સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/કુમારસંભવનો અનુવાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:
પણ કુમારને કાલિદાસે રદ કરી અધૂરો મૂક્યો, અને આઠમા સર્ગના શૃંગારવર્ણનના અનૌચિત્યને માટે જ તેને રદ કર્યો એ તર્ક ખરો હોય કે નહિ, પણ કુમારના જુદાજુદા સર્ગોમાં આપણે જોયાં તે સૌંદર્ય કરતાં પણ તેનું સમગ્ર વસ્તુ વધારે ઉદાત્ત ભાવવાળું અને મહત્ત્વવાળું છે. મહાદેવ ઉમાનું વાગ્દાન સ્વીકારે કે નહિ એ આશંકાથી હિમાલય જેવો ગિરીશ પણ વચન નથી નાંખી શકતો! મહાદેવ પોતાના ધ્યાનમાં મગ્ન છે, દેવો પોતાની આપત્તિમાંથી છૂટવા શંભુથી ઉત્પન્ન થયેલ કુમારને વાંછે છે, અને પાર્વતી તરફ શંભુને આકર્ષવા મદનને મોકલે છે. સર્વ ઇન્દ્રિયો ઉપર યુગયુગોના સંયમવાળા હર પણ એક વાર કામદેવના શરનું લક્ષ્ય બનતાં ચલિતવૃત્તિ થાય છે! પણ પાર્વતીને પોતે જ પરણશે, લગભગ એવી મતલબનો વર આપ્યા છતાં, આ રીતે નથી પરણવા ઇચ્છતા, અને કામને જ બાળે છે! પાર્વતીને પોતાનું રૂપ નિષ્ફળ ગયેલું લાગે છે, અને તે વરને મેળવવા ઉગ્ર તપ આદરે છે. કાલિદાસ કહે છે, સ્ત્રીમાં કોમલત્વ સાથે અદ્‌ભુત તપઃક્ષમત્વ પણ છે!
પણ કુમારને કાલિદાસે રદ કરી અધૂરો મૂક્યો, અને આઠમા સર્ગના શૃંગારવર્ણનના અનૌચિત્યને માટે જ તેને રદ કર્યો એ તર્ક ખરો હોય કે નહિ, પણ કુમારના જુદાજુદા સર્ગોમાં આપણે જોયાં તે સૌંદર્ય કરતાં પણ તેનું સમગ્ર વસ્તુ વધારે ઉદાત્ત ભાવવાળું અને મહત્ત્વવાળું છે. મહાદેવ ઉમાનું વાગ્દાન સ્વીકારે કે નહિ એ આશંકાથી હિમાલય જેવો ગિરીશ પણ વચન નથી નાંખી શકતો! મહાદેવ પોતાના ધ્યાનમાં મગ્ન છે, દેવો પોતાની આપત્તિમાંથી છૂટવા શંભુથી ઉત્પન્ન થયેલ કુમારને વાંછે છે, અને પાર્વતી તરફ શંભુને આકર્ષવા મદનને મોકલે છે. સર્વ ઇન્દ્રિયો ઉપર યુગયુગોના સંયમવાળા હર પણ એક વાર કામદેવના શરનું લક્ષ્ય બનતાં ચલિતવૃત્તિ થાય છે! પણ પાર્વતીને પોતે જ પરણશે, લગભગ એવી મતલબનો વર આપ્યા છતાં, આ રીતે નથી પરણવા ઇચ્છતા, અને કામને જ બાળે છે! પાર્વતીને પોતાનું રૂપ નિષ્ફળ ગયેલું લાગે છે, અને તે વરને મેળવવા ઉગ્ર તપ આદરે છે. કાલિદાસ કહે છે, સ્ત્રીમાં કોમલત્વ સાથે અદ્‌ભુત તપઃક્ષમત્વ પણ છે!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ખરે ઘડ્યું શું વપુ હેમપદ્મનું  
{{Block center|'''<poem>ખરે ઘડ્યું શું વપુ હેમપદ્મનું  
મૃદુ સ્વભાવે વળી સત્ત્વશીલ એ!</poem>}}
મૃદુ સ્વભાવે વળી સત્ત્વશીલ એ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
યોગીઓનાં તપને પણ ઝાંખાં કરતું તપ પાર્વતી તપવા માંડે છે, ત્યારે કામને બાળનાર એ જ શંભુ પાર્વતીના વેચાણ થઈ રહે છે! જગતનાં મહાન પ્રયોજનો, મહાન પ્રેમબળો, મહાન સંયમબળોનો સમન્વય આ મહાકાવ્ય છે. અને તેના પ્રભાવ અને ઉદાત્તતા આગળ કાલિદાસનું શૃંગારવર્ણનનું અનૌચિત્ય જોતાં, તેનો જ શ્લોક બોલાઈ જવાય છે.
