<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%2F%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE</id>
	<title>કંકાવટી/પુરોગામી પુરાવા - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%2F%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE&amp;action=history"/>
	<updated>2026-04-08T06:30:48Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE&amp;diff=30719&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar at 05:30, 22 January 2022</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE&amp;diff=30719&amp;oldid=prev"/>
		<updated>2022-01-22T05:30:22Z</updated>

		<summary type="html">&lt;p&gt;&lt;/p&gt;
&lt;a href=&quot;https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE&amp;amp;diff=30719&amp;amp;oldid=30718&quot;&gt;Show changes&lt;/a&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE&amp;diff=30718&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}} {{Heading|પુરોગામી પુરાવા| }}  {{Poem2Open}} [મંડળ પહેલું: પાંચમી આવૃત્તિ] આ લોક...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE&amp;diff=30718&amp;oldid=prev"/>
		<updated>2022-01-22T05:13:48Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|પુરોગામી પુરાવા| }}  {{Poem2Open}} [મંડળ પહેલું: પાંચમી આવૃત્તિ] આ લોક...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|પુરોગામી પુરાવા| }}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
[મંડળ પહેલું: પાંચમી આવૃત્તિ]&lt;br /&gt;
આ લોકવ્રતોના કાલનિર્ણયમાં મદદ કરે તેવા પુરાવા નીચે મુજબ હાથ લાગ્યા છે:&lt;br /&gt;
અલિંજર નાગની કથા&lt;br /&gt;
વિ. સં. ૧૪૦૫માં જૈન સાધુ શ્રી રાજશેખરસૂરિએ રચેલા ‘પ્રબંધકોશ’ અથવા ‘ચતુર્વિશતિપ્રબંધ’ની મુનિશ્રી જિનવિજયજી સંપાદિત આવૃત્તિની બીજી કથા ‘આર્યનંદિલ પ્રબંધ’ છે, તે ‘કંકાવટી’ની ‘નાગપાંચમ’ની કથા સાથે ઘણું સામ્ય ધરાવે છે. મૂળ સંસ્કૃત કથાનો સારાંશ એવો છે કે, &lt;br /&gt;
પદ્મિની ખંડપત્તન નામનું નગર છે. ત્યાં પદ્મદત્ત શેઠ રહે છે તેની ભાર્યા પદ્મયશા છે. તેનો દીકરો પદ્મનાભ. વરદત્ત નામના સાર્થવાહની બેટી વૈરોટ્યા તેની વેરે પરણાવેલી છે. વૈરોટ્યાનો પિતા સપરિવાર વિદેશે જતાં રસ્તે વનદાવાનલમાં બળી મૂઓ. વૈરોટ્યાને સૌ નબાપી કહી મેંણાં દે છે. પણ વૈરોટ્યા સાસુના કટુ બોલે સંતાપ પામતી છતાં કોઈને નિંદતી નથી. &lt;br /&gt;
