<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%86%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80%2F%E0%AB%A8</id>
	<title>આચમની/૨ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%86%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80%2F%E0%AB%A8"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%86%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80/%E0%AB%A8&amp;action=history"/>
	<updated>2026-05-12T16:12:29Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%86%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80/%E0%AB%A8&amp;diff=108360&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%86%E0%AA%9A%E0%AA%AE%E0%AA%A8%E0%AB%80/%E0%AB%A8&amp;diff=108360&amp;oldid=prev"/>
		<updated>2026-03-17T15:03:01Z</updated>

		<summary type="html">&lt;p&gt;+૧&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૨}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સંસ્કૃતમાં એક કહેવત છે : અગ્રે અગ્રે વિપ્ર:. સામાન્ય વાતચીતમાં પણ એ કહેવત વપરાય છે. સહુથી અગ્નિમ સ્થાન વિપ્રનું. આ કથનમાં સાધારણ રીતે એમ લાગે કે બ્રાહ્મણ જાતિને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. ખરી રીતે તો જે બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ, અને એને &lt;br /&gt;
ઉચ્ચ પદ આપવું એમાં તો સમાજની શોભા છે. પણ વિપ્ર એથી ઘણો વધુ વિશેષ અર્થ લઈ આવે છે. તેમાં નાત-જાતને લાવવાની જરૂર નથી. બ્રાહ્મણ, દ્વિજ અને વિપ્ર એ ત્રણે શબ્દ શ્રોત્રિય માટે વપરાય છે. શ્રોત્રિય એટલે બહુશ્રુત, વિશાળ ચિંતન અને અનુભવનો ભંડાર. એ વિષે શ્લોક છે :&lt;br /&gt;
જન્મના બ્રહ્મણો જ્ઞેય સંસ્કારૈર્દ્વિજ ઉચ્યતે&lt;br /&gt;
વિદ્યાયા યાતિ વિપ્રત્વં, ત્રિભિઃ શ્રોત્રિય-લક્ષણમ્&lt;br /&gt;
માણસ જન્મથી ભલે બ્રાહ્મણ હોય પણ એ સંસ્કારથી નવો જન્મ ન પામે ત્યાં સુધી દ્વિજકુળમાં તેનો જન્મ થતો નથી. દ્વિજત્વ એટલે દેહભાવે મરીને આત્મભાવે બીજો જન્મ લેવો. આ નવો જન્મ વિદ્યામાં પ્રવેશ કરાવે છે અને વિદ્યા વિપ્રત્વ ભણી લઈ જાય છે. સાયણ ભાષ્યમાં વિપ્ર વિષે કહ્યું છે : વિપ્રત્વં અતિશયેન મૈધાવિનમ્. જેને અત્યંત મેધા વરી હોય એને કહેવાય વિપ્ર.&lt;br /&gt;
જે સંસ્કૃતિ સત્તાધીશને, પદવીધારીને કે ધનવાનને અગ્રસ્થાન ન આપે પણ વિદ્યાવાનને, મેધાવીને આપે તે સંસ્કૃતિ જ ઊંચાં મૂલ્યો ધરી જીવતી રહી શકે. &amp;#039;અગ્રે અગ્રે વિપ્ર:’ – એ કહેવત માત્ર ગૌરવ લેવા માટે જ નથી પરંતુ વિપ્રને ફરી ગૌરવવંતુ સ્થાન આપવાનું યાદ અપાવે તેવી છે.&lt;br /&gt;
વિપ્રનો બીજો એક અત્યંત માર્મિક અર્થ પણ છે : ‘પ્રેરણા દ્વારા પોતાના હૃદયમાં કંપન અનુભવે અને પ્રેરિત વાણીને વહાવે તેવો કવિ.’ ‘વિપ્ર&amp;#039; ધાતુ પરથી કંપવું અને તેની પરથી વિપ્ર શબ્દ બન્યો છે. જેને આ ક્ષુદ્ર અને મર્ત્ય જીવનમાં મહત્ તત્ત્વનું તથા અમૃત તત્ત્વનું દર્શન થયું છે એટલું જ નહીં, પણ જે એને ઉત્કૃષ્ટ વાણીમાં વ્યક્ત કરે છે, એ છે વિપ્ર.&lt;br /&gt;
અગ્રે અગ્રે વિપ્રઃ–એ હજીયે જીવતી રહેલી કહેવત આપણને ભારતીય દર્શન અને જીવનનાં ઊંચાં શિખરો ભણી લઈ જાઓ. વિપ્રને અગ્રતા આપીશું તો પછી ઉગ્ર કે વ્યગ્ર થવાની જરૂર નહીં રહે. &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{center|&amp;lt;nowiki&amp;gt;***&amp;lt;/nowiki&amp;gt;}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૧&lt;br /&gt;
|next = ૩&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>