યોગીઓનાં તપને પણ ઝાંખાં કરતું તપ પાર્વતી તપવા માંડે છે, ત્યારે કામને બાળનાર એ જ શંભુ પાર્વતીના વેચાણ થઈ રહે છે! જગતનાં મહાન પ્રયોજનો, મહાન પ્રેમબળો, મહાન સંયમબળોનો સમન્વય આ મહાકાવ્ય છે. અને તેના પ્રભાવ અને ઉદાત્તતા આગળ કાલિદાસનું શૃંગારવર્ણનનું અનૌચિત્ય જોતાં, તેનો જ શ્લોક બોલાઈ જવાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ડૂબે ગુણૌદ્યે નકી દોષ એક  
{{Block center|'''<poem>ડૂબે ગુણૌદ્યે નકી દોષ એક  
કલંક ઇન્દુ-કિરણો મહીં શું!</poem>}}
કલંક ઇન્દુ-કિરણો મહીં શું!</poem>'''}}
{{Block center|<poem>આ મહાકાવ્યનું ભાષાંતર કરવાનું શ્રી નાગરદાસ પંડ્યાએ સ્વીકાર્યું, એ અભિનંદન યોગ્ય છે. અનુવાદનું કામ કેટલું કપરું છે તે તો જેણે જરા પણ એ પ્રયત્ન કરી જોયો હોય તે જ જાણે. હજી સુધી તો અનુવાદકો માટે સમશ્લોકી ભાષાંતર એ જ મૂળની પ્રૌઢિ સાચવવાનો રાજમાર્ગ જણાયો છે. સંસ્કૃતમાં સમાસથી ભાષાની ઘણી જ કરકસર થઈ શકે છે. વળી વિશેષણને પણ વિશેષ્યના પ્રત્યયો લાગતા હોવાથી વિશેષણો વિશેષ્યથી ગમે તેટલાં છેટાં પડી ગયાં હોય તોપણ અન્વયને વાંધો આવતો નથી. ગુજરાતીમાં તો શબ્દોનો ક્રમ બદલાતાં પણ વિપરીત અર્થ થઈ જાય. આ બધી મુશ્કેલીઓમાં મૂળના અર્થને એટલા જ માપના અક્ષરોમાં ગુજરાતીમાં ઉતારવો અતિ દુર્ઘટ છે. તેમાં પણ કાલિદાસ, જે દરેક પદ સાભિપ્રાય વાપરે છે, જેની ઉપમાનું ઔચિત્ય ઉપમા-ઉપમેયની નાનામાં નાની વિગત સુધી પહોંચતું હોય છે, જેનાં વિશેષણો સંસ્કૃત ભાષાની સગવડને લીધે એક જ જગાએ રહી ઉપમેય ઉપમાન બંનેને રંગતાં હોય છે, તેનું ભાષાંતર કરવું ઘણું કઠિન છે. આનો એક જ દાખલો આપું છું. કુમારનો પહેલો સર્ગ હિમાલયના વર્ણનથી શરૂ થાય છે. પહેલા શ્લોકમાં હિમાલયનો નામનિર્દેશ કરેલો છે અને તે પછીના સોળ શ્લોકમાં ‘જેના’, ‘જેમાં’, ‘જ્યાં’ વગેરે સંબંધક શબ્દોથી વર્ણન લંબાવ્યું છે. કુમારનો ચોથો શ્લોક નીચે પ્રમાણે છે :</poem>}}
{{Poem2Open}}
{{Block center|<poem>यश्चाप्सरोविभ्रममंडनानां
