<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B5_%E2%80%93_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9%2F%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97</id>
	<title>સાહિત્ય પલ્લવ – ભાગ ૩/બત્રીસ-લક્ષણાનો ભોગ - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B5_%E2%80%93_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9%2F%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B5_%E2%80%93_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9/%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97&amp;action=history"/>
	<updated>2026-06-26T02:04:20Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.45.0</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B5_%E2%80%93_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9/%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97&amp;diff=109753&amp;oldid=prev</id>
		<title>Meghdhanu: +1</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF_%E0%AA%AA%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%B5_%E2%80%93_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9/%E0%AA%AC%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%B8-%E0%AA%B2%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%A3%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AD%E0%AB%8B%E0%AA%97&amp;diff=109753&amp;oldid=prev"/>
		<updated>2026-04-14T07:06:22Z</updated>

		<summary type="html">&lt;p&gt;+1&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
{{Heading|બત્રીસ-લક્ષણાનો ભોગ|વૈકુંઠ}}&lt;br /&gt;
{{Block center|&amp;lt;poem&amp;gt;&lt;br /&gt;
ભીમસુત ત્યાં આવિયો સુણી વનમાં વાત, &lt;br /&gt;
‘તાતની પક્ષે જજો,&amp;#039; એમ વદે વાણી માત.&lt;br /&gt;
‘ભીમ પાંડવ તાત તારે યુધિષ્ઠિરનો ભ્રાત, &lt;br /&gt;
કૌરવ સાથે યુદ્ધ કરવા રચ્યું ભારત ખ્યાત.&amp;#039;&lt;br /&gt;
પુત્ર કહે : &amp;#039;માતા સુણો, જોવા જશું અશ્વમેવ, 		&lt;br /&gt;
પ્રથમ કેની પક્ષ નહિ, જીત્યા હણું તત્ખેવ.’&lt;br /&gt;
ત્યાં થકો સુભટ સંચર્યો, આવ્યો પાંડવ પાસ. &lt;br /&gt;
‘વૃકોદરનો પૂત છે,&amp;#039; ધન્ય ધન્ય વદે અવિનાશ. &lt;br /&gt;
એવાં વાયક સાંભળીને ભડ બોલ્યો મુખથી વાણ.&lt;br /&gt;
