<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%2F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%A6</id>
	<title>માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૦ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6%2F%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%A6"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%A6&amp;action=history"/>
	<updated>2026-05-14T05:44:08Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%A6&amp;diff=110403&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +૧</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9F%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%B9%E0%AB%87%E0%AA%95%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A6/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3_%E0%AB%A7%E0%AB%A6&amp;diff=110403&amp;oldid=prev"/>
		<updated>2026-04-28T01:11:19Z</updated>

		<summary type="html">&lt;p&gt;+૧&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૧૦}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
વિરાટની સભામાં પાંડવોના હિતેચ્છુ રાજાઓ એકઠા થયા હતા. સહુની મધ્યમાં પોતાની વય અને વાક્ચાતુર્યથી દીપતો રાજા દ્રુપદ હતો. તેની ચાલમાં રહેલો રાજવી દર્પ જોઈ બળરામને થયું કે આની પાસે પોતાને સમકક્ષ મિત્ર માની આવેલા દ્રોણ જેવા ભિક્ષુક બ્રાહ્મણને તે કાઢી મૂકે તેમાં નવાઈ નહીં. દ્રુપદની બાજુમાં હતો યુવરાજ ધ્રુષ્ટદ્યુમ્ન. બાપ કરતાં વેંત વધવાની હરીફાઈ તેના દરેક હલનચલનમાં દેખાતી. વાત કરતાં કરતાં તેને પોતાની ભુજા થાબડવાની ટેવ હતી. મણિમય સિંહાસનો પર વિવિધ અલંકારો પહેરી બેઠેલા આ રાજાઓની સભામાં બળરામને આવી ભરાયા જેવું લાગ્યું. તેમાં પણ યુધિષ્ઠિરનાં ગુણગાન અને દુર્યોધનની ભરપેટ નિંદા થવા લાગી ત્યારે તેમનાથી ન રહેવાયું. બળરામે ઊભા થઈ જઈ કહ્યું :&lt;br /&gt;
“મિત્રો, થોડી મારી વાત પણ સાંભળી લો! પાંડવો અને કૌરવો વચ્ચે સમાધાન થાય તેમ આપણે સહુ ઇચ્છીએ છીએ, પણ તમે લોકો દુર્યોધનનો જ દોષ કાઢી યુધિષ્ઠિરને ધર્મરાજ ધર્મરાજ કહી છાપરે ચડાવો છો તે બરાબર નથી. એક તો તેમને દ્યૂત રમતાં આવડતું નથી. ઉપરાંત રમવામાં પણ પાછું વાળી જોવાની મર્યાદા નથી. વળી સહુથી હોશિયાર સામે રમવાનો ફાંકો રાખી ફરે છે. યુધિષ્ઠિર જાણતા હતા, શકુનિ જેવા પાસાબાજ સામે જીતવાનું તેમનું ગજું નથી, તોયે શા માટે રમવા