રસસિદ્ધાંત—એક પરિચય/અભિનવનો ‘અભિવ્યક્તિવાદ’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 53: Line 53:
મમ્મટે ‘રસાભાસ’ના મુખ્ય કારણ તરીકે ‘અનૌચિત્ય’ને ગણાવ્યું છે. શાસ્ત્ર અને લોકનું અતિક્રમણ કરી જ્યાં ‘પ્રતિષિદ્ધ વિષય’ના ભાવો રજૂ કરવામાં આવ્યા હોય તે સહૃદયને અનુચિત લાગે છે. શિષ્ય ગુરુપત્નીને કામુકતાથી જોતો હોય એવા પ્રસંગનિરૂપણથી સહૃદયની કોમળ અંતઃકરણવૃત્તિને આઘાત થાય છે. એટલે આ સંદર્ભમાં રસાભાસ જન્મે છે. બીજી બાજુ પ્રકૃતિમાંનાં પુષ્પો, વેલીઓ કે ભ્રમર જેવાં તત્ત્વોના રતિભાવના આલેખનમાં રતિભાવ કુંઠિત રહી જતો હોવાથી ત્યાં પણ ‘રસાભાસ’ થાય છે. હકીકતમાં કાવ્યનાટકાદિના વિવિધ પ્રસંગો અને ભાવોના આલેખનમાં જે કોઈ સ્થાને અનૌચિત્ય વરતાય છે ત્યાં રસાભાસની લાગણી જન્મે છે. આ વિષયની પ્રાચીન આચાર્યોની ચર્ચાઓ જોતાં એમ સમજાય છે કે લૌકિક આચારો કે શાસ્ત્રવચનોનો જ્યાં પણ ભંગ થતો લાગે ત્યાં સહૃદયના કોમળ અંતરને આઘાત જ લાગે. તેને અનૌચિત્યનું ભાન થતાં ચિત્ત સંક્ષુબ્ધ બની જાય અને એ રીતે ત્યાં ‘રસાભાસ’ જ સંભવે.
મમ્મટે ‘રસાભાસ’ના મુખ્ય કારણ તરીકે ‘અનૌચિત્ય’ને ગણાવ્યું છે. શાસ્ત્ર અને લોકનું અતિક્રમણ કરી જ્યાં ‘પ્રતિષિદ્ધ વિષય’ના ભાવો રજૂ કરવામાં આવ્યા હોય તે સહૃદયને અનુચિત લાગે છે. શિષ્ય ગુરુપત્નીને કામુકતાથી જોતો હોય એવા પ્રસંગનિરૂપણથી સહૃદયની કોમળ અંતઃકરણવૃત્તિને આઘાત થાય છે. એટલે આ સંદર્ભમાં રસાભાસ જન્મે છે. બીજી બાજુ પ્રકૃતિમાંનાં પુષ્પો, વેલીઓ કે ભ્રમર જેવાં તત્ત્વોના રતિભાવના આલેખનમાં રતિભાવ કુંઠિત રહી જતો હોવાથી ત્યાં પણ ‘રસાભાસ’ થાય છે. હકીકતમાં કાવ્યનાટકાદિના વિવિધ પ્રસંગો અને ભાવોના આલેખનમાં જે કોઈ સ્થાને અનૌચિત્ય વરતાય છે ત્યાં રસાભાસની લાગણી જન્મે છે. આ વિષયની પ્રાચીન આચાર્યોની ચર્ચાઓ જોતાં એમ સમજાય છે કે લૌકિક આચારો કે શાસ્ત્રવચનોનો જ્યાં પણ ભંગ થતો લાગે ત્યાં સહૃદયના કોમળ અંતરને આઘાત જ લાગે. તેને અનૌચિત્યનું ભાન થતાં ચિત્ત સંક્ષુબ્ધ બની જાય અને એ રીતે ત્યાં ‘રસાભાસ’ જ સંભવે.