‘મેં તો મારા મન માંહ્ય વિચાર કીધો જાણ. 		&lt;br /&gt;
અઢાર ક્ષોણી દલ મળ્યું છે. કૌરવ-પાંડવ જેહ &lt;br /&gt;
કુટુંબ સર્વે ત્યાં મળ્યું છે યુદ્ધ કરવાને તેહ, &lt;br /&gt;
તે માટે સાચું કહું, સ્વામી, પ્રથમ યુદ્ધ નવ થાય. &lt;br /&gt;
મારા ગુરુની વાચા છે જે, ‘હાર્યાની ગમ જાય.&amp;#039;&lt;br /&gt;
ક્ષત્રી કેરો ધર્મ છે : અનાથ-વહારે થાય. 		&lt;br /&gt;
યુદ્ધ કરતાં હારશે કરવી તેની સાહ્ય.’&lt;br /&gt;
ભીમ અર્જુન એણી પેરે બોલ્યા : &amp;#039;બબ્રિખ, સુણ કહું આજ, &lt;br /&gt;
કૌરવ સર્વે કરી પ્રાજે, આપ અમને રાજ.&amp;#039; &lt;br /&gt;
પિતા તણાં તે સુણી વાયક બોલિયો તેણી વાર;&lt;br /&gt;
&amp;#039;હમણાં પક્ષ નહિ કોની, બેસી રહું એક ઠાર. 		&lt;br /&gt;
દલ જેનું અંતે હારે, જોઈશ તેણે પાસ; &lt;br /&gt;
રણે યુદ્ધ કરતાં ઓસરે, પૂરું તેની આશ.&amp;#039; &lt;br /&gt;
તે વેળા શ્રીહરિ ઓચર્યા, &amp;#039;આવડો શો આણ ગર્વ? &lt;br /&gt;
બળ વીર્ય જે હોય તારું કહે મુજને સર્વ.&lt;br /&gt;
આયુધ નામે ત્રણ શરિયાં, અવર નહિ ત્યાં એક, 	&lt;br /&gt;
શત્રુ શી પેર જીતશો? કારણ કહે વિશેખ.&amp;#039; &lt;br /&gt;
વૃકોદરસુત બોલિયો : &amp;#039;સાંભળો સાચું, શ્યામ. &lt;br /&gt;
અર્થ શો એ ત્રણનો મારે? શરિયાં બેનું કામ. &lt;br /&gt;
પ્રથમ બાણ જે મૂકું પેલું, તે મૃત્યુ ઠામ જોઈ આવે.&lt;br /&gt;
બીજું મૂકું તેહ ઉપર તત્ક્ષણ પ્રાણ જ લાવે. 		&lt;br /&gt;
તમ પ્રતાપે બળ છે પૂરણ, હું શું આપ વખાણું?&amp;#039; &lt;br /&gt;
એમ કહી ભાંજ્યો શરિયો એક, બે રાખ્યા તે પાસ; &lt;br /&gt;
એક બાણ મૃત્યુ જોઈ આવે, બીજે પામે નાશ.&lt;br /&gt;
કૃષ્ણ કહે : &amp;#039;સુણો અર્જુન, શો કરવો પરપંચ? &lt;br /&gt;
એ હોય ત્યાં આપણને વાત ન આવે સંચ.’ 		&lt;br /&gt;
ભીમપુત્ર પ્રાક્રમી જાણી બોલ્યા શ્રીયદુવીર : &lt;br /&gt;
‘જો હમણાં તું હણે મુજને તો તને જાણું ધીર.’&lt;br /&gt;
ભામસુત કહે : &amp;#039;હણું હમણાં, પણ મુજને લાગે પાપ.’&lt;br /&gt;
એમ કહી વધાર્યું મંડલ, પગ ઘાલ્યા પૈયાલ. &lt;br /&gt;
‘અરે વીર, વેગે ચાલો,&amp;#039; બોલ્યા દીનદયાળ. 		&lt;br /&gt;
ભીમસુત તવ થયો વિસ્મે, એક શરિયો નાખ્યો ધરણ્ય. &lt;br /&gt;
અવનીતલ-પડ સાત શોધી લાગ્યો હરિને ચરણ્ય. &lt;br /&gt;
વૈરાટરૂપ જ તણે ચરણે હતું પદ્મ જ્યાંહ,&lt;br /&gt;
આલેખીને બાણ આવ્યું પદ્મ ત્રીજે ત્યાંહ.&lt;br /&gt;
વૈરાટરૂપ જ સંવરી બોલિયા સારંગપાણ : 		&lt;br /&gt;
