વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/F: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 17: Line 17:
{{hi|'''Frankfurt school of Criticism ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયનું વિવેચન''' માર્ક્‌સવાદને પુરસ્કારનારા ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયના વિવેચકો સોવિયેટ સિદ્ધાંતકારોની જેમ આર્થિક વિચારધારાને બદલે તત્ત્વવિચારમાં અને સૌંદર્યવિચારમાં વધુ રોકાયેલા છે. એમનો વિવેચન સિદ્ધાંત સંસ્કૃતિ અંતર્ગત નિહિત એવા સત્તા સંબંધોને પ્રગટ કરવા ચાહે છે. અડોર્નો, હોર્ક હેયમર અને માર્ક્યુઝ જેવામાં આ જોઈ શકાય છે.}}
{{hi|'''Frankfurt school of Criticism ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયનું વિવેચન''' માર્ક્‌સવાદને પુરસ્કારનારા ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયના વિવેચકો સોવિયેટ સિદ્ધાંતકારોની જેમ આર્થિક વિચારધારાને બદલે તત્ત્વવિચારમાં અને સૌંદર્યવિચારમાં વધુ રોકાયેલા છે. એમનો વિવેચન સિદ્ધાંત સંસ્કૃતિ અંતર્ગત નિહિત એવા સત્તા સંબંધોને પ્રગટ કરવા ચાહે છે. અડોર્નો, હોર્ક હેયમર અને માર્ક્યુઝ જેવામાં આ જોઈ શકાય છે.}}
{{hi|'''Free indirect discourse જુઓ, FIS.}}
{{hi|'''Free indirect discourse જુઓ, FIS.}}
{{hi|'''F(ree) I(ndirect) S(peech) મુક્ત પરોક્ષ ઉક્તિ''' ચાર્લ્સ બાલીએ આપેલી સંજ્ઞા. એને ‘મુક્ત પરોક્ષ પ્રોક્તિ’ (Free indirect discourse) પણ કહેવાય છે. આમ તો આ પરોક્ષ ઉક્તિનો એક વર્ગ છે. પરંતુ એમાં પરોક્ષ ઉક્તિના ત્રીજા પુરુષને અને ભૂતકાળને પ્રત્યક્ષ ઉક્તિના વિન્યાસ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની શક્યતાઓ અને એના શબ્દક્રમ સાથે સંયોજિત કરવામાં આવે છે. આથી એમાં દૃષ્ટિબિંદુ, નિરૂપણવિષયક આધિપત્ય અને મનોવાસ્તવની બૃહદ્‌ વિવેચનાત્મક સમસ્યાઓ પ્રવેશ પામે છે. એક રીતે જોઈએ તો એમાં દ્વિર્ભાવ છે; પાત્રની ઉક્તિને પણ એ રજૂ કરે છે અને નિરૂપકની ઉપસ્થિતિનાં એંધાણને પણ એ જાળવે છે. નિરૂપકના એંધાણ સમભાવ કે વ્યંગ દ્વારા વ્યક્ત થતા કાકુઓમાં કે મૂળની ઉક્તિની પુનરાવૃત્તિ નહીં પણ એની થતી પુનર્વ્યવસ્થામાં જોવા મળે છે. એટલે કે આ ઉક્તિ અંતર્ગત-ઉક્તિ છે અને ઉક્તિ અંગેની પણ ઉક્તિ છે. મિખાઈલ બખ્તિન અને વોલોશિનોવે એમના સંવાદપરક ભાષા સિદ્ધાંતમાં મુક્ત પરોક્ષ ઉક્તિને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. મુક્ત પરોક્ષ ઉક્તિને ‘વક્તા-સંસક્તિ પ્રતિમાન’ તરીકે પણ ઓળખાવાય છે. યેસ્પર્સને એને ‘પ્રતિનિહિત ઉક્તિ’ (represented speech)ની સંજ્ઞા આપી છે.