પછી વૈરોટ્યાને ગર્ભ રહે છે. એને ખીરના ભાવા (પાયસ = દોહદ) ઉદ્ભવે છે. તેની સાસુ પદ્મયશાને ચૈત્રી પૂર્ણિમાના ઉપવાસનું પારણું આવે છે. તે દિવસે યતિઓને વહોરાવવા પાયસ (ખીર) રાંધે છે. પણ સાસુ, વહુને તો કળથીનું જ અન્ન આપે છે. વહુ થાળીમાં પાયસ (ખીર) છાનીમાની લઈ જઈ, વસ્ત્રમાં બાંધી, ઘડામાં નાખી, જલાશય પર જાય છે. ઘડો ઝાડને થડે મૂકીને જ્યારે એ હાથપગ ધોવા ગઈ, ત્યારે પાતાળવાસી અલિંજર નામના નાગની સગર્ભા પત્ની, જેને પણ ક્ષીરાન્નના ભાવા થયા છે તે આવીને વૈરોટ્યાના ઘડામાંથી ક્ષીરાન્ન ખાઈને ચાલી જાય છે. &lt;br /&gt;
વૈરોટ્યા પાછી આવીને જુએ છે તો ક્ષીરાન્ન મળે નહિ! છતાં એ ક્રોધ કરતી નથી, કુવચન બોલતી નથી, પણ આશિષ આપે છે: ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ જેણે આ ખાધું હોય તેના મનોરથ પૂરા થજો! &lt;br /&gt;
છુપાઈને ઊભેલી અલિંજર-પત્ની નાગણીએ આ શબ્દો સાભળ્યા, અને પાતાળમાં જઈ પોતાના પતિને આ વાત કહી. વૈરોટ્યા પણ પોતાના ઘેર ગઈ. રાત્રિએ વૈરોટ્યાની પડોશણને સ્વપ્નમાં આવીને નાગપત્નીએ કહ્યું, કે આ વૈરોટ્યા મારી પુત્રી છે. એને ખીર ખાવાના ભાવા થયા છે, તે તું પૂરા કરજે ને એને કહેજે કે તારે પિયર નથી તેની ખોટ હું પૂરી કરીશ. &lt;br /&gt;
આ રીતે પ્રભાતે પાડોશણે વૈરોટ્યાને કહીને ખીર જમાડી. દોહદ સંતોષાતાં વૈરોટ્યાએ દીકરો જણ્યો. નાગપત્નીએ સો દીકરા જણ્યા. વૈરોટ્યાના બેટાનું નામ પાડવાને દિવસે નાગોએ ઉત્સવ કર્યો. વૈરોટ્યાના બાપનું ઘર જ્યાં અગાઉ હતું, તે જ ઠેકાણે નાગલોકોએ ધવલગૃહ ખડું કરીને શણગાર્યું. હાથી, ઘોડા ને વેલ પાલખી લઈને નાગ લોકો આવ્યા. અલિંજર નાગની સ્ત્રીએ અઢળક પહેરામણી આણી. &lt;br /&gt;
પછી તો વૈરોટ્યા રોજ અલિંજર-પત્નીને ઘેર જાય છે, ને પૂરાં માનપાન પામે છે. પછી તો સાસુ પણ વહુને રૂડી રીતે રાખે છે. વૈરોટ્યાના રક્ષણાર્થે નાગણી માએ પોતાના નાગ-બેટાને ત્યાં મૂકેલ છે. વૈરોટ્યા તો એ સર્પોને ઘડામાં રાખે છે. એવામાં ઘરની કોઈક દાસીએ એ સર્પ ભર્યો ઘડો ધગેલી થાળી પર મૂક્યો. વૈરોટ્યાએ તરત જ એ ઉતારી નાખ્યો, ને એ સર્પોના ઉપર પાણી છાંટ્યું. એમાંથી એક બચ્ચું પૂંછડા વગરનું બન્યું. જ્યારે જ્યારે એ બાંડું બચ્ચું પડે-આખડે છે ત્યારે વૈરોટ્યા બોલે છે: ‘બણ્ડો જીવતુ.’ વૈરોટ્યાના હેતથી પ્રસન્ન બનેલા ભાઈ જેવા સર્પકુમારો ખૂબ પહેરામણી સાથે નામ પાડીને પાછા ગયા. &lt;br /&gt;
પછી એક દિવસ અલિંજર નાગ પોતાના એક પુત્રને બાંડો દેખીને ક્રોધ કરી ઊઠ્યો: ‘કોણ દુષ્ટે મારા દીકરાને પૂંછડા વગરનો કર્યો?’ અવધિજ્ઞાન મૂકીને એણે જાણી લીધું કે એ કરનાર વૈરોટ્યા છે. એના પર રોષે ભરાઈને રૂપ બદલીને વૈરોટ્યાના ઘરમાં જઈ બેઠો. વૈરોટ્યા બહારથી ઘેર આવી, ઘરમાં પ્રવેશતાં જ એ બોલી, ‘બણ્ડો મે જીવતુ ચિરમ્’. એ સાંભળીને પ્રસન્ન બનેલો નાગરાજ વૈરોટ્યાને ઝાંઝરની જોડી દઈને બોલ્યો: ‘બેટા, હવેથી તારે પાતાળમાં આવવું, નાગભાઈઓ પણ તારે ઘેર આવશે.’ પછી તો વૈરોટ્યા પાતાળમાં આવ-જા કરે છે. &lt;br /&gt;
