવો પડે.&lt;br /&gt;
આ વખતે જરૂર નિરાંતે આવીશું. બસ ત્યારે, નીકળીએ.&lt;br /&gt;
સ્કૂટરે ગતિ પકડી ત્યારે મુકુંદે ખરેખર પાછળ જોયું કે એને એવું લાગ્યું? મંદાબહેન એની સામે હસ્યાં એમાં ડંખ હતો કે વિજયનો એક ક્રૂર, વિકૃત આનંદ? ધીમે ધીમે એણે એના રસ્તા તરફ ચાલવા માંડ્યું. ખાસ કશો વિચાર આવતો નહોતો. કંઈ અસાધારણ બન્યુંય નહોતું. આવું તો બને જ છે કેટલાં વર્ષોથી છતાં કશી બળતરા થતી હતી. નીચી નજર રાખી અને ઝડપ વધારી. મુકુંદ ઘેર પહોંચી ગયો હશે. મંદાબહેને પર્સમાંથી ચાવી કાઢી બારણું ખોલ્યું હશે. સમીર એના રૂમમાં હશે. એને તકલીફ ન પડે માટે આમ બહાર તાળું મારીને જ એ લોકો નીકળતાં. બંને કાર્યક્રમની વાતો કરતાં હશે. પછી કપડાં બદલી મુકુંદ સૂવા જશે. એની પાછળ જ મંદાબહેન... એક એક પગલું વજનદાર બની ગયું. થાક લાગતો હતો અને થાકનો વિચાર આવ્યો ત્યારે જ એને લાગ્યું કે પેલો રસ્તો એણે કલ્પેલો એટલો સુંદર નહોતો. એ ભયાનક હતો, રહસ્યમય હતો. કાળજું થથરી ઊઠે એટલો બિહામણો અને નિર્જન, ખાસ તો જ્યારે એ રસ્તે આમ એકલાં જ ચાલવાનું હોય ત્યારે.&lt;br /&gt;
એને થયું, આટલું ચાલ્યા છતાં ઘર કેમ નથી આવતું?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નાયકભેદ&lt;br /&gt;
|next = અગિયારમો પત્ર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6&amp;diff=112852</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/નાયકભેદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AA%AD%E0%AB%87%E0%AA%A6&amp;diff=112852"/>
		<updated>2026-07-20T02:45:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| નાયકભેદ  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ પાંચેય હસતા હતા. આંખમાં પાણી આવી જાય એટલું બધું, ગુટખાનો વિયોગ ખમી ન શકનારા દાંત આમ ખડખડાટ હસતી વેળા કેવા દેખાશે એની ચિંતા છોડીને હસવું માંડ શમ્યું એટલે વાત આગળ ચાલી.&lt;br /&gt;
– તે સોક્રેટીસની પત્ની વિશે આવું કહેવાય છે એમ?&lt;br /&gt;
– નહીં ત્યારે? એમ કંઈ મફતમાં ફિલૉસૉફર નથી થવાતું. ડફણાં ખાવાં પડે છે!&lt;br /&gt;
– મેં બી વાર વાંચેલું પણ માનેલું નહીં. મને એમ કે સાલા ઇતિહાસવાળા તો વધારી વધારીને કહે.&lt;br /&gt;
– અરે, આટલું જો લખાયું તો મૂળ એ બાઈનો કકળાટ કેવો હશે, જસ્ટ ઇમેજીન!&lt;br /&gt;
– મારે ઘેર નેહાનો કકળાટ કંઈ ઓછો નથી, યાર! ભીનો ટુવાલ ખાટલા પર કેમ છે ને નૅપકિન ખુરશી પર કેમ છે, આપણું ઘર તે કંઈ ફાઇવ સ્ટાર હોટલનો રૂમ છે? XXX જ્યાં મન થાય ત્યાં ફેંકીએ વળી! &lt;br /&gt;
– અરે, તારી છોડને! મમતાયે કંઈ કાચી માયા નથી. કપ અહીં કેમ રાખ્યો અને મોજાં ત્યાં કેમ ફેંક્યાં, છાપાનાં પાનાં ક્યાં ગયાં ને કપડાં હૅન્ગર પર કેમ નથી, શી જસ્ટ ગોઝ ઑન ઍન્ડ ઑન...&lt;br /&gt;
– તમે લોકો મારો રસ્તો અપનાવો. હું તો જયના મોં ખોલે, આઇ મીન બોલવા માટે મોં ખોલે કે તરત જ કહી દઉં કે બાપા, ભૂલ થઈ ગઈ! બોલવાનું કે ભૂલ થઈ ગઈ, પણ ટૉન એવો રાખવાનો કે ભૂલ આપણી નહીં, એની જ થઈ છે. મેઈક હર ફીલ ગિલ્ટી... પછી એ ચૂપ થઈ જશે.&lt;br /&gt;
–  ના, હોં. ચારુને કંઈ એમ સહેલાઈથી ગિલ્ટીબિલ્ટી લાગે નહીં. એ તો સરકારી અફસર છે. એકદમ લોખંડી માથું. મેં તો એને કહી દીધું કે મને કારકૂનની જેમ ટ્રીટ કરવાનો નથી.&lt;br /&gt;
– પછી એણે શું કહ્યું?&lt;br /&gt;
– કહેશે. ધૂળ!&lt;br /&gt;
– વંદના સાથે મારું એ બાબતે સારું છે. એકંદરે, હું તો એને બોલવા દઉં. છો બોલતી, અપન કો ક્યા? તુમ બકતી રહે...&lt;br /&gt;
– તું તો યાર, જૂનો જોગી કેટલાં થયાં? પંદર?&lt;br /&gt;
– પંદર પર બે. તમારા કરતાં આપણી જેલ જૂની ખરી! &lt;br /&gt;
ફરી પાછું ખડખડાટ હસવાનું ચાલ્યું. પછી એકદમ ચાવી ઊતરી ગઈ હોય એમ પાંચેનું હાસ્ય અટકી ગયું. ખાનગી મસલત કરવાની તૈયારીમાં પાંચેય માથાં જરા નીચાં નમ્યાં. હજામ પાસે જાય ત્યારે જેટલાં નમાવવાં પડે એટલાં.&lt;br /&gt;
– મને એવું લાગ્યા કરે છે કે ચાર સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સથી પીડાય છે. આ એવું છે કે કોઈને કહેવાય નહીં છતાં મને બહુ સ્ટ્રૉન્ગલી લાગે છે કે...&lt;br /&gt;
– એટલે શું કરે છે ચારુ? કેવી રીતે વર્તે છે. કાયમ? ઍરોગન્ટ? ઇવન ઇન બૅડ?&lt;br /&gt;
– હવે એમ ચોખ્ખું ફોડ પાડીને કહેવાય નહીં, પણ આમ મને અંદરથી એવું લાગ્યા કરે કે એને મારે માટે બહુ રિસ્પેક્ટ જેવું નથી.&lt;br /&gt;
બંધા ગંભીર થઈ ગયા. ત્રણ જણે મોંની ગુફા ખોલી અંદર પડીકીઓ પધરાવી, એ સાથે જ ચહેરા પર રોનક આવી ગઈ. બેએ સિગારેટ સળગાવી, મસ્ત અદામાં. આખી દુનિયા ફૂંકી મારવાની હોય એ રીતે ધુમાડો છોડ્યો, પછી એ ગૂંચળાં જોવા લાગ્યા, ચિંતક-મુદ્રામાં&lt;br /&gt;
– સિરિયસ બાબત કહેવાય. વાઇફમાં આવો કૉમ્પ્લેક્સ હોય તો પરિણામ ગંભીર આવે.&lt;br /&gt;
– જો, હું કહું મને કેમ આવું લાગ્યું. કોઈ એક કૉન્સ્ટેબલે બળાત્કાર કર્યો. વાંચેલું તમે છાપામાં?&lt;br /&gt;
– કોના પર?&lt;br /&gt;
– હવે બાઈ પર જ તો. આપણે ઓછા જાણીએ છીએ એને?&lt;br /&gt;
– ભલે ભલે હવે આગળ બોલ.&lt;br /&gt;
– તે ચારુ છાપામાં એ સમાચાર વાંચી મારી આગળ એની ચર્ચા કરવા બેઠી. મેં કીધું કે બાઈઓ એવા કૉન્સ્ટેબલની હડફેટમાં આવે જ શું કરવા કે એવો એ બળાત્કાર કરે? પછી જસ્ટ એટલું જ બોલ્યો કે છોકરીઓ બી કંઈ ઓછી નથી. હવે આમાં હું કંઈ કૉન્સ્ટેબલને ડિફેન્ડ કરતો’તો? તમે જ બોલો, મારે શા માટે એનો બચાવ કરવાની જરૂર હોય? &lt;br /&gt;
– નહીં જ વળી. તે ચારુભાભી શું કહે?&lt;br /&gt;
– અરે, એ તો તૂટી જ પડી મારી ઉપર. કહે કે બળાત્કારને જસ્ટીફાય કરવાની અથવા તો એને અપરાધ ન ગણવાની આ જૂની રીત છે! &lt;br /&gt;
– પછી તેં શું કહ્યું?&lt;br /&gt;
– મેં ટફ સ્ટૅન્ડ લીધું. કીધું કે ફર્સ્ટ તો વિથ ડ્રો યોર વડ્‌ર્ઝ, હું કલ્ચર્ડ માણસ છું. સ્ત્રીઓ પર અત્યાચાર થાય તે જસ્ટીફાય કરું એવો હલકટ નથી. શી મસ્ટ નો મી ધેટ મચ. એને સ્નબ કરી બરાબરની, એટલે ચૂપ થઈ ગઈ. સવારે તો નોકરબોકર હોય એટલે એ જખ મારીને બોલે નહીં. એને પાછું ડેકોરમ ને ડિગ્નિટીનું બહુ!&lt;br /&gt;
– પતી ગયું ને આટલામાં, આ તો કંઈ નથી!&lt;br /&gt;
– ના પતી નથી ગયું. આખો દિવસ બોલી નહીં. રાતે આગલા રૂમમાં જ પડી રહી, ખાધું બી નહીં, વાત કરવા ગયો તો ના પાડી દીધી ચોખ્ખી. કહે કે મારે વાત નથી કરવી...&lt;br /&gt;
– આ જ સાલી તકલીફ છે. આપણે તો વીમેન્સ લિબમાં માનીએ છીએ તોયે આ લોકો આપણને દોષી ઠરાવે અને આપણી જોડે જ પંચાત કર્યા કરે, બહાર નોકરી કરે, બે જણ હાથ નીચે કામ કરે તે મગજમાં ધુમાડી ભરાઈ જાય એ લોકોમાં.&lt;br /&gt;
– અરે, એકવાર હું ચોપડીનું પાર્સલ બનાવતો હતો, છાપાનો કે એવો કંઈ પ્રિન્ટેડ કાગળ લીધેલો મમતા ત્યાંથી પસાર થતી હતી તે ફટ દઈને બોલી કે એડ્રેસ લખવા માટે તારે ઉપર સાદો કાગળ ચોંટાડવો પડશે. ડૉન્ટ આય નો ધેટ? મને એટલી ખબર નહીં પડે કે?&lt;br /&gt;
– ભાભી તો અમથી જ બોલી હશે, તેં નકામું વતેસર કર્યું. આપણે એ લોકોના કામમાં ક્યારેક કીચકીચ નથી કરતા? &lt;br /&gt;
– ના, એટલું સીધું નથી આ. અને મારી કૉમન સેન્સમાં જ ભરોસો નથી. મેં કેટલાંયે પાર્સલ કર્યાં છે આટલાં વરસમાં...&lt;br /&gt;
– આ તો તમે એકલાં હો ત્યારે ને! ચારુ તો અજાણ્યા માણસોની હાજરીમાં જ એવું વર્તે છે કે મને તો ઝાળ લાગી જાય એકદમ!&lt;br /&gt;
– મતલબ કે...&lt;br /&gt;
– યસ, જેને જરાયે ઓળખતાં ન હોઈએ એવા માણસો – ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સુથાર, દુકાનદાર, મળવા આવેલો કોઈ પણ માણસ.. કોઈની પણ સામે શી મેઇક્સ મી ફીલ સો સ્મૉલ...&lt;br /&gt;
– એટલે કંઈ બોલીને કે પછી તારું ઇન્સલ્ટ કરીને?&lt;br /&gt;
– એ એવી રીતે બોલે ને વર્તે જાણે એ પેલા લોકોના પક્ષમાં જ છે અને મારી બધી રીત ખોટી છે, વિચારવાની વર્તવાની, બધી જ...&lt;br /&gt;
– આ તો સાલું બહુ વિચિત્ર કહેવાય!&lt;br /&gt;
– તારે એને તે ઘડીએ જ કહી દેવું જોઈએ કે ડૉન્ટ ટૉક ટુ મી લાઇક ધીસ...&lt;br /&gt;
– તે કંઈ મેં નહીં કહ્યું હોય?&lt;br /&gt;
– ત્યારે એ શું બોલે છે?&lt;br /&gt;
– એમ કહે કે સાચું હોય તેના ટેકામાં બોલવાનો મારો નિયમ છે. તને પરી એટલે કંઈ તું કરે તે સાચું એવું નથી થઈ જતું! &lt;br /&gt;
– ચારુભાભી સાથે જીવવાનું તો સાચ્ચે જ ડિફિકલ્ટ લાગે છે!&lt;br /&gt;
–  આ તો શરૂઆત છે. આવતે વરસે તો એ હજી ઊંચે જવાની છે. એની કંપનીને તો શી વાત કે. ચારુ...&lt;br /&gt;
– મેં બી સાંભળેલું કોઈને મોંએ. થયું કે સાલો ફાવી જવાનો! બૈરી ટોપ પર હોય એટલે તો...&lt;br /&gt;
– મને કંઈ પડી નથી. આપણે તો ઘર સરખું ચાલે એટલે બસ. શૉફર ડ્રીવન કાર મળે એટલે કંઈ સાતમે આસમાને પહોંચી જવાય છે? ખુશામત કરી હોત તો આપણેય ક્યાં નાં ક્યાં... હું કંઈ એમ અંજાઈ જાઉં એવો નથી. મને કંઈ પડી નથી. એવી, ખરેખર જ.&lt;br /&gt;
– મેં તો નેહાને એટલે જે ના પાડી. કીધું કે બહાર કામ કરવામાં થાકી જવાશે. ઘરમાં જ ઑફિસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં. માની ગઈ તરત! સી. એ. છે તે એને મનથી સંતોષ થાય કે ચાલો આવડત કામમાં આવે છે ને કમાણીની કમાણી!&lt;br /&gt;
– સારું ચાલતું હશેે નેહાભાભીનું, નહીં કે?&lt;br /&gt;
– અરે, સારું એટલે કેવું? કોઈ વાર તો આપણા પગારથીયે વધારે લૅટ હર ફીલ હૅપી... આપણે ક્યાં ગુમાવવાનું છે? એક આ ટુવાલ-નૅપકિનવાળો કકળાટ કરે નહીં એટલે બસ...&lt;br /&gt;
– અલ્યા સૉક્રેટિસની બૈરીની વાતમાંથી આપણે ક્યાં પહોંચી ગયા! આપણો આ પ્રોફેસર કંઈ ઇતિહાસની વાત કરતો હતો તેમાંથી...&lt;br /&gt;
–  નામ શું એનું? ઝેન્થિપી ને?&lt;br /&gt;
– હવે ઝેન્થિપી હોય કે જયના, શો ફરક પડે છે? બાઈઓ મોર ઓર લેસ સરખું જ વિચારે અને કચકચ બી એક જ લેવલની કરે, પછી સી.એ. હોય કે બી.એ.!&lt;br /&gt;
– પણ ચારુભાભીવાળી બાબત લાઇટલી લેવા જેવી નથી. એ જેમ જેમ ઊંચા હોદ્દા પર જતાં જશે તેમ તેમ.. તારી લાઇફ ખલ્લાસ થઈ જશે એનો ખ્યાલ છે તને?&lt;br /&gt;
– છે જ તો. એમાં તો આજે વાત કરી તમને... મારા મનમાં એ જ ચાલે છે અને ટૅન્શન છે એનું. છોકરાં પાછાં મને સંભળાવે છે કે મમ્માની કોઈ વાત અનરિઝનેબલ હોતી જ નથી... દાખલો આપે સિગારેટ છોડવાનો. xxxx એક જ તો વ્યસન છે, પેલા નરેનની જેમ પીતો તો નથી ને!&lt;br /&gt;
– એ, નરેનની ખબર પડી તને?&lt;br /&gt;
– ના, કેમ કંઈ નવું થયું?&lt;br /&gt;
– એ ડિવોર્સ લેવાનો છે!&lt;br /&gt;
– તે લે જ ને, એનું તો પેલી લેક્ચરર સાથે ચાલતું હતું ને?&lt;br /&gt;
– બોલ, આમાં તો એની વાઇફની પૂરેપૂરી જવાબદારી છે, નરેન જેવા હેન્ડસમને પરણીને પછી પોતાની જાતની જરાયે કાળજી લીધી એણે? ચાર વરસમાં કેટલું વજન વધારી દીધું! કમસેકમ નરેનને જોઈને તો એણે વિચાર કરવો જોઈએ! ક્યાં સુધી પેલો આવી આ જોડે ભેરવાઈ રહે? ટેલ મી...&lt;br /&gt;
– એમ તો પેલા જતીનની વાઇફ પણ...&lt;br /&gt;
– લખી રાખો અત્યારથી, જતીનનું પણ એ જ થશે જે નરેનનું થયું....&lt;br /&gt;
– જતીન પણ પીએ તો છે જ!&lt;br /&gt;
– ગમ ભૂલવા માટે પીવું જ પડે. ઑફિસનાં ટેન્શન, ઘરનાં ટૅન્શન અને આ સાલી કટ થ્રોટ કૉમ્પિટિશન, માણસ ભાંગી પડે એમાં કોઈ નવાઈ નથી, ઉપરથી બાઈઓ જો...&lt;br /&gt;
– સાચી વાત છે, પીએ નહીં તો શું કરે?&lt;br /&gt;
– પણ જવાબદારીપૂર્વક વર્તીએ અને જરા કન્સર્ન દેખાડીએ તો બધું સ્મુધલી ચાલે...&lt;br /&gt;
– તારું ચાલ્યું કે શું સ્મુધલી? કહેજે હં યાર, આપણાથી સંતાડતો નહીં...&lt;br /&gt;
– એનું એટલે પેલી ઇન્ટિરિયર ડેકોરેશનવાળી જોડે કે?&lt;br /&gt;
– એ જ તો.&lt;br /&gt;
– વધે છે ધીમે ધીમે આગળ. આપણે ક્યાં ઉતાવળ છે.&lt;br /&gt;
– એ તો ધીમે જ સારું. ફાસ્ટમાં રીસ્ક. આ નિકુંજ જેવું નહીં કે ઉતાવળમાં બાજી બગાડવાની.. &lt;br /&gt;
– પણ પેલીને તારામાં ઇન્ટરેસ્ટ છે એ નક્કી. તે દિવસે તારી ઑફિસ પર આવેલો તે હું તો તરત જ પામી ગયેલો.. ને છે પણ એકદમ કૉન્ફિડન્ટ અને લિબરેટેડ... &lt;br /&gt;
– એ તો ખરું જ, વધારામાં જબરદસ્ત ટૅલેન્ટેડ...&lt;br /&gt;
– ને બ્યુટીફુલ તો ખરી જ! &lt;br /&gt;
માપનું હાસ્ય હવામાં સહેજસાજ પ્રસર્યું.&lt;br /&gt;
– પણ એક ઍડવાઇઝ છે આપણી. ઘર ફૂંકી મારતો નહીં. ભાભીને સાચવજે અને છોકરાંઓને પણ. નહીં તો એ લોકો જ તારી સામે થઈ જશે. &lt;br /&gt;
– એક વાત છે. નેહાનું ગમે તે હશે છતાં મારામાં વિશ્વાસ બહુ. ટોટલ ટ્રસ્ટ જેને કહેવાય તેવું.&lt;br /&gt;
– તો તો વાંધો નહીં. બાકી ઘરની લાઇફ ડિસ્ટર્બ થાય એવું નહીં કરવાનું. આપણે તો અનુભવથી શીખ્યા.&lt;br /&gt;
– તારો ક્યો? પેલી સુજાતા પંડ્યાવાળો કે? &lt;br /&gt;
– એ જ તો. આપણે તો એક જ પૂરતો છે!&lt;br /&gt;
– હવે તમારી જૂની વાતો છોડો તો આપણા આ ઇતિહાસના વિદ્વાનના તાજ્જા રોમાન્સની વિગતો આપી શકાય!&lt;br /&gt;
–  શું કહે છે, યાર! આ તો ખબર જ નહીં અમને કોઈને, આ તો વળી એકદમ છુપો રૂસ્તમ...&lt;br /&gt;
– તમે સાંભળશો તો ભેજું ચક્કર ખાઈ જશે! ને એની સ્વીટહાર્ટનું નામ સાંભળશો તો દાંતમાં આંગળાં નાખવા પડશે તમારે... &lt;br /&gt;
– હવે વાત અમસ્તી અમસ્તી વધાર નહીં. ફોડ પાડીને કહે, ક્યારનો ગોળ ગોળ ફેરવે છે!&lt;br /&gt;
પાંચેય ચહેરા પર રહસ્યભર્યું સ્મિત આવી ગયું અને પછી વિસ્તરતું ગયું. ચહેરા પર ઉન્મુક્ત આનંદ છલકે એ પહેલાં ઘોડાપૂરની ઝડપે આડીઅવળી રેખાઓ અંકાતી ગઈ અને પછી ઉલ્લાસ વિસ્ફોટ બની ગયો, છાપરું ઊડી જાય અને દીવાલો ફસકી પડે એવો પ્રચંડ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મુઠ્ઠીમાં&lt;br /&gt;
|next = ઈતરા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%AE%E0%AB%81%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82&amp;diff=112851</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/મુઠ્ઠીમાં</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%AE%E0%AB%81%E0%AA%A0%E0%AB%8D%E0%AA%A0%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82&amp;diff=112851"/>
		<updated>2026-07-20T02:45:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| મુઠ્ઠીમાં  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બનવાનું તો બની ગયું, પછી આવું કંઈ પણ થાય ત્યારે પોલીસના ડબ્બા આવે, ઝૂંપડે ઝૂંપડે તપાસ ચાલે, આદમીઓને એમના અંધારિયા ઘરખૂણેથી ખેંચી, બહાર કાઢી, એક કતાર કરી પૂછપરછ થાય, ત્રાડો પડે ને ગાળો સમેત ધોલધપાટ ગડદાપાટુ ઝીંકાય એમના ૫૨. વારંવાર થાય એટલે આ તો ઝીણકાં છોકરાં સુધ્ધાં જાણે.&lt;br /&gt;
લૂંટ-ચોરી લગી પહોંચ્યું હોય તો તો ઠીક, આ વેળા તો ખૂનનો મામલો. એટલે જ તો પોલીસખાતું ટટ્ટાર થઈ પટા તાણતું મચી પડ્યું. એમેય ખરું કે આખા વિસ્તારમાં ધાક બેસાડી દેવી એક વાર, ડરી ગયેલી વસ્તીમાંથી જ કોઈ બાતમીદાર નીકળી આવવાનો. દાંત કચકચાવી ખાખી ટોળાં ઘૂમતાં હતાં, વસ્તી આખીને ઠોલતાં ફોલતાં.&lt;br /&gt;
ગિરજુને એક વાતથી હાશ હતી કે એનો મરદ ઘરમાં નહોતો. પેલા આવી આવીને રોફ મારી ગયા. નાની અમથી અંધારી ખોલી, સંતાવા માટે કંઈ એવા પચીસ-પચાસ ઓરડા તો હતા નહીં. પરભુ મળ્યો નહીં એટલે થોડા હતાશ થયેલા પહાડ જેવા બેપાંચે રુઆબ છાંટવા કશું ન જડતાં થોડી ગાળો ફેંકી. ગિરજુની આંખમાં રતાશ તરી આવી.&lt;br /&gt;
પહાડ-પથરામાં મોટી થયેલી ગિરજુ. વજન ઉપાડી પથ્થર ઠેકતાં ઉપર-નીચે જવું એને મન રમત. મજબૂત હાથ ને લાલઘૂમ હથેલી. છતાં આ ખીચોખીચ ભરેલી જગ્યામાં એ જાણે પહેલાં જેવી રહી નહોતી. તેમાં જ એ ગમ ખાઈ ગઈ.&lt;br /&gt;
એક-બે ખાલી ટોપલીને ઠેબે ચડાવતા, ડંડા ફેરવતા એ બધા બહાર ગયા કે તરત જ ગિરજુ એને યાદ આવ્યા તેટલા તમામ દેવી-દેવતાને, માદળિયાવાળા બાપજીને, બધી ચમત્કારિક શક્તિઓને આજીજી કરવા લાગી.&lt;br /&gt;
...આજ તો પરભુડો કેથે રોકાઈ જાય તેવું કરજો મોટા મા’રાજ... એને આ ફા આવવા જ ની દેતા. ફડકફડક હૈયે ગિરજુ એમ જ બેઠી રહી. વસ્તીમાં હજી ધમાધમ ચાલુ હતી. છોકરાંની રડારોળ, બાઈઓની ચીસાચીસ અને બોલ્યા વિના માર ખાઈ લેતા આદમીઓના ગરમ ગરમ શ્વાસથી ધગતી હવામાં ઝરમરિયો વરસાદ તો છેક જ વરાળ થઈ જતો હતો.&lt;br /&gt;
લકવામાં ખાટલીએ પડેલા, આંખે કાળાં-રાખોડી ધાબાં સિવાય કંઈ દેખાતું ન હોય એવા, કંપતા હાથ-પગવાળા ડોસાઓ શું થઈ રહ્યું છે એ જાણવા ફાંફાં મારતા રહ્યા. &lt;br /&gt;
– બદમાશી ચાલવાની નથી તમારી. હરામીઓ આટલે જ ભરાયા હતા એવી પાકી ખબર મળી છે. એકેએકને ગોંધી દઈશું જો મૂંગા મરી રે’શો તો. &lt;br /&gt;
– સાલી યે જાત હી ઐસી. ખાલ ઉધેડ લો તો ભી ચૂપ..&lt;br /&gt;
– તૂ ચૂપ મર બુઢ્‌ઢી, કબ સે ટેટેં કર રહી હૈ..&lt;br /&gt;
– ભસી મર સા... કાલે રાતે અહીંથી કઈ બાજુ ગયા એ? &lt;br /&gt;
...પરભુ પરભુ.. હો તાં જ બેઠો રે’ જે... ગિરજુ કાકલૂદીમાં ઓગળી રહી. પરભુને આવવાનો સમય તો વીતી જ ગયો હતો. ચિક્કાર પીને ક્યાંક પડી રહ્યો હોય એમ બને. પહેલી વાર ગિરજુએ દિલથી એમ ઇચ્છા કરી કે પરભુએ એવી ચડાવી હોય કે ઘર યાદ જ ન આવે એને તો બહુ રૂડું. રસ્તે, ખાડામાં, કોઈને ઓટલે, પેલા અવાવરુ ખંડેરમાં ભલે પડ્યો. આટલે ન આવે એ જ બસ.&lt;br /&gt;
...એમ થાય તો પરસાદ ચડાવું ટપકેસર મા’દેવ જઈને...&lt;br /&gt;
