<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%95%E0%AA%B0%2F%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF</id>
	<title>સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/પાપીનો પણ પ્રતિનિધિ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%95%E0%AA%B0%2F%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%95%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF&amp;action=history"/>
	<updated>2026-07-23T01:10:58Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.45.0</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%95%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF&amp;diff=765&amp;oldid=prev</id>
		<title>ArtiMudra: Created page with &quot;{{Poem2Open}} {{space}} ગાંધીજીનું સત્યાગ્રહનું એક વ્યાકરણ હતું. આ વ્યાકરણનો નિ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%95%E0%AA%BE%E0%AA%95%E0%AA%BE_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AB%87%E0%AA%B2%E0%AA%95%E0%AA%B0/%E0%AA%AA%E0%AA%BE%E0%AA%AA%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%A3_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BF&amp;diff=765&amp;oldid=prev"/>
		<updated>2021-05-27T11:22:55Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{Poem2Open}} {{space}} ગાંધીજીનું સત્યાગ્રહનું એક વ્યાકરણ હતું. આ વ્યાકરણનો નિ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{Poem2Open}}&lt;br /&gt;
{{space}}&lt;br /&gt;
ગાંધીજીનું સત્યાગ્રહનું એક વ્યાકરણ હતું. આ વ્યાકરણનો નિયમ ન પાળતાં જે સત્યાગ્રહ કરવામાં આવે છે તે દુરાગ્રહ બને છે, જબરદસ્તીનો એક પ્રકાર બને છે. છેલ્લાં વીસ વરસોમાં [૧૯૫૦ પછીનાં] કોઈએ પણ શુદ્ધ સત્યાગ્રહના દાખલા લોકો આગળ મૂક્યા નથી. પરિણામે સત્યાગ્રહની જગ્યા હત્યાગ્રહે લીધી છે. હત્યાગ્રહ કાં તો કાયદેસર સરકારને ખાઈ જશે, અથવા સર્વત્રા ગુંડાનું રાજ્ય શરૂ કરશે.&lt;br /&gt;
જ્યારે ચૌરીચૌરા હત્યાકાંડ થયો, ત્યારે ગાંધીજીએ એને રાષ્ટ્રીય પાપ માન્યું અને પોતે પ્રાયશ્ચિત્તરૂપે અપવાસ કર્યા. ત્યારે કેટલાક લોકો ગાંધીજી પાસે જઈ કહેવા લાગ્યા કે, “આપ અહિંસાના પૂજારી છો એ આખી દુનિયા જાણે છે. ત્યાં જે લોકોએ હિંસા કરી, તેમની સાથે આપનો દૂરનો પણ સંબંધ જોડવાની હિંમત કોઈ કરવાનું નથી. પછી આપ એ પાપ માટે પોતાને જવાબદાર શા માટે માનો છો?”&lt;br /&gt;
ગાંધીજીએ જવાબ આપ્યો : “હું પોતાને મનથી ભારતનો પ્રતિનિધિ માનું છું. આખાય ભારતનો હું સેવક પ્રતિનિધિ છું. ભારતના પુણ્યવાન તેમ જ પાપી, બધાનો હું પ્રતિનિધિ છું. આ દેશની કોઈ પણ વ્યક્તિએ આ રીતે હિંસા કરી, તો તેની જવાબદારી મારે માથે આવી પડે છે. સમગ્ર ભારત વતી હું પશ્ચાત્તાપ ન કરું, તો મારું પ્રતિનિધિત્વ લજવાશે.”&lt;br /&gt;
તેથી જ રાષ્ટ્રે એમને રાષ્ટ્રપિતા કહ્યા.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>ArtiMudra</name></author>
	</entry>
</feed>