અનુભાવન/નલિન રાવળની કવિતા : રૂપરચનાની દૃષ્ટિએ વિચાર: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 98: Line 98:
‘અવકાશ’માં આ જાતનાં પ્રાકૃતિક દૃશ્યો કે ઘટનાઓની અનેક રચનાઓ મળે છે. રૂપરચનાની દૃષ્ટિએ એમાં સારું વૈવિધ્ય જોવા મળે છે. એવાં કાવ્યોમાંથી દૃષ્ટાંત રૂપે બીજી એક ‘વંટોળ’ રચના જોઈએ.
‘અવકાશ’માં આ જાતનાં પ્રાકૃતિક દૃશ્યો કે ઘટનાઓની અનેક રચનાઓ મળે છે. રૂપરચનાની દૃષ્ટિએ એમાં સારું વૈવિધ્ય જોવા મળે છે. એવાં કાવ્યોમાંથી દૃષ્ટાંત રૂપે બીજી એક ‘વંટોળ’ રચના જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વંટોળ
{{Block center|'''<poem>વંટોળ


તીક્ષ્ણ ધારદાર પાતળા  
તીક્ષ્ણ ધારદાર પાતળા  
Line 125: Line 125:
ફરી
ફરી
તગંત રાતી ઝાંયની પરે
તગંત રાતી ઝાંયની પરે
અગણ્ય માનવોભર્યું મહાનગર લસે.</poem>}}
અગણ્ય માનવોભર્યું મહાનગર લસે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુલબંકીની ત્વરિત ચાલમાં આરંભાતી પહેલી પંક્તિના પઠન સાથે જ આ દૃશ્યની ગતિશીલતા પ્રત્યક્ષ થવા લાગે છે. પહેલી છ પંક્તિઓ ધૂળની ડમરીમાં રજોટાઈને વિચિત્ર ઝાંય ધરતા વાતાવરણનું તાદૃશ ચિત્ર રજૂ કરે છે. નિરૂપણમાં પ્રભાવવાદી (impressionistic) શૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. દૃશ્યપટમાં વરતાતી પ્રખરતા અને ધૂસરતા, કઠોર કર્કશ વર્ણોની યોજનાથી સ્પષ્ટ રીતે સ્પર્શક્ષમ બને છે. સમગ્ર વિગતોનું એક પ્રબળ ઝાંયોવાળું ચિત્ર ઊપસે છે.
ગુલબંકીની ત્વરિત ચાલમાં આરંભાતી પહેલી પંક્તિના પઠન સાથે જ આ દૃશ્યની ગતિશીલતા પ્રત્યક્ષ થવા લાગે છે. પહેલી છ પંક્તિઓ ધૂળની ડમરીમાં રજોટાઈને વિચિત્ર ઝાંય ધરતા વાતાવરણનું તાદૃશ ચિત્ર રજૂ કરે છે. નિરૂપણમાં પ્રભાવવાદી (impressionistic) શૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. દૃશ્યપટમાં વરતાતી પ્રખરતા અને ધૂસરતા, કઠોર કર્કશ વર્ણોની યોજનાથી સ્પષ્ટ રીતે સ્પર્શક્ષમ બને છે. સમગ્ર વિગતોનું એક પ્રબળ ઝાંયોવાળું ચિત્ર ઊપસે છે.
Line 138: Line 138:
પણ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નલિનનો અભિગમ રૂપવાદી કવિતા તરફનો છે. પ્રાકૃતિક ઘટનામાં પણ અમૂર્ત આકૃતિ પ્રત્યક્ષ કરવાનો તેમનો દૃષ્ટિકોણ ધ્યાનપાત્ર છે. ‘અવકાશ’ની ‘પાનખર’ (પૃ. ૩૬) રચનાનું સંવિધાન એ રીતે બારીકાઈથી જોવા જેવું છે :
પણ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નલિનનો અભિગમ રૂપવાદી કવિતા તરફનો છે. પ્રાકૃતિક ઘટનામાં પણ અમૂર્ત આકૃતિ પ્રત્યક્ષ કરવાનો તેમનો દૃષ્ટિકોણ ધ્યાનપાત્ર છે. ‘અવકાશ’ની ‘પાનખર’ (પૃ. ૩૬) રચનાનું સંવિધાન એ રીતે બારીકાઈથી જોવા જેવું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પાનખર
{{Block center|'''<poem>પાનખર
ખરવા માંડ્યાં પાન,
ખરવા માંડ્યાં પાન,
{{gap}}બારીની લીલાશ ઝાંખી ભૂરી,
{{gap}}બારીની લીલાશ ઝાંખી ભૂરી,
Line 154: Line 154:
{{gap}}ખરે એ ખરે
{{gap}}ખરે એ ખરે
{{gap}}છેલ્લું કો પાન
{{gap}}છેલ્લું કો પાન
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.</poem>}}
