33,799
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|નર્મદનું હાસ્ય}} | {{Heading|નર્મદનું હાસ્ય}} | ||
{{Block center|'''<poem>“કવિ તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી.”</poem>'''}} | {{Block center|'''<poem>“કવિ તમે હાસ્યરસનું શાસ્ત્ર સમજતા નથી.”</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
—આ મહેણું નર્મદાશંકરને માર્યું હતું નવલરામે. ‘ભટનું ભોપાળું’માં અસંભવિતપણાનો દોષ જોઈ કવિએ તેમાં હાસ્યરસ નથી એવી ટકોર કરી ત્યારે તેમાં ‘દગાફટકાની ગંધ’ આવતાં, તેના પ્રત્યાઘાત તરીકે નવલરામે એક લેખ લખી પશ્ચિમના અને ગુજરાતી સાહિત્યમાંથી સંખ્યાબંધ દૃષ્ટાંતો આપી અસંભવિતપણું પણ હાસ્યનો એક મહત્ત્વનો વિભાવ છે તેમ દર્શાવ્યું હતું. તેમાં તેમણે નર્મદની ઠેકડી ઉડાવતાં પ્રશ્ન કર્યો હતો : ‘કબીરવડ જોઈને કયો રસ લાગે?’ ત્યારે નવલરામ પોતે જ હાસ્યાસ્પદ અને હાસ્યરસના શાસ્ત્રથી અજ્ઞાન પુરવાર થાય છે. કબીરવડ વિસ્મય ઉપજાવે, નર્મદનું તે વિશેનું કાવ્ય અદ્ભુત રસનો આસ્વાદ કરાવે તે ભેદ તેઓ સમજી શક્યા ન હતા. કવિની ટીકાથી તેમને ચટકો લાગ્યો અને તેમણે સામે વડચકું ભર્યું તે ઘવાયેલી લાગણીનું પરિણામ છે. તેને નવલરામના કવિ વિશેના સુચિંતિત અભિપ્રાય તરીકે સ્વીકારી, તેને નર્મદના મૂલ્યાંકન લેખે ટાંકવામાં તે ટાંકનારનું પણ મૂલ્યાંકન થઈ જાય ખરું! | —આ મહેણું નર્મદાશંકરને માર્યું હતું નવલરામે. ‘ભટનું ભોપાળું’માં અસંભવિતપણાનો દોષ જોઈ કવિએ તેમાં હાસ્યરસ નથી એવી ટકોર કરી ત્યારે તેમાં ‘દગાફટકાની ગંધ’ આવતાં, તેના પ્રત્યાઘાત તરીકે નવલરામે એક લેખ લખી પશ્ચિમના અને ગુજરાતી સાહિત્યમાંથી સંખ્યાબંધ દૃષ્ટાંતો આપી અસંભવિતપણું પણ હાસ્યનો એક મહત્ત્વનો વિભાવ છે તેમ દર્શાવ્યું હતું. તેમાં તેમણે નર્મદની ઠેકડી ઉડાવતાં પ્રશ્ન કર્યો હતો : ‘કબીરવડ જોઈને કયો રસ લાગે?’ ત્યારે નવલરામ પોતે જ હાસ્યાસ્પદ અને હાસ્યરસના શાસ્ત્રથી અજ્ઞાન પુરવાર થાય છે. કબીરવડ વિસ્મય ઉપજાવે, નર્મદનું તે વિશેનું કાવ્ય અદ્ભુત રસનો આસ્વાદ કરાવે તે ભેદ તેઓ સમજી શક્યા ન હતા. કવિની ટીકાથી તેમને ચટકો લાગ્યો અને તેમણે સામે વડચકું ભર્યું તે ઘવાયેલી લાગણીનું પરિણામ છે. તેને નવલરામના કવિ વિશેના સુચિંતિત અભિપ્રાય તરીકે સ્વીકારી, તેને નર્મદના મૂલ્યાંકન લેખે ટાંકવામાં તે ટાંકનારનું પણ મૂલ્યાંકન થઈ જાય ખરું!<ref>આ નાટકમાં હાસ્યરસ નથી એ ટકોર કવિએ ભલે કરી હોય તે મિત્રને ચીડવવાના ટીખળથી વિશેષ ન હતી. તેનાથી બે લાભ થયા. નવલરામે હાસ્ય વિશે લેખ લખ્યો અને કવિએ મિત્રને મનાવી લેવા નાટકની અને તેના હાસ્યની પ્રશસ્તિ કરતું કાવ્ય લખ્યું. આ રચનાની કેટલીક પંક્તિઓ :<br> | ||