‘અરે વીર, તે મેં માન્યું સાચું, એ વાત નિરવાણ.&lt;br /&gt;
કૃષ્ણ કહે: &amp;#039;અર્જુન, સુણો, ભીમસુત બળવંત, &lt;br /&gt;
દુર્યોધનને સાહ્ય થઈને આણશે સહુનો અંત. &lt;br /&gt;
તે માટે આપણે એમ કરો, તે પ્રથમ મારો એહ;&lt;br /&gt;
તો તમે જે પામશો, નહિતર તજશો દેહ.’ 		&lt;br /&gt;
વૈરાટ દ્રુપદ એમ ઓચરે : &amp;#039;જો એ પામે મરણ,&lt;br /&gt;
શત્રુ કૌરવદળ જીતીને ભોગવશો તમે ધરણ.&amp;#039; &lt;br /&gt;
વિચાર એવો કરી મનમાં ભીમસુત તેડ્યો તે વાર, &lt;br /&gt;
&amp;#039;વાણી સહુ કો સાંભળો, કરવો છે વિચાર.&lt;br /&gt;
અનેક દળ મળ્યું છે અહીં, નાના વિધની રીત. 	&lt;br /&gt;
જો બત્રીસો મુખે હોય તો તેહ પુરુષની જીત. &lt;br /&gt;
લક્ષણ બત્રીસ શ્રીકૃષ્ણને, કાંઈ વળી અર્જુન વીર; &lt;br /&gt;
ત્રીજો ત્યાં બબ્રિખ બળિયો શૂર સમરથ ધીર.’&lt;br /&gt;
કૃષ્ણ કહે: &amp;#039;તમે સુણો, પાંડવ, સિદ્ધ હોય તમ કાજ. &lt;br /&gt;
હું ભક્તને અર્થ અવતર્યો, મારે નથી તેની લાજ?’ 	&lt;br /&gt;
અર્જુન કહે: &amp;#039;હરિ, સાંભળો, એ શું બોલ્યા વાણ? &lt;br /&gt;
આધાર સહુને એટલો, કેમ જીવીએ ભગવાન?&amp;#039;&lt;br /&gt;
અર્જુન કહે : &amp;#039;હરિ સાંભળો, ધર્મનાં કરજો કાજ;&lt;br /&gt;
વેગે અમને વેધીએ, કારજ કરો, મહારાજ.’&lt;br /&gt;
સુણી વાણી કૃષ્ણ બોલ્યા: ‘તુજ વિના નવ સરે કામ : 	&lt;br /&gt;
કોણ કૌરવ જીતશે, સન્મુખ કરી સંગ્રામ?&amp;#039; &lt;br /&gt;
સર્વ રાજા બોલિયા : &amp;#039;અર્જુન, એ કેમ હોય? &lt;br /&gt;
વળી સર્વે ઘેર જાશે. રણસ્થંભે રહે નહિ કોઈ.’&lt;br /&gt;
બબ્રિખ બોલ્યો: &amp;#039;સુણો શ્રીપતિ, કરો મારો નાશ;&lt;br /&gt;
જીત હોય જે તમ તણી તો અમે છું ઉલ્લાસ. 		&lt;br /&gt;
દેહી, કાકા, છે તમારી, જે કીજે મન ભાવે; &lt;br /&gt;
સ્થિર નથી રહેવું નર કોણે, મને દોષ નવ આવે.&amp;#039; &lt;br /&gt;
ફરી વચન તવ હરિ બોલ્યા: &amp;#039; ધન્ય ભીમકુમાર; &lt;br /&gt;
પાંડવ-અર્થે અંગ દેશે, જીતિયો સંસાર.&lt;br /&gt;
પિતા-અર્થે અંગ આપે, તાતની કરે સેવ; 		&lt;br /&gt;
રઘુનાથ સરખે પાળિયું તાત-વચન અશ્વમેવ. &lt;br /&gt;
હરિચંદ-સુત એક સતવાદી પાળતો તાત-વચંન; &lt;br /&gt;
પિતા-અર્થે દેહ જ વેચ્યો, વિપ્રઘેર તે તંન. &lt;br /&gt;
ધ્રુવે તાત-વચન પાળ્યું. વન ગયો&amp;#039;તો વીર; &lt;br /&gt;
તેના પુણ્યપ્રતાપથી ત્રૂઠા શ્યામશરીર. 		&lt;br /&gt;
આરુણિનો સુત ઋષિ મોટો ઉદ્દાલક જેનું નામ; &lt;br /&gt;
