સંચયન-૬૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
()
 
(36 intermediate revisions by the same user not shown)
Line 36: Line 36:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


[[File:Ekatra Logo black and white.png|300px]]
[[File:Ekatra Logo black and white.png|400px]]


<big>'''એકત્ર ફાઉન્ડેશન'''</big>
<big>'''એકત્ર ફાઉન્ડેશન'''</big>
Line 70: Line 70:
</poem></center>
</poem></center>


{{dhr}}{{page break|label=}}{{dhr}}


 
[[File:Sanchay 62 Image 1.jpg|center|500px]]


== અનુક્રમ ==
== અનુક્રમ ==
Line 77: Line 78:
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪
<poem>
<poem>
{{color|DarkSlateBlue|સમ્પાદકીય}}
{{color|DarkSlateBlue|<big>સમ્પાદકીય</big>}}
» રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા  {{color|brown|~ કિશોર વ્યાસ }}
{{Gap|1em}}» &nbsp;રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા  {{color|brown|~ કિશોર વ્યાસ }}
 
{{color|DarkSlateBlue|<big>કવિતા</big>}}
{{color|DarkSlateBlue|<big>કવિતા</big>}}
 
{{Gap|1em}}» &nbsp;ઉદ્ધવ ગીતા {{color|brown|~ વીરુ પુરોહિત}}
» ઉદ્ધવ ગીતા {{color|brown|~ વીરુ પુરોહિત}}
{{Gap|1em}}» &nbsp;ભગ્ન સ્વપ્નની નાવ {{color|brown|~ સ્નેહરશ્મિ}}
» ભગ્ન સ્વપ્નની નાવ {{color|brown|~ સ્નેહરશ્મિ}}
{{Gap|1em}}» &nbsp;ચંદરોજ {{color|brown|~ ચાંપશી વિ. ઉદેશી}}
» ચંદરોજ {{color|brown|~ ચાંપશી વિ. ઉદેશી}}
{{Gap|1em}}» &nbsp;આ અમે નીકળ્યા {{color|brown|~ રાજેન્દ્ર શુક્લ}}
» આ અમે નીકળ્યા {{color|brown|~ રાજેન્દ્ર શુક્લ}}
{{Gap|1em}}» &nbsp;દુનિયા અમારી {{color|brown|~ ભાનુપ્રસાદ પંડ્યા}}
» દુનિયા અમારી {{color|brown|~ ભાનુપ્રસાદ પંડ્યા}}
{{Gap|1em}}» &nbsp;કતલ કરે અને કૈં ખબર પડે ના {{color|brown|~ અમૃત ઘાયલ}}
» કતલ કરે અને કૈં ખબર પડે ના {{color|brown|~ અમૃત ઘાયલ}}
{{Gap|1em}}» &nbsp;ગુજરાત {{color|brown|~ ચંદ્રવદન ચી. મહેતા}}
» ગુજરાત {{color|brown|~ ચંદ્રવદન ચી. મહેતા}}
{{Gap|1em}}» &nbsp;પલ {{color|brown|~ મણિલાલ દેસાઈ}}
» પલ {{color|brown|~ મણિલાલ દેસાઈ}}
{{Gap|1em}}» &nbsp;ઝાલાવાડી ધરતી {{color|brown|~ પ્રજારામ રાવળ}}
» ઝાલાવાડી ધરતી {{color|brown|~ પ્રજારામ રાવળ}}
{{Gap|1em}}» &nbsp;વિદાયઘડી {{color|brown|~ સાબિર વટવા}}
» વિદાયઘડી {{color|brown|~ સાબિર વટવા}}
{{Gap|1em}}» &nbsp;રત્ય {{color|brown|~ પ્રદ્યુમ્ન તન્ના}}
» રત્ય {{color|brown|~ પ્રદ્યુમ્ન તન્ના}}
{{Gap|1em}}» &nbsp;કાંડું મરડ્યું {{color|brown|~ મનોહર ત્રિવેદી}}
» કાંડું મરડ્યું {{color|brown|~ મનોહર ત્રિવેદી}}
{{Gap|1em}}» &nbsp;અંતર મમ વિકસિત કરો {{color|brown|~ રવીન્દ્રનાથ ટાગોર અનુ. સુરેશ દલાલ}}
» અંતર મમ વિકસિત કરો {{color|brown|~ રવીન્દ્રનાથ ટાગોર અનુ. સુરેશ દલાલ}}
{{Gap|1em}}» &nbsp;વાસંતી વાયરો {{color|brown|~ પન્નાલાલ પટેલ}}
» વાસંતી વાયરો {{color|brown|~ પન્નાલાલ પટેલ}}
 
{{color|DarkSlateBlue|<big>વાર્તા</big>}}
{{color|DarkSlateBlue|<big>વાર્તા</big>}}
» બારી પર ખેંચાયેલા પડદા {{color|brown|~ વીનેશ અંતાણી}}
{{Gap|1em}}» &nbsp;બારી પર ખેંચાયેલા પડદા {{color|brown|~ વીનેશ અંતાણી}}
» સાંકડી ગલીમાં ઘર {{color|brown|~ વિજય સોની}}
{{Gap|1em}}» &nbsp;સાંકડી ગલીમાં ઘર {{color|brown|~ વિજય સોની}}
 
{{color|DarkSlateBlue|<big>સ્મૃિતલોક</big>}}
{{color|DarkSlateBlue|<big>સ્મૃિતલોક</big>}}
» સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે {{color|brown|~ રીના મહેતા}}
{{Gap|1em}}» &nbsp;સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે {{color|brown|~ રીના મહેતા}}
» હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ {{color|brown|~ ચંદ્રકાન્ત ટોપીવાળા}}
{{Gap|1em}}» &nbsp;હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ {{color|brown|~ ચંદ્રકાન્ત ટોપીવાળા}}
 
{{color|DarkSlateBlue|<big>વિવેચન</big>}}  
{{color|DarkSlateBlue|<big>વિવેચન</big>}}  
» સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ {{color|brown|~ ઝવેરચંદ મેઘાણી}}
{{Gap|1em}}» &nbsp;સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ {{color|brown|~ ઝવેરચંદ મેઘાણી}}
 
{{color|DarkSlateBlue|<big>કલા જગત</big>}}  
{{color|DarkSlateBlue|<big>કલા જગત</big>}}  
» મારી નજરે ~ રવિશંકર રાવળ
{{Gap|1em}}» &nbsp;મારી નજરે ~ રવિશંકર રાવળ
</poem>
</poem>
[[File:Sanchay 62 - Image 2.jpg|center|500px]]
==સમ્પાદકીય==
==સમ્પાદકીય==
[[File:Sanchayan 61 - 1.png|250px|left]]<big>{{color|DarkGreen|પંખીલોક}}</big><br>છે, પંખીઓ હજી ગામ છોડીને - સીમખેતરો છોડીને ગયાં નથી, જોકે એમનાં આશ્રયસ્થાનો ઓછાં થઈ જવાથી એમનાં ટોળાં નાનાં થયાં છે ને ઊડાઊડ કે અવરજવર પાંખી પડી છે ખરી. આ કબૂતરો જ જુઓને! નહીં તો ગામડાંમાં તો કબૂતરોનો પાર નહીં; એય હવે માંડ આઠદસના જૂથમાં જોવા મળે છે. ચબૂતરો તૂટવા સાથે એમનાં સહવાસ સ્થળો બદલાયાં છે, પેલાં દેશી નળિયાવાળાં બબ્બે પડાળિયાં મોટાં ઘર હવે ક્યાં રહ્યાં છે? શિયાળામાં આ ઘર-પડાળે ને વચલા મોભારે કબૂતરોનાં જૂથ મીઠો તડકો માણતાં-રસાણે ચઢેલાં -દેખાતાં. એમના એ સહચાર સાંજસવારોમાં તોફાનમસ્તીવાળા રહેતા હતા. ઘરના કરામાં અને એનાં પડાળ - ભીંતોના વચગાળામાં રહેતાં કબૂતરો હવે જૂનાં ઘર તૂટતાં બેઘર બન્યાં છે જાણે! ‘ધાબાવાળાં’ પાકાં મકાનોમાં જાણે કબૂતરોને બેસવાની સગવડ નથી ત્યાં વસવાની તો વાત ક્યાં! ફળિયે જુવાર-બાજરીની ચણ નાખનારા દાદા, વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં પંખીઓથી હવે છલકાતાં નથી. અરે, એવાં ફળિયાં ક્યાં છે - જેની પડસાળોમાં પાણીની ઠીબો અને ચણનાં પાત્રો લટકતાં હોય! પડસાળો ગઈ ને ઠીબોય ગઈ. અરે, કૂવાય જૂના થયા ને પડ્યા કે પૂરાયા - કબૂતરો ક્યાં જઈને વસે? ત્યારે તો કૂવાની ભીતરી બખોલોની ઠંડકમાં એ નમણાં-નાજુક પારેવાં ઘૂઘૂ કરીને પ્રેમમંત્ર ઘૂંટ્યા કરતાં હતાં. હવે તો પાણી માટે ‘બોર’, ‘હેન્ડપંપ’ કે ‘સબમર્સીબલ પંપ’ આવી ગયા છે. ચકલીને ન્હાવાય પાણી ખોળવું પડે છે ને સંકોચશીલ હોલો-હોલી તો સૂનમૂન બેસી રહે છે. જ્યાંત્યાં પાણી અને મનગમતી ચણ હતી તે હવે નથી રહ્યાં. ‘મારા વાડામાં બોલે બુલબુલ’ ગાનારા કવિ પણ હવે ક્યાં રહ્યા છે!
<big>{{color|BlueViolet|'''રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા'''}}</big><br>કૉલેજ કક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કોઈ ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરવાનું કહેવામાં આવે અથવા તો કોઈ પ્રસંગે સાંપ્રત સાહિત્ય સંદર્ભે કશુંક પૂછવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા સામે જોઈને ચૂપ બેસી રહે છે. એના હાથમાં કોઈ કોશ આપવામાં આવે તો એને જોવામાં એ ફાંફાં મારે છે. સાહિત્ય સામયિકોમાંથી કોઈનું નામ લેવામાં આવે ત્યારે એ સમજે છે કે સાહેબ કોઈ પુસ્તકનું નામ લઈ રહ્યા છે ! સાંપ્રત સર્જકો કે કોઈ યુગના સર્જકો વિશે પણ એને ખાસ જાણકારી નથી હોતી. નાનીમોટી સંસ્થાઓમાં રંગભૂમિના આવડે એવા પ્રયોગો થતા રહેતા હતા. હવે તો એવી પ્રવૃત્તિ ગણતર શૈક્ષણિક સંકુલોમાં થતી જોવા મળે છે. આવું શા કારણે થયું ? આપણી પાસે માહિતી કે જાણકારી તો હોવી જોઈએ એમ કહીને આપણે આગળ ચાલી જઈએ છીએ પણ રસરુચિની આવી મર્યાદાઓ છેલ્લા કેટલાયે સમયથી આપણી સામે વિકરાળ મોં ફાડીને ઊભી છે. અભ્યાસક્રમ બહારની કશી પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની જાણે કે આપણામાં તમન્ના નથી. સાહિત્યનું શિક્ષણ આપનારી સંસ્થાઓ તો ઘણી વધી છે પણ રસરુચિને વિસ્તારનારાં ક્ષેત્રો સાંકડા થતાં ચાલ્યાં છે. એક સમય હતો કે આપણી અગાઉની પેઢી ઝાઝું ભણેલી ન હોવા છતાં એના ગળામાં થાળ, પદ, ભજનો, લોકગીતો અને કથાઓ અભરે ભરી હતી. રમેશ પારેખે પોતાની માતાની ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી વિશે પોતાના સંસ્મરણોમાં અનેકવાર લખ્યું છે. વાતવાતમાં મર્મીલી કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ તો તદ્દન નહીંવત્ થઈ જવા પામ્યો છે. એક સમયે સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં કામ કરનારો વર્ગ પણ સાહિત્યથી દીક્ષિત રહ્યો હતો કેમકે કુટુંબ, શાળા, સમાજ એને પોષક બનતો હતો. શહેરોને બાદ કરતાં કેટલાક રસિક વાચકોનું જૂથ સાહિત્યની વાત કરતાં આપણને મળે છે ખરાં ? આજના સમયે પણ મેઘાણી, ઉમાશંકર જોશી કે ધૂમકેતુ જેવા સર્જકોની વાત અમુક પેઢી કરી શકવાનું ગજું સાચવીને બેઠી છે ત્યારે પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ પાસે આવી રસરુચિની તાણ કેમ વરતાય છે ? શિક્ષણનો આટલો ફેલાવો છતાં આપણા પરિવારોએ વિધવિધ પ્રકારના સામયિકોને ઘરમાં જાણે પ્રવેશબંધી ફરમાવી છે. કેટલા પરિવારો પોતાના બાળકો માટે સામયિકો કે પુસ્તકો વસાવવાનાં આગ્રહી છે ? જો આર્થિક રીતે એ પોસાતું ન હોય તો કેટલા વાલીઓ કે શિક્ષકો ફરજિયાતપણે પોતાના બાળકોને ગ્રંથાલયમાં જવાનો આગ્રહ થાક્યા વિના કે નિરાશ થયા વિના કર્યા કરે છે ? ખરેખર તો વિદ્યાર્થીઓ પાસે વર્ષભરમાં વાંચેલી ગુજરાતી કે પરભાષાની ઉત્તમ કૃતિઓની પોતીકી યાદી હોવી જોઈએ. જેના પર શિક્ષકોની પણ નજર રહે. શાળાઓ, હાઈસ્કૂલો અને કૉલેજોમાં કવિની જન્મજયંતીનાં કે વિશેષ પ્રસંગોના કાર્યક્રમો થાય એ તો સારી બાબત છે પણ કવિતા વાચનના, વાર્તા વાચનના કે સાહિત્ય ચર્ચાના નિયમિતપણે ઘરઘરાઉ કાર્યક્રમો થવા ઘટે. દરેક સંસ્થાઓમાં ભીંતપત્રો પર મહત્ત્વની રચનાઓ પ્રદર્શિત થતી રહેતી હોય જેમાં વિવિધ સ્વરૂપો વિશે વિદ્યાર્થીઓ લખવાનો મનોયત્ન કરે એવું ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ. કેટલીક સંસ્થાઓ પોતાનાં વાર્ષિકો પણ પ્રગટ કરે છે પણ એમાં ઉત્તમ કૃતિઓનો આપણે આગ્રહ આગળ નહીં ધરીએ તો ખોટાં વલણો ઊભાં થવા પામશે આથી વિવેચકની જેમ ભાષાસાહિત્યના અધ્યાપકને પણ દુરારાધ્ય થવું ઘટે છે. શાળા અને હાઈસ્કૂલ કક્ષાએ હજુ સુધી પ્રાર્થના સંમેલનોમાં અવકાશ છે જેનો રસરુચિ વિકસાવવા ભરપૂર લાભ લેવો જોઈએ. અધ્યાપકો જો સામયિકો મગાવતા હોય તો સામયિકો વિદ્યાર્થીઓના હાથમાં પણ મૂકવાં જોઈએ.ઉત્તમ વાર્તાઓ, નવલકથાઓ અને સર્જકો વિશે ટૂંકા નિબંધો લખાવવાના, ચર્ચાસત્રો યોજવાના પ્રયત્નો પણ કરવા રહે.
ગામ તૂટ્યું ને વૃક્ષો કપાયાં. સીમમાં વૃક્ષોને નહેરનાં પાણી લાગ્યાં તે એય સૂકાયાં. ઝાડમાં ‘લાકડું’ જોનારા લોકો વધ્યા. ગામ ઉઘાડું પડી ગયું. લેલાંના ટોળાં તો ઘર-વાડાથી લઈને સીમ વગડો માથે લઈને હજીય કલકલાટ કરી મૂકતાં ઊઠે છે, પણ ચકલી-હોલા ઘટી ગયાં છે. અરે, ચિકચિકાટ કરી મૂકતી પીળી ચાંચવાળી કથ્થાઈ-કાળી કાબરોય ઓછી દેખાય છે.... ચોટલા કાબર પણ ઘટી છે. હા, કાગડા છે. પણ ચરાના વડ ઉપર એમની સભાઓ હવે ભરાતી નથી. એક સામટા ભેગા થયેલા કાગડા કદીક જ જોવા મળે... એવી સંખ્યામાં ક્રાક્રા કરતા ટોળે વળતા. જ્યારે કોઈ ‘કાગડાનું શબ’ - જોતા. અમે કહેતા ‘કાગડા લોકાચારે’ મળ્યા છે. હવે એકસામટા કાગડાઓને લોકાચારે જતા જોવાનું સરળ સહજ કે આંખવગું નથી રહ્યું. ફળિયાની કોર ઉપર ઊભેલી બકમલીમડી ઉપર સાંજે ચકલીઓ ચીંચીંચીંના કોહરામ સાથે ભેગી થતી; નદીકાંઠાનાં ખેતરોમાં ફરીને સૂડાઓ પાદરને લીમડે મુકામ કરતા. મહાદેવ પાસેની આંબલી ઉપર કાબરો રાત ગાળવા મળતી. જાણે પંખીઓએ ઝાડવાં વહેંચી લીધાં હતાં! એ વૃક્ષો કપાઈ જતાં પંખીઓ નોંધારાં થઈને ઊડી ગયાં છે. ગામ પંખીઓના કલરવોથી સ્વાભાવિક લાગતું હતું. હવે વધુ સમય સૂનમૂન લાગે છે. સીમમાંથી સાંજે વાડાની કણજીઓ ઉપર ઊડી આવતા ને રાત ગાળતા મોર હવે ક્યાં જતા હશે? કણજીઓ તો લાકડાં થઈ ગઈ છે. ગામ ટહૂકાઓ વિના પણ મજામાં રહેતું હશે? કેમ કરીનેે? રામ જાણે!
આમ કહીએ છીએ ત્યારે તેઓની ફરિયાદ હોય છે કે અભ્યાસસત્ર જ એટલા ટૂંકા છે કે અમે પરીક્ષા લીધા વિના બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી ! વિદ્યાર્થીઓને એકડે એકથી આરંભ કરવા બાબતે પણ તેઓ ખાસ્સા નિરાશ હોય છે. આવી પરિસ્થિતિ હોવાનાં રોદણાં રોઈ આપણે બેઠા રહીશું ? ખરેખર તો માંડવાળ કરવાને બદલે મંડળી મળવાથી થતા લાભ અંગે ને ટેબલ ટોક કરવા સક્રિય થવાનો આ ખરો સમય છે. રસરુચિ ખીલવે તેવા વૈવિધ્યસભર કાર્યક્રમો સંસ્થાઓએ, શિક્ષકોએ અને પ્રજાએ જાતે ઊભા કરવા જોઈએ કે ઘડી કાઢવા જોઈએ. જે મનોરંજક નહીં, સાદગીભર્યા અને સત્વશીલ હોય. નવી પેઢીના ઘડતર માટે મથનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ પડકાર ઊભો છે એને પાર પાડવો રહ્યો.<br>
હા, ખેતરોમાં હજી ટીંટોડીઓ ‘વક્તીતી વક્તીતી’ રટતી જીવતરની આશા બંધાવે છે. પણ તળાવનાં પાણી સાથે કમળ તો ગયાં; સાથે પેલી જળકૂકડીઓય ખપી ખૂટી!
{{right|{{color|OliveDrab|'''~ કિશોર વ્યાસ'''}}}}
ઘર પાસેની ટેકરીઓનાં તેતર છેક વાડા સુધી આવી જતાં. ને જરાક અવાજ થતાં ફરુક કરતાં ઊડીને અમને છળાવી દેતાં. બંદૂકમાં તુવરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા - એમ દાદા વાતો કરતા. હવે તો છેક ખેતરોમાં જાઉં છું ને ટેકરીઓ પાસેનાં વાડ-પાન ફંફોસું છું ત્યારે ભાળવા મળે છે એકાદબે ગભરુ તેતરો! ત્યારે તો સવારે સીમની ‘વાટે લોટો ઢોળવા’ નીકળતા અને વનલાવરીના અવાજો મનને ભરી દેતા. મરઘીથી જરાક નાની એવી વનલાવરી - એના પીછાં પરનાં ટપકાંની ભાત - જોવાની તાલાવેલી રહેતી. વનલાવરી નવી પેઢીને તો કાગળમાં ચિત્ર દોરીને બતાવવી પડશે એમ લાગે - સારસ હવે વિરલ થતાં જાય છે. ત્યારે તો અમારાં ખેતરોમાં અમે કામ કરતાં હોઈએ અને થોડેક દૂર આ સારસબેલડીઓ ચરતી હોય - ગમ્મત કરતી હોય. કેટકેટલાં યુગલો હતાં - ઊડે કે આકાશ ભરાઈ જતું! એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ... બે મોટી પાંખો - અમને તો એ ઊડતાં વિમાનો લાગતાં. એમના મધુર રણકાદાર અવાજો તો રાત્રિના પ્રહરેપ્રહરે મહીસાગરના કાંઠાથી સંભળાયા કરતા. હવે તો ચારે દિશાની સીમ ફરતાંય એકાદબે સારસબેલડી માંડ જોવા મળે છે. ક્યાં ગયાં એ મહાકાવ્ય યુગનાં ઋષિમુનિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ!
ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાં ઢેંક અને બગલા આવી બેસે છે. લણણી થયેલાં ખેતરોમાં દીવાળીઘોડાઓ પૂંછડી હલાવતા ઊડે છે. કાળિયોકોશી પણ ફળિયેથી ખેતર સુધી આંટાફેરો મારતો ઊડે છે. જાણે કશાકનું ‘સુપરવિઝન’ કરતો રહે છે . હજી પૂંછડીની સળી હલાવતા પતરંગા હવામાં સેલ્લારા લે છે. ને ઊડતાંવેંત પીંછાંના અંદરના રંગોથી આભને – સીમને છાંટી દેતાં ચાસ વીજળીની તારલાઈનો ઉપર મૂંગાં મૂંગાં બેસી રહે છે. ક્યાંક કલકલિયો તારસ્વરે બોલે છે. શિશિર ઊતરતાં કંસારા બોલે છે પણ દેખાતા નથી. ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતાં રહેતાં... હવે તો એનાં દર્શન પણ દુર્લભ થયાં છે. હા, સવારમાં દરજીડા અને બુલબુલ સંભળાય છે; પણ દૈયડના ઝીણા ટહૂકા ભાગ્યે જ સંભળાય છે. ક્યાંકથી ઝીણુંતીણું ટહૂકતાં શક્કરખોર ફૂલો શોધતાં આવે છે. ક્યારેક ઝાડડાળે ચંચળ નાચણ જોવા મળી જાય છે. દૂધિયા લટોરા અને રંગબેરંગી શોબિંગો તો આખીસીમ ફરતાંય નથી જોવા મળતાં. થોડા કરકડિયા કુંભાર વાડ-ઝાડમાં લપાતા ફરે છે – કાચિંડાના શિકારનો અેમને શોખ છે. કહે છે કે વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરોમાં વાપરવા માંડ્યાં ને જીવજંતુ ઘટવા માંડ્યાં ત્યારથી પંખીઓનું પર્યાવરણ પણ જોખમાયું છે. સાચી વાત છે, જમીનને વણખેડ્યે પોચી રાખતાં પલાં જમીનખેડુ અળસિયાંય નથી બચ્યાં! ઝેરી દવાનો પટ તો અનાજનેય લાગ્યો છે ને હવાનેય! સીમે રહ્યાંસહ્યાં પંખીઓ ઉદાસ આંખે જોતાં જોતાં આપણને ખમૈયા ‘કરવાનું’ કહે છે! પણ યંત્રો આગળ હવે કલરવો જાણે સંભળાતા નથી.
ગીધ-સમડી-ઘૂવડ-ચીબરી પણ કોતરોની કણજીઓ પાંખી પડતાં મૂંઝાવાં લાગ્યાં છે. હોલો-ચકલી-કાગડો માળા માટે જગા શોધવા બાવરાં લાગે છે. થોડાં ઝાડ છે ને એમાં કાળે ઉનાળે મીઠું બોલતી કોયલ હજી સંભળાય છે – એના અવાજમાં વેદના પણ છે ને થોડી ચીમકી પણ! ક્યારેક જોવા મળતું લક્કખોદ હજી મારી લીલીછમ છાતીમાં ચાંચ મારતું કળાય છે... હું મને પૂછું છું – ‘ક્યાં છે મારો પંખીલોક?’<br>
{{right|'''{{color|Brown|(મણિલાલ હ. પટેલ)}}'''}}


==કવિતા==
==કવિતા==
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>ઉદ્ધવ ગીતા</big>'''}}


<big>{{color|Orangered|આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
}}</big><br>
{{color|OliveDrab|'''વીરુ પુરોહિત'''}}
<big>{{color|Orangered|(સૉનેટમાળા : પ સૉનેટ)}}</big>


{{color|Orangered|૧. ઘર ભણી}}
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!


<poem>ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;
લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો!
સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન


ઉદ્ધવ! એને કહેજોઃ પૂનમને અજવાળે વાંચે;
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી.

તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે!


ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી,
ઊના ધગધગતા નિશ્વાસો નથી આપતા સાથે!

સ્મૃતિદુઃખ મન વ્યાપે તેવી બધે પ્રસરી રહી.


જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી

સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.


પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતિની માળા;
કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું

કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં!

કળિત બનતું, ત્યાંયે ઊંડા મન કરણો સહુ

સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે.

ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે!


જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે!
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem>


{{color|Orangered|૨. પ્રવેશ}}
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!</poem>}}


<poem>ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે
{{dhr}}{{page break|label=}}{{dhr}}

લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની,
{{Block center|<poem>

ત્યહીં ધૂમસથી છાયેલા તે વિષણ્ણ ઉજેશની

{{color|BlueViolet|'''<big>ભગ્ન સ્વપ્નની નાવ</big>'''}}
ટશર ગગને લાગી; જાગી દિશા અનુુકંપને.


ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ,
{{color|OliveDrab|'''સ્નેહરશ્મિ'''}}

નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,

કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો, 

ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ.


મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,

મારી નાવ કરે કો પાર?
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;

ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં

ધસી રહી શી! કો’ પ્રેતે જાણે લહ્યું નિજ મોચન,


ઘર મહીં જતાં અંધારાએ ઘડી લીધ આવરી,
કાળાં ભમ્મર જેવાં પાણી,

કિરણ-પરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.</poem>
જુગ જુગ સંચિત રે! અંધાર;

સૂર્ય ચંદ્ર નહિ  નભજ્યોતિ

રાતદિવસ નહિ સાંજસવાર!

મારી નાવ કરે કો પાર?


{{color|Orangered|૩. સ્વજનોની સ્મૃતિ}}
ભાવિના નહિ પ્રેરક વાયુ,

ભૂત તણો દાબે ઓથાર;

અધડૂબી દીવાદાંડી પર

ખાતી આશા મોત પછાડ!

મારી નાવ કરે કો પાર?


<poem>
નથી હીરા, નથી માણેક મોતી,

જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,

કનક તણો નથી એમાં ભાર;

રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા


જીવનબળને દેતી કહેતા કથા રસની ભરી,

તારી કોણ ઉતારે પાર?
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં.

મારી નાવ કરે કો પાર?</poem>}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>ચંદરોજ</big>'''}}
 
{{color|OliveDrab|'''ચાંપશી વિ. ઉદેશી'''}}
 
ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;

જિંદગીનો ગુજારો ચંદરોજ.
 
કેમ પોતાને ગણે સરદાર તું?

કાફલો તારો બિચારો ચંદરોજ.
 
છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.
 
થાય નેકી તેટલી લે ને કરી;
સર્વ બીજા મદદગારો ચંદરોજ.
 
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;

આંહી તો તું ઠેરનારો ચંદરોજ.
 
વખત ઓછો, કામ તારે છે ઘણું;
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.</poem>}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>આ અમે નીકળ્યા</big>'''}}
 
{{color|OliveDrab|'''રાજેન્દ્ર શુક્લ'''}}
 
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,

હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા

આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા !
 
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,

વેળ તો વેળની જેમ વીત્યા કરે,

વાયરા દખણના તો ગમે તે ક્ષણે,

કેસરી કેસરી દ્વાર ખખડાવતા !
 
ચાર ખૂણા હજી સાચવીને ઊભા

ધૂંધળા ધૂંધળા કોક અણસારને,

ઘોર એકાંતનું છાપરું ને છજાં

જો ઊડે આભમાં પાંખ ફફડાવતા !


મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું,
સૌ અભાવો સુરાહી બને જ્યાં કને

નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,


જે મળે તે બધાં તરબતર નીતરે,

સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું!
કોણ છલકી જતા, કોણ છલકાવતાં !


અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી!
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,


પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ.
સાત આકાશ ખૂલી જતાં સામટું,


અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં


ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં</poem>}}


ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
{{dhr}}{{page break|label=}}{{dhr}}

તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.
</poem>


{{color|Orangered|૪. પરિવર્તન}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>દુનિયા અમારી</big>'''}}


<poem>
{{color|OliveDrab|'''ભાનુપ્રસાદ પંડ્યા'''}}
શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને

ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં

ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં

ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને.


તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!

પથ વિહરવા કાજે! જેની અપૂર્ણ કથાતણા
{{right|પણ કલરવની દુનિયા અમારી!}}

ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના;

નિજ રચિત, આનંદે જોતાં દગો, ભવિતવ્યને.


હજીય ઝરુખો એનો એ, હું અને વળી પંથ આ,

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી

પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ.
{{right|ને તોય પગરવની દુનિયા અમારી!}}

બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ,

વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃન્દમાં.


સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર


અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.
{{right|બંધ પોપચાંમાં રંગોની ભાત,}}
</poem>


{{color|Orangered|પ. જીવનવિલય}}
લોચનની સરદહથી છટકીને રણઝણતું

{{right|રૂપ લઈ રસળે શી રાત!}}


<poem>
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.

{{right|વૈભવની દુનિયા અમારી!}}
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે

ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય.


શબદ ઊપન્યો તેવો જો કે શમે, પણ એહના

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી

અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ.
{{right|નાતો આ સામટી સુગંધ,}}

નહિવત્ બની રહેતું માટી મહીં, પણ બીજની 

તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા!


જીવનનું જરા આઘે રૈ ને કરું અહીં દર્શન,
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી


ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને;
{{right|અડક્યાનો સાચવે સંબંધ!}}

રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને,

નીરખું, નિજ આનંદે રહેતું ધરી પરિવર્તન.


ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના


અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.
{{right|અનુભવની દુનિયા અમારી!}}</poem>}}
</poem>


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|Orangered|<big>એકલું</big>}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>કતલ કરે અને કૈં ખબર પડે ના</big>'''}}
 
{{color|OliveDrab|'''અમૃત ઘાયલ'''}}
 
કતલ કરે અને કૈં ખબર પડે ના,

તને આવડે તે મને આવડે ના.
 
હશે અંશ મારા જ પૈકીનો કોઈ,

મને આમ નબળા ગ્રહો તો નડે ના.
 
અવરને મળી જાય મોતી સહેજે,

હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.
 
તરસતા રહે હાય ફૂલોને હરદમ,

અને પગ બગીચા ભણી ઊપડે ના.
 
પહોંચી હશે મોભને ઠેસ કોઈ,

દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.
 
અહીં માનવીની જ ચોમેર વસ્તી,

અને માનવી ક્યાંય નજરે ચડે ના.
 
નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ’,

હવે મુઠ્ઠી કેમેય આ ઊઘડે ના.</poem>}}


{{color|DarkSlateBlue|પ્રહ્‌લાદ પારેખ}}


<poem>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ-તરંગ,
{{Block center|<poem>

ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;

 
{{gap|6em}}શાને રે લાગે તોયે એકલું!
{{color|BlueViolet|'''<big>ગુજરાત</big>'''}}


સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પાર,
{{color|OliveDrab|'''ચંદ્રવદન ચી. મહેતા'''}}

પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનારઃ

{{gap|6em}}તોયે રે લાગે આજે એકલું!


ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,

વાયુ રે નિત્યે વીંટી રહે મને, આખું વિશ્વ વિરાટ;
ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્
નાના રે હૈયાને લાગે એકલું!
રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,

સરોવર, તરુવરો જળભરી નદીઓ ભળી

મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી

પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી!
ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી

સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.


કોઈ રે આવી કોઈ વહી ગયું મારે અંતરને દ્વાર;
નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે


કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:

ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા

{{gap|6em}}એવું રે લાગે આજે એકલું!
નથી, ઘણું નથીઃ પરંતુ ગુજરાતના નામથી

</poem>
સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી

સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા,
અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>પલ</big>'''}}


{{color|Orangered|<big>બનાવટી ફૂલોને</big>}}
{{color|OliveDrab|'''મણિલાલ દેસાઈ'''}}


{{color|DarkSlateBlue|પ્રહ્‌લાદ પારેખ}}
સરકી જાયે પલ...

કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ!


<poem>
{{gap}}નહીં વર્ષામાં પૂર,

{{gap|4em}}તમારે રંગો છે,

{{Gap|4em}}નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,

{{gap|4em}}અને આકારો છે,
{{gap}}કોઈના સંગનિઃસંગની એને

કલાકારે દીધો, તમ સમીપ આનંદકણ છે,

{{Gap|4em}}કશી અસર નવ થાય,
અને  બાગોમાંનાં કુસુમ થકી લાંબુ જીવન છે.
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!
{{gap|4em}}ઘરોની શોભામાં,

 
{{gap|4em}}કદી અંબોડામાં,
{{gap}}છલક છલક છલકાય

રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,

{{Gap|4em}}છતાંયે કદી શકી નવ ઢાળી,

પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
{{gap}}વૃન્દાવનમાં,

{{gap|4em}}પરંતુ જાણ્યું છે,
{{Gap|4em}}વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
{{gap|4em}}કદી વા માણ્યું છે,
જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!</poem>}}
શશીનું ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?
{{gap|4em}}ન જાણો નિંદું છું,

{{gap|4em}}પરંતુ પૂછું છું,
તમારા હૈયાના ગહન મહીંયે આવું વસતુંઃ

દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.
</poem>


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|Orangered|<big>પરકમ્માવાસી</big>}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>ઝાલાવાડી ધરતી</big>'''}}
 
{{color|OliveDrab|'''પ્રજારામ રાવળ'''}}


{{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}}
{{gap|3em}}આ ઝાલાવાડી ધરતીઃ
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચોફરતી.


<poem>
{{gap|3em}}અહીં ફૂલ કેવળ આવળનાંઃ

આવી ચડ્યા અમે દૂરનાં વાસી,

{{gap|3em}}અહીં નીર અધિકાં મૃગજળનાંઃ
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;

પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી!
મનખે મનખે ધામ ધણીનું - 

 
એ જ મથુરા ને એ જ રે કાશીઃ
{{gap|3em}}જોજનના જોજન લગ દેખો,

{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
{{gap|3em}}એક નહીં ડુંગરને પેખો.
સંત મળ્યા તેને સાંઈડું લીધું,
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ
ને શઠ મળ્યા તેને ગઠડી દીધી;

 
અમે લૂંટાવીને લાભિયાં ઝાઝું!
{{gap|3em}}તે કોઈ જનમ-વેરાગણ!
કે,

ખાલી ખભે ખેપ ખેડશું ખાસીઃ
{{gap|3em}}કો ઉગ્ર તપંતી જોગણ!
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
સંન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેષે, ઉર મુજ ભરતી. </poem>}}
વેમાનની અમે વાટ ના જોતાં,

વૈકુંઠને કાજ આંસુ ના ખોતાં;
પેદલ ચાલતાં ચાલતાં મ્હાલતાં

ભમવા નીસર્યાં લખચોરાશીઃ
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
થીર મુકામમાં જંપ વળે ના,

વાટ ને ઘાટના જીવ પ્યાસી;

ધરતીના કણ કણમાં તીરથ -
એનાં અમે પરકમ્માવાસીઃ
{{gap|3em}}ભોમકાનાં ભમનાર પ્રવાસી.
</poem>


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|Orangered|<big>મનમેળ</big>}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>વિદાયઘડી</big>'''}}
 
{{color|OliveDrab|'''સાબિર વટવા'''}}


{{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}}
ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!

હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!


<poem>
એક ઘડીભર રાતની છે શી વિસાત?

{{gap|4em}}કેવા રે મળેલા મનના મેળ?

વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?


{{gap|2em}}ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
અપશુકન છે રોકાવામાં, શું કરું?
{{gap|2em}}જેવી માંડવે વીંટાય નાગરવેલઃ

મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!


{{gap|4em}}તુંબું ને જંતરની વાણી

ચીબરી બોલી રહી છે આંગણે

{{gap|4em}}કાંઠા ને સરિતાનાં પાણી
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ!
{{gap|1em}}ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળઃ

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!


{{gap|2em}}ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
વાટમારુ છે નિરાશા માર્ગમાં-
{{gap|2em}}જેવાં બીજ રે ફણગાય ખાતરખેડઃ
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!


{{gap|4em}}સંગનો ઉમંગ માણી,
હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ છતાં

{{gap|4em}}જિન્દગીને જીવી જાણી;
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!
{{gap|1em}}એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળઃ

હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!


{{gap|2em}}જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
આજ ‘સાબિર’ વારે વારે શું કહું?

{{gap|2em}}
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેરઃ
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!</poem>}}
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ!
</poem>


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|Orangered|<big>આત્મદીપો ભવ</big>}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>રત્ય</big>'''}}


{{color|DarkSlateBlue|ભોગીલાલ ગાંધી}}
{{color|OliveDrab|'''પ્રદ્યુમ્ન તન્ના'''}}


<poem>
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
તું તારા દિલનો દીવો થા ને, ઓ રે ઓ રે ઓ ભાયા ! તું તારા.
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
 
મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે

ખાંતે આળેખી ભલી ભાત્ય,

કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.

એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ

ને ગુંજરતાં ગીત્યુંની કડી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!


રખે કદી તું ઉછીનાં લેતો, પારકાં તેજ ને છાયા;
આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ

રે ઉછીનાં ખૂટી જશે ને, ઊડી જશે પડછાયા... તું તારા.
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક

ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,

જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો

ઉજાગરે ગલાલની ઝડી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...


કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયાં,
માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ

નાની-શી સળી અડી અડી, પરગટશે રંગમાયા... તું તારા.
ભરી લઈ ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે

આવતો એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્
રગટે સંધુંય ફરી ફરી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...</poem>}}


આભમાં સૂરજ, ચંદ્ર ને તારા, મોટા મોટા તેજરાયા,
આતમનો તારો દીવો પેટાવવા, તું વિણ સર્વ પરાયાં... તું તારા.
</poem>


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Block center|<poem>
{{color|BlueViolet|'''<big>કાંડું મરડ્યું</big>'''}}


{{color|Orangered|<big>હવે આ હાથ</big>}}
{{color|OliveDrab|'''મનોહર ત્રિવેદી'''}}


{{color|DarkSlateBlue|પ્રિયકાન્ત મણિયાર}}
{{gap|3em}}કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ લઈ ઝાલી નેણે


<poem>
જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કી ભઠ્ઠ

{{gap|2em}}હવે આ હાથ રહે ના હેમ!
મારી વાળી શેય વળે ના કોયલની હઠ્ઠ

મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
{{gap|2em}}હવે હાથ રહે ના હેમ!


બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,

પોતીકાએ મને પળેપળે પજવી મ્હેણે-મ્હેણે
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;

જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ!
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ!


ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,

શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ

ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;

ડાળ નામવી ટગરટગર નીરખે નવરાં ઝાડ
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ!
{{gap|8em}}હવે હાથ રહે ના હેમ!


કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,

વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
અન્યશું દેતાં થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;

રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ?
{{gap|8em}}હવે આ હાથ રહે ના હેમ!
</poem>


==નિબંધ==
ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
[[File:Sanchayan 61 - 2.PNG.jpg|250px|left]]{{color|Orangered|<big>મકાન એ જ ઘર?</big>}}<br>{{color|DarkSlateBlue|~ રમણ સોની}}<br>

હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
{{Poem2Open}}


એક સમજદાર મકાનમાલિકે પોતાનું મકાન ભાડે આપતી વખતે ભાડુઆતને કહ્યુંઃ ‘જુઓ, આ મકાન મારું છે પણ તમે રહો ત્યાં સુધી એ તમારું ઘર છે એ રીતે એને સાચવજો. તો મકાનની રક્ષા થશે ને ઘરની શોભા વધશે.’
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
તો આ જ ફેર છે મકાન અને ઘરની વચ્ચે. મકાન એ ઈંટ-ચૂનાનો એક નિર્જીવ ઘાટ છે, બાંધકામ છે - એક સ્ટ્રક્ચર કે કન્સ્ટ્ક્શન છે. એ મકાન હોય ત્યાં સુધી તો માત્ર એમાં વપરાયેલી સામગ્રીનો - લાકડું કે લોખંડ કે માર્બલ કે ગ્રેનાઈટ કે રંગ વગેરેનો જ ઓછો-વત્તો મહિમા હોય છે. સ્થાપત્યવિદ્યાની ને વાસ્તુવિદ્યાની ચર્ચાનો એ વિષય છે. પણ એ ઘર બને છે ત્યારે એમાં સંચાર થાય છે - વાયુની લહેરખીનો ને પગરવનો. કલરવનો ને ભોજનની સુગંધનો. એટલે જ ગૃહપ્રવેશનો ને વાસ્તુપૂજનનો મહિમા હશે. યજ્ઞવેદીની ઉષ્ણતાથી મકાનની નિર્જીવતા સજીવતામાં પરિણમે છે. ખાલી મકાન એ સાચે જ ભૂતનો નિવાસ છે એટલે કે ખાલીપાનો નિવાસ છે; રહેનાર મનુષ્ય એમાં પ્રવેશે છે ત્યારે જ એ અવ-ગતિવાળા ભૂતનું ગતિશીલ વર્તમાનમાં પરિવર્તન થાય છે. સોનેરી ભવિષ્યનું સ્વપ્ન લઈને એ વર્તમાન વિસ્તરતો રહે છે - ઘરમાં, પછી પડોશમાં, એ પછી શેરીમાં ને સમગ્ર સોસાયટીમાં.
{{gap|3em}}કાંડું મરડ્યું એણે.</poem>}}
પડોશી તરત ડોકાવાના - ‘કેમ છો? હાશ. તમે રહેવા આવ્યાં ત્યારે જીવમાં જીવ આવ્યો. ભૈસાબ, બહુ ભેંકાર લાગતું હતું. જંગલ ઊગી ગયેલું. માણસનું મોં જેવા મળે ને બે વાત થાય એની જ રાહ જોતાં હતાં અમે તો.’ એટલે મકાન આ રીતે પણ ઘર બને છે. માની લો કે સુંદર, મોટાં મકાનોવાળી કોઈ સોસાયટીમાં તમે એકલાં જ રહેતાં હોવ તો? ગગનચુંબી ફ્લેટસંકુલોમાં ઘણીવાર એવું બને છે કે એક માળ પરનાં ચાર મકાનોમાં ત્રણ ખાલી હોય ને પેલા એકમાત્ર મકાનમાં ઘર વસાવીને રહેતાં માણસો અહોનિશ પાડોશીની, કોઈ બીજા પરિવારના આવવાની કાગડોળે રાહ જોતાં હોય.
ઘરનાં પણ કેટકેટલાં રૂપ છે? આપણું ઘર ને બીજાનું ઘર, સ્વજનનું ઘર ને મિત્રનું ઘર; પરિચિતનું ઘર ને વળી અપરિચિતનું ઘર. કોઈના ઘરમાં અધિકારથી પ્રવેશ કરીએ છીએ ને કોઈના ઘરમાં વિવેકપૂર્વક, કંઈક ઔપચારિક ભાવે પ્રવેશ કરીએ છીએ. અરે, કોઈકોઈના તો ઘરમાં તમે પૂરા પ્રવેશી પણ શકતા નથી. અરધુંક બારણું ખૂલે ને તમારે વરંડામાં, પ્રતીક્ષાખંડમાં બેસવાનું. થોડીક વાર અક્કડ વસ્ત્રો ને એવા જ અક્કડ ચહેરે એક માણસ બહાર આવીને તમને મળે છે. અરે, ‘મળે’ છે એમ પણ શી રીતે કહેવાય? એ મળતો નથી પણ મુલાકાત આપે છે. તમે મહેમાન નથી, મુલાકાતી છો; બોલાવેલા નથી, આવી ચઢેલા છો; અતિથિયે નથી, પણ આગંતુક છો. ‘કોઈક આવ્યું હતું’ - એમ જ કહેવાશે. એટલે કે તમે એમને માટે નાન્યેતર છો. ડોરબેલ પર તમારી આંગળી કેટલા વિશ્વાસથી કે કેવા ખચકાટથી દબે છે એના પરથી તમે કોને ઘરે પહોંચ્યા છો એનો ખ્યાલ આવી જાય.
પરંતુ મિત્રનું ઘર હોય કે સ્વજનનું, તમારું પોતાનું ઘર એ એક જુદી જ બાબત છે. કવિ નિરંજન ભગતની એક સરસ કવિતા છે. - ‘ઘર તમે કોને કહો છો?’ એમ શરૂઆત કરીને પછી એ કહે છે કે, જ્યાં તમે ખીંટીએ ટોપી ભરાવીને, હળવા થઈને, હાશ કરીને નિરાંતે પગ લંબાવીને બેસો તે ઘર. એ ઘરની એકએક ઈંચ જગા તમારી છે એટલે કે એના અણુએ અણુ સાથે તમારો ગાઢ અનુબંધ છે. તમે એની સાથે ચપોચપ ગોઠવાઈ ગયેલા છો. એટલે બીજાના ઘરમાં વધુ સુખ-સગવડ કે સમૃદ્ધિ હોય ને તમારા ઘરમાં ઓછી સગવડો હોય તો પણ બીજાનું ઘર તમને પૂરેપૂરું આરામદાયક નીવડતું નથી; તમે ત્યાં સંપૂર્ણ કમ્ફર્ટેબલ નથી હોતા. ક્યાંક કશુંક અડવુંઅડવું લાગે છે. તમારી ટેવો પણ તમારું ઘર ઉદારભાવે ચલાવી લે છે. ઘરની અંદર નથી હોતી કુટેવો કે નથી હોતી સુ-ટેવો- હોય છે માત્ર ટેવો. એ આપણું અંગત િવશ્વ હોય છે.
હા, ઘરની અંદર તમારી પોતાની એક દુનિયા હોય છે - યત્ર વિશ્વં ભવત્યેક નીડં - જ્યાં વિશ્વ એ એક માળો બની રહે છે, એ એક ઉત્તમ વાત છે, બહુ મોટી ભાવના છે પણ જ્યાં માળો એટલે કે ઘર પોતે જ આખુંય વિશ્વ હોય છે એ વાત બીજા કોઈને મોટી ભલે ન લાગે, આપણે માટે એ આત્મલક્ષી સર્વસ્વ છે. ઘરકૂકડૂ હોવું એ યોગ્ય ન કહેવાય એ બરાબર છે, તો એ પણ એટલું જ સાચું છે કે ઘરરખુ રહેવું, ગૃહસ્થ કે ગૃહિણી હોવું એ પણ એવું જ અગત્યનું છે, ખરું ને? બહારગામ ગયા હોઈએ, ફાઈવસ્ટાર હોટલમાં રહ્યા હોઈએ, પણ પછી ઘર સાંભરે જ. પેલું ઈંટ ચૂનાવાળું મકાન નહીં, પરિવારની ઉષ્માવાળું આકર્ષક ઘર, પરંતુ ઘર હોય ત્યારે મમતાની સાથે મમત્વ પણ આવે. ગૌતમની જેમ રૂંધામણ પણ થાય ને એ ઘરની બહાર નીકળી જાય, બુદ્ધત્વ માટે. કવિ રાજેન્દ્ર શાહે કહ્યું છે - ‘ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વતણી વિશાળતા.’ પણ સવારનો ભૂલો પડેલો સાંજે ઘરે આવી જાય છે ત્યારે એનો આનંદ ને એનો મહિમા પણ શું ઓછો હોય છે?
{{Poem2Close}}<br>
{{right|'''{{color|Brown|૨૫-૩-૨૦૦૪}}'''}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


[[File:Sanchayan 61 - 3.jpg|250px|left]]{{color|Orangered|<big>ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ</big>}}<br>{{color|DarkSlateBlue|~ ભારતી રાણે}}<br>
{{Block center|<poem>
{{Poem2Open}}
{{color|BlueViolet|'''<big>અંતર મમ વિકસિત કરો</big>'''}}
તાશ્કંદની એ પહેલી સવાર. આંખ વહેલી ખૂલી ગઈ. સૂર્યોદય હજી થયો નહોતો. આખા દિવસ માટે ફરવા નીકળવાને હજી ઘણી વાર હતી. અમે ચાલવા નીકળી પડ્યાં. અમારી હોટેલની સામે જ એક નાનકડો બાગ હતો. અમે બાગ વટાવી એની આગળને રસ્તે ચાલવા લાગ્યાં. ચાલતાં ખ્યાલ આવ્યો કે, તાશ્કંદ એક સરસ રીતે પ્લાન કરેલું ભવ્ય શહેર છે. એના રસ્તા અત્યંત પહોળા તથા કાટખૂણે ગોઠવાયેલા હતા. ઠેરઠેર જોવા મળતાં મહાલયો એકદમ સૌંદર્યમય અને વિશાળ હતાં. સુરેખ મકાનો ફૂલછોડથી સુશોભિત હતાં અને ફૂટપાથો એકદમ પહોળી તથા સુઘડ હતી. વૃક્ષો અહીં મબલખ હતાં. અને એ તમામ ફળ-ફૂલથી લચી પડેલાં હતાં. એકાદ કિલોમિટર ચાલ્યાં હોઈશું, ત્યાં દૂર એક મોટું પ્રભાવક પૂતળું દેખાવા લાગ્યું. પોતાના માનીતા ઘોડા પર સવાર આમિર ટિમૂર અર્થાત્ તૈમૂરનું એ પૂતળું હતું. પૂતળું એટલું તો પ્રભાવશાળી હતું કે એને જોતાં જ એમ લાગે કે, હમણાં તૈમૂરની એડીના એક ઇશારે એ ઘોડો હણહણતો ફાળ ભરવા લાગશે.
 
સ્મારકની ફરતે ઉગાડેલા સુંદર બાગમાં સ્પ્રિંકલર્સની બૌછારમાં નહાતાં પુષ્પો સૂરજના આગમનની આતુર નયને રાહ જોઈ રહ્યાં હતાં. મોટા એ વર્તુળની ફરતે વિશાળ રાજમાર્ગ હતો, અને એની ચારેકોર ગૌરવવંતાં સ્થાપત્યો હતાં. એમાં લાઇબ્રેરી, મ્યુઝિયમ, સરકારી કાર્યાલયો, પંચતારક હોટેલ વગેરેનાં ભવનો હશે તેવું લાગ્યું. એ સૌમાં સૌથી ધ્યાનાકર્ષક ભવન ઓપ્રાહાઉસનું હતું. સોનેરી સુશોભનોથી શોભતા એ ભવ્ય શ્વેત મકાનના ગુંબજ ઉપર દેવહુમા પંખીનું યુગલ નૃત્ય કરતું હોય તેવું શિલ્પ હતું. ત્યારે તો મને એ સારસ બેલડી હોય તેવું લાગેલું, પણ પછી ખબર પડી કે, અહીં ઉઝબેકિસ્તાનમાં ફિનિક્સપંખી અર્થાત્ દેવહુમાનું ખૂબ મહત્ત્વ છે. અહીંની લોકકથાઓમાં તથા પુરાણકથાઓમાં આ પંખીના પુરાકલ્પનનું અનોખું માહાત્મ્ય છે. દેશના સંસ્કારમાં વણાઈ ગયેલ એ પંખીયુગલ મનમાં કોરાઈ ગયું છે. આજે પણ એ દેશને યાદ કરું છું તો મનમાં દેવહુમાનું એ યુગલ થરકતું નૃત્ય કરવા લાગે છે!
{{color|OliveDrab|'''રવીન્દ્રનાથ ટાગોર (બંગાળી)
અનુ. સુરેશ દલાલ'''}}
સ્થાનિક લોકો જેને આમિર ટિમૂરના નામથી સ્નેહઆદરપૂર્વક સ્મરતા જોવા મળ્યા, તે તૈમૂરનું પૂતળું અત્યંત પ્રભાવશાળી હતું. કલાના નમૂના તરીકે પણ તે ઉત્તમ હતું. એના પર તૈમૂરના તો ખરા જ, પણ ઘોડાના હાવભાવ પણ અદ્ભુત રીતે કંડારેલા હતા. વિશ્વવિજયના સ્વપ્ન સાથે નીકળેલા શૌર્યવાન માલિકના આદેશથી પૂરપાટ દોડ્યો જતો આજ્ઞાંકિત અશ્વ; એના જીન પર કોતરેલાં ધાર્મિક વાક્યો તથા પ્રતીકો, જીનની કોરે બાંધેલાં કલાત્મક લટકણિયાં, તૈમૂરની ઢાલ, એની તલવાર, તૈમૂરનાં વસ્ત્રો, એનાં પાદત્રાણ, બધું જ સુંદર કંડારેલું હતું. એનાથીય વધારે પ્રભાવક એના ઉપર લખેલું લખાણ હતું. પૂતળાની મુખ્ય તકતી પર ચાર ભાષામાં લખેલું હતું : ‘સ્ટ્રેન્થ-ઈન જાસ્ટિસ’ અર્થાત્ ‘ન્યાયશીલતાની શક્તિ’. દરેક વ્યક્તિની સફળતા પાછળ એનું મક્કમ મનોબળ અને એના પોતીકા દૃઢ આદર્શોનું પીઠબળ હોય છે. તૈમૂરના ન્યાયપ્રિયતાના આદર્શ વિશે પહેલી વાર જાણવા મળ્યું. હું એના િવશે વિચારતી હતી, ને ઓપ્રાહાઉસની પાછળથી સૂર્યોદય થયો; સાથે જ ચારેકોર વિખરાયેલો નિખર્યોનિખર્યો ઉજાસ ઊગતા સૂરજની સોનેરી આભામાં ઝબકોળાયો.
 
અમે અનાયાસ જ્યાં પહોંચી ગયાં હતાં, અને અમને ખૂબ ગમી ગયેલો હતો તે વિશાળ ચોક ‘આમિર ટિમૂર સ્ક્વેર' હતો અને એ દમામદાર પૂતળું ‘આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ’ તરીકે ઓળખાતું હતું, તે તો પાછળથી અમારી ગાઇડ નિકી સાથે શહેર જોવા નીકળ્યાં ત્યારે ખબર પડી. મારા માટે અગત્યની વાત એ હતી કે, એ સ્થળ પર સવારનો જેટલો સમય ગાળ્યો તે દરમિયાન મનમાં સતત દ્વંદ્વ ચાલતું રહ્યું. તૈમૂરના પૂતળાને જોતાં હું વિચારતી હતી : આ પૂતળાના શખ્સની જાંબાઝ પ્રતિભાની તથા એની ન્યાયપ્રિયતાની કદર કરવી કે, પછી આપણા દેશ સાથેના એના કટુતાભર્યા અનુબંધના પૂર્વગ્રહને પોષતાં એની અવજ્ઞા કરવી? સાચું કહું તો મારાથી એની અવગણના ન થઈ શકી. મને લાગ્યું કે, ઇતિહાસ નફરતને પોષવા માટે નથી, એ તો માનવજાતિની મહાન જિજીવિષાને ને એના શૌર્ય તથા હિંમતને ઓળખવા માટે લખાતો હોય છે. એ નફરત પોષવાની ભૂલ કરવા માટે નહીં, માનવજાતે કરેલ ભૂલો પછી ભોગવેલી તબાહીને જાણીને ભવિષ્યમાં એ ભૂલોનું પુનરાવર્તન અટકાવવા માટે હોય છે. જે-તે દેશને પૂર્વગ્રહનાં ચશ્માં પહેર્યા વગર જોઈ શકાય તો જ એનો સાચો પરિચય કેળવાય. મારાથી એ વ્યક્તિ માટે આપણે ત્યાં પ્રચલિત છે તે, ‘તૈમૂરલંઘ’ જેવો અપમાનકારક શબ્દ વાપરી ન શકાયો. બધા જ પૂર્વાપર સંબંધો વિસરાઈ ગયા. કોઈ પણ જાતના પૂર્વગ્રહ ઉપર હું ઉઝબેક પ્રજાના ઉદ્ધારક આમિર ટિમૂરને અને એના પૂતળા પર અંકિત બહાદુરીને આદરપૂર્વક જોતી રહી.
અંતર મમ વિકસિત કરો. અંતરતર હે-
{{Poem2Close}}
નિર્મલ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.
<br>
 
[[File:Sanchayan 61 - 4.jpg|300px|center]]
જાગ્રત કરો,. ઉદ્યત કરો, નિર્ભય કરો હે,

મંગલ કરો, નિરલસ, નિઃસંશય કરો હે.
 
યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ,
 
ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,

નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.</poem>}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


[[File:Sanchayan 61 - 4.png|250px|left]]{{color|Orangered|<big>ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો</big>}}<br>{{color|DarkSlateBlue|~ ભારતી રાણે}}<br>
{{Block center|<poem>
{{Poem2Open}}
{{color|BlueViolet|'''<big>વાસંતી વાયરો</big>'''}}
કોઈ પણ પ્રજાની સંવેદનશીલતાનો પરિચય એણે સાચવેલાં સ્મારકો પરથી મળતો હોય છે. અહીં સન ૧૯૬૬માં ભયાનક ધરતીકંપ થયેલો. એ ધરતીકંપમાં જાનમાલની પુષ્કળ તબાહી થઈ. મહાવિનાશ પછીના નવસર્જનની ખુમારી - તે ‘મોન્યૂમેન્ટ ઑફ કરેજ’ અમે તાશ્કંદ જોયું. સ્મારક શરૂ થાય છે, જમીન પર પડેલી તિરાડથી. મૂળ તિરાડનો એક ટુકડો જેમનો તેમ રહેવા દેવાયો છે. જમીન પર પડેલી તિરાડ સાથે તૂટી પડેલી શિલાનાં બે ફડચાં પણ જેમનાં તેમ રખાયાં છે. એ શિલા પર એક બંધ પડી ગયેલી ઘડિયાળની રચના છે, જે ભૂકંપનો સમય તથા દિવસ બતાવે છે, રસ્તા પરથી લંબાતી એ તિરાડને છેડે એની બરાબર સામે કુદરતના કોપને રોકવા આડો હાથ યુગલનું શિલ્પ છે. પોતાના ખોળામાં બાળકને રક્ષતી માતા, અને પત્ની તથા બાળકને રક્ષતા પુરુષનું શિલ્પ હૃદયને સ્પર્શી જાય તેવું છે. યુગલ જાણે આર્તનાદ કરતું કુદરતી હોનારત સામે આડો હાથ ધરીને કહી રહ્યું છે કે, ‘અમારા બાળકોની રક્ષા ખાતર બસ, હવે એક પણ ડગલું આગળ વધવાનું નથી!’ પૂતળાની પાછળ ગુલાબી પથ્થરના પરિપ્રેક્ષ્યમાં ફ્રેઈમની જેમ મઢેલી લોખંડની સળંગ જાળી જેવી રચના છે, જેમાં વિવિધ વ્યવસાયના લોકો પુનઃસર્જિત થવા શ્રમ કરતા હોય, તેવાં દૃશ્યો સર્જેલાં જોવા મળે છે.
 
આજે તો અહીં ઊભા રહી, એ સમયની તબાહીની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. નવસર્જિત તાશ્કંદ એની શહેરી દોડધામમાં મસ્ત સ્મારક ફરતે દોડી રહ્યું છે. અમે જોયું કે, દિશવિદેશના પ્રવાસીઓ વચ્ચે એક સ્થાનિક યુગલ આ સ્મારક પર ફોટા પડાવી રહ્યું હતું. સ્ત્રીએ સફેદ વૅડિંગ ગાઉન પહેરેલો હતો ને પુરુષે સરસ મજાનો સૂટ પહેરેલો હતો. અને સ્ત્રીના હાથમાં પુષ્પગુચ્છ હતો. લગ્નની વેશસજ્જામાં સજ્જ યુગલને આ તબાહીના સ્મારક પર ફોટા પડાવતું જોઈને નવાઈ લાગી. આખો દિવસ ફરતાં શહીદસ્મારક સહિત અનેક સ્થળોએ આવાં યુગલો જોવા મળ્યાં. નિકીએ અમને સમજાવ્યું કે, લગ્નના આગલા શનિ-રવિ કે અન્ય રજાને દિવસે યુગલો લગ્નનાં વસ્ત્રો સજીને આમ શહેરનાં વિવિધ નોંધપાત્ર સ્થળોએ ફોટા પડાવે, તેવો અહીંનો રિવાજ છે.
{{color|OliveDrab|'''પન્નાલાલ પટેલ'''}}
તાશ્કંદનો ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર ભવ્ય છે. રશિયન દબદબાભરી કવાયતો અહીં થતી હશે, ત્યારે આ ભવ્યતા પર ચાર ચાંદ લાગી જતા હશે. અમે એના મુખ્ય પ્રવેશદ્વાર પરથી નહીં, એક તરફના ગૌણ પ્રવેશદ્વારથી પ્રવેશ્યાં હતાં. પરિસરની અંદર વિશાળ રાજમાર્ગ જેવા રસ્તાની બંને કોર આકર્ષક બાગ ઉગાડેલો હતો. ફૂલોનો તો કોઈ પાર નહીં. આ રસ્તો સીધો પાર્લામૅન્ટ હાઉસ તરફ લંબાતો હતો. રસ્તાની કોરે સજેલો બાગ અનેક વિભાગોમાં વહેંચાયેલો હતો, જેમાં વિવિધ ભાવનાઓને વ્યક્ત કરતાં શિલ્પ હતાં. વળી એમાં એક લાકડા પર કલાત્મક કોતરણી કરેલ સ્તંભોથી રચાયેલ પરસાળમાં અનેક રજિસ્ટરો એનું દરેક પાનું વાંચી શકાય, તે રીતે ફ્રેઈમ કરીને મૂકેલાં હતાં. વિશ્વયુદ્ધમાં દેશ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનાર એકેએક સપૂતનું નામ એમાં લખીને જોવા માટે મૂકેલું છે કે જેથી પ્રજા આ સમર્પણને ભૂલી ન જાય! એની જરાક જ આગળ એક પૂતળું છે : ‘ધ સૅડ મધર’. બીજા વિશ્વયુદ્ધના નરસંહારમાં પોતાના પુત્રને ગુમાવીને શોકમગ્ન માતાનું પૂતળું. માતાના ચહેરા પણ અપાર કરુણા અંકાયેલી જોવા મળે છે. શોકમગ્ન માતાનું આ શિલ્પ યુદ્ધની નિરર્થકતા અને કરુણતા સૂચવે છે. એ પૂતળાની સામે તાજાં ફૂલો મૂકેલાં હતાં તથા અખંડ જ્યોત પ્રગટાવેલી હતી. જરાક આગળ જતાં આ જ સંકુલમાં એક બીજું શિલ્પ જોયું : ‘ધ હૅપી મધર’. સોવિયત યુનિયનથી છૂટા પડી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવનાર નવા રાષ્ટ્રના જન્મની ખુશાલીમાં આનંદમગ્ન માતાનું શિલ્પ. એમાં સૌથી ઉપર પૃથ્વીના ગોળાની રચના પર નવજાત ઉઝબેક રાષ્ટ્રનો નકશો કોતરતો દેખાય છે, એની નીચે પથ્થરની તકતી પક ઉઝબેક રાષ્ટ્રચિહ્ન કોતરેલું દેખાય છે અને એનીય નીચે નવજાત શિશુને ખોળામાં લઈને બેઠેલી ખુશખુશાલ માતાનું શિલ્પ છે.
 
શિલ્પની સમાંતર સંકુલનું મુખ્ય પ્રવેશદ્વાર હતું. ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેરના મુખ્ય પ્રવેશદ્વારને ‘આર્ચ ઑફ નોબલ એસ્પિરેશન્સ’ કહેવાય છે. પંદર ચોરસ કમાનોવાળા આ દ્વારની મધ્યસ્થ કમાન જરાક વધારે ઊંચી છે. એની ઉપર નૃત્ય કરતા હુમાપંખીના યુગલનું નમણું રૂપેરી શિલ્પ છે. રાખમાંથી નવસર્જિત થતા દેવહુમા(ફિનિક્સ) પંખીનું અહીં ખૂબ મહત્ત્વ છે. આપણી જેમ અહીં પણ એ હુમાપંખીનાં નામે ઓળખાય છે. અદૃશ્ય રહેતા એવા સ્વર્ગીય અમર પંખીની પરિકલ્પના અનેક સંસ્કૃતિઓનાં પુરાકલ્પનોમાં જોવા મળે છે. ગ્રીક પુરાણોમાં ને પ્રાચીન ઇજિપ્તમાં, ચીનમાં, તિબેટમાં, ને જાપાનમાં, ભારતમાં, ઈરાનમાં ને આખાય પર્શિયામાં, રશિયામાં ને ટર્કીમાં, અનેક દેશનાં પુરાણોમાં અલગઅલગ નામથી પોતાની રાખમાંથી પુનઃસર્જિત થતા અમરપંખીની પરિકલ્પના છે. આપણું દેવહુમા અને ઉઝબેકિસ્તાનનું હુમા બંને વચ્ચેનું સામ્ય આપણા આર્ય પૂર્વજોના અનુબંધ અણસાર હશે? કારણ જે હોય તે, પણ આવાં પ્રતીકોની સમાનતા બે સંસ્કૃતિઓ વચ્ચે પરિચિત હોવાનો અહેસાસ, પોતાપણાની અનુભૂતિ ચોક્કસ આપતી હોય છે.
તું તો ફરફરતો વાંસતી વાયરો

{{Poem2Close}}
હાથ આવે આવે ને સરી જાય જો
{{right|કેમ કરી હાથમાં લેવો!}}
 
તું તો આષાઢી વાદળા જેવો

બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો
{{right|કેમ કરી બાથમાં લેવો!}}
 
તું તો પાણી કરતાંય સાવ પાતળો

મારી એરણથી ઢળી ઢળી જાય જો
{{right|કેમ કરી ઘાટમાં લેવો!}}
 
તું તો વાતોમાં વણતો વરણાગિયો

ઓે રે બોલે બોલે ને ફરી જાય જો
{{right|કેમ કરી વાતમાં લેવો!}}
 
હું તો મનવું મનવું તું રિસાઈ જતો,

ઓ રે રૂઠું ત્યાં લળી લળી આવતો
{{right|કેમ કરી ગાંઠવો નેડો-}}
તુંથી મારે કેમ કરી માંડવો નેડો!
 
{{gap|6em}}(અલકમલક પૃ. ૨૨૯)</poem>}}
 
 
==વાર્તા==
 
[[File:Sanchay 62 - Image 3.jpg|left|275px]]
 
{{color|BlueViolet|'''<big>બારી પર ખેંચાયેલા પડદા</big>'''}}
 
{{color|OliveDrab|'''~ વીનેશ અંતાણી'''}}
 
દરવાજા પર કોઈ નહોતું. દરવાજો બંધ હતો પણ ધક્કો દેતાં જ ઊઘડી ગયો. ગુલમહોરનું વૃક્ષ કેટલાંક ફૂલઝાડો, એક હીંચકો અને પથરાયેલી લૉન. બંગલાનંુ નામ ‘શૈલ’ હતું. મને એની ખબર નહોતી. આ બંગલામાં હું પહેલી જ વાર પ્રવેશતો હતો. અંદર જઈને હું શું બોલીશ? એક લાંબી મુદતથી રેખાને મળ્યો નહોતો અને આજે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે...
 
દરવાજો બંધ કરવા જતાં અવાજ થયો. અવાજ સાંભળીને પણ કોઈ ડોકાયું નહી. મેં ચાલવા માડ્યું. ખૂબ શાંતિ હતી અને મારા બૂટનો ભારેખમ અવાજ આવી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે હું સતત કોઈકને કચડીને ચાલતો હતો. લૉન પર એક કાળી ટ્યૂબ પડી હતી. પણ લૉન ભીની નહોતી, સુકાઈને કરકરી થઈ ગઈ હતી.
 
બેલ માર્યો. એક પ્રકારનો અજંપો મારા મનને ઘેરાઈ વળ્યો. મને લાગ્યું કે હું એમાં તણાઈ જઈશ. બચવા માટે દીવાલ પર હાથ ટેકવ્યો. બારણું ઊઘડ્યું. નોકરે ઉઘાડ્યું હતું. રેખા... હું બોલતો હતો તે વચ્ચે જ એણે ઇશારો કર્યો. કદાચ એને સૂચના મળેલી હતી.
 
નોકરે ચીંધેલા કમરામાં ગયો. અંદર પ્રવેશ્યો ત્યારે અંધકાર હતો. બારી પરના પડદા ખેંચાયેલા હતા. મને ખેંચાયેલા પડદાના રંગવાળો પ્રકાશ નથી ગમતો. કમરામાં એવો જ અંધકારમિશ્રિત પ્રકાશ હતો. મારું મન ઉદ્વિગ્નતાથી ભરાઈ આવ્યું. બહારથી આવતા અંદરના અંધકાર સાથે આંખોનો મેળ નહોતો બેસતો. મેં જોયું તો રેખા સામેના ખૂણામાં નીચું માથું રાખીને બેઠી હતી. એ દીવાન પર હતી. દીવાનની બાજુમાં પડેલી એક ખુરશી પર હું બેસી ગયો.
 
મને ઇચ્છા થઈ આવી કે બારી પરના બધા જ પડદા દૂર કરી દેવામાં આવે અને કમરામાં એકદમ પ્રકાશ ફેલાઈ જાય. સાંજનો પ્રકાશ. રેખાએ ઊંચું ન જોયું. હું જાણે આવ્યો જ ન હોઉં કે ક્યારનો આવી ગયો હોઉં એવું લાગ્યું. એના વાળ છૂટા હતા અને એણે સફેદ સાડી પહેરી હતી. મને આવેલો જાણીને પણ એ કશું જ બોલી નહિ. ખરેખર તો બોલવાનું મારે હતું, પણ હોઠ નહોતા ઊઘડતા. મેં ગળું સાફ કરીને હળવા થવાનો પ્રયત્ન કર્યો. રેખાએ દીવાલને અઢેલીને મૂકેલા તકિયા પર માથું ઢાળી દીધું અને સૂઈ રહી. એની આંખ પર હાથ દબાઈ ગયો હતો. એની બદલાયેલી સ્થિતિ મારા આગમનને સ્વીકારતી હોય એવું લાગ્યું.
 
નોકર આવ્યો ને પાણી આપી ગયો. પાણી પીઈને ગ્લાસ નોકરને આપ્યો. રેખાએ ગ્લાસને સ્પર્શ કર્યો નહિ. નોકર એક ગ્લાસ ભરેલો ને એક ગ્લાસ ખાલી લઈને ચાલ્યો ગયો. નોકરને પાછો બોલાવીને બારી પરના પડદા ખેસવી લેવાનું કહેવાની મને ઇચ્છા થઈ. પણ ત્યાંજ વિચાર આવ્યો કે મારે અહીં વાતાવરણ ઘડવાનું નહોતું, આ વાતાવરણની સંગતમાં રહેવાનું હતું, થોડી વાર.
 
થોડી વાર. રેખા સાથેના મારા સંબંધો આમ પણ થોડી વારની કક્ષાના જ હતા. પહેલાં પણ અને હમણાં પણ. હું કશું જ બોલી શકતો નહોતો. મને ફરીથી તરસ લાગી હતી, પણ પાણી માગવું અજુગતું લાગશે એમ માનીને સામેની દીવાલ પરના ચિત્રને જોઈ રહ્યો. ચિત્રમાં પીળા રંગનો ઉપયોગ વધારે થયો હતો તે પ્રથમ નજરે જ દેખાઈ આવતું હતું. કોણે પસંદ કર્યું હશે? શૈલે કે રેખાએ? પણ રેખાને ચિત્રની પસંદગી કરતાં નથી આવડતી એની મને ખબર છે. હું શૈલે પસંદ કરેલા ચિત્રને ધ્યાનથી જોઈ રહ્યો. મારી સ્થિર થઈ ગયેલી નજર સામે રંગોના પોપડા ઊખડવા લાગ્યા, અને એક સફેદ કૅનવાસ મારી આંખો સામે ઊપસી આવ્યું. સફેદ કૅનવાસને ધારીધારીને જોતાં મારી આંખને સફેદીનું પોલાણ દેખાવા લાગ્યું. એ પોલાણમાં હાથ નાખીને મેં જાણે કે જૂના દિવસોના ડૂચા આ કમરામાં કાઢવા માંડ્યા.
 
- ધુમ્મસ. ધુમ્મસથી ઢંકાયેલું આકાશ. હૉટેલની બારીમાં ઊભેલી રેખા. એનો ઢીલો અંબોળો, ગુલાબનું ફૂલ, બારીની ડિઝાઈનથી કપાઈ રહેલા આકાશના બેકગ્રાઉન્ડમાં રેખા સરસ દેખાઈ રહી હતી. મારો હાથ રેખાની પીઠ પર પડ્યો અને અણધાર્યા સ્પર્શથી ઝણઝણી ઊઠી. માર હોઠ એના કાન સુધી વિસ્તર્યા રે...ખા...
 
- સુખ ભરાઈ જવાને કારણે ફૂલી ગયેલું રેખાનું શરીર. ફ્રિજ ખોલતાં અંદરના પ્રકાશને લીધે ઝિલમિલાતો એનો ચહેરો. જમવાનું ટેબલ. આ લે. હજી તો તું જમ્યો જ ક્યાં છે? ના, હું તો પછી જમીશ. મને સ્પર્શીને બેસ. રેખા. તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી. રેખાનું સ્મિત. મારા કાન સુધી વિસ્તરતા એના હોઠ. શબ્દો નહિ. ભીનાશ.
 
- દિવસો. ફરીથી બારી. ઉનાળાનો તપતો બપોર. ફૅનનો કર્કશ અવાજ. મેં તને આવો નહતો ધાર્યો. આવો એટલે કેવો? આટલો અસભ્ય... રેખા, તને ખબર છે કે તું મને ગાળ આપી રહી છે... તું... તું... મારી પત્ની... કમરાની લાઈટ ચાલી જવાથી બંધ થઈ ગયેલા ફૅનને લીધે ઊભી થયેલી શાંતિમાં મારો અવાજ જોરથી સંભળાયો. હું ચોંકી ગયો. શાંત થવાનો પ્રયત્ન કરતાં મેં પૂછ્યું, તું શું ઇચ્છે છે, રેખા? હું કશું ઇચ્છતી નથી. માત્ર તને વિનંતી કરું છું કે તું બાજુના કમરામાં ચાલ્યો જા. મને એકલી પડી રહેવા દે. રેખા, તું કઈ વાતનો બદલો લે છે? મેં તને કોઈ અભાવ નથી આપ્યો. હંમેશા પ્રેમ આપ્યો છે. પણ તારી આંખોથી દેખાતો પ્રેમ છે. મને જે જોઈએ છે તે આપવામાં તું નિષ્ફળ ગયો છે. મને તારી સાથે જીવતાં અકળામણ થાય છે. મને લાગે છે કે હું હવે વધારે વખત જો તારી સાથે રહીશ તો પાગલ થઈ જઈશ.
 
- સડક. રાતનો દોઢ વાગી ગયો હતો. ભયંકર સન્નાટા વચ્ચે હું ચાલી રહ્યો હતો. સાંજે વરસાદ વરસી ગયા પછીની ઠંડક અને સુંગધ અને એકલતાની વચ્ચે હું પસાર થઈ રહ્યો હતો. ક્યાંક જઈ રહ્યો હતો. ક્યાંકથી આવી રહ્યો હતો. પણ ક્યાંથી તે સ્પષ્ટ નહોતું. કયા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે પણ ખબર નહોતી. હોઠ વચ્ચે સિગરેટ જલતી હતી. મારી ટાઈ ઢીલી થઈ ગઈ હતી અને સડક પર અથડાતાં પગલાંનો અવાજ મારા થાકનો પડઘો પાડતો હતો. સામેથી એક ટ્રક આવીને મારી આંખોને ચીરતી ચાલી ગઈ. હું સડકને કિનારે આવેલા એક બાંકડા પર બેસી ગયો. થાક અને દર્દને લીધે મારી આંખ ઘેરાઈ રહી હતી. લગભગ એકાદ કલાક સુધી એમ ને એમ બેસી રહ્યો. શરીર અકડાઈ ગયું હતું. એક રિક્ષા પસાર થઈ. હું એમાં બેસી ગયો ને મારા ઘરની દિશા બતાવી. ઘર. ત્રણના ટકોરા. રેખાના કમરાની લાઈટ નહોતી જલતી. હું ડ્રોઈંગરૂમમાં સોફા પર પછડાયો અને સૂઈ ગયો. સવારે ઊઠીને જોયું તો મને સખત તાવ હતો અને રેખા ઘરમાં નહોતી. એ મને છોડીને ચાલી ગઈ હતી. હંમેશને માટે. એણે લખેલી ચિઠ્ઠી ટેબલ લેમ્પ નીચે દબાઈને ફડફડતી હતી.
 
-કોફી હાઉસના ટેબલ પર એક ખૂણામાં રેખા બેઠી હતી. મને પ્રવેશતો જોઈને બેરા પાસે બિલ મંગાવ્યું અને પૈસા ચૂકવીને ચાલી ગઈ. હું એની ખાલી પડેલી ખુરશી પર બેઠો અને એણે જે જોયું હશે તે જોવા લાગ્યો.
 
- અમે બંનેએ સહી કરી લીધી અને પરસ્પર જોયું. મારા ચહેરા પર હાસ્ય આવ્યું એના બધા જ સ્પર્શો મારા બરડા પર તરડાઈને પસાર થઈ ગયા. થતું હતું કે અંદર ક્યાંક વેદના થાય છે. પણ કઈ જગ્યાએ તે નક્કી નહોતું થતું. રેખાએ હોઠ ફેલાવીને શુષ્ક અવાજે કહ્યું, થેંક્યું. મે પણ માથું હલાવ્યું. અમે છૂટા પડ્યાં. તે દિવસે એણે વાળમાં તેલ નહોતું નાખ્યું.
 
- એકલતા. ઘરના ફર્નિચર વચ્ચે ચગદાતો રહેતો શ્વાસ. રેખા હવે મારી પત્ની નહોતી. તો પણ એનું પત્નીપણું ઘરમાં અકબંધ પડ્યું હતું. એનો પલંગ. કબાટમાં ગોઠવાયેલી સાડીઓ. ડ્રેસિંગ ટેબલ પરનો અસબાબ. અરીસાની સપાટી પર છપાઈ ગયેલું એનું પ્રતિબિંબ. દીવાલોનો રંગ. પડદાનો રંગ. મારા કાન પાસે ગૂંજ્યા કરતા એના શબ્દો. મને એ દિવસે લાગ્યું કે હું રેખાને ખૂબ પ્રેમ કરતો હતો. મેં મનોમન નક્કી કર્યું, રેખા મારી પત્ની છે અને થોડા દિવસો માટે બહારગામ ગઈ છે.
 
મેં એને જ્યારે શૈલ સાથે જોઈ ત્યારે નક્કી કર્યું કે મારી પત્ની મરી ગઈ છે. કદાચ હું કોઈની સાથે પરણ્યો જ નહોતો. હું ચાલ્યો જતો હતો અને મારી બાજુમાંથી એક સ્કૂટર ઝડપથી પસાર થઈ ગયું. પાછળ એક પુરુષને વળગીને રેખા બેઠી હતી. મારા હોઠ બબડ્યા, તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી.
 
- વેડિંગ કાર્ડ આવ્યું. રેખા પરણતી હતી. શૈલ એનો પતિ થવાનો હતો. મેં કાર્ડમાં છપાયેલી તારીખ જોઈ. એ પરણી ગઈ હતી. મને કાર્ડ એક દિવસ મોડું મળ્યું હતું. આગલી સાંજે જ રેખા શૈલની પત્ની બની ગઈ હતી. એક દિવસ તે કૉફી હાઉસ પાસે મળી ગઈ. મેં કહ્યું, સારું થયું. આપણને કોઈ બાળક ન થયું તે. એ હસી પડી. છૂટાં પડ્યા પછી અમે પહેલી જ વાર ખુલ્લીને મળ્યા. કેવો છે શૈલ? તારા કરતાં તગડો, એણે કહ્યું અને હું ઉદાસ થઈ ગયો. પણ મેં ઉદાસી બતાવી નહિ. મોમાં પાણી ભરીને ચારે કોર ઉડાડતો હોઉં એમ હસ્યો હતો. પછી રેખાને મળ્યો જ નહોતો. દૂરથી જોતો. એ ગતિમાં હોય. વ્યસ્ત જ હોય. શૈલના સ્પર્શથી અંકિત થયેલી હોય. મેં મારા મનમાં એનું નામ બદલાવી નાખ્યું હતું. ઘરની દીવાલો અને બારીના પડદાના રંગ બદલાવી નાખ્યા હતા.
 
- ફોન. સ્ત્રીનો અવાજ. ગળેલો, રુદનથી ભીંજાયેલો. તું આજે આવી શકીશ? પણ આપ કોણ? હું... (વિરામ) ... હું રેખા... ઓહ! પણ તારો-તમારો અવાજ આવો કેમ છે? નિકેત... ઊંડો શ્વાસ, દાબેલું ડૂસકું, નિકેત...શૈલ...શૈલ... અને ફોનને ધણધણાવ્યો. વાત કર, શું થયું છે? નિકેત હાર્ટ બંધ પડી જવાથી શૈલનું... અદૃશ્ય ધોધનો પ્રવાહ. મેં આખો બંધ કરી દીધી અને કહ્યું, હું આવું છું. કદાચ એણે સાંભળ્યું હશે.
 
ચિત્રમાં ફરીથી રંગો ઊભરાવા લાગ્યા. પીળા રંગની જગ્યાએ કાળો રંગ ઊભરાઈ રહ્યો. કમરામાં અંધકાર વધી ગયો હતો. રેખા હજી પણ જ રીતે સૂતી હતી. એના વાળ કોરા હતા. કાન ખાલી, હાથ ખાલી અને કોર િવનાની સફેદ સાડી. મેં ફરીથી બોલવાનો પ્રયત્ન કર્યો. કદાચ બોલી શક્યો હતો, પણ રેખાએ પડખું વાળીને દીવાલ તરફ ચહેરો ફેરવી લીધો. હું કશું જ બોલી શક્યો નહિ. કમરામાં અંધકારની સાથે રેખાનું રુદન ઉમેરાયું. એની સિસકતી પીઠ દેખાઈ રહી હતી. મારા હાથ સળવળ્યા. સ્પર્શથી પણ આશ્વાસન આપી શકાય. પણ મને લાગ્યું કે મારી અને રેખાની વચ્ચે એક સફેદ કૅનવાસ આવી ગયું હતું, જે મારા હાથને રેખા સુધી પહોંચતાં અટકાવતું હતું. રેખાને રડતી મૂકીને હું બહાર ગયો. નોકર રસોડામાં હતો. મેં એને પૂછ્યું કેમ થયું બધું?
 
સાહેબ સવારે ઊઠ્યા ત્યારે નહોતા, એણે ટૂંકમાં કહ્યું. પણ એકદમ? હા, રાતે બહેન સાથે પિકચર જોઈને આવ્યા હતા. કોઈ સંબંધીને જાણ નથી કરી? શૈલ સાહેબ તો એકલા હતા અને રેખાબહેને તમને ફોન કર્યો. હું અંદર ગયો. રેખા સ્વસ્થ થઈ ગઈ હતી. હું કમરામાં પ્રવેશ્યો ત્યારે છૂટા વાળ બાંધતી હતી. એની આંખોમાં ઊંડા કૂવા સીંચ્યા હોય એવું લાગતું હતું. હું ફરીથી ખુરશી પર બેસી પડ્યો. એ એની આંગળીના નખને જોઈ રહી હતી. બહારના કમરામાં લાઈટ જલાવીને નોકર અંદર આવ્યો. દબાયેલા સ્વરે બોલ્યો, લાઈટ કરું, બેન?
રેખા કંઈ બોલી નહિ. મેં હા પાડી. લાઈટ થઈ ને મારી આંખ સામે કમરાની વસ્તુઓ સ્પષ્ટ ઊભરાઈ આવી. શૈલની ટાઈ ટેબલ પર લટકતી પડી હતી. હું ઊભો થઈ ગયો અને લાઈટ બંધ કરી દીધી. રેખા પર કોઈ પ્રતિક્રિયા ન થઈ. એનો ચહેરો બદલાઈ ગયો હતો. એનું પણ કોઈ સંબંધી નહોતું. ફક્ત મને જ ફોન કર્યો હતો એમ નોકરે કહ્યું હતું. પણ કયા સંબંધે? મને વિચાર આવી ગયો અને મારા દાંત કળવા લાગ્યા.
 
કેટલીય વાર સુધી હું બેસી રહ્યો. રેખા એકવાર ઊઠીને બહાર ગઈ. પાછી આવી તે વચ્ચે નોકર કૉફી મૂકી ગયો હતો. બહેને કંઈ ખાધું નથી. કૉફી મૂકું છું. રેખા આવી. મેં કપ ઉપાડીને એના હાથમાં આપ્યો. એના શબ જેવા આંગળાનો સ્પર્શ થઈ ગયો. રેખાએ મારી આંખોમાં જોયું. કૉફીની વરાળ એની આંખોમાં આંસુ બનીને લટકતી હોય એમ પાંપણો ભીની થઈ ગઈ. એણે કૉફી પીવાનું શરૂ કર્યા પછી મેં પણ કપ ઉપાડ્યો.
 
