<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93%2F%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%21</id>
	<title>કુરબાનીની કથાઓ/સ્વામી મળ્યા! - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93%2F%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%21"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE!&amp;action=history"/>
	<updated>2026-04-16T23:18:06Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE!&amp;diff=29960&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}} {{Heading|સ્વામી મળ્યા!|}}  {{Poem2Open}} ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાં...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AE%E0%AB%80_%E0%AA%AE%E0%AA%B3%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE!&amp;diff=29960&amp;oldid=prev"/>
		<updated>2022-01-06T06:51:46Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|સ્વામી મળ્યા!|}}  {{Poem2Open}} ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાં...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|સ્વામી મળ્યા!|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. &lt;br /&gt;
પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે, પતિની ચિતામાં બળી મરવાને એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલી, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્નદિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં. &lt;br /&gt;
ભેળાં મળેલાં સગાંવહાલાં આનંદની ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતા દેતા ચિતાની તૈયારી કરી રહ્યા છે એ સતી સ્ત્રીએ અચાનક ત્યાં તુલસીદાસજીને જોયા અને આતુર બનીને પૂછ્યું: ‘હે ગોસ્વામી! તમારા પવિત્ર મુખમાંથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો, એટલે હું સુખેથી ચાલી જઈશ.&amp;#039; &lt;br /&gt;
ગોસ્વામીએ પૂછ્યું, ‘માતા, ક્યાં જવાની આ તૈયારી કરી છે?&amp;#039; બાઈ બેલી: ‘મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ!&amp;#039; &lt;br /&gt;
હસીને ગોસ્વામી કહે છે: ‘હે નારી, આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી શું આ પૃથ્વી પણુ નથી, બહેન?&amp;#039; &lt;br /&gt;
અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે ‘તુલસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે?&amp;#039; &lt;br /&gt;
સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી: ‘મારા સ્વામી મને આંહીં મળી જાય તો મ્હારે સ્વર્ગનું શું કામ!&amp;#039; &lt;br /&gt;
તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા: ‘ચાલો પાછાં ઘેરે, મૈયા! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.&amp;#039; &lt;br /&gt;
તુલસીદાસનો કોલ! ભક્તહૃદયને શ્રધ્ધા બેઠી. આશાતુર હૃદયે એ બાઈ પાછી વળી ને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરુ કરી, ગાળોના ઉચ્ચાર કાઢયા; કોઈએ પથ્થરો પણ ફેંક્યા: પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હૃદયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે, પાછળ નજર નાખતી જાય છે. ગેસવામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે; એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી. એક નિર્જન પર્ણકુટીમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગીને એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીની પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ–કરુણુની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું. એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું. એની આંખોનાં આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણે છૂટ્યાં.&lt;br /&gt;
સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં: ‘કાં, તારે સ્વામી જીવતો થયો કે?&amp;#039; &lt;br /&gt;
વિધવાએ હસીને કહ્યું: ‘હા! સ્વામી તો પાછા આવી ગયા.&amp;#039; &lt;br /&gt;
ચમકીને બધા પૂછે છે: ‘હેં! ક્યાં છે? કયા ઓરડામાં બેઠા છે? બતાવ ને?&amp;#039; &lt;br /&gt;
રમણીએ ઉત્તર દીધો: ‘આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો?&amp;#039;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = નગર-લક્ષ્મી&lt;br /&gt;
|next = પારસમણિ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>