આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/S: Difference between revisions

no edit summary
(+૧)
No edit summary
Line 3: Line 3:
'''Sacred Book ધર્મગ્રન્થ'''
'''Sacred Book ધર્મગ્રન્થ'''
:કોઈ એક ધર્મના દર્શનને આધારે લખાયેલો, તે ધર્મની માન્યતાઓનો પુરસ્કાર કરતો ગ્રંથ. આ પ્રકારના ગ્રંથોમાંથી ધાર્મિક માન્યતાઓ તથા ધર્મ-વિચારને લગતી સામગ્રી પ્રાપ્ત થાય છે.
:કોઈ એક ધર્મના દર્શનને આધારે લખાયેલો, તે ધર્મની માન્યતાઓનો પુરસ્કાર કરતો ગ્રંથ. આ પ્રકારના ગ્રંથોમાંથી ધાર્મિક માન્યતાઓ તથા ધર્મ-વિચારને લગતી સામગ્રી પ્રાપ્ત થાય છે.
ગુજરાતીમાં નોંધપાત્ર પ્રમાણમાં ધર્મગ્રંથો લખાયા છે, જેમ કે 'ગીતામંથન' (કિશોરલાલ મશરૂવાળા), 'અનાસકિત યોગ' (મો. ક. ગાંધી), સર્જનાત્મક કૃતિઓમાં પણ આ સામગ્રીનો મૌલિક વિનિયોગ થયેલો જોવા મળે છે. જેમ કે 'કૃષ્ણાવતાર' (ક. મા. મુનશી), 'માધવ ક્યાંય નથી' (હરીન્દ્ર દવે).
:ગુજરાતીમાં નોંધપાત્ર પ્રમાણમાં ધર્મગ્રંથો લખાયા છે, જેમ કે 'ગીતામંથન' (કિશોરલાલ મશરૂવાળા), 'અનાસકિત યોગ' (મો. ક. ગાંધી), સર્જનાત્મક કૃતિઓમાં પણ આ સામગ્રીનો મૌલિક વિનિયોગ થયેલો જોવા મળે છે. જેમ કે 'કૃષ્ણાવતાર' (ક. મા. મુનશી), 'માધવ ક્યાંય નથી' (હરીન્દ્ર દવે).
'''Saga વૃત્તાંત-કથા'''
'''Saga વૃત્તાંત-કથા'''
:અંગ્રેજી શબ્દ 'Say' અને 'Saga' બન્ને એક જ મૂળમાંથી આવતા હોઈ આ શબ્દનો સીધો અર્થ 'આલેખ', 'હેવાલ', 'વૃત્તાંત' એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા રાજાઓ, કુટુંબો કે પ્રદેશોની શ્રેણીબદ્ધ કથાઓનું સૂચન કરે છે. 'વેતાલ પચ્ચીસી' આ પ્રકારની કથાનું ઉદાહરણ છે. મુનશીની કથાત્રયી ('પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ') 'સિદ્ધરાજ જયસિંહ' વિશેની વૃત્તાંત-કથા તરીકે મૂલવી શકાય.
:અંગ્રેજી શબ્દ 'Say' અને 'Saga' બન્ને એક જ મૂળમાંથી આવતા હોઈ આ શબ્દનો સીધો અર્થ 'આલેખ', 'હેવાલ', 'વૃત્તાંત' એવો થાય છે. સાહિત્યમાં આ સંજ્ઞા રાજાઓ, કુટુંબો કે પ્રદેશોની શ્રેણીબદ્ધ કથાઓનું સૂચન કરે છે. 'વેતાલ પચ્ચીસી' આ પ્રકારની કથાનું ઉદાહરણ છે. મુનશીની કથાત્રયી ('પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ') 'સિદ્ધરાજ જયસિંહ' વિશેની વૃત્તાંત-કથા તરીકે મૂલવી શકાય.
Line 63: Line 63:
'''Sentence-Grammar વાક્યકેન્દ્રિત વ્યાકરણ'''
'''Sentence-Grammar વાક્યકેન્દ્રિત વ્યાકરણ'''
:૧૯૫૭ પછી અસ્તિત્વમાં આવેલું ચૉમ્સ્કીનું 'સંસર્જનાત્મક વ્યાકરણ', વાક્ય-વ્યાકરણ કે વાક્ય-કેન્દ્રિત-વ્યાકરણ કહેવાય છે. આ વ્યાકરણમાં ભાષાને વાક્યોના ગણ તરીકે ઓળખાવવામાં આવી છે. આ વ્યાકરણ વાક્યોના ગણ અંગેના અમૂર્ત નિયમો આપી તે નિયમોનાં રૂપાંતરણોનો સંબંધ સમજાવે છે. અને વિશ્વભરની ભાષાઓમાં રહેલી કોઈ સાર્વત્રિક ભૂમિકા શોધવાને પ્રયાસ કરે છે.