::હાસ્યજનક નાટકથી, હસી કહડાએ અનીતિ મૂર્ખાઈ; | |||
::ફજેતિ જોઈ લોકો, તજે ફુવડતા બહૂ જ શરમાઈ. | |||
::નકલ બરાબર કરવે, ચાળા પાડે ખિજાય છે દોષી; | |||
::મૂકી દે નિજ દોષો, જેથી બોધક બને જ સંતોષી. | |||
:::(નર્મકવિતા : ૧૮૮૮ : પૃ. ૯૨૫)</ref> | |||
હાસ્ય તો સુરતની હવામાં અને વડનગરા નાગરના લોહીમાં. આ શહેર અને જ્ઞાતિએ રમણભાઈ નીલકંઠ અને જ્યોતીન્દ્ર દવે જેવા ઉત્તમ વિદ્વાન હાસ્યકારો આપ્યા તેનો પૂર્વાવતાર નહિ તોય પૂર્વ અણસાર નવલરામ કરતાં પહેલો નર્મદમાં મળે છે. નવલરામનેય હાસ્ય સુલભ ખરું, વડનગરા ન છતાં, તે સુરતની હવાને કારણે. નર્મદ તો શહેરે અને જ્ઞાતિએ રંગીલો, લાલાઈવાળો, સહેલાણી સ્વભાવનો; નવલરામ જેવા ઠાવકા વ્યક્તિત્વનો કે તબિયતે અને મિજાજે માંદલો નહિ, હાલેમસ્ત અને ખ્યાલે દુરસ્ત, ફાંકડો-ફક્કડ; ‘પછી જરા આહો કરી, પાનબાન ખાઈ, લુગડાંબુગડાં પહેરી સ્હાડા દશ વાગે નિશાળે જનારો’; રાંદેરની શાળામાં નોકરી થઈ તો ત્યાંય ચાલતો પહોંચી, મલાઈ ખાઈને આરામ ફરમાવી તાપીમાં બેત્રણ કલાક તરી સ્નાન કરી, થોડો સમય વિદ્યાર્થીઓને ભણાવી, ખુરશીમાં ઊંઘ ખેંચી લેતો, અચાનક આવી ચડેલા ગ્રેહામને ‘રાતે ઉજાગરો કરીએ છ ને વરદી આપ્યા વના કેમ તૈયારી થાય’ તેવો નફકરો ઉત્તર સુણાવી દેનારો છતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊણા ન ઊતરે તેની ચોંપ રાખનારો, નિત્ય જોસ્સાથી ફાટફાટ થતો નર્મદ ઇશ્કના પાઠ સાથે હાસ્યના પાઠમાં પણ કાચો ન હતો. ‘મારી હકીકત’માં પોતાના શિક્ષકોનાં નખચિત્રો આપતાં તેણે તેમને માટે જે વિશેષણો અને ઉપમાઓ યોજ્યાં છે તે તેની વિનોદવૃત્તિનો પરિચય કરાવવા પૂરતાં છે. તે ગણિતશિક્ષક બ્લાકવેલને ‘ઢોંડાબોટ ઈશ્કી માસ્તર’ કહે છે. બ્લાકવેલે ખોટા આપેલા દાખલાને મગડૂગલે સાચો ઠેરવ્યો અને બ્લાકવેલ છોભીલો પડી ગયો ત્યારે નર્મદ કહે છે કે ‘તેનું મ્હોડું ચલ્લી જેવું’ થઈ ગયું હતું. મગડૂગલને તે ‘હાથીના બચ્ચાની પેઠે ડોલતો ચાલતો’ અને ‘ગેટકી’ તરીકે વર્ણવે છે. આ ચિત્રો નર્મદે ભલે એકદોઢ દાયકા પછી આલેખ્યાં હોય, તે