બારણું આડું કરેલું તેની ફાટમાંથી એણે નજરને બહાર સરકાવી. ધાંધલ ચાલુ જ હતી. બંટિયાના વાળ ખેંચી એક ખવીસે એને ધોલ મારી. બંટિયાની માએ પોક મૂકી. વસ્તીની બેચાર બાઈઓ એને ઘેરી વળી. બંટિયો જમીન પર બેસી પડ્યો. ગિરજુ બારણા પાસેથી ખસી ગઈ. એ અધીરાઈમાં આકળી થઈ હતી. કોને ખબર આ નાટક કેટલું ચાલવાનું.&lt;br /&gt;
અગાઉ મોટી બજારમાં કોઈ મારફાડ થઈ ત્યારે પોલીસના ડબ્બા આમ જ ધમધમાટ આવેલા, વસ્તીને ત્યારેય આમ ધમરોળી ગયેલા. અહીંના મરદો એવા જ. એમના ધંધાનું સટરપટર કોઈ જાણે નહીં. છતાં આજ લગી પરભુ કોઈ ખાસ વાંકમાં આવેલો નહીં, થોડો માથાભારે ગણાતો એટલું જ. પહેલાં બે વાર આવી ધમચકર થઈ ત્યારે પરભુ ઘરની બહાર જ હતો તે બચી ગયેલો. અડધી ફમફોસ તો દેખાડાની, બાકી કોને ભેરવવા અને કોને છટકવા દેવાના એ તો નક્કી જેવું, ને તે મુજબની જ ગોઠવણ થાય, એમ વસ્તી આખી માનતી.&lt;br /&gt;
...ગાફેલ ના રે’ય તો તો પોલીસની ગાડી દેખી ભાગવાનો પરભુડો... જોકે ઢીંચ્યો હોય તો તો કંઈ દેખવાનો નહીં કરમ ફૂટેલો... એમ તો ઓળા જેવો ચંદર પરભુ પછવાડે જ, કાબો છે ચંદર, ચેતી જાય એવો.&lt;br /&gt;
લીંપણનો ઊખડેલો પોપડો અંગૂઠાથી આમતેમ ખેસવતી, ચિંતામાં અધમૂઈ ગિરજુ ઊભડક બેઠી રહી. પરભુનો દમામ વસ્તીની જીભે ઊપડ્યો ઊપડે નહીં એવો. એનું નામ કોઈ લે નહીં. પણ આ તો ખાખીદાદા. દોજખમાં ધકેલી દે પછી આ મેલી મથરાવટીના આદમી લોકનું કોઈ નહીં. ખપ પડે ત્યારે મોટાં માથાં કામ કઢાવી લે – ધાકધમકી આપવાનાં, છરાચપ્પુ દેખાડવાનાં, અપહરણની નનામી ધમકીઓ મોકલવાનાં. દૂધે ધોયેલા સફેદ-સુંવાળા માણસો જે ના કરી શકે એવાં એમનાં સઘળાં કાળાં કામ અહીંથી થતાં આવ્યાં છે એમાં ખાનગી કંઈ નહીં, તોયે આંગળી આ તરફ ચીંધાય, એમાં મીનમેખ નહીં. &lt;br /&gt;
બહાર ખળભળાટ વધી ગયો. ગિરજુ ચોંકી... અભાગિયો આવી જ ગિયો. મરવાનો... જાળિયામાંથી જોઈ લીધું. બીક સાવ સાચી. ચંદર અને પરભુ સપડાયા હતા. જમ જેવા એકે પરભુને બાવડેથી ઝાલેલો. પરભુનું મજબૂત, થડિયા જેવું બાવડું...&lt;br /&gt;
એક વાર પેલો વરણાગિયો ચમન જરા હાહાઠીઠી કરતો’તો અને પોતે એમાં જરા ભળી તેટલામાં તો પરભુને માથે ભૂતડાં સવાર થઈ ગયેલાં. ઓરડીમાં પેસવાનીયે વાટ જોયા વગર ચક્કર આવી જાય એવી થાપટ પરભુડાએ દીધેલી. ગાલે જાડી જાડી આંગળીઓ ચિતરાયેલી&lt;br /&gt;
– હા.... કભારજા... ઠીઠી કર’છ ગામના ઉતાર જોડે? નવી નવી આવેલી ગિરજુ એવી ખિસિયાણી પડી ગયેલી કે સામે બોલવાનું કે ખીજ કાઢવાનું ભાન જ ન રહ્યું. એવો જ એક વાર ધક્કો મારેલો પરભુએ. શા કારણે એ તો ગિરજુનેય યાદ નહોતું. ફંગોળાયેલી એ સીધી ડામચિયા પર. તે દહાડે મે’માન આવેલા તેથી રડમસ મોંએ રાંધેલું. શરમમાં ઝઘડો ટાળેલો. &lt;br /&gt;
...માર ખાવો એટલે કેમનું તે ખબર પડવાની આજે એને...&lt;br /&gt;
આટલો વિચાર તો ગિરજુને ઘસરકો કરીને જ રહ્યો, તોયે ઠેઠ ઊંડે ઊંડે પેલી કાકલૂદી ચાલુ રહી.&lt;br /&gt;
...૫૨ભુને બો ન કનડે એમ કરજો મારી મા...&lt;br /&gt;
– એ પરભુ જ અહીંનો હાકેમ થઈ ફરે છે. લાલસિંગ, એને જ ઠમઠોરો બરાબર એટલે ખબર પડી જાય.&lt;br /&gt;
– ઔર સા’બ યે ચંદર ભી પરભુ કે સાથ, ઉસકા ચ આદમી.&lt;br /&gt;
બોચી પરના એક જોરદાર પ્રહારે તોતિંગ ઝાડ અણધાર્યું તૂટી પડ્યું હોય તેમ પરભુ ભોંયે આળોટી પડ્યો. એકશ્વાસે બારણાં ધકેલી, સુસવાટો થઈ, મોટી ચીસ સંગાથે ગિરજુ ધસી.&lt;br /&gt;
–  ઓ.. ઓ... એને કંઈ નથી માલમ... બા’રથી આ ઘડીએ આવેલો છે એવો એ તો... કે વારથી ઘરમાં ની ઉતો... એને કેઈ રીતે.. ફાટી આંખે ગિરજુ બધાંની વચ્ચોવચ ખાબકી, પા અડધી ઘડી હોબાળો મચી ગયો. પછી ગિરજુને જકડી એક કોર ખસેડી દીધી. એની નજર સામે જ પરભુને એક પઠ્ઠો હચમચાવતો હતો. પરભુનું કરડું, તીખી આંખો ને મોટી મૂછોવાળું મોં ભારે થાપટે ડાબા-જમણી ફરતું હતું. એના પર જાણે પરભુનો કોઈ કાબૂ જ રહ્યો નહોતો.&lt;br /&gt;
અને ગિરજુ એક છેક અજાણ્યા પરભુને દંગ થઈ જોતી રહી ગઈ, ખુલ્લા મોંએ, નરી નવાઈમાં ડૂબકાં ખાતી. એણે પરભુને હાથ જોડતો જોયો, નરમ ઘેંશ અવાજે બબડતો જોયો, ગળે હાથ રાખી સોગંદ ખાતો જોયો, વાંકા વળી લળી લળી સલામો ભરતો રાંકડો બનતો જોયો. આંખો ખૂલે તેટલી ખોલીને એણે આ જુદા પરભુને જોયા જ કર્યો. એ તો સામે જ ખોડાયેલી, તોયે પરભુએ એના ભણી નજર સરખી ફેંકી નહોતી, જાણે એ હવાની જ બનેલી હોયઃ&lt;br /&gt;
...છેલ્લે મઈળો કોઈ માથાનો...&lt;br /&gt;
આ સધિયારો સળગતી ગિરજુને ટાઢી પાડવા મથતો હતો તોયે માંહે કશું છટપટતું હતું.&lt;br /&gt;
...કોઈ દા’ડો માર ખાધો નો’તો... આજ હજાર આંખ હામ્ભે... બૈરાંછોકરાં ડોહાંડગરાંની હામ્મે... પરભુડાને તો કાલ બા’ર નીકળવાનું હો ઝેર જેવું...&lt;br /&gt;
આમેય વાતમાં દમ નહોતો તેથી ખાસ કશા ધડાકા વગર જ ખેલ પૂરો થયો. ડંડા અફાળતા ધડબડ કરતા વરદીધારીઓ ડબ્બામાં પેઠા. ગાડીઓની ઘરઘરાટી દૂર ગઈ કે વસ્તીની થાકેલી લોથ બધી ઘરખૂણે ભરાઈ, થોડી સલામતીમાં શ્વાસ લેતી, અપમાનની લાય, પેટની આગ, સાચે ચા-બીડી ને એવી બધી તલપ. ઓેરડીની કાળાશમાં એટલે જ તણખા ઝરવા લાગ્યા.&lt;br /&gt;
નીચું મોં રાખી પરભુએ દોરડી પરથી એક કટકો ખેંચી ભીનાં હાથ-મોં ઘસીને લૂછ્યાં. ખાટલી પર બેઠો. ગિરજુ ત્રાંસી નજરે પરભુની હિલચાલ નોંધી રહી, પરભુના કહ્યા વિના જ એણે તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું. પરભુ બેધ્યાનપણે બીડી ફૂંકતો હતો.&lt;br /&gt;
– ચાય મૂક.&lt;br /&gt;
ચાય નહીં તો બીજું શું ચૂલે ચડ્યું છે? એવો છણકો કરવાની દાનત મનમાં દબાવી ગિરજુએ ડબ્બો ખોલી અંદર હાથ નાખ્યો. ચાની ભૂકી હાથ ન આવી. આંગળીએ કરકરી કાળાશ ચોંટી, એમ કેમ? બે દા’ડા પર માલ તો લાવી હતી દુકાનેથી, ચા-પત્તી લીધેલી જ વળી.&lt;br /&gt;
દુકાન પર જ રે’ઈ કે હું! રુખમણી હોડે જવાય ને લેઈ તો અવાય.. વાર લાગે જરી... &lt;br /&gt;
શું કરવું તે નક્કી કરવામાં ગિરજુ ગોથાં ખાતી હતી, પાણી ઊકળી ઊકળીને ઊછળતું હતું. પરભુની આંખ ભટકતી ભટકતી એ ખખળતા પાણી પર જઈ પહોંચી.&lt;br /&gt;
– આંખ ફૂટી ગેઈ તારી? ધિયાન કાં રાખતી છે? &lt;br /&gt;
– ચાયની ભૂકી ની દેખાય, કેથે રે’ઈ ગેઈ કે કેમ જાણે...&lt;br /&gt;
– એક કોપ ચાય બનાવવાનું બી ઠેકાણું ની મલે... બેઠા પરથી ઊઠે હો ની ઝટ... હાળી છેક જ ભૂંડણ....&lt;br /&gt;
ગિરજુનું લમણું ધમધમી ઊઠ્યું. છાતીના ધબકારાએ ધડાપીટ મચાવી દીધી. હાથપગમાં માતા આવ્યાં હોય એવી ઝણઝણાટી અને ધ્રુજારી પરખાઈ.&lt;br /&gt;
...તાં તારા હગલાઓએ ધબેઈડો તેવારે મૂંગોમંતર રિયો ને આંઇ રુઆબ દેખાડે છે... તાં નાકલેંટી તાણતો’તો... ગિરજુનો ચહેરો લાલચોળ બનતો ગયો. આંખો તડતડી ઊઠી, હોઠ દબાયા, ભીંસાયા.&lt;br /&gt;
...બીડીઓ તાણી તાણીને ને ઢીંચી ઢીંચીને હાવ ખોખું થવાનો તોય એ ભમરી તો જોવ ભેજામાં... જોય કે ની ડોહા બધા ખાટલી ઝાલી પડેલા તે?... &lt;br /&gt;
– તને કે’તો છું. કાનમાં દાટા ઘાલેલા જે હું? ચાય લાવ, કેટલી વાર? &lt;br /&gt;
સપાટામાં ગિરજુ ઊભી થઈ ગઈ. પરભુના મિજાજથી એ દાઝતી હતી.&lt;br /&gt;
...આજ તો પરભુડાને ખબર પાડું... બો તાપ વધેલો છે... હાળા બધ્ધા બૈરી પર જોર કાઢે તિમાંના... પેલા હામ્ભે તો છાણના પોદળા જેવા...&lt;br /&gt;
પૂરી તાકાતથી પરભુને અડબોથ ચોડતો એક મગદળ જેવો હાથ ગિરજુને દેખાયો. એણે પોતાના હાથ જોયા. કુહાડીથી લાકડાં કાપતા, ભારેખમ ટોપલા- ભારા ઉપાડતા, ચૂલા પરથી ધગધગતી તપેલી ઝડપભેર ઉઠાવી જમીન પર મૂકી શકતા. આગમાં તપાવીને નક્કર બનાવેલ ખડતલ હાથ. ને આ જ શરીરે નવ નવ મહિના લાગી ગદડમદડ કીકાને ઊંચકેલો.&lt;br /&gt;
– ગિરજુનું પોયરું તો જાણે વરહ દા’ડાનું થેઈને જ બા’ર આઇયું.... જો તો હાડ કેવું...&lt;br /&gt;
– એ તો કરમની કઠણાઈ કે કીકલો છ મહિના જ જીવ્યો.&lt;br /&gt;
...આ ફેરે જો આદત મુજબ પરભુ એના વાળ ખેંચે કે હાથ મરડે તો આ હાથથી જ પરભુનો હાથ પકડી સટાક... સટાક...&lt;br /&gt;
લોખંડી આંગળાં ગિરજુના ચહેરાને જકડીને બળપૂર્વક એક તરફ ફેરવી રહ્યાં.&lt;br /&gt;
નીચી મૂંડી રાખી બેઠી તે જવાબ દે ને! દઉં હવડે એક આડા હાથની તો... &lt;br /&gt;
ગિરજુના દાંત હોઠ પર દબાયા, એણે ગરદન ફેરવી પરભુનો હાથ ઝાટક્યો અને ટટ્ટાર ઊભી થઈ ગઈ, પરભુની સળગતી આંખમાં પોતાની આંખના કેસરી ભડકા પરોવી. પરભુ હવે છેક જ પાગલ બની ગયો.&lt;br /&gt;
– કજાત, મારી... મારી હામ્ભે?&lt;br /&gt;
ઝડપથી ધસેલા પરભુની આડે ગિરજુનો હાથ આવી ગયો. ચૂડીવાળો, તપીને રાતો થયેલો, મજબૂત. વીફરેલા પરભુને ગિરજુએ બરાબર જોયો, આરપાર. હિંસક તો ખરો, પણ ઘાયલ, ને તેથી લાચાર... તરફડતો....&lt;br /&gt;
...મરદ જેવો મરદ... ગામ દેખત બાપડાનું નાક ધૂળમાં... બીજું તો ઠીક બૈરાંપોયરાંના દેખતા જ... અરેરેરે...&lt;br /&gt;
હવામાં તોળેલો હાથ ગિરજુએ નીચે ઢળવા દીધો. પરભુડાથી, એની ધખતી મરદાઈથી એકદમ ડરીને દબાઈ ગઈ હોય એવો ડોળ કરી એણે સાડલો સંકોર્યો. અવાજમાં લગીરે ગરમી ન આવી જાય તેની ચોંપ રાખી, એને ખાસ ડાહ્યોડમરો ને ઢીલોઢફ બનાવી, પાંપણ ઢાળી એ બોલી,&lt;br /&gt;
– આ ઘડી ચાય પત્તી લેઈ આવું. તમ જરા જંપો. હવડે ગઈ તેવી આવી. &lt;br /&gt;
પડખેની ખોલીનાં બારણાં વચાળે બેઠેલી, બજરની દાબડી ફંફોસતી જીવુની ઘરડીખખ સાસુએ કરચલિયાળા અવાજે ગિરજુને અમથું કહેવા ખાતર જ કીધું :&lt;br /&gt;
– કંઈ બો આરડતો દેહું આજ તો પરભુ...&lt;br /&gt;
– હોં માહી, તઈપો’છ બરાબરનો, એની ગરમી તો બાપ અમથીયે બો આકરી... તિમાં આ આવું બધું થિયું એટલે તો... ચાય નથી તે લેઈ આવું પેલવેલી, નીકર પાછો એ...&lt;br /&gt;
મુઠ્ઠીમાં રાખેલા પૈસા સાડલાને છેડે બાંધતાં ગિરજુએ મુઠ્ઠી ખોલીને પાછી બંધ કરી, મુઠ્ઠીમાં જ પરભુની મોંઘામૂલની એક ચીજ સંતાઈને સચવાઈને, પડી હતી તે જોઈ લીધું હોય તેમ એણે મુઠ્ઠી સાડલે ઢાંકી. પછી આછું મલકીને બેફિકરાઈથી એ દુકાનને રસ્તે વળી. સહેજસાજ ભીની જમીન પર એનાં બળૂકાં, વજનદાર પગલાં કોતરાઈ ગયાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સ્ત્રીઓ&lt;br /&gt;
|next = નાયકભેદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=112850</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/સ્ત્રીઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=112850"/>
		<updated>2026-07-20T02:43:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| સ્ત્રીઓ  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખચકાતી, સંકોચાતી નજર મોટા સભાખંડને ખૂણેખાંચરે ફરી વળી, પછી ઉપર ચડતી દીવાલ સુધી પહોંચી. મંચ પાછળની દીવાલને બાદ કરતાં બાકીની ત્રણેય દીવાલો સૂત્રો અને પોસ્ટર્સથી છવાયેલી હતી. જમનીને કેટલું વાંચતાં-લખતાં આવડતું હતું તેનો ઉપયોગ આ બધાં લખાણો સમજવામાં થાય એમ નહોતો. એને એવો રસ પણ નહોતો. જોકે ચિત્રો જોવાનું ગમ્યું. સાઇકલ પર બેસીને ભણવા જતી છોકરીઓ, દારૂની બાટલીમાં બંધ થઈ ગયેલો આદમી, છોડવાં ઉછેરતી ગામડાની બાઈઓ, મંચ પર બે-ચાર યુવતીઓ ફાઇલ અને કાગળિયાં જોડે ગડમથલમાં દેખાઈ. સાવ આગળ ચારેક પ્રૌઢાઓ ઊંડી ચર્ચામાં પડેલી હોય એમ લાગ્યું. કોઈએ જમનીને જોઈ નહોતી એટલું તો ચોક્કસ. અને એમાં એમનો વાંક પણ નહોતો. કંતાઈ ગયેલું ઝાંખુંઝપ શરીર, નર્યા ઓળા જેવું. દેખાય તોયે ન દેખાય એવું.&lt;br /&gt;
જમનીને એકદમ ફોતરા જેવી દ્વિધા હતી. જેમ કે ચંપલ કાઢવાં જોઈએ કે પહેરી રાખવાનાં, આગળ જઈ પોતે આવી ગયાની જાહેરાત કરવાની કે બારણા પાસે જ ઊભાં રહેવાનું. ત્યાં તો મંચ પરની એક ચકોર છોકરીએ આમતેમ ડાફોરિયાં મારતી જમનીને પકડી પાડી.&lt;br /&gt;
: પેલાં ખડકમાળવાળાં જમનીબેન આવ્યાં લાગે છે!&lt;br /&gt;
: કોણ જમનીબેન?&lt;br /&gt;
: ભાવનાબેનનો કેસ. એમને પૂછો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાવનાબેનની બૂમો પડી. એ ક્યાંકથી આવી ચડ્યાં અને જમનીનો હાથ સાહી આગળ લઈ આવ્યાં. ખુરશીમાં બેસવાની બિલકુલ આદત નહીં એટલે જમની જાતને સતત ગોઠવતી રહી. જરા વારે ફરી ચોપાસ જોવાનું એણે ચાલુ કર્યું. પેલી હજી આવી નહોતી. સાદડા બસસ્ટેન્ડ પર પણ નહોતી. એ નથી જ આવવાની. એના છોકરા સામે ફરિયાદ અને હવે પકડાયેલો છોકરો જેલમાં, એ કંઈ આવી સભાફભામાં આવે કે?&lt;br /&gt;
હાથમાં પકડેલી થેલીને વાળતી-ખોલતી અને ફરી વાળતી જમની અહીં આવ્યાના વસવસામાં હતી ત્યાં જ –&lt;br /&gt;
: તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી?&lt;br /&gt;
ઝબકીને, થોથવાતી જીભે ઉત્તર આપ્યો.&lt;br /&gt;
: ખડકમાળથી સાદડા છકડામાં, સાદડાથી આટલે લગણ બસમાં.&lt;br /&gt;
ખંડના મોટા દરવાજામાંથી સ્ત્રીઓનો પ્રવાહ એકધારો ઠલવાઈ રહ્યો હતો. થોડી ઝૂમખામાં, થોડી જોડીમાં, થોડી એકાકી, કાને શબ્દો તો પડતા હતા, પરંતુ એનો કોઈ અર્થ જમની પકડી શકતી નહોતી.&lt;br /&gt;
: પાંચ વર્ષની રિન્કુ કોથળામાં.&lt;br /&gt;
: યસ, રેઇપ ઍન્ડ મર્ડર.&lt;br /&gt;
: ને પેલી કમ્પાર્ટમેન્ટમાં મળી તે.&lt;br /&gt;
: પચાસની એ તો.&lt;br /&gt;
: કમિશનરે ચિંતનસભા કરી.&lt;br /&gt;
: ધૂળ ને પથરા...&lt;br /&gt;
: માય ફૂટ...&lt;br /&gt;
: લિવિંગ ઇન એ ડર્ટી ઍન્ડ અનહેલ્થી સોસાયટી.&lt;br /&gt;
: જુઓ, અહીં તમારી દીકરીના બધા સમાચાર તારીખ પ્રમાણે ગોઠવ્યા છે.&lt;br /&gt;
આંગળીની દિશામાં જમની ગઈ. મોટા પાટિયા પર છાપાંની કતરણો, ફોટો, અધિકારીઓ સામે રજૂઆત કરતી, રેલીઓ કાઢી સૂત્રોચ્ચાર કરતી સ્ત્રીઓના. બધું એકદમ વ્યવસ્થિત જમની છંડવાળ એટલે માથે છાણાં, રંડવાળ હોત તો બાપડી-બચારી કરનારાં નીકળી આવત. જેમ પેલીને માટે બધા દોડી આવ્યા છે તેમ. એના હલકટ છોકરાનું કોઈ નામ નથી લેતું, જાણે એ મવાલી દેવનો દીધેલ!&lt;br /&gt;
દીકરીના હાલહવાલ જોતી જમનીના નાકમાં સાવ અચાનક એ અણગમતી ગંધ પેસી ગઈ. નક્કી પેલી રાંડ આવી. એનામાંથી જ આવી વાસ આવે. તે દિવસે પોલીસચોકીમાં બિલકુલ આવી જ વાસ હતી. છાણ, હગાર, લીંડી, મૂતર. બધું એકઠું, ઓકારી આવે.&lt;br /&gt;
: લો! આ પાલીબેન પણ આવી ગયાં. હવે નિરાંત. &lt;br /&gt;
: કમિશનરસાહેબને ફોન કર્યો? પેલાં મહિલાવિકાસવાળાં આવી ગયાં? ચલો ચલો, શરૂ કરી દઈએ. &lt;br /&gt;
પાલીને આગલી હરોળમાં બેસાડી જમનીને પણ ત્યાં જ લઈ ગયા. વચ્ચે બે-ત્રણ જણ બેઠેલા એટલી રાહત. એક યુવતી માઇક સામે ઊભી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અડધો કલાકથી ઉપર. જમની સભાખંડમાંથી ક્યારનીયે ચીકુવાડી પહોંચી ગઈ હતી. ઝાડવાં-ઝાંખરાં વચ્ચે સાવ ઉઘાડી પડેલી નાનકડી રેવુ અને એના સાંઠીકડા જેવા પગ વચ્ચે દદડતો લાલ રેલો. ઓ માડી રે! આ છોકરીને મારીને કયો જમડો...? હોહા, ચીસાચીસ, ભાગદોડ, ઢીંકમુક્કાનો માર ખાતો ભોંય રગદોળાતો, ગંધાતો, પાલીનો કપાતર.&lt;br /&gt;
: જમનીબેન હવે એમની વાત કહેશે. જમનીબેન, આવો. બિલકુલ સંકોચાતાં નહીં. અહીં સહુ ઉપરી અધિકારીઓ હાજર છે. તમારો અનુભવ સાફ સાફ કહો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચંપલમાં પગ બરાબર ખોસીને સફાળી ઊભી થયેલી જમની આંખને આંજી દેતા ઝબકારામાં સામે દેખાતા ચહેરાઓ જોવા મથતી હતી. એકેએક સાફસૂથરા જાજરમાન, સજેલા. શું બોલવાનું હતું, અને શી બાબતે ન્યાય માગવાનો હતો એની સૂધબૂધ ખોઈ બેઠેલી એ મૂંગીબહેરી બની ગઈ. ભાવનાબેન પાસે આવ્યાં, ખભો દાબ્યો, પણ હિંમતનો સંચાર અસંભવ. એકાદ અડધુંપડધું અને ન સમજાય એવું વાક્ય બોલીને જમની ખુરશી પર બેસી ગઈ. ભાવનાબેને કપાળે આંગળીઓ પછાડી. પછી પાલીનો વારો. છોકરાની દારૂની લત વિશે કહેવા બેઠી. મૂળ ઘટનાનો કોઈ ઉલ્લેખ જ નહીં. અંતે એ ડૂમે ચડી ગઈ. છોકરાને પોલીસે મારીને અધમૂઓ કર્યો એની ફરિયાદ કરી. &lt;br /&gt;
: વૉટ ડઝ શી મીન?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પરપ્રાંતીય અધિકારીને સમજાવવામાં ભાવનાબેન ઊંડાં ઊતરી પડ્યાં. જમની બધું પતે એની ઉતાવળમાં ખુરશી પર સળવળતી હતી. ઠેઠ ખડકમાળ પહોંચવાનું. ખુરશીઓ ખસવાનો અવાજ કાને પડ્યો કે તરત જમની લગભગ ઊડતી ઊડતી દાદર તરફ પહોંચી. પાછળ એના નામની બૂમો પડતી રહી. છેવટે કોઈએ એને આંતરી.&lt;br /&gt;
: આવવા-જવાનું ભાડું લેવાનું છે, તમારે બંને જણે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સો, કડકડતા અને નવા નક્કોર-હાથમાં પકડાવી દીધા.&lt;br /&gt;
: આટલું બધું ભાડું નથી થતું.&lt;br /&gt;
: નહીં થતું હોય પણ તમારે રાખો લેવાના છે. તમારે ફરી વાર પણ આવવું પડે એમ બને. બીજી મિટિંગ કરવી પડશે.&lt;br /&gt;
&lt;br /&gt;
જમનીએ મુઠ્ઠી વાળી દીધી. ત્રાંસી આંખે જોયું તો પાલી પાછળ રહી ગયેલી દેખાઈ. કદાચ જાણીને જ.&lt;br /&gt;
: તમને વાહન મળશેને? મોડું થાય એવું હોય તો કાલે સવારે નીકળજો. અહીં વ્યવસ્થા થઈ જશે.&lt;br /&gt;
: નંઈ રે! જવાશે. સાદડા લગણ બસ મળવાની. પછી છકડા તો ખડકમાળ જતા-આવતા હોય, મોડે લગી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખદબદતા રસ્તા પર જમની અને પાલી છેટાં છેટાં ચાલ્યાં. ભૂલથીયે પાસે આવી ન જવાય એની તકેદારી રાખીને. બસસ્ટેન્ડની ભીડ અને બણબણતી માખીઓ. ટોળેટોળાં કાબરો ભોંયે પડેલું કચરપચર વીણતી હતી. એકની ચાંચે વળી જીવડું ચડ્યું. દાબીને પકડ્યું અને પછી જમીન પર રગડ્યું. જમનીએ આંખ ફેરવી લીધી. અવળું જોતાંની સાથે પાલીનો ભૂરો સાડલો દેખાયો. જમની ચાર ડગલાં પાછળ હટી અને થાંભલાની આડશ ખોળી કાઢી. &lt;br /&gt;