દિવસોના ઢગલામાં એક નવો દિવસ ઉમેરાયો હતો અને એક નવી પરિસ્થિતિ જન્મી હતી. મારી એક વખતની પત્ની રેખા આજે.... મેં વિચાર અટકાવી દીધો. મને એ ગમ્યું નહિ.
કૉફી પીઈને કપ મૂકતાં એનો હાથ ધ્રૂજ્યો. નોકર કપ લઈ ગયો. એ ફરીથી તકિયાને અઢેલીને બેસી ગઈ. આંખ પર હાથ મૂકી દીધો. મને અહીં આવ્યો ઘણો સમય થયો હતો પણ હું રેખાને કશું જ કહી શક્યો નહતો. બહાર એટલો બધો અંધકાર થઈ ગયો હતો કે બારી પરના પડદા ખેસવી લેવાથી પણ હવે પ્રકાશ થાય તેમ નહોતો.
 
રેખાને ગઈ કાલની રાત યાદ આવતી હશે. શૈલ અને પિક્ચર જોઈને આવ્યાં હતાં. ગુડનાઈટ કહ્યું હશે અને નાઈટલૅમ્પ જલાવ્યો હશે. કમરામાં ચાંદની આવતી હશે તો નાઈટલૅમ્પ નહિ જલાવ્યો હોય. વરંડામાંથી રાતરાણીની સુગંધ આવતી હશે અને કમરામાં ફેલાઈ ગઈ હશે. રેખાની બાજુમાં સૂતેલા શૈલની છાતી પર રાતના કયા સમયે મૃત્યુ ચડી બેઠું હશે? રેખાની આંખો વચ્ચે ઊઘડી ગઈ હશે તો પણ એણે શૈલને સૂતેલો જ કલ્પ્યો હશે ને?
 
પણ બધામાં હું ક્યાં હતો? મને લાગ્યું કે આશ્વાસન આપવા આવનારે આટલી બધી વાર બેસવું જોઈએ નહિ. હું ઊભો થઈ ગયો, રેખાએ આંખ પરથી હાથ ન હટાવ્યો.
હું જાઉં છું, મેં રેખાને કહ્યું. એ એમ ને એમ સ્થિર રહી. જડ બની ગઈ હોય તેવી, પદાર્થ જેવી. કદાચ એણે અંદર ને અંદર હોઠ હલાવીને હા પાડી દીધી હશે. હું ચાલવા માંડ્યો. કમરાની બહાર નીકળતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો: નિકેત. રેખાનો સ્વર આખા કમરામાં કંપકંપી ગયો. હું પાછળ જોયા વિના ઊભો રહી ગયો. થોડી વારે મારો ચહેરો ફેરવ્યો અને અંધકારમાં ડૂબેલી, મૌનના ઢગલા જેવી રેખાના આવનારા વાક્યની અપેક્ષામાં ઊભો રહ્યો.


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|Orangered|<big>સાવ પોતાનો અવસાદ</big>}}<br>{{color|DarkSlateBlue|~ રમણીક સોમેશ્વર}}<br>
[[File:Sanchay 62 - Image 4.jpg|left|275px]]


{{Poem2Open}}
{{color|BlueViolet|'''<big>સાંકડી ગલીમાં ઘર</big>'''}}
વરસાદના પ્રાસમાં ટપકે છે અવસાદ
 
ડેલીબંધ બેઠેલા હોઈએ. હથેળી જેમ ફેલાયેલું આંગણું આપણને ઝીલીને બેઠું હોય. માથે હોય આપણું પોતાનું આકાશ. એ આકાશમાંથી ક્યારેક વરસે વરસાદ - ક્યારેક અવસાદ. એકસરખું નીતરવાનું આપણે.
{{color|OliveDrab|'''વિજય સોની'''}}
બધું જ જ્યારે સંકેલાઈ જાય ત્યારે પણ ડેલીબંધ આકાશ આંખની દાબડીમાં અકબંધ રહેવાનું છે. સ્મૃતિબદ્ધ ક્ષણો સચવાયેલી રહેવાની છે આકાશમાં.
 
અવસાદ ઝરમર ઝરમર વરસે છે. રેલા ઊતરે છે. ટપકતો ટપકતો અવસાદ ચામડી વીંધીને ભીતર વહેવા લાગે છે ત્યારે આકાશ મારે છે હળવી ફૂંક - પાંસળીના પાવામાં.
અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી અે ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલીંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જ્યાંથી તૂટી ગયા હતા ત્યાંથી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી.
બધું નિતારી લીધા પછી છેક તળિયે બેસી જાય તે ક્ષણો આપણી હોય છે. ચૂપચાપ ભીતર બેઠેલી ક્ષણો જ્યારે બધું ડહોળાઈ જાય ત્યારે હળવેક રહીને સ્પર્શી જાય છે આપણને. ચિત્તના ગભારામાં જલતી રહે છે ક્ષણો અને જ્યારે બધે ઘોર અંધારું ફેલાય ત્યારે ઝબકીને સાથ આપતી રહે છે મૂંગીમંતર. અવસાદ જ્યારે લૂમેઝૂમે છે ત્યારે એની ટોચ પર ઝળકે છે એ ક્ષણો.
 
અવસાદ છેક ભીતર વહેનારી વસ છે અને તેથી એ હોય છે સાવ પોતાનો. ઇચ્છાઓનાં જળ પાઈને આપણે એને ઉછેર્યો હોય છે. વાસનાના તડકાથી એનો રંગ ઘેરો બન્યો હોય છે. અપેક્ષાઓના ખાતરથી એની વૃદ્ધિ થઈ હોય છે.
હુલ્લડ ધાર્યા કરતાં વધુ લંબાઈ ગયું હતું. કરફ્યું હજી ચાલુ હતો. દાતણ લઈ માણેકચોક વેચવા જવાય એમ ન હતું. અમીનાએ ચારેબાજુ જોયું. મોટા અઝીમના નસકોરાનો અવાજ મોટો હતો. ફાટેલી ચડ્ડી પહેરીને નાનુ સૂતો હતો. નાનુ રમતિયાળ અને તોફાની. ઘરમાં ઉધમ મચાવી દે. અમીનાએ પળવાર આંખો બંધ કરી. વિચારો તોફાનના સપાટાની જેમ ફૂંકાઈ ગયા.
ડેલીબંધ આકાશ તળે અવસાદ વીંટળાઈ વળે છે આપણને, અને એ જ સમયે, ઠીક એ જ સમયે અવસાદના છોડને ફૂલ ફૂટે છે.
આમ ઘરે રહીને ક્યાં સુધી ચાલશે? બચ્ચાંઓનું પેટ તો ભરવું પડશે ને? ઘરમાં દાલ-ચાવલ, આટો, કેરોસીન સુદ્ધાં ખતમ થવા આવી રહ્યું હતું. એની આંખો એલ્યુમિનિયમના ખાલી ડબ્બાઓ પર ફફડતા કબૂતરની જેમ ફરી ગઈ. કાબાના પથ્થરવાળું કૅલેન્ડર હવામાં ધ્રૂજતું હતું. આઝાનનો બુલંદ અવાજ અને કૅલેન્ડરનું ધ્રૂજવું બંને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ધ્રૂજે તેમ. મનમાં કંઈક સારું લાગ્યું. અઝીમના વાળમાં હાથ ફેરવ્યો. ઠંડો શ્વાસ લીધો અને એ ઊભી થઈ. ધંધા પર ગયે લગભગ પંદરેક દિવસ થઈ ગયા હતા. એણે કોગળા કર્યા, સિમેન્ટની પાળી કરેલી ચોકડીમાં ઊભી રહી કપડાં ઉતારવા લાગી. અઝીમ હવે બાર-તેરનો થઈ ગયો હતો. એ જાગી જાય તો? એ સંકોચાઈ.
જીવી જવાનું હોય છે અવસાદને સાચવવા - એના પર ફૂટતા ફૂલને ચપટી આકાશ આપવા.
 
સાવ પોતાનો અવસાદ તાકી રહે છે ફૂટતા ફૂલને અનિમેષ. ઝરમર રેલાતું રહે છે આકાશ.
સિમેન્ટની કોઠીમાં ગઈકાલનું પાણી ઠરીને બરફ થઈ ગયું હતું. ડબલું ભરીને શરીર પર રેડ્યું તો તીખી આહ નીકળી ગઈ. નસો હલી ગઈ, કમકમાટી આવી ગઈ. સામે ટીંગાડેલો પાયજામો ખેંચી કાઢ્યો. એની આડશમાં ઢંકાયેલો અરીસો ખુલ્યો કે તરત નગ્ન થઈ ઊભી રહી. ઘડીભર થંભી આંખ ભરીને શરીર જોયું, કેટલું બધું ભૂલી ગઈ હતી? કેવું ભૂલી ગઈ હતી?
{{Poem2Close}}
આખા શરીર પર ગરોળીની જેમ નજર ફેરવી તો અરીસામાં જાણે જીવ આવી ગયો.
{{right|(દસમો દાયકો : જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૯૪)
(‘કરચલિયાળું તળાવ’: માંથી)}}
 
આ બદન! આ ભરેલા બદન પર તો સલીમ મરતો હતો. થોડીવાર અરીસા સામે તાકી રહી. ભાગી ગયો સાલો. હરામી. કોને લઈ ગયો? ક્યાં લઈ ગયો? કોઈ ખૈર-ખબર નથી. મારે માટે મૂકતો ગયોઃ આ બે-બે પેટ પાળવાનાં અને શરીર તોડીને દાતણ વેચવાનાં વૈતરાં. એ તો ગયો પણ પછી વસ્તીવાળાની નજર બદલાઈ ગઈ. મરદો ખેંચાઈ આવતા, ગૉળ પર માખીઓની જેમ બણબણતાં. વસ્તીની હલકી સ્ત્રીઓ પણ ગુસપુસ કરતી. ચાંદબીબીનો મામદ તો એટલો નજીક આવીને વાત કરે કે જાણે આખેઆખી ગળી જવાનો હોય. સલીમના ગયા પછી એની હેરાનગતી વધી પડેલી.
 
કુરતામાં માંડ સમાતી છાતી આયનામાં જોઈ એ ખુદ શરમાઈ ગઈ.
 
રૂખી કાંઈ ગલત તો નહોતી કહેતી. રૂખી યાદ આવતાં અમીના મલકીઃ શું કરતી હશે રૂખી? એના ઘરમાંય દાલ-ચાવલ-કેરોસીન નહીં હોય?
 
પણ એ તો મસ્તીથી જ રહેતી હશે. રૂખી ભાગ્યે જ મોઢું લટકાવીને ફરતી. એ સાથે હોય એટલે વાતાવરણ હળવું ફૂલ. રૂખી અને અમીના માણેકચોકમાં એક જ ઓટલા પર દાતણ વેચતાં. રૂખી કાળી-પાતળી. અવાજ ઘોઘરો પુરુષ જેવો. રૂપિયાનાં ત્રણ, રૂપિયાનાં ત્રણ એવી જોર જોરથી બૂમો પાડતી હોય, દાતણ ન લેવા હોય એનુંય ધ્યાન ગયા વગર રહે નહીં. વાળ હંમેશા વિખરાયેલા. શરીર ઘાટીલું. જાજમની જેમ ઘાઘરો પાથરી-ઉભડક પગે ઓટલા પર બેસે. સાડલાનો છેડો જાણીબુઝીને છાતીથી સરકાવી દે. થોડું ઝૂકીને બેસે. પસીનો નીતરતી કાળી પીંડીઓ તડકામાં ચમકતી રહેતી. અમીના તેને ઘણીવાર ધમકાવતી.
 
જરા રીતથી ધંધો કરને! કોણ તારી છાતી જોઈને દાતણ લેવા આવવાનું છે? રૂખી હસતી, આંખ મીંચકારીને બોલતીઃ મારી વ્હાલી, તને ધંધો કરતાં નથી આવડતું. દિખતા હૈ તો બિકતા હૈ. તારા જેવું ડીલ હોત તો બપોર લગીમાં બસોનાં દાતણ વેચી ધણી ભેગી સૂઈ જાત. આટલાં વરસમાં તું મારી પાસેથી કાંઈ શીખી નહીં.
 
મરદ જોડે સૂવાનું? કેટલો વખત થયો? અમીના કશુંક યાદ કરતી મૂંગી ઊભી રહી. એને જોઈ રૂખીને કશુંક યાદ આવી ગયું હોય મૂંગી થઈ ગઈ.
 
રૂખીની શરીર ખોલીને ધંધો કરવાની વાત અમીનાને ગમતી નહીં પણ રૂખી ગમતી. રૂખીનો ખુલ્લો સ્વભાવ–ખુલ્લું બોલવું, ખુલ્લુ હસવું, બધું ગમતું, રૂખી પોલીસને ગાળ દેતાય ખચકાતી નહીં. પોલીસ દંડો પછાડી મફતમાં દાતણ લઈ જતો. પાછો આંખ મીંચકારી બોલતોઃ
 
કેમ રૂખી, આ બખોલ ખુલ્લી રાખીને બેઠી છો? કોઈ ઘૂસી જશે તો?
 
જા ને ભડવા તારા જેવા મફતિયાને ઘૂસવા બખોલ નથી. એ સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત. સમજતી. બંન્ને સુખ–દુઃખની વાતો કરતાં.
રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો હતો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવીને ઘરે મોકલી હતી. બીજે િદવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.
 
સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ હતી.
 
રૂખી અમીનાને એની રીતે ધંધો કરવા સમજાવતી. પણ શરીરની વાત આવે કે અમીના બિલ્લીની જેમ સંકોચાઈ જતી.
 
હુલ્લડમાં દરેક ઝૂંપડામાંથી એક એક માણસે રાતના વસ્તીની ચોકીદારી કરવાની હતી. મામદ અને એના દોસ્તો અમીનાની ઝૂંપડી પાસે આવ્યા હતા. એમાંના એકે બહારથી પૂછ્યું હતુંઃ
 
અમીનાબીબી, તારે ત્યાંથી કોણ ચોકીદારી કરશે? એના પૂછવામાં ટીખળ હતી. મામદ તરત આગળ આવી ઝૂંપડીમાં ઘૂસીને બોલ્યોઃ
 
મૈં હું ના. બધા ખડખડાટ હસી પડ્યા હતા. મામદની આંખો અમીના પર લપકારા મારતી ચોંટી ગઈ હતી. અમીનાનું ગંદી મજાકથી માથું તપી ગયું હતું. ઊભા થઈ મામદને જોરથી થપ્પડ ખેંચી દેવાનું મન થયું હતું. પછી વિચાર ઝબક્યોઃ
 
હુલ્લડ લાંબુ ચાલશે તો? બસ્તી પર હુમલો આવશે તો?
 
બસ્તીમાં મામદ એકલો મરદ બચ્યો છે. અમને બચાવી શકે અને હુલ્લડમાં રૂપિયાની જરૂરત પડી તો કોની આગળ હાથ લંબાવીશ?
 
મામદ સામે જોયું નજરમાં લાચારી હતી. કશુંક બોલવા મથી પણ ભયથી શરીર કાંપતું હતું. ઘરમાં ભૂખની ચૂડેલ આંટા મારતી હતી. મામદ હસતો હસતો પાછળ વળવા જતો હતો, ત્યાં જ અમીનાથી અનાયસ બૂમ પડાઈ ગઈઃ
 
મામદ, સો-બસો આપીશ? ધંધો ચાલુ થયે આપી દઈશ. પૈસા માગતાં જ બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો હોય એમ મામદ પાછો વળી ગયો. ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢીને ઊભો રહ્યો.
 
તારે ઓટલે બેસી ધંધો કરવાની જરૂરત જ ક્યાં છે? લે રાખ, બસો પેશગી. બાકીના કામ પતે એટલે! મામદની આંખોમાં સાપોલિયાં રમતાં હતાં. એણે અમીનાના આખા શરીર પર કાચીંડાની જેમ નજર ફેરવી છાતીની પાસે ખીલાની જેમ ખોડી દીધી.
 
મને રંડી સમજે છે, હરામીની ઓલાદ?
 
હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બંનેથી સણકા ઉઠતા હતા. બંને બચ્ચાં એને જોતાં હતાં.
 
આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બે-ચાર ટીયરગેસના શેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢાઓ અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. એ નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો માહોલ ગંધાઈ ઉઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.
 
કેરોસીન ચાહીયે? મામદે પૂછ્યું.
 
અમીનાએ માથું જમીનમાં દાટી દેવાયું હોય એમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ આવીને દુકાનનું શટર પાડી દીધું.
કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઈસકી સખ્ત જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુપસુપ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટીપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.
 
વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલીંગ કરવા આવતી. ઝૂંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બંને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં રહેતાં હતા.
 
અમીના હાંફળીફાંફળી ઝૂંપડીમાં પ્રવેશી. રૂખી એને જોઈ હેબતાઈને ઊભી થઈ ગઈ.
 
કેમ અમીના અત્યારે? અહીં? કોઈ તકલીફ?
 
અમીના કશું બોલી શકી નહીં. આંખોમાં ભય તરતો હતો. ચારે તરફ ડોળા ફેરવીને જોયું. કોઈ જોતું તો નથી ને?
 
દોડીને એ રૂખીને વળગી પડી. જોરથી રડવા લાગી. અમીનાનો હાંફ હજી શમ્યો ન હતો. પગ ધ્રૂજતા હતા.
 
શું થયું, અમીના, કાંઈક તો બોલ? રૂખીએ અમીનાને હલબલાવી મૂકી.
 
રૂખી, તમે બચ્ચાંને લઈ આજે ખોલી છોડી ક્યાંક જતાં રો, રાતે અમારી બસ્તીવાળા... અમીનાની જીભ થોથવતી હતી. ફાનસમાં જ્યોત ફફડતી હતી. પરસેવાના રેલાથી એનું પણ મોઢું ચળકતું હતું. રૂખીનાં બચ્ચાં મૂંગાં ઊભાં હતાં. રૂખી તરત સ્વસ્થ થઈ ગઈ. એણે અમીનાને અળગી કરી.
 
અમીના, તું જલ્દી આ વસ્તી છોડી નીકળી જા. કોઈક જોઈ જશે તો અહીં બબાલ થઈ જશે.
 
અમીના ઝપાટાબંધ નીકળી ગઈ. અંધારું ઘટ્ટ બનીને થીજી ગયું હતું. ચામાચીડિયાં ચક્કર લગાવતાં હતાં. સન્નાટાથી માહોલ ગંભીર લાગતો હતો. અમીના થોડીક આગળ ગઈ ત્યાં રૂખીને કશુંક યાદ આવ્યું. એણે અમીનાને પાછી બોલાવી. ખાંડનાં ડબ્બામાંથી સો-સોની ત્રણ નોટો કાઢી ડૂચો વાળી અમીનાનાં હાથમાં દબાવી દીધી. અમીના નિસ્તેજ આંખોથી થોડીવાર રૂખી સામે જોતી રહી. ઓટલા પર ખુલ્લી છાતી રાખીને ધંધો કરતી, ખુલ્લું બોલતી, ખુલ્લું હસતી, રૂખીનું આ કયું રૂપ હતું? આંખમાંથી પાણી ખેંચાઈ આવ્યા. એ રૂખીને જોરથી વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. રૂખીએ અમીનાનું કપાળ ચૂમી લીધું. અમીના મોઢું ફેરવીને સડસડાટ બહાર નીકળી. અંધકાર ઓઢીને નદીના પહોળા પટમાં ઓગળી ગઈ.
વાતાવરણમાં ભારેલો સૂનકાર હતો. કંસારીના અવાજથી જમીન ચરચરતી હતી. હુલ્લ્ડનું પ્રેત સન્નાટામાં નાચતું હતું. અમીનાથી મુઠ્ઠી જોરથી વળાઈ ગઈ. આશંકા અને ભયથી ઘેરાયેલા મનમાં રૂખીને બચાવી લીધાનો છૂપો સંતોષ પણ હતો.
 
રસ્તે કૂતરાં મન મૂકીને રડતાં હતાં. આજે રસ્તો લાંબો અને બિહામણો લાગ્યો, અમીના આવી ત્યારે વસ્તી અજગરની જેમ પડી હતી. પોલીસની જીપો થીજી ગઈ હતી. વસ્તીનાં ટમટમિયાં જલતાં દેખાતાં હતાં. ઝૂંપડીમાં દાખલ થઈ નિરાંતનો દમ લીધો. ધબ્બ દઈ દીવાલના ટેકે બેસી પડી. મુઠ્ઠી ખોલી તો પસીનાથી તર ભીની નોટો એની સામે તાકી રહી. ફાનસની જ્યોત મોટી કરવા હાથ લંબાવ્યો તો અઝીમ જાગતો દેખાયો. નાનુ સૂઈ ગયો હતો. પતરાની દીવાલ પર એક ત્રીજો પડછાયો જોયો તો તે ગભરાઈ ઊભી થઈ. એની રાડ ફાટી ગઈ.
કોણ છે ત્યાં? કોઈ કાંઈ બોલ્યું નહીં તો તે વધુ ગભરાઈ. નાનુની પાછળનો આકાર સ્પષ્ટ થયો.
 
મામદ, તું અત્યારે અહીં? થડકારો ચૂકી ગઈ. બોલ મોઢામાં જ મરી ગયા. એણે જાત સંકોરી. મામદે શેતાનની જેમ ફાનસના અજવાળેથી માથું કાઢ્યું. એની સુજેલી લાલ આંખોથી અમીના અને ઝૂંપડી બંને થરથરતાં હતાં.
 
ક્યાં ગઈ હતી અમીનાબીબી, અત્યારે કોની પાસે સુવા ગઈ હતી? કે પછી ખાડાવાળાને અમારો પ્લાન ભસવા ગઈ હતી?
 
આ હલકટને કેમ કરતાં ખબર પડી ગઈ? અમીનાના શરીરમાં વીજળી દોડી ગઈ.
 
ક્યાંય નહીં, કાંઈ નહીં! થોથવાડી એ અઝીમને સોડમાં ખેંસીને બેસી રહી. કેટલા રૂપિયા લઈ આવી કાફરો પાસેથી બધું બકી મરવાના? તને ખબર નથી મારા આદમી ક્યાં ક્યાં ફેલાયેલા છે. સાલી હરામીની ઔલાદ, થોડા પૈસા માટે ગદ્દારી કરી આવી ને? મામદ ચિલ્લાતો હતો.
 
અમીના મૂંગી રહીને ગુનેગારની જેમ નીચી નજરે અઝીમના વાળમાં હાથ ફેરવતી રહી.
 
શું કહેવું? આ કમીનો કશું સમજશે નહીં. મુઠ્ઠીમાં દબાવેલા રૂપિયા ખૂલી ગયા હતા. એને થયું મામદને મુઠ્ઠી ખોલી બતાવી દે.
 
જો આ રૂપિયા લઈ આવી! લે, લઈ લે તું. મને જે કરવું હોય તે કર! પણ ખાડાવાળાને કશું કરતો નહીં. ત્યાં નાનાં નાનાં બચ્ચાં છે, ત્યાં મારી રૂખી છે. રોષ અમીનાની રગમાં વીજળીની જેમ સળગતો દોડતો હતો. ત્યાં જ મામદે એને ખેંચીને ઝૂંપડીની બહાર ઢસડી લીધી.
 
નીચ! અમારા આખા પ્લાન પર પાણી ફેરવી દીધું. કમીની, થોડા સા પૈસા ખાતર કૌમથી વિશ્વાસઘાત કીધો, બોલતાં બોલતાં મામદ એને સાંકડી ગલીના નાકે લઈ આવ્યો. મામદના બૂમબરાડાથી ઝૂંપડાંના દરવાજા ફટાફટ ખૂલી ગયા હતા. માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ટોળાંમાં ઔરતોના કલબલાટ વચ્ચે વિરોધનો ધીમો સૂર ઊઠતો હતો.
 
કમીની ઔરત, આપણી બધી વાતો ખાડાવાળાને કહી આવે છે. ત્યાંથી માલ પડાવે છે.
 
યે તો ઠીક હૈ! વો લોગને પહેલે હમલા કિયા હોતા તો અપન તો નીંદ મેં જ રહેતે ના.
 
ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે, ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!
 
કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાંક જુવાનિયા મશ્કરીએ ચડ્યા હતાં. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો, અમીનાએ આંખો બંધ કરી.
 
કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાનું પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી.
 
ચાંદબીબી ટોળામાંથી આગળ આવી, એણે મુઠ્ઠી ભરીને મરચું ભરી દીધું. અમીના બંને સાથળ વચ્ચે હાથ દબાવી, કણસતી, ચત્તીપાટ પડી રહી.
 
આખા શરીરમાં કાળી બળતરા
 
અમીનાએ ફેંફસાં ફાડીને ચીસ પાડીઃ યા અલ્લાહ...
 
{{right|(૨૦૦૫)}}
 
[[File:Sanchayan 62 Image 5.jpg|center|350px]]
 
==સ્મૃતિલોક==
 
[[File:Sanchayan 62 Image 9.jpg.png|250px|left]]
 
{{color|BlueViolet|'''<big>સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે </big>'''}}
 
{{color|OliveDrab|'''~ રીના મહેતા'''}}
 
એ જ મોટીમસ બારી, એ જ ઝગારા મારતો તડકો; એ જ ખુરશી, એ જ ઘણાં દૃશ્ય બદલાતાં રહ્યાં છે, પણ આ એક દૃશ્ય કાયમી રહ્યું છે. એની આસપાસ પતંગિયાની જેમ ઊડાઊડ કરતી હું, એ (25તા ભગવતીકુમાર શર્મા) લખતા હોય અને બાએ આપેલ ચા કે દૂધનો કપ જરાય ખલેલ ન પહોંચે એમ દબાતે પગલે મૂકી આવતી હું, એમની પેનમાં શાહી ભરી આપતી હું...
 
બાળપણની અણસમજથી માંડીને અત્યાર સુધી મેં એમને નિરંતર લખતા જ જોયા છે. નબળી આંખ ને સ્વાસ્થ્યને નેવે મૂકીને એમણે લખ્યું છે. વળતરની ચિંતા કરી નથી. પત્રકારત્વ જેવા ક્ષેત્રમાં છેક દિલ્હી સુધી પોંખાયેલો માણસ આટલા પગારમાં સંતોષ માની શકે, એ આજના જીવનમાં દુર્લભ ગણાય.
 
મારા વાડામાં ઝાડ પર એક પક્ષીએ માળો બાંધ્યો છે. તેમાં કેટલાય દિવસથી માદા અને નર સતત ઈંડાને સેવતાં દેખાય છે. કલાકો સ્થિર, ધ્યાનસ્થ... બસ, એજ રીતે એમણે આખી જિંદગી શબ્દને સેવ્યો છે, પીછાં આપ્યાં છે, પાંખ આપી છે અને આકાશે ઉડાવ્યો છે.
 
અને એ જૂના વિશાળ ઘરમાં બે જણ એકલાં રહે છે. ઘરડાં, અશક્ત થતાં જતાં પગે એકલાં ચાલે છે. ખડિયામાંથી ભરાતી કાળી શાહી જેવો સમય છલકી જાય છે. મોટા અક્ષરો પણ હવે એ માંડ વાંચે છે. મને પણ કદાચ અવાજ થકી વધારે ઓળખે છે. જે અક્ષરોએ આખી જિંદગી એમને પાંખ આપી હતી, એ કાગળની સફેદ સપાટીમાં વિલીન થઈ રહ્યા લાગે છે. ગમે ત્યારે સંપૂર્ણ અંધારું થઈ જશે એવા અબોલ ફફડાટ નીચે, આજે તોંતેરમે વર્ષે બ્લડપ્રેશરના વ્યાધિ વચ્ચે પણ એ જ ઉત્સાહથી કાગળ પર મોટાં વાંકાચૂંકા અક્ષરે આશરે આશરે લખવાનું એ છોડી શકતા નથી. એ અક્ષરો એમને જીવવાનું બળ આપે છે.
 
સાંજના પ્રેસમાંથી પાછાં ફરતાં એમનાં ઘસડાતાં પગલાંનો અવાજ દાદરે આવે છે. હંમેશની જેમ એ ખીંટીએ થેલો લટકાવે છે, ધોતિયું-પહેરણ પહેરે છે, ટુવાલ વડે જેમતેમ પરસેવો લૂછે છે, ઢગલો થઈ ખાટલે ઢળી પડે છે. બા કે હું ગ્લુકોઝવાળું લીંબુંનું પાણી આપીએ છીએ, ને ફરી એક વાર બબડીએ છીએ કે બંધ કરો આ બધું...
 
અમારો બબડાટ રેડિયોના ન્યુઝમાં ભળી જાય છે.<br>
<center>
[[File:Sanchayan 62 Image 6.jpg|200px]]
[[File:Sanchayan 62 Image 7.jpg|193px]]
</center>
{{right|(‘થેંક યૂ પપ્પા’ પુસ્તકઃ૨૦૦૬)}}


{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|Orangered|<big>વાટ જોતું ઊભું છે આકાશ</big>}}<br>{{color|DarkSlateBlue|~ રમણીક સોમેશ્વર}}<br>
{{color|BlueViolet|'''<big>હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ</big>'''}}
 
{{color|OliveDrab|'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}}
 
વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યની આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે.


{{Poem2Open}}
પિતા જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢીમાં વર્ષો સુધી કામ કર્યા પછી પૉલિશ કૉન્સ્યુલેટમાં એમણે મેળવેલી કામગીરી એમના પોલૅન્ડ પરત્વેના વિશેષ પ્રેમને અને યુરોપિય ચેતના પરત્વેના એમના આકર્ષણને પોષણ આપે છે. હોલ્ડરલિન, કોન્સ્ટાસ, પાલામાસ, રિલ્કે, બૉદલેર, વાલેરી, પ્રૂસ્ત, ઊનામુનો જેવા યુરોપીય લેખકોએ એમની ભાવનાસૃષ્ટિને ઘડેલી.  
એક નાનકડું પંખી આવી ગયું છે બારી વાટે મારા ઓરડામાં. નાનકડું. રૂપકડું. જાણે હવાનું બનેલું હોય એવું. અરે, આને તો પાસેના સરગવાના વૃક્ષ પર જોયેલું. મજાનો માળો બાંધીને અંદર બેઠેલું. નાનકડી ચાંચથી આકાશને ફોલતું. સરગવાની ડાળી પર ઝૂલતું. ફરરર દઈ આકાશમાં આંટો મારી આવતું. આ પંખી ભૂલું પડ્યું છે મારા ઓરડામાં. ઓરડામાં તો છે પુસ્તકોના ઢગલા. ભેજભરી દીવાલો. ઊડવા જાય છે ને દીવાલો પર અથડાય છે. હું ઊભો થઈ, હળવે રહી પંખો બંધ કરું છું. અહીંતહીં અથડાતું એ પંખાના પાંખડા પર બેસી જાય છે. ઊડવા મથે છે તો ઉપર આકાશને બદલે છત. પુસ્તકોને ઢાંકી બેઠેલા કબાટના કાચ સાથે ઘડીકમાં અથડાય. પાછું ફરરર કરતુંક બેસી જાય પંખાની પાંખે.
ભયાવહ નજરે પંખીને તાકતો હું પંખી બની જાઉં છું. દીવાલો મને ઘેરી વળે છે. ક્યાં છે મારું સરગવાનું સુંગંધભીનું વૃક્ષ? ક્યાં છે માળો? ક્યાં છે મારી પાંખોમાં ભરાયેલું આકાશ, ઝાડ પરનાં મારાં સાથીઓ, પાંદડાંઓ વચ્ચે રમતો તડકો, મુક્ત હવા - ક્યાં છે? ક્યાં? ભૂલો પડ્યો છું દીવાલોના પ્રદેશમાં! માથે છત. ગૂંગળામણ. અથડામણ.
પંખીના ખોળિયામાં હું ઝાઝું રહી શકતો નથી. ફરી આવી જાઉં છું ટેબલ પાસેની ખુરશી પર. ઓહ! મને કળ વળતી નથી. મૂંઝાયેલું - શ્વેતકંઠ, નાનીનાની ભયભીત આંખોથી તાક્યા કરે છે ચોમેર. હળવેકથી ઊભો થઈ બધી જ બારીઓ ખોલી નાખું છું. બારણું તો ખુલ્લું જ છે. મનોમન હું કહું છું. - ભાઈ પંખી, ચાલ્યું જા, ચાલ્યું જા તારા આકાશમાં. નીકળી જા બારીમાંથી બહાર, પણ એ ક્યાં સમજે છે મારી ભાષા! અને એની ભાષા તો મને આવડતી નથી. થોડી વાર પૂતળાની જેમ બેસી રહું છું. ખુરશી પર નિષ્પલક. થાય છે, મારો સંચાર કદાય એને ભયભીત કરતો હોય. મારું અહીં હોવું એને કનડતું હોય. પછી ચુપકીદીથી નીકળી જાઉં છું ઓરડાની બહાર. અને થોડી વારે આવીને જોઉં છું તો પંખીએ એનો માર્ગ શોધી લીધો છે. આવી ચડ્યો છું હુંય આ પંખીની જેમ કોઈ અજાણ્યા ઓરડામાં. આકાશમાં ફેલાઈ જવા પાંખ પ્રસારું છું ને છત સાથે અથડાઉં છું. અડખેપડખે પાર વિનાની ભીંતો. અરે, કોઈ તો બારી ખોલો. ના, તમારો બતાવ્યો માર્ગ મને નહીં ફાવે. શોધી લેવા દો મને એકલાને મારો માર્ગ. બહાર આકાશ મારી વાટ જોતું ઊભું છે.
{{Poem2Close}}
{{right|(ઉદ્દેશ : ઑક્ટોબર, ૧૯૯૮)}}


તત્કાલીન વૈશ્વિક પ્રવાહો અને આર્થિક સામાજિક તેમજ રાજકીય પશ્ચાદભૂથી તેઓ ખાસ્સા વાકેફ હતા. પુસ્તકપ્રકાશન એમનાં સાંસ્કૃતિક સ્વપ્નોમાંનું એક સ્વપ્ન સ્થાપવા ઉપરાંત એમણે પરમાનંદ કાપડિયાના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘યુગધર્મ’માં પણ કામગીરી બજાવેલી. એચ. ઈન્દ્રર ઍન્ડ કંપનીને નામે એમણે પરદેશથી પુસ્તકો મંગાવવાની પ્રવૃત્તિ પણ કરેલી; આમ છતાં અત્યંત સંવેદનશીલ હોવાથી ઘણાં વર્ષો એમનાં અનુતાપ અને રૂંધામણમાં વીત્યાં અને અંતે એમણે આપઘાતનો માર્ગ લીધો.


{{dhr}}{{page break|label=}}{{dhr}}
સ્વેદશી ચળવળ વચ્ચે અને બ્રિટિશ શાસન દરમિયાન માત્ર અંગ્રેજી સાહિત્યથી છવાઈ ગયેલા વાતાવરણમાં અંગ્રેજી સિવાયના યુરોપીય સાહિત્યની આબોહવાનો લાભ લેનાર આ કવિ ગાંધીયુગની એક વિશિષ્ટ અને વિરલ પ્રતિભા છે. કેટલેક અંશે એમના યુગથી એમની ચેતના આગળ હોવાનો અણસાર એમની ભાવનાસૃષ્ટિ અને કવિતાસૃષ્ટિમાંથી મળી રહે છે. ‘સફરનું સખ્ય' (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે અને ‘કેસૂડો અને સોનેરું’ તથા ‘કોઢાગ્નિ’ (૧૯૪૧) એમનો બીજો કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯) એમની સઘળી રચનાઓને સમાવતો ઉમાશંકર જોશી સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.


[[File:Sanchayan 61 - 5 Satish Vyas.jpg|400px|center]]
વિવિધ સાહિત્યોના વ્યાપક સંદર્ભો અને ઉલ્લેખોથી ઇન્દ્રિયસંવેદ્ય પંક્તિઓ દ્વારા કાવ્યશિલ્પ દર્શાવતા આ કવિની બહુશ્રુતતા સાથે ભળેલી સ્વકીય અનુભૂતિ આસ્વાદ્ય છે. પશ્ચિમના સાહિત્યમાં મનુષ્યનું પતન અને મનુષ્યોનો અપરાધભાવ ઘૂંટાતાં ઊઠેલા એવા પ્રતિધ્વનિ તો અહીં છે જ, વિશેષમાં ભારતીય સંસ્કૃતિના વેદથી માંડી પૌરાણિક અને બૌદ્ધ ઇતિહાસના સંકેતો પણ એમાં ભળેલા છે. આ કવિમાં એકબાજુ પ્રેરણાનો વેગ છે, તો બીજા બાજુ કવિકર્મનો પરિશ્રમ પણ છે અને એટલે એમનો લયકેફ એમની પ્રણયઝંખનાની કે ધર્મઝંખનાની અભિવ્યક્તિમાં ઊતર્યા વગર રહ્યો નથી. બહેન પરની ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ રચનામાં કે ‘રાઈનર મારિયા રિલ્કેને’ જેવી રચનામાં કવિની પાસાદાર સૌંદર્યમંડિત આવિષ્કૃતિ જોઈ શકાય છે.


{{color|Orangered|<big>નાટ્યલેખન (લેખ)</big>}}<br>{{color|DarkSlateBlue|~ સતીશ વ્યાસ }}<br>
{{Block center|<poem><center>'''સીમાડા'''</center>
{{Poem2Open}}
હૈયાના બારણાની ભોગળો ભેદવી,

સામાન્યત: સર્જન અને સર્જનપ્રક્રિયા અંગે વાત કરીએ છીએ ત્યારે કાવ્ય, વાર્તા અને નવલકથા અંગે જ વિશેષ વિચારણા થાય છે. નાટ્યલેખન અંગે વાત થતી નથી એમ નહીં પણ અછડતી થાય છે. આ વિવિધ પ્રકારો દરમ્યાન તે પ્રકારના લેખકોએ પ્રકારવિશેષ અંગે સજ્જતા-સાવધાની રાખવાની જ હોય સમજી શકાય એવું છે. નિબંધ જેવા પ્રકાર વિશે તો એના આરંભકાળથી જ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે, નિબંધ લખવો એ જેવી તેવી વાત નથી, પણ એ ઉચ્ચારનારે પણ નિબંધલેખન પ્રક્રિયા અંગે કોઈ ગંભીર વાત કરી નહીં. નાટ્યલેખન સંદર્ભે પણ કશી ઠોસ વિચારણા આપણે ત્યાં થઈ નહીં, થઈ શકી નહીં એનાં કારણોમાં આ સ્વરૂપ પરત્વેની આપણી ઉપરછલ્લી જાણકારી, કંઈક અંશે ઉપેક્ષાવૃત્તિ અને ઉદાસીનતા પણ કારણભૂત હશે.
ઉંબર સીમાડો ઓળંગવો જી.
નાટ્યલેખન અંગે વાત કરીએ ત્યારે આ કળાપ્રકાર પ્રસ્તુતિ સાથે સંકળાયેલો છે એનું પ્રથમ ધ્યાન રાખવું પડે. આ પ્રસ્તુતિનાં એકાધિક અંગો અંગે નાટ્યલેખકે સભાન બનવું પડે. એની સામે, લખતી વખતે, નિરંતર એનો પ્રેક્ષક બેઠો હોય છે. લેખકને એના આ પ્રેક્ષકની ઉપેક્ષા પરવડી શકે નહીં. આ પ્રેક્ષક નાટક જોવા માટે એનું ધન, એનો સમયનો ભોગ આપીને આવ્યો છે. એના પ્રત્યેનો અનાદર નાટ્યલેખક નહીં રાખી શકે. એની અપેક્ષાઓ, એનું સ્તર, એની ય સામાજિક-સાંસ્કૃતિક ભૂમિકા, એની સંવેદના આદિનો લેખકના મનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ખ્યાલ રહેવાનો. નાટકના લેખકને માટે આ પ્રેક્ષક સમુદાય એનો આરાધ્ય છે. એની સાથેની છેડછાડ કે છેતરામણી એક પ્રકારનો અપરાધ જ બની રહે. સમુદાય બદલાતો રહે છે પણ નાટ્યલેખક માટે તો એ બદલાતો રહેતો સમુદાય વિશેષ કસોટીકારક છે. દરેક વખતે એની સામે એક નવી રમણી આવીને ઊભી હોય છે. એને લાડ પણ લડાવવા પડે, મધુર ઠપકો પણ આપવો પડે. પણ છે એ નિત્ય આરાધ્ય. એ રીતે જ નાટ્યલેખકે પ્રેક્ષકને રીઝવવાનો છે. ક્વચિત્ એની રુચિને ખીલવી એનું સંમાર્જન પણ કરવાનું છે. આ પ્રેક્ષક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. સામાજિક છે. નાટ્યલેખક સામે સીધો જ એનો સમાજ છે. અલબત્ત નાટક લખતાં લખતાં એ પણ ધ્યાન રાખવાનું જ છે કે કલાસિદ્ધિ અર્થે આ જ સામાજિકતામાંથી, આજ સમકાલીનતામાંથી આ જ પ્રેક્ષકને એના નાટ્યપ્રપંચ દ્વારા એણે ઉપર ઉઠાવી બહાર પણ કાઢવાનો છે તેથી એ પ્રેક્ષકને સમસામાજિકતાથી પાર રહેતું માનવ્ય પરખાય અને એ દ્વારા કળામાં પ્રગટ થતા માનવ્યની એ સમ્મુખ થાય.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
આમે ય નાટક અભિનેય કલાપ્રકાર છે. લેખકે ચતુર્વિધ અભિનયને અવકાશ મળે એમ નાટક લખવાનું હોય છે. આંગિક આહાર્ય સાત્વિકને જે-તે સ્થાને તક મળે એનું ધ્યાન રાખ્યા વિના મંચનું નાટક માત્ર શબ્દોથી ખખડ્યા કરે એ ન ચાલે. અહીં માત્ર કથા કહેવાની નથી. અહીં તો ‘કથવા’ કરતાં ‘કરવા’નો મહિમા છે. દલપતરામે નાટક માટે ‘કરી દેખાડવા’ જેવા શબ્દ-પ્રયોગો કર્યા છે સૂચક છે. અહીં સતત કંઈક કરવાનું છે. કાર્ય મહત્વનું છે. મંચ ઉપર નિરંતર ક્રિયાશીલતા રચાવી જોઈએ. એ મંદ કે ત્વરિત હોય એનો વાંધો નહીં, પણ કંઈક ચાલ્યા કરવું જોઈએ. સ્થગિતતાને અને નાટકને આડવેર છે.