:૧૯૫૭ પછી અસ્તિત્વમાં આવેલું ચૉમ્સ્કીનું 'સંસર્જનાત્મક વ્યાકરણ', વાક્ય-વ્યાકરણ કે વાક્ય-કેન્દ્રિત-વ્યાકરણ કહેવાય છે. આ વ્યાકરણમાં ભાષાને વાક્યોના ગણ તરીકે ઓળખાવવામાં આવી છે. આ વ્યાકરણ વાક્યોના ગણ અંગેના અમૂર્ત નિયમો આપી તે નિયમોનાં રૂપાંતરણોનો સંબંધ સમજાવે છે. અને વિશ્વભરની ભાષાઓમાં રહેલી કોઈ સાર્વત્રિક ભૂમિકા શોધવાને પ્રયાસ કરે છે.
આધુનિક ભાષાવિજ્ઞાન તેમ જ ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર હવે વાક્યકેન્દ્રિત નહીં, પણ પાઠકેન્દ્રિત, એટલે કે વાક્ય અતિવર્તી બન્યા છે. હવે વાક્યનો નહિ, પણ પાઠનો મહિમા વધ્યો છે.
:આધુનિક ભાષાવિજ્ઞાન તેમ જ ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચાર હવે વાક્યકેન્દ્રિત નહીં, પણ પાઠકેન્દ્રિત, એટલે કે વાક્ય અતિવર્તી બન્યા છે. હવે વાક્યનો નહિ, પણ પાઠનો મહિમા વધ્યો છે.
'''Sentimentality ઊર્મિમાંદ્ય'''
'''Sentimentality ઊર્મિમાંદ્ય'''
:કૃતિમાં વસ્તુની આવશ્યકતાથી વિશેષ એવું દુઃખદ ભાવોનું નિરૂપણ. વાગ્મિતા અને નીતિશાસ્ત્રના સંદર્ભમાં સાહિત્યિક કૃતિમાં જોવા મળતો આ મહત્ત્વનો દોષ છે.
:કૃતિમાં વસ્તુની આવશ્યકતાથી વિશેષ એવું દુઃખદ ભાવોનું નિરૂપણ. વાગ્મિતા અને નીતિશાસ્ત્રના સંદર્ભમાં સાહિત્યિક કૃતિમાં જોવા મળતો આ મહત્ત્વનો દોષ છે.
કૃતિના આ દોષને ભાવાત્મક સમધિકતા (Emotionl Redundancy) તરીકે જોવામાં આવે છે. સર્જકમાં રહેલી આત્મદયા(Self pity)ને લીધે તથા ભાવાભિવ્યક્તિમાં સંયમ તથા પરિપક્વતાના અભાવને કારણે આ દોષ કૃતિમાં દાખલ થાય છે.
:કૃતિના આ દોષને ભાવાત્મક સમધિકતા (Emotionl Redundancy) તરીકે જોવામાં આવે છે. સર્જકમાં રહેલી આત્મદયા(Self pity)ને લીધે તથા ભાવાભિવ્યક્તિમાં સંયમ તથા પરિપક્વતાના અભાવને કારણે આ દોષ કૃતિમાં દાખલ થાય છે.
'''Sermon ઉપદેશ'''
'''Sermon ઉપદેશ'''
:ખ્રિસ્તી ધર્મપરંપરામાંથી મળતી આ સંજ્ઞા ધાર્મિક સ્થળોમાં ધર્મોપદેશના સ્વરૂપમાં રજૂ થતા પ્રસંગો, રચનાઓનું સૂચન કરે છે. ખ્રિસ્તી સમાજમાં બીજી સદીથી આ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. જૈન મુનિઓ દ્વારા રચાયેલી 'સ્તવન' તથા 'સજઝાય' તરીકે ઓળખાતી પદ્યરચનાઓ સાથે ખ્રિસ્તી ઉપદેશ સરખાવી શકાય.
:ખ્રિસ્તી ધર્મપરંપરામાંથી મળતી આ સંજ્ઞા ધાર્મિક સ્થળોમાં ધર્મોપદેશના સ્વરૂપમાં રજૂ થતા પ્રસંગો, રચનાઓનું સૂચન કરે છે. ખ્રિસ્તી સમાજમાં બીજી સદીથી આ પ્રકારનું સાહિત્ય જોવા મળે છે. જૈન મુનિઓ દ્વારા રચાયેલી 'સ્તવન' તથા 'સજઝાય' તરીકે ઓળખાતી પદ્યરચનાઓ સાથે ખ્રિસ્તી ઉપદેશ સરખાવી શકાય.
