<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Meghdhanu</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Meghdhanu"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/Meghdhanu"/>
	<updated>2026-04-26T10:24:33Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_2&amp;diff=110316</id>
		<title>દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_2&amp;diff=110316"/>
		<updated>2026-04-26T06:26:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ન્યૂયોર્ક શહેર એક અનવરત ઉત્સવ છે. જીવિતતાનું એ વિસ્મયકર મહાનુષ્ઠાન છે. એનેક પ્રકારનાં કૌશલ ધરાવતા લોકો ખેંચાઈને, આકર્ષાઈને અહીં આવ્યા જ કરે છે. તે શા માટે? તીવ્ર પ્રતિસ્પર્ધા, શહેરની અતોષણીય માગણીઓ, ધસમસ વહેતા પ્રવાહની જેમ વીતતો સમય – છતાં યે શા માટે? ને તે એક જ આશામાં : પોતાની જાતને કૈંક અંશે ગુરુતર, ભદ્રતર બનાવવા માટે. જો આ બધા લોકોનો વિકાસ શહેર પર નિર્ભર છે, તો એમનાથી શહેરનું સામર્થ્ય પણ વધે જ છે. તેથી જ ફરીથી કહું, કે આ સંબંધ પારસ્પરિક છે.&lt;br /&gt;
આ મહાનગરમાં આવનારાં, કે રહેનારાં બધાં જ ‘ન્યૂયોર્કર’ બનતાં નથી. એ બિરુદ પામવા માટે મનની એક પ્રકારની સંસ્થિતિ, બુદ્ધિનું એક પ્રકારનું ઔત્સુક્ય જરૂરી છે. તેથી જ કહે છે કે સાચો ‘ન્યૂયોર્કર’ કોઈ પણ જગ્યાએ જન્મેલો હોઈ શકે છે. એ જ્યારે ન્યૂયોર્ક શહેરમાં આવે છે ત્યારે એને ઘેર આવી પહોંચ્યાની શાંતિ થાય છે. &lt;br /&gt;
અહીં મનની પોતાની જિંદગી હોય છે. પળે પળે એ આ શહેરનાં વિરોધો ને વિસ્મયો અનુભવતું રહે છે. અહીં સર્જનનું બાહુલ્ય અને કલ્પનાનો મુક્ત વિહાર છે. કોઈ પણ ક્શેત્રમાં -વેપાર, વાણિજ્ય, ન્યાય, નીતિ, ફેશન, કળા- મૌલિકતા જોવા મળી શકે છે. નિજી સ્વપ્ન, તેમજ વૈશ્વિક ભાવનાઓ અહીં સિદ્ધ થતાં રહે છે.&lt;br /&gt;
ન્યૂયોર્ક-પ્રેમી હોવાનાં લક્શણ જુદી જુદી રીતે દેખાઈ આવે. એક જણ કહે, “હું બીજા કોઈ ગામના નગરપતિ થવા કરતાં ન્યૂયોર્ક શહેરના રસ્તા પરની બત્તીનો થાંભલો થવાનું પસંદ કરું.” તો બીજું કોઈ કહે, “હું ન્યૂયોર્કમાં મારી જાતને શોધવા ને ઓળખવા આવું છું.” જેને બહુ જ ભિન્ન ઉત્તેજના જોઈતી હોય તે અહીં આવે; કે જેને સૌથી કઠિન પડકાર ઝીલવા હોય તે અહીં આવે. આ શહેર ક્યાંતો મારે, ક્યાંતો તારે. &lt;br /&gt;
અહીં જેટલો ઉત્સાહ છે તેટલી ઉદાસી છે, જેટલા ઉત્તર છે તેટલા પ્રશ્ન છે. જાત માટેના આદર અને ગૌરવ અહીં શક્ય બની શકે છે. સાચો ‘ન્યૂયોર્કર’ પહેલાં ન્યૂયોર્કર છે, પછી અમેરિકન! એ પોતાના શહેરને વિશિષ્ટ ગણે છે. દેશને ભુલાવી દે એવું સામર્થ્ય ન્યૂયોર્ક શહેરમાં છે. એક વાર ન્યૂયોર્કનો સાદ જેણે સાંભળ્યો તે સર્વદા એનાથી ઘેરાયેલો રહેશે. આખું જગત ન્યૂયોર્કમાં સમાવિષ્ટ છે, ને એની બહાર જાણે કશું નથી.&lt;br /&gt;
ન્યૂયોર્ક શહેર ક્રિયા અને પ્રક્રિયાઓથી વિભોર છે. ડગલે પગલે નવીન દૃશ્યો, ખૂણે ખૂણો અશાંત છે, પળે પળે જુદો અનુભવ, કહો, કશી વિસાત છે? આ શહેરમાં ક્યારેય રાત થતી નથી, આ શહેર ક્યારેય પૂરેપૂરું સૂતું નથી.&lt;br /&gt;
ઊગતાં લગભગ રોજ એમ તો સાંજ, બપોર, સવાર છે.&lt;br /&gt;
અહીં દિવસ ગણો તો દિવસ હંમેશાં – રાત ગણો તો રાત છે.&lt;br /&gt;
શનિ-રવિનું મહાત્મ્ય ઘણું – પણ પર્વ તો સાતે સાત છે.&lt;br /&gt;
ને કામ સૂરજનું પડે ખરું, પણ ચાંદા પાસે મ્હાત છે.&lt;br /&gt;
આ શહેરની કાંઈ વાત છે!&lt;br /&gt;
અમેરિકાનાં મોટા ભાગનાં શહેરોમાં સપ્તાહાંતે જ જરા જીવ આવેલો જણાય, પણ આ ન્યૂયોર્ક નગરમાં સપ્તાહનો કોઈ પણ દિવસ વિશેષ પર્વ જેવો છે, અને દિવસના કોઈ પણ સમયે, કોઈ પણ ઋતુમાં અહીં વ્યસ્ત રહેવા માટે અગણિત યથેષ્ટ વિકલ્પો મળી રહે છે. મનોરંજન તથા માહિતીને લગતી અનેક બાબતો આમાં ગણાવી શકાય – નાટક, સિનેમા, સંગ્રહાલયો, આહારગૃહો, નૃત્ય, સંગીત, કળા, કમ્પ્યુટર, ધર્મ, ધંધો, શિક્શણ, ટેલિવિઝન વગેરે. &lt;br /&gt;
સિનેમાની વાત કરું – મુખ્ય વિભાગ મૅનહૅતન એકલામાં રોજનાં એકસોથી વધારે ચલચિત્રો રૂપેરી પડદા પર ઝીલાતાં હોય છે. ન્યૂયોર્કના બીજા વિભાગોની ગણતરી તો જુદી. વળી, શહેરનાં ઘણાં સંગ્રહાલયો, દેવળો ને નાટ્યસંસ્થાઓમાં પણ પ્રસંગોપાત્ત વિશ્વની ભિન્ન ભાષાઓની કળાત્મક સિનેમા બતાવાતી હોય છે. કેટલાંક વર્ષો પહેલાં, સમકાલીન કળાના એક મ્યુઝીયમમાં સળંગ ત્રણ મહિનાનો ભારતીય ફિલ્મોત્સવ ઊજવાયેલો. જુદી જુદી ભારતીય ભાષાઓની લોકપ્રિય તેમજ કળાત્મક, અસાધારણ તેમજ અપ્રાપ્ય ફિલ્મો બતાવાયેલી. જોવા માટે ભારતીયો તો થોડાં જ આવતાં, અમેરિકનો અને બીજાં વિદેશીઓથી જ ગૃહ ભરાઈ જતું. આ રીતે, એક વાર સત્યજિત રાયની બધી જ ફિલ્મો બતાવાઈ હતી. આવું તો ભારતમાં પણ સહેલાઈથી જોવા ના પામીએ.&lt;br /&gt;
નાટકોની વાત કરું – ન્યૂયોર્ક વિશ્વ આખાના નાટ્યજગતનું પાટનગર છે. અહીં જે નાટક ભજવાય, અને સફળતા પામે તે વિશ્વના નાટ્ય-ઇતિહાસમાં અમર થઈ જાય છે. કોઈ પણ રાતે ન્યૂયોર્કમાં એકસોથી એકસો બાર નાટક ભજવાતાં હોય છે. ઉપરાંત, બુધવાર, શનિવાર, રવિવારની બપોરે પણ ખેલ હોય. બધાં જ સારાં ના પણ હોય, કે દરેક આપણને પસંદ ના પણ પડે; પરંતુ બધી કક્શાના લોકોના મનોરંજન માટે પૂરતી સંભાવનાઓ રોજેરોજ અહીં હાજર હોય છે. &lt;br /&gt;
આ સિવાય, રાત્રિચર્યાનાં જનપ્રિય થાણાં કે જ્યાં ઘોંઘાટ, સંગીત, નાચ, ખાણીપીણી હોય તેની સૂચિ તો પાછી જુદી જ છે. એની પૂરેપૂરી ગણતરી તો જાણે થઈ જ ના શકે. આ સંખ્યા ખૂબ મોટી, ને ઘણાં થાણાંનું આયુષ્ય એવું ટૂંકું બનતું હોય, કે એમનું ખુલવું અને બંધ થવું સતત ચાલ્યા જ કરતું હોય.&lt;br /&gt;
છેલ્લી ગણતરીની મારી જાણ મુજબ ન્યૂયોર્ક શહેરના ફક્ત મુખ્ય વિભાગ મૅનહૅતનમાંનાં આહાર-સ્થાનોની સંખ્યા પચીસ હજારથી ઉપર હતી. બે-ચા ઓછીવત્તી હોઈ શકે, ને વર્ષે વર્ષે આ સંખ્યા બદલાતી પણ રહે છે. હું તો માનું છું કે એ વધતી રહે છે! દુનિયાની કોઈ આહાર-પ્રથા કે કોઈ ખાદ્ય-પદાર્થ એવાં નહીં હોય કે જે આ શહેરમાં ના મળે. રૅસ્ટૉરાઁનાં નામોમાં કોઈ વાર કલ્પનાનો વિહાર જોવા મળે – ‘જંઘીસખાનની બાઇસિકલ’, કે ‘સેક્રેડ કાઉ’, કે ‘ચાર ઋતુઓ’ વગેરે. પણ મોટે ભાગે તો નામ પરથી તે તે દેશ અને તે તે ખાદ્ય-પદ્ધતિ પકડી લઈ શકાય. દાખલા તરીકે, પાપારાત્ઝી, પ્રોન્તો, લેલો (ઇટાલિયન); લોટસ બ્લોસમ, તિએન ફુ, પૅન્ક ટૅન્ગ (ચીની); રોજેન્સ, પુટેસ (ફ્રેન્ચ); શિનબાશી, ઇરોહા (જાપાની); કરમ્બા, ઝોના રોઝા (મેક્સિકન) ઇત્યાદિ. &lt;br /&gt;
ચીની ને જાપાની રૅસ્ટૉરાઁ તો ખૂણે ખૂણે દેખાય. ઇટાલિયન અને ફ્રેન્ચ ખાણાં પણ બહુ પસંદનાં છે. ભારતીય, મેક્સિકન, અમેરિકન આ પછીના ક્રમાંકે આવે, અને રશિયન, સ્પેનિશ, જર્મન, થાઈ, મધ્ય-પૂર્વીય વગેરે ઇતર પદ્ધતિઓથી પણ લોકો પરિચિત છે. અગણિત એવી આ યાદીમાં ભારતીય ખાણું પીરસતાં સ્થાનો હવે તો બસોથી વધારે થઈ ગયાં હશે. બધી જાતનાં – નાનાં, મોટાં, સસ્તાં, મોંઘાં, સાદાં, ફેન્સી, જૂનાં, નવાં, સફળ-નિષ્ફળ, આચારાનુગત, આધુનિક, આરામથી બેસીને ભોજન માણી શકાય તેવાં, ખાઈને જલદીથી નીકળી જવાય તેવાં, અને પંજાબી, ગુજરાતી, દક્શિણી, ભારતીય-ચીની વગેરે! &lt;br /&gt;
કેટલીક બિનભારતીય રૅસ્ટૉરાઁ એવી ફેન્સી હોય, કે એના નામ સિવાય બીજું કશું જ બહાર લખેલું ના હોય – કઈ જાતનું ખાણું, કયો દેશ કે પ્રદેશ, કાંઈ જ નહીં. જે જાણે તે જ ત્યાં જાય. નાટ્યગૃહોના ઇલાકામાંની એક રૅસ્ટૉરાઁમાં જવું બહુ જ ગમેલું, કારણકે ત્યાંના વેઇટરો પણ જાણે કે કયાં નાટક ચાલે છે, કયાં સારાં છે, કયાની ટિકિટો મળતી નથી વગેરે. અમે એ રાતે કયું નાટક જોવા જવાનાં હોઈશું એનું અનુમાન કરવાનો પણ બેએકેપ્રયત્ન કરેલો. આ છે ન્યૂયોર્ક.&lt;br /&gt;
વાહ! ન્યૂયોર્કની કાંઈ વાત છે? એની વાતનો કાંઈ અંત છે? ને હજી તો શહેરમાંની વીસેક પાશ્ચાત્ય સંગીતની સંસ્થાઓ, સોએક કળાગૃહો, ત્રણસો-ચારસો આર્ટ-ગેલેરીઓ, અસંખ્ય પુસ્તકાલયો વગેરેનો ઉલ્લેખ પણ નથી કર્યો. આ શહેર પોતે જ એક અનન્ય કળાકૃતિ છે, ફક્ત કળાનું અનુપમ ધામ જ નહીં. &lt;br /&gt;
એક અમેરિકન કવિએ એક વાર કહ્યું, કે આ શહેરને પૂરતો ન્યાય આપવા માટે ઘણી વાર એનાથી બહાર જતાં રહેવું પડે છે. સાચે જ, એને છોડો કે તરત એની વિશિષ્ટતા અનન્યતા સમજાવા માંડે, ને લાગે કે બીજે ક્યાંય જવા જેવું છે જ નહીં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1&lt;br /&gt;
|next = નિર્વિવાદ, અમદાવાદ 1&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_2&amp;diff=110315</id>
		<title>દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_2&amp;diff=110315"/>
		<updated>2026-04-26T06:26:26Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ન્યૂયોર્ક શહેર એક અનવરત ઉત્સવ છે. જીવિતતાનું એ વિસ્મયકર મહાનુષ્ઠાન છે. એનેક પ્રકારનાં કૌશલ ધરાવતા લોકો ખંેચાઈને, આકર્ષાઈને અહીં આવ્યા જ કરે છે. તે શા માટે? તીવ્ર પ્રતિસ્પર્ધા, શહેરની અતોષણીય માગણીઓ, ધસમસ વહેતા પ્રવાહની જેમ વીતતો સમય – છતાં યે શા માટે? ને તે એક જ આશામાં : પોતાની જાતને કૈંક અંશે ગુરુતર, ભદ્રતર બનાવવા માટે. જો આ બધા લોકોનો વિકાસ શહેર પર નિર્ભર છે, તો એમનાથી શહેરનું સામર્થ્ય પણ વધે જ છે. તેથી જ ફરીથી કહું, કે આ સંબંધ પારસ્પરિક છે.&lt;br /&gt;
આ મહાનગરમાં આવનારાં, કે રહેનારાં બધાં જ ‘ન્યૂયોર્કર’ બનતાં નથી. એ બિરુદ પામવા માટે મનની એક પ્રકારની સંસ્થિતિ, બુદ્ધિનું એક પ્રકારનું ઔત્સુક્ય જરૂરી છે. તેથી જ કહે છે કે સાચો ‘ન્યૂયોર્કર’ કોઈ પણ જગ્યાએ જન્મેલો હોઈ શકે છે. એ જ્યારે ન્યૂયોર્ક શહેરમાં આવે છે ત્યારે એને ઘેર આવી પહોંચ્યાની શાંતિ થાય છે. &lt;br /&gt;
અહીં મનની પોતાની જિંદગી હોય છે. પળે પળે એ આ શહેરનાં વિરોધો ને વિસ્મયો અનુભવતું રહે છે. અહીં સર્જનનું બાહુલ્ય અને કલ્પનાનો મુક્ત વિહાર છે. કોઈ પણ ક્શેત્રમાં -વેપાર, વાણિજ્ય, ન્યાય, નીતિ, ફેશન, કળા- મૌલિકતા જોવા મળી શકે છે. નિજી સ્વપ્ન, તેમજ વૈશ્વિક ભાવનાઓ અહીં સિદ્ધ થતાં રહે છે.&lt;br /&gt;
ન્યૂયોર્ક-પ્રેમી હોવાનાં લક્શણ જુદી જુદી રીતે દેખાઈ આવે. એક જણ કહે, “હું બીજા કોઈ ગામના નગરપતિ થવા કરતાં ન્યૂયોર્ક શહેરના રસ્તા પરની બત્તીનો થાંભલો થવાનું પસંદ કરું.” તો બીજું કોઈ કહે, “હું ન્યૂયોર્કમાં મારી જાતને શોધવા ને ઓળખવા આવું છું.” જેને બહુ જ ભિન્ન ઉત્તેજના જોઈતી હોય તે અહીં આવે; કે જેને સૌથી કઠિન પડકાર ઝીલવા હોય તે અહીં આવે. આ શહેર ક્યાંતો મારે, ક્યાંતો તારે. &lt;br /&gt;
અહીં જેટલો ઉત્સાહ છે તેટલી ઉદાસી છે, જેટલા ઉત્તર છે તેટલા પ્રશ્ન છે. જાત માટેના આદર અને ગૌરવ અહીં શક્ય બની શકે છે. સાચો ‘ન્યૂયોર્કર’ પહેલાં ન્યૂયોર્કર છે, પછી અમેરિકન! એ પોતાના શહેરને વિશિષ્ટ ગણે છે. દેશને ભુલાવી દે એવું સામર્થ્ય ન્યૂયોર્ક શહેરમાં છે. એક વાર ન્યૂયોર્કનો સાદ જેણે સાંભળ્યો તે સર્વદા એનાથી ઘેરાયેલો રહેશે. આખું જગત ન્યૂયોર્કમાં સમાવિષ્ટ છે, ને એની બહાર જાણે કશું નથી.&lt;br /&gt;
ન્યૂયોર્ક શહેર ક્રિયા અને પ્રક્રિયાઓથી વિભોર છે. ડગલે પગલે નવીન દૃશ્યો, ખૂણે ખૂણો અશાંત છે, પળે પળે જુદો અનુભવ, કહો, કશી વિસાત છે? આ શહેરમાં ક્યારેય રાત થતી નથી, આ શહેર ક્યારેય પૂરેપૂરું સૂતું નથી.&lt;br /&gt;
ઊગતાં લગભગ રોજ એમ તો સાંજ, બપોર, સવાર છે.&lt;br /&gt;
અહીં દિવસ ગણો તો દિવસ હંમેશાં – રાત ગણો તો રાત છે.&lt;br /&gt;
શનિ-રવિનું મહાત્મ્ય ઘણું – પણ પર્વ તો સાતે સાત છે.&lt;br /&gt;
ને કામ સૂરજનું પડે ખરું, પણ ચાંદા પાસે મ્હાત છે.&lt;br /&gt;
આ શહેરની કાંઈ વાત છે!&lt;br /&gt;
અમેરિકાનાં મોટા ભાગનાં શહેરોમાં સપ્તાહાંતે જ જરા જીવ આવેલો જણાય, પણ આ ન્યૂયોર્ક નગરમાં સપ્તાહનો કોઈ પણ દિવસ વિશેષ પર્વ જેવો છે, અને દિવસના કોઈ પણ સમયે, કોઈ પણ ઋતુમાં અહીં વ્યસ્ત રહેવા માટે અગણિત યથેષ્ટ વિકલ્પો મળી રહે છે. મનોરંજન તથા માહિતીને લગતી અનેક બાબતો આમાં ગણાવી શકાય – નાટક, સિનેમા, સંગ્રહાલયો, આહારગૃહો, નૃત્ય, સંગીત, કળા, કમ્પ્યુટર, ધર્મ, ધંધો, શિક્શણ, ટેલિવિઝન વગેરે. &lt;br /&gt;
સિનેમાની વાત કરું – મુખ્ય વિભાગ મૅનહૅતન એકલામાં રોજનાં એકસોથી વધારે ચલચિત્રો રૂપેરી પડદા પર ઝીલાતાં હોય છે. ન્યૂયોર્કના બીજા વિભાગોની ગણતરી તો જુદી. વળી, શહેરનાં ઘણાં સંગ્રહાલયો, દેવળો ને નાટ્યસંસ્થાઓમાં પણ પ્રસંગોપાત્ત વિશ્વની ભિન્ન ભાષાઓની કળાત્મક સિનેમા બતાવાતી હોય છે. કેટલાંક વર્ષો પહેલાં, સમકાલીન કળાના એક મ્યુઝીયમમાં સળંગ ત્રણ મહિનાનો ભારતીય ફિલ્મોત્સવ ઊજવાયેલો. જુદી જુદી ભારતીય ભાષાઓની લોકપ્રિય તેમજ કળાત્મક, અસાધારણ તેમજ અપ્રાપ્ય ફિલ્મો બતાવાયેલી. જોવા માટે ભારતીયો તો થોડાં જ આવતાં, અમેરિકનો અને બીજાં વિદેશીઓથી જ ગૃહ ભરાઈ જતું. આ રીતે, એક વાર સત્યજિત રાયની બધી જ ફિલ્મો બતાવાઈ હતી. આવું તો ભારતમાં પણ સહેલાઈથી જોવા ના પામીએ.&lt;br /&gt;
નાટકોની વાત કરું – ન્યૂયોર્ક વિશ્વ આખાના નાટ્યજગતનું પાટનગર છે. અહીં જે નાટક ભજવાય, અને સફળતા પામે તે વિશ્વના નાટ્ય-ઇતિહાસમાં અમર થઈ જાય છે. કોઈ પણ રાતે ન્યૂયોર્કમાં એકસોથી એકસો બાર નાટક ભજવાતાં હોય છે. ઉપરાંત, બુધવાર, શનિવાર, રવિવારની બપોરે પણ ખેલ હોય. બધાં જ સારાં ના પણ હોય, કે દરેક આપણને પસંદ ના પણ પડે; પરંતુ બધી કક્શાના લોકોના મનોરંજન માટે પૂરતી સંભાવનાઓ રોજેરોજ અહીં હાજર હોય છે. &lt;br /&gt;
આ સિવાય, રાત્રિચર્યાનાં જનપ્રિય થાણાં કે જ્યાં ઘોંઘાટ, સંગીત, નાચ, ખાણીપીણી હોય તેની સૂચિ તો પાછી જુદી જ છે. એની પૂરેપૂરી ગણતરી તો જાણે થઈ જ ના શકે. આ સંખ્યા ખૂબ મોટી, ને ઘણાં થાણાંનું આયુષ્ય એવું ટૂંકું બનતું હોય, કે એમનું ખુલવું અને બંધ થવું સતત ચાલ્યા જ કરતું હોય.&lt;br /&gt;
છેલ્લી ગણતરીની મારી જાણ મુજબ ન્યૂયોર્ક શહેરના ફક્ત મુખ્ય વિભાગ મૅનહૅતનમાંનાં આહાર-સ્થાનોની સંખ્યા પચીસ હજારથી ઉપર હતી. બે-ચા ઓછીવત્તી હોઈ શકે, ને વર્ષે વર્ષે આ સંખ્યા બદલાતી પણ રહે છે. હું તો માનું છું કે એ વધતી રહે છે! દુનિયાની કોઈ આહાર-પ્રથા કે કોઈ ખાદ્ય-પદાર્થ એવાં નહીં હોય કે જે આ શહેરમાં ના મળે. રૅસ્ટૉરાઁનાં નામોમાં કોઈ વાર કલ્પનાનો વિહાર જોવા મળે – ‘જંઘીસખાનની બાઇસિકલ’, કે ‘સેક્રેડ કાઉ’, કે ‘ચાર ઋતુઓ’ વગેરે. પણ મોટે ભાગે તો નામ પરથી તે તે દેશ અને તે તે ખાદ્ય-પદ્ધતિ પકડી લઈ શકાય. દાખલા તરીકે, પાપારાત્ઝી, પ્રોન્તો, લેલો (ઇટાલિયન); લોટસ બ્લોસમ, તિએન ફુ, પૅન્ક ટૅન્ગ (ચીની); રોજેન્સ, પુટેસ (ફ્રેન્ચ); શિનબાશી, ઇરોહા (જાપાની); કરમ્બા, ઝોના રોઝા (મેક્સિકન) ઇત્યાદિ. &lt;br /&gt;
ચીની ને જાપાની રૅસ્ટૉરાઁ તો ખૂણે ખૂણે દેખાય. ઇટાલિયન અને ફ્રેન્ચ ખાણાં પણ બહુ પસંદનાં છે. ભારતીય, મેક્સિકન, અમેરિકન આ પછીના ક્રમાંકે આવે, અને રશિયન, સ્પેનિશ, જર્મન, થાઈ, મધ્ય-પૂર્વીય વગેરે ઇતર પદ્ધતિઓથી પણ લોકો પરિચિત છે. અગણિત એવી આ યાદીમાં ભારતીય ખાણું પીરસતાં સ્થાનો હવે તો બસોથી વધારે થઈ ગયાં હશે. બધી જાતનાં – નાનાં, મોટાં, સસ્તાં, મોંઘાં, સાદાં, ફેન્સી, જૂનાં, નવાં, સફળ-નિષ્ફળ, આચારાનુગત, આધુનિક, આરામથી બેસીને ભોજન માણી શકાય તેવાં, ખાઈને જલદીથી નીકળી જવાય તેવાં, અને પંજાબી, ગુજરાતી, દક્શિણી, ભારતીય-ચીની વગેરે! &lt;br /&gt;
કેટલીક બિનભારતીય રૅસ્ટૉરાઁ એવી ફેન્સી હોય, કે એના નામ સિવાય બીજું કશું જ બહાર લખેલું ના હોય – કઈ જાતનું ખાણું, કયો દેશ કે પ્રદેશ, કાંઈ જ નહીં. જે જાણે તે જ ત્યાં જાય. નાટ્યગૃહોના ઇલાકામાંની એક રૅસ્ટૉરાઁમાં જવું બહુ જ ગમેલું, કારણકે ત્યાંના વેઇટરો પણ જાણે કે કયાં નાટક ચાલે છે, કયાં સારાં છે, કયાની ટિકિટો મળતી નથી વગેરે. અમે એ રાતે કયું નાટક જોવા જવાનાં હોઈશું એનું અનુમાન કરવાનો પણ બેએકેપ્રયત્ન કરેલો. આ છે ન્યૂયોર્ક.&lt;br /&gt;
વાહ! ન્યૂયોર્કની કાંઈ વાત છે? એની વાતનો કાંઈ અંત છે? ને હજી તો શહેરમાંની વીસેક પાશ્ચાત્ય સંગીતની સંસ્થાઓ, સોએક કળાગૃહો, ત્રણસો-ચારસો આર્ટ-ગેલેરીઓ, અસંખ્ય પુસ્તકાલયો વગેરેનો ઉલ્લેખ પણ નથી કર્યો. આ શહેર પોતે જ એક અનન્ય કળાકૃતિ છે, ફક્ત કળાનું અનુપમ ધામ જ નહીં. &lt;br /&gt;
એક અમેરિકન કવિએ એક વાર કહ્યું, કે આ શહેરને પૂરતો ન્યાય આપવા માટે ઘણી વાર એનાથી બહાર જતાં રહેવું પડે છે. સાચે જ, એને છોડો કે તરત એની વિશિષ્ટતા અનન્યતા સમજાવા માંડે, ને લાગે કે બીજે ક્યાંય જવા જેવું છે જ નહીં.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1&lt;br /&gt;
|next = નિર્વિવાદ, અમદાવાદ 1&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_1&amp;diff=110314</id>
		<title>દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95,_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%82%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95_1&amp;diff=110314"/>
		<updated>2026-04-26T06:25:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સૂરજમુખીનાં ખેતરોનાં ખેતરો હોય, ને બધાં જ ફૂલોનાં મુખ એક જ દિશામાં, સૂર્ય તરફ ફરેલાં હોય, એવું કેમ? બધી જ નદીઓ સાગર તરફ જ વહેતી હોય, એવું કેમ?&lt;br /&gt;
જે સર્વોપરિ છે, સર્વશક્તિમાન છે, સંપૂર્ણ છે – તેને શું કહેવાય? જે અસખલિત છે, નિત્ય છે, શાશ્વત છે – તેને શું કહેવાય? &lt;br /&gt;
કશું અલૌકિક, કશું અદ્ભુત, કશું દૈવી, કશું અદ્વિતીય.&lt;br /&gt;
...ને સાથે જ કશું અધમ, કશું બીભત્સ, કશું પિશાચી, કશું પાર્થિવ.&lt;br /&gt;
જે સર્વવ્યાપી છે, સર્વત્ર છે, તે.&lt;br /&gt;
સ્વર્ગ અને નર્કનો સંયોગ, સારા અને ખરાબની સહોપસ્થિતિ, પારિતોષિક અને શિક્શાનો મેળ, જય અને પરાજય વચ્ચેનું યુદ્ધ, આનંદ અને ગ્લાનિનો સહવાસ, હાસ્ય અને અશ્રુનું મિશ્રણ.&lt;br /&gt;
એ જ જીવન.&lt;br /&gt;
જેનાથી ભાગીને જવાતું નથી, જેના પાશમાંથી છૂટાતું નથી, જેના આલિંગન વિના ચાલતું નથી, જેનો ભાર સહેવાતો નથી.&lt;br /&gt;
મિલન અને વિયોગ, પ્રેમ અને ધિક્કાર, શાંતિ અને પરિશ્રમ, પ્રાપ્તિ અને પરિક્શય, સાફલ્ય અને નિષ્ફળતા, ઉત્સાહ અને હતાશા, સુગમ અને દુઃસાધ્ય.&lt;br /&gt;
વિષમ, દુર્બોધ, જટિલ – જીવન.&lt;br /&gt;
જીવંતતાની બધી જ શક્યતાઓ અને બધાં જ સમીકરણોના સૂક્શ્મતમ તાણાવાણા જ્યાં મળી આવે તે સ્થાન એટલે જીવનનો જ પર્યાય. આ જ અર્થ અને સંદર્ભમાં મહાકાવ્ય ‘મહાભારત’ માટે કહેવાય છે – “ જે અહીં છે તે બીજે બધે હોઈ શકે છે, પણ જે અહીં નથી તે ક્યાંય નથી.” સર્વોપરિ, સર્વશક્તિમાન, સંપૂર્ણ, સર્વશ્રેષ્ઠ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ન્યૂયોર્ક – મહાનગર ન્યૂયોર્ક :&lt;br /&gt;
ભાંગ્યું પણ ભરૂચ હોય, ને તૂટ્યું પણ ખંભાત છે,&lt;br /&gt;
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે –&lt;br /&gt;
આ શહેરની કાંઈ વાત છે!&lt;br /&gt;
જ્યાં રૂપ અને કુરૂપ તણી, બીભત્સ અને નિર્દોષ તણી,&lt;br /&gt;
જ્યાં સજા ને મોજમજા સાથેની રોજની મુલાકાત છે -&lt;br /&gt;
આ શહેરની કાંઈ વાત છે!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}} &lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ન્યૂયોર્ક વિષે વાત કરવી સહેલી છે, પણ એનું અપરિમાણત્વ એવું છે કે એને ન્યાય કરવો સહેલો નથી. એને વિષેની વાત પ્રેમ હોય તો જ થઈ શકે, ને આ પ્રેમ ‘મનસા, વાચા, કર્મણા’ પ્રગટ થવો જોઈએ – નહીં તો એનાં અનંત વૈવિધ્ય, અગણ્ય ઉપહાર અને અતલ ઊંડાણનો કદિ પરિચય જ ના થઈ શકે.&lt;br /&gt;
મૂળભૂત તત્ત્વોની જેમ ન્યૂયોર્ક જે છે તે છે. એમાં કશું પણ બદલવું તે કોઈના હાથની વાત નથી. એના હાથમાં જાતને છોડી દેવાની હોય છે – વિશ્વાસથી, હિંમતથી, સમજણથી. જેમ જિપ્સી લોકો પૃથ્વીને પોતાની સંપત્તિ સમજતા હોય છે, ને એનો લાભ ઊઠાવતાં શરમાતાં નથી, કૈંક એવી રીતે – સ્વાર્થી અને સંપૂર્ણ રીતે – ન્યૂયોર્કને પોતાનું ગણવાનું હોય છે. આ સંબંધ એકપક્શીય નથી, પારસ્પરિક છે.&lt;br /&gt;
આ શહેર એવું એક આધુનિક અરણ્ય છે કે જ્યાં માણસોની મેદનીની વચમાં પણ એકલું લાગે, ને છતાં, મનને ગમી જવાથી પોતાનાં બની ગયાં હોય એવાં સ્થળો મૈત્રીની સભરતા પણ આપી રહે. આ વિરોધો, વિભાજનો, વિકકૃતિનું શહેર છે; આ આશ્ચર્યો, અનુભવો, આસક્તિઓનું શહેર છે.&lt;br /&gt;
અહીં કઠિન વાસ્તવિકતાના ડંખ સતત વાગતા રહે છે, પણ ચંચળતમ સ્વપ્નોનું સેવન અને એમની સિદ્ધિ પણ અહીં જ શક્ય છે. દુનિયામાં જે ઉત્તમ છે તે બદાંનો અર્ક અહીં છે, ને છતાં દુનિયાથી જાણે એ બે ડગલાં આગળ છે, કૈંક અદ્ભુત રીતે દુનિયાથી એ જાણે ભિન્ન છે. ન્યૂયોર્ક શહેર સ્વયં એક સંસ્કૃતિ છે. કોઈ વાર ન્યૂયોર્ક-પ્રેમીઓ માને છે કે આ અતિવિશિષ્ટ સ્થાન સ્વતંત્ર એક ગ્રહ જ છે! એના જેવું બીજું સ્થાન પૃથ્વી પર ક્યાંય છે જ નહીં! ન્યૂયોર્ક શહેરની આ ફક્ત પ્રશંસા નથી, યથાર્થ પ્રશસ્તિ છે. કદાચ માની ના શકાય તેવી અતિશયોક્તિ આ વાક્યોમાં લાગે, પણ તે ન્યૂયોર્કને નહીં જાણનારને જ. &lt;br /&gt;
ન્યૂયોર્ક એવું ગીત છે જેને ફક્ત એક સૂર નથી. જાણ્યા-અજાણ્યા બધા જ સૂરોની એ નાદમય સરગમ છે – અલબત્ત, ક્યારેક બેસૂરને પણ અવકાશ ખરો. એ એવું મેઘધનુષ્ય છે જેના બધા રંગોને નામ પણ ના આપી શકાય. ન્યૂયોર્કનું બૌદ્ધિક અને સર્જનાત્મક તત્ત્વ સહજ ને સ્વાભાવિક રીતે જ અસર કરતું રહે છે. ખ્યાલ પણ ના હોય અને એનાથી ઉદ્દીપ્ત થતાં રહેવાતું હોય. મનનો વિકાસ આભાનતામાં, ને પ્રયત્ન વગર પણ થતો જ રહે છે. વૈયક્તિક મર્યાદાની બહારનું કશુંક વૈશ્વિક અસ્તત્વને સ્પર્શતું રહે છે. એની સંસ્કૃતિ, એના સંસ્કાર કેવળ વ્યક્તિઓને જ રૂપાંતર નથી કરતું, પણ આખા જનસમુહને આગવું વ્યક્તિત્વ આપે છે.&lt;br /&gt;
ન્યૂયોર્ક આત્મરક્શા કરી શકે છે. ફરિયાદો-વિવેચનોથી એ અસ્પર્શ્ય રહે છે. પક્શકારોની એને જરૂર નથી. અગણ્ય લોકો એના પ્રેમમાં છે. કદિ ના સૂકાય એવું એ ફૂલ છે. બિનકલાત્મક, સસ્તા કચકડાનું નહીં, પણ સુંવાળા રેશમમાંથી બનેલું. જાહેર રીતે, ખરેખર તો, ન્યૂયોર્ક શહેરનું અભિગ્નાન સફરજન સાથે છે. રક્તરંગી, પૂર્ણપક્વ, રસપૂર્ણ, સુસ્વાદુ, લોભનીય, આકર્ષક, અસાધારણ. સ્વર્ગના ઉદ્યાનમાં આદિ પુરુષ આદમ અને આદિ સ્ત્રી ઇવે જે જોયું હતું, ચાખ્યું હતું તેવું!&lt;br /&gt;
અમેરિકાના બીજા કોઈ શહેરને આટલી ઉપયુક્ત સરખામણી નથી મળી, કે નથી કોઈનું આવું વ્હાલસોયું હુલામણું નામ : “ધ બિગ ઍપલ”. વળી, બીજાં શહેરોનાં નામ ટૂંકાવવામાં આવે છે – જેમકે, ફિલાડેલ્ફિયાનું ફિલી, સાન ફ્રાન્સિસ્કોનું એસ.એફ., કે લૉસ ઍન્જેલિસનું એલ.એ. વગેરે. પણ ન્યૂયોર્ક રાજ્યના આ નગરનું નામ બેવડાવીને, અધિકાર અને અભિમાન સાથે, ઘુંટીને બોલાય છે. &lt;br /&gt;
અપૂર્વ અને અતુલનીય – ન્યૂયોર્ક, ન્યૂયોર્ક.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નવી નવી રીતે સ્વને ઓળખનારાં&lt;br /&gt;
|next = ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80_%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80_%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%87_%E0%AA%93%E0%AA%B3%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82&amp;diff=110313</id>
		<title>દરિયાપારથી.../નવી નવી રીતે સ્વને ઓળખનારાં</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80_%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80_%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A8%E0%AB%87_%E0%AA%93%E0%AA%B3%E0%AA%96%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%82&amp;diff=110313"/>
		<updated>2026-04-26T06:23:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નવી નવી રીતે સ્વને ઓળખનારાં }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કેટલીક વાર વિધિની વક્રતા એવી હોય છે કે કોઈ વ્યક્તિ જે કારણસર પ્રસિદ્ધિ પામી હોય છે તે જ કારણને લીધે ઉપાલંભ પણ પામ્યા કરે છે. આવું બનેલું દેખાય છે બહુશ્રુત, તેમજ બહુચર્ચિત, લેખક વિ.એસ. નાયપૉલ (૧૯૩૨-૨૦૧૮)ની બાબતમાં. એમની કલમ દ્વારા સતત લખાતાં રહેલાં પુસ્તકોને કારણે એ ઘણાં પારિતોષિક, તથા બ્રિટિશ સરકાર તરફથી ‘સર’નો સન્માનિત ખિતાબ પામી ચૂક્યા હતા. પણ સર્વોચ્ચ ગણાતા નોબેલ પારિતોષિકથી જાણે જાણી જોઈને જ એમને વંચિત રખાયા હતા, તથા હજી એ ત્રીજા વિશ્વમાંના ટ્રિનિડાડ નામના દ્વીપ-દેશમાંથી આવતી બદામી રંગની વ્યક્તિ તરીકેની ગણત્રી જ પામતા રહે છે.&lt;br /&gt;
પાંચ દાયકા જેટલા લાંબા કાળ દરમ્યાન નાયપૉલનું સર્જનાત્મક લેખન ચાલતું રહ્યું હતું. અગિયાર જેટલી નવલકથાઓમાં ધ હાઉસ ફૉર મિસ્ટર બિશ્વાસ, અ બૅન્ડ ઈન ધ રિવર, ઈન અ ફ્રી સ્ટેટ વગેરેનો સમાવેશ થાય છે. એટલી જ સંખ્યામાં લખાયેલાં વિદ્વત્તાપૂર્ણ નિબંધ-ગ્રંથોમાં ઈન્ડિયા-અ વૂન્ડેડ સિવિલિઝેશન, અમૉન્ગ ધ બિલિવર્સ, બિયૉન્ડ બિલીફ વગેરે ગણાવી શકાય. બંને લંખન-પ્રકારોમાં વિષયવસ્તુની એકવિધતા અથવા સમાનતા આશ્ચર્યકારક લાગે છે.&lt;br /&gt;
નાયપૉલના લેખનના કેન્દ્રમાં અવિચળ રીતે રહે છે ત્રીજું વિશ્વ અને એમાંના દેશો. આ કેન્દ્રની આસપાસ અર્થઘન અને અસરકારક શબ્દ-જાળ ગુંથતી રહે છે એમના ચિત્તને સદા યે ગ્રસી રહેતી વિચાર-ધારાઓ. એમની બે મુખ્ય મનોગ્રસ્તિ છે – એક, લેખક બનવું અથવા હોવું તે શું, અને બે, પરદેશી સત્તાધારીઓ ડેરા ઉઠાવીને જતા રહે પછી, તાજા સ્વતંત્ર થયેલા ગરીબ દેશોમાં, અરાજકતા ને અવ્યવસ્થાને કારણે શું બને છે તે. &lt;br /&gt;
એમનાં પુસ્તકોમાં લાંચ-રુશ્વત, અંદર-અદરના વેર-ઝેર, ઘાતકી વર્તાવ, અને ખૂનામરકીનો કારમો ચિતાર હર-હંમેશ નાયપૉલના વાચકની સામે ખડો થતો હોય છે. “ અડધી-પડધી અવસ્થામાં રહી જવાનો શાપ પામેલા અડધા-પડધા સમાજો” સાથેની મુલાકાતો વાચકોએ&lt;br /&gt;
સતત ખમવી પડતી હોય છે. &lt;br /&gt;
નાયપૉલ પોતે આ બાબતથી અજાણ નથી જ, અને એક વાર એમણે ક્યાંક કહ્યું પણ છે, કે “મારું બધું સર્જન-કાર્ય ખરેખર એક છે, હું ખરેખર એક ખૂબ મોટો ગ્રંથ લખી રહ્યો છું.” જે પુસ્તકમાં આ કથન બહુ બળપૂર્વક સાચું પડતું જોવામાં આવે છે તેનું નામ છે ‘અ વે ઈન ધ વર્લ્ડ.’ નાયપૉલે એને નવલકથા કહી છે, પણ એ આત્મકથા કે સ્મૃતિકથા જેવી વધારે લાગે છે. એનો નાયક ઘણી રીતે નાયપૉલ સાથે સરખાવી શકાય એવો છે. એ પણ એના સર્જકની જેમ ટ્રિનિડાડથી ઇંગ્લૅંડ, ઇંગ્લૅંડથી આફ્રિકા, પાછો ટ્રિનિડાડ, ને વળી પાછો ઇંગ્લૅંડ પહોંચે છે. &lt;br /&gt;
નવ હિસ્સામાં વહેંચાયેલું કથાનક અંગત, ઐતિહાસિક, વાર્તા-સ્વરૂપે, સંસ્મરણલેખ થઈને – એમ વિવિધ સ્તરો પર વિકસે છે. આમ તો પુસ્તક ચારસો પાનાંથી પણ ઓછું છે, પણ એનો વ્યાપ મહા-કથા જેવો છે. કથાનક દૂર દૂરની જગ્યાઓમાં, લાંબા કાળમાં પ્રસરતું જાય છે, ને એમાં કોલમ્બસ, રેલે, બોલિવાર જેવા આદ્ય-સાહસીઓ, એટલેકે ‘કોલોનિસ્ટો’, પણ હાજર થતા જાય છે. વિવેચકોએ નાયપૉલના ગદ્યને અત્યંત પ્રવાહી અને પ્રશસ્ય ગણ્યું છે, પણ કથાનકનું વાંચન કઠિન કહ્યું છે. &lt;br /&gt;
“અ વે ઈન ધ વર્લ્ડ” પુસ્તકનો ઉઘાડ ઓગણીસસો ચાલીસના દસકાના ટ્રિનિડાડના મુખ્ય શહેર પોર્ટ ઑફ સ્પેઇનમાં થાય છે, જ્યાં નાયપૉલની કિશોરવય વીતી, અને જે એમની નવલકથાઓમાં ફરી ફરી દેખાતું જ રહે છે. એ એવો સમય હતો કે જ્યારે સારામાં સારી નોકરીઓ માટે રાજ્યકર્તાઓ છેક ઇંગ્લૅંડથી શ્વેત કર્મચારીઓને બોલાવી લેતા. લાયક હોય તોયે સ્થાનિક વ્યક્તિઓ જ્યાં ને ત્યાં નકાર પામતી રહેતી. ઘણાં સ્થાનિક નાગરિક ભણવા, કમાવા, સુખી થવા પરદેશોમાં -ઇંગ્લૅંડ, સ્પેઇન, વેનેઝુએલા- જતાં રહેતાં. પણ એમનાં દિલ માતૃભૂમિ માટેના ઝુરાપામાંથી મુક્ત થઈ ના શકતાં. બે નિવાસ-સ્થાનોમાંથી ક્યાંયના પૂરેપૂરા થઈને નહીં રહી શકવાની એ સંભ્રાંત સ્થિતિ પર નાયપૉલે વારંવાર લખ્યું છે. અહીં પ્રવક્તા દ્વારા એ કહે છે, “વારસાનું રહસ્ય હું સમજાવી શકું તેમ નથી. આપણે આપણાં મા-બાપ અને દાદા-દાદી અંગે તો જાણતાં હોઈએ છીએ, પણ વારસામાં પામ્યાં હોઈએ તે બધાં લક્શણો આપણે સમજી શકતાં નથી. ઘણી વાર આપણે આપણી જાતથી જ અળગાં થઈ જતાં હોઈએ છીએ.”&lt;br /&gt;
ઐતિહાસિક રીતે જાણીતા થયેલા કેટલાક આદ્ય-સાહસીઓ નવા વિશ્વને નામે વધારે સત્તા અને ધનની લાલસાથી નીકળી પડેલા, ખોટી દિશામાં ગયા પછી પણ આગળ ગયેલા, પોતે હેરાન થયેલા, ત્યાં ત્યાંની પ્રજાને ખૂબ હેરાન કરેલી, ને છેવટે પોતે ખુવાર થઈ ગયેલા. આનું કારણ એક રીતે સાહસની ઘેલછા અને જાત સાથે છેતરપીંડી હતું, તો બીજી રીતે, એ બધા પોતપોતાની જાતને નવેસરથી સર્જવા, પ્રાપ્ત કરવા ઝંખતા હતા.&lt;br /&gt;
સૌથી ઓછો જાણીતો થયેલો સાહસી, વેનેઝુએલા દેશનો, ફ્રાન્સિસ્કો મિરાન્ડા નામનો એક ધનિક પુરુષ છે, ને એ આ પુસ્તકમાં સ્થાન પામ્યો છે. એને વિષે નાયપૉલ લખે છે કે “ એ અધૂરાપણાનો ભાવ અનુભવતો હતો, અને જ્યારે બહારના વિશ્વમાં પહોંચે છે ત્યારે એને નવેસરથી જાતને શોધવી પડે છે. એનામાં મેં મારા જ કેટલાક અંશો જોયા.” મિરાન્ડાની જીવન-વાર્તા નાયપૉલે બહુ લંબાણથી અને ઘણી સહાનુભૂતિ સાથે લખી છે. &lt;br /&gt;
કેટકેટલી ક્રાંતિઓ નિષ્ફળ જતી હોય છે – ઐતિહાસિક તેમજ અંગત. કોઈ કોઈ વ્યક્તિ નથી જન્મના દેશમાં સંપૂર્ણતા પામી શકતી, નથી બીજા આધુનિક દેશોના ધનાઢ્ય સમાજોમાં સ્થિરતા પામી શકતી. પુસ્તકના શીર્ષક પ્રમાણે, આવી વ્યક્તિઓ, વિશ્વમાં પથ શોધતી નીકળી પડે છે ખરી, પણ ઘર જેવા સ્થાનનો કોઈ સ્પષ્ટ આકાર, કે ઉષ્માભર્યો આધાર એ કદિ પ્રાપ્ત કરી શકતી નથી. ૪૦-૪૫ વર્ષ બહાર રહ્યા પછી, તથા અપૂર્વ માન-સન્માન પામતા રહ્યા પછી પણ, નાયપૉલ પોતે પણ આવી જ એક વ્યક્તિ બનીને રહેલા છે. પોતાના નાયકોનો અપૂર્ણતાનો ભાવ તે નાયપૉલના નિજી સંવેદનોનું સીધું આરોપણ છે, તે બાબત ઘણી સર્ચાયેલી છે. વિવેચકો એમના લેખનમાંના સૂરને “ સ્વ-દેશથી દૂર વસતી વ્યક્તિનો અવાજ” કહી ઓળખાવે છે.&lt;br /&gt;
નાયપૉલના પોતાના કહેવા પ્રમાણે, પોતાના સર્જનાત્મક લેખનને લીધે જ, પછાત દેશના બંધિયાર વાતાવરણમાંથી એ છટકી શક્યા; એક અર્ધ-ભૂખ્યા ગામડિયામાંથી વિશ્વ-વિખ્યાત સર્જકમાં પોતાને રૂપાંતરિત કરી શક્યા. કલમને સહારે જિંદગીભર એમણે ભૂતકાળને પકડવા પ્રયત્ન કર્યા, ને સાથે જ, એ જાણતા પણ હતા જ કે જેને છોડ્યો તે જન્મ-દેશની વાસ્તવિકતા પકડાતી નથી જ હોતી. નાયપૉલની સર્જનાત્મક કલમ દ્વારા ઘર-ઝુરાપાનું સંવેદન દરેક અન્યદેશસ્થાયી વ્યક્તિ માટે મૂર્તિમંત બન્યું છે. એમનું પોતાનું નામ સાહિત્યમાં ઉત્તમના પર્યાય સાથે જોડાઈ ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નગર, જીવન અને કવિતા&lt;br /&gt;
|next = ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0,_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE&amp;diff=110312</id>
		<title>દરિયાપારથી.../નગર, જીવન અને કવિતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0,_%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE&amp;diff=110312"/>
		<updated>2026-04-26T06:22:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નગર, જીવન અને કવિતા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ન્યૂયોર્ક જેવું અતિ-મહા-નગર. આંતર્રાષ્ટ્ષીય વેપાર-વાણિજ્ય અને મહાત્વાકાંક્શી લેવડ-દેવડનું કેન્દ્ર. રોજેરોજ જ્યાં નવા નવા ધંધા ઊભા થતા હોય – જૂના પડી ભાંગતા હોય, ને જ્યાં આર્થિક રીતે ટકી રહેવા માટે જ કાતિલ હરીફાઈ ચાલ્યા કરતી હોય, ત્યાં કળા અને કવિતાને સ્થાન ખરું? ન્યૂયોર્ક શહેરની ગતિ, ઝડપ, ધમાલ, દોડાદોડ જુઓ તો આ પ્રશ્નનો જવાબ નકારમાં જ આપી દેવાય. પણ અજીબ વાત એ છે કે આ જ શહેર વિવિધ કળાના ક્શેત્રે પણ આખા વિશ્વમાં મોખરાને સ્થાને છે. છતાં પૂછવાની ઇચ્છા થાય કે, પણ કવિતાનું શું? શહેરના ધંધાકીય ને વ્યવહારિક માનસમાં કવિતાનું સ્થાન હોઈ શકે ખરું?&lt;br /&gt;
અલબત્ત, આનો જવાબ સીધી ‘હા’ કે સીધી ‘ના’માં આપી શકાય તેમ નથી. કદાચ એનો જવાબ કંઈક મોઘમ રીતે – સ્થાન છે પણ ખરું, ને નથી પણ – એવો આપવો પડે. શહેરની સમગ્ર પ્રજાના રોજિંદા જીવનમાં કવિતાનું સ્થાન નથી – ના જ હોઈ શકે, એ સ્વાભાવિક છે. દુનિયાના કોઈ પણ શહેરમાં ના હોઈ શકે, કારણકે હકીકત એ છે કે કવિતાથી બધાંનું પેટ ભરી શકાતું નથી. પરંતુ અમેરિકામાં “નગર-કવિ”નું સ્થાન છે, તેમજ એમની જરૂર પણ છે. &lt;br /&gt;
બસોએક વર્ષ પહેલાં અમેરિકામાં શહેરો જ નહતાં. ચીન, જાપાન, ભારત વગેરે દેશો જેવો લાંબો ઇતિહાસ અમેરિકા પાસે નથી, પણ એમાં કૂદકે ને ભૂસકે જે પ્રગતિ થઈ તે બીજા બધા દેશોને ટપી ગઈ, અને છેલ્લાં સોએક વર્ષમાં એવાં શહેરો વસ્યાં કે એમાંનાં કેટલાંક આજે દુનિયાનાં સૌથી મોટાં શહેરો થઈને રહ્યાં છે. અમેરિકાની વસ્તી પણ વધારે ને વધારે પ્રમાણમાં આ શહેરોમાં વસતી થઈ ગઈ છે. આમ તો, અમેરિકાનો એક-દોઢ ટકા જેટલો જ ભાગ ‘શહેરી’ છે, જેની અંદર દેશની ૮૫ ટકા જેટલી વસ્તી વસે છે ( એક આંક પ્રમાણે). આવાં ભીડ ભરેલાં, હજારો ચો.મા.ના વિસ્તારમાં ફેલાયેલાં શહેરો સો વર્ષ પહેલાં પણ મુલાકાતીઓને અને કેટલાંક પ્રજાજનોને ભયજનક લાગતાં હતાં, તો આજની કે નજીકના ભૂતકાળની તો વાત જ ક્યાં? &lt;br /&gt;
અમેરિકાનાં શહેરો અત્યારે ભુલભુલામણી જેવાં છે – ભૌગોલિક, ભૌતિક, આર્થિક, આધ્યાત્મિક -બધી રીતે. એ બધાંમાંથી પ્રજાજનોને સાચવીને દોરી જવાં પડે છે. તો નગર-કવિનું કામ છે એ ભુલભુલામણીઓમાંની ગલી-કુંચીઓ અને ગર્ભ-ગૃહોને શોધવાનું, બહાર લાવવાનું, એમનાં પર વિચાર કરવાનું, ને પછી એ વિષે લખવાનું. નગર-કવિનું દાયિત્વ છે પોતાની સર્જન-પ્રક્રિયા દ્વારા પ્રજાને માર્ગ બતાવવાનું, પોતાનાં સંવેદનોને આધારે પ્રજાના રોજિંદા કઠિન જીવનમાં કુમાશ દાખલ કરવાનું. દરેક વ્યક્તિ પોતાના જીવનની આસપાસ સ્વપ્નોનાં ફૂલ ઉગાડવા મથતી હોય છે. અમેરિકાના નગર-કવિ આ સ્વપ્નો, આ વાસ્તવિકતા, તેમજ દરરોજની નાની-મોટી, સાધારણ-અસાધારણ બિનાઓને વાચા આપે છે. જો “વ્યક્તિનો પ્રતિનિધિ” ના બની શકે તો એ અમેરિકન નગર-કવિ શાનો? &lt;br /&gt;
આમ તો, અમેરિકાની નીતિ “અનેક મળીને એક”ની છે, પણ કવિ-કર્મને નજરમાં રાખીએ તો “એક દ્વારા અનેક” એવું સૂત્ર બનાવી શકાય. એક કવિનો અવાજ અનેક જણના વિચારો ને ભાવોનો પડઘો પાડે છે. કવિ હંમેશાં આ સભાનપણે નથી પણ કરતો હોતો, ને પરિણામ એ પ્રકારે આવી શકતું હોય છે. વૉલ્ટ વ્હિટમૅન કદાચ સૌથી પ્રથમ આવા નગર-કવિ હતા. જન્મ ૧૮૧૯માં, મૃત્યુ ૧૮૯૨માં. ખેડૂતને ત્યાં જન્મેલા વ્હિટમૅન તેર વર્ષની ઉંમરથી તો નાની નોકરીઓ કરવા લાગી ગયા હતા. એક છાપામાં પટાવાળા અને કારકુન તરીકે કામ કર્યા પછી એ ખબરપત્રી બન્યા, પછી પુસ્તક-સમીક્શક, અને છેલ્લે એક તંત્રી બન્યા. છાપાં-માંનું એમનું લખાણ ક્યારેય બહુ મૌલિક કે ઉત્તમ નહતું ગણાયું.&lt;br /&gt;
છત્રીસ વર્ષની ઉંમરે “લીવ્સ ઑફ ગ્રાસ” નામની એમનાં કાવ્યોની પુસ્તિકા બહાર પડી, જેની અસર એક સર્જનાત્મક વિસ્ફોટ જેવી થઈ. એ કાવ્યો સામાન્ય પ્રજાજનનું, દેશની લોકસત્તાનું, રોજિંદા આધા-અધૂરા, ભૂલ ભરેલા જીવનનું મુક્ત કંઠે સન્માન કરતાં હતાં. એમનાં કથનમાં વિનોદ તેમજ ડહાપણનો ભાવ હતો, ને એમની શૈલી પ્રથાથી જુદી જ દિશામાં – ‘ગીતિમય મુક્ત છંદ’ પ્રતિ – ગઈ હતી. &lt;br /&gt;
એ કાળે અમેરિકાનું સામાજિક, સાંસ્કૃતિક, રાજકારણીય બંધારણ માંડ શરૂ થયું હતું. ત્યારે એક આગવી છટા વ્હિટમૅનની લેખિનીમાંથી પ્રકટ થઈ. પોતાના દેશ તથા એની લોકતંત્રીય માન્યતાઓ પ્રત્યે વિશ્વાસ, આશા ને ગૌરવના ઉદાત્ત ભાવ એમના શબ્દોમાં નિરૂપાયા છે. એમના પંક્તિ-વિન્યાસમાંથી દેશભક્તિના ભાવને અનુરૂપ સૂર સ્પષ્ટ રીતે ગુંજી રહે છે. આ પુસ્તકના આમુખમાં વ્હિટમૅન અમેરિકાને બિરદાવે છેઃ “યુનાઇટેડ સ્ટેટ્સ પોતે જ એક સૌથી મહાન કાવ્ય છે...અહીં કેવળ એક દેશ નથી, પણ અનેક દેશો થકી ઊભરાતું રાષ્ટ્ર છે...અહીં એ પ્રકારનું આતિથ્ય છે, જે સદાકાળ ઔદાર્ય અને ઉદાત્તતા સૂચવે છે.” &lt;br /&gt;
પોતાની પ્રેરણાનું મૂળ દર્શાવતાં કવિ આગળ લખે છેઃ “ભૂમિ અને સમુદ્ર, પ્રાણી, જળચર અને વિહંગ, સ્વર્ગ સુધીનું આકાશ અને બ્રહ્માંડ, વનો, પર્વતો અને નદીઓ, કાંઈ સાધારણ વિષય-વસ્તુ નથી...પણ લોકગણની અપેક્શા એ હોય છે કે રોજિંદી સામાન્ય બાબતો સાથે સંકળાયેલાં સૌંદર્ય ને ભવ્યતા કરતાં વધારે કશુંક કવિ નિર્દેશિત કરે...લોકગણ ઇચ્છે છે કે આ વાસ્તવિકતા તથા એમનાં સ્વપ્નોની વચ્ચેનો પથ કવિ સૂચિત કરી આપે.” &lt;br /&gt;
પ્રજાના માનસ સાથે વ્હિટમૅનની સંવેદનશીલતાનું જે તાદાત્મ્ય હતું તેવું અમેરિકાના બીજા કોઈ કવિ પાસેથી નથી મળ્યું, છતાં કવિતા અહીં જીવંત છે, સન્માન્ય છે. અનેક પ્રતિષ્ઠિત સામયિકો કવિતા માટે સ્થાન રાખે છે. બધી જ શિક્શણ-સંસ્થાઓ કાવ્ય-વાંચન અને કાવ્ય-લેખન ભણાવે છે. દરેક શહેરમાં કાવ્ય-પઠનના કાર્યક્રમ નિયમિત રીતે યોજાતા હોય છે. ચિકિત્સાના ભાગ તરીકે હૉસ્પિટલોમાં દરદીઓ માટે કવિતા-લેખનના વર્કશૉપ ગોઠવવામાં આવે છે. વળી, છપાવવા અઘરા ગણાતા હોવા છતાં હજારેક કાવ્ય-સંગ્રહો દર વર્ષે દેશમાં છપાતા હોય છે. &lt;br /&gt;
ન્યૂયોર્ક શહેરની ભૂગર્ભ-રેલમાં જાહેરાતનાં પાટિયાં તો હોય છે, પણ ફ્રેમ કરીને મૂકેલી કાવ્ય-પંક્તિઓ પણ હોય છે. એ જાણીતા કવિઓની હોય, અને ઓળખાણ વિનાના, ઘર-બાર વિનાના કમભાગીઓની લખેલી પણ હોઈ શકે છે. સરળ-સામાન્ય તો ક્યારેક મર્મસ્પર્શી આ પંક્તિઓને “ગતિમાન કવિતા” કહે છે. ઊભાં ઊભાં મુસાફરી કરનારાંનું ધ્યાન પણ આ વાંચવામાં પરોવાય છે, ને જીવનની કઠિનાઈ બે ઘડી વિસારે પડે છે.&lt;br /&gt;
જટિલ ભુલભુલામણીઓમાંથી પ્રજાજનોને દોરવાનું કામ જાણે નગર પોતે પણ કરે છે. અને અન્ય કવિઓનો સાથ પણ નગરને છે જ. વ્હિટમૅને કહેલું છે તેમ, “જો એક જગ્યાએ હું ના મળું તો બીજે શોધજો. તમારી રાહ જોતો હું ક્યાંક ઊભો જ હોઉં છું.”&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મુક્તિની કિંમત કેટલી?&lt;br /&gt;
|next = નવી નવી રીતે સ્વને ઓળખનારાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%80%3F&amp;diff=110311</id>
		<title>દરિયાપારથી.../મુક્તિની કિંમત કેટલી?</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%BF%E0%AA%82%E0%AA%AE%E0%AA%A4_%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AB%80%3F&amp;diff=110311"/>
		<updated>2026-04-26T06:21:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મુક્તિની કિંમત કેટલી?}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અગત્યની સંસ્થાઓને મોટું દાન આપવાનો, ને એ રીતે એમનાંમાં વધારે પ્રાણ પૂરવાનો ધારો દરેક દેશમાં જોવા મળે છે. પછી એ દાનવીરોનાં નામની તકતી લાગે છે, ને ક્યારેક તો એમનાં નામથી આખી સંસ્થા ઓળખાવા માંડે છે. ન્યૂયોર્ક શહેરમાં કેટકેટલી જગ્યાઓ ધનાઢ્ય, ને વિશાળ-હ્દયી દાનવીરોનાં નામથી ઓળખાય છે – શાળાઓ, મહાવિદ્યાલયો, કળાગૃહો, પુસ્તકાલયો, નાટ્યગૃહો, હૉસ્પિટલો, રસ્તાઓ, મહામાર્ગો, વિમાન-મથકો, નગર ચૉકો વગેરે. ને ફક્ત પોતાના નામના મોહથી પ્રેરાઈને કોઈ ગગનચુંબી મકાનને પોતાનું નામ (કે અટક) આપ્યું હોય તેમ પણ બને. સ્પષ્ટ રીતે જ, સમાજની સેવા, અને લોકોના ઉપયોગ માટે ઉદારતા કરનારાં સૌથી વધારે સન્માન પામે છે. &lt;br /&gt;
ઍસ્ટર, લૅનૅક્સ, ટિલ્ડન અટકવાળાં કુટુંબોએ ૧૯મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં લાયબ્રેરિ-ઓની સ્થાપના કરેલી. આમજનતાને વાંચવા માટેનાં પુસ્તકોનો ભંડોળ તો એમાં હતો જ, પણ અમૂલ્ય અને અપ્રાપ્ય કહેવાય એવા પ્રાચીન ગ્રંથો પણ એ ગર્ભશ્રીમંત લોકહિતૈષી વ્યક્તિઓએ ભેગા કરેલા. દોઢસો-બસો વર્ષ પહેલાં લોકોમાં આવી દૂરદર્શિતા હશે, એમ માનવું પણ મુશ્કેલ છે. એટલું જ પૂરતું ના હોય તેમ, ૧૮૯૫માં આ ત્રણે સંસ્થાઓએ સંયુક્ત થવાનું નક્કી કર્યું, ને “ધ ન્યૂયોર્ક પબ્લિક લાયબ્રેરી, ઍસ્ટર, લૅનૅક્સ અને ટિલ્ડન ફાઉન્ડેશન્સ” નામની મહાસંસ્થાની સ્થાપના કરી. સામાન્ય રીતે એ ન્યૂયોર્ક પબ્લિક લાયબ્રેરી તરીકે જ ઓળખાય છે. &lt;br /&gt;
આ ત્રિવેણી-સંગમથી આ મહાસંસ્થાનો અપૂર્વ વિકાસ થતો રહ્યો. આજે ન્યૂયોર્ક શહેરમાં આ લાયબ્રેરીની બ્યાંશી તો શાખાઓ છે. એમાં સંશોધન માટે ચાર તો મુખ્ય અભ્યાસ-કેન્દ્ર છે, દુર્લભ અને ઉત્કૃષ્ટ પ્રાચીન ગ્રંથોનો વિપુલ સંગ્રહ છે, અને દુનિયાનું મોટામાં મોટું અને સૌથી વિસ્તૃત પુસ્તકાલય આ ગણાય છે. પુસ્કોની સંખ્યા તો લાખોમાં હશે.&lt;br /&gt;
એમાં રહેલા સૂચિ-ખંડ વિષે જાણવું બહુ રસપ્રદ લાગશે. મુખ્ય મકાનના ત્રીજા માળે આ ખંડ છે. દરેક અભ્યાસી સૌથી પહેલાં ત્યાં જાય છે. નંવું લાખ પુસ્તકોનાં શીર્ષકોની યાદી આઠસો ભાગમાં – એટલેકે આઠસો ચોપડીઓમાં – સંચિત થયેલી છે. આ યાદી બનાવનાર અને છાપનારની બલિહારી ગણાય. ને આ પછી પણ, ૧૯૭૨ બાદ મેળવેલાં પુસ્તકોની નોંધણી તો જુદી. આ સદીમાં તો વળી બીજી કેટલીયે નોંધણી ઉમેરાઈ હશે.&lt;br /&gt;
લાયબ્રેરીનું આ મુખ્ય મકાન શહેરના ફિફ્થ ઍવન્યૂ નામના સુંદર માર્ગ પર આવેલું છે. એ ૧૯૧૧માં પૂરું થઈ રહેલું. “બોઝાર્ટ” નામની ફ્રેન્ચ શૈલીનું, આખા દેશમાંનું સુંદરતમ ઉદાહરણ એ ગણાય છે. રોજના હજારો લોકો આ મકાનમાં પ્રવેશે છે – પુસ્તકો લેવા, આપવા, અભ્યાસ માટે, છાપાં ને સામયિક વાંચવા, તેમજ શબ્દ, સાહિત્ય અને કળા પરનાં પ્રદર્શનો જોવા. આ લાયબ્રેરીનો ખર્ચો આમ તો શહેર તરફથી મળે છે, પણ એનાથી રોજિંદી વ્યવસ્થા માટેનો ખર્ચ પૂરો નથી થતો. અનેક સંસ્થાઓ, કંપનીઓ અને વ્યક્તિઓ વાર્ષિક રીતે એને સહાય આપતી રહે છે. ફક્ત લખપતિઓ જ નહીં, પણ જનતાના ઘણા સદસ્યો પણ દર વર્ષે લાયબ્રરીને યથાશક્તિ દાન આપતા હોય છે.&lt;br /&gt;
આ ત્રિશાખા-સમન્વયની એકસો વર્ષ થયાંની ઉજવણી ખૂબ ધામધૂમથી થયેલી. એક સાંજે પાંચસો ખાસ વ્યક્તિઓ માટે મોટું જમણ હતું. એ બધાં કહેવાય આમંત્રિતો, પણ એ માટે ખાસ્સા પૈસા દાન કરવા પડે. બીજી એક સાંજે પાંચ હજાર જેટલાં કર્મચારીઓ માટે સંગીત અને બૉલડાન્સના કાર્યક્રમની ગોઠવણ થયેલી. વળી, ત્રણે માળ પર, લાયબ્રેરીના ઇતિહાસને લગતાં પ્રદર્શનો પણ યોજાયેલાં. ત્યારે સુવિશાળ પ્રવેશ-ખંડમાં થોડાં ટેબલ-ખુરશીઓ મૂકેલાં. શેમ્પેઇનની બૉટલો અને થોડો ખારો નાસ્તો પણ ખરો. &lt;br /&gt;
આ મકાન અંદરથી તો ખાસ જોવા જેવું છે. સંગેમરમરનાં સોપાન, સુચિત્રિત ગુંબજ, દીવાલો પર કિંમતી કળાકૃતિઓ, સ્તંભ અને કમાનોયુક્ત વિશાળ કક્શો. ત્રીજે માળે છેલ્લાં એકસો વર્ષમાં છપાયેલાં પુસ્તકોમાંથી ચુંટીને દોઠસો જેટલાં ત્યાં પ્રદર્શિત થયાં હતાં. એ કાળ દરમ્યાન થયેલી પ્રાપ્તિઓ અને પીડાનું પ્રતિબિંબ એ પાડતાં હતાં. વિષય-વસ્તુ પ્રમાણે જુદાં જુદાં જૂથોમાં એમને વિભાજિત કરવામાં આવ્યાં હતાં – આધુનિક સાહિત્ય, નિસર્ગનું રાજ, વિરોધ અને વિકાસ, વિચાર અને સંવેદન, લોકપ્રિય મનોરંજન, સ્ત્રી-સર્જકો, અર્થશાસ્ત્ર અને ઉદ્યોગવિદ્યા, કલપનાનું ઉડ્ડયન, યુદ્ધ અને ઈતિહાસ વગેરે એનેક વિષયો હતા.&lt;br /&gt;
ઉપરાંત, એ દરેક વિભાગમાં વિશ્વની ઉત્તમ કૃતિઓનો સમાવેશ થયેલો હતો. ફક્ત અમેરિકન જ નહીં, પણ અંગ્રેજ ( ફૉસ્ટર, નાયપૉલ), ફ્રેન્ચ ( સાત્ર, રેમાર્ક), જર્મન ( વેબર, ફ્રોઇડ), દક્શિણ અમેરિકન (માર્કેઝ, બોર્હેઝ), અને બીજાં અનેક. લાખોમાંથી થયેલી પસંદગી- સારી કે ચર્ચાસ્પદ અસરો કરી હોય તેવાં પુસ્તકો, હસ્તલિખિત પ્રતો, અપ્રાપ્ય પ્રથમ સંપાદનો. ને પછી જોવા આવનારાંને માટે પ્રશ્નો – આ પ્રદર્શન વિષે તમારો મત શું છે? તમારી પ્રક્રિયા શું છે? ને પછી કહેવામાં આવે છે, “તમારી પસંદગી અમને જણાવશો, કે જેથી એને પણ પુસ્તકાલયના સંગ્રહમાં સમાવી શકાય.” લાયબ્રેરી પ્રજા માટે છે, અને પ્રજાજનોની સક્રિય સહભાગિતા એ ઈચ્છે છે. &lt;br /&gt;
પ્રવેશતાં જ એક ભવ્ય પ્રદર્શન-ખંડ છે. એમાં “મુક્તિની કિંમત શું?” નામનું અત્યંત આદર્શવાદી અને પ્રતીકાત્મક અનુષ્ઠાન કરેલું હતું. એનો સંબંધ હતો યુદ્ધ સાથે – વ્યક્તિગત કે સમુહગત, ધર્મવિષયક કે અન્ય દેશના સંદર્ભે. એવું યુદ્ધ કે જે દૃઢ માન્યતા, નિષ્ઠા, સિદ્ધાંત અને આદર્શ માટે લડાયું હોય, ને જેને કારણે નિંદા-અપમાન . દેશવટો, કારાવાસ .કે મૃત્યુ સુદ્ધાં – ભોગવવું પડ્યું હોય. પ્રાણ જાય, પણ મુક્તિ જતી ના કરાય. જોખમ વહોરીશું, પણ જાતને વેચીશું નહીં- કાંઈ આવો અડગ આગ્રહ, આવી નૈતિક હિંમત. એ દર્શાવતાં શબ્દો, પ્રતો, ફોટા, સુવાક્યો વગેરે ત્યાં સરસ નાટ્યાત્મક, અસરકારક રીતે પ્રદર્શિત થયેલાં હતાં. &lt;br /&gt;
કાચમાંથી એક લાંબું વહાણ બનાવવામંા આવ્યું હતું. એનું સૂચન હતું જે બચાવે છે, જે મુક્તિ બક્શે છે તેવું યાન. કાળના પ્રવાહમાં જન-સંસ્કૃતિ વિષેનો આલેખ જે વહન કરતું રહે છે તે યાન. આજે પણ, અમેરિકામાં સામાજિક અને સાંસ્કૃતિક એવા ઝંઝાવાતો થતા રહે છે, કે જે આ મુક્તિ-યાનને ખોરવી દઈ શકે છે. “મુક્તિની કિંમત શું?”, એમ પૂછીને સમાજને વિચાર કરવા પ્રેરતા આ પ્રદર્શનને રજૂ કરીને લાયબ્રેરી જાણે વચન આપે છે, કે એ હંમેશાં વિચાર-સ્વાતંત્ર્યના પક્શમાં રહેશે. &lt;br /&gt;
કાચના એ મુક્તિ-પ્રતીકની અંદર, અમેરિકાના ત્રીજા પ્રમુખ થૉમસ જૅફરસનના હાથે લખાયેલો, ‘સ્વાતંત્ર્યના નિયમો’ નામનો ખરડો હતો; અબ્રાહમ લિન્કનના સમયના કોમી રમખાણોના ફોટા હતા, અને સાથે જ, મહાત્મા ગાંધીએ ૧૯૩૧માં આપેલા એક ભાષણનો અંશ પણ મૂકેલો હતો. એની શરૂઆતમાં ગાંધીજીએ કહ્યું હતું, કે “હું એક શાંતિનો સૈનિક છું.” આ અને આવાં વિખ્યાત વાક્યો દીવાલો પર સતત પ્રતિબિંબિત થતાં હતાં. દરેક વાક્યનો અને આખા પ્રદર્શનનો ભાર એ બાબત પર હતો કે મુક્તિ માટેનાં યુદ્ધ આજે પણ કેટલાં આવશ્યક અને અર્થઘન હોય છે.&lt;br /&gt;
લાયબ્રેરીની બહુ મોટી વર્ષગાંઠની ઉજવણી હતી. ફક્ત સંગીત, નૃત્ય, મદિરા અને મહેફિલ જ ત્યાં નહતાં, પણ ઊંડા વિચારને અને આદર્શની ઝંખનાને પોષણ આપે તેવું પ્રશસ્ય અનુષ્ઠાન થયું હતું. દાનવીરો જ નહીં, પણ સંવેદનશીલ બુદ્ધિજીવીઓ પણ જેને સતત સહાય કરતાં હોય તેવી આ લાયબ્રેરી સાથે આપણે સંકળાયેલાં હોઈએ તે પણ કેવું સૌભાગ્ય. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મૂર્તિમંતગૃહાતુરતા&lt;br /&gt;
|next = નગર, જીવન અને કવિતા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE&amp;diff=110310</id>
		<title>દરિયાપારથી.../મૂર્તિમંતગૃહાતુરતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AA%97%E0%AB%83%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A4%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE&amp;diff=110310"/>
		<updated>2026-04-26T06:20:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મૂર્તિમંતગૃહાતુરતા }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતની બહારનું એવું કોઈ સ્થાન હશે કે જે મદ્રાસ ના હોય, પણ જ્યાં હજારો તામિલ લોકો જોવા મળે?; અથવા જે હૈદરાબાદ ના હોય, પણ જ્યાં હજારો તેલુગુ લોકો જોવા મળે?; અથવા જે કલકત્તા ના હોય, પણ જ્યાં હજારો બંગાળીઓ જોવા મળે? ને તે પણ એક જ જગ્યાએ? આવું સ્થાન એક જ છે, ને તે છે અમરિકા. &lt;br /&gt;
છેલ્લાં પાંત્રીસ-ચાલીસ વર્ષથી ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવેલા લોકો અમેરિકામાં મોટા મેળાવડા યોજે છે. એમને નામ અપાતું તો હોય છે કૉન્ફરન્સનું, પણ એ બધા બની રહે છે મેળાવડા જ. મુખ્ય ઉદ્દેશ હોય છે તો સાંસ્કૃતિક, પણ સંસ્કૃતિની વ્યાખ્યા જાણે સ્પષ્ટ હોતી નથી. છતાં, આવાં સંમેલનો દ્વારા તે તે રાજ્ય અને ભાષાના જન-સમૂહને ભેગાં થવાની તક મળે છે, તેમજ ચર્ચા, વિચારણા અને જુદા જુદા પ્રશ્નોની છણાવટ કરવા માટે મંચ અવશ્ય તૈયાર થાય છે. &lt;br /&gt;