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રચનામાં ‘પાનખર’નું આલેખન જે રીતે થયું છે, તેમાં માનવીની જીવનસંધ્યાનું સ્પષ્ટ સૂચન મળી જાય છે. આયુષ્યની અંતિમ ક્ષણોમાં બુઝાતી ચેતનાનું અહીં હૃદ્ય નિરૂપણ થયું છે. ‘બારી’ શબ્દથી, ‘દૃશ્ય જોનાર અવકાશ’ કે ‘દૃષ્ટિ’ – સ્વયં સૂચવાય છે; બલકે, એ ‘દૃષ્ટિ’માં જીવંત ચેતનાનો ખ્યાલ પણ સૂચવાઈ જાય છે. બીજી બાજુ, ‘પાન’ શબ્દથી ‘જીવન’, ‘પ્રાણશક્તિ’ કે ‘ચૈતન્યમય અંશ’નો ખ્યાલ મળે છે. ‘પાનખર’માં એક પછી એક પાન ખરે છે, જાણે જીવનતત્ત્વનો અંશ ક્રમશઃ લુપ્ત થાય છે એવું અનુભવાય છે. એની સમાંતરે ‘બારી’નું ચૈતન્ય પણ લુપ્ત થઈ રહ્યું છે. બીજી, ચોથી, છઠ્ઠી, અને આઠમીમાં ‘બારી’ની બદલાતી અવસ્થાનું વર્ણન મળે છે. એની વચ્ચે, આંતરે આંતરે, પહેલી પંક્તિ – ‘ખરવા માંડ્યાં પાન’ – પુનરાવર્તન પામતી રહે છે. નવમી-દસમી પંક્તિઓમાં બુઝાતી પ્રાણશક્તિનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ રચનાની દરેક પંક્તિ એક સમર્થ કલ્પન સમી છે. પણ, ‘ખરતાં ખરતાં પાન’ અને ‘ખરે અંધારાં’ – એ પંક્તિઓ સ્વયં અસાધારણ કલ્પનો જેવી છે. ‘ખરે કૈં નભના તારા’ એ પંક્તિ પણ એટલી જ પ્રભાવક છે. આશાની તેજકણી-શા તારકો પણ અદૃશ્ય થઈ રહ્યા છે, એમ એમાં સૂચવાય છે. ‘ખરે એ ખરે’માં ‘ખરવાની’ ક્રિયા આશ્ચર્ય અને સ્તબ્ધતાના ભાવ સાથે રજૂ થઈ છે. નવમી-દસમી પંક્તિ પછીની પંક્તિઓ ટૂંકી, અને તેથી ત્વરિત બની છે. છેલ્લું પાન ખરવાની —ચૈતન્ય બુઝાવાની – અંતની ક્ષણ, એ રીતે, એક ત્વરિત દૃશ્યરૂપે સાકાર થાય છે. એક પ્રાકૃતિક ઘટનાનું પ્રતીકાત્મક રૂપ નિર્માણ કરવાનો નલિનનો આ પ્રયત્ન નોંધપાત્ર છે.
આ રચનામાં ‘પાનખર’નું આલેખન જે રીતે થયું છે, તેમાં માનવીની જીવનસંધ્યાનું સ્પષ્ટ સૂચન મળી જાય છે. આયુષ્યની અંતિમ ક્ષણોમાં બુઝાતી ચેતનાનું અહીં હૃદ્ય નિરૂપણ થયું છે. ‘બારી’ શબ્દથી, ‘દૃશ્ય જોનાર અવકાશ’ કે ‘દૃષ્ટિ’ – સ્વયં સૂચવાય છે; બલકે, એ ‘દૃષ્ટિ’માં જીવંત ચેતનાનો ખ્યાલ પણ સૂચવાઈ જાય છે. બીજી બાજુ, ‘પાન’ શબ્દથી ‘જીવન’, ‘પ્રાણશક્તિ’ કે ‘ચૈતન્યમય અંશ’નો ખ્યાલ મળે છે. ‘પાનખર’માં એક પછી એક પાન ખરે છે, જાણે જીવનતત્ત્વનો અંશ ક્રમશઃ લુપ્ત થાય છે એવું અનુભવાય છે. એની સમાંતરે ‘બારી’નું ચૈતન્ય પણ લુપ્ત થઈ રહ્યું છે. બીજી, ચોથી, છઠ્ઠી, અને આઠમીમાં ‘બારી’ની બદલાતી અવસ્થાનું વર્ણન મળે છે. એની વચ્ચે, આંતરે આંતરે, પહેલી પંક્તિ – ‘ખરવા માંડ્યાં પાન’ – પુનરાવર્તન પામતી રહે છે. નવમી-દસમી પંક્તિઓમાં બુઝાતી પ્રાણશક્તિનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ રચનાની દરેક પંક્તિ એક સમર્થ કલ્પન સમી છે. પણ, ‘ખરતાં ખરતાં પાન’ અને ‘ખરે અંધારાં’ – એ પંક્તિઓ સ્વયં અસાધારણ કલ્પનો જેવી છે. ‘ખરે કૈં નભના તારા’ એ પંક્તિ પણ એટલી જ પ્રભાવક છે. આશાની તેજકણી-શા તારકો પણ અદૃશ્ય થઈ રહ્યા છે, એમ એમાં સૂચવાય છે. ‘ખરે એ ખરે’માં ‘ખરવાની’ ક્રિયા આશ્ચર્ય અને સ્તબ્ધતાના ભાવ સાથે રજૂ થઈ છે. નવમી-દસમી પંક્તિ પછીની પંક્તિઓ ટૂંકી, અને તેથી ત્વરિત બની છે. છેલ્લું પાન ખરવાની —ચૈતન્ય બુઝાવાની – અંતની ક્ષણ, એ રીતે, એક ત્વરિત દૃશ્યરૂપે સાકાર થાય છે. એક પ્રાકૃતિક ઘટનાનું પ્રતીકાત્મક રૂપ નિર્માણ કરવાનો નલિનનો આ પ્રયત્ન નોંધપાત્ર છે.