બેઠા? શકુનિ પોતાની વિદ્યાના બળે જીત્યો. યુધિષ્ઠિરે શરત મુજબ વનવાસ વેઠ્યો તેમાં કંઈ પાડ નથી કર્યો. યુધિષ્ઠિર ભલા માણસ છે, સજ્જન, છે પણ તમે એમને ધર્મનું પૂતળું બનાવવું રહેવા દો! દુર્યોધનમાં હજાર અવગુણ હશે તો આ જ્યેષ્ઠ પાંડવ સર્વગુણસંપન્ન નથી. દ્યૂતમાં આટલું હાર્યા છતાં તેમણે બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી.”&lt;br /&gt;
પછી રાજા વિરાટ સામે જોઈ બળરામે કહ્યું :&lt;br /&gt;
“આ રાજા વિરાટને ત્યાં છૂપા વેષે રહીને પણ યુધિષ્ઠિરે શું કર્યું? આટલા કડવા અનુભવો પછી સમજુ માણસ જેને હાથ ન અડાડે તે પાસા ફેંકવાનું જ કામ સ્વીકાર્યું ને? ફિટકાર છે આવી બુદ્ધિને. એને બીજું કોઈ સારું કામ સૂઝ્યું જ નહીં? કે પછી તમારા આ ધર્મરાજમાં તેમણે જ પોતાનું નામ ધારણ કર્યું તેમ એક કંક બેઠો છે? આ કંકને ધર્મરાજ પણ જોઈ શકતા નથી? જાણો છો ને? કંક એટલે માત્ર બગલો જ નહીં પણ ધર્મજ્ઞાનીનો અંચળો ઓઢી ફરતો બ્રાહ્મણ. બહુ સાત્ત્વિક દેખાતા યુધિષ્ઠિરે પોતાનું હૃદય તપાસી જરા જોવું જોઈએ. તમે એને જરા ઢંઢોળી જુઓ. ઢોળ ચડાવવાનું આ પળે રહેવા દો તો સારું. યુધિષ્ઠિરનું જ એમાં ભલું છે.&amp;quot;&lt;br /&gt;
સભામાં સન્નાટો છવાઈ ગયો. યુધિષ્ઠિર શાંત ભાવે સાંભળતા રહ્યા ને ઊંડે ઊતરતા ગયા. ભીમની આંખો ઘૂમવા લાગી. અર્જુનનો ગાંડીવ પર હાથ ગયો. દ્રુપદ, વિરાટ વગેરે રાજાઓ મુખ પર પરાણે ફિક્કું સ્મિત લાવી સમસમી રહ્યા. અર્જુનનો પ્રિય શિષ્ય અને મહારથી સાત્યકિ ઊકળી ઊઠયો. તે વારંવાર ઊભો થઈ બોલવા જતો હતો પણ કૃષ્ણ તેનો હાથ દાબી રોકતા હતા. બળરામે વધુમાં કહ્યું :&lt;br /&gt;
“તમારા બધાની જેમ મારી પણ એકમાત્ર ઇચ્છા છે કે ભાઈઓ વચ્ચે સંપ થાય, મહા વિનાશકારી યુદ્ધનો ભય દૂર થાય. કૃષ્ણ મારી આ ઝંખના જાણે છે. પણ દુર્યોધનને ડરાવવાથી, દબાવવાથી કાંઈ નહીં સરે. તેના જેવો અભિમાની તો સામે ફૂંફાડો મારી વધારે ક્રોધે ભરાશે. તમે સહુ યુદ્ધના સેનાની ભલે રહ્યા, પણ સલાહસંપ કરવા માગતા હો તો એક પક્ષનો ધજાગરો બાંધવાનું પડતું મૂકી આગળ વધો…….”&lt;br /&gt;
કૃષ્ણનો હાથ હટાવી સાત્યકિ ઊભો થઈ ગયો. ગરજી ઊઠ્યો :&lt;br /&gt;
મોટા ભાઈ, તમે શું બોલો છો તેનું કાંઈ ભાન છે? દુર્યોધન મોટો ચમરબંધી છે તો અમે શું ચૂડીઓ પહેરી છે? અમે સમાધાન ઇચ્છીએ છીએ, કાંઈ ભીખ માગવા ને કાકલૂદી કરવા ઇચ્છતા નથી. અમે અમારો હક માગીએ છીએ. દુર્યોધન નહીં માને તો ભીમની આ ગદા, અર્જુનનું ગાંડીવ અને મારી આ અસિ તેને માનવાની ફરજ પાડશે.”&lt;br /&gt;
બળરામે મોટેથી હસી કહ્યું :&lt;br /&gt;
