રણજિતરામ ગદ્યસંચય – ૨/ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન: Difference between revisions
No edit summary |
ref |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન}} | {{Heading|ગુજરાતનું સાંસારિક અને ધાર્મિક દર્શન}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સંવત સૈકા ૧૮માં ગુજરાતીઓની સ્થિતિ કેવી હતી તે તે કાળની કવિતા રૂપી આરસીમાંથી જણાય છે. પ્રજાને રાજ્યસંબંધી દુઃખ નહોતું ને તે અનેક ઉદ્યમથી ખાવે ખવડાવે તથા સંચય કરવે સુખ માનતી. પણ અખો જણાવે છે કે તે વેળા અનેક ધર્મમત, ભોળી, ઘેલી ભક્તિ, અત્યાચાર ને દુરાચાર એ બહુ હતો. શામળ કહે છે કે સ્ત્રીવર્ગ સ્વચ્છંદી ને પુરુષવર્ગ મૂર્ખ હતો; પ્રેમાનંદ દેખાડે છે કે સૌ પોતાના ઉદ્યમ સંબંધી એકમાર્ગીપણામાં સંતોષી ને કુટુંબપરિવારના હેતમાં આનંદ માનતા. મુસલમાન સરકાર તથા દેશી દરબારના સંબંધથી કેટલાક બ્રાહ્મણ અને વેપાર ધંધાથી કેટલાક વૈષ્ણવ વાણિયા તથા જૈન શ્રાવકો સર્વ ગુજરાતીઓમાં બહાર પડતા હતા.’ —નર્મદાશંકર | ‘સંવત સૈકા ૧૮માં ગુજરાતીઓની સ્થિતિ કેવી હતી તે તે કાળની કવિતા રૂપી આરસીમાંથી જણાય છે. પ્રજાને રાજ્યસંબંધી દુઃખ નહોતું ને તે અનેક ઉદ્યમથી ખાવે ખવડાવે તથા સંચય કરવે સુખ માનતી. પણ અખો જણાવે છે કે તે વેળા અનેક ધર્મમત, ભોળી, ઘેલી ભક્તિ, અત્યાચાર ને દુરાચાર એ બહુ હતો. શામળ કહે છે કે સ્ત્રીવર્ગ સ્વચ્છંદી ને પુરુષવર્ગ મૂર્ખ હતો; પ્રેમાનંદ દેખાડે છે કે સૌ પોતાના ઉદ્યમ સંબંધી એકમાર્ગીપણામાં સંતોષી ને કુટુંબપરિવારના હેતમાં આનંદ માનતા. મુસલમાન સરકાર તથા દેશી દરબારના સંબંધથી કેટલાક બ્રાહ્મણ અને વેપાર ધંધાથી કેટલાક વૈષ્ણવ વાણિયા તથા જૈન શ્રાવકો સર્વ ગુજરાતીઓમાં બહાર પડતા હતા.’ | ||
{{Poem2Close}} | |||
{{right|—નર્મદાશંકર}} | |||
{{Poem2Open}} | |||
જે ભૂમિમાં રાજકીય ઇતિહાસ રચાયા નથી તે ભૂમિમાં પ્રજાકીય (અર્થાત્ પ્રજાની સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સ્થિતિનાં મૂળ, બુદ્ધિ અને વિકાસ અથવા અવનતિદર્શક) ઇતિહાસની આશા કેવી? નિયમસર રચાયેલા રાજકીય ઇતિહાસની ખોટ દંતકથા, સિક્કાઓ, પરદેશી પ્રવાસીઓનાં લક્ષણો, જૂના ખતપત્રો, તામ્રપત્રો, ઇત્યાદિ પરથી મહામહેનતે વૃત્તાંતો સાંકળી રચાયેલા ઇતિહાસથી પૂરી પડે છે. આવો જ પ્રયાસ પ્રજાકીય ઇતિહાસ લખવાના સંબંધમાં થઈ શકે છે. સાહિત્યકારોનાં લખાણોમાં, પ્રચલિત આચારોમાં, કહેવતોમાં ઇત્યાદિ સ્થળેથી સાધનો મળી આવે છે. જોઈએ તેવાં અને જોઈએ તેટલાં સાધન મળી નથી આવતાં, તે છતાં પણ જે મળે છે તે પરથી કાંઈક પ્રકાશ તે સમય પર નાંખી શકાય છે; અને ઇતિહાસનું ખોખું ઊભું કરાય છે. | જે ભૂમિમાં રાજકીય ઇતિહાસ રચાયા નથી તે ભૂમિમાં પ્રજાકીય (અર્થાત્ પ્રજાની સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સ્થિતિનાં મૂળ, બુદ્ધિ અને વિકાસ અથવા અવનતિદર્શક) ઇતિહાસની આશા કેવી? નિયમસર રચાયેલા રાજકીય ઇતિહાસની ખોટ દંતકથા, સિક્કાઓ, પરદેશી પ્રવાસીઓનાં લક્ષણો, જૂના ખતપત્રો, તામ્રપત્રો, ઇત્યાદિ પરથી મહામહેનતે વૃત્તાંતો સાંકળી રચાયેલા ઇતિહાસથી પૂરી પડે છે. આવો જ પ્રયાસ પ્રજાકીય ઇતિહાસ લખવાના સંબંધમાં થઈ શકે છે. સાહિત્યકારોનાં લખાણોમાં, પ્રચલિત આચારોમાં, કહેવતોમાં ઇત્યાદિ સ્થળેથી સાધનો મળી આવે છે. જોઈએ તેવાં અને જોઈએ તેટલાં સાધન મળી નથી આવતાં, તે છતાં પણ જે મળે છે તે પરથી કાંઈક પ્રકાશ તે સમય પર નાંખી શકાય છે; અને ઇતિહાસનું ખોખું ઊભું કરાય છે. | ||
પ્રસ્તુત લેખમાં કાંઈક આવા જ પ્રકારનો ઉપક્રમ છે. વિ. સં. ના અઢારમાં સૈકામાં થઈ ગયેલા કવિઓનાં લખાણોમાંથી ઉતારા લઈ તે સમયનું ચિત્ર આપવા યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ પ્રયાસ વિકટ તેમ જ પ્રથમ છે એટલે તેમાં પાર પડવું મુશ્કેલ છે. તેમ જ મૅક્સમૂલર જેને dialogic process કહે છે તેનાથી વિદૂર રહેવું પણ કઠિન છે. | પ્રસ્તુત લેખમાં કાંઈક આવા જ પ્રકારનો ઉપક્રમ છે. વિ. સં. ના અઢારમાં સૈકામાં થઈ ગયેલા કવિઓનાં લખાણોમાંથી ઉતારા લઈ તે સમયનું ચિત્ર આપવા યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ પ્રયાસ વિકટ તેમ જ પ્રથમ છે એટલે તેમાં પાર પડવું મુશ્કેલ છે. તેમ જ મૅક્સમૂલર જેને dialogic process કહે છે તેનાથી વિદૂર રહેવું પણ કઠિન છે. | ||
આ કાળમાં ત્રણ મોટા કવિઓ તેમ જ બીજા વીસ ત્રીસેક કવિબટુઓ થયા હતા. | આ કાળમાં ત્રણ મોટા કવિઓ તેમ જ બીજા વીસ ત્રીસેક કવિબટુઓ થયા હતા.<ref>વલ્લભ ભટ્ટ, વલ્લભ, જગજીવન, રત્નો, શિવાનંદ, ચંદઉદે, દ્વારકાદાસ, રત્નેશ્વર, વીરજી, હરિદાસ, નરહર, ગોવાલ, બોટક, તુલસી, દ્વારકો, જીવરામ, જીવન, ધનદાસ, હરદેવ સ્વામી, મહોદન, વીરવિજય, મોહનવિજય, નેમવિજય, જીનહર્ષ, ઉદયરત્ન, સમયસુંદર છે.</ref> ત્રણ મોટા કવિઓમાંથી શામળના ગ્રંથોમાંથી જેટલાં સાધન મળી આવે છે તેટલાં બીજા કોઈનામાંથી નથી મળતાં. નર્મદના કહેવા પ્રમાણે ખરેખર એની કવિતા ‘ગુર્જરી સ્થિતિ પ્રદેશમાં રંગમંડપ’ જેવી છે. આમાં ભજવાતા નાટકમાંથી તે સમયનાં આચારવિચાર, નીતિરીતિ વગેરેનું દર્શન આપણને થાય છે. બીજા કવિ અખાએ વેદાંતના દૃષ્ટિબિંદુથી તે સમયે ચાલતા ધાર્મિક અનર્થો ખંખેરી કાઢ્યા છે. આ ખંખેરણીમાં કેટલાક વાસ્તવિક અનર્થો આવી ગયા છે. છેલ્લા અને શ્રેષ્ઠ કવિ પ્રેમાનંદ પોતાના સ્વદેશીઓના હૃદયમાં ઊતરી ત્યાં વસતા ભાવો વીણી પોતાની કવિતામાં ઓતપ્રોત ગૂંથ્યા છે. આથી તે કવિતા ‘સુંદર સરોવર’ જેવી બની છે. આ સરોવરની લહરીમાં ગુજરાતીઓ પોતાનાં રોવાં, હસવાં, સુખદુઃખનાં પ્રતિબિંબ વગેરે જોઈ શકે છે. | ||
આ ત્રણેના ગ્રંથોના આધાર પરથી આ લેખ રચાયો છે. તે સમયની યથાર્થ સ્થિતિ દર્શાવવાનો હેતુ હોવાથી જ્યાં યથાર્થ દર્શાવતાં સાધન મળ્યાં છે ત્યાંથી લીધાં છે. શામળમાંથી વિશેષ મળવાથી તેનાં લખાણો સંબંધ ઉલ્લેખ વારંવાર નજરે પડશે. પ્રેમાનંદમાં યથાર્થ સ્થિતિનો ચિતાર બહુ જ થોડો આવ્યો છે. આ સંબંધમાં રા. ગો. મા. ત્રિપાઠી કહે છે કે તે વાસ્તવિક છે : | આ ત્રણેના ગ્રંથોના આધાર પરથી આ લેખ રચાયો છે. તે સમયની યથાર્થ સ્થિતિ દર્શાવવાનો હેતુ હોવાથી જ્યાં યથાર્થ દર્શાવતાં સાધન મળ્યાં છે ત્યાંથી લીધાં છે. શામળમાંથી વિશેષ મળવાથી તેનાં લખાણો સંબંધ ઉલ્લેખ વારંવાર નજરે પડશે. પ્રેમાનંદમાં યથાર્થ સ્થિતિનો ચિતાર બહુ જ થોડો આવ્યો છે. આ સંબંધમાં રા. ગો. મા. ત્રિપાઠી કહે છે કે તે વાસ્તવિક છે : | ||
‘As regards the actual manners of society he paints them in glowing colours when he likes and loves them.’—Classical Poets of Gujarat | ‘As regards the actual manners of society he paints them in glowing colours when he likes and loves them.’—Classical Poets of Gujarat | ||
| Line 15: | Line 18: | ||
કાંચળીયો ભરે કુંભમાં, આપે એક એકને હાથ, | કાંચળીયો ભરે કુંભમાં, આપે એક એકને હાથ, | ||
એક પુરુષ એક પ્રેમદા, સુખે વિલસે તે સાથ. | એક પુરુષ એક પ્રેમદા, સુખે વિલસે તે સાથ. | ||
* | {{gap|6em}}* | ||
ચંચળ ધરમ ચોથો ચતુર, કામી વડો વિવેક; | ચંચળ ધરમ ચોથો ચતુર, કામી વડો વિવેક; | ||
પ્રથમ પંચમકાર ત્યાં, ન્યાવટ કેરા નેક. | પ્રથમ પંચમકાર ત્યાં, ન્યાવટ કેરા નેક. | ||
| Line 45: | Line 48: | ||
પધાર્યા ‘તા પુર વિષે, દુનિયાં કરે દર્શન; | પધાર્યા ‘તા પુર વિષે, દુનિયાં કરે દર્શન; | ||
મોટાને ત્યાં પધરામણી, પુરણ મન પરસંન; | મોટાને ત્યાં પધરામણી, પુરણ મન પરસંન; | ||
* | {{gap|6em}}* | ||
ભાગ્યશાળી વૈષ્ણવ મળ્યા, ભુવન ભુવનથી ધાય. | ભાગ્યશાળી વૈષ્ણવ મળ્યા, ભુવન ભુવનથી ધાય. | ||
{{right|શામળ.}}</poem>'''}} | {{right|શામળ.}}</poem>'''}} | ||
| Line 53: | Line 56: | ||
{{Block center|'''<poem>ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; | {{Block center|'''<poem>ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ; | ||
ધન હરે ધોકા ના હરે, એ ગુરુ કલ્યાણ શું કરે? | ધન હરે ધોકા ના હરે, એ ગુરુ કલ્યાણ શું કરે? | ||
* | {{gap|6em}}* | ||
ગુરૂ થૈબેઠા હું શે કરી, કેઠે પાણ શકે કેમ તરી? | ગુરૂ થૈબેઠા હું શે કરી, કેઠે પાણ શકે કેમ તરી? | ||
અખો. | {{right|અખો.}} | ||
જેટલા બાંધે કંઠીઓ, તેટલાની બુદ્ધિ વંઠીઓ; | જેટલા બાંધે કંઠીઓ, તેટલાની બુદ્ધિ વંઠીઓ; | ||
પોતે બેઠો છે બૂડવા, ઘણા જન્મના પાપ ઝૂડવા; | પોતે બેઠો છે બૂડવા, ઘણા જન્મના પાપ ઝૂડવા; | ||
| Line 70: | Line 73: | ||
વૈષ્ણવ વૈષ્ણવમાં આચરે, રાસમંડળની રીત; | વૈષ્ણવ વૈષ્ણવમાં આચરે, રાસમંડળની રીત; | ||
વસંત રમે છે વૈષ્ણવમાં, પરસ્પરે બહુ પ્રીત. | વસંત રમે છે વૈષ્ણવમાં, પરસ્પરે બહુ પ્રીત. | ||
{{gap|6em}}* | |||
છાપાં કરે છે છેલડાં, માંડ માંડ ઘાલ્યા માલ; | છાપાં કરે છે છેલડાં, માંડ માંડ ઘાલ્યા માલ; | ||
વિભીચાર વગોતા ફરે, કામનીઓના કાળ. | વિભીચાર વગોતા ફરે, કામનીઓના કાળ. | ||
| Line 83: | Line 86: | ||
વિપ્રીત આસન કેરી રીત, પંડિતે વાંચ્યું પુરણ પ્રીત; | વિપ્રીત આસન કેરી રીત, પંડિતે વાંચ્યું પુરણ પ્રીત; | ||
વિષય વારતા મનમાં વસી, હેત ઘણેથી રાણી હસી. | વિષય વારતા મનમાં વસી, હેત ઘણેથી રાણી હસી. | ||
{{gap|6em}}* | |||
છેક ઉઘાડું વર્ણન કર્યું, ને રાધાકૃષ્ણ આચર્યું. | છેક ઉઘાડું વર્ણન કર્યું, ને રાધાકૃષ્ણ આચર્યું. | ||
{{right|શામળ}}</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
| Line 140: | Line 143: | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
રળવાનું તને જોર ન હોય તો, ટાઢી ચોળીને ભીખીબા. | રળવાનું તને જોર ન હોય તો, ટાઢી ચોળીને ભીખીબા. | ||
{{gap|6em}}× | |||
કાં સ્ત્રી મરે કે ખાવા ટળે, તમે ભગુવાં પેરો રે. | કાં સ્ત્રી મરે કે ખાવા ટળે, તમે ભગુવાં પેરો રે. | ||
પ્રેમાનંદ | {{right|પ્રેમાનંદ}} | ||
બાવો મંત્રી દોરા કરે, પંચ જાતના જ્વર હરે; | બાવો મંત્રી દોરા કરે, પંચ જાતના જ્વર હરે; | ||
અતીત મંત્રી ચિઠ્ઠી લખે, રાખે તે કો માદળીયા-વીખે. | અતીત મંત્રી ચિઠ્ઠી લખે, રાખે તે કો માદળીયા-વીખે. | ||
બાવા કને કડા મંત્રાવી સાર, હરખે ઘાલે હાથ મોજાર; | બાવા કને કડા મંત્રાવી સાર, હરખે ઘાલે હાથ મોજાર; | ||
તે રાખે ધૂપી ધૂપ વડે, મૂઠ નજર તેને નહિ નડે. | તે રાખે ધૂપી ધૂપ વડે, મૂઠ નજર તેને નહિ નડે. | ||
પ્રેમાનંદ (સુભદ્રાહરણ)</poem>'''}} | {{right|પ્રેમાનંદ (સુભદ્રાહરણ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપરના ઉતારાથી જણાશે કે કોણ બાવા થતા અને તેઓનો ધંધો શું હતો. શુદ્ધ વૈરાગ્ય આવવાને સ્થાને ભોગી વેરાગી બની સમાજને માથે બોજારૂપ થઈ પડતા. હિંદુ સમાજ અને સંસારમાં એક આર્થિક ખામી હતી, અને હજુ પણ છે. અવિભક્ત કુટુંબમાં નિરુદ્યમી અને આળસુનું પોષણ ઉદ્યમીને કરવું પડે છે, અને સમાજમાં બ્રાહ્મણો અને બાવા જેવા ઢોંગી, અભણ, આળસુ અને નિરુદ્યમીનું પોષણ પરસેવો ઉતારી રળેલા પૈસાથી થાય છે. આ રિવાજથી ઉદ્યોગી પણ નિરુદ્યોગી થઈ જતાં, બીજાના પર પોષણ સારુ આશ્રય રાખવાથી સ્વાવલંબનનો જુસ્સો નાશ પામે છે; પરાધીનતા, નિરુદ્યમિત્વ, શારીરિક નબળાઈ વગેરે આવે છે, મનુષ્યનું મનુષ્યત્વ પણ જતું રહે છે. | ઉપરના ઉતારાથી જણાશે કે કોણ બાવા થતા અને તેઓનો ધંધો શું હતો. શુદ્ધ વૈરાગ્ય આવવાને સ્થાને ભોગી વેરાગી બની સમાજને માથે બોજારૂપ થઈ પડતા. હિંદુ સમાજ અને સંસારમાં એક આર્થિક ખામી હતી, અને હજુ પણ છે. અવિભક્ત કુટુંબમાં નિરુદ્યમી અને આળસુનું પોષણ ઉદ્યમીને કરવું પડે છે, અને સમાજમાં બ્રાહ્મણો અને બાવા જેવા ઢોંગી, અભણ, આળસુ અને નિરુદ્યમીનું પોષણ પરસેવો ઉતારી રળેલા પૈસાથી થાય છે. આ રિવાજથી ઉદ્યોગી પણ નિરુદ્યોગી થઈ જતાં, બીજાના પર પોષણ સારુ આશ્રય રાખવાથી સ્વાવલંબનનો જુસ્સો નાશ પામે છે; પરાધીનતા, નિરુદ્યમિત્વ, શારીરિક નબળાઈ વગેરે આવે છે, મનુષ્યનું મનુષ્યત્વ પણ જતું રહે છે. | ||