આ ‘રસાભાસ’ના સ્વરૂપ વિશે પણ વિચારભેદ જોવા મળે છે. શ્રી નગીનદાસ પારેખ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે રસ અને રસાભાસને કારણે કંઈ કાવ્યમાં ઉચ્ચાવચતા આવતી નથી. જ્યાં રસ પ્રતીત થાય અને જ્યાં રસાભાસ પ્રતીત થાય તે બંને ઉત્તમ કાવ્યો જ ગણાય. કારણ ‘ચર્વણા’ તો બંનેમાં જ હોય છે. ડૉ. નાન્દી આ મત સ્વીકારતા નથી. તેમનું દૃષ્ટિબિંદુ એ છે કે ‘રસાભાસ’ સંજ્ઞાથી સૂચવાય છે તેમ, એ રસાસ્વાદ નથી જ. અનૌચિત્યના બોધથી હૃદયને રસમાં ભંગ પડે જ છે એમ તેમનું તાત્પર્ય જણાય છે.
આ ‘રસાભાસ’ના સ્વરૂપ વિશે પણ વિચારભેદ જોવા મળે છે. શ્રી નગીનદાસ પારેખ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે રસ અને રસાભાસને કારણે કંઈ કાવ્યમાં ઉચ્ચાવચતા આવતી નથી. જ્યાં રસ પ્રતીત થાય અને જ્યાં રસાભાસ પ્રતીત થાય તે બંને ઉત્તમ કાવ્યો જ ગણાય. કારણ ‘ચર્વણા’ તો બંનેમાં જ હોય છે. ડૉ. નાન્દી આ મત સ્વીકારતા નથી. તેમનું દૃષ્ટિબિંદુ એ છે કે ‘રસાભાસ’ સંજ્ઞાથી સૂચવાય છે તેમ, એ રસાસ્વાદ નથી જ. અનૌચિત્યના બોધથી હૃદયને રસમાં ભંગ પડે જ છે એમ તેમનું તાત્પર્ય જણાય છે.
ઉપસંહાર
{{Poem2Close}}
'''ઉપસંહાર'''
{{Poem2Open}}
રસની વિચારણા ભારતીય સાહિત્યશાસ્ત્રની મહાન ઉપલબ્ધિ બની રહી છે. ભરત, લોલ્લટ, શ્રીશંકુક, ભટ્ટ તૌત, ભટ્ટ નાયક અને અભિનવ જેવા પ્રતિભાસંપન્ન આચાર્યોએ એના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. એ પૈકી કેટલાક આચાર્યોની રસચર્ચામાં તેમની આગવી દાર્શનિક દૃષ્ટિનું અનુસંધાન રહ્યું હોવાનો ઘણો અસંભવ છે. એટલે એ રીતે એ વિષયમાં ઊંડી તપાસને અવકાશ રહે છે જે વિશેષતઃ આધુનિક સૌંદર્યમીમાંસાને ઇષ્ટ એવા અનેક મૂલ્યવાન વિચારો એમાં પ્રાપ્ત થાય છે. એટલે વધુ ને વધુ સંગીન પાયા પર આ વિષયનું સંશોધન-અધ્યયન થાય, એ આજની ક્ષણની મહાન અનિવાર્યતા છે.
રસની વિચારણા ભારતીય સાહિત્યશાસ્ત્રની મહાન ઉપલબ્ધિ બની રહી છે. ભરત, લોલ્લટ, શ્રીશંકુક, ભટ્ટ તૌત, ભટ્ટ નાયક અને અભિનવ જેવા પ્રતિભાસંપન્ન આચાર્યોએ એના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. એ પૈકી કેટલાક આચાર્યોની રસચર્ચામાં તેમની આગવી દાર્શનિક દૃષ્ટિનું અનુસંધાન રહ્યું હોવાનો ઘણો અસંભવ છે. એટલે એ રીતે એ વિષયમાં ઊંડી તપાસને અવકાશ રહે છે જે વિશેષતઃ આધુનિક સૌંદર્યમીમાંસાને ઇષ્ટ એવા અનેક મૂલ્યવાન વિચારો એમાં પ્રાપ્ત થાય છે. એટલે વધુ ને વધુ સંગીન પાયા પર આ વિષયનું સંશોધન-અધ્યયન થાય, એ આજની ક્ષણની મહાન અનિવાર્યતા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}