બસ ચક્કર મારીને પાછી આવતી હતી અને કંડક્ટર વ્હીસલ વગાડતો બસનું પતરું ઠોકતો હતો. આંચકા સાથે બસ ઠરી. ધાડું તળે-ઉપર થતું, મરણિયું અને રઘવાટિયું ધસ્યું. જમની હડસેલા ખાતી આગળ વધી ત્યારે પાલી વેગળી જ રહી, કશી ઉતાવળ ન હોય એમ. ઠેઠ પાછલી સીટ પર જમનીને માંડ જગ્યા મળી. બારીમાંથી ભૂરો સાડલો આંખે પકડી પાડ્યો. રેવુ જેવડી પાતળી નાનકડી બસમાં ચડવાનું કરતી હતી એને પાલીએ લગભગ તેડીને ચડાવી દીધી. આગળ તો ઊભાંયે ન રહેવાય એટલી ભચડકચડ, પાલી પણ પાછલી તરફ જ ગઈ. જમનીની આગળ જરીક અમથી જગ્યામાં બેસવા જેવું કર્યું.&lt;br /&gt;
: બંને સાદડા જાઓ છો તે સમજી લેજો અંદરઅંદર. મારે એટલું પરચૂરણ બચે. આમેય એટલા છુટ્ટા નથી મારી કને.&lt;br /&gt;
&lt;br /&gt;
કંડક્ટરે જમનીને બે ટિકિટ આપી, અને કટાણે મોંએ જમનીએ એક પાલી સામે ધરી. પાલીની પડખે બેઠેલાં માજીને ઓછું સંભળાતું હોય એમ પાલી એમને કહેતી હતી કે છોકરો વેર વાળવા બેઠો છે. બહુ કનડે છે. હરાયા ઢોર જેવો. જમની તતડી ઊઠી. છોકરો કેવું કામ કરીને જેલમાં પુરાયો છે તે વાત બોલની, જો તાકાત હોય તો! તે દહાડે લખુભઈ ચીકુવાડીમાં ન ગયા હોત તો છોકરી તો બાપડી મરી જાત કે બીજું કંઈ? આવા લોંઠકા પેદા જ શું કરવા થતા હશે! સાંઢિયો, હરામી, નખ્ખોદિયો...&lt;br /&gt;
ધમધમતી બસ હાઇવે પર આવી. આખા દિવસના તપેલા તવા પર આળોટેલી હવા, ઊની લ્હાય, બારીમાંથી બેરોકટોક અંદર ધસી આવી. ૫રસેવે નીતરતા મોં પર પાલવ દાબતી જમનીને દેખાઈ ગયું કે પાલી પણ એવું જ કરતી હતી. પછી તો બંનેની આંખ બંધ થઈ ગઈ, પાંપણો પર ભવોભવનો થાક તોળાઈ રહ્યો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અચાનક લાગ્યું કે હવા બંધ થઈ ગઈ છે. ગભરામણમાં આંખ ખૂલી ગઈ. બસ અટકી હતી અને આગળપાછળ વાહનોની લાંબી કતાર. શું થયું? શું થયું? સવાલો ટપોટપ બસમાંથી કૂદી આગળ દોડ્યા. જવાબમાં અકસ્માત. બધું ખસેડી રહ્યા છે. હજી અડધોપોણો કલાક થવાનો.&lt;br /&gt;
: ભઈ... કેટલા વાગ્યા?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જમનીને ખડકમાળના એના ઘર ભણી જતું નેળિયું હવે યાદ આવી ગયું. ઉજાસ હોય તો હરકત નહીં, આટલા અંધારે ત્યાંથી નીકળાય ખરું? સાદડાથી છકડો તો મળે, અને ખડકમાળ જવાય પણ ખરું, તોયે ઘર લગી પુગાય? નેળિયામાંથી... જનુ હતો ત્યારે નેળિયાની આરપાર બીક વગર નીકળી જવાતું. પીધેલો હોય તોયે જનુની હાજરી પૂરતી. એ પછી અંધારામાં નેળિયું પસાર કરવાનો વખત આવેલો નહીં.&lt;br /&gt;
: ખડકમાળ... કોણ છે ખડકમાળવાળું?&lt;br /&gt;
છકડામાંથી માત્ર જમની અને પાલી હેઠાં આવ્યાં. પાલીનો કૂબો તો જાણે ઓ દેખાય. જમની રસ્તાની કોરે જઈ વિમાસણમાં ખોડાઈ ગઈ. પાલીએ ડાબી તરફ ડગલું ભર્યું અને પછી એ અટકી. ધાક જમાવતો નફ્ફટ અંધકાર બંનેને કચડી રહ્યો હતો.&lt;br /&gt;
: અત્તારે નેળિયામાંથી ના જવાય. અહીં આમ ક્યાં લગણ ઊભી રહીશ? મારે ઘેર ચાલ.&lt;br /&gt;
&lt;br /&gt;
જમનીને પોતાના કાન પારકા લાગ્યા. ખરેખર સાંભળ્યું કે અમથું અમથું લાગ્યું એવું? ના રે... પાલી શેની બોલે આવું કશું! મનનો વહેમ. આવા વહેમ પર પણ એને દાઝ ચડી આવી.&lt;br /&gt;
: જો રાત ઝાઝી થાય એ પે’લાં કૂબા ભેળાં થઈએ. ચાલ, મળસ્કે નીકળી જજે તું તારે. અત્તારે તો મારી ભેળી ચાલ. નથી જવું નેળિયા ભણી...&lt;br /&gt;
&lt;br /&gt;
જમની જમીન પર સજ્જડ ચોંટી ગઈ. શું કરવું એની ગમ પડતી નહોતી. પાલી ઝડપથી આગળ આવી અને જમનીનો હાથ પકડી લીધો. ચાલ, ઝટ ચાલ...&lt;br /&gt;
બે ઓળા સાથોસાથ ડાબી તરફ વળી ગયા. બે-ચાર કૂતરાં ભસ્યાં, પછી પગલાં ઓળખી જંપી ગયાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોપડા વળી ગયેલી ભીંતો વચ્ચે, તિરાડોવાળું જર્જર બારણું વાસીને, વચ્ચે ગાંઠીઆનું પડીકું ખોલીને બે સ્ત્રીઓ બેઠી, મધરાત તો ખરી, પણ બંનેની આંખમાં ઊંઘને ઠેકાણે કાળી બળતરા.&lt;br /&gt;
: ખાઈ લે જરી. પેટમાં ભાર પડે તો થોડી આંખ મળે. &lt;br /&gt;
: ભાર ને બાર. જેનાં કરમે આવા હેલારા લખાયા હોય તેને ઊંઘ કેટલીક આવે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;*&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ઘડીએ પતરા પર ધબાકો થયો અને બિલાડીઓના ઝઘડાનો કર્કશ ઘુરકાટ રાતના સન્નાટામાં ખાબક્યો.&lt;br /&gt;
: કાબરીએ વાડાના પીપડા મ્હાંય બચ્ચાં જણ્યાં છે. બીજી એક કાળી છે તે રોજ આવે, ને રોજ મરું કે મારું જેવા ઝઘડા ચાલે, ઊંઘ બગાડે બેય જણીઓ!&lt;br /&gt;
: તારો વર પાછો થયે કેટલાં, ચારેક થઈ ગયાં?&lt;br /&gt;
: પાંચ. એ મૂઓ તેવારે આ છોકરો ચૌદેકનો તો ખરો. લોહી પી જવાનો મારું. બાપે પીધું, બાકીનું તે આ પીવાનો.&lt;br /&gt;
જમનીએ આખા દિવસને છેડે પહેલી વાર પાલીને ધ્યાનથી જોઈ. ઝૂકી ગયેલા ખભા પર ખોખલું બ્લાઉઝ અને ચપ્પટ બેસી ગયેલું પેટ, ભૂખરાં લટિયાં અને તગતગતી નસોવાળા હાથ. બે ટંક સરખું ખાતી હશે કે કેમ, રામ જાણે! છોગામાં પેલા રખડેલનું ડોઝરુંયે ભરવાનું, મા મૂઈ છે એટલે પેટના જણ્યાનું એટલું તો કરવું જ પડે...&lt;br /&gt;
: તારી સાસુ ઘેર છે તે ઠીક છે, રેવુની ચિંતા ઓછી. તું રેવુને ભણાવજે હોં, હુસિયાર છે. ઉઠાડી ન લેતી ભણવામાંથી... &lt;br /&gt;
: હજી પંદર દા’ડા મહિનો છો પડી ઘેર. કોઈ નકામું પૂછે કરે તો હેબતાઈ જાય, છોકરું કેવાય એ તો. &lt;br /&gt;
: લે, વાતો કરતાં થોડું થોડું પેટમાંયે નાખ.&lt;br /&gt;
: છ વાગતામાં ઘેર પુગી જવું પડે. રેવુને દવાખાને લઈ જવાની. ટાંકા આવેલા છે. દાક્તર બાઈ બચારી ભલી છે.&lt;br /&gt;
: જાણું. જીવ બળે તેવું જ તો, એનો વર તો રયો છે તે ખરું?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલીએ પડીકામાં હાથ ફેરવ્યો. આંગળીની પકડમાં ભૂકા સિવાય બીજું કશું આવ્યું નહીં.&lt;br /&gt;
: જમની. આમાં તો કંઈ નથી!&lt;br /&gt;
: જા, જા, બે કાગળિયાની બેવડમાં જો, ભરાઈ ગયા હોય...&lt;br /&gt;
: હાચ્ચે, તું જ જો! ખાલીખમ્મ!&lt;br /&gt;
: આપડે આટલા બધા ગાંઠીઆ ખઈ ગ્યા, એમ? &lt;br /&gt;
: એમસ્તો, આટલે તારા ને મારા સિવાય છે કોઈ બીજું?&lt;br /&gt;
: લે, ખરાં આપડે તો! ગાંઠીઆ પેટમાં ને ખોળીએ પડીકામાં..&lt;br /&gt;
જમનીએ પાલીને સહેજ આગળ આવેલી હથેળી પર ટપલી જેવી તાળી મારી, અને બેય સ્ત્રીઓ મોંએ લૂગડું દાબી હસવા માંડી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સામેવાળી સ્ત્રી&lt;br /&gt;
|next = મુઠ્ઠીમાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=112849</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/સ્ત્રીઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%93&amp;diff=112849"/>
		<updated>2026-07-20T02:41:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| સ્ત્રીઓ  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખચકાતી, સંકોચાતી નજર મોટા સભાખંડને ખૂણેખાંચરે ફરી વળી, પછી ઉપર ચડતી દીવાલ સુધી પહોંચી. મંચ પાછળની દીવાલને બાદ કરતાં બાકીની ત્રણેય દીવાલો સૂત્રો અને પોસ્ટર્સથી છવાયેલી હતી. જમનીને કેટલું વાંચતાં-લખતાં આવડતું હતું તેનો ઉપયોગ આ બધાં લખાણો સમજવામાં થાય એમ નહોતો. એને એવો રસ પણ નહોતો. જોકે ચિત્રો જોવાનું ગમ્યું. સાઇકલ પર બેસીને ભણવા જતી છોકરીઓ, દારૂની બાટલીમાં બંધ થઈ ગયેલો આદમી, છોડવાં ઉછેરતી ગામડાની બાઈઓ, મંચ પર બે-ચાર યુવતીઓ ફાઇલ અને કાગળિયાં જોડે ગડમથલમાં દેખાઈ. સાવ આગળ ચારેક પ્રૌઢાઓ ઊંડી ચર્ચામાં પડેલી હોય એમ લાગ્યું. કોઈએ જમનીને જોઈ નહોતી એટલું તો ચોક્કસ. અને એમાં એમનો વાંક પણ નહોતો. કંતાઈ ગયેલું ઝાંખુંઝપ શરીર, નર્યા ઓળા જેવું. દેખાય તોયે ન દેખાય એવું.&lt;br /&gt;
જમનીને એકદમ ફોતરા જેવી દ્વિધા હતી. જેમ કે ચંપલ કાઢવાં જોઈએ કે પહેરી રાખવાનાં, આગળ જઈ પોતે આવી ગયાની જાહેરાત કરવાની કે બારણા પાસે જ ઊભાં રહેવાનું. ત્યાં તો મંચ પરની એક ચકોર છોકરીએ આમતેમ ડાફોરિયાં મારતી જમનીને પકડી પાડી.&lt;br /&gt;
: પેલાં ખડકમાળવાળાં જમનીબેન આવ્યાં લાગે છે!&lt;br /&gt;
: કોણ જમનીબેન?&lt;br /&gt;
: ભાવનાબેનનો કેસ. એમને પૂછો.&lt;br /&gt;
*&lt;br /&gt;
ભાવનાબેનની બૂમો પડી. એ ક્યાંકથી આવી ચડ્યાં અને જમનીનો હાથ સાહી આગળ લઈ આવ્યાં. ખુરશીમાં બેસવાની બિલકુલ આદત નહીં એટલે જમની જાતને સતત ગોઠવતી રહી. જરા વારે ફરી ચોપાસ જોવાનું એણે ચાલુ કર્યું. પેલી હજી આવી નહોતી. સાદડા બસસ્ટેન્ડ પર પણ નહોતી. એ નથી જ આવવાની. એના છોકરા સામે ફરિયાદ અને હવે પકડાયેલો છોકરો જેલમાં, એ કંઈ આવી સભાફભામાં આવે કે?&lt;br /&gt;
હાથમાં પકડેલી થેલીને વાળતી-ખોલતી અને ફરી વાળતી જમની અહીં આવ્યાના વસવસામાં હતી ત્યાં જ –&lt;br /&gt;
: તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી?&lt;br /&gt;
ઝબકીને, થોથવાતી જીભે ઉત્તર આપ્યો.&lt;br /&gt;
: ખડકમાળથી સાદડા છકડામાં, સાદડાથી આટલે લગણ બસમાં.&lt;br /&gt;
ખંડના મોટા દરવાજામાંથી સ્ત્રીઓનો પ્રવાહ એકધારો ઠલવાઈ રહ્યો હતો. થોડી ઝૂમખામાં, થોડી જોડીમાં, થોડી એકાકી, કાને શબ્દો તો પડતા હતા, પરંતુ એનો કોઈ અર્થ જમની પકડી શકતી નહોતી.&lt;br /&gt;
: પાંચ વર્ષની રિન્કુ કોથળામાં.&lt;br /&gt;
: યસ, રેઇપ ઍન્ડ મર્ડર.&lt;br /&gt;
: ને પેલી કમ્પાર્ટમેન્ટમાં મળી તે.&lt;br /&gt;
: પચાસની એ તો.&lt;br /&gt;
: કમિશનરે ચિંતનસભા કરી.&lt;br /&gt;
: ધૂળ ને પથરા...&lt;br /&gt;
: માય ફૂટ...&lt;br /&gt;
: લિવિંગ ઇન એ ડર્ટી ઍન્ડ અનહેલ્થી સોસાયટી.&lt;br /&gt;
: જુઓ, અહીં તમારી દીકરીના બધા સમાચાર તારીખ પ્રમાણે ગોઠવ્યા છે.&lt;br /&gt;
આંગળીની દિશામાં જમની ગઈ. મોટા પાટિયા પર છાપાંની કતરણો, ફોટો, અધિકારીઓ સામે રજૂઆત કરતી, રેલીઓ કાઢી સૂત્રોચ્ચાર કરતી સ્ત્રીઓના. બધું એકદમ વ્યવસ્થિત જમની છંડવાળ એટલે માથે છાણાં, રંડવાળ હોત તો બાપડી-બચારી કરનારાં નીકળી આવત. જેમ પેલીને માટે બધા દોડી આવ્યા છે તેમ. એના હલકટ છોકરાનું કોઈ નામ નથી લેતું, જાણે એ મવાલી દેવનો દીધેલ!&lt;br /&gt;
દીકરીના હાલહવાલ જોતી જમનીના નાકમાં સાવ અચાનક એ અણગમતી ગંધ પેસી ગઈ. નક્કી પેલી રાંડ આવી. એનામાંથી જ આવી વાસ આવે. તે દિવસે પોલીસચોકીમાં બિલકુલ આવી જ વાસ હતી. છાણ, હગાર, લીંડી, મૂતર. બધું એકઠું, ઓકારી આવે.&lt;br /&gt;
: લો! આ પાલીબેન પણ આવી ગયાં. હવે નિરાંત. &lt;br /&gt;
: કમિશનરસાહેબને ફોન કર્યો? પેલાં મહિલાવિકાસવાળાં આવી ગયાં? ચલો ચલો, શરૂ કરી દઈએ. &lt;br /&gt;
પાલીને આગલી હરોળમાં બેસાડી જમનીને પણ ત્યાં જ લઈ ગયા. વચ્ચે બે-ત્રણ જણ બેઠેલા એટલી રાહત. એક યુવતી માઇક સામે ઊભી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અડધો કલાકથી ઉપર. જમની સભાખંડમાંથી ક્યારનીયે ચીકુવાડી પહોંચી ગઈ હતી. ઝાડવાં-ઝાંખરાં વચ્ચે સાવ ઉઘાડી પડેલી નાનકડી રેવુ અને એના સાંઠીકડા જેવા પગ વચ્ચે દદડતો લાલ રેલો. ઓ માડી રે! આ છોકરીને મારીને કયો જમડો...? હોહા, ચીસાચીસ, ભાગદોડ, ઢીંકમુક્કાનો માર ખાતો ભોંય રગદોળાતો, ગંધાતો, પાલીનો કપાતર.&lt;br /&gt;
: જમનીબેન હવે એમની વાત કહેશે. જમનીબેન, આવો. બિલકુલ સંકોચાતાં નહીં. અહીં સહુ ઉપરી અધિકારીઓ હાજર છે. તમારો અનુભવ સાફ સાફ કહો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચંપલમાં પગ બરાબર ખોસીને સફાળી ઊભી થયેલી જમની આંખને આંજી દેતા ઝબકારામાં સામે દેખાતા ચહેરાઓ જોવા મથતી હતી. એકેએક સાફસૂથરા જાજરમાન, સજેલા. શું બોલવાનું હતું, અને શી બાબતે ન્યાય માગવાનો હતો એની સૂધબૂધ ખોઈ બેઠેલી એ મૂંગીબહેરી બની ગઈ. ભાવનાબેન પાસે આવ્યાં, ખભો દાબ્યો, પણ હિંમતનો સંચાર અસંભવ. એકાદ અડધુંપડધું અને ન સમજાય એવું વાક્ય બોલીને જમની ખુરશી પર બેસી ગઈ. ભાવનાબેને કપાળે આંગળીઓ પછાડી. પછી પાલીનો વારો. છોકરાની દારૂની લત વિશે કહેવા બેઠી. મૂળ ઘટનાનો કોઈ ઉલ્લેખ જ નહીં. અંતે એ ડૂમે ચડી ગઈ. છોકરાને પોલીસે મારીને અધમૂઓ કર્યો એની ફરિયાદ કરી. &lt;br /&gt;
: વૉટ ડઝ શી મીન?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પરપ્રાંતીય અધિકારીને સમજાવવામાં ભાવનાબેન ઊંડાં ઊતરી પડ્યાં. જમની બધું પતે એની ઉતાવળમાં ખુરશી પર સળવળતી હતી. ઠેઠ ખડકમાળ પહોંચવાનું. ખુરશીઓ ખસવાનો અવાજ કાને પડ્યો કે તરત જમની લગભગ ઊડતી ઊડતી દાદર તરફ પહોંચી. પાછળ એના નામની બૂમો પડતી રહી. છેવટે કોઈએ એને આંતરી.&lt;br /&gt;
: આવવા-જવાનું ભાડું લેવાનું છે, તમારે બંને જણે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સો, કડકડતા અને નવા નક્કોર-હાથમાં પકડાવી દીધા.&lt;br /&gt;
: આટલું બધું ભાડું નથી થતું.&lt;br /&gt;
: નહીં થતું હોય પણ તમારે રાખો લેવાના છે. તમારે ફરી વાર પણ આવવું પડે એમ બને. બીજી મિટિંગ કરવી પડશે.&lt;br /&gt;
&lt;br /&gt;
જમનીએ મુઠ્ઠી વાળી દીધી. ત્રાંસી આંખે જોયું તો પાલી પાછળ રહી ગયેલી દેખાઈ. કદાચ જાણીને જ.&lt;br /&gt;
: તમને વાહન મળશેને? મોડું થાય એવું હોય તો કાલે સવારે નીકળજો. અહીં વ્યવસ્થા થઈ જશે.&lt;br /&gt;
: નંઈ રે! જવાશે. સાદડા લગણ બસ મળવાની. પછી છકડા તો ખડકમાળ જતા-આવતા હોય, મોડે લગી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ખદબદતા રસ્તા પર જમની અને પાલી છેટાં છેટાં ચાલ્યાં. ભૂલથીયે પાસે આવી ન જવાય એની તકેદારી રાખીને. બસસ્ટેન્ડની ભીડ અને બણબણતી માખીઓ. ટોળેટોળાં કાબરો ભોંયે પડેલું કચરપચર વીણતી હતી. એકની ચાંચે વળી જીવડું ચડ્યું. દાબીને પકડ્યું અને પછી જમીન પર રગડ્યું. જમનીએ આંખ ફેરવી લીધી. અવળું જોતાંની સાથે પાલીનો ભૂરો સાડલો દેખાયો. જમની ચાર ડગલાં પાછળ હટી અને થાંભલાની આડશ ખોળી કાઢી. &lt;br /&gt;
બસ ચક્કર મારીને પાછી આવતી હતી અને કંડક્ટર વ્હીસલ વગાડતો બસનું પતરું ઠોકતો હતો. આંચકા સાથે બસ ઠરી. ધાડું તળે-ઉપર થતું, મરણિયું અને રઘવાટિયું ધસ્યું. જમની હડસેલા ખાતી આગળ વધી ત્યારે પાલી વેગળી જ રહી, કશી ઉતાવળ ન હોય એમ. ઠેઠ પાછલી સીટ પર જમનીને માંડ જગ્યા મળી. બારીમાંથી ભૂરો સાડલો આંખે પકડી પાડ્યો. રેવુ જેવડી પાતળી નાનકડી બસમાં ચડવાનું કરતી હતી એને પાલીએ લગભગ તેડીને ચડાવી દીધી. આગળ તો ઊભાંયે ન રહેવાય એટલી ભચડકચડ, પાલી પણ પાછલી તરફ જ ગઈ. જમનીની આગળ જરીક અમથી જગ્યામાં બેસવા જેવું કર્યું.&lt;br /&gt;
: બંને સાદડા જાઓ છો તે સમજી લેજો અંદરઅંદર. મારે એટલું પરચૂરણ બચે. આમેય એટલા છુટ્ટા નથી મારી કને.&lt;br /&gt;
&lt;br /&gt;
કંડક્ટરે જમનીને બે ટિકિટ આપી, અને કટાણે મોંએ જમનીએ એક પાલી સામે ધરી. પાલીની પડખે બેઠેલાં માજીને ઓછું સંભળાતું હોય એમ પાલી એમને કહેતી હતી કે છોકરો વેર વાળવા બેઠો છે. બહુ કનડે છે. હરાયા ઢોર જેવો. જમની તતડી ઊઠી. છોકરો કેવું કામ કરીને જેલમાં પુરાયો છે તે વાત બોલની, જો તાકાત હોય તો! તે દહાડે લખુભઈ ચીકુવાડીમાં ન ગયા હોત તો છોકરી તો બાપડી મરી જાત કે બીજું કંઈ? આવા લોંઠકા પેદા જ શું કરવા થતા હશે! સાંઢિયો, હરામી, નખ્ખોદિયો...&lt;br /&gt;
ધમધમતી બસ હાઇવે પર આવી. આખા દિવસના તપેલા તવા પર આળોટેલી હવા, ઊની લ્હાય, બારીમાંથી બેરોકટોક અંદર ધસી આવી. ૫રસેવે નીતરતા મોં પર પાલવ દાબતી જમનીને દેખાઈ ગયું કે પાલી પણ એવું જ કરતી હતી. પછી તો બંનેની આંખ બંધ થઈ ગઈ, પાંપણો પર ભવોભવનો થાક તોળાઈ રહ્યો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અચાનક લાગ્યું કે હવા બંધ થઈ ગઈ છે. ગભરામણમાં આંખ ખૂલી ગઈ. બસ અટકી હતી અને આગળપાછળ વાહનોની લાંબી કતાર. શું થયું? શું થયું? સવાલો ટપોટપ બસમાંથી કૂદી આગળ દોડ્યા. જવાબમાં અકસ્માત. બધું ખસેડી રહ્યા છે. હજી અડધોપોણો કલાક થવાનો.&lt;br /&gt;
: ભઈ... કેટલા વાગ્યા?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જમનીને ખડકમાળના એના ઘર ભણી જતું નેળિયું હવે યાદ આવી ગયું. ઉજાસ હોય તો હરકત નહીં, આટલા અંધારે ત્યાંથી નીકળાય ખરું? સાદડાથી છકડો તો મળે, અને ખડકમાળ જવાય પણ ખરું, તોયે ઘર લગી પુગાય? નેળિયામાંથી... જનુ હતો ત્યારે નેળિયાની આરપાર બીક વગર નીકળી જવાતું. પીધેલો હોય તોયે જનુની હાજરી પૂરતી. એ પછી અંધારામાં નેળિયું પસાર કરવાનો વખત આવેલો નહીં.&lt;br /&gt;
: ખડકમાળ... કોણ છે ખડકમાળવાળું?&lt;br /&gt;
છકડામાંથી માત્ર જમની અને પાલી હેઠાં આવ્યાં. પાલીનો કૂબો તો જાણે ઓ દેખાય. જમની રસ્તાની કોરે જઈ વિમાસણમાં ખોડાઈ ગઈ. પાલીએ ડાબી તરફ ડગલું ભર્યું અને પછી એ અટકી. ધાક જમાવતો નફ્ફટ અંધકાર બંનેને કચડી રહ્યો હતો.&lt;br /&gt;
: અત્તારે નેળિયામાંથી ના જવાય. અહીં આમ ક્યાં લગણ ઊભી રહીશ? મારે ઘેર ચાલ.&lt;br /&gt;
&lt;br /&gt;
જમનીને પોતાના કાન પારકા લાગ્યા. ખરેખર સાંભળ્યું કે અમથું અમથું લાગ્યું એવું? ના રે... પાલી શેની બોલે આવું કશું! મનનો વહેમ. આવા વહેમ પર પણ એને દાઝ ચડી આવી.&lt;br /&gt;
: જો રાત ઝાઝી થાય એ પે’લાં કૂબા ભેળાં થઈએ. ચાલ, મળસ્કે નીકળી જજે તું તારે. અત્તારે તો મારી ભેળી ચાલ. નથી જવું નેળિયા ભણી...&lt;br /&gt;
&lt;br /&gt;
જમની જમીન પર સજ્જડ ચોંટી ગઈ. શું કરવું એની ગમ પડતી નહોતી. પાલી ઝડપથી આગળ આવી અને જમનીનો હાથ પકડી લીધો. ચાલ, ઝટ ચાલ...&lt;br /&gt;
