<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B%2F%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AA%97%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87</id>
	<title>અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નીરખને ગગનમાં કાવ્ય વિશે - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B%2F%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AA%97%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B/%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AA%97%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;action=history"/>
	<updated>2026-07-22T18:29:34Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.45.0</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B/%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AA%97%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;diff=90521&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%86%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AB%8B/%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0%E0%AA%96%E0%AA%A8%E0%AB%87_%E0%AA%97%E0%AA%97%E0%AA%A8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;diff=90521&amp;oldid=prev"/>
		<updated>2025-06-17T01:18:05Z</updated>

		<summary type="html">&lt;p&gt;+1&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|નીરખને ગગનમાં કાવ્ય વિશે|મનસુખલાલ ઝવેરી}}&lt;br /&gt;
{{center|&amp;#039;&amp;#039;&amp;#039;નરસિંહ&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;br&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;નીરખને ગગનમાં&amp;#039;&amp;#039;&amp;#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Block center|&amp;#039;&amp;#039;&amp;#039;&amp;lt;poem&amp;gt;નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,&amp;lt;/poem&amp;gt;&amp;#039;&amp;#039;&amp;#039;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ભક્ત જ્યારે ભાવોની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સચરાચર વિશ્વ આખામાં તેને સર્વત્ર દેખાય છે તેનો ભગવાન. અને તે વખતે ગગન ગગન નથી રહેતું; પણ એ બની જતું હોય છે સાક્ષાત્ ઘનશ્યામ. એ નટવર સાંવરિયો ‘સોહમ્’ના મનોહર શબ્દરવથી આખા અવકાશને ભરીને કરી રહેતો દેખાય છે થનગન થનગન નૃત્ય. જન્મજન્માંતરથી હૃદય જેને માટે આકુળવ્યાકુળ થયું હોય છે એવા ઘનશ્યામ કૃષ્ણનું દર્શન થાય એ નિરવધિ આનંની તોલે શું આવી શકે તેમ છે આ જગતમાં? પરમ આનંદની એ ક્ષણે હૃદય ઝંખી રહેતું હોય છે મૃત્યુને, કારણ કે ક્ષણને શાશ્વત બનાવી દેવાની શક્તિ રહી છે માત્ર એની જ મુદ્રામાં. ને જીવનમાં શાશ્વત બનાવવા જેવી કોઈ હોય તો તે છે માત્ર એ જ ક્ષણ.&lt;br /&gt;
&lt;br /&gt;
એ મનમોહન શામળિયો છે પરમ સૌંદર્યનો પારાવાર ને એનો સાક્ષાત્કાર છે મનોનયને કોઈ અનંતાનંત મહોત્સવ. એ સૌંદર્યનું આકલન થઈ શકે છે હૃદયથી, બુદ્ધિથી નહિ. મનુષ્યની બુદ્ધિમાં એને સમજવાની શક્તિ જ નથી હોતી. બુદ્ધિ ગમે તેટલું મથે તો પણ એ આનન્દસૌંદર્યનું મૂળ એને મળી શકતું નથી. એ મૂળ હાથમાં આવે છે માત્ર પ્રેમથી. ને મૂળ હાથમાં આવ્યું એટલે જડ અને ચૈતન્ય વચ્ચેનો ભેદભાવ ટળ્યો; અને જડ અને ચૈતન્ય વચ્ચેનો ભેદભાવ ટળ્યો એટલે એ બની ગયાં રસો વૈ સઃ! માત્ર પ્રેમ વડે જ મનુષ્ય સાક્ષાત્કાર કરી શકે છે રસરૂપ, ચૈતન્યધન પરમાત્માનો.&lt;br /&gt;
&lt;br /&gt;
એની સુવર્ણરગી કોર હજી તો જ્યાં જરાક નીકળી ત્યાં જ ઝળહળી ઊઠતું હોય છે તેજ, એક સાથે પ્રકાશી ઊઠતા કરોડો સૂર્યના તેજ જેવું. એ તેજ જાણે સોનાનું પારણું; ને એ સોનાના પારણામાં ઝૂલી રહ્યો અનુભવ છે આનંદક્રીડા કરતો સત્, ચિત્ અને આનંદસ્વરૂપ પરમાત્મા! પ્રેમથી પેલું આનંદસૌંદર્યનું મૂળ હાથમાં આવ્યું કે તરત મનુષ્ય પહોંચી જતો હોય છે તમસમાંથી જ્યોતિમાં; ને તેના ભાન થાય છે કે આ સ્થાવર-જંગમાત્મક વિશ્વ આખું છે સચ્ચિદાનંદરૂપ પરમાત્માનો જ કેવળ વિલાસ!&lt;br /&gt;
&lt;br /&gt;
એ પરમાત્મા છે જ્યોતિર્મય-જ્યોતિર્મય નહિ, ખુદ જ્યોતિ જ. એ દીવો એવો છે, જેને નથી બત્તી, નથી તેલ, નથી વાટ; ને છતાં એ સદાકાળ ઝળક્યાં જ કરે છે સ્થિરતાથી. એ પરમાત્મા સ્થિર ને શાશ્વત છે; અજન્મા ને અવ્યય છે, એ સર્વનો આધાર છે, પણ એને કોઈના આધારની જરૂર નથી, ઇન્દ્રિયોથી એને પારખી કે પામી શકાતો નથી; ને એ કેવળ સ્વાનુભૂતિનો જ વિષય છે.&lt;br /&gt;
&lt;br /&gt;
આ સચરાચર વિશ્વમાં એ એક જ તત્ત્વ એવું છે જેનો કદી નાશ ન થતો હોય. બુદ્ધિથી એ કળી શકાતો નથી અને છતાં, નીચે ને ઊંચે અધઃ અને ઊર્ધ્વ, વિશ્વની અંદર ને વિશ્વથી પર મહાલી રહ્યો અનુભવાય છે એકલો એ જ; ને વ્યાપી રહ્યો છે એ સર્વમાં ને સર્વત્ર. બુદ્ધિથી કે જ્ઞાનથી એને જાણવા કે પામવા મથનારના હાથ હેઠા પડતા હોય છે. ને છતાં સંતો-સાચા એકનિષ્ઠ ભક્તજનો પ્રેમના તાંતણાથી એને બાંધી લેતા હોય છે. બુદ્ધિમાનો અને જ્ઞાનીઓને અગમ્ય રહેનારો કૃષ્ણપરમાત્મા ભોળા ને ભાવુક ભક્તજનોના પ્રેમને વશ થઈ જતો હોય છે.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{right|(આપણાં ઊર્મિ-કાવ્યો)}}&amp;lt;br&amp;gt;&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નવ કરશો કોઈ શોક કાવ્ય વિશે&lt;br /&gt;
|next = બંસીવાલા! આજો મોરા દેશ! કાવ્ય વિશે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>