{{hi|'''F(ree) I(ndirect) S(peech) મુક્ત પરોક્ષ ઉક્તિ''' ચાર્લ્સ બાલીએ આપેલી સંજ્ઞા. એને ‘મુક્ત પરોક્ષ પ્રોક્તિ’ (Free indirect discourse) પણ કહેવાય છે. આમ તો આ પરોક્ષ ઉક્તિનો એક વર્ગ છે. પરંતુ એમાં પરોક્ષ ઉક્તિના ત્રીજા પુરુષને અને ભૂતકાળને પ્રત્યક્ષ ઉક્તિના વિન્યાસ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની શક્યતાઓ અને એના શબ્દક્રમ સાથે સંયોજિત કરવામાં આવે છે. આથી એમાં દૃષ્ટિબિંદુ, નિરૂપણવિષયક આધિપત્ય અને મનોવાસ્તવની બૃહદ્‌ વિવેચનાત્મક સમસ્યાઓ પ્રવેશ પામે છે. એક રીતે જોઈએ તો એમાં દ્વિર્ભાવ છે; પાત્રની ઉક્તિને પણ એ રજૂ કરે છે અને નિરૂપકની ઉપસ્થિતિનાં એંધાણને પણ એ જાળવે છે. નિરૂપકના એંધાણ સમભાવ કે વ્યંગ દ્વારા વ્યક્ત થતા કાકુઓમાં કે મૂળની ઉક્તિની પુનરાવૃત્તિ નહીં પણ એની થતી પુનર્વ્યવસ્થામાં જોવા મળે છે. એટલે કે આ ઉક્તિ અંતર્ગત-ઉક્તિ છે અને ઉક્તિ અંગેની પણ ઉક્તિ છે. મિખાઈલ બખ્તિન અને વોલોશિનોવે એમના સંવાદપરક ભાષા સિદ્ધાંતમાં મુક્ત પરોક્ષ ઉક્તિને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. મુક્ત પરોક્ષ ઉક્તિને ‘વક્તા-સંસક્તિ પ્રતિમાન’ તરીકે પણ ઓળખાવાય છે. યેસ્પર્સને એને ‘પ્રતિનિહિત ઉક્તિ’ (represented speech)ની સંજ્ઞા આપી છે.<br>આ ઉપરાંત ‘Discours direct impropre’ (Kalik-Teljatnicova); ‘Psuedo-objektive Rede’ (Spitzer); ‘Semi indirect Style’ (Kruisinga); Independent form of indirect discourse (curme), ‘Narrated monologue’ (Cohn); ‘Substitutionary narration’ (Fehr, Hernadi); ‘Erlebte Rede’ (Lorck); ‘Rede als tatsache (Lerch); ‘Verschlcierte Rede’ (Kalepky) વગેરે સંજ્ઞાઓ પણ પ્રચલિત છે.<br>રઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માંથી આનું એક ઉદાહરણ જોઈએ : ‘આમ ને આમ હેલી ચાલુ રહેશે તો ઘરનો કરો પડી તો નહીં જાય? માટીનો છે. ઉનાળામાં કરેલું લીંપણ ધોવાઈ ગયું છે. તિરાડ તો નહીં પડી હોય ને? પ્રવાહમાં પગ ટેકવીને એણે પાછળ જોયું. મકરોળની ટોચની પેલી પાર એને છેવાડાના ઘરનો મોંભારો દેખાયો. ઊંટની પીઠ જેવો, ઝાંખો પાંખો. ઓતરાદી નજર કરી. દેવળની ધજા પલળીને એના સુંવાળા દંડ સાથે વીંટળાઈ વળી હતી. બાપજી શું કરતા હશે? બપોરની સેવાની તૈયારી કરતા હશે? અત્યારે ઊંઘે એ બીજા...’<br>અહીં પાત્ર પૂનમ અને કથાનિરૂપક બંનેના અવાજનું સંયોજન સ્પષ્ટ જોઈ શકાય છે.}}
આ ઉપરાંત ‘Discours direct impropre’ (Kalik-Teljatnicova); ‘Psuedo-objektive Rede’ (Spitzer); ‘Semi indirect Style’ (Kruisinga); Independent form of indirect discourse (curme), ‘Narrated monologue’ (Cohn); ‘Substitutionary narration’ (Fehr, Hernadi); ‘Erlebte Rede’ (Lorck); ‘Rede als tatsache (Lerch); ‘Verschlcierte Rede’ (Kalepky) વગેરે સંજ્ઞાઓ પણ પ્રચલિત છે.