બે ઓળા સાથોસાથ ડાબી તરફ વળી ગયા. બે-ચાર કૂતરાં ભસ્યાં, પછી પગલાં ઓળખી જંપી ગયાં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોપડા વળી ગયેલી ભીંતો વચ્ચે, તિરાડોવાળું જર્જર બારણું વાસીને, વચ્ચે ગાંઠીઆનું પડીકું ખોલીને બે સ્ત્રીઓ બેઠી, મધરાત તો ખરી, પણ બંનેની આંખમાં ઊંઘને ઠેકાણે કાળી બળતરા.&lt;br /&gt;
: ખાઈ લે જરી. પેટમાં ભાર પડે તો થોડી આંખ મળે. &lt;br /&gt;
: ભાર ને બાર. જેનાં કરમે આવા હેલારા લખાયા હોય તેને ઊંઘ કેટલીક આવે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|*}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ઘડીએ પતરા પર ધબાકો થયો અને બિલાડીઓના ઝઘડાનો કર્કશ ઘુરકાટ રાતના સન્નાટામાં ખાબક્યો.&lt;br /&gt;
: કાબરીએ વાડાના પીપડા મ્હાંય બચ્ચાં જણ્યાં છે. બીજી એક કાળી છે તે રોજ આવે, ને રોજ મરું કે મારું જેવા ઝઘડા ચાલે, ઊંઘ બગાડે બેય જણીઓ!&lt;br /&gt;
: તારો વર પાછો થયે કેટલાં, ચારેક થઈ ગયાં?&lt;br /&gt;
: પાંચ. એ મૂઓ તેવારે આ છોકરો ચૌદેકનો તો ખરો. લોહી પી જવાનો મારું. બાપે પીધું, બાકીનું તે આ પીવાનો.&lt;br /&gt;
જમનીએ આખા દિવસને છેડે પહેલી વાર પાલીને ધ્યાનથી જોઈ. ઝૂકી ગયેલા ખભા પર ખોખલું બ્લાઉઝ અને ચપ્પટ બેસી ગયેલું પેટ, ભૂખરાં લટિયાં અને તગતગતી નસોવાળા હાથ. બે ટંક સરખું ખાતી હશે કે કેમ, રામ જાણે! છોગામાં પેલા રખડેલનું ડોઝરુંયે ભરવાનું, મા મૂઈ છે એટલે પેટના જણ્યાનું એટલું તો કરવું જ પડે...&lt;br /&gt;
: તારી સાસુ ઘેર છે તે ઠીક છે, રેવુની ચિંતા ઓછી. તું રેવુને ભણાવજે હોં, હુસિયાર છે. ઉઠાડી ન લેતી ભણવામાંથી... &lt;br /&gt;
: હજી પંદર દા’ડા મહિનો છો પડી ઘેર. કોઈ નકામું પૂછે કરે તો હેબતાઈ જાય, છોકરું કેવાય એ તો. &lt;br /&gt;
: લે, વાતો કરતાં થોડું થોડું પેટમાંયે નાખ.&lt;br /&gt;
: છ વાગતામાં ઘેર પુગી જવું પડે. રેવુને દવાખાને લઈ જવાની. ટાંકા આવેલા છે. દાક્તર બાઈ બચારી ભલી છે.&lt;br /&gt;
: જાણું. જીવ બળે તેવું જ તો, એનો વર તો રયો છે તે ખરું?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલીએ પડીકામાં હાથ ફેરવ્યો. આંગળીની પકડમાં ભૂકા સિવાય બીજું કશું આવ્યું નહીં.&lt;br /&gt;
: જમની. આમાં તો કંઈ નથી!&lt;br /&gt;
: જા, જા, બે કાગળિયાની બેવડમાં જો, ભરાઈ ગયા હોય...&lt;br /&gt;
: હાચ્ચે, તું જ જો! ખાલીખમ્મ!&lt;br /&gt;
: આપડે આટલા બધા ગાંઠીઆ ખઈ ગ્યા, એમ? &lt;br /&gt;
: એમસ્તો, આટલે તારા ને મારા સિવાય છે કોઈ બીજું?&lt;br /&gt;
: લે, ખરાં આપડે તો! ગાંઠીઆ પેટમાં ને ખોળીએ પડીકામાં..&lt;br /&gt;
જમનીએ પાલીને સહેજ આગળ આવેલી હથેળી પર ટપલી જેવી તાળી મારી, અને બેય સ્ત્રીઓ મોંએ લૂગડું દાબી હસવા માંડી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સામેવાળી સ્ત્રી&lt;br /&gt;
|next = મુઠ્ઠીમાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80&amp;diff=112848</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/સામેવાળી સ્ત્રી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80&amp;diff=112848"/>
		<updated>2026-07-20T02:40:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| સામેવાળી સ્ત્રી  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હાંફતી હાંફતી માયા ડબ્બામાં દાખલ થઈ. હાથમાં વજન હતું એ એક કારણ ખરું છતાં આ એક જ અઠવાડિયામાં એને ત્રીજી વાર એમ લાગ્યું કે થોડું વજન ખંખેરી કાઢવું પડશે. જાત માટે આવી બેદરકારી ઠીક નથી. વખત મળે કે ન મળે તોય ચાલવું પડે, કસરત કરવી પડે.... કાન નજીકથી છૂટી પડેલી લટને પિનમાં ખોસવાની કોશિશ કરતાં ખબર પડી કે આજે ફરીથી પિન ભુલાઈ ગઈ. હવે મુસાફરી દરમિયાન લટિયાં ઊડાઊડ કરશે. એને જાત પર ભારે ખીજ ચડી, એમાં ને એમાં વાપી પહોંચી જવાયું હોત ત્યાં તો એને ધ્યાનભંગ કરતો સવાલ એકાએક સામે આવી ઊભો.&lt;br /&gt;
– મુંબઈ જાઓ છો તમે?&lt;br /&gt;
સામે જોયું. પૂરેપૂરો ખીલેલો, સુખથી ધોવાયેલો અને સુખનાં જ ટીપાં બાઝ્યાં હોય એવો ચહેરો. ગાલની સુરખી, હોઠની ગુલાબી ઝાંય, ચળકતા, રેશમી વાળ અને માફકસરની સજાવટ. પોશાક ચીલાચાલુ નહીં, સફેદ ટી-શર્ટ અને લાંબું સ્કર્ટ આસમાની. બૅગ-પર્સ બધું કિંમતી અને આ દેશનું લાગે નહીં એવું. એ ચુસ્ત શરીરમાંથી ફોરતી સુગંધ પણ કોઈ મોંઘા પરફ્યુમની જ હોઈ શકે. પરદેશમાં જ રહેતી હશે આ. ચોક્કસ અમેરિકા જ.&lt;br /&gt;
માયા પોતાની તરફ આવેલા સવાલનો જવાબ આપતાં આપતાં સામેવાળી સ્ત્રીને જોતી રહી.&lt;br /&gt;
– ના, મુંબઈ નહીં. વાપી.&lt;br /&gt;
પછીની થોડી ક્ષણો બંને સ્ત્રીઓ બારીમાંથી બહાર જોતી રહી. ટ્રેન ઊપડી ત્યાં લગી એ ચારેય આંખોની ઘડીક અંદર તો ઘડીક બહાર આવનજાવન રહી. પ્લૅટફૉર્મના કોલાહલની ગૂંગળામણમાંથી ડબ્બો છૂટ્યો ને જરા હવા આવી.&lt;br /&gt;
– હાશ... મારાથી અહીંની ગરમી નથી સહન થતી.&lt;br /&gt;
તો અનુમાન સાચું. પરદેશથી જ આવી છે.&lt;br /&gt;
– તમે વાપી જ રહો છો? &lt;br /&gt;
માયાને થયું કે પરદેશ રહે કે દેશમાં રહે, પંચાત તો એક જાતની જ કરે. શું કહેવું હવે આને?&lt;br /&gt;
– હા, વાપીમાં જ.&lt;br /&gt;
એનાથી આમ જ બોલાયું, ન વધારે, ન જુદું. પછી ખાતરી કરતી હોય એમ સામેવાળીને પૂછી લીધું.&lt;br /&gt;
– તમે ક્યાં... અમેરિકાથી?&lt;br /&gt;
– હા, દસ વરસથી કૅલિફૉર્નિયા છીએ... મમ્મીને મળવા આવી છું, માંદી છે ખૂબ... મોટી બહેન નવસારી રહે છે તેને મળવા જાઉં છું. કાલે પાછી વડોદરા.&lt;br /&gt;
વાત આગળ ન વધે એટલા માટે માયાએ પર્સમાંથી ચોપડી કાઢી અને વાંચવામાં બહુ રસ પડતો હોય એમ અધીરાઈથી એક પાનું ખોલી માથું નીચું કર્યું. આમ કરવા છતાં સામે બેઠેલી સ્ત્રીનું નિરીક્ષણ કરવાનું ચાલુ જ રહ્યું. માયાએ અલપઝલપ જોઈ લીધું કે પેલીએ એનું મોટું પર્સ ખોળામાં ઠાલવ્યું હતું. એ કશુંક શોધતી હતી. પર્સમાંથી સામાન્ય રીતે જે નીકળવું જોઈએ એ બધું જ નીકળ્યું. ડાયરી, હેર-બ્રશ, લિપસ્ટિક, રૂમાલ, કાગળિયાં, પાંચદસ સિક્કા... કાળજીથી બધું અલગ કરતી એ પોતાની શોધમાં રોકાયેલી રહી. એની આંગળીઓ રૂપાળી હતી, નખ રંગેલા અને બે વીંટીઓ પહેરી હતી એણે. ઠાલવેલા સરંજામમાંથી પણ આછી સુગંધ પ્રસરી રહી. ત્યાં જ બારીમાંથી પવનનો ઝપાટો આવ્યો અને એ સાથે જ ખોળામાં પડેલું એક કવર ઊડ્યું.&lt;br /&gt;
ઓ... આઉચ... જેવું માયાને સંભળાયું અને પોતાની પાસે આવી પડેલું કવર લઈ એણે પેલી સ્ત્રીને આપ્યું.&lt;br /&gt;
– થૅન્ક્યૂ.&lt;br /&gt;
માયા માત્ર હસી. સામે વાળી સ્ત્રી કવર પર્સમાં ગોઠવતી હતી ત્યાં જ કંઈ યાદ આવી ગયું હોય એમ એણે કવરમાંથી ત્રણેક ફોટા કાઢ્યા. પહેલા તો પોતે જોયા, પછી માયા સામે ધર્યા.&lt;br /&gt;
– સાથે જ રાખું છું. મારો સન અને હસબન્ડ... ફોટા ધર્યા એટલે વિવેક સારુય જોવા પડે. માયાએ ચોપડી બંધ કરી, ટાંપ રાખવા પાનું વાળ્યું અને ફોટા હાથમાં લીધા. અમેરિકામાં હોય એવું ઘર અને અમેરિકામાં હોય એવો વ૨. ચટેરીપટેરી કપડાં, બેકયાર્ડમાં હીંચકો, સફેદજાંબલી ફૂલોની ક્યારી, એક બે મોટાં ઝાડ, લીલી ટેકરી પરથી નીચે દોડી જતો રસ્તો, મસમોટી સફેદ કાર અને નજીક દડો લઈને ઊભેલો ગોળમટોળ છોકરો. સાતેક વર્ષનો હશે... એકદમ વ્યવસ્થિત, રંગીન અને મુલાયમ સુખ.&lt;br /&gt;
– સરસ છે.&lt;br /&gt;
માયાને થયું કે આટલું તો કહેવું જ જોઈએ, જ્યારે એક તદ્દન અજાણી સ્ત્રી પોતાનું સુખ એની જોડે વહેંચવા ઉત્સુક હતી ત્યારે તો ખાસ. &lt;br /&gt;
સામેવાવી સ્ત્રી રાજી થઈ હોય એમ લાગ્યું.&lt;br /&gt;
– હું તો આ બંનેને છોડીને આવતી જ નથી. આ વખતે વિક્રમને બહુ કામ હતું. એટલે રોનકને એની પાસે રાખીને આવી ગઈ. &lt;br /&gt;
માયાને હવે વાતો કરવાનું મન થયું. ભલે ચાલતું આગળ.&lt;br /&gt;
– તમે પણ ત્યાં નોકરી કરો છો? &lt;br /&gt;
– ઓ... નો.... નો... વિક્રમના ત્યાં ત્રણેક સ્ટોર્સ છે મોટા મોટા. રોનકના જન્મ પહેલાં કરેલી નોકરી એકાદ વર્ષ. પછી તો આમ જ... મઝા કરું છું...&lt;br /&gt;
એ ફરી હસી. સુખી લોકો આવું હસતા જ રહે છે વારંવાર. એના દાંત સરસ છે. એકસરખા અને સફેદ. પરદેશ હોય એના દાંત વધારે સફેદ હોતા હશે? માયા ઘડીક એને તો ઘડીક બારી બહાર જોઈ રહી. વાદળો ઘેરાવા માંડ્યાં હતાં. વાપી પહોંચતાંમાં વરસાદ ચાલુ. ખાડાવાળા ગંદા રસ્તા... &lt;br /&gt;
– તમે વાપીમાં નોકરી કરો છો?&lt;br /&gt;
માયાએ સવાલને પોતાની તરફ લંબાતો જોયો પણ જવાબ આપવામાં ઉતાવળ ન કરી. બારી બહાર વાદળની કાળી છાયા નીચેથી લીલાંછમ ખેતરો વચ્ચે ગોઠવાયેલું એક નાનકડું ઘર પસાર થઈ ગયું. આંગણામાં ફાલેલાં પીળાં ફૂટનો રંગ હવામાં ઊડ્યો હોય એવો ભાસ થયો. ઘર પાસે એક મોર ટહેલતો હતો કે શું?&lt;br /&gt;
– વાપીમાં અમારું ફાર્મ છે. થોડી ખેતી, થોડાં આંબા અને ચીકુ... કેળની વાડી છે નાનકડી...&lt;br /&gt;
– વાઉં.. મસ્ટ બી નાઇસ..,&lt;br /&gt;
– હા, બહુ સરસ જગ્યા છે. શાંત... રહેવાનું ગમે એવી.&lt;br /&gt;
– તમારે કોઈ દીકરા-દીકરી?&lt;br /&gt;
– ના, માત્ર અમે બે જ... ફાર્મમાં માણસો હોય તે જ અમારે તો કુટુંબ...&lt;br /&gt;
માયા બેધડક બોલી ગઈ, ક્યાંયે કશો ખટકો નહીં.&lt;br /&gt;
– સમય પસાર થઈ રહે ખરો? આઇ મીન ગામડામાં સોશ્યલ લાઇફ જેવું કંઈ હોય નહીં એટલે...&lt;br /&gt;
– જુઓને, શનિ-રવિ તો અમે આસપાસ ક્યાંક જઈએ. ઘણી સુંદર જગ્યાઓ છે. બોરડી કે ઉમરગામ કે પછી ખાનવેલ... અને ચાલુ દિવસમાં ફાર્મ અને બગીચાનું કામકાજ... મને ગાર્ડનિંગ પસંદ છે...&lt;br /&gt;
હજી કશુંક બાકી રહ્યું હોય એમ માયાએ ઉમેરી દીધું.&lt;br /&gt;
– અઠવાડિયે બે દિવસ સંગીત શીખવા જવાનું. રિયાજમાં પણ ઘણો વખત જાય. મારા હસબન્ડ ધીરેનને – બહુ શોખ છે ક્લાસિકલનો....&lt;br /&gt;
– ઓ ધેટ્‌સ વેરી ઇન્ટરેસ્ટિંગ... &lt;br /&gt;
વાદળોએ ઘેરો ઘાલ્યો હતો મજબૂત. ડબ્બો અંધારિયો થતો જતો હતો. માયાએ ચોપડી બંધ કરી, એકનું એક વાક્ય વંચાયે જતું હતું એટલે વાંચવાનો કશો અર્થ નહોતો. બહાર ઝાડવાં અને માથોડાપૂર ઘાસ જે રીતે નમી પડતાં હતાં તે પરથી પવનની પ્રચંડ તાકાતનો અંદાજ આવી જતો હતો. તૂટી પડવાનો આજે બરાબર. માયાએ આરામથી બેસવાના વિચારે પગ ઉપર લીધા, ગોઠવ્યા.&lt;br /&gt;
– મને તો મોટી બહેનનું નવું ઘર ખબર જ નથી. આઈ હૅવ ધ ફોન નંબર... એ લોકો હમણાં જ શિફ્ટ થયાં છે એટલે...&lt;br /&gt;
– તમને લેવા તો આવશેને કોઈ? &lt;br /&gt;
– યા... કાલે જ વાત થઈ છે ફોન પર. સ્ટેશન ૫૨ આવશે જ કોઈ. ત્યાંની લાઇફસ્ટાઇલથી એવી ટેવાઈ ગઈ છું કે મુસાફરીમાં અહીં હું નર્વસ થઈ જાઉં છું... રીતસર ગભરાટ જ થઈ આવે!&lt;br /&gt;
માયા કશું બોલી નહીં. આમાં બોલવા જેવું કંઈ હતુંય નહીં. વાતચીત થંભી ગઈ.&lt;br /&gt;
બહાર ઝરમર ચાલુ થઈ. આવો વરસાદ માયાને બહુ ગમતો, પણ ઝરમર ગમે ત્યારે સાંબેલાધારમાં ફેરવાય એવું હતું. એ ચિંતાથી પોતાના સામાનને જોવા લાગી.&lt;br /&gt;
– મારો દીકરો તો કહે કે મૉમ તું ટ્રેનમાં ટ્રાવેલ કરીશ તો માંદી પડી જઈશ! અહીંની માંદગીની – ખાસ તો મલેરિયાની વાતો આવતાજતા લોકો કરે એટલે એને એમ જ કે ઇન્ડિયામાં તો લોકો માંદા જ રહેતા હશે! &lt;br /&gt;
– તમારો દીકરો અહીં આવ્યો છે કોઈ વાર?&lt;br /&gt;
– ના, એકેય વખત નહીં. ઇન્ડિયા જોયું જ નથી. એણે તો. એને મન થતું જ નથી આવવાનું...&lt;br /&gt;
– યુ મસ્ટ બી મિસિંગ હિમ વેરી મચ.. &lt;br /&gt;
માયા પહેલી વાર અંગ્રેજીમાં બોલી ડબ્બામાં બેઠાં પછી.&lt;br /&gt;
– યા, વેરી મચ...&lt;br /&gt;
સામેવાળી માત્ર આટલું કહી પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ. કદાચ વિક્રમ અને રોનકની હાજરી અનુભવી રહી હશે... માયાએ એને એ બંને સાથે હાથમાં હાથ પકડી ઊભેલી કલ્પી જોઈ. પછી એની આંખમાં આંખ પરોવી માયા હસી પડી, પેલી પણ હસી. સંતોષ, આનંદ, સલામતી અને શાંતિ છલોછલ હતું એ બધું જ ઢળ્યું અને રેલાયું.&lt;br /&gt;
ત્યાં જ માયાને યાદ આવ્યું કે અત્યાર સુધી એણે સામેવાળીની માંદી મમ્મી વિશે કંઈ જ પૂછ્યું નહોતું. એ તો ચોખ્ખો અવિવેક જ ગણાય. &lt;br /&gt;
– તમારાં બાને શું થયું છે?&lt;br /&gt;
– હાર્ટ ટ્રબલ, હાઇપર ટૅન્શન. મને તો થાય કે મમ્મીને ત્યાં લઈ જાઉં પણ અહીં ભાઈ ના પાડે છે. ને ખાસ તો મમ્મીને જ નથી આવવું. કહે કે મને ના ફાવે. સગાંવહાલાં બધાં આટલે જ ને...&lt;br /&gt;
– સાચી વાત છે એમની. પાછલી ઉંમરે તો જ્યાં રહ્યા હોઈએ ત્યાં જ ફાવે. &lt;br /&gt;
ડબ્બાની અંદર જ ક્યાંક ચીતરેલું સૂત્ર વાંચતી હોય એમ એ બોલી.&lt;br /&gt;
એક નાનકડું સ્ટેશન ઝડપભેર પસાર થઈ ગયું. બેત્રણ જણે ઊભા થઈ સામાન સંભાળ્યો અને બારણા તરફ જવાની તૈયારી કરી. કદાચ નવસારી જ આવવાનું હતું. &lt;br /&gt;
– લો, તમારું સ્ટેશન આવી ગયું.&lt;br /&gt;
સામેવાળીએ બૅગ-પર્સ લીધાં, ટી-શર્ટ ખેંચીને સરખું કર્યું. વાળમાં આંગળીઓ ફેરવી, નજાકતથી&lt;br /&gt;
ચાલો, બાય... થેન્ક્સ ફૉર યોર કંપની...&lt;br /&gt;
એ નીચે ઊભી રહી ત્યાં જ ભીડમાં એક હાથ એની સામે ફરક્યો.&lt;br /&gt;
માયાએ જોયું કે એને લેવા માટે એની મોટીબહેન જ આવી હતી કદાચ. બંને ભેટ્યાં અને કદાચ રડતાંય હતાં. જોકે એમ ન પણ હોય. માત્ર દૂરથી એવું લાગ્યું હોય. વરસાદનું જોર વધ્યું હતું. વાપી સુધીમાં તો ધોધમાર. વાપીમાં તકલીફ થવાની. મોટી બૅગમાં સિલાઈકામના થોડા નમૂના હતા. ઑર્ડર આપવા માટે વેપારીએ નમૂના જોવા માગ્યા હતા. પસંદ થઈ જાય તો સારું કામ મળે, ઠેઠ તળિયે ચોંટેલી પેલી ઉપેક્ષાની પીડા અંગે સભાન હોવા છતાં માયાને જરા રમૂજ થઈ આવી. કેટલી સહેલાઈથી એણે પોતાની જાતને ધીરેનના ફાર્મહાઉસમાં ગોઠવી દીધી હતી! બાકી ધીરેન પાસે હવે ફાર્મ હતું કે નહીં, કોને ખબર છે! અને એ પરણ્યો કે નહીં એનાયે ક્યાં વાવડ હતા! આ તો વર્ષો પહેલાંની એક સવાર આજે એના જીવનમાં ફરી ઊગી હતી અણધારી ને અનાયાસ. એ સવારે ધીરેન એને જોવા આવેલો... ના... એ બેયની મુલાકાત ગોઠવાઈ હતી અને જો ધીરેનને ફાવ્યું હોત તો બંનેનાં લગ્ન – બધું આમ તો નક્કી જેવું જ હતું.&lt;br /&gt;
એને પોતાને તો જાણે ધીરેન ઘણો ગમી ગયો હતો એ વળી જુદી વાત. બી.એ. થયા પછી પણ સારી નોકરી એને મળેલી નહીં, અને કામની પસંદગીમાં જેનો છેલ્લો ક્રમ હોય એ સિલાઈકામ જ એને ભાગે આવ્યું હતું. એની નિષ્ફળતાની યાદીમાં ધીરેન ઉપરાંત બીજું ઘણું હતું અને યાદી લંબાતી જતી હતી.&lt;br /&gt;
ફાર્મહાઉસ અને ધીરેનને બાજુ પર મૂકી માયાએ વાપીનો વિચાર કરવા માંડ્યો. પેલા સિંધી વેપારીનું ઠેકાણું દૂર હતું એટલે રિક્ષા જ કરી લેવી પડશે. વાછટ આવતાં એણે બારી નીચી ખેંચી. દુપટ્ટો તો પણ પલળી ગયો, એને જરા ખેંચી, ઝાટકી અંતરપટ પેઠે મોં આગળ ધરી ફરફરવા દીધો. જલદી સુકાઈ જાય એ રીતે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૦}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મોટી બહેને એનો ખભો થપથપાવ્યો અને પછી પોતાનો પુષ્ટ હાથ એને વીંટાળ્યો. રૂમાલથી એની આંખ લૂછી, ગાલ પર આંગળી ફેરવી, ટેરવાં ભીનાં થઈ ગયા.&lt;br /&gt;
– રસ્તો નીકળશે કોઈ ને કોઈ. અમે છીએને! રોનકને અહીં રાખીશું. અહીં ભણશે, ચિંતા ના કર. &lt;br /&gt;
– એનો અવાજ ભારે થઈ ગયો, માંડ બોલી શકાયું.&lt;br /&gt;
– પણ વિક્રમ માનવો જોઈએ ને! રોનકને હવે અહીં ફાવશે કે નહીં. ખબર નથી... મારાથી ત્યાં નહીં રહેવાય એ નક્કી... &lt;br /&gt;
– એવું તો કશું નહીં. ત્યાંય બાઈઓ એકલી રહેતી જ હશે ને! છૂટા પડવાનું ત્યાં તો બહુ કૉમન છે, એવું નહીં? &lt;br /&gt;
– છે, પણ મારે હવે ત્યાં રહેવું જ નથી...&lt;br /&gt;
– આપણને શી ખબર કે વિક્રમ છેક જ આવો...&lt;br /&gt;
મોટી બહેનનું વાક્ય અંતરિયાળ રહ્યું, કારણ કે એ રડતી હતી અનરાધાર.. અટકવાની જ ન હોય એવી રીતે... &lt;br /&gt;
રમાંથી દોડી આવેલા ડ્રાઇવરે છત્રી ખોલીને એની સામે ધરી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રેશમી રજાઈમાં બાકોરું&lt;br /&gt;
|next = સ્ત્રીઓ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80&amp;diff=112847</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/સામેવાળી સ્ત્રી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B3%E0%AB%80_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80&amp;diff=112847"/>
		<updated>2026-07-20T02:39:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| સામેવાળી સ્ત્રી  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હાંફતી હાંફતી માયા ડબ્બામાં દાખલ થઈ. હાથમાં વજન હતું એ એક કારણ ખરું છતાં આ એક જ અઠવાડિયામાં એને ત્રીજી વાર એમ લાગ્યું કે થોડું વજન ખંખેરી કાઢવું પડશે. જાત માટે આવી બેદરકારી ઠીક નથી. વખત મળે કે ન મળે તોય ચાલવું પડે, કસરત કરવી પડે.... કાન નજીકથી છૂટી પડેલી લટને પિનમાં ખોસવાની કોશિશ કરતાં ખબર પડી કે આજે ફરીથી પિન ભુલાઈ ગઈ. હવે મુસાફરી દરમિયાન લટિયાં ઊડાઊડ કરશે. એને જાત પર ભારે ખીજ ચડી, એમાં ને એમાં વાપી પહોંચી જવાયું હોત ત્યાં તો એને ધ્યાનભંગ કરતો સવાલ એકાએક સામે આવી ઊભો.&lt;br /&gt;
– મુંબઈ જાઓ છો તમે?&lt;br /&gt;