“તારે તારું ક્ષાત્રતેજ મને બતાવવાની જરૂર નથી, સત્યા! તને ખોળે બેસાડીને જે કોળિયા ભરાવ્યા છે તે હજુ તારા દાંતમાં લાગે છે. મેં કૃષ્ણને ઘણી વાર કહ્યું છે કે આ છોકરો કોઈ દી મોટો થશે જ નહીં, અને એની બાલિશતા કોઈ વાર બધાયને ભારે પડશે.”&lt;br /&gt;
સાત્યકિ કાંઈક તીખો તમતમતો જવાબ દેવા જતો હતો ત્યાં બળરામની ભ્રૂકુટિ ચડી. હાથનો ઝટકો મારી કહ્યું :&lt;br /&gt;
“તારું પરાક્રમ વખત આવ્યે બતાવી આપજે. કહું છું કે હવે બેસ, હેઠો બેસ!”&lt;br /&gt;
બળરામના ચહેરા સામે જોઈ કૃષ્ણ સમજી ગયા. સાત્યકિનો હાથ પકડી તેને બેસાડી દીધો. કૃષ્ણે બળરામને શાંત પાડતાં કહ્યું :&lt;br /&gt;
“મોટા ભાઈ, તમારા હૃદયમાં શાંતિસ્થાપનાની જ વાત રમી રહી છે અને તેમાં કોઈ કર્કશતા ઊભી થાય એ તમને ગમતું નથી. અહીં સહુના મન પર શાંતિ જ સર્વોપરી છે, પણ જેમને અન્યાય થયો છે તેઓ ઊકળી ઊઠે તો એ ક્ષમ્ય છે. પાંડવોએ નાની વયથી જ દુર્યોધનને હાથે અસહ્ય ત્રાસ વેઠ્યો છે. દુર્યોધને લાક્ષાગૃહમાં તેમને બાળી નાખવાનું કાવતરું કરેલું તેને કયો આર્યજન સાંખી લેશે? પણ એવાં કૃત્યો ગણાવવાનો આ સમય નથી. ધૈર્યથી, સમતાથી, સાવચેતીથી કામ લેવાની તમારી સલાહ યોગ્ય છે.&lt;br /&gt;
“યુધિષ્ઠિરને અમે ધર્મરાજ એટલા માટે કહીએ છીએ કે લોભને વશ થઈ, કામને વશ થઈ, ક્રોધને વશ થઈ તે કદી અધર્માચારણ કરતા નથી. ધર્મરાજને હાથે ભૂલો થતી હશે, પાપ તો નથી જ થતું. તમે પણ એટલું તો સ્વીકારશો, મોટા ભાઈ, કે લૂંટાઈ જવામાં તેમનાથી અતિરેક થઈ ગયો હશે, પણ કોઈને લૂંટી લેવામાં તેમનો હાથ લાંબો થયો નથી.”&lt;br /&gt;
યુધિષ્ઠિર વચ્ચે જ ઊભા થઈ બોલ્યા :&lt;br /&gt;
“મધુસૂદન, મને થોડું કહેવા દો. તમે સહુ જાણો છો કે સત્ય મને પ્રિય છે. અને આજે જે કાંઈ કહીશ તે નર્યું સત્ય જ કહીશ. મહાબાહુ બળભદ્રનાં વચનોથી મને માત્ર આનંદ જ નથી થયો, મારામાં નવી જાગૃતિ હું અનુભવું છું. એક સ્વજન અને હિતકારી વિના કોઈ આવી નિર્ભીક વાણી ઉચ્ચારી ન શકે. મારા દોષને કારણે મારી માતાને, બંધુઓને, પત્નીને કેટલું વેઠવું પડ્યું છે! હું એક વાર તો દ્યૂત રમ્યો, સર્વસ્વ હાર્યો અને છતાં બીજી વાર શા માટે રમવા ગયો? દ્યૂતના આહ્વાનને પાછું ન ઠેલાય એ રાજવી નીતિ કરતાં મારામાં રહેલો જુગારી વધુ રાજી થઈ ગયો હશે. બળભદ્રે કહ્યું તેમ ધર્માત્માના વેષ નીચે મારામાં ક્યાંક કંક બેઠો છે, આજે તેને સ્પષ્ટ જોઈ શકું છું. અહીં આવીને પણ મેં તો પાસા જ ખેલ્યા ને?”&lt;br /&gt;
યુધિષ્ઠિર થોડી વાર થંભી ગયા. જાણે ઊંડી ડૂબકી મારીને બહાર આવ્યા હોય તેમ માથું ધુણાવી બોલ્યા :&lt;br /&gt;