તેની કિશોર અવસ્થામાં વિકાસ પામી રહેલી વિનોદવૃત્તિનાં દ્યોતક છે. | હાસ્ય તો સુરતની હવામાં અને વડનગરા નાગરના લોહીમાં. આ શહેર અને જ્ઞાતિએ રમણભાઈ નીલકંઠ અને જ્યોતીન્દ્ર દવે જેવા ઉત્તમ વિદ્વાન હાસ્યકારો આપ્યા તેનો પૂર્વાવતાર નહિ તોય પૂર્વ અણસાર નવલરામ કરતાં પહેલો નર્મદમાં મળે છે. નવલરામનેય હાસ્ય સુલભ ખરું, વડનગરા ન છતાં, તે સુરતની હવાને કારણે. નર્મદ તો શહેરે અને જ્ઞાતિએ રંગીલો, લાલાઈવાળો, સહેલાણી સ્વભાવનો; નવલરામ જેવા ઠાવકા વ્યક્તિત્વનો કે તબિયતે અને મિજાજે માંદલો નહિ, હાલેમસ્ત અને ખ્યાલે દુરસ્ત, ફાંકડો-ફક્કડ; ‘પછી જરા આહો કરી, પાનબાન ખાઈ, લુગડાંબુગડાં પહેરી સ્હાડા દશ વાગે નિશાળે જનારો’; રાંદેરની શાળામાં નોકરી થઈ તો ત્યાંય ચાલતો પહોંચી, મલાઈ ખાઈને આરામ ફરમાવી તાપીમાં બેત્રણ કલાક તરી સ્નાન કરી, થોડો સમય વિદ્યાર્થીઓને ભણાવી, ખુરશીમાં ઊંઘ ખેંચી લેતો, અચાનક આવી ચડેલા ગ્રેહામને ‘રાતે ઉજાગરો કરીએ છ ને વરદી આપ્યા વના કેમ તૈયારી થાય’ તેવો નફકરો ઉત્તર સુણાવી દેનારો છતાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊણા ન ઊતરે તેની ચોંપ રાખનારો, નિત્ય જોસ્સાથી ફાટફાટ થતો નર્મદ ઇશ્કના પાઠ સાથે હાસ્યના પાઠમાં પણ કાચો ન હતો. ‘મારી હકીકત’માં પોતાના શિક્ષકોનાં નખચિત્રો આપતાં તેણે તેમને માટે જે વિશેષણો અને ઉપમાઓ યોજ્યાં છે તે તેની વિનોદવૃત્તિનો પરિચય કરાવવા પૂરતાં છે. તે ગણિતશિક્ષક બ્લાકવેલને ‘ઢોંડાબોટ ઈશ્કી માસ્તર’ કહે છે. બ્લાકવેલે ખોટા આપેલા દાખલાને મગડૂગલે સાચો ઠેરવ્યો અને બ્લાકવેલ છોભીલો પડી ગયો ત્યારે નર્મદ કહે છે કે ‘તેનું મ્હોડું ચલ્લી જેવું’ થઈ ગયું હતું. મગડૂગલને તે ‘હાથીના બચ્ચાની પેઠે ડોલતો ચાલતો’ અને ‘ગેટકી’ તરીકે વર્ણવે છે. આ ચિત્રો નર્મદે ભલે એકદોઢ દાયકા પછી આલેખ્યાં હોય, તે તેની કિશોર અવસ્થામાં વિકાસ પામી રહેલી વિનોદવૃત્તિનાં દ્યોતક છે. | ||
નર્મદનો ‘સ્ત્રીકેળવણી’ વિશેનો નિબંધ નિર્ણાયક સમિતિએ ઇનામને પાત્ર ન ગણ્યો તેથી તે સમિતિના એક સભ્ય નંદશંકર મહેતા પર તે છેડાયો હતો. તે બંને વચ્ચે આ વિશે કટુ પત્રવ્યવહાર પણ થયો હતો. નંદશંકરે તેને જણાવ્યું હતું કે તેમણે તો તેમનો ધર્મ બજાવ્યો છે, દોસ્તી કે વેરની સત્તા ચાલવા દીધી નથી. પોતે તે કવિના સાચા સ્નેહી અને તેને માટે અભિમાન લેનાર છે તેવી મતલબનું લખીને તેમણે તેને મનનું સમાધાન