Line 109: Line 109:
:જ્ઞાનની વિવિધ શાખાઓને અનુસંગે સાહિત્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાંથી વિવેચનની જે શાખાઓ અસ્તિત્વમાં આવી તેમાંની એક મહત્ત્વની શાખા તે સમાજશાસ્ત્રીય વિવેચન. સાહિત્યને સમાજના પ્રતિબિંબ તરીકે જોવાની માન્યતા આ વિવેચનશાખાના ઉદ્‌ભવના મૂળમાં છે. આ પ્રકારના વિવેચનનો ઉપક્રમ સાહિત્યકૃતિમાંથી પ્રગટ થતા સમાજના ચિત્રને મૂલવવાનો હોય છે.
:જ્ઞાનની વિવિધ શાખાઓને અનુસંગે સાહિત્યનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિમાંથી વિવેચનની જે શાખાઓ અસ્તિત્વમાં આવી તેમાંની એક મહત્ત્વની શાખા તે સમાજશાસ્ત્રીય વિવેચન. સાહિત્યને સમાજના પ્રતિબિંબ તરીકે જોવાની માન્યતા આ વિવેચનશાખાના ઉદ્‌ભવના મૂળમાં છે. આ પ્રકારના વિવેચનનો ઉપક્રમ સાહિત્યકૃતિમાંથી પ્રગટ થતા સમાજના ચિત્રને મૂલવવાનો હોય છે.
:ફ્રેન્ચ ઇતિહાસકાર ઈપોલીતે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ વાર સમાજશાસ્ત્રીય અભિગમથી વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ડન્કન, બેટસન, હર્બર્ટ રીડ વગેરેનું આ શાખામાં મહત્ત્વનું પ્રદાન છે.
:ફ્રેન્ચ ઇતિહાસકાર ઈપોલીતે ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં સૌપ્રથમ વાર સમાજશાસ્ત્રીય અભિગમથી વિવેચન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ ડન્કન, બેટસન, હર્બર્ટ રીડ વગેરેનું આ શાખામાં મહત્ત્વનું પ્રદાન છે.
માકર્‌સવાદી વિવેચન એ આ પ્રકારના વિવેચનનો અત્યંત પ્રભાવશાળી ફાંટો છે. ત્રોત્સ્કી, કોડવેલ, બર્ક, લૂકાચ, રેય્‌મન્ડ વિલિયમ્સ વગેરેએ માકર્‌સવાદી સાહિત્યિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર કામ કયું છે.
:માકર્‌સવાદી વિવેચન એ આ પ્રકારના વિવેચનનો અત્યંત પ્રભાવશાળી ફાંટો છે. ત્રોત્સ્કી, કોડવેલ, બર્ક, લૂકાચ, રેય્‌મન્ડ વિલિયમ્સ વગેરેએ માકર્‌સવાદી સાહિત્યિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર કામ કયું છે.
:જુઓ : Marxist Criticism.
:જુઓ : Marxist Criticism.
'''Soliloquy સ્વગતોક્તિ'''
'''Soliloquy સ્વગતોક્તિ'''
Line 193: Line 193:
'''Suspense રહસ્ય'''
'''Suspense રહસ્ય'''
:નિરૂપણાત્મક (Narrative) ગદ્ય કે પદ્યમાં–સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં—આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ.
:નિરૂપણાત્મક (Narrative) ગદ્ય કે પદ્યમાં–સામાન્ય રીતે વાર્તા, નવલકથા કે નાટકમાં—આવતી અનિશ્ચિતતા, અપેક્ષા અને કુતૂહલપૂર્ણ રસસ્થિતિ. રસના આવિર્ભાવનું મૂળ કારણ.
જેમ કે ભગવતીકુમાર શર્માની નવલકથા 'ઊર્ધ્વમૂલ'માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે.
:જેમ કે ભગવતીકુમાર શર્માની નવલકથા 'ઊર્ધ્વમૂલ'માં કથાનાયકનાં માતા-પિતા કોણ છે એ પ્રશ્ન રહસ્ય (Suspene) તરીકે આગળ આવે છે.
'''Swan-Song હંસગીત'''
'''Swan-Song હંસગીત'''
:મૃત્યુ વિશેનું ગીત. વ્યક્તિને છેલ્લી અંજલિ આપતું ગીત. રાવજી પટેલની રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'ને ઉમાશંકર જોશી હંસંગીત તરીકે ઓળખાવે છે. (શબ્દની શક્તિ, પૃ. ૮૩)
:મૃત્યુ વિશેનું ગીત. વ્યક્તિને છેલ્લી અંજલિ આપતું ગીત. રાવજી પટેલની રચના 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા'ને ઉમાશંકર જોશી હંસંગીત તરીકે ઓળખાવે છે. (શબ્દની શક્તિ, પૃ. ૮૩)