હવે, વૈરોટ્યાના સસરા પદ્મદત્તને શ્રી આર્યનંદિલ સાધુએ કહ્યું કે તારી પુત્રવધુને કહે, એમણે નાગની પાસે માગવું કે તમારે પૃથ્વી પર કોઈને કરડવું નહિ. &lt;br /&gt;
એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું: ‘સાઙલિંજર પત્નીં જીયાત્! સોઙલિંજરો જીયાત્! યેનાઙહમપિતૃગૃહાઙપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઙપિ સનાથા સંજાતા...’ વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ ‘વૈરોટ્યાસ્તવ’ નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે. &lt;br /&gt;
જૈન સ્વાંગમાં લોકકથા&lt;br /&gt;
ઉપલી કથામાં જે જૈન સૂરિ વગેરેનો ઉલ્લેખ છે, તે તો અનેક શુદ્ધ લોકકથાઓને જૈન સ્વરૂપ આપીને સંપ્રદાયદૃષ્ટિએ બોધાત્મક બનાવવાની પરાપૂર્વથી ચાલી આવતી જૈન રસમ લેખે ઘટાવી શકાય. રાજા, નગર, શેઠ, શેઠાણી વગેરેનાં એક જ પ્રકારનાં નામ પણ એ જૈન-રૂઢિને આભારી છે. પણ વાર્તાની આંતરગત લાક્ષણિકતારૂપ તત્ત્વો તો આ છે:  આ સંસ્કૃત પ્રબંધમાં વૈરોટ્યાના ઉદ્ગાર છે ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ તેની સાથે સરખાવીએ વ્રતકથાના ઉદ્ગાર: &lt;br /&gt;
‘હશે બાઈ! ભલે ખાધા. ખાનારી યે મારા જેવી જ કોઈ અભાગણી હશે. જેણે ખાધાં એનાં પેટ ઠરજો!’ &lt;br /&gt;
એ જ રીતે પૂંછડા વગરના સર્પને માટે વૈરોટ્યા બોલે છે: ‘બણ્ડા મે જીવતુ ચિરમ્’ તેની સાથે વ્રત-કથાનો બોલ છે: &lt;br /&gt;
ખમા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર,&lt;br /&gt;
શેષનાગ બાપ ને નાગણ મા, જેણે પૂર્યા હીર ને ચીર. &lt;br /&gt;
બરાબર એ જ શબ્દો, છેલ્લે વૈરોટ્યા બોલી રહી છે: &lt;br /&gt;
‘સોઙલિંજર પત્નીં જીયાત્...’ વગેરે &lt;br /&gt;
આવી તુલના કરતાં, પુરાતન કોઈ લોકકથા પરથી જ સંસ્કૃત પ્રબંધ રચાયો હોવાનો સંભવ વિશેષ ભાસે છે. &lt;br /&gt;
ઉપરાંત આ બધા પ્રબંધો પૈકી અમુકનાં કથાવસ્તુ તો રાજશેખરસૂરિએ પણ અન્ય જૂની સામગ્રીમાંથી ઉપાડેલ હોવાનાં પ્રમાણો છે, એ દૃષ્ટિએ આ નાગપાંચમની કથા પણ પુરોગામી કોઈક અપભ્રંશ લોકકૃતિ હોવાનું અનુમાન થઈ શકે છે. &lt;br /&gt;
 પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું&lt;br /&gt;
‘કંકાવટી’ (ભાગ ૧)ના ‘મોળાકત’ના વ્રતસાહિત્યમાં ગોરમાની સ્તુતિ છે:&lt;br /&gt;
ગોર મા ગોર મા રે, સસરા દેજો સવાદિયા&lt;br /&gt;
ગોર મા ગોર મા રે, સાસુ દેજો ભુખાળવાં&lt;br /&gt;
ગોર મા ગોર મા રે, કંથ દેજો કહ્યાગરો. &lt;br /&gt;
 એ વગેરેની સાથે ઘણુંખરું મળતું આવતું પદ પ્રેમાનંદના ‘ઓખાહરણ’માંથી પ્રાપ્ત થાય છે. શ્રી મંજૂલાલ મજુમદાર પાસેની સચિત્ર પ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે. &lt;br /&gt;
ગૌરીપૂજન કરતાં ઓખા, પાર્વતીજીને પ્રાર્થના કરે છે: &lt;br /&gt;