{{hi|'''Freytag’s pyramid ફ્રે્યટાગનો પિરામિડ''' જર્મન વિવેચક ગુસ્તાન ફ્રે્યટાગે નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે :}}
રઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માંથી આનું એક ઉદાહરણ જોઈએ : ‘આમ ને આમ હેલી ચાલુ રહેશે તો ઘરનો કરો પડી તો નહીં જાય? માટીનો છે. ઉનાળામાં કરેલું લીંપણ ધોવાઈ ગયું છે. તિરાડ તો નહીં પડી હોય ને? પ્રવાહમાં પગ ટેકવીને એણે પાછળ જોયું. મકરોળની ટોચની પેલી પાર એને છેવાડાના ઘરનો મોંભારો દેખાયો. ઊંટની પીઠ જેવો, ઝાંખો પાંખો. ઓતરાદી નજર કરી. દેવળની ધજા પલળીને એના સુંવાળા દંડ સાથે વીંટળાઈ વળી હતી. બાપજી શું કરતા હશે? બપોરની સેવાની તૈયારી કરતા હશે? અત્યારે ઊંઘે એ બીજા...’
અહીં પાત્ર પૂનમ અને કથાનિરૂપક બંનેના અવાજનું સંયોજન સ્પષ્ટ જોઈ શકાય છે.}}
{{hi|'''Freytag’s pyramid ફ્રે્યટાગનો પિરામિડ''' જર્મન વિવેચક ગુસ્તાન ફ્રે્યટાગે નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે :
[[File:Vishishtha Sahitya Sangna Kosh Image 1.png|center|300px]]
[[File:Vishishtha Sahitya Sangna Kosh Image 1.png|center|300px]]
{{hi|'''Frotteurism (ફ્રોટયુરિઝમ) અપમાર્જન ચિત્રકલામાં પેન્સિલ, ચોક કે કોલસો ઘસીને દૃશ્યપ્રભાવ ઊભો કરવા વપરાતી રચનારીતિ ‘માર્જન’ તરીકે ઓળખાય છે. આ ઉપરથી આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા જાહેરસ્થાનોમાં લાગ મળતાં પુરુષ જે પ્રકારે સ્ત્રીશરીર સાથે લિંગઘર્ષણ કરે છે એની મનોવૃત્તિને નિર્દેશે છે.}}
{{hi|'''Frotteurism (ફ્રોટયુરિઝમ) અપમાર્જન ચિત્રકલામાં પેન્સિલ, ચોક કે કોલસો ઘસીને દૃશ્યપ્રભાવ ઊભો કરવા વપરાતી રચનારીતિ ‘માર્જન’ તરીકે ઓળખાય છે. આ ઉપરથી આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા જાહેરસ્થાનોમાં લાગ મળતાં પુરુષ જે પ્રકારે સ્ત્રીશરીર સાથે લિંગઘર્ષણ કરે છે એની મનોવૃત્તિને નિર્દેશે છે.}}
{{hi|'''Funambulism બજાણિયાગીરી આધુનિક જગતમાં ચિંતા, શૂન્યતા અને ભયાવહતાની વચ્ચે ક્ષણે ક્ષણે કુશળ બજાણિયાની જેમ સમતુલા જાળવતા આજના સર્જકને અનુલક્ષીને જિયોર્જિયો મેલક્યોરીએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. આ સંજ્ઞા ખાસ તો જોખમને સૂચવે છે.}}
