ભગવાનદાસ પટેલનું સાહિત્યવિશ્વ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{Heading|ભગવાનદાસ પટેલનુ સાહિત્યવિશ્વ}} | {{Heading|ભગવાનદાસ પટેલનુ સાહિત્યવિશ્વ}} | ||
[[File:Bhagvandas Patel.jpg|center| | [[File:Bhagvandas Patel.jpg|center|400px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભગવાનદાસ પટેલ ભીલ આદિવાસી સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્યના તજજ્ઞ, ખ્યાત લોકવિદ્યાવિદ્(FOLK-LORIST), સંશોધક-સંપાદક, લોકનાટ્યવિદ્, પ્રાગૈતિહાસવિદ્ (PRE-HISTORIAN) તથા ભીલ સમાજ પર પ્રકાશ પાડી ગૌરવ અપાવનારા સામાજિક કાર્યકર (ACTIVIST) છે. ઉપરાંત ભીલ આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યના સિદ્ધાંતકાર અને લિખિત પરંપરાના સાહિત્યકાર છે. ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકવિદ્યા-લોકસાહિત્ય-પ્રાક્-ઇતિહાસ અને સાહિત્ય પર એમનાં અનુવાદ સાથે ૬૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. | ભગવાનદાસ પટેલ ભીલ આદિવાસી સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્યના તજજ્ઞ, ખ્યાત લોકવિદ્યાવિદ્(FOLK-LORIST), સંશોધક-સંપાદક, લોકનાટ્યવિદ્, પ્રાગૈતિહાસવિદ્ (PRE-HISTORIAN) તથા ભીલ સમાજ પર પ્રકાશ પાડી ગૌરવ અપાવનારા સામાજિક કાર્યકર (ACTIVIST) છે. ઉપરાંત ભીલ આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યના સિદ્ધાંતકાર અને લિખિત પરંપરાના સાહિત્યકાર છે. ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકવિદ્યા-લોકસાહિત્ય-પ્રાક્-ઇતિહાસ અને સાહિત્ય પર એમનાં અનુવાદ સાથે ૬૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. | ||
Revision as of 16:37, 20 February 2026
ભગવાનદાસ પટેલ ભીલ આદિવાસી સંસ્કૃતિ-સમાજ-લોકસાહિત્યના તજજ્ઞ, ખ્યાત લોકવિદ્યાવિદ્(FOLK-LORIST), સંશોધક-સંપાદક, લોકનાટ્યવિદ્, પ્રાગૈતિહાસવિદ્ (PRE-HISTORIAN) તથા ભીલ સમાજ પર પ્રકાશ પાડી ગૌરવ અપાવનારા સામાજિક કાર્યકર (ACTIVIST) છે. ઉપરાંત ભીલ આદિવાસી લોકવિદ્યા-લોકસાહિત્યના સિદ્ધાંતકાર અને લિખિત પરંપરાના સાહિત્યકાર છે. ભીલ સંસ્કૃતિ-સમાજ-લોકવિદ્યા-લોકસાહિત્ય-પ્રાક્-ઇતિહાસ અને સાહિત્ય પર એમનાં અનુવાદ સાથે ૬૪ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે.
• આદિવાસી ક્ષેત્રમાં ૩૦ વર્ષ સુધી લોકયાત્રા કરી, આદિવાસી કંઠ પરંપરાની અત્યંત મૂલ્યવાન સાંસ્કૃતિક સંપદાનું ૧૫૦૦ ઑડિઓ અને ૫૦ જેટલી વિડિઓ કેસેટ્સમાં ધ્વનિમુદ્રણ કર્યું. આ આદિવાસી લોકસંપદાનો અભ્યાસ કરી, સ્વરૂપ-સિદ્ધાંત સાથે શાસ્ત્રીય રૂપ આપી ૬૪ પુસ્તકો પ્રગટ કર્યાં. હિંદી, અંગ્રેજી, ફ્રેંચ અનુવાદ થકી એમનું આ કાર્ય દેશ વળોટી વિશ્વમાં પહોંચ્યું અને વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસનો વિષય બન્યું.