તામિલ, તેલુગુ, કન્નડ જેવી ભાષા-ભાષી સંમેલનોમાં જવાનું તો નથી બન્યું. વધારે તો એટલે, કે પ્રવૃત્તિઓની પસંદગી તો કરતાં રહેવું જ પડે. પણ બંગાળી સંમેલનોમાં જવાની હોંશ ઘણી વાર કરી છે. એક તો એટલે, કે બંગાળી ભાષાને લગભગ માતૃ-ભાષાની જેમ જાણું છું; બીજું, એ જન-સમુદાયમાં ઓળખીતાં પણ મળી જાય, અને ત્રીજું, કે બંગાળીમાં નવાં નાટકો ને ફિલ્મો જોવાની, રવીન્દ્રસંગીત તેમજ અન્ય સંગીત સાંભળવાની, તથા લેખકો ને કવિઓની ચર્ચાઓમાં જોડાવાની પણ તક મળે.&lt;br /&gt;
હવે તો બૉન્ગો શૉમ્મેલન પિસ્તાલિસેક વર્ષથી યોજાય છે. પહેલે વર્ષે એક જ દિવસનો મેળાવડો હતો, પછી ચાર વર્ષ બે બે દિવસ કરવામાં આવ્યા હતા. ને એ પછી – સળંગ ત્રણ દિવસ માટે આ સંમેલનો યોજાતાં રહ્યાં છે. આ દરમ્યાન એમની પ્રવૃત્તિઓ અને પ્રસ્તુતિઓનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. લોકોનો રસ અને ઉત્સાહ પણ અનેકગણો વધ્યો છે. પહેલે વર્ષે હાજરી દોઢસો જેટલી હતી, પછી વધતાં વધતાં હવે સાત-આઠ હજાર થઈ ગઈ છે. થોડાં શ્વેત અમેરિકનો પણ દેખાય. યુવાન બંગાળી યુવક-યુવતીઓ અમેરિકનો સાથે લગ્ન કરતાં જાય છે ને? &lt;br /&gt;
બધાં એવાં તો ખુશ દેખાય. હું જોયા કરું અને વિચારું, કેવાં સરખાં લાગે છે બધાં. દેખાવે, બોલવે-ચાલવે, વાણી, વર્તન – બધી રીતે સરખાં. મને બહુ ગમે. બંગાળી ભાષા તો રુચિકર છે જ. અને એટલી બધી સરસ સાડીઓ એક સાથે જોવા મળે. પુરુષોનાં કુરતાં પણ જોવા જેવાં – શું રંગ, શું ભરતકામ. વિશિષ્ટ વસ્ત્રાભુષણ ઉપરાંત આખું વાતાવરણ જ બંગાળી બની ગયું હોય. દૂર દૂરથી અનેક જણ સંમેલનમાં હાજર રહેવા આવ્યાં હોય. બધી હોટેલો ભરાઈ જાય, ને નજીક રહેનારાં બધાંને ત્યાં પણ મહેમાન. બધાંને થાય, આહા, અમેરિકામાં રહ્યે રહ્યે આનાથી વધારે કલકત્તાની નજીક જવાય જ ક્યાંથી? &lt;br /&gt;
બરાબર કલકત્તાનો પ્રસંગ હોય તેવી જ ઉજવણી. કલકત્તાથી ખાસ ગાયકો, નાટ્ય-વૃંદો, કવિઓ, લેખકો, વિચારકો. કળાકારોને આમંત્રવામાં આવ્યાં હોય. બંગાળ સરકારના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓ પણ હોય. એમની નજર એન.આર.આઈ.ના નાણા-રોકાણ પર હોય. દરરોજ એક મિટિંગ એમની સાથે પણ યોજાઈ હોય. હિત-લાભનું આકર્ષણ એમ તો પારસ્પરિક જ હોય! &lt;br /&gt;
દરેક પ્રાંતીય પ્રજા-સમુદાયના રોજિંદાં રસ અને પસંદગી પ્રમાણે એમનાં સંમેલનોમાંના કાર્યક્રમો ગોઠવાતા દેખાય છે. બંગાળીઓનો કળા અને સાહિત્ય માટેનો પ્રેમ ધંધા અને ધન કરતાં વધારે છે, તે પહેલેથી જ દેખાઈ આવે. જેમકે, સ્થળ પર પહોંચતાં જ સૌ પ્રથમ નજરે પડે એક અત્યંત કળાત્મક પ્રવેશદ્વાર. કલકત્તાથી ખાસ કળાકારોને બોલાવ્યા હોય, ને એ બનાવતાં મહિના ઉપર સમય લાગ્યો હોય. વિશેષ-અતિથિને સત્કારવા, ટસર સિલ્કનાં ‘ધુતી-પાંજાબી’ પહેરેલો પુરુષ-ગણ, અને લાક્શણિક-બંગાળી લાલ કિનારવાળી સફેદ સાડીમાં સજ્જ સ્ત્રી-જૂથ. એ દૃશ્યથી જ થઈ જાય આનંદનો આરંભ. &lt;br /&gt;
ક્યારેક અમેરિકનોનું બનેલું બૅન્ડ તૈયાર હોય. થાય કે આ અમેરિકન બૅન્ડ શું વગાડશે? ને જે ગાન એમણે વગાડ્યું તે સાંભળતાં, દેશ-પ્રેમનાં સંવેદનોથી મારી આંખો હંમેશાં ભરાઈ આવે છે. દરેક બંગાળી પણ એ ગીત જાણે જ. કવિ દ્વિજેન્દ્રલાલ રાયનું લખેલા એ ગીતમાં પાંચ પાંચ પંક્તિઓની પાંચ કડી છે. શરૂઆતમાં કહે છે, ધન, ધાન્ય, પુષ્પથી સભર છે આ વસુન્ધરા. એમાં છે એક દેશ જે બધા દેશોથી જુદો છે, જે સ્વપ્નોનો બનેલો છે, અને સ્મૃતિ-ઓથી ઘેરાયેલો છે. ચોથી ને પાંચમી પંક્તિ દરેક કડીમાં પુનરાવર્તિત થાય છે : આવો દેશ તમને ક્યાંયે શોધ્યે પણ નહીં મળે. જે સકળ દેશની રાણી છે, તે છે મારી જન્મભૂમિ.&lt;br /&gt;
સભાના આરંભે, બૅન્ડ વાગતું હતું ત્યારે, હજારો બંગાળીઓએ ઊભાં થઈને મોકળા અવાજે, આ ગીત ગાયું. ઉચ્ચારણ એટલું તો મિષ્ટ લાગે. આ પછી વગાડાયું, તેમજ હાજર રહેલાં દ્વારા ગવાયું, ભારતનું રાષ્ટ્રગીત. એ જ રીતે, બાઁગ્લાદેશનું, રવીન્દ્રનાથનું જ લખેલું સુમધુર રાષ્ટ્રગીત રજૂ થયું. અમેરિકાનું, તેમજ કૅનૅડાનું રાષ્ટ્રગીત પણ આ જ પ્રમાણે સ્થાન પામ્યું હતું. કેવું વિચારપૂર્વકનું, સંવેદનશીલ આયોજન. &lt;br /&gt;
કલ્ચર, કલ્ચર કહેવાતું હોય છે, ને એનો અર્થ થતો હોય છે કેવળ મનોરંજન. લોકોને જાણીતાં ગીત, નાટક, નૃત્ય, સિનેમા આપો તો ખુશ. એમાં કશું ‘શાસ્ત્રીય’ ના હોય. આવું તામિલ, તેલુગુ વગેરે સંમેલનોમાં બનતું સાંભળ્યું છે. પણ બંગ-સંમેલનમાં આવું ક્યારેય નથી હોતું. ઉત્તમ ફિલ્મ ક્યારેક બતાવાય, પણ તે સિવાય બધાં અનુષ્ઠાન – લોકનૃત્ય, મૌલિક નાટકો, રવીન્દ્રનાથની નૃત્ય-નાટિકા, વગેરે બંગાળને પ્રતિબિંબિત કરતાં હોય. ઉપરાંત, કાજી નજરુલ ઇસ્લામ, દ્વિજેન્દ્રલાલ, અતુલપ્રસાદ વગેરેનાં ગીતોની પ્રસ્તુતિ પણ થાય. વળી, જુદી જુદી શિક્શણ-સંસ્થાઓ જેવીકે, કલકત્તા યુનિવર્સિટી, બી.ઈ.કૉલૅજ, ખડકપુર આઈ.આઈ.ટી. વગેરે પણ હાજર હોત. રાતે બે વાગ્યે, જાણે પરાણે, કાર્યક્રમ બંધ કરવા પડે. &lt;br /&gt;
કલકત્તાથી આમંત્રિત થયેલાં કળાકારોની સાથે બાઁગ્લાદેશનાં જાણીતાં કળાકારો પણ હોય. ઘણાંએ શાંતિનિકેતનમાં સંગીતનો અભ્યાસ કર્યો હોય. રવીન્દ્રસંગીત તો સંદર રીતે ગાય, ને સંસ્કૃતના શ્લોકો પણ પરિષ્કાર રીતે ગાઈ શકે. બહુ પ્રશસ્ય લાગે બંગાળ આખાને આમ આવરી લેવાના, સમાવી લેવાના પ્રયત્ન. &lt;br /&gt;
દરેક બંગાળી સંમેલન દરમ્યાન સર્વોપરિ ભાવ સંવેદન-પ્રધાન રહે. દ્વિજેન્દ્રલાલના એ ગીતની છેલ્લી બે પંક્તિઓના કાવ્યાનુવાદથી એને કદાચ સૌથી સારી રીતે વર્ણવી શકાયઃ &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;“ઓ મા, તારાં ચરણદ્વય હૈયે મારે ધરું,&lt;br /&gt;
જન્મ મારો જે દેશે, તે જ દેશે મરું.”&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મૌન વિષે શું કહેવું ?&lt;br /&gt;
|next = મુક્તિની કિંમત કેટલી?&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%8C%E0%AA%A8_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82_%3F&amp;diff=110309</id>
		<title>દરિયાપારથી.../મૌન વિષે શું કહેવું ?</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%8C%E0%AA%A8_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%B6%E0%AB%81%E0%AA%82_%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AB%81%E0%AA%82_%3F&amp;diff=110309"/>
		<updated>2026-04-26T06:19:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મૌન વિષે શું કહેવું ?}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સામાન્ય રીતે એમ કહી શકાય કે ઘણાં જણને મૌન શબ્દ પહાડ જેવો ભારે લાગતો હશે, અને રાની પશુઓ જેવો ડરામણો. મૌન હોવું એટલે ચૂપચાપ હોવું, એટલે એકલાં હોવું, એટલે બિચારાં જેવાં હોવું – આવું કશું ઘણાં જણને લાગતું હોય, તો નવાઈ નહીં. &lt;br /&gt;
મૌન શબ્દ પર વિચાર કરતાં કરતાં થાય, કે આમ જુઓ તો એ શબ્દ કેટલો તિરસ્કૃત થતો લાગે છે. “કેમ આજે મૌન લઈને બેઠાં છો?”, અથવા “કેમ, આજે સાવ મૌન રાખ્યું છે કે શું?” જેવા કટાક્શ કરવામાં આ શબ્દ વધારે વપરાતો દેખાય. મૌન એટલે તત્પૂરતો વાણીનો અભાવ કહીએ, તો રોજિંદા જીવનમાં આવી ચુપકીદી કે શાંતતા મોટા ભાગના લોકોને ગભરાવી-ગુંગળાવી મૂકે છે. એમને અવાજ જોઈતો હોય છે, પછી ભલે એ સાંભળતા, કે એના પર ધ્યાન આપતા ના હોય. એટલેકે જેને ‘ white noise’ કહે છે તે.&lt;br /&gt;
વ્હાઇટ નૉઇઝ – ‘કૃત્રિમ અવાજ’, ઇચ્છાપૂર્વક પશ્ચાદ્ભૂમાં હાજર રખાતો just some sound. એમ તો એ કર્ણપ્રિય રવ હોઈ શકે છે, ને મધુર ધ્વનિ પણ હોઈ શકે છે. એ સતત ચાલુ રહે છે, ને એની હાજરી લોકોને એકલાં નહીં હોવાની ધરપત આપે છે. એવો કૃત્રિમ અવાજ અર્થહીન ને ઉપરછલ્લો હોય તો વાંધો નહીં, પણ હોવો જોઇએ તે નક્કી. “સાવ શાંત હોય તો જગ્યા ભેંકાર લાગે, ભઈ”; ને “કોઈ વાત કરનારું ના હોય તો સાવ કંટાળી જવાય, હોં”- જેવા ઉદ્ગારો આપણે ક્યાં નથી સાંભળ્યા?&lt;br /&gt;
તો ‘મૌન’ શબ્દ શું કેવળ શબ્દોની, વાણીની, અવાજની ગેરહાજરી જ સૂચવે છે? એ શબ્દમાં શું કશાની, કશા તત્ત્વની હાજરી છે જ નહીં? હું પોતે એમાં રહિતતા નહીં, પણ સભરતા જોઉં છું. મૌન શબ્દને હું વ્યાપક રીતે જોવા પ્રેરાઉં છું. મૌન એટલે સ્વ-સ્થ હોવું, એમ સમજું છું. સ્વમાં, નિજમાં સ્થિર હોવું તે, એટલેકે જાતની સમજણ તરફ જવું તે, ચિત્તના ઊંડાણને કેળવતાં જવું તે. અહીં મૌન શબ્દને ધ્યાનની પ્રક્રિયાની સાથે સાંકળી શકાય. લૌકિકમાંથી કંઈક અ-લૌકિક તરફની ગતિ, કે વ્યક્તિગતતામાંથી નીકળી જઈને વૈશ્વિકતા તરફની મતિ. &lt;br /&gt;
‘મૌન’ એટલે જો ‘નિઃશબ્દતા’ ગણીએ તો પણ એમાં અર્થનું ઊંડાણ પામી શકાય છે. મૌન દરમ્યાન ચૈતસિક પ્રવૃત્તિ શક્ય બને છે. એ પ્રવૃત્તિ જો, અને જ્યારે, શબ્દથી છૂટી જાય તો, અને ત્યારે, ધ્યાન સંપૂર્ણ બને છે, અને પછી ગ્નાન લાધી શકે છે. અમેરિકામાં જન્મેલા, ને પછી બ્રિટિશ નાગરિક બનેલા વિખ્યાત કવિ ટિ. એસ. એલિયટ એક કાવ્યમાં કહે છે, કે I said to my soul, be still. ને છેલ્લે લખે છે, – so the darkness shall be the light, and the stillness the dancing. પહેલાં સ્થિરતા મેળવો, ને પછી ઉત્ફુલ્લતા પામો – એવું કંઈક. એમનું કલ્પન કેટલું બધું હિન્દુ અધ્યાત્મ-વિચાર જેવું નથી લાગતું?&lt;br /&gt;
જોકે ‘મૌનનું મંદિર’ અને ‘વિપશ્યના’ જેવા, મૌનનો મહિમા કરતા પ્રયોગો જરા પણ સહેલા, કે સહેલાઈથી થઈ શકે તેવા ના ગણાય. એ દરમ્યાન આઠ-આઠ દસ-દસ દિવસ સુધી શબ્દરહિત, વાણીરહિત થઈને ફક્ત સ્વની સાથે વસવાનું હોય છે. સાવ મૂક આધ્યાત્મિકતાનું આ ઘણું દુષ્કર કહી શકાય તેવું સ્વરૂપ લાગે છે. &lt;br /&gt;
દેહનું અને મનનું વધારે પડતું દમન કર્યા વગર પણ મૌનને મેં ઘણા પ્રમાણમાં, અને ઘણી સહજ રીતે, અનુભવ્યું છે. હું તો કહીશ કે હું મૌનને માણતી રહી છું. મેળામાં એકલું લાગવાની વાત ગુજરાતી કવિતા કરતી હોય છે, પણ એકલાં હોઈએ ત્યારે અનહદ આનંદની પ્રતીતિની વાત મેં વારંવાર કરી છે. જેમકે, મારા એક કાવ્યની શરૂઆત છે – “મને મારગ પર દૂર સુધી ચાલવા દેજો, મને એકલાં યે આનંદે મ્હાલવા દેજો –”.&lt;br /&gt;
ઇંગ્લૅંડના દક્શિણ-પશ્ચિમ છેડે આવેલો કૉર્નવૉલ પ્રાંત અને ત્યાંનું “ભૂમિનું છેલ્લું” ગણાતું, પૅન્ઝાન્સ ગામ મારાં અતિપ્રિય સ્થાનો છે. ત્યાં પ્રકૃતિ જાણે મૌન પાળીને રહેતી હોય છે. હોય તો ક્યારેક ઊડતાં જતાં પંખીઓનો અવાજ, કે ક્યારેક કિનારાની પાષાણી શિલાઓને અથડાતાં મોજાંનો અવાજ. ઉપરાંત, આવું જ મૌન ધરીને રહેલું, અને ધીરે ધીરે અત્યંત ગાઢ થતું જતું ધુમ્મસ ભૂમિના એ છેડે મોડી બપોરની રોજિંદી બિના છે. &lt;br /&gt;
એક વાર એ ધુમ્મસ મારી પાછળ પડવા લાગેલું. મારે તો એ ગાઢ તેમજ મૂક અંચળો ઓઢવાની ઇચ્છાની સાથે સાથે, સુરક્શિત રહેવા વિષે ‘પ્લાન બી’નો વિચાર પણ કરવો પડેલો. હું તો જાહેર બસમાં ફરું, તેથી પાછી કઈ રીતે ફરીશ, એનો ખ્યાલ કરવાનું શરૂ કરેલું. છેવટે, ઘણી મોડી મોડી પણ બસ આવેલી, ને ત્યારે વળી એ ધુમ્મસીય આશ્લેષ-મુક્તિ બાબતે જીવ બળ્યો હતો પણ ખરો.&lt;br /&gt;
પ્રવાસ-સ્થાનો પાસેથી મળેલાં ઊંડાં મૌન-આનંદનાં ઘણાં યે સ્મરણ છે, પણ એ સિવાયના એક અસાધારણ પ્રસંગનો ઉલ્લેખ કરું: ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયૉર્કમાં આપણા પ્રખર વિચારક કૃષ્ણમૂર્તિને સાંભળવાનો વિરલ એવો લાભ પ્રાપ્ત થયેલો. શહેરના ખૂબ મોટા કાર્નેગી હૉલના અતિવિશાળ સ્ટેજ પર હતી ફક્ત એક નાની ખુરશી. સમય થતાં, કૃષ્ણમૂર્તિ એકદમ ચૂપચાપ આવીને બિરાજ્યા. બીલકુલ હાલ્યા-ચાલ્યા વગર, એટલેકે હાથને સહેજ પણ હલાવ્યા-ફેલાવ્યા વગર, એકદમ શાંત – લગભગ ભાવવિહીન – અવાજમાં આખું વ્યાખ્યાન આપ્યું, ને પછી એ જ રીતે, ચૂપચાપ સ્ટેજની પાછળના ભાગમાં ચાલ્યા ગયા. ખીચોખીચ બેઠેલા પ્રેક્ષકોમાંથી કોઈની દેન નહતી કે તાળી પાડે. &lt;br /&gt;
સ્વના ઊંડાણનું, ખાલીપણાની સભરતાનું, મૌનની અસાધારણતાનું હંમેશાં યાદગાર એવું આ સંસ્મરણ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર&lt;br /&gt;
|next = મૂર્તિમંતગૃહાતુરતા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%8C%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6_%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0&amp;diff=110308</id>
		<title>દરિયાપારથી.../મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AB%8C%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%85%E0%AA%A8%E0%AB%81%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6_%E0%AA%B5%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9A%E0%AB%87%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%B0&amp;diff=110308"/>
		<updated>2026-04-26T06:18:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભારતમાં અગણિત એવાં કુટુંબો છે જે બધાં અંદરોઅંદર માતૃભાષા નહીં, પણ અંગ્રેજી જ બોલતાં હોય. આવાં કુટુંબોના સદસ્યો તથા યુવાન સભ્યો પરદેશ વસવાટ કરવા આવે છે ત્યારે ઘણી વાર એવું બને છે કે લગભગ પહેલી વાર એ બધાંને માતૃભાષામાં કે રાષ્ટ્ભાષામાં બોલવું પડે છે. કારણ એ કે પરદેશમાં સામાજિક સંપર્ક તો ભારતીયો સાથે જ કેળવવો પડે છે. ભારતીયોને જેટલી ટેવ હોય છે તેટલા પ્રમાણમાં સામાજિક મુલાકાતો પરદેશમાંની મૂળ પ્રજા સાથે શક્ય જ નથી હોતી. વળી, પરદેશમાં સ્થાયી થયેલાં ભારતીયો “આપણું કલ્ચર, આપણું કલ્ચર”નાં ગાણાં ગાતાં થઈ જતાં હોય છે. પછી અન્યોને કઈ રીતે કહેવાય કે ભારતીય ભાષા એમને આવડતી જ નથી? &lt;br /&gt;
પરદેશમાં આવી વસેલાં સાઠ ટકા જેટલાં ભારતીયોને તો તે શહેર કે દેશની મૂળ (બિન-ભારતીય) પ્રજા સાથે કોઈ સંપર્ક થતો જ નથી, અને તેથી આ મૂળ પ્રજાનાં જીવન અને‘કલ્ચર’ વિષે ખાસ જાણકારી પણ એવાં ભારતીયોને હોતી નથી. પણ હા, મૂળ પ્રજા માટે મન ફાવે તેવા મત જરૂર બાંધી લેવાતા હોય છે. &lt;br /&gt;
જો પ્રાદેશિકતામાંથી જાતને થોડી છૂટી કરી લઈએ તો બીજી પ્રજાઓની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ ધ્યાનમાં આવી શકે, અને ઘણું નવું, જુદું જાણવા મળી શકે. બીજાં ’કલ્ચર’માં, અને બીજી ભાષાઓમાં પણ આપણાં જેવી જ મુશ્કેલીઓ હોય છે, ને સાથે જ, ગૌરવની અનુભૂતિ પણ હોય છે. આપણી તેમજ અન્ય પ્રજાનાં અનેકવિધ પાસાં વિષે જાણવામાં રસ હોય તો ઘણો આનંદ પણ મળવા માંડતો હોય છે. &lt;br /&gt;
એક વાર, ન્યૂયોર્ક શહેરની નજીકના એક મહાવિદ્યાલયમાં યોજાયેલા ભાષાંતર પરના એક અધિવેશનમાં ભાગ લેવાનું બન્યું, અને વિશ્વની વિવિધ ભાષાઓમાં જે કામ થઈ રહ્યું છે તેનો થોડો ચિતાર મળ્યો. વિષય હતો : “ભાષાંતર – અગ્રતા, મિમાંસા, અમલ”, અને એનું આયોજન મુખ્યત્વે હતું અનુવાદકો, વિવેચકો, વિદ્વાનો, ગદ્ય-લેખકો અને કવિઓ માટે. કુલ છત્રીસ બેઠકો યોજાઈ હતી. ઉપરાંત, વિભિન્ન ભાષાઓમાં વર્કશૉપ પણ ગોઠવાયા હતા. હાજરી આપનારાં કેટલાંક જણની ફરિયાદ હતી કે ચાર-પાંચ બેઠકો જુદા જુદા રૂમોમાં એક સાથે થતી હતી, જેને લીધે પામવાનું ઓછું, અને ચૂકી જવાનું ઘણું વધારે થતું હતું. &lt;br /&gt;
જે જે ભાષાઓમાં નિબંધ રજૂ થયા એની યાદી તો જુઓ : પોર્તુગીઝ, રશિયન, લૅટિન, હિબ્રુ, સ્પૅનિશ અને ચીની (પ્રાચીન તેમજ સમકાલીન). આમાંની કેટલીક ભાષાઓમાં, ઉપરાંત ડચ, રુમેનિયન ને પોલિશ ભાષાઓમાં કાવ્ય-વાંચન પણ થયું. આપણા દેશની ભાષાઓનું પ્રતિનિધિત્વ બાકાત નહતું. મેં મૂળ હિન્દી અને ગુજરાતીમાં લખેલાં મારાં કાવ્યોના મેં જ કરેલા અંગ્રેજી અનુવાદો વાંચ્યા હતા. પ્રોફેસર પ્રસાદે કન્નડ ભાષાનાં દાસ-કાવ્યોના કેટલાક તરજુમા વાંચેલા, તથા ઍન્ડ્રુ શૅલિન્ગ નામના એક અમેરિકને સંસ્કૃત અને પાલી ભાષાનાં પ્રાચીન ટૂંકાં કાવ્યોનાં પોતે કરેલાં અંગ્રેજી રૂપાંતર વાંચેલાં. &lt;br /&gt;
અલબત્ત, આ બધી બેઠકોમાં શ્રોતાઓ પોતપોતાની ભાષા-જાણકારી પ્રમાણે વહેંચાઈ જતા હોય. પણ “વિશ્વ-કવિતા – પ્રાચીનથી આપણા કાળ સુધી” નામની બેઠકમાં ઘણા વધારે શ્રોતા હતા. કેટલાક અનુવાદકોએ ઘણી અનુદિત કૃતિઓનું પઠન કરેલું. પરદેશી ભાષાઓનું મૌલિક સાહિત્ય કેટકેટલા પ્રમાણમાં અંગ્રેજીમાં રૂપાંતર પામી રહ્યું છે, એ વિષે આટલી જાણ તો ત્યારે જ થઈ. આ કામ કરનારાં લગભગ બધાં અમેરિકાની મહાશાળાઓ સાથે જોડાયેલાં હોય છે. આ અધિવેશનમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવેલાં હતાં. સ્વતંત્ર રીતે અનુવાદ વિષયક કામ કરનારાં પણ હતાં. ખાસ તો, એક રશિયન અને એક ચીની અભ્યાસી અંગ્રેજી સાહિત્ય-કૃતિઓને પોતપોતાની માતૃભાષામાં ઉતારવાના ભગીરથ કામમાં પરોવાયેતા હતા. ભાષાઓ કઠિન, કલ્પન સાવ જુદાં, ને છતાં આ કામ થાય છે, તે પ્રશસ્ય નથી? &lt;br /&gt;
વળી, જે જે ભાષાઓમાં વર્કશૉપ યોજાયાં હતાં તેનાં નામ જોઈને મને જ નવાઈ લાગી હતી.&lt;br /&gt;
આફ્રકાનર (મૂળ ડચમાંથી ઊતરી આવેલી, દક્શિણ આફ્રિકામાં વપરાતી ભાષા). આર્મેનિયન, ચીની-પ્રાચીન, ચીની-સમકાલીન, ગ્રીક-પ્રાચીન, ગ્રીક-સમકાલીન, ફ્રેન્ચ, જર્મન, હિબ્રુ, હિન્દી, ગુજરાતી, ઈટાલિયન, પોર્તુગીઝ, રશિયન, સંસ્કૃત, સ્પેનિશ, તુર્કી. સૂચિ તો ઘણી જ મહતત્વાકાંક્શી હતી, પણ ભાગ લેનારાંની સંખ્યા ઓછી જ રહેતી. મને પ્રશ્ન થયો જ, કે વિદ્યાર્થીઓ કેમ વધારે સંખ્યામાં આ લાભ નહતા લઈ રહ્યા? કદાચ બધા દેશોમાં વિદ્યાર્થીઓનાં વલણ સરખાં જ હોતાં હશે. &lt;br /&gt;
ભાષાઓનાં સ્વરૂપ, શક્યતાઓ અને એમાં ઊભા થતા પ્રશ્નો અંગે ચર્ચાઓ આ બેઠકોમાં થઈ. યશ મૌલિક કૃતિના સર્જકને મળવો જોઈએ કે સારા અનુવાદકને? અનુવાદ કરતાં પહેલાં એ કૃતિને વાંચવાની, એ કર્તાને વિષે જાણવાની જરૂર ખરી કે નહીં? અનુવાદકે મૂળ કૃતિને વફાદાર કેટલા અંશે રહેવું જોઈએ? કેટલી હદ સુધી બાંધછોડ કરી શકાય? વગેરે. &lt;br /&gt;
ભાષા સાથે ’કલ્ચર’ અને કલ્પન પણ જુદાં હોવાનાં. દરેક બેઠકમાં વક્તાએ આ વાત તો કરી જ. જો સ્પૅનિશ અને અંગ્રેજી જેવી બે પશ્ચિમી ભાષાઓમાંની કૃતિઓ પણ સંદર્ભો અને વાતાવરણને બદલ્યા વગર રૂપાંતર પામી ના શકતી હોય, તો એક પશ્ચિમી ને એક પૂર્વીય જેવી ભાષાઓના પારસ્પરિક રૂપાંતરોમાંના અવરોધોની તો વાત જ શુ? એમાં વિષય,&lt;br /&gt;
સૂચિતાર્થ, સંવેદન, મૂલ્ય વગેરે પણ ભિન્ન જ હોવાનાં. દા.ત. આપણે જેને વાંચતાં ભાવાર્દ્ર બની જઈએ તે “મેઘદૂત”માંનું વાદળ દ્વારા પ્રિયતમાને સંદેશ મોકલવાનું કલ્પન ઘણાં બિન-ભારતીયોને વિચિત્ર અને વાહિયાત લાગે છે. &lt;br /&gt;
આ જ અધિવેશનમાં પ્રદર્શિત થયેલાં પુસ્તકોમાંનું, મીરાબાઈનાં ગીતોના અનુવાદનું પુસ્તક જોતાં મને મોટો આઘાત લાગેલો. જે શબ્દોથી, જે નામોથી, મીરાબાઈની રચનાઓની અંતરંગ ઓળખ મળે છે તે “મેરે તો ગિરિધર ગોપાલ” અથવા “મીરા કે પ્રભુ ગિરિધર નાગર” જેવા શબ્દો અંગ્રેજી અનુવાદોમાં સમૂળગા પ્રયોજાયા જ નહતા. એને સ્થાને, મીરા-ભજનોમાં આવતા “શ્યામ”ના નામ પર ધ્યાન કેન્દ્રિત કરીને અનુવાદકે “ડાર્ક વન”&lt;br /&gt;
(Dark One) સંબોધન વાપર્યા કર્યું હતું. &lt;br /&gt;
એ અનુવાદક ઍન્ડ્રુ શૅલિન્ગને મેં જરા ઉત્તેજિત થઈને પૂછ્યું હતું, “ગિરિધર ગોપાલ અને ગિરિધર નાગર જેવા શબ્દોની અનુપસ્થિતિ તમને નડતી નથી? મીરાનાં પદ અમારાં જીવનનો અભિન્ન અને ઊંડો અંશ છે. આવું લુપ્તિકરણ મને અસહ્ય લાગે છે.” જવાબમાં એમણે કહ્યું કે “એ નામાભિધાન સાચવવાં શક્ય જ નથી.” પણ નથી શા માટે? તે તે પાના પર નામોને, સંબોધનોને સરસ સમજૂતી સાથે અવશ્ય મૂકી દઈ શકાત. &lt;br /&gt;
મીરાની વાત હતી તેથી મનને માઠું લાગી ગયું, બાકી આવી ક્શતિ કે લુપ્તિ વગરના અનુવાદ કોઈ પણ ભાષામાં હોય એમ માનવું જ અશક્ય છે. રૂપાંતરનો લાભ એટલો કે વિશ્વના સાહિત્યની ઉપલબ્ધિ તો થાય, ને દુનિયાના ઉત્તમ સાહિત્ય સાથે કૈંક ઓળખાણ તો થાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આજથી અસંખ્ય વર્ષો પહેલાં&lt;br /&gt;
|next = મૌન વિષે શું કહેવું ?&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80_%E0%AA%85%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82&amp;diff=110307</id>
		<title>દરિયાપારથી.../આજથી અસંખ્ય વર્ષો પહેલાં</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%86%E0%AA%9C%E0%AA%A5%E0%AB%80_%E0%AA%85%E0%AA%B8%E0%AA%82%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE%E0%AA%82&amp;diff=110307"/>
		<updated>2026-04-26T06:16:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|આજથી અસંખ્ય વર્ષો પહેલાં }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ન્યૂયૉર્ક શહેરની વચ્ચે એક અસાધારણ કળા-કેન્દ્ર છે. એમાંનાં વિભિન્ન સભાગૃહોમાં આખું વર્ષ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, ઑપૅરા, નાટક, સિનેમા (અલબત્ત, કળાત્મક) વગેરેનાં અનુષ્ઠાન ચાલતાં જ રહે છે. આ દરેક કળા-પ્રકારની પાછી ‘સિઝન’ હોય! ત્યારે જાણે તે તે પ્રકારનો ઉત્સવ ઊજવાય. ઉનાળા દરમ્યાન, કેટલાંક અઠવાડિયાં માટે, એક ભવનમાં યોજાતો સંગીતોત્સવ વિશેષ રીતે લોકપ્રિય બનેલો છે.&lt;br /&gt;
“મહા-મુક્તિદાતા” તરીકે ઓળખાતા, અમેરિકાના સોળમા પ્રમુખ (૧૮૬૧થી ૧૮૬૫) અબ્રાહમ લિન્કનના નામ પરથી આ કળા-કેન્દ્ર “લિન્કન સેન્ટર”નું નામકરણ પામેલું છે. લીલા ઘાસ અને વૃક્શોથી શોભતો બાગ, ખુલ્લો મંચ, ગોળાકાર ફુવારો, મોટો લંબચોરસ હૉજ, અને ઘણી મોકળી જગ્યાની આસપાસ કળા-અનુષ્ટાનો માટે એક ભવન-સંપુટ થયેલો છે. લગભગ એ દરેક ભવનનું નામ ઉદાર દાતાઓનાં નામ પરથી પડ્યું છે. &lt;br /&gt;
હું ન્યૂયૉર્કમાં શરૂઆતના વર્ષથી જ લિન્કન સેન્ટર પર જવા માંડેલી, ભવનોનાં નામ-લક્શણોની નોંધ લેતી થઈ હતી, અને વિવિધ કાર્યક્રમોમાં જઈ જઈને અનેકવિધ કળા-પ્રકારોથી પરિચિત બનતી ગયેલી. મોટા મોટા ઑર્કેસ્ટ્રા સાથેનું શાસ્ત્રીય પાશ્ચાત્ય સંગીત જ્યાં રજૂ થતું તે “ફિલહાર્મોનિક હૉલ” કહેવાતો. એક દિવસ છાપામાં જોયું કે એક રાત માટે, આ પ્રકારના જે અનુષ્ઠાનની ટિકિટ મારી પાસે હતી તેની રજૂઆત “એવરી ફિશર હૉલ”માં થવાની હતી; ફિલહાર્મોનિક હૉલમાં નહીં. એ વળી કયો હૉલ, ટિકિટ ખરીદવામાં મારી ભૂલ થઈ હતી કે શું? – મને જરા ચિંતા થઈ. પછી તો લિન્કન સેન્ટરના નંબર પર ફોન કર્યો, ને ત્યારે જાણવા મળ્યું કે હૉલ તો સાચો જ હતો, પણ લાખો ડૉલરનું દાન કરનારના નામ પરથી એનું નવું નામ પડ્યું હતું! આ વાતને પણ હવે તો વર્ષો થઈ ગયાં, ને એટલાંમાં એનું નામ વળી, બીજા મહા-દાનવીરના નામે, બદલાઈ ગયું છે!&lt;br /&gt;
જે સંગીત-વૃંદ ત્યાં નિયમિત કાર્યક્રમ રજૂ કરતું તેના સંચાલક (‘કન્ડક્ટર’) તરીકે ‘આપણા’ ઝુબિન મહેતા લગભગ બાર વર્ષ રહ્યા. એક ભારતીય આવી વિશ્વ-વિખ્યાત પદવી પર હોય, તેમજ પાશ્ચાત્ય સંગીત-પ્રેમીઓમાં સ્નેહ અને પ્રશંસાને પાત્ર બન્યા હોય, તે પણ આપણે માટે ઘણા આનંદ અને ગર્વની બાબત બને. ઝુબિન મહેતા એમની સંચાલન-શૈલી માટે વખણાતા હતા, અને ક્લાસિકલ સંગીત-કૃતિઓની પસંદગી માટે ક્યારેક વખોડાતા પણ હતા. &lt;br /&gt;
દા.ત. ઇઝરાયેલના તેલઅવીવ ફિલહાર્મોનિક ઑર્કેસ્ટ્રા દ્વારા એ ગુસ્તાવ માહ્લર (૧૮૬૦-૧૯૧૧) નામના સંગીતકારની એવી કૃતિ વગાડાવવા માગતા હતા, જે ઍડૉલ્ફ હિટલરને ખૂબ પસંદ હતી. જે વ્યક્તિએ લાખો યહૂદીઓની ક્રૂર કતલ કરાવડાવેલી, તેની સાથે સંકળાયેલી કોઈ પણ બાબત યહૂદી પ્રજા, પોતાના જ દેશમાં, સહન કરી જ કઈ રીતે શકે? હું એ વખતે ઇઝરાયેલના પહેલા પ્રવાસે હતી, અને કાર્યક્રમની જાહેરાત તેલઅવીવ શહેરમાં જોઈ હતી. પછીથી જાણ્યું હતું કે સભાગૃહ પર મોટો ઉહાપોહ થયેલો, એ રાતે કાર્યક્રમ રદ કરવો પડેલો, અને બીજી કોઈ રાતે એ કૃતિ સિવાયની અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવેલી! &lt;br /&gt;
ન્યૂયૉર્કમાં ઉનાળા દરમ્યાન બેએક મહિના ‘મોસ્ટલિ મોત્ઝાર્ટ’ નામનો ઉત્સવ રજૂ થાય છે. આરંભે તો ટિકિટ ખૂબ ઓછી કિંમતની રાખવામાં આવતી. ઉદ્દેશ એ હતો કે કાર્યક્રમ સાધારણ લોકોને પોસાય, અને ક્લાસિકલ પાશ્ચાત્ય સંગીત સમાજના લોકગણમાં પ્રિય બને. એ વખતે એવરી ફિશર હૉલમાંથી બધી ખુરશીઓ કાઢી નાખવામાં આવે, જાજમો પથરાય, બધાં નીચે બેસીને સંગીત સાંભળે. આ બધું બહુ વર્ષો ટક્યું નહીં. ટિકિટો-ના ભાવ ઘણા વધ્યા, ખુરશીઓ પાછી મૂકાઈ ગઈ, ઉત્સવ જન-સાધારણને માટે રહ્યો નહીં. ત્યારે તો સમાચાર એવા હતા કે પછીના ઉનાળે આ ઉત્સવ યોજાશે નહીં. પણ આને પણ વર્ષો વીતી ગયાં. આજે લગભગ પચાસ વર્ષથી આ “મોસ્ટલિ મોત્ઝાર્ટ” કહેવાતો ઉત્સવ લિન્કન સેન્ટરમાં યોજાતો રહે છે.&lt;br /&gt;
આ ઉત્સવમાં વધુ ભાગે મોત્ઝાર્ટ (Mozart)ની જ કૃતિઓ રજૂ થાય છે. એમનું આખું નામ વુલ્ફગાન્ગ આમાદિયસ મોત્ઝાર્ટ (૧૭૫૬-૧૭૯૧). કેટલું ટૂંકું જીવન, પણ એમણે ઘણું સર્જન કર્યું. એમનું સંગીત અત્યંત કર્ણપ્રિય છે, હૃદયસ્પર્શી છે. એમાં ભરપૂર સ્વર-માધુર્ય અને ભાવ-તીવ્રતા છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેમને મોત્ઝાર્ટનું રચેલું સંગીત સાંભળવું ના ગમતું હોય. &lt;br /&gt;
એમનો જન્મ ઑસ્ટ્રિયા દેશના સાલ્ઝબર્ગ શહેરમાં થયેલો. સંગીત-કૃતિઓ રચવામાં, તેમજ વાયોલિન અને પિયાનો જેવાં વાજિંત્રો વગાડવામાં એમની મેધા પ્રચંડ હતી. એની ખાત્રી એમણે નાની ઉંમરથી જ કરાવી આપેલી. ૨૫-૨૬ વર્ષની ઉંમરે એ મુખ્ય નગર વિએનામાં રહેવા ગયા. ત્યારે વિએના સંગીતનું મોટું ધામ હતું, અને રાજા જોસેફ દ્વિતીય સંગીતપ્રેમી હતા. એ પોતે પણ ગાતા, તારવાદ્ય અને પિયાનો વગાડતા, ને તેથી પણ વધારે, ઉદારભાવે સંગીતકારોને પોષતા, તથા નવી કૃતિઓ રચવા પ્રોત્સાહિત કરતા. મોત્ઝાર્ટ એ દરબારમાં દાખલ થતાંની સાથે એમના અસાધારણ કૌશલ્યને કારણે ઘણા નોંધપાત્ર બન્યા. &lt;br /&gt;
વિએનાના રાજ્ય-દરબારમાં રોજે રોજ જલસા થતા. “વૉલ્ટ્ઝ” નૃત્યનો તો પ્રજાને એવો ગાંડો શોખ હતો કે રાતે દસથી શરૂ કરીને સવારે સાત વાગ્યા સુધી લોકો આ સુંદર લયબદ્ધ નૃત્ય કર્યા જ કરતા. મોત્ઝાર્ટને થાકનું જાણે ભાન જ નહતું. આખી રાત જાગ્યા પછી પણ, ને ભીડ ને ઘોંઘાટની વચ્ચે પણ એ નવી કૃતિ રચી શકતા. અને હજી વધારે આશ્ચર્ય એ કે ઝીણી ઝીણી બધી વિગતો સાથે આખી કૃતિ એમને યાદ પણ રહી જતી. એમનું જીવન અનન્ય સર્જન-પ્રક્રિયાથી સભર હતું. &lt;br /&gt;
વ્યક્તિની સ્મૃતિ જ જ્યારે અઢીસોથી પણ વધારે વર્ષો સુધી તાજી રહી છે, ત્યારે એમનું દૈવી સંગીત તો સદાને માટે અવિસ્મરણીય જ રહેવાનું. ને આવા વિશેષોત્સવો યોજીને સહાયરૂપ બનતાં રહે છે લિન્કન સેન્ટર જેવાં અપૂર્વ કળાકેન્દ્રો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = મહેમાન-પરસ્તી&lt;br /&gt;
|next = મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80&amp;diff=110306</id>
		<title>દરિયાપારથી.../મહેમાન-પરસ્તી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80&amp;diff=110306"/>
		<updated>2026-04-26T06:15:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|મહેમાન-પરસ્તી}}&lt;br /&gt;
{{Poem2Open}}  &lt;br /&gt;
(નોંધ – આ લેખ અન્યોના અનુભવો પર આધારિત છે. વિષય કદાચ એવો છે કે લખનાર સંકોચાય, અને વાંચનાર છંછેડાય! છતાં, વાંચીને વિચાર કરવા વિનંતી છે. વળી, બધાં નામ કાલ્પનિક છે.) &lt;br /&gt;
વડીલ મિત્ર સુશીલાબહેન અચાનક મને કહે, “અરે, તેં મહેમાનો પર એક લેખ લખ્યો, ને મને કહ્યું નહીં? હું તને પચાસ મુદ્દા આપત.” એ ખૂબ સૌમ્ય સ્વભાવનાં, આદર્શ ગૃહિણી હતાં. હંમેશાં મોઢું હસતું જ હોય. એમની આવી વાતથી મને નવાઈ લાગી. અમેરિકાના એમના ઘરમાં એમને ત્યાં સળંગ મહેમાન હોય, ને તેથી ક્યારેક એ થાકે કે કંટાળે તે સ્વાભાવિક છે. ઉપરાંત, જાતજાતનાં વલણો અને વર્તણૂંકો જોયા અને અનુભવ્યા પછી એમણે કશુંક તારવ્યું હોય એમ પણ બને. એ કહે, “આપણા દેશની સંસ્કૃતિએ આપણને સારા યજમાન બનતાં શીખવાડ્યું છે, પણ સારા મહેમાન કેમ થવું તે આપણને નથી આવડ્યું.”&lt;br /&gt;
આ વાક્ય ઘણે અંશે સાચું છે. સામા માણસનો સત્કાર અને આગતાસ્વાગતા કરવાં જોઈએ તે આપણે જાણીએ છીએ. માનીએ પણ છીએ. પણ જેના ઘરમાં દરોડો પડ્યો છે, જેના જીવનની રોજિંદી રીત પિંખાઈ છે, જેનો સમય એ સામા માણસ માટે વપરાઈ રહ્યો છે, તે યજમાનની તકલીફ મોટા ભાગનાં મહેમાન સમજી નથી શકતાં. કે સમજવા તૈયાર નથી હોતાં.&lt;br /&gt;
ગંગાસ્વરૂપ સન્જુક્તા.દિ તો જાણે શાસ્ત્રની વાત કરવા માંડેલાં. એ કહે, “આપણે સાંભળતાં આવ્યાં છીએ કે અતિથિ દેવો ભવ. એક તો, જે દેવ નથી તમને દેવો બનાવી દેવાની પ્રણાલિ જ ખોટી કહેવાય. અને બીજું, યજમાનનું શું? યજમાન દેવ ગણાતા તો સાંભળ્યા જ નથી. અને મહેમાન મને સ્ત્રી તરીકે જ જુએ. એટલેકે તાજું ખાવાનું બનાવવાનું જ હોય ને. હું પ્રોફેશનલ છું, તેનો ખ્યાલ જ ના કરે.” &lt;br /&gt;
દરેક ઘરની – ફ્લૅટ, અપાર્ટમેન્ટ કે હાઉસની – રહેણીકરણી જુદી હોય, ને વસનાર દરેક વ્યક્તિની સ્વાભાવિક જરૂરિયાતો જુદી હોય. કોઈને પોતાના ઘરની વ્યવસ્થિતતા માટે દુરાગ્રહ હોય, કોઈને ઘરની શાંતિમાં એકલાં રહેવું ગનતું હોય. કોઈ યજમાન વા હોય કે મહેમાન મદદ ના કરાવે તો મોઢું ચઢે, તો કોઈ યજમાનને મદદ કરાવવા આતુર મહેમાન કનડગતરૂપ લાગે. એક માણસ પણ ઘરમાં વધે એની સાથે કામ પણ વધે જ છે. કોઈ બે-ચાર દિવસ ઘરમાં રહે, રાતે સાથે જમે, તેમાં બહુ તકલીફ ના પણ લાગે, પરન્તુ આ સાથે જો બધે ફેરવવાનાં હોય, ખરીદી કરાવવાની હોય તો યજમાનની શક્તિ ના પણ પહોંચી રહે. એકલાં બહાર જવા માગે જ નહીં. બીક લાગે. જોકે ભારતનાં મોટાં શહેરોમાં હેરાન થવાની, કે સ્ત્રીઓની છેડતી થવાની શક્યતા ઘણી વધારે હોય છે. &lt;br /&gt;
એક દિવસ મિત્ર નિખિલભાઈ બહુ થાકેલા લાગતા હતા. એ રહે ન્યૂયોર્ક શહેરથી દૂર, પણ એ દિવસે બે મહેમાનોને જુદે જુદે સમયે ન્યૂયોર્ક મૂકી આવવાના ધક્કસ એમણે ખાધા હતા. શહેરનો ટ્રાફિક થકવી દે તેવો હોય છે. એ મને કહે, “બીજો એક લેખ લખો ને. એમાં ટેલિફોનનું ખાસ લખજો, હોં.” એમનાં પત્નીએ સૂર પુરાવ્યો. આ એ સમયની વાત છે જ્યારે ટેલિફોનના પૈસા ઘણા થતા હતા. લાંબી વાત કરવાના તો વધારે પૈસા થતા જ હતા, પણ એ વખતે સવારે આઠ પહેલાં, ને રાતે દસ પછી દર ઓછા હોય. પણ આવી – યજમાનને માટે અગત્યની – વિગતો જાણવાની રાહ જોયા વગર મહેમાનો આવીને તરત ધડાધડ ફોન કરવા માંડે. બિચારાં યજમાન-દંપતી કશું કહી શકતાં નથી, કારણકે કહે તો કંજુસ ગણાય છે. &lt;br /&gt;
અમેરિકામાં હાડમારી અને મોંઘવારી ઘણી છે. દરેક જણ ઘણી મહેનત કરતું હોય છે. વળી, ભારત જાય ત્યારે આ રીતે બીજાંને ત્યાંથી ફટાફટ ફોન કોઈ કરતું નહતું. એમાં સૌજન્ય નહતું લાગતું. નિખિલભાઈને ત્યાં એક મહેમાન એવા આવ્યા હતા, કે યજમાન કામ પર જાય એટલે તરત ફોન પર કબજો જમાવી દે. શું એમને એવો ખ્યાલ હશે કે યજમાનની ગેરહાજરીમાં કરેલા ફોન-કૉલની ખબર યજડમાનને નહીં પડે? એમનાં પત્ની જીવ બાળતાં હતાં, કે ક્યારેક કોઈ મહેમાનનાં બિલ ત્રણસો ડૉલરથી પણ ઉપર ગયાં છે. આગળ કહે, “અને આપણે દેશ જઈએ ત્યારે બહુ બહુ તો એક વાર જમવા બોલાવે, ને કદાચ એટલું પણ નહીં.”&lt;br /&gt;
આ વિષય પર વાત નીકળે એટલે બધાં જ પોતાના અનુભવ વિષે કહેવા માંડે. કેટલાંકે મારી પાસે લેખની નકલ માગી, જેથી મહેમાનોને એ વંચાવી શકે. પણ ના, એવા બહાદુર તો કોઈ યજમાન થઈ નહીં શકે. દરેક મહેમાન માને, કે એ ક્યાં વધારે દિવસ માટે ગયાં છે? “બે-ચાર દિવસ જ રહેવાનાં છીએ ને? એમાં શું?” પણ એ કોઈ યાદ નથી રાખતું કે એ જ યજમાનને ત્યાં વર્ષમાં દર વર્ષે દસ, પંદર કે વધારે મહેમાનો જતાં હોય, તેમ બને છે. યજમાને વર્ષ દરમ્યાન કરેલી આગતાસ્વાગતાનો સરવાળો કરો, પછી જુઓ કે યજમાનનો પક્શ સમજાય છે કે નહીં. પૈસા ખર્ચીને અમેરિકા આવે છે, પણ પછી ખર્ચી શકતાં નથી. અમેરિકામાં રહેતાં ઘણાં દંપતી પોતે ઍરપોર્ટ જવા માટે ટેક્સી લેતાં હોય છે, કારણકે અંતર ઘણું હોય, અને ટ્રાફીક પણ ખૂબ હોય. પણ મહેમાન માટે ધક્કા ખાવા પડે. &lt;br /&gt;
ભારતથી આવનારાંને હંમેશાં એમ કહેતાં સાંભળ્યાં છે કે ‘આમ તો અહીં એક ડૉલર એટલે એક રૂપિયો જ ને.’ એટલેકે યજમાન જો પાંચ, પચાસ, સો ડૉલર ખર્ચે તો બહુ ખર્ચ્યા ના કહેવાય. અર્થશાસ્ત્રીય હકીકત એ છે કે ડૉલરની ખરીદશક્તિ ઘણી વધારે છે, તેથી કિંમતમાં એ એક રૂપિયાથી ઘણો વધારે થાય છે. વળી, મહેમાનો અહીંની આવકને ‘ઍક્શેન્જ રેટ’ પ્રમાણે ગુણીને જુએ. એ રેટ તો એટલો વધી ગયો છે, કે આજના સમયમાં તો આવક અધધ જેવી લાગે! પણ આ તર્કબદ્ધ કહેવાય ખરું? અહીં મોંઘવારી અને ટૅક્સ કેટલાં છે તે, પોતે પૈસા ના ખર્ચે ત્યાં સુધી, બહારથી આવનારાં ના પણ સમજી શકે. &lt;br /&gt;
ઘણી વાર યજમાનને આભારનો પત્ર, કે હવે તો ટૅક્સ્ટ, પણ નથી મોકલાતાં. બધી અપેક્શા એકમાર્ગી હોય છે, તેમ ઘણાં યજમાન કહી શકે, જો સત્યવાદી અને હિંમતવાન બની શકાય તો .&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = માટીપગું અમેરિકા&lt;br /&gt;
|next = આજથી અસંખ્ય વર્ષો પહેલાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AA%E0%AA%97%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=110305</id>
		<title>દરિયાપારથી.../માટીપગું અમેરિકા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%AA%E0%AA%97%E0%AB%81%E0%AA%82_%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE&amp;diff=110305"/>
		<updated>2026-04-26T06:14:53Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|માટીપગું અમેરિકા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દુનિયાના મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, કે અમેરિકા વિષે એ બધાં બધું જાણતાં હોય છે. આટલો મોટો દેશ, આટલો સુખી, ઝાડ ખંખેરો ને પૈસા પડે, રસ્તા નાણાંથી ચણેલા હોય, બધાં પાસે બંગલા ને ગાડીઓ હોય, ને સુખનો કાંઈ પાર નહીં. આથી કરીને દુનિયાભરના લોકો અમેરિકા આવવા તત્પર હોય છે, જોકે તે સાથે જ, મનોમન અમેરિકાને ધિક્કારતા પણ હોય છે. &lt;br /&gt;
અમેરિકાનું પોતાનું સત્ય કંઈક જુદું જ છે, જે ત્યાંના રોજિંદા જીવનની વાસ્તવિકતામાં સમાયેલું છે, તથા એ વાસ્તવિકતા વિશ્વના અન્ય દેશોની વાસ્તવિકતાથી એટલી બધી જુદી નથી. અમેરિકામાં દરેક જણને સુખનો હક્ક હોય છૈ, એ સાચું, પણ અહીં પણ વસ્તી વધતી ગઈ છે. અત્યારે એ આશરે સાડા ત્રણેક કરોડની ગણાય. સાધારણ રીતે કહી શકાય, કે ભારતથી એ ત્રણ ગણો મોટો હશે, ને ભારતની વસ્તી એના કરતાં ત્રણ ગણી વધારે હશે. &lt;br /&gt;
અહીંની વસ્તી આપણને તો જાણે બધી રીતે ઘણી ઓછી જ લાગે, પરંતુ વસ્તીની આ સંખ્યાને લીધે અહીં બે મુશ્કેલીઓ છે. એક તો, સર્વ પ્રકારનાં સરકારી તંત્રો આ વધારાને સંભાળી નથી શકતાં. કૌટુંબિક આધાર, વિકાસપ્રેરક ઉછેર, પર્યાપ્ત શિક્શણ વગેરેના અભાવમાં પુખ્તવયી થયેલાં અનેક કર્મચારીઓમાં કાર્યદક્શતાની ઘણી ખામી હોય છે. ને બીજું, અમેરિકાની વસ્તીનો વધારે હિસ્સો સાવ સાધારણ, ગરીબ, ગુનાહિત વગેરે લોકોનો બની ગયેલો છે. છેલ્લાં ત્રણેક દસકામાં અહીંના સમાજનું પોત ઘણું બદલાઈ ગયેલું જોઈ શકાય છે.&lt;br /&gt;
આ દેશ અનેક વિરોધોથી ભરેલો છે. દુનિયાના સૌથી સમૃદ્ધ ગણાતા આ દેશમાં અગણ્ય ગરીબ લોકો છે, તો વિશ્વ-વિખ્યાત નૉબેલ પારિતોષિક સૌથી વધારે પ્રમાણમાં અમેરિકનોને પ્રાપ્ત થતું આવ્યું છે. એટલેકે, પ્રખર મેધા ધરાવતી વ્યક્તિઓ અહીં સર્વ ક્શેત્રે પ્રસ્તુત છે; તો સામે, સાધારણથી પણ ઓછી અક્કલવાળા લોકો ઘણા મોટા પ્રમાણમાં છે. દુનિયા આખીમાં મોખરે હોય તેવાં કેટલાંયે મહાવિદ્યાલયો અહીં છે; તો સામે, શાળાનો અભ્યાસ પણ પૂરો નહીં કરનારાં લાખોની સંખ્યામાં આખા દેશમાં વસેલાં છે.&lt;br /&gt;
સરકારી નીતિ ઉદાર ગણાય, પણ લોકોનાં માનસ સરેરાશ રીતે અનુદાર કહેવાય છે. આધુનિક દેખાતા આ સમાજનાં અનેક સદસ્યો સંકુચિત હોય છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યના હિમાયતી આ દેશમાં છૂટાછેડા લીધેલા, અપરિણીત અને એકલવાયા લોકો મોટી સંખ્યામાં છે. પ્રજામાં દારૂડિયાપણાની બદી પછી બીજી મોટી સમસ્યા પત્ની કે સહચરી પરના શારીરિક ને માનસિક અત્યાચારની ગણાય છે. જ્યાં બાળકોના આનંદ માટે મોટાં મનોરંજન-કેન્દ્રો તથા રમકડાંની ખૂબ મોટી મોટી દુકાનો બનેલી છે, ત્યાં અગણ્ય બાળકો જાતજાતની ક્રૂરતાનો ભોગ બનતાં રહેતાં હોય છે, તથા સાધારણ સુખ ને સુરક્શાથી પણ વંચિત રહી જતાં હોય છે. &lt;br /&gt;
ઉપરાંત, ઘર-બાર વગરનાં સ્ત્રી-પુરુષો અને બાળકોની સંખ્યા પણ જાણે વસ્તીની સાથે વધતી ગઈ છે. એ બધાંનો ભાર સરકાર પર હોય છે. જોકે એમાંનાં ઘણાં પોતાની રીતે રખડતાં રહેવાનાં, રસ્તામાં પડી રહેવાનાં, ભીખ માગતાં ફરવાનાં, પણ સરકારી સહાય-કેન્દ્રોમાં નહીં જવાનાં. સરકાર દ્વારા ચલાવાતી સંસ્થા પાસે જેમને જવું જ ના હોય તેમને ફરજ પાડવામાં આવતી નથી. છતાં, અહીંના આકરા શિયાળા માટે એવો નિયમ થયો છે, કે પારો જો શૂન્યથી નીચો ઊતરે તો સરકારી ગાડીઓ શહેરના રસ્તાઓ પર ફરવા માંડે, અને થરથરતા, ટૂંટિયું વાળીને પડી રહેલા લોકોને, ખેંચી-તાણીને પણ, ગાડીમાં બેસાડી દે. કેટલાક નહીં જવા માટે મથે, રાડો પાડે, પોતાના વ્યક્તિ-સ્વાતંત્ર્ય માટે જીદ કરે, પણ થીજીને કોઈ મરે તો વાંક સરકારનો, નગરપાલિકાનો આવે.&lt;br /&gt;
એ સિવાયના જે લોકો સત્તાવાર સહાય-ગૃહો પર જતા હોય છે તેમની સંખ્યા અત્યારે, ફક્ત ન્યૂયોર્ક શહેરના આવા એક કેન્દ્રમાં, ચાલીસેક હજારની થયેલી છે. છેલ્લાં પચીસ વર્ષમાં આ વધારો થયો છે. ઘર વગરનાંની સહાય માટેના નગરપાલિકાના મકાનના વિભાગમાં બાળકોને કોખમાં લઈને આવેલી યુવાન સ્ત્રીઓની લાઇનો લાગે છે. ચૌદ-પંદર વર્ષે કેટલીયે કન્યાઓ – વધુ ભાગે બ્લૅક અને હિસ્પાનિક જાતિની – માતા બની ચૂકી હોય છે. કહે છે કે ત્રીસીના અછતગ્રસ્ત સમય ને વિશ્વયુદ્ધના સમય પછી આ પહેલી વાર આટઆટલા લોકો આવી દયાજનક પરિસ્થિતિમાં મૂકાયેલા છે. મુખ્યત્વે ત્રીજા વિશ્વના જુદા જુદા દેશોમાંથી ન્યૂયોર્કમાં આવી ચડેલા, જુદી જુદી જાતિઓ અને ભાષાના આવા બેઘર, બેકાર લોકોનો ભાર વહેવો શહેરને માટે કેટલો અઘરો હશે, મોંઘો હશે, તેની કલ્પના કરવી અઘરી નથી.&lt;br /&gt;
આવી હાલત પોતાના હાથે જ થઈ હોય, છતાં વાંક સરકારનો. બેઘર તેમજ ગુનાહિતોને પણ મદદ કરનારાં હોય છે. એવાં સામાજિક કાર્યકરો, રાજકારણીય પક્શકારો, વકીલો વગેરે દ્વારા “આશરાનો હક્ક” જેવો કાયદો અમલમાં આવેલો છે, જે ન્યૂયોત્ક સિવાય અમેરિકાના બીજા કોઈ શહેરમાં નથી. બંને પક્શ આ કાયદાને પોતાના ફાયદા માટે વાપરતા આવ્યા છે. એ પછી બધું – નુકસાન, તકલીફ, જવાબદારી – બસ, સરકારનું. &lt;br /&gt;
છેવટે “આશરો માગનારાંની જવાબદારી” કરીને એક સૂત્ર સૂચવવામાં આવ્યું છે. ઘણાં બેઘર સ્ત્રી-પુરુષો જે મળતું હોય તેમાં પણ વાંધા પાડતાં હોય છે. તેથી દરખાસ્ત એમ મૂકાઈ છે, કે એમણે પણ થોડી જવાબદારી લેવી જોઈએ, ને સરકારને સાથ આપવો જોઈએ. હજી આ દરખાસ્ત માન્ય નથી થઈ. આ દેશની નીતિ બેઘર ને ગુનાહિતો પ્રત્યે જ નહીં, પણ બિનકાયદેસર ઘુસી આવેલાં પ્રત્યે પણ હજી સુધી ઉદાર રહેતી આવી છે, ને એનો ભોગ અમેરિકાને પોતાને જ બનવું પડે છે.&lt;br /&gt;
ગરીબીના સંદર્ભમાં બીજી એક બાબત ભીખ માગવા અંગેની છે. અમેરિકામાં ભિખારી હોય, એમ કોઈ માની શકે? જોકે આ ભિખારી આપણે ત્યાં હોય તેવા નથી હોતા. હાથ લાંબો કરીને, દયામણું મોઢું કરીને માગનારાં ઘણાં ઓછાં દેખાય. વધારે જણ ચૂપચાપ એક તરફ બેસી ગયેલાં હોય, ને પાસે પૂંઠા પર પોતાની હાલત વિષે લખીને રાખ્યું હોય. ક્યારેક રૅસ્ટૉરાઁની બહાર ઊભાં હોય, ને જમીને નીકળનારાંને જાણે શરમિંદાં બનાવે. તો ભૂગર્ભ-રેલના પ્લૅટફૉર્મ પર તેમજ એના ડબ્બામાં ગાઈ-વગાડીને પૈસા મેળવી લેનારાં પણ મળતાં રહે.&lt;br /&gt;
સિક્કા કે પરચૂરણ તો હવે અપાય જ નહીં. આપણને મનમાં બીક જ લાગે, કે એ આપણાં મોઢાં પર જ ના ફેંકે. એક ડૉલર તો એના હાથમાં મૂકવો જ પડે. મેં ક્યાંક વાચ્યું હતું કે ભીખ માગતાં શીખવાડવાના ‘ક્લાસ’ ચાલતા હોય છે. હજાર-પંદરસો ડૉલર જેવી ફીના બદલામાં ભીખ માગવાની જુદી જુદી રીતો શીખવાડવામાં આવે છે. સારાં કોટ-પાટલૂન કે સુઘડ કપડાં પહેરેલા, શિક્શિત અને ઉપલા વર્ગના લાગતા પુરુષો બીજાંને કઈ રીતે ઘડીમાં છેતરી નાખતા હોય છે, તે વિષે પણ વાંચવામાં આવેલું.&lt;br /&gt;
પછી તો ભૂગર્ભ-રેલના ડબ્બાઓમાં સત્તાવાર નોંધો મૂકાવા માંડી, કે ભીખ માગવા નીકળેલાંથી ગભરાવું નહીં, શરમ અનુભવવી નહીં, ને પૈસા આપવા નહીં, કે જેથી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન ના મળે. મેં જોયું છે કે ક્યારેક કંઈક ખાવાનું આપવા માંડીએ, તો ના પણ પાડે. એમને પૈસા જ જોઈતા હોય, કારણકે તો એ લોકો સિગારેટ, દારુ કે માદક દ્રવ્યો ખરીદી શકે. રોજના રસ્તા પર એના એ ભીખ માગનારા પણ દેખાય, ને કોઈ કોઈ નાગરિકો એમની સાથે વાતો પણ કરતા જોવા મળે.&lt;br /&gt;
અમેરિકાની બહાર રહેનારાં, કે જે એની સુખ-સંપત્તિની સ્પૃહા કરતાં હોય, અથવા એ નહીં મળતાં એની ઘૃણા કરતાં હોય, તે એક વાસ્તવિક સત્ય સમજવાનું ચૂકી જતાં હોય છે, કે અમેરિકાને પણ માટીના પગ છે. દુનિયાના બીજા દેશોની જેમ એને પણ અનેકવિધ મુશ્કેલીઓ અને સમસ્યાઓ હોય છે. બલ્કે વધારે હોય છે, કારણકે એની પ્રજા દુનિયાભરના લોકો અથવા જાતિઓની બનેલી છે, તેમજ એની નીતિ અત્યંત ઉદાર છે. પ્રત્યેક નાગરિક તેમજ અગંતુકની ચિત્ર-વિચિત્ર ભિન્નતાના ડંખ અમેરિકા સતત પામતું, વેઠતું, ને સહેવાની મથામણ કરતું રહે છે. બધીયે વક્રતાઓ અને ક્શતિઓ પછી એની આ વાસ્તવિકતામાં જ એની ગરિમા વસેલી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૉફીની કળા&lt;br /&gt;
|next = મહેમાન-પરસ્તી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%89%E0%AA%AB%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE&amp;diff=110304</id>
		<title>દરિયાપારથી.../કૉફીની કળા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%89%E0%AA%AB%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%B3%E0%AA%BE&amp;diff=110304"/>
		<updated>2026-04-26T06:14:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૉફીની કળા }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લોકોને કૉફી પીવાનો શોખ કઈ રીતે થતો હશે? ક્યારેક લાગે કે નક્કી કૉફી ભાવવા માંડે તે બાબતને ભણવાના કંટાળા સાથે, કે ઉંમરમાં મોટાં થવા સાથે હશે; કારણકે કૉલૅજમાંથી વર્ગો છોડીને મનગમતી રૅસ્ટૉરાઁમાં જતાં થયાં ત્યારથી સરસ, ગરમ, ફીણવાળી ‘ઍસ્પ્રેસો’ કૉફી પીતાં થયાં, એવું યાદ આવે છે. &lt;br /&gt;
પછી તો ત્યાંના વેઇટરોનાં નામ જાણી લીધાં, એટલે જ જાણે ઘર જેવી જ પરિચિતતા કેળવાઈ ગઈ. એક કૉફીના કપ પર કલાક-દોઢ કલાક બેસી રહેવું શક્ય બન્યું. સર્જનની કોઈ ઉદાસ ક્શણે કવિ ટી. એસ. એલિયટે જીવનની સભરતાને કૉફીના ઘુંટડાથી માપવાની વાત લખી હશે. મિત્રો સાથે બેસીને કૉફી પીવા જેવી નિર્દોષ, ને છતાં ઉત્તેજક, પ્રિયા બીજી કોઈ નહીં હોય. ઇંગ્લૅંડમાં તો કૉફી હાઉસ ખૂબ પ્રચલિત હતાં. કલાકો સુધી લોકો – મિત્રો, લેખકો, અપરિચિતો – જાત જાતની વાતો ને ચર્ચાઓ કરતા રહેતા. &lt;br /&gt;
અમેરિકામાં કૉફી પીવાનો, આખો દિવસ કડક, કાળી કૉફી પીતાં રહેવાનો બહુ રિવાજ છે. મિત્રો સાથે કૉફી પીવા જવાની બહુ મઝા આવે. એક પીણાની સાથે સાથે સમયની, વિચારોની, વાતાવરણની જાણે સરખે ભાગે વહેંચણી થતી રહે છે. જોકે બધાં જને આ કળા કે આ વૃત્તિ ગ્રાહ્ય નથી પણ હોતાં. એક મિત્ર-પત્નીને એક વાર મેં બહુ શોખથી કહ્યું, “ ચાલ, કામ પછી આપણે સાથે કૉફી પીવા જઈએ.” જવાબમાં એણે તરત કહ્યું, “અરે, ઘેર આવજે, તને કૉફી પીવડાવી દઈશ!”&lt;br /&gt;
પત્તાંનો મહેલ જાણે બનતાં પહેલાં જ તૂટી ગયો. &lt;br /&gt;
જેમ સાથે બેસીને કૉફી પીવાની, અને એ રીતે એક સમાન વાતાવરણમાં થોડો વખત સાથે રહેવાની એક કળા ગણાય, તેમ કોઈને કૉફી પીવડાવવાની પણ કળા છે. કૉફીના શોખીનો તો એ બાબતે ખાસ વિશેષ રીતે ચોક્કસ હોય છે. કૉફીના દાણા કયા દેશમાંથી આવેલા છે, કયા વર્ષની નિપજ છે, દાણા કેટલા શેકાયેલા છે, કેવી સુગંધ છે, કેટલું વજન છે વગેરે. વળી, દાણા પીવાના સમયે જ દળાવા જોઈએ. આટલું જ નહીં, કૉફીનું પાણી પણ અમુક ઉષ્ણતામાન પર જ ગરમ થયેલું હોવું જોઈએ. &lt;br /&gt;
જાપાન અત્યાર સુધી “ચાનોયુ” કહેવાતી, જાપાની ચ્હા બનાવવાની ખૂબ કળાત્મક, સુંદર, વિશિષ્ટ રીત, માટે વિખ્યાત હતું. ત્યાં કૉફી પીવાનો શોખ એવો વધ્યો છે કે જાપાન હવે ઉત્તમ કૉફી-ચર્યા માટે પણ નામાંકિત થતું ગયું છે. અને જાપાન તો જે પણ કરે તે ગ્નાનના ઊંડાણ અને કળાની અનુપમ સાહજિકતા સાથે જ કરે ને. &lt;br /&gt;
જાપાનમાં કૉફી પીવાનું એક જ દુઃખ છે, ને તે એ કે ત્યાં વિવેકનો ખ્યાલ એટલો તીવ્ર હોય છે કે બધી જગ્યાએ કૉફીનો કપ પોણા જેટલો ભરીને જ આપવામાં આવે. ને વધારે જોઈએ તો ફરી ખરીદવાનો. &lt;br /&gt;
આની સામે અમેરિકામાં તો બીજી વાર, ત્રીજી વાર પૂછી પૂછીને, કે માગ્યા વગર પણ આપી જવાનો રિવાજ છે. વર્ષોથી આ ટેવ પડી ગઈ છે, એટલે પોણો કપ તો બહુ ઓછો જ પડે. બીજો ખરીદાય ખરો, પણ જાપાનમાં તો દર પણ ઘણો હોય, એટલે બીજો કપ તો બહુ મોંઘો જ લાગે. &lt;br /&gt;
દુનિયાના ઘણા દેશોની કૉફી વખણાય છે. આપણે સાઉથ ઇન્ડિયાની જાણીએ, પણ એ સિવાય સ્પેઇન, ઈટાલિ, બ્રાઝિલ, જમૈકા ટાપુ, ઈથિયોપિયા, ક્યુબા વગેરે દેશોની પણ ખરી. ન્યૂયોર્કમાં સાઉથ ઇન્ડિયન કૉફી વિષેનો એક અનુભવ યાદ આવે છે. એ વખતે ન્યૂયોર્કમાં ‘વૂડલૅન્ડ્સ’ નામની રૅસ્ટૉરાઁ હતી. એમાં મોંઘા ભાવે ઈડલી-ઢોંસા મળતાં, ને તે ય પાછાં સ્વાદમાં બહુ સારાં નહીં. કૉફી મંગાવો તો બહુ રાહ જોવી પડે, પણ એ સ્વાદિષ્ટ ઘણી હોય. બધાંને એમ જ ખબર કે ત્યાં દક્શિણ ભારતની કૉફી જ વપરાય છે. એક વાર કૉફીનાં વખાણ કરતી હતી ત્યારે ત્યાંના વેઇટર પાસેથી જાણવા મળ્યું, કે ના રે, એ તો ખરેખર અમેરિકન ઈન્સ્ટન્ટ કૉફી જ હોય છે. &lt;br /&gt;
ચાલો. ફરી પત્તાંનો મહેલ તૂટી પડ્યો જાણે. ને એ પછી ત્યાંની કૉફીમાંથી બધો ગૂઢાર્થ અને ગુપ્ત રસાસ્વાદ નીકળી ગયો. છેવટે એ રૅસ્ટૉરાઁ તો બંધ પણ થઈ ગઈ.&lt;br /&gt;
તુર્કી કૉફીનો મહિમા ઓછો નથી. એમ તો ક્યુબાની કૉફી પણ એવી જ રીતે નાની પ્યાલીમાં આવે, અને ખૂબ જ કાળી, કડવી ને ઘટ્ટ હોય. છતાં, તુર્કી કૉફી પીવાનો એક વિધિ છે, જે ખાસ્સો સ્પેશિયલ છે. એ પહેલી વાર યુગોસ્લાવિયામાં મને જોવા મળેલો. ત્યાંના સારાયેવો શહેરમાં એક મોટું તુર્કી બજાર છે. કારાવાન-સરાઈ નામના એક મકાનમાં એક જમાનામાં સાચેસાચ મુસાફરોના કાફલા ઉતારો લેતા, ત્યાં વીસમી સદીમાં રૅસ્ટૉરાઁ, દુકાનો અને ઑફીસોની ગોઠવણ થઈ છે. તેમાંના એક કૉફી-હાઉસમાં મારો યુગોસ્લાવ માર્ગદર્શક ઝૉરાન મને લઈ ગયો. &lt;br /&gt;
શહેરનાં જુવાનિયાંમાં આ જગ્યા ખાસ પ્રિય હશે, તેમ લાગ્યું. કૉફી અને બીજાં ઠંડાં પીણાં સિવાય બીજું કશું ત્યાં મળતું હોય તેમ દેખાયું નહીં. ઓરડો હતો ઘણો મોટો, પણ તમાકુના ધુમાડાની વાસથી ભરેલો અને ધુંધળો હતો. તાંબાને ટીપીને બનાવેલાં ગોળ ટેબલ મૂકેલાં હતાં. ઝૉરાને મારે માટે કૉફી મંગાવી. મારે તો અનુભવ લેવો હતો. થોડી વારે કાંસાની નાનકડી તાસકમાં મૂકેલા, કૂપી જેવા કાંસાના નાના વાસણમાં કાળી, ઘટ્ટ તુર્કી કૉફી આવી. સાથે કાંસાના કપના આકારની અંદર મૂકેલો કાચનો કપ હતો – એવો જ નાનકડો. બાજુમાં એક ચમચી ખાંડ, અને હલવા જેવી મીઠાઈનો ટુકડો. તે ય નાનો જ.&lt;br /&gt;
ટેવ પ્રમાણે પહેલાં તો કૂપીમાંની કૉફી મેં હલાવવા માંડી. અરે, જાણે કાદવ! પણ મેં એ મોટી ભૂલ કરેલી. અસામાન્ય રીતે તૈયાર કરેલી આ કૉફીને ઠરવા દેવાની હતી. એ પછી સાચવીને ઉપરનું પાણી કાચના નાના કપમાં રેડતા જવાનું. એમ ઝૉરાને મને સમજાવ્યું. મેં કરેલી અવિચારી ઉતાવળ પર આજુબાજુના લોકો હસતા હતા. થોડી વાર રાહ જોઈને મેં જરાક ચાખી. ઓહો, કડવી તે કેવી! ખાંડ વગર તો પીવાય જ નહીં, પણ ખાંડની યે અસર ના થઈ. ને આટલા જ માટે મીઠાઈનો પેલો નાનો ટુકડો હતો, જેનો મને ખ્યાલ નહતો. બાજુના ટેબલ પર બેઠેલી એક તરુણીએ મારું બગડેલું મોઢું જોઈને, તાસકમાંના એ ટુકડા તરફ નિર્દેશ કર્યો. &lt;br /&gt;
કપ અને કૉફીની ઝારી આટલાં નાનાં કેમ તે હવે સમજાયું. વધારે પીવાય જ નહીને. છતાં બેઠાં બેઠાં, માંડ માંડ થોડી વધારે મેં પીધી. પછી હલવો હાથમાં લઈને હું બહાર નીકળી ગઈ. &lt;br /&gt;