[૧]ગોર મા! માગું રે હું તો કંથજીનાં રાજ, કંથજીનાં રાજ;&lt;br /&gt;
ચાંદલો, ચૂડો, અવિચલ ઘાટડી.&lt;br /&gt;
&lt;br /&gt;
ગોર મા! માગું રે હું તો સસરાનાં રાજ, સસરાનાં રાજ;&lt;br /&gt;
સાસુ તે માગું ભૂખાલડી.&lt;br /&gt;
&lt;br /&gt;
ગોર મા! માગું રે હું તો દાદાનાં રાજ, દાદાજીનાં રાજ;&lt;br /&gt;
માડી રે સદા સોહામણી.&lt;br /&gt;
&lt;br /&gt;
ગોર મા! માગું રે હું તો જેઠનાં રાજ, જેઠજીનાં રાજ;&lt;br /&gt;
જેઠાણી તે મીઠાબોલણી.&lt;br /&gt;
&lt;br /&gt;
ગોર મા! માગું રે હું તો વીરાજીનાં રાજ, વીરાજીનાં રાજ;&lt;br /&gt;
ભાભી તે હાલ હુલાવતી. &lt;br /&gt;
ગોર મા! માગું રે હું તો પુત્રપરિવાર, પુત્રપરિવાર;&lt;br /&gt;
વહુવર પાયે રે લાગતી.&lt;br /&gt;
&lt;br /&gt;
ગોર મા! એટલી પૂરો મનડાની આશ, મનડાની આશ;&lt;br /&gt;
ઝાઝું તો કંઈએ નથી માગતી. &lt;br /&gt;
 પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું, કે લોકસાહિત્યે પ્રેમાનંદમાંથી? બેમાંથી કોણ જૂનું? કોણ મૌલિક? કોણ વધુ ચમત્કૃતિમય? એ પ્રશ્ન તપાસવા જેવો છે. &lt;br /&gt;
રાજસ્થાની ગણગોર&lt;br /&gt;
એ જ કૃતિમાંથી પા.૧૫ પરનું જોડકણું જુઓ: ‘ગોર્ય ગોર્ય માડી, ઉઘાડો કમાડી’ વગેરે. ને તેની સાથે સરખાવો નીચેનું શબ્દેશબ્દે મળતું રાજસ્થાની લોકગીત: &lt;br /&gt;
ગવર ગિણગોર માતા, ખોલ કિંવાડી&lt;br /&gt;
બહાર ઊભી થારી પૂજણવાળી&lt;br /&gt;
પૂજો એ પૂજાયાં બાયાં, આસણ કાસણ માંગાં&lt;br /&gt;
જળહર જામી બાબો માંગાં, રાતા દેઈ માય&lt;br /&gt;
કાન્હકંવર-સો વીરો માંગાં, રાઈ-સી ભોજાઈ&lt;br /&gt;
સાંવળિયો બહનોઈ માંગાં, સોદરા બહન માંગાં&lt;br /&gt;
હાંડા ધોલણ ફૂકો માંગાં, ઝાડૂ દેવણ ભૂવા&lt;br /&gt;
[‘રાજસ્થાન કે લોકગીત’ પ્રથમ ભાગ: પૂર્વાર્ધ, પાનું ૪૩.] &lt;br /&gt;
એક જ તહેવાર, એક જ વ્રત, સમાન ભાવ અને સરખા શબ્દો. રાજસ્થાની લોકસાહિત્યના ભાષાભાવનાં નીર એકમેકમાં વહેતાં હતાં. પાણી એક જ હતાં, આરા જ ફક્ત જુદા હતા. &lt;br /&gt;
દેવાદિક તત્ત્વ પરત્વે લોકસમૂહે જે દૃષ્ટિએ નિહાળ્યું અને જે એક લૌકિક રહસ્યદર્શન વિકસાવ્યું તેનો પરિપૂર્ણ ખ્યાલ કરાવવાને માટે ‘કંકાવટી’નો આ એક જ ભાગ પૂરતો નથી. એટલા માટે જ હું આના જેવડો બીજો ખંડ પણ પ્રકટ કરી ચૂક્યો છું. તેમ એમાં મેં સુદીર્ઘ ને સવિસ્તર પ્રવેશક પણ આપેલ છે. નરી વાર્તાદૃષ્ટિએ પણ એમાંની સામગ્રી મનોરંજક અને સાહિત્યશીલ છે. પણ તે ઘણાં વર્ષો પાછળથી પ્રકટ થયો એટલે ઘણા વાચકોનું લક્ષ તે તરફ ગયું લાગતું નથી. &lt;br /&gt;
રાણપુર: ૯-૧૦-૪૧	ઝવેરચંદ મેઘાણી&lt;br /&gt;
&lt;br /&gt;
* પ્રેમાનંદકૃત ‘ઓખાહરણ’, સચિત્ર પ્રત, કડવું ૨૬.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>