અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/આપણી જુદાઈનું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આપણી જુદાઈનું| ભરત ત્રિવેદી}} <poem> આપણી જુદાઈનું છે ક્યાં કો...") |
(No difference)
|
Revision as of 08:30, 19 July 2021
આપણી જુદાઈનું
ભરત ત્રિવેદી
આપણી જુદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું
આમ મારું આવવું ને તે પછી તારું જવું!
દર્પણો ચૂપચાપ છે આ ભવસૂના ઓરડે
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું!
શક્ય છે કે બંદગીનો કિન્તુ હશે કોઈ જવાબ
કશ્મકશમાં છું હવે કે હું નમું કે ના નમું!
આમ તો ખામોશ છે પણ તને થાતું ખરું?
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું!
(હસ્તરેખાનાં વમળ, ૧૯૮૮, પૃ. ૨૦)