તેનો તે સુત નાચિકેતા, તેણે સર્વ દીઠાં ઠામ. &lt;br /&gt;
પિતા-વચને ગયો હતો યમપુરી, તે જાણ;&lt;br /&gt;
નીરખી સ્વદેહે તે આવ્યો પછી પ્રસન્ન હુવા સારંગપાણ.’&lt;br /&gt;
સુણી વાણી વદે દ્રુપદઃ &amp;#039;સુણો, શ્રીભગવાન; 			&lt;br /&gt;
એ કથા સર્વે સાંભળી, સુણો સર્વ રાજાન. &lt;br /&gt;
વિચારીને વદે વિષ્ણુ, સાંભળે સર્વ રાય; &lt;br /&gt;
બબ્રિખે ઊઠી સભામાંહ્ય તવ શિર મૂક્યું પાય.&lt;br /&gt;
‘વચન જો પાછું કરું તો મને લાગે ખોડ; &lt;br /&gt;
કૌરવ-પાંડવ-વધ જોવાને હુતો મનમાં કોડ. 			&lt;br /&gt;
અઢાર ક્ષણી દળ મળ્યું કૌરવ-પાંડવ જેહ;&lt;br /&gt;
કોણ શીષે જશ આવશે જોવાનું મન તેહ.’ &lt;br /&gt;
વચન સુણી અર્જુન પ્રત્યે વદે શ્રી જગદીશ;&lt;br /&gt;
‘યુદ્ધ જોવા વાંછતા તો અમૃત કીજે શીષ.’ &lt;br /&gt;
શ્રવણ ચક્ષુ ને મુખ જીભ અમર કરે અવિનાશ; 		&lt;br /&gt;
અવર અંગનો ભંગ, ન હોય યુદ્ધ-અભ્યાસ. &lt;br /&gt;
વિચાર એવો કરી કૃષ્ણે અમૃત ખેવ મગાવ્યું; &lt;br /&gt;
યુધિષ્ઠિર આદિ દઈ પાંડવ સર્વેને મન ભાવ્યું. &lt;br /&gt;
અમૃત તે બબ્રિખને મુખ મેલ્યું આપી;&lt;br /&gt;
કંઠ લગી તે પરવર્યું તત્ક્ષણ નાખ્યું કાપી. 			&lt;br /&gt;
ધડ પડ્યું પૃથ્વીતલ-મધ્યે, મસ્તક રહ્યું સાવધાન; &lt;br /&gt;
મુખ બોલે ને ચક્ષુ દેખે, શ્રવણે કરે પાન. &lt;br /&gt;
એવી યુક્તિ તણું મસ્તક શમી વૃક્ષે લઈ થાપ્યું;&lt;br /&gt;
‘જા પૃથ્વીતલે પૂજા કરશે, એવું અભેપદ આપ્યું.&amp;#039; &lt;br /&gt;
મસ્તક સજીવન થઈ બેઠું જોવાને સગ્રામ; 			&lt;br /&gt;
બબ્રિખ એવો શબ્દ ટળીને શ્રીખંડ પરઠ્યું નામ.&amp;lt;/poem&amp;gt;}}&lt;br /&gt;
{{center|&amp;#039;&amp;#039;&amp;#039;સ્વાધ્યાય&amp;#039;&amp;#039;&amp;#039;}}&lt;br /&gt;
{{Hi|1em|૧. બબ્રિખની કથા બબ્રિખને મોઢે કહેવડાવો. એના જેવા લડવૈયાને વિના હાથપગે (લડ્યા વગર જ) યુદ્ધ જોયાં કરવું પડે એ સ્થિતિ એને કેવી લાગી હશે?}}&lt;br /&gt;
{{Hi|1em|૨. ત્રીજું બાણ બબ્રિખે ભાંગી નાખ્યું તેને મળતી ગુજરાતના ઇતિહાસની કોઈ વાત તમારા ખ્યાલમાં છે?}}&lt;br /&gt;
{{Hi|1em|૩. પિતાની આજ્ઞા અનુસરનાર પૌરાણિક પાત્રોની ઓળખ આપો.}}&lt;br /&gt;
{{Hi|1em|૪. બબ્રિખ વિષે તમને કેવો ભાવ થયો?}}&lt;br /&gt;
&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = વૈકુંઠ&lt;br /&gt;
|next = અખો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Meghdhanu</name></author>
	</entry>
</feed>