<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Shnehrashmi</id>
	<title>Ekatra Foundation - User contributions [en]</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/api.php?action=feedcontributions&amp;feedformat=atom&amp;user=Shnehrashmi"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/wiki/Special:Contributions/Shnehrashmi"/>
	<updated>2026-07-21T18:00:43Z</updated>
	<subtitle>User contributions</subtitle>
	<generator>MediaWiki 1.45.0</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80&amp;diff=112916</id>
		<title>રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80&amp;diff=112916"/>
		<updated>2026-07-21T09:02:36Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, દીપક મહેતા&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= Ramanlal V Desai Granthkar Shreni Cover.jpg&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Ramanlal V Desai Granthkar Shreni Cover.jpg&lt;br /&gt;
|title = રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી&lt;br /&gt;
|author = દીપક મહેતા&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય|સંપાદકીય]]&lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/રમણલાલ વ. દેસાઈ|રમણલાલ વ. દેસાઈ]]&lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગ્રંથસૂચિ|ગ્રંથસૂચિ]]&lt;br /&gt;
* [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભ સૂચિ|સંદર્ભ સૂચિ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Ramanlal_V_Desai_Granthkar_Shreni_Cover.jpg&amp;diff=112915</id>
		<title>File:Ramanlal V Desai Granthkar Shreni Cover.jpg</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Ramanlal_V_Desai_Granthkar_Shreni_Cover.jpg&amp;diff=112915"/>
		<updated>2026-07-21T08:58:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Uploaded a work by Deepak Mehta from Deepak Mehta with UploadWizard&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;=={{int:filedesc}}==&lt;br /&gt;
{{Information&lt;br /&gt;
|description={{lua|1=રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી (લેખક: દીપક મહેતા)}}&lt;br /&gt;
|date=2026-07-21&lt;br /&gt;
|source=Deepak Mehta&lt;br /&gt;
|author=Deepak Mehta&lt;br /&gt;
|permission=&lt;br /&gt;
|other versions=&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
=={{int:license-header}}==&lt;br /&gt;
{{subst:uwl}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:Book Cover]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8_%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8B_%E2%80%93_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3_%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93&amp;diff=112914</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/ઉત્તરકાલીન ભક્તિપદો – સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8/%E0%AA%89%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%80%E0%AA%A8_%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%AA%E0%AA%A6%E0%AB%8B_%E2%80%93_%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A3_%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%95%E0%AA%B5%E0%AA%BF%E0%AA%93&amp;diff=112914"/>
		<updated>2026-07-21T08:50:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|[૨] સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ|મહેન્દ્ર પંડ્યા}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
ભારતનું તત્ત્વજ્ઞાન સૂચવે છે કે ભક્તિ, જ્ઞાન અને કર્મ દ્વારા મોક્ષપ્રાપ્તિ થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ ભક્તહૃદયના પરસ્પર સહાયક આવેગો છે. ભાવિક ભક્તોએ ઈશ્વરપ્રાપ્તિ માટે ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે. પ્રેમલક્ષણાભક્તિ માનવ પ્રકૃતિને સર્વદા સાનુકૂળ છે. પરમાત્મા સાથે ઐક્ય કરવાની જીવાત્માની અદમ્ય ઝંખના અને માનવહૃદયની ગૂઢ ઉત્સુકતા મનુષ્યના ઘટ સાથે વણાયેલી છે. ભક્તિના મૂળ બીજનું પગેરું વેદમાં ઉપલબ્ધ થાય છે.&lt;br /&gt;
ઋગ્વેદનો સુપ્રસિદ્ધ મંત્ર ખરેખર એક જ ઈશ્વરની પૂજા-અર્ચનાનો સંકેત કરે છે.ભક્તિમાર્ગમાં શ્રીવિષ્ણુ, શ્રીકૃષ્ણ, વાસુદેવ, નારાયણની ભક્તિ પ્રવર્તી છે. મહાભારતમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર ઐશ્વર્યપ્રધાન હતું, પરંતુ પુરાણોએ એને વધારે માર્મિક, રસિક અને માધુર્યવાળું બનાવી ભક્તજનોને આસ્વાદ્ય બનાવ્યું છે. માનવમન વિવિધ ભાવોનો કોષ છે. પ્રેમભાવ એમાં પ્રધાન સ્થાને છે. ભક્તો એ ઇષ્ટદેવ પ્રત્યે પ્રીતિ, પૂજ્યબુદ્ધિ, અને શ્રદ્ધાભાવોને અક્ષીણ રાખીને હાર્દિક પ્રીતિ, સ્નેહ સૌહાર્દ આદિ ભાવનાઓ દ્વારા એમનો અનુગ્રહ ઇચ્છ્યો છે. ઈશ્વર પ્રત્યેનો પ્રબળ પ્રગાઢ પ્રેમ સ્વસુખવર્જિત તત્સુખવાળો હોઈ, અંતશ્ચક્ષુઓ ખોલનારો અને મનની શુદ્ધિ કરનારો હોય છે. આ પ્રકારનો પ્રેમ પ્રાપ્ત કરવાવાળી ગોપીઓ છે. એ પ્રેમભાવે ગોપીઓનાં હૃદય સ્નિગ્ધ અને મમત્વવાળાં બન્યાં હતાં. નરસિંહ, મીરાંનું કવન નિર્ભેળ ભક્તિરંગે રંગાયેલું બન્યું છે. સાગરના પાત્રમાં પૂર્ણિમાની ચાંદની રેલાઈ એકમેક બને તેમ આ ભક્તોની કવિતામાં છલોછલ ભક્તિ ઉભરાઈ એકરૂપ બને છે.&lt;br /&gt;
સ્વામિનારાયણ સંપ્રદાય – ગુજરાત પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રેમલક્ષણાભક્તિ, વૈરાગ્ય, સદાચાર અને સત્સંગ ઉપર ખૂબ ભાર મૂકાયેલો દૃષ્ટિગોચર થાય છે. જ્યારે ભારતમાં અધર્મ અને અનાચારનું વાતાવરણ સર્જાયેલું હતું, ત્યારે લોકોને ધર્મ અને સદાચારના માર્ગે વાળી, તેમનું આત્યંતિક કલ્યાણ સાધવાના હેતુથી આ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી.&lt;br /&gt;
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદનો જન્મ ઈ. ૧૭૮૧માં એટલે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદી નવમીને દિવસે, રાત્રે દસ વાગ્યે, અયોધ્યાથી ઉત્તરે આઠેક ગાઉ દૂર આવેલા છપૈયા નામના એક ગામડામાં થયો હતો. તેમના પિતાનું નામ હરિપ્રસાદ અને માતાનું નામ બાળાદેવી (પ્રેમવતી) હતું. તેમની અટક પાંડે અને જાતે સરયુપારી (સરવરિયા) સામવેદી બ્રાહ્મણ હતા. હરિપ્રસાદ પાંડેને ત્રણ પુત્રો હતા. મોટા રામપ્રતાપ અને નાના ઇચ્છારામ. વચેટ પુત્ર તે સહજાનંદ. એમનું નામ તો કૃષ્ણ કે હરિકૃષ્ણ પાડેલું હતું. પણ બાલ્યાવસ્થામાં સૌ કોઈ એમને ઘનશ્યામ નામથી બોલાવતા હતા.&lt;br /&gt;
ગુજરાતમાં અંધાધૂંધી અને અરાજકતાનું રાજ્ય ચાલી રહ્યું હતું. પેશ્વા અને ગાયકવાડ મરજી પ્રમાણે ગુજરાતની ધનસંપત્તિ લૂંટી જતા હતા. કોળી, કાઠી અને ગરાસિયા પોતાના જ દેશબાંધવો પર ધાડ પાડી લૂંટફાટ કરી રહ્યા હતા.&lt;br /&gt;
માતાપિતાના દેહત્યાગ પછી ૧૨ વર્ષની વયે ઘનશ્યામે ગૃહત્યાગ કરી હિમાલયની વાટ પકડી હતી. વનવિચરણ અને તીર્થાટન દરમિયાન ઘનશ્યામ નીલકંઠવર્ણીના નામે ઓળખાવા લાગ્યા. હિમાલયની તળેટીમાં મુક્તનાથની સામેના પુલહાશ્રમમાં ઉગ્ર તપશ્ચર્યા કરી એક આદર્શ તપસ્વી બન્યા. નેપાળના ગાઢ જંગલમાં રહેતા ગોપાળ યોગી પાસે સંપૂર્ણ અષ્ટાંગ યોગ સિદ્ધ કરી એક આદર્શ સાધક બન્યા. ત્યાર બાદ સાડાપાંચ વર્ષ સુધી ભારતનાં જુદાં જુદાં તીર્થસ્થળોએ ફર્યા. શિવકાંચી, વિષ્ણુકાંચી, ભૂતપુરી, રામેશ્વર, નાસિકત્ર્યંબક પાર કરી, તાપી-નર્મદા ઊતરી, સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. નીલકંઠવર્ણી એ સાત વર્ષના વિચરણ બાદ સંવત ૧૮૫૬ના શ્રાવણ વદી ૬ (તા. ૨૧ ઓગસ્ટ, ૧૭૯૯)ના રોજ ૧૮ વર્ષની ઉંમરે કાઠિયાવાડના માંગરોળ બંદર નજીકના લોજ ગામમાં પ્રવેશ કર્યો. ત્યાં તેમને વિશિષ્ટાદ્વૈત મતપ્રચારક સદ્ગુરુ રામાનંદ સ્વામીના સાધુઓનો મેળાપ થયો. સંવત ૧૮૫૭ની પ્રબોધિની એકાદશીને દિવસે રામાનંદ સ્વામીએ પીપલાણા ગામમાં નીલકંઠવર્ણીને ભાગવતી દીક્ષા આપી અને એમનાં ‘સહજાનંદ સ્વામી’ ‘નારાયણ મુનિ’ એવાં બે નામ પાડ્યાં. ત્યારબાદ બરાબર એક વર્ષે સંવત ૧૮૫૮માં એમણે સહજાનંદ સ્વામીને જેતપુરમાં પોતાની ગાદીના આચાર્ય સ્થાપ્યા. રામાનંદ સ્વામીના બીજા ઘણા લાયક વયોવૃદ્ધ અને ધર્મનિષ્ઠ ત્યાગી શિષ્યો હોવા છતાં તેમણે માત્ર બે વર્ષથી આવેલા નવા અને વીસ વર્ષની ઉંમરના આ યુવાન બ્રહ્મચારીને પોતાની પીઢ આચાર્યપીઠ ઉપર સ્થાપ્યા એ એક ધાર્મિક અસાધારણ પ્રસંગ ગણાય. સહજાનંદ સ્વામીએ કરુણામય બની સંપ્રદાયને યથાયોગ્ય સ્વરૂપમાં મૂકવા અહોરાત અવિરત ઉદ્યમ શરૂ કર્યો. એ કાર્ય નિર્વાણ પર્યંત ૩૦ વર્ષ સુધી ચાલુ રાખ્યું. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડનાં ગામોમાં અનેકવાર ફરી ઉપદેશનો પ્રવાહ વહેવડાવ્યો. એમણે કરેલા ત્રણ સંકલ્પ પ્રમાણે વડતાલ અને અમદાવાદ બે સ્થળોએ બે ગૃહસ્થ આચાર્યોને પોતાના ધર્મકુળમાંથી પસંદ કરી સ્થાપન કર્યા અને શતાનંદ મુનિ પાસે ‘સત્સંગી જીવન&#039; નામનો ગ્રંથ તૈયાર કરાવ્યો. તેમાં સ્વહસ્તે લખેલ ‘શિક્ષાપત્રી’ દાખલ કરાવી.&amp;lt;ref&amp;gt;સત્સંગી જીવન પ્રકરણ-૪, અધ્યાય ૨૪ ‘સ્વામી સહજાનંદ&#039; પૃ. ૩૧૬ સંપાદક મણિલાલ લ. ભાલજા, ૧૯૪૫&amp;lt;/ref&amp;gt; સહજાનંદ સ્વામીએ વૈષ્ણવ અને શૈવપંથમાં જોવામાં આવતી અસહિષ્ણુતા દૂર કરી, પંચાયતની દેવને પૂજનીય માની, હરિહરનું ઐક્ય સાધ્યું.&amp;lt;ref&amp;gt;‘શિક્ષાપત્રી&#039; શ્લોક ૮૪; શ્લોક ૪૭.&amp;lt;/ref&amp;gt; સ્વામીનારાયણ સંપ્રદાયમાં પરમ સહિષ્ણુતા ઉપરાંત વૈષ્ણવ ધર્મની પ્રપન્ન સેવાવૃત્તિ, જૈન ધર્મના વિરક્ત સંયમો, સનાતનધર્મની પવિત્ર ભવ્યતા, રામાનુજની વિશદ ઉપાસના અને એકનિષ્ઠા તેમજ સામાજિક વ્યવહારુ સમજણનો સુંદર સમન્વય સ્પષ્ટ જણાઈ આવે છે.&lt;br /&gt;
સહજાનંદે ગઢડામાં તેમજ અન્ય સ્થળોએ ૧૮૨૦-૨૪ દરમિયાન અનુયાયી ભક્તજનો સામે આપેલાં ૨૬૨ ઉપદેશ-પ્રવચનો એમના શિષ્યોએ ઉતારી લીધેલાં છે ‘વચનામૃત’ નામે ઓળખાય છે. આચારકેન્દ્રી ધર્મબોધની સરળતા ને સૌરાષ્ટ્રી બોલી લઢણોવાળું ગદ્ય એની લાક્ષણિકતા છે. મધ્યકાલીન ગુજરાતની અલ્પસંખ્ય ગદ્યકૃતિઓ ‘વચનામૃતો’ ૧૮મી સદીના ગદ્યનો વિશેષ ધરાવે છે.&lt;br /&gt;
સહજાનંદે આ ઉપરાંત, ઈશ્વરની સાથે એકાત્મભાવ અનુભવવા માટે નિર્લોભીપણું આદિ ગુણો કેવી રીતે કેળવવા એની સમજૂતી સંપ્રદાયનાં અધિકારી શિષ્યોને આપવા માટે પત્રરૂપ ગદ્યમાં રચેલો ‘વેદરહસ્ય’ કે ‘વેદરસ&#039; પણ મહત્ત્વનો છે. સહજાનંદે હિંદીમિશ્ર ગુજરાતીમાં ને હિંદીમાં પણ ગદ્ય લખાણો કરેલાં છે.&lt;br /&gt;
સહજાનંદની ગુજરાતીમાં રચાયેલી શિષ્યપરંપરામાં કેટલાંક ઉત્તમ સાધુઓ ઉત્તમ કવિઓ પણ હતા.&lt;br /&gt;
સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ ગુજરાતી સાહિત્યમાં એક અનોખી છાપ ઉપસાવે છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ અને બોધ તેમનાં કાવ્યોમાંથી સ્પષ્ટ તરી આવે છે. આ કવિઓનું ખાસ નોંધપાત્ર વિશિષ્ટ લક્ષણ એ છે કે તેઓને કવિ બનવાની ઇચ્છા જ ન હતી. તેઓ તો કેવળ સહજાનંદ સ્વામી-રત અને પ્રભુમસ્ત ભક્તો હતા. એમના ભાવો, લાગણીઓ, ઊર્મિઓ, સંવેદનો અને અનર્ગળ પ્રીતિની અભિવ્યક્તિ માટે કવિતાને માત્ર સાધન જ માનતા હતા. તેઓ શ્રીસહજાનંદ સ્વામી પ્રસન્નાર્થે, સ્વેચ્છાનંદે, અને લોકહિતાર્થે કવતા હતા. તેથી જ તેમની કવિતા તેઓના હૃદયની ઊંડાઈએથી આવી અત્યંત મર્મસ્પર્શી બની છે. તેમની વિશાળ ભાવનાઓ, અને ઊર્મિઓના રંગે રંગાયેલી કવિતા ઉચ્ચ પ્રકારની બની છે અને અનોખી સરળતા અને સ્વાભાવિકતા તેમાં જણાઈ આવે છે. સાદી, સરળ અને સ્વાભાવિક નિખાલસતાથી સભર કવિતા ગુજરાતી સાહિત્યને સાંપડી છે. રસજ્ઞોની પિપાસાને તૃપ્ત કરનારી અને ભાવોને મર્મવેધક રીતે પ્રગટ કરી આનંદદાયક અસર ઉપજાવનારી આ કવિઓની કવિતા ચિરસ્મરણીય છે. આ કવિઓએ જૂના લોકપ્રચલિત ગેય ઢાળોમાં કવિતા રચી છે. એમની કવિતા લોકપ્રિય બની છે અને એમનાં કીર્તનો અન્ય સંપ્રદાયમાં પ્રચલિત બન્યાં છે એનું એક કારણ આ પણ ગણાવી શકાય. સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની સંખ્યા ઘણી છે અને એમણે રચેલું કાવ્યસાહિત્ય પણ વિપુલ અને વિવિધતાભર્યું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
મુક્તાનંદ સ્વામી (ઈ. ૧૭૫૮–૧૮૩૦) મુક્તાનંદ સ્વામીનાં કીર્તનોમાં સહજાનંદસ્વામીના પ્રગટ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને માહાત્મ્ય જણાય છે. ભક્તિ, વૈરાગ્ય અને ભગવદ્લીલા તેમજ જ્ઞાનોપદેશ પણ ઊભરાય છે. તેમની કવિતાનો મુખ્ય ગુણ પ્રસાદ છે. તેમનું ગામઠી સાહિત્ય નથી પરંતુ તેમના કાવ્યગ્રંથોમાં પદલાલિત્ય, શબ્દસૌષ્ઠવ, અર્થગાંભીર્ય દૃષ્ટિગોચર થાય છે. તેમણે ‘ધર્માખ્યાન’, ‘ઉદ્ધવગીતા’, ‘સતીસીતા’, ‘ધામવર્ણનચાતુરી’, ‘કૃષ્ણપ્રસાદ’, ‘રુક્મિણીવિવાહ&#039; વગેરે ગુજરાતી ગ્રંથો રચ્યા છે. ‘ધર્માખ્યાન&#039;માં સહજાનંદસ્વામીના આવિર્ભાવથી અંતર્ધ્યાન સુધીનાં અદ્ભુત અલૌકિક દિવ્યલીલા પ્રસંગો ચરિત્રોનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. ‘ઉદ્ધવગીતા’ ભાગવત દશમસ્કંધમાં રહેલા ઉદ્ધવ-ગોપિકા સંવાદના ભાષાન્તરરૂપે છે. ‘સતીગીતા&#039;માં સ્ત્રીધર્મનો અને ખાસ કરીને વિધવા નારીઓને પરમાત્મા ભણી વળી પવિત્ર જીવન ગાળવાનો ઉપદેશ અર્પેલ છે. પતિવ્રતા સતીનારીનું ચિત્ત હંમેશાં સ્નેહભાવે પતિ પ્રત્યે જ રહે છે એનો સ્પષ્ટ ખ્યાલ એમાં આપ્યો છે. ‘ધામવર્ણન ચાતુરી’–એમાં ગોલોકધામનું વર્ણન છે. તેમાં વિરાજમાન રાધાકૃષ્ણનું તેમનાં ગુણઐશ્વર્ય આદિનું નિરૂપણ થયેલું છે. આ ગ્રંથની અઢાર ચાતુરી છે. ‘કૃષ્ણપ્રસાદ’માં ‘સત્સંગી જીવન&#039; પ્ર. ૪ અધ્યાય ૨૮ થી ૩૩ સુધીમાં કરેલી કથાનો ગુજરાતી ભાષાનુવાદ છે. ભક્તરાજ સચ્ચિદાનંદ મુનિ પર દ્વારકાધીશ શ્રીકૃષ્ણે અનુગ્રહ કરી વડતાલમાં આવી નિવાસ કર્યો તે પ્રસંગ વર્ણવ્યો છે. ‘રુક્મિણીવિવાહ&#039;ના લઘુ ગ્રંથમાં રુક્મિણી વિવાહનું વર્ણન હોઈ, વિવાહમંગલનાં તેમજ ફટાણાં મળીને પંદર પદવાળો ગ્રંથ રસિક અને જનમનરંજક છે. ‘પોઢે પ્રભુ સકળમુનિ કે શ્યામ&#039; થી શરૂ થતું મુક્તાનંદસ્વામીનું શયનપદ દાસ્ય ભક્તિનું દ્યોતક છે. મુક્તાનંદ સ્વામીએ ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ અનેક ગ્રંથો રચ્યા છે. જેવા કે ‘વિવેકચિંતામણિ&#039;, ‘સત્સંગશિરોમણિ’, ‘શિક્ષાપત્રીભાષા&#039;, ‘મુકુંદબાવની’, ‘અવધૂતગીતમ્’, ‘ગુરુચોવિશી’, ‘નારાયણકવચ’, ‘કપિલગીતા’. તેમણે ભાગવત દશમસ્કંધ ભાષાટીકાનો ગ્રંથ ૯૦ અધ્યાયવાળો હિંદી ભાષામાં રચ્યો છે, જે અપ્રગટ છે. ‘જયસદ્ગુરુ સ્વામી&#039; આરતી દ્વારા પોતાના હૈયાનો આર્તનાદ પ્રભુ આગળ વ્યક્ત કર્યો છે. જે રોમાંચિત હૈયે પ્રગટ મહિમાનું ભાવભીનું સ્તુતિગાન છે.&lt;br /&gt;
બ્રહ્માનંદસ્વામી (ઈ.૧૭૭૨–૧૮૩૨) – તેઓ શીઘ્રકવિ હતા. સંવત ૧૮૬૦ની સાલમાં સુંદરજી સુથારને ત્યાં ભુજમાં લાડુ ગઢવી સહજાનંદજીને મળ્યા. તેમને નીરખી લાડુ ગઢવી અત્યાનંદમાં આવી ગયા અને તે જ ક્ષણે નીચેનું પદ તત્કાળ જોડીને તેમણે ગાયું:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આજની ઘડી રે ધન્ય આજની ઘડી,&lt;br /&gt;
મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી.&amp;lt;ref&amp;gt;બ્રહ્માનંદ સ્વામી, ‘બ્રહ્માનંદ કાવ્ય&#039;, પૃ. ૬૭.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સહજાનંદ સ્વામીના પ્રથમ મેળાપે તેમને હરિ સાથે અંતરમાં એકતા થઈ અને તેઓને જોતાં આંખડી ઠરી ગઈ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્ઞાનકુંચી ગુરુ ગમસે ગયાં તાળાં ઉઘડી,&lt;br /&gt;
લાડુ સહજાનંદ નિહાળતાં, ઠરી આંખડી રે.&amp;lt;ref&amp;gt;એ જ&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સિદ્ધપુર જતાં માર્ગમાં ડંઢાવ્ય દેશમાં આવેલા ગેરીતા ગામમાં લાડુ ગઢવીને સ્વામિનારાયણે દીક્ષા આપી શ્રીરંગદાસ નામાભિધાન કર્યું અને પાછળથી નામ ફેરવીને બ્રહ્માનંદ પાડ્યું.&lt;br /&gt;
બ્રહ્માનંદ કવિનો દીનતાભર્યો દાસત્વભાવ નીચેની કાવ્યપંક્તિઓમાં સ્પષ્ટ તરી આવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેવો તેવો પુત્ર તમારો અણસમજુ અહંકારી રે,&lt;br /&gt;
પેટ પડ્યું તે અવશ્ય પાળવું, વાલમ જુઓને વિચારી રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ઊંચું તંબુ તાનીએ સબ ભાર તનીકું&lt;br /&gt;
ચાકરકી મોટપ કહાં સબ લાજ ધનીકું&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૪.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તોના હૈયામાં ભગવાનના ચરણારવિંદની લગની લાગેલી હોય છે. સદાય તેમનાં ચરણોમાં પોતાનું સ્થાન ઝંખે છે. બ્રહ્માનંદ સ્વામી ભક્તિરસની છોળો ઉડાડતા પોતાના હૃદયકમલાસને ભગવત ચરણોને ભજે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મેં પ્યાસી તેરે ચરણકમલકી ઓર ન મેરે આશ,&lt;br /&gt;
બ્રહ્માનંદ કમલ વિકસાવો સૂરજ સહજાનંદ રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૨.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને સાત્ત્વિક દીન હૃદયનાં આપણને દર્શન થાય છે. ‘લટકાળા તારે લટકે રે લેરખડા હું લોભાણી રે,’ ‘રે શિર સાટે નટવરને વરીએ,’ ‘રે સગપણ હરિવરનું સાચું, બીજું સરવે ક્ષણભંગુર કાચું’ જેવી પંક્તિઓમાં હરિ પ્રત્યેની નિરંતર રટણા, પ્રીતિની મક્કમતા અને દૃઢતા સદૃષ્ટાંત સચોટ રીતે વર્ણવ્યાં છે. તેઓના હૈયાના હોજમાં પ્રીતિની સરવાણીઓ ફૂટે છે અને તેનો આનંદ તેમનાં પદોમાં ફેલાય છે. તદુપરાંત તેઓના હૈયાનો ઊછળતો ભાવ અને તનમનાટ દૃષ્ટિગોચર થાય છે. પંચ વિષયના ત્યાગી એવા આ કવિ દેહની નશ્વરતા બતાવતાં કહે છે કે&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ તન રંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી,&lt;br /&gt;
અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરું આગેજી.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૯૩.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વેળાસર ચેતીને પ્રભુભક્તિમાં તલ્લીન થવા સૂચવ્યું ને યુવાનીના જોર અને તોરમાં મગરૂર બનેલા માનવીના અભિમાનનો ચિતાર સદૃષ્ટાંત આપ્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જોબન ધનનું જોર જણાવે છાતી કાઢી ચાલેજી,&lt;br /&gt;
જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૯૩.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તૃષ્ણાના પૂરમાં તણાતો જીવ જીવનયાત્રામાં શું મેળવે છે તેનો ખ્યાલ આપતાં કવિ બ્રહ્માનંદ કહે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભૂંડપ કેરૂં રે ભાતું તેં તો બાંધીયું રે&lt;br /&gt;
માથે લીધો મમતા કેરો બોજ રે.&lt;br /&gt;
બ્રહ્માનંદ કહે રે હરિ નવ ઓળખ્યા રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૫૪.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ બ્રહ્માનંદ ઢોંગી ગુરુનું રૂપ વર્ણવતાં કહે છે કે તેણે બાહ્ય ભેખ ધારણ કર્યો હોવા છતાં અંતરમાં મલિનતા ભારોભાર ભરેલી હોય છે. તેના જ્ઞાનનું તાન સ્ત્રીઓને રીઝવવામાં હોય છે. તેના હૈયામાં કામની ઝાળ જંપી હોતી નથી. કૂડકપટ કરી, લોકોને ઠગી પોતાની કાયાને પુષ્ટ કરે છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૭૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
માનવઉરની સનાતન લાગણી વિરહની છે. પ્રેમભક્તિથી કૃષ્ણમય બની ગયેલી ગોપીની કૃષ્ણદર્શનની ઉત્કંઠાભરી ઘેલછામાં તેના હૈયાની માદકતાનો સંકેત મળે છે. ગોપીના હૈયાની વિહ્વળતા, વિવશતા, બેચેની અને મૂક વેદના સ્પષ્ટ રીતે કવિ બ્રહ્માનંદે એક પદમાં વ્યક્ત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વાલા પહેલાં હરિયા પ્રાણ પ્રીત લગાડીને,&lt;br /&gt;
પછી મેલ્યા તમે માવ ડાબાં પાડીને.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૨૬–૬૩૦.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વર્ષાની કાળી ઘનઘોર ઘટાઓ, વીજળીનો ચમકાર, મેઘગર્જના, મોરના મીઠા ટહુકા વાતાવરણમાં આહ્લાદકતા લાવી વિરહિણીના હૈયામાં અકળામણ, ખળભળાટ, બળતરા મચાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
સખી ફાગણ મહીને ફાગ ખેલે નરનારી રે,&lt;br /&gt;
સખી અંતરે મારે આગ ન આવ્યા મોરારી રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૩૩, ૬૩૪.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં ‘આગ&#039; શબ્દ જ વિરહિણીના હૈયાની હોળી કેવી પ્રજ્વળે છે તેનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. આમ ઉત્કટ તલસાટને અંતે પ્રિયતમનાં દર્શને કેવળ આનંદના ઓઘ ઊમટે છે તેનું દર્શન નીચેની પંક્તિઓમાં છતું થાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી પૂરી સરવે હામ કે ભૂજ બળ ભીડી રે&lt;br /&gt;
સખી કીધી પૂરણ કામ કે કીધી બીડી રે&lt;br /&gt;
સખી છેલ છબીલા સાથે, કે ખાંતે ખેલું રે&lt;br /&gt;
હવે બ્રહ્માનંદના નાથ કે, પલક નહીં મેલું રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૩૩, ૬૩૪.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે જે ભવ્ય અને નવ્ય રાસ ખેલ્યો હતો તેનું નિરૂપણ કરતું રેણકી છંદમાં સુંદર રાસાષ્ટક બ્રહ્માનંદ કવિએ રચ્યું છે.&amp;lt;ref&amp;gt;છંદરત્નાવલી, પૃ. ૨૭ થી ૩૧.&amp;lt;/ref&amp;gt; તદુપરાંત અનેક પદો પણ રચ્યાં છે. શ્રીકૃષ્ણની મીઠી મોરલીના મીઠા સૂરોએ વધુ મીઠાશ અને માદકતા પૂરી. એ કામણગારી બંસીની વેધક અસરે વ્રજનારી હૈયે આકુળવ્યાકુળ બની ગઈ; તેનું તન અને મન ડોલી ઊઠ્યું. શ્રીકૃષ્ણ પાસે આવી ઉત્કંઠાભરી આવેલી ગોપીઓને શ્રીકૃષ્ણે જાકારો આપ્યો અને શીખ આપી કે પરપતિ પાસે લજ્જા લોપી રાત્રીએ વનમાં કેમ આવ્યાં? હજી તમારું હેત કોઈએ જાણ્યું નથી માટે પાછાં ચાલ્યાં જાઓ તો સારું– ત્યારે ગોપીઓ સ્ત્રીસહજ લજ્જા અનુભવે છે એ નીચેની પંક્તિમાં કવિએ ઝીલી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નીચું જોઈને રે ખણે અંગુઠે ધરણી.&amp;lt;ref&amp;gt;બ્રહ્માનંદ કાવ્ય, પૃષ્ઠ ૨૩૨&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી એકત્ર થઈ નીડરતાપૂર્વક શ્રીકૃષ્ણને સંભળાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ન ઘટે તમને એવું બોલ્યું બહુનામી,&lt;br /&gt;
જીવન મનની રે જાણો છો અંતરજામી.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૫૩૨.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓ વધુ આર્જવતાથી કહેવા લાગી કે : અમે સગાંસંબંધીઓનો ત્યાગ કરી તમારાં ચરણોમાં જ મન પરોવ્યું છે. સંસારની લાજ ત્યજી મીઠી મોરલીના તીખા તાને તમારી સન્મુખ ચાલ્યાં આવ્યાં છીએ. પાછાં ઘરમાં અમે શું મુખ લઈને જઈએ? માટે નિઃશંક થઈને રે હૈયાનો તાપ નિવારો. આવો અબળાના હૈયાનો અલૌકિક ભાવ નિહાળી મોરારિ ખૂબ રીઝ્યા, વનમાળીએ વ્રજનારીને કંઠે લગાવી બહુવિધ હાસ્યે અંતરની દાઝ બુઝાવી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રમે રાસ મનોહર રસિયો જરિયાન ફેંટો કટિ કસ્યો,&lt;br /&gt;
એક એક ગોપી એક એક કાનો મહાખેલ રચ્યો મસ્તાનો.&lt;br /&gt;
હેતે મર્મ કેરી કરે હાંસી, ખેલે નટવરકુંજ વિલાસી.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૨૩૪.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં મીઠાંમધુરાં શરીર પુલકાવતાં ચુંબનો ગોપીઓ અર્પે છે. મોહન પણ રાસ સમાધિમાં પ્રફુલ્લિત બને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગોપી મોહનનો કર ઝાલી, કરે ચુંબન મદમસ્તવાલી&amp;lt;ref&amp;gt; એ જ, પૃ. ૨૩૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
બાંહલડી બલવન્ત કેરી રે, ઝાલી તે વિનતા ઝૂલે&lt;br /&gt;
બ્રહ્માનંદનો વહાલો લહેરી રે, જોઈ જોઈને મનમાં ફૂલે.&amp;lt;ref&amp;gt; એ જ, પૃ. ૨૩૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
ગોવાલણી હરિસંગ ગાવે રે, કંઠ બાંહડલી નાંખીને&lt;br /&gt;
મુખ સાથે મેલાવે રે આંખ્યું સાથે આંખીને.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૨૩૬.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મોહન અને વ્રજનારી વિષેની કવિકલ્પના પણ નોંધપાત્ર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાણે શ્યામ ઘટા માંહે શોભે રે વીજ સરીખી વ્રજ નારી.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૨૩૬.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ચુસ્ત સંયમી વિરક્ત કવિએ મઘમઘતાં પ્રીતિભર્યું શૃંગારનાં પદોમાં રાસ રમતા શ્રીકૃષ્ણનું કરેલું શૃંગારી વર્ણન રસિકતાની મ્હેંક મૂકી જાય છે. આ કવિએ કૃષ્ણ-રાધાને કૃષ્ણગોપીની પ્રણય બેલડીને પોતાના કાવ્યસર્જનનો વિષય બનાવી છે. રાધાકૃષ્ણના રસિક, માર્મિક સંવાદોની ગૂંથણી સુંદર છે. રાધિકા પોતાની કેડે પડેલ કાનુડાને મીઠો ઠપકો આપી લોકલજ્જા રાખવાની શીખ આપે છે અને અન્ય ફેલ ત્યજવા વિનવે છે. પણ અંતે રીસ ટળી જતાં શ્રીકૃષ્ણ સાથે રસ એકતાર થઈ ગુલતાન બને છે. કવિ બ્રહ્માનંદ એ રંગીલી જોડ પર વારી જાય છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
કૃષ્ણ કનૈયાનાં કામણગારાં નયનોની ચોટ વર્ણવતાં કવિ બ્રહ્માનંદ તો નયનની એ મીટમાં ‘મોહનવેલ’નું દર્શન કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઘાયલ થઈ ઘરમાં પડી મારા પરવશ થઈ ગયા પ્રાણ,&lt;br /&gt;
કુંવર રંગીલા કહાનનાં લાગ્યાં નેણાં કેરાં બાણ,&lt;br /&gt;
લજ્યા ભૂલી લોકની, ભૂલી. પાણીડાંની હેલ.&lt;br /&gt;
બ્રહ્માનંદના નાથની કાંઈ મીટમાં મોહનવેલ.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૧૦, ૫૦૪, ૪૮.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાનુડાની નેણકટારીએ ગોપીનું હૈયું વિંધાઈ જાય છે. એ ચોટે ચિત્તડું ચોરાઈ જાય છે. અને હૈયામાં પ્રથમ દૃષ્ટિએ ચક્ષુરાગ થાય છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૧૦, ૫૦૪, ૪૮.&amp;lt;/ref&amp;gt; કૃષ્ણની મોરલીનો જાદુ કેટલો માદક છે તેનું વર્ણન કરતાં પદો આ કવિએ રચ્યાં છે પરંતુ ‘મોરલીઆં કોન મહા તપ કીનો’ ધ્રુવપંક્તિથી શરૂ થતા પદમાં મોહનના અધરામૃતનું સદાય રસપાન કરતી, શ્રીકૃષ્ણનું મુખાસન પ્રાપ્ત કરી ચૂકેલી મોરલી પ્રત્યે ગોપિકાને થયેલી સ્ત્રીસહજ ઈર્ષાનું દર્શન કવિએ કુશળતાપૂર્વક રજૂ કર્યું છે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૧૦, ૫૦૪, ૪૮.&amp;lt;/ref&amp;gt; તદુપરાંત બ્રહ્માનંદ કવિ કૃષ્ણની કામણગારી મોરલીની આહ્લાદક અને વેધક અસર વર્ણવતાં કહે છે કે મૃગલાં મોરલીના નાદે મોહિત થઈને તૃણજળનો ત્યાગ કરે છે, યમુનાનાં વહેતાં પાણી પણ થંભી જાય છે. વન-વેલીઓ અને પંખીઓ પણ પ્રફુલ્લિત બને છે. આમ મોરલીના તાનમાં ભાન ભૂલી ગુલતાન બનતી કુદરતનું વર્ણન ખરેખર કાવ્યમય છે.&amp;lt;ref&amp;gt;પૃ. ૪૦૫, ૪૬૬, ૮૬, ૮૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
મોરલીના મીઠા સૂરે ઘાયલ થયેલી ગોપીની વેદનાભરી સ્થિતિનું વર્ણન કવિ આ રીતે કરે છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોરલીના નાદે ઘાયલ થઈને ધરણી પર ઢળીએ રે&lt;br /&gt;
બ્રહ્માનંદ કહે દરદ ટળે નહીં, વેધી મને પાંસળીએ રે.&amp;lt;ref&amp;gt; પૃ. ૪૦૫, ૪૬૬, ૮૬, ૮૧.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બ્રહ્માનંદ કવિની કલ્પનાશક્તિ અને ચિત્રાત્મકતાનાં દ્યોતક કલ્પનાચિત્રો આસ્વાદીએ :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુન કમળ લોચન અણિયારે કાળે ભ્રમર છબીઆની,&lt;br /&gt;
છૂટે કેશ ઝુકે કુંડળ પર, મીન શીશું નાગની લપટાની.&amp;lt;ref&amp;gt;પૃ. ૪૦૫, ૪૬૬, ૮૬, ૮૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
છૂટે પેચ પાઘ ઉજલતે, લટકે લલિત બદન પર છાયે&lt;br /&gt;
માનો હંસ માનસર મુક્તા ચુનન કાજ આતુર ઉડી આવે.&amp;lt;ref&amp;gt;પૃ. ૪૦૫, ૪૬૬, ૮૬, ૮૧.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બ્રહ્માનંદ સ્વામીનાં કેટલાંક પદોમાં અર્થ-ગાંભીર્ય અને દુર્બોધતા જણાય છે. પરંતુ શબ્દાર્થ અને ભાવાર્થ સ્પષ્ટ થતાં, તેમણે યોજેલી શબ્દચમત્કૃતિ અને શબ્દમાધુર્યથી વાચક પ્રભાવિત થાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સિંધુસુતા પતિ ક્યું ન સંભારે,&lt;br /&gt;
જગઢંકન રિપુ તનયાપતિ રિપુ તામે નિશદિન ચિત્ત ધારે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૭૮.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં કામદેવ માટે જે શબ્દસમૂહ યોજ્યો છે તેમાં કવિની બુદ્ધિમત્તાનું દર્શન થાય છે. ‘મન&#039; માટે પણ તેમણે આ શબ્દસમૂહ યોજ્યો છે. ‘જગકો મિત્ર મિત્ર પતિ પિતુ અરિ તાકો પિતા તોરો ખેલ બિગારે.’&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૬૭૯.&amp;lt;/ref&amp;gt; બ્રહ્માનંદ કવિમાં નૈસર્ગિક બુદ્ધિમત્તાના પ્રભાવશાળી તર્કશક્તિયુક્ત કવિત્વશક્તિનાં દર્શન થાય છે. તેમની કવિતા નિર્મળ શીતળ ઝરાની માફક ભાવકની તૃષા તૃપ્ત કરે છે. એમનામાં ઉચ્ચપ્રકારની ભક્તાધીનતા, શરણ્યભાવ, પ્રેમ, દૃઢતાભરી ટેક જણાઈ આવે છે. તેમની કવિતા વાંચતાં જિજ્ઞાસુઓનાં હૈયામાં વિવેક જાગૃત થઈ, મોહ-મમતા, નષ્ટ થઈ, ભગવાનમાં લગની લાગે છે.&lt;br /&gt;
પ્રેમાનંદસ્વામી ‘પ્રેમસખી&#039; (ઈ. ૧૭૮૪-૧૮૫૫) – તેમને સહજાનંદ સ્વામીનો મેળાપ થયો હતો અને તેમણે તેમની પાસે દીક્ષા લીધી હતી. તેમની અનન્ય ભક્તિ જોઈને સહજાનંદ સ્વામી તેમને ‘પ્રેમસખી&#039; કહીને બોલાવતા. શ્રી સહજાનંદ સ્વામી પ્રત્યે પ્રગટપુરુષોત્તમપણાનો નિશ્ચય, તજ્જન્ય કેફ અને સંપૂર્ણ પ્રેમલક્ષણાભક્તિ તેમનાં પદોમાં સ્પષ્ટ તરી આવે છે. શ્રી સહજાનંદ સ્વામીના અંગે અંગનાં ચિહ્નો સુંદર, સુરેખ તાદૃશ્ય અને બહુ ઝીણવટભરી દૃષ્ટિથી તેઓએ વર્ણવ્યાં છે. પ્રેમસખીનાં અવિરત સ્નેહટપકતાં પદો પ્રેમલક્ષણા ભક્તિનાં દ્યોતક છે. ‘પ્રથમ શ્રીહરિને ચરણ શીશ નમાવું’, ‘આજ મારે ઓરડે રે’, ‘વંદુ સહજાનંદ રસ રૂપ&#039;, ‘કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું&#039;, ‘હું તો હીંડુ જીવન તમને જોતી, પ્રીત કરીને ચરણે પ્રોતી, તમે છો મારા નથડીનું મોતી&#039; વગેરે પદોમાં સહજાનંદ સ્વામી પ્રત્યેની પ્રીતિ પદે પદે, શબ્દે શબ્દે, ઊભરાય છે, જેમાં ભાવકનું હૈયું સદાય વળગી રહે છે. તેઓના હૈયામાં ઊભરાતા દાસત્વ, દીનતા, દઢતા અને આર્જવતાભર્યાં, સુકુમાર ભાવોનું સરસ આલેખન એમની કવિતામાં થયું છે. પ્રેમસખીની ભારોભાર એકનિષ્ઠા અને દૃઢતા, ભરોસો, નીચેની પંક્તિઓમાં મૂર્ત થાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
એક ભરોસો, એક બલ વારી એક આશ, વિશ્વાસ,&lt;br /&gt;
પ્રેમાનંદ કહે નાથજી મોયે સદા રાખીએ પાસ રે.&amp;lt;ref&amp;gt;પ્રેમાનંદ કાવ્ય ભા. ૧, પૃ. ૧૪૫.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમસખીની આ દૃઢ ટેકમાં નીડરતાભરી ખુમારીની પ્રતીતિ થાય છે. પ્રેમસખીની ગરબીઓમાં કલ્પનોડ્ડયન કરતાં ઉમળકાભરી ઊર્મિઓનો આવિષ્કાર સ્પષ્ટ જણાઈ આવે છે. તેમાં હૈયાની અનુભૂતિનો રણકો છે. સહજાનંદસ્વામી પ્રેમસખીનાં પ્રેમરસથી ઊભરાઈ જતાં પદો સાંભળીને ગળગળા થઈ જતા અને તેમની અતિશય પ્રશંસા કરતા. નીચેની પંક્તિઓમાં સહજાનંદજીનાં નયનોનું વર્ણન પણ એટલું જ કલ્પનાસભર છે. તેમણે નયનોને મીન, મૃગ, ખંજનપક્ષી અને શરદકમળ સાથે સરખાવ્યાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંચલ લોચન જોઈને લજ્જા પામ્યા તીન રે,&lt;br /&gt;
ખંજન કુરંગ વન વસ્યા જલ બૂડ્યાં મીન રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૯૩.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક પદમાં પણ એમણે આવો જ ભાવ નિરૂપ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ દોઉ નેના શરદકમલ સમ પ્રફુલ્લિત રતિરસમાતે,&lt;br /&gt;
નેનકમલ પર ભ્રકુટી ભ્રામર છાયે, લલચાયે મદરસમાતે.&lt;br /&gt;
મીન મધુ મૃગ ખંજન લાજે, ઠાડે અજીર બીચ લાલ મુસકાતે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૮૬, ૬૭૪, ૬૮.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભગવદચરણમહિમાને પણ સદાય પ્રીતિપૂર્વક તેમણે ગાયો છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેરી ચટકતી ચાખડી રે તમે રાજહંસ ગતિ ચાલોજી&lt;br /&gt;
પ્રેમાનંદ કહે એવા મારા રૂદિયાકમળમાં મહાલો રે,&lt;br /&gt;
હસ્તકમળ મૂકો મારે માથે હરો ને હૈયાના તાપ&lt;br /&gt;
પ્રેમાનંદ ઉર પર મોહન મૂકો ચરણછાપ.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૮૬, ૬૭૪, ૬૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
મેં તો ગુનેગાર તેરા રે હો સ્વામીન મેરા.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૩૮૬, ૬૭૪, ૬૮.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જેવાં પદોમાં પ્રેમસખીએ દીનતાનો ભાવ પંક્તિએ પંક્તિએ વધાર્યો છે. જેમાં સાત્ત્વિક દીનહૃદયની બાનીનાં દર્શન થાય છે. પ્રેમસખીની ઉત્કટ પ્રેમભક્તિ અરસપરસ એકતાર છે. જેમ પટોળે ભાત પડે તેવી હૈયામાં પ્રીતિ ઉદ્ભવી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જીવસાટે જગ્યા જાદવા, હવે ન મેલુ દિવસ ને રાત રે.&lt;br /&gt;
શિરસાટે છો સાહેબા, મારી આંખલડીના તારા રે&lt;br /&gt;
તનડાનું તાવિત છો, તમે પ્રેમાનંદના પ્યારા રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૪૭૧.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપરની પંક્તિઓમાં કવિના હૈયામાં જન્મેલી કૂણી લાગણીઓ તેમની ઉત્કટ પ્રીતિના પ્રતિબિંબ રૂપે છે. તેમની પ્રીતિની મક્કમતા અને દૃઢતા સદૃષ્ટાંત નીચેની પંક્તિઓમાં સ્પષ્ટ થઈ ધ્યાનપાત્ર બને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મારે લાગો રે હરિવરથી નેડો, સાહ્યો સહજાનંદ સ્વામીનો છેડો,&lt;br /&gt;
નેડો લાગો રે હવે નવ છૂટે, જેમ હીરો તે ફોડતાં કેદી ન ફૂટે.&lt;br /&gt;
હું તો વળગી રે હરિવરની બેલી, જેમ કલ્પતરુ સાથે વેલી,&lt;br /&gt;
મારા વહાલાથી હું નવ થાઉં અળગી, જેમ મેઘ સંગાથે ચપળા વળગી.&lt;br /&gt;
પ્રેમાનંદની પ્રીતિ હરિ સાથે, જેમ રેખા તે ખેંચી વજ્રને માથે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૮૭, ૩૬૦.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આ કવિના સૂક્ષ્મ મુલાયમ ભાવો સહજ બાનીમાં વહેતા જણાય છે. પ્રેમસખીએ પોતાના ઇષ્ટદેવ સહજાનંદ સ્વામીના અંતર્ધ્યાન પછી ‘સજની શ્રીજી મને સાંભરિયારે’ હૃદયસ્પર્શી વિરહ વ્યક્ત કરતી રચેલી ગરબીઓ છે. જેમાં સહજાનંદની નિત્ય ક્રિયાઓને વણી લીધી છે. એ દૈનિક ક્રિયાનાં સુખદ મીઠાં સ્મરણો કવિના હૈયાને અને ચિત્તને ચીરી નાખે, હચમચાવી નાખે તેની હૃદયદ્રાવક વિરહ-વ્યથા ઉપજાવે છે. સહજાનંદસ્વામીના સાંનિધ્યમાં જે સો ગણું સુખ હતું તેને સ્થાને હવે તેમના અંતર્ધ્યાન થવાથી કવિને દુઃખનો દવ લાગે છે. પ્રેમસખીએ વ્રજનારી સાથેની કૃષ્ણની રસકેલી વર્ણવતાં શ્રીકૃષ્ણે નૈષ્ઠિકવ્રત મેલ્યા વિના કામકળામાં કુશળતા બતાવી કામાતુર કામિનીઓને સંતોષી તેનું વર્ણન નીચેની પંક્તિઓમાં કર્યું છે તે રસપ્રદ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કુંજ મેં કરત રસકેલી વ્રજનારી સંગ મદનમોહન નંદલાલ પ્યારે,&lt;br /&gt;
કંઠ ભૂજા મેલી કરી પરસ કુચ સરસ હરિ દેત અધરામૃત કૃષ્ણકારે,&lt;br /&gt;
મદન મદ હરન કરી રાસ લલના સંગ, રાખ્યો બ્રહ્મચર્ય નંદદુલારે.&amp;lt;ref&amp;gt; એ જ, પૃ. ૧૮૭, ૩૬૦.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં ભાવવ્યંજના અને રસિક શૃંગારભાવદર્શન દૃષ્ટિગોચર થાય છે. પ્રેમસખીની ભાષા નમ્ર વિનયભરી સરળ છે, એટલું જ નહિ સંગીતશાસ્ત્ર અનુસાર ગાવા માટે અનુકૂળ છે. તેમના ગ્રંથોમાં મુખ્ય ‘ધ્યાનમંજરી’, ‘નારાયણચરિત્ર’, ‘વિવેકસાર’, ‘તુલસીવિવાહ’, ‘ગોપીવિરહ’, ‘શ્રીહરિચરિત્રામૃત&#039; છે. આ ઉપરાંત ઘણાં પદો એમણે લખ્યાં છે.&lt;br /&gt;
નિષ્કુળાનંદસ્વામી (ઈ. ૧૭૬૬-૧૮૪૮) – વૈરાગ્યપ્રિય કવિ નિષ્કુળાનંદસ્વામીએ તેમનાં પદોમાં વૈરાગ્યનો પ્રધાન સૂર રેલાવ્યો છે. ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના&#039; એ પદમાં વૈરાગ્યની મહત્તા ગાઈ તેનું દોહ્યલાપણું પ્રગટ કર્યું છે. ઉત્તરોત્તર વૈરાગ્ય દૃઢ થતાં વૈરાગી જીવ સુખસંપત્તિ, માલભંડાર, ઉપરછલ્લો વૈભવ ત્યજે છે. કંચન અને કામિનીનો ત્યાગ કરી ભેખને સ્વીકારે છે. વૈરાગ્ય સરળ નથી એ કવિ પોતે કહે છે. વિષયઘાવ વૈરાગ્યભર્યા નિર્વેદ વિના રૂઝાતા નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈરાગ્ય વિના વિષયસુખનો અંતરે ન થાયે અભાવ.&lt;br /&gt;
નિષ્કુળાનંદ નિર્વેદ વિના રૂઝે નહીં વિષય ઘાવ.&amp;lt;ref&amp;gt;નિષ્કુળાનંદકાવ્ય, ‘સારસિદ્ધિ&#039;, પૃ. ૧૪૭.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ બૃહત્ વૈરાગ્ય એ વણમૂલું છે જે સદા સુખદાયક છે. જેમ ગ્રીષ્મ ઋતુમાં બીજ બહાર દેખાતું નથી પરંતુ ‘ઘન વરસે વન પાંગરે&#039; તેવી રીતે પ્રસંગ મળતાં ષડ્રિપુઓ પાંગરે છે. તેનો ચિતાર કવિ નિષ્કુળાનંદે આ રીતે આપ્યો છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઉષ્ણ રીતે અવનિ વિષે, બીજ નવ દીસે બહારજી;&lt;br /&gt;
ઘન વરસે નવ પાંગરે, ઇન્દ્રિયવિષય આગરજી.&amp;lt;ref&amp;gt;નિષ્કુળાનંદકાવ્ય, ‘સારસિદ્ધિ&#039;, પૃ. ૧૪૭.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચો જોગી તે જ જેને મન સાંસારિક સાહ્યબી ક્ષણભંગુર છે અને તે આત્મદર્શી બની દેહનું મિથ્યા લાલનપાલન કરતો નથી. તેને હરિચરણની ચાહ અને હરિ ભજવાનું તાન હોય છે, અને હરહંમેશ હરિમૂર્તિમાં તેનું મન વળગી રહે છે. સંત અસંતની નિરનિરાળી રીતની ભિન્નતા કવિ નિષ્કુળાનંદજી નીચેના પદમાં સ્પષ્ટ કરે છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું&lt;br /&gt;
એક ઇચ્છે નીરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું&lt;br /&gt;
&lt;br /&gt;
એક ઇચ્છે પુરાણું પટ પેરવા, એક ઇચ્છે અંબર નવીન&lt;br /&gt;
એક ઇચ્છે રે&#039;વા ઉજળા, એક રહે મને મલિન&lt;br /&gt;
એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ લેખે નહિ.&amp;lt;ref&amp;gt;નિષ્કુળાનંદકાવ્ય, પૃ. ૧૬૮.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ એક માયિક મોટપ ઇચ્છે છે જ્યારે બીજો ઇચ્છતો નથી, એક માન વધારવા ઇચ્છે છે જ્યારે બીજો નિર્માનીપણું ઇચ્છે છે. એક વિષયસુખ માણવા ઇચ્છે છે જ્યારે બીજો તે પ્રત્યે ઉદાસીનતા સેવે છે. આમ ભક્ત અભક્તના ભાવો, સ્પષ્ટપણે જુદા તરી આવે છે.&lt;br /&gt;
‘પરોપકારાય સતાં વિભૂતયઃ’ આવા શીતળ અમીઝરણાં સમાન સ્નેહાશિષ વર્ષાવતા સંતો જીવનને ધન્યતા અર્પી શાશ્વતસુખ અર્પે છે. સંતના હૈયે સદાય હરિ વસે છે માટે તે સુખનું ધામ બને છે. કવિ નિષ્કુળાનંદે તેથી જ કહ્યું છે કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ&lt;br /&gt;
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાનાં વેણ&lt;br /&gt;
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથની,&lt;br /&gt;
જેના જીભમાં જીભા જીવનની, જેના પાવમાં પ્રભુના પાવ&lt;br /&gt;
જેમ હીરો હીરા વડે વેધીએ તે થયો તે સહજસ્વભાવ.&amp;lt;ref&amp;gt;રાજકોટ ગુરુકુલ, કીર્તનાવલી હજારી, પૃ. ૪૨૩.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જનનીની જેમ સંત દયાભાવે કુટેવો દૂર કરવા ઇચ્છી સાચા સુખની વાત સમજાવે છે તેનું વર્ણન કરતાં કવિ નિષ્કુળાનંદ કહે છે કે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ&lt;br /&gt;
અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ;&lt;br /&gt;
જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા એળ્યનું અંગ&lt;br /&gt;
તેમ સંત વચન કટુ કહે આપવા આપણો રંગ.&amp;lt;ref&amp;gt;નિષ્કુળાનંદકાવ્ય, પૃ. ૧૬૯.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આમ સાચા સંતો શોકનું મૂળ અને મોહમાયાનું મૂળ ઉખેડી નાખીને સંસારના તાપને ટાળે છે. જ્ઞાનનાં અંજન આંજી અજ્ઞાનનાં તિમિર દૂર કરે છે. આ કવિએ ‘ભક્તચિંતામણિ’ ગ્રંથ રચ્યો છે, જેમાં સહજાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમનારાયણ માની તેમના જન્મથી માંડી અંતર્ધ્યાન થયા સુધીના અનેક પ્રસંગો અને તેમણે કરેલાં લીલાચરિત્રો પરમ દિવ્યભાવે વર્ણવ્યાં છે. ‘યમદંડ&#039; નામના ગ્રંથમાં સંસારી જીવોને યમ કારમી યાતનાભરી સજાઓ કરે છે તેનો ચિતાર વર્ણવ્યો છે. ‘ધીરજાખ્યાન&#039;માં પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્વન્દ્ર, રંતિદેવ, મયૂરધ્વજ અને બીજા અનેક ભક્તો તેમજ તપસ્વી રાજાઓ અને ઋષિઓની પ્રભુએ કરેલી કસોટી અને તેમને મળેલી સફળતા દર્શાવતાં દૃષ્ટાંતો છે. ‘પુરુષોત્તમ પ્રકાશ’માં કવિએ સહજાનંદ સ્વામીને પ્રગટ પુરુષોત્તમ માની તેમનાં લીલા અને મહિમા વર્ણવ્યાં છે. ‘વચનવિધિ’માં મનગમતું મેલી હરિનાં વચન પ્રમાણે વર્તવા કવિ કહે છે. સાચા સંતો સંસારમાં હંમેશાં હરિવચને જ રહે છે. તેઓ આકરા આપત્કાળમાં લેશમાત્ર વચનલોપ કરતા નથી. ‘સારસિદ્ધિ&#039;માં કવિ પુરુષોત્તમ રૂપ સહજાનંદનો રાજીપો મેળવી લેવા કહે છે. પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થતાં કશી કમી રહેતી નથી એમ સમજવામાં સઘળો સાર છે. ‘ભક્તિનિધિ&#039;માં કવિએ ભક્તિનાં મહત્ત્વ અને મહિમા વર્ણવ્યાં છે. ભગવાને ભક્તની અનહદ ભક્તિ નિહાળી અનેક અવતારો ધારણ કર્યા છે તેનો ઉલ્લેખ કવિએ કર્યો છે. ‘સ્નેહગીતા&#039;માં કવિએ સ્નેહે પરમાત્મા પ્રસન્ન થાય છે એમ ગાયું છે. હરિના દાસનું હૃદય સ્નેહ વિના શોભતું નથી એમ કહીને વ્રજનારીને સ્નેહની મૂર્તિ રૂપે વર્ણવી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
દેવાનંદસ્વામી (ઈ.૧૮૦૩-૧૮૫૪) દેવાનંદસ્વામીની ગરબીઓ મધુર અને સંગીતતત્ત્વવાળી છે. આ કવિનાં પદો ધન, ધામ, ધરાનું અનિત્યપણું દર્શાવી પ્રભુપદમાં બોધ આપનારાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કર પ્રભુ સંગાથી દૃઢ પ્રીતડી રે, મરી જાવું, મેલીને ધનમાન,&lt;br /&gt;
અંતકાળે સગું નહીં કોઈનું રે.&amp;lt;ref&amp;gt;જીવરાજ બી. ગજ્જર કૃત, કીર્તનાવલી હજારી, પૃ. ૮૨.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દેવાનંદસ્વામી મિથ્યા માયાના મોહમાં અંધ બનેલ માનવીને માર્મિક સપાટાઓથી ચેતવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચિંતા ઘણી ચિત્તમાં ભરી રે, હાલ ભૂંડા હેરાન&lt;br /&gt;
ફૂટેલ હૈયું ને ફેલ આવડે, હાંરે મિથ્યા મોટપનું માન&lt;br /&gt;
જૂઠાબોલો, નથી જાણતો રે માથે મરવાની ઘાત,&lt;br /&gt;
દેવાનંદ કહે જમ આવશે, હાં રે માર નૂરખ ખાત –&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૮૦, ૮૧, ૮૩, ૮૪, ૮૫.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંસારમાં રચ્યાપચ્યા રહેતા, સુખસાહ્યબીમાં તરબોળ બનેલા જીવને શિખામણના બે બોલ કવિ આ પ્રમાણે કહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;હરખ શોકની નદીઓ મોટી, તેમાં જાય તણાણો,&lt;br /&gt;
દેવાનંદ કહે હરિ ભજ્યો નહિ, ઘણે દુ:ખે ઘેરાણો.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૮૦, ૮૧, ૮૩, ૮૪, ૮૫.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ધન જોબનના જોરે ફાટી આંખે ફરતા માનવીને કઠણ કરાળ કાળનો ડર રાખવા અને પ્રભુ સંગે પ્રીત બાંધવાનો કવિએ ઉપદેશ આપેલ છે. આ કવિએ ચિંતામણીતુલ્ય મનુષ્ય દેહની દુર્લભતા અને સાર્થકતા વર્ણવી છે. તેને એળે ન ગુમાવતાં હરિગુણ ગાવા તેઓ કહે છે. સંસારનું વિષયસુખ ઝેર તુલ્ય માની ત્યાગ કરવા તેઓ બોધ આપે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોતી સરીખો કણ લઈ મૂરખ ઘંટીમાં દળે&lt;br /&gt;
બાવળીયાનું બી બોયે, આંબો કેમ ફળે?&lt;br /&gt;
કસ્તૂરી ને કેવડો, લઈ તેલમાં તળે,&lt;br /&gt;
મનુષ્ય દેહ પામી વિષયમાં મળે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૮૦, ૮૧, ૮૩, ૮૪, ૮૫.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિની નીચેની પંક્તિઓ એક સુંદર કલ્પનાની ઝલક મૂકી જાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોગ સંસારી ભોગવી કોઈ તૃપ્ત ન થાયજી,&lt;br /&gt;
ઇન્દ્રિયો ઊંડી અપાર છે, વિષય નીરે ન ભરાયજી.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૪; ૯૧.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કવિ કુપાત્રને દાન દેવું તે ખારામાં બીજ બોવા જેવું ગણે છે. કામી, ક્રોધી, લોભી, લંપટ, કૂડાબોલા જનો હોય તેમને અન્ન, વસ્ત્ર, ધન આપવું તે શેકીને બી વાવવા જેવું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વિવેકી નરને એમ વિચારીને જોવું,&lt;br /&gt;
કુપાતરને દાન દેવું, તે બીજ ખારામાં બોવું રે&lt;br /&gt;
કામી, ક્રોધી, લંપટ, કૂડાબોલા કાવે રે&lt;br /&gt;
અન્નવસ્ત્ર, ધન તેને આપે તે શેકી બી વાવે રે.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૧૦૪; ૯૧.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તેમના બોધપ્રધાન ચાબખાઓ એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભોજા પછી અગત્યનું સ્થાન અપાવે છે.&lt;br /&gt;
મંજુકેશાનંદ સ્વામી (જ. ૧૯મી સદી પૂર્વાર્ધ – અવ. ૧૮૬૩) મંજુકેશાનંદ સ્વામીએ પણ મનુષ્યદેહની દુર્લભતા, સંસારની અસારતા, ધન, ધામ, ધરા અને દારાની અનિત્યતા પર ભાર મૂક્યો છે. તેઓને જણાયેલાં અનિષ્ટો, અધઃપતન અને આડંબરનો ઉપહાસ કર્યો છે. ખોટા ઢોંગી ગુરુને શરણે જવાથી કલ્યાણ સધાતું નથી તે અનેક સચોટ દૃષ્ટાંતો આપી. કવિ સમજાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાવળમાં આંબા બુદ્ધિ લાવે, તેને કેરી કદીયે ન આવે&lt;br /&gt;
તેની શૂળ વાગી પીડા આવે, શું સમજીને!&lt;br /&gt;
&lt;br /&gt;
વળી નપુંસકની નારી કહાવે, તેને પુત્ર તણું સુખ નવ આવે,&lt;br /&gt;
તેને રાત દિવસ દુઃખમાં જાવે, શું સમજીને!&amp;lt;ref&amp;gt;ભૂમાનંદકાવ્ય પૃ. ૪૮.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિનાં આવાં છૂટક પદો ઘણાં પ્રખ્યાત છે. તેમણે એકાદશી માહાત્મ્યની પદ્યકૃતિમાં બારેમાસની એકાદશીની કથા અને માહાત્મ્ય વર્ણવ્યાં છે. ‘ધર્મપ્રકાશ&#039;માં ધર્મ-અધર્મનો પરિવાર વર્ણવ્યો છે. ‘નંદમાલા&#039;માં નામમાળાની ગૂંથણી કરી છે. એમાં સહજાનંદ સ્વામીના સંપર્કમાં આવેલા પાંચસો પરમહંસોને નંદમાલાના મણકા બનાવ્યા છે. તેમનાં નામ, કાર્ય, ગુણ અને સ્વભાવની દૃષ્ટિએ જુદાં જુદાં વર્ણવી બતાવ્યાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભૂમાનંદ (ઈ.૧૭૯૬-૧૮૬૮) : એમનાં પદોમાં લાલિત્ય, રસસિંચન અને ઉત્તમ ભાવ જણાય છે. ‘ઘનશ્યામ લીલામૃત ભાગ ૧-૨&#039; દોહા ચોપાઈમાં રચેલો ગ્રંથ છે. પૂર્વાર્ધમાં સહજાનંદસ્વામીનું બાલચરિત્ર અને ઉત્તરાર્ધમાં સત્સંગમાં તેમનું વિચરણ રજૂ કરેલ છે. &lt;br /&gt;
તેમણે બારમાસની તિથિઓ, વિરહનાં પદો રચ્યાં છે. ‘જીવ જોને તપાસી તારું, કુણ છે રે?’ જેવાં પદો દ્વારા જ્ઞાનોપદેશ આપ્યો છે. લોકલાજમાં રચ્યાપચ્યા સંસારી માનવીને મીઠી ટકોર કરતાં ચેતવે છે કેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દેખીને દીકરા દીકરી, કુળ કુટુંબ પરિવાર,&lt;br /&gt;
&lt;br /&gt;
માન પામી ફૂલ્યો મનમાં, રે થયો કુળનોમજૂર,&lt;br /&gt;
લીધો પત્થર લોકલાજનો, ધારી નાતની ધૂર,&amp;lt;ref&amp;gt; એ જ, પૃ. ૫૬, ૫૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
બાલપણ ખેલમાં ખોઈ, જુવાની જીવતી જોઈ,&lt;br /&gt;
વૃદ્ધપણે ચિંતા ભારી, તેમાં મેલ્યા નાથ વિસારી.&amp;lt;ref&amp;gt;એ જ, પૃ. ૫૬, ૫૪.&amp;lt;/ref&amp;gt;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બાળપણ, યૌવન અને વૃદ્ધાવસ્થામાં માનવી કઈ રીતે ભગવાન ભજવામાં અસમર્થ બને છે તેનું અહીં દર્શન થાય છે. આ સ્વામીની હોરીઓ તથા કુંડલિયા જ્ઞાનથી ભરેલા છે. ‘જમો થાળ જીવન જાઉં વારી&#039; ધ્રુવપંક્તિવાળો તેઓએ રચેલો થાળ તેમની ભાવવાહી હૈયાની ઊર્મિનો દ્યોતક છે.&lt;br /&gt;
આ પછી ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જતાં પણ ઘણા સ્વામિનારાયણી સાધુ કવિઓએ કાવ્યો-પદો રચ્યાં છે પણ એનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સમાવેશ થતો નથી.&lt;br /&gt;
સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓએ થાળ, આરતી, હાલરડાં, ઉદ્ધવસંદેશ, બારમાસી, તિથિઓ અને અનેક ઉત્સવો તેમજ શ્રીકૃષ્ણની દાણલીલાથી માંડી રાસલીલા સુધીનાં અનેક સુંદર ભાવવાહી કાવ્યો રચી અનેક સાહિત્યપ્રકારો ખેડ્યા છે. આ કવિઓએ મહિના, તિથિ, વાર, બારમાસી દ્વારા ગોપીવિરહનાં પદો રચ્યાં છે. એમાં રાધા, ગોપીઓની વિરહવેદનામાં સ્ત્રી-સુલભ સંવેદન અને વેદનાનું ભાવકલ્પન આવેશભરી રીતે મૂર્ત કર્યું છે : જેમ પતંગિયું અગ્નિ સાથે પ્રીત કરીને પોતાના પ્રાણનું બલિદાન આપે છે, ભ્રમરપંકજથી પ્રીત કરીને કમળકોશમાં કેદ બને છે, મૃગ સંગીતના નાદથી મુગ્ધ બની શિકારીનો શિકાર બને છે તેમ કાનુડાના વિરહે ગોપીની દશા અત્યંત કફોડી બને છે. તેનું પ્રેમભૂખ્યું હૃદય કાનુડાને જ ઝંખે છે. પ્રેમલક્ષણાભક્તિથી ઘેલી બનેલી ગોપી કૃષ્ણમય બની જાય છે. આ કવિઓએ ઉત્સવનાં પદો રચ્યાં છે. એમાં હોળીનાં પદો ખાસ ધ્યાનપાત્ર છે. તેમાં સુરેખ, સચોટ અને મર્મવેધી વર્ણનો છે.&lt;br /&gt;
પ્રેમસખી, બ્રહ્માનંદ વગેરેનાં પદો સારા ગવૈયાઓને પ્રેરણા અને પાથેય પૂરાં પાડે તેવાં છે, કેમકે તેમાં રાગ, સ્વર અને તાલની સુંદર ગોઠવણી કરેલી છે. આ કવિઓનો કહેવાનો ઢંગ ઉપદેશાત્મક છે, તેમની પદશૈલી વર્ણનાત્મક છે છતાં હૃદયને આર્દ્રતાથી ભીંજવી જાય છે. તેમની રચનાઓમાં સરસતા, સરળતા, ભાષાલાલિત્ય, વર્ણનોની મનોહરિતા, વૈરાગ્યની તીવ્રતા, સ્વાભાવિક કલાત્મકતા ભાવકના હૈયામાં મીઠું સંવેદન જગાડે છે. આ કવિઓ માનવજીવનના સંકુલપટના તારે તારે ફરી વળી, જીવનના અનેકવિધ મર્મોને પોતાના પ્રતિભાપ્રકાશથી આલોકિત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
{{right|– મહેન્દ્ર પંડ્યા}}&lt;br /&gt;
&lt;br /&gt;
 &lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous =ઉત્તરકાલીન ભક્તિપદો – ભક્તિનાં પદો&lt;br /&gt;
|next = દયારામ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112912</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112912"/>
		<updated>2026-07-21T07:30:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} &amp;#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&amp;#039;નો આ શોધિત-વર્ધિત બીજો ગ્રંથ (ખંડ-૨) ઈ. ૧૬૫૦થી ઈ. ૧૮૫૦ સુધીના મધ્યકાળના અંતિમ ચરણના સાહિત્યનું પ્રવાહદર્શન કરાવે છે. અહીં પ્રેમાન...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&#039;નો આ શોધિત-વર્ધિત બીજો ગ્રંથ (ખંડ-૨) ઈ. ૧૬૫૦થી ઈ. ૧૮૫૦ સુધીના મધ્યકાળના અંતિમ ચરણના સાહિત્યનું પ્રવાહદર્શન કરાવે છે. અહીં પ્રેમાનંદ, શામળ અને દયારામ એ પ્રમુખ કવિતાઓના કાર્ય-પ્રદાનની મૂલવણી ઉપરાંત એ સમયગાળાના જૈનસાહિત્યની, આખ્યાનકવિતા અને પદકવિતાની ચર્ચા છે. સમગ્ર મધ્યકાળને આવરી લેતા કથાપ્રવાહની, સંતકવિતાધારાની, ગદ્યસાહિત્ય અને લોકસાહિત્યની તેમજ પરિશિષ્ટરૂપે મધ્યકાલીન કથાસામગ્રીનાં કથાઘટકો અને કથાપ્રકૃતિની તેમજ પદ્યસાહિત્યના છંદોબંધની વાતને પણ આ ખંડ આવરી લે છે.&lt;br /&gt;
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. &#039;ગુજરાતી સાહિત્યકોશ&#039;માંની એમની કામગીરીનો લાભ પણ મળ્યો હોવાથી આ સંપાદન વિશદતા અને એકવાક્યતા વધારનારું બન્યું છે. આ ગ્રંથમાંની સામગ્રી પ્રમાણભૂત અને શાસ્ત્રીય છે ને એથી ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને એ ઉપકારક બની રહેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{rh|||&#039;&#039;&#039;– ચિમનલાલ ત્રિવેદી&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;પરામર્શક}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદક-પરિચય&lt;br /&gt;
|next = જૈનસાહિત્ય – ૨&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112911</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112911"/>
		<updated>2026-07-21T07:29:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} &amp;#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&amp;#039;ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ બીજો ગ્રંથ (ખંડ-૧) ઈ. ૧૪૪૦થી ઈ. ૧૬૫૦ સુધીના સાહિત્યનું પ્રવાહદર્શન કરાવે છે. મધ્યકાળનાં સાહિ...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&#039;ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ બીજો ગ્રંથ (ખંડ-૧) ઈ. ૧૪૪૦થી ઈ. ૧૬૫૦ સુધીના સાહિત્યનું પ્રવાહદર્શન કરાવે છે. મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપોની ગતિવિધિનો આલેખ આપતો, એ સમયગાળાના જૈન સાહિત્યને અવલોકતો તથા નરસિંહ-મીરાં-અખો જેવાં પ્રમુખ અને અન્ય સર્જકોનાં કાર્ય-પ્રદાનની વિસ્તૃત મૂલવણી કરતો આ ખંડ અખા પછીની જ્ઞાનમાર્ગી કવિતાની ચર્ચા આગળ પૂરો થાય છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભમળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે.&lt;br /&gt;
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. &#039;ગુજરાતી સાહિત્યકોશ&#039;માંની એમની કામગીરીનો લાભ પણ આ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી આ સંપાદન વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે. આ ગ્રંથમાંની સામગ્રી પ્રમાણભૂત અને શ્રદ્ધેય હોવાથી ગુજરાતી સાહિત્ય ઇતિહાસના અભ્યાસીઓને એ ઉપકારક બની રહેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{rh|||&#039;&#039;&#039;– ચિમનલાલ ત્રિવેદી&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;પરામર્શક}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદક-પરિચય&lt;br /&gt;
|next = ભૂમિકા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112910</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૨/સંપાદક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A8/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112910"/>
		<updated>2026-07-21T07:08:13Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય}} &amp;lt;center&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;ઉમાશંકર જોશી&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;/center&amp;gt; center {{Poem2Open}} &amp;#039;&amp;#039;&amp;#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&amp;#039;&amp;#039;&amp;#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદક-પરિચય}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉમાશંકર જોશી&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Umashankar-Joshi.jpg|200px|center]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&#039;&#039;&#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.&lt;br /&gt;
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :&lt;br /&gt;
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– મણિલાલ હ. પટેલ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:20. Anantray raval.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ.&lt;br /&gt;
તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા.&lt;br /&gt;
તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;— દર્શના ધોળકિયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;યશવંત શુક્લ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;યશવંત પ્રાણશંકર શુક્લ&#039;&#039;&#039; (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|✼ ✼ ✼}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112909</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/સંપાદક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112909"/>
		<updated>2026-07-21T07:06:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય}} &amp;lt;center&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;ઉમાશંકર જોશી&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;/center&amp;gt; center {{Poem2Open}} &amp;#039;&amp;#039;&amp;#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&amp;#039;&amp;#039;&amp;#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદક-પરિચય}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉમાશંકર જોશી&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Umashankar-Joshi.jpg|200px|center]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&#039;&#039;&#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.&lt;br /&gt;
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :&lt;br /&gt;
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– મણિલાલ હ. પટેલ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:20. Anantray raval.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ.&lt;br /&gt;
તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા.&lt;br /&gt;
તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;— દર્શના ધોળકિયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;યશવંત શુક્લ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;યશવંત પ્રાણશંકર શુક્લ&#039;&#039;&#039; (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|✼ ✼ ✼}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112908</id>
		<title>રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112908"/>
		<updated>2026-07-21T06:42:44Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સર્જક-પરિચય|દીપક મહેતા (જન્મ ૨૬ નવે. ૧૯૩૯)}}&lt;br /&gt;
[[File:Deepak Mehta.jpg|frameless|center|250px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અઠંગ અભ્યાસ અને નિષ્ઠાપૂર્વક સંશોધનનું સમાનાર્થી નામ એટલે દીપક મહેતા. પાંચ દાયકાથી વધુ સમયથી એમણે ગુજરાતી સાહિત્યનાં વિવેચન, સંપાદન, સાહિત્યિક ઇતિહાસલેખન અને ગુજરાતની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાના દસ્તાવેજીકરણ ક્ષેત્રે અવિરત અને નોંધપાત્ર કાર્ય કર્યું છે. વિદ્યાર્થીકાળમાં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં બ.ક. ઠાકોર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીપક મહેતાએ ઓગણીસમી, વીસમી અને એકવીસમી – એમ ત્રણ સદીના ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે એક વિશિષ્ટ અને વિશ્વસનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.&lt;br /&gt;
કાર્યકાળની શરૂઆતમાં કે. જે. સોમૈયા કોલેજમાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક. ત્યારબાદ પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે કાર્યરત રહ્યા પછી એક દસકો નવી દિલ્હીમાં લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના ભાષા સાહિત્ય-વિશેષજ્ઞ તરીકે તેમ જ મુંબઈ ખાતે યુ.એસ. ઇન્ફોર્મેશન સર્વિસમાં કલ્ચરલ અફેર્સ સ્પેશ્યાલિસ્ટ તરીકે તેમણે ભારતીય અને વૈશ્વિક સાહિત્ય વચ્ચે જ્ઞાનવિનિમય, ગ્રંથસંગ્રહ અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપ્યું.&lt;br /&gt;
દીપક મહેતાએ લેખક, સંપાદક, અનુવાદક અને સંકલનકાર તરીકે પચાસથી વધુ ગ્રંથો આપ્યા છે. ખાસ કરીને ઓગણીસમી સદીના ગુજરાતી સાહિત્ય, મુદ્રણસંસ્કૃતિ, પત્રકારત્વ, અને ગુજરાતી ગ્રંથપ્રકાશનના ઇતિહાસ અંગેનું તેમનું સંશોધન ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનમાં એક મહત્વપૂર્ણ પ્રદાન છે. સંપાદક તરીકે ‘માતૃવંદના’ના પાંચ ભાગ ઉપરાંત, &#039;વિશ્વની શ્રેષ્ઠ નવલકથાઓ&#039;, &#039;મુનશીનો વૈભવ&#039; મોખરે છે. અગ્રણી સામયિકો અને અખબારોમાં તેમણે વિવેચનલેખો, સંશોધનલેખો, પુસ્તકોની સમીક્ષાઓ, મુલાકાતો અને અનુવાદોનું વિશાળ લેખન કર્યું છે. સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત &#039;Anthology of Modern Indian Literature&#039;, તથા &#039;Encyclopedia of Indian Literature&#039; જેવાં મહત્ત્વનાં પ્રકાશનોમાં તેમનું સંપાદકીય અને લેખન-યોગદાન ગુજરાતી સાહિત્યને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં પ્રતિષ્ઠિત બનાવે છે. &lt;br /&gt;
મુંબઈ સમાચારમાં બાર વરસ સુધી પ્રગટ થયેલી લોકપ્રિય &#039;વર્ડનેટ&#039; કૉલમ દ્વારા તેમણે સાહિત્ય-ચિંતનને સામાન્ય વાચકો સુધી સરળ અને રસપ્રદ રીતે પહોંચાડ્યું છે. એ જ રીતે કોઈ પણ એક જ શહેર વિશે સતત સાત વરસથી ગુજરાતી મિડ-ડેમાં પ્રગટ થતી &#039;ચલ મન મુંબઈ નગરી&#039; કૉલમ પોતે જ એક વિક્રમ સમાન છે. &lt;br /&gt;
એમની  દીર્ઘકાલીન અને મૂલ્યવાન સાહિત્યસેવાને અનેક સંસ્થાઓએ પોંખી છે. તેમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો &#039;જીવન ગૌરવ પુરસ્કાર&#039;, અનંતરાય રાવળ વિવેચન પુરસ્કાર, રમણલાલ જોશી વિવેચન પુરસ્કાર, ગિરનાર એવોર્ડ તથા ગંગાબહેન પટેલ પુરસ્કાર સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Rh|||&#039;&#039;&#039;– ખેવના દેસાઈ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદકીય&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112902</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સંપાદક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112902"/>
		<updated>2026-07-20T22:26:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદક-પરિચય}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉમાશંકર જોશી&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Umashankar-Joshi.jpg|200px|center]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&#039;&#039;&#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.&lt;br /&gt;
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :&lt;br /&gt;
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– મણિલાલ હ. પટેલ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:20. Anantray raval.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ.&lt;br /&gt;
તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા.&lt;br /&gt;
તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;— દર્શના ધોળકિયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;યશવંત શુક્લ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;યશવંત પ્રાણશંકર શુક્લ&#039;&#039;&#039; (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|✼ ✼ ✼}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112901</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સંપાદક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112901"/>
		<updated>2026-07-20T22:26:02Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદક-પરિચય}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉમાશંકર જોશી&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Umashankar-Joshi.jpg|200px|center]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&#039;&#039;&#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.&lt;br /&gt;
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :&lt;br /&gt;
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– મણિલાલ હ. પટેલ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:20. Anantray raval.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ.&lt;br /&gt;
તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા.&lt;br /&gt;
તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;— દર્શના ધોળકિયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
યશવંત પ્રાણશંકર શુક્લ (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|✼ ✼ ✼}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112900</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/સંપાદક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%BE%E0%AA%A6%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112900"/>
		<updated>2026-07-20T22:25:36Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય}} &amp;lt;center&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;ઉમાશંકર જોશી&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;/center&amp;gt; center {{Poem2Open}} &amp;#039;&amp;#039;&amp;#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&amp;#039;&amp;#039;&amp;#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સંપાદક-પરિચય}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;ઉમાશંકર જોશી&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Umashankar-Joshi.jpg|200px|center]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;&#039;&#039;ઉમાશંકર જેઠાલાલ જોશી&#039;&#039;&#039; (૧૯૧૧–૧૯૮૮), ગુજરાતીના મૂર્ધન્ય કવિ/સર્જક અને વિદ્વાન, ઊંડા અભ્યાસી તથા દૃષ્ટિવંત વિવેચક તરીકે, સુપ્રતિષ્ઠિત છે. કવિતા, એકાંકી, ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે એમનું સર્જન-લેખન દૃષ્ટાંતરૂપ લેખાતું રહ્યું છે. એમણે એક નવલકથા ઉપરાંત પ્રવાસવર્ણનો, રેખાચિત્રો અને પોતાના સમયનાં સમાજ અને રાજકાજ ક્ષેત્રે બનતી ઘટનાઓને મૂલવતા તથા માર્ગદર્શન કરતા લેખો લખ્યા છે. સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળીમાંથી કેટલાક ઉત્તમ ગ્રંથો તથા કેટલીક કૃતિઓના ઉત્તમ અનુવાદો આપ્યા છે. પૂર્વોત્તર સાબરકાંઠાના ભિલોડા પાસેનું બામણા એમનું વતન ગામ. ઈડર-અમદાવાદ-મુંબઈમાં એમણે શિક્ષણ મેળવેલું. આઝાદીનાં આંદોલનકાળનું વાતાવરણ અને ગાંધીવિચાર એમના જીવન તથા સાહિત્યને ઘડે છે – પ્રભાવિત કરે છે. વિદ્યા અને શિક્ષણક્ષેત્રે તેઓ અનેક પદો પર રહ્યા અને મૂલ્યનિષ્ઠ કાર્યો તથા વિચારોથી નવી પેઢીઓને દોરતા રહ્યા હતા.&lt;br /&gt;
કવિવર ટાગોરના શાંતિનિકેતનના કુલાધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી, દેશની સંસદના ઉપલાગૃહમાં સાંસદ તરીકે પણ એમની વરણી થઈ હતી... આવી વિશિષ્ટ વ્યક્તિપ્રતિભા અને પ્રતિભાશાળી સર્જકનું ગુજરાતી સાહિત્ય-વિવેચન ક્ષેત્રે ઉત્તમ પ્રદાન રહ્યું છે.અભ્યાસકાળથી તેજસ્વી, સારા ભાવક, અભ્યાસી અને કલા તથા એની રચનારીતિનીતિથી પરિચિત અને સજાગ-સભાન રહેવા ઉત્સુક એવા ઉમાશંકર પ્રતિભાશાળી હોવાની પ્રતીતિ એમના ભાવકને થયા વિના નથી રહેતી. એમના એવા લેખો તો આપણે હમણાં જ નોંધીશું, પરંતુ આબુ પ્રવાસે સત્તરની વયે રચાયેલું પ્રથમ સૉનેટ કાવ્ય વાંચતાં ભાવકને ખાતરી થાય છે કે આ કવિ સર્જનને અને એના રહસ્યલોક સાથે કવિપક્ષે અનિવાર્ય સજ્જતાને પણ જાણે છે :&lt;br /&gt;
‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે...’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|– મણિલાલ હ. પટેલ}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:20. Anantray raval.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અનંતરાય મણિશંકર રાવળ (શૌનક)નો જન્મ ઇ.સ. ૦૧-૦૧-૧૯૧૨. માતાનું નામ ઝમકબા. પ્રારંભિક શિક્ષણ અમરેલીમાં. ૧૯૨૭ માં મંછાબહેન સાથે લગ્ન. ૧૯૨૮ થી ‘૩૪ દરમિયાન ભાવનગર મુકામે શામળદાસ કૉલેજમાં સ્નાતકની ડીગ્રી. ૧૯૩૨ થી એમ.એ. અને એલ.એલ.બી નો અભ્યાસ મુંબઇ ખાતે. પ્રથમ પત્નીનું અવસાન થતાં ભાવનગર મુકામે બાળાબહેન સાથે બીજું લગ્ન. એમની વ્યાવસાયિક કારકિર્દી મુંબઇના’ હિન્દુસ્તાન પ્રજામિત્રથી આરંભાઇ. પછીથી ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૫૯માં જામનગરની ડી.કે.વી. કૉલેજના આચાર્ય. ૧૯૬૦ થી ૭૦ સુધી ગુજરાત રાજ્યના ભાષાનિયામક તરીકે વરણી. એ પદેથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક. ૧૯૭૭માં એ પદેથી નિવૃત્તિ.&lt;br /&gt;
તેમણે વિવેચન, સંશોધન, સંપાદનનાં ક્ષેત્રોમાં આડત્રીસ જેટલાં પુસ્તકો આપ્યાં છે. તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમની પાસેથી સાંપડ્યો છે. એમણે ડાયરીલેખન પણ કરેલું. ગુજરાતીના સ્વસ્થ, અભ્યાસનિષ્ઠ તેજસ્વી વિવેચક તરીકે એ પ્રતિષ્ઠિત હતા.&lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદ, ભારતીય સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો તેમજ નર્મદ ચંદ્રક અને રણજિતરામ સુવર્ણ ચંદ્રક જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત થયેલા.&lt;br /&gt;
તેમણે ગુજરાત સાહિત્ય સભા, ભારતીય સાહિત્ય અકાદેમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ જેવી રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓમાં વિવિધ પદો સંભાળેલાં. ૧૮ નવેમ્બર ૧૯૮૮માં એમનું અવસાન થયેલું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|&#039;&#039;&#039;— દર્શના ધોળકિયા&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&#039;&#039;&#039;અનંતરાય રાવળ&#039;&#039;&#039;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
[[File:Yashvant Shukla.jpg|frameless|center|200px]]&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
યશવંત પ્રાણશંકર શુક્લ (જન્મ ૮-૪-૧૯૧૫; અવ. ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.&lt;br /&gt;
વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|✼ ✼ ✼}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રથમ આવૃત્તિનું નિવેદન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112899</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112899"/>
		<updated>2026-07-20T22:17:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&#039;ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે.&lt;br /&gt;
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. &#039;ગુજરાતી સાહિત્યકોશ&#039;માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– ચિમનલાલ ત્રિવેદી&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;પરામર્શક}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદક-પરિચય&lt;br /&gt;
|next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112898</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A7/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112898"/>
		<updated>2026-07-20T22:16:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} &amp;#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&amp;#039;ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિન...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ&#039;ના પૂર્વપ્રકાશિત ચાર ગ્રંથો પૈકીનો આ પહેલો ગ્રંથ ઈ. ૧૧૫૦થી ઈ. ૧૪૫૦ સુધીના સમયગાળાના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યસર્જનની ગતિવિધિને આલેખે છે. એ ઉપરાંત, એક આવશ્યક ભૂમિકા રૂપે પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક વિકાસનો, ગુજરાતી ભાષાના કુળક્રમનો તથા એનાં વિધાયક પરિબળોનો તેમજ સાહિત્યિક પૂર્વપરંપરાઓનો પણ અધિકૃત આલેખ અહીં મળે છે. આપણા પ્રથિતયશ વિદ્વાનોની કલમનો લાભ મળ્યો હોવાથી આ ઇતિહાસ-આલેખ શાસ્ત્રીય એટલો જ સમૃદ્ધ પણ બન્યો છે.&lt;br /&gt;
આ શોધિત-વર્ધિત આવૃત્તિના સંપાદનમાં ડૉ. રમણ સોનીની વિદ્વાન અભ્યાસી તરીકેની સૂઝ અને ચોકસાઈ પ્રયોજાયાં છે. &#039;ગુજરાતી સાહિત્યકોશ&#039;માંની એમની કામગીરીનો લાભ પણ શોધન-સંમાર્જનને મળ્યો છે એથી એ વિશદ અને એકવાક્યતા વધારનારું બન્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– ચિમનલાલ ત્રિવેદી&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;પરામર્શક}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદક-પરિચય&lt;br /&gt;
|next = ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112897</id>
		<title>ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૨ ખંડ : ૧/નરસિંહ મહેતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%87%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B8_%E2%80%93_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5_:_%E0%AB%A8_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_:_%E0%AB%A7/%E0%AA%A8%E0%AA%B0%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112897"/>
		<updated>2026-07-20T17:34:58Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૪ નરસિંહ મહેતા|ઉમાશંકર જોશી}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. ભક્તિ-આંદોલનનો પ્રતિનિધિ ઉદ્ગાતા&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;આદિ&amp;lt;small&amp;gt;कवि&amp;lt;/small&amp;gt;&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી સાહિત્યનો ઉગમ ઈસ્વી સનના બારમા સૈકામાં થયો હોવા છતાં, અને કેટલીક ગણનાપાત્ર કૃતિઓ ભાષામાં રચાઈ ચૂકી હોવા છતાં, સામાન્યપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના ‘આદિકવિ’નું બિરુદ મળ્યું છે, તેમાં મહત્ત્વ ‘આદિ’ કરતાં વધુ તો ‘કવિ’ પદને લોકસમાજે આપ્યું છે. નરસિંહ પહેલાં રચાયેલી કૃતિઓ પ્રજાના થોડા વર્ગમાં–જૈનસમાજમાં પ્રચલિત હશે, પણ અંતે તો એ ઉપાશ્રયોની જ્ઞાન-ભંડારોની પોથીઓમાં સચવાઈ. નરસિંહનાં ભક્તિનાં ને જ્ઞાનનાં પદ લોકજીભે ચઢી ગયાં, તે એટલે સુધી કે જમાને જમાને બદલાતી ભાષાના સંસ્કાર ઝીલતાં અત્યારે પ્રચલિત ભાષામાં તે પ્રાપ્ત થાય છે. એ ઉપરથી, ભાષા-વિજ્ઞાનનો અભ્યાસ ઠીક રીતે શરૂ થયો ન હતો ત્યારે, કેટલાક એમ કહેતા કે જુઓ, અત્યારેબોલાય છે એવી જ ભાષા નરસિંહના સમયમાં પણ હતી. નરસિંહનાં પદો નિરંતર લોકજીભે રહ્યાં કેમકે તે લોકહૈયે વસી જાય એવાં હતાં. ક્યાં નરસિંહની ભૂમિ, ગિરનાર તળેટી, અને ક્યાં ગુજરાતના ઉત્તર સીમાડાની અરવલ્લીની ટેકરીઓ? પણ એ ટેકરીઓમાં પછાત વર્ગના અભણને મુખે પણ નિત્ય સવારે નરસિંહની પંક્તિઓ૧&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt; ગવાતી સાંભળવા મળે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગોને જાદવા તમને જગવે જશોદા માત;&lt;br /&gt;
તમારે જાગ્યે રે સરવે જાગશે, તમે જાગોને જગનાથ.&lt;br /&gt;
લીલી પીળી ને પોપટી કાંઈ બગલા પારેવડી ગાય,&lt;br /&gt;
બોલાવી ટહુકો કર્યો...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પંક્તિઓમાં માત્ર કૃષ્ણભક્તિનું આકર્ષણ નથી. રંગરંગી ગાયોના ધણનું ચિત્રણ અને એ પશુઓને એક-કાન કરવાની બાલ ગોપાલની શક્તિનો સંકેત – એમાં આ પંક્તિઓનું વશીકરણ છે. ભક્તિની સાથે સાથે માણસમાં રહેલી સૌંદર્યવૃત્તિને સંતોષવાની નરસિંહની ભાષાની શક્તિ તરત ધ્યાન ખેંચે છે. નરસિંહ ગુજરાતી ભાષાનો ‘આદિકવિ&#039; ઇતિહાસદૃષ્ટિએ નથી, પણ નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને – સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતીનો ‘આદિकवि’ જરૂર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;મધ્યકાલીન ભક્તિઆંદોલન&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કવિતામાં ભક્તિની કહો કે ભરતીનો પરિચય થાય છે. ભક્તિનો આગળ પડતો પ્રભાવ ગુજરાતી સાહિત્ય પશ્ચિમના સાહિત્યના સંપર્કમાં આવ્યું ત્યાં સુધી નહીં, ૧૮૫૨માં દયારામનું મૃત્યુ થયું ત્યાં સુધીના, સમયમાં સતત દેખાયા કરે છે. અને તે પછી પણ નામશેષ થતો નથી. નર્મદ પાસેથી મેળવેલા ‘પ્રેમભક્તિ&#039; પદને નાનાલાલ પોતાના ઉપનામ તરીકે યોજે છે. નરસિંહની કવિતામાં ઉત્તરંગિત થતો ભક્તિનો જુવાળ આવ્યો ક્યાંથી?&lt;br /&gt;
માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, ભારતની બીજી અર્વાચીન ભાષાઓમાં પણ આ દૃશ્ય જોવા મળે છે. મધ્યકાલીન ભારતમાં ભક્તિસાહિત્યનો પ્રાદુર્ભાવ એ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના રૂપે પ્રતીત થાય છે. દેશમાં ચાલી રહેલા કોઈ મહાન પ્રબળ ભક્તિઆંદોલનની એ સાહિત્ય સાક્ષી પૂરે છે. બલકે ભક્તિસાહિત્યના પ્રાદુર્ભાવ પછી અર્વાચીન ભારતીય ભાષાઓ પહેલીવાર સોળે કળાએ ખીલવા પામતી હોય એમ દેખાય છે.&lt;br /&gt;
જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે. ભક્તિ તો મનુષ્યહૃદય જેટલી જૂની છે. વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે. ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી. ભક્તિના મત્ત આવેશની વાત – લોકલાજ કે શાસ્ત્રબંધનની પરવા ન કરવાની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવાંમાં થઈ છે. મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જેનું વિશેષ ભાવે મહત્ત્વ થયું તે બાલકૃષ્ણની લીલા તે પણ હરિવંશમાં અને પુરાણસાહિત્યમાં અને ભાસના ‘બાલચરિત’ નાટક આદિમાં વર્ણવાઈ છે. વિષ્ણુ, ગોપાલ, બાલકૃષ્ણ ઉપર અવલંબતા ભાગવત સંપ્રદાયની વ્યાપકતા જૂના સમયમાં હતી. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંયે મધ્યકાળમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો ઐકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્યસર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દૃશ્ય જોવા મળતું  નથી.&lt;br /&gt;
ગ્રિયર્સન જેવા૨&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt; તો બૌદ્ધધર્મના આંદોલન કરતાં પણ આ ભક્તિઆંદોલનને વધારે વ્યાપક અને વિશાળ લેખે છે કેમ કે આ આંદોલનનો પ્રભાવ હજી આજે પણ વરતાય છે. ગ્રિયર્સન કહે છે કે આ આંદોલનમાં ધર્મ એ જ્ઞાનનો નહીં પણ ભાવાવેશનો વિષય બને છે. અને તેને પ્રવર્તાવનારાઓ તે કાશીના પ્રકાંડ પંડિતો નથી પણ યુરોપના સેઈન્ટ બર્નાર્ડ, ટોમસ-ઈ-કેમ્પિસ અને સેઈન્ટ ટેરેસા જેવાં સાથે જેમની તુલના થઈ શકે એવાં પૃથગ્જનો છે. વળી તેઓ કહે છે કે વીજળીના ઝબકારની પેઠે તમામ પુરાણા ધાર્મિક મતોની ઉપર આ એક નવી વસ્તુએ દેખા દીધી અને એ ક્યાંથી પ્રગટી તે નિશ્ચિતપણે કોઈ કહી શકતું નથી.&lt;br /&gt;
ગોવર્ધનરામ ત્રિપાઠીએ૩&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt; પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં ગુજરાતના ભક્તિવાઙ્મયની ‘આ મૂળ દીવીઓમાં, કોઈપણ અન્ય જ્યોતિના પ્રભાવથી જ્વાલાઓ પ્રકટી હોવી જોઈએ&#039; એ વિચાર આગળ ધર્યો હતો. આનંદશંકર ધ્રુવ૪&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; પણ ભક્તિની એ જ્વાળાઓ ક્યાંથી ફૂટી એની તપાસમાં, મુખ્યત્વે નરસિંહના જીવનસમયના નિર્ણયને અંગે, ગૂંથાય છે અને ચૈતન્યસંપ્રદાય સાથે અથવા તો ભવિષ્યોત્તર પુરાણ સાથે નરસિંહમાં આવતાં રાધાની સખીઓનાં નામોનો સંબંધ વિચારે છે. સવાલ આ કે તે કવિઓની કવિતામાં આ કે તે વિગતો કેવી રીતે આવી એટલો નથી, રામાનુજ, વલ્લભાચાર્ય, ચૈતન્ય – એ ભક્તિમાર્ગ-પ્રવર્તકો મધ્યકાળમાં કયાં સાંસ્કૃતિક પરિબળોને પરિણામે પ્રગટ્યા અને અનેક કવિકંઠોને ગાતા કરનાર ભક્તિને ચાલના મળી તે છે.&lt;br /&gt;
ગ્રિયર્સને ખ્રિસ્તી ધર્મના પ્રભાવની વાત કરી છે. અનુમાન એ છે૫&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt; કે તામિલનાડુમાં બીજી ત્રીજી સદીમાં આવી વસેલા ખ્રિસ્તીઓના સમાજની પ્રપન્નભાવભરી ભક્તિચર્યાનો પ્રભાવ રામાનુજ પર પડ્યો હોય. એક ઇતિહાસકારે હિજરી સનના આરંભમાં શંકરાચાર્યના વતન કાલડીમાં મુસલમાનોના આવવાનો અને ત્યાંનો રાજા મુસલમાન થયાનો પ્રભાવ શંકરાચાર્યના અદ્વૈતવાદ ઉપર પડેલો માન્યો છે. પણ અદ્વૈતવાદની–બ્રહ્મ એક છે એ વાતની ઉપનિષદોમાં, અને વેદમાં પણ एकं सद् विप्रा वसुधा वदन्ति – સત્ય એક છે, અનુભવી સુજ્ઞો એને જુદી જુદી રીતે વર્ણવે છે – જેવાં વાક્યોમાં, ભારપૂર્વક સ્થાપના થયેલી છે તેનું શું? ભક્તિચર્યાં પણ ભારતીય સમાજમાં ખૂબ ખીલેલી હતી. દા.ત. ગીતા સર્વસમર્પણભાવથી અનન્યભાવે ભક્તિ કરવા કહે છે. ભક્તિમાર્ગમાં વ્યક્તિનો પરમાત્મા સાથેનો અંગત સંબંધ ગૃહીત છે. આત્મીય દેવ (પર્સનલ ગૉડ)ની એ અપેક્ષા રાખે છે. સમાજમાં યજ્ઞયાગ, કર્મકાંડ, શાસ્ત્રચર્ચા વગેરે ચાલ્યાં કરતાં, પણ તેની સાથે સાથે બહુજનસમાજમાં તો ભગવાન સાથેના આત્મીય સંબંધને પોષનારી, પ્રભુના કોઈ ને કોઈ અવતાર–ખાસ કરીને કૃષ્ણ કે રામ–નું અવલંબન લેનારી, સરળ ઉપાસના ચાલતી. અભીપ્સાવાળાં સામાન્ય માણસો શાસ્ત્રના આધાર વગર જ, સહજભાવે, આવા ભક્તિમાર્ગને અનુસરતાં. શંકરાચાર્યે અદ્વૈતવાદની તર્કબદ્ધ સ્થાપના કરી, લગભગ તે અરસામાં જ દક્ષિણના આળવાર સંતોની વાણી દ્વારા ભક્તિનાં પાતાળજળ સમાજની ધર્મતૃષા છીપવી રહ્યાં હતાં. ત્યાં આવ્યો ભક્તિનો મુખ્ય ગ્રંથ ભાગવતપુરાણ. રામાનુજ (ઈ. ૧૧મી સદી) આદિ આચાર્યોએ શાસ્ત્રીય ભૂમિકાએ ભક્તિની રજૂઆત કરી. પૂર્વ ભારતમાં કૃષ્ણભક્તિને જયદેવ (ઈ. ૧૨મી સદી)ની ‘ગીતગોવિંદ&#039; રચના અને ચૈતન્ય મહાપ્રભુ (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ની ભક્તિચર્યા દ્વારા અપૂર્વ વેગ મળ્યો. ઉત્તરમાં ગુરુપરંપરામાં રામાનુજની ૧૪મી પેઢીએ આવતા રામાનંદ સ્વામી (જન્મ ઈ. ૧૩૦૦) દ્વારા રામભક્તિને પ્રાધાન્ય મળ્યું અને એમના ઉદાર નેતૃત્વ નીચે ભક્તિમાર્ગમાં સગુણોપાસના, નિર્ગુણોપાસના અને યોગસાધના–દરેકને અવકાશ મળ્યો. દક્ષિણના શ્રીમદ્ વલ્લભાચાર્યે (ઈ. ૧૪૭૮-૧૫૩૦) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કૃષ્ણાશ્રયી પુષ્ટિમાર્ગ પ્રવર્તાવ્યો. જોતજોતામાં ભક્તિનું એક પ્રચંડ આંદોલન દેશમાં વ્યાપી વળ્યું. એ નવી ઋતુમાં અનેક કવિકંઠ ઊઘડ્યા. એ કવિઓ મોટા ભાગે સંતો હતા. સૌ સંતકવિઓની જીવનચર્યા તેમજ વાણીના પ્રતાપે દેશના જીવનમાં જાણે કે ભક્તિનો જુવાળ ચઢ્યો હોય એવું સાંસ્કૃતિક દૃશ્ય મધ્યકાળમાં નજરે પડે છે.&lt;br /&gt;
જોઈ શકાશે કે આ બધું અકસ્માત બન્યું નથી. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ભક્તિમાં ભેદભાવને સ્થાન નથી. ગીતા પણ કહે છે કે સ્ત્રીઓ, વૈશ્યો અને શૂદ્રો, તે પણ મારો આશ્રય લઈને પરમ ગતિને પામે છે&#039; (૯.૩૨). શંકરાચાર્યે બુદ્ધિની ભૂમિકાએ બૌદ્ધધર્મને શિકસ્ત આપી. શાસ્ત્રપ્રતિષ્ઠિત વર્ણાશ્રમભેદમૂલક બ્રાહ્મણધર્મ સુરક્ષિત બન્યો. કરુણાપ્રધાન બૌદ્ધધર્મે બહુજનસમાજને સરળ ધર્મચર્યા અને ભેદરહિતતા તરફ વાળ્યો હતો તે કામ ફરી ઉપાડવાનું આવ્યું. દક્ષિણમાં આળવાર સંતો, જેમનામાંના કેટલાક શૂદ્રો હતા અને એક તો સ્ત્રી-સંત (આંડાલ) હતાં, તેમની ભક્તિચર્યાં દ્વારા એનો જાણે કે આરંભ થતો ન હોય. દક્ષિણના આળવારોનું ભક્તિનું મોજું, ક્રમેક્રમે સંબલ મેળવતું જતું અંતે હિમાલય ઊંચું ઊછળે છે. એમાં ઉપકારક એવી એક બીજી વસ્તુ પણ જોઈ શકાય છે, તે છે ઇસ્લામનું આગમન. બૌદ્ધધર્મ ઉપર બ્રાહ્મણધર્મે વિજય તો મેળવ્યો પણ એમાં એ પોતે ખખડી ગયો હતો, દોદળો બન્યો હતો, અને ત્યાં એક અપૂર્વ તાજગીભર્યા ધર્મે હિંદુસ્તાનનાં બારણાં ખખડાવ્યાં. એ ધર્મમાં સરળતા હતી, એક-ઈશ્વરની ઉપાસના હતી, શાસ્ત્રનાં જાળાં ન હતાં, સામાજિક ભેદભાવનો અભાવ હતો. નવા ધર્મ આગળ આ દેશનું ધર્મજીવન યજ્ઞયાગ પર આધાર રાખીને કે શાસ્ત્રોનું અવલંબન લઈને એટલું નહીં ટકી શક્યું હોત, જેટલું ભક્તિના આશ્રયે એ ટકી શક્યું. બંનેના સમન્વયની અથવા નજીક આવવાની ભૂમિકા પણ અન્ય રીતે નીપજી શકી ન હોત.&lt;br /&gt;
પરમેશ્વરની અનન્યભાવે ભક્તિ, જ્ઞાતિજાતિના ભેદને ભૂલવાની વૃત્તિ, સામાન્યમાં સામાન્ય માણસને માટે પણ ધર્મજીવન જીવવાની તક – આ વસ્તુઓને ભક્તિમાર્ગને લીધે ઉઠાવ મળ્યો. અને નવા આવેલા ધર્મમાં પ્રધાનપણે દેખાતી વસ્તુઓ પણ આ જ હતી. આ રીતે ભારતમાં આવેલા ઇસ્લામનો ભક્તિઆંદોલનને વેગ આપવામાં ફાળો જોવો શક્ય છે. સૂફીઓની પ્રેમમાર્ગી નિર્ગુણધારાનો એક બાજુ પ્રેમલક્ષણાભક્તિને તો બીજી બાજુ જ્ઞાનાશ્રયી નિર્ગુણધારાને થોડેવત્તે અંશે ટેકો મળ્યો હોય એ પણ સંભવિત છે. સમય જતાં ભારતીય સમન્વયપ્રતિભાના નિદર્શન રૂપે અત્રત્ય ઉપાસનાધારા અને આગંતુક ઇસ્લામી ઉપાસનાધારા – એ બંનેનો ગંગાજમની સંગમ રચવાના કબીર અને નાનક જેવાના પુરુષાર્થો પણ પ્રગટ્યા.&lt;br /&gt;
મધ્યકાલીન ભક્તિઆંદોલનનો વિચાર ભારતના ઇતિહાસની બે મહાઘટનાઓના – અગાઉની બૌદ્ધકાલીન જાગૃતિના અને યુરોપના સંપર્કમાં મુકાયા પછીની અર્વાચીન જાગૃતિના – ઉપલક્ષમાં કરવા જેવો છે. તે પ્રત્યેકમાં દેશની કેટલીક ઊંચામાં ઊંચી વ્યક્તિઓ પાકી છે, જે આદર્શો આગળ ધરાયા છે તે ભૌગોલિક સીમાથી બદ્ધ નથી, સારી માનવજાતિ માટેના છે. અર્થાત્ તે પ્રત્યેકમાં ઉચ્ચ માનવી મૂલ્યોને વફાદારી અર્પિત થઈ છે. તે પ્રત્યેકમાં બહુજનસમાજમાં બોલાતી ભાષાઓનું નવપલ્લવન થયું છે. એક દુઃખદ વસ્તુ પ્રત્યેકમાં જોવા મળે છે તે એ છે કે જ્ઞાતિજાતિના ભેદ ભૂંસવાનો પ્રબળ સામાજિક આવેગ એ પ્રત્યેકને અંતે ઠીંગરાયો છે, જ્ઞાતિજાતિનાં ચોકઠાં ઊલટાં વધુ તંગ બન્યાં છે. આથી તો, મધ્યકાળમાં દક્ષિણના આળવારોના, મૂળ ભરૂચના પણ પછી મહારાષ્ટ્રમાં જઈ મહાનુભાવપંથ સ્થાપનાર ચક્રધરસ્વામીના, કર્ણાટકના બસવેશ્વરના અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના નાગર નરસિંહના અસ્પૃશ્યોને પોતાના આત્મીય લેખવાના પ્રયત્નો ખાસ આદરપાત્ર બને છે.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ મધ્યકાળના કવિ અખા વિશે વાત કરતાં અખાનો જીવનસંદેશ પારલૌકિકતાનો છે,૬&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt; દુનિયાનો થાક લાગ્યાની એ નિશાની છે, ગુજરાતની સામાજિક અને રાજકીય બંધિયાર સ્થિતિથી થાકેલા એવા કટુ હૃદયમાંથી બહાર આવતા સૂર મધ્યકાળના સાહિત્યમાં સંભળાયાં કરે છે૭&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt; —એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અર્વાચીન સમયમાં જ એ સૂરને દબાવીને જીવનના ઉલ્લાસમાં રાચતી નવી શ્રદ્ધા પ્રગટ થયાનું તેઓ સૂચવે છે.૮&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt; નરસિંહ જેવામાં એમને જીવનના ઉલ્લાસની કમી કદાચ એવી નહીં વરતાય. એમની ટીકા વિશેષ તો જ્ઞાનાશ્રયી કવિઓ માટે સંભવે છે પણ જે સામાજિક રાજકીય સ્થિતિની તે વાત કરે છે તે સારાય મધ્યકાળની છે. અને એમનું તહોમતનામું એકલા અખાની કે જ્ઞાનાશ્રયી કવિઓની કવિતા સામેનું ન રહેતાં સારીયે મધ્યકાલીન કવિતા સામે પણ બની રહે.&lt;br /&gt;
અખા જેવાની જ્ઞાનાશ્રયી કવિતાધારા પણ નિર્ગુણ ભક્તિમાર્ગની નીપજ હોઈ મધ્યકાળના વિરાટ ભક્તિઆંદોલનનો એક ભાગ જ છે. એ ભક્તિઆંદોલનને પ્રજાના તેજોવધના પરિણામરૂપ લેખવું અથવા જીવનના બંધિયારપણાના સંતાનરૂપે જોવું એ બરોબર થશે નહીં. જો કાંઈ પણ હોય તો બંધિયારપણાને ફેડવાનો ભક્તિ-આંદોલનનો પ્રયત્ન છે. તેજના હ્રાસની નહીં, પણ સત્ત્વ પ્રગટ થયાની એ નિશાની છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં મુકાયા પછી અનેકવિધ ઊથલપાથલો શરૂ થઈ અને બંધિયારપણાને તોડવા ભારતનું હીર બહાર આવ્યું. એ જ રીતે મધ્યકાળમાં ઇસ્લામના સંપર્કમાં મુકાયા પછી જે ઊથલપાથલો થઈ તેના પરિણામે ખાસ કરીને જડ રૂઢિઓના પોપડાઓ તોડવા માટેનો ભક્તિઆંદોલનનો ઉપક્રમ છે. તેજોવધનો નહિ પણ તેજોવૃદ્ધિનો એ પુરાવો છે. એ આંદોલનને વેગ આપવામાં ઇસ્લામના આગમને ભાગ ભજવ્યો છે.&lt;br /&gt;
મધ્યકાળમાં અનેકવિધ પરિબળોને પ્રતાપે, અનેકવિધ ઉપાસનાઓ-સાધનાઓના સંઘર્ષ-સંમિલનને પરિણામે, ભીતરનો સંચિત રસ ઉપચય પામતોપામતો ભક્તિના ફુવારા રૂપે ભારતના હૃદયમાંથી ફૂટી રહે છે. પ્રજાના જીવનમાં એ એક મહાન ચૈતન્ય-ઉછાળો છે. એની સર્જકતા, એનું સૌંદર્ય, જે અનેક એકએકથી ચઢિયાતાં પુરુષરત્નો-સ્ત્રીરત્નો પાક્યાં તેમના જીવન પર નજર નાખતાં પ્રતીત થાય છે. અને તેમાંથી મોટા ભાગનાં તો ધરતીની સામાન્ય ધૂળનો વારસો લઈને જ આવેલાં છે. ભક્તિના પારસસ્પર્શથી એમનું જીવન પલટાયું છે. એમની વાણીનું – શબ્દનું, લયનું–સૌન્દર્ય એમની આંતર સૌન્દર્યરિદ્ધિની સાક્ષી પૂરે છે.&lt;br /&gt;
ભક્તિમાર્ગના પ્રભાવ નીચે દેશની વિવિધ ભાષાઓમાં જે ભક્તિસાહિત્ય પ્રગટ્યું, તેમાં કંઠ ભલે વિવિધ રહ્યા, ભાષાઓ ભલે વિવિધ રહી, બધાની પાછળની પ્રેરણા, અને પરિણામે બધાનો સૂર એક જ છે. સમગ્ર મધ્યકાળમાં એક જ સંસ્કૃતિઆત્મા પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સૂરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એમ અનેક કંઠે ગાઈ રહ્યો છે.&lt;br /&gt;
ભારતની ઉજ્જ્વળ સંતમાળામાં નરસિંહ હરિજનોને અપનાવવાના એના વીરકર્મથી વિરલ આધ્યાત્મિક ખમીર દાખવે છે અને અનેરા અધ્યાત્મવીરોની જમાતમાં સ્થાન પામે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પ્રેમભક્તિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્તિસ્રોતના મૂળમાં અવતાર એક આલંબન તરીકે જોઈ શકાય છે. કૃષ્ણાવતારની ચરિત્રકથા, ખાસ કરીને બાળકૃષ્ણની કથા અને તેમાં પણ વૃન્દાવનમાં ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા, એનું સૈકાઓથી આકર્ષણ હતું, ભાગવતના સમય સુધીમાં એ વશીકરણ સમાન બની જાય છે. ભાગવતે સંસ્કૃતમાં લીલાગાનની પરંપરાઓને સાંકળી લીધી. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં એ તરફની પરંપરાઓ અભિવ્યક્તિ પામી. ભાગવતમાં રાધાનું નામ સરખું નથી, રાધા વગર ‘ગીતગોવિંદ&#039; કલ્પવું શક્ય નથી. એ સંસ્કૃત રચનાના આકર્ષણમાં લોકભાષાના ગેય ઢાળોનો ફાળો મુખ્ય છે. જયદેવ (ઈ. ૧૨મી સદી) પછી બંગાળામાં ચંડીદાસે (ઈ. ૧૫મી સદી) અને મૈથિલીમાં ‘અભિનવ જયદેવ&#039;નું બિરુદ પામેલા વિદ્યાપતિ (ઈ. ૧૩૫૦-૧૪૫૦) એ રાધાકૃષ્ણ અંગેનાં પદો લખ્યાં છે. આમ, પૂર્વમાં લીલાગાનની એક સમૃદ્ધ પરંપરા લોકભાષાઓમાં વિકસી છે. ઉત્તરમાં સૂરદાસે શ્રીમદ્ વલ્લભાચાર્યના સંપર્કમાં (ઈ. ૧૫૨૩ આસપાસ) આવ્યા પછી એમના કહેવાથી લીલાગાન શરૂ કર્યું. તે પહેલાં પોતે લીલાનાં પદ ગાયાં લાગતાં નથી. સંભવ છે એમની પૂર્વે લીલાગાનની કવિતા રચાઈ હોય, જેના પરિપાક રૂપે એમની શૈલી વિકસી હોય.&lt;br /&gt;
દક્ષિણમાં ચક્રધરસ્વામી (મૃત્યુ ઈ. ૧૨૭૪) ના મહાનુભાવપંથને પાંચ અવતારો માન્ય છે તેમાં એકી સાથે દત્તાત્રેય અને શ્રીકૃષ્ણની પૂજાને સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. પછી આવતા નિવૃત્તિનાથ, એમના નાનાભાઈ જ્ઞાનેશ્વર (ઈ. ૧૨૭૫-૧૨૯૬) અને નામદેવ (ઈ. ૧૨૭૦-૧૩૫૦)માં શ્રીકૃષ્ણનું મોટું સ્થાન છે, પણ તેમાં લીલાગાન નથી. નરસિંહના જ્યેષ્ઠ સમકાલીન વારાણસીવાસી કબીર (જન્મ ઈ. ૧૩૯૯)માં પણ નથી. પાછળથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યની પ્રેરણા હેઠળ સૂરદાસ આદિ અષ્ટછાપ કવિઓમાં મળે છે તેવા લીલાગાનનો ફુવારો તેમની પહેલાં થઈ ગયેલા નરસિંહમાં શી રીતે ફૂટી નીકળ્યો?&lt;br /&gt;
જયદેવ, નામદેવ અને કબીરથી નરસિંહ પરિચિત છે. જયદેવનો એની રચનામાં વારંવાર ઉલ્લેખ છે : ‘એ રસ જાણે વ્રજની રે નારી, કે જેદેવ પીધા રે’૯&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;, ‘સારમાં સાર શણગાર રસ કીધલા, તેહ તણી જાણ થઈ મુખ મોડે. એ રસ શુકદેવે જેદેવે ચાખિયો&#039; (૩૮૯). ત્રણેનો એક પદમાં સાથે ઉલ્લેખ થયેલો પણ જોવા મળે છે. ‘નામાચે હાથ તેં દૂધ પિઉલા; મ્લેચ્છ જન ‘માટે તેં કબીરને ઊધર્યો; નામાચાં છાપરાં આપ્યાં છાહી; જે દેવને પદમાવતી આપી’ (‘આત્મચરિતનાં કાવ્યો&#039;, પૃ ૮૯).&lt;br /&gt;
જયદેવનો ઉલ્લેખ છે એટલું જ નહીં, ‘ગીતગોવિંદ&#039;થી નરસિંહ સુપરિચિત છે. ઈ. ૧૨૯૨માં સારંગદેવ વાઘેલાના અનાવડના શિલાલેખમાં ‘ગીતગોવિંદ&#039;નો वेदानुध्दरते એ દશાવતારસ્તુતિનો શ્લોક મળે છે. નરસિંહના એક ગીત : त्वमसि शृंगार मम, હાર ઉર ભૂષણ, त्वमसि मम મગ્ન ચિત સંગ દોલે&#039; (૧૫)માં ‘ગીતગોવિંદ’(૧૧-૩)માંથી શબ્દો ઉતાર્યા છે. ‘ચાતુરીઓ&#039;માં ‘ગીતગોવિંદ&#039;નું સ્પષ્ટ અનુગુંજન છે. નરસિંહ શૃંગારરસને ‘સારમાં સાર&#039; લેખે છે અને એ રસ જયદેવે ‘ચાખિયો’ એમ કહે છે. નરસિંહ ઉપર જયદેવની છાપ ગાઢ જણાય છે. કાંઈ નહીં તો પ્રારંભનાં વરસોમાં પોતાનાં પદોમાં ઉઘાડા શૃંગારને એ આવકારે છે તેમાં એ છાપ ચોખ્ખી જણાય છે. ચંડીદાસ અને વિદ્યાપતિની રચનાઓનો યાત્રિકો દ્વારા નરસિંહને પરિચય થયો છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ચંડીદાસ રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી ઉન્મત્ત વિશુદ્ધ પ્રેમતત્ત્વનાં, આત્માપરમાત્માના સંબંધને ઉદાત્ત રીતે સૂચવતાં, ઊર્મિગીતો આપે છે. વિદ્યાપતિમાં રાધાકૃષ્ણનો સંબંધ વધુ શારીર બને છે, પણ વિદ્યાપતિ તો રહ્યા આશ્રયદાતા રાજાના દરબારી કવિ, ઘડાયેલા, કસબી કલાકાર, એમનાં ઊર્મિંગીતો ભાવની નાજુકાઈ અને નાગરતાયુક્ત ઉક્તિભંગિથી આકર્ષક બને છે. એ વિરહદશાને, અભિસારને, તલસાટને વધુ મહત્ત્વ આપે છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારની સ્થૂળતા જોવા મળે છે, તો બીજી બાજુ જયદેવ કરતાં તો વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. એ રીતે નરસિંહનો લીલાલક્ષી પ્રેમભક્તિનો લલકાર એના સમય સુધીમાં અનોખો છે. ગુજરાતમાં, રાજસ્થાનમાં કે વૃન્દાવન-ગોકુળમાં એ લીલાગાનની પૂર્વવર્તી પરંપરાઓ હશે પણ એમનો સગડ મળવો બાકી છે.&lt;br /&gt;
વૃન્દાવનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે ને ગોપીની ચેતના પોતાની આસપાસનો સારોય સંસાર ખંખેરી નાખીને એ નાદસ્રોતના મૂળ તરફ ઉન્મત્તપણે ધસે છે, એમાં ભક્તકવિઓએ જીવાત્માની પરમાત્મા પ્રત્યેની તલસાટભરી દોડનું રૂપક જોયું છે. એ આકર્ષણ એવું સૂક્ષ્મ, ઇન્દ્રિયાતીત છે કે કામવાસનાના અવલેપોથી એ પર રહી જાય છે અને એટલે જ વ્યવહારજગતના પરકીયાપ્રીતિ આદિ સામેના વાંધાઓ પણ એમાં ગૌણ બની રહે છે. ગોપીનો સમગ્ર પ્રાણ પ્રેમરૂપ બની ધસે છે, એ વાત અનેકાએક ભાવપરિસ્થિતિઓમાં પ્રગટ થતી કવિઓ જુએ છે અને ગાય છે. નરસિંહની પ્રતિભા આ જાતના લીલાગાનમાં રાચે છે.&lt;br /&gt;
નરસિંહને ગોપીભાવે, સખીભાવે ભક્તિ કરવી ઇષ્ટ છે. વળી, રાધાકૃષ્ણ-ગોપીકૃષ્ણની લીલામાં એક પાત્ર તરીકે કરતાલ વગાડનાર, દૂતીકાર્ય કરનાર, મશાલ ધરનાર (‘દીવટિયા&#039;) તરીકે પ્રવેશવામાં પોતાને એ ધન્ય માને છે.&lt;br /&gt;
પ્રેમભક્તિ નવધા ભક્તિથી પારની છે. ભાગવતમાં પ્રેમભક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે અંકિત થયો છે. આજની પરિભાષા પ્રમાણે પ્રેમભક્તિના માર્ગને શૃંગારરસમૂલક રહસ્યવાદ (erotic mysticism)નો માર્ગ કહી શકાય. પરમાત્મા સાથેનો સંબંધ એવો ગૂઢ, ગાઢ અને ઉન્માદક છે કે તેની ઉપમા સહેજે પ્રણયી સ્ત્રી-પુરુષના દેહસંબંધ સાથે આપવા કેટલાક પ્રેરાયા છે. વેદમાં સુંદર વસ્ત્રો પહેરેલી જાયા પતિ પાસે પોતાનું રૂપ ખુલ્લું કરે છે તેની ઉપમા ‘જાયેવ પત્યુઃ ઉશતિ સુવાસાઃ’ (ઋગ્વેદ. ૧૦-૭૧-૪) અપાઈ છે. ગીતામાં અર્જુન શ્રીકૃષ્ણના પોતાની સાથેના સંબંધ માટે ‘પ્રિયઃ પ્રિયાયાઃ’ (પ્રિયતમ જેમ પ્રિયતમા અંગે) એ ઉપમા વાપરે છે. ખ્રિસ્તી ધર્મમાં ખુદ ઈશુએ જ અભીપ્સુ આત્માને વરની રાહ જોતી કુમારિકા સાથે સરખાવ્યો છે. સેઈન્ટ બર્નાર્ડ કહે છે, પરમાત્મા અને આત્માના પ્રેમની તુલના વર અને વધૂના પરસ્પરના પ્રેમ સાથે થાય એથી વધુ સંપૂર્ણપણે બીજા કશા સાથે થઈ શકે નહીં, કારણ કે એ સંબંધમાં સર્વ કંઈ એ બંનેનું સહિયારું છે અને બન્નેમાંથી કોઈને કશુંય આગવી માલિકીનું હોતું નથી. સૂફીવાદમાં પણ પ્રણયની ભૂમિકા સ્વીકારવામાં આવી છે. એક માર્મિક નિવેદન છે : ચાર આંખો મળી. બે આત્મામાં ફેરફારો થવા માંડ્યા. હવે મને ખબર નથી કે હું સ્ત્રી છું ને તે પુરુષ, અથવા હું પુરુષ ને તે સ્ત્રી. ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી-પુરુષના સંબંધની ઉપમા લીધી, પણ ભક્તિનો એવો સંબંધ કામુકતાથી અસ્પૃષ્ટ છે. નરસિંહ પોતે પણ પ્રભુનો પ્રથમ પ્રસાદ મળતાં જ ‘પુરુષ-પુરુષાતન લીન થયું માહરું, સખી રૂપે થયો મધ્ય ગાવા’ અને ‘દેહદશા ટળી&#039; એમ કહે છે. નરસિંહની પછીથી આવતા શ્રીમદ્ વલ્લભાચાર્યે આ અંગે બે સુંદર પ્રતિપાદનો કર્યાં છે : ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા&#039; – આત્મા એસ્તો રાધા કહેવાય છે. અને ‘રસિકાઃ કામવર્જિતાઃ&#039; – જેઓ રસિક છે તેઓ કામરહિત છે.&lt;br /&gt;
નામદેવનો ઉલ્લેખ નરસિંહે કર્યો છે. નરસિંહમાં મળતા ‘વિઠ્ઠલ’ નામના ઉપયોગ અને મરાઠી પ્રત્યયો અને બીજાં રૂપો ઉપરથી નામદેવની અસર અંગે અત્યુક્તિભરી અટકળો થઈ છે. ‘વિઠ્ઠલ’ શબ્દ નરસિંહ ઉપરાંત એના બીજા સમકાલીનોમાં પણ મળે છે અને ‘ચા’-‘ચી’ પ્રત્યય નરસિંહની પણ એક સૈકા પૂર્વે ગુજરાતીમાં પ્રચલિત છે, એટલે એટલા ઉપરથી નામદેવની અસર વિશે અંદાજ બાંધવાનો રહેતો નથી. નરસિંહમાં નામદેવનો એક ઉત્તમ ભગવદ્ભક્ત તરીકે ઉલ્લેખ થયો છે, એટલું જ નહીં. નામદેવના ચરિત્ર વિશે એ જાણકાર લાગે છે. ભગવાને પોતાને માથે હાથ મૂક્યો એ વાત નામદેવ અને નરસિંહ બંને કરે છે. બંને પોતાને અંગે થયેલા ચમત્કારની સ્વમુખે વાત કરે છે. પણ આવી વસ્તુઓ પણ આ બે જ નહીં, સામાન્ય રીતે અનેક ઉત્તમ ભક્તો અંગે હોવા સંભવ છે. કૃષ્ણ માટે વલવલાટભરી પ્રાર્થના બંનેના હૃદયમાંથી ઊઠે છે. પ્રભુમય જીવનની – અધ્યાત્મજીવનની અનેક વસ્તુઓ વિશે ઉક્તિસામ્યો પણ અહીંતહીં જોવા મળશે. પણ એમાં બીજું હોઈ શકે પણ શું? પ્રભાવ નીચે આવ્યા વગર પણ આમ બનવું શક્ય છે. ‘વિઠ્ઠલ માઉલી, કૃપેચી સાવલી’ (નામદેવગાથા, ૪૭૧,૧૦&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt; અને ‘માહરે માત તું, ભ્રાત તું, ભૂધરા,’ એવાં અનેકાનેક ઉદ્ગારસામ્યો ન હોય તો જ નવાઈ. કેટલાંક તો સંસ્કૃત (‘ત્વમેવ માતા’ આદિ)માંથી દરેકને મળે, અથવા સહેજે સૂઝે એવાં હોવાનાં. ‘હરિશ્ચંદ્ર રાજા હોતા સત્ત્વગુણી, વાહાતસે પાણી ડીંબાઘરી’ અને ‘પંડુપુત્ર’ની કસોટી (૨૦૪૬-૭) – આવી વાત ઘણાઓની રચનામાં સહેજે આવે. સંતનાં લક્ષણો લગભગ બધા જ ભક્તકવિઓ શબ્દબદ્ધ કરે છે. ‘પાહા પરદારા જનનિયે સમાન, પરદ્રવ્ય પાષાણ મ્હણોનિમાની... પરાકારણે પ્રાણ વેંચિ જો સર્વથા, જાણે પરવેથા કળકળોની’ (૧૮૬૬). ભક્તનાં સામાન્ય લક્ષણોમાંથી થોડાંક આવાં કોઈકોઈમાં સરખાં પણ નીકળવાના. ‘નામદેવગાથા’ ધ્યાનપૂર્વક વાંચવાથી જણાશે કે બંને ભક્તકવિઓના અવાજ આગવા છે. બંનેના અભિગમમાં અને રચનાની ઇબારતમાં નિજનિજની લાક્ષણિકતાઓ છે. બંનેને અભીષ્ટ કેટલીક પાયાની વસ્તુઓ વિશે બંનેના ઉદ્ગારો સરખાવવા જેવા છે. ‘હરિના ભક્ત તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ –નરસિંહ કહે છે. નામદેવે કહ્યું છે: ‘આમ્હાસિ મુક્તતા નકો બાપા’ (૧૫૧૧). પણ પછી સરસ રીતે વાત સ્પષ્ટ કરે છે, તું મળ્યો એટલે સંસારની વ્યથા ટળી, પણ નવી એક ચિંતા જાગી. પાંડુરંગ મુક્તિ આપી બેસશે, પછી આ સત્સંગ ક્યાંથી મળશે? આ અમૃતસંજીવની જેવી હરિકથા કાને સાંભળવા ક્યાંથી મળશે? એને માટે તો અનંત જન્મ જોઈશે. ‘અનન્ત જન્મ હોયે યાચિ લાગી’ (૧૫૭૩). નરસિંહ પોતાની રીતે વાત મૂકે છે : જે અન્ય લોકમાં જાય (‘પ્રેત’) તેને મુક્તિ ઇષ્ટ-‘પ્રેતને મુક્તિ તો પરમવલ્લભ સદા’. પણ જેને આ લોક છોડવાનો ખ્યાલ જ નથી, પણ જન્મોજન્મ લીલારસ ગાવો છે, તેને મુક્તિની ક્યાં જરૂર રહી? સગુણનિર્ગુણ અંગે બંને જણા પોતપોતાની રીતે માર્મિક નિરૂપણ કરે છે. નામદેવ કહે છે : ‘નિર્ગુણ સાંડુનિ વ્હાવે જી સગુણ, ઐસેં તુમ્હાં કોણ બોલિયેલે’ – નિર્ગુણ છોડીને સગુણ થવું એવું તને કોણે કહ્યું હતું? પોતાની કરણી તું મનમાં લેતો નથી! સુખે બંને એકરૂપ હતા. આ સૃષ્ટિ શું કરવા વિસ્તારી? યુગયુગાન્તર સુધી શ્રીહરિની સમીપ હું હતો. તું ત્યાં હું અને હું ત્યાં તું ‘તુમ્હીં તેથેં આમ્હીં, આમ્હીં તેધેં તુમ્હીં,’ પણ હવે તો કલ્પને અંતે તારી-મારી ભેટ થશે – ‘કલ્પનાચે શેવટી તુમ્હાં આ હાં ભેટી’ (૧૬૪૨). નરસિંહ કહે છે : ‘હું ખરે, તું ખરો, હું વિના તું નહીં, હું રે હૈશ તાંહાં લગી તું રે હૈશે.&#039; મને ખડો કરીને તેં તારી હસ્તી ખડી કરી છે. હવે તારું શમવું એ મારે હાથ છે : જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો : ઢળી જાય દ્વં દ્વ-હ નામ દોયે&#039;. જીવશિવનું દ્વંદ્વ શમવા માટે છે, એનો નાશ છે, છેવટે બ્રહ્મવસ્તુ જ કાયમ રહેશે : ‘તાહરા મારા નામનો નાશ છે, લૂણને નીર દૃષ્ટાંત જોતે; મહેતા નરસૈં કહે, વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.’&lt;br /&gt;
અધ્યાત્મજીવનના મુખ્ય મુખ્ય પદાર્થો બંનેએ પોતપોતાની રીતે નાણ્યા છે. નામદેવ ‘અખંડ સદોદિત પ્રેમ’ની એમના એક ઉત્તમ અભંગ (૧૫૫૨)માં વાત કરે છે, છતાં તેમનામાં લીલાગાન નથી. ભાગવતને અનુસરી કૃષ્ણની બાળલીલા તેમણે વર્ણવી છે. બાળક કૃષ્ણ રડે છે તેને છાનો રાખવા પોતાને ઘેર લઈ જવા રાધાને યશોદા કહે છે (૮૪). રાધા ઘેરે લઈ જઈને કહે છે, તું મોટો હોત તો સારું, કૃષ્ણ મોટું રૂપ ધારણ કરે છે. તેઓ એકાંતમાં છે ત્યાં રાધાનો વર ઘેર આવે છે અને કોની સાથે તું વાત કરે છે એમ રાધાને પૂછે છે. રાધા કૃષ્ણને નાના થવા વીનવે છે. કૃષ્ણ બાળરૂપ ધારણ કરે છે. કાવડ મૂકીને રાધાપતિ અંદર આવીને બાળક કૃષ્ણને દહીંભાત જમતા જુએ છે. (૮૫). રાધાને એ કહે છે, ઘરમાં તું એકલી પડે છે, ‘ખેડાવ્યા હરી આણીત જાઈ’ –હરિને રમાડવા લાવતી રહેજે (૮૬), – વગેરે નામદેવમાં મળે છે. પણ નરસિંહ અને સૂરદાસમાં છે તેવું લીલાગાન તેમનામાં નથી. ભાગવતને અનુસરી રાસપંચાધ્યાયીનો પ્રસંગ અભંગોમાં આપતાં, ગોપીઓને પાછી ઘેર જવા કૃષ્ણ કહે છે, ગોપીઓને અભિમાન આવતાં પોતે અલોપ થાય છે, ગોપીઓ આર્તતાથી કૃષ્ણ માટે વલવલે છે તે પછી કૃષ્ણ પ્રગટ થાય છે અને રાસક્રીડા જામે છે. – એ બધું નામદેવ આલેખે છે (૧૫૦-૧૭૨). પણ નામદેવ એ આખી કથામાં કામને એનું સ્થાન બતાવે છે. ગોપીઓ વીનવે છે : ‘કામ-રૂપ દૈત્ય મારિતો આમ્હાસી, ભક્તાંસી રક્ષિસી કીર્તિ જગી’ (૧૫૭) – કામદેવરૂપી દૈત્ય અમને મારી રહ્યો છે, તું ભક્તોનું રક્ષણ કરે છે એવી જગતમાં તારી કીર્તિ છે. રાસક્રીડાને અંતે પણ નામદેવ સ્પષ્ટ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ત્યાં ગોપિકા, ધન્ય ત્યાંચે પુણ્ય, ભોગિતા તી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ.&lt;br /&gt;
નામા મ્હણે હોય કામાચી તે પૂર્તી, નવ્હે વીર્યચ્યુતિ ગોવિંદાચી. (૧૭૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીઓના કામની એવી રીતે પૂર્તિ થઈ કે જેમાં કૃષ્ણને શરીરસંબંધની જરૂર પડી નથી.&lt;br /&gt;
आदित्यस्य शुक्लं : सैव साथ यन्नीलं पर :कृष्णम् – એવો છાંદોગ્ય ઉપનિષદમાં સૂર્યના શુભ્ર તેજ સાથે નીલ અને કૃષ્ણ પ્રકાશનો જે ઉલ્લેખ છે, તેની વાત નિવૃત્તિનાથે ‘કૃષ્ણ-નીળ શોભા વિકાસલી’ આદિમાં કરી છે અને ‘યોગી ડોળા પાહતી’ -યોગીઓ આંખ વડે જુએ છે, એટલે ઉન્મની અવસ્થામાં હૃદયાકાશમાં આનંદમય નીલકૃષ્ણ તેજની–સગુણ સાક્ષાત્કારની અનુભૂતિ કરે છે એમ એ કહે છે. ‘હા પુરુષ કી નારી નવ્હે તો રૂપસ... ત્યાં ગોપિકા ભોગિતી કામરૂપે. નિવૃત્તિચે બ્રહ્મ કૃષ્ણનામ ખેળે’ –આદિ બાળક્રીડા પરના પોતાના ૨૯ અભંગોમાં નિવૃત્તિનાથ કહે છે કે જે પુરુષ અથવા સ્ત્રી નથી, તેને ગોપીઓ કામરૂપે ભોગવે છે, નિવૃત્તિનાથનો પરબ્રહ્મ જ કૃષ્ણરૂપે ખેલી રહ્યો છે. ગોપીઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ લેખાઈ છે, અને વિષયને છોડી જ્યારે તે અંતર્મુખ થાય છે અને અનાહત નાદરૂપી મુરલીરવથી ખેંચાઈ પરમાત્મા તરફ વળે છે ત્યારે તે પોતાના વિષયરૂપી પતિને છોડી પરપુરુષ તરફ વળી એવું રૂપક ભાગવતે રજૂ કર્યું છે. રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી કૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇંદ્રિયવૃત્તિઓનું રૂપક લેખાય છે. જ્ઞાનેશ્વર પણ ભાગવતના એ રૂપકને સ્વીકારે છે અને વ્રજાંગનાના કૃષ્ણવિષયક ‘વાલ્લભ’નો–પ્રેમનો ઉલ્લેખ કરે છે, પણ કહે છે કે ઇન્દ્રિયવૃત્તિ (રૂપી ગોપીઓ) વિષયોને છોડીને પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે (જ્ઞાનેશ્વરી ૯,૪૬૩-૪૬૫). શ્રી૰ મ૰ માટેએ૧૧&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;દર્શાવ્યું છે કે ભાગવતકારે દશમસ્કંધ (અધ્યાય ૨૯-૩૨)માં રાસક્રીડાના વર્ણનમાં કૃષ્ણે હસ્તસ્પર્શ આલિંગન આદિ કામચેષ્ટાઓથી ગોપીઓનો મદનાગ્નિ પ્રજ્વલિત કરીને તેમને રમાડી એવું કહ્યું અને એને અનુસરીને ભક્તિમાર્ગના અનેક સંપ્રદાયોએ એ અવિવેક કર્યો અને તેનું ભારે દુષ્પરિણામ આવ્યું, પણ જ્ઞાનેશ્વરે એ અવિવેક કર્યો નહિ, કારણ કે મૂળ રૂપક એ વીસર્યા ન હતા. કૃષ્ણ-ગોપીનું કામવર્જિત દશાનું રૂપક નિવૃત્તિનાથ પાસેથી જ્ઞાનેશ્વરને, જ્ઞાનેશ્વર પાસેથી વિસોબા ખેચરને અને ખેચર પાસેથી નામદેવને મળ્યું હતું.૧૨&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નામદેવથી – નામદેવની રચનાઓથી નરસિંહ પરિચિત હોવા છતાં પ્રેમભક્તિ-શૃંગારભક્તિની મુખ્ય બાબતમાં નામદેવથી એ તદ્દન જુદો પડે છે, બીજા શબ્દોમાં, નામદેવની અસરનો મુખ્ય બાબતમાં જ અભાવ છે. નરસિંહનું દર્શન જુદું છે. પણ જયદેવ જેવાઓની અસર નીચે લેવાઈને સુરતસાધનાનાં–સુરતસંગ્રામનાં સ્થૂળ વર્ણનો એ આપે છે તેમાં લગામરૂપે પણ જો નામદેવ જેવાની (એમની દ્વારા નિવૃત્તિ-જ્ઞાનદેવની), ભાગવત કરતાં પણ વધુ પરિષ્કૃત એવી, દૃષ્ટિ એને વરી હોત તો એની શૃંગારભક્તિની કેટલીક કવિતા વાચ્યાર્થની વિરૂપતાઓમાંથી બચવા પામત.&lt;br /&gt;
પ્રેમભક્તિનો માર્ગ નરસિંહે ખેડી જાણ્યો છે. એની, ખાસ કરીને આરંભની, કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર શુચિતર ભૂમિકા સુસાધ્ય છે. ‘હરિ દીઠડે, હરિ સરખા થઈએ’ અને ‘જે દિન દેખું, તે દિન લેખું’ – એવો પ્રિયતમદર્શનનો એ મહિમા કરે છે. ‘જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ’ જેવામાં પ્રેમભક્તિ એ વૈરાગ્યની પરિસીમાએ પહોંચાડનારી છે એમ એ કહે છે. ‘નારસિંયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે’ – એમ કહી પ્રેમભક્તિ એ અશારીર દિવ્ય રસ હોવાનું એ સૂચવે છે. પોતે પ્રેમભક્તિના રંગોમાં કેવો ચકચૂર છે અને દેહદશા ભૂલવામાં કેવો ધન્યધન્ય થઈ ગયો છે એ એના આનંદઉન્માદના ‘નરસૈંયે રંગની રેલમાં દીધી, હરિ તાલી લીધી હાથ’ એ ઉદ્ગારમાં પ્રતીત થાય છે.&lt;br /&gt;
પ્રેમભક્તિનું શુદ્ધ અ-લૌકિક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે, એ સાથે જ નરસિંહમાં પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે. મધ્યકાળમાં આ દૃશ્ય વારંવાર જોવા મળતું નથી, નરસિંહની પહેલાં તો એ વિરલ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અદ્વૈતાનુભવની અષ્ટપદી&lt;br /&gt;
કારકિર્દીના અંતભાગમાં નરસિંહ અદ્વૈતાનુભવના ગાન તરફ વળે છે તેમાં પરોક્ષ રીતે નામદેવનો પ્રભાવ હોય અને સંભવ છે કે જ્યેષ્ઠ સમકાલીન કબીરની – જેમણે પણ લીલાગાન કર્યું નથી તેમની પણ અસર હોય. 	&lt;br /&gt;
નરસિંહની ભક્તિચર્ચાના – ભક્તિગાનના પ્રાસાદના કળશરૂપે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એ સહેજે આગળ તરી આવે એવાં આઠેક પદોની અષ્ટપદી આવે છે. એના વગર કાંઈક અધૂરું લાગત. એ અષ્ટપદીમાં અવાજ પેલો શૃંગારપ્રીતિનો જ છે, એટલો જ આર્દ્ર, એટલો જ આર્ત, પણ એ પ્રગલ્ભ અને પ્રૌઢ બન્યો છે. રા&#039; મંડલિકની સભામાં પોતાને ‘કામી’ ‘લંપટ’ તરીકે ખડો કરવાનો પ્રસંગ બન્યો એમાં પોતે નિર્દોષ છૂટ્યો, બલકે પ્રભુના લાડીલા તરીકે બહાર આવ્યો. પણ શૃંગારભક્તિને નામે કામુકતાને છૂટો દોર મળ્યાના દાખલા એના અનુભવમાં નહીં જ આવ્યા હોય એવું ન બને. કબીર જેવાની વાણી તેને જે કાંઈ પહોંચી હશે તે નિર્ગુણ અંગેની જોવા મળી હશે – અને છતાં પરમ આકર્ષક અને તૃપ્તિકર લાગી હશે. રા&#039; મંડલિકનું મૃત્યુ, ધર્માંતર પહેલાં અથવા પછી, થયા બાદ નરસિંહ જૂનાગઢથી માંગરોળ જઈને રહ્યો એવી જનશ્રુતિ છે. ઇસ્લામી સંતોનો સંપર્ક પણ જીવનની સંધ્યાએ થયો હોય. ઉત્તરાવસ્થાનો બધો સંદર્ભ વિચારતાં નરસિંહની પ્રેમભક્તિની ચર્યાનું પરિણમન અદ્વૈતાનુભવમાં થાય છે એ ક્રમ સહજ અને સંગત બની રહે છે.&lt;br /&gt;
નરસિંહ મધ્યકાલીન ભારતમાં સોળે કળાએ ખીલેલા ભક્તિયુગનો પ્રતિનિધિ ઉદ્ગાતા બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. નરસિંહનો સમય&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રતો ઈ.સ. ૧૭મા સૈકાના આરંભની મળે છે. કેશવરામ શાસ્ત્રીએ ‘નરસૈં મહેતાનાં પદ’માં આરંભમાં ૧૫ પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૬૮ (ઈ. ૧૬૧૨) જેટલી૧૩&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt; જૂની હસ્તપ્રતમાંથી આપ્યાં છે તે જૂનામાં જૂની છે. ‘હારસમેના’નાં સાત પદો ગુજરાત વિદ્યાસભાની સં. ૧૬૭૫ (ઈ. ૧૬૧૯) જેટલી જૂની હસ્તપ્રતમાંથી૧૪&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; મળે છે.&lt;br /&gt;
નરસિંહ ઉપર અન્ય કવિઓએ કાવ્યરચના કરી છે. વિષ્ણુદાસ (કવનકાળ ઈ. ૧૫૬૮ થી ૧૬૧૨)૧૫&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt; ‘કુંવરબાઈનું મોસાળું&#039; લખે છે. મીરાંબાઈએ ‘નરસિંહકા માહ્યરા’ લખ્યાનું કહેવાય છે. મીરાં વ્રજમાં જીવ ગોસ્વામીને મળી હતી. જીવ ગોસ્વામી ઈ. ૧૫૩૩માં ગુજરી ગયા,૧૬&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt; તે પહેલાં મીરાં હયાત હોવી જોઈએ. એટલે કે નરસિંહ ઈ. ૧૫૩૩ પૂર્વે હયાત હોય. નરસિંહના સમયની આ ઉત્તરમર્યાદા.&lt;br /&gt;
ઉપરની સં. ૧૬૬૮ની પ્રતમાંથી મળેલા બારમા પદમાં ‘કે રસ જાણે વ્રજની રે નારી કે જેદેવે પીધો રે’ એ પંક્તિમાં જયદેવનો ઉલ્લેખ આવે છે, અને ઉપર જોઈ ગયા તેમ પદ ૧૫મા માં त्वमसि शृंगार मम હાર ઉર ભૂષણા, त्वमसि मम મગ્ન ચિત સંગ ડોલે’ એ પંક્તિમાં જયદેવકૃત ગીતગોવિંદ (૧૧-૩) ના શબ્દો મળે છે. જયદેવનો સમય બારમી સદીનો લેખાય છે.&lt;br /&gt;
બારથી સોળ વચ્ચેના સૈકાઓમાં નરસિંહનો નિશ્ચિત સમય કયો? એક જ આધાર મળે છે. ‘હારમાળા’માં નરસિંહને કંઠે કૃષ્ણભગવાને પોતાનો હાર પહેરાવ્યાના પ્રસંગની તિથિનો ઉલ્લેખ છે : ‘સંવત પંનર બારોતર સપતમી અને સોમવાર રે, વૈશાખ અજુઆલિ-પખે નરસિનિં આપ્યો હાર રે.’૧૭&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt; એટલે કે એ પ્રસંગ સં. ૧૫૧૨ના વૈશાખ સુદિ ૭ને સોમવાર (તા. ૧૨-૪-૧૪૫૬) ના દિવસે બન્યો. ગણિતની દૃષ્ટિએ તિથિ અને વાર તે વર્ષમાં તે દિવસે મેળમાં છે.&lt;br /&gt;
‘હારમાળા’ના કર્તૃત્વ અંગે વિચારવાનું રહે છે. ઉપર તિથિનો ઉલ્લેખ જેમાંથી ઉતાર્યો છે તે પ્રત ‘પચાશ પદ નિર્મલ’ (?ની માલા)૧૮&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt; આપે છે, તો બીજી કેટલીક ‘પાંસઠ પદની માલા’, તો કોઈક ‘પદ અઠોતરની માલા’ આપે છે.૧૯&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt; સં. ૧૭૬૨માં નકલ થયેલી ૯૦ પદવાળી હસ્તપ્રત પણ મળે છે.૨૦&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt; ૭૮ પદ આપતી હસ્તપ્રતનો ક્રમ સાચવતી પણ ૬૬મા પદે તૂટતી, તનસુખરામ મહેતાવાળી હસ્તપ્રતની નકલ ઉતાર્યાનો સમય સં. ૧૭૩૧-૩૩ વચ્ચેનો છે.૨૧&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt; એટલે કે લગભગ સં. ૧૭૩૧ સુધીમાં ‘હારમાળા’ ૭૮ પદની અને સં. ૧૭૬૨ સુધીમાં ૯૦ પદની થઈ ચૂકી હતી.પદ ૧૦– ‘જપ્યનિં જિહવા વિમલ નામ રાઘવ તણું’–રચનાર તરીકે ‘ભીમ’ના ઉલ્લેખ સાથેનું છે તે થોડાક પાઠભેદથી પણ કર્તા તરીકે ‘ભીમ’નો ઉલ્લેખ કરતું ભીમના ‘પ્રબોધપ્રકાશ’ની સં. ૧૫૭૫ જેટલી જૂની પ્રતમાં છૂટક મળે છે.૨૨&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt; ‘હારમાળા’નાં સંવર્ધિત સંકલન લગભગ ઈ. સોળમા સૈકાના પ્રથમ ચરણમાં થવા માંડ્યાં હોય.&lt;br /&gt;
કનૈયાલાલ મુનશીએ ‘હારમાળા’ની સં. ૧૭૯૭ની હસ્તપ્રતમાંથી ‘સંવત ૧૫૭૨ વર્ષે મહા સુદ ૭ સોમવાર’ એ ઉતારો આપી ‘બારોતરો’ને બદલે ‘બાહોતરો’ પાઠ સૂચવી, બીજી જ એક પ્રતનાં તિથિવાર (‘બાહોતરો માગશર સુદિ-૭ સોમવાર’) સ્વીકારી ગણિતદૃષ્ટિએ એ સાચાં છે, એમ કહ્યું છે, પણ સં. ૧૫૭૨ના માગશર સુદિ ૭મે ગણિતદૃષ્ટિએ મંગળવાર હોવો જોઈએ.૨૩&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt; આમ, સં. ૧૫૭૨ની સંભાવનાને પુષ્ટિ મળતી નથી. સં. ૧૫૧૨ આપનારી પ્રતોમાંથી ત્રણ પ્રતો ‘માગશર સુદિ-૭ રવિવાર’ આપે છે તે પણ ગણિતદૃષ્ટિએ મેળમાં છે.૨૪&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; આ રીતે હારનો પ્રસંગ ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨ના માગશર સુદિ-૭ રવિવાર (તા. ૧૬-૧૧-૧૪૫૫) અથવા તો વૈશાખ સુદ -૭ સોમવાર (૧૨-૪-૧૪૫૬) એ બેમાંથી ગમે તે એક દિવસે બનવો શક્ય છે. અગાઉની તિથિને હારમાળામાંના એક પદની ‘અરૂણ ઉદયો ને હરણલી આથમી તોહે તુંનિ કરુણા ન આવે રે’ એ પંક્તિમાંના મૃગશીર્ષનક્ષત્રના આથમવાની સ્થિતિના ઉલ્લેખનો ટેકો છે.૨૫&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt; તિથિના ઉલ્લેખવાળા પદના કર્તૃત્વ વિશે ખાતરી ન હોવા છતાં અને તિથિઓ જુદી જુદી અપાઈ હોવા છતાં ગણિતદૃષ્ટિએ સં. ૧૫૧૨માં મેળમાં આવતી બે તિથિઓ ધ્યાનપાત્ર ઠરે છે, ખાસ કરીને માગશરમાસની તિથિ. નરસિંહને પોતાને હાથે અથવા જાણકાર એવા બીજા કોઈને હાથે આ હારપ્રસંગની તિથિ સચવાઈ હોય.&lt;br /&gt;
સં. ૧૫૧૨ના વર્ષના પક્ષમાં એક વધુ હકીકત પણ નોંધવા જેવી છે. સં ૧૬૭૫ હસ્તપ્રતમાં ‘મંડલિક’ રાજાના નામોલ્લેખવાળાં પદો છે. મંડલિક પાંચમાનો સમય સં. ૧૪૮૮-૧૫૨૦ છે.૨૬&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
આમ નરસિંહ સં. ૧૫૧૨ (ઈ. ૧૪૫૫-૫૬)માં હયાત હોવાની સંભાવના વિચારવા જેવી ઠરે છે. નરસિંહનો આયુષ્યકાળ ઈસ્વીસન પંદરમા સૈકાના અંત પહેલાં પૂરો થયો હોય. નકારાત્મક પુરાવાઓનો બહુ અર્થ નહીં તેમ છતાં નરસિંહ જેવા પરમ વૈષ્ણવના કવનમાં પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રીમદ્ વલ્લભાચાર્ય (ઈ. ૧૪૭૮-૧૫૩૦)ના પ્રભાવનાં ચિહ્નો જોવા મળે નહીં તો એ વસ્તુ નોંધપાત્ર જરૂર બને છે. શ્રીમદ્ વલ્લભાચાર્યનો એ સમકાલીન ન હોય એટલે કે સોળમા સૈકાના આરંભમાં એ વિદ્યમાન ન હોય એ સંભવિત છે.&lt;br /&gt;
નરસિંહના સમય વિશે મુનશીની પૂર્વે આનંદશંકર ધ્રુવે૨૭&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt; ઊહાપોહ કર્યો હતો. આનંદશંકરે નરસિંહના ‘સુરતસંગ્રામ’માં રાધાની સખીઓ ચંદ્રાવલી, વિશાખા અને લલિતાનાં નામ આવે છે તે જયદેવના ‘ગીતગોવિંદ’માં નથી તો નરસિંહમાં ક્યાંથી આવ્યાં એ પ્રશ્ન ઊભો કર્યો અને ચૈતન્યના શિષ્ય રૂપ ગોસ્વામીના સંસ્કૃત ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’માંથી એ નામો મળ્યાં હોય એમ સૂચવ્યું. રૂપ ગોસ્વામી ઈ. ૧૪૮૮ પછી થયા, રાધાની સખીઓનાં નામ ભવિષ્યોત્તર આદિ પુરાણમાંથી મળી શક્યાં હોય, પણ આનંદશંકર કહે છે, ‘નરસિંહ મહેતાની આજ સુધી મનાતી તારીખમાં થોડાંક વર્ષનો ફેરફાર કરવો ઉચિત છે, કારણ કે ભવિષ્યોત્તરપુરાણના એક ખૂણામાંથી નરસિંહ મહેતાને એ નામ મળ્યાં હોય – જે નામ તે વખત સુધીના બીજા કોઈપણ પ્રસિદ્ધ સાહિત્યગ્રંથમાં ઊતરેલાં નથી– એમ માનવા કરતાં એમને સમયમાં ચૈતન્યસંપ્રદાયે એ નામ પ્રસિદ્ધિમાં આણ્યાં હતાં અને ત્યાંથી એમને મળ્યાં એમ માનવું વધારે યોગ્ય છે.’૨૮&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