આવો જ, પણ આનાથી વધારે સારો લાગે તેવો, અનુભવ મને આર્જેન્ટીનામાં થયેલો. ત્યાં કૉફી મંગાવો એટલે સરસ તાસકમાં કૉફી ભરેલો કપ આવે. સાથે એક ગ્લાસમાં પાણી હોય, અને એક નાનું બદામનું બિસ્કીટ હોય. કૉફી લાગે તો સાવ કાળી જ, પણ સ્ટ્રૉન્ગ હોય તો યે સાવ કડવી, કે સ્વાદ વગરની ના હોય. એને માણી શકીએ તેવો એનો સ્વાદ હોય. પછી પાણીનો ઘુંટડો લઈને મોઢું અંદરથી સાફ કરી લેવાનું. ત્યાંના લોકો તો આ પછી બીજા કોઈ કાફેમાં જાય, ને બીજો કપ મંગાવે. એટલે મોઢું સાફ હોય તો બીજો કપ વધારે માણી શકાય. બિસ્કીટ મને તો બહુ ભાવતું, પણ ત્યાંના મોટા ભાગના લોકોને એની જરૂર ના લાગે.&lt;br /&gt;
કૅરો શહેરમાં “ગ્રૉપ્પી” નામની એક ખૂબ લોકપ્રિય રૅસ્ટૉરાઁ હતી. ત્યાં કૉફી પીવામાં બહુ આનંદ હતો. સરસ કૉફી-પૉટ ભરીને કૉફી આવે. ખાંડ અને દૂધનાં વાસણ જુદાં. સૌથી સ્પેશિયલ વાત તો એ કે દૂધ પાછું ગરમ હોય. અમેરિકામાં કૉફી ફરી ફરી મળે, પણ દૂધ સાવ ઠંડું હોય, એટલે કૉફી જરા વારમાં ઠંડી થઈ જાય. ત્યાંનું એ દુઃખ. કૅરો શહેરની એ ગ્રોપ્પી રૅસ્ટૉરાઁના કર્તાહર્તા કે માલિક બહુ જ સજ્જન અને સહૃદયી વ્યક્તિ હશે, કારણકે બેશક, જેમને સામા માણસના આનંદનો ખ્યાલ હોય તે જ કૉફી સાથે ગરમ દૂધ આપે ને!&lt;br /&gt;
કડક, મીઠી અને બાદશાહી હોય તો જ કૉફીનો આનંદ પરમ બને!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેવો અફસોસ&lt;br /&gt;
|next = માટીપગું અમેરિકા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%AB%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8&amp;diff=110303</id>
		<title>દરિયાપારથી.../કેવો અફસોસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%AB%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8&amp;diff=110303"/>
		<updated>2026-04-26T06:13:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કેવો અફસોસ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો. &lt;br /&gt;
આ શબ્દોમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે દેશમાં રહેતાં રહેતાં લોકો સભ્યતા અને વિવેક શીખ્યા, ને દરેક જણને સરખેસરખા ગણીને યથોચિત સ્મિત-આદરથી એકમેક સાથે વર્તતા શીખ્યા, ત્યાં આજે પણ રોજેરોજ, જગ્યા જગ્યાએ, ચઢેલાં ભવાં, કતરાતી આંખો અને સ્મિત વગરના ચહેરા જોવા મળે છે. ઊલટું, હવે તો એવું થયું છે કે સામસામે થઈ જતી, કે લિફ્ટમાં સાથે ઊભેલી, કે કોઈ લાઈનમાં આગળ-પાછળ રહેલી અજાણી વ્યક્તિની સામે જોઈને પેલું વિવેકનું, માણસ માણસ વચ્ચેનું સહજ સ્મિત આપો તો તે ક્યાંતો ગભરાશે, ક્યાંતો ચિડાશે. હવે એવો વિવેક કે તત્કાળ મિત્રાચાર ભાગ્યે જ કોઈ ઈચ્છે છે.&lt;br /&gt;
લગભગ દરેક દેશ-જાતિને બીજી દેશ-જાતિ ગમતી નથી. ધોળા, કાળા, ચીની, કોરિયન, સ્પૅનિશ, આરબ – બધાંને જ બીજાંથી, બાકીનાંથી વાંકું પડી ગયેલું જણાય છે. આપણા લઘુખંડના લોકો – ભારતીય, પાકિસ્તાની, બાઁગ્લાદેશી, શ્રીલંકન -ની ગણતરી લગભગ હંમેશાં મધ્યપૂર્વીય અરબી પ્રજા સાથે થઈ જતી હોય છે. લઘુખંડીય વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી – સામેની વ્યક્તિના મનમાં જાતજાતના પ્રશ્ન, ભય અને વાંધા ઉદ્ભવવા લાગી ગયા હોય છે. અમેરિકાનું બંધારણ અત્યંત ઉદાર નીતિનું છે, પણ સમાન અધિકાર અને સમાન સ્વાતંત્ર્યના ધારાઓમાં જાણે ફેરફાર કરવામાં આવ્યા છે. પોલિસને, શંકાસ્પદતાને આધારે, કોઈ પણ વ્યક્તિને પૂછપરછ માટે રોકવાની છૂટ મળી છે. અનેક નિર્દોષ, સાદી-સીધી વ્યક્તિઓને હેરાન થવું પડે છે. &lt;br /&gt;
એ પણ ખરું, કે આવી ચાંપતી તપાસને કારણે અનેક ગુનેગારો પકડાતા પણ હોય. આથી, સત્તાધારીઓના અપમાનિત કરતા રૉફ પ્રત્યે ધૈર્ય રાખવું પડે છે. જન-સામાન્યની સુરક્શિતતા માટેનાં પ્રયત્નો અને સભાનતા એટલાં બધાં વધી ગયાં છે, કે જ્યાં હમણાં સુધી નિશ્ચિતતા અને સફળતા હતાં ત્યાં તીવ્ર તેમજ અકારણ શંકાના ભાવનો આગ્રહ રખાતો થઈ ગયો છે. વારંવાર સંભળાતું વાક્ય છે – આખી દુનિયાનો “નિર્દોષતાનો યુગ” પૂરો થઈ ગયો છે.&lt;br /&gt;
આ વાક્ય કેટલું સાચં છે એની પ્રતીતિ અહીં થતી જ રહી છે. હવે જરાક અમથો ધડાકો ચમકાવી દે છે, શાંત ઓછાબોલો આરબ કે લઘુખંડીય માણસ શંકિત કરી દે છે, તો તોફાન કે ધમાલ કરવા માંડતા માણસને – ભલે પછી તે ગોરો પણ હોય – તો પોલીસ જપ્ત કરી જ શકે છે. વીસેક જ વર્ષ પહેલાં જ્યાં જનતા ઈચ્છા પ્રમાણે મકાનો, બૅન્કો, દુકાનો, પુસ્તકાલય ઇત્યાદિમાં અંદર-બહાર જતી-આવતી હતી, ત્યાં સર્વત્ર હવે ઍક્સ-રે કરતા દરવાજા મૂકાઈ ગયા છે. હાથમાંનો સામાન કે થેલી જ નહીં, ખિસ્સામાંનું નાણું, ચાવીઓ જેવી ચીજોને પણ ઍક્સ-રે માટે મૂકવી પડે છે.&lt;br /&gt;
વિમાન-મથકો પર મુસાફરોનાં પગરખાં પણ કઢાવે છે, અને ઉપર પહેરેલાં સ્વેટર-કોટ પણ ઊતરાવે છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષો દેખીતાં અશક્ત હોય તો પણ એમનો વારો આવે જ. કર્મચારીઓનાં મોઢાં કઠોર, ભવાં ચઢેલાં, ને છણકા કરવા પણ જાણે તૈયાર જ. પણ આ તો સરકારી મામલો, સામે દલીલ કરવા જાઓ તો પકડે, રોકે, હેરાન કરે, કાંઈ કહેવાય નહીં. આપણે ધીરજ અને સ્થિરતા રાખ્યે જ છૂટકો.&lt;br /&gt;
એક વાર વિમાન-મથક પર એક લાઈનમાં હું ઊભેલી, ત્યાં કર્મચારિણીએ મને કાગળનો નાનો ટુકડો આપ્યો, ને પકડી રાખવા કહ્યું. મેં નવાઈ પામીને એને ફેરવીને જોયો. એકાદ નંબર સિવાય એ સાવ કોરો હતો. પેલી કહે, “કશો વાંધો નથી. ચિંતા ના કરો. તમારો વારો આવે ત્યારે મને પાછો આપજો.” આટલી સારી રીતે એણે સમજાવ્યું તે ય મોટી નવાઈ હતી. &lt;br /&gt;
મેં પછો આપ્યો ત્યારે એણે એ કાગળના ટુકડાને કોઈ નાના મશિનમાંથી પસાર કર્યો લાગ્યો, ને પછી મને જવાનું કહ્યું. તે જ ઘડીએ મને ખ્યાલ આવ્યો કે આ રીતે એણે મારાં ટેરવાંની છાપ લીધી હતી, ને તપાસી હતી. અત્યાર સુધી ‘ફિન્ગર પ્રિન્ટ’ની આ તપાસ ગુનેગારની ઓળખ માટે કરવામાં આવતી. વાહ, હવે સાધારણ પ્રવાસી પર ગુનાની શક્યતાનું આરોપણ કરાવા માંડ્યું. એમાંય હું એકલી જતી બિન-શ્વેત, લઘુખંડીય સ્ત્રી. અત્યંત શંકાસ્પદ વર્ગીકરણ!&lt;br /&gt;
ક્યાંક ગુનાની, કે બૉમ્બ મૂકાયાની જો સહેજ આશંકા કે ગંધ પણ આવે તો ફટાફટ પગલાં લેવાય છે. કેવળ એક વિમાન જ નહીં, લૉસ ઍન્જેલસ જેવાં વિશાળ વિમાન-મથકો આખાં ખાલી કરાયાનું, બંધ કરાયાનું પણ બન્યું છે. જો ક્યાંય કોઈ થેલી, પાર્સલ, ખોખું વગેરે કોઈની માલિકી વગરનાં પડી રહેલાં દેખાય તો પોલિસ ઝડપથી આવી ચડે છે, લોકોને આઘા કરે છે, જગ્યા – ભૂગર્ભરેલ, બસસ્ટેશન, ટ્રેનસ્ટેશન, શૉપિન્ગ સેન્ટર ઇત્યાદિ – ખાલી કરાવે છે, આસપાસના રસ્તા બંધ કરી દે છે, અને સળગી ના જાય તેવા ખાસ પોષાક પહેરેલા તપાસ-એકમના નિષ્ણાતોને બોલાવે છે. શંકાસ્પદ વસ્તુની એમની ચકાસણી પછી જો બધું સુરક્શિત લાગે તો, ને ત્યારે જ, એ જગ્યાઓ, ટ્રાફિક વગેરેને યથાવત્ થવા દેવાય છે. &lt;br /&gt;
એ દરમ્યાન નાગરિકોની અગવડોનો પાર નથી રહેતો. પણ ભાગ્યે જ કોઈ ફરિયાદ કરે, કે અકળાય. ખોટી પડેલી ચેતવણી માટે થઈને કોઈ પોલિસની કે નગરપાલિકાની હાંસી ઉડાવતું નથી. જાણે અમેરિકાના જીવનની બદલાયેલી વાસ્તવિકતા અને સુરક્શાની જરૂર દરેકે દરેક જણ અનુભવી રહ્યું છે. &lt;br /&gt;
પ્રજામાં આત્મવિશ્વાસ પેદા થાય, અને ભયનો ભાવ ઘટે તે માટે નગરપાલિકાએ એક માર્ગદર્શિકા પણ તૈયાર કરાવેલી. કટોકટીના સમય માટે શું કરવું જોઈએ, શું સાથે રાખવું જોઈએ, જરૂરી સર્વ દસ્તાવેજોને પલળે નહીં તેવી થેલીમાં હાથવગા ક્યાં મૂકી રાખવા જોઈએ વગેરે વિષે સ્પષ્ટ સલાહ હતી. છ પાનાં ભરીને સંકટ-સમય માટેની માહિતી હતી, જેમાં દરેક પ્રકારની ઋતુનો ઉલ્લેખ હતો. વધારે પડતી ઠંડી, ગરમી, હિમ-વર્ષા, જળ-વર્ષા વગેરેનાં વ્યાખ્યા અને વર્ણન હતાં. આગ લાગી હોય, ગેસ પ્રસર્યો હોય, ધરતીકંપ થાય, રોગચાળો ફાટી નીકળે, ઇમારતો તૂટી પડે વગેરે સંજોગોમાંથી બચવાના ઉપાય પણ નોંધાયા હતા. &lt;br /&gt;
‘આતંકવાદ પરના વિચારો’ શીર્ષક નીચે બેએક પાનાં પર જુદી જુદી પરિસ્થિતિઓનો ઉલ્લેખ હતો. એ વિષે જાણકારી તથા સભાનતા હોય તો વ્યક્તિ એનો સામનો કરી શકે, એવો ખ્યાલ હતો. ઉપરાંત, બાળકો, વૃદ્ધો, અપંગ, ગાંડપણનો ભોગ બનેલી, માંદી વગેરે વ્યક્તિઓને કઈ રીતે સહાય કરવી, તે સમજાવ્યું હતું. અને વળી, પાળેલાં પશુ-પંખી પણ ભુલાયાં નહતાં. આ વિષે મજાક કરવાની કોઈને – સત્તાધારીઓને કે છાપાંઓને&lt;br /&gt;
છૂટ નથી, કારણકે એ પાળનારાંના પશુપંખીપ્રેમ-સ્વાતંત્ર્યની મજાક કહેવાય.&lt;br /&gt;
આવું રહેલું છે અમેરિકા – ગાંડુંઘેલું, ડાહ્યુંડમરું, લુચ્ચું, ભોળું, બુદ્ધુ, હોંશિયાર, નબળું, જબરું, કચરાળું, સુંદર, ઉદાર મન અને નીતિ ધરાવતું, અન્ય દેશોને સહાયકર્તા, ઈર્ષાને પાત્ર, અત્યંત ઈચ્છનીય, વિશાળ, વિશિષ્ટ, અસામાન્ય, અને હવે અનિષ્ટનો બલિ બનેલું, આતંકવાદીઓનો ભોગ બનેલું. પહેલાં કરતાં એની વાસ્તવિકતા ઘણી કઠિન બની છે. કેવો અફસોસ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેટકેટલા ઈશ્વરો&lt;br /&gt;
|next = કૉફીની કળા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%AB%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8&amp;diff=110302</id>
		<title>દરિયાપારથી.../કેવો અફસોસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%AB%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8&amp;diff=110302"/>
		<updated>2026-04-26T06:13:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}]&lt;br /&gt;
{{Heading|કેવો અફસોસ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો. &lt;br /&gt;
આ શબ્દોમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે દેશમાં રહેતાં રહેતાં લોકો સભ્યતા અને વિવેક શીખ્યા, ને દરેક જણને સરખેસરખા ગણીને યથોચિત સ્મિત-આદરથી એકમેક સાથે વર્તતા શીખ્યા, ત્યાં આજે પણ રોજેરોજ, જગ્યા જગ્યાએ, ચઢેલાં ભવાં, કતરાતી આંખો અને સ્મિત વગરના ચહેરા જોવા મળે છે. ઊલટું, હવે તો એવું થયું છે કે સામસામે થઈ જતી, કે લિફ્ટમાં સાથે ઊભેલી, કે કોઈ લાઈનમાં આગળ-પાછળ રહેલી અજાણી વ્યક્તિની સામે જોઈને પેલું વિવેકનું, માણસ માણસ વચ્ચેનું સહજ સ્મિત આપો તો તે ક્યાંતો ગભરાશે, ક્યાંતો ચિડાશે. હવે એવો વિવેક કે તત્કાળ મિત્રાચાર ભાગ્યે જ કોઈ ઈચ્છે છે.&lt;br /&gt;
લગભગ દરેક દેશ-જાતિને બીજી દેશ-જાતિ ગમતી નથી. ધોળા, કાળા, ચીની, કોરિયન, સ્પૅનિશ, આરબ – બધાંને જ બીજાંથી, બાકીનાંથી વાંકું પડી ગયેલું જણાય છે. આપણા લઘુખંડના લોકો – ભારતીય, પાકિસ્તાની, બાઁગ્લાદેશી, શ્રીલંકન -ની ગણતરી લગભગ હંમેશાં મધ્યપૂર્વીય અરબી પ્રજા સાથે થઈ જતી હોય છે. લઘુખંડીય વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી – સામેની વ્યક્તિના મનમાં જાતજાતના પ્રશ્ન, ભય અને વાંધા ઉદ્ભવવા લાગી ગયા હોય છે. અમેરિકાનું બંધારણ અત્યંત ઉદાર નીતિનું છે, પણ સમાન અધિકાર અને સમાન સ્વાતંત્ર્યના ધારાઓમાં જાણે ફેરફાર કરવામાં આવ્યા છે. પોલિસને, શંકાસ્પદતાને આધારે, કોઈ પણ વ્યક્તિને પૂછપરછ માટે રોકવાની છૂટ મળી છે. અનેક નિર્દોષ, સાદી-સીધી વ્યક્તિઓને હેરાન થવું પડે છે. &lt;br /&gt;
એ પણ ખરું, કે આવી ચાંપતી તપાસને કારણે અનેક ગુનેગારો પકડાતા પણ હોય. આથી, સત્તાધારીઓના અપમાનિત કરતા રૉફ પ્રત્યે ધૈર્ય રાખવું પડે છે. જન-સામાન્યની સુરક્શિતતા માટેનાં પ્રયત્નો અને સભાનતા એટલાં બધાં વધી ગયાં છે, કે જ્યાં હમણાં સુધી નિશ્ચિતતા અને સફળતા હતાં ત્યાં તીવ્ર તેમજ અકારણ શંકાના ભાવનો આગ્રહ રખાતો થઈ ગયો છે. વારંવાર સંભળાતું વાક્ય છે – આખી દુનિયાનો “નિર્દોષતાનો યુગ” પૂરો થઈ ગયો છે.&lt;br /&gt;
આ વાક્ય કેટલું સાચં છે એની પ્રતીતિ અહીં થતી જ રહી છે. હવે જરાક અમથો ધડાકો ચમકાવી દે છે, શાંત ઓછાબોલો આરબ કે લઘુખંડીય માણસ શંકિત કરી દે છે, તો તોફાન કે ધમાલ કરવા માંડતા માણસને – ભલે પછી તે ગોરો પણ હોય – તો પોલીસ જપ્ત કરી જ શકે છે. વીસેક જ વર્ષ પહેલાં જ્યાં જનતા ઈચ્છા પ્રમાણે મકાનો, બૅન્કો, દુકાનો, પુસ્તકાલય ઇત્યાદિમાં અંદર-બહાર જતી-આવતી હતી, ત્યાં સર્વત્ર હવે ઍક્સ-રે કરતા દરવાજા મૂકાઈ ગયા છે. હાથમાંનો સામાન કે થેલી જ નહીં, ખિસ્સામાંનું નાણું, ચાવીઓ જેવી ચીજોને પણ ઍક્સ-રે માટે મૂકવી પડે છે.&lt;br /&gt;
વિમાન-મથકો પર મુસાફરોનાં પગરખાં પણ કઢાવે છે, અને ઉપર પહેરેલાં સ્વેટર-કોટ પણ ઊતરાવે છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષો દેખીતાં અશક્ત હોય તો પણ એમનો વારો આવે જ. કર્મચારીઓનાં મોઢાં કઠોર, ભવાં ચઢેલાં, ને છણકા કરવા પણ જાણે તૈયાર જ. પણ આ તો સરકારી મામલો, સામે દલીલ કરવા જાઓ તો પકડે, રોકે, હેરાન કરે, કાંઈ કહેવાય નહીં. આપણે ધીરજ અને સ્થિરતા રાખ્યે જ છૂટકો.&lt;br /&gt;
એક વાર વિમાન-મથક પર એક લાઈનમાં હું ઊભેલી, ત્યાં કર્મચારિણીએ મને કાગળનો નાનો ટુકડો આપ્યો, ને પકડી રાખવા કહ્યું. મેં નવાઈ પામીને એને ફેરવીને જોયો. એકાદ નંબર સિવાય એ સાવ કોરો હતો. પેલી કહે, “કશો વાંધો નથી. ચિંતા ના કરો. તમારો વારો આવે ત્યારે મને પાછો આપજો.” આટલી સારી રીતે એણે સમજાવ્યું તે ય મોટી નવાઈ હતી. &lt;br /&gt;
મેં પછો આપ્યો ત્યારે એણે એ કાગળના ટુકડાને કોઈ નાના મશિનમાંથી પસાર કર્યો લાગ્યો, ને પછી મને જવાનું કહ્યું. તે જ ઘડીએ મને ખ્યાલ આવ્યો કે આ રીતે એણે મારાં ટેરવાંની છાપ લીધી હતી, ને તપાસી હતી. અત્યાર સુધી ‘ફિન્ગર પ્રિન્ટ’ની આ તપાસ ગુનેગારની ઓળખ માટે કરવામાં આવતી. વાહ, હવે સાધારણ પ્રવાસી પર ગુનાની શક્યતાનું આરોપણ કરાવા માંડ્યું. એમાંય હું એકલી જતી બિન-શ્વેત, લઘુખંડીય સ્ત્રી. અત્યંત શંકાસ્પદ વર્ગીકરણ!&lt;br /&gt;
ક્યાંક ગુનાની, કે બૉમ્બ મૂકાયાની જો સહેજ આશંકા કે ગંધ પણ આવે તો ફટાફટ પગલાં લેવાય છે. કેવળ એક વિમાન જ નહીં, લૉસ ઍન્જેલસ જેવાં વિશાળ વિમાન-મથકો આખાં ખાલી કરાયાનું, બંધ કરાયાનું પણ બન્યું છે. જો ક્યાંય કોઈ થેલી, પાર્સલ, ખોખું વગેરે કોઈની માલિકી વગરનાં પડી રહેલાં દેખાય તો પોલિસ ઝડપથી આવી ચડે છે, લોકોને આઘા કરે છે, જગ્યા – ભૂગર્ભરેલ, બસસ્ટેશન, ટ્રેનસ્ટેશન, શૉપિન્ગ સેન્ટર ઇત્યાદિ – ખાલી કરાવે છે, આસપાસના રસ્તા બંધ કરી દે છે, અને સળગી ના જાય તેવા ખાસ પોષાક પહેરેલા તપાસ-એકમના નિષ્ણાતોને બોલાવે છે. શંકાસ્પદ વસ્તુની એમની ચકાસણી પછી જો બધું સુરક્શિત લાગે તો, ને ત્યારે જ, એ જગ્યાઓ, ટ્રાફિક વગેરેને યથાવત્ થવા દેવાય છે. &lt;br /&gt;
એ દરમ્યાન નાગરિકોની અગવડોનો પાર નથી રહેતો. પણ ભાગ્યે જ કોઈ ફરિયાદ કરે, કે અકળાય. ખોટી પડેલી ચેતવણી માટે થઈને કોઈ પોલિસની કે નગરપાલિકાની હાંસી ઉડાવતું નથી. જાણે અમેરિકાના જીવનની બદલાયેલી વાસ્તવિકતા અને સુરક્શાની જરૂર દરેકે દરેક જણ અનુભવી રહ્યું છે. &lt;br /&gt;
પ્રજામાં આત્મવિશ્વાસ પેદા થાય, અને ભયનો ભાવ ઘટે તે માટે નગરપાલિકાએ એક માર્ગદર્શિકા પણ તૈયાર કરાવેલી. કટોકટીના સમય માટે શું કરવું જોઈએ, શું સાથે રાખવું જોઈએ, જરૂરી સર્વ દસ્તાવેજોને પલળે નહીં તેવી થેલીમાં હાથવગા ક્યાં મૂકી રાખવા જોઈએ વગેરે વિષે સ્પષ્ટ સલાહ હતી. છ પાનાં ભરીને સંકટ-સમય માટેની માહિતી હતી, જેમાં દરેક પ્રકારની ઋતુનો ઉલ્લેખ હતો. વધારે પડતી ઠંડી, ગરમી, હિમ-વર્ષા, જળ-વર્ષા વગેરેનાં વ્યાખ્યા અને વર્ણન હતાં. આગ લાગી હોય, ગેસ પ્રસર્યો હોય, ધરતીકંપ થાય, રોગચાળો ફાટી નીકળે, ઇમારતો તૂટી પડે વગેરે સંજોગોમાંથી બચવાના ઉપાય પણ નોંધાયા હતા. &lt;br /&gt;
‘આતંકવાદ પરના વિચારો’ શીર્ષક નીચે બેએક પાનાં પર જુદી જુદી પરિસ્થિતિઓનો ઉલ્લેખ હતો. એ વિષે જાણકારી તથા સભાનતા હોય તો વ્યક્તિ એનો સામનો કરી શકે, એવો ખ્યાલ હતો. ઉપરાંત, બાળકો, વૃદ્ધો, અપંગ, ગાંડપણનો ભોગ બનેલી, માંદી વગેરે વ્યક્તિઓને કઈ રીતે સહાય કરવી, તે સમજાવ્યું હતું. અને વળી, પાળેલાં પશુ-પંખી પણ ભુલાયાં નહતાં. આ વિષે મજાક કરવાની કોઈને – સત્તાધારીઓને કે છાપાંઓને&lt;br /&gt;
છૂટ નથી, કારણકે એ પાળનારાંના પશુપંખીપ્રેમ-સ્વાતંત્ર્યની મજાક કહેવાય.&lt;br /&gt;
આવું રહેલું છે અમેરિકા – ગાંડુંઘેલું, ડાહ્યુંડમરું, લુચ્ચું, ભોળું, બુદ્ધુ, હોંશિયાર, નબળું, જબરું, કચરાળું, સુંદર, ઉદાર મન અને નીતિ ધરાવતું, અન્ય દેશોને સહાયકર્તા, ઈર્ષાને પાત્ર, અત્યંત ઈચ્છનીય, વિશાળ, વિશિષ્ટ, અસામાન્ય, અને હવે અનિષ્ટનો બલિ બનેલું, આતંકવાદીઓનો ભોગ બનેલું. પહેલાં કરતાં એની વાસ્તવિકતા ઘણી કઠિન બની છે. કેવો અફસોસ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેટકેટલા ઈશ્વરો&lt;br /&gt;
|next = કૉફીની કળા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%AB%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8&amp;diff=110301</id>
		<title>દરિયાપારથી.../કેવો અફસોસ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%8B_%E0%AA%85%E0%AA%AB%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B8&amp;diff=110301"/>
		<updated>2026-04-26T06:12:53Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કેવો અફસોસ }&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો. &lt;br /&gt;
આ શબ્દોમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે દેશમાં રહેતાં રહેતાં લોકો સભ્યતા અને વિવેક શીખ્યા, ને દરેક જણને સરખેસરખા ગણીને યથોચિત સ્મિત-આદરથી એકમેક સાથે વર્તતા શીખ્યા, ત્યાં આજે પણ રોજેરોજ, જગ્યા જગ્યાએ, ચઢેલાં ભવાં, કતરાતી આંખો અને સ્મિત વગરના ચહેરા જોવા મળે છે. ઊલટું, હવે તો એવું થયું છે કે સામસામે થઈ જતી, કે લિફ્ટમાં સાથે ઊભેલી, કે કોઈ લાઈનમાં આગળ-પાછળ રહેલી અજાણી વ્યક્તિની સામે જોઈને પેલું વિવેકનું, માણસ માણસ વચ્ચેનું સહજ સ્મિત આપો તો તે ક્યાંતો ગભરાશે, ક્યાંતો ચિડાશે. હવે એવો વિવેક કે તત્કાળ મિત્રાચાર ભાગ્યે જ કોઈ ઈચ્છે છે.&lt;br /&gt;
લગભગ દરેક દેશ-જાતિને બીજી દેશ-જાતિ ગમતી નથી. ધોળા, કાળા, ચીની, કોરિયન, સ્પૅનિશ, આરબ – બધાંને જ બીજાંથી, બાકીનાંથી વાંકું પડી ગયેલું જણાય છે. આપણા લઘુખંડના લોકો – ભારતીય, પાકિસ્તાની, બાઁગ્લાદેશી, શ્રીલંકન -ની ગણતરી લગભગ હંમેશાં મધ્યપૂર્વીય અરબી પ્રજા સાથે થઈ જતી હોય છે. લઘુખંડીય વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી – સામેની વ્યક્તિના મનમાં જાતજાતના પ્રશ્ન, ભય અને વાંધા ઉદ્ભવવા લાગી ગયા હોય છે. અમેરિકાનું બંધારણ અત્યંત ઉદાર નીતિનું છે, પણ સમાન અધિકાર અને સમાન સ્વાતંત્ર્યના ધારાઓમાં જાણે ફેરફાર કરવામાં આવ્યા છે. પોલિસને, શંકાસ્પદતાને આધારે, કોઈ પણ વ્યક્તિને પૂછપરછ માટે રોકવાની છૂટ મળી છે. અનેક નિર્દોષ, સાદી-સીધી વ્યક્તિઓને હેરાન થવું પડે છે. &lt;br /&gt;
એ પણ ખરું, કે આવી ચાંપતી તપાસને કારણે અનેક ગુનેગારો પકડાતા પણ હોય. આથી, સત્તાધારીઓના અપમાનિત કરતા રૉફ પ્રત્યે ધૈર્ય રાખવું પડે છે. જન-સામાન્યની સુરક્શિતતા માટેનાં પ્રયત્નો અને સભાનતા એટલાં બધાં વધી ગયાં છે, કે જ્યાં હમણાં સુધી નિશ્ચિતતા અને સફળતા હતાં ત્યાં તીવ્ર તેમજ અકારણ શંકાના ભાવનો આગ્રહ રખાતો થઈ ગયો છે. વારંવાર સંભળાતું વાક્ય છે – આખી દુનિયાનો “નિર્દોષતાનો યુગ” પૂરો થઈ ગયો છે.&lt;br /&gt;
આ વાક્ય કેટલું સાચં છે એની પ્રતીતિ અહીં થતી જ રહી છે. હવે જરાક અમથો ધડાકો ચમકાવી દે છે, શાંત ઓછાબોલો આરબ કે લઘુખંડીય માણસ શંકિત કરી દે છે, તો તોફાન કે ધમાલ કરવા માંડતા માણસને – ભલે પછી તે ગોરો પણ હોય – તો પોલીસ જપ્ત કરી જ શકે છે. વીસેક જ વર્ષ પહેલાં જ્યાં જનતા ઈચ્છા પ્રમાણે મકાનો, બૅન્કો, દુકાનો, પુસ્તકાલય ઇત્યાદિમાં અંદર-બહાર જતી-આવતી હતી, ત્યાં સર્વત્ર હવે ઍક્સ-રે કરતા દરવાજા મૂકાઈ ગયા છે. હાથમાંનો સામાન કે થેલી જ નહીં, ખિસ્સામાંનું નાણું, ચાવીઓ જેવી ચીજોને પણ ઍક્સ-રે માટે મૂકવી પડે છે.&lt;br /&gt;
વિમાન-મથકો પર મુસાફરોનાં પગરખાં પણ કઢાવે છે, અને ઉપર પહેરેલાં સ્વેટર-કોટ પણ ઊતરાવે છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષો દેખીતાં અશક્ત હોય તો પણ એમનો વારો આવે જ. કર્મચારીઓનાં મોઢાં કઠોર, ભવાં ચઢેલાં, ને છણકા કરવા પણ જાણે તૈયાર જ. પણ આ તો સરકારી મામલો, સામે દલીલ કરવા જાઓ તો પકડે, રોકે, હેરાન કરે, કાંઈ કહેવાય નહીં. આપણે ધીરજ અને સ્થિરતા રાખ્યે જ છૂટકો.&lt;br /&gt;
એક વાર વિમાન-મથક પર એક લાઈનમાં હું ઊભેલી, ત્યાં કર્મચારિણીએ મને કાગળનો નાનો ટુકડો આપ્યો, ને પકડી રાખવા કહ્યું. મેં નવાઈ પામીને એને ફેરવીને જોયો. એકાદ નંબર સિવાય એ સાવ કોરો હતો. પેલી કહે, “કશો વાંધો નથી. ચિંતા ના કરો. તમારો વારો આવે ત્યારે મને પાછો આપજો.” આટલી સારી રીતે એણે સમજાવ્યું તે ય મોટી નવાઈ હતી. &lt;br /&gt;
મેં પછો આપ્યો ત્યારે એણે એ કાગળના ટુકડાને કોઈ નાના મશિનમાંથી પસાર કર્યો લાગ્યો, ને પછી મને જવાનું કહ્યું. તે જ ઘડીએ મને ખ્યાલ આવ્યો કે આ રીતે એણે મારાં ટેરવાંની છાપ લીધી હતી, ને તપાસી હતી. અત્યાર સુધી ‘ફિન્ગર પ્રિન્ટ’ની આ તપાસ ગુનેગારની ઓળખ માટે કરવામાં આવતી. વાહ, હવે સાધારણ પ્રવાસી પર ગુનાની શક્યતાનું આરોપણ કરાવા માંડ્યું. એમાંય હું એકલી જતી બિન-શ્વેત, લઘુખંડીય સ્ત્રી. અત્યંત શંકાસ્પદ વર્ગીકરણ!&lt;br /&gt;
ક્યાંક ગુનાની, કે બૉમ્બ મૂકાયાની જો સહેજ આશંકા કે ગંધ પણ આવે તો ફટાફટ પગલાં લેવાય છે. કેવળ એક વિમાન જ નહીં, લૉસ ઍન્જેલસ જેવાં વિશાળ વિમાન-મથકો આખાં ખાલી કરાયાનું, બંધ કરાયાનું પણ બન્યું છે. જો ક્યાંય કોઈ થેલી, પાર્સલ, ખોખું વગેરે કોઈની માલિકી વગરનાં પડી રહેલાં દેખાય તો પોલિસ ઝડપથી આવી ચડે છે, લોકોને આઘા કરે છે, જગ્યા – ભૂગર્ભરેલ, બસસ્ટેશન, ટ્રેનસ્ટેશન, શૉપિન્ગ સેન્ટર ઇત્યાદિ – ખાલી કરાવે છે, આસપાસના રસ્તા બંધ કરી દે છે, અને સળગી ના જાય તેવા ખાસ પોષાક પહેરેલા તપાસ-એકમના નિષ્ણાતોને બોલાવે છે. શંકાસ્પદ વસ્તુની એમની ચકાસણી પછી જો બધું સુરક્શિત લાગે તો, ને ત્યારે જ, એ જગ્યાઓ, ટ્રાફિક વગેરેને યથાવત્ થવા દેવાય છે. &lt;br /&gt;
એ દરમ્યાન નાગરિકોની અગવડોનો પાર નથી રહેતો. પણ ભાગ્યે જ કોઈ ફરિયાદ કરે, કે અકળાય. ખોટી પડેલી ચેતવણી માટે થઈને કોઈ પોલિસની કે નગરપાલિકાની હાંસી ઉડાવતું નથી. જાણે અમેરિકાના જીવનની બદલાયેલી વાસ્તવિકતા અને સુરક્શાની જરૂર દરેકે દરેક જણ અનુભવી રહ્યું છે. &lt;br /&gt;
પ્રજામાં આત્મવિશ્વાસ પેદા થાય, અને ભયનો ભાવ ઘટે તે માટે નગરપાલિકાએ એક માર્ગદર્શિકા પણ તૈયાર કરાવેલી. કટોકટીના સમય માટે શું કરવું જોઈએ, શું સાથે રાખવું જોઈએ, જરૂરી સર્વ દસ્તાવેજોને પલળે નહીં તેવી થેલીમાં હાથવગા ક્યાં મૂકી રાખવા જોઈએ વગેરે વિષે સ્પષ્ટ સલાહ હતી. છ પાનાં ભરીને સંકટ-સમય માટેની માહિતી હતી, જેમાં દરેક પ્રકારની ઋતુનો ઉલ્લેખ હતો. વધારે પડતી ઠંડી, ગરમી, હિમ-વર્ષા, જળ-વર્ષા વગેરેનાં વ્યાખ્યા અને વર્ણન હતાં. આગ લાગી હોય, ગેસ પ્રસર્યો હોય, ધરતીકંપ થાય, રોગચાળો ફાટી નીકળે, ઇમારતો તૂટી પડે વગેરે સંજોગોમાંથી બચવાના ઉપાય પણ નોંધાયા હતા. &lt;br /&gt;
‘આતંકવાદ પરના વિચારો’ શીર્ષક નીચે બેએક પાનાં પર જુદી જુદી પરિસ્થિતિઓનો ઉલ્લેખ હતો. એ વિષે જાણકારી તથા સભાનતા હોય તો વ્યક્તિ એનો સામનો કરી શકે, એવો ખ્યાલ હતો. ઉપરાંત, બાળકો, વૃદ્ધો, અપંગ, ગાંડપણનો ભોગ બનેલી, માંદી વગેરે વ્યક્તિઓને કઈ રીતે સહાય કરવી, તે સમજાવ્યું હતું. અને વળી, પાળેલાં પશુ-પંખી પણ ભુલાયાં નહતાં. આ વિષે મજાક કરવાની કોઈને – સત્તાધારીઓને કે છાપાંઓને&lt;br /&gt;
છૂટ નથી, કારણકે એ પાળનારાંના પશુપંખીપ્રેમ-સ્વાતંત્ર્યની મજાક કહેવાય.&lt;br /&gt;
આવું રહેલું છે અમેરિકા – ગાંડુંઘેલું, ડાહ્યુંડમરું, લુચ્ચું, ભોળું, બુદ્ધુ, હોંશિયાર, નબળું, જબરું, કચરાળું, સુંદર, ઉદાર મન અને નીતિ ધરાવતું, અન્ય દેશોને સહાયકર્તા, ઈર્ષાને પાત્ર, અત્યંત ઈચ્છનીય, વિશાળ, વિશિષ્ટ, અસામાન્ય, અને હવે અનિષ્ટનો બલિ બનેલું, આતંકવાદીઓનો ભોગ બનેલું. પહેલાં કરતાં એની વાસ્તવિકતા ઘણી કઠિન બની છે. કેવો અફસોસ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કેટકેટલા ઈશ્વરો&lt;br /&gt;
|next = કૉફીની કળા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8B&amp;diff=110300</id>
		<title>દરિયાપારથી.../કેટકેટલા ઈશ્વરો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%95%E0%AB%87%E0%AA%9F%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8B&amp;diff=110300"/>
		<updated>2026-04-26T06:12:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કેટકેટલા ઈશ્વરો}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ – ઓહો, શું આવાં કલ્પન પણ આપણે કરી શકીએ છીએ? બહુ-સહસ્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું? જગતનો ઇતિહાસ પ્રારંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે. સમકાલીન જગતમાં જે બધું બનતું દેખાય છે, તેનું અચરજ પારાવાર છે. &lt;br /&gt;
અત્યારે કૌટુંબિક સ્તરે ભાઈ-ભાઈમાં ઝગડા હોઈ શકે છે, સામાજિક સ્તરે પાડોશી-પાડોશીમાં વિખવાદ હોઈ શકે છે. કેટલાયે દેશોમાં પોતાની જ પ્રજા અંદરોઅંદર કાપાકાપી થઈ રહી છે, તો અનેક મહાદેશો એકમેક પર અણુબૉમ્બની ધમકી બતાવતા તોળાઈ રહેલાં હોય છે. કદાચ બ્રહ્માંડમાં ગ્રહો પણ પરસ્પર ભટકાઈ પડવા તત્પર થયેલા હોય. હોય પણ ખરા. કશું કહેવાય નહીં. &lt;br /&gt;
જ્યાં વ્યક્તિગત રીતે પણ શાંતિ મેળવવી કઠિન બનતી ગઈ છે તેવા જગતમાં સર્વત્ર અને સતત થતા દેખાતા વિરોધો અને વિચ્છેદોનાં કારણ જુઓ તો મુખ્યત્વે ત્રણ હશે – સંપત્તિ, સત્તા, અને ત્રીજું- કેવું આશ્ચર્ય – ધર્મ. જે અભ્યાસ તેમજ આચરણ દ્વારા સહિષ્ણુતા, પ્રેમ, સમભાવ જેવા ગુણોનો પ્રચાર કરે છે તેને નામે તદ્દન અસહિષ્ણુ અને અત્યંત હિંસક વ્યવહાર દુનિયાભરમાં કેમ થતો રહેતો આવ્યો છે?&lt;br /&gt;
અલબત્ત, આ પ્રશ્ન પ્રશ્ન જ રહેશે. જો કદાચ એનો કોઈ જવાબ હોઈ પણ શકે, તો એ ખૂબ જટિલ હોવાનો. છતાં, તિમોર ટાપુ, લૅબૅનૉન, બૉસ્નિયા વગરે જેવા અમુક દેશોમાં બનતા ગયેલા બનાવો અને અંદર અંદરની ખૂનામરકીએ મારું ધ્યાન ખ્રિસ્તી ધર્મ પ્રતિ ખેંચ્યું છે. અંગ્રેજીની એક કહેવત પ્રમાણે, જે પેલી તરફ જાય છે તે આ તરફ પાછું આવે છે. આવું કંઈક ક્રિશ્ચિયાનિટીની બાબતે પણ બન્યું છે કે શું? &lt;br /&gt;
બે હજાર વર્ષથી તો આ ધર્મ પ્રચલિત છે જ. પણ સાથે જ, એ હકીકત કેમ ભુલાય કે એના પ્રથમ પ્રણેતાને જ લોકોએ સમજ્યા નહતા. આ ધર્મની શરૂઆત જ ધર્મગુરુનો – જિસસ ક્રાઇસ્ટનો – ભોગ લઈને થઈ હતી. જાણે ત્યારથી એનો માર્ગ આગ્રહપૂર્વકના પરિવર્તનનો બન્યો. પાંચસોથી યે વધારે વર્ષ પહેલાં, સ્પેઇનના રાજા ફર્ડિનાન્ડ અને રાણી ઇઝાબેલાએ – સ્પેઇનને કૅથૉલિક મહારાજ્ય બનાવવાની અભિપ્સાને કારણે – નિશ્ચિત તારીખ સાથેનું ફરમાન કાઢેલું કે ઑગસ્ટની ૨જી, ૧૪૯૨ સુધીમાં બધા યહુદીઓએ ક્યાંતો ક્રિશ્ચિયાનિટીનો અંગીકાર કરવો, ક્યાંતો દેશ છોડીને ચાલી જવું. આ હુકમનું પાલન નહીં કરનારને સજા હતી મોતની.&lt;br /&gt;
આ જ હકૂમતના આધારે ક્રિસ્ટોફર કોલમ્બસ ધનિક અને અવનવાં સ્થાનો શોધવા નીકળેલા. એ પોતે ચુસ્ત ખ્રિસ્તી હતા. માલિકને માટે ધન-સંપત્તિ અને પોતાને માટે ગૌરવની આશાની સાથે સાથે, તે બધે લાખો લોકોના ધર્મ-પરિવર્તનની શક્યતા માટે પણ કોલમ્બસને મોટી આશા હતી. પશ્ચિમ ગોળાર્ધના જે ટાપુઓ પર એ પહોંચ્યા ત્યાંની આદિ-પ્રજા નિર્દોષ હતી, ને શાંતિનું જીવન જીવતી હતી. એમના પર ક્રિશ્ચિયાનિટી લાદવામાં શું મુશ્કેલી? સમજાવટ અને ઉપદેશથી નહીં માનનારાં માટે શસ્ત્રો અને બળજોરી ક્યાં ન હતાં?&lt;br /&gt;
દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સદીઓથી પ્રયત્નો થતા રહ્યા છે. એ દરમ્યાન આ ધર્મ પોતે જ કેટલો છિન્ન-વિચ્છિન્ન થઈ ગયો છે તે જોવા જેવું છે. ધર્મને નામે કોમી રમખાણો અને યુદ્ધો સુદ્ધાં થાય છે; અને વળી, નાના પંથો તથા માન્યતા-ફેરને લીધે ફાટફૂટો પણ પડતી જ જાય છે. &lt;br /&gt;
પશ્ચિમનો ખ્રિસ્તી ધર્મ અનેક વડવાઈઓમાં વહેંચાઈ ગયેલો છે. પવિત્ર ધર્મ-ગ્રંથ પણ જૂના અને નવા ટેસ્ટામેન્ટ જેવાં વ્યાખ્યાકરણ પામી ગયો છે. જરાતરા જેવો જ ફેર લાગતો હોય તેવી બાબતો શ્રદ્ધાળુઓ માટે ઘણી અગત્યની હોય છે, અને તે-તે પંથના મૂળાધાર જેવી લાગતી હોય છે. જગતના મુખ્ય ત્રણ ધર્મોમાંનો એક એવા આ ખ્રિસ્તી ધર્મમાં કેટકેટલી શાખા પડી ગઈ છે, તે જાણીને આશ્ચર્યનો પાર નથી રહેતો.&lt;br /&gt;
ઊંડી સમજૂતી આપવી તો અશક્ય છે, પણ માત્ર માહિતીની દૃષ્ટિએ પણ આ યાદી રસપ્રદ છે. ક્રિશ્ચિયાનિટીનો મુખ્ય અને મહદ્ અંશ રોમન કૅથૉલિક છે. એનું સત્તા-કેન્દ્ર રોમ શહેરમાં આવેલા વૅટિકન સિટી નામના વિભાગમાં સદીઓથી સ્થાપિત છે. નામદાર પોપ એના સર્વોચ્ચ અધિપતિ છે. જોકે ખરેખર તો એ સમગ્ર ક્રશ્ચિયાનિટીના છત્રધારી છે. એમનું એક કામ બધી શાખાઓને પ્રસન્ન રાખવાનું હોય, તેવું લાગે છે. રોમન કૅથૉલિક પંથના કોઈ અત્યંત પુણ્યશાળી અને ધર્મનિષ્ઠ વડાના મૃત્યુ પછી એમને સેઇન્ટની પદવી આપવી કે નહીં, તેનો નિર્ણય નામદાર પોપ કરે છે. &lt;br /&gt;
ગ્રીક ઑર્થૉડૉક્સ પંથ સ્થપાયો હતો ગ્રીસમાં, પણ મોટી સંખ્યામાં અમુક આરબો પણ એમાં શ્રદ્ધા રાખે છે. આર્મેનિયન ચર્ચમાં મુખ્યત્વે આર્મેનિયન લોકો જ માનતા હોય છે, તો કૉપ્ટિક ઑર્થૉડૉક્સ પંથના લગભગ બધા સદસ્યો ઈજિપ્તમાં વસે છે. સિરિયન ઑર્થૉડૉક્સ પંથનું કહેવું છે કે એ સૌથી પ્રાચીન ક્રિશ્ચિયન ચર્ચ છે. આ જ પ્રજાનું એક જૂથ, બસો-ત્રણસો વર્ષ પહેલાં સિરિયાથી વહાણમાં નીકળીને કેરળના કિનારે પહોંચ્યું હતું. આત્યારે તો કેરળમાં ઈન્ડિયન-સિરિયન ક્રિશ્ચિયનની સંખ્યા ઘણી ઓછી હશે. &lt;br /&gt;
ઈથિયોપિયન ઑર્થૉડૉક્સ પંથ ગુણાંકની દૃષ્ટિએ ઘણો સાધારણ છે, પણ એના સદસ્યો ઊંડી શ્રદ્ધા ધરાવતા હોય છે, ને અત્યંત ચુસ્ત રીતે ધર્મના ક્રિયા-કાંડનું પાલન કરતા હોય છે. કોઈ પણ જાતની બાંધ-છોડ કે સમાધાન કરવા કરતાં આ લોકો જીવતા બળી મરવાનું પસંદ કરતા હોવાનું સાંભળ્યું છે. રશિયન ઑર્થૉડૉક્સ પંથ રશિયન ભક્તોની સાથે સાથે દુનિયામાં ઘણી જગ્યાઓએ પ્રસર્યો. સુંદર, સપ્રમાણ ઘુમ્મટોવાળાં એનાં ચર્ચ આગવાં ને આકર્ષક હોય છે, અને તરત ઓળખાઈ જાય છે. અંદર પણ ધાર્મિક ચિત્રો અને કાષ્ઠ-શિલ્પો ગોઠવેલાં હોય છે. રોમેનિયન ઑર્થૉડૉક્સ ચર્ચ પણ ઘણું જૂનું છે. સામ્યવાદી સરકારની નીચે એ દબાયેલું અને શુષ્ક-સંયત રહ્યું. એમાં પૂજા ને આરતી ટાણે ઉચ્ચારાતાં પ્રાર્થના-સ્તવનો બરાબર સંસ્કૃત શ્લોકોનો જ ધ્વનિ, તેમજ લય, સર્જે છેઢ અને ઉપસ્થિત કોઈ પણ જણને ભાવવિભોર કરી દે છે.&lt;br /&gt;
પ્રોટેસ્ટન્ટ એ જનપ્રિય અને શક્તિશાળી પંથ છે. રોમન કૅથૉલિકનો એને હરીફ કહી શકાય. આ મુખ્ય પંથોનાં માનનારાં વચ્ચે દેખીતું વૈમનસ્ય હોય છે. આયરલૅન્ડના ઉત્તર ભાગમાં તો વળી આને કારણે કેટલી હત્યા થતી આવી છે. સાથે જ, પ્રોટેસ્ટન્ટની અંદર પાછી પ્રશાખાઓ પણ છે – એપિસ્કોપલ, ઍન્ગ્લિકલ, લ્યુથરન, બૅપ્ટિસ્ટ વગેરે. હજી બીજા કેટલાયે પેટા-પંથો અસ્તિત્વમાં છે. જાણે ખ્રિસ્તી ધર્મના ઝીણા ઝીણા અસંખ્ય કણ.&lt;br /&gt;
આ બધા સિવાય, કેટલાક પંથ અમેરિકામાં શરૂ થયેલા. દા.ત. મૉર્મૉન પંથ. એની સ્થાપના ૧૮૩૦માં થયેલી. પણ એના મૂળ ઉપદેશક ચોથી સદીમાં થઈ ગયેલા. એમણે સોનાનાં પતરાં પર લખેલું બૂક ઑફ મૉર્મૉન નામનું પુસ્તક એમનો ધર્મ-ગ્રંથ છે. એના સદસ્યો અમેરિકામાં બહોળા પ્રમાણમાં છે. ૧૯૧૦માં સ્થપાયેલા જેહોવાહના સાક્શી નામના પંથના સભ્યો યુદ્ધનો વિરોધ કરે છે, અને ધર્મ-સ્વાતંત્ર્યનો આગ્રહ રાખે છે. સેવન્થ ડે ઍડ્વેન્ટિસ્ટ નામનો પંથ શનિવારને મુખ્ય દિવસ ગણે છે, ને સપ્તાહની મુખ્ય પૂજા ગોઠવે છે. &lt;br /&gt;
ઓહો, કેટકેટલા સંપ્રદાયો. દરેકનો પોતપોતાની ધર્મસરણી માટેનો આગ્રહ. એમાંથી નિપજતી જીદ, પોષાતું ધર્મ-ઝનૂન, પછી ઝગડા ને કત્લેઆમ પણ. એ દરેક પંથ “ઈશ્વર એક છે”ને બદલે “એક જ ઈશ્વર છે- અમે જેમાં માનીએ છીએ તે જ”, એમ કહેવા માંડે છે. જો એ દરેક પંથનો આગવો ઈશ્વર હોય, તો એ શક્ય છે કે બધા ઈશ્વર વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય. શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા? અંધાધૂંધી? જેનો અંત કે ઉપાય ના દેખાતો હોય તવું વૈમનસ્ય? અનવરત ઘર્ષણ?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કશુંક જૂનું, કશુંક નવું&lt;br /&gt;
|next = કેવો અફસોસ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82%E0%AA%95_%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82,_%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82%E0%AA%95_%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82&amp;diff=110299</id>
		<title>દરિયાપારથી.../કશુંક જૂનું, કશુંક નવું</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82%E0%AA%95_%E0%AA%9C%E0%AB%82%E0%AA%A8%E0%AB%81%E0%AA%82,_%E0%AA%95%E0%AA%B6%E0%AB%81%E0%AA%82%E0%AA%95_%E0%AA%A8%E0%AA%B5%E0%AB%81%E0%AA%82&amp;diff=110299"/>
		<updated>2026-04-26T06:11:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કશુંક જૂનું, કશુંક નવું }}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
વાત તદ્દન સામાન્ય સ્તરથી શરૂ થાય છે. એમાં ફક્ત સ્થૂળ ઈંદ્રીય-ભાન સંકળાયેલું લાગે છે. કામ મુખ્યત્વે કર્ણેન્દ્રીયનું પડે છે. થયું એવું કે એક મિત્ર તરફથી આમંત્રણ મળ્યું. એણે સંગીતની એક મિજલસ યોજી હતી. “જૂનાં ગીતો સાંભળીશું”, એમ એણે કહેલું. ને બસ, વધારે કશું કહેવાની જરૂર નહતી. જૂનાં ગીતો એટલે શું, કે કયાં, તે સમજાવવાનું હોય જ નહીં ને. એ બે શબ્દોનો અર્થ એક જ થાય છે, ને તે બધાં જાણતાં હોય છે. જૂની હિન્દી સિનેમાનાં ગીતો એટલે “જૂનાં ગીતો.” બીજી કોઈ જાતનાં ગીતો આ પ્રકારમાં પડતાં નથી. &lt;br /&gt;
બંગાળમાં પણ એક આવો શબ્દ છે – “આધુનિક ગાન”. એ શબ્દ કહેતાં પણ આવો જ એકાંતિક સ્પષ્ટ અર્થ વર્ણવાઈ જતો હોય છે. બંગાળી ફિલ્મનાં ગીત, રવીન્દ્રસંગીત, શ્યામા-સંગીત, અતુલપ્રસાદનાં ગાન, નજરુલ-ગીતિ વગેરે નામો પ્રચલિત છે. પણ “આધુનિક” એટલે આ બધાં નામોથી ભિન્ન, મોટે ભાગે એક જ શબ્દથી ઓળખાતો , એક આગવો જ પ્રકાર. એવાં ઘણાં બંગાળીઓ હોય છે કે જેમને “આધુનિક” ના ગમતાં હોય, પણ એવું કોઈ હશે ખરું જેમને “જૂનાં ગીતો”નું ખેંચાણ ના હોય? &lt;br /&gt;
વળી, “આધુનિક” અને “જૂનાં ગીતો” વચ્ચે એક મોટો ભેદ છે. પહેલા પ્રકારમાં કોઈ ફિલ્મી ગીતનો સમાવેશ નથી થતો, અને એમાં એવું હોય છે કે ૧૯૪૫માં લખાયેલું-ગવાયેલું ગીત હોય કે ૧૯૯૫માં, પણ એ ઓળખાય છે “આધુનિક” તરીકે જ. “જૂનાં ગીતો” એટલે ફિલ્મનાં જ ગીત, અને એમાં એવું છે કે કયાં ગીતોની ગણત્રી, કે પસંદગી કરવી તે સાંભળનારની ઉંમર પર આધાર રાખે છે. &lt;br /&gt;
ખેર, એ મિજલસની આમંત્રક મિત્ર નજીકમાં રહેતી હતી, અને જવા-આવવામાં બહુ સમય લગવાનો નહતો, તેથી ‘મઝા આવશે કે નહીં?’, ની બહુ ચિંતા કરી નહીં. બધાં આમંત્રિતો ગુજરાતી જ હતાં. ભારતની બહાર વસતાં ઈન્ડિયનો મોટે ભાગે આ જ રીતે, પ્રાંતીય જૂથોમાં જ મળતાં રહેતાં હોય છે. ભિન્ન-પ્રાંતીય કે અજાણ્યું એકાદ જણ હાજર હોય તો એકલું જ પડે. &lt;br /&gt;
એ રાતે બધાં એકબીજાંને ઓળખતાં હતાં. બૃહદ્ ગુજરાત અને મુંબઈમાંથી આવેલાં, અને અમેરિકામાં નજીકમાં રહેતાં હોઈ એક લઘુ-સમાજનાં સદસ્ય બન્યાં હતાં. બધાં સમવયસ્ક હતાં, તેથી “જૂનાં ગીતો”ની પસંદગી એકસરખી હતી. યજમાન-ગૃહિણીએ એક યાદી તૈયાર કરી રાખેલી, પણ એમનાંનાં અમુક બાકી રહ્યાં, એ સિવાયનાં અમુક ગવાયાં. &lt;br /&gt;
સાંભળનારાંના ભાવ જોવા જેવા હતા! કોઈ ડોલે, કોઈ તાલ આપે, કોઈ ગીતની સાથે હોઠ ફફડાવે. કોઈ વળી ગાઈને દખલ પણ કરે. તન્મય બધાં જ હતાં. ભલે આંખ ભીની ના થઈ હોય, પણ દરેક જણના હૃદયની ત્વચા પર તો શેવાળ વળી જ હતી. “જૂનાં ગીતો” એટલે જૂની યાદો. ઘરની યાદ, યુવાનીની યાદ, કૉલૅજ-કાળની અને પ્રથમ પ્રેમના અંકુરની ઝાંખી યાદ. “જૂનાં ગીતો” વીતી ગયેલા સમય માટેની કોઈ ઝંખના પેદા કરે છે. કહેવાય નહીં એવા વિયોગનો મુંઝારો ઉત્પન્ન કરે છે. તેથી જ, ક્યારેક થાય છે કે જા, હવે ક્યારેય “જૂનાં ગીતો” સાંભળવાં જ નથી. &lt;br /&gt;
ને એ ગીતો હોય છે પણ કેવાં – જાણે આપણે માટે જ ના લખ્યાં હોય. દરેક ગીતની સાથે અનેક સ્મૃતિઓ દરેક શ્રોતાનાં મન સામે આવતી હતી, કનડતી હતી, રુંવાડાં ઊભાં કરતી હતી. મઝધારનું તોફાન જાણે બધાં કિનારાની સલામતીમાં રહ્યે રહ્યે અનુભવતાં હતાં. બે વિરોધી ભાવો – સ્મૃતિઓની આગ, સાંપ્રતની સભાનતા. કૉલૅજના સમયના ટુકડા બધાં આ ગીતોમાંથી શોધી રહ્યાં હતાં ખરાં, પણ કૉલૅજ-કાળનાં પ્રેમપાત્રો સિવાયનાંની સાથે જિંદગી વિતાવી રહ્યાં હતાં&lt;br /&gt;
આપણને તો પ્લૅટૉનિક તેમજ આધ્યાત્મિક કહી શકાય તેવા પ્રેમ-ભાવનો અનુભવ હોઈ શકે છે. એક જમાનાનું પ્રેમ-પાત્ર અનુપસ્થિત હોય, પણ પ્રેમ-ભાવ મનને ખૂણે સ્થાયી હોય, તેમ અનેકાનેક સાથે બન્યું જ હશે, એમાં આપણને શંકા નથી થતી. &lt;br /&gt;
જો કેવળ સ્થૂળ ઈન્દ્રીય-ભાનની દૃષ્ટિથી આવી મિજલસની ચર્ચા કરું તો ભારતની બહાર વસતાં ઈન્ડિયનોનાં જીવનની સીમિતતા પણ એમાં સ્પષ્ટ થતી જણાય છે. જેમકે, જ્યાં વસવું નથી તેવા સ્થાનની યાદોમાં મગ્ન રહે છે, અને જ્યાં ઈચ્છાપૂર્વક વસે છે તેના કળા-જગતમાં રસ લેતાં નથી. પોતાનું કશું પણ ગુમાવ્યા વગર નવું અને સુંદર બીજું ઘણું પામી શકાય છે, એ વાત આવાં અસંખ્ય ઈન્ડિયન જાણતાં નથી. &lt;br /&gt;
બે સાવ જુદા દેશો અને એમની સાવ જુદી કળા-શૈલીઓનો ઉલ્લેખ ના કરીએ, ને કેવળ એક પ્રાંતના જ કળા-વિષયનો દાખલો લઈએ, તો પણ જોઈ શકાય છે કે બહુધા લોકોના રસ સીમિત હોય છે, અને સહેલા મનોરંજન-પ્રકારો માટે જ હોય છે.&lt;br /&gt;
અતીત અને વર્તમાન, છોડી દીધેલો દેશ અને વસવાટનો દેશ – અવા સંજોગો વચ્ચે સમતુલન જાળવવું પડે છે, ને એ માટે પ્રયત્ન કરતાં રહેવાનું હોય છે. સદ્ભાગ્યે, ન્યૂયોર્ક શહેરમાં વૈકલ્પિક પ્રવૃત્તિની શક્યતાઓની ખોટ હોતી નથી. જેમકે, શહેરમાં રહેતા એક મિત્ર-દંપતીએ ઉસ્તાદ સુલતાનખાનનું સારંગીવાદન ગોઠવેલું. ‘એકલ વાદક’ તરીકે એ ઘણા લોકપ્રિય બન્યા છે. મોટા સભાખંડમાં જાહેર કાર્યક્રમ હોય ત્યારે એમની જુગલબંધી લોક-લાડીલા તબલા-વાદક ઉસ્તાદ ઝાકીરહુસેન સાથે હોય, પણ કોઈના ઘરમાં મિજલસ થતી હોય ત્યારે તબલાં વગાડનાર કરતાં વધારે પ્રાધાન્ય સુલતાનખાનને મળે. &lt;br /&gt;
સારંગી વગાડતાં હવે એ ગાવા પણ લાગે છે. જૂની જૂની બંદિશ એમની પાસે સાંભળવા મળેઃ “નદિયા કિનારે બૈઠી ઝૂલા ખાય–”, કે “ન મારો પિચકારી, જાઉં તોપે વારી–”, અને “ફગવા બ્રિજ દેખનકો ચલો રી–” વગેરે.&lt;br /&gt;
કળાના ઉપભોગનો રસ પ્રાંતથી દેશ સુધી, અને છેલ્લે વિશ્વ સુધી વિસ્તાર પામી શકે છે. ક્યારેક અન્ય મિજલસોમાં વિશ્વ-સંગીત સાંભળવા મળે. નાઈજિરિયન પરંપરાગત ઢોલ, બ્રાઝિલિયન ગિતાર, બે જુદી જુદી સ્પૅનિશ ખાસિયતનાં ગાન, દક્શિણ અમેરિકાના પેરુ દેશ અને ઍક્વાદૉર દેશનાં અવનવાં વાજિંત્રો અને ત્યાંની લાક્શણિક પહાડી વાંસળી વગેરે બધું જ મુગ્ધકર લાગે. વધારે શ્રોતા બિન-ભારતીય હોય. બધાં જ તન્મય થઈને સાંભળે. મારું હૃદય તો હંમેશાં અનેક દિશાઓ અને દેશો તરફ ખેંચાતું જ રહેતું હોય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કાલિકટ – સદીઓ પછી&lt;br /&gt;
|next = કેટકેટલા ઈશ્વરો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%9F_%E2%80%93_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%93_%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80&amp;diff=110298</id>
		<title>દરિયાપારથી.../કાલિકટ – સદીઓ પછી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%9F_%E2%80%93_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%93_%E0%AA%AA%E0%AA%9B%E0%AB%80&amp;diff=110298"/>
		<updated>2026-04-26T06:10:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કાલિકટ – સદીઓ પછી }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વના ભૌગોલિક ઈતિહાસમાં પંદરમી સદીનું મહત્ત્વ અપરંપાર છે. એ કાળમાં મહાસાગરો જાણે મહામાર્ગ બન્યા હતા, નવી દિશાઓએ જાણે અવનવા દેશો તરફ આંગળી ચીંધી આપી હતી, અને બીજી સદીના વિદ્વાન પ્ટોલેમીએ દોરેલાં વિશ્વ અંગેનાં અંકનોમાં અનેક વિગતોનો ઉમેરો થઈ ચૂક્યો હતો. &lt;br /&gt;
યુરોપમાં છેક દક્શિણે આવેલા બે પાડોશી દેશો આ સાગરખેડુ પ્રવૃત્તિમાં એકમેકના હરીફ હતા. એ બે તે સ્પેઇન અને પોર્તુગાલ. ત્યાંથી જ ઘણા મોટા ભૂમિ-શોધકો પાક્યા. સ્પેઇન દેશના કોર્તેઝ દક્શિણ અમેરિકાના પ્રદેશમાં પહોંચ્યા, ને ત્યાં સ્પેઇનનું રાજ્ય સ્થાપ્યું. પણ વધારે વિખ્યાત તો ક્રિસ્ટોફર કોલમ્બસ થયા. એ પોતે હતા તો ઈટાલિયન, પણ ઈટાલીમાંથી એમને પ્રોત્સાહન અને સહાય ના મળ્યાં. એમણે પણ સ્પેઇનના રાજાના નામે જ પ્રયાણ કર્યું. કોલમ્બસ પહોંચવા માગતા હતા ઈન્ડિયા, પણ પહોંચી ગયા ક્યાંક “બીજે” જ! જે કામ કોલમ્બસથી નહતું થયું, તે સિદ્ધ કર્યું પોર્તુગાલ દેશના વતની વાસ્કો દ ગામાએ. &lt;br /&gt;
આ રીતે, હજારો વર્ષોથી ેકબીજાથી અજાણ્યા રહેલા દેશો|પ્રદેશો|ખંડોનું પરસ્પર સંધાન થવા માંડ્યું. પંદરમી સદીમાં દુનિયાનો જે આકાર બન્યો, તે જ આજ સુધી રહેલો છે. યુરોપને આકાંક્શા હતી દરિયાપાર શાસન ફેલાવવાની. જૂના વિશ્વ અને નવા વિશ્વ વચ્ચે અનેકવિધ આદાનપ્રદાન થવા માંડ્યું. પરસ્પરનાં સાંસ્કૃતિક વલણો, ભાષાઓ, આહાર, જીવન-રીતિ, ધર્મ, અન્ય પ્રથાઓ વગેરે અનેક બાબતોની અસરો શાસકો તેમજ શાસિતો ઉપર પડતી રહી. આવાં સંમિશ્રણોથી રચાયેલું રહ્યું છે આપણું વર્તમાન વિશ્વ.&lt;br /&gt;
પોર્તુગાલનું રાજ્ય-ક્શેત્ર તો સાવ નાનકડું, પણ એ યુગ દરમ્યાન એકસોથી પણ વધારે વર્ષો સુધી એ યુરોપી સામુદ્રિક અન્વેષણોમાં મોખરાને સ્થાને રહ્યું હતું. ત્યાંના રાજપુત્ર હૅન્રિ પોતે જ વહાણ-સંચાલકનું બિરુદ પામેલા, અને વહાણવટાને એમણે રાજ્યનીતિમાં મુખ્ય સ્થાન આપેલું. પોતાના દેશના કિનારાઓની નજીકમાં આવેલા ટાપુઓ અને ભૂશિરો પછી શું હશે એ જાણવાની એમને ઊંડી ઉત્સુકતા હતી. દૂરનાં સ્થાનો વિષે નહતું કશું લખાયું, કે નહતી ક્યાંયથી એમને વિષે ઊડતી વાતો આવેલી. રાજકુમાર હૅન્રિને થતું કે પોતે અથવા રાજ્યનો કોઈ સાહસી ઉમરાવ એ વિષેની શોધ હાથમાં નહીં લે, તો કોઈ ખલાસી કે સોદાગર તો ક્યારેય એવું ગજું નહીં કરી શકે. જ્યાં નફાની ખાતરી કે આશા ના હોય ત્યાં એ બધા ક્યાં જવાના? તેથી હૅન્રિએ જ નૌકાદળ તૈયાર કર્યું, અને કેટલાંયે સાગર-સાહસ માટે એ વહાણો મોકલતા રહ્યા. ઉત્તમ વહાણો બનાવવા માટે, અને સારા નાવિકો ઊભા કરવા માટે એમણે એક કેન્દ્ર પણ સ્થાપ્યું. એમાં ખગોળશાસ્ત્રનો અભ્યાસ તો એવો વિકસ્યો કે આખા યુરોપના નાવિકોએ એનો આધાર લીધા કર્યો.&lt;br /&gt;
પોર્તુગાલના પાટનગર લિસ્બનની બહાર તરફ, પહોળા પટવાળી તેગુ નદીને કિનારે, બેલેમ નામની જગ્યા છે. એક જમાનામાં ત્યાં ધીકતું બંદર હતું. ત્યાંથી જ નીકળીને બાહોશ કપ્તાન વાસ્કો દ ગામા ઈન્ડિયાને શોધવા નીકળેલા, અને દોઢેક વર્ષે, ૧૪૯૮માં કાલિકટને કિનારે પહોંચેલા. આ સાહસને બિરદાવવા, લિસ્બન જઈને સૌથી પહેલાં હું આ બેલેમ જગ્યાનાં દર્શન કરવા ગઈ હતી. વર્ષો પહેલાં બંધાયેલો એક ઠીંગણો લાગતો, ને સુંદર કોતરણી કરેલા સફેદ પથ્થરનો મિનાર તો હતો જ, પણ વાસ્કો દ ગામાની સફળ સાગર-સફરને સન્માનવા માટે, છેક નદીની ધાર પર હોય તેવું, એક અત્યંત પ્રભાવશાળી સ્મારક થોડા વખત પહેલાં બનાવવામાં આવ્યું હતું. એનો પાછલો ભાગ તદ્દન સીધો છે -નાવિકના પોષાક સાથે ધારણ કરાતી લાંબી, પાતળી, તીણી તલવાર દર્શાવતો. આગલો ભાગ તોતિંગ તથા સુરેખ વહાણ જેવો છે. દરિયામાં ભળી ગયેલી તેગુ નદીના પાણીમાં ધસી જવા તૈયાર અને તત્પર થયેલું વહાણ. એના ઊંચા મોભ ઉપર ઊભા છે દ ગામા પોતે – સંગેમરમરમાં કંડારાયેલા, દરિયાખેડુ કપ્તાનનાં વસ્ત્રોમાં, સાહસ માટે આતુર, લક્શ્યથી સભાન. આ સ્મારક-વહાણની બંને બાજુ, દ ગામાની પાછળ ઊભેલા નાવિકો, ખલાસીઓ, અમલદારો, ધ્વજધારીઓ, ને પાદરીઓનાં શિલ્પ છે. આ આખું વિરચન અને કલ્પન અસાધારણસુંદર ને પ્રતીકાત્મક છે.&lt;br /&gt;
આ સ્મારકની આસપાસ કાળા, સફેદ અને લાલ પથ્થરોથી જડેલું ખૂબ જ વિસ્તૃત ચોગાન છે. એની વચ્ચોવચ, કપચીથી બનાવેલા પરિઘવાળું અતિવિશાળ વર્તુળ છે. એમાં દુનિયાના દેશોના આકાર લાલ પથ્થરથી, અને સમુદ્રો ભૂરા પથ્થરોથી દર્શાવાયા છે. પોર્તુગાલે કરેલાં સામુદ્રિક અભિયાનો વહાણની નાની નાની આકૃતિઓ દ્વારા નોંધાયાં છે. વળી, ત્યાં ત્યાં પહોંચ્યાનાં વર્ષ પણ ખરાં. કાલિકટ, ગોવા, દીવ, દમણ વગેરે નામથી આપણો ઈતિહાસ તાજો થઈ જાય. ભારતનાં આ થાણાંમાં ચારસો વર્ષ સુધી પોર્તુગીઝ કૉલૉની રહી. તદુપરાંત, બ્રાઝિલ, મોઝામ્બિક, ઈન્ડોનેશિયા, દક્શિણ આફ્રિકા વગેરે દેશોમાં પણ પોર્તુગીઝ સત્તા રહી. &lt;br /&gt;
આખી દુનિયાની પ્રદક્શિણા સૌથી પહેલી વાર જ્યારે થઈ ત્યારે તે કરનારા હતા પોર્તુગીઝ સમુદ્ર-વીરો. ૧૫૨૨માં ‘વિક્ટોરિયા’, એટલે વિજય, નામના વહાણે એ સિદ્ધ કરી હતી. એના કપ્તાન ફર્ડિનાન્ડ મૅજૅલાન પૅસિફિક ટાપુવાસીઓ દ્વારા મૃત્યુ પામ્યા હતા. આજે પણ, દુનિયાની છેક દક્શિણે આવેલી સમુદ્રધુનિ મૅજૅલાનના નામથી ઓળખાય છે. &lt;br /&gt;
પછી અમુક વખતે, આ બે સાહસી હરીફ દેશો- સ્પેઇન અને પોર્તુગાલ – વચ્ચે સમજૂતીપૂર્વક, એક જમાનામાં પોતપોતાના જીતેલા પ્રદેશોની સરહદો નક્કી કરાઈ હતી. તે મુજબ, ઉત્તરથી દક્શિણ જતી સરહદી રેખાની પૂર્વ તરફની ભૂમિ પોર્તુગાલના રાજા તથા વંશજોની, અને બાકીની બધી સ્પેઇનનાં રાજા-રાણીની ગણાય છે.&lt;br /&gt;
અત્યારે કદાચ નવાઈ લાગે કે એ સમયે પણ આ બધા બનાવોનું લેખિત પ્રમાણ રાખવામાં આવતું હતું. છાપકામની શરૂઆત પણ સોળમી સદીમાં જ થઈ હતી, તેથી ભ્રમણ-યાત્રા, અભ્યાસ-ગ્રંથો, નકશા વગેરેની પ્રતો થવા માંડી હતી. વિશિષ્ટ પ્રદર્શનોમાં ક્યારેક એ પ્રાચીન સમયની મૂળ પ્રતો જોવા મળી પણ જતી હોય છે. એવા ભૌતિક રૂપે દેખાઈ જતો ઈતિહાસ ઘણી વધારે નવાઈ પમાડી જાય છે. દુનિયા આખીની શોધ કરનારા જ એ બધા હતા, દુનિયાને આજનું સ્વરૂપ મળવાની શરૂઆત જ એ બધાથી થઈ. હવે તો જાણે કશું “શોધવાનું” બાકી જ નથી રહ્યું. હવે તો ફક્ત એ આદ્ય-પ્રવાસીઓને યાદ કરીને, શક્ય હોય તે રીતે, એમને અનુસરવાનું જ રહ્યું. &lt;br /&gt;
પોર્તુગાલના કેટલાયે નાવિકો અને કપ્તાનોએ જીવ ગુમાવ્યા, કેટલાંયે વહાણો ડૂબીને દરિયાને તળિયે ગયાં, ને છતાં એમની બહાદુરીની વાતો ઓછેવત્તે અંશે સચવાયેલી રહી છે. જેમકે, સોળમી સદીના, લુઈસ દ કામ્પો નામના પોર્તુગીઝ કવિએ વાસ્કો દ ગામાનાં સાહસો ઉપર એક મહાકાવ્ય લખ્યું હતું. એમાં દ ગામાના શબ્દોમાં કવિ કહે છે, “જો બધાં ભયજનક તોફાનો, વીંઝાતા પવનો, હવાને પણ સળગાવી મૂકતી વીજળીઓ, મૂશળધાર વરસાદો, કાળી રાતો, અને અંત વગરનાં બધાં જોખમોની વાતો કરવા બેસું તો કદાચ કંટાળાજનક, કે ખોટી બહાદુરી જેવું, કે જુઠાણાં જેવું, કે પછી હું ગાંડો હોઉં તેવું લાગશે.”&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કાગળ – સઘળું કે કૈં નહીં?&lt;br /&gt;
|next = કશુંક જૂનું, કશુંક નવું&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AA%BE%E0%AA%97%E0%AA%B3_%E2%80%93_%E0%AA%B8%E0%AA%98%E0%AA%B3%E0%AB%81%E0%AA%82_%E0%AA%95%E0%AB%87_%E0%AA%95%E0%AB%88%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82%3F&amp;diff=110297</id>
		<title>દરિયાપારથી.../કાગળ – સઘળું કે કૈં નહીં?</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%95%E0%AA%BE%E0%AA%97%E0%AA%B3_%E2%80%93_%E0%AA%B8%E0%AA%98%E0%AA%B3%E0%AB%81%E0%AA%82_%E0%AA%95%E0%AB%87_%E0%AA%95%E0%AB%88%E0%AA%82_%E0%AA%A8%E0%AA%B9%E0%AB%80%E0%AA%82%3F&amp;diff=110297"/>