આ મહાકાવ્યનું ભાષાંતર કરવાનું શ્રી નાગરદાસ પંડ્યાએ સ્વીકાર્યું, એ અભિનંદન યોગ્ય છે. અનુવાદનું કામ કેટલું કપરું છે તે તો જેણે જરા પણ એ પ્રયત્ન કરી જોયો હોય તે જ જાણે. હજી સુધી તો અનુવાદકો માટે સમશ્લોકી ભાષાંતર એ જ મૂળની પ્રૌઢિ સાચવવાનો રાજમાર્ગ જણાયો છે. સંસ્કૃતમાં સમાસથી ભાષાની ઘણી જ કરકસર થઈ શકે છે. વળી વિશેષણને પણ વિશેષ્યના પ્રત્યયો લાગતા હોવાથી વિશેષણો વિશેષ્યથી ગમે તેટલાં છેટાં પડી ગયાં હોય તોપણ અન્વયને વાંધો આવતો નથી. ગુજરાતીમાં તો શબ્દોનો ક્રમ બદલાતાં પણ વિપરીત અર્થ થઈ જાય. આ બધી મુશ્કેલીઓમાં મૂળના અર્થને એટલા જ માપના અક્ષરોમાં ગુજરાતીમાં ઉતારવો અતિ દુર્ઘટ છે. તેમાં પણ કાલિદાસ, જે દરેક પદ સાભિપ્રાય વાપરે છે, જેની ઉપમાનું ઔચિત્ય ઉપમા-ઉપમેયની નાનામાં નાની વિગત સુધી પહોંચતું હોય છે, જેનાં વિશેષણો સંસ્કૃત ભાષાની સગવડને લીધે એક જ જગાએ રહી ઉપમેય ઉપમાન બંનેને રંગતાં હોય છે, તેનું ભાષાંતર કરવું ઘણું કઠિન છે. આનો એક જ દાખલો આપું છું. કુમારનો પહેલો સર્ગ હિમાલયના વર્ણનથી શરૂ થાય છે. પહેલા શ્લોકમાં હિમાલયનો નામનિર્દેશ કરેલો છે અને તે પછીના સોળ શ્લોકમાં ‘જેના’, ‘જેમાં’, ‘જ્યાં’ વગેરે સંબંધક શબ્દોથી વર્ણન લંબાવ્યું છે. કુમારનો ચોથો શ્લોક નીચે પ્રમાણે છે :
{{Poem2Close}}
{{Block center|'''<poem>यश्चाप्सरोविभ्रममंडनानां
सपंदायित्री शिखरैर्बिभर्ति ।
सपंदायित्री शिखरैर्बिभर्ति ।
बलाहकच्छेदविभक्तरागा-
बलाहकच्छेदविभक्तरागा-
मकालसन्ध्यामिव धातुमत्ताम् ।।</poem>}}
मकालसन्ध्यामिव धातुमत्ताम् ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમાં મુખ્ય વાક્ય એવું છે કે જે (હિમાલય) પોતાનાં શિખરો વડે અકાલસંધ્યાના જેવી ધાતુમત્તાને (લાલ માટીને) ધારણ કરે છે. તે સાથે આમાં બે વિશેષણાત્મક વાક્યખંડો આવે છે અને ટીકાકાર મલ્લિનાથ કહે છે કે આ બંને વિશેષણો ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પડે છે. अप्सरोविभ्रममंडनानां संपादयित्रीम् એ એક વિશેષણાત્મક વાક્યખંડ છે. વિભ્રમમંડન એટલે ઉતાવળથી અવળાં આભૂષણ પહેરવાં તે પર્વતની લાલ માટીને લીધે અપ્સરાઓને અકાલે સંધ્યા થઈ જવાનો ભ્રમ થાય અને તેથી તે ઉતાવળમાં આડાંઅવળાં આભૂષણો પહેરી લે એવી આ ધાતુમત્તા છે. એટલે આ વિશેષણ અકાલસંધ્યાને બરાબર લાગુ પડી શક્યું. પણ તે પાછું ધાતુમત્તાનું પણ વિશેષણ છે અને ત્યાં એ વાક્યખંડનો અર્થ એવો લેવાનો કે આ ધાતુમત્તા અપ્સરાઓને વિભ્રમમંડનો – વિલાસના અલંકારો પૂરાં પાડતી હતી, કેમ કે આ પર્વત ઉપર સિંદૂર વગેરે અલંકારમાં કામ આવે એવાં લાલ ખનિજ દ્રવ્યો હતાં. બીજું વિશેષણ बलाहकच्छेदविभक्तरागाम् એટલે