{{hi|'''Funambulism બજાણિયાગીરી''' આધુનિક જગતમાં ચિંતા, શૂન્યતા અને ભયાવહતાની વચ્ચે ક્ષણે ક્ષણે કુશળ બજાણિયાની જેમ સમતુલા જાળવતા આજના સર્જકને અનુલક્ષીને જિયોર્જિયો મેલક્યોરીએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. આ સંજ્ઞા ખાસ તો જોખમને સૂચવે છે.}}
{{hi|'''Functionalism હેતુસાધકતાવાદ કેટલાક સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશવિજ્ઞાનીઓ દ્વારા પુરસ્કૃત સિદ્ધાંત. આ સિદ્ધાંત સમાજને એક વ્યવસ્થાતંત્ર રૂપે જુએ છે. અને આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં વિવિધ સંસ્થાઓ, સત્તામંડળો અને કાર્યપ્રણાલિઓની ભૂમિકાઓ પર ભાર આપે છે. આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં સહાય કરનાર હેતુસાધક છે, વ્યવસ્થાતંત્રને તોડી પાડનાર દુર્હેતુસાધક છે, તો વ્યવસ્થાતંત્ર અંગે કોઈ પણ ભૂમિકા ન ભજવનાર નિર્હેતુસાધક છે.}}
{{hi|'''Functionalism હેતુસાધકતાવાદ''' કેટલાક સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશવિજ્ઞાનીઓ દ્વારા પુરસ્કૃત સિદ્ધાંત. આ સિદ્ધાંત સમાજને એક વ્યવસ્થાતંત્ર રૂપે જુએ છે. અને આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં વિવિધ સંસ્થાઓ, સત્તામંડળો અને કાર્યપ્રણાલિઓની ભૂમિકાઓ પર ભાર આપે છે. આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં સહાય કરનાર હેતુસાધક છે, વ્યવસ્થાતંત્રને તોડી પાડનાર દુર્હેતુસાધક છે, તો વ્યવસ્થાતંત્ર અંગે કોઈ પણ ભૂમિકા ન ભજવનાર નિર્હેતુસાધક છે.}}
{{hi|'''Funk art લોકાગ્રાહ્ય કલા ઘરવખરીમાંથી કે ઔદ્યોગિક સામગ્રીમાંથી બનાવેલી લોકપ્રિય કલા.}}
{{hi|'''Funk art લોકાગ્રાહ્ય કલા''' ઘરવખરીમાંથી કે ઔદ્યોગિક સામગ્રીમાંથી બનાવેલી લોકપ્રિય કલા.}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 06:24, 30 November 2025

F
Fascism ફાસિવાદ આ સંજ્ઞા દ્વારા બલપૂર્વક વિરોધ અને ટીકાઓને દબાવી દેતી, આક્રમકતાથી રાષ્ટ્રવાદ અને કટ્ટર જાતિવાદને ઉત્તેજતી, તેમ જ સર્વેસર્વા બની બેઠેલા સરમુખત્યારમાં શ્રદ્ધા મૂકતી રાજ્યવ્યવસ્થા સૂચવાય છે. ૧૯૧૬માં બેનિતો મુસોલિનીએ ફાસિવાદી આંદોલનના પરિણામરૂપ ઇટાલીનું શાસન હસ્તગત કરેલું, એમાં એક બાજુ જનતંત્રથી અસંતુષ્ટ સત્તાકાંક્ષાવાળી સમર્થ વ્યક્તિ અને બીજી બાજુ કોઈ સરમુખત્યારને તમામ કર્તવ્ય સોંપી પલાયન થવા ઇચ્છતી પ્રજા બંનેની ચિત્તદશાનાં મૂળ પડેલાં છે.
Feelie સ્પૃષ્ટિ હાથથી અનુભવવા અને સંવેદવા માટે રચાયેલી કલાકૃતિ.
