<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B%2F%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%80%E0%AA%A5</id>
	<title>અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નિશીથ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B%2F%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%80%E0%AA%A5"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%80%E0%AA%A5&amp;action=history"/>
	<updated>2026-05-21T13:57:07Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%80%E0%AA%A5&amp;diff=90304&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B/%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B6%E0%AB%80%E0%AA%A5&amp;diff=90304&amp;oldid=prev"/>
		<updated>2025-06-11T02:20:42Z</updated>

		<summary type="html">&lt;p&gt;+1&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નિશીથ|રામપ્રસાદ બક્ષી}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
શ્રી ઉમાશંકરરચિત ‘નિશીથ’ કાવ્યની ભવ્યતા અને રમણીયતાની પ્રતીતિ એની પ્રથમ પંક્તિમાં જ સમજાય છે:&lt;br /&gt;
&lt;br /&gt;
નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય&lt;br /&gt;
&lt;br /&gt;
રસગંગાધરમાં પંડિત જગન્નાથે કાવ્યનું લક્ષણ આ આપ્યું છે: ‘रमणीयताप्रतिपादकः शब्दः काव्यम्,’ અને એ લક્ષણમાંના ‘રમણીયતા’ શબ્દનું અર્થવિવરણ એ પંડિતે આ શબ્દોમાં કર્યું છે:&lt;br /&gt;
&lt;br /&gt;
‘रमणीयता च लोकोत्तराडलादजनकज्ञानगोचरता । लोकोत्तरत्वं च आह्लादगतश्चमत्कारत्वापरपर्यायः अनुभवसाक्षिकः जातिविशेषः ।।’&lt;br /&gt;
&lt;br /&gt;
‘નિશીથ’ કાવ્યના અનેક વર્ષો પહેલાંના પ્રથમ વાચને જ મને પ્રતીતિ થઈ હતી કે આ કાવ્ય પંડિત જગન્નાથે આપેલ કાવ્ય-લક્ષણનું ઉત્તમ દૃષ્ટાન્ત છે.&lt;br /&gt;
&lt;br /&gt;
આ કાવ્યની નાનીમોટી ૬ કંડિકાઓ છે. એમાંની પહેલી કંડિકાથી જ આ કાવ્યમાં રહેલી ભવ્ય કલ્પના અને ચમત્કારજનક શબ્દચિત્રો પ્રકટ થાય છે. નર્તક, સ્વર્ગંગ, ઝંડાડમરુ એ શબ્દોથી વ્યંજિત થતી રૂપકકલ્પના આ પંક્તિથી સ્પષ્ટતર બને છે,&lt;br /&gt;
&lt;br /&gt;
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય!&lt;br /&gt;
&lt;br /&gt;
શ્રી ઉમાશંકરરચિત ‘નિશીથ’ કાવ્યની ભવ્યતા અને રમણીયતાની પ્રતીતિ એની પ્રથમ પંક્તિમાં જ સમજાય છેઃ&lt;br /&gt;
&lt;br /&gt;
નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય&lt;br /&gt;
&lt;br /&gt;
રસગંગાધરમાં પંડિત જગન્નાથે કાવ્યનું લક્ષણ આ આપ્યું છે:&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;‘रमणीयता च लोकोत्तराङ्लादजनकज्ञानगोचरता। लोकोत्तरत्वं च&lt;br /&gt;