| Line 167: | Line 170: | ||
નવખંડમાં નામ પ્રસિદ્ધ, છું દાસી તમારી હો, | નવખંડમાં નામ પ્રસિદ્ધ, છું દાસી તમારી હો, | ||
છોરૂને છેહ નાં દીજીયે, બલિહારી હો. | છોરૂને છેહ નાં દીજીયે, બલિહારી હો. | ||
વીરજી.</poem>'''}} | {{right|વીરજી.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કન્યાઓ સારો વર પામવા વ્રત કરતી, અને ગોરમા પૂજતી. આ સંબંધે વિશેષ અગાડી – ત્યારની સંસારિક સ્થિતિ લખતાં – કહેવાનું છે એટલે અત્રે વિરમીએ છીએ. | કન્યાઓ સારો વર પામવા વ્રત કરતી, અને ગોરમા પૂજતી. આ સંબંધે વિશેષ અગાડી – ત્યારની સંસારિક સ્થિતિ લખતાં – કહેવાનું છે એટલે અત્રે વિરમીએ છીએ. | ||
| Line 173: | Line 176: | ||
{{Block center|'''<poem>શ્રાવણ માસે સંઘ તાહરો ભરાય, અંબાજી; | {{Block center|'''<poem>શ્રાવણ માસે સંઘ તાહરો ભરાય, અંબાજી; | ||
મા જેને તારી ઇચ્છા હોય તે જાય, મારી અંબાજી. | મા જેને તારી ઇચ્છા હોય તે જાય, મારી અંબાજી. | ||
વલ્લભ ભટ્ટ</poem>'''}} | {{right|વલ્લભ ભટ્ટ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉપરથી વિદિત થાય છે કે શ્રાવણ માસમાં સંઘ ભરાતો, અને હજારો લોકો અંબાજીની જાત્રાએ જતાં. | આ ઉપરથી વિદિત થાય છે કે શ્રાવણ માસમાં સંઘ ભરાતો, અને હજારો લોકો અંબાજીની જાત્રાએ જતાં. | ||
| Line 183: | Line 186: | ||
ક્યાંથી લાવ્યો ઝાંખરાં, ભણી મારી વાડ; | ક્યાંથી લાવ્યો ઝાંખરાં, ભણી મારી વાડ; | ||
ઘેલી કરી તુજ ગોરડી, લઈશ તારા પ્રાણ. | ઘેલી કરી તુજ ગોરડી, લઈશ તારા પ્રાણ. | ||
{{gap|6em}}× | |||
અહીં સુધી આવ્યો જીવતો, પ્રેમદાને પરતાપ; | અહીં સુધી આવ્યો જીવતો, પ્રેમદાને પરતાપ; | ||
દાડી દેરે દીવો કરી, મૂકે આપોઆપ. | દાડી દેરે દીવો કરી, મૂકે આપોઆપ. | ||
જ્વાળામુખી કાળિકા, નવ ખંડે છે નામ; | જ્વાળામુખી કાળિકા, નવ ખંડે છે નામ; | ||
જે લાવે મુજ ઝાંખરાં, ફોડું તેનો ઠામ. | જે લાવે મુજ ઝાંખરાં, ફોડું તેનો ઠામ. | ||
{{gap|6em}}× | |||
ઝટીયાં ચૂંટે જક્ષણી, વસ્ત્ર વિહાણું અંગ; | ઝટીયાં ચૂંટે જક્ષણી, વસ્ત્ર વિહાણું અંગ; | ||
ચીસો નાંખે ચંતની, કરે રામા બહુ રંગ. | ચીસો નાંખે ચંતની, કરે રામા બહુ રંગ. | ||
| Line 195: | Line 198: | ||
પ્રદક્ષણા પોતે કરી, પ્રીતે લાગ્યો પાગ; | પ્રદક્ષણા પોતે કરી, પ્રીતે લાગ્યો પાગ; | ||
માત તમે કહો તે કરું, જઉં કહો તે જાગ્ય. | માત તમે કહો તે કરું, જઉં કહો તે જાગ્ય. | ||
શામળ.</poem>'''}} | {{right|શામળ.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બધા ધર્મો અવલોકી હવે જૈન ધર્મ તરફ વળીએ. કવિ શામળને આ ધર્મના અનુયાયીઓ સંબંધી જેટલું જ્ઞાન છે તેટલું બીજા વિષે નથી. તેમનાં જે જે લક્ષણો એણે આપ્યાં છે તે બહુધા ખરાં છે; અને હાલ પણ જોવામાં આવે છે. આ જૈન ધર્મના ગોરજીઓને શામળે ઝાટકી કાઢ્યા છે. બાવા અતીત પેઠે એઓ પણ— | આ બધા ધર્મો અવલોકી હવે જૈન ધર્મ તરફ વળીએ. કવિ શામળને આ ધર્મના અનુયાયીઓ સંબંધી જેટલું જ્ઞાન છે તેટલું બીજા વિષે નથી. તેમનાં જે જે લક્ષણો એણે આપ્યાં છે તે બહુધા ખરાં છે; અને હાલ પણ જોવામાં આવે છે. આ જૈન ધર્મના ગોરજીઓને શામળે ઝાટકી કાઢ્યા છે. બાવા અતીત પેઠે એઓ પણ— | ||
| Line 205: | Line 208: | ||
સુરિ કહે એ સાધુનો, ઉત્તમ નહિ આચાર રે; | સુરિ કહે એ સાધુનો, ઉત્તમ નહિ આચાર રે; | ||
યંત્ર જડી મણિ મંત્ર જે, ઉસડ ને ઉપચાર રે. | યંત્ર જડી મણિ મંત્ર જે, ઉસડ ને ઉપચાર રે. | ||
વિનયવિજ્ય</poem>'''}} | {{right|વિનયવિજ્ય}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધાગાચિઠ્ઠી પણ એ કરતા, વાંઝીયણને છોકરાં થાય તે સારુ વસ્તુઓ મંત્રી આપતા, શ્રાવકોને ત્યાં બપોરે અન્ન વહોરવા જતા, અપાસરામાં રહેતા અને રાતના ત્યાં અંધારામાં વ્યાખ્યાન આપતા. નીચે લખ્યા પ્રમાણે દેહદમન કરતા : | ધાગાચિઠ્ઠી પણ એ કરતા, વાંઝીયણને છોકરાં થાય તે સારુ વસ્તુઓ મંત્રી આપતા, શ્રાવકોને ત્યાં બપોરે અન્ન વહોરવા જતા, અપાસરામાં રહેતા અને રાતના ત્યાં અંધારામાં વ્યાખ્યાન આપતા. નીચે લખ્યા પ્રમાણે દેહદમન કરતા : | ||
| Line 255: | Line 258: | ||
જાન લઈ બહુ યુક્તિ શું, જેમ કોઈ પરણવા જાય રે, | જાન લઈ બહુ યુક્તિ શું, જેમ કોઈ પરણવા જાય રે, | ||
લગન વેળા ગઈ ઊંઘમાં, પછે ઘણું પસ્તાય રે, | લગન વેળા ગઈ ઊંઘમાં, પછે ઘણું પસ્તાય રે, | ||
વિનયવિજય</poem>'''}} | {{right|વિનયવિજય}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ છતાં શામળનો અનુભવ જુદો છે, અને તે તદ્દન બિનપાયાદાર નથી, કારણ કે કવિતા સમકાલીન જૈન કવિઓએ જે સઝ્ઝાયો લખી છે તેના વિષયો ‘શિયળની નવ વાડો,’ ‘પુરુષને શીખામણ,’ ‘સ્ત્રીને શીખામણ,’ વગેરે છે. અપાસરામાં અપાતાં વ્યાખ્યાનોમાં જે દૃષ્ટાંતો અપાતાં તેમાં પણ ‘શિયળ‘ અથવા ‘ભોગ તજવાના‘ ઉપાયો હતા. | આમ છતાં શામળનો અનુભવ જુદો છે, અને તે તદ્દન બિનપાયાદાર નથી, કારણ કે કવિતા સમકાલીન જૈન કવિઓએ જે સઝ્ઝાયો લખી છે તેના વિષયો ‘શિયળની નવ વાડો,’ ‘પુરુષને શીખામણ,’ ‘સ્ત્રીને શીખામણ,’ વગેરે છે. અપાસરામાં અપાતાં વ્યાખ્યાનોમાં જે દૃષ્ટાંતો અપાતાં તેમાં પણ ‘શિયળ‘ અથવા ‘ભોગ તજવાના‘ ઉપાયો હતા. | ||
| Line 262: | Line 265: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>શીલ સમો સંસારમાં, શિખર ન કોઈ થોક. | {{Block center|'''<poem>શીલ સમો સંસારમાં, શિખર ન કોઈ થોક. | ||
{{gap|6em}}× | |||
રાખે અવસર શીલને, તે પામે ભવ પાર. | રાખે અવસર શીલને, તે પામે ભવ પાર. | ||
નેમવિજય. | {{right|નેમવિજય.}} | ||
શીલ સંસારે સાર, સહી ભાખે શ્રીકિરતાર હે ભાવે ભાવે સુણો, | શીલ સંસારે સાર, સહી ભાખે શ્રીકિરતાર હે ભાવે ભાવે સુણો, | ||
ચોવીસે જિનરાજ, લીલા શીલતણી વહેલાજ. હો ભાવે૦ | ચોવીસે જિનરાજ, લીલા શીલતણી વહેલાજ. હો ભાવે૦ | ||
| Line 281: | Line 284: | ||
શીલ સમો ન સખાઈ, જે નિશ્ચય શિવને મિલાઈ, હો ભવિ૦ | શીલ સમો ન સખાઈ, જે નિશ્ચય શિવને મિલાઈ, હો ભવિ૦ | ||
શીલ તણી સસનેહ, સરસ કથા ગુણ ગેહ. હો ભાવે૦ | શીલ તણી સસનેહ, સરસ કથા ગુણ ગેહ. હો ભાવે૦ | ||
નેમવિજય</poem>'''}} | {{right|નેમવિજય}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ત્રણ ઉતારામાં શીલનો મહિમા ગવાયો છે. આ જ પ્રમાણે અપાસરામાં પણ ઉપદેશ થતો. | આ ત્રણ ઉતારામાં શીલનો મહિમા ગવાયો છે. આ જ પ્રમાણે અપાસરામાં પણ ઉપદેશ થતો. | ||
| Line 298: | Line 301: | ||
એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધકો ગણે; | એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધકો ગણે; | ||
અખા એ જ અંધારો કૂવો, ઝઘડો ભાગી કોઈ ન મૂવો. | અખા એ જ અંધારો કૂવો, ઝઘડો ભાગી કોઈ ન મૂવો. | ||
{{gap|6em}}× | |||
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં. | તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં. | ||
તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ; | તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ, તોયે ન પોતા હરિને શર્ણ; | ||
| Line 304: | Line 307: | ||
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; | એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; | ||
પાણીને દેખી કરે સ્નાન, તુળસી દેખી તોડે પાન. | પાણીને દેખી કરે સ્નાન, તુળસી દેખી તોડે પાન. | ||
{{gap|6em}}× | |||
એક પરમેશ્વર ને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જૂથ; | એક પરમેશ્વર ને સઘળા પંથ, એ તો અળગું ચાલ્યું જૂથ; | ||
જેમ અગ્નિ અગ્નિને સ્થાનક રહ્યો, અને ધુવાડો આકાશે ગયો. | જેમ અગ્નિ અગ્નિને સ્થાનક રહ્યો, અને ધુવાડો આકાશે ગયો. | ||
અળગો ચાલ્યો તે ક્યમ મળે, એમ અખા સૌ અવળા વળે. | અળગો ચાલ્યો તે ક્યમ મળે, એમ અખા સૌ અવળા વળે. | ||
{{gap|6em}}× | |||
આતમ સમજે તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી; | આતમ સમજે તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી; | ||
ખોડે તોડે જોડે વાળ, એ તો સર્વ ઉપલો જંજાળ. | ખોડે તોડે જોડે વાળ, એ તો સર્વ ઉપલો જંજાળ. | ||
| Line 317: | Line 320: | ||
જૈન કર્મની સદા દે શીખ, યવન માને કલમે શરીખ; | જૈન કર્મની સદા દે શીખ, યવન માને કલમે શરીખ; | ||
અખા સૌ બાંધો બાકરી, કોય ન જુવે હરિ પાછો ફરી. | અખા સૌ બાંધો બાકરી, કોય ન જુવે હરિ પાછો ફરી. | ||
{{right| વગેરે વગેરે.}} </poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે કાળની ધાર્મિક સ્થિતિ નિહાળી, સંસારિક સ્થિતિ નીરખવા જતાં પહેલાં તે સમયના ધંધાદારીઓ વગેરેનાં જે ચિત્રો દોરાયાં છે તે જોઈએ. આ ચિત્રોમાંના કેટલાક એકતરફી છે; તેમ છતાં પણ તે વખતનું પ્રતિબિંબ એઓમાં સારી રીતે દેખી શકાય છે. આ ચિત્રો આપી પછી તે ઉપર જે સામાન્ય વિવેચન કરવું હશે તે કરીશું. | તે કાળની ધાર્મિક સ્થિતિ નિહાળી, સંસારિક સ્થિતિ નીરખવા જતાં પહેલાં તે સમયના ધંધાદારીઓ વગેરેનાં જે ચિત્રો દોરાયાં છે તે જોઈએ. આ ચિત્રોમાંના કેટલાક એકતરફી છે; તેમ છતાં પણ તે વખતનું પ્રતિબિંબ એઓમાં સારી રીતે દેખી શકાય છે. આ ચિત્રો આપી પછી તે ઉપર જે સામાન્ય વિવેચન કરવું હશે તે કરીશું. | ||
| Line 326: | Line 329: | ||
એકે નહિ તેને ઉચાટ, નિત નિશાએ માગે હાટ; | એકે નહિ તેને ઉચાટ, નિત નિશાએ માગે હાટ; | ||
સો દોકડા નીત પેદા કરે, અહરનીશ આનંદે ફરે. | સો દોકડા નીત પેદા કરે, અહરનીશ આનંદે ફરે. | ||
{{gap|6em}}× | |||
મહારાજ બની મિંદુ, પાઘ વડી ધારી શિર; | મહારાજ બની મિંદુ, પાઘ વડી ધારી શિર; | ||
સિધાવ્યો સભાની મધ્ય, જાણી વાત સ્વલ્પ છે. | સિધાવ્યો સભાની મધ્ય, જાણી વાત સ્વલ્પ છે. | ||
{{gap|6em}}× | |||
શાસ્ત્રમાં કહ્યું એમ, શત કાર્ય મૂકી કરી; | શાસ્ત્રમાં કહ્યું એમ, શત કાર્ય મૂકી કરી; | ||
ભોજન કરવા જવું, હર્ષ આણી નાતમાં. | ભોજન કરવા જવું, હર્ષ આણી નાતમાં. | ||
| Line 336: | Line 339: | ||
ભોજનની વાત સુણી, વેગે ચાલી ગયો મિંદુ; | ભોજનની વાત સુણી, વેગે ચાલી ગયો મિંદુ; | ||
ગામને પાદર આવ્યો, થયું જાણે કામ છે. | ગામને પાદર આવ્યો, થયું જાણે કામ છે. | ||
વલ્લભ | {{right|વલ્લભ}} | ||
ગુરુ! તમને સોંપી ગયા સ્વામી, | ગુરુ! તમને સોંપી ગયા સ્વામી, | ||
ભોજન ભટપણું નાખો વામી. | ભોજન ભટપણું નાખો વામી. | ||
પ્રેમાનંદ( પાંચાલી – પ્રસન્ન)</poem>'''}} | {{right|પ્રેમાનંદ( પાંચાલી – પ્રસન્ન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભારતીભટાદિ – મંત્રાનંદ, અમે કોઈનેય નહિ કહીએ પરંતુ તમારે અમને મિષ્ટાન્નપાણી સમે ભૂલવા નહિ હોં. | ભારતીભટાદિ – મંત્રાનંદ, અમે કોઈનેય નહિ કહીએ પરંતુ તમારે અમને મિષ્ટાન્નપાણી સમે ભૂલવા નહિ હોં. | ||
પ્રેમાનંદ | {{Poem2Close}} | ||
{{right|પ્રેમાનંદ}}<br> | |||
{{Poem2Open}} | |||
મોદકાનંદ – ઓ ભારતીભટ, ભોમભટ, સોમભટ, ચાલો ચાલો. ગુરુદેવે ભણાવ્યું છે કે शतं बिहाय भोक्तव्यम् તે ભૂલી ગયા કે શું? અમે તો એ યથાર્થ શીખ્યા છીએ કેમ આવવું છે કે જઈએ? | મોદકાનંદ – ઓ ભારતીભટ, ભોમભટ, સોમભટ, ચાલો ચાલો. ગુરુદેવે ભણાવ્યું છે કે शतं बिहाय भोक्तव्यम् તે ભૂલી ગયા કે શું? અમે તો એ યથાર્થ શીખ્યા છીએ કેમ આવવું છે કે જઈએ? | ||
પ્રેમાનંદ | {{Poem2Close}} | ||
{{right|પ્રેમાનંદ}}<br> | |||
{{Poem2Open}} | |||