		<updated>2026-04-26T06:08:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કાગળ – સઘળું કે કૈં નહીં?}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વર્ષો પહેલાં યંત્ર-યુગ કહીને વખોડ્યો હતો તે કાળ, જુઓ તો ખરાં, હવે તો કેવો આકરો બની ગયો છે. હવે તો ડગલે-પગલે મશિન, શ્વાસે શ્વાસે અને ક્શણે ક્શણે મશિન. શબ્દે શબ્દે પણ મશિન જ છે ને. નથી થતું બધું જ લખવાનું કામ હવે ઇલેક્ટ્રૉનિક સાધનો દ્વારા? અરે, હવે તો એ સમય આવ્યો છે કે જ્યારે લખવા માટે આંગળંા નહીં, ટેરવાં પણ નહીં, કેવળ અવાજ વપરાઈ શકે છે.&lt;br /&gt;
મારે માટે તો આ પરમ કષ્ટનો કાળ છે. એકવીસમી સદીમાં જે જુનવાણી કહેવાય તેમાંની હું એક છું. વૈદ્યુત્તિક સાધનો નછૂટકે જ વાપરવાનો દુરાગ્રહ હું ધરાવું છું. કાગળના સામીપ્ય અને સ્પર્શ માટેનું મારંુ આકર્ષણ ઘટવાનું નથી. &lt;br /&gt;
કાગળના ઇતિહાસ વિષે વાંચીએ તો સમજાય છે કે વિશ્વના વિભિન્ન સમાજોમાં ગ્નાન ને ધર્મ ફેલાવવામાં, તથા એમની પ્રગતિમાં કાગળ ઘણો કારણભૂત બન્યો હતો. સૌ પ્રથમ, ચીનમાં બે હજારથી વધારે વર્ષ પહેલાં કાગળ શોધાયો હતો. એ પછી હજાર વર્ષ વીતી ગયાં ત્યારે કાગળ યુરોપમાં પહોંચ્યો. જેમ જેમ ચીનની વેપાર -વણઝારો બહાર જતી ગઈ, ને જેમ જેમ બીજા દેશો ચીન પર ચઢી આવતા ગયા, તેમ તેમ કાગળ અંગેની માહિતી અન્યત્ર પહોંચવા લાગી. જાપાન, કોરિઆ અને મધ્ય-એશિયા આ રીતે કાગળથી પરિચિત બન્યા. &lt;br /&gt;
આઠમી સદીમાં ઇસ્લામના પ્રસારણ સાથે આ પરિચિતતા ઇરાક, સિરિયા, ઇજિપ્ત અને ઉત્તર આફ્રિકા થતી થતી સ્પેઇન, એટલેકે દક્શિણ યુરોપમાં પ્રવેશી. આઠમીથી ચૌદમી સદીના ગાળામાં કાગળ અંગેની માહિતી અને એને બનાવવાની આવડત આખી દુનિયામાં પ્રસરી ગઈ. એનાથી વિભિન્ન ક્શેત્રો- જેવાંકે કળા, સાહિત્ય, ગણિત, વિગ્નાન, વેપાર ઇત્યાદિમાં પ્રચંડ પરિવર્તનો આવ્યાં. બગદાદના ખલિફ હારુન-અલ-રશિદની સલ્તનતથી બધાં સત્તાવાહી રુક્કા અને ફરમાન કાગળ પર લખાવાં શરૂ થયાં, પયગંબરનાં કથનો કલમ દ્વારા કાગળ પર ઊતર્યાં, તથા “એક હજાર ને એક અરબી રાતો” જેવી રોમાંચક વાર્તાઓ પુસ્તકાકાર પામીને અનેક લોકો સુધી પહોંચતી થઈ. નવમી સદીમાં તૈયાર થયેલી એની હસ્તપ્રતના જર્જરિત અંશ આજે શિકાગોના ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રદર્શિત કરાયેલા છે. &lt;br /&gt;
નવા શબ્દો અને પર્યાયો પણ નિપજતા ગયા. આપણો ‘રીમ’ શબ્દ મૂળ અરબી ‘રિઝ્મા’ પરથી આવ્યો, ને સ્પૅનિશમાં એ ‘રૅસ્મા’ થયો. શેતૂર જેવાં ઝાડની છાલની લાંબી પ્રક્રિયા પછી ચીનમાં જે કાગળ બન્યો, તેને માટે ત્યાં ‘ગુ-શિ’ શબ્દ હતો. કહે છે કે એ પરથી અરબીમાં ‘કાઘદ’ જેવો શબ્દ આવ્યો, ને પછી ઘસાઈને આપણને ‘કાગળ’ શબ્દ મળ્યો. ચૌદમી સદીથી અંગ્રેજીમાં પેપર શબ્દ વપરાઈ રહ્યો છે, જેની મૂળ ધાતુ લૅટિનના ‘પેપિરસ’માં છે. &lt;br /&gt;
ઉપરાંત, ‘પૅપિરસ’ નામનું પાતળું ઘાસ નાઇલ નદીનાં કાદવિયાં ભાઠાંમાં સદીઓથી ઊગતું આવ્યું છે. જો સરખાં હવા-પાણી મળે તો એ પાંચ મિટર ઊંચું ઊગે છે, ને એના સાંઠાનો ઘેરાવો બે ઉંચ જેટલો પુષ્ટ થઈ શકે છે. આની પાતળી પટીઓને સાથસાથે મૂકીને, એને ઠોકી ઠોકીને સપાટ કરીને લંબચોરસ બનાવવામાં આવતા. પણ આ પ્રથા શેતૂરની છાલના કાગળ જેટલી લોકપ્રિય કે કાર્યદક્શ ક્યારેય બની નહીં. &lt;br /&gt;
અગિયારમી સદીમાં જથ્થાબંધ કાગળ બનાવવા માટે ઝપાટાબંધ કારખાનાં ખુલવા લાગ્યાં. મોરોક્કોના ફૅઝ શહેરમાં જ બારમી સદીના અંત સુધીમાં ચારસો કારખાનાં થઈ ગયાં હતાં. સ્પેઇન પણ એની પાછળ જ હતું. &lt;br /&gt;
રંગ રંગના કાગળ બનવા માંડ્યા. ઇટાલિએ એક વાર કાગળ બનાવવાનું હાથમાં લીધું, ને જોતજોતાંમાં એ બીજા દેશોથી આગળ નીકળી ગયું. ચૌદમી સદીથી માંડીને આજ સુધી ઇટાલિ અને ફ્રાન્સ જ આ કાગળ-કળા-ક્શેત્રમાં પ્રધાન રહેલા છે. &lt;br /&gt;
કુર્રાનને કાગળ પર ઉતારવાનું શરૂ થયું પછી કળાત્મક અને સુંદર એવી ‘કુફિક’, ‘નકશી’ વગેરે લેખન-લિપિ પણ વિકસી. એ જમાનો કુર્રાન-લેખનનો સુવર્ણકાળ હતો. વીસ ઇંચ બાય ત્રીસ ઇંચ જેવી સાઇઝના પત્ર પર કુશળ લહિયા સ્યાહી અને પ્રવાહી સોનાથી, ચિત્રાંકન જેવી અરબી લિપિમાં કુર્રાનના પાઠ ઉતારતા. આવી હસ્તપ્રતો હજી ખાસ પ્રદર્શનોમાં અને બ્રિટિશ લાયબ્રેરીમાં જોવા મળતી રહે છે. &lt;br /&gt;
આટલાં મોટાં પાનાંના રિવાજને કારણે, પાઠ અને ઉક્તિઓની સાથે, એની આસપાસ, સુયોગ્ય રંખાંકન દોરવાની શૈલી પણ પ્રચલિત થઈ. પાઠ અઘરો હોય તો એની સમજૂતી માટે નાનાં ચિત્રો દોરાતાં, ખગોળ-શાસ્ત્રનાં પુસ્તકોમાં તારા ને નક્શત્રો રજૂ થતાં, વનસ્પતિશાસ્ત્રની વાત હોય ત્યાં ફૂલ-છોડના નમૂના દર્શાવાતા. પર્શિયન “લઘુ-ચિત્રો” તરીકે ઓળખાતી શૈલી પણ આ કારણે જ સર્જાઈ. ‘શાહનામા’ જેવા ચૌદમી સદીના ગ્રંથમાં દરેક પાના પર વિવિધ દૃશ્યો અનહદ ઝીણવટથી ચિત્રિત થયેલાં છે. કથા અને કળાનો આ સમન્વય પછીની સદીઓમાં ટક્યો નહીં, પણ એ ગ્રંથો હજી અભ્યાસીઓને સંમોહિત કરતા રહે છે. &lt;br /&gt;
અઢારમી સદી ‘ઔદ્યોગિક ક્રાન્તિ’ માટે જાણીતી છે. ત્યારે છાપખાનાં સિવાય બીજાં કેટલાંયે મોટાં, ઝડપી, વિનાશક યંત્રો શોધાઈ ચૂક્યાં હતાં. આજની સદીમાં તો દુનિયા યંત્રયુગમાં તદ્દન ખૂંપી ગયેલી જણાય છે. યાંત્રિક સાધનો વગરનું જીવન કેવું હતું તે હવે કોઈને ખાસ યાદ પણ નહીં હોય. બલ્કે, એમનાં વગરના જીવનની સંભાવના પણ માનવીઓને ગભરાવી-ગુંગળાવી દે છે. સતત બાહર આવતાં, નવાં નવાં યંત્રો અને યુક્તિઓ માટેની જરૂર અભાનપણે ચિત્તને ગ્રસતી રહે છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ભીંસ રોજે રોજ વધતી જાય છે.&lt;br /&gt;
કમ્પ્યુટર દ્વારા પ્રાપ્ત થતી શીઘ્રતા અને સુવિધાને કારણે લેખિત લિપિ નિષ્પ્રભાવી બનતી ગઈ છે, તો હાથવગાં નાનકડાં ઉપકરણોને કારણે સુંદર, સાહિત્યિક ભાષા નકામી, બિનઉપયોગી લાગતી થઈ છે, ને કોઈ નવી જ જાતની ‘શૉર્ટ હૅન્ડ લૅન્ગ્વૅજ’ અસ્તિત્વમાં આવી ગઈ છે. સાથે જ, કમ્પ્યુટરના આરંભકાળનું વાક્વચન ‘કાગળ વગરનાં કાર્યાલય’ માટેનું હતું, અને બગાડ ઓછો થશે તે ખાત્રી અપાઈ હતી. એવું તો અલબત્ત, નથી જ થયું. જંગલો તો કપાતાં જ જાય છે, અને કમ્પ્યુટરમાંથી ઉતારેલી કોપીઓના કાગળ કચરો થઈને રખડતા રહે છે.&lt;br /&gt;
મારા મનમાં કાગળનો બીજો એક સંદર્ભ ધ્યાનપાત્ર બનેલો છે, જે સામાજિક છે. બલ્કે ભાવાત્મક છે. એ મૈત્રીના સંકલ્પન પર આધારિત છે. બે વ્યક્તિઓ જેના દ્વારા મૈત્રીની, સમાચારોની, સંવેદનોની આપ-લે કરે તેને આપણે “કાગળ” કહીએ છીએ; ના, ના. કહેતાં હતાં. એનું તો ભવિષ્ય જ નથી રહ્યું હવે. હું વર્ષના સો-સવાસો કાગળ-પત્ર લખતી હતી. પ્રત્યુત્તરની આશા ધીરે ધીરે છોડી દીધેલી, ને હવે તો લાગે છે કે કોઈને કાગળ લખીએ તો કદાચ હાસ્યાસ્પદ બનીએ. થોડાં જ વર્ષો પહેલાં જે જીવનનું અગત્યનું અંગ હતું તે હવે ક્યાંય નથી, કૈંયે નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = હરીચ્છા&lt;br /&gt;
|next = કાલિકટ – સદીઓ પછી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%BE&amp;diff=110296</id>
		<title>દરિયાપારથી.../હરીચ્છા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B9%E0%AA%B0%E0%AB%80%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%BE&amp;diff=110296"/>
		<updated>2026-04-26T06:08:06Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|હરીચ્છા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા આ જીવનમાં બે બાબતો નક્કી લાગે છે : એક, લગભગ દરરોજ દરેક જણ કોઈને કોઈ રીતે છેતરાવાનું, અને બે, લગભગ દરેક જણ છેતરાય નહીં તેનો સતત પ્રયત્ન કરતું રહેવાનું.&lt;br /&gt;
હા, એમ તો ક્યારેક ઘણાં બચી પણ જવાનાં. ખાસ કરીને એ દહાડે બહાર ના નીકળ્યાં હોય, કે કોઈ સાથે બોલ્યા-ચાલ્યા વગર ચૂપચાપ પડી રહ્યાં હોય, તેવાં જણ. પણ આવા દહાડા મહિનામાં, વરસમાં કે જીવનમાં કેટલા આવવાના? કામવાળાં ને શાકવાળાંથી દૂર તો લાંબું નહીં જ રહેવાય. વળી, પગે ચાલીને તો નજીકમાં જવાશે, પણ વાહનમાં ચઢ્યા વગર કેટલો વખત ચાલવાનું?&lt;br /&gt;
વાહન એટલે ગતિ, ને ગતિ એટલે શીઘ્રતા. ઝટપટ કામ પતાવી દેવાનું કોને ના ગમે? ને તેથી જ, આધુનિક જમાનામાં રહેનારે વાહનો સાથે સંકળાયેલી સજા ભોગવવી જ પડવાની. વાહમ પોતાનું હોય તો સજા પ્રમાણમાં ઓછી સહેવાની આવે. પરન્તુ જાહેર વાહનો સાથે જેમને પનારો પાડવાનો હોય, એમની પાસે બચવાના ખાસ કોઈ ઉપાય હોતા નથી. એવે વખતે કર્મના સિદ્ધાંતમાં માનવા માંડવાનું હોય છે, ને સહેજ નિસાસો નાખીને ‘હરીચ્છા’ કહેતાં રહેવાનું હોય છે. &lt;br /&gt;
આવાં જણમાંની હું પણ એક છું – પણ તે અમુક અંશે. ને તે એટલા માટે, કે સભાનપણે ઘણા દિવસ ઘરમાં રહું છું, તથા પોતાની ગાડી ચલાવી લઉં છું. જોકે તેથી શું? જાહેર વાહનોમાં ચઢવાના પ્રસંગો તદ્દન નાબુદ તો નથી જ કરી શકાતા. જ્યાં વસવાટ કરું છું તે ખૂબ મોટા ન્યૂયોર્ક શહેરમાં, તેમજ દુનિતાભરમાં જ્યાં પ્રવાસે નીકળી પડું છું ત્યાં, ‘પબ્લિક ટ્રાન્સ્પોર્ટ’ તો લેવો જ પડે. આ શબ્દ-પ્રયોગમાં બસ, ભૂગર્ભ રેલ ને ટ્રેન ઉપરાંત ટેક્સી,રિક્શા, છકડો વગેરેનો સમાવેશ પણ થઈ જતો ગણવો. &lt;br /&gt;
જાહેર વાહનો દરેક સમાજના બહુસંખ્ય સદસ્તો માટે અત્યંત આવશ્યક છે જ. ને એમાંયે ટેક્સી અને રિક્શાને તો ‘આવશ્યક અનિષ્ટ’ કહેવાં પડે – જેમના વગર ચાલે નહીં, અને જે દુરિત હોય તે. એમાં બેસવું વધુ ભાગે સજા-રૂપ બનતું હોય છે. ચાલકની ચલન-રીતે, તેમજ ઘણી વાર એનું વર્તન પણ, માંડ સહન થાય એવાં હોય. પરદેશોમાં ટેક્સીનો વપરાશ જ દેખાય, જ્યારે ભારતનાં શહેરોમાં રિક્શાનું એકચક્રી રાજ્ય લાગે. &lt;br /&gt;
છેતરપીંડીની વાતમાં એવું છે, કે ઓછાવત્તા અંશે બધાં યે એની આપ-લેમાં સંડોવાયેલાં હોય – રોજ નહીં તો ક્યારેક ક્યારેક. અમુક લોકો માટે એ જ જીવવાનો ધારો બની ગયો હોય, એવું પણ બને. દુનિયામાં પ્રવાસ કરતાં કરતાં મારી થિયરી એ થઈ ગઈ છે, કે ભાડાની બાબતે, ટેક્સીવાળો તો છેતરવાનો જ. એકલી સ્ત્રીને અજાણી જગ્યાએ જુએ એટલે એના લોહીમાં, ભાડાના પૈસાની બાબતે, કશાક પ્રકારની રસાયણક્રિયા થતી હશે. આપણા દેશમાં ટેક્સી-ચાલકોનો આ સ્વભાવ કદાચ બહુ નહીં દેખાતો હોય, પણ દુનિયાના અન્ય દેશોમાં મને વારંવાર – ઘણી ઘણી વાર – એવા અનુભવ થયા છે, કે હું માનતી થઈ ગઈ છું કે ટેક્સીવાળો મને છેતરવાનો જ. એનો એ સ્વભાવ, ને મારું એ ભાગ્ય! &lt;br /&gt;
આમ છેતરાતાં છેતરાતાં પછી હું આ બાબતને હસતાં હસતાં, હળવા હૈયે, સ્વીકારતી થઈ ગઈ છું. “હશે, જા, તારા નસીબના હશે – તે તું લઈ જા, જા”, માથું હલાવતાં મનમાં એમ કહેતી હોઉ છું! ત્રીજા વિશ્વના ગરીબ દેશોમાં તો ટેક્સીવાળાથી છેતરાવું પોસાય પણ ખરું, કારણકે અમેરિકન ડૉલરની સામે ત્યાં ત્યાંનું નાણું નબળું હોય. પણ ડૉલરમાં છેતરનારો ટેક્સીવાળો મળે ત્યારે ઘણી ખોટ ખાઈ બેસવી પડે. સદ્ભાગ્યે એવો અનુભવ મને થયો નથી, પણ ન્યૂયોર્ક શહેરના આંતર્રાષ્ટ્રીય વિમાન-મથકે ઊતરનારા નવા, બિન-અનુભવી, ખાસ અંગ્રેજી ના બોલતાં હોય તેવાં આગંતુકો તો બિચારાં અમેરિકા આવતાંની સાથે જ સખત છેતરાઈ જતાં. વર્ષો પછી, છેવટે, વિમાન-મથકેથી શહેરની અંદર જવા માટેનો એક નિયત દર બનાવી દેવામાં આવ્યો. એટલે ત્યારથી એ માટે નિશ્ચિંત રહી શકાય છે. &lt;br /&gt;
ભારતના રિક્શાવાળાઓની તો વાત જ નિરાળી છે. પૈસાની બાબતે છેતરવામાં એ બધાને રસ નથી પણ હોતો, પરન્તુ એના પોતાના મન-મિજાજનો એ રાજા હોય છે. એને ના જવું હોત તે દિશામાં એ નહીં જ જવાનો. માથું ધુણાવીને ના પાડી દેવાનો. એને “ભાઈ, ભાઈ” કહીએ, રિક્શા ધીમી ચલાવવા વિનંતી કરીએ, પણ એને શૂર ચઢેલું હોય એમ એ કશું નહીં સાંભળવાનો. ભાડું ચુકવતી વખતે દરનું પત્તું જોવા માગીએ તો ક્યાંતો એ નહીં બતાવવાનો, “નથી” એમ કહી દેવાનો; ક્યાંતો મોઢું બગાડી, ક્યાંકથી ખેંચી કાઢી, આપણી આંખો સામે ધરીને કહેવાનો – “જોઈ લો, જોઈ લો.” બંને રીતે ભોંઠા પડવાનો વારો તો આપણો જ હોવાનો. &lt;br /&gt;
છતાં રિક્શાવાળા વગર આપણો છૂટકો ક્યા છે? એક વાર બોપલને રસ્તેથી પંચવટી જવા રિક્શા લીધી. એ ચાલવા માંડી કે તરત, રિક્શા-ચાલકને હળી ગયેલો મોટો એક કૂતરો દોડતો આવ્યો. સાથે દોડ્યા જ કર્યો, પાછો જાય જ નહીં. આખરે ચાલકે એને માટે રિક્શા ઊભી રાખી. એને અંદર મારી સાથે રાખ્યો, એટલે ઊતરી જવું તો મારે પડ્યું. ઉપરથી ચાલકની લાલ આંખો ને ગંદો ગુસ્સો પણ મારે ખમવો પડ્યો. &lt;br /&gt;
એ પછી પણ, ઘર સુધી પહોંચવા માટે બીજી રક્શાનો, ને એના ચાલકનો અશરો તો લેવો જ પડ્યો. &lt;br /&gt;
બે-ત્રણ જગ્યાએ જવું હોય ત્યારે સમજાવી-પટાવીને થોડી મિનિટો રિક્શાવાળાને ઊભો રાખું ત્યારે હું એને “થૅન્ક્યુ, હોં ભાઈ” કહેતી હોઉં, ને એનો ભાવ ઉપકાર-કર્તાનો હોય. એક વાર વિસનગરમાં લીધેલી એક રિક્શા એટલી તો ખખડધજ, ને બધી રીતે ઘસાઈ ગયેલી હતી, કે સાવ ધીમે, માંડ માંડ ચાલી. પણ એ માટેની ચીડ થોડી વારમાં ઊતરી ગઈ, ને ઊલ્ટું, એ સાવ સૂકલકડા ચાલકને માટે જીવ બળવા માંડ્યો. એવી રિક્શામાં ફસાઈ હતી તો હું, છતાં અપરાધ-ભાવ અનુભવવાનો પણ મારે જ હતો!&lt;br /&gt;
આપણાં બધાંનો સાચો સગો યે રિક્શાવાળો જ છે. એ જો મોઢું ફેરવી લઈ શકે છે, તો રસ્તાની ધારે અસહાય ઊભાં હોઈએ ત્યારે આવીને એ જ પાસે ઊભો રહે છે! આપણે બધાંને સાચો આધાર જાહેર વાહનોનો જ હોય છે, એમ નથી લાગતું?&lt;br /&gt;
હું પરદેશથી આવી છું એમ ના લાગે એ માટે હું તો ઘણી મહેનત કરું – મિટરમાં શૂન્ય થયું છે કે નહીં તે ખાસ જોઉં, કયે રસ્તે વાહન લેવું તે કહું, ભાડું બહુ થયાની ફરિયાદ કરું, પણ કોઈ ચાલક ક્યારેય મારાથી ગભરાતો કે છક થતો નથી હોતો. એમાંનો કોઈ ક્યારેય મારાથી છેતરાયેલો પણ જાણ્યો નથી. હશે. હરીચ્છા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = હાસ્ય વિષે પિષ્ટપેષણ&lt;br /&gt;
|next = કાગળ – સઘળું કે કૈં નહીં?&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AA%E0%AB%87%E0%AA%B7%E0%AA%A3&amp;diff=110295</id>
		<title>દરિયાપારથી.../હાસ્ય વિષે પિષ્ટપેષણ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AA%E0%AB%87%E0%AA%B7%E0%AA%A3&amp;diff=110295"/>
		<updated>2026-04-26T06:06:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|હાસ્ય વિષે પિષ્ટપેષણ}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
ઇંગ્લૅંડનાં રાણી વિક્ટોરિયા માટે એક ઉક્તિ વપરાતી આવી છે – “અમે મનોરંજિત નથી થયાં.” એટલેકે, બધાંને મઝા પડે ને હસવું આવે એવી વાત રાણીને હસવા જેવી ના લાગતી. એ સ્વભાવે ગંભીર હતાં, ને તેથી, વિખ્યાત થયેલી આ ઉક્તિ એમના નામ સાથે જોડાઈ ગયેલી છે. ખરેખર કદાચ એમણે એવું કહ્યું ના પણ હોય.&lt;br /&gt;
જોકે કહ્યું હોય તો પણ શું? કોઈ વાર આપણને પણ આવું કંઈક કહેવાની જરૂર નથી પડતી? સાવ સાધારણ કે મૂરખ જેવી વાત હસવા જેવી ના લાગે, તો તે સ્પષ્ટ રીતે જાહેર કરવા માટે કોઈએ રાણી કે રાજા બનવું પડતું નથી. હા, કદાચ થોડા બુદ્ધિમાન કે વિચારશીલ જરૂર બનવું પડતું હોય છે.&lt;br /&gt;
આપણી ભાષામાં જાતજાતના સરસ શબ્દો છે – ટુચકા, રમૂજ, મજાક, ઠઠ્ઠો, ને પછી ઉપહાસ, પરિહાસ, કટાક્શ, વિકૃત હાસ્ય. અંગ્રેજીમાં જે ‘હ્યુમર’ છે તે આપણે ત્યાં ‘વિનોદ’, તથા અંગ્રેજીનો ‘વિટ’ શબ્દ ‘વાક્ચાતુર્ય’ બને છે. હાસ્ય-પ્રકારના ક્શેત્રમાં દરેક શબ્દ સૂક્શ્મ રીતે જુદી જુદી એવી છાયા દર્શાવતો રહે છે. ઉપરાંત, એમનાં અર્થ તેમજ અસરનો આધાર ઘણી વાર સમય અને સંજોગો પર રહેતો હોય છે. હસવું અને હસાવવું – એ લાગે છે તેટલી સરળ બાબત નથી. કોઈ પોતાના અનુભવો – હાસ્યજનક કે કરુણ કે મુશ્કેલ -ની વાત કરીને હસતું કે હસાવતું હોય તો વાંધો નહીં, પણ જો કોઈ બીજું એ વાત કરી હસવા કે હસાવવા માંડે તો તે મશ્કરી બની જાય છે, અને તેથી અપમાનજનક ને દુઃખજનક બની જાય છે. &lt;br /&gt;
જીવનમાં હસવું જેટલું જરૂરી છે તેટલું જ હસાવવું અઘરું છે. દરેક વ્યક્તિની હાસ્ય માણવાની કક્શા જુદી હોય છે. કોઈને છગન-મગનના ટુચકાથી ચાલે, કોઈને સાધારણ જોક્સ ગમે, કોઈ ‘ચાંપલાશ’થી ખુશ થતું રહે, તો કોઈને ‘હોશિયારી ભરેલા’ લતીફામાં જ રસ પડે. આવી વિભિન્ન કક્શાવાળી અનેક વ્યક્તિઓથી બનેલા શ્રોતાગણને કોઈ પણ એક હાસ્યકાર કઈ રીતે સંતોષી શકે?, કે આનંદ પમાડી શકે?&lt;br /&gt;
હા, સાંભળતી વખતે હસવું આવે પણ ખરું, છતાં અણગમાનો ભાવ બહુ દૂર નથી હોતો. “એમાં શું? બુદ્ધિ બહાર મૂકીને જવાનું” – જેવી દલીલ બધાંને ગળે ઊતરી નથી શકતી. ઘણાં જણને માટે ફક્ત સાધારણ મનોરંજન કરતાં બૌદ્ધિક વ્યાયામની અગત્ય વધારે હોઈ શકે છે. એક માન્યતા એવી છે કે વયની સાથે સાથે અનુભવ તેમજ આસ્વાદ અંગે પાકટતા પણ વધે તે ઈચ્છનીય છે.&lt;br /&gt;
“સાધારણ મનોરંજન”ની બાબતમાં એવું બનતું હોય છે કે કોઈ એક પાર્ટીમાં જાય, ત્યાં ઘણું હસે, ‘બહુ મઝા પડી’ એમ વિચારે, પણ પૂછો તો કહી ના શકે કે કેમ મઝા પડી. ઉપરછલ્લી મઝા એટલી જ જલદી ભુલાઈ જતી હપોય છે. તો શું એમ જ માનવાનું કે “એ તો આમ જ હોય?” દીર્ઘકાલીન સંતોષની આશા શું અસ્થાને જ ગણાય?&lt;br /&gt;
વળી, હાસ્ય મોટે ભાગે પ્રાસંગિક હોય છે. એ પ્રસંગ કે વિગત નહીં જાણનારાં એને માણી નથી શકતાં -બલ્કે મુંઝાઈ અને કંટાળી જાય છે. આપણા મનપસંદ ટેલિવિઝન કાર્યક્રમો આપણે મહેમાનોની હાજરીમાં જોઈ શકીએ છીએ? જોકે આ યુગ વૈશ્વિક માધ્યમોનો થઈ તો ગયો જ છે. ઘણી વાર, ભાષા કે ઉચ્ચાર ના સમજાય ત્યારે શારીરિક હાવભાવ હાસ્યપ્રેરક બની શકે છે, પણ તે કેટલી વાર માટે? અરે, લૉરેલ અને હાર્ડીની પ્રહસનીય રજૂઆત પણ પછીથી થકવી દેવાની.&lt;br /&gt;
પાત્રને કોઈ નાની ખોડ આપીને પ્રેક્ષકોને હસાવવાનો પ્રયત્ન સાધારણ નાટકોમાં ઘણી વાર જોવા મળ્યો જ હશે. ખાસ કરીને નોકરના પાત્રને. ભજવનારો માણસ મંચ પર શરૂઆતમાં આમથી તેમ જમણો ખભો કે હાથ મચડતો, અથવા પગે લંગડાતો જતો હોય. પણ પછી તેમથી આમ જાય ત્યારે વળી ડાબો હાથ કે પગ હલાવવા માંડી ગયો હોય. ધ્યાનથી જોનારાં આ બેકાળજી પર ઉપહાસનું હસે છે. આ પછી આવાં અધકચરાં નાટક પાસેથી, સંવાદોમાંથી મળતા હાસ્યની આશા રાખવી કે નહીં?&lt;br /&gt;
હાસ્યને માણવા માટે હંમેશાં મોટો સમુહ કે જાહેર કાર્યક્રમ જ જરૂરી નથી હોતો. મિત્રો સાથે – ને અજાણ્યાં સાથે પણ – વાતચીતમાં ક્યારેક એવાં સરસ વિનોદ, અને ચતુર પ્રત્યુત્તરી સર્જાઈ જતાં હોય છે, કે સાદી ક્શણો વિશિષ્ટ બની જાય છે. હું પોતે આવી તકો માટે ઉત્સુક રહેતી હોઉં છું. ધારી કે અણધારી એવી તક મળી જાય ત્યારે બહુ મઝા આવી જતી હોય છે.&lt;br /&gt;
વાતચીતોમાં અને વ્યાખ્યાનો દરમ્યાન ઘણી વાર સરળતાથી વિનોદ કરી શકાતો હોય છે, અને તત્કાળ પ્રત્યુત્તરની આપ-લે પણ સફળતાથી થઈ શકતી હોય છે, છતાં એ સ્પષ્ટ છે કે એમાંનું કશું વાચકોને હસાવવા માટે ઉપયુક્ત નથી હોતું. કારણ એ કે વિનોદનો ભાવ ઉચ્ચારિત શબ્દ અને લેખિત શબ્દ- એ બંનેમાંથી જુદી જુદી રીતે પસાર થતો હોય છે. બોલવાની છટા દ્વારા જે વાત કે વિગત વિનોદી કે હાસ્યકર લાગે છે, તે કદાચ કાળા અક્શરમાં ના પણ લાગે. પોતે કરેલા ગોટાળા કે છબરડા વિષે લખવાનું મન ઘણાંને થતું હશે, પણ વાંચવામાં એ ભાગ્યે જ હાસ્ય-સાહિત્ય જેવું બનવાનું.&lt;br /&gt;
વળી, આપણે ઘણું હસીએ, ને મઝા કરીએ, પણ ક્યારેક એ જાણ પણ થતી જ હોય છે કે હાસ્યની પછીતે બહુ વાર રુદન રહેલું હોય છે. જેમકે, બાળકને ખાલી ખાલી રડતું જોઈ આપણે હસીએ છીએ, ને એને ખિલખિલ હસતું જોઈ આર્દ્ર બનીએ છીએ. દરેકના જીવનમાં જો હાસ્ય આવશ્યક છે તો શોક અનિવાર્ય છે. જેમ જીવન આગળ વધે તેમ હસવા ને રડવાનાં બે પાસાં કોઈ જટિલ ને અગમ્ય રીતે જોડાતાં જતાં લાગે છે. &lt;br /&gt;
વિનોદમાંના ગાંભીર્યને વિષે સામાન્ય વ્યક્તિ પણ વિચાર કરી શકે છે. એ માટે રાણી કે રાજા થવું પડતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાત મારી મારી રે&lt;br /&gt;
|next = હરીચ્છા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AA%E0%AB%87%E0%AA%B7%E0%AA%A3&amp;diff=110294</id>
		<title>દરિયાપારથી.../હાસ્ય વિષે પિષ્ટપેષણ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87_%E0%AA%AA%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%AA%E0%AB%87%E0%AA%B7%E0%AA%A3&amp;diff=110294"/>
		<updated>2026-04-26T06:05:14Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|હાસ્ય વિષે પિષ્ટપેષણ}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
ઇંગ્લૅંડનાં રાણી વિક્ટોરિયા માટે એક ઉક્તિ વપરાતી આવી છે – “અમે મનોરંજિત નથી થયાં.” એટલેકે, બધાંને મઝા પડે ને હસવું આવે એવી વાત રાણીને હસવા જેવી ના લાગતી. એ સ્વભાવે ગંભીર હતાં, ને તેથી, વિખ્યાત થયેલી આ ઉક્તિ એમના નામ સાથે જોડાઈ ગયેલી છે. ખરેખર કદાચ એમણે એવું કહ્યું ના પણ હોય.&lt;br /&gt;
જોકે કહ્યું હોય તો પણ શું? કોઈ વાર આપણને પણ આવું કંઈક કહેવાની જરૂર નથી પડતી? સાવ સાધારણ કે મૂરખ જેવી વાત હસવા જેવી ના લાગે, તો તે સ્પષ્ટ રીતે જાહેર કરવા માટે કોઈએ રાણી કે રાજા બનવું પડતું નથી. હા, કદાચ થોડા બુદ્ધિમાન કે વિચારશીલ જરૂર બનવું પડતું હોય છે.&lt;br /&gt;
આપણી ભાષામાં જાતજાતના સરસ શબ્દો છે – ટુચકા, રમૂજ, મજાક, ઠઠ્ઠો, ને પછી ઉપહાસ, પરિહાસ, કટાક્શ, વિકૃત હાસ્ય. અંગ્રેજીમાં જે ‘હ્યુમર’ છે તે આપણે ત્યાં ‘વિનોદ’, તથા અંગ્રેજીનો ‘વિટ’ શબ્દ ‘વાક્ચાતુર્ય’ બને છે. હાસ્ય-પ્રકારના ક્શેત્રમાં દરેક શબ્દ સૂક્શ્મ રીતે જુદી જુદી એવી છાયા દર્શાવતો રહે છે. ઉપરાંત, એમનાં અર્થ તેમજ અસરનો આધાર ઘણી વાર સમય અને સંજોગો પર રહેતો હોય છે. હસવું અને હસાવવું – એ લાગે છે તેટલી સરળ બાબત નથી. કોઈ પોતાના અનુભવો – હાસ્યજનક કે કરુણ કે મુશ્કેલ -ની વાત કરીને હસતું કે હસાવતું હોય તો વાંધો નહીં, પણ જો કોઈ બીજું એ વાત કરી હસવા કે હસાવવા માંડે તો તે મશ્કરી બની જાય છે, અને તેથી અપમાનજનક ને દુઃખજનક બની જાય છે. &lt;br /&gt;
જીવનમાં હસવું જેટલું જરૂરી છે તેટલું જ હસાવવું અઘરું છે. દરેક વ્યક્તિની હાસ્ય માણવાની કક્શા જુદી હોય છે. કોઈને છગન-મગનના ટુચકાથી ચાલે, કોઈને સાધારણ જોક્સ ગમે, કોઈ ‘ચાંપલાશ’થી ખુશ થતું રહે, તો કોઈને ‘હોશિયારી ભરેલા’ લતીફામાં જ રસ પડે. આવી વિભિન્ન કક્શાવાળી અનેક વ્યક્તિઓથી બનેલા શ્રોતાગણને કોઈ પણ એક હાસ્યકાર કઈ રીતે સંતોષી શકે?, કે આનંદ પમાડી શકે?&lt;br /&gt;
હા, સાંભળતી વખતે હસવું આવે પણ ખરું, છતાં અણગમાનો ભાવ બહુ દૂર નથી હોતો. “એમાં શું? બુદ્ધિ બહાર મૂકીને જવાનું” – જેવી દલીલ બધાંને ગળે ઊતરી નથી શકતી. ઘણાં જણને માટે ફક્ત સાધારણ મનોરંજન કરતાં બૌદ્ધિક વ્યાયામની અગત્ય વધારે હોઈ શકે છે. એક માન્યતા એવી છે કે વયની સાથે સાથે અનુભવ તેમજ આસ્વાદ અંગે પાકટતા પણ વધે તે ઈચ્છનીય છે.&lt;br /&gt;
“સાધારણ મનોરંજન”ની બાબતમાં એવું બનતું હોય છે કે કોઈ એક પાર્ટીમાં જાય, ત્યાં ઘણું હસે, ‘બહુ મઝા પડી’ એમ વિચારે, પણ પૂછો તો કહી ના શકે કે કેમ મઝા પડી. ઉપરછલ્લી મઝા એટલી જ જલદી ભુલાઈ જતી હપોય છે. તો શું એમ જ માનવાનું કે “એ તો આમ જ હોય?” દીર્ઘકાલીન સંતોષની આશા શું અસ્થાને જ ગણાય?&lt;br /&gt;
વળી, હાસ્ય મોટે ભાગે પ્રાસંગિક હોય છે. એ પ્રસંગ કે વિગત નહીં જાણનારાં એને માણી નથી શકતાં -બલ્કે મુંઝાઈ અને કંટાળી જાય છે. આપણા મનપસંદ ટેલિવિઝન કાર્યક્રમો આપણે મહેમાનોની હાજરીમાં જોઈ શકીએ છીએ? જોકે આ યુગ વૈશ્વિક માધ્યમોનો થઈ તો ગયો જ છે. ઘણી વાર, ભાષા કે ઉચ્ચાર ના સમજાય ત્યારે શારીરિક હાવભાવ હાસ્યપ્રેરક બની શકે છે, પણ તે કેટલી વાર માટે? અરે, લૉરેલ અને હાર્ડીની પ્રહસનીય રજૂઆત પણ પછીથી થકવી દેવાની.&lt;br /&gt;
પાત્રને કોઈ નાની ખોડ આપીને પ્રેક્ષકોને હસાવવાનો પ્રયત્ન સાધારણ નાટકોમાં ઘણી વાર જોવા મળ્યો જ હશે. ખાસ કરીને નોકરના પાત્રને. ભજવનારો માણસ મંચ પર શરૂઆતમાં આમથી તેમ જમણો ખભો કે હાથ મચડતો, અથવા પગે લંગડાતો જતો હોય. પણ પછી તેમથી આમ જાય ત્યારે વળી ડાબો હાથ કે પગ હલાવવા માંડી ગયો હોય. ધ્યાનથી જોનારાં આ બેકાળજી પર ઉપહાસનું હસે છે. આ પછી આવાં અધકચરાં નાટક પાસેથી, સંવાદોમાંથી મળતા હાસ્યની આશા રાખવી કે નહીં?&lt;br /&gt;
હાસ્યને માણવા માટે હંમેશાં મોટો સમુહ કે જાહેર કાર્યક્રમ જ જરૂરી નથી હોતો. મિત્રો સાથે – ને અજાણ્યાં સાથે પણ – વાતચીતમાં ક્યારેક એવાં સરસ વિનોદ, અને ચતુર પ્રત્યુત્તરી સર્જાઈ જતાં હોય છે, કે સાદી ક્શણો વિશિષ્ટ બની જાય છે. હું પોતે આવી તકો માટે ઉત્સુક રહેતી હોઉં છું. ધારી કે અણધારી એવી તક મળી જાય ત્યારે બહુ મઝા આવી જતી હોય છે.&lt;br /&gt;
વાતચીતોમાં અને વ્યાખ્યાનો દરમ્યાન ઘણી વાર સરળતાથી વિનોદ કરી શકાતો હોય છે, અને તત્કાળ પ્રત્યુત્તરની આપ-લે પણ સફળતાથી થઈ શકતી હોય છે, છતાં એ સ્પષ્ટ છે કે એમાંનું કશું વાચકોને હસાવવા માટે ઉપયુક્ત નથી હોતું. કારણ એ કે વિનોદનો ભાવ ઉચ્ચારિત શબ્દ અને લેખિત શબ્દ- એ બંનેમાંથી જુદી જુદી રીતે પસાર થતો હોય છે. બોલવાની છટા દ્વારા જે વાત કે વિગત વિનોદી કે હાસ્યકર લાગે છે, તે કદાચ કાળા અક્શરમાં ના પણ લાગે. પોતે કરેલા ગોટાળા કે છબરડા વિષે લખવાનું મન ઘણાંને થતું હશે, પણ વાંચવામાં એ ભાગ્યે જ હાસ્ય-સાહિત્ય જેવું બનવાનું.&lt;br /&gt;
વળી, આપણે ઘણું હસીએ, ને મઝા કરીએ, પણ ક્યારેક એ જાણ પણ થતી જ હોય છે કે હાસ્યની પછીતે બહુ વાર રુદન રહેલું હોય છે. જેમકે, બાળકને ખાલી ખાલી રડતું જોઈ આપણે હસીએ છીએ, ને એને ખિલખિલ હસતું જોઈ આર્દ્ર બનીએ છીએ. દરેકના જીવનમાં જો હાસ્ય આવશ્યક છે તો શોક અનિવાર્ય છે. જેમ જીવન આગળ વધે તેમ હસવા ને રડવાનાં બે પાસાં કોઈ જટિલ ને અગમ્ય રીતે જોડાતાં જતાં લાગે છે. &lt;br /&gt;
વિનોદમાંના ગાંભીર્યને વિષે સામાન્ય વ્યક્તિ પણ વિચાર કરી શકે છે. એ માટે રાણી કે રાજા થવું પડતું નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગુજરાત મારી &lt;br /&gt;
|next = મારી રેહરીચ્છા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B0%E0%AB%87&amp;diff=110293</id>
		<title>દરિયાપારથી.../ગુજરાત મારી મારી રે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B0%E0%AB%87&amp;diff=110293"/>
		<updated>2026-04-26T06:01:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગુજરાત મારી મારી રે }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણા દેશના નકશામાં ગુજરાતનો આકાર જાણે આવકારમાં જોડેલા હાથ જેવો લાગે છે. એનો લાંબો, અટકાવ વગરનો સમુદ્ર-કિનારો સદીઓથી અન્ય પ્રજાને આવકારતો, અન્ય હકુમતોને આકર્ષતો રહ્યો છે. વળી, આ મુક્તતાએ પ્રજાને સાહસી અને સાગરખેડુ પણ બનાવી. &lt;br /&gt;
સાગર-કાંઠા પર અનેક સુંદર જગ્યાઓ છે – ઉભરાટ, ઉદવાડા, તિથલ, અને હવામાં એક જુદી જ છાંટવાળા દીવ અને દમણ. ચોરવાડ પણ ખૂબ લોકપ્રિય છે. પણ ત્યાંનો અરબી સમુદ્ર ઉછાંછળો અને તોફાની છે. ગામની સ્ત્રીઓને મેં કાળાં કપડાં અને ઉપર લાલ ઓઢણી વીંટાળીને જતી-આવતી જોયેલી. તેથી મેં એ ઓઢણી ખરીદી, અને કાળાં કપડાં પહેરીને ઉપર ઓઢી.&lt;br /&gt;
પછી કિનારા પરની કાળી શિલા પર હું બેઠી. આમેય આખી શિલા મોજાંના છંટકાવથી ભીની અને લપસણી થયેલી હતી. પણ પછી તો સમુદ્ર વધારે ચંચળ બનતો લાગ્યો. મોજાં વધારે ઊંચાં થયાં, વધારે જોરદાર થયાં. હું સાવ ભીની તો થઈ જ ગઈ, પણ મને લાગ્યું કે સાગર ખરેખર મને ઘસડીને લઈ જવા માગતો હતો. થોડા સ્થાનિક લોકો કિનારે ભેગા થઈ ગયેલા. એમાંના એક પુરુષે છેવટે કહ્યું, “તમે લાલ રંગ ઓઢ્યો છે તેથી પાણી તમારા તરફ આમ ખેંચાઈ આવે છે.” &lt;br /&gt;
આવી બાબતની મને ખબર નહતી, કે લાલ રંગથી પાણી પણ આમ ખેંચાય. એ અનુભવ્યા પછી સાગરની મૈત્રીભરી છેડતી કરવાની, કે પાણીને વધારે લલચાવ્યા કરવાની હિંમત ના રહી! ચોરવાડથી થોડેક જ દૂર સોમનાથનું વિખ્યાત શિવાલય અને દરિયા-કિનારો આવે. બહારથી, એના મોટા, સૂકા, ખાલી ચોગાનમાં એ મંદિર મને બહુ સૂનું લાગે. અલબત્ત, અંદર જઈએ એટલે એ ખ્યાલ ભુલાઈ જાય. ત્યાંના કાંઠા પરનાં મોજાં લાગે તો ભૂલકાં જેવાં નાનાં નાનાં અને નિર્દોષ, પણ ત્યાંયે મઝધારમાં થઈને આવતું ખેંચાણ તો ખરું જ.&lt;br /&gt;
ચોગાનની દીવાલ પાસે તીરના આકારનું એક પાટિયું મૂકેલું છે. એના પર લખ્યું છે ‘દક્શિણ ધ્રુવ.’ કહે છે કે એ જગ્યા અને ધ્રુવ-પ્રદેશની વચ્ચે કોઈ જ અંતરાય નથી. છે કેવળ અનંત અર્ણવ. હિમાચ્છાદિત, અલૌકિક જેવા એ પ્રદેશમાં હું ગઈ છું – અર્જેન્ટિનાના દક્શિણ કિનારેથી – તેથી એ તીર દ્વારા દર્શાવાતી દિશા તરફ તાકી રહેવાનું મને ઘણું ગમ્યું. જાણે ઍન્ટાર્કટિકાનાં અદ્ભુત દ્શ્યો ત્યાંથી દેખાવાનાં ના હોય!&lt;br /&gt;
ઉત્તર ગુજરાતમાં આવેલું પાટણ શહેર તો કેટલું બધું વિશિષ્ટ છે. ત્યાંનાં કોતરણીવાળાં ઘરો પર પુસ્તકો લખાયાં છે. ત્યાં ઘેરા રંગો અને ચળકતા પોતવાળું ‘ગજી’નું કાપડ બને છે, જે મેં છેક ઉઝ્બેકિસ્તાન, ટર્કી, જૉર્ડન અને સિરિયા જેવા દેશોમાં પણ જોયું છે. એ બધે એ સ્ત્રીઓના રોજના પોષાક માટે વપરાય છે. હું માનું છું કે આ ગજીનું કાપડ, મોગલ સલ્તનતની સાથે ફરતું ફરતું, આપણા ગુજરાતમાં ઉઝ્બેકિસ્તાનથી આવ્યું હોવું જોઈએ. &lt;br /&gt;
પાટણની સૌથી વધારે ખ્યાતિ કદાચ ત્યાંના પટોળા-વણાટને કારણે હશે. એ કેવળ હુન્નર નથી, પણ ઉચ્ચ કક્શાની કળા છે. આ વણાટમાં તાણા તથા વાણાને અત્યંત ચોકસાઈ અને ગણિતના નિયમો પ્રમાણે બાંધવામાં, અને રંગી લેવામાં આવે છે. તે પછી એમને શાળ પર ચઢાવાય છે. છેવટે વણાટ-કામ સરૂ થાય છે, જેમાંથી અપૂર્વ-સંુદર લાક્શણિક ડિઝાઈન છતી થતી જાય છે. આ કળા માટે છોટુભાઈને રાષ્ટ્રીય હસ્તકળાકારનો ખિતાબ મળ્યો હતો. એમને મળવાનો અને એમનું કામ જોવાનો એક લ્હાવો હતો. હવે તો એ એક જ કુટુંબના બેક સભ્યો આ કળા જાણતા હસે. એક એક પટોળું તૈયાર થતાં વર્ષ-દોઢ વર્ષ થાય છે, ને કિંમત તો પુછાય પણ નહીં.&lt;br /&gt;
ગુજરાતમાં હિલ-સ્ટેશન કહેવાય એવું પર્વતીય સ્થળ તો સાપુતારા જ છે, પણ જેનાં શિખર પર જાત્રા માટે તથા જોવાલાયક મંદિરો હોય તેવા બીજા ઘણા પહાડો છે. જેમકે, પાવાગઢ, જેના પર ભદ્રકાળિ અને મહાકાળી વિરાજમાન છે, અને પાલીતાણા, જ્યાં નવસો વર્ષ સુધી જૈન મંદિરો બંધાતાં રહ્યાં હતાં. સંગેમરમરના બનેલા, અસંખ્ય ઘુમ્મટો અને શિખરાકારો શેત્રુંજય પર્વત પર અદ્વિતીય દૃશ્ય સર્જે છે.&lt;br /&gt;
એવી જ રીતે, ગિરનાર. એની ટોચ પર જાત્ાધામ, એની આસપાસનાં જંગલોમાં સિંહના ડેરા, અને એની તળેટીમાં જૂનાગઢ ગામના નરસિંહ મહેતા, જેમનાં ગીતો પરોઢિયાં થઈને આખા ગુજરાતમાં રટાતાં ને ગવાતાં રહે છે. જેરૂસલેમમાં ચાલતાં યાદ આવે કે ઈશુ આ જ ગલીઓમાં ચાલ્યા હતા, ને જે રોમાંચ થાય તે જૂનાગઢમાં ફરતાં પણ થઈ આવે છે. અને ગીરના ગાઢ જંગલમાં, ખાખરાનાં સૂકાં પાન પર થઈને ચાલતી જતી એક એકલી સિંહણની સ્વ-સ્થિતતા પણ મને કશું શીખવા પ્રેરી ગઈ હતી. &lt;br /&gt;
કચ્છ-વિસ્તાનર પણ યાદ કરી લઉં. ત્યાં પણ શું નથી? લીલું રણ, સૂકું રણ, સાગર-કાંઠો, ખારોપાટ, ઘુડખર પ્રાણીનાં ધણ, ફ્લૅમિન્ગો, પેલિકન પંખીઓની વાર્ષિક વસાહતો, જાત જાતની હસ્તકળા, અને ખમીરવંતી પ્રજા. દયાબહેન, રાણીબહેન, ગુલબેગ મિયાં, રાષ્ટ્રીય બિરુદ પામેલા ગફુરભાઈ વગેરેને ઘણી વાર મળવાનું બનેલું. જેમને ઘેર જઈએ ત્યાં ચ્હા કે છાશનો આગ્રહ થાય જ. સામે આપણે એમની તૈયાર એવી હસ્તકળા-સામગ્રી શોખથી ખરીદી લઈએ.&lt;br /&gt;
ઘરો તો એવાં ગમે. લુડિયા ગામમાં બહારની દીવાલોને સુંદર ચીતરવાનો રિવાજ, તો નિરોણા ગામમાં અંદરની દીવાલો પર આભલાં ચોંટાડેલાં જોવા મળે. ટૂઢાવારી વાંઢ તો રેતીના રણની વચ્ચે. ત્યાંનાં ઘરોની ચોતરફ, ને ચોતરા પર ચૂનાથી સફેદ, સાદા પટ્ટા ચિતર્યા હોય. અલપઝલપ થતી કન્યાઓએ લાલ કે લીલી ચુંદડી ઓઢી હોય. બધાં ઘર અંદરથી અને બહારથી ખૂબ ચોખ્ખાં હોય. ને તોયે દિવસમાં બે વાર કચરો વળાતો દેખાય.&lt;br /&gt;
એક વાર કચ્છના ગાંધીધામ ગઈ ત્યારે સહૃદયી મિત્રો ચિંતન અને ધૃતિ મને ઉત્તરે મીઠાના રણની વચ્ચે આવેલા ખદીર ટાપુ પર લઈ ગયાં હતાં. એના પર ધોળાવીરાના અવશેષો છે, જે મોહંે-જો-દેરોથી પણ પ્રાચીન ગણાય છે. પાંચ હજારથી પણ વધારે વર્ષ પહેલાં ધોળાવીરા ધીકતું બંદર હતું. આજે ત્યાં એક તરફ, થીજેલા બરફ જેવો દેખાતો, મીઠાનો દરિયો છે, અને બીજી તરફ પીળચટ્ટી, સૂકી જમીન છે. ને તોયે, ધોળાવીરાના પ્રાચીન બજારના રસ્તાના છેડા તરફ, ટેકરીના નીચલા ઢાળની દિશામાં જોઈએ તો ત્યાં દરિયો હોય – અથવા હશે, એવું જરૂર લાગે – હજીયે. &lt;br /&gt;
અમદાવાદની પાસેનું એક સુંદર સ્થળ તે મોઢેરાનું સૂર્ય મંદિર. અગિયારમી સદીમાં સોલંકી રાજા ભીમદેવે એ બંધાવેલું. એના દરેકે દરેક પાષાણ પર ભરચક કોતરણી કરેલી છે. દેશના પૂર્વ કિનારે, ઓરિસ્સા રાજ્યમાં પણ કોણાર્ક સૂર્ય-મંદિર છે. એનો ગર્ભમંડપ પણ ખાલી છે. સૂર્યદેવની મૂર્તિ ત્યાં પણ નથી રહી. આ બંને મંદિરને પશ્ચાદ્ભૂમાં રાખીને રાજ્ય-સરકારો વાર્ષિક નૃત્ય-મહોત્સવ ઉજવે છે. મંદિર પ્રકાશોજ્જ્વળ બને છે, સોપાનો પર હજારો પ્રદીપ ઝગમગતા હોય છે, વાતાવરણમાં કળાનો દૈવી સ્પર્શ વર્તાય છે.&lt;br /&gt;
સૂર્યાસ્તનું આકાશ જ્યાં કેસરી થઈ જતું હોય તેવું એક સ્થળ છે નળ સરોવર. પાતળાં ઘાસની વચ્ચે થઈ હોડી સરકતી હોય – નિઃશબ્દે, કે જેથી સારસ, ફ્લૅમિન્ગો, પેલિકન વગેરેને દખલ ના પહોંચે. થોડી ઘડી બધું સ્તબ્ધ થઈને રહે, પણ પછી, ઊડવા માંડતાં પંખીનાં ટોળાંનો કેસરી-ગુલાબી રંગ આકાશમાં સુંદર લિસોટા બની જાય. આપણે મુગ્ધ થઈ કશુંક ગણગણીએ – “વાહ, કેવું સરસ”, કે એવું કંઈક!&lt;br /&gt;
ને અમદાવાદ? આહ, જે જીવનનો અભિન્ન અંગ હોય, જેના સુખ-દુઃખની અસર હંમેશાં મન પર પહોંચતી હોય, જેના વાંક-ગુના માટે મન જીવ બાળતું હોય, તેને માટે શું કહેવું? હું એટલું જ કહી શકું, કે અમદાવાદ મારું છે, એના બધા રસ્તા પર ચાલવાનો મને હક્ક છે, અને ત્યાંનાં ઘણાં સ્થાનોને હું સન્માની શકું છું. જેમકે. લગભગ એક ભૂલાયેલા, ધૂળિયા રસ્તાનો એક ટુકડો કે જ્યાંથી દાંડી-કૂચ શરૂ થઈ હતી.&lt;br /&gt;
પણ ઘર તો આખૂં ને આખું વહાલું હોય છે. આપણા ગુજરાતનાં જુદાં જુદાં અનેક સ્થાન સ્મરણ દ્વારા પણ મનને હંમેશાં આનંદ આપતાં રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગિલ્ગામેશ વળી કોણ?&lt;br /&gt;
|next = હાસ્ય વિષે પિષ્ટપેષણ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%97%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B6_%E0%AA%B5%E0%AA%B3%E0%AB%80_%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%3F&amp;diff=110292</id>
		<title>દરિયાપારથી.../ગિલ્ગામેશ વળી કોણ?</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%97%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87%E0%AA%B6_%E0%AA%B5%E0%AA%B3%E0%AB%80_%E0%AA%95%E0%AB%8B%E0%AA%A3%3F&amp;diff=110292"/>
		<updated>2026-04-26T06:00:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગિલ્ગામેશ વળી કોણ?}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
૧૮૪૫ના અરસામાં બે અંગ્રેજોએ જ્યારે અત્યારના ઇરાકના પ્રદેશમાં બે જુદી જુદી જગ્યાઓએ ખોદકામ શરૂ કર્યું, ત્યારે ત્યાંથી ઈ.પૂ.ની આઠમી સદીનાં નગરોની અનેક નિશાનીઓ મળી આવી. મોટાં મોટાં શિલ્પો, સ્તંભો અને દીવાલોની સાથે સાથે ત્યાંનાં જીવનનાં દૃશ્યો કોતરેલા પાષાણ-ખંડો પણ મળી આવ્યા. એમાંના કેટલાક પર લાંબાં લાંબાં વર્ણનો કોતરેલાં હતાં. નિનેવેહ નામની જગ્યાએથી તો જાણે રાજવી પુસ્તક-પ્રાસાદો જ મળી આવ્યા. પુસ્તકો પણ કેવાં? કાગળ પર લખાયેલાં નહીં, પણ પાષાણો પર ટંકાયેલાં. પચીસ હજાર જેટલી એવી તકતીઓના ભગ્નાવશેષ ત્યાંથી નીકળ્યા. બધા પર એકસરખી લિપિ હતી – પાતળી, તીણી, શંકુ આકારની દેખાતી. &lt;br /&gt;
પછીનાં વર્ષોમાં નજીક-પૂર્વનાં સિરિયા, ઈરાન, પેલેસ્ટાઈન, ટર્કી વગેરે દેશોમાંનાં બીજાં કેટલાંક સ્થાનો પરથી પણ આવી તકતીઓ પ્રાપ્ત થઈ. એ દરેક જગ્યાની તકતીઓ પરની ભાષા જુદી હતી – જોકે લિપિ ક્યારેક સરખી પણ હતી. બૅબિલોન અને અસિરિયાની એ ભાષાઓ ‘અક્કાડિયન’ ભાષામાંથી વિકસેલી ગણાઈ છે. એ સમયના અભ્યાસીઓ એ પાતળી લિટીઓથી બનેલા અજાણ્યા અક્શર ઉકેલવા મથ્યા. એમાં જ્યૉર્જ સ્મિથ નામનો એક ‘બિન-અભ્યાસી’ શિલ્પી પણ હતો. અંગત રસને લઈને, પથ્થરની તકતીઓ પર કોતરેલી લિપિ શીખવા-સમજવા પાછળ એણે પંદર વર્ષ ગાળ્યાં. અંતે કેટલીક તકતીઓનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં એ સફળ થયા. ને ત્યારે જાણ થઈ કે અનેક વાર્તાઓનું બનેલું એ તો એક મહાકાવ્ય હતું. ઉપરાંત, ચિરંતન યુવાવસ્થાનું રહસ્ય ચોરતા સર્પની, તેમજ એક ભયાનક જળ-પ્રલયની વાર્તાઓ જોતાં અનુવાદકોનું ધ્યાન ખાસ ખેંચાયું, કેમ કે બાઈબલ તથા કુરાનમાં આવતી, દુનિયાના સર્જનની તેમજ જળ-પ્રલયની કથાઓ સાથે એ વાર્તાઓ મળતી આવતી હતી. &lt;br /&gt;
આ પાષાણ-કંડિકાઓ પરની લિપિ પરથી મેળવેલું એ લખાણ “ ગિલ્ગામેશ મહાકાવ્ય” તરીકે ઓળખાયું. બાઈબલ અને કુરાનથી પણ પહેલાં એ લખાયેલું હશે, તેમ મનાયું છે. અનેક સાહસો, વિજયો, કઠિનાઈ, દુઃખો, અને ગ્નાન-પ્રાપ્તિની વાતોથી સભર હોઈ એ કૃતિ ઉદાત્ત અને અનન્ય ગણાઈ છે. એની વાર્તા મુખ્યત્વે ગિલ્ગામેશ નામની એક વ્યક્તિ પર આધારિત છે, પણ એમાંથી પ્રતીત થતા સંદર્ભોને ઘણી વ્યાપક રીતે જોવામાં આવે છે.&lt;br /&gt;
એની કેટલીક આવૃત્તિઓ થઈ છે, ને બધી થોડી થોડી જુદી પડતી રહે છે, પણ દરેકમાં વાર્તા તો ગિલ્ગામેશની જ છે. ઉરુક નામના નગરનો એ મહારાજા હતો. એને દેવો જેવું સ્વરૂપ અને દૈવી શક્તિ મળેલાં હતાં, ને સાથે જ, માનવ-સહજ નશ્વરતા પણ. દેવ-દેવીઓનાં કૃપા તથા ક્રોધની અસર પાત્રોનાં જીવન પર પડતી રહે છે, અને જાતજાતની પેટા કથાઓ આ મહાકાવ્યમાં વણાયેલી દેખાય છે. &lt;br /&gt;
પોતાનું સામર્થ્ય દર્શાવા, તેમજ ટકાવી રાખવા, ગિલ્ગામેશે નગરની ચોતરફ ઊંચો કિલ્લો બાંધવા પ્રજાને હુકમ કર્યો. એ કામ વર્ષોનાં વર્ષો ચાલતું રહ્યું, ને થાકેલા, કંટાળેલા લોકોએ મદદ માટે દેવોને પ્રાર્થના કરી. જાણે એના જ જવાબમાં મોકલાયો હોય તેમ, એન્ડિડુ નામનો વનવાસી શક્તિ-પુરુષ ત્યાં આવી ચડે છે. મંદિરની નર્તકી શામ્હાત એને નગરની અંદર લઈ જાય છે. પહેલાં તો ગિલ્ગામેશ અને એન્ડિડુ એકબીજા સાથે યુદ્ધ કરે છે. એમાં એન્ડિડુ જ એક વાર ગિલ્ગામેશને કોટની ઊંચી દીવાલ પરથી લપસીને પછડાતાં બચાવે છે, ને એ પછી બંને ઘનિષ્ટ મિત્રો બને છે. સંયુક્ત રીતે બંને હમ્બાબા નામના રાક્શસને મારી નાખે છે. વળી, દેવોના એક વૃષભની હત્યા કરે છે. દેવોની ઉપેક્શા બંને કરતા જ રહ્યા હતા, તેથી એમનો શાપ પામીને એન્ડિડુ એક અસાધ્ય રોગનો ભોગ બને છે, ને મૃત્યુ પામે છે. ગિલ્ગામેશ અત્યંત દુઃખ પામે છે, તેમજ ત્યારે એને ખ્યાલ આવે છે કે સમય આવતાં પોતે પણ મૃત્યુ પામશે જ. એ નીકળી પડે છે એવા કોઈ એક મનુષ્યને શોધવા કે જેણે અમરત્વ પ્રાપ્ત કર્યું હોય. &lt;br /&gt;
એવા મનુષ્ય હતા ઉત્નાપિશ્ટિમ. પૃથ્વી પરના મહાજળ-પ્રલયમાંથી પણ એ બચી ગયેલા. એમણે ગિલ્ગામેશને કહ્યું કે એ જળ-પ્રલયની કથા કહેતાં છ દિવસ અને સાત રાત થશે. જો એ આખો સમય ગિલ્ગામેશ જાગતો રહી શકશે, તો અંતે એ ગિલ્ગામેશને અમરત્વનું રહસ્ય આપશે. ગિલ્ગામેશ એટલું સળંગ જાગતાં રહી નથી શકતો. છતાં, એના પર કરુણા કરીને ઉત્નાપિશ્ટિમ એટલું જણાવે છે કે ચિર-યૌવનનો છોડ ક્યાં મળશે. એ મેળવવા માટે ગિલ્ગામેશ છેક સમુદ્રને તળિયે ડુબકી મારે છે, એને મેળવે પણ છે, પરંતુ એ આરામ કરતો હોય છે ત્યારે એક સર્પ એ છોડને ચોરી જાય છે. &lt;br /&gt;
પહેલાં તો ગિલ્ગામેશ ખૂબ નિરાશ થઈ જાય છે, પણ પછી સમજે છે કે પૃથ્વી પરના બધા લોકોની જેમ પોતાને પણ ક્યારેક તો મરવું પડશે જ. એ ઉરુક દેશમાં પાછો ફરે છે, પોતે અને એન્ડિડુએ સિદ્ધ કરેલાં સત્કાર્યોનું સ્મરણ કરે છે, એના પર મનન કરે છે, અને પછી સમજે છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં પોતે કરેલાં સત્કાર્યો દ્વારા જ અમર બનતી હોય છે, ને એ જ છે અમરત્વનું સાચું રહસ્ય.&lt;br /&gt;
મહાકાવ્યને અંતે આવો સાર મળે છે. દુનિયાની મહાન ઉપદેશ-કથાઓમાંની આ એક ગણાય છે. ઉપરાંત, એ બધા પ્રદેશો કેવા હતા, તેની ખરેખરી જાણ તો કોઈને નથી, કારણકે એ તો કદાચ દટાયેલા હોય તો હોય. પણ આ કથા ઝીણી વિગતો દર્શાવતાં ચિત્રાંકનો દ્વારા, ખૂબ રસપ્રદ રીતે, પણ આલેખાઈ છે. એ દ્વારા છતાં થાય છે પાત્રોનાં દેખાવ અને વ્યક્તિત્વ – અહંકારી ગિલ્ગામેશ, ઉદાર-દિલ એન્ડિડુ, સુંદરી શામ્હાત વગેરે; તથા સ્થાનો, જેવાંકે ઊંચા સ્તંભ ને કમાનોથી યુક્ત વિશાળ પ્રાસાદ, પ્રજાજનોથી ભરેલાં ચોગાન, નાળિયેરીનાં વૃક્શવાળા નદી-કિનારા વગેરે; તેમજ દૃશ્યો, જેમકે ગિલ્ગામેશને બચાવવા હાથ લંબાવતો એન્ડિડુ, મોટી પાંખો વીંઝતો આવતો દૈવી વૃષભ, સંગીત ને ભોજન સાથેની મહેફિલો વગેરે. છેલ્લે, ગિલ્ગામેશ રાજા તરીકેની પોતાની જવાબદારી સમજે છે, અને પ્રજા પ્રત્યે ઉદાર થવા તત્પર બને છે. આ એનો જીવન-બોધ છે.&lt;br /&gt;
ગમે તેવું મહાન, તોયે પારકું – એવું ઘણાંને લાગે, ને એની અંદરની વાતો વિચિત્ર ને નીરસ પણ લાગે, તો એટલો ખ્યાલ રાખીએ કે અન્યદેશીય પ્રજાને આપણા પ્રાચીન ગ્રંથો પણ એવા પ્રકારના લાગી શકે છે. જેમકે, આપણું ‘મેઘદૂત’ કાવ્ય આપણને કેવું હૃદયસ્થ હોય છે. ઘણાં બિનભારતીયોને એ કલ્પન જ ગાંડા જેવું લાગે છે : “ વાદળ સાથે તે કોઈ વાતો કરતું હશે?, ને સંદેશો મોકલતું હશે?”&lt;br /&gt;
આવું બનતું જાય તેમ તેમ આપણે શીખતાં જઈએ કે પોતાનું-પારકું, ગમતું-અણગમતું, સમજાતું-ના સમજાતું વગેરે બધું સાપેક્શ હોય છે. નવું નવું જાણતાં જઈને બુદ્ધિથી, મનથી વધારે સમૃદ્ધ થતાં જવું – તે જ સાર છે અભ્યાસનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઘર એટલે ક્યાં?&lt;br /&gt;
|next = ગુજરાત મારી મારી રે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%98%E0%AA%B0_%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87_%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%3F&amp;diff=110291</id>
		<title>દરિયાપારથી.../ઘર એટલે ક્યાં?</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%98%E0%AA%B0_%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87_%E0%AA%95%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%3F&amp;diff=110291"/>
		<updated>2026-04-26T05:58:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: =૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઘર એટલે ક્યાં?}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ન્યૂયૉર્ક શહેરમાં અને આસપાસમાં કોઈ કોઈ વર્ષે ઉનાળો બહુ આકરો બનતો હોય છે. જુલાઈના મહિનામાં, આકાશમાંથી આગ વરસતી હોય એવા સળંગ દસ-પંદર દિવસો આવે ત્યારે વાતાવરણ ધૂંધળું બને, રસ્તાઓ પરથી વરાળ ઊઠતી દેખાય, અને ઉષ્ણતામાનનો પારો ચઢતો ચઢતો ૩૭-૩૮ સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય. ઋતુ-વિગ્નાનીઓ જાહેર કરે કે છેલ્લાં કેટલાં વર્ષોમાં આવી કાળઝાળ ગરમી પડી નથી.&lt;br /&gt;
એવો એક દિવસ યાદ છે, જ્યારે સાંજે પણ એવો બાફ હતો કે વાતાનુકૂલ મશિનની પણ અસર ના થાય. છેવટે રાતે અગિયાર વાગ્યા પછી જરા પવન ચાલુ થયો હતો. તે ય પાછો ઠંડકવાળો નહીં, હતો તો હુંફાળો જ, પણ એનાથી સારું તો લાગ્યું જ. મારાથી બોલાઈ ગયું, “આ તો અમદાવાદ જેવો પવન! એક જમાનામાં ગમે તેવી અસહ્ય ગરમી પછી પણ સાંજ ઢળતી ત્યારે આવો જ, ગરમીનો થાક ઉતારી દે તેવો પવન અમદાવાદમાં શરૂ થઈ જતો.”&lt;br /&gt;
આ વળી કેવી યાદ? જાતજાતની ઘણી વાતો આપણને યાદ રહી જતી હોય છે, અને એ સ્વાભાવિક પણ લાગે, પરંતુ પવનનો સ્પર્શ પણ યાદ હોય, તે શું માની શકાય? હા, એ માનવું જ રહ્યું, કારણકે એવું પણ કોઈ હોઈ શકે છે જે પરદેશ-સ્થાયી હોય, પણ જેનું મન કિશોરાવસ્થાના ઘરનાં સ્પર્શ, સુગંધ, સ્વાદ, ધ્વનિથી વિખૂટું ના પડી શકયું હોય. &lt;br /&gt;
ખરેખર, ઘર એટલે વળી ક્યાં? જેને છોડ્યું તે ઘર? જેને માટે છોડ્યું તે ઘર? જ્યાં છીએ તે ઘર? જ્યાં નથી તે ઘર? જ્યાં શરીર છે તે ઘર? જ્યાં મન-હૃદય છે તે ઘર? તો કહો, ખરેખર ક્યાં હોય છે ઘર?&lt;br /&gt;
અમુક લોકો એવા હોય કે જે જૂની ટેવોના ગુલામ બનીને રહેતા હોય, વર્ષો પહેલાંનાં સંવેદનોમાં અટવાયેલા રહેતા હોય, જ્યારે અમુક લોકો એવા પણ હોય જે પારકા દેશ માટે પ્રેમ અને સમજણ કેળવે, અને એ રીતે ત્યાં પણ ઘરના જેવા બની જાય.&lt;br /&gt;
ન્યૂયૉર્ક શહેરની જીવન-ચર્યામાં આવા બનાવો ઘણી વાર જોવા મળી જાય. જેમકે, અહીંના એક કળાગૃહમાં ભારતનાં મધ્યયુગીય મંદિર-શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવેલું. આપણે ઘણાંએ નાનપણથી આવાં શિલ્પમંડિત સ્થાનો જોયાં હોય, પણ અહીંનાં પ્રજાજનોને માટે આ પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી હતું. ઉપરાંત, દર્શકોમાં ભારતની લોક-સંસ્કૃતિમાં રસ અને સમજણ પેદા થાય તે માટે દર રવિવારે કથકલી નૃત્ય-પ્રકાર માટેનાં મુખ-ચિત્રણ, ભારતીય વસ્ત્ર-પરિધાન તથા કઠપૂતળીના ખેલ જેવા કાર્યક્રમ પણ યોજવામાં આવેલા. &lt;br /&gt;
આમાં કઠપૂતળીના ખેલથી તો હું પણ ખૂબ પ્રભાવિત થઈ. મંચ પર બરાબર આપણે નાનપણથી જોયું હોય તેવું જ વિરચન કરેલું, પૂતળીઓ પણ એવી જ. ટિપ્પણ અંગ્રેજીમાં થતું, અને એ ખેલ કરનારો પણ હતો એક અમેરિકન જ. આ કળામાં એ સંપૂર્ણપણે નિપુણ હતો. પોતાની સર્જનાત્મક કલ્પના દ્વારા એણે અહીંનાં નાનાં-મોટાં બધાંને મઝા આવે એવી વાતો વણી લીધી હતી.&lt;br /&gt;
ખેલ પૂરો થયા પછી હું એની સાથે વાત કરવા ગઈ. થોડાં વર્ષો પહેલાં એ ઉદેપુરના લોકકળા-કેન્દ્રમાં રાજસ્થાની કઠપૂતળી શીખવા ગયેલો. પછીથી ત્યાં કોઈ એક ગરીબ કુટુંબ સાથે રહેલો. કહે, “એ લોકો દરેકે દરેક વસ્તુમાં મરચું નાખીને ખાય. મારું તો આખૂં શરીર બળતું!” &lt;br /&gt;
પણ વધારે તો, અમેરિકા પાછાં આવીને બે વર્ષ સુધી એ પણ રાજસ્થાની કઠપૂતળીવાળાઓની જેમ આ દેશમાં ઠેર ઠેર ફરતો રહેલો, ને ગામે ગામે ખેલ કરતો રહેલો. પ્રથાગત બધા ખેલ – કસરતબાજ, તલવાર ગળનાર, મદારી અને સાપ, મશાલ સાથેનો ઘોડેસ્વાર, નાચનારી વગેરે – એ જાણતો હતો. સાથે સંગીત પણ વગાડતો. એને ફરી ભારત જવું છે, પણ કળાકાર પાસે વળી પૈસા ક્યાંથી હોય?&lt;br /&gt;
હવે એ પરણ્યો છે. એણે અને એની અમેરિકન પત્નીએ પોતાના કળા-ઉદ્યોગનું નામ ‘લીલા પપેટ થિયેટર’ રાખ્યું છે, અને હજી આખા દેશમાં ખેલ રજૂ કરતાં ફરે છે. સાવ જુદી અને પારકી સંસ્કૃતિ માટે પ્રેમ, સમજણ તેમજ કૌશલ કેટવ્યાં હોય તેવો આ એક પ્રેરણાત્મક દાખલો.&lt;br /&gt;
કોઈ એક બીજા દિવસે ન્યૂયૉર્કના રસ્તા પર એક ટેક્સી ઊભી રાખી. બારણું ખોલતાં જ તલત મહેમુદના અવાજમાં એક સંભળાયું. ચાલક એક હઠ્ઠોકઠ્ઠો, બાંય વગરનું કાળું ગંજી પહેરેલો માણસ હતો. મારે જ્યાં જવું હતું તેનું સરનામું મેં હિન્દીમાં જ આપ્યું. પછી થોડી વાતચિત થઈ.&lt;br /&gt;
એકાદ વરસ પહેલાં જ એ પાકિસ્તાનથી અમેરિકા આવેલો. આખું કુટુંબ હજી ત્યાં જ હતું. એ પોતે અહીં ટેક્સી ચલાવે, અને છોકાઓને કરાટે શીખવાડે. પોતાના દેશભાઈઓ સાથે એક નાના ઘરમાં, શહેરના દૂરના કોઈ લત્તામાં રહે, અને પેલાં સંવેદનોથી બંધાયેલો રહીને, જેને છોડીને આવ્યો છે તે ઘરને માટે ઝૂરે. પાકિસ્તાન, બૉંગ્લાદેશ ને ભારતના ઘણા પુરુષો ન્યૂયૉર્કમાં ટેક્સી ચલાવતા મળી આવે છે. એમની હાલત વખાના માર્યા જેવી, અને ટેક્સીમાં સવારી કરનારાંને બહુ નવાઈ સાથે પૂછે, “તમે અહીં કઈ નોકરી કરો છો?”&lt;br /&gt;
એ અર્થમાં કે તમારી પાસે ટેક્સીમાં ચડવાના પૈસા કઈ રીતે થયા?&lt;br /&gt;
