<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%B9%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%A4_%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8D_%E0%AA%86%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8D%2F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7</id>
	<title>અહો બત કિમ્ આશ્ચર્યમ્/પ્રભુની શોધ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%85%E0%AA%B9%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%A4_%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8D_%E0%AA%86%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8D%2F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B9%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%A4_%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8D_%E0%AA%86%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&amp;action=history"/>
	<updated>2026-05-18T17:54:08Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B9%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%A4_%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8D_%E0%AA%86%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&amp;diff=7386&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}}  {{Heading|પ્રભુની શોધ| સુરેશ જોષી}}  {{Poem2Open}} મનુષ્યને જીવવા માટે સૌથી મ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%85%E0%AA%B9%E0%AB%8B_%E0%AA%AC%E0%AA%A4_%E0%AA%95%E0%AA%BF%E0%AA%AE%E0%AB%8D_%E0%AA%86%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AE%E0%AB%8D/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7&amp;diff=7386&amp;oldid=prev"/>
		<updated>2021-07-07T09:14:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|પ્રભુની શોધ| સુરેશ જોષી}}  {{Poem2Open}} મનુષ્યને જીવવા માટે સૌથી મ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|પ્રભુની શોધ| સુરેશ જોષી}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
મનુષ્યને જીવવા માટે સૌથી મોટો આધાર કોનો? હું વક્રદ્રષ્ટા નથી, છતાં મને તો આ પ્રશ્નનો એક જ જવાબ સૂઝે છે. માનવીને જીવવા માટેનો સૌથી મોટો આધાર છે ભ્રાન્તિનો. વળી પરિસ્થિતિ કરુણ તો એટલા માટે છે કે એ ભ્રાન્તિને ભ્રાન્તિ તરીકે ઓળખે છે, છતાં એને આધાર ગણીને વળગી રહે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
માયાને આભાસરૂપ કહી છે. એ જે રૂપે દેખાય છે તે વાસ્તવમાં નથી. છતાં આપણો બધો વહેવાર એને આધારે જ ચાલે છે. ભગવાને સત્ય કરતાં માયાને જ વધારે સુન્દર બનાવી છે. પણ એ તરફ આપણે આકર્ષાઈને તેને નંદ્યિ ગણ્યું છે. ઘણી વાર તો એવું લાગે છે કે જે સ્વાભાવિક છે તે જ સ્વીકારવા જેવું નથી. મારી સામેના લીમડાને કે શિરીષને શું સ્વીકારવું અને શું નહીં સ્વીકારવું એ વિશે કશી દ્વિધામાં પડતાં હું જોતો નથી. પણ મનુષ્યે તો વિવેકશક્તિ કેળવવી રહે. આથી જ તો કોઈ વાર જીવન ઘણું અટપટું લાગે છે. આપણું સ્વાભાવિક વર્તન ક્યારથી વિકૃત ગણાવા લાગ્યું એ પ્રશ્ન પૂછવાનો કશો અર્થ નથી. મનુષ્યનો સ્વભાવ જ બદલાતો રહે છે. લીમડો લીમડાપણું છોડતો નથી, પણ માનવી તો ઘણી વાર પશુના નિમ્ન સ્તરે સરી પડે છે તો ઘણી વાર દેવ થવાને માટે પણ મથે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