સામે જોયું. પૂરેપૂરો ખીલેલો, સુખથી ધોવાયેલો અને સુખનાં જ ટીપાં બાઝ્યાં હોય એવો ચહેરો. ગાલની સુરખી, હોઠની ગુલાબી ઝાંય, ચળકતા, રેશમી વાળ અને માફકસરની સજાવટ. પોશાક ચીલાચાલુ નહીં, સફેદ ટી-શર્ટ અને લાંબું સ્કર્ટ આસમાની. બૅગ-પર્સ બધું કિંમતી અને આ દેશનું લાગે નહીં એવું. એ ચુસ્ત શરીરમાંથી ફોરતી સુગંધ પણ કોઈ મોંઘા પરફ્યુમની જ હોઈ શકે. પરદેશમાં જ રહેતી હશે આ. ચોક્કસ અમેરિકા જ.&lt;br /&gt;
માયા પોતાની તરફ આવેલા સવાલનો જવાબ આપતાં આપતાં સામેવાળી સ્ત્રીને જોતી રહી.&lt;br /&gt;
– ના, મુંબઈ નહીં. વાપી.&lt;br /&gt;
પછીની થોડી ક્ષણો બંને સ્ત્રીઓ બારીમાંથી બહાર જોતી રહી. ટ્રેન ઊપડી ત્યાં લગી એ ચારેય આંખોની ઘડીક અંદર તો ઘડીક બહાર આવનજાવન રહી. પ્લૅટફૉર્મના કોલાહલની ગૂંગળામણમાંથી ડબ્બો છૂટ્યો ને જરા હવા આવી.&lt;br /&gt;
– હાશ... મારાથી અહીંની ગરમી નથી સહન થતી.&lt;br /&gt;
તો અનુમાન સાચું. પરદેશથી જ આવી છે.&lt;br /&gt;
– તમે વાપી જ રહો છો? &lt;br /&gt;
માયાને થયું કે પરદેશ રહે કે દેશમાં રહે, પંચાત તો એક જાતની જ કરે. શું કહેવું હવે આને?&lt;br /&gt;
– હા, વાપીમાં જ.&lt;br /&gt;
એનાથી આમ જ બોલાયું, ન વધારે, ન જુદું. પછી ખાતરી કરતી હોય એમ સામેવાળીને પૂછી લીધું.&lt;br /&gt;
– તમે ક્યાં... અમેરિકાથી?&lt;br /&gt;
– હા, દસ વરસથી કૅલિફૉર્નિયા છીએ... મમ્મીને મળવા આવી છું, માંદી છે ખૂબ... મોટી બહેન નવસારી રહે છે તેને મળવા જાઉં છું. કાલે પાછી વડોદરા.&lt;br /&gt;
વાત આગળ ન વધે એટલા માટે માયાએ પર્સમાંથી ચોપડી કાઢી અને વાંચવામાં બહુ રસ પડતો હોય એમ અધીરાઈથી એક પાનું ખોલી માથું નીચું કર્યું. આમ કરવા છતાં સામે બેઠેલી સ્ત્રીનું નિરીક્ષણ કરવાનું ચાલુ જ રહ્યું. માયાએ અલપઝલપ જોઈ લીધું કે પેલીએ એનું મોટું પર્સ ખોળામાં ઠાલવ્યું હતું. એ કશુંક શોધતી હતી. પર્સમાંથી સામાન્ય રીતે જે નીકળવું જોઈએ એ બધું જ નીકળ્યું. ડાયરી, હેર-બ્રશ, લિપસ્ટિક, રૂમાલ, કાગળિયાં, પાંચદસ સિક્કા... કાળજીથી બધું અલગ કરતી એ પોતાની શોધમાં રોકાયેલી રહી. એની આંગળીઓ રૂપાળી હતી, નખ રંગેલા અને બે વીંટીઓ પહેરી હતી એણે. ઠાલવેલા સરંજામમાંથી પણ આછી સુગંધ પ્રસરી રહી. ત્યાં જ બારીમાંથી પવનનો ઝપાટો આવ્યો અને એ સાથે જ ખોળામાં પડેલું એક કવર ઊડ્યું.&lt;br /&gt;
ઓ... આઉચ... જેવું માયાને સંભળાયું અને પોતાની પાસે આવી પડેલું કવર લઈ એણે પેલી સ્ત્રીને આપ્યું.&lt;br /&gt;
– થૅન્ક્યૂ.&lt;br /&gt;
માયા માત્ર હસી. સામે વાળી સ્ત્રી કવર પર્સમાં ગોઠવતી હતી ત્યાં જ કંઈ યાદ આવી ગયું હોય એમ એણે કવરમાંથી ત્રણેક ફોટા કાઢ્યા. પહેલા તો પોતે જોયા, પછી માયા સામે ધર્યા.&lt;br /&gt;
– સાથે જ રાખું છું. મારો સન અને હસબન્ડ... ફોટા ધર્યા એટલે વિવેક સારુય જોવા પડે. માયાએ ચોપડી બંધ કરી, ટાંપ રાખવા પાનું વાળ્યું અને ફોટા હાથમાં લીધા. અમેરિકામાં હોય એવું ઘર અને અમેરિકામાં હોય એવો વ૨. ચટેરીપટેરી કપડાં, બેકયાર્ડમાં હીંચકો, સફેદજાંબલી ફૂલોની ક્યારી, એક બે મોટાં ઝાડ, લીલી ટેકરી પરથી નીચે દોડી જતો રસ્તો, મસમોટી સફેદ કાર અને નજીક દડો લઈને ઊભેલો ગોળમટોળ છોકરો. સાતેક વર્ષનો હશે... એકદમ વ્યવસ્થિત, રંગીન અને મુલાયમ સુખ.&lt;br /&gt;
– સરસ છે.&lt;br /&gt;
માયાને થયું કે આટલું તો કહેવું જ જોઈએ, જ્યારે એક તદ્દન અજાણી સ્ત્રી પોતાનું સુખ એની જોડે વહેંચવા ઉત્સુક હતી ત્યારે તો ખાસ. &lt;br /&gt;
સામેવાવી સ્ત્રી રાજી થઈ હોય એમ લાગ્યું.&lt;br /&gt;
– હું તો આ બંનેને છોડીને આવતી જ નથી. આ વખતે વિક્રમને બહુ કામ હતું. એટલે રોનકને એની પાસે રાખીને આવી ગઈ. &lt;br /&gt;
માયાને હવે વાતો કરવાનું મન થયું. ભલે ચાલતું આગળ.&lt;br /&gt;
– તમે પણ ત્યાં નોકરી કરો છો? &lt;br /&gt;
– ઓ... નો.... નો... વિક્રમના ત્યાં ત્રણેક સ્ટોર્સ છે મોટા મોટા. રોનકના જન્મ પહેલાં કરેલી નોકરી એકાદ વર્ષ. પછી તો આમ જ... મઝા કરું છું...&lt;br /&gt;
એ ફરી હસી. સુખી લોકો આવું હસતા જ રહે છે વારંવાર. એના દાંત સરસ છે. એકસરખા અને સફેદ. પરદેશ હોય એના દાંત વધારે સફેદ હોતા હશે? માયા ઘડીક એને તો ઘડીક બારી બહાર જોઈ રહી. વાદળો ઘેરાવા માંડ્યાં હતાં. વાપી પહોંચતાંમાં વરસાદ ચાલુ. ખાડાવાળા ગંદા રસ્તા... &lt;br /&gt;
– તમે વાપીમાં નોકરી કરો છો?&lt;br /&gt;
માયાએ સવાલને પોતાની તરફ લંબાતો જોયો પણ જવાબ આપવામાં ઉતાવળ ન કરી. બારી બહાર વાદળની કાળી છાયા નીચેથી લીલાંછમ ખેતરો વચ્ચે ગોઠવાયેલું એક નાનકડું ઘર પસાર થઈ ગયું. આંગણામાં ફાલેલાં પીળાં ફૂટનો રંગ હવામાં ઊડ્યો હોય એવો ભાસ થયો. ઘર પાસે એક મોર ટહેલતો હતો કે શું?&lt;br /&gt;
– વાપીમાં અમારું ફાર્મ છે. થોડી ખેતી, થોડાં આંબા અને ચીકુ... કેળની વાડી છે નાનકડી...&lt;br /&gt;
– વાઉં.. મસ્ટ બી નાઇસ..,&lt;br /&gt;
– હા, બહુ સરસ જગ્યા છે. શાંત... રહેવાનું ગમે એવી.&lt;br /&gt;
– તમારે કોઈ દીકરા-દીકરી?&lt;br /&gt;
– ના, માત્ર અમે બે જ... ફાર્મમાં માણસો હોય તે જ અમારે તો કુટુંબ...&lt;br /&gt;
માયા બેધડક બોલી ગઈ, ક્યાંયે કશો ખટકો નહીં.&lt;br /&gt;
– સમય પસાર થઈ રહે ખરો? આઇ મીન ગામડામાં સોશ્યલ લાઇફ જેવું કંઈ હોય નહીં એટલે...&lt;br /&gt;
– જુઓને, શનિ-રવિ તો અમે આસપાસ ક્યાંક જઈએ. ઘણી સુંદર જગ્યાઓ છે. બોરડી કે ઉમરગામ કે પછી ખાનવેલ... અને ચાલુ દિવસમાં ફાર્મ અને બગીચાનું કામકાજ... મને ગાર્ડનિંગ પસંદ છે...&lt;br /&gt;
હજી કશુંક બાકી રહ્યું હોય એમ માયાએ ઉમેરી દીધું.&lt;br /&gt;
– અઠવાડિયે બે દિવસ સંગીત શીખવા જવાનું. રિયાજમાં પણ ઘણો વખત જાય. મારા હસબન્ડ ધીરેનને – બહુ શોખ છે ક્લાસિકલનો....&lt;br /&gt;
– ઓ ધેટ્‌સ વેરી ઇન્ટરેસ્ટિંગ... &lt;br /&gt;
વાદળોએ ઘેરો ઘાલ્યો હતો મજબૂત. ડબ્બો અંધારિયો થતો જતો હતો. માયાએ ચોપડી બંધ કરી, એકનું એક વાક્ય વંચાયે જતું હતું એટલે વાંચવાનો કશો અર્થ નહોતો. બહાર ઝાડવાં અને માથોડાપૂર ઘાસ જે રીતે નમી પડતાં હતાં તે પરથી પવનની પ્રચંડ તાકાતનો અંદાજ આવી જતો હતો. તૂટી પડવાનો આજે બરાબર. માયાએ આરામથી બેસવાના વિચારે પગ ઉપર લીધા, ગોઠવ્યા.&lt;br /&gt;
– મને તો મોટી બહેનનું નવું ઘર ખબર જ નથી. આઈ હૅવ ધ ફોન નંબર... એ લોકો હમણાં જ શિફ્ટ થયાં છે એટલે...&lt;br /&gt;
– તમને લેવા તો આવશેને કોઈ? &lt;br /&gt;
– યા... કાલે જ વાત થઈ છે ફોન પર. સ્ટેશન ૫૨ આવશે જ કોઈ. ત્યાંની લાઇફસ્ટાઇલથી એવી ટેવાઈ ગઈ છું કે મુસાફરીમાં અહીં હું નર્વસ થઈ જાઉં છું... રીતસર ગભરાટ જ થઈ આવે!&lt;br /&gt;
માયા કશું બોલી નહીં. આમાં બોલવા જેવું કંઈ હતુંય નહીં. વાતચીત થંભી ગઈ.&lt;br /&gt;
બહાર ઝરમર ચાલુ થઈ. આવો વરસાદ માયાને બહુ ગમતો, પણ ઝરમર ગમે ત્યારે સાંબેલાધારમાં ફેરવાય એવું હતું. એ ચિંતાથી પોતાના સામાનને જોવા લાગી.&lt;br /&gt;
– મારો દીકરો તો કહે કે મૉમ તું ટ્રેનમાં ટ્રાવેલ કરીશ તો માંદી પડી જઈશ! અહીંની માંદગીની – ખાસ તો મલેરિયાની વાતો આવતાજતા લોકો કરે એટલે એને એમ જ કે ઇન્ડિયામાં તો લોકો માંદા જ રહેતા હશે! &lt;br /&gt;
– તમારો દીકરો અહીં આવ્યો છે કોઈ વાર?&lt;br /&gt;
– ના, એકેય વખત નહીં. ઇન્ડિયા જોયું જ નથી. એણે તો. એને મન થતું જ નથી આવવાનું...&lt;br /&gt;
– યુ મસ્ટ બી મિસિંગ હિમ વેરી મચ.. &lt;br /&gt;
માયા પહેલી વાર અંગ્રેજીમાં બોલી ડબ્બામાં બેઠાં પછી.&lt;br /&gt;
– યા, વેરી મચ...&lt;br /&gt;
સામેવાળી માત્ર આટલું કહી પોતાની દુનિયામાં ખોવાઈ ગઈ. કદાચ વિક્રમ અને રોનકની હાજરી અનુભવી રહી હશે... માયાએ એને એ બંને સાથે હાથમાં હાથ પકડી ઊભેલી કલ્પી જોઈ. પછી એની આંખમાં આંખ પરોવી માયા હસી પડી, પેલી પણ હસી. સંતોષ, આનંદ, સલામતી અને શાંતિ છલોછલ હતું એ બધું જ ઢળ્યું અને રેલાયું.&lt;br /&gt;
ત્યાં જ માયાને યાદ આવ્યું કે અત્યાર સુધી એણે સામેવાળીની માંદી મમ્મી વિશે કંઈ જ પૂછ્યું નહોતું. એ તો ચોખ્ખો અવિવેક જ ગણાય. &lt;br /&gt;
– તમારાં બાને શું થયું છે?&lt;br /&gt;
– હાર્ટ ટ્રબલ, હાઇપર ટૅન્શન. મને તો થાય કે મમ્મીને ત્યાં લઈ જાઉં પણ અહીં ભાઈ ના પાડે છે. ને ખાસ તો મમ્મીને જ નથી આવવું. કહે કે મને ના ફાવે. સગાંવહાલાં બધાં આટલે જ ને...&lt;br /&gt;
– સાચી વાત છે એમની. પાછલી ઉંમરે તો જ્યાં રહ્યા હોઈએ ત્યાં જ ફાવે. &lt;br /&gt;
ડબ્બાની અંદર જ ક્યાંક ચીતરેલું સૂત્ર વાંચતી હોય એમ એ બોલી.&lt;br /&gt;
એક નાનકડું સ્ટેશન ઝડપભેર પસાર થઈ ગયું. બેત્રણ જણે ઊભા થઈ સામાન સંભાળ્યો અને બારણા તરફ જવાની તૈયારી કરી. કદાચ નવસારી જ આવવાનું હતું. &lt;br /&gt;
– લો, તમારું સ્ટેશન આવી ગયું.&lt;br /&gt;
સામેવાળીએ બૅગ-પર્સ લીધાં, ટી-શર્ટ ખેંચીને સરખું કર્યું. વાળમાં આંગળીઓ ફેરવી, નજાકતથી&lt;br /&gt;
ચાલો, બાય... થેન્ક્સ ફૉર યોર કંપની...&lt;br /&gt;
એ નીચે ઊભી રહી ત્યાં જ ભીડમાં એક હાથ એની સામે ફરક્યો.&lt;br /&gt;
માયાએ જોયું કે એને લેવા માટે એની મોટીબહેન જ આવી હતી કદાચ. બંને ભેટ્યાં અને કદાચ રડતાંય હતાં. જોકે એમ ન પણ હોય. માત્ર દૂરથી એવું લાગ્યું હોય. વરસાદનું જોર વધ્યું હતું. વાપી સુધીમાં તો ધોધમાર. વાપીમાં તકલીફ થવાની. મોટી બૅગમાં સિલાઈકામના થોડા નમૂના હતા. ઑર્ડર આપવા માટે વેપારીએ નમૂના જોવા માગ્યા હતા. પસંદ થઈ જાય તો સારું કામ મળે, ઠેઠ તળિયે ચોંટેલી પેલી ઉપેક્ષાની પીડા અંગે સભાન હોવા છતાં માયાને જરા રમૂજ થઈ આવી. કેટલી સહેલાઈથી એણે પોતાની જાતને ધીરેનના ફાર્મહાઉસમાં ગોઠવી દીધી હતી! બાકી ધીરેન પાસે હવે ફાર્મ હતું કે નહીં, કોને ખબર છે! અને એ પરણ્યો કે નહીં એનાયે ક્યાં વાવડ હતા! આ તો વર્ષો પહેલાંની એક સવાર આજે એના જીવનમાં ફરી ઊગી હતી અણધારી ને અનાયાસ. એ સવારે ધીરેન એને જોવા આવેલો... ના... એ બેયની મુલાકાત ગોઠવાઈ હતી અને જો ધીરેનને ફાવ્યું હોત તો બંનેનાં લગ્ન – બધું આમ તો નક્કી જેવું જ હતું.&lt;br /&gt;
એને પોતાને તો જાણે ધીરેન ઘણો ગમી ગયો હતો એ વળી જુદી વાત. બી.એ. થયા પછી પણ સારી નોકરી એને મળેલી નહીં, અને કામની પસંદગીમાં જેનો છેલ્લો ક્રમ હોય એ સિલાઈકામ જ એને ભાગે આવ્યું હતું. એની નિષ્ફળતાની યાદીમાં ધીરેન ઉપરાંત બીજું ઘણું હતું અને યાદી લંબાતી જતી હતી.&lt;br /&gt;
ફાર્મહાઉસ અને ધીરેનને બાજુ પર મૂકી માયાએ વાપીનો વિચાર કરવા માંડ્યો. પેલા સિંધી વેપારીનું ઠેકાણું દૂર હતું એટલે રિક્ષા જ કરી લેવી પડશે. વાછટ આવતાં એણે બારી નીચી ખેંચી. દુપટ્ટો તો પણ પલળી ગયો, એને જરા ખેંચી, ઝાટકી અંતરપટ પેઠે મોં આગળ ધરી ફરફરવા દીધો. જલદી સુકાઈ જાય એ રીતે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|૦}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મોટી બહેને એનો ખભો થપથપાવ્યો અને પછી પોતાનો પુષ્ટ હાથ એને વીંટાળ્યો. રૂમાલથી એની આંખ લૂછી, ગાલ પર આંગળી ફેરવી, ટેરવાં ભીનાં થઈ ગયા.&lt;br /&gt;
– રસ્તો નીકળશે કોઈ ને કોઈ. અમે છીએને! રોનકને અહીં રાખીશું. અહીં ભણશે, ચિંતા ના કર. &lt;br /&gt;
– એનો અવાજ ભારે થઈ ગયો, માંડ બોલી શકાયું.&lt;br /&gt;
– પણ વિક્રમ માનવો જોઈએ ને! રોનકને હવે અહીં ફાવશે કે નહીં. ખબર નથી... મારાથી ત્યાં નહીં રહેવાય એ નક્કી... &lt;br /&gt;
– એવું તો કશું નહીં. ત્યાંય બાઈઓ એકલી રહેતી જ હશે ને! છૂટા પડવાનું ત્યાં તો બહુ કૉમન છે, એવું નહીં? &lt;br /&gt;
– છે, પણ મારે હવે ત્યાં રહેવું જ નથી...&lt;br /&gt;
– આપણને શી ખબર કે વિક્રમ છેક જ આવો...&lt;br /&gt;
મોટી બહેનનું વાક્ય અંતરિયાળ રહ્યું, કારણ કે એ રડતી હતી અનરાધાર.. અટકવાની જ ન હોય એવી રીતે... &lt;br /&gt;
રમાંથી દોડી આવેલા ડ્રાઇવરે છત્રી ખોલીને એની સામે ધરી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = રેશમી રજાઈમાં બાકોરું&lt;br /&gt;
|next = સ્ત્રીઓ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AB%80_%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%81%E0%AA%82&amp;diff=112846</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/રેશમી રજાઈમાં બાકોરું</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B0%E0%AB%87%E0%AA%B6%E0%AA%AE%E0%AB%80_%E0%AA%B0%E0%AA%9C%E0%AA%BE%E0%AA%88%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%95%E0%AB%8B%E0%AA%B0%E0%AB%81%E0%AA%82&amp;diff=112846"/>
		<updated>2026-07-20T02:38:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| રેશમી રજાઈમાં બાકોરું  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દેશના ભાગલા વખતે ફાટી નીકળેલાં પેલાં ભયાનક હુલ્લડોની ભૂતાવળથી એ ડરતી. મન્ટોની વાર્તાઓ વાંચ્યા પછી તો એવાં ડરામણાં દૃશ્યો એને લગભગ આંખ સામે દેખાતાં. સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોની હકીકતો જાણી જ ન હોત તો સારું થાત એમ લાગતું અને રોજ રાતે એ ચાદરમાં માથું ખોસીને ઊંઘતી. ગમે તેવી ગરમી થાય તોયે માથું બહાર કાઢવાનું નહીં, એ અંધારું સુરક્ષિત લાગતું.&lt;br /&gt;
દાદી કહેતાં કે આપણે ઇતિહાસ પાસેથી કશું જ શીખ્યા નહીં. ઓગણીસસો સુડતાળીસ પછી આવું એમણે કેટલીય વાર કહ્યું હશે. કોમી રમખાણ ફાટી નીકળે કે એ આવું અચૂક બોલવાનાં, પછી એ અમદાવાદમાં થયાં હોય કે કાનપુરમાં, લખનઉમાં ફાટ્યાં હોય કે હૈદરાબાદમાં. ઇતિહાસ પાસે શું શીખવાનું છે એની દાદીને ખબર હોય તો ભગવાન જાણે, એને પોતાને તો ખબર નહોતી. ખબર માત્ર એટલી જ કે લોહીથી લથબથ, હિંસાચારથી ખદબદતા એ દિવસો પસાર થઈ ગયા પછી જ પોતે જન્મી એ મોટામાં મોટી રાહત. એ દિવસોમાં જન્મીને સમજદાર થઈ ચૂકેલી સ્ત્રીઓ ગાંડી કેમ ન થઈ ગઈ! જોકે ફોઈ કોલકતામાં ભટકતી ગાંડી બાઈઓની વાત ઘણી વાર કરતાં.&lt;br /&gt;
– એક તો અમારા ઘરની સામે જ ઓટલા પર પડી રહેતી. ગોટમોટ, હાથ સરખોયે બહાર ન કાઢે. ખાવાનું આપીએ તો હાથ લૂગડાથી ઢાંકીને લંબાવે. ગલીમાં અજાણ્યો પુરુષ દેખાય કે મોટી મોટી ચીસો પાડીને રડે! આદમીની જાતનો બિચારીને એવો અનુભવ થયો હશે કે મરદ દેખાય કે તરત ભડકે...&lt;br /&gt;
પેલી ગાંડી સ્ત્રીનો ભય અનુભવવા એ પ્રયત્ન કરતી, ઘર-પરિવારથી ઉતરડાઈ ગયેલી એક થાકેલી અને લાચાર સ્ત્રી. એ ફોઈને પૂછતી કે આ સ્ત્રીઓને શોધતાં શોધતાં એમના ઘરના પુરુષો આવે નહીં? ફોઈ એમનું કપાળ કૂટીને કહેતાં કે એવી અભાગણીઓને વળી ઘેર પાછી લઈ જવા કોણ આવે! હોય કોઈ એકલદોકલ અપવાદ..&lt;br /&gt;
અત્યાચારનો અર્થ ત્યારે એ સ્પષ્ટપણે નહોતી જાણતી. બળાત્કાર જેવો શબ્દ તો ત્યારે ઓછો જ વપરાતો. એક વાર બાને પૂછ્યું, ત્યારે કહે કે સ્ત્રીની મરજી વિરુદ્ધ એને કોઈ કનડે એ અત્યાચાર, ને એ જ બળાત્કાર. એટલે સ્ત્રીની મરજી હોય, ને એને કોઈ કનડે, એવુંય પાછું હોય? માસી વળી જુદું જ કહેતાં. એ કંઈક સ્ત્રીનું શરીર ખરાબ કરે એવો શબ્દપ્રયોગ કરતાં. શરીર ખરાબ થવા વિશે એ સમયે ઝાઝી ખબર નહોતી. મન્ટોની વાર્તાઓ વાંચી એ પહેલાંનું આ બધું.&lt;br /&gt;
એ બાર-તેર વરસની હતી ત્યારની એક ઘટના સમયની ધૂળ હેઠળ દટાઈને પડી હતી. છાપામાં કે બીજે ક્યાંક બળાત્કાર કે સ્ત્રી પર અત્યાચારની બાબતના ઉલ્લેખ સાથે જ એ ધૂળના થર ખસી જતા અને તે દિવસે એના શરીરે અનુભવેલો પેલો તપાવેલી ખૂરપી જેવો સ્પર્શ એની ચામડીને બાળતો. ઘટના હતી તો સાવ મામૂલી.&lt;br /&gt;
સ્કૂલના વાર્ષિકોત્સવમાં એણે ભાગ લીધેલો. ગામઠી પોશાક પહેરવાનો હતો અને આભલાં ભરેલું બ્લાઉઝ ડ્રેસવાળાને ત્યાંથી આગલે દિવસે જ મળી ગયેલું. બહેને કહેલું કે ઘેર પહેરી, સરખા દોરા ભરીને પાછું લાવજો. બહેનપણી નવનાનું ઘર નજીક. બેયનાં બ્લાઉઝ ત્યાં જ રાખ્યાં, પણ કાર્યક્રમને દહાડે ધમાલમાં બંને ખાલી હાથે જ રંગભવન પહોંચ્યાં. બહેન તો બરાબરનાં ગુસ્સે થયાં. સાવ ભાન વિનાનાં છો! જાઓ અબ ઘડી અને બ્લાઉઝ લઈને પાછાં આવો તરત. રંગભવનથી નયનાને ઘેર જતાં એક બગીચો આવે, પછી ચાર રસ્તા અને જમણી બાજુ વળી જતાં ચોથું જ ઘર. માંડ દસ મિનિટનો રસ્તો. વાતો કરતાં કરતાં ને ઉતાવળાં, લગભગ દોડતાં જ હોય એમ એ જતાં હતાં, કાર્યક્રમની ઉત્તેજનામાં એના રોમાંચમાં અને સામેથી એક માણસ આવ્યો, સામાન્ય દેખાવનો અને જરાયે ડરવા જેવો નહીં એવો માણસ. એ નજીક આવ્યો ત્યાં સુધી તો એની નોંધ પણ લેવાયેલી નહીં. પડખેથી પસાર થતી વેળા એણે એકદમ હાથ લંબાવ્યો અને કશી ખબર પડે તે પહેલાં તો એનો જાડો પંજો છાતી પર ચોંટી ગયો, ક્ષણાર્ધમાં-તરત-ઊખડીયે ગયો. એ અડધી ઘડીમાંયે એ એવી તો છળી મરી કે એણે મોટી ચીસ પાડી. નયના ખાસ્સી સાવધ હતી એટલે એણે પેલાને ઘાંટો પાડ્યો. એવો એ તો જાણે કશું થયું જ ન હોય એમ દોડતો બાગમાં પેસી ગયો. પછી તો બ્લાઉઝ લઈને બેય રંગભવન પહોંચી ગયાં. છતાં મનમાં બીકે ઘર કર્યું. રસ્તે ચાલી જતો અને એકદમ નિર્દોષ દેખાતો માણસ સુધ્ધાં આવો આતંક ફેલાવી શકે, આપણા શરીર પર ફાવે ત્યાં હાથ નાખી શકે એ હકીકતથી એને ઊબકા આવતા રહ્યા.&lt;br /&gt;
