ભરત વિંઝુડાની ગઝલસંપદા/તરસ લાગે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(1) |
||
| Line 18: | Line 18: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ભીનાં નીકળ્યાં | |previous = ભીનાં નીકળ્યાં | ||
|next = | |next = સંસારીઓ પણ છે | ||
}} | }} | ||
Revision as of 05:18, 14 November 2025
૬૧
તરસ લાગે
તરસ લાગે
હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.
તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે.
એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમનેસામને તરસ લાગે.
ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.
જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.
(ચિત્તની લીલાઓ)