Line 173: Line 173:
સંવેદનનું વ્યંજનાસભર ચિત્ર આલેખવાને નલિને એક વિશિષ્ટ રીતિનો ફરીફરીને વિનિયોગ કર્યો છે. જે એક દૃશ્ય (કે ઘટના) પહેલાં કવિસંવિદ્‌ની બહાર ઉપસ્થિત હોવાનું લાગતું હતું, તે પછીથી અંતરના વિશ્વમાં – કે દૃષ્ટિના ભીતરી અવકાશમાં – વિસ્તરી રહેલું વર્ણવાય છે. બહારનું એ દૃશ્ય જાણે કે બિંબપ્રતિબિંબભાવે, અંદરના અવકાશમાં વિસ્તરે છે, કે બહારની ઘટનાનું અનુસંધાન ધરાવતી એ ઘટના ‘અંદર’ પણ બનતી હોય એ રીતે એનું વર્ણન થાય છે. અંદર-બહારની ઘટનામાં કશુંક ચક્રાકાર ઘૂમી રહ્યું હોય એવી ભ્રાન્તિ એથી જન્મે છે. આનંત્યનો બોધ પણ એકાએક પ્રતીત થાય છે.
સંવેદનનું વ્યંજનાસભર ચિત્ર આલેખવાને નલિને એક વિશિષ્ટ રીતિનો ફરીફરીને વિનિયોગ કર્યો છે. જે એક દૃશ્ય (કે ઘટના) પહેલાં કવિસંવિદ્‌ની બહાર ઉપસ્થિત હોવાનું લાગતું હતું, તે પછીથી અંતરના વિશ્વમાં – કે દૃષ્ટિના ભીતરી અવકાશમાં – વિસ્તરી રહેલું વર્ણવાય છે. બહારનું એ દૃશ્ય જાણે કે બિંબપ્રતિબિંબભાવે, અંદરના અવકાશમાં વિસ્તરે છે, કે બહારની ઘટનાનું અનુસંધાન ધરાવતી એ ઘટના ‘અંદર’ પણ બનતી હોય એ રીતે એનું વર્ણન થાય છે. અંદર-બહારની ઘટનામાં કશુંક ચક્રાકાર ઘૂમી રહ્યું હોય એવી ભ્રાન્તિ એથી જન્મે છે. આનંત્યનો બોધ પણ એકાએક પ્રતીત થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એકાંત
{{Block center|'''<poem>એકાંત


ચંદ્રનું વૃક્ષ
ચંદ્રનું વૃક્ષ
Line 186: Line 186:
{{gap|4em}}ચંદ્રના વૃક્ષનું મૂળ
{{gap|4em}}ચંદ્રના વૃક્ષનું મૂળ
{{gap|6em}}માં
{{gap|6em}}માં
{{gap|6em}}શાંત એકાંત એકાંત એકાંત.</poem>}}
{{gap|6em}}શાંત એકાંત એકાંત એકાંત.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—અહીં આરંભની સાત પંક્તિ સુધી ‘ચંદ્રનું વૃક્ષ’ની હસ્તી કવિસંવિદ્‌ (કે દ્રષ્ટા)ની બહાર હોય એમ લાગે. આઠમી પંક્તિથી વિશેષ ચમત્કૃતિ સધાય છે. ‘હૃદય’ પદ એની આગળની તેમ પાછળની બંને તરફની પદાવલી સાથે અન્વય સાધે છે. ‘અર્ણવ નર્યો પર્ણપર્ણે ભર્યો/હૃદય/માં’-એમ અર્થ તંતુ જોડાય છે. ‘ચંદ્ર’ના ‘વૃક્ષ’ની ઝંઝાગ્રસ્ત ડાળીઓનું એ દૃશ્ય ‘હૃદય’માં ‘અર્ણવ’ રૂપે ઝિલાય એ સહજ છે. પણ, તરત જ, ‘હૃદય/માં/ચંદ્રના વૃક્ષનાં મૂળ’ એવો અન્વય પણ પકડાય છે. હવે એ ‘હૃદય’માં વિસ્તર્યું હોવાનું લાગે. આમ, બિંબપ્રતિબિંબ ભાવે, એક માયાવી આભાસ રચાય, અને એનું ય એક સૌંદર્ય જન્મે.