દ્વિધાવૃત્તિ, અનેક વિકલ્પોનો સામનો કરવો, સ્વભાવને વશ ન વર્તવું આ બધું માનવીને માટે શાપરૂપ છે. પણ આ મથામણને કારણે જ મનુષ્યના જીવનમાં અનોખો રસ ઉમેરાય છે. માનવીનું માનવ્ય એ કેવળ સુખમય જીવન જીવી શકે એમાં નથી. કેટલીક વાર તો એ સુખને ઠોકર મારીને જ મહાન બનતો હોય છે. જેમ ભ્રાન્તિ એના જીવનનો આધાર છે તેમ દુ:ખ અને પ્રતિકૂળતા એની મહત્તાનાં મુખ્ય કારણો છે. આથી જ તો માનવીએ કેટલીય વાર સામે ચાલીને દુ:ખને વધાવ્યાં છે. સુખની શોધમાં ગયેલાને આપણે ઝાઝા સંભાર્યા નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
હું જે કરું છું તેમાં મને સન્તોષ નથી તે છતાં સન્તોષ માનવો, એ પરિસ્થિતિને સહી લેવી, એમાં આપણે સાત્ત્વિકતા જોઈ છે. મહત્ત્વાકાંક્ષા એ રાજસી વૃત્તિનો આવિષ્કાર ગણાઈ છે. આ જ રીતે સમાધાનની વૃત્તિને પણ આવકારવામાં આવી છે. સમતા દૃઢીભૂત કે ઠોસ બનાવવા માટે અહંકાર તો અમુક માત્રામાં જોઈએ જ. પણ એ માત્રા કોણ નક્કી કરે? દક્ષિણના દાર્શનિક અપ્પય દીક્ષિતે કહ્યું કે અહંકારને વધારવો હોય તો વધારો પણ તો પછી એને એટલો વધારો કે એની બહાર કશું નહીં રહે, પણ એ તો કેવળ ઈશ્વરને માટે જ શક્ય છે.&lt;br /&gt;
&lt;br /&gt;
અહંકારની સાથે સ્વાર્થ સંકળાયેલો છે. આ સ્વાર્થ આપણને સંકુચિત કરે છે, કાફકાએ આ સમ્બન્ધમાં નોંધ્યું છે, ‘જીવનના ઉંબર પર ઊભા હોઈએ ત્યારે બે કાર્યો કરવાનાં રહે. તમારું વર્તુળ વધુ ને વધુ સાંકડું કરતા જાઓ, સદા એ વાતની ખાતરી કરતા રહો કે એમ કરતાં પહેલાં તમે પહેલેથી જ તમારી જાતને વર્તુળની બહાર ક્યાંક સંતાડી તો નથી દીધી ને?’ પણ આ ધૂર્તતાથી માનવી બચી શક્યો હોય તો ને?&lt;br /&gt;
&lt;br /&gt;
આમ સમ્બન્ધો સંકોચાય છે, વિસ્તરે છે, એકબીજાને ભૂમિતિની રેખાની જેમ છેદે છે. એમાંથી વેદના ઉદ્ભવે છે. પણ બધી જ વેદનાનું કાવ્ય બનતું નથી. આથી કાવ્ય નહીં બનેલી વેદનાનો ભાર સમ્બન્ધોને કચડી નાંખે છે. આ ઉપરાંત સહીસલામતીને નામે કેટલા બધા વિધિનિષેધોની અટપટી જટાજાળ આપણે ઊભી કરીએ છીએ! પછી તો આ બધી ગૂંચો ઊભી કરવામાં ને એને ઉકેલવાનો ડોળ કરવામાં જ આપણને મજા પડવા માંડે છે.&lt;br /&gt;
&lt;br /&gt;
સંસ્કૃતિ અમુક અર્થમાં તો વિકૃતિ છે જ. એમાં કશું મૂળ સ્વરૂપમાં રહેતું નથી. બધી વસ્તુના પર સંસ્કાર થાય છે. સંસ્કાર થવાથી કદાચ એ વધારે સોહામણી લાગે, પણ એનો સ્વભાવ તો ઢંકાઈ જ જાય. એ મૂળ સ્વભાવને ઢાંક્યા પછી વળી પાછો એને પામવાનો પ્રયત્ન મનુષ્ય છોડતો નથી.&lt;br /&gt;
&lt;br /&gt;
બન્ધન માત્ર સાપેક્ષ હોય છે. આથી જ તો એકની અપેક્ષાએ બીજાએ ગોઠવાવું પડે છે. ટોમસ માને કહ્યું છે કે જે વધારે ચાહે છે તેને જ દુ:ખી થવાનું રહે છે, પછી આ દુ:ખ જ જાણે પ્રેમનું ગૌરવ બની રહે છે. આ દુ:ખથી પૂર્ણ જગતમાં એ અનિવાર્ય દુ:ખને સહ્યા બનાવવા માટે માનવીએ કેવી કેવી ભ્રાન્તિ ઊભી કરી છે.&lt;br /&gt;
&lt;br /&gt;
મનુષ્યે પ્રભુની શોધ કરીને એક પરિસ્થિતિ ઊભી કરી છે કે જેમાં હૃદય સમસ્તથી વારી જવાય, પણ સામે પક્ષેથી કશાય પ્રતિભાવની આશા રાખવાની જ નહીં, સંસારના સમ્બન્ધોને આથી જ તો જુઠ્ઠા કરીને આપણે ભગવાન સાથેનો સમ્બન્ધ સાચો ગણ્યો. મીરાંએ કૃષ્ણ નામની જ ચૂડી પહેરી તો ચણ્ડીદાસે એક નારીના અસામાજિક નિષિદ્ધ પ્રેમ દ્વારા જ ભગવાન સુધી પહોંચવાનું યોગ્ય ગણ્યું.&lt;br /&gt;
&lt;br /&gt;
8-9-74&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>