<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8</id>
	<title>મેઘાણીની સમગ્ર નવલિકા/રાણીજીના વિલાસ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%2F%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8&amp;action=history"/>
	<updated>2026-04-30T19:51:11Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8&amp;diff=31515&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}} {{Heading|રાણીજીના વિલાસ|}}  {{Poem2Open}} કાશીનાં મહારાણી કરુણા એકસો સહિયરો...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%AE%E0%AB%87%E0%AA%98%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%A8%E0%AA%B5%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B8&amp;diff=31515&amp;oldid=prev"/>
		<updated>2022-02-04T06:06:45Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|રાણીજીના વિલાસ|}}  {{Poem2Open}} કાશીનાં મહારાણી કરુણા એકસો સહિયરો...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|રાણીજીના વિલાસ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કાશીનાં મહારાણી કરુણા એકસો સહિયરોની સાથે નહાવા નીકળ્યાં છે. વરુણા નદીનાં નિર્મળાં નીર છલાછલ કરતાં વહે છે. અને માહ મહિનાનો શીતળ પવન સૂ સૂ કરતો વાય છે.&lt;br /&gt;
નગરથી આઘેના એ નદીઘાટ ઉપર આજે કોઈ માનવી નથી. પાસે કેટલાક ગરીબ લોકોનાં ઝૂંપડાં છે. રાજાજીની આજ્ઞા હતી કે રાણીજી સ્નાન કરવા પધારે છે માટે સહુ ઝૂંપડાંવાસીઓ બહાર નીકળી જાઓ. એ કારણે ઝૂંપડાં નિર્જન પડ્યાં છે.&lt;br /&gt;
ઉત્તર દિશાના પવને આજ નદીને પાગલ બનાવી છે. પાણીની અંદર સવારનો સોનેરી પ્રકાશ પીગળી રહ્યો છે. છલછલ અવાજે નાચ કરતી ચાલી જતી નદી કોઈ એક નટી જેવી દીસે છે — જેની ઓઢણીમાંથી લાખ લાખ હીરા ને માણેક ઝળહળ થઈ રહેલ છે.&lt;br /&gt;
રમણીઓ નહાય છે. અંત:પુરના બંદીખાનેથી છૂટેલી એકસો સખીઓ આજે શરમનાં બંધન શી રીતે માને? એકસો કંઠના કલકલ ધ્વનિ, હાસ્યના ખડખડાટ, સુકોમળ હાથના છબછબ અવાજ અને મીઠા વાર્તાલાપ: નદી જાણે એ બસો હાથની થપાટો ખાઈને પાગલ બની. આકાશમાં જાણે શોર મચ્યો.&lt;br /&gt;
નહાઈને મહારાણી કાંઠે આવ્યાં. બૂમ પાડીને બોલ્યાં: “એલી! કોઈ દેવતા સળગાવશો? હું ટાઢે થરથરું છું.”&lt;br /&gt;
સો સખીઓ છૂટી અને ઝાડની ડાળીઓ ઝાલીને તાણવા લાગી પણ એ સુકોમળ હાથમાં એક પણ ડાળ ભાંગવાની તાકાત ક્યાંથી હોય? રાણીએ બૂમ મારી: “અલી! જુઓ, આ સામે ઘાસનાં ઝૂંપડાં રહ્યાં. એમાંથી એક ઝૂંપડાને દીવાસળી લગાવો. એના તાપમાં હું હાથપગનાં તળિયા તપાવી લઈશ.”&lt;br /&gt;
માલતી નામની દાસી કરુણ કંઠે બોલી: “રાણીમા! આવી તે મશ્કરી હોય! એ ઝૂંપડીમાં કોઈ સાધુસંન્યાસી રહેતા હશે કોઈ ગરીબ પરદેશી રહેતાં હશે; એ બિચારાંના એક નાના ઘરને પણ સળગાવી દેશો?”&lt;br /&gt;