આમાંના પહેલા ઉતારા પરથી જણાય છે કે બ્રાહ્મણોનું જીવન કેવા ઉચ્ચ આશય અને આદર્શથી દોરાતું હતું. ભીખ માગવી એ તેમનો હક્ક છે એવું મનમાં ઠસી જવાથી તેઓ નિરુદ્યમી, આળસુ અને સમાજને ભારરૂપ થઈ પડ્યા હતા. જગતમાં ભારતવર્ષના ભિક્ષુકવર્ગની સંખ્યા જેટલી સંખ્યા બીજે ક્યાંય નહિ હોય. આનું કારણ આપણા ભૂદેવો છે. આવી સ્થિતિમાં જે આર્થિક હાલત દેશને ભોગવવી પડે છે તે અગાઉ સૂચવી ગયા છીએ. ભિખારી થવાથી બ્રાહ્મણોમાં સર્વ પ્રકારની અધોગતિ પેઠી હતી. | આમાંના પહેલા ઉતારા પરથી જણાય છે કે બ્રાહ્મણોનું જીવન કેવા ઉચ્ચ આશય અને આદર્શથી દોરાતું હતું. ભીખ માગવી એ તેમનો હક્ક છે એવું મનમાં ઠસી જવાથી તેઓ નિરુદ્યમી, આળસુ અને સમાજને ભારરૂપ થઈ પડ્યા હતા. જગતમાં ભારતવર્ષના ભિક્ષુકવર્ગની સંખ્યા જેટલી સંખ્યા બીજે ક્યાંય નહિ હોય. આનું કારણ આપણા ભૂદેવો છે. આવી સ્થિતિમાં જે આર્થિક હાલત દેશને ભોગવવી પડે છે તે અગાઉ સૂચવી ગયા છીએ. ભિખારી થવાથી બ્રાહ્મણોમાં સર્વ પ્રકારની અધોગતિ પેઠી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>ભૂદેવ તે તો બનીયા બિયારા! | {{Block center|'''<poem>ભૂદેવ તે તો બનીયા બિયારા! | ||
હતા સમે એક જ દિન સારા. | હતા સમે એક જ દિન સારા. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અગાઉની તેમની સ્થિતિ સાથે હાલની આવી અધમ અવસ્થા સરખાવતાં. પ્રેમાનંદનું હૃદય કંપી ઊઠે છે, અને ઉપરનો ઉદ્ગાર કાઢે છે. | અગાઉની તેમની સ્થિતિ સાથે હાલની આવી અધમ અવસ્થા સરખાવતાં. પ્રેમાનંદનું હૃદય કંપી ઊઠે છે, અને ઉપરનો ઉદ્ગાર કાઢે છે. | ||
| Line 358: | Line 365: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>તમે રાગ તાણી શ્લોક આલાપો, તેવા આમાં રાગ ન દાખું. | {{Block center|'''<poem>તમે રાગ તાણી શ્લોક આલાપો, તેવા આમાં રાગ ન દાખું. | ||
પ્રેમાનંદ.</poem>'''}} | {{right|પ્રેમાનંદ.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કટાક્ષમાં તેઓની રાગ પરની પ્રેમવૃત્તિ સમજી શકાશે. ગુજરાતમાં સંગીતનું જ્ઞાન ઘણું જ ઓછું હતું. અધૂરા સંગીતશાસ્ત્રીઓ પાસેથી જ્ઞાન લેનારા છેક અધૂરા બનતા, અને સંગીતની દશા નબળી થઈ પડી હતી. આ વિશે આગળ વિવેચીશું. | આ કટાક્ષમાં તેઓની રાગ પરની પ્રેમવૃત્તિ સમજી શકાશે. ગુજરાતમાં સંગીતનું જ્ઞાન ઘણું જ ઓછું હતું. અધૂરા સંગીતશાસ્ત્રીઓ પાસેથી જ્ઞાન લેનારા છેક અધૂરા બનતા, અને સંગીતની દશા નબળી થઈ પડી હતી. આ વિશે આગળ વિવેચીશું. | ||
| Line 372: | Line 379: | ||
મૂળ પુરાણી : મહારાજ, જો ભલું ચાહો તો પોથી સમેટીને ઘેર ચાલ્યા જાઓ, અને બીજીવાર આ જગાએ કથા કરવા આવ્યા તો જોવા જેવું થશે. | મૂળ પુરાણી : મહારાજ, જો ભલું ચાહો તો પોથી સમેટીને ઘેર ચાલ્યા જાઓ, અને બીજીવાર આ જગાએ કથા કરવા આવ્યા તો જોવા જેવું થશે. | ||
વૈષ્ણવો અને શેઠિયા આ જોઈને આભા બની ગયા! પુરાણીઓ ઉપર તેમને તિરસ્કાર તો બહુ ઊપજ્યો, પણ તેમને શું કરે? રખેને કાંઈ ત્રાગું કે તોફાન કરે, તે વાતનો મનમાં ડર ખાઈને તેઓ કાંઈ બોલ્યા નહિ, અને રત્નેશ્વર પોથી બાંધીને ઘેર ચાલ્યા ગયા!’ | વૈષ્ણવો અને શેઠિયા આ જોઈને આભા બની ગયા! પુરાણીઓ ઉપર તેમને તિરસ્કાર તો બહુ ઊપજ્યો, પણ તેમને શું કરે? રખેને કાંઈ ત્રાગું કે તોફાન કરે, તે વાતનો મનમાં ડર ખાઈને તેઓ કાંઈ બોલ્યા નહિ, અને રત્નેશ્વર પોથી બાંધીને ઘેર ચાલ્યા ગયા!’ | ||
{{Poem2Close}} | |||
{{right|(પ્રાચીન કાવ્યમાળા અંક ૧૫, રત્નેશ્વર કૃત કવિતા.)}} | |||
{{Poem2Open}} | |||
રત્નેશ્વર સંબંધમાં પુરાણીઓની અદેખાઈ એટલી બધી હતી કે તેની કથામાં ‘લડાઈ ઊભી કરીને, કાંકરા નાંખીને કે ગમે તેમ કરીને’ ભંગાણ પાડતા. | રત્નેશ્વર સંબંધમાં પુરાણીઓની અદેખાઈ એટલી બધી હતી કે તેની કથામાં ‘લડાઈ ઊભી કરીને, કાંકરા નાંખીને કે ગમે તેમ કરીને’ ભંગાણ પાડતા. | ||
પ્રેમાનંદને પણ આ જ પ્રમાણે કથા કરતાં તકરાર થઈ હતી. આ બધા બનાવો પરથી એણે માર્કંડેય પુરાણમાં પુરાણીઓની ખૂબ ઝાટકણી કાઢી છે; તે એટલે સુધી કે પુરાણીઓને નરકમાં નાખ્યા છે. | પ્રેમાનંદને પણ આ જ પ્રમાણે કથા કરતાં તકરાર થઈ હતી. આ બધા બનાવો પરથી એણે માર્કંડેય પુરાણમાં પુરાણીઓની ખૂબ ઝાટકણી કાઢી છે; તે એટલે સુધી કે પુરાણીઓને નરકમાં નાખ્યા છે. | ||
| Line 389: | Line 398: | ||
શ્રાદ્ધ અને મામેરામાં પ્રેમાનંદે નાગરણોનો ચિતાર અચ્છો આપ્યો છે. નાગરણોને ભણતાં, લખતાં ને વાંચતાં આવડતું. આ છતાં પણ ફટાણાં ગાવાનો રિવાજ એમનામાં પ્રચલિત હતો. (શામળ) ઘણાં નાગર કુટુંબો પૈસાદાર ન હતાં માટે બૈરાંઓને ઘરનું કામકાજ કરવું પડતું. | શ્રાદ્ધ અને મામેરામાં પ્રેમાનંદે નાગરણોનો ચિતાર અચ્છો આપ્યો છે. નાગરણોને ભણતાં, લખતાં ને વાંચતાં આવડતું. આ છતાં પણ ફટાણાં ગાવાનો રિવાજ એમનામાં પ્રચલિત હતો. (શામળ) ઘણાં નાગર કુટુંબો પૈસાદાર ન હતાં માટે બૈરાંઓને ઘરનું કામકાજ કરવું પડતું. | ||
આમ છતાં પણ નાગરો શોખીન અને રસજ્ઞ હતા. ખાવામાં પીવામાં ને પહેરવામાં બધાથી આગળ પડતા હતા. ચોખ્ખાઈ બહુ રાખતા. નાતમાં જમવા પહેલાં નહાતા. નાગરોમાં જરઠ વિવાહ હતો. વલ્લભ ભટ ‘કજોડાના ગરબા’માં બાઈ પાસે નીચેની કડી બોલાવે છે : | આમ છતાં પણ નાગરો શોખીન અને રસજ્ઞ હતા. ખાવામાં પીવામાં ને પહેરવામાં બધાથી આગળ પડતા હતા. ચોખ્ખાઈ બહુ રાખતા. નાતમાં જમવા પહેલાં નહાતા. નાગરોમાં જરઠ વિવાહ હતો. વલ્લભ ભટ ‘કજોડાના ગરબા’માં બાઈ પાસે નીચેની કડી બોલાવે છે : | ||
ગોરમા વામું સઘળી વિપત્ત કે, ન્યાત નાગર તણી રે લાલ. | ગોરમા વામું સઘળી વિપત્ત કે, ન્યાત નાગર તણી રે લાલ.<ref>આ બાઈ સોળ વર્ષની હતી અને તેનો સ્વામી એંશી વર્ષનો હતો. જાતની નાગર હતી. જરઠ વિવાહ(મરાઠી નાટક शारदा રચનાર રા. દેવલનો શબ્દ)ના દુઃખમાંથી છૂટવા ગોરમા ને પ્રાર્થે છે.</ref> | ||
નાગરણોની ટોળી વાતો તેમ જ તીખાં મહેણાં ‘શ્રાદ્ધ ને મામેરાં’માં પુષ્કળ છે : | નાગરણોની ટોળી વાતો તેમ જ તીખાં મહેણાં ‘શ્રાદ્ધ ને મામેરાં’માં પુષ્કળ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સ્વામી ઓછી નાગરની નાત, જરા ઢાંકી ન રાખે વાત; | {{Block center|'''<poem>સ્વામી ઓછી નાગરની નાત, જરા ઢાંકી ન રાખે વાત; | ||
સહેજ સારુ કરશે ઠંઠોલી, મોંઢા મોંઢ કરશે તે બોલી. | સહેજ સારુ કરશે ઠંઠોલી, મોંઢા મોંઢ કરશે તે બોલી. | ||
{{right| પ્રેમાનંદ }} | |||
એમ કહીને બેઠાં માણક મહેતી, માંહોમાંહે નાગરી વાતો કહેતી; | એમ કહીને બેઠાં માણક મહેતી, માંહોમાંહે નાગરી વાતો કહેતી; | ||
કો કહે મેં જાણ્યું વેળા થઈ ગઈ, કો કહે હું ક્યારની બેસી રહી. | કો કહે મેં જાણ્યું વેળા થઈ ગઈ, કો કહે હું ક્યારની બેસી રહી. | ||
| Line 409: | Line 418: | ||
એક દિન તો નચિંત થઈને રહીએ, ફરી મહેતાનું મંદિર ક્યાંથી લહીએ. | એક દિન તો નચિંત થઈને રહીએ, ફરી મહેતાનું મંદિર ક્યાંથી લહીએ. | ||
સારું થાય જો લાગે વાર, સ્વાદ પડે જમવાનો તે વાર. | સારું થાય જો લાગે વાર, સ્વાદ પડે જમવાનો તે વાર. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉતારા પર વિવેચન કરવાની જરૂર નથી. નાગરો સરકારી નોકરી કરતા. મુત્સદ્દી વર્ગમાં નાગરોનો પણ ઘણો ભાગ હતો. ‘કલમ કડછી ને બરછી’ એ તેમનો પૈસો હતો. તેઓમાં ઘણાખરા ભણેલા હતા. ફારસીનું જ્ઞાન ઘણું સારું ધરાવતા. કેટલાકનું જ્ઞાન તો એટલું સરસ હતું કે ફારસીમાં કાવ્ય રચી શકતા. નાગરો લગભગ બધા દેવી અને શિવને માનતા. શ્રાવણ–ભાદરવામાં માતાની ભવાઈમાં ભાગ લેતા. પોતાને બહુ ચોખ્ખા લેખતા. પરંતુ કેટલાક દેવીને નામે માંસ મદિરાને સેવતા, કેટલાક વામમાર્ગીઓ પણ હતા, અને બેધડક અને નચિંતે અનીતિનો વેપાર ધમધોકાર ચલાવ્યા જતા. વળી શોખીન હોવાથી ભભકાબંધ રહેતા. આખો દિવસ પાન ચાવતા. ઘણો ભાગ હુક્કો પણ ગગડાવતા. તેઓ સંગીતવિશારદ હતા. ગુજરાતમાં સંગીતની અધોદશા નાગર જ્ઞાતિમાં થઈ નહોતી. નાગરો ખંતીલા, ખટપટી, ઝેરીલા, શોખીન, રસજ્ઞ, અભિમાની અને વિલાસી હતા. નાગરણો પણ રસિકતામાં ઊતરે એવી નહોતી. તેમનું બોલવું અમુક પ્રકારના પ્રયત્નભર્યું અને મધુર હોવાથી ચિત્તાકર્ષક હતું. | આ ઉતારા પર વિવેચન કરવાની જરૂર નથી. નાગરો સરકારી નોકરી કરતા. મુત્સદ્દી વર્ગમાં નાગરોનો પણ ઘણો ભાગ હતો. ‘કલમ કડછી ને બરછી’ એ તેમનો પૈસો હતો. તેઓમાં ઘણાખરા ભણેલા હતા. ફારસીનું જ્ઞાન ઘણું સારું ધરાવતા. કેટલાકનું જ્ઞાન તો એટલું સરસ હતું કે ફારસીમાં કાવ્ય રચી શકતા. નાગરો લગભગ બધા દેવી અને શિવને માનતા. શ્રાવણ–ભાદરવામાં માતાની ભવાઈમાં ભાગ લેતા. પોતાને બહુ ચોખ્ખા લેખતા. પરંતુ કેટલાક દેવીને નામે માંસ મદિરાને સેવતા, કેટલાક વામમાર્ગીઓ પણ હતા, અને બેધડક અને નચિંતે અનીતિનો વેપાર ધમધોકાર ચલાવ્યા જતા. વળી શોખીન હોવાથી ભભકાબંધ રહેતા. આખો દિવસ પાન ચાવતા. ઘણો ભાગ હુક્કો પણ ગગડાવતા. તેઓ સંગીતવિશારદ હતા. ગુજરાતમાં સંગીતની અધોદશા નાગર જ્ઞાતિમાં થઈ નહોતી. નાગરો ખંતીલા, ખટપટી, ઝેરીલા, શોખીન, રસજ્ઞ, અભિમાની અને વિલાસી હતા. નાગરણો પણ રસિકતામાં ઊતરે એવી નહોતી. તેમનું બોલવું અમુક પ્રકારના પ્રયત્નભર્યું અને મધુર હોવાથી ચિત્તાકર્ષક હતું. | ||
| Line 423: | Line 432: | ||
બ્રાહ્મણ અનેક ધંધા કરતો, વૈદ્યનો ધંધો પણ ઘણે દરજ્જે એને હાથ હતો. | બ્રાહ્મણ અનેક ધંધા કરતો, વૈદ્યનો ધંધો પણ ઘણે દરજ્જે એને હાથ હતો. | ||
જાણે સર્વ જડીબુટ્ટીઓ, કરે ક્વાથ તણી કુટીઓ. | જાણે સર્વ જડીબુટ્ટીઓ, કરે ક્વાથ તણી કુટીઓ. | ||
{{gap|6em}}× | |||
ઓસડ વેસડ સારી રીત, પાક પેરપેરના પ્રીત; | ઓસડ વેસડ સારી રીત, પાક પેરપેરના પ્રીત; | ||
નાનાં પ્રકારનાં ચૂરણ થાય, રાજદ્વાર સુધી તે જાય. | નાનાં પ્રકારનાં ચૂરણ થાય, રાજદ્વાર સુધી તે જાય. | ||
કાખમાં મશરૂની કોથળી, અહંકાર રાખે વધુ એ વળી; | કાખમાં મશરૂની કોથળી, અહંકાર રાખે વધુ એ વળી; | ||
{{right|લક્ષ કરોડ ઘેર આવે લોક.}} | |||
{{gap|6em}}× | |||
આપે પડીકાં ચુરણ ચોળ, ખાંડમાં ખાઓ મધમાં ઘોળ, | આપે પડીકાં ચુરણ ચોળ, ખાંડમાં ખાઓ મધમાં ઘોળ, | ||
આપે નેપાળાની ગોળીઓ, રાતા રંગ સાથે રોળીઓ. | આપે નેપાળાની ગોળીઓ, રાતા રંગ સાથે રોળીઓ. | ||
{{gap|6em}}× | |||
પાન ચુરણ પડીકું દીએ, રૂપિયો રોકડો છોડી લીએ. | પાન ચુરણ પડીકું દીએ, રૂપિયો રોકડો છોડી લીએ. | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
| Line 460: | Line 469: | ||
{{Block center|'''<poem>લખપતિ કોટીપતિ ધનવાન, તેયે બ્રાહ્મણને ઘણું અભિમાન, | {{Block center|'''<poem>લખપતિ કોટીપતિ ધનવાન, તેયે બ્રાહ્મણને ઘણું અભિમાન, | ||
છત્રપતિપેં અધિકું ગણે, જે બ્રાહ્મણ બે અક્ષર ભણે. | છત્રપતિપેં અધિકું ગણે, જે બ્રાહ્મણ બે અક્ષર ભણે. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બ્રાહ્મણોએ પોતાના સમયમાં ઘણી મોજમજા ભોગવેલી. આજ એમનો નમતો દહાડો આવ્યો છે. જ્યાં ત્યાંથી હડધૂત થાય છે. પૂર દમામ ફરતા મુસલમાનો અને મરાઠાઓ આજ પટાવાળા થઈ હિંદુઓની ગુલામગીરી ઉઠાવે છે. હજારો વર્ષ લગી ભૂદેવો તરીકે મનાયેલા અને પૂજાયેલા બ્રાહ્મણો આજ રસોઈઆ થયા છે, અને શુદ્રોના જમ્યા પછી જમે છે. {{Poem2Close}} | બ્રાહ્મણોએ પોતાના સમયમાં ઘણી મોજમજા ભોગવેલી. આજ એમનો નમતો દહાડો આવ્યો છે. જ્યાં ત્યાંથી હડધૂત થાય છે. પૂર દમામ ફરતા મુસલમાનો અને મરાઠાઓ આજ પટાવાળા થઈ હિંદુઓની ગુલામગીરી ઉઠાવે છે. હજારો વર્ષ લગી ભૂદેવો તરીકે મનાયેલા અને પૂજાયેલા બ્રાહ્મણો આજ રસોઈઆ થયા છે, અને શુદ્રોના જમ્યા પછી જમે છે. | ||
{{Block center|'''<poem> | બ્રાહ્મણો આઘાતપ્રત્યાઘાતના નિયમને વશ થયા છે. | ||
{{Poem2Close}} | |||
બ્રાહ્મણ પછી આગળ પડતી જાત વાણિયાની હતી. | {{center|'''વાણિયા'''}} | ||
{{Block center|'''<poem>બ્રાહ્મણ પછી આગળ પડતી જાત વાણિયાની હતી. | |||
એ કારણ પૂછે છે તાત, વડો પુત્ર વદે છે વાત, | એ કારણ પૂછે છે તાત, વડો પુત્ર વદે છે વાત, | ||
શ્રીદંત કહે પિતાજી સુણો, વણજ કરીશું વ્હાણ જ તણો. | શ્રીદંત કહે પિતાજી સુણો, વણજ કરીશું વ્હાણ જ તણો. | ||