Fesrschrifts અભિનંદન ગ્રંથ પ્રસિદ્ધ વિદ્વાન કે લેખકની જન્મતિથિએ કે એની નિવૃત્તિવેળાએ એને અભિનંદવા તૈયાર થતો ગ્રંથ. આપણે ત્યાં જ્યાોતીન્દ્ર દવેની ષષ્ટિપૂર્તિ પ્રસંગનો ‘વાઙ્‌મયવિહાર’ કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ષષ્ટિપૂર્તિ પ્રસંગનો ‘ઉપાયન’ – આ પ્રકારના ગ્રંથો છે.
Figuration પ્રરૂપણ તોદોરોવની સંજ્ઞા. તોદોરોવ વાચનની પ્રક્રિયાને પ્રરૂપણ તરીકે ઓળખાવે છે; જેમાં કૃતિના બધા જ સ્તરોને નિયંત્રિત કરતી કોઈ કેન્દ્રસ્થ સંરચના કે સંસર્જનાત્મક પ્રવિધિ શોધવાનો વાચક પ્રયત્ન કરે છે. બીજી રીતે કહીએ તો કૃતિના વિવિધ સ્તરે કાર્યરત કોઈ એક અલંકૃતિ કે સંરચના કૃતિના તંત્રને નિર્ણિત કરતી હોય છે.
Fillers પૂરકો રોજિંદી ભાષામાં આ પ્રકારના ઘણા પૂરકો હોય છે. આ પૂરકો અર્થગત રીતે નકામા છતાં લય જાળવવા પૂરતા ખપના એવા શબ્દો કે વાક્યખંડો હોય છે. ‘શું સમજ્યા?’ કે ‘મેં કીધું’ જેવા પૂરકો ઘણાખરાની વાતચીતમાં આવતા હોય છે.
Focalization દૃષ્ટિબિંદુ ઝાઁ જેનેત ‘Point of view’ને બદલે આ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. એને મતે આ સંજ્ઞા વધુ તટસ્થ છે.
Folksay લોકભંગી લોકોની પોતાની સ્થાનિક બોલચાલરીતિ.
Found poem પ્રાપ્તકવિતા પ્રાપ્તવસ્તુ (object trouve) કે પ્રાપ્તકલા (Art trouve)ના ક્ષેત્રે કલાકારે બનાવી ન હોય છતાં સૌંદર્યનિષ્ઠ મૂલ્ય ઉપસાવતી કુદરતી વસ્તુઓનો મહિમા છે. કુદરતમાંથી મળેલી કે તૈયાર મળેલી વસ્તુઓનો અહીં સૌંદર્યનિષ્ઠ ઉપયોગ અપેક્ષિત છે. એ જ રીતે ‘પ્રાપ્ત કવિતા’માં પણ રોજિંદી ભાષાના તૈયાર ખંડોમાંથી સંયોજન નીપજાવવાનો પ્રયત્ન હોય છે. જેમકે, ચંદ્રકાંત ટોપીવાળાની રચના ‘દીવાનો આધુનિક રાસડો’માં સીધેસીધી કહેવતોને વણતો કવિતાપટ તૈયાર થયો છે :

મા, માનું ઘર કેટલે દીવો બળે એટલે?
દીવો લઈ કૂવે પડું. દીવો મળે એટલે
વાંઝિયા ઘરે પારણું દીવો કર્યો એટલે
લીપ્યું ગૂંથ્યું આંગણું દીવો દીવો એટલે

Four levels of meaning અર્થના ચાર સ્તરો ‘ડિવાઈન કોમેડી’ કેવી રીતે વાંચી શકાય એ અંગે એક પત્રમાં ખુલાસો કરતાં કવિ દાન્તેએ અર્થના ચાર સ્તર વર્ણવ્યા છે : વાચ્યાર્થ કે ઐતિહાસિક અર્થ; નૈતિક અર્થ; રૂપકાર્થ; આધ્યાત્મિક કે રહસ્યમય અર્થ.