ચોક ને ચૌટામાં ભમવું જી.
ભલે કહેવાયું હોય નિબંધ માટે, પણ નાટક માટે તો એ સવિશેષ સાચું છે કે નાટક લખવું એ જેવીતેવી વાત નથી. અનેક મર્યાદાઓ સાથે એ લખવું પડે છે. પ્રસ્તુતિ દરમ્યાન ભૂલેચૂકે ય ક્યાંક એવું લખાઈ જાય કે પ્રકાશ પાછળથી આવે છે અને અભિનેતા આગળ ઊભો છે તો એવે સમયે પ્રેક્ષકોને અભિનેતાનો ચહેરો દેખાશે જ નહીં ! મંચના પ્રત્યક્ષ અનુભવથી નાટક વિશેષ સફળ થઈ શકવાની સંભાવના છે. લેખક જાતે ભલે અભિનેતા ન હોય પણ એણે રિહર્સલ્સ જોવાં જોઈએ. પોતાની કૃતિનું પઠન કેવું થાય છે એ જોવું જોઈએ.
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે

રમતજગતની એક ઉપમા પ્રયોજીને કહેવું હોય તો એમ કહેવાય કે અન્ય સ્વરૂપોમાં દોડ સીધી છે જ્યારે નાટકમાં વિઘ્નદોડ છે. એ પાર કરતાં કરતાં લેખકે લક્ષ્યગામિતા સિદ્ધ કરવાની છે.
ગામના સીમાડા છોડવા જી.
{{right|(પરબ, જૂન,૨૦૦૭ના અંકમાંથી ટૂંકાવીને )}}<br>
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં

[[File:Sanchayan 61 - 6.png|500px|center]]
ઊંડાં તે વનમાં ચાલવું જી.
{{Poem2Close}}
વનના સીમાડા છોડવા છે મારે

રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને

સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને

ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા છોડવા છે મારે

ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે

એને આપું ભવોભવની પ્રીતડી જી.
{{gap}}'''હરિશ્ચંદ્ર ભટ્ટ'''</poem>}}


==વિવેચન==
==વિવેચન==
{{color|BlueViolet|'''<big>સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ </big>'''}}
{{color|OliveDrab|'''ઝવેરચંદ મેઘાણી'''}}
આપણે ઢગોઢગ વાંચનારા, આપણને જાણ નથી કે આપણું ઘણુંખરું જ્ઞાન ભાડૂતી છે, જાલિમ વ્યાજે ઊછીના લીધેલા પરધન જેવું છે, કાગળના પોપટમાં ભરેલ લાકડાના ઢૂંસા જેવું છે. આપણી કવિતા સ્વાનુભવના રસમાંથી ઉદ્ભવેલી કેટલી? આપણી વાર્તાઓમાં નિજપારખ્યા ભાવોનું સિંચન કેટલું? આપણી ભાષા પણ ક્યાં આપણી છે!
આપણે છીએ મધ્યમ વર્ગના માણસો, મધ્યમ જનસમૂહ આપણી આસપાસ ખદબદે છે. એની જીવનદશાને કોઈ વાર્તાકારે સાચેસાચ પૃથક્કરણપૂર્વક અને વાર્તારસને વહાવતી શૈલીએ સાહિત્યમાં ઉતારી છે? મધ્યમ વર્ગનું જે ઉપલબ્ધ છે તે વાર્તાસાહિત્ય પૈકીનું ઘણુંખરું પોકળ, બાહ્ય રંગોએ રંગેલું, તેમજ દૃષ્ટિવિહીન છે એવું કહેવામાં ઝાઝી હિંમતની જરૂર નથી. (ભાગ: ૧, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ.૭)
{{center|<nowiki>* * *</nowiki>}}
કવિઓએ, સાહિત્યિકોએ, કોઈપણ કલાસર્જકે, એટલું તો સ્વીકારીને જ જીવન શરૂ કરવું રહે છે, કે જનતા જ જો સર્વ સંસ્કારોથી સંપન્ન બની ગઈ હોત તો તેઓને સાહિત્યકારોની જરીકે જરૂર ન રહેત. આજે પુસ્તકો ખરીદનારાઓ પોતાની રુચિથી ઊંચી કે નીચી ભૂમિકા મુજબનો રસ અનુભવી પુસ્તકો ખરીદે છે. એમની રુચિને એક અથવા બીજા સાહિત્યપ્રકાર તરફ વાળવા ભગીરથ પ્રયત્નો (મૂંગા અને બોલતા) કરવા જ પડે છે. એ પ્રયત્નો આજ સુધી સતત થતા રહ્યા છે. આ કાંઈ સાહિત્યકારોની સરમુખત્યારીનો યુગ નથી કે પ્રત્યેક પ્રજાજનને માથે અમુક પુસ્તક ખરીદી તો ફરજિયાત કરી શકીએ. એ તો પ્રજારુચિનો પ્રશ્ન છે. વળી રુચિને ને પૈસાને સારો બનાવ નથી. રુચિવાળા માગીભીખીને પુસ્તકો વાંચે છે. ન-રુચિવાળા શોભા પૂરતાં પણ થોડાં સંઘરે છે; એટલો તેમનો પાડ માનો. ઉપરાંત ગુજરાતની પ્રજામાં નવી રુચિ, નવી દૃષ્ટિ, નવો સંસ્કાર, એ તો દાયકે દાયકે ઘડાઈ રહ્યાં છે. લોકોને મારીને મુસલમાન - એટલે કે લાનતો દઈને સાહિત્યપ્રેમી - થોડા બનાવી શકશું? (એજ, પૃ.૧૭)
{{center|<nowiki>* * *</nowiki>}}
ભાષાનો પ્રચાર પ્રાણવંતા વિચારબળને અધીન છે. અને ભાષા કેવળ શબ્દ-વાક્યોની બનેલી નથી. હરએક ભાષા પોતપોતાના પ્રદેશનો લોક-સંસ્કાર એવી રીતે ધારણ કરે છે. જેવી રીતે ચહેરા પરના સૌંદર્યને મૂળે તો માનવીનું હૃદય ધારણ કરે છે. પથ્થર પર પડતુ ટાંકણું એના શિલ્પીના પ્રાણમાંથી જ પ્રત્યેક રેખાને ખેંચે છે.
એટલે જ જ્યારે અન્ય ભાષાનું સાહિત્ય ગુજરાતીમાં ઉતારવાની ઉતાવળ અને રકાઝક મચે છે ત્યારે દહેશત લાગે છે. અનુવાદ કરનારા આ મૂળ કૃતિની વાનીમાં અગોચર પડેલા એ સંસ્કારની ખેવના કરતા નથી. સંસ્કૃત માતાની દીકરીઓ સમી હિંદની ઘણીખરી પ્રાંતભાષાઓ શબ્દો-વાક્યોનું સામ્ય ધરાવતી હોવાથી શબ્દને બદલે શબ્દ મૂકવાનું કામ અનુવાદકને સરળ પડે છે. એથી જ એ છેતરાય છે.
અનુવાદકોએ ભાષાજ્ઞાન મેળવ્યું હોય, ત્યાંના લોકજીવનનો પરિચય નથી મેળવ્યો હોતો. એ વાતને ઉવેખનારા અનુવાદકો એ સર્જકોને અન્યાય કરે છે.
અમુક અમુક પ્રદેશોમાં અનુવાદ કરવો એ સ્વતંત્ર કૃતિ લખવા કરતાં વધુ કપરું કામ છે. (એજ, પૃ.૧૪૫)
{{center|<nowiki>* * *</nowiki>}}
તમે લેખકો છો; પણ જે યાતનામાંથી, અગ્નિકુંડોમાંથી લેખકે નીકળવું પડે છે તેમાંથી નીકળ્યા છો? કેટલાક લેખકો શરૂઆતથી ઝળકી ઊઠ્યા, એમની કૃતિમાં નગદ વસ્તુ હતી માટે. એમણે પરસેવા પાડ્યા હશે. પાથેય ભેગું કર્યું હશે. પૈસાની વાત કરતાં એટલું યાદ કરવાનું ન ભૂલશો કે તમારામાં સત્વશીલતા કેટલી છે, તમારું ભાતું શું છે, કેટલું ભણ્યા છો, ‘ક્લાસિક’ કેટલાં વાંચ્યાં. આ પ્રશ્નો જાતને પૂછતા રહેજો.
ભાતા વિના પ્રવાસ કરવો છે? લેખકના વ્યવસાયને સ્પ્રિંગબોર્ડ માનો છો? વીસ, પચીસ ચોક્કસ વર્ષ આ ક્ષેત્રને આપવાં છે એમ નક્કી કરો. આજે લખ્યું તે કાલે પ્રકાશક પાસે ન લઈ જવાય. આમાં સિનિયરોનો પણ વાંક છે. તમારાં લખાણ મારી, ઉમાશંકર - ધૂમકેતુ વગેરેની પાસે લઈને આવો છો ત્યારે અમારી ફરજ તમને મોઢામોઢા સાચું કહી દેવાની, ખામી બતાવવાની છે. પહેલી ફરજ મોટેરાઓની છે; સત્વના ધોરણને નીચું ન પડવા દઈએ. (એજ, પૃ. પ૮૨)
{{center|<nowiki>* * *</nowiki>}}
દાકતરી દુનિયાનાં અનિષ્ટોને ઉઘાડા પાડતી ‘ધ સિટાડલ’ નામની નવલકથા હમણાં પ્રકટ થઈ. જેની ૩૧ હજાર પ્રતો ચાર જ દિવસમાં ઊપડી ગઈ. તે પછી એની બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આવૃત્તિની દરેકની (દસ-વીસ હજાર) પ્રતો પ્રસિદ્ધ થયા ભેગી જ ખપી ગઈ. હવે એની નવી આવૃત્તિ પ્રેસમાં છે.
અંગ્રેજી જાણનાર આલમની વસ્તી-સંખ્યા કાઢો. ત્યાંની સાહિત્ય રસિકતાનો પણ આંક નક્કી કરો. અને ગુજરાતનું એની સરખામણીમાં બધી વાતનો હિસાબ લઈ પ્રમાણ કાઢો, તે પછી તમારું કલેજું થીજી જશે. ગુજરાત પાસે પુસ્તકો વાંચવાનાં દોઢિયાં નથી એમ કોઈ કહે તો માનતા નહીં. અભાવ દોઢિયાંનો નથી પણ નાણાં ખરચીને વાચન મેળવવાની વૃત્તિ પ્રજામાં જાગૃત કરનાર અખબારી વિવેચનાનો ગુજરાતમાં અભાવ છે. (ભાગ - ર, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ. ૧૩૦)
{{center|<nowiki>* * *</nowiki>}}
નૃત્યને, ચિત્રને કે કાવ્યને, શિલ્પને કે સ્થાપત્યને, ફરીથી પ્રજામાં પ્રતિષ્ઠિત કરવાનાં છે. એ કર્યા વગર પ્રજાના ઊર્મિતંત્રમાં જે અનેક અનેક સંચા ખોટકાયા છે, તેને ઠેકાણે લાવવાનો બીજો માર્ગ નથી. ક્ષુધાની લાગણીની જોડાજોડ બીજી લાગણીઓ પણ સંતોષવા માગતી ઊભેલી જ છે. પ્રજાવ્યાપી વિરાટ માનવદેહમાં કંઈ કંઈ મનોકામનાઓ, મહેચ્છાઓ, આવેગો ને આવેશો રમણ કરે છે. સ્ફૂર્તિ અને મુક્તિ શોધે છે. એની સામે વિલાસ! વિલાસ! નામનાં પાટિયાં લગાવી પ્રવેશદ્વાર રૂંધવાથી શું વળશે? (એજ, પૃ.૨૭૬)
{{center|<nowiki>* * *</nowiki>}}
આપણાં જૂનાં ગીતો કૃષ્ણ-ગોપીનાં: દયારામ, નિષ્કૃલાનંદે કે મીરાંએ ગાયેલાં પ્રેમલક્ષણા ભક્તિનાં રમ્ય પદો ને છેલ્લે છેલ્લે રવીન્દ્રનાથનાં ગીતાંજલિ-ગીતો: આ તમામને એની ઉપર વીંટવામાં આવેલા આધ્યાત્મિકતાનાં ગાભામાંથી મોકળાં કરી એની શુધ્ધ સંસારી ભાવોને હિસાબે મૂલવીએ, તો તે વધુ પ્રામાણિક વાત નથી શું?
અંતરના ઊંડેરા અપરિતૃપ્ત પાર્થિવ પ્રેમની જ વેદના આ કવિ હૃદયોમાં જાગી હોય, ને તેઓએ કોઈ એક કલ્પના-પ્રીતમને શુદ્ધ સંસારી ભાવે જ આ ગીતો સંબોધી હજારો - લાખો અતૃપ્ત હૈયાંની પ્રણય વાણી ઉચ્ચારી હોય, તો તેમાં શો વાંધો છે?
માનવ-પ્રેમને હીણી દૃષ્ટિએ જોવા લાગીએ છીએ ત્યારે આપણે જગતના કેટલાય નિર્દોષ સુંદર સાહિત્યનો વધ કરી બેસીએ છીએ. મહાભારત-રામાયણ, પુરાણો અને વેદ વગેરે સાહિત્યને જો આપણે શાસ્ત્રદૃષ્ટિનાં સાણસામાં ન સપડાવ્યું હોત, જેવું છે તેવું માનવજીવનનું જ પ્રતિબિમ્બક સાહિત્ય લેખે જ મૂલવ્યું હોત, તો એ તમામ સાહિત્યે સાહિત્ય તરીકે જગત પર ઘણો ઉપકાર કર્યો હોત કેમકે તેણે ઢોંગને, વેશને, આત્મભ્રાંતિને પોષવાને બદલે યથાર્થ જીવનરસને જ પોષ્યો હોત. (એજ, પૃ. ર૧૪)
{{center|<nowiki>* * *</nowiki>}}
પુરાતત્વવિદ્યા તો અમુક ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓનો જ રસનો વિષય છે, એવું મંતવ્ય પણ વિભ્રમકારી છે. આપણે નવી ઊભી કરેલી ‘કમ્પાર્ટમેન્ટલ સિસ્ટમ’ જ આપણા જીવનના રસોને આમ ટાંકાનાં પાણીની સ્થિતિમાં ધકેલી રહેલ છે. પુરાતત્વ એ કાંઈ હાડકામાંથી ખાંડ બનાવવાની વિદ્યા કે ચીંથરામાંથી કાગળ બનાવવાની વિદ્યા નથી. પુરાતત્વ તો ચેતનાયુક્ત સંજીવની-રસથી ભરપૂર વિષય છે. એ તો છે ઇતિહાસની ‘રોમાન્સ’. એના જેવી અદ્ભુતરંગી મહાકથા કઈ છે બીજી? મારા પ્રાંતનાં ખંડેરે ખંડેરે પ્રેમી યુગલો, બહાદુરો, યોગીઓ અને ચાંચિયાઓ જે જીવન જીવી ગયાં હશે તેને કલ્પનામાં સાકાર કરી કરી પુરાતત્વનાં પ્રજ્ઞાચક્ષુઓ વડે પ્રાણધબકતાં પ્રત્યક્ષ જોવાં, અને તેમના વિલય પામેલા યુગયુગોમાં હસતાં, પડતાં, પ્રત્યેક ઊર્મિનો અનુભવ કરતાં કરતાં પરિભ્રમણ કરવું એ કોના રસનો વિષય નથી? એ કોના અંતરમાં પ્રેરણા અને સ્ફૂરણાનાં રોમાંચ નથી જગાડતું? એ કોઈ એકદેશીય એકમાર્ગી માનવીનો માથાફોડિયો પ્રદેશ નથી. પુરાતત્વને ખોળે તો ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્ય રમી રહેલ છે. પુરાતત્વના કલેજામાં કથાકાર માટે વાર્તાઓ પડી છે. શિલ્પી માટે રૂપ ને રેખાના ખજાના ભર્યા છે. ગણિતનો જટિલ દાખલો ગણવા જેવી એ વાત નથી. પુરાતત્વની વિદ્યા સકલ જીવન વિદ્યાઓની સંજીવની છે. (એજ, પૃ. ૪રર)
{{center|<nowiki>* * *</nowiki>}}
==કલાજગત==
{{color|BlueViolet|'''<big>મારી નજરે</big>'''}}
{{color|OliveDrab|'''~ રવિશંકર રાવળ'''}}
શાંતિનિકેતનમાં મારા જાણવામાં આવ્યું હતું કે શ્રી અવનીબાબુની તબિયત હમણાં બહુ શિથિલ રહે છે અને ભાગ્યે કોઈને મળે છે અથવા બહારની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે. તેમને ૭૧મું વર્ષ બેઠું તેની અભિનંદનસભા ત્યાં થઈ તેમાં પણ જાતે જઈ શક્યા નહોતા. માત્ર તેમના પ્રધાન શિષ્યવર્ગને ઘર આગળ થોડી મધુર વાતચીતની તક મળી હતી. તે મંડળમાં શ્રી નંદબાબુ પણ હતા. એક મિત્રે એ પ્રસંગની બહુ નોંધપાત્ર વાત કહી.


[[File:30. pramodkumar Patel.jpg|right|200px]]
વર્ષો પહેલાં થોડી મજાકમાં શ્રી અવનીબાબુએ શ્રી નંદબાબુને કહ્યું, ‘નંદ, તું મારી ગુરુદક્ષિણા તો આપ; હજુ તેં મને કંઈ નથી આપ્યું. જો તું કંઈ આપવા માગતો હોય તો કાલીઘાટ પર સવારથી જઈને ત્યાં બેસી, ચિત્ર કરી, જનતાને વેચી, એક દિવસમાં જે મળે તે મને આપ.’ નંદબાબુ તો શ્રદ્ધાન્વિતભક્ત શિષ્ય હતા;
{{color|Orangered|<big>વિવેચન વિશે</big>}}<br>{{color|DarkSlateBlue|~  પ્રમોદકુમાર પટેલ}}<br>
[[File:Sanchayan 62 Image 8.jpg|right|300px|thumb|<center>
{{Poem2Open}}
(શ્રી અવનીન્દ્રનાથ ઠાકુર ગુજરત કલાસંઘના ચિત્રો અવલોકે છે. ડાબી બાજુએ  : રવિશંકર રાવળ અને તેમના ચિ. નરેન્દ્ર રાવળ)
કૃતિના સર્જનમાં તન્મય બની ચૂકેલા કવિને કે લેખકને, તત્ક્ષણ પૂરતી તો, તેની આસપાસના વાતાવરણમાં ચર્ચાઈ રહેલા આ કે તે સિદ્ધાંત કે વિવેચનવિચાર સાથે ભાગ્યે જ કશી નિસબત સંભવે છે. કશુંક સ્વયંભૂતાનું તત્ત્વ તેમાં કામ કરી રહ્યું હોય એમ તેને લાગે છે. કવિતા હોય કે વાર્તા, તેનો સર્જક તો પોતાની સંવેદના કે અંતઃપ્રેરણાને જ સચ્ચાઈથી ઓળખવા અને આલેખવા પ્રવૃત્ત થતો હોય છે. કૃતિનો વિધાયક સિદ્ધાંત (Shaping Principle) તેને તેની સંવેદનભૂત વસ્તુમાંથી મળ્યો હોય છે. તાત્પર્ય કે, રચનાની ક્ષણોમાં ભાષાના માધ્યમ સાથે કામ પાડતા સર્જકને તત્કાલ પૂરતો, વિવેચના આ કે તે સિદ્ધાંત કે વાદ સાથે, ભાગ્યે જ કશો સંબંધ રહે છે. પણ, જરા થોભીએ. સર્જનની ઘટના વિશેનું આ જાતનું વિવરણ હકીકતમાં અતિ સરલીકૃત નીવડવા સંભવ છે. કૃતિના નિર્માણમાં પરોવાયેલી સર્જકચેતના જે રીતે ગતિ કરતી રહે છે તે કંઈ હેતુશૂન્ય, પ્ર-વૃત્તિ હોતી નથી. વિશ્વસાહિત્યની મોટા ગજાની કોઈપણ કૃતિના રૂપવિધાનનો ખ્યાલ કરી જુઓ : ફ્લૉબૅરની વાસ્તવાવાદી કથા ‘માદામ બોવરી’ લો, એલિયટની વિશિષ્ટ સંવિધાનવાળી કૃતિ ‘ધ વેસ્ટ લૅન્ડ’ લો, કાફકાની પ્રતીકાત્મક રીતિની ‘ધ કેસલ’, કે બેકેટની બેનમૂન ઍબ્સર્ડ નાટ્યકૃતિ ‘વેઈટિંગ ફોર ગોદો’ લો - દરેકને પ્રાપ્ત થયેલી વિશિષ્ટ આકૃતિ એ કંઈ આકસ્મિક નીપજ નથી. એ દરેક સર્જકને, આગવા રહસ્યબોધને અનુરૂપ, આગવી આકૃતિની અપેક્ષા હતી. સંપ્રજ્ઞ બુદ્ધિથી તેમણે આગવી રીતે એના આકારની માવજત કરી છે. પણ પોતાના રહસ્યાનુભવને સૌથી સારી રીતે વ્યક્ત કરી શકાય એટલા પૂરતો જ એ પ્રશ્ન નહોતો : કળાની જે પ્રવૃત્તિમાં પોતે રોકાયો છે તેનો પરમ આદર્શ શો હોઈ શકે. અથવા પોતાની વિશેષ સંવેદનાને રૂપબદ્ધ કરવામાં કઈ રચનારીતિ સાર્થક ઠરે, અથવા પોતાને અભિમત અર્થો અને મૂલ્યો ભાવકો સુધી શી રીતે સફળતાપૂર્વક સંક્રમિત થઈ શકે- એવા એવા પ્રશ્નો તેમને ઓછેવત્તે અંશે રોકી રહેતા હોય એમ પણ જોવા મળશે. જો કે દરેક સર્જક આવા પ્રશ્નો વિશે હંમેશાં સ્પષ્ટ હોય જ એવું પણ નથી. પણ આખાય યુગ પર છવાઈ જતી પ્રતિભાઓ પોતાની સર્જનપ્રવૃત્તિ નિમિત્તે ઘણી બાજુએથી ચિંતન કરતી હોય છે. ‘પેરિસ રિવ્યૂ’ એ પશ્ચિમના અનેક અગ્રણી લેખકોની જે ‘મુલાકાતો’ ‘The Writers a Work’ના પાંચ ગ્રંથોમાં બહાર પાડી છે, તેમાં દરેક સર્જકની પ્રખર બૌદ્ધિકતાનો સુખદ પરિચય થાય છે. માત્ર પોતાની કળાનિર્માણની પ્રક્રિયા વિશે જ નહિ, પોતાના સર્જનના પ્રેરણાસ્ત્રોતો, રચનારીતિના પ્રશ્નો, સાંસ્કૃતિક/દાર્શનિક પ્રશ્નોનો મુકાબલો, સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ - એમ અનેક દૃષ્ટિકોણથી તેઓ વિચારવિમર્શ કરી ચૂક્યા જણાશે. એ જ રીતે, ‘The Faith of An Artist’ (સં. જ્હોન વિલ્સન) ગ્રંથમાં પશ્ચિમના આ સદીના કેટલાક અગ્રણી લેખકો અને કળાકારોની જે અંગત કેફિયતો રજૂ થઈ છે, તે પણ આ દૃષ્ટિએ ઘણી દ્યોતક નીવડશે. કળા, સમાજ, સંસ્કૃતિ વગેરે વિષયોમાં તેમની મૂલ્યપ્રતીતિ અને માન્યતાઓ તેમાં રજૂ થઈ છે. વિવેચનની પ્રવૃત્તિઓ, મને લાગે છે કે, લેખકોનાં આ જાતનાં મનોવલણોને સંસ્કારવામાં કે તેને ઘાટ આપવામાં, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રૂપેય, મોટો ફાળો આપે છે, આપી શકે છે. હકીકતમાં, જાગ્રત અને જવાબદાર વિવેચન સર્જાતા જતા સાહિત્યના પ્રાણપ્રશ્નોને સતત છણતું રહે છે. સાહિત્યના સિદ્ધાંતો કે વાદોની ચર્ચા કરે છે ત્યારે, કે કૃતિલક્ષી વિવેચનમાં રોકાય છે ત્યારે, કળાનાં ઉચ્ચતર મૂલ્યો સાથે તે પોતાની નિસબત પ્રગટ કરે છે, કરી શકે છે. તાત્પર્ય કે, સર્જાતા સાહિત્યને અનકૂળ બને તેવી Critical Climate ઊભી કરવા તે પ્રયત્નશીલ રહે છે.
</center>]]એટલે બીજે દિવસે વાતનો અમલ કર્યો. આખો દિવસ ઘાટ પર બેસી ચિત્રો કરી વેચ્યાં તેમાંથી પાંચસાત રૂપિયાની રકમ ઉપજી તે લઈને આવ્યા અને ગુરુચરણે ધરી. એ રકમનું પડીકુંવાળી અવનીબાબુએ કોઈએક ઠેકાણે સાચવી મૂકેલું, તે ઉપરના અવસરે ઊઠીને શોધી લાવ્યા અને નંદબાબુને યાદી આપી કહ્યું, ‘લે ભાઈ, તારી ગુરુદક્ષિણાનો સદુપયોગ કરવાનો આજે અવસર મળ્યો છે. આજે તારા વિદ્યાર્થીઓને આ રકમમાંથી મીઠાઈ ખવડાવજે!’
{{Poem2Close}}


{{right|- વિવેચનની ભૂમિકામાંથી}}
શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતઃ-


==નવલકથા - અનુવાદ==
શ્રી અવનીબાબુના વિનોદ અને મૌલિકતાનું એક ઉદાહરણ છે. દરેક પ્રસંગે વ્યક્તિ કે કૃતિ પર તેમના મગજમાંથી કંઈ ને કંઈ નાવિન્ય પ્રગટે છે એવો તેમના પરિચયમાં આવેલા સર્વને અનુભવ થયો છે. પણ મને ઘણાઓએ કહ્યું કે હમણાંહમણાં તેમની તબિયતના કારણે ઘણીવાર મામૂલી વાત પર પણ ખફા થઈ જાય છે, માટે મળવા જવા સારું યોગ્ય સમય માગજો જ. મેં તો અગાઉથી જ પત્ર લખેલો. તેમના સ્વહસ્તે તેનો ટૂંકો પણ ભાવભર્યો પ્રત્ત્યુતર મળ્યો, એટલે બીજા દિવસે સવારે નવ વાગે અમે દ્વારકાનાથ લેઈન જવાની ટ્રામ પકડી.


[[File:Sanchayan 61 - 8.jpg|250px|left]]{{color|Orangered|<big>કન્નડ નવલકથા : ‘ગોધૂલિ’ </big>}}<br>{{color|DarkSlateBlue|~ એસ. એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}}<br>
શ્રી અવનીબાબુ મારે મન કળાના એક અગ્રગામી ઋષિ હતા. તેમને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અભિનંદન રૂપે ગુજરાત તરફથી કંઈક ભાવ પ્રદર્શિત કરવો જોઈએ એવું કર્તવ્યભાન થયું એટલે એક પુષ્પહાર લઈ અમે આઠેકફૂટ પહોળી દ્વારકાનાથ લેઈનમાં પેઠા. જૂની ઢબનું કલકત્તા હજી અહીં જીવંત છે. અંદર જરા દૂર ગયા પછી મોટો ચોક આવે છે. તેની ચારે તરફ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વખતની ઢબની થાંભલાવાળી મોટી હવેલીઓ છે. જમણે હાથે પહેલું જ મકાન શ્રી અવનીબાબુનું છે ને સામેનું મકાન ગુરુદેવ રવીન્દ્રનાથનું છે.
{{Poem2Open}}


લેખકનું નિવેદન :
'''પહેલાં'''
ઈ.સ. ૧૯૬૦ના ઓક્ટોબરથી ઈ.સ. ૧૯૬૭ના અંતભાગ સુધી લગભગ છ વર્ષ માટે મેં સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર) ખાતે વ્યાખ્યાતા તરીકે કામ કરેલું. ત્યારે ખેડા જિલ્લાના ખેડૂતોને તેમની ભેંસોની સંભાળ રાખવામાં, ફળદ્રુપ અને આરોગ્યપ્રદ દાણ પૂરું પાડવામાં, કુત્રિમ વીર્યદાન માટે અને આંચળમાં એક પણ ટીપું ન રહી જાય એ રીતે નળીઓથી દૂધ કાઢવામાં અમૂલ કઈ રીતે મદદરૂપ થાય છે, એ જાણવાની મને જિજ્ઞાસા થયેલી. જો ભેંસને પાડી જન્મતી તો એને માટે માના આંચળમાં થોડુ દૂધ રહેવા દેવાતું, પણ જો પાડો હોય તો ટીપું પણ ન રખાતું. એનું કારણ એ હતું કે પાડી તો ભવિષ્યમાં દુધાળું ઢોર બનવાની હતી. અમૂલે સંખ્યાબંધ પશુરોગનિષ્ણાત તબીબોને નોકરીએ રાખીને એવી ગોઠવણ કરી હતી કે પ્રત્યેક ગામમાં રોજેરોજ એક તબીબની મુલાકાત હોય જ. હું આ તબીબો સાથે મુસાફરી કરતો ત્યારે એમની સાથે આ અંગે ચર્ચા કરતો. એ લોકોના મતાનુસાર ગાય કે ભેંસ માત્ર દૂધ આપનારાં યંત્રો જ છે, જેઓ માનવજાતના લાભ માટે ઘાસનું દૂધમાં રૂપાંતર કરે છે અને પશુરોગવિજ્ઞાન આ પશુઓ પાસેથી ઓછામાં ઓછે ખર્ચે વધારેમાં વધારે લાભ શી રીતે મેળવી શકાય એ માટે માનવજાતને મદદ કરે છે.
આ જાણીને મને એટલી તો પીડા અને વિષાદ થયાં કે એણે મારી કલ્પનાશક્તિને ઉત્તેજી અને એમાંથી ધીમે ધીમે ‘ગોધૂલિ’નું કથાવસ્તુ આકાર પામ્યું. આવી જ હતાશા જન્માવતી વેદનાઓમાંથી ગંભીર સાહિત્ય જન્મતું હોય છે.
પૃથ્વીને તેની સમગ્ર સૃષ્ટિ સાથે હિંદુઓ માતા તરીકે પૂજે છે. જેમ આપણે ધરતીમાતા કહીએ છીએ, એજ રીતે ગૌમાતા પણ બોલીએ છીએ. જ્યાં સુધી આપણા જીવ પર જોખમ ન આવે ત્યાં સુધી આપણે વાઘ કે સાપ સુદ્ધાંને મારતા નથી. રાજાઓ માટે પણ માત્ર મનોરંજન માટે શિકાર વર્જ્ય હતો જ્યારે પ્રજાજનો કે નિર્દોષ પાલતું પ્રાણીઓ પર હુમલા થતા ત્યારે જ રાજાઓનો એ પ્રાણીઓના વધની પરવાનગી હતી. જૈન સંપ્રદાય તો અહિંસાનું અત્યંત સૂક્ષ્મતાથી પાલન કરે છે. અહિંસા અને કરુણા સંદર્ભમાં જૈન સંપ્રદાય હિંદુ ધર્મનો વિસ્તૃત પ્રવાહ છે.
યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે ધર્મો એવું માને છે કે ઈશ્વરે આ પૃથ્વી માણસને સવલતો પૂરી પાડવા માટે રચી છે, જેમાં તમામ જીવસૃષ્ટિ, વનસ્પતિ અને જમીનનો સમાવેશ થઈ જાય છે. આ બધું માનવજાતના ઉપભોગ માટે જ છે. જ્યાં સુધી દૂધ આપી શકે ત્યાં સુધી ગાયનો ઉપયોગ દૂધ માટે થાય છે, પછી એનું માંસ ખાવા તથા જૂતાં બનાવવા માટે એનું ચામડું ખપમાં લેવાય છે.
વાછરડાંની કુમળી ચામડી શ્રીમંત સ્ત્રીઓના પર્સ-હેન્ડબેગ બનાવવા માટે વપરાય છે. મૂડીવાદીઓ અને સામ્યવાદીઓ બંનેએ આર્થિક સમૃદ્ધિ માટે પૃથ્વીને સતત લૂંટી જ છે.
ઈ.સ. ૧૯૭૭માં મેં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝલેન્ડ, ઈટાલી અને સ્પેનને આવરી લેતો ૨૫ દિવસનો પશ્ચિમ યુરોપનો પ્રવાસ કર્યો હતો. અંગ્રેજીભાષી દેશો જેવા કે બ્રિટન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સરળતાથી શાકાહારી ભોજન મળી રહે છે. જ્યારે અહીં મારે રોજરોજ સવાર, બપોર, સાંજ અંગ્રેજી ઉપરાંતની આ બધા દેશની ભાષા બોલી શકતી મારી ગાઈડની મદદ લેવી પડતી હતી. એને બાપડીને મારા સિવાયના બીજા ૩૯ પ્રવાસીઓને પણ સાચવવાના હતા. ત્રીજે દિવસે એ મારી પાસે આવી, આપણી સાથે એક ઓસ્ટ્રેલિયન કુટુંબ છે, જે શાકાહારી છે. વળી, પ્રવાસી માર્ગદર્શિકાની મદદથી કામચલાઉ અન્ય ભાષાઓમાં વાત પણ કરી શકે છે. ‘મેં એમની સાથે વાત કરી છે અને તેઓ રોજ તમારી સાથે ભોજનના મેજ પર બેસવા રાજી છે,’ એ ત્રણે ગોરાઓ હતા, ૪૫ વર્ષનાં પતિ-પત્ની અને એમની દીકરી સોળ વર્ષની હતી. બીજા દિવસે મેં એમને પૂછ્યું. ‘મારા કુતૂહલ વિશે માફ કરજો, પણ તમે ત્રણેય શાકાહારી કેમ છો?’ એ ભાઈ જરા શાંત રહ્યા પછી સ્મિત આપીને એમની દીકરી તરફ આંગળી ચીંધી અને કહે, ‘આ બધું એના પ્રતાપે શક્ય બન્યું છે.’ હું એની તરફ ફર્યો. એણે સ્મિત આપ્યુંં. પછી એના પિતાએ આખી વાત કરી.
દીકરી જ્યારે છ વર્ષની હતી ત્યારે એણે રૂપકડું નાનકડું ઘેટું પાળેલું. એ એને વહાલ કરતી, તેડતી, એની સાથે રમતી અને રાતે પોતાની જ પથારીમાં સુવાડતી. એક દિવસ એ શાળાએ ગયેલી અને પત્નીએ પતિને જમવામાં શું બનાવું તે પૂછ્યું પતિએ કુમળું માંસ ખાવાની ઇચ્છા બતાવી. પત્નીએ કહ્યું, ‘તો બજારમાં જઈને લઈ આવો, પણ એમ કરવામાં મોડું નહીં થઈ જાય?’ ‘તો પછી આપણે ત્યાં નાનું ઘેટું છે જ.’ ‘તો એને કાપી આપો. તમે તો કાપવામાં નિપુણ છો.’ પતિએ ધારદાર છરી લીધી. બચ્ચા ને બે પગ વચ્ચે પકડીને ગળેથી રહેંસી નાખ્યું. પત્નીએ સ્વાદિષ્ટ ભોજન રાંધ્યું. બંનેએ પેટ ભરીને ખાધું.
શાળામાં રમી-ભણીને થાકેલી દીકરી સાંજે ઘરે આવી ત્યારે બરોબરની ભૂખી થયેલી, દફતર ફંગોળીને જમવાનું માગ્યું. પેટ ભરીને ખાધા બાદ પોતાના ઘેટાને રમાડવા પાછળ વાડામાં અને આખા ઘરમાં ફરી વળી, પણ ક્યાંય મળ્યું નહીં. એટલે માને પૂછ્યું, ‘મમ્મી, મારું ઘેટું ક્યાં છે?’ માએ કહ્યું, ‘તારા પેટમાં.’ મારા પેટમાં કેવી રીતે હોય? મજાક ન કરો. તમે એને ક્યાંક સંતાડી દીધું છે. જલદી કહોને ક્યાં છે? મારે એને વહાલ કરવું છે.’ માને હવે ભાન થયું કે એ લોકોએ કેવી મોટી ચૂક કરી છે. એમને કેમ એ વખતે સમજાયું નહીં કે દીકરી પર આની કેવી અસર થશે? એ ધ્રૂજી ઊઠી. ત્યાં પિતા આવ્યા અને દીકરીને આખી વાત સમજાવી. ‘તમે એને મારી જ કેમ શક્યા? તમે એનું ગળું રહેંસ્યું? અને લોહીથી તરબોળ કરી દીધું? તમે બંને કસાઈ છો, તમે, તમે, તમે બંને...’ અેનો અવાજ રૂંધાવા લાગ્યો. મોં ખુલ્લું જ રહી ગયું. ધ્રુસકું ગળામાં અટકી ગયું. એ અવાક્ થઈ ગઈ.
માએ દાક્તરને ફોન કર્યો. દાક્તર દોડી આવ્યા. રૂંધાયેલો શ્વાસ ચાલુ થયો. એણે પિતાને મારવા માંડ્યું. પિતાએ પોતાના અપરાધની સજા સ્વીકારી લીધી, પણ ત્યાં તો દીકરી બેભાન થઈ ગઈ. એને દવાખાનમાં દાખલ કરવી પડી. મનોવૈજ્ઞાનિકની ચિકિત્સા શરૂ થઈ, પણ એ જ્યારે જ્યારે બોલે ત્યારે માંસ, લોહી, ખૂન, ચામડી એવા જ શબ્દો એના મોઢામાંથી નીકળતા હતા. માતાપિતાએ શાકાહારી બનવાનો નિર્ણય કર્યો. દીકરીને પણ એની જાણ કરી અને ધીમે ધીમે તે સાજી થવા લાગી. એના પિતાએ મને જણાવ્યું કે, ‘ઓસ્ટ્રેલિયામાં ઘણા ભારતીયો છે અને મોટા ભાગના શાકાહારી છે. અમે એવા પરિવારોનો સંપર્ક કરીને વિવિધ શાકાહારી વાનગીઓ બનાવતાં શીખ્યાં છીએ. વાસ્તવમાં માંસાહાર કરતાં શાકાહારમાં વાનગીઓની વિવિધતા વધારે છે.’
મેં સોળ વર્ષની દીકરીના મોં તરફ જોયું. ત્યાં સૌમ્ય શાંતિ ફેલાયેલી હતી.
આ ઉપરાંત એક અન્ય પરિબળે આ નવલકથા લખવામાં મને સહાય કરી છે, એ છે છેલ્લા શતકમાં ભારતીય સમાજવ્યવસ્થામાં આવેલાં ધરખમ પરિવર્તનો, બ્રિટિશ શાસન પછી વૈવિધ્ય ધરાવતા ભારતીય સમાજમાં ધરમૂળથી ફેરફારો થયા છે. કુટુંબવ્યવસ્થા, વ્યક્તિઓના પારસ્પરિક સંબંધો, રીતરિવાજો, જાહેર સંક્રમણનાં સાધનો, શિક્ષણપ્રથા, પરિવહનનાં વાહનો, વગેરેમાં અનેક નવતર પરિબળોનું આગમન થયું છે. કેટલુંક લુપ્ત થવા લાગ્યું છે, કેટલુંક ભૂંસાઈ ગયું છે. પ્રાણીઓનું સ્થાન યાંત્રિક વાહનો અને માનવ-સહાયકોનું સ્થાન વીજળીથી ચાલતાં યંત્રોએ લીધું છે. પરિવારના પારસ્પરિક સંબંધો સંકોચાવા લાગ્યા છે. ખોરાક, પહેરવેશ, રહેણીકરણી, ભાષા બધું જ બદલાઈ ગયું છે. સમાજનો એક વર્ગ પ્રાચીન જીવનપધ્ધતિ અને પરંપરાને વફાદારીથી વળગી રહ્યો છે. એ અંગેના એમનાં વિચારો, માન્યતાઓ, ગમા-અણગમાઓ અત્યંત સ્પષ્ટ છે. કાલિંગ ગૌડા, તાયવ્વા, વેંકટરમણ, યંકટા વગેરે આ વર્ગનું પ્રતિનિધિત્વ કરતાં પાત્રો છે. સામે પક્ષે એક વર્ગ એવો છે કે જે કાં તો પરદેશથી આવ્યો છે અથવા પરદેશી જીવનશૈલી અને વિચારધારાથી પ્રભાવિત છે, જે સરકારી વ્યવસ્થામાં, અધિકારી તરીકે જોડાયેલો છે, જેને સંસ્કૃતિ કે પરંપારિત વિચારધારા સાથે કોઈ જ નિસબત નથી. આ વર્ગ બૌદ્ધિકતાનું સમર્થન કરે છે, યંત્ર-ટેકનોલોજીના ઉપયોગ સાથે નવીન જીવનશૈલીનો સ્વીકાર કરે છે. આ વર્ગમાં મામલતદારો, પોલીસ અધિકારી, ડેપ્યુટી કમિશ્નરો, અધિકારીઓ તથા ખાસ તો અમેરિકન યુવતી હિલ્ડાનો સમાવેશ થાય છે. જે સમસ્યા સર્જાઈ છે તે વચ્ચે રહી ગયેલા વર્ગની છે. એને નવીન સુવિધાઓ જોઈએ છે, પરંતુ અર્ધજાગ્રત મનમાં પરંપરા અને રીતરિવાજો સાથે એ મજબૂત ગાંઠથી જોડાયેલો છે જેનાથી અળગું થવું અઘરું છે. પરિણામે ચોમેર ઊડતી ધૂળ વચ્ચે એ પોતાનો માર્ગ શોધી શકતો નથી. પુટ્ટુ-કાલિંગ આ વર્ગનો પ્રતિનિધિ છે. એની એકલતા, છિન્ન મનોદશા અને બે વર્ગ તરફનું એનું ખેંચાણ આ નવલકથાનું મુખ્ય ચાલકબળ છે.
મરાઠી અને હિંદી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત ‘ગોધૂલિ’ ગુજરાતી ભાષામાં ઊતરી રહી છે, એનો મને આનંદ છે. મારી અન્ય કથાઓની જેમ ગુજરાતી વાચકો આને પણ સ્વીકારશે, એવી આશા છે.
{{Poem2Close}}
{{right|નવલકથાનો ગુજરાતી અનુવાદ - મીનળ દવે<br>(અરુણોદય પ્રકાશન : અમદાવાદ - ૧)}}<br><br>


