આમંત્રિત/કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી

From Ekatra Wiki
Revision as of 14:45, 27 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાવ્ય “નદી-કિનારે શહેર”માંથી

‘ભાંગ્યું તોયે ભરૂચ’ હોય ને ‘તૂટ્યું પણ ખંભાત’ છે,
સ્ટીલ-કાચનાં દેવળ હોય, ને નદી તે ગંગા માત છે –
આ શહેરની કાંઈ વાત છે!
નદી-કિનારે વસી ગયેલું, જાણે-અજાણે જચી ગયેલું –
ઘરથી દૂર બન્યું જે ઘર, તે શહેરની કાંઈ વાત છે!
આ શહેરની કાંઈ વાત છે!
– પ્રીતિ સેનગુપ્તા