<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80%2F%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8</id>
	<title>અપરાધી/નિવેદન - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80%2F%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;action=history"/>
	<updated>2026-04-09T13:00:33Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;diff=29164&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}} {{Heading|નિવેદન|}}  {{Poem2Open}} &lt;center&gt;[પહેલી આવૃત્તિ]&lt;/center&gt; નિવેદન હંમેશાં પુસ્ત...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%AA%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A7%E0%AB%80/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AA%A8&amp;diff=29164&amp;oldid=prev"/>
		<updated>2021-12-25T11:33:04Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|નિવેદન|}}  {{Poem2Open}} &amp;lt;center&amp;gt;[પહેલી આવૃત્તિ]&amp;lt;/center&amp;gt; નિવેદન હંમેશાં પુસ્ત...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નિવેદન|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;[પહેલી આવૃત્તિ]&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
નિવેદન હંમેશાં પુસ્તકના પ્રારંભમાં મુકાય છે: અહીં અંતમાં મૂકેલ છે. આશય એટલો જ છે કે આ વાર્તા એક અંગ્રેજી કૃતિને આધારે ગુજરાતીમાં ઉતારવામાં આવી છે તે હકીકતનું જ્ઞાન વાચકની રસવૃત્તિમાં, એનું વાચન થવા દરમ્યાન, કશો વિક્ષેપ ન કરે.&lt;br /&gt;
આવો વિક્ષેપ થાય છે એ લેખકની માહિતીની વાત છે. કૃતિ જો અસલ લખાણનું શબ્દશ: ભાષાન્તર હોય તો આવી માહિતી પ્રથમથી જ આપી દેવી આવશ્યક બને છે; કેમ કે ભાષાન્તરમાં – તરજુમામાં તો મુખ્ય આશય અસલ કૃતિનું હાર્દ સમજવા-સમજાવવાનો છે.&lt;br /&gt;
રૂપાન્તર થાય છે ત્યારે મુખ્ય જવાબદારી રૂપાન્તરકારની બને છે. પોતે અસલ કૃતિનો ઉપકારભાવે ઋણસ્વીકાર કરે છે, અને નવી રચનાના યશનો ધણી પોતે એકલો જ ન બની જાય એટલી એની પ્રામાણિક ફરજ છે. પરંતુ સાંગોપાંગ રચના તો એની પોતાની જ લેખે પરીક્ષામાં મુકાવી ઘટે. એની ખૂબીઓ તેમ જ ખામીઓના કડક તોલનનું પરિણામ એણે એકલાએ જ બરદાસ્ત કરવું રહે છે. આવું તોલન નિરંતરાય તો જ બને, જો વાચકને વાચન કરતે કરતે, આખે રસ્તે, એકને બદલે બે લેખકોનો વિચાર કર્યા કરવો ન પડે.&lt;br /&gt;
મૂળ કૃતિ ‘ધ માસ્ટર ઓફ મૅન’ નામની, સદ્ગત અંગ્રેજ સાહિત્યમણિ હૉલ કૅઈનની છે. એ કૃતિની લીલાભૂમિ ઈંગ્લંડ પાસેનો આઇલ ઑફ મેન નામનો એક અર્ધસ્વરાજ ભોગવતો ટાપુ છે. મેં એમાંથી ઘણા અંશો કાઢી નાખીને કાઠિયાવાડની જીવન-સ્થિતિને બંધ બેસે તે રીતના ઘણા ફેરફારો કર્યા છે. ક્યાંક ક્યાંક તો મૂળનાં ચિત્રોને શબ્દશ: પણ મૂકવાનો લહાવ લીધો છે, જ્યારે ઘણુંખરું મેં મારી વાર્તાને એની સ્વતંત્ર ગતિએ રમવા દીધેલ છે.&lt;br /&gt;