“હા, હું કંક છું. હલધર, તમારા વિના મારા જેવાના અંતરમાં આવાં પ્રકાશનાં બીજ કોણ વાવી શકે? સંતપણાના ઊજળા દૂધ-વેષમાં ક્યાંક બગભગત પણ આવી બેઠો હોય છે. મારી જાતને મૂળમાંથી, ચામડી ઊતરડીને જોવાની તમે આજે દૃષ્ટિ આપી, બળદેવ!”&lt;br /&gt;
પછી સર્વ રાજાઓને સંબોધતાં યુધિષ્ઠિરે કહ્યું :&lt;br /&gt;
“રાજેશ્વરો, હું કંક બન્યો, મેં વેષ બદલાવ્યો. પણ વેષધારી લોકો બીજાની સેવા નથી કરતા, પોતાની જ સેવા કરે છે. પોતાના સ્વાર્થની, પોતાના વ્યસનની, પોતાની પામરતાની સેવા. આજે ચોખ્ખું દેખાય છે કે મેં એકલાએ જ નહીં, મારા બંધુઓએ પણ રાજા વિરાટની સેવા નથી કરી. એ સેવાને બહાને અમે અમારી ક્ષુદ્રતાની જ સેવા કરી છે. મેં કંક બની મારી દ્યૂત રમવાની નિર્બળતાને પંપાળી, ભીમસેને બલ્લવ, રસોઇયો બની પોતાની ભોજનવૃત્તિને પોષી, અર્જુન તો બૃહન્નલા બની નૃત્યગીતના શોખમાં પોતાનું વીરત્વ જ ભૂલી ગયો. નકુળ ગ્રંથિક, અશ્વપાળ બન્યો, અને પોતાના મનના ઘોડા ખેલવવામાં મશગૂલ બની ગયો. અને આ અમારો સહદેવ તંતિપાળ નામે ગોવાળ તો બન્યો પણ તેણે શું વિરાટની ગાયો જ ચારી છે? ના રે, પોતાના પશુશોખનો તંતુ તેણે આજ સુધી કાંત્યા કર્યો છે. સારું થયું કે કૌરવો એ પશુત્વને હાંકવા આવી પહોંચ્યા. સારું થયું કે અમારી અજ્ઞાત મૂઢતા પર તેમણે પ્રહાર કર્યો. નહીં તો અમારી મૂળ પ્રાણશક્તિ પાછી જાગત કે નહીં તેની જ મને શંકા છે. કદાચ અમારી વૃત્તિઓનું લાલન અમને કોઠે પડી ગયું હોત.” &lt;br /&gt;
યુધિષ્ઠિર જાણે પોતાની અંદર વધુ ને વધુ ઊતરતા ગયા તેમ તેમની વાણી ભીતરનાં બંધનો નિહાળતી, ભેદતી મુક્તિનો વિસ્તાર પામવા લાગી. યુધિષ્ઠિરના હોઠ પર આછું સ્મિત ફરકી ગયું. ભરી રાજસભામાં જાણે સ્વગત બોલતા હોય એમ મંદ મધુર સ્વરે તે બોલતા ગયા : &lt;br /&gt;
“કદાચ પાંચાળી આવીને મને કહેત ‘મહારાજ! હવે આપણે બહાર પડવાનો સમય પાકી ગયો છે. ઊઠો, જાગો, રણભેરી હાથમાં લો!” તો હું તેને કહેત, અરે, મૂરખ! કોણ મહારાજ, કોણ રાજા યુધિષ્ઠિર? હું તો કંક છું કંક. અને તું પણ રાણી સુદેષ્ણાની દાસી સૈરંધ્રી છે. તને શું રાણી સારી રીતે નથી રાખતી? કીચક તો મરી પરવાર્યો છે. તને હવે શું દુ :ખ છે? અમે પણ સુખી છીએ. તુંયે સુખી થઈ જા. નકામાં જૂનાં પ્રેત શા માટે જગાડે છે? જા, જા, હવે નથી વન વેઠવું, નથી યુદ્ધનાં નગારાં વગાડવાં. પાસા ખેલવા છે મારે તો. અને પાસા ખેલતાં જીવન પસાર કરી નાખવું છે.&lt;br /&gt;
“પણ દુર્યોધન ચડી આવ્યો ને મારું ઘેન પીંખી નાખ્યું. અમને અજ્ઞાતવાસમાંથી તેણે બહાર કાઢ્યા. પણ એ અજ્ઞાતવાસ તો બહારનો હતો.”&lt;br /&gt;