• ડૉ. હસુ યાજ્ઞિક ‘ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન’ (૨૦૧૧, સંપાદક : ભગવાનદાસ પટેલ) પુસ્તકના પૃ. ૮ ઉપર કહે છે, “ગુજરાંનો અરેલો, રાઠોરવારતા, ભીલોનું ભારથ અને રૉમ-સીતમાની વારતા – આ ચાર મહાકાવ્યોનું સંપાદન...માત્ર ગુજરાત કે ભારતના જ લોકવિદ્યાકીય અભ્યાસનું જ નહીં પરંતુ વૈશ્વિક ક્ષેત્રની વિદ્યાશાખાનું પણ આશ્ચર્ય અને અહોભાવ જન્માવે એવું આ કાર્ય છે, સર્વોન્ન અભ્યાસશૃંગ છે.” ગુજરાતના આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે ભગવાનદાસ પટેલનું કાર્ય સીમાસ્તંભરૂપ; પ્રકાશસ્તંભરૂપ છે.”
• પ્રાક્-ઇતિહાસવિદ્ ભગવાનદાસ પટેલે પ્રાગૈતિહાસિક કાળની ૧૧૦ આદિમાનવ વસાહતો શોધી. ૭૦ હજાર વર્ષ પૂર્વના માનવજીવન અને પ્રાચીન સંસ્કૃતિઓ પરનું એમનું આ સંશોધન ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ’ (ઈ. વિ. ૧૯૯૨) શીર્ષકે ગ્રંથરૂપ પામ્યું.
• કર્મશીલ અને લોકનાટ્યવિદ્ ભગવાનદાસ પટેલે ભીલી બોલીમાં શેરી-નાટકો સર્જી, આદિવાસી ભાઈ-બહેનો દ્વારા ૭ વર્ષ સુધી ભજવી ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી વેર-ભાવના અને ડાકણપ્રથા જેવી પાશવી પ્રથાઓ નાબૂદ કરી.
• ૧૯૮૪-૮૭માં ઇઝરાયલ, ફ્રાન્સ, સ્પેન, બેલ્જિયમ, ઇંગ્લૅન્ડ જેવા યુરોપના દેશોમાં વિશ્વલોકનૃત્યો અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં સહભાગી થઈ ભીલી સાહિત્ય-સંસ્કૃતિનો પ્રચાર-પ્રચાર કર્યો.
• સેવા નિવૃત્તિ પછી પાંચ વર્ષ એમણે આદિવાસી અકાદમી, તેજગઢમાં માનદ નિયામક તરીકે સેવા આપી, ૮૦૦ આદિવાસી ગામોમાં સમાજ-સાહિત્ય અને સંસ્કૃતિનાં કાર્યો કરાવ્યાં.
• આદિવાસી સમાજ-સંસ્કૃતિ અને સાહિત્યની સત્ત્વશીલતા ધ્યાનમાં લઈને એમનાં પુસ્તકો ‘ઇન્ડો-અમેરિકન વુઝ-વુ’, ‘ઇન્ડો-એશિયન વુઝ-વુ’ અને ‘બાયોગ્રાફી-ઇન્ટરનેશનલ’માં સ્થાન પામ્યાં.
• આવા વિરલ કામ માટે એમને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અને ઍવૉર્ડ્સ મળે, એ સાહજિક છે. એમાંથી કેટલાક ઍવૉર્ડ્સના ઉલ્લેખ આ પ્રમાણે છે :
અરવલ્લી પહાડી પ્રદેશ(ઉત્તર ગુજરાત)ની ભીલી બોલીના મૌખિક સાહિત્યના સંશોધન-સંપાદન અને ભીલી બોલીને ભાષાનું સ્થાન અપાવવા બદલ ડૉ. પટેલને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હીનો ૧૯૯૮નો ગૌરવવંતો ‘ભાષા સન્માન’ ઍવૉર્ડ અને ગુજરાતી આદિવાસી કલા-સાહિત્યને દેશ-વિદેશમાં માન-સન્માન અપાવવા બદલ ૨૦૦૨માં અખિલ ભારતીય સાહિત્યનો ‘સન્માન’ ઍવૉર્ડ આપવામાં આવ્યો છે.