બાએ અને માસીએ જ્યારે બળાત્કારનો અર્થ સમજાવવાની કોશિશ કરેલી ત્યારે આ ઘટના તાજી થયેલી. માત્ર પાણીવાળી પીંછી કાગળ પર ફેરવતાં અદૃશ્ય રંગો જેમ આલેખાતા જાય એ રીતે. પહેલાં દાદી અને પછી બા અમુક રસ્તાઓ પર જવાની કેમ ના પાડતાં હતાં અને મોડી સાંજે એને એકલી મોકલતાં કેમ ખચકાતાં હતાં એ ધીમે ધીમે સમજાતું ગયું. એની પાસે કશુંક એવું હતું જે ઝૂંટવી લેવા ગમે તે ખૂણેથી કોઈ ફૂટી નીકળે એવી દહેશત આમ તો એને વાહિયાત લાગતી, પણ એ એવું ખાતરીથી અને ભારપૂર્વક કોઈને કહી શકતી નહીં. જો દાદી ગભરાતાં હોય, જો બા ડરતી હોય, જો ફોઈ બીતાં હોય અને જો માસીયે ભય અનુભવતાં હોય, આ બાબત છેક ફેંકી દેવા જેવી નહીં હોય. ક્યારેક ભીડમાં ઘેરાઈ જવાનું આવે તો એ એક કવચ ધારણ કરવા મથતી. એવું કવચ જે એને સુરક્ષિત રાખે અને બધીયે આંખોથી બચાવી લે, સંતાડી દે. કોઈક વખત અમસ્તોયે એકાદ પુરુષનો ધક્કો લાગી જાય તો એ સંકોચાઈને કોકડું વળી જતી. શેળાની જેમ સ્ત્રીઓને પણ કાંટા ફૂટી નીકળતા હોય તો કેવી રાહત થાય એમ એ વિચારતી હતી, પણ આ બધી તો કાચી ઉંમરની ભૂતાવળ. પછી તો કૉલેજ અને ભણતર, નોકરી અને આત્મનિર્ભરતા, ગમે તે સમયે ઘરની બહાર પગ મૂકી શકાય એવી સ્વતંત્રતા. વાહન પણ પોતાનું એટલે સરિયામ રસ્તા પર સડસડાટ. ભયબય કશું જ નહીં. કવચ તો ફગાવી દીધું, પણ દશે દિશામાંથી ફૂંકાતા પવન ઘરમાં દાખલ થઈ જાય એટલી બારીઓ નહીં, એટલે દેહનાં આવરણ જુનવાણી જ રહ્યાં. શરીર પૂરું ઢંકાય એવાં, દેહની રેખાઓ કદીયે ઊપસી ન આવે એટલાં, ઢીલાં જ પહેરવાનાં. ટીવી પર અડધી ઉઘાડી બાઈઓ દેખાય તો એ દૂર બેઠી બેઠી પોતાનો દુપટ્ટો સરખો કરી લેતી.&lt;br /&gt;
બધાએ પાઠ મોંએ કરાવેલો કે અજાણ્યા આદમીની અડફેટમાં આવવું નહીં, અધરાત-મધરાતે બહાર નીકળીએ તો કોઈનો ભરોસો કરવો નહીં, એકલાં હોઈએ તો બારી-બારણાં બરાબર બંધ રાખવાં, શરીર ખુલ્લું રાખીને કે ચહેરા રંગીને કોઈનું ધ્યાન ખેંચવું નહીં. આવા સાદાસીધા નિયમો પાળીએ તો એમ કંઈ કોઈ ચોંટી નથી પડતું. ઘરનો વડીલવર્ગ ઓછાં કપડાંમાં બહાર નીકળતી સ્ત્રીઓની ટીકા કરે અને કહે કે સિનેમાએ જ દાટ વાળ્યો છે ત્યારે એ પ્રગટપણે ભલે કશું ન કહે તોયે મનમાં તો એમની જોડે સંમત થઈ જ જતી. સાચી વાત છે. જાતને સાચવતાં આવડવું જોઈએ. આવ પાણા પગ પર, એવા ઉધામા કરીએ તો આબરૂ નયે સચવાય. શીલ અને સંસ્કારનું જતન તો આપણા હાથમાં છે. એ આવડે તો આપણા ચહેરા પર આપોઆપ તેજ પ્રગટે.&lt;br /&gt;
વચ્ચે એકાદ કિસ્સો બહુ ચગેલો. કોઈ યુવતીએ અજાણ્યા આદમીની લિફ્ટ સ્વીકારી અને પછી બળાત્કાર થયો અને એવું બધું. ઘરમાં એક અવાજે મુદ્દો પડઘાયો કે એવી લિફ્ટ લેવાની જરૂર જ શી હોય! છોકરીઓ જ નાસમજ અને નાદાન હોય છે અને કોઈ તો ચેનચાળા કેવા કરે, ને પાછી કપડાંયે એવાં પહેરે... એમનો જ વાંક કહેવાય.&lt;br /&gt;
– ને શહેરમાં રાતોરાત કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારેય એમ જ લાગેલું કે બે કોમ વચ્ચે અથડામણ તો થાય, છરાચાકુ ભોંકાય, થોડું તૂટેફૂટે કે બળઝળે, પછી વાત ખતમ. સ્ત્રીઓને એમાં કંઈ લાગેવળગે નહીં. આ બધાં વેરઝેર તો સત્તા પર બેઠેલાઓનાં, એટલે કે મોટે ભાગે તો મરદોના જ કારસા. એ જ નઘરોળ બધા મારે કે મરે. સ્ત્રીઓ તો ઘરમાં હોય એટલે સુરક્ષિત. બચ્ચાંઓનું ધ્યાન રાખે, બુઢ્‌ઢા-આજારને સંભાળે, ચૂલો સળગતો રાખે ને બધાંનાં પેટ ભરે. એ તો અન્નપૂર્ણા. એને મારામારી-કાપાકાપી જોડે સંબંધ જ નહીં. લોંઠકાઓ ક્યાં સુધી ધમાલ કરશે? થાકશે એટલે આવશે પાછા ઘેર, ડાહ્યા થઈને.&lt;br /&gt;
કરફ્યુ ચાલે એટલે નોકરીએ નહીં જવાનું. એમાંયે ખાસ વાંધો નહીં. રોજના ક્રમમાં જરા ફેરફાર થાય. ભલે બે દહાડા પ્રજા ઘરમાં ગોંધાતી. ટીવી. જોશે. ગપસપ કરશે, સંગીત સાંભળશે. આડે દહાડે એવી ફુરસદ ક્યાં મળે છે કોઈને? બેચાર દિવસમાં ગાડી પાટા પર આવી જશે પાછી.&lt;br /&gt;
જેમાં જાત સંતાડી રાખેલી એ રેશમી રજાઈમાં બાકોરું પડ્યું ચોવીસ કલાકમાં જ. ઘરની સુરક્ષિત દીવાલો ભેદીને જીવ ફફડી ઊઠે એવા સમાચાર આવતા ગયા. પેલા વિસ્તારમાં તો છોકરી પર બળાત્કાર ગુજારી એને કાપી નાખી. ત્યાં બસસ્ટૅન્ડ પાસે એક બાઈની લાશ પડી છે ને શરીર પર એક તાંતણોયે... આપણા ઘરથી જરા દૂરની ગલીમાં એક છોકરી પર તો એના કુટુંબની હાજરીમાં જ... ને એના બાળકને બળતા ઘરમાં...&lt;br /&gt;
ના, ના, આટલું બધું કંઈ હોય નહીં. એ તો બધા ખોટા લોકોને ઉશ્કેરવા માટે જ આ સમાચારો બહેલાવે. આટલાં ખરાબ કામ કરવા કોણ નવરું ભટકતું હોય? પકડાઈ જવાની બીક ન લાગે? આ તો બધી વધારી વધારીને લખેલી વાતો. છાપાંવાળા ગજવાં ભરવા ખેલ કરે આવા. મસાલેદાર લખે એ સારુ. લખવાવાળાયે પાછા મરદો જ હોયને મોટે ભાગે! તેમાં જ તો આવું!&lt;br /&gt;
બપોરે ચૌલા અને સુરેખા આવ્યાં. બે કલાક માટે કરફ્યુમાં છૂટ હતી. બેયના ચહેરા પડી ગયેલા. આવ્યાં તેવાં જ એને ખેંચીને અંદરના ઓરડામાં લઈ ગયાં. બધા સામે કરવા જેવી વાત નહીં હોય એટલે કદાચ.&lt;br /&gt;
– શચી, આપણી ઑફિસમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર પેલી સફાઈ નહોતી કરતી? તને નામ યાદ છે એનું? અમે તો ભૂલી ગયાં છીએ... ઘણુંખરું તો બદામી જેવાં સલવાર-કમીઝ પહેરીને આવતી’તી.&lt;br /&gt;
એણે ઑફિસને અને પછી એના ગ્રાઉન્ડ ફ્લૉરને સ્મૃતિમાં ઊભાં કરવાની કોશિશ કરી. ત્યાં એક ઝાંખીપાંખી ઓરત પણ જોઈ શકાઈ, ચૂપચાપ સફાઈ કરતી, માથું અને ખભો બરાબર ઢાંકીને...&lt;br /&gt;
– યાદ છે. શું થયું એનું? ગોળીબારમાં મરી ગઈ? એનું ઘર બાળી મૂક્યું? એના મરદને કોઈએ..&lt;br /&gt;
ચૌલાએ એનો હાથ પકડી લીધો, પછી કાનમાં કહ્યું કે એના પર તો સામૂહિક બ...&lt;br /&gt;
ચૌલાના શબ્દો કાનમાંથી દડી એના ચિત્ત પર પછડાયા. એની અણીઓ ખૂંપી ગઈ અંદર. પછી શું થયું એ બાઈનું? જીવે છે કે મરી ગઈ? અસહાય ભાવે એણે ઓરડામાંથી બહાર, આમતેમ જોયું, આગલા ખંડમાં ટીવી ચાલતું હતું. ઠંડે કલેજે સહુ બેઠાં’તાં! દાદી ભાજી સમારતાં હતાં, બા સાડીને ફૉલ દેતી હતી. એક સ્ત્રી પર પોતાના જ શહેરના થોડા પુરુષોએ અત્યાચાર કર્યો હતો અને અહીં કશી જ ઊથલપાથલ નહોતી!&lt;br /&gt;
– અમે એને મળવા જઈએ છીએ. તને સાથે લઈ જવા આવ્યાં છીએ.&lt;br /&gt;
એણે દોડીને સેન્ડલ પહેરી લીધાં.&lt;br /&gt;
– શચી જ્યાં જાય છે ત્યાંથી વેળાસર આવી રહેજે... અમને ઉચાટ કરાવીશ નહીં... &lt;br /&gt;
પાછળ પાછળ બાની બૂમ અને બબડાટ આવ્યાં. એણે હાથ હલાવ્યો... આવામાં બહાર ગયા વિના શું રહી ગઈ હશે!&lt;br /&gt;
અંધારા ભોંયરા જેવું ઘર. ધોળે દિવસેય લાઇટ ચાલુ રાખવી પડે. અત્યારે તો બલ્બ તોડી નાખેલા તોફાનીઓએ. બે બારીઓ હતી પણ એમાંથી અજવાળાની આશા રખાય નહીં એવું. બંને પર કથ્થઈ ચોકડિયાળી ચાદરના પડદા, ઝાંખા અને મેલા. લગભગ રોજ જ સવારે ઑફિસના ગ્રાઉન્ડ ફ્લૉર પર સફાઈ કરતાં જોયેલી તે આ?&lt;br /&gt;
ખૂણામાં ભીંતને ટેકે અધ્ધર જીવે બેઠેલી, હોઠ પર પડેલા કાપા દવાથી ઢંકાયેલા છતાં હજી લોહી ઝરપતું હોય એમ લાગ્યું, કપાળે અને ગાલે ઉઝરડા, જાડી ચાદરમાં ભરાયેલું એનું શરીર હજી થરથરતું હતું. શરીરની શરમ વેઠી રહેલી, જે બની ગયું છે એની સાથે મેળ પાડવા મથતી આ બાઈને કેવી રીતે ધરપત આપી શકાય એ સમજાતું નહોતું. ઓરડીમાં તગતગતી કેટલીયે આંખો એ ત્રણેય તરફ શંકા અને અવિશ્વાસથી તાકી રહી. &lt;br /&gt;
– અમે એક જ ઑફિસમાં કામ કરીએ છીએ..&lt;br /&gt;
– રોજ જ મળવાનું થાય, સવારે પહોંચીએ કે તરત...&lt;br /&gt;
– સમાચાર મળ્યા કે તરત થયું કે...&lt;br /&gt;
ના, એમની ભાષા કોઈને સમજાતી નહોતી. અપરાધ આચરનારા પુરુષો એમના તરફના એટલે કે એમના ધર્મના હતા. આવા પુરુષો સાથે આ કે તે – ધર્મ લગાડી જ ન શકાય એમ એને કહેવું હતું, પણ આવું બધું બોલવાનો હવે તો અર્થ જ નહીં. કદાચ આટલું તો સહુ જાણે. હવા ન હોય તો મરી જવાય, કે પાણી વિના વનસ્પતિ સુકાય એના જેવી સાફ બાબત હતી એ. એમાં કહેવાનું શું? કરફ્યુ-મુક્તિનો સમય ઓળંગવાનો નહોતો. ઘેર જલદી પહોંચવાનું હતું. દાદીએ કહેલું કે આવા દિવસોમાં બહુ સાચવીને બહાર નીકળવું. પુરુષો તો પોતાનું વેર વાળવાયે તે બાઈઓને જ–&lt;br /&gt;
જોકે આ બાઈએ તો એના ઘરની બહાર પગ મૂક્યો નહોતો. એના ઘરનાં બારીબારણાં પણ બંધ હતાં. એની બહેને કહ્યું કે દરવાજા તોડકે સબ અંદર આ ગયે.. બાઈએ તો કપડાંયે મર્યાદા સચવાય એવાં જ પહેરેલાં, આખું શરીર કપડાંના તાકામાં સજડબંબ લપેટાયેલું હોય એમ જ ગણો, બિલકુલ અનાકર્ષક નાકનકશો. તોયે આવું થયું, થઈને જ રહ્યું.&lt;br /&gt;
ચૌલાએ કોણી અથડાવી ઇશારો કર્યો કે જઈએ. એ ઊભી થઈ ગઈ. ત્રણેયને ખબર હતી કે અહીં આમ આવનારાં એ પહેલાં જ હતાં. સાંત્વન મળે એવું કંઈક બોલવાની એમની ફરજ હતી, છતાં એવા શબ્દો – સાંત્વન માટે યોગ્ય શબ્દો – શોધી ન શકાયા. &lt;br /&gt;
હજી તો બારણાં નજીક પહોંચ્યાં ત્યાં જ ભોંય ફાટી જાય અને આકાશ તૂટી પડે એવા પ્રચંડ અવાજમાં ખૂણે બેઠેલી એ બાઈ આક્રંદ કરી ઊઠી. એ જર્જર ખોલીને જાણે આંચકા આવ્યા અને દીવાલોમાં ઊભી, છત લગીની તિરાડો પડી ગઈ. એ પાછી ફરી ગઈ, તરત નીચે બેસી પડી અને પેલી બાઈને એણે પૂરેપૂરી બાથમાં લઈ લીધી. એ ભીંસમાં બંનેનાં શરીર એકાકાર થઈ ગયાં, જાડી ચાદર હવે કોના ખભા ઢાંકતી હતી એ કળવું મુશ્કેલ બન્યું, બાઈનાં આંસુ હવે શચીના હોઠ પલાળતા હતા, એ ખારાશમાં બંને શરીર ઓગળીને એક બની ગયાં હતાં. બાઈનું શરીર એ અનુભવી શકતી હતી ખંડિત, અપમાનિત, ઉચ્છેદાયેલું, રગદોળાયેલું...&lt;br /&gt;
બરાબર એ ક્ષણે એને સમજાઈ ગયું કે બળાત્કાર એટલે શું, અત્યાચાર એટલે શું...&lt;br /&gt;
દાદીને, બાને, માસીને, ફોઈને અને કોઈનેય ખરેખર તો કંઈ ખબર જ નહોતી!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કોઈ એક દિવસ&lt;br /&gt;
|next = સામેવાળી સ્ત્રી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%95%E0%AB%8B%E0%AA%88_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8&amp;diff=112845</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/કોઈ એક દિવસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%95%E0%AB%8B%E0%AA%88_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8&amp;diff=112845"/>
		<updated>2026-07-20T02:38:07Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| કોઈ એક દિવસ  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મારાં બાવન વર્ષની ગૂંચ કેવી રીતે ઉકેલી શકાય એની ખબર માત્ર બાને જ છે. ક્યાં ગાંઠ છે, ક્યાંથી દોર નીચે સરકાવવાની, ક્યાંથી ઉપર લેવાની, ક્યાં વળ ચડી ગયા અને ક્યાં દોર કપાઈ ગઈ છે એ બધુંયે એ જાણે. માત્ર એ જ. બહારનાંને આ ગૂંચની ખબર ન હોય. નજીક આવતાં-જતાં મિત્રોને પણ નહીં.&lt;br /&gt;
એ બધાં માટે હું બાવન વર્ષની એક સ્પિન્સ્ટર – કુંવારી પ્રૌઢા, લગ્નની વય જતી રહી અને લાયક કોઈ મળ્યું નહીં એટલે અડધુંઅધૂરું જીવતી એક સ્ત્રી. આરંભમાં મેં લગ્ન કેમ ન કર્યાં એ વિશે તુક્કા દોડાવવાનું થોડાંકને ગમતું હશે. (દેખાવ ખાસ ખોટો નથી, ભણેલીયે છે, અતડી નથી, કુટુંબ પણ જુનવાણી કહેવાય એવું નહીં છતાં...) પછી સમય પસાર કરવા માટે વધારે રસપ્રદ સાધનો મળતાં ગયાં તે સાથે આવા તુક્કાઓ ખાંજરે પડ્યા.&lt;br /&gt;
મારા એજન્ડામાં લગ્ન નહોતાં. પહેલેથી જ નહોતાં, એટલે કે બાવીસ વર્ષની થઈ ત્યારથી, એ અગાઉ જે બન્યું તે પેલી ગૂંચનો જ એક ભાગ. ઘરનાં કોઈનેય એની ખબર નથી એમ હું માનું છું. આમ તો એમાં રહસ્ય જેવું કશું નહીં, છતાં બન્યું જ એવું કે કોઈને એની જાણ ન થઈ અને મારે એ અંગે જાહેરાત કરવાનો સમય આવ્યો નહીં. આજે તો એ વાતનુંયે મહત્ત્વ નથી, ત્યારે જાણે જીવનમરણનો સવાલ લાગેલો.&lt;br /&gt;
મ. બીજી કોમનો, અમારી કૉલેજના દરવાજાને અડીને એક પાળી હતી જે અંદરની બાજુ વળતી અર્ધગોળાકારમાં. ત્યાં વાંસ, લીમડા ને ગુલમહોરની ઘટા, ઝાડીયે ખાસ્સી. પીળાં પતંગિયાં ઊડતાં રહે. અમે એ પાળી પર બેસતાં. કૉલેજ છૂટી ગયા પછી, અવરજવર આછી થાય ત્યારે. અમારાં જેવાં બીજાં જોડકાંયે ત્યારે હતાં પણ એ મોટેભાગે કૅન્ટિન કે એની આગળપાછળ બેઠક રાખે. તે જમાનામાં સ્કૂટર લઈને કૉલેજ આવતા ઓમપ્રકાશ જોડે ફરતી માયાને કે પછી મિલમાલિકની દીકરી ચિત્રા સાથે દેખાતા અભયને ખુલ્લંખુલ્લાં ગોઠવાવાનું જ ગમતું. એવા પ્રદર્શનમાં એક ખાસ પ્રકારનો નશો હોય છે. એ બધાં એ નશામાં ચકચૂર.&lt;br /&gt;
અમે તો ગભરાતાં. રીતસર ડરતાં. કોઈ જોઈ જશે એવી બીકમાં કેટલીયે વાર વાક્યો અડધાં રાખીને અમે એકાએક છૂટાં પડી જતાં. એ વાક્યો પછી હવામાં ઝૂલતાં, બીજા દિવસની વાટ જોઈને. એક વખત તો પ્રોફેસર પાઠક ત્યાંથી પસાર થયા અને અમે તરત જ કોઈ પુસ્તકની આપ-લે કરતાં હોઈએ એવું નાટક ઊભું કરી શકેલાં. એમને કશો જ વહેમ નહીં ગયો હોય એમ આજેય મને લાગે છે. આવી ચતુરાઈ આપમેળે જ વિકસે છે એ અનુભવીઓ જાણે.&lt;br /&gt;
હવે આટલી ગુપ્ત વાત ઘરમાં બેઠેલી બા સુધી કેવી રીતે પહોંચી? પેલા આસમાની છત્રીવાળા જાણભેદુનું જ આ કામ હશે કે? એક મઝાની સાંજે અમે બેય વટાણા ફોલતાં હતાં. નજીક નજીક ગોઠવાયેલા પુષ્ટ દાણાને લીલાં ઢાંકણ ખોલી થાળીના મેદાનમાં દોડતા કરવાની ગમ્મત પડતી હતી. બા અચાનક જ બોલી :&lt;br /&gt;
– તું તો હમણાંની બહુ ખોવાયેલી લાગે છે. ભણવામાં રસ નથી પડતો? બોજો લાગે છે કોઈ?&lt;br /&gt;
હા-ના કર્યે રાખી પણ બા એમ હાર ન માને. પીછો પકડ્યો એણે તો. બારીક નજરે બધું નોંધે. કેવાં કપડાં પહેરું છું, કેટલું ખાઉં છું, કેવાં ગીતો સાંભળું છું ને કેવાં ગણગણું છું. એ તમામ વિગતો એકઠી કરતી ગઈ. (જબ ગમે ઇશ્ક સતાતા હૈ. એમાં ખાસ.)&lt;br /&gt;
– કહે તો ખરી કોની જોડે દોસ્તી બાંધી છે તે! મને તો કહેવાય. &lt;br /&gt;
હું છળી મરેલી. રૂઢિચુસ્ત નહીં તોયે બ્રાહ્મણનું ઘર. નન્નો જ ભણતી રહી, પૂરા વજન સાથે. પણ અવાજમાં જૂઠાણાંની છારી બાઝી હશે તે બાને પકડતાં વાર ન લાગી.&lt;br /&gt;
– ઠીક ત્યારે. તારે ના કહેવું હોય તો ભલે તેમ. કંઈક સંતાડી રહી છો મારાથી એ નક્કી. એટલો ભરોસો ઓછો ને એટલી કચાશ મારી.&lt;br /&gt;
હું બહુ ગલવાઈ ગઈ. છતાં હોઠ ભીડી રાખ્યા. ત્યારે તો કંઈ જ ન બોલી, પંદરેક દિવસ પછી છેવટે મ.ની વાત બાને કરી. બીતાં બીતાં ફફડતે હૈયે.&lt;br /&gt;
થોડી ક્ષણો કોઈ પ્રતિભાવ વિનાની, ખાલીખમ. &lt;br /&gt;
– બહાદુર છો તું. લાગણીના સંબંધમાં બીજી છોકરીઓ પેઠે નફાતોટાના હિસાબ નથી માંડતી. મને ગમ્યું. એને લાવને કોઈ વાર ઘેર...&lt;br /&gt;
– પણ ઘરમાં બધાંને.... મને તો ખરે જ બીક લાગે છે...&lt;br /&gt;
– હું બેઠી છું ને! એની જાતપાત સાથે કેવળ તારે નિસબત, બીજાં કોઈને વળી શી લેવાદેવા?&lt;br /&gt;
બાને મેં એ દિવસે ઓળખી. ત્યારથી મ.ની બધી જ વાતો હું એને કરતી થઈ. એ જ મારી સખી. મ.ને લાડુ ભાવે છે એવી ખબર પડી પછી ચોથના લાડુ બા ડબ્બામાં મૂકીને મને આપે અને મારા બગલથેલામાં એ ડબ્બો ગોઠવતાં અમે મા-દીકરી મલકી લઈએ. રસોડામાં પાંચ જણ હોય તોયે કોઈને ખબર ન પડે અમારા મલકાટનું રહસ્ય...&lt;br /&gt;
મ. મને એની બહેનને ઘેર લઈ ગયો હતો. ત્યાં હું બહુ વિવેકથી વર્તેલી, કેમ જાણે એ મને પસંદ કરી લે તો અમારો રસ્તો સરળ થઈ જવાનો ન હોય! (પછી મને મારી એ અકુદરતી નમ્રતા બહુ શરમજનક લાગી હતી) શહેરમાં જ્યારે પહેલી વાર કોમી રમખાસ ફાટી નીકળ્યું ત્યારે હું રોજેરોજ પ્રાર્થના કરતી કે...&lt;br /&gt;
– તું એને ઘેર તો લઈ આવ. મારે એને જોવો છે. જલદી પણ મ.ને ઘેર બોલાવવાનો અવસર આવ્યો નહીં. એ કોઈ ને કોઈ કારણ આગળ ધરતો રહ્યો.&lt;br /&gt;
– ઠીક છે, આવુંયે ખરો, પણ જાતબિરાદરીમાં જરા... ખાસ તો મારા નાના હજી જીવે છે એટલે... અમારા ફેમિલીમાં આજ લગી બીજી કોમની કોઈ છોકરી..&lt;br /&gt;
– એમ તો મારે ત્યાંયે બીજી કોમનો કોઈ છોકરો...&lt;br /&gt;
આવી ચણભણ પછીયે મ.ને ઘેર લાવી ન શકી. અમારું મળવાનું પેલી પાળી પર જ રહ્યું જે વળાંક લઈને અટકી જતી હતી. એક દિવસ એણે કોઈ દોસ્તની શાદીમાં મુંબઈ જવાનું કહ્યું. એ ગયો એની આગલી સાંજે મોડે સુધી પાળી પર બેઠાં રહ્યાં. આજે કેમ આટલી બધી મોડી એવા ભાઈના સવાલનો ઉત્તર બાએ જ આપેલો કે એની કોઈ બહેનપણી માંદી છે એટલે સવારે જ કહીને ગયેલી મને. &lt;br /&gt;
પંદર દિવસ, પચીસ દિવસ, પાંત્રીસ દિવસ. મ.ના સમાચાર નહીં. કોઈને પૂછવા જવાય નહીં, તપાસ થાય નહીં અને જીવ ભડકે બળે. મ. આમ દબાતે પગલે અચાનક આ શહેર છોડી દેશે એમ તો હું ક્યાંથી માનું? એ તો તસ્નીમે કહ્યું ત્યારે માનવું જ પડ્યું. &lt;br /&gt;
પછડાટ મોટી હતી. એ પછી કોઈની નજીક જવાની અને કોઈને નજીક આવવા દેવાની લપમાં ન પડવું એમ નક્કી કર્યું, પણ બા તો...&lt;br /&gt;
– હોય બહેન, અંજળની વાત. મારા જમાનામાંયે આવું થતું. પારકી કોમમાં નહીં ને પોતાની નાતમાં. દૂર શા સારુ જવું. મને ને તારી માસીને બે છોકરાઓએ પહેલાં હા ભણી ને પછી ના પાડી દીધી હતી. હારી ન જઈએ અને મન ખુલ્લું રાખીએ. આમાંયે કંઈક વિધિસંકેત, બાકી જે બીક અત્યારે એને લાગી એ પછી લાગી હોત તો?&lt;br /&gt;
મ. તો ગયો. તોયે ભીની આંખે – ભીના સાદે એની વાતો થતી રહી. બા જોડે એકલી પડું એટલે રેશમી દોરા ઉકેલું ને વીંટું, એ રીતે હું થોડુંથોડું પરણી લઉં. મ.ની આડાઈની, એની મીઠાશની, એની આવડતની ઝીણીઝીણી, રસભરી વાતો.. સાસરેથી આવેલી કે સાસરે જવાની હોય એવી દીકરી મા જોડે વાતો કરે એવી જ એ બધી વાતો. હવામાં ફરફરતા આસોપાલવનાં તોરણ જેવી, હાથ પર આલેખેલી ફૂલવેલની ભાત જેવી. બા ધ્યાનથી સાંભળે, ટાપશી પૂરે, ચાલતું રહ્યું આવું મનગમતું લાંબો સમય.&lt;br /&gt;
મ.ના ગયા પછી લાંબે ગાળે - લગભગ પચીસ વર્ષે – પાછી એવી જ લાગણી થઈ આવી અ. માટે, હા, વચ્ચે દ. આવી ગયો, પણ એ પ્રકરણ તો ન મંડાયા જેવું જ. દ.નો આત્મવિશ્વાસ તૂટી ગયેલો તે મારી જોડે અખતરારૂપે જોવા માંગતો હતો કે એ કોઈને જીતી શકે કે નહીં. એ સંબંધમાં બધું હંગામી ધોરણે જ રહ્યું એટલે એમાં કહેવા જેવું કંઈ નથી.&lt;br /&gt;