{{color|Orangered|<big>‘ગોધૂલિ’ : પરિચય</big>}}
૧૯૨૦માં હું પૂર્વના પ્રવાસે ગયો ત્યારે આ ગલીમાં આવેલો. એ વખતે શ્રી અવનીન્દ્રનાથ કલકત્તા કલાશાળાના અધ્યાપકપદેથી તાજા નિવૃત્ત થયા હતા, પણ તેમણે સ્થાપેલી ઓરિએન્ટલ આર્ટ સોસાયટી આબાદીની ટોચ પર હતી. સમવાય મૅન્શનના એક વિશાળ માળ પર તેના અભ્યાસખંડો, બેઠકો ને ગ્રંથાલય જોઈ હું છક્ક થઈ ગયો હતો. તેમના ઘરનો પણ આગળનો વૈભવ અને ભભકાની છટા ઔર હતાં. દેશદેશાવરના કલાકારો અને કલારવિંદો તેમને ઘેર મહેમાન થતા યા મુલાકાતો લેતા, અને હિંદ તેમજ બહારનાં પત્રોમાં તેમના નિવાસનું તેમજ તેમની કલામય વિનોદી પ્રકૃતિનું અને તેમના બંધુ શ્રી ગગનબાબુનું રંગદર્શી વર્ણન પ્રસિદ્ધ થતું. ઘરમાં પ્રવેશ કરતાં, દાદરના કઠેડાથી શરૂ કરી દીવાલો, ગોખ ને બારસાખો ઉપર તથા ખંડેખંડમાં તેમણે પૌરસ્ત્ય કળાની પ્રતિમાઓ, ચિત્રો અને રચનાઓથી ઘરમાં કંઈક મુઘલાઈ, કંઈક રાજપૂત, કંઈક તિબેટન ને પ્રાચીન સંસ્કૃતિઓનું સંગીત ઊભું કર્યું હતું. પાછળની વિશાળ પરસાળમાં એ બંને કલાકારભાઈઓની નિરંતર બેઠક રહેતી અને થોડેથોડે [[File:Sanchayan 06-2024 Image 10.jpg|left|thumb|300pxx|<center>આ સાથે વર્ણવેલી મુલાકાતને દિવસે દોરેલો શ્રી અવનીબાબુનો સ્કેચ.</center>]]`અંતરે આરામ ખુરશીઓ પર બેઠા નવાબી હુક્કાની લાંબી નળીઓ મોંમાં રાખી પોતાનાં ચિત્ર સર્જનો કર્યે જતા. અંદરના એક મોટા ખંડમાં વચ્ચોવચ જમીન પર નીચી બેસણીની પાટ પર મોટા ગાદીતકિયાની બેઠકો હતી, અને બારીઓ તથા દીવાલો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનાં ઊંચા અને મોટાં માપના હતાં છતાં તેનું એ રૂપ ઢાંકવા અહીંતહીં મુઘલ વેલપત્તીઓ કે બારીઓમાં ગુપ્તકાળની છાંટવાળી લાકડાંની રચનાઓ કરી હતી. ભીંત ઉપર અને ખૂણાઓમાં શ્રી અવનીબાબુએ તેમજ તેમના જાપાની કલાકાર અતિથિએ દોરેલાં નાનાંમોટાં ચિત્રો ઔચિત્યપૂર્વક ગોઠવ્યાં હતાં. એકએક ખંડ નવી દૃષ્ટિ, અભ્યાસ અને સંશોધનના પરિપાકની સર્વાગ પૌરસ્ત્ય સ્વરૂપ અને સુગંધ અર્પતો હતો. ઘણાનું અનુમાન હતું કે તેમણે એકઠી કરેલી એ કળાસમૃદ્ધિ બેથી અઢી લાખ ઉપર પહોંચી હતી! આખા ઘરમાં દરેક ખંડ તરુણો, બાળકો ને યુવતીઓથી ભર્યોભર્યો લાગતો હતો. શ્રી અવનીબાબુની સુદૃઢ ઊંચી કાયા અને તબિયતભર્યા સ્મિતવાળી આંખની ચમક ને હોકાની લહેર તેમને એક અનેરૂં વ્યક્તિત્વ આપે છે. અનેક વિદ્વાનો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાથેના એમના વાર્તાલાપો કલ્પનાતરંગ અને મૌલિકતાથી નોંધપાત્ર બન્યા છે. હિંદનાં સાહિત્ય, સંગીત અને કલાને મોરચે રહેનાર આ ભવ્ય પુરુષને સર્વશ્રેષ્ઠ કલાનાયકની પદવી આપવામાં યુનિવર્સિટી ને સરકારે એકમતે સહકાર આપ્યો હતો.
{{Poem2Open}}


એસ. એલ. ભૈરપ્પાની કન્નડ નવલકથા ‘તબલ્યું નિનાદે મગ્ને’ ઈ.સ. : ૧૯૬૮માં પ્રકાશિત થઈ, જેના પરથી ઈ.સ. : ૧૯૭૭માં હિંદીમાં ‘ગોધૂલિ’ ચિત્રપટ ઊતર્યું હતું. ભૈરપ્પા ભારતીય કથાસાહિત્યમાં આદરપાત્ર સ્થાન ધરાવે છે. બે વિચારધારા, બે પેઢી, બે મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ એમના કથાસાહિત્યમાં વિશેષપણે આલેખાતો રહ્યો છે. સદીઓથી ભારતીય પ્રજાએ પ્રાણીમાત્ર માટે સ્નેહભાવ અને સમભાવ દાખવ્યો છે તથા પ્રકૃતિનાં તમામ પરિબળોને જીવનના અભિન્ન અંગ તરીકે સ્વીકાર્યાં છે. પરંતુ છેલ્લી બે સદીથી અંગ્રેજી શાસનના પ્રભાવથી ભારતીય માનસિકતા બદલવા માંડી હતી. વળી વિદેશી સંપર્કોને પરિણામે ઉપયોગિતાવાદ અને ઉપભોક્તાવાદ જીવનમાં કેન્દ્રસ્થાને આવી ગયાં. દૂધ-ઉત્પાદકો માટે એમના દૂધાળાં પશુઓ સ્વજન મટીને કમાણીનું સાધન બની ગયાં. વલ્લભવિદ્યાનગરમાં થોડાં વર્ષો અધ્યાપન કરનાર લેખકે આ બદલાયેલી પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છે. સાથે સાથે બે પેઢી, બે વિચારધારા વચ્ચે ચાલતા ઘર્ષણના પણ તેઓ સાક્ષી રહ્યા છે. એમણે સંક્રાન્તિકાળના ત્રિભેટે ઝૂલતાં પાત્રોના સંઘર્ષને આ નવલકથામાં મૂર્ત કર્યો છે. આ નવલકથામાંથી પસાર થતાં વાચકને આ જ રીતે બે વિચારધારાઓની વચ્ચે ફંગોળાતા ભગવતીકુમાર શર્માની નવલકથા ‘સમયદ્વીપ’ના નાયકની યાદ અચૂક આવશે.
દેશપરેદશમાં હિંદી કલાનો ધ્વજ ચડાવનાર અવનીબાબુ એક વખતે પાકા યુરોપી ઢબની અદાથી ચિત્રો કરતા, પણ ૪૫ વર્ષની અવધે તેમણે એ અંચળો ફગાવી દઈ માતૃભૂમિના જીર્ણ કલામંદિરનો ઉદ્ધાર કર્યો અને આજે શિષ્યપરંપરાએ કંઈ નહિ તો ૨૦૦૦થી વધુ પૂજારીઓને એ મંદિરની દીક્ષા મળી ચૂકી હશે. મેં પણ જૂના મોર્ડન રિવ્યુમાંથી એમની કલાકૃતિઓને આદર્શ પાઠો માની હતી.
{{Poem2Close}}
{{right|(અનુવાદકઃ મીનળ દવે)}}<br>


==કલા જગત==
'''આજ (૨૩-૯-૪૧)'''
[[File:Sanchayan 06-2024 Image 11.jpg|right|thumb|200px|<center>૨૧ વર્ષ પર ૧૯૨૦માં પહેલી મુલાકાત વખતે દોરેલો સ્કેચ.</center>]]


{{color|Orangered|<big>ચિત્રકળામાં શ્રમિકો  </big>}}<br>{{color|DarkSlateBlue|~ કનુ પટેલ}}<br>
એમની ઉત્તરાવસ્થાએ એમના સફળ જીવનને અભિનંદન આપવાનો ધન્ય અવસર મને પ્રાપ્ત થયો છે એ વિચારથી હું મનમાં ભાવ ને પ્રસન્નતા ધારણ કરી એમના ઘરમાં પ્રવેશ્યો. જે બારણા આગળ એકબે ચમકતી મોટરો હતી, પાંચસાત દરવાનો હતા એ ઘરમાં આજે સૂનકાર શાંતિ હતી. નવ વાગ્યા હતા છતાં અમે વહેલાં પહોંચ્યા કે શું એવી શંકા થઈ. અંદરના પેલા જાણીતા દાદર પર ચડી ઉપલે માળે બારણા આગળ જરા અવાજ કર્યો એટલે એક નોકર આવ્યો. તેને નામની ચિઠ્ઠી આપી. દરમિયાન ચોમેર નજર કરી તો મારું પૂર્વનું ચિત્ર બધું અલોપ થએલું લાગ્યું.


{{Poem2Open}}
દાદર, કઠેરો, ભીંત અને ખંડો, જાણે ઘર ખાલી કરી રહેનારાં ચાલ્યા ગયાં હોય એવાં અડવાં બની ગયાં હતાં. ચિત્ર, મૂર્તિ, ફર્નિચર કે કોઈ ચીજ ક્યાંયે દેખાઈ નહિ. મને ખબર મળ્યા હતા કે તેમણે પોતાનો સર્વ કલાસંગ્રહ વેચી નાખ્યો છે અને કોઈ કૌટુંબિક આપત્તિને કારણે આ ઘરનો પણ ત્યાગ કરવાના છે. પણ રીતે ધર્મશાળા જેવું ખાલીખમ અને નિઃસ્તબ્ધ વાતાવરણ જોઈ મને બહુ ભીતિ લાગી કે તેમની તબિયતના શા હાલ હશે. નોકર થોડી વારે પાછો આવ્યો અને પાછો નીચે પાછળની મોટી પરસાળમાં લઈ ગયો. ત્યાં બીજે છેડે માત્ર બગીચામાં હોય એવા એક પાટ ઉપર એમની પલાંઠી મારેલી મૂર્તિ દૃષ્ટિએ પડી અને મારી કલ્પનામાંયે નહોતી એવી પરિચિત તેમની અસલ લહેરથી મને પાસે બોલાવ્યોઃ ‘આવો આવો; પાસે બેસો. મારો એક પૌત્ર બીમાર હતો તેની સારવાર માટે રાત્રે ઉજાગરો થએલો, એટલે હમણાં ઊઠ્યો છું. હવે નિરાંતે વાત કરો. મેં પ્રથમ તો તેમને હાર પહેરાવી વંદન કર્યું. એથી તેમની પ્રસન્નતા વધી. કોઈ ઓલિયા ફકીરની બેપરવાઈથી બાદશાહી ઢબે તેમણે તો વાત ઉપાડી, થોડી વારે નોકર તેમના માટે ચા અને ટોસ્ટ લઈ આવ્યો. અમને પૂછ્યુંઃ તમે કંઈ લેશો?પણ અમે બધું પતાવી આવેલા તે વાત કરી એટલે આગ્રહ લંબાવ્યો નહિ. મોટા પરિવાર ને સંપત્તિવાળા વૃદ્ધને શાંતિથી એક પ્યાલો ચા અને બ્રેડ પતાવી ધીરેથી એક મોટું પાન ગાલમાં ચડાવી દેતા જોયા ત્યારે લાગ્યું કે એમને બહારના ભરતીઓટની જરા યે પરવા નથી. તે તો પોતાની કલ્પના અને કલાવૃત્તિની લહેરમાં સદા મસ્ત છે અને રહેવાના.
ભારતીય ચિત્રકળાનો મૂખ્ય મર્મ તો સાધના રહ્યો છે. ધર્માશ્રયે અને રાજ્યાશ્રયે ઉછરેલી આ કળામાં જ્યારે લોકજીવનનું ઉમેરણ થયું ત્યારે તેમાં ઘણા નવા વિષયો આવ્યા. ભારતીય ચિત્રકળાની શરૂઆત ભીમબેટકાનાં ભીંતચિત્રોથી જોવા મળે છે. જ્યારે ભાષાનું કે સભ્યતાનું પોત બંધાયું ન હતું ત્યાર પહેલાં આદિમાનવે ચિત્ર કરવાનું શરૂ કરેલું. ત્યારબાદ ભારતીય કળાના સુવર્ણ યુગ તરીકે ઓળખાતી ગુપ્ત કળાનું અનુસંધાન મળે છે. જેમાં અજંતા, બાદામી અને સિત્તનવાસલ જેવી ગુફાઓનાં બૌદ્ધ ધર્મને લગતાં ચિત્રોનો અમૂલ્ય વારસો આપણને મળ્યો છે. જેમાં રામાયણ અને મહાભારતના વિષયો ઉપરાંત જાતક કથાઓ અને પંચતંત્રની કથાઓનાં ચિત્રો જોવા મળે છે.
ત્યારબાદ મુસ્લીમ સામ્રાજ્યમાં ઈરાન અને પર્શિયાથી આવેલા ચિત્રકારો રાજદરબાર અને પ્રકૃતિનાં ચિત્રો કરે છે; અને જ્યારે વસાહતી સામ્રાજ્ય સ્થપાય છે ત્યારે પશ્ચિમથી આવેલા ચિત્રકારો લોકજીવનના અનેક પ્રસંગોનાં ચિત્રો કરે છે. જેમાં ભારતીય જીવનના નાના વ્યક્તિગત વિષયો ઉપરાંત ભારતીય રહન-સહનનાં ચિત્રો કરે છે. તેનો પ્રભાવ ભારતની લોકશૈલી ખાસ કરીને પટુઆ અથવા કાલીઘાટીની શૈલી પર પડે છે. જેમાં વસાહતી પ્રભાવ હેઠળ ધાર્મિક ચિત્રો સિવાય અન્ય વિષયો પણ ચિત્રકારો ચિતરે છે. આ વિષયાંતર માટે બંગાળ સ્કૂલનો પણ ઘણો મોટો ફાળો રહ્યો છે. ભારતીય નવ્યપરંપરાની શોધમાં અજંતાની શૈલીએ નવા વિષયોનું અવતરણ અવનીબાબુ, નંદલાલબોઝ, અસિતકુમાર હલદર, ક્ષિતિન્દ્રનાથ મજમુદાર, રામકીંકંર બૈજ જેવા ચિત્રકારો કરે છે. તેનો પ્રભાવ સમગ્ર ભારતની ચિત્રકળામાં ઝીલાય છે.
[[File:Sanchayan 61 - 9.png|center|700px]]
<center><small>વસાહતી કાળ</small></center>
આ ઉપરાંત પણ અનેક ચિત્રોમાં શ્રમજીવીઓને ચિતરવામાં આવ્યા છે. ચિત્રકળામાં કામ કરતા કળાકારો જીવનના મૂળ તત્વને પકડવાનો જ્યારે પ્રયાસ કરે છે ત્યારે જીવનનો લય જેટલો ‘શ્રમ’ કરતાં પાત્રોમાં જોવા મળે તેટલો અન્ય જોવા મળતો નથી. હા, સૌંદર્યબોધ તરીકે ઐતિહાસિક, પૌરાણિક કે આધુનિક ચિત્રકળાના વિષયોમાં વૈવિધ્ય હોય છે. પરંતુ જ્યારે સામાન્ય જનજીવનને ચિત્રાંકિત કરવાનું હોય ત્યારે ‘શ્રમ’ અને ‘શ્રમિકો’ ખૂબજ સુંદર રીતે ચિત્રકારો એ પોતાની કળા કૃતિઓમાં કંડાર્યાં છે. દૃશ્યચિત્રો એ પણ જાણે નૈસર્ગિક સમૃદ્ધિ અને સૌંદર્યનો પર્યાય ગણાય છે. પ્રસ્તુત લેખમાં ગાંધીયુગીન અથવા એમ કહીએ કે ગાંધી પ્રભાવ હેઠળ ગુજરાતના મુખ્ય કળાકારો એ શ્રમજીવીઓનો વિષય લઈને ચિત્રો કર્યા તેની વાત કરી છે, ચિત્રકળામાં ખાસ કરીને કળાગુરુ રવિશંકર રાવળની પ્રેરણાથી તેમના શિષ્યો દ્વારા ગુજરાતમાં જે રીતે કળાનું સિંચન અને સંવર્ધન થયું તે સમયગાળાને ધ્યાને રાખી તેમાંથી થોડીક ચુનીંદી કૃતિઓનું અહીં વિવરણ કર્યું છે.
ગુજરાતમાં અને ખાસ કરીને વીસમી સદીના ઉતરાર્ધમાં રવિશંકર રાવળના પ્રભાવ હેઠળ જે ચિત્રકારોએ ગાંધી યુગ અને સ્વતંત્રતા આંદોલનનો સ્પર્શ પામીને જે વિષયો પર ચિત્રકળા કરી તેનો ચિતાર મેળવીએ તો આપણને ખ્યાલ આવશે કે સામાજિક જીવન અને લોકજીવનના વિષયોને પોતાનાં સર્જનોમાં ખાસ કરીને ચિત્રકલાના સર્જનમાં કેવી રીતે ગુંથ્યાં હતાં. અને તેમાંય વળી ગાંધીજીના આચાર અને વિચારનો પ્રભાવ ચિત્રકળા પર કેવો હતો તેનો આપણને આછોતરો ખ્યાલ આવશે.
ગાંધીજીએ જ્યારે ચંપારણ્ય આંદોલન કર્યું ત્યારે સમગ્ર સમાજનું ધ્યાન શ્રમિકો પર ગયું. તેના પ્રભાવ હેઠળ ચિત્રકારોએ પણ આ “શ્રમિકો” વિષયવસ્તુ સાથે સર્જન કર્યું. ગુજરાતના કેટલાક નામી ચિત્રકારો એ “શ્રમિક” વિષય સાથે કરેલાં ચિત્રોની માંડીને વાત કરીએ. તે પહેલાં કળાગુરુ રવિશંકર રાવળે ઉચ્ચરેલાં આદિ વચનને યાદ કરીએ તેમણે કહ્યું હતું કે, “ગાંધીયુગે સમાજના કાંઈક ઉપેક્ષિત જનો માટે ઉચ્ચકોટિનાં અભ્યાસ, જ્ઞાન, ધંધા, જીવન પ્રણાલી તેમજ પદવીઓ માટે દ્વાર ખોલી દીધાં હતાં.” આમ દરેક ક્ષેત્રમાં ગાંધી વિચાર અને વર્તનનો પ્રભાવ જોવા મળતો તો પછી ચિત્રકળા તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે. કલાગુરુ રવિશંકર રાવળનું એક ચિત્ર વલ્લભ વિદ્યાનગરની ફાઈનઆર્ટસ કોલેજની આચાર્ય કચેરીમાં દર્શનીય છે. તે ચિત્રનું નામ છે. “ભારત સૌભાગ્ય” તે મૂળ ચિત્ર કરતાં પહેલા જે વૉટર કલરમાં સ્કેચ બનાવ્યો તે સરદાર પટેલ યુનિવર્સિટીના મ્યુઝીયમમાં છે. આ ચિત્રના સંયોજનમાં જે પાત્રોનો ઉપયોગ કર્યો છે તે વિશે જાણીએ તો તેમાં કેન્દ્ર સ્થાને ભારતમાતા છે, તેને વસ્ત્ર પહેરાવતું પાત્ર છે તે વણકર છે, ચિત્રની ડાબીબાજુએ એક સ્ત્રી રેટિયો કાંતે છે, તેની પાસે ટોપલી લઈને શ્રમિક કન્યા ઉભી છે. તેની પાસે ખોળે બાળક સુવડાવીને કાપડામાં ભરત ભરતી સ્ત્રી છે, ભારતમાતાના ચરણોમાં ધનધાન્ય અને ફળો મૂકતો ખેડૂત છે, ચરણોમાં શસ્ત્રો ધરતો ક્ષત્રિય છે, સાધુ છે, વણિક એક થાળમાં ઝવેરાતની થાળી લઈને ઊભો છે, ગાય સાથે એક ગોવાલણી પણ છે, હાથી અને મોર છે. કેન્દ્રમાં વટવૃક્ષ છે તેની નીચે બધાંજ પાત્રો ગોઠવાયેલાં છે. આ ચિત્રથી આપણે વાતની શરૂઆત એટલે કરીએ કે ગાંધીજી જે ગ્રામ જીવનની કલ્યના કરતા તે અહીં કલાગુરુએ સાકાર કરી છે પ્રકૃતિની સાથે ભર્યું ભર્યું સુખ અને આનંદ પૂર્વકનું શ્રમજીવન. એમ કહી શકાય કે,
[[File:Sanchayan 61 - 10.jpg|center|700px]]
<center>જનની ખોળે ઉછળે ચેતનની લીલાના હાસ્ય<br>તે ભારતદેવીને ચરણે ધરે સંતતિ રસ-સૌભાગ્ય.</center>
આ ભૂમિકા પછી અન્ય ચિત્રકારોનાં ચિત્રો વિશે વાત કરીએ જે ચિત્રોનો વિષય ‘શ્રમિકો’ રહ્યા હોય.
[[File:Sanchayan 61 - 11.jpg|right|200px]]
ચિત્રકાર એન. એસ. બેન્દ્રે (૧૯૧૦-૧૯૯૨)ના ચિત્રોમાં લોકજીવનની વિશેષતાઓ અને પ્રસંગો આગળ પડતાં હોય છે. નદી કિનારા, કૂવા, ઘાટો, મંદિરો, બજારો, દુકાનો, શાકભાજી વેચનારા, પરબ, કરગઠિયાં વીણતી ગ્રામનારીઓ વગેરે તેમની પીંછીની સૃષ્ટિ છે, તેઓ વારંવાર કહેતા કે ચિત્ર આંખોથી નહીં પણ મનથી જોવું જોઈએ. તેમણે “હિમાલયનું ચા-ઘર” એક ચિત્ર કર્યું છે. એક નાની હિમાલયની પહાડીઓમાં ચાની દુકાનનું સંયોજન ખૂબજ સુંદર છે. જેમાં પાત્રોના થાક અને ભાવ સરસ રીતે ઝીલાયા છે. કાઠિયાવાડની કુંભાર સ્ત્રીઓના ચિત્રમાં માથે ટોપલામાં ખૂબ માટલાં ભર્યાં હોય અને તેના ભારથી લચકાતી ચાલે ચાલતી સ્ત્રીઓમાં લયાત્મક રેખા દ્વારા સુંદર છંદગતિ પીંછીના લસરકાઓમાં ઉતરી છે. બેન્દ્રે હંમેશાં કહેતા કે “કલાકાર જે સમાજમાં રહે છે એ સમાજ પ્રત્યે એનું ઋણ છે, અને મને લાગે છે કે કલાકારનાં સર્જનોનો અાસ્વાદ એ સમાજ પામે, પોતાનાં સર્જનોનો ભાગીદાર એ સમાજ બને એ જોવાનું કલાકારનું કર્તવ્ય છે” સૌરાષ્ટ્રનું માલધારી જીવન અને રાજસ્થાનના લોકજીવન ઉપરાંત મહેનતું ગ્રામનારીઓ તેમના ચિત્રોનો વિષય રહી છે. તેમનું ક્યુબીક શૈલીમાં ‘ભરવાડણ’ નામનું ચિત્ર તેમના સંયોજનની ખૂબી છે, ચોખા છડતી સ્ત્રીઓ, ઝાબુઆના ભીલ, ચારાનો સમય, કમળ વેચનારીઓ, હાથશાળ પર કામ કરતી સ્ત્રીઓ, રાજકોટનો રમકડાં બનાવનાર પોઈન્ટાલીઝમની ઉત્તમ કૃતિઓ છે. તેમનાં સંયોજનોની સરળતા અને તેનો સૌંદર્યબોધ આધુનિક ભારતીયકળાનું શ્રેષ્ઠ સોપાન છે. ગુજરાતમાં વડોદરા ફાઈન આર્ટસ્ ફેકલ્ટીમાં વર્ષો સુધી સેવાઓ આપી અનેક સર્જનો કર્યાં.
[[File:Sanchayan 61 - 12.png|center|700px]]
કનુ દેસાઈ (૧૯૦૭-૧૯૮૦)નું નામ ગુજરાત માટે જરાય અજાણ્યું નથી. કલાક્ષેત્રે એમણે ગુજરાતને અનેરું સ્થાન અપાવ્યું છે અને વિદેશમાંય નામના મેળવી છે. તેમનાં ચિત્રો વિશે વાત કરતાં પહેલાં મારે અહીં તેમના જીવનનો એક પ્રસંગ ટાંકવો છે. શાંતિનિકેતનથી અમદાવાદ આવીને પૂર્વ શરત પ્રમાણે એમણે ત્રણ વર્ષ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં સેવા આપી. બીજે જ વર્ષે ગાંધીજીએ ૧૨મી માર્ચે-જોગાનુંજોગ કનુ દેસાઈના જન્મ દિવસે-દાંડી યાત્રાની શરૂઆત કરી. કનુભાઈ એ યાત્રાને ચિત્રાંકિત કરવા એમાં જોડાયા પણ પોલીસે એમને પકડ્યા, મારમારીને પાસે જે કાંઈ હતું તે આંચકી લઈ છોડી મૂક્યા. એ નોંધો તો ગઈ પણ એની સ્મૃતિ પરથી કનુભાઈએ ‘ભારત પૂણ્ય પ્રવાસ’ નામે દાંડીયાત્રાનો એક ચિત્રસંપુટ પ્રકટ કર્યા. સરકારે એ પણ જપ્ત કર્યો. આ સંપુટ પર એમણે એ સમયે અશોકસ્તંભના ત્રણ સિહોનું એક સંજ્ઞા ચિત્ર મૂક્યું હતું. સત્તર વર્ષ પછી સ્વતંત્ર ભારતની સરકારે એ સ્તંભ પર રાષ્ટ્રીય સંજ્ઞા તૈયાર કરી. આ એક યોગાનુયોગ હોઈ શકે-પણ રાષ્ટ્રસંજ્ઞા તરીકે તે સમયે કનુભાઈએ કરેલી પસંદગી પાછળ તેમની કલ્પના અને સૂઝમાં ભારતીયતાનું કેવું અખિલપણું હતું એ કલ્પી શકાય.
કનુ દેસાઈએ કરેલાં શ્રમિકોનાં ચિત્રોની વાત કરીએ તો એમનું એક ચિત્ર ‘ખરે બપોરે’ શીર્ષકવાળું છે. જેમાં માએ પોતાના વસ્ત્રહીન બાળકને તેડ્યું છે. માથે ટોપલામાં જે સામાન દેખાય છે તે પરથી આપણે જાણી શકીએ કે એ ખેડૂતની પત્ની છે સાથે માથે ઢોચકી ઉપાડીને આગળ એની દિકરી ચાલે છે. પીળા રંગની પૃષ્ઠભૂમિ પર શોભતું આ ચિત્ર ખરેખર બપોરના તડકાનો અનુભવ કરાવે છે. અને ખાસ તો એ ખેડૂત સ્ત્રીના પોતાના પગ બળતા હોય એ સહેજ ઊંચી ચાલે ચાલે છે. તે ચિત્રકારે બખૂબી પકડ્યું છે. બીજું ચિત્ર “રાત્રીના ઓળા” જગતની રાત્રી પડે છે. ત્યારે જેમના નિર્વાહનો દિન શરૂ થાય છે એવા, આપણા સમાજના કલંકરૂપ આ અજીઠું ઉઘરાવનારાંના જીવનમાં પણ કલાકારે કવિતા જોઈ તે ચિત્રમાં આલેખી છે. રાત્રીની સાથે જ જેમનું જીવન તત્ત્વ જોડાયેલું છે. તેમના જીવનના ઓળા (પડછાયા) ઊગી રહેલા ચંદ્ર વાળી રાત્રીના ઓળાઓ જેવો અર્ધ પ્રકાશિત અર્ધઅંધારા, અને મધુરંગી ચંદ્રના પ્રકાશ જેવા ઘેરા વિષાદભર્યા ગહન મધુર હોય છે. શહેરની બહારનાં તેમના રહેઠાણો તરફ જવાના ઊંચીનીચી ટેકરીઓવાળા આ માર્ગ જેવો આશાનિરાશાઓથી ભરેલો એમનો જીવનમાર્ગ હોય છે. એમના ‘તોફાન’ નામના ચિત્રમાં માછીમાર પતિ-પત્ની પોતાના બાળકને લઈને ભારે સામાન સાથે ઝડપભેર દોડી રહ્યાં છે. વરસાદનું તોફાન પૃષ્ઠ ભૂમિમાં સુંદર રીતે દર્શાવ્યું છે. માછીમારની લાંબા ડગલાંની ફાળ સાથે જ તેની પત્નીનાં ડગલાંની હરણફાળની જુગલબંદી ગતિનું સંગીત સર્જે છે.
[[File:Sanchayan 61 - 13.png|center|700px]]
છગનલાલ જાદવ (૧૯૦૩-૧૯૮૭)નાં ચિત્રોમાં ખૂબજ સરસ રીતે ‘શ્રમિક’ વિષય આલેખાયો છે. ગાંધીયુગની સીધી અસર હેઠળ સમાજના સાવ નીચલા થરના લોકમાં પણ જાગૃતિની સંજીવની પ્રસરતાં જે નવચેતન આવ્યું તેનાં અનેક સારાં પરિણામોમાં છગનલાલ જાદવ જેવા કલાકાર ગુજરાતને મળ્યા તેમ ગણાવી શકાય. ગૂજરાત વિદ્યાપીઠમાં છગનભાઈની ચિત્રકળા દીક્ષા પામી. તેમણે જે સાધકની શ્રદ્ધા અને ધીરજ વડે ચિત્રકળાની આરાધના કરી તેના પરિણામે આજે ગુજરાતના અગ્રગણ્ય કળાકાર છે. ‘રંકની કલા’ નામનું ચિત્ર ૧૯૩૭માં બોમ્બે આર્ટ સોસાયટીના ચિત્રપ્રદર્શનમાં શ્રેષ્ઠ જલરંગી ચિત્ર તરીકે ઈનામ પામેલું ખૂબજ અદ્ભુત ચિત્ર છે. આ ચિત્રમાં ખોળામાં રમતા બાળક પર નજર રાખી હાથની આંગળીઓ પર તેનાં લાડ પૂરનારી આભલાભરી આ રંગીન ટોપીનો વિચાર કરીએ તો આપણે અનુભવી શકીએ કે, મહેનત મજૂરી બાદ ગરીબ જનો જે સ્વસ્થતાથી પોતાના ઝૂંપડાને આંગણે રાબની મીઠાશ માણતાં રંક ઘરમાં પણ કલાની ગંગાનું પુનિત વાતાવરણ રેલાવે છે. તેનું પ્રતિબિંબ અહીં ઝીલાયું છે. તંબૂ જેવા બાંધેલા ઝૂંપડાને આંગણે એકજ પાત્ર મૂકીને આખી જનતાનો ચિતાર એમાં રજૂ કર્યો છે. બીજું ચિત્ર “સરાણિઓ” નામનું છે. હવે તો આ વ્યવસાય અને કોમ બંન્ને લુપ્ત થઈ ગયાં છે. ઉમદા સંયોજનથી સરાણિયા પતિ-પત્નીના જીવનનો લય અને સંતોષ તેમના શ્રમથી પુલકિત થઈ ઉઠે છે. રંગો-રેખાઓ અને વસ્તુઓની ગોઠવણી ખૂબજ સુંદર છે.
[[File:Sanchayan 61 - 14.png|center|700px]]
‘રંગ પરિધાન’ના શીર્ષકવાળું આ ચિત્ર છીપા કોમની કપડાં પર છાપ પાડતી સ્ત્રીનું છે. આ કળા પણ લુપ્ત થવાને આરે છે. કારીગરીની કુશળતા આ ચિત્રમાં વરતાય છે. સ્ત્રીની પાસે ઉભેલો બાળક પણ ધ્યાનમગ્ન થઈ પોતાની માતાના ક્રિયાકલાપનું કૌશલ જોઈ રહ્યો છે. તે ભાવ ચિત્રકારે ખૂબજ સુંદર રીતે પકડ્યા છે. ‘કાઠિયાવાડનું ખેડૂત કુંટુંબ’ નામના ચિત્રમાં કલાકારે સ્થાન પર બેસીને કરેલા આ ત્વરિત રંગાલેખમાં કાઠિયાવાડના ભાંગતા ખેડૂતની ગરીબી સ્પષ્ટ ડોકાઈ રહેલી છે. આવા જ એક અન્ય ચિત્ર ‘આભ-ધરતીનો ઉપાસક’માં ચિત્રકાર ખેડૂત કુટુંબ ખળામાં ધાન છે, તે દરમ્યાન પોરો ખાઈને શિરામણ લેતો ખેડૂત અને બાળકને પૂળાના ઓઘા નીચે બેસી બાળકને ધવડાવતી તેની પત્ની ખૂબજ સુંદર રીતે આલેખાયાં છે. ‘માછીમારનું કુટુંબ’ નામના ચિત્રમાં દરવાજે પોતાની દિકરી સાથે ઊંબર પર ઉભી રહેલી સ્ત્રી પોતાના બાળકને માછલી પકડવાની જાળ તૈયાર કરતો જોઈ રહી છે. સ્ત્રીના ચહેરા પરના વિષાદ અને આચર્યના ભાવ ઉડીને આંખે વળગે છે. દરવાજે બાંધેલું તોરણ પોતાના પતિના આગમનની તૈયારીનું સૂચક બને છે.
[[File:Sanchayan 61 - 15.png|center|700px]]
રસિકલાલ પરીખ (૧૯૧૦-૧૯૮૨) રાજપીપળા સ્ટેટના વાલિયા ગામે મોસાળમાં તેમનો જન્મ થયો હતો. અમદાવાદના સી.એન. કલા મહાવિદ્યાલયના આચાર્યપદે ઉત્તમ સેવાઓ આપી. તેમનાં શ્રમિકો વિષયક ચિત્રોમાં ‘નવધાન્ય’ નામના ચિત્રમાં ખેડૂત સ્ત્રી પોતાની કાંખમાં ઢોરને નિરવાનો ચારો લઈને જતી હોય તે છે. વાતાવરણ ચોમાસા પછીના દિવસોનું છે તે આકાશની લાલીમા પરથી દેખાય છે. હરીયાળો ભૂભાગ પણ તેનો સૂચક છે. સ્ત્રીની અદાયગી, કેડમાં ખોસેલો સાડીનો છેડો અને હાથમાં દાતરડું રાખીને ઊભી છે, તેમાં કલાકારની કુશળતા દેખાય છે. ‘શ્રમની શોભા’ નામના ચિત્રમાં માટી ખોદીને બીજા સ્થળે લઈ જતાં મજુરો છે. જેને આપણે તે સમયે ઓડ કહેતા, આપણી ભવાઈના વેશની નાયિકા ‘જસમા’ આ ઓડ જ્ઞાતિની છે અને સહસ્ત્રલિંગ તળાવ ખોદવા પાટણ આવેલી તે કથા જાણીતી છે. પુરૂષ પાત્ર માટી ખોદીને ટોપલામાં ભરી આપે છે અને સ્ત્રીઓ યોગ્ય જગ્યાએ એ ટોપલાઓ ઠાલવતી હોય છે. ચિત્રકારે શ્રમની પરિસ્થિતિની શોભાને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ચિત્રના સંયોજનનો લય ખૂબજ સુંદર રીતે ચિત્રકારે પ્રયોજ્યો છે. પાત્રોની સાદગી અને પ્રવૃત્તિ દ્વારા આપણને શ્રમની સંવાદિતાની અનુભૂતિ થાય છે.
[[File:Sanchayan 61 - 16.png|center|700px]]
સોમાલાલ શાહ (૧૯૦૫-૧૯૯૪) કલા એટલે શું? એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે કલાની સંપૂર્ણ વ્યાખ્યા આપવી અઘરી છે. પણ એક ખયાલ એવો ખરો, કે જે કલા જીવનને સૌંદર્યદૃષ્ટિ આપીને સરસતાનો ઉર્ધ્વ માર્ગ બતાવે તે આદર્શકલા. ચિત્રકાર સોમાલાલ શાહે તો ઘણાં ચિત્રો સર્જ્યાં છે. પણ અહીં આ ખાદીધારી ચિત્રકારે શ્રમિકોનાં જે ચિત્રો કર્યાં છે. તેની વાત કરીએ તો સૌ પ્રથમ ધ્યાન ખેચેં તેવું તેમનું ચિત્ર એટલે ‘સૌરાષ્ટ્રનું માલધારી કુટુંબ’ સૌરાષ્ટ્ર તરફથી માલધારીઓ જ્યારે ઉનાળામાં ગુજરાત તરફ આવતાં હોય તેવાં દૃશ્યો આજેય આપણને જોવા મળે છે. તેમના ચિત્રમાં બે ઊંટ, ઘેટાં બકરાં, ગધેડાં અને માલધારી કુટુંબનાં સ્ત્રી પુરૂષો ખૂબજ સરસ રીતે ચિત્રમાં સંયોજિત થયાં છે. ઊંટ ઉપર બેઠેલા વૃદ્ધ પુરુષની સાથે નાનો પૌત્ર, બીજા ઊંટ પર નાનાભાઈને ખોળામાં લઈને બેઠેલી બહેન અને ઘરનો સામાન ગાદલાં-ગોદડાં, ખાટલી વગેરેને ખૂબજ સરસ રીતે ચિતર્યાં છે. આખાયે ચિત્રનો પરિવેશ ખૂબજ આકર્ષક થયો છે. દરેક પાત્રોના ભાવ અને શરીર રચના ઉપરાંત વસ્ત્રવિન્યાસ પણ આબેહૂબ છે.
[[File:Sanchayan 61 - 17.png|center|700px]]
તેમનું બીજું સુખ્યાત ચિત્ર તે ‘છૈયો’. સૌરાષ્ટ્રના લોકજીવન અને કૌટુંબિક જીવનનું તો એમણે પોતાનાં આવાં અનેક ચિત્રો દ્વારા દર્શન કરાવ્યું છે. એજ રીતે તાદૃશ કર્યાં છે એમણે ગ્રામજીવનની સુંદરતા માધુર્ય અને પ્રાકૃતિક સૌંદર્યને. એમનાં સર્જનોમાં સૌરાષ્ટ્રની ભોમકા, ત્યાંના માલધારીઓ, વણઝારા અને આહીરો, ત્યાંનાં પશુપક્ષીઓ અને સરળ સંતોષમય લોકજીવનને એમણે પ્રકટ કર્યાં છે. અહીં માતા પોતાના વહાલસોયાને પોતાના ખોળામાં લઈને બેઠી છે. અને તેનો પતિ તેની બાજુમાં બેઠો છે. તેના પતિની માત્ર એકજ આંખ ચિત્રમાં દેખાય છે. પરંતુ તેના ભાવમાંથી ટપકતા સ્નેહની સરવાણી આપણે જોઈ શકીએ છીએ. રંગોના સ્વામી સોમાલાલ ચિત્રમાં રંગોની પણ કમાલ સર્જે છે.
આમ ગાંધીયુગના પ્રભાવ હેઠળ કલાકારો એ જીવનનાં મુખ્ય વિષય શ્રમને અને શ્રમિકોને ચિત્રકળાનો વિષય બનાવ્યો તેની ખૂબજ ટૂંકમાં ઝલક કરાવી છે. આ કળાકારો જીવન સાથે જીવનના લયને પકડી ચિત્રકળામાં સર્જન કરતા હતા. આજે સમકાલીન કળા વિશે કહેવું હોય તો આ પ્રમાણે કહી શકાયઃ
કલાની પ્રવૃત્તિમાં આધુનિક જમાનાને એક અવ્યવસ્થાનો યુગ કહી શકાય. જમાનામાં બે વિશ્વ યુદ્ધો થયાં તેને પરિણામે માનવજીવનનાં મૂલ્યોમાં ઘણીજ અવ્યવસ્થા આવી ગઈ છે. કલાના ક્ષેત્રમાં પણ અરાજકતા પ્રવર્તે છે. આજનો કલાકાર પ્રણાલીના ભારથી મુક્ત થયો છે અને કલામાં નવા ઉદ્દેશો અને નવી પદ્ધતિઓ અને પરિભાષાની શોધ થઈ રહી છે. આમ કલામાં બુદ્ધિ અને પૃથક્કરણ વૃત્તિએ પ્રવેશ કર્યો છે એટલે અનેક પ્રકારના ‘વાદો’ કલામાં પ્રચલિત થયા છે. પરંતુ એમાં પ્રાણ નથી, જીવનનો ધબકાર નથી. કલાકારને થતું પ્રેરણા પ્રેરિત દર્શન નથી.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે આજની કલામાં જીવન પ્રગટ થાય છે. તો આપણે એમને પૂછીએ કે કેવા પ્રકારનું જીવન તે પ્રગટ કરે છે? પ્રાથમિક પાશવી વાસનાઓનું, નાડીયંત્રની ઉશ્કેરણીવાળું, આવેગોવાળું, પશુથી બહુ દૂર નહિ એવું, જીવન જ તે આપણને આપે છે.
એ વાત સાચી છે કે સ્વતંત્રતાનો સદ્ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે કલાકારનું વ્યક્તિત્વ પૃષ્ટ થાય છે અને સંવાદિતા સાધે છે. પરંતુ આપણા અંતરના કોઈ પણ ભાગની સંયમ વગરની અભિવ્યક્તિ કલા બની શકતી નથી. વળી ‘નવીનતા’ કાંઈ હંમેશાં પ્રતિભાનું કે સાચી સર્જકતાનું પરિણામ હોય છે એવું નથી. નવીનતા આવે એનો અર્થ પ્રગતિ થાય છે એમ પણ નથી. શ્રી નંદલાલ બોઝે સાચું જ કહ્યું છે કે : “વ્યક્તિતાના ઉપર બહુ ભાર દેવાથી વિચિત્રતા પ્રગટ થવાનો સંભવ છે.” આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સમાજમાં ફેશનો આવે છે-પવન વાય છે, તેમ કલામાં પણ થાય છે.
આ રીતે ગાંધીયુગના અને ગાંધી વિચારો પ્રેરિત કલાકારોએ કળામાં શ્રમિકોને વિષય તરીકે લઈને પોતાની અભિવ્યક્તિને ઉજાગર કરી હતી.
{{Poem2Close}}


==પઠન-શ્રવણ શ્રેણી : ૧ ==
શ્રી અવનીન્દ્રનાથે લાકડાના ટુકડા ને વાંસની ગાંઠો જેવી મામૂલી વસ્તુઓમાંથી બનાવેલાં બાળકોનાં નવતર રમકડાં મેં પહેલાં તો ગુજરાત કલાસંઘના ચિત્રોની છાપો બતાવી. શાતિનિકેતનની વાત કરી. ગુજરાતના જૂના ચિત્રો બતાવ્યાં. બધું જોઈને કહેઃ ‘આખું હિંદુસ્તાન એક જ છે. હિંદની પશ્ચિમની બાજુએ ગુજરાતમાં રંગ અને રેખાનું જેવું સર્જન છે તેવું જ અમારી બંગાળની ગ્રામ કળામાં છે. પણ હવે તમારા વિદ્યાર્થીઓને કહો કે આલેખનની શક્તિ વધારે. અરે, હું તો ચિત્રો જોતાં જ મત્ત થઈ જાઉં છું અને બાવડાંમાં સ્ફુરણા થાય છે. I feel like an old war-horse hearing cannons. I wish I were young agind. (તોપોનું ગર્જન સાંભળી ગર્દન ઉઠાવતા યુદ્ધના વૃદ્ધ અશ્વ જેવું મને થાય છે. હું ફરીવાર તરુણ બની જાઉં તો કેવું સારું?) તમે જે કામ કરો તે ભાવિ પ્રજાને પણ કામ લાગે એવું કરજો. દરેક વિષયનું જ્ઞાન અને વિગતો ચિત્રમાં ઉતારજોઃ યાન, આસન, વસન, ભૂપણ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, (યાન એટલે બધાં વાહનો, પાત્રો વગેરે; આસન = શરીરની બધી ચેષ્ટાઓ; વસન = બધાં વસ્ત્રો, આભૂષણ બધી જાતના અલંકારો અને સાધનો; સ્વર્ગ = આકાશના રંગો અને વાતાવરણ; પૃથ્વી = દૃશ્યો, વનસ્પતિ વગેરે. પાતાળ = જમીનમાંથી નીકળતા પદાર્થો અને પ્રાણીઓ.)
<br>


{{Poem2Open}}
'''વૃદ્ધ બાળક'''
<center>  '''ગુજરાતી વાર્તાસંપદા (Audio)''' </center>
[[File:Sanchayan 06-2024 Image 12.jpg|right|300px|]]
{{Poem2Close}}


<br>
આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો! [[File:Sanchayan 06-2024 Image 13.jpg|right|thumb|250px|<center>(સૌમ્ય, સ્વસ્થ અને સરળ રમેનબાબુ (ફોટો - નરેન))</center>]]પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને શિક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો.