| Line 487: | Line 497: | ||
ભરું દુકાનો કાપડ તણી, જડે લક્ષ્મી જેમાંથી ઘણી. | ભરું દુકાનો કાપડ તણી, જડે લક્ષ્મી જેમાંથી ઘણી. | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
(વિદ્યાવિલાસી) | {{gap|3em}}(વિદ્યાવિલાસી) | ||
નાણાવટમાં નેક, કોઈ કંદોઈ કણિયો, | નાણાવટમાં નેક, કોઈ કંદોઈ કણિયો, | ||
દોશી દાસ દલાલ, ભલો ભંડારી ભણિયો. | દોશી દાસ દલાલ, ભલો ભંડારી ભણિયો. | ||
| Line 505: | Line 515: | ||
વરજો તેહ વણિક, અકારું બોલે, | વરજો તેહ વણિક, અકારું બોલે, | ||
વરજો તેહ વણિક, જેહ પેટ પટાંતર ખોલે. | વરજો તેહ વણિક, જેહ પેટ પટાંતર ખોલે. | ||
{{gap|6em}}× | |||
નાસે નેવું ખરખડે, ભોળી ભયાનક જાત, | નાસે નેવું ખરખડે, ભોળી ભયાનક જાત, | ||
તસ્કર દેખી તરફડે, પાગ ન મૂકે પ્રીત. | તસ્કર દેખી તરફડે, પાગ ન મૂકે પ્રીત. | ||
બીકણ બીજો એથી નથી, રૂડા વણિકની રીત. | બીકણ બીજો એથી નથી, રૂડા વણિકની રીત. | ||
{{right|શામળ-મદનમોહના.}} | |||
બળીયાથી બેહોરો થાય છે, ગરીબ સાથ ગાજે ઘણું; | બળીયાથી બેહોરો થાય છે, ગરીબ સાથ ગાજે ઘણું; | ||
લખવે કચરી કૂટણું તે, છે તોલ ડહાપણ વણિકતણું. | લખવે કચરી કૂટણું તે, છે તોલ ડહાપણ વણિકતણું. | ||
{{gap|6em}}× | |||
કો જર મૂકી જાય, પાછું લીધાનો સાંસો. | કો જર મૂકી જાય, પાછું લીધાનો સાંસો. | ||
મરી જીરાની માંય, જર તે વાળી નાખે. | મરી જીરાની માંય, જર તે વાળી નાખે. | ||
| Line 523: | Line 533: | ||
ખાંધે પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા-ગ્રહ્યા છે હાથે રે. | ખાંધે પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા-ગ્રહ્યા છે હાથે રે. | ||
વિંટી વેઢ દશે આંગળીએ રે, સાદા મોજા પહેર્યા શામળિયે. | વિંટી વેઢ દશે આંગળીએ રે, સાદા મોજા પહેર્યા શામળિયે. | ||
પ્રેમાનંદ | {{right|પ્રેમાનંદ}} | ||
છે અવળા આંટાની પાઘડી રે, એને બાંધતાં કેવી આવડી રે, | છે અવળા આંટાની પાઘડી રે, એને બાંધતાં કેવી આવડી રે, | ||
શોભે વણીકશા ભીને વાન રે, એક લેખણ ખોસી છે કાન રે. | શોભે વણીકશા ભીને વાન રે, એક લેખણ ખોસી છે કાન રે. | ||
{{gap|6em}}× | |||
ત્રિકમજી વણિકની તોલે રે, ઉતાવળું બોલડું બોલે રે, | ત્રિકમજી વણિકની તોલે રે, ઉતાવળું બોલડું બોલે રે, | ||
સોના સાંકળી કંઠે દોરો રે, કેડે પાટીવાળો કંદોરો રે. | સોના સાંકળી કંઠે દોરો રે, કેડે પાટીવાળો કંદોરો રે. | ||
{{gap|6em}}× | |||
સાદો વાગો પહેર્યો હરજી રે, | સાદો વાગો પહેર્યો હરજી રે, | ||
સેલું કેડે બાંધ્યું બેવડું રે. | સેલું કેડે બાંધ્યું બેવડું રે. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉતારાઓએ વાણિયાના લક્ષણ, પહેરવેશ તેમ જ ધંધારોજગાર બતાવી આપ્યાં છે. પ્રેમાનંદે જે પહેરવેશનું વર્ણન આપ્યું છે તે તાદૃશ અને યથાર્થ છે. તેમના ધંધામાં ૧લા ઉતારામાં ચાર ધંધા જણાવ્યા છે; વહાણવટી, ઝવેરી, શરાફ ને દોશીનો. આ ઉપરાંત બીજા નાના પ્રકારના ધંધા તેઓ ચલાવતા. ગાંધીનો કોથળો કરી ફેરિયાનો, દીવાનનો, વગેરે ધંધા પણ તેમના ઘણે અંશે હતા. હિંગ મરીનું હાટ માંડનાર, મરી જીરામાં પૈસાદાર થનાર તરીકે ઉતારામાં આપણે એને જોયો છે. બીકણ, કરકસરીઓ, બુદ્ધિશાળી વાણિયો હતો. તેનામાં રસિકતા થોડી હતી. ગાન તાન પર બહુ શોખ નહોતો. વાણિયાના બે ભાગ હતા. એક જૈન ધર્મ પાળનાર અને બીજો વૈષ્ણવ. જૈન પંથી વિભાગ સાહસિક વિશેષ હતો. પરદેશમાં જવામાં, દરિયો ઓળંગવામાં તે જેટલો ઉત્સુક હતો તેટલો બીજો ન હતો. બનતા લગી વૈષ્ણવ વાણિયા સમુદ્ર ઓળંગતા જ નહિ. આનું કારણ જૈનોમાં સમુદ્રપ્રયાણનો પ્રતિબંધ નહોતો તેથી; હિંદુમાં હતો. સમુદ્રપ્રયાણ કરી પરદેશ જઈ તજ, તેજાના, ઝવાહીર, મોતી લાવતા અને તે વેચી દ્રવ્ય ઊપજાવતા. ઘણી વખત ગુજરાતમાંથી નીકળી મદ્રાસ ઈલાકાના તેમ જ દક્ષિણના પશ્ચિમ કિનારા પર બંદરો સાથે વેપાર ચલાવતા. આ વેપારને લીધે ત્યારના સમાજમાં તેઓ આગળપડતા હતા. મંદિરોનું, બ્રાહ્મણોનું, કવિવર્ગનું પોષણ તેમને લીધે જ ચાલતું. આથી જ વાર્તાના નાયક ક્ષત્રિય મટી વૈશ્ય થયા હતા. વચ્છરાજની રસમંજરીમાં, જૈન ગોરજીના રાસાઓમાં પ્રથમ નાયકનાયિકારૂપે બિરાજ્ય પછી શામળની રંગભૂમિમાં પણ એ જ વેશ લીધો. | આ ઉતારાઓએ વાણિયાના લક્ષણ, પહેરવેશ તેમ જ ધંધારોજગાર બતાવી આપ્યાં છે. પ્રેમાનંદે જે પહેરવેશનું વર્ણન આપ્યું છે તે તાદૃશ અને યથાર્થ છે. તેમના ધંધામાં ૧લા ઉતારામાં ચાર ધંધા જણાવ્યા છે; વહાણવટી, ઝવેરી, શરાફ ને દોશીનો. આ ઉપરાંત બીજા નાના પ્રકારના ધંધા તેઓ ચલાવતા. ગાંધીનો કોથળો કરી ફેરિયાનો, દીવાનનો, વગેરે ધંધા પણ તેમના ઘણે અંશે હતા. હિંગ મરીનું હાટ માંડનાર, મરી જીરામાં પૈસાદાર થનાર તરીકે ઉતારામાં આપણે એને જોયો છે. બીકણ, કરકસરીઓ, બુદ્ધિશાળી વાણિયો હતો. તેનામાં રસિકતા થોડી હતી. ગાન તાન પર બહુ શોખ નહોતો. વાણિયાના બે ભાગ હતા. એક જૈન ધર્મ પાળનાર અને બીજો વૈષ્ણવ. જૈન પંથી વિભાગ સાહસિક વિશેષ હતો. પરદેશમાં જવામાં, દરિયો ઓળંગવામાં તે જેટલો ઉત્સુક હતો તેટલો બીજો ન હતો. બનતા લગી વૈષ્ણવ વાણિયા સમુદ્ર ઓળંગતા જ નહિ. આનું કારણ જૈનોમાં સમુદ્રપ્રયાણનો પ્રતિબંધ નહોતો તેથી; હિંદુમાં હતો. સમુદ્રપ્રયાણ કરી પરદેશ જઈ તજ, તેજાના, ઝવાહીર, મોતી લાવતા અને તે વેચી દ્રવ્ય ઊપજાવતા. ઘણી વખત ગુજરાતમાંથી નીકળી મદ્રાસ ઈલાકાના તેમ જ દક્ષિણના પશ્ચિમ કિનારા પર બંદરો સાથે વેપાર ચલાવતા. આ વેપારને લીધે ત્યારના સમાજમાં તેઓ આગળપડતા હતા. મંદિરોનું, બ્રાહ્મણોનું, કવિવર્ગનું પોષણ તેમને લીધે જ ચાલતું. આથી જ વાર્તાના નાયક ક્ષત્રિય મટી વૈશ્ય થયા હતા. વચ્છરાજની રસમંજરીમાં, જૈન ગોરજીના રાસાઓમાં પ્રથમ નાયકનાયિકારૂપે બિરાજ્ય પછી શામળની રંગભૂમિમાં પણ એ જ વેશ લીધો. | ||
| Line 539: | Line 549: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>વણિક જાતનો ચોર, લે મરડી દાંડીને; | {{Block center|'''<poem>વણિક જાતનો ચોર, લે મરડી દાંડીને; | ||
{{gap|6em}}× | |||
ભીલ જાતનો ચોર, લે વગડે લૂંટીને, | ભીલ જાતનો ચોર, લે વગડે લૂંટીને, | ||
દુનિયામાં કંઈક ચોર, લૂંટે છે હાટ માંડીને. | દુનિયામાં કંઈક ચોર, લૂંટે છે હાટ માંડીને. | ||
| Line 570: | Line 580: | ||
દુઃખ ન કહે કો આગળ પ્રીત, એ તે રજપૂતાની રીત. | દુઃખ ન કહે કો આગળ પ્રીત, એ તે રજપૂતાની રીત. | ||
ખાંતે ખોખારાં અમલ જ કરે, ઘરનાં છોકરાં ભૂખે મરે. | ખાંતે ખોખારાં અમલ જ કરે, ઘરનાં છોકરાં ભૂખે મરે. | ||
{{gap|6em}}× | |||
વસે નાક માંહે બહુ રીસ, ચડ્યું રાખે પોતાનું શીશ. | વસે નાક માંહે બહુ રીસ, ચડ્યું રાખે પોતાનું શીશ. | ||
{{right|શામળ}}</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
| Line 612: | Line 622: | ||
ટેકીલા હોઈ સ્વરાજ્ય સારુ પરદેશી સહાયે જબરી બાથ ભીડી. અકબરના સ્વભાવથી આર્દ્ર થઈ તેને નમ્યા, તે સાથે તેમનો જુસ્સો પણ શમ્યો. નાતજાતના સનાતન ભેદ પાડવાથી તેમની ઘટતી સંખ્યામાં બીજી કોમમાંથી વધારો થતો નહિ. માટે મુસલમાનો સાથે બાથ ભીડતા છતાં અંતે ઘણુંખરું હારતા, અને હોય તે પણ સમૂળગું ખોઈ બેસતા. | ટેકીલા હોઈ સ્વરાજ્ય સારુ પરદેશી સહાયે જબરી બાથ ભીડી. અકબરના સ્વભાવથી આર્દ્ર થઈ તેને નમ્યા, તે સાથે તેમનો જુસ્સો પણ શમ્યો. નાતજાતના સનાતન ભેદ પાડવાથી તેમની ઘટતી સંખ્યામાં બીજી કોમમાંથી વધારો થતો નહિ. માટે મુસલમાનો સાથે બાથ ભીડતા છતાં અંતે ઘણુંખરું હારતા, અને હોય તે પણ સમૂળગું ખોઈ બેસતા. | ||
લડાલડીમાં પડેલા, અભણ અને ખુશામતીયામાં ઊછરેલા હોવાથી તેમનો વર્ગ ઘણો પછાત છે. આ સાથે બ્રાહ્મણોની સત્તા તળે હોવાથી જાતે સુધરે અને પ્રજાને સુધારે એ આશા એમની પાસે રાખવી એ મિથ્યા છે. | લડાલડીમાં પડેલા, અભણ અને ખુશામતીયામાં ઊછરેલા હોવાથી તેમનો વર્ગ ઘણો પછાત છે. આ સાથે બ્રાહ્મણોની સત્તા તળે હોવાથી જાતે સુધરે અને પ્રજાને સુધારે એ આશા એમની પાસે રાખવી એ મિથ્યા છે. | ||
કણબી | {{Poem2Close}} | ||
{{center|'''કણબી'''}} | |||
{{Poem2Open}} | |||
કણબી ખેતી કરતો. એનો ઘણોખરો વાસ ગામડામાં જ હતો. ખેતી અને ધાન્ય સાથે જ એનો સંબંધ હતો. ગરીબ થયેલા કણબી મજૂરી કરતા. | કણબી ખેતી કરતો. એનો ઘણોખરો વાસ ગામડામાં જ હતો. ખેતી અને ધાન્ય સાથે જ એનો સંબંધ હતો. ગરીબ થયેલા કણબી મજૂરી કરતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કોળી ભાગે ત્યારે ચોર, હાકેમ ભાગે વાળે ઢોર, | {{Block center|'''<poem>કોળી ભાગે ત્યારે ચોર, હાકેમ ભાગે વાળે ઢોર, | ||
| Line 623: | Line 634: | ||
{{right|શામળ}}</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
-કણબીનું વર્ણન: | <nowiki>-કણબીનું વર્ણન:</nowiki> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>આદ્ય પર્વ તો અખાત્રીજ, બાંધે હળને ખોળે બીજ; | {{Block center|'''<poem>આદ્ય પર્વ તો અખાત્રીજ, બાંધે હળને ખોળે બીજ; | ||
| Line 646: | Line 657: | ||
ઘરસુખ સામું નવ જોવાય, સૂવે શિયાળે ખેતર માંય, | ઘરસુખ સામું નવ જોવાય, સૂવે શિયાળે ખેતર માંય, | ||
કાચું કોરું વહેલું ખાય, રાંધ્યું અન્ન નારી લઈ જાય. | કાચું કોરું વહેલું ખાય, રાંધ્યું અન્ન નારી લઈ જાય. | ||
{{gap|6em}}× | |||
પોંખે પુર વિચારે મન, શુભાએગ તો પાકે અન્ન; | પોંખે પુર વિચારે મન, શુભાએગ તો પાકે અન્ન; | ||
કુડો ભુંડો કો દુષ્કળ નાર, વાવે બાવીશ ઊગે બાર. | કુડો ભુંડો કો દુષ્કળ નાર, વાવે બાવીશ ઊગે બાર. | ||
| Line 656: | Line 667: | ||
ચારણ આવી ઊભા જ્યાંહ, નાવિકદર્પણ લાવ્યો ત્યાંહ. | ચારણ આવી ઊભા જ્યાંહ, નાવિકદર્પણ લાવ્યો ત્યાંહ. | ||
સૂતાર સૌની થાએ વાત, ભલો કહીને આવે ભાટ, | સૂતાર સૌની થાએ વાત, ભલો કહીને આવે ભાટ, | ||
{{gap|6em}}× | |||
ફાગણ માસે ઋત વસંત, તે દહાડે દુઃખ અનંત. | ફાગણ માસે ઋત વસંત, તે દહાડે દુઃખ અનંત. | ||
દુવે દાવડે કોસે વરત, કણ, બી, બળદને આવે મરદ, | દુવે દાવડે કોસે વરત, કણ, બી, બળદને આવે મરદ, | ||
| Line 664: | Line 675: | ||
સુખી થવાને ચૌટે જાય, મારીને વેઠે લઈ જાય, | સુખી થવાને ચૌટે જાય, મારીને વેઠે લઈ જાય, | ||
સામું બોલે મારે માર, અણતોલ્યો ઉપાડે ભાર. | સામું બોલે મારે માર, અણતોલ્યો ઉપાડે ભાર. | ||
શામળ-(બત્રીસ પૂતળી) | {{right|શામળ-(બત્રીસ પૂતળી)}} | ||
પાંચ ઘટી રેણી જાહરે, સૂતાં ઊઠ્યાં સૌ તાહરે, | પાંચ ઘટી રેણી જાહરે, સૂતાં ઊઠ્યાં સૌ તાહરે, | ||
ગોબર કાઢ્યો છોડી બેલ, પરસણ માટે ચાલ્યો પહેલ. | ગોબર કાઢ્યો છોડી બેલ, પરસણ માટે ચાલ્યો પહેલ. | ||
| Line 673: | Line 684: | ||
ફરે ઝાંખરાં જટિયા માંહ, જીવજંતનો ડર ન ખાય, | ફરે ઝાંખરાં જટિયા માંહ, જીવજંતનો ડર ન ખાય, | ||
ફરે થોર ખરસાણી માંય, લદબદ તેની દુધે કાય. | ફરે થોર ખરસાણી માંય, લદબદ તેની દુધે કાય. | ||
{{gap|6em}}× | |||
ઘાસ ધાનથી ખેતર પૂર, જોઈ ધણી હરખાયે ઉર, | ઘાસ ધાનથી ખેતર પૂર, જોઈ ધણી હરખાયે ઉર, | ||
સાંજ પડીને કરી વિચાર, વિણાવા માંડી પોતે ચાર, | સાંજ પડીને કરી વિચાર, વિણાવા માંડી પોતે ચાર, | ||
| Line 679: | Line 690: | ||
પાંચ ઘડી નિશા ગઈ જાર, આવી પહોંચ્યો ઘરમોજાર, | પાંચ ઘડી નિશા ગઈ જાર, આવી પહોંચ્યો ઘરમોજાર, | ||
મૂકી ઠામ પરોણો રાશ, પ્રેમે પીધાં ભડકું છાશ. | મૂકી ઠામ પરોણો રાશ, પ્રેમે પીધાં ભડકું છાશ. | ||