અ.ને મળી ત્યારે મારી વય પ્રેમમાં પડવાની બિલકુલ નહીં. છેંતાળીસની નજીક. નોકરી કરવા જાઉં ત્યારે લૅડીઝ ડબ્બો આરતી-ભજનથી ગાજતો હોય અને હું અ.ના વિચારમાં ડૂબી હોઉં. અ. પરણેલા, બે દીકરી, પત્ની જાજરમાન. તોયે આવું થઈને જ રહ્યું. કેમ તે પુછાય નહીં, એના જવાબ હોય નહીં. અ.ના ફોન આવે, કોઈ વાર તળી લાંબો સમય બહારગામ ગયા હોય તો કાગળ સુધ્ધાં આવે. અ.ના સંસાર વિશે બાને માહિતી આપતાં આપતાં હું મારી આજુબાજુ સંરક્ષણ-દીવાલ ઊભી કરતી રહું. અ. તો સુખી ને સંસારી, અ. તો ઠરેલ, જવાબદારીના ભાનવાળા, તમે ધારો છો એવું અમારી વચ્ચે કંઈયે નથી... પણ બાની આંખો દીવાલને ભેદે, દીવાલની પેલી તરફ હું હોઉં ત્યારે તો ખાસ... પામી જ ગઈ એ.&lt;br /&gt;
– એમાં સંકોચાઈએ નહીં જરીકે. આટલા વાસ્તે તો આપણા ધરમમાંય તે નરનારીના અનેક સંબંધો કલ્પ્યા છે. આંધળા હોય એને ન દેખાય તો નસીબ એમનાં.... તારે શરમાવું નહીં. લાગણીને બને તેટલી ચોખ્ખી રાખવી. સ્વાર્થ, અદેખાઈ, મોહને ગાળતાં રહેવું... લેવાની વાત નહીં, આપવાનો જ ઉમળકો રાખવો. આપણે કારણે કોઈને નાહક દુઃખ ન થાય એની બને એટલી કાળજી રાખવી, પછી જખ મારે છે દુનિયા...&lt;br /&gt;
બા તો મારો છાંયો, બળતા જીવને ઠારે એવો. અ. સાથેની આત્મીયતા ટકી રહી હોત, જો તે દિવસે હું એમને ઘેર જ ન ગઈ હોત તો. પણ એયે નિર્માણ.&lt;br /&gt;
અ. એકલા હતા. મને ફોન કર્યો. કહે કે આવ ઘેર. ચા પીએ સાથે. રસ્તામાંથી ગમે તે નાસ્તોય લેતી આવ, સમોસા, ગાંઠિયા, એનીથિન્ગ, સારા મૂડમાં લાગ્યા. પહોંચી. ચા રસોડામાં તૈયાર હતી. અ. ચા સરસ બનાવતા. બધું સજાવીને ગોઠવાયાં. હજી તો વાતો આરંભાઈ નહોતી ત્યાં ડોરબૅલ. અ. બારણું ખોલવા ગયા. થોડી વારે અંદર આવીને દબાતે અવાજે કહે કે ઇલેક્શનમાં ઊભો રાખવા ધારે છે. પાર્ટીવર્કર્સ છે બધા, ને પંદરેક મિનિટમાં એમના પ્રેસિડન્ટ પણ આવવાના છે... વાત લાંબી ચાલશે, રિયલી સૉરી... સૉરી...&lt;br /&gt;
મેં તો સાવ સ્વાભાવિક રીતે કહ્યું કે વાંધો નહીં. નીકળું જ છું અત્યારે. તો ઉતાવળા ઉતાવળા બોલ્યા કે પાછલું બારણું ખોલી આપું છું... તું ત્યાંથી જ... આમ તો વાંધો નહીં પણ આપણા લોકો એટલા નકામા છે કે કારણ વગર..&lt;br /&gt;
અ. ગોળગોળ બોલ્યા. એ કદી તતપપ થાય નહીં, તે દિવસે થયા. પાછલે બારણેથી હું રસ્તા પર આવી તો ખરી પણ ગાંઠ વળી ગઈ કે જે ઘરમાંથી પાછલે બારણે નીકળવું પડે એ ઘરમાં જવું નહીં.&lt;br /&gt;
છેંતાળીસ વર્ષેય એક સાચો ને સરખો માણસ ખોળતાં ન આવડ્યું એના અફસોસમાં રડીરડીને પાગલ થઈ ગઈ. બાએ માથે હાથ ફેરવ્યા કર્યો, બોલ્યા વિના. એને એક હાર્ટઍટૅક આવી ગયેલો. ડૉક્ટરે સરખો આરામ લેવા કહેલું. અને મન શાંત રાખવા પણ.&lt;br /&gt;
– સારું જ થયું સંબંધ તોડી નાખ્યો તે. નામને છાંટો ન લાગે એની આટલી ફિકર હોય તેની જોડે કશી લેપન ન હોય આપશે. ખાંડણિયામાં માથું રાખી ધમકારાથી બીવે એ તે વળી શું જાળવે કોઈનેય તે....&lt;br /&gt;
ઘરનાં બીજાં તો પોતપોતાનામાં એવાં રમમાણ કે એમને ન અણસાર આવે આખા સંબંધનો કે ન તો તૂટેલાનો... જાણે કેવળ બા.&lt;br /&gt;
બધાં એમ માને અને કહે કે એંસીની નજીક પહોંચેલી વ્યક્તિ તો ગમે ત્યારે અહીંથી ચાલી નીકળે. એ આવજો કહેવા અને વ્યવસ્થિત વિદાય લેવા બંધાયેલી નથી. એને ઉતાવળ હોય. કોઈ પૂછે કે બાની ઉંમર શી, અને કહીએ કે એંસી, તો પૂછનારના ચહેરા પર જ વંચાય કે તો તો જાણે બરાબર.... અર્થાત્‌ યમરાજની કશી ગફલત નહીં. ઝાડ પરથી પાકું પાન ખરે ત્યારે આઘાત અને વિસ્મયથી મૂઢ બનીને આકાશ ભણી જુઓ છો? એ જેટલું કુદરતી અને સહજ એટલું જ આ પણ.&lt;br /&gt;
મને ખબર છે કે બા કોઈ એક દિવસ નહીં હોય અને કદાચ હું હોઈશ. ત્યારે મને જે લાગશે તે આઘાત અને ખાલીપો જ નહીં, એથી કંઈક વધારે તીવ્ર હશે. એ જશે ત્યારે મારા પેલા સંબંધોની દિનવારી પોતાની સાથે લેતી જશે. મારો અડધો-અધૂરો પ્રેમનો સંસાર એની સાથે જ ભસ્મીભૂત થશે. અમારી વચ્ચે સંતાડી રાખેલી કેટલીયે વાતો રાખ બનીને ઊડી જશે પછી. એ પોતાની સાથે મ.ને લઈ જશે અને લઈ જશે અને અ.ને એ બંનેની જોડેના મારા જીવનને.&lt;br /&gt;
એ વાતો પછી હું ક્યારેય કોઈની સામે નહીં કરી શકું. મારી પાસે ત્યારે રહેશે માત્ર એ ચહેરો જે બા સિવાયનાં બધાંએ જોયો છે, ઓળખ્યો છે. બાવન વર્ષની એક જરઠ, નીરસ કુંવારકાનો.... જેને કોઈ પુરુષ કદી પ્રેમ નથી કર્યો...&lt;br /&gt;
માત્ર બાની જ આંખમાં સચવાયો છે મારો પેલો ચહેરો – પ્રેમ કરી શકેલી એક સ્ત્રીનો, પ્રેમ આપ્યા-લીધાના સંતોષથી ભરેલો. &lt;br /&gt;
બાની આંખ જ્યારે બંધ થશે ત્યારે..&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous =  એકાંત&lt;br /&gt;
|next = રેશમી રજાઈમાં બાકોરું&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%95%E0%AB%8B%E0%AA%88_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8&amp;diff=112844</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/કોઈ એક દિવસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%95%E0%AB%8B%E0%AA%88_%E0%AA%8F%E0%AA%95_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%B8&amp;diff=112844"/>
		<updated>2026-07-20T02:37:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| કોઈ એક દિવસ  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મારાં બાવન વર્ષની ગૂંચ કેવી રીતે ઉકેલી શકાય એની ખબર માત્ર બાને જ છે. ક્યાં ગાંઠ છે, ક્યાંથી દોર નીચે સરકાવવાની, ક્યાંથી ઉપર લેવાની, ક્યાં વળ ચડી ગયા અને ક્યાં દોર કપાઈ ગઈ છે એ બધુંયે એ જાણે. માત્ર એ જ. બહારનાંને આ ગૂંચની ખબર ન હોય. નજીક આવતાં-જતાં મિત્રોને પણ નહીં.&lt;br /&gt;
એ બધાં માટે હું બાવન વર્ષની એક સ્પિન્સ્ટર – કુંવારી પ્રૌઢા, લગ્નની વય જતી રહી અને લાયક કોઈ મળ્યું નહીં એટલે અડધુંઅધૂરું જીવતી એક સ્ત્રી. આરંભમાં મેં લગ્ન કેમ ન કર્યાં એ વિશે તુક્કા દોડાવવાનું થોડાંકને ગમતું હશે. (દેખાવ ખાસ ખોટો નથી, ભણેલીયે છે, અતડી નથી, કુટુંબ પણ જુનવાણી કહેવાય એવું નહીં છતાં...) પછી સમય પસાર કરવા માટે વધારે રસપ્રદ સાધનો મળતાં ગયાં તે સાથે આવા તુક્કાઓ ખાંજરે પડ્યા.&lt;br /&gt;
મારા એજન્ડામાં લગ્ન નહોતાં. પહેલેથી જ નહોતાં, એટલે કે બાવીસ વર્ષની થઈ ત્યારથી, એ અગાઉ જે બન્યું તે પેલી ગૂંચનો જ એક ભાગ. ઘરનાં કોઈનેય એની ખબર નથી એમ હું માનું છું. આમ તો એમાં રહસ્ય જેવું કશું નહીં, છતાં બન્યું જ એવું કે કોઈને એની જાણ ન થઈ અને મારે એ અંગે જાહેરાત કરવાનો સમય આવ્યો નહીં. આજે તો એ વાતનુંયે મહત્ત્વ નથી, ત્યારે જાણે જીવનમરણનો સવાલ લાગેલો.&lt;br /&gt;
મ. બીજી કોમનો, અમારી કૉલેજના દરવાજાને અડીને એક પાળી હતી જે અંદરની બાજુ વળતી અર્ધગોળાકારમાં. ત્યાં વાંસ, લીમડા ને ગુલમહોરની ઘટા, ઝાડીયે ખાસ્સી. પીળાં પતંગિયાં ઊડતાં રહે. અમે એ પાળી પર બેસતાં. કૉલેજ છૂટી ગયા પછી, અવરજવર આછી થાય ત્યારે. અમારાં જેવાં બીજાં જોડકાંયે ત્યારે હતાં પણ એ મોટેભાગે કૅન્ટિન કે એની આગળપાછળ બેઠક રાખે. તે જમાનામાં સ્કૂટર લઈને કૉલેજ આવતા ઓમપ્રકાશ જોડે ફરતી માયાને કે પછી મિલમાલિકની દીકરી ચિત્રા સાથે દેખાતા અભયને ખુલ્લંખુલ્લાં ગોઠવાવાનું જ ગમતું. એવા પ્રદર્શનમાં એક ખાસ પ્રકારનો નશો હોય છે. એ બધાં એ નશામાં ચકચૂર.&lt;br /&gt;
અમે તો ગભરાતાં. રીતસર ડરતાં. કોઈ જોઈ જશે એવી બીકમાં કેટલીયે વાર વાક્યો અડધાં રાખીને અમે એકાએક છૂટાં પડી જતાં. એ વાક્યો પછી હવામાં ઝૂલતાં, બીજા દિવસની વાટ જોઈને. એક વખત તો પ્રોફેસર પાઠક ત્યાંથી પસાર થયા અને અમે તરત જ કોઈ પુસ્તકની આપ-લે કરતાં હોઈએ એવું નાટક ઊભું કરી શકેલાં. એમને કશો જ વહેમ નહીં ગયો હોય એમ આજેય મને લાગે છે. આવી ચતુરાઈ આપમેળે જ વિકસે છે એ અનુભવીઓ જાણે.&lt;br /&gt;
હવે આટલી ગુપ્ત વાત ઘરમાં બેઠેલી બા સુધી કેવી રીતે પહોંચી? પેલા આસમાની છત્રીવાળા જાણભેદુનું જ આ કામ હશે કે? એક મઝાની સાંજે અમે બેય વટાણા ફોલતાં હતાં. નજીક નજીક ગોઠવાયેલા પુષ્ટ દાણાને લીલાં ઢાંકણ ખોલી થાળીના મેદાનમાં દોડતા કરવાની ગમ્મત પડતી હતી. બા અચાનક જ બોલી :&lt;br /&gt;
– તું તો હમણાંની બહુ ખોવાયેલી લાગે છે. ભણવામાં રસ નથી પડતો? બોજો લાગે છે કોઈ?&lt;br /&gt;
હા-ના કર્યે રાખી પણ બા એમ હાર ન માને. પીછો પકડ્યો એણે તો. બારીક નજરે બધું નોંધે. કેવાં કપડાં પહેરું છું, કેટલું ખાઉં છું, કેવાં ગીતો સાંભળું છું ને કેવાં ગણગણું છું. એ તમામ વિગતો એકઠી કરતી ગઈ. (જબ ગમે ઇશ્ક સતાતા હૈ. એમાં ખાસ.)&lt;br /&gt;
– કહે તો ખરી કોની જોડે દોસ્તી બાંધી છે તે! મને તો કહેવાય. &lt;br /&gt;
હું છળી મરેલી. રૂઢિચુસ્ત નહીં તોયે બ્રાહ્મણનું ઘર. નન્નો જ ભણતી રહી, પૂરા વજન સાથે. પણ અવાજમાં જૂઠાણાંની છારી બાઝી હશે તે બાને પકડતાં વાર ન લાગી.&lt;br /&gt;
– ઠીક ત્યારે. તારે ના કહેવું હોય તો ભલે તેમ. કંઈક સંતાડી રહી છો મારાથી એ નક્કી. એટલો ભરોસો ઓછો ને એટલી કચાશ મારી.&lt;br /&gt;
 હું બહુ ગલવાઈ ગઈ. છતાં હોઠ ભીડી રાખ્યા. ત્યારે તો કંઈ જ ન બોલી, પંદરેક દિવસ પછી છેવટે મ.ની વાત બાને કરી. બીતાં બીતાં ફફડતે હૈયે.&lt;br /&gt;
થોડી ક્ષણો કોઈ પ્રતિભાવ વિનાની, ખાલીખમ. &lt;br /&gt;
– બહાદુર છો તું. લાગણીના સંબંધમાં બીજી છોકરીઓ પેઠે નફાતોટાના હિસાબ નથી માંડતી. મને ગમ્યું. એને લાવને કોઈ વાર ઘેર...&lt;br /&gt;
– પણ ઘરમાં બધાંને.... મને તો ખરે જ બીક લાગે છે...&lt;br /&gt;
– હું બેઠી છું ને! એની જાતપાત સાથે કેવળ તારે નિસબત, બીજાં કોઈને વળી શી લેવાદેવા?&lt;br /&gt;
બાને મેં એ દિવસે ઓળખી. ત્યારથી મ.ની બધી જ વાતો હું એને કરતી થઈ. એ જ મારી સખી. મ.ને લાડુ ભાવે છે એવી ખબર પડી પછી ચોથના લાડુ બા ડબ્બામાં મૂકીને મને આપે અને મારા બગલથેલામાં એ ડબ્બો ગોઠવતાં અમે મા-દીકરી મલકી લઈએ. રસોડામાં પાંચ જણ હોય તોયે કોઈને ખબર ન પડે અમારા મલકાટનું રહસ્ય...&lt;br /&gt;
મ. મને એની બહેનને ઘેર લઈ ગયો હતો. ત્યાં હું બહુ વિવેકથી વર્તેલી, કેમ જાણે એ મને પસંદ કરી લે તો અમારો રસ્તો સરળ થઈ જવાનો ન હોય! (પછી મને મારી એ અકુદરતી નમ્રતા બહુ શરમજનક લાગી હતી) શહેરમાં જ્યારે પહેલી વાર કોમી રમખાસ ફાટી નીકળ્યું ત્યારે હું રોજેરોજ પ્રાર્થના કરતી કે...&lt;br /&gt;
– તું એને ઘેર તો લઈ આવ. મારે એને જોવો છે. જલદી પણ મ.ને ઘેર બોલાવવાનો અવસર આવ્યો નહીં. એ કોઈ ને કોઈ કારણ આગળ ધરતો રહ્યો.&lt;br /&gt;
– ઠીક છે, આવુંયે ખરો, પણ જાતબિરાદરીમાં જરા... ખાસ તો મારા નાના હજી જીવે છે એટલે... અમારા ફેમિલીમાં આજ લગી બીજી કોમની કોઈ છોકરી..&lt;br /&gt;
– એમ તો મારે ત્યાંયે બીજી કોમનો કોઈ છોકરો...&lt;br /&gt;
આવી ચણભણ પછીયે મ.ને ઘેર લાવી ન શકી. અમારું મળવાનું પેલી પાળી પર જ રહ્યું જે વળાંક લઈને અટકી જતી હતી. એક દિવસ એણે કોઈ દોસ્તની શાદીમાં મુંબઈ જવાનું કહ્યું. એ ગયો એની આગલી સાંજે મોડે સુધી પાળી પર બેઠાં રહ્યાં. આજે કેમ આટલી બધી મોડી એવા ભાઈના સવાલનો ઉત્તર બાએ જ આપેલો કે એની કોઈ બહેનપણી માંદી છે એટલે સવારે જ કહીને ગયેલી મને. &lt;br /&gt;
પંદર દિવસ, પચીસ દિવસ, પાંત્રીસ દિવસ. મ.ના સમાચાર નહીં. કોઈને પૂછવા જવાય નહીં, તપાસ થાય નહીં અને જીવ ભડકે બળે. મ. આમ દબાતે પગલે અચાનક આ શહેર છોડી દેશે એમ તો હું ક્યાંથી માનું? એ તો તસ્નીમે કહ્યું ત્યારે માનવું જ પડ્યું. &lt;br /&gt;
પછડાટ મોટી હતી. એ પછી કોઈની નજીક જવાની અને કોઈને નજીક આવવા દેવાની લપમાં ન પડવું એમ નક્કી કર્યું, પણ બા તો...&lt;br /&gt;
– હોય બહેન, અંજળની વાત. મારા જમાનામાંયે આવું થતું. પારકી કોમમાં નહીં ને પોતાની નાતમાં. દૂર શા સારુ જવું. મને ને તારી માસીને બે છોકરાઓએ પહેલાં હા ભણી ને પછી ના પાડી દીધી હતી. હારી ન જઈએ અને મન ખુલ્લું રાખીએ. આમાંયે કંઈક વિધિસંકેત, બાકી જે બીક અત્યારે એને લાગી એ પછી લાગી હોત તો?&lt;br /&gt;
મ. તો ગયો. તોયે ભીની આંખે – ભીના સાદે એની વાતો થતી રહી. બા જોડે એકલી પડું એટલે રેશમી દોરા ઉકેલું ને વીંટું, એ રીતે હું થોડુંથોડું પરણી લઉં. મ.ની આડાઈની, એની મીઠાશની, એની આવડતની ઝીણીઝીણી, રસભરી વાતો.. સાસરેથી આવેલી કે સાસરે જવાની હોય એવી દીકરી મા જોડે વાતો કરે એવી જ એ બધી વાતો. હવામાં ફરફરતા આસોપાલવનાં તોરણ જેવી, હાથ પર આલેખેલી ફૂલવેલની ભાત જેવી. બા ધ્યાનથી સાંભળે, ટાપશી પૂરે, ચાલતું રહ્યું આવું મનગમતું લાંબો સમય.&lt;br /&gt;
મ.ના ગયા પછી લાંબે ગાળે - લગભગ પચીસ વર્ષે – પાછી એવી જ લાગણી થઈ આવી અ. માટે, હા, વચ્ચે દ. આવી ગયો, પણ એ પ્રકરણ તો ન મંડાયા જેવું જ. દ.નો આત્મવિશ્વાસ તૂટી ગયેલો તે મારી જોડે અખતરારૂપે જોવા માંગતો હતો કે એ કોઈને જીતી શકે કે નહીં. એ સંબંધમાં બધું હંગામી ધોરણે જ રહ્યું એટલે એમાં કહેવા જેવું કંઈ નથી.&lt;br /&gt;
અ.ને મળી ત્યારે મારી વય પ્રેમમાં પડવાની બિલકુલ નહીં. છેંતાળીસની નજીક. નોકરી કરવા જાઉં ત્યારે લૅડીઝ ડબ્બો આરતી-ભજનથી ગાજતો હોય અને હું અ.ના વિચારમાં ડૂબી હોઉં. અ. પરણેલા, બે દીકરી, પત્ની જાજરમાન. તોયે આવું થઈને જ રહ્યું. કેમ તે પુછાય નહીં, એના જવાબ હોય નહીં. અ.ના ફોન આવે, કોઈ વાર તળી લાંબો સમય બહારગામ ગયા હોય તો કાગળ સુધ્ધાં આવે. અ.ના સંસાર વિશે બાને માહિતી આપતાં આપતાં હું મારી આજુબાજુ સંરક્ષણ-દીવાલ ઊભી કરતી રહું. અ. તો સુખી ને સંસારી, અ. તો ઠરેલ, જવાબદારીના ભાનવાળા, તમે ધારો છો એવું અમારી વચ્ચે કંઈયે નથી... પણ બાની આંખો દીવાલને ભેદે, દીવાલની પેલી તરફ હું હોઉં ત્યારે તો ખાસ... પામી જ ગઈ એ.&lt;br /&gt;
– એમાં સંકોચાઈએ નહીં જરીકે. આટલા વાસ્તે તો આપણા ધરમમાંય તે નરનારીના અનેક સંબંધો કલ્પ્યા છે. આંધળા હોય એને ન દેખાય તો નસીબ એમનાં.... તારે શરમાવું નહીં. લાગણીને બને તેટલી ચોખ્ખી રાખવી. સ્વાર્થ, અદેખાઈ, મોહને ગાળતાં રહેવું... લેવાની વાત નહીં, આપવાનો જ ઉમળકો રાખવો. આપણે કારણે કોઈને નાહક દુઃખ ન થાય એની બને એટલી કાળજી રાખવી, પછી જખ મારે છે દુનિયા...&lt;br /&gt;
બા તો મારો છાંયો, બળતા જીવને ઠારે એવો. અ. સાથેની આત્મીયતા ટકી રહી હોત, જો તે દિવસે હું એમને ઘેર જ ન ગઈ હોત તો. પણ એયે નિર્માણ.&lt;br /&gt;
અ. એકલા હતા. મને ફોન કર્યો. કહે કે આવ ઘેર. ચા પીએ સાથે. રસ્તામાંથી ગમે તે નાસ્તોય લેતી આવ, સમોસા, ગાંઠિયા, એનીથિન્ગ, સારા મૂડમાં લાગ્યા. પહોંચી. ચા રસોડામાં તૈયાર હતી. અ. ચા સરસ બનાવતા. બધું સજાવીને ગોઠવાયાં. હજી તો વાતો આરંભાઈ નહોતી ત્યાં ડોરબૅલ. અ. બારણું ખોલવા ગયા. થોડી વારે અંદર આવીને દબાતે અવાજે કહે કે ઇલેક્શનમાં ઊભો રાખવા ધારે છે. પાર્ટીવર્કર્સ છે બધા, ને પંદરેક મિનિટમાં એમના પ્રેસિડન્ટ પણ આવવાના છે... વાત લાંબી ચાલશે, રિયલી સૉરી... સૉરી...&lt;br /&gt;
મેં તો સાવ સ્વાભાવિક રીતે કહ્યું કે વાંધો નહીં. નીકળું જ છું અત્યારે. તો ઉતાવળા ઉતાવળા બોલ્યા કે પાછલું બારણું ખોલી આપું છું... તું ત્યાંથી જ... આમ તો વાંધો નહીં પણ આપણા લોકો એટલા નકામા છે કે કારણ વગર..&lt;br /&gt;
અ. ગોળગોળ બોલ્યા. એ કદી તતપપ થાય નહીં, તે દિવસે થયા. પાછલે બારણેથી હું રસ્તા પર આવી તો ખરી પણ ગાંઠ વળી ગઈ કે જે ઘરમાંથી પાછલે બારણે નીકળવું પડે એ ઘરમાં જવું નહીં.&lt;br /&gt;
છેંતાળીસ વર્ષેય એક સાચો ને સરખો માણસ ખોળતાં ન આવડ્યું એના અફસોસમાં રડીરડીને પાગલ થઈ ગઈ. બાએ માથે હાથ ફેરવ્યા કર્યો, બોલ્યા વિના. એને એક હાર્ટઍટૅક આવી ગયેલો. ડૉક્ટરે સરખો આરામ લેવા કહેલું. અને મન શાંત રાખવા પણ.&lt;br /&gt;
– સારું જ થયું સંબંધ તોડી નાખ્યો તે. નામને છાંટો ન લાગે એની આટલી ફિકર હોય તેની જોડે કશી લેપન ન હોય આપશે. ખાંડણિયામાં માથું રાખી ધમકારાથી બીવે એ તે વળી શું જાળવે કોઈનેય તે....&lt;br /&gt;
ઘરનાં બીજાં તો પોતપોતાનામાં એવાં રમમાણ કે એમને ન અણસાર આવે આખા સંબંધનો કે ન તો તૂટેલાનો... જાણે કેવળ બા.&lt;br /&gt;
બધાં એમ માને અને કહે કે એંસીની નજીક પહોંચેલી વ્યક્તિ તો ગમે ત્યારે અહીંથી ચાલી નીકળે. એ આવજો કહેવા અને વ્યવસ્થિત વિદાય લેવા બંધાયેલી નથી. એને ઉતાવળ હોય. કોઈ પૂછે કે બાની ઉંમર શી, અને કહીએ કે એંસી, તો પૂછનારના ચહેરા પર જ વંચાય કે તો તો જાણે બરાબર.... અર્થાત્‌ યમરાજની કશી ગફલત નહીં. ઝાડ પરથી પાકું પાન ખરે ત્યારે આઘાત અને વિસ્મયથી મૂઢ બનીને આકાશ ભણી જુઓ છો? એ જેટલું કુદરતી અને સહજ એટલું જ આ પણ.&lt;br /&gt;
મને ખબર છે કે બા કોઈ એક દિવસ નહીં હોય અને કદાચ હું હોઈશ. ત્યારે મને જે લાગશે તે આઘાત અને ખાલીપો જ નહીં, એથી કંઈક વધારે તીવ્ર હશે. એ જશે ત્યારે મારા પેલા સંબંધોની દિનવારી પોતાની સાથે લેતી જશે. મારો અડધો-અધૂરો પ્રેમનો સંસાર એની સાથે જ ભસ્મીભૂત થશે. અમારી વચ્ચે સંતાડી રાખેલી કેટલીયે વાતો રાખ બનીને ઊડી જશે પછી. એ પોતાની સાથે મ.ને લઈ જશે અને લઈ જશે અને અ.ને એ બંનેની જોડેના મારા જીવનને.&lt;br /&gt;
એ વાતો પછી હું ક્યારેય કોઈની સામે નહીં કરી શકું. મારી પાસે ત્યારે રહેશે માત્ર એ ચહેરો જે બા સિવાયનાં બધાંએ જોયો છે, ઓળખ્યો છે. બાવન વર્ષની એક જરઠ, નીરસ કુંવારકાનો.... જેને કોઈ પુરુષ કદી પ્રેમ નથી કર્યો...&lt;br /&gt;