‘સુરતસંગ્રામ’ તેમ જ ‘ગોવિંદગમન’ ‘પ્રાચીન કાવ્યમાળા’માં નકલની નકલ ઉપરથી છપાયાં છે, હસ્તપ્રત કોઈને જોવા મળી નથી. ‘સુરતસંગ્રામ’ના ભાષાપ્રયોગો પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રયોગોની યાદ આપે છે. એ બે કૃતિઓ નરસિંહની હોવા વિશે શંકા છે. નરસિંહની ‘ચાતુરીઓ’માં રાધાની સખી તરીકે માત્ર ‘લલિતા’નું નામ છે. ગુજરાતમાં ચૈતન્ય (ઈ. ૧૪૮૫-૧૫૩૩)ના સંપ્રદાયની અસર પૂર્વે ગોપાંગનાઓનાં નામ પ્રચારમાં છે. ઈ. ૧૫૨૦માં ‘ભ્રમરગીતા’નો કવિ ચતુર્ભુજ ‘ચન્દ્રાઊલી’ નામ આપે છે. પુરાણોની જાણકારી ગુજરાતીમાં જૈન લેખકોમાં પણ જોવા મળે છે. ભવિષ્યોત્તરપુરાણ આદિની અસર નીચે ગોપીઓનાં નામ ગુજરાતમાં પ્રચારમાં હોય એમ માનવામાં હરકત નથી, એવો કેશવરામ શાસ્ત્રીનો અભિપ્રાય યોગ્ય લાગે છે.૨૯&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt; આનંદશંકર પણ કહે જ છે કે ‘આજ સુધી મનાતી આવેલી તારીખ અચળ માલુમ પડે તો ચૈતન્યને બદલે ભવિષ્યોત્તર પુરાણની કલ્પના કરીને નિર્વાહ કરવામાં બાધ નથી.’૩૦&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
નરસિંહરાવે વધુમાં નરસિંહમાં આવતા ‘વિઠ્ઠલ’ શબ્દ તરફ અને મરાઠી ‘ચા,ચી’ વગેરે પ્રત્યય તરફ ધ્યાન ખેંચ્યું છે.૩૧ ‘વિઠ્ઠલ’ શબ્દ ભીમ, માંડણ, ભાલણ, કેશવદાસ એ બધા કવિઓમાં મળે છે. અને ‘ચા,ચી’ પ્રત્યય છેક ઈ. ૧૩૦૪ આસપાસના ‘પેથડરાસ’માં (‘તમ્હચી પાય એ કમલ ભર...&#039;) જોવા મળે છે. ‘વિઠ્ઠલ’ શબ્દ કે ‘ચા,ચી’ પ્રત્યયોને કારણે નરસિંહનો સમય ખસેડવાનો કોઈ પ્રશ્ન જ નથી.&lt;br /&gt;
ઈ. ૧૪૫૫માં નરસિંહની ઉપર રાજાના દરબારમાં ચારિત્ર્ય વિશે આળ ચડાવવામાં આવ્યું ત્યારે એની પત્ની અને પુત્ર અવસાન પામેલાં છે અને મામેરાનો પ્રસંગ નીપટી ચૂકેલો છે એ જોતાં, અને અન્ય સંપ્રદાયવાળાઓએ એની જામેલી પ્રતિષ્ઠા તોડવા આ કારસો રચ્યો હોય એમ માનીએ તો એની ઉંમર પચાસ લગભગ હોય. તે પછી માંગરોળમાં એ જઈને રહ્યાનું કહેવાય છે. એક-બે દસકા ત્યાં કાઢ્યા હોય એમ બને. એ સમય દરમ્યાન જ્ઞાનનાં ‘પ્રભાતિયાં’ રચાયાં હોય. ‘હારસમેનાં પદ’ના ઝૂલણાનાં લય અને કવિત્વ અને ‘પ્રભાતિયાં’નાં લય અને કવિત્વ વચ્ચે થોડીક વિકાસયાત્રા જરૂર છે. કવિની રચનાસૃષ્ટિના આંતર પુરાવા ઉપરથી કરેલું આ અનુમાન ઠીક હોય તો સદીના ત્રીજા ચરણના મોટા ભાગમાં કવિ વિદ્યમાન હોય. આમ, નરસિંહનો આયુષ્યકાળ ઈ. ૧૪૦૮ થી ઈ. ૧૪૭૫નો અંદાજી શકાય.&lt;br /&gt;
ઈચ્છારામ દેસાઈ નરસિંહનો જન્મ મણિશંકર જટાશંકર કીકાણી જેવા જાણકારોને પૂછીને સં. ૧૪૬૯-૭૧ (ઈ. ૧૪૧૩-૧૫) દરમ્યાન થયાનું નોંધે છે.૩૨ અને મૃત્યુ ૬૬ વર્ષની વયે33 (ઈ. ૧૪૮૦-૮૨ દરમ્યાન) થયાનું કહે છે. કેશવરામ શાસ્ત્રી જન્મ ૧૪૧૦-૧૧માં થયાનું સૂચવે છે.૩૪&lt;br /&gt;
કવિના સમય અંગે કાંઈક નિશ્ચિત જેવી એક માત્ર વીગત હોય તો તે ઈ. ૧૪૫૫ના હારપ્રસંગની છે. અને તે ઉપરાંત એના જીવનના કેટલાક મુખ્ય પ્રસંગો કેટકેટલાં વરસને આંતરે બન્યા તે અંગે કૃતિઓમાંથી મળતી માહિતી છે. હારપ્રસંગ વખતે એની ઉંમર કેટલી હતી તેનો અંદાજ બાંધવા ઉપર જન્મ અને બીજા પ્રસંગોના વરસનો અંદાજ પણ આધાર રાખશે. મુનશી આદિ જે કારણોસર નરસિંહનો સમય અર્ધીક સદી જેટલો પાછળ લાવવા માગતા હતા તે સબળ પુરવાર થયાં નથી તે જોયા પછી, ઈ. ૧૪૫૫ની સમયખીંટીને વળગી રહેતાં નરસિંહનો સમય સં. ૧૪૭૦ (ઈ. ૧૪૧૪) આસપાસ જન્મવર્ષ અને સં. ૧૫૩૬ (ઈ. ૧૪૮૦) આસપાસ મૃત્યુવર્ષ એ રીતે માનવાનો રહે.&lt;br /&gt;
જન્મવર્ષ ઈ. ૧૪૦૮ લેવા પાછળ એના જીવનના મહત્ત્વના તે તે પ્રસંગે એની કેટલી ઉંમર હોય એ અંગે શો અંદાજ છે અને તે કેવા અનુમાનના આધારે તે ટૂંકમાં જોઈએ.&lt;br /&gt;
ગૃહત્યાગ, તપસ્યા અને જીવનપરિવર્તનનો પ્રસંગ નરસિંહની કાચી ઉંમરે બન્યો હોય એમ માનવું ઠીક નથી. ભાભી નાના છોકરાને મહેણું મારે એના કરતાં મોટી ઉંમરના, પરણેલા, બાળકવાળા અને ખાસ કાંઈ ન કમાતા જુવાન આગળ અણગમો પ્રદર્શિત કરી બેસે એ વધુ સંભવિત છે. હિંદુ સમાજમાં, ખાસ કરીને મધ્યકાળમાં, સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા પ્રચલિત હતી. માણસે સંસાર માંડ્યો હોય, અને ભરણપોષણ અંગે એ જવાબદારી ઉઠાવતો ન હોય તો એ સમાજદૃષ્ટિએ પણ ઠપકાને પાત્ર ઠરે. નરસિંહનું લગ્ન સોળેક વરસની ઉંમરે થયું હોય, વીસેકની ઉંમરે પુત્ર જન્મ્યો હોય, બાવીસેકની ઉંમરે ભાભીના મહેણાનો પ્રસંગ બન્યો હોય. જીવનનું આમૂલ પરિવર્તન કરી દેતી અધ્યાત્મ-અનુભૂતિ વિશે કહેતાં નરસિંહ નોંધે છેઃ ‘પુરુષ પુરુષાતન લીન થયું માહરૂં, સખી-રૂપે થયો મધ્ય ગાવા; દેહદશા ટળી...’ એવા અનુમાનને અવકાશ રહે છે કે નરસિંહનું સંસારી જીવન એ પછી પૂરું થાય છે. એ વખતે પુત્ર બે વરસનો હોય અને પુત્રી જન્મવાની હોય. ‘વિવાહ’માં એ વખતની પરિસ્થિતિ વર્ણવતાં કહે છે, ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’. માણસ પરિણીત હોય, એને એક પુત્ર હોય, પત્નીને બીજું બાળક અવતરવાનું હોય (અને હવે સુવાવડની વ્યવસ્થા એને પિયર નહીં પણ સાસરે જ કરવાની હોય) તેવા સંજોગોમાં, ખાસ કરીને એ જવાબદારી બરોબર ઉઠાવતો ન હોય તો ભાભી મહેણું આપી બેસેય તે. તો, નરસિંહની બાવીસેકની ઉંમરે અધ્યાત્મ-અનુભવ અને કુંવરબાઈનો જન્મ, અને પુત્રનું લગ્ન બાર વરસની ઉંમરે થયું હતું એટલે એ પ્રસંગ બન્યો હોય કવિની બત્રીસેકની ઉંમરે. મામેરાનો પ્રસંગ કુંવરબાઈની સત્તરેકની ઉંમરે એટલે કે કવિની ઓગણચાલીસેકની ઉંમરે આવ્યો હોય. પત્ની અને પુત્ર તે પહેલાં અવસાન પામ્યાં છે. તે પછી, હારમાળાનો પ્રસંગ બન્યો છે. કવિની પ્રૌઢ ઉંમરે એટલે કે ઈ. ૧૪૫૫માં નરસિંહ સુડતાળીસનો હોય.&lt;br /&gt;
પુત્રના વિવાહ અંગે ‘વૈશાખ સુદ દિન શુભ છે. પંચમી વાર ગુરુએ નિરધાર કીધું’ એમ કવિ નોંધે છે તે પરથી કેશવરામ શાસ્ત્રી ગણિતદૃષ્ટિએ સં. ૧૪૯૬ (તારીખ ૭-૪-૧૪૪૦) ની સાલ બેસતી આવે છે,૩૫ એમ કહે છે તે બરોબર હોય તો (ઉપરના અંદાજમાં પુત્રવિવાહ વખતે કવિની ઉંમર બત્રીસેક વરસની સૂચવી છે તે જોતાં) એના જન્મનું વરસ ઈ. ૧૪૦૮ ઠરે છે, એ જોઈ શકાશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની જૂનામાં જૂની હસ્તપ્રત, ઉપર જોયું તેમ, ઈ. ૧૬૧૨ની મળે છે. લોકપ્રિય એવા સંતકોટિના કવિની રચનાઓ લોકજીભે સચવાય અને હસ્તપ્રતો તેના સમયની તો ઠીક પણ એના જીવનકાળ પછીના સૈકાની પણ મળે નહીં, ત્યારે એ રચનાઓમાં તેની પોતાની કેટલી અને એનું નામ ધારણ કરીને લખનાર બીજાઓની કેટલી એ પ્રશ્ન વિચારવાનો રહે. દા.ત. વિદ્યાપતિને નામે અને નામદેવને નામે બીજાઓએ લખેલી કૃતિઓ ચઢેલી છે. નામદેવ નરસિંહથી અર્ધી સદી જેટલા વહેલા થઈ ગયા, છતાં કોઈ નામધારી નામદેવે ‘નામા મ્હણે ધન્ય નરસી મહેતા’ કરીને હૂંડીનો પ્રસંગ ગાયો છે!&lt;br /&gt;
નરસિંહની ગણાતી તમામ રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતો સામે રાખીને, કર્તૃત્વનો પ્રશ્ન પૂરેપૂરો તપાસવાનો હજી બાકી છે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ભેગી કરેલી અને તેમના મૃત્યુ પછી તેમના પુત્ર મણિલાલ દેસાઈએ ઈ. ૧૯૧૩માં ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’—એ ગ્રંથરૂપે પ્રગટ કરેલી નરસિંહની કૃતિઓ છે : ૧. હારમાળા, ૨. ગોવિંદગમન, ૩. સામળદાસનો વિવાહ, ૪. સુરતસંગ્રામ, ૫. ચાતુરીછત્રીશી, ૬. ચાતુરીષોડશી, ૭. દાણલીલા, ૮. સુદામા-ચરિત્ર, ૯. રાસસહસ્રપદી, ૧૦. વસંતનાં પદ, ૧૧. શૃંગારમાળા, ૧૨. શ્રીકૃષ્ણજન્મ-સમાનાં પદ, ૧૩. શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ, ૧૪. હીંડોળાનાં પદ, ૧૫. બાળલીલા અને ૧૬. ભક્તિજ્ઞાનનાં પદો.&lt;br /&gt;
પ્રાચીન કાવ્યમાળામાં ‘ગોવિંદગમન’નું અને ‘સુરતસંગ્રામ’નું પ્રકાશન થયું તેના સંજોગોનું અને એમાંના કેટલાક ભાષાપ્રયોગોનું પણ પ્રેમાનંદની શંકાસ્પદ કૃતિઓના પ્રકાશનના સંજોગો સાથે અને તેમાંના ભાષાપ્રયોગો સાથે સામ્ય જણાતાં તે બે રચનાઓ નરસિંહની લેખવામાં આવતી નથી. નરસિંહની બાનીનો સ્પર્શસરખો આ બે રચનાઓમાં નથી.&lt;br /&gt;
‘ભક્તિજ્ઞાનનાં પદો’ના, ‘સુદામાચરિત્ર’ના અને અન્ય ઝૂલણા અને આ બે કૃતિઓના ઝૂલણા સરખાવવામાં આવશે તો આ કૃતિઓના આંતરપ્રાસના ઠાલા ખખડાટ અને રસનાં સૂકવણાં કોઈ કૃતક-નરસિંહની એ બંને કૃતિઓ હોવાની પ્રતીતિ કરાવશે.&lt;br /&gt;
ઇચ્છારામ સૂ. દેસાઈ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત (૧) નરસૈં મહેતાનાં પદ (૨૦૮ નવાં પદો સાથે)–૧૯૬૫, (૨) નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હાર)–૧૯૬૯, અને એમના માર્ગદર્શન નીચે કુ. ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ દિવેટિયા સંપાદિત (૩) નરસિંહ મહેતા કૃત ચાતુરી-૧૯૪૯– એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈ સંપાદિત ‘નરસિંહ મહેતા-કૃત કાવ્યસંગ્રહ’માંથી આપ્યાં છે.&lt;br /&gt;
નરસિંહના કૃતિસમૂહને નીચેના વિભાગોમાં વિગતે અવલોકીએ :&lt;br /&gt;
(૧) આત્મકથનાત્મક કૃતિઓ – પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હારસમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ;&lt;br /&gt;
(૨) અન્ય આખ્યાનકલ્પ કૃતિઓ – ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા;&lt;br /&gt;
(૩) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિંગીતો - શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો, વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો;&lt;br /&gt;
(૪) ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૧. આત્મકથનાત્મક કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કૃતિસમૂહ અવલોકતાં નરસિંહના જીવનનો તેમ જ એની કવનશક્તિનો કેટલોક અંદાજ મળી રહે છે. નરસિંહનો જન્મ સૌરાષ્ટ્રમાં તળાજામાં થયો હતો. તળાજા પાસેના જંગલમાં અપૂજ શિવલિંગ પૂજતાં એને આધ્યાત્મિક અનુભવ થયો. પછીથી એ જૂનાગઢ જઈને વસે છે. અંતકાળ માંગરોળમાં વીતાવ્યાની જનશ્રુતિ છે.&lt;br /&gt;
નરસિંહના મહત્ત્વના જીવનપ્રસંગો વિશે પાછળથી મીરાં, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની, પ્રેમાનંદ, દયારામ આદિ અનેક કવિઓએ કાવ્યરચનાઓ કરી છે. નાભાજીની ભક્તમાલમાં એનું ચરિત્ર મળે છે. મરાઠીમાં પણ નરસિંહની જીવનઘટનાના ઉલ્લેખ છે. પણ એ બધાં બયાનોના મૂળમાં નરસિંહની પોતાની જ છ આત્મકથનાત્મક કૃતિઓ છે. તેમાં કાંઈક વિસ્તૃત એવાં ચાર આખ્યાનકો છે : ૧. પુત્રનો વિવાહ, ૨. પુત્રીનું મામેરું, ૩. હૂંડી, ૪. હારસમેનાં પદ.૩૬ તે ઉપરાંત છૂટક ૫. પ્રભુ પોતે પાણી પાવા ઝારી લઈને મોહિનીરૂપે આવ્યાના પ્રસંગનાં ચાર પદ છે અને ૬. પોતે હરિજનોનું નિમંત્રણ સ્વીકાર્યાંનાં બે પદ છે.&lt;br /&gt;
‘સાચું કે સ્વપ્ન’– છમાંથી પાંચ કૃતિઓમાં સંકટપ્રસંગે ભગવાને સ્વયં મદદ કર્યાંનું વર્ણન નરસિંહે કર્યું છે. પણ એ બધા પાછળ જે મુખ્ય ઘટના છે તે છે જુવાનીમાં જ એના જીવનમાં આમૂલ પરિવર્તન થયા અંગેની. ‘મામેરું’ના આરંભમાં જન્મસ્થળનો ઉલ્લેખ કરી નરસિંહ એ ઘટનાનું મૂળ નિર્દેશે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ‘મૂર્ખ’ કહી મ્હેણું દીધું.&lt;br /&gt;
વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’માં એ આખો પ્રસંગ વીગતે આલેખાયો છે : -&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મરમવચન કહ્યાં હુંને ભાભીએ તે માહરા પ્રાણમાં રહ્યા વળૂંધી;&lt;br /&gt;
શિવ આગળ જઈ એક-મનો થઈ ધ્યાન કીધું દિવસ સાત સુધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવે પ્રસન્ન થઈ વર માગવા કહ્યું :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગદગદ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગધ જાણી.&lt;br /&gt;
અચેત ચેતન થયો, ભવતણો અઘ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
‘તમને જે વલ્લભ, હોય કંઈ સુલ્લભ, આપો, પ્રભુજી, હુંને દયા રે આણી.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ બીજા પદમાં કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘ગોપનાથે હુંને અભેપદ આપિયું’.&lt;br /&gt;
...‘જો જો, ભાઈઓ, મારું ભાગ્ય મોટું–&lt;br /&gt;
કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો, પૂરણ બ્રહ્મ શું ધ્યાન ચોંટ્યું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શિવ પોતાને હાથ ઝાલીને ‘કનકની ભોમ વિક્રમના થાંભલા’વાળી ‘મુગતિપુરી’માં ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ છે ત્યાં લઈ જઈને સોંપણી કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભક્ત મારો મૃતલોકથી આવિયો, કરોને ક્રિપા એને દીન જાણી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મુગતિપુરી–દ્વારકા એ મૃત્યુલોકની નથી. નરસિંહ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તે જ વેળા હરિ મુજને કૃપા કરી, હસ્તકમલ મારે શીશ ચાંપ્યો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ત્રીજા પદમાં કહે છે કે શિવ જાય છે, પણ નરસિંહને દ્વારકામાં રાખે છે. કૃષ્ણ એને રિદ્ધિ, સિદ્ધિ, દ્વારકા-કૈલાસવાસ જે જોઈએ તે માગવા કહે છે. નરસિંહ માગે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
રિધિસિદ્ધિરાજ્યનો ખપ નથી માહરે, એક અનંત તારી ભક્તિ જાચું...&lt;br /&gt;
કષ્ટ પડે તિહાં સાહ્ય થાજો તમ્યો, ગાઉં જશ તાહરા મધુરી વાણી.&lt;br /&gt;
&lt;br /&gt;
વળી માગ્યું કે વૃંદાવનના રાસમંડળની ‘અખંડલીલા મારે નયણે નીરખું.’&lt;br /&gt;
&lt;br /&gt;
હસિયા કમળાપતિ, ‘ધન્ય તારી રતિ,’ પ્રેમની ભક્તિ નરસૈંને આપી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચોથા પદમાં શરદપૂનમ આવી અને રાસ જામ્યો તેની વાત છે : ‘નરસિંહે તિહાં કરતાળ સાહ્યો.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પુરુષપુરુષાતન લીન થયું માહરું, સખીરૂપે થયો મધ્ય ગાવા;&lt;br /&gt;
દેહદશા ટળી, માંહે રહ્યો ભળી, દૂતી થૈ માનિનીને મનાવા.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પાંચમા પદમાં કહે છે કે પછી તો દ્વારકામાં ‘માસ વીતી ગયો’. નરસિંહે પ્રાર્થના કરી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જે રસથી અનુભવ્યો, ગાઉં તે નિતનવો, પ્રગટ ભૂતળે કરું અંતરજામી...&lt;br /&gt;
‘હું અને તું વિશે ભેદ નહીં, નાગરા, શ્રીમુખે કહું રે ગુણડા રે તારા.&lt;br /&gt;
જે રસ ગૂઝ બ્રહ્માદિક નવ લહે, તે પ્રગટ ગાજે; તુંને વચન દીધું.&lt;br /&gt;
નિશ્ચે રાખી નિરભે થઈ માણજે.’ – દાસનું અતિ સનમાન કીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘માસ ને ત્રણ તિહાં’ વીતી ગયા. છઠ્ઠા પદમાં કહે છે કે વિદાય પૂર્વે રુક્મિણીએ સ્નેહભાવ રાખજો એમ કહી પોતાને મૃત્યુલોક જોવાની હોંશ હોઈ પુત્રના લગ્નમાં તેડવા માટે ખાનગીમાં કહ્યું. ‘પાળજો, માતાજી, વચન’– એમ નરસિંહ એમને બાંધ્યાં અને એમનો નિશ્ચય જોઈ યાદદાસ્ત માટે ‘પોતાના વસ્ત્રે ‘ગાંઠ બાંધી’. નરસિંહ હવે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શીશ નમાવીને તિહાં થકી નીસર્યો, પૂરણબ્રહ્મ શું પ્રીત સાંધી...&lt;br /&gt;
પુષ્પ આપ્યું હુંને નાથ લક્ષ્મી તણે, સાચું કે સ્વપ્ન મેં દ્રષ્ટ દીઠું.&lt;br /&gt;
લક્ષ સવા કીર્તન તણો નીમ કરી, નરસિંયાને મન લાગ્યું મીઠું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ઘટનાને પરિણામે કવિ કહે છે તેમ ‘સૂતી ઊઠી મારી આદ્ય વાણી’. સવાલાખ ભક્તિપદો ગાવાનો એ સંકલ્પ કરે છે. નરસિંહનું આખું જીવન પલટાવી નાખે એવો આ બનાવ હતો. કવિઓ, કલાકારો, જીવનવીરોની બાબતમાં આ અસ્તિત્વ પલટાવી નાખનાર કોઈ ને કોઈ બનાવ ક્યારેક જોવા મળતો હોય છે. નરસિંહ પોતાનું સ્વરૂપાન્તર કરનાર બનાવ નિરૂપતાં ઉમેરે છે કે એ સાચો હોય કે સ્વપ્નવત્ હોય, પણ પોતાને લક્ષ્મીનાથે હાથોહાથ પુષ્પ આપ્યું વગેરે બધું પોતે તો પ્રત્યક્ષ અનુભવ્યું છે અને એને પોતાને માટે તો એ વાસ્તવિક ઘટના છે, પોતે આખો પલટાઈ ગયો છે એ એની સાબિતી છે.&lt;br /&gt;
‘ચાતુરીઓ’(૯)માં રાધાકૃષ્ણના કામવિલાસનો પોતે સાક્ષી બને છે, પોતે ભામિનીઓમાં ભળી જઈ ‘મહારસ’માં ઝીલે છે, પ્રભુનું સોંપ્યું દૂતીકાર્ય કરે છે – એ બધી કૃપા પાર્વતીના નાથે કરી, તેમણે ‘દિવ્યચક્ષુ આપ્યાં મુજને, મસ્તક મેલ્યો હાથ’, એ વિગતો ટૂંકમાં એણે નિરૂપી છે.&lt;br /&gt;
‘પુત્રનો વિવાહ’ના સાતમા પદમાં નરસિંહ નવા અવતારે એને શોભે એ રીતે ભાભીનો અને જનનીજનકનો અહેસાન માને છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય ભાભી તમ્યો, ધન્ય માતાપિતા, શઠ જાણી હુંને દયા રે કીધી.&lt;br /&gt;
તમારી ક્રિપા થકી હરિહર ભેટિયા, કૃષ્ણજીએ મારી સૂધ લીધી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાચું હોય કે સ્વપ્ન હોય કે દિવ્યચક્ષુનો પ્રતાપ હોય – હવે નરસૈંયો ભગવાનના રંગે રંગાઈ ચૂક્યો છે.&lt;br /&gt;
ભાભીએ દિયર પરણેલો છે, પિતા છે અને વ્યવહાર સંભાળતો નથી, એટલે આવેશમાં એને ‘મૂર્ખ’ કહી દીધો હશે. પણ એ ‘મૂર્ખતા’ પાછળ બે વસ્તુઓ બીજ-દશામાં હોવી જોઈએ. એક તો તીવ્ર કલ્પનાશક્તિ અને બીજી તે સંસાર પ્રત્યે વિરક્તિ સાથે ભગવાન પ્રત્યે અનુરાગ. વનના એકાન્તમાં એકાગ્ર સાધનામાં એ બીજના અંકુર ફૂલ્યાફાલ્યા, ત્યાં સુધીમાં મળેલા–સંચિત થયેલા સંસ્કારોએ એક આકાર ધારણ કર્યો. સંભવ છે કે કોઈ જંગમ વિદ્યાપીઠ જેવા આગળ વધેલા વડેરા સાધકનું માર્ગદર્શન પણ એને મળ્યું હોય. એકાગ્ર સાધના સાત દિવસની છે પણ પછી એક અથવા તો ત્રણ મહિના સુધી એ વિસ્તરે છે. બ્રાહ્મણો શિવના ઉપાસક. નરસિંહ એના સમયમાં ભારતને પરિપ્લાવિત કરનાર કૃષ્ણભક્તિના પૂરમાં તણાય છે, પણ તે સ્વયં શિવનો દોર્યો, શિવનો સોંપ્યો શ્રી કૃષ્ણચરણે ઠર્યો છે, એ વસ્તુને ‘સાચું કે સ્વપ્ન’ એ પ્રસંગના આલેખનમાં ઉઠાવ મળ્યો છે. રામનું શરણું શોધનાર ભક્તકવિઓ પણ શિવને રામ ઇષ્ટ છે એ દર્શાવવા ખાસ કાળજી સેવતા જણાય છે. (જુઓ ‘રામચરિતમાનસ’માં બાલકાંડનો આરંભ.) હરિ-હરના એકત્વના ભાવને મધ્ય કાળમાં ખાસ ઉઠાવ મળ્યો છે, દા.ત. ‘નામા-મ્હણે શિવવિષ્ણુ મૂર્તિ એક’ (નામદેવગાથા ૧૭૯૬). નરસિંહને કોઈ સંન્યાસી, વિષ્ણુ(કૃષ્ણ)નો પણ ભક્ત હોય એવો સંન્યાસી માર્ગદર્શક મળ્યો હશે? ગમે તેમ પણ કૃષ્ણભક્તિ નરસિંહના સમય સુધીમાં જે રીતે વિકસી છે તેનો સંસ્પર્શ એની ચેતનાએ પરિવર્તનક્ષણે પૂરેપૂરો અનુભવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતમાં ખીલેલી ગોપીભાવથી ભક્તિ કરવાની પ્રણાલી એની ઉપર પ્રભાવ પાડી ગઈ છે. પોતે પ્રેમભક્તિ પામ્યો એટલે પુરુષભાવ છોડ્યો, ‘સખીરૂપે થયો.’ દક્ષિણના-મહારાષ્ટ્રના નામદેવ સખીભાવથી ભક્તિ કરનારા નથી પણ તેમનાથી નરસિંહ પરિચિત છે. પ્રભુએ માથે હાથ મૂક્યો અને વિશ્વપિતાએ પોતાને લીલા ગાવાનું કહ્યું એ જાતની પ્રતીતિના ઉદ્ગારો નામદેવમાં પણ મળે છે. माथा ठेऊनि हात्र बोले विश्र्वाचा जो बाप। वर्णिरे प्रत्राप नामदेवा॥ (૨૦) ભક્તકવિઓમાં આવી પ્રતીતિ કદાચ સામાન્ય હોય.&lt;br /&gt;
આ આખી અનુભૂતિ માનસલોકની છે. દ્વારકા પૃથ્વી પરનું નગર નથી. ‘દ્વારકાકૈલાસ’ સાથે ઉલ્લેખાયાં છે. રુક્મિણી ‘મૃતલોક’ જોવાની હોંસ બતાવે છે. અંતે ‘મૂહરત એકમાં ભૂતળે આવિયો’ એ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આંતરપ્રતીતિની એ વાત કરી રહ્યો છે. તેમ છતાં તળાજાથી એક (કે ત્રણ) માસ એ દૂર રહ્યો તે દરમિયાન ભૂતળ પરના દ્વારકામંદિરે ગયો પણ હોય. પૂર્વ ભારતના વૈષ્ણવ ભક્તો આજે પણ દ્વારકામાં જોવા મળે છે. દ્વારકામાં કે સૌરાષ્ટ્રમાં બીજે કોઈ સ્થળે યાત્રાપથમાં પૂર્વભારતના ભક્ત યાત્રિકો પાસેથી જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિની કૃતિઓનો પરિચય નરસિંહને થવા પામ્યો હોય. નામદેવ અભંગોમાં દ્વારકા આદિ ગુજરાતનાં તીર્થોમાં પોતે ફર્યાનું લખે છે. મહારાષ્ટ્રના યાત્રિકભક્તોના સંપર્કમાં પણ નરસિંહ આવ્યો લાગે છે. એક મુહૂર્તમાં એ ભૂતળે આવ્યો, ત્યાં ‘ભાભી આવ્યાં છે નરસિંયો જાણી.’ ભાભી હવે મળે છે તે પોતે જેને મહેણું દીધેલું તે ‘મૂર્ખ’ને નહીં પણ એ વખતના ભારતમાં ભક્તિનું જે પ્રચંડ આંદોલન દેશને ચારેખૂણે ગાજતું હતું તેના એક મુખ્ય માધ્યમને.&lt;br /&gt;
ચેતનાપરિવર્તન–‘અચેત ચેતન થયો’ તે−નું આ વર્ણન થોડાં વરસો બાદ પુત્રના વિવાહ પછી કરેલું છે. પણ એમાં કવિની આદ્યવાણી જાગ્રત થયાની એંધાણીઓ મળે છે. ‘મરમવચન... પ્રાણમાં રહ્યાં વળૂંધી’, ‘કીડી હુતો તે કુંજર થઈ ઊઠિયો’, ‘વિદ્રુમના થાંભલા’, ‘રાજરાજેશ્વર કૃષ્ણ બેઠા’ આદિમાં પ્રત્યક્ષીકરણની શક્તિ દીપી ઊઠે છે. ‘મધુરી વાણી’માં એને પ્રભુનું કીર્તન કરવું છે. વાણીનું માધુર્ય એને ભરપટ્ટે મળ્યું છે. ‘લક્ષ સવા’ કીર્તનો ગાયાં હશે કદાચ, પણ રચનાઓ કાગળ ઉપર ઊતરેલી કે લોકકંઠે સચવાયેલી એટલી બધી મળી નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
૧. પુત્રનો વિવાહ – ઉપરની કેન્દ્રિય અનુભૂતિના ઉપપ્રમેય રૂપે કવિચરિત્રના બીજા અધ્યાયો એમાંથી વહી આવે છે. ‘હરિરસ ગાવા ને જે મળે ખાવા’ તેથી સંતોષ માનતા કવિની માણેકબાઈ નામે ‘દારા ઘણું સુંદરી સાધવી’ છે. ‘એક છે પુત્ર ને એક પુત્રી થઈ’ તેમનાં નામ શામળ અને કુંવરબાઈ છે. ચેતનામાં પરિવર્તન થયું તે ક્ષણે પુરુષપુરુષાતન લીન થઈ ગયું, સખી ભાવ જાગ્યો, ‘દેહદશા ટળી’, એ જોતાં નરસિંહનું ગૃહસંસારનું જીવન બાવીસેક વર્ષની વયે સંકેલાઈ ગયું માની શકાય. એ પહેલાંનાં બે બાળકો છે. ‘મામેરું&#039; (કડવું ૨) માં હવે પછીની કવિની ચર્ચાનું વર્ણન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નિત્ય કીર્તન કરે, તાળ કરમાં ધરે, દેશમાં દાસની વાત વાગી,&lt;br /&gt;
ગામગામે થકી હરિજન આવતા, દર્શન કરવાને લ્હાર લાગી.&lt;br /&gt;
ભાઈ ભોજાઈ ચકળાઈને એમ કહે : હવે તમો અમ થકી દૂર રહીએ.&lt;br /&gt;
મ્હેતાજી તિહાં પછે કહે છે નિજ નારને : નગર જૂનાગઢમાંહે જઈએ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘હૂંડી’ (૧) માં વર્ણવ્યા પ્રમાણેનાં ‘નીચાં મંદિર ને નિપટ જૂનાં ઘણાં&#039;માં પોતે રહે છે અને ‘એક ઉદ્યમ કરે સંતસેવા’. શામળ બાર વરસનો થતાં પત્ની વિવાહની ચિંતા કરવા લાગી. વડનગરના મદન મહેતાએ મોકલેલા ગોરને જૂનાગઢમાં કોઈ નાગરપુત્ર મનમાં વસ્યો નહીં ત્યારે નાગરોએ મજાકમાં એને મહેતાનું ઘર ચીંધ્યું. ગોરે સંબંધ નક્કી કર્યો. મદનની પત્ની એ સમાચારે બેહોશ થઈ. પણ મદન એને હિંમત આપે છે. વિવાહની તિથિ નક્કી થઈ. નરસિંહ પ્રભુને વલવલે છે : પેલા સાચા સ્વપ્નમાં તો ‘પરિયંક ઉપર હુંને હેતે પોઢાડિયો, વીંઝણો લઈ કરતા રે સેવા&#039;. હવે ‘રંક જાણી તમો લાજો છો આવતાં?’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;તવ હરિ ધાઈ સ્વધામથી ઊઠિયા, ‘દારુક! દારુક!&#039; વદતા વાણી;&lt;br /&gt;
‘ચાલ ચતુરા’, ચતુર્ભુજ મુખેથી ભણે, ‘દુઃખ ધરે દાસ, મને દોહ્યલું આણી....’&lt;br /&gt;
અંતરિખમારગે પળ માંહે આવિયા, રથ તણી ગરજના શ્રવણે જાણી.&lt;br /&gt;
અવર બીજો કોઈ જાનમાં નવ લહે નરસિંયો નીરખે શ્રી ચક્રપાણિ. (૨૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ ચમત્કારના તત્ત્વને આ રીતે હળવું કરે છે. ગાજતા રથમાં આવતા ચતુર્ભુજને આખી જાનમાં પોતે જ એકલો જુએ છે : ‘દુરિજનાં લોક તે નવ લહે વારતા, આડ અંતરાયનાં બાંધ્યાં કર્મ&#039;. જાનનું વર્ણન તાદૃશ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રણસેં ત્રીસ રેવંત તિહાં પાખર્યા, વીસ તોખારના રથ રે જોડ્યા.&lt;br /&gt;
નીલાપીળા વળી લાલ કસુંબિયા એકબીજા પર જાય દોડ્યા.&lt;br /&gt;
ઘૂઘરા ઘમઘમે ટોકા ટમટમે, રમઝમ ઘમઘમ શબ્દ ઊઠે. (૨૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મદન મહેતો ‘ધાઈ ચરણે નમ્યો, વહેવાઈ મન ગમ્યો, નરસિંયો દીઠો નરસિંગ-સરખો.&#039; રૂડી રીતે લગ્ન પાર પડ્યાં. કન્યાને સ્વસ્તિ ભણાવતાં ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’. નરસિંહે હું અને તું વિશે ભેદ નહીં, ‘નાગરા&#039; અનુભવ્યું હતું તેમાં એ તો સતત ચકચૂર છે. ભગવાનનું સાન્નિધ્ય અને સાયુજ્ય એ અનુભવી રહ્યો છે, અને કોઈ ભાવિક ધનિક અનુયાયીએ પ્રસંગ વ્યાવહારિક દૃષ્ટિએ પાર પાડી આપ્યો હશે. પોતે ભગવાન આગળ ‘પ્રેમ ભરાણો ને બોલી શકું નહીં, રુદિયા ભીડ્યો મારા હાથ સાહી.&#039; ભક્તોના આવા સ્વાનુભવો સામાન્ય છે. નામદેવે પણ પ્રભુએ ‘उचलोनि दोहीं बाही, नामा धरिला ह्रदयीं (૧૭૭૬) બે હાથે ઊંચકીને નામાને છાતીએ લગાડ્યો – એ વાત કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૨. પુત્રીનું મામેરું – વિરક્ત પિતાને માથે મામેરું કરવાની જવાબદારી આવી કેમ કે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં&#039;. ઊનાથી કુંવરબાઈના સાસરેથી ખોખલો પંડ્યો ખબર લાવ્યો. એક માનવીની જેમ નરસિંહના ઉદ્ગારો નીકળે છે : ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય&#039;. માણેકબાઈ જતાં ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ&#039; એવો ઉદ્ગાર નરસિંહના મુખમાં મૂકવામાં લોકજીભને પ્રેમાનંદ જેવાએ પણ અનુમોદન આપ્યું છે, પણ નરસિંહના હૃદયની સ્થિતિ જુદી જ હતી અને સ્વયં કવિને મુખે જ ગુજરાતી કવિતામાં એ અપૂર્વ આલેખન પામી છે. વળી એ કહે છે : ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રીહરિ?... એક પરિભવ કેમ સહીએ રે સામળા?’&lt;br /&gt;
તાલ મૃદંગચંગ વગાડતા સૌ ઊના પહોંચ્યા. ‘તાત, ત્રેવડ નહીં, શીદ આવ્યા, તમો હાંસુ થાવા’ – એમ દુ:ખી થતી દીકરીને એ એટલું જ કહે છે : ‘દુઃખ મ કર દીકરી, ગાઓ ગોવિંદ હરિ.’&lt;br /&gt;
નિર્ધનનો વેવાઈગણ અને તે પણ નાગરની નાત. ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો રે આવ્યો&#039;. નરસિંહ તો મસ્ત છે : ‘ગોપાળજી, તમચી ભક્તિ છે દોહ્યલી, પણ તે દાસને સદા સોહ્યલી.&#039; નાહવાનો સમય થયો ત્યારે માત્ર ઊકળતું પાણી આપીને વેવાઈએ કહ્યું કે તમને તો ભગવાન ઉમેરવાનું ઠંડું પાણી આપશે. ભગતે મલ્હાર ગાયો. ત્યાં તો ‘થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું. વાય છે વાવડો, વીજ ચમકા કરે...’, અને ‘ચૈત્ર સુદ દ્વાદશી મેઘઘટા ચડી, ગડગડીને કૂંડી માંહે વૂઠો&#039;. વેવાઈપક્ષને ભક્તિની પ્રતીતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે દીકરીને પહેરામણીની વસ્તુઓની યાદી કરાવી લાવવા કહ્યું. દીકરી યાદીનો કાગળ આપતાં ‘આંખ પાણી ભરી વાણી ભાખી : સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું સીમંત માહરે શીદ આવ્યું?’&lt;br /&gt;
નરસિંહ ભગવાનને વીનવે છે એમાં નર્મમર્મ લાડ રીસ ડારો એ બધું પ્રગટ થાય છે : ‘ઊઠ રે જાદવા, જાઉં કેમે જાચવા? તાહરી ભક્તિ તાં કોણ કરશે? પુત્રી છે તાહરી, નાત છે માહરી.&#039; રાધિકાને કહે છે, ‘ક્ષણ એક નાથને બાથ અળગી કરો&#039; અને પછી એને ઉઘાડી પાડવાની ધમકી પણ આપે છે, ‘મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતાં&#039;.&#039;&lt;br /&gt;
ત્યાં ‘ઊધડકી ઊઠિયો વેગે વિઠ્ઠલ હરિ, ગરુડ ક્યાં? ગરુડ ક્યાં? – વદત વાણી&#039;. ભક્તે પ્રભુને ‘પ્રેમને તાંતણે આણ્યો તાણી.&#039; નરસિંહને ‘હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો’. પુત્રીને પિતાએ કહ્યું : ‘આપણો શેઠ લક્ષ્મી સહિત આવિયો, નામ પ્રસિદ્ધ દામોદર દોશી.&#039; સૌ ‘સગાંસંબંધી આડોશીપાડોશી ગોરાણી જોશી&#039; સૌને પહેરામણી કરી અને ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;. શેઠાણી ‘મસ્તક હાથ મૂકીને&#039; પૂછે છે : ‘આવડી દૂબળી કેમ કરી દીકરી? કહે વારુ તને દુઃખ શું છે?’ – એ એક સુંદર સ્વભાવોક્તિ છે. ‘હસિતવદને હરિ ઓચર્યા... આવતાં વાર લાગી રે કાંઈ અમને. એટલું તમ્યો અમ ક્ષમા રે કરજો.’&lt;br /&gt;
&lt;br /&gt;
૩. હૂંડી – જૂનાગઢના નાગરોએ તીર્થયાત્રીઓને દ્વારકાની હૂંડી મેળવવા માટે મજાકમાં નરસિંહ પાસે ધકેલ્યા એમાંથી હૂંડીનો પ્રસંગ થયો. નરસિંહ રૂપિયા સાતસો ગણી લઈ, ‘હુડિયામણ મારે નામ છે હરિતણું&#039; કરતોક લાંબી લેખણે સામળશા પર હૂંડી લખી આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દીધા છે દોકડા લીધા છે રોકડા સર્વે કૃષ્ણાર્પણ તમને કીધા.&lt;br /&gt;
પત્ર વાંચી કરી તર્ત દેજો ગણી, જેમ આપણી આડત જાય ચાલી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી હરિને એ વીનવે છે : ‘નકાળજો વણજ મેં કીધો છે, વીઠલા; રાખશો શરમ તો લાજ રહેશે... માહરે મંત્ર તું, જંત્ર તું ત્રીકમા!&#039; દ્વારકામાં તીર્થયાત્રીઓને કોઈ સામળશા શેઠ મળતો નથી. નરસિંહની વિનવણીઓ ચાલુ છે : ‘પછે શું કૃષ્ણજી, કરો આવી? મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા, તુંને લાજ ના&#039;વે? દાસની હાસ થશે, લાજ તારી જશે, પછે તુંને વ્હાલાજી, કોણ વ્યારો?&#039; ત્યાં લક્ષ્મીનાથ ‘ઊધડકી ઊઠિયો’ અને દ્વારકાની બજરે ‘શેઠ સામળ આવ્યો’ કહી પૈસા ગણી આપ્યા – થોડાક અધિક આપ્યા. પહોંચ લખી આપી : ‘તમ્યો છૌં શેઠ ને અમ્યો છૌં વાણોતર, તમારું ને અમારું છે એક નામ... એક અધક્ષણુ નથી રે તું વેગળો, નરસિંયો, નરસિંયો, – એક ધ્યાન.&#039; યાત્રિકો પાસેથી બધું જાણ્યું ત્યારે ‘નરસિંયો ફૂલિયો, અતિરંગે ઝૂલિયો, આપ્યો પરસાદ ને માળ દીધી.’&lt;br /&gt;
&lt;br /&gt;
૪. હારસમેનાં પદ – જૂનાગઢના રા&#039; મંડલિક પાસે ‘નરસિંયો લંપટી&#039; છે એવી વાત પહોંચી. એણે નરસિંહને તેડાવ્યો અને કહ્યું કે તારે શ્રીકૃષ્ણ સાથે પ્રીતિ છે એ વાત તેમના ગળામાંનો હાર તે તને પહેરાવે તો અમે માનીએ. નરસિંહ સારી રાત હરિને વિનવે છે, એની એ વિનવણીની વાણીમાં ક્યાંક મરાઠીની છાંટ પણ આવે છે : ‘દેવા હમચીવાર કા બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ ‘ભક્તિ કરતાં, કહેશે, નરસિંયો માર્યો, તો ભક્તવચ્છલ તારું બિરુદ જાશે&#039;, ‘અમ્યો ખળભળતાં તમો ખળભળશો&#039;, ‘મૃત્યુને ભે નરસિંયો બીતો નથી, તાહરા દાસનાં ચિત્ત ચળશે.&#039;&lt;br /&gt;
મામેરા વખતની જેમ ઉપાલંભ, લાડ, ધમકી બધાનો એ ઉપયોગ કરે છે : વિવચારાં શી પ્રીતડી જે સ્ત્રી-રંગ રાતો!’ ‘સાર કર, સામળા, મેલ મન-આંબળા, ઊઠ ગોપાળ રાય, અસૂર થાય; નરસિંયાને રે એક હાર આપતાં તાહરા બાપનું શું રે જાયે?&#039; ‘તૂટશે સ્નેહ ત્રીકમ તાણ્યું&#039;, ‘ગરજ માટે માય–બાપ તેં બે કયાઁ, શર્વરી રે થોડી રહી, આપ તસ્કર, મુંને શું સંતાપાં?’ ‘આપને હાર કે હવણાં પ્રગટ કરું જેહ કીધું બંસીવટની વાટે&#039;, ‘ઊઠ તું અટપટા, બોલ તું ચટપટા, લંપટા, લાજ તોરી રે જાશે; વ્રજપતિ રંગમાં કેલિ-ઘટા કરાં નરસિંયાની વ્હારે કોણ જાશે?’ ‘કપટ કરીને રંગ રાસ રમાડિયા, પછે બાપડાં મૂક્યાં વન રોતાં; ગાય ચારી, કહ્યો મેં ગોવાળ&#039;, ‘કો કહેશે... કુજાત રે.. કંઠ લંપટ ચાડિયો... નવનીત કેરો ચોર રે;&#039; ‘ઢાંક મારાં, ઉઘાડેશ તારાં’.&lt;br /&gt;
આખી રાત વિનવણી ચાલે છે એમાં આ બધા રંગ આવે છે. પણ તેમાં મુખ્ય તો એના હૃદયની કોમળતાનો છે. ‘હું રે હળવો પડ્યો, તારા ગુણલડા કોણ ગાશે?’ ‘નંદના નંદ, કાં વાર લાગે ઘણી?’ ‘મેં ભજ્યો, તો હવે કાં તજો?’ ‘મૂક માં, મૂક માં, ગ્રહ્યો રે હાથ&#039;. ‘મુંને અપજશ તો તૂંને અપજશ થશે&#039;. ‘કુસુમની માળ તાં કઠણ શું થૈ રહ્યો?’ ‘રસ આપેશ તો રસ ઘણો વાધશે&#039;. પોતે કહે છે કે ‘હું દુઃખ પામું તે તો મારે પામે&#039; અને પૂરું જાણે છે કે ‘અકળિતાં ચરિત તારાં, મુરારિ.&#039;&lt;br /&gt;
માગશરની રાત્રિ પૂરી થવા આવી, ‘હરણલી આથમી’ – મૃગશીર્ષ નક્ષત્ર આથમ્યું, દીવાની જ્યોત ક્ષીણ થઈ. એ છેવટની ધા નાખે છે : ‘નોહે કૌસ્તુભ કે વૈદૂર્યમાળા, – ઊજળાં ફૂલ ને સૂત્રનો તાંતણો, તેણે શું મોહી રહ્યો કૃષ્ણ કાળા?’ ત્યાં જ ‘કેશવે કંઠથી હાર કરિયો વડો, પ્રેમે આરોપ્યો નરસૈઅગ્રીવા’...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘સંવત પંનર બારોતર સપતમી ને રવિવાર રે,&lt;br /&gt;
માગસર અજુઆલે પખ, નરસૈંને આપ્યો હાર રે.&#039;&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મચરિત્રનાં ચાર આખ્યાનકો કાવ્ય તરીકે – નરસિંહના જીવનના કસોટીભર્યા ચાર પ્રસંગો વિશે નરસિંહે પોતે ગાયું છે અને પછી અનેક કવિઓએ તે પ્રસંગોને વિસ્તારીને કાવ્યરચનાઓ કરી છે. ભક્તકવિ પોતે જ પોતાને અંગે ચમત્કારનો ઉલ્લેખ કરે એવા દાખલાઓ મળે છે. સંતો વિશે બીજા લોકો ચમત્કારો વર્ણવે છે તે તો જુદા. નરસિંહ વિષે શ્રાદ્ધસામગ્રી લેવા પોતે બજારમાં ગયો ને કીર્તનમાં રોકાઈ રહ્યો અને ઘેર ભગવાને નરસિંહવેશે વિધિ ભોજન વગેરે પાર પાડ્યું એવા ચમત્કારનું પ્રેમાનંદનું કાવ્ય મળે છે.&lt;br /&gt;
ચમત્કાર કથા અંગેનું મનોવિજ્ઞાન અધ્યયન માગી લે છે. કોઈક દૃઢ પ્રતીતિને કલ્પકતાથી આકાર આપવામાં આવતાં ચમત્કારકથા જન્મે છે. નરસિંહ અંગેના આર્થિક મદદના ચમત્કારો એને માટે સહાનુભૂતિ ધરાવનારા ધનિક મિત્રોની મદદ એને મળી હશે – અને એ પોતે તો સૌમાં પરમેશ્વરને જોનારો હતો એટલે ભગવાને જ એ કસોટીના પ્રસંગો પાર પાડ્યા એમ એણે અનુભવ્યું હશે, એ રીતે ઘટાવી શકાય. ‘પુત્રનો વિવાહ&#039;માં ભગવાનને બધી જાને નહીં, પોતે જ જોયા છે એમ એ કહે પણ છે.&lt;br /&gt;
ચારે કૃતિઓ મુખ્યત્વે નરસિંહના પ્રસિદ્ધ ઝૂલણામાં છે. ઝૂલણા પર હાથ બેસતો આવે છે. નરસિંહ પ્રાસ મેળવે જ છે. પ્રાસ ન હોય ત્યાં જરી થોભી જઈ વિચાર કરવો સારો. હારસમેનાં પદોમાં છઠ્ઠાને અંતે ‘આપી’ સાથે ‘સાંપી&#039; (‘સોંપી’ ઉપરાંત એ રૂપ પણ છે) નો પ્રાસ છે. પ્રેમાનંદમાં ‘પૂછે’ નો અવશ્ય ‘શું છે&#039;થી પ્રાસ હોય છે તે નરસિંહના ‘મામેરું’(૨૪-૩)માં પણ જોવા મળે છે. ભાષાની રૂઢિઓ ‘નાગરી નાતમાં રાખ્યું ઈંડુ&#039; ‘હરિ વિના વાત તે સર્વ મીંડું&#039; – એવા પ્રાસમાં જોવા મળે છે. સંસ્કૃત ભાષા કવિને પૂરતી વશ છે એ ‘વારુ&#039;–‘ચારુ&#039; જેવા પ્રાસમાં દેખાય છે. ‘મંત્ર મોહન વિના નહીં રે બીજો&#039; ના પ્રાસમાં ‘પ્રભુ, શે ન ભીંજો?’ તો નરસિંહની આર્દ્ર વાણીમાં ખેંચાઈ આવે જ ને? ‘સામળા, મેલ મન આંબળા&#039; એવા આંતરપ્રાસ ઉપરનો કાબૂ પણ સારો એવો જણાય છે. વર્ણસગાઈ સહેજે સધાઈ જતી જોવા મળે છે. વચ્ચે વચ્ચે શબ્દ અને લયની છટાઓ, અભિવ્યક્તિના ચમકારા જોવા મળે છે. પોતીકી શૈલી પર નરસિંહની હથોટી જામતી આવે છે એ પણ જોઈ શકાય છે. &lt;br /&gt;
આ ચારે પ્રસંગો આખ્યાનકલ્પ છે. પણ નરસિંહને પોતાની કથા કહેવામાં રસ નથી, તે તે પ્રસંગે પ્રભુની પ્રભુતા કેવી પ્રગટે છે એ ઉપર જ એનું ધ્યાન છે, ચારે કૃતિઓ ભક્તિવૃત્તિના ફુવારારૂપે નિર્માઈ છે. ‘હારસમેનાં પદ&#039; તો ભક્તિ-ઉદ્ગારની જ હારમાળા છે.&lt;br /&gt;
આ આત્મકથનોમાં નરસિંહના વ્યક્તિત્વની સરળતા, આર્દ્રતા, લેલીનતા અને આત્મવત્તા સવિશેષ ઊપસી આવે છે. પોતાની વાણી જાગી ઊઠી તો એનો વિનિયોગ એણે મહાદેવને પણ જે વહાલું હોય તે એમની પાસે માગવામાં કર્યો અને શ્રીકૃષ્ણની લીલાનો પોતાને જે સ્વાનુભવ થયો તે ‘મધુરી વાણી&#039;માં ગાવાનો મનસૂબો સેવ્યો. &lt;br /&gt;
નરસિંહની નમ્રતાનો પાર નથી. રાસલીલામાં પોતે દિવેટિયો હોવા અંગે એ ગૌરવ લે છે. નમ્રતાનું જ બીજું પાસું ગૌરવભાન છે. નરસિંહની આત્મવત્તા સત્તાધારી સમ્રાટની નથી, પણ ભગવાન સાથેના સાયુજ્યભાવમાંથી પ્રગટેલી આત્મવત્તા છે. ‘કીડી હતો તે કુંજર થઈ ઊઠિયો&#039; કેમકે ભગવાને માથે હાથ મૂક્યો છે. દર્શન કરનારાઓની ‘લ્હાર લાગી&#039;, મદન મહેતાએ ‘નરસિંયો દીઠો નરસિંઘ સરખો&#039;, ‘નરસિંયો ચતુર્ભુજ દીઠો સૌએ’ – એ ઉદ્ગારો ભગવાનમય થયાના ગૌરવભાનના છે. પોતાના નામ પર શ્લેષ કરીને પોતે ભગવાનનો બનવાથી ખરે જ નરસિંહ (માણસોમાં સિંહ) સમાન બન્યો છે એમ કહેતાં એ સંકોચાતો નથી. મદન મહેતાના ગોરને મુખે નરસિંહે પોતાનું વર્ણન કર્યું છે: ‘રાખે વહેવાર ને ચાલે સાચું&#039;. ગુજરાતી ભાષાના બે સાદા શબ્દો— &#039;ચાલે સાચું&#039; –માં નરસિંહ જેવો પ્રગટ થાય છે તેવો પાછળનાં એને વિશેનાં આખાં આખ્યાન કાવ્યોમાંથી પણ જવલ્લે થાય છે. નરસિંહની કૃતિઓમાં જેવો યથાતથ નરસિંહ ઊપસે છે તેવો પાછળનાં નરસિંહવિષયક કાવ્યોમાંથી – પ્રેમાનંદનાં પણ કાવ્યોમાંથી – પ્રતીત થતો નથી.&lt;br /&gt;
આ ચારે કૃતિઓને પછીના કવિઓએ કાચાં ડોળિયાં તરીકે વાપરીને તે તે પ્રસંગ મલાવી મલાવીને નિરૂપી કાવ્યરચનાઓ કરી છે. પાછળના કવિઓની રચનાઓ સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ હજુ પદોની માળા જેવી છે, આખ્યાનકલ્પ છે. ‘પુત્રનો વિવાહ&#039; અને ‘મામેરું&#039; આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે, તેમાંયે ‘વિવાહ&#039; સવિશેષ.&lt;br /&gt;
‘હૂંડી&#039;માં નરસિંહે કરેલું પોતાના ઘરની દશાનું ચિત્રણ અને કાગળ લખવાની શૈલી એ બે તરત ધ્યાન ખેંચે છે. પણ પ્રેમાનંદ દ્વારકાની બજારમાં ‘દામોદર દોશી રે, છે કાને કલમ ખોશી રે&#039; – ચિત્ર રમતું મૂકે છે એની વાત જ જુદી. ‘મામેરું&#039;માં નરસિંહ તો ‘મહેતોજી ચાલિયા, તાલ મૃદંગ ને ચંગ સાથ&#039; એટલું જ કહે છે, પણ પાછળના કવિઓએ માગી આણેલ ધૂંસરી, સાંગી, બળદ વગેરેવાળી વહેલનું વર્ણન ઉમેર્યું છે. પ્રેમાનંદનું વહેલનું સુંદર વર્ણન પણ માગી આણેલું (પુરોગામીઓનું) છે. પણ ખોખલો પંડ્યો, ‘સાધુ પિતાને મહાદુખ દેવા મુજને સીમંત શે આવ્યું&#039; – એમ માતૃત્વકોડ દાબીને બોલતી કુંવરબાઈનો કરુણ, ‘ઊધડકી&#039; ઊઠી ‘ગરુડ ક્યાં? ગરુડ ક્યાં?’ બોલતા શ્રીકૃષ્ણનું ચિત્ર, વડસાસુ પાસે કરાવેલી યાદી, છાબમાં ‘હેમપહાણિયા&#039;, ‘અમારે આ વૈભવ આપ્યો મહેતાતણો&#039; – એવી લક્ષ્મીજી શેઠાણીની કબૂલાત, છેવટે પહેરામણીમાં રહી ગયેલી ‘નણંદની નાણદ્રી નામ નાનીબાઈ&#039; એવી બધી વીગતો પણ પ્રેમાનંદને છેક નરસિંહ પાસેથી મળેલી છે. છેલ્લો પ્રસંગ લઈએ. નરસિંહ તો હાથ ખંખેરે છે ‘આપનારો હુતો તે આપી મૂકી ચાલિયો&#039;, હવે કાંઈ ન મળે. પ્રેમાનંદ નાનબાઈ માટે આકાશમાંથી કાપડું વરસ્યાનું કહે છે. પ્રેમાનંદ માટે ભક્તિ સાધ્ય નથી, કાવ્યનિર્મિતિ માટેનું સાધન છે. ભક્તિને એ ગૌણતા અર્પે છે. નરસિંહે યોજ્યો નથી ત્યાં ચમત્કાર યોજીને અદ્ભુતરસને એ ખીલવે છે. નરસિંહની કૃતિમાં ‘સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે&#039; –માં ઘેરા કરુણની છાંટ છે. નિર્ધનતા અંગેના ઉદ્ગારોમાં ‘કઠણ થયા રે, કૃષણ, ઘેર લક્ષ્મી’, ‘વળી વિસંભર બિરદ કહાવે’ એ કટાક્ષો અને ‘વહુજી વધામણી, આવી પહેરામણી, તાળ વાયે ઊભો આંગણ તાત&#039; – એ આત્મઉપહાસ આત્મદયાને ઊપસવા દેતા નથી. પ્રેમાનંદ નરસિંહની ઘરભંગ દશાને બદલે અગાઉના કવિઓને અનુસરી પુત્રીની માતૃહીનતામાંથી કરુણ નિપજાવે છે. નરસિંહ એ પ્રેમાનંદની કૃતિમાં મુખ્યત્વે હાસ્યનો આલંબનવિભાવ છે, જ્યારે નરસિંહની કૃતિમાં વીર(ધર્મવીર)નો આલંબનવિભાવ છે. સસરાની લાજ રાખવા જમાઈએ હજાર બે હજાર ઉછીના આપવાની ઇચ્છા બતાવ્યાની વાત નરસિંહે કરી છે. પ્રેમાનંદની ઉત્તમ કૃતિની અડોઅડ ઊભી રહે એવા અને કયાંક ટપી જાય એવા ‘મોસાળાચરિત્ર&#039;માં એના પુરોગામી વિશ્વનાથ જાનીએ દામ્પત્યદર્શનની ગુજરાતી ભાષાની એક ઉત્તમ કડીમાં જમાઈનો ઉલ્લેખ કર્યો છે: ‘સાસુ સસરાનો જણ્યો, સમજણો સાથી, મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી?’ સમોવરણના પાણી અંગે હૂબહૂ ચિત્ર આંકી દેતી, ભવ્યતાના સ્પર્શવાળી, નરસિંહની વાણીનો ઓજસગુણ, ‘વદન મલકાવી વડસાસુજી બોલિયાં : એ વાતમાં સંધે શિયો છે?’– નો મર્મ, ‘શાંત કીધી ઓલી ઘરડી ડોશી&#039;માં ‘ઓલી’નો વ્યંગ્ય, ‘આવડી દૂબળી કેમ કરી દીકરી&#039; – એ સ્વભાવોક્તિ – એ બધું યાદ કરીએ તો પણ નરસિંહની આખી કૃતિ પ્રબંધરચના તરીકે સમૃદ્ધ હોવાની છાપ પડતી નથી.&lt;br /&gt;
હારપ્રસંગને પણ પછીના કવિઓએ વિસ્તારીને લડાવ્યો છે. એમાં હાર પ્રભુને હાથે અર્પણ થયો એ સ્વીકારવા ઉપર ઘણો બધો ભાર મુકાય છે અને એ સિવાય વસ્તુવિકાસની કોઈ ગુંજાયશ જ નથી. – માત્ર પ્રાર્થના, આર્ત હૃદયના વલવલાટ, સિવાય બીજું કશું સંગત પણ નથી, એથી પ્રબંધરચના તરીકે એ સફળ થવા અંગેની મૂલગત શક્યતા જ ઓછી છે. પ્રાર્થના ઉદ્ગારોનાં ઊર્મિકો, એક ઊર્મિક-માળા મળી શકે. પણ કમભાગ્યે ‘હારસમેનાં પદ&#039;માં નરસિંહની પ્રતિભાની છાપવાળાં ઉત્કટ ભક્તિઉદ્ગારનાં ઊર્મિકો અતિ જૂજ છે. ‘તું કિશા ઠાકુર? હું કિશા સેવક? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે&#039; – એ પોતાને અગાઉ ભગવાને મદદ કરીને ‘અભેદાન દીધું&#039; છે એ અંગેનું પદ, અને એની પછી આવતું ‘દેવા હમ-ચી વાર કાં બધિર હોઈલા? અપુલા ભક્ત કાં વીસરી ગેલા?’ – એ ભૂતકાળમાં અનેક ભક્તોને સંકટ પ્રસંગે તેં મદદ કરી છે તો મારી વખતે જ કેમ બહેરો થઈ ગયો છે એવી આર્ત ચીસનું, ‘અમ્યો ખળભળતાં તમ્યો ખળભળશો&#039; – એ સંકેત પ્રગટ કરતું પદ – એ બે કાંઈક ધ્યાન ખેંચે છે. વધુ એક ત્રીજું પણ એની શબ્દ અને લયની છટાનો ખ્યાલ આપતું અટપટા, ચટપટા, લંપટા, કેલીઘટા એ આંતરપ્રાસવાળું, ‘વાઘ પડી’ એ રૂઢિપ્રયોગ યોજતું, ‘જીવડો ઝગમગે, અંગ સવિ ડગમગે, ફગમગે નેત્ર જોવાને રૂપ; નરસિંયો રગમગે લોક સહુ ચગમગે, કોપ્યો બોલે મંડલિક ભૂપ&#039; – એ આંતરપ્રાસના અતિરેકથી કાંઈક સસ્તું પણ બનતું – એની હથોટીનો કાંઈક નબળો પરિચય કરાવતું પદ છે. ‘મામેરું&#039;માં કૃષ્ણને કેટલુંક સંભળાવવામાં આવ્યું હતું, તેવું વલણ આ કાવ્યમાં તો વધુ સ્થૂળ બને છે અને કાવ્યનો સૂર થોડોક એથી કથળે છે. એમ કહેવું રહે છે કે કસોટીની જેવી તીવ્રતા છે તેવી વાણીની ઉત્કટતા ‘હારસમેનાં પદો&#039;માં જવલ્લે જ અનુભવાય છે.&lt;br /&gt;
કાવ્યદૃષ્ટિએ ‘પુત્રનો વિવાહ&#039; એ સબળ અને સફળ કૃતિ છે. મામેરાનો એમાં ઉલ્લેખ છે એટલે મામેરાના પ્રસંગ પછી એની રચના થઈ છે. લાવો, સ્વપ્રતીતિના આ પ્રસંગો ગાઈએ, એમ માનીને નરસિંહે એ પ્રસંગો મામેરા પછી શબ્દબદ્ધ કરવા માંડ્યા લાગે છે. પણ એની સમગ્ર શક્તિ ‘પુત્રનો વિવાહ&#039; માં ખર્ચાઈ છે. એમાં આરંભમાં પોતે ‘અચેત ચેતન થયો&#039; તેની કથા જ રોમહર્ષણ છે અને ‘પુત્રનો વિવાહ&#039;ના આરંભનાં, પાંચમા ભાગનાં, પદો એ રોકે છે. એવા અનુભવવાળી વ્યક્તિના પુત્રના વિવાહની વાત છે. રુક્મિણીએ ‘મ્રતલોક&#039;માં આવવાની ઇચ્છા પણ બતાવી હતી એ સંદર્ભ પણ પાર્શ્વભૂમાં છે. ભગવાનને જાનમાં બીજા કોઈએ નહીં, માત્ર પોતે જોયા, એમ કહી ચમત્કારને અંગત અનુભૂતિનો વિષય જ રાખવાની સાવધતા પણ આ કૃતિમાં છે. વિવાહના પ્રસંગના આલેખનમાં એકંદરે સપ્રમાણતા, ઔચિત્ય અને રસવાહિતા છે. જાન વડનગર આવ્યાનું વર્ણન – ખાસ તો ઘોડાઓનું ચિત્ર – નરસિંહની જીવતી કલમની એક પ્રસાદી છે. ભગવાનને બધા આગળ રજૂ કરવાનો ચમત્કાર ટાળ્યો છે, પણ વેવાઈ પક્ષને પોતામાં શ્રીકૃષ્ણ અને માણેક મહેતીમાં લક્ષ્મી વગેરે દેખાયાનું વર્ણન પણ મહેતાની શૈલીની પ્રૌઢિનું દ્યોતક છે. છેલ્લું પદ આરંભની સાક્ષાત્કાર-સપ્તપદીની સાથે સંકળાઈને આખી કૃતિના આધાર-માળખા(ફ્રેઈમવર્ક)નો ભાગ બની રહે છે. આરંભની અધ્યાત્મ-અનુભવની સપ્તપદી ગુજરાતીના એક મહાન કવિની વાણી શી રીતે ફૂટી તેના સહૃદય આલેખનરૂપે ભાષાનો એક ચિરંજીવ અંશ બની રહેશે. ‘પુત્રનો વિવાહ&#039;નું છેલ્લું પદ કવિનાં ‘પ્રભાતિયાં&#039;ના પોતનું છે, અને પરિણતપ્રજ્ઞાના ઉદ્ગારો માટેની ભૂમિકા રચાઈ ચૂકી છે તેના પુરાવારૂપ છે. સખીભાવવાળી કૃષ્ણભક્તિની ભૂમિકા હજી પૂરેપૂરી સ્વીકારેલી છે અને એની ઉપર અદ્વૈતની માંડણી થતી આવતી જોઈ શકાય છે. સગુણ એ નિર્ગુણનું જ સ્વરૂપ છે. તે ‘બે નથી&#039;, ‘એકલો&#039; છે, ‘વિશ્વથી વેગળો&#039; છે. એનું જ રૂપ છે આનંદમય કૃષ્ણ. સુંદરી રાધા અને સૌ વ્રજનારી એની ભક્ત છે અને એમનામાં એનો રસ વિલસે છે, ‘સખીરૂપે નરસિંયે તે પીધો.&#039; આ પદ તત્ત્વનિરૂપણ અને ઉક્તિ-સામર્થ્યને કારણે કવિની અદ્વૈતાનુભવની અષ્ટપદીમાંનું એક બની રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૫. ઝારીનાં પદ – સખીભાવે કૃષ્ણને ભજતાં, નરસિંહ સૌ કોઈમાં કૃષ્ણને જોવા ટેવાયો હોઈ, માંગરોળમાં કાકા પરબતદાસને ત્યાં મૂર્તિપ્રતિષ્ઠાના ઉત્સવ પ્રસંગે રાતે કીર્તન કરતાં તરસ લાગી ત્યારે પુત્રવધૂએ અથવા તો કોઈ સંબંધી સ્ત્રી રતનબાઈએ પાણી આપ્યું તે વખતે એ તેનામાં મોહિનીરૂપ કૃષ્ણને જુએ છે અને એ સૌન્દર્યપ્રતીતિના કેફમાં પદો ગાય છે. ‘ઝારીનાં પદ&#039; તરીકે તે જાણીતાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;આ જોને, કોઈ ઊભી રે આળસ મોડે.&lt;br /&gt;
બાંહે બાજુબંધ બેરેખા પ્હોંચી, મનડું મોહ્યું છે એને મોઢે.&lt;br /&gt;
ઝાંઝર ઝમકે ને વીંછુવા ઠમકે, હીંડે છે વાંકે અંબોડે.&lt;br /&gt;
સોવ્રણઝારી તે અતિ રે સમારી, માંહે નીર ગંગોદક હોડે.&lt;br /&gt;
નરસૈંયાને પાણી પાવાને હરિજી પધાર્યા કોડે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજું ગીત સૌંન્દર્યનો આનંદ માણવા માટેના જાહેર નિમંત્રણનું છે. પગમાં વારંવાર ચંપાતાં ચીર, મુનિજનનાં કંપાતાં ચિત્ત, કપોલપર લળકતી દામણી, વીજ શી ચળકતી સાળુની કોર–એ ગતિશીલ ચિત્રો, અને બોલચાલની શૈલી ‘ચંચળદૃષ્ટે ચોદશ નિહાળતી&#039; એ સુંદરીની મૂર્તિને જીવંત કરી દે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે,&lt;br /&gt;
ગોરી, તારે ત્રાજૂડે મોહ્યા મોહ્યા મુનિવરરાયા રે.&lt;br /&gt;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે, મેં તો જાણી છે ઈશ્વરી માયા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચંચળ દૃષ્ટે ચોદશ નિહાળે, માંહે મદનનો ચાળો રે.&lt;br /&gt;
નરસૈંયાચો સ્વામી જોવા સરીખડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
આ કૃતિમાં નર્યા સૌન્દર્યના અનુભવનો આનંદ એક જાતના લાડપૂર્વક સરલ નિર્દોષ નિખાલસતાથી ઉદ્ગારતાં નરસિંહની વશીકરણ-વાણીનો નમૂનો આપણને મળે છે. મોહિનીની દૃષ્ટિ ‘માંહે મદનનો ચાળો&#039; હોવા છતાં કૃતિ કામુકતાના ચિત્રની બનતી નથી. મોહિની રૂપે હાજર થયેલો નરસિંહનો સ્વામી ‘જોવા સરીખડો&#039; છે, આવો, સૌ આવો, જુઓ, ‘એ સુંદરીનું વદન નિહાળો&#039; – એમ એ નિર્મળ ભાવોદ્રેકથી ગાયે જાય છે.&lt;br /&gt;
બીજા પદમાં અદ્ભુત રમણીય શબ્દશક્તિથી વ્યંગ્ય દ્વારા જે કહ્યું હતું તે ત્રીજામાં ખુલ્લું કરીને કહ્યું છે : ‘એ તો નારી નહીં, ગિરધારી રે&#039;. –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બ્રહ્મા ઇન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે.&lt;br /&gt;
અંતર હેત પોતાનું જાણી એ તો આવે છે અંતરજામી રે.&lt;br /&gt;
વ્યભિચાર મૂકી જૂઓ વિચારી, એ તો નરસૈંયાનો સ્વામી રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં આંખમાં મદનનો ચાળો નથી, ચિત્તનો ચાળો છે. વ્યભિચાર મૂકીને છબી જોવાની છે. કહે છે કે અંતર્યામી સ્વયં આ રૂપે પ્રગટ થયા છે, આ નારીસ્વરૂપ ઓળખે તેનો જનમનો ફેરો સફળ થાય.&lt;br /&gt;
સુંદરીમાં હરિને જોવા, હરિનું મોહિનીસ્વરૂપ જોવું એ નરસિંહની આ અનુભૂતિનો મર્મ છે. આવી વૃત્તિનું ઉત્કટરૂપે નરસિંહમાં પ્રગટવું એ જ ચમત્કાર છે, બાકી કોઈ ચમત્કાર છે નહીં. એ સ્ત્રી તો રતનબાઈ હતી. એનો ભાઈ મહેતા પાસે આવીને એમને ઢંઢોળીને કહે પણ છે : જોતા નથી, રતનબાઈ તમને પાણી પાવા કેવી વ્યાકુળ ફરે છે ને તમે તો ભગવાનના મોહિનીરૂપનાં દર્શન કરવા સૌને તેડી રહ્યા છો! હવે પાણી પીઓ તો! પીધું તરસ્યા નરસૈંયાએ પાણી, પણ દિવ્યતૃષિત દૃષ્ટિએ પીવાતું મોહિનીસ્વરૂપ ત્યાં અંતરધાન થઈ ગયું.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરમેશ્વરે પુત્રી કરી જાણી, સભા મધ્યે આણી રે.&lt;br /&gt;
અંતરધ્યાન થયો અલબેલો, વાત સહુકોએ જાણી રે...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નારીના સૌન્દર્યની આભામાં પરમાત્માની પરમવિભૂતિ જોવાનાં નરવાં નેત્ર નરસિંહ પાસે હતાં. પ્રથમ બે પદમાં – ખાસ કરીને બીજામાં એ દર્શન અપૂર્વ સૌન્દર્યથી સાકાર થયું છે.&lt;br /&gt;
&lt;br /&gt;
૬. પવિત્ર પ્રસંગ – નરસિંહના જીવનનો એક મોટો બનાવ જે એણે સ્વમુખે ગાઈને ચિરસ્મરણીય બનાવ્યો છે તે છે હરિજનોના નિયંત્રણનો સ્વીકાર કરીને તેમને ત્યાં પોતે ગયાનો, ભજન કરી સૌને પ્રસાદ વહેંચ્યાનો અને નાગરી નાતમાં સ્વેચ્છાએ ઉપહાસપાત્ર બન્યાનો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગિરિ તળાટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એક વાર એમને હરિજન ભાઈઓ–જેમનામાં દૃઢ હરિભક્તિ હતી તે–મળે છે. અને કહે છે ‘અમારે આંગણે કરો કીરતન.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
પ્રેમપદારથ અમો પામીએ, વામીએ જન્મમરણ જંજાળ.&lt;br /&gt;
કર જોડતાંમાં કરુણા ઊપજી, મહેતોજી વૈષ્ણવ પરમ દયાળ.&lt;br /&gt;
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.&lt;br /&gt;
ગૌમૂત્ર તુલસીવૃક્ષ કરી લીંપજો. એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન.&lt;br /&gt;
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ.&lt;br /&gt;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ.&lt;br /&gt;
ઘેર પધાર્યા હરિજશ ગાતાં, વાતા તાળ ને શંખ મૃદંગ.&lt;br /&gt;
હસી હસી નાગર તાળીઓ લે છે : આ શા રે બ્રાહ્મણના ઢંગ!&lt;br /&gt;
મૌન ગ્રહીને મહેતોજી ચાલ્યા, અધવચરાને શો ઉત્તર દેઉં?&lt;br /&gt;
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું?&lt;br /&gt;
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કાંઈ વિવેકવિચાર.&lt;br /&gt;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતની ભૂમિ ઉપર ગાંધીજીની પહેલાં એક પરમવૈષ્ણવે ઉચ્ચ નાગરી નાતના ઉપહાસનો વિચાર કર્યા વગર જુગજુગથી અવહેલના પામતા હરિજનભાઈઓની પડખે ઊભા રહી તેમને અપનાવ્યાનો પ્રસંગ બન્યો છે એ આપણા સમાજજીવનની એક પવિત્ર ક્ષણ છે.&lt;br /&gt;
ખુમારીથી નરસિંહ ગાય છે, – એ ઉદ્ગારો ભાષાની સિદ્ધિનો ભાગ બની ચૂકેલા છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એવા રે અમો એવા રે તમે કહો છો વળી તેવા રે.&lt;br /&gt;
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે.&lt;br /&gt;
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;&lt;br /&gt;
તમારે મન માને તે કહેજો સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે...&lt;br /&gt;
હળવાં કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે.&lt;br /&gt;
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૨. આખ્યાનકલ્પ કૃતિઓ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ચાતુરીઓ૩૭ – ઇચ્છારામ દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય-સંગ્રહ&#039;માં ‘ચાતુરી છત્રીશી’નાં છત્રીસ અને ‘ચાતુરી ષોડશી&#039;નાં સોળ પદો આપ્યાં છે. હસ્તપ્રતો ઉપરથી પચીસ (૨૧ અને ૨૨ જુદાં પાડવામાં આવે તો છવ્વીસ) ચાતુરીઓ મળે છે. સત્તરમી ચાતુરીના આરંભમાં ‘આજે મેં એવી ચાતુરી જાણીજી, મારગ થઈ બેઠો દાણીજી&#039;, અને ચોથી કડીમાં ‘રૂડી પેર જાણો નહીં તો જુઓ ગોપાળની ચાતુરી&#039; એ પંક્તિઓમાંનો ‘ચાતુરી&#039; શબ્દ ગોપાલકૃષ્ણની દાણ માગવું, વનક્રીડા કરવી વગેરે વિવિધ ચાતુરીનો નિર્દેશ કરે છે. કૃષ્ણની આવી લીલા વર્ણવતી પદમાળાને માટે ચાતુરીઓ નામ પ્રચલિત બન્યું હશે. ચૌદમા પદને અંતે ‘વિહારચરિત્ર વિનોદલીલા, જા, નારસિહો થઈ માણજે&#039; એ ચાતુરીઓ માટે ‘વિહારચરિત્ર’ અથવા ‘વિનોદલીલા’ જેવી સંજ્ઞાનો સંભવ નિર્દેશે છે. સાતમા પદને અંતે પણ ‘નારસિયા જુગજુગ અવતરી વિહારચરિત્ર તું બોલ&#039;-માં પણ સ્પષ્ટ ‘વિહારચરિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
પહેલી દસ ચાતુરીઓમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. પહેલા પદમાં કૃષ્ણને લલિતા પૂછે છે : ‘કેહી કામણગારીઇં તાહરી, હરિ, સુદ્ધ બુદ્ધ સાન?&#039; બીજામાં કૃષ્ણ જવાબ આપે છે. ‘વળતા બોલ્યા યુગવિસરામ, લલિતા, રાધા ઈહનું નામ.&#039; વ્રજગોપીના સ્નેહ ખાતર પોતાનો અવતાર છે એમ એ કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અબળાને હેતે આવિયો, માહરો વ્રજ વિખે અવતાર.&lt;br /&gt;
વસ-વરતી વ્રજનારનો નિગમ કહે નિરધાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, ‘પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.&#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘કિહાં જાઉં, લલિતા? કિમ કરું? કિમ ધરું ધીરજ મન્ન?&lt;br /&gt;
તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુનં...&lt;br /&gt;
માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘આધીન અનુચર તાહરો, તું જસ લે રે, યુવતી&#039; – એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં&#039; કહી લલિતા ‘અંબર લેઈ આંસુ લુહે&#039; છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી&#039;. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : ‘શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.&#039; માટે ‘પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણ; જોવન આપી નાથને માણી શકે તે માણ&#039;. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે ‘મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધીર&#039;, તેમ ‘રાધા રાધા કરે માધવ.’&lt;br /&gt;
સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : ‘સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન.&#039; પછી એકાન્તવિહારનું વર્ણન છે. ‘તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.&#039; કવિ કહે છે, ‘કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?&#039; અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં કવિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. – આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને ‘રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યાં... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું જોઈ,... ઊંચું તે જોની, અંગના, કાં ઢાળે નીચાં નેણ?&#039; – વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. &lt;br /&gt;
આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન (પ્રેમાનંદની ઓખાની ‘આખી ભાગી વાત&#039;)નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અધમળ્યાં નએણે રે કે અધમળ્યાં નએણે,&lt;br /&gt;
ખંડિત વએણે રે કે ખંડિત વએણે,&lt;br /&gt;
ખંડિત નએણે વાત કરતાં પુષ્પ ઝરતી પદમની.&lt;br /&gt;
મુખમકરંદે ભુવન ભારતી વિલસી વીતી શરદની.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુરતસાધના – ‘સુરતસંગ્રામ&#039;નું વર્ણન ‘જીણે ગોવરધન કર ધર્યો તેહને મેં રાખ્યો ઉર ધરી&#039;, ‘કુસુમની પેરે કુચ પર રાખિયો ચારે જામ&#039;, &#039;હું હતી જોબન-સમે, કુચફળ પિયુડાજોગ&#039; એ રીતે થયાં કરે છે. એક કાંઈક જાડી ઉપમા અધરરૂપી ફળ પિયુરૂપી પોપટના મુખમાં મૂકવા અંગેની (&#039;સૂડલો થઈને શ્રીહરિ અમૃતફળ મુખમાં લીઈ&#039;) વારંવાર યોજાઈ છે. ‘મલણ ખોટું મન વિના’, ‘માહરે તે માણસમાંહે ચાલવું, તુજને તે નહીં ઉચાટ&#039; એવા નર્મ-ઉદ્ગારો ક્યારેક જ વચ્ચે આવે છે. બાકી વાચ્યાર્થ દ્વારા જ ‘કરતી હું કામકલ્લોલ’ – એનાં વર્ણનો છે. ગોપી કહે પણ છે : ‘રખે કહેને જણાવતી વ્યભિચારની એ વાત&#039;. વાચ્યાર્થની મદદથી રજૂ થતી વ્યભિચારની વાત ચમત્કૃતિ-રહિત છે, આધ્યાત્મિક અર્થના પ્રતીક તરીકે એને ઉઠાવ મળવાનો તો સંભવ જ રહેવા પામતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
સુદામાચરિત્ર૩૮ – ભાગવતમાં આલેખાયેલું સુદામાચરિત્ર ગુજરાતીમાં તેમ જ દેશની ઘણી ભાષાઓમાં કાવ્યવિષય બન્યું છે. નરસિંહ નવ પદોમાં સંક્ષેપમાં પણ સુદામાની કથાનાં મુખ્ય મુખ્ય ભાવબિંદુઓને સરસ ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરે છે. પહેલામાં સુદામાપત્નીની પતિને દ્વારકા જઈ કૃષ્ણને, એ ‘મિત્ર છે તમતણા&#039; કહી, મળવાની વિનંતી છે. બીજામાં, મિત્ર બાળપણનો સંબંધ ભૂલી પણ ગયો હોય, વળી દબાવીને વાત શી રીતે થઈ શકે? સૌ મને ત્યાં હસશે, ઘેર મૌન બેસી રહેવું સારું; – એ સુદામાનો પ્રતિભાવ છે. ત્રીજામાં ફરી કલાવીને પત્ની કહે છે : તમારે પ્રભુજીની ભક્તિ એ જ આધાર છે, હું જાણું છું. પણ એને ત્યાં સૌ એકસરખાં છે. ‘પ્રીતની રીતે&#039; તમને એ અવશ્ય ભેટશે. સુદામા પલળે છે. કહે છે : મારા વેશનું તો જાણે, સમજ્યા, પણ કાંઈ ભેટ તો લઈ જવી જોઈએ ને? ચોથામાં વળી ગુરુપત્ની એમને ધોતિયાને છેડે માગી આણેલા તાંદૂલ બંધાવતી, શબરીનાં બોર ને વિદુરની ભાજી આરોગનારા ભક્તિવશ પ્રભુ ‘જાણશે થોડે ઘણું&#039; એવો સધિયારો દેતી, એ તો ‘ભક્તિના મન તણો ભાવ જાણે’– તમારે મોઢે ચઢીને માગવાવારો પણ નહીં રહે, તમતમારે જાઓ. મુક્તિપુરી દ્વારકાનો આનંદ તો માણી આવો – કહેતી પ્રેમવિદાય દે છે. પાંચમા પદના આરંભમાં યાત્રિક સુદામાનું આંતરપ્રાસથી સુરેખ ઊપસતું ચિત્ર અને મનોમંથન નરસિંહની શબ્દશક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો.&lt;br /&gt;
ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે – મુખ કહેતો.&lt;br /&gt;
માગતું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે.&lt;br /&gt;
કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ‘ચાલીને ભેટિયા&#039;, સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં ‘તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં&#039;. સારી રીતે નવડાવી, ‘કનકની પાવડી ચરણ આગળ ધરી&#039;, ‘પુનિત પીતાંબર પહેરવા આપિયું&#039; અને જમાડી પલંગ પર સુવાડ્યો.&lt;br /&gt;
છઠ્ઠા પદમાં ‘ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણ-ભિક્ષુક તણું&#039; – એમ રુક્મિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે : બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આણ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. ‘કામિનીકેફમાં હું જ ડૂલ્યો.&#039; પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢ્યાં : ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039; ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. ‘સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે. નરસૈના સ્વામીએ નજરે દીઠી.&#039; સાતમા પદમાં કૃષ્ણે બે મૂઠી તાંદૂલ પ્રેમે આરોગિયા&#039; ત્યારે રુક્મિણીએ ‘એક રહ્યાં અમો, એક બીજા તમો&#039; કહી ‘હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં&#039; તેનું, સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે ‘ભૂખના દુ:ખની ભીડ ભાગી&#039; છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કાંઈ નહીં&#039; : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેહને જોઈ અમો શુંય કહેશું?&lt;br /&gt;
મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું?&lt;br /&gt;
એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી.&lt;br /&gt;
નરસૈંનો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી!&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના – છેલ્લા નવમા – પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માન દીધું.&lt;br /&gt;
બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
કૃષ્ણ હેતથી હળ્યામળ્યા – એ બધું સંભારતો, ધ્યાન ધરતો, સુદામા ‘નિજ દ્વાર આવ્યો&#039; અને ચોમેર જુએ છે તો ‘દેવ શું દ્વારિકા આંહી લાવ્યો!&#039; બધું બદલાઈ ગયું છે. પત્ની આવીને કહે છે કે તમે ‘કૃષ્ણને નીરખિયા, પુણ્ય પ્રકટ થયું, પાપ નાઠું તે થકી સમૃદ્ધિ આ સકલ તે સાંપડી.&#039; સાંભળીને ‘કૃષ્ણ કહેતા તે નિજ ધામ પધારિયા.&#039; ઊલટભર્યાં ભક્તદંપતી વળી ઝાઝેરી ભક્તિ કરવા ‘નવલજોબન થયાં&#039;, અને પ્રભુને વિનતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. ‘વિનતિ ઉચારતાં, રજનિ વીતી ગઈ, નરસૈંના સ્વામીની પ્રીત ભારી.&#039;&lt;br /&gt;
નવ પદમાંથી ચાર પતિ પત્નીના, દ્વારકા જવું કે નહીં એ અંગેના સંવાદમાં – તેમાં બીજું આખું તો સુદામાના મનોમંથનમાં જ – ખર્ચવામાં ઔચિત્ય રહેલું છે. વળી પાંચમાનો પ્રથમાર્ધ એકલા પડેલા સુદામાના મનોમંથનનો છે. પાંચમાનો ઉત્તરાર્ધ, છઠ્ઠું અને સાતમું એમ અઢી પદ કૃષ્ણની મુલાકાતને અપાયાં છે વળી વધુ દોઢ પદ સુદામાનું મનોમંથન રોકે છે. છેલ્લે અર્ધામાં નિર્વહણ છે. જોવાનું એ છે કે નવ પદમાંથી ત્રણ જેટલાં પદ સુદામાના આત્મમંથનનાં છે.&lt;br /&gt;
નરસિંહ સુદામાને માનવી તરીકે જરૂર ચીતરે છે, પણ એની ભક્તિમયતાને એ પ્રાધાન્ય આપે છે. કૃષ્ણની ખડકીને બારણે જઈ ચઢેલા કોઈ ભીખમંગા બ્રાહ્મણ જેવું પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર&#039;નું ઉપહસનીય પાત્ર ક્યાં અને ક્યાં નરસિંહે આલેખેલું સમાનધર્માનું પાત્ર? પ્રેમાનંદ કથાનાં મુખ્ય મુખ્ય રસબિંદુઓ – ‘વીસરી ગયું છે કે વીર તને સાંભરે?&#039;, ‘સંકોચતો ગાંસડી વિપ્ર આધી ધરે&#039;, રુક્મિણીનું કૃષ્ણને ત્રીજી મૂઠી ભરતાં રોકવું, સુદામાનો ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039; ઉદ્ગાર વગેરે – નરસિંહમાંથી મેળવે છે. કેટલુંક એની અનોખી કલામયતાની સંજીવનીથી પ્રફુલ્લી ઊઠે છે. નરસિંહમાં વીસરી ગયું કે સાંભરે એમ કૃષ્ણનો એકનો જ પ્રશ્ન છે તે પ્રેમાનંદમાં ‘તને સાંભરે રે&#039;, ‘મને કેમ વીસરે રે?&#039; – એમ સુંદર સંવાદરૂપે ખીલી ઊઠે છે. પણ ‘મૂળગાના મારા તાંદૂલ ગયા’– એટલા સુધી સુદામાના આકળાપણાને પ્રેમાનંદ લઈ જાય છે. પછીથી ઘરનો રસ્તો કાપતાં પ્રેમાનંદ પણ રાબેતા મુજબ સુદામાને ભક્તિ કરતો બતાવે છે જ, પણ શું પત્ની સાથે વાત કરતાં, શું દ્વારકા જતાં, શું પાછા વળતાં, પ્રેમાનંદના સુદામાની છાપ ઉદાત્ત ભક્ત કરતાં મુખ્યત્વે એક બિનવ્યવહારુ માણસની પડે છે. એમાંથી એનો હાસ્ય ઉદ્ભવે છે અને છેલ્લે બદલાઈ ગયેલાં ઘરબારમાં તેડતી સ્ત્રીઓને ‘પાપણીઓ, તમને પરમેશ્વર પૂછશે&#039; આગળ એ હાસ્ય સ્વયં ઉપહસનીય બની બેસે છે. નરસિંહ માટે સુદામા કોઈ એવું પાત્ર નથી, એ પોતાની આદર્શ અસ્મિતા (ઓલ્ટર ઈગો) રૂપ છે, હમસફર છે, સમાનધર્મા છે. જીવનમાં વારંવાર એને પોતાને પણ કૃષ્ણને જાચવાના પ્રસંગ – આવ્યા છે. (સામળશાના વિવાહનો ઇચ્છારામ સૂ. દેસાઈએ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં જે પાઠ આપ્યો છે તેમાં માણેકબાઈની વિનંતીથી નરસિંહ કૃષ્ણને જાચવા દ્વારકા જાય છે અને કૃષ્ણ સુદામાના જેવું જ પ્રેમભર્યું સ્વાગત કરે છે, – વિશેષમાં પોતે લગ્ન અંગેની બધી તજવીજ કરી આપે છે. એનાં સાત – ૧૭ થી ૨૩ – પદ છે. ‘સુદામાચરિત્ર&#039;ના નબળા અનુકરણનાં પદો ઉમેરવાની કોઈએ સહેજે તક ઝડપી લીધી લાગે છે.) મહાદેવ યુવક નરસિંહને ‘મુક્તિપુરી&#039; લઈ જાય છે ત્યાં એ ‘કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા&#039; જુએ છે. ‘સુદામાચરિત્ર&#039;માં ‘કનકની ભૂમિ ને રત્નના થાંભલા&#039;નું વર્ણન છે. આરંભમાં સુદામાપત્નીના જ ‘નિરધન સરજિયાં’ તે ઉદ્ગારો ‘મામેરું’ના ‘નિર્ધન નર કાં સરજિયાં, શ્રી હરિ?’ – ની યાદ આપે છે. &lt;br /&gt;
નરસિંહમાં સુદામાની પત્ની ‘ઘેર બાળક સહુ, દુઃખ પામે બહુ, અન્ન ને વસ્ત્રથી રહે છે ઊણાં’ – એમ ઊણપની વાત કરે છે, પ્રેમાનંદની ઋષિપત્નીની જેમ ‘માગે, બાળક લાવો અન્ન&#039; એ રીતે આક્રોશ કે અનુરોધ કરતી નથી. જઈશ તો પણ મોં ખોલી નહીં શકું, સારો નહીં લાગું, એમ પતિ કહે છે ત્યારે નરસિંહની સુદામાપત્ની પતિ પ્રત્યે સહાનુભૂતિથી બોલે છે તેમાં હૃદયની અત્યંત સુકુમારતા છે. ‘સ્વામી, સાચું કહ્યું, બોલવું નવ રહ્યું&#039;, વળી ‘કંથનાં વચન તે વેદવાણી&#039;. ‘મારું ક્યાં અજાણ્યું છે? ‘ભવતણું નાવ તે, ભક્તિ ભૂધર તણી, તેહ હું પ્રીછવું સ્નેહ આણી.’ તમારાથી ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા.&#039; તમારે ક્યાંય એમની પાસે જવાપણું પણ ન હોય. પણ તમો એમને મળો તો પ્રીતની રીત એ ચૂકે, મોટાનાનાનો ભેદ કરે, એ બનવા સંભવ નથી. ચાલ, તું કહે છે તો જાઉં, – એમ સુદામા તૈયાર થાય છે. લજામણી સીકલ તરફ ધ્યાન ખેંચી સૂચવે છે કે માગવાના ખ્યાલથી જાઉં છું એટલે અને તેમાં વળી ભેટ લીધા વગર જઈશ તો એ વળી વધુ લજામણી બનશે. &lt;br /&gt;
ખરી વાત એ છે કે નરસિંહના સુદામાચરિત્રમાં પત્ની પતિને દ્વારકા જવા કહે છે, કૃષ્ણને જાચવાનું – કશી માગણી કરવાનું એક વાર પણ એ કહેતી નથી. પુણ્ય વિના નિર્ધન છીએ. કૃષ્ણનાં દર્શનથી અને ગોમતીસ્નાનથી પાપ દૂર થશે. માગવાનો તો સવાલ જ નથી, મારા નાથ, એ ભક્તના મનનો ભાવ જાણવાવાળો છે એમ એ કહે છે. પતિ પાછા વળે છે ત્યારે ‘સ્વામી રે સ્વામી&#039; કરતી અરધી અરધી થઈ જતી. એ તો એની એ પ્રતીતિમાં જ મસ્ત છે કે પતિએ ગોમતીસ્નાન કર્યું, કૃષ્ણનાં દર્શન કર્યાં, એટલે પુણ્ય પ્રગટ થયું, પાપ ગયું અને સારી સ્થિતિ થઈ.&lt;br /&gt;
નરસિંહે આખો ભાર સુદામા ઉપર મૂક્યો છે. નવ પદના સુદામાચરિત્રની રચના એણે ‘મિત્ર’ શબ્દને આધાર તરીકે રાખીને કરી છે. ભાગવતમાં ઋષિપત્નીના શબ્દો છે : सखा साक्षात् श्रिय: पति: (સાક્ષાત્ લક્ષ્મીપતિ મિત્ર છે). દામ્પત્યજીવનમાં મિત્ર મોહનની વાત તો સુદામાથી ક્યારેક ને ક્યારેક થયાં જ કરી હશે. ઘણાં વરસે બહુ ઊણપ વરતાઈ ત્યારે પત્ની કહે છે : ‘જદુપતિનાથ તે મિત્ર છે તમ તણા, જાઓ વેગે કરી કૃષ્ણ પાસે&#039;. કાવ્યનો આરંભ જ એ ‘મિત્રતા’ સંભારી આપવા દ્વારા થાય છે. મોહન ‘મિત્ર&#039; છે એ વાત તો સાચી. પણ મિત્ર આ રીતે મુશ્કેલી ઊભી કરશે એની સુદામાને કલ્પના પણ નહીં. બીજા કડવાને અંતે સુદામા કહે છે : ‘મૌન બેસી રહો... દુરિજન લોક તે છોને લવતાં રહે.&#039; તો, સુદામાને કૃષ્ણસરખા મિત્ર છે એ વાત લોક પણ જાણે છે શું? સુદામા નિર્ધનદશામાં જીવે છે એ વિશે એ લવ્યા કરતાં હશે – કૃષ્ણ જેવા સુદામાના ‘મિત્ર&#039; છે ને જુઓ તો કેવી રીતે ભાઈ જીવે છે! – એમ ઉપાલંભવચનો બોલ્યાં કરતાં હશે? સુદામાને કૃષ્ણ તરફ ધકેલવાનો બોજો નરસિંહની કૃતિમાં પત્ની ઉપર જ ન રહેતાં લોકો પર – ‘દુરિજન’ પર જાય છે. ‘મિત્ર&#039; શબ્દ એ દુરિજનોના મુખથી ઉચ્ચારાતાં વ્યંગ્યાર્થ ધારણ કરે છે.&lt;br /&gt;
સુદામા દ્વારકા તરફ ધપી રહ્યો છે – ‘મિત્ર મોહનતણું નામ લેતા&#039;, ત્યારે ‘મિત્ર’ શબ્દ પોતાના અંતરાત્માની સાક્ષીએ જે સાચો ભાઈબંધ છે તેને માટે વપરાયો છે. પદ-૮માં ‘મિત્ર મોહનતણું હેત જ્યારે પૂછશે, કામિનીને ઉત્તર કેમ દેશું?’ –માં મિત્ર અંતરાત્માએ ઓળખેલો નહીં, પણ લોકજીભે ગવાતો મિત્ર છે. પણ વળી પાછો પદ-૯ માં ‘મિત્ર મોહન તણી પ્રીત સાચી&#039;માં અંતરાત્માની દૃઢ પ્રતીતિ જેના અંગે છે તે ‘મિત્ર&#039;નો ઉલ્લેખ છે.&lt;br /&gt;
આમ, ‘મિત્ર&#039; એ શબ્દ બે રીતે યોજાયો છે. (૧) સુદામા જિંદગીમાં ક્યારેય કૃષ્ણને દ્વારકામાં જઈને પ્રત્યક્ષ ન મળે તો પણ પૂરા વિશ્વાસથી એમને પોતાના ‘મિત્ર’ તરીકે નિરંતર અનુભવે છે. એ તો મનોમન સાક્ષી છે. એનાં પત્ની પણ પતિને ખરેખર કૃષ્ણના મિત્ર માને છે. પદ ૪માં એ એને ‘સમોવડ&#039; પણ લેખે છે. પણ પત્નીને મુખે કૃષ્ણ માટે મિત્ર શબ્દ ઉચ્ચારતાં, સુદામા ભડકે છે. અંતરાત્માના સંબંધની વાત હતી એ આમ ક્યાં પ્રગટ થઈ? (૨) મિત્ર શબ્દ પત્નીને મુખે (પત્નીના હૃદયથી તો પવિત્રભાવે) ઉચ્ચારતાં લવરી કરતાં બીજાં લોકો – ‘દુરિજનો’– ને મુખે વ્યંગમાં ઉચ્ચારાતાં મિત્રનો ખ્યાલ આગળ આવે છે અને એ અવતરણ-ચિહ્નમાં મૂકીને ઉચ્ચારાતો ‘મિત્ર’ શબ્દ સુદામાની સ્થિતિ પર જુદી રીતે પ્રકાશ નાખે છે. પહેલી જ પંક્તિમાં ‘મિત્ર છે તમતણા&#039;માં પણ એનો પડછાયો પડે છે. ઘેર પાછા વળતાં ‘મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે&#039;-માં તો સુદામા પોતે પણ મિત્ર શબ્દ ચાવીને આત્મોપહાસ કરતા બોલતા હોય એવું જોઈ શકાય છે. આમ, એક શબ્દને એકવાર સરળ રીતે અને એ જ શબ્દને બીજીવાર વ્યંગ્યપૂર્વક યોજીને નરસિંહે એક જાતની વક્રોક્તિની – એક જાતના કટાક્ષની (આયર્નીની) સ્થિતિ નિર્મી છે અને એને પોતાની કાવ્યકૃતિના સંઘટક તત્ત્વ (સ્ટ્રકચરલ પ્રિન્સિપલ) તરીકે યોજી છે. પોતે કૃષ્ણનો મિત્ર છે અને નિર્ધનનું જીવન જીવે છે એમાં સુદામાને મન કશી વિધિવક્રતા નથી, પણ વ્યવહારુ લોકો – પેલા ‘દુરિજનો&#039; એ પરિસ્થિતિ પાછળની વક્રતા અંગે લવરી કરી મરે છે. આ બે દૃષ્ટિબિંદુઓની સહોપસ્થિતિ ‘મિત્ર’ શબ્દને બે રીતે યોજીને નરસિંહે સિદ્ધ કરી છે ને કાવ્યનો રસ નિપજાવ્યો છે. ‘પીતાંબરી પણ લીધી ઉતારી&#039;માં સુદામા જેવા સુદામા પણ ક્ષણ માટે – ક્ષણાર્ધ માટે બીજા દૃષ્ટિબિંદુને વશ થઈ જતા લાગે છે, તો ‘શ્રીપતિનાથે મને રંક સરજાવિયો, એમ કરતો દ્વિજ દ્વાર આવ્યો&#039; એમાં ‘શ્રીપતિ’ અને ‘રંક’નો વિરોધ વ્યક્ત કરવા દ્વારા સુદામા બીજા દૃષ્ટિબિંદુની સભાનતાપૂર્વક પોતાના દૃષ્ટિબિંદુ પર મુસ્તાક હોય એ રીતે પ્રતીત થાય છે.&lt;br /&gt;
નરસિંહની ભક્તિમાં કશે આત્મ-અવસાદ, આત્મઅવહેલના, આત્મનિર્ભર્ત્સના નથી. ભગવાનનો બન્યો ત્યારથી પોતે ‘નર-સિંઘ સરખો’ છે. આત્મપ્રતીતિના ગાનમાં કૃષ્ણમુખે એ કહેવડાવે છે, ‘નરસિંયો ભક્ત મુજ તોલ જાણો&#039;, ‘હું અને તું વિશે ભેદ નહિ, નાગરા.’ નમ્રતાનો પાર નથી, ભગવન્મયતાની સીમા નથી, પણ ભગવાનને લીધે તો ‘કીડી હતો તે કુંજર થૈ&#039;ને ઊઠ્યો છે. ભક્તિ-પ્રભુમયતા એ જ માણસની સાચી ગૌરવની સ્થિતિ છે, બીજી બધી ગૌરવચ્યુતિની અવદશા છે, આમ પોતે અનુભવતો હોઈ સમાનધર્મા સુદામાનો વિચાર કરતાં નરસિંહ સુદામાની કૃષ્ણ સાથેની મિત્રતાને જ કેન્દ્રમાં રાખે એ સ્વાભાવિક છે. કાવ્યમાં સંઘટકતત્ત્વ તરીકે નરસિંહ સહજ એ ‘મિત્ર’ શબ્દની પરિસ્થિતિજન્ય દ્વિવિધ અર્થસંભાવનાને પ્રતિભાવવશાત્ યોજે છે.&lt;br /&gt;
નરસિંહનું ‘સુદામાચરિત્ર&#039; એ પદોની માળા નથી, સુરેખ સપ્રમાણ ઘાટીલું આખ્યાનક છે. દશમસ્કંધ પદમાળા રૂપે આપનાર ભાલણ પાસેથી નળાખ્યાન, કાદંબરી, અ પ્રબંધરચનાઓ–આખ્યાનો મળવાં શરૂ થયાં અને આખ્યાનકારશિરોમણિ પ્રેમાનંદની અપ્રતિમ કથનશૈલી દશમસ્કંધની પદમાળામાં પર્યવસાન પામી, પદમાળામાંથી આખ્યાનનું બંધાવું અને અંતે આખ્યાનનું પદમાળામાં રેળાવું એ બે બિંદુઓ વચ્ચે મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતાનો સમગ્ર ઇતિહાસ સમાયેલો છે. પણ ભાલણની પૂર્વે નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;માં આખ્યાનકવિતાનો અરુણોદય જોવો શક્ય છે.&lt;br /&gt;
નરસિંહના ‘સુદામાચરિત્ર&#039;ના અવયવે અવયવમાં જે ઔચિત્ય છે, વાણીમાં જે પ્રાંજલતા અને પ્રગલ્ભતા છે, શિલ્પીની જે સુપ્રમાણતા છે, કાવ્યનિર્માણમાં ‘મિત્ર&#039; શબ્દના ઉપયોગથી અનાયાસે સધાતી જે સચેતના છે તે એ લઘુકૃતિને નરસિંહની જ નહીં, ગુજરાતી ભાષાની ગણનાપાત્ર કૃતિઓમાં સ્થાન અપાવવા પર્યાપ્ત છે.&lt;br /&gt;
તા૰ક૰૩૯ – નરસિંહના સુદામાચરિત્ર ઉપર નામદેવના સુદામાચરિત્રની અસર નથી. એ બે કૃતિઓ વચ્ચે એવું કોઈ સામ્ય નથી. વળી નામદેવે સુદામાચરિત્ર આદિ કથાનક રચ્યા અંગે જ શંકા છે. નામદેવનાં ‘પૌરાણિક કથાનકે&#039; અને ‘સંતચરિત્રે&#039; મળે છે. એ બધાં જ નામદેવનાં હોવા વિશે વિદ્વાનોને ખાતરી નથી. સંતચરિત્રમાં ‘નરસી મેહતા’નું ચરિત્ર હૂંડીનો પ્રસંગ ૪૦ અભંગોમાં આલેખે છે (‘નામદેવાચી ગાથા&#039; ચિત્રશાળા પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૭૧૫-૭). નામદેવનો સમય ઈ. ૧૨૭૦-૧૩૫૦ છે એટલે નરસિંહની પૂર્વે તેઓ થઈ ગયા હોઈ ‘નરસી મેહતા&#039;ના ચરિત્રમાં ‘નામા મ્હણે’ એવી નામમુદ્રા હોવા છતાં તે પ્રામાણિક નથી. વિષ્ણુદાસ નામા નામના પંડિતની, નામદેવની ભાવાત્મક કૃતિઓ કરતાં જુદી જાતની, રચનાઓ મળે છે અને એ કવિ નામદેવથી ભિન્ન છે એવો ડૉ. તુળપુળેનો અભિપ્રાય છે (‘પાંચ સંતકવિ’, આવૃત્તિ બીજી, પૃ. ૧૩૯), એ રચનાઓમાં ‘વિષ્ણુદાસનામા&#039; ‘નામા વિષ્ણુદાસ’ એવી નામમુદ્રા મળે છે. ‘પૌરાણિક કથાનકે&#039;માં કેટલેક ઠેકાણે ‘નામા મ્હણે&#039; છે તો કેટલેક ઠેકાણે ‘નામા વિષ્ણુદાસ&#039; કે ‘વિષ્ણુદાસ નામા&#039;ની નામમુદ્રા પણ છે. પણ અર્ધાથી અધિક અભંગોમાં ‘નામા મ્હણે&#039; હોઈ અને કીર્તનસંપ્રદાયના પ્રવર્તક નામદેવે કીર્તનરૂપે કથાનકો જોડ્યાં હોવાનો સંભવ હોઈ દશાવતાર, પ્રહ્લાદચરિત્ર, સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનકો નામદેવે જ કીર્તન દ્વારા ભાવભક્તિના પ્રચાર અર્થે લખ્યાં હોવાં જોઈએ એમ ડૉ. હેમંત વિષ્ણુ ઈનામદારનું માનવું છે (‘સંત નામદેવ’, ૧૯૭૦, પૃ. ૧૭૧-૨). ‘સુદામાચરિત્ર&#039;માં તો ‘નામા મ્હણે&#039; એવી જ મુદ્રા છે, ‘વિષ્ણુદાસ નામા&#039;ની નથી. પણ ૧૯૭૦માં મહારાષ્ટ્રના શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય (મુંબઈ) તરફથી ડૉ. સરોજિની બાબરની અધ્યક્ષતા નીચે નામદેવગાથાસમિતિએ પ્રગટ કરેલ ‘નામદેવ ગાથા&#039;માં સુદામાચરિત્ર આદિ પૌરાણિક કથાનક આપવામાં આવ્યાં નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
દાણલીલા૪૦ – નરસિંહની કાવ્યશક્તિનો સુપેરે પરિચય કરાવતું ૭૮ પંક્તિનું આ કથાકાવ્ય અથવા પ્રસંગકાવ્ય છે, કહો કે વિસ્તરેલું કથનોર્મિકાવ્ય છે. ગાયો ચરાવવા ગયેલા શ્રીકૃષ્ણ રાધાને જુએ છે અને ગોરસનું દાણ માગે છે અને થોડીક રકઝક પછી રાધાની વિનંતી પરથી વેણુ વગાડીને એનું મન મનાવે છે – એટલા કથાતંતુની મદદથી, દાણલીલાને મિષે, કાવ્યના મધ્યમાં રાધા અને કૃષ્ણના રોમહર્ષણ મિલનનું અને અંતે માધવની પડખે રળિયાત થયેલી રાધાનું અદ્ભુતસુંદર ચિત્ર કવિ આંકી દે છે.&lt;br /&gt;
કૃષ્ણની દિનચર્યા કવિ ગાતા હોય એમ કાવ્ય ઘરાળુ રીતે આરંભાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગો જાગો રે શામળા, જગાવે જશોદા માત,&lt;br /&gt;
જાગો રે સહુજન જાગિયા, જાગોને હુએ પ્રભાત...&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક ગમ્મતો, એકમેક પ્રત્યેના નિર્દોષ ઉપદ્રવો, માંકડાંની કોટે શણગાર બાંધવાની રમતો, – એ બધું કૃષ્ણની રાહબરી નીચે ચાલે છે. બપોરે સૌ જમવા બેસે છે, તેમાં ‘જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર&#039;, તો વળી ‘બમણું તે લે વહાલો વહેંચતાં’ એવું પણ જોવા મળે છે. ત્યાં ગાયો પર્વતની ઊંચી સપાટી (માળ) પર આઘી નીકળી ગઈ. સૌએ કહ્યું કે કૃષ્ણ લઈ આવે, એનો વારો છે. પોતે ગાયો વાળવા નીકળે છે, ઊંચે ચઢી સાદ કરે છે, ત્યાં એકાએક દૂર કોઈ અનુપમ સુંદરીને જુએ છે, જેના તેજથી ત્રિભુવન મોહી રહ્યું છે. તો, કાવ્ય આ અદ્ભુત ક્ષણ માટે શરૂ થયું હતું!&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણુ એક લાગી વાર;&lt;br /&gt;
વારો આવ્યો, પ્રભુ, તમ તણો, તમો વાળોને દીનદયાળ.&lt;br /&gt;
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય;&lt;br /&gt;
હીંડે વૃંદાવન શોધતા, ચૌદ ભુવનનો રાય.&lt;br /&gt;
સીંચાણી બગલી ને સારસી પારેવી ચાતોર મોર;&lt;br /&gt;
પીળી ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.&lt;br /&gt;
ગોવર્ધન ચઢી વહાલે ચીંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;&lt;br /&gt;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં જી રે નરખે નંદકુમાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
છેલ્લી ચાર પંક્તિઓમાં સ્વભાવોક્તિમાંથી અદ્ભુતમાં સંક્રમણ, રંગરંગી ગાયોના સુરેખ ચિત્ર પછી અલૌકિક સૌન્દર્યવતીનું દર્શન, – ગાયોને બોલાવવા સાદ દેતાં ગોપબાલની નજર સામે વિશ્વના સારસર્વસ્વ જેવું ઉઘડતું નારીરૂપ, એ નરસિંહની લીલયા પ્રત્યક્ષીકરણ સાધી શકતી શબ્દકલા–પરમ સરલતાભરી શબ્દકલા–ની સાક્ષી પૂરે છે. કૃષ્ણની આંખે રાધાનું–સ્નેહમયીનું વિશ્વરૂપદર્શન આલેખતી પંક્તિઓ ભવ્યતાના આલેખનની નરસિંહની ફાવટનો પણ પરિચય કરાવે છે. કાવ્યનું આ શિખર છે. સ્નેહસૌન્દર્યના સાક્ષાત્કારના ચિત્રથી હવે કાવ્ય સ્નેહસામરસ્યની સમાધિના ચિત્ર તરફ આગળ વધે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;દોડી વહાલો પહોંચી વળ્યા, પૂછ્યું: ‘કેની તમો છો નાર?...&lt;br /&gt;
છો રે રંભા કે રે મોહની કે છો રે આનંદ કે ચંદ?&#039;....&lt;br /&gt;
‘નહીં રે રંભા નહીં રંનાદેવી, જી રે નહીં આનંદ કે ચંદ;&lt;br /&gt;
ભ્રખુભાનની કુંવરી છું રાધે, બાળમુકુંદ.&lt;br /&gt;
ગોકુળ-મથુરા જાઉં-આવું ને શું રે થયા અજાણ?’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિ પછી પીંછીના થોડાક લસરકે બંનેની મૂર્તિઓ ખડી કરી દે છે. રાધા કેવી છે તો ‘મુખ ભર્યું એનું મોતીએ..  નયણે કાજળરેખ. ચૂડી મુદ્રિકા ને બેરખી, મુખે ચાવંતી તંબોળ, વૃન્દાવનમાં સંચર્યાં જી રે સજીને શણગાર સોળ.’ અને કૃષ્ણ?&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;મોર મુકુટ વહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કર્ણ.&lt;br /&gt;
પીતાંબર વહાલે પહેરિયું, જાણે ઉપમા મેઘ જ વર્ણ.&lt;br /&gt;
કેસરનાં તિલક શિર ધર્યાં, પહેર્યો ગળે ગુંજાનો હાર.&lt;br /&gt;
&lt;br /&gt;
આવાં બે મોઢામોઢ આવી ઊભાં. હવે?&lt;br /&gt;
&lt;br /&gt;
પાલવ સાહ્યો પીતાંબરે : દાણ આપ ને જા-ની નાર.&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ધરી રાધા ના પાડે છે :&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ આડો પાલવ ગ્રહી, તાણ્યાં ભવાંનાં બાણ;&lt;br /&gt;
નયનકટાક્ષે નિહાળીને બોલી, ‘પ્રભુ, શાનાં માગો છો દાણ?&lt;br /&gt;
નવ રે દીઠું, નવ સાંભળ્યું, જી રે અમને શાને વિપરીત?&lt;br /&gt;
દાણ માંગો કેવાં દૂધનાં, કહોને કિયા તે દેશની રીત?&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણની રંજાડ હદ વટાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગંગા ને જમુના વચે જી રે ચોકી બેસે આદ;&lt;br /&gt;
માણસ જોઈને માગીએ રે જેવો માલ તેવી રે જકાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાંભળીને રાધારાણીએ ‘હૈડે રીસ આણી&#039; પણ ‘છબીલે મોહિની નાખી ત્યારે’ એ ‘હાર આપું હૈડા તણો&#039; એવી તૈયારી બતાવે છે અને પોતાને મોડું થાય છે એમ કહી વેણુ વગાડવા વિનવે છે. કૃષ્ણ ક્યાં લેવા આવ્યા હતા? એ તો અખૂટ આપવા આવ્યા હતા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણજી પ્રત્યે બોલ્યાં રાધિકા, જી રે ખોટી થાઉં છું હાલ.&lt;br /&gt;
મન મનાવોને માવજી, વાઓને વેણા રસાળ.&lt;br /&gt;
કૃષ્ણજીએ વેણ વાઈને જી રે રાધા કીધાં રળિયાત.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સ્નેહસમાધિમાં સમરસ થયેલાં રાધાકૃષ્ણની મૂર્તિ આગળ કાવ્ય પૂરું થાય છે.&lt;br /&gt;
રમતિયાળ શૈલીમાં શરૂ થયેલું અને ગતિશીલ ચિત્રો રમતાં મૂકતું રાધાના વૈશ્વિક દર્શનનું અને રસસમાધિમાં લીન રાધાકૃષ્ણના આલેખનનું આ કાવ્ય નરસિંહની એક ઉજ્જ્વલ સિદ્ધિ રૂપ છે.&lt;br /&gt;
ગામડાંના અશિક્ષિત જનોમાં લોકપ્રિય થયેલું, જીભે ચઢેલું, આ કાવ્ય કદાચ ‘દાણલીલા’ એ અતિચવાઈ ગયેલા શીર્ષકને કારણે અથવા તો ‘જાગો, જાગો રે જાદવા&#039; જેવા બિનપ્રેરક આરંભને કારણે શિક્ષિત કાવ્યપ્રેમીઓની નજરે એટલું ચઢ્યું નથી – લગભગ નજર ચુકાવી ગયું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૩. કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સવા લાખ નહીં, તો પણ ખાસ્સી મોટી સંખ્યામાં કૃષ્ણ અંગેનાં પદો નરસિંહે ગાયાં લાગે છે. તેના બે મુખ્ય ભાગ પડી જાય છે. ૧. શૃંગારપ્રીતિનાં ગીતો અને ૨. વાત્સલ્યપ્રીતિનાં ગીતો. ‘નરસિંહ મેહતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં ‘રાસસહસ્ર પદી’ (૧૮૯), ‘વસંતનાં પદો’ (૧૧૬), ‘શૃંગારમાળા’ (૫૪૧ પદ) અને ‘હીંડોળાનાં પદ&#039; (૪૫) આપ્યાં છે તે શૃંગારપ્રીતિનાં છે અને ‘શ્રી કૃષ્ણજન્મસમાનાં પદ&#039; (૧૧) ‘શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ&#039; (૮) અને ‘બાળલીલા&#039; (૩૦ પદ) એ વાત્સલ્ય-પ્રીતિનાં છે.&lt;br /&gt;
&lt;br /&gt;
શૃંગાર પ્રીતિનાં ઊર્મિગીતો – ઇચ્છારામ દેસાઈએ આપેલાં ગીતો હસ્તપ્રતોની મદદથી સંશોધિત વાચનારૂપે પછીથી રજૂ થયાં નથી. ઈ. ૧૯૬૫માં કેશવરામ કા. શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી ૩૯૦ પદની સંશોધિત વાચના ‘નરસૈં મહેતાનાં પદ&#039; શીર્ષકથી આપી છે, જેમાં ૨૦૮ પદો નવાં છે. બાકીનાંનો ઇચ્છારામ દેસાઈ સંપાદિત ‘નરસિંહ મેહતા-કૃત કાવ્યસંગ્રહ&#039;માં ક્યા પદ સાથે સંબંધ છે તેનો નિર્દેશ, શક્ય હોય ત્યાં, તેમણે કર્યો છે. હવે પછીની ચર્ચામાં જૂની લાગતી ભાષાનાં અવતરણોવાળો ભાગ તે કે. કા. શાસ્ત્રીની વાચનાનો પ્રમાણભૂત નરસિંહકૃતિનો અંશ છે, જ્યારે ઇચ્છારામ દેસાઈના સંપાદનમાંથી આપેલ અવતરણોવાળો ભાગ તે નિઃશંક પ્રમાણભૂત લેખવો મુશ્કેલ છે. એવા અંશ પર આધારિત નરસિંહની કાવ્યપ્રતિભાની મુલવણીની વીગતો અંગે પણ એ મુશ્કેલી રહેવાની.૪૧&lt;br /&gt;
‘રાસહસ્રપદી’નાં ૧૮૯ પદોમાંથી કે. કા. શાસ્ત્રીએ ભાગવતની રાસપંચાધ્યાયીના વિષયક્રમમાં પ્રથમ રાસ, શ્રીકૃષ્ણનો વિરહ, ગોપીઓની વિરહવેદના, શ્રીકૃષ્ણ સાથે મિલન અને મહારાસનાં પદો ગોઠવી આપ્યાં છે. એક સળંગ વૃત્તાન્ત જેવું હોવા છતાં દરેક પદ એ છૂટું ઊર્મિગીત છે. આ ગીતો ઉપર ભાગવતની સ્પષ્ટ મુદ્રા છે. વેણુનાદથી વીંધાયેલી વ્યાકુળ ગોપીઓ ‘જુથ મલીને ચાલી, જાણે સાગરપૂર’. પણ ‘ભાનિનીને માન ઘણું&#039; હતું ત્યાં સુધી ‘અંતરધાન હવા હરિ તતક્ષણ વૃંદાવન મઝાર્ય,&#039; અંતે ‘કામિનીને કૃષ્ણ મલા જારે મેલ્યો અભિમાન.&#039; ભાગવતને અનુસરી નરસિંહ કૃષ્ણને મુખે કહાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યાને કાજે આવ્યાં સરવે, શું છે તમારું કામ રે?&lt;br /&gt;
પતિવ્રતાનો ધરમ નહીં, તમે જાઓ તમારે ઠામ્ય રે.&lt;br /&gt;
મોહન કેરાં વચન સાંભલી, નીચું જોયું બાલી રે.&lt;br /&gt;
મુખ આંગલી ને મંન્ય વિમાસે : શું કહે છે વનમાલી રે? (૫૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ગદ્ગદ કંઠે કહે છે, ‘ભુદર અમને નહીં ભજો તો તજશું દેહ અમારી રે’. પરિણામે ‘અંતર પ્રીત્ય ભણી હરિ હશિયા&#039;&lt;br /&gt;
કેટલાંય બધાં ગીતો પરકીયાપ્રીતિના ઉઘાડા શૃંગારનાં છે. નરસિંહને એમાં કોઈ કુંઠા નથી : ‘સફલ રજની હવી, આજની અનુભવી... સુરતસંગ્રામે સુભટ સાથે મલી... ચઉદ ભુવનતણો નાથ મેં વશ કર્યો... કેસરી કાન સાહી નચાવ્યો.&#039; ભાગવતથી આગળ વધી, જયદેવની અસર નીચે, ભક્તિનિરૂપણમાં સ્થૂલ શૃંગારનો આશ્રય લેવા તરફ નરસિંહનો ઝોક દેખાય છે. નબળી ચાતુરીઓની યાદ આપે એવાં એનાં કેટલાંય ગીતો છે. તેમ છતાં કેટલાંક ગીતો ઊર્મિની નાજુકાઈથી, વક્રોક્તિથી, એક જાતની સહૃદયતાથી જીવંત બની રહે છે. નરસિંહની સૌન્દર્યની-રસની વિભાવના સહજમાં સ્થૂલતાને અતિક્રમી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; એ એક ગતિશીલ ભવ્યરમણીય ચિત્રણ છે. એ પ્રતીક દ્વારા નરસિંહ નિર્દેશે છે કે સુંદરીમાં અખિલ બ્રહ્માંડનો અમૃતરસ વિલસી રહ્યો છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો, મનસિજ નયણે વશિયો રે.&lt;br /&gt;
રદે ભાવ કુચમંડલ પૂર્યાં, આવો રતિપતિ રશિયો રે.&lt;br /&gt;
અતલી બલ વનસ્પતિ–નાથે ઊલટપાલટ કીધું.&lt;br /&gt;
અખિલ બ્રહ્માંડ તણું અમ્રતરસ જુવતીને વદને દીધું.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહને સુંદરીના રસનું એક દર્શન છે. જીવાત્મા એ ગોપી છે. એ સખીભાવે પરમાત્માને ભજે છે. એનો જે સૌન્દર્યરસ ખીલે છે તેનો પરમાત્મા આસ્વાદનારો છે. આ રીતે નરસિંહની દૃષ્ટિએ સુંદરીનો રસ એ અધ્યાત્મના આવિષ્કારનું રૂપક છે. વિમુખના યોગ કે કર્મજડની તપસ્યા પાછળ પડવાને બદલે નરસિંહ જીવાત્મા અને પરમાત્માની સમરસતાનાં ‘ગુણગાન’ ગાવાનું પસંદ કરે છે.&lt;br /&gt;
વસંતલ નિમંત્રણનું ઊર્મિંગીત ગુજરાતી ભાષાનું એક ઉત્તમ સર્જન છેઃ&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલ રમીએ, સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો, વનવેલ ફૂલી.&lt;br /&gt;
મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૰&lt;br /&gt;
નારસિંયો રંગમાં અંગ ઉનમદ હશે, ખોહેલા દિવસનો ખંગ વલશે. ચાલ૰ (૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ કાવ્ય રચાતાં, ત્યાં સુધી માત્ર વ્યવહારમાં કે અધકચરા કવિપણામાં ભાષાના થયેલા ઉપયોગનો જાણે કે ખંગ વળે છે. વસંતના આગમનનો ઉલ્લાસ વર્ણસગાઈ, આંતરપ્રાસ અને ‘મોરિયા અંબ કોકિલ કદંબ’માં ‘ઓ&#039;નાં પુનરાવર્તન અને સુચારુ લયાન્દોલ દ્વારા પ્રગટ થઈ જાય છે. વસંતની મત્ત વનલીલા આગળ ભ્રમરોની વાત હળવી લઘુશ્રુતિઓની યોજના દ્વારા પ્રસ્તુત થઈ છે. ભ્રમરને ઝૂલતા તો નરસિંહ જ દેખે-દેખાડે ને? જાણે આપણે એનો ભાર અનુભવીએ છીએ. વસંતના કેફનું ચિત્ર ત્યાં પૂર્ણતાને પામે છે. કેટલી બધી ઇન્દ્રિયોને – આંખ (ફુલ્લ વેલીઓ), ઘ્રાણેન્દ્રિય (મહોરેલા આંબા), કાન (કોકિલનાદ), સ્પર્શેન્દ્રિય (ઝૂલતા ભ્રમર)ને – વસંતાનુભવમાં કવિએ કામે લગાડી દીધી છે! ‘ક્યારની કહું છું જે’ નો ઘરાળુ અનુનય જીતી લે એવો છે.&lt;br /&gt;
એક પ્રસંગ કવિએ બહુ કોમળતાભર્યો કલ્પ્યો છે. ગોપી કહે છે કે કૃષ્ણ પાછલી રાતના આવ્યા – એમણે તો વચન પાળ્યું પણ પોતે જાગી નહીં. ‘શું કરું રે સખી, હું ન જાગી—&#039;. ‘રે&#039; માં આખું હૃદય એનું જાણે ફાટી પડે છે. ‘હું ન જાગી’– એ આત્માની ચીસ છે. વિધિવક્રતા તો જુઓ, એની રાહ જોતાં જોતાં જ આંખ મળી ગઈ! એની પાસે દોડી જઈ ક્ષમાપન કરવા તલસે છે. સખી કહે છે કદાચને બહાર જ તારા સ્નેહની પરીક્ષા કરતા ઊભા હશે. પણ હવે એ ધન્ય ભાગ્યમાં રહી છે ખરી? ગોપી કહે છે કે મારે ગાય દહોવાનું મોડું થાય હવે જીવને વળગેલી નાનીનાની સંસારવિગતો – મોટું નામ આપવું હોય તો કહો – કર્તવ્યપથ – એ હવે એને ક્યાં છોડે એમ છે?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બેની, ઊઠ આલસ તજી, નાથ નથી ગ્યા હજી,&lt;br /&gt;
બાર્ય ઊભા હશે. હેત જોવા.&lt;br /&gt;
ધન્ય રે ધન્ય રે, નારસિયો એમ ભણે, અસૂર થાશે&lt;br /&gt;
મારે ધેન દોવા.       પાછલી૰ (૧૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ગીત – ‘કહાં જાઉં રે, વેરણ રાત મલી&#039; (શૃં. ૧૦૪)માં આરતભરી ગોપીની મૂંઝવણ તીવ્રપણે રજૂ થઈ છે. રાત વેરણ બની છે. છતાં બધે તપાસ કરી વળી. કૃષ્ણ ક્યાંય નથી. છેવટે વાંસળીનો સ્વર આવ્યો – કૃષ્ણ છતા થયા. પણ મળવાનું તો થયું નહીં જ. થાકીપાકી કાયા જંપી ગઈ. વેણુસ્વર દ્વારા મિલન થયું એટલો આનંદલાભ.&lt;br /&gt;
કૃષ્ણના મનમાં પોતે નિરંતર કેમ કરીને વસે – એ કાંઈ ગોપીની જેવી તેવી મૂંઝવણ નથી. ખંજન નયને જોતી એક નવલ નારીનું આવવું ગોપીઓને પોતાનું અધિકપણું શી રીતે જળવાશે એ અંગે સચિંત કરી મૂકે છે. એક સુંદર ભાવપરિસ્થિતિને નરસિંહે સુરેખપણે ચિત્રાંકિત કરી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાનડી પટોલિયેં આ કોણ, બાઈ રે, નવલ નાર્ય કોએ દીશે રે?&lt;br /&gt;
એ આગલ્ય આપણે ઓલપાણાં, મારા વાલાજીને ક્યમ ગમીશે રે? પાનડી૰&lt;br /&gt;
&lt;br /&gt;
મુખ મછરાલ, માના ઘણું ધરતી, નાસા નિરમલ મોતી રે.&lt;br /&gt;
નારસિયાચા સ્વામીને મલવા, ખંજન નયણે જોતી રે. પાનડી૰ (૧૭૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી માનિની થવા ઘણુંયે મનમાં ઇચ્છે છે. ‘નહિ બોલું, નહિ બોલું, મારા વાલા, મારગડે મ બોલાવીશ રે.&#039; જાતને કહે છે કે ‘આપણપણું આપણ–વશ હોયે તો વાલ ન વાંકો થાય રે&#039;. પણ એસ્તો મુશ્કેલ છે.&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘વેરીડો વશે તન માંહે રે, વણબોલ્યે ન રેવાયે રે&#039; (૧૨૩).&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર સરળપણે જ એનાથી નિયંત્રણ દઈ દેવાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ દીસે ઘર માહારું, વાલા, દેખાડું આવો&lt;br /&gt;
અશુરસવારા જાતાંવળતાં, મંદિરિયે શે નાવો?&lt;br /&gt;
મંદિર આગળ થઈને જાજ્યો, વાંશલડી વાજો.&lt;br /&gt;
ઘડી અધઘડી ત્યાં ઊભા રહીને, અમ શામું જોજો. (૧૫૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કોઈવાર અત્યંત આરતભરી વિનવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એકવાર શામું જુઓ મારા વાલા, મારા તનનો તાપ ન જાયે રે;&lt;br /&gt;
તમારે નયણે અમીય વશે, મારી નવપાલવ દેહિ થાએ રે. (૧૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પગમાં કાંટો વાગ્યો છે એવું બહાનું કાઢી પોતે નમે છે તેને ‘તું પ્રમાણ માનજે’, એવી વિનંતીમાં કોમળ અનુનય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પરણામ માને રે, મારો પરણામ માને રે,&lt;br /&gt;
પગના કાંટા મશેં નમી જાઉં રે મારો પરણામ માને. (૩૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વનમાલી કૃષ્ણથી અળગાં રહ્યું જતું નથી એટલે ગોપી કહે છે, તને કુસુમની માળા વડે પલંગના પાયા સાથે બાંધી રાખીશ. તને કોણ છોડાવશે? તારો ગુનો નાનો નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પલંગચે પાઓલે કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી...&lt;br /&gt;
તું વનમાલી, હું કુસુમગુણવેલ્ય, નીર ન શીચેં તો શ્યાને રોપી? (૧૧૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણને તો ભાવતું જડ્યું ન હોય! નરસિંહ પોતે વારંવાર ગોપીનું જે બહુમાન કરે છે તે અહીં કૃષ્ણમુખે કરાવે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નહિ કોઈ નાર્ય તમ સમોવડ સુંદરી, જેની કુસુમમાલા વડે હું બંધાઉં.&lt;br /&gt;
હું વનમાલી, તું કુસુમગુણવેલ્ય, શીંચું રે અમ્રત દ્રષ્ટેં કરી.&lt;br /&gt;
પ્રેમની વાડ કરું તમ પાખલેં, રાખું રે સમરથ બાંહે ધરી.&lt;br /&gt;
ધન્ય તું સુંદરી, ધન્ય તું સુંદરી, મુનેં કુસુમમાલ વડે તેં જ બાંધ્યો.&lt;br /&gt;
ચઉદ ભુવન તણાં બંધન છોડવું, ન જાણું મોહિની તેં કાંઈ મંત્ર સાધ્યો. (૧૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહ નારી–અવતારનું, નારીભાવે–સખીભાવે પ્રભુને ભજવાના લહાવાનું મુક્ત કંઠે સ્તોત્ર લલકારે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કોણ પુણ્યે કરી નાર્ય હું અવતરી, શ્રીહરિ દીન થૈ માન માગે.&lt;br /&gt;
અમર અવગત્ય કહે, અકલ કોએ નવ્ય લહે, તે કમલાવર કંઠ લાગે.&lt;br /&gt;
જગનજાગે કરી, જ્યોગધ્યાને ધરી, બહુ તપ આદરી દેહકષ્ટેં,&lt;br /&gt;
તે માંહે હરિને નિમખ નવ્ય પેખિયેં, તે હરિ નિરખિયેં પ્રેમ-દૃષ્ટેં. (૧૧૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વળી એ સૌભાગ્યને કવિ ગાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ત્રિભુવન જે પતિ, તે પતિ તાહરો, જોની તું, ભામની, ભાગ્ય તારું. (શૃં. ૪૨૯)&lt;br /&gt;
પરબ્રહ્મ ગોવાલાશું રમે, જેનેં જોવા યોગેશ્વર દેહિ દમે...&lt;br /&gt;
જ્યોગિયાચે ધ્યાને નાવિયો તે તો જનની જસોદાને ધાવિયો.&lt;br /&gt;
મોટે મુનિવરે નવ્ય જાણિયો તે તો કામિની કર ગ્રહી તાણિયો. (૨૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીનો આ ભાવ, આ સંબંધ, જ જુદો છે. પાછળથી મીરાંબાઈમાં આ વિવાહસંબંધના ઉદ્ગારો મળે છે. ગોપી કહે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અખંડ એવાતન પામી, એ વર રૂડો.&lt;br /&gt;
નારસિયાચો સ્વામી ભલેં મલિયો, પહેરાવ્યો ચૂડો. (૯૧)&lt;br /&gt;
ભલે પરણાવી, મારે હરિવર રૂડો, અખંડ પહેરાવ્યો ચૂડો રે. (૧૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘એવાતન&#039; જનમજનમનું છે. આ સંબંધ માત્ર આ જન્મનો નથી. ‘નહિ હમણાંની પ્રીત્ય છે પેહેલી’ (૨૧૯), ‘નરસૈંયાચા સ્વામીને સંગ રમવું, પેલા તે ભવનું લેણું&#039; (૮૧), ‘તમારે અમારે પૂરવ સનેહ&#039;, – આ ‘સ્નેહ’માં બીજા સકલ સ્નેહ ગળી જાય છેઃ ‘જ્યેણે, હરિ, તમ-શું ધરિયું ધ્યાન, તેને ઉપનું બ્રહ્મજ્ઞાન...&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેણે, હરિ, તમ-શું ધરિયો નેહ, વિશરી ગયા તેને સકલ સનેહ. (૨૦૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આથી ‘હરિ દીઠડે હરિ સરખા થઈએ&#039; એમ કહી ‘જે દિન દેખું તે દિન લેખું, બીજું જીવું બાલ્ય પરું&#039; (બીજું જીવ્યું તે દૂર બાળજે) એમ ગોપી કહે છે. &lt;br /&gt;
નાથમાં ગુણની ઊણપ છે (‘નાહોલો નિર્ગુણ રે, નિર્ગુણ રે, નિર્ગુણ, મારી બાઈ રે,... ન રહે પરઘેર્ય જાતો&#039;) – એ રીતે ‘નિર્ગુણ&#039; (૮૫) શબ્દ વપરાયો છે, પણ ‘વેદ કહે એ નિર્ગુણ, બાઈ રે, તેણે તમથી અમે ટલિયે&#039; (૨૧૦) માં નિર્ગુણબ્રહ્મનો ઉલ્લેખ છે. ગોપી કહે છે કે ‘હે કાળા કહાનજી, તમને મલું તો થાઉં કાલી&#039;. એમ તમે નિર્ગુણ છો તેને અમે મળીએ તો તમારે લીધે અમે તો રહીએ જ નહીં, તમારામાં લોપ પામીએ. ‘નિરગુણગારો નાહોલિયો રે સગુણ થયો રે, જનમની કોટાકોટ લેગેં વાલો અમ શું અબોલડે રહ્યો રે&#039; (૨૭૧) – એ ‘નિર્ગુણ’ બ્રહ્મરૂપ પરમાત્મા સાથે કોટિકોટિ જન્મોના અબોલા હતા, પણ એ ‘સગુણ&#039; થઈને અહીં આવ્યા છે. એટલે ‘અંગોઅંગ્ય મેલાવશું રે.&#039; આ યોગ, આ સંયોગ, અંગોનો રહેતો નથી, આત્માનો છે, હવે ફરી જન્મવાનું રહેશે નહીં, - એ બહુ સહજ રીતે નરસિંહે નિર્દેશ્યું છે: ‘એક વાતની ચિંતા હુંતી તે મારે વાલેજિયે ટાલી રે, નરસિયાચા સ્વામી સંગ્ય રમતાં નહિ અવતરિયે વાલી રે,&#039; આ સંબંધ પરકીયાનો નથી, ‘માહાસતી&#039;નો છે, કેમ કે એમાં દેહ તો યાદ પણ આવતો નથી : ‘નયણે નયણાં મલી ગયાં, હું છું માહાસતી રે, ... વિશરી દેહગતિ રે&#039; (૩૬૭). મુક્તિ તો ગોપીને મન દાસી છેઃ ‘ભૂતલ અવતારનું ફલ એહ, જે મારા વાલાજીશું ધરિયે સનેહ... મુગત શરીખી જેને ઘેર્ય દાસી&#039; (૩૬૪).&lt;br /&gt;
ગોપી અને કૃષ્ણના સંબંધ અંગેનાં નરસિંહનાં ગીતોમાંથી બે પ્રતિનિધિ ગીત લેખી શકાય એવાં છે. એક ગોપી-કૃષ્ણના રસમય દર્શનનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કેસરભીના કાનજી, કશુંબે ભીની નાર્ય રે,&lt;br /&gt;
લોચન ભીનાં ભાવ-શું ઊભાં કુંજ-દુઆર રે.&lt;br /&gt;
બેમાં સુંદર કેહને કહિયે?... (૨૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિશ્વને બારણે જીવાત્મા અને પરમાત્મા, પ્રેમથી રંગાયેલા, સાથે ઊભા છે – એ બેમાં વધારે સુંદર કોને કહીશું? નાનું અમથું વહાલભર્યું ગીત સનાતન મંગલયુગલને રસિક રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે.&lt;br /&gt;
બીજું ગીત ગોપીની લેલીન દશાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી.,&lt;br /&gt;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળી૰&lt;br /&gt;
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;&lt;br /&gt;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળી૰ (વ. ૯૮)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપી એટલી બધી કૃષ્ણમય છે કે ‘દહીં લો દહીં&#039; એમ કહેવાને બદલે ‘કૃષ્ણ લો કૃષ્ણ&#039; કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે :&lt;br /&gt;
`આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઇચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, ‘કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,&#039; એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઇચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદલકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણ કે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;ના એક પદ (૮૧)માં ‘ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે&#039; એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે – ‘આપ સરીખડી વહાલે કીધી આહીર રે.&#039; લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે.&lt;br /&gt;
નરસિંહ જે ગોપી–કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા-પરમાત્મા વચ્ચેના પ્રેમની છે. ‘અનુભવિયા રસ માણે’ (૧૯૩) એમ કહી પ્રેમભક્તિનાં અનુભવિયાંનું એ મહત્ત્વ કરે છે. સુરતસંગ્રામનું રૂપક આત્મા-પરમાત્માની પરમ રસલીનતાનું સૂચક લેખવું રહે છે. એની ‘ચાતુરીઓ&#039;માં સ્થૂલ વર્ણનો નરસિંહને હાથે પણ થયાં છે. કેટલાંક ગીતોમાં પણ એવું જોવા મળશે. તેમ છતાં નરસિંહનાં કાવ્યત્વ સુધી પહોંચતાં ગીતોમાં – એના પ્રાતિભ ઉદ્ગારોમાં અધ્યાત્મચર્યાનાં ઇંગિતો આગળ તરી આવ્યા વગર રહેતાં નથી. અધ્યાત્મસાધકોમાં ગોપીને એ આદર્શ તરીકે જુએ છે અને તેથી કહે છે : ‘ગોપીપદરજ સિર ધરું&#039; (૬૮). એવી ગોપીઓ પણ વાંસલડીની અદેખાઈ કરે છે ત્યારે એ ‘વાલાને વાલી ઘણું&#039; શી રીતે થઈ એ સમજાવતાં કહે છે કે ‘મેં કપાવ્યું મારું અંગ, શંઘાડે જૈ ચઢી રે,’ ‘માંહે શાર પડાવ્યા સાત’, ‘મેં તો દીધાં દેહીને દુ:ખ, તમે દીધાં નહીં રે&#039;, અંતે એ ‘એનાં તપ શીખો’ એવો ગોપીઓને અનુરોધ કરે છે (૨૪૮). ગોપીની જેમ દરેક વૈષ્ણવે સ્નેહમાર્ગી થઈ હરિમાં જ ખરો અભિલાષ સેવવાનો છે. ‘હરિરસ કોએક જાણે, બીજા મન્ય શહુ અભિમાન આણે; વૈષ્ણવ તે જે સ્નેહમારગી, હરિશું ખરો અભિલાખ&#039; (૩૨૪). હરિરસમાં માતો હોઈ ‘નરસૈંયો પ્રેમભરાણો રે&#039; (૨૩), ‘નરસિંયો ભવસાગર ઝીલે, પ્રેમની પાજે&#039; (૧૦૫). સૌ શરીરધારીને નરસિંહ નિમંત્રણ આપે છે:&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;નારસિયાચા સ્વામી એ રસ ઊંડો, ભરી લેવો ઘટ કાચે રે. (૧૭૭)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શૃંગાર – ઊર્મિકો કાવ્ય તરીકે – સખીભાવની અનેક ભાવપરિસ્થિતિઓને મૂર્ત કરતાં વિપુલ સંખ્યામાં રચાયેલાં શૃંગારપ્રીતિનાં ગીતોમાં નરસિંહનો હૃદયરસ ઊતર્યો છે. કેટલાંક તો ભાવ, લય, શબ્દભંગી એ બધાને કારણે ભાષાની સંપત્તિરૂપ બન્યાં છે અને પેઢી દર પેઢી લોકકંઠે ગવાતાં રહ્યાં છે. કેટલાંક ગીતોના ઉપાડ જ અંતર્ગત સૌન્દર્યદીપ્તિને કારણે મનોરમ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
– મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે.&lt;br /&gt;
– મારે દેહ ધર્યાનું ફળ એહ, લહાવો દર્શનનો.&lt;br /&gt;
– વહાલે કોણ વેળા કોણ વાર કામણ કીધું રે.&lt;br /&gt;
– લટકો તારો લાખ સવાનો, મરકલડાંનું મૂલ નહીં.&lt;br /&gt;
– છેડલો ન તાણ મારા છાલનો, છેલપણું મેલ મારા વહાલા.&lt;br /&gt;
– મને કૃષ્ણ જોવાના કોડ, સહિયર ચાલો રે.&lt;br /&gt;
– કેણી પેરે ભરીએ આછાં નીર રે જમનાને આરે વાલા?&lt;br /&gt;
– આજ મારે દિવાળી દિવાળી, ઘેર આવ્યા શ્રીવનમાળી રે.&lt;br /&gt;
– બાઈ, મારે શોણું કે સાચું?&lt;br /&gt;
– નામ ન જાણું પણ છે કાળો,&lt;br /&gt;
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો.&lt;br /&gt;
– નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું.&lt;br /&gt;
– મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉં જમના પાણી રે.&lt;br /&gt;
એકવાર જમના પાણી રે ગ્યાં&#039;તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે.&lt;br /&gt;
– તારી મોરલીએ મંન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા.&lt;br /&gt;
– વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ.&lt;br /&gt;
– સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી.&lt;br /&gt;
– ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૰&lt;br /&gt;
– શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે,&lt;br /&gt;
– ખંમ ખંમ રે ચાંદલા, મ કરીશ વહાણલું.&lt;br /&gt;
– ઈંદુ ઉતાવળો થા રખે આકળો, આજની ચિંતા કર પ્રાત મોડું.&lt;br /&gt;
– કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે.&lt;br /&gt;
– શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે?&lt;br /&gt;
– અમ સામું શે જુઓ મારા વહાલા?&lt;br /&gt;
– આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે.&lt;br /&gt;
– નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે.&lt;br /&gt;
– હીંડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે.&lt;br /&gt;
– ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા?&lt;br /&gt;
– મથુરાં સંઘાતે તેડ્ય મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય;&lt;br /&gt;
નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડ્ય.&lt;br /&gt;
– નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે.&lt;br /&gt;
– પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી.&lt;br /&gt;
– કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશાં, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે.&lt;br /&gt;
– હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે.&lt;br /&gt;
– આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી.&lt;br /&gt;
– ફરું છું માથે નાખી છેડો, લાગ્યો રે મને નટવરશું નેડો.&lt;br /&gt;
– વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય.&lt;br /&gt;
– મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને.&lt;br /&gt;
– કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદંત.&lt;br /&gt;
– ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે.&lt;br /&gt;
– મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું.&lt;br /&gt;
– નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપાડ જેટલા રસિક છે તેટલી સમગ્ર કૃતિ જવલ્લે જ હોય છે. કહો કે ગીતની આ અંતર્ગત મુશ્કેલી પણ છે. આખો પ્રતિભા-વેગ જાણે ગીતના ઉપાડમાં ખરચાઈ જતો ન હોય. ક્વચિત જ આખી કૃતિ એક પછી એક અનિવાર્યપણે આવતી પંક્તિઓની નિર્માઈ હોય છે. તેમ છતાં, ઉપાડમાં પણ કેટલીકવાર ભાવપુદ્ગલ લય અને શબ્દની સચોટતા દ્વારા એવો સુરેખ વ્યક્ત થઈ જતો હોય છે કે એ એક સચેત ઘટક જેવો બની રહે છે.&lt;br /&gt;
નરસિંહના ગીત–ઉપાડ સખીભાવની કેટકેટલી છટાઓને નિર્દેશે છે! કોઈ એકમેકથી વિરુદ્ધની પણ હશેઃ એકવાર ગોપી છણકો કરે છે, મારા છાયલનો છેડો તાણીશ મા અને બીજીવાર પોતે જ કહે છે, નહિ મેલું નંદના લાલ છેડલો નહિ મેલું. પ્રીતની એ રીત, એની અનેક નજાકતો સાથે, નરસિંહની ગીતવાણીમાં છતી થાય છે.&lt;br /&gt;
નરસિંહના ગીત-ઉપાડ સમૂહગાન માટે પછીના મધ્યકાલીન કે અર્વાચીન આધુનિક કવિઓના ગીત-ઉપાડ કરતાં વધુ સરળ અને રસમાં ખેંચે એવા છે. પછીના કવિઓ ઉપર નરસિંહનું ઋણ જેવુંતેવું નથી એ પણ જોઈ શકાશે, ખાસ કરીને દયારામ ઉપર. નરસિંહનાં ગીતોની ‘નહિ જાઉં જમના પાણી&#039;, ‘આવડો શો આસંગો રે?’ ‘કામણ તારી કીકીમાં રે&#039;, ‘નેણ નચાવે’, ‘મારું મન મોહ્યું મોહનશું’, ‘છાનો સ્નેહ, તો મીઠો લાગે, પ્રગટ થયે પત જાયે રે’, ‘મારે ઘેર આવો તો’, ‘વાગી વાંસળી ને કોરી મારી પાંસળી જો&#039;, ‘શેરી વળાવું સોહામણી મારા વાલા રે, ફૂલડિયાં વેરું નિત’, ‘વૃન્દાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું’– જેવી ઉપાડની વિગતોના પડઘા, વગેરે ક્યારેક સુચારુ પંક્તિઓ, વિષય, માંડણી, ભાવ, આદિ ઉપરાંત આલેખનની વિગતોના ક્યારેક સુચારુ શબ્દાન્તરોમાં દયારામમાં મળશે. ‘અમોને વળગાડ્યાં વૃક્ષની ડાળ’ જેવામાં મીરાંના ‘બાઈ મેં તો પકડી આંબલિયાની ડાળ&#039;નું પૂર્વરૂપ સંભવે. ‘મનનો મેલાપી રે’, ‘ઘટે નહિ તમને રે&#039; – જેવાંનું રાજેમાં અનુરણન મળશે. ‘પ્રેમભક્તિ&#039;નું વરદાન પામનાર નરસિંહની ભાવસઘનતા અંગે અને ગીત જેવડી લઘુક રચનામાં ભવ્યતાનો સંસ્પર્શ વારંવાર કરાવવા અંગે યાદ આપનાર ‘પ્રેમભક્તિ’ ઉપનામ-ધારી કવિ નાનાલાલમાં નરસિંહની અસરો જોવી રસિક થઈ પડશે. ‘પનોતું પગરણ કારમું આવિયું&#039; (વિવાહ ૧૩) માં નરસિંહ ‘કારમું’ શબ્દ વાપરે છે એ રીતનો નાનાલાલમાં એ શબ્દનો ઉપયોગ મળે છે. નાના નાના પડઘા બાદ કરતાં, ‘કેણી પેરે ભરીએ આછાં નીર રે’નો ‘પાણીડાં કેમ ભરીએ?’ માં પ્રભાવ જોઈ શકાશે અને ‘હળવે હાથે તે નાથ મહીડાં વલોવજો&#039; એ નરસિંહરાવે બતાવેલું છે તેમ નરસિંહની કૃતિનું ઋણી છે. છેક હમણાંના કવિ શ્રીધરાણીના ‘ઝંઝાવાત’ કાવ્યનો ઉપાડ ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ખોલો બારીબારણાં’ સ્પષ્ટ નરસિંહના ‘ભાંગો ભોગળ! ભાંગો ભોગળ! ભાંગો ભોગળ સામળિયા રે&#039; (હારસમેનાં પદ ૪૩) નો ઋણી છે.&lt;br /&gt;
સંભવ છે નરસિંહે પણ પોતાના સમય સુધીની ગીતપરંપરામાંથી કેટલુંક અપનાવ્યું હોય. સંભવ છે હસ્તપ્રતોનો જેને આધાર ન જ મળે એવું કેટલુંક તેની પછીના કોઈથી રચાયેલું હોય. પણ લોકજીભે રમતી ગુજરાતી ભાષાની આજ સુધીની કુલ ગીતકવિતાસંપત્તિનો પાયો નરસિંહનિર્મિત છે એમ કહેવામાં ભાગ્યે જ અત્યુક્તિ થશે. ગુજરાતી ભાષાના કૃષ્ણવિષયક વિપુલ પદસાહિત્યનું પૂરું હાર્દ નરસિંહનાં પદોના પૂર્વપરિચય વિના હાથમાં આવવું શક્ય નથી.&lt;br /&gt;
નરસિંહનાં ગીતોમાં ઊર્મિસૌન્દર્યના ફુવારા જાણે ઊડે છે. ઝાંઝરનો ઝમકાર કેટલાંય બધાં ગીતોને ભરી દે છેઃ ‘રાસસહસ્ર પદી&#039;નાં ૮ થી ૨૪, ૧૩૪, ૧૩૯-૪૦, ૧૪૨ થી ૧૪૫, ૧૫૦-૫૧, ૧૭૮, ૧૮૦ થી ૧૮૪ માં ‘ઝમકતે ઝાંઝરે’ ચાલતી ‘નેપુરિયાં ઠમકાવતી’ ગોપીનું વર્ણન છે. ‘નેપુરકિંકિણી’ થી નરસિંહના કાન ભરેલા છે. એ બધા, મોટે ભાગે તો, ઠાલા ઠમકાર કે ઝાઝા ઝમકારનો રંગ વાળી દે એવું એક હૃદયંગમ ચિત્ર ‘શૃંગારમાળા’ (૨૯)માં મળી રહે છે. નેપૂર મધરાતે ઝમક્યાં. નાનકડું નગર આખું જાગી ઊઠ્યું. જાગ્યું ત્યારે એણે શું જોયું? કોઈ ધાડ પડી ન હતી. ‘ત્યારે&#039; શબ્દ કેટલું બધું કામ આપી છૂટે છે! નાનકડાનગર પર એક અનોખું આક્રમણ સૌન્દર્ય-આનંદનું આક્રમણ થયું છે. ઝાંઝરના ઝમકારની રમણીય અનુભૂતિ નગરને થઈ એનું ચમત્કૃતિયુક્ત ચિત્ર નરસિંહ બે પંક્તિમાં આંકી દે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;સખી, તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં મહાજમ રાત;&lt;br /&gt;
નાનું સરખું નગર રે, સૂતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
‘રાસસહસ્રપદી&#039;માં ચમકતી ચાલ, અડપડિયાળી આંખ, ચંપાવરણી ચોળી, ઘૂંઘટડો ગોરીનો, મુખનાં મરકલડાં, વૃંદાવન શામલિયો વહાલો, ધન્ય ધન્ય દહાડો આજનો, એ એક કે વધુ ગીતોના વિષય બને છે. {{Poem2Open}}&lt;br /&gt;
‘વસંતનાં પદ&#039;માં અને ‘શૃંગારમાળા’માં પણ એ જ રીતે વસંતમાસ, મોહનમુખ, દાણલીલા, રાસ, અંબોડલો, ચાંદલો, મહીવલોણું, મોરલીની મોહિની, મથુરાવાસી કૃષ્ણને પત્રસંદેશ–વગેરે વિષયો છે. ખરું જોતાં વિષયપ્રસંગ ગમે તે હોય, ભાવ ઘણું ખરું ગોપીના આર્ત હૃદયની અભીપ્સાનો છે. કવિ તરીકે નરસિંહની શક્તિ ભાવને લયસૂઝ અને શબ્દસામર્થ્ય દ્વારા પ્રત્યક્ષ કરાવવામાં રહેલી છે. ઉપાડની પંક્તિમાં પણ એનો પરિચય મળી જાય છે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પ્રસર્યો&#039; કે ‘વસંત આવ્યો વનવેલ ફુલી&#039; એ વર્ણનમાં કે ‘નવલ નાર્ય&#039;ની છબીમાં કે જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર&#039; એ ચમત્કૃતિનિર્દેશમાં નરસિંહની ચિત્રણશક્તિ ઉત્તમરૂપે પ્રગટ થતી જોવા મળે છે. બીજી પણ કેટલીક કૃતિઓ ચિત્રાંકનના સુંદર નમૂનારૂપ છે. અત્યંત લોકપ્રિય થયેલું એવું ચિત્ર ‘મેહુલો ગાજે ને માધવ નાચે&#039; (હીં-૩) મેઘ-માધવની સંગીત-નૃત્યની જુગલબંધીનું છે.&lt;br /&gt;
અરુણોદય લયબદ્ધ વિગતો દ્વારા તાદશ થાય છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી, તેજ તારાતણું ખીણ દીશે,&lt;br /&gt;
દીપકજ્યોત તે ખીણ થઈ, વાલા, વછ ધવરાવાને ધેન્ય હીશે.&lt;br /&gt;
લલિ(ત) અતિ સુંદરી લલિત આલાપતી, ઘેર્ય દધિમંથનઘોષ થાએ,&lt;br /&gt;
શબદ સોહામણા શાવજ્ય અતિ કરે, સુરભિશીતલ તે પવન વાએ.&lt;br /&gt;
કમલ વિકશી રહ્યાં, મધુપ ઊડી ગયા, કુરકુટા બોલે, પિયુ... (૧૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભાતનું આગમન ગોપીના ભાવમાં રંગાઈને ‘વાહાણેલાં વાયાં, તમારે ઓશીકે મારાં ચીર ચંપાયાં&#039; (વ. ૯૬) આદિમાં વર્ણવાય છે તે અનોખું છે અને યોગ્ય રીતે જ લોકહૈયે – લોકજીભે વસી ગયું છે.&lt;br /&gt;
વ્રજનો વિહારી ‘અમો ઘેર પ્રાહુણલો રે&#039; (શૃં. ૨૦), એ સમયે ‘હાં રે શું શા સજું શણગાર?’&lt;br /&gt;
– એમ ગોપી વિચારે છે. અને પોતે જ ઉત્તર આપે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;માંગ સમારું રે, સજની, મોતીએ રે, ચાંદલીઓ માગું રે મહારાજ.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સેંથી ઉપર મોતીની સેર પોતે ચમકાવશે અને પછી પોતે જ સ્વ-રૂપના એ ખ્યાલે એવી આનંદમાં આવી જાય છે કે ચાંદલા માટે માગણી કરી રહે છે–ચાંદલિયા વગર કદાચ નહીં ચાલે–એવું વૈશ્વિક રૂપ ઊઘડ્યું છે. ‘માંગ&#039;થી ખેંચાઈ આવતું ક્રિયાપદ ‘માગું’ માગણીના એક સાનંદ સુકુમાર ઉપચારથી કૃતિની ભાવવાહિતાને સવિશેષ ઉઠાવ આપે છે.&lt;br /&gt;
સામાન્ય રીતે એવી છાપ પડે છે કે કોઈ આયાસ વગર, સહજ રીતે, નરસિંહ ચિત્ર ઉઠાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કાળા કમખાની મહારી કાંચળી ને ઉપર ફરતા બખિયા રે,&lt;br /&gt;
વૃંદા તે વનમાંહે હરિ મળ્યા, મારા પૂરવ જનમના લખીઆ...&lt;br /&gt;
રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. (શૃં. ૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ જ ગીતમાં, વિછોડાયેલી ગોપીઓનું ચિત્ર ‘ગોકુળથી મથુરાં ગયા કાંઈ અમને આરે મૂકી રે&#039; એ પૂરું વેધક છે. ગોપીની રાહ જોવાની પ્રક્રિયા એક પંક્તિમાં નિરૂપાઈ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ક્ષણુ આંગણે ક્ષણુ મંદિરમાંહે ક્ષણુક્ષણુ આવું દ્વાર રે. (શૃં. ૧૯૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
દધિમંથનનું ચિત્ર મત્ત ગતિશીલ છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ગાજે ગાજે રે ગોરસગોળી,&lt;br /&gt;
શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી. (શૃં. ૬૧)&lt;br /&gt;
&lt;br /&gt;
મહી મથતાં પણ ‘ગોપી ગોવિંદના ગુણ ગાતી&#039; હાથથી ‘નેતરું તાણે રે.&#039; ત્યાં&lt;br /&gt;
કૃષ્ણ -&lt;br /&gt;
ભાવ ભામનીનો જાણીને પાછળ આવી ઊભા રે,&lt;br /&gt;
ભણે નરસૈંયો નાથ નિહાળે, શું કહીએ એ શોભા રે! (શૃં. ૪૭૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવા દાખલામાં કાંઈ ઉપમા આપ્યા વગર જ ચમત્કૃતિ સાધી છે, તો ક્યારેક શાસ્ત્રીય રીતે બબ્બે ઉપમા પણ ગોઠવી દે છે: ‘સુંદરીવદન વિધુ કુમુદ કમલાપતિ, જડિત્ર ચિંતામણિ હેમરત્ન&#039; (શું. ૪૨૫). કોઈવાર શાસ્ત્રીય રીતે, કવિસમય પ્રમાણે અપાતી, ઉપમાનો પોતે વિરોધ પણ કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સુંદરીનાં નયનસમા નહિ નયણાં, કવિજન કુરંગ જમલમેં આણે.&lt;br /&gt;
બાપડા વનચર રહે વન માંહે, કરી કટાક્ષ શું જાણે ? (૨૦૬)&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તો કોકવાર રીતિ કાવ્યની રીતે પણ વર્ણન કરે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચંદ ગયંદ ભોયંગ કરિગ સિંઘ એકેવાશ વસંતા રે.&lt;br /&gt;
નારીએ જીત્યા પંચ બલવંતા, દૂર ગયા લાજ મરંતા રે.&lt;br /&gt;
&lt;br /&gt;
ચાંદલો ગગન ગયો, ભોયંગ પાતાલ રહ્યો, સંઘ-મૃગ-ગજ વન ત્રાઠા રે. (૧૯૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘શૃંગારમાળા&#039;માં પીંછીના એકાદ (અક્ષરશઃ એક અથવા અર્ધ) લસરકાથી થતાં અનેક ચિત્રાંકનો છે: ‘લચી-શી ચતુરા ઊભી&#039; (૪૬૮),૪૩ ‘નેત્ર ભરીભરી પીધો રે&#039; (૪૪૯), ‘એના ઉર પર નાચે મોર&#039; (૪૯૩), ‘વાટ મરોડી જાયે રે&#039; (૫), ‘રહી ન શકું મારા તન માંહે&#039; (૨૫), ‘ફૂલી કલી અંગ ન માય રે&#039; (૨૪) ‘શણગટડો સંકોરું રે’ (૨૬), ‘યૌવન મારું લહેરે જાયે&#039; (૩૭), ‘હીંડું મોડામોડ રે’ (૮૦), ‘અવળો અંબોડો વાળે રે’ (૧૦૯), ‘ચાંદલો તપે રે લલાટ’ (૩૨૭), ‘ચાંદલો ઘૂંઘટમાં ઝલકે’ (૩૨૯), ‘મુખશું મુખ મલી કલી શું કલી&#039; (૩૬૫). છેલ્લા દાખલા જેવામાં સ્વરવ્યંજનસંકલનાનું જાદુ પણ ઉમેરાય છે.&lt;br /&gt;
બોલચાલના પ્રયોગથી નરસિંહનાં ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે. સાદો એક પ્રશ્ન ‘કોઈ છે રે મથુરા જાય&#039; (૫૩૬) ‘છે જે’ ને બદલે ‘છે રે’ યોજવાથી આરત પ્રગટ કરવામાં ખૂબ કાર્યક્ષમ નીવડે છે. ‘હું ને ઊભી&#039;તી રે&#039; (૧૫૯) માં ‘ને&#039; વ્યાકરણદૃષ્ટિએ વધારાનો ભલે લાગે, અહીં ગોપીની સલજ્જતા – હ્રી–સંકોચ પ્રગટ કરવા માટેની કાવ્યાર્થક્ષમતા ધરાવે છે. ‘પાછે ને ડગલે રે&#039; (૧૦૭)માં એથી તદ્દન ઊલટું ‘તરત પાછે પગલે’ એવો ભારસૂચક એ શબ્દ નીવડે છે. ચિત્રોની તાદૃશતામાં ક્રિયાપદો-કૃદંતોનો સારો એવો ફાળો છે: ‘મસમસતો મંદિર આવે&#039; (૯૮), ‘ભાવતું ભાવતું પાઉં રે&#039; (૧૯), ‘ચાંપી ચુંબન દેતી રે’ (૪૪૬), ‘માતી મંગળ ગાઉં રે&#039; (૪૪૭), ‘ગમતું ગમતું કરીએ રે&#039; (૪૪૭), ‘રેણી વિહાણી&#039; (૧૪૭), ‘મનગમતો મેં મચકો કીધો’(૧૦).&lt;br /&gt;
‘વળગાઝૂમી તમે ના કરો રે&#039; જેવામાં ક્રિયાપદનામ બોલચાલમાંથી ઉપાડ્યું અથવા બનાવ્યું લાગે છે, ‘નેણાં નિદ્રાલવાં’માં વિશેષણ સંસ્કૃત પરથી બનાવ્યું છે. ‘ઓછા માણસની પ્રીત કરતાં&#039;માં ‘હલકા&#039;ની અવેજમાં ‘ઓછા&#039; ખૂબ અસરકારક છે. કે. કા. શાસ્ત્રીના સંપાદનમાં મળતાં ‘બાઈ રે ભરવાડ&#039; (૧૩૬) કે ‘હાંઉ રે બાઈ&#039; (૧૯૩) જેવાં સંબોધનોમાં કવિના સમયમાં પ્રચલિત, કે તેના આગવા, સુંદરલહેકાઓ જોવા મળે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો – કૃષ્ણ ગોપીઓના વલ્લભ, તેવા જસોદાના લાડકવાયા. કૃષ્ણ જેમ શૃંગારપ્રીતિનું તેમ વાત્સલ્યપ્રીતિનું પણ ભાજન છે. કૃષ્ણગોપીના રસરાસને સીમા નથી, પણ એની પશ્ચાદ્ભૂમાં બાળકૃષ્ણની લીલાની એક વત્સલ સૃષ્ટિ રહેલી છે. ભાગવતકારે કારાગૃહમાં બાળક કૃષ્ણના જન્મની, દેવકી પાસેથી ખસેડી ગોકુળમાં જસોદાને ખોળે સોંપણીની, કૃષ્ણને હાથે અનેક રાક્ષસોના નાશની કથાઓ આપી છે. વૃંદાવનની રાસલીલાની વાત તે પછી આવે છે.&lt;br /&gt;
નરસિંહે ભાગવતને અનુસરી ‘શ્રીકૃષ્ણ જન્મસમાનાં પદ&#039;ની રચના કરી છે. કોઈ ગ્રંથ શરૂ કરવો હોય એમ આરંભ થાય છે. ‘શ્રી ગુરુને પ્રણામ કરીને વર્ણવું શ્રી જદુરાય, શ્રીકૃષ્ણની લીલા સાંભળતાં પાતિક દૂર પળાય&#039;. આ અગિયાર પદોની કૃતિ ‘કૃષ્ણલીલા&#039;ની છે. કંસનો ત્રાસ વધી જતાં ભૂમિનો ભાર ઉતારવા વિષ્ણુ તૈયાર થાય છે. વસુદેવ-દેવકીનાં લગ્ન વખતે આકાશવાણી થાય છે કે તેમનો આઠમો પુત્ર મામા કંસનો નાશ કરશે. વસુદેવ કૃષ્ણને જમુના ઓળંગી ગોકુળમાં નંદઘેર સોંપી આવે છે. કંસ પુતનાને અને અન્ય રાક્ષસોને કૃષ્ણનો નાશ કરવા મોકલે છે. દસ પદમાં ભાગવતના છ અધ્યાયનો મથિતાર્થ આપી દઈ, છેલ્લા અગિયારમા કડવામાં બધા રાક્ષસોનો નાશ કર્યાનું સંક્ષેપમાં વર્ણન કરી, કંસે અક્રૂર સાથે મથુરા તેડેલા કૃષ્ણ કંસનો વધ કરે છે અને તેનું વેર લેવા આવેલા જરાસંઘને સત્તરવાર ભગાડી મૂકી અઢારમીવાર આવ્યો ત્યારે યાદવકુળને દ્વારકા લઈ જવાનું વિચારાય છે, ત્યાં સુધીની કથા કવિ પ્રસ્તુત કરે છે. નરસિંહની લાક્ષણિકતાનો અનુભવ ક્યાંક ક્યાંક, ખાસ કરીને છેલ્લા પદમાં, થાય જ છે. જમનાએ કૃષ્ણને ગોકુળ લઈ જવા માર્ગ દીધો પણ કૃષ્ણની પદરજ પામવાનો એને ઓરતો થાય એ સ્વાભાવિક છે. ગભરાઈને પિતાએ એમને ઊંચા લીધા, પણ પોતે પિતાને દબાવીને જમુનાના જળને પદરજ લેવા દીધી :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જેમ તેમ કરીને પદરજ પામું, અહીં થઈ જદુપતિ જાય રે,&lt;br /&gt;
–ધાયું નીર, કુંવર લીધો રે ઊંચો, ત્યારે પ્રભુએ ચાંપ્યા પાય રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મથુરાનું પરાક્રમ શબ્દોમાં હૂબહૂ આલેખાયું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પહેલી પોળે માર્યાં પર્યટને, પછી લીધી કુબજાની અર્ચા રે;&lt;br /&gt;
બીજી પોળે માર્યા ગજને, ત્રીજી પોળે મલ્લ મસળ્યા રે.&lt;br /&gt;
ચોથે મહારથી ઝાલ્યો મામાને, બાંહે ઝાલી બહાર કાઢ્યો રે;&lt;br /&gt;
લાવ, પાપી, મારાં માતપિતાને! કંઠ ઝાલી કંસ પછાડ્યો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ લઘુ કૃતિમાં નરસિંહ કૃષ્ણે કંસને માર્યો અથવા તો તે યાદવકુળને દ્વારામતી લઈ ગયા ત્યાં સુધીની કથાને કૃષ્ણલીલા તરીકે પ્રસ્તુત કરે છે. કૃતિ આખ્યાનકલ્પ છે. ભાલણ, પ્રેમાનંદ આદિના દશમસ્કંધ પણ આખ્યાન કરતાં પદમાલારૂપ વિશેષ છે, તેવો નરસિંહનો પણ આ, કહો કે, સંક્ષિપ્ત દશમસ્કંધ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
‘કૃષ્ણ જન્મવધાઈનાં પદ&#039; માંથી છેલ્લા આઠમાનો ઉપાડ આકર્ષક છે : નાનું સરખું ગોકુળિયું મારે, મારે વાહાલે વૈકુંઠ કીધું રે.’&lt;br /&gt;