—અહીં આરંભની સાત પંક્તિ સુધી ‘ચંદ્રનું વૃક્ષ’ની હસ્તી કવિસંવિદ્‌ (કે દ્રષ્ટા)ની બહાર હોય એમ લાગે. આઠમી પંક્તિથી વિશેષ ચમત્કૃતિ સધાય છે. ‘હૃદય’ પદ એની આગળની તેમ પાછળની બંને તરફની પદાવલી સાથે અન્વય સાધે છે. ‘અર્ણવ નર્યો પર્ણપર્ણે ભર્યો/હૃદય/માં’-એમ અર્થ તંતુ જોડાય છે. ‘ચંદ્ર’ના ‘વૃક્ષ’ની ઝંઝાગ્રસ્ત ડાળીઓનું એ દૃશ્ય ‘હૃદય’માં ‘અર્ણવ’ રૂપે ઝિલાય એ સહજ છે. પણ, તરત જ, ‘હૃદય/માં/ચંદ્રના વૃક્ષનાં મૂળ’ એવો અન્વય પણ પકડાય છે. હવે એ ‘હૃદય’માં વિસ્તર્યું હોવાનું લાગે. આમ, બિંબપ્રતિબિંબ ભાવે, એક માયાવી આભાસ રચાય, અને એનું ય એક સૌંદર્ય જન્મે.
Line 230: Line 230:
‘તાકી રહે વૃદ્ધ’માં જરા જુદી રીતે ભાત બની છે :
‘તાકી રહે વૃદ્ધ’માં જરા જુદી રીતે ભાત બની છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap}}ઝૂલે
{{Block center|'''<poem>{{gap}}ઝૂલે
{{gap|4em}}ઝિલ્લી ૨વે તારકો વને
{{gap|4em}}ઝિલ્લી ૨વે તારકો વને
{{gap}}વહે
{{gap}}વહે
{{gap|4em}}છલોછલ ચાંદનીનું જલ</poem>}}
{{gap|4em}}છલોછલ ચાંદનીનું જલ</poem>'''}}
{{center|'''X X X'''}}
{{center|'''X X X'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 239: Line 239:
કવિના ભાવબોધમાં કેટલીક વાર અતીત અને સાંપ્રતની અલગ સંપ્રજ્ઞતા નિહિત રહી હોય છે. એવા પ્રસંગે કૃતિના વિધાનમાં આવી સંપ્રજ્ઞતા વત્તેઓછે અંશે નિયામક બને એવાં દૃષ્ટાંતો ય અહીં મળે છે. નલિનની કેટલીક રચનાઓ આ રીતે સમયની સંપ્રજ્ઞતાને અનુરૂપ ઘાટ લેતી દેખાશે. ‘ઉદ્‌ગાર’ની ‘કાલ લગી અને આજ’ રચના આનું સરસ દૃષ્ટાંત છેઃ
કવિના ભાવબોધમાં કેટલીક વાર અતીત અને સાંપ્રતની અલગ સંપ્રજ્ઞતા નિહિત રહી હોય છે. એવા પ્રસંગે કૃતિના વિધાનમાં આવી સંપ્રજ્ઞતા વત્તેઓછે અંશે નિયામક બને એવાં દૃષ્ટાંતો ય અહીં મળે છે. નલિનની કેટલીક રચનાઓ આ રીતે સમયની સંપ્રજ્ઞતાને અનુરૂપ ઘાટ લેતી દેખાશે. ‘ઉદ્‌ગાર’ની ‘કાલ લગી અને આજ’ રચના આનું સરસ દૃષ્ટાંત છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘કાલ લગી
{{Block center|'''<poem>‘કાલ લગી
પોચું જાણે પલળેલા પૂઠાં જેવું  
પોચું જાણે પલળેલા પૂઠાં જેવું  
આજ
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું.’</poem>}}
કડક જે પાપડ ને સારેવડા જેવું.’</poem>'''}}
{{center|'''X X X'''}}
{{center|'''X X X'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}