નારીસંપદાઃ વિવેચન/સુરેશ જોષીની કાવ્યવિભાવના: Difference between revisions
+1 |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સુરેશ જોષીની કાવ્યવિભાવના|માલા કાપડિયા}} | |||
માલા કાપડિયા | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રત્યેક સર્જકને પોતીકું અને વિશિષ્ટ એક વિશ્વ હોય છે: અનુભૂતિનું. એનું સર્જનકર્મ પણ એ જ વિશ્વથી નિયંત્રિત હોય છે. સર્જનપ્રક્રિયા સંદર્ભે અથવા તો સાહિત્યના કોઈ એક વિશિષ્ટ પ્રકાર, જેમ કે કાવ્ય, અંગે પણ સર્જકના આગવાં મંતવ્ય હેય છે. આ મંતવ્યો સ્થિર નથી હોતાં, સમય સાથે બદલાતાં જાય છે. ક્યારેક પરસ્પર વિપરીત એવી માન્યતાઓ પણ સર્જકનાં લખાણોમાંથી મળી આવે. એ સર્જકની ગતિનું સૂચક છે કે અપરિપકવતાનું એ અભ્યાસનો વિષય છે. આ સર્વમાંથી સર્જકની વિભાવનાનો એક આકાર રચાતો આવે છે. | પ્રત્યેક સર્જકને પોતીકું અને વિશિષ્ટ એક વિશ્વ હોય છે: અનુભૂતિનું. એનું સર્જનકર્મ પણ એ જ વિશ્વથી નિયંત્રિત હોય છે. સર્જનપ્રક્રિયા સંદર્ભે અથવા તો સાહિત્યના કોઈ એક વિશિષ્ટ પ્રકાર, જેમ કે કાવ્ય, અંગે પણ સર્જકના આગવાં મંતવ્ય હેય છે. આ મંતવ્યો સ્થિર નથી હોતાં, સમય સાથે બદલાતાં જાય છે. ક્યારેક પરસ્પર વિપરીત એવી માન્યતાઓ પણ સર્જકનાં લખાણોમાંથી મળી આવે. એ સર્જકની ગતિનું સૂચક છે કે અપરિપકવતાનું એ અભ્યાસનો વિષય છે. આ સર્વમાંથી સર્જકની વિભાવનાનો એક આકાર રચાતો આવે છે. | ||
| Line 94: | Line 89: | ||
‘રિલ્કે આ સંદર્ભમાં બીજા બે શબ્દો પ્રયોજે છે : 'Inseeing' અને 'heart scape'... આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કવિને ઊણું પડે...'૩૫<ref>૩૫ એજન, પાન ૧૧૧</ref> | ‘રિલ્કે આ સંદર્ભમાં બીજા બે શબ્દો પ્રયોજે છે : 'Inseeing' અને 'heart scape'... આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કવિને ઊણું પડે...'૩૫<ref>૩૫ એજન, પાન ૧૧૧</ref> | ||
પરંપરા અને સમકાલીનતામાંથી ઘડાતો, સુરેશ જોષીનો મૌલિક અભિગમ તેમની કાવ્યવિભાવના રૂપે આપણે જોયો. તેમની કાવ્યવિભાવના કાવ્ય આસ્વાદ તથા કાવ્યશિક્ષણના મૂળભૂત પ્રશ્નોની મીમાંસા રૂપે જ મુખ્યત: મળે છે. પંડિતયુગ તથા ગાંધીયુગની કવિતા તથા વિવેચનાની એકાંગીતા કે આંશિકતાના પ્રત્યાઘાત કે પ્રતિભાવમાંથી આ વિભાવના ઉદ્ભવી હોય એવું પણ ક્યારેક લાગે. પશ્ચિમપરસ્તીનો આક્ષેપ કરનારા જો આ કાવ્યવિભાવનાને વિગતે તપાસે તો મુખ્યત: તેના બીજમાં સંસ્કૃત કાવ્યમીમાંસા જ છે. પરંતુ તેમનું વિચારવૃક્ષ આકાશમાં અનેક દેશોના તેજ-હવા-પાણીને ઝીલતું વિસ્તર્યું છે. વળી માત્ર શુષ્ક શાસ્ત્રચર્ચા જ નહીં, સાહિત્યના-કાવ્યના-સજીવ સંસ્પર્શથી ઉત્પન્ન થયેલી તેમની દૃષ્ટિ છે એ પણ આ વિભાવનામાં સ્પષ્ટ જ છે. પરંતુ તેમની વિભાવનાનો તેમની કવિતા સાથેનો કેવો સંબંધ છે તે તપાસનો અને અભ્યાસનો વિષય રહે છે. | પરંપરા અને સમકાલીનતામાંથી ઘડાતો, સુરેશ જોષીનો મૌલિક અભિગમ તેમની કાવ્યવિભાવના રૂપે આપણે જોયો. તેમની કાવ્યવિભાવના કાવ્ય આસ્વાદ તથા કાવ્યશિક્ષણના મૂળભૂત પ્રશ્નોની મીમાંસા રૂપે જ મુખ્યત: મળે છે. પંડિતયુગ તથા ગાંધીયુગની કવિતા તથા વિવેચનાની એકાંગીતા કે આંશિકતાના પ્રત્યાઘાત કે પ્રતિભાવમાંથી આ વિભાવના ઉદ્ભવી હોય એવું પણ ક્યારેક લાગે. પશ્ચિમપરસ્તીનો આક્ષેપ કરનારા જો આ કાવ્યવિભાવનાને વિગતે તપાસે તો મુખ્યત: તેના બીજમાં સંસ્કૃત કાવ્યમીમાંસા જ છે. પરંતુ તેમનું વિચારવૃક્ષ આકાશમાં અનેક દેશોના તેજ-હવા-પાણીને ઝીલતું વિસ્તર્યું છે. વળી માત્ર શુષ્ક શાસ્ત્રચર્ચા જ નહીં, સાહિત્યના-કાવ્યના-સજીવ સંસ્પર્શથી ઉત્પન્ન થયેલી તેમની દૃષ્ટિ છે એ પણ આ વિભાવનામાં સ્પષ્ટ જ છે. પરંતુ તેમની વિભાવનાનો તેમની કવિતા સાથેનો કેવો સંબંધ છે તે તપાસનો અને અભ્યાસનો વિષય રહે છે. | ||
'''સુરેશ જોષીની સર્જનયાત્રા, પૃ.૧૦૮-૧૨૫,૧૯૯૧''' | '''સુરેશ જોષીની સર્જનયાત્રા, પૃ.૧૦૮-૧૨૫,૧૯૯૧''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
'''પાદટીપ''' | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઈચ્છારામ દેસાઈ અને મોહનલાલ દેસાઈનું સંશોધનકાર્ય | ||
|next = | |next = આત્મદીપો ભવની કાવ્યસાધના | ||
}} | }} | ||