‘બાળલીલા&#039;નાં ત્રીસ પદમાં કેટલાંક નરસિંહની પ્રતિભાની મુદ્રાવાળાં ગીતો છે. પહેલું જ ગીત, જેને અંતે ‘બાળલીલા રચી એણી રીતે&#039;-માં કૃતિના નામનો ઉલ્લેખ છે, તેનો આરંભ નારસિંહી છંદલહેકાવાળો છે;&lt;br /&gt;
નંદનું આંગણું પરમ રળિયામણું સદાએ સોહામણું કૃષ્ણે કીધું.&lt;br /&gt;
&lt;br /&gt;
ક્યાંક સ્વભાવોક્તિ ‘વાછલડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાય રે&#039; (૭) જેવામાં મળે છે.&lt;br /&gt;
ગોપીઓ અને ભોળાં જશોદા માતા વચ્ચેની મીઠી વઢવાડનું ગીત ‘જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે’ – એની સ્વભાવોક્તિ અને વ્રજનારીઓ જે રીતે જૂઠી પડે છે તે ચમત્કૃતિ – (કૃષ્ણ જશોદાના ઘરમાંથી બહાર નીકળે છે)ને લીધે યોગ્ય રીતે જ લોકપ્રિયતા પામ્યું છે.&lt;br /&gt;
બાળક રમવા માટે ‘પેલો ચાંદલિયો&#039; માગે છે તેનું ગીત લોક-લાડીલું બન્યું છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઓ પેલો ચાંદલિયો, આઈ, મુને રમવાને આલો;&lt;br /&gt;
નક્ષત્ર લાવીને, માતા, મારા ગજવામાં ઘાલો.&lt;br /&gt;
રુએ ને રાતરડો થાયે, ચાંદા સામે જુએ :&lt;br /&gt;
માતા રે જશોદાજી, હરિનાં આંસુડાં લુવે.&lt;br /&gt;
લોકનાં અનેરાં બાળક, ઘેલો તું કાં થાએ?&lt;br /&gt;
ચાંદો આકાશે વહાલા, તે કેમ લેવાયે?&lt;br /&gt;
વાડકામાં પાણી ઘાલી, ચાંદલિયો દાખ્યો,&lt;br /&gt;
નરસૈયાનો સ્વામી શામળિયો રડતો તવ રાખ્યો. (૧૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોવર્ધનગિરિનો ભાર લાગશે–‘ટચી આંગળીએ ત્રસક નાંખશે&#039;, ‘તું તારે ‘પરવત મૂક પાછો ધરણી&#039;–એમ માતૃસહજ ચિંતા કરતી જશોદા ‘સહુ રહેશે તેમ આપણ રહેશું&#039;—એવું કહે છે ત્યાં ‘વ્યવહારુ&#039; ગુજરાતી સમાજની પરાક્રમપરાઙમુખતાની ‘મરશે’–‘હશે—’વૃત્તિનો ધાગો પ્રગટ થઈ જાય છે (૧૮).&lt;br /&gt;
બાળલીલાનું ઉત્તમ ગીત છે નાગદમનનું. ‘જળકમળ&#039;થી થતો એનો આરંભ જ સૌન્દર્ય પર જેની દૃષ્ટિ ઠરેલી છે એવી પ્રતિભાના પુરાવાસમો છે. બાળકનું પરાક્રમ છે, પણ પરાક્રમની કશી ધાંધલ, ઊંચો શ્વાસ, આયાસ, કાંઈ જ નથી. બહુ જ સહજ રીતે, રમતવાત હોય એમ, – દડૂલો દોટાવતા હતા એવી જ આ પણ બાળક્રીડા હોય એમ, નાગનું દમન થાય છે. સંવાદનું રૂપ આપવાથી આ શક્ય બન્યું છે. ‘જાને’ (નરસિંહથી નાના કવિને આ ‘ને’ ઉમેરવાનું સૂઝ્યું ન હોત) માંનો કાકુ આખી પરિસ્થિતિને – આખા ચિત્રને સ્પષ્ટ કરી રહે છે. પેલો ખસતો નથી. એને દેખતાં જ આશ્ચર્યવિસ્ફારિત આંખોથી નાગણે એની તરફ જોયું હશે – અને ત્યાં જ એણે ભાગી જવું જોઈતું હતું, પણ ડઘાયા વગર ધીટપણે આ તો ઊભો છે એ જોઈ (અને ત્યાં જ નાગણને અમંગળની આશંકા આવી ગઈ) અનુરોધપૂર્વક બાળકને ભયભીત કરવા એ બોલે છે. ત્યાં સામેથી પોતે જ, જુગટું રમતાં નાગનું શીષ હાર્યો છું એટલે તે લેવા આવ્યો છું – કહી, તેને અપાર ભયમાં નાખી દે છે. દંડ પછી નાગણ ભેદ અને સામનો આશરો લે છે. ના, ના, આવો રૂડો, કોડભર્યો બાળક તો ચિરંજીવ રહેવો જોઈએ – એ સૂચનમાં સામ છે, અને તારી માને કેટલા દીકરા છે – તને કેમ અળખામણો કરીને મરવા ધકેલ્યો છે? – એમાં ભેદ છે. સામ-દામ-ભેદ-દંડમાંથી ત્રણ નાકામયાબ જતાં, નાગણી દામનો આશરો લે છે ને સવા લાખનો હાર આપવા તૈયાર થાય છે. બાળકૃષ્ણની ધીર-તા, અને આત્મવિશ્વસ્તપણું નાગણ તારે ચોરી શિદ કરવી પડે? – એ સુકુમાર પ્રશ્નમાં છે. આખી કૃતિની ઇબારત નરસિંહની કાવ્યપ્રતિભાને સહજ એવા ઔચિત્યથી ભરેલી છે, જેનો નાગને સૂતો રાખવો અને પછીથી, બાળક છાનોમાનો ચાલ્યો ન જ જાય તો, જગાડવો – એવી સંકલ્પના એ પણ એક નમૂનો છે. ‘બેઉ બળિયા’માં ‘બેઉ&#039; શબ્દ દ્વારા લાંબા વર્ણનમાં પડ્યા વગર, બાળક બલવત્તામાં ભલભલા નાગનો સમોડિયો છે એ સૂચવી દીધું, એ વાત તો ગૃહીત જ છે એ ઠસાવી દીધું. બેઉ બાથે વળગ્યા ત્યારે કૃષ્ણના પરાક્રમનું માપ એ જેને વશ કરી રહ્યા છે તે પ્રતિસ્પર્ધીનાં અકળામણ અને ફૂંફાડાનો ખ્યાલ આપવા દ્વારા મળી રહે તે માટે કવિ ખેડુસમાજના પરિચયની ‘ગગન ગાજે હાથિયો&#039;(આકાશમાં ગાજતા હસ્તનક્ષત્ર)ની ઉપમા યોજે છે. જે પ્રસંગમાં છેવટે વિલાપ અને વિનંતીથી નાગણે નાગ છોડાવ્યો તેનો આરંભ નાગણના એક જાણે કે અબુધપણે મૃત્યુમુખમાં ધસી આવતા બાળકનો જાન બચાવવાના (પછી ભલેને સ્વહિતની દૃષ્ટિએ) પ્રયત્નથી થાય એમાં પણ એક જાતની વક્રતા (આયર્ની) છે.&lt;br /&gt;
નરસિંહનાં લોકહૃદયે વસેલાં ગીતોમાંનું આ એક છે અને ગુજરાતી ભાષાનું એક ઘરેણું છે. આ પ્રસંગ જુદી જુદી ભાષાઓમાં અનેક નામી-અનામી કવિઓને મુખે ગવાયો છે. પણ નરસિંહનું આ ગીત એટલું બધું લોકપ્રિય નીવડ્યું છે કે નરસિંહ પછી થયેલા સૂરદાસના ‘સૂરસાગર&#039;માં એને વ્રજભાષાનો અવતાર મળે છે. નિમાડી બોલીમાં લોકગીત રૂપે અને મારવાડીમાં ગુણસાગરસૂરિની કૃતિ તરીકે એ મળે છે.૪૪નરસિંહની કૃતિ એક સંઘેડાઉતાર કલાકૃતિ છે.&lt;br /&gt;
બાલકૃષ્ણ અંગે એક વહાલભર્યું ગીત છે, જે આખી કૃષ્ણ-બાળલીલાનું દિગ્દર્શન કરાવવા છતાં હળવી સ્વભાવોક્તિરૂપ રહે છે અને એથી લોકકંઠે વસ્યું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?&lt;br /&gt;
ત્રણસો ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે? (ભ.૧૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નંદ-નંદન કૃષ્ણ કે ગોપિકા-વલ્લભ કૃષ્ણ એ શીય વસ (किमपि द्रव्य) છે તેનો કાંઈક ખ્યાલ તો ‘ગોકુલ આંબો મોર્યો’ એ ભવ્યલલિત રૂપક દ્વારા ઉદ્ગારાયેલા આનંદગાનમાંથી મળશે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ચાલો, ચાલો, સખી, જોવાને જઈએ, શ્રીગોકુળ આંબો મોર્યો.&lt;br /&gt;
સહસ્ર શાખ્ય લાગી એણે આંબે, ત્રિભુવન છાહ્યા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
જાદવકુલ વસુદેવે વાવિયો, ઉદર્ય દેવકીને ઉગિયો.&lt;br /&gt;
થાણું દેઈને નંદઘર આણ્યો, જસોમતી-પયોધર શીંચિયો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
શોલસહસ્ર કોકિલ કલરવ કરે, ઇન્દ્ર લગે ઘણું મેમયો(?)&lt;br /&gt;
શેષનાગની વેણ્ય શાંચર્યો, ત્રિભોવન છાયા ધરી રહ્યો. ચાલો૰&lt;br /&gt;
&lt;br /&gt;
દ્ર અમરીખ રાજા રુકમાંગદ પ્રહલાદે ઘણું વેડ્યો.&lt;br /&gt;
ભણે નારસિંયો સેવાનાં ફલ વૈષ્ણવને રદે રમી રહ્યો. ચાલો૰ (૮૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સોળ સહસ્ર કોકિલ કલરવ કરે – એ ગોપીઓનું વર્ણન (સૂચન) એક સાથે લલિત અને ભવ્ય છે. ‘પયો-ધર&#039;નો શ્લેષ ભલેને અચિન્તિત પણ અર્થપૂર્ણ છે. ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ&#039;માં આ કૃતિ મળે છે (પરિશિષ્ટ-૧, પદ-૫), પણ એનો એક બીજો પાઠ પણ એમાં (રાસસહસ્ર પદી, પદ-૫૩૭) છે, જેની છેલ્લી પંક્તિ નોંધપાત્ર છે–‘ભણે નરસૈંયો આંબો સફળ ફળ્યો, વ્રજનારીએ આંબો વેડ્યો રે&#039;. કૃષ્ણ રૂપી આંબાની સ-ફળતા ફળવામાં નહીં, વ્રજનારીથી વેડાવામાં છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ભક્તિજ્ઞાનનાં ઊર્મિકો – પરિણતપ્રજ્ઞાની પ્રસાદી&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપાળકૃષ્ણ સાથેના ભાવાત્મક સંબંધને પ્રતીક તરીકે યોજીને પ્રેમભક્તિનાં ગીતો નરસિંહે આપ્યાં છે, તે ઉપરાંત પણ ભક્તિજ્ઞાનનાં પદો એણે રચ્યાં છે, જેમાં પરમાત્મા (કૃષ્ણ પરમાત્મા)ની ભક્તિ નિર્દેશી છે અને અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપવા ઉપરાંત પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવી છે.&lt;br /&gt;
નરસિંહના આ આખા ભક્તિજ્ઞાનના કાવ્યકલાપ માટે મુદ્રામંત્ર જેવી એની કોઈ પંક્તિ હોય તો તે છે: ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી&#039;.&lt;br /&gt;
સામાન્ય સંસારી જીવનમાંથી જીવ ઊંચો ઉઠાવી ભગવાનની તરફ અભિમુખતા કેળવવા અંગેનાં એનાં થોડાંક પદો છે. બને કે એવાં પદોની કેટલીક સામગ્રી પ્રચલિત લોક-વાણીમાંથી-ભજન-વાણીમાંથી સુલભ થઈ હોય. ગુજરાતીમાં નરસિંહે આપેલા આકારે તે ચલણી નીવડ્યાં છે. હળવાશભર્યું ચિત્રાત્મક ‘પઢો રે પોપટ રાજા રામના’ (પરિશિષ્ટ ૧, ૭૮), સીધું બોધાત્મક પણ દૃષ્ટાંતસોહામણું ‘સુખદુઃખ મનમાં ન આણીએ&#039; (૬૦) અને ‘ઉમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ&#039; એ વાસ્તવવર્ણનથી અને ‘ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ&#039; જેવી સ્વભાવોક્તિઓથી સચોટતા પામતું ‘ઘડપણ કેણે મોકલ્યું&#039; (૬૧)– એ એના ઉત્તમ નમૂના છે. ‘જુવાનીને દહાડે રે હરિને જાણ્યા નહીં રે’ (૫૧) એ પદ ‘સુખમાં સંભારજો રે, જો હોય પેલા ભવનું પૂન્ય’ એમ કહી સુખમાં ભક્તિ કરવા પ્રેરે છે. ‘જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો&#039; (૨૯) થી આરંભાતું ‘આપણો ચીંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો... હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે... નીપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે&#039; – આદિ ચિત્રો મનમાં ઠસાવીને બોધ આપતું પદ ‘કૃષ્ણ વિના બીજું સર્વ કાચું&#039; એ સમજાવે છે. ‘અમે રે વહેવારિયા રામનામના&#039; (૧૩) એક રૂપકથી ભક્તિની વાત કરે છે, તો લોકજીભે ચઢેલું ‘રાત રહે જ્યારે પાછલી ખટ ઘડી’ (૧૫) સૌને ‘આપઆપણા ‘ધર્મ સંભાળવા’ આદેશે છે.&lt;br /&gt;
જેની સાધના ‘જૂઠી&#039; નથી તેવા સાચા સાધકને નરસિંહ ‘વૈષ્ણવજન&#039; તરીકે ઓળખાવે છે. સાધુનું–વૈષ્ણવનું ચિત્ર એના મનમાં કેવુંક છે?&lt;br /&gt;
નરસિંહ ભક્તિના રંગમાં લયલીન છે એનો અર્થ એ નથી કે વૈષ્ણવનું બિરુદ ધરાવનાર કૃતક ભક્તોથી એ અજાણ છે. સખીભાવની પોતાની લાંબી ભક્તિચર્યામાં પોતે તો સમાજની અને રા&#039;મંડલિકની અગ્નિપરીક્ષામાં હેમખેમ પાર ઊતર્યો, પણ પોતાના સાથીઓમાંય તે અને અન્યત્ર ખોટા સિક્કા એના જોવામાં અવશ્ય આવ્યા હશે. પરિણામે, (૧) એવાઓને ઊધડા લઈ, સાચા વૈષ્ણવ કેવા હોય તે કહેવું, એ તો એ કરે જ છે, પણ (૨) ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નથી તે પણ એ દર્શાવે છે. ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા, વૈષ્ણવ–પદ કેરું બિરદ ઝાલે!’ (૩૮) – એમાં અધ્યાત્મજીવન ન જીવનારા, પોતાની જાતે ધરાર ‘વૈષ્ણવ&#039; થઈ બેઠેલા કહેવાતા ભક્તોને એ સમજાવે છે કે એ દેખાવ તો ‘પુત્ર વિના જેમ ઘર મધ્યે પારણું, વર વિના તે જેમ જાન મહાલે... ઠાલો ગગનમાં મેઘ ગાજે’, –એના જેવો હાસ્યાસ્પદ અને વ્યર્થ છે. ‘હરિને જાણ્યા વિના હરિ કેરો જન થયો,’ ‘વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં’ – ભજનો ગાઈને ભક્તમાં–હરિજનમાં ખપવા લાગ્યો એ બધું ‘કરણી તો કાગની, હોડ કરે હંસની&#039; એના જેવું છે. નરસિંહ હંસ થવા માટેનો માર્ગ ચીંધે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પિંડમાં પ્રભુ, પણ પ્રગટ લેખે નહીં, ફોકટ ભમે તે દૂર ભાળે;&lt;br /&gt;
અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દુષ્ટ ભાવે કરી માળ ઝાલે.&lt;br /&gt;
જો નિરાકારમાં જેહનું મન મળે, ભિન્ન સંસારની ભ્રાંતિ ભાગે;&lt;br /&gt;
દાસ નરસૈંયો કહે, તેને ચરણે નમું, જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રભુ ભીતર છે, દૂર શોધવા જવાનું છે નહીં, એને નિરંતર અનુભવવાને બદલે એકસો આઠ વાર જાપ કર્યો એમ સંતોષ લેવો એ તો ‘અગણિત બ્રહ્મનું ગણિત લેખું’ કરવા જેવું બેહૂદું છે. સંસારની ભ્રાંતિમાંથી જાગવા માટે નિરાકારમાં મન મળે–ગળે એમ કરવાનું છે. એ રીતે જ જ્ઞાન અને વિજ્ઞાન (અનુભવરૂપ બનેલ જ્ઞાન)ની જ્યોત જાગે.&lt;br /&gt;
નરસિંહ વૈષ્ણવ પાસે એ અપેક્ષા રાખે છે કે એ કાગની કરણી છોડી સાચો હંસ બને, જ્ઞાનવિજ્ઞાનની જ્યોતિ પોતામાં જગાવે.&lt;br /&gt;
સાચા વૈષ્ણવનું, હંસની કરણીવાળા વૈષ્ણવનું, એણે એક વિધેયાત્મક (પૉઝિટીવ) ચિત્ર દોર્યું છે ‘વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે...’ એ પદમાં. તમે બધા ‘વૈષ્ણવજન’ હોવાની વાત કરો છો ને? ભાઈઓ, વૈષ્ણવજન તો...! એમ કહી એ એક ચિત્ર આલેખે છે. અહીં શરૂઆતમાં જ આવતો ‘તો’ લોકોક્તિના ‘તોંતેર મણનો જ નહિ, ત્રાણું કે ત્રણસો ટનનો કહો તો પણ ઓછો છે –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;વૈષ્ણવજન તો તેહેને કહીએ જે પીડ પરાઈ જાણે રે,&lt;br /&gt;
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ૰&lt;br /&gt;
વણ-લોભી વળી કપટ-રહિત, કામક્રોધ જેણે માર્યા રે.&lt;br /&gt;
ભણે નરસૈંયો : તેહેનું દરસણ કરતાં કુલ એકોતેર તાર્યાં રે.  વૈષ્ણવ૰&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ પદ નરસિંહનું નથી, અરે દલપતરામનું છે, વાછો (વસ્તો)નું છે, એવો વિવાદ જાગ્યો હતો, જે ‘સંવત ૧૮૦૦ લગભગની (દલપતરામના જન્મ પહેલાંની) હાથપ્રતને આધારે૪૫ કે. કા. શાસ્ત્રીએ સુલભ કરેલા ઉપરના પાઠથી નિર્મૂળ થયો છે. કવિતાની વિભાવના – કંઈ નહીં તો વિભાવનાની છાયાઓ બદલાતી રહે છે અને આવી ઉઘાડી ઉપદેશાત્મક, સદ્ગુણોના હારડા જેવી, કૃતિને કાવ્યનું નામ કે કેમ અપાય એવી ચર્ચા પણ થાય એ સ્વાભાવિક છે. ૧૯૫૬માં ઓક્સફર્ડમાં કવિતા-આસન સ્વીકારતાં કવિ ઑડેને આપેલા પ્રારંભ-વ્યાખ્યાનમાં વિવેચકને આડેધડ ચાર સવાલો પૂછ્યા છે તેમાંનો એક છે : ભાઈ, નકરી યાદી (હોમરના ‘ઇલિયડ’માં ટ્રોયને કોટકાંગરે ઊભેલી હેલન ગ્રીકલોકોનાં જહાજોની આપે છે એવી) સહન કરવાનું ગજું તારું છે ને? આપણા પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં આરંભમાં આવતી વૃક્ષનામગણના, મુનશી જેને ‘જંગલખાતાની ટીપ’ કહે છે તે, એનો નમૂનો છે. એક પછી એક પદાર્થો ગણાવતાં ઉપચયનો ભાવ જામે છે. ઉત્કૃષ્ટ અધ્યાત્મસિદ્ધિવાળા પુરુષનો ખ્યાલ એકલી ગીતામાં જ ત્રણવાર સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ (અ.૨), ભક્તનાં લક્ષણ (અ.૧૨) અને ત્રિગુણાતીતનાં લક્ષણ (અ.૧૪) ગણાવવા દ્વારા અપાયો છે. કેવળ સીધા કથન, નિવેદન (સ્ટેટમેન્ટ)ની પાછળ પણ કોઈ વાર ચમત્કૃતિ જેવું લપાયેલું હોય છે. બધાં (લક્ષણો ગણાવ્યાં છે તે અને વળી વધુ પણ ઉમેરી શકીએ તે)માં નરસિંહે ‘પીડ પરાઈને’ જ પ્રથમ સ્થાન કેમ આપ્યું? ‘કોણે કહ્યો કપટી, કોણે કહ્યો કામી, કોણે કહ્યો તાલકૂટિયો’ એવો નરસિંહ સાચા વૈષ્ણવનાં લક્ષણ ગણાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પારકાની પીડ જાણવી–એ લક્ષણને પ્રથમતા શી રીતે આપી બેઠો? ‘વૈષ્ણવ તે જે સ્નેહમારગી’ એમ પોતે માનનારો છે. સ્નેહમાર્ગ એ વેવલાઈ નથી. પ્રેમ ક્રિયાશીલ હોય એ વૈષ્ણવપણાનો ખરો પુરાવો છે. પોતાની પીડ તો સૌ કોઈ જાણે પણ આ આત્મૌપમ્યથી બીજાની પીડ એટલી જ તીવ્રતાથી જે અનુભવે તે વૈષ્ણવજન. ‘પરાઈ’ શબ્દ સહેજ, સહેજ જ, કાકુથી પોતાની નહીં હોં, બીજાની – એ અર્થ ઊપસે એ રીતે બોલવાનો છે. પરાઈ પીડ જાણી. એ જાણી એટલે કાંઈ વાત પૂરી થતી નથી. એને હળવી કરવા–નિવારવા પ્રયત્ન કરવાનો છે. જેમ પોતાને માટે કરીએ તેમ જ. કર્યો પ્રયત્ન. સફળતા પણ મળી. ઓહો, મેં પીડ નિવારી, એવી અહંતાની નવી આપત્તિ અહીં જાગે છે. તેનાથી બચવાનું છે. આવા અભિમાનથી પ્રેરાઈને લાંબો સમય પીડ પરાઈ નિવારવામાં કોઈ રચ્યોપચ્યો રહી શકે પણ નહીં. આત્મૌપમ્યથી–કેવળ પ્રેમભાવથી પ્રેરાયેલો, પોતે કામમાં આવી શક્યો–એવી પોતાને તક મળી તેથી સામેથી પોતે ઉપકારવશ થનારો જ એ માર્ગે નિરંતર ચાલી શકશે. આવા માણસનો માંહ્યલો, સામે જે કોઈ મળશે તેની તરફ સહેજે અભિસરવાનો ધસવાનો એની ખોડખાંપણ કાઢવાનો તો એને અવસર જ ક્યાંથી રહેવાનો? ‘વંદે’ પછી ‘નંદ્યા’ની વાત, સ્વરસામ્યથી જ આવીને ગોઠવાઈ ન હોય એમ, સ્વાભાવિક અનુસરતી લાગે છે. આવા સાધકને વાચા જ નહીં, મન વચન કાયા ત્રણે નિર્મળ રાખવામાં મુશ્કેલી ન રહે. જીવનને અંતે પ્રભુને એ ત્રણે વિશુદ્ધરૂપે તે નિવેદિત કરવાનો. ધન્ય છે એની જનેતાને, કેમકે એણે એને જન્મ આપ્યા પછી બીજી કોઈએ એને જન્મ આપવાપણું હવે રહેવાનું નથી. ઊંચી પ્રતિભાની નીપજરૂપ કૃતિના અવયવેઅવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. ‘વેરાગ મનમાંહે’ની વાત નરસિંહ કરે છે, પણ ત્યાં તરત જ પોકારીને કહે છે કે ના ના, એ તો રંગમાં છે, એને ભારે અનુરાગ છે, ‘નિરંતર એ કૃષ્ણ નામની તાળી રાખે’ છે.&lt;br /&gt;
આવો પુરુષ પોતેએકલો તરવાનો નહીં, પણ પોતે જે જે કુળોના સંબંધમાં આવ્યો તે બધાં જ (એકોતેર એટલે કે એકોત્તરશત, એકસો ને એક) કુળને તારવાનો, સાચું કહીએ તો મનુષ્યજાતિને તરી પાર ઊતરવાનો આરો (તીર્થ) બાંધનાર તીર્થંકર સમાન નીવડવાનો.&lt;br /&gt;
સીધું ઉપદેશાત્મક લાગતું આ ગીત આપણા જમાનામાં ‘પીડ પરાઈ’નું સૂક્ષ્મ સંવેદન ધરાવનાર અને ક્ષણેક્ષણ પ્રેમને કાર્યમાં મૂર્તિમંત કરવા મથનાર પરમ પ્રભુજન મહાત્મા ગાંધીનું વહાલું બની ગયું અને રાષ્ટ્રીય ભક્તિગીતનું સ્થાન પામ્યું એમાં આશ્ચર્ય નથી.&lt;br /&gt;
વૈષ્ણવ જ્યાં વસતા ન હોય ‘ત્યાં નવ વસિયે વાસડિયાં’ એમ નરસિંહ કહે છે, અને કોઈ ડાહ્યાઓ ‘પ્રેમભક્તિમાં ભંગ પડવો’ એ એને મંજૂર નથી. ‘દુરમતિયા ડાહ્યા થઈ આવે, શાણા થઈ સમજાવે રે... આપણા કુળમાં કોઈએ ન કીધું, તે આપણ કેમ કરીએ રે?’ (૫૪) એક લોકપ્રચાર પામેલા પદમાં એ કહે છે: ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... કુળને તજીએ, કુટુંબને તજીએ જેમ તજે કંચુકી સાપ રે’ (૫૯). ભક્તિ માટે લોકલાજ પણ મનમાં આણવાની નથી એમ એ કહે છે : ‘લોકની લાજમરજાદ તે પરહરો, નિરભે થઈને હરિગુણ ગાઓ–’ (૩૭), ‘લોકડિયાની લાજ રે, બાઈ, મેં તો નાણીઓ રે, મેહેલી કાંઈ કુળ તણી લાજ, જાદવાને માથે રે છેડો લઈ નાખીઓ રે, ત્યારે પ્રભુવર પામી છૌં આજ’ (૩૦).&lt;br /&gt;
જો ‘જ્ઞાનવિજ્ઞાનની જોત જાગે’, જ્ઞાન એ વિજ્ઞાન (અનુભવપૂર્વકનું જ્ઞાન) બને તો એના પ્રકાશમાં ભક્તિ અને જ્ઞાન તત્ત્વતઃ જુદાં નહીં લાગે. ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો નરસિંહનો અભિગમ ભાષાનાં કેટલાંક બુલંદ પદોમાં વ્યક્ત થયો છે. એમાં શાસ્ત્રીય રજૂઆતનો સવાલ ન હોય. માત્ર, અમુક અમુક વલણો પ્રધાનતા પામતાં જોઈ શકાય છે. ત્રણ વસ્તુઓ આગળ તરી આવે છે : ૧ ભક્તિમહિમા, ૨ પ્રેમભક્તિમાં રસબસપણું અને ૩ બ્રહ્મ જ એક છે એવી અનુભૂતિ. ત્રીજી વસ્તુ કાળક્રમમાં છેલ્લી પ્રગટી હોય. નરસિંહના અવાજને જે થોડોક પણ ઓળખે છે તે એની કવિતામાં આ ત્રણ વાનાં ચૂકી શકે નહીં.&lt;br /&gt;
ભક્તિમહિમા નરસિંહે વારંવાર, જુદી જુદી રીતે, ગાયો છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાંહી રે’ (૧) – ભક્તિને કારણે પૃથ્વી વૈકુંઠ, કૈલાસ આદિ ઉચ્ચતર લોક સાથે સરસાઈ ભોગવે છે. પુણ્યકમાણી દ્વારા સ્વર્ગલોક પામ્યા તો પણ તે ખૂટતાં પાછો અવતાર લેવો રહે છે. ભક્તિનો રસિયો તો મુક્તિની પણ ઇચ્છા રાખતો નથી, કેમકે કૃષ્ણનો રસ લૂંટવાની તક પછી ન રહે. ‘હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજન્મ અવતાર રે’ – આ નરસિંહનો એક મુખ્ય ખ્યાલ છે અને અહીં તે ઉત્તમ રીતે અભિવ્યક્ત થયો છે. અન્યત્ર, ‘બેઉ કર જોડીને નરસૈંયો વીનવે, જન્મોજન્મ તારી ભક્તિ જાચે’ (૨), ‘જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું’ (૨૯)- માં પણ આરતપૂર્વક એ રજૂ થયો છે.&lt;br /&gt;
નરસિંહ ભક્તિનો આવો મહિમા કરતો હોઈ બહુ ટૂંકમાં, એકવાર તો, સૂત્ર પકડાવે છે : ‘એક ઉપાસના : જઈને વળગો’ (૩૬). જાગ-જોગ, ઉપવાસવ્રત, તીર્થાટન, યમનિયમ, શાસ્ત્રસમુદ્રઅવગાહન, –એ બધી જંજાળની ‘જાળ કાપી ગયા જંન શૂરા’. અનન્યાશ્રયબુદ્ધિથી એ વર્તે છે : ‘મારે તો આશરો એક હરિનામનો, છેક આવ્યો, હવે ક્યાં રે જઈએ?ભણે નરસૈંયો, એ નામને આશરે... લીન રહીએ.’&lt;br /&gt;
પોતે જીવનભર ન છોડેલો ભક્તિનો માર્ગ લોકો કેમ લેતા નથી એ વત્સલ ચિંતાથી નરસિંહ વારંવાર સમજાવી કલાવી ટપારી તેમને એ તરફ વાળવા કહે છે. ‘હરિહરિ રટણ કર, કઠણ કળિકાળમાં, દામ બેસે નહીં, કામ સરશે; શીષ પર કાળ રહ્યો દંત કરડે,... મૂઢ શું જોઈને મૂછ મરડે?’ (૨૦) ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ દીધું’ (૨૭) માં એ હૂબહૂ ચિત્રો દોરે છે : ‘ઘાંચીનું ગાળિયું કંઠથી ટાળિયું, નેત્રના પાટા, શ્રીનાથે છોડ્યા :... પગ ઠોકી કરી માગતો મૂઢમતિ ઘાસ પાણી, કરી શબ્દ ઝીણા.’ બળદ અને ઘોડાનાં એ ચિત્રો પછી ‘લાંબીશી ડોક ને કાંકોલ ચાવતો’ ઊંટ કવિ પ્રત્યક્ષ કરાવે છે ત્યારે કટાક્ષ સચોટપણે છતો થાય છે. ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી,’ ‘જપ ન કરે તે જીભલડી નહીં, ખાસડિયાં’ એમ કહી, પૂર્ણ પુરુષોત્તમને તજી અન્ય દેવમાં મન પરોવનારાઓની, તેઓ ‘મહીષીના પુત્રનું દૂધ દોહે’–એવી વિડંબના એ કરે છે. બ્રહ્મવાટ ભૂલેલા વાદોમાં અને કર્મકાંડમાં ડૂબેલા, માયાના પુત્રોને, –‘રઝળતી રાંડનાં રડવડતાં છોકરાં’ (૪૫) ને કોણ બોધ આપીને ઠેકાણે આણે એ પ્રશ્ન એને થાય છે. ‘સમરને શ્રીહરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મૂળ તારું; તું અલ્યા કોણ, ને કોને વળગી રહ્યો? વગર સમજે કહે મારું તારું,’ (૩૩) – એમ સહેજ ઢંઢોળીને અંતે બહુ વત્સલતાથી કહે છે, ‘કાં ન જાગે?’ અને સમજાવે છે કે ‘ભરનિદ્રા’માં રહેતાં શરમાવાવારો આવશે – જનમોજનમની પરિતૃપ્તિથી વંચિત રહેવા જેવું થશે: ‘ન જાગતાં, નરસૈયા લાજ છે અતિ ઘણી, જન્મોજન્મ તારી ખાંત ભાગે. આ આળસ ન તજવી એ અલ્પમતિનું કામ છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર હરિતણું અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુ:ખ જાયે...&lt;br /&gt;
સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર હોયે...&lt;br /&gt;
પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક્ય મા વાત સુણતાં જ સાચી.&lt;br /&gt;
આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ! એ મૂળથી ભીંત કાચી.&lt;br /&gt;
અંગ જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;&lt;br /&gt;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લેહેકાવતાં રાજ લેવું. (૩૧)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઉપદેશની વાત પણ ઝમકદાર વાગ્ભંગિથી અને આશનું ભવન, કાચી ભીંત, લીંબુઉછાળ રાજ્ય, – એવાં ચિત્રકલ્પનોથી ચિરસ્મરણીય નીવડે એવી અભિવ્યક્તિ પામે છે.&lt;br /&gt;
નરસૈંયો પોતાને ‘માહામતિ’ નું પદ આપે છે, કેમકે પેલા ‘અલ્પમતિ’ઓની જેમ એ ‘પ્રેમભક્તિનો રસ – પ્રેમરસ પીવામાં આળસ જાણતો નથી એટલું જ નહીં, પોતે એ પ્રેમભક્તિ સિવાય બીજા કશાથી રીઝે એવો પણ નથી. ખાધા વગર ઢોર મરવા પડ્યું હોય તો કુશકામાં પણ એનો જીવ લોભાય એમ પ્રેમરસ જેવો પ્રેમરસ ન પામ્યાથી જેઓ દૂબળા છે તેઓનું ક્યારેક મુક્તિથી મન ચળે છે. ભાગવતમાં શુકજીએ દશમસ્કંધમાં પ્રેમરસ ભરપૂર ગાયો પણ પછીના સ્કંધમાં જ્ઞાનવૈરાગ્યની વાતો મૂકી એને સંતાડ્યો. મરવા પડેલો રાજા પરીક્ષિત એ સમજ્યો નહીં. મુક્તિ તો ભગવાને અવતાર લઈ જે જે દૈત્યોને માર્યા તેમને પણ આપી છે, જ્ઞાની વિજ્ઞાની મુનિ યોગી તેમને પણ આપી છે. પણ પ્રેમરસને યોગ્ય તો વ્રજની ગોપિકાઓ ઠરી, અથવા કોઈ વિરલા રસભોગી ભક્તો ઠર્યા. હા, જે આ સંસાર છોડીને જાય (પ્રેત) તેઓને મુક્તિની ગરજ રહે જ. લાલચુને જેનો લોભ હોય તે મળે એટલે રાજી થાય. પણ અહીં તો સંસાર જ કોને છોડવો છે? જનમોજનમ પૃથ્વી ઉપર આવવું છે. અમારે તો જન્મોજન્મ લીલારસ ગાવો છે. લીલારસ ગાઈએ ને એટલે અમારે બારણે આવીને લહાણનાં વહાણ નાંગર્યાં સમજો. ‘નરસિંયો માહામતિ’ આ જે લીલારસની વાત કરે છે તે તો જતિસતીને સ્વપ્ને પણ અનુભવવા ન મળે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;&lt;br /&gt;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે.&lt;br /&gt;
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં, શુકજીએ સમજી રસ સંતાડ્યો;&lt;br /&gt;
જ્ઞાન વૈરાગ્ય કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો.&lt;br /&gt;
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ રે જોગી;&lt;br /&gt;
પ્રેમને જોગ તો વ્રજ તણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી.&lt;br /&gt;
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવ તે હેતુ ત્રૂઠે;&lt;br /&gt;
જન્મોજન્મ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે.&lt;br /&gt;
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, અવર બીજું કોઈએ ન ભાવે;&lt;br /&gt;
નરસિંયો માહામતિ ગાય છે ગુણ કથી જતિ-સતીને તો સ્વપ્ન ન આવે. (૨૪)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આવું પોતાનું દર્શન હોઈ, આવો પોતાનો અનુભવ હોઈ, નરસિંહ કહે છે ‘સારમાં સાર અવતાર અબળા તણો, જે બળે બળિભદ્ર–વીર રીઝે’ (૨૩). સાચી રીતે પ્રભુને સેવે તો પુરુષાર્થી જીવ મુક્તિલાભ પામે, પણ નરસિંહ સ્ત્ર્યર્થી (પુરુષ+અર્થી=પુરુષાર્થી, તેમ સ્ત્રી+અર્થી) જીવની ધન્યતા ગાવા માગે છે : ‘રસભર્યું રૂસણું, નાથ નોહરા કરે, તે નહીં નારી-અવતાર પાખે.’ આથી એ કહે છે, દેવો અને મુનિવરો ગોપિકાચરણરજને વંદન કરતાં ‘ગોપીથી આપનું અધમપણું લેખવે, નરપણું નવ રુચે, આપ નંદે,’ એવી એમની સ્થિતિ છે.&lt;br /&gt;
‘ધ્યાન ધર, ધ્યાન ધર,–’ એ પ્રેમભક્તિનો માર્ગ છે. નરસિંહ એ શબ્દોથી શરૂ થતાં બે પદોમાં ધ્યાન દ્વારા પમાતા લીલારસની વાત કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે...&lt;br /&gt;
કદમના દ્રુમ તળે રાધિકા રસભરી હરિજને સંગ આલાપી ગાયે. (૨૫)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બીજા એક ઉત્તમ પદમાં નરસિંહ ધ્યાન ધર, ધ્યાન ધર એમ આદેશીને મંત્રરૂપ પ્રતીતિ ઉદ્ઘોષે છે: ‘નેત્રમાં નાથ છે.’ આ ધ્યાન દ્વારા દ્રષ્ટા અને દૃશ્ય જુદાં રહેવા પામતાં નથી. જોનાર નેત્રમાં જ નાથ બેઠા છે, ‘દેહી’– શરીરમાં જ એ પ્રત્યક્ષ થશે. એના નાદમાં ખેંચાતાં વ્રજનાં વનવેલી તે બ્રહ્મરૂપ ભાસશે. લલિત કુંજમાં શ્રીકૃષ્ણની લીલા, એની નિરંતર નૌતમ કેલી નીરખાશે. દેહી–શરીરનું માન વિગલિત થઈ જતાં સુરતસંગ્રામમાં રંગભેર વિલસતા પરમતત્ત્વની ઝાંખી થશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે, અંતર ભાળની એક સુરતી;&lt;br /&gt;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે, અજબ અનોપમ અધર મુરતી.&lt;br /&gt;
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ડમક વાજે,&lt;br /&gt;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરીનો નાદ બ્રહ્માંડ ગાજે.&lt;br /&gt;
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે, ભાસશે બ્રહ્મ વ્રજ વન વેલી;&lt;br /&gt;
કુંજ લલિત માંહે શ્રીકૃષ્ણ લીલા કરે, નીરખની નૌતમ નિત્ય કેલી.&lt;br /&gt;
સુરતસંગ્રામમાં વિલસે રંગમાં, દરસશે દેહીનું માન મરતાં,&lt;br /&gt;
નરસૈંયાના સ્વામી સર્વ સુખ આપશે, દુક્રિત કાપશે ધ્યાન ધરતાં. (૨૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રીકૃષ્ણવિષયક શૃંગારપ્રીતિનો, પ્રેમભક્તિનો, આ ઉત્કૃષ્ટ ઉજ્જ્વળ ઉદ્ગાર છે. સુરતસંગ્રામનું રૂપક અહીં દેહભાવ વિગલિત થયો હોય એ દશા અંગે યોજાયું છે. (પાછળના, વૈષ્ણવચિકિત્સક, અખા જેવા પણ ‘સુરતસાગર કો નાંહીં તાગ’ જેવામાં બ્રહ્મ-સમરસ–દશા માટે એ પ્રતીક યોજે છે.) આ પદમાં કૃષ્ણલીલારસ અને અદ્વૈતાનુભવ–અભેદાનુભવ એકરૂપ સૂચવાય છે. નાથ નેત્રની બહાર નથી, નેત્રમાં રહીને જોનાર જ પોતે નાથ છે. પછી વ્રજનાં તમામ તરુ, લતા, આદિ બ્રહ્મરૂપ ભાસે તો શું આશ્ચર્ય? આ દર્શન, આ પ્રતીતિ એ સુરતસંગ્રામની, દરેક પદાર્થ–દરેક વ્યક્તિ સાથે પરમાત્માની રસલીનતાની, કૃષ્ણલીલાની, અનુભૂતિનું શિખર છે.&lt;br /&gt;
મનુષ્યજીવનમાં ભક્તિ, શ્રીકૃષ્ણનું ધ્યાન, એ મોટી વસ્તુ છે અને તેને માટે જનમોજનમ અવતાર ધારણ કરવા જેવું છે, એવો પોતાનો અનુભવ કહી એ ભક્તિ તે જીવનને અંતે મુક્તિ પમાડનારી નહીં, પણ ક્ષણેક્ષણે પરમ તૃપ્તિ આપનાર કૃષ્ણરસ–લીલારસ–પ્રેમરસ પાનારી પ્રેમભક્તિ છે એમ નરસિંહ ગાય છે.આ એની મુખ્ય ભૂમિકા છે. ભક્તિગીતો જ નહીં, કૃષ્ણવિષયક શૃંગારગીતોનાં સંખ્યાબંધ ઊર્મિગીતો એને આધારે રચાયાં છે. પણ આ ઉપરાંત વળી એક નવી ભૂમિકા નરસિંહમાં જોવા મળે છે, જે તદ્દન અસંદિગ્ધપણે એનાં કેટલાંક પદોમાં વ્યક્ત થઈ છે. ‘નેત્રમાં નાથ છે’ અને તેથી બહાર સર્વત્ર ‘ભાસશે બ્રહ્મ’ એમ કહેવામાં એ ભૂમિકા સૂચવાઈ હતી. આખા વિશ્વ પાછળ ‘એક’ જ તત્ત્વ છે એવી અદ્વૈતપ્રતીતિની એ ભૂમિકા છે. આઠેક (નીચે મોટા કૌંસમાં પદ આરંભે આંકડાથી નિર્દેશ કર્યા પ્રમાણેનાં) પદોમાં એ અદ્વૈતપ્રતીતિ સવિશેષ અભિવ્યક્તિ પામી છે. જુદાં જુદાં પદમાં જુદી જુદી રીતે ભાર મુકાય છે. પણ એ બધાંયમાં કેન્દ્રીય પ્રતીતિ ‘એક’ તત્ત્વની છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૧] અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે;&lt;br /&gt;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.&lt;br /&gt;
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;&lt;br /&gt;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે: કનક-કુંડળ વિશે ભેદ નોહોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
ગ્રંથગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહેને પૂજે;&lt;br /&gt;
મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એ જ મત એમ સૂઝે.&lt;br /&gt;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. &lt;br /&gt;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું – પ્રેમથી પ્રગટ થાશે. (૪૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સારાયે બ્રહ્યાંડમાં ‘એક’ જ તત્ત્વ છે, એટલું અહીં સ્વીકારાયું છે. કનક-કુંડલમાં ભેદ નથી, છેવટે તો સુવર્ણ જ છે. આ અભિપ્રાય અહીં નરસિંહનો પોતાનો નથી, ઉપનિષદમાં એવી વાત આવે છે એનો આ હવાલો માત્ર છે. પત્ર એ બધા ગ્રંથોથી ગરબડ ઊલટી વધી, અનેક સાધનાઓ-પૂજાવિધિઓ વિકસ્યાં. નરસિંહ કહે છે કે બધું છોડીને હું તો પ્રીતિ કરું, પ્રેમથી પ્રભુ પ્રગટ થશે. તત્ત્વ એક, તેને પામવાનો માર્ગ પ્રેમ, – એટલું અહીં એને કહેવું છે.&lt;br /&gt;
પરમતત્ત્વ એ છે એ ઉદ્ગાર સાથે એ એક નવો પ્રશ્ન ઊભો કરે છે. પરમેશ્વરના સ્વરૂપ વિશે બહુ તત્ત્વાલોચન કર્યું પણ ‘કોણ હું?’ એ પ્રશ્ન કદી વિચાર્યો? –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૨] ‘એક તું,’ ‘એક તું’ – એમ સહુ કો સ્તવે, ‘કોણ હું?’ –એ નહીં કો વિચારે;&lt;br /&gt;
‘કોણ છું?’ ‘ક્યાં થકી આવિયો જગ વિશે?’ જૈશ ક્યાં, છૂટશે દેહ ત્યારે?’ (૪૬)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી ‘હું’-ની વિગતે વાત કરી છે. એ ‘પ્રતિદિને જડ કને જૈ કરી માગતો: ઈશ, તું સાહ્ય થાજે સદા રે.’તેમ છતાં દુઃખ તો જરીકે ટળતું નથી. અને છતાં માગણી કરતાં એ થાકતો નથી. કોઈ આકાશી વૃત્તિ ધારણ કરી હોય એમ વર્તે છે અને કૃત્રિમ નમ્રતાથી કહે છે, હું કોણ કોની પાસે કયા હકથી માગું? અને છતાં માગણી સ્વીકારાઈ તો પ્રભુએ મદદ કરી એમ કહે છે અને કામ કથળ્યું તો કર્મને દોષ દે છે. નરસિંહ પૂછે છે કે ‘પૂર્વનાં કર્મ જો હરિ ભજ્યે નવ ટળે, તો કહો કોણ એ કામ કરશે?’ – તો ભક્તિ કરશે કોણ? નરસિંહ કહે છે ‘આકના વૃક્ષથી અમૃતફળ તોડવા’ તાકનાર મૂર્ખનો શ્રમ વૃથા જવાનો છે. એવો માણસ ‘જ્ઞાન-હીણો’ ઠરશે. સત્ય સમજી પરમ પદ ઓળખવાનું છે, વિતંડામાં પડવાનું નથી. ‘જીવ, ઈશ્વર અને બ્રહ્મના ભેદમાં સત્ય વસ્તુ નહીં સદ્ય જડશે.’ અદ્વૈતવાદીઓ (૧) બ્રહ્મ, અને માયાને કારણે (૨) ઈશ્વર, અને (૩) જીવ એવા ભેદ ચર્ચ્યા કરે છે તેમાં સત્યવસ્તુ તરત હાથ નહીં લાગે. બધાનું જોઈ, તું ‘એક તું,’ ‘એક તું,’ કરવા લાગ્યો, ‘તું’ વિશે – પરમાત્મા વિશે જ ભાંજગડમાં રહ્યો, અને પરિણામે એક જડ મૂર્તિ આગળ બેસીને મદદની યાચના કરવામાં પડ્યો. એને તેં એવો નિર્બળ બનાવી દીધો કે પૂર્વકર્મનું બળ પણ એ તોડી શકે નહીં. હવે હું તને એટલું જ કહું છું કે ‘હું&#039; ઉપર ધ્યાન કેન્દ્રિત કર. દેખાદેખી તું મોઢેથી બબડે છે : ‘એક તું’, ‘એક તું.’ અને જો તો ‘હું&#039;ની કેવી પામર દશા થઈ બેઠી છે! ઇલાજ બતાવું? આ ‘હું-પણું&#039; તજી દે, અને સાથે જ (મોંએ બબડે છે ‘એક તું’, ‘એક તું’ એ ‘તું’ તો દૂર રહ્યો પણ) આ સામે જડ ‘તું&#039; જેની ‘કને જૈ કરી માગતો’ તે-નું ‘તું-પણું’ પણ ફગવી દે. તરત તારી વાત પાર પડશે.’&lt;br /&gt;
બીજા એક પદમાં ‘હું&#039; (જીવ) અને ‘તું&#039; (શિવ) બંને શમી જતાં પોતે અનિર્વચનીય વસ્તુરૂપ થઈ રહેશે એ સમજાવ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૩.] હું ખરે તું ખરો, હું વિના તું નહીં, હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશે. &lt;br /&gt;
હું જતે હું ગયો, અનિર્વાચી રહ્યો, હું વિના, કેહે, તુંને કોણ કહેશે?&lt;br /&gt;
સગુણ હોય જાંહાંલગી, નિર્ગુણ તાંહાં લગી, ત્યમ કેહે સદગુરુ વાત સાચી; &lt;br /&gt;
સગુણ શમતાં નિર્ગુણ ગયું છે શમી, શેષ પૂરણ અનિર્વાચી.&lt;br /&gt;
શિવ ને જીવ તો ના એ છે એક જો, જીવ હોયે તાંહાં લગી શિવ હોયે; &lt;br /&gt;
જીવ શમતાં શિવ સહેજે સમાઈ ગયો, ટળી જાયે ધંધ(હ) નામ દોયે.&lt;br /&gt;
તાહરા-માહરાં નામનો નાશ છે, લૂણ ને નીર દૃષ્ટાંત જોતેઃ&lt;br /&gt;
મહેતો નરશઈ કહેઃ વસ્તુ વિચારતાં, વસ્તુરૂપ થાશે વસ્તુ પોતે.૪૬&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કૃષ્ણપ્રતીતિના ગીતમાં પણ ‘ઉદક્ર માંહે જ્યમ લવણ મલે રે તેમ તમશું મારી દેહા,’ કહી હું-તુંનું આ નાટક જ છે એમ સૂચવ્યું હતું :&lt;br /&gt;
વળી સરખાવો :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;કૃષ્ણવિના નહિ કોય;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી નાટક, બાઈ રે, વિશ્વ પડીલા મોહ. (૨૦૩)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ ‘હું&#039;-‘તું&#039; જે ટાળવાના હતા, તે ટાળ્યા. ‘તે&#039; ના ઉપલક્ષ્યમાં ‘હું’ અને ‘તું&#039;-ને સમજવાનું સૂચન અનુક્રમે ‘નીરખને ગગનમાં’ અને ‘જાગીને જોઉં તો’માં થયું છે. ‘નીરખને ગગનમાં&#039; અધ્યાત્મ-અનુભવને ચિત્રાત્મક કાવ્યબાનીમાં નિરૂપે છે. કવિ ‘નીરખને’માં ‘ને’ પરના કાકુથી પોતે માણેલો આનંદ બીજા સાથે વહેંચવાની તાલાવેલીથી આરજૂપૂર્વક નિમંત્રણ આપતા ન હોય!&lt;br /&gt;
[૪.] નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું&#039;, ‘તે જ હું&#039; – શબ્દ બોલે.&lt;br /&gt;
એ सोडहम् (તે જ હું), सोडहम् (તે જ હું)–શબ્દ બોલી રહ્યો છે. નરસિંહ તરત પોતાના પૂરતો પ્રતિભાવ પાડે છે અને ‘તે જ (શ્યામસુંદર) હું&#039; છું માટે –&lt;br /&gt;
{{Poem2Close}} &lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કોઈ નથી કૃષ્ણ તોલે.’&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એમ ગાઈ રહે છે. શ્યામમાં હું-પણું અવસાન પામો એ એની ઝંખના છે. એ શ્યામની જેની સાથે તુલના થઈ શકે એવું અહીં કશું જ નથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;શ્યામશોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી,&lt;br /&gt;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્યામની શોભા બુદ્ધિથી તો કળી કળાય એમ છે જ નહીં. બુદ્ધિની બિચારીની દશા અનંત ઉત્સવમાં ખોવાઈ ગયા જેવી છે. બધેથી જો રસ અનુભવી શકાય, માત્ર ચેતનમાંથી નહીં, જડમાંથી પણ–પ્રેમની જડીબુટ્ટીથી જડને સચેત બનાવી દઈને – તો શ્યામસુંદરના રૂપનો ખ્યાલ કાંઈક મળે. એટલે મૂકોને બુદ્ધિને પડતી. એની વિટંબણાની વાતમાં ક્યાં પડ્યા? પ્રેમ દ્વારા જડ (જે હવે જડ રહેતું નથી) અને ચેતનને રસમય અનુભવ્યા પછી, જોઈએ, શ્યામની શોભાની, અહીં નહીં તો સારા વિશ્વમાં ક્યાંય કોઈ તુલના કરી શકાય છે ખરી?&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે;&lt;br /&gt;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
दिवि सूर्यसहस्रस्य भवेद् युगपद् उत्यिता यदि भाः, सदृशी सा स्याद् भासः तस्य महात्मनः। ગીતામાં શ્રીકૃષ્ણના વિશ્વરૂપના તેજની ઉપમા આપી છે કે આકાશમાં એક સાથે હજાર સૂર્યની દ્યુતિ ઉદય પામે, તો તે એ મહાત્મા (વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણ)ની દ્યુતિ સમોવડી, વખતે, હોય. નરસિંહ કોટિ સૂર્યની દ્યુતિની વાત કરે છે. કરોડગણી દ્યુતિવાળો સૂર્ય પૂર્વની ક્ષિતિજને આરે સોનાની કોર કાઢે તો એ શ્યામની શોભાની તોલે આવે. એ સુવર્ણની કોર કેવી લાગે? જાણે બાળકૃષ્ણ સોનાના પારણામાં ઝૂલી રહ્યા ન હોય, બાળસ્વરૂપે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરી રહ્યા ન હોય. એ તેજસ્વી રૂપ ઉગ્ર ન હોય પણ પરમ આહ્લાદક હોય.&lt;br /&gt;
આ સૌન્દર્યજ્યોતિ શી રીતે પેટાવાયો છે? નથી દીવેટ, નથી તેલ, નથી દીપપાત્ર, અને જ્યોતિ નિષ્પંદપણે પ્રકાશી રહ્યો છે. આંખથી એ નીરખવાનો નથી, એ કોઈ રૂપ નથી કે ઓળખી શકાય. આ રસ પીવાનો છે તે કાંઈ જિહ્વાથી પીવાનો નથી. એ અવિનાશી અકળ છે, અધઃ અને ઊર્ધ્વ–નીચા અને ઊંચા, (એ બે) વચ્ચેના અંતરાલમાં બધે આનંદથી રમમાણ રહે છે, સર્વવ્યાપક છે. નરસિંહ (ફરી પાછો પ્રેમની ચાવી બતાવતાં) કહે છે કે પ્રેમથી એનો કેડો પકડવામાં આવે તો સંતો એને મેળવી શકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો,&lt;br /&gt;
નેત્રવિણ નીરખવો, રૂપવિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.&lt;br /&gt;
અકળ અવિનાશી એ નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;&lt;br /&gt;
નરસિંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. (૩૯)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोडहम् ધ્વનિનું ગુંજન, – આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાળમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું એક ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. પ્રેમની જડીબુટ્ટી, અનંત ઉત્સવમાં પથભૂલેલી બુદ્ધિ, એ ચિત્રણો, છેલ્લી કડીમાં ‘અકળ-સકળ&#039; ‘અરધ-ઊરધ’ ‘તંતમાં સંત’ એ આંતરપ્રાસ, ‘સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે&#039; માં ‘સચ્ચિદાનંદ’ પછી ‘આનંદ&#039; શબ્દથી પારણાની એકછેડે જઈને પાછા વળવાની ગતિનું સૂચન—સૌન્દર્યની જડીબુટ્ટી કૃતિને કેવી સચેતતા અને રસમયતા અર્પે છે તેના નિદર્શનરૂપ છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની, આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.&lt;br /&gt;
જે પ્રતિદિન જડ કને જઈને ‘સાહ્ય’ થવાની માગણી કરતો તે ‘હું&#039; નો તો અહીં ક્યાંય પત્તો નથી. ‘હું પણું&#039; ટળ્યું છે; सोडहम् ‘તે જ હું&#039; નાદના પ્રભાવે તે શ્યામની શોભામાં વિલીન થયું છે. એ સ્થિતિ પામવામાં પ્રેમની સંજીવનીનો, પ્રેમના તંતનો નરસિંહે મહિમા કર્યો છે.&lt;br /&gt;
પુત્રના ‘વિવાહ&#039;ના અંતે આવતું પદ –&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૫.] (દેવા) આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું, ત્રિકમા, એક તું એક તું એક પોતે&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
– એમ એક તત્ત્વની વાત કરે છે. ‘સગુણ સ્વરૂપ નિર્ગુણ એનું&#039; – સગુણ એ નિર્ગુણ સ્વરૂપ છે. ‘બે નથી, એકલો, વિશ્વથી વેગળો સર્વ વ્યાપક છે રે શક્તિ એની,&#039; – એ બે નથી, અદ્વૈતવસ્તુ છે, એકલો છે, વિશ્વથી ન્યારો (ટ્રાન્સેન્ડેન્ટ) છે અને સાથે જ સર્વ કાંઈમાં વ્યાપેલો (ઈમ્મેનેન્ટ) છે. એ આનંદમય કૃષ્ણજી સ્વયં છે. અને રાધિકા તે એની ભક્તિ છે. પુત્રના વિવાહ વખતે, જુવાનીમાં નરસિંહે પ્રેમમાર્ગ અનુસરતાં પરમાત્મા એ ‘બે નથી’ એવું – ‘એક તું એક તું એક&#039; છે એવું અનુભવ્યું છે. રાધિકાથી દ્વૈત સરજાતું નથી, કેમકે નરસિંહને મન એ બીજી વ્યક્તિ નથી, આનંદમય કૃષ્ણની ‘ભક્તિ&#039; છે.&lt;br /&gt;
‘તે નવધાથી ન્યારો&#039; છે. (૫૭) નવધામાં તો નહીં નરવેડો. દશધામાં દેખાશે રે’– નવધાભક્તિથી નિવેડો (પાર) નહીં આવે, તેનાથી આગળની ભક્તિ ક૨વી જોઈશે (પાછળથી આવતો અખો ‘બ્યાશીમી ભક્તિ’ની વાત કરે છે). ‘અચવ્યો રસ છે એની પાસે&#039;, એની ‘અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા&#039; છે. ગૌડપાદાચાર્યના અજાતિવાદનો પડઘો પાડતો ઉદ્ગાર, પછી, મળે છે:&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;જ્યાં લગી જ્યમ છે ત્યમનો ત્યમ છે, વધે ઘટે નહીં ઠાલો રે;&lt;br /&gt;
આવે ના જાયે, જાયે ના આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગીતાના પંદરમા અધ્યાયનો નિષ્કર્ષ કવિએ સ્વીકાર્યો લાગે છે. પરમાત્મા ક્ષર અને અક્ષર બંનેથી પર છે – પુરુષોત્તમ છે, પૂર્ણાનંદ છે, એ ચિત્તમાં ચેનવાનું-ચીનવાનું છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પૂર્ણાનંદ પોતે પુરુષોત્તમ, પરમગત છે એની રે,&lt;br /&gt;
એ પદ ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેની રે.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આત્મતત્ત્વ ચીન્યું નથી – સમજપૂર્વક ઓળખ્યું નથી ત્યાં સુધી બધી સાધનાઓ વ્યર્થ છે, એવી અદ્વૈતસાધનાની જિકર એક પદ (૪૩) માં નરસિંહે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૬.] જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.&lt;br /&gt;
માનુષ દેહ તાહારો એમ એળે ગયો, માવઠાંની જેમ વૃષ્ટિ વૂઠી.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પછી અનેક જૂઠી સાધનાઓ (‘શું થયું સ્નાન સેવા ને પૂજા થકી?... શું થયું તપ અને તીરથ કરવા થકી?...&#039;) અણગમાના આવેશપૂર્વક એ ગણાવે છે અને રોકડું સંભળાવે છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આતમા-રામ પરિબ્રહ્મ ન જોયો.&lt;br /&gt;
ભણે નરસૈંયો જે તત્ત્વદર્શન વિના રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગોપીભાવથી કૃષ્ણને ભજતા નરસિંહને માટે ગોપીપણું કે રાધિકાપણું કશું જ, અદ્વૈતપ્રતીતિને ઉંમરે પહોંચે છે ત્યારે, રહેવા પામતું નથી, રહે છે નર્યું તત્ત્વદર્શન, વસ્તુદર્શન બલકે ‘વસ્તુ’માં વિગલન, – તે વાત લીલાગાનની રીતે રમણીય રૂપકથી એણે કહી છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૭.] સ્વામીનું સુખ હતું માહારે તાંહાં લગી, જાંહાં લગી (હદ) હુતી રાત કેરી;&lt;br /&gt;
સ્વામીના સુખનો સ્વાદ ભાગી ગયો, જ્યારે ઓચિંતો ઉદયો સૂર વેરી.&lt;br /&gt;
સૂરના તેજમાં સાવ સમરસ થઈ, સહેજમાં પિયુ માહારો ગયો સમાઈ;&lt;br /&gt;
પિયુને પગલે હું ખોળવા ગઈ, પિયુને ખોળતાં હું ખોવાઈ.&lt;br /&gt;
એહવા અટપટા ખેલમાં આંખ ઊલટી ફરી; તજી, હું રહી, હાર ખાઈ;&lt;br /&gt;
વાણીમાં અનુભવ એહ આવે નહીં, અનિર્વચન કહે નિગમ ગાઈ.&lt;br /&gt;
અચરજ વાત એ કોઓ માને નહીં, જેહેને વીતી હોય તેહ જાણે,&lt;br /&gt;
વસ્તુનો સાગર સાવ સમરસ ભર્યો, અણછતો નરસઈઓ થઈને માણે.૪૭&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
લીલાની પરિભાષામાં નિત્ય તત્ત્વની અદ્વૈતપ્રતીતિની વાત અત્યંત આકર્ષક અને સચોટ રૂપે આ પદમાં રજૂ થઈ છે. પિયુ અને પ્રેયસી એ દ્વૈત રહેવા પામતું નથી. રહે છે નર્યો વસ્તુનો સાગર, સભર ભર્યો, સમરસ ભર્યો. પોતે અણછતો બની રહે છે. પોતાની નોખી હસ્તી રહેવા પામતી નથી.&lt;br /&gt;
બીજા એક પદમાં, લીલાની પરિભાષાથી પણ, ઉપરની વાત એણે કરી છે :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;રાતલડી અંધારી રે, વ્રેહેરણ વહી ગઈ રે,&lt;br /&gt;
ઊગ્યા ઊગ્યા અગોચરના સૂર;&lt;br /&gt;
ત્રણ રે ભોવન રે બાઈ, દૃષ્ટે પડાં રે,&lt;br /&gt;
મટી ગયું માયા કેરું પૂર. રાતલડી૰૪૮&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
પ્રેમભક્તિના આ અનુભવમાં અલગપણું ઓગળી જવામાં ચરિતાર્થ થાય છે. &lt;br /&gt;
‘તત્ત્વદર્શન’નો અવાજ એક જાતની અંતિમતાપૂર્વક નરસિંહના ‘જાગીને જોઉં તો…’ એ પદમાં સાંભળવા મળે છે. નિદ્રાસ્વપ્નવત્ આ જગત છે. માયા શબ્દ નરસિંહે વાપર્યો નથી પણ કૈવલ્યતત્ત્વ અને માયાના સંબંધની વાત એક અજોડ ચિત્ર દ્વારા એણે પ્રત્યક્ષ કરાવી છે : ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039;. ઉપનિષદ કરતાં પણ વિશેષે વેદમાં આવતાં ભવ્ય ચિત્રણોની યાદ આપનારા આ શબ્દો છે. નરસિંહની કલ્પકશક્તિ અહીં એક અદ્ભુત ઊંચાઈ સર કરે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;[૮.] જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;&lt;br /&gt;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.&lt;br /&gt;
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઊપનાં અણુ અણુ માંહે રહ્યાં રે વળગી,&lt;br /&gt;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહીં રે અળગી.&lt;br /&gt;
વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે;&lt;br /&gt;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.&lt;br /&gt;
જીવ ને શિવ તો આપ-ઇચ્છાએ થયા, રચી પરપંચ ચૌદ લોક કીધા;&lt;br /&gt;
ભણે નરસૈંયો એ તે જ તું, તે જ તું, એને સમર્યાથી કંઈ સંત સીધા. (૪૨)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અહીં तत् त्वम असि (તે તું છે) એવો ‘તે જ તું&#039; ઉદ્ઘોષ છે. ‘હું’-એ જે જડ મૂર્તિને ‘તું&#039; કરીને સ્થાપી હતી તે ‘તું’ આ નથી. અહીં તો એકમાત્ર ચૈતન્ય-વિલાસથી ચિત્ત તદ્રૂપ (ચૈતન્યમય) બનેલું છે. બધું દૃશ્ય જગત તે ચૈતન્યનો જ પ્રકાર છે. કહોને કે બ્રહ્મની આગળ બ્રહ્મ પોતે જ લટકાં કરી રહ્યું છે. જીવ-શિવ જુદા નથી, પંચમહાભૂત તેમ એ પણ બ્રહ્મની ઇચ્છાથી પરબ્રહ્મના પર્યાયરૂપે છે. એ ચૈતન્ય, એ પરબ્રહ્મ, ‘તે જ તું’ – એવા કેવળ અદ્વૈતભાવ ઉપર આવીને નરસિંહની વાણી આ પદમાં ઠરે છે.&lt;br /&gt;
ઉપરનાં પદો એ ક્રમમાં રચાયાં હશે એવું કહેવાનો આશય નથી. જુદે જુદે વખતે ગમે તે ક્રમમાં ભલે એ રચાયાં હોય, એ બધામાં વ્યક્ત થતી નરસિંહની પ્રતીતિની રેખાઓ પણ ભલે એ ક્રમમાં નહીં પણ જુદે ક્રમે ઊપસી હોય, નરસિંહની અદ્વૈતાનુભૂતિને સાકાર કરતાં આ આઠ મુખ્ય પદો છે અને એ અનુભૂતિની રેખાઓ કાંઈક ઉપર આલેખ્યા પ્રમાણેની છે. એ અનુભૂતિની યાત્રા ‘અખિલ બ્રહ્માંડમાં એક તું&#039; અને ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં&#039; એવાં બે બિંદુઓ વચ્ચે હોવાનું સમજાય છે. પહેલી કૃતિમાંની ‘કનક–કુંડલ’ અને ‘અંતે તો હેમનું હેમ&#039; – એ અંગેની બે લીટીઓ બીજીમાં પણ આવે છે. પ્રથમવાર આવે છે ત્યારે એ ઔપનિષદ વાતને ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડવા જેવું કર્યું છે. ત્યાં  स एकाकी न अरमत – તેને એકલાને આનંદ નહોતો, એણે ઇચ્છ્યું एकोडहं बंहु स्याम् – હું એકનો અનેક થાઉં – એ ઉપનિષદવચનોના આધારે ગાયું હતું કે ‘શિવ થકી જીવ થયો એ જ આશે&#039; અને એ બધાને પણ ‘ગ્રંથ ગરબડ’ સાથે જોડ્યું હતું. ‘જાગીને જોઉં તો’– એ પદમાં ફરી ‘કનક-કુંડળ’ એ ‘અંતે તો હેમનું હેમ&#039; છે એ વાત શ્રુતિની સાક્ષીએ મૂકી છે, પણ ‘ગ્રંથ ગરબડ’ની ટીકા હવે નથી. શિવથી જીવ થયાની વાતને બદલે હવે જીવ અને શિવ (ઈશ્વર) બંને આપ (બ્રહ્મ)–ઇચ્છાએ થયાની વાત છે, માયાનો સીધો ઉલ્લેખ નથી પણ ‘રચી પરપંચ’–માં પ્રપંચ એ માયાનો પર્યાય છે. અગાઉના પદમાં ‘પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે’– એમ પ્રેમભક્તિનો પાસ હતો, હવે એવો ઉલ્લેખ નથી. અટપટા ભોગનો જેમાં ભાસ થતો હતો તે ઊંઘનું ઊડવું, જાગીને જોવું, – એનો જ પદના આરંભથી મહિમા કરવામાં આવ્યો છે. માત્ર, કહેવું હોય તો કહી શકાય કે કૈવલ્ય આગળ માયા-નો ખ્યાલ આપવા ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે&#039; એ અપૂર્વ અપ્રતિમ કલ્પન યોજ્યું છે તેમાં ‘અખિલ શિવ આદ્ય આનંદમય કૃષ્ણજી, સુંદરી રાધિકા ભક્તિ તેની’ એ રૂપકચિત્રની રસિકતાને ઉગારી લીધી છે, બલકે બહુ બુલંદ ઉઠાવ આપ્યો છે. નરસિંહનો અદ્વૈતવિચાર ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ&#039; થી ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ – સુધીમાં પૂર્ણપણે સુરેખ વિકસ્યો છે. આમ, નરસિંહની અદ્વૈતાનુભવની અષ્ટપદી जीवो ब्रह्मैव (જીવ બ્રહ્મ જ છે), तत् त्वम् असि ‘તે જ તું&#039;, એ પ્રતીતિમાં – બ્રહ્મભાવમાં જાગ્રત થવામાં વિરમે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભક્તિજ્ઞાન-ઊર્મિકોમાં કવિ-પ્રતિભા – આ ભક્તિજ્ઞાનનાં પદોમાં નરસિંહની ભાષા-છંદોલય આદિની સપાટી જ જુદી છે. અવાજની આવી પ્રૌઢિ અને આર્દ્રતા ગમે તે ભાષાને ન્યાલ કરે. સહૃદયતા શબ્દે શબ્દે ટપકે છે. લયમાં આરતનો તાર ગુંજે છે. ‘ભવન પર ભવન પર છત્ર દાખે&#039; (૨૯) – એમ સુરેખ ચિત્રાંકન ત્વરિત થઈ જતું હોય છે. ‘પ્રેમરસ પાને તું’ –જેવામાં ‘ને&#039; થી અનહદ અનુનયભરી આરતનું સૂચન થાય છે. ‘કોણ એ સમાના કામની દત્ત ફળિયેલ રામા’ – જેવા દ્રૌપદી અંગેના ગીતનો પ્રશ્નથી ઉપાડ અનોખી ઢબનો, આકર્ષક નીવડી રહે છે.&lt;br /&gt;
આખી ને આખી સ્મરણમાં રહી જાય એવી પંક્તિઓ ઉપરાંત ‘મોરના પિચ્છધર&#039;, ‘લહાણનાં વહાણ&#039;, ‘રત્નચિંતામણિ જન્મ’, ‘દુરમતિનાં... ડાલાં,&#039; ‘થોથાં-ઠાલાં’, ‘અંધ ગુરુ... નિરંધ ચેલા&#039;, – એવાં ચિત્રાત્મક શબ્દઝૂમખાં આ પદોમાં ઘણાં મળશે. પ્રભાવક વાગ્મિતા ‘શું થયું... થી&#039; એ પ્રશ્નમાળાથી લેવાતી ઝડતીમાં અને ‘કે તેં તો કર્ષણ કોદરા વાવિયા, ક્યાંથી જમે તું તો દાળ રોટી?’ – એવી ‘કે તેં તો’ થી શરૂ થતી પ્રશ્નમાળામાં જોવા મળે છે. ‘કે&#039; થી શરૂ થતા પ્રશ્નનો તેમ જ ‘અલ્યા’ થી શરૂ થતા ઉદ્બોધનનો લહેકો ધ્યાન ખેંચે છે. વચ્ચે લયપૂરક જેવો મુકાતો ‘ને’ ‘એમ ને કરતાં રે&#039; (પર), ‘કાળા ને ફીટી રે&#039; (૫૩) અને ‘વાદળ ને મટ્યું રે&#039; (૩૦)માં મળે છે. ‘શ્વાસનો શો વિશ્વાસ&#039;, ‘ઈશને ઈરષા છે નહીં જીવ પર,&#039; ‘દેહ કારણ રખે સ્નેહ જાયે,&#039; – જેવામાં અવાજોના પુનરાવર્તનની મદદથી જાણે અર્થ આગળ વધે છે. પ્રાસ અને આંતરપ્રાસ સામાન્ય રીતે અનાયાસે સધાતા આવે છે. ‘વાસડિયાં&#039; સાથે આખા પદ (૫૮)માં પ્રાસ યોજ્યા છે, તેમ જ ‘ખોટી&#039; સાથે ‘ઝોટી&#039;, ‘ડોટી&#039; આદિ બીજા એક પદ(૩૪) માં. એક પદ (૪૧)માં ‘પોથે&#039; સાથે બધી પંક્તિઓમાં પ્રાસ મેળવવા જતાં છેલ્લી આઠમી પંક્તિમાં તકલીફ પડી લાગે છે, જેના નિવારણમાં નરસિંહનો સભાન કલાકસબ જોઈ શકાય છે. ‘ભણે નરસૈંયો, ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે’ – એમ, ચોથી કડી હોઈ, ‘ચોથે’ શબ્દ પ્રાસ માટે ગોઠવીને એ કામ કાઢી લે છે. ‘સાત સાંધું ત્યારે તેર તૂટે&#039; એ લોકોક્તિના પ્રાસમાં આવતા ‘રંક મનાવું ત્યાં રાય રૂઠે&#039; માં રંકને મનાવવાનું ચિત્ર નાજુક છે. વર્ણસગાઈ અને આંતરપ્રાસમાં તો મહેતાને કાંઈ મહેનત જ પડતી નથી. ‘મૂરખ મમતા કરે, ભૂતળ ભમતા ફરે’ – એવાં તો સંખ્યાબંધ ઉદાહરણ મળશે. એક અર્ધ પંક્તિ ‘આડડો રે પડ્યો છે અહંકાર&#039; (૩૦)માં ‘આડો&#039; નું ‘આડડો’ રૂપ, પછી આવતો ‘રે&#039;, તેમ જ ‘ડ&#039;, &#039;ર&#039;, ‘ઓ–એ&#039; અને ‘આ’નાં પુનરાવર્તન પરિસ્થિતિની વિકટતાને સુરેખ ઉપસાવવામાં ઉપકારક નીવડે છે.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનો સમગ્ર કાવ્યગુચ્છ એ નરસિંહની પરિણત પ્રજ્ઞાની પ્રસાદી છે અને ગુજરાતી ભાષાનું અમોલું ધન છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;૪. ઉજ્જ્વળ વાણી&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;પદવૈભવ&#039;&#039;&#039;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહની કૃતિઓ મુખ્યત્વે દેશી ઢાળોમાં રચાયેલાં ગેય પદો છે. જુદા જુદા રાગમાં એ ગાવાનાં છે. પદનું પગેરું લોકગીતોમાં મળશે. ખાસ કરીને સમૂહગીતોમાં અને નૃત્યગીતોમાં ટેક જેવું પણ હોય. ભાગ્યે જ કોઈ લોકબોલી એવી હશે જેની પાસે પદોની મૂડી ન હોય.&lt;br /&gt;
નરસિંહના સમય સુધીમાં પદોનો કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે. પૂર્વમાં જયદેવના ‘ગીતગોવિંદ&#039;માં દેશી ઢાળો સંસ્કૃત રચનામાં સુધ્ધાં સ્વીકારાયેલા જોઈ શકાય છે. ચંડીદાસ વિદ્યાપતિનાં પદો પૂર્વ ભારતમાં ભક્તિ-આંદોલનને ભારે વેગ આપે છે. તે પૂર્વે ઉત્તરમાં અને પશ્ચિમમાં બૌદ્ધ સાધક અને નાથ સિદ્ધોનાં પદો પ્રચારમાં છે. કાશીમાં કબીર પદપ્રવાહ વહેવડાવે છે. વૃન્દાવનમાં પણ સૂરદાસનાં પદોનો ‘સૂરસાગર’ પ્રગટ્યો તેની પહેલાં પદોની પરંપરા ખીલેલી હોવી જોઈએ. ઉત્તર-પશ્ચિમમાં શિખોના ગ્રંથસાહેબનાં પદો. ત્યાંની પદપરંપરાની સાક્ષી પૂરે છે. દક્ષિણના નામદેવની મરાઠી રચનાઓ અભંગમાં છે, પણ એમનાં કેટલાંક હિંદી પદો ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્સિતોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે−છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધ્રુવાઓ અને કાલિદાસનાં ‘વિક્રમોર્વશીય&#039;માં મળે છે. ‘નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાફૂંકથી ભારે ચેતનવંતી કરી દે છે.&lt;br /&gt;
પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી ‘પ્રભાતિયાં&#039;ને નામે લોકપ્રિય થઈ છે.&lt;br /&gt;
આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે.૪૯ ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગાગા) છ, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છ, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. ‘નામદેવગાથા&#039;ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની :&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&#039;&#039;&#039;&amp;lt;poem&amp;gt;પાહિલિયા ક્ષણીં નાસતી પાતકે, ઐસિયાસી તુકે દુજેં કોણ..&lt;br /&gt;
ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેથેં. (૩૯૪)&lt;br /&gt;
પુંડલિકે તયા આણિલેં રંગણીં, કટાવરી પાણિ ઠેવૂનિયાં. (૪૬૦)&amp;lt;/poem&amp;gt;&#039;&#039;&#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : ‘ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામ્યે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ ‘ભણઉ નરસૈં&#039; ને કે ‘ભણઈ નરસૈં’ અને ‘નરસિંઆચા સ્વામી&#039; એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટા ભાગે `नामा म्हणे&#039; આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે `नाम्याचा स्वामी सुखाचा सागरु, नाम्याचा स्वामी हरि माझें चिंत्रणें, એમ ‘नाम्याचा स्वामी’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં ‘અવનીધરા&#039; ‘દામોદરા&#039; ‘દેવકીનંદના&#039; ‘વિશ્વનાથા&#039; ‘કેશવા&#039; ‘ઠાકુરા&#039; વગેરે સંબોધનોમાં ‘આ&#039;કારનો પ્રવેશ શું બતાવી શકે?’૫૦&lt;br /&gt;
નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા’ (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો&#039; (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ‘ભણે ડાબો મારગ લેજો’–એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ‘ભણે’ જ ને? (કે. કા. શાસ્ત્રીની નજરબહાર એ નથી. भणत्रि जयदेव૫૧ ‘ભનઈ વિદ્યાપતિ’પર એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદૃશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી&#039; જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી–અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી&#039;નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે, – એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી – અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળપણા પર અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) પર અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર–ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપરથી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે–એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો.૫૩ નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે.&lt;br /&gt;
સંખ્યામેળ છંદ બે કૃતિઓમાં જોવો શક્ય છે : ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’માંના ‘વસંતનાં પદ’-૫ (‘નરસૈંયાનો સ્વામી રૂડો પ્હેરાવે અખંડ ચૂડો, તે જોની સંસાર કૂડો, પ્રભુ પ્રેમે ભરે’) અને ૮૫ (‘દીઠે કીજે હેલા મેલો, આજ દન અક્ષે ક્હેજો, નરસૈંયો ત્યાં રંગ જુએ, રસરંગ થાશે&#039;) માં કવિતના આઠ આઠ શ્રુતિના ત્રણ ટુકડા અને અંતે ત્રણથી છ શ્રુતિ જોવા મળે છે. આ બંધને લવચીક કરવાનો પ્રયત્ન થયો છે.૫૪ બંનેના ઉપાડ (‘આવ્યો આવ્યો રે રૂતુનો રાય’, ‘આવ્યો આવ્યો રે વસંત માસ’)માં શરૂઆતમાં ‘આવ્યો’ ઉમેરેલું છે. ‘ની’ ઉમેરીને પણ એવી અસર ઉપજાવી છે (‘કરોની નખશિખહાસ’, ‘પધરાવોની વનમાળી&#039;). આ જાણે કવિતની દેશી બનવા જાય છે. છેલ્લા નાના અણસરખા ટુકડાને મળતું જૂની ગુજરાતી રચનાઓમાં કદાચ મળે, તેમ છતાં એ ટુકડાઓ પરથી કોઈ મરાઠી જેવી લયલઢણના પ્રભાવની સંભાવના પણ ઉદ્ભવે છે.&lt;br /&gt;
એક મરાઠી લયલઢણ નરસિંહમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ‘મામેરું’(પ)ના ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિહોણા મરી જાય રે માય... કૃપા કટાક્ષે જુઓ અમ ઉપર નરસિંયો કાં વિસારિલા, માય?’ – પદમાં આવતા ‘માય’, ‘રે માય’-નો પ્રચાર ગુજરાતીમાં કદાચ હોય, પણ ‘વિસારિલા’ મરાઠી રૂપ પણ આ કૃતિમાં છે, અને મરાઠી કૃતિઓમાં તો પંક્તિ અંતે ‘માય’ જોવા મળે જ છે. નામદેવગાથામાં અનેક દૃષ્ટાંતો મળશે : ‘હરિનાથ ગોડ જાલે કાય સાંગો ગે માય’ (૨૪૬), ‘વિજુ ખળે ગર્જિન્નલે ગે માય’ (૨૫૧), ‘યમુના જળેંહી કાળીં વો માય,... ગળાં મોતીં એકાવળી કાળી વો માય’ (૨૫૫). નરસિંહની કૃતિનો લય ચોખ્ખો સવૈયાની દેશીનો છે, પણ અંતનું ‘રે માય’ મરાઠી અસર નીચે હોવા પૂરો સંભવ છે. નામદેવની અહીં ઉતારેલ પંક્તિઓમાં આરંભમાં આઠ શ્રુતિના સંખ્યામેળ ટુકડા છે, જે ‘વસંતનાં પદ’ –૫ અને ૮૫ ઉપર મરાઠી લયલઢણના પ્રભાવની સંભાવનાને પણ પુષ્ટિ આપે છે એ જોઈ શકાશે.&lt;br /&gt;
નરસિંહે ઝૂલણાની દેશીઓ સિવાય બીજી દેશીઓ પણ ગાઈ શકાય એ રીતે યોજી છે. સમૂહમાં ગવાય એવા ગરબા-રાસ પણ એણે રચ્યા છે. આખ્યાનનું સ્વરૂપ હજુ ખીલ્યું નથી, નરસિંહ પદમાલારૂપે આખ્યાનકલ્પ રચનાઓ આપે છે. ‘ચાતુરીઓ’માં એક ચાતુરીમાં ક્યારેક એક જ પદ હોતું નથી. કે. કા. શાસ્ત્રી ચાતુરીઓના ઇચ્છારામ દેસાઈના પાઠ પ્રમાણેનાં કોઈ પદો, યોગ્ય રીતે, ઝૂમખાં૫૫ હોવાનું સૂચવે છે. તેવાં સંશોધિત પાઠમાં પણ કેટલાંક જોવા મળે છે. ‘ગોવિંદગમન’ (જે હવે નરસિંહકૃત લેખાતું નથી)ની ‘તે નરસઈએ ગાઈ વિવિધ વિલાસમાં રે, નામ તેનું સહસ્રપદનો રાસ’ – એ પંક્તિમાંથી સૂચન લઈ, ઇચ્છારામ દેસાઈએ ‘રાસસહસ્ત્રપદી’ શીર્ષકથી પદો આપ્યાં પણ તેની સંખ્યા ૧૮૯ છે. ‘વિવાહ’-આરંભે સાક્ષાત્કારનાં પદોમાં ‘લક્ષ સવા કીર્તન તણો નીમ’ કર્યાનું કવિ કહે છે, પણ નરસિંહનાં લેખાતાં પદો બહુ નથી. બધાં મળી સોળસોની૫૬ આસપાસ થવા જાય છે.&lt;br /&gt;
કે. કા. શાસ્ત્રી ‘લગભગ સં. ૧૭૦૦ આસપાસની’ હસ્તપ્રત ઉપરથી સંપાદિત કરીને ૩૯૦ (જેમાં ૨૦૮ નવાં છે) પદો આપતાં લખે છે : ‘નરસિંહ મહેતાનાં આ પદોની પુષ્પિકામાં ‘इति विष्णुपद समाप्त’ એવું વિધાન છે. એટલે આ ૩૯૦ પદો ‘વિષ્ણુપદ’ તરીકે જાણીતાં હતાં એમ સમજાય છે.’૫૭ આ ‘વિષ્ણુપદ’ સંજ્ઞા નરસિંહનાં ૩૯૦ પદો માટે જ નહીં, પણ સામાન્ય રીતે વૈષ્ણવોમાં ગવાતાં તમામ ભક્તિપદો માટે પ્રચલિત સંજ્ઞા છે. હિંદી સાહિત્યના બૃહત્ ઇતિહાસ (ચતુર્થ ભાગ, સં. ૨૦૨૫, પૃ. ૫૦૪)માં પદો વિશે એક વિશેષ ઉલ્લેખ છેઃ ‘... તથા પીછે વૈષ્ણવ ભક્તોં કે યહાં ‘વિષ્ણુપદ’કી સંજ્ઞા દી ગઈ ભી દેખી ગઈ.’ ખુદ નરસિંહ પોતે પણ ભક્તિજ્ઞાનનાં પદ(૩૮)માં વૈષ્ણવોથી ગવાતી ભક્તિમય રચનાઓનો ‘વિષ્ણુપદ’થી ઉલ્લેખ કરે છે : ‘તું એમ જાણે જે હરિજન હું થયો, વિષ્ણુપદ ગાઈ થયો ભક્ત ભવમાં.’&lt;br /&gt;
નરસિંહને ગુજરાતી ભાષામાં પદપ્રકાર લોકગીતોરૂપે, ભજનો રૂપે અને અપભ્રંશ અને અપભ્રંશોત્તર તેમ જ મારુગુર્જર જૈન કવિઓની કૃતિઓ રૂપે ઠીકઠીક ખેડાયેલો સાંપડ્યો. એણે એને હૃદયરાગના સપ્તકના બધા સૂરો ખીલવવા માટે યોજ્યો, સુકુમારમાં સુકુમાર લાગણીઓથી માંડીને ભવ્ય પ્રગલ્ભ ભાવો એ કાવ્યપ્રકાર દ્વારા એણે વ્યક્ત કર્યા અને પદને એક નીવડેલા પ્રકાર તરીકે વારસામાં આપ્યો. નરસિંહ પછી અનેક કવિઓએ પણ આપ્યાં છે, આજે પણ એ પ્રકાર પ્રચલિત છે. સમસ્ત ગુજરાતી પદસાહિત્યમાં વડેરો વૈભવ નરસિંહને કારણે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;કાવ્યસિદ્ધિ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
નરસિંહના સમગ્ર કૃતિસમૂહ ઉપરથી એની કવિપ્રતિભાની કેવીક છબી ઊઠે છે?&lt;br /&gt;
નરસિંહનું ઉક્તિબળ તરત ધ્યાન ખેંચે છે. લય અને બાની પર એ ઠીક ઠીક આધારિત છે. નરસિંહની શબ્દસૃષ્ટિ રસઘનતાનો વારંવાર અનુભવ કરાવે છે અને સાથે સાથે ક્યારેક ભવ્યતાનો પણ.&lt;br /&gt;
કેળવાયેલા કાનને નરસિંહની લયસૂઝનો ખ્યાલ એનાં શત શત ગીતોના ઉપાડ ઉપર ઊડતી નજર નાખવાથી પણ આવી જશે. તે તે ભાવપરિસ્થિતિને અનુરૂપ લયાન્દોલ સાથે એના શબ્દો આગળ વધતા હોય છે. ‘ચાંદલિયો રમવાને આલો’–ની શિશુની રઢ હોય કે ‘મથુરા જાઓ તો મારા સમ હો લાલ’ એ વિરહભીરુ ગોપીની મનાઈ હોય, ‘મેહુલો ગાજે ને માધવ નાચે’-ની ઉલ્લાસઅનુભૂતિ હોય કે ‘વેરણ રાત મલી’–ની વિયોગવ્યાકુળતા હોય, ‘મારો નાથ ન બોલે બોલ અબોલાં મરીએ રે’–એ પ્રણયની મર્મવેધકતા હોય કે ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’–એ વૈશ્વિક ઝાંખી હોય, નરસિંહ હંમેશાં લય દ્વારા સારું એવું કામ કાઢી લે છે.&lt;br /&gt;
એકલો ઝૂલણા જોઈએ તો ઝૂલણા એને અનેક ભાવપરિસ્થિતિઓને અનુકૂળ કામ આપે છે. ‘વડો રે ગોવાળિયો કોણ થાશે’ ની ઘરાળુ વાતચીતથી માંડી ‘મોરિયા અંબ, કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી’ની માદક ચિત્રાત્મકતા અને ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’નો વિરાટ તલસાટ – બધા માટે નરસિંહના હાથમાં ઝૂલણા એક સમુચિત માધ્યમ નીવડે છે. કેટલીકવાર કવિ એક ગીતના અંતની પંક્તિને બીજાના આરંભની પંક્તિ તરીકે યોજે છે. પદ ૧૩૭-૩૮માં અને ૧૩૯-૪૦-૪૧ માં એ રીતે પદસાંકળી સધાઈ છે. સર્જકતાનો ઉદ્રેક નિયંત્રણ નિમંત્રીને આકારબદ્ધ થવા માગતો હોય એ આવા ઉન્મેષોમાં જોઈ શકાય છે.&lt;br /&gt;
ગીતોની અનેક સુકુમાર ભાવભંગીઓ માટે યોગ્ય શબ્દાવલી કવિને સાંપડે છે, તો અધ્યાત્મજીવનની ભવ્ય ઉદાત્ત સપાટી પણ કવિનો શબ્દ સહેજે સર કરી શકે છે. ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી. આત્મજીવનની ગૂઢ, સૂક્ષ્મ, સુકુમાર વાતને મૂર્ત કરવા માટેનો શબ્દ એને સહેજમાં મળી રહે છે. દર્શનની ગહન વસ્તુ ‘નેત્રમાં નાથ છે’ એટલા ત્રણ સાદા શબ્દોમાં એ સાકાર કરી શકે છે, તો અધ્યાત્મ જીવનાર વ્યક્તિનું સુરેખ ચિત્ર ‘ચાલે સાચું’ એ બે સાદા ગુજરાતી શબ્દો દ્વારા અપૂર્વ રીતે એ આલેખી શકે છે.&lt;br /&gt;
કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે. સંસ્કૃતનો પરિચય એને ઠીકઠીક છે, પણ કવિનું ખરું બળ ગુજરાતી ભાષાભંગીઓની શક્યતાઓનો પૂરો લાભ લેવામાં રહેલું છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતોમાં જોઈ શકાય છે કે બોલચાલના પ્રયોગોને મબલક પ્રમાણમાં એણે પોતાની કૃતિઓમાં વણી લીધા છે. કવિનો કાન સરવો છે. સરખા અવાજો એની શ્રવણપરિધિ બહાર રહી જવા પામતા નથી. પ્રાસમાં એના ભરપૂર પુરાવા મળે છે. પોતે મરાઠીની છાયાવાળાં ક્રિયારૂપો અપનાવે છે તો ‘કિયુલા-પિયુલા’ (૧૯૬) જેવા પ્રાસ રચી આનંદે છે. રાધા પત્ર પૂરો કરતાં કૃષ્ણને કુબ્જા અંગે ટોણો મારી લે છે તેમાં નરસિંહ પ્રાસની શક્યતા પણ જોઈ લે છેઃ ‘ફરી ફરી લખજો પત્ર, કે કુબ્જા કહે તો રે, હાવે ચરણે લાગે તારી દાસ, નરસિંહ મહેતો રે’ (શૃં. ૫૦૯). કેટલાક દાખલાઓમાં સહજ શબ્દ પ્રભુત્વ છે કે સભાન કસબ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પણ શબ્દલીલા–લયલીલા વગર નરસિંહ રહી શકતો નથી. ‘હવું તો હતું પણ હવે સંભાળજે’ (૧૪૩)–માં ‘હવું–હવે’માં એવી રમત છે. ‘સારમાં સાર અવતાર અબળા તણો’ (ભક્તિ-૨૩) માંના બોલકા અનુપ્રાસ કોઈનું ધ્યાન રોકી રાખે, પણ નરસિંહ પોતે ‘જે બળે બળભદ્રવીર રીઝે’, એમ આગળ વધી અબળા—બળ—(અને કૃષ્ણ માટે યોજેલા પર્યાયમાંના) બળિ ઉપરની રમતમાં રાચતો જોઈ શકાય છે. ‘અદેખા લોક તે અદકા બોલે’ (શૃં. ૫૨૫) માં બોલચાલના સરખા ઉચ્ચાર (અદખ્યા-અદક્યા) નો લાભ લઈ જરીક ઉપહાસની છાંટ ઉમેરી છે, તો ‘પાવશરુત પરદેશ પધાર્યા તે નર પશુઆ કહીએ રે’ (૨૮૦)માં વર્ણસગાઈ કે ‘પધાર્યા’ના કટાક્ષ કરતાં ‘પાવશરુ’ અને ‘પરદેશ’માંના ‘પ.શ’ ઉચ્ચારોમાંથી ઊપસતા ‘પશુ’ અવાજ દ્વારા વધુ તીવ્ર કટાક્ષ સૂચવાયો છે. ‘દુરિજન’ ઉપરથી ચાલતી કલમે, બલકે ચાલતે કંઠે, એ વિરુદ્ધાર્થી શબ્દ ‘સુરિજન’ નિપજાવી લે છે : ‘દુરિજન હોય તે દૂર થૈ રહેજ્યો, સુરિજન મંદિર માંહે’ (૨૦૧). ‘બાપૈયડા તું પિયુને કાં શંભારે?’ (૨૧૫) ગાતાં એને અનુપ્રાસથી સૂઝે છે : ‘બાપૈયો નહિ, ખરો પાપૈયો, જનમ-ચો વેરી અમારો.’ કવિનો એક અત્યંત વેદનામધુર ઉદ્ગાર છેઃ ‘વારો રે ઓલ્યાં પંખીને, મારી ખાખત્ય પડિયો... આધી રાત્ય પુકારે; બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ (૨૪૩).&lt;br /&gt;
ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે. એમાં એની ઔચિત્યબુદ્ધિ પણ ઉચ્ચ સુરુચિયુક્ત જણાય છે. ‘દૂધે વૂઠા મેહ... સાકર કેરા કરા પડ્યા’ જેવું વર્ણન તો પરંપરામાંથી મળ્યું હોય, પણ પ્રભુકૃપા પામ્યા પછી પોતાનો ભાવ પ્રગટ કરતાં એ કહે છે : ‘કીડી હુતો તે કુંજર થૈ ઊઠિયો’ (વિવાહ-૨). કૃતાર્થતાનું અને આત્માના (સાક્ષાત્કાર પામેલી ચેતનાના) ગૌરવનું આથી વધુ સુંદર આલેખન ભાગ્યે જ થઈ શક્યું હોત. ‘જળકમળ’ તો આખું એક ચિત્રમાલા સમું છે. એક મોટા અને દેખીતા અણસરખા દ્વંદ્વયુદ્ધને રજૂ કરતી એ ચિત્રમાલાના આરંભનું ચિત્ર (પ્રથમ શૉટ) શાંતસુંદર જળકમળનું હોય એ ઔચિત્ય-અને-સૌન્દર્યદૃષ્ટિ તો નરસિંહ જેવાની જ હોઈ શકે. ‘ક્યાં છે કાલીય? – એમ પડકારતા ધૂંઆપૂંઆ કૃષ્ણનું ચિત્ર આપવાને બદલે નાગણ પાસે ‘જાને’ એવી વિનંતી કરાવવામાં અને ‘ને’ દ્વારા નાગના ભયથી તદ્દન અસ્પૃષ્ટ લાગતો બાળક જળકમળ નહીં પણ નાગનું મસ્તક-કમળ લીધે રહેશે એવા અમંગળની આશંકાથી પીડાતી નાગણની આરત પ્રગટ કરવામાં ઘણું બધું લાઘવ છે. ‘દાણલીલા’ વાસ્તવચિત્રોની માળામાંથી એકદમ રાધાનું–નારીનું ભવ્યસુંદર ચિત્ર ઝડપવા તરફ ધસે છે. નરસિંહનાં સફળ ગીતો વિશિષ્ટ લય અને બાનીથી ઘણું ખરું ગોપીના કોઈ ને કોઈ મિજાજનાં લાવણ્યભર્યાં ચિત્રાંકનો બની રહે છે. વર્ણ્ય વિષય ‘નેતિ’ થી વર્ણવાય એવો હોવા છતાં, પ્રેમભક્તિના બળે, ગોપીકૃષ્ણ-સંબંધનાં અનેક ચિત્રો આલેખવામાં નરસિંહે પોતાની અપૂર્વ ચિત્રનિર્માણશક્તિ રેડી છે. અને તેમ છતાં કોઈ વાર ‘કોણ વરણવ કરું, એહની એહને એહ શોભા’ (૭૦) એમ હાથ ખંખેરી નાખીને એ ચમત્કૃતિ સાધી લે છે.&lt;br /&gt;
નરસિંહના ચિત્રલોકમાં ‘કર નખ રાતા કામનિયાં’ (૮૬) જેવી કમનીય વીગત હોય છે. તો ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવું માત્ર પાંચ શબ્દોમાં માયાનું, સંસ્કૃતમાં તેને વિશે લખાયેલા સમગ્ર લખાણપુંજ કરતાં કદાચ વધુ વિશદ દર્શન કરાવતું, ભવ્યલલિત આલેખન પણ છે. ‘જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર’ (શૃં. ૨૯) માં ચિત્રલોક એ શ્રુતિલોક પણ બની રહે છે.&lt;br /&gt;
‘બાપૈયો નહિ, પાપૈયો, મરતીને મારે’ જેવી વેધક રસઘન ઉક્તિ હોય કે ‘શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેરઘેર હીંડું જોતી રે, રાણી રુકિમણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે’ (શૃં. ૫૩૯) જેવો સરળ ઉપાલંભવાળો, કે ‘મારાં તે વરસ વહાલા હું શું રે જાણું? માસ તો થયા છે મને એકસો ને બાણું’ – જેવો નર્યો રમતિયાળ, ઊર્મિલલકાર હોય, લય અને બાની દ્વારા તેમ જ બંનેમાં ભળેલી બોલચાલની છટા દ્વારા નરસિંહ તે તે ભાવપરિસ્થિતિને લીલયા અનુરૂપ આકાર આપી શકતો જોઈ શકાય છે.&lt;br /&gt;
નરસિંહ જાણે કે પ્રણયિની સ્ત્રીની ચેતના સાથે તદ્રૂપ બનીને ગુજરાતી ભાષામાં તેના અનેકાનેક રસમય આકારો આપી ગયો છે. પ્રેમની લાલી નરસિંહમાં ‘સેજ પર બીજી સેજ રચીને’ (શૃં.૨૪) જેવા સ્થૂલ ચિત્રણમાં તો ‘તન શાજું, ઘટ પીડય રે’ (૧૮૨) જેવા ગુપ્ત પ્રેમવ્યથાના વિરોધરમ્ય શબ્દાંકનમાં કે ‘નયણાં નેહરસમચ્યાં મહારાં’ (શૃં. ૫૮) જેવા ભાવને આગળ ધરતા આલેખનમાં જોવા મળે છે. ‘નાનકડી નાર નમતી ચાલે’ (૧૮૪) કાલિદાસની स्तोकनम्राની યાદ આપે છે. ‘કાછ વાલ્યા કટે, હાર ઉર શોભતા, સબલ શ્યામા-હરિ દે રે ભમરી’ (૬૮), ‘નાચતાં નાચતાં નયણ નયણાં ભર્યાં, શ્યામ-શ્યામા કરે ચપલ ચાળા’ (૭૧) અને પડખેના ગિરના જંગલમાંથી ઉપાડેલ ઉપમાનથી કરેલા ગોપીને વશ થયેલા કૃષ્ણના વર્ણન ‘કેશરી કાન શાહી નચાવ્યો’ (૧૧૩) માં ઉત્તાન ભાવનાં ચિત્રણો છે અને લાલીના અથવા નરસિંહ જેને ‘રંગરેલ ઝકઝોળ’ (૭૧)૫૮ કહે છે તેના નમૂના છે.&lt;br /&gt;
રસઘનતાની દૃષ્ટિએ પદોમાં-ઊર્મિગીતોમાં નરસિંહને વધુ સફળતા મળી છે. આખ્યાનકલ્પ રચનાઓ પણ થોડીક એણે આપી છે. એનાં આત્મકથનનાં લાંબાં કાવ્યો તેમ જ ‘સુદામા-ચરિત્ર’ માત્ર પદોની માળા ન રહેતાં, ગુજરાતી ભાષાની આખ્યાનકવિતાના અરુણોદયની ઝાંખી કરાવે એવાં જરૂર છે. ‘હૂંડી’ અને ‘મામેરું’ કરતાં ‘વિવાહ’માં નરસિંહની કથક તરીકેની કળા વધુ પૂર્ણપણે ખીલી ઊઠી છે. ચમત્કારના તત્ત્વને એમાં અંકુશ તળે રાખવામાં આવેલું છે. બાની પણ તેજસ્વી છે. આખી કૃતિના આવશ્યક ભાગરૂપ આરંભનાં અધ્યાત્મ-અનુભવનાં સાત પદ અને છેવટનું પદ નરસિંહની આગવી શૈલીની ઉત્તમ પ્રસાદી જેવાં છે. ‘હારસમેનાં પદ’માં એ શૈલીનો પૂરતો અનુભવ થતો નથી. આખ્યાન તરીકે એમાં સંતર્પક એવું ઓછું જોવા મળે છે. મુખ્ય એક આકર્ષણ તે કૃષ્ણે હાર પહેરાવ્યાના ચમત્કાર-પ્રસંગનું છે, જેના વર્ણનમાં ચમત્કૃતિ નથી. કસોટી અત્યંત હલાવી નાખે એવી હોઈ આર્ત પુકારના ઉદ્ગારનું બળ પ્રગટવાની શક્યતા હતી, પણ તેનો અનુભવ પણ ખાસ થતો નથી. કૃષ્ણવિષયક બે કૃતિઓ ‘ચાતુરીઓ’ અને ‘દાણલીલા’માંથી પ્રથમમાં ‘રાધા રાધા કરે માધવ’ જેવામાં નરસિંહનો અવાજ ક્વચિત્ પકડાઈ જાય છે એ જ, જયદેવના ઓછાયામાંથી એ અનુકરણ બચી શક્યું નથી. ‘દાણલીલા’ સ્વભાવોક્તિઓથી અને રમતરમતમાં કૃષ્ણને ગોવર્ધનગિરિ પર ઉચ્ચ બિંદુએ પહોંચાડી રાધા-સુંદરીના વૈશ્વિક દર્શનનો જે રીતે યોગ ઊભો કર્યો છે અને અંતે વેણુ વગાડતા માધવની પડખે રસલીન રાધાને ખડી કરી પડદો પાડી દીધો છે એ સહજ કથકકલાથી એક સુચારુ કૃતિ રૂપે દીપી ઊઠે છે. સૌથી વધુ સફળ છે ‘સુદામાચરિત્ર’, ઋષિપત્નીના તથા ઋષિના માનવીય તેમ જ ઉદાત્ત આલેખનને કારણે અને સંઘટક તત્ત્વ તરીકે ‘મિત્ર’ શબ્દના માર્મિક ઉપયોગને કારણે. ‘સુદામા ચરિત્ર’, ‘વિવાહ’ અને ‘દાણલીલા’ નરસિંહનાં લાક્ષણિક આખ્યાનકો તરીકે લાંબા સમય સુધી ધ્યાન ખેંચાશે.&lt;br /&gt;
નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણપ્રીતિનાં અને તેમાં પણ ખાસ કરીને શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો ઉપર અને જ્ઞાનભક્તિનાં પ્રભાતિયાં ઉપર રહ્યો છે. શૃંગારપ્રીતિનાં ઊર્મિંગીતોની સંખ્યા નરસિંહના કૃતિસમૂહમાં સૌથી વધારે છે, જો કે એ સંખ્યાના પ્રમાણમાં, નખશિખ સુંદર ગીતો ગણતર જ છે. પણ બાકીનામાં પણ ઉપાડની પંક્તિ, ગીતની અંદર કોઈ દીપ્તિમંત પંક્તિ, અર્ધપંક્તિ, શબ્દઝૂમખાં કે એકાદ લયનો લહેકો, કાંઈક ને કાંઈક ઘણું ખરું જોવા મળવાનું અને એ બધું એવી કૃતિઓને આજે કલાકૃતિઓ તરીકે તો બચાવી શકે એમ નથી તો પણ નરસિંહનો હૃદયરસ ભાષામાં કેવા ઉદ્રેકપૂર્વક વિલસવા કરે છે એની પ્રતીતિ જરૂર કરાવે છે. જે ઊર્મિગીતો આટલી સદીઓ પછી નીવડેલાં તરીકે આગળ તરી આવે છે તે એની પ્રથમ કક્ષાના કવિ તરીકેની ખ્યાતિને સાર્થક ઠેરવે એવાં છે. ‘કેસરભીના કાનજી’ (૨૪૦), ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી’ (વ. ૯૮), ‘ચાલ રમીએ, સહી’ (૭૭), ‘પાછલી રાતના નાથ’ (૧૧૪), ‘પાનડી પટોલિયે આ કોણ’ (૧૭૫), ‘મેહુલો ગાજે ને માધવ નાચે’ (હીં.૩), ‘સખી તારાં નેપુર રે’ (શૃં. ૨૯), ‘અરુણ ઉદે હવો પૂરવ દિશા થકી’ (૧૦૩), ‘વ્રજનો વિહારી રે અમો ઘેર પ્રાહુણલો રે’ (શૃં. ૨૦), ‘મારો નાથ ન બોલે બોલ, અબોલાં મરીએ રે’, (શૃં. ૫), ‘કહાં જાઉં રે વેરણ રાત મલી’ (શૃ. ૧૦૪), ‘કોણ પુણ્યે કરી નાર હું અવતરી’ (૧૧૭), ‘જાગો રે જશોદાના જીવન વાહાણેલાં વાયાં’ (વ. ૯૬), ‘વહાલા મારા વૃંદાવનને ચોક કે’ (શૃં. ૫૨૯), ‘આ જોને રે કોઈ આળસ મોડે’ (પરિ. ૧૮), ‘મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે ગોરી તારે ત્રાજુડે’ (પરિ. ૧૯), ‘આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે’ (પરિ. ૧૧), ‘થિર થિર ચાંદલા મ કર વેણું’ (૩૮૦), જેવાં સંખ્યાબંધ રમણીય ગીતો નરસિંહ પાસેથી મળ્યાં છે. અને તેમાંનાં કેટલાંક લોકકંઠે–લોકહૈયે વસેલાં છે. વાત્સલ્યગીતોમાંથી પણ થોડાંક એ જ કોટિનાં નીવડ્યાં છેઃ ‘ઓ પેલો ચાંદલિયો, આઈ મુને રમવાને આલો’ (બા. ૧૬), ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ (ભ. ૧૪), ‘જશોદા, તારા કાનુડાને સાદ કરીને વાર રે’ (બા. ૧૧), ‘જળકમળ છાંડી જાને બાળા’ (બા. ૧૯).&lt;br /&gt;
ગુજરાતી કૃષ્ણ-વિષયક ગીતોની સમૃદ્ધ પરંપરાની ગંગોત્રી નરસિંહમાં છે. નરસિંહે સબળ અને સફળ રીતે ગાયેલા કેટલાક ભાવ પાછળના કવિઓ પણ ગાયા છે. કેટલાક ભાગ નરસિંહમાં અછડતા છે, કેટલાક લયની પ્રાથમિક સ્થિતિમાં છે, તે પાછળનાઓમાં સુરેખ ઉઠાવ પામતા જોવા મળે છે. આ અંગે નરસિંહનું ઋણ પછીથી આવતા કવિઓ ઉપર ઘણું મોટું છે. દયારામ તો નરસિંહ વિના કલ્પી શકાતા નથી.&lt;br /&gt;
ભક્તિજ્ઞાનનાં પદો, પ્રેમભક્તિનો મહિમા કરતાં અને જ્ઞાનમાં જઈને ઠરતાં પદો, એ નરસિંહના કવિકીર્તિમંદિરના કળશ સમાં છે. એની સંખ્યા પણ સારી એવી છે અને મોટા ભાગનાં લોકજીભે જીવતાં રહ્યાં છે. સામાન્ય ઉપદેશનાં ‘સુખદુઃખ મનમાં ન આણીએ’ (ભ. ૬૫), ‘ઘડપણ કેણે મોકલ્યું’ (ભ. ૬૧), ‘બાલા તે વરની પાલખી’ (ભ. ૬૦), ‘જે ગમે જગતગુરુદેવ જગદીશને’ (ભ. ૨૯), ‘રાત રહે જાહેર પાછલી ખટ ઘડી’ (ભ. ૧૫), અથવા હરિજનોને ઊલટભેર અપનાવવાનાં ‘ગિરિતળાટી ને કુંડ દામોદર’ (ભ. ૪) અને ‘એવા રે અમો એવા રે એવા’ (ભ. ૫), અથવા ‘અમે રે વહેવારિયા રામનામના’ (ભ. ૧૩) અથવા ભારતપ્રસિદ્ધ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ જેવાં લોકપ્રિય પદો ઉપરાંત ભક્તિમહિમાનાં, પ્રેમભક્તિમાં રસબસપણાનાં અને અદ્વૈતાનુભૂતિનાં જે પદો મળે છે તે નરસિંહની પરિપક્વ પ્રતિભાના ફળરૂપ છે. ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું’ (ભ. ૧), ‘હરિ હરિ રટણ કર કઠણ કળિકાળમાં’ (ભ. ૨૦), ‘બાપજી, પાપ મેં કવણ કીધાં હશે’ (ભ. ૨૧), ‘હરિ તણું હેત તને કેમ ગયું વીસરી’ (ભ. ૨૭), ‘કૃષ્ણકીર્તન વિના નર સદા’ (ભ. ૧૯), ‘સમરને શ્રી હરિ, મેલ મમતા પરી’ (ભ. ૩૩), ‘પારકી હુંશે મહતા કરે પ્રાણિયા&#039; (ભ. ૩૪), ‘અલ્યા, નામ પામ્યો પણ રામને નવ લહ્યા’ (ભ. ૩૮), ‘મારા નાથજી મુને ભક્તિ દેજો સદા&#039; (ભ. ૨૮), ‘નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે&#039; (ભ. ૫૯), ‘ધ્યાનધર હરિતણું અલ્પમતિ આળસુ&#039; (ભ. ૩૧), ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર&#039; (ભ. ૨૪), ‘સારમાં સાર અવતાર અબળા તણો&#039; (ભ. ૨૩), ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ’ (ભ. ૪૦), ‘એક તું એક તું એમ સૌ કો સ્તવે&#039; (ભ. ૪૬), ‘હું ખરે તું ખરો, હું વિના તું નહીં&#039;, ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો&#039; (ભ. ૩૯), ‘(દેવા) આવે તું, મધ્ય તું, અંત્ય તું ત્રીકમા&#039; (વ. ૩૫), ‘સાંભળ સહિયર સુરત ધરીને&#039; (ભ. ૫૭), ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં&#039; (ભ. ૪૩), ‘જાગીને જોઉં તો...&#039; (ભ. ૪૨), વગેરે પદો ગુજરાતી પ્રજાની ચેતનાના અંશરૂપ બન્યાં છે.&lt;br /&gt;
નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બનેલો છે. એલિયટ કહે છે કે કોઈ કૃતિ કવિતા છે કે કેમ તેની કવિતાનાં ધોરણોથી તપાસ થશે, પણ તે મહાન કવિતા છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં નક્કી થશે. ધર્મ, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ બીજા કોઈ વિષયની જેમ કવિતાનાં અંગભૂત બની શકે છે, બનતાં રહ્યાં છે. કવિતાની મહત્તાનો આંક કાઢવામાં આવે તે વખતે એ, જો એ કવિતા બનવા પામ્યાં હોય તો, કૃતિને ઉચ્ચતા અર્પવામાં ઉપકારક બને. કવિતાપદાર્થ માટે જીવનભર જિકર કરનાર એલિયટ પોતાની ઉપર નિરંતર કોઈ કૃતિનો પ્રભાવ પડ્યાં કર્યો હોય તો તે દાન્તેની દિવ્યઆનંદગીતિ (ડિવાઈન કોમેડી)નો, એમ કહે છે. નરસિંહ અધ્યાત્મવસ્તુને લીલયા મૂર્તતા આપી શકે છે. એમાં એને ભાષાનો તમામ વૈભવ–લય, શબ્દ, કલ્પન આદિ–પોતાની સર્વ સેવાઓ આપી છૂટે છે. એનાં ભક્તિજ્ઞાનનાં પદો ગુજરાતી પ્રજાએ સૈકાઓથી હૃદયસરસાં સાચવ્યાં છે તે એ વસ્તુ સૂચવે છે કે હૃદયને વશ કરે એવી કશીક મોહિની એના અવાજમાં છે. એની અનેક ઉક્તિઓ ભાષાનો સામાન્ય ભાગ બની ચૂકી છે. મૂર્તતા અર્પવાની શક્તિ, ઉપમારૂપક કલ્પનોની સમૃદ્ધિ, લયહિલ્લોલ, બલકે કેટલીકવાર તો લયકેફ, ઘરગથ્થુ દીપ્તિમંત શબ્દો, સમગ્ર ભાવપરિસ્થિતિનો સુપેરે ઔચિત્યભર્યો ઉઠાવ, – આ બધાને લીધે નરસિંહની રચનામાં એક પ્રકારનું આગવું સંમોહન જામે છે.&lt;br /&gt;
નરસિંહમાં, શું શૃંગારપ્રીતિનાં કાવ્યોમાં શું ભક્તિજ્ઞાનનાં કાવ્યોમાં, સરળ રસઘન વાણીનો પરિચય થાય છે. બન્ને પ્રકારની કૃતિઓમાં વારંવાર નરસિંહની આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયાં કરે છે. ઉપરાંત નરસિંહના અવાજમાં એક જાતની આર્દ્રતા-ભીનાશ છે. વળી, ક્યારેક ક્યારેક એના શબ્દ અને લયમાં એવો ઉછાળ આવે છે કે એ ભવ્યતાને જતો સ્પર્શે છે. કોઈપણ ગુજરાતી કવિ કરતાં નરસિંહમાં આ જાતનો અનુભવ વધારે થાય છે. ભક્તિને ‘ઉજ્જ્વળ&#039; કહી છે. જે ભક્તકવિ નરસિંહ વડે આપણી ભાષા ઊજળી છે તેને વિશે એના જ શબ્દોમાં કહી શકાય :&lt;br /&gt;
‘ઉજ્જ્વળ વાણી નરસૈંયા તણી,&#039; (પરિ. ૨-૯૨)&lt;br /&gt;
નરસિંહને થયે પાંચસો કરતાં વધુ વરસ થઈ ગયાં. ગુજરાતી ભાષાના આજ સુધીના કવિઓમાંથી પ્રત્યેકના અર્પણનો, તે તે કવિને પાંચસો વરસ થયા પછી, અંદાજ કાઢવા ઉત્કૃષ્ટ કલ્પનાથી યથાશક્ય પ્રયત્ન કરીને, નરસિંહના કાર્ય તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એની ન્યારી રસદીપ્તિનો ખ્યાલ આવે છે અને એમાંનો મુખ્યાંશ ભાષાના જીવાતુભૂત ચિરંજીવ અંશ જેવો જણાય છે.&lt;br /&gt;
નરસિંહના આવવાથી ગુજરાતી ભાષા રસસ્રોત બની રહે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ :&#039;&#039;&#039;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧. નાનપણમાં અમારા ખેડૂભાઈ પાસેથી સાંભળેલી પંક્તિઓ. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;ની પંક્તિઓના પાઠ (જુઓ આગળ ‘દાણલીલા&#039;માં પૃ. ૧૧૭૮) સાથે આ સરખાવતાં સુંદર પાઠાન્તરો જનમુખે કેમ થતાં રહ્યાં હશે તેનો પણ ખ્યાલ મળશે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨. ગ્રિયર્સન, જૉર્જ એ., ‘મોર્ડન હિન્દુઇઝમ એન્ડ ઇટ્સ ડેટ ટુ ધ નેસ્ટોરિયન્સ,’ જર્નલ ઑફ ધ રૉયલ એશિયાટિક સોસાયટી, ૧૯૦૭&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩. ‘પરિષદ-પ્રમુખોનાં ભાષણો&#039;, ૧૯૪૧, પૃ. ૧૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫. સંદર્ભનોંધ ૨ પ્રમાણે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૬. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર&#039;, ૧૯૩૪, પૃ. ૨૨૦.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૭. એ. જ. પૃ. ૧૮૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૮. એ. જ. પૃ. ૨૪૫-૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૯. આ આખા લખાણમાં છૂટકપદોનો જ્યારે કેવળ આંકડો આપ્યો હોય ત્યારે તે કેશવરામ કાશીરામ શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૨૦૮ નવાં પદ સાથે), ૧૯૬૫,-ના પદનો સમજવો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૦. ‘શ્રીનામદેવગાથા&#039; સં. નામદેવ-ગાથાસમિતિ અધ્યક્ષ ડૉ. સરોજિની બાબર, પ્ર. શાસકીય મધ્યવર્તી મુદ્રણાલય, મુંબઈ, ૧૯૭૦. આંકડા ગાથાના છે. નામદેવનું નરસી મહેતા ચરિત્ર તો, નામદેવ વહેલા થઈ ગયા હોઈ, પ્રક્ષિપ્ત છે, પણ પછીની મરાઠી કવિતામાં નરસિંહના ઉલ્લેખો મળે છે. તુકારામ (૩૨૫૦મા અભંગમાં) નરસિંહ મહેતાની હૂંડીનો ઉલ્લેખ કરે છે. મોરોપંતની એક આર્યા છે : ‘નરસિંહ નામ મહેતા અહતામલકીર્તિ ભક્ત નાગર હા, યાચ્યા વૈભવગાની સ્વમુખસહસ્રી ભણેલ નાગ ‘રહા’.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૧. પ્રો. શ્રી. મ. માટે, ‘સંત, પંત, વ તંત&#039; પૃ. ૪૦-૫૨. આ અભિપ્રાય માટે અને આ ચર્ચા અંગે જુઓ ડૉ. શંકર દામોદર પેંડસે કૃત ‘મહારાષ્ટ્રાચા ભાગવતધર્મ : ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૩૪-૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૨. પેંડસે, ડૉ. શં. દા., ‘જ્ઞાનદેવ આણિ નામદેવ&#039;, ૧૯૬૯, પૃ. ૨૮૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૩. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસૈં મહેતાના પદ,&#039; ૧૯૬૫, પૃ. ૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૪. એ. જ., પૃ. ૬; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૯૬.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૬. એ જ, પૃ. ૯૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૭. એ જ, પૃ. ૧૦૮.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૮. બીજે ‘-ની માલા&#039; પાઠ જોવા મળે છે તે પરથી મેં આ સંભાવના રજૂ કરી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૧૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૦૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૦. એ જ, પૃ. ૧૦૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૧. એ જ, પૃ. ૧૦૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૨. એ જ, પૃ. ૧૦૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૩. મુનશી, કનૈયાલાલ માણેકલાલ, ‘નરસૈયો ભક્ત હરિનો&#039;, ૧૯૫૨, પૃ. ૭૧. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૧૦-૧૧૧. જોકે મુનશી તરત ઉમેરે છે કે ‘સંવત ૧૫૭૨માં જ હારનો પ્રસંગ થયો એવો મેં નિર્ણય સ્વીકાર્યો નથી.&#039;&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૪. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન,&#039; ૧૯૭૧, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૫. એ જ, પૃ. ૧૦૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૬. એ જ, પૃ. ૧૧૨.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૭. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૭૧, પૃ. ૨૫૬-૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૮. એ જ, પૃ. ૨૭૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૨૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૭૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૦. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, ‘કાવ્યતત્ત્વવિચાર&#039;, ૧૯૪૭, પૃ. ૨૭૯.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૧. દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ, ‘ગુજરાતી લૅન્ગવેજ એન્ડ લિટરેચર&#039;, ૧૯૩૨, પૃ. ૫૬-૫૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૨. અગાઉના વિદ્વાનોએ ઈ. ૧૪૧૬-૧૪૭૪નો જીવનસમય સ્વીકાર્યો હતો. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘ન. મ. કૃત કાવ્યસંગ્રહ,&#039; ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૨૪-૨૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૩. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પ્રસ્તાવના, પૃ. ૪૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૪. શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશન, ૧9૭૨, પૃ.૪.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૫. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૬. આ ચારે કૃતિઓના શ્રદ્ધેય પાઠ માટે જુઓ શાસ્ત્રી, કેશવરામ કાશીરામ, ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો&#039;, ૧૯૬૯. આંકડા તે તે કૃતિના કડવાના ક્રમાંક સમજવા. ઝારીનાં પદ એમણે પણ ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી લીધાં છે. ‘ગિરિતળાટી&#039; અને ‘એવા રે અમો એવા’- પણ એમાંથી જ લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૭. દિવેટિયા, ચૈતન્યબાળા જયેન્દ્રભાઈ, ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી&#039;, ૧૯૪૯. અવતરણો આ શ્રદ્ધેય વાચનામાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૮. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;, ૧૯૧૩, પૃ. ૧૫૭-૧૬૧. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી લીધાં છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૩૯. અંતે, તા.ક. લખવાનું નિમિત્ત કે. કા. શાસ્ત્રીના ‘... નામદેવના સુદામાચરિતના અનુકરણમાં સુદામાનાં પ્રભાતિયાં વગેરે સાદર કરી આપ્યાં’ (‘નરસિંહ મહેતા&#039;, નેશનલ બુક ટ્રસ્ટ, ૧૯૭૨, પૃ.૧૪) એ શબ્દો છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૦. દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ.&#039; ૧૯૧૩, પૃ. ૧૫૪-૧૫૬. શીર્ષક અને અવતરણો આ પ્રકાશનમાંથી છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૧. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પાઠની કિંમત નરસિંહના એક ઉત્તમ કાવ્ય ‘ચાલ્ય રમીએ સહી, મેલ્ય મથવું મહીં&#039; (૭૭)નો પાઠ ‘નરસિંહ મહેતાકૃત કાવ્ય સંગ્રહ&#039;માં ‘વસંતનાં પદ’માં પદ ૬ ના પાઠ સાથે સરખાવવાથી સમજાશે. ‘ક્ષિતિરસ તરુશાખાએ પશર્યો&#039; (૮૮)નો પાઠ ‘ન.મ. કૃત કાવ્યસંગ્રહ&#039; પરિશિષ્ટ ૨, પદ ૮૮ સાથે સરખાવતાં ‘જુવતીને વદને દીધું’માં ‘પીધું&#039;, ‘કોકિલાસુર મુખરંગે’-માં ‘મકરંદે’ અને છેલ્લી કડી સમજાય જ નહીં એવા ફેરફાર જોવા મળશે. ‘ન.મ.કૃત કાવ્યસંગ્રહ&#039;માં ભક્તિજ્ઞાનનાં પદોમાં ક્રમાંક ૮માં ‘મીરાંબાઈનાં વિખ અમૃત કીધાં’–છે, જે મીરાંબાઈના પુરોગામી નરસિંહની રચનામાં હોઈ શકે નહીં, એટલે એટલો ભાગ અથવા આખું પદ નરસિંહકૃત ન હોવાનું ઠરે. કે.કા. શાસ્ત્રીના સંપાદનના પદ ૧૬૮ના પાઠમાં એ પંક્તિ નથી અને બીજા પણ ફેરફારો છે. મારે અહીં ઉમેરવું જોઈએ કે કેશવરામ શાસ્ત્રીએ હસ્તપ્રતોની મદદથી કરેલાં (અને ચૈતન્યબહેન દિવેટિયા પાસે કરાવેલ) સંપાદનની ગેરહાજરીમાં નરસિંહ વિશે કશું પણ લખવા મેં તૈયારી બતાવી ન હોત. શાસ્ત્રીજી પાસેથી મળેલી, પ્રો. રતિલાલ વિ. દવેએ વિવિધ જૂની હસ્તપ્રતોમાંથી ઉતારેલ ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;ની, નકલનો પણ મેં ઉપયોગ કર્યો છે. ઇકોલ ફ઼્રૉંસનાં ડૉ. શ્રીમતી મેલિસન નરસિંહનાં પદોનો એક લઘુસંચય, ફ્રેન્ચ અનુવાદ સાથે તૈયાર કરી રહ્યાં છે. કેશવરામ શાસ્ત્રી પાસેથી નરસિંહની તમામ કૃતિઓની શ્રદ્ધેય વાચના મળે એમ ઇચ્છીએ. તે તે પદમાળાની ચર્ચા વખતે આંકડા તેના પદના આપ્યા છે. છુટક પદોનાં અવતરણો આપતાં, ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માંથી રાસસહસ્રપદી, વસંતનાં પદ, શૃંગારમાળા, હીંડોળાનાં પદ, ભક્તિજ્ઞાનનાં પદ,–નો નિર્દેશ માત્ર પહેલા અક્ષર રા., વ., શૃં., હીં., ભ.-થી કરી પછી તે તે ગુચ્છના પદનો ક્રમાંક આપ્યો છે (વ. ૯૮ એટલે વસંતનાં પદમાંનું પદ ૯૮). તે સિવાય સામાન્ય રીતે આખા લખાણમાં માત્ર આંકડો હોય ત્યાં તે કે. કા. શાસ્ત્રી સંપાદિત ‘નરસૈં મહેતાનાં પદ&#039; (૧૯૬૫)ના પદનો ક્રમાંક નિર્દેશે છે.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૨. ‘સંસ્કૃતિ&#039;, ૧૯૬૭, પૃ. ૪૫૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૩. હવેની બે કંડિકામાં ‘બુદ્ધિપ્રકાશ&#039; સપ્ટેમ્બર ૧૯૬૯; શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039; પૃ. ૨૫૧-૫૫.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૭૫; વળી જુઓ તેમનું ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૨૬૨-૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૬. દવે, રતિલાલ વિ. એ ભેગાં કરેલાં ‘નરસિંહ મહેતાનાં અપ્રકટ પદો&#039;માં ભો. જે. વિદ્યાભવનની હસ્તપ્રત ૧૭૩૦ ઉપરથી ઉતારેલું અપ્રસિદ્ધ પદ. (ઉપરાંત, જુઓ શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039; ૧૯૭૨ પૃ. ૮૧.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૭. એ જ.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૮. એ જ, ફાર્બસ સભાની હસ્તપ્રત ૧૪૯ ઉપરથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૪૯. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, ૧૯૭૧, પૃ. ૧૪૨-૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૦. એ જ, પૃ. ૧૪૬-૧૪૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૧. શાસ્ત્રી, કે. કા. ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૧૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૨. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતો – એક અધ્યયન&#039;, પૃ. ૧૫૦. (‘ભનઇ વિદ્યાપતિ, સુનો વરનારી&#039; જેવામાં પણ છ, છના ટુકડા છે, પણ ઢાળ સંખ્યામેળથી તદ્દન જુદો છે.)&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૩. એ જ, પૃ. ૧૪૪ (૧. ‘ચલઉ ચલઉ...&#039;), ૧૪૬ ની પાદટીપો.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૪. એ જ, પૃ. ૧૪૪-૪૫. કે. કા. શાસ્ત્રી ‘સ્પષ્ટ રીતે એ અભંગ જ હોય&#039; એમ જુએ છે તે બરોબર નથી.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૫. શાસ્ત્રી, કે. કા., ‘નરસિંહ મહેતા&#039;, ૧૯૭૨, પૃ. ૩૩.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૬. સોળસોની આસપાસ પદસંખ્યા, નીચેની રીતે ગણતાં, જોવા મળશે : શાસ્ત્રી, કે. કા. સંપાદિત ‘આત્મચરિતનાં કાવ્યો&#039;માં વિવાહ ૩૫, મામેરું ૨૫, હૂંડી ૮, હારસમેનાં પદ ૫૧; ‘નરસૈં મહેતાનાં પદ&#039;માં અપ્રસિદ્ધ ૨૦૮; દિવેટિયા, ચૈતન્યબાળા, જ. સંપાદિત ‘ચાતુરી&#039;માં ૨૫; દેસાઈ, ઇચ્છારામ સૂર્યરામ સંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ&#039;માં દાણલીલા૧, સુદામાચરિત્ર ૯ રાસસહસ્રપદી ૧૮૯, શૃંગારમાળા ૫૪૧, વસંતનાં પદ ૧૧૬, શ્રીકૃષ્ણજન્મસમેનાં પદ ૧૧, શ્રીકૃષ્ણજન્મવધાઈનાં પદ ૮, બાળલીલા ૩૦, હીંડોળાનાં પદ ૪૫, ભક્તિજ્ઞાનનાં પદ ૬૬, પરિશિષ્ટ (પહેલું) ૧૨૯, પરિશિષ્ટ (બીજું) ૧૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૭. ‘નરસૈં મહેતાનાં પદ&#039;, ૧૯૬૫, પ્રસ્તાવના પૃ. ૭.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&amp;lt;ref&amp;gt;૫૮. સરખાવો અખો : ‘રંગરોલ-જકોલ&#039; (‘કહેંત અષા ભયો રંગરોલ, સદા નિરંતર હે જકોલ&#039;માં). – ‘અખો—એક અધ્યયન&#039;, ૧૯૭૩, પૃ. ૩૧૧.&amp;lt;/ref&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
 {{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&#039;&#039;&#039;સંદર્ભનોંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
{{reflist}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95)&amp;diff=112880</id>
		<title>કંકાવટી (સામયિક)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95)&amp;diff=112880"/>
		<updated>2026-07-20T12:12:52Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: added Category:સામયિકો using HotCat&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;કંકાવટી&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સામયિકો]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95)&amp;diff=112879</id>
		<title>કંકાવટી (સામયિક)</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80_(%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AE%E0%AA%AF%E0%AA%BF%E0%AA%95)&amp;diff=112879"/>
		<updated>2026-07-20T12:12:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;કંકાવટી&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;કંકાવટી&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=User:Shnehrashmi/Articles&amp;diff=112788</id>
		<title>User:Shnehrashmi/Articles</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=User:Shnehrashmi/Articles&amp;diff=112788"/>
		<updated>2026-07-18T16:52:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{| class=&amp;quot;wikitable sortable autorowtable&amp;quot;&lt;br /&gt;
! ક્રમાંક !! લેખનું નામ !! લેખક !! સામયિક !!  મહિનો !! વર્ષ !! પૃષ્ઠ &lt;br /&gt;
|-&lt;br /&gt;
| {{autorow}} || [https://rekhtagujarati.org/ebooks/sharda-dipotsavi-ank-magazines નરસિંહરાવના ભાષાદોષો] || ભરતરામ ભાનુસુખરામ મહેતા || શારદા || દીપોત્સવી || ૧૯૩૩–૩૪ || ૧૨૨–૧૨૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| {{autorow}} || [https://rekhtagujarati.org/ebooks/detail/buddhiprakash-03-magazines-43 રમણભાઈની તત્ત્વમીમાંસા] || જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક || બુદ્ધિપ્રકાશ || માર્ચ || ૧૯૬૯ || ૯૧–૯૩&lt;br /&gt;
|}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
;ચરિત્રો&lt;br /&gt;
* [https://rekhtagujarati.org/ebooks/karvan-10-magazines-1 બેકાર] (કારવાં, પૃ. ૨૫)&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=User:Shnehrashmi/Articles&amp;diff=112787</id>
		<title>User:Shnehrashmi/Articles</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=User:Shnehrashmi/Articles&amp;diff=112787"/>
		<updated>2026-07-18T16:52:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{| class=&amp;quot;wikitable sortable autorowtable&amp;quot;&lt;br /&gt;
! ક્રમાંક !! લેખનું નામ !! લેખક !! સામયિક !!  મહિનો !! વર્ષ !! પૃષ્ઠ &lt;br /&gt;
|-&lt;br /&gt;
| {{autorow}} || [https://rekhtagujarati.org/ebooks/sharda-dipotsavi-ank-magazines નરસિંહરાવના ભાષાદોષો] || ભરતરામ ભાનુસુખરામ મહેતા || શારદા || દીપોત્સવી || ૧૯૩૩–૩૪ || ૧૨૨–૧૨૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| {{autorow}} || [https://rekhtagujarati.org/ebooks/detail/buddhiprakash-03-magazines-43 રમણભાઈની તત્ત્વમીમાંસા] || જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક || બુદ્ધિપ્રકાશ || માર્ચ || ૧૯૬૯ || ૯૧–૯૩&lt;br /&gt;
|}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
;ચરિત્રો&lt;br /&gt;
* [https://rekhtagujarati.org/ebooks/karvan-10-magazines-1 બેકાર] (પૃ. ૨૫)&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%96%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE&amp;diff=112761</id>
		<title>ખેવના</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%96%E0%AB%87%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE&amp;diff=112761"/>
		<updated>2026-07-17T11:15:03Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{Heading| ખેવના  | તન્ત્રી  : સુમન શાહ }}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &lt;br /&gt;
&#039;&#039;&#039;‘સાહિત્યપદાર્થની ખેવના&#039; ધ્યાનમન્ત્રથી સુમન શાહે માર્ચ ૧૯૮૭થી તેમના તન્ત્રીપદે ‘ખેવના’ સામયિકનો પ્રારમ્ભ કરેલો, જે ડિસેમ્બર ૨૦૦૮ સુધી ચલાવેલું. એ ૨૨ વર્ષમાં ‘ખેવના’ના ૧૦૦ અંક સમ્પન્ન થયેલા.  એ બધા અંકો હવે અહીં ઑનલાઇન ઉપલબ્ધ છે.&#039;&#039;&#039;  &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
*[[મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ/ખેવના|ખેવના—વર્ગીકૃત સૂચિ]]&lt;br /&gt;
*[https://ekatra.org/magazine/khevana/khevnaa-01/read#flipbook-6a5a0d6358974/?fr=sY2VjYTQ5MTY0MjE ખેવના ૧]&lt;br /&gt;
*[https://ekatra.org/magazine/khevana/khevnaa-02/read#flipbook-6a5a0e75c65c5 ખેવના ૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_3?fr=sZjE3ZTQ5MTY0MjE  ખેવના ૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_4?fr=sMmYzODQ5MTY0MjE  ખેવના ૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_5?fr=sYzI5MjQ5MTY0MjE  ખેવના ૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_6?fr=sOTM5YTQ5MTY0MjE  ખેવના ૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_7_306ee809644f21?fr=sMjI5ZDQ5MTY0MjE  ખેવના ૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_8?fr=sOGY5NjQ5MTY0MjE  ખેવના ૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_9-10?fr=sMjlmNzQ5MTY0MjE  ખેવના ૯–૧૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_13?fr=sODI1MDQ5MTY0MjE  ખેવના ૧૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_14?fr=sMTZjNTQ5MTY0MjE  ખેવના ૧૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_15?fr=sMjA1MTQ5MTY0MjE  ખેવના ૧૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_16?fr=sYjdlODQ5MTY0MjE  ખેવના ૧૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_17?fr=sNDM1NTQ5MTY0MjE  ખેવના ૧૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_18?fr=sMThmZDQ5MTY0MjE  ખેવના ૧૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_19?fr=sNTUyZDQ5MTY0MjE  ખેવના ૧૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_20?fr=sODMwNjQ5MTY0MjE  ખેવના ૨૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_21?fr=sNmE3MTQ5MTY0MjE  ખેવના ૨૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_22-23?fr=sOGQ3ODQ5MTY0MjE  ખેવના ૨૨–૨૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_24?fr=sYjUwYjQ5MTY0MjE  ખેવના ૨૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_25?fr=sZWNmYjQ5MTY0MjE  ખેવના ૨૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_26?fr=sMWQwMzQ5MTY0MjE  ખેવના ૨૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_27?fr=sNTg4YzQ5MTY0MjE  ખેવના ૨૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_28?fr=sMDQ2NDQ5MTY0MjE  ખેવના ૨૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_29-30?fr=sMTA1NTQ5MTY0MjE  ખેવના ૨૯–૩૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_31?fr=sMjliODQ5MTY0MjE  ખેવના ૩૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_32-33?fr=sYzE5MDQ5MTY0MjE  ખેવના ૩૨–૩૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_34?fr=sNTk4YjQ5MTY0MjE  ખેવના ૩૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_35?fr=sY2YzNTQ5MTY0MjE  ખેવના ૩૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_36?fr=sZmRhMzQ5MTY0MjE  ખેવના ૩૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_37?fr=sMGI0MzQ5MTY0MjE  ખેવના ૩૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_38?fr=sYmRjNDQ5MTY0MjE  ખેવના ૩૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_39?fr=sZTExZjQ5MTY0MjE  ખેવના ૩૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_40?fr=sMjI1YjQ5MTY0MjE  ખેવના ૪૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_41?fr=sNTZjZTQ5MTY0MjE  ખેવના ૪૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_42?fr=sMDM4YTQ5MTY0MjE  ખેવના ૪૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_43?fr=sYWE0OTQ5MTY0MjE  ખેવના ૪૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_44?fr=sNzBkZjQ5MTY0MjE  ખેવના ૪૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_45?fr=sNmMwMjQ5MTY0MjE  ખેવના ૪૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_46?fr=sN2EyODQ5MTY0MjE  ખેવના ૪૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_47-48?fr=sZmVlMTQ5MTY0MjE  ખેવના ૪૭–૪૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_49?fr=sODIxMDQ5MTY0MjE  ખેવના ૪૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_50-51?fr=sYTZhMzQ5MTY0MjE  ખેવના ૫૦–૫૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_52?fr=sMGM2ZjQ5MTY0MjE  ખેવના ૫૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_53?fr=sZTljNDQ5MTY0MjE  ખેવના ૫૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_54?fr=sNWY5YTQ5MTY0MjE  ખેવના ૫૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_55?fr=sYWVlMDQ5MTY0MjE  ખેવના ૫૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_56?fr=sMmViYjQ5MTY0MjE  ખેવના ૫૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_57?fr=sZDgwNDQ5MTY0MjE  ખેવના ૫૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_58?fr=sZWI4YTQ5MTY0MjE  ખેવના ૫૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_59?fr=sNGQ4YTQ5MTY0MjE  ખેવના ૫૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_60?fr=sMzNkYTQ5MTY0MjE  ખેવના ૬૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khenva_61?fr=sMjExNjQ5MTY0MjE  ખેવના ૬૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_62?fr=sYjBmYzQ5MTY0MjE  ખેવના ૬૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_63?fr=sNmFlMzQ5MTY0MjE  ખેવના ૬૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_64?fr=sODBjODQ5MTY0MjE  ખેવના ૬૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_65?fr=sNDI4NjQ5MTY0MjE  ખેવના ૬૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khenva_66?fr=sOGMxNTQ5MTY0MjE  ખેવના ૬૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_67?fr=sYzYxYzQ5MTY0MjE  ખેવના ૬૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_68?fr=sYjcxYjQ5MTY0MjE  ખેવના ૬૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_69?fr=sYzFjNjQ5MTY0MjE  ખેવના ૬૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_70?fr=sNDg0YzQ5MTY0MjE  ખેવના ૭૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_71?fr=sYjk4ZDQ5MTY0MjE  ખેવના ૭૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_72?fr=sYzliYzQ5MTY0MjE  ખેવના ૭૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khenva_73?fr=sNTgxNTQ5MTY0MjE  ખેવના ૭૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_74?fr=sMzVmYTQ5MTY0MjE  ખેવના ૭૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_75?fr=sOGIzYjQ5MTY0MjE  ખેવના ૭૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_76?fr=sMjJmMDQ5MTY0MjE  ખેવના ૭૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_77?fr=sZTEzMTQ5MTY0MjE  ખેવના ૭૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_78?fr=sNGZjYzQ5MTY0MjE  ખેવના ૭૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_79?fr=sMWIyNjQ5MTY0MjE  ખેવના ૭૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_80?fr=sNGUwYjQ5MTY0MjE  ખેવના ૮૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_81?fr=sYTIwOTQ5MTY0MjE  ખેવના ૮૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_82?fr=sYjIzNDQ5MTY0MjE  ખેવના ૮૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_83?fr=sM2FkOTQ5MTY0MjE  ખેવના ૮૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_84?fr=sNjRiMDQ5MTY0MjE  ખેવના ૮૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_85?fr=sNjUwZDQ5MTY0MjE  ખેવના ૮૫]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_86?fr=sNzg2YzQ5MTY0MjE  ખેવના ૮૬]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_87?fr=sYjllODQ5MTY0MjE  ખેવના ૮૭]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_88?fr=sZjFhOTQ5MTY0MjE  ખેવના ૮૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_89?fr=sYjBkNzQ5MTY0MjE  ખેવના ૮૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_90?fr=sZmMwOTQ5MTY0MjE  ખેવના ૯૦]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_91?fr=sOWJiZjQ5MTY0MjE  ખેવના ૯૧]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_92?fr=sNDhjYzQ5MTY0MjE  ખેવના ૯૨]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_93?fr=sYTRhNTQ5MTY0MjE  ખેવના ૯૩]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_94?fr=sMmQ5MjQ5MTY0MjE  ખેવના ૯૪]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_95-96-97-98?fr=sMTFmYTQ5MTY0MjE  ખેવના ૯૫–૯૬–૯૭–૯૮]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_99?fr=sMjEwMDQ5MTY0MjE  ખેવના ૯૯]&lt;br /&gt;
*[https://issuu.com/ekatra/docs/khevna_100?fr=sNjRjNTQ5MTY0MjE  ખેવના ૧૦૦]&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સામયિકો]]&lt;br /&gt;
[[Category:સુમન શાહ]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A7%E0%AB%82%E0%AA%AE%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AB%81_%E2%80%93_%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=112759</id>
		<title>ધૂમકેતુ – સર્જનસૂચિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A7%E0%AB%82%E0%AA%AE%E0%AA%95%E0%AB%87%E0%AA%A4%E0%AB%81_%E2%80%93_%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=112759"/>
		<updated>2026-07-17T07:56:34Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ધૂમકેતુ – સર્જનસૂચિ}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:૦px #000 solid;width:70%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; |&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;ટૂંકી વાર્તા&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧{{gap}}&lt;br /&gt;
| તણખામંડળ – ૧&lt;br /&gt;
| ૧૯૨૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨&lt;br /&gt;
| તણખામંડળ – ૨&lt;br /&gt;
| ૧૯૨૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩&lt;br /&gt;
| તણખામંડળ – ૩&lt;br /&gt;
| ૧૯૩૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪&lt;br /&gt;
| અવશેષ&lt;br /&gt;
| ૧૯૩૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫&lt;br /&gt;
| પ્રદીપ&lt;br /&gt;
| ૧૯૩૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬&lt;br /&gt;
| તણખામંડળ – ૪&lt;br /&gt;
| ૧૯૩૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭&lt;br /&gt;
| મલ્લિકા અને બીજી વાર્તા&lt;br /&gt;
| ૧૯૩૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮&lt;br /&gt;
| ત્રિભેટો&lt;br /&gt;
| ૧૯૩૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯&lt;br /&gt;
| આકાશદીપ&lt;br /&gt;
| ૧૯૪૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૦&lt;br /&gt;
| પરિશેષ&lt;br /&gt;
| ૧૯૪૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૧&lt;br /&gt;
| અનામિકા&lt;br /&gt;
| ૧૯૪૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૨&lt;br /&gt;
| વનછાયા&lt;br /&gt;
| ૧૯૪૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૩&lt;br /&gt;
| પ્રતિબિંબ&lt;br /&gt;
| ૧૯૫૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૪&lt;br /&gt;
| વનરેખા&lt;br /&gt;
| ૧૯૫૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૫&lt;br /&gt;
| જલદીપ&lt;br /&gt;
| ૧૯૫૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૬&lt;br /&gt;
| વનકુંજ&lt;br /&gt;
| ૧૯૫૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૭&lt;br /&gt;
| વનવેણુ&lt;br /&gt;
| ૧૯૫૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૮&lt;br /&gt;
| મંગલદીપ&lt;br /&gt;
| ૧૯૫૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૧૯&lt;br /&gt;
| ચંદ્રરેખા&lt;br /&gt;
| ૧૯૫૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૦&lt;br /&gt;
| નિકુંજ&lt;br /&gt;
| ૧૯૬૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૧&lt;br /&gt;
| સાંધ્યરંગ&lt;br /&gt;
| ૧૯૬૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૨&lt;br /&gt;
| સાંધ્યતેજ&lt;br /&gt;
| ૧૯૬૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૩&lt;br /&gt;
| વસંતકુંજ&lt;br /&gt;
| ૧૯૬૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૪&lt;br /&gt;
| છેલ્લો ઝબકારો&lt;br /&gt;
| ૧૯૬૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;ટૂંકી વાર્તા-સંપાદન&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૫&lt;br /&gt;
| ધૂમકેતુ પાઠસંગ્રહ&lt;br /&gt;
| ૧૯૩૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૬&lt;br /&gt;
| ધૂમકેતુ વાર્તાસમૃદ્ધિ&lt;br /&gt;
| ૧૯૫૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૭&lt;br /&gt;
| ધૂમકેતુ વાર્તાસૌરભ ૧-૨,&lt;br /&gt;
| ૧૯૫૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૮&lt;br /&gt;
| ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ&lt;br /&gt;
| ૧૯૫૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૨૯&lt;br /&gt;
| ધૂમકેતુનાં વાર્તારત્નો&lt;br /&gt;
| ૧૯૬૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;સામાજિક નવલકથા&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૦&lt;br /&gt;
| પૃથ્વીશ&lt;br /&gt;
| ૧૯૨૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૧&lt;br /&gt;
| રાજમુગુટ&lt;br /&gt;
| ૧૯૨૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૨&lt;br /&gt;
| રુદ્રશરણ મલ્લિકા&lt;br /&gt;
| ૧૯૩૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૩&lt;br /&gt;
| અજિતા&lt;br /&gt;
| ૧૯૩૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૪&lt;br /&gt;
| પરાજય&lt;br /&gt;
| ૧૯૩૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૫&lt;br /&gt;
| જીવનનાં ખંડેર&lt;br /&gt;
| ૧૯૬૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૬&lt;br /&gt;
| મંઝિલ, નહિ કિનારા&lt;br /&gt;
| ૧૯૬૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;ચૌલુક્યયુગ નવલકથાવલિ&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૭&lt;br /&gt;
| ચૌલાદેવી&lt;br /&gt;
| ૧૯૪૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૮&lt;br /&gt;
| રાજસન્યાસી&lt;br /&gt;
| ૧૯૪૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૩૯&lt;br /&gt;
| કર્ણાવતી&lt;br /&gt;
| ૧૯૪૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૦&lt;br /&gt;
| રાજકન્યા&lt;br /&gt;
| ૧૯૪૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૧&lt;br /&gt;
| વાચિનીદેવી&lt;br /&gt;
| ૧૯૪૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૨&lt;br /&gt;
| બર્બરક જિષ્ણુ જયસિંહ સિદ્ધરાજ&lt;br /&gt;
| ૧૯૪૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૩&lt;br /&gt;
| ત્રિભુવનગંડ જયસિંહ સિદ્ધરાજ&lt;br /&gt;
| ૧૯૪૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૪&lt;br /&gt;
| અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ&lt;br /&gt;
| ૧૯૪૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૫&lt;br /&gt;
| ગુર્જરેશ્વર કુમારપાળ&lt;br /&gt;
| ૧૯૪૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૬&lt;br /&gt;
| રાજર્ષિ કુમારપાળ&lt;br /&gt;
| ૧૯૫૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૭&lt;br /&gt;
| નાયિકાદેવી&lt;br /&gt;
| ૧૯૫૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૮&lt;br /&gt;
| રાય કરણઘેલો&lt;br /&gt;
| ૧૯૫૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૪૯&lt;br /&gt;
| અજિત ભીમદેવ&lt;br /&gt;
| ૧૯૫૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૦&lt;br /&gt;
| ગુર્જરપતિ મૂળરાજદેવ-૧&lt;br /&gt;
| ૧૯૬૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૧&lt;br /&gt;
| ગુર્જરપતિ મૂળરાજદેવ-૨&lt;br /&gt;
| ૧૯૬૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૨&lt;br /&gt;
| પરાધીન ગુજરાત&lt;br /&gt;
| ૧૯૬૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;ગુપ્તયુગ નવલકથાવલિ&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૩&lt;br /&gt;
| આમ્રપાલી&lt;br /&gt;
| ૧૯૫૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૪&lt;br /&gt;
| નગરી વૈશાલી&lt;br /&gt;
| ૧૯૫૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૫&lt;br /&gt;
| મગધપતિ&lt;br /&gt;
| ૧૯૫૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૬&lt;br /&gt;
| મહામાત્ય ચાણક્ય&lt;br /&gt;
| ૧૯૫૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૭&lt;br /&gt;
| ચંદ્રગુપ્ત મૌર્ય&lt;br /&gt;
| ૧૯૫૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૮&lt;br /&gt;
| સમ્રાટ ચંદ્રગુપ્ત&lt;br /&gt;
| ૧૯૫૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૫૯&lt;br /&gt;
| પ્રિયદર્શી અશોક&lt;br /&gt;
| ૧૯૫૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૦&lt;br /&gt;
| પ્રિયદર્શી સમ્રાટ અશોક&lt;br /&gt;
| ૧૯૫૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૧&lt;br /&gt;
| મગધસેનાપતિ પુષ્યમિત્ર&lt;br /&gt;
| ૧૯૫૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૨&lt;br /&gt;
| મહારાજ્ઞી કુમારદેવી&lt;br /&gt;
| ૧૯૬૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૩&lt;br /&gt;
| ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત - ૧&lt;br /&gt;
| ૧૯૬૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૪&lt;br /&gt;
| ભારતસમ્રાટ સમુદ્રગુપ્ત - ૨&lt;br /&gt;
| ૧૯૬૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૫&lt;br /&gt;
| ધ્રુવદેવી&lt;br /&gt;
| ૧૯૬૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;આત્મકથા&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૬&lt;br /&gt;
| જીવનપંથ&lt;br /&gt;
| ૧૯૪૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૭&lt;br /&gt;
| જીવનરંગ&lt;br /&gt;