વાદળાંના છેદ – ટુકડાથી જેની રતાશ વિભક્ત થઈ ગઈ છે એવી. આ વિશેષણ પણ બંનેને લાગુ પડે. હિમાલય એટલો ઊંચો છે કે વાદળાં તેની મેખલા-કેડ આસપાસ ફર્યા કરે છે. અને તે કરતાં વાદળાંથી પર્વતની ધાતુમત્તા વચમાં-વચમાં તૂટેલી લાગે. અને સંધ્યાની રતાશ પણ એ જ રીતે વાદળાંથી ખંડિત દેખાય. એટલે આ વિશેષણ ધાતુમત્તા અને અકાલસંધ્યા બંનેને લાગુ પડે. પણ જાણે મુશ્કેલી ઓછી ન હોય તેમ મલ્લિનાથ આ સમાસનો અર્થ જુદી રીતે કરે છે : વાદળાંના ટુકડામાં જે (સંધ્યા)નો રાગ (રસ્તાશ) સંક્રમિત થયો છે એવી. હવે વિભક્તિનો અર્થ સંક્રમિત શી રીતે થાય તે હું સમજતો નથી. આપ્ટે એવો અર્થ આપતો નથી. હું તો એ અર્થને અર્થવિસ્તાર જ ગણું છું. સંધ્યાનો રંગ મેઘખંડોમાં સંક્રમિત થાય છે એટલે મલ્લિનાથે એમ સમજાવ્યું. પણ મુશ્કેલી એ છે કે ધાતુમત્તાનો રંગ મેઘખંડમાં સંક્રમિત ન થઈ શકે, ત્યાં તો માત્ર શિખરોનો લાલ રંગ વાદળાંથી વચમાં-વચમાં તૂટેલો જ દેખાય, એટલે મલ્લિનાથ પ્રમાણે અર્થ કરવા જતાં એ વિશેષણ ધાતુમત્તાને ન લાગી શકે – જોકે મલ્લિનાથ પોતે બંને વિશેષણો ધાતુમત્તા અને અકાલસંધ્યા બંનેને લાગુ પડવાં જોઈએ એમ લખે છે.
આમાં મુખ્ય વાક્ય એવું છે કે જે (હિમાલય) પોતાનાં શિખરો વડે અકાલસંધ્યાના જેવી ધાતુમત્તાને (લાલ માટીને) ધારણ કરે છે. તે સાથે આમાં બે વિશેષણાત્મક વાક્યખંડો આવે છે અને ટીકાકાર મલ્લિનાથ કહે છે કે આ બંને વિશેષણો ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પડે છે. अप्सरोविभ्रममंडनानां संपादयित्रीम् એ એક વિશેષણાત્મક વાક્યખંડ છે. વિભ્રમમંડન એટલે ઉતાવળથી અવળાં આભૂષણ પહેરવાં તે પર્વતની લાલ માટીને લીધે અપ્સરાઓને અકાલે સંધ્યા થઈ જવાનો ભ્રમ થાય અને તેથી તે ઉતાવળમાં આડાંઅવળાં આભૂષણો પહેરી લે એવી આ ધાતુમત્તા છે. એટલે આ વિશેષણ અકાલસંધ્યાને બરાબર લાગુ પડી શક્યું. પણ તે પાછું ધાતુમત્તાનું પણ વિશેષણ છે અને ત્યાં એ વાક્યખંડનો અર્થ એવો લેવાનો કે આ ધાતુમત્તા અપ્સરાઓને વિભ્રમમંડનો – વિલાસના અલંકારો પૂરાં પાડતી હતી, કેમ કે આ પર્વત ઉપર સિંદૂર વગેરે અલંકારમાં કામ આવે એવાં લાલ ખનિજ દ્રવ્યો હતાં. બીજું વિશેષણ बलाहकच्छेदविभक्तरागाम् એટલે વાદળાંના છેદ – ટુકડાથી જેની રતાશ વિભક્ત થઈ ગઈ છે એવી. આ વિશેષણ પણ બંનેને લાગુ પડે. હિમાલય એટલો ઊંચો છે કે વાદળાં તેની