જે ઘર હતું તેને તો દૂર મૂકી દીધું, અને જ્યાં આવીને રહે છે તેને ઘર ગણી નથી શકતા. એ માટે સમય જોઈએ, જીવનમાં સુખ અને શાંતિ જોઈએ. આર્થિક અને માનસિક કફોડી સ્થિતિ આવા ઘણાની થતી હોય છે. અમેરિકાને બધાં સ્વપ્નોનો દેશ માને છે. અગણ્ય લોકો એને માટે સ્વપ્ન સેવે છે, એ સ્વપ્નોને પૂરાં કરવાની આશાથી વિદેશ-વાસ સ્વીકારે છે, સહે છે, પણ દરેક જણનાં સ્વપ્ન ફળતાં નથી હોતાં. ને ત્યારે એવાં જણ ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં જીવતાં રહી જાય છે. જાણે નહીં દેશી, નહીં વિદેશી, નહીં ગરીબ, નહીં શ્રીમંત. &lt;br /&gt;
ભારતીયોનો ઘણો મોટો વર્ગ આમાં પડતો નથી. એ સુખી વર્ગ છે; એણે ધન-સંપત્તિ, ગ્નાન-અભ્યાસનાં સ્વપ્ન સિદ્ધ કરી લીધાં હોય છે. આ વર્ગ લગ્ન, વર્ષગાંઠ, સ્નાતકીકરણ વગેરે પ્રસંગો ધામધૂમથી ઉજવે છે. બસો-પાંચસો સંબંધીઓ, મિત્રોની હાજરીમાં, અને મોંઘાં વસ્ત્રાભૂષણ, વાતો, ખાણીપીણીના અતિરક સાથે આ પ્રસંગો સંપન્ન થાય છે. મોટે મોટેથી ફિલ્મી સંગીત વાગતું રહે છે.&lt;br /&gt;
અમેરિકન પ્રસંગોની ઉજવણી ખૂબ જુદી પડે. અતુલ્ય શ્રીમંતાઈ હોય ત્યારે પણ વર્તાવ સંયત હોય છે. એક અમેરિકન લગ્નમાં કોઈ હોટેલનો મોટો કક્શ નહીં, પણ લીલા ઘાસ, ગાઢ વૃક્શો અને રંગીન ફૂલોવાળા બાગનો પરિસર ભાડે રાખેલો. ખ્રિસ્તી પદ્ધતિના વિધિની વચ્ચે વચ્ચે ભારતીય શાસ્ત્રીય વાંસળીવાદન અને તબલાંની સંગતના મધુર, કર્ણપ્રિય વિષ્કંભક રાખવામાં આવેલા. યજમાન અમેરિકન જ હતા, પણ ભારતીય શાસ્ત્રીય સંગીત માટે પ્રેમ ધરાવે, ને તેથી લગ્ન-પ્રસંગને શોભાવે તેવું સંગીતમય વાતાવરણ ઊભું કરાવડાવેલું. &lt;br /&gt;
કોઈ ક્યાંથી આવ્યું, અને ક્યાં રહે છે એમાં એમનો સાચો પરિચય નથી, પણ એમણે શું અપનાવ્યું છે, શું ઊંડાણ પ્રાપ્ત કર્યું છે, અને એ પોતે શું બન્યાં છે એમાં વ્યક્તિનો સાચો પરિચય મળે છે. પરિપક્વતા પામ્યા પછી “બહારનું” અને “ઘરનું” – એ બે વચ્ચેનો નિરર્થક ભેદ રહેતો નથી. જૂની અને નવી સ્મૃતિઓની ઈંટોથી મન અને બુદ્ધિની અંદર એક નિત નવો આકાર રચાતો જાય છે, શણગારાતો જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઘડીક સંગની વાત&lt;br /&gt;
|next = ગિલ્ગામેશ વળી કોણ?&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%98%E0%AA%A1%E0%AB%80%E0%AA%95_%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4&amp;diff=110290</id>
		<title>દરિયાપારથી.../ઘડીક સંગની વાત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%98%E0%AA%A1%E0%AB%80%E0%AA%95_%E0%AA%B8%E0%AA%82%E0%AA%97%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4&amp;diff=110290"/>
		<updated>2026-04-26T05:57:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: =૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઘડીક સંગની વાત }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નાનપણનાં વર્ષો દરમ્યાન અમદાવાદથી નીકળીને જો કોઈ એક જગ્યાએ સૌથી વધારે વાર ગયાં હોઈએ તો તે માઉન્ટ આબુ છે. સમય ઓછો હોય, હંમેશાં બહુ દૂર જવાય એવું ના હોય, અમદાવાદમાં બહુ ગરમી હોય તો તરત, “ચલો, આબુ જઈ આવીએ”! ભાઈઓ ના આવી શકે તેમ હોય તોયે વાંધો નહીં, અમે બહેનો જાતે જ ત્યાં જઈ શકીએ. નખી લેકની આસપાસ ચાલીએ, ઊંચી-નીચી ગલીઓમાં ચઢીએ-ઊતરીએ, ચાંદીવાળાની ઊંચા ઓટલાવાળી દુકાન તો ચૂકાય જ નહીં, ને કંદોઈની દુકાનની બહાર તળાતાં ગુલાબજાંબુનો લોભ ક્યારેય ખાળી જ ના શકાય!&lt;br /&gt;
માઉન્ટ આબુ હું ૨૨-૨૫ વાર જરૂર ગઈ હોઈશ. પછી મોટાં થયાં, ને લાગ્યું કે બસ, બહુ ગયાં આબુ. જાણે જઈ જઈને કંટાળ્યાં. થોડાં વર્ષ આબુ ના પણ ગયાં. છતાં, પ્રવાસી તરીકેનો અભિગમ ઊંડાણથી કેળવાતો ગયો તેમ કોઈ પણ જગ્યાએ, એની એ જ જગ્યાએ, ફરીથી, ને ફરી ફરી જવું બહુ જ ગમવા માંડ્યું. બહુ જ સરસ અર્થપૂર્ણતા એમાંથી મને મળવા માંડી.&lt;br /&gt;
જ્યાં અનેક વાર – દરેક વર્ષે એક વાર તો અચૂક -ગયાં હોઈએ તેવી બીજી જગ્યા તે મુંબઈ. ગુજરાત મેલમાં રાતે ચઢી જવાનું તે જને? નાનપણ દરમ્યાન એક વાર મોટા ભાઈએ મને વિમાનમાં મુંબઈ મોકલવાની હોંશ કરી. જિંદગીનું એ પહેલું ઉડ્ડયન હતું, ને તે પણ એકલાં. શરમાતી શરમાતી બેઠેલી- એમ હજારો ઉડ્ડયન કર્યા પછી પણ યાદ છે! પછી તો પાયલોટ ખાસ બહાર આવીને મને ચાલક-કક્શમાં લઈ ગયેલા. ત્યાંના મોટા, ચોખ્ખા કાચમાંથી તો ધરતીનો કેટલો બધો વિસ્તાર દેખાયો હતો, ને જમીન કેવી ઝડપથી સરકી જતી લાગી હતી. ચળકતો અનંત જેવો દરિયો જોઈને તો જરા ગભરાઈ પણ ગયેલી! જોકે શક્ય છે કે આ અકસ્માત્ થયેલા દર્શનને કારણે મારા પૃથ્વી-પ્રેમની પ્રથમ કૂંપળ ફૂટવાની શરૂઆત થઈ હોય. &lt;br /&gt;
મુંબઈ જઈએ ત્યારે શહેરની અંદર તથા આસપાસનાં સ્થળોએ ફરવાનું તો ઘણું મળતું, પણ મુંબઈ જરાયે ગમતું નહીં. ત્યાંનું પાણી પણ ભાવતું નહીં, ને લગભગ દર વખતે ત્યાં પહોંચીને તાવ પણ આવી જતો. મોટર કે ટેક્સીમાં નીકળ્યાં હોઈએ ત્યારે બધું બહુ જ દૂર લાગતું. લોકલ ટ્રેનમાં જઈએ ત્યારે બહુ દોડાદોડી લાગતી, અને માંકડ પણ કરડી જતા. બહુ મોટું શહેર, ભઈ! જાણે જરાયે ના ગમે. આપણું અમદાવાદ જ સારું, ભઈ!&lt;br /&gt;
સંજોગવશાત્, કાળક્રમે, દુનિયાનું સૌથી મોટું શહેર – ન્યૂયોર્ક સિટી – ઘર બન્યું. એ પુખ્ત થયેલી ઉંમરે તો જગ્યાઓને જોવાની તેમજ ગમતી કરવા અંગેની આવડત મળતી ગઈ હતી, ને સમજણ વિકસી હતી. એવી ઉંમર થયા પછી મુંબઈમાં પણ એકલાં, અને પોતાની રીતે ફરતી થયેલી, એનાં વિવિધ સ્વરૂપને એમની રીતે સ્વીકારતી થયેલી. પણ સમય જાણે ઓછો પડવા માંડ્યો. ડબલ-ડેકર બસોની રાહ જોવા જેટલી કે લોકલ ટ્રેન લેવા જેટલી મિનિટો ના રહી, અને તેથી ફાસ્ટ ટ્રેનો લેવા માંડી. &lt;br /&gt;
પરાંનાં સ્ટેશનના પ્લેટફૉર્મ પર “સ્ત્રીઓનો ડબ્બો” સામે આવે એમ, બીજી સ્ત્રીઓને જોઈને હું ઊભી રહી જાઉં. બેસવાની જગ્યા મળી જ જાય. ક્યારેક તરત જગ્યા ના દેખાય, તો બહેનો જરા-તરા ખસીને, સંકડાશ ખમીને પણ, એક વધારે જણને વચમાં બેસાડી દે. અજાણી ‘બહેન’ સાથે સ્મિતની આપ-લે થઈ ગઈ હોય. એમાં સહજ હૂંફ હોય, ‘સરખાપણા’નો ભાવ હોય.&lt;br /&gt;
બાજુમાં બેઠેલી બહેન સાથે ઘણી વાર વાત પણ શરૂ થઈ જાય. બસ, એમ જ. “અલકમલક”ની કહીએ તેવી. સાધારણ વાતો જ હોય, ઊંડા સુખ-દુઃખની ના હોય કાંઈ. ને એ જ સારું. એક સહેજ અમથા સંધાનની જ જરૂર હોય. એટલું જ પર્યાપ્ત હોય, મનને સંતોષ આપે.&lt;br /&gt;
નહીં તો, ચૂપ હોઉં ત્યારે, હું નિરીક્શણ કરતી રહું. કોઈને કઠે તે રીતે નહીં, બલ્કે કોઈને ખ્યાલ પણ ના આવે તે રીતે. અમુક સ્ત્રીઓ રોજ મળી જતી હોય. એમની વચ્ચે વાતોનો દોર અતૂટ લાગે. અમુક જણ થેલીમાંથી નાસ્તો કાઢીને આપ-લે કરી લે. કોઈ વળી, નારંગી ફોલી લે, સફરજન કાપી લે. કશુંક ખરીદાયું હોય તે જોવા-બતાવવાનું પણ આ સમુદાયમાં થતું રહે. ચાલતી ગાડીમાં આમ નિરાંત અને આનંદનો ભાવ જોવાનું મને બહુ ગમે. સાધારણ જિંદગીઓમાંનું આટલું સુખ જોઈને જીવને ટાઢક વળતી લાગે. &lt;br /&gt;
ક્યારેક બે-ચાર માછણો બેઠી હોય. મને એ બધી બહુ રૂપાળી લાગે. શ્યામ ત્વચા, લાંબા ચહેરા, પાતળાં કસાયેલાં શરીર, ને ઝીણી ચોકડીવાળા નવ-વારી સાલ્લાના કછોટા વાળેલા હોય. એમના ખાલી ટોપલામાંથી, ને કદાચ એમના દેહમાંથી પણ માછલીની ગંધ આવતી હોય. એ ગંધને શ્વાસમાં લેવી અઘરી ખરી, પણ એ માછણોના ગાંઠમાં બાંધેલા વાળમાં સૂરજના રંગના, સુંદર, સુગંધિત સોન-ચંપા ખોસ્યા હોય. એ આકર્ષક ફૂલોમાં, ને એમની આછી ફેલાતી સુગંધમાં મારાં મન-હૃદય પરોવાયેલાં રહે. એક વાર એમ નજર મળી ત્યારે એક માછણે મને એનો સોન-ચંપો આપેલો. ચળકતો દરિયો આખો પાસે આવી ગયેલો જાણે!&lt;br /&gt;
થોડાં વર્ષો પહેલાં પ્લૅટફૉર્મ પર આશરે ઊભેલી, ને ટ્રેન આવતાં બેધ્યાનપણે એમ જ એક ડબ્બામાં ચઢી ગઈ. એ “પુરુષો”નો નીકળ્યો. ભીડનો સમય નહતો, ને બેસવાની જગ્યા મળી ગઈ. બાજુમાં કોઈ બેઠું નહીં, કારણકે ઘણી ખાલી બેઠકો હતી. હું ભૂલમાં ચઢી ગઈ હોઈશ, ને બહારગામની હોઈશ, એ બધા સમજી જ ગયેલા લાગ્યા. કોઈએ ડહાપણ, ચાંપલાશ કે છેડતી કરી નહીં. કોઈએ સામું પણ જોયું નહીં. મારી સામે તો નહીં જ, પણ એકબીજાની સામે પણ નહીં. “સ્ત્રીઓના ડબ્બા”માં થાય છે એવું આદાનપ્રદાન- વાતોનું કે વસ્તુનું – અહીં થયું નહીં. બધા પુરુષો ચૂપચાપ કે ઝોકાં ખાતાં બેસી રહ્યા. &lt;br /&gt;
મોટે ભાગે તો હવે મુંબઈની બસોમાં કે ટ્રેનોમાં સફર કરવા જેટલો સમય ના હોય, ને તરત ટેક્સીમાં જ બેસી જતાં હોઈએ. વળી, ભીડ અને ધક્કામુક્કીમાંથી પણ બચવું હોય. છતાં તાજેતરમાં ફરી એવી સફરનો મોકો મળ્યો. મારી પાસે સમય હતો, અને જાહેર રજા હોવાથી ભીડ ઓછી હશે તેમ ધારણા હતી. ખારથી છેક ચોપાટી જવું હતું. ઘોડબંદર રોડ પરથી બસ લેવાની, ઑપૅરા હાઉસ પહેલાં ઊતરી જવાનું, ને પછી થોડું જ ચાલવાનું. &lt;br /&gt;
બસ આવી તો જલદી, પણ બેસવાની એક પણ ખાલી જગ્યા નહતી. આગલા ભાગ તરફ જતાં બીજી-ત્રીજી સીટ પાસે પકડીને હું ઊભી રહી. સ્ત્રીઓ ચઢતી રહી, પકડીને ઊભી રહેતી ગઈ. હું ઊભી હતી તેની પાસેની સીટ પર એક પુરુષ અને બારી પાસે એક બાબો બેઠેલો. એને ખોળામાં લઈ લેવાની તો વાત નહીં. મારું ધ્યાન બરાબર એ જ સીટની બારીની ઉપર લગાવેલી નોટિસ પર ગયેલું. મરાઠીમાં હતી, પણ સમજાયેલી. એમાં લખેલું કે “આ સીટ સ્ત્રીઓ માટે ખાલી કરવી.” અલબત્ત, એ ખાલી નહતી કરાઈ. કન્ડક્ટરે પણ નહતી કરાવી. અડધો કલાક આમ ગયો. હું વિચારતી હતી કે સ્ત્રી-હક્કથી સભાન એવી આધુનિક સ્ત્રીની જેમ મારે એ બાબતે કશું કહેવું-કરવું જોઈએ? કે પછી દયા ખાઈને એ પુરુષને બેસી રહેવા દઉં? &lt;br /&gt;
હું મારા વિચારો સાથે રમત રમતી હતી, અને મનોમન હસતી પણ હતી. પછી આગળ વાંચ્યું કે એ સીટ ખાલી નહીં કરનાર પુરુષને દોઢસોથી ત્રણસો રૂપિયા સુધીનો દંડ થશે. એ વાંચ્યા પછી તરત આધુનિક સ્ત્રીપણાએ આગેવાની લીધી! એ બાબાને મેં હિન્દીમાં કહ્યું, “બેટા, આવ, મારા ખોળામાં બેસી જા.” બાબો તરત ઊઠ્યો. જોકે એને ખોળામાં તો એ પુરુષે જ લીધો. એ બબડ્યો, કે “સ્ત્રીઓએ પાછળ બેસવાનું હોય છે.” મેં કહ્યું, “આ ઊભી સાત-આઠ બીજી સ્ત્રીઓ અહીં જ.”&lt;br /&gt;
એણે ફરિયાદ ચાલુ રાખી, “તો પુરુષો શું કરે? ક્યાં જઈને બેસીએ અમે?” મેં કહ્યું, “ ભાઈ, તમે તો બેઠા જ છો. મેં તો અડધો કલાક ઊભા રહ્યા પછી તમને ખસવાનું કહ્યું.” ને પેલી નોટિસ બતાવીને, ઊઠી જવાનું તો સૂચવ્યું પણ નહતું. એ બાબો પાછો એનો તો હતો યે નહીં. એ બાબાને તો પાછલી કોઈ સીટમાં બેઠેલી માતાએ પોતાનું સ્ટૉપ આવતાં બોલાવી લીધેલો. એ પુરુષ ઊતર્યા પછી એક યુવક બાજુમાં બેઠો. એની સાથે વાંચવા વિષેની વાત શરૂ થઈ ગઈ – એ હિન્દી વાંચી નહતો શકતો, તે પરથી.&lt;br /&gt;
ક્યાંકથી એક અત્યંત દુબળા-પાતળા ને વયોવૃદ્ધ પુરુષ ચઢ્યા. પકડીને ઊભા રહેવું પણ એમને માટે અઘરું હતું. હું ઊઠીને એમને બોલાવી લઉં તે પહેલાં, એ વૃદ્ધની નજીકની સીટ પરથી એક સજ્જન ઊઠ્યા, ને એ વૃદ્ધને બેસાડ્યા. મને એ ખૂબ ગમ્યું. મેં વિચાર્યું કે એ ભાઈ નક્કી પરદેશમાં રહેતા હોવા જોઈએ. આવો વિવેક, આવી તત્ક્શણ કરુણા પશ્ચિમમાં વધારે જોવા મળે, ને એ “ખ્રિસ્તી વર્તનસરણી” લાગે છે. &lt;br /&gt;
પછી મારી બાજુમાં એક યુવતી બેઠી, હસી, ને હિન્દીમાં પૂછવા લાગી, “ક્યાં ઊતરવાનાં?” પછી કહે, “ઓહ, તમારે તો હજી લાંબે જવાનું છે.” સંપર્ક આટલો અમથો હોય તો પણ ગમે. સમયને એથી તાજગી મળતી રહે છે. છેલ્લે, “તમારે બે સ્ટૉપ બાકી”, કહેતાં કહેતાં એ એના સ્ટૉપ પર ઊતરી ગઈ. &lt;br /&gt;
મને એમ હતું કે પેલા સજ્જન-ભાઈને પૂછીશ, કે “તમે પરદેશમાં ક્યાં રહો છો?” પણ ઊતરવા માટે હું ઊભી થઈ એટલાંમાં ઘણું વધારે સરસ કહેવાનું સૂઝી આવેલું. એ આગલાં પગથિયાં પાસે ઊભેલા. એમની સામે જોઈને મેં હિન્દીમાં કહ્યું, “તમે જે કર્યું તે બહુ સારું હતું.” એ સાથે જ પરસ્પર સ્મિત ઝીલાયાં.&lt;br /&gt;
કદાચ એમને પણ લાગ્યું હોય, કે હું પરદેશમાં રહેતી હોઈશ – કારણકે આવી સહૃદયી પ્રતિક્રિયા પશ્ચિમી વધારે લાગે. ખરેખર તો એ પૂર્વીય વધારે હોવી જોઈએ, કારણકે કહેવાતું તો એમ આવ્યું છે કે આપણી પ્રાચીન પ્રણાલિઓ તો આવાં વલણનું જ માહાત્મ્ય કરતી આવી છે.&lt;br /&gt;
વ્યક્તિ તરીકે, મારે માટે આ આખી વાત સોન-ચંપા જેવી તાજગીની છે, સહજ સ્મિત જેવી હૂંફની છે, અજાણ્યાંની સાથે ઘડીક સંગની છે, તથા અન્ય સર્વ સ્થાનોમાં ઘરનાંની જેમ રહેવાની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ગમતાંની શોધ&lt;br /&gt;
|next = ઘર એટલે ક્યાં?&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%97%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&amp;diff=110289</id>
		<title>દરિયાપારથી.../ગમતાંની શોધ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%97%E0%AA%AE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&amp;diff=110289"/>
		<updated>2026-04-26T05:56:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગમતાંની શોધ }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અમેરિકાના એક નાના સામયિકના એક સહ-તંત્રીને એવો વિચાર આવ્યો કે પોતાને ગમતી ચીજો પર એક લેખ લખવો. ખરીદી શકાય, મેળવી શકાય – તેવી ભૌતિક વસ્તુઓની વાત એ નહતા કરી રહ્યા. જેનાથી જીવનને કશું ઊંડાણ મળતું હોય, કશો અર્થ નીકળતો હોય, જેનાથી જીવન જીવવા જેવું (વર્થ લિવિંગ) બનતું હોય તેવી પસંદગી એમને અભિપ્રેત હતી. પછી, જુદી જુદી ચીજોથી થતી અનુભૂતિની નોંધ કરીને, એમણે “મને ગમતી બાબતો” નામનો લેખ લખ્યો. એના અંતે વળી, પોતપોતાની ગમતી બાબતોની યાદી લખી મોકલવાનું સૂચન એમણે વાચકોને પણ કર્યું. પૂરતા જવાબો આવે તો એ વિષે એક બીજો લેખ કરવાનો એમનો ઇરાદો હતો.&lt;br /&gt;
પછી તો ચૌદસો જેટલા, ઘણા કહી શકાય તેટલા, ઉત્સાહી વાચકોએ તંત્રીને પોતપોતાની યાદી લખી મોકલી. જવાબો દુનિયાના ઘણા દેશોમાંથી આવ્યા. ઉપરાંત, વિભિન્ન ક્શેત્રોના લોકો – ધંધાદારી, અભ્યાસી, ખ્રિસ્તી સાધ્વી, યહુદી પૂજારી, શિક્શકો, લેખકો, કમ્પ્યુટર-સલાહકારો, ઇજનેરો વગેરે – તરફથી જાતજાતના પ્રતિભાવો મળ્યા. વચન પ્રમાણે એ સહ-તંત્રીએ આ પત્ર-પ્રાપ્તિ પર એક કટાર જરૂર લખી. &lt;br /&gt;
આટલા બધા પ્રતિભાવોને તો સમાવી ના જ શકાય, તેથી પસંદગી કરવી જ પડી. પસંદગીનો આધાર એમની પોતાની ઈચ્છા પર જ રહ્યો. કોઈ બાબત એમને એની વૈશ્વિકતા માટે ગમી, તો કોઈ એની વિશિષ્ટતા માટે ગમી; કશુંક એમણે એના ઊંડાણ માટે ચૂંટ્યું, તો કશુંક એના વિનોદ માટે ચૂંટ્યું. ક્યારેક કારણ એ જ હતું, કે“હા, મને પણ એ ગમે છે!” &lt;br /&gt;
આ ચૌદસો જણમાંથી દરેકે ઓછામાં ઓછી પંદર ગમતી બાબતો તો નોંધી જ હતી, કેટલાંકે પચાસ કે તેથી પણ વધારે બાબતો યાદીરૂપે મોકલી હતી. એક યુગલે તો ઝીણા ટાઇપથી ભરેલાં ત્રણ પાનાં મોકલ્યાં. એમની અનુભૂતિઓ ઘણી સ્પષ્ટ, તેમજ સંવેદનશીલ હતી, એમ કહી તંત્રીએ થોડાં દૃષ્ટાંત આપ્યાંઃ “અમને ગમે છે – વૃક્શોનાં મૂળ બહાર નીકળવાથી તૂટી ગયેલી જૂની ફૂટપાથો, ટ્રેન ઊભી રહી જાય તે પછીની ભારે નિઃશબ્દતા, વહેલી સવારે ઊંઘ ભાંગે તે પહેલાં સંભળાતું રોબિન પંખીનું ગાન, કાવ્યો, શબ્દોના ધ્વનિ” વગેરે.&lt;br /&gt;
મને પણ ગમી ગયાં આ દૃષ્ટાંત. ખાસ કરીને, પહેલું, તૂટેલી ફૂટપાથ, ઊખડી ગયેલા સિમેન્ટના ટુકડા, જૂનાં વૃક્શોનાં બહાર આવી ગયેલાં મૂળિયાં. જે ચિત્ર ખડું થાય છે તેનું શીર્ષક એક જ શબ્દથી બાંધી શકાય – “ઘર”. ના, ફક્ત એક મકાન નહીં, પણ એ શેરી, એ મહોલ્લો, એ શહેર, એ શૈશવ. જેમની સ્મૃતિમાં “ઘર” છે તે બધાં આ કલ્પનની અસરકારકતા અનુભવી શકશે.&lt;br /&gt;
યાદીઓમાંની ઘણી બાબતોનું સામાન્યીકરણ થઈ શકે – જેમકે, સુંદર સૂર્યાસ્ત, સાગરનાં સતત અફળાતાં મોજાંનો રવ, શિયાળાની બપોરે રજાઈ ઓઢીને દિવાનિદ્રાની મઝા, લાંબા સમયનાં મિત્રોના અચાનક ટેલિફોન, તાપણાંમાં બળતાં લાકડાંની સુગંધ, રવિવારની પૂર્તિ, પ્રેમમાં પડવાનું સંવેદન, સોનેરી તડકો, રૂપેરી ચાંદની, મોઢા પર વરસાદનો પહેલો સ્પર્શ વગેરે. &lt;br /&gt;
તો કેટલીક બાબતોમાં પાશ્ચાત્ય માનસનો પડઘો દેખાશે – દા.ત. પ્રથમ ચુંબન, ઊગતા સૂર્યના પ્રકાશમાં વિમાનમાંથી થતું ન્યૂયૉર્ક શહેરનું દર્શન, ફૂટબૉલનો વિજયી ખેલ, એક ખાસ હજામની દુકાન, ઔલિવ તેલમાં તળાતા લસણની વાસ, તાજા પડેલા બરફ પર સરકવું, મહેમાનો ના આવે તેની નિરાંત ઇત્યાદિ. તો બીજાં કેટલાંયે દૃષ્ટાંતોમાંની અનુભૂતિ સાર્વત્રિક લાગશે – ઉ.ત. પગનાં તળિયાં પર દરિયાની રેતીનો ઠંડો સ્પર્શ, મોટી થઈ ગયેલી દીકરી સાથે ગાઢ મૈત્રી, બાળકોનું “પપ્પા, તમે સાચા હતા હોં”, એમ કહેવું; બાળકો સુખી હોય તે, દાદીમાના હાથની રસોઈ, પરિચિત રૅસ્ટૉરાઁમાં જવું, શાંતિમાં સરસ સંગીતનુ શ્રવણ વગેરે. એક જણે યાદીમાં ‘તરબૂચ’ ઉમેરેલું, તો બીજા કોઈએ ‘પાયથાગોરાસના થિયોરમ’નો ઉલ્લેખ કરેલો. જેટલાં માથાં તેટલા વિચાર, અને જેટલાં હૃદય તેટલાં સંવેદન, ખરું ને? &lt;br /&gt;
ઘણી અભિવ્યક્તિઓને શબ્દ દ્વારા વ્યક્ત કરવી કઠિન હોય છે, પણ તોયે કેટલા બધા લોકોએ મહેનત કરીને પોતાની યાદી મોકલી આપી. તંત્રીએ તો એક તુક્કો જ કરેલો, પણ એની અસર ઘણી સારી થઈ. ઘણાં જણે યાદીની સાથે આભાર માનતાં લખ્યું, કે “ગમતી વસ્તુઓ અને બાબતો વિષે વિચાર કરતાં અમને ઘણો લાભ થયો. નાની નાની અનેક જે ચીજો જીવનને અર્થપૂર્ણ બનાવે છે તે અમને યાદ આવી, અને જિંદગીમાં ખરેખર શું અગત્યનું છે તે તરફ જાણે ફરીથી અમારું ધ્યાન ખેંચાયું.”&lt;br /&gt;
અંતર્મુખ થવાની આ પ્રક્રિયા વિષે વાંચતાં મને થયું, પોતાની જાતને ખરેખર શું ગમે છે, તે માટે આપણે કેટલાં જણ વિચાર કરતાં હોઈશું? દિવસો ને વર્ષો, અરે, જિંદગી પણ પસાર થઈ જાય, ને આપણે હંમેશાં ‘બિઝી’ જ નથી હોતાં? પણ એમાં ખરેખર તો સમય બગડતો, વેડફાતો જ નથી હોતો? જાતને અને જીવને આનંદ પહંચાડનારી, સાંત્વન આપનારી સહજ, સ્વયંસ્ફૂર્ત, સંવેદનસભર ક્શણો, સમૃતિઓ અને અનુભૂતિઓની તો આપણે ઉપેક્શા જ કરતાં હોઈએ છીએ. &lt;br /&gt;
જેમાં દુન્યવી લાભ ના હોય તે બધું જાણે નકામું અને અનાવશ્યક લાગે છે. એકલાં પડતાં, અરે, જાતને ઓળખવા જતાં જાણે માણસને ભય લાગે છે. આવું વલણ પશ્ચિમના દેશોમાં જ હોય છે તેમ કહેવું હવે પૂરતું નથી. આપણે ત્યાં પણ ‘ગમતાંનો ગુલાલ’ કરનારાં કેટલાં હશે આજકાલ? &lt;br /&gt;
ગમતાં વગર જ ચલાવી લેતાં હોઈએ છીએ આપણે બધાં. હા, એમ બને કે ઘણી બધી ગમતી બાબતો કેવળ એક યાદ બનીને રહી ગયેલી હોય છે, ને એમની પ્રાપ્તિ સંભવિત નથી હોતી. પરંતુ જે પ્રાપ્ય હોય તેની નોંધ તો લઈ શકાય ને? જેમ લોકોએ ભાવતી વાનગીઓ નોંધી, ચોખ્ખી ધોયેલી ચાદર પણ એક જણે નોંધી. ભલે આવી સામાન્ય બાબતો આત્મા સુધી પહોંચતી ના હોય, પણ ગમતાં વિષે વિચાર કરતાં ધ્યાન ક્યાંક ખાસ રીતે કેન્દ્રિત તો થશે જ. &lt;br /&gt;
જાતને ફંફોસવાની આ વાત છે. પડો ઉખેળીને, દબાઈ ગયેલા આનંદ, સહજતા, સ્વાભાવિકતા, સાદગી જેવા ભાવોને સભાનતામાં ફરી સ્થાપિત કરવાનો આ આયાસ છે. ભુલાઈ ગયેલી જાતને ફરી ચકચકાટ કરવાની આ પ્રક્રિયા છે.&lt;br /&gt;
ખેર, તમને ગમતી બાબતો વિષે તમે વિચારજો. મને ગમતી ત્રણ અનુભૂતિઓ હું નોંધું. મારા આત્મા સુધી સ્પર્શી જાય છે – કોઈના પણ જાણ્યા-અજાણ્યા ચહેરા પરના સ્મિતનો ઝળહળાટ; અફાટ રણની પીળચટ્ટી રેતીના મસૃણ ઢોળાવો; ઉત્તર ધ્રુવની આસપાસ શુભ્ર, શુભ બરફ થઈને પ્રસ્તાર પામેલો આર્કટિક સમુદ્ર.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = વસંતો જ વસંતો&lt;br /&gt;
|next = ઘડીક સંગની વાત&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B5%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%9C_%E0%AA%B5%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B&amp;diff=110288</id>
		<title>દરિયાપારથી.../વસંતો જ વસંતો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B5%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%9C_%E0%AA%B5%E0%AA%B8%E0%AA%82%E0%AA%A4%E0%AB%8B&amp;diff=110288"/>
		<updated>2026-04-26T05:54:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|વસંતો જ વસંતો}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અત્યાર સુધીમાં મેં ઘણો સમય ભ્રમણ કરવામાં ગાળ્યો. બધી તવારિખો ભેગી કરું તો વર્ષોનાં વર્ષો થયાં ગણાશે. લગભગ દરેક મુસાફરીનું આયોજન મેં ત્યાં ત્યાંની ‘સારી’&lt;br /&gt;
ઋતુ પ્રમાણે કર્યું છે. અગ્નિ-એશિયામાં ઉનાળામાં ના જઈએ, યુરોપના દેશોમાં શિયાળામાં ના જઈએ, કરીબિયન ટાપુઓ પર ઝંઝાવાતના મહિનાઓ દરમ્યાન ના જઈએ – એવું તો સ્વેચ્છાથી નીકળી પડનાર દરેક મુસાફરે વિચારવું પડે. &lt;br /&gt;
વર્ષમાં બે ઋતુઓ એવી છે કે જે ત્યાં ત્યાંના નાગરિકો માટે, તેમજ આગંતુકો માટે સહેલી, સુંદર અને ઇચ્છનીય હોય છે. તે છે વસંત અને પાનખર. ઉભય ઋતુ દરમ્યાન ચોતરફ રંગ જોવા મળે. એકમાં નવા ઊગી જતાં ફૂલોનાં રંગ-સુગંધ, તો બીજીમાં ખરી જતાં પહેલાંનાં પાંદડાના રંગરાગ. વસંત એવી ઋતુ છે જેને શબ્દોમાં ગંુથી શકાય. રવીન્દ્રનાથે વસંત અને વર્ષા ઉપર એટલાં ગીત લખ્યાં છે કે એનું જ એક પુસ્તક થાય. તો પાનખરનું રૂપ ચિત્રકારોને મુગ્ધ કરતું રહ્યું છે. &lt;br /&gt;
આમ તો હું ભારત શિયાળા દરમ્યાન આવું, અને જીવ બાળું કે ચંપા, બોરસલી, હારશિંગા, ગુલમ્હોર, શિરીષ વગેરે કોઈ ફૂલો દેખાતાં નથી. એક વર્ષે ઊતરતા શિયાળે આવવાનું બન્યું. ફેબ્રુઆરીથી એપ્રિલના અંત સુધી રહી ત્યારે ઘણાંયે ફૂલો જોયાં. અરે, એ તો ક્રમ મુજબ ઊગતાં જ હતાં, એમના સમયે હું પોતે દેશ આવતી નહતી. &lt;br /&gt;
ખૂબ ખુશી થઈ મનમાં. લાગ્યું કે દેશ આવવા માટે આ સારામાં સારો સમય હતો. ફૂલો દેખાયાં, એટલું જ નહી, મને તો હવામાં તાજગી લાગી, અને એમાં સુગંધ પણ વર્તાઈ. ઘણાં વર્ષોની ગેરહાજરી પછી જાણે નવેસરથી મને ભારતમાંની વસંત વિષે જાણકારી મળી હતી. મને તો ગરમી યે ના લાગે, ને મને વાતાનુકૂલ મશિન પણ ના જોઈએ. રાત-રાતે બારીમાંથી આવતો પવન રાતરાણીની મહેક પણ લેતો આવે. માથે પંખો પણ ના જોઈએ. ઓળખીતાં માની પણ ના શકે, ને પૂછે, ‘તું ગાંડી છે?’&lt;br /&gt;
વાહ, ઋતુનો સ્પર્શ પામી શકનાર ગાંડું હશે? કે એ ભાગ્યશાળી કહેવાય? &lt;br /&gt;
બન્યું એવું કે એ વર્ષે હું સતત ભાગ્યશાળી રહી. એ વર્ષના સાતેક મહિનાની અંદર પૃથ્વી પરના જુદા જુદા ચાર મહાખંડ પર મેં ચાર વસંત જોઈ, અનુભવી, માણી. પ્રવાસનો યોગ જ કંઈક એ પ્રમાણે થયો. વસંતપંચમીનો તહેવાર ઉપરાંત, વાસંતી વાયરો તેમજ વાસંતી ફૂલ-ફાગ ભારતમાં સાનંદ અને સાશ્ચર્ય અનુભવ્યાં.&lt;br /&gt;
ત્યાંથી નીકળીને યુરોપમાં હું ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડ રોકાઈ. મે મહિનાની શરૂઆતે યુરોપમાં વસંત આગમન કરી ચૂકી હતી. પંરિસ, જિનિવા અને બહારના વિસ્તારોમાં હું જ્યાં ગઈ ત્યાં બસ, ફૂલો જ ફૂલો. કોઈ કોઈ ઓળખાય, બહુધાં નવલાં, ને નામ તો ખાસ કોઈનાં ખબર નથી. દૃષ્ટિને આ કશું ના નડે. આપણે તો ‘રમ્યાણિ વીક્શ્ય’ હરખાયાં કરવાનું.&lt;br /&gt;
પૅરિસ શહેરના રસ્તાઓ પર ફૂલો સત્તાવાર રીતે નક્કી થયા પ્રમાણે ઉગાડાય, પણ પરાંના વિસ્તારોમાં ઠેર ઠેર અને ઘેર ઘેર ખાંઈ ફૂલો જોવા મળ્યાં છે. લોકો પોતાના ઘરના બાગોમાં બહુ શોખથી, રંગ અને જાત પ્રમાણે જુદાં જુદાં ફૂલો ઉગાડે. આપણને બધે ફેરવીને બતાવે પણ બહુ શોખથી. આખા વિસ્તારમાં અનેક ઘરોની દીવાલો પરથી બહાર ઝૂકી પડતાં ફૂલો તો બહાર નીકળવાને જ સુંદર બનાવી દેતાં. ખાસ તો એમના અદ્ભુત રંગોથી. &lt;br /&gt;
મેં જાંબલી અને ભૂરા રંગનાં ફૂલ જોયેલાં તો જરૂર, પણ એકાદ-એકાદ જાતનાં. અહીં ફ્રાન્સમાં તો આ બે અસામાન્ય અને અસંભવ કહીએ તેવા – જાંબલી અને ભૂરા – રંગો ધારણ કરેલાં કેટલીયે જાતનાં ફૂલો દેખાયાં. એક-એક નવી જાત નજરે પડે, ને હું બોલી ઊઠું, “આહા, હજી એક વધારે?” &lt;br /&gt;
જિનિવા ગઈ તો ત્યાં પણ સર્વત્ર બસ, ફૂલો જ ફૂલો. શહેરના કેન્દ્રમાં ખૂબ મોટી એક ઘડિયાળ છે, જેને રંગરંગીન ફૂલોથી શણગારી દેવાઈ હતી. એ ફરીથી જોવા જ જાણે જિનિવા ગઈ હતી. સહજ આનંદ આપવાનો કેવ ગુણ હોય છે ફૂલોમાં.&lt;br /&gt;
ઉપરાંત, આ ઋતુમાં મને પૅરિસની બહાર, સિત્તેરેક કિ.મિ. દૂર આવેલા, જિવર્નિ (Giverny) નામના ગામે જવાનો મોકો મળ્યો. વિખ્યાત ફ્રેન્ચ ચિત્રકાર ક્લૉડ મોને ( Claude Monet) ત્યાં ઘણાં વર્ષ રહ્યા, અને અસંખ્ય ચિત્રો એમના પોતાના વિશાળ બાગમાં ઉગાડેલાં ફૂલો પરથી બનાવ્યાં. દુનિયાનાં કળાપ્રેમીઓમાં આ ચિત્રો તેમજ જિવર્નિમાંનું એમનું ઘર ઊંડા રસ અને આકર્ષણનું સ્થાન બનેલાં છે. &lt;br /&gt;
એમણે કમળ અને પોયણીનાં ઘણાં ચિત્રો કરેલાં. ન્યૂયૉર્કનાં મ્યુઝિયમોમાં એ હું વર્ષોથી જોતી આવી છું. એમાંનું એક તો લગભગ આઠ મિટર લાંબું છે. એમાંનાં આ જળ-પુષ્પોના ગુલાબી-જાંબલી રંગ, પાણી પર ઝૂકતી લીલોતરી, ચિત્રનું શાંતિપૂર્ણ વાતાવરણ હંમેશાં દરેક જોનારને સંમુગ્ધ કરે છે. &lt;br /&gt;
ચિત્રકાર મોનેનો પોતાનો ગાર્ડન આ ચિત્રોની યાદને જીવંત કરી દે છે. આ ગાર્ડનમાં આજે પણ, એપ્રિલથી ઑક્ટૉબર દરમ્યાન, દરેક મહિને જુદાં જુદાં, ઋતુને અનુરૂપ ફૂલો જોવા મળે છે. આ માટે ગાર્ડનના અમુક ભાગમાં વિવિધ ફૂલો ઉગાડવાનું કામ ચાલતું જ હોય છે. ખીલવા આવેલાં ફૂલ-છોડને કળાત્મક રીતે, હૃદ્ય રંગમેળ અને વિરચન કરીને જાહેર વિભાગોમાં વાવવામાં આવે છે. મે મહિનાની શરૂઆતે મને આઇરિસ, ર્હોડોડેન્ડ્રોન, જરેનિયમ, પિયોનિ, વિસ્ટેરિયા, અઝેલિયા, ડેલ્ફિનિયમ, ડેફોડિલ, ડેઇઝી વગેરે ખૂબ સુંદર, ખૂબ ગમતાં ફૂલો જોવા મળ્યાં. એ દિવસે સાચેસાચ એક કળાયાત્રા થઈ હતી. &lt;br /&gt;
દસેક દિવસ પછી ન્યૂયૉર્ક પાછી ફરી ત્યારે અમેરિકામાં વસંત શરૂ થયેલી હતી. વસવાટથી પરિચિત બનેલો પ્રદેશ, અને પરિચિત બનેલાં ત્યાંનાં ફૂલ. આ વિસ્તારમાં ચૅરિ બ્લૉસમ્સ અને મૅગ્નોલિયા સૌથી પહેલાં ખીલી જાય. એક ઝીણાં અને ઋજુ, તો બીજાં ખૂબ મોટાં અને મૃદુ. આ બંને જાતનાં ફૂલ થોડું જ ટકે ડાળીઓ પર, ને પછી એમની ખરી પડેલી સુકોમળ પાંદડીઓની જાજમ જમીન પર પથરાય.&lt;br /&gt;
ડૅફોડિલ ફૂલો ઘણું વધારે ટકે. એમની આટલી બધી જાતો હશે, તે તો એમને જોવા પામીએ, ત્યારે જ જાણીએ. મોટાં, નાનાં, ઝીણકાં, અને ઘેરા પીળા, આછા પીળા, સફેદ રંગનાં- એમ જુદા જુદા રૂપનાં ડૅફોડિલ થતાં હોય છે. તો વળી, ઘેરા લાલ અને અમકતા પીળા રંગનાં ટ્યુલિપ ફૂલો તો ન્યૂયૉર્ક શહેરના બે મુખ્ય માર્ગો – બ્રૉડવે અને પાર્ક એવન્યૂ-ની વચમાં માઇલો સુધી ઉગાડવામાં આવે. અને વિવિધરંગી ઇમ્પેશન્સ ફૂલો છે આમ સાદાં જેવાં, પણ લગભગ આખો ઉનાળો ટકી રહે, એટલે બહુ રૂપાળાં અને વહાલાં લાગે. &lt;br /&gt;
અમેરિકામાં સૌથી છેલ્લાં ખીલી આવે ડૉગવૂડ્સ નામના ઝાડ પરનાં ફૂલો. એ પણ એ જ નામે ઓળખાય. એ ફૂલ સફેદ અને ગુલાબી – એમ બે રંગનાં હોય. ડાળીઓ પર એવી રીતે ખીલી જાય કે ના તો ડાળીઓ દેખાય, ના તો પાંદડાં. ચાર જ પાંદડીનાં આ ફૂલ. દરેક પાંદડી એવી અણિયાળી, કે આકાર બરાબર ચોરસ બને. જેમ ભૂરા રંગનાં ફૂલ નવાઈ પમાડે, તેમ આ ચોરસ આકાર પણ પમાડે. જ્યાં જ્યાં સામટાં દોઢસો-બસો ઝાડ હોય, ને હજારો આવાં ફૂલો ખીલી આવતાં હોય, ત્યાં ડૉગવૂડ્સ પુષ્પોત્સવનું આયોજન થાય. દૂર દૂરથી અસંખ્ય લોકો આવે – બસ, આ અનુપમ સંુદરતાને માણવા.&lt;br /&gt;
ચારેક મહિના પછી હું વળી એક જુદા મહાખંડમાં જવા નીકળી. એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, નર હવે આફ્રિકા ખંડ. દક્શિણ ગોળાર્ધમાં દક્શિણતમ દેશ, એટલે દક્શિણ આફ્રકા. ઉત્તર અમેરિકામાં પાનખરનો વારો આવી ગયો હતો, ત્યારે મને હજી એક વાર વસંત માણવા મળવાની હતી. એક જ વર્ષમાં ચાર વસંત. અપૂર્વ જ કહેવાય એ વર્ષને.&lt;br /&gt;
દક્શિણ આફ્રિકા દેશનો ભૂમિપટ અસામાન્ય છે. એ મને સંપૂર્ણતયા હૃદયગ્રાહી લાગે છે. ત્યાં જાણે બધું જ છે – પર્વતો, રણપ્રદેશ, દરિયાકાંઠો, મેદાનો . ત્યાંના પહાડો ભૂખરા-જાંબલી પાષાણી છે, રણપ્રદેશ સપાટ અને સૂકો છે, દરિયાકાંઠો ભેખડબદ્ધ પણ હોય ને સરળ, રેતાળ પણ હોય, અને મેદાનો એટલે લીલી લીલી ખાલી જગ્યા. આ ભૂમિપટમાં બધે જ ફૂલો ના દેખાય, છતાં દરેક ઘરના કમ્પાઉન્ડમાં તો ફૂલ-છોડ ઉગાડેલાં હોય જ, એવું મેં જોયું. હું મિનિ-બસ વાટે તેરેક હજાર કિ.મિ. દક્શિણ આફ્રિકામાં ફરી. રસ્તા પરથી ગામોનાં નાનાં સાદાં ઘર સરસ લાગે, અને એવા જ સાદા – બારમાસી, ધંતૂરો, ક્યારેક જંગલી ગુલાબ વગેરે – ફૂલોના રંગ એમને મળેલા જોઈ મનમાં આનંદ થાય.&lt;br /&gt;
હાઇવે પર જતાં ક્યારેક ઘેરા લીલા રંગના તાજા ઊગેલા ઘાસની જાડી જાજમ થયેલી દેખાય, તો ક્યારેક આપોઆપ ખીલી ગયેલાં અજાણ્યાં જંગલી ફૂલો સોનેરી તડકામાં હરખાતાં દેખાય. આવી જ રીતે ઊગી જતાં કૉસ્મૉસ ફૂલોને હું નામથી તેમજ રંગ-રૂપથી ઓળખવા માંડી ગયેલી. એમનો એક સાથે મોટો પથારો હોય. નાજુક પાંદડીઓથી આકાર સુંદર ગોળ હોય અને રંગ હલકો ગુલાબી, જાંબલી, ને ક્યારેક ઘેરો ગુલાબી કે સફેદ હોઈ શકે. ઉત્તર ગોળાર્ધમાં જેમ ડેઇઝી ફૂલ સહજ રીતે ઊગી જાય, તેમ અહીં આ કૉસ્મૉસ ફૂલ ઊગતાં હતાં. &lt;br /&gt;
એ કહેવાય તો સાદાં અને સાધારણ, તોડ્યા પછી જરા વારમાં સૂકાઈ જાય એવા ઋજુ. પૂજામાં કે શોભામાં – ક્યાંય કામનાં નહીં, પણ કૉસ્મૉસ જેવું વિશિષ્ટ નામ હતું એમનું. મેં વાંચેલું કે ૧૫મી-૧૬મી સદીમાં સ્પૅનિશ ભૂમિ-શોધકોની સાથે આ ફૂલો યુરોપથી અહીં આવેલાં. એમનું અહીં હોવું આવું તો ઐતિહાસિક હતું, તે જાણ્યા પછી હું એમને અર્થપૂર્ણ સંદર્ભો સાથે જોવા લાગી હતી. &lt;br /&gt;
દક્શિણ આફ્રિકામાં ફરતાં નાનાં ચંપાનાં ઝાડ ક્યાંક ક્યાંક જોયેલાં, ને બાગોમાં કૅના, લિલિ, દાઉદી વગેરે પણ હતાં. ડર્બનની બહારના મહામાર્ગ પર માઇલો સુધી સળંગ શેરડી ઊગે છે. વસંત ઋતુમાં એમનો ફાલ ઘણો ઓછો હતો. એમની પ્રફુલ્લિત ઘનતા ડર્બનની પેલી સફર દરમ્યાન જોયેલી. અને બોગનવેલના ઘેરા રંગ તો હંમેશાં ઉત્સાહિત થયેલા લાગે પણ ખરા, અને જોનારને આનંદિત કરે પણ ખરા.&lt;br /&gt;
દક્શિણ આફ્રિકા દેશની સર્વશ્રેષ્ઠ વાસંતી સંુદરતા રહેલી છે જાકારાન્ડા ફૂલોમાં. મોટાં, ઊંચાં વૃક્શોને આછા જાંબલી રંગનાં જાકારાન્ડા ફૂલો જાણે ઊભરાવી રહે છે. પાછળ ભુરૂં આકાશ હોય ત્યારે તો એમનો શું નિખાર. અને તડકો હોય ત્યારે સૂરજનો પ્રકાશ પોતે જ જાંબલી થઈ ગયેલો ભાસે. ડળક ડળક ઝરીને જમીન પર પડ્યાં હોય ત્યારે એ જાજમ પણ અદ્ભુત-સુંદર લાગે. &lt;br /&gt;
મને કોઈએ કહ્યું કે જાકારાન્ડા ઇન્ડિયાથી અહીં આવેલાં. અરે વાહ, ખરેખર? ગુલમ્હોર પણ ઇન્ડિયાથી જ અહીં આવેલાં. અહીં આપણાં ગુલમ્હોરને ‘ફ્લૅમબૉયન્ટ’ કહે છે. પૂર્ણવિકસિત ગુલમ્હોરનાં ફૂલોથી ખીચોખીચ ઝાડ પણ અહીં ખૂબ જોયાં. એમને જોઈને હંમેશાં મને દેશ જ યાદ આવે. પણ જ્યારે સાંભળ્યું કે જાંબલી જાકારાન્ડા અને કેસરી ગુલમ્હોર એક જ વૃક્શ-પ્રકારનાં, એટલેકે એક જ વનસ્પતિ-કુટુંબનાં છે, ત્યારે વિસ્મયથી મૂક થઈ જવાયું.&lt;br /&gt;
કુદરતની લીલા ન્યારી છે. એના સાક્શી થવા મળે તેમાં જ પરમ ભાગ્ય રહેલું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ફરી ત્યાં જઈ શકાય છે&lt;br /&gt;
|next = ગમતાંની શોધ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9C%E0%AA%88_%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87&amp;diff=110287</id>
		<title>દરિયાપારથી.../ફરી ત્યાં જઈ શકાય છે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AB%E0%AA%B0%E0%AB%80_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82_%E0%AA%9C%E0%AA%88_%E0%AA%B6%E0%AA%95%E0%AA%BE%E0%AA%AF_%E0%AA%9B%E0%AB%87&amp;diff=110287"/>
		<updated>2026-04-26T05:48:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ફરી ત્યાં જઈ શકાય છે}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભાગ્યે જ કોઈ એવું હશે જેમને પોતાના જન્મની, કે જ્યાં ઘણાં વર્ષો ગાળ્યાં હોય તે જગ્યાને ફરી એક વાર જોવાનું મન ના થાય. “મૂળ”ના સ્થાને જવું ભારતીયોને માટે બહુ અઘરું નથી હોતું, કારણકે ગામ ત્યાંનું ત્યાં હોય છે, ઘણાંનાં ઘર પણ હોય છે, ને પરિચિતતાની નિશાનીઓ ઠેર ઠેર જોવા મળતી હોય છે. ભારતીયો તો બાપ-દાદાના જમાનાની વાતો અને વિગતો પણ જાણતાં હોય. પશ્ચિમની પ્રજા પાસે આવું કશું હોતું નથી. ઇતિહાસ જોઈએ તો દેખાશે કે પશ્ચિમના લાખો લોકોનાં જીવન બે વિશ્વયુદ્ધ દરમ્યાન રફેદફે થઈ ગયાં. ફક્ત દેશ જ નહી, વારસાગત ઘર-બાર પણ એ લોકો ગુમાવી બેઠા. પછીની પેઢીઓ માટે “મૂળ”ના સ્થાનનો કોઈ આધાર રહ્યો નહીં. &lt;br /&gt;
અમેરિકા જેવો દેશ તો હિજરત કરીને, જીવ બચાવીને, ભાગી છૂટીને આવેલા યુરોપી લોકો વડે સૌ પ્રથમ વસવા માંડ્યો. પછી આફ્રિકા, ચીન, મેક્સિકો જેવા દેશોમાંથી ગુલામી માટે લવાયેલા લોકો એની પ્રજાનો ભાગ બન્યા. છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષમાં અમેરિકાની ધન-સંપત્તિ તેમજ ત્યાંની ગ્નાન-સંપદાથી આકર્ષાઈને ત્યાં જનારાંની સંખ્યા વધતી ગઈ છે. આજના અમેરિકાની પ્રજાનો ઘણો ભાગ પોતપોતાના મૂળ સ્થાનનો દીવો મનમાં પ્રગટેલો રાખે છે. કેટલાંક એ સ્થાનને ફરી જોવા કે ફરી ત્યાં ેહએવા પાછાં જઈ શકે છે, ને કેટલાંકને માટે એ શક્ય નથી જ બનતું. જે બધાં યુદ્ધો, કોમી ક્રૂરતા, ને સરમુખત્યારોના ઘાતકીપણા વગેરેનો ભોગ બન્યા હશે, તેવાં અભાગીઓને પોતાને ‘ઘેર’ પાછાં જવાની શક્યતા હોતી જ નથી.&lt;br /&gt;
આ નવી સદીના અમેરિકામાં પ્રજાજનો દ્વારા એક જુદા પ્રકારનું સ્થાનાંતર થઈ રહ્યું છે. અઢારમી સદીથી અમેરિકામાં શહેરોની રચના થવા લાગી, અને શહેરો આર્થિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક વગેરે બધી રીતે અગત્યનાં કેન્દ્ર બન્યાં. શહેરોની વસ્તી ઘણી ફૂલી-ફાલી. વીસમી સદીના મધ્યકાળીથી વસવાટના વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ થઈ, અને અત્યાર સુધીમાં તો દેશનો ચહેરો તેમજ માનસ બદલાઈ ગયાં છે. ૧૯૬૦ના અરસામાં અમેરિકાની ગૃહસ્થીની આકૃતિ લગભગ સરખા ત્રણ હિસ્સામાં વહેંચાયેલી હતી – ગ્રામીણ, શહેરી, અને ઉપાંચલ, એટલેકે સબર્બ. આ એક નવો શબ્દ બન્યો, પ્રચલિત થયો, અને આજે આ‘સબર્બન લાઈફ’ દેશમાં અત્યંત અગત્યની જીવન-શૈલી બનેલી છે. શહેરની અને સબર્બની જીવન-રીતિ ક્યારેક ભળે છે, વધુ ભાગે ભિન્ન રહે છે. અસંખ્ય લોકો વર્ષો સુધી શહેરમાં જતા પણ નથી. &lt;br /&gt;
પશ્ચિમના દેશોના મોટા ભાગના લોકો વારસાગત મૂળ સ્થાન તો નથી જ પામ્યા હોતા, પણ ટ્યક્તિગત મૂળ સ્થાન કહેવાય એવું પણ એમને મળ્યું હોતું નથી. ક્યારેક આપણે એમની દયા ખાઈએ, કે કેવા વંશ-વેલા વગરના અને વડીલોથી વંચિત છે, તો કોઈ વાર એમ થાય કે નસીબવાળા છે કે ઘર-ઘર કરીને ઝૂરવું નથી પડતું. આ સાથે જ, જે લોકો પોતાની ઈચ્છાથી કે પરાણે પોતાનો દેશ છોડીને અમેરિકામાં વસવા આવ્યા હોય તે બધા – જે દેશે એમને અપનાવ્યા, જીવાડ્યા, પોષ્યા, સાચવ્યા તે – અમેરિકા દેશને હવે સાચું ઘર સમજીને પૂર્ણતયા ચાહી શકતા નથી, આ ઉદાર રાષ્ટ્રના હિતને વફાદાર થઈ શકતા નથી. &lt;br /&gt;
અમેરિકા આવીને વસેલા અનેકાનેક લોકો -ભણેલાગણેલા અને બુદ્ધિમાન હોય તો પણ – પોતાને બંને તરફથી ‘વિદેશી’ માનતા હોય છે. “જ્યાંથી નીકળી ગયા ત્યાંથી પારકા, અને જ્યાં વસ્યા ત્યાં બહારના” – કંઈક આવી માન્યતા હોય છે એમના મનમાં. આવો અભિગમ આ દેશ પ્રત્યે તેમજ પોતાની જાત પ્રત્યે અન્યાયકર્તા ગણાય. મનને જો સ્વસ્થ અને સુદૃઢ કરી શકાય તો લાગશે કે જીવન કશું ‘પારકું કે પોતાનું’ અથવા ‘વારસાદત્ત અને વંચિતતા’માં વિભાજિત હોય તે જરૂરી નથી. &lt;br /&gt;
“ઘર” ખરેખર એવું એક સ્થાન છે જેને ઘણી સહેલાઈથી ચાહી શકાય છે, જે આપણું-એમનું-દરેકનું ને કોઈનું પણ હોઈ શકે છે. એ મૂળના સ્થાનથી ભિન્ન હોઈ શકે છે, ને તેથી ઘણું ઓછું જટિલ પણ હોઈ શકે છે. “મૂળ”-નો જો આઘાર હોય છે, તો “ઘર”ની હુંફ હોય છે. સ્પેનિશ ભાષામાં એક બહુ સરસ ઉક્તિ છે : “ મિ કાસા એસ સુ કાસા”- એટલેકે મારું ઘર તે તમારું ઘર છે. હું દુનિયામાં ફરતાં ફરતાં રટણ કરતી હોઉં છું – તમારું ઘર તે મારું ઘર છે, એટલેકે મને બધે ઘર જેવું લાગતું હોય છે.&lt;br /&gt;
એ વ્યક્તિને દેશો અને દિશાની અવધિ અવરોધક બનતી નથી, કે જેને બધે ઘર જેવું લાગે છે, ક્યાંય પારકા જેવું લાગતું નથી. પછી વારસાની અને વંચિતતાની સરહદો અટકાવતી નથી. ફરીથી, ને ફરી ફરી, “ઘેર” જવાની ઈચ્છા શક્ય બનતી રહે છે, ને ફરી ઘેર જરૂર જઈ શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ફક્ત વરસાદ&lt;br /&gt;
|next = વસંતો જ વસંતો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AB%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4_%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6&amp;diff=110286</id>
		<title>દરિયાપારથી.../ફક્ત વરસાદ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AB%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4_%E0%AA%B5%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6&amp;diff=110286"/>
		<updated>2026-04-26T05:45:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ફક્ત વરસાદ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વર્ષ દરમ્યાન ઋતુ ઋતુની કાળ-રેખ આપણને અપેક્શિત રહેતી આવી છે. ઉનાળો, શિયાળો, વસંત, વર્ષા વગેરે પોતપોતાની સીમામાં હોય છે, એમ આપણે માનતાં રહ્યાં છીએ.&lt;br /&gt;
એક સમય એવો હતો જ્યારે ઋતુનાં આગમન અને વિદાય ઉપર આપણે આધાર રાખી શકતાં. એ સમય તો જાણે ક્યારનો દૂર થઈ ગયો લાગે છે. હવે તો ક્યારેક જાણે ઋતુઓ એકમેકમાં ભળી જાય છે, ક્યાં તો સાવ છૂટી પડી જાય છે. અત્યારે તો એક ચંદ્ર જ ધાર્યા પ્રમાણે પૂર્ણ, અને ક્શીણ થતો જાય છે, પણ સૂર્યનું વર્તન ક્યાં વિશ્વસનીય રહ્યું છે? ક્યારેક લાગે કે એનું જોર અકારણ, કસમયે બહુ વધી ગયું છે, તો ક્યારેક એ એમ જ સાવ નબળો બની જતો પણ લાગે. &lt;br /&gt;
એની નબળાઈનું પ્રમાણ તો અમને હમણાં ખાત્રીપૂર્વક મળી ગયું. ન્યૂયોર્ક શહેરની આસપાસ, તેમજ અમેરિકાના સમગ્ર ઈશન પ્રદેશમાં ત્રણથી ચાર અઠવાડિયાં સતત વરસાદ પડતો રહ્યો. બે-ત્રણ દિવસે એક વાર જરાક માટે કે થોડા કલાકો માટે ઝાંખો-પાંખો સૂર્ય બહાર આવ્યો હોય. કાળાં વાદળ અને આકાશી વારિની સામે એનું કાંઈ ચાલે નહીં, એટલે પાછો એ દૂર સરી જાય. અહીં મે મહિનામાં ઘણો વરસાદ પડતો હોય છે, એ વાત સાચી. વીજળી ચમકે, વાદળ ગગડે, આકાશમાં મોટા કડાકા ને ભડાકા થતા દેખાય ને સંભળાય. મે મહિનામાં વરસાદ સાથે આવા ઝંઝાવાત પણ થાય જ. ને છતાં, વીસ દિવસ પાણી પડતું અટકે જ નહીં, એવું બનતું કોઈએ જોયું ના હોય. &lt;br /&gt;
ઉપરાંત, જો ઈશાન ભાગમાં ખૂબ પૂરની ભીતિ રહેલી હતી, તો અત્યંત વિશાળ એવા આ દેશના અન્ય પ્રદેશોમાં પાણીનો ભારે દુકાળ ચાલતો હતો. કુદરતનું વર્તન કેવું અગમ્ય હોય છે. &lt;br /&gt;
ભારતમાં પણ કુદરતની કૃપા પ્રમાણે થાય તો પહેલા વરસાદનો તો દિવસ પણ જાણે નક્કી ગણાતો હતો. પછી ખેતરોમાં લીલો રંગ લહેરાય, ને માટીની સુગંધ ફેલાય, જીવો ને જીવી મેળામાં મ્હાલે, ચરર ચરર ચકડોળ ચાલે, છોકરાં વરસાદમાં ન્હાય, કવિઓ વરસાદમાં પ્રેમનાં ગીતો લખે. કોઈ મેઘને સંદેશાવાહક દૂત બનાવવા પ્રેરાય, તો કોઈ કહે, કેમ કરીને કોરાં રહેવાય?&lt;br /&gt;
ગામડાંમાં હું ફરી છું, પણ ત્યાં ઊછરી નથી, તેથી શેઢો, કે ચાસમાં ભરાયેલાં પાણી, ને એમાં તરતું આકાશ, કે મોરની ગહેક, ને વહુવારુનો ઘુમટો વગેરે જેવાં અનેક લલિત પ્રતીકોનો ઉલ્લેખ કરવાનો હક્ક મને ક્યારેય જાણે મળ્યો નથી. પણ વાતાવરણની તાજગી જરૂર અનુભવી છે, માટીની મહેક હું જાણું છું, અને ઘરના આગલા વરંડામાંના હિંચકે બેસીને વરસાદને માણ્યાના આનંદને યાદ કરીને પરદેશમાં ઘણું યે ઝુરી છું. મારી આંખોના આકાશમાંથી તો પાણી દસ-દસ વરસ સુધી નીતરતાં રહ્યાં હતાં. ઘર-ઝુરાપા ઉપર કાવ્યો પણ લખાયાં, ને ન્યૂયોર્કમાં જેવું ને જેટલી વાર આકાશ ગોરંભાયું તેટલી વાર સ્વદેશને સ્મરતી પણ રહી.&lt;br /&gt;
હજી સ્મરું છું – પ્રત્યેક દિવસે. એ મારા શ્વાસમાં ફરકે છે, ને મારા લોહીના દરેક ટીપામાં વસે છે. પરંતુ વર્ષા ઋતુમાં માત્ર દેશના સંદર્ભોને સંકોરતી રહું, એવું નથી. છેલ્લાં અનેક વર્ષોથી વિશ્વભરના વરસાદને જોતી, ને માણતી આવી છું. એના એ વરસાદને જુદી જુદી રીતે પામતી, ને આસ્વાદતી રહી છું. વરસાદ તે કાંઈ ફક્ત વરસાદ હોય છે? કોઈ પણ સ્થાનની એ જીવાદોરી હોય છે, ત્યાંના સુખ-દુઃખનું એ કારણ હોય છે, ત્યાંના જીવનને મળેલો એ આકાર હોય છે. &lt;br /&gt;
પ્રવાસમાં હોઉં ત્યારે વરસાદ નડતરરૂપ પણ બને. ખાસ કરીને યુરોપના દેશોમાં. એક તો ત્યાં આમે ય સૂર્ય નરમ જેવો હોય, ને પછી વાદળ ઘેરાય એટલે હવામાં ઠંડક વધી જાય. વરસાદને કારણે ઠંડી, ભીનાશ, વહેલું અંધારું. આવે વખતે પ્રવાસી હોવું આકરું બને. ફોટા ના લઈ શકાય, તે બહુ ખૂંચે.&lt;br /&gt;
ઉષ્ણકટિબંધના દેશોનો વરસાદ બહુ સરસ. ઠંડક ના વધે, બલ્કે ગરમી ને ભેજ વધે. બહુ અકળામણ ના થાય, ને પ્રકૃતિ આખી હસતી લાગે. ધોધમાર હોય ત્યારે કદાચ છત્રી જોઈએ, બાકી છાંટણાંમાં થઈને તો આનંદથી હરતાં-ફરતાં રહેવાય. ફિલિપ્પિન્સમાં, હવ્વાઈમાં, બાલીમાં વગેરે ઘણી જગ્યાઓએ એવું બન્યું છે. ત્યારે હું પણ પ્રકૃતિની સાથે હસતી રહેલી.&lt;br /&gt;
આપણા મણિપુરના ઇમ્ફાલમાં રહી તેટલા દિવસ લગભગ રોજ વરસાદ પડે, અને એવો ભારે કે રિક્શામાં બેઠાં બેઠાં પણ ભીનાં થઈ જવાય. રિક્શા ચલાવનાર તો તદ્દન પલળી જાય. એક વાર હું ‘ઈમા માર્કેટ’ કહેવાતા બજારમાં જવા નીકળેલી. એ માર્કેટને અસાધારણ કહી શકાય, કારણકે એમાં વેચાણ કરનાર કેવળ સ્ત્રીઓ હોય છે, તેમજ ખરીદનાર પણ સ્ત્રીઓ જ હોય છે. જોરથી વરસાદ પડતો હતો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયેલાં. રસ્તાને છેડે ચાલવા જાઓ તો પગ કાદવમાં પડે. તોયે, સારું જ થયું કે હું પાછી ના વળી ગઈ. આવું બજાર, ઊંચા અંબોડા તથા કપાળે ચંદન લગાડેલી વૈષ્ણવ સ્ત્રીઓ, તેમજ મણિપુરના હાથવણાટનાં અદ્ભુત કાપડ બીજે ક્યાં જોવા મળત? &lt;br /&gt;
ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર એક મહિનો રહેલી, ત્યારે વરસાદને બહુ જ માણેલો. રોજ સવારેએ ઊઠીને આકાશ સામે જોઉં, ને અનુમાન કરું કે એ દિવસે ક્યારે વરસાદ પડશે. પછી એની રાહ જોઉં, ને એને માણવા, આવકારવા, ઓરડાની બહારના નાના વરંડામાં અથવા કોઈ કાફેમાં બેસી જાઉં. બાલીનો વરસાદ સરસ ટપ ટપ કરતો પડે છે. ત્યાં એટલી બધી લીલોતરી, ઝાડ-પાન-ફૂલો હોય છે, ને પાંદડે પાંદડેથી દૈવી વારિ-બિંદુનો ધ્વનિ ઉત્પન્ન થતો જતો સંભળાય છે. &lt;br /&gt;
ભારતમાં આવી રીતે વરસાદ માણવા માટે એક વાર ખાસ યોજના કરીને જુલાઈમાં અમદાવાદ ગઈ હતી. ત્યાં પણ સવાર પડે, ને આકાશ સામે જોઉં, આખો દિવસ રાહ જોતી રહું, પણ એ વર્ષે વરસાદ પડ્યો જ નહતો. વસ્તી, વાહનો, અત્યધિક બાંધકામ, પ્રદૂષણ વગેરે અનિચ્છનીય કારણોને લીધે દેશના વરસાદને ઝંખનાર જીવ હવે બળતો રહે છે.&lt;br /&gt;
અમેરિકામાં ભાગ્યે જ વરસાદની અછત હોય છે. દેશના મોટા ભાગમાં શિયાળુ બરફ ઓગળીને બનેલાં પાણીથી નદીઓ, તળાવો અને પીવાના પાણીનાં મોટાં તળાવ જેવાં ટાંકાં ભરાઈ જતાં હોય છે. વળી, વરસાદ આખુયં વર્ષ પડ્યા કરતો હોય છે. શિયાળે, ઉનાળે, વસંતમાં ને પાનખરમાં – આકાશ જલાર્દ્ર થતું જ રહે. વર્ષોના વસવાટ દરમ્યાન મેં નોંધ લીધી છે કે કયા મહિનાઓ ખરેખર વરસાદિયા ગણાય. એ મુજબ – શિયાળુ વરસાદ થાય જાન્યુઆરીમાં. વાસંતી ફોરાં માટે તો એપ્રિલ વખણાતો આવ્યો છે, મે મહિનામાં ગાજવીજ સાથેનો વરસાદ અપેક્શિત છે. સૌથી ભીનો મહિનો ઑગસ્ટ છે, તે ખ્યાલ બધાંને હોતો નથી. પછી નવેમ્બરમાં વરસાદ થવો જોઈએ. નિયમ તો આ પ્રમાણે છે, પણ ઘણી વાર અહીં પણ, આમ ના પણ બને. &lt;br /&gt;
વરસાદનું મનસ્વીપણું આટલા મોટા આ દેશને નચાવતું રહેતું હોય છે. ઓછો પડે તો પાકને બાળે, ખૂબ પડે તો નદી-નાળાં ઊભરાય, ને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ જાય, અચાનક કરા પડે તો વાહનોના કાચ તોડી નાખે, ને વંટોળ બનીને આવે તો તો ક્શણોમાં મોટી તારાજી કરી દે. વરસાદના નાનાવિધ વિકળ ને વિકરાળ સ્વરૂપોથી જે વાસ્તવિકતા બને છે, તે જ અહીંના જીવનનો મહદ્ અંશ હોય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = એકલક્શી પ્રયાણ-પિપાસા&lt;br /&gt;
|next = ફરી ત્યાં જઈ શકાય છે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE_(%E0%AB%A8)&amp;diff=110285</id>
		<title>દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા (૨)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE_(%E0%AB%A8)&amp;diff=110285"/>
		<updated>2026-04-26T05:42:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|એકલક્શી પ્રયાણ-પિપાસા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઇતિહાસની તવારિખો જોઈએ તો કદાચ ચૌદમી સદી આગવી લાગે : જ્યૉફ્રી ચૉસર નામના અંગ્રેજ લેખકે અભૂતપૂર્વ પ્રવાસ-કથા “ધ કૅન્ટરબૅરિ ટૅલ્સ” લખી, મૉન્ગૉલ યોદ્ધા તિમુરલંઘેઈરાનથી રશિયા સુધી ચડાઈ કરી કરીને વિશાળ રાજ્ય સ્થાપ્યું, તથા કોલમ્બસ અને વાસ્કો દ ગામા જેવા સાગરખેડુઓને હજી સો-દોઢસો વર્ષોની વાર હતી ત્યારે, ઉત્તર આફ્રીકાના એક પ્રદેશમાં ઇબ્ન બતુતા જેવા એક આદ્ય-પ્રવાસી પાક્યા. હા, એમ તો માર્કો પોલો આ બધાંથી પહેલાં, તેરમી સદીમાં થઈ ગયા. એ ખરું, પણ ઇબ્ન બતુતા માર્કો પોલો કરતાં ઘણું વધારે ફરી વળેલા. ત્રીસ ત્રીસ વર્ષના લગભગ અવિરત ભ્રમણમાં ઇબ્ન બતુતાના પગ નીચેથી પંચોતેર હજાર માઈલો પસાર થઈ ગયેલા. એ અજીબોગરીબ રાહગીરીની વિગતો એમણે લખેલા પ્રવાસ-ગ્રંથમાં મળે છે. &lt;br /&gt;
એ કાળે ખલાસી, વેપારી, સૈનિક, સાધુ જેવી વ્યક્તિઓ લાંબાં અંતર જરૂર કાપતી રહેતી હતી, પણ એ લોકોનું પ્રયોજન દુન્યવી રહેતું. બતુતાને તો નહોતા પૈસા કમાવા, કે નહોતું યુદ્ધ કરવું, કે નહોતો ઉપદેશ આપવો. એમને તો, બસ, ભ્રમણ-મસ્ત જ થવું હતું. એકવીસ વર્ષની ઉંમરે આ અબુ અબ્દલ્લા ઇબ્ન બતુતા ઘેરથી નીકળી પડ્યા ત્યારે એમની પાસે ક્યાં જવું છે?ની યોજના, કે શા માટે જવું છે?નાં સ્પષ્ટ કારણો હતાં નહીં. પણ મોરોક્કો દેશના તાન્જિયેર બંદરે ૧૩૦૪માં જન્મેલા બતુતા નાનપણથી બંદર પર નાંગરતાં વહાણોને જોતા આવેલા, અને એ રીતે, દૂરના પ્રદેશોની જાણ પામેલા. વળી, ઈસ્લામનો એ સુવર્ણકાળ હતો, અને હજ કરવા જવાનો રિવાજ ત્યારે પણ હતો. બતુતાએ પણ પોતાના વાલિદ (પિતા)ને એ જ કારણ આપ્યું, જોકે મક્કા કઈ રીતે પહોંચવું, તેનો કોઈ ખ્યાલ એમને હતો નહીં.&lt;br /&gt;
યુવાન બતુતા તાન્જિયરથી તો આંખમાં આંસુ અને દિલમાં કૈંક ઉદાસી સાથે એકલા નીકળી પડ્યા, પણ ફૅઝ શહેરમાં પહોંચતાં બીજાં યાત્રીઓનો સંગાથ એમને મળી ગયો. ભૂમિ પર પ્રયાણ કરતાં કરતાં, લગભગ ત્રણ મહિને એ બધાં ભૂમધ્ય સમુદ્રને કિનારે ટ્યુનિસ શહેરમાં પહોંચ્યાં. બતુતા ત્યાં બે મહિના એક મદરસામાં નહીં જેવા ખર્ચે રહી ગયા. ત્યાર પછી, મક્કા જવા નીકળેલા કાફલામાં એ નિયામક તરીકે જોડાયા. એમનાં વિવેકી સ્વભાવ, સંસ્કારી વર્તન અને વિનોદ-વૃત્તિને લીધે એ સહેલાઈથી પ્રિય થઈ પડતા, તથા હંમેશાં મૈત્રી, મિજબાની, ભેટ-સોગાદો અને આમદાનીની પદવીઓ પામતા રહેતા. કૅરો, ઍલૅક્ઝાન્ડ્રિયા, દમાસ્કસ, બગદાદ વગેરે સ્થાને સમય પસાર કરતાં એ છેક સોળ મહિને મક્કા પહોંચ્યા. &lt;br /&gt;
અને આ તો ફક્ત શરૂઆત જ હતી. ફરીથી જ્યારે મક્કા ગયા ત્યારે સળંગ ત્રણ વર્ષ એ ત્યાં જ રહ્યા, ઈસ્લામનો અભ્યાસ કર્યો, અને “ધર્મ-મીમાંસક”ની પદવી પામ્યા. પછીનાં એકવીસ વર્ષ એ સતત ગતિમાન રહ્યા. ઈરાક, પર્શિયા, ઈથિયોપિયા, પૂર્વ આફ્રીકા, પશ્ચિમ આફ્રીકા, રશિયા, એશિયા માઈનર; વળી હિન્દુકુશ, ખૈબરઘાટ, ઈન્ડસ પર થઈને ઈન્ડિયા, શ્રીલંકા, ચીન, માલદીવ, ઈન્ડોનેશિયા – આમથી તેમ ને તેમથી આમ થતાં થતાં બતુતા ક્યાં ના ક્યાં ગયા. ટૂંકે રસ્તે ક્યાંય પહોંચવું એમને જાણે ગમતું જ નહીં. હંમેશાં એ લાંબો, ને કઠિન પથ લેતા. વળી, ઠેર ઠેર એ રોકાતા જતા – એટલું જ નહીં, એ ઘર પણ માંડતા જતા. આઠેક વાર એ પરણ્યા, વારંવાર છૂટાછેડા લીધા, બાળબચ્ચાં પણ થયાં; ને પછી થોડા વખતમાં મન ચંચળ થઈ ઊઠતું હશે, કે ધરાઈ જતું હશે, જેથી એ જગ્યા છોડીને બીજે કશે જવા એ નીકળી પડતા.&lt;br /&gt;
