<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%2F%E0%AB%A8%E0%AB%A7._%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2</id>
	<title>સત્યની શોધમાં/૨૧. ચોરીનો માલ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82%2F%E0%AB%A8%E0%AB%A7._%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/%E0%AB%A8%E0%AB%A7._%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2&amp;action=history"/>
	<updated>2026-04-30T22:59:30Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/%E0%AB%A8%E0%AB%A7._%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2&amp;diff=29138&amp;oldid=prev</id>
		<title>MeghaBhavsar: Created page with &quot;{{SetTitle}} {{Heading|૨૧. ચોરીનો માલ|}}  {{Poem2Open}} હરિવલ્લભ અને લીલુભાઈ શેઠની બદમાશીના...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/%E0%AB%A8%E0%AB%A7._%E0%AA%9A%E0%AB%8B%E0%AA%B0%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B2&amp;diff=29138&amp;oldid=prev"/>
		<updated>2021-12-25T09:56:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}} {{Heading|૨૧. ચોરીનો માલ|}}  {{Poem2Open}} હરિવલ્લભ અને લીલુભાઈ શેઠની બદમાશીના...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|૨૧. ચોરીનો માલ|}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
હરિવલ્લભ અને લીલુભાઈ શેઠની બદમાશીના સાક્ષી-પુરાવા શામળે ધર્મપાલજી સામે ધરી દીધા. ધર્મસંપ્રદાયના શુદ્ધીકરણને સારુ તલસતો એ જુવાન ધર્મપાલના નિર્ણયની રાહ જોતો બેઠો. એને ધારણા હતી કે બસ, હવે સત્ય પુરવાર થયા પછી તો એક ઘડીયે આ ધર્મપુરુષ પાપને રક્ષણ નહીં આપે.&lt;br /&gt;
ધર્મપાલની આંખો શામળ સામે ચોડાઈ ગઈ. આંખોમાંથી અગ્ન્યાસ્ત્ર છૂટી શકતાં હોત તો એ શામળને ત્યાં ને ત્યાં સળગાવી નાખવું પસંદ કરત.&lt;br /&gt;
“એટલે હવે તારું કહેવું શું છે, શામળ?” ધર્મપાલે કરડા શબ્દો કાઢ્યા.&lt;br /&gt;
“હું શું કહું? હું કંઈ કહેવા લાયક છું?”&lt;br /&gt;
“શામળ, આ બધું તું શું ઉખેળી રહ્યો છે, જાણે છે? હરિવલ્લભ દેસાઈસાહેબ તો મારી સ્ત્રીના પ્રિય ભાઈ છે, ને આપણા સંપ્રદાયની અનેક પ્રવૃત્તિઓના પોષક છે. મંદિરના વ્યવહારનો મારો આધાર એમના પર છે.”&lt;br /&gt;
“પરંતુ એમણે સુધરાઈના મેમ્બરોને રુશવતો ખવરાવી લોકોનું બૂરું કર્યું છે.”&lt;br /&gt;