મેખલા-કેડ આસપાસ ફર્યા કરે છે. અને તે કરતાં વાદળાંથી પર્વતની ધાતુમત્તા વચમાં-વચમાં તૂટેલી લાગે. અને સંધ્યાની રતાશ પણ એ જ રીતે વાદળાંથી ખંડિત દેખાય. એટલે આ વિશેષણ ધાતુમત્તા અને અકાલસંધ્યા બંનેને લાગુ પડે. પણ જાણે મુશ્કેલી ઓછી ન હોય તેમ મલ્લિનાથ આ સમાસનો અર્થ જુદી રીતે કરે છે : વાદળાંના ટુકડામાં જે (સંધ્યા)નો રાગ (રસ્તાશ) સંક્રમિત થયો છે એવી. હવે વિભક્તિનો અર્થ સંક્રમિત શી રીતે થાય તે હું સમજતો નથી. આપ્ટે એવો અર્થ આપતો નથી. હું તો એ અર્થને અર્થવિસ્તાર જ ગણું છું. સંધ્યાનો રંગ મેઘખંડોમાં સંક્રમિત થાય છે એટલે મલ્લિનાથે એમ સમજાવ્યું. પણ મુશ્કેલી એ છે કે ધાતુમત્તાનો રંગ મેઘખંડમાં સંક્રમિત ન થઈ શકે, ત્યાં તો માત્ર શિખરોનો લાલ રંગ વાદળાંથી વચમાં-વચમાં તૂટેલો જ દેખાય, એટલે મલ્લિનાથ પ્રમાણે અર્થ કરવા જતાં એ વિશેષણ ધાતુમત્તાને ન લાગી શકે – જોકે મલ્લિનાથ પોતે બંને વિશેષણો ધાતુમત્તા અને અકાલસંધ્યા બંનેને લાગુ પડવાં જોઈએ એમ લખે છે.
હવે આનો અનુવાદ જોઈએ.
હવે આનો અનુવાદ જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શૃંગારનો સંભ્રમ અપ્સરાને  
{{Block center|'''<poem>શૃંગારનો સંભ્રમ અપ્સરાને  
કરાવનારી શિખરે ધરે જે,  
કરાવનારી શિખરે ધરે જે,  
વિચિત્ર-રંગી થતી મેઘખંડે,  
વિચિત્ર-રંગી થતી મેઘખંડે,  
અકાલસંધ્યા સમી લાલ ધાતુ!</poem>}}
અકાલસંધ્યા સમી લાલ ધાતુ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વાંચનાર જોઈ શકશે કે ઉપર ચર્ચા કરી તે સર્વ અર્થ ચાર લીટીમાં સમાવવાનો અનુવાદકે કેવો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ કહે છે કે મૂળનો બધો જ અર્થ આમાં આવતો નથી તો એટલું જ કહેવાનું કે અર્થ સમાઈ જ ન શકે ત્યાં કયો અર્થ કેટલો છોડી દેવાથી ઓછામાં ઓછી અભિપ્રાયને હાનિ થાય છે એ જ જોવાનું રહે છે અને તેમાં અનુવાદકે સારો વિવેક બતાવ્યો છે.
વાંચનાર જોઈ શકશે કે ઉપર ચર્ચા કરી તે સર્વ અર્થ ચાર લીટીમાં સમાવવાનો અનુવાદકે કેવો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ કહે છે કે મૂળનો બધો જ અર્થ આમાં આવતો નથી તો એટલું જ કહેવાનું કે અર્થ સમાઈ જ ન શકે ત્યાં કયો અર્થ કેટલો છોડી દેવાથી ઓછામાં ઓછી અભિપ્રાયને હાનિ થાય છે એ જ જોવાનું રહે છે અને તેમાં અનુવાદકે સારો વિવેક બતાવ્યો છે.
