અર્વાચીન કવિતા/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 02:23, 8 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અર્વાચીન કવિતા


૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા
૧૮૪૫ થી ૧૯૩૦



સુન્દરમ્‌




ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧


ARVACHIN KAVITA
A Critical History of Modern Gujarati Poetry (૧૮૪૫ – ૧૯૩૦)
By Sundaram
Published by Gurjar Grantha Ratna Karyalaya,
Opp. Ratanpol naka, Gandhi Road,
Ahmedabad – ૩૮૦ ૦૦૧
(INDIA)

(C) સુધા સુન્દરમ્‌

પહેલી આવૃત્તિ : ૧૯૪૬
બીજી આવૃત્તિ : ૧૯૫૩
ત્રીજી આવૃત્તિ : ૧૯૬૫
પુનર્મુદ્રણ : ઑક્ટોબર ૨૦૦૪
પૃષ્ઠસંખ્યા : ૨૪+૫૭૬
કિંમત : રૂ. ૧૭૦

પ્રકાશક
અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧

ટાઇપસેટિંગ
વિક્રમ કમ્પ્યૂટર સેન્ટર
એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ,
શ્રેયસ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫

મુદ્રક
ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪


All creation is a mystery in its secret of inmost process and it is only at best the most outward or mechanical part of it which admits analysis; the creative faculty of the poetic is no exception. The poet is a magician who hardly knows the secret of his own spell; even the part taken by the consciously critical or constructive mind is less intellectual than intuitive; he creates by an afflatus of spiritual power of which his mind is the channel and instrument and the appreciation of it in himself and others comes not by an intellectual judgment but by a spiritual feeling. – Sri Aurobindo (Future Poetry)


સઘળું સર્જન, તેની અંતરતમ પ્રક્રિયાના રહસ્યમાં જોવા જઈએ તો, એક જાતની અગમ્ય ઘટના છે. એ સર્જનના માત્ર અત્યંત સ્થૂલ અથવા તો યંત્રવત્‌ અંશનું જ બહુબહુ તો પૃથક્કરણ થઈ શકે. કવિતાની સર્જનાત્મક શક્તિ પણ આમાં અપવાદ નથી. કવિ એક એવો જાદુગર છે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. સર્જનમાં તેનું મન આલોચનાત્મક કે રચનાત્મક રીતે જે ભાગ જ્ઞાનપૂર્વક ભજવે છે તે પણ બુદ્ધિ કરતાં સહજ પ્રજ્ઞાની વિશેષ ક્રિયા હોય છે. અધ્યાત્મશક્તિનો દિવ્ય આવેગ કવિમાં નિક્ષિપ્ત થતાં તે સર્જન કરે છે. તેનું ચિત્ત એ અધ્યાત્મશક્તિની વાહિની અથવા તો કરણ બની રહે છે, અને એ સર્જનનો રસાસ્વાદ લેવાનું કાર્ય કવિ પોતે કે બીજાઓ બૌદ્ધિક વિવેક દ્વારા નહિ પણ આધ્યાત્મિક સંવેદના દ્વારા જ કરે છે. (અનુવાદ)