સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઘડપણ કેણે મોકલ્યું: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
પરઉપકાર કીધે પામશો રે, ગુણ ગાયે નરસૈંયો દાસ. {{right|ઘડ૦}} | પરઉપકાર કીધે પામશો રે, ગુણ ગાયે નરસૈંયો દાસ. {{right|ઘડ૦}} | ||
</poem>}} | </poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | |||
{{Hi|1em|૧. કૃષ્ણ અને ગોપીનું વર્ણન આપો.}} | |||
{{Hi|1em|૨. મટુકીમાં ગોપીએ શું જોયું?}} | |||
{{Hi|1em|૩. રાસનું વર્ણન કરો.}} | |||
{{Hi|1em|૪. કૃષ્ણ કેમ આવતા નથી તે વિષે બે ભરવાડો વચ્ચે સંવાદ રચો.}} | |||
{{Hi|1em|૫. ઘડપણ વિષે નરસિંહ મહેતો શું કહે છે?}} | |||
{{Hi|1em|૬. આ ગીતોમાંથી કોઈ પણ એક ગીત તમને શા માટે ગમ્યું, એમાંનાં ક્યાં ચિત્ર, કઈ લીટીઓ, કયા શબ્દ, ઢાળ, વગેરે ગમી ગયાં તે કહો.}} | |||
{{Hi|1em|૭. છેલ્લું અને બીજાં કોઈ પણ બે કાવ્ય કંઠસ્થ કરો.}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 17:09, 30 March 2026
ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ટેક
ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ;
ગોળી તે ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. ઘડ૦
નહોતું જોઈતું ને શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ;
ઘરમાંથી હળવા થયા રે: એની ખૂણે ઢળાવોને ખાટ. ઘડ૦
નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે શેવ;
રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. ઘડ૦
પ્રાતઃકાળે પ્રાણ મારા રે, અન્ન વિના અકળાય;
ઘરના કહે, ‘મરતો નથી રે તને બેસી રહેતાં શું થાય?’ ઘડ૦
દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ; ૧૦
દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ. ઘડ૦
નવ નાડો જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં છોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ. ઘડ૦
અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર;
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બાર. ઘડ૦
એવું સાંભળી પ્રભુ ભજો રે, સંભારજો જગનાથ;
પરઉપકાર કીધે પામશો રે, ગુણ ગાયે નરસૈંયો દાસ. ઘડ૦
સ્વાધ્યાય