“પણ એ વાતનો ભવાડો કરવાથી આપણો સંપ્રદાય ને આપણી પવિત્ર સેવાપ્રવૃત્તિ કેટલાં જોખમમાં આવી પડશે!”&lt;br /&gt;
“એ કરતાં વધુ મોટી વિપત્તિ તો અત્યારની છે, સાહેબ! લોકો બોલી રહ્યા છે કે આવા પાપાચારીઓને તમારો સંપ્રદાય ઓથ આપી રક્ષી રહેલ છે.”&lt;br /&gt;
“તું વિચાર કર કે, મારા કુટુંબસંસારમાં આથી કેવો ધ્વંસ બોલી જશે!”&lt;br /&gt;
“મારા જીવનમાં પણ એટલો જ મોટો ધ્વંસ બોલવાનો, સાહેબ!”&lt;br /&gt;
“શી રીતે?”&lt;br /&gt;
“લીલુભાઈ શેઠને અંગે.”&lt;br /&gt;
“તેને ને તારે શું?”&lt;br /&gt;
શામળ બાપડો કહેવા જતો હતો કે ‘એ મારા ભાવી સસરા થાય’. પણ એ ખચકાયો. લાગ્યું કે એ મીઠી જાહેરાત વિનોદને મોંએથી થાય તો જ વધુ સારું. એટલે શામળે વાત પલટાવીને કહ્યું: “સાહેબ, મને તેજુની ચિંતા થાય છે. પછી કંઈ એને ત્યાં ઊભી રહેવા દેશે કોઈ?”&lt;br /&gt;
“પણ ત્યારે હવે તારે શું કહેવાનું છે? તું શું એમ માગે છે કે મારે મારા સગા સાળાને સંપ્રદાયમાંથી કાઢી મૂકીને જગબત્રીસીએ ચડાવવો?”&lt;br /&gt;
“હું તો માનું છું કે એને જેલમાં નખાવવા જોઈએ. પણ મારો એવો જ આગ્રહ નથી. જો એ પશ્ચાત્તાપ કરતા હોય તો આપણે બીજો માર્ગ લેવો. આપણે એને સમજાવી જોવા.”&lt;br /&gt;
“એટલે શું એમનો ભવાડો કરવાનો ડર દેખાડવો?”&lt;br /&gt;
“પંડિતજી!” શામળ ગરવાઈથી બોલ્યો, “હું પણ એ જ વાતનો જોરથી વિચાર કરી રહ્યો છું. કોઈનો ભવાડો કરવાના કે કોઈને શિક્ષા કરવાના મતનો હું નથી. એથી ઊલટાં વૈર ને ધિક્કાર વધે છે – ને આપણાથી કોઈનો તિરસ્કાર તો ન જ થવો ઘટે.”&lt;br /&gt;
“હાં – શાબાશ, બંધુ!” ધર્મપાલજીએ શ્વાસ હેઠે મેલ્યો.&lt;br /&gt;
પરંતુ શામળે હજુ સમાપ્તિ નહોતી કરી. એ બોલ્યો: “પણ દુષ્ટ કૃત્યુ થયું છે તે જ વાત મુદ્દાની છે. લોકોની એ જે લૂંટણગીરી ચાલી રહી છે તેને રોકવી જોઈએ. પ્રજા પાસેથી ચોરાયેલી લક્ષ્મીનો આ પ્રશ્ન છે. દાખલા તરીકે, આપને ઘેરથી જે આદમી રૂપાનાં વાસણો ચોરી ગયેલો તેને જ હું આજે મળ્યો. મેં એને વચન આપ્યું કે એના દુષ્ટ આચરણની વાત હું ક્યાંય નહીં કહું. જેવું આપને આપના સાળા હરિવલ્લભનું લાગી આવે છે, તેવું જ મને એ ભાઈબંધનું લાગી આવ્યું. હું બેશક એને જેલમાં ન નખાવું. પણ એક વાત તો મારે કરવી જ પડી, કે ભાઈ, પેલી ચોરીનો માલ તો પાછો મૂળ ધણીને સોંપી દો. આપ જ કહો, મેં એ વાજબી કર્યું કે નહીં?”&lt;br /&gt;
“તેં એ બરાબર કર્યું, ભાઈ!”&lt;br /&gt;
