<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A8._%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80%2F%E0%AA%96%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF</id>
	<title>સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ ન. દ્વિવેદી/ખરી સત્યભક્તિ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE%2F%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A8._%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80%2F%E0%AA%96%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A8._%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80/%E0%AA%96%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;action=history"/>
	<updated>2026-07-22T19:27:06Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.45.0</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A8._%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80/%E0%AA%96%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;diff=1848&amp;oldid=prev</id>
		<title>ArtiMudra: Created page with &quot;{{Poem2Open}} {{space}} કારભાર કરનારો જાણે છે કે, હું એક કારભારું ડહોળું છું માટે...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%AE%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0_%E0%AA%85%E0%AA%B0%E0%AA%A7%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A6%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%A8%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BE/%E0%AA%AE%E0%AA%A3%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2_%E0%AA%A8._%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80/%E0%AA%96%E0%AA%B0%E0%AB%80_%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%AD%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF&amp;diff=1848&amp;oldid=prev"/>
		<updated>2021-06-05T05:52:49Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{Poem2Open}} {{space}} કારભાર કરનારો જાણે છે કે, હું એક કારભારું ડહોળું છું માટે...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{Poem2Open}}&lt;br /&gt;
{{space}}&lt;br /&gt;
કારભાર કરનારો જાણે છે કે, હું એક કારભારું ડહોળું છું માટે કશી વાત મારાથી અગમ્ય હોય જ કેમ? વિદ્યાવિલાસીઓ જાણે છે કે, અમે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું છે તેને ખોટું કહે જ કોણ? પંથ-પ્રવર્તકો જાણે છે કે, અમે ઠાવકું મોઢું રાખી “અહંબ્રહ્મ” કહીએ છીએ તેનો ઇન્કાર કરનાર કોણ?&lt;br /&gt;
પણ એક વ્યવહારવાળો તમામ વ્યવહારનાં સત્ય સમજી જ શકવો જોઈએ, એવો નિયમ નથી. કુંભાર ઘણો ચતુર હોય તો ઘડા પારખી જાણે, માટે તરવારની ધાર વિશે પણ તેનો અભિપ્રાય ખરો જ હોવો જોઈએ, એમ નથી. પોતપોતાના ધંધાનું સંપૂર્ણ સત્યરૂપ જ્ઞાન હોવું એ જ મુશ્કેલ છે, એટલું જ ખરેખર હાથ થઈ શકતું નથી, તો તે ઉપરાંત વળી પારકાની વાત ડહોળવા જવી એ કેવું અશક્ય છે!&lt;br /&gt;
ત્યારે કોઈ એમ પૂછશે કે તો શું કોઈએ કોઈનું વચન માનવું જ નહીં? કોઈ ગુરુ કરવો જ નહીં? પણ માણસનો ખરો ગુરુ એનું મન અને એની આંખ જ છે. સત્યને ગુરુ નથી, ને ચેલાયે નથી. ખરા ગુરુ તો તે જ કે જે સત્ય માટે પ્રાણ આપે, છતાં સત્ય ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા તત્પર રહે. જેણે એમ જ ઠરાવ્યું કે સત્ય તે આટલું જ ને બીજું બધું અસત્ય, જેના જ્ઞાનની તિજોરી ભરાઈ ચૂકી છે, તેવા તો સંસારને દુખમય કરનારા નીવડે છે. પોતાને જે નિશ્ચય થાય તે સર્વદા સમજાવવો, એ પરમધર્મ છે. પણ તેમ કરતાં એ નિશ્ચય ઉપર કોઈ પણ તરફથી વિશેષ અજવાળું પડે તેવો સંભવ અટકાવવા માટે તેને પેટીમાં પૂરી રાખી તે જ બધા પાસે ખરો મનાવવો, એ તો પશુબુદ્ધિ જ છે. સત્યને માટે જે માણસ પ્રાણ આપવા પણ તૈયાર હોય, તેને ઘટે છે કે તેણે એ સત્ય સમજવામાં અન્યે બતાવેલી પોતાની ખામી પણ સહન કરવી; એ જ ખરું પ્રાણાર્પણ છે, ખરી સત્યભક્તિ છે.&lt;br /&gt;
&lt;br /&gt;
{{Right|[‘આપણું ચિંતનાત્મક નિબંધ-સાહિત્ય’ પુસ્તક]}}&lt;br /&gt;
{{Poem2Close}}&lt;/div&gt;</summary>
		<author><name>ArtiMudra</name></author>
	</entry>
</feed>