| ૧૯૫૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;જીવનચરિત્ર&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૮&lt;br /&gt;
| કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય&lt;br /&gt;
| ૧૯૪૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;નિબંધ&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૬૯&lt;br /&gt;
| જીવનચક્ર&lt;br /&gt;
| ૧૯૩૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૦&lt;br /&gt;
| સર્જન અને ચિંતન&lt;br /&gt;
| ૧૯૩૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૧&lt;br /&gt;
| પગદંડી&lt;br /&gt;
| ૧૯૪૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૨&lt;br /&gt;
| પાનગોષ્ઠિ&lt;br /&gt;
| ૧૯૪૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૩&lt;br /&gt;
| વાતાયન&lt;br /&gt;
| ૧૯૪૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૪&lt;br /&gt;
| સાહિત્યવિચારણા&lt;br /&gt;
| ૧૯૬૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૫&lt;br /&gt;
| જીવનવિચારણા&lt;br /&gt;
| ૧૯૭૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;નાટક&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૬&lt;br /&gt;
| એકલવ્ય અને બીજાં નાટકો&lt;br /&gt;
| ૧૯૩૩&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૭&lt;br /&gt;
| ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો&lt;br /&gt;
| ૧૯૪૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;ચિંતન&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૮&lt;br /&gt;
| રજકણ&lt;br /&gt;
| ૧૯૩૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૭૯&lt;br /&gt;
| જલબિંદુ&lt;br /&gt;
| ૧૯૩૬&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૦&lt;br /&gt;
| મેઘબિંદુ&lt;br /&gt;
| ૧૯૫૦&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૧&lt;br /&gt;
| તુષારબિંદુ&lt;br /&gt;
| ૧૯૫૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૨&lt;br /&gt;
| પદ્મરેણુ&lt;br /&gt;
| ૧૯૫૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૩&lt;br /&gt;
| તેજબિંદુ&lt;br /&gt;
| ૧૯૫૨&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૪&lt;br /&gt;
| ધૂમકેતુના તેજતણખા&lt;br /&gt;
| ૧૯૬૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| colspan=&amp;quot;3&amp;quot; | &#039;&#039;&#039;અનુવાદ&#039;&#039;&#039;&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૫&lt;br /&gt;
| જિબ્રાનની જીવનવાણી&lt;br /&gt;
| ૧૯૪૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૬&lt;br /&gt;
| જિબ્રાનની જીવનવાટિકા&lt;br /&gt;
| ૧૯૫૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૭&lt;br /&gt;
| જિબ્રાનનું જીવનસ્વપ્ન&lt;br /&gt;
| ૧૯૫૮&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૮&lt;br /&gt;
| જિબ્રાનનું જીવનદર્શન&lt;br /&gt;
| ૧૯૬૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૮૯&lt;br /&gt;
| જિબ્રાનનાં જીવનમૌક્તિકો&lt;br /&gt;
| ૧૯૭૯&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯૦&lt;br /&gt;
| ગીતાંજલિ&lt;br /&gt;
| ૧૯૫૭&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ૯૧&lt;br /&gt;
| —ઉપરાંત બાળસાહિત્ય તેમજ લોકભોગ્ય પ્રૌઢસાહિત્યનાં સાઠેક પ્રકાશનો.&lt;br /&gt;
| &lt;br /&gt;
|}&lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:સાહિત્યવિશ્વ]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7&amp;diff=112747</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7&amp;diff=112747"/>
		<updated>2026-07-16T11:25:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Sahityakosh1.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
મધ્યકાળ&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદના કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક વિશ્વાસપાત્ર તમામ માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે.&lt;br /&gt;
આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;કીર્તિદા શાહ&#039;&#039;&#039;, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક | પ્રારંભિક]]&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ| અ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક| ક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ક્ષ| ક્ષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ખ| ખ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ગ| ગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ઘ| ઘ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ચ| ચ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ| છ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ| જ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ| ઝ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ| ઠ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ| ડ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઢ| ઢ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત| ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ| થ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ| દ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ| ધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન| ન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ| પ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ| ફ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ| બ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ| ભ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ| મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય| ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર| ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ| લ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ| વ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ| શ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ| સ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ| હ ]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7&amp;diff=112746</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7&amp;diff=112746"/>
		<updated>2026-07-16T11:23:45Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Sahityakosh1.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
મધ્યકાળ&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદના કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક વિશ્વાસપાત્ર તમામ માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે.&lt;br /&gt;
આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;કીર્તિદા શાહ&#039;&#039;&#039;, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક | પ્રારંભિક]]&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ| અ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક| ક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ક્ષ| ક્ષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ખ| ખ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ગ| ગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ઘ| ઘ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ચ| ચ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ| છ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ| જ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ| ઝ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ| ઠ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ| ડ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઢ| ઢ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત| ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ| થ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ| દ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ| ધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન| ન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ| પ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ| ફ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ| બ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ| ભ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ| મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય| ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર| ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ| લ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ| વ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ| શ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ| સ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ| હ ]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7&amp;diff=112745</id>
		<title>ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6_%E0%AA%96%E0%AA%82%E0%AA%A1_%E0%AB%A7&amp;diff=112745"/>
		<updated>2026-07-16T11:23:00Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Gujarati Sahityakosh1.jpg&lt;br /&gt;
|title = ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
મધ્યકાળ&lt;br /&gt;
}}&lt;br /&gt;
{{Poem2Open}} &lt;br /&gt;
ગુજરાતી સાહિત્ય પરિષદના કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક વિશ્વાસપાત્ર તમામ માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે.&lt;br /&gt;
આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Right |&#039;&#039;&#039;કીર્તિદા શાહ&#039;&#039;&#039;, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ}} &amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક | પ્રારંભિક]]&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;અનુક્રમ&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ| અ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક| ક ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ક્ષ| ક્ષ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ખ| ખ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ગ| ગ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ઘ| ઘ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧/અનુક્રમ/ચ| ચ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ| છ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ| જ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ| ઝ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ| ઠ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ| ડ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઢ| ઢ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત| ત ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ| થ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ| દ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ| ધ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન| ન ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ| પ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ| ફ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ| બ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ| ભ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ| મ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય| ય ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર| ર ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ| લ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ| વ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ| શ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ| સ ]]&lt;br /&gt;
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ| હ ]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112583</id>
		<title>ગુજરાતી બાળવાર્તા સંપદા/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112583"/>
		<updated>2026-07-14T19:51:54Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|  કૃતિ-પરિચય | ગુજરાતી બાળવાર્તા સંપદા }}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગુજરાતી બાળકેળવણી અને બાળસાહિત્યની દશા અને દિશા બદલનાર, &#039;મૂછાળી મા&#039; તરીકે પ્રતિષ્ઠિત ગિજુભાઈ બધેકાએ લોકપ્રચલિત કથાઓનું બાલભોગ્ય ભાષામાં રૂપાંતર કર્યું. તેમનાથી શરૂ થયેલા શુદ્ધ બાળસાહિત્યથી આજ સુધી થયેલા બાળવાર્તાકારોની વાર્તાઓમાંથી પસંદ કરેલી વાર્તાઓ પ્રસ્તુત સંપાદનમાં મૂકી છે. વિષયવૈવિધ્ય અને રસવૈવિધ્ય ધરાવતી આ બાળવાર્તાઓ ગુજરાતી બાળવાર્તાસાહિત્યનું એક મનોહર, રમણીય ચિત્ર રજૂ કરે છે. અહીં કથાનકની બાલભોગ્યતા, ભાષા અને મૂલ્યશિક્ષણ વગેરેને ધ્યાનમાં રાખી વાર્તાઓ પસંદ કરી છે. આ સંગ્રહ ગુજરાતી બાળવાર્તાના ઇતિહાસનો આછોપાતળો ખ્યાલ આપે છે. વડીલો પોતાની માતૃભાષાની આ મૂડીને આગળની પેઢી સુધી પહોંચાડી શકશે. આ વાર્તાઓ વાંચતાં તેઓ પોતાની બાલ્યાવસ્થામાં વિહરશે અને એ વાર્તાઓ સંભળાવી ત્રીજી પેઢીના બાળકોને પણ પ્રસન્ન કરશે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત આ &#039;ગુજરાતી બાળવાર્તા સંપદા&#039;ની વાર્તાઓ આપને, આપના કુટુંબીજનોને અને ખાસ કરીને ઊગતી પેઢીને આનંદ આપશે અને જીવનનું મૂલ્ય સમજાવશે એ અપેક્ષા અસ્થાને નથી.&lt;br /&gt;
{{સ-મ|&#039;&#039;&#039;તા. ૨૨-૧૦-૨૦૨૫&#039;&#039;&#039;||&#039;&#039;&#039;– શ્રદ્ધા ત્રિવેદી&#039;&#039;&#039;}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સંપાદક-પરિચય&lt;br /&gt;
|next = આનંદી કાગડો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112560</id>
		<title>અમૃતા</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%AE%E0%AB%83%E0%AA%A4%E0%AA%BE&amp;diff=112560"/>
		<updated>2026-07-14T06:39:45Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: added Category:નવલકથા using HotCat&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;&lt;br /&gt;
__NOTOC__&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:Amruta Book Cover.jpg&lt;br /&gt;
|title =  અમૃતા&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;રઘુવીર ચૌધરી&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[અમૃતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[અમૃતા/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content = &lt;br /&gt;
&lt;br /&gt;
પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ &lt;br /&gt;
* [[અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/એક|પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/એક]]&lt;br /&gt;
* [[અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/બે|પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/બે]]&lt;br /&gt;
* [[અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/ત્રણ|પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/ત્રણ]]&lt;br /&gt;
* [[અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/ચાર|પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/ચાર]]&lt;br /&gt;
* [[અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/પાંચ|પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/પાંચ]]&lt;br /&gt;
* [[અમૃતા/પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/છ|પ્રથમ સર્ગ - પ્રશ્નાર્થ/છ]]&lt;br /&gt;
&lt;br /&gt;
દ્વિતીય સર્ગ - પ્રતિભાવ&lt;br /&gt;
&lt;br /&gt;
* [[અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/એક|દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/એક]]&lt;br /&gt;
* [[અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/બે|દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/બે]]&lt;br /&gt;
* [[અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/ત્રણ|દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/ત્રણ]]&lt;br /&gt;
* [[અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/ચાર|દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/ચાર]]&lt;br /&gt;
* [[અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/પાંચ|દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/પાંચ]]&lt;br /&gt;
* [[અમૃતા/દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/છ|દ્વિતીય સર્ગ - પ્રતિભાવ/છ]]&lt;br /&gt;
&lt;br /&gt;
તૃતીય સર્ગ - નિરુત્તર&lt;br /&gt;
&lt;br /&gt;
* [[અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/એક|તૃતીય સર્ગ - નિરુત્તર/એક]]&lt;br /&gt;
* [[અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/બે|તૃતીય સર્ગ - નિરુત્તર/બે]]&lt;br /&gt;
* [[અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/ત્રણ|તૃતીય સર્ગ - નિરુત્તર/ત્રણ]]&lt;br /&gt;
* [[અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/ચાર|તૃતીય સર્ગ - નિરુત્તર/ચાર]]&lt;br /&gt;
* [[અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/પાંચ|તૃતીય સર્ગ - નિરુત્તર/પાંચ]]&lt;br /&gt;
* [[અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/છ|તૃતીય સર્ગ - નિરુત્તર/છ]]&lt;br /&gt;
&lt;br /&gt;
* [[અમૃતા/સમીક્ષા - નગીનદાસ પારેખ|સમીક્ષા - નગીનદાસ પારેખ]]&lt;br /&gt;
&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નવલકથા]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112477</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112477"/>
		<updated>2026-07-08T07:00:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન|અજય રાવલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘અહીં હું જન્મ્યો’તો, વનની વચમાં તે વન નથી;&lt;br /&gt;
નથી એ માટીનું ઘર નિજ લહ્યાં તે જન નથી.’&lt;br /&gt;
આ પંક્તિમાં રહેલો અતીતરાગ સર્જક જયન્ત પાઠકના સર્જનનું એક સ્થાયી સંવેદન છે. તેમણે એક મુલાકાતમાં પણ કહ્યું છે, “૧૯૬૦ની આસપાસ વતન, શૈશવ, અતીતનાં સંવેદનો એકાએક જાગ્યાં ને કવિતામાં, સ્મૃતિકથામાં તેમ નિબંધોમાં પ્રગટ થતાં રહ્યાં” તેમના સર્જનનાં મૂળ બાળપણમાં પડેલાં છે. ચેઝારે પાવેસ તેમની નોંધપોથીમાં લખે છે, “બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતી જેવી હોય છે ત્યારે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.” જયન્ત પાઠકનું બાળપણ વનભૂમિમાં વીત્યું છે. આ અતીતરાગ અવારનવાર જુદાં જુદાં રૂપ ધરીને તેમનાં સર્જનમાં પ્રગટે છે - ક્યારેક એ કવિતાનું રૂપ ધરે, ક્યારેક ‘વનાંચલ’ (૧૯૬૭) જેવી આસ્વાદ્ય સ્મરણકથાનું રૂપ ધરે તો ક્યારે ‘તરુરાગ’ (૧૯૮૭) જેવા નિબંધનું રૂપ ધરે. સર્જક એક જ સંવેદનને અનેક સ્વરૂપોમાં પ્રગટ કરી શકે તેની સાથે તો કોઈ તકરાર ન હોઈ શકે, ભાવક તરીકે આપણી નિસબત તો કલાકૃતિ તરીકે રચના કેવી નિપજી આવી છે એ હોવી ઘટે.&lt;br /&gt;
અગાઉ ‘તરુરાગ’(૧૯૮૭)માં વતનનાં વૃક્ષો નિમિત્તે લખાયેલા કેટલાક નિબંધો ગ્રંથસ્થ થયેલા ત્યાર બાદ વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો લખાયા તેને ‘તરુરાગ’ સંગ્રહમાં ઉમેરી આઠ વર્ષના અંતરાલ પછી ‘તરુરાગ અને નદીસૂક્ત’ નામે નિબંધસંગ્રહ આપણને જયન્ત પાઠક આપે છે.&lt;br /&gt;
આ નિબંધસંગ્રહ સંદર્ભે આપણી જિજ્ઞાસાનો વિષય એ બને કે નિબંધકાર ‘હું’ની સંચલના તેમાં કેવી રીતે પ્રગટી છે અને તેના વડે નિબંધનું કેવું રૂપ આપણી સામે ઊઘડે છે. નિબંધકાર જાણે છે, “જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને બેઠું હોય છે છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું. વળી, સ્મરણથી મરણને થોડીવાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવી નથી.” (પૃ.૯૬) આમ, અહીં નિબંધકારનો ‘હું’ વતનના પ્રાકૃતિક પરિવેશ - જુદાં જુદાં વૃક્ષો અને નદીઓ — વડે સંચારિત થાય છે. નિબંધકારનો તરુરાગ અને નદીરાગ તો ખરો જ પણ વર્તમાનમાં એ વૃક્ષો-નદીઓને ફરી પામવાનો ઝુરાપો આ નિબંધોનું ચાલકબળ બને છે. અહીં વતનનાં વૃક્ષોનું તીવ્રરાગથી સ્મરણ તો થયું જ છે સાથોસાથ એ વૃક્ષોની આસપાસ કેટલાંક સંવેદનબિંદુઓ તીવ્રતાથી આલેખાય છે ને કથારૂપ ધરે છે તેથી વૃક્ષ માત્ર વૃક્ષ ન રહેતાં ‘નાથા ડોસાનો આંબો’ બની જાય કે ‘બુધાનો લીમડો’ બની જાય છે. આમ, વૃક્ષ અને પાત્ર પરસ્પરમાં ગૂંથાઈને નિબંધને આસ્વાદ્ય બનાવે છે. આમ રચાય છે એક વિરલ સ્મરણયાત્રા જેમાં છે – ‘શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતરબાહ્યજીવન’ નિબંધોનું આ છે ભાવ વિશ્વ. તેમાં ભળે છે આ વિશ્વને ફરી પામવાનો ઝુરાપો - તેને ગુમાવવાનો વિષાદ.&lt;br /&gt;
નિબંધોમાં જુદાં જુદાં વૃક્ષોની આગવી ઓળખ ઊભી થઈ છે. રૂપ, રંગ, ગંધ, આકાર કે સ્વભાવથી અનોખી સૃષ્ટિ કેવી રીતે આલેખાય છે. નિબંધકાર વૃક્ષ-પરિચય આ રીતે કરાવે છે, “જેમ જાતજાતના સ્વભાવવાળા માણસ તેમ જાતજાતનાં સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસી-લળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી, મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી, સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે, સંસાર વચ્ચે તેઓ એકલવાયા” (પૃ.૩૭) આવાં સ્વભાવવાળાં - ખાસ તો વતનનાં જુદાં જુદાં વૃક્ષો-વડ, પીપળો, આંબો, આમલી, લીમડો, શીમળો, કૉઠી, તાડ, કઢાઈ, કણઝી, પીપળો એમ વિવિધ વૃક્ષોના આલેખનથી વૃક્ષવિશ્વ ખડું થાય છે.&lt;br /&gt;
નિબંધકારની સંવેદનપટુતા અને સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ કેટલાંક વૃક્ષોને આ રીતે ચાક્ષુષ કરાવી આપે છે જેમકે, ઝાંપાનો વડ : “અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાત-દિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલલાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલાનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ.”&lt;br /&gt;
નદીકાંઠાની કણઝી : “ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે.” (પૃ.૫૭) આ ઉપરાંત બુધાનો લીમડો, જીરા કૉઠી, પસાયતાનો તાડ વગેરે વૃક્ષોનું આલેખન આનાં ઉદાહરણમાં મૂકી શકાય. નિબંધકાર વૃક્ષ વિશે વાત કરતાં કરતાં સહજ રીતે શૈશવની ભરીભરી સૃષ્ટિમાં પહોંચી જાય છે અને શૈશવની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ફરી જીવી લે છે - શૈશવની કેટલીય રમતો, શૈશવ સાથે અભિન્ન રીતે જોડાયેલી ભય, વિસ્મય, કુતૂહલ અને અદ્ભુતની સૃષ્ટિ અહીં ઊઘડી રહે છે. તો શૈશવની સાથે અહીં પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનું પણ સમભાવપૂર્ણ આલેખન થયેલું છે.&lt;br /&gt;
સ્મૃતિ હંમેશાં આશ્રિત હોય છે. અહીં વૃક્ષ અને વ્યક્તિની સ્મૃતિ એટલી તો પરસ્પરાશ્રિત છે કે વૃક્ષસંદર્ભે વ્યક્તિસ્મૃતિ અને વ્યક્તિસંદર્ભે વૃક્ષસ્મૃતિ નિબંધકારના ચિત્તમાં સાથેસાથે જાગે છે અને નિબંધ આસ્વાદ્ય બને છે, તેમ છતાં, નિબંધકાર કેટલાંક વૃક્ષો અને વ્યક્તિઓને અલગ ઓળખ આપવામાં સફળ રહ્યા છે જેમ કે નાથા ડોસાનો આંબો(પૃ.૪૫-૪૬). આ ઉપરાંત જીરા કૉઠી, કણઝી વગેરે વૃક્ષોની અલગ ઓળખ ઊભી થઈ છે. તેથી અહીં ઍમર્સનથી જુદું - વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે એમ નહીં પણ વૃક્ષો પણ પૂર્ણ મનુષ્ય છે એવી પ્રતીતિ કરાવે તેવું આલેખન છે. જોકે, બધા નિબંધોમાં આવું આલેખન સાદ્યંત જળવાતું નથી એ પણ નોંધવું પડે. વૃક્ષોની સાથે જ કેટલીક વ્યક્તિઓ સ્મૃતિમાં અકબંધ સચવાઈ છે. અહીં થોડીક રેખાઓથી જ એમનું જીવંત આલેખન થયું છે. જેમ કે, સોમા ખુશાલ — ‘ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું, બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું” (પૃ.૪૯) કે “મોટાં મોટાં દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણી.” આ ઉપરાંત બાવાજી રામપ્રકાશ, નાથા ડોસા વગેરે વ્યક્તિચિત્રો સ્મરણીય છે.&lt;br /&gt;
વૃક્ષનિમિત્તે નિબંધકાર વતનના લોકને પણ આલેખે છે — બાવાજી રામપ્રકાશ પીપળાને પરણાવે, ધનસુખકાકા દાઢ મંતરે, આદિવાસી સ્ત્રી-પુરુષો મેળો માણે, સોમા ખુશાલ તાડી પીને ઘોરે - આ બધામાંથી લોકનું ચિત્ર ઊપસે છે. તેમની રહેણીકરણી, નબળી આર્થિક પરિસ્થિતિ માટેની ચિંતા, બદલાતો જતો લોક, વહેમો, માન્યતાઓ, અંધશ્રદ્ધાથી અને દેવી-દેવતાઓથી ભર્યોભર્યો લોક અને તેના સરળ જીવનનું એવું જ સરળ આલેખન ધ્યાનાર્હ છે. બધાં વૃક્ષોના આલેખન પછી આવતો નિબંધ ‘સ્વપ્નતરુ’ તેની ભાષા અને આલેખનરીતિથી જુદો પડે છે. એક એવું વૃક્ષ કે જેને નિબંધકારે સ્વપ્ન રૂપે જોયું છે – ઘણીવાર. સ્વપ્નતરુમાં વૃક્ષને વ્યક્તિ તરીકે કલ્પીને એક વિશિષ્ટ એવી સૃષ્ટિ ઊભી કરી છે.&lt;br /&gt;
નિબંધસંગ્રહમાં ‘નદીસૂક્ત’ શીર્ષક હેઠળ આઠ જેટલા નદીવિષયક નિબંધો સ્થાન પામેલા છે. આમાં વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો છે. વર્તમાનમાં આ નદીઓને પામવાનો ઝુરાપો ‘તરુરાગ’ના નિબંધોની જેમ આ નિબંધોનું ચાલકબળ બને છે. નિબંધકાર કહે છે, ‘મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરાવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા.” (પૃ.૭૦) અહીં પૂર્વ પંચમહાલની કરડ, બેસણો, ધુસ્કો, ગોમા જેવી નાની-મોટી નદીઓ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણો આસ્વાદ્ય નીવડે છે. વૃક્ષની માફક નદીઓની પણ આગવી ઓળખ આ રીતે ઊભી થઈ છે : ‘ગોમા એટલે રેતીની નદી’ (પૃ.૭૯) કરડ નદી “..આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો, રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે. હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે.” (પૃ.૮૪) આમ નદીના ગુણ પ્રમાણે નામ અને નદીનું ઘોડામાં થતું રૂપાંતર નિબંધકારની કવિત્વશક્તિનું દ્યોતક છે તો નદી નિમિત્તે સ્મૃતિમાં સંઘરેલાં પાત્રો આદમ ઘાંચી, છગુ ટપાલીનાં વ્યક્તિચિત્રો એટલાં જ સરસ રીતે આલેખાયાં છે. ‘સ્મૃતિના અજવાળે’ નિબંધમાં ‘ડી’ નદી નિમિત્તે વતનની કરડ નદીમાં પહોંચી જતો કિશોર અને પછી તો કરડ એટલે ડી અને ડી એટલે કરડ એમ નદીનું સ્વરૂપાંતરનું ચિત્ર હૃદયંગમ બન્યું છે.&lt;br /&gt;
હરણછાપ કે ઘોડાછાપ છત્રી કે હલકારાનો ઉલ્લેખ એક મોટા કાળખંડને ખેસવીને આપણને છેક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે. આમ, અતીત ઝળહળી રહે છે. અકબરઅલી અને મહમ્મદઅલીની દુકાનના અસબાબનું વર્ણન દસ્તાવેજી ઢબે થયું છે. આવાં અનેક સ્થાન પર આપણી આંખ અટકે એવી વિગતો સહજ રીતે આલેખાય છે. નિબંધોમાં યથોચિત રીતે કાલિદાસ, શેક્સપિયર, ઉમાશંકર જેવા સર્જકો પણ યાદ આવતા રહ્યા છે.&lt;br /&gt;
આ નિબંધમાં અતીતના ભાવવિશ્વથી દૂર થવાનો વિષાદ અવારનવાર સપાટી પર આવીને આ રીતે આલેખાય છે, “વગડો ગયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું – જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું.” (પૃ.૪૪) “દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો.’” (પૃ.૫૮) જોઈ શકાય છે કે અહીં વૃક્ષો-વગડો જવાનો, નદી ખોવાયાનો વિષાદ નિબંધકારને પીડે છે. નિજી કહેતાં – સાવ પોતીકા સંવેદનની આ સરળ અભિવ્યક્તિ આસ્વાદ્ય છે.&lt;br /&gt;
આ સંગ્રહનું ગદ્ય પ્રવાહી છે. અભિવ્યક્તિ સરળ છે. જયન્ત પાઠક મૂળે કવિ છે. તેમની કવિત્વશક્તિ આ નિબંધોને પ્રાણવંત બનાવે છે. ‘અજવાળી છડાં જેવી રાત છે’ કે ‘ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને ટાઢો થયો છે’ જેવાં કલ્પનોમાં અભિવ્યક્તિની તાજગી અને સહજતા છે. કેટલાક નિબંધો બોલીના વિનિયોગથી વસ્તુલક્ષી બન્યા છે, “એ કિયો ઢૂંકવાઈ રિયો છે?” (પૃ.૧૦૦) આ ઉપરાંત અલંકાર અને કલ્પનોમાં પણ અભિવ્યક્તિનું નાવીન્ય છે, “પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ!” (પૃ.૫૧)&lt;br /&gt;
ભાષામાં શૈલીવૈવિધ્ય પણ ધ્યાનાર્હ છે – ક્યાંક સંવેદનપૂર્ણ શૈલી, ક્યાંક લાઘવપૂર્ણ શૈલી તો ક્યાંક કટાક્ષસભર શૈલી પ્રયોજીને નિબંધકારે ગદ્યના સૌંદર્યને પ્રગટ કર્યું છે. છતાં નિરૂપણમાં થતું પુનરાવર્તન ખટકે એવું છે જેમ કે, ઘુવડનું બોલવું એકથી વધુ વાર આવે (પૃ.૧૮,૨૮,૩૮) અને જુદાં જુદાં વૃક્ષો માટે - સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે - એવા નિર્દેશો પણ એકથી વધુવાર (પૃ.૩૫-૪૪) આવે છે – એ ટાળવા જેવું હતું. આ મર્યાદાઓ છતા પ્રસ્તુત નિબંધસંગ્રહ નોંધપાત્ર બન્યો છે — પોતીકા સંવેદનથી ખચિત એવા નિંબધોથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;નિસબત&#039; (૨૦૦૪)&amp;lt;br&amp;gt;&#039;પરબ&#039;, જૂન ૧૯૯૯}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નકશા બહારની નદી&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112476</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112476"/>
		<updated>2026-07-08T07:00:15Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન|અજય રાવલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘અહીં હું જન્મ્યો’તો, વનની વચમાં તે વન નથી;&lt;br /&gt;
નથી એ માટીનું ઘર નિજ લહ્યાં તે જન નથી.’&lt;br /&gt;
આ પંક્તિમાં રહેલો અતીતરાગ સર્જક જયન્ત પાઠકના સર્જનનું એક સ્થાયી સંવેદન છે. તેમણે એક મુલાકાતમાં પણ કહ્યું છે, “૧૯૬૦ની આસપાસ વતન, શૈશવ, અતીતનાં સંવેદનો એકાએક જાગ્યાં ને કવિતામાં, સ્મૃતિકથામાં તેમ નિબંધોમાં પ્રગટ થતાં રહ્યાં” તેમના સર્જનનાં મૂળ બાળપણમાં પડેલાં છે. ચેઝારે પાવેસ તેમની નોંધપોથીમાં લખે છે, “બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતી જેવી હોય છે ત્યારે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.” જયન્ત પાઠકનું બાળપણ વનભૂમિમાં વીત્યું છે. આ અતીતરાગ અવારનવાર જુદાં જુદાં રૂપ ધરીને તેમનાં સર્જનમાં પ્રગટે છે - ક્યારેક એ કવિતાનું રૂપ ધરે, ક્યારેક ‘વનાંચલ’ (૧૯૬૭) જેવી આસ્વાદ્ય સ્મરણકથાનું રૂપ ધરે તો ક્યારે ‘તરુરાગ’ (૧૯૮૭) જેવા નિબંધનું રૂપ ધરે. સર્જક એક જ સંવેદનને અનેક સ્વરૂપોમાં પ્રગટ કરી શકે તેની સાથે તો કોઈ તકરાર ન હોઈ શકે, ભાવક તરીકે આપણી નિસબત તો કલાકૃતિ તરીકે રચના કેવી નિપજી આવી છે એ હોવી ઘટે.&lt;br /&gt;
અગાઉ ‘તરુરાગ’(૧૯૮૭)માં વતનનાં વૃક્ષો નિમિત્તે લખાયેલા કેટલાક નિબંધો ગ્રંથસ્થ થયેલા ત્યાર બાદ વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો લખાયા તેને ‘તરુરાગ’ સંગ્રહમાં ઉમેરી આઠ વર્ષના અંતરાલ પછી ‘તરુરાગ અને નદીસૂક્ત’ નામે નિબંધસંગ્રહ આપણને જયન્ત પાઠક આપે છે.&lt;br /&gt;
આ નિબંધસંગ્રહ સંદર્ભે આપણી જિજ્ઞાસાનો વિષય એ બને કે નિબંધકાર ‘હું’ની સંચલના તેમાં કેવી રીતે પ્રગટી છે અને તેના વડે નિબંધનું કેવું રૂપ આપણી સામે ઊઘડે છે. નિબંધકાર જાણે છે, “જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને બેઠું હોય છે છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું. વળી, સ્મરણથી મરણને થોડીવાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવી નથી.” (પૃ.૯૬) આમ, અહીં નિબંધકારનો ‘હું’ વતનના પ્રાકૃતિક પરિવેશ - જુદાં જુદાં વૃક્ષો અને નદીઓ — વડે સંચારિત થાય છે. નિબંધકારનો તરુરાગ અને નદીરાગ તો ખરો જ પણ વર્તમાનમાં એ વૃક્ષો-નદીઓને ફરી પામવાનો ઝુરાપો આ નિબંધોનું ચાલકબળ બને છે. અહીં વતનનાં વૃક્ષોનું તીવ્રરાગથી સ્મરણ તો થયું જ છે સાથોસાથ એ વૃક્ષોની આસપાસ કેટલાંક સંવેદનબિંદુઓ તીવ્રતાથી આલેખાય છે ને કથારૂપ ધરે છે તેથી વૃક્ષ માત્ર વૃક્ષ ન રહેતાં ‘નાથા ડોસાનો આંબો’ બની જાય કે ‘બુધાનો લીમડો’ બની જાય છે. આમ, વૃક્ષ અને પાત્ર પરસ્પરમાં ગૂંથાઈને નિબંધને આસ્વાદ્ય બનાવે છે. આમ રચાય છે એક વિરલ સ્મરણયાત્રા જેમાં છે – ‘શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતરબાહ્યજીવન’ નિબંધોનું આ છે ભાવ વિશ્વ. તેમાં ભળે છે આ વિશ્વને ફરી પામવાનો ઝુરાપો - તેને ગુમાવવાનો વિષાદ.&lt;br /&gt;
નિબંધોમાં જુદાં જુદાં વૃક્ષોની આગવી ઓળખ ઊભી થઈ છે. રૂપ, રંગ, ગંધ, આકાર કે સ્વભાવથી અનોખી સૃષ્ટિ કેવી રીતે આલેખાય છે. નિબંધકાર વૃક્ષ-પરિચય આ રીતે કરાવે છે, “જેમ જાતજાતના સ્વભાવવાળા માણસ તેમ જાતજાતનાં સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસી-લળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી, મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી, સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે, સંસાર વચ્ચે તેઓ એકલવાયા” (પૃ.૩૭) આવાં સ્વભાવવાળાં - ખાસ તો વતનનાં જુદાં જુદાં વૃક્ષો-વડ, પીપળો, આંબો, આમલી, લીમડો, શીમળો, કૉઠી, તાડ, કઢાઈ, કણઝી, પીપળો એમ વિવિધ વૃક્ષોના આલેખનથી વૃક્ષવિશ્વ ખડું થાય છે.&lt;br /&gt;
નિબંધકારની સંવેદનપટુતા અને સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ કેટલાંક વૃક્ષોને આ રીતે ચાક્ષુષ કરાવી આપે છે જેમકે, ઝાંપાનો વડ : “અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાત-દિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલલાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલાનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ.”&lt;br /&gt;
નદીકાંઠાની કણઝી : “ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે.” (પૃ.૫૭) આ ઉપરાંત બુધાનો લીમડો, જીરા કૉઠી, પસાયતાનો તાડ વગેરે વૃક્ષોનું આલેખન આનાં ઉદાહરણમાં મૂકી શકાય. નિબંધકાર વૃક્ષ વિશે વાત કરતાં કરતાં સહજ રીતે શૈશવની ભરીભરી સૃષ્ટિમાં પહોંચી જાય છે અને શૈશવની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ફરી જીવી લે છે - શૈશવની કેટલીય રમતો, શૈશવ સાથે અભિન્ન રીતે જોડાયેલી ભય, વિસ્મય, કુતૂહલ અને અદ્ભુતની સૃષ્ટિ અહીં ઊઘડી રહે છે. તો શૈશવની સાથે અહીં પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનું પણ સમભાવપૂર્ણ આલેખન થયેલું છે.&lt;br /&gt;
સ્મૃતિ હંમેશાં આશ્રિત હોય છે. અહીં વૃક્ષ અને વ્યક્તિની સ્મૃતિ એટલી તો પરસ્પરાશ્રિત છે કે વૃક્ષસંદર્ભે વ્યક્તિસ્મૃતિ અને વ્યક્તિસંદર્ભે વૃક્ષસ્મૃતિ નિબંધકારના ચિત્તમાં સાથેસાથે જાગે છે અને નિબંધ આસ્વાદ્ય બને છે, તેમ છતાં, નિબંધકાર કેટલાંક વૃક્ષો અને વ્યક્તિઓને અલગ ઓળખ આપવામાં સફળ રહ્યા છે જેમ કે નાથા ડોસાનો આંબો(પૃ.૪૫-૪૬). આ ઉપરાંત જીરા કૉઠી, કણઝી વગેરે વૃક્ષોની અલગ ઓળખ ઊભી થઈ છે. તેથી અહીં ઍમર્સનથી જુદું - વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે એમ નહીં પણ વૃક્ષો પણ પૂર્ણ મનુષ્ય છે એવી પ્રતીતિ કરાવે તેવું આલેખન છે. જોકે, બધા નિબંધોમાં આવું આલેખન સાદ્યંત જળવાતું નથી એ પણ નોંધવું પડે. વૃક્ષોની સાથે જ કેટલીક વ્યક્તિઓ સ્મૃતિમાં અકબંધ સચવાઈ છે. અહીં થોડીક રેખાઓથી જ એમનું જીવંત આલેખન થયું છે. જેમ કે, સોમા ખુશાલ — ‘ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું, બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું” (પૃ.૪૯) કે “મોટાં મોટાં દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણી.” આ ઉપરાંત બાવાજી રામપ્રકાશ, નાથા ડોસા વગેરે વ્યક્તિચિત્રો સ્મરણીય છે.&lt;br /&gt;
વૃક્ષનિમિત્તે નિબંધકાર વતનના લોકને પણ આલેખે છે — બાવાજી રામપ્રકાશ પીપળાને પરણાવે, ધનસુખકાકા દાઢ મંતરે, આદિવાસી સ્ત્રી-પુરુષો મેળો માણે, સોમા ખુશાલ તાડી પીને ઘોરે - આ બધામાંથી લોકનું ચિત્ર ઊપસે છે. તેમની રહેણીકરણી, નબળી આર્થિક પરિસ્થિતિ માટેની ચિંતા, બદલાતો જતો લોક, વહેમો, માન્યતાઓ, અંધશ્રદ્ધાથી અને દેવી-દેવતાઓથી ભર્યોભર્યો લોક અને તેના સરળ જીવનનું એવું જ સરળ આલેખન ધ્યાનાર્હ છે. બધાં વૃક્ષોના આલેખન પછી આવતો નિબંધ ‘સ્વપ્નતરુ’ તેની ભાષા અને આલેખનરીતિથી જુદો પડે છે. એક એવું વૃક્ષ કે જેને નિબંધકારે સ્વપ્ન રૂપે જોયું છે – ઘણીવાર. સ્વપ્નતરુમાં વૃક્ષને વ્યક્તિ તરીકે કલ્પીને એક વિશિષ્ટ એવી સૃષ્ટિ ઊભી કરી છે.&lt;br /&gt;
નિબંધસંગ્રહમાં ‘નદીસૂક્ત’ શીર્ષક હેઠળ આઠ જેટલા નદીવિષયક નિબંધો સ્થાન પામેલા છે. આમાં વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો છે. વર્તમાનમાં આ નદીઓને પામવાનો ઝુરાપો ‘તરુરાગ’ના નિબંધોની જેમ આ નિબંધોનું ચાલકબળ બને છે. નિબંધકાર કહે છે, ‘મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરાવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા.” (પૃ.૭૦) અહીં પૂર્વ પંચમહાલની કરડ, બેસણો, ધુસ્કો, ગોમા જેવી નાની-મોટી નદીઓ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણો આસ્વાદ્ય નીવડે છે. વૃક્ષની માફક નદીઓની પણ આગવી ઓળખ આ રીતે ઊભી થઈ છે : ‘ગોમા એટલે રેતીની નદી’ (પૃ.૭૯) કરડ નદી “..આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો, રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે. હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે.” (પૃ.૮૪) આમ નદીના ગુણ પ્રમાણે નામ અને નદીનું ઘોડામાં થતું રૂપાંતર નિબંધકારની કવિત્વશક્તિનું દ્યોતક છે તો નદી નિમિત્તે સ્મૃતિમાં સંઘરેલાં પાત્રો આદમ ઘાંચી, છગુ ટપાલીનાં વ્યક્તિચિત્રો એટલાં જ સરસ રીતે આલેખાયાં છે. ‘સ્મૃતિના અજવાળે’ નિબંધમાં ‘ડી’ નદી નિમિત્તે વતનની કરડ નદીમાં પહોંચી જતો કિશોર અને પછી તો કરડ એટલે ડી અને ડી એટલે કરડ એમ નદીનું સ્વરૂપાંતરનું ચિત્ર હૃદયંગમ બન્યું છે.&lt;br /&gt;
હરણછાપ કે ઘોડાછાપ છત્રી કે હલકારાનો ઉલ્લેખ એક મોટા કાળખંડને ખેસવીને આપણને છેક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે. આમ, અતીત ઝળહળી રહે છે. અકબરઅલી અને મહમ્મદઅલીની દુકાનના અસબાબનું વર્ણન દસ્તાવેજી ઢબે થયું છે. આવાં અનેક સ્થાન પર આપણી આંખ અટકે એવી વિગતો સહજ રીતે આલેખાય છે. નિબંધોમાં યથોચિત રીતે કાલિદાસ, શેક્સપિયર, ઉમાશંકર જેવા સર્જકો પણ યાદ આવતા રહ્યા છે.&lt;br /&gt;
આ નિબંધમાં અતીતના ભાવવિશ્વથી દૂર થવાનો વિષાદ અવારનવાર સપાટી પર આવીને આ રીતે આલેખાય છે, “વગડો ગયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું – જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું.” (પૃ.૪૪) “દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો.’” (પૃ.૫૮) જોઈ શકાય છે કે અહીં વૃક્ષો-વગડો જવાનો, નદી ખોવાયાનો વિષાદ નિબંધકારને પીડે છે. નિજી કહેતાં – સાવ પોતીકા સંવેદનની આ સરળ અભિવ્યક્તિ આસ્વાદ્ય છે.&lt;br /&gt;
આ સંગ્રહનું ગદ્ય પ્રવાહી છે. અભિવ્યક્તિ સરળ છે. જયન્ત પાઠક મૂળે કવિ છે. તેમની કવિત્વશક્તિ આ નિબંધોને પ્રાણવંત બનાવે છે. ‘અજવાળી છડાં જેવી રાત છે’ કે ‘ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને ટાઢો થયો છે’ જેવાં કલ્પનોમાં અભિવ્યક્તિની તાજગી અને સહજતા છે. કેટલાક નિબંધો બોલીના વિનિયોગથી વસ્તુલક્ષી બન્યા છે, “એ કિયો ઢૂંકવાઈ રિયો છે?” (પૃ.૧૦૦) આ ઉપરાંત અલંકાર અને કલ્પનોમાં પણ અભિવ્યક્તિનું નાવીન્ય છે, “પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ!” (પૃ.૫૧)&lt;br /&gt;
ભાષામાં શૈલીવૈવિધ્ય પણ ધ્યાનાર્હ છે – ક્યાંક સંવેદનપૂર્ણ શૈલી, ક્યાંક લાઘવપૂર્ણ શૈલી તો ક્યાંક કટાક્ષસભર શૈલી પ્રયોજીને નિબંધકારે ગદ્યના સૌંદર્યને પ્રગટ કર્યું છે. છતાં નિરૂપણમાં થતું પુનરાવર્તન ખટકે એવું છે જેમ કે, ઘુવડનું બોલવું એકથી વધુ વાર આવે (પૃ.૧૮,૨૮,૩૮) અને જુદાં જુદાં વૃક્ષો માટે - સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે - એવા નિર્દેશો પણ એકથી વધુવાર (પૃ.૩૫-૪૪) આવે છે – એ ટાળવા જેવું હતું. આ મર્યાદાઓ છતા પ્રસ્તુત નિબંધસંગ્રહ નોંધપાત્ર બન્યો છે — પોતીકા સંવેદનથી ખચિત એવા નિંબધોથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;નિસબત&#039; ૨૦૦૪&amp;lt;br&amp;gt;&#039;પરબ&#039;, જૂન ૧૯૯૯}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નકશા બહારની નદી&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112475</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112475"/>
		<updated>2026-07-08T06:02:41Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|‘તરુરાગ અને નદીસૂક્ત’: પોતીકું સંવેદન - અજય રાવલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘અહીં હું જન્મ્યો’તો, વનની વચમાં તે વન નથી;&lt;br /&gt;
નથી એ માટીનું ઘર નિજ લહ્યાં તે જન નથી.’&lt;br /&gt;
આ પંક્તિમાં રહેલો અતીતરાગ સર્જક જયન્ત પાઠકના સર્જનનું એક સ્થાયી સંવેદન છે. તેમણે એક મુલાકાતમાં પણ કહ્યું છે, “૧૯૬૦ની આસપાસ વતન, શૈશવ, અતીતનાં સંવેદનો એકાએક જાગ્યાં ને કવિતામાં, સ્મૃતિકથામાં તેમ નિબંધોમાં પ્રગટ થતાં રહ્યાં” તેમના સર્જનનાં મૂળ બાળપણમાં પડેલાં છે. ચેઝારે પાવેસ તેમની નોંધપોથીમાં લખે છે, “બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતી જેવી હોય છે ત્યારે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.” જયન્ત પાઠકનું બાળપણ વનભૂમિમાં વીત્યું છે. આ અતીતરાગ અવારનવાર જુદાં જુદાં રૂપ ધરીને તેમનાં સર્જનમાં પ્રગટે છે - ક્યારેક એ કવિતાનું રૂપ ધરે, ક્યારેક ‘વનાંચલ’ (૧૯૬૭) જેવી આસ્વાદ્ય સ્મરણકથાનું રૂપ ધરે તો ક્યારે ‘તરુરાગ’ (૧૯૮૭) જેવા નિબંધનું રૂપ ધરે. સર્જક એક જ સંવેદનને અનેક સ્વરૂપોમાં પ્રગટ કરી શકે તેની સાથે તો કોઈ તકરાર ન હોઈ શકે, ભાવક તરીકે આપણી નિસબત તો કલાકૃતિ તરીકે રચના કેવી નિપજી આવી છે એ હોવી ઘટે.&lt;br /&gt;
અગાઉ ‘તરુરાગ’(૧૯૮૭)માં વતનનાં વૃક્ષો નિમિત્તે લખાયેલા કેટલાક નિબંધો ગ્રંથસ્થ થયેલા ત્યાર બાદ વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો લખાયા તેને ‘તરુરાગ’ સંગ્રહમાં ઉમેરી આઠ વર્ષના અંતરાલ પછી ‘તરુરાગ અને નદીસૂક્ત’ નામે નિબંધસંગ્રહ આપણને જયન્ત પાઠક આપે છે.&lt;br /&gt;
આ નિબંધસંગ્રહ સંદર્ભે આપણી જિજ્ઞાસાનો વિષય એ બને કે નિબંધકાર ‘હું’ની સંચલના તેમાં કેવી રીતે પ્રગટી છે અને તેના વડે નિબંધનું કેવું રૂપ આપણી સામે ઊઘડે છે. નિબંધકાર જાણે છે, “જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને બેઠું હોય છે છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું. વળી, સ્મરણથી મરણને થોડીવાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવી નથી.” (પૃ.૯૬) આમ, અહીં નિબંધકારનો ‘હું’ વતનના પ્રાકૃતિક પરિવેશ - જુદાં જુદાં વૃક્ષો અને નદીઓ — વડે સંચારિત થાય છે. નિબંધકારનો તરુરાગ અને નદીરાગ તો ખરો જ પણ વર્તમાનમાં એ વૃક્ષો-નદીઓને ફરી પામવાનો ઝુરાપો આ નિબંધોનું ચાલકબળ બને છે. અહીં વતનનાં વૃક્ષોનું તીવ્રરાગથી સ્મરણ તો થયું જ છે સાથોસાથ એ વૃક્ષોની આસપાસ કેટલાંક સંવેદનબિંદુઓ તીવ્રતાથી આલેખાય છે ને કથારૂપ ધરે છે તેથી વૃક્ષ માત્ર વૃક્ષ ન રહેતાં ‘નાથા ડોસાનો આંબો’ બની જાય કે ‘બુધાનો લીમડો’ બની જાય છે. આમ, વૃક્ષ અને પાત્ર પરસ્પરમાં ગૂંથાઈને નિબંધને આસ્વાદ્ય બનાવે છે. આમ રચાય છે એક વિરલ સ્મરણયાત્રા જેમાં છે – ‘શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતરબાહ્યજીવન’ નિબંધોનું આ છે ભાવ વિશ્વ. તેમાં ભળે છે આ વિશ્વને ફરી પામવાનો ઝુરાપો - તેને ગુમાવવાનો વિષાદ.&lt;br /&gt;
નિબંધોમાં જુદાં જુદાં વૃક્ષોની આગવી ઓળખ ઊભી થઈ છે. રૂપ, રંગ, ગંધ, આકાર કે સ્વભાવથી અનોખી સૃષ્ટિ કેવી રીતે આલેખાય છે. નિબંધકાર વૃક્ષ-પરિચય આ રીતે કરાવે છે, “જેમ જાતજાતના સ્વભાવવાળા માણસ તેમ જાતજાતનાં સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસી-લળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી, મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી, સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે, સંસાર વચ્ચે તેઓ એકલવાયા” (પૃ.૩૭) આવાં સ્વભાવવાળાં - ખાસ તો વતનનાં જુદાં જુદાં વૃક્ષો-વડ, પીપળો, આંબો, આમલી, લીમડો, શીમળો, કૉઠી, તાડ, કઢાઈ, કણઝી, પીપળો એમ વિવિધ વૃક્ષોના આલેખનથી વૃક્ષવિશ્વ ખડું થાય છે.&lt;br /&gt;
નિબંધકારની સંવેદનપટુતા અને સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ કેટલાંક વૃક્ષોને આ રીતે ચાક્ષુષ કરાવી આપે છે જેમકે, ઝાંપાનો વડ : “અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાત-દિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલલાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલાનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ.”&lt;br /&gt;
નદીકાંઠાની કણઝી : “ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે.” (પૃ.૫૭) આ ઉપરાંત બુધાનો લીમડો, જીરા કૉઠી, પસાયતાનો તાડ વગેરે વૃક્ષોનું આલેખન આનાં ઉદાહરણમાં મૂકી શકાય. નિબંધકાર વૃક્ષ વિશે વાત કરતાં કરતાં સહજ રીતે શૈશવની ભરીભરી સૃષ્ટિમાં પહોંચી જાય છે અને શૈશવની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ફરી જીવી લે છે - શૈશવની કેટલીય રમતો, શૈશવ સાથે અભિન્ન રીતે જોડાયેલી ભય, વિસ્મય, કુતૂહલ અને અદ્ભુતની સૃષ્ટિ અહીં ઊઘડી રહે છે. તો શૈશવની સાથે અહીં પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનું પણ સમભાવપૂર્ણ આલેખન થયેલું છે.&lt;br /&gt;
સ્મૃતિ હંમેશાં આશ્રિત હોય છે. અહીં વૃક્ષ અને વ્યક્તિની સ્મૃતિ એટલી તો પરસ્પરાશ્રિત છે કે વૃક્ષસંદર્ભે વ્યક્તિસ્મૃતિ અને વ્યક્તિસંદર્ભે વૃક્ષસ્મૃતિ નિબંધકારના ચિત્તમાં સાથેસાથે જાગે છે અને નિબંધ આસ્વાદ્ય બને છે, તેમ છતાં, નિબંધકાર કેટલાંક વૃક્ષો અને વ્યક્તિઓને અલગ ઓળખ આપવામાં સફળ રહ્યા છે જેમ કે નાથા ડોસાનો આંબો(પૃ.૪૫-૪૬). આ ઉપરાંત જીરા કૉઠી, કણઝી વગેરે વૃક્ષોની અલગ ઓળખ ઊભી થઈ છે. તેથી અહીં ઍમર્સનથી જુદું - વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે એમ નહીં પણ વૃક્ષો પણ પૂર્ણ મનુષ્ય છે એવી પ્રતીતિ કરાવે તેવું આલેખન છે. જોકે, બધા નિબંધોમાં આવું આલેખન સાદ્યંત જળવાતું નથી એ પણ નોંધવું પડે. વૃક્ષોની સાથે જ કેટલીક વ્યક્તિઓ સ્મૃતિમાં અકબંધ સચવાઈ છે. અહીં થોડીક રેખાઓથી જ એમનું જીવંત આલેખન થયું છે. જેમ કે, સોમા ખુશાલ — ‘ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું, બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું” (પૃ.૪૯) કે “મોટાં મોટાં દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણી.” આ ઉપરાંત બાવાજી રામપ્રકાશ, નાથા ડોસા વગેરે વ્યક્તિચિત્રો સ્મરણીય છે.&lt;br /&gt;
વૃક્ષનિમિત્તે નિબંધકાર વતનના લોકને પણ આલેખે છે — બાવાજી રામપ્રકાશ પીપળાને પરણાવે, ધનસુખકાકા દાઢ મંતરે, આદિવાસી સ્ત્રી-પુરુષો મેળો માણે, સોમા ખુશાલ તાડી પીને ઘોરે - આ બધામાંથી લોકનું ચિત્ર ઊપસે છે. તેમની રહેણીકરણી, નબળી આર્થિક પરિસ્થિતિ માટેની ચિંતા, બદલાતો જતો લોક, વહેમો, માન્યતાઓ, અંધશ્રદ્ધાથી અને દેવી-દેવતાઓથી ભર્યોભર્યો લોક અને તેના સરળ જીવનનું એવું જ સરળ આલેખન ધ્યાનાર્હ છે. બધાં વૃક્ષોના આલેખન પછી આવતો નિબંધ ‘સ્વપ્નતરુ’ તેની ભાષા અને આલેખનરીતિથી જુદો પડે છે. એક એવું વૃક્ષ કે જેને નિબંધકારે સ્વપ્ન રૂપે જોયું છે – ઘણીવાર. સ્વપ્નતરુમાં વૃક્ષને વ્યક્તિ તરીકે કલ્પીને એક વિશિષ્ટ એવી સૃષ્ટિ ઊભી કરી છે.&lt;br /&gt;
નિબંધસંગ્રહમાં ‘નદીસૂક્ત’ શીર્ષક હેઠળ આઠ જેટલા નદીવિષયક નિબંધો સ્થાન પામેલા છે. આમાં વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો છે. વર્તમાનમાં આ નદીઓને પામવાનો ઝુરાપો ‘તરુરાગ’ના નિબંધોની જેમ આ નિબંધોનું ચાલકબળ બને છે. નિબંધકાર કહે છે, ‘મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરાવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા.” (પૃ.૭૦) અહીં પૂર્વ પંચમહાલની કરડ, બેસણો, ધુસ્કો, ગોમા જેવી નાની-મોટી નદીઓ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણો આસ્વાદ્ય નીવડે છે. વૃક્ષની માફક નદીઓની પણ આગવી ઓળખ આ રીતે ઊભી થઈ છે : ‘ગોમા એટલે રેતીની નદી’ (પૃ.૭૯) કરડ નદી “..આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો, રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે. હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે.” (પૃ.૮૪) આમ નદીના ગુણ પ્રમાણે નામ અને નદીનું ઘોડામાં થતું રૂપાંતર નિબંધકારની કવિત્વશક્તિનું દ્યોતક છે તો નદી નિમિત્તે સ્મૃતિમાં સંઘરેલાં પાત્રો આદમ ઘાંચી, છગુ ટપાલીનાં વ્યક્તિચિત્રો એટલાં જ સરસ રીતે આલેખાયાં છે. ‘સ્મૃતિના અજવાળે’ નિબંધમાં ‘ડી’ નદી નિમિત્તે વતનની કરડ નદીમાં પહોંચી જતો કિશોર અને પછી તો કરડ એટલે ડી અને ડી એટલે કરડ એમ નદીનું સ્વરૂપાંતરનું ચિત્ર હૃદયંગમ બન્યું છે.&lt;br /&gt;
હરણછાપ કે ઘોડાછાપ છત્રી કે હલકારાનો ઉલ્લેખ એક મોટા કાળખંડને ખેસવીને આપણને છેક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે. આમ, અતીત ઝળહળી રહે છે. અકબરઅલી અને મહમ્મદઅલીની દુકાનના અસબાબનું વર્ણન દસ્તાવેજી ઢબે થયું છે. આવાં અનેક સ્થાન પર આપણી આંખ અટકે એવી વિગતો સહજ રીતે આલેખાય છે. નિબંધોમાં યથોચિત રીતે કાલિદાસ, શેક્સપિયર, ઉમાશંકર જેવા સર્જકો પણ યાદ આવતા રહ્યા છે.&lt;br /&gt;
આ નિબંધમાં અતીતના ભાવવિશ્વથી દૂર થવાનો વિષાદ અવારનવાર સપાટી પર આવીને આ રીતે આલેખાય છે, “વગડો ગયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું – જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું.” (પૃ.૪૪) “દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો.’” (પૃ.૫૮) જોઈ શકાય છે કે અહીં વૃક્ષો-વગડો જવાનો, નદી ખોવાયાનો વિષાદ નિબંધકારને પીડે છે. નિજી કહેતાં – સાવ પોતીકા સંવેદનની આ સરળ અભિવ્યક્તિ આસ્વાદ્ય છે.&lt;br /&gt;
આ સંગ્રહનું ગદ્ય પ્રવાહી છે. અભિવ્યક્તિ સરળ છે. જયન્ત પાઠક મૂળે કવિ છે. તેમની કવિત્વશક્તિ આ નિબંધોને પ્રાણવંત બનાવે છે. ‘અજવાળી છડાં જેવી રાત છે’ કે ‘ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને ટાઢો થયો છે’ જેવાં કલ્પનોમાં અભિવ્યક્તિની તાજગી અને સહજતા છે. કેટલાક નિબંધો બોલીના વિનિયોગથી વસ્તુલક્ષી બન્યા છે, “એ કિયો ઢૂંકવાઈ રિયો છે?” (પૃ.૧૦૦) આ ઉપરાંત અલંકાર અને કલ્પનોમાં પણ અભિવ્યક્તિનું નાવીન્ય છે, “પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ!” (પૃ.૫૧)&lt;br /&gt;
ભાષામાં શૈલીવૈવિધ્ય પણ ધ્યાનાર્હ છે – ક્યાંક સંવેદનપૂર્ણ શૈલી, ક્યાંક લાઘવપૂર્ણ શૈલી તો ક્યાંક કટાક્ષસભર શૈલી પ્રયોજીને નિબંધકારે ગદ્યના સૌંદર્યને પ્રગટ કર્યું છે. છતાં નિરૂપણમાં થતું પુનરાવર્તન ખટકે એવું છે જેમ કે, ઘુવડનું બોલવું એકથી વધુ વાર આવે (પૃ.૧૮,૨૮,૩૮) અને જુદાં જુદાં વૃક્ષો માટે - સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે - એવા નિર્દેશો પણ એકથી વધુવાર (પૃ.૩૫-૪૪) આવે છે – એ ટાળવા જેવું હતું. આ મર્યાદાઓ છતા પ્રસ્તુત નિબંધસંગ્રહ નોંધપાત્ર બન્યો છે — પોતીકા સંવેદનથી ખચિત એવા નિંબધોથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;નિસબત&#039; ૨૦૦૪&amp;lt;br&amp;gt;&#039;પરબ&#039;, જૂન ૧૯૯૯}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નકશા બહારની નદી&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112474</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112474"/>
		<updated>2026-07-08T06:02:26Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|‘તરુરાગ અને નદીસૂક્ત’: પોતીકું સંવેદન - અજય રાવલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘અહીં હું જન્મ્યો’તો, વનની વચમાં તે વન નથી;&lt;br /&gt;
નથી એ માટીનું ઘર નિજ લહ્યાં તે જન નથી.’&lt;br /&gt;
આ પંક્તિમાં રહેલો અતીતરાગ સર્જક જયન્ત પાઠકના સર્જનનું એક સ્થાયી સંવેદન છે. તેમણે એક મુલાકાતમાં પણ કહ્યું છે, “૧૯૬૦ની આસપાસ વતન, શૈશવ, અતીતનાં સંવેદનો એકાએક જાગ્યાં ને કવિતામાં, સ્મૃતિકથામાં તેમ નિબંધોમાં પ્રગટ થતાં રહ્યાં” તેમના સર્જનનાં મૂળ બાળપણમાં પડેલાં છે. ચેઝારે પાવેસ તેમની નોંધપોથીમાં લખે છે, “બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતી જેવી હોય છે ત્યારે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.” જયન્ત પાઠકનું બાળપણ વનભૂમિમાં વીત્યું છે. આ અતીતરાગ અવારનવાર જુદાં જુદાં રૂપ ધરીને તેમનાં સર્જનમાં પ્રગટે છે - ક્યારેક એ કવિતાનું રૂપ ધરે, ક્યારેક ‘વનાંચલ’ (૧૯૬૭) જેવી આસ્વાદ્ય સ્મરણકથાનું રૂપ ધરે તો ક્યારે ‘તરુરાગ’ (૧૯૮૭) જેવા નિબંધનું રૂપ ધરે. સર્જક એક જ સંવેદનને અનેક સ્વરૂપોમાં પ્રગટ કરી શકે તેની સાથે તો કોઈ તકરાર ન હોઈ શકે, ભાવક તરીકે આપણી નિસબત તો કલાકૃતિ તરીકે રચના કેવી નિપજી આવી છે એ હોવી ઘટે.&lt;br /&gt;
અગાઉ ‘તરુરાગ’(૧૯૮૭)માં વતનનાં વૃક્ષો નિમિત્તે લખાયેલા કેટલાક નિબંધો ગ્રંથસ્થ થયેલા ત્યાર બાદ વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો લખાયા તેને ‘તરુરાગ’ સંગ્રહમાં ઉમેરી આઠ વર્ષના અંતરાલ પછી ‘તરુરાગ અને નદીસૂક્ત’ નામે નિબંધસંગ્રહ આપણને જયન્ત પાઠક આપે છે.&lt;br /&gt;
આ નિબંધસંગ્રહ સંદર્ભે આપણી જિજ્ઞાસાનો વિષય એ બને કે નિબંધકાર ‘હું’ની સંચલના તેમાં કેવી રીતે પ્રગટી છે અને તેના વડે નિબંધનું કેવું રૂપ આપણી સામે ઊઘડે છે. નિબંધકાર જાણે છે, “જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને બેઠું હોય છે છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું. વળી, સ્મરણથી મરણને થોડીવાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવી નથી.” (પૃ.૯૬) આમ, અહીં નિબંધકારનો ‘હું’ વતનના પ્રાકૃતિક પરિવેશ - જુદાં જુદાં વૃક્ષો અને નદીઓ — વડે સંચારિત થાય છે. નિબંધકારનો તરુરાગ અને નદીરાગ તો ખરો જ પણ વર્તમાનમાં એ વૃક્ષો-નદીઓને ફરી પામવાનો ઝુરાપો આ નિબંધોનું ચાલકબળ બને છે. અહીં વતનનાં વૃક્ષોનું તીવ્રરાગથી સ્મરણ તો થયું જ છે સાથોસાથ એ વૃક્ષોની આસપાસ કેટલાંક સંવેદનબિંદુઓ તીવ્રતાથી આલેખાય છે ને કથારૂપ ધરે છે તેથી વૃક્ષ માત્ર વૃક્ષ ન રહેતાં ‘નાથા ડોસાનો આંબો’ બની જાય કે ‘બુધાનો લીમડો’ બની જાય છે. આમ, વૃક્ષ અને પાત્ર પરસ્પરમાં ગૂંથાઈને નિબંધને આસ્વાદ્ય બનાવે છે. આમ રચાય છે એક વિરલ સ્મરણયાત્રા જેમાં છે – ‘શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતરબાહ્યજીવન’ નિબંધોનું આ છે ભાવ વિશ્વ. તેમાં ભળે છે આ વિશ્વને ફરી પામવાનો ઝુરાપો - તેને ગુમાવવાનો વિષાદ.&lt;br /&gt;
નિબંધોમાં જુદાં જુદાં વૃક્ષોની આગવી ઓળખ ઊભી થઈ છે. રૂપ, રંગ, ગંધ, આકાર કે સ્વભાવથી અનોખી સૃષ્ટિ કેવી રીતે આલેખાય છે. નિબંધકાર વૃક્ષ-પરિચય આ રીતે કરાવે છે, “જેમ જાતજાતના સ્વભાવવાળા માણસ તેમ જાતજાતનાં સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસી-લળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી, મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી, સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે, સંસાર વચ્ચે તેઓ એકલવાયા” (પૃ.૩૭) આવાં સ્વભાવવાળાં - ખાસ તો વતનનાં જુદાં જુદાં વૃક્ષો-વડ, પીપળો, આંબો, આમલી, લીમડો, શીમળો, કૉઠી, તાડ, કઢાઈ, કણઝી, પીપળો એમ વિવિધ વૃક્ષોના આલેખનથી વૃક્ષવિશ્વ ખડું થાય છે.&lt;br /&gt;
નિબંધકારની સંવેદનપટુતા અને સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ કેટલાંક વૃક્ષોને આ રીતે ચાક્ષુષ કરાવી આપે છે જેમકે, ઝાંપાનો વડ : “અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાત-દિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલલાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલાનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ.”&lt;br /&gt;
નદીકાંઠાની કણઝી : “ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે.” (પૃ.૫૭) આ ઉપરાંત બુધાનો લીમડો, જીરા કૉઠી, પસાયતાનો તાડ વગેરે વૃક્ષોનું આલેખન આનાં ઉદાહરણમાં મૂકી શકાય. નિબંધકાર વૃક્ષ વિશે વાત કરતાં કરતાં સહજ રીતે શૈશવની ભરીભરી સૃષ્ટિમાં પહોંચી જાય છે અને શૈશવની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ફરી જીવી લે છે - શૈશવની કેટલીય રમતો, શૈશવ સાથે અભિન્ન રીતે જોડાયેલી ભય, વિસ્મય, કુતૂહલ અને અદ્ભુતની સૃષ્ટિ અહીં ઊઘડી રહે છે. તો શૈશવની સાથે અહીં પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનું પણ સમભાવપૂર્ણ આલેખન થયેલું છે.&lt;br /&gt;
સ્મૃતિ હંમેશાં આશ્રિત હોય છે. અહીં વૃક્ષ અને વ્યક્તિની સ્મૃતિ એટલી તો પરસ્પરાશ્રિત છે કે વૃક્ષસંદર્ભે વ્યક્તિસ્મૃતિ અને વ્યક્તિસંદર્ભે વૃક્ષસ્મૃતિ નિબંધકારના ચિત્તમાં સાથેસાથે જાગે છે અને નિબંધ આસ્વાદ્ય બને છે, તેમ છતાં, નિબંધકાર કેટલાંક વૃક્ષો અને વ્યક્તિઓને અલગ ઓળખ આપવામાં સફળ રહ્યા છે જેમ કે નાથા ડોસાનો આંબો(પૃ.૪૫-૪૬). આ ઉપરાંત જીરા કૉઠી, કણઝી વગેરે વૃક્ષોની અલગ ઓળખ ઊભી થઈ છે. તેથી અહીં ઍમર્સનથી જુદું - વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે એમ નહીં પણ વૃક્ષો પણ પૂર્ણ મનુષ્ય છે એવી પ્રતીતિ કરાવે તેવું આલેખન છે. જોકે, બધા નિબંધોમાં આવું આલેખન સાદ્યંત જળવાતું નથી એ પણ નોંધવું પડે. વૃક્ષોની સાથે જ કેટલીક વ્યક્તિઓ સ્મૃતિમાં અકબંધ સચવાઈ છે. અહીં થોડીક રેખાઓથી જ એમનું જીવંત આલેખન થયું છે. જેમ કે, સોમા ખુશાલ — ‘ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું, બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું” (પૃ.૪૯) કે “મોટાં મોટાં દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણી.” આ ઉપરાંત બાવાજી રામપ્રકાશ, નાથા ડોસા વગેરે વ્યક્તિચિત્રો સ્મરણીય છે.&lt;br /&gt;
વૃક્ષનિમિત્તે નિબંધકાર વતનના લોકને પણ આલેખે છે — બાવાજી રામપ્રકાશ પીપળાને પરણાવે, ધનસુખકાકા દાઢ મંતરે, આદિવાસી સ્ત્રી-પુરુષો મેળો માણે, સોમા ખુશાલ તાડી પીને ઘોરે - આ બધામાંથી લોકનું ચિત્ર ઊપસે છે. તેમની રહેણીકરણી, નબળી આર્થિક પરિસ્થિતિ માટેની ચિંતા, બદલાતો જતો લોક, વહેમો, માન્યતાઓ, અંધશ્રદ્ધાથી અને દેવી-દેવતાઓથી ભર્યોભર્યો લોક અને તેના સરળ જીવનનું એવું જ સરળ આલેખન ધ્યાનાર્હ છે. બધાં વૃક્ષોના આલેખન પછી આવતો નિબંધ ‘સ્વપ્નતરુ’ તેની ભાષા અને આલેખનરીતિથી જુદો પડે છે. એક એવું વૃક્ષ કે જેને નિબંધકારે સ્વપ્ન રૂપે જોયું છે – ઘણીવાર. સ્વપ્નતરુમાં વૃક્ષને વ્યક્તિ તરીકે કલ્પીને એક વિશિષ્ટ એવી સૃષ્ટિ ઊભી કરી છે.&lt;br /&gt;
નિબંધસંગ્રહમાં ‘નદીસૂક્ત’ શીર્ષક હેઠળ આઠ જેટલા નદીવિષયક નિબંધો સ્થાન પામેલા છે. આમાં વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો છે. વર્તમાનમાં આ નદીઓને પામવાનો ઝુરાપો ‘તરુરાગ’ના નિબંધોની જેમ આ નિબંધોનું ચાલકબળ બને છે. નિબંધકાર કહે છે, ‘મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરાવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા.” (પૃ.૭૦) અહીં પૂર્વ પંચમહાલની કરડ, બેસણો, ધુસ્કો, ગોમા જેવી નાની-મોટી નદીઓ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણો આસ્વાદ્ય નીવડે છે. વૃક્ષની માફક નદીઓની પણ આગવી ઓળખ આ રીતે ઊભી થઈ છે : ‘ગોમા એટલે રેતીની નદી’ (પૃ.૭૯) કરડ નદી “..આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો, રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે. હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે.” (પૃ.૮૪) આમ નદીના ગુણ પ્રમાણે નામ અને નદીનું ઘોડામાં થતું રૂપાંતર નિબંધકારની કવિત્વશક્તિનું દ્યોતક છે તો નદી નિમિત્તે સ્મૃતિમાં સંઘરેલાં પાત્રો આદમ ઘાંચી, છગુ ટપાલીનાં વ્યક્તિચિત્રો એટલાં જ સરસ રીતે આલેખાયાં છે. ‘સ્મૃતિના અજવાળે’ નિબંધમાં ‘ડી’ નદી નિમિત્તે વતનની કરડ નદીમાં પહોંચી જતો કિશોર અને પછી તો કરડ એટલે ડી અને ડી એટલે કરડ એમ નદીનું સ્વરૂપાંતરનું ચિત્ર હૃદયંગમ બન્યું છે.&lt;br /&gt;
હરણછાપ કે ઘોડાછાપ છત્રી કે હલકારાનો ઉલ્લેખ એક મોટા કાળખંડને ખેસવીને આપણને છેક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે. આમ, અતીત ઝળહળી રહે છે. અકબરઅલી અને મહમ્મદઅલીની દુકાનના અસબાબનું વર્ણન દસ્તાવેજી ઢબે થયું છે. આવાં અનેક સ્થાન પર આપણી આંખ અટકે એવી વિગતો સહજ રીતે આલેખાય છે. નિબંધોમાં યથોચિત રીતે કાલિદાસ, શેક્સપિયર, ઉમાશંકર જેવા સર્જકો પણ યાદ આવતા રહ્યા છે.&lt;br /&gt;
આ નિબંધમાં અતીતના ભાવવિશ્વથી દૂર થવાનો વિષાદ અવારનવાર સપાટી પર આવીને આ રીતે આલેખાય છે, “વગડો ગયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું – જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું.” (પૃ.૪૪) “દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો.’” (પૃ.૫૮) જોઈ શકાય છે કે અહીં વૃક્ષો-વગડો જવાનો, નદી ખોવાયાનો વિષાદ નિબંધકારને પીડે છે. નિજી કહેતાં – સાવ પોતીકા સંવેદનની આ સરળ અભિવ્યક્તિ આસ્વાદ્ય છે.&lt;br /&gt;
આ સંગ્રહનું ગદ્ય પ્રવાહી છે. અભિવ્યક્તિ સરળ છે. જયન્ત પાઠક મૂળે કવિ છે. તેમની કવિત્વશક્તિ આ નિબંધોને પ્રાણવંત બનાવે છે. ‘અજવાળી છડાં જેવી રાત છે’ કે ‘ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને ટાઢો થયો છે’ જેવાં કલ્પનોમાં અભિવ્યક્તિની તાજગી અને સહજતા છે. કેટલાક નિબંધો બોલીના વિનિયોગથી વસ્તુલક્ષી બન્યા છે, “એ કિયો ઢૂંકવાઈ રિયો છે?” (પૃ.૧૦૦) આ ઉપરાંત અલંકાર અને કલ્પનોમાં પણ અભિવ્યક્તિનું નાવીન્ય છે, “પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ!” (પૃ.૫૧)&lt;br /&gt;
ભાષામાં શૈલીવૈવિધ્ય પણ ધ્યાનાર્હ છે – ક્યાંક સંવેદનપૂર્ણ શૈલી, ક્યાંક લાઘવપૂર્ણ શૈલી તો ક્યાંક કટાક્ષસભર શૈલી પ્રયોજીને નિબંધકારે ગદ્યના સૌંદર્યને પ્રગટ કર્યું છે. છતાં નિરૂપણમાં થતું પુનરાવર્તન ખટકે એવું છે જેમ કે, ઘુવડનું બોલવું એકથી વધુ વાર આવે (પૃ.૧૮,૨૮,૩૮) અને જુદાં જુદાં વૃક્ષો માટે - સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે - એવા નિર્દેશો પણ એકથી વધુવાર (પૃ.૩૫-૪૪) આવે છે – એ ટાળવા જેવું હતું. આ મર્યાદાઓ છતા પ્રસ્તુત નિબંધસંગ્રહ નોંધપાત્ર બન્યો છે — પોતીકા સંવેદનથી ખચિત એવા નિંબધોથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;નિસબત&#039; ૨૦૦૪&amp;lt;br&amp;gt;&#039;પરબ&#039;, જૂન ૧૯૯૯}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નકશા બહારની નદી&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112473</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E2%80%98%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E2%80%99_:_%E0%AA%AA%E0%AB%8B%E0%AA%A4%E0%AB%80%E0%AA%95%E0%AB%81%E0%AA%82_%E0%AA%B8%E0%AA%82%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AF_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2&amp;diff=112473"/>
		<updated>2026-07-08T06:01:51Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|‘તરુરાગ અને નદીસૂક્ત’: પોતીકું સંવેદન - અજય રાવલ}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
‘અહીં હું જન્મ્યો’તો, વનની વચમાં તે વન નથી;&lt;br /&gt;
નથી એ માટીનું ઘર નિજ લહ્યાં તે જન નથી.’&lt;br /&gt;
આ પંક્તિમાં રહેલો અતીતરાગ સર્જક જયન્ત પાઠકના સર્જનનું એક સ્થાયી સંવેદન છે. તેમણે એક મુલાકાતમાં પણ કહ્યું છે, “૧૯૬૦ની આસપાસ વતન, શૈશવ, અતીતનાં સંવેદનો એકાએક જાગ્યાં ને કવિતામાં, સ્મૃતિકથામાં તેમ નિબંધોમાં પ્રગટ થતાં રહ્યાં” તેમના સર્જનનાં મૂળ બાળપણમાં પડેલાં છે. ચેઝારે પાવેસ તેમની નોંધપોથીમાં લખે છે, “બાળપણમાં આપણી ચેતના કુંવારી ધરતી જેવી હોય છે ત્યારે જે જોઈએ છીએ, જે અનુભવીએ છીએ તે આપણામાં મૂળ નાખે છે. પછી એની સાથે જેનો મેળ ખાય, એ ચેતનામાં પડેલાં મૂળમાંથી પોષણ મેળવીને જીવી શકે તે જ મનમાં સ્થાન પામે.” જયન્ત પાઠકનું બાળપણ વનભૂમિમાં વીત્યું છે. આ અતીતરાગ અવારનવાર જુદાં જુદાં રૂપ ધરીને તેમનાં સર્જનમાં પ્રગટે છે - ક્યારેક એ કવિતાનું રૂપ ધરે, ક્યારેક ‘વનાંચલ’ (૧૯૬૭) જેવી આસ્વાદ્ય સ્મરણકથાનું રૂપ ધરે તો ક્યારે ‘તરુરાગ’ (૧૯૮૭) જેવા નિબંધનું રૂપ ધરે. સર્જક એક જ સંવેદનને અનેક સ્વરૂપોમાં પ્રગટ કરી શકે તેની સાથે તો કોઈ તકરાર ન હોઈ શકે, ભાવક તરીકે આપણી નિસબત તો કલાકૃતિ તરીકે રચના કેવી નિપજી આવી છે એ હોવી ઘટે.&lt;br /&gt;
અગાઉ ‘તરુરાગ’(૧૯૮૭)માં વતનનાં વૃક્ષો નિમિત્તે લખાયેલા કેટલાક નિબંધો ગ્રંથસ્થ થયેલા ત્યાર બાદ વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો લખાયા તેને ‘તરુરાગ’ સંગ્રહમાં ઉમેરી આઠ વર્ષના અંતરાલ પછી ‘તરુરાગ અને નદીસૂક્ત’ નામે નિબંધસંગ્રહ આપણને જયન્ત પાઠક આપે છે.&lt;br /&gt;
આ નિબંધસંગ્રહ સંદર્ભે આપણી જિજ્ઞાસાનો વિષય એ બને કે નિબંધકાર ‘હું’ની સંચલના તેમાં કેવી રીતે પ્રગટી છે અને તેના વડે નિબંધનું કેવું રૂપ આપણી સામે ઊઘડે છે. નિબંધકાર જાણે છે, “જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને બેઠું હોય છે છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું. વળી, સ્મરણથી મરણને થોડીવાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવી નથી.” (પૃ.૯૬) આમ, અહીં નિબંધકારનો ‘હું’ વતનના પ્રાકૃતિક પરિવેશ - જુદાં જુદાં વૃક્ષો અને નદીઓ — વડે સંચારિત થાય છે. નિબંધકારનો તરુરાગ અને નદીરાગ તો ખરો જ પણ વર્તમાનમાં એ વૃક્ષો-નદીઓને ફરી પામવાનો ઝુરાપો આ નિબંધોનું ચાલકબળ બને છે. અહીં વતનનાં વૃક્ષોનું તીવ્રરાગથી સ્મરણ તો થયું જ છે સાથોસાથ એ વૃક્ષોની આસપાસ કેટલાંક સંવેદનબિંદુઓ તીવ્રતાથી આલેખાય છે ને કથારૂપ ધરે છે તેથી વૃક્ષ માત્ર વૃક્ષ ન રહેતાં ‘નાથા ડોસાનો આંબો’ બની જાય કે ‘બુધાનો લીમડો’ બની જાય છે. આમ, વૃક્ષ અને પાત્ર પરસ્પરમાં ગૂંથાઈને નિબંધને આસ્વાદ્ય બનાવે છે. આમ રચાય છે એક વિરલ સ્મરણયાત્રા જેમાં છે – ‘શૈશવ, વતન, વતનની ભૂમિ, તેના લોક, લોકનું આંતરબાહ્યજીવન’ નિબંધોનું આ છે ભાવ વિશ્વ. તેમાં ભળે છે આ વિશ્વને ફરી પામવાનો ઝુરાપો - તેને ગુમાવવાનો વિષાદ.&lt;br /&gt;
નિબંધોમાં જુદાં જુદાં વૃક્ષોની આગવી ઓળખ ઊભી થઈ છે. રૂપ, રંગ, ગંધ, આકાર કે સ્વભાવથી અનોખી સૃષ્ટિ કેવી રીતે આલેખાય છે. નિબંધકાર વૃક્ષ-પરિચય આ રીતે કરાવે છે, “જેમ જાતજાતના સ્વભાવવાળા માણસ તેમ જાતજાતનાં સ્વભાવવાળાં વૃક્ષો. કેટલાંક પ્રેમાળ સ્વજનો જેવાં, આપણને જોતાં જ હસી-લળીને બોલાવે, સામે ચાલીને તેડી લે, તો કેટલાંક વળી, મીંઢાં અતડાં, કોઈ એમના દમામથી આપણને છેટાં રાખનારાં તો કોઈ વળી, સ્વભાવે જ વેરાગી જેવાં. એમને આપણે પાસે જઈએ, એમને અડકીએ, એમના ખોળામાં ખેલીએ-કૂદીએ તે ના ગમે, સંસાર વચ્ચે તેઓ એકલવાયા” (પૃ.૩૭) આવાં સ્વભાવવાળાં - ખાસ તો વતનનાં જુદાં જુદાં વૃક્ષો-વડ, પીપળો, આંબો, આમલી, લીમડો, શીમળો, કૉઠી, તાડ, કઢાઈ, કણઝી, પીપળો એમ વિવિધ વૃક્ષોના આલેખનથી વૃક્ષવિશ્વ ખડું થાય છે.&lt;br /&gt;
નિબંધકારની સંવેદનપટુતા અને સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ કેટલાંક વૃક્ષોને આ રીતે ચાક્ષુષ કરાવી આપે છે જેમકે, ઝાંપાનો વડ : “અમારા ગામના ઝાંપાનો વડ સાવ ઉપેક્ષિત અને અળખામણો. રાત-દિવસ બિચારો એકલો એકલો વાયરામાં ફફડ્યા કરે ને લાલલાલ ટેટા ગેરવ્યા કરે. સંસારી જીવની જેમ એ ધરતી ઉપર ફાલનાર-ફેલાનાર નહિ, પણ સ્વર્ગની અભીપ્સાવાળા તપસ્વીની જેમ ઊર્ધ્વગતિ કરનાર એની એક પણ મૂળી નીચે ઊતરીને જમીનમાં જામેલી નહિ.”&lt;br /&gt;
નદીકાંઠાની કણઝી : “ધરાને કાંઠે ઊભેલી એ કણઝી લીલીછમ ને ઘટાદાર. કિનારાની જમીનમાં, પાણીની લગોલગ થડથી તે ટોચ સુધીની આખી કાયાને પાણી ઉપર જરા નમાવીને એ ઊભી છે.” (પૃ.૫૭) આ ઉપરાંત બુધાનો લીમડો, જીરા કૉઠી, પસાયતાનો તાડ વગેરે વૃક્ષોનું આલેખન આનાં ઉદાહરણમાં મૂકી શકાય. નિબંધકાર વૃક્ષ વિશે વાત કરતાં કરતાં સહજ રીતે શૈશવની ભરીભરી સૃષ્ટિમાં પહોંચી જાય છે અને શૈશવની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ફરી જીવી લે છે - શૈશવની કેટલીય રમતો, શૈશવ સાથે અભિન્ન રીતે જોડાયેલી ભય, વિસ્મય, કુતૂહલ અને અદ્ભુતની સૃષ્ટિ અહીં ઊઘડી રહે છે. તો શૈશવની સાથે અહીં પંખીસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિનું પણ સમભાવપૂર્ણ આલેખન થયેલું છે.&lt;br /&gt;
સ્મૃતિ હંમેશાં આશ્રિત હોય છે. અહીં વૃક્ષ અને વ્યક્તિની સ્મૃતિ એટલી તો પરસ્પરાશ્રિત છે કે વૃક્ષસંદર્ભે વ્યક્તિસ્મૃતિ અને વ્યક્તિસંદર્ભે વૃક્ષસ્મૃતિ નિબંધકારના ચિત્તમાં સાથેસાથે જાગે છે અને નિબંધ આસ્વાદ્ય બને છે, તેમ છતાં, નિબંધકાર કેટલાંક વૃક્ષો અને વ્યક્તિઓને અલગ ઓળખ આપવામાં સફળ રહ્યા છે જેમ કે નાથા ડોસાનો આંબો(પૃ.૪૫-૪૬). આ ઉપરાંત જીરા કૉઠી, કણઝી વગેરે વૃક્ષોની અલગ ઓળખ ઊભી થઈ છે. તેથી અહીં ઍમર્સનથી જુદું - વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે એમ નહીં પણ વૃક્ષો પણ પૂર્ણ મનુષ્ય છે એવી પ્રતીતિ કરાવે તેવું આલેખન છે. જોકે, બધા નિબંધોમાં આવું આલેખન સાદ્યંત જળવાતું નથી એ પણ નોંધવું પડે. વૃક્ષોની સાથે જ કેટલીક વ્યક્તિઓ સ્મૃતિમાં અકબંધ સચવાઈ છે. અહીં થોડીક રેખાઓથી જ એમનું જીવંત આલેખન થયું છે. જેમ કે, સોમા ખુશાલ — ‘ઉઘાડું, તાડ જેવું કાળું શરીર, એક હાથમાં ધારિયું, બીજા હાથમાં કાંઠલે બાંધેલી દોરીએ લટકતું ઢોચકું, નાનકડો ઘડો, ઘડિયું” (પૃ.૪૯) કે “મોટાં મોટાં દાંતવાળાં ને દાતણ જેવા કૃશ-કાળા દેહવાળાં ભક્તાણી.” આ ઉપરાંત બાવાજી રામપ્રકાશ, નાથા ડોસા વગેરે વ્યક્તિચિત્રો સ્મરણીય છે.&lt;br /&gt;
વૃક્ષનિમિત્તે નિબંધકાર વતનના લોકને પણ આલેખે છે — બાવાજી રામપ્રકાશ પીપળાને પરણાવે, ધનસુખકાકા દાઢ મંતરે, આદિવાસી સ્ત્રી-પુરુષો મેળો માણે, સોમા ખુશાલ તાડી પીને ઘોરે - આ બધામાંથી લોકનું ચિત્ર ઊપસે છે. તેમની રહેણીકરણી, નબળી આર્થિક પરિસ્થિતિ માટેની ચિંતા, બદલાતો જતો લોક, વહેમો, માન્યતાઓ, અંધશ્રદ્ધાથી અને દેવી-દેવતાઓથી ભર્યોભર્યો લોક અને તેના સરળ જીવનનું એવું જ સરળ આલેખન ધ્યાનાર્હ છે. બધાં વૃક્ષોના આલેખન પછી આવતો નિબંધ ‘સ્વપ્નતરુ’ તેની ભાષા અને આલેખનરીતિથી જુદો પડે છે. એક એવું વૃક્ષ કે જેને નિબંધકારે સ્વપ્ન રૂપે જોયું છે – ઘણીવાર. સ્વપ્નતરુમાં વૃક્ષને વ્યક્તિ તરીકે કલ્પીને એક વિશિષ્ટ એવી સૃષ્ટિ ઊભી કરી છે.&lt;br /&gt;
નિબંધસંગ્રહમાં ‘નદીસૂક્ત’ શીર્ષક હેઠળ આઠ જેટલા નદીવિષયક નિબંધો સ્થાન પામેલા છે. આમાં વતનની નાની-મોટી નદીઓ વિશે સંસ્મરણાત્મક નિબંધો છે. વર્તમાનમાં આ નદીઓને પામવાનો ઝુરાપો ‘તરુરાગ’ના નિબંધોની જેમ આ નિબંધોનું ચાલકબળ બને છે. નિબંધકાર કહે છે, ‘મોટા થતા ગયા તેમ તેમ નદી ને એના મૂળથી છેટા થતા ગયા. વતનથી દૂર પડ્યા પડ્યા નદીને, પહાડને, ધોધને, હાથણીને સંભારી સંભારીને સોરાવા લાગ્યા, કોઈ ગજબના ઝુરાપામાં જીવવા લાગ્યા.” (પૃ.૭૦) અહીં પૂર્વ પંચમહાલની કરડ, બેસણો, ધુસ્કો, ગોમા જેવી નાની-મોટી નદીઓ અને તેની સાથે સંકળાયેલાં સંસ્મરણો આસ્વાદ્ય નીવડે છે. વૃક્ષની માફક નદીઓની પણ આગવી ઓળખ આ રીતે ઊભી થઈ છે : ‘ગોમા એટલે રેતીની નદી’ (પૃ.૭૯) કરડ નદી “..આ દેખાય ઉગમણીપાના મસાણિયા આરેથી આગળ વધતો પાણીનો ઘોડો, રેતાળ પટ મૂકીને એ અમારા ગામના આરાના પથ્થરિયા પટમાં આવે છે ને એની ચાલ બદલાઈ જાય છે. એ તોફાને ચઢે છે. હણહણાટી કરે છે, યાળ ઉછાળે છે.” (પૃ.૮૪) આમ નદીના ગુણ પ્રમાણે નામ અને નદીનું ઘોડામાં થતું રૂપાંતર નિબંધકારની કવિત્વશક્તિનું દ્યોતક છે તો નદી નિમિત્તે સ્મૃતિમાં સંઘરેલાં પાત્રો આદમ ઘાંચી, છગુ ટપાલીનાં વ્યક્તિચિત્રો એટલાં જ સરસ રીતે આલેખાયાં છે. ‘સ્મૃતિના અજવાળે’ નિબંધમાં ‘ડી’ નદી નિમિત્તે વતનની કરડ નદીમાં પહોંચી જતો કિશોર અને પછી તો કરડ એટલે ડી અને ડી એટલે કરડ એમ નદીનું સ્વરૂપાંતરનું ચિત્ર હૃદયંગમ બન્યું છે.&lt;br /&gt;
હરણછાપ કે ઘોડાછાપ છત્રી કે હલકારાનો ઉલ્લેખ એક મોટા કાળખંડને ખેસવીને આપણને છેક દૂરના ભૂતકાળમાં લઈ જાય છે. આમ, અતીત ઝળહળી રહે છે. અકબરઅલી અને મહમ્મદઅલીની દુકાનના અસબાબનું વર્ણન દસ્તાવેજી ઢબે થયું છે. આવાં અનેક સ્થાન પર આપણી આંખ અટકે એવી વિગતો સહજ રીતે આલેખાય છે. નિબંધોમાં યથોચિત રીતે કાલિદાસ, શેક્સપિયર, ઉમાશંકર જેવા સર્જકો પણ યાદ આવતા રહ્યા છે.&lt;br /&gt;
આ નિબંધમાં અતીતના ભાવવિશ્વથી દૂર થવાનો વિષાદ અવારનવાર સપાટી પર આવીને આ રીતે આલેખાય છે, “વગડો ગયો, જીરા કૉઠી ગઈ, શૈશવ ગયું – જીવનમાંથી કેટકેટલું ગળપણ ગયું.” (પૃ.૪૪) “દુનિયાની કોઈ નદીનું રૂપ અમારી કરડ નદીના રૂપ જેટલું કદાચ નહીં બદલાયું હોય! નદીના પટમાં ઊભેલા મોટા મોટા પ્હાણા ગાયબ છે, પાણી પાતાળમાં વહેતું હોય તો, બાકી પટમાં તો પાતળો રેલોય નથી વહેતો.’” (પૃ.૫૮) જોઈ શકાય છે કે અહીં વૃક્ષો-વગડો જવાનો, નદી ખોવાયાનો વિષાદ નિબંધકારને પીડે છે. નિજી કહેતાં – સાવ પોતીકા સંવેદનની આ સરળ અભિવ્યક્તિ આસ્વાદ્ય છે.&lt;br /&gt;
આ સંગ્રહનું ગદ્ય પ્રવાહી છે. અભિવ્યક્તિ સરળ છે. જયન્ત પાઠક મૂળે કવિ છે. તેમની કવિત્વશક્તિ આ નિબંધોને પ્રાણવંત બનાવે છે. ‘અજવાળી છડાં જેવી રાત છે’ કે ‘ઉગ્ર સૂરજ સરોવરમાં ઝબોળાઈને ટાઢો થયો છે’ જેવાં કલ્પનોમાં અભિવ્યક્તિની તાજગી અને સહજતા છે. કેટલાક નિબંધો બોલીના વિનિયોગથી વસ્તુલક્ષી બન્યા છે, “એ કિયો ઢૂંકવાઈ રિયો છે?” (પૃ.૧૦૦) આ ઉપરાંત અલંકાર અને કલ્પનોમાં પણ અભિવ્યક્તિનું નાવીન્ય છે, “પૂર્વમાં ઊગતા સૂર્ય-ચંદ્રનાં સોનેરી-રૂપેરી પીછાં ખોસી તાડીના નશામાં નાચતો તાડ!” (પૃ.૫૧)&lt;br /&gt;
ભાષામાં શૈલીવૈવિધ્ય પણ ધ્યાનાર્હ છે – ક્યાંક સંવેદનપૂર્ણ શૈલી, ક્યાંક લાઘવપૂર્ણ શૈલી તો ક્યાંક કટાક્ષસભર શૈલી પ્રયોજીને નિબંધકારે ગદ્યના સૌંદર્યને પ્રગટ કર્યું છે. છતાં નિરૂપણમાં થતું પુનરાવર્તન ખટકે એવું છે જેમ કે, ઘુવડનું બોલવું એકથી વધુ વાર આવે (પૃ.૧૮,૨૮,૩૮) અને જુદાં જુદાં વૃક્ષો માટે - સાધારણ વરસાદ પડતો હોય તો હેઠે ટીપુંય ના પડે - એવા નિર્દેશો પણ એકથી વધુવાર (પૃ.૩૫-૪૪) આવે છે – એ ટાળવા જેવું હતું. આ મર્યાદાઓ છતા પ્રસ્તુત નિબંધસંગ્રહ નોંધપાત્ર બન્યો છે — પોતીકા સંવેદનથી ખચિત એવા નિંબધોથી.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;નિસબત&#039; ૨૦૦૪; &#039;પરબ&#039;, જૂન ૧૯૯૯}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નકશા બહારની નદી&lt;br /&gt;
|next = &lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Ravindranathni_ratnakanikao.jpg&amp;diff=112471</id>
		<title>File:Ravindranathni ratnakanikao.jpg</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Ravindranathni_ratnakanikao.jpg&amp;diff=112471"/>
		<updated>2026-07-07T18:42:09Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Uploaded own work with UploadWizard&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;=={{int:filedesc}}==&lt;br /&gt;
{{Information&lt;br /&gt;
|description={{lua|1=રવીન્દ્રનાથની રત્નકણિકાઓ}}&lt;br /&gt;
|date=2026-07-08&lt;br /&gt;
|source={{own}}&lt;br /&gt;
|author=[[User:Shnehrashmi|Shnehrashmi]]&lt;br /&gt;
|permission=&lt;br /&gt;
|other versions=&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
=={{int:license-header}}==&lt;br /&gt;
{{self|cc-by-4.0}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:Book Cover]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80&amp;diff=112456</id>
		<title>ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગાંધીજી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80&amp;diff=112456"/>
		<updated>2026-07-06T12:42:35Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|ગાંધીજી|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગાંધીજીનું જીવન એ કર્મ દ્વારા પોતાના અંતઃસત્યને પ્રગટ કરવા ઝંખતી એક કવિચેતનાની વિકાસકથા છે. બાળપણમાં એમની કલ્પનામાં સત્યનો જે આદર્શ સ્ફુર્યો તે જીવનપર્યંત વિકાસ પામતો રહ્યો અને એમના હૃદયને આત્મસમર્પણને અહંશૂન્યતાની નવી નવી ક્ષિતિજો પ્રત્યે આકર્ષતો રહ્યો. કિશોરાવસ્થામાં એમણે લૌકિક અર્થમાં ધાર્મિક શ્રદ્ધા ગુમાવી દીધી હતી. ત્યારે પણ &#039;આત્મકથા&#039;માં તેમણે નેાંધ્યું છે. એક વિચારે એમને મનમાં જડ ઘાલી હતી, કે આ જગત નીતિ ઉપર નભેલું છે.” અને નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે.” અને તેથી એમણે સંકલ્પ કર્યો હતો. કે સત્ય તો શોધવું જ રહ્યું.” “દિવસે દિવસે સત્યનો મહિમા.” તેઓ લખે છે, “મારી નજર આગળ વધતો ગયો. સત્યની વ્યાખ્યા વિસ્તાર પામતી ગઈ અને હજુ પામતી રહી છે” (પૃ. ૩૫). ગાંધીજીની સત્યની વ્યાખ્યા માત્ર બૌદ્ધિક અર્થમાં જ વિસ્તાર પામતી નહોતી રહી પરંતુ એમના સમગ્ર જીવનવિકાસનું પ્રેરક બળ બની હતી. એ વિકાસપ્રક્રિયાનું કાવ્યમય ચિત્ર આપતાં તેઓ ‘આત્મકથા&#039;માં લખે છે : “સત્ય એક વિશાળ વૃક્ષ છે, તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતાં જોવામાં આવે છે... જેમ જેમ એમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યાં કરે છે...” (પૃ. ૨૧૯). ગાંધીજીનું જીવન અને તેમની લેખનપ્રવૃત્તિ, બાળપણમાં રોપાયેલા બીજમાંથી ઊગેલા સત્યવૃક્ષ ઉપર કેવાં ફળ આવ્યા અને એવા સત્યપ્રેરિત ચિંતનના સમુદ્રમાંથી એમને કેવાં રત્ન મળ્યાં તેની એક વિસ્મયપ્રેરક કથા છે. &lt;br /&gt;
ગાંધીજીનો જન્મ સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો. જન્મસમયે પિતા કરમચંદ પોરબંદરમાં દીવાન હતા, પરંતુ ગાંધીજીની સાત વર્ષની ઉંમર થતાં ૧૮૭૬માં તેઓ રાજકોટમાં દીવાન થયા અને ગાંધીજીની કિશોર ને તરુણ વયનાં વર્ષ રાજકોટમાં પસાર થયાં. સને ૧૮૮૧માં ૧૨ વર્ષની વયે લગભગ એટલી જ ઉંમરનાં કસ્તૂરબા સાથે એમનાં લગ્ન થયાં અને તે પછી ૧૮૮૭ના ડિસેમ્બર માસમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા. શાળામાં વિદ્યાર્થી તરીકેની ગાંધીજીની કારકિર્દી બહુ તેજસ્વી નહોતી અને કૉલેજના પહેલા સત્ર દરમિયાન જ તેઓ મૂંઝવણ અનુભવવા લાગ્યા. કુટુંબના એક વડીલ હિતેચ્છુના સૂચનથી યુવાન ગાંધીજી બૅરિસ્ટરીના અભ્યાસ માટે ૧૮૮૮ના સપ્ટેમ્બર માસમાં ઇંગ્લંડ ગયા, જ્યાંથી તેઓ ૧૮૯૧ના જુલાઈ માસમાં પાછા ફર્યા અને રાજકોટ તથા મુંબઈમાં વકીલાત કરવાના બેએક વર્ષના નિષ્ફળ પ્રયાસ પછી, તે સમયના કાઠિયાવાડના ખટપટી વાતાવરણથી કંટાળી પોરબંદરની એક મેમણ પેઢીના આમંત્રણે ૧૮૯૩ના એપ્રિલ માસમાં એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં પહોંચતાં જ લોકનેતા ને લોકસેવક તરીકે ગાંધીજીની કારકિર્દી શરૂ થઈ ગઈ અને તે પછીનું એમનું જીવન આધુનિક ભારતના ઇતિહાસનો ભાગ બની ગયું. &lt;br /&gt;
એક શરમાળ યુવકમાંથી લોકસેવક બની જવાની બાહ્ય દૃષ્ટિએ ચમત્કારી લાગે એવી આ ઘટના અત્યાર સુધીના ગાંધીજીના આંતરવિકાસના ફળરૂપ હતી. બાળપણમાં માતાપિતાનો પ્રેમ, વૈષ્ણવ કુટુંબના આચારવિચારો, ‘શ્રવણપિતૃભક્તિ&#039; ને હરિશ્ચંદ્રઆખ્યાનનાં નાટકો, અપકારી ઉપર પણ ઉપકાર કરવાનો ઉપદેશ આપતો શામળભટ્ટનો “ચમત્કારી છપ્પો” અને &#039;રામચરિતમાનસ&#039;નું શ્રવણ, આ સર્વે સંસ્કારોએ ગાંધીજીના ભાવનાશીલ માનસને સત્ય ને પ્રેમના આદર્શો પ્રત્યે આકર્ષ્યું હતું સાથે સાથે કિશોર માનસને એક કે બીજી રીતે પજવતી વિદ્રોહવૃત્તિઓ પણ ગાંધીજીમાં હતી, પરંતુ એમના સત્યપ્રેમે એ વૃત્તિઓ ઉપર વિજય મેળવ્યો હતો. અભ્યાસ માટે લંડન જતાં માતાએ લેવડાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન કરવાની મથામણોએ ગાંધીજીની સત્યનિષ્ઠાની વધુ કસોટી કરી અને એમાંથી એમની અંતરદૃષ્ટિને સત્યનાં વધુ સૂક્ષ્મ રૂપ પ્રગટવાં શરૂ થયાં. અંગ્રેજી સભ્યતાનાં બાહ્ય લક્ષણોનું અનુકરણ કરવાનો પ્રયત્ન આરંભ્યો હતો તેને છોડી દઈ એમણે પોતાની રહેણીકરણીમાં ફેરફાર કરી નાખ્યા, જેને પરિણામે, &#039;આત્મકથા&#039;માં તેઓ લખે છે, “મારી આંતરિક ને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી”, “કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો”, “જીવન વધારે સારમય બન્યું” અને એમના “આત્માનંદનો પાર ન રહ્યો” (પૃ. ૫૬). પરિચયમાં આવેલા એક અંગ્રેજ કુટુંબથી પોતે પરિણીત હોવાની હકીકત છુપાવી હતી તે &amp;quot;અસત્યનું ઝેર” પણ ગાંધીજીએ હિંમતપૂર્વક કાઢી નાખ્યું. સ્વભાવમાં રહેલી વિષયાસક્તિ, જેનો પિતાના મૃત્યુ પ્રસંગે એમને અનુભવ થયો હતો, તેનો એમને ઇંગ્લંડમાં ફરી એક વાર અનુભવ થયો, પરંતુ મિત્રની સદ્બુદ્ધિથી તેઓ પતનમાંથી બચી ગયા અને પોતાની નિર્બળતા પ્રત્યે સભાન બન્યા. થિયૉસૉફિસ્ટ મિત્રોના પરિચયે ગાંધીજીમાં થોડી ધર્મજિજ્ઞાસા પણ જાગ્રત થઈ અને ભગવદ્ગીતા, બાઈબલના ‘નવા કરાર&#039;નું &#039;ગિરિપ્રવચન&#039; અને એડવિન આર્નલ્ડનું &#039;બુદ્ધચરિત&#039; વાંથી તેઓ ત્યાગ ને અહિંસાના આદર્શો પ્રત્યે વધુ આકર્ષાયા. ભવિષ્યમાં બધા મુખ્ય ધર્મોનો પરિચય મેળવી લેવો જોઈએ એવી, ‘આત્મકથા&#039;માં તેઓ લખે છે, એમના “મને નોંધ કરી” (પૃ. ૭૧). &lt;br /&gt;
આમ લંડનવાસનાં વર્ષો દરમિયાન ગાંધીજીનું વ્યક્તિત્વ ચોક્કસ, સ્વનિષ્ઠાપ્રેરિત આકાર લઈ રહ્યું હતું, પરંતુ હજુ એમને પોતાનું જીવનધ્યેય સ્પષ્ટ નહોતું થયું. તેઓ બૅરિસ્ટરીનો અભ્યાસ કરવા લંડન આવ્યા હતા, પરંતુ અભ્યાસ પૂરો કરી સ્વદેશ પાછા ફરતાં બૅરિસ્ટર તરીકે પોતે સફળ થશે કે કેમ એ વિશે ઊંડી મૂંઝવણ અનુભવી રહ્યા હતા; કદાચ એ કારકિર્દી એમના હૃદયને આકર્ષતી જ નહોતી. રાજકોટમાં કિશોરાવસ્થા દરમિયાન જ સ્વદેશપ્રેમ ને સમાજસુધારાનો પવન એમને સ્પર્શી ચૂક્યો હતો. દેશના મધ્યમ વર્ગે કવિ દલપતરામની જેમ “ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર&amp;quot; એમ માની શરૂઆતમાં અંગ્રેજી શાસનને આવકાર્યું હતું. પરંતુ ગાંધીજીના વિદ્યાર્થીકાળ સુધીમાં પવન બદલાઈ ગયો હતો અને રાજકોટની શાળામાં હવે નવલરામની (ગાંધીજીએ એને સરતચૂકથી નર્મદની કહી છે) “અગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ” એ કાવ્યપંક્તિઓ ગવાતી, જેમાંથી કિશોર વિદ્યાર્થીઓને, નવલરામને કદાચ અભિપ્રેત નહિ હોય એવી, પ્રેરણા મળતી હશે અને તેઓ દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત જોવાનાં સ્વપ્ન સેવતા હશે. ગાંધીજીના કલ્પનાશીલ સ્વભાવે એ પવનનો બીજા વિદ્યાર્થીઓ કરતાં વધુ પ્રબળ પ્રભાવ અનુભવ્યો હોય એમ જણાય છે. અંગ્રેજોને હરાવી દેશમાંથી હાંકી કાઢવા માટે જરૂરી બળ મેળવવા પ્રજાએ માંસાહાર કરવો જોઈએ એ દલીલથી પ્રભાવિત બની તેઓ માંસાહાર કરવા લલચાયા, અને માતાને ન છેતરવાની ભાવનાથી તેમણે એ પ્રયોગ બંધ કર્યો તોપણ મનમાં સંકલ્પ કર્યો કે મોટા થઈ સ્વતંત્ર થયે તેઓ ખુલ્લી રીતે માંસાહાર કરશે. આ સંકલ્પમાં અંગ્રેજો જેવા બળવાન બનવાની ઇચ્છા સાથે વ્યક્તિની સ્વતંત્રતા રૂંધતા રીતરિવાજોનો ભંગ કરી સમાજસુધારો કરવાની વૃત્તિ પણ ભળી હશે અને એ ધગશે જ, કદાચ, ગાંધીજીને ઇંગ્લંડ જવા પ્રેર્યા હશે. જવાના સમયે રાજકોટની શાળાના શિક્ષકો ને વિદ્યાર્થીઓએ યોજેલા વિદાયસમારંભમાં તેઓ પોતાના વિદ્યાર્થીમિત્રોને સલાહ આપે છે: “હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લંડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગૂંથાશે” (૧–૨. ૧). અભ્યાસ પૂરો કરી ભારત પાછા આવી રહ્યા હતા ત્યારે આગબોટમાં પોતે દેશમાં વકીલાત કરી શકશે કે નહિ એ ચિંતાની સાથે, ‘આત્મકથા&#039;માં તેઓ લખે છે તેમ, કુટુંબજીવનમાં પોતે “કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા” તે કેવી રીતે અમલમાં મૂકવા એની પણ ચિંતા કરી રહ્યા હતા (પૃ. ૮૭). રાજકોટ પહોંચી ગાંધીજીએ પહેરવેશ ને રહેણીકરણીમાં કેટલાક સુધારા તો અમલમાં મૂક્યા, પરંતુ વકીલાતમાં તેઓ સફળ ન થયા. લંડનવાસ દરમિયાન તીવ્ર બનેલી સત્યનિષ્ઠાએ એમનામાં જે સ્વમાનભાવના કેળવી હતી તેનું રક્ષણ કરી શકાય એવું વાતાવરણ તેમણે રાજકોટ કે મુંબઈ શહેરોમાં અનુભવ્યું નહિ, અને વકીલાત માટે જરૂરી આત્મશ્રદ્ધા પણ તેમનામાં આવી નહિ. આ મૂંઝવણમાં દક્ષિણ આફ્રિકા જવાનું આમંત્રણ આવ્યું, જે તેમણે બહુ વિચાર કર્યા વિના સ્વીકારી લીધું. ત્યાં પહોંચ્યા પછી એકાદ અઠવાડિયામાં જ નાતાલની રાજધાની પીટરમૅરિત્ઝ્બર્ગ સ્ટેશને ગાંધીજીનું અપમાન થયું તે પ્રસંગે એમનાં સ્વમાનભાવના ને સ્વદેશપ્રેમને ઉત્તેજી તેમને હિંદી કોમ વતી ગોરાઓના રંગદ્વેષનો સામનો કરવા કૃતસંકલ્પ કર્યા. એમનાં સંકોચ ને શરમાળપણું હવે અદૃશ્ય થઈ ગયાં અને તેઓ તદ્દન સ્વાભાવિક રીતે દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના નેતા બની ગયા. આવ્યા હતા એક વર્ષ માટે, પણ રહી પડ્યા વીસ વર્ષ સુધી. &lt;br /&gt;
આમ અનાયાસે આવી પડેલી રાજકીય સેવામાં ધર્મપ્રેરણા ભળી, અને ગાંધીજીની સેવાપ્રવૃત્તિ એમને માટે ભારતને સર્વાંગી નવસર્જનમાં પોતાનો ફાળો આપવાની કર્મયોગની આધ્યાત્મિક સાધના બની ગઈ. લંડનવાસ દરમિયાન ધર્મજિજ્ઞાસા જાગ્રત થઈ હતી અને બધા મુખ્ય ધર્મોંનો પરિચય મેળવવાનો ગાંધીજીએ વિચાર કર્યો હતો તેને દક્ષિણ આફ્રિકામાં અમલમાં મૂકવાના સંયોગો ઉપસ્થિત થયા. જે મેમણ પેઢીના આમંત્રણથી તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તેના વકીલ મિ. બેકર એક ખ્રિસ્તી મિશનના સંચાલક હતા અને પહેલી મુલાકાત વેળા જ તેમણે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવા આકર્ષવાનો પ્રયત્ન કર્યો. મિ. બેકર દ્વારા ગાંધીજીને બીજા ખ્રિસ્તી પરિચયો પણ થયા અને એ બધાની પ્રેરણાથી તેમણે ખ્રિસ્તી ધર્મનો વિગતે અભ્યાસ કર્યો. ઈશુના વ્યક્તિત્વથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા, પરંતુ ખ્રિસ્તી ધર્મને એકમાત્ર સંપૂર્ણ કે સાચા ઉત્તમ ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા. મેમણ પેઢીના ભાગીદાર દાદા અબદુલ્લાની પ્રેરણાથી ગાંધીજીએ કુરાન અને બીજાં ઇસ્લામી પુસ્તકો પણ વાંચ્યાં. રાજકોટમાં વિદ્યાર્થીકાળ દરમિયાન હિંદુ ધર્મની કેટલીક માન્યતાઓ પ્રત્યે કંઈક અણગમો કેળવાયો હતો, પરંતુ લંડનમાં થિયૉસૉફિસ્ટ મિત્રોની પ્રેરણાથી ભગવદ્ગીતા, &#039;બુદ્ધચરિત&#039; ને મૅડમ બ્લૅવૅટ્સ્કીનું ‘કી ટુ થિયૉસૉફિ&#039; વાંચ્યા પછી તે ઓછો થઈ ગયો હતો અને હવે શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી ગાંધીજીએ હિંદુ ધર્મનો કંઈક વ્યવસ્થિત અભ્યાસ કર્યો. શ્રીમદે સૂચવેલાં પુસ્તકોના તથા તૉલ્સતૉયના “વૈકુંઠ તારા હૃદયમાં છે&#039; એ પુસ્તકના વાંચને ગાંધીજીને આધ્યાત્મિકતા પ્રત્યે નવી દૃષ્ટિ આપી અને તેમનું ધર્મવાંચન ને ચિંતન વધારી મૂક્યું. ઇંગ્લંડથી પાછા ફરતાં આગબોટમાં જેઓ સમાજસુધારાના સ્વપ્ન સેવતા હતા તેઓ હવે આત્મદર્શનના અભિલાષી બની ગયા અને સેવાપ્રવૃત્તિને તેના એક સાધન રૂપે જોવા લાગ્યા. કર્મયોગની આ ભાવનાને ૧૯૦૩માં શરૂ કરેલા ભગવદ્ગીતાના અભ્યાસે સ્પષ્ટ સ્વરૂપ આપ્યું, અને તે સાથે ગાંધીજીની આધ્યાત્મિક યાત્રા ભારતીય પરંપરામાં દૃઢ થઈ.  &lt;br /&gt;
દક્ષિણ આફ્રિકામાં પહેલા વર્ષ દરમિયાન ગાંધીજીએ હિંદી કૉમની અવદશા જોઈ લીધી હતી અને જે કાનૂની કાર્યવાહી અંગે તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે પૂરી થતાં કૉમના રાજકીય સ્વમાન માટે લડવાની તક મળી તે તેમણે આવકારી લીધી. દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી અને વર્તમાનપત્રોમાં પત્ર ને સત્તાધીશોને વિનંતીપત્રો દ્વારા હિંદી કૉમ વિરુદ્ધ પ્રવર્તતા પૂર્વગ્રહો ને દ્વેષની સામે તેમણે લડત ઉપાડી. ત્રણ વર્ષના વસવાટ પછી ગાંધીજી ૧૮૯૬ના જૂન માસમાં કુટુંબને દક્ષિણ આફ્રિકા લઈ જવા ભારત આવ્યા અને છ માસ રહી ડિસેમ્બર માસમાં પાછા ફર્યા. ભારતમાં એમણે કરેલાં ભાષણોના ને દક્ષિણ આફ્રિકાની હિંદી કૉમની હાડમારીઓનું વર્ણન કરતા એક ચોપાનિયા વિશેના ખોટા અહેવાલોથી દક્ષિણ આફ્રિકાના ગોરાઓ ઉશ્કેરાયા હતા અને ગાંધીજી ડરબન બંદરે ઊતરતાં એક ટોળાએ એમના ઉપર હિંસાત્મક હુમલો કર્યો. ગાંધીજીએ એ ટોળાના નેતાઓ ઉપર કામ ચલાવવાનો ઇનકાર કરી જાહેર જીવનમાં અહિંસાનો પહેલો પ્રયોગ કર્યો. સન ૧૮૯૯-૧૯૦૦માં બોઅર યુદ્ધ થયું, જેમાં સારવાર ટુકડીના નેતા તરીકે સેવા આપી ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરી. એ યુદ્ધ પૂરું થતાં ૧૯૦૧ના ઑક્ટોબર માસમાં ગાંધીજી સ્વદેશમાં જાહેર સેવાના કાર્યમાં જોડાવાની ભાવનાથી ભારતમાં પાછા ફર્યા પરંતુ એક વર્ષમાં જ દક્ષિણ આફ્રિકાની હિંદી કૉમની વિનંતીને માન આપી તેઓ વળી પાછા, ડિસેમ્બર ૧૯૦૨માં, દક્ષિણ આફ્રિકા પહોંચ્યા અને ૧૯૧૪ની સાલ સુધી ત્યાંની હિંદી કૉમના હકો માટે પહેલાં બંધારણીય માર્ગે અને પછી સત્યાગ્રહની લડતો દ્વારા લડતા રહ્યા. લડતનો સફળ અંત આવતાં ૧૯૧૪ના જુલાઈ માસમાં ગાંધીજી કાયમ માટે ભારત આવવા નીકળ્યા અને ગોપાળ કૃષ્ણ ગોખલેને મળવા લંડન જઈ ૧૯૧૫ના જાન્યુઆરી માસની ૯મી તારીખે, માતૃભૂમિના દર્શને આનંદ અનુભવતા, મુંબઈ ઊતર્યા.  &lt;br /&gt;
ગાંધીજીની ગુજરાતી લેખનપ્રવૃત્તિ દક્ષિણ આફ્રિકામાં એમની આ રાજકીય સેવાપ્રવૃત્તિ અંગે, એક પત્રકાર તરીકે, શરૂ થઈ. સને ૧૯૦૩ની ૪થી જૂને ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;નો પ્રથમ અંક બહાર પડ્યો ત્યારથી ૧૯૧૪ના જુલાઈ માસમાં તેમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં સુધી તેઓ એ સાપ્તાહિકમાં નિયમિત લખતા રહ્યા. સાપ્તાહિકનો ઉદ્દેશ ગોરાઓમાં હિંદીઓના હકો વિશે જાહેર મત કેળવવાનો હતો, પરંતુ ગાંધીજીએ તેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમને પ્રજાજીવનનું શિક્ષણ આપવા માટે પણ કર્યો અને એ હેતુથી તેમણે &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;માં અંગ્રેજીની સાથે ગુજરાતી વિભાગ શરૂ કર્યો. એ વિભાગમાં ગાંધીજીએ વાચકોને ગોવર્ધનરામના જેવી, સત્યદૃષ્ટિના મિશ્રણવાળી સાત્ત્વિક સ્વદેશપ્રેમની ભાવનાના સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણે ત્રણ અંતિમમાર્ગી વર્ગો ઉત્પન્ન કર્યા હતા. એક વર્ગ અંગ્રેજી સમાજ ને સંસ્કૃતિની સરખામણીમાં ભારતમાં અજ્ઞાન ને વહેમ સિવાય કશું જોતો નહિ અને અંગ્રેજી જીવનરીતિનું અનુકરણ કરીને જ દેશ સંસ્કારી બની શકે એમ માનતો, જ્યારે એ પ્રવાહની પ્રતિક્રિયા રૂપે બીજો વર્ગ પ્રાચીન ભારતની મહાનતાના ખ્યાલમાં રાચતો અને અંગ્રેજી આચારવિચારોના “પવન”નો આવેશભર્યો પ્રતિકાર કરતો. ત્રીજો વર્ગ રાજકીય સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપતો અને ગમે તે ઉપાયે પ્રથમ દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત કરવાનું સ્વપ્ન સેવતો. ગાંધીજીનો સ્વદેશપ્રેમ આ ત્રણે પ્રકારની આત્યંતિકતાથી મુક્ત હતો. શ્રીમદ્ રાજચંદ્રે પ્રેરેલાં વાંચન ને ચિંતનના પ્રતાપે તેઓ ભારતીય આધ્યાત્મિકતાના પ્રેમી બન્યા હતા, પરંતુ એમની સત્યદૃષ્ટિ વર્તમાન ભારતની અવદશા પણ જોતી અને દેશની ઉન્નતિ માટે રાજકીય સ્વમાનની સાથે આંતરિક સુધારાનું મહત્ત્વ પણ સમજતી. &lt;br /&gt;
સાપ્તાહિકના પ્રથમ અંકમાં જ તેની જરૂર ને હેતુ સમજાવતાં ગાંધીજીએ કબૂલ કર્યું કે હિંદીઓ ઉપર આરોપવામાં આવતા બધા દોષ કલ્પિત નહોતા અને જણાવ્યું કે જે કોઈ દોષ એમને દેખાશે તેને સુધારવાનો એમનો પ્રયત્ન રહેશે. પ્રજાને કડવો ઘૂંટડો પાવો તેને તેઓ પત્રકાર તરીકે પોતાની ફરજ માનતા (૫. ૧૨૩) અને એ ઘૂંટડો પ્રેમપૂર્વક પાવાની ગાંધીજીએ એમના લેખોમાં એક વિશિષ્ટ શૈલી વિકસાવી. ગાંધીજીની દૃષ્ટિએ હિંદી કોમની સૌથી ગંભીર નિર્બળતા એનામાં જાહેર સેવાની ભાવનાનો અભાવ હતો તે હતી અને પ્રજાની નૈતિક ઉન્નતિ અંગેનો પહેલો જ લેખ &#039;ભોગ&#039; (“આત્મભોગ”, “સ્વાર્થત્યાગ”ના અર્થમાં) ઉપર લખ્યો. વ્યક્તિઓમાં આત્મભોગની ભાવનાથી જ સમાજ ટકી રહે છે એમ સમજાવી તેમણે ગોરાઓના આક્રમણથી કોમનું રક્ષણ કરવા દરેકને સમય ને પૈસાનો ભોગ આપવા તૈયાર રહેવાનો અનુરોધ કર્યો (૪. ૧૩૧-૨, ૧૩૭-૮). દેશસેવા ને લોકસેવા માટે સ્વાર્થત્યાગની આ ભાવના ગાંધીજીના કવિહૃદયને એટલી આકર્ષક લાગી હતી કે ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;ના તા. ૧-૭-૧૯૦૫ના અંકથી શરૂ થતી એક લેખમાળામાં તેમણે સાપ્તાહિકના ગુજરાતી વિભાગમાં કેટલાંક જાણીતાં પશ્ચિમી લોકસેવકો ને સેવિકાઓનાં ટૂંકાં પણ માહિતીપૂર્ણ, સુગ્રથિત નિબંધો જેવાં પરિચયચિત્રો આપ્યાં. આ ૫રિચયલેખોમાં ગાંધીજીની સેવાપ્રવૃત્તિને જીવનભર પ્રેરી રહેલા આદર્શોનું પહેલું દર્શન થાય છે. એવો પહેલો લેખ કોઈ અંગ્રેજ લોકસેવક વિશે નહિ પણ રશિયન લેખક મૅકિસમ ગૉર્કી વિશે છે. “લોકોને પડતા જુલમો સામે ઉશ્કેરવા” પોતાની કલમનો ઉપયોગ કરનાર, “લોકોના હકનો બચાવ” કરવા હંમેશાં તૈયાર રહેનાર અને લોકસેવા અંગે “કેદને માન” સમજનાર એ ક્રાન્તિવીર માટેનો ગાંધીજીનો અહોભાવ (૫.૬-૭) એમની ભવિષ્યની કારકિર્દીની દૃષ્ટિએ સૂચક ગણી શકાય એવો છે. ગાંધીજીની કલમ પણ રાજ્યના અન્યાયનો પ્રતિકાર કરવા જ પ્રવૃત્ત થઈ હતી અને જીવનભર લોકહિત ને લોકકલ્યાણને સમર્પિત રહી હતી, તથા તેઓ પણ લોકસેવા અંગે મળતી જેલને “મહેલ” ગણવાનું શીખ્યા હતા, અને પ્રજાને શીખવતા રહ્યા હતા. “સ્વાર્થ વિનાનો, અહંકાર વિનાનો, અત્યંત પવિત્ર ધર્મચુસ્ત” અને પોતાના મનોબળથી ને “અત્યંત ભક્તિ”થી સ્વદેશનો ઉદ્ધાર કરનાર જોસેફ મૅઝિની જીવનભર ઇટાલીની સેવા કરતો રહ્યો, પણ “તેનું મન એવું ઉદાર હતું કે તે દરેક દેશનો રહીશ ગણી શકાય” (૫. ૨૯-૩૦) સ્વદેશની સેવા કરવાની ભાવનાથી પ્રેરાઈ અબ્રાહામ લિંકન ગુલામીની પ્રથા નાબૂદ કરવા પોતાના જ દેશબાંધવોની સાથે લડ્યો અને છેવટે “પારકાનાં દુ:ખને સારુ પોતાની જિંદગી અર્પણ કરી અમર થઈ ગયો (૫. ૫૪-૬). અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં “લોકોની સેવા કરવા ખાતર વગર પગારે&amp;quot; સેનાપતિનો હોદ્દો સ્વીકારનાર અને લડાઈમાં “શૂરવીરપણું બતાવ્યું તેમ દેશમાં સુધારા કરવામાં, લોકોને એકઠા રાખવામાં ને દેશની આબરૂ વધારવામાં&amp;quot; બતાવનાર જ્યૉર્જ વૉશિંગ્ટન જેવા “વીર પુરુષ હિંદ પણ જણે” એમ ગાંધીજી ઈચ્છે છે (૫. ૯૧-૨). &amp;quot;મા, બીક શું છે? મેં તે નથી જોઈ” એમ દાદીને પૂછનાર બાળક નેલ્સન નેપોલિયન સામે ટ્રફાલ્ગરના યુદ્ધમાં ઘવાયો ત્યારે “અસહ્ય વેદના સહન કરતાં પણ તેણે હુકમો આપ્યા કર્યા” અને મૃત્યુની ક્ષણ સુધી પોતાની ફરજ બજાવતો રહ્યો. એના જેવા “હીરા&amp;quot; ગાંધીજી લખે છે, “જે પ્રજામાં ઉત્પન્ન થાય અને જે પ્રજા એવા હીરાને આવા જતનથી સાચવે તે પ્રજા કેમ આગળ ન વધે?” કર્તવ્યનિષ્ઠાના એ જ્વલંત દૃષ્ટાંતમાંથી દેશભક્ત ગાંધીજી વાચકોને સાર લેવા પ્રેરે છે : “આપણે નેલ્સનના જેવા હિંમતવાન થઈએ, તેના જેટલી ફરજ સમજીએ. નેલ્સનની પ્રજાની જેમ આપણને પણ દેશાભિમાન આવે. હું હિંદુ, તમે મુસલમાન; હું ગુજરાતી, તમે મદ્રાસી; એ બધું ભૂલી જઈએ. હું અને મારું એ નીકળી હું હિંદી, તમે પણ હિંદી” (૫. ૧૨૫-૬). &lt;br /&gt;
શૂરવીરતાના આવા પ્રશંસક ગાંધીજી કર્તવ્યનિષ્ઠાનાં શાંત, રચનાત્મક સ્વરૂપોના એવા જ ભક્ત હતા. તેઓ માનતા કે અંગ્રેજો હિંદુસ્તાન ઉપર રાજ્ય કરતા હતા કારણ કે “ઈંગ્રેજી પ્રજામાં હાલના જમાનામાં બહાદુર, ધાર્મિક અને પવિત્ર સ્ત્રીપુરુષો આપણા કરતાં વધારે થયાં જણાય છે&#039; (૫. ૪૮). તેવી એક સ્ત્રી, ઇલિઝાબેથ ફ્રાય, “પોતે હમેશાં માંદી રહેતી” પરંતુ તેની દરકાર કર્યા વિના તેણે “પોતાની જિંદગી... કેદીઓની દશા સુધારવામાં અર્પણ કરી&#039; અને “બહુ દુખિયાનાં દુઃખમાં ભાગ લેતી... પોતાનું દુ:ખ ભૂલી જઈ ઈશ્વરનું ભજન કરતી મરણ પામી” (૫. ૪૯). ઇંગ્લંડ ને રશિયા વચ્ચેના ક્રીમિયાના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરનાર “ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! ... પોતે દહાડોરાત મળી ૨૦ કલાક સુધી કામ કરતી.... એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી.... જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોક રડેલા એમ કહેવાય છે.” અને જૂના યુગની ગાંધીજીની ધર્મશ્રદ્ધા ભક્તિભાવથી લખે છે : “ઇંગ્લંડ રાજ્ય કરે છે તે પોતાના બળથી નહીં પણ આવાં સ્ત્રીપુરુષોનાં પુણ્યથી” (૫. ૬૫-૬) &lt;br /&gt;
ભારતમાં અંગ્રેજી શાસકોની તુમાખી ગાંધીજીએ જોઈ અને અનુભવી હતી, છતાં એમની ઉદાર સત્યદૃષ્ટિ કેટલાક અંગ્રેજ રાજ્યકર્તાઓની સન્નિષ્ઠાની ભાવપૂર્વક કદર કરે છે. પંજાબમાં અંગ્રેજી શાસન સ્થિર કરનાર હેન્રી લૉરેન્સ “હિંદીઓ ઉપર બહુ પ્યાર” રાખતો. તે એમ માનતો કે “દરેક અંગ્રેજ એ હિંદુસ્તાનનો ટ્રસ્ટી છે” અને ટ્રસ્ટી તરીકે અંગ્રેજોનું કામ “લોકોને આબાદ કરવાનું, લોકોને સ્વરાજ્ય શીખવવાનું અને આબાદ મુલક કરીને હિંદીઓને સોંપવાનું હતું” (૫. ૧૧૦-૧). મદ્રાસ ઇલાકામાં પોતાની કર્તવ્યનિષ્ઠાથી નોકરીમાં ઉત્તરોત્તર ચડી છેવટ ગવર્નરની પદવી સુધી પહોંચનાર સર ટૉમસ મનરોની “હિંદીઓ ઉપર અગાધ પ્રીતિ હતી અને તેનો ખરેખરો ઇલકાબ સર નહિ પણ ‘રૈયતનો દોસ્ત’ એ હતો.” “આવા સાદા અને માયાળુ ઈંગ્રેજો” ગાંધીજી લખે છે, “અગાઉ થઈ ગયા અને હજુ પણ નીકળી આવે છે તેથી જ ઇંગ્રેજ રાજ્યનો સતારો ઘણા ડાઘ છતાં ઝળક્યાં કરે છે” (૫. ૧૨૯). &lt;br /&gt;
ગાંધીજીનો સ્વસ્થ સ્વદેશપ્રેમ આવાં અંગ્રેજ વ્યક્તિવિશેષોનાં ચિત્રો આપતાં કોઈ પ્રકારની લધુતાગ્રંથિ અનુભવતો નથી. એમની શ્રદ્ધા હતી કે યોગ્ય શિક્ષણ મળતાં હિંદીઓ અંગ્રેજોના જેવી સેવાભાવના ને કર્તવ્યનિષ્ઠા કેળવી શકે, અને &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના વાચકોને એમણે નવી કેળવણી પામેલા કેટલાક એવા હિંદીઓનો પણ પરિચય કરાવ્યો. ત્રાવણકોર, ઇંદોર ને વડોદરા એમ એક પછી એક ત્રણ રાજ્યોના દીવાન બનનાર રાજા સર ટી. માધવરાવ, હાઈકોર્ટના પહેલા હિંદી જજ સર ટી. મુતુસામી ઐયાર અને મુસ્લિમ સુધારક, મુંબઈ હાઈકોર્ટના જજ બદરુદ્દીન તૈયબજીની કારકિર્દીનાં પરિચયચિત્રો એ સમયના અર્ધશિક્ષિત વેપારીઓમાં હિંદીઓની શક્તિ વિશે ગૌરવ પ્રેરે એવાં હતાં. પરંતુ ગાંધીજીની પોતાની ભક્તિ બંગાળી લોકસેવક ને સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માટે હતી. વિદ્યાસાગર માત્ર વિદ્યાનો નહિ, પણ “દયાનો, ઉદારતાનો તથા ઘણા સદ્ગુણોનો સાગર” હતા. તેઓ “હિંદુ... અને તેમાં પણ બ્રાહ્મણ” હતા, પણ તેમને “મન બ્રાહ્મણ અને શુદ્ર, હિંદુ અને મુસલમાન સરખા હતા તે” અને એમની રહેણીકરણી એટલી સાદી હતી કે તેઓ ખરેખરા “ફકીર અથવા સંન્યાસી કે યોગી” હતા (પ. ૭૧-૨). &lt;br /&gt;
સેવા ને કર્તવ્યનિષ્ઠાની આ નવી લાગતી ભાવનાઓ ગાંધીજીના હૃદયમાં સ્થિર થતાં એમની કલ્પનાક્ષિતિજ ઉપર એક નવા આદર્શનો ઉદય થયો, જે એમની જીવનદૃષ્ટિના વિકાસમાં ક્રાન્તિકારી પરિણામ લાવવાનો હતો. ભગવદ્ગીતાના અભ્યાસે તેમને અપરિગ્રહના આદર્શ વિશે વિચાર કરતા કર્યા હતા અને એમનું જીવન સાદાઈ તરફ પ્રગતિ કરી રહ્યું હતું, તેવામાં એમણે ૧૯૦૪ના જૂન માસમાં, અંગ્રેજ લેખક રસ્કિનનું &#039;અન્ટુ ધિસ લાસ્ટ&#039; પુસ્તક વાંચ્યું, જેમાં લેખકે જુસ્સાભરી ભાષામાં પ્રતિપાદન કર્યું હતું કે કોઈ પણ દેશનું ખરું ધન એની બેંકોમાં સંઘરેલું હોતું નથી પણ એના નીચલામાં નીચલા વર્ગની સ્વાસ્થ્ય, આનંદ ને ઉલ્લાસની સમૃદ્ધિમાં રહેલું છે. &#039;આત્મકથા&#039;માં એમણે નોંધ્યું છે તેમ ગાંધીજી આ પુસ્તકમાંથી ત્રણ સિદ્ધાંતો સમજ્યા : (૧) ઓગણીસમી સદીના સમાજદર્શનનો આદર્શ “વધુમાં વધુ સંખ્યાનું વધુમાં વધુ સુખ” એ હતો, એટલે કે બની શકે એટલી વધારે પ્રજાસંખ્યા વધુમાં વધુ સુખી થાય એવી સમાજવ્યવસ્થા. આની વિરુદ્ધ રસ્કિનમાંથી ગાંધીજીએ સ્વીકારેલો સિદ્ધાંત સર્વ પ્રજાજનોના સરખા સુખમાં— &#039;સર્વોદય&#039;માં માને છે. (૨) આર્થિક દૃષ્ટિએ શરીરના કે બુદ્ધિના દરેક પ્રકારના શ્રમનું સરખું મૂલ્ય અને (૩) નૈતિક દૃષ્ટિએ શરીરશ્રમનું વિશેષ ગૌરવ. પુસ્તકની, &#039;આત્મકથા&#039;માં ગાંધીજી નોંધે છે તેમ, એમના મન ઉપર એવી “જાદુઈ અસર” થઈ કે એમણે તુરત એના આદર્શો અમલમાં મૂકે એવા સામૂહિક જીવનની યોજના વિચારી અને ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. આ નવા આદર્શના પ્રકાશે તૉલ્સ્તૉય માટે ગાંધીજીનું આકર્ષણ વધાર્યું. એ રશિયન લેખકનાં પુસ્તકોએ ગાંધીજીને વિશ્વપ્રેમ દ્વારા કેળવવાની આધ્યાત્મિકતાનો આદર્શ આપ્યો હતો અને તેણે ભારતીય આધ્યાત્મિકતાના સંસ્કાર સાથે ભળી ગાંધીજીને અહિંસા ધર્મમાં દૃઢ કર્યા હતા. હવે તેઓ તૉલ્સ્તૉયના ઉપદેશના બીજા એક મહત્ત્વના પાસા વિશે વિચાર કરતા થયા. &#039;કાઉન્ટ ટૉલ્સ્ટૉય&#039; ઉપરના પરિચયલેખમાં તેમણે એ ઉપદેશની ને તૉલ્સ્તૉયના જીવનની આછી રૂપરેખા આપી. તૉલ્સ્તૉય માનતા કે આજીવિકા માટે દરેક વ્યક્તિએ શરીરશ્રમ કરવો એ એક ધાર્મિક કર્તવ્ય છે, “અને મોટાં શહેરો વસાવવાં, તેમાં લાખો માણસોને સંચાકામ વગેરેમાં ગોઠવવાં અને તેવાંઓની ગુલામગીરી અથવા તો ગરીબાઈનો લાભ લઈ થોડા માણસોએ અમીરાત ભોગવવી એ ઈશ્વરી નિયમથી ઊલટું છે” (૫. ૬૦). આ સિદ્ધાંતે સમય જતાં ગાંધીજીની આધ્યાત્મિક અભિલાષાને ક્રાન્તિકારી દિશા આપી અને સત્ય ને પ્રેમની શક્તિ દ્વારા ભારતમાં એક નવા પ્રકારની ન્યાયી ને નીતિમાન સમાજવ્યવસ્થા સર્જવાનો પુરુષાર્થ કરવા એમને પ્રેર્યાં. &lt;br /&gt;
ગાંધીજીનું ધર્મચિંતન જે દિશામાં વળી રહ્યું હતું તેનું સમર્થન કરતું એક પુસ્તક, અમેરિકન લેખક સૉલ્ટરનું “એથિકલ રિલિજિયન&#039;, એમણે આ અરસામાં વાંચ્યું અને &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના વાચકો માટે એને ગુજરાતીમાં ‘નીતિધર્મ’ શીર્ષકની એક લેખમાળામાં સારાનુવાદ આપ્યો. ગાંધીજીના ધર્મદર્શનનું રહસ્યબિંદુ સમજવામાં આ લેખો મહત્ત્વના છે. ભારતની અવનતિનું મુખ્ય કારણ એ હતું કે વ્યાવહારિક જીવનમાં પ્રજાએ શાસ્ત્ર કે રૂઢિને પ્રધાનપદ આપ્યું હતું અને વ્યક્તિની સ્વતંત્ર વિવેકશક્તિ નિર્બળ કે ક્ષીણ બનાવી દીધી હતી. સામાન્ય જનસમાજ માટે ધર્મનો અર્થ દેવદર્શન કે પૂજા એટલો જ રહ્યો હતો, અને ધર્મની પ્રેરણા વધુ તીવ્ર રૂપે અનુભવતા સંતો વ્યાવહારિક કે સામાજિક જીવનનો ત્યાગ કરી એમના પોતાના માર્ગે જતા. મોક્ષના અભિલાષીઓ વેદાંતનો આશ્રય લઈ ધર્મથી પણ વિમુખ બની જતા. ગાંધીજીએ વ્યવહાર, નીતિ, ધર્મ ને મોક્ષ વચ્ચે એકસૂત્રતા સ્થાપી. “નીતિધર્મ” ઉપરના લેખોમાં તેઓ, મૂળ લેખકને અનુસરી, પહેલાં ત્રણ વચ્ચેનો ભેદ સમજાવે છે. સમાજવ્યવહાર માટે રૂઢિનું પાલન જરૂરી હોય, પણ રૂઢિ એ નીતિ નથી, શુદ્ધ નીતિ એટલે “આપણું અંતર શું કહે છે” તેનો જ વિચાર કરીને કરેલું વર્તન. એવા વર્તનમાં ઈહલોક કે પરલોકમાં કોઈ લાભ કે ફળની અપેક્ષા ન હોય (૬. ૩૧૮-૯). આવી નીતિભાવનામાં વ્યક્તિની પોતાના પ્રત્યે કર્તવ્યની ભાવના રહેલી છે, અને એ ભાવનાને ધર્મશ્રદ્ધાના અવલંબનની જરૂર રહે છે. “જ્યાં સુધી નીતિબીજને ધર્મરૂપી પાણીનું સિંચન નથી ભળતું, ત્યાં સુધી અંકુર ફૂટતું નથી અને વગર પાણીથી તે બીજ સુકાયેલું રહે છે, અને જો લાંબો વખત પાણી વિના રહે તો નાશ પણ પામે છે... ખરી નીતિમાં ખરા ધર્મનો સમાવેશ થવો જોઈએ;....ધર્મ વિના નીતિ જળવાય નહીં, એટલે નીતિ ધર્મ રૂપે પાળવી જોઈએ” (૬. ૩૪૭-૮). આમ ધર્મદૃષ્ટિ વિનાની નીતિ અધૂરી છે, તો સમાજદૃષ્ટિ વિનાનો ધર્મ પણ અધૂરો છે...“ઊંચ નીતિ તે સાર્વજનિક હોવી જોઈએ” અને તેથી આપણા સંબંધમાં આવનાર દરેક વ્યક્તિ આપણી ઉપર હક ધરાવે છે એમ માની “આપણે સદા તેની સેવા કરવી એવી આપણી ફરજ છે” (૬. ૩૬૬). પ્રાચીન ભારતીય દૃષ્ટિએ પણ અંતઃપ્રેરણા ને સમાજધર્મનું ગૌરવ કર્યું હતું, અને સંભવ છે કે “નીતિધર્મ” ઉપરના આ લેખોમાં રજૂ કરાયેલી અર્વાચીન પશ્ચિમી ભાવનાઓએ ગાંધીજીને ભારતીય ધર્મદર્શનના એ મૂળ સ્વરૂપને સમજવાની દૃષ્ટિ આપી હોય. પરંતુ પ્રાચીન ભારતીય ધર્મદૃષ્ટિ ધર્મને મોક્ષના સાધન રૂપે જોતી અને ગાંધીજી પણ, એમની અંતરદૃષ્ટિનો વિકાસ થતાં, નીતિ ને ધર્મ વચ્ચેના સંબંધની સૉલ્ટરની પશ્ચિમી ભાવનાથી આગળ વધી &#039;આત્મકથા&#039;ની પ્રસ્તાવનામાં “ધર્મ એટલે આત્માર્થે પાળેલી નીતિ” એમ કહી નીતિ, ધર્મ ને મોક્ષ વચ્ચે પ્રાચીન ભારતીય દૃષ્ટિએ સ્થાપ્યું હતું તે અનુસંધાન સ્થાપિત કરવાના હતા. &lt;br /&gt;
એ જ ભારતીય દૃષ્ટિને અનુસરીને ગાંધીજીએ ધર્મપાલનને સામાન્ય સમાજવ્યવહારમાં સીમિત નહિ રાખતાં રાજકીય ક્ષેત્રમાં પણ તેનો આગ્રહપૂર્વક અમલ કર્યો. સને ૧૮૮૫માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના સાથે જે રાજકીય જાગૃતિ શરૂ થઈ હતી તે ૧૯૦૫માં બંગાળાના ભાગલા સાથે દેશવ્યાપી બની અને પ્રજાના શિક્ષિત વર્ગમાં સ્વદેશભક્તિનો જુવાળ આવ્યો હોય તેમ લાગ્યું. આ જ અરસામાં જાપાન ને રશિયા વચ્ચે યુદ્ધ થયું અને તેમાં જાપાન જીત્યું. એશિયાની એક પ્રજાએ યુરોપના એક દેશને હરાવ્યો તેનું ભારતના શિક્ષિત વર્ગે રોમાંચપ્રેરક ગૌરવ અનુભવ્યું, અને એ નવો જુસ્સો ગાંધીજીને પણ સ્પર્શ્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં યુદ્ધના સમાચાર આપતાં તેઓ જાપાનની પ્રજાનાં સ્વદેશપ્રેમ, તેમની વીરતા, શિસ્ત ને દેશ માટે ભોગ આપવાની શક્તિને બિરદાવે છે તથા હિંદીઓને તેમાંથી પ્રેરણા મેળવવાનો આગ્રહ કરે છે (૪. ૫૨૫-૬, ૫. ૬૦-૧). રશિયામાં પણ ક્રાન્તિનો પવન વાઈ રહ્યો હતો અને પ્રજા રાજ્યના જુલમો સામે માથું ઊંચકી રહી હતી. &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના ગુજરાતી વિભાગમાં ગાંધીજી આ ઘટનાઓની પણ વિગતે નોંધ લે છે. રશિયા ને ભારતની સરખામણી કરી તેઓ રાજ્યના જુલમ સામે રશિયાની પ્રજાએ અસહકારનું શસ્ત્ર અજમાવ્યું હતું તેમ હિંદીઓને પણ કરવા પ્રેરે છે (૪. ૩૮૪-૫, ૩૯૦-૧, ૫. ૧૪૧-૨). પરંતુ આમ જાપાન ને રશિયાની પ્રજાની બહાદુરીની પ્રશંસા કરવા છતાં ગાંધીજીનું ધર્મપ્રેમી ને માનવતાપ્રેમી હૃદય યુદ્ધનું કે ત્રાસવાદી હિંસાનું અનુમોદન નથી કરી શકતું. તેમની શ્રદ્ધા હજુ ઇંગ્લંડની લોકશાહીના બંધારણીય માર્ગ ઉપર હતી. અને તેથી, દક્ષિણ આફ્રિકાના ગોરાઓના રંગદ્વેષનો તેઓ દસેક વર્ષથી કડવો અનુભવ કરી રહ્યા હોવા છતાં ૧૯૦૬ના જૂન-જુલાઈ માસમાં આફ્રિકાના મૂળ વતની ઝૂલુઓએ નાતાલની સરકાર સામે બંડ કર્યું ત્યારે ગાંધીજીએ સરકારને સક્રિય મદદ કરવાની તૈયારી બતાવી અને એક સારવાર ટુકડી તૈયાર કરી પોતે તેની નેતાગીરી લીધી. ઘવાયેલા અંગ્રેજ ને ઝૂલુ સૈનિકોની સારવાર કરવાના આ અનુભવે ગાંધીજીના હૃદયમાં કેટલાક સમયથી ચાલી રહેલા ધર્મમંથનને તીવ્ર બનાવી મૂક્યું અને બ્રહ્મચર્યવ્રત લઈ તેમણે આજીવન સેવાધર્મની માનસિક દીક્ષા લીધી. સ્વદેશપ્રેમનો જુસ્સો ને ધર્મવૃત્તિની આવી ઝંખનાના મિશ્રણમાંથી ગાંધીજીની કવિચેતનાએ એક અદ્ભુત રસાયણ સર્જ્યું. ઝૂલુ બંડ પૂરું થતાં જ એમની પ્રેરણાથી ટ્રાન્સવાલની હિંદી કોમે એક રંગદ્વેષી ઑર્ડિનન્સની યોજના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. જોહાનિસબર્ગની એમ્પાયર નાટકશાળામાં તા. ૧૧-૯-૧૯૦૬ના રોજ મળેલી હિંદીઓની સભાએ એ ઑર્ડિનન્સ પસાર થાય તો તેને તાબે નહિ થવાનો અને તેમ કરતાં જરૂર પડે તો જેલ જવાનો નિર્ણય કર્યો. એક વર્ષ પછી, જુલાઈ ૧૯૦૭માં, આ ઠરાવનો અમલ થયો. સ્વમાનભાવનાએ પ્રેરેલી હિંદીઓની આ રાજકીય લડતમાં ગાંધીજીએ, જેને તેઓ સર્વ ધર્મોના મૂળમાં રહેલાં સનાતન મૂલ્યો માનતા થયા હતા તે સત્ય ને અહિંસાના સિદ્ધાંતોના પાલનનો આગ્રહ રાખ્યો અને જગતના ઈતિહાસમાં અપૂર્વ એવી એક પ્રતિકારરીતિનો ઉદ્ભવ થયો. ગાંધીજીએ તેને “સત્યાગ્રહ” નામ આપ્યું. પશુબળ સામે આત્મબળના આ પ્રયોગ સાથે યુગપુરુષ તરીકે ગાંધીજીનું જીવનકાર્ય શરૂ થયું. &lt;br /&gt;
સત્ય ને અહિંસા એ ગાંધીજી માટે માત્ર બુદ્ધિના સિદ્ધાંતો નહિ પણ હૃદયની સ્ફુરણાઓ હોઈ તેમના પાલનના અનુભવે, કવિનું દર્શન જેમ ઉત્તરોત્તર વિકાસ પામે તેમ, એ આદર્શો એમને વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપે હૃદયગત થતા રહ્યા. આંદોલનની શરૂઆતના એમના લેખોમાં ક્ષત્રિય ઉગ્રતાનું તેજ હતું. નર્મદાશંકરની વાણીમાં તેમણે કોમને આહ્વાન આપ્યું હતું કે “સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે” (૬.૫૧૧), અને “શૂરા શું કરે?” એમ શીર્ષકમાં પૂછી તેનો ઉત્તર આપ્યો હતો, “પગલા ભરવા માંડો રે, હવે નવ વાર લગાડો રે;... સજી કરીને સહુ જણ સાથે, રણમાં લડવા ચાલો; શત્રુની સામે ઊભા રહી, ઘુરકાવીને ભાળો” (૭. ૩). એવી વીરતામાં ઊણા ઊતરેલા અને દશ આંગળાની છાપ આપી સર્ટિફિકેટ કઢાવી આવેલા કેટલાક હિંદીઓ ઉપર ભાગ્યે જ અહિંસક ગણી શકાય એવી વાણીમાં કટાક્ષ કરતાં તેમણે લખ્યું હતું: “એવું કહેવાય છે કે મિ. ખમીસાની દુકાનમાં તે રાતે આશરે વીસ માણસોએ મધરાતે હાથ ને મોં કાળાં કર્યાં ને હિંદી કોમને બટ્ટો લગાડ્યો” (૭. ૧૩૫). સરકારને ઢીલીપોચી અરજી કરનાર હિંદીઓને તેમણે પૂછયું હતું, “શું તેમને એટલું નથી સૂઝતું કે તેઓની હિચકારી અરજીથી હિંદીનું માન ઘટે છે ને હિંદીની ટેકને ધક્કો લાગે છે?” (૭. ૨૧૯). પરંતુ નવેમ્બર માસમાં શરૂ થયેલી બેએક માસની પકડાપકડી પછી અને ગાંધીજીએ વીસ દિવસની જેલ ભોગવ્યા પછી ૩૦-૧-૧૯૦૮ના રોજ સમાધાની થતાં તેમનો રોષ ઊતરી ગયો અને તેમણે લખ્યું : “આજ લગી અમે બ્લેકલેગને કાળમુખા વગરેની ઉપમા આપી છે.... પણ તે ઉપમા અમે દ્વેષ કરીને નથી આપી, પણ વહાલને લીધે દુઃખ પામીને.” ચુસ્ત રહેલા હિંદીઓને તેમણે “ભલામણ” કરી કે “તેઓએ ખૂની કાયદાને વશ થયેલા ઉપર જરાયે ગુસ્સો નહિ લાવતાં તેઓની સાથે થયેલું અંતર દૂર કરવું, તેઓનો દોષ ભૂલી જવો. તેઓ અને બીજા હિંદી એક જ દેશના છે, એક જ લોહી છે, અને ભાઈ છે. લાકડી મારવાથી પાણી જેમ નોખું નથી પડતું તેમ આપણે પણ નોખા પડી શકતા નથી” (૮. ૬૦). આ ક્ષમાભાવના સાચા હૃદયની હતી તેની થોડા જ દિવસોમાં કસોટી થઈ. સમાધાનીથી હિંદી કોમની નામોશી થઈ હતી એમ માનીને ગાંધીજી ઉપર રોષે ભરાયેલા તેમના એક પઠાણ અસીલ મીરઆલમે તેમની ઉપર હુમલો કર્યો ત્યારે, તેમની સારવાર કરી રહેલા સજ્જન પાદરી જોસેફ ડોકને ઘેર પથારીમાંથી તે જ દિવસે તેમણે મિત્રોને પત્ર લખ્યો ને જણાવ્યું કે “જેઓએ માર માર્યો છે તેઓની ઉપર મને ગુસ્સો નથી. તેઓએ અણસમજથી આ કામ કર્યું છે, તેઓની ઉપર કોઈ કામ ચલાવવાની જરૂર નથી” (૮. ૭૧) સને ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના ટોળાએ એમના ઉપર હુમલો કર્યો હતો ત્યારે પણ ગાંધીજીએ એમાંના કોઈ ઉપર કામ ચલાવવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ આ વેળા એમની ક્ષમાભાવનામાં શુદ્ધ અહિંસાનો જે સ્પર્શ હતો તે એમને માટે એક નવો જ અનુભવ હતો અને તે આ સમયનાં એમનાં લખાણોમાં સૌમ્ય મૃદુતા રૂપે સ્ફુરી રહે છે. હુમલાની વિગતો આપતો અને હુમલો કરનારાઓને દોષમુક્ત ગણાવતો &#039;મારો ઇલકાબ&#039; નામનો લેખ (૮. ૮૬), સમાધાનીનું રહસ્ય સમજાવતો &#039;સમાધાની ઉપર સવાલ-જવાબ&#039; લેખ (૮. ૭૨) તથા વીસ દિવસના જેલનિવાસનું વર્ણન કરતી ‘મારો જેલનો અનુભવ&#039; લેખમાળા (ખંડ ૮) અહિંસાનું પાલન વ્યક્તિના પોતાના હૃદય માટે કેવું શુદ્ધિપ્રેરક બની રહે છે તેની પ્રતીતિકર સાક્ષી પૂરે છે. અહિંસાનો આ અનુભવ ગાંધીજીની સત્યદૃષ્ટિને આભારી હતો. સમાધાનીમાં એમણે પોતાનો નહિ પણ &#039;સત્યનો જય&#039; જોયો હતો (૮. ૫૪, ૫૮-૯) અને એ જયથી ગર્વ નહિ પણ નમ્રતા અનુભવી હતી, જેને વિરોધીઓના વિરોધે વધુ નમ્ર બનાવી હતી. &lt;br /&gt;
જેલમાં ગાંધીજીએ ગ્રીક તત્ત્વચિંતક સૉક્રેટીસના મૃત્યુદંડની કથા વાંચી. સૉક્રેટીસ યુવાનોને દરેક માન્યતા બુદ્ધિથી ચકાસવાનું શીખવતો. એટલે ઍથૅન્સની નગરસભામાં તેના ઉપર ગ્રીક પ્રજાનાં દેવદેવીઓનો ઈનકાર કરી કોઈ બીજા દેવ કે તત્ત્વનો પ્રચાર કરવાનો અને યુવાનોના માનસને ભ્રષ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તે માટે તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. સજાનો અમલ કરવાની આગલી રાત્રે સૉક્રેટીસના શિષ્ય ક્રિટોએ તેને જેલમાંથી નાસી જવા માટે સમજાવ્યો અને તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરી, પરંતુ તેણે પોતાની પ્રિય માતૃનગરીના કાયદાનો, તે અન્યાયી હોવા છતાં, છૂપી રીતે ભંગ કરી તેની કાનૂનવ્યવસ્થાનો દ્રોહ કરવાને બદલે પ્રેમપૂર્વક મૃત્યુની સજા સ્વીકારી લીધી. સૉક્રેટીસની એ કથા અને મુકદ્દમા વેળાનો તેનો બચાવ તથા જેલમાં તેની ને ક્રીટો વચ્ચેનો સંવાદ પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં સત્યનિષ્ઠાનાં ચિરંજીવ ઉદાહરણ બની રહ્યાં છે. ગાંધીજીએ તેમાં પોતાની સત્યાગ્રહભાવનાનું એક રૂપ જોયું, જેમ પ્રહ્લાદની કથામાં જોયું હતું, અને એ નવી શોધના ઉત્સાહથી પ્રેરાઈ જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘એક સત્યવીરની કથા’ એ શીર્ષકની લેખમાળામાં (ખંડ ૮) સૉક્રેટીસના બચાવનો અને ક્રીટો સાથેના તેના સંવાદનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો. સત્યાગ્રહ એ માત્ર અન્યાયનો પ્રતિકાર નથી, પણ એક વિશિષ્ટ જીવનરીતિ છે, એ ભાવના પણ ગાંધીજીના હૃદયમાં દૃઢ થઈ રહી હતી અને ૧૯૦૪માં સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં તેઓ એવી જીવનરીતિનો પ્રયોગ કરી રહ્યા હતા. રસ્કિનના જે પુસ્તકમાંથી તેમને એ આશ્રમની પ્રેરણા મળી હતી તેનો પણ ગાંધીજીએ &#039;સર્વોદય&#039; શીર્ષકથી ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો (ખંડ ૮). આમ પહેલા સત્યાગ્રહના અનુભવ પછી ગાંધીજીની સત્યદૃષ્ટિની ક્ષિતિજો નવી નવી દિશામાં વિસ્તરતી રહી. &lt;br /&gt;