{{right|શામળ-(બત્રીસ પૂતળી)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પહેલા ઉતારામાં ખેડૂતના ‘મહિના’ છે. રાધાકૃષ્ણના, શક્તિ વગેરેના ‘મહિના’ ના સંગ્રહમાં આ ‘મહિના’ લેવાની જરૂર છે. આ બંને ઉતારામાં ખેડૂત આખું વર્ષ તેમ જ આખો દિવસ કેવી રીતે ગાળે છે તેનું ચિત્ર છે. આટલી આટલી મહેનત લઈ જગતનું પોષણ કરનારને પણ કેવી વિપત્તિઓ ખમવી પડે છે તે પહેલા ઉતારાની છેલ્લી લીટીઓમાં છે. તે વખતના વેઠમાં જુલમથી ગરીબોને બહુ ખમવું પડતું હતું. | પહેલા ઉતારામાં ખેડૂતના ‘મહિના’ છે. રાધાકૃષ્ણના, શક્તિ વગેરેના ‘મહિના’ ના સંગ્રહમાં આ ‘મહિના’ લેવાની જરૂર છે. આ બંને ઉતારામાં ખેડૂત આખું વર્ષ તેમ જ આખો દિવસ કેવી રીતે ગાળે છે તેનું ચિત્ર છે. આટલી આટલી મહેનત લઈ જગતનું પોષણ કરનારને પણ કેવી વિપત્તિઓ ખમવી પડે છે તે પહેલા ઉતારાની છેલ્લી લીટીઓમાં છે. તે વખતના વેઠમાં જુલમથી ગરીબોને બહુ ખમવું પડતું હતું. | ||
| Line 698: | Line 709: | ||
ભોળો કણબી ભૂમંડળે, દેતાં પાછું નવ જુએ, | ભોળો કણબી ભૂમંડળે, દેતાં પાછું નવ જુએ, | ||
શામળ કહે બીજા બાપડા, રિદ્ધિ ખરચ્યા કેડે રૂએ. | શામળ કહે બીજા બાપડા, રિદ્ધિ ખરચ્યા કેડે રૂએ. | ||
શામળ | {{right|શામળ}} | ||
ન કહે કણબી નકાર, શરમાએ શરમાશે, | ન કહે કણબી નકાર, શરમાએ શરમાશે, | ||
જો કદિ નહિ અપાય, તોય કાયા કરમાશે. | જો કદિ નહિ અપાય, તોય કાયા કરમાશે. | ||
| Line 712: | Line 723: | ||
ઘટ સાથે રે ઘડિયાં; | ઘટ સાથે રે ઘડિયાં; | ||
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે; | ટાળ્યાં તે કોઈનાં નવ ટળે; | ||
રઘુનાથનાં જડિયાં. | રઘુનાથનાં જડિયાં.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
હવે સોની આદિ ધંધાદારીના વૃતાન્ત નીરખીએ. | હવે સોની આદિ ધંધાદારીના વૃતાન્ત નીરખીએ. | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem> | |||
સોની કેરો એહ બનાવ, ચોરે નહિ તો આવે તાવ, | સોની કેરો એહ બનાવ, ચોરે નહિ તો આવે તાવ, | ||
ચોરે નહિ તો થાય ચિત્તભ્રમ, એ સોનીના કુળનો ધર્મ. | ચોરે નહિ તો થાય ચિત્તભ્રમ, એ સોનીના કુળનો ધર્મ. | ||
| Line 761: | Line 775: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>નીચ બુદ્ધિ નમેરા નેટ, પાપે તે પોશે છે પેટ; | {{Block center|'''<poem>નીચ બુદ્ધિ નમેરા નેટ, પાપે તે પોશે છે પેટ; | ||
શત ગણા સોનીથી ચોર, ઊજળા પણ અંધારું ઘોર. | શત ગણા સોનીથી ચોર, ઊજળા પણ અંધારું ઘોર.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
કડિયા, કુંભાર, ધોબી, ભાવસાર અને તંબોળી એ સર્વની સ્થિતિ લગભગ હાલના જેવી જ હતી. | કડિયા, કુંભાર, ધોબી, ભાવસાર અને તંબોળી એ સર્વની સ્થિતિ લગભગ હાલના જેવી જ હતી. | ||
કોળી— કોળી આ સમયમાં લૂંટારા તરીકે મશહુર હતા. | કોળી— કોળી આ સમયમાં લૂંટારા તરીકે મશહુર હતા. | ||
સમાધાન થયું જ્યાં ત્યાં, ઊતર્યા કોતર મધ્ય, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સમાધાન થયું જ્યાં ત્યાં, ઊતર્યા કોતર મધ્ય, | |||
કોળી કારમા ત્યાં મળ્યા, મહીભક્ત જેહ છે; | કોળી કારમા ત્યાં મળ્યા, મહીભક્ત જેહ છે; | ||
આઠદશ જન હતા, શોધ કરનારા સાચા, | આઠદશ જન હતા, શોધ કરનારા સાચા, | ||
| Line 774: | Line 790: | ||
ઘાસિયાની ગાંસડી ને લાકડી લીધી સંઘાતે, | ઘાસિયાની ગાંસડી ને લાકડી લીધી સંઘાતે, | ||
લેઈ ચાલી ગયા ચોર, ત્રાસ ઉપજાવીયા. | લેઈ ચાલી ગયા ચોર, ત્રાસ ઉપજાવીયા. | ||
વલ્લભ.</poem>'''}} | {{right|વલ્લભ.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોળીનાં છોકરાંઓ પણ નાનપણથી આ ધંધા સ્વીકારતા. પોતાની એક રીતની પારસી વાપરતાં. વટેમાર્ગુઓને પહેલાં પગમાં અથવા માથામાં મારી કળ ચઢાવી દેતા અને પછી બધું લૂંટી લેતા. ગામના મુખી જેવા અમલદારોનો પણ આવી લૂંટમાં ભાગ રહેતો. લૂંટારા તો હતા તેમ જ બળવો અને બખેડો પણ કરતા. રાજ્યકર્તાઓને આ હુલ્લડ બેસાડી દેતાં ઘણી મુસીબત નડતી. કોળીઓમાં ઘણા અધમ વહેમો ચાલતા. તેમની ધાર્મિક સ્થિતિ આગળ વર્ણવાઈ છે. મુસલમાનોને બંદગી કરતા કનડતા. આને અટકાવવા સારુ તેમને સરકાર તરફથી નાણાની રકમ મળતી. | કોળીનાં છોકરાંઓ પણ નાનપણથી આ ધંધા સ્વીકારતા. પોતાની એક રીતની પારસી વાપરતાં. વટેમાર્ગુઓને પહેલાં પગમાં અથવા માથામાં મારી કળ ચઢાવી દેતા અને પછી બધું લૂંટી લેતા. ગામના મુખી જેવા અમલદારોનો પણ આવી લૂંટમાં ભાગ રહેતો. લૂંટારા તો હતા તેમ જ બળવો અને બખેડો પણ કરતા. રાજ્યકર્તાઓને આ હુલ્લડ બેસાડી દેતાં ઘણી મુસીબત નડતી. કોળીઓમાં ઘણા અધમ વહેમો ચાલતા. તેમની ધાર્મિક સ્થિતિ આગળ વર્ણવાઈ છે. મુસલમાનોને બંદગી કરતા કનડતા. આને અટકાવવા સારુ તેમને સરકાર તરફથી નાણાની રકમ મળતી. <ref>રા. ગો. હા. દેસાઈ કૃત ‘ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ’ પૃ. ૧૦૯.</ref> | ||
ભાટ: | ભાટ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>(૧) તું કહેતાંમાં તન તજે, રાય ભાટની રીત. | {{Block center|'''<poem>(૧) તું કહેતાંમાં તન તજે, રાય ભાટની રીત. | ||
{{gap|6em}}X | |||
ઓશિયાળો ઊભો નવ રહે, તે તો ભારે ભાટ. | ઓશિયાળો ઊભો નવ રહે, તે તો ભારે ભાટ. | ||
કરે જમાની જોબશું, કહે દસોંદી ખાય, | કરે જમાની જોબશું, કહે દસોંદી ખાય, | ||
| Line 804: | Line 820: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>તે મંદિર માલુકાનું, ઘરમાં સાળ ખે ચાર; | {{Block center|'''<poem>તે મંદિર માલુકાનું, ઘરમાં સાળ ખે ચાર; | ||
× | {{gap|6em}}× | ||
તું તો જાતનો ઢેડ છે, હું રાજાનો પુત્ર. | તું તો જાતનો ઢેડ છે, હું રાજાનો પુત્ર. | ||
× | {{gap|6em}}× | ||
કાપડ વણો રે કામની, કરો ઘર કેરાં કામ; | કાપડ વણો રે કામની, કરો ઘર કેરાં કામ; | ||
તો આ મંદિર તારું; રહો ઠરી આ, ઠામ. | તો આ મંદિર તારું; રહો ઠરી આ, ઠામ. | ||
શામળ : મદનમોહના.</poem>'''}} | {{right|શામળ : મદનમોહના.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે કાળના ઘણાખરા ધંધાદારીઓ આપણે જોયા. | તે કાળના ઘણાખરા ધંધાદારીઓ આપણે જોયા.<ref>‘રાવણ મંદોદરી સંવાદ’માં શામળે જુદી જુદી નાતોની ભાવના (?) વર્ણવી છે.</ref> પોત પોતાના કાર્યમાં સર્વ નિયુક્ત હતા. જે વહેમો પડ્યા હતા તે વહેમો ચાલ્યા જતા હતા. અજ્ઞાનના અંધકારમાં બાથોડીયાં મારતા – જ્ઞાનનો પ્રકાશ વિરલ હતો. રત્ના જેવા ભાવસારની દૂબળી અને લલિત વાણી જોઈ આપણે વિસ્મય પામીએ છીએ. કોઈ સાધુની સંગતમાં વિરલ આત્માઓ સરસ્વતીનું સેવન કરતા. અજ્ઞાન અને બુદ્ધિ સંકળાયેલી એટલે વહેમ, લોભી અને સ્વાર્થી બ્રાહ્મણો, બાવાઓ, ગોરજીઓ, ફકીરોની જાળમાં સપડાતાં – પોતાની આસપાસ પથરાયેલી સાંકળોમાં જકડાતા – તેને તોડી ભવિષ્ય ભેદી શક્યા નહોતા. શામળ તેમનામાં અનેક દોષો જુએ છે. પ્રેમાનંદ તેમને સંતોષી અને સુખી ચીતરે છે. બંનેનાં ચિત્રો ખરાં છે – સુલેહના કાળમાં – ભયના વિનાશથી – નાના પ્રકારના અનર્થો પગપેસારો કરે છે. તેમ જ ઉપાધિઓના અભાવે સંતોષ અને સુખ પણ હોય છે. | ||
મુસલમાનો સંબંધે આપણને સાહિત્યમાંથી કાંઈ જાણવા જોગ મળતું નથી. તેમના મોલવીઓએ અનેક પંથ ચલાવ્યા હતા. હિંદુઓને મુસલમાન કર્યા હતા, અને કેટલાક હિંદુઓને હિંદુ રાખી મુસલમાની ધર્મ પળાવ્યો હતો. પીર-પેગમ્બરની માનતા રહેતે રહેતે હિંદુઓમાં દાખલ થઈ હતી. મતિયા, મોમનાના હુલ્લડ થયાં હતાં, બંદગી કરતાં મુસલમાનોને કોળી નડતા. મુસલમાનોના તહેવાર વખતે હિંદુઓ રમકડાં વેચતા. આથી આવી રીતે હિંદુ-મુસલમાનોનું ઐક્ય થતું જતું. આવા આવા અનેક બનાવો ત્યારે બન્યા જતા હતા, પરંતુ તેમનો ઇતિહાસ આપવા કોઈએ યત્ન કર્યો નથી. અમદાવાદમાં મુસલમાનોનું જોર વિશેષ હતું છતાં શામળ અને અખામાં (અમદાવાદના કવિઓમાં) તેમના સંબંધી બહુ જૂજ ઈશારા છે. | મુસલમાનો સંબંધે આપણને સાહિત્યમાંથી કાંઈ જાણવા જોગ મળતું નથી. તેમના મોલવીઓએ અનેક પંથ ચલાવ્યા હતા. હિંદુઓને મુસલમાન કર્યા હતા, અને કેટલાક હિંદુઓને હિંદુ રાખી મુસલમાની ધર્મ પળાવ્યો હતો. પીર-પેગમ્બરની માનતા રહેતે રહેતે હિંદુઓમાં દાખલ થઈ હતી. મતિયા, મોમનાના હુલ્લડ થયાં હતાં, બંદગી કરતાં મુસલમાનોને કોળી નડતા. મુસલમાનોના તહેવાર વખતે હિંદુઓ રમકડાં વેચતા. આથી આવી રીતે હિંદુ-મુસલમાનોનું ઐક્ય થતું જતું. આવા આવા અનેક બનાવો ત્યારે બન્યા જતા હતા, પરંતુ તેમનો ઇતિહાસ આપવા કોઈએ યત્ન કર્યો નથી. અમદાવાદમાં મુસલમાનોનું જોર વિશેષ હતું છતાં શામળ અને અખામાં (અમદાવાદના કવિઓમાં) તેમના સંબંધી બહુ જૂજ ઈશારા છે. | ||
જેમ પારસી કવિઓ અને લેખકો આ સમયમાં થયા હતા, તેમ મુસલમાનમાં થયા હતા? ગુજરાતમાં લેખક નહિ પણ ફારસીમાં શાયર કે ઇતિહાસકાર થયા હતા. મહેમદાવાદના વિદ્વાન જાગીદાર શેખ સિંકંદરે ઈ. સ. ૧૬૧૧માં ‘મિરાંતે સિકન્દરી’ અને અમદાવાદના જાગીરદાર મીરજાઅલી મહમદખાંને ‘મિરાતે અહમદી’ નામના ઇતિહાસો લખ્યા છે. પોતાના સેક્રેટરી જે કાયસ્થ અથવા નાગર કોમના અને ફારસીમાં પ્રવીણ હતા તેમની મદદથી આ ઇતિહાસો રચાયા છે. | જેમ પારસી કવિઓ અને લેખકો આ સમયમાં થયા હતા, તેમ મુસલમાનમાં થયા હતા? ગુજરાતમાં લેખક નહિ પણ ફારસીમાં શાયર કે ઇતિહાસકાર થયા હતા. મહેમદાવાદના વિદ્વાન જાગીદાર શેખ સિંકંદરે ઈ. સ. ૧૬૧૧માં ‘મિરાંતે સિકન્દરી’ અને અમદાવાદના જાગીરદાર મીરજાઅલી મહમદખાંને ‘મિરાતે અહમદી’ નામના ઇતિહાસો લખ્યા છે. પોતાના સેક્રેટરી જે કાયસ્થ અથવા નાગર કોમના અને ફારસીમાં પ્રવીણ હતા તેમની મદદથી આ ઇતિહાસો રચાયા છે. | ||
| Line 826: | Line 842: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પારસીઓ સંબંધે પણ કંઈ અજવાળું પડ્યું નથી. સુરત તરફ ઘણો અવરજવર હોવા છતાં પ્રેમાનંદે તેમનું કાંઈ પણ સૂચન કર્યું નથી. પારસીઓ જે ધંધો હાથ લાગ્યો તે કરતા. ખેડૂત, સુથાર, મોચી, દરજી, ગાંધી ઈત્યાદિ, દારૂ અને તાડી વેચવાનાં પીઠાં પણ ખોલતા. તેમના આચારો ઘણાખરા હિંદુઓ જેવા જ હતા. વહેમ અને અજ્ઞાન પણ તેટલું જ હતું. જોશ જોવામાં એક્કા હતા. બાળલગ્ન પણ એમનામાં પ્રચલિત હતું. એક કરતાં વધારે સ્ત્રીઓ પણ કરતા. આચારો તો શું પરંતુ વિચારો પણ એમના હિંદુને મળતા થઈ ગયા હતા. ગામડાના વહેમો એમનામાં પેઠા હતા. ડોસીશાસ્ત્રની સત્તા એમનામાં પ્રબળ હતી. હિંદુઓ જોડે એટલા સેળભેળ થયા હતા કે પ્રેમાનંદ કૃત ‘નરસિંહ મહેતાનું મામેરું’ આજ પણ એમનામાં ગવાય છે. જે કોમ પર પ્રેમાનંદની આવી અસર થઈ હતી તે કોમ વિષે ત્યારના સાહિત્યમાંથી આ૫ણને કાંઈ પણ જાણવાનું નથી મળતું એ અત્યંત શોકજનક છે. આ૫ણા સાહિત્યકારોએ એવા વિષય લીધા હતા કે તેમાં પ્રચલિત રીતરિવાજો તેમ જ બીજા આજુ-બાજુના સંજોગોની અસર તેમને થાય જ નહિ; અને થાય તો અજાણતાં જ થતી. આથી વિશાળ સાહિત્ય હોવાં છતાં તે કાળના ઇતિહાસ પર કાંઈ પ્રકાશ પડતો નથી. તેમના મોલેદો ગુજરાતીમાં ગ્રંથો લખતા હતા એ ‘શ્યાવખ્સનામા’ વગેરે ગ્રંથો પરથી પ્રતીત થાય છે. | પારસીઓ સંબંધે પણ કંઈ અજવાળું પડ્યું નથી. સુરત તરફ ઘણો અવરજવર હોવા છતાં પ્રેમાનંદે તેમનું કાંઈ પણ સૂચન કર્યું નથી. પારસીઓ જે ધંધો હાથ લાગ્યો તે કરતા. ખેડૂત, સુથાર, મોચી, દરજી, ગાંધી ઈત્યાદિ, દારૂ અને તાડી વેચવાનાં પીઠાં પણ ખોલતા. તેમના આચારો ઘણાખરા હિંદુઓ જેવા જ હતા. વહેમ અને અજ્ઞાન પણ તેટલું જ હતું. જોશ જોવામાં એક્કા હતા. બાળલગ્ન પણ એમનામાં પ્રચલિત હતું. એક કરતાં વધારે સ્ત્રીઓ પણ કરતા. આચારો તો શું પરંતુ વિચારો પણ એમના હિંદુને મળતા થઈ ગયા હતા. ગામડાના વહેમો એમનામાં પેઠા હતા. ડોસીશાસ્ત્રની સત્તા એમનામાં પ્રબળ હતી. હિંદુઓ જોડે એટલા સેળભેળ થયા હતા કે પ્રેમાનંદ કૃત ‘નરસિંહ મહેતાનું મામેરું’ આજ પણ એમનામાં ગવાય છે. જે કોમ પર પ્રેમાનંદની આવી અસર થઈ હતી તે કોમ વિષે ત્યારના સાહિત્યમાંથી આ૫ણને કાંઈ પણ જાણવાનું નથી મળતું એ અત્યંત શોકજનક છે. આ૫ણા સાહિત્યકારોએ એવા વિષય લીધા હતા કે તેમાં પ્રચલિત રીતરિવાજો તેમ જ બીજા આજુ-બાજુના સંજોગોની અસર તેમને થાય જ નહિ; અને થાય તો અજાણતાં જ થતી. આથી વિશાળ સાહિત્ય હોવાં છતાં તે કાળના ઇતિહાસ પર કાંઈ પ્રકાશ પડતો નથી. તેમના મોલેદો ગુજરાતીમાં ગ્રંથો લખતા હતા એ ‘શ્યાવખ્સનામા’ વગેરે ગ્રંથો પરથી પ્રતીત થાય છે. | ||
{{Poem2Close}} | |||
