<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%2F%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E2%80%8B</id>
	<title>કંકાવટી/બોળ ચોથ​ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%2F%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E2%80%8B"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E2%80%8B&amp;action=history"/>
	<updated>2026-04-10T15:57:08Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E2%80%8B&amp;diff=30885&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}} {{Heading|બોળ ચોથ​|}}  {{Poem2Open}} બોળિયો એટલે વાછડો: તે પરથી ‘બોળ ચોથ’ નામ પડ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AA%82%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80/%E0%AA%AC%E0%AB%8B%E0%AA%B3_%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A5%E2%80%8B&amp;diff=30885&amp;oldid=prev"/>
		<updated>2022-01-24T11:02:28Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|બોળ ચોથ​|}}  {{Poem2Open}} બોળિયો એટલે વાછડો: તે પરથી ‘બોળ ચોથ’ નામ પડ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|બોળ ચોથ​|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
બોળિયો એટલે વાછડો: તે પરથી ‘બોળ ચોથ’ નામ પડ્યું છે. આ કથામાંથી એવો કંઈક ધ્વનિ નીકળે છેકે કોઈ માંસાહારી પ્રજાનું આ વ્રત હોવું જોઈએ. નહિતર ભૂલથી વાછરડાને મારી નાખવાની મૂર્ખાઈને એ યુગ ચલાવી લે નહિ. આજે પણ હિંદના અન્ય અનેક પ્રાંતોમાં બ્રાહ્મણો માંસાહારી ક્યાં નથી? વ્રતની પ્રાચીનતા ઉપર આ કથાનું તત્ત્વ પ્રકાશ પાડે છે.] &lt;br /&gt;
શ્રાવણ માસ આવ્યો છે. અંધારી ચોથ આવી છે. તે દી તો ગામોટીને ઘેર એકરંગી ગા’ ને એકરંગી વાછડો પૂજાય. &lt;br /&gt;
ગામોટીની વહુ તો ઊઠીને ના’વા ગઈ છે. વહુ-દીકરીને કહેતી ગઈ છે: “આજ તો તમે ઘઉંલો ખાંડીને ઓરજો.” &lt;br /&gt;
સાસુ તો ઘઉંનું ગળ્યું ધાન રાંધવાનું કહી ગઈ છે, પણ વહુ-દીકરી તો વાત ઊંધી સમજ્યાં છે. ગામોટની ગા’ના વાછડાનું નામ ‘ઘઉંલો’ છે. &lt;br /&gt;
નણંદ ભોજાઈએ તો ભેળી થઈ, ઘઉંલા વાછડાને ઝાલી, કાપી, ખાંડીને હાંડલામાં ચડાવી દીધો છે. એને તો બાફી નાખ્યો છે. &lt;br /&gt;
ગામોટીની વહુ તો નાહીધોઈને ઘેરે આવી છે. દીકરીને એણે પૂછ્યું છે કે “કાં, ઘઉંલો બાફ્યો?” &lt;br /&gt;
દીકરી કહે, “હા. પણ માડી, ઘઉંલો તો કાંઈ ભૂંડો ને! ઝાલ્યો ઝલાય નહિ! કાપ્યો કપાય નહિ! અને એણે તો શું રાડ્યું પાડી છે ને! ભાંભરડે ભાંભરડા નાખે! માંડ માંડ કપાણો.” &lt;br /&gt;
થડક થઈને મા તો પૂછે છે કે “તે તમે ક્યો ઘઉંલો બાફ્યો?” &lt;br /&gt;
“બીજો ક્યો વળી? આપણો વાછડો.” &lt;br /&gt;
“અરર! વાલામૂઇયું! તમે તો કાળો કોપ કર્યો! હવે આપણે મોઢું શું દેખાડશું? આ સાંજ પડ્યે તો ગા’-વાછડો પૂજવા ગામની ગોરાણિયું આવશે! ગા’ આવીને ભાંભરડા દેવા માંડશે! આપણે એને જવાબ શો દેશું?” &lt;br /&gt;
મા તો મુંઝાઈ ગઈ છે. ઘઉંલાવાળું હાંડલું લઈને ત્રણેય જણીઓ છાનીમાની ઉકરડામાં દાટી આવી છે. આવીને ખડકી વાસી દીધી છે. ત્રણેય જણીઓ સંતાઈને ઘરમાં બેસી ગઈ છે. &lt;br /&gt;
આજ તો આઢતી ગા’ પૂજાય છે, પણ આગળ ઉપર આવતી ગા’ પૂજાતી. &lt;br /&gt;
ગામોટીની ગા’ સીમમાં ચરતી’તી ત્યાં એને સત ચડ્યું છે. માથે પૂછડું લઈ કાન પહોળા કરતી, ભાંભરડા દેતી, નાખોરાના ફરકડા બોલાવતી ગા’ વાજોવાજ ગામમાં વહી આવે છે. &lt;br /&gt;
આવે છે ત્યાં તો સામો સાવઝ મળ્યો છે. આડો ઊભો રહીને સાવઝ કહે કે “તને ખાઈ જાઉં!” &lt;br /&gt;