માત્ર બાની જ આંખમાં સચવાયો છે મારો પેલો ચહેરો – પ્રેમ કરી શકેલી એક સ્ત્રીનો, પ્રેમ આપ્યા-લીધાના સંતોષથી ભરેલો. &lt;br /&gt;
બાની આંખ જ્યારે બંધ થશે ત્યારે..&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous =  એકાંત&lt;br /&gt;
|next = રેશમી રજાઈમાં બાકોરું&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4&amp;diff=112843</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/એકાંત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%8F%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4&amp;diff=112843"/>
		<updated>2026-07-20T02:36:51Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading| એકાંત  |  }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક તીવ્ર ઇચ્છા હતી એને એકાંતની, જેમાં એ પોતાના ઘરની પ્રસન્ન સવારોને યાદ કરી શકે, રાત્રે બારી બહાર વિસ્તરેલા અંધકારના મુલાયમ પોતને સ્પર્શી શકે, મન થાય તો એકાદ પુસ્તક લઈને વાંચી શકે. કશુંક ગણગણી શકે અને એમ કરીને પોતાની વેરવિખેર જાતને જતનથી એકઠી કરી શકે. એકાંત એને માટે ખૂબ જરૂરી હતું પણ અહીં, આ અજાણ્યા ઘરમાં, એને કોઈ એકલી પડવા દેતું નહોતું. સંભવ છે કે આ બધાંને એને માટે ખૂબ પ્રેમ હતો, પણ ધોધમાર વરસાદ નીચે નાજુક છોડ બેવડ વળી જાય, ગૂંગળાઈ મરે, એ વાત આ લોકોને સમજાવવી સહેલી નહોતી.&lt;br /&gt;
બપોરે માંડ થોડી ક્ષણો મળે એવી શક્યતા હતી ત્યાં કામિની ધસી આવી, એની બહેનપણીઓ સાથે. એમના કલબલાટથી આખું ઘર ધ્રૂજી ઊઠ્યું. એક જ વાત પકડીને બેઠાં બધાં, અત્યારે પિક્ચરમાં જઈએ. ખૂબ આનાકાની કરી પણ એને ખેંચીતાણીને તૈયાર કરી. કુટુંબની કોઈ વડીલ સ્ત્રીએ તો સલાહ પણ આપી કે ઘરમાં સૌ સાથે હળીએ-ભળીએ, એમ એકલાં બેસી ન રહેવાય. એ તો અમારી કામિની સાચવી લેશે. એને એકલી પડવા જ નહીં દે ને! બહુ બોલકી ને મળતાવડી છે કામિની, સાસુ બોલ્યાં હતાં. રોજ કોઈ ને કોઈ મળવા આવે. વાતો બધી એક જ પ્રકારની. આ બંગડીનો ઘાટ સરસ છે. આ સાડી આપણે ત્યાંથી આપી, વિવાહ વખતે હોં, લગ્નમાં નહીં. એ તો જુદી છે. મોતીની બુટ્ટી એને ત્યાંની, વાસણોમાં તો એક આખો ડિનર-સેટ... કોઈએ એના શોખમાં ઝાઝો રસ લીધો નહીં. મારાં ભાભી ગાય છે એવું કામિની બોલ્યાં કરતી, પણ શું શીખ્યાં છો, શું ગમે છે, એવું બધું કંઈ નહીં. મારાં ભાભીની સ્કિન બહુ સરસ છે કે વાળ બહુ લાંબા છે એના જેવી જ આ પણ એક વાત. હિજરાવું એટલે શું એ હવે એને સમજાતું હતું, જો થોડા સમય માટે એકાંત મળે તો ઠીક થાય એવું લાગ્યા કરતું હતું.&lt;br /&gt;
આ ઘર આમેય અવાજોનું ઘર હતું. હો-હા, ધમાલ, દોડાદોડ, કલબલાટ, કોઈને એકાંતની જરૂર જ નહોતી લાગતી. સાંજ પછીનો બધો સમય ધીરેનનો કહેવાય. એ આવે એટલે તૈયાર થવું જ પડે, બહાર જવું જ પડે, એને જેવી આવડે એવી પ્રેમની વાતો સાંભળવી જ પડે. બહુ જુદી દુનિયામાંથી એ અહીં આવી પહોંચી હતી. ખૂબ બોલવાનું એને ફાવતું નહોતું. એકલી જ ઊછરી, થોકબંધ પુસ્તકો-સંગીત-ચિત્રોની વચ્ચે મોટી થઈ. કેટલા ઉત્સાહ અને ખંતથી બંગાળી શીખી, ખાસ રવીન્દ્રસંગીત માટે! એક હોંશ હતી એને, કે આટલાં સુંદર ગીતો એ ગાઈ શકશે, કોઈને સંભળાવી શકશે. લગ્ન પછી પંદરેક દિવસ બહાર ગયા ત્યારે પહાડોમાં ફરતી વખતે કે ઝરણાંનું પાણી ખોબામાં ભરતી વખતે કે ઠંડી લીલી હરિયાળીને સ્પર્શતી વખતે એક વાર પણ ધીરેનને યાદ આવ્યું નહીં કે આવામાં એકાદ ગીત સાંભળી શકાય. જોકે એમાં ધીરેનનો વાંક નહીં, એ સંગીતનો માણસ જ નહોતો. પસંદ કરેલાં કેટલાય ગીતો એના હોઠ પર થીજી ગયાં.&lt;br /&gt;
હિલ-સ્ટેશનની ભીની ભીની સવાર એને ગમતી. ધીરેન સાથે ન હોય તો પણ બહાર ઊભા રહીને એ હવાને સૂંઘવાનું એને ગમતું. એને આમ એકલી એકલી આનંદથી ફરતી જોઈ ધીરેન અકળાતો અને ખભે હાથ વીંટાળી આગ્રહપૂર્વક એને રૂમમાં લઈ જતો. ધીરેનને ખુલ્લામાં બહુ ફાવતું નહીં. એકાદ વખત એ ખૂબ ગુસ્સે થયેલી; મનમાં હતું કે આટલા ગુસ્સાથી પણ ધીરેન એનો સહેજ પરિચય મેળવી શકે તો કેટલી મોટી રાહત! એના આશ્ચર્ય વચ્ચે ધીરેને એ અણગમાના ધગધગતા શબ્દો ફૂલના દડાની જેમ ઝીલી લીધા. આ ગુસ્સો લાડનો સમજી એ હસ્યો, ખડખડાટ હસ્યો, એને રમૂજ પડી. પહેલી વાર સમજી શકી એ, કે ધીરેનને પોતાની વાતો પહોંચાડી શકાય એવું કોઈ માધ્યમ જ નથી.&lt;br /&gt;
એટલે જ પાછા આવ્યાં પછી એકાંતની ઝંખના તીવ્ર બની ગઈ. પોતાની કહેવાય એવી થોડી ક્ષણો જો મળી જાય તો ઘણું થઈ શકે. ઘરના તમામ માણસોની વાતો અને ઘોંઘાટમાં, સ્ટીરિયોની ચિચિયારીમાં એને પોતાની વાત સાંભળવાનું ફાવતું નહોતું. બહાર બેસવા જાય કે તક મળતાંવેંત અગાશીમાં દોડી જાય કે તરત કોઈ પાછળ આવી જ પહોંચે. કેમ આમ એકલી એકલી? કંઈ થયું? અહીં, આ ઘરમાં, કંઈ થાય તો જ માણસ એકલું બેસી રહે એવી એક સાદી સમજ હતી.&lt;br /&gt;
ધીરેનને અણધાર્યું બેંગ્લોર જવાનું થયું. કંપનીનું તાકીદનું કામ હતું એટલે જવું પડે એ વાત ધીરેને અનેક વાર કહી અને ઘર છોડ્યું ત્યાં સુધી એક જ વાત કરતો રહ્યો. તું એકલી પડી જઈશ, તને ગમશે નહીં. તારે ઘેર જઈ આવવું છે થોડા દિવસ મમ્મી-પપ્પાને મળવા?&lt;br /&gt;
એ ઘેર ન ગઈ. જો આ ઘરમાં જ એકાંત શોધવાનું હોય તો બીજે ભાગી છૂટવાનો અર્થ નહીં. પંદર દિવસ સુધી ધીરેન આવવાનો નહોતો, એ પંદર દિવસની પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન હતી, એને જતનથી જાળવવાની હતી. ધીરેનની આંખો એને ચોંટી ન રહી હોય એવો આ પ્રથમ પહોર હતો રાતનો. બારીમાંથી મોગરાની અધખીલી કળીઓ દેખાતી હતી, હવામાં એની સુગંધ હતી. ગાવાનું મન થયું. પછી વિચાર માંડી વાળીને એણે પોતે ગાયેલાં ગીતોની કૅસેટ સાંભળી. દિવસો પછી સાંભળેલો એ અવાજ કેટલો અપરિચિત લાગતો હતો! મોડી રાત સુધી એણે વાંચ્યું અને છેવટે ડબલ-બેડની સુંવાળી ચાદર પર મોકળાશથી આળોટતી આળોટતી એ નાનકડી છોકરી બની ગઈ પાછી. માને વળગતી હોય એમ ઓશીકાને બાઝી રહી. સરસ ઊંઘ આવી. લાંબા સમય પછી આમ વાંચ્યું. એટલે સવારે એની આંખોમાં જાસૂદના ફૂલનો રંગ હતો. ભાભી ઊંઘતાં નથી લાગતાં, એકલાં એકલાં ગમતું નહીં હોય! કામિનીએ મજાક કરી. એ સંતોષથી ભર્યું ભર્યું હસી. ધીરેન વગરના પંદર દિવસો સડસડાટ વહી ગયા. ધીરેન પાછો આવી ગયો.&lt;br /&gt;
– અને પછી ગાઢ અંધકારમાં સાત સમુદ્ર પાર કરીને એના લગી માંડ માંડ પહોંચતો ધીરેનનો અવાજ એને ઢંઢોળી રહ્યો – બહુ એકલી પડી હતી? મારા વગર ગમતું નહોતું ને? ધીરેનના હાથનો સ્પર્શ અનુભવી શકાય નહીં એટલો આછો હતો. કોઈ રોમાંચ હતો પણ તે પેલા સ્પર્શનો નહીં. એકાએક એના આખા અસ્તિત્વમાં એક મધુર ગીત ફેલાઈ ગયું. એ ગીતનો પ્રત્યેક સ્વર શીતળ જળની છાલક પેઠે એને ભીંજવી રહ્યો. ભીતરના આ રણઝણ સંગીત સાથે કોઈને કશો જ સંબંધ નહોતો. આકાશને સ્પર્શતાં વૃક્ષો વચ્ચે એ સાવ એકલી એને પ્રિય એવું ગીત ગાતી ફરી રહી હતી... તુમિ મોર પાઓ નાઈ પરિચય... પાઓ નાઈ પરિચય... ફરતી ફરતી એ જે પ્રદેશમાં પહોંચી ગઈ હતી ત્યાં ધીરેનનો કે બીજા કોઈનોય પ્રવેશ શક્ય નહોતો. એનું એકાંત એની અંદર જ હતું, એ એકલી જ હતી, સાવ એકલી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અકબંધ&lt;br /&gt;
|next = કોઈ એક દિવસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%85%E0%AA%95%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7&amp;diff=112842</id>
		<title>હિમાંશી શેલતની વાર્તાઓ/અકબંધ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B9%E0%AA%BF%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%E0%AA%B6%E0%AB%80_%E0%AA%B6%E0%AB%87%E0%AA%B2%E0%AA%A4%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE%E0%AA%93/%E0%AA%85%E0%AA%95%E0%AA%AC%E0%AA%82%E0%AA%A7&amp;diff=112842"/>
		<updated>2026-07-20T02:35:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: ફૂટર&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading| અકબંધ  |  }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું લાગેલું. એ ઝાડની ઘટા હજી એવી જ હતી. પાંચ વર્ષનો કોઈ ભાર એના પર દેખાતો નહોતો. રિક્ષા જમશી બાજુ વળી કે તરત પાનની લારી દેખાઈ. આમલીનું ઝાડ પણ ત્યાં જ હતું. હવે સવિતાબહેનનું ઘર આવશે, પછી રસિકકાકા, પછી બકુલભાઈ અને સામે-બધું કેટલું પરિચિત, અકબંધ હતું? આ રસ્તાઓ પર એ કેટલીયે વાર ચાલી હશે, ભલે ને ધૂળમાં એનાં પગલાં ન દેખાય. અહીંથી જ પહેલી વાર શણગારેલી મોટરમાં એ નીકળી હતી, બાજુમાં સુબંધુ. રડીરડીને રાતી બની ગયેલી આંખો. મોટરની બારીમાં આંસુમાં પીગળી ગયેલો બાનો ચહેરો, કોઈને ભેટીને રડતી અને હાથ હલાવતી અને ખૂણે ઊભેલા પપ્પાજી – પછી ઘર દેખાતું બંધ થઈ ગયેલું. બેંગલોર ગયા પછી બે વર્ષે એક જ વાર અહીં આવેલી પણ તરત પાછા જવું પડેલું, સુબંધુને તાવ આવ્યો તેથી. પછીનાં ત્રણ વર્ષ ઘરનાં ગણ્યાં ગણાય નહીં અને ક્યારેય પૂરાં થાય નહીં એવાં કામોમાં ચાલ્યાં ગયાં. આ વખતે તો નક્કી જ કરેલું કે મહિનો રહેવું છે નિરાંતે. બાને ગમશે. અવનિને રાહત થશે. ભાભીને પણ કામકાજમાં મદદ થશે. જોકે એ લોકો તો એમ જ કહે કે સુબંધુને તકલીફ પડશે, પણ બાની તબિયત ઠીક નથી રહેતી એટલે થોડા દિવસ અહીં રહેવાથી બધું બરાબર ગોઠવાઈ જશે. પછી બેંગલોર ને સુબંધુ, ઘર ને ઘરનું કામ, એ તો છે જ ને કાયમનું.&lt;br /&gt;
બૅગ હાથમાં લીધી ત્યાં અવનિ દોડતી આવી. મેં કહેલું ને કે બાની માંદગીની વાત સાંભળ્યા પછી બહેન આવ્યા વગર રહે જ નહીં... ભાભી નૅપિકનથી હાથ લૂછતાં આવી ઊભાં. આખું ઘર એને વળગી પડ્યું.&lt;br /&gt;
બા ખૂબ દુર્બળ થઈ ગઈ હતી. આવી તો એને ખબર જ નહોતી પડી. બાના ચહેરા પરથી એ વાંચી શકતી કે એને કોઈ તકલીફ છે અને એ જ બા આટલી માંદી છતાં એને કોઈ જાણ જ નહોતી! ને આ બધાં તો કહે છે કે ગયા ગુરુવારે તો તબિયત બહુ બગડેલી, પછી જ તને કાગળ લખ્યો. ગયા ગુરુવારે એ અને સુબંધુ પાર્ટીમાં ગયેલાં, એણે તૈયાર થવા પાછળ બે કલાક બગાડેલા, ત્રણ વાર સાડી બદલેલી અને અહીં બા... મન ભારે થઈ ગયું. ચાલ, હવે ચિંતાનું કારણ નથી. આ તો બાને જરા ગમે એટલે તને લખ્યું બાકી અમે તો છીએ જ ને? કામ તો ચાલ્યા કરે... અવનિએ એનો હાથ પકડી કહ્યું.&lt;br /&gt;
રસોડામાં ભાભી પૂરી તળતાં હતાં, અવનિ વણતી હતી. આ અવનિ એને મદદ કરતી વખતે કાયમ ઝઘડો કરતી અને બે બહેનોની તડાતડીથી કંટાળેલી બા કોઈને કામ સોંપવાને બદલે જાતે જ કરી લેતી. રસોડું ઠીક ઠીક બદલાઈ ગયું હતું. હવે અહીં કશું જડે નહીં. મસાલાનો ડબ્બો એની અસલ જગ્યાએ નહોતો. પોતે હોંશથી પસંદ કરેલી તે ખુરસીઓની જગ્યાએ ડાઇનિંગ-ટેબલની આસપાસ સાવ નવી ખુરસીઓ ગોઠવાઈ હતી. ફ્લાવરવાઝમાં ગુલછડીને બદલે સૂર્યમુખીનું એક મોટું ફૂલ મૂક્યું હતું. લાવો, ભાભી, હું પૂરી તળું, તમે થાકી ગયાં હશો. આરામ કરો થોડી વાર.&lt;br /&gt;
બધું થવા જ આવ્યું છે, તમે અહીં આરામ કરો થોડા દિવસ. ભાભીએ તેલમાં પૂરી મૂકતાં કહ્યું. બાને જમવાનો સમય થયો છે, થાળી પીરસી દઈએ. અવનિ આટલું બોલી કે તરત એણે થાળી લઈ કહ્યું કે હું પીરસું છું બાને. હજી તો શાક મૂક્યું ન મૂક્યું ત્યાં જ ભાભી તીણા અવાજે બોલ્યાં, ના, ના, એ નહીં, બાનું શાક તો જુદું છે – મોળું. તમને જડશે નહીં બધું. હું હમણાં ઝટપટ તૈયાર કરું છું. જુઓને...&lt;br /&gt;
અવનિ અને ભાભીની ઝડપભરી આવન-જાવનમાં નડતરરૂપ ન થવાય એ રીતે એ માત્ર ઊભી જ રહી, મહેમાનની જેમ. બંનેના ટેવાયેલા હાથ નિશ્ચિત સ્થળેથી ચીજવસ્તુઓ લેતા હતા, મૂકતા હતા. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એની ત્યાં ખાસ જરૂર નહોતી.&lt;br /&gt;
બપોરે અવનિના રૂમમાં ગઈ. હવે અવનિનો, બાકી પોતાનો હતો આ રૂમ. પેલાં લીલાં જંગલોનું મોટું ચિત્ર અવનિએ ખસેડી લીધું હતું. ત્યાં હવે દરિયો હતો. એને નાળિયેરી જોવા ગમતી એટલે ટેબલ બારી પાસે રહેતું. અવનિએ ટેબલ બીજી દિશામાં ગોઠવ્યું હતું. ડૉક્ટર થવાની હતી અવનિ એટલે એનાં પુસ્તકો પણ જુદાં. વાત તો કર બેંગલોરની, તારા ઘરની, વરની... અવનિ બોલતી રહી.&lt;br /&gt;
તડકો જરા નરમ પડ્યો એટલે બાગમાં ગઈ. આંબો તો એવો જ હતો. અહીં એણે સુબંધુનો પહેલો પત્ર વાંચેલો અને અહીં બેસીને જ એણે સુબંધુને પત્ર લખેલો. બે વાર ફાડી નાખેલા કાગળની ચબરખી કદાચ આમતેમથી નીકળી આવવાની હોય એમ ઝીણવટથી બધું જોઈ રહી. જોકે એ ઉત્સુક હતી. એની મોગરવેલ જોવા માટે. ખૂબ ઝડપથી ફાલતી એ વેલને મદનબાણ કહેવાય એવું કોઈકે કહેલું. એ વેલની ભરાવદાર, અધખીલી કળીઓથી લચી પડેલી એ મોગરવેલ પાસેથી પસાર થતાં સુગંધના દરિયાની છોળોમાં ભીના થવાનું એને ખૂબ ગમતું. અત્યારે તો કળીઓ બેઠી હશે. એ ઝડપથી પાછળ ગઈ. અટકી જવાયું, ગળામાંથી લગભગ ચીસ જ નીકળી ગઈ – ના, એને એવું લાગ્યું, ખરેખર તો બહાર કશો અવાજ આવ્યો જ નહીં. અવનિને એ માંડ માંડ પૂછી શકી કે મોગરવેલ ક્યાં ગઈ, એણે કેટલી હોંશથી ઉછેરેલી! કામ કરતાં કરતાં અવનિએ કહ્યું કે બહુ વધી ગયેલી ને એક વાર નાનો સાપ ત્યાંથી નીકળ્યો. છોકરાં બહાર રમે તેથી ભાભીને બહુ ડર લાગ્યો ને કપાવી નાખી. મૂળ તો હતાં પણ પછી પાન ફૂટ્યાં જ નહીં.&lt;br /&gt;
એ ઉદાસ થઈ ગઈ, આટલી નાની વાતમાં ઉદાસ ન થવું જોઈએ એવું સમજવા છતાં – આંબા પાસે બેઠી પણ ગમ્યું નહીં. બધું બહુ જુદું, અજાણ્યું લાગ્યા કરતું હતું. એને રાત્રે ઊંઘ આવી નહીં.&lt;br /&gt;
બહેન, બાનું કામ બધું માથે તે તું તો આજે છે ને કાલે નથી. અમને ભારે પડશે. તું કલાક સુધી બાને માથે તેલનું માલિશ કરે છે તે મને કે ભાભીને એટલો વખત મળવાનો છે? અવનિ બબડ્યા કરતી. રસોડામાં તો કોઈ ફરકવા દેતું જ નહીં. એક દિવસ તક મળી ને પપ્પાજી માટે કૉફી બનાવી કાઢી. એમને કૉફીમાં ખાંડ વધારે જોઈતી તે યાદ રાખીને ચમચી વધારે નાખી ત્યારે એમણે તો એક ઘૂંટડો પીધો ને તરત મૂકી દીધી. અરેરે! આટલી બધી ગળી! એ તો બેને બનાવી, એને ખબર નથી કે તમે ડાયાબિટીસની બીકમાં ખાંડ ઓછી કરી દીધી છે. એ જરા છોભીલી પડી ગઈ.&lt;br /&gt;
રાત્રે બાને પીરસતી વખતે ભાભીએ કહ્યું કે તમે અહીં છો તો સુબંધુભાઈને તકલીફ પડતી હશે ખાવા કરવાની... ઘર, સુબંધુ, બેંગલોર – વાત આટલાથી આગળ વધતી નહીં. એ અકળાઈ જતી. હું અહીં તમારી જોડે નિરાંતે રહેવા આવી છું. અહીં બેસીને સુબંધુની ચિંતા કરવા નથી આવી. ગુસ્સે થઈને બોલતી નહીં. કોઈ જોડે તો અવનિ ને ભાભી મજાક કરતાં કે સુબંધુભાઈ વગર ગમતું નહીં હોય...&lt;br /&gt;
મધુમાલતીની સુગંધ લઈ રાત આવતી ને બા દવા લઈને સૂઈ જતી. આગલા રૂમમાં બેઠક જામતી. અવનિ બહેનપણીને ત્યાં વાંચવા જતી, ભાઈ-ભાભી ટીવી જોતાં જોતાં અનુની સ્કૂલના પ્રોગ્રામની, પ્રાર્થનાના ટ્યૂશનની, એ બંનેની પરીક્ષાની વાતો કરતાં જેમાં એનાથી સામેલ થવાતું નહીં. પપ્પાજી બહાર આરામખુરશીમાં લંબાવી માધવકાકા જોડે રાજકારણની ચર્ચા કરતા. પોતાને ભાગે કશું કહેવા કે કરવા જેવું આવતું નહીં એટલે એકાદ ચોપડી લઈ વાંચવાનો પ્રયત્ન કરતી પણ બે પાનાંથી આગળ વંચાતું નહીં. આ દૃશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં, તો કોઈ ખૂણો ખાલી રહી જવાનો નહોતો. બધું બરાબર હતું, જેમ હોવું જોઈએ તેમ જ. બેંગલોર ગઈ ત્યારે એને એવું લાગેલું કે એના વગરના આ ઘરમાં કશુંક ખાલી રહેશે જે એના આવવાથી, એની હાજરીથી જ પૂરી શકાય. ગેરસમજ થઈ ગઈ હતી જરા. એને એકાએક બેંગલોર યાદ આવ્યું અને રાત્રે જ સુબંધુને કાગળ લખવા બેસી ગઈ.&lt;br /&gt;
સવારે અવનિ બાને કહેતી હતી કે બહેન ઠરીને રહે તો બહેન નહીં. મહિનો રહેવાનું કહેતી હતી ને હવે જવાની વાત કરે છે ખાલી દસ દહાડામાં. એને હવે અહીં શેનું ગમે, એનુંયે ઘર છે ને હવે તો – બા હસતાં હસતાં કહેતી હતી. જવાની વાતનું કોઈને આશ્ચર્ય નહોતું.&lt;br /&gt;
ઘર-ઘર-ઘર – હું તો ઘર પાછળ મૂકીને આવી હતી. સુબંધુ મારા વગર નિરાંતે જીવી શકે એટલો સ્વતંત્ર છે. રોજ રાત્રે મલ્હોત્રાને ત્યાં પાનાં રમવા જવું. દર પાંચમે-છઠ્ઠે દિવસે પાર્ટી માટે ઠઠારો કરવો, જ્યાં જઈ આવ્યા હોઈએ તેમને વળતું નોતરું દેવું, સુબંધુના મિત્રોને ખરાબ ન લાગે તેની કાળજી રાખવી, રોજ ઑફિસ ને પ્રમોશનની એકની એક વાતો સાંભળવી, ખૂબ નજીક લેવાતા શ્વાસની ગરમી સતત અનુભવ્યા કરવી – એ તો બધું છે જ મારે માટે. મારે તો તમારી જોડે થોડો ભૂતકાળ જીવી લેવો હતો. પેલી તાજગીથી છલોછલ કુંવારી ક્ષણોને હળવેથી સ્પર્શી લેવી હતી. એ આંબો, નાળિયેરી, મોગરવેલ, બા, પપ્પાજી, ભાઈ, અવનિ – સહુની જોડે તોફાનમસ્તીમાં વીતી ગયેલાં એ મઝાનાં વર્ષોમાંથી થોડુંક સાથે લઈ જવું હતું. અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહીં આ ઘરમાં કોઈ દિવસ! મારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ. અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે. રડીરડીને રાતીચોળ એ આંખો, ઘેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ઘેર દોડી જવાની ઇચ્છા, એ ખેંચાણ – તરફડાટ... અર્થ હતો કંઈ એ બધાનો? ભારે ગેરસમજ થઈ હતી એની.&lt;br /&gt;
પણ આમાંનું કશું બાને કે અવનિને કહેવાયું નહીં. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું, પેલી મોગરવેલ પછી પાંગરી જ નહીં એટલે શું થાય?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સુવર્ણફળ&lt;br /&gt;
|next = એકાંત&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>