બધે જ અમલદારો અને સૂબેદારોને એ પ્રસન્ન કરતા રહેતા. વાક્-ચાતુર્ય એવું હતું કે વાંકમાં પડતા તોયે છટકી જઈ શકતા. દા.ત. દિલ્હીના સુલતાને એમને બાર હજાર દિનારના પગાર પર કાજીની નોકરી આપેલી. છતાં જ્યારે પંચાવન હજારનું દેવું થઈ ગયું ત્યારે સુલતાનની પ્રશસ્તિમાં એમણે એક એવી કાવ્યકૃતિ લખી કે ખુશ થઈને માલિકે દેવું માફ કરી દીધું! એ&lt;br /&gt;
કશાની ખાસ ચિંતા કરતા નહીં. બધું યજમાન પર, અને અલ્લાહ પર છોડી દેતા.&lt;br /&gt;
બતુતાએ તકલીફો પણ અનેક, તેમજ અકલ્પ્ય જેવી પણ, વેઠી હતી. જેમકે, મેલેરિયાનો ભોગ બનીને એ લગભગ મૃત્યુ પામેલા, ચાંચિયાઓ દ્વારા દરિયામાં ફેંકાયેલા, હિન્દુ લુટારાઓના હાથનો સખત માર ખાધેલો, વહાણ ભાંગી પડતાં એક પત્ની અને બાળકને ગુમાવી બેઠેલા, વગેરે. ઉપરાંત, પોતાનાં માતા-પિતાને એ ફરી ક્યારેય મળી ના શક્યા. ત્રણ દાયકા પછી આખરે બતુતા જયારે તાન્જિયેર બંદરે પાછા ગયા ત્યારે ત્યાં પોતાનું કહેવાય એવું કોઈ રહ્યું નહોંતું.&lt;br /&gt;
આવી તીવ્ર અને એકલક્શી ભ્રમણ-પિપાસા વહન કરતાં કરતાં જીવન વિતાવવું સહેલું નથી. આવી ગુણવત્તા બધાં મુસાફરો ધરાવી પણ ના શકે. ઇબ્ન બતુતાના મૃત્યુના છસો વીસેક વર્ષો પછી, જીવ-વિગ્નાનના સંશોધકો – ઈઝરાયેલ અને અમેરિકામાં – એ તારણ પર આવ્યા છે કે નવીનતાનો મોહ, અને સાહસની વૃત્તિનાં બીજ, ખરેખર, શરીરની અંદરના કોઈ ઘટકમાં રોપાયેલાં હોય છે. માણસના વ્યક્તિત્વ અને વર્તનનું કારણ દર્શાવતું આવું ઘટક ( જિન) આ પહેલી જ વાર શોધાયું. એમાં પણ પાછું એ ‘જિન’ ઓછી કે વધારે ઉત્કટતા ધરાવતું હોય, ને એ પ્રમાણે વ્યક્તિ પ્રવાસમાં સાધારણ ને બિનજોખમી આનંદ ઇચ્છતી અથવા અત્યંત સાહસી અનુભવો ઇચ્છતી વ્યક્તિ બને. અલબત્ત, આ નિદાનને સંપૂર્ણપણે સમજવાની પ્રક્રિયા લાંબો સમય ચાલતી રહેવાની.&lt;br /&gt;
સામાન્ય રીતે એવું બનતું હોય છે, કે બાળપણથી જ કુતૂહલની, ઉત્સુકતાની, નિર્ભયતાની સહજ, નિર્દોષ વૃત્તિઓને રૂંધવામાં આવતી હોય છે. વ્યક્તિના નિર્બંધ વિકાસ પર બાળપણથી જ કાપ મૂકાતો હોય છે. કારણકે સમાજને રસ એમાં હોય છે કે એનાં બધાં સદસ્યોનાં વર્તન તથા વિચાર સામૂહિક રીતિમાં અને ગતિમાં જ સંયત રહે. કશું જુદું બનવા ઇચ્છનાર દરેક વ્યક્તિને એકલી પાડી દેવામાં આવતી હોય છે. અનોખી સિદ્ધિઓ મેળવી લીધા પછી પણ એ વ્યક્તિને સમાજ તરફથી આધાર મળતો નથી.&lt;br /&gt;
ઇબ્ન બતુતા પોતે, આવા અભૂતપૂર્વ પ્રવાસો કર્યા પછી અને અતિ-વિસ્મયકારી સાહસોમાં-થી પાર ઊતર્યા પછી – છેવટે તોંતેર વર્ષની ઉંમરે, ભુલાયેલી અવસ્થામાં, ઘરમાં ને ઘરમાં મૃત્યુ પામ્યા. સદ્ભાગ્યે, મોરોક્કોના સુલતાને લહિયા દ્વારા બતુતાની અદ્ભુત પ્રવાસ-ગાથા લખાવી લીધેલી. પણ ના તો એ પુસ્તક ત્યારે ઘણાં જણે વાંચ્યું, કે ના તો એ પોતે અત્યારે ઘણા વિખ્યાત રહ્યા છે. આખી પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાની એમની મહેચ્છા હતી. એ બાબતમાં એમણે બીજી કોઈ પણ વ્યક્તિથી વધારે સિદ્ધિ મેળવી, એમ વિચારીને એમણે પોતે, અંતે, મનમાં ને મનમાં સંતોષ માન્યા કર્યો. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = એકલક્શી પ્રયાણ-પિપાસા&lt;br /&gt;
|next = ફક્ત વરસાદ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE&amp;diff=110284</id>
		<title>દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B6%E0%AB%80_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE&amp;diff=110284"/>
		<updated>2026-04-26T05:42:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|એકલક્શી પ્રયાણ-પિપાસા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
માર્ગ-પરાયણ મુસાફરો કરતાં ઘર છોડીને નહીં નીકળી શકનારાંની સંખ્યા અનેકગણી વધારે હોવાની. પ્રવાસ-પ્રેમીઓને ગાંડાં ગણનારાં, અજાણી જગ્યાઓનું એવું તે શું આકર્ષણ હશે? એવા પ્રશ્ન કરનારાં હંમેશાં વધારે જ હોવાનાં. પણ કારણ સમજાવવાં કે જવાબ આપવા સહેલા નથી હોતાં, તે દરેક એકલક્શી પ્રયાણરત મુસાફર જાણે છે. &lt;br /&gt;
એક એવું અનિયંત્રણીય સંવેદન હોય છે જે કુતૂહલ અને ઉત્સુકતાના સ્તરેથી શરૂ થઈને, અદમ્ય આવેગ અને હિંમતનું ભાન કરાવીને મુસાફરને વૈશ્વિક અહોભાવ તથા આત્મ-આવિષ્કારના અનુભવ સુધી પહોંચાડી શકે છે. જે અપરિચહિત છે તે આવા મુસાફરોને ભયજનક નથી લાગતું, બલ્કે એને સમજવા, જાણવા, એનાથી પરિચહિત થવા પ્રેરે છે. કશુંક સુંદર, કશુંક નવીન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મનમાં એક પ્રકારના લયનો આરંભ થઈ જાય છે, અને પછી મન એ સંવેદનને ફરી ફરી અનુભવવા ઇચ્છતું રહે છે.&lt;br /&gt;
આ પ્રકારના જે મુસાફરો હોય છે તે, ખરેખર, સર્વ-સામાન્ય ઢાંચાથી જુદા નિપજ્યા હોય છે. પેલા વળાંક પછી શું હશે, તે જાણવા એ તલસતા હોય છે. પૃથ્વી પરના વિભિન્ન પ્રદેશો અને પરિવેશ અંગે પૃચ્છા તથા નિરીક્શણ કરી કરીને એ બધા જાણે સમાજને, જીવનને, પોતાની જાતને ઓળખવા મથતા હોય છે. અંતે એમને બે જાતનાં ફળની પ્રાપ્તિ થતી જોઈ શકાય છે. એક તો, નવીન થકી, તેમજ શારીરિક કઠિનાઈ ભોગવવાને કારણે વિશિષ્ટ રોમાંચ તેમજ આરોગ્યનો અનુભવ થાય છે. બીજું, કશાની શોધ થઈ હોય, ને કશું સિદ્ધ કર્યું હોય તેવા સ્પંદનને કારણે વિચાર, સંવેદન ને વર્તનનું એકીકરણ થાય છે; અને જાણે શારીરિક, માનસિક તેમજ આત્મિક સ્વસ્થતાની વચ્ચે સમતુલન સંધાય છે. &lt;br /&gt;
ફક્ત સમય બચાવવા માટે નહીં, પણ કશો ઊંડો અર્થ પામવાના ઉદ્દેશથી મુસાફરી કરનારાં વિશ્વને વિસ્તાર તથા પૂર્ણતાની દૃષ્ટિથી જોવા પ્રયત્ન કર્યા કરતાં હોય છે. આદર્શથી સભર આવા મુસાફરો આજે હશે તે કરતાં વર્ષો પહેલાં કદાચ વધારે હતા. એ જમાનામાં કે જ્યારે મશીનો (ફોન, ફૅક્સ, ટૅલૅક્સ વગેરે) નહોતાં, ને યાંત્રિક વાહનો (ટ્રેન, મોટર, વિમાન) નહોતાં – અરે, કદાચ ચોક્કસ માર્ગ પણ નહોતા – ત્યારે જે નીકળી પડ્યા હતા તે જ ખરા વિરલા હતા. જ્યારે બાજુના ગામ સુધી જવું પણ એક સાહસ જેવું હતું ત્યારે અતિદૂરની દિશાઓને અનુસરનારાઓને તો પ્રવાસ-વીર જ કહેવા પડે.&lt;br /&gt;
ભારતમાં પણ હતા આવા લોકો કે જે ઉત્તરનાં ધર્મસ્થાનોની જાત્રા કરવા નીકલ્યા હોય. સદીઓ પહેલાંની વાત અહીં ના કરીએ, ને ફક્ત ૧૯૩૦-૪૦ના દસકાઓની જ કરીએ તોયે જણાશે કે સાધુ-સન્યાસીઓ ઉપરાંત કેટલાક સાહસીઓએ પણ કઠિન મુસાફરીઓ કરેલી. સાથે જ, એ સમયે એવાં પણ કુટુંબો હતાં, કે જે ઘરના મુખ્ય પુરુષની – પિતાની – જાત્રા કરવાની પ્રેરણા પામીને, યોજનાપૂર્વક ગુજરાતથી છેક બદ્રિ-કેદાર સુધી ગયાં હોય. &lt;br /&gt;
એમાં એક કુટુંબ મારું હતું. મારા જન્મ પહેલાંની વાત છે. મારાં માતા-પિતા રસાલો લઈને, ગુજરાતથી છેક ઉત્તરે હિમાલયના પ્રદેશમાં ગયેલાં. સાથે નોકર-ચાકર, રસોઈયા, મદદગારો વગેરે લીધેલા, એમ સાંભળ્યું છે. લગભગ આખી મુસાફરી ગાડાંમાં કરેલી. મારાં મોટાં ભાઈ-બહેન થોડું થોડું ચાલતાં પણ રહ્યાં હશે. ને પછી ઘોડા લીધા હશે. સાથે સામાન ઊચકનારા પણ હશે. બહુ વાતો સાંભળી નથી, પણ એમ જાણેલું કે ત્રણેક મહિનાઓ ચાલેલી આ મુસાફરી. &lt;br /&gt;
એવા પ્રયાણરત કુટુંબની એક સદસ્ય એવી હું, મારા સમયે, એ પ્રમાણેની જ મુસાફર બની. મારાં કુટુંબીઓ કરતાં ઘણી જુદી એ રીતે કે હું કોઈ રસાલો સાથે રાખતી નથી, બલ્કે એકલી જ રસ્તે પડું છું. પણ એવી મુસાફર કે જે આ યુગમાં પણ યાંત્રિક ઉપકરણો સાથે ના રાખતી હોય. નહીં લૅપ-ટૉપ, નહીં ઈન્ટરનૅટ, અને કાંડા-ઘડિયાળ પણ નહીં. સૂરજના અજવાળાની સામે જોઈને જ સમયનું અનુમાન કરું, ને હંમેશાં સાચી પણ પડું. અને લાંબાં અંતર માટે બસ, ટ્રેન, વિમાન વગેરે વાહન લેવાં પડે, પણ જ્યાં શક્ય હોય ત્યાં ચાલીને જ જવાનો નિયમ. &lt;br /&gt;
હજી મારો પ્રયત્ન એવો કે શક્ય હોય તેટલી એ આગલા જમાનાના મુસાફરો જેવી બનું. જેમ જીવનમાંનાં થાણાં પર, તેમ દુનિયામાંનાં સુંદર સ્થાનો પર અટકી જઈ શકું, સ્થિર થઈ જઈ શકું, ચિત્તની અંદર એમને ઊતરવા દઈ શકું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = એક પ્રકારનો આગ્રહ&lt;br /&gt;
|next = એકલક્શી પ્રયાણ-પિપાસા (૨)&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80...&amp;diff=110283</id>
		<title>દરિયાપારથી...</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80...&amp;diff=110283"/>
		<updated>2026-04-26T05:41:34Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= દરિયાપારથી... - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= દરિયાપારથી..., પ્રીતિ શાહ-સેનગુપ્તા&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Dariyaparthi Book Cover.jpg&lt;br /&gt;
|title = દરિયાપારથી...&lt;br /&gt;
|editor = પ્રીતિ શાહ-સેનગુપ્તા&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[દરિયાપારથી.../‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો માટે|‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો માટે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આગંતુકોનો સ્વીકાર|આગંતુકોનો સ્વીકાર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આહાર દ્વારા ઓળખ|આહાર દ્વારા ઓળખ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આહાર પરંપરામાંનાં સામ્ય|આહાર પરંપરામાંનાં સામ્ય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આજના અમેરિકાનો સમાજ|આજના અમેરિકાનો સમાજ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આત્મકથાનકમાંના દૃષ્ટિકોણ|આત્મકથાનકમાંના દૃષ્ટિકોણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આત્મકથાનકનાં કારણ|આત્મકથાનકનાં કારણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../અનન્ય ચિકિત્સા પ્રથાઓ|અનન્ય ચિકિત્સા પ્રથાઓ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../અપરાજેય નિજત્વ|અપરાજેય નિજત્વ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../અવાજ – એટલે કે અવાજ?|અવાજ – એટલે કે અવાજ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી|બધી દિશામાં દોસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી (૨)|બધી દિશામાં દોસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ભાષાને વળગે ઘણાંયે ભૂર|ભાષાને વળગે ઘણાંયે ભૂર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ચીનમાં રામાયણનો પ્રચાર|ચીનમાં રામાયણનો પ્રચાર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં|ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../દેશી કથાઓ – પરદેશી કથાકારો|દેશી કથાઓ – પરદેશી કથાકારો]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એક અમેરિકી આધાર|એક અમેરિકી આધાર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એક ઈશ્વરીય સર્જક|એક ઈશ્વરીય સર્જક]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઇસ સાદગી પે કૌન ન મર જાયે|ઇસ સાદગી પે કૌન ન મર જાયે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વયોવૃદ્ધ બુદ્ધિજીવી|વયોવૃદ્ધ બુદ્ધિજીવી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એક પ્રકારનો આગ્રહ|એક પ્રકારનો આગ્રહ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા|એકલક્શી પ્રયાણ-પિપાસા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા (૨)|એકલક્શી પ્રયાણ-પિપાસા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ફક્ત વરસાદ|ફક્ત વરસાદ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ફરી ત્યાં જઈ શકાય છે|ફરી ત્યાં જઈ શકાય છે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વસંતો જ વસંતો|વસંતો જ વસંતો]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગમતાંની શોધ|ગમતાંની શોધ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઘડીક સંગની વાત|ઘડીક સંગની વાત]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઘર એટલે ક્યાં?|ઘર એટલે ક્યાં?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગિલ્ગામેશ વળી કોણ?|ગિલ્ગામેશ વળી કોણ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગુજરાત મારી મારી રે|ગુજરાત મારી મારી રે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../હાસ્ય વિષે પિષ્ટપેષણ|હાસ્ય વિષે પિષ્ટપેષણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../હરીચ્છા|હરીચ્છા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કાગળ – સઘળું કે કૈં નહીં?|કાગળ – સઘળું કે કૈં નહીં?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કાલિકટ – સદીઓ પછી|કાલિકટ – સદીઓ પછી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કશુંક જૂનું, કશુંક નવું|કશુંક જૂનું, કશુંક નવું]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કેટકેટલા ઈશ્વરો|કેટકેટલા ઈશ્વરો]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કેવો અફસોસ|કેવો અફસોસ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કૉફીની કળા|કૉફીની કળા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../માટીપગું અમેરિકા|માટીપગું અમેરિકા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મહેમાન-પરસ્તી|મહેમાન-પરસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આજથી અસંખ્ય વર્ષો પહેલાં|આજથી અસંખ્ય વર્ષો પહેલાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર|મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મૌન વિષે શું કહેવું ?|મૌન વિષે શું કહેવું ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મૂર્તિમંતગૃહાતુરતા|મૂર્તિમંતગૃહાતુરતા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મુક્તિની કિંમત કેટલી?|મુક્તિની કિંમત કેટલી?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નગર, જીવન અને કવિતા|નગર, જીવન અને કવિતા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નવી નવી રીતે સ્વને ઓળખનારાં|નવી નવી રીતે સ્વને ઓળખનારાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નિર્વિવાદ, અમદાવાદ 1|નિર્વિવાદ, અમદાવાદ 1]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નિર્વિવાદ, અમદાવાદ 2|નિર્વિવાદ, અમદાવાદ 2]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નિઃશબ્દતાનું ગીત|નિઃશબ્દતાનું ગીત]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પહેલી હરોળમાંથી|પહેલી હરોળમાંથી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પાળેલાંને પાળનારાં|પાળેલાંને પાળનારાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પંચકન્યા|પંચકન્યા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રશ્ન એક, પણ જવાબ?|પ્રશ્ન એક, પણ જવાબ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રેમ, મૃત્યુ અને કવિતા|પ્રેમ, મૃત્યુ અને કવિતા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રેમનો સ્પર્શ|પ્રેમનો સ્પર્શ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય|રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../રસ્તા પરના કસબીઓ|રસ્તા પરના કસબીઓ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વર્ડ્સવર્થના સ્મરણમાં|વર્ડ્સવર્થના સ્મરણમાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઋજુ પળોની પ્રસ્તુતિ|ઋજુ પળોની પ્રસ્તુતિ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સાહસ, સહિષ્ણુતા અને સહસ્રાબ્દી|સાહસ, સહિષ્ણુતા અને સહસ્રાબ્દી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સહેતાં, સ્વીકારતાં, સમજતાં|સહેતાં, સ્વીકારતાં, સમજતાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સીતા ન્યૂયોર્કમાં?|સીતા ન્યૂયોર્કમાં?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સુખ-દુઃખ મનમાં જો આણીએ|સુખ-દુઃખ મનમાં જો આણીએ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સ્વપ્નનું આકર્ષણ|સ્વપ્નનું આકર્ષણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સ્વપ્નોનાં નાત, જાત, દેશ|સ્વપ્નોનાં નાત, જાત, દેશ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ન્યૂયોર્કમાંની આકાશગંગાના તારક|ન્યૂયોર્કમાંની આકાશગંગાના તારક]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઉત્સાહપૂર્ણ યાત્રા|ઉત્સાહપૂર્ણ યાત્રા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વધતી વસ્તી, ઘટતી વસ્તી|વધતી વસ્તી, ઘટતી વસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વૈવિધ્યનું નગર, વિસ્મયનું નગર|વૈવિધ્યનું નગર, વિસ્મયનું નગર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વતનનું વૈષમ્ય|વતનનું વૈષમ્ય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 1|વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 1]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 2|વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 2]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિશ્વાસને પાત્ર|વિશ્વાસને પાત્ર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિવિધ શેક્સપિયર|વિવિધ શેક્સપિયર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../યાયાવરી|યાયાવરી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગુજરાત મારી મારી રે|ગુજરાત મારી મારી રે]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[દરિયાપારથી.../‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નિબંધ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%86%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9&amp;diff=110282</id>
		<title>દરિયાપારથી.../એક પ્રકારનો આગ્રહ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%86%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B9&amp;diff=110282"/>
		<updated>2026-04-26T05:40:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|એક પ્રકારનો આગ્રહ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનોરંજનની જરૂર જીવનમાં કેટલી બધી છે. એને મેળવવાના પ્રયત્નો આખી દુનિયાના લોકો કરતા જ રહેતા હોય છે. પણ મનોરંજન એટલે શું, ને એ કેવી રીતે મળે, એનો ખ્યાલ મોટા ભાગનાંને હોતો નથી; તેથી એ પ્રયત્નો ફાંફાં થઈ જાય છે. મનોરંજનને બદલે “મહા-કંટાળો” મળતો હોય છે. લોકો ઘેર બેઠાં કંટાળે ત્યારે બહાર જાય, પછી તરત બહારથી કંટાળે, ને ઘેર પાછા આવે. જીવનમાં જે જરૂરી છે તે મળતું નથી – એ શું‘મૃગજળ’ હશે?&lt;br /&gt;
પણ જો એ મેળવતાં આવડે તો એમાંથી ‘મેઘધનુષ્ય’ બને છે. કેવળ સાત રંગો જ નહીં, વિવિધ રસ પણ એ દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે એક યુક્તિ છે. એને અઘરી ગણો તો એ અઘરી છે, ને સહેલી ગણો તો એ સહેલી છે. એ યુક્તિ એટલે ઉત્તમનો આગ્રહ.&lt;br /&gt;
મનોરંજન એટલે ફક્ત મજા જ નથી, એ ફક્ત સસ્તી અને સહેલી રમૂજ નથી. મનને જે સંતોષ આપે, લાંબો સમય જે યાદ રહે – તેવા કાર્યક્રમ દ્વારા જ ખરું મનોરંજન મેળવી શકાય છે. જેમાં બુદ્ધિનો પણ થોડો કસ નીકળ્યો હોય, એ તો વળી બહુ જ સરસ.&lt;br /&gt;
એક વાત તો સ્પષ્ટ છે કે જન-સાધારણ આ યુક્તિ નહીં પ્રયોજી શકે, પરંતુ કેટલાંયે ભણેલાં-ગણેલાં પણ આવા, એટલેકે ઉત્તમ પ્રકારના, મનોરંજનનો આગ્રહ રાખતાં નથી હોતાં. “જેમાં બુદ્ધિને બહાર મૂકીને જવાય” એવું એ લોકો પણ ઈચ્છતા હોય છે. ઉત્તમનો, અસામાન્યનો આગ્રહ રાખનારાં એકલાં પડી જાય છે. આવાં અનુષ્ઠાનો જોવા જવા માટે કંપની તો નથી જ મળતી, પણ પછી એ વિષે વાત પણ ખાસ કોઈ સાથે કરી શકાતી નથી. ‘પેટ ભરીને’ તો નહીં જ!&lt;br /&gt;
સિનેમા જેવી બહુસંખ્ય બાબતે પણ આવું બને છે. સામાન્ય ફિલ્મો જોવા તો ઘણાં જવાનાં, પણ દસ્તાવેજી, કે પ્રયોગાત્મક, કે કળા-પ્રધાન ફિલ્મનું નામ સાંભળીને એ બધાં ગભરાવાનાં. વિદેશી સરસ ફિલ્મો તો દૂર, પણ ભારતીય કે પાકિસ્તાની કથાનકવાળી, ભારતમાં કે ઇંગ્લૅંડમાં બનેલી, ફિલ્મો પણ એ જોતાં નથી હોતાં. &lt;br /&gt;
તો ભલે, પણ હું જોઉં છું. અમદાવાદમાં બંગાળી ફિલ્મોના મૉર્નિંગ શો પડતા, તે જોવા જતી. પછી તો ન્યૂયોર્ક જેવા મહાનગરમાં રહેવાનું થયું. અસંખ્ય સરસ નાટકો અને આંતર્રાષ્ટ્રીય ફિલ્મો જોતાં જોતાં વર્ષો વીત્યાં. સરસ અનુષ્ઠાન માટેનો મોહ ઘટ્યો નહીં. ઉત્તમ માટેનો આગ્રહ, અનુભવને આધારે, વધારે ને વધારે સફાઈદાર બનતો ગયો. હવે તો ઘણી વાર એવું બને છે, કે નામ પરથી જ, અથવા વિવેચનને જરાક વાંચતાં જ ખ્યાલ આવી જાય છે કે એ જોવા જેવું છે કે નહીં. &lt;br /&gt;
કેટલાંક વર્ષો પહેલાં બે ઇન્ડો-ઇંગ્લિશ ફિલ્મો જોયેલી, જેમનાં નામ પણ ઓળખીતાં-પાળખીતાં, ભણેલાં-ગણેલાંએ સાંભળ્યાં નહતાં. નામો પણ એકથી વધારે વાર કહેવા પડ્યાં. એ પછી પણ કોઈને રસ તો ના જ પડે, એટલે વાતો પાછી સાધારણ વિષય પર વળી જાય.&lt;br /&gt;
એવી એક ફિલ્મનું નામ હતંુ “સચ અ લૉન્ગ જર્ની” – એટલેકે, “કેટલી લાંબી સફર”. કૅનૅડામાં વસતા પારસી લેખક રોહિન્તન મિસ્ત્રીની નવલકથા પરથી સૂની તારાપોરવાલાએ બનાવેલી, અને સ્ટુર્લા ગન્નાર્સન નામની કૅનૅડિયન સ્ત્રીએ દિગ્દર્શન કરેલું. મુંબઈની એક ચાલીમાં રહેતાં પારસીઓનું જીવન એમાં આલેખાયું હતું. મુખ્ય પાત્રમાં રોશન શેઠ હતા. એક તો પોતે પારસી, અને વળી નિપુણ અભિનેતા. તખ્તા પર એમની એકે એક મિનિટ હૃદયગ્રાહી હતી. &lt;br /&gt;
ફિલ્મમાં કડવી-મીઠી ઘણી ક્શણો હતી. આ ગુસ્તાદ નોબલ નામનો માણસ બૅન્કનો કારકુન છે, સાધારણ જીવન જીવે છે, પત્ની માટે પૈસા પણ ખર્ચી શકે તેમ નથી, નાનકડી દીકરી સખત માંદી પડે છે, એન્જિનિયરિંગમાં પાસ થઈ ગયેલો દીકરો ઘર છોડીને ભાગી જાય છે; એક નિર્દોષ, થોડો ગાંડો પારસી માણસ – વગેરે પરિસ્થિતિઓ તનાવ લાવે છે. તો પારસી ઉચ્ચારો, એક દીવાલ બચાવવા એના પર ચિતરાતાં દેવ-દેવીઓ વગેરે દ્વારા વિનોદ અને સહેજ કટાક્શ ઊપજે છે. &lt;br /&gt;
આ સામાજિક વાર્તા સાથે રાજકારણીય સૂત્ર પણ છે. વળી, એક જૂના ખાસ મિત્રની મદદ માટેની વિનંતીઓથી ગુસ્તાદ પરાણે એક રહસ્યમય યોજનામાં ખેંચાય છે, અને એક વૃદ્ધાના ‘મેલી વિદ્યા’ના અખતરામાં ગુસ્તાદની પત્ની જકડાય છે. પળે પળે પ્રેક્ષકો આશંકા અનુભવે છે, વિચારતાં રહે છે કે હવે શું થશે?&lt;br /&gt;
શું અભિનયની સફાઈ, શું કથાનકની સૂક્શ્મ જટિલતા, શું વિવિધ ભાવો અને સંવેદનોની આવન-જાવન, ને શું ફોટોગ્રાફી. ચલચિત્ર પૂરું થાય છે ત્યારે ગુસ્તાદનું કુટુંબ અકબંધ છે, એ જોઈને નિરંાત થાય છે, તો બીજા બનાવોને કારણે ખેદ અનુભવાય છે. આવું જ બારીક તથા અનિન્દ્ય સમતુલન રોહિન્તન મિસ્ત્રીની આ પછીની નવલકથા “ એ ડેલિકેટ બૅલૅન્સ”માં પણ જોવા મળે છે. &lt;br /&gt;
બીજી જે ફિલ્મની વાત કરું છું તેનું નામ “ઈસ્ટ ઈઝ ઈસ્ટ” – એટલેકે “પૂર્વ એટલે પૂર્વ”! લંડનમાં વસતા અયૂબ ખાનદિન નામના યુવાન પાકિસ્તાનીએ પોતાના કુટુંબ અને જીવનના અનુભવો પરથી એ કથા લખી હતી. પહેલાં એ ઇંગ્લૅંડમાં નાટક તરીકે ભજવાઈ, ને પછી એમાંથી ફિલ્મ બની. મુખ્ય પાત્ર ઓમ પુરીએ ભજવ્યું હતું. એમનો અભિનય વિદેશનાં છાપાંઓએ વખાણ્યો, અને ફિલ્મ ઘણા આંતર્રાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં પસંદગી પામી. મને એ બધું અ-યોગ્ય લાગ્યું, કારણકે અમુક રીતે કથા સાધારણ છે અને અમુક નિરૂપણ તો અસહ્ય છે.&lt;br /&gt;
જ્યોર્જ ખાન નામના પાકિસ્તાની માણસ વર્ષોથી ઇંગ્લૅંડમાં રહે છે, અંગ્રેજ સ્ત્રીને પરણેલા છે, એમને છ દીકરા અને એક દીકરી છે, ને કુટુંબના દરેક સદસ્ય પર એ જબરાઈ કરતા રહે છે, સતત ઘાંટાઘાંટ અને ગાળાગાળી કરતા રહે છે. વાક્યે વાક્યે અપશબ્દ – પછી ભલે એ અંગ્રેજી ભાષાનો હોય – સાંભળી નથી શકાતો. મોટા ત્રણ દીકરાને ઈચ્છા વિરુદ્ધ અથવા જાડી, કદરૂપી છોકરીઓ સાથે પરણાવવા જતાં, ઇંગ્લૅંડમાં જન્મેલા, ઉછરેલા અને અર્ધ-અંગ્રેજ જેવા છોકરાઓ જે રીતે વર્તે છે – તે પરથી જ્યોર્જ ખાનનો ક્રોધ માઝા મૂકે છે. હાથમાં આવેલા એક દીકરાને એ મારી મારીને લોહીલુહાણ કરી નાખે છે, અને રોકવા મથતી પત્ની પર પણ હાથની ધોલથી, પગના પાટુથી ઘણો માર મારે છે. પાત્રની આવી વર્તણૂંક જરા પણ જચતી નથી.&lt;br /&gt;
પશ્ચિમનાં છાપાંમાં આ ફિલ્મને “ખડખડાટ હાસ્યથી ભરપૂર” તરીકે વર્ણવાઈ હતી, પણ એવું હતું જ નહીં. ક્યાંક ક્યાંક જરૂર હસવું આવે છે – ખોટા ઉચ્ચારોથી, અમુક સંવાદોથી, છોકરાંની છાનીમાની વર્તણૂંકથી, પણ તેથીયે વધારે તો મનને આઘાત લાગ્યા કરે છે, અને “હમણાં એકાદ જણ માર ખાઈ બેસશે”, એ વિચારે કંઈક ડર પણ. દિગ્દર્શક ડૅમિયન ઓડૉનૅલનો ઉદ્દેશ એવું ચિત્ર ઉપસાવવાનો હતો, જેમાં ઇંગ્લૅંડમાંની વિવિધ પ્રજા પરસ્પર સમજણ અને સહિષ્ણુતા દર્શાવતી હોય, પણ ખરેખર તો, આ ફિલ્મમાં સમગ્ર પાકિસ્તાનીપણાને – સિનેમા, વસ્ત્રપરિધાન, દેખાવ, સામાજિક સંબંધો ઇત્યાદિ – ઉતારી પાડવામાં આવ્યું હતું. આ બધી બાબતો પ્રત્યે સતત ને સળંગ કટાક્શ કરવામાં આવ્યા છે. આમ તો જ્યોર્જ ખાન બધી રીતે પાકિસ્તાનીપણું ચાહે છે, ને અંગ્રેજ પત્નીને કહેતા રહે છે, “જોજે હોં, પહેલી વાઇફને દેશથી અહીં બોલાવી દઈશ”. કહે છે તો હસતાં હસતાં, પણ શું આવા અપમાનજનક કટાક્શથી પેદા થતું હાસ્ય બહુ મોટા વિનોદમાં ગણાય?&lt;br /&gt;
આવા પ્રશ્નો અને સૈદધાંતિક વિરોધ દરેક પ્રેક્શકને ના પણ થાય. ને એ સિવાય, ફિલ્મમાં થોડી મૃદુ ક્શણો પણ છે અને વિદેશમાં વસતા મધ્યમ વર્ગીય પાકિસ્તાની સમાજમાં થોડું ડોકિયું પણ છે. ઘણી કચાશ હોવા છતાં એનો આકાર કળા-ફિલ્મ જેવો વધારે છે, ને તેથી એની પાછળ સમય ગાળ્યાનો પસ્તાવો નથી થતો. સમીક્શાત્મક વિચારો કરવા જેવી કસરતની તક તો મગજને મળી ને&lt;br /&gt;
બંને ફિલ્મો એકમેકથી સાવ જુદી હતી. પહેલીમાં કથાની જટિલતા હતી, બીજીમાં સાધારણતા. એકમાં સળંગ સભ્ય અને ભદ્ર ભાવ રહે છે, બીજીમાં અસભ્ય અને અભદ્ર. ખેર, કોઈ પણ કળાકૃતિ જોતી વખતે બુદ્ધિ સાથે રાખવાના તો ફાયદા જ હોય છે. જેમકે, અણગમા સાથે આલોચના, પ્રશ્નોની સાથે અભિવ્યક્તિ, અને વ્યાયામ સાથે મનોરંજન પણ પામી શકાતાં હોય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = વયોવૃદ્ધ બુદ્ધિજીવી&lt;br /&gt;
|next = એકલક્શી પ્રયાણ-પિપાસા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B5%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AB%80&amp;diff=110281</id>
		<title>દરિયાપારથી.../વયોવૃદ્ધ બુદ્ધિજીવી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%B5%E0%AA%AF%E0%AB%8B%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7_%E0%AA%AC%E0%AB%81%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BF%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AB%80&amp;diff=110281"/>
		<updated>2026-04-26T05:39:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|વયોવૃદ્ધ બુદ્ધિજીવી }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઇજિપ્તના કૅરો શહેરના જૂના લત્તાઓમાં ચાલતાં, સ્વાભાવિક રીતે જ, એક વ્યક્તિ યાદ આવી જાય છે – ત્યાંના વિખ્યાત લેખક નગિબ માહફૂઝ (Naguib Mahfouz). ૧૯૮૮માં સાહિત્ય-ક્શેત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારા એ પ્રથમ અરબી સર્જક છે. એમની ઉંમર ત્યારે ૭૭ વર્ષની હતી. આખી જિંદગી ઇજિપ્તના સરકારી ખાતામાં નોકરી કર્યા પછી ૧૯૭૧માં એ નિવૃત્ત થયેલા, અને આ પોરિતોષિક દ્વારા આંતર્રાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા પછી જ એમનાં પુસ્તકોના વેચાણમાંથી આવક થવા માંડેલી. એ વખતે તો ધ કૅરો ટ્રિલોજી તરીકે ઓળખાતી નવલ-ત્રયીનો જ અંગ્રેજીમાં અનુવાદ થયેલો, ને તે પણ- અમેરિકાની મોટી મોટી પુસ્તકોની દુકાનોમાં પણ- અપ્રાપ્ય હતો. &lt;br /&gt;
માહફૂઝ (૧૯૧૧-૨૦૦૬)ની સૌથી પહેલી નવલકથા ૧૯૩૯માં બહાર પડેલી. ત્યાર પછી તો એમણે બીજી પાંત્રીસેક નવલો લખી, અને સોળેક વાર્તા-સંગ્રહો પણ બહાર પડી ચૂક્યા છે. હવે તો એમનું કામ દુનિયાની ત્રીસેક ભાષાઓમાં અનુદિત થઈ ગયું છે, તથા વાર્તા-કળાના પ્રતિનિધિ-સંગ્રહોમાં અન્ય ભાષાઓના વિખ્યાત લેખકો – બેકેટ, કામુ, ગ્રીન, બોર્હેસ, માર્કેઝ વગેરેની સાથર માહફૂઝની વાર્તાઓ પણ સામેલ થતી આવી છે. &lt;br /&gt;
કદાચ લેખન-કાર્યમાં જ માહફૂઝને સૌથી વધારે આનંદ મળતો રહ્યો હતો, છતાં સંજોગો હંમેશાં એમને અનુકૂળ રહ્યા નહતા. દા.ત. ૧૯૬૭માં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે થયેલા દારુણ યુદ્ધની અસર એમના દિલ પર એવી થઈ કે ચારેક વર્ષ એ લાંબી નવલ લખવામાં ધ્યાન પરોવી નહતા શક્યા. ત્યારે એ ટૂંકી વાર્તાઓ તરફ વળ્યા, ને એ સમય દરમ્યાન એમણે ઘણી નિરાશાવાદી અને હતાશ સૂરવાળી વાર્તાઓ લખી, જેમાં મૃત્યુ કેન્દ્રમાં રહેલું જણાય છે.&lt;br /&gt;
માહફૂઝ વાતચિતમાં ઘણો વિનોદ દાખવી શકતા, અને એમની નવલકથાઓમાં પણ સાધારણ સુખ અને આનંદનો ભાવ જોવા મળે છે, પરંતુ ટૂંકી વાર્તાઓ વિશેષતઃ અંધારી કોટડીમાંથી પસાર થયાનો અનુભવ કરાવે છે. એમાં બધાં પાત્રો ગરીબ, અભણ, દુઃખી, અછત ભોગવતાં, હંમેશાં નિષ્ફળ જતાં, હેરાન થતાં દેખાય છે. બધા પુરુષો ઘરડા, નબળા કે કદરૂપા હોય છે, તો સ્ત્રીઓ જાડી, ફુવડ ને કજિયાળી હોય છે. એ ઇજિપ્તના સૌથી વધારે વેચાતા અને વંચાતા લેખક બનેલા છે, કારણકે ત્યાંનું જીવન એમનાં લખાણોમાં મૂળભૂત અને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે. અન્ય ઇજિપ્શિયન લેખકો પણ સંમત થાય છે કે દેશના લોકો બરાબર એમનાં પાત્રો જેવા જ છે. માહફૂઝની કલમમાં એ સચ્ચાઈ છે.&lt;br /&gt;
પણ આ સર્જનશીલતા અને સચ્ચાઈના પુષ્ટ પ્રવાહમાં જ્યારે એમની બૌદ્ધિકતા અને મંતવ્યો ભળે છે ત્યારે એમના જ દેશના રૂઢિચૂસ્ત ઇસ્લામ પંથીઓને એ અપ્રિય અને અસહ્ય લાગે છે. ૧૯૫૯માં લખાયેલી એક નવલને પ્રકાશનની પરવાનગી ક્યારેય મળી નહતી. એટલું જ નહીં, સરમુખત્યારો, તેમજ યહુદી, ખ્રિસ્તી અને ઇસ્લામના ધર્મગુરુઓના સંદર્ભ આપતી એ નવલને કારણે ૧૯૮૯માં – લખાયાના ત્રીસ વર્ષ પછી, ને નોબેલ પારિતોષિક મળ્યા પછી – એમના પર એક ધાર્મિક ફતવો દાખલ કરવામાં આવ્યો હતો. એમના લેખન પર જ નહીં, એમના જીવન પર પણ. &lt;br /&gt;
૧૯૯૪માં ખરેખર, એમની હત્યા કરવાનો પ્રયત્ન થયો પણ હતો. કૅરોના એમના ફ્લૅટની બહાર જ, મોટરના ખુલ્લા કાચમાંથી એક હત્યારાઓ એમના ગળામાં ચાકુ હુલાવી દીધું હતું. બાજુમાં જ એક ડૉક્ટર-મિત્ર બેઠા હતા, જેમની સમયસૂચકતા તથા નજીકમાં જ આવેલી એક હૉસ્પિટલમાં તાત્કાલિક સારવારને લીધે એ બચી તો ગયા, પણ ત્યારે અમુક મજ્જાતંતુઓને થયેલી હાનિને કારણે એમના લખવા પર ભારે અસર પહોંચી. તે પછી એ માંડ હાથમાં પેન પકડી શકતા, અને માંડ ત્રીસેક મિનિટ જેવું એક સાથે એ લખી શકતા. માહફૂઝ એ પ્રકારના સર્જક રહ્યા છે જેમને કાગળ પર લખવામાં પરમ સંતોષ થતો હોય, અને જે પેનમાંની સ્યાહીની સાથે વિચારો અને શબ્દો વહી આવે છે, એમ માનતા હોય. એવા સર્જકને જીવનનાં છેલ્લાં બાર વર્ષો સુધી, સીધી લીટીમાં, ને વંચાય તેવું લખવામાં કેટલી બધી શક્તિ ખરચવી પડી.&lt;br /&gt;
એ માનતા હતા, કે “કોઈ પણ લેખકે દરરોજ કાગળ અને પેન લઈને કશું પણ લખવા બેસવું જ જોઈએ. કદાચ એ સફળ થશે, અથવા કંઈક નવું એને સુઝી આવશે. કદાચ એ કોઈ વાર્તા પૂરી કરશે, અને કદાચ કશું જ નહીં બને.” લાંબી લાંબી નવલકથાના લખનારાને ત્યારથી પોતાનાં સ્વપ્નો પરથી સાવ નાનકડી, આંગળીના એક વેઢા જેવડી, પ્રાસંગિકાઓ લખવી પડતી હતી. સિત્તેરેક જેટલી એમણે લખી પણ ખરી. સ્વપ્નો પરથી એમણે પહેલાં ક્યારેય એમણે લખ્યું નહતું. એમણે કહ્યું છે, “હું તો ગલીઓ, શેરીઓ અને કૅરોના કાફેઓમાં ફરતો રહેતો હતો. થોડાક જ કલાક ઊંઘતો હતો. સ્વપ્નો માટે મારી પાસે સમય જ નહતો.” &lt;br /&gt;
એ બધું ફરવાનું પણ આ ઈજા પછી બંધ થઈ ગયું. નાઇલ નદીને કિનારે ફરવાનું, ખાન-અલ-ખલિલિ બજારની ભારે ભીડમાંથી નીકળવાનું, ‘ફિશાવી’ કાફેમાં રોજ જઈને બેસવાનું, મિત્રો સાથે જાતજાતની ચર્ચામાં ઊતરવાનું. બધું જ. તે ફક્ત એમની ઉંમરને લીધે જ નહીં, એમની સુરક્શાને માટે પણ હતું. એમના ફ્લૅટની અંદર અને બહાર, તેમજ એમની સાથે, ઇજિપ્તની સરકારે કરેલી વ્યવસ્થા પ્રમાણે, સતત પહેરેગીર રાખવામાં આવતા. માહફૂઝને આ રક્શકોની બહુ પડી નહતી, છતાં જાહેર જગ્યાઓમાં જવાનું એમણે બંધ કરેલું. એમને ચાહનારા ને આદર કરનારા બૌદ્ધિકો -પ્રોફેસરો, પત્રકારો, લેખકો, દાક્તરો, સંગીતકારો ઇત્યાદિ – કોઈના ને કોઈના મોટા, સરસ બંગલામાં ભેગા થવા માંડ્યા. નેવુ વર્ષના માહફૂઝ બહુ વાંચી પણ નહતા શકતા, તેથી આ સાપ્તાહિક મિજલસમાં મિત્રો મુખ્ય સામયિકમાંથી કળા ને સાહિત્યના લેખો એમને વાંચી સંભળાવતા. આ સમાગમને માહફૂઝ ઝંખતા રહેતા.&lt;br /&gt;
ચર્ચાઓ રાજકારણ તરફ પણ વળતી જ. પહેલેથી માહફૂઝ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન- બંને પ્રત્યે ઉદારદિલ હતા. ઇજિપ્ત અને ઇઝરાયેલની વચ્ચે વેરભાવ હતો તે કાળે પણ એ ઇઝરાયેલ સાથે શાંતિના સંબંધના હિમાયતી હતા. છતાં, ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇનને જે સહન કરવું પડ્યું હતું તેની એ વિરુદ્ધ હતા. નોબેલ પારિતોષિકના પૈસામાંથી મળેલું પહેલું વ્યાજ એમણે પેલેસ્ટાઇનની મદદમાં દાન કરી દીધેલું, અને એમના આપઘાતી હુમલા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. અન્ય અરબી બુદ્ધિજીવીઓની જેમ એ પણ માનતા હતા, કે “પેલેસ્ટાઇનના લોકો પોતાની સ્વતંત્રતાના આદર્શને ખાતર પોતાના દેહ તેમજ આત્માનો ભોગ આફવા તૈયાર છે, ને એનાથી ઉદાત્ત લડત કેવી હોઈ શકે?” માહફૂઝને એ ડર હતો કે એટલી બધી હિંસા એવા વ્રણ ને એવાં સ્મરણ સર્જશે કે જે પેઢીઓ સુધી રુઝાશે કે ભુલાશે નહીં. &lt;br /&gt;
દાયકાઓથી ડહોળાયેલા રહેલા વાતાવરણમાં જીવવા તથા એ વિષે વિચારતા રહેવા છતાં માહફૂઝે રાજકારણને પોતાની કથાઓમાં ગળ પડતું કે વદારે પડતું સ્થાન નથી આપ્યું. પ્રિય શહેર કૅરોનું સામાજિક જીવન એમણે લેખિની દ્વારા ધબકતું રાખ્યું. એને વિશ્વના સાહિત્ય-ક્શેત્રમાં એમનું અસાધારણ પ્રદાન ગનાય છે.અરેબિયન નાઇટ્સ અને કુરાનમાંથી મેળવેલી સર્જન-પ્રેરણા માહફૂઝને એક વિશિષ્ટ અને શાશ્વત ઊંચા સ્થાને દોરી ગઈ. એમની મહાનતાના કારણમાં છે એમની વ્યાપક દૃષ્ટિ, વૈશ્વિક સ્તરે નિરીક્શણ, નિત્ય-જીવનને અપાતી ચમત્કૃતિ, તથા સૂક્શ્મતા અને ઋજુતાથી પાત્રોને અપાતું સ્વમાન. &lt;br /&gt;
મારી આંખો કૅરોની ગલીઓમાં ચાલતાં ચાલતાં આ પાત્રોને શોધતી રહી હતી, ક્યારેક પામી પણ હશે. એ જ હતું માહફૂઝની લેખિનીનું સામર્થ્ય. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ઇસ સાદગી પે કૌન ન મર જાયે&lt;br /&gt;
|next = એક પ્રકારનો આગ્રહ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%87%E0%AA%B8_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%97%E0%AB%80_%E0%AA%AA%E0%AB%87_%E0%AA%95%E0%AB%8C%E0%AA%A8_%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87&amp;diff=110280</id>
		<title>દરિયાપારથી.../ઇસ સાદગી પે કૌન ન મર જાયે</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%87%E0%AA%B8_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%E0%AA%97%E0%AB%80_%E0%AA%AA%E0%AB%87_%E0%AA%95%E0%AB%8C%E0%AA%A8_%E0%AA%A8_%E0%AA%AE%E0%AA%B0_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF%E0%AB%87&amp;diff=110280"/>
		<updated>2026-04-26T05:39:10Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: =૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ઇસ સાદગી પે કૌન ન મર જાયે }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઘણા લાંબા સમય પહેલાં એક જાણીતા સર્જક ભારતથી અમેરિકા કોઈ કાર્ય-કારણ માટે આવેલા. એમને મળવા માટે એક મિત્રને ત્યાં નાની મિજબાની ગોઠવાઈ. બહુ સરસ તક કહેવાય, એમ માનીને હું ગઈ હતી, પણ એમની ‘મોટી મોટી’ વાતો સાંભળીને અહોભાવ ઓછો થવા માંડ્યો. પેઢી દર પેઢીથી પોતે અમેરિકન હોય એમ એ મહાશય અમેરિકાની સર્જનાત્મકતાનાં વખાણ કરવા માંડ્યા. એટલું જ નહીં, અમેરિકામાંની ભવ્ય ઇમારતોની પ્રશંસા કરવા માંડ્યા. એ વખતે મારું ‘અમેરિકન બાળપણ’ ચાલે. કદાચ તેથી, કે કદાચ છતાં – મારાથી રહેવાયું નહીં, ને મેં વિરોધ નોંધાવ્યો. મહાશય મને કહેવા લાગ્યા, “ અરે બહેન, દીકરી, તું લિન્કન સેન્ટર જો. કેટલાયે લાખ ડૉલર ખર્ચીને શું સંગીત-નાટ્ય-ભવન બાંધ્યું છે. આપણે ત્યાં (એટલેકે, અલબત્ત, ભારતમાં) આવું કશું નથી.” &lt;br /&gt;
ત્યારથી – ના, એનાથી પણ પહેલાંથી – આવી ફુગાવેલી વાતો મને સાવ ઉપરછલ્લી અને દંભ ભરેલી લાગે છે. કોઈ પણ બે સમાજોની, બે જીવન-રીતિઓની, બે દેશોની સરખામણી થાય જ કઈ રીતે? કેટકેટલી બાબતો ને સંજોગો ભેગાં થાય છે ત્યારે એક સમાજ કે જીવન-રીતિ કે દેશ ઘડાતા હોય છે. અને તેથી જ, કળાકૃતિઓની રજુઆત માટેના ભવનો જ જુદાં હોય છે તેમ નથી, પણ સ્થાને સ્થાને સર્જનાત્મકતાની અભિવ્યક્તિનાં સ્વરૂપ પણ જુદાં જ હોવાનાં. મઝા આ વૈવિધ્યને માણવામાં મળે. કશાની કચાશ કે ખામી પર ભાર શા માટે મૂકવો?&lt;br /&gt;
આવી સમજુતી, અને સહિષ્ણુતા, કાળક્રમે હું કેળવી શકી છું. તેને હું સદ્ભાગ્ય માનું છું, કારણકે આથી કોઈ પણ સ્થાનના સર્જનમાંની રચનાત્મકતા પર ધ્યાન પરોવાયેલું રહે છે, નહીં કે ત્યાંની કશી પણ અપૂર્ણતામાં. &lt;br /&gt;
ભારતમાંના પ્રાંત પ્રાંતમાં પણ સર્જનાત્મકતાનાં આંતરિક સ્વરૂપો તેમજ એમની બાહ્ય રજુઆતોની અનુભૂતિ જુદી જુદી જ થવાની. અહીં હું જો કોઈ એક પ્રાંતમાં પ્રાપ્ત થયેલા અનુભવો સાનંદ વર્ણવું તો એમાં કોઈ બીજા પ્રાંતના સર્જન-જીવનની ટીકા કરવાનો ઉદ્દેશ સહેજ પણ નથી.&lt;br /&gt;
એ પ્રાંત તે બંગાળ. જે નિર્ભેળ આનંદનો ઉલ્લેખ કરવો છે તે મને મળ્યો કલકત્તાના રંગમંચ પરથી. મનમાં ને મનમાં જ નહીં, પણ જ્યાં તક મળે ત્યાં હું ‘વાહ વાહ’ કરતી રહી. આ શહેરમાં નાટ્ય-ગૃહો તો અસંખ્ય છે, પણ હું તો જ્યાં જવું સૌથી વધારે ફાવે તેવી એક જ જગ્યાએ વારંવાર ગઈ. એનું નામ કલામંદિર. બાજુમાં રવીન્દ્ર-સદન, પાછળ નંદન-ફિલ્મ-સેન્ટર, સામે વિખ્યાત પુસ્તક-મેળાનું મેદાન. કલા-મંદિરના ચોગાનમાં પેસતાંની સાથે આવે આર્ટ ગૅલૅરીવાળો ભાગ, અને બગીચામાં થઈને પાછળ જતાં આવે નાટ્ય-ગૃહ. સાવ સાદું, ને ઘણું નાનું. હું વર્ષોથી ત્યાં નાટક જોતી આવી છું. એકલી જ જઈને બેસી જાઉં. સારું નાટક જોવામાંથી રહી ના જાઉં, મનમાં એ જ ખ્યાલ હોય. એક વાર “અપરાજિતા” નામના નાટકમાં તૃપ્તિ મિત્રના અભિનયથી ‘ ચિત’ થઈ જઈને, નાટક પૂરું થયે એમને મળવા મંચ પર પહોંચી ગયેલી; તો અત્યંત જનપ્રિય સર્જક સુનીલ ગંગોપાધ્યાયનાં લખેલાં નાટકોની ભજવણી એમની સાથે જ બેસીને જોવાનો લ્હાવો પણ એકથી વધારે વાર મળ્યો છે. &lt;br /&gt;
ઘણી વાર મારી ‘વાહ વાહ’ કલા-મંદિરના બહારના દ્વારથી જ શરૂ થઈ જાય. ત્યાં બહાર જ, મોટા કાળા પાટિયા પર આખા મહિનાના બધાં દિવસ ને રાતનાં આનુષ્ઠાનોની યાદી કરેલી હોય. નાટકનાં, દિગ્દર્શકનાં, નાટ્ય-જૂથોનાં નામ, નાટકનો સમય વગેરે બધું ત્યાં જ જોવા મળી જાય. મહિનો પૂરો થવામાં હોય ના હોય ત્યાં એ પછીણબા મહિનાની આવી યાદી બીજા પાટિયા પર લખાઈ, અને બહાર મૂકાઈ ગઈ હોય. અધધધ – આટલાં બધાં નાટકો? મારી પાસે કલકત્તામાં આટલા બધા દિવસો કેમ નથી? – મને એ જ રંજ હોય. તોયે પાંચ નાટકો તો જોયાં. પહેલામાંથી મધ્યાંતરમાં ઊઠી ગયેલી, પણ બાકીનાં ચાર બહુ ગમેલાં.&lt;br /&gt;
ટિકિટનો દર વધારેમાં વધારે પચીસ-ત્રીસ રૂપિયા. મોટા ભગના લોકો અડધાએક કલાક પહેલાં આવી નિરાંતે ટિકિટ લે, પછી આર્ટ ગૅલૅરીમાં અચુક આંટો મારી આવે. કલકત્તાની પ્રથા નાટક સાંજે છ વાગ્યે શરૂ કરવાની છે. આ કળપ્રિય જનગણ દૂર દૂર રહેતો હોય, ને બસ પકડીને ઘેર જવાનો હોય, તેથી જ આ પ્રથા પડી હશે. અને આહા, શું શિસ્ત. ભાગ્યે જ કોઈ પ્રક્શક મોડો પડે, પણ પડદો તો ક્યારેય મોડો ના ખુલે. છને ટકોરે નાટક શરૂ થઈ જ જાય. મારાથી તો મનાય નહીં. અંધારામાં હું મારી નાનકડી ટોર્ચ કાઢું, ને ઘડિયાળ જોઉં. ને ખરેખર, છને એક મિનિટ પણ માંડ થઈ હોય. સાડા આઠ વાગતાંમાં નાટક પૂરું થઈ જાય. બધાં શાંતિથી બહાર નીકળવા માંડે, બગીચામાં થઈને રસ્તા પર આવે. છ-સાત જ મોટરો ઊભી હોય, બાકીનાં બધાં પોતપોતાની બસની દિશામાં ચાલવા માંડે. &lt;br /&gt;
બધું જ અત્યંત સભ્ય અને સુસંસ્કૃત લાગે : કળાગૃહ, બગીચો, શિલ્પો, નાટ્યગૃહ, બંગાળણોનું રુદ્ય લાલિત્ય, પુરુષોની સાહજિક ભદ્રતા, સર્વ પક્શે સમયની સંપૂર્ણ પાબંદી, માળે પાછાં જતાં પંખીઓની જેમ શિષ્ટ પ્રક્શકોનું વિસર્જન. હું વિસ્મય-વિહત, ને વાહ વાહ કરતી જાઉં. મેં ત્યાંનાં મિત્રોને કહ્યું કે અમારે ત્યાં ગુજરાતમાં સાડા નવનું નાટક સવા દસ પછી શરૂ થાય, ને રાતે દોઢ પહેલાં ક્યારેય ના પતે. સંભળીણે એ ભોળાં બંગાળીઓ મૂક બની જાય. કદાચ એમની સજ્જનતા અને ઋજુતા જ એમને “હા ધિક્” કહેતાં અટકાવતી હશે!&lt;br /&gt;
નાટકના આરંભે કે અંતે અહીં કોઈ ઘોષણા થતી નથી. નાટક, દિગ્દર્શક, અદાકારો, મંચસજ્જા, આલોક, ધ્વનિ વગેરે કોઈનાં નામ બોલાતાં નથી. પ્રેક્શક-ગણ સુગ્ન છે. આ બધાંનાં નામો જાણીને, એમનાંથી ખેંચાઈને જ જોવા આવેલો છે. છતાં, ક્યારેક કશી સૂચના આપવી પડે તો તે અતિમૃદુ સ્વરે અપાય છે. ગાજી ગાજીને ક્યારેય નહીં. પછી ભલેને એ પુરુષનો હોય. બલ્કે, ત્યારે તો એ ઘન-ગંભીર સ્વર વધારે કર્ણપ્રિય લાગે છે. &lt;br /&gt;
મંચસજ્જામાં મેં હંમેશાં સાદગી જ જોઈ છે. આ પ્રંાત મુખ્યત્વે મધ્યમ વર્ગીય છે. એહીંનાં કળાકારોમાં સર્જન-કૌશલ પ્રચુર હોય છે, ધન નહીં. મેં વારંવાર નોંધ્યું પણ છે કે એ સાદગી યથોચિત હોય છે, ફુવડ કે બેઢંગ નહીં. એ નાટકના માહોલને, કથાના પરિવેશને, પાત્રોનાં વ્યક્તિત્વને ઉપયુક્ત હોય છે. બંગાળી નાટકોના કેન્દ્રાર્કમાં હંમેશાં છતી થતી હોય છે વાસ્તવિકતા – સાવ સીધી રીતની, બિનઆડંબરી, યથાર્થ લાગે તેવી વાસ્તવિકતા. અભિનય પણ આ જ ભાવને અનુરૂપ. કોઈ જાતની વિદ્રુપતા કે અસહ્ય અતિશયોક્તિ ક્યારેય ના દેખાય – પ્રહસનોમાં પણ નહીં.&lt;br /&gt;
વેશભૂષામાં પણ સાદગી, અનાડંબર, અને ખાત્રીપૂર્વકની બંગાળી લાક્શણિકતા. સ્ત્રી-પાત્રોને ચશ્માં પહેરેલાં કેટલી વાર જોયાં હોય આપણે? સત્યજિત રાય દ્વારા દિગ્દર્શિત, સુનીલ ગંગોપાધ્યાય દ્વારા લિખિત “પ્રતિદ્વંદ્વી” નામની ફિલ્મમાં કદાચ પહેલી જ વાર નમણી કુમારિકા નાયિકાને ચશ્માં પહેરાવેલી જોઈ હતી. એને તો અસંખ્ય વર્ષો થઈ ગયાં. ને હજી પાત્રાનુરૂપ આ સાહજિકતા બંગાળી ચલચિત્રોમાં અને નાટકોમાં રહેલી જ છે. એક નાટકમાં બે બહેનોને ચશ્માં હતાં. ત્રીજી, સૌથી નાનીને ચશ્માં આટે છે, એ પહેરે છે, ને પછી સુખનો શ્વાસ લઈને કહે છે, “હાશ, હવે આપણે ત્રણે બહેનો એકસરખી થઈ ગઈ.”&lt;br /&gt;
કલકત્તાનાં બંગાળીઓ પાછાં નાટ્ય-પ્રકારોથી સુવિદિત હોય, અને પોતપોતાની પસંદગીનાં જ નાટક જોવા જાય. કોઈને ઐતિહાસિક ફલકવાળાં ગમે, તો કોઈને તળ-બોલીના સંવાદોમાં જ મઝા પડે. અંદર અંદર ચર્ચા થતી રહે, કે “બસ, હવે વામપંથી કથાનકોથી તો થાક્યાં”, અથવા એમ, કે “જીવનમુખી નાટકો તો બહુ જોયાં.” પહેલાં તો હું એ અનપેક્શિત સુંદર શબ્દો ચૂકી જાઉં, પણ તરત ખ્યાલ આવી જાય, ને બહુ ખુશ થઈ જાઉં. આપણે તો જરામાં ‘કમ્યુનિસ્ટ’ કે ‘સોશિયલ’ જેવા સ્થૂળ પર-ભાષી શબ્દો વાપરી બેઠાં હોત!&lt;br /&gt;
આ ભાષાની માયા-જાળ જ મારે માટે પૂરતી હોય. કથાવસ્તુને પસંદ કરીને અનુષ્ઠાન જોવા જવા જેટલો સમય આગંતુક માટે દર વખતે ક્યાંથી હોય? પણ મારે તો એટલું જ જોઈએ કે નાટક ગુણવત્તાની દૃષ્ટિએ સફળ થાય છે કે નહીં. મારે તો કળાકૃતિનો ઉત્કૃષ્ટ અનુભવ જ માણવો હોય. મનમાં ને મનમાં હું અફસોસનો નિઃશ્વાસ નાખતાં વિચારું, પેલા પાટિયા પર નોંધેલાં બધાં નાટકો જોવાનો સમય કેમ નથી મારી પાસે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = એક ઈશ્વરીય સર્જક&lt;br /&gt;
|next = વયોવૃદ્ધ બુદ્ધિજીવી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95_%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95&amp;diff=110279</id>
		<title>દરિયાપારથી.../એક ઈશ્વરીય સર્જક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95_%E0%AA%88%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF_%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95&amp;diff=110279"/>
		<updated>2026-04-26T05:38:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|એક ઈશ્વરીય સર્જક }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જાપાન જેવા પ્રાકૃતિક અને સાત્ત્વિક સૌંદર્યવાળા દેશમાં એક અત્યંત સંવેદનશીલ આત્માનો જન્મ થયો. કદાચ ચાલીસેક વર્ષ પહેલાંની આ વાત હશે. એ વ્યક્તિની ચોક્કસ ઉંમરની મને જાણ નથી. કેવા કુટુંબમાં એનો જન્મ થયો, એનાં મા-બાપ શું કરતાં હતાં, તે વિષેની કોઈ માહિતી મારી પાસે નથી. હું એને મળી ત્યારે એ દૃઢ આત્મવિશ્વાસવાળો, સુદર્શન પુરુષ હતો. એના જીવનનું સ્વપ્ન એ સિદ્ધ કરી ચૂક્યો હતો. ને એનું સ્વપ્ન હતું સિતાર વગાડતાં શીખવાનું.&lt;br /&gt;
આ વાત લાંબી છે, હૃદયસ્પર્શી છે, અસાધારણતાને કારણે અવાસ્તવિક અને કલ્પિત કથા જેવી છે. પણ આ એક સત્ય ઘટના અવશ્ય છે. આપણા દેશમાં જેમ કેટલાક લોકો ઈશ્વર-પ્રાપ્તિ માટે સાધના કરે છે, તેમ આ જાપાનીઝ યુવકે સંગીત માટે તપ કર્યું. યોગી તો એ પણ કહેવાય ને?&lt;br /&gt;
એનું નામ તાદાહિરો વાકાબાયાશી. ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની ઝંખનાની શરૂઆત દૈવે નિર્ધારેલા એક અકસ્માતથી થઈ એમ કહી શકાય. એ વખતે તો તાદાહિરોની ઉંમર નાની. સંગીતનો શોખ તો ખરો જ, તેથી આખૌ દિવસ એના રૂમમાં રેડિયો ચાલુ જ હોય. એવામાં એક દિવસ એણે રવિશંકરની સિતારના કાર્યક્રમનું પ્રસારણ ટોકિયોના એક રેડિયો-સ્ટેશન પર સાંભળ્યું. આ અદ્ભુત તંતુવાદ્યના ઝંકારની મોહિની એની આખી ચેતનામાં પ્રસરી ગઈ. બસ, ત્યારથી સિતાર શીખવાની એને રઢ લાગી. પણ તે માટે સિતાર ખરીદવી પડે. એણે ટોકિયો શહેરમાંની એક વાજિંત્રની દુકાનમાં તપાસ કરી. &lt;br /&gt;
એ દુકાનમાં બીજાં ભારતીય વાજિંત્રોની સાથે સિતાર પણ મળતી જ હતી, પણ કેટલી બધી મોંઘી. એટલા બધા પૈસા કિશોર તાદાહિરો પાસે ક્યાંથી હોય? એ નિરાશ તો થયો જ હશે. અદમ્ય ઈચ્છા પરિપૂર્ણ ન થતાં એ ઉદાસ પણ થયો જ હશે. પણ ના એણે એ ઈચ્છા પડતી મૂકી, કે ના એણે કશું ગાંડપણ કર્યું. એણે બે રીતે પોતાનો સમય વહેંચી દીધો. એક તો, રવિશંકરની સિતારની રૅકૉર્ડ ખરીદીને એણે ઘેર એ સંગીત અવિરત સાંભળવા માંડ્યું. અને બીજું, એ અલભ્ય વાજિંત્રના દર્શન કરવા દરરોજ એણે એ દુકાન પર જવા માંડ્યું. &lt;br /&gt;
ક્યારેક અંદર જઈને એ પોતાના મૂર્તિમંત સ્વપ્નને નિહાળતો, ક્યારેક ફક્ત બહાર ઊભાં રહીને. ઘણી વાર તો કલાકો આ જ રીતે નીકળી જતા. ભગવાનની ભક્તિ કરનારા ભક્તો પણ આવા જ હોય છે ને? આમ કરતાં કરતાં દુકાનદાર પણ એને ઓળખી ગયા. બંને વાતો કરવા માંડ્યા, ચર્ચા કરવા માંડ્યા, પણ સિતાર તો મોંઘીની મોંઘી જ રહી. કલાકોના દિવસો, એનાં અઠવાડિયાં, ને છેવટે મહિના વીત્યા. &lt;br /&gt;
છ મહિના સુધી આ તાદાહિરો વાકાબાયાશીએ દુકાનના ધક્કા ખાધા કર્યા. ધીરે ધીરે કરીને થોડા પૈસા પણ બચાવ્યા, પણ હજી પૂરતા નહતા. બનવાજોગે એ અરસામાં દુકાનદારને દંધો આટોપી લેવાની ફરજ પડી. બીજાં વાજિંત્રોની સાથે એ સિતાર પણ એણે ઓછા ભાવે વેચવા મૂકી. તોયે હજી એ તાદાહિરો માટે મોંઘી હતી. દિવસોના દિવસોથી સિતાર-દર્શન માટેની એની યાત્રાએ દુકાનદારનું દિલ જીતી લીધું. અંતે એણે પાણીના મૂલ્યે એ સિતાર તાદાહિરોને વેચી દીધી. &lt;br /&gt;
