34,458
edits
(Created page with "{{SetTitle}} {{Heading|સર્જક-પરિચય}} {{center|'''સ્નેહરશ્મિ'''}} {{Poem2Open}} સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991) : ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકાર. પ્રાથમિક–માધ્...") |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સર્જક-પરિચય}} | {{Heading|સર્જક-પરિચય}} | ||
<big><big>{{center|'''સ્નેહરશ્મિ'''}}</big></big> | |||
{{center|'''સ્નેહરશ્મિ'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991) : ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકાર. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ઝંપલાવી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. 1926થી 1928 સુધી બે વર્ષ વિદ્યાપીઠમાં જ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. કાકાસાહેબ કાલેલકર આદિના પરિચયમાં આવવાનું બન્યું. સુન્દરમે પણ ત્યારે વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હતા, તે માટે તેમને નવ માસની કારાવાસની સજા થયેલી. 1931માં તેઓ સૂરત શહેરના કૉંગ્રેસ-પ્રમુખ તરીકે વરાયા. વળી પાછો બે વર્ષનો જેલવાસ ભોગવવો પડ્યો. આ રીતે એમની કારકિર્દીનો આરંભ સ્વાતંત્ર્યસેનાની તરીકે થયો અને સાચી દેશદાઝથી તેમાં સક્રિય રહ્યા. | '''સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ) (જ. 16 એપ્રિલ 1903, ચીખલી, જિ. વલસાડ; અ. 6 જાન્યુઆરી 1991)''' : ગાંધીયુગના ગણનાપાત્ર કવિ અને કેળવણીકાર. પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ વતનમાં. 1920માં અસહકારની લડતમાં ઝંપલાવી મૅટ્રિકનો અભ્યાસ અધૂરો મૂક્યો. 1921માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પરીક્ષા પાસ કરી. 1926માં રાજ્યશાસ્ત્રના વિષય સાથે વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. 1926થી 1928 સુધી બે વર્ષ વિદ્યાપીઠમાં જ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપી. કાકાસાહેબ કાલેલકર આદિના પરિચયમાં આવવાનું બન્યું. સુન્દરમે પણ ત્યારે વિદ્યાપીઠમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે ‘સત્યાગ્રહ પત્રિકા’નું સંપાદન કરતા હતા, તે માટે તેમને નવ માસની કારાવાસની સજા થયેલી. 1931માં તેઓ સૂરત શહેરના કૉંગ્રેસ-પ્રમુખ તરીકે વરાયા. વળી પાછો બે વર્ષનો જેલવાસ ભોગવવો પડ્યો. આ રીતે એમની કારકિર્દીનો આરંભ સ્વાતંત્ર્યસેનાની તરીકે થયો અને સાચી દેશદાઝથી તેમાં સક્રિય રહ્યા. | ||
1934થી એમની જીવનદિશા બદલાય છે અને સક્રિય રાજકારણને તિલાંજલિ આપી શિક્ષણક્ષેત્રે ઝંપલાવે છે. ત્યારથી આજીવન તેઓ તે ક્ષેત્રમાં જ રચ્યાપચ્યા રહે છે. 1934માં મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્ય તરીકે નિયુક્ત થાય છે. ત્યાં ચારેક વર્ષ શિક્ષણકાર્ય કરી 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાય છે. શિક્ષક તરીકે ત્યાંથી નિવૃત્ત થયા બાદ એ જ સંસ્થાના નિયામકપદે વરણી પામે છે. આ સંસ્થાને શિક્ષણક્ષેત્રમાં એના શ્રેષ્ઠ શિખરે પહોંચાડવાનો સકલ યશ સ્નેહરશ્મિને જાય છે. તેઓ પોતાની અમદાવાદની શિક્ષણકારકિર્દીમાં શિક્ષક અને વિદ્યાર્થીઓમાં એક વત્સલ વ્યક્તિ તરીકે આદરભર્યું સ્થાન ભોગવે છે. એમણે મુંબઈ અને પછી ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળોમાં રહી સૂઝસમજપૂર્વક શૈક્ષણિક કામગીરી બજાવી હતી. તે દરમિયાન તેમની વહીવટીય દક્ષતાનો પણ વિનિયોગ થવા પામ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ તેઓ ત્રણ વાર નિયુક્ત થયા હતા. આમ, શિક્ષણ એમનો પ્રથમ પ્રેમ. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. આ જ હેતુસર એમને ચંદ્રકાન્ત મેમૉરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું. | 1934થી એમની જીવનદિશા બદલાય છે અને સક્રિય રાજકારણને તિલાંજલિ આપી શિક્ષણક્ષેત્રે ઝંપલાવે છે. ત્યારથી આજીવન તેઓ તે ક્ષેત્રમાં જ રચ્યાપચ્યા રહે છે. 1934માં મુંબઈમાં વિલે પારલે ખાતે ગોકળીબાઈ શાળામાં આચાર્ય તરીકે નિયુક્ત થાય છે. ત્યાં ચારેક વર્ષ શિક્ષણકાર્ય કરી 1938માં અમદાવાદની જાણીતી શિક્ષણસંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારમાં આચાર્યપદે જોડાય છે. શિક્ષક તરીકે ત્યાંથી નિવૃત્ત થયા બાદ એ જ સંસ્થાના નિયામકપદે વરણી પામે છે. આ સંસ્થાને શિક્ષણક્ષેત્રમાં એના શ્રેષ્ઠ શિખરે પહોંચાડવાનો સકલ યશ સ્નેહરશ્મિને જાય છે. તેઓ પોતાની અમદાવાદની શિક્ષણકારકિર્દીમાં શિક્ષક અને વિદ્યાર્થીઓમાં એક વત્સલ વ્યક્તિ તરીકે આદરભર્યું સ્થાન ભોગવે છે. એમણે મુંબઈ અને પછી ગુજરાત યુનિવર્સિટીનાં વિવિધ સત્તામંડળોમાં રહી સૂઝસમજપૂર્વક શૈક્ષણિક કામગીરી બજાવી હતી. તે દરમિયાન તેમની વહીવટીય દક્ષતાનો પણ વિનિયોગ થવા પામ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિપદે પણ તેઓ ત્રણ વાર નિયુક્ત થયા હતા. આમ, શિક્ષણ એમનો પ્રથમ પ્રેમ. એમની શૈક્ષણિક કારકિર્દીને લક્ષમાં લઈ 1961માં એમને ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત થયેલો. આ જ હેતુસર એમને ચંદ્રકાન્ત મેમૉરિયલ પારિતોષિક પણ એનાયત થયું હતું. | ||
| Line 22: | Line 21: | ||
{{center|ઉમાશંકર જોશી}} | <big><big>{{center|ઉમાશંકર જોશી}}</big></big> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||