आह्लादगतश्चमत्कारत्वापरपर्यायः अनुभवसाक्षकः जातिविशेषः।।’&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
‘નિશીથ’ કાવ્યના અનેક વર્ષો પહેલાંના પ્રથમ વાચને જ મને પ્રતીતિ થઈ હતી કે આ કાવ્ય પંડિત જગન્નાથે આપેલ કાવ્ય-લક્ષણનું ઉત્તમ દૃષ્ટાન્ત છે.&lt;br /&gt;
&lt;br /&gt;
આ કાવ્યની નાનીમોટી ૬ કંડિકાઓ છે. એમાંની પહેલી કંડિતાથી જ આ કાવ્યમાં રહેલી ભવ્ય કલ્પના અને ચમત્કારજનક શબ્દચિત્રો પ્રકટ થાય છે. નર્તક, સ્વર્ગંગ, ઝંઝાડમરુ એ શબ્દોથી વ્યંજિત થતી રૂપકલ્પના આ પંક્તિથી સ્પષ્ટતર બને છે,&lt;br /&gt;
&lt;br /&gt;
હે સૃષ્ટિપાટે નજરાજ ભવ્ય!&lt;br /&gt;
&lt;br /&gt;
નિશીથનું શ્રી ઉમાશંકરે ‘નટરાજ’રૂપે દર્શન કર્યું છે અને કરાવ્યું છે. નિશીથ અને નટરાજ રુદ્રમહાદેવનું એ તાદાત્મ્ય વ્યક્ત કરતી આ પંક્તિઓ એક ભવ્ય શબ્દચિત્ર આલેખે છે જે નિશીથને અને નટરાજરુદ્રને સમાનરૂપે લાગુ પડે છે:&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;ભૂગોલાર્ધે, પાયની ઠેક લેતો,&lt;br /&gt;
વિશ્વાન્તર્‌ના વ્યાપતો ગર્ત ઊંડા,&lt;br /&gt;
પ્રતિક્ષણે જે ચકરાતી પૃથ્વી&lt;br /&gt;
પીઠે તેની પાય માંડી છટાથી&lt;br /&gt;
તાલી લેતો દૂરના તારકોથી.&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
ઉમાશંકરઅર્પિત આ ચિત્ર મને વિખ્યાત શિવમહિમ્નસ્તોત્રનું શિવમહિમ્ન (શિવના મહિમાનું). સ્તોત્રનું સ્મરણ કરાવે છે. એમાંનો એક શ્લોક આ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;पदापातात् पृथ्वी नजति सहसा संशयपदम्&lt;br /&gt;
पदं विष्णोः भ्राम्यदुभुजपरिध रुण्णग्रहगणम् ।&lt;br /&gt;
मुहुद्यौदौःस्वयं वास्यनिभृताठिततटा&lt;br /&gt;
जगद्रक्षायै त्वं नटसि, ननु वामैय विभुता ।।&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
જેના પદાઘાતથી પૃથ્વી ભયભરી સ્થિતિમાં આવે છે; વિષ્ણુનું પદ – જેમાં સૂર્યચન્દ્રગ્રહાદિ ઊગે-આથમે છે તે ગગન—નટરાજના ભ્રમણ કરતા, ભોગળ જેવા, ભુજના આવેગથી એવી દશામાં આવી પડે છે કે ગ્રહગણો વ્યથિત બની જાય છે; અને એ ગગનની ઉપર રહેલ દ્યૌ–વ્યોમ—એવી દુઃસ્થતા—અસ્વસ્થતા અનુભવે છે કે છૂટી ઝપટાતી જટાના પ્રહારથી ગ્રહગણ વ્યથા પામે છે. અને એ નૃત્ય (હે નટરાજ!) તું જગતના રક્ષણ માટે કરી રહ્યો છે—આવી છે વિભુતાની વામતા!&lt;br /&gt;
&lt;br /&gt;
