સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/કવિતા સાથે ડીસ્કોર્સ: Difference between revisions
+1 |
+1 |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 17: | Line 17: | ||
આપણે માટે તો એક જ વાત મહત્ત્વની છે, દરેક સમયે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો પ્રશ્નો પૂછવાનો અબાધિત અધિકાર આપણે ક્યારેય જતો ન કરીએ અને આપણને દરવખતે અનુકૂળ એવા ઉત્તરો ન પણ મળે. ઉત્તરોનો અર્થ છે નિદ્રા. મૃત્યુ. ભાષા દ્વારા કવિતાને માર્ગે ગતિશીલ રહેવું એટલે પ્રશ્નો પૂછતાં પૂછતાં વાણી અને ઉક્તિના અંતિમ છેડા સુધી ગતિ કરવી. કવિતાની અને આપણી અસ્મિતા સાંસ્કૃતિક અન્યો (cultural others) વિના શક્ય નથી એવું લેવિનાસનું કથન અહીં ફરીથી યાદ રાખીએ. આપણી આત્મસંજ્ઞા અને અસ્મિતા વિશેના પ્રશ્નો પૂછવાનો અર્થ એ કે આપણે already આપણી ઓળખ અને અસ્મિતા ગુમાવી બેઠા છીએ. પરન્તુ ઓળખ તો સતત રચતા રહેવાની પ્રક્રિયા છે. | આપણે માટે તો એક જ વાત મહત્ત્વની છે, દરેક સમયે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો પ્રશ્નો પૂછવાનો અબાધિત અધિકાર આપણે ક્યારેય જતો ન કરીએ અને આપણને દરવખતે અનુકૂળ એવા ઉત્તરો ન પણ મળે. ઉત્તરોનો અર્થ છે નિદ્રા. મૃત્યુ. ભાષા દ્વારા કવિતાને માર્ગે ગતિશીલ રહેવું એટલે પ્રશ્નો પૂછતાં પૂછતાં વાણી અને ઉક્તિના અંતિમ છેડા સુધી ગતિ કરવી. કવિતાની અને આપણી અસ્મિતા સાંસ્કૃતિક અન્યો (cultural others) વિના શક્ય નથી એવું લેવિનાસનું કથન અહીં ફરીથી યાદ રાખીએ. આપણી આત્મસંજ્ઞા અને અસ્મિતા વિશેના પ્રશ્નો પૂછવાનો અર્થ એ કે આપણે already આપણી ઓળખ અને અસ્મિતા ગુમાવી બેઠા છીએ. પરન્તુ ઓળખ તો સતત રચતા રહેવાની પ્રક્રિયા છે. | ||
અંતે, આપણા સમયમાં લખવું અને વાંચવું એટલે આપણા સમયમાં રહીને, સમયમાંથી હદપારી ભોગવવી. આપણે એક એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં આપણે ક્યારેય સંત કે ઉદ્ધારક ન બની શકીએ. એથી જ એક મુલાકાતમાં દેરિદા કહે છે કે દરેક સર્જક કોઈકને કોઈક પ્રકારના પક્ષાઘાતથી પીડાય છે. મનુષ્ય તરીકે આપણે કેટલા અશક્ય છીએ તેની પ્રતીતિ આપણને લિખિત શબ્દ કરાવે છે. કવિ-સર્જક લખવાની પસંદગી કરે છે એ જ ક્ષણે જાત-જગતથી વિખૂટો પડે છે. માટે જ સર્જન કરવું, વાંચવું એ મોટો પડકાર સર્જક ને ભાવક બંને માટે છે. ‘To be an artist is to fail as no other dare it’ – સૅમ્યૂલ બેકેટનું આ વિધાન ભાષાને માર્ગે થતી સર્જન-વાચનની યાત્રામાં આપણને અજંપ રાખે એવી વાગીશ્વરીને અભ્યર્થના કરીએ. | અંતે, આપણા સમયમાં લખવું અને વાંચવું એટલે આપણા સમયમાં રહીને, સમયમાંથી હદપારી ભોગવવી. આપણે એક એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં આપણે ક્યારેય સંત કે ઉદ્ધારક ન બની શકીએ. એથી જ એક મુલાકાતમાં દેરિદા કહે છે કે દરેક સર્જક કોઈકને કોઈક પ્રકારના પક્ષાઘાતથી પીડાય છે. મનુષ્ય તરીકે આપણે કેટલા અશક્ય છીએ તેની પ્રતીતિ આપણને લિખિત શબ્દ કરાવે છે. કવિ-સર્જક લખવાની પસંદગી કરે છે એ જ ક્ષણે જાત-જગતથી વિખૂટો પડે છે. માટે જ સર્જન કરવું, વાંચવું એ મોટો પડકાર સર્જક ને ભાવક બંને માટે છે. ‘To be an artist is to fail as no other dare it’ – સૅમ્યૂલ બેકેટનું આ વિધાન ભાષાને માર્ગે થતી સર્જન-વાચનની યાત્રામાં આપણને અજંપ રાખે એવી વાગીશ્વરીને અભ્યર્થના કરીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''નોંધ :''' | |||
* ‘નય-પ્રમાણ’માં જૈનદર્શનનો અનેકાંતવાદનો સંદર્ભ રહેલો છે. આ શીર્ષક સૂચવવા માટે મારી તેજસ્વી અને સંવેદનશીલ વિદ્યાર્થિની, મારી નાની બહેન નીપા શાહનો આભારી છું. ‘એતદ્’માં જુદાં જુદાં કેન્દ્રોથી સર્જન-સાહિત્યવિચારને સમજવાનો પ્રયત્ન છે. અને સાથે સાથે નમ્રપણે સંપાદકનું માનવું છે કે He who does not know one thing knows another; આમ તો દરેક વિવેચનવિચાર પોતાની એક મર્યાદિત frame of reference લઈને આવતો હોય છે. આવા જુદા જુદા છેડાના વિચારોથી આપણા ભાવજગતની ક્ષિતિજ વિસ્તરતી રહે છે. સુરેશ જોષીએ એક જગ્યાએ કહ્યું છે કે મારો કોઈ વૈષ્ણવ કે શૈવ સંપ્રદાય નથી હું રસ સંપ્રદાયનો છું. આખરે તો દરેક સાહિત્યવિચાર કે અભિગમ કે સિદ્ધાંત સાતત્ય, પ્રતિકાર અને પૂરકતાના સંબંધે એકબીજા જોડે ગૂંથાયેલો છે.<br> | |||
(‘નય-પ્રમાણ’) | (‘નય-પ્રમાણ’) | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ | |previous = વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ | ||
|next = ૨૦૦૮નું સાહિત્યનુ નોબેલ પારિતોષિક | |next = ૨૦૦૮નું સાહિત્યનુ નોબેલ પારિતોષિક | ||
}} | }} | ||