ગુજરાતી ઑડિયો વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાર્રસિકો માટે ‘ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા’ લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન કથાવાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વાર્તાવૈભવને પ્રસ્તુત કરશે.  
લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે.


નવી કે જૂની, દરેક પ્રકારની, રસ પડે તેવી ઘટનાઓ અને સંવેદનાઓથી ભરપૂર ગુજરાતી વાર્તાઓ આ એકત્ર ઑડિયો ઍપમાં તમને મળી રહેશે. અમારા સંપાદકોએ ગુજરાતી વાર્તાસાહિત્યના અગાધ સમુદ્રમાંથી શ્રેષ્ઠ વાર્તાઓનાં મોતી વીણી આપ્યાં છે.  
'''શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત'''
[[File:Sanchayan 06-2024 Image 14.jpg|right|250px|thumb|<center>કલાકાર શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્તાને ઘેર : જમણી બાજુ - રવિશંકર રાવળની પાછળ શિવકુમાર જોશી અને વ્રજલાલ ત્રિવેદી</center>]]
કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો.


આ ઍપનું સરળ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, ગમે ત્યાં અને ગમે ત્યારે તમારી મનગમતી વાર્તાઓ શોધીને સાંભળવામાં મદદરૂપ થશે. તમે કારમાં પ્રવાસ કરતા હો કે ઘરમાં આરામ કરતા હો, એકત્ર ઑડિયો ઍપના માધ્યમથી તમે તમારી અનુકૂળતાએ વાર્તાઓનો આનંદ મેળવી શકશો. ગુજરાતના કોઇ પણ ગામડે વસેલા વાર્તાપ્રેમી હો કે પછી પરદેશમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પ્રયાસ કરતા એન.આર.આઈ. હો, એકત્રનો આ ઑડિયો-પ્રકલ્પ, ગુજરાતી વાર્તા વૈભવનો અને વાર્તાકળાની તેજસ્વી પરંપરા સાથે તમારો અનુબંધ સ્થાપિત કરાવશે.
મને તેમનાં રંગકામો કરતાં લીનોકટ અને ઇચિંગ ગમ્યાં. સારા અધ્યાપક તરીકે તેમણે બેશક પૂર્ણ તૈયારી કરી હતી. તેમણે મને એટલાં બધાં ચિત્રો બતાવ્યાં કે તેમની એકલાની જ કૃતિઓનું એક સારું પ્રદર્શન થાય. પણ આજે તો કલાકારો લોકજીવનમાં ઊતરી શક્યા નથી તેમજ લોકો કલાકારોનો ઉપયોગ કરી જાણતા નથી.


તો, બા-અદબ, હોંશિયાર! એકત્ર ગુજરાતી ઑડિયો વાર્તાઓના આ પ્રથમ ઝૂમખામાં ૧૧૧ વાર્તાઓ લોન્ચ કરીએ છીએ.  તમારી કલ્પનાના ઘોડાઓને છૂટ્ટા મૂકી દો અને એને ગુજરાતી વાર્તાઓના મેદાનમાં દોડવા દો!
'''શ્રી રમેન્દ્રનાથ ચક્રવર્તી'''
{{Poem2Close}}


બીજે દિવસે રમેનબાબુનું ઘર શોધવા ભાઈ શિવકુમાર જોષીને લઈ બારેક માઈલ જેટલો ટ્રામનો પ્રવાસ કરવો પડ્યો. માટુંગા-માહીમ જેવો નવો વસેલો એ લત્તો કંઈક મુંબાઈનું સ્મરણ આપતો હતો. તેના એક નવા બંધાવેલા મકાનના દાદર પર પહેલે જ માળે રમેનબાબુનું પાટિયું વાંચી બારણું ખખડાવ્યું તો તેમણે જ આવીને ઉઘાડ્યું. ત્રણચાર ખંડવાળા એ ફ્લેટમાં તેમણે પોતાનો નિવાસ સમાવી દીધો હતો. સરળ, સંતોષપૂર્ણ હાસ્યભર્યું તેમનું તાલવાળું મુખ જોનારને એકદમ ગમી જાય છે. એ નાનકડા ખંડમાં યે બારી આગળ એક મોટી પાટ પર તેમની મુલાકાતની બેઠક હતી. બંગાળમાં લગભગ બધે આ શોખ જોવામાં આવ્યો. આથી ખુરશીઓની જરૂર ભાગ્યે જ પડે છે અને પાટલૂન તેમજ ધોતીવાળા બધા સગવડથી તેનો ઉપયોગ કરી શકે છે. વાંચન, રમત, ચિત્રકામ, સંગીત બધું જ તેના ઉપર થઈ શકે ને કોઈને આડે પડખે લેટવું હોય તો પણ ફાવે.
રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી.
<center>
[[File:Sanchayan 06-2024 Image 15.jpg|270px]]
[[File:Sanchayan 06-2024 Image 16.jpg|365px]]
</center>
તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે.
પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે.
એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી.
[[File:Sanchayan 06-2024 Image 17.jpg|center|thumb|250px|<center>મુલાકાત વેળા કરેલો તેમનો સ્કેચ (ર. મ. રા.)</center>]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<center>
{|style="background-color: #876F12; "
|<span style="color:FloralWhite      "><big><center>{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}} <br>
તબક્કાવાર આવતું રહેશે</center></big></span>
|}
</center>
<poem>
<poem>
<big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 
}}</big>
<big>{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 
}}</big>
Line 588: Line 883:
</poem>
</poem>


<center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો]'''</center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
 
<center>
{|style="background-color: #FFEEDC; "
|<span style="color:FloralWhite      "><big><center>'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા <br>{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]'''</center></big></span>
|}
 
 
{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;"
| »
| ગોવાલણી
| »
| એક સાંજની મુલાકાત
|-
| »
| શામળશાનો વિવાહ
| »
| મનેય કોઈ મારે !!!!
|-
| »
| પોસ્ટ ઓફિસ
| »
| ટાઢ
|-
| »
| પૃથ્વી અને સ્વર્ગ
| »
| તમને ગમીને?
|-
| »
| વિનિપાત
| »
| અપ્રતીક્ષા
|-
| »
| ભૈયાદાદા
| »
| સાડાત્રણ ફૂટની ઘટના
|-
| »
| રજપૂતાણી
| »
| સળિયા
|-
| »
| મુકુંદરાય
| »
| ચર્ચબેલ
|-
| »
| સૌભાગ્યવતી!!!
| »
| પોટકું
|-
| »
| સદાશિવ ટપાલી
| »
| મંદિરની પછીતે
|-
| »
| જી’બા
| »
| ચંપી
|-
| »
| મારી ચંપાનો વર
| »
| સૈનિકનાં બાળકો
|-
| »
| શ્રાવણી મેળો
| »
| શ્વાસનળીમાં ટ્રેન
|-
| »
| ખોલકી
| »
| તરસના કુવાનું પ્રતિબિંબ
|-
| »
| માજા વેલાનું મૃત્યુ
| »
| સ્ત્રી નામે વિશાખા
|-
| »
| માને ખોળે
| »
| અંધારી ગલીમાં સફેદ ટપકાં
|-
| »
| નીલીનું ભૂત
| »
| ઇતરા
|-
| »
| મધુરાં સપનાં
| »
| બારણું
|-
| »
| વટ
| »
| ત્રેપન સિંહ ચાવડા જીવે છે
|-
| »
| ઉત્તરા
| »
| બદલી
|-
| »
| ટપુભાઈ  રાતડીયા
| »
| લીલો છોકરો
|-
| »
| લોહીનું ટીપું 
| »
| રાતવાસો
|-
| »
| ધાડ 
| »
| ભાય
|-
| »
| ખરા બપોર 
| »
| નિત્યક્રમ
|-
| »
| ચંપો ને  કેળ
| »
| ખરજવું
|-
| »
| થીગડું 
| »
| જનારી
|-
| »
| એક મુલાકાત
| »
| બદામી રંગનો કોટ અને છત્રી
|-
| »
| અગતિગમન 
| »
| ગેટ ટુ ગેધર
|-
| »
| વર પ્રાપ્તિ 
| »
| મહોતું
|-
| »
| પદભ્રષ્ટ
| »
| એક મેઈલ
|}
</center>


<hr>
<hr>


{{HeaderNav
{{HeaderNav
|previous=[[સંચયન-૬૦]]
|previous=[[સંચયન-૬૧]]
|next =  
|next = <!--[[સંચયન-૬૩]]-->
}}
}}

Latest revision as of 15:06, 27 June 2024

Sanchayan final logo.png
સાંપ્રત સાહિત્ય-વિચાર-જગતની ઝલક આપતું સામાયિક
બીજો તબક્કો
સંપાદન: મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ


Sanchayan 62 Cover.png
સંચયન - ૬૨

પ્રારંભિક

Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન : USA

તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૪: જૂન ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪


આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪



Ekatra Logo black and white.png

એકત્ર ફાઉન્ડેશન

અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર

મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા

Sanchayan Art work 1.png
Sanchayan Titile Gujarati Art work.png

(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩

એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ

મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૦/૦૬/૨૦૨૪ (ઓગસ્ટ, ૨૦૨૩)

Sanchayan Art work 1.png

જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.

Sanchay 62 Image 1.jpg

અનુક્રમ

સંચયનઃ બીજો તબક્કો: અંક : ૪ જૂન, ૨૦૨૪

સમ્પાદકીય
»  રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા ~ કિશોર વ્યાસ
કવિતા
»  ઉદ્ધવ ગીતા ~ વીરુ પુરોહિત
»  ભગ્ન સ્વપ્નની નાવ ~ સ્નેહરશ્મિ
»  ચંદરોજ ~ ચાંપશી વિ. ઉદેશી
»  આ અમે નીકળ્યા ~ રાજેન્દ્ર શુક્લ
»  દુનિયા અમારી ~ ભાનુપ્રસાદ પંડ્યા
»  કતલ કરે અને કૈં ખબર પડે ના ~ અમૃત ઘાયલ
»  ગુજરાત ~ ચંદ્રવદન ચી. મહેતા
»  પલ ~ મણિલાલ દેસાઈ
»  ઝાલાવાડી ધરતી ~ પ્રજારામ રાવળ
»  વિદાયઘડી ~ સાબિર વટવા
»  રત્ય ~ પ્રદ્યુમ્ન તન્ના
»  કાંડું મરડ્યું ~ મનોહર ત્રિવેદી
»  અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અનુ. સુરેશ દલાલ
»  વાસંતી વાયરો ~ પન્નાલાલ પટેલ
વાર્તા
»  બારી પર ખેંચાયેલા પડદા ~ વીનેશ અંતાણી
»  સાંકડી ગલીમાં ઘર ~ વિજય સોની
સ્મૃિતલોક
»  સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે ~ રીના મહેતા
»  હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ ~ ચંદ્રકાન્ત ટોપીવાળા
વિવેચન
»  સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨ ~ ઝવેરચંદ મેઘાણી
કલા જગત
»  મારી નજરે ~ રવિશંકર રાવળ

Sanchay 62 - Image 2.jpg

સમ્પાદકીય

રસરુચિને વિસ્તારનારા ક્ષેત્રોની અનિવાર્યતા
કૉલેજ કક્ષાએ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને કોઈ ઉત્તમ પુસ્તક વાંચ્યું હોય તો એની વાત કરવાનું કહેવામાં આવે અથવા તો કોઈ પ્રસંગે સાંપ્રત સાહિત્ય સંદર્ભે કશુંક પૂછવામાં આવે છે ત્યારે તેઓ એકબીજા સામે જોઈને ચૂપ બેસી રહે છે. એના હાથમાં કોઈ કોશ આપવામાં આવે તો એને જોવામાં એ ફાંફાં મારે છે. સાહિત્ય સામયિકોમાંથી કોઈનું નામ લેવામાં આવે ત્યારે એ સમજે છે કે સાહેબ કોઈ પુસ્તકનું નામ લઈ રહ્યા છે ! સાંપ્રત સર્જકો કે કોઈ યુગના સર્જકો વિશે પણ એને ખાસ જાણકારી નથી હોતી. નાનીમોટી સંસ્થાઓમાં રંગભૂમિના આવડે એવા પ્રયોગો થતા રહેતા હતા. હવે તો એવી પ્રવૃત્તિ ગણતર શૈક્ષણિક સંકુલોમાં જ થતી જોવા મળે છે. આવું શા કારણે થયું ? આપણી પાસે માહિતી કે જાણકારી તો હોવી જ જોઈએ એમ કહીને આપણે આગળ ચાલી જઈએ છીએ પણ રસરુચિની આવી મર્યાદાઓ છેલ્લા કેટલાયે સમયથી આપણી સામે વિકરાળ મોં ફાડીને ઊભી છે. અભ્યાસક્રમ બહારની કશી પણ સાહિત્યિક પ્રવૃત્તિ કરવાની જાણે કે આપણામાં તમન્ના નથી. સાહિત્યનું શિક્ષણ આપનારી સંસ્થાઓ તો ઘણી વધી છે પણ રસરુચિને વિસ્તારનારાં ક્ષેત્રો સાંકડા થતાં ચાલ્યાં છે. એક સમય હતો કે આપણી અગાઉની પેઢી ઝાઝું ભણેલી ન હોવા છતાં એના ગળામાં થાળ, પદ, ભજનો, લોકગીતો અને કથાઓ અભરે ભરી હતી. રમેશ પારેખે પોતાની માતાની ધાણીફૂટ સૌરાષ્ટ્રી બોલી વિશે પોતાના સંસ્મરણોમાં અનેકવાર લખ્યું છે. વાતવાતમાં મર્મીલી કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ તો તદ્દન નહીંવત્ થઈ જવા પામ્યો છે. એક સમયે સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં કામ કરનારો વર્ગ પણ સાહિત્યથી દીક્ષિત રહ્યો હતો કેમકે કુટુંબ, શાળા, સમાજ એને પોષક બનતો હતો. શહેરોને બાદ કરતાં કેટલાક રસિક વાચકોનું જૂથ સાહિત્યની વાત કરતાં આપણને મળે છે ખરાં ? આજના સમયે પણ મેઘાણી, ઉમાશંકર જોશી કે ધૂમકેતુ જેવા સર્જકોની વાત અમુક પેઢી કરી શકવાનું ગજું સાચવીને બેઠી છે ત્યારે પ્રશ્ન એ છે કે ઉચ્ચ શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ પાસે આવી રસરુચિની તાણ કેમ વરતાય છે ? શિક્ષણનો આટલો ફેલાવો છતાં આપણા પરિવારોએ વિધવિધ પ્રકારના સામયિકોને ઘરમાં જાણે પ્રવેશબંધી ફરમાવી છે. કેટલા પરિવારો પોતાના બાળકો માટે સામયિકો કે પુસ્તકો વસાવવાનાં આગ્રહી છે ? જો આર્થિક રીતે એ પોસાતું ન હોય તો કેટલા વાલીઓ કે શિક્ષકો ફરજિયાતપણે પોતાના બાળકોને ગ્રંથાલયમાં જવાનો આગ્રહ થાક્યા વિના કે નિરાશ થયા વિના કર્યા કરે છે ? ખરેખર તો વિદ્યાર્થીઓ પાસે વર્ષભરમાં વાંચેલી ગુજરાતી કે પરભાષાની ઉત્તમ કૃતિઓની પોતીકી યાદી હોવી જોઈએ. જેના પર શિક્ષકોની પણ નજર રહે. શાળાઓ, હાઈસ્કૂલો અને કૉલેજોમાં કવિની જન્મજયંતીનાં કે વિશેષ પ્રસંગોના કાર્યક્રમો થાય એ તો સારી બાબત છે પણ કવિતા વાચનના, વાર્તા વાચનના કે સાહિત્ય ચર્ચાના નિયમિતપણે ઘરઘરાઉ કાર્યક્રમો થવા ઘટે. દરેક સંસ્થાઓમાં ભીંતપત્રો પર મહત્ત્વની રચનાઓ પ્રદર્શિત થતી રહેતી હોય જેમાં વિવિધ સ્વરૂપો વિશે વિદ્યાર્થીઓ લખવાનો મનોયત્ન કરે એવું ઘણી સંસ્થાઓમાં આપણે જોઈએ છીએ. કેટલીક સંસ્થાઓ પોતાનાં વાર્ષિકો પણ પ્રગટ કરે છે પણ એમાં ઉત્તમ કૃતિઓનો આપણે આગ્રહ આગળ નહીં ધરીએ તો ખોટાં વલણો ઊભાં થવા પામશે આથી વિવેચકની જેમ ભાષાસાહિત્યના અધ્યાપકને પણ દુરારાધ્ય થવું ઘટે છે. શાળા અને હાઈસ્કૂલ કક્ષાએ હજુ સુધી પ્રાર્થના સંમેલનોમાં અવકાશ છે જેનો રસરુચિ વિકસાવવા ભરપૂર લાભ લેવો જોઈએ. અધ્યાપકો જો સામયિકો મગાવતા હોય તો એ સામયિકો વિદ્યાર્થીઓના હાથમાં પણ મૂકવાં જોઈએ.ઉત્તમ વાર્તાઓ, નવલકથાઓ અને સર્જકો વિશે ટૂંકા નિબંધો લખાવવાના, ચર્ચાસત્રો યોજવાના પ્રયત્નો પણ કરવા રહે. આમ કહીએ છીએ ત્યારે તેઓની ફરિયાદ હોય છે કે અભ્યાસસત્ર જ એટલા ટૂંકા છે કે અમે પરીક્ષા લીધા વિના બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી ! વિદ્યાર્થીઓને એકડે એકથી આરંભ કરવા બાબતે પણ તેઓ ખાસ્સા નિરાશ હોય છે. આવી પરિસ્થિતિ હોવાનાં રોદણાં રોઈ આપણે બેઠા રહીશું ? ખરેખર તો માંડવાળ કરવાને બદલે મંડળી મળવાથી થતા લાભ અંગે ને ટેબલ ટોક કરવા સક્રિય થવાનો આ ખરો સમય છે. રસરુચિ ખીલવે તેવા વૈવિધ્યસભર કાર્યક્રમો સંસ્થાઓએ, શિક્ષકોએ અને પ્રજાએ જાતે ઊભા કરવા જોઈએ કે ઘડી કાઢવા જોઈએ. જે મનોરંજક નહીં, સાદગીભર્યા અને સત્વશીલ હોય. નવી પેઢીના ઘડતર માટે મથનાર પ્રત્યેક વ્યક્તિ માટે આ પડકાર ઊભો છે એને પાર પાડવો જ રહ્યો.
~ કિશોર વ્યાસ

કવિતા

ઉદ્ધવ ગીતા

વીરુ પુરોહિત

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!

અધખૂલી આ કમળકળીમાં આંસુ ઝીલી લેજો;

લિપિબદ્ધ એ વિરહવ્યથાઓ જઈ શ્યામને દેજો!

ઉદ્ધવ! એને કહેજોઃ પૂનમને અજવાળે વાંચે;

તો ય કદાચિત દાઝી જાશે આંખ, અક્ષરી આંચે!

ઊના ધગધગતા નિશ્વાસો નથી આપતા સાથે!

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

લો, આ મોરમુકુટ, વાંસળી, વૈજ્યંતિની માળા;

કદમ્બની આ ડાળ, વસન રાધાનાં અતિ રૂપાળાં!

સ્મૃતિચિહ્ન સઘળાં એકાંતે જ્યારે શ્યામ નીરખશે;

ત્યારે વ્રજને સંભારીને ધ્રૂસકે ધ્રૂસકે રડશે!

કહેજો કે આ યમુના તટની ધૂળ ચઢાવે માથે!

જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!

ગોકુળથી શું જાય અતિથિ તદ્દન ઠાલા હાથે?!

ભગ્ન સ્વપ્નની નાવ

સ્નેહરશ્મિ

મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી,

જુગ જુગ સંચિત રે! અંધાર;

સૂર્ય ચંદ્ર નહિ નભજ્યોતિ

રાતદિવસ નહિ સાંજસવાર!

મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,

ભૂત તણો દાબે ઓથાર;

અધડૂબી દીવાદાંડી પર

ખાતી આશા મોત પછાડ!

મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક મોતી,

કનક તણો નથી એમાં ભાર;

ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા

તારી કોણ ઉતારે પાર?

મારી નાવ કરે કો પાર?

ચંદરોજ

ચાંપશી વિ. ઉદેશી

ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;

જિંદગીનો આ ગુજારો ચંદરોજ.

કેમ પોતાને ગણે સરદાર તું?

કાફલો તારો બિચારો ચંદરોજ.

છોડી દે, તું છોડી દે તારા દગા;
જીતવાના સૌ વિચારો ચંદરોજ.

થાય નેકી તેટલી લે ને કરી;

સર્વ બીજા મદદગારો ચંદરોજ.

‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;

આંહી તો તું ઠેરનારો ચંદરોજ.

વખત ઓછો, કામ તારે છે ઘણું;

આવીને ચાલ્યા હજારો ચંદરોજ.

આ અમે નીકળ્યા

રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,

હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા

આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા !

ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,

વેળ તો વેળની જેમ વીત્યા કરે,

વાયરા દખણના તો ગમે તે ક્ષણે,

કેસરી કેસરી દ્વાર ખખડાવતા !

ચાર ખૂણા હજી સાચવીને ઊભા

ધૂંધળા ધૂંધળા કોક અણસારને,

ઘોર એકાંતનું છાપરું ને છજાં

જો ઊડે આભમાં પાંખ ફફડાવતા !

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને

જે મળે તે બધાં તરબતર નીતરે,

કોઈને કોઈની કૈં ખબર ના રહે-

કોણ છલકી જતા, કોણ છલકાવતાં !

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,

સાત આકાશ ખૂલી જતાં સામટું,

જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં

ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં

દુનિયા અમારી

ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!

પણ કલરવની દુનિયા અમારી!

વાટે રખડ્યાની મોજ છીનવી લીધી

ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર

બંધ પોપચાંમાં રંગોની ભાત,

લોચનની સરદહથી છટકીને રણઝણતું

રૂપ લઈ રસળે શી રાત!

લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના 

વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી

નાતો આ સામટી સુગંધ,

સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી

અડક્યાનો સાચવે સંબંધ!

ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના

અનુભવની દુનિયા અમારી!

કતલ કરે અને કૈં ખબર પડે ના

અમૃત ઘાયલ

કતલ કરે અને કૈં ખબર પડે ના,

તને આવડે તે મને આવડે ના.

હશે અંશ મારા જ પૈકીનો કોઈ,

મને આમ નબળા ગ્રહો તો નડે ના.

અવરને મળી જાય મોતી સહેજે,

હું શોધું જો પથ્થર તો પથ્થર જડે ના.

તરસતા રહે હાય ફૂલોને હરદમ,

અને પગ બગીચા ભણી ઊપડે ના.

પહોંચી હશે મોભને ઠેસ કોઈ,

દીવાલોમાં એમ જ તિરાડો પડે ના.

અહીં માનવીની જ ચોમેર વસ્તી,

અને માનવી ક્યાંય નજરે ચડે ના.

નથી મુઠ્ઠી આ છે મડાગાંઠ ‘ઘાયલ’,

હવે મુઠ્ઠી કેમેય આ ઊઘડે ના.



ગુજરાત

ચંદ્રવદન ચી. મહેતા

ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી,

ધરાતલ ઘૂમો ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્
રફુલ્લ કુસુમો તણી, વિવિધરંગ વસ્ત્રે ભરી,

સરોવર, તરુવરો જળભરી નદીઓ ભળી

મહોદધિ લડાવતી નગરબદ્ધ કાંઠે ઢળી

પ્રદેશ પરદેશના સહુ થકી અહીં ગુર્જરી!

ભરી તુજ કૂખે મનોરમ વિશાળ લીલોતરી

સદા હૃદય ઠારતી; અવર કો ન તું પે ભલી.

નહીં હિમસમાધિમાં શિખર નીંદરે, કે ખરે

ઉષાકમળની અહીં ધ્રુવપ્રદેશની લાલિમા

નથી, ઘણું નથીઃ પરંતુ ગુજરાતના નામથી

સદા સળવળે દિલે ઝણઝણે ઊંડા ભાવથી

સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા,
અરે
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.

પલ

મણિલાલ દેસાઈ

સરકી જાયે પલ...

કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ!

નહીં વર્ષામાં પૂર,

નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,

કોઈના સંગનિઃસંગની એને

કશી અસર નવ થાય,

ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ!

છલક છલક છલકાય

છતાંયે કદી શકી નવ ઢાળી,

વૃન્દાવનમાં,

વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,

જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ!

ઝાલાવાડી ધરતી

પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતીઃ
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ ચોફરતી.

અહીં ફૂલ કેવળ આવળનાંઃ

અહીં નીર અધિકાં મૃગજળનાંઃ
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી! આ

જોજનના જોજન લગ દેખો,

એક નહીં ડુંગરને પેખો.
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ, ક્ષિતિજે ઢળતી! આ

આ તે કોઈ જનમ-વેરાગણ!
કે,
કો ઉગ્ર તપંતી જોગણ!
સંન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેષે, ઉર મુજ ભરતી. આ

વિદાયઘડી

સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’!

હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ!

એક ઘડીભર રાતની છે શી વિસાત?

વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!

અપશુકન છે રોકાવામાં, શું કરું?

મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ!

ચીબરી બોલી રહી છે આંગણે

વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ!

વાટમારુ છે નિરાશા માર્ગમાં-

કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ!’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!

આજ ‘સાબિર’ વારે વારે શું કહું?

હોઠે આવી જાય છે, રોકાઈ જાવ!

રત્ય

પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે

ખાંતે આળેખી ભલી ભાત્ય,

કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.

એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ

ને ગુંજરતાં ગીત્યુંની કડી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ

ને અંકાશે દા’ડી ને રેણ,

દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક

ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,

એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો

ઉજાગરે ગલાલની ઝડી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ

ભરી લઈ ભીતર મોઝાર,

એવું ને એવું રિયે જળવાયું, આછોયે

આવતો ન એને ઓસાર,

એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્
રગટે સંધુંય ફરી ફરી!

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!...


કાંડું મરડ્યું

મનોહર ત્રિવેદી

કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ લઈ ઝાલી નેણે

જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કી ભઠ્ઠ

મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ

પોતીકાએ મને પળેપળે પજવી મ્હેણે-મ્હેણે

શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ

ડાળ નામવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ

વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે

ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય

હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?

પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
કાંડું મરડ્યું એણે.

અંતર મમ વિકસિત કરો

રવીન્દ્રનાથ ટાગોર (બંગાળી)
અનુ. સુરેશ દલાલ

અંતર મમ વિકસિત કરો. અંતરતર હે-

નિર્મલ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો,. ઉદ્યત કરો, નિર્ભય કરો હે,

મંગલ કરો, નિરલસ, નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,

સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ,

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,

નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

વાસંતી વાયરો

પન્નાલાલ પટેલ

તું તો ફરફરતો વાંસતી વાયરો

હાથ આવે આવે ને સરી જાય જો
કેમ કરી હાથમાં લેવો!

તું તો આષાઢી વાદળા જેવો

બાથ ભરતાં ભરતાં ભાંગી જાય જો
કેમ કરી બાથમાં લેવો!

તું તો પાણી કરતાંય સાવ પાતળો

મારી એરણથી ઢળી ઢળી જાય જો
કેમ કરી ઘાટમાં લેવો!

તું તો વાતોમાં વણતો વરણાગિયો

ઓે રે બોલે બોલે ને ફરી જાય જો
કેમ કરી વાતમાં લેવો!

હું તો મનવું મનવું તું રિસાઈ જતો,

ઓ રે રૂઠું ત્યાં લળી લળી આવતો
કેમ કરી ગાંઠવો નેડો-
તુંથી મારે કેમ કરી માંડવો નેડો!

(અલકમલક પૃ. ૨૨૯)


વાર્તા

Sanchay 62 - Image 3.jpg

બારી પર ખેંચાયેલા પડદા

~ વીનેશ અંતાણી

દરવાજા પર કોઈ નહોતું. દરવાજો બંધ હતો પણ ધક્કો દેતાં જ ઊઘડી ગયો. ગુલમહોરનું વૃક્ષ કેટલાંક ફૂલઝાડો, એક હીંચકો અને પથરાયેલી લૉન. બંગલાનંુ નામ ‘શૈલ’ હતું. મને એની ખબર નહોતી. આ બંગલામાં હું પહેલી જ વાર પ્રવેશતો હતો. અંદર જઈને હું શું બોલીશ? એક લાંબી મુદતથી રેખાને મળ્યો નહોતો અને આજે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે...

દરવાજો બંધ કરવા જતાં અવાજ થયો. અવાજ સાંભળીને પણ કોઈ ડોકાયું નહી. મેં ચાલવા માડ્યું. ખૂબ શાંતિ હતી અને મારા બૂટનો ભારેખમ અવાજ આવી રહ્યો હતો. મને લાગી રહ્યું હતું કે હું સતત કોઈકને કચડીને ચાલતો હતો. લૉન પર એક કાળી ટ્યૂબ પડી હતી. પણ લૉન ભીની નહોતી, સુકાઈને કરકરી થઈ ગઈ હતી.

બેલ માર્યો. એક પ્રકારનો અજંપો મારા મનને ઘેરાઈ વળ્યો. મને લાગ્યું કે હું એમાં તણાઈ જઈશ. બચવા માટે દીવાલ પર હાથ ટેકવ્યો. બારણું ઊઘડ્યું. નોકરે ઉઘાડ્યું હતું. રેખા... હું બોલતો હતો તે વચ્ચે જ એણે ઇશારો કર્યો. કદાચ એને સૂચના મળેલી હતી.

નોકરે ચીંધેલા કમરામાં ગયો. અંદર પ્રવેશ્યો ત્યારે અંધકાર હતો. બારી પરના પડદા ખેંચાયેલા હતા. મને ખેંચાયેલા પડદાના રંગવાળો પ્રકાશ નથી ગમતો. કમરામાં એવો જ અંધકારમિશ્રિત પ્રકાશ હતો. મારું મન ઉદ્વિગ્નતાથી ભરાઈ આવ્યું. બહારથી આવતા અંદરના અંધકાર સાથે આંખોનો મેળ નહોતો બેસતો. મેં જોયું તો રેખા સામેના ખૂણામાં નીચું માથું રાખીને બેઠી હતી. એ દીવાન પર હતી. દીવાનની બાજુમાં પડેલી એક ખુરશી પર હું બેસી ગયો.

મને ઇચ્છા થઈ આવી કે બારી પરના બધા જ પડદા દૂર કરી દેવામાં આવે અને કમરામાં એકદમ પ્રકાશ ફેલાઈ જાય. સાંજનો પ્રકાશ. રેખાએ ઊંચું ન જોયું. હું જાણે આવ્યો જ ન હોઉં કે ક્યારનો આવી ગયો હોઉં એવું લાગ્યું. એના વાળ છૂટા હતા અને એણે સફેદ સાડી પહેરી હતી. મને આવેલો જાણીને પણ એ કશું જ બોલી નહિ. ખરેખર તો બોલવાનું મારે હતું, પણ હોઠ નહોતા ઊઘડતા. મેં ગળું સાફ કરીને હળવા થવાનો પ્રયત્ન કર્યો. રેખાએ દીવાલને અઢેલીને મૂકેલા તકિયા પર માથું ઢાળી દીધું અને સૂઈ રહી. એની આંખ પર હાથ દબાઈ ગયો હતો. એની બદલાયેલી સ્થિતિ મારા આગમનને સ્વીકારતી હોય એવું લાગ્યું.

નોકર આવ્યો ને પાણી આપી ગયો. પાણી પીઈને ગ્લાસ નોકરને આપ્યો. રેખાએ ગ્લાસને સ્પર્શ કર્યો નહિ. નોકર એક ગ્લાસ ભરેલો ને એક ગ્લાસ ખાલી લઈને ચાલ્યો ગયો. નોકરને પાછો બોલાવીને બારી પરના પડદા ખેસવી લેવાનું કહેવાની મને ઇચ્છા થઈ. પણ ત્યાંજ વિચાર આવ્યો કે મારે અહીં વાતાવરણ ઘડવાનું નહોતું, આ વાતાવરણની સંગતમાં રહેવાનું હતું, થોડી વાર.

થોડી વાર. રેખા સાથેના મારા સંબંધો આમ પણ થોડી વારની કક્ષાના જ હતા. પહેલાં પણ અને હમણાં પણ. હું કશું જ બોલી શકતો નહોતો. મને ફરીથી તરસ લાગી હતી, પણ પાણી માગવું અજુગતું લાગશે એમ માનીને સામેની દીવાલ પરના ચિત્રને જોઈ રહ્યો. ચિત્રમાં પીળા રંગનો ઉપયોગ વધારે થયો હતો તે પ્રથમ નજરે જ દેખાઈ આવતું હતું. કોણે પસંદ કર્યું હશે? શૈલે કે રેખાએ? પણ રેખાને ચિત્રની પસંદગી કરતાં નથી આવડતી એની મને ખબર છે. હું શૈલે પસંદ કરેલા ચિત્રને ધ્યાનથી જોઈ રહ્યો. મારી સ્થિર થઈ ગયેલી નજર સામે રંગોના પોપડા ઊખડવા લાગ્યા, અને એક સફેદ કૅનવાસ મારી આંખો સામે ઊપસી આવ્યું. એ સફેદ કૅનવાસને ધારીધારીને જોતાં મારી આંખને સફેદીનું પોલાણ દેખાવા લાગ્યું. એ પોલાણમાં હાથ નાખીને મેં જાણે કે જૂના દિવસોના ડૂચા આ કમરામાં કાઢવા માંડ્યા.

- ધુમ્મસ. ધુમ્મસથી ઢંકાયેલું આકાશ. હૉટેલની બારીમાં ઊભેલી રેખા. એનો ઢીલો અંબોળો, ગુલાબનું ફૂલ, બારીની ડિઝાઈનથી કપાઈ રહેલા આકાશના બેકગ્રાઉન્ડમાં રેખા સરસ દેખાઈ રહી હતી. મારો હાથ રેખાની પીઠ પર પડ્યો અને અણધાર્યા સ્પર્શથી એ ઝણઝણી ઊઠી. માર હોઠ એના કાન સુધી વિસ્તર્યા રે...ખા...

- સુખ ભરાઈ જવાને કારણે ફૂલી ગયેલું રેખાનું શરીર. ફ્રિજ ખોલતાં અંદરના પ્રકાશને લીધે ઝિલમિલાતો એનો ચહેરો. જમવાનું ટેબલ. આ લે. હજી તો તું જમ્યો જ ક્યાં છે? ના, હું તો પછી જમીશ. મને સ્પર્શીને બેસ. રેખા. તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી. રેખાનું સ્મિત. મારા કાન સુધી વિસ્તરતા એના હોઠ. શબ્દો નહિ. ભીનાશ.

- દિવસો. ફરીથી બારી. ઉનાળાનો તપતો બપોર. ફૅનનો કર્કશ અવાજ. મેં તને આવો નહતો ધાર્યો. આવો એટલે કેવો? આટલો અસભ્ય... રેખા, તને ખબર છે કે તું મને ગાળ આપી રહી છે... તું... તું... મારી પત્ની... કમરાની લાઈટ ચાલી જવાથી બંધ થઈ ગયેલા ફૅનને લીધે ઊભી થયેલી શાંતિમાં મારો અવાજ જોરથી સંભળાયો. હું ચોંકી ગયો. શાંત થવાનો પ્રયત્ન કરતાં મેં પૂછ્યું, તું શું ઇચ્છે છે, રેખા? હું કશું ઇચ્છતી નથી. માત્ર તને વિનંતી કરું છું કે તું બાજુના કમરામાં ચાલ્યો જા. મને એકલી પડી રહેવા દે. રેખા, તું કઈ વાતનો બદલો લે છે? મેં તને કોઈ અભાવ નથી આપ્યો. હંમેશા પ્રેમ આપ્યો છે. પણ એ તારી આંખોથી દેખાતો પ્રેમ છે. મને જે જોઈએ છે તે આપવામાં તું નિષ્ફળ ગયો છે. મને તારી સાથે જીવતાં અકળામણ થાય છે. મને લાગે છે કે હું હવે વધારે વખત જો તારી સાથે રહીશ તો પાગલ થઈ જઈશ.

- સડક. રાતનો દોઢ વાગી ગયો હતો. ભયંકર સન્નાટા વચ્ચે હું ચાલી રહ્યો હતો. સાંજે વરસાદ વરસી ગયા પછીની ઠંડક અને સુંગધ અને એકલતાની વચ્ચે હું પસાર થઈ રહ્યો હતો. ક્યાંક જઈ રહ્યો હતો. ક્યાંકથી આવી રહ્યો હતો. પણ ક્યાંથી તે સ્પષ્ટ નહોતું. કયા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે પણ ખબર નહોતી. હોઠ વચ્ચે સિગરેટ જલતી હતી. મારી ટાઈ ઢીલી થઈ ગઈ હતી અને સડક પર અથડાતાં પગલાંનો અવાજ મારા થાકનો પડઘો પાડતો હતો. સામેથી એક ટ્રક આવીને મારી આંખોને ચીરતી ચાલી ગઈ. હું સડકને કિનારે આવેલા એક બાંકડા પર બેસી ગયો. થાક અને દર્દને લીધે મારી આંખ ઘેરાઈ રહી હતી. લગભગ એકાદ કલાક સુધી એમ ને એમ બેસી રહ્યો. શરીર અકડાઈ ગયું હતું. એક રિક્ષા પસાર થઈ. હું એમાં બેસી ગયો ને મારા ઘરની દિશા બતાવી. ઘર. ત્રણના ટકોરા. રેખાના કમરાની લાઈટ નહોતી જલતી. હું ડ્રોઈંગરૂમમાં સોફા પર પછડાયો અને સૂઈ ગયો. સવારે ઊઠીને જોયું તો મને સખત તાવ હતો અને રેખા ઘરમાં નહોતી. એ મને છોડીને ચાલી ગઈ હતી. હંમેશને માટે. એણે લખેલી ચિઠ્ઠી ટેબલ લેમ્પ નીચે દબાઈને ફડફડતી હતી.

-કોફી હાઉસના ટેબલ પર એક ખૂણામાં રેખા બેઠી હતી. મને પ્રવેશતો જોઈને બેરા પાસે બિલ મંગાવ્યું અને પૈસા ચૂકવીને ચાલી ગઈ. હું એની ખાલી પડેલી ખુરશી પર બેઠો અને એણે જે જોયું હશે તે જોવા લાગ્યો.

- અમે બંનેએ સહી કરી લીધી અને પરસ્પર જોયું. મારા ચહેરા પર હાસ્ય આવ્યું એના બધા જ સ્પર્શો મારા બરડા પર તરડાઈને પસાર થઈ ગયા. થતું હતું કે અંદર ક્યાંક વેદના થાય છે. પણ કઈ જગ્યાએ તે નક્કી નહોતું થતું. રેખાએ હોઠ ફેલાવીને શુષ્ક અવાજે કહ્યું, થેંક્યું. મે પણ માથું હલાવ્યું. અમે છૂટા પડ્યાં. તે દિવસે એણે વાળમાં તેલ નહોતું નાખ્યું.

- એકલતા. ઘરના ફર્નિચર વચ્ચે ચગદાતો રહેતો શ્વાસ. રેખા હવે મારી પત્ની નહોતી. તો પણ એનું પત્નીપણું ઘરમાં અકબંધ પડ્યું હતું. એનો પલંગ. કબાટમાં ગોઠવાયેલી સાડીઓ. ડ્રેસિંગ ટેબલ પરનો અસબાબ. અરીસાની સપાટી પર છપાઈ ગયેલું એનું પ્રતિબિંબ. દીવાલોનો રંગ. પડદાનો રંગ. મારા કાન પાસે ગૂંજ્યા કરતા એના શબ્દો. મને એ દિવસે લાગ્યું કે હું રેખાને ખૂબ પ્રેમ કરતો હતો. મેં મનોમન નક્કી કર્યું, રેખા મારી પત્ની છે અને થોડા દિવસો માટે બહારગામ ગઈ છે.

મેં એને જ્યારે શૈલ સાથે જોઈ ત્યારે નક્કી કર્યું કે મારી પત્ની મરી ગઈ છે. કદાચ હું કોઈની સાથે પરણ્યો જ નહોતો. હું ચાલ્યો જતો હતો અને મારી બાજુમાંથી એક સ્કૂટર ઝડપથી પસાર થઈ ગયું. પાછળ એક પુરુષને વળગીને રેખા બેઠી હતી. મારા હોઠ બબડ્યા, તારા સ્પર્શ વિના હું મારી હાજરી અનુભવી શકતો નથી.

- વેડિંગ કાર્ડ આવ્યું. રેખા પરણતી હતી. શૈલ એનો પતિ થવાનો હતો. મેં કાર્ડમાં છપાયેલી તારીખ જોઈ. એ પરણી ગઈ હતી. મને કાર્ડ એક દિવસ મોડું મળ્યું હતું. આગલી સાંજે જ રેખા શૈલની પત્ની બની ગઈ હતી. એક દિવસ તે કૉફી હાઉસ પાસે મળી ગઈ. મેં કહ્યું, સારું થયું. આપણને કોઈ બાળક ન થયું તે. એ હસી પડી. છૂટાં પડ્યા પછી અમે પહેલી જ વાર ખુલ્લીને મળ્યા. કેવો છે શૈલ? તારા કરતાં તગડો, એણે કહ્યું અને હું ઉદાસ થઈ ગયો. પણ મેં ઉદાસી બતાવી નહિ. મોમાં પાણી ભરીને ચારે કોર ઉડાડતો હોઉં એમ હસ્યો હતો. પછી રેખાને મળ્યો જ નહોતો. દૂરથી જોતો. એ ગતિમાં જ હોય. વ્યસ્ત જ હોય. શૈલના સ્પર્શથી અંકિત થયેલી હોય. મેં મારા મનમાં એનું નામ બદલાવી નાખ્યું હતું. ઘરની દીવાલો અને બારીના પડદાના રંગ બદલાવી નાખ્યા હતા.