Four kinds of meaning ચાર પ્રકારના અર્થ આઈ.એ. રિચર્ડઝે ચાર પ્રકારના અર્થની વાત કરી છે : તાત્પર્ય (sense) એટલે કે નિર્દિષ્ટ વસ્તુ, સંવેગ (Feeling) એટલે વસ્તુ તરફનું સંવેદન; ભાવ પર્યાવરણ (Tone) એટલે લેખકની અભિવૃત્તિ અને આશય (Intention) એટલે લેખકનો હેતુ.
Frankfurt school of Criticism ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયનું વિવેચન માર્ક્‌સવાદને પુરસ્કારનારા ફ્રાન્કફૂર્ટ સંપ્રદાયના વિવેચકો સોવિયેટ સિદ્ધાંતકારોની જેમ આર્થિક વિચારધારાને બદલે તત્ત્વવિચારમાં અને સૌંદર્યવિચારમાં વધુ રોકાયેલા છે. એમનો વિવેચન સિદ્ધાંત સંસ્કૃતિ અંતર્ગત નિહિત એવા સત્તા સંબંધોને પ્રગટ કરવા ચાહે છે. અડોર્નો, હોર્ક હેયમર અને માર્ક્યુઝ જેવામાં આ જોઈ શકાય છે.
Free indirect discourse જુઓ, FIS.
F(ree) I(ndirect) S(peech) મુક્ત પરોક્ષ ઉક્તિ ચાર્લ્સ બાલીએ આપેલી સંજ્ઞા. એને ‘મુક્ત પરોક્ષ પ્રોક્તિ’ (Free indirect discourse) પણ કહેવાય છે. આમ તો આ પરોક્ષ ઉક્તિનો એક વર્ગ છે. પરંતુ એમાં પરોક્ષ ઉક્તિના ત્રીજા પુરુષને અને ભૂતકાળને પ્રત્યક્ષ ઉક્તિના વિન્યાસ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની શક્યતાઓ અને એના શબ્દક્રમ સાથે સંયોજિત કરવામાં આવે છે. આથી એમાં દૃષ્ટિબિંદુ, નિરૂપણવિષયક આધિપત્ય અને મનોવાસ્તવની બૃહદ્‌ વિવેચનાત્મક સમસ્યાઓ પ્રવેશ પામે છે. એક રીતે જોઈએ તો એમાં દ્વિર્ભાવ છે; પાત્રની ઉક્તિને પણ એ રજૂ કરે છે અને નિરૂપકની ઉપસ્થિતિનાં એંધાણને પણ એ જાળવે છે. નિરૂપકના એંધાણ સમભાવ કે વ્યંગ દ્વારા વ્યક્ત થતા કાકુઓમાં કે મૂળની ઉક્તિની પુનરાવૃત્તિ નહીં પણ એની થતી પુનર્વ્યવસ્થામાં જોવા મળે છે. એટલે કે આ ઉક્તિ અંતર્ગત-ઉક્તિ છે અને ઉક્તિ અંગેની પણ ઉક્તિ છે. મિખાઈલ બખ્તિન અને વોલોશિનોવે એમના સંવાદપરક ભાષા સિદ્ધાંતમાં મુક્ત પરોક્ષ ઉક્તિને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. મુક્ત પરોક્ષ ઉક્તિને ‘વક્તા-સંસક્તિ પ્રતિમાન’ તરીકે પણ ઓળખાવાય છે. યેસ્પર્સને એને ‘પ્રતિનિહિત ઉક્તિ’ (represented speech)ની સંજ્ઞા આપી છે.
આ ઉપરાંત ‘Discours direct impropre’ (Kalik-Teljatnicova); ‘Psuedo-objektive Rede’ (Spitzer); ‘Semi indirect Style’ (Kruisinga); Independent form of indirect discourse (curme), ‘Narrated monologue’ (Cohn); ‘Substitutionary narration’ (Fehr, Hernadi); ‘Erlebte Rede’ (Lorck); ‘Rede als tatsache (Lerch); ‘Verschlcierte Rede’ (Kalepky) વગેરે સંજ્ઞાઓ પણ પ્રચલિત છે.
