<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7%2F%E0%AA%AA%E0%AA%A0%E0%AA%A8</id>
	<title>સ્વાધ્યાયલોક—૧/પઠન - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7%2F%E0%AA%AA%E0%AA%A0%E0%AA%A8"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7/%E0%AA%AA%E0%AA%A0%E0%AA%A8&amp;action=history"/>
	<updated>2026-06-02T09:51:21Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7/%E0%AA%AA%E0%AA%A0%E0%AA%A8&amp;diff=33470&amp;oldid=prev</id>
		<title>Shnehrashmi: Created page with &quot;{{SetTitle}}  {{Heading|પઠન}}  {{Poem2Open}} કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સહિત્ય એ વ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7/%E0%AA%AA%E0%AA%A0%E0%AA%A8&amp;diff=33470&amp;oldid=prev"/>
		<updated>2022-03-23T11:49:12Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|પઠન}}  {{Poem2Open}} કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સહિત્ય એ વ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|પઠન}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
કવિતા, નાટક, નવલકથા, વાર્તા, નિબંધ આદિ સહિત્ય એ વાણીની કળા છે. એથી એ શ્રાવ્ય કળા છે. મુદ્રણયંત્રની શોધ પછી એના ગ્રંથસ્થ મુદ્રિત સ્વરૂપ દ્વારા અને પ્રત્યેક ગ્રંથની અનેક પ્રતો દ્વારા સાહિત્યનો, અલબત્ત, વ્યાપક પ્રચાર થયો છે. પણ એથી એ દૃશ્ય કળા નથી, એ પૂર્વવત્ શ્રાવ્ય કળા જ છે.&lt;br /&gt;
મુદ્રણયંત્રની શોધ પછી હવે આપણી યુગમાં ધ્વનિમુદ્રણયંત્રની શોધને કારણે સાહિત્યના પઠનનો પણ એટલો જ વ્યાપક પ્રચાર શક્ય થયો છે. સારાભાઈ પ્રતિષ્ઠાન આ મહાન શક્યતાથી સંપૂર્ણ સભાન છે. એથી ગુજરાતી સાહિત્યના પઠનનો વ્યાપક પ્રચાર થાય એટલું જ નહિ પણ સાહિત્યકારોના સ્વમુખે એમના સાહિત્યનું પઠન. સાહિત્યરસિકોને સુલભ થાય એ માટે સારાભાઈ પ્રતિષ્ઠાન ગુજરાતમાં સર્વપ્રથમ પ્રવૃત્ત થયું છે.&lt;br /&gt;
સાહિત્યનું પઠન એક કળા છે. શ્રમસાધ્ય અને કષ્ટસાધ્ય કળા છે. વળી સાહિત્યનું સર્જન કરવું અને સાહિત્યનું પઠન કરવું એ બન્ને સ્વતંત્ર કળા છે. એથી જ સાહિત્યનું પઠન કરવા માટે સ્વતંત્ર કલાકારો, પાઠકો હોય છે. ક્યારેક સાહિત્યકાર સ્વયં ઉત્તમ પાઠક પણ હોય છે. છતાં શક્ય છે કે સાહિત્યકાર પોતાના જ સાહિત્યનો ઉત્તમ પાઠક ન પણ હોય. છતાં ત્યારે પણ એના પઠનનું સવિશેષ મૂલ્ય હોય છે. સાહિત્યકૃતિનું સર્જન થાય તે સમયે એટલે કે એ ભાવક સમક્ષ પ્રગટ થાય તે પૂર્વે તો સાહિત્યકાર જ એ સર્જનપ્રક્રિયાનો, એ સર્જનપ્રક્રિયાના સમયના વિકલ્પો અને નિર્ણયોનો એકમાત્ર સાક્ષી હોય છે. એથી સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું પઠન કરે છે ત્યારે એ આ અનન્ય સંદર્ભમાં પઠન કરે છે. સાહિત્યનું પઠન એ માત્ર પઠન નથી પણ એ સાહિત્યનું અર્થઘટન પણ છે. એથી સાહિત્યકાર જ્યારે પોતાના સાહિત્યનું પઠન કરે છે ત્યારે એના આરોહ-અવરોહ, સ્વરભાર, કાકુ, વિરામ, મૌન આદિ દ્વારા સાહિત્યનું એનું આગવું એવું અર્થઘટન પણ કરે છે. સાહિત્યકારની સમક્ષ એના સાહિત્યની જે વ્યક્તિતા છે, જે આકૃતિ છે, કલાકૃતિ છે તે આ પઠન દ્વારા જ પ્રગટ થાય છે. એથી સાહિત્યને આ સવિશેષ પરિમાણ પ્રાપ્ત થાય છે. સાહિત્યની આ વિશિષ્ટ મુદ્રા આ પઠન દ્વારા જ સાહિત્યરસિકોને સુલભ થાય છે.&lt;br /&gt;
{{right|(સારાભાઈ પ્રતિષ્ઠાન, અમદાવાદના ઉપક્રમે સર્જકોના સ્વમુખે સ્વરચિત સાહિત્યકૃતિઓના પઠનની કેસેટ્સ તૈયાર કરવાના કાર્યક્રમ નિમિત્તે પ્રાસંગિક નોંધ. ૧૯૮૪)}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &amp;#039;&amp;#039;&amp;#039;*&amp;#039;&amp;#039;&amp;#039; &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = કવિતા કાનથી વાંચો&lt;br /&gt;
|next = અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્ય-ગદ્યના પ્રયોગો&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
</feed>