કરવાનો પણ યત્ન આ પત્રમાં કર્યો હતો. ખેલદિલ નર્મદ પણ તેના ઉત્તરમાં પોતાના મનનો ઊભરો ઠાલવ્યા પછી, તેમને લખે છે : | નર્મદનો ‘સ્ત્રીકેળવણી’ વિશેનો નિબંધ નિર્ણાયક સમિતિએ ઇનામને પાત્ર ન ગણ્યો તેથી તે સમિતિના એક સભ્ય નંદશંકર મહેતા પર તે છેડાયો હતો. તે બંને વચ્ચે આ વિશે કટુ પત્રવ્યવહાર પણ થયો હતો. નંદશંકરે તેને જણાવ્યું હતું કે તેમણે તો તેમનો ધર્મ બજાવ્યો છે, દોસ્તી કે વેરની સત્તા ચાલવા દીધી નથી. પોતે તે કવિના સાચા સ્નેહી અને તેને માટે અભિમાન લેનાર છે તેવી મતલબનું લખીને તેમણે તેને મનનું સમાધાન કરવાનો પણ યત્ન આ પત્રમાં કર્યો હતો. ખેલદિલ નર્મદ પણ તેના ઉત્તરમાં પોતાના મનનો ઊભરો ઠાલવ્યા પછી, તેમને લખે છે : | ||
| Line 13: | Line 17: | ||
મિત્રો સાથેના વ્યવહારમાં, તેમની સાથેની વાતચીતમાં નર્મદ આત્માભિમાનથી સતત જાગ્રત છતાં અતડો, સૂમડો કે ફુંગરાયેલો નહિ, ખુશાલદિલ જ હતો. મિત્રો સાથે નશામાં મહાલતો તે હાસ્યની છોળોમાં નહાતો નવડાવતો હતો. મિત્રો સાથેના તેના સંબંધો કેવા મોકળા અને બેહદ હતા તેનો એક જ દાખલો બસ થશે. તેઓ કેટલાક મિત્રો ઉજાણી ગયા હતા. છાંટોપાણી કરી જમ્યા, ને પછી ગાયનનો કાર્યક્રમ ચાલ્યો તે દરમ્યાન એક મિત્ર કવિને વળગવા ગયો ને તેના ખોળામાં સૂઈ ગયો. નર્મદે તેનુંય એક પદ તત્કાલ રચી નાખ્યું – ‘(પ્યારી) કેમ નથી આ વેળા મારી સોડમાં રે.’ આવી માદક અને ઉછાંછળી પળોનાં અનેક દૃષ્ટાંતો નર્મકવિતાની પાદટીપમાં સચવાયાં છે. | મિત્રો સાથેના વ્યવહારમાં, તેમની સાથેની વાતચીતમાં નર્મદ આત્માભિમાનથી સતત જાગ્રત છતાં અતડો, સૂમડો કે ફુંગરાયેલો નહિ, ખુશાલદિલ જ હતો. મિત્રો સાથે નશામાં મહાલતો તે હાસ્યની છોળોમાં નહાતો નવડાવતો હતો. મિત્રો સાથેના તેના સંબંધો કેવા મોકળા અને બેહદ હતા તેનો એક જ દાખલો બસ થશે. તેઓ કેટલાક મિત્રો ઉજાણી ગયા હતા. છાંટોપાણી કરી જમ્યા, ને પછી ગાયનનો કાર્યક્રમ ચાલ્યો તે દરમ્યાન એક મિત્ર કવિને વળગવા ગયો ને તેના ખોળામાં સૂઈ ગયો. નર્મદે તેનુંય એક પદ તત્કાલ રચી નાખ્યું – ‘(પ્યારી) કેમ નથી આ વેળા મારી સોડમાં રે.’ આવી માદક અને ઉછાંછળી પળોનાં અનેક દૃષ્ટાંતો નર્મકવિતાની પાદટીપમાં સચવાયાં છે. | ||
નર્મદ દર્દેદિલ કવિ છે. વિષયાનુરૂપ ગંભીરતા તે જાળવી જાણે છે. પોતાની કવિતામાં હાસ્ય નથી તેનું કારણ આપતાં તે નોંધે છે : | નર્મદ દર્દેદિલ કવિ છે. વિષયાનુરૂપ ગંભીરતા તે જાળવી જાણે છે. પોતાની કવિતામાં હાસ્ય નથી તેનું કારણ આપતાં તે નોંધે છે : | ||