“અહો, મોટાં દયાવંતાં બા?” રાણીજી બોલ્યાં: “છોકરીઓ! કાઢો અહીંથી આ દયાળુની દીકરીને અને સળગાવી દો એ ઝૂંપડું. ટાઢમાં મારા પ્રાણ નીકળી જાય છે.”&lt;br /&gt;
દાસીઓએ ઝૂંપડાને દીવાસળી લગાવી. પવનના સુસવાટાની અંદર જ્વાલા ભભૂકી, પાતાળ ફોડીને નીકળેલ અંગારમય નાગણીઓ જેવી એ મદોન્મત્ત સ્ત્રીઓ ગાનગર્જન કરતી કરતી માતેલી બની ગઈ.&lt;br /&gt;
પ્રભાતનાં પંખીઓએ પોતાના કિલકિલાટ બંધ કર્યા. ઝાડ ઉપર કાગડા ટોળે વળીને ચીસો પાડવા લાગ્યા. એક ઝૂંપડેથી બીજે ઝૂંપડે દા લાગ્યો. જોતજોતામાં તો બધાં ઝૂંપડાં બળીને ભસ્મ થયાં.&lt;br /&gt;
અરુણરંગી રેશમી ઓઢણીના પાલવડા ફરકાવતાં રાણીજી, રમતાં ને ખેલતાં, સખીઓની સાથે પાછાં વળ્યાં.&lt;br /&gt;
*&lt;br /&gt;
રાજાજી ન્યાયાસન પર બેઠેલા હતા. પોતાનાં ઝૂંપડાંને રાણીજીની ટાઢ ઉડાડવા માટે આગ લાગી ગઈ એટલે ગૃહહીન બનેલાં ગરીબ લોકોએ રાજસભામાં આવી કકળાટ કરી મૂક્યો રાજાજીએ વાત સાંભળી. એની મુખમુદ્રા લાલચોળ થઈ ગઈ. તત્કાળ પોતે અંત:પુરમાં પધાર્યાં.&lt;br /&gt;
“રાણીજી! અભાગણી પ્રજાનાં ઘરબાર બાળી ખાખ કર્યાં તે કયા રાજધર્મ અનુસાર?” રાજાજીએ પ્રશ્ન કર્યો.&lt;br /&gt;
રિસાઈને રાણી બોલ્યા: “કયા હિસાબે એ ગંદાં ઝૂપડાંને તમે ઘરબાર કહો છો? એ પચીસ ઝૂંપડાંનું કેટલું મૂલ્ય? રાજરાણીના એક પ્રહરના અમનચમનમાં કેટલું દ્રવ્ય ખરચાય છે, રાજાજી?”&lt;br /&gt;
રાજાની આંખોમાં જ્વાલા સળગી. રાણીને એણે કહ્યું: “જ્યાં સુધી આ રાજવી ઝરૂખામાં બિરાજ્યાં છો ત્યાં સુધી નહિ સમજાય કે કંગાલોનાં ઝૂંપડાં બળી જાય તો કંગાલોને દુ:ખ પડે. ચાલો, હું તમને એ વાત બરાબર સમજાવું.”&lt;br /&gt;
રાજાજીએ દાસીને બોલાવી આદેશ દીધો: “રાણીના રત્નાલંકારો કાઢી નાખો, એના અંગ ઉપરની સુંવાળી ઓઢણી ઉતારી લો.”&lt;br /&gt;
અલંકારો ઊતર્યા. રેશમી ઓઢણી ઊતરી.&lt;br /&gt;
“હવે કોઈ ભિખારી નારીનાં વસ્ત્રો લાવી રાણીને પહેરાવો.” રાજાએ હુકમ કર્યો.&lt;br /&gt;
દાસીએ આજ્ઞાનુસાર કર્યું. રાજાજી રાણીનો હાથ ઝાલીને રાજમાર્ગ પર લઈ ગયા. ભર મેદની વચ્ચે રાજાએ કહ્યું કે, “કાશીનાં અભિમાની મહારાણી! નગરને બારણે બારણે ભીખ માગતાંમાગતાં ભટકજો. એ ભસ્મીભૂત ઝૂંપડાં ફરી વાર ન બંધાવી આપો ત્યાં સુધી પાછાં ફરશો મા. વરસ દિવસની મુદત આપું છું. એક વરસ વીત્યે ભરસભામાં આવી, માથું નમાવી, પ્રજાને કહેજો કે થોડીએક કંગાલ ઝૂંપડીઓને સળગાવી નાખવામાં જગતને કેટલી હાનિ થઈ!”&lt;br /&gt;
રાજાજીને આંખોમાં આંસુ છલકાયાં; રાણીજી એ ભિખારિણીને વેશે ચાલી નીકળ્યાં. તે દિવસે રાજાજી ફરી ન્યાયાસન પર બેસી શક્યા નહિ.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = માથાનું દાન&lt;br /&gt;
|next = પ્રભુની ભેટ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>