<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7%2F%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87</id>
	<title>સ્વાધ્યાયલોક—૧/ફિલ્મ વિશે - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7%2F%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7/%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;action=history"/>
	<updated>2026-05-14T23:24:03Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7/%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;diff=33529&amp;oldid=prev</id>
		<title>Shnehrashmi: Created page with &quot;{{SetTitle}}  {{Heading|ફિલ્મ વિશે}}  {{Poem2Open}} સાહિત્ય સંગીત અને સિનેમા — આ ત્રણ કળાઓમ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%A7/%E0%AA%AB%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%AE_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87&amp;diff=33529&amp;oldid=prev"/>
		<updated>2022-03-23T18:51:30Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|ફિલ્મ વિશે}}  {{Poem2Open}} સાહિત્ય સંગીત અને સિનેમા — આ ત્રણ કળાઓમ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|ફિલ્મ વિશે}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
સાહિત્ય સંગીત અને સિનેમા — આ ત્રણ કળાઓમાં ભારતમાં અર્વાચીન યુગમાં સર્વતોમુખી પ્રતિભાનું દર્શન થાય છે; સાહિત્યમાં રવીન્દ્રનાથ સંગીતમાં રવિશંકર અને સિનેમામાં સત્યજિત રાય. એ એક યોગાનુયોગ જ માત્ર હશે કે આ ત્રણે પ્રતિભા બંગાળની સરજત છે? કે પછી બંગાળની ભૂમિમાં જ કોઈ અનન્ય અસાધારણ સત્ત્વ છે?&lt;br /&gt;
સિનેમાની શતાબ્દીના આ વર્ષમાં જ્યારે છેલ્લા પાંચેક દાયકામાં જે અસંખ્ય ફિલ્મો જોઈ છે એનું સ્મરણ કરું છું તો સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’ ફિલ્મ સ્મૃતિમાં પ્રથમ ચમકી જાય છે.&lt;br /&gt;
‘પથેર પાંચાલી’ સત્યજિત રાયની પ્રથમ ફિલ્મ છે. પહેલો જ કૂદકો અને સત્યજિત રાય સર્જકતાના એવરેસ્ટને આંબી ગયા છે.&lt;br /&gt;
‘પથેર પાંચાલી’ સત્યજિત રાયની ફિલ્મત્રયીની પ્રથમ ફિલ્મ છે. પછીથી સત્યજિત રાયે ‘આગંતુક’ લગીમાં અનેક ફિલ્મોનું સર્જન કર્યું છે. પણ એમની આ પ્રથમ ફિલ્મ એક સાદ્યંતસુંદર અને સર્વાંગસંપૂર્ણ કલાકૃતિ રૂપે માત્ર આજ લગીની ભારતની સૌ ફિલ્મોમાં જ નહિ, પણ સત્યજિત રાયની સૌ ફિલ્મોમાં પણ અદ્વિતીય છે.&lt;br /&gt;
‘પથેર પાંચાલી’ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની પ્રસિદ્ધ બંગાળી નવલકથા છે. નવલકથા તરીકે એ સુન્દર છે, પણ જ્યારે એક કલામાધ્યમમાંથી અન્ય કલામાધ્યમમાં કલાકૃતિનું રૂપાન્તર થાય છે ત્યારે એ સર્વદા સુભગ ન પણ હોય. પણ ‘પથેર પાંચાલી.’ નવલકથાનું સત્યજિત રાયે ફિલ્મના કલામાધ્યમમાં જે રૂપાન્તર કર્યું છે તે સુભગ તો છે જ, પણ ફિલ્મ તરીકે એ સ્વતંત્ર અને સ્વાયત્ત એવી એક સાદ્યંતસુન્દર અને સર્વાંગસંપૂર્ણ કલાકૃતિ છે.&lt;br /&gt;
‘પથેર પાંચાલી’માં ભારતનો ચિરંતન આત્મા પ્રગટ થાય છે — સવિશેષ અપુની ફોઈ ઇન્દિરના પાત્રમાં. આ પાત્ર એ ભારતની યુગોની વેદનાનું પ્રતીક છે. દીવાની જ્યોતના આછા પ્રકાશમાં સોયમાં દોરો પરોવવાનો એનો પ્રયત્ન, એનો સંઘર્ષ એ માત્ર ભારતનો જ નહિ પણ સ્વયં જીવનનો સંઘર્ષ છે. એમાં સત્યજિત રાયની કળાની વૈશ્વિકતાનું દર્શન થાય છે. ‘પથેર પાંચાલી’માં અનેક પ્રતીકો છે, પણ એમાંનું આ સર્વશ્રેષ્ઠ પ્રતીક છે.&lt;br /&gt;
ઇન્દિરના મૃત્યુની ક્ષણે હાથમાંથી સરી જતા પાત્રનો અવાજ, તારના થાંભલા પર સૂસવતા પવનનો અવાજ, દુર્ગાનાં મૃત્યુની ક્ષણે બારણાંનો કિચૂડ કિચૂડ અવાજ, પસાર થતી રેલગાડીના એન્જિનનો અવાજ; ખેતરના છોડને નીચા નમાવીને ઉપર છવાતા ધુમાડાનું દૃશ્ય, પિતાનો પત્ર આવતાં ‘ચિઠ્ઠી, ચિઠ્ઠી’ના આનંદનું અને સાથે સાથે જંતુનુત્યનું દૃશ્ય, દુર્ગાનાં મૃત્યુ પછી દુરિતના પ્રતીક જેવી માળાને ફગાવતા અપુના રોષનું દૃશ્ય — આ અવાજો અને દૃશ્યો આજે પણ ચિત્તમાં ચમક્યા કરે છે, સદાય ચમક્યા કરશે.&lt;br /&gt;
&amp;#039;&amp;#039;&amp;#039;૧૯૯૬&amp;#039;&amp;#039;&amp;#039;&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &amp;#039;&amp;#039;&amp;#039;*&amp;#039;&amp;#039;&amp;#039; &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સ્થાપત્ય વિશે&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
</feed>