<?xml version="1.0"?>
<feed xmlns="http://www.w3.org/2005/Atom" xml:lang="en">
	<id>https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%AD%2F%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80</id>
	<title>સ્વાધ્યાયલોક—૭/વિશ્વમાનવી - Revision history</title>
	<link rel="self" type="application/atom+xml" href="https://wiki.ekatrafoundation.org/index.php?action=history&amp;feed=atom&amp;title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%AD%2F%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80"/>
	<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%AD/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80&amp;action=history"/>
	<updated>2026-04-08T06:34:45Z</updated>
	<subtitle>Revision history for this page on the wiki</subtitle>
	<generator>MediaWiki 1.38.2</generator>
	<entry>
		<id>https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%AD/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80&amp;diff=36016&amp;oldid=prev</id>
		<title>Shnehrashmi: Created page with &quot;{{SetTitle}}  {{Heading|‘વિશ્વમાનવી’}}  {{Poem2Open}} આ વિષય પર ‘ઓળખ’ માટે કંઈક લખવા માટે ભ...&quot;</title>
		<link rel="alternate" type="text/html" href="https://wiki.ekatrafoundation.org/index.php?title=%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B2%E0%AB%8B%E0%AA%95%E2%80%94%E0%AB%AD/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B5%E0%AB%80&amp;diff=36016&amp;oldid=prev"/>
		<updated>2022-05-05T20:51:21Z</updated>

		<summary type="html">&lt;p&gt;Created page with &amp;quot;{{SetTitle}}  {{Heading|‘વિશ્વમાનવી’}}  {{Poem2Open}} આ વિષય પર ‘ઓળખ’ માટે કંઈક લખવા માટે ભ...&amp;quot;&lt;/p&gt;
&lt;p&gt;&lt;b&gt;New page&lt;/b&gt;&lt;/p&gt;&lt;div&gt;{{SetTitle}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Heading|‘વિશ્વમાનવી’}}&lt;br /&gt;
&lt;br /&gt;
{{Poem2Open}}&lt;br /&gt;
આ વિષય પર ‘ઓળખ’ માટે કંઈક લખવા માટે ભાઈ મનહરે મને એકાદ મહિના પર કહ્યું, ત્યારથી હું વિચારું છું કે એમણે આ વિષય પર લખવા માટે શાથી કહ્યું હશે?&lt;br /&gt;
ઉમાશંકરનું ‘વિશ્વમાનવી’ કાવ્ય વાંચીને કહ્યું હશે? પણ તો-તો આજથી સાઠ વર્ષ પૂર્વે ૧૯૩૨માં એ કાવ્યમાં ઉમાશંકરે પોતે જ વિશ્વમાનવી બનવાની રીત બતાવી હતી. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી.’ જોકે, પછી ૧૯૫૬માં ઉમાશંકરે તો ‘છિન્નભિન્ન છું’ લખીને જીવનભર વ્યક્તિ બનવાની જ ‘શોધ’ કરી હતી.&lt;br /&gt;
તો પછી શાથી કહ્યું હશે? આવું ક્યાંથી સૂઝ્યું હશે? ભાઈ મનહર હમણાં-હમણાંથી અમેરિકા જાય છે એથી એમને આ વિષય પર લખવા માટે કોઈકને કહેવાનું સૂઝ્યું હશે? આ લખનાર પણ દસેક વરસથી યુરોપ-અમેરિકામાં રખડ્યા કરે છે. એથી આ વિષય પર લખવા માટે એને કહેવાનું સૂઝ્યું હશે? પણ, આમ અમેરિકા જવાથી કે યુરોપ-અમેરિકામાં રખડવાથી આ વિષય પર લખવાનું કહેવા માટે કે લખવા માટે ઓછું પાત્ર થવાતું હશે?&lt;br /&gt;