ગા” તો બોલી છે કે “અરે ભાઈ, ગામની ત્રણસો ગોરાણિયું સવારની ભૂખી બેઠી છે. હું નહિ જાઉં તો એ ખાશે નહિ. એને ખવાડીને હું હમણાં પાછી આવું છું. પછી મને ખુશીથી ખાજે.” &lt;br /&gt;
સાવઝે તો ગા’ને જાવા દીધી છે. વગડાને ધણેણાવતી ગા’ તો દોડી આવે છે, ગામમાં આવીને એણે તો ઉકરડામાં શીંગડાં ભરાવ્યાં છે. &lt;br /&gt;
ભરાવે ત્યાં તો હાંડલું ફૂટ્યું છે ને સડાક દેતો વાછડો બેઠો થયો છે. પોતાની માને ચસ! ચસ! ધાવવા માંડ્યો છે, મા તો વાછરડાને ચાટવા મંડી છે. &lt;br /&gt;
અને વાછડાની ડોકમાં તો હાંડલીનો કાંઠો વળગી રહ્યો છે. &lt;br /&gt;
સાંજ પડી ત્યાં તો ગામ આખાની ગોરણીઓ હાથમાં પૂજાની થાળીઓ લઈ લઈને ગામોટીને ઘેર ગા’ પૂજવા હલકી છે. &lt;br /&gt;
આવીને જુએ તો ખડકી તો વાસેલી છે. ઘરમાં તો કોઈ કરતાં કોઈ સળવળતું નથી. સમી સાંજે જાણે સોપો પડી ગયો છે. &lt;br /&gt;
ગોરણીઓ તો ખડકીનું બાર ભભડાવે છે કે “ગોરાણી! એ ગોરાણી! ઉઘાડો, આ સૌ ગોરણિયું ગા’ પૂજવા આવી છે.” &lt;br /&gt;
પણ કોઈ બોલે કે કોઈ ચાલે! ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણી પારેવડી જેવી ફફડે છે. એનો તો ફડકે શ્વાસ જાય છે. &lt;br /&gt;
વાટ જોઈ જોઈને વળી પાછી ગોરણીઓ બોલે છે, “અરેરે! આ ગા આવીને ઊભી છે. આ વાછડો ગા’ને ધાવી જાય છે. અને આ વાછડાની ડોકમાં આજ તો ફૂલના હાર હોય એને સાટે આ રાંડુંએ તો વાછડાને કાળા હાંડલાનો કાંઠો કાં પે’રાવ્યો છે?” &lt;br /&gt;
ખડકી બહાર તો આવી આવી વાતો થાય છે. ઘરમાં બેઠી બેઠી ત્રણેય જણીઓ કાનોકાન સાંભળે છે. સાંભળીને વિસ્મે થાય છે. &lt;br /&gt;
મા કહે, “દીકરી, છાનીમાની ખડકીની તરડમાંથી જોઈ આવ તો ખરી! આ ગા’-વાછડાની શી વાતું થાય છે?” &lt;br /&gt;
દીકરીએ તો તરડમાંથી ગા’ - વાછડાને જીવતાં દીઠાં છે. દોડતી દોડતી ઘરમાં ગઈ છે. માને કહે કે “માડી! ગા’ ઊભી છે, ને ઘઉંલો ધાવે છે!” &lt;br /&gt;
“અરે માડી! એ તો કો’ક બીજાનો વાછડો હશે. હવે ઘઉંલો કેવો!” એમ કહીને મા રોઈ પડે છે. &lt;br /&gt;
દીકરી માને પરાણે ખડકીએ લઈ જાય છે. જઈને જુએ ત્યાં તો સાચોસાચ ઘઉંલો સજીવન દીઠો છે. &lt;br /&gt;
ઝટ ખડકીનું કમાડ ઉઘાડ્યું છે. ગા’ વાછડો દોડીને ફળિયામાં આવ્યાં છે. સાસુ, વહુ ને દીકરીની આંખે તો હરખનાં આંસુડાં હાલ્યાં જાય છે. &lt;br /&gt;
ગોરણીઓએ તો બાઈને બધી વાત પૂછી છે, બાઈએ તો બધું કહી સંભળાવ્યું છે. સૌ ગોરણીઓને પગે લાગીને બાઈ તો બોલી છે: “બાઈયું બેન્યું! તમારાં વ્રતને બળે મારો વાછડો બેઠો થયો છે. પગ તો પૂજું તમ ગોરણિયુંના!” &lt;br /&gt;
ગોરણીઓએ તો ગા’-વાછડાને ચાંદલા કર્યા છે. ફૂલના હાર પહેરાવ્યા છે. ગા’ના જમણા કાનમાં કહ્યું છે, &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
માતાજી! સત તમારું&lt;br /&gt;
ને વ્રત અમારું.&lt;br /&gt;
&amp;lt;/poem&amp;gt;&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
તે દીથી સૌ ગોરાણીએ ઠરાવ્યું છે કે આજથી બોળચોથને દા’ડે પાટિયામાં રાંધેલું, છરીનું સુધારેલું કે ખારણિયામાં ખાંડેલું કોઈ ખાશો મા! ઘઉં ખાશો મા! &lt;br /&gt;
*&lt;br /&gt;
વળતે દી ગાય તો વગડામાં ગઈ છે. એણે તો સાવઝને વચન દીધું’તું એ પ્રમાણે એ સાવઝ પાસે પહોંચી છે. જઈને કહ્યું, “લે ભાઈ, તારે મને ખાવી હોય તો હવે ખાઈ જા.” &lt;br /&gt;
સાવઝે તો ગા’ના ગળામાં ફૂલના હાર દેખ્યા છે, વિસ્મે થઈને પૂછ્યું છે: “અરે બાઈ, આ તારા ગળામાં ફૂલહાર શેના?” &lt;br /&gt;
ગા’એ તો સાવઝને બધી વાત કીધી છે. સાંભળીને સાવઝ બોલ્યો છે કે “માતાજી! તું તો સતવાળી કહેવા. હું તને કેમ ખાઉં!” &lt;br /&gt;
*&lt;br /&gt;
બોળચોથ મા એને ફળ્યાં એવાં સૌને ફળજો! &lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નોળી નોમ&lt;br /&gt;
|next = નાગ પાંચમ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>