ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/પ્રકાશકનું નિવેદન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:18, 5 February 2026

પ્રકાશકનું નિવેદન

ગુજરાત સાહિત્ય અકાદમીએ તેના પ્રારંભમાં ગુજરાતમાં રચાતા સાહિત્યના ઉત્કર્ષ અને વિકાસ માટે જે નવી યોજના અને કાર્યપ્રવૃત્તિઓનો આરંભ કર્યો તે પૈકી મહત્ત્વની યોજના અને કાર્યપ્રવૃત્તિ ગ્રંથપ્રકાશનની છે. ભાષા સાહિત્યના વિકાસની દૃષ્ટિએ મહત્ત્વના હોય તેવા અને લોકોપયોગી વિવેચનાત્મક, સર્જનાત્મક, સાહિત્યિક, જ્ઞાનાત્મક પ્રકારના ગ્રંથો પ્રગટ કરવાનો અકાદમીનો અભિગમ છે. ગુજરાતી ભાષા ઉપરાંત લોકસાહિત્ય, સંસ્કૃત અને સિંધી-ઉર્દૂ તથા અન્ય અર્વાચીન ભારતીય ભાષાઓના મહત્ત્વના ગ્રંથોનું પ્રકાશન કરવા માટેની પણ અકાદમીની યોજના છે. અકાદમીની આ યોજનામાં શ્રી પ્રકાશ વેગડનું ‘ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)’ પુસ્તક પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું. આ પુસ્તકના પ્રકાશનમાં વિવિધ તબક્કે અમને તેના લેખક, પરામર્શક, મુદ્રકનો સહકાર મળ્યો છે, તે સર્વ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરું છું.

ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર.
તા. ૧૬-૩-૧૯૮૪
હસુ યાજ્ઞિક
મહામાત્ર