સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કનૈયાલાલ મુનશી: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 03:16, 6 April 2026
[‘પુત્ર સમોવડી’માંનો આ પ્રવેશ સત્તા માટે માણસના હૃદયની તીવ્ર તરસ અને તેને પરિણામે વ્યાપી રહેલી અનર્થપરંપરાનું જાણે એક સરસ રૂપક ન હોય એવો છે. આ પ્રવેશમાં ચાર અગત્યનાં પાત્રો આવે છે : (૧) દાનવોનો રાજા વૃષપર્વાં, (૨) માનવોનો રાજા યયાતિ, (૩) દાનવોના ગુરુ શુક્રાચાર્ય (ઉશનસ)ની પુત્રી જે યયાતિની પત્ની છે તે દેવયાની અને (૪) ઇન્દ્ર. કથા એવી છે કે દેવ અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ શરૂ થયો હતો, પણ દેવો મચક આપતા ન હતા, અને દાનવોને થતા અન્યાયમાંથી ઊગરવાનો એકે રસ્તો દેખાતો ન હતો. એવામાં દાનવોના ગુરુ શુક્રાચાર્યની દીકરી યયાતિ વેરે પરણે છે. આ લગ્નસંબંધથી માનવરાજ યયાતિ દાનવોની કુમકે આવે છે. શુક્રાચાર્યની પ્રેરણા હેઠળ યયાતિ અને વૃષપર્વા સાથે મળી ઇન્દ્રને હરાવે છે. આ વિજય કેવા અનર્થનું મૂળ થઈ પડે છે તે આ પ્રવેશમાં સરસ રીતે બતાવ્યું છે. શુક્રાચાર્યની લડત દેવોના સત્તામદ સામે હતી. એ લડતનો હેતુ જ જાણે આ વિજય મળતાં માર્યો જતો હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જે રીતે એ પરિસ્થિતિનો અન્ત આવ્યો તે આ પ્રવેશનો એક કલાત્મક અંશ છે. ભાર્ગવ -શુક્રાચાર્ય. ઐલ – ઈલા (પૃથ્વી)નો પુત્ર. સંજીવની - મરેલાંને જીવતાં કરવાની વિદ્યા. શુક્રાચાર્યને આ વિદ્યા વરી હતી. ચીનાંશુક – રેશમી કાપડ.]