બળરામ ભણી પ્રેમભીની મીટ માંડી યુધિષ્ઠિરે કહ્યું :&lt;br /&gt;
“મહાબાહુ, અમારા ખરેખરા અજ્ઞાતવાસમાંથી તો તમે અમને બહાર કાઢ્યા. અમારી જાતથી જ અમે આજ સુધી અજ્ઞાત હતા. મારી વાત કહું તો હવે હું મારાથી અજ્ઞાત નહીં રહી શકું. વાસુદેવે જેમ કંસવધ કર્યો હતો તેમ તમે આજે કંકવધ કર્યો છે. મારામાં રહેલો કંક મરી પરવાર્યો છે. દેવ, તમે કેશવની જેમ જ મારા હિતકર બંધુ છો અને સંપૂજ્ય છો.”&lt;br /&gt;
યુધિષ્ઠિરે બળરામને વંદન કર્યાં. સઘળી રાજસભા આનંદિત થઈ ઊઠી. દુશ્મનો સાથે સમાધાન કરવા મળેલી સભામાં મિત્રો વચ્ચે જ દુશ્મનાવટ થઈ જાય એવું વાતાવરણ ઊભું થયું હતું. યુધિષ્ઠિરની આ સરળતા અને નમ્રતાએ ઉગ્રભાષી બળરામનું પણ હૃદય જીતી લીધું. યુધિષ્ઠિર પાસે જઈ, તેમના હાથ પોતાના હાથમાં લઈ એ ભેટી પડ્યા. સભા બોલી ઊઠી :&lt;br /&gt;
“સાધુ! સાધુ!”&lt;br /&gt;
છેવટે દ્રુપદની સલાહ માન્ય રાખી તેના પુરોહિતને હસ્તિનાપુર મોકલવાનું નક્કી થયું. કૌરવસભામાં જઈને તે ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણ જેવા અગ્રણીઓ આગળ પાંડવોને રાજ્યભાગ આપવાનો પ્રસ્તાવ મૂકે, પાંડવો સમાધાન ઇચ્છે છે તે સમજાવે અને દુર્યોધન તથા કર્ણ જેવાને પાંડવોની શક્તિનો પણ ખ્યાલ આપવાનું ન ચૂકે એ સર્વેએ વિચારી જોયું. વિદ્વાન અને નીતિશાસ્ત્રમાં નિપુણ પુરોહિતનાં વચનો વિશ્વાસ જગાડે તેવાં હતાં. સંધિકાર્યના પ્રયત્નો દરમિયાન યુદ્ધની તૈયારી માટે પણ સહુ સંમત થયા અને મિત્રરાજાઓની સહાય માટે દૂતો રવાના કરવામાં આવ્યા. પાંડવો સાથે કૃષ્ણ ગુપ્ત મંત્રણા ને ભાવિ યોજનામાં ગૂંથાઈ ગયા હતા, ત્યાં દ્વારિકાથી દૂત આવ્યો. સંદેશો આપ્યો કે રેવતીને અકસ્માત નડ્યો છે. કોશ ચલાવતાં તે કૂવામાં પડી ગઈ ને ગંભીર ઈજા થઈ છે.&lt;br /&gt;
બળરામ અને કૃષ્ણ સ્તબ્ધ બની ગયા. સત્વર રથ જોડાવી બંને દ્વારિકા જવા નીકળી પડ્યા. દ્રૌપદી સહિત પાંડવોએ તેમને આંસુભીની વિદાય આપી. કૃષ્ણ વધુ કાંઈ કહી ન શક્યા. રેવતીના ઘવાયેલા ચહેરાની કલ્પના કરતાં સર્વ ઉષ્મા હરાઈ જતી હોય એમ લાગ્યું. બધો જ થાક હરી લેતો આધાર ખસી જતો લાગ્યો. બળરામને ટેકો આપી કૃષ્ણે રથ પર ચડાવ્યા. પછી દારુકને કહ્યું :&lt;br /&gt;
&amp;quot;ચલાવ.&amp;quot;&lt;br /&gt;
અશ્વો પણ આ શબ્દની અધીરતા ઝીલી કેશવાળી ઉછાળતા પૂરપાટ દોડવા લાગ્યા.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = પ્રકરણ ૯&lt;br /&gt;
|next = પ્રકરણ ૧૧&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>