- ફોન. સ્ત્રીનો અવાજ. ગળેલો, રુદનથી ભીંજાયેલો. તું આજે આવી શકીશ? પણ આપ કોણ? હું... (વિરામ) ... હું રેખા... ઓહ! પણ તારો-તમારો અવાજ આવો કેમ છે? નિકેત... ઊંડો શ્વાસ, દાબેલું ડૂસકું, નિકેત...શૈલ...શૈલ... અને ફોનને ધણધણાવ્યો. વાત કર, શું થયું છે? નિકેત હાર્ટ બંધ પડી જવાથી શૈલનું... અદૃશ્ય ધોધનો પ્રવાહ. મેં આખો બંધ કરી દીધી અને કહ્યું, હું આવું છું. કદાચ એણે સાંભળ્યું હશે.

ચિત્રમાં ફરીથી રંગો ઊભરાવા લાગ્યા. પીળા રંગની જગ્યાએ કાળો રંગ ઊભરાઈ રહ્યો. કમરામાં અંધકાર વધી ગયો હતો. રેખા હજી પણ એ જ રીતે સૂતી હતી. એના વાળ કોરા હતા. કાન ખાલી, હાથ ખાલી અને કોર િવનાની સફેદ સાડી. મેં ફરીથી બોલવાનો પ્રયત્ન કર્યો. કદાચ બોલી શક્યો હતો, પણ રેખાએ પડખું વાળીને દીવાલ તરફ ચહેરો ફેરવી લીધો. હું કશું જ બોલી શક્યો નહિ. કમરામાં અંધકારની સાથે રેખાનું રુદન ઉમેરાયું. એની સિસકતી પીઠ દેખાઈ રહી હતી. મારા હાથ સળવળ્યા. સ્પર્શથી પણ આશ્વાસન આપી શકાય. પણ મને લાગ્યું કે મારી અને રેખાની વચ્ચે એક સફેદ કૅનવાસ આવી ગયું હતું, જે મારા હાથને રેખા સુધી પહોંચતાં અટકાવતું હતું. રેખાને રડતી મૂકીને હું બહાર ગયો. નોકર રસોડામાં હતો. મેં એને પૂછ્યું કેમ થયું આ બધું?

સાહેબ સવારે ઊઠ્યા ત્યારે નહોતા, એણે ટૂંકમાં કહ્યું. પણ એકદમ? હા, રાતે બહેન સાથે પિકચર જોઈને આવ્યા હતા. કોઈ સંબંધીને જાણ નથી કરી? શૈલ સાહેબ તો એકલા જ હતા અને રેખાબહેને તમને ફોન કર્યો. હું અંદર ગયો. રેખા સ્વસ્થ થઈ ગઈ હતી. હું કમરામાં પ્રવેશ્યો ત્યારે છૂટા વાળ બાંધતી હતી. એની આંખોમાં ઊંડા કૂવા સીંચ્યા હોય એવું લાગતું હતું. હું ફરીથી ખુરશી પર બેસી પડ્યો. એ એની આંગળીના નખને જોઈ રહી હતી. બહારના કમરામાં લાઈટ જલાવીને નોકર અંદર આવ્યો. દબાયેલા સ્વરે બોલ્યો, લાઈટ કરું, બેન? રેખા કંઈ બોલી નહિ. મેં હા પાડી. લાઈટ થઈ ને મારી આંખ સામે કમરાની વસ્તુઓ સ્પષ્ટ ઊભરાઈ આવી. શૈલની ટાઈ ટેબલ પર લટકતી પડી હતી. હું ઊભો થઈ ગયો અને લાઈટ બંધ કરી દીધી. રેખા પર કોઈ પ્રતિક્રિયા ન થઈ. એનો ચહેરો બદલાઈ ગયો હતો. એનું પણ કોઈ સંબંધી નહોતું. ફક્ત મને જ ફોન કર્યો હતો એમ નોકરે કહ્યું હતું. પણ કયા સંબંધે? મને વિચાર આવી ગયો અને મારા દાંત કળવા લાગ્યા.

કેટલીય વાર સુધી હું બેસી રહ્યો. રેખા એકવાર ઊઠીને બહાર ગઈ. પાછી આવી તે વચ્ચે નોકર કૉફી મૂકી ગયો હતો. બહેને કંઈ ખાધું નથી. આ કૉફી મૂકું છું. રેખા આવી. મેં કપ ઉપાડીને એના હાથમાં આપ્યો. એના શબ જેવા આંગળાનો સ્પર્શ થઈ ગયો. રેખાએ મારી આંખોમાં જોયું. કૉફીની વરાળ એની આંખોમાં આંસુ બનીને લટકતી હોય એમ પાંપણો ભીની થઈ ગઈ. એણે કૉફી પીવાનું શરૂ કર્યા પછી મેં પણ કપ ઉપાડ્યો.

દિવસોના ઢગલામાં એક નવો દિવસ ઉમેરાયો હતો અને એક નવી પરિસ્થિતિ જન્મી હતી. મારી એક વખતની પત્ની રેખા આજે.... મેં વિચાર અટકાવી દીધો. મને એ ગમ્યું નહિ. કૉફી પીઈને કપ મૂકતાં એનો હાથ ધ્રૂજ્યો. નોકર કપ લઈ ગયો. એ ફરીથી તકિયાને અઢેલીને બેસી ગઈ. આંખ પર હાથ મૂકી દીધો. મને અહીં આવ્યો ઘણો સમય થયો હતો પણ હું રેખાને કશું જ કહી શક્યો નહતો. બહાર એટલો બધો અંધકાર થઈ ગયો હતો કે બારી પરના પડદા ખેસવી લેવાથી પણ હવે પ્રકાશ થાય તેમ નહોતો.

રેખાને ગઈ કાલની રાત યાદ આવતી હશે. શૈલ અને એ પિક્ચર જોઈને આવ્યાં હતાં. ગુડનાઈટ કહ્યું હશે અને નાઈટલૅમ્પ જલાવ્યો હશે. કમરામાં ચાંદની આવતી હશે તો નાઈટલૅમ્પ નહિ જલાવ્યો હોય. વરંડામાંથી રાતરાણીની સુગંધ આવતી હશે અને કમરામાં ફેલાઈ ગઈ હશે. રેખાની બાજુમાં સૂતેલા શૈલની છાતી પર રાતના કયા સમયે મૃત્યુ ચડી બેઠું હશે? રેખાની આંખો વચ્ચે ઊઘડી ગઈ હશે તો પણ એણે શૈલને સૂતેલો જ કલ્પ્યો હશે ને?

પણ આ બધામાં હું ક્યાં હતો? મને લાગ્યું કે આશ્વાસન આપવા આવનારે આટલી બધી વાર બેસવું જોઈએ નહિ. હું ઊભો થઈ ગયો, રેખાએ આંખ પરથી હાથ ન હટાવ્યો. હું જાઉં છું, મેં રેખાને કહ્યું. એ એમ ને એમ સ્થિર રહી. જડ બની ગઈ હોય તેવી, પદાર્થ જેવી. કદાચ એણે અંદર ને અંદર હોઠ હલાવીને હા પાડી દીધી હશે. હું ચાલવા માંડ્યો. કમરાની બહાર નીકળતો હતો ત્યાં જ પાછળથી અવાજ આવ્યો: નિકેત. રેખાનો સ્વર આખા કમરામાં કંપકંપી ગયો. હું પાછળ જોયા વિના ઊભો રહી ગયો. થોડી વારે મારો ચહેરો ફેરવ્યો અને અંધકારમાં ડૂબેલી, મૌનના ઢગલા જેવી રેખાના આવનારા વાક્યની અપેક્ષામાં ઊભો રહ્યો.

Sanchay 62 - Image 4.jpg

સાંકડી ગલીમાં ઘર

વિજય સોની

અમીનાએ આંખ ખોલી, હજી અંધારું હતું. અઝાનનો અવાજ ઠંડી ચીરીને આવતો હતો. અધખૂલી રહેતી ઝૂંપડીના દરવાજામાંથી તીરની જેમ ઠંડી ધસી આવતી હતી. થોડે દૂર મસ્જિદના મિનાર પર કબૂતરોનો ફફડાટ સાંભળી શકાતો હતો. પણ આંખ વહેલી ખૂલી અે ગમ્યું નહીં. આંખો બંધ રાખીને સૂઈ રહેવા મથામણ કરી. પેટ્રોલીંગ કરતી પોલીસવાનો શાંત પડી ગઈ હતી. આંખોમાં ઉજાગરાનો થાક જણાતો હતો. એણે ચારેતરફ ઘરમાં નજર ફેરવી. રાત્રે વિચારો જ્યાંથી તૂટી ગયા હતા ત્યાંથી જોડાઈ ગયા, જાણે ઊંઘ આવી જ ન હતી.

હુલ્લડ ધાર્યા કરતાં વધુ લંબાઈ ગયું હતું. કરફ્યું હજી ચાલુ હતો. દાતણ લઈ માણેકચોક વેચવા જવાય એમ ન હતું. અમીનાએ ચારેબાજુ જોયું. મોટા અઝીમના નસકોરાનો અવાજ મોટો હતો. ફાટેલી ચડ્ડી પહેરીને નાનુ સૂતો હતો. નાનુ રમતિયાળ અને તોફાની. ઘરમાં ઉધમ મચાવી દે. અમીનાએ પળવાર આંખો બંધ કરી. વિચારો તોફાનના સપાટાની જેમ ફૂંકાઈ ગયા. આમ ઘરે રહીને ક્યાં સુધી ચાલશે? બચ્ચાંઓનું પેટ તો ભરવું પડશે ને? ઘરમાં દાલ-ચાવલ, આટો, કેરોસીન સુદ્ધાં ખતમ થવા આવી રહ્યું હતું. એની આંખો એલ્યુમિનિયમના ખાલી ડબ્બાઓ પર ફફડતા કબૂતરની જેમ ફરી ગઈ. કાબાના પથ્થરવાળું કૅલેન્ડર હવામાં ધ્રૂજતું હતું. આઝાનનો બુલંદ અવાજ અને કૅલેન્ડરનું ધ્રૂજવું બંને સાથે થતા હતા. હુલ્લડમાં ગરીબ ધ્રૂજે તેમ. મનમાં કંઈક સારું લાગ્યું. અઝીમના વાળમાં હાથ ફેરવ્યો. ઠંડો શ્વાસ લીધો અને એ ઊભી થઈ. ધંધા પર ગયે લગભગ પંદરેક દિવસ થઈ ગયા હતા. એણે કોગળા કર્યા, સિમેન્ટની પાળી કરેલી ચોકડીમાં ઊભી રહી કપડાં ઉતારવા લાગી. અઝીમ હવે બાર-તેરનો થઈ ગયો હતો. એ જાગી જાય તો? એ સંકોચાઈ.

સિમેન્ટની કોઠીમાં ગઈકાલનું પાણી ઠરીને બરફ થઈ ગયું હતું. ડબલું ભરીને શરીર પર રેડ્યું તો તીખી આહ નીકળી ગઈ. નસો હલી ગઈ, કમકમાટી આવી ગઈ. સામે ટીંગાડેલો પાયજામો ખેંચી કાઢ્યો. એની આડશમાં ઢંકાયેલો અરીસો ખુલ્યો કે તરત નગ્ન થઈ ઊભી રહી. ઘડીભર થંભી આંખ ભરીને શરીર જોયું, કેટલું બધું ભૂલી ગઈ હતી? કેવું ભૂલી ગઈ હતી? આખા શરીર પર ગરોળીની જેમ નજર ફેરવી તો અરીસામાં જાણે જીવ આવી ગયો.

આ બદન! આ ભરેલા બદન પર તો સલીમ મરતો હતો. થોડીવાર અરીસા સામે તાકી રહી. ભાગી ગયો સાલો. હરામી. કોને લઈ ગયો? ક્યાં લઈ ગયો? કોઈ ખૈર-ખબર નથી. મારે માટે મૂકતો ગયોઃ આ બે-બે પેટ પાળવાનાં અને શરીર તોડીને દાતણ વેચવાનાં વૈતરાં. એ તો ગયો પણ પછી વસ્તીવાળાની નજર બદલાઈ ગઈ. મરદો ખેંચાઈ આવતા, ગૉળ પર માખીઓની જેમ બણબણતાં. વસ્તીની હલકી સ્ત્રીઓ પણ ગુસપુસ કરતી. ચાંદબીબીનો મામદ તો એટલો નજીક આવીને વાત કરે કે જાણે આખેઆખી ગળી જવાનો હોય. સલીમના ગયા પછી એની હેરાનગતી વધી પડેલી.

કુરતામાં માંડ સમાતી છાતી આયનામાં જોઈ એ ખુદ શરમાઈ ગઈ.

રૂખી કાંઈ ગલત તો નહોતી કહેતી. રૂખી યાદ આવતાં અમીના મલકીઃ શું કરતી હશે રૂખી? એના ઘરમાંય દાલ-ચાવલ-કેરોસીન નહીં હોય?

પણ એ તો મસ્તીથી જ રહેતી હશે. રૂખી ભાગ્યે જ મોઢું લટકાવીને ફરતી. એ સાથે હોય એટલે વાતાવરણ હળવું ફૂલ. રૂખી અને અમીના માણેકચોકમાં એક જ ઓટલા પર દાતણ વેચતાં. રૂખી કાળી-પાતળી. અવાજ ઘોઘરો પુરુષ જેવો. રૂપિયાનાં ત્રણ, રૂપિયાનાં ત્રણ એવી જોર જોરથી બૂમો પાડતી હોય, દાતણ ન લેવા હોય એનુંય ધ્યાન ગયા વગર રહે નહીં. વાળ હંમેશા વિખરાયેલા. શરીર ઘાટીલું. જાજમની જેમ ઘાઘરો પાથરી-ઉભડક પગે ઓટલા પર બેસે. સાડલાનો છેડો જાણીબુઝીને છાતીથી સરકાવી દે. થોડું ઝૂકીને બેસે. પસીનો નીતરતી કાળી પીંડીઓ તડકામાં ચમકતી રહેતી. અમીના તેને ઘણીવાર ધમકાવતી.

જરા રીતથી ધંધો કરને! કોણ તારી છાતી જોઈને દાતણ લેવા આવવાનું છે? રૂખી હસતી, આંખ મીંચકારીને બોલતીઃ મારી વ્હાલી, તને ધંધો કરતાં નથી આવડતું. દિખતા હૈ તો બિકતા હૈ. તારા જેવું ડીલ હોત તો બપોર લગીમાં બસોનાં દાતણ વેચી ધણી ભેગી સૂઈ જાત. આટલાં વરસમાં તું મારી પાસેથી કાંઈ શીખી નહીં.

મરદ જોડે સૂવાનું? કેટલો વખત થયો? અમીના કશુંક યાદ કરતી મૂંગી ઊભી રહી. એને જોઈ રૂખીને કશુંક યાદ આવી ગયું હોય મૂંગી થઈ ગઈ.

રૂખીની શરીર ખોલીને ધંધો કરવાની વાત અમીનાને ગમતી નહીં પણ રૂખી ગમતી. રૂખીનો ખુલ્લો સ્વભાવ–ખુલ્લું બોલવું, ખુલ્લુ હસવું, બધું ગમતું, રૂખી પોલીસને ગાળ દેતાય ખચકાતી નહીં. પોલીસ દંડો પછાડી મફતમાં દાતણ લઈ જતો. પાછો આંખ મીંચકારી બોલતોઃ

કેમ રૂખી, આ બખોલ ખુલ્લી રાખીને બેઠી છો? કોઈ ઘૂસી જશે તો?

જા ને ભડવા તારા જેવા મફતિયાને ઘૂસવા આ બખોલ નથી. એ સાંભળી પોલીસ ભાગી જતો. રૂખીની હાજરીમાં અમીના પોતાને સલામત. સમજતી. બંન્ને સુખ–દુઃખની વાતો કરતાં. રૂખીની સાસુએ એને કપાળમાં ધોકો ઠોકી દીધો હતો ત્યારે રૂખી ઓટલા પર ચત્તીપાટ પડીને રોઈ હતી. ત્યારે અમીનાએ જ એને સમજાવી-પટાવીને ઘરે મોકલી હતી. બીજે િદવસે રૂખીએ રાતે ધણી સાથે શું શું કર્યું તેની વિગતે વાતો કરી તો અમીના સાંભળતાંય લજવાઈ ગઈ હતી.

સલીમના ભાગી ગયા પછી ત્રણ દિવસ સુધી અમીના ઓટલા પર ન આવી. રૂખી એની ખબર પૂછવા વસ્તીમાં ગઈ હતી. રૂખી એના વાંસે હાથ ફેરવતી રહી હતી. અમીના બીજા દિવસથી ઓટલા પર આવતી થઈ ગઈ હતી.

રૂખી અમીનાને એની રીતે ધંધો કરવા સમજાવતી. પણ શરીરની વાત આવે કે અમીના બિલ્લીની જેમ સંકોચાઈ જતી.

હુલ્લડમાં દરેક ઝૂંપડામાંથી એક એક માણસે રાતના વસ્તીની ચોકીદારી કરવાની હતી. મામદ અને એના દોસ્તો અમીનાની ઝૂંપડી પાસે આવ્યા હતા. એમાંના એકે બહારથી જ પૂછ્યું હતુંઃ

અમીનાબીબી, તારે ત્યાંથી કોણ ચોકીદારી કરશે? એના પૂછવામાં ટીખળ હતી. મામદ તરત આગળ આવી ઝૂંપડીમાં ઘૂસીને બોલ્યોઃ

મૈં હું ના. બધા ખડખડાટ હસી પડ્યા હતા. મામદની આંખો અમીના પર લપકારા મારતી ચોંટી ગઈ હતી. અમીનાનું ગંદી મજાકથી માથું તપી ગયું હતું. ઊભા થઈ મામદને જોરથી થપ્પડ ખેંચી દેવાનું મન થયું હતું. પછી વિચાર ઝબક્યોઃ

હુલ્લડ લાંબુ ચાલશે તો? બસ્તી પર હુમલો આવશે તો?

બસ્તીમાં મામદ એકલો મરદ બચ્યો છે. અમને બચાવી શકે અને હુલ્લડમાં રૂપિયાની જરૂરત પડી તો કોની આગળ હાથ લંબાવીશ?

મામદ સામે જોયું નજરમાં લાચારી હતી. કશુંક બોલવા મથી પણ ભયથી શરીર કાંપતું હતું. ઘરમાં ભૂખની ચૂડેલ આંટા મારતી હતી. મામદ હસતો હસતો પાછળ વળવા જતો હતો, ત્યાં જ અમીનાથી અનાયસ બૂમ પડાઈ ગઈઃ

મામદ, સો-બસો આપીશ? ધંધો ચાલુ થયે આપી દઈશ. પૈસા માગતાં જ બિલાડીના મોઢામાં ઉંદર આવી ગયો હોય એમ મામદ પાછો વળી ગયો. ખિસ્સામાંથી સો-સોની બે નોટ કાઢીને ઊભો રહ્યો.

તારે ઓટલે બેસી ધંધો કરવાની જરૂરત જ ક્યાં છે? લે રાખ, બસો પેશગી. બાકીના કામ પતે એટલે! મામદની આંખોમાં સાપોલિયાં રમતાં હતાં. એણે અમીનાના આખા શરીર પર કાચીંડાની જેમ નજર ફેરવી છાતીની પાસે ખીલાની જેમ ખોડી દીધી.

મને રંડી સમજે છે, હરામીની ઓલાદ?

હેબતાઈ ગયેલો મામદ વધુ બબાલ થાય, પોલીસનું લફરું થાય તે પહેલાં સરકી ગયો. અમીના માથું પકડીને બેસી ગઈ. અંદર ભય અને નફરત બંનેથી સણકા ઉઠતા હતા. બંને બચ્ચાં એને જોતાં હતાં.

આખો દિવસ પોલીસની જીપો અને વસ્તીનાં છોકરાં વચ્ચે ભાગા-દોડી ચાલતી રહી. છોકરાં પથ્થરો ફેંકતા, ગાળો બોલતા, પોલીસ આવતી, હાથમાં લોખંડની જાળીઓ લઈને પાછળ ભાગતી. દંડા પછાડીને ગાળો બોલતી, બે-ચાર ટીયરગેસના શેલ છોડીને ભાગી જતી. આંખો બળતી, પાણી નીકળતાં, બચ્ચાં અને બુઢાઓ અધમૂઆ થઈ જતા. નાનુ રડ્યે જતો હતો. અમીના પ્યારથી એને સમજાવતી હતી. બરાબર એ જ વખતે બહાર વસ્તીમાં શોર-બકોર થવા લાગ્યો. સ્ત્રીઓ આમતેમ ઉછળાટ કરતી શોર મચાવતી ભાગતી હતી. ફકીરચંદ મારવાડીની કેરોસીનની દુકાન વસ્તીનાં છોકરાંઓએ શટર તોડીને ખોલી નાખી હતી. વસ્તીની સ્ત્રીઓ કેડે છોકરાં દબાવી હાથમાં ડબ્બા-ટીન-પ્લાસ્ટિકના કેરબા જે હાથમાં આવ્યું તે લઈ ફકીરચંદની દુકાન તરફ ભાગતી હતી. અમીનાએ ક્યાંક ખૂણામાંથી પતરાનો ડબ્બો કાઢ્યો. એ નાનુને કેડે દબાવીને ભાગી. દુકાન પાસે સ્ત્રીઓનું મોટું ટોળું જમા થઈ ગયું હતું. રોજ લડતી-ઝઘડતી સ્ત્રીઓ અત્યારે એક થઈ ગઈ હતી. કેરોસીનની વાસથી આખો માહોલ ગંધાઈ ઉઠ્યો હતો. પોલીસના ફફડાટથી સ્ત્રીઓની નજર ચારે તરફ બેબાકળી ફરતી હતી. ક્યારે મામદ અને એના દોસ્તો નજીક આવી ગયા એની અમીનાને ખબર ન રહી.

કેરોસીન ચાહીયે? મામદે પૂછ્યું.

અમીનાએ માથું જમીનમાં દાટી દેવાયું હોય એમ ઝુકાવ્યું. મામદે આજુબાજુ આંખ ફેરવી તો સ્ત્રીઓ થંભી ગઈ. કોલાહલ શાંત થયો. મામદે આગળ આવીને દુકાનનું શટર પાડી દીધું. કિસીકો કેરોસીન નહીં મિલેગા. આજ હમે ઈસકી સખ્ત જરૂરત હૈ. એક કામ ખતમ કરનેકા હૈ. મામદની આંખના ડારાથી વસ્તીની સ્ત્રીઓ વિખરાઈ. ખાલી પીપમાં કેરોસીન પાછું ઠાલવવા લાગી. ગુપસુપ કરતી એકબીજા સામું જોવા લાગી. માથામાં ફટકો લાગે ને લોહી ગંઠાઈ જાય એમ લોકો કંઈક નક્કર સમજી ચૂક્યા હતા. અમીનાનો ચહેરો લેવાઈ ગયો. આંખોમાં ફડક બેસી ગઈ. હૃદય હથોડાની જેમ ટીપાવા લાગ્યું. એ રસ્તો ક્રોસ કરતી આગળ વધી. મામદ બી ગયેલી બકરીને જોતો હોય એમ હસતો હતો. નાનુને ઝૂંપડીમાં અઝીમને ભળાવી અમીના ઊભી વાટે ગાંડાની જેમ ભાગી.

વસ્તીથી દૂર નદીના પટમાં એક મોટો ખાડો હતો. ખાડામાં પંદર-વીસ ઝૂંપડાં બિલાડીના ટોપની જેમ ફેલાયેલાં હતાં. પોલીસ અહીં સુધી ભાગ્યે જ પેટ્રોલીંગ કરવા આવતી. ઝૂંપડાંમાં ફાનસના અજવાળે લોકો અંધારું અને ફફડાટ બંને કાપતા હતા. એક ઝૂંપડીમાં રૂખી અને પતિ અને બે બચ્ચાં રહેતાં હતા.

અમીના હાંફળીફાંફળી ઝૂંપડીમાં પ્રવેશી. રૂખી એને જોઈ હેબતાઈને ઊભી થઈ ગઈ.

કેમ અમીના અત્યારે? અહીં? કોઈ તકલીફ?

અમીના કશું બોલી શકી નહીં. આંખોમાં ભય તરતો હતો. ચારે તરફ ડોળા ફેરવીને જોયું. કોઈ જોતું તો નથી ને?

દોડીને એ રૂખીને વળગી પડી. જોરથી રડવા લાગી. અમીનાનો હાંફ હજી શમ્યો ન હતો. પગ ધ્રૂજતા હતા.

શું થયું, અમીના, કાંઈક તો બોલ? રૂખીએ અમીનાને હલબલાવી મૂકી.

રૂખી, તમે બચ્ચાંને લઈ આજે જ ખોલી છોડી ક્યાંક જતાં રો, રાતે અમારી બસ્તીવાળા... અમીનાની જીભ થોથવતી હતી. ફાનસમાં જ્યોત ફફડતી હતી. પરસેવાના રેલાથી એનું પણ મોઢું ચળકતું હતું. રૂખીનાં બચ્ચાં મૂંગાં ઊભાં હતાં. રૂખી તરત સ્વસ્થ થઈ ગઈ. એણે અમીનાને અળગી કરી.

અમીના, તું જલ્દી આ વસ્તી છોડી નીકળી જા. કોઈક જોઈ જશે તો અહીં બબાલ થઈ જશે.

અમીના ઝપાટાબંધ નીકળી ગઈ. અંધારું ઘટ્ટ બનીને થીજી ગયું હતું. ચામાચીડિયાં ચક્કર લગાવતાં હતાં. સન્નાટાથી માહોલ ગંભીર લાગતો હતો. અમીના થોડીક આગળ ગઈ ત્યાં રૂખીને કશુંક યાદ આવ્યું. એણે અમીનાને પાછી બોલાવી. ખાંડનાં ડબ્બામાંથી સો-સોની ત્રણ નોટો કાઢી ડૂચો વાળી અમીનાનાં હાથમાં દબાવી દીધી. અમીના નિસ્તેજ આંખોથી થોડીવાર રૂખી સામે જોતી રહી. ઓટલા પર ખુલ્લી છાતી રાખીને ધંધો કરતી, ખુલ્લું બોલતી, ખુલ્લું હસતી, રૂખીનું આ કયું રૂપ હતું? આંખમાંથી પાણી ખેંચાઈ આવ્યા. એ રૂખીને જોરથી વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી. રૂખીએ અમીનાનું કપાળ ચૂમી લીધું. અમીના મોઢું ફેરવીને સડસડાટ બહાર નીકળી. અંધકાર ઓઢીને નદીના પહોળા પટમાં ઓગળી ગઈ. વાતાવરણમાં ભારેલો સૂનકાર હતો. કંસારીના અવાજથી જમીન ચરચરતી હતી. હુલ્લ્ડનું પ્રેત સન્નાટામાં નાચતું હતું. અમીનાથી મુઠ્ઠી જોરથી વળાઈ ગઈ. આશંકા અને ભયથી ઘેરાયેલા મનમાં રૂખીને બચાવી લીધાનો છૂપો સંતોષ પણ હતો.

રસ્તે કૂતરાં મન મૂકીને રડતાં હતાં. આજે રસ્તો લાંબો અને બિહામણો લાગ્યો, અમીના આવી ત્યારે વસ્તી અજગરની જેમ પડી હતી. પોલીસની જીપો થીજી ગઈ હતી. વસ્તીનાં ટમટમિયાં જલતાં દેખાતાં હતાં. ઝૂંપડીમાં દાખલ થઈ નિરાંતનો દમ લીધો. ધબ્બ દઈ દીવાલના ટેકે બેસી પડી. મુઠ્ઠી ખોલી તો પસીનાથી તર ભીની નોટો એની સામે તાકી રહી. ફાનસની જ્યોત મોટી કરવા હાથ લંબાવ્યો તો અઝીમ જાગતો દેખાયો. નાનુ સૂઈ ગયો હતો. પતરાની દીવાલ પર એક ત્રીજો પડછાયો જોયો તો તે ગભરાઈ ઊભી થઈ. એની રાડ ફાટી ગઈ. કોણ છે ત્યાં? કોઈ કાંઈ બોલ્યું નહીં તો તે વધુ ગભરાઈ. નાનુની પાછળનો આકાર સ્પષ્ટ થયો.

મામદ, તું અત્યારે અહીં? એ થડકારો ચૂકી ગઈ. બોલ મોઢામાં જ મરી ગયા. એણે જાત સંકોરી. મામદે શેતાનની જેમ ફાનસના અજવાળેથી માથું કાઢ્યું. એની સુજેલી લાલ આંખોથી અમીના અને ઝૂંપડી બંને થરથરતાં હતાં.

ક્યાં ગઈ હતી અમીનાબીબી, અત્યારે કોની પાસે સુવા ગઈ હતી? કે પછી ખાડાવાળાને અમારો પ્લાન ભસવા ગઈ હતી?

આ હલકટને કેમ કરતાં ખબર પડી ગઈ? અમીનાના શરીરમાં વીજળી દોડી ગઈ.

ક્યાંય નહીં, કાંઈ નહીં! થોથવાડી એ અઝીમને સોડમાં ખેંસીને બેસી રહી. કેટલા રૂપિયા લઈ આવી કાફરો પાસેથી બધું બકી મરવાના? તને ખબર નથી મારા આદમી ક્યાં ક્યાં ફેલાયેલા છે. સાલી હરામીની ઔલાદ, થોડા પૈસા માટે ગદ્દારી કરી આવી ને? મામદ ચિલ્લાતો હતો.

અમીના મૂંગી રહીને ગુનેગારની જેમ નીચી નજરે અઝીમના વાળમાં હાથ ફેરવતી રહી.

શું કહેવું? આ કમીનો કશું સમજશે નહીં. મુઠ્ઠીમાં દબાવેલા રૂપિયા ખૂલી ગયા હતા. એને થયું મામદને મુઠ્ઠી ખોલી બતાવી દે.

જો આ રૂપિયા લઈ આવી! લે, લઈ લે તું. મને જે કરવું હોય તે કર! પણ ખાડાવાળાને કશું કરતો નહીં. ત્યાં નાનાં નાનાં બચ્ચાં છે, ત્યાં મારી રૂખી છે. રોષ અમીનાની રગમાં વીજળીની જેમ સળગતો દોડતો હતો. ત્યાં જ મામદે એને ખેંચીને ઝૂંપડીની બહાર ઢસડી લીધી.

નીચ! અમારા આખા પ્લાન પર પાણી ફેરવી દીધું. કમીની, થોડા સા પૈસા ખાતર કૌમથી વિશ્વાસઘાત કીધો, બોલતાં બોલતાં મામદ એને સાંકડી ગલીના નાકે લઈ આવ્યો. મામદના બૂમબરાડાથી ઝૂંપડાંના દરવાજા ફટાફટ ખૂલી ગયા હતા. માહોલમાં ગરમાટો આવી ગયો હતો. ટોળાંમાં ઔરતોના કલબલાટ વચ્ચે વિરોધનો ધીમો સૂર ઊઠતો હતો.

કમીની ઔરત, આપણી બધી વાતો ખાડાવાળાને કહી આવે છે. ત્યાંથી માલ પડાવે છે.

યે તો ઠીક હૈ! વો લોગને પહેલે હમલા કિયા હોતા તો અપન તો નીંદ મેં જ રહેતે ના.

ઐસી ઔરત કો સજા કરની હી ચાહીયે, ફિરસે ઐસી કોઈ હિંમત ના કરે!

કીડીઓની જેમ ટોળું મોટું થતું જતું હતું. મોટા રસ્તા પરથી લોકો આવીને ભળી જતાં હતાં. અમીનાની આંખો ફાટી રહી હતી. ચહેરો રડું રડું થઈ રહ્યો. લાચાર આંખો ચારેતરફ ફરી વળી પણ હાથ લંબાવીને રૂખીની જેમ બાથમાં ઘાલીને લઈ જાય તેવું કોઈ નહોતું. મામદનો અવાજ તાજિયાના ઢોલની જેમ ધડામ-ધડામ પડઘાતો હતો. કેટલાંક જુવાનિયા મશ્કરીએ ચડ્યા હતાં. મામદના હાથમાંથી બળ કરીને અમીનાએ છૂટવા કર્યું ત્યારે ખબર પડી, કાચની ચૂડી તૂટવાથી કાંડા પર લોહી વહેતું હતું. મામદ તો અમીનાનું કાંડું પકડીને મદારી જેમ ગોળ ફરતો એલફેલ બોલી રહ્યો હતો, અમીનાએ આંખો બંધ કરી.

કોઈ એનાં કપડાં ખેંચી રહ્યું હોય એવું લાગ્યું. મામદ ટોળું જોઈ તાનમાં આવી ગયો હતો. અમીના મોતના કૂવામાં સનસનાતી ગોળ ફરતી હતી. કાતિલ ઠંડી અને માણસોના કોલાહલ વચ્ચે એને વહેલી સવારે અઝાન વખતે ફફડતું કાબાનું પથ્થરવાળું કૅલેન્ડર યાદ આવ્યું. આંખો જોરથી મીંચી દીધી.

ચાંદબીબી ટોળામાંથી આગળ આવી, એણે મુઠ્ઠી ભરીને મરચું ભરી દીધું. અમીના બંને સાથળ વચ્ચે હાથ દબાવી, કણસતી, ચત્તીપાટ પડી રહી.

આખા શરીરમાં કાળી બળતરા

અમીનાએ ફેંફસાં ફાડીને ચીસ પાડીઃ યા અલ્લાહ...

(૨૦૦૫)

Sanchayan 62 Image 5.jpg

સ્મૃતિલોક

Sanchayan 62 Image 9.jpg.png

સર્જક ભગવતીકુમાર શર્માનું સ્મરણ: પુત્રીની આંખે

~ રીના મહેતા

એ જ મોટીમસ બારી, એ જ ઝગારા મારતો તડકો; એ જ ખુરશી, એ જ ઘણાં દૃશ્ય બદલાતાં રહ્યાં છે, પણ આ એક દૃશ્ય કાયમી રહ્યું છે. એની આસપાસ પતંગિયાની જેમ ઊડાઊડ કરતી હું, એ (25તા ભગવતીકુમાર શર્મા) લખતા હોય અને બાએ આપેલ ચા કે દૂધનો કપ જરાય ખલેલ ન પહોંચે એમ દબાતે પગલે મૂકી આવતી હું, એમની પેનમાં શાહી ભરી આપતી હું...

બાળપણની અણસમજથી માંડીને અત્યાર સુધી મેં એમને નિરંતર લખતા જ જોયા છે. નબળી આંખ ને સ્વાસ્થ્યને નેવે મૂકીને એમણે લખ્યું છે. વળતરની ચિંતા કરી નથી. પત્રકારત્વ જેવા ક્ષેત્રમાં છેક દિલ્હી સુધી પોંખાયેલો માણસ આટલા પગારમાં સંતોષ માની શકે, એ આજના જીવનમાં દુર્લભ ગણાય.

મારા વાડામાં ઝાડ પર એક પક્ષીએ માળો બાંધ્યો છે. તેમાં કેટલાય દિવસથી માદા અને નર સતત ઈંડાને સેવતાં દેખાય છે. કલાકો સ્થિર, ધ્યાનસ્થ... બસ, એજ રીતે એમણે આખી જિંદગી શબ્દને સેવ્યો છે, પીછાં આપ્યાં છે, પાંખ આપી છે અને આકાશે ઉડાવ્યો છે.

અને એ જૂના વિશાળ ઘરમાં બે જણ એકલાં રહે છે. ઘરડાં, અશક્ત થતાં જતાં પગે એકલાં ચાલે છે. ખડિયામાંથી ભરાતી કાળી શાહી જેવો સમય છલકી જાય છે. મોટા અક્ષરો પણ હવે એ માંડ વાંચે છે. મને પણ કદાચ અવાજ થકી જ વધારે ઓળખે છે. જે અક્ષરોએ આખી જિંદગી એમને પાંખ આપી હતી, એ કાગળની સફેદ સપાટીમાં વિલીન થઈ રહ્યા લાગે છે. ગમે ત્યારે સંપૂર્ણ અંધારું થઈ જશે એવા અબોલ ફફડાટ નીચે, આજે તોંતેરમે વર્ષે બ્લડપ્રેશરના વ્યાધિ વચ્ચે પણ એ જ ઉત્સાહથી કાગળ પર મોટાં વાંકાચૂંકા અક્ષરે આશરે આશરે લખવાનું એ છોડી શકતા નથી. એ અક્ષરો જ એમને જીવવાનું બળ આપે છે.

સાંજના પ્રેસમાંથી પાછાં ફરતાં એમનાં ઘસડાતાં પગલાંનો અવાજ દાદરે આવે છે. હંમેશની જેમ એ ખીંટીએ થેલો લટકાવે છે, ધોતિયું-પહેરણ પહેરે છે, ટુવાલ વડે જેમતેમ પરસેવો લૂછે છે, ઢગલો થઈ ખાટલે ઢળી પડે છે. બા કે હું ગ્લુકોઝવાળું લીંબુંનું પાણી આપીએ છીએ, ને ફરી એક વાર બબડીએ છીએ કે બંધ કરો આ બધું...

અમારો બબડાટ રેડિયોના ન્યુઝમાં ભળી જાય છે.

Sanchayan 62 Image 6.jpg Sanchayan 62 Image 7.jpg

(‘થેંક યૂ પપ્પા’ પુસ્તકઃ૨૦૦૬)

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ

ચંદ્રકાન્ત ટોપીવાળા

વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યની આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે.

પિતા જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢીમાં વર્ષો સુધી કામ કર્યા પછી પૉલિશ કૉન્સ્યુલેટમાં એમણે મેળવેલી કામગીરી એમના પોલૅન્ડ પરત્વેના વિશેષ પ્રેમને અને યુરોપિય ચેતના પરત્વેના એમના આકર્ષણને પોષણ આપે છે. હોલ્ડરલિન, કોન્સ્ટાસ, પાલામાસ, રિલ્કે, બૉદલેર, વાલેરી, પ્રૂસ્ત, ઊનામુનો જેવા યુરોપીય લેખકોએ એમની ભાવનાસૃષ્ટિને ઘડેલી.

તત્કાલીન વૈશ્વિક પ્રવાહો અને આર્થિક સામાજિક તેમજ રાજકીય પશ્ચાદભૂથી તેઓ ખાસ્સા વાકેફ હતા. પુસ્તકપ્રકાશન એમનાં સાંસ્કૃતિક સ્વપ્નોમાંનું એક સ્વપ્ન સ્થાપવા ઉપરાંત એમણે પરમાનંદ કાપડિયાના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘યુગધર્મ’માં પણ કામગીરી બજાવેલી. એચ. ઈન્દ્રર ઍન્ડ કંપનીને નામે એમણે પરદેશથી પુસ્તકો મંગાવવાની પ્રવૃત્તિ પણ કરેલી; આમ છતાં અત્યંત સંવેદનશીલ હોવાથી ઘણાં વર્ષો એમનાં અનુતાપ અને રૂંધામણમાં વીત્યાં અને અંતે એમણે આપઘાતનો માર્ગ લીધો.

સ્વેદશી ચળવળ વચ્ચે અને બ્રિટિશ શાસન દરમિયાન માત્ર અંગ્રેજી સાહિત્યથી છવાઈ ગયેલા વાતાવરણમાં અંગ્રેજી સિવાયના યુરોપીય સાહિત્યની આબોહવાનો લાભ લેનાર આ કવિ ગાંધીયુગની એક વિશિષ્ટ અને વિરલ પ્રતિભા છે. કેટલેક અંશે એમના યુગથી એમની ચેતના આગળ હોવાનો અણસાર એમની ભાવનાસૃષ્ટિ અને કવિતાસૃષ્ટિમાંથી મળી રહે છે. ‘સફરનું સખ્ય' (મુરલી ઠાકુર સાથે, ૧૯૪૦) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે અને ‘કેસૂડો અને સોનેરું’ તથા ‘કોઢાગ્નિ’ (૧૯૪૧) એમનો બીજો કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘સ્વપ્નપ્રયાણ’ (૧૯૫૯) એમની સઘળી રચનાઓને સમાવતો ઉમાશંકર જોશી સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.

વિવિધ સાહિત્યોના વ્યાપક સંદર્ભો અને ઉલ્લેખોથી ઇન્દ્રિયસંવેદ્ય પંક્તિઓ દ્વારા કાવ્યશિલ્પ દર્શાવતા આ કવિની બહુશ્રુતતા સાથે ભળેલી સ્વકીય અનુભૂતિ આસ્વાદ્ય છે. પશ્ચિમના સાહિત્યમાં મનુષ્યનું પતન અને મનુષ્યોનો અપરાધભાવ ઘૂંટાતાં ઊઠેલા એવા પ્રતિધ્વનિ તો અહીં છે જ, વિશેષમાં ભારતીય સંસ્કૃતિના વેદથી માંડી પૌરાણિક અને બૌદ્ધ ઇતિહાસના સંકેતો પણ એમાં ભળેલા છે. આ કવિમાં એકબાજુ પ્રેરણાનો વેગ છે, તો બીજા બાજુ કવિકર્મનો પરિશ્રમ પણ છે અને એટલે એમનો લયકેફ એમની પ્રણયઝંખનાની કે ધર્મઝંખનાની અભિવ્યક્તિમાં ઊતર્યા વગર રહ્યો નથી. બહેન પરની ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ રચનામાં કે ‘રાઈનર મારિયા રિલ્કેને’ જેવી રચનામાં કવિની પાસાદાર સૌંદર્યમંડિત આવિષ્કૃતિ જોઈ શકાય છે.