આ કૃતિ વાંચ્યા પછી મૂળ લેખક પર જો વાચક મોહિત થાય તો માહિતી આપું કે હૉલ કેઇનનાં નીચે લખ્યાં પુસ્તકો પરિચય કરવા લાયક છે: ‘ધ ડીમસ્ટોર’, ‘વ્હાઇટ પ્રફેટ’, ‘બાર્બ્ડ વાયર’, ‘પ્રોડીગલ સન’, ‘ધ મૅન્ક્સમૅન’, ‘ધ વુમન ધાઉ ગેવેસ્ટ મી’ વગેરે.&lt;br /&gt;
જેના પરથી ‘અપરાધી’ની રચના થઈ છે તે વાર્તાએ હૉલ કેઇનને હ્યૂગો, ઝોલા અને ટૉલ્સ્ટૉય સરીખા વાર્તાસ્વામીઓની હરોળમાં મુકાવેલ છે. હજારો હૈયાંને આ વાર્તાએ ધબકતાં કરેલ છે. કોઈ વિવેચકોએ એને લેખકની ઉત્કૃષ્ટ કૃતિ કહેલ છે.&lt;br /&gt;
હૉલ કેઇન ઇંગ્લંડના નહીં પણ આ ‘આઇલ ઑફ મૅન’ નામે ટાપુના પુત્ર હતા. પોતાની કેટલીય કૃતિઓની લીલાભૂમિ એણે આ નાનકડી માતૃભૂમિને બનાવેલ છે. સંસ્કૃતિના સારામાઠા ખળભળાટોથી વેગળા અને એકાકી પડેલા આ ટાપુનું લોકજીવન જે ખૂબીઓથી રંગાયેલું છે તેની એ કૃતિઓમાં અદ્ભુત ભાત ઊઠી છે. લેખકનું સ્વભૂમિ સાથેનું ઓતપ્રોતપણું એમાંથી મળે છે.&lt;br /&gt;
‘અપરાધી’ મૂળ ૧૯૩૬-૩૭ના ‘ફૂલછાબ’માં ચાલુ વાર્તા લેખે વર્ષ-સવા વર્ષ સુધી પ્રકટ થઈ હતી. શરૂઆતના છ મહિના સુધી તો મારી પાસે અસલ પુસ્તક નહોતું ને મેં અગાઉ વાંચેલ તે પરથી જ વાર્તાનું બને તેટલું સ્વતંત્ર ઘડતર હું કર્યે જતો હતો. મૂળમાં જોતો ગયો તે તો પછી.&lt;br /&gt;
{{Right|બોટાદ: ૧-૯-૧૯૩૮}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Right|ઝવેરચંદ મેઘાણી}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt;[બીજી આવૃત્તિ]&amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
એક રાજકોટવાસી ભાઈએ, આ વાર્તા પુસ્તકાકારે પ્રગટ થઈ ત્યારે ખેદ દર્શાવી કહેલું: “અમે તો ચાલુ વાર્તા વાંચતા હતા ત્યારે આખી ઘટના કાઠિયાવાડની મૌલિક હોય તેમ જ માનતા હતા, એટલું જ નહીં પણ પ્રત્યેક પાત્રનો પણ અમુક ચોક્કસ કાઠિયાવાડી સાથે મેળ બેસારી શકતા હતા. હૉલ કેઇનના ‘માસ્ટર ઑફ મૅન’ પરથી ઉતારી છે તે તો તમે જણાવ્યું ત્યારે જ જાણ્યું.”&lt;br /&gt;
ઉપલું પ્રમાણપત્ર મૌલિકતાનો દાવો આગળ કરવાના આશયથી નથી ટાંક્યું. અન્ય લેખકની અનુકૃતિ ઉતારવામાં સફળતા મેળવવી, એ મૌલિક સર્જન કરવા કરતાં જરાકે ઊતરતી સાધના મારા મનથી નથી. મારી અનુકૃતિમાં શુદ્ધ સોરઠી જીવનની સ્વાભાવિક જીવનછબી ઊપસતી હોય તો તે સંપૂર્ણ સંતોષનું કારણ છે. હૉલ કેઇનનું ઋણ અદા કર્યાનો એ પરમ સંતોષ છે.&lt;br /&gt;
