<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%2F%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80</id>
	<title>વીક્ષા અને નિરીક્ષા/વધામણી - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%2F%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80&amp;action=history"/>
	<updated>2026-05-17T16:18:10Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80&amp;diff=89871&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B5%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B0%E0%AB%80%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE/%E0%AA%B5%E0%AA%A7%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A3%E0%AB%80&amp;diff=89871&amp;oldid=prev"/>
		<updated>2025-06-05T02:38:39Z</updated>

		<summary type="html">&lt;p&gt;+1&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૩&amp;lt;br&amp;gt;‘વધામણી&amp;#039;}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
શ્રી ચંદ્રકાંત શેઠના તાજેતરમાં પ્રગટ થયેલા વિવેચનસંગ્રહ ‘કાવ્ય-પ્રત્યક્ષ&amp;#039;માંના એક લેખમાં બ. ક. ઠાકોરના જાણીતા કાવ્ય ‘વધામણી&amp;#039;નું પરિશીલન આવે છે. તેમાં એમને&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;‘બીજું વ્હાલા શિર ધરિ જિહાં ભાર લાગે શું કહેતા&lt;br /&gt;
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વહેતાં.’&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
એ પંક્તિઓના અર્થની સમગ્ર કાવ્યના ભાવ સાથે સંગતિ સાધવામાં મુશ્કેલી નડી છે, અને એવી જ કંઈક મુશ્કેલી શ્રી મનસુખલાલ ઝવેરીએ પણ અનુભવ્યાનો એમણે ઉલ્લેખ કર્યો છે. મનસુખભાઈનો એ લેખ પણ હું જોઈ ગયો. મનસુખભાઈએ અને ચંદ્રકાંતે એ બે પંક્તિનો અન્વય આ પ્રમાણે કર્યો છે :&lt;br /&gt;
`બીજું, વ્હાલા, જિહાં શિર ધરિ ‘ભાર લાગે શું&amp;#039; કહેતા, ત્યાં સૂતેલું નવું વજન વહેતાં એક ઋતુ વીતી.’—&amp;#039;અભિગમ&amp;#039; પૃ. ૫૬૫.&lt;br /&gt;
અને એથી આપોઆપ જ એવો અર્થ થયો કે&lt;br /&gt;
`તમે મારા ખોળામાં તમારું માથું રાખીને સૂતા, અને ‘આનો તને ભાર તો નથી લાગતો ને&amp;#039; એમ પૂછતા. એ જ ખોળામાં આજે એક નવું વજન સૂતું છે: ને એનું વહન કરતાં આજે બે મહિના (એક ઋતુ) થયા છે.&amp;#039;—અભિગમ,&amp;#039; પૃ. ૫૬૫&lt;br /&gt;
નાયિકા બે મહિનાથી નવજાત શિશુને પોતાના ખોળામાં વહે છે એવો અર્થ સમગ્ર કાવ્ય સાથે ભાવની દૃષ્ટિએ સંગત થતો નથી અને તેથી એ અર્થ કાવ્યસૌંદર્યને હાનિ પહોંચાડે છે, એવું આ બંને વિવેચકોને લાગ્યું છે અને તે યોગ્ય જ છે.&lt;br /&gt;
પણ મારી સમજ પ્રમાણે ઉપર જે અન્વય કરવામાં આવ્યો છે તે કવિને અભિપ્રેત અન્વય નથી અને માટે જ એ કાવ્યસૌંદર્યને હાનિકર નીવડે છે. કવિને અભિપ્રેત અન્વય અને અર્થ મને આ પ્રમાણે લાગે છે:&lt;br /&gt;
`બીજું, વ્હાલા, જિહાં શિર ધરિ, ‘ભાર લાગે શું&amp;#039; કહેતા, ત્યાં, વીતી ઋતુ એક વહેતાં, નવું વજન સૂતેલું (છે). &amp;#039;&lt;br /&gt;
આ પ્રમાણે અન્વય કરીએ તો એમાંથી આપોઆપ જ એવો અર્થ પ્રાપ્ત થાય કે&lt;br /&gt;
`તમે જે ખોળામાં (જિહાં) માથું મૂકીને મને પૂછતા કે `ભાર લાગે છે શું?&amp;#039; ત્યાં, તે ખોળામાં, ગઈ (વીતી) એક ઋતુ વહેતાં એટલે કે પસાર થતાં, નવું વજન સૂતેલું છે.’ એનો અર્થ એ થયો કે નાયિકા પ્રસૂતિ માટે પિયર ગઈ અને તેને પુત્ર પ્રસવ્યો એ બે ઘટના વચ્ચે એક ઋતુ પસાર થઈ છે. આ અર્થ લેતાં, શ્રી ચંદ્રકાંતને અને શ્રી મનસુખભાઈને નડેલી એકે મુશ્કેલી રહેતી નથી અને સમગ્ર કાવ્યના ભાવ સાથે એ પૂરેપૂરો સંગત છે એટલું જ નહિ, એમ અર્થ કરીએ તો જ આ કાવ્યનું સૌંદર્ય અક્ષત રહે છે.&lt;br /&gt;
ભાઈ શ્રી ચંદ્રકાંત અને મનસુખભાઈ એમણે કર્યો તેવો અન્વય કરવા દોરાયા એનું કારણ `વીતવું&amp;#039;, અને `વહેવું&amp;#039; એ બે ક્રિયાપદો એક જ ક્રિયાના વાચક તરીકે વપરાયાં છે, એ હોવા સંભવ છે. અને તેથી એ બંનેએ `વીતી’જે વિશેષણ છે તેને ક્રિયાપદ ગણ્યું અને `વહેતાં&amp;#039;નો અર્થ `પસાર થતાં&amp;#039; છે, તેને બદલે `વહન કરતાં&amp;#039; એવો કર્યો.&lt;br /&gt;
તા. ૩૧-૭-૭૭&lt;br /&gt;
`બુદ્ધિપ્રકાશ&amp;#039;, ઑગસ્ટ ૧૯૭૭&lt;br /&gt;
{{Poem2Close}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = આરોહણ વિશે વધુ&lt;br /&gt;
|next = બે કહેવતો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>