‘મારી કવિતા દર્દની ભરેલી છે એટલે [તેમાં હાસ્ય] હોય જ નહિ, તેમ કવિતાને હું ગંભીર વિષય સમજું છું, માટે તેવું તેમાં લખ્યું નથી. બાકી હાસ્યરસ પ્રૌઢ રીતે હું કેટલો ઉપજાવી જાણું છું, તે મારા ગદ્યથી અને જેઓએ મને વાતચિત કરતાં જોયો હશે તે સહુ સારી પેઠે જાણે છે.’ (ઉત્તર નર્મદચરિત્ર, પૃ. ૧૦૭). | :''‘મારી કવિતા દર્દની ભરેલી છે એટલે [તેમાં હાસ્ય] હોય જ નહિ, તેમ કવિતાને હું ગંભીર વિષય સમજું છું, માટે તેવું તેમાં લખ્યું નથી. બાકી હાસ્યરસ પ્રૌઢ રીતે હું કેટલો ઉપજાવી જાણું છું, તે મારા ગદ્યથી અને જેઓએ મને વાતચિત કરતાં જોયો હશે તે સહુ સારી પેઠે જાણે છે.’ (ઉત્તર નર્મદચરિત્ર, પૃ. ૧૦૭).'' | ||
કવિતામાં અને ઘણા નિબંધોમાં કવિ નવલરામ જેવા હળવા કેમ નથી તેનો, નવલરામની ટકોરનો અને કવિમાં રમૂજવૃત્તિ હતી કે કેમ તે પ્રશ્નનો એકસાથે ઉત્તર આ વિધાનમાં મળી રહે છે. | કવિતામાં અને ઘણા નિબંધોમાં કવિ નવલરામ જેવા હળવા કેમ નથી તેનો, નવલરામની ટકોરનો અને કવિમાં રમૂજવૃત્તિ હતી કે કેમ તે પ્રશ્નનો એકસાથે ઉત્તર આ વિધાનમાં મળી રહે છે. | ||
નર્મદનાં ગદ્ય લખાણો વિગતે તપાસીએ, તેનાં નિબંધો, સંવાદો અને નાટકો ધીરજથી વાંચીએ, આપણા મનના પૂર્વગ્રહો અને અભિગ્રહો તેમજ આગ્રહોને પરા કરીએ તો તેનું હાસ્ય નવલરામથી ઊતરતું તો નથી જ તેની પ્રતીતિ અવશ્ય થશે. ‘ભટનું ભોપાળું’નું હાસ્ય નવલરામનું મૌલિક હોવા વિશે શંકા ન કરીએ તોય મૂળ નાટક Mock Doctorનું ઋણ પણ તેને વિશે ઓછું નથી. તે નાટક પ્રગટ થયું તે પહેલાં નર્મદનાં હાસ્યકટાક્ષની વાઝડીઓ અને લહેરખીઓ અનેક વાર આવી ગઈ હતી. | નર્મદનાં ગદ્ય લખાણો વિગતે તપાસીએ, તેનાં નિબંધો, સંવાદો અને નાટકો ધીરજથી વાંચીએ, આપણા મનના પૂર્વગ્રહો અને અભિગ્રહો તેમજ આગ્રહોને પરા કરીએ તો તેનું હાસ્ય નવલરામથી ઊતરતું તો નથી જ તેની પ્રતીતિ અવશ્ય થશે. ‘ભટનું ભોપાળું’નું હાસ્ય નવલરામનું મૌલિક હોવા વિશે શંકા ન કરીએ તોય મૂળ નાટક Mock Doctorનું ઋણ પણ તેને વિશે ઓછું નથી. તે નાટક પ્રગટ થયું તે પહેલાં નર્મદનાં હાસ્યકટાક્ષની વાઝડીઓ અને લહેરખીઓ અનેક વાર આવી ગઈ હતી. | ||
| Line 76: | Line 80: | ||
'''પાદટીપ''' | '''પાદટીપ''' | ||
{{Reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||