પણ પેલા રાજકોટવાસી ભાઈના કહેવા પાછળ તો ધ્વનિ કંઈક આવો હતો કે મૂળ લેખકનો આવો ઋણસ્વીકાર કરવા બેસવું શું નૈતિક દૃષ્ટિએ જરૂરનું હતું? કયા સર્જકના મન પર આ કે તે સાહિત્યસ્વામીની કૃતિઓની છાયા નથી રમતી હોતી? એવી છાયાઓનો ઋણસ્વીકાર કરવા બેસવું એમાં સાહિત્યકીય પ્રામાણિકતાનો કંઈક અતિરેક – તેમ જ એવા અતિરેકનું પ્રચ્છન્ન મિથ્યાભિમાન – નથી? અથવા આજે સાહિત્યકારો કરતાં ચોરી પકડવાવાળા જાસૂસો વધી પડ્યા છે, તેનો મનમાં પડેલો ડર તો નથી?&lt;br /&gt;
કદાચ એ પણ હોય! એ ચર્ચામાં નહીં ઊતરીએ. આપણું ગુજરાતી વિવેચન ડગુમગુ પગ માંડી રહેલ છે, તેવી સ્થિતિમાં એ વિવેચનને દૂર દૂરની પણ ચોરીની વાતથી ન સતાવવાની સંભાળ લેવી જોઈએ એમ હું માનું છું; અને પ્રામાણિકતાના ડોળ અથવા પકડાઈ જવાના ડર કરતાં વધુ મોખરે જો હું મારી બાબતમાં આ કારણને વધુ ભાર સાથે મૂકું, તો એને પણ ડોળ ન ગણી લેશો એટલી અરજ છે.&lt;br /&gt;
આપણા વિવેચનને જેમ એક બાજુ આવી સિફતભરી ચોરીથી સતામણી થવાનો ડર છે, તેમ બીજી બાજુ આ એક સાચી ભીતિ છે કે અમુક કૃતિ અમુક બીજી કૃતિ ‘પરથી’ ઊતરી છે એવું વિધાન વિવેચનને વિનાકારણ જકડી બેસે છે. મૂળ સાથે અનુકૃતિને શબ્દશ: નહીં તો પ્રકરણવાર પણ મીંડવવા બેસનારા વિવેચકો એક તો છે નહીં, તેમ એટલી વેઠ એમના પર લાદી શકાય નહીં. પરિણામે ‘અનુકૃતિ છે’, ‘રૂપાન્તર છે’, એટલાથી વિવેચકની ગેરદોરવણી થાય છે એ ન ઉવેખી શકાય તેવું એક ભયસ્થાન છે.&lt;br /&gt;
એવા ભયસ્થાનનો ભોગ ‘અપરાધી’ને પણ થવું પડ્યું છે, એટલા કારણે જ થોડી સ્પષ્ટતા આ વખતે જરૂરી છે, કે પાત્રહિસાબે જોઈએ તો માલુજી ને ચાઉસ જેવાં પાત્રો હૉલ કેઇનમાં નથી. પ્રસંગના હિસાબે મેળવીએ તો દેવનારાયણસિંહનું નર્મદા સાથેનું લગ્ન, અને એ લગ્નનો આનુષંગી કોઈપણ બનાવ મૂળમાં છે નહીં. અજવાળીને જેમાં મૂકેલ છે તેવો કોઈ મહિલાશ્રમ મૂળમાં છે નહીં. શિવરાજ જે બે-ત્રણ અચ્છા મુકદ્દમા ચલાવે છે તે અસલમાં છે નહીં. ‘રાવસાહેબની પુત્રવધૂ’ વગેરે પ્રકરણો મારાં જ છે. અને તે સર્વ કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો તો આખી લખાવટનો છે. પ્રથમાવૃત્તિના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે અમુક પાછલાં પ્રકરણો બાદ કરતાં સળંગ શબ્દશિલ્પ મારું જ છે અને તે મૂળ ચોપડીને જૂના કાળમાં વાંચ્યા પછી ફરી વાર કદી જોયા વગર જ આલેખ્યું છે.&lt;br /&gt;
પણ આખરે તો હું હારું છું, ને ‘આ તો મારું અને આ કોક બીજાનું’ એવાં ચૂંથણાંથી શરમ સુધ્ધાં પામું છું.&lt;br /&gt;
તાત્ત્વિક સવાલ તો એક જ છે, કે આમાં વાચકને એનું પોતાનું, એના હૈયાસરસું, એને તદ્રૂપ તદાકાર ને તન્મય બનાવનારું કેટલું છે?&lt;br /&gt;
એને પોતાનું લાગે તેટલું જ સાચું છે – બાકીનું સર્વ, મારું હો કે હૉલ કેઇનનું, મિથ્યા છે.&lt;br /&gt;
{{Right|૧૩-૨-૧૯૪૪}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Right|ઝવેરચંદ મેઘાણી}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>