એમના જીવન અને કાર્યની સુપેરે નોંધ લેતું એમનું આત્મવૃત્તાંત ‘મારી લોકયાત્રા’ને દક્ષિણ કોરિયા અને સાહિત્ય અકાદમી, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ‘ટાગોર લિટરેચર’, ૨૦૦૯નો આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે.
આદિવાસી લોકસાહિત્ય અને લોકકલાનું જીવનભર કાર્ય કરવા બદલ પશ્ચિમક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુરનો ‘પદ્મભૂષણ ડૉ. કોમલ કોઠારી સ્મૃતિ લાઇફ એચીવમેન્ટ લોકકલા પુરસ્કાર, ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨નો વગેરે ઍવૉર્ડ્ઝ પ્રાપ્ત થયા છે.
ભગવાનદાસ પટેલના પુસ્તકો
સાહિત્ય
- મારી લોકયાત્રા (૨૦૦૬/૨૦૧૦/૨૦૨૧)
- મારી આનંદયાત્રા (૨૦૧૪)
- મારી સંશોધનયાત્રા (૨૦૨૪)
સમાજવિદ્યા
- આદિવાસી ઓળખ (સમાજવિદ્યા) (૧૯૯૯)
- આદિવાસી સંસ્કૃતિ-સમાજ અને કળા (૨૦૨૧)
- ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ (૧૯૯૨)
સંપાદનો
ભીલી મૌખિક મહાકાવ્યો : સંવર્ધિત પાઠ અને અભ્યાસ
- ભીલી મૌખિક રામાયણ : રૉમ-સીતમાની વારતા (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
- ભીલી મૌખિક મહાભારત : ભીલોનું ભારથ (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
- ભીલી મૌખિક મહાકાવ્ય : રાઠોરવારતા (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
- ભીલી મૌખિક મહાકાવ્ય - ગુજરાંનો અરેલો (સંવર્ધિત પાઠ અને અભ્યાસ) (૨૦૨૦)
ભીલી મૌખિક આખ્યાનો
- ભીલ આદિવાસી મૌખિક આખ્યાન ખંડ ૧ (૨૦૧૮)
- ભીલ આદિવાસી મૌખિક આખ્યાન ખંડ ૨ (૨૦૧૮)
- ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા : નવલાખ દેવીઓ અને કરમીરો (પુરાણકથાઓ) (૧૯૮૭), પુરસ્કૃત
- भील भजन वारता: सदणराझा (चंदनमलयागिरि) – जिज्ञासा पटेल (१९९९)
ભીલી મૌખિક વારતાઓ-પુરાકથાઓ – મંત્રો
- અરવલ્લી પહાડની આસ્થા (લોકમંત્રો અને ભીલોની પુરાકથાઓ) (૧૯૮૪/૧૯૮૮)
- ભીલોની વહી-વાતો-વારતાઓ (૨૦૧૭)
ભીલી મૌખિક ગીતકથાઓ – કથાગીતો
- ભીલ કથાગીત : હોનોલ હોટી, ભીલ ભજનવારતા : હાલદે હોળંગી અને નાગઝી-દલજી (૨૦૦૨)
- ભીલ આદિવાસી મૌખિક ગીતકથા-કથાગીતો (૨૦૨૦)
ભીલી મૌખિક ગીતો
- લીલા મોરિયા (ભીલી પ્રણય ગીતો) (૧૯૮૩/૧૯૮૮)
- ભીલ લોકોત્સવ : ગોર (૧૯૯૪)
- ભીલોનાં હગ અને વતાંમણાં (૧૯૯૫)
- ભીલોનાં હોળીગીતો (ધાર્મિક ગીતો) (૧૯૯૯)
- ફૂલરાંની લાડી (૧૯૮૩/૧૯૮૮)
- ભીલોના ધાર્મિકગીતો (૨૦૦૯)
