<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE%2F%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80%2F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87</id>
	<title>ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/જગદીશ જોષી/શિકારીને - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE%2F%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80%2F%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87&amp;action=history"/>
	<updated>2026-05-25T13:43:08Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87&amp;diff=14214&amp;oldid=prev</id>
		<title>Atulraval: Created page with &quot;{{SetTitle}} {{Heading|આર્દ્રતામાં એકરૂપતા| જગદીશ જોષી}}  {{Poem2Open}} જે પંક્તિઓ લગભગ કહ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%9C%E0%AA%97%E0%AA%A6%E0%AB%80%E0%AA%B6_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B7%E0%AB%80/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%87&amp;diff=14214&amp;oldid=prev"/>
		<updated>2021-08-22T21:38:59Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|આર્દ્રતામાં એકરૂપતા| જગદીશ જોષી}}  {{Poem2Open}} જે પંક્તિઓ લગભગ કહ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|આર્દ્રતામાં એકરૂપતા| જગદીશ જોષી}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
જે પંક્તિઓ લગભગ કહેવતની કક્ષાએ પહોંચીને લોકજીભે ચડી હોય (પંક્તિ ૯થી ૧૨) તે વિશે લખવું? પણ ઘણી વાર આ પંક્તિઓનું સત્ય અને એ સત્ય દ્વારા પ્રકટતું સૌંદર્ય અવતરણચિહ્નોેની વચ્ચે ભીંસાઈ જતું હોય છે — સમજણ વિનાના અતિ ઉપયોગને કારણે. utilisation દૃષ્ટિકોણથી સૌંદર્યનો ઉપભોગ કરી લેવો અને એના પોષણ દ્વારા સૌંદર્યનો ઉપભોગ કરવો એ બંને વચ્ચે રહેલી સૂક્ષ્મ ભેદરેખા અહીં કવિ કલાપી દોરી આપે છે.&lt;br /&gt;
પણ કવિના મનોમંથનને પામવા, એમના મંથનકાળનો સાક્ષાત્કાર કરવા માટે થોડી આડવાત કરીને પણ એકાદ નજર તારીખો ભણી નાખી લેશું? ૧૮૯૧માં કવિ લખે છે: ‘ઘટે ના ક્રૂરતા આવી…’ તેઓ ૧૮૯૬માં લખે છે: ‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’ એ જ સાલમાં એક બીજું કાવ્ય પ્રારંભાય છે, આ રીતે: ‘તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો’તો.’ અને ‘મને જોઈને  ઊડી જતાં પક્ષીઓને’ તેઓ ધરપત આપે છે: ‘ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં…’ આ કલાપી ભવિષ્યમાં આવું લખવાના હતા તેના બીજ રૂપે ૧૮૯૧માં — પાંચ વર્ષ પહેલાં — આ કાવ્યમાં સૌંદર્યને પામવાનો કીમિયો આપે છે.&lt;br /&gt;
દેહની અને દેહીની ઉઘાડી ચર્ચા કર્યા વગર સીધું જ કહી દે છે કે તીર મારવાથી પક્ષીનો દેહ મળશે, પક્ષી નહીં; સ્થૂળ મળશે, સૂક્ષ્મ નહીં. પંખી શું છે, ક્યાં છે. ક્યાં રહે છે?  એને આપણા બાહુપાશમાં–સકંજામાં–કેમ લેશું? એને ખૂંચવી નથી લેવાનું, પામવાનું છે. પક્ષીનો પ્રભુ, એનું પ્રભુત્વ એના ગીતમાં છે. એ જો પામવું હોય તો ‘છાના’ રહીને એ ગીત સાંભળવાં પડે છે. વર્ડ્ઝવર્થની પંક્તિ: ‘Stop here, or gently pass.’ યાદ નથી આવતી?&lt;br /&gt;
‘અહિંસા’ શબ્દને ગાંધીજીએ પ્રચલિત કર્યો, પણ કાવ્યમાં તો કલાપી નામ વિના કદાચ પોતાને જ કહેતા હોય એમ કહે છે કે આ સૃષ્ટિ સંહાર માટે નથી. સમગ્ર વિશ્વની કલ્પના ‘સંતના આશ્રમ’ જેવી કરવી, કણ્વ ઋષિના અભયારણ્ય જેવી કરવી, એ તો લાગણીથી છલોછલ છલકાતા કલાપીને જ સૂઝે. સૌંદર્ય પાસે જવાની, સૌંદર્ય પામવાની, ખુદ સૌંદર્યત્વ પામવાની પહેલી શરત એ કે તમારે પોતે નાજુક થવું પડે. આપણે ઘણી વાર સૂક્ષ્મ હિંસા આચરતા હોઈએ છીએ. વિશ્વની શ્રી ઉપર આપણી દૃષ્ટિ–કુદૃષ્ટિથી કેટલીયે વાર ઉઝરડા પડ્યા હશે. ઉમાશંકર ‘વિશ્વશાંતિ’નો પ્રારંભ આ રીતે કરે છે:&lt;br /&gt;
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી&lt;br /&gt;
પશુ છે પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!&lt;br /&gt;
એક મિત્રે હમણાં વાત કહી. ગાંધીજીના એક અંતેવાસીએ કહેલું, ‘પહેલાં મારે માટે માત્ર બે જ હતા; ઈશ્વર અને બાપુ. હવે તો બંને એક જ થઈ ગયા છે…’ વિશ્વમાં જ્યાં સર્વત્ર આર્દ્રતા છવાઈ હોય ત્યાં ક્રૂર કે કઠોર થવાનો કોઈ અર્થ ખરો? આર્દ્રતામાં આર્દ્ર થઈને, એકરૂપ થઈને, ભળવું એમાં જ ભલું છે — આપણું ને જગતનું. ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે…’ આવી પંક્તિ લખનાર કલાપી જ ભવિષ્યમાં લખી શકે —&lt;br /&gt;
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Right|૧૯–૧૦–’૭૫}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{Right|(એકાંતની સભા)}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>Atulraval</name></author>
	</entry>
</feed>