જનરલ સ્મટ્સે સમાધાનીને ભંગ કર્યો અને લડત ફરી ઊપડતાં ગાંધીજીને ફરી બે વાર (૧૯૦૮ના ઑક્ટોબરમાં ને ૧૯૦૯ના ફેબ્રુઆરીમાં) જેલમાં જવાનું થયું. ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;ના ગુજરાતી વાચકો માટે એ જેલનિવાસના અનુભવનું વર્ણન કરતી લેખમાળાઓમાં ગાંધીજીની વિકસી રહેલી સત્યાગ્રહભાવનાની સ્પષ્ટ છાપ ઊઠે છે. સત્યાગ્રહી પોતાની સિદ્ધાંતનિષ્ઠાને પરિણામે આવી પડેલું કષ્ટ લેશમાત્ર કટુતા વિના, પ્રેમપૂર્વક સહન કરે. એવો સત્યાગ્રહી કેમ વર્તે એનું બુદ્ધિની ભાષામાં પૃથક્કરણ ન થઈ શકે, પણ એવા વર્તનનાં વાચકની કલ્પનામાં અંકિત થઈ જાય એવાં વર્ણન-ચિત્રો આપી શકાય. ગાંધીજીની કલમે એ સફળતાપૂર્વક કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી મહાત્મા નહોતા બન્યા, અને તેથી એમને પણ જેલમાં કોઈ સામાન્ય કેદીને થાય એવા અનુભવ થયા હતા. બીજી વારની જેલ સખત મજૂરીની હતી, અને જેલમાં પહોંચ્યા પછી બીજે જ દિવસે એમને બીજા હિંદી કેદીઓની સાથે જમીન ખોદવાનું કામ કરવાનું આવ્યું. સખત મજૂરીથી નહિ ટેવાયેલા હિંદીઓ દારોગાના “ચલાવો ચલાવો” પોકારથી ગભરાઈ કામ કરતા હતા અને કેટલાક રડી પણ પડ્યા. એમનું દુ:ખ જોઈ, ગાંધીજી લખે છે, “મારું દિલ રડતું હતું”, પણ સૌને સાચા દિલથી કામ કરવા તેઓ પ્રેરતા રહ્યા. છેવટે તેઓ પોતે પણ થાક્યા. “હાથમાં ફોલ્લા સખત પડ્યા, તેમાંથી પાણી ચાલ્યાં. વાંકું વળવું એ મુશ્કેલ લાગતું હતું, અને કોદાળીનો ભાર મણ જેટલો લાગતો જણાયો” (૯. ૧૫૭). થોડા દિવસ પછી ગાંધીજીને એક શહેરની જેલમાંથી બીજા શહેરની જેલમાં લઈ ગયા. કેદીના પોશાકમાં, પોતાનો સામાન માથે ઊંચકી જેલથી સ્ટેશન ને સ્ટેશનથી જેલ ચાલતા જવું પડ્યું અને એ દૃશ્ય જોઈ સહકાર્યકર્તાઓની આંખમાં પાણી આવ્યાં (૯. ૧૭૦). નવી જેલમાં રાત્રે તેમને હબસી કેદીઓ સાથે એક કોટડીમાં રાખ્યા, જેમાં બીજા કેદીઓ ખૂનના કે મહાચોરીના આરોપવાળા હતા અને ગાંધીજીને જોઈ તેઓ એમની મશ્કરી કરવા અને પછી એકબીજાની સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરવા લાગ્યા. એક દિવસ ગાંધીજી પાયખાનામાં બેઠા તેવો જ &amp;quot;એક જબરો મજબૂત વિકરાળ કાફરો આવ્યો. તેણે મને ઊઠી જવા કહ્યું ને ગાળો દેવા લાગ્યો. મેં કહ્યું હમણાં જ ઊઠું છું. તેટલામાં તો મને બાથ ભીડી ઊંચક્યો ને બહાર ફેંક્યો.” ગાંધીજીએ બારસાખ પકડી લીધી એટલે તેમને કંઈ ઈજા ન થઈ અને ગભરાયા વિના તેઓ હસીને ચાલતા થયા, પરંતુ એકબે હિંદીઓ શું બન્યું તે જોઈ ગયા અને રડી પડ્યા (૯. ૧૮૫). ત્રીજા જેલનિવાસ દરમિયાન ગાંધીજીને પ્રિટોરિયાની જેલમાં એક ૧૦×૭ ફૂટની નાની કોટડીમાં એકલા રાખ્યા હતા. પાસેની કોટડીઓમાં પડોશી તરીકે ખૂનના કે સજાતીય કૃત્યોના આરોપીઓ હતા. કોટડીમાં બેસવાનું કંઈ સાધન ન હોવાથી પહેલા દિવસે “બપોરના ખાવાનું આવ્યું તે પણ બંધ દરવાજે... ઊભા ઊભા ખાવું પડ્યું” (૯.૨૮૧) એ અંધારી કોટડીમાં ગાંધીજીને થોડા દિવસ બે તૂટેલી કામળીને સીવીને એક કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આખો દિવસ નીચે બેસીને વાંસો નમાવીને કામ કરવું પડતું તેથી સાંજ પડ્યે કેડ દુખવા આવતી અને આંખને થાક લાગતો (૯. ૨૮૩). પાયખાનાની પણ એવી જ તકલીફ. એક દરોગો ચોકી કરવા ઊભો રહે. તે ગાંધીજીને ઓળખે નહિ તો બોલે : “સામ, હવે નીકળ.” પણ સામને તો, ગાંધીજી લખે છે, “પાયખાનામાં વખત પૂરો લેવાની બૂરી આદત; તે સામ એમ કેમ ઊઠે? અને ઊઠે તો તેની હાજત પૂરી કેમ થાય? કોઈ વેળા દરોગો નહીં તો કાફરો આમ ઊભી ડોકિયાં કરે અથવા &#039;ઊઠ ઊઠ’નું ગાન કરે” (૯.૨૮૧). આ જેલમાંથી એક દિવસ ગાંધીજીને સાક્ષી આપવા કોર્ટમાં લઈ ગયા ત્યારે એમને હાથકડી પણ પહેરાવવામાં આવી (૯. ૨૮૯). આ સર્વે કષ્ટો ને અપમાનો ગાંધીજી ધીરજથી ને સ્વસ્થ ચિત્તથી સહન કરતાં શીખ્યા. શરૂઆતમાં, તેઓ કબૂલ કરે છે, “હું કંઈક વિચારમાં ઊતરી જતો, દુ:ખથી કંટાળતો. વળી મન વાળું ને વળી વાંદરાની માફક મન તરફડિયાં મારે” (૯. ૨૯૦). પરંતુ કેટલાંક પુસ્તકો વાંચવાનાં મળ્યાં તેમાંથી ગાંધીજીએ શાંતિ મેળવી. એમાં રસ્કિન, થૉરો ને તૉલ્સ્તોયનાં પુસ્તકો ઉપરાંત ઉપનિષદો, પાતંજલ યોગદર્શન, ભગવદ્ગીતા ને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો હતાં. આ પુસ્તકોએ એમને અંતર્મુખ બનાવ્યા ને મનની શાંતિ આપી, વિશેષે ઉપનિષદો ને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોએ. “કોઈ વેળા નિરાશા આવે” ત્યારે, ગાંધીજી લખે છે, “વાંચેલાનો વિચાર થાય કે તુરત હસતો થઈ જાઉં, તથા ઈશ્વરનો ઉપકાર માનું” (૯. ૨૯૧). ચિત્તની આ સ્વસ્થતા લેખમાળાના ગદ્યમાં જ વરતાઈ આવે છે. અનુભવોના વર્ણનમાં કટુતા કે આવેશનો લેશમાત્ર સ્પર્શ નથી. જે કંઈ બન્યું તેનો ગાંધીજી તટસ્થતાથી, દૃષ્ટાભાવે, ક્યારેક વિનોદથી, ચિતાર આપતા જાય છે અને સત્યાગ્રહીનું વર્તન કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરતા જાય છે. પોતાની એ નવી પ્રાપ્તિનો નિર્દેશ કરતા હોય તેમ ત્રીજા જેલઅનુભવની લેખમાળા પૂરી કરતાં તેઓ કોઈ ભજનની પંક્તિઓ ટાંકે છે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
“કરના ફકીરી કયા દિલગીરી &lt;br /&gt;
સદા મગન મન રહેના જી”,&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને કવિના અભિલાષને યાદ કરે છે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
“હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે &lt;br /&gt;
મારું જીવ્યું સફળ તવ લેખું રે”; (૯, ૨૯૧)&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}  &lt;br /&gt;
સત્ય ને અહિંસા દ્વારા નિર્મમત્વનો આવો અનુભવ ગાંધીજીની જીવનદૃષ્ટિમાં મૂળગામી પરિવર્તન લાવ્યો. સને ૧૮૯૪માં શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી એમણે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી અર્વાચીન પશ્ચિમી સંસ્કૃતિ માટેનો એમનો કિશોરાવસ્થા ને યુવાવસ્થાનો મુગ્ધ અહોભાવ મોળો પડવા માંડ્યો હતો, અને બીજા ને ત્રીજા જેલઅનુભવ પછી ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પૂરેપૂરું બદલાઈ જાય છે. એ જેલનિવાસ દરમિયાન એમને ભગવદ્ગીતાના “अन्तःसुखोऽन्तरारामः” એવા યોગીની સ્થિતિની જે ઝાંખી થઈ તેની સરખામણીમાં અર્વાચીન સંસ્કૃતિએ પ્રાપ્ય બનાવેલી ભૌતિક સુખસગવડોનો આનંદ ભ્રાન્તિરૂપ લાગ્યો. સને ૧૯૦૯ના જુલાઈ માસમાં હિંદી કોમ વતી એક ડેપ્યુટેશનના સભ્ય તરીકે સ્ટીમરમાં લંડન જઈ રહ્યા હતા ત્યારે પહેલા વર્ગની સુખસગવડોનો નિર્દેશ કરી તેઓ લખે છે: “જે શાંતિ હું જેલમાં ભોગવતો હતો તે અહીં નથી... જેટલું વાંચ્યું છે ને વાંચું છું તે અનુભવું છું. એવું શીખ્યો છું કે જેઓ ખુદાને ભજવા માગે છે તેઓને આળપંપાળ ન ઘટે, રંગવિલાસ ન ઘટે. જ્યાં મોજમજા છે ત્યાં ખુદાનું નામ બરોબર નથી લઈ શકાતું... આ હું પ્રત્યક્ષ અનુભવું છું” (૯. ૩૩૫). લંડન પહોંચ્યા પછી ત્યાંની પ્રજાનું જીવન તેમણે આ પલટાયેલી દૃષ્ટિએ જોયું અને &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ને વાચકોને “સુધારાની ઘેલછા”નો કંઈક ૫રિચય કરાવતાં લખ્યું: “આપણી નીચે જુઓ તો ગાડીઓ ચાલે છે, ઉપર તારનાં દોરડા તો લટકી રહ્યાં છે, રસ્તામાં ગાડીઓનો અવાજ કાનને બહેરા કરી મૂકે છે. હવે હવામાં પણ વહાણ ચાલે એટલે લોકો મૂએલા જ સમજવા. આ મુલક જોઈને હું પોતે તો પશ્ચિમના સુધારાથી કંટાળેલો છું. લોકો રસ્તામાં મળે તે અર્ધઘેલા જેવા લાગે છે.... યા તો સુધારાનાં જે સાધનો છે તે દૂર થવાં જોઈએ, અથવા તો લોકો પતંગિયાંની જેમ મરી રહેશે” (૯. ૪૪૭). માત્ર સામાન્ય જનસમાજ જ નહિ, “હું જેમ જેમ અનુભવ લેતો જાઉં છું”, ગાંધીજી લખે છે, “તેમ તેમ મોટા ગણાતા ને મોટા હોય તેવા માણસોને મળીને કંટાળતો જાઉં છું” (૯. ૩૭૧). આમ અર્વાચીન સંસ્કૃતિની ભૌતિક સિદ્ધિઓ અને જે ઇંગ્લંડના જાહેર જીવનનાં ધોરણો વિશે એમણે અત્યાર સુધી ઊંડો આદર સેવ્યો હતો તે બંન્ને વિશે નિર્ભ્રાન્તિ અનુભવી રહેલા ગાંધીજીએ એક અંગ્રેજ લેખક એડવર્ડ કારપેન્ટરનું અર્વાચીન સંસ્કૃતિને રોગ રૂપે ઓળખાવતું &#039;સિવિલિઝેશન, ઇટ્સ કૉઝ ઍન્ડ ક્યૉર&#039; નામનું પુસ્તક વાંચ્યું, અને વર્ષોથી એમના મનમાં જે વિચાર સ્ફુરી રહ્યા હતા તેમણે પ્રતીતિ રૂપે સ્પષ્ટ આકાર ધારણ કર્યો. પુસ્તકનો પહેલો ભાગ વાંચ્યા પછી બીજે જ દિવસે, તા. ૮-૯-૧૯૦૯ના રોજ, ભારતનો પ્રવાસ કરી રહેલા સહકાર્યકર્તા શ્રી પોલાકને લખેલા પત્રમાં પોતાના દૃષ્ટિપરિવર્તનનો નિર્દેશ કરી તેઓ લખે છે, “હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે&amp;quot; (૯. ૪૫૫). એમના એ નવા વિચારોને ગાંધીજીએ તા. ૧૩-૧૦-૧૯૦૯ના રોજ હેમ્પ્સ્ટેડની એક સભામાં નિશ્ચયાત્મક રૂપે રજૂ કર્યા અને કહ્યું : “...જ્યાં સુધી સંસ્કૃતિની આ ઉન્માદભરી દોડ, જેમાં શરીરનું જ ગૌરવ કરવામાં આવે છે, તે ચાલુ રહેશે ત્યાં સુધી શરીરમાં રહેલો અમર આત્મા નબળો જ રહેવાનો” (૯. ૫૩૫). &lt;br /&gt;
અર્વાચીન સંસ્કૃતિ વિશેનાં આ મનોમંથનોનો &#039;હિંદ સ્વરાજ&#039;માં પરિપાક આવ્યો, જેમાં ગાંધીજીએ સત્ય ને અહિંસાના પાલનમાંથી એમને જે આધ્યાત્મિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ રહી હતી તેને અનુસરી ભારતના નવનિર્માણ માટે એક નવો કાર્યક્રમ આપ્યો. રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપકોનું ધ્યેય બ્રિટિશ રાજકર્તાઓના સહકારથી દેશમાં લોકશાહી પ્રણાલિકાઓનો વિકાસ કરવાનું હતું, પરંતુ થોડા જ સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું કે એમની એ અભિલાષામાં સહકાર આપવાનો રાજકર્તાઓનો કોઈ ઈરાદો નહોતો. સત્તાનાં સૂત્રો કોઈ દિવસ પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં આવશે એની કલ્પના કરવા પણ તેઓ તૈયાર નહોતા. રાજકર્તાઓના આ સામ્રાજ્યવાદી માનસની પ્રતિક્રિયા રૂપે ઉદ્દામવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો, જેનો ઉદ્દેશ કોઈ પણ ભોગે દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવાનો હતો. દક્ષિણ આફ્રિકામાં રહ્યા રહ્યા ગાંધીજી રાષ્ટ્રીય નવજાગૃતિની આ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા હતા. તેઓ દાદાભાઈ નવરોજી ને ગોપાળ કૃષ્ણ ગોખલેની બંધારણીય આંદોલનરીતિમાં શ્રદ્ધા રાખતા, પરંતુ દક્ષિણ આફ્રિકાના અનુભવ ઉપરથી એમને વધુ સક્રિય પ્રતિકારની આવશ્યકતા પણ સમજાઈ હશે. અને તેથી જ્યારે બંગાળના ભાગલા પછી ઉદ્દામવાદી પક્ષના પ્રચારથી દેશના શિક્ષિત વર્ગમાં માતૃભક્તિના સંસ્કારવાળી દેશભક્તિનો નવો જુસ્સો ફેલાયો ત્યારે તેનાથી ઉત્સાહિત બની તેમણે સ્વદેશીના કાર્યક્રમને આવકાર્યો હતો (પ. ૪૮, ૧૬૬, ૪૨૭), પરંતુ આંદોલને જ્યારે ત્રાસવાદી સ્વરૂપ લીધું ત્યારે ગાંધીજી તેનું અનુમોદન ન કરી શક્યા. ખુદીરામ બોઝે ભારતમાં તા. ૩૦-૪-૧૯૦૮ના રોજ એક મૅજિસ્ટ્રેટ ઉપર બૉમ્બ ફેંક્યાના સમાચાર આવ્યા ત્યારે તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;ના વાચકોને ચેતવણી આપી કે “રશિયાની પદ્ધતિ હિંદમાં દાખલ થઈ એ ઉપરથી આપણે રાજી થવાનું નથી.... આવા બનાવોથી લોકો પોતાનું કર્તવ્ય ભૂલશે એવો સંભવ છે. હકો મેળવવાના જે સહેલા ને સીધા રસ્તા છે તે ભુલાઈ જશે ને છેવટે જે ઉપાયો હાલ પારકાની સામે વાપર્યા માનીએ છીએ તે આપણી જ સામે વપરાશે” (૮. ૨૧૪) બાળ ગંગાધર તિલકને છ વર્ષની સજા થઈ તે બદલ એમને અભિનંદન આપ્યાં, પણ ઉમેર્યું: “આપણે વિચાર એટલો કરવો રહ્યો કે મિ. તિલક અને તે પક્ષના વિચારો હિંદીને માન્ય કરવા જેવા છે કે નહીં; અમે ઘણા વિચારપૂર્વક લખીએ છીએ કે મિ. તિલકના વિચાર માન્ય કરવા જેવા નથી.” “અંગ્રેજી રાજ્ય ઉખેડવામાં જ હિંદનું ભલું નથી. અંગ્રેજી રાજ્ય ઉખેડવામાં જોર વાપરવું, મારામારી કરવી એ નુકસાનકારક છે, અને વગર જરૂરનું છે... લોકો તો એક ગુલામીમાંથી બીજી ગુલામીમાં જશે” (૮. ૩૯૪-૫). ગાંધીજીએ આ ૧-૮-૧૯૦૮ના ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;માં લખ્યું. તે પછી એક વર્ષે તેઓ લંડન પહોંચ્યા ત્યાં તેમને ત્રાસવાદી પ્રવૃત્તિઓનો નજીકથી પરિચય થયો. બીજી જુલાઈએ એક પંજાબી મદનલાલ ધીંગરાએ નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનની સભામાં ભારત નોકરી કરી આવેલા એક અંગ્રેજ અમલદારનું ખૂન કર્યું હતું તેણે ઈંગ્લેંડભરમાં સનસનાટી ફેલાવી હતી. એ ઘટનાએ ગાંધીજીને ભારત ને ઇંગ્લેન્ડના સંબંધો વિશે ગંભીર વિચાર કરતા કરી મૂક્યા. લંડનથી &#039;ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગ માટે લખેલા પત્રમાં તેમણે લખ્યું : &amp;quot;આ ખૂન ઉપર ધીરજપૂર્વક દરેક હિંદીએ વિચાર કરવાનો છે.... આવા ખૂનથી હિન્દુસ્તાનને ફાયદો થાય, એમ માનનારા અણસમજુ છે એમ મારે કહેવું જોઈએ.... આવા ખૂનથી અંગ્રેજો કદી હિંદુસ્તાનમાંથી જશે તો પછી રાજ્ય કોણ કરશે? જવાબ તો એ જ આવે કે ખૂનીઓ જ રાજ્ય કરશે. તો સુખ કોણ ભોગવશે?... એવા રાજ્યની અંદર હિંદુસ્તાન વેરાન અને પાયમાલ થઈ જાય, આમાંથી ઘણા વિચારો ઉત્પન્ન થાય છે; પણ તે અહીં લખવા જેટલો મને વખત નથી&amp;quot; (૯. ૩૬૦-૧). એમના એ વિચારોની ગાંધીજીએ લંડનમાં રહેતા કેટલાક ઉદ્દામવાદીઓ સાથે ચર્ચા કરી. ઉદ્દામવાદીઓના નેતા શ્યામજી કૃષ્ણવર્માને તેઓ ત્રણ વર્ષ ઉપર ૧૯૦૬ના ઑક્ટોબર-નવેમ્બર માસમાં પહેલા હિંદી ડેપ્યુટેશનના સભ્ય તરીકે આવ્યા હતા ત્યારે મળ્યા હતા અને એમના વિચારો કંઈક જાણતા હતા (૬.૪૫) આ વેળા શ્યામજી કૃષ્ણવર્મા તો નહોતા, પરંતુ બીજાઓ સાથે એમણે વધારે વિગતે ચર્ચાઓ કરી અને લંડનથી પાછા ફરતાં આગબોટ ઉપર એ ચર્ચાઓને અધિપતિ ને વાચક વચ્ચે સંવાદ રૂપે સાર આપતી &#039;હિંદ સ્વરાજ&#039;ની પુસ્તિકા લખી. ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;માં તે બે હપતે, ૧૧-૧૨-૧૯૦૯ના ને ૧૮-૧૨-૧૯૦૯ના અંકોમાં છપાઈ અને ૧૯૧૦ના માર્ચ માસમાં મુંબઈ સરકારે તેની નકલો જપ્ત કરતાં ગાંધીજીએ પોતે તેનો અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો હતો તેને એપ્રિલ માસમાં પ્રસિદ્ધ કર્યો. &lt;br /&gt;
સંવાદનો સંદર્ભ ગાંધીજીના સમયની રાજકીય પરિસ્થિતિનો છે, પરંતુ &#039;હિંદ સ્વરાજ&#039;નો કાર્યક્રમ માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી. તેમાં માનવજીવન ને સંસ્કૃતિ પ્રત્યે એક વિશિષ્ટ દૃષ્ટિ રહેલી છે અને કૃતિનું ચિરંજીવ મહત્ત્વ એ દૃષ્ટિમાં છે. સમગ્ર ચર્ચાનું આયોજન એવી કુશળતાથી કરવામાં આવ્યું છે કે રાજકીય ચર્ચા ને મૂળભૂત મૂલ્યોની ચર્ચા એક જ ચર્ચાતંતુમાં વણાઈ ગઈ છે. ચર્ચાની શરૂઆત ગાંધીજીએ રાષ્ટ્રીય જાગૃતિના ઇતિહાસથી કરી છે, કારણ કે ઉદ્દામવાદીઓ, જેમના પ્રતિનિધિરૂપ &#039;વાચક&#039; સાથે ગાંધીજી સંવાદ ચલાવી રહ્યા છે, કૉંગ્રેસના પહેલી પેઢીના નેતાઓ અને તેમની બંધારણીય નીતિ ચાલુ રાખનાર ગોપાળ કૃષ્ણ ગોખલે જેવા વિનીત નેતાઓની અવગણના કરતા, ક્યારેક એમનો તિરસ્કાર પણ કરતા, અને ૧૯૦૭ના સુરત અધિવેશનમાં કૉંગ્રેસના ભાગલા પડતાં બે પક્ષ વચ્ચે લગભગ વૈમનસ્ય જેવું થઈ ગયું હતું. ગાંધીજીની સત્યદૃષ્ટિ દરેક પક્ષમાં રહેલું સત્ય જોઈ અને સ્વીકારી શકતી. પહેલી પેઢીના નેતાઓમાં હિંદના કેટલાક અંગ્રેજ હિતેચ્છુઓ પણ હતા. ગાંધીજી તેમની સેવાઓનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. એમનાં ઉદ્દેશો ને રીતો પછીની પેઢીને અસ્વીકાર્ય લાગે, પરંતુ ઇતિહાસક્રમમાં અગાઉના તબક્કાનું દૃષ્ટિબિંદુ પાછળના તબક્કાને અપૂર્ણ લાગવાનું જ અને માત્ર તે કારણે જ તેનો અનાદર ન ઘટે. શુદ્ધ ઐતિહાસિક દૃષ્ટિના આ મહત્ત્વના સત્યને ગાંધીજીએ એક સચોટ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. “આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે&amp;quot;, તેઓ લખે છે, “બચપણનો તિરસ્કાર નથી કરતા, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ” (પૃ. ૬). જીવનનો વિકાસક્રમ સમજવાની આ દૃષ્ટિમાં ગાંધીજીની અહિંસાભાવના સર્જક કલ્પનાની યાદ આપે એવા રોચક રૂપે પ્રગટ થઈ છે. જૂની ને નવી પેઢી વચ્ચે સાતત્ય વિના શુદ્ધ પ્રજાભાવના શક્ય નથી. એટલે ગાંધીજી લખે છે : “સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી” (પૃ. ૬). વડીલો પ્રત્યે ભારતીય સંસ્કારની આ આદરભાવના સાથે ગાંધીજીમાં અર્વાચીન લોકશાહી ભાવના પણ ભળી હતી, અને તેથી તેઓ કહે છે કે આપણે શુદ્ધ બુદ્ધિથી વડીલો સાથે અસંમત થતા હોઈએ તો આપણી બુદ્ધિને જ અનુસરીએ, પણ, તેઓ ઉમેરે છે, “તેમના વિચારો ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે. એમ ગણી લેવું તે ખરાબ વૃત્તિ છે” (પૃ. ૭). શુદ્ધ લોકશાહીના મૂળમાં આવી અહિંસક સત્યદૃષ્ટિ રહેલી છે. ગાંધીજી માનતા કે એ અર્થોમાં પશ્ચિમની લોકશાહી શુદ્ધ નહોતી અને એમની અભિલાષા હતી કે ભારત એવી શુદ્ધ લોકશાહી વિકસાવે. &lt;br /&gt;
અંગ્રેજો સાથેના સંબંધમાં ગાંધીજી એવી જ અહિંસાભાવનાને અનુસરે છે. જો અંગ્રેજો ભારતનું શોષણ બંધ કરે અને રાજ્યસત્તાનાં સૂત્રો હિંદીઓને સોંપી પ્રજાના નમ્ર સેવકો બની રહે તો એમની સાથે સંબંધ ચાલુ રાખવામાં અને સહકાર કરવામાં ગાંધીજીને વાંધો નથી. ઉદ્દામવાદી &#039;વાચક&#039; એ સ્વીકારી શકતો નથી. એ તો અંગ્રેજો હિંદ છોડીને જાય એ જ માગે છે, અને એમના ગયા પછી ભારતને ઇંગ્લંડ ને જાપાન જેવું આધુનિક રાષ્ટ્ર બનાવવાનો ઈરાદો રાખે છે. “આનો અર્થ તો એ થયો”, ગાંધીજી લખે છે, “કે આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી.” ‘વાચક’ને ઈરાદો ફળે તો હિંદુસ્તાન “હિંદુસ્તાન નહીં કહેવાય પણ ખરેખરું ઇંગ્લિસ્તાન કહેવાશે” (પૃ. ૧૬-૭). ગાંધીજીને એવું સ્વરાજ નથી જોઈતું. અંગ્રેજો પ્રત્યે એમને દ્વેષ નથી, પરંતુ એમણે વિકસાવેલી સંસ્કૃતિનો એમનો પૂરો વિરોધ છે. દેશના શિક્ષિત વર્ગને ઇંગ્લંડની લોકશાહીનું અને તેની પાર્લમેન્ટનું સવિશેષ આકર્ષણ હતું. ગાંધીજીને પહેલાં તે હતું, પણ હવે નથી. એમણે ઇંગ્લંડની લોકશાહીને કામ કરતી નજીકથી નિહાળી છે, અને તેમણે જોયું છે કે પાર્લમેન્ટમાં કશુંય સમગ્ર પ્રજાના હિતની દૃષ્ટિએ થતું નથી, સભ્યો કોઈ પ્રશ્ન ઉપર પ્રમાણિકપણે ને સ્વતંત્ર વિચાર કરતા નથી, પ્રજામત પણ વર્ગીય હિતોને વરેલાં છાપાંઓ દ્વારા ઘડાય છે અને મુખ્ય પ્રધાન લાગવગને વશ થાય છે તેમ ઇલકાબ ઇત્યાદિની લાંચ પણ આપે છે. બ્રિટિશ લોકશાહીનું આ ચિત્ર કોઈ માકર્સવાદી જ આપે. જો હિંદુસ્તાન એની નકલ કરે તો, ગાંધીજી લખે છે, “હિંદુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે” (પૃ. ૨૨). &lt;br /&gt;
બ્રિટિશ લોકશાહીનાં આ અનિષ્ટ, ગાંધીજીની દૃષ્ટિએ, પશ્ચિમની પ્રજા જેને “સુધારો” માની બેઠી છે તેનાં ફળ છે. ગાંધીજીના મતે તે “સુધારો” નથી પણ “કુધારો” છે, “એક પ્રકારનો રોગ છે.” તેમાં “માણસો બહિરની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય ને પુરુષાર્થ માને છે.” વિજ્ઞાનની નવી નવી શોધોને પરિણામે એક સમય એવો આવશે, ગાંધીજી કલ્પે છે, કે “માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાને પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે, બધું સંચાથી જ કામ લેવાશે.” આ ભૌતિક સુખસગવડની કિંમત એ ચૂકવવી પડશે કે “અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે.” ગાંધીજીએ કલ્પેલી ભૌતિક સુખસગવડો હજુ વિજ્ઞાન નથી આપી શક્યું, પરંતુ વિનાશક સાધનોની શોધમાં તો તે ગાંધીજી સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શક્યા હોત એટલું આગળ વધી ગયું છે. અને આ બધું શ્રમજીવીઓને ભોગે. “તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે... અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે.” આ સુધારામાં “નીતિની કે ધર્મની વાત છે જ નહીં. સુધારાના હિમાયતી ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી. ધર્મ તે તો ઢોંગ છે એમ કેટલાક માને છે. કેટલાક વળી ધર્મનો ડોળ કરે છે. નીતિની વાર્તા પણ કરે છે...” પણ, ગાંધીજી કહે છે, “નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે.” એટલે “આ સુધારો તે અધર્મ છે અને તે યુરોપમાં એટલે દરજ્જે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધગાંડા જેવા જોવામાં આવે છે” (પૃ. ૨૩-૬). &lt;br /&gt;
“સુધારા”ના નામે આવા રોગમાં સપડાયેલા અંગ્રેજો હિંદુસ્તાન કેમ જીતી શક્યા? &#039;વાચકની આ શંકાનો ગાંધીજી ઉત્તર આપે છે : “હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે.” બ્રિટિશોએ હિંદુસ્તાન લશ્કરી બળથી નહોતું જીત્યું, હિંદીઓના સહકારથી અને તેમની જ મદદથી જીત્યું હતું. એમની સાથે વેપાર કરવાના લોભે આપણે તેમને સહકાર ને મદદ આપ્યાં. (પૃ. ૨૮-૯), અને પરિણામે હવે હિંદુસ્તાનની દશા “રાંકડી” થઈ પડી છે, જેનું વર્ણન કરતાં પણ, ગાંધીજી લખે છે, “મારી આંખમાં પાણી આવે છે ને મારું ગળું સુકાય છે.” અંગ્રેજોનો રંગ હિંદુસ્તાનને પણ લાગુ પડ્યો છે અને તે “આજકાલના સુધારા નીચે કચરાયેલું છે; તેની ઝડપમાં આવી ગયું છે.” એ “સુધારા&amp;quot;ના મોહમાં &amp;quot;હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતુ ચાલ્યું છે”. ધર્મ એટલે જુદા જુદા ધર્મસંપ્રદાયો નહિ, “પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે... આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ” (પૃ. ૩૨). ગાંધીજી કબૂલ કરે છે કે જૂના સમયમાં ધર્મને નામે પાખંડ ને વહેમો ચાલતાં. એમને એ વહેમો કાયમ નથી રાખવા. “...તેની સામે તો લડીશું જ; પણ તે લડત કંઈ ધર્મ ભૂલી જવાથી નથી લેવાવાની, પણ ખરી રીતે ધર્મ સંપાદન કરીને લેવાશે” (પૃ. ૩૪). વ્યાવહારિક દૃષ્ટિએ પણ સામાન્ય રીતે જે બ્રિટિશ શાસનના લાભ મનાતા તે ખરેખર લાભ નહોતા. દેશમાં શાંતિ ફેલાઈ હતી, પણ “તે માત્ર નામની જ” હતી. “...આપણે તે શાંતિથી નામર્દ, બાયલા અને ભીરુ બની ગયા છીએ.” (પૃ. ૩૪). “રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે.” વળી “રેલવેથી દુષ્ટતા વધે છે” કારણ કે “ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે” જ્યારે “સારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે” (પૃ. ૩૭). રેલવેએ પ્રચારનાં જે સાધનો શક્ય બનાવ્યાં છે તેનાથી પ્રજામાં કેવાં વેરઝેર ફેલાવી શકાય છે તેનો ભવિષ્યમાં દેશને પૂરો અનુભવ થવાનો હતો. એમ મનાતું કે કંઈ નહિ તો રેલવેએ હિંદની પ્રજાને એકતાની ભાવના આપી. પરંતુ ગાંધીજીના મત અનુસાર આ પણ એક ભ્રમ હતો. પ્રજા તરીકે આપણે હંમેશાં એક હતા (પૃ. ૩૮-૯), અને હિંદુ-મુસલમાનો શરૂઆતમાં લડ્યા પણ પાછળથી સંપીને રહેતાં શીખ્યા. “કજિયા તો પાછા અંગ્રેજોએ શરૂ કરાવ્યા” (પૃ. ૪૨). “તેઓને ઇતિહાસો લખવાની ટેવ રહી; દરેક જાતિના રીતરિવાજો જાણવાનો ડોળ રહ્યો.” એટલે તેમણે હિંદુ-મુસલમાન વચ્ચે દ્વેષ વધારે એવો ભારતનો ઇતિહાસ લખ્યો અને “આપણે ભોળપણમાં તે બધું માનીએ છીએ” (પૃ. ૪૫). શાંતિ જાળવવા બ્રિટિશ સરકારે અદાલતો સ્થાપી, પણ તે અદાલતો લોકોમાં ઝઘડા વધારવામાં કારણભૂત બની છે. વકીલો વિના અદાલતો ચાલે નહિ, અને “વકીલોનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે” (પૃ. ૪૯). આથી પણ વધારે નુકસાન તો એ થયું છે કે અદાલતો દ્વારા “અંગ્રેજી ધૂંસરી આપણા ગળામાં સજજડ પેસી ગઈ.” અદાલતો વિના અંગ્રેજો રાજ્ય ચલાવી જ ન શકત, અને એ અદાલતો ચલાવવામાં આપણે વકીલ બની સહકાર આપીએ છીએ (પૃ. ૫૦-૧). ડૉક્ટરો ને હૉસ્પિટલોએ પણ પ્રજાને નિર્બળ બનાવી છે. આરોગ્ય જાળવવા સંયમ કેળવવાને બદલે દવા લઈ પોતાની ભૂલોનાં પરિણામ આપણે તત્કાલ પૂરતાં નિવારીએ છીએ, અને એમ જીવન વધુ ને વધુ અસંયમી બનતું જાય છે. વળી માણસને બચાવવા ડૉક્ટરો પ્રાણીઓ ઉપર ક્રૂર પ્રયોગ પણ કરે છે (પૃ. ૫૩-૪). &lt;br /&gt;
આમ ગાંધીજીએ જે વસ્તુઓ સામાન્ય રીતે અંગ્રેજી શાસનની બક્ષિસ રૂપે મનાતી તે બધીને મોહરૂપ ગણવી. તો, સંવાદનો &#039;વાચક&#039; એમને પૂછે છે, ખરો સુધારો કોને કહેવો? ગાંધીજીના મનમાં ઉત્તર વિશે કોઈ શંકા નથી. “…..જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી.” પ્રાચીન સંસ્કૃતિઓમાંથી ઇજિપ્ત, ગ્રીસ ને રોમ નામશેષ થઈ ગયાં, “જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું” છે અને “ચીનનું કંઈ કહેવાય નહીં.” “પણ પડ્યું આખડ્યું તોપણ હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.” સુધારો, ગાંધીજી કહે છે, “એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ.” એટલે કે જે જીવનરીતિ માણસને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે તે સુધારો, “તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.” સુધારાની આ વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને પશ્ચિમ પાસેથી “કંઈ જ શીખવાનું નથી રહેતું.” આપણા પૂર્વજોએ ભૌતિક સુખસગવડોની હદ બાંધી અને સંયમને પ્રધાનપદ આપ્યું. “આપણે નાશકારક હરીફાઈ રાખી નહીં; સહુ સહુનો ધંધો કરતા રહ્યા.” ભોગસામગ્રીનું ઉત્પાદન વધારવાનો કોઈ લોભ રાખ્યો નહિ, મોટાં શહેરો સ્થાપવાનો પ્રયત્ન કર્યો નહિ, “નાનાં ગામડાંઓથી સંતોષ રાખ્યો.” તલવારબળ કરતાં નીતિબળની વધારે પ્રતિષ્ઠા કરી અને “રાજાને નીતિવાન પુરુષો –ઋષિઓ અને ફકીરો—ના કરતાં ઊતરતા ગણ્યા.” “...પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા”, પણ “વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા” (પૃ. ૫૬-૭). ગાંધીજી કબૂલ કરે છે કે આ આકર્ષક ચિત્રને બીજી બાજુ પણ હતીઃ બાળલગ્નો, બાળવિધવાઓ, દેવદાસીઓ, પૂજા નિમિત્તે પ્રાણીવધ ઇત્યાદિ. પણ, તેઓ કહે છે, “તે દૂર કરવા હંમેશાં પ્રયત્ન થયા છે, ને થયા જ કરશે.” અને “આપણને જે નવો જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ.” કોઈ સંસ્કૃતિ સંપૂર્ણ નથી, પણ “હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દૃઢ કરવા તરફ છે... પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારો સેશ્વરી છે.” એટલે “હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેમ વળગી રહેવું ઘટે” (પૃ. ૫૮-૯). &lt;br /&gt;
હિંદુસ્તાનનો સુધારો આવો ઉત્તમ હોવા છતાં “હિંદના બાળકમાં કચાશ હતી તેથી તે સુધારો ઘેરાયો.” પણ ગાંધીજીની શ્રદ્ધા છે કે “ઘેરાવામાંથી છૂટવાની તેની તાકાત છે...” ગુલામી માત્ર રાજકીય નહોતી, માનસિક હતી, અને તે શિક્ષિત વર્ગની હતી. શિક્ષિત વર્ગ પશ્ચિમી સુધારાના મોહમાંથી છૂટે અને તેની માનસિક ગુલામી જાય તો આપોઆપ દેશ સ્વતંત્ર થાય. આ જ, ગાંધીજીની દૃષ્ટિએ, ખરું સ્વરાજ છે. “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.” અને એ એવું છે કે “તમે ચાખ્યા પછી બીજાને તેનો સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યન્ત યત્ન કરશો.” એ સ્વરાજ માટે સામૂહિક પ્રયત્ન ગૌણ છે. “...મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.” એટલે કે વ્યક્તિએ પોતાને માટે એ સિદ્ધ કરવાનું છે. “ડૂબતો બીજાને નહીં તારે, પણ તરતો તારશે.” જે દેશનો શિક્ષિત વર્ગ આવું સ્વરાજ ભોગવતો થઈ જાય તો બળપૂર્વક અંગ્રેજોને હાંકી કાઢવાની કોઈ જરૂર ન રહે. તેઓ પણ આપણી સંસ્કૃતિએ રંગાશે, અને એ રીતે તેઓ “જો હિંદી થઈને રહે તો આપણે તેનો સમાસ કરી શકીએ છીએ.” અને જે અંગ્રેજો એમ કરવા તૈયાર નહિ હોય તેઓ પોતાની મેળે ચાલ્યા જશે (પૃ. ૬૦–૧). &lt;br /&gt;
ચર્ચા હવે મુખ્ય મુદ્દા ઉપર આવે છે. અંગ્રેજો હિંદી બની જાય અથવા પોતાની મેળે ચાલ્યા જાય એ ‘વાચક’ને અસંભવિત લાગે છે. ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું જાણ્યું નથી, એ કહે છે. પણ ઇતિહાસમાં ન બન્યું હોય એટલે ન જ બની શકે એમ માનવાની જરૂર નથી. હિંદુસ્તાનની સ્થિતિ બીજા દેશો કરતાં જુદી છે. ગાંધીજીની શ્રદ્ધા છે કે બીજા દેશો ન કરી શક્યા હોય તે હિંદુસ્તાન કરી શકે એવું એનું આધ્યાત્મિક બળ છે. (પૃ. ૬૧-૨). વળી ઇટાલી જેવા યુરોપના જે દેશો હિંસાથી સ્વતંત્ર થયા છે તેમની સ્થિતિ સુધરી નથી (પૃ. ૬૪). આપણા દેશી રાજાઓ અંગ્રેજો કરતાં વધુ જુલમી હતા. એમના જુલમ નીચે રહેવા કરતાં અંગ્રેજો હિંદી બનીને રહે તો ગાંધીજી તેમને સ્વીકારે. વળી હિંસાથી અંગ્રેજોને હરાવવા હોય તો આખા દેશને હથિયાર વાપરતાં શીખવવું પડે. એમ થાય તો હિંદુસ્તાનની દશા પણ યુરોપના જેવી જ થાય. પણ, ગાંધીજી કહે છે, “વાત એવી છે કે હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે. ન કરે એ ઠીક જ છે” (પૃ. ૬૫). &#039;વાચક&#039; સૂચવે છે કે એમ કરવાની જરૂર નહિ પડે. પ્રથમ કેટલાંક છૂટાંછવાયાં ખૂન દ્વારા દેશમાં ત્રાસનું વાતાવરણ ફેલાવી થોડા માણસો હથિયાર ધારણ કરશે અને ગેરીલા લડાઈ લડી અંગ્રેજોને હાંકી કાઢશે. પણ આવાં ખૂનનો વિચારમાત્ર ગાંધીજીને અસહ્ય બની જાય છે. “તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે,” તેઓ આવેશપૂર્વક કહે છે. “ખૂન તો આપણે આપણું કરવું ઘટે છે, કેમ કે આપણે બાયલા બન્યા છીએ ત્યારે ખૂનનો વિચાર કરીએ છીએ... હિંદી પ્રજા એવું કદી ઈચ્છતી નથી. આપણા જેવા, જેમણે અધમ સુધારારૂપી ભાંગ પીધી છે, તે જ એવો વિચાર કેફમાં કરીએ છીએ. ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને સુખી કરવાના નથી” (પૃ. ૬૬). સ્વરાજ માટે હિંસાનો આશ્રય લેવાની વિરુદ્ધ આ જ ગાંધીજીની મુખ્ય દલીલ છે. એવું સ્વરાજ સાચું સ્વરાજ નહિ હોય. એવી આશા રાખવી “એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઈચ્છા રાખવા જેવું થયું.” શુદ્ધ સાધ્યની સિદ્ધિ માટે સાધન પણ શુદ્ધ જોઈએ. “સાધન એ બીજ છે; અને સાધ્ય — મેળવવાનું—એ ઝાડ છે” (પૃ. ૬૯). જેવું બીજ તેવું વૃક્ષ; એ જ રીતે, જેવું સાધન તેવી સિદ્ધિ. ગાંધીજીની જીવનદૃષ્ટિનું આ આધ્યાત્મિક મધ્યબિંદુ. મનુષ્યના નૈતિક ને આધ્યાત્મિક વિકાસ વિશે એમાં ઊંડી સમજ ને શ્રદ્ધા રહેલાં છે. સત્યાગ્રહની ભાવનાનું એ પ્રેરણાબીજ, અને તેનું પ્રતિપાદન કરવા ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ&#039; લખ્યું. &lt;br /&gt;
સત્યાગ્રહ એટલે અન્યાય આચરનારની સાથે અહિંસક અસહકાર, એની પ્રત્યે દ્વેષ રાખ્યા વિના એની આજ્ઞાને વશ થવાનો ઈનકાર. આ આત્મબળ કે પ્રેમબળનો (&#039;હિંદ સ્વરાજ&#039;માં ગાંધીજી એને “દયાબળ” કહે છે) પ્રયોગ છે. એની શક્તિનાં પ્રમાણ ઇતિહાસમાંથી ન મળે, કારણ કે પ્રચલિત અર્થમાં ઇતિહાસ એટલે “દુનિયાના કોલાહલની જ કહાણી” પરંતુ જીવનમાં હિંસા જ મુખ્ય બળ હોય તો “દુનિયા ક્યારની ડૂબી ગઈ હોય.” પરંતુ એમ બન્યું નથી. એટલે “દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે.” કરોડો લોકો “પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે... એની નોંધ &#039;હિસ્ટરી&#039; લેતી નથી, &#039;હિસ્ટરી&#039; લઈ પણ ન શકે. જ્યારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે. &#039;હિસ્ટરી&#039; એ અસ્વાભાવિક બીનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી” (પૃ. ૭૭). જેમ કુટુંબજીવનમાં તેમ રાજ્યસત્તાની સામે પણ સત્યાગ્રહના બળનો પ્રયોગ થઈ શકે છે. શરીરબળથી અન્યાયી કાયદાની સામે થવાને બદલે તેનું પાલન ન કરવું અને તેમ કરતાં જે સજા થાય તે ભોગવી લેવી તે સત્યાગ્રહ. ભારતની પ્રજા હંમેશાં આવો સત્યાગ્રહ આચરતી આવી છે. “આપણે સારા કે નઠારા કાયદા કબૂલ કરી લઈએ છીએ, એ અર્થ તો આજકાલનો જોવામાં આવે છે. પૂર્વે એવું કંઈ ન હતું. કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષણ મર્દાઈથી વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે” (પૃ. ૭૮-૯). સત્યાગ્રહ એ નિર્બળનું નહિ પણ બહાદુરનું હથિયાર છે, અને બ્રહ્મચર્ય, સાદાઈ સત્ય ને નિર્ભયતાનું નિયમિત પાલન કરનાર જ એવું આત્મબળ પ્રગટાવી શકે. એવું બળ કેળવવા માટે શાળાકૉલેજનું શિક્ષણ નિરુપયોગી છે. એ શિક્ષણથી “આપણે માણસ નથી બનતા — તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા” (પૃ. ૮૯). અંગ્રેજીના જ્ઞાનનો વિવેકપૂર્વક ઉપયેાગ થઈ શકે, પણ આખી પ્રજા માટે તે જરૂરનું નથી. બધી કેળવણી માતૃભાષા દ્વારા જ હોવી જોઈએ, અને ધાર્મિક શિક્ષણને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. “હિંદુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી.” એટલે ધર્મશ્રદ્ધાનો નાશ કરવાનો પ્રયત્ન કરવાને બદલે ધાર્મિક આચારવિચારોમાં દૂષણો પેસી ગયાં હતાં તેમની શુદ્ધિ કરવી રહી. બ્રાહ્મણો ને મુલ્લાઓ તેમાં સહકાર ન આપે તો, ગાંધીજી લખે છે, “અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લોકોને નીતિની કેળવણી આપી શકીએ છીએ&amp;quot; (પૃ. ૯૩-૪). મુખ્ય જરૂર પશ્ચિમના સુધારાને હાંકી કાઢવાની છે. “બીજું તેની મેળે આવી રહેશે” (પૃ. ૯૫). &lt;br /&gt;
પશ્ચિમના સુધારાને હાંકી કાઢવો હોય તો યંત્રો પણ ન જ જોઈએ ને?-&#039;વાચક&#039; પૂછે છે. યંત્રોનો વિચારમાત્ર ગાંધીજીને દુઃખી કરે છે. માન્ચેસ્ટરના મિલ ઉદ્યોગે જ હિંદુસ્તાનની આર્થિક પાયમાલી કરી હતી. રમેશચંદ્ર દત્તના પુસ્તકમાં એ પાયમાલીનો ઇતિહાસ વાંચીને ગાંધીજી રડ્યા હતા. અને તેથી બંગાળાના ભાગલાની વિરુદ્ધ અઆંદોલનમાં જ્યારે સ્વદેશીનો કાર્યક્રમ સ્વીકારવામાં આવ્યો ત્યારે ગાંધીજીને હર્ષ થયો હતો. પરંતુ એમની દૃષ્ટિએ માત્ર સ્વદેશી પૂરતું નથી. એમનો વાંધો યંત્રો સામે છે, પછી તે યુરોપનાં હોય કે ભારતનાં. “સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે...” (પૃ. ૯૬), કારણ કે તે ગરીબોના શોષણનું સાધન છે. હિંદુસ્તાનમાં મિલો સ્થાપવાથી દેશનું ધન પરદેશ જતું બચે ખરું. પણ, ગાંધીજી કહે છે, “તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઈ જશે.” મૂડીવાદનાં દૂષણો હિંદુસ્તાનમાં પણ આવશે. “અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઈ ઊતરે એમ માનવું એ અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાન છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર જ નથી” (પૃ. ૯૫-૬). &lt;br /&gt;
પોતાની કલ્પનાનું આવું સ્વરાજ સ્થાપવામાં ગાંધીજી બધા વર્ગોનો સહકાર માગે છે. અંતિમવાદીઓને તેઓ હથિયારબળને બદલે સત્યાગ્રહ ઉપર શ્રદ્ધા રાખવાનું સૂચવે છે, તો વિનીતોને અંગ્રેજી સંબંધ વિના ન જ ચાલે એ વિચાર છોડી પ્રજામાં સહકાર કેળવવાનું સૂચવે છે (પૃ. ૧૦૦-૧). અંગ્રેજોને ગાંધીજી પ્રજાના સેવકો થઈને રહેવાનું અને અર્વાચીન સુધારાનો ત્યાગ કરી નૈતિક ને ધાર્મિક મૂલ્યોને અનુસરવાનું સૂચવે છે, એમ તેઓ રહે તો, ગાંધીજી કહે છે, “તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો.” અંગ્રેજો ને હિંદીઓનો આવો પરસ્પર સહકાર એ બેને અને જગતને પણ લાભ કરશે. પણ, ગાંધીજી ઉમેરે છે, “તે તો આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને&amp;quot;, એટલે કે બન્ને પ્રજાઓ પોતાના સ્વાર્થનો વિચાર કરવાને બદલે પરસ્પરના સંબંધમાં નૈતિક મૂલ્યોને અનુસરે (પૃ. ૧૦૨-૪); શિક્ષિત હિંદીઓને ગાંધીજી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોમાં શ્રદ્ધા રાખવાનું અને ભારતીયતાનું ગૌરવ કરવાનું સૂચવે છે. એમ ન કરવાથી જ ભારતની અવદશા થઈ છે. એટલે બધા હિંદી સમજશે કે “આ સમય પશ્ચાત્તાપનો, પ્રાયશ્ચિત્તનો, શોકનો છે”, અને “શોકદશામાં મોજશોખ હોઈ ન શકે...” (પૃ. ૧૦૭). અને એ ભાવનાથી પ્રેરાઈ ગાંધીજી પ્રતિજ્ઞા કરે છે. “સ્વરાજને”, તેઓ કહે છે, “જેવું હું સમજ્યો છું તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે એમ મન સાક્ષી પૂરે છે&amp;quot; (પૃ. ૧૦૯). &lt;br /&gt;
ગાંધીજીના જીવનકાળ દરમિયાન સ્વરાજનો આ કાર્યક્રમ ક્યારેય સ્વીકારવામાં આવ્યો નહોતો; એમના પરમ મિત્ર ને રાજકીય ગુરુ ગોપાળ કૃષ્ણ ગોખલેએ તો, ગાંધીજીએ પોતે એક સંદેશામાં નોંધ્યું હતું તેમ, ‘હિંદ સ્વરાજ&#039;ને એક “મૂરખ માણસની કૃતિ” કહી હતી (પૃ. ૨૩). &#039;હિંદ સ્વરાજ&#039; એ અમલમાં મૂકી શકાય એવો કાર્યક્રમ નથી, તે એક કવિદૃષ્ટાનું દર્શન છે, અને એ કવિની દૃષ્ટિએ જોયું છે કે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિએ અમર્યાદ બનાવી મૂકેલી ભૌતિક સમૃદ્ધિ માટેની ઘેલછા મનુષ્યના મનુષ્યત્વનો હ્રાસ કરે છે. એ ઘેલછામાંથી ઉદ્ભવેલા મૂડીવાદ ને શાહીવાદની વિનાશક હરીફાઈઓ &#039;હિંદ સ્વરાજ&#039; લખાયું ત્યારે સ્પષ્ટ થઈ ગઈ હતી, અને થોડાં જ વર્ષોમાં પહેલા વિશ્વયુદ્ધની જ્વાળાઓ પ્રગટવાની હતી, જેમાંથી આવવાની હતી નાઝીવાદ ને ફાસીવાદની રાક્ષસી ભયાનકતા ને સામ્યવાદી ક્રાન્તિની યાતનાઓ, અને તે પછી પહેલા યુદ્ધ કરતાં પણ વધુ વિનાશક બીજું વિશ્વયુદ્ધ અને कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो એ કૃષ્ણવચનની યાદ આપતો અણુબૉમ્બ. ગાંધીજીની પ્રતીતિ હતી કે મનુષ્યજીવનની સાર્થકતા નૈતિક ને આધ્યાત્મિક વિકાસમાં છે, એના હૃદયની સત્ય ને પ્રેમની ઝંખનાઓના પોષણમાં છે, જે ભૌતિક તૃષ્ણાઓને સંયમમાં રાખીને જ બની શકે. કઠોપનિષદ કહે છે તેમ મનુષ્યે શ્રેય ને પ્રેય વચ્ચે પસંદગી કરવી જ રહી, અને &#039;હિંદ સ્વરાજ&#039;માં ગાંધીજી મહાભારતના વ્યાસની જેમ બેય હાથ ઊંચા કરીને ભારતને અર્વાચીન પશ્ચિમનું અનુકરણ કરી પ્રેયનો માર્ગ સ્વીકારવાની વિરુદ્ધ ગંભીર ચેતવણી આપે છે. &lt;br /&gt;
પરંતુ ગાંધીજીની દલીલમાં એક નિર્બળતા રહી ગઈ છે. મુદ્દો અંતર્મુખ જીવન ને બહિર્મુખ જીવન વચ્ચેના, અંતરવિકાસ ને ઇન્દ્રિયસુખ વચ્ચેના ભેદનો છે; ગાંધીજીની દલીલમાં તે ભારતીય સંસ્કૃતિ ને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ બની ગયો છે. ગાંધીજી માને છે કે બ્રિટિશો આવ્યા તે પહેલાંના ભારતમાં એમને ઇષ્ટ છે એવી જીવનરીતિ હતી, અને જે કંઈ અનિષ્ટો હતાં તે આકસ્મિક હતાં અને અંગ્રેજી શિક્ષણમાંથી જે નવી દૃષ્ટિ, નવો “જુસ્સો&amp;quot; ને “ઉત્સાહ” આવ્યાં હતાં તેમની મદદથી સુધારી શકાય એવાં હતાં (પૃ. ૫૯, ૯૪). પરંતુ એ અનિષ્ટો સુધારવાની શક્તિ પરંપરાગત ભારતીય જીવનરીતિમાં કેમ ન પ્રગટી અને અંગ્રેજી શિક્ષણમાં એવું શું હતું કે એણે અનિષ્ટો જોવાની દૃષ્ટિ અને તેમને સુધારવાનો “જુસ્સો” ને “ઉત્સાહ&amp;quot; આપ્યાં, એ પ્રશ્ન ગાંધીજીએ ન પૂછ્યો. હકીકતમાં જે બુદ્ધિએ ભૌતિક વિજ્ઞાન અને તેણે સર્જેલી સમૃદ્ધિ આપ્યાં હતાં તે જ બુદ્ધિના પ્રકાશે ધર્મઝનૂન, રૂઢિગત જડતા, અજ્ઞાન ને વહેમનાં આવરણ દૂર કર્યાં હતાં અને આર્થિક ને સામાજિક ન્યાયના આદર્શ આપ્યા હતા. સામે પક્ષે, જો ધર્મશ્રદ્ધાએ મનુષ્યને આંતરિક સુખનો અનુભવ કરાવ્યો હતો તો સાથે સાથે તેણે એને પ્રકૃતિની સામે નિઃસહાય બનાવી મૂક્યો હતો. તેથી જ ઈશોપનિષદ કહે છે કે જે અવિદ્યાની ઉપાસના કરે છે તે અંધકારમાં પ્રવેશે છે, અને જે વિદ્યામાં રત રહે છે તે એનાથી પણ વધુ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. ભારત સદીઓ સુધી વિદ્યાના અંધકારમાં રહ્યું, તો અર્વાચીન પશ્ચિમ અવિદ્યાના મોહમાં પડ્યું છે. અવિદ્યાની ને વિદ્યાની બન્ને સૃષ્ટિ સ્વીકારે તે જ ખરું જ્ઞાન. ગાંધીજીને એ જ દૃષ્ટિ ઇષ્ટ હતી, પરંતુ &#039;હિંદ સ્વરાજ&#039; લખાયું તે સમયે એ એમને સ્પષ્ટ નહોતી થઈ. દક્ષિણ આફ્રિકા છોડી તેઓ ભારત આવ્યા ને દેશની અસહ્ય ગરીબી જોઈ ત્યારે તેઓ સમજ્યા કે ભૂખ્યાંની સમક્ષ ઈશ્વર અન્ન રૂપે જ પ્રગટ થઈ શકે (21. 289, 48. 74) ભૂખ્યાંને ઈશ્વરનો ઉપદેશ આપીએ તો તેઓ આપણને શયતાન જ કહે (34. 453). પણ ભૂખ્યાંને પૂરતા પ્રમાણમાં અન્ન ને વસ્ત્ર પૂરાં પાડવાં હોય તો વિજ્ઞાનની મદદ લેવી જ રહી. એટલે પાછળથી ગાંધીજી ‘હિંદ સ્વરાજ&#039;માં તેઓ કરે છે તેમ યંત્રોનો સમૂળો વિરોધ કરવાને બદલે તેમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા. માણસનાં ભૌતિક કષ્ટ ઓછાં કરવા છતાં સુખવાદની અતિશયતામાંથી બચવું અને અંતરજીવનને પ્રાધાન્ય આપવું, ધર્મશ્રદ્ધા કેળવવી છતાં સ્વતંત્ર વિવેકશક્તિ કુંઠિન ન થવા દેવી, આ સમતુલા કેવી રીતે સિદ્ધ કરવી તે આજના યુગનો મહાપ્રશ્ન છે અને ‘હિંદ સ્વરાજ&#039;નું મહત્ત્વ તે આપણને એ પ્રશ્ન પ્રત્યે જાગ્રત કરે છે તેમાં રહેલું છે. &lt;br /&gt;
‘હિંદ સ્વરાજ&#039; લખાયું તે પછીનાં ત્રણ વર્ષ ગાંધીજીના જીવનમાં માનસિક સ્વસ્થતા ને આત્મવિશ્વાસનો ઉત્તમ સમય બની રહ્યો, વિચારોની અસ્પષ્ટતા ને હૃદયની અનિશ્ચિતતા હવે દૂર થયાં હતાં, લગભગ વીસ વર્ષના મનોમંથન પછી તેમણે સ્વ-અભિજ્ઞા (self-identity) સિદ્ધ કરી હતી અને તે અનુસાર પોતાનો જીવનક્રમ ગોઠવવાની નૈતિક હિંમત પણ કેળવી હતી. ‘હિંદ સ્વરાજ&#039;ના વિચારો એમના મનમાં આકાર લઈ રહ્યા હતા તે જ અરસામાં, ૧૯૦૯ની ૧લી ઑક્ટોબરે, ગાંધીજીએ તૉલ્સ્તૉય સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો અને ૧૯૧૦ના ઑગસ્ટ માસ સુધીમાં એમને ચારેક પત્રો લખી એ સમયે જગવિખ્યાત બની ચૂકેલા એ રશિયન લેખકનું એમણે પોતાના આદર્શો માટે અનુમોદન મેળવ્યું હતું. રાજકીય ક્ષેત્રે ૧૯૦૭-૮નો જુસ્સો ઓસરી ગયો હતો, પરંતુ થોડા ચુનંદા સત્યાગ્રહીઓ શાંત નિશ્ચયબળથી લડત ચાલુ રાખી રહ્યા હતા. ગાંધીજીને પોતાને સરકાર પકડતી ન હતી, એટલે એમણે સત્યાગ્રહીઓનાં કુટુંબ સાથે ૧૯૧૦ના જૂન માસથી એમના જર્મન મિત્ર કૅલનબૅકના વિશાળ ફાર્મ ઉપર એક નવા પ્રકારનું આશ્રમજીવન શરૂ કર્યું, એ ફાર્મને એમણે તૉલ્સ્તૉય ફાર્મ નામ આપ્યું. સને ૧૯૧૧ના મે માસમાં કામચલાઉ સમાધાન થતાં સત્યાગ્રહ મોકૂફ રહ્યો, પણ તૉલ્સ્તૉય ફાર્મ તે પછી પણ દોઢ વર્ષ ચાલુ રહ્યું અને તે બધો સમય ગાંધીજીએ પોતાના અને આશ્રમવાસીઓના જીવનને નિયમબદ્ધ કરવાની સાધનામાં ગાળ્યો. એ સાધનાની વિગતો એમણે &#039;દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ&#039; ને &#039;આત્મકથા&#039; બન્નેમાં આપી છે. પ્રયોગમાં સ્વાશ્રય, શરીરશ્રમને ખોરાકનો સંયમ એ મુખ્ય હતાં. ઘરકામ, વાડીનું કે બાંધકામ બધું બને તેટલું જાતે જ કરવાનો આગ્રહ હતો, એટલે પાયખાનાથી માંડીને રસોઈ સુધીનું બધું કામ હાથે જ કરવાનું હતું. ખોરાકના પ્રયોગોમાં ગાંધીજી ને કૅલનબૅક બન્નેએ દૂધનો ત્યાગ કર્યો, રાંધેલો ખોરાક પણ બંધ કર્યો અને છેવટે કેવળ લીલાં ને સૂકાં ફળ ઉપર રહેવાનું શરૂ કર્યું. &lt;br /&gt;
તૉલ્સ્તૉય ફાર્મ ઉપરનું આ પ્રયોગમય જીવન (જૂન ૧૯૧૦થી ડિસેમ્બર ૧૯૧૨) ગાંધીજીના આધ્યાત્મિક વિકાસમાં મૂલ્યવાન નીવડ્યું. છેલ્લાં ત્રણેક વર્ષના સત્ય ને અહિંસાના પ્રયોગ દ્વારા એમને જે આત્માનુભૂતિની ઝાંખી થઈ હતી તેની ઉપર હવે, રાજકીય પ્રવૃત્તિનો વેગ મંદ પડી જતાં, ચિંતનનો અવકાશ મળ્યો. શરીરશ્રમનો નિત્યક્રમ પણ એમાં ઉપકારક નીવડ્યો હશે. શરીરશ્રમનું મહત્ત્વ ગાંધીજી પ્રથમ રસ્કિનના &#039;અન્ટુ ધિસ લાસ્ટ&#039;માંથી સમજ્યા હતા, અને એ પુસ્તકની પ્રેરણાથી સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં તે કેન્દ્રસ્થાને હતું. પરંતુ સત્યમય જીવન માટે શરીરશ્રમની આવશ્યકતા ગાંધીજી તૉલ્સ્તૉયનાં લખાણોમાંથી વધુ સારી રીતે સમજ્યા. શરીરશ્રમનો વિચાર પહેલો બૉન્ડારોફ નામના એક રશિયન લેખકે &#039;બ્રેડ લેબર&#039;ની સંજ્ઞાથી રજૂ કર્યો હતો. એનાં મૂળ ખ્રિસ્તી સાંપ્રદાયિક માન્યતામાં હતાં. એ માન્યતા અનુસાર પૅરડાઇઝમાં નિષિદ્ધ ફળ ખાવા સારુ આદમ ને ઈવને ઈશ્વરનો શાપ હતો કે પૃથ્વી ઉપર તેમને કષ્ટમય શ્રમ દ્વારા નિભાવ કરવો પડશે. તૉલ્સ્તૉયે શરીરશ્રમના નિયમની આર્થિક ને નૈતિક આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. તેઓ માનતા કે ગરીબોની ગરીબીનું કારણ ધનપતિઓનું ધન છે; અર્થાત્, ગરીબો ગરીબ છે કારણ કે તેમને પોતાના નિભાવ ઉપરાંત એશઆરામમાં રહેતા ધનપતિઓની જરૂરિયાતો પૂરી પાડવા માટે પણ શ્રમ કરવો પડે છે. એટલે ગરીબીના નિવારણનો એકમાત્ર ઉપાય દરેક વ્યક્તિએ પોતાની ભૌતિક જરૂરિયાતો પૂરતો શારીરિક શ્રમ કરવો એ છે, અને એમ કરીને જ વ્યક્તિ ઈશ્વરાભિમુખ જીવન તરફ પ્રથમ પગલું ભરી શકે. ગાંધીજીએ શરીરશ્રમની આ નૈતિક ભાવના સ્વીકારી લીધી, પરંતુ લેટિનમાં સૂત્ર છે કે શ્રમ એ પ્રાર્થનાનું એક રૂપ છે, અને એ સૂત્ર અનુસાર શરીરશ્રમના નિત્યક્રમમાં ગાંધીજીએ શુદ્ધ આધ્યાત્મિક સ્થિતિની કંઈક ઝાંખી પણ કરી હોય એમ જણાય છે. એ સમયના એમના અનેક પત્રોમાં તેઓ મોક્ષની ચર્ચા કરે છે, અને એક પત્રમાં તો તેઓ પોતાને પારસમણિ જડ્યો હોવાના આનંદનો ઉલ્લેખ કરે છે (૧૧. ૧૪૭). શરીરશ્રમનો સિદ્ધાંત આમ ગાંધીજી માટે પોતાની કર્મયોગની સાધનાનું સાધન બની ગયો. ભારતમાં તેઓ રેંટિયા ઉપર કાંતવા બેસતા ત્યારે સમાધિસ્થ યોગીની જેમ ચિત્તની એકાગ્રતા કેળવી અન્ય સર્વે પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના વિચારો તથા તેમને વિશેની ચિંતાઓ ભૂલી જતા. એકાગ્ર ચિત્તે સેવાનું કામ કરવાની આવી કળાને જ ગાંધીજી સમાધિ અથવા ભગવદ્ગીતામાં વર્ણવેલા कर्मेसु कौशलम् યોગ તરીકે ઓળખાવતા. &lt;br /&gt;
ત્રણેક વર્ષ સુધી ગાંધીજીની કલમ રાજકીય વિષયોમાં રોકાયેલી રહ્યા પછી તે હવે ફરી પાછી બિનરાજકીય વિષયો તરફ વળે છે. સન ૧૯૦૫ના ડિસેમ્બર માસમાં તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;માં તૉલ્સ્તૉયની એક વાર્તાનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો હતો. હવે તેમણે એમની એક બીજી વાર્તાનો ‘મૂરખરાજ ને તેના ભાઈઓ&#039; એ શીર્ષક નીચે સારાનુવાદ આપ્યો (૧૧. ૧૭૬–૯૫). વાર્તાનો ઉદ્દેશ શરીરશ્રમનું ગૌરવ કરવાનો છે, પરંતુ એક બોધવાર્તા હોવા છતાં તે ગાંધીજીની કલમમાં વાર્તા કહેવાની કળા હોવાની પ્રતીતિ કરાવે છે, વાચકને લાગે છે કે એમણે પોતાની એ શક્તિ કેળવી હોત તો ગાંધીજી જરૂર એક સારા વાર્તાકાર બની શક્યા હોત. વાર્તાકારને માટે જરૂરી એવી પાત્રાલેખનશક્તિ પણ તેમની કલમમાં હતી. ‘મિ. ગાંધીની નજરકેદ’ (૧૧. ૩૭૧-૩) નામના એક લેખમાં તેઓ એક પ્રસંગે પોતાનું ચિત્ત કેવું ક્ષુબ્ધ થઈ ગયું અને અંતે વળી પાછું કેવી રીતે શાંત થયું તેનો તાદૃશ ચિતાર આપે છે. બીજા એક લેખમાં (૧૨. ૧૯૫) ગાંધીજી તેમના એક મિત્ર ને સહકાર્યકર્તાના યુવાન, ભાવનાશાળી પુત્ર હાજી હુસેન દાઉદ મહમદના અકાળ મૃત્યુના પ્રસંગે એને પ્રેમભરી અંજલિ આપે છે અને એ લેખ પણ કોઈ પાત્રને જીવંત બનાવવાની ગાંધીજીની શક્તિનો પરિચય કરાવી જાય છે. &lt;br /&gt;
ગાંધીજીની સત્યસાધનાનો એક વિષય આરોગ્ય ને ખોરાક અંગેના પ્રયોગોનો હતો. ઇંગ્લંડમાં માંસ નહિ ખાવાની માતાએ લેવડાવેલી પ્રતિજ્ઞાએ ગાંધીજીને શરૂઆતમાં ખૂબ મૂંઝવ્યા હતા, પરંતુ અન્નાહારની હિમાયત કરતું એક અંગ્રેજી પુસ્તક વાંચ્યા પછી તેઓ વિચારથી અન્નાહારમાં માનતા થયા અને સન ૧૯૦૪-૫માં જર્મન લેખક જુસ્ટનું &#039;રિટર્ન ટુ નેચર’ પુસ્તક વાંચ્યા પછી કુદરતી જીવન અને આરોગ્ય વિશે તેમને નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. સને ૧૯૦૬માં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ ભળી. ભારતીય પરંપરાની એક સર્વસ્વીકૃત માન્યતા છે કે મનની શુદ્ધિ માટે આહારની શુદ્ધિ આવશ્યક છે. પ્રાચીન ઋષિમુનિઓ ફળમૂળ ખાઈને જીવતા અને તેથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકતા એમ મનાયું છે. બ્રહ્મચર્ય પાળવાના પ્રયત્ને ગાંધીજીને પણ શરીર ને મનના સંબંધ વિશે વિચાર કરતા કર્યા, અને એમની કવિદૃષ્ટિએ એ સંબંધમાં ઊંડી રહસ્યમયતા અનુભવી. આ બધા વાંચનચિંતનનો એમણે &#039;આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન&#039; ઉપર એક લેખમાળામાં સાર આપ્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સને ૧૯૧૩ના જાન્યુઆરીથી ઑગસ્ટ માસ સુધીના ગાળામાં પ્રસિદ્ધ થયેલા એ લેખો (ખંડ ૧૧ ને ૧૨) “નીરોગી શરીરમાં નીરોગી મન” કેવી રીતે કેળવી ને જાળવી શકાય એ વિશે સરળ ગુજરાતીમાં સમજૂતી આપે છે. શરીર ઇન્દ્રિયભોગ માટે નહિ પરંતુ ઈશ્વરની સેવા સારું છે, સત્યમય જીવન સારુ છે, અને ધર્મના સાધન તરીકે જ એનું રક્ષણ કરવું જોઈએ એ દૃષ્ટિ સ્પષ્ટ કરતાં ગાંધીજી ઉપસંહારમાં લખે છે : “રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઇસ્ટ નથી બાઈબલમાં તે બધા માણસના ચારિત્ર્યમાં છે. ચારિત્ર્ય તે નીતિમાં છે. નીતિ સત્યમાં છે. સત્ય એ જ શિવ છે. એ જે કહીએ તે છે. આ પદાર્થ છૂટોછવાયો પણ આરોગ્યનાં પ્રકરણોમાં જોવામાં આવે એ આ પ્રયાસનો મૂળ હેતુ છે” (૧૨. ૧૩૮). &lt;br /&gt;
તૉલ્સ્તૉય ફાર્મની સાધના સત્યાગ્રહની છેલ્લી લડત દરમિયાન ફળી. એ સાધનાએ ગાંધીજીની સેવાભાવનાને વધુ ઊંડી ને નિર્મળ બનાવી હતી. “એ છેવટના યુદ્ધને સારું”, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ&#039;માં ગાંધીજી લખે છે, “ટૉલ્સ્ટૉય ફાર્મ એ આધ્યાત્મિક શુદ્ધિનું અને તપશ્ચર્યાનું સ્થાન નીવડ્યું” (પૃ. ૨૪૩). તૉલ્સ્તૉય ફાર્મનો જીવનક્રમ ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં ફાર્મ બંધ કર્યા પછી ફિનિકસમાં પણ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્રણેક વર્ષના એ નિયમબદ્ધ જીવને આશ્રમવાસીઓમાં જે આત્મશ્રદ્ધા ને હિંમત કેળવ્યાં હતાં અને તેમને હિંદી કોમમાં પ્રતિષ્ઠા અપાવી હતી તેનો પૂરો લાભ ૧૯૧૩ના સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલી લડતને મળ્યો. લડતની શરૂઆત કસ્તૂરબાની નેતાગીરી નીચે ૧૨ પુરુષો ને ૪ સ્ત્રીઓની એક નાની ટુકડીથી થઈ, અને એ ટુકડીને જેલની સજા મળતાં હિંદી કોમમાં વીજળીનો સંચાર થયો હોય તેમ તામિલ સ્ત્રીઓની એક બીજી ટુકડી નાતાલના ખાણમજૂરોમાં હડતાળના પ્રચાર માટે નીકળી પડી ત્યારે થોડા દિવસોમાં હજારો મજૂરો ખાણો છોડી ચાલી નીકળ્યા. એમની આગેવાની લઈ ગાંધીજીએ જંગી કૂચ આરંભી, અને તેમની ધરપકડ થયા પછી મજૂરો ઉપર જે સરકારી દમન ચાલ્યું તેના સમાચાર ભારતમાં ફેલાતાં પ્રજામત ઉત્તેજિત થઈ ગયો અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંજને સત્યાગ્રહીઓને જાહેરમાં ટેકો આપવાની ફરજ પડી. આ વેળાનો કોમનો ઉત્સાહ ગાંધીજી માટે એક નવો જ અનુભવ હતો. નિરક્ષર, ગરીબ મજૂરોનું વીરત્વ ને તેમની આત્મભોગની શક્તિ જોઈ ગાંધીજી તેમને માટે પ્રેમ ને પૂજ્યભાવ અનુભવી રહ્યા, અને જેલમાંથી છૂટ્યા પછી ગિરમીટિયા મજૂરોની એક જાહેર સભામાં તેમણે પોતાને ભારતની ત્રીસ કરોડ પ્રજાના જીવનપર્યંતના ગિરમીટિયા તરીકે ઓળખાવ્યા અને પોતાનું જીવન તેમની સેવામાં અર્પણ કર્યું (૧૨. ૪૦૬). લડતનો સફળ અંત આવ્યા પછી &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના સુવર્ણ અંક માટે લખેલા &#039;સત્યાગ્રહની છેલ્લી લડતનો મારો અનુભવ&#039; લેખમાં ગાંધીજીએ મજૂરોના ઉત્સાહનો તાદૃશ ચિતાર આપ્યો. &#039;સુખદુ:ખ મનમાં ન આણીએ&#039; એ અને બીજાં ભજનો ગાતાં આશ્રમવાસી સ્ત્રીપુરુષો નીકળી પડ્યા હતાં તે આરંભઘડીનું દૃશ્ય, ગાંધીજી જુલાઈ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છોડી ઇંગ્લંડ જતાં આગબોટમાં લેખ લખી રહ્યા હતા ત્યારે પણ ભૂલી શક્યા નહોતા (૧૨. ૪૪૫). યાત્રાએ નીકળ્યા હોય તેમ દરરોજ ન્યૂકૅસલમાંથી આવતાં સેંકડો મજૂર સ્ત્રીપુરુષો ને બાળકો, એ બધાંની શિસ્ત ને સહનશીલતા, એમનો સંતોષ, ગાંધીજીના હૃદયના પ્રેમતારને એવાં સ્પર્શી ગયાં હતાં કે એ મજૂર સ્ત્રીપુરુષોમાં એમણે સ્વર્ગનાં દેવદેવીઓનું દર્શન કર્યું હતું (૧૨. ૪૪૭-૮). અને કોઈ વિરલ આધ્યાત્મિક અનુભવક્ષણનું વર્ણન કરતા હોય એવા ઉત્સાહથી ગાંધીજી લેખને અંતે દયારામનું કાવ્ય ઉતારે છે : &#039;મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા.&#039; દક્ષિણ આફ્રિકાના છેલ્લા વિદાયદિવસોનો અનુભવ ગાંધીજીના હૃદયને એટલો જ હલાવી ગયો હતો. “હજારો હિંદી ભાઈઓની પ્રીતિ”, લેખની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, “તેઓએ કરેલો આદરસત્કાર અમારા મનમાં રમી રહ્યો છે. એ પ્રેમ આત્માની અદ્ભુત શક્તિનું, તેના મહાન ગુણોનું ભાન કરાવે છે” (૧૨. ૪૪૩). ભારતીય આધ્યાત્મિક પરંપરામાંથી તેમને આ દૃષ્ટિ મળી હતી અને દક્ષિણ આફ્રિકા છોડતા પહેલાં એક વિદાયસમારંભમાં તેમણે કહ્યું હતું: “હું હવે ભોગભૂમિમાંથી કર્મભૂમિમાં જાઉં છું. મારો મોક્ષ હિંદ વિના બીજી જગો નથી. માણસે મોક્ષ મેળવવો હોય તો તેણે હિંદની પવિત્ર ભૂમિમાં જવું જ જોઈએ, મારે માટે તેમ જ દરેકને માટે હિંદની ભૂમિ &#039;દુખિયાનો વિસામો’ છે. તેથી સ્વદેશ જવાને હું ઉત્સુક છું” (૧૨. ૩૯૫). &lt;br /&gt;
ભારતની આધ્યાત્મિક શક્તિ વિશેની આ શ્રદ્ધાને અનુસરીને દેશના નવનિર્માણમાં પોતાનો ફાળો આપવાની મહેચ્છા સાથે ગાંધીજી ૧૯૧૫ના જાન્યુઆરી માસમાં મુંબઈ ઊતર્યા, અને તુરત પૂર્ણ વિનમ્રતાથી એમણે પોતાના વિચારોનો પ્રચાર શરૂ કર્યો. ભારત આવતાં પહેલાં એમણે ગોખલેને વચન આપ્યું હતું કે એક વર્ષ માટે તેઓ કોઈ જાહેર પ્રશ્ન વિશે પોતાનો અભિપ્રાય નહિ દર્શાવે–ગોખલે કદાચ માનતા હશે કે હિંદુસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી ગાંધીજીના વિચારો બદલાશે. —પરંતુ કોઈ રાજકીય વિષયને સ્પર્શ્યા વિના ગાંધીજીએ પોતાની રાજકીય વિચારસરણીની પાછળ રહેલી વિશિષ્ટ સ્વદેશપ્રેમની ભાવનાનો પ્રજાને પરિચય આપવાનું શરૂ કર્યું. મુંબઈ ઊતર્યાં પછી પાંચમા દિવસે મુંબઈની ગૂર્જર સભાએ તેમના માનમાં સમારંભ યોજ્યો તેમાં બીજા વક્તાઓ, મહમદઅલી ઝીણા ને કનૈયાલાલ મુનશી, અંગ્રેજીમાં બોલ્યા તેમને ગાંધીજીએ ગુજરાતીમાં ઉત્તર આપ્યો, અને તે પછી જ્યારે પ્રસંગ મળે ત્યારે તેઓ અંગ્રેજીને બદલે માતૃભાષા કે હિંદીના ઉપયોગનો અનુરોધ કરતા રહ્યા. એમ કરવામાં સંકુચિત દેશાભિમાને પ્રેરેલો અંગ્રેજીદ્વેષ નહોતો, પણ ભારતની પ્રજા ને ભારતની સંસ્કારપરંપરા સાથે આત્મીયતાનો ભાવ હતો, અને એ જ ભાવથી પ્રેરાઈ તેમણે આર્થિક ક્ષેત્રે પણ સ્વદેશીને પ્રચાર શરૂ કર્યો. સાથે સાથે ગાંધીજીએ ગોખલેના રાજકીય પ્રવૃત્તિને આધ્યાત્મિક સંસ્કાર આપવાના – to spiritualize politics –– મંત્રનો પ્રચાર પણ શરૂ કર્યો. ગાંધીજીની દૃષ્ટિએ આધ્યાત્મિક એટલે યોગની ઇન્દ્રિયાતીત અનુભૂતિ નહિ, પરંતુ નિર્મમ આત્મસમર્પણની ભાવના. એ ભાવના એમનાં વાણી ને વર્તનમાં પારદર્શક રીતે મૂર્ત થતી અને પ્રજાને સેવાના એક નવા આદર્શની ઝાંખી કરાવતી. બે વર્ષ પછી, ૧૯૧૭ના એપ્રિલ માસમાં, ગાંધીજીને ચંપારણમાં પોતાના સેવાઆદર્શને અમલમાં મૂકવાનો પ્રસંગ પ્રાપ્ત થયો અને એમણે દેશને સત્યાગ્રહની અહિંસક પ્રતિકારની રીત ને રચનાત્મક સેવાની કાર્ય પદ્ધતિનો એકસાથે પરિચય કરાવ્યો. &lt;br /&gt;
ભારતમાં સત્યાગ્રહના આ પહેલા સફળ પ્રયોગ પછી એ જ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર માસમાં ગાંધીજીએ ગુજરાતમાં ભરાયેલી બે પરિષદોમાં પ્રમુખસ્થાનેથી દેશના સર્વાંગી નવનિર્માણ વિશે પોતાના વિચાર વિસ્તારથી રજૂ કર્યા. ઑક્ટોબરની ૨૦મીએ ભરૂચમાં બીજી કેળવણી પરિષદના પ્રમુખ તરીકે બોલતાં (૧૪. ૧૪-૩૫) એમણે શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીને બદલે માતૃભાષાનો અને અંઆંતરપ્રાંતીય વ્યવહારમાં હિંદીનો આગ્રહભર્યો પક્ષ કર્યો. શિક્ષણના માધ્યમ તરીકે તેઓ અંગ્રેજી ને માતૃભાષા બન્નેના પક્ષકારોનો હેતુ પવિત્ર હોવાનું સ્વીકારે છે, અને અંગ્રેજીને પક્ષે આનંદશંકર ધ્રુવનો અભિપ્રાય ટાંકે છે, પરંતુ તેઓ દૃઢપણે માને છે કે અંગ્રેજીનો ઉપયોગ દેશના હિતમાં નહોતો ને નથી. સમગ્ર પ્રશ્નને ગાંધીજી શુદ્ધ શૈક્ષણિક દૃષ્ટિએ અને વ્યક્તિ તથા રાષ્ટ્રજીવનના સ્વસ્થ વિકાસની દૃષ્ટિએ તપાસે છે. જ્ઞાનસંપાદન માટે અને વ્યાપારી ક્ષેત્રે તેઓ અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારે છે, પરંતુ માને છે કે એ માટે જરૂરી પ્રવીણતા અંગ્રેજીનો શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ કર્યા વિના કેળવી શકાય. માધ્યમ તરીકે અંગ્રેજીનો ઉપયોગ, તેઓ કહે છે, વિદ્યાર્થીઓના મગજ ઉપર બોજો વધારે છે અને અભ્યાસની ગતિ ધીમી પાડી વિદ્યાર્થીનાં કેટલાંક વર્ષ બગાડે છે તથા શિક્ષિત વર્ગ ને પ્રજા વચ્ચે અંતર ઊભું કરે છે. ગાંધીજીની દૃષ્ટિએ આ છેલ્લો મુદ્દો સવિશેષ મહત્ત્વનો હતો. અંગ્રેજી દ્વારા વિદ્યાર્થી જે વિચારસૃષ્ટિમાં પ્રવેશ કરે છે તેનો વ્યાવહારિક જીવન સાથે સંબંધ રહેતો નથી અને તેથી વિદ્યાર્થીનો બૌદ્ધિક વિકાસ કૃત્રિમ બની જાય છે. ગાંધીજી કહે છે તેમ “માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે” (૧૪. ૨૦). એટલે કે, વ્યક્તિની વિચારસૃષ્ટિ ને તેની ભાવનાસૃષ્ટિ વચ્ચે જે જીવંત સંબંધ રહેવો જેઈએ તે અંગ્રેજી શિક્ષણથી તૂટે છે અને પરિણામે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ ખંડિત બને છે. રાષ્ટ્રચેતનાના વિકાસને પણ એવું જ નુકસાન થાય છે. અંગ્રેજીના અભ્યાસથી શિક્ષિત વર્ગમાં જે કંઈ રાજકીય જાગૃતિ આવી હતી તે આમજનતાને સ્પર્શી નહોતી. ગાંધીજી કહે છે તેમ “અંગ્રેજી સ્વદેશાભિમાન ચેપી” ન નીવડ્યું. “ખરું સ્વદેશાભિમાન”, તેઓ લખે છે, “વ્યાપક હોવું જોઈએ&amp;quot; (૧૪. ૨૧). માતૃભાષા દ્વારા કેળવાયેલું એવું વ્યાપક સ્વદેશાભિમાન જ, ભારતનું આધ્યાત્મિક સત્ત્વ પ્રગટ કરે એવા હિંદ સ્વરાજનું ગાંધીજી જે સ્વપ્ન સેવી રહ્યા હતા તેને સિદ્ધ કરી શકે, અને તેથી જ પરિષદના બીજે દિવસે ઉપસંહાર ભાષણમાં ગાંધીજી કહે છે તેમ એમને “માતૃભાષા ઉપર મોહ ચઢેલો છે – રંગ ચઢેલો છે” (૧૪. ૪૧). પ્રચલિત શિક્ષણપદ્ધતિની બીજી ત્રુટિઓ પણ એ શિક્ષણને જીવન માટે નિરુપયોગી બનાવતી. દેશનાં ઇતિહાસ ને ભૂગોળનાં વર્તમાન જીવન સાથેના સંબંધ વિશે કે પ્રજાના વિશાળ વર્ગના મુખ્ય આર્થિક વ્યવસાય ખેતી વિશે વિદ્યાર્થીને કોઈ જ્ઞાન મળતું નહિ. કોઈ હુન્નરકળાની પણ તાલીમ મળતી નહિ. ગાંધીજીનો કળાપ્રેમ સંગીતની ઉપેક્ષા પણ નોંધે છે. સંગીતનો ચારિત્ર્ય-ઘડતર માટે ઉપયોગ કરી શકાય છે એટલું જ નહિ, વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં પણ તે ઉપકારક બને છે. “મધુર સંગીત”, પોતાના અનુભવ ઉપરથી ગાંધીજી સમજે છે ને કહે છે, “આત્માના તાપને શાંત કરી શકે છે.” માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ કરતાં તેઓ પ્રાથમિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકે છે અને તે માટે, કદાચ ફિનિકસ ને તૉલ્સ્તૉય ફાર્મનાં વર્ષોની સુખદ સ્મૃતિથી પ્રેરાઈ “સૃષ્ટિસૌંદય”ના વાતાવરણનો આગ્રહ રાખે છે (૧૪. ૩૩). &lt;br /&gt;
એ જ સાલની (૧૯૧૭ની) ૩જી નવેમ્બરે ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ દેશસેવાનો એમનો કાર્યક્રમ અને તેની પાછળ રહેલી વિચારસરણી ઉત્સાહપ્રેરક વાણીમાં પ્રજા સમક્ષ મૂકયાં. સામાન્ય રીતે પરિષદોમાં ભાષણો ને ઠરાવો થતા, પરંતુ ઠરાવોનો અમલ કરવાનો ભાગ્યે જ કોઈ ઉત્સાહ બતાવતા. ગાંધીજીની હૃદયપ્રેરણાઓ સતત કાર્યમાં પ્રગટ થતી અને વાણી એ માટે એક સાધનરૂપે હતી. એટલે એમણે પહેલી જ વાત પરિષદ જે ઠરાવો કરે તેના અમલની કરી. અને તે માટે “સેવા એ જ ધર્મ માનનારા” દેશસેવકની જરૂર જણાવી. “દેશસેવામાં આ કાળે ધર્મની પરિસીમા છે” એ ભાવના ફેલાય તો જ દેશની સર્વતોમુખી ઉન્નતિ શક્ય બને. રાજકીય સ્વતંત્રતા એ જ દેશસેવાનો એકમાત્ર ઉદ્દેશ ન હોવો જોઈએ. દેશમાં ખરેખર નવા પ્રાણનો સંચાર થયો હોય તો તેની અસર બધાં ક્ષેત્રોમાં દેખાવી જોઈએ. “વસંતની બહાર ખીલે છે ત્યારે દરેક ઝાડમાં તેની છાયા પડે છે. નવયૌવન આખી ભૂમિને વિષે જોવામાં આવે છે, તેમ જ જ્યારે આપણે સ્વરાજરૂપી વસંત ઋતુમાં પ્રવેશ કરતા હોઈશું ત્યારે કોઈ આવી ચડેલો મુસાકર દરેક સ્થળે નવયૌવન ભાળશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકો પોતાની શક્તિ અનુસાર અનેક કાર્યોમાં રોકાયેલા જોવામાં આવશે” (૧૪. ૪૭, ૫૬). આવી દેશવ્યાપી જાગૃતિ માટે પ્રજાની પરંપરાગત ધર્મશક્તિ સચેત કરવી જોઈએ. એ સમયના સંયોગોમાં ગાંધીજી નિર્ભયતા કેળવવા પ્રજાને લશ્કરમાં જોડાવાની સલાહ આપતા, પણ એમની પોતાની શ્રદ્ધા ભારતની આધ્યાત્મિક શક્તિમાં હતી. “હિંદુસ્તાન યુરોપ નથી, જાપાન નથી, ચીન નથી, એ મારાથી ભુલાતું નથી.... જેવી તપશ્ચર્યા આ દેશમાં થઈ છે તેવી બીજે ક્યાંય નથી થઈ. હિંદુસ્તાનને લોખંડનાં શસ્ત્રોની ઓછી જરૂર છે, તે દિવ્યાસ્ત્રથી લડતું આવ્યું છે; હજુ લડી શકે છે... હિંદુસ્તાન આત્મબળ વડે સર્વે જીતી શકે છે” (૧૪. ૫૦) આત્મબળ વડે લડવાનું શસ્ત્ર તે સત્યાગ્રહ. “... સત્યાગ્રહ હિંદુસ્તાનનું ખાસ શસ્ત્ર છે... એ સર્વવ્યાપક શક્તિ છે. સર્વ કાળે વપરાય એવી શક્તિ છે. સર્વ સ્થિતિમાં વાપરવાની છે” (૧૪, ૫૮). જેને સત્યાગ્રહની શક્તિ ઉપર શ્રદ્ધા છે તે મુશ્કેલીઓથી મૂંઝાશે નહિ. દેશની મુશ્કેલીઓ “હિમાલય જેવડી છે. પણ જેવી આપણી મુશ્કેલીઓ છે તેવાં જ રૂડાં સાધનો તે દૂર કરવાને સારુ આપણી પાસે છે.” આપણી સંસ્કૃતિને “સમુદ્રના પાણી જેમ ભરતીઓટ થયાં છે. પણ તે સમુદ્રની જેમ અચળ રહેલ છે.” પ્રજામાં આત્મશ્રદ્ધા ને પુરુષાર્થ પ્રેરે એવી બધી સંપત્તિ દેશમાં છે. “... તેમાં મહાન પર્વતો છે, નદીઓ છે, તેમાં ભારે સૃષ્ટિસૌંદર્ય છે. તેના સંતાનો મહાપરાક્રમનો વારસો મૂકી ગયાં છે. આ મુલક ત૫શ્ચર્યાનો ભંડાર છે. અહીં જ સર્વ ધર્મો સાથે રહે છે, અહીં જ સર્વ દેવતાને માન અપાય છે.” એટલે ગાંધીજીની શ્રદ્ધા હતી કે પોતાની “સાત્ત્વિક પ્રવૃત્તિથી” ભારત અંગ્રેજ પ્રજાને જીતી શકે અને “કંઈ અલૌકિક કાર્ય કરી દુનિયાને શાંતિ” આપી શકે, અને “એ મહત્કાર્ય કરવામાં આ પરિષદ સંપૂર્ણ ભાગ લઈ પોતાની, ગુજરાતની અને ભારતવર્ષની કીર્તિ ઉજજવળ કરો” એવી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે (૧૪. ૬૦). &lt;br /&gt;
ભારતના નવસર્જનના આ સ્વપ્નમાં જે કાવ્યત્વ પ્રગટ થાય છે તેનો પ્રવાહ બન્ને ભાષણોમાં ગાંધીજીની વાણીમાં પણ વહેતો અનુભવાય છે. કોઈ પણ પ્રકારનાં આવેશ કે ઉત્તેજનાના સ્પર્શ વિનાનો અને નમ્ર આદર્શનિષ્ઠાની પ્રતીતિ કરાવતો એ વાણીપ્રવાહ નિર્મળ પાણીના ઝરા જેવો આહ્લાદક બન્યો છે અને થોડા જ સમયમાં એમની નેતાગીરી પ્રજામાં ઉત્સાહની જે ભરતી પ્રેરવાની હતી તેનું રહસ્ય પ્રગટ કરી જાય છે. એમના હૃદયનો પ્રેમ નિરક્ષર જનતાને કેવો સ્પર્શી જતો તેનો ગાંધીજીને ચંપારણમાં અનુભવ થઈ ચૂક્યો હતો અને એ અનુભવમાં તેમણે, &#039;આત્મકથા”માં તેઓ સૂચવે છે તેમ, “અહિંસાદેવી”નો સાક્ષાત્કાર કર્યો હતો (પૃ. ૪૧૪). બે વર્ષ પછી ગાંધીજીએ પ્રેમની એ જાદુઈ શક્તિનો વધુ ઉત્સાહપ્રેરક અનુભવ કર્યો. સને ૧૯૧૯ના એપ્રિલ માસમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ગાંધીજી પંજાબના પ્રવાસે ગયા ત્યારે વર્ષોના વિયોગ પછી કોઈ સ્વજન ઘેર આવતો હોય તેમ લાહોર ને અમૃતસરની જનતા તેમના દર્શન માટે ઊમટી પડી. એ પ્રવાસનું &#039;નવજીવન&#039; માટે વર્ણન કરતી &#039;પંજાબનો પત્ર&#039; લેખમાળામાં વાચક તે સમયે પ્રજામાં ઊભરાયેલી ઉત્સાહભરતીનો આજે પણ અનુભવ કરી શકે છે. સ્ત્રીઓનો પ્રેમ ગાંધીજીને સવિશેષ સ્પર્શી ગયો. એમના દર્શન માટે નીકળી પડી હતી એટલી સ્ત્રીઓ, અમૃતસરવાસીઓએ એમને કહ્યું હતું, ક્યારેય બહાર દેખાઈ નહોતી (૧૬. ૨૮૩). પુરુષોનો પ્રેમ કદાચ નિર્મળ નહોતો એમ ગાંધીજીને લાગ્યું હતું, પણ, તેઓ લખે છે, “સ્ત્રીઓને વિષે તો એવું સ્વપ્નમાંય નથી થતું.... હજારોની મેદનીમાં તેઓની હાજરી મને શાંતિ આપે છે, અને સત્યાગ્રહ તેમ જ સ્વદેશી ઉપર મારી શ્રદ્ધાને વધારી મારી દૃઢતાને વધારે દૃઢ કરી મને વધારે જુસ્સો આપે છે. સ્ત્રીઓના જેટલો જ નિર્મળ ભાવ જો હું પુરુષોમાં પેદા કરી શકું તો એક વર્ષની અંદર હિંદુસ્તાન કેટલે ઊંચે જઈ શકે તેનો આંક મેલી નહીં શકાય.” (૧૭. ૩૫) જેમ ભારતની જનતાના પ્રેમનો તેમ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં રહેલી સૌંદર્યદૃષ્ટિનો પણ પ્રવાસ દરમિયાન એક પ્રસંગે ગાંધીજીને આનંદપ્રેરક અનુભવ થયો. કાશીમાં પંડિત મદનમેહન માલવીયના નિવાસસ્થાન પાસે ગંગાતીરે અરુણોદયની રમણીય ભવ્યતા જોઈ એમની કલ્પના વેદયુગની ભાવનાસૃષ્ટિનો સ્પર્શ અનુભવી રહી. એ દૃશ્ય જોતાં, તેઓ લખે છે, “આંખ ધરાય જ નહીં ને ભક્તજનોના કંઠમાં તો ગાયત્રીનો મંત્ર તેની મેળે જ આવી ચડે. સૂર્યની ઉપાસના, નદીઓનો મહિમા, ગાયત્રી મંત્રનો અર્થ આ ભવ્ય દેખાવ જોયા પછી કંઈક વધારે સમજાયાં&#039; (૧૭. ૫૭) &lt;br /&gt;
ગાંધીજીની સર્વ પ્રવૃત્તિઓની પ્રેરણા ભારત ને ભારતની પ્રજા માટે એમના હૃદયમાં ઊભરાતા આ પ્રેમમાં હતી. પ્રજાના સર્વ વર્ગોને એ પ્રેમનો અનુભવ કરાવી તેમને સત્ય ને શ્રેયના માર્ગે વાળવાનો એમનો અભિલાષ હતો. એ ઉદ્દેશથી જલિયાંવાલા બાગની દુર્ઘટના પછી પ્રજામત કેળવવા તેમણે જૂન-જુલાઈમાં મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી &#039;યંગ ઇન્ડિયા&#039; અને ઇન્દુલાલ યાજ્ઞિકના “નવજીવન ને સત્ય&#039;નું સંચાલન સ્વીકાર્યું હતું અને ગુજરાતી સાપ્તાહિકને “નવજીવન&#039; નામ આપી તા. ૭-૯-૧૯૧૯થી તેના તથા તા. ૮-૧૦-૧૯૧૯થી &#039;યંગ ઇન્ડિયા&#039;ના તંત્રી બન્યા હતા. &#039;નવજીવન&#039;ના પહેલા અંકમાં પોતાનો ઉદ્દેશ સમજાવતાં તેઓ લખે છે: “ઘણા પ્રયત્ને મેં કેટલાક સિદ્ધાંતો મારા જીવનમાં ગોઠવ્યા છે ને તેને અમલમાં મૂક્યા છે. તેથી મને જે સુખ મળ્યું તે મેં બીજામાં નથી જોયું એમ મને ભાસ્યું છે....એ સિદ્ધાંતો હિંદને આપી મારા સુખનો અનુભવ હિંદને કરાવવાની મને ભારે અભિલાષા છે.” પોતાની આ મહત્ત્વાકાંક્ષાનો સાર આપતા તેઓ લખે છે: “... &#039;નવજીવન&#039;ની પ્રવૃત્તિ એવી ચાલશે કે જેથી રાજાપ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિંદુ-મુસલમાન વચ્ચે અન્તઃકરણની એકતા થાય, હિંદુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિંદુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. નાશમાંય ઉત્પત્તિ ભરી છે” (૧૬. ૯૧–૨). ‘નાશમાંય ઉત્પત્તિ ભરી છે, બલ્કે ઉત્પત્તિ અથવા સર્જન માટે નાશ આવશ્યક છે, એ વિચારસરણીને અનુસરી ગાંધીજીએ પ્રજાને એકસાથે નાશ ને નવસર્જનનો કાર્યક્રમ આપ્યો. વિનાશાત્મક કાર્યક્રમ બ્રિટિશ સરકાર સાથે અસહકારનો હતો. દેશની રાજકીય પ્રગતિ માટે ગાંધીજી બ્રિટિશ પ્રજાની ન્યાયપ્રિયતા ઉપર શ્રદ્ધા રાખતા આવ્યા હતા, પરંતુ જલિયાંવાલા બાગની કત્લ અને તે પછી પંજાબમાં લાદવામાં આવેલા લશ્કરી રાજ દરમ્યાન થયેલા અત્યાચારો અંગે બ્રિટિશ સરકારે અપનાવેલી નીતિએ ગાંધીજીની એ શ્રદ્ધાને આઘાત આપ્યો. તે જ સમયે ઉપસ્થિત થયેલા ખિલાફતના પ્રશ્નમાં પણ ગાંધીજીને બ્રિટિશ સરકારની નીતિ અન્યાયી અને ભારતના મુસલમાનોને આપેલા વચનનો ભંગ કરતી લાગી. દેશની ગરીબીનો ને પ્રજાની નૈતિક ભીરુતાનો પણ એમને ઠીક ઠીક અનુભવ થઈ ચૂક્યો હતો. એટલે ભારતમાં બ્રિટિશ શાસનનાં પરિણામોને તેઓ હવે નવી જ દૃષ્ટિએ જોતા થયા અને દેશની આર્થિક તારાજી ને નૈતિક અધઃપતન માટે એ શાસનને જવાબદાર ગણી તેનો જેમ બને તેમ વહેલો અંત લાવવા અધીરા બન્યા. એ ઉદ્દેશથી ગાંધીજીએ પ્રજાને ધારાસભાઓ, કોર્ટો, શાળાકૉલેજો ને પરદેશી કાપડનો એમ ચતુર્વિધ બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો. આ વિનાશાત્મક કાર્યક્રમની સાથે ગાંધીજીએ પ્રજાને રાષ્ટ્રીય કેળવણી, હિંદુ-મુસ્લિમ એકતા, ખાદી પ્રચાર ને અસ્પૃશ્યતાનિવારણ દ્વારા નવસર્જનનો રચનાત્મક કાર્યક્રમ પણ આપ્યો, અને બહિષ્કારનો તથા રચનાત્મક બંને કાર્યક્રમ સફળ થાય તો એક વર્ષમાં સ્વરાજ મળે એવી શ્રદ્ધા આપી. સને ૧૯૨૦ની ૧લી ઑગસ્ટથી શરૂ થયેલા આ દ્વિવિધ આંદોલન અંગે ગાંધીજી લગભગ એક વર્ષ સુધી ભારતભરનો પ્રવાસ કરતા રહ્યા અને પ્રજાને બ્રિટિશ શાસનનાં અનિષ્ટો પ્રત્યે જાગ્રત કરી એ શાસનનો અંત લાવવા અને રચનાત્મક કાર્યક્રમ અપનાવવા પ્રેરતા રહ્યા. &lt;br /&gt;
રચનાત્મક કાર્યક્રમ પ્રજાજીવનની સર્વાંગી શુદ્ધિ માટે હતો. અંગ્રેજી શિક્ષણના મોહમાં પડી શિક્ષિત વર્ગ દેશના સંસ્કારપ્રવાહથી વિમુખ બનતો જતો હતો અને આમજનતા સાથે આત્મીયતા અનુભવવા માટે અશક્ત બનતો જતો હતો. રાષ્ટ્રીય કેળવણીમાં ગાંધીજીએ સ્વદેશી ભાવનાને કેન્દ્રસ્થાને મૂકી અને ભારતીય જીવન ને ભારતીય સંસ્કારપરંપરાને સમૃદ્ધ કરે એવા શિક્ષણની કલ્પના કરી. હિંદુ-મુસ્લિમ ઐક્યનો કાર્યક્રમ બાહ્ય દૃષ્ટિએ રાજકીય લાગે, પરંતુ તેની પાછળ પણ પ્રચલિત સાંપ્રદાયિકતાને સંસ્કારી તેમાંથી વ્યા૫ક ધર્મભાવના પ્રગટાવવાની દૃષ્ટિ હતી. ખાદીનો કાર્યક્રમ આર્થિક દૃષ્ટિથી આપવામાં આવ્યો હતો. દેશમાં પ્રવર્તતી બેરોજગારી ને ગરીબી ઇંગ્લંડે ભારતના કાપડઉદ્યોગનો નાશ કર્યો હતો તેને આભારી હતી અને તેનો ઉપાય કરવો હોય તો દેશે કાપડમાં ફરી સ્વાવલંબી બનવું જોઈએ એમ ગાંધીજી માનતા. પરંતુ વધુ કાપડની મિલો સ્થાપવાથી તે ન બની શકે. એથી તો ગ્રામપ્રજાનું શોષણ ચાલુ જ રહે. એટલે કાપડના ઉત્પાદનને ફરી ગૃહઉદ્યોગ બનાવવામાં આવે તો જ ગ્રામપ્રજાની ગરીબીનું નિવારણ થઈ શકે. પરંતુ ખાદીના કાર્યક્રમની પાછળ આ આર્થિક દૃષ્ટિની સાથે સ્વસ્થ વ્યક્તિજીવન ને સમાજજીવન વિશેની નૈતિક દૃષ્ટિ પણ રહેલી હતી, જે ગાંધીજીને પોતાને શરૂઆતમાં સ્પષ્ટ નહોતી થઈ. સને ૧૯૩૪ પછી તેમણે ખાદીની સાથે બીજા ગ્રામોદ્યોગોની પ્રવૃત્તિ શરૂ કરી ત્યાર પછી એમનું શ્રમલક્ષી ને ગ્રામકેન્દ્રી સમાજદર્શન વધુ સ્પષ્ટ થતું ગયું. &lt;br /&gt;
અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ ગાંધીજી માટે સૌથી વધુ મૂંઝવણભર્યો બન્યો. સને ૧૯૨૦ ઑકટોબર માસમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તે પછી તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં અસ્પૃશ્યતાને સ્થાન નહિ હોય એવો તેણે ઠરાવ કર્યો તેનો સનતાની વર્ગે ઉગ્ર વિરોધ કર્યો, અને ગાંધીજીના પોતાને હિંદુ કહેવડાવવાના દાવા વિશે પણ શંકા કરવામાં આવી. ગાંધીજી હિંદુ ધર્મના સનાતન તત્ત્વને જુદી દૃષ્ટિથી જોતા, અને તેમણે પોતાને માત્ર હિંદુ નહિ પણ સનાતની હિંદુ ને વૈષ્ણવ કહેવડાવવાનો આગ્રહ રાખ્યો. તા. ૬-૩-૧૯૨૧ના ‘નવજીવન&#039;માં તેમણે &#039;સનાનની હિંદુ એટલે?’ લેખમાં હિંદુની વ્યાખ્યા આપી : &amp;quot;... જે માણસ હિંદુસ્તાનમાં હિંદુ કુળમાં જન્મીને વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથરૂપે માને; જે માણસ સત્ય-અહિંસાદિ પાંચ યમોને વિષે શ્રદ્ધા રાખે અને તે યથાશક્તિ પાળે; જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મોક્ષ એ પરમ પુરુષાર્થ છે એમ માને; જે વર્ણાશ્રમ ને ગોરક્ષા ધર્મને માને તે હિંદુ છે” (૧૯. ૨૮૯). આ માનવા ઉપરાંત જે વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યો છે અને નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના ગુણો કેળવવા પ્રયત્નશીલ છે તે વૈષ્ણવ છે. હિંદુને વૈષ્ણવની આ વ્યાખ્યા સાંપ્રદાયિકતાની સંકુચિતતામાંથી સંપૂર્ણપણે મુક્ત નથી રહી શકી. હિંદુ ને વૈષ્ણવ કહેવડાવવા માટે વ્યક્તિ હિંદુ ને વૈષ્ણવ કુટુંબમાં જન્મી હોવી જોઈએ, વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથ તરીકે સ્વીકારતી હોવી જોઈએ અને વર્ણાશ્રમ ને ગોરક્ષામાં માનતી હોવી જોઈએ. વળી સૈદ્ધાંતિક દૃષ્ટિએ વર્ણો ફક્ત ચાર હોવા છતાં જ્ઞાતિવ્યવસ્થાનાં ભોજન ને લગ્નવિષયક બંધનોને ગાંધીજી નિંદ્ય નથી ગણતા; બલ્કે, ઊંચનીંચની ભાવના વિના માત્ર સંયમના ઉદ્દેશથી એમનું પાલન કરવામાં આવે તો તેઓ એમને શિષ્ટાચાર પણ ગણે છે, જો કે તેઓ પોતે અથવા બીજા આશ્રમવાસીઓ ભોજન અંગેના પ્રતિબંધનું પાલન નહોતા કરતા. સને ૧૯૦૫ના માર્ચ માસમાં ગાંધીજીએ જોહાનિસબર્ગની થિયૉસૉફિકલ સોસાયટીના ઉપક્રમે હિંદુ ધર્મ ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં અને એ વ્યાખ્યાનોનો &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના ગુજરાતી વિભાગમાં સાર આપ્યો હતો. તેમાં એમણે બ્રહ્મ, આત્મા, માયા, પુનર્જન્મ મોક્ષ ને નિષ્કામ કર્મના સિદ્ધાંતોને હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ગણાવ્યા છે (૪.૪૬૨), અને હિંદુ કુટુંબમાં જન્મ, ધર્મગ્રંથોમાં શ્રદ્ધા, વર્ણાશ્રમ, ગોરક્ષા ઇત્યાદિ કોઈ માન્યતાઓનો ઉલ્લેખ નથી. આ ભેદનું કારણ એ હોવાનો સંભવ છે કે &#039;નવજીવન&#039;ના લેખમાં ગાંધીજીનો ઉદ્દેશ અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંતર્ગત અંગ નથી એમ સનાતની વર્ગને પ્રેમપૂર્વક સમજાવવાનો હતો અને તેથી એ વર્ગની બીજી પ્રચલિત માન્યતાઓને સ્વીકારી તેમનો બને તેટલો ઉદાર અર્થ કરે છે. વેદ, ઉપનિષદ, પુરાણાદિને ધર્મગ્રંથો તરીકે સ્વીકારવા છતાં ગાંધીજી એમના જે કંઈ અંશો બુદ્ધિગ્રાહ્ય ન હોય અથવા સત્ય, અહિંસા ને બ્રહ્મચર્યના વિરોધી હોય તેમનો અસ્વીકાર કરે છે. એ દૃષ્ટિએ વિચારતાં અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું અંગ ન જ ગણી શકાય. વર્ણધર્મનો પણ ગાંધીજી બીજા પ્રસંગોએ ઉદાર અર્થ કરે છે. તેમના મતે વર્ણ વ્યવસ્થાનો હેતુ વ્યક્તિની આજીવિકાનું સાધન નિશ્ચિત કરી આર્થિક ક્ષેત્રમાંથી લોભ ને હરીફાઈને દૂર રાખવાનો હતો. આજીવિકા માટે દરેક વ્યક્તિ પોતાના વારસાગત વ્યવસાયને વળગી રહે, પરંતુ સર્વ વ્યવસાયોનું આર્થિક ને સામાજિક મૂલ્ય સરખું ગણાય. રોટીબેટી-વ્યવહારના પ્રતિબંધોને આ વ્યવસ્થા સાથે કશો સંબંધ ન હતો, અને અસહકારનાં વર્ષોમાં ગાંધીજીએ એમને સંયમના સાધન રૂપે ઓળખાવ્યા હતા પરંતુ પાછળથી તેઓ એમનું અનિષ્ટ સમજતા થયા હતા (51. 343), અને તે એટલે સુધી કે ૧૯૪૦ પછી સેવાગ્રામ આશ્રમમાં લગ્નપ્રસંગે બે પક્ષમાંથી એક હરિજન હોય તેને તેઓ આગ્રહ રાખતા. વર્ણધર્મ વિશે ગાંધીજીની દૃષ્ટિમાં આવેલું આ પરિવર્તન એમની સત્યદૃષ્ટિની વિકાસશીલતાનું નોંધપાત્ર ઉદાહરણ છે. આ વિષય ઉપરના એમના ૧૯૨૧ની સાલના વિચારો ને ૧૯૩૨ની સાલના વિચારો વચ્ચેના વિરોધ પ્રત્યે ધ્યાન દોરનાર એક પત્રલેખકને ઉત્તર આપતાં તેમણે લખ્યું હતું: “... મને સર્વે કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં; પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે, એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે” (55. 61) &lt;br /&gt;
સત્યનારાયણની વાણીને અનુસરવાની ગાંધીજીની તત્પરતા અસહકારના આંદોલનની નિષ્ફળતાએ નાટ્યાત્મક રીતે સાબિત કરી, પ્રજાની અવદશા વિશે એમણે જે જોયું ને અનુભવ્યું હતું તેનું એમને એટલું ઊંડું દુઃખ હતું કે એ સમયની એમની વાણીમાં ક્યારેક પુણ્યપ્રકોપના તણખા ઝરતા જણાતા. પ્રજાએ એમનો રોષ જોયો, પરંતુ એ રોષની પાછળ રહેલો અહિંસાભાવ તે ન સમજી શકી, અને દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણુ ફેલાતું લાગ્યું. શ્રી નરસિંહરાવ દિવેટિયા તથા રવીન્દ્રનાથ ઠાકુરે એમને એ વિશે જાહેરમાં ચેતવણી આપી, પરંતુ ગાંધીજી પ્રજાનો મિજાજ ન સમજી શક્યા. છેવટે ૧૯૨૧ના નવેમ્બર માસમાં મુંબઈએ, ૧૯૨૨ના જાન્યુઆરીમાં મદ્રાસે ને ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશના ચૌરીચૌરા ગામે ગાંધીજીને પ્રજાના હિંસાત્મક મિજાજની પ્રત્યક્ષ સાબિતી આપી અને તેમની આંખ ઊઘડી ગઈ એમણે તુરત લડત થંભાવી દીધી અને માર્ચ માસમાં એમની ધરપકડ થયા પછી અમદાવાદની સેશન્સ કોર્ટમાં એમની ઉપર કામ ચાલ્યું ત્યારે પ્રજાની હિંસા માટે પોતાની પૂરી જવાબદારી સ્વીકારી, જોકે એમના હૃદયમાં ગ્રામપ્રજાની ગરીબીના દર્શને જે જ્વાળાઓ સળગી રહી હતી તેનો પણ એમણે પોતાના નિવેદનમાં ચિતાર આપ્યો. જેલનિવાસ દરમિયાન એ જ્વાળાઓ કંઈક શાંત થઈ અને ૧૯૨૪ના ફેબ્રુઆરી માસમાં ઍપેન્ડિસાઈટિસની શસ્ત્રક્રિયા પછી સરકારે એમને છોડી મૂક્યા ત્યારે તેઓ વધુ ઊંડી બનેલી સત્યદૃષ્ટિ અને અહિંસાભાવના સાથે બહાર આવ્યા. &lt;br /&gt;
ગાંધીજીની આધ્યાત્મિક ક્ષિતિજોના આ વિસ્તારની પાછળ રામનામનો પ્રભાવ રહ્યો હોય એમ લાગે છે. &#039;આત્મકથા&#039;માં એમણે નોંધ્યું છે કે શુદ્ધ બ્રહ્મચર્ય “કેવળ પ્રયત્નસાધ્ય નથી” અને “રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે” એ તેઓ ભારતમાં આવીને સમજ્યા (પૃ. ૨૧૧–૨). આ દૃષ્ટિ એમને ૧૯૨૨-૨૩ના યરવડાનિવાસ દરમિયાન પ્રાપ્ત થઈ હશે. તેઓ શ્રી રામને શ્રીરામચંદ્રપ્રભુ કહેવાને બદલે માત્ર રામ કેમ કહેતા એવા એક પત્રલેખકના પ્રશ્નના ઉત્તરમાં જૂન ૧૯૨૪માં ‘નવજીવન’ના એક લેખમાં તેઓ લખે છેઃ “એવો અવસર મારી જિંદગીમાં હતો કે જ્યારે હું રામને શ્રીરામચંદ્રપ્રભુ રૂપે ઓળખતો. પણ એ અવસર વીતી ગયો છે. રામ તો મારે ઘેર આવ્યા છે... તે જ રામને હું ભંગીમાં ને બ્રાહ્મણમાં જોઉં છું તેથી બંનેને વંદન કરું છું” (૨૪. ૧૮૪). એક વર્ષ પછી એમણે ‘રામનામ મહિમા&#039; ઉપર બીજો એક લેખ લખ્યો (૨૭. ૯૩). ગાંધીજીના હૃદય ઉપર રામનામનો આ પ્રચાર એમની કવિચેતનાનો જ અનુભવ હતો. કવિઓએ રામ ને સીતાનો અરણ્યની વનસ્પતિસૃષ્ટિ ને પ્રાણીસૃષ્ટિ સાથે આત્મીયતાનો સંબંધ કલ્પ્યો છે અને તેમનો પ્રેમ એ સૃષ્ટિના સૌંદર્ય સાથે એકરૂપ બની જતો લાગે છે. રામાયણની ભાવનાસૃષ્ટિમાં પ્રેમ ને સૌંદર્યનાં આવા મિશ્રણનું પૂર્ણ જાદુ ગાંધીજીએ અનુભવ્યું હતું. સને ૧૯૩૧માં એક પ્રસંગે લંડનમાં ભાષણ કરતાં તેઓ કહે છે : “હું ઈશ્વરને &#039;ઈશ્વર’ નામે ભજી શકતો નથી. એ નામ મારા હૃદયને સ્પર્શ કરતું નથી. પરંતુ જ્યારે હું ઈશ્વરનું રામરૂપે સ્મરણ કરું છું ત્યારે શરીર આનંદથી પુલકિત બની જાય છે. એમાં કાવ્યનું જાદુ ભર્યું છે” (48. 127). એ જાદુના ઉત્સાહથી પ્રેરાઈ સને ૧૯૩૪માં એક બીજા પ્રસંગે ગાંધીજી કાવ્યમય વાણીમાં શ્રેતાઓને ઉદ્બોધે છે: “રામનામ આ દેશનાં પશુપંખીઓને અને શિલાઓને પણ હજારો વર્ષથી પરિચિત છે. તમે એ પવિત્ર નામનું એવી મધુરતાથી અને એવા ભક્તિભાવથી રટણ કરતાં શીખો કે પંખીઓ એમનું ગાન બંધ કરી તમને સાંભળી રહે અને વૃક્ષો પણ એ નામના દિવ્ય સંગીતથી પ્રફુલ્લિત બની એમનાં પત્રરૂપી કર્ણોને તમારી તરફ નમાવે” (57.446). &lt;br /&gt;
રામનામના આવા પ્રભાવે સૃષ્ટિસૌંદર્ય પ્રત્યેની ગાંધીજીની દૃષ્ટિને પણ પ્રેમ ને ધર્મભક્તિના રંગે રંગી હતી. સને ૧૯૨૧ના એપ્રિલ માસમાં તેઓ સિંધના અને ઑગસ્ટ માસમાં આસામના પ્રવાસે ગયા હતા, ત્યાં સિંધુ ને બ્રહ્મપુત્રા નદીના સૌંદર્ય એમના મનમાં જે વિચારો ને ભાવ પ્રેર્યા હતા તેના વર્ણનમાં (૨૦. ૪૫, ૨૧. ૫૦, ૭૬) ગાંધીજીની સૌંદર્યદૃષ્ટિની આ ભાવના પ્રગટ થઈ છે. પરંતુ ૧૯૨૫ના માર્ચ માસમાં તેઓ કન્યાકુમારીની યાત્રાએ ગયા હતા તે અનુભવના વર્ણનમાં (૨૬. ૨૭૭-૮) સૃષ્ટિસૌંદર્યનો અનુભવ ગાંધીજી માટે શુદ્ધ ધર્મપ્રેરણાનો અનુભવ બની જતો જણાય છે. બીજે દિવસે એ અનુભવની સ્મૃતિએ ગાંધીજીના હૃદયમાં એવી ઉત્કટ સેવાભાવના ઊભરાય છે કે એનું વર્ણન કરતાં પણ એમની કલમ ધ્રૂજે છે (૨૬. ૨૮૫). રામાયણકથાના સંસ્કારે ગાંધીજીના હૃદયની એક બીજી ભાવનાને પણ પોષી હશે. ત્યાગશીલ સ્ત્રીઓ પ્રત્યે તેઓ હમેશાં પૂજ્યભાવ અનુભવતા અને સ્વેચ્છાએ પાળેલા વૈધવ્યનું ભક્તિપૂર્વક ગૌરવ કરતા. એમને એ હૃદયભાવ આ અરસામાં લખાયેલા બે લેખો, ‘ત્યાગમૂર્તિ’ (૨૩. ૫૦૧-૪)ને ‘ગં.સ્વ. વાસંતીદેવી’ (૨૭. ૨૭૨-૪),માં આકર્ષક રૂપે પ્રગટ થયો છે. પરંતુ પવિત્ર સ્ત્રીઓ પ્રત્યેનો ગાંધીજીનો ભક્તિભાવ, સદીઓ સુધી હિંદુ સમાજમાં બની રહ્યો હતો તેમ, વિકૃત નથી બનતો અને તેમને બળાત્કારે પળાવેલા વૈધવ્યનું પણ ગૌરવ કરવા નથી પ્રેરતો; બલકે, એવા વૈધવ્યનો તેઓ દૃઢતાપૂર્વક વિરોધ કરતા રહ્યા હતા (૧૬. ૨૨૧-૩, ૧૭, ૪૦૮-૧૦, ૨૭, ૩૨૫-૬, ૩૦. ૩૫-૬, ૩૪. ૧૩૪–૫). &lt;br /&gt;
રામાયણકથાના સૌંદર્યસંસ્કારે ગાંધીજીને જે વિનમ્ર ભક્તિભાવની ઝાંખી કરાવી તે એમને માટે સર્જનપ્રેરક નીવડી. સને ૧૯૨૪થી ૧૯૩૦ સુધીના છ વર્ષના ગાળામાં એમની કલમે તેની ચાર શ્રેષ્ઠ સિદ્ધિઓ, &#039;દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ&#039;, &#039;સત્યના પ્રયોગો અથવા આત્મકથા&#039;, ‘અનાસક્તિયોગ&#039; ને &#039;મંગળપ્રભાત&#039; આપી, જેમાં એમની નવપ્રાપ્ત નિર્મમતા ને ચિત્તપ્રસન્નતા સ્વચ્છ ગદ્યપ્રવાહ રૂપે વહે છે અને વાચકને કોઈ વિલક્ષણ પ્રકારના સાત્ત્વિક, શીતળ અંતરપ્રકાશનો અનુભવ કરાવે છે. વ્યવહારુ જીવનની અહંકેન્દ્રી ચેતનાની મૃદુ ને પારદર્શક બનેલી સપાટી તળેથી સ્ફુરી રહેલો એ પ્રકાશ ભારતીય આધ્યાત્મિક પરંપરાના એક નવા ઉન્મેષ જેવો લાગે છે અને ગાંધીજીના શબ્દસર્જનને કાવ્યની વાણીની ચમત્કૃતિનો સ્પર્શ આપે છે. ‘દ.આ.સ.ઇ.’ને ‘આત્મકથા’માં તેમણે સત્યાગ્રહના પહેલા પ્રયોગની અને પોતાના જીવનમાં પ્રગટ થયેલી નવીન સત્યભાવનાની વિકાસકથા આલેખી અને કવિના અનાસક્તભાવે એ ભૂતકાળને તાદૃશ બનાવી સત્યપૂજાને વરેલા એક જીવનનું ચિરંજીવ ચિત્ર આપ્યું. એ ચિત્ર ઐતિહાસિક છે એટલું જ કલ્પનાનું સર્જન છે, પરંતુ તેથી તે અયથાર્થ નથી. ઇતિહાસકાર કરતાં કવિની દૃષ્ટિ હમેશાં સત્યનું વધુ ઊંડું દર્શન કરતી હોય છે. ઇતિહાસકાર વાસ્તવિક ઘટનાઓની વિગતોને પ્રાધાન્ય આપે છે: કવિ બનેલી કે કલ્પેલી ઘટનાઓને પ્રેરતા હૃદયભાવોને પ્રત્યક્ષ કરવા-કરાવવા ઇચ્છતો હોય છે અને એના આલેખનમાં ક્યારેક ઘટનાઓના વિગતદોષો આવી જાય છે ત્યારે પણ તે મનુષ્યહૃદયની સૂક્ષ્મ સ્ફુરણાઓને સાકાર કરતો હોય છે. &#039;દ.આ.સ.ઇ.&#039;ને &#039;આત્મકથા&#039;માં ગાંધીજીએ પોતાના ભૂતકાળનું આપેલું ચિત્ર એવું એક કવિદૃષ્ટિના ઇતિહાસલેખકે આલેખેલું ચિત્ર છે અને મનુષ્યની આંતરખોજની યાત્રામાં તે એક નવા ઉપક્રમની સિદ્ધિ બની રહ્યું છે. &lt;br /&gt;
‘દ.આ.સ.ઈ.&#039;નાં પ્રકરણો ગાંધીજીએ તા.૨૬-૧૧-૧૯૨૩ના રોજ યરવડા જેલમાં લખવાનાં શરૂ કર્યા. અને તે તા.૧૩-૪-૧૯૨૪થી ૨૨-૧૧-૧૯૨૫ સુધીના ગાળામાં &#039;નવજીવન&#039;ના અંકમાં છપાયાં. અસહકારના આંદોલનની નિષ્ફળતા પછી સત્યાગ્રહની અસરકારકતા વિશે પ્રજામાં શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી; ગાંધીજીએ એ પણ જોયું કે પ્રજા સત્યાગ્રહનું સ્વરૂપ સમજી જ નહોતી. એટલે ‘દ.આ.સ.ઈ.’માં એમણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજી માનતા ને કહેતા કે એમની સર્વ લડતોમાં દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સૌથી શુદ્ધ ને સફળ રહ્યો હતો. એમના પોતાના આધ્યાત્મિક વિકાસમાં પણ દક્ષિણ આફ્રિકાનાં વીસ વર્ષ મૂલ્યવાન નીવડ્યાં હતાં. એટલે એ વર્ષોની ગાંધીજીને સુખદ સ્મૃતિ રહી હતી અને તેમની કલમે એવા પ્રેમ અને ઉત્સાહના ઉમળકાથી લડતનો ઇતિહાસ આલેખ્યો છે કે કૃતિ માત્ર રાજકીય ઇતિહાસનો દસ્તાવેજ બનવાને બદલે, કળાકૃતિ હોવી જોઈએ તેમ, અનુભવકથા બની છે, જેમાંથી સત્યાગ્રહના સિદ્ધાંતોનું સ્વરૂપ સરળતાથી સ્પષ્ટ થતું જાય છે. એ સિદ્ધાંતોની ગાંધીજીએ પ્રસંગોપાત્ત ચર્ચા કરી છે, અને સત્યાગ્રહ ને પૅસિવ રેસિસ્ટન્સ વચ્ચેનો ભેદ સમજાવવા એક આખું પ્રકરણ રોક્યું છે, પરંતુ સત્યાગ્રહ એ માત્ર બુદ્ધિએ ગોઠવેલો કોઈ આચરણ-નિયમ નથી, હૃદયની ઊંડી ભાવના છે, અને તેનું સ્વરૂપ એ ભાવનાની પ્રેરણાને અનુસરનાર કોઈ વ્યક્તિના જીવનમાંથી સમજાય. &#039;દુ.આ.સઈ.&#039;માં ગાંધીજીની કલમે એમના વ્યક્તિત્વનું એવું સર્જનાત્મક ચિત્ર આલેખ્યું છે, એમનો સત્યપ્રેમ ને એમની અહિંસા, એ ચિત્રમાંથી જ પ્રગટ થાય છે અને વાચકની કલ્પનાને કોઈ નવા જીવન આદર્શની પ્રતીતિ કરાવે છે. &lt;br /&gt;
રાજકીય ઇતિહાસ શરૂ કરતા પહેલાં ગાંધીજીએ જે દેશમાં ને જે પ્રજા વચ્ચે હિંદી કોમની લડત ચાલી હતી તેમનું વર્ણન આપ્યું છે. એ વર્ણનમાં જ એક જીવંત વ્યક્તિત્વનો સ્પર્શ શરૂ થઈ જાય છે. જોહાનિસબર્ગ, જ્યાં રહી ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચલાવી હતી, તે માત્ર ટ્રાન્સવાલનું સૌથી ધનાઢ્ય શહેર નહોતું પણ “વિશાળ સુશોભિત બંગલાઓ”વાળી “દક્ષિણ આફ્રિકાની સુવર્ણપુરી હતું” જેના “શહેરીઓ ચાલતા નથી પણ દોડતા જેવા લાગે છે” “અને સહુ કેમ વધારેમાં વધારે ધન થોડામાં થોડા વખતમાં મેળવી શકે એ જ વિચારમાં ગરકાવ થઈ ગયેલા જોવામાં આવે છે!” નાતાલની જમીન એટલી ફળદ્રુપ છે કે ત્યાં “ઘણી જાતનાં અને ઘણાં સરસ કેળાં, પપૈયાં અને અનનાસ પાકે છે”, નાતાલમાં તેમ જ બીજા પ્રદેશોમાં નારંગી, સંતરાં, “પીચ” અને એપ્રિકોટ (જરદાળુ) તથા કેપ કૉલોનીમાં લીલી દ્રાક્ષ ને પ્લમ વિપુલ પ્રમાણમાં પાકતાં. “મુંબઈની આફૂસ પાયરી સાથે.....હરીફાઈ કરી શકે” એવી કેરી પાકતી અને “રસિયા હિંદીઓએ હિંદુસ્તાનનો લગભગ બધો ભાજીપાલો ત્યાં ઉગાડેલો...” ગાંધીજીની સૌંદર્યપ્રેમી દૃષ્ટિ એ પણ નોંધે છે કે “કુદરતે પોતાની બીજી બક્ષિસોની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મણા નથી રાખી.” સૌથી સુંદર દૃશ્ય જેની તળેટીએ કેપટાઉન વસેલું છે તે &#039;ટેબલ માઉન્ટ&#039;નું હતું. તેના એક સ્ત્રીકવિએ કરેલા વર્ણન સાથે સંમત થતાં ગાંધીજી લખે છે: “... અને કેવળ દરિયાકિનારે હોવાથી સમુદ્ર પોતાના સ્વચ્છ જળથી હંમેશા તેનું પાદપૂજન કરે છે. અને ચરણામૃત પીએ છે.... એમાં વિશાળ ઝાડો, સુગંધી અને રંગબેરંગી પુષ્પો આખા પહાડને એટલો બધો શણગારે છે કે માણસને જોતાં ને ફરતાં તૃપ્તિ જ ન થાય” (પૃ. ૧–૭). આ વર્ણનો એટલી સ્વાભાવિકતાથી ગાંધીજીની કલમમાંથી વહેતાં જણાય છે કે વાચકને એક સતત જાગ્રત ને સૌંદર્યપ્રેમી ચેતનાનો સ્પર્શ કરાવે છે. &lt;br /&gt;
જે ઉમળકાથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના ભૂમિપ્રદેશ વર્ણનનું કર્યું છે તેવા જ ઉમળકાથી તેમણે ત્યાંની બે પ્રજાઓ વલંદા અથવા બોઅર અને ઝૂલુઓનું વર્ણન કર્યું છે. નિર્દોષ, કુદરતનાં બાળકો જેવા ઝૂલુઓની ગોળ ને તેજસ્વી આંખો, તેમનું ચપટું ને મોટા મોઢાને શોભે એવું નાક અને સીસમ જેવી કાળી ને ચળકતી ચામડી ઉપર શોભી નીકળતા માથાના ગૂંચળિયા વાળમાં તેઓ એક નવા પ્રકારનું સૌંદર્ય જુએ છે અને લખે છે, “ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે.” ઘાસમાટીની ગોળ દીવાલો ને ઘાસનાં છાપરાંવાળાં એમનાં ઝૂંપડાંઓ ગાંધીજીને મહેલ જેવાં લાગે છે અને ઝૂલુઓની નિર્વસ્ત્ર સ્થિતિમાં તેઓ શુકદેવજીની નિર્દોષતા જુએ છે. એમની “અત્યંત મધુર... ભાષાના અવાજ&amp;quot; ગાંધીજીના “કાનને હળવા ને મધુર&#039;&#039; લાગે છે અને તેના શબ્દોમાં, તેમની કાવ્યદૃષ્ટિ કહે છે, “અર્થ ને કાવ્ય બંને રહેલાં” હોય છે. અને એમની “સ્વાભાવિક અવસ્થામાં જેટલે દરજ્જે તેઓ સત્યને જાળવે છે તેટલે દરજજે ગોરાઓ અથવા આપણે જાળવીએ છીએ કે નહીં એ”, ગાંધીજી નમ્રતાથી લખે છે, “શંકા ભરેલી વાત છે” (પૃ. ૮-૧૧). ઝૂલુઓ પ્રત્યેની આ માનવતાભરી દૃષ્ટિ પાછળથી ગાંધીજીના જીવનમાં એક મહાન પરિવર્તન લાવી. સને ૧૯૦૬ના ઝૂલુબંડ વેળા હિંદીઓની સારવાર ટુકડીને ઘવાયેલા ઝૂલુઓની સારવાર કરવાનું આવ્યું હતું. ઝૂલુઓની દયાજનક સ્થિતિનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે: “હબસીઓાની ચેષ્ટા અને તેઓની આંખો ઉપરથી અમે જોઈ શકતા હતા કે તેઓને મદદ કરવા, કેમ જાણે અમને ઈશ્વરે મોકલ્યા ન હોય, એમ તેઓને લાગતું હતું.” આ સેવાકાર્યે ગાંધીજીને શુદ્ધ કરુણાનો અનુભવ કરાવ્યો અને તેમની સેવાવૃત્તિને તીવ્ર કરી મૂકી. એમણે બે નિર્ણયો કર્યા: “એક તો એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજો એ કે સેવાધર્મ&#039; કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જેઈએ” (પૃ. ૯૨). &lt;br /&gt;
જેમની સામે ગાંધીજીએ દર્શ વર્ષ, ૧૯૦૩થી ૧૯૧૩, સુધી લડત ચલાવી તે બોઅર પ્રજાના સદ્ગુણોનું પણ એમણે ઝુલુઓનું કર્યું છે એટલે જ ઉમળકાથી વર્ણન કર્યું છે. એ પ્રજાએ, ગાંધીજી લખે છે, “પોતાની ભાષા તો જેમ બાળક માતાને સેવે છે તેવી રીતે જાળવી રાખી છે” અને “તેઓને પોતાની સ્વતંત્રતા એટલી બધી પ્રિય હોય છે કે જ્યારે તેની ઉપર હુમલો થાય ત્યારે બધા બોઅર તૈયાર થઈ જાય છે અને એક શરીરની માફક ઝૂઝે છે.” બોઅર સ્ત્રીઓ પણ એટલી જ બહાદુર હતી. સને ૧૮૯૯-૧૯૦૦ના બોઅર યુદ્ધ વેળા એમને ખાસ જુદા વાડાઓમાં રાખવામાં આવી હતી, જ્યાં તેમના ઉપર “અસહ્ય વિપત્તિઓ&amp;quot; પડી પણ તે નમી નહિ, અને તેમની યાતનાઓના સમાચાર સાંભળી એક અંગ્રેજ રાજપુરુષે જાહેરમાં પ્રાર્થના કરી કે “એ લડાઈમાં ઈશ્વર અંગ્રેજને હરાવે” (પૃ. ૧૪-૭). બોઅર પ્રજાના હિંદીઓ પ્રત્યેના દ્વેષનો ગાંધીજીએ કંઈક વિગતે ઈતિહાસ આપ્યો છે, પરંતુ તે એટલી સ્વસ્થતાથી કે તેમાં ક્યાંય કડવાશનો સ્પર્શ નથી. ઊલટું, એમણે પરિસ્થિતિને બોઅરોની દૃષ્ટિએ પણ જોવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રાન્સવાલમાં પ્રેસિડન્ટ ક્રૂગરે એક પ્રસંગે એને મળવા ગયેલા હિંદી પ્રતિનિધિઓને ઘરમાં પણ નહોતા બોલાવ્યા અને કહ્યું હતું: “તમે તો ઇસ્માઈલની ઓલાદ છો એટલે તમે ઇસોની ઓલાદની ગુલામી કરવાને જ જન્મેલા છો.” આમાં, ગાંધીજીની અહિંસક સત્યબુદ્ધિ કહે છે, “દ્વેષ કે રોષ હતો એમ આપણાથી નહીં કહી શકાય” પ્રેસિડન્ટ ક્રૂગરની કેળવણી જ એવી હતી કે તેણે જે કહ્યું તેમાં તે માનતો, “અને જે માણસ જેવું માનતો હોય તેવું જ નિખાલસ દિલથી કહે તેમાં તેનો દોષ શો કાઢી શકાય?” (પૃ. ૩૨). જનરલ સ્મટ્સ ને બીજા ચારિત્ર્યવાન ગોરાઓ રંગભેદના કાયદાઓના સમર્થનમાં પૂર્વની સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ માટે ભયરૂપ હોવાની તત્ત્વજ્ઞાનના આડંબર જેવી દલીલ કરતા તેનો ગાંધીજી નિષ્પક્ષપાતપણે સાર આપે છે અને લખે છે: “આટલી ઝીણવટમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. હું ઇચ્છું કે વાંચનાર જુદી જુદી દૃષ્ટિઓ સમજે અને જેઓ આજ લગી તેમ ન કરતા આવ્યા હોય તેઓ જુદી જુદી દૃષ્ટિઓને માન આપવાની અને સમજવાની ટેવ પાડે” (પૃ. ૮૭). અને નાતાલના અંગ્રેજો પણ, એમના અજ્ઞાનમાં, હિંદુસ્તાનની આખી વસ્તી નાતાલમાં ઠલવાય તો એમનું શું થાય એવો ભય રાખતા તેનો ઉલ્લેખ કરી ગાંધીજી લખે છે, “તેમાં તેમનો દોષ કેમ કાઢી શકાય?” (પૃ. ૨૯). ગાંધીજીની આ સત્યદૃષ્ટિ વાચકને એ પણ યાદ દેવડાવે છે કે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ કરતા હતા તે દોષ આપણે પણ ભારતમાં કરીએ છીએ. હિંદીઓ માટે જુદા રાખવામાં આવેલા વાડાઓની ગંદકીનો ઉલ્લેખ કરી તેઓ લખે છે, “એટલે આપણે ટ્રાન્સવાલની પંચમ જાતિ બન્યા” (પૃ. ૩૩). &lt;br /&gt;
ગાંધીજીની સત્યદૃષ્ટિ ને અહિંસાભાવના તેમને ગોરાઓ પ્રત્યે કડવાશ નહોતી અનુભવવા દેતી એટલું જ નહિ, કોઈ ગોરાઓમાં ઉમદા ગુણો જોતા ત્યારે તેમની પ્રત્યે તેઓ પૂરા હૃદયનો આદર અનુભવતા. ક્રેપ કલોનીનાં કેટલાક “પ્રૌઢ, વિનયી અને ઉદાર દિલના&amp;quot; ગોરાઓનો એમને એવો સુખદ અનુભવ થયો હતો કે તેઓ ઉત્સાહથી લખે છે : “મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એકે એવી જાતિ નથી કે જ્યાં અથવા જેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન થઈ ન શકે.” એવા એક મનુષ્યપુષ્પનું વર્ણન કરતાં ગાંધીજીનું હૃદય પ્રેમથી ઊભરાઈ રહે છે. ઑલિવ શ્રાઈનર નામની એક “વિદુષી બાઈ”નો “મનુષ્યમાત્ર પરનો પ્રેમ... અનહદ હતો. તેની આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમનો ઝરો જ વરસતો હોય” (પૃ. ૩૫). એવા એક બીજા અંગ્રેજ ‘મનુષ્યપુષ્પ’નું નામ સિમંડ્ઝ હતું. એ એવો “પરદુઃખભંજન” હતો કે ૧૮૯૭ની સાલમાં તે મુંબઈ હતો ત્યારે “મરકીના હિંદી દર્દીઓમાં તે બેધડક થઈને રખડેલ, અને તેઓને તેણે મદદ કરેલ. ચેપી રોગવાળાઓને સહાય કરતાં લેશમાત્ર પણ ડર ન રાખેવો એ તો તેના ખમીરમાં ઘડાઈ ગયું હતું.” ગાંધીજીને એનો દક્ષિણ આફ્રિકામાં પરિચય થયો હતો અને ૧૯૦૬માં તેઓ હિંદી ડેપ્યુટેશનના સભ્ય તરીકે ઇંગ્લંડ ગયા ત્યારે સિમંડ્ઝે પોતે એમને ખોળી કાઢ્યા અને કારકુન, ટાઇપિસ્ટ, પટાવાળો, ગાંધીજીને જે સેવાની જરૂર પડી તે બધી કંઈ ફી લીધા વિના તેણે આપી. “પરોપકાર એ”, ગાંધીજી લખે છે, “ઘઉંવર્ણી ચામડીનો જ વારસો નથી એ મેં તો ઘણે પ્રસંગે અનુભવેલું છે” (પૃ. ૧૧૪-૫). આવાં પવિત્ર સ્મરણોમાં ગાંધીજીને સૌથી પ્રેમભર્યું સ્મરણ ખ્રિસ્તી પાદરી રેવરન્ડ જે. ડોકનું બની રહ્યું હતું. ગાંધીજીએ એમનામાં ઈશુનો પ્રેમઉપદેશ મૂર્તિમંત થયેલો જોયો હતો. હિંદી કોમની જે કંઈ સેવા થઈ શકે તે કરવા તેઓ ઉત્સુક હતા, કારણ કે, તેઓ ગાંધીજીને કહે છે, “ઈશુના જીવનનું ચિંતન કરીને હું જો કંઈ શીખ્યો હોઉં તો એ જ કે દુખિયારાંના દુઃખમાં ભાગ લેવો.” સને ૧૯૦૮ના ફેબ્રુઆરી માસમાં મીરઆલમે ગાંધીજી ઉપર હુમલો કર્યો ત્યારે સારવાર માટે તેમણે કોઈ હૉસ્પિટલમાં જવાને બદલે ડોકને ઘેર રહેવાનું પંસદ કર્યું હતું, અને એમના કુટુંબે જે પ્રેમથી ગાંધીજીની સેવા કરી હતી તે તેઓ ક્યારેય ભૂલી શક્યા નહોતા. એમની વિનંતીથી ડોકની કિશોર પુત્રીએ ગાંધીજીનું પ્રિય ભજન &#039;Lead Kindly Light’ ગાયું હતું. “એ આખું દૃશ્ય”, તેઓ લખે છે, “મારી નજર આગળ તરે છે અને ઑલિવના દિવ્ય સૂરના ભણકારા હજુ પણ મારા કાનમાં સંભળાઈ રહ્યા છે” (પૃ. ૧૬૦). &lt;br /&gt;
પ્રેમના આવા આકર્ષણની સાથે ગાંધીજીમાં દ્વેષ કે હિંસાનો ઉત્તર દ્વેષ કે હિંસાથી નહિ આપવાની અસાધારણ શક્તિ હતી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી પહેલા જ અઠવાડિયા દરમિયાન એમને જે અનુભવ થયા હતા તે, તેઓ લખે છે, “એમના હાડમાં પેસી ગયા” હતા (પૃ. ૩૯). પરંતુ જન્મજાત બક્ષિસ જેવી એમના સ્વભાવની અહિંસાવૃત્તિને તે સ્પર્શી શક્યા નહોતા. એક પ્રસંગના વર્ણનમાં ગાંધીજીએ એ અહિંસાવૃત્તિની આશ્ચર્યકારક શક્તિની પ્રતીતિ કરાવી છે. સને ૧૮૯૬માં છ માસ માટે ભારત ગયા હતા ત્યાંથી કુટુંબ સાથે તેઓ પાછા ફર્યા ત્યારે, ભારતમાં એમની પ્રવૃત્તિઓના અતિશયોક્તિભર્યા છાપાંના અહેવાલો ઉપરથી ઉશ્કેરાયેલા ગોરાઓએ એમને ૨૩ દિવસ સુધી વહાણમાંથી ઊતરવા ન દીધા અને છેવટે તેઓ ઊતરી શક્યા ત્યારે તોફાને ચઢેલા ટોળાએ એમના ઉપર હિંસાત્મક હુમલો કર્યો હતો તેનો ગાંધીજીએ તાદૃશ, પરંતુ સંપૂર્ણ સ્વસ્થતાથી ને કંઈક વિનોદવૃત્તિથી ચિતાર આપ્યો છે. પ્રસંગનું વર્ણન એક ટૂંકી વાર્તા જેવું બન્યું છે. એના આલેખનમાં કળાકારની જે તટસ્થતા પ્રગટ થાય છે તે ઉચ્ચ કક્ષાની અહિંસાનો જ આવિર્ભાવ છે. ગાંધીજી પોતે પણ લખે છે કે તેમણે જીવતા ઘેર પહોંચવાની આશા લગભગ છોડી દીધી હતી ત્યારે પણ “મને એટલું બરાબર યાદ છે કે... મારું હૃદય આ મારનારાઓનો દોષ લેશમાત્ર કાઢતું ન હતું” (પૃ. ૫૫). હુમલો કરનારાઓ ઉપર કામ ચલાવવાની લંડનથી સૂચના આવી, અને નાતાલના ન્યાયપ્રધાને ગાંધીજીને તેઓ હુમલાખોરોમાંથી કોઈને ઓળખી શકે એમ પૂછયું, તેનો એમણે ઉત્તર આપ્યો: “મારે વિષે જે તેઓએ સાંભળ્યું તે બધું ખરું હોય તો તેઓ ઉશ્કેરાઈ જાય અને ગુસ્સામાં આવીને ન કરવાનું કરી નાખે, એમાં હું તેમનો દોષ ન કાઢું. ઉશ્કેરાયેલાં ટોળાં એ જ રીતે ઈન્સાફ લેતાં આવ્યાં છે” (પૃ. ૫૯). એવી જ અહિંસાભાવનાથી ગાંધીજીએ મીરઆલમ ઉપર કામ ચલાવવાની ના પાડી. રેવ. ડોકને ઘેર ભાન આવતાં જ એમણે પૂછયું, “મીરઆલમ ક્યાં છે?” અને તે અને તેના સાથીઓ પકડાઈ ગયા છે જાણી કહ્યું, “તેઓ છૂટવા જોઈએ” (પૃ. ૧૫૯). &lt;br /&gt;
આવી અહિંસાવૃત્તિ સામાન્ય રીતે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ટાળવા પ્રેરે છે. ભારતીય ને ખ્રિસ્તી પરંપરાઓમાં શુદ્ધ આધ્યાત્મિક જીવનના અભિલાષી માટે શાંતિમય જીવન આવશ્યક મનાયું છે. પણ ગાંધીજીના સ્વભાવમાં અહિંસાના બ્રાહ્મણધર્મની સાથે અન્યાયની અસહિષ્ણુતાનો ક્ષત્રિયગુણ ભળ્યો હતો અને &#039;દ. આ. સ. ઇ&#039;માં એમની કલમે પરસ્પરવિરોધી દેખાતા એ ગુણોના વિરલ મિશ્રણનું ચિત્ર આપ્યું છે. ઝૂલું બંડ વેળા હિંદી કોમે સરકારને નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી હતી તેની કદર કરવાને બદલે ટ્રાન્સવાલના બ્રિટિશ અમલદારોએ હિંદી કોમના સ્વમાન ઉપર પ્રહાર કરતા એક રજિસ્ટ્રેશન ઑર્ડિનન્સનો મુસદ્દો તૈયાર કર્યો. એ ઑર્ડિનન્સ ગાંધીજીને એટલો અપમાનજનક લાગ્યો કે “જેમ જેમ” તેઓ લખે છે, “એની કલમો હું વાંચતો ગયો તેમ તેમ હું કાંપતો હતો. હું એમાં હિંદીઓના દ્વેષ સિવાય કંઈ જ જોઈ ન શક્યો” (પૃ. ૯૩). દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના અપમાનમાં એમણે સમગ્ર હિંદુસ્તાનનું અપમાન જોયું અને તેમની સ્વદેશભક્તિ એ કોઈ રીતે સહન કરી શકે એમ નહોતું. એમના વિરોધની ઉગ્રતા એટલી હતી કે તેમણે ઑર્ડિનન્સને ખૂની કાયદા તરીકે એળખાવ્યો. એમના જુસ્સાએ બીજા નેતાઓને પણ ઉત્તેજિત કર્યા અને ગાંધીજીની પ્રેરણાથી તેમણે ઑર્ડિનન્સ મંજૂર થાય તો તેનો ભંગ કરવાનો ઠરાવ કરવા જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં તા.૧૧-૯-૧૯૦૬ના રોજ હિંદીઓની એક સભા બોલાવી, એ સભામાં એક નેતા એવા આવેશમાં આવી ગયા કે એમણે ખુદાને સાક્ષી રાખી ઑર્ડિનન્સને તાબે નહિ થવાની પ્રતિજ્ઞા કરવાનું સૂચન કર્યું, અને ગાંધીજીએ એવી પ્રતિજ્ઞાની ગંભીરતા સમજાવ્યા છતાં “છેવટે આખી સભાએ ઊભા રહીને, હાથ ઊંચા કરીને, ઈશ્વરને સાક્ષી ગણીને, કાયદો પસાર થાય તો તેને શરણ ન થવાની પ્રતિજ્ઞા કરી.” “એ દેખાવ”, ગાંધીજી લખે છે, “હું તો કોઈ દિવસ ભૂલી શકું એમ નથી. લોકોના ઉત્સાહનો પાર નહોતો” (પૃ. ૧૦૧). વાચક પણ એ ઉત્સાહનો અનુભવ કરે એવી રીતે ગાંધીજીએ આખા પ્રસંગનું વર્ણન કર્યું છે. દશેક માસ પછી ઠરાવનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં સભા ભરાઈ તેમાં એટલો જ ઉત્સાહ હતો. ગાંધીજીએ એને અહમદ મહમદ કાછલિયા નામના એક વક્તાના ચિત્રમાં તાદૃશ કર્યો છે. કાછલિયાએ ટૂંકું પણ જુસ્સાભર્યું ભાષણ કર્યું : “જેલમાં નાખશે, આપણો માલ વેચશે, આપણને દેશપાર કરશે, ફાંસી દેશે. એ બધું સહન થઈ શકે, પણ આ કાયદો તો સહન ન જ થાય.” “...આ બધું બોલતાં”, ગાંધીજી લખે છે, “અહમદ મહમદ કાછલિયા ખૂબ ઉશ્કેરાતા જતા હતા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. ગળાની ને માથાની રગો લોહીના જોરથી ઊપસી નીકળી હતી. શરીર કાંપતું હતું. પોતાનાં જમણા હાથનાં ખુલ્લાં આંગળા ગળા ઉપર ફેરવતા તે ગરજી ઊઠ્યા, &#039;હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ થઈશ, પણ આ કાયદાને વશ નહીં થાઉં ...&amp;quot; ગાંધીજીની દૃષ્ટિએ લડતના નાયક હવે આ “પુરુષસિંહ” બની રહ્યા (પૃ. ૧૨૪-૬). કોમનો ઉત્સાહ એટલો બધો હતો કે તેની સામે કેવાં પગલાં લેવાં તેનો સરકાર નિર્ણય ન કરી શકી. છ માસ પછી પહેલી  ધરપકડ થઈ અને કોમમાં “ખળભળાટ થયો.” એ “પહેલો સત્યાગ્રહી” પંડિત રામસુંદર &amp;quot;ફૂટી બદામ” નીવડ્યો (પૃ. ૧૩૦-૧), પરંતુ કોમના ઉત્સાહમાં તેથી ફેર ન પડ્યો અને “પકડાપકડી” શરુ થઈ ગઈ(પૃ. ૧૩૬). ગાંધીજીને પણ પકડ્યા. તેમની ધરપકડ પછી વીસેક દિવસે કંઈક સમાધાન જેવું થયું, પરન્તુ તે ભાંગી પડ્યું. ઘણા હિંદી નેતાઓને લાગ્યું હતું કે સમાધાન કરવામાં ગાંધીજીએ ભૂલ કરી છે, તોપણ તેમની નેતાગીરીમાં શ્રદ્ધા રાખી તેઓ ફરી સત્યાગ્રહ કરવા તૈયાર થયા. સમાધાનીની શરત પ્રમાણે હિંદી કોમે મરજિયાત પરવાના કઢાવ્યા હતા તેની જાહેરમાં હોળી કરવા એક સભા બોલાવવામાં આવી. તે પ્રસંગનાં ઉત્સાહ ને ઉત્તેજના પહેલી બે સભાઓને કરતાં પણ વધારે હતાં અને ગાંધીજીની કલમે તેમને પૂરો ન્યાય આપ્યો છે. &lt;br /&gt;
તાત્કાલિક ઉત્તેજના શમી જતાં સત્યાગ્રહીઓની સંખ્યા ઓછી થઈ ગઈ, પરંતુ જેઓ રહ્યા તેઓ કસોટીમાંથી સફળ પાર ઊતર્યા અને એમની નિષ્ઠાનું ગાંધીજીએ અહોભાવપૂર્વક વર્ણન કર્યું છે. “તેઓની બહાદુરીનો પાર ન હતો”, ગાંધીજી લખે છે. “ તેમાંના કેટલાક હસતે ચહેરે ફાંસીએ પણ ચડે એવા હતા” (પૃ. ૨૧૧). એમનો જુસ્સો તોડવા સરકાર બધું કરી છૂટી. “જેલમાં સત્તાવાળાઓએ દુઃખ દેવામાં બાકી ન રાખી. પાયખાનાં સાફ કરાવ્યાં... પથ્થર ફોડાવ્યા... તળાવો ખોદાવ્યાં. પથ્થરવાળી જમીનો ખોદાવી. હાથમાં આંટણો પડ્યાં, કોઈ અસહ્ય દુઃખથી મૂર્છા પણ પામ્યા; પણ હાર્યા નહીં&#039;&#039; (પૃ. ૨૦૯). સત્યાગ્રહીઓનો આ જુસ્સો ગાંધીજીને આનંદ આપે છે. તેમાંના એક, સોરાબજી શાપુરજી અડાજણિયા, “પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા” અને ગાંધીજીએ તેમનો પરિચય આપવામાં એક આખું પ્રકરણ રોક્યું છે (પૃ. ૨૦૦-૫) એક બીજા સત્યાગ્રહી, ઇમામસાહેબ અબ્દુલ કાદર બાવાઝીર, આરામમાં રહેવા ટેવાયેલા હોવા છતાં “આદર્શ કેદી તરીકે રહ્યા” અને નાજુક તબિયતે પણ તેમણે જેલનાં બધાં કષ્ટ સહ્યાં. જેલની તપશ્ચર્યાંથી શુદ્ધ થઈ તેઓ ગાંધીજીના કાયમના સાથી બન્યા અને ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમની સાથે સત્યાગ્રહ આશ્રમમાં પણ આવીને રહ્યા (પૃ. ૨૦૮). એક ગરીબ તામિલ નવયુવાન નાગાપને પણ “જેલના નિયમો પાળ્યા. જેટલી સોંપવામાં આવી તે મજૂરી કરી&amp;quot; અને પરિણામે માંદા પડી  “પોતાનો વહાલો પ્રાણ આપ્યો.” અંત સુધી તે “લડતનું જ સ્તવન” કરતો રહ્યો. “જેલ જવાથી તેને પશ્ચાત્તાપ ન થયો. દેશને ખાતર મળેલા મોતની તેણે મિત્રની જેમ ભેટ કરી.” એની વીરતાને અંજલિ આપતાં ગાંધીજી લખે છે : &amp;quot;ભારે વિદ્વાનો ન ભળ્યા છતાં ટ્રાન્સવાલની લડત ચાલી શકી. પણ નાગાપન જેવા સિપાહી ન મળ્યા હોત તો લડાઈ ચાલી શકત?” (પૃ. ૨૧૩-૪). એના જેવા બીજા ઘણા ગરીબ સત્યાગ્રહીઓને હિંદુસ્તાન દેશપાર કરવામાં આવ્યા હતા, જેમાંનો એક, નારાયણસ્વામી, વહાણ ઉપર માંદો પડી મૃત્યુ પામ્યો. આવા બધા સત્યાગ્રહીઓ ગાંધીજીના પ્રેમથી આકર્ષાઈને જ લડતમાં જોડાયા હતા. “મેં અનુભવે જોયું છે”, ગાંધીજી લખે છે, “કે લાગણી, મીઠો બોલ, મીઠી નજર જે કામ સાધે છે તે પૈસો નથી સાધી શકતો... પ્રેમને વશ રહેલા અનેક સંકટો સહન કરવા તૈયાર રહે છે” (પૃ. ૨૧૧). &lt;br /&gt;
એવા પ્રેમબળના પ્રભાવે જ ગાંધીજી તૉલ્સ્તૉય ફાર્મ ઉપરના પ્રયોગો કરી શક્યા હતા. ફાર્મ ઉપર કેટલીક ખ્રિસ્તી બહેનો પણ હતી. તેમને માટે માંસની વ્યવસ્થા કરવી કે નહિ એ પ્રશ્ને ગાંધીજીને મૂંઝવ્યા. એમણે પોતાની મૂંઝવણ બહેનો સમક્ષ રજૂ કરી અને તેમણે, ગાંધીજી લખે છે, “પ્રેમભાવથી માંસ ન ખાવાનું સ્વીકાર્યું” (પૃ. ૨૨૪). બીજા કેટલાક નિયમો પણ કડક હતા. જોહાનિસબર્ગ તૉલ્સ્તૉય ફાર્મથી ૨૧ માઈલ દૂર હતું, પરંતુ ફાર્મવાસીઓમાંથી જેમને ત્યાં જવાની ઈચ્છા થાય તેમણે ચાલીને જવું એવો નિયમ હતો. આ નિયમનું પણ, ગાંધીજી લખે છે, “સહુ.... પ્રેમપૂર્વક પાલન કરતા. બળાત્કારે હું એક પણ માણસને ન રાખી શક્ત. યુવકો મુસાફરીમાં બધું કામ હસમુખે વદને ને કલ્લોલ કરતાં કરતા.” મજૂરીનું કામ તેમને “રીઝવીને લઈ શકાય એટલું જ... લેવાનો નિયમ રાખ્યો હતો” (પૃ. ૨૨૫-૬). પરંતુ એક પ્રસંગે ગાંધીજીની અહિંસા નિષ્ફળ ગઈ હતી એમ આજના વાચકને લાગશે. બાળકોની નિર્દોષતા ઉપર શ્રદ્ધા રાખી ગાંધીજી છોકરાછોકરીઓને છૂટથી હળવાભળવા દેતા. થોડે દૂર ઝરામાં નાહવા પણ તે સાથે જતાં. એક દિવસ એમાંના એક છોકરાએ બે છોકરીઓની મશ્કરી કરી. વાત સાંભળતાં જ ગાંધીજી ધ્રુજી ઊઠ્યા, અને ફરી કોઈ દિવસ કોઈ છોકરાને એવી વૃત્તિ ન થાય એ હેતુથી એમણે, એ બે છોકરીઓની માતાઓની સંમતિ મેળવી એમના વાળ કાપી નાખ્યા. માતાઓથી, ગાંધીજી લખે છે, “મારી સૂચના સહન તો ન થઈ પણ તેઓ મારો હેતુ સમજી શકી હતી.” અને  “છોકરીઓ બંને ભવ્ય હતી..... છેવટે તે બંને સમજી” (પૃ. ૨૩૧). ગાંધીજીનો પ્રેમ અહીં બળાત્કાર બનતો લાગે છે, અને એવા બળાત્કારનાં પરિણામ હંમેશાં ઇષ્ટ નહોતાં આવ્યાં. ગાંધીજી પોતે જ લખે છે : “જે છૂટ હું ત્યાં આપી તેમ જ કેળવી શક્યો હતો તે છૂટ આપવાની કે કેળવવાની મારી હિંમત પણ આજે ન ચાલે, તે વેળા મારું મન આજ છે તેના કરતાં વધારે નિર્દોષ હતું એમ મને લાગ્યા કર્યું છે... ત્યાર બાદ હું ડંભાયો છું. મને કડવા અનુભવો થયા છે. જેને હું છેક નિર્દોષ સમજતો તે દોષિત નીવડ્યા છે. મારામાં પણ મેં ઊંડે ઊંડે વિકારો ભાળ્યા છે” “અને તેથી મન રાંક બન્યું છે” (પૃ. ૨૨૯). &lt;br /&gt;
છેવટે ગાંધીજીની પ્રેમતપશ્ચર્યા ફળી. સને ૧૯૧૧ના મે માસમાં થયેલી કામચલાઉ સમાધાની ચાલુ હતી તે દરમિયાન, ૧૯૧૨ના ઑક્ટોબર-નવેમ્બર માસમાં ગાંધીજીના સૂચનથી ગોપાળ કૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે આવ્યા અને તેમની સાથેની ચર્ચામાં દક્ષિણ આફ્રિકાના પ્રધાનોએ હિંદી કોમની બધી માગણીઓ સ્વીકારાશે એવું વચન આપ્યું. એ વચનનું સરકારે જ્યારે પૂરું પાલન ન કર્યું અને ગિરમીટમુક્ત મજૂરો ઉપરનો ૩ પાઉન્ડનો કર નાબૂદ ન કર્યો તથા એક કોર્ટના નિર્ણયના પરિણામે દક્ષિણ આફ્રિકામાં નોંધાયા ન હોય એવાં બધાં હિંદુ-મુસ્લિમ લગ્નો ગેરકાયદેસર ઠર્યાં ત્યારે લડત ફરી ઊપડી. જે વેપારી વર્ગના હિત માટે અને જેમના ટેકાથી અત્યાર સુધી લડત ચલાવવામાં આવી હતી તે વર્ગ આ છેલ્લી લડતમાં ન ભળ્યો, પરંતુ તેને બદલે તૉલ્સ્તૉય ફાર્મ ને ફિનિક્સમાં તાલીમ પામેલી સ્ત્રીઓ અને નાતાલની ખાણોના મજૂરોએ ગાંધીજીની પ્રેરણાનો ઉત્સાહભર્યો ઉત્તર આપ્યો અને લડતનો સફળ અંત આવ્યો. એ સ્ત્રીઓ ને મજૂરોનાં વીરતા ને આત્મભોગ ગાંધીજી માટે એક પ્રેરક સ્મૃતિ બની રહ્યાં. જેલમાં ગયેલી સ્ત્રીઓમાંની એક અઢાર વર્ષની યુવતી, વાલિયામા, “જીવલેણ તાવ લઈને નીકળી” અને થોડા દિવસમાં મૃત્યુ પામી. “એને હું કેમ ભૂલું?” — ગાંધીજી લખે છે. એની યાદગીરીમાં “પથ્થર ને ચૂનાનો હૉલ બંધાઓ વા ન બંધાઓ, એ સેવાનો હૉલ તો તેણે પોતાને હાથે જ બાંધ્યો છે. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરોમાં આજે પણ બિરાજે છે. અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં વાલિયામા છે” (પૃ. ૨૬૬). ગાંધીજીના હૃદયમંદિરમાં બિરાજેલી એ યજ્ઞમૂર્તિ એમની શ્રદ્ધાને પ્રેરે છે. “ઘણાના જેલ જવાથી ફળ નયે આવો, પણ એક જ શુદ્ધ આત્માએ ભક્તિપૂર્વક કરેલું અર્પણ કોઈ કાળે અફળ જાય નહીં. કોણ જાણે છે કે આફ્રિકામાં કોનો કોનો યજ્ઞ ફળ્યો? પણ એટલું તો આપણે જાણીએ છીએ કે વાલિયામાનો તો ફળ્યો જ. બહેનોનો તો ફળ્યો જ.” તે ફળ્યો કારણ કે “પૃથ્વી સત્યના બળ ઉપર ટકેલ છે.... અસતને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી? અને ‘છે’ તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે” (પૃ. ૨૬૬-૭). દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સત્યાગ્રહનું આ રહસ્ય સમજ્યા, અને તેથી, લડતનો સફળ અંત આવ્યા પછી પણ, જ્યાં, તેઓ લખે છે, “એકવીસ વર્ષ મેં નિવાસ કર્યો અને અસંખ્ય કડવા ને મીઠા અનુભવો લીધા અને જ્યાં મારા પોતાના જીવનનું નિશાન જોઈ શક્યો, તે દેશને છોડવાનું મને બહુ દોહ્યલું લાગ્યું અને દિલગીર થયો&amp;quot; (પૃ. ૩૧૧). ‘દ. આ. સ. ઈ.’ની સાહિત્યકૃતિ તરીકે એ મુખ્ય સિદ્ધિ છે કે વાચક ગાંધીજીનો આ હૃદયભાવ પૂરેપૂરો સમજી શકે છે. &lt;br /&gt;
&#039;દ. આ. સ. ઈ.&#039;ની જેમ, &#039;સત્યના પ્રયોગો અથવા આત્મકથા&#039;નાં પ્રકરણો પણ &#039;નવજીવન&#039;માં છપાયાં. પહેલો હપતો ૨૯-૧૧-૧૯૨૫ના ને છેલ્લો ૩-૨-૧૯૨૯ના અંકમાં છપાયો. &#039;નવજીવન&#039;માં છપાય તે પ્રકરણનો અંગ્રેજી અનુવાદ તે પછીના &#039;યંગ ઇન્ડિયા&#039;ના અંકમાં છપાતો. પ્રકરણમાળા શરૂ થઈ ત્યારથી આજ સુધી ગાંધીજીની કલમના ઉત્તમ સર્જન તરીકે પ્રખ્યાત બની રહી છે અને એમના વ્યક્તિત્વનું આકર્ષણ જીવતું રાખી રહી છે. તેની કથનશૈલીમાં શાંત વહી રહેલી નદીના જળની પ્રવાહિતા છે, પ્રસંગોના ઘટકાંશોનો પરસ્પર સંબંધ સ્પષ્ટ કરવામાં વાર્તાકારનું કૌશલ છે, કથાને અહંકેન્દ્રી બનતી બચાવે એવી નર્મદૃષ્ટિ છે અને બાહ્ય દૃષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર એવા પ્રસંગોને ધર્મનિષ્ઠા ને સત્યનિષ્ઠાના સૂત્રમાં પરોવી તેમની એક સળંગ માળા બનાવવાની અને તે દ્વારા પોતાનો અંતરવિકાસ આલેખવાની કળા છે, તથા તેનો ગદ્યમાં ગાંધીજીની આંતરિક સ્વસ્થતાની સંપૂર્ણ છાયા છે. અને ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા દરેક વિગત કે વિચારને સામાન્ય સમજના વાચક માટે પણ ગ્રહણક્ષમ બનાવવાની વિશદતા છે. પરંતુ કૃતિની કળાસિદ્ધિ માત્ર તેની કથનશૈલી કે તેના ગદ્યની આકર્ષકતામાં નથી રહેલી; તે તો જે રીતે ગાંધીજીએ એમના હૃદયની ઊંડી બનતી જતી સત્યધર્મની ઝંખનાને મૂર્ત કરતું, આધુનિક યુગનું એક પ્રભાવક કલ્પનચિત્ર સર્જ્યું છે તેમાં છે. એ ચિત્ર જિજ્ઞાસુ વાચકને ગાંધીજીના આંતરિક વિકાસના અભ્યાસ માટે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે અને એક દ્વારા માનવીની ધર્મચેતનાના એક નવા ઉન્મેષનું સૂચન કરી જાય છે. પ્રાતઃકાળે પોતાના હૃદયમાં સ્ફુરતા જે આત્મતત્ત્વનું અદ્વૈતવાદી મુમુક્ષુ સ્મરણ કરે છે તેણે પ્રેરેલી ધર્મબુદ્ધિ યુગે યુગે જગતની પ્રજાઓનાં હૃદય ઉપર વ્યાપક પકડ જમાવતાં કલ્પનચિત્રો દ્વારા નવાં નવાં રૂપે સાકાર થાય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આદિના પ્રાચીન ભારતના અને તેમનાં જેવાં અન્ય પ્રજાઓમાં પ્રચાર પામેલાં કલ્પનચિત્રો તે તે પ્રજાઓમાં તે તે યુગમાં સ્ફુરી રહેલી ધર્મબુદ્ધિને એક ચમત્કારી જીવનકથા દ્વારા મૂર્ત દેહ આપે છે. એવી કોઈ કથામાં રૂઢ અર્થનું ઐતિહાસિક સત્ય હોય કે ન હોય, પરંતુ જે પ્રજામાં તે પ્રચલિત બની અને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારાઈ તે પ્રજાની માનવજીવનના ઉત્કર્ષ વિશેની શ્રદ્ધાના પ્રતીક તરીકે તેનામાં ઐતિહાસિક સત્ય કરતાં પણ વધારે ઊંડું સત્ય રહેલું હોય છે. ‘સત્યના પ્રયોગો&#039;માં ગાંધીજીની કલમે આધુનિક યુગ માટે કોઈ એવા સત્યનું પ્રતીક બની રહે એવું કલ્પનચિત્ર સર્જ્યું છે. &lt;br /&gt;
આધુનિક યુગની મોટામાં મોટી સમસ્યા પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાને સ્થાને કોઈ નવી જીવનશ્રદ્ધા કેળવવાની છે. પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધા શાસ્ત્રવચન ઉપર આધાર રાખતી હોઈ એના પુરાણા રૂપમાં તે આજના વૈજ્ઞાનિક દૃષ્ટિના પ્રભાવવાળા વાતાવરણમાં શક્ય રહી નથી. પરંતુ આત્મસમર્પણની જે ઉન્નત ભાવનાઓમાંથી તે ઉદ્ભવી હતી અને જેમને તે પોષતી તેમને માનવહૃદયમાંથી દેશનિકાલ કરી શકાય એમ નથી. એટલે કેટલાક આધુનિક ચિંતકોએ પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાનો સંપૂર્ણ ઇનકાર કરી તેમને સ્થાને જે નવાં, બુદ્ધિપ્રમાણિત દર્શનો વિકસાવવાનો પ્રયાસ કર્યો છે તે આપણી તર્કબુદ્ધિને ગમે તેટલાં આકર્ષક લાગે, આપણાં હૃદયને તે સંતોષી શકતાં નથી. ગાંધીજીએ પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાનો ઇનકાર કરવાને બદલે તેનું નવસંસ્કરણ કર્યું અને આધુનિક યુગની ભાવનાશીલતાને સ્પર્શે એવી જીવનશ્રદ્ધા કેળવી. &#039;સત્યના પ્રયોગો&#039;માં તેઓ કહે છે તેમ, જગતની ઈશ્વર વિશેની શ્રદ્ધાને એમણે પોતાની કરી લીધી હતી (પૃ. ૨૭૯), પરંતુ એ શ્રદ્ધાની સાથે સંકળાયેલી સાંપ્રદાયિક માન્યતાઓને બાજુએ રાખી તેમને સ્થાને તેમણે ઈશ્વરની નવી વ્યાખ્યા આપી અને કહ્યું, “સત્ય એ જ ઈશ્વર છે.” ગાંધીજીનું એ ઈશ્વરરૂપી સત્ય એટલે વૈજ્ઞાનિક ભૌતિક સૃષ્ટિનાં સત્યોને ઓળખે ને અનુસરે છે એવી સ્વાભાવિકતા ને નમ્રતાથી પોતાના હૃદયની ઊંડામાં ઊંડી ભાવનાને ઓળખી તેને અનુસરવાની વૃત્તિ. ગાંધીજીમાં બાળપણથી જ એ વૃત્તિની બક્ષિસ હતી, અને કિશોરાવસ્થાની સ્વૈરવૃત્તિઓનો સામનો કરી તેમણે સ્વ-ભાવનાઓની શુદ્ધ પ્રેરણાઓને અનુસરવાની શરૂઆત કરી. એ રીતે ક્રિયાશીલ બનેલું હૃદયનું સત્ય, અંધકારમાં પ્રકાશનું કિરણ વૃદ્ધિ પામતું વધુ ને વધુ પ્રકાશ પાથરતું જાય તેમ ઉત્તરોત્તર વિકાસ પામતું રહ્યું, અને &#039;સત્યના પ્રયોગો&#039; લખતી વેળા, કૃતિની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, તેઓ “દૂર દૂરથી વિશુદ્ધ સત્યની—ઈશ્વરની—ઝાંખી” કરી રહ્યા હોવાની સ્થિતિ સુધી પહોંચ્યા હતા. પોતાની એ ચમત્કારી સત્યયાત્રા વિશે ગાંધીજીને ગર્વનો લેશમાત્ર ભાવ નથી. ભારતીય પરંપરામાં દૃષ્ટાનું નહિ પણ દર્શનનું મહત્ત્વ છે, અને તેથી પશ્ચિમમાં પ્રચલિત બનેલી આત્મકથાનું તેમાં સ્થાન નથી. એ દૃષ્ટિને અનુસરી ગાંધીજી ‘સત્યના પ્રયોગો&#039;ની પ્રસ્તાવનામાં લખે છે. “પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.” એ કથા વાચકની દૃષ્ટિએ અસામાન્ય ને આશ્ચર્યજનક છે, પરંતુ ગાંધીજી પોતે માને છે કે “જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે.” એટલે “જે પ્રકરણો” તેઓ લખવાના છે “તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાનાં નીર સમાન છે.... મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી.” પરંતુ વ્યક્તિ પોતાનો સૌથી ઉત્તમ મિત્ર છે, અને તેથી તે પોતાના દરેક કૃત્યનો, જેને તે દોષમય કે શરમજનક ગણે છે તેનો પણ, ઉદાર અર્થ કરે છે અને વાચકને તેની પ્રત્યે સદ્ભાવ થાય એ રીતે તે એ કૃત્યની રજૂઆત કરે છે. ગાંધીજી આ ભય પ્રત્યે સજાગ છે. &amp;quot;આત્મકથામાત્રની ઇતિહાસ તરીકે અપૂર્ણતા”, તેઓ લખે છે, “ને તેની મુશ્કેલીઓ વિષે મેં પૂર્વે વાંચેલું તેનો અર્થ આજે હું વધારે સમજું છું. સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલું બધુંય હું નથી જ આપતો એ હું જાણું છું.... લખાયેલાં પ્રકરણો ઉપર કોઈ નવરો મારી ઊલટતપાસ કરવા બેસે તો કેટલું અજવાળું આ પ્રકરણો ઉપર પાડે?” તેથી આત્મકથાનું લેખન પણ, ગાંધીજી કહે છે, “સત્યના પ્રયોગોમાંનો... એક પ્રયોગ જ છે.” અને એમના બીજા પ્રયોગો વિશે તેમ આ પ્રયોગ વિશે પણ તેઓ સંપૂર્ણ સફળતાનો દાવો નથી કરતા (પૃ. ૨૮૦). નિઃશેષ સત્યસમર્પણનો આ નિરહંભાવ મનુષ્યચેતનાના વિકાસમાં એક નવી ક્ષિતિજ પ્રગટ કરી આપે છે અને &#039;સત્યના પ્રયોગો&#039;ને માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એક મહત્ત્વનો દસ્તાવેજ બનાવે છે. &lt;br /&gt;
પોતાની આ વિકાસયાત્રાને ગાંધીજીએ એક જીવતી અનુભવપ્રક્રિયા રૂપે આલેખી છે. કથાના પ્રસંગો ને વિષયની ગોઠવણી એમણે બુદ્ધિથી વિચારીને નથી કરી. પ્રકરણો કેવી રીતે લખાઈ રહ્યાં હતાં તે સમજાવતાં તેઓ લખે છે : &amp;quot;જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી... લખવાને દિવસે જેમ અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય.” (પૃ. ૨૭૯). એ અંતર્યામી એટલે ગાંધીજીની કવિચેતનાની પ્રેરણા, અને તેને અનુસરી એમની કલમે અનુભવ ને ચિંતનની ક્રિયા-પ્રક્રિયા રૂપે સતત વિસ્તરતી આંતરક્ષિતિજોનું એક સજીવ ચિત્ર સર્જ્યું છે જે વ્યક્તિચેતનાના વિકાસની રહસ્યમયતાની ઝાંખી કરાવી જાય છે. આધુનિક મનોવિજ્ઞાન માનવમનના આંતરિક સંઘર્ષો સમજવા-સમજાવવાનો દાવો કે પ્રયત્ન કરે છે, પરંતુ વ્યક્તિના મનની પરસ્પરવિરોધી વૃત્તિઓમાંથી કેટલીક દબાઈ જાય છે અથવા મોળી પડી જાય છે અને બીજી એના ચારિત્ર્યવિકાસમાં પ્રધાન અસર બની રહે છે એ પ્રક્રિયાની આશ્ચર્યમયતા કોઈ વિરલ કવિદૃષ્ટિ જ અનુભવી શકે. ગાંધીજીએ એ અનુભવી છે. આદિથી અંત સુધી તેમણે હૃદયની સત્યસ્ફુરણાઓ ને સંયોગોના અકસ્માતોને પોતાના જીવનને કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરાવતાં જોયાં ને નિરૂપ્યાં છે. ભૂતકાળની કેટલીક સ્મૃતિઓ ગાંધીજીના ઊમિંતંત્રમાં હજુ જીવતી છે અને કેટલીકથી તે મુક્ત બની ગયું છે, પરંતુ એમની કલમે આલેખેલા સર્વે પ્રસંગો એમના અંતરચક્ષુને પ્રત્યક્ષ હોય એવી રીતે પુનર્જીવિત થયા છે. એ પ્રસંગોને એમણે ક્યારેક શાંત ભાવોદ્વેકથી, ક્યારેક આહ્લાદક નર્મદૃષ્ટિથી અને ક્યારેક બેના વિસ્મયપ્રેરક મિશ્રણથી નિરૂપ્યા છે. શબ્દસર્જનનો આ જાદુ એવો અનાયાસ લાગે છે કે બીજા કવિઓનું સર્જન એમની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક હોય છે એવો આભાસ આવે છે તેને બદલે ગાંધીજીની ચેતના સ્વાભાવિક રીતે જ, કર્મમાં તેમ શબ્દમાં, સર્જન રૂપે વહેતી હોય એમ પ્રતીતિ થાય છે. ગાંધીજીની અહિંસાને પણ વાચક એમના આવા મુક્ત ચૈતન્યના આવિર્ભાવ રૂપે અનુભવે છે. એમની ચેતનામાં સત્ય ને અહિંસાની આવી એકરૂપતા તે જ ગાંધીજીનું ખરું મહાત્માપણું, અને ‘સત્યના પ્રયોગો’એ એ પ્રગટ કર્યું છે તે એની સાહિત્યકૃતિ તરીકે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. &lt;br /&gt;
ગાંધીજીની આ ચમત્કારી જીવનકથા નિર્દોષ, સુખી બાળપણની સ્મૃતિથી શરૂ થાય છે. “સાધ્વી” માતા માટે પ્રેમ ને પૂજ્યભાવની સ્મૃતિ ગાંધીજીને એટલી આનંદદાયક છે કે તે એમની તોફાની વિનોદવૃત્તિને ૫ણ સચેત કરે છે. નિશાળનાં બાળકો સાથે તેઓ શિક્ષકને ગાળ આપતી જે કડી ગાતા તેની લીટીઓ, તેઓ લખે છે, “મારે આપવી જ જોઈએ.” શા માટે? નિર્દોષ બાળજીવનના આ આનંદમાં &#039;શ્રવણપિતૃભક્તિ” અને “હરિશ્ચન્દ્ર આખ્યાન&#039; નાટકની ભાવનાસૃષ્ટિનો આનંદ ભળ્યો અને તેણે ગાંધીજીના ખૂલતા ચિત્તકમળને આદર્શપ્રેમનો પ્રેરક સ્પર્શ કરાવ્યો. પરંતુ જીવનપ્રભાતનો આ અમૃતમય આનંદ લાંબો ટક્યો નહિ. બાળપણ જેટલું નિર્દોષ ને આનંદભર્યું હતું તેટલી જ કિશોરાવસ્થા કલેશભરી બની. માંસાહારનો પ્રયોગ, બાળલગ્ને ઉત્તેજેલી વિષાયાસક્તિ ને ચોરીનું અપસાહસ ગાંધીજીના બાળપણની નિર્દોષતાને મોહના આવરણથી ઢાંકી દે છે અને જો એ વાદળ વિખેરાઈ ન ગયું હોત તો એમના જીવનને તે નૈતિક વિનાશના માર્ગે ખેંચી જાત. ગાંધીજીના માતૃપ્રેમ ને પિતૃભક્તિએ એ ચમત્કાર કર્યો અને એમને સ્વવિદ્રોહના વિનાશમાંથી બચાવી લીધા. માતાને ન છેતરવાના શુભ ઇરાદાથી તેમણે માંસાહારનો પ્રયોગ બંધ કર્યો, અને પિતા પાસે ચોરીનો ગુનો કબૂલ કરી શિક્ષા માગી લીધી. પિતાએ આંસુભરી આંખે એમને ક્ષમા આપી. ગુનાહિત ભાવથી પીડાતા ગાંધીજીના હૃદયને એ અનુભવ ઔષધ સમાન નીવડ્યો અને તેઓ, પોતે લખે છે તેમ, “શુદ્ધ” થયા.—એટલે કે સ્વભાવની જે ચંચળ વૃત્તિઓ એમને નકારાત્મક માર્ગે પ્રેરી રહી હતી તે શાંત થઈ અને માતાપિતા તરફથી મળેલી સંસ્કારબક્ષિસો જેવી પ્રેમ ને સત્યની ભાવનાઓને વિકસવાનો અવકાશ મળ્યો. વિષયાસક્તિનો દોષ ઘર કરી જતો હતો તેને પણ પિતાના મૃત્યુના આઘાતે રોક્યો. અંતરશુદ્ધિની આ પ્રક્રિયામાં &#039;રામચરિતમાનસ&#039;ના સંસ્કારે અને દાઈ રંભા તરફથી મળેલા રામનામના મંત્રે પણ ગાંધીજીની ચેતનાના સૂક્ષ્મ સ્તરે ફાળો આપ્યો હશે. સત્ય ને પ્રેમની ભાવનાઓને એમણે સૌંદર્યના રંગે રંગી અને એમની ચેતનાની સર્જકતાને જીવનભર તાજી રાખે એવી શક્તિની ગાંધીજીને બક્ષિસ આપી. એ ચમત્કારી શક્તિનો ઉલ્લેખ કરતાં સન ૧૯૩૬માં એક પ્રસંગે તેઓ કહે છે : “બાળપણમાં મળેલી એ વસ્તુ મારા માનસિક આકાશમાં ભવ્ય વસ્તુ બની રહી છે. એ સૂર્યે ઘોર નિરાશાની મારી અંધકારમય ક્ષણોને પ્રકાશથી અજવાળી છે” (64. 74). બાળપણ ને કિશોરાવસ્થાનું આ ધ્વનિસમૃદ્ધ ચિત્ર ગાંધીજીની કલમનું એક ઉત્તમ સર્જન બન્યું છે. તેમાં વિષાદનો અંતરપ્રવાહ— undercurrent — વહેતો લાગે છે, પરંતુ ગાંધીજીની અવારનવાર ચમકારા કરી જતી નર્મદૃષ્ટિ તેને અતિગાંભીર્યના દોષમાંથી બચાવી લે છે. એ ચિત્ર સત્ય, અહિંસા, ત્યાગ, બ્રહ્મચર્ય ને રામનામ એ ગાંધીજીની આંતરિક જીવનવાર્તાના મુખ્ય વિષયતંતુઓ — themes—તે સ્પષ્ટ કરી દે છે એટલું જ નહિ, એમની શ્રેયયાત્રાના મૂળમાં રહેલો માતાપિતા પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ પણ પ્રગટ કરે છે. ગાંધીજીનું સૌથી પહેલું (તેઓ &#039;મહાત્મા&#039; બન્યા તેનાં દશેક વર્ષ પહેલાં, સને ૧૯૦૯માં લખાયેલું) જીવનચરિત્ર લખનાર રેવ. જે. જે. ડોકે નોંધ્યું છે કે તેઓ એમનાં માતાપિતા વિશે બોલતા ત્યારે સાંભળનારને પોતે કોઈ પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરી રહ્યો છે એવો ભાવ થતો. &#039;સત્યના પ્રયોગો&#039;નાં આ શરૂઆતનાં પ્રકરણોમાં વાચક એનો પૂરો અનુભવ કરે છે.&lt;br /&gt;