- ભીલોના સામાજિક ગીતો (૨૦૧૨)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી મૌખિક સાહિત્ય પર લખાયેલા અભ્યાસગ્રંથો
- વનસ્વર – ડૉ. બળવંત જાની (ગુજરાતનાં આદિવાસી સાહિત્યનો અભ્યાસ ગ્રંથ) (૨૦૦૪)
- ભીલી સાહિત્ય : એક અધ્યયન – હસુ યાજ્ઞિક (૨૦૦૯)
- ભીલી મૌખિક સાહિત્ય એક અભ્યાસ – સંપા. દશરથ પટેલ (૨૦૧૨)
- મારી લોકયાત્રા : વિમર્શ, સંપાદક : પ્રેમજી પટેલ (૨૦૧૬)
- ભગવાનદાસ પટેલનાં આદિવાસી લોકસાહિત્ય વિષયક લેખો - પ્રેમજી પટેલ (૨૦૨૩)
ભીલી મૌખિક સાહિત્ય પર વ્યક્તિગત અભ્યાસીઓએ લખેલાં પુસ્તકો
તુલનાત્મક અભ્યાસ
- ‘મહાભારત’ અને ‘ભીલોનું ભારથ’ નારીપાત્રો – તુલનાત્મક અભ્યાસ, ડૉ. હર્ષદા શાહ (૨૦૧૫)
- ‘बगड़ावत देवनारायण’ और ‘गुजरांनो अरेलो’का तुलनात्मक अध्ययन, डॉ. जिज्ञासा पटेल (२०२२)
ભીલી મૌખિક સાહિત્ય પર અન્ય અભ્યાસીઓએ લખેલા લેખોનાં ભગવાનદાસ પટેલ દ્વારા થયેલાં સંપાદનો
- ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન, સંપાદક : ભગવાનદાસ પટેલ (૨૦૧૧)
- ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય, ખંડ-૧, સંપાદક : ભગવાનદાસ પટેલ (૨૦૨૫)
- ભીલી મૌખિક સાહિત્ય : એક સ્વાધ્યાય, ખંડ-૨, સંપાદક : ભગવાનદાસ પટેલ (૨૦૨૫)
ભગવાનદાસ પટેલના જીવન અને કાર્ય પર લખાયેલાં પુસ્તકો
- ડુંગરી ભીલી 'સાધુ' અને 'સંશોધક' : ભગવાનદાસ પટેલ – હરેન્દ્ર પ્ર. ભટ્ટ (૨૦૦૮)
- સ્નેહી ભગવાનદાસ – હરેન્દ્ર પ્ર. ભટ્ટ (૨૦૦૯)
ભગવાનદાસ પટેલ દ્વારા લખાયેલા ભીલી લોક સાહિત્યના સિદ્ધાંતગત અધ્યયન ગ્રંથો
- આદિવાસી, જાનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી(વિવેચન) (૨૦૦૫)
- શોધસંપદા (વિવેચન) (૨૦૦૮)
- ‘લોક’સંમત આદિવાસી લોકવિદ્યાશાસ્ત્ર (૨૦૨૨)
- ઉત્તર ગુજરાતના ભીલ આદિવાસીઓનું સ્વાતંત્ર્ય આંદોલન (૨૦૨૪)
ભગવાનદાસ પટેલ દ્વારા સંપાદિત ભીલી લોકસાહિત્યમાં અનુવાદો હિંદી અનુવાદ
- भीलों का भारथ – भगवानदास पटेल (अनु. मृदुला पारीक) (2000)
- रॉम-सीतमानी वारता – भगवानदास पटेल (अनु. मृदुला पारीक) (2019)
અંગ્રેજી અનુવાદ
- Study in The Tribal Literature of Gujarat, Ed. By Bhagvandas Patel by HASU YAJNIK (2004)
- Bhil Lokakhyano : Oral Narratives Of The Dungari Bhils (Tr. Nila Shah) (2009)
- Bharath An Epic Of The Dungri Bhils (Tr. Nila Shah) (2012)
- Rathor Varta : A Heroic Narrative Of The Dungri Bhils (Tr. Nila Shah) (2012)