આ શ્લોકમાં છે તેને મળતું આવતું શબ્દચિત્ર ઉમાશંકરે પોતાની સ્વતંત્ર પ્રતિભાથી આપ્યું છે. આ શબ્દચિત્રોના – great minds clash એ સૂત્રની પ્રતીતિ કરાવતા કલ્પનાસામ્યથી અધિકતર અને ગહનતર સામ્ય છે એ વાતમાં કે સંહારક દેવ મનાતા નટરાજનું તાણ્ડવ જગતની રક્ષાને માટે છે એવું દર્શન મહિમસ્તોત્રકાર પુષ્પદંતે અને નિશીથકાર ઉમાશંકર ઉભયે કર્યું છે. ‘નિશીથ હે શાંતમના તપસ્વી’ એ પંક્તિથી શરૂ થતી ૪થી કંડિકામાંના આ શબ્દ આ સંદર્ભમાં સૂચક છે:&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;નિશીથ હે! શાન્તમના તપસ્વી!&lt;br /&gt;
તજી અવિશ્રાન્ત વિરાટ તાંડવો&lt;br /&gt;
કદીક તો આસન વાળી બેસતો&lt;br /&gt;
હિમાદ્રિ જેવી દૃઢ તું પલાંઠીએ&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
અને ૫મી કંડિકામાં રુદનુ — નટરાજનું — નિશીથનું સૌમ્ય સ્વરૂપ આ શબ્દોમાં આલેખાયું છે:&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;પ્રસુપ્ત કોઈ પ્રણયી યુગોનાં&lt;br /&gt;
ઉન્નદ્રિ હૈયાકમલો વિશે મીઠો&lt;br /&gt;
ફોરાવતો ચેતનનો પરાગ.&lt;br /&gt;
સ્વયં સુનિશ્ચંચલ, અન્ય કેરાં&lt;br /&gt;
રાચે કરી અન્તર મત્ત ચંચલ,&lt;br /&gt;
ખેલંદા હે શાન્ત તાંડવોના!&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
અને છેવટની ૬ઠ્ઠી કંડિકામાં તો કવિશ્રીએ નિશીથને જે પ્રાર્થના અને વિનંતી કરી છે એમાંનો મહિમ્નઃસ્તોત્રના મેં ઉપર આ વિવરણમાં ટાંકેલા શ્લોકનું અંતિમ ચરણ આશ્ચર્યજનક – ચમત્કારક – રીતે પ્રતિબિંબિત થાય છે:&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;મારા દેશે શાશ્વતી શર્વરી કશી!&lt;br /&gt;
નિંદ્રાઘેરાં લોચનો લોકકેરાં,&lt;br /&gt;
મૂર્છાછાયાં ભોળુડાં લોકહૈયાં,&lt;br /&gt;
તે સર્વ ત્વન્તીરવનૃત્યકાલે&lt;br /&gt;
ન જાગશે દ્યૌનટ હે વિરાટ…&lt;br /&gt;
&lt;br /&gt;
તું સૃષ્ટિની નિત્ય નવીન આશા,&lt;br /&gt;
ન આટલું તુંથી થશે! કહે, કહે,&lt;br /&gt;
નિશીથ, વૈતાલિક હે ઉષાના!&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}{{Poem2Open}}&lt;br /&gt;
&lt;br /&gt;
નિશિથને ઉષાનો વૈતાલિક કહ્યો છે એ કવિવચન વાસ્તવિક પ્રકૃતિક્રમનો ઉદ્ગાર છે છતાં એ શબ્દો જેમ ૧૯૩૮ના સંદર્ભમાં તેમ જ આજના ૧૯૮૦ના સંદર્ભમાં નિરાશ બનેલાં લોકહૃદયને નવી આશા આપનારા અને મોહમૂઢ બનેલી જનમતિને અભિનવ જ્ઞાનપ્રકાશની પ્રેરણા અર્પનારા બને છે.&lt;br /&gt;
&lt;br /&gt;
ભવ્યતામાં, રમણીયતામાં, દિવ્યતત્ત્વ અને પાર્થિવ તત્ત્વના વ્યવહારવિનિમયના આહ્લાદક શબ્દચિત્રણમાં, આ કાવ્ય ‘નિશીથ’ મને આકર્ષતું રહ્યું છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|(સંસ્કૃતિ)}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = માઈલોના માઈલો—&amp;#039;ની કાવ્યયાત્રા&lt;br /&gt;
|next = ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>