લંડનવાસનાં વર્ષ દરમિયાન પણ ગાંધીજીના માતૃપ્રેમનો ચમત્કાર ચાલુ રહ્યો. માંસ નહિ ખાવાની માતા સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી તેનો તેઓ બુદ્ધિથી બચાવ ન કરી શક્યા, પણ પ્રેમપૂર્વક તેને વળગી રહ્યા. આ શ્રદ્ધા એમને અણકલ્પી રીતે ફળી. શાહાકારી ભોજનગૃહની શોધ કરતાં તેમને સૉલ્ટનું ‘શાહાકારની હિમાયત&#039; પુસ્તક મળ્યું, અને તે વાંચ્યા પછી તેઓ વિચારપૂર્વક શાકાહારમાં માનતા થયા. આમ બુદ્ધિ ને હૃદય વચ્ચેના વિસંવાદનો અંત આવ્યો. વળી બીજાંઓની દૃષ્ટિએ પોતે કેવા દેખાશે એનો વિચાર કર્યા વિના પોતે પસંદ કરેલા માર્ગે દૃઢ રહેવાની ગાંધીજીમાં હિંમત આવી, અને તેમાંથી તેમણે એક બીજી સત્યસ્ફુરણાનો ચમત્કાર અનુભવ્યો. અંગ્રેજી સમાજની સભ્ય ગણાતી રીતરસમો શીખવાનો તેઓ પોતાની શક્તિ ઉપરાંતનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને તે માટે તેમણે બેલ નામના એક લેખકનું વકતૃત્વકળા ઉપરનું પુસ્તક ખરીદ્યું હતું. એ બેલસાહેબે, ગાંધીજી લખે છે, એમના “કાનમાં ઘંટ વગાડ્યો” અને તેઓ જાગ્યા. સત્યાર્થીએ સમાજના ખોટા પ્રભાવમાંથી મુક્ત થવું જ રહ્યું. એ મુક્તિ મેળવી ગાંધીજીએ જીવનક્રમમાં સાદાઈના પ્રયોગો કર્યા અને તેમાંથી એમણે સૂક્ષ્મ આનંદનો અનુભવ કર્યો. જીવનના એક ક્ષેત્રમાં સત્યનું આચરણ કરનારને બીજા ક્ષેત્રોમાં પણ તેનું પાલન કરવાનું બળ મળી રહે છે. ગાંધીજીને એવું બળ મળ્યું અને પોતાના પરિચયમાં આવેલા એક કુટુંબથી એમણે અપરિણીત યુવતીઓ સાથેના સમાગમના લોભે, પોતે પરણેલા હોવાની હકીકત છુપાવી હતી તે જાહેર કરી અને પોતાનામાંથી અસત્યરૂપી ઝેર કાઢી નાખ્યું. વળી અન્નાહારના પ્રયોગોએ ગાંધીજીને બે થિયૉસૉફિસ્ટ મિત્રોનો પરિચય કરાવ્યો જેણે એમને ભગવદ્ગીતા ને &#039;બુદ્ધચરિત&#039; વાંચવા પ્રેર્યા, અને એક “ભલા ખ્રિસ્તી”નો પણ પરિચય કરાવ્યો જેણે એમને બાઇબલ વાંચવા પ્રેર્યા. બાઇબલના &#039;નવા કરાર&#039;નું ગિરિપ્રવચન ગાંધીજીના હૃદયમાં ઊતરી ગયું અને બાળપણથી અહિંસાના જે સંસ્કાર પરોક્ષ-અપરોક્ષ રીતે એમની હૃદયભૂમિ ઉપર પડતા રહ્યા હતા તેમનું એક નવી, આકર્ષક પ્રેમભાવનાથી સિંચન કર્યું. માતૃપ્રેમ ને પિતૃભક્તિએ પ્રેરેલી આ શ્રેયયાત્રામાં વિષયાસક્તિના અંતરાયનો ગંભીર ભય હતો, તેને પણ એક બીજા ચમત્કારે દૂર કર્યો. અસંખ્ય સંતો ને સાધકોનો અનુભવ છે કે ઈશ્વરકૃપા વિના માત્ર પુરુષપ્રયત્નથી શ્રેયયાત્રામાં પ્રગતિ થતી નથી. ગાંધીજીને પણ એવો અનુભવ થયો. એક સ્ત્રી સાથે પાનાં રમતાં તેઓ “વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની” તૈયારીમાં હતા, એવામાં સાથે બેઠેલા મિત્રના મનમાં રામ વસ્યા અને તેણે ગાંધીજીને ચેતવ્યા (પૃ. ૭૪). સામાન્ય માણસ આવી ઘટનામાં માત્ર અકસ્માત જુએ; ગાંધીજીની શ્રદ્ધા તેમાં ઈશ્વરકૃપાનો ચમત્કાર જુએ છે અને તેમાંથી ઉપાસના, પ્રાર્થનાનું કાવ્યમય રહસ્ય તારવે છે (પૃ. ૭૫). શ્રેયયાત્રાના બીજા તબક્કાના આ ચિત્રમાં પહેલા ચિત્રમાં છે એવી વિષાદની છાયા નથી; તેને બદલે તેમાં પ્રાપ્તિનો સંતોષ છે, અને તે એટલો ઊંડો છે કે ચિત્રના આલેખનમાં ગાંધીજીની નર્મદૃષ્ટિને મુક્ત અવકાશ મળ્યો છે. &lt;br /&gt;
બૅરિસ્ટરીનો અભ્યાસ પૂરો કરી ગાંધીજી પોતે વકીલાત કરી શકશે કે કેમ અને રહેણીકરણીમાં કેટલાક સુધારા કરવા ધાર્યા હતા તે કેવી રીતે કરી શકશે એ વિશે ચિંતા કરતા મુંબઈના બારામાં ઊતર્યા ત્યારે, તેઓ લખે છે, “બંદર ઉપર દરિયો ગરમ હતો.” પણ, તેઓ ઉમેરે છે, “બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિશે પણ કહી શકાય” (પૃ. ૮૬-૭). સક્રિય જીવનને ઊમરે ઊભેલા ગાંધીજીનો “અંતર્યામી” અહીં જાણે કે અનેક લડતોભર્યા એમના જીવનની બાહ્ય ગરમી ને એ ગરમીમાં પણ અક્ષુબ્ધ રહેતી અંતરની શાંતિની આગાહી કરી જાય છે. એ શાંતિ કેળવવામાં જેઓ અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડવાના હતા તે શ્રીમદ્ રાજચંદ્રનો તેઓ મુંબઈ ઊતર્યા તે જ દિવસે એમને પરિચય થયો. ગાંધીજીની ચમત્કારભરી શ્રેયયાત્રામાં માતાપિતા તરફથી મળેલી સંસ્કારબક્ષિસ પછી આ બીજું સૌથી મોટું સદ્ભાગ્ય હતું. શ્રીમદ્માં ગાંધીજીએ પ્રવૃત્તિમય છતાં મોક્ષલક્ષી, અનાસક્ત જીવનનો આદર્શ જોયો અને તે પાછળથી ગાંધીજીની ધાર્મિક ને આધ્યાત્મિક મૂંઝવણોમાં પ્રેરણારૂપ બની રહ્યો. ત્રીજા સૌભાગ્યરૂપે તે સમયના સૌરાષ્ટ્રના ને મુંબઈના વાતાવરણમાં ગૂંગળામણ અનુભવી રહેલા ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાની તક મળી. ભારતમાં ગાંધીજીની અંતરભાવનાઓને અવકાશ મળે એવો કોઈ સંભવ નહોતો, એટલે જાણે કે એમની વિધિનિર્મિતિ — destiny —એ ગાંધીજીને વકીલાતમાં નિષ્ફળ રાખ્યા અને સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટે તેમનું અપમાન કરી સૌરાષ્ટ્રમાં રહેવું તેમને માટે અશક્ય બનાવી મૂક્યું. દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીજીને શ્રેયમાર્ગે આગળ ને આગળ ધકેલતી ચમત્કારી અકસ્માતપરંપરા ચાલુ રહી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી બીજે કે ત્રીજે જ દિવસે કોર્ટમાં થયેલા અનુભવ ઉપરથી ગાંધીજીએ જોયું કે “મારે નસીબે તો અહીં પણ લડાઈ જ હતી” (પૃ. ૧૦૭). અન્યાયની સામે લડતાં લડતાં જ ગાંધીજીની વિશિષ્ટ જીવનદૃષ્ટિ ઘડાવાની હતી અને એમની આંતરક્ષિતિજો વિસ્તરવાની હતી. બાહ્ય અકસ્માતોની જેમ નિર્ણયસ્ફુરણાની ક્ષણોની ઝાંખી ૫ણ ગાંધીજીની શ્રેયયાત્રાને આશ્ચર્યમયતાનો આભાસ આપે છે. કોર્ટના અનુભવ પછી ત્રણચાર દિવસમાં ગાંધીજીને મૅરિત્ઝબર્ગ સ્ટેશને રંગદ્વેષનો વધુ કડવો અનુભવ થયો, અને તે રાત્રે તેમણે ઊંડા મનોમંથન પછી પોતાનો ધર્મ વિચારી લીધો. રંગદ્વેષનો “ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉ૫યોગ કરવો” અને “તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવા” (પૃ. ૧૧૩). રસ્તામાં વધુ અપમાનો સહન કરતા તેઓ પ્રિટોરિયા પહોંચ્યા અને એક હોટેલમાં રૂમ મળી તેમાં “એકાંત મળ્યે ખાણાની રાહ” જોતા “વિચારગ્રસ્ત” થયા (પૃ. ૧૨૦). પોતાને થઈ રહેલા નવા અનુભવોનો કેવી રીતે સામનો કરવો તેના જ વિચારમાં ગાંધીજી પડ્યા હશે. બીજા દિવસે પણ મિ. બેકરને મળ્યા પછી સાંજે વાળુ કરી પોતાની “કોટડીમાં જઈ વિચારના વમળમાં” પડ્યા. મિ. બેકરે એમને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવા આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીજીએ નિર્ણય કર્યો : “મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાતપણે કરવો... મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યાં લગી બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો.” “આમ વિચારતા”, ગાંધીજી લખે છે, “હું નિદ્રાવશ થયો” (૧૨૨-૩). એમની અંતઃપ્રેરણાઓને સાકાર કરતી આવી નિર્ણયક્ષણોનાં ચિત્રોમાં ગાંધીજીની સત્યશીલતા સૂક્ષ્મતમ રૂપે પ્રગટ થતી જણાય છે. &lt;br /&gt;
દાદા અબદુલ્લાના જે મુકદ્દમાં અંગે ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે એક વર્ષમાં પૂરો થયો. પરંતુ ભારતમાં પોતાના જીવનકાર્ય માટે તૈયાર થવા ગાંધીજીને હજુ વર્ષો સુધી દક્ષિણ આફ્રિકા રહેવાનું હતું. એટલે કેસ પૂરો થયે તેઓ ભારત પાછા આવવા નીકળી રહ્યા હતા ત્યારે એમના માનમાં યોજાયેલા વિદાયસમારંભમાં હિંદીઓનો મતાધિકાર લઈ લેવાના બિલ વિશે ચર્ચા નીકળી અને ગાંધીજીએ એક માસ રહી જવાનો નિર્ણય કર્યો. “આમ”, ગાંધીજી લખે છે, “દક્ષિણ આફ્રિકામાં મારા સ્થાયી રહેઠાણનો પાયો ઈશ્વરે રચ્યો ને સ્વમાનની લડતનું બીજ રોપાયું” (પૃ. ૧૪૨). એક માસને બદલે ગાંધીજી બે વર્ષ રહ્યા અને તે પછી પણ ભારત જઈ કુટુંબ લઈ આવ્યા અને બીજાં પાંચ વર્ષ રહ્યા. એ સાત વર્ષોના અનુભવોએ ગાંધીજીની સેવાભાવનાને પોષી અને તેની પ્રગતિના માર્ગમાં મોહનો એક ગંભીર અંતરાય હતો તેને દૂર કર્યો. જેની પ્રેરણાથી ગાંધીજીએ કિશારાવસ્થામાં માંસાહારનો પ્રયોગ કર્યો હતો તે મિત્રને એમણે, એની નિર્બળતાઓ કંઈક જાણતા હોવા છતાં, પોતાની સાથે રાખ્યો હતો. એક દિવસ સદ્ભાગ્યે એમની આંખ પૂરી ઊઘડી ગઈ અને એ “મોહરૂપ” સંબંધમાંથી તેઓ મુક્ત થયા. “જો મજકૂર અકસ્માતથી”, ગાંધીજી લખે છે, “મારી આંખ ઊઘડી ન હોત, મને સત્યની ખબર ન પડી હોત, તો સંભવ છે કે, જે સ્વાર્પણ હું કરી શક્યો છું તે કરવા હું કદી સમર્થ ન થાત.” એમની આંખ ઉઘાડનાર “રસોઈયાને”, તેઓ લખે છે, “જાણે ઈશ્વરે જ પ્રેર્યો હોય નહીં!” એ બેત્રણ દિવસથી જ આવ્યો હતો અને “આટલી સેવા કરી” તેણે “તે જ દડાડે ને તે જ ક્ષણે રજા માગી” (પૃ. ૧૬૫). &lt;br /&gt;
સ્વાર્પણનું ગાંધીજીનું પહેલું ક્ષેત્ર રાજકીય પ્રવૃત્તિનું હતું, અને તે સમયની એમની પ્રવૃત્તિઓના વર્ણનમાં વાચક ગાંધીજીની વિશિષ્ટ રાજકીય નેતૃત્વશૈલીને વિકસતી જોઈ શકે છે. સત્યની ઉપાસના મોટાં કાર્યોમાં જ નહિ, પણ ઝીણામાં ઝીણી વિગતો વિશે ચીવટભરી કર્તવ્યનિષ્ઠા માગી લે છે, અને નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસની સ્થાપના તથા તેના સંચાલનમાં ગાંધીજીની એવી સતત જાગ્રત સત્યનિષ્ઠાને પૂર્ણ અવકાશ મળ્યો. ફ્રેન્ચાઈઝ બિલ વિરુદ્ધ લોર્ડ રિપનને કરવાની “અરજીની પાછળ”, તેઓ લખે છે, “મેં બહુ મહેનત લીધી. મારે હાથ આવ્યું તે બધું સાહિત્ય વાંચી લીધું” (પૃ. ૧૪૪). સહકાર્યકર્તાઓના પ્રેમને વશ થઈ એમણે એક માસથી વધારે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે “મનની સાથે... નિશ્ચય કર્યો કે... જાહેર ખરચે ન જ રહેવું” (પૃ. ૧૪૫). કૉંગ્રેસની દર અઠવાડિયે કે દર માસે જરૂર પ્રમાણે મીટિંગો થતી, અને તેમાં સભ્યોને ટૂંકું ને મુદ્દાસર બોલવાની ટેવ પાડવાનો આગ્રહ રખાતો. દરેક ખર્ચમાં કરકસરભરી ચીવટ રખાતી અને હિસાબ પણ “પ્રથમથી જ પાઈએ પાઈનો ચોખ્ખો રહ્યો...” “હર કોઈ સંસ્થાનો”, ગાંધીજી લખે છે, “ઝીણવટથી રખાયેલો ઇતિહાસ તેનું નાક છે.... શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.” સંસ્થાના રાજકીય કાર્ય અંગે પણ ગાંધીજીની શૈલી વિશિષ્ટ હતી. તેમનો હેતુ વિરોધીઓને ઉતારી પાડવાનો નહિ પણ હમેશાં જાહેર મત પોતાને પક્ષે કેળવવાનો રહેતો. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સ્થિતિ વિશે શરૂઆતમાં એમણે જે બે ચોપાનિયાં લખ્યાં, તેમાં “હિંદી મતાધિકારનો ઇતિહાસ આંકડાઓ અને પુરાવા સહિત આપવામાં આવ્યો હતો” અને તેમની “પાછળ ખૂબ મહેનત અને અભ્યાસ હતાં. તેનું ફળ પણ તેવું જ આવ્યું... દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના મિત્રો ઉત્પન્ન થયા. ઇંગ્લેન્ડમાં અને હિંદુસ્તાનમાં બધા પક્ષ તરફથી મદદ મળી...” (પૃ. ૧૫૨-૩). છ માસ માટે સહકાર્યકર્તાઓની રજા લઈને કુટુંબને લાવવા ગાંધીજી ભારત ગયા ત્યાં પણ તેમની પારદર્શક સત્યનિષ્ઠાએ એવી છાપ પાડી કે છવ્વીસ સત્તાવીસ વર્ષના એ અજાણ્યા યુવાનને ફિરોજશા મહેતા, બાળ ગંગાધર તિલક, ગોપાળ કૃષ્ણ ગોખલે ને રામકૃષ્ણ ભાંડારકર જેવા પ્રતિષ્ઠિત ને સન્માન્ય નેતાઓએ પ્રેમપૂર્વક આવકાર્યો અને ગાંધીજીને મુંબઈ, પૂના ને મદ્રાસમાં જાહેર સભાઓ ભરવા માટે બધા પક્ષોનો સહકાર મળી રહ્યો. ગોખલેની સાથે તો ગાંધીજીને જીવનભરનો સ્નેહસંબંધ થઈ ગયો. કલકત્તામાં એક અંગ્રેજી છાપાના અધિપતિ સાથે પણ એમને કાયમનો “સ્નેહ બંધાયો.” તેનું કારણ સમજાવતાં ગાંધીજી લખે છે: “મિ. સૉંડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં.... તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી” (પૃ. ૧૮૩). આમ દક્ષિણ આફ્રિકામાં અકસ્માત સંયોગોએ પ્રાપ્ત કરાવી આપેલી રાજકીય સેવાએ ગાંધીજીને જાહેર જીવનમાં સત્યની શક્તિનો અનુભવ કરાવ્યો અને સમય જતાં એમની સ્વભાવગત સત્યનિષ્ઠા એક આધ્યાત્મિક સાધના બની ગઈ. પરંતુ ગાંધીજીની સ્વાર્પણભાવના રાજકીય સેવાથી સંતોષાય એમ નહોતી, તેનું મુખ્ય લક્ષ્ય ભવિષ્યમાં ગરીબોની સેવા બનવાનું હતું, અને તેના વિકાસમાં પણ ગાંધીજી ઈશ્વરી સંકેત જુએ છે, તેની શરૂઆત દક્ષિણ આફ્રિકાના પહેલા નિવાસ દરમિયાન જ થઈ. “જેની જેવી ભાવના&amp;quot;, ગાંધીજી લખે છે, “તેવું તેને થાય, એ નિયમ મારે વિષે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે” (પૃ. ૧૫૪). એ નિયમ અનુસાર તેમને બાલાસુંદરમ નામના એક ગિરમિટિયાની સેવા કરવાની તક મળી. એના “કેસની વાત”, તેઓ લખે છે, “ગિરમીટિયાઓમાં ચોમેર ફેલાઈ ને હું તેમનો બંધુ ઠર્યો.... મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુ:ખ જાણવાની મને ભારે સગવડ મળી” (પૃ. ૧૫૫). &lt;br /&gt;
દક્ષિણ આફ્રિકામાં સાતેક વર્ષના નિવાસ પછી ત્યાંનું સેવાક્ષેત્ર ગાંધીજીની વિસ્તાર પામતી જતી સેવાભાવનાને મર્યાદિત લાગ્યું, એટલે તેઓ સને ૧૯૦૧ના અંતમાં ભારત પાછા ફર્યા અને ગોખલેની સાથે રહી જાહેર સેવાની પ્રવૃત્તિઓમાં જોડાવાના હેતુથી તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી, પણ ત્યાં તેઓ સ્થિર ન થઈ શક્યા. તેમને ફરીથી દક્ષિણ આફ્રિકા બોલાવતો તાર મળ્યો. ગાંધીજીની શ્રદ્ધાદૃષ્ટિ આમાં પણ ઈશ્વરી સંકેત જુએ છે. “...મારા ભવિષ્યની બાબતમાં&amp;quot;, તેઓ લખે છે, “મારું ધાર્યું કંઈ જ ઈશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે&amp;quot; (પૃ. ૨૫૧). એમની આધ્યાત્મિક શક્તિ પૂર્ણ વિકસે તે માટે હજુ દક્ષિણ આફ્રિકાના અનુભવોની જરૂર હતી. ત્યાં પાછા જવાનો નિર્ણય જ ગાંધીજીના આંતરિક વિકાસમાં એક મહત્ત્વના વળાંકબિંદુ જેવો બન્યો. એમની સ્વાર્પણભાવના કંઈક વિશ્રાંતિ લેતી હોય તેમ એમનામાં ગૃહસ્થાશ્રમ પ્રત્યે આસક્તિ કેળવાઈ રહી હતી અને તેથી, તેઓ લખે છે તેમ, “બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્ચિત વસ્તુમાંથી અનિશ્ચિતતામાં પ્રવેશ — આ બધું ક્ષણભર સાલ્યું.” ગાંધીજીની શ્રેયબુદ્ધિ આ ક્ષણિક નિર્બળતા તરી ગઈ. “પણ હું તો”, તેઓ લખે છે, “અનિશ્ચિત જિંદગીથી ટેવાઈ ગયો હતો. આ જગતમાં જ્યાં ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્યાલ કરવો એ જ દોષમય લાગે છે” (પૃ. ૨૫૨). ગૃહસ્થાશ્રમ તરફથી વાનપ્રસ્થાશ્રમ તરફનું આ પ્રયાણ દક્ષિણ આફ્રિકામાં દૃઢ થયું અને ગાંધીજીની શ્રેયયાત્રા એક નવા તબક્કામાં પ્રવેશી. એમાં નિમિત્ત થિયૉસૉફિસ્ટ મિત્રો બન્યા. વિદ્યાર્થીકાળ દરમિયાન લંડનમાં પણ બે થિયૉસૉફિસ્ટ મિત્રોએ એમને ભગવદ્ગીતાનો પ્રથમ પરિચય કરાવ્યો હતો, અને આ વેળા બીજા એવા મિત્રોએ એમને ભગવદ્ગીતાનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની ફરજ પાડી. પરિણામ, ગાંધીજી માટે, ક્રાન્તિકારી આવ્યું. “આ ગીતાવાચનની અસર”, તેઓ લખે છે, “મારા સહાધ્યાયીઓ ઉપર તો જે પડી હોય તે ખરી? મારે સારુ તો તે પુસ્તક આચારનું એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યું.” ગીતાએ ઉપદેશેલી અપરિગ્રહ ને સમભાવની ભાવનાઓ ઉપર ઊંડો વિચાર કરતાં તેમણે જોયું કે &amp;quot;ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં” (પૃ. ૨૬૩). &lt;br /&gt;
તીર્થ કરવા માટે ઘર બાળવાની ગાંધીજીની ભાવના અણધારી રીતે ચરિતાર્થ થઈ. હિંદીઓ માટે અલગ રાખવામાં આવેલા એક વસવાટમાં ગંદકીને કારણે મરકી ફાટી નીકળી હતી તે અંગે મ્યુનિસિપાલિટીની બેદરકારી વિશે ગાંધીજીએ છાપામાં એક પત્ર લખ્યો હતો તે વાંચી હેન્રી પોલાક નામના એક અંગ્રેજ એમને મળવા ઉત્સુક બન્યા અને મુલાકાત પછી તેમના મિત્ર બની ગયા. પોલાકે ગાંધીજીને જોહાનિસબર્ગથી ડરબન સુધીની રેલવે મુસાફરી દરમિયાન વાંચવા માટે રસ્કિનનું &#039;અન્ટુ ધિસ લાસ્ટ&#039; પુસ્તક આપ્યું, જેની “જાદુઈ અસર”ને પરિણામે ગાંધીજીએ ફિનિક્સમાં સામૂહિક જીવનનો પ્રયોગ શરૂ કર્યો. એ પ્રયોગ શરૂ કર્યા પહેલાં પણ ગાંધીજી અવારનવાર હિંદી ને અંગ્રેજ સહકાર્યકર્તાઓને કુટુંબીજન કરી સાથે રાખતા, એટલે કૌટુંબિક જીવનની સાંસારિક ભાવનાથી તેઓ કંઈક મુક્ત થયા હતા. ફિનિક્સ આશ્રમમાં તેમણે એ ભાવનાની મર્યાદાઓ કાયમને માટે ઓળંગી અને આશ્રમવાસીઓમાં એક કુટુંબની ભાવના કેળવવાનો પ્રયત્ન કર્યો. સામૂહિક જીવનનો આ પ્રયોગ ૧૯૧૦-૧૨માં તૉલ્સ્તૉય ફાર્મમાં ચાલુ રહ્યો અને ૧૯૧૫ના જાન્યુઆરીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યાર પછી પ્રથમ સાબરમતીના અને તે પછી વર્ધા ને સેવાગ્રામના આશ્રમોમાં કાયમનો બની ગયો. આ આશ્રમોના વ્યક્તિગત સંઘર્ષોએ અનેક વાર ગાંધીજીની પ્રેમશક્તિ ને અનાસક્તિને કસેટીએ ચડાવી તેમની તપશ્ચર્યાને વધુ ને વધુ ઊંડી બનાવી. સત્યાગ્રહને ગાંધીજી કૌટુંબિક સંઘર્ષોનો જે પ્રેમભાવથી ઉકેલ લાવવામાં આવે છે તેવા જ ભાવથી જાહેર જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું શસ્ત્ર માનતા. આશ્રમજીવનના પ્રયોગો ગાંધીજીને અનાસક્તભાવે એવું પ્રેમબળ કેળવવામાં ખૂબ ઉપકારક બની રહ્યા અને તેથી તેઓ પોતાની આધ્યાત્મિક સાધનામાં એ પ્રયોગોને અતિમહત્ત્વના ગણાતા. માત્ર કુટુંબીજનો કે આશ્રમવાસીઓ પ્રત્યે જ નહિ, એમના સંબંધમાં આવતી દરેક વ્યક્તિ પ્રત્યે ગાંધીજી એકસાથે પ્રેમ ને અનાસક્તિ કેળવવાનો પ્રયત્ન કરતા. અપરિચિત વ્યક્તિઓને કુટુંબીજન બનાવતાં તેમને કેટલાક કડવા અનુભવો થયા હતા તેને ઉલ્લેખ કરતાં તેઓ લખે છે: “મારી એવી માન્યતા છે કે આસ્તિક મનુષ્યો, જેમણે પોતામાં રહેલા ઈશ્વરને બધામાં જોવો રહ્યો છે તેમનામાં સહુની જોડે અલિપ્ત થઈને રહેવાની શક્તિ આવવી જોઈએ અને તે શક્તિ, જ્યાં જ્યાં અણશોધ્યા અવસર આવે ત્યાં ત્યાં, તેથી દૂર ન ભાગતાં, માત્ર નવા નવા સંબંધોમાં પડીને અને તેમાં પડતાં છતાં રાગદ્વેષરહિત રહીને જ કેળવી શકાય” (પૃ. ૨૮૧). વિરોધીઓ પ્રત્યે પણ ગાંધીજીએ આવી જ અદ્વૈતદૃષ્ટિ કેળવી હતી. બે લાંચિયા અમલદારો ઉપર કામ ચલાવ્યા પછી, સરકારી નોકરીમાંથી તેઓ બરતરફ થતાં ગાંધીજીએ પોતે તેમને મ્યુનિસિપાલિટીમાં નોકરી મેળવવા મદદ કરી હતી એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ લખે છે: “સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી છે.... તંત્રની સામે ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરે તે પોતાની સામે કર્યા બરોબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દોરાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રજા છીએ” (પૃ. ૨૭૫). કુટુંબનો ત્યાગ કર્યા વિના આમ ગાંધીજી કુટુંબની ભાવનાનો વિસ્તાર કરતા રહ્યા. &lt;br /&gt;
સર્વની સાથે ઐક્ય અનુભવવાની ગાંધીજીની તમન્નાએ એમની ત્યાગવૃત્તિને પણ તીવ્ર બનાવી મૂકી. “આજ લગી”, તેઓ લખે છે, “કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઈચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું” (પૃ. ૨૬૦). હવે સ્વાર્થનો ત્યાગ શરૂ થયો. વીમાની પૉલિસી કઢાવી હતી તે તેમણે કુટુંબના ભવિષ્યની ચિંતા ઈશ્વરને સોંપી બંધ કરાવી દીધી, અને વડીલ ભાઈને પણ લખી દીધું: “આજ લગી તો મારી પાસે બચ્યું તે તમને અર્પણ કર્યું. હવે મારી આશા છોડજો. હવે જે બચશે તે અહીં જ કોમને અર્થે વપરાશે” (પૃ. ૨૬૩-૪). ભાઈએ અબોલા લીધા. ગાંધીજીના પ્રેમાળ હૃદયને તેથી ખૂબ દુઃખ થયું, પરંતુ તેમની ધર્મબુદ્ધિએ તે અનિવાર્ય માની સહી લીધું. રાજકીય ક્ષેત્રે ગાંધીજી જે આત્મબળનો પ્રયોગ કરી શકતા તેની પાછળ આવી અદૃષ્ટ તપશ્ચર્યા રહી હતી. કસ્તૂરબા ને પુત્રો સાથેના સંબંધોમાં પણ ગાંધીજીએ એવી જ તપશ્ચર્યા સહી હતી. સ્વદેશપ્રેમની ભાવનાથી પ્રેરાઈ તેમણે પોતાના પુત્રોને ડરબનની ગોરાં બાળકો માટેની શાળામાં ન મોકલ્યા અને તેમને માટે ઘેર ખાનગી શિક્ષણની વ્યવસ્થા કરી તે બહુ સફળ ન રહી. પુત્રોને જીવનભર શાળાના શિક્ષણના અભાવનો અસંતોષ રહી ગયો અને જયેષ્ઠ પુત્ર હરિલાલ વિશે તેનું અતિ કરુણ પરિણામ આવ્યું. કસ્તૂરબા પાસે બળાત્કારે મિત્રોની ને સહકાર્યકર્તાઓની સેવા કરાવી, જાહેર સેવા માટે બક્ષિસો મળી હતી તેનું કસ્તૂરબાની ઇચ્છા વિરુદ્ધ સાર્વજનિક ઉપયોગ માટે ટ્રસ્ટ કર્યું, બીજા પુત્ર મણિલાલ અને કસ્તૂરબાની માંદગીના પ્રસંગોએ ડૉક્ટરોની સલાહ અવગણી તેમને માંસનો સેરવો ન આપવાનો આગ્રહ રાખીને તેમની જિંદગી ભયમાં મૂકી— આ સર્વ &#039;પ્રયોગો’નું ગાંધીજીએ નમ્રભાવે, અને કસ્તૂરબા પ્રત્યેના કઠોર વર્તન માટે જાહેરમાં એમની ક્ષમા માગતા હોય એવા પ્રાયશ્ચિત્તભાવથી વર્ણન કર્યું છે. &lt;br /&gt;
ગાંધીજીની ત્યાગવૃત્તિએ એક બીજું રૂપ પણ લીધું. શરીર પ્રત્યેની આસક્તિ જીતી તેઓ તેને ધર્મદૃષ્ટિએ જોતા અને આરાગ્ય જાળવવા દવાઓનો આશ્રય લેવાને બદલે નિસર્ગોપચારની પદ્ધતિઓના પ્રયોગો કરતા થયા. દવાઓના ઉપયોગથી, તેઓ લખે છે, માણસ “પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે” (પૃ. ૨૬૮). શરીરના સ્વામી બની તેને ઈશ્વરનું મંદિર બનાવવાના ઉદ્દેશે ગાંધીજીને પાછળથી ખોરાકના વિવિધ પ્રયોગો કરવા પ્રેર્યા, થોડાં વર્ષ તેઓ દૂધ ને અન્નનો પણ ત્યાગ કરી માત્ર ફળાહાર ઉપર રહ્યા, અને એ પ્રયોગ નિષ્ફળ જતાં તેમને દૂધના ત્યાગનું વ્રત તોડવું પડ્યું અને બકરીનું દૂધ લેવાનું શરૂ કરવું પડ્યું તે અનુભવે તેમને નમ્રતાનો વળી એક બીજો પાઠ આપ્યો. “જીવવાની આશાએ” તેઓ લખે છે, “મેં મનને જેમતેમ ફોસલાવી લીધું..... મારા વ્રતનો આત્મા હણાયો... પણ મારે રૉલેટ એકટ સામે ગૂઝવું હતું, એ મોહ મને મૂકતો નહોતો” (પૃ. ૨૭૧). &lt;br /&gt;
ભગવદ્ગીતાના અભ્યાસે આમ ગાંધીજીની સેવાવૃત્તિને આધ્યાત્મિક સંસ્કાર આપવાનું શરૂ કર્યું તેનું સૌથી મહત્ત્વનું પરિણામ તેમણે ૧૯૦૬ની સાલમાં ઝૂલુ બંડ વેળા બ્રહ્મચર્યનું વ્રત લીધું તેમાં આવ્યું. એ વ્રત લેવાના સંયોગ, ગાંધીજીની દૃષ્ટિએ, એમની શ્રેયયાત્રાની સૌથી વધુ આશ્ચર્યમય ઘટના જેવા હતા. તે સમયે ગાંધીજી અંગ્રેજ સલ્તનતને જગત માટે કલ્યાણકર માનતા હોવાથી તેમણે બંડ દરમિયાન હિંદી કોમની સેવાઓ આપવા માટે એક સારવાર ટુકડી તૈયાર કરી અને પોતે તેની નેતાગીરી લીધી. પરંતુ ગાંધીજીનું હૃદય ઝૂલુઓ તરફ હતું અને લડાઈ દરમિયાન એમના પ્રત્યેની ક્રૂરતા તેમને અસહ્ય લાગી. “અહીં લડાઈ નહીં”, તેઓ લખે છે, “પણ મનુષ્યનો શિકાર હતો...” ગાંધીજીના સદ્ભાગ્યે એમની ટુકડીને મુખ્યત્વે ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું આવ્યું. નિર્દોષ ઝૂલુઓની એ સેવાનો અનુભવ ગાંધીજી માટે આશીર્વાદ સમાન નીવડ્યો. એમના હૃદયની કરુણાને તેણે પૂર્ણપણે જાગ્રત કરી અને તીવ્ર બનેલી સેવાભાવનાને વ્રત રૂપે દૃઢ કરી. વ્રત લેવાના સમયની એમની મન:સ્થિતિને ગાંધીજીની કલમે તાદૃશ કરી બતાવી છે : “અહીં વસ્તી બહુ ઓછી હતી. પહાડો ને ખીણોમાં ભલા, સાદા અને જંગલી ગણાતા ઝૂલુ લોકોના કૃબાઓ સિવાય બીજું કંઈ નહોતું. તેથી દૃશ્ય ભવ્ય લાગતું હતું. માઈલોના માઈલો લગી વસ્તી વિનાના પ્રદેશમાં અમે કોઈ ઘાયલને લઈને કે એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો” (પૃ. ૩૨૦). એવી વિચારગ્રસ્ત સ્થિતિમાં એમને અંતરની સ્ફુરણા થઈ કે “જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિતૈષણાનો ત્યાગ કરવો જોઈએ, અને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ” (પૃ. ૨૦૭). “આવા વિચારોના વમળમાં પડી” ગાંધીજી બ્રહ્મચર્યવ્રત લેવા અધીરા બન્યા. “આ વિચારોથી”, તેઓ લખે છે, “મને એક પ્રકારનો આનંદ આવ્યો ને મારો ઉત્સાહ વધ્યો. કલ્પનાએ સેવાનું ક્ષેત્ર વિશાળ કરી મૂક્યું” (પૃ. ૩૨૧). વ્રતે માત્ર સેવાનું ક્ષેત્ર વિશાળ ન કરી મૂક્યું, સમય જતાં તેણે ગાંધીજીની અંતરદૃષ્ટિને પણ અતિસૂક્ષ્મ બનાવી અને એમની સત્યસાધનાને ઊંડી આધ્યાત્મિકતાના સ્તરે મૂકી આપી. કાયિક બ્રહ્મચર્યના પાલનમાં, તેઓ લખે છે, “હું નિર્ભય બન્યો છું”, “પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઈએ તે મને મળી શક્યો નથી.... ક્યાંથી અને કઈ રીતે આપણે ન ઈચ્છીએ તે વિચારો આપણી ઉપર ચડાઈ કરે છે તે હું હજુ જાણી શક્યો નથી” (પૃ. ૩૨૨). સંપૂર્ણ બ્રહ્મચર્યની ગાંધીજીની વ્યાખ્યા પણ સૂક્ષ્મ બની. “વિચારમાત્ર વિકાર છે&amp;quot;, તેઓ લખે છે, એટલે “જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મળ્યો કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી.” અને અનુભવે ગાંધીજી એ પણ સમજ્યા કે “આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી” અને તેથી “રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે” (પૃ. ૨૧૧-૨). એમના જીવનનાં અંતિમ વર્ષોમાં ગાંધીજીએ રામનામનો પૂર્ણ ચમત્કાર અનુભવ્યો હતો. &lt;br /&gt;
બ્રહ્મચર્યવ્રતની દીક્ષા સાથે ગાંધીજીની સત્યાગ્રહદર્શન માટેની તૈયારી પૂરી થઈ. “કેમ જાણે આ બ્રહ્મચર્યવ્રત”, તેઓ લખે છે, સત્યાગ્રહને “સારુ મને તૈયાર કરવા જ ન આવ્યું હોય! સત્યાગ્રહની કલ્પના મેં કંઈ રચી નહોતી રાખી. તેની ઉત્પત્તિ અનાયાસે, અનિચ્છાએ થઈ. પણ મેં જોયું કે તે અગાઉના મારાં બધાં પગલાં... જાણે તેની તૈયારીરૂપે હતાં” (પૃ. ૨૦૮-૯). તેથી પણ આગળ વધીને ગાંધીજી લખે છે, “બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને જ સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું” (પૃ. ૩૨૩). અને સત્યાગ્રહની ઉત્પત્તિની સાથે ગાંધીજીનું વિશિષ્ટ જીવનકાર્ય શરૂ થયું. &lt;br /&gt;
સત્યાગ્રહની ઉત્પત્તિ ને તેના વિકાસનો ઇતિહાસ ગાંધીજીએ &#039;દ. આ. સ. ઈ.&#039;માં આપી દીધો છે એટલે &#039;સત્યના પ્રયોગો&#039;માં તેને છોડી દીધો છે. એ લડત સફળ રહી હતી; ભારતમાં ગાંધીજીના પ્રયોગો મૂંઝવણભર્યા, ક્યારેક અતિમૂંઝવણભર્યા બન્યા, પરંતુ એ મૂંઝવણોમાંય ગાંધીજીની આશ્ચર્યમય આધ્યાત્મિક વિકાસયાત્રા ચાલુ રહી અને તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ ઊંડી સત્યદૃષ્ટિ ને અહિંસા તરફ પ્રગતિ કરતા રહ્યા. દક્ષિણ આફ્રિકા છોડ્યા પછી તેઓ ભારત પહોંચ્યા તે પહેલાં જ, ઇંગ્લંડમાં, તેમની અહિંસાની મૂંઝવણભરી કસોટી થઈ. ગાંધીજી ઇંગ્લંડ પહોંચ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું, અને દક્ષિણ આફ્રિકામાં એમણે બોઅર યુદ્ધ ને ઝૂલુ બંડ વેળા કર્યું હતું તેમ આ પ્રસંગે પણ બ્રિટિશ સરકારને ઇંગ્લંડમાં વસતા હિંદીઓની સેવાઓ આપવા એક સારવાર ટુકડી તૈયાર કરી. પરંતુ પરિસ્થિતિ હવે જુદી હતી. ગાંધીજીની ધર્મભાવના વધુ ઊંડી બની હતી અને તેમાં સત્યની સાથે અહિંસા પણ કેન્દ્રસ્થાને હતી. એટલે એમણે યુદ્ધમાં કશો પણ ભાગ લેવાની યોગ્યતા વિશે પહેલાં કરતાં વધુ તીવ્ર રૂપે પ્રશ્ન ઉપસ્થિત થયો. “યુદ્ધમાં ભાગ લેવો”, ગાંધીજી લખે છે, “એ અહિંસાની સાથે ગડ બેસે એવું નથી એ બરોબર જોતો હતો. પણ કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે&amp;quot; (પૃ. ૩૫૫). આ મૂંઝવણમાંથી ગાંધીજી નમ્રતાનો પાઠ ઘટાવે છે. પોતાનો નિર્ણય તેઓ મિત્રોને ગળે નહોતા ઉતારી શક્યા એ વિશે લખતાં તેઓ કહે છે: “સત્યને આગ્રહી રૂઢિને વળગીને જ કંઈ કાર્ય ન કરે, તે પોતાના વિચારોને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હમેશાં માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત્ત કરે” (પૃ. ૩૫૭). ભારતમાં ગાંધીજીને આમ કરવાના વારંવાર પ્રસંગો આવ્યા. &lt;br /&gt;
ગોખલેના માર્ગદર્શન નીચે દેશની સેવા કરવાની “હોંશ સાથે” ગાંધીજી મુંબઈ પહોંચ્યા, પણ, તેઓ લખે છે, “વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો” (પૃ. ૩૬૭). એકાદ માસમાં જ ગોખલેનું મૃત્યુ થયું, અને પોતાનો સેવામાર્ગ પોતે જ શોધી લેવાનું ગાંધીજીને આવ્યું. નિર્ણય સહેલો નહોતો. ભારતના પ્રજાજીવનની અવદશા ગાંધીજી જાણતા હતા. પરંતુ હવે ભારતીય આધ્યાત્મિકતા વિશે ઉત્સાહભરી શ્રદ્ધા અનુભવતી એમની દૃષ્ટિને એ દર્શન અસહ્ય થઈ પડ્યું. રંગૂન જતાં સ્ટીમર ઉપર, રેલવે મુસાફરીઓ દરમિયાન અને કુંભમેળા પ્રસંગે હરદ્વારમાં એમણે જે ગંદકી, અવ્યવસ્થા ને નાગરિક શિસ્તનો સંપૂર્ણ અભાવ જોયાં તેથી તેમનું ભારતપ્રેમી હૃદય અકળાઈ ઊઠ્યું. કુંભમાં “ચાલતા પાપનું” પોતે જ આત્મશુદ્ધિ દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાનો તેમણે નિર્ણય કર્યો અને ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓથી વધારે નહિ ખાવાનું અને રાત્રિભોજનનો ત્યાગ કરવાનું વ્રત લીધું. એવી જ આત્મશુદ્ધિની ભાવનાથી તેમણે સ્વજનોનો, સાથી કાર્યકરોનો ને ધર્મચુસ્ત પ્રજાવર્ગનો વિરોધ વહોરીને પણ એક અંત્યજ કુટુંબને આશ્રમમાં પ્રવેશ આપ્યો. તેને પરિણામે ધનિક ટેકેદારોની મદદ બંધ થઈ અને આશ્રમ બંધ કરવાની સ્થિતિ આવી. ગાંધીજી દૃઢ રહ્યા, જરૂર પડે તો અંત્યજોની વચ્ચે જઈને રહેવા તેઓ તૈયાર થયા. એમની શ્રદ્ધા ફળી અને અણધારી મદદ આવી મળી. &lt;br /&gt;
જાહેર સેવાના ક્ષેત્રે પણ ગાંધીજીનો અનુભવ મિશ્ર રહ્યો, અને દક્ષિણ આફ્રિકામાં તેમણે ક્યારેય નહોતી અનુભવી એવી નિષ્ફળતાઓ હવે અનુભવી. પહેલો, ચંપારણનો, સત્યાગ્રહ ગરીબ ખેડૂતોની માગણી પૂરતો સફળ રહ્યો, અને તેમનામાં જે જાગૃતિ આવી તેમાં ગાંધીજીએ “ઈશ્વરનો, અહિંસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો” (પૃ. ૪૧૬). પરંતુ સત્યાગ્રહની સાથે શરૂ કરેલો રચનાત્મક કાર્યક્રમ અધૂરો રહ્યો, અને એ કાર્યક્રમનો અમલ કરાવતાં ગાંધીજીને ભારતની પ્રજાની ગરીબીનો પ્રથમ હૃદયદ્રાવક અનુભવ થયો. ગરીબ સ્ત્રીઓને પોતાનાં કપડાં ધોવાનું સમજાવતાં કરતૂરબાને એક સ્ત્રી એની ઝૂંપડીમાં લઈ ગઈ અને બતાવ્યું : “તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ” (પૃ. ૪૨૭). આ પ્રસંગ ગાંધીજીની સ્મૃતિમાં એવો અંકાઈ ગયો કે સ્ત્રીઓની કેટલીય સભાઓમાં તેમણે એનો ઉલ્લેખ કરેલો. દેશની આવી અસહ્ય ગરીબીનો એકમાત્ર ઉપાય ગાંધીજીએ ખાદીમાં જોયો, અને રાજકીય પ્રશ્નોના ઉકેલ માટે ઉપાય યોજતા તેટલા જ ઉત્સાહથી તેમણે ખાદી ઉત્પન્ન કરવાનાં સાધનોની શોધ કરી અને એ શોધ સફળ થતાં ખાદી પ્રચારનું કામ આરંભ્યું. ગાંધીજીની બીજી જાહેર લડત, અમદાવાદના મિલમજૂરોની, વ્યાવહારિક દૃષ્ટિએ સફળ રહી ગણાય, પરંતુ તેને બચાવવા ગાંધીજીએ ઉપવાસ કર્યો હતો તે એમને પોતાને દોષિત લાગ્યો હતો અને તેની દુ:ખદ સ્મૃતિ એમને રહી ગઈ. ત્રીજી, ખેડાની, લડતમાં પણ ખેડૂતોની માગણી કબૂલ રાખવામાં આવી, પરંતુ, ગાંધીજી લખે છે, “આ અંતથી અમે કોઈ રાજી ન થઈ શક્યા.” લડતને અંતે તેમણે વધારે તેજ ને શક્તિ ન જોયાં, અને “તેથી અંતનો ઉત્સવ મનાયો” છતાં ગાંધીજીને તે “નિસ્તેજ લાગ્યો&amp;quot; (પૃ. ૪૪૨). લડતને અંતે રંગરૂટોની ભરતી માટે ગાંધીજી ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં ફર્યા ત્યારે તેમને પ્રજાની નિર્બળતાનો એક વધુ દુઃખજનક અનુભવ થયો, અને તેમાં મરડાની વ્યાધિએ ઉત્પન્ન કરેલી વેદના ભળી. સને ૧૯૧૮ના જુલાઈથી ૧૯૧૯ના જાન્યુઆરી સુધીના એ સાત માસ ગાંધીજી માટે એમણે પહેલાં ક્યારેય નહિ અનુભવેલા એવા કષ્ટભર્યા બન્યા. અને એ સર્વે કષ્ટને અંતે એમણે દૂધ નહિ લેવાના વ્રતનો ભંગ કરી બકરીનું દૂધ લેવાની લાચારી અનુભવી. &lt;br /&gt;
આ વ્યક્તિગત આઘાતોમાંથી ગાંધીજી બહાર આવ્યા તેવા જ રાજકીય આઘાત શરૂ થયા. પોતાના અંતરના અવાજને રૂંધીને તથા લોકમાન્ય તિલક અને એની બેસન્ટ જેવા પ્રતિષ્ઠિત નેતાઓની વિરુદ્ધ જઈને ગાંધીજી યુદ્ધમાં સરકારને મદદ કરવાના પક્ષે રહ્યા હતા એ સરકારને તેમણે યુદ્ધને અંતે ઉગ્ર પ્રજામતની અવગણના કરી રૉલેટ કાયદાઓ પસાર કરતી જોઈ. “મેં વાઈસરૉયને મળીને ખૂબ વીનવ્યા”, ગાંધીજી લખે છે, “ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા. સત્યાગ્રહ સિવાય મારી પાસે બીજો માર્ગ નથી એ તેમાં સ્પષ્ટ જણાવ્યું. પણ બધું ફોગટ ગયું” (પૃ. ૪૫૯). પણ જેમ સરકાર ગાંધીજીને ન સમજી, તેમ પ્રજા પણ ન સમજી, અને સત્યાગ્રહનું શસ્ત્ર અવળું પડ્યું. ગુજરાત, દિલ્હી, પંજાબ ને મુંબઈ બધે વત્તાઓછા પ્રમાણમાં રમખાણો થયાં અને તે દાબી દેવા સરકારે અમાનુષી દમનનો માર્ગ લીધો, જેમાંથી જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો. ગાંધીજીએ જોયું કે એમણે પહાડ જેવડી ભૂલ કરી હતી અને સત્યાગ્રહ મોકૂફ રાખ્યો. વર્ષને અંતે અમૃતસર કૉંગ્રેસમાં સરકારનાં બધાં દુષ્કૃત્યો ભૂલી જઈ ગાંધીજીએ નવા જાહેર કરવામાં આવેલા, દેશબંધુ ચિત્તરંજન દાસ જેવા નેતાઓની દૃષ્ટિએ તદ્દન અસંતોષકારક, સુધારાઓ સાથે સહકાર કરવાનો અનુરોધ કર્યો. પરંતુ સરકારે તેની પણ કદર ન કરી અને પંજાબના અન્યાયો અંગે ગાંધીજીની માગણી ન સ્વીકારી. સાથે સાથે ખિલાફતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો, અને ભારતના મુસલમાનો પ્રત્યે પોતાનો સદ્ભાવ વ્યક્ત કરવા ગાંધીજીએ એ પ્રશ્નમાં એમને ટેકો આપ્યો. પંજાબ ને ખિલાફતના એ બે પ્રશ્નોમાં સરકાર પાસેથી ન્યાય મેળવવામાં નિષ્ફળ જતાં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું અને તુરત તેઓ ભારતની રાષ્ટ્રીય લડતના નેતા બની ગયા. &lt;br /&gt;
સત્યના પ્રયોગોની કથા ગાંધીજીએ અહીં સમાપ્ત કરી છે. પરંતુ જે ગાંધીજી એ લખી રહ્યા છે તે કથાની સમાપ્તિ વેળાના ગાંધીજી નથી. અસહકારની કરુણ નિષ્ફળતાએ એમને અતિનમ્ર બનાવ્યા હતા અને આદિથી અંત સુધીની કથા એમની એ નમ્ર બનેલી દૃષ્ટિએ આલેખી છે. એ નમ્રતાપ્રેર્યા તેઓ ‘પૂર્ણહુતિ&#039;માં લખે છે: “મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે.... મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે... એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણો બંધ કરું છું” (પૃ. ૫૦૨). &lt;br /&gt;
અગ્રેજ કવિ કીટ્સે માણસના જીવનને &amp;quot;a vale of soul-making&amp;quot;, “આત્માને ઘડવાનું ક્ષેત્ર”, કહ્યું છે. &#039;સત્યના પ્રયોગો&#039; આત્માના એવા ઘડતરની કથા બની છે, અને &#039;પૂર્ણાહુતિ&#039;માં વાચક એ ઘડતરના સુફળની મધુરતા અનુભવે છે. &lt;br /&gt;
જે સંસ્કારોએ ગાંધીજીની ચેતનાને આવી આશ્ચર્યજનક વિકાસશીલતા બક્ષી હતી તેમાં ભગવદ્ગીતાનો મહત્ત્વનો ફાળો હતો. વિદ્યાર્થીકાળ દરમિયાન લંડનમાં એનો પ્રથમ પરિચય કર્યો ત્યારથી તેમણે એનું આકર્ષણ અનુભવ્યું હતું. સને ૧૯૦૩માં એમણે એનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૨૨-૨૩ના યરવડાનિવાસ દરમિયાન અનુભવે પરિપકવ બનેલી દૃષ્ટિએ એનો ફરીથી અભ્યાસ કર્યો. જેલમાંથી છૂટ્યા પછી સને ૧૯૨૬માં એક વર્ષ માટે રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ તેઓ પહેલી વાર આશ્રમમાં સ્થિર થઈને રહ્યા અને દરરોજનાં પ્રાર્થનાપ્રવચનમાં તેમણે આશ્રમવાસીઓને પોતાના ગીતાઅભ્યાસનો લાભ આપ્યો. એ પ્રવચનોની મહાદેવ દેસાઈ અને શ્રી પૂંજાલાલ શાહે લીધેલી નોંધો શ્રી નરહરિ પરીખે સંપાદિત કરી છે અને તે ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ&#039; નામથી પ્રસિદ્ધ થઈ છે. તે પછી ગાંધીજીએ અસહકારના દિવસોમાં સ્વામી આનંદે કરેલી વિનંતીને માન આપી ભગવદ્ગીતાનો ગુજરાતી અનુવાદ કર્યો, જે ૧૯૩૦ની ૧૨મી માર્ચે દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે ‘અનાસક્તિયોગ’ નામે પ્રસિદ્ધ થયો. હિમાલયમાં અલમોડા પાસે કૌસાનીમાં રહી લખેલી તેની પ્રસ્તાવનામાં ગાંધીજીએ પોતાનું મૌલિક ગીતાદર્શન હિમાલયની પ્રસન્ન શાંતિની સંપૂર્ણ છાયા ઝીલતા ગદ્યમાં સમજાવ્યું છે. સને ૧૯૩૦ ને ૧૯૩૨ના જેલનિવાસ દરમિયાન વળી પાછા એમણે આશ્રમવાસીઓ માટે ગીતા ઉપર પ્રવચનલેખો લખી મોકલ્યા, જે પાછળથી &#039;ગીતાબોધ&#039; નામે પ્રસિદ્ધ થયા. &lt;br /&gt;
ગીતાના ઉપદેશમાં ગાંધીજીએ ધર્મ ને મોક્ષ વિશેની પ્રાચીન ભારતીય દૃષ્ટિનું નવું રહસ્ય જોયું છે. ગીતાકારનો ઉદ્દેશ એના સમયમાં પ્રચલિત દર્શનોનો સમન્વય સાધી એક નવો સાધનામાર્ગ ઉપદેશવાનો હતો. વૈદિક યજ્ઞમાર્ગ ઇહલૌકિક સુખસમૃદ્ધિ માટે દૈવી શક્તિઓની આરાધનાનો હતો, જ્યારે સાંખ્યદર્શને દૃશ્ય સૃષ્ટિને અજ્ઞાનજન્ય ગણી તેની ઉપેક્ષા ઉપદેશી. ઉપનિષદોએ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહેલા પરમતત્ત્વની શોધ આરંભી, પરંતુ એ શોધ માનવજીવનને સ્વીકારીને કે તેનો ત્યાગ કરીને કરવી એ વિશે એમનું દૃષ્ટિબિંદુ અસ્પષ્ટ રહ્યું. ગીતાએ વૈદિક યજ્ઞમાર્ગને બાજુએ રાખ્યો, સાંખ્યના પુરુષ-પ્રકૃતિ તત્ત્વજ્ઞાનને સ્વીકાર્યું પરંતુ તે બન્નેને સૃષ્ટિના અંતિમ રહસ્યરૂપ પુરુષોત્તમતત્ત્વનાં આવિર્ભાવો માન્યા અને માનવજીવનનો સ્વીકાર કરીને તેની દ્વારા જ એ તત્ત્વ સાથે ઐક્ય અનુભવવાનો માર્ગ દર્શાવ્યો. એ હેતુથી તેણે સાંખ્ય ને ઉપનિષદોના જ્ઞાનની સાથે ભક્તિનો સંયોગ કર્યો અને વૈદિક કર્મકાંડને સ્થાને એક નવી, નિષ્કામ કર્તવ્યકર્મની ભાવના આપી. ગીતાની આ સમન્વયદૃષ્ટિનું પૂરું રહસ્ય પાછળની પેઢીઓને સમજાયું નહિ, અને જ્ઞાન, ભક્તિ ને કર્મની ત્રિવેણીમાંથી અદ્વૈતમાર્ગીઓએ જ્ઞાન ઉપર અને વૈષ્ણવ સંપ્રદાયે ભક્તિ ઉપર ભાર મૂક્યો, અને બન્ને દર્શનોએ લોકસંગ્રહરૂપ કર્મને લોકોમાં જ્ઞાન ને ભક્તિના પ્રચારાર્થે કરેલા કર્મ પૂરતું મર્યાદિત કર્યું. પરિણામે પ્રજા એના વ્યાવહારિક જીવનમાં શુદ્ધ ધર્મભાવના કે નીતિભાવનાના માર્ગદર્શનથી વંચિત રહી, અને પ્રાચીન દૃષ્ટાઓએ કલ્પેલા ધર્મ, અર્થ, કામ ને મોક્ષના આદર્શનો ખરો અર્થ ભુલાઈ ગયો. ગાંધીજીનું ગીતાદર્શન જ્ઞાન ને ભક્તિની સાથે કર્મનું પૂરું મહત્ત્વ સ્વીકારી ધર્મ ને મોક્ષનો પરસ્પર સંબંધ પુનઃસ્થાપિત કરે છે અને બન્ને વિશેની ભાવનાઓનું નવસર્જન કરે છે. &lt;br /&gt;
ભગવદ્ગીતા મોક્ષના અભિલાષીને સામાન્ય વ્યવહારજીવનની કર્તવ્ય-ભાવનાની ભૂમિકાથી શરૂ કરી છેક બ્રાહ્મી સ્થિતિની “પરા શાંતિ”ના અનુભવ સુધી લઈ જાય છે, જે સ્થિતિમાં, ગીતાના શબ્દોમાં, જે બીજાં પ્રાણીઓની રાત્રિ હોય છે તેમાં સંયમી જાગતો હોય છે, અને જેમાં તે જાગતાં હોય છે તે અંતરદૃષ્ટિવાળા યોગીને રાત્રિ હોય છે” (૨.૬૯), યોગીની ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય છે અને એની ચેતના વાયુરહિત સ્થળમાં દીવાની જ્યોત જેવી સ્થિર બની જાય છે (૬.૨૯). એ આંતરયાત્રામાં ગીતા સાધકને ઈશ્વરની આશ્ચર્યમય વિભૂતિઓનું અને તેના વિશ્વરૂપનું પણ દર્શન કરાવે છે. ગાંધીજીને એવી અતીન્દ્રિય સ્થિતિના અનુભવમાં રસ નથી. તેમને બહુજનસમાજની જાગ્રત ચેતનાસૃષ્ટિમાં રહીને જ અહંવિલોપનનો અનુભવ કરવો છે. એમનું પણ અંતિમ લક્ષ્ય મોક્ષ હતું, પરંતુ મોક્ષને અર્થે તેમને માનવજીવનના પ્રવાહથી વિમુખતા ઇષ્ટ નહોતી. રામાયણસંસ્કારે એમને માનવવ્યવહારમાં સત્ય ને પ્રેમનું આકર્ષણ આપ્યું હતું, અને ઈશુના જીવન ને ઉપદેશમાં એમણે સેવાધર્મનું આકર્ષણ અનુભવ્યું હતું. ભગવદ્ગીતાને ઉપદેશમાં એમણે પોતાની એ સત્ય, પ્રેમ ને સેવાની ભાવનાઓને મોક્ષનાં સાધન બનાવવાનો માર્ગ જોયો. એ માર્ગ હતો અનાસક્તભાવે કર્તવ્યકર્મનો. &lt;br /&gt;
અનાસક્તિનો અર્થ ગાંધીજી પોતાના અનુભવ ઉપરથી જ સમજ્યા હશે. લંડનમાં એમણે પહેલી વાર ગીતા વાંચી ત્યારે ઈન્દ્રિયવિષયો પ્રત્યે આસક્તિનાં ગંભીર પરિણામોનું વર્ણન કરતા બીજા અધ્યાયના બે શ્લોકો (૬૨-૩) એમની સ્મૃતિમાં એવા અંકિત થઈ ગયા કે, &#039;સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે, “તેના ભણકારા મારા કાનમાં વાગ્યા જ કરે” (પૃ. ૭૦). ગાંધીજીને વિષયાસક્તિનો અનુભવ હતો જ, અને ગીતાના એ શ્લોકોએ જાણે કે એમના રોગનું નિદાન કરી આપ્યું અને તેમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો. જેમ ઇન્દ્રિયવિષયો પ્રત્યે, તેમ સાંસારિક અર્થો વિશે અને નીતિ ને ધર્મના આદર્શો વિશે ૫ણ આસક્તિ બંધાય છે, જે વ્યક્તિની ચેતનાને અમુક અનુભવોના વર્તુળમાં પકડી રાખે છે અને તેના પૂર્ણ વિકાસમાં અવરોધરૂપ બની રહે છે. ગાંધીજી આસક્તિનાં આવાં સૂક્ષ્મ સ્વરૂપો જોઈ શક્યા અને આશ્ચર્યજનક માત્રામાં તેમણે એમનામાંથી મુક્તિ સિદ્ધ કરી. આસક્તિનું સૂક્ષ્મતમ રૂપ અહમ્નું હોય છે, અને એ ક્ષીણ થતાં વ્યક્તિ પોતાના હૃદયની સર્વ વૃત્તિઓને કોઈ અદૃશ્ય તત્ત્વની પ્રેરણા રૂપે અને પોતાને એ તત્ત્વના નિમિત્ત રૂપે અનુભવે છે. દરિદ્રનારાયણની સેવામાં ગાંધીજીએ એવા નિર્મમત્વની ઝાંખી કરી, અને એ અનુભવ એમના ગીતાદર્શનનું મધ્યબિંદુ બની રહ્યો. અર્થાત્, ગાંધીજીનો કર્મયોગ એટલે, પ્રથમ યજ્ઞાર્થે, ઈશ્વરસમર્પણભાવે અને અંતે માત્ર નિમિત્તભાવે સેવાકર્મ. &lt;br /&gt;
આવી રીતે કર્તૃત્વભાવનાના ત્યાગમાં બે ભયસ્થાનો રહેલાં છે. એક દૃષ્ટિ, જે સાંખ્યની છે, વ્યક્તિની સ્વભાવવૃત્તિઓને પ્રકૃતિની પ્રેરણા રૂપે જુએ છે. સાંખ્યમાર્ગનો સાધક એ પ્રકૃતિલીલા પ્રત્યે ઉદાસીન બની તેનું શમન કરવા ઇચ્છે છે, પરંતુ ભૌતિકતાવાદીઓ એ વિચારસરણીનો વિપરીત અર્થ કરી સંયમની નિરર્થકતા પ્રતિપાદિત કરે છે અને સ્વૈરવર્તનની હિમાયત કરે છે. આધુનિક મનોવિજ્ઞાનમાંથી ક્યારેક એવો સૂર નીકળતો હોય છે. ભક્તિમાર્ગીઓ પોતાની સર્વ હૃદયવૃત્તિઓને ઈશ્વરની પ્રેરણા રૂપે જુએ છે અને તેમાંના કોઈ કોઈ એ વિચારસરણીનો પણ વિપરીત અર્થ કરી ધર્મ-અધર્મના વિવેકની ઉપેક્ષા કરે છે. ગાંધીજી ધર્મ ને સંયમના સિદ્ધાંત ઉપર દૃઢ છે. વ્યક્તિનાં કર્મ એનાં પોતાનાં હોય કે પ્રકૃતિ અથવા ઈશ્વરની પ્રેરણા હોય, કોઈ સ્ત્રીપુરુષ પોતાની ધર્મબુદ્ધિની ઉપેક્ષા કરી શકે જ નહિ — સર્વ કર્મો શુદ્ધ ધર્મબુદ્ધિથી, સંયમપૂર્વક, ગીતાના શબ્દમાં “નિયત” રહી, કરવાનો વ્યક્તિનો સતત પ્રયત્ન રહેવો જોઈએ અને છતાં તેણે એવાં કર્મ વિષે અકર્તૃત્વભાવ કેળવી એમનાં પરિણામ વિશે અનાસક્ત રહેવું જોઈએ. જેને સંપૂર્ણ નિર્મમત્વ સિદ્ધ થયું છે તેને માણસની ધર્મબુદ્ધિને આઘાત આપે એવું કોઈ કર્મ કરવાની વૃત્તિ થશે જ નહિ. ગીતાનો એક શ્લોક (૧૮. ૧૭) કહે છે કે જે અહંકારભાવથી મુક્ત થઈ ગયો છે તે જગતને હણતો છતો નથી હણતો. ‘અનાસક્તિયોગ&#039;માં તે શ્લોક ઉપરની ટીકામાં ગાંધીજી લખે છે : “ગીતાના ઘણા શ્લોકો કાલ્પનિક આદર્શને અવલંબનારા છે. તેનો સચોટ નમૂનો જગતમાં ન મળે.... જેનામાં અહંતા નથી તેને શરીર જ નથી. જેની બુદ્ધિ વિશુદ્ધ છે તે ત્રિકાળદર્શી છે. આવો પુરુષ તો કેવળ એક ભગવાન છે.... તેથી મનુષ્ય પાસે તો એક ન હણવાનો અને શિષ્ટાચાર — શાસ્ત્ર — નો માર્ગ જ છે” (પૃ. ૧૭૩-૪). અને સદેહે કર્તૃત્વભાવનાનું સંપૂર્ણ વિલોપન શક્ય હોય તોપણ, ગાંધીજી એમ કહે કે એવી વ્યક્તિ કેવી રીતે વર્તે એની કલ્પના કરી એવી સ્થિતિ જેને સિદ્ધ નથી થઈ તે એનું અનુકરણ ન કરી શકે. એટલે મોક્ષના અભિલાષીએ પોતાની વૃત્તિઓમાં શુભ-અશુભનો વિવેક કરવો જ રહ્યો, અને અશુભ વૃત્તિઓનો ત્યાગ કરી શુભ વૃત્તિઓને ઈશ્વરપ્રેરિત માની નિર્મમભાવે, ફલાસક્તિરહિત, તેમને અનુસરવું જોઈએ. એવી અનાસક્ત પ્રવૃત્તિમાં સત્ય ને અહિંસાનું પાલન જ સંભવે. “ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને” &#039;અનાસક્તિયોગ&#039;ની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે, “સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની.” (પૃ. ૨૫). એટલે પોતે શુભ માનેલી કોઈ પ્રવૃત્તિને બીજાંઓ એ રૂપે ન જુએ તો એમના વિરોધનો બળ કે રોષપૂર્વક સામનો કરવાને બદલે તેને પ્રેમથી સહન કરી લેવો જોઈએ. આમ ગીતાના ઉપદેશમાંથી ગાંધીજી પોતાના સત્યાગ્રહમાર્ગની પણ પ્રેરણા મેળવે છે. &lt;br /&gt;
આત્મબળ દ્વારા ભારતમાં સાચું સ્વરાજ સ્થાપવાના પોતાના પ્રયોગમાં મુખ્ય સાધન તરીકે ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ભાવના કે આદર્શ ગમે તેટલાં ઊંચાં હોય, તેમનું ચુસ્ત પાલન કરવાનો અડગ નિશ્ચય ન હોય તો વ્યક્તિ કે સંસ્થાની નૈતિક શક્તિ કેળવવામાં ને પ્રગટ કરવામાં તે બહુ ઉપકારક નથી નીવડતાં. એટલે સત્યાગ્રહ આશ્રમ માટે ગાંધીજીએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય ને અપરિગ્રહ એ પાંચ પરંપરાપ્રાપ્ત યમોમાં એમના સમયની દેશની સ્થિતિને અનુલક્ષીને અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી એ છ વ્રતો ઉમેરીને કુલ અગિયાર વ્રતોની શિસ્ત સ્વીકારી હતી. સને ૧૯૨૦-૨૧ના અસહકારના આંદોલનની નિષ્ફળતા પછી ૧૯૩૦માં સવિનય કાનૂનભંગની લડત શરૂ થઈ ત્યારે યરવડા જેલમાંથી ગાંધીજીએ પાછળ રહેલાં આશ્રમવાસીઓની આશ્રમવ્રતો ઉપર શ્રદ્ધા દૃઢ કરવાના હેતુથી નારણદાસ ગાંધીને એ વ્રતો વિશે સાપ્તાહિક પ્રવચન૫ત્રો લખી મોકલ્યા. એ પત્રો દર મંગળવારે લખાતા, એટલે પાછળથી તે &#039;મંગળપ્રભાત&#039; નામથી પ્રસિદ્ધ થયા. આ પત્રોમાં ગાંધીજીએ પોતાની વ્રતસાધનાનું સંક્ષેપમાં પણ સૂક્ષ્મતાથી રહસ્ય સમજાવ્યું છે. એમને માટે આશ્રમનાં એ વ્રતો માત્ર બાહ્યાચારમાં પાળવાના યાંત્રિક નિયમો નહોતા, પરંતુ સ્વાર્પણની જે ભાવના એમના હૃદયમાં દક્ષિણ આફ્રિકામાં સ્ફુરી હતી અને જે ઉત્તરોત્તર વધુ એકાગ્ર ને ઊંડી બનતી રહી હતી તેને પૂર્ણપણે પોતાના જીવનમાં ઉતારવાનાં સાધન હતાં. બ્રહ્મચર્યની જરૂર જોયા પછી તે પાળવાની મુશ્કેલીના અનુભવ ઉપરથી ગાંધીજી વ્રતની આવશ્યકતા સમજતા થયા હતા, અને ઝૂલુ બળવા દરમિયાન ઘાયલ ઝૂલુઓની સારવાર કરતાં તેમણે છેવટનો નિર્ણય કર્યો અને વ્રત લીધું. વ્રતની આવશ્યકતા સમજાવતાં તેઓ &#039;સત્યના પ્રયોગો&#039;માં લખે છે કે “વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે&amp;quot; (પૃ. ૨૦૭). માણસની સ્વાભાવિક નિર્બળતા વારંવાર એના મનને છેતરે છે અને પોતાના શુભ સંકલ્પોને ચુસ્તતાથી નહિ વળગી રહેવા લલચાવે છે. પોતાની એવી નિર્બળતાને વશ થવામાં વ્યક્તિ પોતાની સ્વતંત્રતા અનુભવે, પણ તે સાચી સ્વતંત્રતા નથી, ટેવનું બંધન છે. વ્રત વ્યક્તિને એવા બંધનમાંથી મુક્ત કરે છે, પોતાના શુભ સંકલ્પને વળગી રહેવું કે તત્ક્ષણની પ્રેરણાને અનુસરવું એવો પ્રસંગે પ્રસંગે નિર્ણય કરવાની આવશ્યકતામાંથી મુક્ત કરી હૃદયની ઉચ્ચ વૃત્તિઓને અનુસરવાનો માર્ગ સરળ કરી આપે છે. એવી સરળતા એ જ સાચી સ્વતંત્રતા. સંયમ એમ સ્વાભાવિક બની જાય ત્યારે જ તે બોજારૂપ મટી જાય અને આત્મનિષ્ઠાના સૂક્ષ્મ, નિર્મળ આનંદનો અનુભવ કરાવી શકે. એટલે ‘મંગળપ્રભાત&#039;માં ‘વ્રતની આવશ્યકતા&#039; ઉપરના લેખમાં ગાંધીજી લખે છે : “દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્રય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ કાળે કરી શકે છે” (પૃ. ૪૨), &lt;br /&gt;
ગાંધીજીનાં વ્રતો કોઈ વર્તુળના પરિઘ ઉપર ભિન્ન ભિન્ન બિંદુઓ જેવાં છે. તેમાંના કોઈ બિંદુએથી ૯૦ અંશે દોરેલી સીધી લીટી એક જ મધ્યબિંદુએ પહોંચે. એ જ રીતે ગાંધીજી દરેક વ્રતના સ્થૂળ વાચ્યાર્થમાંથી વધુ ને વધુ સૂક્ષ્મ અર્થો ઘટાવતા સંપૂર્ણ આત્મસમર્પણની સ્થિતિની ઝાંખી કરાવે છે. એવી સ્થિતિનો અનુભવ તે જ, એમની દૃષ્ટિએ, વિશુદ્ધ સત્ય કે ઈશ્વરનું દર્શન. બધાં વ્રતો એ સંપૂર્ણ સત્યની આરાધનામાંથી જ ફલિત થાય છે. “આ સત્યની આરાધનાને ખાતર જ”, ગાંધીજી લખે છે, “આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ.... આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે.” એટલે એ સત્યરૂપ પરમેશ્વરને ગાંધીજી પારસમણિ કે રત્નચિંતામણિ રૂપે ઓળખાવે છે. તેને પહોંચવા માટે વ્યક્તિ પોતાની માનવીય દૃષ્ટિને દેખાતા મર્યાદિત સત્યને ચુસ્તતાથી પણ નિ:સ્વાર્થભાવે અનુસરે અને તેમ કરતાં જે દુઃખ આવી પડે તે સ્વીકારી લે (પૃ. ૧-૩). આવી નિર્મમ, નિરહમ્ સત્યનિષ્ઠા બીજાંઓ માટે પ્રેમ ને કરુણા વિના શક્ય નથી. અર્થાત્, વ્યક્તિદૃષ્ટિના મર્યાદિત સત્યની શુદ્ધિ માટે અહિંસાનું પાલન આવશ્યક છે. પરંતુ “અહિંસા કોઈને માત્ર ન મારવામાં નથી રહી, વિચારમાં પણ કોઈની પ્રત્યે દ્વેષ ન રાખવો જરૂરી છે” (પૃ. ૫-૬). એવી પૂર્ણ અહિંસા, ગાંધીજીના મતે, બ્રહ્મચર્ય વિના શક્ય નથી, અને બ્રહ્મચર્યનું પાલન બોજારૂપ ન થઈ પડે તે માટે તેને &#039;સર્વેન્દ્રિયસંયમ’ એવો વિશાળ અર્થ કરી વિષયમાત્રનો નિરોધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ (પૃ. ૧૦). એવા સર્વેન્દ્રિયસંયમમાં સ્વાદેન્દ્રિયસંયમને બ્રહ્મચર્યપાલન સાથે સવિશેષ સંબંધ છે (પૃ. ૧૧). &lt;br /&gt;
અસ્તેયવ્રત સત્યવ્રતનું જ એક રૂપ છે. તેનો અર્થ કોઈની વસ્તુ ન ચોરવી એટલો જ નથી. “ન જોઈતી એક પણ વસ્તુ ન લેવી જોઈએ.” આ નિયમની પાછળ સામાજિક ભાવના પણ રહેલી છે, કારણ કે, ગાંધીજી કહે છે તેમ, “આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઈ છે” (પૃ. ૧૬). ચોરી માત્ર સ્થૂળ વસ્તુઓની જ નથી હોતી, માનસિક પણ હોય છે. બીજાંઓથી છુપાવવો પડે એવો વિચાર પણ ચોરી છે. આવા સૂક્ષ્મ અસ્તેયવ્રતનું પાલન કરનારે, ગાંધીજી લખે છે તેમ, “બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે” (પૃ. ૧૭). અપરિગ્રહનો ગાંધીજી આથી પણ વધુ સૂક્ષ્મ અર્થ કરે છે. ભવિષ્યની જરૂરિયાતનો વિચાર કરી સંગ્રહ ન કરવો એ અપરિગ્રહવ્રતનો સ્થૂળ અર્થ. પરંતુ “કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણુ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ....આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય?&amp;quot; આમ વિચાર કરતાં આપણે &amp;quot;શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે.” અને “જેમ વસ્તુઓ તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ... ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય” એવા સર્વ વિચારો ત્યાજ્ય છે (પૃ. ૧૯-૨૦) અભયનું પાલન પણ વ્યક્તિને ત્યાગ પ્રતિ લઈ જાય છે. “પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી, ‘મારા’પણું કાઢી નાખીએ એટલે ભય ક્યાં છે?... એ ઈશ્વરનાં છે; હું પણ તેનો છું;... એટલે આપણે તેના રખેવાળ રહીએ…. સ્વામી મટીને સેવક થઈએ...” આમ “શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ” (પૃ. ૨૩). અસ્પૃશ્યતાનિવારણને પણ ગાંધીજી એવી જ સૂક્ષ્મતાથી જુએ છે. “... અસ્પૃશ્યતાનિવારણ કરનાર... જીવમાત્રને પોતામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગત માત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું” (પૃ. ૨૫). જાતમહેનતના વ્રતને ગાંધીજીએ ભગવદ્ગીતાની યજ્ઞભાવના સાથે જોડ્યું છે અને વ્યક્તિ ને સમાજ બન્નેના હિત માટે આવશ્યક ગણ્યું છે. સર્વધર્મસમભાવના વ્રતમાં ગાંધીજીની ભારતીય સત્યદૃષ્ટિ પ્રગટ થાય છે. તેઓ હિંદુ ધર્મના પ્રેમી હતા, પરંતુ પ્રાચીન ભારતીય દૃષ્ટિને અનુસરી તેઓ કહે છે: “ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે” (પૃ. ૩૧). આ પ્રાચીન દૃષ્ટિમાં અર્વાચીન દૃષ્ટિનો સંસ્કાર પણ ભળ્યો છે : “બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે” (પૃ. ૩૦). સ્વદેશી જેવા, પહેલી નજરે રાજકીય દેખાતા વ્રતને ૫ણ ગાંધીજી ધર્મદૃષ્ટિએ જુએ છે. સ્વદેશીનો ખરો અર્થ &amp;quot;આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઈ રહેવું” એ છે. એવી સેવા મોહપ્રેરિત ન હોય. “મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે, તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે,” આ અર્થમાં “શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.” એટલે સ્વદેશી “એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી — અહિંસામાંથી — ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે” (પૃ. ૩૮-૪૦) નમ્રતાનું વ્રત ન હોઈ શકે, કારણ કે એ કેળવી શકાતી નથી. પરંતુ બધાં વ્રતો તેને અર્થે જ છે. “નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય.” એવી નમ્રતા, ગાંધીજી લખે છે, “આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાપર્ણની આશા રાખે છે.... આ સ્થિતિનું વણુંન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે... બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે” (પૃ. ૩૫-૬). એવી અવર્ણનીય, અનુભવગમ્ય નમ્રતાના સ્પર્શમાં જ ગાંધીજીના ગદ્યની રમ્યતાનું રહસ્ય રહેલું છે. &lt;br /&gt;
ગાંધીજીના અનેક સત્યના પ્રયોગોમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પણ એક સાહસભર્યો પ્રયોગ હતો, અને ૧૯૧૫ના મે માસથી ૧૯૩૩ના જુલાઈ સુધીનો એનો ઈતિહાસ ગાંધીજીની આંતરકથામાં અતિમહત્ત્વનો તંતુ હતો. સવિનય કાનૂનભંગની લડત અંગેના ૧૯૩૨-૩૩ના બીજા યરવડાનિવાસ દરમિયાન ૫-૪-૧૯૩૨થી ૧૧-૭-૧૯૩૨ના સમયગાળામાં ગાંધીજીએ આશ્રમના ઇતિહાસનો એક અપૂર્ણ મુસદ્દો તૈયાર કર્યો, જેને તેઓ પાછળથી પૂરો ન કરી શક્યા અને એમના મૃત્યુ પછી તે અપૂર્ણ રૂપે જ પ્રસિદ્ધ થયો. એ લેખમાં ગાંધીજીએ આશ્રમનો ઉદ્દેશ અને તેની પાછળ રહેલી જીવનદૃષ્ટિ તથા વિચારસરણી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશ્રમનો ઉદ્દેશ વ્રતબદ્ધ સામૂહિક જીવન દ્વારા પ્રજાજીવનના ધાર્મિક, આર્થિક, રાજ્યપ્રકરણી, સર્વ ક્ષેત્રોમાં “જે જે દોષો” તેણે “માન્યા તે તે દોષો દૂર કરવાનો” હતો (પૃ. ૯). એ મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશની પાછળ વ્યક્તિજીવન ને સમાજજીવનનું એક ક્રાન્તિકારી દર્શન રહેલું હતું. પૂર્વ ને પશ્ચિમ બન્નેમાં મઠ કે સંઘોમાં સામૂહિક ધર્મજીવનના પ્રયોગો થયા છે, પરંતુ તે પ્રયોગોનો ઉદ્દેશ વ્યક્તિ-ઉત્કર્ષનો રહ્યો છે. સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીએ વ્યક્તિની સાધનાને સમાજની ઉન્નતિનું સાધન બનાવવાનો પ્રયોગ કર્યો. ગાંધીજી માનતા કે “ગુફામાં બેસીને સત્યની શોધ ન થાય” (પૃ. ૧૩). અપૂર્ણ મનુષ્યે બીજાં અપૂર્ણ મનુષ્યોની વચ્ચે રહીને જ સત્યની શેંધ કરવી રહી, અને એમ કરતાં કરતાં એ અપૂર્ણ મનુષ્યોની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો. એ પ્રયોગ કરતાં ગાંધીજીને વ્રતોના પાલનમાં ઠીક ઠીક મૂંઝવણો અનુભવવી પડી હતી, જેમાંની કેટલીક એમણે &#039;સત્યાગ્રહાશ્રમનો ઈતિહાસ’માં વર્ણવી છે. ગાંધીજીના પ્રયોગનું એક ક્રાન્તિકારી અંગ સ્ત્રીપુરુષોના પરસ્પર વ્યવહારને લગતું હતું. સામાન્ય રીતે બ્રહ્મચર્યપાલન માટે સ્ત્રીપુરુષોએ એકબીજાથી અલગ રહેવાનું ઇષ્ટ માનવામાં આવ્યું છે, પરંતુ આશ્રમમાં એવો નિયમ નહોતો રાખવામાં આવ્યો. પરિણામે કેટલાંક સ્ત્રીપુરુષો પડ્યાં હતાં, પરંતુ ગાંધીજીની દૃષ્ટિએ એકંદરે લાભ જ થયો હતો, વિશેષે સ્ત્રીઓને. “બધા પ્રયોગો”, ગાંધીજી લખે છે, “સત્યરૂપ પરમેશ્વરને નામે છે. તે કુંભાર છે, અમે તેના હાથમાં માટીરૂપ છીએ” (પૃ. ૪૩). આ નમ્રતાએ ગાંધીજીને આશ્રમની સર્વ નિષ્ફળતાઓ સ્વીકારી લેવાની શક્તિ આપી અને તેમની અનાસક્તિને શુદ્ધ બનાવી. &lt;br /&gt;
સને ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની લડતમાં આશ્રમે જ્વલંત ફાળો આપ્યો હતો અને ગાંધીજીનો પ્રયોગ સફળતાની ટોચે પહોંચતો જણાયો હતો. પરંતુ ૧૯૩૧ના માર્ચ માસમાં ગાંધી-અરવિન થઈ તે સંધિણે ઉત્પન્ન કરેલી આશા ન ફળી. ઑગસ્ટ માસમાં ગાંધીજી ગોળમેજી પરિષદ માટે લંડન ગયા, અને પરિષદ નિષ્ફળ ગયા પછી ડિસેમ્બરને અંતે તેઓ ભારત પાછા ફર્યા અને થોડા જ દિવસોમાં તેમની ધરપકડ થઈ. સવિનય કાનૂનભંગની લડત ફરી શરૂ થઈ, પરંતુ તે અધૂરી રહી. અસ્પૃશ્યોને અલગ મતદારમંડળો આપવાના બ્રિટિશ સરકારના નિર્ણય સામે ગાંધીજીએ ૧૯૩૨ના સપ્ટેમ્બર માસમાં એમનો પ્રસિદ્ધ ઉપવાસ કર્યો, અને તેનો સફળ અંત આવ્યા પછી તેમણે પોતાની બધી શક્તિ અસ્પૃશ્યતાનિવારણના આંદોલનમાં રોકી. એ આંદોલન અંગે ૧૯૩૩ના ફેબ્રુઆરી માસમાં પ્રથમ અંગ્રેજી &#039;હરિજન&#039;, પછી હિંદી &#039;હરિજનસેવક&#039; તથા માર્ચ માસમાં ગુજરાતી &#039;હરિજનબંધુ&#039; સાપ્તાહિકો શરૂ કર્યાં. મે માસમાં પોતાની ને સહકાર્યકર્તાઓની શુદ્ધિ અર્થે ૨૧ દિવસનો ઉપવાસ કર્યો, જૂન માસમાં સામુદાયિક કાનૂનભંગ બંધ રાખી ઑગસ્ટમાં વ્યક્તિગત કાનૂનભંગ શરૂ કર્યો અને તે અંગે સત્યાગ્રહ આશ્રમ વિખેરી નાખી તેનાં મકાનો સરકારને સોંપી દેવાનો ઇરાદો જાહેર કર્યો. પરંતુ સરકારે તેમનો કબજો ન લીધો એટલે થોડા માસ ઉપર સ્થાપવામાં આવેલા હરિજન સેવક સંઘને તે સોંપી દીધાં. નવેમ્બર માસમાં ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે દેશનો પ્રવાસ શરૂ કર્યો, પ્રવાસ દરમિયાન વ્યક્તિગત કાનૂનભંગ પણ બંધ રાખ્યો અને કૉંગ્રેસના મોટા ભાગના સભ્યોને પોતાના સિદ્ધાંતો ને કાર્યક્રમોમાં શ્રદ્ધા નહિ હોવાનું લાગતાં તેઓ ઑક્ટોબર માસમાં મુંબઈના કૉંગ્રેસ અધિવેશન વેળા કૉંગ્રેસમાંથી છૂટા થયા અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરાવી તેની પ્રવૃત્તિઓ દ્વારા તેમણે અહિંસાનો રચનાત્મક પ્રયોગ આરંભ્યો. એ પ્રયોગમાં તેઓ દેશની નિરક્ષર ગ્રામપ્રજા સાથે એવી આત્મીયતા અનુભવી રહ્યા કે સન ૧૯૩૬ના ઑક્ટોબરની ૩૧મીએ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી સાહિત્યકારોને મૂક જનતાની સંસ્કારિતાને પોષે એવું સાહિત્ય સર્જવાનો અનુરોધ કરતાં તેમનું હૃદય ભરાઈ આવ્યું અને, મહાદેવ દેસાઈ નોંધે છે, તેઓ ગદ્ગદ બની ગયા. સને ૧૯૩૯ના માર્ચ માસમાં રાજકોટ પ્રકરણે ગાંધીજીની અહિંસાની આકરી કસોટી કરી અને તેને વિશુદ્ધ બનાવી. સપ્ટેમ્બર માસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં અહિંસક પ્રતિકારની રીતમાં ગાંધીજીની શ્રદ્ધા વધુ દૃઢ થઈ, અને બ્રિટિશ પ્રજા પ્રત્યે એમની પૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં, પહેલા વિશ્વયુદ્ધ વેળા એમણે કર્યું હતું તેમ, બ્રિટિશ સરકારને યુદ્ધ પ્રયાસમાં મદદ કરવાને બદલે કોઈ પણ શરતે તેમાં સક્રિય સહકાર આપવાનો ઇનકાર કર્યો. જો બ્રિટિશ સરકાર યુદ્ધ પછી ભારતને સ્વતંત્ર કરવાનું વચન આપે ને તાત્કાલિક રાષ્ટ્રીય સરકારની રચના કરે તો કોંગ્રેસે યુદ્ધપ્રયાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી, અને એવું વચન ન મળતાં ગાંધીજીએ પોતાને ને કૉંગ્રેસને માટે યુદ્ધમાં સહકાર આપવાની વિરુદ્ધ પ્રચાર કરવાની સ્વંત્રતતા માગી. તે ન મળતાં તેમણે ૧૯૪૦ના ઑક્ટોબર માસમાં વિનોબા ભાવેને પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કરી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. &lt;br /&gt;
આ વેળાનો સત્યાગ્રહ ગાંધીજીની અહિંસાનો એક નવો જ પ્રયોગ હતો અને અગાઉની બધી લડતો કરતાં જુદા પ્રકારનો હતો. સરકારને મૂંઝવણમાં મૂકે એવું કોઈ પગલું ભરવાનું નહોતું. ગાંધીજીનો ઉદ્દેશ યુદ્ધની હિંસા અને તેની પાછળ રહેલી શોષણલાલસા વિરુદ્ધ જગતની પ્રજાઓમાં લોકમત કેળવવાનો હતો, અને તે અર્થે મર્યાદિત સંખ્યામાં પસંદ કરેલા સત્યાગ્રહીઓને જ જેલમાં મોકલવાનો હતો. સત્યાગ્રહ સફળ થાય તે માટે દેશમાં અહિંસાનું વાતાવરણ ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ આપ્યો. અસહકાર ને સવિનય કાનૂનભંગની લડતો વેળા પણ ગાંધીજીએ ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા, સ્વદેશી, મદ્યત્યાગ ઇત્યાદિના રચનાત્મક કાર્યક્રમનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ એ લડતોમાં સરકાર વિરુદ્ધનું રાજકીય અઆંદોલન પ્રધાન સ્થાને હતું અને રચનાત્મક કાર્યક્રમ ગૌણ હતો. આ વેળા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમને મુખ્ય સ્થાન આપ્યું અને પ્રતિકારાત્મક સત્યાગ્રહને ગૌણ બનાવ્યો. વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ થયો તે પહેલાં ઑગસ્ટ માસમાં તેમણે ૧૩ મુદ્દાના એક કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને તેમાં એક વધુ મુદ્દો ઉમેરી ૧૯૪૧ના ડિસેમ્બર માસમાં ૧૪ મુદ્દાના કાર્યક્રમની વિગતે સમજ આપતી &#039;રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય ને સ્થાન&#039; નામની પુસ્તિકા તૈયાર કરી. અને ૧૯૪૫ના નવેમ્બરમાં પુસ્તિકાની સુધારેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ, જેમાં કાર્યક્રમે ૧૮ મુદ્દાનું છેવટનું રૂપ લીધું. &lt;br /&gt;
&#039;રચનાત્મક કાર્યક્રમ&#039;ની પાછળ નૈતિક બળ કે આત્મબળ વિશે ગાંધીજીની એક નવી દૃષ્ટિ રહેલી છે. પહેલાંની લડતોમાં આત્મબળનો પ્રયોગ સત્ય અને અહિંસાની મર્યાદામાં રહી અન્યાયનો પ્રતિકાર કરવામાં રહ્યો હતો, જોકે એવો પ્રયોગ કરનારને સત્યાગ્રહનો અધિકાર કેળવવા માટે આત્મશુદ્ધિની જરૂર સ્વીકારવામાં આવી હતી. રચનાત્મક કાર્યક્રમ એ સર્વાંગી પ્રજાકીય ને રાષ્ટ્રીય આત્મશુદ્ધિનો કાર્યક્રમ હતો, અને ગાંધીજીની શ્રદ્ધા હતી કે એનો સફળ અમલ કરવામાં આવે તો તેમાંથી જે નૈતિક વાતાવરણ સર્જાય તેમાં બ્રિટિશ સરકાર પ્રજાની માગણીની અવગણના કરી શકે જ નહિ. કાર્યક્રમમાં પ્રજાકીય ઐક્યની ભાવનાને પોષતી હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ ને આદિવાસીઓની ઉન્નતિની પ્રવૃત્તિઓ, પ્રજાકીય ને રાષ્ટ્રીય સ્વમાન માટે માતૃભાષા ને રાષ્ટ્રભાષા હિંદીને ઉત્તેજન, મદ્યત્યાગ ને સ્ત્રીઉન્નતિના નૈતિક ને સામાજિક સુધારાઓ, ખાદી, ગ્રામોદ્યોગો ને ટ્રસ્ટીશિપની ભાવનાના પ્રચાર દ્વારા આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતા તરફ પ્રગતિ, ગ્રામસફાઈ, બુનિયાદી તાલીમ ને પ્રૌઢશિક્ષણ દ્વારા ગ્રામજીવનની ઉન્નતિ, કિસાનો ને મજૂરોનું બિનરાજકીય, અહિંસક સંગઠન, રક્તપિત્તના રોગીઓની સેવા, વિદ્યાર્થીઓની જાગૃતિ દ્વારા દેશની યુવાશક્તિનો સદુપયોગ, એવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એનો સફળ અમલ કરી દેશ બ્રિટિશ સરકાર સાથે લડ્યા વિના નવા સમાજની રચના કરી શકે જેને રાજકીય સ્વતંત્રતા આપોઆપ આવી મળે. “...રચનાત્મક કાર્યક્રમ”, આમુખમાં ગાંધીજી લખે છે, “એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. હું એમ કહું કે રચનાત્મક કાર્યક્રમનો પૂર્ણ અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે.” એ કાર્યક્રમનો અમલ કર્યા સિવાય હિંસા દ્વારા કદાચ સ્વરાજ મેળવી શકાય, પરંતુ એ રીતે મેળવેલા સ્વરાજમાં જે પક્ષ વધારેમાં વધારે હિંસક બળનો પ્રયોગ કરી શકે તેનું શાસન રહેવાનું અને “રાષ્ટ્રના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતા” અશક્ય રહેવાની (પૃ. ૮). એવું સ્વરાજ તો રચનાત્મક કાર્યક્રમમાં યોજવામાં આવેલી નિઃસ્વાર્થ સેવાની નૈતિક શક્તિ દ્વારા જ સિદ્ધ થઈ શકે. &lt;br /&gt;
રચનાત્મક સેવા દ્વારા પ્રજાજીવનનું નવસર્જન કરવાના આ કાર્યક્રમને ગાંધીજી વ્યવસ્થિત રીતે અમલમાં ન મૂકી શક્યા. ‘રચનાત્મક કાર્યક્રમ’ની પુસ્તિકા તૈયાર થઈ રહી હતી તે અરસામાં જ જાપાન યુદ્ધમાં જોડાયું અને યુદ્ધનો ભય ભારતની પૂર્વ સરહદ તરફ દોડતો આવતો જણાયો. ગાંધીજી ને કૉંગ્રેસના નેતાઓને લાગ્યું કે બ્રિટિશ સરકારનો કાબૂ ચાલુ રહેશે ત્યાં સુધી ભારતની પ્રજાને જાપાનના આક્રમણનો સામનો કરવાનો જુસ્સો નહિ આવે, અને તેથી તેમણે &#039;હિંદ છોડો&#039;ની લડતની તૈયારી કરી. પરંતુ લડત શરૂ થાય તે પહેલાં જ, ૧૯૪૨ના ઑગસ્ટની ૯મી તારીખે, સરકારે ગાંધીજીને ને કૉંગ્રેસના બીજા નેતાઓને પકડી લીધા. ગાંધીજીને પૂનામાં આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં ૨૭-૮-૧૯૪૨થી ૧૮-૧૨-૧૯૪૨ના શરૂઆતના ચારેક માસ દરમિયાન, તેમણે સને ૧૯૧૩માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ માટે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન&#039;નાં પ્રકરણો લખ્યાં હતાં તેનો સાર આપતી એક નાની પુસ્તિકા તૈયાર કરી, જે એમના મૃત્યુ પછી ‘આરોગ્યની ચાવી&#039; નામથી પ્રસિદ્ધ થઈ. શરીર આત્માનું મંદિર છે અને ધર્મના સાધન તરીકે જ તેનું રક્ષણ કરવું જોઈએ એવી જે નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી તેમણે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન&#039;નાં પ્રકરણો લખ્યાં તે જ દૃષ્ટિથી આ પુસ્તિકા લખી છે, પરંતુ તેના ગદ્યમાં હવે રાજકીય ઝંઝાવાતોમાં પણ અક્ષુબ્ધ રહેલી અંતરની ઊંડી શાંતિની છાયા છે જે ગાંધીજીના આધ્યાત્મિક વિકાસમાં કોઈ નવી ક્ષિતિજનું સૂચન કરી જાય છે. આકાશ ઉપરના પ્રકરણમાં એ ક્ષિતિજનો સ્પષ્ટ અણસાર મળી રહે છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે સર્વવ્યાપી આકાશ—અવકાશ—ને જ સૃષ્ટિનું ઉપાદાનતત્ત્વ કહ્યું છે; ગાંધીજીની આધ્યાત્મિક દૃષ્ટિએ પણ કોઈ એવા જ સત્યનો અનુભવ કર્યો હોય તેમ જણાય છે. વૈજ્ઞાનિકોએ કલ્પેલું ઈશ્વર તત્ત્વ પણ, તેઓ લખે છે, “જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય” (પૃ. ૫૯). સંપૂર્ણ આરોગ્ય માટે ગાંધીજી આ રહસ્યમય, એકસાથે “સુદૂર અને અદૂર તત્ત્વની” સાથે અનુસંધાનને આવશ્યક ગણે છે : “... જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે.” એ આદર્શને આપણે સંપૂર્ણ રીતે ન પહોંચી શકીએ, પણ “તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ ને સંતોષ ભોગવીશું” એને સંપૂર્ણપણે પહોંચવા માટે તો “શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિષે આપણે તટસ્થ રહીએ” (પૃ. ૬૦). એવાં જે સ્ત્રીપુરુષો રાત્રે “અગણિત તારાઓથી” જડેલા આકાશ સાથે અને નિરંતર ફરતા દેખાતા “તારાઓના ભવ્ય સંઘ” સાથે “અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે” (પૃ. ૬૨). &lt;br /&gt;
પોણા ત્રણ વર્ષના જેલનિવાસ પછી ૧૯૪૪ના મે માસમાં ગાંધીજી છૂટ્યા ત્યારે દેશની સ્થિતિ અત્યંત નિરાશાજનક બની ગઈ હતીઃ કોમી તંગદિલી વધી ગઈ હતી, રાષ્ટ્રીય બળો વેરવિખેર થઈ ગયાં હતાં અને બ્રિટિશ સરકારનું માનસ પહેલાં કરતાં પણ વધુ આપખુદીભર્યું બન્યું દેખાતું હતું. એક વર્ષ પછી યુદ્ધ પૂરું થતાં પરિસ્થિતિ બદલાઈ અને છેવટે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ સ્વરાજ આવ્યું, પરંતુ તે પહેલાં ગાંધીજીના સંવેદનશીલ હૃદયને આઘાત ઉપર આઘાત આપે એવાં કોમી રમખાણોએ ભારતની માનવતાનો ક્રૂર ભોગ લીધો હતો. એ શોકઘેરાં બે-અઢી વર્ષ દરમિયાનની ગાંધીજીની અંતરકથાની ટ્રૅજિડી આપણે કલ્પવી જ રહી. તેની કંઈક ઝાંખી એ સમયનાં પ્રાર્થનાપ્રવચનો ને પત્રો ‘ગાંધીજીનો અક્ષરદેહ&#039;ની ગ્રંથશ્રેણીમાં પ્રસિદ્ધ થશે ત્યારે મળી રહેશે. ચોમેર ચાલી રહેલી રુદ્રલીલાના દર્શને પ્રેરેલી માનવીય વેદના અને નિ:શેષ ઈશ્વરસમર્પણના નિર્મમત્વ વચ્ચેની એ સતત ખેંચમાંથી છેવટે ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મીએ નથુરામ ગોડસેની ગોળીએ ગાંધીજીને મુક્તિ અપાવી. &lt;br /&gt;
“હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?” એ ધૂનથી શરૂ થતી અને ‘રામ રામ !’ના કરુણભવ્ય ઉદ્ગારથી સમાપ્ત થતી ગાંધીજીની આશ્ચર્યમય શ્રેયયાત્રાને આમ પારદર્શક બનાવતું એમનું ગુજરાતી અક્ષરસર્જન ગુજરાતી સાહિત્યનો અને ભારતની પ્રજાનો ચિરંજીવ વારસો બની રહેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = ગાંધીજીના મહત્ત્વના ગ્રંથો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80&amp;diff=112454</id>
		<title>ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગાંધીજી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80&amp;diff=112454"/>
		<updated>2026-07-06T11:59:24Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|રમણલાલ વસંતલાલ દેસાઈ|}}  {{Poem2Open}} ગાંધીજીનું જીવન એ કર્મ દ્વારા પોતાના અંતઃસત્યને પ્રગટ કરવા ઝંખતી એક કવિચેતનાની વિકાસકથા છે. બાળપણમાં એમની કલ્પનામાં સત્યનો જે આદર્શ સ્ફુર્ય...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રમણલાલ વસંતલાલ દેસાઈ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગાંધીજીનું જીવન એ કર્મ દ્વારા પોતાના અંતઃસત્યને પ્રગટ કરવા ઝંખતી એક કવિચેતનાની વિકાસકથા છે. બાળપણમાં એમની કલ્પનામાં સત્યનો જે આદર્શ સ્ફુર્યો તે જીવનપર્યંત વિકાસ પામતો રહ્યો અને એમના હૃદયને આત્મસમર્પણને અહંશૂન્યતાની નવી નવી ક્ષિતિજો પ્રત્યે આકર્ષતો રહ્યો. કિશોરાવસ્થામાં એમણે લૌકિક અર્થમાં ધાર્મિક શ્રદ્ધા ગુમાવી દીધી હતી. ત્યારે પણ &#039;આત્મકથા&#039;માં તેમણે નેાંધ્યું છે. એક વિચારે એમને મનમાં જડ ઘાલી હતી, કે આ જગત નીતિ ઉપર નભેલું છે.” અને નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે.” અને તેથી એમણે સંકલ્પ કર્યો હતો. કે સત્ય તો શોધવું જ રહ્યું.” “દિવસે દિવસે સત્યનો મહિમા.” તેઓ લખે છે, “મારી નજર આગળ વધતો ગયો. સત્યની વ્યાખ્યા વિસ્તાર પામતી ગઈ અને હજુ પામતી રહી છે” (પૃ. ૩૫). ગાંધીજીની સત્યની વ્યાખ્યા માત્ર બૌદ્ધિક અર્થમાં જ વિસ્તાર પામતી નહોતી રહી પરંતુ એમના સમગ્ર જીવનવિકાસનું પ્રેરક બળ બની હતી. એ વિકાસપ્રક્રિયાનું કાવ્યમય ચિત્ર આપતાં તેઓ ‘આત્મકથા&#039;માં લખે છે : “સત્ય એક વિશાળ વૃક્ષ છે, તેને જેમ સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતાં જોવામાં આવે છે... જેમ જેમ એમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યાં કરે છે...” (પૃ. ૨૧૯). ગાંધીજીનું જીવન અને તેમની લેખનપ્રવૃત્તિ, બાળપણમાં રોપાયેલા બીજમાંથી ઊગેલા સત્યવૃક્ષ ઉપર કેવાં ફળ આવ્યા અને એવા સત્યપ્રેરિત ચિંતનના સમુદ્રમાંથી એમને કેવાં રત્ન મળ્યાં તેની એક વિસ્મયપ્રેરક કથા છે. &lt;br /&gt;
ગાંધીજીનો જન્મ સને ૧૮૬૯ના ઑક્ટોબરની બીજી તારીખે પોરબંદરમાં થયો. જન્મસમયે પિતા કરમચંદ પોરબંદરમાં દીવાન હતા, પરંતુ ગાંધીજીની સાત વર્ષની ઉંમર થતાં ૧૮૭૬માં તેઓ રાજકોટમાં દીવાન થયા અને ગાંધીજીની કિશોર ને તરુણ વયનાં વર્ષ રાજકોટમાં પસાર થયાં. સને ૧૮૮૧માં ૧૨ વર્ષની વયે લગભગ એટલી જ ઉંમરનાં કસ્તૂરબા સાથે એમનાં લગ્ન થયાં અને તે પછી ૧૮૮૭ના ડિસેમ્બર માસમાં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા. શાળામાં વિદ્યાર્થી તરીકેની ગાંધીજીની કારકિર્દી બહુ તેજસ્વી નહોતી અને કૉલેજના પહેલા સત્ર દરમિયાન જ તેઓ મૂંઝવણ અનુભવવા લાગ્યા. કુટુંબના એક વડીલ હિતેચ્છુના સૂચનથી યુવાન ગાંધીજી બૅરિસ્ટરીના અભ્યાસ માટે ૧૮૮૮ના સપ્ટેમ્બર માસમાં ઇંગ્લંડ ગયા, જ્યાંથી તેઓ ૧૮૯૧ના જુલાઈ માસમાં પાછા ફર્યા અને રાજકોટ તથા મુંબઈમાં વકીલાત કરવાના બેએક વર્ષના નિષ્ફળ પ્રયાસ પછી, તે સમયના કાઠિયાવાડના ખટપટી વાતાવરણથી કંટાળી પોરબંદરની એક મેમણ પેઢીના આમંત્રણે ૧૮૯૩ના એપ્રિલ માસમાં એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં પહોંચતાં જ લોકનેતા ને લોકસેવક તરીકે ગાંધીજીની કારકિર્દી શરૂ થઈ ગઈ અને તે પછીનું એમનું જીવન આધુનિક ભારતના ઇતિહાસનો ભાગ બની ગયું. &lt;br /&gt;
એક શરમાળ યુવકમાંથી લોકસેવક બની જવાની બાહ્ય દૃષ્ટિએ ચમત્કારી લાગે એવી આ ઘટના અત્યાર સુધીના ગાંધીજીના આંતરવિકાસના ફળરૂપ હતી. બાળપણમાં માતાપિતાનો પ્રેમ, વૈષ્ણવ કુટુંબના આચારવિચારો, ‘શ્રવણપિતૃભક્તિ&#039; ને હરિશ્ચંદ્રઆખ્યાનનાં નાટકો, અપકારી ઉપર પણ ઉપકાર કરવાનો ઉપદેશ આપતો શામળભટ્ટનો “ચમત્કારી છપ્પો” અને &#039;રામચરિતમાનસ&#039;નું શ્રવણ, આ સર્વે સંસ્કારોએ ગાંધીજીના ભાવનાશીલ માનસને સત્ય ને પ્રેમના આદર્શો પ્રત્યે આકર્ષ્યું હતું સાથે સાથે કિશોર માનસને એક કે બીજી રીતે પજવતી વિદ્રોહવૃત્તિઓ પણ ગાંધીજીમાં હતી, પરંતુ એમના સત્યપ્રેમે એ વૃત્તિઓ ઉપર વિજય મેળવ્યો હતો. અભ્યાસ માટે લંડન જતાં માતાએ લેવડાવેલી પ્રતિજ્ઞાઓનું પાલન કરવાની મથામણોએ ગાંધીજીની સત્યનિષ્ઠાની વધુ કસોટી કરી અને એમાંથી એમની અંતરદૃષ્ટિને સત્યનાં વધુ સૂક્ષ્મ રૂપ પ્રગટવાં શરૂ થયાં. અંગ્રેજી સભ્યતાનાં બાહ્ય લક્ષણોનું અનુકરણ કરવાનો પ્રયત્ન આરંભ્યો હતો તેને છોડી દઈ એમણે પોતાની રહેણીકરણીમાં ફેરફાર કરી નાખ્યા, જેને પરિણામે, &#039;આત્મકથા&#039;માં તેઓ લખે છે, “મારી આંતરિક ને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી”, “કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો”, “જીવન વધારે સારમય બન્યું” અને એમના “આત્માનંદનો પાર ન રહ્યો” (પૃ. ૫૬). પરિચયમાં આવેલા એક અંગ્રેજ કુટુંબથી પોતે પરિણીત હોવાની હકીકત છુપાવી હતી તે &amp;quot;અસત્યનું ઝેર” પણ ગાંધીજીએ હિંમતપૂર્વક કાઢી નાખ્યું. સ્વભાવમાં રહેલી વિષયાસક્તિ, જેનો પિતાના મૃત્યુ પ્રસંગે એમને અનુભવ થયો હતો, તેનો એમને ઇંગ્લંડમાં ફરી એક વાર અનુભવ થયો, પરંતુ મિત્રની સદ્બુદ્ધિથી તેઓ પતનમાંથી બચી ગયા અને પોતાની નિર્બળતા પ્રત્યે સભાન બન્યા. થિયૉસૉફિસ્ટ મિત્રોના પરિચયે ગાંધીજીમાં થોડી ધર્મજિજ્ઞાસા પણ જાગ્રત થઈ અને ભગવદ્ગીતા, બાઈબલના ‘નવા કરાર&#039;નું &#039;ગિરિપ્રવચન&#039; અને એડવિન આર્નલ્ડનું &#039;બુદ્ધચરિત&#039; વાંથી તેઓ ત્યાગ ને અહિંસાના આદર્શો પ્રત્યે વધુ આકર્ષાયા. ભવિષ્યમાં બધા મુખ્ય ધર્મોનો પરિચય મેળવી લેવો જોઈએ એવી, ‘આત્મકથા&#039;માં તેઓ લખે છે, એમના “મને નોંધ કરી” (પૃ. ૭૧). &lt;br /&gt;
આમ લંડનવાસનાં વર્ષો દરમિયાન ગાંધીજીનું વ્યક્તિત્વ ચોક્કસ, સ્વનિષ્ઠાપ્રેરિત આકાર લઈ રહ્યું હતું, પરંતુ હજુ એમને પોતાનું જીવનધ્યેય સ્પષ્ટ નહોતું થયું. તેઓ બૅરિસ્ટરીનો અભ્યાસ કરવા લંડન આવ્યા હતા, પરંતુ અભ્યાસ પૂરો કરી સ્વદેશ પાછા ફરતાં બૅરિસ્ટર તરીકે પોતે સફળ થશે કે કેમ એ વિશે ઊંડી મૂંઝવણ અનુભવી રહ્યા હતા; કદાચ એ કારકિર્દી એમના હૃદયને આકર્ષતી જ નહોતી. રાજકોટમાં કિશોરાવસ્થા દરમિયાન જ સ્વદેશપ્રેમ ને સમાજસુધારાનો પવન એમને સ્પર્શી ચૂક્યો હતો. દેશના મધ્યમ વર્ગે કવિ દલપતરામની જેમ “ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર&amp;quot; એમ માની શરૂઆતમાં અંગ્રેજી શાસનને આવકાર્યું હતું. પરંતુ ગાંધીજીના વિદ્યાર્થીકાળ સુધીમાં પવન બદલાઈ ગયો હતો અને રાજકોટની શાળામાં હવે નવલરામની (ગાંધીજીએ એને સરતચૂકથી નર્મદની કહી છે) “અગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ” એ કાવ્યપંક્તિઓ ગવાતી, જેમાંથી કિશોર વિદ્યાર્થીઓને, નવલરામને કદાચ અભિપ્રેત નહિ હોય એવી, પ્રેરણા મળતી હશે અને તેઓ દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત જોવાનાં સ્વપ્ન સેવતા હશે. ગાંધીજીના કલ્પનાશીલ સ્વભાવે એ પવનનો બીજા વિદ્યાર્થીઓ કરતાં વધુ પ્રબળ પ્રભાવ અનુભવ્યો હોય એમ જણાય છે. અંગ્રેજોને હરાવી દેશમાંથી હાંકી કાઢવા માટે જરૂરી બળ મેળવવા પ્રજાએ માંસાહાર કરવો જોઈએ એ દલીલથી પ્રભાવિત બની તેઓ માંસાહાર કરવા લલચાયા, અને માતાને ન છેતરવાની ભાવનાથી તેમણે એ પ્રયોગ બંધ કર્યો તોપણ મનમાં સંકલ્પ કર્યો કે મોટા થઈ સ્વતંત્ર થયે તેઓ ખુલ્લી રીતે માંસાહાર કરશે. આ સંકલ્પમાં અંગ્રેજો જેવા બળવાન બનવાની ઇચ્છા સાથે વ્યક્તિની સ્વતંત્રતા રૂંધતા રીતરિવાજોનો ભંગ કરી સમાજસુધારો કરવાની વૃત્તિ પણ ભળી હશે અને એ ધગશે જ, કદાચ, ગાંધીજીને ઇંગ્લંડ જવા પ્રેર્યા હશે. જવાના સમયે રાજકોટની શાળાના શિક્ષકો ને વિદ્યાર્થીઓએ યોજેલા વિદાયસમારંભમાં તેઓ પોતાના વિદ્યાર્થીમિત્રોને સલાહ આપે છે: “હું આશા રાખું છું કે બીજાઓ મારો દાખલો લેશે અને ઇંગ્લંડથી પાછા આવ્યા બાદ હિંદુસ્તાનમાં સુધારાનાં મોટાં કામો કરવામાં પોતાના ખરા જિગરથી ગૂંથાશે” (૧–૨. ૧). અભ્યાસ પૂરો કરી ભારત પાછા આવી રહ્યા હતા ત્યારે આગબોટમાં પોતે દેશમાં વકીલાત કરી શકશે કે નહિ એ ચિંતાની સાથે, ‘આત્મકથા&#039;માં તેઓ લખે છે તેમ, કુટુંબજીવનમાં પોતે “કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા” તે કેવી રીતે અમલમાં મૂકવા એની પણ ચિંતા કરી રહ્યા હતા (પૃ. ૮૭). રાજકોટ પહોંચી ગાંધીજીએ પહેરવેશ ને રહેણીકરણીમાં કેટલાક સુધારા તો અમલમાં મૂક્યા, પરંતુ વકીલાતમાં તેઓ સફળ ન થયા. લંડનવાસ દરમિયાન તીવ્ર બનેલી સત્યનિષ્ઠાએ એમનામાં જે સ્વમાનભાવના કેળવી હતી તેનું રક્ષણ કરી શકાય એવું વાતાવરણ તેમણે રાજકોટ કે મુંબઈ શહેરોમાં અનુભવ્યું નહિ, અને વકીલાત માટે જરૂરી આત્મશ્રદ્ધા પણ તેમનામાં આવી નહિ. આ મૂંઝવણમાં દક્ષિણ આફ્રિકા જવાનું આમંત્રણ આવ્યું, જે તેમણે બહુ વિચાર કર્યા વિના સ્વીકારી લીધું. ત્યાં પહોંચ્યા પછી એકાદ અઠવાડિયામાં જ નાતાલની રાજધાની પીટરમૅરિત્ઝ્બર્ગ સ્ટેશને ગાંધીજીનું અપમાન થયું તે પ્રસંગે એમનાં સ્વમાનભાવના ને સ્વદેશપ્રેમને ઉત્તેજી તેમને હિંદી કોમ વતી ગોરાઓના રંગદ્વેષનો સામનો કરવા કૃતસંકલ્પ કર્યા. એમનાં સંકોચ ને શરમાળપણું હવે અદૃશ્ય થઈ ગયાં અને તેઓ તદ્દન સ્વાભાવિક રીતે દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના નેતા બની ગયા. આવ્યા હતા એક વર્ષ માટે, પણ રહી પડ્યા વીસ વર્ષ સુધી. &lt;br /&gt;
આમ અનાયાસે આવી પડેલી રાજકીય સેવામાં ધર્મપ્રેરણા ભળી, અને ગાંધીજીની સેવાપ્રવૃત્તિ એમને માટે ભારતને સર્વાંગી નવસર્જનમાં પોતાનો ફાળો આપવાની કર્મયોગની આધ્યાત્મિક સાધના બની ગઈ. લંડનવાસ દરમિયાન ધર્મજિજ્ઞાસા જાગ્રત થઈ હતી અને બધા મુખ્ય ધર્મોંનો પરિચય મેળવવાનો ગાંધીજીએ વિચાર કર્યો હતો તેને દક્ષિણ આફ્રિકામાં અમલમાં મૂકવાના સંયોગો ઉપસ્થિત થયા. જે મેમણ પેઢીના આમંત્રણથી તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તેના વકીલ મિ. બેકર એક ખ્રિસ્તી મિશનના સંચાલક હતા અને પહેલી મુલાકાત વેળા જ તેમણે ગાંધીજીને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવા આકર્ષવાનો પ્રયત્ન કર્યો. મિ. બેકર દ્વારા ગાંધીજીને બીજા ખ્રિસ્તી પરિચયો પણ થયા અને એ બધાની પ્રેરણાથી તેમણે ખ્રિસ્તી ધર્મનો વિગતે અભ્યાસ કર્યો. ઈશુના વ્યક્તિત્વથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા, પરંતુ ખ્રિસ્તી ધર્મને એકમાત્ર સંપૂર્ણ કે સાચા ઉત્તમ ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા. મેમણ પેઢીના ભાગીદાર દાદા અબદુલ્લાની પ્રેરણાથી ગાંધીજીએ કુરાન અને બીજાં ઇસ્લામી પુસ્તકો પણ વાંચ્યાં. રાજકોટમાં વિદ્યાર્થીકાળ દરમિયાન હિંદુ ધર્મની કેટલીક માન્યતાઓ પ્રત્યે કંઈક અણગમો કેળવાયો હતો, પરંતુ લંડનમાં થિયૉસૉફિસ્ટ મિત્રોની પ્રેરણાથી ભગવદ્ગીતા, &#039;બુદ્ધચરિત&#039; ને મૅડમ બ્લૅવૅટ્સ્કીનું ‘કી ટુ થિયૉસૉફિ&#039; વાંચ્યા પછી તે ઓછો થઈ ગયો હતો અને હવે શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી ગાંધીજીએ હિંદુ ધર્મનો કંઈક વ્યવસ્થિત અભ્યાસ કર્યો. શ્રીમદે સૂચવેલાં પુસ્તકોના તથા તૉલ્સતૉયના “વૈકુંઠ તારા હૃદયમાં છે&#039; એ પુસ્તકના વાંચને ગાંધીજીને આધ્યાત્મિકતા પ્રત્યે નવી દૃષ્ટિ આપી અને તેમનું ધર્મવાંચન ને ચિંતન વધારી મૂક્યું. ઇંગ્લંડથી પાછા ફરતાં આગબોટમાં જેઓ સમાજસુધારાના સ્વપ્ન સેવતા હતા તેઓ હવે આત્મદર્શનના અભિલાષી બની ગયા અને સેવાપ્રવૃત્તિને તેના એક સાધન રૂપે જોવા લાગ્યા. કર્મયોગની આ ભાવનાને ૧૯૦૩માં શરૂ કરેલા ભગવદ્ગીતાના અભ્યાસે સ્પષ્ટ સ્વરૂપ આપ્યું, અને તે સાથે ગાંધીજીની આધ્યાત્મિક યાત્રા ભારતીય પરંપરામાં દૃઢ થઈ.  &lt;br /&gt;
દક્ષિણ આફ્રિકામાં પહેલા વર્ષ દરમિયાન ગાંધીજીએ હિંદી કૉમની અવદશા જોઈ લીધી હતી અને જે કાનૂની કાર્યવાહી અંગે તેઓ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે પૂરી થતાં કૉમના રાજકીય સ્વમાન માટે લડવાની તક મળી તે તેમણે આવકારી લીધી. દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી અને વર્તમાનપત્રોમાં પત્ર ને સત્તાધીશોને વિનંતીપત્રો દ્વારા હિંદી કૉમ વિરુદ્ધ પ્રવર્તતા પૂર્વગ્રહો ને દ્વેષની સામે તેમણે લડત ઉપાડી. ત્રણ વર્ષના વસવાટ પછી ગાંધીજી ૧૮૯૬ના જૂન માસમાં કુટુંબને દક્ષિણ આફ્રિકા લઈ જવા ભારત આવ્યા અને છ માસ રહી ડિસેમ્બર માસમાં પાછા ફર્યા. ભારતમાં એમણે કરેલાં ભાષણોના ને દક્ષિણ આફ્રિકાની હિંદી કૉમની હાડમારીઓનું વર્ણન કરતા એક ચોપાનિયા વિશેના ખોટા અહેવાલોથી દક્ષિણ આફ્રિકાના ગોરાઓ ઉશ્કેરાયા હતા અને ગાંધીજી ડરબન બંદરે ઊતરતાં એક ટોળાએ એમના ઉપર હિંસાત્મક હુમલો કર્યો. ગાંધીજીએ એ ટોળાના નેતાઓ ઉપર કામ ચલાવવાનો ઇનકાર કરી જાહેર જીવનમાં અહિંસાનો પહેલો પ્રયોગ કર્યો. સન ૧૮૯૯-૧૯૦૦માં બોઅર યુદ્ધ થયું, જેમાં સારવાર ટુકડીના નેતા તરીકે સેવા આપી ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરી. એ યુદ્ધ પૂરું થતાં ૧૯૦૧ના ઑક્ટોબર માસમાં ગાંધીજી સ્વદેશમાં જાહેર સેવાના કાર્યમાં જોડાવાની ભાવનાથી ભારતમાં પાછા ફર્યા પરંતુ એક વર્ષમાં જ દક્ષિણ આફ્રિકાની હિંદી કૉમની વિનંતીને માન આપી તેઓ વળી પાછા, ડિસેમ્બર ૧૯૦૨માં, દક્ષિણ આફ્રિકા પહોંચ્યા અને ૧૯૧૪ની સાલ સુધી ત્યાંની હિંદી કૉમના હકો માટે પહેલાં બંધારણીય માર્ગે અને પછી સત્યાગ્રહની લડતો દ્વારા લડતા રહ્યા. લડતનો સફળ અંત આવતાં ૧૯૧૪ના જુલાઈ માસમાં ગાંધીજી કાયમ માટે ભારત આવવા નીકળ્યા અને ગોપાળ કૃષ્ણ ગોખલેને મળવા લંડન જઈ ૧૯૧૫ના જાન્યુઆરી માસની ૯મી તારીખે, માતૃભૂમિના દર્શને આનંદ અનુભવતા, મુંબઈ ઊતર્યા.  &lt;br /&gt;
ગાંધીજીની ગુજરાતી લેખનપ્રવૃત્તિ દક્ષિણ આફ્રિકામાં એમની આ રાજકીય સેવાપ્રવૃત્તિ અંગે, એક પત્રકાર તરીકે, શરૂ થઈ. સને ૧૯૦૩ની ૪થી જૂને ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;નો પ્રથમ અંક બહાર પડ્યો ત્યારથી ૧૯૧૪ના જુલાઈ માસમાં તેમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં સુધી તેઓ એ સાપ્તાહિકમાં નિયમિત લખતા રહ્યા. સાપ્તાહિકનો ઉદ્દેશ ગોરાઓમાં હિંદીઓના હકો વિશે જાહેર મત કેળવવાનો હતો, પરંતુ ગાંધીજીએ તેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમને પ્રજાજીવનનું શિક્ષણ આપવા માટે પણ કર્યો અને એ હેતુથી તેમણે &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;માં અંગ્રેજીની સાથે ગુજરાતી વિભાગ શરૂ કર્યો. એ વિભાગમાં ગાંધીજીએ વાચકોને ગોવર્ધનરામના જેવી, સત્યદૃષ્ટિના મિશ્રણવાળી સાત્ત્વિક સ્વદેશપ્રેમની ભાવનાના સંસ્કાર આપવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં અંગ્રેજી શિક્ષણે ત્રણ અંતિમમાર્ગી વર્ગો ઉત્પન્ન કર્યા હતા. એક વર્ગ અંગ્રેજી સમાજ ને સંસ્કૃતિની સરખામણીમાં ભારતમાં અજ્ઞાન ને વહેમ સિવાય કશું જોતો નહિ અને અંગ્રેજી જીવનરીતિનું અનુકરણ કરીને જ દેશ સંસ્કારી બની શકે એમ માનતો, જ્યારે એ પ્રવાહની પ્રતિક્રિયા રૂપે બીજો વર્ગ પ્રાચીન ભારતની મહાનતાના ખ્યાલમાં રાચતો અને અંગ્રેજી આચારવિચારોના “પવન”નો આવેશભર્યો પ્રતિકાર કરતો. ત્રીજો વર્ગ રાજકીય સ્વતંત્રતાને વધુ મહત્ત્વ આપતો અને ગમે તે ઉપાયે પ્રથમ દેશને અંગ્રેજી શાસનમાંથી મુક્ત કરવાનું સ્વપ્ન સેવતો. ગાંધીજીનો સ્વદેશપ્રેમ આ ત્રણે પ્રકારની આત્યંતિકતાથી મુક્ત હતો. શ્રીમદ્ રાજચંદ્રે પ્રેરેલાં વાંચન ને ચિંતનના પ્રતાપે તેઓ ભારતીય આધ્યાત્મિકતાના પ્રેમી બન્યા હતા, પરંતુ એમની સત્યદૃષ્ટિ વર્તમાન ભારતની અવદશા પણ જોતી અને દેશની ઉન્નતિ માટે રાજકીય સ્વમાનની સાથે આંતરિક સુધારાનું મહત્ત્વ પણ સમજતી. &lt;br /&gt;
સાપ્તાહિકના પ્રથમ અંકમાં જ તેની જરૂર ને હેતુ સમજાવતાં ગાંધીજીએ કબૂલ કર્યું કે હિંદીઓ ઉપર આરોપવામાં આવતા બધા દોષ કલ્પિત નહોતા અને જણાવ્યું કે જે કોઈ દોષ એમને દેખાશે તેને સુધારવાનો એમનો પ્રયત્ન રહેશે. પ્રજાને કડવો ઘૂંટડો પાવો તેને તેઓ પત્રકાર તરીકે પોતાની ફરજ માનતા (૫. ૧૨૩) અને એ ઘૂંટડો પ્રેમપૂર્વક પાવાની ગાંધીજીએ એમના લેખોમાં એક વિશિષ્ટ શૈલી વિકસાવી. ગાંધીજીની દૃષ્ટિએ હિંદી કોમની સૌથી ગંભીર નિર્બળતા એનામાં જાહેર સેવાની ભાવનાનો અભાવ હતો તે હતી અને પ્રજાની નૈતિક ઉન્નતિ અંગેનો પહેલો જ લેખ &#039;ભોગ&#039; (“આત્મભોગ”, “સ્વાર્થત્યાગ”ના અર્થમાં) ઉપર લખ્યો. વ્યક્તિઓમાં આત્મભોગની ભાવનાથી જ સમાજ ટકી રહે છે એમ સમજાવી તેમણે ગોરાઓના આક્રમણથી કોમનું રક્ષણ કરવા દરેકને સમય ને પૈસાનો ભોગ આપવા તૈયાર રહેવાનો અનુરોધ કર્યો (૪. ૧૩૧-૨, ૧૩૭-૮). દેશસેવા ને લોકસેવા માટે સ્વાર્થત્યાગની આ ભાવના ગાંધીજીના કવિહૃદયને એટલી આકર્ષક લાગી હતી કે ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;ના તા. ૧-૭-૧૯૦૫ના અંકથી શરૂ થતી એક લેખમાળામાં તેમણે સાપ્તાહિકના ગુજરાતી વિભાગમાં કેટલાંક જાણીતાં પશ્ચિમી લોકસેવકો ને સેવિકાઓનાં ટૂંકાં પણ માહિતીપૂર્ણ, સુગ્રથિત નિબંધો જેવાં પરિચયચિત્રો આપ્યાં. આ ૫રિચયલેખોમાં ગાંધીજીની સેવાપ્રવૃત્તિને જીવનભર પ્રેરી રહેલા આદર્શોનું પહેલું દર્શન થાય છે. એવો પહેલો લેખ કોઈ અંગ્રેજ લોકસેવક વિશે નહિ પણ રશિયન લેખક મૅકિસમ ગૉર્કી વિશે છે. “લોકોને પડતા જુલમો સામે ઉશ્કેરવા” પોતાની કલમનો ઉપયોગ કરનાર, “લોકોના હકનો બચાવ” કરવા હંમેશાં તૈયાર રહેનાર અને લોકસેવા અંગે “કેદને માન” સમજનાર એ ક્રાન્તિવીર માટેનો ગાંધીજીનો અહોભાવ (૫.૬-૭) એમની ભવિષ્યની કારકિર્દીની દૃષ્ટિએ સૂચક ગણી શકાય એવો છે. ગાંધીજીની કલમ પણ રાજ્યના અન્યાયનો પ્રતિકાર કરવા જ પ્રવૃત્ત થઈ હતી અને જીવનભર લોકહિત ને લોકકલ્યાણને સમર્પિત રહી હતી, તથા તેઓ પણ લોકસેવા અંગે મળતી જેલને “મહેલ” ગણવાનું શીખ્યા હતા, અને પ્રજાને શીખવતા રહ્યા હતા. “સ્વાર્થ વિનાનો, અહંકાર વિનાનો, અત્યંત પવિત્ર ધર્મચુસ્ત” અને પોતાના મનોબળથી ને “અત્યંત ભક્તિ”થી સ્વદેશનો ઉદ્ધાર કરનાર જોસેફ મૅઝિની જીવનભર ઇટાલીની સેવા કરતો રહ્યો, પણ “તેનું મન એવું ઉદાર હતું કે તે દરેક દેશનો રહીશ ગણી શકાય” (૫. ૨૯-૩૦) સ્વદેશની સેવા કરવાની ભાવનાથી પ્રેરાઈ અબ્રાહામ લિંકન ગુલામીની પ્રથા નાબૂદ કરવા પોતાના જ દેશબાંધવોની સાથે લડ્યો અને છેવટે “પારકાનાં દુ:ખને સારુ પોતાની જિંદગી અર્પણ કરી અમર થઈ ગયો (૫. ૫૪-૬). અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધમાં “લોકોની સેવા કરવા ખાતર વગર પગારે&amp;quot; સેનાપતિનો હોદ્દો સ્વીકારનાર અને લડાઈમાં “શૂરવીરપણું બતાવ્યું તેમ દેશમાં સુધારા કરવામાં, લોકોને એકઠા રાખવામાં ને દેશની આબરૂ વધારવામાં&amp;quot; બતાવનાર જ્યૉર્જ વૉશિંગ્ટન જેવા “વીર પુરુષ હિંદ પણ જણે” એમ ગાંધીજી ઈચ્છે છે (૫. ૯૧-૨). &amp;quot;મા, બીક શું છે? મેં તે નથી જોઈ” એમ દાદીને પૂછનાર બાળક નેલ્સન નેપોલિયન સામે ટ્રફાલ્ગરના યુદ્ધમાં ઘવાયો ત્યારે “અસહ્ય વેદના સહન કરતાં પણ તેણે હુકમો આપ્યા કર્યા” અને મૃત્યુની ક્ષણ સુધી પોતાની ફરજ બજાવતો રહ્યો. એના જેવા “હીરા&amp;quot; ગાંધીજી લખે છે, “જે પ્રજામાં ઉત્પન્ન થાય અને જે પ્રજા એવા હીરાને આવા જતનથી સાચવે તે પ્રજા કેમ આગળ ન વધે?” કર્તવ્યનિષ્ઠાના એ જ્વલંત દૃષ્ટાંતમાંથી દેશભક્ત ગાંધીજી વાચકોને સાર લેવા પ્રેરે છે : “આપણે નેલ્સનના જેવા હિંમતવાન થઈએ, તેના જેટલી ફરજ સમજીએ. નેલ્સનની પ્રજાની જેમ આપણને પણ દેશાભિમાન આવે. હું હિંદુ, તમે મુસલમાન; હું ગુજરાતી, તમે મદ્રાસી; એ બધું ભૂલી જઈએ. હું અને મારું એ નીકળી હું હિંદી, તમે પણ હિંદી” (૫. ૧૨૫-૬). &lt;br /&gt;
શૂરવીરતાના આવા પ્રશંસક ગાંધીજી કર્તવ્યનિષ્ઠાનાં શાંત, રચનાત્મક સ્વરૂપોના એવા જ ભક્ત હતા. તેઓ માનતા કે અંગ્રેજો હિંદુસ્તાન ઉપર રાજ્ય કરતા હતા કારણ કે “ઈંગ્રેજી પ્રજામાં હાલના જમાનામાં બહાદુર, ધાર્મિક અને પવિત્ર સ્ત્રીપુરુષો આપણા કરતાં વધારે થયાં જણાય છે&#039; (૫. ૪૮). તેવી એક સ્ત્રી, ઇલિઝાબેથ ફ્રાય, “પોતે હમેશાં માંદી રહેતી” પરંતુ તેની દરકાર કર્યા વિના તેણે “પોતાની જિંદગી... કેદીઓની દશા સુધારવામાં અર્પણ કરી&#039; અને “બહુ દુખિયાનાં દુઃખમાં ભાગ લેતી... પોતાનું દુ:ખ ભૂલી જઈ ઈશ્વરનું ભજન કરતી મરણ પામી” (૫. ૪૯). ઇંગ્લંડ ને રશિયા વચ્ચેના ક્રીમિયાના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરનાર “ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! ... પોતે દહાડોરાત મળી ૨૦ કલાક સુધી કામ કરતી.... એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી.... જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોક રડેલા એમ કહેવાય છે.” અને જૂના યુગની ગાંધીજીની ધર્મશ્રદ્ધા ભક્તિભાવથી લખે છે : “ઇંગ્લંડ રાજ્ય કરે છે તે પોતાના બળથી નહીં પણ આવાં સ્ત્રીપુરુષોનાં પુણ્યથી” (૫. ૬૫-૬) &lt;br /&gt;
ભારતમાં અંગ્રેજી શાસકોની તુમાખી ગાંધીજીએ જોઈ અને અનુભવી હતી, છતાં એમની ઉદાર સત્યદૃષ્ટિ કેટલાક અંગ્રેજ રાજ્યકર્તાઓની સન્નિષ્ઠાની ભાવપૂર્વક કદર કરે છે. પંજાબમાં અંગ્રેજી શાસન સ્થિર કરનાર હેન્રી લૉરેન્સ “હિંદીઓ ઉપર બહુ પ્યાર” રાખતો. તે એમ માનતો કે “દરેક અંગ્રેજ એ હિંદુસ્તાનનો ટ્રસ્ટી છે” અને ટ્રસ્ટી તરીકે અંગ્રેજોનું કામ “લોકોને આબાદ કરવાનું, લોકોને સ્વરાજ્ય શીખવવાનું અને આબાદ મુલક કરીને હિંદીઓને સોંપવાનું હતું” (૫. ૧૧૦-૧). મદ્રાસ ઇલાકામાં પોતાની કર્તવ્યનિષ્ઠાથી નોકરીમાં ઉત્તરોત્તર ચડી છેવટ ગવર્નરની પદવી સુધી પહોંચનાર સર ટૉમસ મનરોની “હિંદીઓ ઉપર અગાધ પ્રીતિ હતી અને તેનો ખરેખરો ઇલકાબ સર નહિ પણ ‘રૈયતનો દોસ્ત’ એ હતો.” “આવા સાદા અને માયાળુ ઈંગ્રેજો” ગાંધીજી લખે છે, “અગાઉ થઈ ગયા અને હજુ પણ નીકળી આવે છે તેથી જ ઇંગ્રેજ રાજ્યનો સતારો ઘણા ડાઘ છતાં ઝળક્યાં કરે છે” (૫. ૧૨૯). &lt;br /&gt;
ગાંધીજીનો સ્વસ્થ સ્વદેશપ્રેમ આવાં અંગ્રેજ વ્યક્તિવિશેષોનાં ચિત્રો આપતાં કોઈ પ્રકારની લધુતાગ્રંથિ અનુભવતો નથી. એમની શ્રદ્ધા હતી કે યોગ્ય શિક્ષણ મળતાં હિંદીઓ અંગ્રેજોના જેવી સેવાભાવના ને કર્તવ્યનિષ્ઠા કેળવી શકે, અને &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના વાચકોને એમણે નવી કેળવણી પામેલા કેટલાક એવા હિંદીઓનો પણ પરિચય કરાવ્યો. ત્રાવણકોર, ઇંદોર ને વડોદરા એમ એક પછી એક ત્રણ રાજ્યોના દીવાન બનનાર રાજા સર ટી. માધવરાવ, હાઈકોર્ટના પહેલા હિંદી જજ સર ટી. મુતુસામી ઐયાર અને મુસ્લિમ સુધારક, મુંબઈ હાઈકોર્ટના જજ બદરુદ્દીન તૈયબજીની કારકિર્દીનાં પરિચયચિત્રો એ સમયના અર્ધશિક્ષિત વેપારીઓમાં હિંદીઓની શક્તિ વિશે ગૌરવ પ્રેરે એવાં હતાં. પરંતુ ગાંધીજીની પોતાની ભક્તિ બંગાળી લોકસેવક ને સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર માટે હતી. વિદ્યાસાગર માત્ર વિદ્યાનો નહિ, પણ “દયાનો, ઉદારતાનો તથા ઘણા સદ્ગુણોનો સાગર” હતા. તેઓ “હિંદુ... અને તેમાં પણ બ્રાહ્મણ” હતા, પણ તેમને “મન બ્રાહ્મણ અને શુદ્ર, હિંદુ અને મુસલમાન સરખા હતા તે” અને એમની રહેણીકરણી એટલી સાદી હતી કે તેઓ ખરેખરા “ફકીર અથવા સંન્યાસી કે યોગી” હતા (પ. ૭૧-૨). &lt;br /&gt;
સેવા ને કર્તવ્યનિષ્ઠાની આ નવી લાગતી ભાવનાઓ ગાંધીજીના હૃદયમાં સ્થિર થતાં એમની કલ્પનાક્ષિતિજ ઉપર એક નવા આદર્શનો ઉદય થયો, જે એમની જીવનદૃષ્ટિના વિકાસમાં ક્રાન્તિકારી પરિણામ લાવવાનો હતો. ભગવદ્ગીતાના અભ્યાસે તેમને અપરિગ્રહના આદર્શ વિશે વિચાર કરતા કર્યા હતા અને એમનું જીવન સાદાઈ તરફ પ્રગતિ કરી રહ્યું હતું, તેવામાં એમણે ૧૯૦૪ના જૂન માસમાં, અંગ્રેજ લેખક રસ્કિનનું &#039;અન્ટુ ધિસ લાસ્ટ&#039; પુસ્તક વાંચ્યું, જેમાં લેખકે જુસ્સાભરી ભાષામાં પ્રતિપાદન કર્યું હતું કે કોઈ પણ દેશનું ખરું ધન એની બેંકોમાં સંઘરેલું હોતું નથી પણ એના નીચલામાં નીચલા વર્ગની સ્વાસ્થ્ય, આનંદ ને ઉલ્લાસની સમૃદ્ધિમાં રહેલું છે. &#039;આત્મકથા&#039;માં એમણે નોંધ્યું છે તેમ ગાંધીજી આ પુસ્તકમાંથી ત્રણ સિદ્ધાંતો સમજ્યા : (૧) ઓગણીસમી સદીના સમાજદર્શનનો આદર્શ “વધુમાં વધુ સંખ્યાનું વધુમાં વધુ સુખ” એ હતો, એટલે કે બની શકે એટલી વધારે પ્રજાસંખ્યા વધુમાં વધુ સુખી થાય એવી સમાજવ્યવસ્થા. આની વિરુદ્ધ રસ્કિનમાંથી ગાંધીજીએ સ્વીકારેલો સિદ્ધાંત સર્વ પ્રજાજનોના સરખા સુખમાં— &#039;સર્વોદય&#039;માં માને છે. (૨) આર્થિક દૃષ્ટિએ શરીરના કે બુદ્ધિના દરેક પ્રકારના શ્રમનું સરખું મૂલ્ય અને (૩) નૈતિક દૃષ્ટિએ શરીરશ્રમનું વિશેષ ગૌરવ. પુસ્તકની, &#039;આત્મકથા&#039;માં ગાંધીજી નોંધે છે તેમ, એમના મન ઉપર એવી “જાદુઈ અસર” થઈ કે એમણે તુરત એના આદર્શો અમલમાં મૂકે એવા સામૂહિક જીવનની યોજના વિચારી અને ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. આ નવા આદર્શના પ્રકાશે તૉલ્સ્તૉય માટે ગાંધીજીનું આકર્ષણ વધાર્યું. એ રશિયન લેખકનાં પુસ્તકોએ ગાંધીજીને વિશ્વપ્રેમ દ્વારા કેળવવાની આધ્યાત્મિકતાનો આદર્શ આપ્યો હતો અને તેણે ભારતીય આધ્યાત્મિકતાના સંસ્કાર સાથે ભળી ગાંધીજીને અહિંસા ધર્મમાં દૃઢ કર્યા હતા. હવે તેઓ તૉલ્સ્તૉયના ઉપદેશના બીજા એક મહત્ત્વના પાસા વિશે વિચાર કરતા થયા. &#039;કાઉન્ટ ટૉલ્સ્ટૉય&#039; ઉપરના પરિચયલેખમાં તેમણે એ ઉપદેશની ને તૉલ્સ્તૉયના જીવનની આછી રૂપરેખા આપી. તૉલ્સ્તૉય માનતા કે આજીવિકા માટે દરેક વ્યક્તિએ શરીરશ્રમ કરવો એ એક ધાર્મિક કર્તવ્ય છે, “અને મોટાં શહેરો વસાવવાં, તેમાં લાખો માણસોને સંચાકામ વગેરેમાં ગોઠવવાં અને તેવાંઓની ગુલામગીરી અથવા તો ગરીબાઈનો લાભ લઈ થોડા માણસોએ અમીરાત ભોગવવી એ ઈશ્વરી નિયમથી ઊલટું છે” (૫. ૬૦). આ સિદ્ધાંતે સમય જતાં ગાંધીજીની આધ્યાત્મિક અભિલાષાને ક્રાન્તિકારી દિશા આપી અને સત્ય ને પ્રેમની શક્તિ દ્વારા ભારતમાં એક નવા પ્રકારની ન્યાયી ને નીતિમાન સમાજવ્યવસ્થા સર્જવાનો પુરુષાર્થ કરવા એમને પ્રેર્યાં. &lt;br /&gt;
ગાંધીજીનું ધર્મચિંતન જે દિશામાં વળી રહ્યું હતું તેનું સમર્થન કરતું એક પુસ્તક, અમેરિકન લેખક સૉલ્ટરનું “એથિકલ રિલિજિયન&#039;, એમણે આ અરસામાં વાંચ્યું અને &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના વાચકો માટે એને ગુજરાતીમાં ‘નીતિધર્મ’ શીર્ષકની એક લેખમાળામાં સારાનુવાદ આપ્યો. ગાંધીજીના ધર્મદર્શનનું રહસ્યબિંદુ સમજવામાં આ લેખો મહત્ત્વના છે. ભારતની અવનતિનું મુખ્ય કારણ એ હતું કે વ્યાવહારિક જીવનમાં પ્રજાએ શાસ્ત્ર કે રૂઢિને પ્રધાનપદ આપ્યું હતું અને વ્યક્તિની સ્વતંત્ર વિવેકશક્તિ નિર્બળ કે ક્ષીણ બનાવી દીધી હતી. સામાન્ય જનસમાજ માટે ધર્મનો અર્થ દેવદર્શન કે પૂજા એટલો જ રહ્યો હતો, અને ધર્મની પ્રેરણા વધુ તીવ્ર રૂપે અનુભવતા સંતો વ્યાવહારિક કે સામાજિક જીવનનો ત્યાગ કરી એમના પોતાના માર્ગે જતા. મોક્ષના અભિલાષીઓ વેદાંતનો આશ્રય લઈ ધર્મથી પણ વિમુખ બની જતા. ગાંધીજીએ વ્યવહાર, નીતિ, ધર્મ ને મોક્ષ વચ્ચે એકસૂત્રતા સ્થાપી. “નીતિધર્મ” ઉપરના લેખોમાં તેઓ, મૂળ લેખકને અનુસરી, પહેલાં ત્રણ વચ્ચેનો ભેદ સમજાવે છે. સમાજવ્યવહાર માટે રૂઢિનું પાલન જરૂરી હોય, પણ રૂઢિ એ નીતિ નથી, શુદ્ધ નીતિ એટલે “આપણું અંતર શું કહે છે” તેનો જ વિચાર કરીને કરેલું વર્તન. એવા વર્તનમાં ઈહલોક કે પરલોકમાં કોઈ લાભ કે ફળની અપેક્ષા ન હોય (૬. ૩૧૮-૯). આવી નીતિભાવનામાં વ્યક્તિની પોતાના પ્રત્યે કર્તવ્યની ભાવના રહેલી છે, અને એ ભાવનાને ધર્મશ્રદ્ધાના અવલંબનની જરૂર રહે છે. “જ્યાં સુધી નીતિબીજને ધર્મરૂપી પાણીનું સિંચન નથી ભળતું, ત્યાં સુધી અંકુર ફૂટતું નથી અને વગર પાણીથી તે બીજ સુકાયેલું રહે છે, અને જો લાંબો વખત પાણી વિના રહે તો નાશ પણ પામે છે... ખરી નીતિમાં ખરા ધર્મનો સમાવેશ થવો જોઈએ;....ધર્મ વિના નીતિ જળવાય નહીં, એટલે નીતિ ધર્મ રૂપે પાળવી જોઈએ” (૬. ૩૪૭-૮). આમ ધર્મદૃષ્ટિ વિનાની નીતિ અધૂરી છે, તો સમાજદૃષ્ટિ વિનાનો ધર્મ પણ અધૂરો છે...“ઊંચ નીતિ તે સાર્વજનિક હોવી જોઈએ” અને તેથી આપણા સંબંધમાં આવનાર દરેક વ્યક્તિ આપણી ઉપર હક ધરાવે છે એમ માની “આપણે સદા તેની સેવા કરવી એવી આપણી ફરજ છે” (૬. ૩૬૬). પ્રાચીન ભારતીય દૃષ્ટિએ પણ અંતઃપ્રેરણા ને સમાજધર્મનું ગૌરવ કર્યું હતું, અને સંભવ છે કે “નીતિધર્મ” ઉપરના આ લેખોમાં રજૂ કરાયેલી અર્વાચીન પશ્ચિમી ભાવનાઓએ ગાંધીજીને ભારતીય ધર્મદર્શનના એ મૂળ સ્વરૂપને સમજવાની દૃષ્ટિ આપી હોય. પરંતુ પ્રાચીન ભારતીય ધર્મદૃષ્ટિ ધર્મને મોક્ષના સાધન રૂપે જોતી અને ગાંધીજી પણ, એમની અંતરદૃષ્ટિનો વિકાસ થતાં, નીતિ ને ધર્મ વચ્ચેના સંબંધની સૉલ્ટરની પશ્ચિમી ભાવનાથી આગળ વધી &#039;આત્મકથા&#039;ની પ્રસ્તાવનામાં “ધર્મ એટલે આત્માર્થે પાળેલી નીતિ” એમ કહી નીતિ, ધર્મ ને મોક્ષ વચ્ચે પ્રાચીન ભારતીય દૃષ્ટિએ સ્થાપ્યું હતું તે અનુસંધાન સ્થાપિત કરવાના હતા. &lt;br /&gt;
એ જ ભારતીય દૃષ્ટિને અનુસરીને ગાંધીજીએ ધર્મપાલનને સામાન્ય સમાજવ્યવહારમાં સીમિત નહિ રાખતાં રાજકીય ક્ષેત્રમાં પણ તેનો આગ્રહપૂર્વક અમલ કર્યો. સને ૧૮૮૫માં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસની સ્થાપના સાથે જે રાજકીય જાગૃતિ શરૂ થઈ હતી તે ૧૯૦૫માં બંગાળાના ભાગલા સાથે દેશવ્યાપી બની અને પ્રજાના શિક્ષિત વર્ગમાં સ્વદેશભક્તિનો જુવાળ આવ્યો હોય તેમ લાગ્યું. આ જ અરસામાં જાપાન ને રશિયા વચ્ચે યુદ્ધ થયું અને તેમાં જાપાન જીત્યું. એશિયાની એક પ્રજાએ યુરોપના એક દેશને હરાવ્યો તેનું ભારતના શિક્ષિત વર્ગે રોમાંચપ્રેરક ગૌરવ અનુભવ્યું, અને એ નવો જુસ્સો ગાંધીજીને પણ સ્પર્શ્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં યુદ્ધના સમાચાર આપતાં તેઓ જાપાનની પ્રજાનાં સ્વદેશપ્રેમ, તેમની વીરતા, શિસ્ત ને દેશ માટે ભોગ આપવાની શક્તિને બિરદાવે છે તથા હિંદીઓને તેમાંથી પ્રેરણા મેળવવાનો આગ્રહ કરે છે (૪. ૫૨૫-૬, ૫. ૬૦-૧). રશિયામાં પણ ક્રાન્તિનો પવન વાઈ રહ્યો હતો અને પ્રજા રાજ્યના જુલમો સામે માથું ઊંચકી રહી હતી. &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના ગુજરાતી વિભાગમાં ગાંધીજી આ ઘટનાઓની પણ વિગતે નોંધ લે છે. રશિયા ને ભારતની સરખામણી કરી તેઓ રાજ્યના જુલમ સામે રશિયાની પ્રજાએ અસહકારનું શસ્ત્ર અજમાવ્યું હતું તેમ હિંદીઓને પણ કરવા પ્રેરે છે (૪. ૩૮૪-૫, ૩૯૦-૧, ૫. ૧૪૧-૨). પરંતુ આમ જાપાન ને રશિયાની પ્રજાની બહાદુરીની પ્રશંસા કરવા છતાં ગાંધીજીનું ધર્મપ્રેમી ને માનવતાપ્રેમી હૃદય યુદ્ધનું કે ત્રાસવાદી હિંસાનું અનુમોદન નથી કરી શકતું. તેમની શ્રદ્ધા હજુ ઇંગ્લંડની લોકશાહીના બંધારણીય માર્ગ ઉપર હતી. અને તેથી, દક્ષિણ આફ્રિકાના ગોરાઓના રંગદ્વેષનો તેઓ દસેક વર્ષથી કડવો અનુભવ કરી રહ્યા હોવા છતાં ૧૯૦૬ના જૂન-જુલાઈ માસમાં આફ્રિકાના મૂળ વતની ઝૂલુઓએ નાતાલની સરકાર સામે બંડ કર્યું ત્યારે ગાંધીજીએ સરકારને સક્રિય મદદ કરવાની તૈયારી બતાવી અને એક સારવાર ટુકડી તૈયાર કરી પોતે તેની નેતાગીરી લીધી. ઘવાયેલા અંગ્રેજ ને ઝૂલુ સૈનિકોની સારવાર કરવાના આ અનુભવે ગાંધીજીના હૃદયમાં કેટલાક સમયથી ચાલી રહેલા ધર્મમંથનને તીવ્ર બનાવી મૂક્યું અને બ્રહ્મચર્યવ્રત લઈ તેમણે આજીવન સેવાધર્મની માનસિક દીક્ષા લીધી. સ્વદેશપ્રેમનો જુસ્સો ને ધર્મવૃત્તિની આવી ઝંખનાના મિશ્રણમાંથી ગાંધીજીની કવિચેતનાએ એક અદ્ભુત રસાયણ સર્જ્યું. ઝૂલુ બંડ પૂરું થતાં જ એમની પ્રેરણાથી ટ્રાન્સવાલની હિંદી કોમે એક રંગદ્વેષી ઑર્ડિનન્સની યોજના વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. જોહાનિસબર્ગની એમ્પાયર નાટકશાળામાં તા. ૧૧-૯-૧૯૦૬ના રોજ મળેલી હિંદીઓની સભાએ એ ઑર્ડિનન્સ પસાર થાય તો તેને તાબે નહિ થવાનો અને તેમ કરતાં જરૂર પડે તો જેલ જવાનો નિર્ણય કર્યો. એક વર્ષ પછી, જુલાઈ ૧૯૦૭માં, આ ઠરાવનો અમલ થયો. સ્વમાનભાવનાએ પ્રેરેલી હિંદીઓની આ રાજકીય લડતમાં ગાંધીજીએ, જેને તેઓ સર્વ ધર્મોના મૂળમાં રહેલાં સનાતન મૂલ્યો માનતા થયા હતા તે સત્ય ને અહિંસાના સિદ્ધાંતોના પાલનનો આગ્રહ રાખ્યો અને જગતના ઈતિહાસમાં અપૂર્વ એવી એક પ્રતિકારરીતિનો ઉદ્ભવ થયો. ગાંધીજીએ તેને “સત્યાગ્રહ” નામ આપ્યું. પશુબળ સામે આત્મબળના આ પ્રયોગ સાથે યુગપુરુષ તરીકે ગાંધીજીનું જીવનકાર્ય શરૂ થયું. &lt;br /&gt;
સત્ય ને અહિંસા એ ગાંધીજી માટે માત્ર બુદ્ધિના સિદ્ધાંતો નહિ પણ હૃદયની સ્ફુરણાઓ હોઈ તેમના પાલનના અનુભવે, કવિનું દર્શન જેમ ઉત્તરોત્તર વિકાસ પામે તેમ, એ આદર્શો એમને વધુ ને વધુ શુદ્ધ સ્વરૂપે હૃદયગત થતા રહ્યા. આંદોલનની શરૂઆતના એમના લેખોમાં ક્ષત્રિય ઉગ્રતાનું તેજ હતું. નર્મદાશંકરની વાણીમાં તેમણે કોમને આહ્વાન આપ્યું હતું કે “સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો, ફતેહ છે આગે” (૬.૫૧૧), અને “શૂરા શું કરે?” એમ શીર્ષકમાં પૂછી તેનો ઉત્તર આપ્યો હતો, “પગલા ભરવા માંડો રે, હવે નવ વાર લગાડો રે;... સજી કરીને સહુ જણ સાથે, રણમાં લડવા ચાલો; શત્રુની સામે ઊભા રહી, ઘુરકાવીને ભાળો” (૭. ૩). એવી વીરતામાં ઊણા ઊતરેલા અને દશ આંગળાની છાપ આપી સર્ટિફિકેટ કઢાવી આવેલા કેટલાક હિંદીઓ ઉપર ભાગ્યે જ અહિંસક ગણી શકાય એવી વાણીમાં કટાક્ષ કરતાં તેમણે લખ્યું હતું: “એવું કહેવાય છે કે મિ. ખમીસાની દુકાનમાં તે રાતે આશરે વીસ માણસોએ મધરાતે હાથ ને મોં કાળાં કર્યાં ને હિંદી કોમને બટ્ટો લગાડ્યો” (૭. ૧૩૫). સરકારને ઢીલીપોચી અરજી કરનાર હિંદીઓને તેમણે પૂછયું હતું, “શું તેમને એટલું નથી સૂઝતું કે તેઓની હિચકારી અરજીથી હિંદીનું માન ઘટે છે ને હિંદીની ટેકને ધક્કો લાગે છે?” (૭. ૨૧૯). પરંતુ નવેમ્બર માસમાં શરૂ થયેલી બેએક માસની પકડાપકડી પછી અને ગાંધીજીએ વીસ દિવસની જેલ ભોગવ્યા પછી ૩૦-૧-૧૯૦૮ના રોજ સમાધાની થતાં તેમનો રોષ ઊતરી ગયો અને તેમણે લખ્યું : “આજ લગી અમે બ્લેકલેગને કાળમુખા વગરેની ઉપમા આપી છે.... પણ તે ઉપમા અમે દ્વેષ કરીને નથી આપી, પણ વહાલને લીધે દુઃખ પામીને.” ચુસ્ત રહેલા હિંદીઓને તેમણે “ભલામણ” કરી કે “તેઓએ ખૂની કાયદાને વશ થયેલા ઉપર જરાયે ગુસ્સો નહિ લાવતાં તેઓની સાથે થયેલું અંતર દૂર કરવું, તેઓનો દોષ ભૂલી જવો. તેઓ અને બીજા હિંદી એક જ દેશના છે, એક જ લોહી છે, અને ભાઈ છે. લાકડી મારવાથી પાણી જેમ નોખું નથી પડતું તેમ આપણે પણ નોખા પડી શકતા નથી” (૮. ૬૦). આ ક્ષમાભાવના સાચા હૃદયની હતી તેની થોડા જ દિવસોમાં કસોટી થઈ. સમાધાનીથી હિંદી કોમની નામોશી થઈ હતી એમ માનીને ગાંધીજી ઉપર રોષે ભરાયેલા તેમના એક પઠાણ અસીલ મીરઆલમે તેમની ઉપર હુમલો કર્યો ત્યારે, તેમની સારવાર કરી રહેલા સજ્જન પાદરી જોસેફ ડોકને ઘેર પથારીમાંથી તે જ દિવસે તેમણે મિત્રોને પત્ર લખ્યો ને જણાવ્યું કે “જેઓએ માર માર્યો છે તેઓની ઉપર મને ગુસ્સો નથી. તેઓએ અણસમજથી આ કામ કર્યું છે, તેઓની ઉપર કોઈ કામ ચલાવવાની જરૂર નથી” (૮. ૭૧) સને ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓના ટોળાએ એમના ઉપર હુમલો કર્યો હતો ત્યારે પણ ગાંધીજીએ એમાંના કોઈ ઉપર કામ ચલાવવાની અનિચ્છા દર્શાવી હતી, પરંતુ આ વેળા એમની ક્ષમાભાવનામાં શુદ્ધ અહિંસાનો જે સ્પર્શ હતો તે એમને માટે એક નવો જ અનુભવ હતો અને તે આ સમયનાં એમનાં લખાણોમાં સૌમ્ય મૃદુતા રૂપે સ્ફુરી રહે છે. હુમલાની વિગતો આપતો અને હુમલો કરનારાઓને દોષમુક્ત ગણાવતો &#039;મારો ઇલકાબ&#039; નામનો લેખ (૮. ૮૬), સમાધાનીનું રહસ્ય સમજાવતો &#039;સમાધાની ઉપર સવાલ-જવાબ&#039; લેખ (૮. ૭૨) તથા વીસ દિવસના જેલનિવાસનું વર્ણન કરતી ‘મારો જેલનો અનુભવ&#039; લેખમાળા (ખંડ ૮) અહિંસાનું પાલન વ્યક્તિના પોતાના હૃદય માટે કેવું શુદ્ધિપ્રેરક બની રહે છે તેની પ્રતીતિકર સાક્ષી પૂરે છે. અહિંસાનો આ અનુભવ ગાંધીજીની સત્યદૃષ્ટિને આભારી હતો. સમાધાનીમાં એમણે પોતાનો નહિ પણ &#039;સત્યનો જય&#039; જોયો હતો (૮. ૫૪, ૫૮-૯) અને એ જયથી ગર્વ નહિ પણ નમ્રતા અનુભવી હતી, જેને વિરોધીઓના વિરોધે વધુ નમ્ર બનાવી હતી. &lt;br /&gt;
જેલમાં ગાંધીજીએ ગ્રીક તત્ત્વચિંતક સૉક્રેટીસના મૃત્યુદંડની કથા વાંચી. સૉક્રેટીસ યુવાનોને દરેક માન્યતા બુદ્ધિથી ચકાસવાનું શીખવતો. એટલે ઍથૅન્સની નગરસભામાં તેના ઉપર ગ્રીક પ્રજાનાં દેવદેવીઓનો ઈનકાર કરી કોઈ બીજા દેવ કે તત્ત્વનો પ્રચાર કરવાનો અને યુવાનોના માનસને ભ્રષ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને તે માટે તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી. સજાનો અમલ કરવાની આગલી રાત્રે સૉક્રેટીસના શિષ્ય ક્રિટોએ તેને જેલમાંથી નાસી જવા માટે સમજાવ્યો અને તે માટે જરૂરી વ્યવસ્થા પણ કરી, પરંતુ તેણે પોતાની પ્રિય માતૃનગરીના કાયદાનો, તે અન્યાયી હોવા છતાં, છૂપી રીતે ભંગ કરી તેની કાનૂનવ્યવસ્થાનો દ્રોહ કરવાને બદલે પ્રેમપૂર્વક મૃત્યુની સજા સ્વીકારી લીધી. સૉક્રેટીસની એ કથા અને મુકદ્દમા વેળાનો તેનો બચાવ તથા જેલમાં તેની ને ક્રીટો વચ્ચેનો સંવાદ પશ્ચિમની બૌદ્ધિક પરંપરામાં સત્યનિષ્ઠાનાં ચિરંજીવ ઉદાહરણ બની રહ્યાં છે. ગાંધીજીએ તેમાં પોતાની સત્યાગ્રહભાવનાનું એક રૂપ જોયું, જેમ પ્રહ્લાદની કથામાં જોયું હતું, અને એ નવી શોધના ઉત્સાહથી પ્રેરાઈ જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘એક સત્યવીરની કથા’ એ શીર્ષકની લેખમાળામાં (ખંડ ૮) સૉક્રેટીસના બચાવનો અને ક્રીટો સાથેના તેના સંવાદનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો. સત્યાગ્રહ એ માત્ર અન્યાયનો પ્રતિકાર નથી, પણ એક વિશિષ્ટ જીવનરીતિ છે, એ ભાવના પણ ગાંધીજીના હૃદયમાં દૃઢ થઈ રહી હતી અને ૧૯૦૪માં સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં તેઓ એવી જીવનરીતિનો પ્રયોગ કરી રહ્યા હતા. રસ્કિનના જે પુસ્તકમાંથી તેમને એ આશ્રમની પ્રેરણા મળી હતી તેનો પણ ગાંધીજીએ &#039;સર્વોદય&#039; શીર્ષકથી ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો (ખંડ ૮). આમ પહેલા સત્યાગ્રહના અનુભવ પછી ગાંધીજીની સત્યદૃષ્ટિની ક્ષિતિજો નવી નવી દિશામાં વિસ્તરતી રહી. &lt;br /&gt;
જનરલ સ્મટ્સે સમાધાનીને ભંગ કર્યો અને લડત ફરી ઊપડતાં ગાંધીજીને ફરી બે વાર (૧૯૦૮ના ઑક્ટોબરમાં ને ૧૯૦૯ના ફેબ્રુઆરીમાં) જેલમાં જવાનું થયું. ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;ના ગુજરાતી વાચકો માટે એ જેલનિવાસના અનુભવનું વર્ણન કરતી લેખમાળાઓમાં ગાંધીજીની વિકસી રહેલી સત્યાગ્રહભાવનાની સ્પષ્ટ છાપ ઊઠે છે. સત્યાગ્રહી પોતાની સિદ્ધાંતનિષ્ઠાને પરિણામે આવી પડેલું કષ્ટ લેશમાત્ર કટુતા વિના, પ્રેમપૂર્વક સહન કરે. એવો સત્યાગ્રહી કેમ વર્તે એનું બુદ્ધિની ભાષામાં પૃથક્કરણ ન થઈ શકે, પણ એવા વર્તનનાં વાચકની કલ્પનામાં અંકિત થઈ જાય એવાં વર્ણન-ચિત્રો આપી શકાય. ગાંધીજીની કલમે એ સફળતાપૂર્વક કર્યું છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી મહાત્મા નહોતા બન્યા, અને તેથી એમને પણ જેલમાં કોઈ સામાન્ય કેદીને થાય એવા અનુભવ થયા હતા. બીજી વારની જેલ સખત મજૂરીની હતી, અને જેલમાં પહોંચ્યા પછી બીજે જ દિવસે એમને બીજા હિંદી કેદીઓની સાથે જમીન ખોદવાનું કામ કરવાનું આવ્યું. સખત મજૂરીથી નહિ ટેવાયેલા હિંદીઓ દારોગાના “ચલાવો ચલાવો” પોકારથી ગભરાઈ કામ કરતા હતા અને કેટલાક રડી પણ પડ્યા. એમનું દુ:ખ જોઈ, ગાંધીજી લખે છે, “મારું દિલ રડતું હતું”, પણ સૌને સાચા દિલથી કામ કરવા તેઓ પ્રેરતા રહ્યા. છેવટે તેઓ પોતે પણ થાક્યા. “હાથમાં ફોલ્લા સખત પડ્યા, તેમાંથી પાણી ચાલ્યાં. વાંકું વળવું એ મુશ્કેલ લાગતું હતું, અને કોદાળીનો ભાર મણ જેટલો લાગતો જણાયો” (૯. ૧૫૭). થોડા દિવસ પછી ગાંધીજીને એક શહેરની જેલમાંથી બીજા શહેરની જેલમાં લઈ ગયા. કેદીના પોશાકમાં, પોતાનો સામાન માથે ઊંચકી જેલથી સ્ટેશન ને સ્ટેશનથી જેલ ચાલતા જવું પડ્યું અને એ દૃશ્ય જોઈ સહકાર્યકર્તાઓની આંખમાં પાણી આવ્યાં (૯. ૧૭૦). નવી જેલમાં રાત્રે તેમને હબસી કેદીઓ સાથે એક કોટડીમાં રાખ્યા, જેમાં બીજા કેદીઓ ખૂનના કે મહાચોરીના આરોપવાળા હતા અને ગાંધીજીને જોઈ તેઓ એમની મશ્કરી કરવા અને પછી એકબીજાની સાથે અશ્લીલ ચેષ્ટાઓ કરવા લાગ્યા. એક દિવસ ગાંધીજી પાયખાનામાં બેઠા તેવો જ &amp;quot;એક જબરો મજબૂત વિકરાળ કાફરો આવ્યો. તેણે મને ઊઠી જવા કહ્યું ને ગાળો દેવા લાગ્યો. મેં કહ્યું હમણાં જ ઊઠું છું. તેટલામાં તો મને બાથ ભીડી ઊંચક્યો ને બહાર ફેંક્યો.” ગાંધીજીએ બારસાખ પકડી લીધી એટલે તેમને કંઈ ઈજા ન થઈ અને ગભરાયા વિના તેઓ હસીને ચાલતા થયા, પરંતુ એકબે હિંદીઓ શું બન્યું તે જોઈ ગયા અને રડી પડ્યા (૯. ૧૮૫). ત્રીજા જેલનિવાસ દરમિયાન ગાંધીજીને પ્રિટોરિયાની જેલમાં એક ૧૦×૭ ફૂટની નાની કોટડીમાં એકલા રાખ્યા હતા. પાસેની કોટડીઓમાં પડોશી તરીકે ખૂનના કે સજાતીય કૃત્યોના આરોપીઓ હતા. કોટડીમાં બેસવાનું કંઈ સાધન ન હોવાથી પહેલા દિવસે “બપોરના ખાવાનું આવ્યું તે પણ બંધ દરવાજે... ઊભા ઊભા ખાવું પડ્યું” (૯.૨૮૧) એ અંધારી કોટડીમાં ગાંધીજીને થોડા દિવસ બે તૂટેલી કામળીને સીવીને એક કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આખો દિવસ નીચે બેસીને વાંસો નમાવીને કામ કરવું પડતું તેથી સાંજ પડ્યે કેડ દુખવા આવતી અને આંખને થાક લાગતો (૯. ૨૮૩). પાયખાનાની પણ એવી જ તકલીફ. એક દરોગો ચોકી કરવા ઊભો રહે. તે ગાંધીજીને ઓળખે નહિ તો બોલે : “સામ, હવે નીકળ.” પણ સામને તો, ગાંધીજી લખે છે, “પાયખાનામાં વખત પૂરો લેવાની બૂરી આદત; તે સામ એમ કેમ ઊઠે? અને ઊઠે તો તેની હાજત પૂરી કેમ થાય? કોઈ વેળા દરોગો નહીં તો કાફરો આમ ઊભી ડોકિયાં કરે અથવા &#039;ઊઠ ઊઠ’નું ગાન કરે” (૯.૨૮૧). આ જેલમાંથી એક દિવસ ગાંધીજીને સાક્ષી આપવા કોર્ટમાં લઈ ગયા ત્યારે એમને હાથકડી પણ પહેરાવવામાં આવી (૯. ૨૮૯). આ સર્વે કષ્ટો ને અપમાનો ગાંધીજી ધીરજથી ને સ્વસ્થ ચિત્તથી સહન કરતાં શીખ્યા. શરૂઆતમાં, તેઓ કબૂલ કરે છે, “હું કંઈક વિચારમાં ઊતરી જતો, દુ:ખથી કંટાળતો. વળી મન વાળું ને વળી વાંદરાની માફક મન તરફડિયાં મારે” (૯. ૨૯૦). પરંતુ કેટલાંક પુસ્તકો વાંચવાનાં મળ્યાં તેમાંથી ગાંધીજીએ શાંતિ મેળવી. એમાં રસ્કિન, થૉરો ને તૉલ્સ્તોયનાં પુસ્તકો ઉપરાંત ઉપનિષદો, પાતંજલ યોગદર્શન, ભગવદ્ગીતા ને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણો હતાં. આ પુસ્તકોએ એમને અંતર્મુખ બનાવ્યા ને મનની શાંતિ આપી, વિશેષે ઉપનિષદો ને શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોએ. “કોઈ વેળા નિરાશા આવે” ત્યારે, ગાંધીજી લખે છે, “વાંચેલાનો વિચાર થાય કે તુરત હસતો થઈ જાઉં, તથા ઈશ્વરનો ઉપકાર માનું” (૯. ૨૯૧). ચિત્તની આ સ્વસ્થતા લેખમાળાના ગદ્યમાં જ વરતાઈ આવે છે. અનુભવોના વર્ણનમાં કટુતા કે આવેશનો લેશમાત્ર સ્પર્શ નથી. જે કંઈ બન્યું તેનો ગાંધીજી તટસ્થતાથી, દૃષ્ટાભાવે, ક્યારેક વિનોદથી, ચિતાર આપતા જાય છે અને સત્યાગ્રહીનું વર્તન કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરતા જાય છે. પોતાની એ નવી પ્રાપ્તિનો નિર્દેશ કરતા હોય તેમ ત્રીજા જેલઅનુભવની લેખમાળા પૂરી કરતાં તેઓ કોઈ ભજનની પંક્તિઓ ટાંકે છે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
“કરના ફકીરી કયા દિલગીરી &lt;br /&gt;
સદા મગન મન રહેના જી”,&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
અને કવિના અભિલાષને યાદ કરે છે,&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
“હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે &lt;br /&gt;
મારું જીવ્યું સફળ તવ લેખું રે”; (૯, ૨૯૧)&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}  &lt;br /&gt;
સત્ય ને અહિંસા દ્વારા નિર્મમત્વનો આવો અનુભવ ગાંધીજીની જીવનદૃષ્ટિમાં મૂળગામી પરિવર્તન લાવ્યો. સને ૧૮૯૪માં શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરણાથી એમણે ભારતીય આધ્યાત્મિક પરંપરાનો અભ્યાસ શરૂ કર્યો ત્યારથી અર્વાચીન પશ્ચિમી સંસ્કૃતિ માટેનો એમનો કિશોરાવસ્થા ને યુવાવસ્થાનો મુગ્ધ અહોભાવ મોળો પડવા માંડ્યો હતો, અને બીજા ને ત્રીજા જેલઅનુભવ પછી ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પૂરેપૂરું બદલાઈ જાય છે. એ જેલનિવાસ દરમિયાન એમને ભગવદ્ગીતાના “अन्तःसुखोऽन्तरारामः” એવા યોગીની સ્થિતિની જે ઝાંખી થઈ તેની સરખામણીમાં અર્વાચીન સંસ્કૃતિએ પ્રાપ્ય બનાવેલી ભૌતિક સુખસગવડોનો આનંદ ભ્રાન્તિરૂપ લાગ્યો. સને ૧૯૦૯ના જુલાઈ માસમાં હિંદી કોમ વતી એક ડેપ્યુટેશનના સભ્ય તરીકે સ્ટીમરમાં લંડન જઈ રહ્યા હતા ત્યારે પહેલા વર્ગની સુખસગવડોનો નિર્દેશ કરી તેઓ લખે છે: “જે શાંતિ હું જેલમાં ભોગવતો હતો તે અહીં નથી... જેટલું વાંચ્યું છે ને વાંચું છું તે અનુભવું છું. એવું શીખ્યો છું કે જેઓ ખુદાને ભજવા માગે છે તેઓને આળપંપાળ ન ઘટે, રંગવિલાસ ન ઘટે. જ્યાં મોજમજા છે ત્યાં ખુદાનું નામ બરોબર નથી લઈ શકાતું... આ હું પ્રત્યક્ષ અનુભવું છું” (૯. ૩૩૫). લંડન પહોંચ્યા પછી ત્યાંની પ્રજાનું જીવન તેમણે આ પલટાયેલી દૃષ્ટિએ જોયું અને &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ને વાચકોને “સુધારાની ઘેલછા”નો કંઈક ૫રિચય કરાવતાં લખ્યું: “આપણી નીચે જુઓ તો ગાડીઓ ચાલે છે, ઉપર તારનાં દોરડા તો લટકી રહ્યાં છે, રસ્તામાં ગાડીઓનો અવાજ કાનને બહેરા કરી મૂકે છે. હવે હવામાં પણ વહાણ ચાલે એટલે લોકો મૂએલા જ સમજવા. આ મુલક જોઈને હું પોતે તો પશ્ચિમના સુધારાથી કંટાળેલો છું. લોકો રસ્તામાં મળે તે અર્ધઘેલા જેવા લાગે છે.... યા તો સુધારાનાં જે સાધનો છે તે દૂર થવાં જોઈએ, અથવા તો લોકો પતંગિયાંની જેમ મરી રહેશે” (૯. ૪૪૭). માત્ર સામાન્ય જનસમાજ જ નહિ, “હું જેમ જેમ અનુભવ લેતો જાઉં છું”, ગાંધીજી લખે છે, “તેમ તેમ મોટા ગણાતા ને મોટા હોય તેવા માણસોને મળીને કંટાળતો જાઉં છું” (૯. ૩૭૧). આમ અર્વાચીન સંસ્કૃતિની ભૌતિક સિદ્ધિઓ અને જે ઇંગ્લંડના જાહેર જીવનનાં ધોરણો વિશે એમણે અત્યાર સુધી ઊંડો આદર સેવ્યો હતો તે બંન્ને વિશે નિર્ભ્રાન્તિ અનુભવી રહેલા ગાંધીજીએ એક અંગ્રેજ લેખક એડવર્ડ કારપેન્ટરનું અર્વાચીન સંસ્કૃતિને રોગ રૂપે ઓળખાવતું &#039;સિવિલિઝેશન, ઇટ્સ કૉઝ ઍન્ડ ક્યૉર&#039; નામનું પુસ્તક વાંચ્યું, અને વર્ષોથી એમના મનમાં જે વિચાર સ્ફુરી રહ્યા હતા તેમણે પ્રતીતિ રૂપે સ્પષ્ટ આકાર ધારણ કર્યો. પુસ્તકનો પહેલો ભાગ વાંચ્યા પછી બીજે જ દિવસે, તા. ૮-૯-૧૯૦૯ના રોજ, ભારતનો પ્રવાસ કરી રહેલા સહકાર્યકર્તા શ્રી પોલાકને લખેલા પત્રમાં પોતાના દૃષ્ટિપરિવર્તનનો નિર્દેશ કરી તેઓ લખે છે, “હવે તમે એ વાત સમજી શકશો કે મારા વિચારો મને કઈ દિશામાં ધકેલી રહ્યા છે&amp;quot; (૯. ૪૫૫). એમના એ નવા વિચારોને ગાંધીજીએ તા. ૧૩-૧૦-૧૯૦૯ના રોજ હેમ્પ્સ્ટેડની એક સભામાં નિશ્ચયાત્મક રૂપે રજૂ કર્યા અને કહ્યું : “...જ્યાં સુધી સંસ્કૃતિની આ ઉન્માદભરી દોડ, જેમાં શરીરનું જ ગૌરવ કરવામાં આવે છે, તે ચાલુ રહેશે ત્યાં સુધી શરીરમાં રહેલો અમર આત્મા નબળો જ રહેવાનો” (૯. ૫૩૫). &lt;br /&gt;
અર્વાચીન સંસ્કૃતિ વિશેનાં આ મનોમંથનોનો &#039;હિંદ સ્વરાજ&#039;માં પરિપાક આવ્યો, જેમાં ગાંધીજીએ સત્ય ને અહિંસાના પાલનમાંથી એમને જે આધ્યાત્મિક દૃષ્ટિ પ્રાપ્ત થઈ રહી હતી તેને અનુસરી ભારતના નવનિર્માણ માટે એક નવો કાર્યક્રમ આપ્યો. રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપકોનું ધ્યેય બ્રિટિશ રાજકર્તાઓના સહકારથી દેશમાં લોકશાહી પ્રણાલિકાઓનો વિકાસ કરવાનું હતું, પરંતુ થોડા જ સમયમાં એ સ્પષ્ટ થઈ ગયું કે એમની એ અભિલાષામાં સહકાર આપવાનો રાજકર્તાઓનો કોઈ ઈરાદો નહોતો. સત્તાનાં સૂત્રો કોઈ દિવસ પ્રજાના પ્રતિનિધિઓના હાથમાં આવશે એની કલ્પના કરવા પણ તેઓ તૈયાર નહોતા. રાજકર્તાઓના આ સામ્રાજ્યવાદી માનસની પ્રતિક્રિયા રૂપે ઉદ્દામવાદી પક્ષ અસ્તિત્વમાં આવ્યો, જેનો ઉદ્દેશ કોઈ પણ ભોગે દેશને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવાનો હતો. દક્ષિણ આફ્રિકામાં રહ્યા રહ્યા ગાંધીજી રાષ્ટ્રીય નવજાગૃતિની આ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યા હતા. તેઓ દાદાભાઈ નવરોજી ને ગોપાળ કૃષ્ણ ગોખલેની બંધારણીય આંદોલનરીતિમાં શ્રદ્ધા રાખતા, પરંતુ દક્ષિણ આફ્રિકાના અનુભવ ઉપરથી એમને વધુ સક્રિય પ્રતિકારની આવશ્યકતા પણ સમજાઈ હશે. અને તેથી જ્યારે બંગાળના ભાગલા પછી ઉદ્દામવાદી પક્ષના પ્રચારથી દેશના શિક્ષિત વર્ગમાં માતૃભક્તિના સંસ્કારવાળી દેશભક્તિનો નવો જુસ્સો ફેલાયો ત્યારે તેનાથી ઉત્સાહિત બની તેમણે સ્વદેશીના કાર્યક્રમને આવકાર્યો હતો (પ. ૪૮, ૧૬૬, ૪૨૭), પરંતુ આંદોલને જ્યારે ત્રાસવાદી સ્વરૂપ લીધું ત્યારે ગાંધીજી તેનું અનુમોદન ન કરી શક્યા. ખુદીરામ બોઝે ભારતમાં તા. ૩૦-૪-૧૯૦૮ના રોજ એક મૅજિસ્ટ્રેટ ઉપર બૉમ્બ ફેંક્યાના સમાચાર આવ્યા ત્યારે તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;ના વાચકોને ચેતવણી આપી કે “રશિયાની પદ્ધતિ હિંદમાં દાખલ થઈ એ ઉપરથી આપણે રાજી થવાનું નથી.... આવા બનાવોથી લોકો પોતાનું કર્તવ્ય ભૂલશે એવો સંભવ છે. હકો મેળવવાના જે સહેલા ને સીધા રસ્તા છે તે ભુલાઈ જશે ને છેવટે જે ઉપાયો હાલ પારકાની સામે વાપર્યા માનીએ છીએ તે આપણી જ સામે વપરાશે” (૮. ૨૧૪) બાળ ગંગાધર તિલકને છ વર્ષની સજા થઈ તે બદલ એમને અભિનંદન આપ્યાં, પણ ઉમેર્યું: “આપણે વિચાર એટલો કરવો રહ્યો કે મિ. તિલક અને તે પક્ષના વિચારો હિંદીને માન્ય કરવા જેવા છે કે નહીં; અમે ઘણા વિચારપૂર્વક લખીએ છીએ કે મિ. તિલકના વિચાર માન્ય કરવા જેવા નથી.” “અંગ્રેજી રાજ્ય ઉખેડવામાં જ હિંદનું ભલું નથી. અંગ્રેજી રાજ્ય ઉખેડવામાં જોર વાપરવું, મારામારી કરવી એ નુકસાનકારક છે, અને વગર જરૂરનું છે... લોકો તો એક ગુલામીમાંથી બીજી ગુલામીમાં જશે” (૮. ૩૯૪-૫). ગાંધીજીએ આ ૧-૮-૧૯૦૮ના ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;માં લખ્યું. તે પછી એક વર્ષે તેઓ લંડન પહોંચ્યા ત્યાં તેમને ત્રાસવાદી પ્રવૃત્તિઓનો નજીકથી પરિચય થયો. બીજી જુલાઈએ એક પંજાબી મદનલાલ ધીંગરાએ નૅશનલ ઇન્ડિયન ઍસોસિયેશનની સભામાં ભારત નોકરી કરી આવેલા એક અંગ્રેજ અમલદારનું ખૂન કર્યું હતું તેણે ઈંગ્લેંડભરમાં સનસનાટી ફેલાવી હતી. એ ઘટનાએ ગાંધીજીને ભારત ને ઇંગ્લેન્ડના સંબંધો વિશે ગંભીર વિચાર કરતા કરી મૂક્યા. લંડનથી &#039;ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગ માટે લખેલા પત્રમાં તેમણે લખ્યું : &amp;quot;આ ખૂન ઉપર ધીરજપૂર્વક દરેક હિંદીએ વિચાર કરવાનો છે.... આવા ખૂનથી હિન્દુસ્તાનને ફાયદો થાય, એમ માનનારા અણસમજુ છે એમ મારે કહેવું જોઈએ.... આવા ખૂનથી અંગ્રેજો કદી હિંદુસ્તાનમાંથી જશે તો પછી રાજ્ય કોણ કરશે? જવાબ તો એ જ આવે કે ખૂનીઓ જ રાજ્ય કરશે. તો સુખ કોણ ભોગવશે?... એવા રાજ્યની અંદર હિંદુસ્તાન વેરાન અને પાયમાલ થઈ જાય, આમાંથી ઘણા વિચારો ઉત્પન્ન થાય છે; પણ તે અહીં લખવા જેટલો મને વખત નથી&amp;quot; (૯. ૩૬૦-૧). એમના એ વિચારોની ગાંધીજીએ લંડનમાં રહેતા કેટલાક ઉદ્દામવાદીઓ સાથે ચર્ચા કરી. ઉદ્દામવાદીઓના નેતા શ્યામજી કૃષ્ણવર્માને તેઓ ત્રણ વર્ષ ઉપર ૧૯૦૬ના ઑક્ટોબર-નવેમ્બર માસમાં પહેલા હિંદી ડેપ્યુટેશનના સભ્ય તરીકે આવ્યા હતા ત્યારે મળ્યા હતા અને એમના વિચારો કંઈક જાણતા હતા (૬.૪૫) આ વેળા શ્યામજી કૃષ્ણવર્મા તો નહોતા, પરંતુ બીજાઓ સાથે એમણે વધારે વિગતે ચર્ચાઓ કરી અને લંડનથી પાછા ફરતાં આગબોટ ઉપર એ ચર્ચાઓને અધિપતિ ને વાચક વચ્ચે સંવાદ રૂપે સાર આપતી &#039;હિંદ સ્વરાજ&#039;ની પુસ્તિકા લખી. ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;માં તે બે હપતે, ૧૧-૧૨-૧૯૦૯ના ને ૧૮-૧૨-૧૯૦૯ના અંકોમાં છપાઈ અને ૧૯૧૦ના માર્ચ માસમાં મુંબઈ સરકારે તેની નકલો જપ્ત કરતાં ગાંધીજીએ પોતે તેનો અંગ્રેજી અનુવાદ તૈયાર કર્યો હતો તેને એપ્રિલ માસમાં પ્રસિદ્ધ કર્યો. &lt;br /&gt;