“બસ, તો પછી એ જ ન્યાય હરિવલ્લભ દેસાઈનો ઉતારવો રહ્યો. એણે લોકોને લૂંટ્યા છે, રુશવત આપીને એણે પાણીનો કંટ્રાક્ટ ઊંચા દરે પોતાના હસ્તક કર્યો, મહિને મહિને પ્રજા પાસેથી દસ હજારની ચોરી કરી છે. એ તમામ ચડત રકમ તેણે લોકોને પાછી આપવી અને કંટ્રાક્ટ છોડી દેવો. બસ, તો પછી એની ફજેતી કરવાની જરૂર નથી.”&lt;br /&gt;
ધર્મપાલ ચૂપ રહ્યા.&lt;br /&gt;
શામળે પૂછ્યું: “મારી વાત આપને સ્પષ્ટ તો થઈને?”&lt;br /&gt;
“હા.”&lt;br /&gt;
“તો પછી?”&lt;br /&gt;
“એ વાતમાં કશો સાર નીકળે તેવું નથી.”&lt;br /&gt;
“તેઓ ચોરીનો માલ પાછો નહીં આપે?”&lt;br /&gt;
“નહીં જ આપે.”&lt;br /&gt;
“એને ફજેતો કરવાનો ડર દેખાડશું તોપણ નહીં આપે?”&lt;br /&gt;
“તોપણ નહીં.”&lt;br /&gt;
“જેલમાં મોકલશું તોપણ નહીં?”&lt;br /&gt;
ધર્મપાલે જવાબ ન દીધો. શામળે થોડી રાહ જોયા પછી કહ્યું: “જુઓ સાહેબ, હું એની કનેથી આ ચોરીનાં નાણાં કઢાવ્યે જ રહીશ. મારી એ સ્પષ્ટ ફરજ છે. તેઓએ નાણાં કાઢી આપવાં જ પડશે.”&lt;br /&gt;
ફરી વાર મૌન છવાયું.&lt;br /&gt;
“ધર્મપાલજી!” જુવાન વેદનાસ્વરે બોલી ઊઢ્યો, “આપ તો મને મદદ કરશો જ ને?”&lt;br /&gt;
“નહીં શામળ, હું નહીં કરી શકું.”&lt;br /&gt;
“આપ મને એકલો જ મૂકશો? રઝળાવશો?”&lt;br /&gt;
ધર્મપાલે જવાબ ન દીધો. શામળ ઉગ્રતાથી બોલી ઊઠ્યો: “શું મારું પગલું બરાબર નથી? હું શું સત્ય નથી બોલ્યો?”&lt;br /&gt;
“હું એ વાતમાં ન જાણું, શામળ! એ મારો કાર્યપ્રદેશ નથી.”&lt;br /&gt;
“આપનો કાર્યપ્રદેશ નથી? આપ તો એક મહાન ધર્મસંપ્રદાયના પ્રતિનિધિ છો.”&lt;br /&gt;
“હા, તેથી મારે ધર્મ-પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવું જોઈએ.”&lt;br /&gt;
“પણ લોકો લુંટાય તે બાબત ધર્મની દેખરેખમાં નથી આવતી શું?”&lt;br /&gt;
કશો જવાબ ન મળ્યો.&lt;br /&gt;
“તમે દાન, સખાવત ને ધર્માદા તો આપો છો,” શામળે ચીમટો ભર્યો; “તમે ગરીબોને મદદ કરવાનો દંભ તો રાખો છો; ને અહીં હું ગરીબોના રક્ત-શોષણની પુરાવાબંધ વાતો લાવું છું, તો તમે એમાં સહાય કરવાની તમારી ફરજ જોતા નથી. હું તમને લોકોની ગરીબીનાં ખરાં કારણો બતાવું છું; તેઓ લૂંટાઈ રહેલ છે, છૂંદાઈ રહેલ છે, તેઓનું રાજશાસન જ છીનવી લેવામાં આવે છે, ને તેઓની જ છેતરપિંડીમાં વાપરવામાં આવે છે! છતાં તમે તેઓને સહાય કરવાનો અવાજ નહીં ઉઠાવો?”&lt;br /&gt;
“હું કશું નહીં કરી શકું.” ધર્મપાલ ઉગ્ર બન્યા.&lt;br /&gt;
