રાજેન્દ્ર પટેલની કવિતા/કવિનો પરિચય

From Ekatra Wiki
Revision as of 02:20, 24 August 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કવિનો પરિચય

રાજેન્દ્ર પટેલ
(કવિ, વાર્તાકાર, વિવેચક, અનુવાદક અને નિબંધકાર)
સરનામું :
૭૮, નિહારિકા બંગ્લોઝ, હિમ્મતલાલ પાર્ક સામે, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નંબર : ૯૩૨૭૦૨૨૭૫૫. Emailઃ rajendrapatel.ceo@gmail.com
અભ્યાસ. એમ.એસ.સી.(ઑર્ગેનિક કેમેસ્ટ્રી)
વ્યવસાય : ફાર્માસ્યુટીકલ કંપની
જન્મ તારીખ : ૨૦/૮/૫૮
મહત્ત્વની કામગીરી :
૧. પૂર્વઉપપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. (ડિસેમ્બર, ૨૦૨૦ સુધી); ૨. ટ્રસ્ટી, માતૃભાષા અભિયાન, અમદાવાદ; ૩. ટ્રસ્ટી અને સંચાલક, રાષ્ટ્રભાષા હિન્દી કૉલેજ, અમદાવાદ; ૪. ડિરેક્ટર, અનુવાદ પ્રતિષ્ઠાન (ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ); ૫. માનદ સહમંત્રી, વાંચે ગુજરાત અભિયાન, ગાંધીનગર; ૬. સંપાદક, બુદ્ધિપ્રકાશ (૧૮૫૦) સામયિક, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ; ૭. માર્ગદર્શક,ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ,અમદાવાદ,
રાજેન્દ્ર પટેલે વાર્તા-કવિતા-નિબંધ-વિવેચન-અનુવાદ અને સંપાદન ક્ષેત્રે કામ કર્યું છે.
વાર્તાસંચયો : ૧. ‘જૂઈની સુગંધ’ (ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક); ૨. ‘અધૂરી શોધ’; ૩. ‘અકબંધ આકાશ.
કાવ્યસંગ્રહની યાદી સંચયને અંતે આપી છે. નિબંધ-વિવેચન, અનુવાદ, સંપાદનના બાવીસ ગ્રંથો એમણે આપણને આપ્યા છે.