સંવાદનો સંદર્ભ ગાંધીજીના સમયની રાજકીય પરિસ્થિતિનો છે, પરંતુ &#039;હિંદ સ્વરાજ&#039;નો કાર્યક્રમ માત્ર એક રાજકીય કાર્યક્રમ નથી. તેમાં માનવજીવન ને સંસ્કૃતિ પ્રત્યે એક વિશિષ્ટ દૃષ્ટિ રહેલી છે અને કૃતિનું ચિરંજીવ મહત્ત્વ એ દૃષ્ટિમાં છે. સમગ્ર ચર્ચાનું આયોજન એવી કુશળતાથી કરવામાં આવ્યું છે કે રાજકીય ચર્ચા ને મૂળભૂત મૂલ્યોની ચર્ચા એક જ ચર્ચાતંતુમાં વણાઈ ગઈ છે. ચર્ચાની શરૂઆત ગાંધીજીએ રાષ્ટ્રીય જાગૃતિના ઇતિહાસથી કરી છે, કારણ કે ઉદ્દામવાદીઓ, જેમના પ્રતિનિધિરૂપ &#039;વાચક&#039; સાથે ગાંધીજી સંવાદ ચલાવી રહ્યા છે, કૉંગ્રેસના પહેલી પેઢીના નેતાઓ અને તેમની બંધારણીય નીતિ ચાલુ રાખનાર ગોપાળ કૃષ્ણ ગોખલે જેવા વિનીત નેતાઓની અવગણના કરતા, ક્યારેક એમનો તિરસ્કાર પણ કરતા, અને ૧૯૦૭ના સુરત અધિવેશનમાં કૉંગ્રેસના ભાગલા પડતાં બે પક્ષ વચ્ચે લગભગ વૈમનસ્ય જેવું થઈ ગયું હતું. ગાંધીજીની સત્યદૃષ્ટિ દરેક પક્ષમાં રહેલું સત્ય જોઈ અને સ્વીકારી શકતી. પહેલી પેઢીના નેતાઓમાં હિંદના કેટલાક અંગ્રેજ હિતેચ્છુઓ પણ હતા. ગાંધીજી તેમની સેવાઓનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. એમનાં ઉદ્દેશો ને રીતો પછીની પેઢીને અસ્વીકાર્ય લાગે, પરંતુ ઇતિહાસક્રમમાં અગાઉના તબક્કાનું દૃષ્ટિબિંદુ પાછળના તબક્કાને અપૂર્ણ લાગવાનું જ અને માત્ર તે કારણે જ તેનો અનાદર ન ઘટે. શુદ્ધ ઐતિહાસિક દૃષ્ટિના આ મહત્ત્વના સત્યને ગાંધીજીએ એક સચોટ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. “આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે&amp;quot;, તેઓ લખે છે, “બચપણનો તિરસ્કાર નથી કરતા, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ” (પૃ. ૬). જીવનનો વિકાસક્રમ સમજવાની આ દૃષ્ટિમાં ગાંધીજીની અહિંસાભાવના સર્જક કલ્પનાની યાદ આપે એવા રોચક રૂપે પ્રગટ થઈ છે. જૂની ને નવી પેઢી વચ્ચે સાતત્ય વિના શુદ્ધ પ્રજાભાવના શક્ય નથી. એટલે ગાંધીજી લખે છે : “સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી” (પૃ. ૬). વડીલો પ્રત્યે ભારતીય સંસ્કારની આ આદરભાવના સાથે ગાંધીજીમાં અર્વાચીન લોકશાહી ભાવના પણ ભળી હતી, અને તેથી તેઓ કહે છે કે આપણે શુદ્ધ બુદ્ધિથી વડીલો સાથે અસંમત થતા હોઈએ તો આપણી બુદ્ધિને જ અનુસરીએ, પણ, તેઓ ઉમેરે છે, “તેમના વિચારો ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે. એમ ગણી લેવું તે ખરાબ વૃત્તિ છે” (પૃ. ૭). શુદ્ધ લોકશાહીના મૂળમાં આવી અહિંસક સત્યદૃષ્ટિ રહેલી છે. ગાંધીજી માનતા કે એ અર્થોમાં પશ્ચિમની લોકશાહી શુદ્ધ નહોતી અને એમની અભિલાષા હતી કે ભારત એવી શુદ્ધ લોકશાહી વિકસાવે. &lt;br /&gt;
અંગ્રેજો સાથેના સંબંધમાં ગાંધીજી એવી જ અહિંસાભાવનાને અનુસરે છે. જો અંગ્રેજો ભારતનું શોષણ બંધ કરે અને રાજ્યસત્તાનાં સૂત્રો હિંદીઓને સોંપી પ્રજાના નમ્ર સેવકો બની રહે તો એમની સાથે સંબંધ ચાલુ રાખવામાં અને સહકાર કરવામાં ગાંધીજીને વાંધો નથી. ઉદ્દામવાદી &#039;વાચક&#039; એ સ્વીકારી શકતો નથી. એ તો અંગ્રેજો હિંદ છોડીને જાય એ જ માગે છે, અને એમના ગયા પછી ભારતને ઇંગ્લંડ ને જાપાન જેવું આધુનિક રાષ્ટ્ર બનાવવાનો ઈરાદો રાખે છે. “આનો અર્થ તો એ થયો”, ગાંધીજી લખે છે, “કે આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી.” ‘વાચક’ને ઈરાદો ફળે તો હિંદુસ્તાન “હિંદુસ્તાન નહીં કહેવાય પણ ખરેખરું ઇંગ્લિસ્તાન કહેવાશે” (પૃ. ૧૬-૭). ગાંધીજીને એવું સ્વરાજ નથી જોઈતું. અંગ્રેજો પ્રત્યે એમને દ્વેષ નથી, પરંતુ એમણે વિકસાવેલી સંસ્કૃતિનો એમનો પૂરો વિરોધ છે. દેશના શિક્ષિત વર્ગને ઇંગ્લંડની લોકશાહીનું અને તેની પાર્લમેન્ટનું સવિશેષ આકર્ષણ હતું. ગાંધીજીને પહેલાં તે હતું, પણ હવે નથી. એમણે ઇંગ્લંડની લોકશાહીને કામ કરતી નજીકથી નિહાળી છે, અને તેમણે જોયું છે કે પાર્લમેન્ટમાં કશુંય સમગ્ર પ્રજાના હિતની દૃષ્ટિએ થતું નથી, સભ્યો કોઈ પ્રશ્ન ઉપર પ્રમાણિકપણે ને સ્વતંત્ર વિચાર કરતા નથી, પ્રજામત પણ વર્ગીય હિતોને વરેલાં છાપાંઓ દ્વારા ઘડાય છે અને મુખ્ય પ્રધાન લાગવગને વશ થાય છે તેમ ઇલકાબ ઇત્યાદિની લાંચ પણ આપે છે. બ્રિટિશ લોકશાહીનું આ ચિત્ર કોઈ માકર્સવાદી જ આપે. જો હિંદુસ્તાન એની નકલ કરે તો, ગાંધીજી લખે છે, “હિંદુસ્તાન પાયમાલ થઈ જાય એવો મારો તો ખાસ વિચાર છે” (પૃ. ૨૨). &lt;br /&gt;
બ્રિટિશ લોકશાહીનાં આ અનિષ્ટ, ગાંધીજીની દૃષ્ટિએ, પશ્ચિમની પ્રજા જેને “સુધારો” માની બેઠી છે તેનાં ફળ છે. ગાંધીજીના મતે તે “સુધારો” નથી પણ “કુધારો” છે, “એક પ્રકારનો રોગ છે.” તેમાં “માણસો બહિરની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય ને પુરુષાર્થ માને છે.” વિજ્ઞાનની નવી નવી શોધોને પરિણામે એક સમય એવો આવશે, ગાંધીજી કલ્પે છે, કે “માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાને પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે, બધું સંચાથી જ કામ લેવાશે.” આ ભૌતિક સુખસગવડની કિંમત એ ચૂકવવી પડશે કે “અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે.” ગાંધીજીએ કલ્પેલી ભૌતિક સુખસગવડો હજુ વિજ્ઞાન નથી આપી શક્યું, પરંતુ વિનાશક સાધનોની શોધમાં તો તે ગાંધીજી સ્વપ્નમાં પણ કલ્પના ન કરી શક્યા હોત એટલું આગળ વધી ગયું છે. અને આ બધું શ્રમજીવીઓને ભોગે. “તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે... અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે.” આ સુધારામાં “નીતિની કે ધર્મની વાત છે જ નહીં. સુધારાના હિમાયતી ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી. ધર્મ તે તો ઢોંગ છે એમ કેટલાક માને છે. કેટલાક વળી ધર્મનો ડોળ કરે છે. નીતિની વાર્તા પણ કરે છે...” પણ, ગાંધીજી કહે છે, “નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે.” એટલે “આ સુધારો તે અધર્મ છે અને તે યુરોપમાં એટલે દરજ્જે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધગાંડા જેવા જોવામાં આવે છે” (પૃ. ૨૩-૬). &lt;br /&gt;
“સુધારા”ના નામે આવા રોગમાં સપડાયેલા અંગ્રેજો હિંદુસ્તાન કેમ જીતી શક્યા? &#039;વાચકની આ શંકાનો ગાંધીજી ઉત્તર આપે છે : “હિંદુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે.” બ્રિટિશોએ હિંદુસ્તાન લશ્કરી બળથી નહોતું જીત્યું, હિંદીઓના સહકારથી અને તેમની જ મદદથી જીત્યું હતું. એમની સાથે વેપાર કરવાના લોભે આપણે તેમને સહકાર ને મદદ આપ્યાં. (પૃ. ૨૮-૯), અને પરિણામે હવે હિંદુસ્તાનની દશા “રાંકડી” થઈ પડી છે, જેનું વર્ણન કરતાં પણ, ગાંધીજી લખે છે, “મારી આંખમાં પાણી આવે છે ને મારું ગળું સુકાય છે.” અંગ્રેજોનો રંગ હિંદુસ્તાનને પણ લાગુ પડ્યો છે અને તે “આજકાલના સુધારા નીચે કચરાયેલું છે; તેની ઝડપમાં આવી ગયું છે.” એ “સુધારા&amp;quot;ના મોહમાં &amp;quot;હિંદુસ્તાન ધર્મભ્રષ્ટ થતુ ચાલ્યું છે”. ધર્મ એટલે જુદા જુદા ધર્મસંપ્રદાયો નહિ, “પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે... આપણે ઈશ્વરથી વિમુખ થતા જઈએ છીએ” (પૃ. ૩૨). ગાંધીજી કબૂલ કરે છે કે જૂના સમયમાં ધર્મને નામે પાખંડ ને વહેમો ચાલતાં. એમને એ વહેમો કાયમ નથી રાખવા. “...તેની સામે તો લડીશું જ; પણ તે લડત કંઈ ધર્મ ભૂલી જવાથી નથી લેવાવાની, પણ ખરી રીતે ધર્મ સંપાદન કરીને લેવાશે” (પૃ. ૩૪). વ્યાવહારિક દૃષ્ટિએ પણ સામાન્ય રીતે જે બ્રિટિશ શાસનના લાભ મનાતા તે ખરેખર લાભ નહોતા. દેશમાં શાંતિ ફેલાઈ હતી, પણ “તે માત્ર નામની જ” હતી. “...આપણે તે શાંતિથી નામર્દ, બાયલા અને ભીરુ બની ગયા છીએ.” (પૃ. ૩૪). “રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે.” વળી “રેલવેથી દુષ્ટતા વધે છે” કારણ કે “ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે” જ્યારે “સારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે” (પૃ. ૩૭). રેલવેએ પ્રચારનાં જે સાધનો શક્ય બનાવ્યાં છે તેનાથી પ્રજામાં કેવાં વેરઝેર ફેલાવી શકાય છે તેનો ભવિષ્યમાં દેશને પૂરો અનુભવ થવાનો હતો. એમ મનાતું કે કંઈ નહિ તો રેલવેએ હિંદની પ્રજાને એકતાની ભાવના આપી. પરંતુ ગાંધીજીના મત અનુસાર આ પણ એક ભ્રમ હતો. પ્રજા તરીકે આપણે હંમેશાં એક હતા (પૃ. ૩૮-૯), અને હિંદુ-મુસલમાનો શરૂઆતમાં લડ્યા પણ પાછળથી સંપીને રહેતાં શીખ્યા. “કજિયા તો પાછા અંગ્રેજોએ શરૂ કરાવ્યા” (પૃ. ૪૨). “તેઓને ઇતિહાસો લખવાની ટેવ રહી; દરેક જાતિના રીતરિવાજો જાણવાનો ડોળ રહ્યો.” એટલે તેમણે હિંદુ-મુસલમાન વચ્ચે દ્વેષ વધારે એવો ભારતનો ઇતિહાસ લખ્યો અને “આપણે ભોળપણમાં તે બધું માનીએ છીએ” (પૃ. ૪૫). શાંતિ જાળવવા બ્રિટિશ સરકારે અદાલતો સ્થાપી, પણ તે અદાલતો લોકોમાં ઝઘડા વધારવામાં કારણભૂત બની છે. વકીલો વિના અદાલતો ચાલે નહિ, અને “વકીલોનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે” (પૃ. ૪૯). આથી પણ વધારે નુકસાન તો એ થયું છે કે અદાલતો દ્વારા “અંગ્રેજી ધૂંસરી આપણા ગળામાં સજજડ પેસી ગઈ.” અદાલતો વિના અંગ્રેજો રાજ્ય ચલાવી જ ન શકત, અને એ અદાલતો ચલાવવામાં આપણે વકીલ બની સહકાર આપીએ છીએ (પૃ. ૫૦-૧). ડૉક્ટરો ને હૉસ્પિટલોએ પણ પ્રજાને નિર્બળ બનાવી છે. આરોગ્ય જાળવવા સંયમ કેળવવાને બદલે દવા લઈ પોતાની ભૂલોનાં પરિણામ આપણે તત્કાલ પૂરતાં નિવારીએ છીએ, અને એમ જીવન વધુ ને વધુ અસંયમી બનતું જાય છે. વળી માણસને બચાવવા ડૉક્ટરો પ્રાણીઓ ઉપર ક્રૂર પ્રયોગ પણ કરે છે (પૃ. ૫૩-૪). &lt;br /&gt;
આમ ગાંધીજીએ જે વસ્તુઓ સામાન્ય રીતે અંગ્રેજી શાસનની બક્ષિસ રૂપે મનાતી તે બધીને મોહરૂપ ગણવી. તો, સંવાદનો &#039;વાચક&#039; એમને પૂછે છે, ખરો સુધારો કોને કહેવો? ગાંધીજીના મનમાં ઉત્તર વિશે કોઈ શંકા નથી. “…..જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી.” પ્રાચીન સંસ્કૃતિઓમાંથી ઇજિપ્ત, ગ્રીસ ને રોમ નામશેષ થઈ ગયાં, “જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું” છે અને “ચીનનું કંઈ કહેવાય નહીં.” “પણ પડ્યું આખડ્યું તોપણ હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.” સુધારો, ગાંધીજી કહે છે, “એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇન્દ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ.” એટલે કે જે જીવનરીતિ માણસને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે તે સુધારો, “તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.” સુધારાની આ વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને પશ્ચિમ પાસેથી “કંઈ જ શીખવાનું નથી રહેતું.” આપણા પૂર્વજોએ ભૌતિક સુખસગવડોની હદ બાંધી અને સંયમને પ્રધાનપદ આપ્યું. “આપણે નાશકારક હરીફાઈ રાખી નહીં; સહુ સહુનો ધંધો કરતા રહ્યા.” ભોગસામગ્રીનું ઉત્પાદન વધારવાનો કોઈ લોભ રાખ્યો નહિ, મોટાં શહેરો સ્થાપવાનો પ્રયત્ન કર્યો નહિ, “નાનાં ગામડાંઓથી સંતોષ રાખ્યો.” તલવારબળ કરતાં નીતિબળની વધારે પ્રતિષ્ઠા કરી અને “રાજાને નીતિવાન પુરુષો –ઋષિઓ અને ફકીરો—ના કરતાં ઊતરતા ગણ્યા.” “...પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા”, પણ “વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા” (પૃ. ૫૬-૭). ગાંધીજી કબૂલ કરે છે કે આ આકર્ષક ચિત્રને બીજી બાજુ પણ હતીઃ બાળલગ્નો, બાળવિધવાઓ, દેવદાસીઓ, પૂજા નિમિત્તે પ્રાણીવધ ઇત્યાદિ. પણ, તેઓ કહે છે, “તે દૂર કરવા હંમેશાં પ્રયત્ન થયા છે, ને થયા જ કરશે.” અને “આપણને જે નવો જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ.” કોઈ સંસ્કૃતિ સંપૂર્ણ નથી, પણ “હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે, પશ્ચિમના સુધારાનું વલણ અનીતિ દૃઢ કરવા તરફ છે... પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારો સેશ્વરી છે.” એટલે “હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેમ વળગી રહેવું ઘટે” (પૃ. ૫૮-૯). &lt;br /&gt;
હિંદુસ્તાનનો સુધારો આવો ઉત્તમ હોવા છતાં “હિંદના બાળકમાં કચાશ હતી તેથી તે સુધારો ઘેરાયો.” પણ ગાંધીજીની શ્રદ્ધા છે કે “ઘેરાવામાંથી છૂટવાની તેની તાકાત છે...” ગુલામી માત્ર રાજકીય નહોતી, માનસિક હતી, અને તે શિક્ષિત વર્ગની હતી. શિક્ષિત વર્ગ પશ્ચિમી સુધારાના મોહમાંથી છૂટે અને તેની માનસિક ગુલામી જાય તો આપોઆપ દેશ સ્વતંત્ર થાય. આ જ, ગાંધીજીની દૃષ્ટિએ, ખરું સ્વરાજ છે. “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ તે જ સ્વરાજ છે, અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે.” અને એ એવું છે કે “તમે ચાખ્યા પછી બીજાને તેનો સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યન્ત યત્ન કરશો.” એ સ્વરાજ માટે સામૂહિક પ્રયત્ન ગૌણ છે. “...મુખ્ય વાત જણે જણે સ્વરાજ ભોગવવાની છે.” એટલે કે વ્યક્તિએ પોતાને માટે એ સિદ્ધ કરવાનું છે. “ડૂબતો બીજાને નહીં તારે, પણ તરતો તારશે.” જે દેશનો શિક્ષિત વર્ગ આવું સ્વરાજ ભોગવતો થઈ જાય તો બળપૂર્વક અંગ્રેજોને હાંકી કાઢવાની કોઈ જરૂર ન રહે. તેઓ પણ આપણી સંસ્કૃતિએ રંગાશે, અને એ રીતે તેઓ “જો હિંદી થઈને રહે તો આપણે તેનો સમાસ કરી શકીએ છીએ.” અને જે અંગ્રેજો એમ કરવા તૈયાર નહિ હોય તેઓ પોતાની મેળે ચાલ્યા જશે (પૃ. ૬૦–૧). &lt;br /&gt;
ચર્ચા હવે મુખ્ય મુદ્દા ઉપર આવે છે. અંગ્રેજો હિંદી બની જાય અથવા પોતાની મેળે ચાલ્યા જાય એ ‘વાચક’ને અસંભવિત લાગે છે. ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું જાણ્યું નથી, એ કહે છે. પણ ઇતિહાસમાં ન બન્યું હોય એટલે ન જ બની શકે એમ માનવાની જરૂર નથી. હિંદુસ્તાનની સ્થિતિ બીજા દેશો કરતાં જુદી છે. ગાંધીજીની શ્રદ્ધા છે કે બીજા દેશો ન કરી શક્યા હોય તે હિંદુસ્તાન કરી શકે એવું એનું આધ્યાત્મિક બળ છે. (પૃ. ૬૧-૨). વળી ઇટાલી જેવા યુરોપના જે દેશો હિંસાથી સ્વતંત્ર થયા છે તેમની સ્થિતિ સુધરી નથી (પૃ. ૬૪). આપણા દેશી રાજાઓ અંગ્રેજો કરતાં વધુ જુલમી હતા. એમના જુલમ નીચે રહેવા કરતાં અંગ્રેજો હિંદી બનીને રહે તો ગાંધીજી તેમને સ્વીકારે. વળી હિંસાથી અંગ્રેજોને હરાવવા હોય તો આખા દેશને હથિયાર વાપરતાં શીખવવું પડે. એમ થાય તો હિંદુસ્તાનની દશા પણ યુરોપના જેવી જ થાય. પણ, ગાંધીજી કહે છે, “વાત એવી છે કે હિંદની પ્રજા કદી હથિયાર ધારણ નહીં કરે. ન કરે એ ઠીક જ છે” (પૃ. ૬૫). &#039;વાચક&#039; સૂચવે છે કે એમ કરવાની જરૂર નહિ પડે. પ્રથમ કેટલાંક છૂટાંછવાયાં ખૂન દ્વારા દેશમાં ત્રાસનું વાતાવરણ ફેલાવી થોડા માણસો હથિયાર ધારણ કરશે અને ગેરીલા લડાઈ લડી અંગ્રેજોને હાંકી કાઢશે. પણ આવાં ખૂનનો વિચારમાત્ર ગાંધીજીને અસહ્ય બની જાય છે. “તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે,” તેઓ આવેશપૂર્વક કહે છે. “ખૂન તો આપણે આપણું કરવું ઘટે છે, કેમ કે આપણે બાયલા બન્યા છીએ ત્યારે ખૂનનો વિચાર કરીએ છીએ... હિંદી પ્રજા એવું કદી ઈચ્છતી નથી. આપણા જેવા, જેમણે અધમ સુધારારૂપી ભાંગ પીધી છે, તે જ એવો વિચાર કેફમાં કરીએ છીએ. ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને સુખી કરવાના નથી” (પૃ. ૬૬). સ્વરાજ માટે હિંસાનો આશ્રય લેવાની વિરુદ્ધ આ જ ગાંધીજીની મુખ્ય દલીલ છે. એવું સ્વરાજ સાચું સ્વરાજ નહિ હોય. એવી આશા રાખવી “એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઈચ્છા રાખવા જેવું થયું.” શુદ્ધ સાધ્યની સિદ્ધિ માટે સાધન પણ શુદ્ધ જોઈએ. “સાધન એ બીજ છે; અને સાધ્ય — મેળવવાનું—એ ઝાડ છે” (પૃ. ૬૯). જેવું બીજ તેવું વૃક્ષ; એ જ રીતે, જેવું સાધન તેવી સિદ્ધિ. ગાંધીજીની જીવનદૃષ્ટિનું આ આધ્યાત્મિક મધ્યબિંદુ. મનુષ્યના નૈતિક ને આધ્યાત્મિક વિકાસ વિશે એમાં ઊંડી સમજ ને શ્રદ્ધા રહેલાં છે. સત્યાગ્રહની ભાવનાનું એ પ્રેરણાબીજ, અને તેનું પ્રતિપાદન કરવા ગાંધીજીએ ‘હિંદ સ્વરાજ&#039; લખ્યું. &lt;br /&gt;
સત્યાગ્રહ એટલે અન્યાય આચરનારની સાથે અહિંસક અસહકાર, એની પ્રત્યે દ્વેષ રાખ્યા વિના એની આજ્ઞાને વશ થવાનો ઈનકાર. આ આત્મબળ કે પ્રેમબળનો (&#039;હિંદ સ્વરાજ&#039;માં ગાંધીજી એને “દયાબળ” કહે છે) પ્રયોગ છે. એની શક્તિનાં પ્રમાણ ઇતિહાસમાંથી ન મળે, કારણ કે પ્રચલિત અર્થમાં ઇતિહાસ એટલે “દુનિયાના કોલાહલની જ કહાણી” પરંતુ જીવનમાં હિંસા જ મુખ્ય બળ હોય તો “દુનિયા ક્યારની ડૂબી ગઈ હોય.” પરંતુ એમ બન્યું નથી. એટલે “દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે.” કરોડો લોકો “પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે... એની નોંધ &#039;હિસ્ટરી&#039; લેતી નથી, &#039;હિસ્ટરી&#039; લઈ પણ ન શકે. જ્યારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે. &#039;હિસ્ટરી&#039; એ અસ્વાભાવિક બીનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી” (પૃ. ૭૭). જેમ કુટુંબજીવનમાં તેમ રાજ્યસત્તાની સામે પણ સત્યાગ્રહના બળનો પ્રયોગ થઈ શકે છે. શરીરબળથી અન્યાયી કાયદાની સામે થવાને બદલે તેનું પાલન ન કરવું અને તેમ કરતાં જે સજા થાય તે ભોગવી લેવી તે સત્યાગ્રહ. ભારતની પ્રજા હંમેશાં આવો સત્યાગ્રહ આચરતી આવી છે. “આપણે સારા કે નઠારા કાયદા કબૂલ કરી લઈએ છીએ, એ અર્થ તો આજકાલનો જોવામાં આવે છે. પૂર્વે એવું કંઈ ન હતું. કાયદા આપણને પસંદ ન હોવા છતાં તે પ્રમાણે ચાલવું એવું શિક્ષણ મર્દાઈથી વિરુદ્ધ છે, ધર્મ વિરુદ્ધ છે ને ગુલામીની હદ છે” (પૃ. ૭૮-૯). સત્યાગ્રહ એ નિર્બળનું નહિ પણ બહાદુરનું હથિયાર છે, અને બ્રહ્મચર્ય, સાદાઈ સત્ય ને નિર્ભયતાનું નિયમિત પાલન કરનાર જ એવું આત્મબળ પ્રગટાવી શકે. એવું બળ કેળવવા માટે શાળાકૉલેજનું શિક્ષણ નિરુપયોગી છે. એ શિક્ષણથી “આપણે માણસ નથી બનતા — તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા” (પૃ. ૮૯). અંગ્રેજીના જ્ઞાનનો વિવેકપૂર્વક ઉપયેાગ થઈ શકે, પણ આખી પ્રજા માટે તે જરૂરનું નથી. બધી કેળવણી માતૃભાષા દ્વારા જ હોવી જોઈએ, અને ધાર્મિક શિક્ષણને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. “હિંદુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી.” એટલે ધર્મશ્રદ્ધાનો નાશ કરવાનો પ્રયત્ન કરવાને બદલે ધાર્મિક આચારવિચારોમાં દૂષણો પેસી ગયાં હતાં તેમની શુદ્ધિ કરવી રહી. બ્રાહ્મણો ને મુલ્લાઓ તેમાં સહકાર ન આપે તો, ગાંધીજી લખે છે, “અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લોકોને નીતિની કેળવણી આપી શકીએ છીએ&amp;quot; (પૃ. ૯૩-૪). મુખ્ય જરૂર પશ્ચિમના સુધારાને હાંકી કાઢવાની છે. “બીજું તેની મેળે આવી રહેશે” (પૃ. ૯૫). &lt;br /&gt;
પશ્ચિમના સુધારાને હાંકી કાઢવો હોય તો યંત્રો પણ ન જ જોઈએ ને?-&#039;વાચક&#039; પૂછે છે. યંત્રોનો વિચારમાત્ર ગાંધીજીને દુઃખી કરે છે. માન્ચેસ્ટરના મિલ ઉદ્યોગે જ હિંદુસ્તાનની આર્થિક પાયમાલી કરી હતી. રમેશચંદ્ર દત્તના પુસ્તકમાં એ પાયમાલીનો ઇતિહાસ વાંચીને ગાંધીજી રડ્યા હતા. અને તેથી બંગાળાના ભાગલાની વિરુદ્ધ અઆંદોલનમાં જ્યારે સ્વદેશીનો કાર્યક્રમ સ્વીકારવામાં આવ્યો ત્યારે ગાંધીજીને હર્ષ થયો હતો. પરંતુ એમની દૃષ્ટિએ માત્ર સ્વદેશી પૂરતું નથી. એમનો વાંધો યંત્રો સામે છે, પછી તે યુરોપનાં હોય કે ભારતનાં. “સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે...” (પૃ. ૯૬), કારણ કે તે ગરીબોના શોષણનું સાધન છે. હિંદુસ્તાનમાં મિલો સ્થાપવાથી દેશનું ધન પરદેશ જતું બચે ખરું. પણ, ગાંધીજી કહે છે, “તે પૈસો આપણું લોહી લેશે, કેમ કે આપણી નીતિ લઈ જશે.” મૂડીવાદનાં દૂષણો હિંદુસ્તાનમાં પણ આવશે. “અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઈ ઊતરે એમ માનવું એ અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાન છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર જ નથી” (પૃ. ૯૫-૬). &lt;br /&gt;
પોતાની કલ્પનાનું આવું સ્વરાજ સ્થાપવામાં ગાંધીજી બધા વર્ગોનો સહકાર માગે છે. અંતિમવાદીઓને તેઓ હથિયારબળને બદલે સત્યાગ્રહ ઉપર શ્રદ્ધા રાખવાનું સૂચવે છે, તો વિનીતોને અંગ્રેજી સંબંધ વિના ન જ ચાલે એ વિચાર છોડી પ્રજામાં સહકાર કેળવવાનું સૂચવે છે (પૃ. ૧૦૦-૧). અંગ્રેજોને ગાંધીજી પ્રજાના સેવકો થઈને રહેવાનું અને અર્વાચીન સુધારાનો ત્યાગ કરી નૈતિક ને ધાર્મિક મૂલ્યોને અનુસરવાનું સૂચવે છે, એમ તેઓ રહે તો, ગાંધીજી કહે છે, “તમારી પાસેથી અમારે કેટલુંક શીખવાનું છે તે શીખીશું, અને અમારી પાસેથી તમારે ઘણું શીખવાનું છે તે તમે શીખશો.” અંગ્રેજો ને હિંદીઓનો આવો પરસ્પર સહકાર એ બેને અને જગતને પણ લાભ કરશે. પણ, ગાંધીજી ઉમેરે છે, “તે તો આપણા સંબંધની જડ ધર્મક્ષેત્રમાં નખાય ત્યારે જ બને&amp;quot;, એટલે કે બન્ને પ્રજાઓ પોતાના સ્વાર્થનો વિચાર કરવાને બદલે પરસ્પરના સંબંધમાં નૈતિક મૂલ્યોને અનુસરે (પૃ. ૧૦૨-૪); શિક્ષિત હિંદીઓને ગાંધીજી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોમાં શ્રદ્ધા રાખવાનું અને ભારતીયતાનું ગૌરવ કરવાનું સૂચવે છે. એમ ન કરવાથી જ ભારતની અવદશા થઈ છે. એટલે બધા હિંદી સમજશે કે “આ સમય પશ્ચાત્તાપનો, પ્રાયશ્ચિત્તનો, શોકનો છે”, અને “શોકદશામાં મોજશોખ હોઈ ન શકે...” (પૃ. ૧૦૭). અને એ ભાવનાથી પ્રેરાઈ ગાંધીજી પ્રતિજ્ઞા કરે છે. “સ્વરાજને”, તેઓ કહે છે, “જેવું હું સમજ્યો છું તેવું સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તેવું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે એમ મન સાક્ષી પૂરે છે&amp;quot; (પૃ. ૧૦૯). &lt;br /&gt;
ગાંધીજીના જીવનકાળ દરમિયાન સ્વરાજનો આ કાર્યક્રમ ક્યારેય સ્વીકારવામાં આવ્યો નહોતો; એમના પરમ મિત્ર ને રાજકીય ગુરુ ગોપાળ કૃષ્ણ ગોખલેએ તો, ગાંધીજીએ પોતે એક સંદેશામાં નોંધ્યું હતું તેમ, ‘હિંદ સ્વરાજ&#039;ને એક “મૂરખ માણસની કૃતિ” કહી હતી (પૃ. ૨૩). &#039;હિંદ સ્વરાજ&#039; એ અમલમાં મૂકી શકાય એવો કાર્યક્રમ નથી, તે એક કવિદૃષ્ટાનું દર્શન છે, અને એ કવિની દૃષ્ટિએ જોયું છે કે આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિએ અમર્યાદ બનાવી મૂકેલી ભૌતિક સમૃદ્ધિ માટેની ઘેલછા મનુષ્યના મનુષ્યત્વનો હ્રાસ કરે છે. એ ઘેલછામાંથી ઉદ્ભવેલા મૂડીવાદ ને શાહીવાદની વિનાશક હરીફાઈઓ &#039;હિંદ સ્વરાજ&#039; લખાયું ત્યારે સ્પષ્ટ થઈ ગઈ હતી, અને થોડાં જ વર્ષોમાં પહેલા વિશ્વયુદ્ધની જ્વાળાઓ પ્રગટવાની હતી, જેમાંથી આવવાની હતી નાઝીવાદ ને ફાસીવાદની રાક્ષસી ભયાનકતા ને સામ્યવાદી ક્રાન્તિની યાતનાઓ, અને તે પછી પહેલા યુદ્ધ કરતાં પણ વધુ વિનાશક બીજું વિશ્વયુદ્ધ અને कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो એ કૃષ્ણવચનની યાદ આપતો અણુબૉમ્બ. ગાંધીજીની પ્રતીતિ હતી કે મનુષ્યજીવનની સાર્થકતા નૈતિક ને આધ્યાત્મિક વિકાસમાં છે, એના હૃદયની સત્ય ને પ્રેમની ઝંખનાઓના પોષણમાં છે, જે ભૌતિક તૃષ્ણાઓને સંયમમાં રાખીને જ બની શકે. કઠોપનિષદ કહે છે તેમ મનુષ્યે શ્રેય ને પ્રેય વચ્ચે પસંદગી કરવી જ રહી, અને &#039;હિંદ સ્વરાજ&#039;માં ગાંધીજી મહાભારતના વ્યાસની જેમ બેય હાથ ઊંચા કરીને ભારતને અર્વાચીન પશ્ચિમનું અનુકરણ કરી પ્રેયનો માર્ગ સ્વીકારવાની વિરુદ્ધ ગંભીર ચેતવણી આપે છે. &lt;br /&gt;
પરંતુ ગાંધીજીની દલીલમાં એક નિર્બળતા રહી ગઈ છે. મુદ્દો અંતર્મુખ જીવન ને બહિર્મુખ જીવન વચ્ચેના, અંતરવિકાસ ને ઇન્દ્રિયસુખ વચ્ચેના ભેદનો છે; ગાંધીજીની દલીલમાં તે ભારતીય સંસ્કૃતિ ને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચેનો ભેદ બની ગયો છે. ગાંધીજી માને છે કે બ્રિટિશો આવ્યા તે પહેલાંના ભારતમાં એમને ઇષ્ટ છે એવી જીવનરીતિ હતી, અને જે કંઈ અનિષ્ટો હતાં તે આકસ્મિક હતાં અને અંગ્રેજી શિક્ષણમાંથી જે નવી દૃષ્ટિ, નવો “જુસ્સો&amp;quot; ને “ઉત્સાહ” આવ્યાં હતાં તેમની મદદથી સુધારી શકાય એવાં હતાં (પૃ. ૫૯, ૯૪). પરંતુ એ અનિષ્ટો સુધારવાની શક્તિ પરંપરાગત ભારતીય જીવનરીતિમાં કેમ ન પ્રગટી અને અંગ્રેજી શિક્ષણમાં એવું શું હતું કે એણે અનિષ્ટો જોવાની દૃષ્ટિ અને તેમને સુધારવાનો “જુસ્સો” ને “ઉત્સાહ&amp;quot; આપ્યાં, એ પ્રશ્ન ગાંધીજીએ ન પૂછ્યો. હકીકતમાં જે બુદ્ધિએ ભૌતિક વિજ્ઞાન અને તેણે સર્જેલી સમૃદ્ધિ આપ્યાં હતાં તે જ બુદ્ધિના પ્રકાશે ધર્મઝનૂન, રૂઢિગત જડતા, અજ્ઞાન ને વહેમનાં આવરણ દૂર કર્યાં હતાં અને આર્થિક ને સામાજિક ન્યાયના આદર્શ આપ્યા હતા. સામે પક્ષે, જો ધર્મશ્રદ્ધાએ મનુષ્યને આંતરિક સુખનો અનુભવ કરાવ્યો હતો તો સાથે સાથે તેણે એને પ્રકૃતિની સામે નિઃસહાય બનાવી મૂક્યો હતો. તેથી જ ઈશોપનિષદ કહે છે કે જે અવિદ્યાની ઉપાસના કરે છે તે અંધકારમાં પ્રવેશે છે, અને જે વિદ્યામાં રત રહે છે તે એનાથી પણ વધુ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. ભારત સદીઓ સુધી વિદ્યાના અંધકારમાં રહ્યું, તો અર્વાચીન પશ્ચિમ અવિદ્યાના મોહમાં પડ્યું છે. અવિદ્યાની ને વિદ્યાની બન્ને સૃષ્ટિ સ્વીકારે તે જ ખરું જ્ઞાન. ગાંધીજીને એ જ દૃષ્ટિ ઇષ્ટ હતી, પરંતુ &#039;હિંદ સ્વરાજ&#039; લખાયું તે સમયે એ એમને સ્પષ્ટ નહોતી થઈ. દક્ષિણ આફ્રિકા છોડી તેઓ ભારત આવ્યા ને દેશની અસહ્ય ગરીબી જોઈ ત્યારે તેઓ સમજ્યા કે ભૂખ્યાંની સમક્ષ ઈશ્વર અન્ન રૂપે જ પ્રગટ થઈ શકે (21. 289, 48. 74) ભૂખ્યાંને ઈશ્વરનો ઉપદેશ આપીએ તો તેઓ આપણને શયતાન જ કહે (34. 453). પણ ભૂખ્યાંને પૂરતા પ્રમાણમાં અન્ન ને વસ્ત્ર પૂરાં પાડવાં હોય તો વિજ્ઞાનની મદદ લેવી જ રહી. એટલે પાછળથી ગાંધીજી ‘હિંદ સ્વરાજ&#039;માં તેઓ કરે છે તેમ યંત્રોનો સમૂળો વિરોધ કરવાને બદલે તેમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા. માણસનાં ભૌતિક કષ્ટ ઓછાં કરવા છતાં સુખવાદની અતિશયતામાંથી બચવું અને અંતરજીવનને પ્રાધાન્ય આપવું, ધર્મશ્રદ્ધા કેળવવી છતાં સ્વતંત્ર વિવેકશક્તિ કુંઠિન ન થવા દેવી, આ સમતુલા કેવી રીતે સિદ્ધ કરવી તે આજના યુગનો મહાપ્રશ્ન છે અને ‘હિંદ સ્વરાજ&#039;નું મહત્ત્વ તે આપણને એ પ્રશ્ન પ્રત્યે જાગ્રત કરે છે તેમાં રહેલું છે. &lt;br /&gt;
‘હિંદ સ્વરાજ&#039; લખાયું તે પછીનાં ત્રણ વર્ષ ગાંધીજીના જીવનમાં માનસિક સ્વસ્થતા ને આત્મવિશ્વાસનો ઉત્તમ સમય બની રહ્યો, વિચારોની અસ્પષ્ટતા ને હૃદયની અનિશ્ચિતતા હવે દૂર થયાં હતાં, લગભગ વીસ વર્ષના મનોમંથન પછી તેમણે સ્વ-અભિજ્ઞા (self-identity) સિદ્ધ કરી હતી અને તે અનુસાર પોતાનો જીવનક્રમ ગોઠવવાની નૈતિક હિંમત પણ કેળવી હતી. ‘હિંદ સ્વરાજ&#039;ના વિચારો એમના મનમાં આકાર લઈ રહ્યા હતા તે જ અરસામાં, ૧૯૦૯ની ૧લી ઑક્ટોબરે, ગાંધીજીએ તૉલ્સ્તૉય સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો હતો અને ૧૯૧૦ના ઑગસ્ટ માસ સુધીમાં એમને ચારેક પત્રો લખી એ સમયે જગવિખ્યાત બની ચૂકેલા એ રશિયન લેખકનું એમણે પોતાના આદર્શો માટે અનુમોદન મેળવ્યું હતું. રાજકીય ક્ષેત્રે ૧૯૦૭-૮નો જુસ્સો ઓસરી ગયો હતો, પરંતુ થોડા ચુનંદા સત્યાગ્રહીઓ શાંત નિશ્ચયબળથી લડત ચાલુ રાખી રહ્યા હતા. ગાંધીજીને પોતાને સરકાર પકડતી ન હતી, એટલે એમણે સત્યાગ્રહીઓનાં કુટુંબ સાથે ૧૯૧૦ના જૂન માસથી એમના જર્મન મિત્ર કૅલનબૅકના વિશાળ ફાર્મ ઉપર એક નવા પ્રકારનું આશ્રમજીવન શરૂ કર્યું, એ ફાર્મને એમણે તૉલ્સ્તૉય ફાર્મ નામ આપ્યું. સને ૧૯૧૧ના મે માસમાં કામચલાઉ સમાધાન થતાં સત્યાગ્રહ મોકૂફ રહ્યો, પણ તૉલ્સ્તૉય ફાર્મ તે પછી પણ દોઢ વર્ષ ચાલુ રહ્યું અને તે બધો સમય ગાંધીજીએ પોતાના અને આશ્રમવાસીઓના જીવનને નિયમબદ્ધ કરવાની સાધનામાં ગાળ્યો. એ સાધનાની વિગતો એમણે &#039;દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ&#039; ને &#039;આત્મકથા&#039; બન્નેમાં આપી છે. પ્રયોગમાં સ્વાશ્રય, શરીરશ્રમને ખોરાકનો સંયમ એ મુખ્ય હતાં. ઘરકામ, વાડીનું કે બાંધકામ બધું બને તેટલું જાતે જ કરવાનો આગ્રહ હતો, એટલે પાયખાનાથી માંડીને રસોઈ સુધીનું બધું કામ હાથે જ કરવાનું હતું. ખોરાકના પ્રયોગોમાં ગાંધીજી ને કૅલનબૅક બન્નેએ દૂધનો ત્યાગ કર્યો, રાંધેલો ખોરાક પણ બંધ કર્યો અને છેવટે કેવળ લીલાં ને સૂકાં ફળ ઉપર રહેવાનું શરૂ કર્યું. &lt;br /&gt;
તૉલ્સ્તૉય ફાર્મ ઉપરનું આ પ્રયોગમય જીવન (જૂન ૧૯૧૦થી ડિસેમ્બર ૧૯૧૨) ગાંધીજીના આધ્યાત્મિક વિકાસમાં મૂલ્યવાન નીવડ્યું. છેલ્લાં ત્રણેક વર્ષના સત્ય ને અહિંસાના પ્રયોગ દ્વારા એમને જે આત્માનુભૂતિની ઝાંખી થઈ હતી તેની ઉપર હવે, રાજકીય પ્રવૃત્તિનો વેગ મંદ પડી જતાં, ચિંતનનો અવકાશ મળ્યો. શરીરશ્રમનો નિત્યક્રમ પણ એમાં ઉપકારક નીવડ્યો હશે. શરીરશ્રમનું મહત્ત્વ ગાંધીજી પ્રથમ રસ્કિનના &#039;અન્ટુ ધિસ લાસ્ટ&#039;માંથી સમજ્યા હતા, અને એ પુસ્તકની પ્રેરણાથી સ્થાપેલા ફિનિક્સ આશ્રમમાં તે કેન્દ્રસ્થાને હતું. પરંતુ સત્યમય જીવન માટે શરીરશ્રમની આવશ્યકતા ગાંધીજી તૉલ્સ્તૉયનાં લખાણોમાંથી વધુ સારી રીતે સમજ્યા. શરીરશ્રમનો વિચાર પહેલો બૉન્ડારોફ નામના એક રશિયન લેખકે &#039;બ્રેડ લેબર&#039;ની સંજ્ઞાથી રજૂ કર્યો હતો. એનાં મૂળ ખ્રિસ્તી સાંપ્રદાયિક માન્યતામાં હતાં. એ માન્યતા અનુસાર પૅરડાઇઝમાં નિષિદ્ધ ફળ ખાવા સારુ આદમ ને ઈવને ઈશ્વરનો શાપ હતો કે પૃથ્વી ઉપર તેમને કષ્ટમય શ્રમ દ્વારા નિભાવ કરવો પડશે. તૉલ્સ્તૉયે શરીરશ્રમના નિયમની આર્થિક ને નૈતિક આવશ્યકતા ઉપર ભાર મૂક્યો. તેઓ માનતા કે ગરીબોની ગરીબીનું કારણ ધનપતિઓનું ધન છે; અર્થાત્, ગરીબો ગરીબ છે કારણ કે તેમને પોતાના નિભાવ ઉપરાંત એશઆરામમાં રહેતા ધનપતિઓની જરૂરિયાતો પૂરી પાડવા માટે પણ શ્રમ કરવો પડે છે. એટલે ગરીબીના નિવારણનો એકમાત્ર ઉપાય દરેક વ્યક્તિએ પોતાની ભૌતિક જરૂરિયાતો પૂરતો શારીરિક શ્રમ કરવો એ છે, અને એમ કરીને જ વ્યક્તિ ઈશ્વરાભિમુખ જીવન તરફ પ્રથમ પગલું ભરી શકે. ગાંધીજીએ શરીરશ્રમની આ નૈતિક ભાવના સ્વીકારી લીધી, પરંતુ લેટિનમાં સૂત્ર છે કે શ્રમ એ પ્રાર્થનાનું એક રૂપ છે, અને એ સૂત્ર અનુસાર શરીરશ્રમના નિત્યક્રમમાં ગાંધીજીએ શુદ્ધ આધ્યાત્મિક સ્થિતિની કંઈક ઝાંખી પણ કરી હોય એમ જણાય છે. એ સમયના એમના અનેક પત્રોમાં તેઓ મોક્ષની ચર્ચા કરે છે, અને એક પત્રમાં તો તેઓ પોતાને પારસમણિ જડ્યો હોવાના આનંદનો ઉલ્લેખ કરે છે (૧૧. ૧૪૭). શરીરશ્રમનો સિદ્ધાંત આમ ગાંધીજી માટે પોતાની કર્મયોગની સાધનાનું સાધન બની ગયો. ભારતમાં તેઓ રેંટિયા ઉપર કાંતવા બેસતા ત્યારે સમાધિસ્થ યોગીની જેમ ચિત્તની એકાગ્રતા કેળવી અન્ય સર્વે પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના વિચારો તથા તેમને વિશેની ચિંતાઓ ભૂલી જતા. એકાગ્ર ચિત્તે સેવાનું કામ કરવાની આવી કળાને જ ગાંધીજી સમાધિ અથવા ભગવદ્ગીતામાં વર્ણવેલા कर्मेसु कौशलम् યોગ તરીકે ઓળખાવતા. &lt;br /&gt;
ત્રણેક વર્ષ સુધી ગાંધીજીની કલમ રાજકીય વિષયોમાં રોકાયેલી રહ્યા પછી તે હવે ફરી પાછી બિનરાજકીય વિષયો તરફ વળે છે. સન ૧૯૦૫ના ડિસેમ્બર માસમાં તેમણે ‘ઇન્ડિયન ઓપિનિયન&#039;માં તૉલ્સ્તૉયની એક વાર્તાનો ગુજરાતીમાં સારાનુવાદ આપ્યો હતો. હવે તેમણે એમની એક બીજી વાર્તાનો ‘મૂરખરાજ ને તેના ભાઈઓ&#039; એ શીર્ષક નીચે સારાનુવાદ આપ્યો (૧૧. ૧૭૬–૯૫). વાર્તાનો ઉદ્દેશ શરીરશ્રમનું ગૌરવ કરવાનો છે, પરંતુ એક બોધવાર્તા હોવા છતાં તે ગાંધીજીની કલમમાં વાર્તા કહેવાની કળા હોવાની પ્રતીતિ કરાવે છે, વાચકને લાગે છે કે એમણે પોતાની એ શક્તિ કેળવી હોત તો ગાંધીજી જરૂર એક સારા વાર્તાકાર બની શક્યા હોત. વાર્તાકારને માટે જરૂરી એવી પાત્રાલેખનશક્તિ પણ તેમની કલમમાં હતી. ‘મિ. ગાંધીની નજરકેદ’ (૧૧. ૩૭૧-૩) નામના એક લેખમાં તેઓ એક પ્રસંગે પોતાનું ચિત્ત કેવું ક્ષુબ્ધ થઈ ગયું અને અંતે વળી પાછું કેવી રીતે શાંત થયું તેનો તાદૃશ ચિતાર આપે છે. બીજા એક લેખમાં (૧૨. ૧૯૫) ગાંધીજી તેમના એક મિત્ર ને સહકાર્યકર્તાના યુવાન, ભાવનાશાળી પુત્ર હાજી હુસેન દાઉદ મહમદના અકાળ મૃત્યુના પ્રસંગે એને પ્રેમભરી અંજલિ આપે છે અને એ લેખ પણ કોઈ પાત્રને જીવંત બનાવવાની ગાંધીજીની શક્તિનો પરિચય કરાવી જાય છે. &lt;br /&gt;
ગાંધીજીની સત્યસાધનાનો એક વિષય આરોગ્ય ને ખોરાક અંગેના પ્રયોગોનો હતો. ઇંગ્લંડમાં માંસ નહિ ખાવાની માતાએ લેવડાવેલી પ્રતિજ્ઞાએ ગાંધીજીને શરૂઆતમાં ખૂબ મૂંઝવ્યા હતા, પરંતુ અન્નાહારની હિમાયત કરતું એક અંગ્રેજી પુસ્તક વાંચ્યા પછી તેઓ વિચારથી અન્નાહારમાં માનતા થયા અને સન ૧૯૦૪-૫માં જર્મન લેખક જુસ્ટનું &#039;રિટર્ન ટુ નેચર’ પુસ્તક વાંચ્યા પછી કુદરતી જીવન અને આરોગ્ય વિશે તેમને નવી દૃષ્ટિ પ્રાપ્ત થઈ. સને ૧૯૦૬માં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ ભળી. ભારતીય પરંપરાની એક સર્વસ્વીકૃત માન્યતા છે કે મનની શુદ્ધિ માટે આહારની શુદ્ધિ આવશ્યક છે. પ્રાચીન ઋષિમુનિઓ ફળમૂળ ખાઈને જીવતા અને તેથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકતા એમ મનાયું છે. બ્રહ્મચર્ય પાળવાના પ્રયત્ને ગાંધીજીને પણ શરીર ને મનના સંબંધ વિશે વિચાર કરતા કર્યા, અને એમની કવિદૃષ્ટિએ એ સંબંધમાં ઊંડી રહસ્યમયતા અનુભવી. આ બધા વાંચનચિંતનનો એમણે &#039;આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન&#039; ઉપર એક લેખમાળામાં સાર આપ્યો. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સને ૧૯૧૩ના જાન્યુઆરીથી ઑગસ્ટ માસ સુધીના ગાળામાં પ્રસિદ્ધ થયેલા એ લેખો (ખંડ ૧૧ ને ૧૨) “નીરોગી શરીરમાં નીરોગી મન” કેવી રીતે કેળવી ને જાળવી શકાય એ વિશે સરળ ગુજરાતીમાં સમજૂતી આપે છે. શરીર ઇન્દ્રિયભોગ માટે નહિ પરંતુ ઈશ્વરની સેવા સારું છે, સત્યમય જીવન સારુ છે, અને ધર્મના સાધન તરીકે જ એનું રક્ષણ કરવું જોઈએ એ દૃષ્ટિ સ્પષ્ટ કરતાં ગાંધીજી ઉપસંહારમાં લખે છે : “રામ નથી રામાયણમાં, કૃષ્ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઇસ્ટ નથી બાઈબલમાં તે બધા માણસના ચારિત્ર્યમાં છે. ચારિત્ર્ય તે નીતિમાં છે. નીતિ સત્યમાં છે. સત્ય એ જ શિવ છે. એ જે કહીએ તે છે. આ પદાર્થ છૂટોછવાયો પણ આરોગ્યનાં પ્રકરણોમાં જોવામાં આવે એ આ પ્રયાસનો મૂળ હેતુ છે” (૧૨. ૧૩૮). &lt;br /&gt;
તૉલ્સ્તૉય ફાર્મની સાધના સત્યાગ્રહની છેલ્લી લડત દરમિયાન ફળી. એ સાધનાએ ગાંધીજીની સેવાભાવનાને વધુ ઊંડી ને નિર્મળ બનાવી હતી. “એ છેવટના યુદ્ધને સારું”, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ&#039;માં ગાંધીજી લખે છે, “ટૉલ્સ્ટૉય ફાર્મ એ આધ્યાત્મિક શુદ્ધિનું અને તપશ્ચર્યાનું સ્થાન નીવડ્યું” (પૃ. ૨૪૩). તૉલ્સ્તૉય ફાર્મનો જીવનક્રમ ૧૯૧૩ના જાન્યુઆરી માસમાં ફાર્મ બંધ કર્યા પછી ફિનિકસમાં પણ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્રણેક વર્ષના એ નિયમબદ્ધ જીવને આશ્રમવાસીઓમાં જે આત્મશ્રદ્ધા ને હિંમત કેળવ્યાં હતાં અને તેમને હિંદી કોમમાં પ્રતિષ્ઠા અપાવી હતી તેનો પૂરો લાભ ૧૯૧૩ના સપ્ટેમ્બર માસમાં શરૂ થયેલી લડતને મળ્યો. લડતની શરૂઆત કસ્તૂરબાની નેતાગીરી નીચે ૧૨ પુરુષો ને ૪ સ્ત્રીઓની એક નાની ટુકડીથી થઈ, અને એ ટુકડીને જેલની સજા મળતાં હિંદી કોમમાં વીજળીનો સંચાર થયો હોય તેમ તામિલ સ્ત્રીઓની એક બીજી ટુકડી નાતાલના ખાણમજૂરોમાં હડતાળના પ્રચાર માટે નીકળી પડી ત્યારે થોડા દિવસોમાં હજારો મજૂરો ખાણો છોડી ચાલી નીકળ્યા. એમની આગેવાની લઈ ગાંધીજીએ જંગી કૂચ આરંભી, અને તેમની ધરપકડ થયા પછી મજૂરો ઉપર જે સરકારી દમન ચાલ્યું તેના સમાચાર ભારતમાં ફેલાતાં પ્રજામત ઉત્તેજિત થઈ ગયો અને વાઇસરૉય લૉર્ડ હાર્ડિંજને સત્યાગ્રહીઓને જાહેરમાં ટેકો આપવાની ફરજ પડી. આ વેળાનો કોમનો ઉત્સાહ ગાંધીજી માટે એક નવો જ અનુભવ હતો. નિરક્ષર, ગરીબ મજૂરોનું વીરત્વ ને તેમની આત્મભોગની શક્તિ જોઈ ગાંધીજી તેમને માટે પ્રેમ ને પૂજ્યભાવ અનુભવી રહ્યા, અને જેલમાંથી છૂટ્યા પછી ગિરમીટિયા મજૂરોની એક જાહેર સભામાં તેમણે પોતાને ભારતની ત્રીસ કરોડ પ્રજાના જીવનપર્યંતના ગિરમીટિયા તરીકે ઓળખાવ્યા અને પોતાનું જીવન તેમની સેવામાં અર્પણ કર્યું (૧૨. ૪૦૬). લડતનો સફળ અંત આવ્યા પછી &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના સુવર્ણ અંક માટે લખેલા &#039;સત્યાગ્રહની છેલ્લી લડતનો મારો અનુભવ&#039; લેખમાં ગાંધીજીએ મજૂરોના ઉત્સાહનો તાદૃશ ચિતાર આપ્યો. &#039;સુખદુ:ખ મનમાં ન આણીએ&#039; એ અને બીજાં ભજનો ગાતાં આશ્રમવાસી સ્ત્રીપુરુષો નીકળી પડ્યા હતાં તે આરંભઘડીનું દૃશ્ય, ગાંધીજી જુલાઈ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકા છોડી ઇંગ્લંડ જતાં આગબોટમાં લેખ લખી રહ્યા હતા ત્યારે પણ ભૂલી શક્યા નહોતા (૧૨. ૪૪૫). યાત્રાએ નીકળ્યા હોય તેમ દરરોજ ન્યૂકૅસલમાંથી આવતાં સેંકડો મજૂર સ્ત્રીપુરુષો ને બાળકો, એ બધાંની શિસ્ત ને સહનશીલતા, એમનો સંતોષ, ગાંધીજીના હૃદયના પ્રેમતારને એવાં સ્પર્શી ગયાં હતાં કે એ મજૂર સ્ત્રીપુરુષોમાં એમણે સ્વર્ગનાં દેવદેવીઓનું દર્શન કર્યું હતું (૧૨. ૪૪૭-૮). અને કોઈ વિરલ આધ્યાત્મિક અનુભવક્ષણનું વર્ણન કરતા હોય એવા ઉત્સાહથી ગાંધીજી લેખને અંતે દયારામનું કાવ્ય ઉતારે છે : &#039;મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મળ્યા.&#039; દક્ષિણ આફ્રિકાના છેલ્લા વિદાયદિવસોનો અનુભવ ગાંધીજીના હૃદયને એટલો જ હલાવી ગયો હતો. “હજારો હિંદી ભાઈઓની પ્રીતિ”, લેખની પ્રસ્તાવનામાં તેઓ લખે છે, “તેઓએ કરેલો આદરસત્કાર અમારા મનમાં રમી રહ્યો છે. એ પ્રેમ આત્માની અદ્ભુત શક્તિનું, તેના મહાન ગુણોનું ભાન કરાવે છે” (૧૨. ૪૪૩). ભારતીય આધ્યાત્મિક પરંપરામાંથી તેમને આ દૃષ્ટિ મળી હતી અને દક્ષિણ આફ્રિકા છોડતા પહેલાં એક વિદાયસમારંભમાં તેમણે કહ્યું હતું: “હું હવે ભોગભૂમિમાંથી કર્મભૂમિમાં જાઉં છું. મારો મોક્ષ હિંદ વિના બીજી જગો નથી. માણસે મોક્ષ મેળવવો હોય તો તેણે હિંદની પવિત્ર ભૂમિમાં જવું જ જોઈએ, મારે માટે તેમ જ દરેકને માટે હિંદની ભૂમિ &#039;દુખિયાનો વિસામો’ છે. તેથી સ્વદેશ જવાને હું ઉત્સુક છું” (૧૨. ૩૯૫). &lt;br /&gt;
ભારતની આધ્યાત્મિક શક્તિ વિશેની આ શ્રદ્ધાને અનુસરીને દેશના નવનિર્માણમાં પોતાનો ફાળો આપવાની મહેચ્છા સાથે ગાંધીજી ૧૯૧૫ના જાન્યુઆરી માસમાં મુંબઈ ઊતર્યા, અને તુરત પૂર્ણ વિનમ્રતાથી એમણે પોતાના વિચારોનો પ્રચાર શરૂ કર્યો. ભારત આવતાં પહેલાં એમણે ગોખલેને વચન આપ્યું હતું કે એક વર્ષ માટે તેઓ કોઈ જાહેર પ્રશ્ન વિશે પોતાનો અભિપ્રાય નહિ દર્શાવે–ગોખલે કદાચ માનતા હશે કે હિંદુસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા પછી ગાંધીજીના વિચારો બદલાશે. —પરંતુ કોઈ રાજકીય વિષયને સ્પર્શ્યા વિના ગાંધીજીએ પોતાની રાજકીય વિચારસરણીની પાછળ રહેલી વિશિષ્ટ સ્વદેશપ્રેમની ભાવનાનો પ્રજાને પરિચય આપવાનું શરૂ કર્યું. મુંબઈ ઊતર્યાં પછી પાંચમા દિવસે મુંબઈની ગૂર્જર સભાએ તેમના માનમાં સમારંભ યોજ્યો તેમાં બીજા વક્તાઓ, મહમદઅલી ઝીણા ને કનૈયાલાલ મુનશી, અંગ્રેજીમાં બોલ્યા તેમને ગાંધીજીએ ગુજરાતીમાં ઉત્તર આપ્યો, અને તે પછી જ્યારે પ્રસંગ મળે ત્યારે તેઓ અંગ્રેજીને બદલે માતૃભાષા કે હિંદીના ઉપયોગનો અનુરોધ કરતા રહ્યા. એમ કરવામાં સંકુચિત દેશાભિમાને પ્રેરેલો અંગ્રેજીદ્વેષ નહોતો, પણ ભારતની પ્રજા ને ભારતની સંસ્કારપરંપરા સાથે આત્મીયતાનો ભાવ હતો, અને એ જ ભાવથી પ્રેરાઈ તેમણે આર્થિક ક્ષેત્રે પણ સ્વદેશીને પ્રચાર શરૂ કર્યો. સાથે સાથે ગાંધીજીએ ગોખલેના રાજકીય પ્રવૃત્તિને આધ્યાત્મિક સંસ્કાર આપવાના – to spiritualize politics –– મંત્રનો પ્રચાર પણ શરૂ કર્યો. ગાંધીજીની દૃષ્ટિએ આધ્યાત્મિક એટલે યોગની ઇન્દ્રિયાતીત અનુભૂતિ નહિ, પરંતુ નિર્મમ આત્મસમર્પણની ભાવના. એ ભાવના એમનાં વાણી ને વર્તનમાં પારદર્શક રીતે મૂર્ત થતી અને પ્રજાને સેવાના એક નવા આદર્શની ઝાંખી કરાવતી. બે વર્ષ પછી, ૧૯૧૭ના એપ્રિલ માસમાં, ગાંધીજીને ચંપારણમાં પોતાના સેવાઆદર્શને અમલમાં મૂકવાનો પ્રસંગ પ્રાપ્ત થયો અને એમણે દેશને સત્યાગ્રહની અહિંસક પ્રતિકારની રીત ને રચનાત્મક સેવાની કાર્ય પદ્ધતિનો એકસાથે પરિચય કરાવ્યો. &lt;br /&gt;
ભારતમાં સત્યાગ્રહના આ પહેલા સફળ પ્રયોગ પછી એ જ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર માસમાં ગાંધીજીએ ગુજરાતમાં ભરાયેલી બે પરિષદોમાં પ્રમુખસ્થાનેથી દેશના સર્વાંગી નવનિર્માણ વિશે પોતાના વિચાર વિસ્તારથી રજૂ કર્યા. ઑક્ટોબરની ૨૦મીએ ભરૂચમાં બીજી કેળવણી પરિષદના પ્રમુખ તરીકે બોલતાં (૧૪. ૧૪-૩૫) એમણે શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીને બદલે માતૃભાષાનો અને અંઆંતરપ્રાંતીય વ્યવહારમાં હિંદીનો આગ્રહભર્યો પક્ષ કર્યો. શિક્ષણના માધ્યમ તરીકે તેઓ અંગ્રેજી ને માતૃભાષા બન્નેના પક્ષકારોનો હેતુ પવિત્ર હોવાનું સ્વીકારે છે, અને અંગ્રેજીને પક્ષે આનંદશંકર ધ્રુવનો અભિપ્રાય ટાંકે છે, પરંતુ તેઓ દૃઢપણે માને છે કે અંગ્રેજીનો ઉપયોગ દેશના હિતમાં નહોતો ને નથી. સમગ્ર પ્રશ્નને ગાંધીજી શુદ્ધ શૈક્ષણિક દૃષ્ટિએ અને વ્યક્તિ તથા રાષ્ટ્રજીવનના સ્વસ્થ વિકાસની દૃષ્ટિએ તપાસે છે. જ્ઞાનસંપાદન માટે અને વ્યાપારી ક્ષેત્રે તેઓ અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારે છે, પરંતુ માને છે કે એ માટે જરૂરી પ્રવીણતા અંગ્રેજીનો શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ કર્યા વિના કેળવી શકાય. માધ્યમ તરીકે અંગ્રેજીનો ઉપયોગ, તેઓ કહે છે, વિદ્યાર્થીઓના મગજ ઉપર બોજો વધારે છે અને અભ્યાસની ગતિ ધીમી પાડી વિદ્યાર્થીનાં કેટલાંક વર્ષ બગાડે છે તથા શિક્ષિત વર્ગ ને પ્રજા વચ્ચે અંતર ઊભું કરે છે. ગાંધીજીની દૃષ્ટિએ આ છેલ્લો મુદ્દો સવિશેષ મહત્ત્વનો હતો. અંગ્રેજી દ્વારા વિદ્યાર્થી જે વિચારસૃષ્ટિમાં પ્રવેશ કરે છે તેનો વ્યાવહારિક જીવન સાથે સંબંધ રહેતો નથી અને તેથી વિદ્યાર્થીનો બૌદ્ધિક વિકાસ કૃત્રિમ બની જાય છે. ગાંધીજી કહે છે તેમ “માતાના ધાવણની સાથે જે સંસ્કાર મળે છે ને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફતે કેળવણી લેવામાં તૂટે છે” (૧૪. ૨૦). એટલે કે, વ્યક્તિની વિચારસૃષ્ટિ ને તેની ભાવનાસૃષ્ટિ વચ્ચે જે જીવંત સંબંધ રહેવો જેઈએ તે અંગ્રેજી શિક્ષણથી તૂટે છે અને પરિણામે વિદ્યાર્થીના વ્યક્તિત્વનો વિકાસ ખંડિત બને છે. રાષ્ટ્રચેતનાના વિકાસને પણ એવું જ નુકસાન થાય છે. અંગ્રેજીના અભ્યાસથી શિક્ષિત વર્ગમાં જે કંઈ રાજકીય જાગૃતિ આવી હતી તે આમજનતાને સ્પર્શી નહોતી. ગાંધીજી કહે છે તેમ “અંગ્રેજી સ્વદેશાભિમાન ચેપી” ન નીવડ્યું. “ખરું સ્વદેશાભિમાન”, તેઓ લખે છે, “વ્યાપક હોવું જોઈએ&amp;quot; (૧૪. ૨૧). માતૃભાષા દ્વારા કેળવાયેલું એવું વ્યાપક સ્વદેશાભિમાન જ, ભારતનું આધ્યાત્મિક સત્ત્વ પ્રગટ કરે એવા હિંદ સ્વરાજનું ગાંધીજી જે સ્વપ્ન સેવી રહ્યા હતા તેને સિદ્ધ કરી શકે, અને તેથી જ પરિષદના બીજે દિવસે ઉપસંહાર ભાષણમાં ગાંધીજી કહે છે તેમ એમને “માતૃભાષા ઉપર મોહ ચઢેલો છે – રંગ ચઢેલો છે” (૧૪. ૪૧). પ્રચલિત શિક્ષણપદ્ધતિની બીજી ત્રુટિઓ પણ એ શિક્ષણને જીવન માટે નિરુપયોગી બનાવતી. દેશનાં ઇતિહાસ ને ભૂગોળનાં વર્તમાન જીવન સાથેના સંબંધ વિશે કે પ્રજાના વિશાળ વર્ગના મુખ્ય આર્થિક વ્યવસાય ખેતી વિશે વિદ્યાર્થીને કોઈ જ્ઞાન મળતું નહિ. કોઈ હુન્નરકળાની પણ તાલીમ મળતી નહિ. ગાંધીજીનો કળાપ્રેમ સંગીતની ઉપેક્ષા પણ નોંધે છે. સંગીતનો ચારિત્ર્ય-ઘડતર માટે ઉપયોગ કરી શકાય છે એટલું જ નહિ, વ્યક્તિના આધ્યાત્મિક વિકાસમાં પણ તે ઉપકારક બને છે. “મધુર સંગીત”, પોતાના અનુભવ ઉપરથી ગાંધીજી સમજે છે ને કહે છે, “આત્માના તાપને શાંત કરી શકે છે.” માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ કરતાં તેઓ પ્રાથમિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકે છે અને તે માટે, કદાચ ફિનિકસ ને તૉલ્સ્તૉય ફાર્મનાં વર્ષોની સુખદ સ્મૃતિથી પ્રેરાઈ “સૃષ્ટિસૌંદય”ના વાતાવરણનો આગ્રહ રાખે છે (૧૪. ૩૩). &lt;br /&gt;
એ જ સાલની (૧૯૧૭ની) ૩જી નવેમ્બરે ગોધરામાં મળેલી પહેલી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખસ્થાનેથી ગાંધીજીએ દેશસેવાનો એમનો કાર્યક્રમ અને તેની પાછળ રહેલી વિચારસરણી ઉત્સાહપ્રેરક વાણીમાં પ્રજા સમક્ષ મૂકયાં. સામાન્ય રીતે પરિષદોમાં ભાષણો ને ઠરાવો થતા, પરંતુ ઠરાવોનો અમલ કરવાનો ભાગ્યે જ કોઈ ઉત્સાહ બતાવતા. ગાંધીજીની હૃદયપ્રેરણાઓ સતત કાર્યમાં પ્રગટ થતી અને વાણી એ માટે એક સાધનરૂપે હતી. એટલે એમણે પહેલી જ વાત પરિષદ જે ઠરાવો કરે તેના અમલની કરી. અને તે માટે “સેવા એ જ ધર્મ માનનારા” દેશસેવકની જરૂર જણાવી. “દેશસેવામાં આ કાળે ધર્મની પરિસીમા છે” એ ભાવના ફેલાય તો જ દેશની સર્વતોમુખી ઉન્નતિ શક્ય બને. રાજકીય સ્વતંત્રતા એ જ દેશસેવાનો એકમાત્ર ઉદ્દેશ ન હોવો જોઈએ. દેશમાં ખરેખર નવા પ્રાણનો સંચાર થયો હોય તો તેની અસર બધાં ક્ષેત્રોમાં દેખાવી જોઈએ. “વસંતની બહાર ખીલે છે ત્યારે દરેક ઝાડમાં તેની છાયા પડે છે. નવયૌવન આખી ભૂમિને વિષે જોવામાં આવે છે, તેમ જ જ્યારે આપણે સ્વરાજરૂપી વસંત ઋતુમાં પ્રવેશ કરતા હોઈશું ત્યારે કોઈ આવી ચડેલો મુસાકર દરેક સ્થળે નવયૌવન ભાળશે. અનેક પ્રકારની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં પ્રજાના સેવકો પોતાની શક્તિ અનુસાર અનેક કાર્યોમાં રોકાયેલા જોવામાં આવશે” (૧૪. ૪૭, ૫૬). આવી દેશવ્યાપી જાગૃતિ માટે પ્રજાની પરંપરાગત ધર્મશક્તિ સચેત કરવી જોઈએ. એ સમયના સંયોગોમાં ગાંધીજી નિર્ભયતા કેળવવા પ્રજાને લશ્કરમાં જોડાવાની સલાહ આપતા, પણ એમની પોતાની શ્રદ્ધા ભારતની આધ્યાત્મિક શક્તિમાં હતી. “હિંદુસ્તાન યુરોપ નથી, જાપાન નથી, ચીન નથી, એ મારાથી ભુલાતું નથી.... જેવી તપશ્ચર્યા આ દેશમાં થઈ છે તેવી બીજે ક્યાંય નથી થઈ. હિંદુસ્તાનને લોખંડનાં શસ્ત્રોની ઓછી જરૂર છે, તે દિવ્યાસ્ત્રથી લડતું આવ્યું છે; હજુ લડી શકે છે... હિંદુસ્તાન આત્મબળ વડે સર્વે જીતી શકે છે” (૧૪. ૫૦) આત્મબળ વડે લડવાનું શસ્ત્ર તે સત્યાગ્રહ. “... સત્યાગ્રહ હિંદુસ્તાનનું ખાસ શસ્ત્ર છે... એ સર્વવ્યાપક શક્તિ છે. સર્વ કાળે વપરાય એવી શક્તિ છે. સર્વ સ્થિતિમાં વાપરવાની છે” (૧૪, ૫૮). જેને સત્યાગ્રહની શક્તિ ઉપર શ્રદ્ધા છે તે મુશ્કેલીઓથી મૂંઝાશે નહિ. દેશની મુશ્કેલીઓ “હિમાલય જેવડી છે. પણ જેવી આપણી મુશ્કેલીઓ છે તેવાં જ રૂડાં સાધનો તે દૂર કરવાને સારુ આપણી પાસે છે.” આપણી સંસ્કૃતિને “સમુદ્રના પાણી જેમ ભરતીઓટ થયાં છે. પણ તે સમુદ્રની જેમ અચળ રહેલ છે.” પ્રજામાં આત્મશ્રદ્ધા ને પુરુષાર્થ પ્રેરે એવી બધી સંપત્તિ દેશમાં છે. “... તેમાં મહાન પર્વતો છે, નદીઓ છે, તેમાં ભારે સૃષ્ટિસૌંદર્ય છે. તેના સંતાનો મહાપરાક્રમનો વારસો મૂકી ગયાં છે. આ મુલક ત૫શ્ચર્યાનો ભંડાર છે. અહીં જ સર્વ ધર્મો સાથે રહે છે, અહીં જ સર્વ દેવતાને માન અપાય છે.” એટલે ગાંધીજીની શ્રદ્ધા હતી કે પોતાની “સાત્ત્વિક પ્રવૃત્તિથી” ભારત અંગ્રેજ પ્રજાને જીતી શકે અને “કંઈ અલૌકિક કાર્ય કરી દુનિયાને શાંતિ” આપી શકે, અને “એ મહત્કાર્ય કરવામાં આ પરિષદ સંપૂર્ણ ભાગ લઈ પોતાની, ગુજરાતની અને ભારતવર્ષની કીર્તિ ઉજજવળ કરો” એવી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરે છે (૧૪. ૬૦). &lt;br /&gt;
ભારતના નવસર્જનના આ સ્વપ્નમાં જે કાવ્યત્વ પ્રગટ થાય છે તેનો પ્રવાહ બન્ને ભાષણોમાં ગાંધીજીની વાણીમાં પણ વહેતો અનુભવાય છે. કોઈ પણ પ્રકારનાં આવેશ કે ઉત્તેજનાના સ્પર્શ વિનાનો અને નમ્ર આદર્શનિષ્ઠાની પ્રતીતિ કરાવતો એ વાણીપ્રવાહ નિર્મળ પાણીના ઝરા જેવો આહ્લાદક બન્યો છે અને થોડા જ સમયમાં એમની નેતાગીરી પ્રજામાં ઉત્સાહની જે ભરતી પ્રેરવાની હતી તેનું રહસ્ય પ્રગટ કરી જાય છે. એમના હૃદયનો પ્રેમ નિરક્ષર જનતાને કેવો સ્પર્શી જતો તેનો ગાંધીજીને ચંપારણમાં અનુભવ થઈ ચૂક્યો હતો અને એ અનુભવમાં તેમણે, &#039;આત્મકથા”માં તેઓ સૂચવે છે તેમ, “અહિંસાદેવી”નો સાક્ષાત્કાર કર્યો હતો (પૃ. ૪૧૪). બે વર્ષ પછી ગાંધીજીએ પ્રેમની એ જાદુઈ શક્તિનો વધુ ઉત્સાહપ્રેરક અનુભવ કર્યો. સને ૧૯૧૯ના એપ્રિલ માસમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ગાંધીજી પંજાબના પ્રવાસે ગયા ત્યારે વર્ષોના વિયોગ પછી કોઈ સ્વજન ઘેર આવતો હોય તેમ લાહોર ને અમૃતસરની જનતા તેમના દર્શન માટે ઊમટી પડી. એ પ્રવાસનું &#039;નવજીવન&#039; માટે વર્ણન કરતી &#039;પંજાબનો પત્ર&#039; લેખમાળામાં વાચક તે સમયે પ્રજામાં ઊભરાયેલી ઉત્સાહભરતીનો આજે પણ અનુભવ કરી શકે છે. સ્ત્રીઓનો પ્રેમ ગાંધીજીને સવિશેષ સ્પર્શી ગયો. એમના દર્શન માટે નીકળી પડી હતી એટલી સ્ત્રીઓ, અમૃતસરવાસીઓએ એમને કહ્યું હતું, ક્યારેય બહાર દેખાઈ નહોતી (૧૬. ૨૮૩). પુરુષોનો પ્રેમ કદાચ નિર્મળ નહોતો એમ ગાંધીજીને લાગ્યું હતું, પણ, તેઓ લખે છે, “સ્ત્રીઓને વિષે તો એવું સ્વપ્નમાંય નથી થતું.... હજારોની મેદનીમાં તેઓની હાજરી મને શાંતિ આપે છે, અને સત્યાગ્રહ તેમ જ સ્વદેશી ઉપર મારી શ્રદ્ધાને વધારી મારી દૃઢતાને વધારે દૃઢ કરી મને વધારે જુસ્સો આપે છે. સ્ત્રીઓના જેટલો જ નિર્મળ ભાવ જો હું પુરુષોમાં પેદા કરી શકું તો એક વર્ષની અંદર હિંદુસ્તાન કેટલે ઊંચે જઈ શકે તેનો આંક મેલી નહીં શકાય.” (૧૭. ૩૫) જેમ ભારતની જનતાના પ્રેમનો તેમ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં રહેલી સૌંદર્યદૃષ્ટિનો પણ પ્રવાસ દરમિયાન એક પ્રસંગે ગાંધીજીને આનંદપ્રેરક અનુભવ થયો. કાશીમાં પંડિત મદનમેહન માલવીયના નિવાસસ્થાન પાસે ગંગાતીરે અરુણોદયની રમણીય ભવ્યતા જોઈ એમની કલ્પના વેદયુગની ભાવનાસૃષ્ટિનો સ્પર્શ અનુભવી રહી. એ દૃશ્ય જોતાં, તેઓ લખે છે, “આંખ ધરાય જ નહીં ને ભક્તજનોના કંઠમાં તો ગાયત્રીનો મંત્ર તેની મેળે જ આવી ચડે. સૂર્યની ઉપાસના, નદીઓનો મહિમા, ગાયત્રી મંત્રનો અર્થ આ ભવ્ય દેખાવ જોયા પછી કંઈક વધારે સમજાયાં&#039; (૧૭. ૫૭) &lt;br /&gt;
ગાંધીજીની સર્વ પ્રવૃત્તિઓની પ્રેરણા ભારત ને ભારતની પ્રજા માટે એમના હૃદયમાં ઊભરાતા આ પ્રેમમાં હતી. પ્રજાના સર્વ વર્ગોને એ પ્રેમનો અનુભવ કરાવી તેમને સત્ય ને શ્રેયના માર્ગે વાળવાનો એમનો અભિલાષ હતો. એ ઉદ્દેશથી જલિયાંવાલા બાગની દુર્ઘટના પછી પ્રજામત કેળવવા તેમણે જૂન-જુલાઈમાં મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી &#039;યંગ ઇન્ડિયા&#039; અને ઇન્દુલાલ યાજ્ઞિકના “નવજીવન ને સત્ય&#039;નું સંચાલન સ્વીકાર્યું હતું અને ગુજરાતી સાપ્તાહિકને “નવજીવન&#039; નામ આપી તા. ૭-૯-૧૯૧૯થી તેના તથા તા. ૮-૧૦-૧૯૧૯થી &#039;યંગ ઇન્ડિયા&#039;ના તંત્રી બન્યા હતા. &#039;નવજીવન&#039;ના પહેલા અંકમાં પોતાનો ઉદ્દેશ સમજાવતાં તેઓ લખે છે: “ઘણા પ્રયત્ને મેં કેટલાક સિદ્ધાંતો મારા જીવનમાં ગોઠવ્યા છે ને તેને અમલમાં મૂક્યા છે. તેથી મને જે સુખ મળ્યું તે મેં બીજામાં નથી જોયું એમ મને ભાસ્યું છે....એ સિદ્ધાંતો હિંદને આપી મારા સુખનો અનુભવ હિંદને કરાવવાની મને ભારે અભિલાષા છે.” પોતાની આ મહત્ત્વાકાંક્ષાનો સાર આપતા તેઓ લખે છે: “... &#039;નવજીવન&#039;ની પ્રવૃત્તિ એવી ચાલશે કે જેથી રાજાપ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિંદુ-મુસલમાન વચ્ચે અન્તઃકરણની એકતા થાય, હિંદુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિંદુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. નાશમાંય ઉત્પત્તિ ભરી છે” (૧૬. ૯૧–૨). ‘નાશમાંય ઉત્પત્તિ ભરી છે, બલ્કે ઉત્પત્તિ અથવા સર્જન માટે નાશ આવશ્યક છે, એ વિચારસરણીને અનુસરી ગાંધીજીએ પ્રજાને એકસાથે નાશ ને નવસર્જનનો કાર્યક્રમ આપ્યો. વિનાશાત્મક કાર્યક્રમ બ્રિટિશ સરકાર સાથે અસહકારનો હતો. દેશની રાજકીય પ્રગતિ માટે ગાંધીજી બ્રિટિશ પ્રજાની ન્યાયપ્રિયતા ઉપર શ્રદ્ધા રાખતા આવ્યા હતા, પરંતુ જલિયાંવાલા બાગની કત્લ અને તે પછી પંજાબમાં લાદવામાં આવેલા લશ્કરી રાજ દરમ્યાન થયેલા અત્યાચારો અંગે બ્રિટિશ સરકારે અપનાવેલી નીતિએ ગાંધીજીની એ શ્રદ્ધાને આઘાત આપ્યો. તે જ સમયે ઉપસ્થિત થયેલા ખિલાફતના પ્રશ્નમાં પણ ગાંધીજીને બ્રિટિશ સરકારની નીતિ અન્યાયી અને ભારતના મુસલમાનોને આપેલા વચનનો ભંગ કરતી લાગી. દેશની ગરીબીનો ને પ્રજાની નૈતિક ભીરુતાનો પણ એમને ઠીક ઠીક અનુભવ થઈ ચૂક્યો હતો. એટલે ભારતમાં બ્રિટિશ શાસનનાં પરિણામોને તેઓ હવે નવી જ દૃષ્ટિએ જોતા થયા અને દેશની આર્થિક તારાજી ને નૈતિક અધઃપતન માટે એ શાસનને જવાબદાર ગણી તેનો જેમ બને તેમ વહેલો અંત લાવવા અધીરા બન્યા. એ ઉદ્દેશથી ગાંધીજીએ પ્રજાને ધારાસભાઓ, કોર્ટો, શાળાકૉલેજો ને પરદેશી કાપડનો એમ ચતુર્વિધ બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો. આ વિનાશાત્મક કાર્યક્રમની સાથે ગાંધીજીએ પ્રજાને રાષ્ટ્રીય કેળવણી, હિંદુ-મુસ્લિમ એકતા, ખાદી પ્રચાર ને અસ્પૃશ્યતાનિવારણ દ્વારા નવસર્જનનો રચનાત્મક કાર્યક્રમ પણ આપ્યો, અને બહિષ્કારનો તથા રચનાત્મક બંને કાર્યક્રમ સફળ થાય તો એક વર્ષમાં સ્વરાજ મળે એવી શ્રદ્ધા આપી. સને ૧૯૨૦ની ૧લી ઑગસ્ટથી શરૂ થયેલા આ દ્વિવિધ આંદોલન અંગે ગાંધીજી લગભગ એક વર્ષ સુધી ભારતભરનો પ્રવાસ કરતા રહ્યા અને પ્રજાને બ્રિટિશ શાસનનાં અનિષ્ટો પ્રત્યે જાગ્રત કરી એ શાસનનો અંત લાવવા અને રચનાત્મક કાર્યક્રમ અપનાવવા પ્રેરતા રહ્યા. &lt;br /&gt;
રચનાત્મક કાર્યક્રમ પ્રજાજીવનની સર્વાંગી શુદ્ધિ માટે હતો. અંગ્રેજી શિક્ષણના મોહમાં પડી શિક્ષિત વર્ગ દેશના સંસ્કારપ્રવાહથી વિમુખ બનતો જતો હતો અને આમજનતા સાથે આત્મીયતા અનુભવવા માટે અશક્ત બનતો જતો હતો. રાષ્ટ્રીય કેળવણીમાં ગાંધીજીએ સ્વદેશી ભાવનાને કેન્દ્રસ્થાને મૂકી અને ભારતીય જીવન ને ભારતીય સંસ્કારપરંપરાને સમૃદ્ધ કરે એવા શિક્ષણની કલ્પના કરી. હિંદુ-મુસ્લિમ ઐક્યનો કાર્યક્રમ બાહ્ય દૃષ્ટિએ રાજકીય લાગે, પરંતુ તેની પાછળ પણ પ્રચલિત સાંપ્રદાયિકતાને સંસ્કારી તેમાંથી વ્યા૫ક ધર્મભાવના પ્રગટાવવાની દૃષ્ટિ હતી. ખાદીનો કાર્યક્રમ આર્થિક દૃષ્ટિથી આપવામાં આવ્યો હતો. દેશમાં પ્રવર્તતી બેરોજગારી ને ગરીબી ઇંગ્લંડે ભારતના કાપડઉદ્યોગનો નાશ કર્યો હતો તેને આભારી હતી અને તેનો ઉપાય કરવો હોય તો દેશે કાપડમાં ફરી સ્વાવલંબી બનવું જોઈએ એમ ગાંધીજી માનતા. પરંતુ વધુ કાપડની મિલો સ્થાપવાથી તે ન બની શકે. એથી તો ગ્રામપ્રજાનું શોષણ ચાલુ જ રહે. એટલે કાપડના ઉત્પાદનને ફરી ગૃહઉદ્યોગ બનાવવામાં આવે તો જ ગ્રામપ્રજાની ગરીબીનું નિવારણ થઈ શકે. પરંતુ ખાદીના કાર્યક્રમની પાછળ આ આર્થિક દૃષ્ટિની સાથે સ્વસ્થ વ્યક્તિજીવન ને સમાજજીવન વિશેની નૈતિક દૃષ્ટિ પણ રહેલી હતી, જે ગાંધીજીને પોતાને શરૂઆતમાં સ્પષ્ટ નહોતી થઈ. સને ૧૯૩૪ પછી તેમણે ખાદીની સાથે બીજા ગ્રામોદ્યોગોની પ્રવૃત્તિ શરૂ કરી ત્યાર પછી એમનું શ્રમલક્ષી ને ગ્રામકેન્દ્રી સમાજદર્શન વધુ સ્પષ્ટ થતું ગયું. &lt;br /&gt;
અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ ગાંધીજી માટે સૌથી વધુ મૂંઝવણભર્યો બન્યો. સને ૧૯૨૦ ઑકટોબર માસમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તે પછી તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં અસ્પૃશ્યતાને સ્થાન નહિ હોય એવો તેણે ઠરાવ કર્યો તેનો સનતાની વર્ગે ઉગ્ર વિરોધ કર્યો, અને ગાંધીજીના પોતાને હિંદુ કહેવડાવવાના દાવા વિશે પણ શંકા કરવામાં આવી. ગાંધીજી હિંદુ ધર્મના સનાતન તત્ત્વને જુદી દૃષ્ટિથી જોતા, અને તેમણે પોતાને માત્ર હિંદુ નહિ પણ સનાતની હિંદુ ને વૈષ્ણવ કહેવડાવવાનો આગ્રહ રાખ્યો. તા. ૬-૩-૧૯૨૧ના ‘નવજીવન&#039;માં તેમણે &#039;સનાનની હિંદુ એટલે?’ લેખમાં હિંદુની વ્યાખ્યા આપી : &amp;quot;... જે માણસ હિંદુસ્તાનમાં હિંદુ કુળમાં જન્મીને વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથરૂપે માને; જે માણસ સત્ય-અહિંસાદિ પાંચ યમોને વિષે શ્રદ્ધા રાખે અને તે યથાશક્તિ પાળે; જે માણસ આત્મા છે, પરમાત્મા છે, આત્મા અજ અને અમર છે તેમ છતાં દેહાધ્યાસથી સંસારમાં અનેક યોનિમાં આવજા કર્યા કરે છે, તેને મોક્ષ છે, અને મોક્ષ એ પરમ પુરુષાર્થ છે એમ માને; જે વર્ણાશ્રમ ને ગોરક્ષા ધર્મને માને તે હિંદુ છે” (૧૯. ૨૮૯). આ માનવા ઉપરાંત જે વૈષ્ણવ કુટુંબમાં જન્મ્યો છે અને નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના ગુણો કેળવવા પ્રયત્નશીલ છે તે વૈષ્ણવ છે. હિંદુને વૈષ્ણવની આ વ્યાખ્યા સાંપ્રદાયિકતાની સંકુચિતતામાંથી સંપૂર્ણપણે મુક્ત નથી રહી શકી. હિંદુ ને વૈષ્ણવ કહેવડાવવા માટે વ્યક્તિ હિંદુ ને વૈષ્ણવ કુટુંબમાં જન્મી હોવી જોઈએ, વેદ, ઉપનિષદ, પુરાણાદિ ગ્રંથોને ધર્મગ્રંથ તરીકે સ્વીકારતી હોવી જોઈએ અને વર્ણાશ્રમ ને ગોરક્ષામાં માનતી હોવી જોઈએ. વળી સૈદ્ધાંતિક દૃષ્ટિએ વર્ણો ફક્ત ચાર હોવા છતાં જ્ઞાતિવ્યવસ્થાનાં ભોજન ને લગ્નવિષયક બંધનોને ગાંધીજી નિંદ્ય નથી ગણતા; બલ્કે, ઊંચનીંચની ભાવના વિના માત્ર સંયમના ઉદ્દેશથી એમનું પાલન કરવામાં આવે તો તેઓ એમને શિષ્ટાચાર પણ ગણે છે, જો કે તેઓ પોતે અથવા બીજા આશ્રમવાસીઓ ભોજન અંગેના પ્રતિબંધનું પાલન નહોતા કરતા. સને ૧૯૦૫ના માર્ચ માસમાં ગાંધીજીએ જોહાનિસબર્ગની થિયૉસૉફિકલ સોસાયટીના ઉપક્રમે હિંદુ ધર્મ ઉપર વ્યાખ્યાનો આપ્યાં હતાં અને એ વ્યાખ્યાનોનો &#039;ઇન્ડિયન ઓપિનિયન&#039;ના ગુજરાતી વિભાગમાં સાર આપ્યો હતો. તેમાં એમણે બ્રહ્મ, આત્મા, માયા, પુનર્જન્મ મોક્ષ ને નિષ્કામ કર્મના સિદ્ધાંતોને હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ગણાવ્યા છે (૪.૪૬૨), અને હિંદુ કુટુંબમાં જન્મ, ધર્મગ્રંથોમાં શ્રદ્ધા, વર્ણાશ્રમ, ગોરક્ષા ઇત્યાદિ કોઈ માન્યતાઓનો ઉલ્લેખ નથી. આ ભેદનું કારણ એ હોવાનો સંભવ છે કે &#039;નવજીવન&#039;ના લેખમાં ગાંધીજીનો ઉદ્દેશ અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંતર્ગત અંગ નથી એમ સનાતની વર્ગને પ્રેમપૂર્વક સમજાવવાનો હતો અને તેથી એ વર્ગની બીજી પ્રચલિત માન્યતાઓને સ્વીકારી તેમનો બને તેટલો ઉદાર અર્થ કરે છે. વેદ, ઉપનિષદ, પુરાણાદિને ધર્મગ્રંથો તરીકે સ્વીકારવા છતાં ગાંધીજી એમના જે કંઈ અંશો બુદ્ધિગ્રાહ્ય ન હોય અથવા સત્ય, અહિંસા ને બ્રહ્મચર્યના વિરોધી હોય તેમનો અસ્વીકાર કરે છે. એ દૃષ્ટિએ વિચારતાં અસ્પૃશ્યતાને હિંદુ ધર્મનું અંગ ન જ ગણી શકાય. વર્ણધર્મનો પણ ગાંધીજી બીજા પ્રસંગોએ ઉદાર અર્થ કરે છે. તેમના મતે વર્ણ વ્યવસ્થાનો હેતુ વ્યક્તિની આજીવિકાનું સાધન નિશ્ચિત કરી આર્થિક ક્ષેત્રમાંથી લોભ ને હરીફાઈને દૂર રાખવાનો હતો. આજીવિકા માટે દરેક વ્યક્તિ પોતાના વારસાગત વ્યવસાયને વળગી રહે, પરંતુ સર્વ વ્યવસાયોનું આર્થિક ને સામાજિક મૂલ્ય સરખું ગણાય. રોટીબેટી-વ્યવહારના પ્રતિબંધોને આ વ્યવસ્થા સાથે કશો સંબંધ ન હતો, અને અસહકારનાં વર્ષોમાં ગાંધીજીએ એમને સંયમના સાધન રૂપે ઓળખાવ્યા હતા પરંતુ પાછળથી તેઓ એમનું અનિષ્ટ સમજતા થયા હતા (51. 343), અને તે એટલે સુધી કે ૧૯૪૦ પછી સેવાગ્રામ આશ્રમમાં લગ્નપ્રસંગે બે પક્ષમાંથી એક હરિજન હોય તેને તેઓ આગ્રહ રાખતા. વર્ણધર્મ વિશે ગાંધીજીની દૃષ્ટિમાં આવેલું આ પરિવર્તન એમની સત્યદૃષ્ટિની વિકાસશીલતાનું નોંધપાત્ર ઉદાહરણ છે. આ વિષય ઉપરના એમના ૧૯૨૧ની સાલના વિચારો ને ૧૯૩૨ની સાલના વિચારો વચ્ચેના વિરોધ પ્રત્યે ધ્યાન દોરનાર એક પત્રલેખકને ઉત્તર આપતાં તેમણે લખ્યું હતું: “... મને સર્વે કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં; પણ મારો આંતરિક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે, એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે” (55. 61) &lt;br /&gt;
સત્યનારાયણની વાણીને અનુસરવાની ગાંધીજીની તત્પરતા અસહકારના આંદોલનની નિષ્ફળતાએ નાટ્યાત્મક રીતે સાબિત કરી, પ્રજાની અવદશા વિશે એમણે જે જોયું ને અનુભવ્યું હતું તેનું એમને એટલું ઊંડું દુઃખ હતું કે એ સમયની એમની વાણીમાં ક્યારેક પુણ્યપ્રકોપના તણખા ઝરતા જણાતા. પ્રજાએ એમનો રોષ જોયો, પરંતુ એ રોષની પાછળ રહેલો અહિંસાભાવ તે ન સમજી શકી, અને દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણુ ફેલાતું લાગ્યું. શ્રી નરસિંહરાવ દિવેટિયા તથા રવીન્દ્રનાથ ઠાકુરે એમને એ વિશે જાહેરમાં ચેતવણી આપી, પરંતુ ગાંધીજી પ્રજાનો મિજાજ ન સમજી શક્યા. છેવટે ૧૯૨૧ના નવેમ્બર માસમાં મુંબઈએ, ૧૯૨૨ના જાન્યુઆરીમાં મદ્રાસે ને ફેબ્રુઆરીમાં ઉત્તરપ્રદેશના ચૌરીચૌરા ગામે ગાંધીજીને પ્રજાના હિંસાત્મક મિજાજની પ્રત્યક્ષ સાબિતી આપી અને તેમની આંખ ઊઘડી ગઈ એમણે તુરત લડત થંભાવી દીધી અને માર્ચ માસમાં એમની ધરપકડ થયા પછી અમદાવાદની સેશન્સ કોર્ટમાં એમની ઉપર કામ ચાલ્યું ત્યારે પ્રજાની હિંસા માટે પોતાની પૂરી જવાબદારી સ્વીકારી, જોકે એમના હૃદયમાં ગ્રામપ્રજાની ગરીબીના દર્શને જે જ્વાળાઓ સળગી રહી હતી તેનો પણ એમણે પોતાના નિવેદનમાં ચિતાર આપ્યો. જેલનિવાસ દરમિયાન એ જ્વાળાઓ કંઈક શાંત થઈ અને ૧૯૨૪ના ફેબ્રુઆરી માસમાં ઍપેન્ડિસાઈટિસની શસ્ત્રક્રિયા પછી સરકારે એમને છોડી મૂક્યા ત્યારે તેઓ વધુ ઊંડી બનેલી સત્યદૃષ્ટિ અને અહિંસાભાવના સાથે બહાર આવ્યા. &lt;br /&gt;
ગાંધીજીની આધ્યાત્મિક ક્ષિતિજોના આ વિસ્તારની પાછળ રામનામનો પ્રભાવ રહ્યો હોય એમ લાગે છે. &#039;આત્મકથા&#039;માં એમણે નોંધ્યું છે કે શુદ્ધ બ્રહ્મચર્ય “કેવળ પ્રયત્નસાધ્ય નથી” અને “રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે” એ તેઓ ભારતમાં આવીને સમજ્યા (પૃ. ૨૧૧–૨). આ દૃષ્ટિ એમને ૧૯૨૨-૨૩ના યરવડાનિવાસ દરમિયાન પ્રાપ્ત થઈ હશે. તેઓ શ્રી રામને શ્રીરામચંદ્રપ્રભુ કહેવાને બદલે માત્ર રામ કેમ કહેતા એવા એક પત્રલેખકના પ્રશ્નના ઉત્તરમાં જૂન ૧૯૨૪માં ‘નવજીવન’ના એક લેખમાં તેઓ લખે છેઃ “એવો અવસર મારી જિંદગીમાં હતો કે જ્યારે હું રામને શ્રીરામચંદ્રપ્રભુ રૂપે ઓળખતો. પણ એ અવસર વીતી ગયો છે. રામ તો મારે ઘેર આવ્યા છે... તે જ રામને હું ભંગીમાં ને બ્રાહ્મણમાં જોઉં છું તેથી બંનેને વંદન કરું છું” (૨૪. ૧૮૪). એક વર્ષ પછી એમણે ‘રામનામ મહિમા&#039; ઉપર બીજો એક લેખ લખ્યો (૨૭. ૯૩). ગાંધીજીના હૃદય ઉપર રામનામનો આ પ્રચાર એમની કવિચેતનાનો જ અનુભવ હતો. કવિઓએ રામ ને સીતાનો અરણ્યની વનસ્પતિસૃષ્ટિ ને પ્રાણીસૃષ્ટિ સાથે આત્મીયતાનો સંબંધ કલ્પ્યો છે અને તેમનો પ્રેમ એ સૃષ્ટિના સૌંદર્ય સાથે એકરૂપ બની જતો લાગે છે. રામાયણની ભાવનાસૃષ્ટિમાં પ્રેમ ને સૌંદર્યનાં આવા મિશ્રણનું પૂર્ણ જાદુ ગાંધીજીએ અનુભવ્યું હતું. સને ૧૯૩૧માં એક પ્રસંગે લંડનમાં ભાષણ કરતાં તેઓ કહે છે : “હું ઈશ્વરને &#039;ઈશ્વર’ નામે ભજી શકતો નથી. એ નામ મારા હૃદયને સ્પર્શ કરતું નથી. પરંતુ જ્યારે હું ઈશ્વરનું રામરૂપે સ્મરણ કરું છું ત્યારે શરીર આનંદથી પુલકિત બની જાય છે. એમાં કાવ્યનું જાદુ ભર્યું છે” (48. 127). એ જાદુના ઉત્સાહથી પ્રેરાઈ સને ૧૯૩૪માં એક બીજા પ્રસંગે ગાંધીજી કાવ્યમય વાણીમાં શ્રેતાઓને ઉદ્બોધે છે: “રામનામ આ દેશનાં પશુપંખીઓને અને શિલાઓને પણ હજારો વર્ષથી પરિચિત છે. તમે એ પવિત્ર નામનું એવી મધુરતાથી અને એવા ભક્તિભાવથી રટણ કરતાં શીખો કે પંખીઓ એમનું ગાન બંધ કરી તમને સાંભળી રહે અને વૃક્ષો પણ એ નામના દિવ્ય સંગીતથી પ્રફુલ્લિત બની એમનાં પત્રરૂપી કર્ણોને તમારી તરફ નમાવે” (57.446). &lt;br /&gt;
રામનામના આવા પ્રભાવે સૃષ્ટિસૌંદર્ય પ્રત્યેની ગાંધીજીની દૃષ્ટિને પણ પ્રેમ ને ધર્મભક્તિના રંગે રંગી હતી. સને ૧૯૨૧ના એપ્રિલ માસમાં તેઓ સિંધના અને ઑગસ્ટ માસમાં આસામના પ્રવાસે ગયા હતા, ત્યાં સિંધુ ને બ્રહ્મપુત્રા નદીના સૌંદર્ય એમના મનમાં જે વિચારો ને ભાવ પ્રેર્યા હતા તેના વર્ણનમાં (૨૦. ૪૫, ૨૧. ૫૦, ૭૬) ગાંધીજીની સૌંદર્યદૃષ્ટિની આ ભાવના પ્રગટ થઈ છે. પરંતુ ૧૯૨૫ના માર્ચ માસમાં તેઓ કન્યાકુમારીની યાત્રાએ ગયા હતા તે અનુભવના વર્ણનમાં (૨૬. ૨૭૭-૮) સૃષ્ટિસૌંદર્યનો અનુભવ ગાંધીજી માટે શુદ્ધ ધર્મપ્રેરણાનો અનુભવ બની જતો જણાય છે. બીજે દિવસે એ અનુભવની સ્મૃતિએ ગાંધીજીના હૃદયમાં એવી ઉત્કટ સેવાભાવના ઊભરાય છે કે એનું વર્ણન કરતાં પણ એમની કલમ ધ્રૂજે છે (૨૬. ૨૮૫). રામાયણકથાના સંસ્કારે ગાંધીજીના હૃદયની એક બીજી ભાવનાને પણ પોષી હશે. ત્યાગશીલ સ્ત્રીઓ પ્રત્યે તેઓ હમેશાં પૂજ્યભાવ અનુભવતા અને સ્વેચ્છાએ પાળેલા વૈધવ્યનું ભક્તિપૂર્વક ગૌરવ કરતા. એમને એ હૃદયભાવ આ અરસામાં લખાયેલા બે લેખો, ‘ત્યાગમૂર્તિ’ (૨૩. ૫૦૧-૪)ને ‘ગં.સ્વ. વાસંતીદેવી’ (૨૭. ૨૭૨-૪),માં આકર્ષક રૂપે પ્રગટ થયો છે. પરંતુ પવિત્ર સ્ત્રીઓ પ્રત્યેનો ગાંધીજીનો ભક્તિભાવ, સદીઓ સુધી હિંદુ સમાજમાં બની રહ્યો હતો તેમ, વિકૃત નથી બનતો અને તેમને બળાત્કારે પળાવેલા વૈધવ્યનું પણ ગૌરવ કરવા નથી પ્રેરતો; બલકે, એવા વૈધવ્યનો તેઓ દૃઢતાપૂર્વક વિરોધ કરતા રહ્યા હતા (૧૬. ૨૨૧-૩, ૧૭, ૪૦૮-૧૦, ૨૭, ૩૨૫-૬, ૩૦. ૩૫-૬, ૩૪. ૧૩૪–૫). &lt;br /&gt;
રામાયણકથાના સૌંદર્યસંસ્કારે ગાંધીજીને જે વિનમ્ર ભક્તિભાવની ઝાંખી કરાવી તે એમને માટે સર્જનપ્રેરક નીવડી. સને ૧૯૨૪થી ૧૯૩૦ સુધીના છ વર્ષના ગાળામાં એમની કલમે તેની ચાર શ્રેષ્ઠ સિદ્ધિઓ, &#039;દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ&#039;, &#039;સત્યના પ્રયોગો અથવા આત્મકથા&#039;, ‘અનાસક્તિયોગ&#039; ને &#039;મંગળપ્રભાત&#039; આપી, જેમાં એમની નવપ્રાપ્ત નિર્મમતા ને ચિત્તપ્રસન્નતા સ્વચ્છ ગદ્યપ્રવાહ રૂપે વહે છે અને વાચકને કોઈ વિલક્ષણ પ્રકારના સાત્ત્વિક, શીતળ અંતરપ્રકાશનો અનુભવ કરાવે છે. વ્યવહારુ જીવનની અહંકેન્દ્રી ચેતનાની મૃદુ ને પારદર્શક બનેલી સપાટી તળેથી સ્ફુરી રહેલો એ પ્રકાશ ભારતીય આધ્યાત્મિક પરંપરાના એક નવા ઉન્મેષ જેવો લાગે છે અને ગાંધીજીના શબ્દસર્જનને કાવ્યની વાણીની ચમત્કૃતિનો સ્પર્શ આપે છે. ‘દ.આ.સ.ઇ.’ને ‘આત્મકથા’માં તેમણે સત્યાગ્રહના પહેલા પ્રયોગની અને પોતાના જીવનમાં પ્રગટ થયેલી નવીન સત્યભાવનાની વિકાસકથા આલેખી અને કવિના અનાસક્તભાવે એ ભૂતકાળને તાદૃશ બનાવી સત્યપૂજાને વરેલા એક જીવનનું ચિરંજીવ ચિત્ર આપ્યું. એ ચિત્ર ઐતિહાસિક છે એટલું જ કલ્પનાનું સર્જન છે, પરંતુ તેથી તે અયથાર્થ નથી. ઇતિહાસકાર કરતાં કવિની દૃષ્ટિ હમેશાં સત્યનું વધુ ઊંડું દર્શન કરતી હોય છે. ઇતિહાસકાર વાસ્તવિક ઘટનાઓની વિગતોને પ્રાધાન્ય આપે છે: કવિ બનેલી કે કલ્પેલી ઘટનાઓને પ્રેરતા હૃદયભાવોને પ્રત્યક્ષ કરવા-કરાવવા ઇચ્છતો હોય છે અને એના આલેખનમાં ક્યારેક ઘટનાઓના વિગતદોષો આવી જાય છે ત્યારે પણ તે મનુષ્યહૃદયની સૂક્ષ્મ સ્ફુરણાઓને સાકાર કરતો હોય છે. &#039;દ.આ.સ.ઇ.&#039;ને &#039;આત્મકથા&#039;માં ગાંધીજીએ પોતાના ભૂતકાળનું આપેલું ચિત્ર એવું એક કવિદૃષ્ટિના ઇતિહાસલેખકે આલેખેલું ચિત્ર છે અને મનુષ્યની આંતરખોજની યાત્રામાં તે એક નવા ઉપક્રમની સિદ્ધિ બની રહ્યું છે. &lt;br /&gt;
‘દ.આ.સ.ઈ.&#039;નાં પ્રકરણો ગાંધીજીએ તા.૨૬-૧૧-૧૯૨૩ના રોજ યરવડા જેલમાં લખવાનાં શરૂ કર્યા. અને તે તા.૧૩-૪-૧૯૨૪થી ૨૨-૧૧-૧૯૨૫ સુધીના ગાળામાં &#039;નવજીવન&#039;ના અંકમાં છપાયાં. અસહકારના આંદોલનની નિષ્ફળતા પછી સત્યાગ્રહની અસરકારકતા વિશે પ્રજામાં શ્રદ્ધા ઓછી થઈ ગઈ હતી; ગાંધીજીએ એ પણ જોયું કે પ્રજા સત્યાગ્રહનું સ્વરૂપ સમજી જ નહોતી. એટલે ‘દ.આ.સ.ઈ.’માં એમણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજી માનતા ને કહેતા કે એમની સર્વ લડતોમાં દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ સૌથી શુદ્ધ ને સફળ રહ્યો હતો. એમના પોતાના આધ્યાત્મિક વિકાસમાં પણ દક્ષિણ આફ્રિકાનાં વીસ વર્ષ મૂલ્યવાન નીવડ્યાં હતાં. એટલે એ વર્ષોની ગાંધીજીને સુખદ સ્મૃતિ રહી હતી અને તેમની કલમે એવા પ્રેમ અને ઉત્સાહના ઉમળકાથી લડતનો ઇતિહાસ આલેખ્યો છે કે કૃતિ માત્ર રાજકીય ઇતિહાસનો દસ્તાવેજ બનવાને બદલે, કળાકૃતિ હોવી જોઈએ તેમ, અનુભવકથા બની છે, જેમાંથી સત્યાગ્રહના સિદ્ધાંતોનું સ્વરૂપ સરળતાથી સ્પષ્ટ થતું જાય છે. એ સિદ્ધાંતોની ગાંધીજીએ પ્રસંગોપાત્ત ચર્ચા કરી છે, અને સત્યાગ્રહ ને પૅસિવ રેસિસ્ટન્સ વચ્ચેનો ભેદ સમજાવવા એક આખું પ્રકરણ રોક્યું છે, પરંતુ સત્યાગ્રહ એ માત્ર બુદ્ધિએ ગોઠવેલો કોઈ આચરણ-નિયમ નથી, હૃદયની ઊંડી ભાવના છે, અને તેનું સ્વરૂપ એ ભાવનાની પ્રેરણાને અનુસરનાર કોઈ વ્યક્તિના જીવનમાંથી સમજાય. &#039;દુ.આ.સઈ.&#039;માં ગાંધીજીની કલમે એમના વ્યક્તિત્વનું એવું સર્જનાત્મક ચિત્ર આલેખ્યું છે, એમનો સત્યપ્રેમ ને એમની અહિંસા, એ ચિત્રમાંથી જ પ્રગટ થાય છે અને વાચકની કલ્પનાને કોઈ નવા જીવન આદર્શની પ્રતીતિ કરાવે છે. &lt;br /&gt;
રાજકીય ઇતિહાસ શરૂ કરતા પહેલાં ગાંધીજીએ જે દેશમાં ને જે પ્રજા વચ્ચે હિંદી કોમની લડત ચાલી હતી તેમનું વર્ણન આપ્યું છે. એ વર્ણનમાં જ એક જીવંત વ્યક્તિત્વનો સ્પર્શ શરૂ થઈ જાય છે. જોહાનિસબર્ગ, જ્યાં રહી ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચલાવી હતી, તે માત્ર ટ્રાન્સવાલનું સૌથી ધનાઢ્ય શહેર નહોતું પણ “વિશાળ સુશોભિત બંગલાઓ”વાળી “દક્ષિણ આફ્રિકાની સુવર્ણપુરી હતું” જેના “શહેરીઓ ચાલતા નથી પણ દોડતા જેવા લાગે છે” “અને સહુ કેમ વધારેમાં વધારે ધન થોડામાં થોડા વખતમાં મેળવી શકે એ જ વિચારમાં ગરકાવ થઈ ગયેલા જોવામાં આવે છે!” નાતાલની જમીન એટલી ફળદ્રુપ છે કે ત્યાં “ઘણી જાતનાં અને ઘણાં સરસ કેળાં, પપૈયાં અને અનનાસ પાકે છે”, નાતાલમાં તેમ જ બીજા પ્રદેશોમાં નારંગી, સંતરાં, “પીચ” અને એપ્રિકોટ (જરદાળુ) તથા કેપ કૉલોનીમાં લીલી દ્રાક્ષ ને પ્લમ વિપુલ પ્રમાણમાં પાકતાં. “મુંબઈની આફૂસ પાયરી સાથે.....હરીફાઈ કરી શકે” એવી કેરી પાકતી અને “રસિયા હિંદીઓએ હિંદુસ્તાનનો લગભગ બધો ભાજીપાલો ત્યાં ઉગાડેલો...” ગાંધીજીની સૌંદર્યપ્રેમી દૃષ્ટિ એ પણ નોંધે છે કે “કુદરતે પોતાની બીજી બક્ષિસોની સાથે આ ભૂમિને સૃષ્ટિસૌંદર્યથી શણગારવામાં મણા નથી રાખી.” સૌથી સુંદર દૃશ્ય જેની તળેટીએ કેપટાઉન વસેલું છે તે &#039;ટેબલ માઉન્ટ&#039;નું હતું. તેના એક સ્ત્રીકવિએ કરેલા વર્ણન સાથે સંમત થતાં ગાંધીજી લખે છે: “... અને કેવળ દરિયાકિનારે હોવાથી સમુદ્ર પોતાના સ્વચ્છ જળથી હંમેશા તેનું પાદપૂજન કરે છે. અને ચરણામૃત પીએ છે.... એમાં વિશાળ ઝાડો, સુગંધી અને રંગબેરંગી પુષ્પો આખા પહાડને એટલો બધો શણગારે છે કે માણસને જોતાં ને ફરતાં તૃપ્તિ જ ન થાય” (પૃ. ૧–૭). આ વર્ણનો એટલી સ્વાભાવિકતાથી ગાંધીજીની કલમમાંથી વહેતાં જણાય છે કે વાચકને એક સતત જાગ્રત ને સૌંદર્યપ્રેમી ચેતનાનો સ્પર્શ કરાવે છે. &lt;br /&gt;
જે ઉમળકાથી ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના ભૂમિપ્રદેશ વર્ણનનું કર્યું છે તેવા જ ઉમળકાથી તેમણે ત્યાંની બે પ્રજાઓ વલંદા અથવા બોઅર અને ઝૂલુઓનું વર્ણન કર્યું છે. નિર્દોષ, કુદરતનાં બાળકો જેવા ઝૂલુઓની ગોળ ને તેજસ્વી આંખો, તેમનું ચપટું ને મોટા મોઢાને શોભે એવું નાક અને સીસમ જેવી કાળી ને ચળકતી ચામડી ઉપર શોભી નીકળતા માથાના ગૂંચળિયા વાળમાં તેઓ એક નવા પ્રકારનું સૌંદર્ય જુએ છે અને લખે છે, “ઝૂલુને ઘડીને બ્રહ્માએ કંઈ કચાશ રાખી હોય એમ આપણને નહીં લાગે.” ઘાસમાટીની ગોળ દીવાલો ને ઘાસનાં છાપરાંવાળાં એમનાં ઝૂંપડાંઓ ગાંધીજીને મહેલ જેવાં લાગે છે અને ઝૂલુઓની નિર્વસ્ત્ર સ્થિતિમાં તેઓ શુકદેવજીની નિર્દોષતા જુએ છે. એમની “અત્યંત મધુર... ભાષાના અવાજ&amp;quot; ગાંધીજીના “કાનને હળવા ને મધુર&#039;&#039; લાગે છે અને તેના શબ્દોમાં, તેમની કાવ્યદૃષ્ટિ કહે છે, “અર્થ ને કાવ્ય બંને રહેલાં” હોય છે. અને એમની “સ્વાભાવિક અવસ્થામાં જેટલે દરજ્જે તેઓ સત્યને જાળવે છે તેટલે દરજજે ગોરાઓ અથવા આપણે જાળવીએ છીએ કે નહીં એ”, ગાંધીજી નમ્રતાથી લખે છે, “શંકા ભરેલી વાત છે” (પૃ. ૮-૧૧). ઝૂલુઓ પ્રત્યેની આ માનવતાભરી દૃષ્ટિ પાછળથી ગાંધીજીના જીવનમાં એક મહાન પરિવર્તન લાવી. સને ૧૯૦૬ના ઝૂલુબંડ વેળા હિંદીઓની સારવાર ટુકડીને ઘવાયેલા ઝૂલુઓની સારવાર કરવાનું આવ્યું હતું. ઝૂલુઓની દયાજનક સ્થિતિનું વર્ણન કરતાં ગાંધીજી લખે છે: “હબસીઓાની ચેષ્ટા અને તેઓની આંખો ઉપરથી અમે જોઈ શકતા હતા કે તેઓને મદદ કરવા, કેમ જાણે અમને ઈશ્વરે મોકલ્યા ન હોય, એમ તેઓને લાગતું હતું.” આ સેવાકાર્યે ગાંધીજીને શુદ્ધ કરુણાનો અનુભવ કરાવ્યો અને તેમની સેવાવૃત્તિને તીવ્ર કરી મૂકી. એમણે બે નિર્ણયો કર્યા: “એક તો એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજો એ કે સેવાધર્મ&#039; કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જેઈએ” (પૃ. ૯૨). &lt;br /&gt;
જેમની સામે ગાંધીજીએ દર્શ વર્ષ, ૧૯૦૩થી ૧૯૧૩, સુધી લડત ચલાવી તે બોઅર પ્રજાના સદ્ગુણોનું પણ એમણે ઝુલુઓનું કર્યું છે એટલે જ ઉમળકાથી વર્ણન કર્યું છે. એ પ્રજાએ, ગાંધીજી લખે છે, “પોતાની ભાષા તો જેમ બાળક માતાને સેવે છે તેવી રીતે જાળવી રાખી છે” અને “તેઓને પોતાની સ્વતંત્રતા એટલી બધી પ્રિય હોય છે કે જ્યારે તેની ઉપર હુમલો થાય ત્યારે બધા બોઅર તૈયાર થઈ જાય છે અને એક શરીરની માફક ઝૂઝે છે.” બોઅર સ્ત્રીઓ પણ એટલી જ બહાદુર હતી. સને ૧૮૯૯-૧૯૦૦ના બોઅર યુદ્ધ વેળા એમને ખાસ જુદા વાડાઓમાં રાખવામાં આવી હતી, જ્યાં તેમના ઉપર “અસહ્ય વિપત્તિઓ&amp;quot; પડી પણ તે નમી નહિ, અને તેમની યાતનાઓના સમાચાર સાંભળી એક અંગ્રેજ રાજપુરુષે જાહેરમાં પ્રાર્થના કરી કે “એ લડાઈમાં ઈશ્વર અંગ્રેજને હરાવે” (પૃ. ૧૪-૭). બોઅર પ્રજાના હિંદીઓ પ્રત્યેના દ્વેષનો ગાંધીજીએ કંઈક વિગતે ઈતિહાસ આપ્યો છે, પરંતુ તે એટલી સ્વસ્થતાથી કે તેમાં ક્યાંય કડવાશનો સ્પર્શ નથી. ઊલટું, એમણે પરિસ્થિતિને બોઅરોની દૃષ્ટિએ પણ જોવાનો પ્રયત્ન કર્યો છે. ટ્રાન્સવાલમાં પ્રેસિડન્ટ ક્રૂગરે એક પ્રસંગે એને મળવા ગયેલા હિંદી પ્રતિનિધિઓને ઘરમાં પણ નહોતા બોલાવ્યા અને કહ્યું હતું: “તમે તો ઇસ્માઈલની ઓલાદ છો એટલે તમે ઇસોની ઓલાદની ગુલામી કરવાને જ જન્મેલા છો.” આમાં, ગાંધીજીની અહિંસક સત્યબુદ્ધિ કહે છે, “દ્વેષ કે રોષ હતો એમ આપણાથી નહીં કહી શકાય” પ્રેસિડન્ટ ક્રૂગરની કેળવણી જ એવી હતી કે તેણે જે કહ્યું તેમાં તે માનતો, “અને જે માણસ જેવું માનતો હોય તેવું જ નિખાલસ દિલથી કહે તેમાં તેનો દોષ શો કાઢી શકાય?” (પૃ. ૩૨). જનરલ સ્મટ્સ ને બીજા ચારિત્ર્યવાન ગોરાઓ રંગભેદના કાયદાઓના સમર્થનમાં પૂર્વની સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ માટે ભયરૂપ હોવાની તત્ત્વજ્ઞાનના આડંબર જેવી દલીલ કરતા તેનો ગાંધીજી નિષ્પક્ષપાતપણે સાર આપે છે અને લખે છે: “આટલી ઝીણવટમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. હું ઇચ્છું કે વાંચનાર જુદી જુદી દૃષ્ટિઓ સમજે અને જેઓ આજ લગી તેમ ન કરતા આવ્યા હોય તેઓ જુદી જુદી દૃષ્ટિઓને માન આપવાની અને સમજવાની ટેવ પાડે” (પૃ. ૮૭). અને નાતાલના અંગ્રેજો પણ, એમના અજ્ઞાનમાં, હિંદુસ્તાનની આખી વસ્તી નાતાલમાં ઠલવાય તો એમનું શું થાય એવો ભય રાખતા તેનો ઉલ્લેખ કરી ગાંધીજી લખે છે, “તેમાં તેમનો દોષ કેમ કાઢી શકાય?” (પૃ. ૨૯). ગાંધીજીની આ સત્યદૃષ્ટિ વાચકને એ પણ યાદ દેવડાવે છે કે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ કરતા હતા તે દોષ આપણે પણ ભારતમાં કરીએ છીએ. હિંદીઓ માટે જુદા રાખવામાં આવેલા વાડાઓની ગંદકીનો ઉલ્લેખ કરી તેઓ લખે છે, “એટલે આપણે ટ્રાન્સવાલની પંચમ જાતિ બન્યા” (પૃ. ૩૩). &lt;br /&gt;
ગાંધીજીની સત્યદૃષ્ટિ ને અહિંસાભાવના તેમને ગોરાઓ પ્રત્યે કડવાશ નહોતી અનુભવવા દેતી એટલું જ નહિ, કોઈ ગોરાઓમાં ઉમદા ગુણો જોતા ત્યારે તેમની પ્રત્યે તેઓ પૂરા હૃદયનો આદર અનુભવતા. ક્રેપ કલોનીનાં કેટલાક “પ્રૌઢ, વિનયી અને ઉદાર દિલના&amp;quot; ગોરાઓનો એમને એવો સુખદ અનુભવ થયો હતો કે તેઓ ઉત્સાહથી લખે છે : “મારી માન્યતા પ્રમાણે તો દુનિયામાં એકે એવી જગ્યા નથી અને એકે એવી જાતિ નથી કે જ્યાં અથવા જેમાં યોગ્ય પ્રસંગ મળે અને સંસ્કાર પડે તો સુંદરમાં સુંદર મનુષ્યપુષ્પ ઉત્પન્ન થઈ ન શકે.” એવા એક મનુષ્યપુષ્પનું વર્ણન કરતાં ગાંધીજીનું હૃદય પ્રેમથી ઊભરાઈ રહે છે. ઑલિવ શ્રાઈનર નામની એક “વિદુષી બાઈ”નો “મનુષ્યમાત્ર પરનો પ્રેમ... અનહદ હતો. તેની આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમનો ઝરો જ વરસતો હોય” (પૃ. ૩૫). એવા એક બીજા અંગ્રેજ ‘મનુષ્યપુષ્પ’નું નામ સિમંડ્ઝ હતું. એ એવો “પરદુઃખભંજન” હતો કે ૧૮૯૭ની સાલમાં તે મુંબઈ હતો ત્યારે “મરકીના હિંદી દર્દીઓમાં તે બેધડક થઈને રખડેલ, અને તેઓને તેણે મદદ કરેલ. ચેપી રોગવાળાઓને સહાય કરતાં લેશમાત્ર પણ ડર ન રાખેવો એ તો તેના ખમીરમાં ઘડાઈ ગયું હતું.” ગાંધીજીને એનો દક્ષિણ આફ્રિકામાં પરિચય થયો હતો અને ૧૯૦૬માં તેઓ હિંદી ડેપ્યુટેશનના સભ્ય તરીકે ઇંગ્લંડ ગયા ત્યારે સિમંડ્ઝે પોતે એમને ખોળી કાઢ્યા અને કારકુન, ટાઇપિસ્ટ, પટાવાળો, ગાંધીજીને જે સેવાની જરૂર પડી તે બધી કંઈ ફી લીધા વિના તેણે આપી. “પરોપકાર એ”, ગાંધીજી લખે છે, “ઘઉંવર્ણી ચામડીનો જ વારસો નથી એ મેં તો ઘણે પ્રસંગે અનુભવેલું છે” (પૃ. ૧૧૪-૫). આવાં પવિત્ર સ્મરણોમાં ગાંધીજીને સૌથી પ્રેમભર્યું સ્મરણ ખ્રિસ્તી પાદરી રેવરન્ડ જે. ડોકનું બની રહ્યું હતું. ગાંધીજીએ એમનામાં ઈશુનો પ્રેમઉપદેશ મૂર્તિમંત થયેલો જોયો હતો. હિંદી કોમની જે કંઈ સેવા થઈ શકે તે કરવા તેઓ ઉત્સુક હતા, કારણ કે, તેઓ ગાંધીજીને કહે છે, “ઈશુના જીવનનું ચિંતન કરીને હું જો કંઈ શીખ્યો હોઉં તો એ જ કે દુખિયારાંના દુઃખમાં ભાગ લેવો.” સને ૧૯૦૮ના ફેબ્રુઆરી માસમાં મીરઆલમે ગાંધીજી ઉપર હુમલો કર્યો ત્યારે સારવાર માટે તેમણે કોઈ હૉસ્પિટલમાં જવાને બદલે ડોકને ઘેર રહેવાનું પંસદ કર્યું હતું, અને એમના કુટુંબે જે પ્રેમથી ગાંધીજીની સેવા કરી હતી તે તેઓ ક્યારેય ભૂલી શક્યા નહોતા. એમની વિનંતીથી ડોકની કિશોર પુત્રીએ ગાંધીજીનું પ્રિય ભજન &#039;Lead Kindly Light’ ગાયું હતું. “એ આખું દૃશ્ય”, તેઓ લખે છે, “મારી નજર આગળ તરે છે અને ઑલિવના દિવ્ય સૂરના ભણકારા હજુ પણ મારા કાનમાં સંભળાઈ રહ્યા છે” (પૃ. ૧૬૦). &lt;br /&gt;
પ્રેમના આવા આકર્ષણની સાથે ગાંધીજીમાં દ્વેષ કે હિંસાનો ઉત્તર દ્વેષ કે હિંસાથી નહિ આપવાની અસાધારણ શક્તિ હતી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી પહેલા જ અઠવાડિયા દરમિયાન એમને જે અનુભવ થયા હતા તે, તેઓ લખે છે, “એમના હાડમાં પેસી ગયા” હતા (પૃ. ૩૯). પરંતુ જન્મજાત બક્ષિસ જેવી એમના સ્વભાવની અહિંસાવૃત્તિને તે સ્પર્શી શક્યા નહોતા. એક પ્રસંગના વર્ણનમાં ગાંધીજીએ એ અહિંસાવૃત્તિની આશ્ચર્યકારક શક્તિની પ્રતીતિ કરાવી છે. સને ૧૮૯૬માં છ માસ માટે ભારત ગયા હતા ત્યાંથી કુટુંબ સાથે તેઓ પાછા ફર્યા ત્યારે, ભારતમાં એમની પ્રવૃત્તિઓના અતિશયોક્તિભર્યા છાપાંના અહેવાલો ઉપરથી ઉશ્કેરાયેલા ગોરાઓએ એમને ૨૩ દિવસ સુધી વહાણમાંથી ઊતરવા ન દીધા અને છેવટે તેઓ ઊતરી શક્યા ત્યારે તોફાને ચઢેલા ટોળાએ એમના ઉપર હિંસાત્મક હુમલો કર્યો હતો તેનો ગાંધીજીએ તાદૃશ, પરંતુ સંપૂર્ણ સ્વસ્થતાથી ને કંઈક વિનોદવૃત્તિથી ચિતાર આપ્યો છે. પ્રસંગનું વર્ણન એક ટૂંકી વાર્તા જેવું બન્યું છે. એના આલેખનમાં કળાકારની જે તટસ્થતા પ્રગટ થાય છે તે ઉચ્ચ કક્ષાની અહિંસાનો જ આવિર્ભાવ છે. ગાંધીજી પોતે પણ લખે છે કે તેમણે જીવતા ઘેર પહોંચવાની આશા લગભગ છોડી દીધી હતી ત્યારે પણ “મને એટલું બરાબર યાદ છે કે... મારું હૃદય આ મારનારાઓનો દોષ લેશમાત્ર કાઢતું ન હતું” (પૃ. ૫૫). હુમલો કરનારાઓ ઉપર કામ ચલાવવાની લંડનથી સૂચના આવી, અને નાતાલના ન્યાયપ્રધાને ગાંધીજીને તેઓ હુમલાખોરોમાંથી કોઈને ઓળખી શકે એમ પૂછયું, તેનો એમણે ઉત્તર આપ્યો: “મારે વિષે જે તેઓએ સાંભળ્યું તે બધું ખરું હોય તો તેઓ ઉશ્કેરાઈ જાય અને ગુસ્સામાં આવીને ન કરવાનું કરી નાખે, એમાં હું તેમનો દોષ ન કાઢું. ઉશ્કેરાયેલાં ટોળાં એ જ રીતે ઈન્સાફ લેતાં આવ્યાં છે” (પૃ. ૫૯). એવી જ અહિંસાભાવનાથી ગાંધીજીએ મીરઆલમ ઉપર કામ ચલાવવાની ના પાડી. રેવ. ડોકને ઘેર ભાન આવતાં જ એમણે પૂછયું, “મીરઆલમ ક્યાં છે?” અને તે અને તેના સાથીઓ પકડાઈ ગયા છે જાણી કહ્યું, “તેઓ છૂટવા જોઈએ” (પૃ. ૧૫૯). &lt;br /&gt;
આવી અહિંસાવૃત્તિ સામાન્ય રીતે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ટાળવા પ્રેરે છે. ભારતીય ને ખ્રિસ્તી પરંપરાઓમાં શુદ્ધ આધ્યાત્મિક જીવનના અભિલાષી માટે શાંતિમય જીવન આવશ્યક મનાયું છે. પણ ગાંધીજીના સ્વભાવમાં અહિંસાના બ્રાહ્મણધર્મની સાથે અન્યાયની અસહિષ્ણુતાનો ક્ષત્રિયગુણ ભળ્યો હતો અને &#039;દ. આ. સ. ઇ&#039;માં એમની કલમે પરસ્પરવિરોધી દેખાતા એ ગુણોના વિરલ મિશ્રણનું ચિત્ર આપ્યું છે. ઝૂલું બંડ વેળા હિંદી કોમે સરકારને નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી હતી તેની કદર કરવાને બદલે ટ્રાન્સવાલના બ્રિટિશ અમલદારોએ હિંદી કોમના સ્વમાન ઉપર પ્રહાર કરતા એક રજિસ્ટ્રેશન ઑર્ડિનન્સનો મુસદ્દો તૈયાર કર્યો. એ ઑર્ડિનન્સ ગાંધીજીને એટલો અપમાનજનક લાગ્યો કે “જેમ જેમ” તેઓ લખે છે, “એની કલમો હું વાંચતો ગયો તેમ તેમ હું કાંપતો હતો. હું એમાં હિંદીઓના દ્વેષ સિવાય કંઈ જ જોઈ ન શક્યો” (પૃ. ૯૩). દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના અપમાનમાં એમણે સમગ્ર હિંદુસ્તાનનું અપમાન જોયું અને તેમની સ્વદેશભક્તિ એ કોઈ રીતે સહન કરી શકે એમ નહોતું. એમના વિરોધની ઉગ્રતા એટલી હતી કે તેમણે ઑર્ડિનન્સને ખૂની કાયદા તરીકે એળખાવ્યો. એમના જુસ્સાએ બીજા નેતાઓને પણ ઉત્તેજિત કર્યા અને ગાંધીજીની પ્રેરણાથી તેમણે ઑર્ડિનન્સ મંજૂર થાય તો તેનો ભંગ કરવાનો ઠરાવ કરવા જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં તા.૧૧-૯-૧૯૦૬ના રોજ હિંદીઓની એક સભા બોલાવી, એ સભામાં એક નેતા એવા આવેશમાં આવી ગયા કે એમણે ખુદાને સાક્ષી રાખી ઑર્ડિનન્સને તાબે નહિ થવાની પ્રતિજ્ઞા કરવાનું સૂચન કર્યું, અને ગાંધીજીએ એવી પ્રતિજ્ઞાની ગંભીરતા સમજાવ્યા છતાં “છેવટે આખી સભાએ ઊભા રહીને, હાથ ઊંચા કરીને, ઈશ્વરને સાક્ષી ગણીને, કાયદો પસાર થાય તો તેને શરણ ન થવાની પ્રતિજ્ઞા કરી.” “એ દેખાવ”, ગાંધીજી લખે છે, “હું તો કોઈ દિવસ ભૂલી શકું એમ નથી. લોકોના ઉત્સાહનો પાર નહોતો” (પૃ. ૧૦૧). વાચક પણ એ ઉત્સાહનો અનુભવ કરે એવી રીતે ગાંધીજીએ આખા પ્રસંગનું વર્ણન કર્યું છે. દશેક માસ પછી ઠરાવનો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં સભા ભરાઈ તેમાં એટલો જ ઉત્સાહ હતો. ગાંધીજીએ એને અહમદ મહમદ કાછલિયા નામના એક વક્તાના ચિત્રમાં તાદૃશ કર્યો છે. કાછલિયાએ ટૂંકું પણ જુસ્સાભર્યું ભાષણ કર્યું : “જેલમાં નાખશે, આપણો માલ વેચશે, આપણને દેશપાર કરશે, ફાંસી દેશે. એ બધું સહન થઈ શકે, પણ આ કાયદો તો સહન ન જ થાય.” “...આ બધું બોલતાં”, ગાંધીજી લખે છે, “અહમદ મહમદ કાછલિયા ખૂબ ઉશ્કેરાતા જતા હતા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. ગળાની ને માથાની રગો લોહીના જોરથી ઊપસી નીકળી હતી. શરીર કાંપતું હતું. પોતાનાં જમણા હાથનાં ખુલ્લાં આંગળા ગળા ઉપર ફેરવતા તે ગરજી ઊઠ્યા, &#039;હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ થઈશ, પણ આ કાયદાને વશ નહીં થાઉં ...&amp;quot; ગાંધીજીની દૃષ્ટિએ લડતના નાયક હવે આ “પુરુષસિંહ” બની રહ્યા (પૃ. ૧૨૪-૬). કોમનો ઉત્સાહ એટલો બધો હતો કે તેની સામે કેવાં પગલાં લેવાં તેનો સરકાર નિર્ણય ન કરી શકી. છ માસ પછી પહેલી  ધરપકડ થઈ અને કોમમાં “ખળભળાટ થયો.” એ “પહેલો સત્યાગ્રહી” પંડિત રામસુંદર &amp;quot;ફૂટી બદામ” નીવડ્યો (પૃ. ૧૩૦-૧), પરંતુ કોમના ઉત્સાહમાં તેથી ફેર ન પડ્યો અને “પકડાપકડી” શરુ થઈ ગઈ(પૃ. ૧૩૬). ગાંધીજીને પણ પકડ્યા. તેમની ધરપકડ પછી વીસેક દિવસે કંઈક સમાધાન જેવું થયું, પરન્તુ તે ભાંગી પડ્યું. ઘણા હિંદી નેતાઓને લાગ્યું હતું કે સમાધાન કરવામાં ગાંધીજીએ ભૂલ કરી છે, તોપણ તેમની નેતાગીરીમાં શ્રદ્ધા રાખી તેઓ ફરી સત્યાગ્રહ કરવા તૈયાર થયા. સમાધાનીની શરત પ્રમાણે હિંદી કોમે મરજિયાત પરવાના કઢાવ્યા હતા તેની જાહેરમાં હોળી કરવા એક સભા બોલાવવામાં આવી. તે પ્રસંગનાં ઉત્સાહ ને ઉત્તેજના પહેલી બે સભાઓને કરતાં પણ વધારે હતાં અને ગાંધીજીની કલમે તેમને પૂરો ન્યાય આપ્યો છે. &lt;br /&gt;
તાત્કાલિક ઉત્તેજના શમી જતાં સત્યાગ્રહીઓની સંખ્યા ઓછી થઈ ગઈ, પરંતુ જેઓ રહ્યા તેઓ કસોટીમાંથી સફળ પાર ઊતર્યા અને એમની નિષ્ઠાનું ગાંધીજીએ અહોભાવપૂર્વક વર્ણન કર્યું છે. “તેઓની બહાદુરીનો પાર ન હતો”, ગાંધીજી લખે છે. “ તેમાંના કેટલાક હસતે ચહેરે ફાંસીએ પણ ચડે એવા હતા” (પૃ. ૨૧૧). એમનો જુસ્સો તોડવા સરકાર બધું કરી છૂટી. “જેલમાં સત્તાવાળાઓએ દુઃખ દેવામાં બાકી ન રાખી. પાયખાનાં સાફ કરાવ્યાં... પથ્થર ફોડાવ્યા... તળાવો ખોદાવ્યાં. પથ્થરવાળી જમીનો ખોદાવી. હાથમાં આંટણો પડ્યાં, કોઈ અસહ્ય દુઃખથી મૂર્છા પણ પામ્યા; પણ હાર્યા નહીં&#039;&#039; (પૃ. ૨૦૯). સત્યાગ્રહીઓનો આ જુસ્સો ગાંધીજીને આનંદ આપે છે. તેમાંના એક, સોરાબજી શાપુરજી અડાજણિયા, “પ્રથમ પંક્તિના સત્યાગ્રહી નીવડ્યા” અને ગાંધીજીએ તેમનો પરિચય આપવામાં એક આખું પ્રકરણ રોક્યું છે (પૃ. ૨૦૦-૫) એક બીજા સત્યાગ્રહી, ઇમામસાહેબ અબ્દુલ કાદર બાવાઝીર, આરામમાં રહેવા ટેવાયેલા હોવા છતાં “આદર્શ કેદી તરીકે રહ્યા” અને નાજુક તબિયતે પણ તેમણે જેલનાં બધાં કષ્ટ સહ્યાં. જેલની તપશ્ચર્યાંથી શુદ્ધ થઈ તેઓ ગાંધીજીના કાયમના સાથી બન્યા અને ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમની સાથે સત્યાગ્રહ આશ્રમમાં પણ આવીને રહ્યા (પૃ. ૨૦૮). એક ગરીબ તામિલ નવયુવાન નાગાપને પણ “જેલના નિયમો પાળ્યા. જેટલી સોંપવામાં આવી તે મજૂરી કરી&amp;quot; અને પરિણામે માંદા પડી  “પોતાનો વહાલો પ્રાણ આપ્યો.” અંત સુધી તે “લડતનું જ સ્તવન” કરતો રહ્યો. “જેલ જવાથી તેને પશ્ચાત્તાપ ન થયો. દેશને ખાતર મળેલા મોતની તેણે મિત્રની જેમ ભેટ કરી.” એની વીરતાને અંજલિ આપતાં ગાંધીજી લખે છે : &amp;quot;ભારે વિદ્વાનો ન ભળ્યા છતાં ટ્રાન્સવાલની લડત ચાલી શકી. પણ નાગાપન જેવા સિપાહી ન મળ્યા હોત તો લડાઈ ચાલી શકત?” (પૃ. ૨૧૩-૪). એના જેવા બીજા ઘણા ગરીબ સત્યાગ્રહીઓને હિંદુસ્તાન દેશપાર કરવામાં આવ્યા હતા, જેમાંનો એક, નારાયણસ્વામી, વહાણ ઉપર માંદો પડી મૃત્યુ પામ્યો. આવા બધા સત્યાગ્રહીઓ ગાંધીજીના પ્રેમથી આકર્ષાઈને જ લડતમાં જોડાયા હતા. “મેં અનુભવે જોયું છે”, ગાંધીજી લખે છે, “કે લાગણી, મીઠો બોલ, મીઠી નજર જે કામ સાધે છે તે પૈસો નથી સાધી શકતો... પ્રેમને વશ રહેલા અનેક સંકટો સહન કરવા તૈયાર રહે છે” (પૃ. ૨૧૧). &lt;br /&gt;
એવા પ્રેમબળના પ્રભાવે જ ગાંધીજી તૉલ્સ્તૉય ફાર્મ ઉપરના પ્રયોગો કરી શક્યા હતા. ફાર્મ ઉપર કેટલીક ખ્રિસ્તી બહેનો પણ હતી. તેમને માટે માંસની વ્યવસ્થા કરવી કે નહિ એ પ્રશ્ને ગાંધીજીને મૂંઝવ્યા. એમણે પોતાની મૂંઝવણ બહેનો સમક્ષ રજૂ કરી અને તેમણે, ગાંધીજી લખે છે, “પ્રેમભાવથી માંસ ન ખાવાનું સ્વીકાર્યું” (પૃ. ૨૨૪). બીજા કેટલાક નિયમો પણ કડક હતા. જોહાનિસબર્ગ તૉલ્સ્તૉય ફાર્મથી ૨૧ માઈલ દૂર હતું, પરંતુ ફાર્મવાસીઓમાંથી જેમને ત્યાં જવાની ઈચ્છા થાય તેમણે ચાલીને જવું એવો નિયમ હતો. આ નિયમનું પણ, ગાંધીજી લખે છે, “સહુ.... પ્રેમપૂર્વક પાલન કરતા. બળાત્કારે હું એક પણ માણસને ન રાખી શક્ત. યુવકો મુસાફરીમાં બધું કામ હસમુખે વદને ને કલ્લોલ કરતાં કરતા.” મજૂરીનું કામ તેમને “રીઝવીને લઈ શકાય એટલું જ... લેવાનો નિયમ રાખ્યો હતો” (પૃ. ૨૨૫-૬). પરંતુ એક પ્રસંગે ગાંધીજીની અહિંસા નિષ્ફળ ગઈ હતી એમ આજના વાચકને લાગશે. બાળકોની નિર્દોષતા ઉપર શ્રદ્ધા રાખી ગાંધીજી છોકરાછોકરીઓને છૂટથી હળવાભળવા દેતા. થોડે દૂર ઝરામાં નાહવા પણ તે સાથે જતાં. એક દિવસ એમાંના એક છોકરાએ બે છોકરીઓની મશ્કરી કરી. વાત સાંભળતાં જ ગાંધીજી ધ્રુજી ઊઠ્યા, અને ફરી કોઈ દિવસ કોઈ છોકરાને એવી વૃત્તિ ન થાય એ હેતુથી એમણે, એ બે છોકરીઓની માતાઓની સંમતિ મેળવી એમના વાળ કાપી નાખ્યા. માતાઓથી, ગાંધીજી લખે છે, “મારી સૂચના સહન તો ન થઈ પણ તેઓ મારો હેતુ સમજી શકી હતી.” અને  “છોકરીઓ બંને ભવ્ય હતી..... છેવટે તે બંને સમજી” (પૃ. ૨૩૧). ગાંધીજીનો પ્રેમ અહીં બળાત્કાર બનતો લાગે છે, અને એવા બળાત્કારનાં પરિણામ હંમેશાં ઇષ્ટ નહોતાં આવ્યાં. ગાંધીજી પોતે જ લખે છે : “જે છૂટ હું ત્યાં આપી તેમ જ કેળવી શક્યો હતો તે છૂટ આપવાની કે કેળવવાની મારી હિંમત પણ આજે ન ચાલે, તે વેળા મારું મન આજ છે તેના કરતાં વધારે નિર્દોષ હતું એમ મને લાગ્યા કર્યું છે... ત્યાર બાદ હું ડંભાયો છું. મને કડવા અનુભવો થયા છે. જેને હું છેક નિર્દોષ સમજતો તે દોષિત નીવડ્યા છે. મારામાં પણ મેં ઊંડે ઊંડે વિકારો ભાળ્યા છે” “અને તેથી મન રાંક બન્યું છે” (પૃ. ૨૨૯). &lt;br /&gt;
છેવટે ગાંધીજીની પ્રેમતપશ્ચર્યા ફળી. સને ૧૯૧૧ના મે માસમાં થયેલી કામચલાઉ સમાધાની ચાલુ હતી તે દરમિયાન, ૧૯૧૨ના ઑક્ટોબર-નવેમ્બર માસમાં ગાંધીજીના સૂચનથી ગોપાળ કૃષ્ણ ગોખલે દક્ષિણ આફ્રિકાની મુલાકાતે આવ્યા અને તેમની સાથેની ચર્ચામાં દક્ષિણ આફ્રિકાના પ્રધાનોએ હિંદી કોમની બધી માગણીઓ સ્વીકારાશે એવું વચન આપ્યું. એ વચનનું સરકારે જ્યારે પૂરું પાલન ન કર્યું અને ગિરમીટમુક્ત મજૂરો ઉપરનો ૩ પાઉન્ડનો કર નાબૂદ ન કર્યો તથા એક કોર્ટના નિર્ણયના પરિણામે દક્ષિણ આફ્રિકામાં નોંધાયા ન હોય એવાં બધાં હિંદુ-મુસ્લિમ લગ્નો ગેરકાયદેસર ઠર્યાં ત્યારે લડત ફરી ઊપડી. જે વેપારી વર્ગના હિત માટે અને જેમના ટેકાથી અત્યાર સુધી લડત ચલાવવામાં આવી હતી તે વર્ગ આ છેલ્લી લડતમાં ન ભળ્યો, પરંતુ તેને બદલે તૉલ્સ્તૉય ફાર્મ ને ફિનિક્સમાં તાલીમ પામેલી સ્ત્રીઓ અને નાતાલની ખાણોના મજૂરોએ ગાંધીજીની પ્રેરણાનો ઉત્સાહભર્યો ઉત્તર આપ્યો અને લડતનો સફળ અંત આવ્યો. એ સ્ત્રીઓ ને મજૂરોનાં વીરતા ને આત્મભોગ ગાંધીજી માટે એક પ્રેરક સ્મૃતિ બની રહ્યાં. જેલમાં ગયેલી સ્ત્રીઓમાંની એક અઢાર વર્ષની યુવતી, વાલિયામા, “જીવલેણ તાવ લઈને નીકળી” અને થોડા દિવસમાં મૃત્યુ પામી. “એને હું કેમ ભૂલું?” — ગાંધીજી લખે છે. એની યાદગીરીમાં “પથ્થર ને ચૂનાનો હૉલ બંધાઓ વા ન બંધાઓ, એ સેવાનો હૉલ તો તેણે પોતાને હાથે જ બાંધ્યો છે. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરોમાં આજે પણ બિરાજે છે. અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં વાલિયામા છે” (પૃ. ૨૬૬). ગાંધીજીના હૃદયમંદિરમાં બિરાજેલી એ યજ્ઞમૂર્તિ એમની શ્રદ્ધાને પ્રેરે છે. “ઘણાના જેલ જવાથી ફળ નયે આવો, પણ એક જ શુદ્ધ આત્માએ ભક્તિપૂર્વક કરેલું અર્પણ કોઈ કાળે અફળ જાય નહીં. કોણ જાણે છે કે આફ્રિકામાં કોનો કોનો યજ્ઞ ફળ્યો? પણ એટલું તો આપણે જાણીએ છીએ કે વાલિયામાનો તો ફળ્યો જ. બહેનોનો તો ફળ્યો જ.” તે ફળ્યો કારણ કે “પૃથ્વી સત્યના બળ ઉપર ટકેલ છે.... અસતને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી? અને ‘છે’ તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે” (પૃ. ૨૬૬-૭). દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સત્યાગ્રહનું આ રહસ્ય સમજ્યા, અને તેથી, લડતનો સફળ અંત આવ્યા પછી પણ, જ્યાં, તેઓ લખે છે, “એકવીસ વર્ષ મેં નિવાસ કર્યો અને અસંખ્ય કડવા ને મીઠા અનુભવો લીધા અને જ્યાં મારા પોતાના જીવનનું નિશાન જોઈ શક્યો, તે દેશને છોડવાનું મને બહુ દોહ્યલું લાગ્યું અને દિલગીર થયો&amp;quot; (પૃ. ૩૧૧). ‘દ. આ. સ. ઈ.’ની સાહિત્યકૃતિ તરીકે એ મુખ્ય સિદ્ધિ છે કે વાચક ગાંધીજીનો આ હૃદયભાવ પૂરેપૂરો સમજી શકે છે. &lt;br /&gt;
&#039;દ. આ. સ. ઈ.&#039;ની જેમ, &#039;સત્યના પ્રયોગો અથવા આત્મકથા&#039;નાં પ્રકરણો પણ &#039;નવજીવન&#039;માં છપાયાં. પહેલો હપતો ૨૯-૧૧-૧૯૨૫ના ને છેલ્લો ૩-૨-૧૯૨૯ના અંકમાં છપાયો. &#039;નવજીવન&#039;માં છપાય તે પ્રકરણનો અંગ્રેજી અનુવાદ તે પછીના &#039;યંગ ઇન્ડિયા&#039;ના અંકમાં છપાતો. પ્રકરણમાળા શરૂ થઈ ત્યારથી આજ સુધી ગાંધીજીની કલમના ઉત્તમ સર્જન તરીકે પ્રખ્યાત બની રહી છે અને એમના વ્યક્તિત્વનું આકર્ષણ જીવતું રાખી રહી છે. તેની કથનશૈલીમાં શાંત વહી રહેલી નદીના જળની પ્રવાહિતા છે, પ્રસંગોના ઘટકાંશોનો પરસ્પર સંબંધ સ્પષ્ટ કરવામાં વાર્તાકારનું કૌશલ છે, કથાને અહંકેન્દ્રી બનતી બચાવે એવી નર્મદૃષ્ટિ છે અને બાહ્ય દૃષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર એવા પ્રસંગોને ધર્મનિષ્ઠા ને સત્યનિષ્ઠાના સૂત્રમાં પરોવી તેમની એક સળંગ માળા બનાવવાની અને તે દ્વારા પોતાનો અંતરવિકાસ આલેખવાની કળા છે, તથા તેનો ગદ્યમાં ગાંધીજીની આંતરિક સ્વસ્થતાની સંપૂર્ણ છાયા છે. અને ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા દરેક વિગત કે વિચારને સામાન્ય સમજના વાચક માટે પણ ગ્રહણક્ષમ બનાવવાની વિશદતા છે. પરંતુ કૃતિની કળાસિદ્ધિ માત્ર તેની કથનશૈલી કે તેના ગદ્યની આકર્ષકતામાં નથી રહેલી; તે તો જે રીતે ગાંધીજીએ એમના હૃદયની ઊંડી બનતી જતી સત્યધર્મની ઝંખનાને મૂર્ત કરતું, આધુનિક યુગનું એક પ્રભાવક કલ્પનચિત્ર સર્જ્યું છે તેમાં છે. એ ચિત્ર જિજ્ઞાસુ વાચકને ગાંધીજીના આંતરિક વિકાસના અભ્યાસ માટે મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે અને એક દ્વારા માનવીની ધર્મચેતનાના એક નવા ઉન્મેષનું સૂચન કરી જાય છે. પ્રાતઃકાળે પોતાના હૃદયમાં સ્ફુરતા જે આત્મતત્ત્વનું અદ્વૈતવાદી મુમુક્ષુ સ્મરણ કરે છે તેણે પ્રેરેલી ધર્મબુદ્ધિ યુગે યુગે જગતની પ્રજાઓનાં હૃદય ઉપર વ્યાપક પકડ જમાવતાં કલ્પનચિત્રો દ્વારા નવાં નવાં રૂપે સાકાર થાય છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આદિના પ્રાચીન ભારતના અને તેમનાં જેવાં અન્ય પ્રજાઓમાં પ્રચાર પામેલાં કલ્પનચિત્રો તે તે પ્રજાઓમાં તે તે યુગમાં સ્ફુરી રહેલી ધર્મબુદ્ધિને એક ચમત્કારી જીવનકથા દ્વારા મૂર્ત દેહ આપે છે. એવી કોઈ કથામાં રૂઢ અર્થનું ઐતિહાસિક સત્ય હોય કે ન હોય, પરંતુ જે પ્રજામાં તે પ્રચલિત બની અને ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારાઈ તે પ્રજાની માનવજીવનના ઉત્કર્ષ વિશેની શ્રદ્ધાના પ્રતીક તરીકે તેનામાં ઐતિહાસિક સત્ય કરતાં પણ વધારે ઊંડું સત્ય રહેલું હોય છે. ‘સત્યના પ્રયોગો&#039;માં ગાંધીજીની કલમે આધુનિક યુગ માટે કોઈ એવા સત્યનું પ્રતીક બની રહે એવું કલ્પનચિત્ર સર્જ્યું છે. &lt;br /&gt;
આધુનિક યુગની મોટામાં મોટી સમસ્યા પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાને સ્થાને કોઈ નવી જીવનશ્રદ્ધા કેળવવાની છે. પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધા શાસ્ત્રવચન ઉપર આધાર રાખતી હોઈ એના પુરાણા રૂપમાં તે આજના વૈજ્ઞાનિક દૃષ્ટિના પ્રભાવવાળા વાતાવરણમાં શક્ય રહી નથી. પરંતુ આત્મસમર્પણની જે ઉન્નત ભાવનાઓમાંથી તે ઉદ્ભવી હતી અને જેમને તે પોષતી તેમને માનવહૃદયમાંથી દેશનિકાલ કરી શકાય એમ નથી. એટલે કેટલાક આધુનિક ચિંતકોએ પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાનો સંપૂર્ણ ઇનકાર કરી તેમને સ્થાને જે નવાં, બુદ્ધિપ્રમાણિત દર્શનો વિકસાવવાનો પ્રયાસ કર્યો છે તે આપણી તર્કબુદ્ધિને ગમે તેટલાં આકર્ષક લાગે, આપણાં હૃદયને તે સંતોષી શકતાં નથી. ગાંધીજીએ પરંપરાપ્રાપ્ત ધર્મશ્રદ્ધાનો ઇનકાર કરવાને બદલે તેનું નવસંસ્કરણ કર્યું અને આધુનિક યુગની ભાવનાશીલતાને સ્પર્શે એવી જીવનશ્રદ્ધા કેળવી. &#039;સત્યના પ્રયોગો&#039;માં તેઓ કહે છે તેમ, જગતની ઈશ્વર વિશેની શ્રદ્ધાને એમણે પોતાની કરી લીધી હતી (પૃ. ૨૭૯), પરંતુ એ શ્રદ્ધાની સાથે સંકળાયેલી સાંપ્રદાયિક માન્યતાઓને બાજુએ રાખી તેમને સ્થાને તેમણે ઈશ્વરની નવી વ્યાખ્યા આપી અને કહ્યું, “સત્ય એ જ ઈશ્વર છે.” ગાંધીજીનું એ ઈશ્વરરૂપી સત્ય એટલે વૈજ્ઞાનિક ભૌતિક સૃષ્ટિનાં સત્યોને ઓળખે ને અનુસરે છે એવી સ્વાભાવિકતા ને નમ્રતાથી પોતાના હૃદયની ઊંડામાં ઊંડી ભાવનાને ઓળખી તેને અનુસરવાની વૃત્તિ. ગાંધીજીમાં બાળપણથી જ એ વૃત્તિની બક્ષિસ હતી, અને કિશોરાવસ્થાની સ્વૈરવૃત્તિઓનો સામનો કરી તેમણે સ્વ-ભાવનાઓની શુદ્ધ પ્રેરણાઓને અનુસરવાની શરૂઆત કરી. એ રીતે ક્રિયાશીલ બનેલું હૃદયનું સત્ય, અંધકારમાં પ્રકાશનું કિરણ વૃદ્ધિ પામતું વધુ ને વધુ પ્રકાશ પાથરતું જાય તેમ ઉત્તરોત્તર વિકાસ પામતું રહ્યું, અને &#039;સત્યના પ્રયોગો&#039; લખતી વેળા, કૃતિની પ્રસ્તાવનામાં તેઓ કહે છે તેમ, તેઓ “દૂર દૂરથી વિશુદ્ધ સત્યની—ઈશ્વરની—ઝાંખી” કરી રહ્યા હોવાની સ્થિતિ સુધી પહોંચ્યા હતા. પોતાની એ ચમત્કારી સત્યયાત્રા વિશે ગાંધીજીને ગર્વનો લેશમાત્ર ભાવ નથી. ભારતીય પરંપરામાં દૃષ્ટાનું નહિ પણ દર્શનનું મહત્ત્વ છે, અને તેથી પશ્ચિમમાં પ્રચલિત બનેલી આત્મકથાનું તેમાં સ્થાન નથી. એ દૃષ્ટિને અનુસરી ગાંધીજી ‘સત્યના પ્રયોગો&#039;ની પ્રસ્તાવનામાં લખે છે. “પણ મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.” એ કથા વાચકની દૃષ્ટિએ અસામાન્ય ને આશ્ચર્યજનક છે, પરંતુ ગાંધીજી પોતે માને છે કે “જે એકને સારુ શક્ય છે તે બધાને સારુ શક્ય છે.” એટલે “જે પ્રકરણો” તેઓ લખવાના છે “તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાનાં નીર સમાન છે.... મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવો રૂપાળો છું એ વર્ણવવાની તલમાત્ર ઇચ્છા નથી.” પરંતુ વ્યક્તિ પોતાનો સૌથી ઉત્તમ મિત્ર છે, અને તેથી તે પોતાના દરેક કૃત્યનો, જેને તે દોષમય કે શરમજનક ગણે છે તેનો પણ, ઉદાર અર્થ કરે છે અને વાચકને તેની પ્રત્યે સદ્ભાવ થાય એ રીતે તે એ કૃત્યની રજૂઆત કરે છે. ગાંધીજી આ ભય પ્રત્યે સજાગ છે. &amp;quot;આત્મકથામાત્રની ઇતિહાસ તરીકે અપૂર્ણતા”, તેઓ લખે છે, “ને તેની મુશ્કેલીઓ વિષે મેં પૂર્વે વાંચેલું તેનો અર્થ આજે હું વધારે સમજું છું. સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલું બધુંય હું નથી જ આપતો એ હું જાણું છું.... લખાયેલાં પ્રકરણો ઉપર કોઈ નવરો મારી ઊલટતપાસ કરવા બેસે તો કેટલું અજવાળું આ પ્રકરણો ઉપર પાડે?” તેથી આત્મકથાનું લેખન પણ, ગાંધીજી કહે છે, “સત્યના પ્રયોગોમાંનો... એક પ્રયોગ જ છે.” અને એમના બીજા પ્રયોગો વિશે તેમ આ પ્રયોગ વિશે પણ તેઓ સંપૂર્ણ સફળતાનો દાવો નથી કરતા (પૃ. ૨૮૦). નિઃશેષ સત્યસમર્પણનો આ નિરહંભાવ મનુષ્યચેતનાના વિકાસમાં એક નવી ક્ષિતિજ પ્રગટ કરી આપે છે અને &#039;સત્યના પ્રયોગો&#039;ને માનવસંસ્કૃતિના ઇતિહાસમાં એક મહત્ત્વનો દસ્તાવેજ બનાવે છે. &lt;br /&gt;
પોતાની આ વિકાસયાત્રાને ગાંધીજીએ એક જીવતી અનુભવપ્રક્રિયા રૂપે આલેખી છે. કથાના પ્રસંગો ને વિષયની ગોઠવણી એમણે બુદ્ધિથી વિચારીને નથી કરી. પ્રકરણો કેવી રીતે લખાઈ રહ્યાં હતાં તે સમજાવતાં તેઓ લખે છે : &amp;quot;જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી... લખવાને દિવસે જેમ અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય.” (પૃ. ૨૭૯). એ અંતર્યામી એટલે ગાંધીજીની કવિચેતનાની પ્રેરણા, અને તેને અનુસરી એમની કલમે અનુભવ ને ચિંતનની ક્રિયા-પ્રક્રિયા રૂપે સતત વિસ્તરતી આંતરક્ષિતિજોનું એક સજીવ ચિત્ર સર્જ્યું છે જે વ્યક્તિચેતનાના વિકાસની રહસ્યમયતાની ઝાંખી કરાવી જાય છે. આધુનિક મનોવિજ્ઞાન માનવમનના આંતરિક સંઘર્ષો સમજવા-સમજાવવાનો દાવો કે પ્રયત્ન કરે છે, પરંતુ વ્યક્તિના મનની પરસ્પરવિરોધી વૃત્તિઓમાંથી કેટલીક દબાઈ જાય છે અથવા મોળી પડી જાય છે અને બીજી એના ચારિત્ર્યવિકાસમાં પ્રધાન અસર બની રહે છે એ પ્રક્રિયાની આશ્ચર્યમયતા કોઈ વિરલ કવિદૃષ્ટિ જ અનુભવી શકે. ગાંધીજીએ એ અનુભવી છે. આદિથી અંત સુધી તેમણે હૃદયની સત્યસ્ફુરણાઓ ને સંયોગોના અકસ્માતોને પોતાના જીવનને કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરાવતાં જોયાં ને નિરૂપ્યાં છે. ભૂતકાળની કેટલીક સ્મૃતિઓ ગાંધીજીના ઊમિંતંત્રમાં હજુ જીવતી છે અને કેટલીકથી તે મુક્ત બની ગયું છે, પરંતુ એમની કલમે આલેખેલા સર્વે પ્રસંગો એમના અંતરચક્ષુને પ્રત્યક્ષ હોય એવી રીતે પુનર્જીવિત થયા છે. એ પ્રસંગોને એમણે ક્યારેક શાંત ભાવોદ્વેકથી, ક્યારેક આહ્લાદક નર્મદૃષ્ટિથી અને ક્યારેક બેના વિસ્મયપ્રેરક મિશ્રણથી નિરૂપ્યા છે. શબ્દસર્જનનો આ જાદુ એવો અનાયાસ લાગે છે કે બીજા કવિઓનું સર્જન એમની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક હોય છે એવો આભાસ આવે છે તેને બદલે ગાંધીજીની ચેતના સ્વાભાવિક રીતે જ, કર્મમાં તેમ શબ્દમાં, સર્જન રૂપે વહેતી હોય એમ પ્રતીતિ થાય છે. ગાંધીજીની અહિંસાને પણ વાચક એમના આવા મુક્ત ચૈતન્યના આવિર્ભાવ રૂપે અનુભવે છે. એમની ચેતનામાં સત્ય ને અહિંસાની આવી એકરૂપતા તે જ ગાંધીજીનું ખરું મહાત્માપણું, અને ‘સત્યના પ્રયોગો’એ એ પ્રગટ કર્યું છે તે એની સાહિત્યકૃતિ તરીકે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. &lt;br /&gt;
ગાંધીજીની આ ચમત્કારી જીવનકથા નિર્દોષ, સુખી બાળપણની સ્મૃતિથી શરૂ થાય છે. “સાધ્વી” માતા માટે પ્રેમ ને પૂજ્યભાવની સ્મૃતિ ગાંધીજીને એટલી આનંદદાયક છે કે તે એમની તોફાની વિનોદવૃત્તિને ૫ણ સચેત કરે છે. નિશાળનાં બાળકો સાથે તેઓ શિક્ષકને ગાળ આપતી જે કડી ગાતા તેની લીટીઓ, તેઓ લખે છે, “મારે આપવી જ જોઈએ.” શા માટે? નિર્દોષ બાળજીવનના આ આનંદમાં &#039;શ્રવણપિતૃભક્તિ” અને “હરિશ્ચન્દ્ર આખ્યાન&#039; નાટકની ભાવનાસૃષ્ટિનો આનંદ ભળ્યો અને તેણે ગાંધીજીના ખૂલતા ચિત્તકમળને આદર્શપ્રેમનો પ્રેરક સ્પર્શ કરાવ્યો. પરંતુ જીવનપ્રભાતનો આ અમૃતમય આનંદ લાંબો ટક્યો નહિ. બાળપણ જેટલું નિર્દોષ ને આનંદભર્યું હતું તેટલી જ કિશોરાવસ્થા કલેશભરી બની. માંસાહારનો પ્રયોગ, બાળલગ્ને ઉત્તેજેલી વિષાયાસક્તિ ને ચોરીનું અપસાહસ ગાંધીજીના બાળપણની નિર્દોષતાને મોહના આવરણથી ઢાંકી દે છે અને જો એ વાદળ વિખેરાઈ ન ગયું હોત તો એમના જીવનને તે નૈતિક વિનાશના માર્ગે ખેંચી જાત. ગાંધીજીના માતૃપ્રેમ ને પિતૃભક્તિએ એ ચમત્કાર કર્યો અને એમને સ્વવિદ્રોહના વિનાશમાંથી બચાવી લીધા. માતાને ન છેતરવાના શુભ ઇરાદાથી તેમણે માંસાહારનો પ્રયોગ બંધ કર્યો, અને પિતા પાસે ચોરીનો ગુનો કબૂલ કરી શિક્ષા માગી લીધી. પિતાએ આંસુભરી આંખે એમને ક્ષમા આપી. ગુનાહિત ભાવથી પીડાતા ગાંધીજીના હૃદયને એ અનુભવ ઔષધ સમાન નીવડ્યો અને તેઓ, પોતે લખે છે તેમ, “શુદ્ધ” થયા.—એટલે કે સ્વભાવની જે ચંચળ વૃત્તિઓ એમને નકારાત્મક માર્ગે પ્રેરી રહી હતી તે શાંત થઈ અને માતાપિતા તરફથી મળેલી સંસ્કારબક્ષિસો જેવી પ્રેમ ને સત્યની ભાવનાઓને વિકસવાનો અવકાશ મળ્યો. વિષયાસક્તિનો દોષ ઘર કરી જતો હતો તેને પણ પિતાના મૃત્યુના આઘાતે રોક્યો. અંતરશુદ્ધિની આ પ્રક્રિયામાં &#039;રામચરિતમાનસ&#039;ના સંસ્કારે અને દાઈ રંભા તરફથી મળેલા રામનામના મંત્રે પણ ગાંધીજીની ચેતનાના સૂક્ષ્મ સ્તરે ફાળો આપ્યો હશે. સત્ય ને પ્રેમની ભાવનાઓને એમણે સૌંદર્યના રંગે રંગી અને એમની ચેતનાની સર્જકતાને જીવનભર તાજી રાખે એવી શક્તિની ગાંધીજીને બક્ષિસ આપી. એ ચમત્કારી શક્તિનો ઉલ્લેખ કરતાં સન ૧૯૩૬માં એક પ્રસંગે તેઓ કહે છે : “બાળપણમાં મળેલી એ વસ્તુ મારા માનસિક આકાશમાં ભવ્ય વસ્તુ બની રહી છે. એ સૂર્યે ઘોર નિરાશાની મારી અંધકારમય ક્ષણોને પ્રકાશથી અજવાળી છે” (64. 74). બાળપણ ને કિશોરાવસ્થાનું આ ધ્વનિસમૃદ્ધ ચિત્ર ગાંધીજીની કલમનું એક ઉત્તમ સર્જન બન્યું છે. તેમાં વિષાદનો અંતરપ્રવાહ— undercurrent — વહેતો લાગે છે, પરંતુ ગાંધીજીની અવારનવાર ચમકારા કરી જતી નર્મદૃષ્ટિ તેને અતિગાંભીર્યના દોષમાંથી બચાવી લે છે. એ ચિત્ર સત્ય, અહિંસા, ત્યાગ, બ્રહ્મચર્ય ને રામનામ એ ગાંધીજીની આંતરિક જીવનવાર્તાના મુખ્ય વિષયતંતુઓ — themes—તે સ્પષ્ટ કરી દે છે એટલું જ નહિ, એમની શ્રેયયાત્રાના મૂળમાં રહેલો માતાપિતા પ્રત્યેનો કૃતજ્ઞતાભાવ પણ પ્રગટ કરે છે. ગાંધીજીનું સૌથી પહેલું (તેઓ &#039;મહાત્મા&#039; બન્યા તેનાં દશેક વર્ષ પહેલાં, સને ૧૯૦૯માં લખાયેલું) જીવનચરિત્ર લખનાર રેવ. જે. જે. ડોકે નોંધ્યું છે કે તેઓ એમનાં માતાપિતા વિશે બોલતા ત્યારે સાંભળનારને પોતે કોઈ પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરી રહ્યો છે એવો ભાવ થતો. &#039;સત્યના પ્રયોગો&#039;નાં આ શરૂઆતનાં પ્રકરણોમાં વાચક એનો પૂરો અનુભવ કરે છે.&lt;br /&gt;
લંડનવાસનાં વર્ષ દરમિયાન પણ ગાંધીજીના માતૃપ્રેમનો ચમત્કાર ચાલુ રહ્યો. માંસ નહિ ખાવાની માતા સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી તેનો તેઓ બુદ્ધિથી બચાવ ન કરી શક્યા, પણ પ્રેમપૂર્વક તેને વળગી રહ્યા. આ શ્રદ્ધા એમને અણકલ્પી રીતે ફળી. શાહાકારી ભોજનગૃહની શોધ કરતાં તેમને સૉલ્ટનું ‘શાહાકારની હિમાયત&#039; પુસ્તક મળ્યું, અને તે વાંચ્યા પછી તેઓ વિચારપૂર્વક શાકાહારમાં માનતા થયા. આમ બુદ્ધિ ને હૃદય વચ્ચેના વિસંવાદનો અંત આવ્યો. વળી બીજાંઓની દૃષ્ટિએ પોતે કેવા દેખાશે એનો વિચાર કર્યા વિના પોતે પસંદ કરેલા માર્ગે દૃઢ રહેવાની ગાંધીજીમાં હિંમત આવી, અને તેમાંથી તેમણે એક બીજી સત્યસ્ફુરણાનો ચમત્કાર અનુભવ્યો. અંગ્રેજી સમાજની સભ્ય ગણાતી રીતરસમો શીખવાનો તેઓ પોતાની શક્તિ ઉપરાંતનો પ્રયત્ન કરી રહ્યા હતા, અને તે માટે તેમણે બેલ નામના એક લેખકનું વકતૃત્વકળા ઉપરનું પુસ્તક ખરીદ્યું હતું. એ બેલસાહેબે, ગાંધીજી લખે છે, એમના “કાનમાં ઘંટ વગાડ્યો” અને તેઓ જાગ્યા. સત્યાર્થીએ સમાજના ખોટા પ્રભાવમાંથી મુક્ત થવું જ રહ્યું. એ મુક્તિ મેળવી ગાંધીજીએ જીવનક્રમમાં સાદાઈના પ્રયોગો કર્યા અને તેમાંથી એમણે સૂક્ષ્મ આનંદનો અનુભવ કર્યો. જીવનના એક ક્ષેત્રમાં સત્યનું આચરણ કરનારને બીજા ક્ષેત્રોમાં પણ તેનું પાલન કરવાનું બળ મળી રહે છે. ગાંધીજીને એવું બળ મળ્યું અને પોતાના પરિચયમાં આવેલા એક કુટુંબથી એમણે અપરિણીત યુવતીઓ સાથેના સમાગમના લોભે, પોતે પરણેલા હોવાની હકીકત છુપાવી હતી તે જાહેર કરી અને પોતાનામાંથી અસત્યરૂપી ઝેર કાઢી નાખ્યું. વળી અન્નાહારના પ્રયોગોએ ગાંધીજીને બે થિયૉસૉફિસ્ટ મિત્રોનો પરિચય કરાવ્યો જેણે એમને ભગવદ્ગીતા ને &#039;બુદ્ધચરિત&#039; વાંચવા પ્રેર્યા, અને એક “ભલા ખ્રિસ્તી”નો પણ પરિચય કરાવ્યો જેણે એમને બાઇબલ વાંચવા પ્રેર્યા. બાઇબલના &#039;નવા કરાર&#039;નું ગિરિપ્રવચન ગાંધીજીના હૃદયમાં ઊતરી ગયું અને બાળપણથી અહિંસાના જે સંસ્કાર પરોક્ષ-અપરોક્ષ રીતે એમની હૃદયભૂમિ ઉપર પડતા રહ્યા હતા તેમનું એક નવી, આકર્ષક પ્રેમભાવનાથી સિંચન કર્યું. માતૃપ્રેમ ને પિતૃભક્તિએ પ્રેરેલી આ શ્રેયયાત્રામાં વિષયાસક્તિના અંતરાયનો ગંભીર ભય હતો, તેને પણ એક બીજા ચમત્કારે દૂર કર્યો. અસંખ્ય સંતો ને સાધકોનો અનુભવ છે કે ઈશ્વરકૃપા વિના માત્ર પુરુષપ્રયત્નથી શ્રેયયાત્રામાં પ્રગતિ થતી નથી. ગાંધીજીને પણ એવો અનુભવ થયો. એક સ્ત્રી સાથે પાનાં રમતાં તેઓ “વાણીમાંથી ચેષ્ટામાં ઊતરી પડવાની” તૈયારીમાં હતા, એવામાં સાથે બેઠેલા મિત્રના મનમાં રામ વસ્યા અને તેણે ગાંધીજીને ચેતવ્યા (પૃ. ૭૪). સામાન્ય માણસ આવી ઘટનામાં માત્ર અકસ્માત જુએ; ગાંધીજીની શ્રદ્ધા તેમાં ઈશ્વરકૃપાનો ચમત્કાર જુએ છે અને તેમાંથી ઉપાસના, પ્રાર્થનાનું કાવ્યમય રહસ્ય તારવે છે (પૃ. ૭૫). શ્રેયયાત્રાના બીજા તબક્કાના આ ચિત્રમાં પહેલા ચિત્રમાં છે એવી વિષાદની છાયા નથી; તેને બદલે તેમાં પ્રાપ્તિનો સંતોષ છે, અને તે એટલો ઊંડો છે કે ચિત્રના આલેખનમાં ગાંધીજીની નર્મદૃષ્ટિને મુક્ત અવકાશ મળ્યો છે. &lt;br /&gt;
બૅરિસ્ટરીનો અભ્યાસ પૂરો કરી ગાંધીજી પોતે વકીલાત કરી શકશે કે કેમ અને રહેણીકરણીમાં કેટલાક સુધારા કરવા ધાર્યા હતા તે કેવી રીતે કરી શકશે એ વિશે ચિંતા કરતા મુંબઈના બારામાં ઊતર્યા ત્યારે, તેઓ લખે છે, “બંદર ઉપર દરિયો ગરમ હતો.” પણ, તેઓ ઉમેરે છે, “બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિશે પણ કહી શકાય” (પૃ. ૮૬-૭). સક્રિય જીવનને ઊમરે ઊભેલા ગાંધીજીનો “અંતર્યામી” અહીં જાણે કે અનેક લડતોભર્યા એમના જીવનની બાહ્ય ગરમી ને એ ગરમીમાં પણ અક્ષુબ્ધ રહેતી અંતરની શાંતિની આગાહી કરી જાય છે. એ શાંતિ કેળવવામાં જેઓ અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડવાના હતા તે શ્રીમદ્ રાજચંદ્રનો તેઓ મુંબઈ ઊતર્યા તે જ દિવસે એમને પરિચય થયો. ગાંધીજીની ચમત્કારભરી શ્રેયયાત્રામાં માતાપિતા તરફથી મળેલી સંસ્કારબક્ષિસ પછી આ બીજું સૌથી મોટું સદ્ભાગ્ય હતું. શ્રીમદ્માં ગાંધીજીએ પ્રવૃત્તિમય છતાં મોક્ષલક્ષી, અનાસક્ત જીવનનો આદર્શ જોયો અને તે પાછળથી ગાંધીજીની ધાર્મિક ને આધ્યાત્મિક મૂંઝવણોમાં પ્રેરણારૂપ બની રહ્યો. ત્રીજા સૌભાગ્યરૂપે તે સમયના સૌરાષ્ટ્રના ને મુંબઈના વાતાવરણમાં ગૂંગળામણ અનુભવી રહેલા ગાંધીજીને દક્ષિણ આફ્રિકા જવાની તક મળી. ભારતમાં ગાંધીજીની અંતરભાવનાઓને અવકાશ મળે એવો કોઈ સંભવ નહોતો, એટલે જાણે કે એમની વિધિનિર્મિતિ — destiny —એ ગાંધીજીને વકીલાતમાં નિષ્ફળ રાખ્યા અને સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટે તેમનું અપમાન કરી સૌરાષ્ટ્રમાં રહેવું તેમને માટે અશક્ય બનાવી મૂક્યું. દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીજીને શ્રેયમાર્ગે આગળ ને આગળ ધકેલતી ચમત્કારી અકસ્માતપરંપરા ચાલુ રહી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી બીજે કે ત્રીજે જ દિવસે કોર્ટમાં થયેલા અનુભવ ઉપરથી ગાંધીજીએ જોયું કે “મારે નસીબે તો અહીં પણ લડાઈ જ હતી” (પૃ. ૧૦૭). અન્યાયની સામે લડતાં લડતાં જ ગાંધીજીની વિશિષ્ટ જીવનદૃષ્ટિ ઘડાવાની હતી અને એમની આંતરક્ષિતિજો વિસ્તરવાની હતી. બાહ્ય અકસ્માતોની જેમ નિર્ણયસ્ફુરણાની ક્ષણોની ઝાંખી ૫ણ ગાંધીજીની શ્રેયયાત્રાને આશ્ચર્યમયતાનો આભાસ આપે છે. કોર્ટના અનુભવ પછી ત્રણચાર દિવસમાં ગાંધીજીને મૅરિત્ઝબર્ગ સ્ટેશને રંગદ્વેષનો વધુ કડવો અનુભવ થયો, અને તે રાત્રે તેમણે ઊંડા મનોમંથન પછી પોતાનો ધર્મ વિચારી લીધો. રંગદ્વેષનો “ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉ૫યોગ કરવો” અને “તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવા” (પૃ. ૧૧૩). રસ્તામાં વધુ અપમાનો સહન કરતા તેઓ પ્રિટોરિયા પહોંચ્યા અને એક હોટેલમાં રૂમ મળી તેમાં “એકાંત મળ્યે ખાણાની રાહ” જોતા “વિચારગ્રસ્ત” થયા (પૃ. ૧૨૦). પોતાને થઈ રહેલા નવા અનુભવોનો કેવી રીતે સામનો કરવો તેના જ વિચારમાં ગાંધીજી પડ્યા હશે. બીજા દિવસે પણ મિ. બેકરને મળ્યા પછી સાંજે વાળુ કરી પોતાની “કોટડીમાં જઈ વિચારના વમળમાં” પડ્યા. મિ. બેકરે એમને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કરવા આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીજીએ નિર્ણય કર્યો : “મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાતપણે કરવો... મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યાં લગી બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો.” “આમ વિચારતા”, ગાંધીજી લખે છે, “હું નિદ્રાવશ થયો” (૧૨૨-૩). એમની અંતઃપ્રેરણાઓને સાકાર કરતી આવી નિર્ણયક્ષણોનાં ચિત્રોમાં ગાંધીજીની સત્યશીલતા સૂક્ષ્મતમ રૂપે પ્રગટ થતી જણાય છે. &lt;br /&gt;
દાદા અબદુલ્લાના જે મુકદ્દમાં અંગે ગાંધીજી દક્ષિણ આફ્રિકા આવ્યા હતા તે એક વર્ષમાં પૂરો થયો. પરંતુ ભારતમાં પોતાના જીવનકાર્ય માટે તૈયાર થવા ગાંધીજીને હજુ વર્ષો સુધી દક્ષિણ આફ્રિકા રહેવાનું હતું. એટલે કેસ પૂરો થયે તેઓ ભારત પાછા આવવા નીકળી રહ્યા હતા ત્યારે એમના માનમાં યોજાયેલા વિદાયસમારંભમાં હિંદીઓનો મતાધિકાર લઈ લેવાના બિલ વિશે ચર્ચા નીકળી અને ગાંધીજીએ એક માસ રહી જવાનો નિર્ણય કર્યો. “આમ”, ગાંધીજી લખે છે, “દક્ષિણ આફ્રિકામાં મારા સ્થાયી રહેઠાણનો પાયો ઈશ્વરે રચ્યો ને સ્વમાનની લડતનું બીજ રોપાયું” (પૃ. ૧૪૨). એક માસને બદલે ગાંધીજી બે વર્ષ રહ્યા અને તે પછી પણ ભારત જઈ કુટુંબ લઈ આવ્યા અને બીજાં પાંચ વર્ષ રહ્યા. એ સાત વર્ષોના અનુભવોએ ગાંધીજીની સેવાભાવનાને પોષી અને તેની પ્રગતિના માર્ગમાં મોહનો એક ગંભીર અંતરાય હતો તેને દૂર કર્યો. જેની પ્રેરણાથી ગાંધીજીએ કિશારાવસ્થામાં માંસાહારનો પ્રયોગ કર્યો હતો તે મિત્રને એમણે, એની નિર્બળતાઓ કંઈક જાણતા હોવા છતાં, પોતાની સાથે રાખ્યો હતો. એક દિવસ સદ્ભાગ્યે એમની આંખ પૂરી ઊઘડી ગઈ અને એ “મોહરૂપ” સંબંધમાંથી તેઓ મુક્ત થયા. “જો મજકૂર અકસ્માતથી”, ગાંધીજી લખે છે, “મારી આંખ ઊઘડી ન હોત, મને સત્યની ખબર ન પડી હોત, તો સંભવ છે કે, જે સ્વાર્પણ હું કરી શક્યો છું તે કરવા હું કદી સમર્થ ન થાત.” એમની આંખ ઉઘાડનાર “રસોઈયાને”, તેઓ લખે છે, “જાણે ઈશ્વરે જ પ્રેર્યો હોય નહીં!” એ બેત્રણ દિવસથી જ આવ્યો હતો અને “આટલી સેવા કરી” તેણે “તે જ દડાડે ને તે જ ક્ષણે રજા માગી” (પૃ. ૧૬૫). &lt;br /&gt;
સ્વાર્પણનું ગાંધીજીનું પહેલું ક્ષેત્ર રાજકીય પ્રવૃત્તિનું હતું, અને તે સમયની એમની પ્રવૃત્તિઓના વર્ણનમાં વાચક ગાંધીજીની વિશિષ્ટ રાજકીય નેતૃત્વશૈલીને વિકસતી જોઈ શકે છે. સત્યની ઉપાસના મોટાં કાર્યોમાં જ નહિ, પણ ઝીણામાં ઝીણી વિગતો વિશે ચીવટભરી કર્તવ્યનિષ્ઠા માગી લે છે, અને નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસની સ્થાપના તથા તેના સંચાલનમાં ગાંધીજીની એવી સતત જાગ્રત સત્યનિષ્ઠાને પૂર્ણ અવકાશ મળ્યો. ફ્રેન્ચાઈઝ બિલ વિરુદ્ધ લોર્ડ રિપનને કરવાની “અરજીની પાછળ”, તેઓ લખે છે, “મેં બહુ મહેનત લીધી. મારે હાથ આવ્યું તે બધું સાહિત્ય વાંચી લીધું” (પૃ. ૧૪૪). સહકાર્યકર્તાઓના પ્રેમને વશ થઈ એમણે એક માસથી વધારે રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે “મનની સાથે... નિશ્ચય કર્યો કે... જાહેર ખરચે ન જ રહેવું” (પૃ. ૧૪૫). કૉંગ્રેસની દર અઠવાડિયે કે દર માસે જરૂર પ્રમાણે મીટિંગો થતી, અને તેમાં સભ્યોને ટૂંકું ને મુદ્દાસર બોલવાની ટેવ પાડવાનો આગ્રહ રખાતો. દરેક ખર્ચમાં કરકસરભરી ચીવટ રખાતી અને હિસાબ પણ “પ્રથમથી જ પાઈએ પાઈનો ચોખ્ખો રહ્યો...” “હર કોઈ સંસ્થાનો”, ગાંધીજી લખે છે, “ઝીણવટથી રખાયેલો ઇતિહાસ તેનું નાક છે.... શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.” સંસ્થાના રાજકીય કાર્ય અંગે પણ ગાંધીજીની શૈલી વિશિષ્ટ હતી. તેમનો હેતુ વિરોધીઓને ઉતારી પાડવાનો નહિ પણ હમેશાં જાહેર મત પોતાને પક્ષે કેળવવાનો રહેતો. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની સ્થિતિ વિશે શરૂઆતમાં એમણે જે બે ચોપાનિયાં લખ્યાં, તેમાં “હિંદી મતાધિકારનો ઇતિહાસ આંકડાઓ અને પુરાવા સહિત આપવામાં આવ્યો હતો” અને તેમની “પાછળ ખૂબ મહેનત અને અભ્યાસ હતાં. તેનું ફળ પણ તેવું જ આવ્યું... દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના મિત્રો ઉત્પન્ન થયા. ઇંગ્લેન્ડમાં અને હિંદુસ્તાનમાં બધા પક્ષ તરફથી મદદ મળી...” (પૃ. ૧૫૨-૩). છ માસ માટે સહકાર્યકર્તાઓની રજા લઈને કુટુંબને લાવવા ગાંધીજી ભારત ગયા ત્યાં પણ તેમની પારદર્શક સત્યનિષ્ઠાએ એવી છાપ પાડી કે છવ્વીસ સત્તાવીસ વર્ષના એ અજાણ્યા યુવાનને ફિરોજશા મહેતા, બાળ ગંગાધર તિલક, ગોપાળ કૃષ્ણ ગોખલે ને રામકૃષ્ણ ભાંડારકર જેવા પ્રતિષ્ઠિત ને સન્માન્ય નેતાઓએ પ્રેમપૂર્વક આવકાર્યો અને ગાંધીજીને મુંબઈ, પૂના ને મદ્રાસમાં જાહેર સભાઓ ભરવા માટે બધા પક્ષોનો સહકાર મળી રહ્યો. ગોખલેની સાથે તો ગાંધીજીને જીવનભરનો સ્નેહસંબંધ થઈ ગયો. કલકત્તામાં એક અંગ્રેજી છાપાના અધિપતિ સાથે પણ એમને કાયમનો “સ્નેહ બંધાયો.” તેનું કારણ સમજાવતાં ગાંધીજી લખે છે: “મિ. સૉંડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં.... તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી” (પૃ. ૧૮૩). આમ દક્ષિણ આફ્રિકામાં અકસ્માત સંયોગોએ પ્રાપ્ત કરાવી આપેલી રાજકીય સેવાએ ગાંધીજીને જાહેર જીવનમાં સત્યની શક્તિનો અનુભવ કરાવ્યો અને સમય જતાં એમની સ્વભાવગત સત્યનિષ્ઠા એક આધ્યાત્મિક સાધના બની ગઈ. પરંતુ ગાંધીજીની સ્વાર્પણભાવના રાજકીય સેવાથી સંતોષાય એમ નહોતી, તેનું મુખ્ય લક્ષ્ય ભવિષ્યમાં ગરીબોની સેવા બનવાનું હતું, અને તેના વિકાસમાં પણ ગાંધીજી ઈશ્વરી સંકેત જુએ છે, તેની શરૂઆત દક્ષિણ આફ્રિકાના પહેલા નિવાસ દરમિયાન જ થઈ. “જેની જેવી ભાવના&amp;quot;, ગાંધીજી લખે છે, “તેવું તેને થાય, એ નિયમ મારે વિષે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે” (પૃ. ૧૫૪). એ નિયમ અનુસાર તેમને બાલાસુંદરમ નામના એક ગિરમિટિયાની સેવા કરવાની તક મળી. એના “કેસની વાત”, તેઓ લખે છે, “ગિરમીટિયાઓમાં ચોમેર ફેલાઈ ને હું તેમનો બંધુ ઠર્યો.... મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુ:ખ જાણવાની મને ભારે સગવડ મળી” (પૃ. ૧૫૫). &lt;br /&gt;