આ સર્વ મુશ્કેલીઓ જોતાં કહેવું જોઈએ કે શ્રી નાગરદાસને આ અનુવાદમાં જશ મળ્યો છે. તેઓ પોતે સંસ્કૃતના સારા અભ્યાસી છે –સંસ્કૃતમાં તો કાવ્યો પણ કરી શકે છે એટલું એમનું ભાષાપ્રભુત્વ છે. તેઓ ગુજરાતીના પણ સારા અભ્યાસી છે. અને આ ભાષાંતર તેમણે કેટલી ખંતથી, ધીરજથી અને ઉદ્યમથી કર્યું છે તેનો હું સાક્ષી છું. આપણી ભાષા હજી વધારે કેળવાશે, તેનામાં શબ્દની કરકસરની શક્યતા વધતી જશે, તેમ-તેમજ આવાં ભાષાંતરો વધારે સફળ થવાનાં. અને એ ભાષાશક્તિઓ આવા પ્રયત્નોથી જ હાથ આવે છે – ખીલે છે – ઊગે છે. એટલે આ અનુવાદપ્રયત્નને હું સાર્થ ગણું છું. અને એટલું ઉમેરીશ કે આમાં આદર્શ ભાષાંતરની દૃષ્ટિએ ગમે તેટલી ઊણપો જડી આવે તોપણ, એટલું તો સર્વને જણાશે કે આ ભાષાંતરે, મૂળના બધા રંગો નહિ તો તેની છાયાકૃતિ તો જરૂર પકડી છે. ફોટોગ્રાફ વિવિધ રંગોને માત્ર તેજછાયામાં ઉતારીને પણ અસલ રૂપનો ખ્યાલ આપે છે તેમ આ ભાષાંતર પણ સર્વ વર્ણોને નહિ ઉતારતાં છતાં મૂળની સુંદર આકૃતિનું સુરેખ પ્રતિબિંબ છે, અને રસજ્ઞો એનો આસ્વાદ કરી કદર કરશે અને એ રીતે શ્રી પંડ્યાએ રઘુવંશનો અનુવાદ શરૂ કર્યો છે તેને ઉત્તેજન આપશે એમ આશા રાખું છું.
આ સર્વ મુશ્કેલીઓ જોતાં કહેવું જોઈએ કે શ્રી નાગરદાસને આ અનુવાદમાં જશ મળ્યો છે. તેઓ પોતે સંસ્કૃતના સારા અભ્યાસી છે –સંસ્કૃતમાં તો કાવ્યો પણ કરી શકે છે એટલું એમનું ભાષાપ્રભુત્વ છે. તેઓ ગુજરાતીના પણ સારા અભ્યાસી છે. અને આ ભાષાંતર તેમણે કેટલી ખંતથી, ધીરજથી અને ઉદ્યમથી કર્યું છે તેનો હું સાક્ષી છું. આપણી ભાષા હજી વધારે કેળવાશે, તેનામાં શબ્દની કરકસરની શક્યતા વધતી જશે, તેમ-તેમજ આવાં ભાષાંતરો વધારે સફળ થવાનાં. અને એ ભાષાશક્તિઓ આવા પ્રયત્નોથી જ હાથ આવે છે – ખીલે છે – ઊગે છે. એટલે આ અનુવાદપ્રયત્નને હું સાર્થ ગણું છું. અને એટલું ઉમેરીશ કે આમાં આદર્શ ભાષાંતરની દૃષ્ટિએ ગમે તેટલી ઊણપો જડી આવે તોપણ, એટલું તો સર્વને જણાશે કે આ ભાષાંતરે, મૂળના બધા રંગો નહિ તો તેની છાયાકૃતિ તો જરૂર પકડી છે. ફોટોગ્રાફ વિવિધ રંગોને માત્ર તેજછાયામાં ઉતારીને પણ અસલ રૂપનો ખ્યાલ આપે છે તેમ આ ભાષાંતર પણ સર્વ વર્ણોને નહિ ઉતારતાં છતાં મૂળની સુંદર આકૃતિનું સુરેખ પ્રતિબિંબ છે, અને રસજ્ઞો એનો આસ્વાદ કરી કદર કરશે અને એ રીતે શ્રી પંડ્યાએ રઘુવંશનો અનુવાદ શરૂ કર્યો છે તેને ઉત્તેજન આપશે એમ આશા રાખું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
તા. ૮.૪.૩૬ [‘આલોચના’]
તા. ૮.૪.૩૬ [‘આલોચના’]<br>
'''પાદટીપ'''  
'''પાદટીપ'''  
{{reflist}}
{{reflist}}