{{center|'''સમાજવ્યવસ્થા'''}} | {{center|'''સમાજવ્યવસ્થા'''}} | ||
{{Poem2Open}} | |||
ત્યારે અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં પોળોમાં લોકો રહેતા. આ પોળોમાં એક જ માણસના કુટુંબીઓ પહેલવહેલા વસેલા, અથવા તેના ઓળખાણપિછાનના માણસો હોવા જોઈએ. ઘણી વખતે અમુક પોળ એક નાતનો જથ્થો થતો. આ પોળોમાં પોળપંચ રહેતું. પોતાનો શેઠ વંશપરંપરાનો હતો. પોળના દરવાજાની કૂંચી એને ત્યાં રહેતી. પોળના પંચને મળવા સારુ પોળના દરવાજા પર એક માળ કાઢવામાં આવતો. પોળનું ફંડ રહેતું એમાંથી પોળના દરવાજાની મરામત થતી, તથા જાહેર ફંડોમાં પોળ તરફથી અમુક રકમ અપાતી. પોળપંચ પોતાના સંબંધી હરેક પ્રકારનું કામ બજાવતું. આ ઉપરાંત દરેક પોળમાં દરેક જાતનાં વસવાયાં રહેતાં. આથી પોળ એક નાના ગામ જેવી બનતી. પોળનાં ખાસ કૂતરાં તેમ જ ભીખારું હતાં. આપણી ગ્રામ્યસંસ્થાનો જેમ દિવસે દિવસે વિલોપ થતો જાય છે તેમ આ પોળસંસ્થાના સંબંધમાં પણ બનતું જાય છે. પોળોની આવી બાંધણી અર્થાત્ પાસે ઘરો, રસ્તો સાંકડી નેર જેવો, બારીબારણાં થોડાં ઇત્યાદિ ત્યારના અસ્વસ્થ જમાનાને લીધે હશે. ઘણાં ઘરોના મેડાને આગલી ભીંત લાકડાની હતી. આ લાકડામાં ભાત ભાતનું કોતરકામ કરવામાં આવતું, ચારપાંચ મેડીવાળાં ઘર ઘણાંનાં હતાં. ઘર બહારથી અને અંદરથી રંગવામાં આવતાં. પોળોમાં પોળનો કૂવો રહેતો. ત્યાં પોળની સ્ત્રીઓ પાણી ભરવા જતી. ગામડામાંની પોળોની બહાર કેટલીક જગ્યાએ લીંબડો, વડ કે આમલીનાં ઝાડ હતાં. પોળોની પંચાયત પદ્ધતિને લીધે પંચજાજરૂ પણ હતાં. આવા જાજરૂથી મરકીના વખતમાં જે હાનિ થાય છે તે હાલ અમદાવાદમાં અનુભવાય છે. | ત્યારે અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં પોળોમાં લોકો રહેતા. આ પોળોમાં એક જ માણસના કુટુંબીઓ પહેલવહેલા વસેલા, અથવા તેના ઓળખાણપિછાનના માણસો હોવા જોઈએ. ઘણી વખતે અમુક પોળ એક નાતનો જથ્થો થતો. આ પોળોમાં પોળપંચ રહેતું. પોતાનો શેઠ વંશપરંપરાનો હતો. પોળના દરવાજાની કૂંચી એને ત્યાં રહેતી. પોળના પંચને મળવા સારુ પોળના દરવાજા પર એક માળ કાઢવામાં આવતો. પોળનું ફંડ રહેતું એમાંથી પોળના દરવાજાની મરામત થતી, તથા જાહેર ફંડોમાં પોળ તરફથી અમુક રકમ અપાતી. પોળપંચ પોતાના સંબંધી હરેક પ્રકારનું કામ બજાવતું. આ ઉપરાંત દરેક પોળમાં દરેક જાતનાં વસવાયાં રહેતાં. આથી પોળ એક નાના ગામ જેવી બનતી. પોળનાં ખાસ કૂતરાં તેમ જ ભીખારું હતાં. આપણી ગ્રામ્યસંસ્થાનો જેમ દિવસે દિવસે વિલોપ થતો જાય છે તેમ આ પોળસંસ્થાના સંબંધમાં પણ બનતું જાય છે. પોળોની આવી બાંધણી અર્થાત્ પાસે ઘરો, રસ્તો સાંકડી નેર જેવો, બારીબારણાં થોડાં ઇત્યાદિ ત્યારના અસ્વસ્થ જમાનાને લીધે હશે. ઘણાં ઘરોના મેડાને આગલી ભીંત લાકડાની હતી. આ લાકડામાં ભાત ભાતનું કોતરકામ કરવામાં આવતું, ચારપાંચ મેડીવાળાં ઘર ઘણાંનાં હતાં. ઘર બહારથી અને અંદરથી રંગવામાં આવતાં. પોળોમાં પોળનો કૂવો રહેતો. ત્યાં પોળની સ્ત્રીઓ પાણી ભરવા જતી. ગામડામાંની પોળોની બહાર કેટલીક જગ્યાએ લીંબડો, વડ કે આમલીનાં ઝાડ હતાં. પોળોની પંચાયત પદ્ધતિને લીધે પંચજાજરૂ પણ હતાં. આવા જાજરૂથી મરકીના વખતમાં જે હાનિ થાય છે તે હાલ અમદાવાદમાં અનુભવાય છે. | ||
ગુજરાતના લોકો ત્યારે ઘણી નાતોમાં વેહંચાઈ ગયા હતા. આ નાતો વિશે પણ કાંઈક જાણવું આવશ્યક છે. નાતમાં પણ શેઠ અથવા પટેલ હતો. નાતનો ગોર પણ હતો. નાતના અમુક નિયમો હતા. આ નિયમો નહિ પાળનારને અમુક પ્રકારની સજા પણ થતી. નાતના પટેલિયાના હુકમને સહુ વશ રહેતા— તેના કહ્યા પ્રમાણે ચાલતા,(હરિદાસ.) | ગુજરાતના લોકો ત્યારે ઘણી નાતોમાં વેહંચાઈ ગયા હતા. આ નાતો વિશે પણ કાંઈક જાણવું આવશ્યક છે. નાતમાં પણ શેઠ અથવા પટેલ હતો. નાતનો ગોર પણ હતો. નાતના અમુક નિયમો હતા. આ નિયમો નહિ પાળનારને અમુક પ્રકારની સજા પણ થતી. નાતના પટેલિયાના હુકમને સહુ વશ રહેતા— તેના કહ્યા પ્રમાણે ચાલતા,(હરિદાસ.) | ||
| Line 839: | Line 857: | ||
ત્યારે શેઠિયો કહે સૌ જમવા આવશે, શું તમો છો કાંઈ નાત બહાર રે, | ત્યારે શેઠિયો કહે સૌ જમવા આવશે, શું તમો છો કાંઈ નાત બહાર રે, | ||
નાતગોર તતક્ષણ તેડાવ્યો, દેવડાવ્યાં નોતરાં ઠારોઠાર. | નાતગોર તતક્ષણ તેડાવ્યો, દેવડાવ્યાં નોતરાં ઠારોઠાર. | ||
પ્રેમાનંદ-(શ્રાદ્ધ).</poem>'''}} | {{right|પ્રેમાનંદ-(શ્રાદ્ધ).}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉતારા પરથી વિદિત થશે કે નાતના શેઠના હુકમ પ્રમાણે આવી નાત વર્તવા બંધાઈ હતી. નાતગોરનાં નોતરાં માન્ય રાખી સર્વે નાગરો નરસિંહ મહેતાને ઘેર શ્રાદ્ધ જમવા ગયા હતા. | આ ઉતારા પરથી વિદિત થશે કે નાતના શેઠના હુકમ પ્રમાણે આવી નાત વર્તવા બંધાઈ હતી. નાતગોરનાં નોતરાં માન્ય રાખી સર્વે નાગરો નરસિંહ મહેતાને ઘેર શ્રાદ્ધ જમવા ગયા હતા. | ||
| Line 846: | Line 864: | ||
{{Block center|'''<poem>જેણે ધૃતસરિતા ચલવી રે. | {{Block center|'''<poem>જેણે ધૃતસરિતા ચલવી રે. | ||
પ્રભુએ બાંધી સાકર પાજ. | પ્રભુએ બાંધી સાકર પાજ. | ||
{{right|વલ્લભ.}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આખી નાત જમાડવાથી પ્રેમાનંદની વાહવાહ બોલાઈ હતી. | આખી નાત જમાડવાથી પ્રેમાનંદની વાહવાહ બોલાઈ હતી. | ||
| Line 857: | Line 875: | ||
{{Block center|'''<poem>નહિ આવે તો શું કટક ચઢાવું, | {{Block center|'''<poem>નહિ આવે તો શું કટક ચઢાવું, | ||
કે તુંને કાઢું નાત બહાર. | કે તુંને કાઢું નાત બહાર. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેદ, દંડ કરતાં પણ આ સજા ભારી હતી, અને તેથી જ હંસ જેવા પ્રાણીના સંબંધમાં—જેને નાત હોતી નથી—પ્રેમાનંદ ઉપરનાં વચનો નળ પાસે વપરાવે છે. | કેદ, દંડ કરતાં પણ આ સજા ભારી હતી, અને તેથી જ હંસ જેવા પ્રાણીના સંબંધમાં—જેને નાત હોતી નથી—પ્રેમાનંદ ઉપરનાં વચનો નળ પાસે વપરાવે છે. | ||
| Line 869: | Line 887: | ||
‘કોડ’ અથવા ‘લહાવો’ લેવાના ઇરાદાથી પોતાનાં કુમળાં બાળકોને માબાપો લગ્નની ધૂંસરીમાં જોડી દેતાં. વિવાહ શું છે? તેની કેટલી જોખમદારી છે? આ સઘળું વિચાર કર્યા વગર બાળાઓ અને બાળકો પરણતાં. અવિભક્ત કુટુંબસંસ્થા હોવાથી નવી વહુના પોષણનો તેમ જ તેનાં થનાર છોકરાંના નિર્વાહનો બોજો બાળક પર અને બાળકના પિતા પર નહોતો પડતો. આથી આ વિષયમાં ચિંતા થતી નહિ અને લગ્ન સામે વાંધો લેવાતો નહિ. | ‘કોડ’ અથવા ‘લહાવો’ લેવાના ઇરાદાથી પોતાનાં કુમળાં બાળકોને માબાપો લગ્નની ધૂંસરીમાં જોડી દેતાં. વિવાહ શું છે? તેની કેટલી જોખમદારી છે? આ સઘળું વિચાર કર્યા વગર બાળાઓ અને બાળકો પરણતાં. અવિભક્ત કુટુંબસંસ્થા હોવાથી નવી વહુના પોષણનો તેમ જ તેનાં થનાર છોકરાંના નિર્વાહનો બોજો બાળક પર અને બાળકના પિતા પર નહોતો પડતો. આથી આ વિષયમાં ચિંતા થતી નહિ અને લગ્ન સામે વાંધો લેવાતો નહિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સાત પાંચ કે વર્ષ | {{Block center|'''<poem>સાત પાંચ કે વર્ષ નવમાં હોય કન્યાદાન, | ||
{{Poem2Open}} | અવર દિન બીજા કરો, પણ નહિ તેહ સમાન.</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
આટલી નાની ઉંમરે આપણી બાળકીઓ પરણતી. કન્યકાવસ્થાનો ‘લહાવો’ લેવાનો અવસર જ કદી તેમને આવતો નહિ. નાનપણથી જ સાસરિયાંનો વિચાર તેમના દિલમાં રોપવામાં આવતો. જ્યાં નાના બાળકને રમતગમતમાં ‘સાસુ’ અને ‘સસરા’ના ઈશારા કરવામાં આવે છે તે દેશમાં કન્યાઓ અને કુમારોની અવસ્થા અસ્તિત્વમાં હોતી નથી. બચપણથી સાસરિયાં અને લગ્નના વિચાર મનમાં ઠસાવી દીધેલા હોવાથી કન્યાઓ વહેલી રજસ્વલા થતી. આપણા દેશમાં પ્રથમ રજોદર્શન એટલે સ્ત્રીત્વ મનાયેલું હોવાથી તેઓ પોતાનો સંસાર માંડતી અને ખેલી ખાવાના વખતે ઘણી બાળકીઓ માતા બનતી. આથી ઘણાં બાળકો લાંબું આયુષ્ય ભોગવી શકતાં નહિ, અથવા માતાઓનાં શરીર લથડી જતાં. | આટલી નાની ઉંમરે આપણી બાળકીઓ પરણતી. કન્યકાવસ્થાનો ‘લહાવો’ લેવાનો અવસર જ કદી તેમને આવતો નહિ. નાનપણથી જ સાસરિયાંનો વિચાર તેમના દિલમાં રોપવામાં આવતો. જ્યાં નાના બાળકને રમતગમતમાં ‘સાસુ’ અને ‘સસરા’ના ઈશારા કરવામાં આવે છે તે દેશમાં કન્યાઓ અને કુમારોની અવસ્થા અસ્તિત્વમાં હોતી નથી. બચપણથી સાસરિયાં અને લગ્નના વિચાર મનમાં ઠસાવી દીધેલા હોવાથી કન્યાઓ વહેલી રજસ્વલા થતી. આપણા દેશમાં પ્રથમ રજોદર્શન એટલે સ્ત્રીત્વ મનાયેલું હોવાથી તેઓ પોતાનો સંસાર માંડતી અને ખેલી ખાવાના વખતે ઘણી બાળકીઓ માતા બનતી. આથી ઘણાં બાળકો લાંબું આયુષ્ય ભોગવી શકતાં નહિ, અથવા માતાઓનાં શરીર લથડી જતાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>નાર નાનડી હવું પ્રસૂત, | {{Block center|'''<poem>નાર નાનડી હવું પ્રસૂત, | ||
વળતી વાધે નહિ અદ્ભુત. | વળતી વાધે નહિ અદ્ભુત. | ||
અખો</poem>'''}} | {{right|અખો}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વરવહુનું વય કાં તો સરખું અથવા સહેજ ફેરફારવાળું હતું. કજોડાં પણ થોડાં નહોતાં થતાં. નાગર જેવી નાતમાં પણ કજોડાં થતાં. વલ્લભ ભટ્ટે ‘કજોડાનો ગરબો’ લખ્યો છે તેમાં કહ્યું છે કે : | વરવહુનું વય કાં તો સરખું અથવા સહેજ ફેરફારવાળું હતું. કજોડાં પણ થોડાં નહોતાં થતાં. નાગર જેવી નાતમાં પણ કજોડાં થતાં. વલ્લભ ભટ્ટે ‘કજોડાનો ગરબો’ લખ્યો છે તેમાં કહ્યું છે કે : | ||
| Line 894: | Line 912: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>જર વડે જુવતી જડી, | {{Block center|'''<poem>જર વડે જુવતી જડી, | ||
{{gap|6em}}+ | |||
ઘરડો પણ ગાંઠ ગરથ છે | ઘરડો પણ ગાંઠ ગરથ છે | ||
જેમ કળાવંત મોર. | જેમ કળાવંત મોર. | ||
| Line 906: | Line 924: | ||
{{right|શામળ}}</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાગરિકા : હવે તો પરમ દહાડે તેનો હાથવાળો મળી જાય એટલે ગંગા નાહ્યાં.( પ્રેમાનંદ). | નાગરિકા : હવે તો પરમ દહાડે તેનો હાથવાળો મળી જાય એટલે ગંગા નાહ્યાં. | ||
{{right|( પ્રેમાનંદ).}}<br> | |||
દીકરી ‘સાપનો ભારો’ હોવાથી બનતી તાકીદે તેને પારકી કરી દેવામાં આવતી; અને માબાપ ‘ગંગા નાહી’ નિરાંતે ઊંઘતાં. આ વિવાહમાં દીકરીની સંમતિ લેવામાં આવતી નહિ, પણ ‘ગાય અને દીકરી દોરે ત્યાં જાય’ આ સૂત્ર અનુસરાતું હતું. અણસમજુ બાળકીઓને આવા આવા વિચારોથી સજડ સાંકળી લીધી હતી. જુઓ— | દીકરી ‘સાપનો ભારો’ હોવાથી બનતી તાકીદે તેને પારકી કરી દેવામાં આવતી; અને માબાપ ‘ગંગા નાહી’ નિરાંતે ઊંઘતાં. આ વિવાહમાં દીકરીની સંમતિ લેવામાં આવતી નહિ, પણ ‘ગાય અને દીકરી દોરે ત્યાં જાય’ આ સૂત્ર અનુસરાતું હતું. અણસમજુ બાળકીઓને આવા આવા વિચારોથી સજડ સાંકળી લીધી હતી. જુઓ— | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 913: | Line 932: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધાવતાં બાળ વછોડાવ્યો હશે, વહેતી નીકે પગ દીધો હશે, હજારનાં ઘર ભંગાવ્યાં હશે—એવાં એવાં કાર્ય કરનારને તે આવો સ્વામી ક્યાંથી મળે? | ધાવતાં બાળ વછોડાવ્યો હશે, વહેતી નીકે પગ દીધો હશે, હજારનાં ઘર ભંગાવ્યાં હશે—એવાં એવાં કાર્ય કરનારને તે આવો સ્વામી ક્યાંથી મળે? | ||
{{Poem2Close}} | |||
{{right| પ્રેમાનંદ}}<br> | |||
{{Poem2Open}} | |||
ચારુમતી : પ્રાણનાથ! કણકમાં પાણી પડ્યું તે કંઈ મિથ્યા થવાનું છે? પ્રભુએ એનાં બેલાં એમની સાથે જ બાંધ્યાં હશે! | ચારુમતી : પ્રાણનાથ! કણકમાં પાણી પડ્યું તે કંઈ મિથ્યા થવાનું છે? પ્રભુએ એનાં બેલાં એમની સાથે જ બાંધ્યાં હશે! | ||
{{Poem2Close}} | |||
{{right|(પ્રેમાનંદ – સત્યભામા રોષદર્શિકા.)}}<br> | |||
{{Poem2Open}} | |||