પછી તો એની સ્વપ્ન-સિદ્ધિને વાર શી લાગે? ભારત જઈને ગુરૂ પાસે શીખવાના પૈસા તો શરૂઆતમાં એની પાસે હતા જ નહીં, તેથી રૅકૉર્ડ પરથી જ એણે શીખવા માંડ્યું. એ પછી થોડા જ સમયમાં તો એ ભારતીય સંગીતમાં રસ ધરાવનારાં બીજાં જાપાનીઝને શીખવાડવા પણ લાગ્યો. એનો પોતાનો શોખ, અને એની પ્રવીણતા વિસ્તરતાં ચાલ્યાં. સિતાર ઉપરાંત સરોદ, રુદ્ર-વીણા, સૂર-બહાર, તબલાં, પખવાજ વગેરે અનેક વાજિંત્રો સાથે એ સુપરિચિત થયો. &lt;br /&gt;
તાદાહિરોની વાત સાંભળ્યા પછી, એના આ મહાપ્રભ આવેગની તીવ્રતાએ મારા હૃદયને પ્રબળ રીતે કંપાવી દીધું. કંઈક એના અથાગ શ્રમ પ્રત્યે હૃદય દ્રવ્યું, કંઈક પોતાના જીવનમાંની અલ્પતાનો ડંખ વાગ્યો.&lt;br /&gt;
એ વખતે ટોકિયોમાં કામ કરતા એક બંગાળી મિત્ર મને આ અસામાન્ય વ્યક્તિને મળવા લઈ ગયા. મેં જોયું, તાદાહિરો ચશ્માં પહેરે છે, લાંબા વાળ રાખે છે, ને સંગીતકારની જેમ દાઢી છે ખરી, પણ પાતળી – બહુ ગાઢ નહીં. એણે સફેદ ચૂડીદાર અને લખનૌ-ભરતવાળું કેસરી કુરતું ધારણ કર્યાં હતાં. હવે તો એ ટોકિયોના એક પરામાં એક નાનું આહારગૃહ ચલાવે છે, ને તે પણ ભારતીય ખાવાનાને માટેનું. એની મર્યાદિત સૂચિમાં ચિકન-કરી, સમોસાં, શાક, ભાત, પૂરી, રોટલી અને ઉકાળેલી ચ્હાનો સમાવેશ થાય છે. આગલા ભાગમાં નાનકડી દુકાન કરી છે. ત્યાં હસ્તકળાની વસ્તુઓ વેચાય છે – ગુજરાતનાં તોરણ, રાજસ્થાનનાં માટીનાં ઊંટ, દિલ્હીના દોરામાંથી બનાવેલા લૅમ્પ, બંગડીઓ, અગરબત્તી વગેરે. &lt;br /&gt;
અમુક દીવાલો પર, ભારતના પ્રવાસ-ખાતાએ બહાર પાડેલાં, ઉજ્જ્વળ રંગનાં પોસ્ટર લગાડેલાં છે. બાકીની દીવાલો પર, સોળમીથી અઢારમી સદીઓનાં પુરાતન, અમૂલ્ય, પરિચિત-અપરિચિત કંઈકેટલાંયે વાદ્યો લટકાવેલાં હતાં – રબાબ, સૂર-શૃંગાર, વાયોલિન, એકતારા, વીણા વગેરે. હું જોઈને દિગ્મૂઢ થઈ ગઈ હતી. આ સિવાય, બધાં થઈને, તાદાહિરોએ ભેગા કરેલા સંગ્રહમાં બસો જેટલાં અનેકવિધ વાજિંત્રો હશે.&lt;br /&gt;
પણ આ આહારગૃહનું તો બહાનું છે. એ તો ગુજરાન ચલાવવા માટે. ખરેખર તો આ સ્થાન એને સંગીત સર્જવાની તક આપે છે. એ સાંજે ત્યાં, મારા અને મારા મિત્ર સિવાય, બધાં તરુણ જાપાનીઝ હતાં પાસે બેઠેલાંને મેં ભારતીય ખાવાનું ખાવાની રીત સમજાવી. જાપાનમાં તો ચૉપ સ્ટીક વાપરવાનો રિવાજ, અને આપણે હાથથી ખાઈએ. વાતાવરણ સરળ હતું, પીરસનારાં વિવેકી હતાં, અને આહારગૃહનો માલિક – તાદાહિરો- સૌમ્ય અને સુશીલ હતો. એનો જ એક જાપાનીઝ શિષ્ય તબલાં પર સંગત દેતો હતો. બંને જણ સૂર અને તાલમાં મગ્ન હતા. તબલચી આબેહૂબ રીતે વર્તતો હતો – ખભા ઊંચા કરવા, માથું હલાવવું, હાથથી ઠેકો આપવો. અરે, દાદ પણ એ નિયત ક્શણે જ આપતો હતો.&lt;br /&gt;
સિતાર પર એક રાગ વગાડ્યા પછી, તાદાહિરોએ કોઈ ખાનસાહેબની જેમ પગને તિર્યક મુદ્રામાં રાખીને જ અડધા કલાક સુધી જાપાની ભાષામાં વાર્તાલાપ આપ્યો. ભારતીય સંગીતનો ઈતિહાસ, એનાં લક્શણો, એના સંકેતો વગેરે વિષે સમજાવતો હોય તેમ લાગ્યું. મીંડ, તાન, દ્રુપદ, મંદ્ર-સપ્તક જેવા શબ્દો સંભળાયા કર્યા હતા. એનું ગ્નાન સંપૂર્ણ હતું, એની સિદ્ધિ અસાધારણ હતી.&lt;br /&gt;
એના આહારગૃહમાં ભોજન-વ્યંજન અને બિયરની સૂચિની સાથે સાથે સંગીતની પણ સૂચિ મૂકેલી છે – સોમવારે બંગાળી ગીતો; મંગળવારે પાકિસ્તાની, અફઘાની, અરબી સંગીત; બુધવાર ભારતીય શાસ્ત્રીય સંગીત અને તબલાં સાથેની ઉત્સાહપ્રેરક જુગલબંધી, ગુરુવારે ભારતીય લોકસંગીત અને ભજન. હા, એ કંઠ્ય-સંગીત પણ જાણે છે. હું ગુજરાતી છું, તેમ વાત થઈ એટલે તરત મને કહે, “મારે ગરબા-સંગીત પણ શીખવું છે. એ પણ મને બહુ ગમે છે.”&lt;br /&gt;
તાદાહિરોના જીવિતનું આ કેવું પ્રાબલ્ય કહેવાય, કૈંક દૈવી સ્પર્શ એને ચોક્કસ મળ્યો છે, નહીં તો આટલું શીખવાનું, આવલું જાણવાનું એ આટલી સહેલાઈથી કઈ રીતે કરી શકે? પછી તો એ ભારત જઈ આવ્યો છે. દિલ્હી, લખનૌ, કલકત્તામાં આશિષખાન, તબલચી પ્યારેલાલ જેવા ગુરુઓની કંઠી પણ બાંધી છે. આપણને થાય, તાદાહિરોના હાથનો આ જાદુ કોઈ અદૃશ્ય વરદાનથી તો નહીં હોય? હું કદાચ વધારે પડતી લાગણીવિવશ કહેવાઉં, પણ મને અનુભવ થતો હતો કે તાદાહિરો ઈશ્વરીય તત્ત્વનું સહજ સર્જન કરી રહ્યો હતો.&lt;br /&gt;
બરાબર ભારતીય પ્રણાલિ મુજબ અમારા જમવાના પૈસા એણે ના જ લીધા. મૃદુ સ્મિત સાથે, બે હાથ જોડીને એણે અમને ભાવપૂર્વક વિદાય આપી. તાદાહિરો વાકાબાયાશીથી હજી હું સંપૂર્ણ પ્રભાવિત છું, અને હંમેશ માટે રહીશ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = એક અમેરિકી આધાર&lt;br /&gt;
|next = ઇસ સાદગી પે કૌન ન મર જાયે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95_%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%80_%E0%AA%86%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0&amp;diff=110278</id>
		<title>દરિયાપારથી.../એક અમેરિકી આધાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%8F%E0%AA%95_%E0%AA%85%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AB%80_%E0%AA%86%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0&amp;diff=110278"/>
		<updated>2026-04-26T05:37:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|એક અમેરિકી આધાર}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક-બે મહિના માટે અમેરિકા ફરવા આવેલાં બધાં ઘણું જોઈને, જાણીને, નવાઈ પામતાં, મજાક કરતાં પાછાં જાય છે, ને એક આખા દેશ માટે બધું, કે ઘણું બધું, સમજી ગયાં હોય એમ વાત કરવા માંડે છે. હા, એમનો ઉત્સાહ સમજી શકાય, પણ એમની સર્વગ્નતાનો ભાવ જાણે વ્યાજબી નથી લાગતો. અમેરિકાની ક્શતિઓ અને નબળાઈઓ લોકો જાણવા માગતા હોય છે, એટલું જ નહીં, પણ જાણીને ખુશ થવા માગતા હોય છે. એ બાબત મને કઠ્યા કરે છે. મને થાય કે એ બધાંને શું ખ્યાલ નહીં આવતો હોય કે અમેરિકાની પ્રજા પણ ભારતની ક્શતિઓ અને નબળાઈઓ જાણવા માગતી હોય, એમ જરૂર બને? ને જો એ લોકો આપણી ત્રુટીઓ પર હસવા માગે, કે ખુશી થતા લાગે, તો શું આપણને ગમે?&lt;br /&gt;
એક આખા સમાજને, એક આખા દેશને પૂરેપૂરો સમજી જવો અત્યંત કઠિન છે- એની અંદર જ આપણે રહેતાં હોઈએ તે છતાં. બે-ત્રણ મહિના તો શું, પચીસ વર્ષે પણ આ દેશ નવાઈ, આનંદ, આદર પમાડતો રહી શકે છે. સાથે જ, જટિલ, કઠિન, કરુણ વાસ્તવિકતા પણ હોઈ જ શકે છે, ને એ જીરવવાનું બળ મળતું રહે તે માટે પણ, જે સુંદર છે, પ્રશસ્ય છે, તેનો આધાર લેવો આવશ્યક બને છે.&lt;br /&gt;
એવો એક આધાર મળે છે આ દેશનાં પુસ્તકાલયો પાસેથી. અસંખ્ય પુસ્તકોને પાટિયાં અને ઘોડાઓ પર ગોઠવી રાખી હોય તે જગ્યા જ ફક્ત નહીં, પણ આખા સમાજને અનેક રીતે મદદરૂપ થતી એ ઉદાર, જીવંત સાર્વજનિક સંસ્થા હોય છે. ત્યાં કેવળ છાપાં ને ચોપાનિયાં વાંચવાની, કે મન થાય તો પુસ્તકો ‘ઉધાર’ લઈ જવાની સગવડ જ મળતી નથી, બલ્કે દરેક દિવસે કલાકો ગાળી શકાય તેવા રસપ્રદ, માહિતીસભર, બહુવિધ કાર્યક્રમો પણ ત્યાં યોજાતા રહે છે. એમને પુસ્તકાલય જ શું કહેવાં? ખરેખર તો એમને ‘ગ્નાનાલય’ જ કહેવાં જોઈએ. &lt;br /&gt;
ગ્નાન સાથે ગમ્મત હોય, અને ગમ્મત સાથે જાણકારી મળે, એવા બહોળા ખ્યાલ પ્રમાણે, કેટલાયે વિષયોને આવરી લેતા, દરેક વયને સમાવી લેતા, કાર્યક્રમો શ્રમસિદ્ધ નિયોજનપૂર્વક ગોઠવાય છે. માંડ ચાલતાં થયેલાં ભૂલકાંને મઝા પડે અને શીખવા મળે તેવાં રમકડાંથી સજ્જ ખંડ લગભગ દરેક લાયબ્રેરીમાં હોય. જરા મોટાં થયેલાં બાળકો માટે કાર્ટૂન-ફિલ્મો, વાર્તા સાંભળવાનો સમય, ચિત્રકામ, કાતરકામ વગેરે ગોઠવાય છે. સ્કૂલે જતાં છોકરાં માટે એમને લાયક કાર્યક્રમો, તથા કમ્પ્યુટર વાપરવાની સગવડ હોય છે. તો કિશોરવયીઓ માટે તો જાણે શું નહીં! સાહિત્ય, સંગીત, કળા-પ્રદર્શન, હસ્તકળાનાં વર્કશૉપ, નાટ્ય-રજૂઆતો, લેખકો સાથે મુલાકાતો વગેરે ચાલુ જ હોય. &lt;br /&gt;
પુખ્ત વયની વ્યક્તિઓ માટેના કાર્યક્રમોની યાદી તો સૌથી લાંબી હોય – નિઃશુલ્ક વ્યાખ્યાનો, નાટકો, સારી ફિલ્મો, સંગીતનાં અનુષ્ઠાનો, પુસ્તક-ચર્ચાઓ, લેખક-મિલન અને વાંચન, સ્વાસ્થ્ય અને સામાજિક પ્રશ્નોની છણાવટ, આર્થિક સમસ્યાઓ માટે સલાહ-સૂચન, અંગ્રેજી શીખવા માટેના વર્ગો ઇત્યાદિ. વળી, મુખ્ય કેન્દ્રોમાં નોકરી શોધનારાં માટે માહિતી હોય, અંધજનો માટે બ્રેઇલમાંની તેમજ રૅકૉર્ડ કરાયેલી ચોપડીઓનો મોટો સંગ્રહ હોય, જે અપંગ હોય ને વ્હીલચૅરમાં હોય તેવા લોકો લાયબ્રેરીમાં બધે જ પહોંચી શકે તેવી સગવડ હોય, અને ઘરની બહાર જ ના નીકળી શકતા હોય તેવા લોકો ટપાલ દ્વારા પુસ્તકો મેળવે તેવી વ્યવસ્થા પણ ખરી. &lt;br /&gt;
આ પુસ્તકાલયોમાં ફક્ત પુસ્તકો જ ‘ઉધાર’ નથી મળતાં, પણ સંગીતની રૅકૉર્ડ ને સી.ડી; નવલકથાઓની ને નાટકોની રૅકૉર્ડ કરેલી કૅસૅટો કે ડિવિડિ; લોકપ્રિય ને કળા-વિષયક ને દસ્તાવેજી ફિલ્મોની ડિવિડિ વગેરે પણ‘ઉધાર’ લઈ શકાય. ભાષા-પુસ્તકાલયમાં સાહિત્યનાં ને કળા-પુસ્તકાલયમાં કળા પરનાં પુસ્તકો, તથા ભજવણી-કળાના કેન્દ્રમાં દૃશ્ય-શ્રાવ્ય કળાઓની ડિવિડિનો આધારભૂત સંગ્રહ પ્રાપ્ત થઈ શકે. વિગ્નાન, ઉદ્યોગ, વેપાર માટેના કેન્દ્રાલયમાં તે તે વિષયોને અનુરૂપ સામગ્રી હોય. વળી, ગ્નાત અને પદવી પામેલાં ગ્રંથપાલોની ઉપસ્થિતિ તો સર્વત્ર ખરી જ. &lt;br /&gt;
દરેક શહેરમાં પુસ્તકાલયો શું એકાદ-બે જ હોવાનાં? અરે, હોય કાંઈ? ન્યૂયૉર્ક શહેરનો જ દાખલો આપું. એનો મુખ્ય હિસ્સો તે મૅનહૅતન. એ તેર માઇલ લાંબો ને વધારેમાં વધારે સવા બે માઇલ પહોળો એવો, નદીઓથી વીંટળાયેલો ટાપુ છે. એની વચ્ચે પાછો એકસો એકરનો, સેન્ટ્રલ પાર્ક કહેવાતો એક કુદરતી વિભાગ. આ મૅનહૅતનમાં જ ઓગણચાલીસ તો લાયબ્રેરી છે. જો ન્યૂયૉર્કના પાંચેય હિસ્સામાંની લાયબ્રેરીની સંખ્યાનો સરવાળો કરીએ તો એકસો-ઓગણચાલીસથી પણ વધારે થાય, તે નક્કી છે.&lt;br /&gt;
સભ્યપદ પાછું વિનામૂલ્યે. કેન્દ્ર-સરકાર, રાજ્ય-સરકાર અને નગરપાલિકામાંથી મળતી ગ્રાન્ટ દ્વારા બધું ચલાવવાનું. અત્યંત વિસ્તરેલું અને હંમેશાં વિસ્તરતું જતું ફલક. મોંઘવારી વધે, ને ખર્ચો પણ વધતો જ જાય. હંમેશાં ધા નાખ્યા કરવી પડે. મોટી મોટી કંપનીઓ અને કોર્પોરેશનોની સહાયની આશા તો રખાતી જ હોય, પણ સામાન્ય નાગરિક પણ યથાશક્તિ મદદ કરે. એમાં વેરા-મુક્તિ પણ મળે. લાખો ડૉલરનાં દાન કરનારાંનાં નામ લાયબ્રેરીઓ સાથે જોડાઈ પણ જાય, ને પરસ્પરનો મોભો વધારે.&lt;br /&gt;
ન્યૂયૉર્ક શહેરની મુખ્યાતિમુખ્ય લાયબ્રેરી કેટલાંક વર્ષો પહેલાં એક છ માળના મકાનમાં ખસેડાઈ, કારણકે મૂળ ઐતિહાસિક સુંદર ઇમારત નાની પડતી હતી. એને બાંધતાં નવ વર્ષ થયેલાં, અને ૧૯૧૧માં એ પ્રજા માટે ખુલ્લી મૂકાયેલી. ‘અમેરિકન રૅનૅસાઁ’ કહેવાતો એ કાળ હતો, અને આ સ્થાપત્ય-શૈલી ‘હાઈ ક્લાસિકલ’ તરીકે ઓળખાય છે. હવે તો એની ગણના ‘રાષ્ટ્રીય ઐતિહાસિક ઇમારતો’માં થાય છે. &lt;br /&gt;
ફિફ્થ ઍવન્યૂ પર મોખરાનું સ્થાન, પહોળાં પગથિયાંની બે બાજુ વિખ્યાત સિંહ-શિલ્પો, વિશાળ અને દર્શનીય પ્રવેશ-ભવન; સફેદ આરસની ફર્શ, દીવાલો, અરે, ઘુમ્મટ પણ આરસનો; બે તરફ સોપાન-શ્રેણી, આરસની કમાનો, દીવાલો, તથા ઉપર આવેલું છે ચોવીસ સ્તંભથી યુક્ત પ્રદર્શન-ભવન. દર વર્ષે એમાં ત્રણ અગત્યનાં પ્રદર્શન ભરાય. બીજાં શહેરોની વિશિષ્ટ સંસ્થાઓ પણ એમાં ભાગ લે. જોકે આ મુખ્ય પુસ્તકાલયનો પોતાનો જ સંગ્રહ એટલો અદ્વિતીય અને અખૂટ છે કે એનું જ પ્રદર્શન વર્ષો સુધી કરતાં રહેવાય. જેમકે, બસો-અઢીસો વર્ષ જૂની હસ્તલિખિત પ્રતો. એમનાં લખનારાં અંગ્રેજી ને અમેરિકી કવિઓ, લેખકો, ફિલસૂફો, ધર્મચિંતકો વગેરેનાં ઘણાં નામ આપણે જાણતાં હોઈએ, તોયે એથી પણ વધારે નામોથી અગ્નાત હોઈએ. &lt;br /&gt;
બે લાંબા વાંચન-ખંડનાં શોભા અને દેખાવ એવાં છે કે કોઈ યુરોપી ગર્ભશ્રીમંતના નિવાસસ્થાન જેવા લાગે. એ બંને છાપાં અને સામયિકો માટે છે. તો પછી મુખ્ય વાંચન-ખંડનું શું? એ તો ઇમારતના શિરોમણી જેવો છે. ઉપર ત્રીજા માળે, ૨૯૭ ફીટ લાંબો, ૭૮ ફીટ પહોળો, ઊંચી કમાનદાર બારીઓ, સુશોભિત છત, અને ખાસ આ ખંડને માટે બનાવાયેલાં ટેબલ, ખુરશીઓ, તાંબા-કલાઈ મિશ્રિત લૅમ્પ વગેરે. પૂરતો પ્રકાશ, પૂરતી શાંતિ. એની જોડ કદાચ અમેરિકામાં પણ ક્યાંય ના મળે. &lt;br /&gt;
નીચેના એક સભાખંડમાં એક કાર્યક્રમ સાંભળવા ગઈ, તો એનું રૂપાંતર જોઈને છક જ થઈ જવાયું. પહેલાં તો ત્યાં પુસ્તકોના ઘોડા રહેતા, ને બધું મેલું ને અસ્તવ્યસ્ત લાગતું. એનાં રૂપ-પરિમાણ તરફ ક્યારેય ધ્યાન પણ નહતું ખેંચાયું. ને હવે તો એ જગ્યા પુનર્જન્મ પામી ગઈ હતી.&lt;br /&gt;
૬૪૦૦ ચોરસ-ફીટનો એનો વિસ્તાર. સુંદર સ્તભો પર ટકેલો ત્રીસ ફીટ ઊંચે ઊઠતો ગુંબજ. આછા-પીળા ઇટાલિયન આરસની દીવાલો, અને ફરતે ફૂલ-વેલની કારીગીરી. આ ખંડમાં ઉપસ્થિત હોવાનું જ એટલું ગમ્યું હતું કે ત્રણ રશિયન કવિઓની કૃતિઓના વાંચનમાં બહુ ધ્યાન નહતું રહ્યું! આ ખંડ હવે લાયબ્રેરીના પબ્લિક એજ્યુકેશન પ્રોગ્રામનું કેન્દ્ર બન્યો છે, અને બહુવિધ વ્યાખ્યાન, વાંચન, સંગીત તથા ફિલ્મનાં અનુષ્ઠાનો માટે વપરાય છે.&lt;br /&gt;
સતત વિકસતાં રહેવાની અને નવી નવી રીતે ફરી ફરી સજીવન થતાં રહેવાની આ દેશની જે પદ્ધતિ તેમજ વિચારસરણી છે તે નિઃશંક પ્રશંસ્ય છે. મનમાં એમ થયા કરે છે, કે આવા અમેરિકી અભિગમનું અનુકરણ કરતાં, કે એને સમજતાં પણ જો આપણે થઈ શકીએ તો આપણું નિજી આભિજાત્ય ગૌરવથી પ્રદર્શિત કરી શકીએ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = દેશી કથાઓ – પરદેશી કથાકારો&lt;br /&gt;
|next = એક ઈશ્વરીય સર્જક&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93_%E2%80%93_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B&amp;diff=110277</id>
		<title>દરિયાપારથી.../દેશી કથાઓ – પરદેશી કથાકારો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93_%E2%80%93_%E0%AA%AA%E0%AA%B0%E0%AA%A6%E0%AB%87%E0%AA%B6%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B&amp;diff=110277"/>
		<updated>2026-04-26T05:36:31Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|દેશી કથાઓ – પરદેશી કથાકારો}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પોતાના દેશની બહાર , બીજા કોઈ (પશ્ચિમી) દેશમાં જઈને વસેલા કોઈ પણ લેખકો કદાચ એ બે દેશોનાં જીવન અને રીત-રસમોને વણી લેતી કથાઓ લખતા હશે. ઘરથી દૂર ગયેલાં-નાં મનની સર્જન-સ્થિતિ કદાચ એવી જ થઈ જતી હશે. સાથે જ, એ પણ જોઈ શકાય છે કે દેશાંતરિત લેખકોની કથાઓ દેશમાં લખાતાં પુસ્તકો કરતાં જુદી પડતી હોય છે – ખાસ કરીને, કથાવસ્તુની દૃષ્ટિએ. મોટા ભાગની એ કૃતિઓ કૈંક વિચિત્ર, વિલક્શણ, ક્યારેક તો હેતુપૂર્વક આઘાતજનક બનાવાયેલી હોય તેવી લાગે છે. શાથી થતું હશે આવું? દેશની બહાર રહેનારાં દેશના જીવનની ગતિ-વિધિનાં વહેણની પણ બહાર હશે, તેથી? કે પછી, પરદેશમાં હોવા-રહેવાને કારણે કશી ‘સાહસિકતા’ અનુભવાતી હશે, તેથી? &lt;br /&gt;
આવા લેખકો તેમજ તેમની કૃતિઓ ઘણી વાર તરત ભુલાઈ પણ જતાં હોય છે. જો એકાદ સમાલોચના કોઈએ કરી હોય તો તેનું મૂલ્ય સાહિત્ય ક્શેત્રમાં ઐતિહાસિક પરિપ્રેક્શ્યની દૃષ્ટિએ જ રહી જતું જણાય છે. સામટાં આવાં કેટલાંક પુસ્તકો વિષે જાણવા મળ્યું. નથી એ દરેક સર્જક ભારતીય, કે બહુ જાણીતા, પણ આ દરેક જણે ભારતનાં વિવિધ પાસાંને જે રીતે કથાનક માટે પસંદ કર્યાં છે તે જોવું રસપ્રદ બને છે. &lt;br /&gt;
લી સીગલ નામના એક અમેરિકને પોતાના પુસ્તકમાં વિદ્વત્તા, આત્મકથાનક તેમજ કલ્પિત તત્ત્વને ભેળવ્યાં. એ પોતે એક તરફ ધંધાદારી જાદુગર છે, ને બીજી તરફ અમેરિકાના એક મહાવિદ્યાલયમાં “ધર્મ”ના પ્રાધ્યાપક છે. એમણે ભારતમાં વિનોદ અને જાદુ વિષય પર વિદ્વત્તાપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. પ્રસ્તુત પુસ્તકની શરૂઆત થાય છે રાજીવ ગાંધીની કરપીણ હત્યાના ઘૃણાસ્પદ વર્ણનથી.&lt;br /&gt;
લેખક ભારતીય સાહિત્યમાં ભયંકર અને જુગુપ્સાનાં તત્ત્વો પર સંશોધન કરવા વારાણસી ગયા છે. કોઈ એમને ચારણ જેવા ફરતા વાર્તાકાર વિષે જણાવે છે, કે જે લોહી ચૂસતા પ્રેતની વાર્તાઓ કહેતા ફરતા હોય છે. પણ લેખક એમને મળી નથી શકતા. છેવટે લેખક કલ્પનાથી એ પાત્ર ઘડી કાઢે છે, ને પછી પોતે જ લખતા જાય છે વાર્તાઓ – ભય પમાડે તેવી, એકમેક સાથે સંકળાયેલી, રાજા વિક્રમ અને વૈતાળની વગેરે. રાજકારણ, વાસ્તવ ને કલ્પના – એમ ત્રિવિધ સૂત્રોથી વણાયેલી કથાઓ જીવનની અકલ્પ્ય મુસીબતો પ્રત્યે અપાતી ભારતીય પ્રતિક્રિયાનાં ઉદાહરણ પૂરાં પાડતી રહે છે.&lt;br /&gt;
વિક્રમ ચંદ્રા પોતાની અંગ્રેજીમાં લખાયેલી “લાલ પૃથ્વી અને ધોધમાર વરસાદ” નામની નવલમાં ત્રણ સદીઓ અને ત્રણ દેશો – અમેરિકા, ઇંગ્લૅંડ, ભારત -ને સાંકળે છે. સાડા પાંચસો પાનાંની એ પ્રથમ નવલકથાને જાણે હજાર ખંડ છે, દરેકમાંથી જુદું દૃશ્ય દેખાય છે, દરેકમાં એક નાયક છે, દરેક નાયકનું એક કર્યક્શેત્ર છે. એટલા જ ખલનાયક પણ છે, તેમજ શસ્ત્રો, શોણિત, સાક્શાત્કાર અને જાદુ પણ એમાંથી બાકાત નથી. એક પ્રકારની ‘ અરેબિયન નાઇટ્સ’ જ જાણે. ખૂબ ટૂંકમાં કથાવસ્તુ આમ છે : મુખ્ય પાત્ર અભય રજાઓમાં અમેરિકાથી ભારત આવ્યો છે. માતા-પિતાને ત્યાં એનું પેન્ટ ચોરી ગયેલા વાનરને એ મારી નાખે છે. યમરાજ એને લેવા આવે છે. બીજા દેવો પણ આવે છે. વાટાઘાટો પછી એમ નક્કી થાય છે કે જો અભય અને એનું કુટુંબ રોજ બે કલાક વાર્તાઓ કહીને દેવોને સંતોષી શકે, તો વાનર જીવતો રહી શકે. એ વાનર આગલી કોઈ જિંદગીમાં સંજય નામનો કવિ હતો. તે પોતે જ એ વાર્તાઓ ટાઇપ કરવા બેસી જાય છે. &lt;br /&gt;
મોટેથી વંચાતી-બોલાતી વાર્તાઓ સાંભળવા શ્રોતાઓ વધતા જ જાય છે, ને આખા મેદાનને ભરી દે છે. લોકોની રોજિંદી જિંદગીની વાતો પણ વચ્ચે વચ્ચે મુકાતી જાય છે. અભય અમેરિકા વિષેની વાતો કર્યા કરે છે, તો સંજયની પોતાની વાતોમાં તો અવનવા સંજોગો બને છે – હાથી સાથેના અકસ્માત, જાદુઈ આગ વગેરે. અંતે લેખક વિક્રમ ચંદ્રાનું કહેવું એમ છે કે કોઈ પણ બાબત અંગે એક જ રજુઆત ના હોઈ શકે, અને જો લાંબી લાંબી વાર્તા હોય તો જ ટકી રહેવાય.&lt;br /&gt;
અનિતા દેસાઈ નામનાં, અમેરિકામાં વસતાં, જર્મન-ભારતીય લેખિકાની “ જર્ની ટુ ઈથાકા” નામની નવલકથામાં ગદ્ય બહુ સરસ છે, પણ એ જાણે કથાતત્ત્વને શોધી રહ્યું છે. લેખિકા-ને જ જો પાત્રોની પડી ના હોય તો વાચકોને શું કામ હોય? પશ્ચિમના લોકોમાં પૂર્વીય આધ્યાત્મવાદ માટે પ્રેમાદરના જે ભાવ હોય છે તે સમજવા માટે એમણે ઘણાં પુસ્તકો વાંચ્યાં હતાં, પણ એનાથી એમનાં પાત્રોને અથવા પુસ્તકોને ફાયદો થયો જણાતો નથી.&lt;br /&gt;
મુખ્ય પાત્ર-સ્થાને એક યુરોપી યુગલ છે. ભારત આવીને એ પુરુષ ફકીરો, સ્વામીજીઓ ને આશ્રમોમાં ખુંપી જાય છે. એની પત્નીને એમાં રસ નથી પડતો. પછી પુરુષ “માતાજી” નામના ગુરુમાં સંપૂર્ણપણે માનતો થઈ જાય છે. આખી દુનિયામાં એમના ભક્તો છે, પણ પત્નીને શંકા છે કે માતાજી કોઈ ઢોગી વ્યક્તિ તો નથી ને. એની ખાતરી કરવા એ મથે છે, પણ અચાનક, બાળક જન્મતાં એ સ્ત્રી શોધ છોડી દે છે. અચાનક, કથાનક પણ રખડી પડતું લાગે છે. વાર્તા જાણે અધૂરી રહી જતી લાગે છે. &lt;br /&gt;
લેખિકા રુથ પ્રાવર ઝાબવાલા તો ઘણી જાણીતી વ્યક્તિ છે. મર્ચન્ટ-આઈવરીની ફિલ્મો માટે એમણે ઘણાં કથાનક લખ્યાં છે. એમની છેલ્લી નવલકથા “સ્મરણની કરચો” જાણે ફિલ્મ માટે જ લખાઈ છે. પાત્રો એટલાં બધાં છે કે એમનાં નામ, કામ, સંબંધોનો ખ્યાલ રાખવો અઘરો બને છે. વળી, એમાં પૂર્વ અને પશ્ચિમનાં સ્થાનો છે, અને બંને બાજુની વિભિન્ન લાગણીઓ પણ નિરુપાઈ છે. જુદાં જુદાં પાત્રો તરફનો લેખિકાનો અનાદર અથવા સ્નેહ સ્પષ્ટ બનતો રહે છે. આ નવલમાં પણ એક ધર્મગુરુ છે, જે ફક્ત ‘માસ્ટર’ તરીકે ઓળખાય છે, ને એમને વિષે પણ એ સાચા છે?, સારા છે?, દંભી છે?, ગાંડા છે? જેવા પ્રશ્નો ઊભા થતા રહે છે. &lt;br /&gt;
એ.બી.યેહોશ્વા નામના લેખક ઈઝરાયેલી છે, અને વાર્તા અને નવલકથાઓમાં ઈઝરાયેલની રોજેરોજની જિંદગીની વાસ્તવિકતા નિરૂપે છે. “ઓપન હાર્ટ” નામની એમની પાંચમી નવલ ભારતમાં ઘટે છે. એનું કથાવસ્તુ ભારતીય ધર્મતત્ત્વ, યાત્રીઓની શ્રદ્ધા, આત્માનું દેહાંતરણ વગેરે બાબતો પર આધારિત છે. નાયક બેન્જામિન રુબિન તેલઅવીવની હૉસ્પિટલમાં સર્જન છે, એક ઈઝરાયેલી દરદીની સંભાળ લેવા ભારત જાય છે, એ દરદીની માતા ડોરીના પ્રેમમાં પડે છે; સાથે જ, ભારતની રહસ્યમયતાથી સંપૂર્ણપણે અભિભૂત થઈ જાય છે, અને સમય સાથે હોડ કરવાનું છોડતાં શીખે છે. &lt;br /&gt;
ઇંગ્લૅંડમાં વસતા પાકિસ્તાની લેખક હનીફ કુરેશીએ એમની નવલ “ધ બ્લૅક આલ્બમ”માં મૂળ પાકિસ્તાનના, ને હવે બ્રિટનમાં વસતા મુસ્લિમોની વાત લખી છે. નાયક શાહિદ હસન પૂરો અંગ્રેજ, કે પૂરો મુસ્લિમ, કે પૂરો પાકિસ્તાની પણ નથી. જાણે લેખકનું પોતાનું, તેમજ યુવાન પાકિસ્તાની-બ્રિટિશના માનસિક સંઘર્ષોનું પ્રતિબિંબ આમાં મળે છે. વાસ્તવિક અને સમકાલીન જીવન દર્શાવતી આ એક આધુનિક સાહિત્યિક કૃતિ છે.&lt;br /&gt;
ચિત્ર-વિચિત્ર કથાઓ લઈને, કૈંક અજમાયેશ, અખતરા કે પરદેશમાં વેચાણના ખ્યાલ સાથે લખાતી, વક્રોક્તિ કે કટાક્શના ઉદ્દેશવાળી કૃતિઓ દ્વારા, હંમેશાં, સારું સાહિત્ય વાંચ્યાનો સંતોષ નથી મળતો હોતો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં&lt;br /&gt;
|next = એક અમેરિકી આધાર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82,_%E0%AA%9A%E0%AA%B2%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82&amp;diff=110276</id>
		<title>દરિયાપારથી.../ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82,_%E0%AA%9A%E0%AA%B2%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82&amp;diff=110276"/>
		<updated>2026-04-26T05:35:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોણ ફેલાવતું હશે અફવાઓ? જોકે આપોઆપ ફેલાઈ જવાનો જ કદાચ અફવાઓનો સ્વભાવ છે. હવાની જેમ. વિનીત શબ્દકોશ એની સમજૂતી “ઊડતી ખબર” અને “ગામ-ગપાટો” તરીકે આપે છે. એટલેકે વજૂદ વગરની, ગપ્પાં જેવી વાત, એવું સમજાય છે. પણ કોઈ વાત અફવા છે, તેવી ખબર ક્યારે પડે? ઘણા લોકો પાસેથી સાંભળ્યું હોય, ને તેથી એ માની લીધું હોય, તે પછી ક્યારેક? &lt;br /&gt;
સિનેમાની બાબતે આવું બહુ બનતું લાગે. અમુક ને તમુક ફિલ્મ વિષે બહુ વાતો સાંભળીએ, ને માની પણ બેસીએ કે ઓહો, તો તો એ ફિલ્મ સારી જ હશે. આમ તો, પરદેશમાં લાંબું રહેતાં રહેતાં હિન્દી ફિલ્મોનું હળાહળ નીતરી ચૂક્યું છે, ને મન અનેક બૌદ્ધિક, સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ ગયું છે. પણ મોટા ભાગનાં ભારતીય વસવાટીઓની નસોમાં એ અસહાય આદત ફરતી જ રહેલી છે. પરદેશમાં રહેવું, અને દેશી દવાનું સેવન કરવું – કૈંક એવું કલ્પન મારા મગજમાં આવતું રહે છે. &lt;br /&gt;
નવાં નવાં ચલચિત્રો વિડિયો પર, ને હવે તો બીજી ઘણી રીતે, જોતાં રહેલાં ઓળખીતાં પાસેથી ક્યારેક જાણવા મળે. મેં તો એ ફિલ્મોનાં નામ કે એનાં ગીતો સાંભળ્યાં જ ના હોય. મારી હાલત જાણે કાચા સોના જેવી! જે ઘાટ ઘડવો હોય તે ઘડાશે, એમ એ લોકો માની લે. પરાણે, મૈત્રી ખાતર ક્યારેક જોવા જાઉં. ના ગમે તો ફરિયાદ નહીં કરવાની, ને ગમે તો એનાં કારણ ચલચિત્રનાં કળા-કૌશલ પર હોય.&lt;br /&gt;
હવે આવે છે ઉપરોક્ત અફવાનો સંદર્ભ. અલબત્ત, વાત ઘણાં વર્ષો પહેલાંની છે. ઊડતી ઊડતી એક ખબર એક ગુજરાતી ચલચિત્ર વિષે આવેલી. ત્યાં સુધીમાં મેં એક જ ગુજરાતી ફિલ્મ જોયેલી, ને તે પણ સાવ નાનપણમાં. તે વખતથી જ એ બાબતે મન પર ડાટો લાગી ગયેલો. સારી ગુજરાતી ફિલ્મો પણ આવતી રહી જ હશે, પણ મારે એ કોઈ જોવાના વારા આવ્યા નહતા. આ પ્રસ્તુત ફિલ્મના નામ સાથે “બહુ જ સરસ છે”નું છોગું લાગેલું. એનાથી મનમાં થોડી ધરપત હતી, ને બુદ્ધિપ્રધાન કુતૂહલ હતું. બહુ વર્ષો પછી, આ ક્શેત્રનો ઐતિહાસિક પરિપ્રક્શ્ય મળશે એવી આશા રાખેલી. &lt;br /&gt;
સાવ ખોટી જ હતી એ આશા. ઇતિહાસ તો શું, પણ વર્તમાન પણ મૂર્છિત થઈ જાય એવો એ પ્રયાસ નીકળ્યો. બુદ્ધિપૂર્વકનું કાંઈ જ નહતું એમાં, ને રંગીન વસ્ત્રો સિવાય કળાત્મક પણ કાંઈ જ નહીં. હા, અભિનેત્રી દેખાવડી હતી, ને અભિનેતા પણ કાંઈ ખોટો નહતો. પણ એટલું જ પૂરતું નહતું. કશા વાંક વગર હેરાન થયેલું, ને પીડા પામેલું મારું મન વિચારે,“આ એકવીસમી સદી છે, પણ પ્રયોજકોને વિકાસનો ખ્યાલ પણ નહીં આવતો હોય? ઉત્તમ માટે ઝંખના કેમ નહીં થતી હોય એ લોકોને? ”&lt;br /&gt;
મહાનગર ન્યૂયોર્કના વિશ્વ-વિખ્યાત રંગમંચ-સંપુટ પરનાં અનેક અનુષ્ઠાનોના લાંબા ગાળાના પરિચય પછી કક્શા અંગે સ્પષ્ટ અને સાગ્રહ સભાનતા માનસમાં આકાર પામી છે. આ કારણે કચાશવાળી કોઈ રજુઆત સહન નથી થતી. નાટકો કરતાં ફિલ્મો ઘણા વધારે પ્રમાણમાં બહાર પડે, એટલે એમને જોવાની પસંદગી માટેનું ધોરણ કડક રાખવું પડે. &lt;br /&gt;
પ્રસ્તુત એ ફિલ્મમાં સંવાદનાં કશાં ઠેકાણાં નહીં. “એવો સ્વાદ ચખાડીશ કે જિંદગીભર યાદ કરશે”, અને “જોજે, એને બતાવી ના આપું તો મારું નામ ... નહીં” જેવાં, સાવ સાધારણ ને હલકાં વાક્ય દરેક મુખ્ય પાત્ર બોલે છે એમાં. મેં ભોળીએ શરૂઆતમાં ખરેખર રાહ જોયેલી કે શું સ્વાદ ચખાડે છે, કે શું બતાવી આપે છે; ને પછી, કેટલી વાર આવાં વાક્યો વપરાય છે તે ગણવામાં મારું ધ્યાન ખેંચાયેલું રહ્યું હતું!&lt;br /&gt;
ઉપરાંત, મેં એમ શા માટે માની લીધું હતું કે મારામારીનાં દૃશ્યો ફક્ત હિન્દી સિનેમામાં જ આવે? અરે, આ ગુજરાતી ફિલ્મમાં તો એટલી મારામારી, અને લોહી રૂપે લાલ રંગ બતાવ્યાં&lt;br /&gt;
કે હિન્દી તો શું, પશ્ચિમની ‘વૅસ્ટર્ન’ પ્રકારની ફિલ્મો પણ અહિંસક લાગે. વળી, એ ફિલ્મ એટલી લાંબી ચાલેલી કે પૈસા વસૂલ થયેલા લાગવાને બદલે ફિલ્મને બંધ કરવા માટે પૈસા આપવાનું મન થાય. થાકી જઈને મનોમન હું કહેતી રહેલી, “હા, બાપુ, હા, જોયું, જોયું.”&lt;br /&gt;
“ આર્ટ ફિલ્મ” તરીકે ઓળખાતો પ્રકાર ભારતમાં જરૂર છે, જોકે એવી કળાત્મક ફિલ્મો ભારતમાં સર્વત્ર રજુઆત પણ નહીં પામતી હોય. એમાં કથાનક ખૂબ કળાપૂર્વક પ્રસ્તુત થયેલાં હોય છે, ને સંયતતા હોય છે. કદાચ તેથી પણ, લોક-મેદનીમાં એ સમજાતાં નથી, ને પસંદ પડતાં નથી. આખા ને આખા સમાજને સાધારણતાનો થાક લાગવા માંડે, તો કેવું સારું, એમ થયા કરે છે. ઉચ્ચ કક્શાની મનોરંજક ફિલ્મો માટેની માગણી વધવા માંડે, તો કેવું સારું. &lt;br /&gt;
આવા વિચારો અમુક અંશે કદાચ અન્યાયી પણ લાગે, એ કબૂલ કરું છું, અને તેથી, વ્યક્તિગત રીતે, એટલી જ આશા રાખું છું કે અફવાઓ ફેલાતી રહે, મારા સુધી પહોંચતી રહે. એમાંની કોઈ કશા વજૂદવાળી નીકળી પણ આવે, ને એકાદ ખરેખર બહુ સારી ફિલ્મ જોવા મળી પણ જાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ચીનમાં રામાયણનો પ્રચાર&lt;br /&gt;
|next = દેશી કથાઓ – પરદેશી કથાકારો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=110275</id>
		<title>દરિયાપારથી.../ચીનમાં રામાયણનો પ્રચાર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0&amp;diff=110275"/>
		<updated>2026-04-26T05:34:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ચીનમાં રામાયણનો પ્રચાર}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક સમયે, ન્યૂયોર્કની વિખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીના દક્શિણ એશિયા માટેના વિભાગ દ્વારા દર અઠવાડિયે એ પ્રદેશમાંના દેશોને લગતા જુદા જુદા વિષયો પર વ્યાખ્યાન યોજાતાં. દરેક વખતે હું જઈ ના શકું, કારણકે શહેરના બીજા કોઈ વિસ્તારમાં એવી જ સરસ કોઈ પ્રવૃત્તિ કરતી હોઉં. પણ એક વાર “ચીનમાં રામાયણ” જેવો વિષય જોયો ત્યારે એક મ્યુઝિયમમાં જવાની હતી તેને બદલે એ વ્યાખ્યાન સાંભળવા ગઈ. &lt;br /&gt;
બેજિન્ગ યુનિવર્સિટીના ઓરિયેન્ટલ સ્ટડિઝના વિભાગમાંથી આવેલા એક પ્રોફેસર જિન વક્તવ્ય આપવાના હતા. ચીનમાં રામાયણ – એટલે શું હશે?ડ તેનો ખ્યાલ આવતો નહતો. વિષય નવાઈ પમાડતો હતો. પછી જ્યારે જાણ્યું કે એ પ્રોફેસર બેજિન્ગમાં હિન્દી ભણાવતા હતા, ત્યારે આશ્ચર્ય અને આદરનો પાર ના રહ્યો. ચીનમાં હિન્દી ભણાવાય છે? તે પણ એક ચીની પ્રોફેસર દ્વારા? આવો તો વિચાર પણ કદિ આવ્યો નહતો. ચીનના એક પ્રવાસ દરમ્યાન બેજિન્ગ યુનિવર્સિટીના કૅમ્પસ પર તો હું ગઈ પણ હતી. ખૂબ જ મોટી જગ્યા છે, અને બાગ જેવો સરસ પરિસર છે. ખૂબ વૃક્શો, વચમાં એક તળાવ, આસપાસ બેસવા માટે બેઠકો, લાક્શણિક ચીની પૅગોડા, જુદા જુદા વિભાગોનાં છૂટાછવાયાં મકાનો, અને એક તરફ હૉસ્ટેલોનાં મોટાં મોટાં, ત્રણ માળનાં બિલ્ડિન્ગો.&lt;br /&gt;
મને બહુ ગમી ગયેલી એ જગ્યા. ત્યારે જો ખબર હોત કે હિન્દી ભણાવાય છે, તો એ વિભાગમાં પણ જઈ આવી હોત. એ પ્રોફેસર હિન્દી ઉપરાંત ઉર્દુ પણ ભણાવતા હતા. બંગાળી શીખવાડવાનો પ્રયત્ન યુનિવર્સિટીએ કરેલો, પણ નિષ્ફળ ગયેલો. રવીન્દ્રનાથની કૃતિઓનો અનુવાદ ચીનમાં સૌ પ્રથમ ૧૯૨૪માં થયેલો, અને રવીન્દ્રનાથ ત્યાં લોકપ્રિય પણ છે, છતાં બંગાળી ભાષા શીખવા માટે બહુ રસ લેનારાં નીકળતાં નથી હોતાં. છતાં, સંસ્કૃત અને પ્રાકૃત સુદ્ધાં શીખનારાં હોય છે ત્યાં. લગભગ અદ્ભુત લાગે તેવી આ વાત.&lt;br /&gt;
એ પ્રોફેસરને સાંભળતાંની સાથે મને લાગ્યું કે એ અંગ્રેજી બોલી શકતા હતા તેનાથી વધારે સારું હિન્દી બોલી શકતા હતા. પછી તો એમણે પોતે પણ આ જ કબૂલાત કરી. હિન્દી લખે પણ એવું જ સરસ. બરાબર ‘ખડી હિન્દી’ના હોય એવા એમના અક્શર હતા. વર્ષો પહેલાં એમણે હિન્દીનો અભ્યાસ શરૂ કર્યો હતો. ને પછી તો એમણે હિન્દીમાં ઘણું કામ કર્યું : ચીની વિદ્યાર્થીઓને હિન્દી શીખવાડવા માટે ચાર ભાગમાં પાઠ્ય-પુસ્તક તૈયાર કર્યાં, હિન્દી-ચીની શબ્દકોષ લખ્યો, તેમજ દળદાર હિન્દી-ચીની મુહાવરા કોષ બનાવ્યો, જેને પૂરો કરવા પાછળ એમણે વીસ વર્ષ મહેનત કરી હતી. આ ઉપરાંત, પ્રો. જિને તુલસીકૃત ‘રામચરિતમાનસ’નો અનુવાદ કર્યો છે. એ કહે, “વર્ષો પહેલાં ચીની ભાષામાં કાલિદાસનો અનુવાદ થયો, તે પછી રવીન્દ્રનાથ, ને પ્રેમચંદનો થયો. પણ વચમાં અન્ય અનુવઅદ સંદર્ભે શૂન્યતા હતી. મેં એ શૂન્યતાને ભરી છે. &lt;br /&gt;
એ નાના હતા ત્યારે એમણે એક ચીની નવલકથા વાંચેલી, જેમાં ભારતના પ્રવાસની વાત હતી. આ પુસ્તકની અસર એમના પર ખૂબ પડેલી, ને ત્યારથી એમને ભારતનું અને ભારતીય સાહિત્યનું કામણ લાગવા માંડેલું . તુલસિકૃત ‘રામચરિતમાનસ’નો અનુવાદ એમણે ચીની ભાષામાં કાવ્ય-સ્વરૂપે કર્યો છે, જેમાં એમને પાંચ વર્ષ લાગ્યાં હતાં. તુલસીદાસના શબ્દોની કાવ્યમયતા અને ભાવઘનતાને એ પૂરતો ન્યાય કરવા માગતા હતા. હસતાં હસતાં શુદ્ધ હિન્દીમાં એ કહે, “લોઢાના ચણા ચાવવા જેવું એ કામ હતું.” (જેમણે મુહાવરાનુ પુસ્તક લખ્યું હોય તે પોતે તો આવા કેટલાયે વાક્ય-પ્રયોગો જાણતા હોય.) &lt;br /&gt;
આખું વ્યાખ્યાન એ લેખિત રૂપમાં તૈયાર કરીને લાવેલા, ને અંગ્રેજીમાં હતું. મને થાય કે હિન્દીમાં બોલ્યા હોત તો કેવું સારું થાત.&lt;br /&gt;
કેટલાક ચીની અભ્ાસીઓ માને છે કે ૧૯૮૦ના દાયકા પહેલાં ચીનમાં રામાયણ અંગે કશી જાણકારી હતી નહીં, કારણકે એના ચીની અનુવાદો એ પછી થયા. પ્રો. જિન આ મતને ખોટો પુરવાર કરવા માગતા હતા. એમણે જણાવ્યું, કે ત્રીજી સદીમાં ‘વુ’ રાજવંશ દરમ્યાન એક બૌદ્ધ ભિખ્ખુએ ઘણાં સંસ્કૃત ધર્મ-પુસ્તકો ચીન દેશની મુખ્ય ભાષા ‘હાન’માં અનુદિત કર્યાં હતાં. એમાંના “ષટ્પારમિતા સૂત્ર” નામના પુસ્તકમાં આખી વાર્તા રામાયણ પરથી છે, પણ કેટલાંક નામો અને એનું સ્વરૂપ બદલાયેલાં છે, અને બૌદ્ધ ધર્મનું આરોપણ જોવા મળે છે. દા.ત. રામની જગ્યાએ બુદ્ધ, અને સીતા. લક્શ્મણ, દશરથ વગેરેને બદલે બોધિસત્ત્વો આવી ગયેલા છે. &lt;br /&gt;
એ પછી, પાંચમી સદીમાં અનુવાદ પામેલા “રત્નસૂત્ર”માં રામ, લક્શ્મણ, ભરત, શત્રુઘ્ન અને દશરથ આટે છે, પણ સીતા કે રાવણનાં નામ પણ નથી. વાર્તામાં એટલું જ છે કે રામને વનવાસ મળ્યો, ત્યાંથી એ પાછા આવ્યા, અને એમનો રાજ્યાભિષેક થયો. સાતમી સદીમાં એક ભિખ્ખુ ભારત પહોંચેલા, ને ત્યાં સત્તર વર્ષ ગાળેલાં. એમણે લખ્યું કે, રામાયણમાં બાર હજાર શ્લોકો છે, અને એમાં બે મુખ્ય કથા છે : રાવણ દ્વારા સીતાનું અપહરણ થયેલું તે, અને રામ સીતાને પાછાં લઈ આવ્યા તે. આ પણ અડધી જ વાર્તા. જો રત્નસૂત્ર અને આને જોડીએ તો રામાયણની પૂરી કથા મળી આવે.&lt;br /&gt;
સોળથી ઓગણીસમી સદીઓ દરમ્યાન ચીન, તિબેટ, મૉન્ગોલિયા વગેરે પ્રદેશોમાં મળતાં આવેલાં પુસ્તકો વિષે પણ પ્રો. જિને ખૂબ રસપ્રદ અને વિસ્મયકારી વિગતો કહેલી. છેવટે એ વીસમી સદી પર આવ્યા. એક મુખ્ય પુસ્તક ચીનમાં ૧૯૬૪માં બહાર પડ્યું -” સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ.” એમાં સ્વાભાવિક રીતે જ રામાયણ પર એક પ્રકરણ છે. ૧૯૮૦ સુધીમાં તો રામાયણ પર ઘણા લેખો અને નિબંધો ચીની છાપાં તથા સામયિકોમાં આવતા થયેલા. એક વિદ્વાને વાલ્મિકી-રામાયણનો ચીની અનુવાદ સાત ભાગમાં ૧૯૮૦થી ૧૯૮૪ દરમ્યાન પ્રગટ કર્યો. ૧૯૮૮માં પ્રો. જિને રામચરિતમાનસ પ્રકાશિત કર્યું. એની અઢી હજાર નકલો બે મહિનાની અંદર વેચાઈ ગઈ હતી. &lt;br /&gt;
ચીનમાં હજી પણ રામાયણ માટે ખૂબ રસ તથા ધ્યાનપૂર્વક અભ્યાસ થતો રહે છે, અનુવાદો ઉપરાંત મૌલિક શોધ-નિબંધો લખાતા રહે છે, ચર્ચા-વર્તુળો ચાલે છે, પરિસંવાદ થાય છે, આંતર્રાષ્ટ્રીય રામાયણ સંમેલન યોજાય છે. શ્રોતાગણમાંથી કોઈએ મહાભારત વિષે પૂછૃયું, તો એમણે કહ્યું કે ચીનમાં કદાચ એ બહુ પ્રચલિત નથી, કારણકે એ ખૂબ લાંબું મહાકાવ્ય છે, એનું કથાવસ્તુ ઘણું જટિલ છે, ને એનું ભાષાંતર અતિકઠિન છે. એમાંની કેટલીક કથાઓ અનુવાદ પામી છે – જેમકે, ભગવદ્ગીતા. &lt;br /&gt;
એક વાર સંપૂર્ણ મહાભારતના અનુવાદની યોજના થઈ હતી, સંસ્કૃતના પાંચ ચીની વિદ્વાનો હાજર પણ હતા, પરંતુ અગ્રવ્યક્તિનું અકાળે અવસાન થતાં એ પડી ભાંગી. પ્રો. જિન કહે, “ ચીનમાં એમ મનાય છે કે એક જગ્યાએ લેખિત રીતે એવું જણાવ્યું છે, કે આખા મહાભારતનો અનુવાદ કરનાર, કે કરવા ઈચ્છનાર, વ્યક્તિ અકાળે મૃત્યુ પામશે.” &lt;br /&gt;
આપણાં મહાકાવ્યો શાપ પણ આપી શકે છે, ને તે પણ તદ્દન અન્યભાષી વિદ્વાનોને!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ભાષાને વળગે ઘણાંયે ભૂર&lt;br /&gt;
|next = ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%87_%E0%AA%98%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%AF%E0%AB%87_%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0&amp;diff=110274</id>
		<title>દરિયાપારથી.../ભાષાને વળગે ઘણાંયે ભૂર</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AB%87_%E0%AA%98%E0%AA%A3%E0%AA%BE%E0%AA%82%E0%AA%AF%E0%AB%87_%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0&amp;diff=110274"/>
		<updated>2026-04-26T05:34:07Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ભાષાને વળગે ઘણાંયે ભૂર }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો શું તમે એમ માનો છો કે બધાં અમેરિકનો પોતાના સાહિત્યાકાશમાંનાં જાજ્વલ્યમાન સર્જક-સિતારાઓથી પરિચિત હોય છે? એમની કૃતિઓ તો શું, પણ એમનાં નામથી પણ? – વૉલ્ટ વ્હિટમૅન, ઍમિલી ડિકિન્સન, રૉબર્ટ પૅન વૉરન, માર્ક મૅડૉફ, રૅમન્ડ કાર્વર, જૉઇસ કૅરૉલ ઓટ્સ? ને આ તો જૂનાં-નવાં, વિદ્વાન-લોકપ્રિય, કવિ-લેખકોનાં નામની તદ્દન ટૂંકી યાદી છે, ફક્ત ઉદાહરણ તરીકે. અમેરિકાની વસ્તીમાં કેટલાંને પોતાના જ સાહિત્ય અંગે રસ કે જાણકારી હશે?&lt;br /&gt;
અમેરિકનોની ભાષામાં જે નબળાઈઓ આવી રહી છે એ માટે અમેરિકન ભાષાવિદો પણ ચિંતા સેવતાં જ હશે ને? આજના જમાનામાં, કે જ્યારે “ભાષા” જેવો શબ્દ કૉમ્પ્યુટરની કોઈ ‘લૅન્ગ્વૅજ’ના સંદર્ભે વપરાય છે ત્યારે પ્રજાના અધિકાંશને નથી રહ્યો સર્જનની ભાષાની વૃદ્ધિમાં રસ કે નથી એની શુદ્ધિમાં રસ. ઘણી ક્શતિઓ ને વિચિત્રતાઓ અમેરિકન-ઈંગ્લિશના નેજા હેઠળ સ્વીકારી લેવામાં આવે છે. એ રીતે આગવા વ્યક્તિત્વવાળી ભાષા તૈયાર થઈ પણ છે, પણ મૌલિકતાના નામથી બધી નબળાઈઓ સ્વીકારવી ના જોઈએ. આવી ચર્ચા અમેરિકન સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓમાં થતી જ હશે, એમાં શંકા ના હોઈ શકે. &lt;br /&gt;
હું કહેવા એ માગું છું કે ભાષા અંગેની ચિંતા ફક્ત આપણને ગુજરાતીઓને જ નથી હોતી. સર્જનાત્મક ભાષા અને સાહિત્યમાં જેમનો જીવ પરોવાયેલો હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી હોય છે, એ હકીકત સૌથી વધારે ચિંતાજનક અને પીડાકારક છે. કમ્પ્યુટરની ભાષા શીખવી ઘણી અઘરી હોય છે, પણ એની પાછળ લોકો કેટલી મહેનત કરે છે. તો માતૃભાષા અને સર્જનની ભાષાથી લોકો કેમ ગભરાય છે? કેમ દૂર ભાગે છે? એમાં રસ કે જાણકારી કેળવવા કેમ એ પ્રયત્ન કે મહેનત કરતા નથી?&lt;br /&gt;
સર્જનની ભાષા કેટલી હદ સુધી સહેલી હોવી જોઈએ? આલેખ-રેખાના કયા નિમ્ન બિંદુ પર એની કક્શા હોય તો એ લોકભોગ્ય ગણાય? ‘સરળ’નો અર્થ ‘સાધારણ’ થતો જોઉં છું &lt;br /&gt;
ને મનમાં છરીઓ ભોંકાતી લાગે છે. ધ્યાન અને વિચાર વિષેની એક અંગ્રેજી ચોપડીનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું કામ મેં એક વાર માથે લીધેલું, કારણકે જૂથનાં ઘણાં સદસ્યોને અંગ્રેજીમાં એ બધી વિગતો સમજાતી નહતી. ગુજરાતી અનુવાદથી બધાં ખૂબ ખુશ થયાં, ને તેથી મને પણ આનંદ થયો. છતાં થોડાં જણ એવાં નીકળ્યાં ખરાં, જેમણે મને કહ્યું કે સહેલું ગુજરાતી વાપરવું હતું ને.&lt;br /&gt;
મને સમજાતું નથી કે સહેલું એટલે કેવું? કશા જ પ્રયત્ન વગર સમજાય તેવું સહેલું? એમ કરતાં ભાષાનાં સૌંદર્ય અને સમૃદ્ધિને ભૂલવાં પડે તો ચાલે? તો શું સમજવા માટે શબ્દકોષ ખોલી ના શકાય? પ્રયત્ન કરવામાં પણ મઝા હોય છે. એ પછી થતી જાણ, સરસ નવી ઓળખાણની જેમ, નિર્ભેળ આનંદ આપી શકે છે. આટલું જ જો લોકો યાદ રાખે તો? એ શું બહુ જ અઘરી બાબત છે? જો પુખ્ત પ્રજા, અને મા-બાપો જ, ભાષાથી વિમુખ હોય તો પછીની પેઢીમાં માતૃભાષા માટે પ્રેમ ક્યાંથી આવવાનો? અને અહીં અમેરિકામાં ઉછરતી પેઢી માટે કઈ માતૃભાષા ગણાય? અમેરિકન-અંગ્રેજી કે મા-બાપની મૂળ ભાષા? આ પેઢીનાં મૂળિયાં ખરેખર ક્યાં રહેલાં ગણાય?&lt;br /&gt;
જવાબ વગરના, ઉકેલ વગરના ગમે તેટલા પ્રશ્નો પુછાયા પછી પણ એક વાત સ્પષ્ટ દેખાય છે – તે એ કે દુનિયાની નાની નાની અનેક આદિવાસી કોમની જબાનની જેમ આપણી ભાષા- નો લોપ થવાનો નથી. હા, એના ભુંસાઈ જવાનો ડર નથી, પણ એ ઉત્તરોત્તર નબળી, પાંખી અને નિસ્તેજ બનતી જશે, એ ડર અવશ્ય છે. &lt;br /&gt;
વિદેશવાસી ગુજરાતીઓ દ્વારા લખાતી ગુજરાતી ભાષાને પણ આ જ ભયસ્થાનો નડતાં રહેવાનાં, એ ખ્યાલ સતત રાખવો જરૂરી છે. આવાં લખનારાંની પાસે જેટલું હશે તેટલું, કે એનાથી ઓછું, એ યુવા પેઢીને આપી શકશે. પુખ્ત પેઢીની સભાનતામાં આટલું તો સતત રહેવું જ જોઈએ.&lt;br /&gt;
વિષય-વસ્તુની બાબતમાં વિદેશોમાં વસતાં ગુજરાતી લેખકો માટે બે-ત્રણ મુશ્કેલીઓ છે. ત્યાંનાં કળા, સાહિત્ય, વાતાવરણ વગેરેથી પરિચિત થયાં હોય એમને માટે પણ. એક, દરેક ભાષા અમુક જ પ્રકારના વિષયોનો ભાર વહન કરી શકે છે. સાવ જુદી જ જાતનાં જીવન અંગેની વાતો બીજી દરેક ભાષા અને એના વાચક-વર્ગને જચવાની નથી. બીજું, પશ્ચિમી પાત્રો કે વિષયોના નિરૂપણ માટે પશ્ચિમી ભાષા વાપરવાની જરૂર પણ પડવાની, જેને કારણે આપણી ભાષા ભેળસેળવાળી લાગવાની. આવી રીતે કેવું સાહિત્ય સર્જાવાનું? વળી, આપણા લેખકને પશ્ચિમી ભાષાની પૂરેપૂરી અને સાહિત્યિક કક્શાની હથોટી પણ હોવી જ જોઈએ ને? ત્રીજું, પશ્ચિમી જીવન તથા વિષયોથી યુક્ત કથા-વાર્તાઓ આપણા વાચકવર્ગને ગમશે? તંત્રીઓ એ છાપવા તૈયાર થશે?&lt;br /&gt;
ઉપરાંત, દુનિયાની બીજી ભાષાઓનાં મોટા ભાગનાં લેખકો પોતાની જન્મભૂમિ, ને પોતાના અતીતના અનુભવો વિશે લખી લખીને જ દેશ-વિદેશોમાં વિખ્યાત બનતાં હોય છે. વિખ્યાત બનેલાં ઇન્ડિયન પણ ક્યાં પોતપોતાની માતૃભાષામાં લખે છે? મોટાં નામ પામી રહેલાં સર્વ ઇન્ડિયન સર્જકો અત્યારે અંગ્રેજીમાં લખી રહ્યાં છે, અને શું છે એમનાં ખ્યાતનામ પુસ્તકોના વિષયો? એ તો ભારતીય જીવન, વાતાવરણ, રીતરિવાજો વગેરે પર જ આધારિત હોય છે. &lt;br /&gt;
હું તો એ પણ જોઈ રહી છું કે નાની ઉંમરે મા-બાપ સાથે પરદેશ વસવાટ માટે ગયેલાં, ને પરદેશમાં ઉછેર પામેલાં યુવા પેઢીનાં સદસ્યો પણ હજી ભારતીય મૂળિયાંમાંથી જ વિષયો ખેંચી રહ્યાં છે. અલબત્ત, લેખનની ભાષા અંગ્રેજી છે. હા, મા-બાપની માતૃભાષાના શબ્દોનાં થોડાં છાંટણાં થતાં રહેવાનાં, કારણકે એ ‘ફૅશન’માં અને ‘મૌલિકતા’માં ખપે તેવો ઉદ્દેશ હોય છે. આવી રીતમાં તકવાદીપણું અને અધકચરાપણું પણ રહેલાં છે જ. &lt;br /&gt;
કદાચ પરદેશમાં જન્મેલી ત્રીજી – કે ચોથી – પેઢી પશ્ચિમી જીવન તથા સાહિત્યના મુખ્ય પ્રવાહમાં સફળ થઈને વહી શકશે. એ વખતે એમનાંમાં ગુજરાતી સહિત્યિક સ્તરે તો નહીં જ હોય, પણ બોલચાલના સ્તરે પણ નહીં હોય. &lt;br /&gt;
જંગલી આખલાના બે તીક્શ્ણ શિંગડાં જેવા આ પ્રશ્નો છે – નબળી થતી જતી ભાષાને સંકોર્યા કરવી જોઈએ, કે પશ્ચિમી સાહિત્યના માહોલમાં સાચી સફળતા મળે તો તેને વધાવી લેવી જોઈએ? &lt;br /&gt;
પ્રશ્નો કરવામાં આવે, ઊંડી ચિંતા થતી રહે, એ બરાબર છે, પણ સૌથી વધારે અગત્યની વાત એ છે કે આપણે દરેક જણ ભાષાની શુદ્ધિ અને સમૃદ્ધિ માટે આગ્રહ રાખીએ, એને સબળ રાખવા માટે શ્રમ કરતાં રહીએ. આ આવશ્યકતા છે, દરેક જણની જવાબદારી &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = બધી દિશામાં દોસ્તી&lt;br /&gt;
|next = ચીનમાં રામાયણનો પ્રચાર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AC%E0%AA%A7%E0%AB%80_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80_(%E0%AB%A8)&amp;diff=110273</id>
		<title>દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી (૨)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AC%E0%AA%A7%E0%AB%80_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80_(%E0%AB%A8)&amp;diff=110273"/>
		<updated>2026-04-26T05:33:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|બધી દિશામાં દોસ્તી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આપણી જાત આપણી સૌથી અંગત અને અગત્યની મિત્ર હોવી જોઈએ, એમ ફીલસૂફો કહી ગયા છે. પ્લૅટોએ બે જ શબ્દોમાં આ સંદેશ આપી દીધો છે – જાતને ઓળખો. આવી સમજણ જો વિકસે તો મન એવું હળવુંફૂલ બની જઈ શકે છે, અને પોતાની અંદર, પોતાની સાથે જ એક મિત્ર હોય એટલે ક્યાંયે એકલું લાગવાનો તો ડર જ ના હોય. &lt;br /&gt;
કદાચ આથી જ હશે કે એકલ મુસાફર તરીકે પણ સર્વત્ર મને આનંદ જ થતો રહેતો હોય છે. બાહ્ય રીતે કોઈનાં સંગ ને સંગતની સીધી જરૂર નહીં, પણ સ્થાન ને જન-પ્રેમી હોવાને કારણે, કોઈ સાથે મુલાકાત ને મૈત્રી થાય તે ગમે બહુ. જાતજાતની જીવન-રીતિ વિષે જાણવા મળે, ને જીવન પ્રતિ વારંવાર વિસ્મિત થતાં રહેવાય – એ જ હશે મૂળ કારણ. &lt;br /&gt;
જેમકે, એક વાર યુરોપના ઑસ્ટ્રિયા દેશના નાગરિક જોહાનિસને મળવાનું થયું. મુખ્ય શહેર વિએનામાં એની જથ્થાબંધ કાપડની દુકાન હતી, અને પોતાની ટૅક્સી પણ હતી. મને કહે, “દુકાનની આવકમાંથી ગુજરાત ચલાવું છું, અને ટેક્સીમાંથી થતો નફો દુનિયામાં ફરવા માટે ખર્ચું છું.” વાહ, સરસ વિભાજન- સમયનું તેમજ દ્રવ્યનું. નવાઈની વાત તો એ કે એ પણ મારી જેમ ક્યાંયનો પણ નકશો જોઈને જ જાણે મનથી અધીર થઈ જતો હતો! સ્થાનોના નકશાને સાચવી રાખે, જતાં પહેલાં એમનો અભ્યાસ કરે, સ્થાનથી પરિચિત બને. મને તો સહધર્મી મળી ગયો હોય તેવું લાગેલું.&lt;br /&gt;
ઉત્તર થાઈલૅન્ડના એક ગામમાં કૉફી પીવા હું બેઠી ત્યારે જોયું કે બાજુના ટેબલ પર બેઠેલા યુવક પાસે અંગ્રેજી સાહિત્યનાં ચાર-પાંચ ભારે ભારે ને ગંભીર પુસ્તકો પડેલાં હતાં. અમારી વચ્ચે વાત એ રીતે જ શરૂ થઈ. મને કહે, એ પ્રવાસે નીકળે છે ત્યારે એને ગંભીર અને અઘરી ચોપડીઓ વાંચવી જ ગમે છે. એ અમેરિકન હતો, ને મને એમ લાગ્યું કે એ કશાકથી ભાગી રહ્યો હતો. એણે એટલું તો કહેલું કે અમેરિકા અને અમેરિકાપણાથી એ કંટાળી ગયો હતો. છ મહિના તો એ ગામમાં રહેવાનો જ હતો, ને ત્યાં બરાબર ગોઠવાઈ ગયેલો લાગ્યો. થાઈ ભાષા શીખવાની શરૂ કરી દીધેલી, ભાડે રાખેલા ઘરની પાછળની નાની નદીમાં એ હોડી લઈને ફરવા જતો, જાહેર સ્વીમિન્ગ પુલમાં તરવા જતો, સ્થાનિક વ્યક્તિઓ સાથે ઓળખાણ પણ થયેલી. અમેરિકાની કે ત્યાંનાં મિત્રોની યાદ બહુ હેરાન કરતી હોય તેવું લાગ્યું નહીં. &lt;br /&gt;
ક્યારેક આમ સાધારણ વાતમાંથી પછી ઘણી વધારે કિંમતી મૈત્રી બંધાઈ જતી હોય છે. એવાં મિત્રો મને જુદી જુદી ઘણી જગ્યાઓમાંથી મળ્યાં છે – આર્જેન્ટિના, દક્શિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મલેશિયા, જાપાન, યુરોપી દેશો વગેરે. એમાં એક છે કૅરોલિન નામની અમેરિકન યુવતી. અમે મળી ગયાં બૅન્કોકની નદી ચાઓ ફ્રાયા પરના હાલતા લાકડાંના મંચ પર. અમે બંને હોડીની રાહ જોતાં ઊભાં હતાં. એ પણ ન્યૂયોર્કમાં જ રહેતી હતી, તેથી પછી પણ અમે વારંવાર મળતાં રહી શક્યાં. એ સુંદર, ઊંચી, ઉદાર મન અને તીક્શ્ણ બુદ્ધિવાળી યુવતી હતી. એની આંખમાં વિનોદની ચમક હતી, એની ચાલમાં સધૈર્ય ગતિ હતી. ફરીથી મને સહધર્મચારિણી મળી ગયાનો આનંદ થયેલો.&lt;br /&gt;
આથી પણ વધારે, હું કૅરોલિનથી એટલે અભિભૂત થઈ કે એ સળંગ બે વર્ષથી દુનિયામાં ફરી રહી હતી. ગ્રીસ અને ઇઝરાયેલમાં થોડો વખત સાધારણ નોકરી પણ કરી, કે જેથી આગળ જવાના પૈસા ભેગા થાય. બસ, મને મનમાં જરા ઓછું આવી ગયેલું! મારે તો વધારેમાં વધારે ત્રણ કે ચાર મહિને પાછાં જવું જ પડે! પણ સાથે જ, મનમાં આશ્વાસન પણ ખરું જ, કે હું તો વારંવાર નીકળી પડવા માટે મુક્ત છું. &lt;br /&gt;
મારા જીવનની સૌથી પ્રિય મિત્ર જાપાની છે. જાપાનમાં મારે સારાં એવાં મિત્રો છે, પણ આ અકિકો અને એના વર માસાઆકી વર્ષોથી મારાં સ્વજન બનીને રહેલાં છે. નવાઈ એવી કે બધી જાપાની મિત્રોને ઇન્ડિયન ભોજન બહુ ભાવે, અને વધારે દૂધવાળી, ઉકાળેલી ‘ઇન્ડિયન ચ્હા’ પણ બહુ જ ભાવે. જોકે જાપાની ચ્હા તો એ બધાં આખો દિવસ પીતાં રહેતાં હોય. ઉપરાંત, હું એમને ત્યાં મહેમાન હોઉં ત્યારે એ બધાં મારી પાસે ગરમ પૂરી, શાક, સમોસાં વગેરે બનાવડાવે. જાણે રાહ જ જોતાં હોય. જાપાનમાં ઘણી ઇન્ડિયન રૅસ્ટારાઁ છે, અને ત્યાં ખાવાનું પણ સરસ હોય છે, છતાં આ ઘેર બનાવેલું મારા હાથનું ખાવાનું વધારે ગમે. ઘેર બેસીને આનંદથી વાતો કરતાં કરતાં સમય પણ વધારે સરસ જતો લાગે.&lt;br /&gt;
અકિકોને તો આપણો નાસ્તો પણ બહુ જ ભાવે. એને માટે હું તીખી સેવ, તળેલી દાળ, ચણાચોર, નાની બાખરવડી વગેરે દર વખતે લઈ જાઉં. ચ્હાનો મસાલો તો આપું જ, પણ એને મેથિયાનો મસાલો પણ બહુ ભાવે. એ ખુશ થઈને નાસ્તો ખાતી જાય, ને કહેતી જાય, “ઓહ, ખાધા જ કરું છું. અટકાતું જ નથી!” એ એટલી તો કાર્યદક્શ છે. ખૂબ ઝડપથી બધું કામ પતાવી દે, અને થાકનું તો નામ જ નહીં. &lt;br /&gt;
એક વાર એણે કહેલી વાત હૃદયને બહુ સ્પર્શી ગઈ હતી. અન્ય દેશોમાં મહિનોએક ફરીને એને ત્યાં દસેક દિવસ રહ્યા પછી હું ટોકિયો છોડવાની હતી ત્યારે એ મને કહે, “આવી ત્યારે કેવી થાકેલી, ફીક્કી ને પાતળી લાગતી હતી. હવે મોઢું કેવું સારું લાગે છે.” જાણે એણે લીધેલી કાળજીને કારણે જ. બરાબર આપણું પોતાનું કોઈ માણસ કહે તેવી જ લાગણીભરી હતી આ વાત.&lt;br /&gt;
સમુદ્રમાં સફર કરતા વહાણના શઢની જેમ મનને પણ ખુલ્લું રાખીએ તો કેટલો પવન, કેટલું ચેતન અનુભવી શકાય છે. હું કોઈ દિશાને અવગણતી નથી, ને દરેક તરફથી મારા જીવનને દોસ્તીનું પોષણ મળતું જ રહે છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = બધી દિશામાં દોસ્તી&lt;br /&gt;
|next = ભાષાને વળગે ઘણાંયે ભૂર&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AC%E0%AA%A7%E0%AB%80_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80&amp;diff=110272</id>