દક્ષિણ આફ્રિકામાં સાતેક વર્ષના નિવાસ પછી ત્યાંનું સેવાક્ષેત્ર ગાંધીજીની વિસ્તાર પામતી જતી સેવાભાવનાને મર્યાદિત લાગ્યું, એટલે તેઓ સને ૧૯૦૧ના અંતમાં ભારત પાછા ફર્યા અને ગોખલેની સાથે રહી જાહેર સેવાની પ્રવૃત્તિઓમાં જોડાવાના હેતુથી તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી, પણ ત્યાં તેઓ સ્થિર ન થઈ શક્યા. તેમને ફરીથી દક્ષિણ આફ્રિકા બોલાવતો તાર મળ્યો. ગાંધીજીની શ્રદ્ધાદૃષ્ટિ આમાં પણ ઈશ્વરી સંકેત જુએ છે. “...મારા ભવિષ્યની બાબતમાં&amp;quot;, તેઓ લખે છે, “મારું ધાર્યું કંઈ જ ઈશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે&amp;quot; (પૃ. ૨૫૧). એમની આધ્યાત્મિક શક્તિ પૂર્ણ વિકસે તે માટે હજુ દક્ષિણ આફ્રિકાના અનુભવોની જરૂર હતી. ત્યાં પાછા જવાનો નિર્ણય જ ગાંધીજીના આંતરિક વિકાસમાં એક મહત્ત્વના વળાંકબિંદુ જેવો બન્યો. એમની સ્વાર્પણભાવના કંઈક વિશ્રાંતિ લેતી હોય તેમ એમનામાં ગૃહસ્થાશ્રમ પ્રત્યે આસક્તિ કેળવાઈ રહી હતી અને તેથી, તેઓ લખે છે તેમ, “બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્ચિત વસ્તુમાંથી અનિશ્ચિતતામાં પ્રવેશ — આ બધું ક્ષણભર સાલ્યું.” ગાંધીજીની શ્રેયબુદ્ધિ આ ક્ષણિક નિર્બળતા તરી ગઈ. “પણ હું તો”, તેઓ લખે છે, “અનિશ્ચિત જિંદગીથી ટેવાઈ ગયો હતો. આ જગતમાં જ્યાં ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્યાલ કરવો એ જ દોષમય લાગે છે” (પૃ. ૨૫૨). ગૃહસ્થાશ્રમ તરફથી વાનપ્રસ્થાશ્રમ તરફનું આ પ્રયાણ દક્ષિણ આફ્રિકામાં દૃઢ થયું અને ગાંધીજીની શ્રેયયાત્રા એક નવા તબક્કામાં પ્રવેશી. એમાં નિમિત્ત થિયૉસૉફિસ્ટ મિત્રો બન્યા. વિદ્યાર્થીકાળ દરમિયાન લંડનમાં પણ બે થિયૉસૉફિસ્ટ મિત્રોએ એમને ભગવદ્ગીતાનો પ્રથમ પરિચય કરાવ્યો હતો, અને આ વેળા બીજા એવા મિત્રોએ એમને ભગવદ્ગીતાનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની ફરજ પાડી. પરિણામ, ગાંધીજી માટે, ક્રાન્તિકારી આવ્યું. “આ ગીતાવાચનની અસર”, તેઓ લખે છે, “મારા સહાધ્યાયીઓ ઉપર તો જે પડી હોય તે ખરી? મારે સારુ તો તે પુસ્તક આચારનું એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યું.” ગીતાએ ઉપદેશેલી અપરિગ્રહ ને સમભાવની ભાવનાઓ ઉપર ઊંડો વિચાર કરતાં તેમણે જોયું કે &amp;quot;ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં” (પૃ. ૨૬૩). &lt;br /&gt;
તીર્થ કરવા માટે ઘર બાળવાની ગાંધીજીની ભાવના અણધારી રીતે ચરિતાર્થ થઈ. હિંદીઓ માટે અલગ રાખવામાં આવેલા એક વસવાટમાં ગંદકીને કારણે મરકી ફાટી નીકળી હતી તે અંગે મ્યુનિસિપાલિટીની બેદરકારી વિશે ગાંધીજીએ છાપામાં એક પત્ર લખ્યો હતો તે વાંચી હેન્રી પોલાક નામના એક અંગ્રેજ એમને મળવા ઉત્સુક બન્યા અને મુલાકાત પછી તેમના મિત્ર બની ગયા. પોલાકે ગાંધીજીને જોહાનિસબર્ગથી ડરબન સુધીની રેલવે મુસાફરી દરમિયાન વાંચવા માટે રસ્કિનનું &#039;અન્ટુ ધિસ લાસ્ટ&#039; પુસ્તક આપ્યું, જેની “જાદુઈ અસર”ને પરિણામે ગાંધીજીએ ફિનિક્સમાં સામૂહિક જીવનનો પ્રયોગ શરૂ કર્યો. એ પ્રયોગ શરૂ કર્યા પહેલાં પણ ગાંધીજી અવારનવાર હિંદી ને અંગ્રેજ સહકાર્યકર્તાઓને કુટુંબીજન કરી સાથે રાખતા, એટલે કૌટુંબિક જીવનની સાંસારિક ભાવનાથી તેઓ કંઈક મુક્ત થયા હતા. ફિનિક્સ આશ્રમમાં તેમણે એ ભાવનાની મર્યાદાઓ કાયમને માટે ઓળંગી અને આશ્રમવાસીઓમાં એક કુટુંબની ભાવના કેળવવાનો પ્રયત્ન કર્યો. સામૂહિક જીવનનો આ પ્રયોગ ૧૯૧૦-૧૨માં તૉલ્સ્તૉય ફાર્મમાં ચાલુ રહ્યો અને ૧૯૧૫ના જાન્યુઆરીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યાર પછી પ્રથમ સાબરમતીના અને તે પછી વર્ધા ને સેવાગ્રામના આશ્રમોમાં કાયમનો બની ગયો. આ આશ્રમોના વ્યક્તિગત સંઘર્ષોએ અનેક વાર ગાંધીજીની પ્રેમશક્તિ ને અનાસક્તિને કસેટીએ ચડાવી તેમની તપશ્ચર્યાને વધુ ને વધુ ઊંડી બનાવી. સત્યાગ્રહને ગાંધીજી કૌટુંબિક સંઘર્ષોનો જે પ્રેમભાવથી ઉકેલ લાવવામાં આવે છે તેવા જ ભાવથી જાહેર જીવનના પ્રશ્નોનો ઉકેલ લાવવાનું શસ્ત્ર માનતા. આશ્રમજીવનના પ્રયોગો ગાંધીજીને અનાસક્તભાવે એવું પ્રેમબળ કેળવવામાં ખૂબ ઉપકારક બની રહ્યા અને તેથી તેઓ પોતાની આધ્યાત્મિક સાધનામાં એ પ્રયોગોને અતિમહત્ત્વના ગણાતા. માત્ર કુટુંબીજનો કે આશ્રમવાસીઓ પ્રત્યે જ નહિ, એમના સંબંધમાં આવતી દરેક વ્યક્તિ પ્રત્યે ગાંધીજી એકસાથે પ્રેમ ને અનાસક્તિ કેળવવાનો પ્રયત્ન કરતા. અપરિચિત વ્યક્તિઓને કુટુંબીજન બનાવતાં તેમને કેટલાક કડવા અનુભવો થયા હતા તેને ઉલ્લેખ કરતાં તેઓ લખે છે: “મારી એવી માન્યતા છે કે આસ્તિક મનુષ્યો, જેમણે પોતામાં રહેલા ઈશ્વરને બધામાં જોવો રહ્યો છે તેમનામાં સહુની જોડે અલિપ્ત થઈને રહેવાની શક્તિ આવવી જોઈએ અને તે શક્તિ, જ્યાં જ્યાં અણશોધ્યા અવસર આવે ત્યાં ત્યાં, તેથી દૂર ન ભાગતાં, માત્ર નવા નવા સંબંધોમાં પડીને અને તેમાં પડતાં છતાં રાગદ્વેષરહિત રહીને જ કેળવી શકાય” (પૃ. ૨૮૧). વિરોધીઓ પ્રત્યે પણ ગાંધીજીએ આવી જ અદ્વૈતદૃષ્ટિ કેળવી હતી. બે લાંચિયા અમલદારો ઉપર કામ ચલાવ્યા પછી, સરકારી નોકરીમાંથી તેઓ બરતરફ થતાં ગાંધીજીએ પોતે તેમને મ્યુનિસિપાલિટીમાં નોકરી મેળવવા મદદ કરી હતી એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ લખે છે: “સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી છે.... તંત્રની સામે ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરે તે પોતાની સામે કર્યા બરોબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દોરાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રજા છીએ” (પૃ. ૨૭૫). કુટુંબનો ત્યાગ કર્યા વિના આમ ગાંધીજી કુટુંબની ભાવનાનો વિસ્તાર કરતા રહ્યા. &lt;br /&gt;
સર્વની સાથે ઐક્ય અનુભવવાની ગાંધીજીની તમન્નાએ એમની ત્યાગવૃત્તિને પણ તીવ્ર બનાવી મૂકી. “આજ લગી”, તેઓ લખે છે, “કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઈચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું” (પૃ. ૨૬૦). હવે સ્વાર્થનો ત્યાગ શરૂ થયો. વીમાની પૉલિસી કઢાવી હતી તે તેમણે કુટુંબના ભવિષ્યની ચિંતા ઈશ્વરને સોંપી બંધ કરાવી દીધી, અને વડીલ ભાઈને પણ લખી દીધું: “આજ લગી તો મારી પાસે બચ્યું તે તમને અર્પણ કર્યું. હવે મારી આશા છોડજો. હવે જે બચશે તે અહીં જ કોમને અર્થે વપરાશે” (પૃ. ૨૬૩-૪). ભાઈએ અબોલા લીધા. ગાંધીજીના પ્રેમાળ હૃદયને તેથી ખૂબ દુઃખ થયું, પરંતુ તેમની ધર્મબુદ્ધિએ તે અનિવાર્ય માની સહી લીધું. રાજકીય ક્ષેત્રે ગાંધીજી જે આત્મબળનો પ્રયોગ કરી શકતા તેની પાછળ આવી અદૃષ્ટ તપશ્ચર્યા રહી હતી. કસ્તૂરબા ને પુત્રો સાથેના સંબંધોમાં પણ ગાંધીજીએ એવી જ તપશ્ચર્યા સહી હતી. સ્વદેશપ્રેમની ભાવનાથી પ્રેરાઈ તેમણે પોતાના પુત્રોને ડરબનની ગોરાં બાળકો માટેની શાળામાં ન મોકલ્યા અને તેમને માટે ઘેર ખાનગી શિક્ષણની વ્યવસ્થા કરી તે બહુ સફળ ન રહી. પુત્રોને જીવનભર શાળાના શિક્ષણના અભાવનો અસંતોષ રહી ગયો અને જયેષ્ઠ પુત્ર હરિલાલ વિશે તેનું અતિ કરુણ પરિણામ આવ્યું. કસ્તૂરબા પાસે બળાત્કારે મિત્રોની ને સહકાર્યકર્તાઓની સેવા કરાવી, જાહેર સેવા માટે બક્ષિસો મળી હતી તેનું કસ્તૂરબાની ઇચ્છા વિરુદ્ધ સાર્વજનિક ઉપયોગ માટે ટ્રસ્ટ કર્યું, બીજા પુત્ર મણિલાલ અને કસ્તૂરબાની માંદગીના પ્રસંગોએ ડૉક્ટરોની સલાહ અવગણી તેમને માંસનો સેરવો ન આપવાનો આગ્રહ રાખીને તેમની જિંદગી ભયમાં મૂકી— આ સર્વ &#039;પ્રયોગો’નું ગાંધીજીએ નમ્રભાવે, અને કસ્તૂરબા પ્રત્યેના કઠોર વર્તન માટે જાહેરમાં એમની ક્ષમા માગતા હોય એવા પ્રાયશ્ચિત્તભાવથી વર્ણન કર્યું છે. &lt;br /&gt;
ગાંધીજીની ત્યાગવૃત્તિએ એક બીજું રૂપ પણ લીધું. શરીર પ્રત્યેની આસક્તિ જીતી તેઓ તેને ધર્મદૃષ્ટિએ જોતા અને આરાગ્ય જાળવવા દવાઓનો આશ્રય લેવાને બદલે નિસર્ગોપચારની પદ્ધતિઓના પ્રયોગો કરતા થયા. દવાઓના ઉપયોગથી, તેઓ લખે છે, માણસ “પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે” (પૃ. ૨૬૮). શરીરના સ્વામી બની તેને ઈશ્વરનું મંદિર બનાવવાના ઉદ્દેશે ગાંધીજીને પાછળથી ખોરાકના વિવિધ પ્રયોગો કરવા પ્રેર્યા, થોડાં વર્ષ તેઓ દૂધ ને અન્નનો પણ ત્યાગ કરી માત્ર ફળાહાર ઉપર રહ્યા, અને એ પ્રયોગ નિષ્ફળ જતાં તેમને દૂધના ત્યાગનું વ્રત તોડવું પડ્યું અને બકરીનું દૂધ લેવાનું શરૂ કરવું પડ્યું તે અનુભવે તેમને નમ્રતાનો વળી એક બીજો પાઠ આપ્યો. “જીવવાની આશાએ” તેઓ લખે છે, “મેં મનને જેમતેમ ફોસલાવી લીધું..... મારા વ્રતનો આત્મા હણાયો... પણ મારે રૉલેટ એકટ સામે ગૂઝવું હતું, એ મોહ મને મૂકતો નહોતો” (પૃ. ૨૭૧). &lt;br /&gt;
ભગવદ્ગીતાના અભ્યાસે આમ ગાંધીજીની સેવાવૃત્તિને આધ્યાત્મિક સંસ્કાર આપવાનું શરૂ કર્યું તેનું સૌથી મહત્ત્વનું પરિણામ તેમણે ૧૯૦૬ની સાલમાં ઝૂલુ બંડ વેળા બ્રહ્મચર્યનું વ્રત લીધું તેમાં આવ્યું. એ વ્રત લેવાના સંયોગ, ગાંધીજીની દૃષ્ટિએ, એમની શ્રેયયાત્રાની સૌથી વધુ આશ્ચર્યમય ઘટના જેવા હતા. તે સમયે ગાંધીજી અંગ્રેજ સલ્તનતને જગત માટે કલ્યાણકર માનતા હોવાથી તેમણે બંડ દરમિયાન હિંદી કોમની સેવાઓ આપવા માટે એક સારવાર ટુકડી તૈયાર કરી અને પોતે તેની નેતાગીરી લીધી. પરંતુ ગાંધીજીનું હૃદય ઝૂલુઓ તરફ હતું અને લડાઈ દરમિયાન એમના પ્રત્યેની ક્રૂરતા તેમને અસહ્ય લાગી. “અહીં લડાઈ નહીં”, તેઓ લખે છે, “પણ મનુષ્યનો શિકાર હતો...” ગાંધીજીના સદ્ભાગ્યે એમની ટુકડીને મુખ્યત્વે ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું આવ્યું. નિર્દોષ ઝૂલુઓની એ સેવાનો અનુભવ ગાંધીજી માટે આશીર્વાદ સમાન નીવડ્યો. એમના હૃદયની કરુણાને તેણે પૂર્ણપણે જાગ્રત કરી અને તીવ્ર બનેલી સેવાભાવનાને વ્રત રૂપે દૃઢ કરી. વ્રત લેવાના સમયની એમની મન:સ્થિતિને ગાંધીજીની કલમે તાદૃશ કરી બતાવી છે : “અહીં વસ્તી બહુ ઓછી હતી. પહાડો ને ખીણોમાં ભલા, સાદા અને જંગલી ગણાતા ઝૂલુ લોકોના કૃબાઓ સિવાય બીજું કંઈ નહોતું. તેથી દૃશ્ય ભવ્ય લાગતું હતું. માઈલોના માઈલો લગી વસ્તી વિનાના પ્રદેશમાં અમે કોઈ ઘાયલને લઈને કે એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો” (પૃ. ૩૨૦). એવી વિચારગ્રસ્ત સ્થિતિમાં એમને અંતરની સ્ફુરણા થઈ કે “જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિતૈષણાનો ત્યાગ કરવો જોઈએ, અને વાનપ્રસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ” (પૃ. ૨૦૭). “આવા વિચારોના વમળમાં પડી” ગાંધીજી બ્રહ્મચર્યવ્રત લેવા અધીરા બન્યા. “આ વિચારોથી”, તેઓ લખે છે, “મને એક પ્રકારનો આનંદ આવ્યો ને મારો ઉત્સાહ વધ્યો. કલ્પનાએ સેવાનું ક્ષેત્ર વિશાળ કરી મૂક્યું” (પૃ. ૩૨૧). વ્રતે માત્ર સેવાનું ક્ષેત્ર વિશાળ ન કરી મૂક્યું, સમય જતાં તેણે ગાંધીજીની અંતરદૃષ્ટિને પણ અતિસૂક્ષ્મ બનાવી અને એમની સત્યસાધનાને ઊંડી આધ્યાત્મિકતાના સ્તરે મૂકી આપી. કાયિક બ્રહ્મચર્યના પાલનમાં, તેઓ લખે છે, “હું નિર્ભય બન્યો છું”, “પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઈએ તે મને મળી શક્યો નથી.... ક્યાંથી અને કઈ રીતે આપણે ન ઈચ્છીએ તે વિચારો આપણી ઉપર ચડાઈ કરે છે તે હું હજુ જાણી શક્યો નથી” (પૃ. ૩૨૨). સંપૂર્ણ બ્રહ્મચર્યની ગાંધીજીની વ્યાખ્યા પણ સૂક્ષ્મ બની. “વિચારમાત્ર વિકાર છે&amp;quot;, તેઓ લખે છે, એટલે “જ્યાં લગી વિચારો ઉપર એવો કાબૂ નથી મળ્યો કે ઇચ્છા વિના એક પણ વિચાર ન આવે, ત્યાં લગી સંપૂર્ણ બ્રહ્મચર્ય નથી.” અને અનુભવે ગાંધીજી એ પણ સમજ્યા કે “આવું બ્રહ્મચર્ય કેવળ પ્રયત્નસાધ્ય નથી” અને તેથી “રામનામ ને રામકૃપા એ જ આત્માર્થીને છેવટનું સાધન છે” (પૃ. ૨૧૧-૨). એમના જીવનનાં અંતિમ વર્ષોમાં ગાંધીજીએ રામનામનો પૂર્ણ ચમત્કાર અનુભવ્યો હતો. &lt;br /&gt;
બ્રહ્મચર્યવ્રતની દીક્ષા સાથે ગાંધીજીની સત્યાગ્રહદર્શન માટેની તૈયારી પૂરી થઈ. “કેમ જાણે આ બ્રહ્મચર્યવ્રત”, તેઓ લખે છે, સત્યાગ્રહને “સારુ મને તૈયાર કરવા જ ન આવ્યું હોય! સત્યાગ્રહની કલ્પના મેં કંઈ રચી નહોતી રાખી. તેની ઉત્પત્તિ અનાયાસે, અનિચ્છાએ થઈ. પણ મેં જોયું કે તે અગાઉના મારાં બધાં પગલાં... જાણે તેની તૈયારીરૂપે હતાં” (પૃ. ૨૦૮-૯). તેથી પણ આગળ વધીને ગાંધીજી લખે છે, “બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને જ સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું” (પૃ. ૩૨૩). અને સત્યાગ્રહની ઉત્પત્તિની સાથે ગાંધીજીનું વિશિષ્ટ જીવનકાર્ય શરૂ થયું. &lt;br /&gt;
સત્યાગ્રહની ઉત્પત્તિ ને તેના વિકાસનો ઇતિહાસ ગાંધીજીએ &#039;દ. આ. સ. ઈ.&#039;માં આપી દીધો છે એટલે &#039;સત્યના પ્રયોગો&#039;માં તેને છોડી દીધો છે. એ લડત સફળ રહી હતી; ભારતમાં ગાંધીજીના પ્રયોગો મૂંઝવણભર્યા, ક્યારેક અતિમૂંઝવણભર્યા બન્યા, પરંતુ એ મૂંઝવણોમાંય ગાંધીજીની આશ્ચર્યમય આધ્યાત્મિક વિકાસયાત્રા ચાલુ રહી અને તેઓ ઉત્તરોત્તર વધુ ને વધુ ઊંડી સત્યદૃષ્ટિ ને અહિંસા તરફ પ્રગતિ કરતા રહ્યા. દક્ષિણ આફ્રિકા છોડ્યા પછી તેઓ ભારત પહોંચ્યા તે પહેલાં જ, ઇંગ્લંડમાં, તેમની અહિંસાની મૂંઝવણભરી કસોટી થઈ. ગાંધીજી ઇંગ્લંડ પહોંચ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું, અને દક્ષિણ આફ્રિકામાં એમણે બોઅર યુદ્ધ ને ઝૂલુ બંડ વેળા કર્યું હતું તેમ આ પ્રસંગે પણ બ્રિટિશ સરકારને ઇંગ્લંડમાં વસતા હિંદીઓની સેવાઓ આપવા એક સારવાર ટુકડી તૈયાર કરી. પરંતુ પરિસ્થિતિ હવે જુદી હતી. ગાંધીજીની ધર્મભાવના વધુ ઊંડી બની હતી અને તેમાં સત્યની સાથે અહિંસા પણ કેન્દ્રસ્થાને હતી. એટલે એમણે યુદ્ધમાં કશો પણ ભાગ લેવાની યોગ્યતા વિશે પહેલાં કરતાં વધુ તીવ્ર રૂપે પ્રશ્ન ઉપસ્થિત થયો. “યુદ્ધમાં ભાગ લેવો”, ગાંધીજી લખે છે, “એ અહિંસાની સાથે ગડ બેસે એવું નથી એ બરોબર જોતો હતો. પણ કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજારીને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે&amp;quot; (પૃ. ૩૫૫). આ મૂંઝવણમાંથી ગાંધીજી નમ્રતાનો પાઠ ઘટાવે છે. પોતાનો નિર્ણય તેઓ મિત્રોને ગળે નહોતા ઉતારી શક્યા એ વિશે લખતાં તેઓ કહે છે: “સત્યને આગ્રહી રૂઢિને વળગીને જ કંઈ કાર્ય ન કરે, તે પોતાના વિચારોને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હમેશાં માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત્ત કરે” (પૃ. ૩૫૭). ભારતમાં ગાંધીજીને આમ કરવાના વારંવાર પ્રસંગો આવ્યા. &lt;br /&gt;
ગોખલેના માર્ગદર્શન નીચે દેશની સેવા કરવાની “હોંશ સાથે” ગાંધીજી મુંબઈ પહોંચ્યા, પણ, તેઓ લખે છે, “વિધાતાએ જુદો જ ઘાટ ઘડી રાખ્યો હતો” (પૃ. ૩૬૭). એકાદ માસમાં જ ગોખલેનું મૃત્યુ થયું, અને પોતાનો સેવામાર્ગ પોતે જ શોધી લેવાનું ગાંધીજીને આવ્યું. નિર્ણય સહેલો નહોતો. ભારતના પ્રજાજીવનની અવદશા ગાંધીજી જાણતા હતા. પરંતુ હવે ભારતીય આધ્યાત્મિકતા વિશે ઉત્સાહભરી શ્રદ્ધા અનુભવતી એમની દૃષ્ટિને એ દર્શન અસહ્ય થઈ પડ્યું. રંગૂન જતાં સ્ટીમર ઉપર, રેલવે મુસાફરીઓ દરમિયાન અને કુંભમેળા પ્રસંગે હરદ્વારમાં એમણે જે ગંદકી, અવ્યવસ્થા ને નાગરિક શિસ્તનો સંપૂર્ણ અભાવ જોયાં તેથી તેમનું ભારતપ્રેમી હૃદય અકળાઈ ઊઠ્યું. કુંભમાં “ચાલતા પાપનું” પોતે જ આત્મશુદ્ધિ દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાનો તેમણે નિર્ણય કર્યો અને ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓથી વધારે નહિ ખાવાનું અને રાત્રિભોજનનો ત્યાગ કરવાનું વ્રત લીધું. એવી જ આત્મશુદ્ધિની ભાવનાથી તેમણે સ્વજનોનો, સાથી કાર્યકરોનો ને ધર્મચુસ્ત પ્રજાવર્ગનો વિરોધ વહોરીને પણ એક અંત્યજ કુટુંબને આશ્રમમાં પ્રવેશ આપ્યો. તેને પરિણામે ધનિક ટેકેદારોની મદદ બંધ થઈ અને આશ્રમ બંધ કરવાની સ્થિતિ આવી. ગાંધીજી દૃઢ રહ્યા, જરૂર પડે તો અંત્યજોની વચ્ચે જઈને રહેવા તેઓ તૈયાર થયા. એમની શ્રદ્ધા ફળી અને અણધારી મદદ આવી મળી. &lt;br /&gt;
જાહેર સેવાના ક્ષેત્રે પણ ગાંધીજીનો અનુભવ મિશ્ર રહ્યો, અને દક્ષિણ આફ્રિકામાં તેમણે ક્યારેય નહોતી અનુભવી એવી નિષ્ફળતાઓ હવે અનુભવી. પહેલો, ચંપારણનો, સત્યાગ્રહ ગરીબ ખેડૂતોની માગણી પૂરતો સફળ રહ્યો, અને તેમનામાં જે જાગૃતિ આવી તેમાં ગાંધીજીએ “ઈશ્વરનો, અહિંસાનો અને સત્યનો સાક્ષાત્કાર કર્યો” (પૃ. ૪૧૬). પરંતુ સત્યાગ્રહની સાથે શરૂ કરેલો રચનાત્મક કાર્યક્રમ અધૂરો રહ્યો, અને એ કાર્યક્રમનો અમલ કરાવતાં ગાંધીજીને ભારતની પ્રજાની ગરીબીનો પ્રથમ હૃદયદ્રાવક અનુભવ થયો. ગરીબ સ્ત્રીઓને પોતાનાં કપડાં ધોવાનું સમજાવતાં કરતૂરબાને એક સ્ત્રી એની ઝૂંપડીમાં લઈ ગઈ અને બતાવ્યું : “તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ” (પૃ. ૪૨૭). આ પ્રસંગ ગાંધીજીની સ્મૃતિમાં એવો અંકાઈ ગયો કે સ્ત્રીઓની કેટલીય સભાઓમાં તેમણે એનો ઉલ્લેખ કરેલો. દેશની આવી અસહ્ય ગરીબીનો એકમાત્ર ઉપાય ગાંધીજીએ ખાદીમાં જોયો, અને રાજકીય પ્રશ્નોના ઉકેલ માટે ઉપાય યોજતા તેટલા જ ઉત્સાહથી તેમણે ખાદી ઉત્પન્ન કરવાનાં સાધનોની શોધ કરી અને એ શોધ સફળ થતાં ખાદી પ્રચારનું કામ આરંભ્યું. ગાંધીજીની બીજી જાહેર લડત, અમદાવાદના મિલમજૂરોની, વ્યાવહારિક દૃષ્ટિએ સફળ રહી ગણાય, પરંતુ તેને બચાવવા ગાંધીજીએ ઉપવાસ કર્યો હતો તે એમને પોતાને દોષિત લાગ્યો હતો અને તેની દુ:ખદ સ્મૃતિ એમને રહી ગઈ. ત્રીજી, ખેડાની, લડતમાં પણ ખેડૂતોની માગણી કબૂલ રાખવામાં આવી, પરંતુ, ગાંધીજી લખે છે, “આ અંતથી અમે કોઈ રાજી ન થઈ શક્યા.” લડતને અંતે તેમણે વધારે તેજ ને શક્તિ ન જોયાં, અને “તેથી અંતનો ઉત્સવ મનાયો” છતાં ગાંધીજીને તે “નિસ્તેજ લાગ્યો&amp;quot; (પૃ. ૪૪૨). લડતને અંતે રંગરૂટોની ભરતી માટે ગાંધીજી ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં ફર્યા ત્યારે તેમને પ્રજાની નિર્બળતાનો એક વધુ દુઃખજનક અનુભવ થયો, અને તેમાં મરડાની વ્યાધિએ ઉત્પન્ન કરેલી વેદના ભળી. સને ૧૯૧૮ના જુલાઈથી ૧૯૧૯ના જાન્યુઆરી સુધીના એ સાત માસ ગાંધીજી માટે એમણે પહેલાં ક્યારેય નહિ અનુભવેલા એવા કષ્ટભર્યા બન્યા. અને એ સર્વે કષ્ટને અંતે એમણે દૂધ નહિ લેવાના વ્રતનો ભંગ કરી બકરીનું દૂધ લેવાની લાચારી અનુભવી. &lt;br /&gt;
આ વ્યક્તિગત આઘાતોમાંથી ગાંધીજી બહાર આવ્યા તેવા જ રાજકીય આઘાત શરૂ થયા. પોતાના અંતરના અવાજને રૂંધીને તથા લોકમાન્ય તિલક અને એની બેસન્ટ જેવા પ્રતિષ્ઠિત નેતાઓની વિરુદ્ધ જઈને ગાંધીજી યુદ્ધમાં સરકારને મદદ કરવાના પક્ષે રહ્યા હતા એ સરકારને તેમણે યુદ્ધને અંતે ઉગ્ર પ્રજામતની અવગણના કરી રૉલેટ કાયદાઓ પસાર કરતી જોઈ. “મેં વાઈસરૉયને મળીને ખૂબ વીનવ્યા”, ગાંધીજી લખે છે, “ખાનગી કાગળો લખ્યા, જાહેર કાગળો લખ્યા. સત્યાગ્રહ સિવાય મારી પાસે બીજો માર્ગ નથી એ તેમાં સ્પષ્ટ જણાવ્યું. પણ બધું ફોગટ ગયું” (પૃ. ૪૫૯). પણ જેમ સરકાર ગાંધીજીને ન સમજી, તેમ પ્રજા પણ ન સમજી, અને સત્યાગ્રહનું શસ્ત્ર અવળું પડ્યું. ગુજરાત, દિલ્હી, પંજાબ ને મુંબઈ બધે વત્તાઓછા પ્રમાણમાં રમખાણો થયાં અને તે દાબી દેવા સરકારે અમાનુષી દમનનો માર્ગ લીધો, જેમાંથી જલિયાંવાલા બાગનો હત્યાકાંડ સર્જાયો. ગાંધીજીએ જોયું કે એમણે પહાડ જેવડી ભૂલ કરી હતી અને સત્યાગ્રહ મોકૂફ રાખ્યો. વર્ષને અંતે અમૃતસર કૉંગ્રેસમાં સરકારનાં બધાં દુષ્કૃત્યો ભૂલી જઈ ગાંધીજીએ નવા જાહેર કરવામાં આવેલા, દેશબંધુ ચિત્તરંજન દાસ જેવા નેતાઓની દૃષ્ટિએ તદ્દન અસંતોષકારક, સુધારાઓ સાથે સહકાર કરવાનો અનુરોધ કર્યો. પરંતુ સરકારે તેની પણ કદર ન કરી અને પંજાબના અન્યાયો અંગે ગાંધીજીની માગણી ન સ્વીકારી. સાથે સાથે ખિલાફતનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો, અને ભારતના મુસલમાનો પ્રત્યે પોતાનો સદ્ભાવ વ્યક્ત કરવા ગાંધીજીએ એ પ્રશ્નમાં એમને ટેકો આપ્યો. પંજાબ ને ખિલાફતના એ બે પ્રશ્નોમાં સરકાર પાસેથી ન્યાય મેળવવામાં નિષ્ફળ જતાં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું અને તુરત તેઓ ભારતની રાષ્ટ્રીય લડતના નેતા બની ગયા. &lt;br /&gt;
સત્યના પ્રયોગોની કથા ગાંધીજીએ અહીં સમાપ્ત કરી છે. પરંતુ જે ગાંધીજી એ લખી રહ્યા છે તે કથાની સમાપ્તિ વેળાના ગાંધીજી નથી. અસહકારની કરુણ નિષ્ફળતાએ એમને અતિનમ્ર બનાવ્યા હતા અને આદિથી અંત સુધીની કથા એમની એ નમ્ર બનેલી દૃષ્ટિએ આલેખી છે. એ નમ્રતાપ્રેર્યા તેઓ ‘પૂર્ણહુતિ&#039;માં લખે છે: “મારી અહિંસા સાચી તોયે કાચી છે, અપૂર્ણ છે.... મનુષ્ય જ્યાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી છેલ્લો ન મૂકે ત્યાં લગી તેની મુક્તિ નથી. અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે... એ નમ્રતાની પ્રાર્થના કરતો, તેમાં જગતની મદદ યાચતો અત્યારે તો આ પ્રકરણો બંધ કરું છું” (પૃ. ૫૦૨). &lt;br /&gt;
અગ્રેજ કવિ કીટ્સે માણસના જીવનને &amp;quot;a vale of soul-making&amp;quot;, “આત્માને ઘડવાનું ક્ષેત્ર”, કહ્યું છે. &#039;સત્યના પ્રયોગો&#039; આત્માના એવા ઘડતરની કથા બની છે, અને &#039;પૂર્ણાહુતિ&#039;માં વાચક એ ઘડતરના સુફળની મધુરતા અનુભવે છે. &lt;br /&gt;
જે સંસ્કારોએ ગાંધીજીની ચેતનાને આવી આશ્ચર્યજનક વિકાસશીલતા બક્ષી હતી તેમાં ભગવદ્ગીતાનો મહત્ત્વનો ફાળો હતો. વિદ્યાર્થીકાળ દરમિયાન લંડનમાં એનો પ્રથમ પરિચય કર્યો ત્યારથી તેમણે એનું આકર્ષણ અનુભવ્યું હતું. સને ૧૯૦૩માં એમણે એનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૨૨-૨૩ના યરવડાનિવાસ દરમિયાન અનુભવે પરિપકવ બનેલી દૃષ્ટિએ એનો ફરીથી અભ્યાસ કર્યો. જેલમાંથી છૂટ્યા પછી સને ૧૯૨૬માં એક વર્ષ માટે રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ તેઓ પહેલી વાર આશ્રમમાં સ્થિર થઈને રહ્યા અને દરરોજનાં પ્રાર્થનાપ્રવચનમાં તેમણે આશ્રમવાસીઓને પોતાના ગીતાઅભ્યાસનો લાભ આપ્યો. એ પ્રવચનોની મહાદેવ દેસાઈ અને શ્રી પૂંજાલાલ શાહે લીધેલી નોંધો શ્રી નરહરિ પરીખે સંપાદિત કરી છે અને તે ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ&#039; નામથી પ્રસિદ્ધ થઈ છે. તે પછી ગાંધીજીએ અસહકારના દિવસોમાં સ્વામી આનંદે કરેલી વિનંતીને માન આપી ભગવદ્ગીતાનો ગુજરાતી અનુવાદ કર્યો, જે ૧૯૩૦ની ૧૨મી માર્ચે દાંડીકૂચ શરૂ થઈ તે દિવસે ‘અનાસક્તિયોગ’ નામે પ્રસિદ્ધ થયો. હિમાલયમાં અલમોડા પાસે કૌસાનીમાં રહી લખેલી તેની પ્રસ્તાવનામાં ગાંધીજીએ પોતાનું મૌલિક ગીતાદર્શન હિમાલયની પ્રસન્ન શાંતિની સંપૂર્ણ છાયા ઝીલતા ગદ્યમાં સમજાવ્યું છે. સને ૧૯૩૦ ને ૧૯૩૨ના જેલનિવાસ દરમિયાન વળી પાછા એમણે આશ્રમવાસીઓ માટે ગીતા ઉપર પ્રવચનલેખો લખી મોકલ્યા, જે પાછળથી &#039;ગીતાબોધ&#039; નામે પ્રસિદ્ધ થયા. &lt;br /&gt;
ગીતાના ઉપદેશમાં ગાંધીજીએ ધર્મ ને મોક્ષ વિશેની પ્રાચીન ભારતીય દૃષ્ટિનું નવું રહસ્ય જોયું છે. ગીતાકારનો ઉદ્દેશ એના સમયમાં પ્રચલિત દર્શનોનો સમન્વય સાધી એક નવો સાધનામાર્ગ ઉપદેશવાનો હતો. વૈદિક યજ્ઞમાર્ગ ઇહલૌકિક સુખસમૃદ્ધિ માટે દૈવી શક્તિઓની આરાધનાનો હતો, જ્યારે સાંખ્યદર્શને દૃશ્ય સૃષ્ટિને અજ્ઞાનજન્ય ગણી તેની ઉપેક્ષા ઉપદેશી. ઉપનિષદોએ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહેલા પરમતત્ત્વની શોધ આરંભી, પરંતુ એ શોધ માનવજીવનને સ્વીકારીને કે તેનો ત્યાગ કરીને કરવી એ વિશે એમનું દૃષ્ટિબિંદુ અસ્પષ્ટ રહ્યું. ગીતાએ વૈદિક યજ્ઞમાર્ગને બાજુએ રાખ્યો, સાંખ્યના પુરુષ-પ્રકૃતિ તત્ત્વજ્ઞાનને સ્વીકાર્યું પરંતુ તે બન્નેને સૃષ્ટિના અંતિમ રહસ્યરૂપ પુરુષોત્તમતત્ત્વનાં આવિર્ભાવો માન્યા અને માનવજીવનનો સ્વીકાર કરીને તેની દ્વારા જ એ તત્ત્વ સાથે ઐક્ય અનુભવવાનો માર્ગ દર્શાવ્યો. એ હેતુથી તેણે સાંખ્ય ને ઉપનિષદોના જ્ઞાનની સાથે ભક્તિનો સંયોગ કર્યો અને વૈદિક કર્મકાંડને સ્થાને એક નવી, નિષ્કામ કર્તવ્યકર્મની ભાવના આપી. ગીતાની આ સમન્વયદૃષ્ટિનું પૂરું રહસ્ય પાછળની પેઢીઓને સમજાયું નહિ, અને જ્ઞાન, ભક્તિ ને કર્મની ત્રિવેણીમાંથી અદ્વૈતમાર્ગીઓએ જ્ઞાન ઉપર અને વૈષ્ણવ સંપ્રદાયે ભક્તિ ઉપર ભાર મૂક્યો, અને બન્ને દર્શનોએ લોકસંગ્રહરૂપ કર્મને લોકોમાં જ્ઞાન ને ભક્તિના પ્રચારાર્થે કરેલા કર્મ પૂરતું મર્યાદિત કર્યું. પરિણામે પ્રજા એના વ્યાવહારિક જીવનમાં શુદ્ધ ધર્મભાવના કે નીતિભાવનાના માર્ગદર્શનથી વંચિત રહી, અને પ્રાચીન દૃષ્ટાઓએ કલ્પેલા ધર્મ, અર્થ, કામ ને મોક્ષના આદર્શનો ખરો અર્થ ભુલાઈ ગયો. ગાંધીજીનું ગીતાદર્શન જ્ઞાન ને ભક્તિની સાથે કર્મનું પૂરું મહત્ત્વ સ્વીકારી ધર્મ ને મોક્ષનો પરસ્પર સંબંધ પુનઃસ્થાપિત કરે છે અને બન્ને વિશેની ભાવનાઓનું નવસર્જન કરે છે. &lt;br /&gt;
ભગવદ્ગીતા મોક્ષના અભિલાષીને સામાન્ય વ્યવહારજીવનની કર્તવ્ય-ભાવનાની ભૂમિકાથી શરૂ કરી છેક બ્રાહ્મી સ્થિતિની “પરા શાંતિ”ના અનુભવ સુધી લઈ જાય છે, જે સ્થિતિમાં, ગીતાના શબ્દોમાં, જે બીજાં પ્રાણીઓની રાત્રિ હોય છે તેમાં સંયમી જાગતો હોય છે, અને જેમાં તે જાગતાં હોય છે તે અંતરદૃષ્ટિવાળા યોગીને રાત્રિ હોય છે” (૨.૬૯), યોગીની ચિત્તવૃત્તિઓ શાંત થઈ જાય છે અને એની ચેતના વાયુરહિત સ્થળમાં દીવાની જ્યોત જેવી સ્થિર બની જાય છે (૬.૨૯). એ આંતરયાત્રામાં ગીતા સાધકને ઈશ્વરની આશ્ચર્યમય વિભૂતિઓનું અને તેના વિશ્વરૂપનું પણ દર્શન કરાવે છે. ગાંધીજીને એવી અતીન્દ્રિય સ્થિતિના અનુભવમાં રસ નથી. તેમને બહુજનસમાજની જાગ્રત ચેતનાસૃષ્ટિમાં રહીને જ અહંવિલોપનનો અનુભવ કરવો છે. એમનું પણ અંતિમ લક્ષ્ય મોક્ષ હતું, પરંતુ મોક્ષને અર્થે તેમને માનવજીવનના પ્રવાહથી વિમુખતા ઇષ્ટ નહોતી. રામાયણસંસ્કારે એમને માનવવ્યવહારમાં સત્ય ને પ્રેમનું આકર્ષણ આપ્યું હતું, અને ઈશુના જીવન ને ઉપદેશમાં એમણે સેવાધર્મનું આકર્ષણ અનુભવ્યું હતું. ભગવદ્ગીતાને ઉપદેશમાં એમણે પોતાની એ સત્ય, પ્રેમ ને સેવાની ભાવનાઓને મોક્ષનાં સાધન બનાવવાનો માર્ગ જોયો. એ માર્ગ હતો અનાસક્તભાવે કર્તવ્યકર્મનો. &lt;br /&gt;
અનાસક્તિનો અર્થ ગાંધીજી પોતાના અનુભવ ઉપરથી જ સમજ્યા હશે. લંડનમાં એમણે પહેલી વાર ગીતા વાંચી ત્યારે ઈન્દ્રિયવિષયો પ્રત્યે આસક્તિનાં ગંભીર પરિણામોનું વર્ણન કરતા બીજા અધ્યાયના બે શ્લોકો (૬૨-૩) એમની સ્મૃતિમાં એવા અંકિત થઈ ગયા કે, &#039;સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે, “તેના ભણકારા મારા કાનમાં વાગ્યા જ કરે” (પૃ. ૭૦). ગાંધીજીને વિષયાસક્તિનો અનુભવ હતો જ, અને ગીતાના એ શ્લોકોએ જાણે કે એમના રોગનું નિદાન કરી આપ્યું અને તેમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો. જેમ ઇન્દ્રિયવિષયો પ્રત્યે, તેમ સાંસારિક અર્થો વિશે અને નીતિ ને ધર્મના આદર્શો વિશે ૫ણ આસક્તિ બંધાય છે, જે વ્યક્તિની ચેતનાને અમુક અનુભવોના વર્તુળમાં પકડી રાખે છે અને તેના પૂર્ણ વિકાસમાં અવરોધરૂપ બની રહે છે. ગાંધીજી આસક્તિનાં આવાં સૂક્ષ્મ સ્વરૂપો જોઈ શક્યા અને આશ્ચર્યજનક માત્રામાં તેમણે એમનામાંથી મુક્તિ સિદ્ધ કરી. આસક્તિનું સૂક્ષ્મતમ રૂપ અહમ્નું હોય છે, અને એ ક્ષીણ થતાં વ્યક્તિ પોતાના હૃદયની સર્વ વૃત્તિઓને કોઈ અદૃશ્ય તત્ત્વની પ્રેરણા રૂપે અને પોતાને એ તત્ત્વના નિમિત્ત રૂપે અનુભવે છે. દરિદ્રનારાયણની સેવામાં ગાંધીજીએ એવા નિર્મમત્વની ઝાંખી કરી, અને એ અનુભવ એમના ગીતાદર્શનનું મધ્યબિંદુ બની રહ્યો. અર્થાત્, ગાંધીજીનો કર્મયોગ એટલે, પ્રથમ યજ્ઞાર્થે, ઈશ્વરસમર્પણભાવે અને અંતે માત્ર નિમિત્તભાવે સેવાકર્મ. &lt;br /&gt;
આવી રીતે કર્તૃત્વભાવનાના ત્યાગમાં બે ભયસ્થાનો રહેલાં છે. એક દૃષ્ટિ, જે સાંખ્યની છે, વ્યક્તિની સ્વભાવવૃત્તિઓને પ્રકૃતિની પ્રેરણા રૂપે જુએ છે. સાંખ્યમાર્ગનો સાધક એ પ્રકૃતિલીલા પ્રત્યે ઉદાસીન બની તેનું શમન કરવા ઇચ્છે છે, પરંતુ ભૌતિકતાવાદીઓ એ વિચારસરણીનો વિપરીત અર્થ કરી સંયમની નિરર્થકતા પ્રતિપાદિત કરે છે અને સ્વૈરવર્તનની હિમાયત કરે છે. આધુનિક મનોવિજ્ઞાનમાંથી ક્યારેક એવો સૂર નીકળતો હોય છે. ભક્તિમાર્ગીઓ પોતાની સર્વ હૃદયવૃત્તિઓને ઈશ્વરની પ્રેરણા રૂપે જુએ છે અને તેમાંના કોઈ કોઈ એ વિચારસરણીનો પણ વિપરીત અર્થ કરી ધર્મ-અધર્મના વિવેકની ઉપેક્ષા કરે છે. ગાંધીજી ધર્મ ને સંયમના સિદ્ધાંત ઉપર દૃઢ છે. વ્યક્તિનાં કર્મ એનાં પોતાનાં હોય કે પ્રકૃતિ અથવા ઈશ્વરની પ્રેરણા હોય, કોઈ સ્ત્રીપુરુષ પોતાની ધર્મબુદ્ધિની ઉપેક્ષા કરી શકે જ નહિ — સર્વ કર્મો શુદ્ધ ધર્મબુદ્ધિથી, સંયમપૂર્વક, ગીતાના શબ્દમાં “નિયત” રહી, કરવાનો વ્યક્તિનો સતત પ્રયત્ન રહેવો જોઈએ અને છતાં તેણે એવાં કર્મ વિષે અકર્તૃત્વભાવ કેળવી એમનાં પરિણામ વિશે અનાસક્ત રહેવું જોઈએ. જેને સંપૂર્ણ નિર્મમત્વ સિદ્ધ થયું છે તેને માણસની ધર્મબુદ્ધિને આઘાત આપે એવું કોઈ કર્મ કરવાની વૃત્તિ થશે જ નહિ. ગીતાનો એક શ્લોક (૧૮. ૧૭) કહે છે કે જે અહંકારભાવથી મુક્ત થઈ ગયો છે તે જગતને હણતો છતો નથી હણતો. ‘અનાસક્તિયોગ&#039;માં તે શ્લોક ઉપરની ટીકામાં ગાંધીજી લખે છે : “ગીતાના ઘણા શ્લોકો કાલ્પનિક આદર્શને અવલંબનારા છે. તેનો સચોટ નમૂનો જગતમાં ન મળે.... જેનામાં અહંતા નથી તેને શરીર જ નથી. જેની બુદ્ધિ વિશુદ્ધ છે તે ત્રિકાળદર્શી છે. આવો પુરુષ તો કેવળ એક ભગવાન છે.... તેથી મનુષ્ય પાસે તો એક ન હણવાનો અને શિષ્ટાચાર — શાસ્ત્ર — નો માર્ગ જ છે” (પૃ. ૧૭૩-૪). અને સદેહે કર્તૃત્વભાવનાનું સંપૂર્ણ વિલોપન શક્ય હોય તોપણ, ગાંધીજી એમ કહે કે એવી વ્યક્તિ કેવી રીતે વર્તે એની કલ્પના કરી એવી સ્થિતિ જેને સિદ્ધ નથી થઈ તે એનું અનુકરણ ન કરી શકે. એટલે મોક્ષના અભિલાષીએ પોતાની વૃત્તિઓમાં શુભ-અશુભનો વિવેક કરવો જ રહ્યો, અને અશુભ વૃત્તિઓનો ત્યાગ કરી શુભ વૃત્તિઓને ઈશ્વરપ્રેરિત માની નિર્મમભાવે, ફલાસક્તિરહિત, તેમને અનુસરવું જોઈએ. એવી અનાસક્ત પ્રવૃત્તિમાં સત્ય ને અહિંસાનું પાલન જ સંભવે. “ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને” &#039;અનાસક્તિયોગ&#039;ની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે, “સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની.” (પૃ. ૨૫). એટલે પોતે શુભ માનેલી કોઈ પ્રવૃત્તિને બીજાંઓ એ રૂપે ન જુએ તો એમના વિરોધનો બળ કે રોષપૂર્વક સામનો કરવાને બદલે તેને પ્રેમથી સહન કરી લેવો જોઈએ. આમ ગીતાના ઉપદેશમાંથી ગાંધીજી પોતાના સત્યાગ્રહમાર્ગની પણ પ્રેરણા મેળવે છે. &lt;br /&gt;
આત્મબળ દ્વારા ભારતમાં સાચું સ્વરાજ સ્થાપવાના પોતાના પ્રયોગમાં મુખ્ય સાધન તરીકે ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ભાવના કે આદર્શ ગમે તેટલાં ઊંચાં હોય, તેમનું ચુસ્ત પાલન કરવાનો અડગ નિશ્ચય ન હોય તો વ્યક્તિ કે સંસ્થાની નૈતિક શક્તિ કેળવવામાં ને પ્રગટ કરવામાં તે બહુ ઉપકારક નથી નીવડતાં. એટલે સત્યાગ્રહ આશ્રમ માટે ગાંધીજીએ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય ને અપરિગ્રહ એ પાંચ પરંપરાપ્રાપ્ત યમોમાં એમના સમયની દેશની સ્થિતિને અનુલક્ષીને અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી એ છ વ્રતો ઉમેરીને કુલ અગિયાર વ્રતોની શિસ્ત સ્વીકારી હતી. સને ૧૯૨૦-૨૧ના અસહકારના આંદોલનની નિષ્ફળતા પછી ૧૯૩૦માં સવિનય કાનૂનભંગની લડત શરૂ થઈ ત્યારે યરવડા જેલમાંથી ગાંધીજીએ પાછળ રહેલાં આશ્રમવાસીઓની આશ્રમવ્રતો ઉપર શ્રદ્ધા દૃઢ કરવાના હેતુથી નારણદાસ ગાંધીને એ વ્રતો વિશે સાપ્તાહિક પ્રવચન૫ત્રો લખી મોકલ્યા. એ પત્રો દર મંગળવારે લખાતા, એટલે પાછળથી તે &#039;મંગળપ્રભાત&#039; નામથી પ્રસિદ્ધ થયા. આ પત્રોમાં ગાંધીજીએ પોતાની વ્રતસાધનાનું સંક્ષેપમાં પણ સૂક્ષ્મતાથી રહસ્ય સમજાવ્યું છે. એમને માટે આશ્રમનાં એ વ્રતો માત્ર બાહ્યાચારમાં પાળવાના યાંત્રિક નિયમો નહોતા, પરંતુ સ્વાર્પણની જે ભાવના એમના હૃદયમાં દક્ષિણ આફ્રિકામાં સ્ફુરી હતી અને જે ઉત્તરોત્તર વધુ એકાગ્ર ને ઊંડી બનતી રહી હતી તેને પૂર્ણપણે પોતાના જીવનમાં ઉતારવાનાં સાધન હતાં. બ્રહ્મચર્યની જરૂર જોયા પછી તે પાળવાની મુશ્કેલીના અનુભવ ઉપરથી ગાંધીજી વ્રતની આવશ્યકતા સમજતા થયા હતા, અને ઝૂલુ બળવા દરમિયાન ઘાયલ ઝૂલુઓની સારવાર કરતાં તેમણે છેવટનો નિર્ણય કર્યો અને વ્રત લીધું. વ્રતની આવશ્યકતા સમજાવતાં તેઓ &#039;સત્યના પ્રયોગો&#039;માં લખે છે કે “વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે&amp;quot; (પૃ. ૨૦૭). માણસની સ્વાભાવિક નિર્બળતા વારંવાર એના મનને છેતરે છે અને પોતાના શુભ સંકલ્પોને ચુસ્તતાથી નહિ વળગી રહેવા લલચાવે છે. પોતાની એવી નિર્બળતાને વશ થવામાં વ્યક્તિ પોતાની સ્વતંત્રતા અનુભવે, પણ તે સાચી સ્વતંત્રતા નથી, ટેવનું બંધન છે. વ્રત વ્યક્તિને એવા બંધનમાંથી મુક્ત કરે છે, પોતાના શુભ સંકલ્પને વળગી રહેવું કે તત્ક્ષણની પ્રેરણાને અનુસરવું એવો પ્રસંગે પ્રસંગે નિર્ણય કરવાની આવશ્યકતામાંથી મુક્ત કરી હૃદયની ઉચ્ચ વૃત્તિઓને અનુસરવાનો માર્ગ સરળ કરી આપે છે. એવી સરળતા એ જ સાચી સ્વતંત્રતા. સંયમ એમ સ્વાભાવિક બની જાય ત્યારે જ તે બોજારૂપ મટી જાય અને આત્મનિષ્ઠાના સૂક્ષ્મ, નિર્મળ આનંદનો અનુભવ કરાવી શકે. એટલે ‘મંગળપ્રભાત&#039;માં ‘વ્રતની આવશ્યકતા&#039; ઉપરના લેખમાં ગાંધીજી લખે છે : “દેહ જાઓ અથવા રહો, મારે તો ધર્મ પાળવો જ છે એ ભવ્ય નિશ્રય કરનારા જ ઈશ્વરની ઝાંખી કોઈ કાળે કરી શકે છે” (પૃ. ૪૨), &lt;br /&gt;
ગાંધીજીનાં વ્રતો કોઈ વર્તુળના પરિઘ ઉપર ભિન્ન ભિન્ન બિંદુઓ જેવાં છે. તેમાંના કોઈ બિંદુએથી ૯૦ અંશે દોરેલી સીધી લીટી એક જ મધ્યબિંદુએ પહોંચે. એ જ રીતે ગાંધીજી દરેક વ્રતના સ્થૂળ વાચ્યાર્થમાંથી વધુ ને વધુ સૂક્ષ્મ અર્થો ઘટાવતા સંપૂર્ણ આત્મસમર્પણની સ્થિતિની ઝાંખી કરાવે છે. એવી સ્થિતિનો અનુભવ તે જ, એમની દૃષ્ટિએ, વિશુદ્ધ સત્ય કે ઈશ્વરનું દર્શન. બધાં વ્રતો એ સંપૂર્ણ સત્યની આરાધનામાંથી જ ફલિત થાય છે. “આ સત્યની આરાધનાને ખાતર જ”, ગાંધીજી લખે છે, “આપણી હસ્તી. તેને જ કારણે આપણી પ્રત્યેક પ્રવૃત્તિ.... આમ કરતાં શીખીએ તો આપણને બીજા બધા નિયમો સહેજે હાથ આવે.” એટલે એ સત્યરૂપ પરમેશ્વરને ગાંધીજી પારસમણિ કે રત્નચિંતામણિ રૂપે ઓળખાવે છે. તેને પહોંચવા માટે વ્યક્તિ પોતાની માનવીય દૃષ્ટિને દેખાતા મર્યાદિત સત્યને ચુસ્તતાથી પણ નિ:સ્વાર્થભાવે અનુસરે અને તેમ કરતાં જે દુઃખ આવી પડે તે સ્વીકારી લે (પૃ. ૧-૩). આવી નિર્મમ, નિરહમ્ સત્યનિષ્ઠા બીજાંઓ માટે પ્રેમ ને કરુણા વિના શક્ય નથી. અર્થાત્, વ્યક્તિદૃષ્ટિના મર્યાદિત સત્યની શુદ્ધિ માટે અહિંસાનું પાલન આવશ્યક છે. પરંતુ “અહિંસા કોઈને માત્ર ન મારવામાં નથી રહી, વિચારમાં પણ કોઈની પ્રત્યે દ્વેષ ન રાખવો જરૂરી છે” (પૃ. ૫-૬). એવી પૂર્ણ અહિંસા, ગાંધીજીના મતે, બ્રહ્મચર્ય વિના શક્ય નથી, અને બ્રહ્મચર્યનું પાલન બોજારૂપ ન થઈ પડે તે માટે તેને &#039;સર્વેન્દ્રિયસંયમ’ એવો વિશાળ અર્થ કરી વિષયમાત્રનો નિરોધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ (પૃ. ૧૦). એવા સર્વેન્દ્રિયસંયમમાં સ્વાદેન્દ્રિયસંયમને બ્રહ્મચર્યપાલન સાથે સવિશેષ સંબંધ છે (પૃ. ૧૧). &lt;br /&gt;
અસ્તેયવ્રત સત્યવ્રતનું જ એક રૂપ છે. તેનો અર્થ કોઈની વસ્તુ ન ચોરવી એટલો જ નથી. “ન જોઈતી એક પણ વસ્તુ ન લેવી જોઈએ.” આ નિયમની પાછળ સામાજિક ભાવના પણ રહેલી છે, કારણ કે, ગાંધીજી કહે છે તેમ, “આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઈ છે” (પૃ. ૧૬). ચોરી માત્ર સ્થૂળ વસ્તુઓની જ નથી હોતી, માનસિક પણ હોય છે. બીજાંઓથી છુપાવવો પડે એવો વિચાર પણ ચોરી છે. આવા સૂક્ષ્મ અસ્તેયવ્રતનું પાલન કરનારે, ગાંધીજી લખે છે તેમ, “બહુ નમ્ર, બહુ વિચારશીલ, બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે” (પૃ. ૧૭). અપરિગ્રહનો ગાંધીજી આથી પણ વધુ સૂક્ષ્મ અર્થ કરે છે. ભવિષ્યની જરૂરિયાતનો વિચાર કરી સંગ્રહ ન કરવો એ અપરિગ્રહવ્રતનો સ્થૂળ અર્થ. પરંતુ “કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણે શરીરનું આવરણુ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ....આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય?&amp;quot; આમ વિચાર કરતાં આપણે &amp;quot;શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે.” અને “જેમ વસ્તુઓ તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ... ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય” એવા સર્વ વિચારો ત્યાજ્ય છે (પૃ. ૧૯-૨૦) અભયનું પાલન પણ વ્યક્તિને ત્યાગ પ્રતિ લઈ જાય છે. “પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી, ‘મારા’પણું કાઢી નાખીએ એટલે ભય ક્યાં છે?... એ ઈશ્વરનાં છે; હું પણ તેનો છું;... એટલે આપણે તેના રખેવાળ રહીએ…. સ્વામી મટીને સેવક થઈએ...” આમ “શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે શાંતિ મેળવીએ, સત્યનારાયણનાં દર્શન કરીએ” (પૃ. ૨૩). અસ્પૃશ્યતાનિવારણને પણ ગાંધીજી એવી જ સૂક્ષ્મતાથી જુએ છે. “... અસ્પૃશ્યતાનિવારણ કરનાર... જીવમાત્રને પોતામાં નહીં જુએ ને પોતાને જીવમાત્રમાં નહીં હોમી દે ત્યાં લગી શાંત થશે જ નહીં. અસ્પૃશ્યતા નિવારવી એટલે જગત માત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું” (પૃ. ૨૫). જાતમહેનતના વ્રતને ગાંધીજીએ ભગવદ્ગીતાની યજ્ઞભાવના સાથે જોડ્યું છે અને વ્યક્તિ ને સમાજ બન્નેના હિત માટે આવશ્યક ગણ્યું છે. સર્વધર્મસમભાવના વ્રતમાં ગાંધીજીની ભારતીય સત્યદૃષ્ટિ પ્રગટ થાય છે. તેઓ હિંદુ ધર્મના પ્રેમી હતા, પરંતુ પ્રાચીન ભારતીય દૃષ્ટિને અનુસરી તેઓ કહે છે: “ધર્મનું મૂળ એક છે, જેમ વૃક્ષનું; પણ તેને પાતરાં અસંખ્ય છે” (પૃ. ૩૧). આ પ્રાચીન દૃષ્ટિમાં અર્વાચીન દૃષ્ટિનો સંસ્કાર પણ ભળ્યો છે : “બધા ધર્મો ઈશ્વરદત્ત છે, પણ તે મનુષ્યકલ્પિત હોવાથી, મનુષ્ય તેનો પ્રચાર કરતો હોવાથી, તે અપૂર્ણ છે” (પૃ. ૩૦). સ્વદેશી જેવા, પહેલી નજરે રાજકીય દેખાતા વ્રતને ૫ણ ગાંધીજી ધર્મદૃષ્ટિએ જુએ છે. સ્વદેશીનો ખરો અર્થ &amp;quot;આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઈ રહેવું” એ છે. એવી સેવા મોહપ્રેરિત ન હોય. “મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે, તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે,” આ અર્થમાં “શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.” એટલે સ્વદેશી “એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી — અહિંસામાંથી — ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે” (પૃ. ૩૮-૪૦) નમ્રતાનું વ્રત ન હોઈ શકે, કારણ કે એ કેળવી શકાતી નથી. પરંતુ બધાં વ્રતો તેને અર્થે જ છે. “નમ્રતા એટલે હુંપણાનો આત્યંતિક ક્ષય.” એવી નમ્રતા, ગાંધીજી લખે છે, “આપણી પાસે જીવમાત્રની સેવા અર્થે સર્વાપર્ણની આશા રાખે છે.... આ સ્થિતિનું વણુંન આપવું મુશ્કેલ છે, પણ એ અનુભવગમ્ય છે... બધાં વ્રતો, બધી પ્રવૃત્તિ તે અનુભવવા સારુ છે” (પૃ. ૩૫-૬). એવી અવર્ણનીય, અનુભવગમ્ય નમ્રતાના સ્પર્શમાં જ ગાંધીજીના ગદ્યની રમ્યતાનું રહસ્ય રહેલું છે. &lt;br /&gt;
ગાંધીજીના અનેક સત્યના પ્રયોગોમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના પણ એક સાહસભર્યો પ્રયોગ હતો, અને ૧૯૧૫ના મે માસથી ૧૯૩૩ના જુલાઈ સુધીનો એનો ઈતિહાસ ગાંધીજીની આંતરકથામાં અતિમહત્ત્વનો તંતુ હતો. સવિનય કાનૂનભંગની લડત અંગેના ૧૯૩૨-૩૩ના બીજા યરવડાનિવાસ દરમિયાન ૫-૪-૧૯૩૨થી ૧૧-૭-૧૯૩૨ના સમયગાળામાં ગાંધીજીએ આશ્રમના ઇતિહાસનો એક અપૂર્ણ મુસદ્દો તૈયાર કર્યો, જેને તેઓ પાછળથી પૂરો ન કરી શક્યા અને એમના મૃત્યુ પછી તે અપૂર્ણ રૂપે જ પ્રસિદ્ધ થયો. એ લેખમાં ગાંધીજીએ આશ્રમનો ઉદ્દેશ અને તેની પાછળ રહેલી જીવનદૃષ્ટિ તથા વિચારસરણી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશ્રમનો ઉદ્દેશ વ્રતબદ્ધ સામૂહિક જીવન દ્વારા પ્રજાજીવનના ધાર્મિક, આર્થિક, રાજ્યપ્રકરણી, સર્વ ક્ષેત્રોમાં “જે જે દોષો” તેણે “માન્યા તે તે દોષો દૂર કરવાનો” હતો (પૃ. ૯). એ મહત્ત્વાકાંક્ષી ઉદ્દેશની પાછળ વ્યક્તિજીવન ને સમાજજીવનનું એક ક્રાન્તિકારી દર્શન રહેલું હતું. પૂર્વ ને પશ્ચિમ બન્નેમાં મઠ કે સંઘોમાં સામૂહિક ધર્મજીવનના પ્રયોગો થયા છે, પરંતુ તે પ્રયોગોનો ઉદ્દેશ વ્યક્તિ-ઉત્કર્ષનો રહ્યો છે. સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજીએ વ્યક્તિની સાધનાને સમાજની ઉન્નતિનું સાધન બનાવવાનો પ્રયોગ કર્યો. ગાંધીજી માનતા કે “ગુફામાં બેસીને સત્યની શોધ ન થાય” (પૃ. ૧૩). અપૂર્ણ મનુષ્યે બીજાં અપૂર્ણ મનુષ્યોની વચ્ચે રહીને જ સત્યની શેંધ કરવી રહી, અને એમ કરતાં કરતાં એ અપૂર્ણ મનુષ્યોની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો. એ પ્રયોગ કરતાં ગાંધીજીને વ્રતોના પાલનમાં ઠીક ઠીક મૂંઝવણો અનુભવવી પડી હતી, જેમાંની કેટલીક એમણે &#039;સત્યાગ્રહાશ્રમનો ઈતિહાસ’માં વર્ણવી છે. ગાંધીજીના પ્રયોગનું એક ક્રાન્તિકારી અંગ સ્ત્રીપુરુષોના પરસ્પર વ્યવહારને લગતું હતું. સામાન્ય રીતે બ્રહ્મચર્યપાલન માટે સ્ત્રીપુરુષોએ એકબીજાથી અલગ રહેવાનું ઇષ્ટ માનવામાં આવ્યું છે, પરંતુ આશ્રમમાં એવો નિયમ નહોતો રાખવામાં આવ્યો. પરિણામે કેટલાંક સ્ત્રીપુરુષો પડ્યાં હતાં, પરંતુ ગાંધીજીની દૃષ્ટિએ એકંદરે લાભ જ થયો હતો, વિશેષે સ્ત્રીઓને. “બધા પ્રયોગો”, ગાંધીજી લખે છે, “સત્યરૂપ પરમેશ્વરને નામે છે. તે કુંભાર છે, અમે તેના હાથમાં માટીરૂપ છીએ” (પૃ. ૪૩). આ નમ્રતાએ ગાંધીજીને આશ્રમની સર્વ નિષ્ફળતાઓ સ્વીકારી લેવાની શક્તિ આપી અને તેમની અનાસક્તિને શુદ્ધ બનાવી. &lt;br /&gt;
સને ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની લડતમાં આશ્રમે જ્વલંત ફાળો આપ્યો હતો અને ગાંધીજીનો પ્રયોગ સફળતાની ટોચે પહોંચતો જણાયો હતો. પરંતુ ૧૯૩૧ના માર્ચ માસમાં ગાંધી-અરવિન થઈ તે સંધિણે ઉત્પન્ન કરેલી આશા ન ફળી. ઑગસ્ટ માસમાં ગાંધીજી ગોળમેજી પરિષદ માટે લંડન ગયા, અને પરિષદ નિષ્ફળ ગયા પછી ડિસેમ્બરને અંતે તેઓ ભારત પાછા ફર્યા અને થોડા જ દિવસોમાં તેમની ધરપકડ થઈ. સવિનય કાનૂનભંગની લડત ફરી શરૂ થઈ, પરંતુ તે અધૂરી રહી. અસ્પૃશ્યોને અલગ મતદારમંડળો આપવાના બ્રિટિશ સરકારના નિર્ણય સામે ગાંધીજીએ ૧૯૩૨ના સપ્ટેમ્બર માસમાં એમનો પ્રસિદ્ધ ઉપવાસ કર્યો, અને તેનો સફળ અંત આવ્યા પછી તેમણે પોતાની બધી શક્તિ અસ્પૃશ્યતાનિવારણના આંદોલનમાં રોકી. એ આંદોલન અંગે ૧૯૩૩ના ફેબ્રુઆરી માસમાં પ્રથમ અંગ્રેજી &#039;હરિજન&#039;, પછી હિંદી &#039;હરિજનસેવક&#039; તથા માર્ચ માસમાં ગુજરાતી &#039;હરિજનબંધુ&#039; સાપ્તાહિકો શરૂ કર્યાં. મે માસમાં પોતાની ને સહકાર્યકર્તાઓની શુદ્ધિ અર્થે ૨૧ દિવસનો ઉપવાસ કર્યો, જૂન માસમાં સામુદાયિક કાનૂનભંગ બંધ રાખી ઑગસ્ટમાં વ્યક્તિગત કાનૂનભંગ શરૂ કર્યો અને તે અંગે સત્યાગ્રહ આશ્રમ વિખેરી નાખી તેનાં મકાનો સરકારને સોંપી દેવાનો ઇરાદો જાહેર કર્યો. પરંતુ સરકારે તેમનો કબજો ન લીધો એટલે થોડા માસ ઉપર સ્થાપવામાં આવેલા હરિજન સેવક સંઘને તે સોંપી દીધાં. નવેમ્બર માસમાં ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે દેશનો પ્રવાસ શરૂ કર્યો, પ્રવાસ દરમિયાન વ્યક્તિગત કાનૂનભંગ પણ બંધ રાખ્યો અને કૉંગ્રેસના મોટા ભાગના સભ્યોને પોતાના સિદ્ધાંતો ને કાર્યક્રમોમાં શ્રદ્ધા નહિ હોવાનું લાગતાં તેઓ ઑક્ટોબર માસમાં મુંબઈના કૉંગ્રેસ અધિવેશન વેળા કૉંગ્રેસમાંથી છૂટા થયા અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરાવી તેની પ્રવૃત્તિઓ દ્વારા તેમણે અહિંસાનો રચનાત્મક પ્રયોગ આરંભ્યો. એ પ્રયોગમાં તેઓ દેશની નિરક્ષર ગ્રામપ્રજા સાથે એવી આત્મીયતા અનુભવી રહ્યા કે સન ૧૯૩૬ના ઑક્ટોબરની ૩૧મીએ અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી સાહિત્યકારોને મૂક જનતાની સંસ્કારિતાને પોષે એવું સાહિત્ય સર્જવાનો અનુરોધ કરતાં તેમનું હૃદય ભરાઈ આવ્યું અને, મહાદેવ દેસાઈ નોંધે છે, તેઓ ગદ્ગદ બની ગયા. સને ૧૯૩૯ના માર્ચ માસમાં રાજકોટ પ્રકરણે ગાંધીજીની અહિંસાની આકરી કસોટી કરી અને તેને વિશુદ્ધ બનાવી. સપ્ટેમ્બર માસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં અહિંસક પ્રતિકારની રીતમાં ગાંધીજીની શ્રદ્ધા વધુ દૃઢ થઈ, અને બ્રિટિશ પ્રજા પ્રત્યે એમની પૂર્ણ સહાનુભૂતિ હોવા છતાં, પહેલા વિશ્વયુદ્ધ વેળા એમણે કર્યું હતું તેમ, બ્રિટિશ સરકારને યુદ્ધ પ્રયાસમાં મદદ કરવાને બદલે કોઈ પણ શરતે તેમાં સક્રિય સહકાર આપવાનો ઇનકાર કર્યો. જો બ્રિટિશ સરકાર યુદ્ધ પછી ભારતને સ્વતંત્ર કરવાનું વચન આપે ને તાત્કાલિક રાષ્ટ્રીય સરકારની રચના કરે તો કોંગ્રેસે યુદ્ધપ્રયાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી, અને એવું વચન ન મળતાં ગાંધીજીએ પોતાને ને કૉંગ્રેસને માટે યુદ્ધમાં સહકાર આપવાની વિરુદ્ધ પ્રચાર કરવાની સ્વંત્રતતા માગી. તે ન મળતાં તેમણે ૧૯૪૦ના ઑક્ટોબર માસમાં વિનોબા ભાવેને પહેલા સત્યાગ્રહી તરીકે પસંદ કરી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો. &lt;br /&gt;
આ વેળાનો સત્યાગ્રહ ગાંધીજીની અહિંસાનો એક નવો જ પ્રયોગ હતો અને અગાઉની બધી લડતો કરતાં જુદા પ્રકારનો હતો. સરકારને મૂંઝવણમાં મૂકે એવું કોઈ પગલું ભરવાનું નહોતું. ગાંધીજીનો ઉદ્દેશ યુદ્ધની હિંસા અને તેની પાછળ રહેલી શોષણલાલસા વિરુદ્ધ જગતની પ્રજાઓમાં લોકમત કેળવવાનો હતો, અને તે અર્થે મર્યાદિત સંખ્યામાં પસંદ કરેલા સત્યાગ્રહીઓને જ જેલમાં મોકલવાનો હતો. સત્યાગ્રહ સફળ થાય તે માટે દેશમાં અહિંસાનું વાતાવરણ ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ આપ્યો. અસહકાર ને સવિનય કાનૂનભંગની લડતો વેળા પણ ગાંધીજીએ ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એકતા, સ્વદેશી, મદ્યત્યાગ ઇત્યાદિના રચનાત્મક કાર્યક્રમનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ એ લડતોમાં સરકાર વિરુદ્ધનું રાજકીય અઆંદોલન પ્રધાન સ્થાને હતું અને રચનાત્મક કાર્યક્રમ ગૌણ હતો. આ વેળા ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમને મુખ્ય સ્થાન આપ્યું અને પ્રતિકારાત્મક સત્યાગ્રહને ગૌણ બનાવ્યો. વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ થયો તે પહેલાં ઑગસ્ટ માસમાં તેમણે ૧૩ મુદ્દાના એક કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને તેમાં એક વધુ મુદ્દો ઉમેરી ૧૯૪૧ના ડિસેમ્બર માસમાં ૧૪ મુદ્દાના કાર્યક્રમની વિગતે સમજ આપતી &#039;રચનાત્મક કાર્યક્રમ, તેનું રહસ્ય ને સ્થાન&#039; નામની પુસ્તિકા તૈયાર કરી. અને ૧૯૪૫ના નવેમ્બરમાં પુસ્તિકાની સુધારેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ, જેમાં કાર્યક્રમે ૧૮ મુદ્દાનું છેવટનું રૂપ લીધું. &lt;br /&gt;
&#039;રચનાત્મક કાર્યક્રમ&#039;ની પાછળ નૈતિક બળ કે આત્મબળ વિશે ગાંધીજીની એક નવી દૃષ્ટિ રહેલી છે. પહેલાંની લડતોમાં આત્મબળનો પ્રયોગ સત્ય અને અહિંસાની મર્યાદામાં રહી અન્યાયનો પ્રતિકાર કરવામાં રહ્યો હતો, જોકે એવો પ્રયોગ કરનારને સત્યાગ્રહનો અધિકાર કેળવવા માટે આત્મશુદ્ધિની જરૂર સ્વીકારવામાં આવી હતી. રચનાત્મક કાર્યક્રમ એ સર્વાંગી પ્રજાકીય ને રાષ્ટ્રીય આત્મશુદ્ધિનો કાર્યક્રમ હતો, અને ગાંધીજીની શ્રદ્ધા હતી કે એનો સફળ અમલ કરવામાં આવે તો તેમાંથી જે નૈતિક વાતાવરણ સર્જાય તેમાં બ્રિટિશ સરકાર પ્રજાની માગણીની અવગણના કરી શકે જ નહિ. કાર્યક્રમમાં પ્રજાકીય ઐક્યની ભાવનાને પોષતી હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ ને આદિવાસીઓની ઉન્નતિની પ્રવૃત્તિઓ, પ્રજાકીય ને રાષ્ટ્રીય સ્વમાન માટે માતૃભાષા ને રાષ્ટ્રભાષા હિંદીને ઉત્તેજન, મદ્યત્યાગ ને સ્ત્રીઉન્નતિના નૈતિક ને સામાજિક સુધારાઓ, ખાદી, ગ્રામોદ્યોગો ને ટ્રસ્ટીશિપની ભાવનાના પ્રચાર દ્વારા આર્થિક સ્વાતંત્ર્ય ને સમાનતા તરફ પ્રગતિ, ગ્રામસફાઈ, બુનિયાદી તાલીમ ને પ્રૌઢશિક્ષણ દ્વારા ગ્રામજીવનની ઉન્નતિ, કિસાનો ને મજૂરોનું બિનરાજકીય, અહિંસક સંગઠન, રક્તપિત્તના રોગીઓની સેવા, વિદ્યાર્થીઓની જાગૃતિ દ્વારા દેશની યુવાશક્તિનો સદુપયોગ, એવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એનો સફળ અમલ કરી દેશ બ્રિટિશ સરકાર સાથે લડ્યા વિના નવા સમાજની રચના કરી શકે જેને રાજકીય સ્વતંત્રતા આપોઆપ આવી મળે. “...રચનાત્મક કાર્યક્રમ”, આમુખમાં ગાંધીજી લખે છે, “એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. હું એમ કહું કે રચનાત્મક કાર્યક્રમનો પૂર્ણ અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે.” એ કાર્યક્રમનો અમલ કર્યા સિવાય હિંસા દ્વારા કદાચ સ્વરાજ મેળવી શકાય, પરંતુ એ રીતે મેળવેલા સ્વરાજમાં જે પક્ષ વધારેમાં વધારે હિંસક બળનો પ્રયોગ કરી શકે તેનું શાસન રહેવાનું અને “રાષ્ટ્રના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતા” અશક્ય રહેવાની (પૃ. ૮). એવું સ્વરાજ તો રચનાત્મક કાર્યક્રમમાં યોજવામાં આવેલી નિઃસ્વાર્થ સેવાની નૈતિક શક્તિ દ્વારા જ સિદ્ધ થઈ શકે. &lt;br /&gt;
રચનાત્મક સેવા દ્વારા પ્રજાજીવનનું નવસર્જન કરવાના આ કાર્યક્રમને ગાંધીજી વ્યવસ્થિત રીતે અમલમાં ન મૂકી શક્યા. ‘રચનાત્મક કાર્યક્રમ’ની પુસ્તિકા તૈયાર થઈ રહી હતી તે અરસામાં જ જાપાન યુદ્ધમાં જોડાયું અને યુદ્ધનો ભય ભારતની પૂર્વ સરહદ તરફ દોડતો આવતો જણાયો. ગાંધીજી ને કૉંગ્રેસના નેતાઓને લાગ્યું કે બ્રિટિશ સરકારનો કાબૂ ચાલુ રહેશે ત્યાં સુધી ભારતની પ્રજાને જાપાનના આક્રમણનો સામનો કરવાનો જુસ્સો નહિ આવે, અને તેથી તેમણે &#039;હિંદ છોડો&#039;ની લડતની તૈયારી કરી. પરંતુ લડત શરૂ થાય તે પહેલાં જ, ૧૯૪૨ના ઑગસ્ટની ૯મી તારીખે, સરકારે ગાંધીજીને ને કૉંગ્રેસના બીજા નેતાઓને પકડી લીધા. ગાંધીજીને પૂનામાં આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં ૨૭-૮-૧૯૪૨થી ૧૮-૧૨-૧૯૪૨ના શરૂઆતના ચારેક માસ દરમિયાન, તેમણે સને ૧૯૧૩માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ માટે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન&#039;નાં પ્રકરણો લખ્યાં હતાં તેનો સાર આપતી એક નાની પુસ્તિકા તૈયાર કરી, જે એમના મૃત્યુ પછી ‘આરોગ્યની ચાવી&#039; નામથી પ્રસિદ્ધ થઈ. શરીર આત્માનું મંદિર છે અને ધર્મના સાધન તરીકે જ તેનું રક્ષણ કરવું જોઈએ એવી જે નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી તેમણે ‘આરોગ્ય વિષે સામાન્ય જ્ઞાન&#039;નાં પ્રકરણો લખ્યાં તે જ દૃષ્ટિથી આ પુસ્તિકા લખી છે, પરંતુ તેના ગદ્યમાં હવે રાજકીય ઝંઝાવાતોમાં પણ અક્ષુબ્ધ રહેલી અંતરની ઊંડી શાંતિની છાયા છે જે ગાંધીજીના આધ્યાત્મિક વિકાસમાં કોઈ નવી ક્ષિતિજનું સૂચન કરી જાય છે. આકાશ ઉપરના પ્રકરણમાં એ ક્ષિતિજનો સ્પષ્ટ અણસાર મળી રહે છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે સર્વવ્યાપી આકાશ—અવકાશ—ને જ સૃષ્ટિનું ઉપાદાનતત્ત્વ કહ્યું છે; ગાંધીજીની આધ્યાત્મિક દૃષ્ટિએ પણ કોઈ એવા જ સત્યનો અનુભવ કર્યો હોય તેમ જણાય છે. વૈજ્ઞાનિકોએ કલ્પેલું ઈશ્વર તત્ત્વ પણ, તેઓ લખે છે, “જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય” (પૃ. ૫૯). સંપૂર્ણ આરોગ્ય માટે ગાંધીજી આ રહસ્યમય, એકસાથે “સુદૂર અને અદૂર તત્ત્વની” સાથે અનુસંધાનને આવશ્યક ગણે છે : “... જો ઘરબાર વિના કે વસ્ત્રો વિના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધિ અને આત્મા પૂર્ણ રીતે આરોગ્ય ભોગવે.” એ આદર્શને આપણે સંપૂર્ણ રીતે ન પહોંચી શકીએ, પણ “તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતિ ને સંતોષ ભોગવીશું” એને સંપૂર્ણપણે પહોંચવા માટે તો “શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વિષે આપણે તટસ્થ રહીએ” (પૃ. ૬૦). એવાં જે સ્ત્રીપુરુષો રાત્રે “અગણિત તારાઓથી” જડેલા આકાશ સાથે અને નિરંતર ફરતા દેખાતા “તારાઓના ભવ્ય સંઘ” સાથે “અનુસંધાન કરી સૂશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવિત્ર વિચારને સ્થાન નહીં આપે ને શાંત નિદ્રા લેશે” (પૃ. ૬૨). &lt;br /&gt;
પોણા ત્રણ વર્ષના જેલનિવાસ પછી ૧૯૪૪ના મે માસમાં ગાંધીજી છૂટ્યા ત્યારે દેશની સ્થિતિ અત્યંત નિરાશાજનક બની ગઈ હતીઃ કોમી તંગદિલી વધી ગઈ હતી, રાષ્ટ્રીય બળો વેરવિખેર થઈ ગયાં હતાં અને બ્રિટિશ સરકારનું માનસ પહેલાં કરતાં પણ વધુ આપખુદીભર્યું બન્યું દેખાતું હતું. એક વર્ષ પછી યુદ્ધ પૂરું થતાં પરિસ્થિતિ બદલાઈ અને છેવટે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ સ્વરાજ આવ્યું, પરંતુ તે પહેલાં ગાંધીજીના સંવેદનશીલ હૃદયને આઘાત ઉપર આઘાત આપે એવાં કોમી રમખાણોએ ભારતની માનવતાનો ક્રૂર ભોગ લીધો હતો. એ શોકઘેરાં બે-અઢી વર્ષ દરમિયાનની ગાંધીજીની અંતરકથાની ટ્રૅજિડી આપણે કલ્પવી જ રહી. તેની કંઈક ઝાંખી એ સમયનાં પ્રાર્થનાપ્રવચનો ને પત્રો ‘ગાંધીજીનો અક્ષરદેહ&#039;ની ગ્રંથશ્રેણીમાં પ્રસિદ્ધ થશે ત્યારે મળી રહેશે. ચોમેર ચાલી રહેલી રુદ્રલીલાના દર્શને પ્રેરેલી માનવીય વેદના અને નિ:શેષ ઈશ્વરસમર્પણના નિર્મમત્વ વચ્ચેની એ સતત ખેંચમાંથી છેવટે ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મીએ નથુરામ ગોડસેની ગોળીએ ગાંધીજીને મુક્તિ અપાવી. &lt;br /&gt;
“હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?” એ ધૂનથી શરૂ થતી અને ‘રામ રામ !’ના કરુણભવ્ય ઉદ્ગારથી સમાપ્ત થતી ગાંધીજીની આશ્ચર્યમય શ્રેયયાત્રાને આમ પારદર્શક બનાવતું એમનું ગુજરાતી અક્ષરસર્જન ગુજરાતી સાહિત્યનો અને ભારતની પ્રજાનો ચિરંજીવ વારસો બની રહેશે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = ગાંધીજીના મહત્ત્વના ગ્રંથો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E2%80%98%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2&amp;diff=112453</id>
		<title>ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘એકત્ર’નો ગ્રંથગુલાલ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E2%80%98%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E2%80%99%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%97%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2&amp;diff=112453"/>
		<updated>2026-07-06T10:37:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Ekatra}}   &amp;lt;br&amp;gt; {{HeaderNav2 |previous =  |next = પ્રારંભિક }}&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Ekatra}}&lt;br /&gt;
&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = પ્રારંભિક&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80&amp;diff=112452</id>
		<title>ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AA%BE%E0%AA%82%E0%AA%A7%E0%AB%80%E0%AA%9C%E0%AB%80_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80&amp;diff=112452"/>
		<updated>2026-07-06T10:32:50Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{#seo: |title_mode= replace |title= ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી - Ekatra Foundation |keywords= ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ચી. ના. પટેલ |description=This is home page for this wiki |image=  |image_alt=Wiki Logo |site_name=Ekatra Foundation |locale=gu-IN |type=website |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી - Ekatra Foundation&lt;br /&gt;
|keywords= ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી, ચી. ના. પટેલ&lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= &lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|title = ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી&lt;br /&gt;
|author = ચી. ના. પટેલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંપાદકીય|સંપાદકીય]]&lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગાંધીજી|ગાંધીજી]]&lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ગાંધીજીના મહત્ત્વના ગ્રંથો|ગાંધીજીના મહત્ત્વના ગ્રંથો]]&lt;br /&gt;
* [[ગાંધીજી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભ સૂચિ|સંદર્ભ સૂચિ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = &lt;br /&gt;
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112451</id>
		<title>રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112451"/>
		<updated>2026-07-06T10:14:57Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;યુગમૂર્તિ વાર્તાકાર&#039; શ્રી રમણલાલ વ. દેસાઈએ એમના &#039;જમાનાની&#039; એ જમાનામાંની સાહિત્ય અને સાહિત્યવિવેચનની જાણકારીની, રમણલાલની પોતાના વ્યક્તિત્વની અને સર્જકતાની જે કંઈ મર્યાદાઓ હતી તેની વચ્ચે રહીને પોતાની જાતનો કેવોક હિસાબ આપ્યો છે&#039; (પૃ. ૬૬) એ તપાસવાનો તાટસ્થ્યથી અને વિવેકપૂર્ણ રીતે પ્રયાસ કરતા આ પુસ્તકમાં લેખકે શ્રી ર. વ. દેસાઈનાં કવિ, આત્મકથાકાર, ચિંતક, નિબંધકાર, નાટ્યકાર, વાર્તાકાર આદિ તરીકેનાં અલ્પપરિચિત પાસાંઓનો પુસ્તકનાં ત્રીસ પાનાંમાં સંક્ષેપમાં છતાં વિશદતાથી પરિચય કરાવી બાકીના ભાગમાં એમના લોકપ્રિય પાસાનો વિગતે પરિચય આપ્યો છે. &amp;quot;રમણલાલને માત્ર ઇતિહાસનું પુનઃકથન કરવામાં જ રસ નથી, તેમને રસ છે પોતાની દૃષ્ટિએ ઇતિહાસનું પુનર્નિર્માણ કરવામાં&amp;quot; એમ કહી લેખકે એમની ઐતિહાસિક નવલકથાઓની આપણા વિવેચને કરેલી ઉપેક્ષા તરફ યોગ્ય રીતે ધ્યાન ખેંચ્યું છે. એમની સામાજિક નવલકથાઓમાં આવી જતી એકવિધતા અને એમની મર્યાદાઓ દર્શાવીને લેખકે &#039;પૂર્ણિમા&#039; અને &#039;દિવ્યચક્ષુ&#039;ની વિશેષતાઓ ૫ણ સ્પષ્ટ કરી એમનું ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. એમની સામાજિક નવલકથાઓના બે તબક્કાઓની ભેદરેખા લેખકે સંક્ષિપ્તમાં સ્પષ્ટ રીતે દોરી બતાવી છે. ટૂંકમાં સમસામયિકતા એ રમણલાલના સાહિત્યની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા અને સૌથી મોટી મર્યાદા કઈ રીતે બને છે એ અભ્યાસી વિવેચકે મિતાક્ષરી છતાં સરળ અને રોચક શૈલીમાં સમર્થ રીતે સ્થાપિત કર્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– બહાદુરશાહ પંડિત&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;&#039;ગ્રંથ&#039;, ડિસેમ્બર 1980, પૃ. ૪૮}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સર્જક-પરિચય&lt;br /&gt;
|next = રમણલાલ વ. દેસાઈ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112450</id>
		<title>રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112450"/>
		<updated>2026-07-06T10:14:32Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;યુગમૂર્તિ વાર્તાકાર&#039; શ્રી રમણલાલ વ. દેસાઈએ એમના &#039;જમાનાની&#039; એ જમાનામાંની સાહિત્ય અને સાહિત્યવિવેચનની જાણકારીની, રમણલાલની પોતાના વ્યક્તિત્વની અને સર્જકતાની જે કંઈ મર્યાદાઓ હતી તેની વચ્ચે રહીને પોતાની જાતનો કેવોક હિસાબ આપ્યો છે&#039; (પૃ. ૬૬) એ તપાસવાનો તાટસ્થ્યથી અને વિવેકપૂર્ણ રીતે પ્રયાસ કરતા આ પુસ્તકમાં લેખકે શ્રી ર. વ. દેસાઈનાં કવિ, આત્મકથાકાર, ચિંતક, નિબંધકાર, નાટ્યકાર, વાર્તાકાર આદિ તરીકેનાં અલ્પપરિચિત પાસાંઓનો પુસ્તકનાં ત્રીસ પાનાંમાં સંક્ષેપમાં છતાં વિશદતાથી પરિચય કરાવી બાકીના ભાગમાં એમના લોકપ્રિય પાસાનો વિગતે પરિચય આપ્યો છે. &amp;quot;રમણલાલને માત્ર ઇતિહાસનું પુનઃકથન કરવામાં જ રસ નથી, તેમને રસ છે પોતાની દૃષ્ટિએ ઇતિહાસનું પુનર્નિર્માણ કરવામાં&amp;quot; એમ કહી લેખકે એમની ઐતિહાસિક નવલકથાઓની આપણા વિવેચને કરેલી ઉપેક્ષા તરફ યોગ્ય રીતે ધ્યાન ખેંચ્યું છે. એમની સામાજિક નવલકથાઓમાં આવી જતી એકવિધતા અને એમની મર્યાદાઓ દર્શાવીને લેખકે &#039;પૂર્ણિમા&#039; અને &#039;દિવ્યચક્ષુ&#039;ની વિશેષતાઓ ૫ણ સ્પષ્ટ કરી એમનું ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. એમની સામાજિક નવલકથાઓના બે તબક્કાઓની ભેદરેખા લેખકે સંક્ષિપ્તમાં સ્પષ્ટ રીતે દોરી બતાવી છે. ટૂંકમાં સમસામયિકતા એ રમણલાલના સાહિત્યની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા અને સૌથી મોટી મર્યાદા કઈ રીતે બને છે એ અભ્યાસી વિવેચકે મિતાક્ષરી છતાં સરળ અને રોચક શૈલીમાં સમર્થ રીતે સ્થાપિત કર્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– બહાદુરશાહ પંડિત&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;&#039;ગ્રંથ&#039;, ડિસેમ્બર 1980, પૃ. ૪૮}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સર્જક-પરિચય&lt;br /&gt;
|next = રમણલાલ વ. દેસાઈ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112449</id>
		<title>રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%B5._%E0%AA%A6%E0%AB%87%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88_:_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AA%82%E0%AA%A5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%A3%E0%AB%80/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112449"/>
		<updated>2026-07-06T10:13:29Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} &amp;#039;યુગમૂર્તિ વાર્તાકાર&amp;#039; શ્રી રમણલાલ વ. દેસાઈ એ એમના &amp;#039;જમાનાની&amp;#039; એ જમાનામાંની સાહિત્ય અને સાહિત્યવિવેચનની જાણકારીની, રમણલાલની પોતાના વ્યક્તિત્વની અને સર્જકતા...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&#039;યુગમૂર્તિ વાર્તાકાર&#039; શ્રી રમણલાલ વ. દેસાઈ એ એમના &#039;જમાનાની&#039; એ જમાનામાંની સાહિત્ય અને સાહિત્યવિવેચનની જાણકારીની, રમણલાલની પોતાના વ્યક્તિત્વની અને સર્જકતાની જે કંઈ મર્યાદાઓ હતી તેની વચ્ચે રહીને પોતાની જાતનો કેવોક હિસાબ આપ્યો છે&#039; (પૃ. ૬૬) એ તપાસવાનો તાટસ્થ્યથી અને વિવેકપૂર્ણ રીતે પ્રયાસ કરતા આ પુસ્તકમાં લેખકે શ્રી ર. વ. દેસાઈનાં કવિ, આત્મકથાકાર, ચિંતક, નિબંધકાર, નાટ્યકાર, વાર્તાકાર આદિ તરીકેનાં અલ્પપરિચિત પાસાંઓનો પુસ્તકનાં ત્રીસ પાનાંમાં સંક્ષેપમાં છતાં વિશદતાથી પરિચય કરાવી બાકીના ભાગમાં એમના લોકપ્રિય પાસાનો વિગતે પરિચય આપ્યો છે. &amp;quot;રમણલાલને માત્ર ઇતિહાસનું પુનઃકથન કરવામાં જ રસ નથી, તેમને રસ છે પોતાની દૃષ્ટિએ ઇતિહાસનું પુનર્નિર્માણ કરવામાં&amp;quot; એમ કહી લેખકે એમની ઐતિહાસિક નવલકથાઓની આપણા વિવેચને કરેલી ઉપેક્ષા તરફ યોગ્ય રીતે ધ્યાન ખેંચ્યું છે. એમની સામાજિક નવલકથાઓમાં આવી જતી એકવિધતા અને એમની મર્યાદાઓ દર્શાવીને લેખકે &#039;પૂર્ણિમા&#039; અને &#039;દિવ્યચક્ષુ&#039;ની વિશેષતાઓ ૫ણ સ્પષ્ટ કરી એમનું ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે. એમની સામાજિક નવલકથાઓના બે તબક્કાઓની ભેદરેખા લેખકે સંક્ષિપ્તમાં સ્પષ્ટ રીતે દોરી બતાવી છે. ટૂંકમાં સમસામયિકતા એ રમણલાલના સાહિત્યની સૌથી મહત્ત્વની લાક્ષણિકતા અને સૌથી મોટી મર્યાદા કઈ રીતે બને છે એ અભ્યાસી વિવેચકે મિતાક્ષરી છતાં સરળ અને રોચક શૈલીમાં સમર્થ રીતે સ્થાપિત કર્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– બહાદુરશાહ પંડિત&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;&#039;ગ્રંથ&#039;, ડિસેમ્બર 1980, પૃ. ૪૮}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સર્જક-પરિચય&lt;br /&gt;
|next = રમણલાલ વ. દેસાઈ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=User:Meghdhanu/%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=112448</id>
		<title>User:Meghdhanu/પૂર્ણ થયેલા પુસ્તકોની સૂચિ</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=User:Meghdhanu/%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A3_%E0%AA%A5%E0%AA%AF%E0%AB%87%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF&amp;diff=112448"/>
		<updated>2026-07-06T09:34:27Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: /* અપૂર્ણ પુસ્તકો */&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;=૨૦૨૪=&lt;br /&gt;
==ઑગસ્ટ ૨૦૨૪ ==&lt;br /&gt;
* ૧૦-૦૮-૨૦૨૪ = [[યોગેશ_જોષીની_શ્રેષ્ઠ_વાર્તાઓ]] - Catalogued&lt;br /&gt;
* ૧૧-૦૮-૨૦૨૪ = [[બાંધણી]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૩-૦૮-૨૦૨૪ = [[ગુજરાતી_બાળવાર્તા_સંપદા]] - Catalogued&lt;br /&gt;
* ૧૪-૦૮-૨૦૨૪ = [[ઈશ્વર_પેટલીકર_:_ગુજરાતી_ગ્રંથકાર_શ્રેણી]] - Catalogued&lt;br /&gt;
* ૧૫-૦૮-૨-૨૪ = [[ખબરદાર_:_ગુજરાતી_ગ્રંથકાર_શ્રેણી]]  - Catalogued  - {{Color|red|Cover Required }}&lt;br /&gt;
* ૧૮-૦૮-૨૦૨૪ = [[રમણીક_અગ્રાવતની_કવિતા]]  - Catalogued&lt;br /&gt;
*૨૦-૦૮-૨૦૨૪ = [[ગુજરાતી અંગત નિબંધો]]  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
*૨૧-૦૮-૨૦૨૪ = [[રમણીક_સોમેશ્વરની_કવિતા]]  - Catalogued&lt;br /&gt;
*૨૩-૦૮-૨૦૨૪ = [[પન્ના_નાયકની_કવિતા]]  - Catalogued&lt;br /&gt;
*૨૬-૦૮-૨૦૨૪ = [[રાજેન્દ્ર_પટેલની_કવિતા]]  - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==સપ્ટેમ્બર ૨૦૨૪==&lt;br /&gt;
*૦૧-૦૯-૨૦૨૪ = [[ભારતીય કાવ્યસિદ્ધાંત‎‎]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
*૧૧-૦૯-૨૦૨૪ =  [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું]] ??????&lt;br /&gt;
*૨૨-૦૯-૨૦૨૪ =  [[નારીસંપદા : ટૂંકી વાર્તા]] - Catalogued&lt;br /&gt;
*૨૩-૦૯-૨૦૨૪ =  [[અસ્તિ]]  - Catalogued&lt;br /&gt;
*૨૫-૦૯-૨૦૨૪ = [[નિરંજન ભગત : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]] - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==ઑક્ટોબર ૨૦૨૪==&lt;br /&gt;
&lt;br /&gt;
* ૧૧-૧૦-૨૦૨૪ =  [[સંચયન-૬૩]] - Not required ??&lt;br /&gt;
* ૧૧-૧૦-૨૦૨૪ =  [[ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૧-૧૦-૨૦૨૪ =  [[રણ તો રેશમ રેશમ]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૮-૧૦-૨૦૨૪ = [[કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૮-૧૦-૨૦૨૪ = [[નારીસંપદા : ટૂંકી વાર્તા]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૯-૧૦-૨૦૨૪ = [[આપણો ઘડીક સંગ]] - Catalogued&lt;br /&gt;
* ૨૫-૧૦-૨૦૨૪ = [[અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]] - Catalogued  - {{Color|red|Cover Required }}&lt;br /&gt;
* ૨૫-૧૦-૨૦૨૪ = [[કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]] - Catalogued&lt;br /&gt;
* ૩૦-૧૦-૨૦૨૪ = [[રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]] - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==નવેમ્બર ૨૦૨૪==&lt;br /&gt;
&lt;br /&gt;
* ૦૨-૧૧-૨૦૨૪ =  [[વાર્તાનું શાસ્ત્ર]] - Catalogued&lt;br /&gt;
* &amp;lt;strike&amp;gt;૧૨-૧૧-૨૦૨૪ = [[કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ]]&amp;lt;/strike&amp;gt;  (Deleted)&lt;br /&gt;
* ૧૪-૧૧-૨૦૨૪ = [[કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ]] - Catalogued&lt;br /&gt;
* ૧૭-૧૧-૨૦૨૪ = [[એકાંકી અને ગુજરાતી એકાંકી]] - Catalogued&lt;br /&gt;
* ૨૦-૧૧-૨૦૨૪ = [[કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ]] - (Recreated) - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==ડિસેમ્બર ૨૦૨૪==&lt;br /&gt;
* ૦૮-૧૨-૨૦૨૪ = [[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
&lt;br /&gt;
=૨૦૨૫=&lt;br /&gt;
==જાન્યુઆરી ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૨-૦૧-૨૦૨૫ = [[ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૮-૦૧-૨૦૨૫ =  [[સંચયન-૬૪]] -Not needed ?&lt;br /&gt;
* ૧૦-૦૧-૨૦૨૫ =  [[ગુજરાતી સૉનેટકાવ્યો]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૪-૦૧-૨૦૨૫ =   [[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૬-૦૧-૨૦૨૫ = [[સોનાનાં વૃક્ષો]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
&lt;br /&gt;
==ફેબ્રુઆરી ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૨-૦૨-૨૦૨૫ = [[મંગલમ્]] - Catalogued&lt;br /&gt;
* ૦૨-૦૨-૨૦૨૫ = [[કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ]] - Catalogued&lt;br /&gt;
* ૦૯-૦૨-૨૦૨૫ = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું]] -- After Completion of All Volumes&lt;br /&gt;
* ૨૫-૦૨-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૫-૦૨-૨૦૨૫ = [[બાળ કાવ્ય સંપદા]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
&lt;br /&gt;
==માર્ચ ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૯-૦૩-૨૦૨૫ = [[પરમ સમીપે]] - Catalogued&lt;br /&gt;
* ૧૦-૦૩-૨૦૨૫ = [[ગિરીશ ભટ્ટની વાર્તાઓ]] - Catalogued&lt;br /&gt;
* ૧૦-૦૩-૨૦૨૫ = [[રામચન્દ્ર પટેલની કવિતા]] - Catalogued&lt;br /&gt;
* ૧૧-૦૩-૨૦૨૫ = [[વિભાવના]] Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૧-૦૩-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત]]  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૮-૦૩-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ_ભટ્ટ]]  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૩૦-૦૩-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ_દ્વિવેદી]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
&lt;br /&gt;
==એપ્રિલ ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૨-૦૪-૨૦૨૫ = [[સંચયન-૬૫‎‎]] --Not needed ?&lt;br /&gt;
* ૦૬-૦૪-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૯-૦૪-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૦-૦૪-૨૦૨૫ = [[પન્ના નાયકનો વાર્તાવૈભવ]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૩-૦૪-૨૦૨૫ = [[હયાતી]] - હરીન્દ્ર દવે  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૪-૦૪-૨૦૨૫ = [[બાબુ સુથારની કવિતા]] - Catalogued&lt;br /&gt;
* ૧૮-૦૪-૨૦૨૫ = [[અનુબોધ]] - પ્રમોદકુમાર પટેલ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૧-૦૪-૨૦૨૫ = [[સાહિત્યિક તથ્યોની માવજત]] - જયંત કોઠારી  - Catalogued&lt;br /&gt;
* ૨૫-૦૪-૨૦૨૫ = [[કવિલોકમાં]] - જયંત કોઠારી  - Catalogued&lt;br /&gt;
* ૨૫-૦૪-૨૦૨૫ = [[અનુષંગ]] - જયંત કોઠારી    - Catalogued&lt;br /&gt;
* ૨૫-૦૪-૨૦૨૫ = [[પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા]] - જયંત કોઠારી  - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==મે ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૩-૦૫-૨૦૨૫ =  [[દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો]] - કમલ વોરા - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૯-૦૫-૨૦૨૫ = [[ધ્વનિ]] - રાજેન્દ્ર શાહ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૬-૦૫-૨૦૨૫ = [[બરફનાં પંખી]] - અનિલ જોશી  - Catalogued&lt;br /&gt;
* ૧૬-૦૫-૨૦૨૫ = [[મર્મર]] - જયન્ત પાઠક  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૦-૦૫-૨૦૨૫ = [[કથાલોક]] - ચુનીલાલ મડિયા  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૦-૦૫-૨૦૨૫ = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૨-૦૫-૨૦૨૫ = [[ધૂળમાંની પગલીઓ]] - ચંદ્રકાન્ત શેઠ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૨-૦૫-૨૦૨૫ = [[પ્રતીતિ]] - પ્રમોદકુમાર પટેલ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૫-૦૫-૨૦૨૫ = [[ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર]] - પ્રમોદકુમાર પટેલ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૬-૦૫-૨૦૨૫ = [[ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ]] - પ્રમોદકુમાર પટેલ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૯-૦૫-૨૦૨૫ =  [[ભજનરસ]] - મકરન્દ દવે (મેઘા) - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૩૧-૦૫-૨૦૨૫ = [[શેક્‌સ્પિયર]] - સન્તપ્રસાદ ભટ્ટ - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
&lt;br /&gt;
==જૂન ૨૦૨૫==&lt;br /&gt;
* &amp;lt;strike&amp;gt;૦૨-૦૬-૨૦૨૫ =  [[નાટક વિશે]] - નાટક વિશે - Catalogued&amp;lt;/strike&amp;gt; Removed ([[User:Meghdhanu/નાટક વિશે|sandbox link]])&lt;br /&gt;
* ૦૫-૦૬-૨૦૨૫ =  [[વીક્ષા અને નિરીક્ષા]] - નગીનદાસ પારેખ - Catalogued&lt;br /&gt;
* ૦૯-૦૬-૨૦૨૫ =  [[વિચારની_વસાહતો]] -ભદ્રાયુ વછરાજાની - Catalogued&lt;br /&gt;
* ૧૦-૦૬-૨૦૨૫ = [[અરૂપસાગરે રૂપરતન]] અરૂપસાગરે રૂપરતન — યજ્ઞેશ દવે - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==જુલાઈ ૨૦૨૫==&lt;br /&gt;
* ૧૫-૦૭-૨૦૨૫ = [[નારીવાદ: પુનર્વિચાર]]   - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૧૭-૦૭-૨૦૨૫ = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ]]  - Catalogued&lt;br /&gt;
* ૧૮-૦૭-૨૦૨૫ = [[પોત્તાનો ઓરડો]]  - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૨૨-૦૭-૨૦૨૫ = [[હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
&lt;br /&gt;
==ઑગસ્ટ ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૧-૦૮-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા‎‎]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૩-૦૮-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ]] - Catalogued &lt;br /&gt;
* ૦૪-૦૮-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૮-૦૮-૨૦૨૫ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની]] - Catalogued&lt;br /&gt;
* ૧૮-૦૮-૨૦૨૫ = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ]] - Catalogued&lt;br /&gt;
* ૨૪-૦૮-૨૦૨૫ = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧]] - Catalogued&lt;br /&gt;
* ૨૭-૦૮-૨૦૨૫ = [[લઘુ સિદ્ધાન્તવહી]] - Catalogued &lt;br /&gt;
&lt;br /&gt;
==સપ્ટેમ્બર ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૧-૦૯-૨૦૨૫ = [[શબ્દલોકના યાત્રીઓ – ૧‎‎]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૩-૦૯-૨૦૨૫ = [[શબ્દલોકના યાત્રીઓ – ૨]] - Catalogued (&#039;&#039;&#039;announced&#039;&#039;&#039;)&lt;br /&gt;
* ૦૪-૦૯-૨૦૨૫ = [[કથાવિચાર]] — પ્રમોદકુમાર પટેલ - Catalogued &lt;br /&gt;
* ૦૯-૦૯-૨૦૨૫ = [[કળા, સાહિત્ય અને વિવેચન]] — પ્રમોદકુમાર પટેલ - Catalogued &lt;br /&gt;
* ૧૦-૦૯-૨૦૨૫ = [[પન્નાલાલ પટેલ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]] — પ્રમોદકુમાર પટેલ - Catalogued &lt;br /&gt;
* ૧૧-૦૯-૨૦૨૫ = [[શબ્દલોક]] — પ્રમોદકુમાર પટેલ - Catalogued &lt;br /&gt;
* ૧૬-૦૯-૨૦૨૫ = [[વિવેચનની પ્રક્રિયા]] — પ્રમોદકુમાર પટેલ - Catalogued &lt;br /&gt;
&lt;br /&gt;
==ઑક્ટોબર ૨૦૨૫==&lt;br /&gt;
* ૦૩-૧૦-૨૦૨૫ = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨]] - Catalogued  &lt;br /&gt;
* ૦૩-૧૦-૨૦૨૫ = [[વાર્તાકાર હેમાંગિની રાનડે]] - Catalogued  &lt;br /&gt;
*૧૨-૧૦-૨૦૨૫ = [[બે હજાર ચોવીસ સમક્ષ]] - Catalogued  &lt;br /&gt;
*૧૮-૧૦-૨૦૨૫ = [[‘પ્રત્યક્ષ’_પત્રસેતુ]] - Catalogued   - {{Color|red|કૃતિ પરિચય Required }}&lt;br /&gt;
*૨૭-૧૦-૨૦૨૫ = [[અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો]] - Catalogued   - {{Color|red|Cover, કૃતિ પરિચય, સર્જક પરિચય Required }}&lt;br /&gt;
*૨૯-૧૦-૨૦૨૫ = [[મિથ્યાભિમાન]] - Catalogued&lt;br /&gt;
&lt;br /&gt;
==નવેમ્બર ૨૦૨૫==&lt;br /&gt;
*૦૪-૧૧-૨૦૨૫ = [[નર્મદ-દર્શન]] - Catalogued  {{Color|red|કૃતિ પરિચય, સર્જક પરિચય Required }}&lt;br /&gt;
*૧૪-૧૧-૨૦૨૫ = [[ભરત વિંઝુડાની ગઝલસંપદા]] - Catalogued  {{Color|red|Cover Required }}&lt;br /&gt;
*૧૫-૧૧-૨૦૨૫ = [[વિવેચનની ભૂમિકા]] - Catalogued &lt;br /&gt;
*૨૨-૧૧-૨૦૨૫ =[[આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ]]- Catalogued {{Color|red|કૃતિ પરિચય, સર્જક પરિચય Required }}&lt;br /&gt;
*૨૨-૧૧-૨૦૨૫ =[[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું]]- [[to be Catalogued when all parts are done]]&lt;br /&gt;
*૨૭-૧૧-૨૦૨૫ =[[અનુભાવન]] - Catalogued&lt;br /&gt;
*૨૯-૧૧-૨૦૨૫ =[[કથાવિવેચન પ્રતિ]] - Catalogued,&lt;br /&gt;
&lt;br /&gt;
==ડિસેમ્બર ૨૦૨૫==&lt;br /&gt;
*૦૩-૧૨-૨૦૨૫ =[[વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ]] - Catalogued {{Color|red|કૃતિ પરિચય Required }}&lt;br /&gt;
*૨૬-૧૨-૨૦૨૫ =[[ગુજરાતી_ટૂંકી_વાર્તાનો_ઇતિહાસ_:_વહેણો_અને_વળાંકો]]- ખંડ ૨ ને મૂળ કૃતિ સાથે મર્જ કરી. &lt;br /&gt;
*૨૮-૧૨-૨૦૨૫ = [[સફરના સાથી]] - Catalogued &lt;br /&gt;
*૩૦-૧૨-૨૦૨૫ = [[બાબુ સુથારની કવિતા]] - Catalogued &lt;br /&gt;
=૨૦૨૬=&lt;br /&gt;
==જાન્યુઆરી ૨૦૨૬==&lt;br /&gt;
*૦૫-૦૧-૨૦૨૬ = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩]]  [[to be Catalogued when all parts are done]]&lt;br /&gt;
*૧૩-૦૧-૨૦૨૬ = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪]]  [[to be Catalogued when all parts are done]]&lt;br /&gt;
*૧૮-૦૧-૨૦૨૬ =[[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ]] - Catalogued, કૃતિ પરિચય required&lt;br /&gt;
*૧૯-૦૧-૨૦૨૬ =[[સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ]] - Catalogued, {{Color|red|Book Cover Required}}&lt;br /&gt;
*૧૯-૦૧-૨૦૨૬ =[[વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો]] - Catalogued, સર્જક-પરિચય, કૃતિ-પરિચય required&lt;br /&gt;
*૩૧-૦૧-૨૦૨૬ =[[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭]] - Catalogued [[to be Catalogued when all parts are done]]&lt;br /&gt;
&lt;br /&gt;
==ફેબ્રુઆરી ૨૦૨૬==&lt;br /&gt;
*૦૩-૦૨-૨૦૨૬ = [[ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૮]]  [[to be Catalogued when all parts are done]]&lt;br /&gt;
*૦૩-૦૨-૨૦૨૬ = [[રસસિદ્ધાંત—એક પરિચય]]   - Catalogued &lt;br /&gt;
*૦૫-૦૨-૨૦૨૬ = [[સંકેતવિસ્તાર]]   - Catalogued &lt;br /&gt;
*૧૧-૦૨-૨૦૨૬ = [[સમગ્રમાંથી_સઘન-વિવેચનશ્રેણી_–_રામપ્રસાદ_બક્ષી]]      - Catalogued &lt;br /&gt;
*૧૧-૦૨-૨૦૨૬ = [[ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)]]    સર્જક-પરિચય - કૃતિ-પરિચય required   - Catalogued &lt;br /&gt;
*૨૧-૦૨-૨૦૨૬ = [[ધીરેન્દ્ર મહેતાની કવિતા]]    સંપાદન વિષે required {{Color|red|Book Cover Required}}   - Catalogued &lt;br /&gt;
&lt;br /&gt;
==માર્ચ ૨૦૨૬==&lt;br /&gt;
*૦૨-૦૩-૨૦૨૬ = [[નયન હ. દેસાઈની કાવ્યસંપદા]]    સંપાદન વિષે required {{Color|red|Book Cover Required}}   - Catalogued &lt;br /&gt;
*૦૨-૦૩-૨૦૨૬ = [[ચિત્તવિચારસંવાદ]]   સર્જક-પરિચય - કૃતિ-પરિચય required  Catalogued &lt;br /&gt;
*૧૨-૦૩-૨૦૨૬ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક]]  Catalogued &lt;br /&gt;
*૧૨-૦૩-૨૦૨૬ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા]]  Catalogued &lt;br /&gt;
*૧૮-૦૩-૨૦૨૬ = [[આચમની]]  Catalogued &lt;br /&gt;
*૨૫-૦૩-૨૦૨૬ = [[સંચયન-૧૧]]  Catalogued &lt;br /&gt;
*૨૭-૦૩-૨૦૨૬ = [[સાહિત્ય પલ્લવ – ભાગ ૧]]  {{Color|red| કૃતિ-પરિચય Required}} &lt;br /&gt;
&lt;br /&gt;
==એપ્રિલ ૨૦૨૬==&lt;br /&gt;
*૦૫-૦૪-૨૦૨૬ = [[સાહિત્યિક સંરસન — ૪]] &lt;br /&gt;
*૦૭-૦૪-૨૦૨૬ = [[સાહિત્ય પલ્લવ – ભાગ ૨]]  {{Color|red| કૃતિ-પરિચય Required}} &lt;br /&gt;
*૦૮-૦૪-૨૦૨૬ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ]]  {{Color|red| બુક કવર અને આ સંપાદન વિષે Required}} &lt;br /&gt;
*૧૩-૦૪-૨૦૨૬ = [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી]]&lt;br /&gt;
*૧૯-૦૪-૨૦૨૬ = [[સાહિત્ય પલ્લવ – ભાગ ૩]]&lt;br /&gt;
*૨૫-૦૪-૨૦૨૬ = [[ગુજરાતી નારીસંપદા : કવિતા]] {{Color|red| બુક કવર Required}} &lt;br /&gt;
*૨૭-૦૪-૨૦૨૬ = [[દરિયાપારથી]] {{Color|red| કૃતિ-પરિચય Required}} &lt;br /&gt;
*૨૮-૦૪-૨૦૨૬ = [[માટીનો મહેકતો સાદ]] {{Color|red| કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
&lt;br /&gt;
==મે ૨૦૨૬==&lt;br /&gt;
(Data Migration in first week)&lt;br /&gt;
*૧૩-૦૫-૨૦૨૬ = [[નારીસંપદાઃ વિવેચન]] {{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
*૨૧-૦૫-૨૦૨૬ = [[ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ]] {{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
*૨૨-૦૫-૨૦૨૬ = [[માડી મને સાંભરે રે]] &lt;br /&gt;
*૨૪-૦૫-૨૦૨૬ = [[ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ]] {{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
*૨૫-૦૫-૨૦૨૬ = [[ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ]]{{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
*૨૭-૦૫-૨૦૨૬ = [[બહુરંગી]]{{Color|red| કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
*૩૧-૦૫-૨૦૨૬ = [[રણજિતરામ_ગદ્યસંચય_–_૧]]&lt;br /&gt;
&lt;br /&gt;
==જૂન ૨૦૨૬==&lt;br /&gt;
*૦૯-૦૬-૨૦૨૬ = [[રણજિતરામ ગદ્યસંચય – ૨]] {{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
* ૨૧-૦૬-૨૦૨૬ = [[ભાષાવિજ્ઞાન]] {{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
* ૨૫-૦૬-૨૦૨૬ = [[સરળ અલંકાર-વિવેચન]] {{Color|red| સર્જક-પરિચય કૃતિ-પરિચય Required}}&lt;br /&gt;
&lt;br /&gt;
==જુલાઈ ૨૦૨૬==&lt;br /&gt;
* 4-7-2026 = [[રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી]]&lt;br /&gt;
{{dhr}}&lt;br /&gt;
&lt;br /&gt;
=અપૂર્ણ પુસ્તકો=&lt;br /&gt;
# &#039;&#039;&#039;ગુજરાતી ગ્રંથકાર શ્રેણી&#039;&#039;&#039;&lt;br /&gt;
## સમયસુંદર&lt;br /&gt;
## નવલરામ&lt;br /&gt;
## નાનાલાલ&lt;br /&gt;
##ગાંધીજી&lt;br /&gt;
# મધ્યકાલીન શબ્દકોષ&lt;br /&gt;
# પરબ સૂચિ&lt;br /&gt;
# પન્ના નાયક કવિતાની ઑડિયો બુક ? &lt;br /&gt;
# દક્ષિણાયન — સુન્દરમ્ (તન્મય)&lt;br /&gt;
# સાફલ્યટાણું — ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ)&lt;br /&gt;
# ઈતિહાસ અને સાહિત્ય — ભોગીલાલ સાંડેસરા&lt;br /&gt;
# ખંડકાવ્ય — ચિનુ મોદી&lt;br /&gt;
[[Category:Categories on EkatraWiki]]&lt;br /&gt;
# ગ્રંથ અને ગ્રાંથકાર ભાગ ૧ - table format of books below author&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=112447</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/પ્રારંભિક</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%AD%E0%AA%BF%E0%AA%95&amp;diff=112447"/>
		<updated>2026-07-06T06:30:40Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;તરુરાગ અને નદીસૂક્ત&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;જયન્ત પાઠક&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;રન્નાદે પ્રકાશન&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
&#039;&#039;&#039;TARURAG ANE NADISUKTA :&#039;&#039;&#039;&lt;br /&gt;
Essays in gujarati by Jayant Pathak&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{|style=&amp;quot;border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;&amp;quot;&lt;br /&gt;
| {{gap|2em}}&amp;lt;big&amp;gt;©&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
| :&lt;br /&gt;
| જયન્ત પાઠક&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્રથમ આવૃત્તિ&lt;br /&gt;
| :&lt;br /&gt;
|ડિસેમ્બર ૧૯૯૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| આવરણ&lt;br /&gt;
| :&lt;br /&gt;
|લલિત લાડ&lt;br /&gt;
|-&lt;br /&gt;
| આયોજક&lt;br /&gt;
| :&lt;br /&gt;
|જયેશ મોદી&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ટાઈપસેટિંગ&lt;br /&gt;
| :&lt;br /&gt;
|‘લેખિત’ લેસર ટાઈપસેટિંગ&amp;lt;br&amp;gt;૧૦, રૂપમાધુરી સોસાયટી, યોગા નર્સરી નજીક&amp;lt;br&amp;gt;માણેકબાગ, અમદાવાદ-૩૮૦ ૦૧૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મુદ્રક&lt;br /&gt;
| :&lt;br /&gt;
| શિવકૃપા ઓફસેટ&amp;lt;br&amp;gt;૨૭, અમૃત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ,&amp;lt;br&amp;gt;દૂધેશ્વર પાણીની ટાંકી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૦૪&lt;br /&gt;
|-&lt;br /&gt;
| પ્રકાશક&lt;br /&gt;
| :&lt;br /&gt;
| હંમેશ મોદી&amp;lt;br&amp;gt;&#039;&#039;&#039;રન્નાદે પ્રકાશન&#039;&#039;&#039;&amp;lt;br&amp;gt;૫૮/૨, જૈન દેરાસર સામે&amp;lt;br&amp;gt;ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧&lt;br /&gt;
|-&lt;br /&gt;
| ફોન&lt;br /&gt;
| :&lt;br /&gt;
| (ઓ.) ૨૧૧૦૦૮૧ (ઘર) ૬૭૪૬૩૬૫&lt;br /&gt;
|-&lt;br /&gt;
| મૂલ્ય&lt;br /&gt;
| :&lt;br /&gt;
| રૂ&amp;lt;nowiki&amp;gt;|&amp;lt;/nowiki&amp;gt;. ૩૮-૦૦&lt;br /&gt;
|}                                  &lt;br /&gt;
&lt;br /&gt;
{{dhr}}{{page break|label=}}{{dhr}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;&lt;br /&gt;
&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&amp;lt;big&amp;gt;&#039;&#039;&#039;મિત્ર સુરેશ દલાલને&#039;&#039;&#039;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&amp;lt;/big&amp;gt;&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ&lt;br /&gt;
|next = નિવેદન&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112446</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/સર્જક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112446"/>
		<updated>2026-07-06T06:04:22Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સર્જક-પરિચય}}&lt;br /&gt;
[[File:Jayant-Pathak.jpg|frameless|center|200px]]&amp;lt;br&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબારિયાના રાજગઢ તાલુકાના નાનકડા ગામ ગોઠમાં થયો અને શિક્ષણ ગોઠ, કાલોલ અને સૂરતની એમ.ટી.બી કૉલેજમાં લીધું. ગોઠમાં ઘરને લાગીને જ વગડો વિસ્તરેલો હતો, બાળપણમાં એને ખૂંદ્યો હતો તેથી એ વન-વતનનું એમને તીવ્ર આકર્ષણ રહ્યું. એમની કવિતામાં આ વન-વતનના ઝુરપાનો ભાવ તીવ્ર સ્વરૂપે અંકિત થયો છે. સ્મૃતિકથા ‘વનાંચલ’માં પણ.&lt;br /&gt;
કવિતાના એમના ૧૩ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘વિસ્મયલિપિ’માં એમની સમગ્ર ગ્રંથસ્થ કવિતા અને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગમાં અગ્રંથસ્થ કવિતા સંગ્રહિત થયેલી છે. તેઓ તત્ત્વતઃ ઊર્મિકવિ છે. એમની કવિતામાં ઉત્કટ પ્રણયભાવ – વિરહની વેદના, પ્રકૃતિનો સૌંદર્યલોક અને અતીતરાગ તથા અધ્યાત્મભાવ અને ઊર્ધ્વજીવનની ઝંખના મુખ્યત્વે વ્યક્ત થઈ છે. પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં તેમનું સ્થાન છે. એમના ગદ્યની સર્જકતાનો આગવો ઉઘાડ સ્મૃતિકથા ‘વનાંચલ’ અને લલિત નિબંધો ‘તરુરાગ અને નદીસૂક્ત’માં માણવા મળે છે. તેમની સમતોલ, ગંભીર, વિચારણીય વિવેચના વિવેચનજગતને આગવું પ્રદાન છે. એમના અનુવાદો પણ નોંધપાત્ર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– દક્ષા વ્યાસ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અરણ્યનું મહિમાગાન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%B2/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112445</id>
		<title>વનાંચલ/સર્જક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B5%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82%E0%AA%9A%E0%AA%B2/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112445"/>
		<updated>2026-07-06T06:04:08Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Heading|સર્જક-પરિચય}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[File:Jayant-Pathak.jpg|frameless|center|200px]]&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબારિયાના રાજગઢ તાલુકાના નાનકડા ગામ ગોઠમાં થયો અને શિક્ષણ ગોઠ, કાલોલ અને સૂરતની એમ.ટી.બી કૉલેજમાં લીધું. ગોઠમાં ઘરને લાગીને જ વગડો વિસ્તરેલો હતો, બાળપણમાં એને ખૂંદ્યો હતો તેથી એ વન-વતનનું એમને તીવ્ર આકર્ષણ રહ્યું. એમની કવિતામાં આ વન-વતનના ઝુરપાનો ભાવ તીવ્ર સ્વરૂપે અંકિત થયો છે. સ્મૃતિકથા ‘વનાંચલ’માં પણ.&lt;br /&gt;
કવિતાના એમના ૧૩ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘વિસ્મયલિપિ’માં એમની સમગ્ર ગ્રંથસ્થ કવિતા અને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગમાં અગ્રંથસ્થ કવિતા સંગ્રહિત થયેલી છે. તેઓ તત્ત્વતઃ ઊર્મિકવિ છે. એમની કવિતામાં ઉત્કટ પ્રણયભાવ – વિરહની વેદના, પ્રકૃતિનો સૌંદર્યલોક અને અતીતરાગ તથા અધ્યાત્મભાવ અને ઊર્ધ્વજીવનની ઝંખના મુખ્યત્વે વ્યક્ત થઈ છે. પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં તેમનું સ્થાન છે. એમના ગદ્યની સર્જકતાનો આગવો ઉઘાડ સ્મૃતિકથા ‘વનાંચલ’ અને લલિત નિબંધો ‘તરુરાગ અને નદીસૂક્ત’માં માણવા મળે છે. તેમની સમતોલ, ગંભીર, વિચારણીય વિવેચના વિવેચનજગતને આગવું પ્રદાન છે. એમના અનુવાદો પણ નોંધપાત્ર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;—દક્ષા વ્યાસ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = પ્રકરણ ૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Dipak_Mehta.jpg&amp;diff=112444</id>
		<title>File:Dipak Mehta.jpg</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=File:Dipak_Mehta.jpg&amp;diff=112444"/>
		<updated>2026-07-05T19:06:47Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Uploaded a work by Deepak Mehta from Deepak Mehta with UploadWizard&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;=={{int:filedesc}}==&lt;br /&gt;
{{Information&lt;br /&gt;
|description={{lua|1=દીપક મહેતા}}&lt;br /&gt;
|date=2026-07-06&lt;br /&gt;
|source=Deepak Mehta&lt;br /&gt;
|author=Deepak Mehta&lt;br /&gt;
|permission=&lt;br /&gt;
|other versions=&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
=={{int:license-header}}==&lt;br /&gt;
{{subst:uwl}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:Authors on EkatraWiki]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112443</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112443"/>
		<updated>2026-07-05T16:53:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= તરુરાગ અને નદીસૂક્ત- Ekatra Foundation&lt;br /&gt;
|keywords= તરુરાગ અને નદીસૂક્ત, જયન્ત પાઠક, Tarurag ane Nadisukta, Jayant Pathak &lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|title = તરુરાગ અને નદીસૂક્ત&lt;br /&gt;
|author= જયન્ત પાઠક&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/અરણ્યનું મહિમાગાન|અરણ્યનું મહિમાગાન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વૃક્ષો|૧. વૃક્ષો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ઝાંપાનો વડ|૨. ઝાંપાનો વડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પાલ્લીનો પીપળો|૩. પાલ્લીનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માલગુણનો આંબલો|૪. માલગુણનો આંબલો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બુધાનો લીમડો|૫. બુધાનો લીમડો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વાડાની આંબલી|૬. વાડાની આંબલી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/એકલવાયો શીમળો|૭. એકલવાયો શીમળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જીરા કૉઠી|૮. જીરા કૉઠી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો|૯. નાથા ડોસાનો આંબો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પસાયતાનો તાડ|૧૦. પસાયતાનો તાડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નામાંકિત કઢાઈ|૧૧. નામાંકિત કઢાઈ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીકાંઠાની કણઝી|૧૨. નદીકાંઠાની કણઝી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માતાનો પીપળો|૧૩. માતાનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્વપ્નતરુ|૧૪. સ્વપ્નતરુ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીનું મૂળ-ઋષિનું કુળ|૧૫. નદીનું મૂળ-ઋષિનું કુળ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં|૧૬. જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/રેતીની નદી|૧૭. રેતીની નદી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/તનમાં નહીં, વતનમાં|૧૮. તનમાં નહીં, વતનમાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્મૃતિને અજવાળે|૧૯. સ્મૃતિને અજવાળે]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ભયભરચક ત્રણ કોતર|૨૦. ભયભરચક ત્રણ કોતર]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બેઠી ચાલનો બેસણો|૨૧. બેઠી ચાલનો બેસણો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નકશા બહારની નદી|૨૨. નકશા બહારની નદી]]&lt;br /&gt;
&#039;&#039;&#039;પરિશિષ્ટ&#039;&#039;&#039;&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ|‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન – અજય રાવલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નિબંધ]]&lt;br /&gt;
[[Category:જયન્ત પાઠક]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112442</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112442"/>
		<updated>2026-07-05T16:47:25Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Undo revision 112441 by Shnehrashmi (talk)&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= તરુરાગ અને નદીસૂક્ત- Ekatra Foundation&lt;br /&gt;
|keywords= તરુરાગ અને નદીસૂક્ત, જયન્ત પાઠક, Tarurag ane Nadisukta, Jayant Pathak &lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|title = તરુરાગ અને નદીસૂક્ત&lt;br /&gt;
|author= જયન્ત પાઠક&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/અરણ્યનું મહિમાગાન|અરણ્યનું મહિમાગાન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વૃક્ષો|૧. વૃક્ષો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ઝાંપાનો વડ|૨. ઝાંપાનો વડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પાલ્લીનો પીપળો|૩. પાલ્લીનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માલગુણનો આંબલો|૪. માલગુણનો આંબલો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બુધાનો લીમડો|૫. બુધાનો લીમડો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વાડાની આંબલી|૬. વાડાની આંબલી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/એકલવાયો શીમળો|૭. એકલવાયો શીમળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જીરા કૉઠી|૮. જીરા કૉઠી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો|૯. નાથા ડોસાનો આંબો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પસાયતાનો તાડ|૧૦. પસાયતાનો તાડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નામાંકિત કઢાઈ|૧૧. નામાંકિત કઢાઈ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીકાંઠાની કણઝી|૧૨. નદીકાંઠાની કણઝી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માતાનો પીપળો|૧૩. માતાનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્વપ્નતરુ|૧૪. સ્વપ્નતરુ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીનું મૂળ-ઋષિનું કુળ|૧૫. નદીનું મૂળ-ઋષિનું કુળ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં|૧૬. જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/રેતીની નદી|૧૭. રેતીની નદી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/તનમાં નહીં, વતનમાં|૧૮. તનમાં નહીં, વતનમાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્મૃતિને અજવાળે|૧૯. સ્મૃતિને અજવાળે]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ભયભરચક ત્રણ કોતર|૨૦. ભયભરચક ત્રણ કોતર]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બેઠી ચાલનો બેસણો|૨૧. બેઠી ચાલનો બેસણો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નકશા બહારની નદી|૨૨. નકશા બહારની નદી]]&lt;br /&gt;
&#039;&#039;&#039;પરિશિષ્ટ&#039;&#039;&#039;&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ|‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નિબંધ]]&lt;br /&gt;
[[Category:જયન્ત પાઠક]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112441</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112441"/>
		<updated>2026-07-05T16:46:33Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= તરુરાગ અને નદીસૂક્ત- Ekatra Foundation&lt;br /&gt;
|keywords= તરુરાગ અને નદીસૂક્ત, જયન્ત પાઠક, Tarurag ane Nadisukta, Jayant Pathak &lt;br /&gt;
|description=A digital archive of Gujarati language and literature&lt;br /&gt;
|image= તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|title = તરુરાગ અને નદીસૂક્ત&lt;br /&gt;
|author= જયન્ત પાઠક&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/અરણ્યનું મહિમાગાન|અરણ્યનું મહિમાગાન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વૃક્ષો|૧. વૃક્ષો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ઝાંપાનો વડ|૨. ઝાંપાનો વડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પાલ્લીનો પીપળો|૩. પાલ્લીનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માલગુણનો આંબલો|૪. માલગુણનો આંબલો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બુધાનો લીમડો|૫. બુધાનો લીમડો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વાડાની આંબલી|૬. વાડાની આંબલી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/એકલવાયો શીમળો|૭. એકલવાયો શીમળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જીરા કૉઠી|૮. જીરા કૉઠી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો|૯. નાથા ડોસાનો આંબો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પસાયતાનો તાડ|૧૦. પસાયતાનો તાડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નામાંકિત કઢાઈ|૧૧. નામાંકિત કઢાઈ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીકાંઠાની કણઝી|૧૨. નદીકાંઠાની કણઝી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માતાનો પીપળો|૧૩. માતાનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્વપ્નતરુ|૧૪. સ્વપ્નતરુ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીનું મૂળ-ઋષિનું કુળ|૧૫. નદીનું મૂળ-ઋષિનું કુળ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં|૧૬. જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/રેતીની નદી|૧૭. રેતીની નદી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/તનમાં નહીં, વતનમાં|૧૮. તનમાં નહીં, વતનમાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્મૃતિને અજવાળે|૧૯. સ્મૃતિને અજવાળે]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ભયભરચક ત્રણ કોતર|૨૦. ભયભરચક ત્રણ કોતર]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બેઠી ચાલનો બેસણો|૨૧. બેઠી ચાલનો બેસણો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નકશા બહારની નદી|૨૨. નકશા બહારની નદી]]&lt;br /&gt;
&#039;&#039;&#039;પરિશિષ્ટ&#039;&#039;&#039;&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ|‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નિબંધ]]&lt;br /&gt;
[[Category:જયન્ત પાઠક]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112440</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/સર્જક-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%95-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112440"/>
		<updated>2026-07-05T16:45:15Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|સર્જક-પરિચય}} {{Poem2Open}} જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબા...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સર્જક-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જયન્ત પાઠક ગુજરાતી ભાષાના અગ્રગણ્ય કવિ, મૂર્ધન્ય વિવેચક, સમર્થ લલિત ગદ્યકાર અને અવિસ્મરણીય સ્મૃતિકથાના લેખક છે. એમનો જન્મ પંચમહાલના દેશી રાજ્ય દેવગઢબારિયાના રાજગઢ તાલુકાના નાનકડા ગામ ગોઠમાં થયો અને શિક્ષણ ગોઠ, કાલોલ અને સૂરતની એમ.ટી.બી કૉલેજમાં લીધું. ગોઠમાં ઘરને લાગીને જ વગડો વિસ્તરેલો હતો, બાળપણમાં એને ખૂંદ્યો હતો તેથી એ વન-વતનનું એમને તીવ્ર આકર્ષણ રહ્યું. એમની કવિતામાં આ વન-વતનના ઝુરપાનો ભાવ તીવ્ર સ્વરૂપે અંકિત થયો છે. સ્મૃતિકથા ‘વનાંચલ’માં પણ.&lt;br /&gt;
કવિતાના એમના ૧૩ સંગ્રહો પ્રસિદ્ધ થયા છે. ‘વિસ્મયલિપિ’માં એમની સમગ્ર ગ્રંથસ્થ કવિતા અને ‘ઉત્કંઠ’ના ત્રણ ભાગમાં અગ્રંથસ્થ કવિતા સંગ્રહિત થયેલી છે. તેઓ તત્ત્વતઃ ઊર્મિકવિ છે. એમની કવિતામાં ઉત્કટ પ્રણયભાવ – વિરહની વેદના, પ્રકૃતિનો સૌંદર્યલોક અને અતીતરાગ તથા અધ્યાત્મભાવ અને ઊર્ધ્વજીવનની ઝંખના મુખ્યત્વે વ્યક્ત થઈ છે. પાંચમા દાયકાના પ્રમુખ કવિઓમાં તેમનું સ્થાન છે. એમના ગદ્યની સર્જકતાનો આગવો ઉઘાડ સ્મૃતિકથા ‘વનાંચલ’ અને લલિત નિબંધો ‘તરુરાગ અને નદીસૂક્ત’માં માણવા મળે છે. તેમની સમતોલ, ગંભીર, વિચારણીય વિવેચના વિવેચનજગતને આગવું પ્રદાન છે. એમના અનુવાદો પણ નોંધપાત્ર છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– દક્ષા વ્યાસ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = અરણ્યનું મહિમાગાન&lt;br /&gt;
|next = કૃતિ-પરિચય&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112439</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/કૃતિ-પરિચય</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BF%E0%AA%9A%E0%AA%AF&amp;diff=112439"/>
		<updated>2026-07-05T16:42:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય}} {{Poem2Open}} મૂર્ધન્ય સાહિત્યકાર જયંત પાઠકનો નિબંધસંગ્રહ &amp;#039;તરુરાગ અને નદીસૂક્ત&amp;#039; એક આગવી કૃતિ છે. એમાં પ્રત્યેક નિબંધના આદિ-મધ્ય-અંતનું નિબંધન કલાપૂર્ણ રીતે થયું છે. કર...&amp;quot;&lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|કૃતિ-પરિચય}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મૂર્ધન્ય સાહિત્યકાર જયંત પાઠકનો નિબંધસંગ્રહ &#039;તરુરાગ અને નદીસૂક્ત&#039; એક આગવી કૃતિ છે. એમાં પ્રત્યેક નિબંધના આદિ-મધ્ય-અંતનું નિબંધન કલાપૂર્ણ રીતે થયું છે. કર્તા પ્રત્યેક નિબંધને અંતમાં ભાવાત્મક ઊંચાઈ – પરાકાષ્ઠા પર લઈ જઈ ચોટ સાધે છે – પરંતુ તે સાથે વર્તમાનમાંથી અતીતમાં આવનજાવન કરતા સ્મૃતિવ્યાપારનું સાદ્યંત પ્રચલન રહે છે. અહીં ભાવ-સંવેદન-વિચારનો લાક્ષણિક ભાષાગત આવિષ્કાર શુદ્ધ સાહિત્યિક રચનાઓનું નિર્માણ કરે છે. અહીં પ્રત્યેક નિબંધ એક સ્વતંત્ર કલાકૃતિની પૂર્ણતા ધારણ કરે છે, પરંતુ તે ઉપરાંત એમના એકબીજા સાથેના તાણાવાણા એવી રીતે ગૂંથાયેલા રહે છે કે આ રચનાઓને અશેષ માણ્યા પછી સહૃદયને વીંટળાઈ વળે છે એક વગડો. એની સમક્ષ ચિત્રિત થાય છે વગડા વચ્ચેનું નાનકડું ગોઠ ગામ, એની આસપાસની ડુંગરમાળા, નદી, કોતરો, વૃક્ષો, વનરાજિ... અને એ બધું ખૂંદતો – એમને પોતાની ચેતનામાં આત્મસાત્ કરતો કિશોર. ભાવાત્મક આંતરસંબંધથી આ બધા નિબંધો એકબીજા સાથે સંકળાઈને સમગ્રતામાં એક પરિપૂર્ણ કલાકૃતિનો અનુભવ કરાવે છે. એક નાનકડો કિશોર જાણે રોજ રોજ પેલા પુરાણા મકાનની કાથાદોરીની ખાટલીમાંથી ઊઠી સહૃદયને આંગળી ઝાલી વગડા વચ્ચે મૂકી દે છે. &#039;તરુરાગ અને નદીસૂક્ત&#039; એ નિતાંત પ્રકૃતિના સંતાન એવા સૌંદર્યલુબ્ધ શિશુહૃદયના ભય-વિસ્મય-રોમાંચ અને નરવી પ્રીતિનો એક એવો કલાત્મક મધપૂડો છે જેના કોશે કોશે કાવ્યમધુ ટપકે છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Right|&#039;&#039;&#039;– દક્ષા વ્યાસ&#039;&#039;&#039;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સર્જક-પરિચય&lt;br /&gt;
|next = વૃક્ષો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112438</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4&amp;diff=112438"/>
		<updated>2026-07-05T16:32:51Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{#seo:&lt;br /&gt;
|title_mode= replace&lt;br /&gt;
|title= તરુરાગ અને નદીસૂક્ત- Ekatra Foundation&lt;br /&gt;
|keywords= તરુરાગ અને નદીસૂક્ત, જયન્ત પાઠક, Tarurag ane Nadisukta, Jayant Pathak &lt;br /&gt;
|description=This is home page for this wiki&lt;br /&gt;
|image= તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|image_alt=Wiki Logo&lt;br /&gt;
|site_name=Ekatra Foundation&lt;br /&gt;
|locale=gu-IN&lt;br /&gt;
|type=website&lt;br /&gt;
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}}&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{BookCover&lt;br /&gt;
|cover_image = File:તરુરાગ અને નદીસૂક્ત.png&lt;br /&gt;
|title = તરુરાગ અને નદીસૂક્ત&lt;br /&gt;
|author= જયન્ત પાઠક&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = પ્રારંભિક&lt;br /&gt;
|content = &lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પ્રારંભિક|પ્રારંભિક]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નિવેદન|નિવેદન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/અરણ્યનું મહિમાગાન|અરણ્યનું મહિમાગાન]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Box&lt;br /&gt;
|title = અનુક્રમ&lt;br /&gt;
|content =&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વૃક્ષો|૧. વૃક્ષો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ઝાંપાનો વડ|૨. ઝાંપાનો વડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પાલ્લીનો પીપળો|૩. પાલ્લીનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માલગુણનો આંબલો|૪. માલગુણનો આંબલો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બુધાનો લીમડો|૫. બુધાનો લીમડો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/વાડાની આંબલી|૬. વાડાની આંબલી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/એકલવાયો શીમળો|૭. એકલવાયો શીમળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જીરા કૉઠી|૮. જીરા કૉઠી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નાથા ડોસાનો આંબો|૯. નાથા ડોસાનો આંબો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/પસાયતાનો તાડ|૧૦. પસાયતાનો તાડ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નામાંકિત કઢાઈ|૧૧. નામાંકિત કઢાઈ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીકાંઠાની કણઝી|૧૨. નદીકાંઠાની કણઝી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/માતાનો પીપળો|૧૩. માતાનો પીપળો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્વપ્નતરુ|૧૪. સ્વપ્નતરુ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નદીનું મૂળ-ઋષિનું કુળ|૧૫. નદીનું મૂળ-ઋષિનું કુળ]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં|૧૬. જળ ખૂટ્યાં, જીવન ખૂટ્યાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/રેતીની નદી|૧૭. રેતીની નદી]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/તનમાં નહીં, વતનમાં|૧૮. તનમાં નહીં, વતનમાં]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/સ્મૃતિને અજવાળે|૧૯. સ્મૃતિને અજવાળે]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/ભયભરચક ત્રણ કોતર|૨૦. ભયભરચક ત્રણ કોતર]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/બેઠી ચાલનો બેસણો|૨૧. બેઠી ચાલનો બેસણો]]&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/નકશા બહારની નદી|૨૨. નકશા બહારની નદી]]&lt;br /&gt;
&#039;&#039;&#039;પરિશિષ્ટ&#039;&#039;&#039;&lt;br /&gt;
* [[તરુરાગ અને નદીસૂક્ત/‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ|‘તરુરાગ અને નદીસૂક્ત’ : પોતીકું સંવેદન-અજય રાવલ]]&lt;br /&gt;
}}&lt;br /&gt;
&lt;br /&gt;
[[Category:નિબંધ]]&lt;br /&gt;
[[Category:જયન્ત પાઠક]]&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B&amp;diff=112437</id>
		<title>તરુરાગ અને નદીસૂક્ત/વૃક્ષો</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%A4%E0%AA%B0%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%97_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%A6%E0%AB%80%E0%AA%B8%E0%AB%82%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4/%E0%AA%B5%E0%AB%83%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%8B&amp;diff=112437"/>
		<updated>2026-07-05T16:30:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;Shnehrashmi: &lt;/p&gt;
&lt;hr /&gt;
&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|૧. વૃક્ષો}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ઍમર્સન કહે છે : Trees are imperfect men – ‘વૃક્ષો અપૂર્ણ માનવીઓ છે.’ જેનાથી આપત્તિને તરી જવાય તે તરુ એવી ‘તરુ’ શબ્દની વ્યુત્પત્તિ પણ અપાઈ છે. શોભામાં અને ઉપયોગિતામાં વૃક્ષથી ચઢિયાતું કોઈ સર્જન પ્રકૃતિમાં ભાગ્યે જ હશે. જીવતાં અને મરણ પછી એ અનેક રીતે કામ આવે છે. એનું દર્શન આંખને તેમજ ચિત્તને જેટલું આકર્ષણ એટલું જ ટાઢક આપનારું પણ છે. ક્યારેક તો એના દર્શનથી આધ્યાત્મિક શાતા અનુભવાય છે. ટાગોરે પોતાને થયેલી એવી એક આધ્યાત્મિક અનુભૂતિની નોંધ પણ એમનાં સંસ્મરણોમાં લીધી છે. આપણા ઋષિમુનિઓના તપોવનો, રામ જેવા અવતારપુરુષોનો વનવાસ, આશ્રમવ્યવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ –આ બધું આપણી સંસ્કૃતિમાં અરણ્યોનું જે સ્થાન હતું તેની સાખ પૂરે છે. આપણી સંસ્કૃતિને આરણ્યક સંસ્કૃતિ કહીને આપણે અરણ્યનો અને એટલે વૃક્ષોનો કેટલો મહિમા અને આદર કરીએ છીએ!&lt;br /&gt;
વૃક્ષો વગર માણસ જીવી ન શકે. આ વિધાન જીવનના સ્થૂળ રૂપ પરત્વે જેટલું સાચું છે તેટલું જ તેની સૂક્ષ્મ સત્તા માટે પણ સાચું છે. વૃક્ષો વરસાદ લાવે છે ને ધરતીને ફલવતી કરે છે. એ એનાં ફળ-ફૂલ અને છાયાથી પોષણ, શોભા અને શાતા આપે છે. એનાં લાકડાંના વિવિધ ઉપયોગથી આપણે રક્ષણ અને સગવડ પામીએ છીએ. અરે હિંદુઓ માટે તો એ મૃત્યુ વખતે ભડભડ બળીને દેહવિસર્જનનું સાધન બને છે! આજની નગરસંસ્કૃતિમાં માણસને જે ઘોંઘાટ, ધમાલ અને ઉત્તાપ વચ્ચે જીવવું પડે છે, તેમાં વૃક્ષોનું દર્શન એને માટે સંજીવનીની ગરજ સારે છે. આથી તો સુધરેલા દેશો એમનાં નગરોને, ફરતા હરિયાળીના વલય સર્જવાની હિમાયત ને યોજનાઓ કરે છે, માનસિક સંતાપથી મુક્ત થવા માટે સાંજે ઉપવન-ઉદ્યાનમાં જાય છે. જીવનને આમ ભૌતિક અને આધ્યાત્મિક સહાય આપનારું વૃક્ષો જેવું પ્રકૃતિમાં બીજું કોઈ સર્જન નથી.&lt;br /&gt;
વૃક્ષોની આવી ઉપયોગિતા અને એના આવા ઉપકારો છતાં આપણે વૃક્ષનું મૂલ્ય પૂરું સમજ્યા નથી. અતિપરિચયથી આપણને એ જાણે અવજ્ઞાપાત્ર લાગે છે. વસ્તુનું પૂરું મૂલ્ય કદાચ એના અભાવમાં સમજાય છે. જ્યાં વૃક્ષોનું નામનિશાન નથી, યોજનો સુધી ધરતી લુખ્ખી અને રેતાળ છે, ડુંગરા વૃક્ષ વગરના બોડા છે ત્યાં રહેનાર માણસ વૃક્ષને કેવી ઉત્કંઠાથી ઝંખે છે! એકાદ તૃણ પણ ઊગી ગયેલું જોતાં એનું હૃદય આનંદ અને આશ્ચર્યના ભાવથી ભરાઈ જાય છે. પણ આપણે તો વૃક્ષોને કશા વિવેક વગર કાપી નાખીએ છીએ; જંગલ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરીએ છીએ; આમ કરતી વખતે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે વૃક્ષો વગર ખેતી માટે વરસાદ ક્યાંથી આવશે? વૃક્ષો વગર જમીનને શીતળ કોણ રાખશે? ઉન્નત, મહાકાય વૃક્ષો વગર પ્રચંડ સૂર્યને પ્રતપ્ત આકાશથી પૃથ્વીને રક્ષણ કોણ આપશે? પૃથ્વીની માટીને પાણીથી ધોવાઈને દરિયામાં વહી જતી કોણ રોકશે? આપણી સ્વાર્થદૃષ્ટિ લાંબું જોઈ શકતી નથી અથવા એમ કહો કે તાત્કાલિક લાભના લોભમાં આપણે લાંબા ગાળાનો સ્વાર્થ વીસરી જઈએ છીએ.&lt;br /&gt;
જાતજાતનાં વૃક્ષોની અલૌકિક શોભા અને તેમના ઉપયોગી અસ્તિત્ત્વથી અહોભાવ અનુભવીને જ માણસ વૃક્ષોને દેવ તરીકે પૂજાતો થયો હશે. કલ્પતરુની કે પારિજાત જેવા વૃક્ષની અલૌકિકતાની કલ્પના માણસને વૃક્ષોના સૌંદર્ય અને ઉપયોગિતાને લીધે જ આવી હશે. ઋગ્વેદના એક ઋષિ એ ‘અરણ્યાની સૂક્ત’ રચ્યું છે. અરણ્યની અધિષ્ઠાત્રી દેવતાને ઉદ્દેશીને રચાયેલા આ હૃદયંગમ કલ્પનાસભર સૂક્તમાં ઋષિ અરણ્યાની દેવીનું એટલે કે અરણ્યનું એટલે કે વૃક્ષોનું મંગલ, પોષક કે ઉપકારક સ્વરૂપ વર્ણવતાં કહે છે : ‘જો કોઈ હિંસક વૃત્તિથી આક્રમણ ન કરે તો અરણ્યની દેવી મારતી નથી. મીઠાં ફળ ખાઈને માણસ આનંદથી લેટે છે.’&lt;br /&gt;
મૂંગા મૂંગા ઊભેલાં દેખાતાં વૃક્ષો જાણે પર્ણમર્મરમાં ધીમેશથી ફરિયાદ સંભળાવે છે : ‘અમારી પ્રત્યે ક્રૂર વર્તન કરવામાં આવે છે, અમારી તરફ કૃતઘ્નતાથી વર્તવામાં આવે છે, અમને અન્યાય કરવામાં આવે છે.’ આપણે એ ફરિયાદ સાંભળીશું? ક્યારે સાંભળીશું? &lt;br /&gt;
 &lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કૃતિ-પરિચય&lt;br /&gt;
|next = ઝાંપાનો વડ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
</feed>