આવા આવા વિચારો પ્રચલિત હોવાથી કોઈ તરફથી વાંધો ઉઠાવવામાં આવતો નહિ. જેની સાથે ‘બેલાં’ બંધાવાના હોય તેની સાથે જ બંધાય – ગમે તેટલું કરીએ, પણ બીજા સાથે લગ્ન થઈ શકે નહિ, કર્મના લેખ ટાળ્યા ટળે નહિ, આવો વિચારપ્રવાહ – ઓખા, દમયંતી, સુભદ્રા કે રુક્ષ્મણીના દૃષ્ટાંત ગમે તેવી સરળ અને મીઠી ભાષામાં આલેખનાર પ્રેમાનંદ મળે તોપણ – અટકાવી શકાય એમ નહોતું. | આવા આવા વિચારો પ્રચલિત હોવાથી કોઈ તરફથી વાંધો ઉઠાવવામાં આવતો નહિ. જેની સાથે ‘બેલાં’ બંધાવાના હોય તેની સાથે જ બંધાય – ગમે તેટલું કરીએ, પણ બીજા સાથે લગ્ન થઈ શકે નહિ, કર્મના લેખ ટાળ્યા ટળે નહિ, આવો વિચારપ્રવાહ – ઓખા, દમયંતી, સુભદ્રા કે રુક્ષ્મણીના દૃષ્ટાંત ગમે તેવી સરળ અને મીઠી ભાષામાં આલેખનાર પ્રેમાનંદ મળે તોપણ – અટકાવી શકાય એમ નહોતું. | ||
ગમે તેવો તવંગર બાપ પણ પ્રચલિત રિવાજો મુજબ કન્યાને નાનપણમાં પરણાવી સાસરે વળાવતો. સ્ત્રીઓ સંબંધી ‘રાંધ્યાં ધાન’ ના વિચારને અનુસરી કન્યાઓની મોટી ઉંમર કરવામાં આવતી નહિ. આ ઉપરાંત બીજા વિચારો પણ વહેલાં લગ્ન કરવા સારુ પ્રચારમાં હતા. | ગમે તેવો તવંગર બાપ પણ પ્રચલિત રિવાજો મુજબ કન્યાને નાનપણમાં પરણાવી સાસરે વળાવતો. સ્ત્રીઓ સંબંધી ‘રાંધ્યાં ધાન’ ના વિચારને અનુસરી કન્યાઓની મોટી ઉંમર કરવામાં આવતી નહિ. આ ઉપરાંત બીજા વિચારો પણ વહેલાં લગ્ન કરવા સારુ પ્રચારમાં હતા. | ||
| Line 929: | Line 952: | ||
{{Block center|'''<poem>પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે; | {{Block center|'''<poem>પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે; | ||
સહુકો સાસરે જાય ને આવે, સૈયરો હું સમાણી જી. | સહુકો સાસરે જાય ને આવે, સૈયરો હું સમાણી જી. | ||
પ્રેમાનંદ -( ઓખા)</poem>'''}} | {{right|પ્રેમાનંદ -( ઓખા)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉપરાંત લોકોનું એવું પણ માનવું હતું કે દીકરીઓને પરણાવી દીધા પછી તેમને રોગ કે વ્યાધિની નડતર બહુ થોડી થાય. | આ ઉપરાંત લોકોનું એવું પણ માનવું હતું કે દીકરીઓને પરણાવી દીધા પછી તેમને રોગ કે વ્યાધિની નડતર બહુ થોડી થાય. | ||
ચોથી ચહચરી : અલી મધુરી! હવે તો પિતાશ્રીને કહી બેનને પરણાવી પારકી કરવી જોઈએ એટલે તેને કર્મે સહુ સારાં વાનાં થાય. રડ્યું પહેલેથી તે છેલ્લે સુધી એનું એ જ રહ્યું. આજ આ તો કાલે પેલું; એમ એક પછી એક વ્યાધિ વગર નોતર્યા નડ્યા કરે છે! | ચોથી ચહચરી : અલી મધુરી! હવે તો પિતાશ્રીને કહી બેનને પરણાવી પારકી કરવી જોઈએ એટલે તેને કર્મે સહુ સારાં વાનાં થાય. રડ્યું પહેલેથી તે છેલ્લે સુધી એનું એ જ રહ્યું. આજ આ તો કાલે પેલું; એમ એક પછી એક વ્યાધિ વગર નોતર્યા નડ્યા કરે છે! | ||
{{right| પ્રેમાનંદ – (તપતી)}}<br> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>હું સમાણી જાય સાસરે, તેના જોને ભોગ; | {{Block center|'''<poem>હું સમાણી જાય સાસરે, તેના જોને ભોગ; | ||
તેની પેરે મારે થાશે, આકુરો જાશે રોગ. | તેની પેરે મારે થાશે, આકુરો જાશે રોગ. | ||
પ્રેમાનંદ (નળાખ્યાન) </poem>'''}} | {{right|પ્રેમાનંદ (નળાખ્યાન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રાવક અને વસવાયામાં કન્યાઓ મોટી ઉંમરે પરણતી; બીજી નાતોમાં નાનપણમાં પરણાવી ‘ઓરીઓ લેવાતો’. હિંદુઓના જીવનમાં ‘લંગ્નસારા’ એ મોટો પ્રસંગ છે. આ જ પ્રસંગ પર તેઓ પોતાનો દમામ દાખવી શકે છે, પોતાની વાહવાહ કહેવડાવી શકે છે, પોતાના કોડ અને ઓરિયા પૂરા પાડે છે. આ જ પ્રસંગે સ્ત્રી અને પુરુષો તેમ બાળકોને મહાલવાનું મળે છે. માટે આ પ્રસંગનો ઉપયોગ જેમ બને તેમ વહેલો કરવામાં આવતો, અને તેથી ઊંચી નાતોમાં લગ્નો વહેલાં થતાં. | શ્રાવક અને વસવાયામાં કન્યાઓ મોટી ઉંમરે પરણતી; બીજી નાતોમાં નાનપણમાં પરણાવી ‘ઓરીઓ લેવાતો’. હિંદુઓના જીવનમાં ‘લંગ્નસારા’ એ મોટો પ્રસંગ છે. આ જ પ્રસંગ પર તેઓ પોતાનો દમામ દાખવી શકે છે, પોતાની વાહવાહ કહેવડાવી શકે છે, પોતાના કોડ અને ઓરિયા પૂરા પાડે છે. આ જ પ્રસંગે સ્ત્રી અને પુરુષો તેમ બાળકોને મહાલવાનું મળે છે. માટે આ પ્રસંગનો ઉપયોગ જેમ બને તેમ વહેલો કરવામાં આવતો, અને તેથી ઊંચી નાતોમાં લગ્નો વહેલાં થતાં. | ||
| Line 948: | Line 971: | ||
{{Block center|'''<poem>વેવિશાળીએ વિવા કર્યો; વર રૂડો કન્યાને વર્યો; | {{Block center|'''<poem>વેવિશાળીએ વિવા કર્યો; વર રૂડો કન્યાને વર્યો; | ||
કરે ભેખ કે ભૂખે મરે, તેમાં વેવિશાળીઓ શું કરે? | કરે ભેખ કે ભૂખે મરે, તેમાં વેવિશાળીઓ શું કરે? | ||
શામળ – (નંદબત્રીસી.)</poem>'''}} | {{right|શામળ – (નંદબત્રીસી.)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કરેલો વિવાહ ફોક થઈ શકતો નહિ; ફોક કરનારને નાત શાસન કરતી. આથી ભૂલમાં અથવા ઉતાવળમાં થયેલી ગોઠવણ રદ થઈ શકતી નહીં. કસાઈને ઘેરથી ગાય છોડાવાતી પણ કઠેકાણે નાંખેલી દીકરીના વિવાહ ફોક થઈ શકતા નહિ! ફોક કરવામાં ‘લાજ’ જતી તેમ જ ન્યાત તરફથી બહુ ખમવું પડતું. છતાં પણ કેટલાક પોતાની પુત્રીઓનું હિતાહિત વિચારી તે પ્રમાણે વર્તી શકતા હતા. | કરેલો વિવાહ ફોક થઈ શકતો નહિ; ફોક કરનારને નાત શાસન કરતી. આથી ભૂલમાં અથવા ઉતાવળમાં થયેલી ગોઠવણ રદ થઈ શકતી નહીં. કસાઈને ઘેરથી ગાય છોડાવાતી પણ કઠેકાણે નાંખેલી દીકરીના વિવાહ ફોક થઈ શકતા નહિ! ફોક કરવામાં ‘લાજ’ જતી તેમ જ ન્યાત તરફથી બહુ ખમવું પડતું. છતાં પણ કેટલાક પોતાની પુત્રીઓનું હિતાહિત વિચારી તે પ્રમાણે વર્તી શકતા હતા. | ||
| Line 954: | Line 977: | ||
{{Block center|'''<poem>નીઠીઓ નથી પડ્યો વરનો, આજ નાગરી નાત રે; | {{Block center|'''<poem>નીઠીઓ નથી પડ્યો વરનો, આજ નાગરી નાત રે; | ||
ફોક કરતાં લાજ જશે, તો તે ખમશું નાથ રે. | ફોક કરતાં લાજ જશે, તો તે ખમશું નાથ રે. | ||
હરિદાસ – (શામળદાસનો વિવાહ) </poem>'''}} | {{right|હરિદાસ – (શામળદાસનો વિવાહ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(સાધારણ રીતે આવું બનતું નહીં. ઉપરના ઉતારામાં જે કન્યાનો ઉલ્લેખ છે તેનો વિવાહ અંતે કાયમ રહ્યો હતો.) | (સાધારણ રીતે આવું બનતું નહીં. ઉપરના ઉતારામાં જે કન્યાનો ઉલ્લેખ છે તેનો વિવાહ અંતે કાયમ રહ્યો હતો.) | ||
| Line 960: | Line 983: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>એટલે આવ્યું વેવિશાળ, પરણ્યો વર્ષ થયાં જ્યાં બાર. | {{Block center|'''<poem>એટલે આવ્યું વેવિશાળ, પરણ્યો વર્ષ થયાં જ્યાં બાર. | ||
દ્વારકા.</poem>'''}} | {{right|દ્વારકા.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દ્વારકા ભક્તના કહેવા પ્રમાણે ‘બાર’ અને શામળના કહેવા પ્રમાણે ‘ચૌદ’થી સોળ લગીમાં છોકરાનાં લગ્ન થતાં. ઘણુંખરું તો વરકન્યાની ઉંમર સરખી રાખવામાં આવતી. આ ચાલ જ્યાં પાળવામાં આવતો ત્યાં ‘બાર’ વર્ષની અંદર પણ તેમનાં લગ્ન થતાં. જેમ નાની નાર પ્રસૂત થવાથી વધતી નહિ તેમ પિતા થવાથી છોકરાઓનાં કાઠાં પણ નબળાં રહેતાં. ‘નાના હોવાથી જાણે શરમાતા ના હોય ને તેમ પોતાનાં છોકરાં પાસે પોતાને ‘બાપ’નું સંબોધન નથી વપરાવતા.’ આવા વચન રા. દયારામ ગીડુમલે આપણા ગુજરાતની હાલની સ્થિતિ સંબંધે વાપર્યા છે. ત્યારની સ્થિતિને પણ હાલની માફક એ લાગુ પડે છે. નાનાં વર હોવાથી તેમનું કુટુંબમાં ચલણ રહેતું નહિ. પોતે કમાતા નહિ હોવાથી માબાપના દબાણમાં રહેવું પડતું. આથી તેમની સ્ત્રીઓને ‘ફરિયાદ’ કરવાનો (બબડવાનો) અવસર ઘણી વાર આવતો. સાસુ જોડે બનતું નહિ તેમ છતાં પણ તેની છાયામાં અણગમતે રહેવું પડતું. | દ્વારકા ભક્તના કહેવા પ્રમાણે ‘બાર’ અને શામળના કહેવા પ્રમાણે ‘ચૌદ’થી સોળ લગીમાં છોકરાનાં લગ્ન થતાં. ઘણુંખરું તો વરકન્યાની ઉંમર સરખી રાખવામાં આવતી. આ ચાલ જ્યાં પાળવામાં આવતો ત્યાં ‘બાર’ વર્ષની અંદર પણ તેમનાં લગ્ન થતાં. જેમ નાની નાર પ્રસૂત થવાથી વધતી નહિ તેમ પિતા થવાથી છોકરાઓનાં કાઠાં પણ નબળાં રહેતાં. ‘નાના હોવાથી જાણે શરમાતા ના હોય ને તેમ પોતાનાં છોકરાં પાસે પોતાને ‘બાપ’નું સંબોધન નથી વપરાવતા.’ આવા વચન રા. દયારામ ગીડુમલે આપણા ગુજરાતની હાલની સ્થિતિ સંબંધે વાપર્યા છે. ત્યારની સ્થિતિને પણ હાલની માફક એ લાગુ પડે છે. નાનાં વર હોવાથી તેમનું કુટુંબમાં ચલણ રહેતું નહિ. પોતે કમાતા નહિ હોવાથી માબાપના દબાણમાં રહેવું પડતું. આથી તેમની સ્ત્રીઓને ‘ફરિયાદ’ કરવાનો (બબડવાનો) અવસર ઘણી વાર આવતો. સાસુ જોડે બનતું નહિ તેમ છતાં પણ તેની છાયામાં અણગમતે રહેવું પડતું. | ||
| Line 974: | Line 997: | ||
છે લઘુ વેષ નાનો ભરથાર, | છે લઘુ વેષ નાનો ભરથાર, | ||
તે નવ પ્રીછે વિવેક વિચાર. | તે નવ પ્રીછે વિવેક વિચાર. | ||
પ્રેમાનંદ </poem>'''}} | {{right|પ્રેમાનંદ}} </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવા નાના ભરથાર હોવાથી ઘણી વાર ઉશ્કેરણીથી પોતાની પત્નીને ચૌદમુંરતી આપવા ચૂકતા નહીં. સ્ત્રીને મારવાનો રિવાજ ત્યારે અસાધારણ નહોતો. | આવા નાના ભરથાર હોવાથી ઘણી વાર ઉશ્કેરણીથી પોતાની પત્નીને ચૌદમુંરતી આપવા ચૂકતા નહીં. સ્ત્રીને મારવાનો રિવાજ ત્યારે અસાધારણ નહોતો. | ||
| Line 987: | Line 1,010: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>માંહે માંહે શૉક્યોના ખાર. | {{Block center|'''<poem>માંહે માંહે શૉક્યોના ખાર. | ||
+ | {{gap|6em}}+ | ||
એક એકનો કેડો લીએ. | એક એકનો કેડો લીએ. | ||
પાશેર વાંક જો કોનો ઠરે, | પાશેર વાંક જો કોનો ઠરે, | ||
| Line 1,001: | Line 1,024: | ||
ભલી વિધવા કે વંઝ, ભલી ગુણજ્ઞ કે ઘેલી; | ભલી વિધવા કે વંઝ, ભલી ગુણજ્ઞ કે ઘેલી; | ||
ભલી દરિદ્ર કે દુષ્ટ, ભલી સોહાગણ સેહલી. | ભલી દરિદ્ર કે દુષ્ટ, ભલી સોહાગણ સેહલી. | ||
શામળ</poem>'''}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે કાળમાં વિધવાનું દુઃખ કાંઈ ઓછું નહોતું, તે છતાં પણ શૉક્ય કરતાં તેની સ્થિતિ સારી લાગતી હતી, એ ઉપરથી શૉક્યના દુઃખની કલ્પના થઈ શકશે. શૉક્યનું સાલ કોને ખમવું પડતું? ત્યારના વહેમોએ આનું નિરાકરણ કરેલું છે. | તે કાળમાં વિધવાનું દુઃખ કાંઈ ઓછું નહોતું, તે છતાં પણ શૉક્ય કરતાં તેની સ્થિતિ સારી લાગતી હતી, એ ઉપરથી શૉક્યના દુઃખની કલ્પના થઈ શકશે. શૉક્યનું સાલ કોને ખમવું પડતું? ત્યારના વહેમોએ આનું નિરાકરણ કરેલું છે. | ||
| Line 1,049: | Line 1,072: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>શ્રી દામો : અહો એમાં તે મોટી વાત છે? લ્યો ને બોલાવો બેત્રણ અને વર્તાવીએ મંગળ. | {{Block center|'''<poem>શ્રી દામો : અહો એમાં તે મોટી વાત છે? લ્યો ને બોલાવો બેત્રણ અને વર્તાવીએ મંગળ. | ||
પ્રેમાનંદ | {{right|પ્રેમાનંદ}} | ||
જોડી લાકડે માંકડું, દક્ષણા પામું ક્ષિપ્ર, | જોડી લાકડે માંકડું, દક્ષણા પામું ક્ષિપ્ર, | ||
વળતી અગીયારા ગણું, એમ વિચાર્યું વિપ્ર. | વળતી અગીયારા ગણું, એમ વિચાર્યું વિપ્ર. | ||
શામળ - (પદ્માવતી)</poem>'''}} | {{right|શામળ - (પદ્માવતી)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બધું નિરીક્ષણ કરતાં બતાવે છે કે ત્યારની લગ્નસંસ્થાને ‘પ્રેમ’ જોડે કાંઈ નિસ્બત નહોતી. ઓરિઓ અથવા કોડ પૂરા પાડવા, માથાની ગાળ ઉતારવા, કામકાજ કરવા વહુ લાવવા વિવાહ થતા. કન્યાવિક્રય, કજોડાં, જરઠ વિવાહ, પુરુવનિતા વિવાહ, આદિ પ્રેમભાવનાથી થતાં ઉદ્વાહનો અભાવ જ બતાવે છે. વિધવાવિવાહના વિરોધીઓ આપણી ભાવના પ્રેમમય છે માટે તેનો ઉચ્છેદ કરવો એ પ્રેમને નષ્ટપ્રાયઃ કરવા જેવું છે – એવું કહે છે, તેમને જણાશે કે આપણા લોકોમાં આ પ્રેમભાવનાનો અનુભવ થયો જ નથી. તો પછી તેનો વિનાશ શી રીતે થવાનો? | આ બધું નિરીક્ષણ કરતાં બતાવે છે કે ત્યારની લગ્નસંસ્થાને ‘પ્રેમ’ જોડે કાંઈ નિસ્બત નહોતી. ઓરિઓ અથવા કોડ પૂરા પાડવા, માથાની ગાળ ઉતારવા, કામકાજ કરવા વહુ લાવવા વિવાહ થતા. કન્યાવિક્રય, કજોડાં, જરઠ વિવાહ, પુરુવનિતા વિવાહ, આદિ પ્રેમભાવનાથી થતાં ઉદ્વાહનો અભાવ જ બતાવે છે. વિધવાવિવાહના વિરોધીઓ આપણી ભાવના પ્રેમમય છે માટે તેનો ઉચ્છેદ કરવો એ પ્રેમને નષ્ટપ્રાયઃ કરવા જેવું છે – એવું કહે છે, તેમને જણાશે કે આપણા લોકોમાં આ પ્રેમભાવનાનો અનુભવ થયો જ નથી. તો પછી તેનો વિનાશ શી રીતે થવાનો? | ||