સીમાડા

હૈયાના બારણાની ભોગળો ભેદવી,

ઉંબર સીમાડો ઓળંગવો જી.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને

ચોક ને ચૌટામાં ભમવું જી.
વહેલે પરોઢિયે કૂકડો બોલાવે

ગામના સીમાડા એ છોડવા જી.
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં

ઊંડાં તે વનમાં ચાલવું જી.
વનના સીમાડા એ છોડવા છે મારે

રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને

સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને

ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા એ છોડવા છે મારે

ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે

એને આપું ભવોભવની પ્રીતડી જી.
હરિશ્ચંદ્ર ભટ્ટ

વિવેચન

સાહિત્યની વિચારભૂમિમાં પરિભ્રમણ ભાગ: ૧ અને ૨

ઝવેરચંદ મેઘાણી

આપણે ઢગોઢગ વાંચનારા, આપણને જાણ નથી કે આપણું ઘણુંખરું જ્ઞાન ભાડૂતી છે, જાલિમ વ્યાજે ઊછીના લીધેલા પરધન જેવું છે, કાગળના પોપટમાં ભરેલ લાકડાના ઢૂંસા જેવું છે. આપણી કવિતા સ્વાનુભવના રસમાંથી ઉદ્ભવેલી કેટલી? આપણી વાર્તાઓમાં નિજપારખ્યા ભાવોનું સિંચન કેટલું? આપણી ભાષા પણ ક્યાં આપણી છે! આપણે છીએ મધ્યમ વર્ગના માણસો, મધ્યમ જનસમૂહ આપણી આસપાસ ખદબદે છે. એની જીવનદશાને કોઈ વાર્તાકારે સાચેસાચ પૃથક્કરણપૂર્વક અને વાર્તારસને વહાવતી શૈલીએ સાહિત્યમાં ઉતારી છે? મધ્યમ વર્ગનું જે ઉપલબ્ધ છે તે વાર્તાસાહિત્ય પૈકીનું ઘણુંખરું પોકળ, બાહ્ય રંગોએ રંગેલું, તેમજ દૃષ્ટિવિહીન છે એવું કહેવામાં ઝાઝી હિંમતની જરૂર નથી. (ભાગ: ૧, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ.૭)

* * *

કવિઓએ, સાહિત્યિકોએ, કોઈપણ કલાસર્જકે, એટલું તો સ્વીકારીને જ જીવન શરૂ કરવું રહે છે, કે જનતા જ જો સર્વ સંસ્કારોથી સંપન્ન બની ગઈ હોત તો તેઓને સાહિત્યકારોની જરીકે જરૂર ન રહેત. આજે પુસ્તકો ખરીદનારાઓ પોતાની રુચિથી ઊંચી કે નીચી ભૂમિકા મુજબનો રસ અનુભવી પુસ્તકો ખરીદે છે. એમની રુચિને એક અથવા બીજા સાહિત્યપ્રકાર તરફ વાળવા ભગીરથ પ્રયત્નો (મૂંગા અને બોલતા) કરવા જ પડે છે. એ પ્રયત્નો આજ સુધી સતત થતા રહ્યા છે. આ કાંઈ સાહિત્યકારોની સરમુખત્યારીનો યુગ નથી કે પ્રત્યેક પ્રજાજનને માથે અમુક પુસ્તક ખરીદી તો ફરજિયાત કરી શકીએ. એ તો પ્રજારુચિનો પ્રશ્ન છે. વળી રુચિને ને પૈસાને સારો બનાવ નથી. રુચિવાળા માગીભીખીને પુસ્તકો વાંચે છે. ન-રુચિવાળા શોભા પૂરતાં પણ થોડાં સંઘરે છે; એટલો તેમનો પાડ માનો. ઉપરાંત ગુજરાતની પ્રજામાં નવી રુચિ, નવી દૃષ્ટિ, નવો સંસ્કાર, એ તો દાયકે દાયકે ઘડાઈ રહ્યાં છે. લોકોને મારીને મુસલમાન - એટલે કે લાનતો દઈને સાહિત્યપ્રેમી - થોડા બનાવી શકશું? (એજ, પૃ.૧૭)

* * *

ભાષાનો પ્રચાર પ્રાણવંતા વિચારબળને અધીન છે. અને ભાષા કેવળ શબ્દ-વાક્યોની બનેલી નથી. હરએક ભાષા પોતપોતાના પ્રદેશનો લોક-સંસ્કાર એવી રીતે ધારણ કરે છે. જેવી રીતે ચહેરા પરના સૌંદર્યને મૂળે તો માનવીનું હૃદય ધારણ કરે છે. પથ્થર પર પડતુ ટાંકણું એના શિલ્પીના પ્રાણમાંથી જ પ્રત્યેક રેખાને ખેંચે છે.

એટલે જ જ્યારે અન્ય ભાષાનું સાહિત્ય ગુજરાતીમાં ઉતારવાની ઉતાવળ અને રકાઝક મચે છે ત્યારે દહેશત લાગે છે. અનુવાદ કરનારા આ મૂળ કૃતિની વાનીમાં અગોચર પડેલા એ સંસ્કારની ખેવના કરતા નથી. સંસ્કૃત માતાની દીકરીઓ સમી હિંદની ઘણીખરી પ્રાંતભાષાઓ શબ્દો-વાક્યોનું સામ્ય ધરાવતી હોવાથી શબ્દને બદલે શબ્દ મૂકવાનું કામ અનુવાદકને સરળ પડે છે. એથી જ એ છેતરાય છે.

અનુવાદકોએ ભાષાજ્ઞાન મેળવ્યું હોય, ત્યાંના લોકજીવનનો પરિચય નથી મેળવ્યો હોતો. એ વાતને ઉવેખનારા અનુવાદકો એ સર્જકોને અન્યાય કરે છે.

અમુક અમુક પ્રદેશોમાં અનુવાદ કરવો એ સ્વતંત્ર કૃતિ લખવા કરતાં વધુ કપરું કામ છે. (એજ, પૃ.૧૪૫)

* * *

તમે લેખકો છો; પણ જે યાતનામાંથી, અગ્નિકુંડોમાંથી લેખકે નીકળવું પડે છે તેમાંથી નીકળ્યા છો? કેટલાક લેખકો શરૂઆતથી ઝળકી ઊઠ્યા, એમની કૃતિમાં નગદ વસ્તુ હતી માટે. એમણે પરસેવા પાડ્યા હશે. પાથેય ભેગું કર્યું હશે. પૈસાની વાત કરતાં એટલું યાદ કરવાનું ન ભૂલશો કે તમારામાં સત્વશીલતા કેટલી છે, તમારું ભાતું શું છે, કેટલું ભણ્યા છો, ‘ક્લાસિક’ કેટલાં વાંચ્યાં. આ પ્રશ્નો જાતને પૂછતા રહેજો.

ભાતા વિના પ્રવાસ કરવો છે? લેખકના વ્યવસાયને સ્પ્રિંગબોર્ડ માનો છો? વીસ, પચીસ ચોક્કસ વર્ષ આ ક્ષેત્રને આપવાં છે એમ નક્કી કરો. આજે લખ્યું તે કાલે પ્રકાશક પાસે ન લઈ જવાય. આમાં સિનિયરોનો પણ વાંક છે. તમારાં લખાણ મારી, ઉમાશંકર - ધૂમકેતુ વગેરેની પાસે લઈને આવો છો ત્યારે અમારી ફરજ તમને મોઢામોઢા સાચું કહી દેવાની, ખામી બતાવવાની છે. પહેલી ફરજ મોટેરાઓની છે; સત્વના ધોરણને નીચું ન પડવા દઈએ. (એજ, પૃ. પ૮૨)

* * *

દાકતરી દુનિયાનાં અનિષ્ટોને ઉઘાડા પાડતી ‘ધ સિટાડલ’ નામની નવલકથા હમણાં પ્રકટ થઈ. જેની ૩૧ હજાર પ્રતો ચાર જ દિવસમાં ઊપડી ગઈ. તે પછી એની બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આવૃત્તિની દરેકની (દસ-વીસ હજાર) પ્રતો પ્રસિદ્ધ થયા ભેગી જ ખપી ગઈ. હવે એની નવી આવૃત્તિ પ્રેસમાં છે.

અંગ્રેજી જાણનાર આલમની વસ્તી-સંખ્યા કાઢો. ત્યાંની સાહિત્ય રસિકતાનો પણ આંક નક્કી કરો. અને ગુજરાતનું એની સરખામણીમાં બધી વાતનો હિસાબ લઈ પ્રમાણ કાઢો, તે પછી તમારું કલેજું થીજી જશે. ગુજરાત પાસે પુસ્તકો વાંચવાનાં દોઢિયાં નથી એમ કોઈ કહે તો માનતા નહીં. અભાવ દોઢિયાંનો નથી પણ નાણાં ખરચીને વાચન મેળવવાની વૃત્તિ પ્રજામાં જાગૃત કરનાર અખબારી વિવેચનાનો ગુજરાતમાં અભાવ છે. (ભાગ - ર, નવસંસ્કરણ, ૨૦૦૯, પૃ. ૧૩૦)

* * *

નૃત્યને, ચિત્રને કે કાવ્યને, શિલ્પને કે સ્થાપત્યને, ફરીથી પ્રજામાં પ્રતિષ્ઠિત કરવાનાં છે. એ કર્યા વગર પ્રજાના ઊર્મિતંત્રમાં જે અનેક અનેક સંચા ખોટકાયા છે, તેને ઠેકાણે લાવવાનો બીજો માર્ગ નથી. ક્ષુધાની લાગણીની જોડાજોડ બીજી લાગણીઓ પણ સંતોષવા માગતી ઊભેલી જ છે. પ્રજાવ્યાપી વિરાટ માનવદેહમાં કંઈ કંઈ મનોકામનાઓ, મહેચ્છાઓ, આવેગો ને આવેશો રમણ કરે છે. સ્ફૂર્તિ અને મુક્તિ શોધે છે. એની સામે વિલાસ! વિલાસ! નામનાં પાટિયાં લગાવી પ્રવેશદ્વાર રૂંધવાથી શું વળશે? (એજ, પૃ.૨૭૬)

* * *

આપણાં જૂનાં ગીતો કૃષ્ણ-ગોપીનાં: દયારામ, નિષ્કૃલાનંદે કે મીરાંએ ગાયેલાં પ્રેમલક્ષણા ભક્તિનાં રમ્ય પદો ને છેલ્લે છેલ્લે રવીન્દ્રનાથનાં ગીતાંજલિ-ગીતો: આ તમામને એની ઉપર વીંટવામાં આવેલા આધ્યાત્મિકતાનાં ગાભામાંથી મોકળાં કરી એની શુધ્ધ સંસારી ભાવોને હિસાબે મૂલવીએ, તો તે વધુ પ્રામાણિક વાત નથી શું?

અંતરના ઊંડેરા અપરિતૃપ્ત પાર્થિવ પ્રેમની જ વેદના આ કવિ હૃદયોમાં જાગી હોય, ને તેઓએ કોઈ એક કલ્પના-પ્રીતમને શુદ્ધ સંસારી ભાવે જ આ ગીતો સંબોધી હજારો - લાખો અતૃપ્ત હૈયાંની પ્રણય વાણી ઉચ્ચારી હોય, તો તેમાં શો વાંધો છે?

માનવ-પ્રેમને હીણી દૃષ્ટિએ જોવા લાગીએ છીએ ત્યારે આપણે જગતના કેટલાય નિર્દોષ સુંદર સાહિત્યનો વધ કરી બેસીએ છીએ. મહાભારત-રામાયણ, પુરાણો અને વેદ વગેરે સાહિત્યને જો આપણે શાસ્ત્રદૃષ્ટિનાં સાણસામાં ન સપડાવ્યું હોત, જેવું છે તેવું માનવજીવનનું જ પ્રતિબિમ્બક સાહિત્ય લેખે જ મૂલવ્યું હોત, તો એ તમામ સાહિત્યે સાહિત્ય તરીકે જગત પર ઘણો ઉપકાર કર્યો હોત કેમકે તેણે ઢોંગને, વેશને, આત્મભ્રાંતિને પોષવાને બદલે યથાર્થ જીવનરસને જ પોષ્યો હોત. (એજ, પૃ. ર૧૪)

* * *

પુરાતત્વવિદ્યા તો અમુક ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓનો જ રસનો વિષય છે, એવું મંતવ્ય પણ વિભ્રમકારી છે. આપણે નવી ઊભી કરેલી ‘કમ્પાર્ટમેન્ટલ સિસ્ટમ’ જ આપણા જીવનના રસોને આમ ટાંકાનાં પાણીની સ્થિતિમાં ધકેલી રહેલ છે. પુરાતત્વ એ કાંઈ હાડકામાંથી ખાંડ બનાવવાની વિદ્યા કે ચીંથરામાંથી કાગળ બનાવવાની વિદ્યા નથી. પુરાતત્વ તો ચેતનાયુક્ત સંજીવની-રસથી ભરપૂર વિષય છે. એ તો છે ઇતિહાસની ‘રોમાન્સ’. એના જેવી અદ્ભુતરંગી મહાકથા કઈ છે બીજી? મારા પ્રાંતનાં ખંડેરે ખંડેરે પ્રેમી યુગલો, બહાદુરો, યોગીઓ અને ચાંચિયાઓ જે જીવન જીવી ગયાં હશે તેને કલ્પનામાં સાકાર કરી કરી પુરાતત્વનાં પ્રજ્ઞાચક્ષુઓ વડે પ્રાણધબકતાં પ્રત્યક્ષ જોવાં, અને તેમના વિલય પામેલા યુગયુગોમાં હસતાં, પડતાં, પ્રત્યેક ઊર્મિનો અનુભવ કરતાં કરતાં પરિભ્રમણ કરવું એ કોના રસનો વિષય નથી? એ કોના અંતરમાં પ્રેરણા અને સ્ફૂરણાનાં રોમાંચ નથી જગાડતું? એ કોઈ એકદેશીય એકમાર્ગી માનવીનો માથાફોડિયો પ્રદેશ નથી. પુરાતત્વને ખોળે તો ઇતિહાસ, સાહિત્ય અને સ્થાપત્ય રમી રહેલ છે. પુરાતત્વના કલેજામાં કથાકાર માટે વાર્તાઓ પડી છે. શિલ્પી માટે રૂપ ને રેખાના ખજાના ભર્યા છે. ગણિતનો જટિલ દાખલો ગણવા જેવી એ વાત નથી. પુરાતત્વની વિદ્યા સકલ જીવન વિદ્યાઓની સંજીવની છે. (એજ, પૃ. ૪રર)

* * *

કલાજગત

મારી નજરે

~ રવિશંકર રાવળ

શાંતિનિકેતનમાં મારા જાણવામાં આવ્યું હતું કે શ્રી અવનીબાબુની તબિયત હમણાં બહુ શિથિલ રહે છે અને ભાગ્યે કોઈને મળે છે અથવા બહારની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે. તેમને ૭૧મું વર્ષ બેઠું તેની અભિનંદનસભા ત્યાં થઈ તેમાં પણ જાતે જઈ શક્યા નહોતા. માત્ર તેમના પ્રધાન શિષ્યવર્ગને ઘર આગળ થોડી મધુર વાતચીતની તક મળી હતી. તે મંડળમાં શ્રી નંદબાબુ પણ હતા. એક મિત્રે એ પ્રસંગની બહુ નોંધપાત્ર વાત કહી.

વર્ષો પહેલાં થોડી મજાકમાં શ્રી અવનીબાબુએ શ્રી નંદબાબુને કહ્યું, ‘નંદ, તું મારી ગુરુદક્ષિણા તો આપ; હજુ તેં મને કંઈ નથી આપ્યું. જો તું કંઈ આપવા માગતો હોય તો કાલીઘાટ પર સવારથી જઈને ત્યાં બેસી, ચિત્ર કરી, જનતાને વેચી, એક દિવસમાં જે મળે તે મને આપ.’ નંદબાબુ તો શ્રદ્ધાન્વિતભક્ત શિષ્ય હતા;

(શ્રી અવનીન્દ્રનાથ ઠાકુર ગુજરત કલાસંઘના ચિત્રો અવલોકે છે. ડાબી બાજુએ  : રવિશંકર રાવળ અને તેમના ચિ. નરેન્દ્ર રાવળ)

એટલે બીજે જ દિવસે એ વાતનો અમલ કર્યો. આખો દિવસ ઘાટ પર બેસી ચિત્રો કરી વેચ્યાં તેમાંથી પાંચસાત રૂપિયાની રકમ ઉપજી તે લઈને આવ્યા અને ગુરુચરણે ધરી. એ રકમનું પડીકુંવાળી અવનીબાબુએ કોઈએક ઠેકાણે સાચવી મૂકેલું, તે ઉપરના અવસરે ઊઠીને શોધી લાવ્યા અને નંદબાબુને યાદી આપી કહ્યું, ‘લે ભાઈ, તારી ગુરુદક્ષિણાનો સદુપયોગ કરવાનો આજે અવસર મળ્યો છે. આજે તારા વિદ્યાર્થીઓને આ રકમમાંથી મીઠાઈ ખવડાવજે!’

શ્રી અવનીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતઃ-

શ્રી અવનીબાબુના વિનોદ અને મૌલિકતાનું એક ઉદાહરણ છે. દરેક પ્રસંગે વ્યક્તિ કે કૃતિ પર તેમના મગજમાંથી કંઈ ને કંઈ નાવિન્ય પ્રગટે છે એવો તેમના પરિચયમાં આવેલા સર્વને અનુભવ થયો છે. પણ મને ઘણાઓએ કહ્યું કે હમણાંહમણાં તેમની તબિયતના કારણે ઘણીવાર મામૂલી વાત પર પણ ખફા થઈ જાય છે, માટે મળવા જવા સારું યોગ્ય સમય માગજો જ. મેં તો અગાઉથી જ પત્ર લખેલો. તેમના સ્વહસ્તે તેનો ટૂંકો પણ ભાવભર્યો પ્રત્ત્યુતર મળ્યો, એટલે બીજા દિવસે સવારે નવ વાગે અમે દ્વારકાનાથ લેઈન જવાની ટ્રામ પકડી.

શ્રી અવનીબાબુ મારે મન કળાના એક અગ્રગામી ઋષિ હતા. તેમને ૭૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે અભિનંદન રૂપે ગુજરાત તરફથી કંઈક ભાવ પ્રદર્શિત કરવો જોઈએ એવું કર્તવ્યભાન થયું એટલે એક પુષ્પહાર લઈ અમે આઠેકફૂટ પહોળી દ્વારકાનાથ લેઈનમાં પેઠા. જૂની ઢબનું કલકત્તા હજી અહીં જીવંત છે. અંદર જરા દૂર ગયા પછી મોટો ચોક આવે છે. તેની ચારે તરફ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના વખતની ઢબની થાંભલાવાળી મોટી હવેલીઓ છે. જમણે હાથે પહેલું જ મકાન શ્રી અવનીબાબુનું છે ને સામેનું મકાન ગુરુદેવ રવીન્દ્રનાથનું છે.

પહેલાં

૧૯૨૦માં હું પૂર્વના પ્રવાસે ગયો ત્યારે આ ગલીમાં આવેલો. એ વખતે શ્રી અવનીન્દ્રનાથ કલકત્તા કલાશાળાના અધ્યાપકપદેથી તાજા નિવૃત્ત થયા હતા, પણ તેમણે સ્થાપેલી ઓરિએન્ટલ આર્ટ સોસાયટી આબાદીની ટોચ પર હતી. સમવાય મૅન્શનના એક વિશાળ માળ પર તેના અભ્યાસખંડો, બેઠકો ને ગ્રંથાલય જોઈ હું છક્ક થઈ ગયો હતો. તેમના ઘરનો પણ આગળનો વૈભવ અને ભભકાની છટા ઔર હતાં. દેશદેશાવરના કલાકારો અને કલારવિંદો તેમને ઘેર મહેમાન થતા યા મુલાકાતો લેતા, અને હિંદ તેમજ બહારનાં પત્રોમાં તેમના નિવાસનું તેમજ તેમની કલામય વિનોદી પ્રકૃતિનું અને તેમના બંધુ શ્રી ગગનબાબુનું રંગદર્શી વર્ણન પ્રસિદ્ધ થતું. ઘરમાં પ્રવેશ કરતાં, દાદરના કઠેડાથી શરૂ કરી દીવાલો, ગોખ ને બારસાખો ઉપર તથા ખંડેખંડમાં તેમણે પૌરસ્ત્ય કળાની પ્રતિમાઓ, ચિત્રો અને રચનાઓથી ઘરમાં કંઈક મુઘલાઈ, કંઈક રાજપૂત, કંઈક તિબેટન ને પ્રાચીન સંસ્કૃતિઓનું સંગીત ઊભું કર્યું હતું. પાછળની વિશાળ પરસાળમાં એ બંને કલાકારભાઈઓની નિરંતર બેઠક રહેતી અને થોડેથોડે

આ સાથે વર્ણવેલી મુલાકાતને દિવસે દોરેલો શ્રી અવનીબાબુનો સ્કેચ.

`અંતરે આરામ ખુરશીઓ પર બેઠા નવાબી હુક્કાની લાંબી નળીઓ મોંમાં રાખી પોતાનાં ચિત્ર સર્જનો કર્યે જતા. અંદરના એક મોટા ખંડમાં વચ્ચોવચ જમીન પર નીચી બેસણીની પાટ પર મોટા ગાદીતકિયાની બેઠકો હતી, અને બારીઓ તથા દીવાલો ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સમયનાં ઊંચા અને મોટાં માપના હતાં છતાં તેનું એ રૂપ ઢાંકવા અહીંતહીં મુઘલ વેલપત્તીઓ કે બારીઓમાં ગુપ્તકાળની છાંટવાળી લાકડાંની રચનાઓ કરી હતી. ભીંત ઉપર અને ખૂણાઓમાં શ્રી અવનીબાબુએ તેમજ તેમના જાપાની કલાકાર અતિથિએ દોરેલાં નાનાંમોટાં ચિત્રો ઔચિત્યપૂર્વક ગોઠવ્યાં હતાં. એકએક ખંડ નવી દૃષ્ટિ, અભ્યાસ અને સંશોધનના પરિપાકની સર્વાગ પૌરસ્ત્ય સ્વરૂપ અને સુગંધ અર્પતો હતો. ઘણાનું અનુમાન હતું કે તેમણે એકઠી કરેલી એ કળાસમૃદ્ધિ બેથી અઢી લાખ ઉપર પહોંચી હતી! આખા ઘરમાં દરેક ખંડ તરુણો, બાળકો ને યુવતીઓથી ભર્યોભર્યો લાગતો હતો. શ્રી અવનીબાબુની સુદૃઢ ઊંચી કાયા અને તબિયતભર્યા સ્મિતવાળી આંખની ચમક ને હોકાની લહેર તેમને એક અનેરૂં વ્યક્તિત્વ આપે છે. અનેક વિદ્વાનો, કલાકારો અને વિદ્યાર્થીઓ સાથેના એમના વાર્તાલાપો કલ્પનાતરંગ અને મૌલિકતાથી નોંધપાત્ર બન્યા છે. હિંદનાં સાહિત્ય, સંગીત અને કલાને મોરચે રહેનાર આ ભવ્ય પુરુષને સર્વશ્રેષ્ઠ કલાનાયકની પદવી આપવામાં યુનિવર્સિટી ને સરકારે એકમતે સહકાર આપ્યો હતો.

દેશપરેદશમાં હિંદી કલાનો ધ્વજ ચડાવનાર અવનીબાબુ એક વખતે પાકા યુરોપી ઢબની અદાથી ચિત્રો કરતા, પણ ૪૫ વર્ષની અવધે તેમણે એ અંચળો ફગાવી દઈ માતૃભૂમિના જીર્ણ કલામંદિરનો ઉદ્ધાર કર્યો અને આજે શિષ્યપરંપરાએ કંઈ નહિ તો ૨૦૦૦થી વધુ પૂજારીઓને એ મંદિરની દીક્ષા મળી ચૂકી હશે. મેં પણ જૂના મોર્ડન રિવ્યુમાંથી એમની કલાકૃતિઓને આદર્શ પાઠો માની હતી.

આજ (૨૩-૯-૪૧)

૨૧ વર્ષ પર ૧૯૨૦માં પહેલી મુલાકાત વખતે દોરેલો સ્કેચ.

એમની ઉત્તરાવસ્થાએ એમના સફળ જીવનને અભિનંદન આપવાનો ધન્ય અવસર મને પ્રાપ્ત થયો છે એ વિચારથી હું મનમાં ભાવ ને પ્રસન્નતા ધારણ કરી એમના ઘરમાં પ્રવેશ્યો. જે બારણા આગળ એકબે ચમકતી મોટરો હતી, પાંચસાત દરવાનો હતા એ ઘરમાં આજે સૂનકાર શાંતિ હતી. નવ વાગ્યા હતા છતાં અમે વહેલાં પહોંચ્યા કે શું એવી શંકા થઈ. અંદરના પેલા જાણીતા દાદર પર ચડી ઉપલે માળે બારણા આગળ જરા અવાજ કર્યો એટલે એક નોકર આવ્યો. તેને નામની ચિઠ્ઠી આપી. દરમિયાન ચોમેર નજર કરી તો મારું પૂર્વનું ચિત્ર બધું અલોપ થએલું લાગ્યું.

દાદર, કઠેરો, ભીંત અને ખંડો, જાણે ઘર ખાલી કરી રહેનારાં ચાલ્યા ગયાં હોય એવાં અડવાં બની ગયાં હતાં. ચિત્ર, મૂર્તિ, ફર્નિચર કે કોઈ ચીજ ક્યાંયે દેખાઈ નહિ. મને ખબર મળ્યા હતા કે તેમણે પોતાનો સર્વ કલાસંગ્રહ વેચી નાખ્યો છે અને કોઈ કૌટુંબિક આપત્તિને કારણે આ ઘરનો પણ ત્યાગ કરવાના છે. પણ આ રીતે ધર્મશાળા જેવું ખાલીખમ અને નિઃસ્તબ્ધ વાતાવરણ જોઈ મને બહુ ભીતિ લાગી કે તેમની તબિયતના શા હાલ હશે. નોકર થોડી વારે પાછો આવ્યો અને પાછો નીચે પાછળની મોટી પરસાળમાં લઈ ગયો. ત્યાં બીજે છેડે માત્ર બગીચામાં હોય એવા એક પાટ ઉપર એમની પલાંઠી મારેલી મૂર્તિ દૃષ્ટિએ પડી અને મારી કલ્પનામાંયે નહોતી એવી પરિચિત તેમની અસલ લહેરથી મને પાસે બોલાવ્યોઃ ‘આવો આવો; પાસે બેસો. મારો એક પૌત્ર બીમાર હતો તેની સારવાર માટે રાત્રે ઉજાગરો થએલો, એટલે હમણાં જ ઊઠ્યો છું. હવે નિરાંતે વાત કરો. મેં પ્રથમ તો તેમને હાર પહેરાવી વંદન કર્યું. એથી તેમની પ્રસન્નતા વધી. કોઈ ઓલિયા ફકીરની બેપરવાઈથી બાદશાહી ઢબે તેમણે તો વાત ઉપાડી, થોડી વારે નોકર તેમના માટે ચા અને ટોસ્ટ લઈ આવ્યો. અમને પૂછ્યુંઃ તમે કંઈ લેશો?’ પણ અમે બધું પતાવી આવેલા તે વાત કરી એટલે આગ્રહ લંબાવ્યો નહિ. મોટા પરિવાર ને સંપત્તિવાળા આ વૃદ્ધને શાંતિથી એક પ્યાલો ચા અને બ્રેડ પતાવી ધીરેથી એક મોટું પાન ગાલમાં ચડાવી દેતા જોયા ત્યારે લાગ્યું કે એમને બહારના ભરતીઓટની જરા યે પરવા નથી. તે તો પોતાની કલ્પના અને કલાવૃત્તિની લહેરમાં સદા મસ્ત છે અને રહેવાના.

શ્રી અવનીન્દ્રનાથે લાકડાના ટુકડા ને વાંસની ગાંઠો જેવી મામૂલી વસ્તુઓમાંથી બનાવેલાં બાળકોનાં નવતર રમકડાં મેં પહેલાં તો ગુજરાત કલાસંઘના ચિત્રોની છાપો બતાવી. શાતિનિકેતનની વાત કરી. ગુજરાતના જૂના ચિત્રો બતાવ્યાં. બધું જોઈને કહેઃ ‘આખું હિંદુસ્તાન એક જ છે. હિંદની પશ્ચિમની બાજુએ ગુજરાતમાં રંગ અને રેખાનું જેવું સર્જન છે તેવું જ અમારી બંગાળની ગ્રામ કળામાં છે. પણ હવે તમારા વિદ્યાર્થીઓને કહો કે આલેખનની શક્તિ વધારે. અરે, હું તો ચિત્રો જોતાં જ મત્ત થઈ જાઉં છું અને બાવડાંમાં સ્ફુરણા થાય છે. I feel like an old war-horse hearing cannons. I wish I were young agind. (તોપોનું ગર્જન સાંભળી ગર્દન ઉઠાવતા યુદ્ધના વૃદ્ધ અશ્વ જેવું મને થાય છે. હું ફરીવાર તરુણ બની જાઉં તો કેવું સારું?) તમે જે કામ કરો તે ભાવિ પ્રજાને પણ કામ લાગે એવું કરજો. દરેક વિષયનું જ્ઞાન અને વિગતો ચિત્રમાં ઉતારજોઃ યાન, આસન, વસન, ભૂપણ, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, (યાન એટલે બધાં વાહનો, પાત્રો વગેરે; આસન = શરીરની બધી ચેષ્ટાઓ; વસન = બધાં વસ્ત્રો, આભૂષણ બધી જાતના અલંકારો અને સાધનો; સ્વર્ગ = આકાશના રંગો અને વાતાવરણ; પૃથ્વી = દૃશ્યો, વનસ્પતિ વગેરે. પાતાળ = જમીનમાંથી નીકળતા પદાર્થો અને પ્રાણીઓ.)

વૃદ્ધ બાળક

Sanchayan 06-2024 Image 12.jpg

આ એમની વસ્તુનિરૂપણ કરવાની લાક્ષણિક ઢબ હતી. એકવાર તે વાતના રસે ચડ્યા એટલે વખતનો પ્રશ્ન જ ન રહે. એમણે કહ્યું ‘મેં ગુજરાતી પણ શીખવા માંડ્યું હતું. હું ચિત્રો નીચેનાં નામ વાંચી શકું છું. આપણે એકબીજાની પ્રાંતની ભાષા જાણવી જ જોઈએ. ગુજરાતી હું કરુણાશંકર માસ્તર પાસે શીખતો હતો. તેમની તબિયત કેવી છે?’ એમની સ્મૃતિ આમ અજબ ઝબકારા મારે છે. છેવટે મેં કહ્યું, ‘આપની હાલની પ્રવૃત્તિ કંઈ હોય તો બતાવશો?’ એટલે હસીને કહ્યું, ‘જુઓ હું હવે વૃદ્ધ થયો છું; અને વૃદ્ધાવસ્થા એ બીજી બાલ્યાવસ્થા છે, એટલે મને હમણાં રમકડાં કરવામાં મજા પડે છે. મારા પૌત્રને ખુશ કરવા મેં રમકડાં બનાવ્યા છે તે હું તમને બતાવું.’ એમ કહેતાંક ને અમને ઉપાડ્યા. ખાલીખમ મોટા ઓરડા પસાર કરી અમે ઉપરની પરસાળમાં તેમની અસલ જગ્યા પર પહોંચ્યાં. બધે જૂનાં ટેબલો, જૂની ખુરશીઓ અને નીચે દેખાતો ઉજ્જળ બગીચો!

(સૌમ્ય, સ્વસ્થ અને સરળ રમેનબાબુ (ફોટો - નરેન))

પણ તેમણે એક ખાનું ઉઘાડી કાચલાં, શંખલા, પથરા અને વાંસની ગાંઠોના ઢગલામાંથી થોડીક ચીજો કાઢી બતાવી તો સર્જકશક્તિનો તદ્દન નવો જ પરિચય મળ્યો. એકાદ લાકડાના ટુકડાને અહીંતહીં જરા છોલી તે પર આંખ મૂકેલી અને મગરનું રૂપ કરી નાખેલું! એક વાંસની ગાંઠમાંથી વાઘનું મોં ઉપસાવેલું! લાકડાના ટુકડામાંથી વહાણો બનાવેલાં અને કેટલાંકમાં તો દોરી અને કમાનની રચનાથી હીલચાલ થાય એવું ગોઠવેલું. મામૂલી ચીજોમાંથી કલ્પના અને યોજના વડે બાળકોને અપાર આનંદ અને શિક્ષણ આપી શકાય છે તેનું સ્પષ્ટ દર્શન થયું. વાતોમાં ને વાતોમાં ઘણો વખત વીતી ગયો.

લગભગ બાર વાગવા આવ્યા હતા એટલે વાતો ટૂંકી કરી અમે એ વૃદ્ધ કલાવીરની રજા લઈ નીકળ્યા. ભાઈ વ્રજલાલને તો તેની આ ફકીરીમાં પણ કાયમ રહેલી બાદશાહી મુદ્રા જ યાદ રહી ગઈ છે. સમયનો શો પલટો? છતાં ભારતીય કલાના સમુદ્રના ઇતિહાસમાં તેમનું નામ અગ્ર પદે જ રહેશે.

શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્ત

કલાકાર શ્રી મણીન્દ્રભૂષણ ગુપ્તાને ઘેર : જમણી બાજુ - રવિશંકર રાવળની પાછળ શિવકુમાર જોશી અને વ્રજલાલ ત્રિવેદી

કલકત્તા કલાશાળાના કલાકાર મિત્રોનાં ચાપાનનાં નોતરાં પણ મારે મન તો તે વ્યક્તિનો પરિચય અને તેમની કળાનો વિસ્તાર સમજવાને બહુ ઉપકારક બન્યાં હતાં. તેમાંના એક શ્રી મણિબાબુ તો અમદાવાદ બે વર્ષ શેઠ અંબાલાલ સારાભાઈને ત્યાં ચિત્રાચાર્ય તરીકે રહી ગયા હતા ત્યારનું અમારે ઓળખાણ હતું. એ ભાઈશ્રીએ હિદુસ્તાનના ચારે ખૂણાના અનુભવ લીધા છે. પહેલાં એ શાંતિનિકેતન કળાશાળામાં દીક્ષા પામ્યા. વચ્ચે સીલોનની ચિત્રશાળામાં પણ જઈ આવ્યા અને છેવટે શાંતિનિકેતનમાં જઈ વિશ્રાન્તિ લીધી. ત્યારબાદ કલકત્તા કળાશાળાના સ્ટાફમાં જોડાઈ હવે કાયમની માટે બેસી ગયા છે. તેમના પ્રવાસો, પરિભ્રમણો અને ઉદ્યોગની પ્રતીતિરૂપે તેમની પાસેનાં સેંકડો ચિત્રો, સ્કેચ અને ઈચિંગ વગેરે જોઈ હું દંગ થયો. બધાં કામમાં તેમની ઉદ્યોગશીલતા અને લગનીની એકસરખી છાપ હતી. દરેક ચિત્રના વૃત્તાંત અનુસાર તેનાં સંશોધન, ગોઠવણ અને વિચારનિરૂપણમાં તેમણે કંઈ ખામી રાખી નહોતી, છતાં પણ કંઈક એવું તત્ત્વ આડે આવતું કે ચિત્રમાં પ્રસાદ રહી જતો.

મને તેમનાં રંગકામો કરતાં લીનોકટ અને ઇચિંગ ગમ્યાં. સારા અધ્યાપક તરીકે તેમણે બેશક પૂર્ણ તૈયારી કરી હતી. તેમણે મને એટલાં બધાં ચિત્રો બતાવ્યાં કે તેમની એકલાની જ કૃતિઓનું એક સારું પ્રદર્શન થાય. પણ આજે તો કલાકારો લોકજીવનમાં ઊતરી શક્યા નથી તેમજ લોકો કલાકારોનો ઉપયોગ કરી જાણતા નથી.

શ્રી રમેન્દ્રનાથ ચક્રવર્તી

બીજે દિવસે રમેનબાબુનું ઘર શોધવા ભાઈ શિવકુમાર જોષીને લઈ બારેક માઈલ જેટલો ટ્રામનો પ્રવાસ કરવો પડ્યો. માટુંગા-માહીમ જેવો નવો વસેલો એ લત્તો કંઈક મુંબાઈનું સ્મરણ આપતો હતો. તેના એક નવા બંધાવેલા મકાનના દાદર પર પહેલે જ માળે રમેનબાબુનું પાટિયું વાંચી બારણું ખખડાવ્યું તો તેમણે જ આવીને ઉઘાડ્યું. ત્રણચાર ખંડવાળા એ ફ્લેટમાં તેમણે પોતાનો નિવાસ સમાવી દીધો હતો. સરળ, સંતોષપૂર્ણ હાસ્યભર્યું તેમનું તાલવાળું મુખ જોનારને એકદમ ગમી જાય છે. એ નાનકડા ખંડમાં યે બારી આગળ એક મોટી પાટ પર તેમની મુલાકાતની બેઠક હતી. બંગાળમાં લગભગ બધે આ શોખ જોવામાં આવ્યો. આથી ખુરશીઓની જરૂર ભાગ્યે જ પડે છે અને પાટલૂન તેમજ ધોતીવાળા બધા સગવડથી તેનો ઉપયોગ કરી શકે છે. વાંચન, રમત, ચિત્રકામ, સંગીત બધું જ તેના ઉપર થઈ શકે ને કોઈને આડે પડખે લેટવું હોય તો પણ ફાવે.

રમેનબાબુ શાંતિનિકેતનમાં મુખી શ્રેણીના વિદ્યાર્થી હતા તે વખતે કનુભાઈ પણ ત્યાં હતાં. એટલે તેમણે તેનું સ્મરણ આપ્યું. અમારા ઉભયના મિત્રશ્રી વનવિહારી ઘોષ અમદાવાદમાં છે તેનું પણ એમણે સ્મરણ કર્યું અને તરત પરિચયનો પુલ સંધાઈ ગયો. રમેનબાબુુની નિખાલસતા અને સરળતા બહુ લાક્ષણિક છે. શાંતિનિકેતનમાં પણ તેમણે માન કાઢ્યું હતું. ‘કુમાર’ના ૯૧માં અંકમાં તેમના હાથનું કમળ, તળાવડીમાં હોડી હંકારતાં બાળકોનું એક રંગચિત્ર પ્રકટ થઈ ગયું છે. ‘મોર્ડન રિવ્યુ’માં પણ તેમનાં ઘણાં ચિત્રો બહાર આવેલાં. કલકત્તા આર્ટ સ્કૂલના હેડમાસ્તરની જગ્યા ખાલી પડતાં તેની કમિટી તરફથી માગવામાં આવેલી ઉમેદવારોની પચાસેક અરજીઓમાંથી રમેનબાબુની પસંદગી થઈ એ જ તેમના સંસ્કાર અને શક્તિનું માપ બતાવે છે. કંઈક વિશાળ અનુભવ અને શિક્ષણ માટે બેચાર વર્ષ પહેલાં તે ઈંગ્લેંડ અને ફ્રાન્સની શાળાઓનો પરિચય પામવા તેમજ યુરોપની કળાસંપત્તિ નીરખવા ગએલા. તે વખતે ત્યાં તેમણે પોતાનાં વુડકટ, લીનોકટ, ઇચિંગ, એકવાટિન્ટ, લીથોગ્રાફ અને હિંદી શૈલીનાં ચિત્રોનાં પ્રદર્શનો ભરેલાં અને તેની એકએક દેશમાં ભારોભાર પ્રશંસા થએલી.

Sanchayan 06-2024 Image 15.jpg Sanchayan 06-2024 Image 16.jpg

તેમનાં ચિત્રો માત્ર પ્રાચીન વિષયોમાં જ બંધાઈ નથી ગયાં. પણ સામાન્ય રોજિંદા પ્રસંગો અને ચિત્રોમાં પણ તે લાગણીની તીવ્રતા દર્શાવી શકે છે. એક થોકબંધ ચિત્રમાળા માત્ર પેન્સિલથી જ કરેલી તેમણે મને બતાવી ત્યારે પ્રામાણિક ને વિશુદ્ધ દૃશ્યાલેખનમાં તેમની જોડીમાં મુકાય એવો કોઈ કલાકાર મુંબાઈ કે ગુજરાતમાં નહિ હોય એમ લાગ્યું. આપણા પ્રાંતમાં ઇચિંગ, લીથોગ્રાફ કે ઍક્વાટિન્ટ હજુ રડ્યાખડ્યા નમૂના કે વાતો જ છે, ત્યારે આ તરૂણ કલાકારે તેમાં યુરોપી નિષ્ણાતોની ભારે પ્રસંશા મેળવી છે. ઑક્સફર્ડના પ્રમાણભૂત કલાકાર સર મૂરહેડ બોન જેવાને તો કહેવું પડ્યું કે અંગ્રેજ કલાકારો પૈકી થોડાક જ તેમના જેટલી સૌંદર્યભાવના પકડી શક્યા છે. ઇંગ્લેંડ રૉયલ ઍકૅડમીના પ્રમુખ સર વિલયમ લેવેલીને તેમને માનાર્ધ્ય આપ્યો કે તેમણે પોતાની કૃતિઓમાં આધુનિકજીવનની આલોચના કરી છે છતાં તે લાક્ષણિકતામાં તો હિંદી જ છે. પણ આ તો બહારની તારીફો છે. ખુદ કલકત્તાની ચિત્રશાળાના સ્ટાફમાં તે એક સવિશેષ કલગીરૂપ છે. શોક તો એ જ થાય છે કે આવા શક્તિવંત કલાકારો હિંદમાં હોવા છતાં હિંદના રાજા મહારાજાઓનાં કામો પરદેશોને જ સમૃદ્ધ બનાવે છે. રમેનબાબુએ હિંદી આલેખના જેવી જ સિદ્ધિ યુરોપીય ઇચિંગ અને લીથોગ્રાફમાં બતાવી છે. આવા કલાકારોનાં પ્રવાસી પ્રદર્શનો ગામે-ગામ ગોઠવ્યાં હોય તો પ્રજાના સંસ્કાર અને આત્મવિશ્વાસને બહુ જ ઉત્તેજના આપી શકે.

એમના સમાગમમાં ત્રણ કલાક તો ચપટી વાગે એમ પૂરા થઈ ગયા. છેવટે એમણે મારો એક સ્કેચ ખેંચ્યો, અને મને પણ એ તક યાદ કરવા જેવી લાગી એટલે મારી સ્કેચબુકમાં પણ રમેનબાબુની મુદ્રા ઉતારી લીધી અને સુંદર યાદગીરી સાથે અમે રજા લીધી.

મુલાકાત વેળા કરેલો તેમનો સ્કેચ (ર. મ. રા.)

વધુ વાર્તાઓનું પઠન
તબક્કાવાર આવતું રહેશે

ઑડિયો રેકોર્ડિંગ સંકલન : 

શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન: 

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો: 

અનિતા પાદરિયા
પરામર્શક: 

તનય શાહ
ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત

ગુજરાતી ઑડિયો વાર્તા
સાંભળવા અહીં ક્લીક કરો


» ગોવાલણી » એક સાંજની મુલાકાત
» શામળશાનો વિવાહ » મનેય કોઈ મારે !!!!
» પોસ્ટ ઓફિસ » ટાઢ
» પૃથ્વી અને સ્વર્ગ » તમને ગમીને?
» વિનિપાત » અપ્રતીક્ષા
» ભૈયાદાદા » સાડાત્રણ ફૂટની ઘટના
» રજપૂતાણી » સળિયા
» મુકુંદરાય » ચર્ચબેલ
» સૌભાગ્યવતી!!! » પોટકું
» સદાશિવ ટપાલી » મંદિરની પછીતે
» જી’બા » ચંપી
» મારી ચંપાનો વર » સૈનિકનાં બાળકો
» શ્રાવણી મેળો » શ્વાસનળીમાં ટ્રેન
» ખોલકી » તરસના કુવાનું પ્રતિબિંબ
» માજા વેલાનું મૃત્યુ » સ્ત્રી નામે વિશાખા
» માને ખોળે » અંધારી ગલીમાં સફેદ ટપકાં
» નીલીનું ભૂત » ઇતરા
» મધુરાં સપનાં » બારણું
» વટ » ત્રેપન સિંહ ચાવડા જીવે છે
» ઉત્તરા » બદલી
» ટપુભાઈ રાતડીયા » લીલો છોકરો
» લોહીનું ટીપું » રાતવાસો
» ધાડ » ભાય
» ખરા બપોર » નિત્યક્રમ
» ચંપો ને કેળ » ખરજવું
» થીગડું » જનારી
» એક મુલાકાત » બદામી રંગનો કોટ અને છત્રી
» અગતિગમન » ગેટ ટુ ગેધર
» વર પ્રાપ્તિ » મહોતું
» પદભ્રષ્ટ » એક મેઈલ