નારીસંપદાઃ વિવેચન/સર્જનાત્મક સાહિત્ય અને કલામાં પુરાકથાકીય વિષયો: Difference between revisions

+1
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


<big><big>'''૩'''</big></big>
{{Heading|સર્જનાત્મક સાહિત્ય અને કલામાં પુરાકથાકીય વિષયો|મંજુ ઝવેરી}}
 
<center><big><big>'''સર્જનાત્મક સાહિત્ય અને કલામાં પુરાકથાકીય વિષયો'''</big><br>
મંજુ ઝવેરી</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પહેલાં જોસેફ કેમ્પબેલ સંપાદિત પુસ્તક, 'Myths, Dreams and Religion'માંથી ઍલન વૉટ્સનો લેખ લઈ આપણે એમાંથી જોયું હતું. એ જ પુસ્તકમાંથી આ વખતે જૉસેફ કેમ્પબેલના ખુદના લેખ, ‘Mythotogical Themes in creative Literature and Art'માંથી કેટલુંક લેવાનો વિચાર છે. લેખ ખાસ્સો મોટો છે અને બધું જ કંઈ મારી પકડમાં આવે છે એવું નથી એટલે જેટલું લેવાનું ઠીક લાગશે અને સુસંગત રીતે જેટલું ગોઠવાશે એટલું લેવાનો ઉપક્રમ રાખ્યો છે. તો ચાલો, જોઈએ.
આ પહેલાં જોસેફ કેમ્પબેલ સંપાદિત પુસ્તક, 'Myths, Dreams and Religion'માંથી ઍલન વૉટ્સનો લેખ લઈ આપણે એમાંથી જોયું હતું. એ જ પુસ્તકમાંથી આ વખતે જૉસેફ કેમ્પબેલના ખુદના લેખ, ‘Mythotogical Themes in creative Literature and Art'માંથી કેટલુંક લેવાનો વિચાર છે. લેખ ખાસ્સો મોટો છે અને બધું જ કંઈ મારી પકડમાં આવે છે એવું નથી એટલે જેટલું લેવાનું ઠીક લાગશે અને સુસંગત રીતે જેટલું ગોઠવાશે એટલું લેવાનો ઉપક્રમ રાખ્યો છે. તો ચાલો, જોઈએ.
જૉસેફ કેમ્પબેલ કહે છે કે પારંપરિક પુરાકથાશાસ્ત્રના ચાર મુખ્ય કાર્યો છે. એમાંથી પહેલું કાર્ય ચેતના પોતાના અસ્તિત્વની પૂર્વશરતો સાથે કેમ મેળ બેસાડે છે એ છે. માનવીય ચેતના પૂરેપૂરી પ્રાપ્ત થઈ એ પહેલાં આપણા જૈવિક પ્રાગૈતિહાસિકના લાંબા કાળ દરમ્યાન લાખો અબજો વર્ષથી જીવિત પ્રાણીઓ એકબીજાનું ભક્ષ્ય કરતા આવ્યાં હતાં. એક ઘડીએ કટોકટી ઊભી થાય છે જે માનવજાતને અન્ય પ્રાણીજગતથી અલગ કરી દે છે. માનવીને પહેલીવાર જીવન એ કેવો ભયાનક ખેલ છે એ સેતાની સ્વરૂપનો ખ્યાલ આવે છે અને એની ચેતનાને ધક્કો પહોંચે છે. પુરાકથાકીય રીતે કહેવું હોય તો આપણે જ્ઞાનના અજાયબ વૃક્ષના ફળનો સ્વાદ ચાખ્યો અને આપણી પ્રાણી-નિર્દોષતા આપણે ગુમાવી દીધી. આપણી આ પડેલી અવસ્થાની સભાનતા શૉપનહૉરના ધીકતા વાક્યમાં છતી થઈ છે. “Life is Something that should not have been” અને એનું વિષાદી પરિણામ હેમ્લેટની અનિર્ણયાત્મકતા “To be, or not to be" એ છે.
જૉસેફ કેમ્પબેલ કહે છે કે પારંપરિક પુરાકથાશાસ્ત્રના ચાર મુખ્ય કાર્યો છે. એમાંથી પહેલું કાર્ય ચેતના પોતાના અસ્તિત્વની પૂર્વશરતો સાથે કેમ મેળ બેસાડે છે એ છે. માનવીય ચેતના પૂરેપૂરી પ્રાપ્ત થઈ એ પહેલાં આપણા જૈવિક પ્રાગૈતિહાસિકના લાંબા કાળ દરમ્યાન લાખો અબજો વર્ષથી જીવિત પ્રાણીઓ એકબીજાનું ભક્ષ્ય કરતા આવ્યાં હતાં. એક ઘડીએ કટોકટી ઊભી થાય છે જે માનવજાતને અન્ય પ્રાણીજગતથી અલગ કરી દે છે. માનવીને પહેલીવાર જીવન એ કેવો ભયાનક ખેલ છે એ સેતાની સ્વરૂપનો ખ્યાલ આવે છે અને એની ચેતનાને ધક્કો પહોંચે છે. પુરાકથાકીય રીતે કહેવું હોય તો આપણે જ્ઞાનના અજાયબ વૃક્ષના ફળનો સ્વાદ ચાખ્યો અને આપણી પ્રાણી-નિર્દોષતા આપણે ગુમાવી દીધી. આપણી આ પડેલી અવસ્થાની સભાનતા શૉપનહૉરના ધીકતા વાક્યમાં છતી થઈ છે. “Life is Something that should not have been” અને એનું વિષાદી પરિણામ હેમ્લેટની અનિર્ણયાત્મકતા “To be, or not to be" એ છે.