રઘુવીર ચૌધરીની નવલકથા ‘ઇચ્છાવર’માંથી આનું એક ઉદાહરણ જોઈએ : ‘આમ ને આમ હેલી ચાલુ રહેશે તો ઘરનો કરો પડી તો નહીં જાય? માટીનો છે. ઉનાળામાં કરેલું લીંપણ ધોવાઈ ગયું છે. તિરાડ તો નહીં પડી હોય ને? પ્રવાહમાં પગ ટેકવીને એણે પાછળ જોયું. મકરોળની ટોચની પેલી પાર એને છેવાડાના ઘરનો મોંભારો દેખાયો. ઊંટની પીઠ જેવો, ઝાંખો પાંખો. ઓતરાદી નજર કરી. દેવળની ધજા પલળીને એના સુંવાળા દંડ સાથે વીંટળાઈ વળી હતી. બાપજી શું કરતા હશે? બપોરની સેવાની તૈયારી કરતા હશે? અત્યારે ઊંઘે એ બીજા...’
અહીં પાત્ર પૂનમ અને કથાનિરૂપક બંનેના અવાજનું સંયોજન સ્પષ્ટ જોઈ શકાય છે.
Freytag’s pyramid ફ્રે્યટાગનો પિરામિડ જર્મન વિવેચક ગુસ્તાન ફ્રે્યટાગે નાટકના સંદર્ભમાં કાર્યવેગ પરાકાષ્ઠા અને પ્રતિકાષ્ઠાને લક્ષમાં રાખી નીચેનો પિરામિડ આપ્યો છે :
Vishishtha Sahitya Sangna Kosh Image 1.png
Frotteurism (ફ્રોટયુરિઝમ) અપમાર્જન ચિત્રકલામાં પેન્સિલ, ચોક કે કોલસો ઘસીને દૃશ્યપ્રભાવ ઊભો કરવા વપરાતી રચનારીતિ ‘માર્જન’ તરીકે ઓળખાય છે. આ ઉપરથી આ મનોવૈજ્ઞાનિક સંજ્ઞા જાહેરસ્થાનોમાં લાગ મળતાં પુરુષ જે પ્રકારે સ્ત્રીશરીર સાથે લિંગઘર્ષણ કરે છે એની મનોવૃત્તિને નિર્દેશે છે.
Funambulism બજાણિયાગીરી આધુનિક જગતમાં ચિંતા, શૂન્યતા અને ભયાવહતાની વચ્ચે ક્ષણે ક્ષણે કુશળ બજાણિયાની જેમ સમતુલા જાળવતા આજના સર્જકને અનુલક્ષીને જિયોર્જિયો મેલક્યોરીએ આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. આ સંજ્ઞા ખાસ તો જોખમને સૂચવે છે.
Functionalism હેતુસાધકતાવાદ કેટલાક સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશવિજ્ઞાનીઓ દ્વારા પુરસ્કૃત સિદ્ધાંત. આ સિદ્ધાંત સમાજને એક વ્યવસ્થાતંત્ર રૂપે જુએ છે. અને આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં વિવિધ સંસ્થાઓ, સત્તામંડળો અને કાર્યપ્રણાલિઓની ભૂમિકાઓ પર ભાર આપે છે. આ વ્યવસ્થાતંત્રને નભાવવામાં સહાય કરનાર હેતુસાધક છે, વ્યવસ્થાતંત્રને તોડી પાડનાર દુર્હેતુસાધક છે, તો વ્યવસ્થાતંત્ર અંગે કોઈ પણ ભૂમિકા ન ભજવનાર નિર્હેતુસાધક છે.
Funk art લોકાગ્રાહ્ય કલા ઘરવખરીમાંથી કે ઔદ્યોગિક સામગ્રીમાંથી બનાવેલી લોકપ્રિય કલા.