“પણ બીજું કશું તો નહીં, એટલું તો કરો – એ લૂંટણગીરીમાંથી તમારો સહકાર તો ખેંચી લેશો ને?”&lt;br /&gt;
“મારો સહકાર? લૂંટણગીરીમાં?”&lt;br /&gt;
“જી હા, આપ એમને સાથ આપી રહેલ છો. આપ એમને ધર્મમાં રાખો છો ને એથી તેમને લૂંટણગીરીનો સદર પરવાનો મળે છે. આપ એને ઓથ આપો છો, પ્રતિષ્ઠાનું કવચ પહેરાવો છો, એ કવચ ઉપર કોઈ ઘા કરી શકતું નથી. હું જો અત્યારે જગત વચ્ચે જઈને આ લોકોને ઉઘાડા પાડીશ તો કોઈ મારું માનવાના નથી, કેમ કે તમે એ સહુને એવા પ્રતિષ્ઠાવંત બનાવ્યા છે. ધર્મસમાજના એ સ્તંભો છે, ને તમારા મિત્રો છે, સગાઓ છે. એનું નામ આપનો સાથ: લૂંટણગીરીમાં આપનો સહકાર.”&lt;br /&gt;
“શામળજી! બસ—” ધર્મપાલે ભ્રૂકુટિ ચડાવી.&lt;br /&gt;
“બસ નહીં કરું, એથી પણ બૂરું તો એ છે સાહેબ, કે તમે એના પૈસા સ્વીકારો છો, ધર્મને અને મંદિરને એના ઉપર નભતા કરી રહ્યા છો ને એના ધર્માદા તમે ગરીબોને આપો છો – એ જ ગરીબોને, કે જેઓને તેઓએ લૂંટી, ખંખેરી લીધા છે; ને આથી લોકો આંધળા બને છે, એ દાનેશ્વરીઓના અહેસાનમાં દબાય છે, ભીતરની હકીકત સમજતા નથી! આમ લોકોને હાથેપગે બેડીઓ પહેરાવવામાં તમે જ મદદ કરો છો. જોતા નથી, પંડિતજી! આનો અર્થ તો એ જ ને, કે તમને પણ ઇન્દ્રજાળ પાથરવા સારુ જ તેઓએ ભાડે રાખ્યા છે?”&lt;br /&gt;
“બસ થયું, શામળ!” ધર્મપાલ ઊભા થયા, “સહનશીલતાની હદ આવી રહી. હવે એક શબ્દ પણ વધુ નહીં બોલાય તમારાથી.”&lt;br /&gt;
“બસ! ત્યારે તમે મને એકલો ધકેલી મૂકશો? મારે એકલે હાથે જ આ સંગ્રામ ચલાવવો પડશે?”&lt;br /&gt;
“ઓહો! એવડું બધું તમે શું કરવા માગો છો?”&lt;br /&gt;
“પ્રથમ તો હું એ બેઉ જણાને જ મળવા માગું છું, હું તેઓને એમના આ દુરાચાર છોડવાની તક આપીશ.”&lt;br /&gt;
“છોકરા!” ધર્મપાલે ચીસ પાડી, “તારું ચસકી ગયું છે. હું તને કહી દઉં છું કે જો તું આ બેવકૂફ પગલું ભરે, તો સાફ કહી દેજે એ ભાઈઓને કે તું મારો મોકલ્યો નથી આવેલો, તેમ તને મારી અનુમતિ પણ નથી.”&lt;br /&gt;
શામળ સ્તબ્ધ બેસી રહ્યો. એને થયું કે ધર્મપાલ હિચકારો છે. પછી એણે કહ્યું: “ના જી, આપ હૈયે ધરપત રાખજો. આ આખી વાતની જવાબદારી હું મારા માથા પર જ રાખવાનો છું.”&lt;br /&gt;
ઊઠીને એ ચાલ્યો ગયો.&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = ૨૦. જ્વાળામુખી&lt;br /&gt;
|next = ૨૨. લીલુભાઈ શેઠ&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>MeghaBhavsar</name></author>
	</entry>
</feed>