એ તો જે હોય તે, પણ લખવાનું આવ્યું જ છે તો હવે જોઈએ શું લખાય છે!&lt;br /&gt;
વિશ્વમાનવી બનવાની કોઈ રીત હશે વારુ? નહિ જ હોય. કારણ કે જો એવી કોઈ રીત હોતને તો ‘વિશ્વમાનવી બનવાની એકસો ને એક રીત’ એ શીર્ષકથી સાહિત્ય-ફિલસૂફી-ઇતિહાસ-ભૂગોળ-માનસશાસ્ત્ર-સમાજશાસ્ત્ર વગેરે વગેરે વિષયના અનેક અધ્યાપકોએ એ વિશે પુસ્તક — ક્ષમા કરશો — પાઠ્યપુસ્તકો ગુજરાતના ઉચ્ચશિક્ષણમાં ગુજરાતી ભાષાનો સ્વીકાર થયો કે તરત લખી નાખ્યાં હોત ને પછી અભ્યાસક્રમોમાં એ વિષયનો પ્રવેશ કરાવવા માટે અને એનું પાઠ્યપુસ્તક નિયત કરાવવા માટે અધ્યાપકોએ (અને એમના પ્રકાશકોએ પણ) પરસ્પર સ્પર્ધા જ નહિ, પણ એ અંગેની સમિતિઓની પત્રમ્‌પુષ્પમ્‌થી યેનકેન પ્રકારની સાધના-આરાધના પણ કરી હોત. અરે, પાઠ્યપુસ્તકો પર માર્ગદર્શિકાઓનું પ્રકાશન કરવામાં જે પ્રકાશકો નિષ્ણાત છે એમણે એ પાઠ્યપુસ્તક પર માર્ગદર્શિકાઓનું પ્રકાશન પણ કર્યું હોત અને, અલબત્ત, એ માર્ગદર્શિકાઓ પણ એમણે અધ્યાપકો પાસે જ લખાવી હોત અને અધ્યાપકોએ હોંશે હોંશે લખી પણ હોત. પણ ખેર! આવું એક પણ પુસ્તક ગુર્જરી ગિરામાં લખાયું નથી. હા, પણ આવું એક પુસ્તક બસો-અઢીસો વરસ પર આંગ્લ ભાષામાં લખાયું છે : ઓલિવર ગોલ્ડસ્મિથનું ‘ધ સિટિઝન ઑફ ધ વર્લ્ડ’. પણ એ તો મ્લેચ્છો-યવનોની ભાષામાં લખાયું છે. એટલે ‘ક્વિટ ઇન્ડિયા’! એટલે એ વાંચે તો કેટલા વાંચે? અને જે વાંચે એમાંથી ‘અંગ્રેજી મુર્દાબાદ’ કર્યું હોવાથી સમજે તો કેટલા સમજે?&lt;br /&gt;
તો પછી અન્ય કોઈ રીત હશે? જગતભરની ભોજન-વાનગીઓ આરોગવાથી વિશ્વમાનવી થવાય? જગતભરના વેશ-પરિવેશ અંગીકારવાથી વિશ્વમાનવી થવાય? તો-તો માત્ર રસિકજન થવાય. જગતભરની ભાષાઓ ભણવાથી વિશ્વમાનવી થવાય? જગતભરનો પ્રવાસ કરવાથી વિશ્વમાનવી થવાય? તો-તો માત્ર બહુભાષી પ્રવાસી થવાય. આ બધું કરવા માટે સમય, શક્તિ અને ધન ક્યાંથી લવાય?&lt;br /&gt;
તો પછી કોઈ રીત નથી? છે. જરૂર છે. અને તે પણ સાવ સહેલી. કાનમાં કહું તો જેટલી સહેલી એટલી જ અઘરી. શી છે એ રીત? માનવી થવું, પૂરા માનવી થવું, અધૂરા નહિ. પૂરેપૂરા માનવી થવું. આવા માનવી થવામાં જ વચમાં અનાયાસ, આપોઆપ — બલકે અનિવાર્ય વિશ્વમાનવી બનવાનું આવે છે. કારણ કે વિશ્વમાનવી બન્યા વિના પૂરેપૂરા માનવી થવાતું નથી. પૂછો ઉપનિષદોને! આ રીત ઉપનિષદો જેટલી પ્રાચીન છે. અથવા ઉપનિષદો જેટલી અર્વાચીન છે, આ રીત સર્વકાલીન છે.&lt;br /&gt;
એથી ઉમાશંકરની પ્રસિદ્ધ પંક્તિ ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’માં ઉમાશંકરની ક્ષમાયાચના સાથે અને ઉત્તરકાલીન ઉમાશંકરની સંમતિ-સહમતિ-સદ્‌મતિ સાથે પાઠાન્તર કરીએ અને કહીએ : ‘વ્યક્તિ થવાને બનું વિશ્વમાનવી.’&lt;br /&gt;
{{Poem2Close}}&lt;br /&gt;
{{left|&amp;#039;&amp;#039;&amp;#039;૧૯૯૨&amp;#039;&amp;#039;&amp;#039;}}&amp;lt;br&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
&amp;lt;center&amp;gt; &amp;#039;&amp;#039;&amp;#039;*&amp;#039;&amp;#039;&amp;#039; &amp;lt;/center&amp;gt;&lt;br /&gt;
&lt;br /&gt;
{{HeaderNav2&lt;br /&gt;
|previous = સમગ્ર કવિતા&lt;br /&gt;
}}&lt;/div&gt;</summary>
		<author><name>Shnehrashmi</name></author>
	</entry>
</feed>