		<title>દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%AC%E0%AA%A7%E0%AB%80_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%A6%E0%AB%8B%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80&amp;diff=110272"/>
		<updated>2026-04-26T05:32:18Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +૧&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|બધી દિશામાં દોસ્તી}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કહે છે ને, કે સજ્જન સાથે સાત ડગલાં ચાલતાં પણ સાર્થ થઈ જવાય છે. પથ પર જતાં હોઈએ ત્યારે આવું બનવાની શક્યતાઓ બની જતી હોય છે. હંમેશાં નહીં, દરેકે દરેક સ્થાને પણ નહીં; છતાં, ક્યારેક અચાનક સરસ અને સહજ મૈત્રી થઈ જઈ શકે છે. સાવ અજાણ્યાં હોવા છતાં જરા પણ અજાણ્યું લાગતું નથી. મને ઘણી વાર આવી મુલાકાતો, ઓળખાણો, સચવાઈ રહેલી મૈત્રી પામવાનું સૌભાગ્ય મળ્યું છે. અહીં એવાં જ કેટલાંક મિત્રોને યાદ કરવાં છે.&lt;br /&gt;
સૌથી પહેલાં અમેરિકામાં થયેલી સૌથી પહેલી મિત્રને સ્મરું. ભારત છોડીને પહેલવહેલી વાર અમેરિકા ગઈ ત્યારે મનમાં દુઃખનો પાર નહતો. જતાં પહેલાંથી જ દેશની હવા અને દેશની ધરતી માટેનો ઝુરાપો શરૂ થઈ ગયેલો. પરદેશની હવા ગુંગળાવે, ત્યાંનું પાણી ગળે ના ઊતરે. એવે વખતે એક દિવસ હું યુનિવર્સિટીના બેઠક-ખંડમાં બેધ્યાન રીતે બેઠેલી, અને કોઈએ હલો કહીને મને બોલાવી. મેં જરા ચમકીને જોયું તો એક શ્વેતવર્ણ છોકરી મને નિખાલસ સ્મિત આપી રહી હતી. સાથે બેસીને ઓહો, તરત જ કેટલીયે વાતો કરી એણે. એ પણ મારી જેમ બહારથી ભણવા આવી હતી, અને ઘરનાંને યાદ કરીને કાગળ લખી રહી હતી. &lt;br /&gt;
એનું નામ પામૅલા હતું. એ દેખાવે અને બોલવે-ચાલવે લાગે અમેરિકન, પણ એ હતી બહામા નામના ટાપુ-દેશની. નીચી ને નાજુક, ને હાસ્ય એના મુખ પરથી ક્યારેય જતું જ નહીં. મિત્રતા અને સહજ આનંદ સિવાયના ભાવ એના મનમાં કદિ ઊઠતા જ નહીં. જેને હું મારું ‘અમેરિકન બાળપણ’ કહેતી આવી છું, એમાંની આ મારી સૌ પ્રથમ, અને સદાની, મિત્ર અને સ્વજન.&lt;br /&gt;
બહામા ટાપુ પર એને ઘેર જવા એણે મને ઘણી વાર આગ્રહ કર્યો. હું ગઈ પણ ખરી. પ્રવાસી તરીકેના મારા ઇતિહાસમાં આ મુસાફરી પહેલે સ્થાને આવે. પામેલા વિમાનમથકે મને લેવા આવી હતી. ત્યાંના ભૂરા આખાશ અને પીળચટ્ટા તડકા જેવો જ ઉજ્જ્વળ એનો આવકાર હતો. ઘેર પહોંચતાં જ એનાં માતા-પિતા અને ભાઈઓએ જરાયે ઔપચારિક થયા વગર મને ઉષ્માથી આવકારી. જાણે મને પહેલેથી ઓળખતાં હતાં, અને મારું ત્યાં જવું નિશ્ચિત જ ના હોય. તરત એ મારું કુટુંબ બની ગયું, તે આજ સુધી. જ્યારે પામેલા ન્યૂયોર્ક ફરવા આવી ત્યારે એના આતિથ્યની મને તક મળી. જે વર્તુળ ઘણાં વર્ષો પહેલાં એણે એક નિખાલસ સ્મિતથી શરૂ કરેલું, તે કડીબદ્ધ થયું. મૈત્રી નામની ભેટનો મહિમા જીવનમાં સૌથી મોટો છે. &lt;br /&gt;
બધે આવી જીવનભર માટેની મૈત્રી થાય જ, એવું નથી. ક્યારેક તે સમય પૂરતી દોસ્તી થાય, પણ એનાથી પણ એ સમયને કશુંક યાદગાર જરૂર મળ્યું હોય. જેમકે, ફિલિપ્પિન્સ જવાની તો જાણે શરૂઆત જ સરસ થઈ. વિમાનમાં બાજુમાં એક ફિલિપિના યુવતી બેઠી હતી. હસમુખી અને દેખાવડી હતી. ઘણી વાર કોણ વાત કરશે, અને કોણ નહીં કરે તે કહી શકાતું નથી હોતું. આ છોકરીએ મારા સ્મિતનો જવાબ હસીને આપ્યો, ને સહજ રીતે જ અમારી વચ્ચે વાતો શરૂ થઈ ગઈ. એનું નામ જેન હતું. નોકરીના કામ અંગે એને એશિયાના ઘણા દેશોમાં જવું પડતું. એમાં ભારત પણ ખરું. &lt;br /&gt;
થોડી વાતો એના કુટુંબની થઈ. એનો ભાઈ એને લેવા ઍરપોર્ટ પર આવવાનો હતો. એની મા માટે એણે ઘણી બધી લીલી દ્રાક્શ લીધેલી. કહે, થાઈલૅન્ડમાં બહુ સસ્તી મળતી હતી. મેં એની આવી સરસ નોકરી માટે એને અભિનંદન આપ્યાં – દેશ દેશમાં ફરવાનું, કેટલા બધા લોકોને મળવાનું, યોજનાઓ તૈયાર કરવાની, નિર્ણયો લેવાના. ત્રીજા વિશ્વની સ્ત્રીઓને અગત્યનાં સ્થાન પર જોઈને જાણે સુખદ આશ્ચર્ય થતું હોય છે. પણ પછી એને ધીરેથી કહ્યું, કે એને સાંજે ને કોઈ શનિ-રવિમાં કામ કરવું પડે, વર્ષમાં થોડાં અઠવાડિયાં કામ માટે પરદેશ જવું પડે, તે બધું એના મંગેતરને નથી ગમતું. લગ્ન થયા પછી એ કદાચ આ નોકરી છોડી દેશે. &lt;br /&gt;
હવે જેનને માટે જરા જીવ બળ્યો. મને ખ્યાલ હતો, કે ફિલિપિનાઓને માટે યોગ્ય જીવનસાથીની એક સમસ્યા હોય છે. વળી, ફિલિપ્પિન્સમાં બધાંને અમેરિકા વસવાટ માટે જતાં રહેવાની ખૂબ ઈચ્છા હોય છે. અમેરિકાની અસર ત્યાં લાંબાં વર્ષૌથી રહેલી છે, તેથી હશે; કદાચ ત્યાં વધારે સુખી થવાશે, એ આશાને કારણે હશે. એવાં સામયિકો થયાં છે, જેમાં સારી એવી ફી ભર્યા પછી અમેરિકન પુરુષોની સાથે ઓળખાણ કરી શકાય છે. દર વર્ષે અસંખ્ય કુમારિકાઓ, મોટા ભાગે ફોટા પરથી નક્કી કરીને, આધેડ અમેરિકનોને પરણવા અમેરિકા આવે છે. ઘણી સુખી જિંદગી પામવામાં સફળ થાય છે, ઘણી ખૂબ હેરાન પણ થતી હોય છે. &lt;br /&gt;
બીજે-ત્રીજે દિવસે મનિલાના બસ-ટર્મિનલ પર એક ફિલિપિના સાથે તરત અંગત વાતો થવા માંડી. એનો પણ એક પુરુષ-મિત્ર અમેરિકામાં હતો. બે વર્ષથી પત્ર-વહેવાર ચાલતો હતો, પણ બંને ક્યારેય મળ્યાં નહતાં. એ અમેરિકા જવાની રાહ જોઈને જ બેઠી હતી. એ બોલાવશે જ, એને ખાતરી હતી. અમેરિકામાં રહેતો ફિલિપિનો, ને નહીં જોયેલી ફિલિપિના. આખી વાત નસીબના હાથમાં જતી રહે છે.&lt;br /&gt;
બાગિઓ નામના ગામના પ્રવાસ-ખાતાના કાર્યાલયમાં કામ કરતી આઇડા નામની યુવતીને મારી સાથે લાંબી વાતો કરવી હતી. મારી સાથે એ ગામમાં એ ઘણું ફરી. સંગ્રહાલયમાં, ઉદ્યાનમાં, પહાડોના ઢોળાવો પર, મુખ્ય રસ્તા પર. સાથે જમ્યાં. એટલી સરસ હતી, અને અમેરિકા જવા તલપાપડ. એ માનતી હતી કે અમેરિકા એના જીવનને સભર બનાવશે. છતાં, કોઈની ઓળખાણ લઈને અમેરિકા રહેતો એક ફિલિપિનો એને મળવા આવ્યો ત્યારે આઇડાને એ જરા પણ ગમ્યો નહતો. કહે, એ દારૂડિયો હતો, અને મને બીલકુલ અનુરૂપ નહતો. &lt;br /&gt;
કેટલી બધી અંગત, ને મનના અજંપાની વાતો એણે મને કરી. ક્યારેક કદાચ અજાણી વ્યક્તિ પાસે મનનો ભાર ઠાલવવો સહેલો બનતો હશે. આઇડા મને ઘણા વખત સુધી યાદ આવતી રહેલી. પણ ઘણાં જણને ફરી મળવાનું થતું નથી હોતું, ગમે તેટલું ઈચ્છીએ, ને સંપર્ક રાખવાનો પ્રયત્ન કરીએ તોયે.&lt;br /&gt;
ફિલિપ્પિન્સના એક ગામની હોટેલમાં મને મૉલી નામની અમેરિકન યુવતી મળેલી. અમને બહુ ફાવી ગયેલું, અને સરસ મૈત્રી થયેલી. એ પણ બહુ સરસ, મિલનસાર અને હોંશિયાર હતી. કલાકો સુધી અમે વાતો કરતાં રહેલાં. એ પણ એના કામ માટે થઈને ઘણી વાર ભારત ગયેલી, ને ભારત એને ગમતું હતું પણ ઘણું. સરનામાની આપ-લે કરેલી, પણ કાળક્રમે એ સંપર્ક વિખેરાઈ ગયો. &lt;br /&gt;
સમય કોને ક્યાં લઈ જતો હશે, તેનું અનુમાન જ કરતાં રહેવું પડે. બૅન્ગકૉકમાં એક થાઈ યુવતીની સાથે થોડો સમય ગાળેલો. એ અમેરિકામાં ભણેલી, ને પાછી થાઈલૅન્ડમાં આવી ગઈ હતી. બૅન્ગકૉકની એક કૉલેજમાં ભણાવતી હતી. એ વાન્ડિ સુંદર, શાંત, બુદ્ધિશાળી અને વાતો કરવી ગમે તેવી હતી. અમે સાથે સંગ્રહાલયોમાં, બૌદ્ધ મંદીરોમાં, કેટલીક દુકાનોમાં ફરેલાં. સાથે અમે થાઈ ભોજન લીધેલું, ને બીજી વાર ભારતીય રૅસ્ટૉરાઁમાં જમવા પણ ગયેલાં. એનો ફોટો લેવા મેં બહુ આગ્રહ કર્યો, ફન એણે ના જ લેવા દીધો. પોતાને ઘેર મને લઈ જવાની વાત તો ના જ કરી, પણ એના કુટુંબ વિષે પણ કશી વાત ના કરી. &lt;br /&gt;
મારે કશું જાણવું હતું, એમ નહીં, પણ વિચારતાં રહેવાય કે દરેક વ્યક્તિ કેવી જુદી હોય છે. અમુક પારકાંની સાથે એકદમ અંગત વાતો કરે, તો અમુક એવા કુંડાળામાં પગ પણ ના મૂકે. વાન્ડિએ એનું સરનામું તો આપ્યું હતું, પણ મેં લખેલા બેએક કાગળોના જવાબ નહતા આપ્યા. સમયના વહેણના અનુભવે હું માનતી થઈ છું કે ભલે લાંબું ટકીને ના રહે, પણ બધી દિશામાં દોસ્તી થઈ તો શકે જ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અવાજ – એટલે કે અવાજ?&lt;br /&gt;
|next = બધી દિશામાં દોસ્તી (૨)&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80...&amp;diff=110271</id>
		<title>દરિયાપારથી...</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80...&amp;diff=110271"/>
		<updated>2026-04-26T05:31:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= દરિયાપારથી... - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= દરિયાપારથી..., પ્રીતિ શાહ-સેનગુપ્તા&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Dariyaparthi Book Cover.jpg&lt;br /&gt;
|title = દરિયાપારથી...&lt;br /&gt;
|editor = પ્રીતિ શાહ-સેનગુપ્તા&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[દરિયાપારથી.../‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો માટે|‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો માટે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આગંતુકોનો સ્વીકાર|આગંતુકોનો સ્વીકાર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આહાર દ્વારા ઓળખ|આહાર દ્વારા ઓળખ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આહાર પરંપરામાંનાં સામ્ય|આહાર પરંપરામાંનાં સામ્ય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આજના અમેરિકાનો સમાજ|આજના અમેરિકાનો સમાજ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આત્મકથાનકમાંના દૃષ્ટિકોણ|આત્મકથાનકમાંના દૃષ્ટિકોણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આત્મકથાનકનાં કારણ|આત્મકથાનકનાં કારણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../અનન્ય ચિકિત્સા પ્રથાઓ|અનન્ય ચિકિત્સા પ્રથાઓ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../અપરાજેય નિજત્વ|અપરાજેય નિજત્વ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../અવાજ – એટલે કે અવાજ?|અવાજ – એટલે કે અવાજ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી|બધી દિશામાં દોસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી (૨)|બધી દિશામાં દોસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ભાષાને વળગે ઘણાંયે ભૂર|ભાષાને વળગે ઘણાંયે ભૂર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ચીનમાં રામાયણનો પ્રચાર|ચીનમાં રામાયણનો પ્રચાર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં|ચિત્રો જોયાં, ચલચિત્રો જોયાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../દેશી કથાઓ – પરદેશી કથાકારો|દેશી કથાઓ – પરદેશી કથાકારો]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એક અમેરિકી આધાર|એક અમેરિકી આધાર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એક ઈશ્વરીય સર્જક|એક ઈશ્વરીય સર્જક]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઇસ સાદગી પે કૌન ન મર જાયે|ઇસ સાદગી પે કૌન ન મર જાયે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વયોવૃદ્ધ બુદ્ધિજીવી|વયોવૃદ્ધ બુદ્ધિજીવી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એક પ્રકારનો આગ્રહ|એક પ્રકારનો આગ્રહ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા|એકલક્શી પ્રયાણ-પિપાસા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../એકલક્શી પ્રયાણ-પિપાસા|એકલક્શી પ્રયાણ-પિપાસા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ફક્ત વરસાદ|ફક્ત વરસાદ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ફરી ત્યાં જઈ શકાય છે|ફરી ત્યાં જઈ શકાય છે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વસંતો જ વસંતો|વસંતો જ વસંતો]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગમતાંની શોધ|ગમતાંની શોધ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઘડીક સંગની વાત|ઘડીક સંગની વાત]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઘર એટલે ક્યાં?|ઘર એટલે ક્યાં?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગિલ્ગામેશ વળી કોણ?|ગિલ્ગામેશ વળી કોણ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગુજરાત મારી મારી રે|ગુજરાત મારી મારી રે]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../હાસ્ય વિષે પિષ્ટપેષણ|હાસ્ય વિષે પિષ્ટપેષણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../હરીચ્છા|હરીચ્છા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કાગળ – સઘળું કે કૈં નહીં?|કાગળ – સઘળું કે કૈં નહીં?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કાલિકટ – સદીઓ પછી|કાલિકટ – સદીઓ પછી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કશુંક જૂનું, કશુંક નવું|કશુંક જૂનું, કશુંક નવું]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કેટકેટલા ઈશ્વરો|કેટકેટલા ઈશ્વરો]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કેવો અફસોસ|કેવો અફસોસ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../કૉફીની કળા|કૉફીની કળા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../માટીપગું અમેરિકા|માટીપગું અમેરિકા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મહેમાન-પરસ્તી|મહેમાન-પરસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../આજથી અસંખ્ય વર્ષો પહેલાં|આજથી અસંખ્ય વર્ષો પહેલાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર|મૌલિક અને અનુવાદ વચ્ચેનાં અંતર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મૌન વિષે શું કહેવું ?|મૌન વિષે શું કહેવું ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મૂર્તિમંતગૃહાતુરતા|મૂર્તિમંતગૃહાતુરતા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../મુક્તિની કિંમત કેટલી?|મુક્તિની કિંમત કેટલી?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નગર, જીવન અને કવિતા|નગર, જીવન અને કવિતા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નવી નવી રીતે સ્વને ઓળખનારાં|નવી નવી રીતે સ્વને ઓળખનારાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 1]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2|ન્યૂયોર્ક, ન્યૂયોર્ક 2]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નિર્વિવાદ, અમદાવાદ 1|નિર્વિવાદ, અમદાવાદ 1]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નિર્વિવાદ, અમદાવાદ 2|નિર્વિવાદ, અમદાવાદ 2]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../નિઃશબ્દતાનું ગીત|નિઃશબ્દતાનું ગીત]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પહેલી હરોળમાંથી|પહેલી હરોળમાંથી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પાળેલાંને પાળનારાં|પાળેલાંને પાળનારાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પંચકન્યા|પંચકન્યા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રશ્ન એક, પણ જવાબ?|પ્રશ્ન એક, પણ જવાબ?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રેમ, મૃત્યુ અને કવિતા|પ્રેમ, મૃત્યુ અને કવિતા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../પ્રેમનો સ્પર્શ|પ્રેમનો સ્પર્શ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય|રાષ્ટ્રીય ભાવનાથી સભર મહાકાવ્ય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../રસ્તા પરના કસબીઓ|રસ્તા પરના કસબીઓ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વર્ડ્સવર્થના સ્મરણમાં|વર્ડ્સવર્થના સ્મરણમાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઋજુ પળોની પ્રસ્તુતિ|ઋજુ પળોની પ્રસ્તુતિ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સાહસ, સહિષ્ણુતા અને સહસ્રાબ્દી|સાહસ, સહિષ્ણુતા અને સહસ્રાબ્દી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સહેતાં, સ્વીકારતાં, સમજતાં|સહેતાં, સ્વીકારતાં, સમજતાં]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સીતા ન્યૂયોર્કમાં?|સીતા ન્યૂયોર્કમાં?]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સુખ-દુઃખ મનમાં જો આણીએ|સુખ-દુઃખ મનમાં જો આણીએ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સ્વપ્નનું આકર્ષણ|સ્વપ્નનું આકર્ષણ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../સ્વપ્નોનાં નાત, જાત, દેશ|સ્વપ્નોનાં નાત, જાત, દેશ]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ન્યૂયોર્કમાંની આકાશગંગાના તારક|ન્યૂયોર્કમાંની આકાશગંગાના તારક]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ઉત્સાહપૂર્ણ યાત્રા|ઉત્સાહપૂર્ણ યાત્રા]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વધતી વસ્તી, ઘટતી વસ્તી|વધતી વસ્તી, ઘટતી વસ્તી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વૈવિધ્યનું નગર, વિસ્મયનું નગર|વૈવિધ્યનું નગર, વિસ્મયનું નગર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વતનનું વૈષમ્ય|વતનનું વૈષમ્ય]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 1|વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 1]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 2|વિભિન્ન દેશોમાં સ્ત્રીઓની સ્થિતિ – 2]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિશ્વાસને પાત્ર|વિશ્વાસને પાત્ર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../વિવિધ શેક્સપિયર|વિવિધ શેક્સપિયર]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../યાયાવરી|યાયાવરી]]&lt;br /&gt;
* [[દરિયાપારથી.../ગુજરાત મારી મારી રે|ગુજરાત મારી મારી રે]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = [[દરિયાપારથી.../‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નિબંધ]]&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C_%E2%80%93_%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87_%E0%AA%95%E0%AB%87_%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%3F&amp;diff=110270</id>
		<title>દરિયાપારથી.../અવાજ – એટલે કે અવાજ?</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C_%E2%80%93_%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87_%E0%AA%95%E0%AB%87_%E0%AA%85%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9C%3F&amp;diff=110270"/>
		<updated>2026-04-26T05:30:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|અવાજ – એટલે કે અવાજ? }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અડધી રાતે ક્યારેક ગાઢ નિંદરનો પાશ શિથિલ થઈ જાય, ને જાગી ગયાનો ખ્યાલ આવે ત્યારે આંખો પહોળી કરીને બારી પરના પડદાની બહાર જોવા માંડું છું. ઘેરા અંધકારમાં દેખાતું કશું નથી. સિવાય કે એ ઘેરો મખમલી અંધકાર. બહુ ગમે છે. વળી, કાન સતેજ કરી સાંભળી રહું છું – બીજું કાંઈ નહીં, પણ એ ઘેરા, સુંવાળા અંધકારની ચૂપકીદીને. બહુ જ ગમે છે એ અનુભવ તો. જગત સુષુપ્ત હોય, પ્રકૃતિ શાંત હોય, ને જાણે એક મને એનું ગ્નાન હોય. &lt;br /&gt;
એ નિઃશબ્દતા કર્ણપ્રિય લાગે છે, એમ કહું તો વિરોધ થશે, ચર્ચા થશે. એ હૃદ્ય લાગે છે, મનનીય લાગે છે, કહું તો માનવું પડશે. તંદ્રિલ સભાનતાના એકાંતમાં સાંસારિક રવની અનુપસ્થિતિ. કેવળ અંધકારનો ઓછાયો, ચંદ્રનું ચલન, હવાની લહેરખી, સમયનું શ્વસવું, કેવળ રાતનો જ રવ. કેવું રોમાંચક, કેવું પોષક. &lt;br /&gt;
રાતના અંધારામાં ગાજવીજ અને મૂશળધાર વરસાદનો ધ્વનિ સાંભળવા મળે તો પણ બહુ ગમે, અને સાવ આછા અજવાળામાં પંખીનો કલરવ કાને પડે તે ય બહુ ગમે. પરંતુ આ બધું તો સૌભાગ્ય-પ્રાપ્ત હોય છે, નિત્ય-પ્રાપ્ત નથી હોતું. અન્ય રાતો કોઈની મોટરના ચોંટી ગયેલા હૉર્ન, પોલીસની ગાડીની વ્હીસલ, આગબંબા કે ઍમ્બ્યુલન્સની તીણી સીટીઓ વગેરે દ્વારા ઘવાતી-કપાતી રહેતી હોય છે. ત્યારે જીવ બળે છે – મારા પોતાને માટે, તેમજ રાતને પોતાને માટે પણ.&lt;br /&gt;
દિવસ દરમ્યાન તો કંઈ કેટલાયે અવાજોનું લશ્કર સતત પાછળ પડતું આવ્યા કરે. એમાં રાહત મળે બપોરના સમયે. ભારતમાં હોય તેવા ઘણા અવાજો અમેરિકામાં ના મળે. શાકવાળાની હાક, સાઇકલની ઘંટડી, રખડતા કૂતરાનું ભસવું, રસ્તા પરનાં સ્થાનકોમાં વાગતા ઘંટ; પરંતુ બંને જગ્યાએ ઘરની આસપાસના વિસ્તારમાં બપોર સરખી કહી શકાય. એની શાંતતા અને સભ્યતા પણ બહુ ગમે. &lt;br /&gt;
મોડી રાતની ને ભર-બપોરની સુંવાળપ તો ગમે જ ને. એની સાથે આપણું એકાંત પણ સંકળાયેલું હોય છે ને. જ્યારે એકાંત નથી હોતું ત્યારે એ સંુવાળપનો સ્પર્શ પણ નથી થતો. અને જ્યારે સમુહમાં હોઈએ ત્યારે રવ-કલરવ અને મધુર ધ્વનિ જેવા પર્યાય પણ અસ્થાને લાગે છે. &lt;br /&gt;
ગુજરાતી ભાષામાં ‘અવાજ’ શબ્દ કેટલો વ્યાપક અને બહુરૂપિયો છે! વિશેષણ બદલો અને અર્થ બદલાય – જેમકે, ગાયકોનો ‘સરસ અવાજ’ કે ‘ખરાબ અવાજ’; અથવા વર્ણન બદલાય અને અર્થ બદલાય – જેમકે,&lt;br /&gt;
સાગરનાં મોજાંનો અવાજ (ગમે) ને જોરજોરથી થતી વાતોનો અવાજ (ના ગમે). આનંદ પમાડે તે ય અવાજ, અને કાન પકવે તે ય અવાજ.&lt;br /&gt;
અસંખ્ય લોકો એવા હોય કે જેમને અવાજ ના હોય ત્યાં મઝા જ ના આવે. ભલે પછી એ ભીડ ને ઘોંઘાટનો અવાજ હોય, કે પાર્શ્વભૂમાંથી પ્રસરતા સંગીતનો અવાજ હોય. કોઈ પણ ભારતીય મિજબાનીમાં સુગમ-સંગીત અથવા હિન્દી સિનેમાના સંગીતની વ્યવસ્થા ના કરાઈ હોય તો આમંત્રિતોને વાતાવરણ ‘ખાલી ખાલી’ લાગે. ક્યારેક યજમાન કંજૂસ પણ ગણાઈ જાય. &lt;br /&gt;
અલબત્ત, આ સંગીતને કે એ ગીતોને સાંભળવામાં ભાગ્યે જ કોઈને રસ હોય. પણ ‘પાછળ’ એ જોઈએ ખરું. સંગીત વાગતું હોય, ગાનારાં ગાતાં હોય, ને ત્યારે વાતો કરવાની જે મઝા! દરેક જણ એમ વિચારે કે બાકીનાં સંગીત સાંભળતાં હશે, ને “આપણી વાતોનો અવાજ ક્યાં કોઈને સંભળાવાનો છે?” બે ગીતોની વચ્ચે જેવું ગાવા-વગાડવાનું બંધ થાય તે જ ક્શણે વાતો પણ બંધ. શાંતિ હોય ત્યારે કાંઈ વાતોનો અવાજ કરાય? વાતો તો સંગીતનો અવાજ હોય ત્યારે જ કરાય ને?&lt;br /&gt;
જે મિજબાનીમાં નાચની વ્યવસ્થા હોય, એટલેકે ડિસ્કો-મ્યુઝિક વાગતું હોય, તેની પરિસ્થિતિ તો વળી વધારે વિશિષ્ટ. એ વખતે અવાજનું સ્તર એટલું બધું ઊંચું હોય છે કે સ્વાસ્થ્યને હાનિકારક બની શકે છે. કાન-નાકના દાક્તરો ચેતવણી આપતા જ રહેતા હોય છે કે પચાસ ‘ડેસિબલ’થી વધારે તીવ્ર અવાજમાં કલાકો ગાળતાં રહેવાથી ધીરે ધીરે બહેરાશ આવે છે. સાધારણ રીતે આપણી વાતો ત્રીસેક ‘ડેસિબલ’ને સ્તરે થતી હોય છે, જ્યારે ડિસ્કો-મ્યુઝિકનું સ્તર એથી બમણું કે વધુ રહેવાનું. &lt;br /&gt;
ભારતના જીવનમાં અવાજનું પ્રમાણ ઘણું વધારે હોય છે, ને તેથી ભારતીય વૃદ્ધો બહેરાશનો ભોગ વધારે પ્રમાણમાં બનતા હોય છે, એમ આ દાક્તરોનું કહેવું છે. બહેરાશ એ એવી ક્શતિ છે કે જે દેખાતી નથી, પણ સાથે જ, એ એવો રોગ છે કે જે જીવન-કક્શામાં ભારે ક્શતિ પહોંચાડી શકે છે.&lt;br /&gt;
નાની જગ્યાઓમાં – મોટર, લિફ્ટ, ઓરડી -અવાજ એવો પડઘાતો-ગુંચવાતો રહે છે કે ઊંચી માત્રા સહન જ ના થાય. સંગીત-ગૃહ જેવા ખૂબ વિશાળ સ્થાનમાં ધ્વનિ-પ્રસારણની એવી વ્યવસ્થા હોય છે કે અત્યંત ઊંચી માત્રા પણ ભાગ્યે જ કાનને કઠે. જોકે ભારતીય કાર્યક્રમોમાં આની પણ કોઈ ખાત્રી નહીં. ન્યૂયૉર્કનાં ઉત્તમ સંગીત-ગૃહોમાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત, કે જેમાં સાઠ-સિત્તેર વાદકો ને વાજિંત્રો ભાગ લઈ રહ્યાં હોય, તેવાં અનુષ્ઠાનોમાં કોઈ પણ મંદ્ર કે તાર સૂર યથોચિત રીતે જ સંભળાતો રહેતો હોય છે, પણ એ જ ગૃહમાં ભારતીય કાર્યક્રમ હોય તો કાનમાં ખોસવા માટે પ્લગ કે રૂ સાથે રાખવું જરૂરી છે. &lt;br /&gt;
ક્યારેક આવા કાર્યક્રમોમાં અવાજનું સ્તર એટલું બધું ઊંચું રખાયેલું હોય કે પુમડાંની અસર ના થાય. કાનને એટલું કષ્ટકર બને કે ગૃહમાંથી ઊઠી જવું પડે. એવું ખરેખર બન્યું છે કે જ્યારે બહાર લૉબીમાં બેસીને એ સંગીત, ને ગાયન, વધારે નિરાંતે સાંભળી શકાયું હોય. &lt;br /&gt;
નાટકોમાં પણ નોંધ્યું છે કે સંવાદો બહુ જોરથી, ઘાંટાઘાંટની રીતથી બોલાય તો જ હાસ્ય ઊપજતું હોય છે – સ્થૂળ કૉમૅડિમાં. ધીમેથી બોલાતા સંવાદોવાળાં કથાનક ગંભીર હોય છે, ધ્યાન માગી લે છે. એને માટે ધીરજ, સમય, તેમજ બુદ્ધિ પણ જરૂરી હોય છે, પણ બધાં આ તત્ત્વો ઉપયોગમાં લેતાં નથી હોતાં. ટૅલિવિઝન તો જાણે ઘેર બેસીને જોવાતું હોય, અને એનો અવાજ ઘટાડવાની શક્યતા આપણા હાથમાં હોઈ શકે છે. પણ રંગમંચ પર ઘાંટાઘાંટ હોય તો શું કરવાનું? &lt;br /&gt;
ન્યૂયૉર્કના વિશ્વવિખ્યાત ‘બ્રૉડ-વે’ના નાટ્ય-મંચો પર પણ જો અવાજના અત્યુચ્ચ સ્તરવાળી રજુઆતો ક્યારેક થતી હોય, તો અર્થ એ જ થયો કે ઘોંઘાટ-પ્રિયતા કોઈ એક જ પ્રજા કે સમાજનું અંગ નથી. બલ્કે એ અમુક જાતનાં માનસનું લક્શણ છે. એક વાત અથવા એક રમૂજ પર અનેકનું હસી ઊઠવું, એ સામૂહિક સંમતિ છે, જેમાં સુરક્શા અને આધારનો ભાવ પણ અનેક જણ અનુભવી શકે છે. જેમને નિજી એકાંતનો જ ખ્યાલ ના હોય તેમને કઈ રીતે સમજાવવું કે ‘ખાલી ખાલી’ લાગતી એ ભીતરી જગ્યાને અદૃશ્ય, તેમજ અશ્રાવ્ય એવા વૈશ્વિક રવથી બહુ પોષક રીતે આલેખી શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અપરાજેય નિજત્વ&lt;br /&gt;
|next = બધી દિશામાં દોસ્તી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%AF_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5&amp;diff=110269</id>
		<title>દરિયાપારથી.../અપરાજેય નિજત્વ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9C%E0%AB%87%E0%AA%AF_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%9C%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5&amp;diff=110269"/>
		<updated>2026-04-26T05:29:29Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|અપરાજેય નિજત્વ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હા, ઘણાંને મનમાં થતું હોય છે કે અમેરિકા પર હસવું, કે એની દયા ખાવી? આ દેશમાં લાંબું રહ્યા પછી, એને ઊંડાણથી સમજીએ – ખાસ કરીને, લગભગ ૨૪૦ વર્ષ પહેલાં લખાયેલા એના રાજ્ય-બંધારણને જાણીએ – ત્યારે એની મહત્તા પર માન થયા વગર રહેતું નથી. પણ સાધારણ રીતે અમેરિકાની સમસ્યાઓથી દુનિયા વધારે પરિચિત હોય, એટલે એની ટીકા કરવી સહેલી બને.&lt;br /&gt;
ખરેખર તો, કોઈ પણ દેશ, ને એના સમાજ નબળાઈ કે ક્શતિ વગરના હોતા જ નથી. અમેરિકાના જીવનને પણ મુશ્કેલીઓનો હિસ્સો આ જ રીતે મળેલો હોય તે સ્વાભાવિક છે. એની જુદી જુદી મુશ્કેલીઓનાં કારણ શું છે, તે અંગે કેટલાં જણ વિચાર કરવા બેસવાનાં? દા.ત. અત્યાર સુધી અમેરિકાની નીતિ કાયમી વસવાટને માટે આવનારાં પ્રત્યે ઘણી ઉદાર રહી છે. દરેક પ્રજા પોતાના ગુણોની સાથે પોતપોતાની ક્શતિઓ પણ અમેરિકામાં લાવે છે, અને એ બધાંની અસરો અહીંના સમાજ પર પડતી જ રહે છે. &lt;br /&gt;
એમ તો આ દેશ વસ્યો જ આગંતુક વસાહતીઓથી, ને આજ સુધી એની રાજનીતિ આવકારની જ રહી છે. આ બિનશરતી આટકાર સાથે અમેરિકાએ થોડી સ્પષ્ટતા કરવાની જરૂર હવે ઊભી થઈ છે. ૧૮૨૦ના અરસાથી એક કે બીજી રીતે બીજા દેશોનાં પ્રજાજનો અમેરિકામાં દાખલ થવા માંડ્યાં. કરોડોની સંખ્યામાં દુનિયાના લોકો આ દેશમાં આવી વસ્યા છે. &lt;br /&gt;
જે બાબતનો આપણે વિચાર પણ ના કર્યો હોય એવી એક વિગત આપું – અમેરિકાનાં ઘણાં શહેરોમાં એવી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી ૮૦-૮૫, કે વધારે પણ, (માતૃ) ભાષાઓ બોલાતી હોય. ક્યાં ક્યાંથી આવ્યા હશે એ બધાં અને એમનાં કુટુંબો! &lt;br /&gt;
આ વિભિન્નતા ઉપરાંત, જેને કારણે અમેરિકી સમાજ પર ઘણો ભાર પડે છે તે છે વસાહતીઓનું સ્વાર્થીપણું. હોંશિયારી અને મહેનતની સાથે આ વલણ ભેગું થતાં એ મિશ્રણ સ્થાનિક નાગરિકતાને નુકસાનકારક બને છે. સાચે જ, વસાહતીઓના ધસારાને થોડા સમય માટે અટકાવીને અમેરિકાએ થોડો થાક ખાવાની જરૂર ઊભી થઈ છે. રાજ્યનીતિના સ્તરે અમેરિકાની માનસસરણી ઘણી સીધી છે. વસાહતીઓની સ્વ-અર્થી પાકટતાને સમજવી, કે એનો સામનો કરવો તે એને માટે સહેલું નથી. &lt;br /&gt;
આથી જ, ટપાલમાં જ્યારે એક પરિપત્ર આવે, કે “અમેરિકાની રાષ્ટ્રભાષા અંગ્રેજી હોવી જોઈએ કે નહીં?”, ત્યારે આ પ્રશ્નની વાહિયાતતા પર હસવું આવે, ને બીજી તરફ, આવો પ્રશ્ન આખા રાષ્ટ્ને સ્તરે ઊભો થાય એ હકીકત અજંપો પણ કરાવે. સ્પષ્ટ રીતે, રાજનીતિ એટલી હદે લોકશાહીની હિમાયતી છે કે વસાહતીઓનો આટલો ખ્યાલ રાખે છે. આટલા મોટા દેશમાં એની રાજકીય, શાસકીય, સામાજિક ભાષા એક હોય તે એના સ્વસ્થ, સક્શમ એકીકરણને માટે આવશ્યક છે. ને અલબત્ત, એ ભાષા, પહેલેથી છે તે પ્રમાણે, અંગ્રેજી જ હોય ને. &lt;br /&gt;
અમેરિકા પર લદાયેલી આ બહુ મોટી સમસ્યા છે – વસાહતીઓને અમેરિકાનાં સુખ-સંપત્તિ પર અધિકાર જોઈએ છે, પણ દેશના હિતને પોતાનું ગણવું નથી. જન્મભૂમિને છોડીને, વધારે સારા જીવનની લાલચે, પરદેશ આવી વસ્યા પછી અચાનક, બસ, બાપ-દાદાના વારસાની સભાનતા આવે છે, ને સાથે જ, બે-તરફી સ્વાર્થ પણ.&lt;br /&gt;
આ દેશમાં તો એના સમકાલીન વિચારકો અને દાર્શનિકોનું સૈદ્ધાંતિક ને બૌદ્ધિક વલણ પણ સમાજ પ્રત્યે ખૂબ ઉદાર છે. એમના મતે સારાસારનો વિવેક વ્યક્તિગત છે. જેમ ‘સત્ય શું તે જાણી શકાતું નથી, તેમ ‘શિવ શું’ તે પણ કઈ રીતે કહી શકાય? તેથી સરકાર પણ પ્રજા માટે થોડા નિયમ બનાવવા સિવાય શું કરે? અહીં જાણે જવાબદારી કરતાં હક્ક પર વ્યક્તિઓ વધારે ભાર મૂકે છે. &lt;br /&gt;
ગ્રીક દાર્શનિકો માનતા કે સદ્ગુણો વિકસાવવાને કારણે વ્યક્તિ આનંદ, ડહાપણ, હિંમત અને હોશિયારી ભરેલી બને છે, જવાબદાર નાગરિક બને છે. સદ્ગુણી વ્યક્તિઓ વગર સમાજ કઈ રીતે સારો થાય? અને સદ્ગુણી સમાજ ના હોય તો વ્યક્તિનું જીવન કઈ રીતે સારું બને? સદ્ગુણો સુસ્થાપિત છે, જેમકે મક્કમ નિર્ધાર, હિંમત, શિસ્ત, ધીરજ, ઇમાનદારી વગેરે; જ્યારે નૈતિક મૂલ્યો સાપેક્શ છે. અમેરિકી સમાજના બધા સદસ્ય આ બેના ભેદ તરફ સભાન નથી, ને ખરેખર તો, ગુણો અને મૂલ્યોની શોધમાં પણ નથી. આ સમાજમાં અનેકાનેક ઘર, કુટુંબ, પાડોશ, અને આખો સમાજ વિભંગની અવસ્થામાં હોય ત્યારે અનુસરણીય ઉદાહરણ કોણ કોને પૂરાં પાડવાનું?&lt;br /&gt;
આ સમાજમાંની અનેકાનેક વ્યક્તિઓને શિસ્ત, સ્થિરતા અને શાંતિની ઘણી જરૂર છે, જે મેળવવા માટે ઘણા લોકો નાના નાના જૂથમાં ભળી, જુદા જુદા વિચાર કે ધાર્મિક પંથો દ્વારા પ્રયત્ન કરતા રહે છે. ૧૯૬૦ના દસકામાં અમેરિકનો ‘ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન’ પર તૂટી પડેલાં. પછી પ્રભુપાદનો હરે ક્રિષ્ણ-પંથ અને રામકૃષ્ણ મિશન પણ પૉપ્યુલર બન્યાં. આજકાલ આગળ આવી રહ્યો છે પૂર્વીય બૌદ્ધ ધર્મ. કેટલાક મઠ પણ થયા છે, જ્યાં અમેરિકનો કલાકો સુધી ધ્યાનમગ્ન રહે છે, દિવસો સુધી મૌન રાખે છે. સમાજનો મોટો અંશ આ પંથ તરફ નથી જ વળ્યો. એમ તો ચાલીસ-પચાસ લાખ લોકો જ આમાં રસ ધરાવતા હશે, પણ ઘણા જાણીતા લોકો આમાં જોડાયા છે, ને તેથી ઝેન તેમજ તિબેટી બૌદ્ધ ધર્મ-પ્રથાએ પ્રચાર-માધ્યમોનું ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. &lt;br /&gt;
આ પ્રથા પર નવેસરથી પુસ્તકો લખાયાં છે, ને સામયિકો પણ નીકળે છે. ઝેન ઇન અમેરિકા, શમ્બાલા સન, અને ટ્રાઇસિકલ, જેમનાં ચાલીસ-પચાસ હજાર ગ્રાહકો થયેલા જોવા મળે છે. દલાઈ લામાને ખૂબ નજીકથી જાણવા માંડેલાં કેટલાંક મશહૂર અમેરિકનો આ ચળવળને બધી જાતની સહાય કરી રહ્યાં છે. પ્રચલિત થવાની સાથે સાથે આ પંથ માટે દેશમાં એક સુશિક્શિત સભાનતા ઊભી થઈ છે.&lt;br /&gt;
પણ અમેરિકા જેનું નામ. ‘શોધ’ પણ એ પોતાની રીતે જ કરવાનું! બોદ્ધ ધર્મમાંથી પણ એને જે આકર્ષે તે જે એ અપનાવવાનું – રંગ, દર્શન, ધૂપ, ધૂન, સમજદારી, શાંતતા. ઉપરાંત, જે પ્રાચીન ગ્નાનાધાર પાસેથી એ લાભ મેળવે છે, તેને એ નવી યુક્તિઓ દ્વારા સમકાલીન વ્યવહારિતા તરફ પણ લઈ જાય છે. જેમકે, અમેરિકન બૌદ્ધ-પંથમાં સ્ત્રીઓ અગ્રતા પામી શકે છે, ટેલિફોન પર ‘ધ્યાન’ શીખવાડી શકાય છે, એ માટે હવે તો ડિવિડિ વગેરે પણ છે. ક્યાંક પર્યાવરણના વકીલો માટે ઝેન-શિબિર પણ થતા હોય છે. &lt;br /&gt;
અમેરિકાનું પ્રશસ્ય સ્વરૂપ આ છે – કોઈ પણ બાબતમાં નવા પ્રાણ પૂરવા તે. આ પ્રજામાં સમસ્યા છે, તો એથી ય વધારે સર્જનાત્મકતા પણ છે; જો ચંચળતા છે, તો ઇષત્ ઊંડાણ પણ છે. બૌદ્ધ ધર્મની કઠોર શિસ્તનું આહ્વાન એ ઝીલી શકે તેમ છે, ને એનાં આધ્યાત્મિક “ઉખાણાં”થી એ ગભરાય તેમ નથી. “એક હાથની તાળીનો અવાજ કેવો હોય?” – જેવી વિરોધાભાસી પ્રહેલિકા પર આ લોકો મહિનાઓ કે વર્ષો સુધી વિચાર કરી શકે છે. શક્ય છે કે, એમને જવાબ ના પણ મળે, પણ તેથી એ ઝંખવાશે નહીં. શક્ય છે કે એમાંનું કોઈ નવી જ પ્રહેલિકા શોધી કાઢે. તો લામા પોતે એ ઉકેલી શકશે ખરા?!&lt;br /&gt;
કૈં કેટલીયે બાબતો દ્વારા જોઈ શકાય છે કે અમેરિકાનો અંતર્ગત અને આગવો સ્પિરિટ એના અપરિસીમ મૌલિકત્વ તથા અપરાજેય નિજત્વને કારણે અત્યંત વિશિષ્ટ બનેલો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અનન્ય ચિકિત્સા પ્રથાઓ&lt;br /&gt;
|next = અવાજ – એટલે કે અવાજ?&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%85%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93&amp;diff=110268</id>
		<title>દરિયાપારથી.../અનન્ય ચિકિત્સા પ્રથાઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%85%E0%AA%A8%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93&amp;diff=110268"/>
		<updated>2026-04-26T05:28:43Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|અનન્ય ચિકિત્સા પ્રથાઓ }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અત્યંત લોકપ્રિય ધર્મગુરુ શ્રી ચૌદમા દલાઈ લામાને સાંભળવા અમેરિકાના “તિબેટી બૌદ્ધ-ધર્મ અભ્યાસ-કેન્દ્ર”માં છ હજારથી વધારે લોકો ભેગા થયેલા. એમાંના દરેક જણ બૌદ્ધ ધર્મ પાળનારા નહતા, પણ એ દરેકને એ ધર્મના આચરણમાંની રીતિની જાણ હતી. એ રીતિનાં મુખ્ય અંગો ધ્યાન, શાંતિ અને માનસિક સમતુલન છે. પશ્ચિમના દેશોનાં શીઘ્રગતિ અને ભૌતિકવાદી જીવન જીવનારાં અસંખ્ય પ્રજાજનો આ પ્રકારની જાણકારીની શોધ આજ-કાલ કરી રહેલાં જણાય છે. ધીમાં પડી જવામાં, સ્થિર થઈ જવામાં જે ગુણ છે, તેનાથી એ બધાં વધારે ને વધારે માહિતગાર થતાં જાય છે. &lt;br /&gt;
ધ્યાન ઉપરાંત રેઇકી, સ્પર્શાતિરિક્ત ઉપચાર, યોગ જેવી પ્રથાઓ પણ પ્રચલિત થઈ રહી છે. કુદરતી ઉપચાર, હોમિઓપથી, આયુર્વેદિક દવાઓ વગેરેથી પણ પ્રજાઓ હવે અજાણ નથી. તબીબી ક્શેત્રમાં પણ અચાનક શરીર તેમજ મનની ચિકિત્સા પર ભાર મુકાવા માંડ્યો છે. ઊલટું, હવે એ પ્રશ્ન પુછાય છે કે આટલું સમજતાં આટલી વાર કેમ થઈ? હૃદયની શસ્ત્ર-ક્રિયા પછી બેભાનાવસ્થામાં રહેલા દરદીને પણ મધુર સંગીત સંભળાવવામાં આવે છે, કારણકે એનાથી એને સાજા થવામાં ઘણી મદદ મળે છે. ધ્યાન, યોગ અને પ્રાણાયામ તો ઘણો જ પ્રચાર પામી ચૂક્યા છે. આ બધી અ-સામાન્ય ચિકિત્સા-રીતિઓને વિવાદાસ્પદ માનનારાં પણ છે જ, છતાં એમાં વિશ્વાસ ધરાવનારાંની સંખ્યા ઘણી વધારે છે.&lt;br /&gt;
કુટુંબ વગરની એકલવાયી જિંદગી જીવતાં અસંખ્ય પ્રજાજનો સમૂહ-બેઠકોમાં એકમેક સાથે વાતો કરીને પોતપોતાનાં દરદ અને પીડાની ચર્ચા કરીને પણ ઘણો આધાર પામે છે. આવી વ્યવસ્થા હૉસ્પિટલોમાં જ નહીં, પણ વ્યક્તિગત રીતે ખોલાયેલાં સામાજિક સ્થાનો દ્વારા પણ કરાતી હોય છે. બિન-તબીબી ઉપચાર-પદ્ધતિઓની અગત્ય હવે એટલા બધા પ્રમાણમાં મનાય છે કે ન્યૂયોર્કની એક મોટી હૉસ્પિટલમાં યોજાનારી ‘ન્યૂરોલૉજી ઍન્ડ ન્યૂરો-સર્જરી’ની મહત્ત્વપૂર્ણ કૉન્ફરન્સમાં શ્રી દલાઇ લામાને ખાસ આમંત્રણ આપવામાં આવેલું, અને દેહ-મન વચ્ચેના રહસ્યમય સૂત્ર વિષે વાત કરવા, પૂર્વીય પરિપ્રેક્શ્યથી ઉચ્ચ સ્તરીય ધ્યાનનો સંદર્ભ સમજાવવા, તથા અંતે, તિબેટી ઉપચારના અભિગમો અપનાવવાના પ્રયાસોને આશીર્વાદ આપવા માટે એમને વિનંતી કરવામાં આવેલી. &lt;br /&gt;
માનસિક શાંતિ અને સ્વ-ચિકિત્સાના જ ઉદ્દેશથી એક બીજી પણ ધૂન અમેરિકાને લાગી છે, અને એ છે ભુલભુલામણીનાં વર્તુળો પર ચાલવાનો અનુભવ. અત્યારે એ અભિગમ પ્રાચીન પ્રથા અને નવ્ય નિસર્ગ-પ્રીતિ, પૂર્વીય ધર્માચાર અને ખ્રિસ્તી કર્મકાંડ જેવા વિરોધાભાસી તત્ત્વોના મિશ્રણ જેવો લાગે છે, પણ ભુલભુલામણીના વર્તુળાકારો દુનિયાનાં અનેક સ્થાનોમાં, વિભિન્ન રીતે, ઈ.પૂ.ના કાળથી દેખાતા આવ્યા છે – ક્યાંક સિક્કાઓ અને માટીનાં વાસણો ઉપર, તો ક્યાંક પાષાણ પર કોતરેલા. આ વર્તુળો યુરોપનાં ખ્રિસ્તી દેવળોની દીવાલો અને ફર્શ પર ચિતરાયેલાં જોવા મળે છે, તો અમુક દેશોમાં ભૂમિ પરનાં ખેતરોમાં ચાસથી પડાયેલાં પણ દેખાય છે. અમેરિકાની પ્રજાનો કેટલોક અંશ આજે આદ્યાત્મિક અનુભવ અને સાંત્વન માટે પાદરીના વ્યાખ્યાનથી જુદું કંઈક ઝંખી રહ્યો છે, ને ત્યારે ભુલભુલામણીનાં ચોક્કસ પ્રકારનાં આલેખન પ્રાર્થના, આંતર્નિરીક્શણ અને માનસિક સ્વસ્થતા તરફ જતો પથ બની રહે છે. &lt;br /&gt;
ભુલભુલામણી પર ચાલનારા લોકો એકલાં કે સાથી સાથે, ઝડપથી કે ધીરે ધીરે, વિચારોમાં મગ્ન કે પરિસરને માણતા- પોતપોતાની રીતે- એને માણે છે. શાંતિ તો બધાં જ પામે છે, મન હળવું થઈ જતું પણ ઘણાંને લાગે છે, અને કેટલાંક પોતાની પીડા અને સમસ્યાઓનો સામનો કરવાની હિંમત પામે છે. આશ્ચર્યજનક જ નહીં, વિચિત્ર પણ લાગે છે આ વાત, પણ જરા વિચાર કરીએ તો સમજી શકાય કે આવાં સારાં પરિણામ કેમ આવે છે આટલી નાની વાતથી. મોટા ભાગના લોકોનાં જીવન ખૂબ ઉતાવળાં, વ્યસ્ત, ક્લાંત અને અશાંત હોય છે. વાહનો અને લાંબાં લાંબાં અંતર છોડીને વ્યક્તિ જ્યારે જમીન પર પગ મૂકે છે, બધી જ ઝડપ અને દોડાદોડને જતી કરે છે, ત્યારે ગતિહીનતા આપોઆપ એને શારીરિક શાંતતા આપી દે છે. એ પછી વ્યક્તિ જ્યારે વિચરણ શરૂ કરે છે, ત્યારે આકારની તેમજ ચલનની નિયમિતતા એને આંતરિક શાંતિનું સુખદ સંવેદન બક્શવા માંડે છે.&lt;br /&gt;
આવાં સંવેદનોથી પાશ્ચાત્ય પ્રજા અજાણ હોય છે, ને તેથી આ અનુભવે એને ઉત્સાહિત કરી દીધી છે. અમેરિકાનાં કેટલાંક દેવળો, હૉસ્પિટલો અને ખુલ્લાં મેદાનોમાં અગિયાર કે બાર – દોરીને, રંગીને, પથ્થર જડીને, ચાસ પાડીને વર્તુળો બનાવાયાં હોય તેવાં સવાસો-દોઢસો સ્થાન આજે આ દેશમાં થઈ ગયાં છે. શરૂ શરૂમાં તો લોકો ભય અને સંદેહ પામીને આ વર્તુળોથી દૂર રહ્યા, ક્યાંક તો વિરોધ પણ થયો, ને કેટલાકે એને કોઈ પિશાચી પંથનું પ્રતીક પણ માન્યું. &lt;br /&gt;
પણ બીજી બાજુ, એની લોકપ્રિયતા અને એનાં સારાં પરિણામોમાં શ્રદ્ધા વધતાં પણ ગયાં છે. સ્થાયીની સાથે જાડા કાપડ પર ચિતરાયેલી ભુલભુલામણીઓ પણ વપરાવા માંડી છે. ઘણાં દેવળો અને હૉસ્પિટલોમાં એ ચિત્રિત આલેખન ખુલ્લાં મુકાય છે. લોકો અને દરદીઓ એનો લાભ લે છે. કેટલાંક મહાવિદ્યાલયોમાં પરીક્શા પહેલાં એમને પાથરવાની પ્રથા શરૂ થઈ છે, કે જેથી વિદ્યાર્થી-ગણ એના પર ચાલી શકે, ને ઉદ્વેગ-ચિંતાને ખંખેરી શકે. અરે, ચિત્રિત ભુલભુલામણીઓને જેલોમાં પઢ લઈ જવામાં આવે છે કે જેથી કેદીઓ પણ એનાં ગુણાત્મક પરિણામોનો લાભ લઈ શકે.&lt;br /&gt;
આ વિરચન માટે અંગ્રેજીમાં બે શબ્દો જોવા મળે છે – ‘લૅબિરિન્થ’, એટલે ભુલભુલામણી. એમાં વર્તુળો ઘણાં હોય, પણ પ્રવેશવાનો અને બહાર નીકળવાનો રસ્તો એક જ હોય, તેથી કોઈ ગુંચવણ કે ગભરાટ નથી થતા. બીજો શબ્દ તે ‘મેઝ’, એટલે સમસ્યા, ઉલઝન, ચક્રવ્યૂહ. ઊંચી દીવાલ કે વાડને લીધે એમાં પ્રવેશનારાં ગુંચવાઈ જાય, ગભરાઈ જાય. ચિકિત્સાર્થે વપરાય તેવી આ રચના નથી. પણ ભુલભુલામણીનો ઉપયોગ તો અવશ્ય મૌલિક જ છે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આત્મકથાનકનાં કારણ&lt;br /&gt;
|next = અપરાજેય નિજત્વ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3&amp;diff=110267</id>
		<title>દરિયાપારથી.../આત્મકથાનકનાં કારણ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A5%E0%AB%80.../%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%95%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A3&amp;diff=110267"/>
		<updated>2026-04-26T05:28:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;Meghdhanu: +1&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|આત્મકથાનકનાં કારણ}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેમ ઘણાંને લખવાનું, કે લેખક થવાનું મન હોય, પણ શું લખવું, કયા વિષય પર લખવું, એનો ખ્યાલ ના હોય, તેવા લોકો માટે એક વિષય – (અમેરિકામાં) પુખ્ત વયના લોકો માટે સાંજે સાંજે વર્ગો આપતી સંસ્થાઓમાં – ખાસ્સો લોકપ્રિય બનેલો જણાય છે. એ વિષય તે આત્મકથાનક. પોતાના બાળપણની, પોતાના જીવનની વાતો લખવી તે. “ઓહો, એમાં શું?”&lt;br /&gt;
એવું બધાંને થવાનું, ને એટલે જ આવા કોર્સ લેનારાં ઘણાં જણ હોય છે. પણ જાત વિષે લખવું ય સહેલું નથી. ખાસ કરીને, બીજાંને વાંચવામાં રસ પડે તેવી શૈલીમાં, અને સર્જનાત્મક રીતે પોતાનાં જાત અને જીવન વિષે લખવું કાંઈ બધાં કરી ના શકે. આથી જ, આવા કોર્સ અધૂરેથી છોડી દેનારાં પણ ઘણાં જણ હોય છે.&lt;br /&gt;
પંચાવન-સાઠ વર્ષ પહેલાં અમેરિકામાં આવી વસેલા, મૂળ પંજાબના વેદ મહેતાએ આ પ્રકારનું લખાણ લખીને, અમેરિકાના સામયિકમાં છપાવીને, ઘણું નામ મેળવેલું. એમના બાળપણની વાતો એટલે પંજાબનાં ગામડાં, સાધારણ જીવન, નાનકડંા ઘર, માટીના ચૂલા,&lt;br /&gt;
છાશનું વલોણું વગેરે વિષેની વાતો; અને બાબુજી, અમ્મીજી, ચાચીજી, ચાચાજી વગેરેના ઉલ્લેખો. જ્યારે હજી અમેરિકામાં ભારતીય લોકો ગણ્યા-ગાંઠ્યા જ હતા, તેવા સમયે અહીંની અમેરિકન પ્રજા માટે વેદ મહેતાએ એક અજીબોગરીબ અને અચંબો પમાડતું ચિત્ર ખડું કરેલું. એમના એ વિષયમાં, કે એમની શૈલીમાં, આપણને કશું આકર્ષક કે સંમોહક ના પણ લાગે.&lt;br /&gt;
એનું એક કારણ એ કે વેદ મહેતાનું ભારત તે આપણાં બધાંનું ભારત છે, અને સ્વાભાવિક રીતે જ આપણને લાગવાનું કે એમણે ક્યાં કશું નવું કહ્યું છે? બીજું કારણ એ કે કદાચ આપણે ત્યાં આ રીતે અંગત જીવનની રોજિંદી વાતો લખવાની, અને એવાં પુસ્તકો વાંચવાની પ્રથા બહુ પ્રચલિત નથી. અલબત્ત, ઐતિહાસિક સંદર્ભે હોઈ શકે છે, પણ નિજી સંદર્ભે એ નહીંવત્ હશે. &lt;br /&gt;
એમ કહેવાય છે કે પશ્ચિમમાં આત્મકથાના પ્રકારની શરૂઆત થઈ ફ્રાન્સના ઝૉન્ઝાક રૂસો નામના વિચારકે ૧૮મી સદીમાં લખેલા “કન્ફેશન્સ” નામના પુસ્તકથી. પોતાની કામુકતા, સ્વપીડનની રીતિ, અને બીજી અંગત માન્યતાઓ વિષે આમ જાહેર કરીને રૂસોએ તરખાટ મચાવી દીધો હતો. આ રીતે પ્રકાશનના ક્શેત્રમાં પ્રવેશ થયો હતો નિજી જીવનનું પ્રગટીકરણ કરતા સ્મરણાત્મક લેખનના પ્રકારનો. &lt;br /&gt;
બસોથી વધારે વર્ષ પછી આજે આ પ્રકાર અમેરિકામાં ઘણો ફૂલ્તો-ફાલ્યો દેખાય છે. સાથે જ, એવું પણ છતું થતું જણાય છે કે આ પ્રકટીકરણમાં વધારે ભાર જીવનના કુત્સિત અંશ પર અપાઈ રહ્યો છે. સુખની, અને સારી સારી વાતો જાણે કોઈ વાંચવાનું જ ના હોય. ને એ સાચું પણ હશે કે સનસનાટી પમાડે તેવી બિના લોકોનું ધ્યાન વધારે જ ખેંચવાની. &lt;br /&gt;
ઉપરાંત, પશ્ચિમી પ્રજાનાં જીવનમાં, આપણે જેને વિચિત્ર કે વિકૃત કહી શકીએ એવી બાબતો જાણે અત્યધિક પ્રમાણમાં હોય તેવું લાગે છે : મા-બાપ જ નહીં, પણ દાદા-દાદીના સમયથી તૂટતાં આવેલાં લગ્નો, એકલવાયાં શૈશવ, એકલી મા અથવા ેકલા બાપના હાથે બાળકનો ઉછેર, દારૂ અને માદક તત્ત્વોની ટેવો, પત્ની પર મારઝૂડ, બાળક પર અત્યાચાર, ઈચ્છાપૂર્વકના વર્તનની સામાજિક શક્યતા તેમજ છૂટ, ઇત્યાદિ.&lt;br /&gt;
તો એ પણ સાચું છે કે આવાં જીવનની ક્શોભ અને શરમજનક બાબતોનું પ્રકટીકરણ કરવાની રુક્શતા, કે ધૃષ્ટતા, કે નિર્લજ્જતા, કે ગુસ્તાખી આ લોકોમાં છે. સિક્કાની બીજી બાજુ પ્રમાણે આ વૃત્તિને સાહસ ને સ્પષ્ટવાદિતા જ નહીં, પણ સચ્ચાઈ ને પ્રમાણિકતા પણ કહી શકાય. ભૌતોકવાદમાં ખૂંપેલા આધુનિક સમાજોના સિક્કાની તો વળી ત્રીજી પણ બાજુ છે, ને તે છે ધન-લાભ અને ખ્યાતિ-પ્રાપ્તિ.&lt;br /&gt;
કેટલી જટિલ હોય છે એક સાધારણ દેખાતી વાત પણ.&lt;br /&gt;
અમેરિકામાં આ પ્રકાર સળગતી આગની જેમ એવો પ્રસર્યો છે કે ફક્ત જાણીતી – સિનેમા, મનોરંજન, ખેલકૂદ જેવાં ક્શેત્રોમાંની – વ્યક્તિઓ જ નહીં, પણ સાવ અજાણી ને સામાન્ય વ્યક્તિઓ પણ પોતાનાં દુઃખી, વિકૃત, આઘાતજનક જીવનોની અસામાન્ય વાતો લખતી, જાહેર કરતી, છપાવતી થઈ ગઈ છે. એક સમયે જે ફિક્શનનાં પુસ્તકોમાં વાંચવા મળતું તે હવે સત્ય-કથા થઈને આત્મચરિત (અથવા અન્ય-ચરિત)નાં પુસ્તકોમાં જોવા મળે છે.&lt;br /&gt;
આ આત્મકથા-પ્રકારમાં લખનારાંનું કહેવું એમ હોય છે કે આથી એમનાં મનનો ભાર ઊતરે છે. એટલું જ નહીં, પોતાનું જીવન એક સાચા અને સહ્ય પરિપ્રેક્શ્યમાં પોતાને જ જાણે પહેલવહેલી વાર દેખાય છે. રસ અને સહાનુભૂતિ ધરાવતાં વાચકો દ્વારા મૈત્રીમાં હોય તેવી ઉષ્મા પણ મળતી હોય છે. મૅરિ કાર (Karr) નઅમની લેખિકાની જીવની પરની ચોપડી બહુ જ સફળ થઈ. જાહેર વાંચન અને શ્રોતાગણ સાથે લેખિકાને ખૂબ એકતાનો અનુભવ થતો. અને વાંચન પૂરું થયા પછી જાતજાતના લોકો – બૅન્કર, પ્રોફેસર, લેબરર, કાળા, ધોળા, ભણેલા, અભણ – લેખિકાને કહેવા આવતા કે એમનાં જીવન તો ઘણાં વધારે દુષ્કર હતાં, ને છતાં એ લોકો જીવવાનો, પ્રેમ અને આનંદ જેવાં સંવેદન અનુભવવાનો, પ્રયત્ન કર્યા કરતા હતા. દરેક જણના અંગત ઇતિહાસમાં આઘાતના ડાઘા હોય છે, તે જાણીને કોઈ પણ વ્યક્તિ કૈંક આસાયેશ અને સાંત્વના પામી શકે છે. &lt;br /&gt;
આત્મકથાનક કેવળ જીવની સાંત્વના માટે જ નથી લખાતાં, પણ એનો ઉદ્દેશ આત્મ-પરીક્શણનો પણ હોય છે. કામુક અત્યાચાર અને પછી લાગેલા કામ-વાસનાના વ્યસન જેવી અત્યંત અંગત બાબતો વિષે લખવાની પ્રક્રિયા ક્યારેક મનને ભયભીત પણ કરે, છતાં લખનાર અંતે જોઈ ને સમજી પણ શકે છે કે કેટલું શરમજનક જીવન હતું, અને ઘણી વાર આવી વ્યક્તિ પોતાની જાતને સુધારવા માટે સહાય-સંસ્થામાં જોડાતી પણ હોય છે. &lt;br /&gt;
એક લેખિકા પોતાના જીવનની કરુણ-કથા લખવા બેઠાં તો સાતસો પાનાં થયાં! પછી જેમ જેમ પ્રતને એ સુધારતાં ગયાં તેમ તેમ પાનાંની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ, ને લેખનનો સૂર બદલાઈને વિનોદપ્રદ બન્યો. જેને માટે ધિક્કાર અને ફરિયાદ હતાં, તે પોતાના જ કુટુંબ માટે, અંતે લેખિકામાં સ્નેહ-ભાવ પ્રગટ્યો!&lt;br /&gt;
આ સમાજમાં મોટો જે એક રોગ છે તે શાશ્વત વિષાદ અને હતોત્સાહ છે. અનેક યત્ન પછી એમાંથી બહાર નીકળી શકનારાંમાંનાં કેટલાંક આત્મ-ચરિત લખવામાં ઉદ્યત થાય છે. ટ્રેસી થૉમ્સન નામનાં એક ખબરપત્રી ‘ડિપ્રેશન’ને “એક જંગલી જાનવર” કહે છે. એની સામેના પોતાના સંઘર્ષ વિષે એ ગંભીરતાપૂર્વક લખે છે. છેલ્લે એ લેખન-પ્રક્રિયાના પરિણામ અંગે એમનું કહેવું છે, “આ બધું લખવાથી ભલે આખી જિંદગીમાં ફેર ના પડ્યો, પણ રોજિંદું જીવન જરૂર સહેલું બન્યું.”&lt;br /&gt;
સાધારણ લોકોનાં નિજી જીવનનાં વિગતવાર અને અસરકારક ચિત્રણો તો છપાતાં રહેવાનાં, પણ જ્યારે એ વિચાર ને બુદ્ધિપૂર્વક, તથા શૈલીની પ્રશસ્ય ચમત્કૃતિ સાથે, લખાયાં હોય ત્યારે એ પુસ્તકો ફક્ત ચરિત્રણ નહીં રહેતાં યાદગાર સાહિત્ય-સર્જન બની રહેવાનાં. આવું ઉદાત્ત ઉદાહરણ જોવા મળે છે અમેરિકાના મહા-કવિ વૉલ્ટ વ્હિટમૅને ૧૮૫૫માં લખેલા “સૉન્ગ ઑફ માયસૅલ્ફ” નામના વિખ્યાત મહા-કાવ્યમાં. પહેલી જ પંક્તિ “ હું મારી જાતને ઉત્સવ-પ્રતિષ્ઠ કરું છું”માંનો ‘હું’ આખા રાષ્ટ્રના પ્રાણના ગૌરવને પ્રતિસ્થાપિત કરે છે. વ્હિટમૅનનો અભિગમ હર્ષોત્ફુલ્લ છે : “હું સંતુષ્ટ છું....હું જોઉં, નાચું, ગાઉં છું.” એમના આ મહા-કાવ્યમાંનું આત્મ-કથાનક ‘કેવળ અંગત’ને વિસ્તારીને સર્વવ્યાપી એક ઉત્કૃષ્ટ સ્તર પર મૂકે છે. &lt;br /&gt;
જેમાં સમગ્ર જીવંતતા ઉચ્ચ આદરનું સ્થાન પામતી હોય તેવી કૃતિ જ ખરેખર નિજી વિજય પામી છે, એમ કહી શકાય.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આત્મકથાનકમાંના દૃષ્ટિકોણ&lt;br /&gt;
|next = અનન્ય ચિકિત્સા પ્રથાઓ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>