| Line 1,074: | Line 1,097: | ||
ઊભા રહીએ ઉઘાડે માથે, પુત્રી પાણી નવ પીજીએ; | ઊભા રહીએ ઉઘાડે માથે, પુત્રી પાણી નવ પીજીએ; | ||
ભરથાર પહેલું જમીએ નહીં, બાઈ ઉચ્છીષ્ટ જમીએ નાથનું. | ભરથાર પહેલું જમીએ નહીં, બાઈ ઉચ્છીષ્ટ જમીએ નાથનું. | ||
× | {{gap|6em}}× | ||
હસતું વદન ત્યાં રાખીએ, સુખદુઃખ સમાન ગણીએ સહી, | હસતું વદન ત્યાં રાખીએ, સુખદુઃખ સમાન ગણીએ સહી, | ||
દિવસે ન સૂઈએ દીકરી, બહેન વચન પિયુનું પાળીએ. | દિવસે ન સૂઈએ દીકરી, બહેન વચન પિયુનું પાળીએ. | ||
પ્રેમાનંદ (ઓખા) </poem>'''}} | {{right|પ્રેમાનંદ (ઓખા)}} </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાસરે જતી દીકરીને આપેલા માતાના આ ઉપદેશ પરથી ત્યારના રીતરિવાજa આચારવિચારનું સારું દર્શન થાય છે. વિનીતતા અને વ્રીડા જે આપણા દેશની સ્ત્રીઓમાં જોવામાં આવે છે તેને ઉલ્લેખીને જ આ ઉપદેશ અપાયો છે. પોતાના બચપણથી હળીમળી ગયેલાં ભાંડુઓ તથા માબાપ અને બહેનપણીઓ છોડી પારકી ‘સૃષ્ટિ’માં વાસ કરવો અને ત્યાં કોઈ પણ પ્રકારે ઓછું લાવ્યા વિના સૌના હુકમને આધીન રહી તેમનાં મન મનાવવાં એ અતિ વિકટ છે. આવાં વિકટ કામ તો સ્ત્રીઓ જ કરી શકે. સાસુ, નણંદ અને જેઠાણી જેઓએ નવી વહુની સ્થિતિ અનુભવી હોય છે છતાં નવી વહુ પર પોતાની સત્તાનો ઉપયોગ કર્યા વિના રહેતાં નથી. તેમની સેવામાં ખડાં ને ખડાં રહી શાબાશી મેળવવી એ ખરેખર પ્રશંસનીય છે. | સાસરે જતી દીકરીને આપેલા માતાના આ ઉપદેશ પરથી ત્યારના રીતરિવાજa આચારવિચારનું સારું દર્શન થાય છે. વિનીતતા અને વ્રીડા જે આપણા દેશની સ્ત્રીઓમાં જોવામાં આવે છે તેને ઉલ્લેખીને જ આ ઉપદેશ અપાયો છે. પોતાના બચપણથી હળીમળી ગયેલાં ભાંડુઓ તથા માબાપ અને બહેનપણીઓ છોડી પારકી ‘સૃષ્ટિ’માં વાસ કરવો અને ત્યાં કોઈ પણ પ્રકારે ઓછું લાવ્યા વિના સૌના હુકમને આધીન રહી તેમનાં મન મનાવવાં એ અતિ વિકટ છે. આવાં વિકટ કામ તો સ્ત્રીઓ જ કરી શકે. સાસુ, નણંદ અને જેઠાણી જેઓએ નવી વહુની સ્થિતિ અનુભવી હોય છે છતાં નવી વહુ પર પોતાની સત્તાનો ઉપયોગ કર્યા વિના રહેતાં નથી. તેમની સેવામાં ખડાં ને ખડાં રહી શાબાશી મેળવવી એ ખરેખર પ્રશંસનીય છે. | ||
| Line 1,087: | Line 1,110: | ||
માને વાલી બેટડી, સૌથી હોય વિશેષ, | માને વાલી બેટડી, સૌથી હોય વિશેષ, | ||
પુત્રી ને જનની કહે, દુઃખ ન ધરશો લેશ. | પુત્રી ને જનની કહે, દુઃખ ન ધરશો લેશ. | ||
શામળ (પદ્માવતી) </poem>'''}} | {{right|શામળ (પદ્માવતી)}} </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સુખદુઃખ’ કહેવાનું ત્યાં કોઈ ન હોવાથી માતાની આંખમાં આંસુ આવે છે, અને છેવટે પ્રારબ્ધને આધીન રહી સુખદુઃખ સમાન ગણી ત્યાં સમાસ કરવા શીખામણ આપે છે. સ્ત્રીને ‘સુખદુઃખ’ની વાત કરવાનું સ્થાન તેનો સ્વામી છે, પરંતુ અવિભક્ત કુટુંબમંડળ હોવાથી અને બાળલગ્ન થવાથી આ સ્થાન ઉપયોગી થવા જતું તો તેના પ્રયાસ વિફળ થતા. | ‘સુખદુઃખ’ કહેવાનું ત્યાં કોઈ ન હોવાથી માતાની આંખમાં આંસુ આવે છે, અને છેવટે પ્રારબ્ધને આધીન રહી સુખદુઃખ સમાન ગણી ત્યાં સમાસ કરવા શીખામણ આપે છે. સ્ત્રીને ‘સુખદુઃખ’ની વાત કરવાનું સ્થાન તેનો સ્વામી છે, પરંતુ અવિભક્ત કુટુંબમંડળ હોવાથી અને બાળલગ્ન થવાથી આ સ્થાન ઉપયોગી થવા જતું તો તેના પ્રયાસ વિફળ થતા. | ||
| Line 1,096: | Line 1,119: | ||
x x x સાસુ વહુને વેર, | x x x સાસુ વહુને વેર, | ||
સુખ દેખી કોઈ નવ શકે, જુવતી જાતમાં ઝેર. | સુખ દેખી કોઈ નવ શકે, જુવતી જાતમાં ઝેર. | ||
x | {{gap|6em}}x | ||
સાસુ મારી કપરી કોડ, મુજ સાથે બાંધી હોડ, | સાસુ મારી કપરી કોડ, મુજ સાથે બાંધી હોડ, | ||
વઢી રાતે મુજને ઘણું, તેના અવગુણ કેટલા ગણું. | વઢી રાતે મુજને ઘણું, તેના અવગુણ કેટલા ગણું. | ||
| Line 1,109: | Line 1,132: | ||
{{Block center|'''<poem>જો અવસર આ સૂનો જશે, ભવનું મેણું મુજને થશે, | {{Block center|'''<poem>જો અવસર આ સૂનો જશે, ભવનું મેણું મુજને થશે, | ||
બોલબાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે. | બોલબાણ નણદી મારશે, શત્રુનું કામ દિયર સારશે. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નણંદનાં મહેણાંના નમૂના પ્રેમાનંદ કૃત ‘મામેરા’માં છે તે નમૂના અહીંયાં આપવા કરતાં આખું ‘મામેરું’ વાંચી જોવાથી યથાર્થ કલ્પી શકાશે. | નણંદનાં મહેણાંના નમૂના પ્રેમાનંદ કૃત ‘મામેરા’માં છે તે નમૂના અહીંયાં આપવા કરતાં આખું ‘મામેરું’ વાંચી જોવાથી યથાર્થ કલ્પી શકાશે. | ||
| Line 1,133: | Line 1,156: | ||
પ્રેમાનંદ | પ્રેમાનંદ | ||
ગોરમા ઓરિઓ વીત્યો ન એક્કે, હઘરણી રાતનો રે લોલ. | ગોરમા ઓરિઓ વીત્યો ન એક્કે, હઘરણી રાતનો રે લોલ. | ||
વલ્લભ ભટ્ટ</poem>'''}} | {{right|વલ્લભ ભટ્ટ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માલતી : ધાના ત્યાં પાના નહિ, અને પાના ત્યાં ધાના નહિ. એ પણ મારું રડ્યું સો મણ તેલે ઈશ્વરને ત્યાં અંધારું સ્તો. બિચારી મારી બાઈ વ્રત અપવાસ કરી કરી વાજ આવી જાય છે, અને કુલપતિને તો ભગવાનથી ભલે પ્રકારે પૂજે છે, તેમ દેરાં તેટલા દેવ કરવાને ચૂકતી નથી, તોપણ આશા તો અંતરિયાળ જ લટક્યા કરે છે, અને મારી પાડોશમાં પેલા જીવાનન ભટ્ટને ત્યાં શીતળા મા વગર આરાધે આવી અમીનો છાંટો નાખી જાય છે. | માલતી : ધાના ત્યાં પાના નહિ, અને પાના ત્યાં ધાના નહિ. એ પણ મારું રડ્યું સો મણ તેલે ઈશ્વરને ત્યાં અંધારું સ્તો. બિચારી મારી બાઈ વ્રત અપવાસ કરી કરી વાજ આવી જાય છે, અને કુલપતિને તો ભગવાનથી ભલે પ્રકારે પૂજે છે, તેમ દેરાં તેટલા દેવ કરવાને ચૂકતી નથી, તોપણ આશા તો અંતરિયાળ જ લટક્યા કરે છે, અને મારી પાડોશમાં પેલા જીવાનન ભટ્ટને ત્યાં શીતળા મા વગર આરાધે આવી અમીનો છાંટો નાખી જાય છે. | ||
પ્રેમાનંદ | {{right|પ્રેમાનંદ}} | ||
આટઆટલું કર્યા છતાં ઘણી વંધ્યા રહેતી. જેને સીમંત આવતું તે ભાગ્યશાળી ગણાતી. | આટઆટલું કર્યા છતાં ઘણી વંધ્યા રહેતી. જેને સીમંત આવતું તે ભાગ્યશાળી ગણાતી. | ||
સીમંતની બીજી વિધિ — મામેરું વગેરેનું તાદૃશ ચિત્ર પ્રેમાનંદના ‘મામેરા’માં છે. સીમંત સમયે પણ નાત જમાડવાનો ચાલ હતો. આથી એક સ્ત્રી અથવા પુરુષના સંબંધમાં ત્રણ નાત ઓછામાં ઓછી જમાડવી પડતી — લગ્ન ટાણે, સીમંત વખતે, અને મરણ પછવાડે. | સીમંતની બીજી વિધિ — મામેરું વગેરેનું તાદૃશ ચિત્ર પ્રેમાનંદના ‘મામેરા’માં છે. સીમંત સમયે પણ નાત જમાડવાનો ચાલ હતો. આથી એક સ્ત્રી અથવા પુરુષના સંબંધમાં ત્રણ નાત ઓછામાં ઓછી જમાડવી પડતી — લગ્ન ટાણે, સીમંત વખતે, અને મરણ પછવાડે. | ||
| Line 1,142: | Line 1,165: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કુશાગ્ર બુદ્ધિ શું કરૂં વખાણ, આપી રત્ન સાટે લખ્યા પાષાણ. | {{Block center|'''<poem>કુશાગ્ર બુદ્ધિ શું કરૂં વખાણ, આપી રત્ન સાટે લખ્યા પાષાણ. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાનાં છોકરાંઓ આંખ અંજાવતાં, નહાતાં તોફાન કરી જે રમ્યતા ઉપજાવતાં તેનું પ્રેમાનંદનું વર્ણન ઉતારીશું : | નાનાં છોકરાંઓ આંખ અંજાવતાં, નહાતાં તોફાન કરી જે રમ્યતા ઉપજાવતાં તેનું પ્રેમાનંદનું વર્ણન ઉતારીશું : | ||
| Line 1,152: | Line 1,175: | ||
રમે પિતા ઉછંગ, તાણે મૂછ દહાડી, | રમે પિતા ઉછંગ, તાણે મૂછ દહાડી, | ||
નંદમુખ તો તંબોળ, અધવચ લે કાઢી. | નંદમુખ તો તંબોળ, અધવચ લે કાઢી. | ||
પ્રેમાનંદ</poem>'''}} | {{right|પ્રેમાનંદ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છોકરાંને રમવાને જાતજાતનાં રમકડાં મળતાં. છોકરા ગેડીદડુલ ખેલતા; અને છોકરીઓ નીચે જણાવેલાં રમકડાંથી રમતી : | છોકરાંને રમવાને જાતજાતનાં રમકડાં મળતાં. છોકરા ગેડીદડુલ ખેલતા; અને છોકરીઓ નીચે જણાવેલાં રમકડાંથી રમતી : | ||
| Line 1,160: | Line 1,183: | ||
તેને ઢીંગલી ને ટોલડી, કુડલી કોથળી જેહ; | તેને ઢીંગલી ને ટોલડી, કુડલી કોથળી જેહ; | ||
પાંચ કોડા દાબડી, વેલણ રમવા આવ્યાં તેહ. | પાંચ કોડા દાબડી, વેલણ રમવા આવ્યાં તેહ. | ||
પ્રેમાનંદ | {{right|પ્રેમાનંદ}} | ||
જેમ બાલકીના ઘોલીઆ, રમે રમાડે એકલી. | જેમ બાલકીના ઘોલીઆ, રમે રમાડે એકલી. | ||
અખો</poem>'''}} | {{right|અખો}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છોકરાંઓને નાનપણથી કરવાના સંસ્કાર હાલના જેવા જ ત્યારે થતા ઓળી ઝોળીનું વર્ણન : | છોકરાંઓને નાનપણથી કરવાના સંસ્કાર હાલના જેવા જ ત્યારે થતા ઓળી ઝોળીનું વર્ણન : | ||
| Line 1,171: | Line 1,194: | ||
ચંદન કુંકમ ઘણાં, પીખ્યાં કપાળ ગોપિકા તણાં. | ચંદન કુંકમ ઘણાં, પીખ્યાં કપાળ ગોપિકા તણાં. | ||
મળ્યાં બહુ નાના છોકરાં, જસોદાજી વહેંચે કોપરાં. | મળ્યાં બહુ નાના છોકરાં, જસોદાજી વહેંચે કોપરાં. | ||
{{right|પ્રેમાનંદ.}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્યારનાં છોકરાંઓ તોફાની હોય એમ લાગે છે. શેરીમાં ગેડીદડાની અથવા એવી રમતો રમતાં ઘણી વઢવાડો લાવતાં; વૃદ્ધોને ખીજવતાં. | ત્યારનાં છોકરાંઓ તોફાની હોય એમ લાગે છે. શેરીમાં ગેડીદડાની અથવા એવી રમતો રમતાં ઘણી વઢવાડો લાવતાં; વૃદ્ધોને ખીજવતાં. | ||
| Line 1,177: | Line 1,200: | ||
{{Block center|'''<poem>માતપિતાને વા‘લું બાળ, રમવા જાય કરે બહુ આળઃ | {{Block center|'''<poem>માતપિતાને વા‘લું બાળ, રમવા જાય કરે બહુ આળઃ | ||
વઢવાડો તો લાવે ઘણી, નિશાળેથી ઊતર્યો ભણી. | વઢવાડો તો લાવે ઘણી, નિશાળેથી ઊતર્યો ભણી. | ||
દ્વારકો | {{right|દ્વારકો}} | ||
જોબન નારીનાં મન રીઝવે, વૃદ્ધ ડોસીને ઘણું ખીજવે. | જોબન નારીનાં મન રીઝવે, વૃદ્ધ ડોસીને ઘણું ખીજવે. | ||
{{right|પ્રેમાનંદ(ભાગવત)}} | |||
ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પુરમાં પેઠા ભગવાન; | ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પુરમાં પેઠા ભગવાન; | ||
નગર લોક બહુ જોવા મળે, ખિજવે બાળક પુંઠળ પળે. | નગર લોક બહુ જોવા મળે, ખિજવે બાળક પુંઠળ પળે. | ||
× | {{gap|6em}}× | ||
પૂઠે બાળક કાંકરા નાંખે, ઋષિ રામકૃષ્ણ મુખથી ભાખે. | પૂઠે બાળક કાંકરા નાંખે, ઋષિ રામકૃષ્ણ મુખથી ભાખે. | ||
{{right|પ્રેમાનંદ (સુદામાચરિત્ર)}} | |||
દેખી માણસ ખસે અરાંપરાં, ધાય બાહુક પુંઠે છોકરાં | દેખી માણસ ખસે અરાંપરાં, ધાય બાહુક પુંઠે છોકરાં | ||
{{right|પ્રેમાનંદ (નળાખ્યાન)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છોકરાઓ સહેજ ભણતા હશે એમ લાગે છે. બ્રાહ્મણ આદિના છોકરાને ઘણુંખરું પોતાની આજીવિકાને અર્થે ભણ્યા વગર ચાલતું નહિ. | છોકરાઓ સહેજ ભણતા હશે એમ લાગે છે. બ્રાહ્મણ આદિના છોકરાને ઘણુંખરું પોતાની આજીવિકાને અર્થે ભણ્યા વગર ચાલતું નહિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>બ્રાહ્મણને આપે છોકરો, કહે નિશાળે મોકલો. | {{Block center|'''<poem>બ્રાહ્મણને આપે છોકરો, કહે નિશાળે મોકલો. | ||
શામળ | {{right|શામળ}} | ||
વઢવાડો તો લાવે ઘણી, નિશાળેથી ઊતર્યો ભણી, | વઢવાડો તો લાવે ઘણી, નિશાળેથી ઊતર્યો ભણી, | ||
એટલે આવ્યું વેવિશાળ, પરણ્યો થયાં જ્યાં વર્ષ બાર. | એટલે આવ્યું વેવિશાળ, પરણ્યો થયાં જ્યાં વર્ષ બાર. | ||
દ્વારકો</poem>'''}} | {{right|દ્વારકો}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જો દ્વારકાનું કહેવું ખરું હોય તો બાર વર્ષની અંદર તેઓ પોતાનો વિદ્યાભ્યાસ શી રીતે કરી શકતા હશે? પ્રખ્યાત શિક્ષકને ત્યાં પોતાને તે જે શીખવતો હોય તે શીખવાની ઇચ્છા હોય તો શિષ્યો ભણવા જતા. પ્રેમાનંદને ત્યાં ૧૦૦ શિષ્યો ભણતા હતા. (પ્રાચીન કાવ્યમાળા ૧ કવિચરિત્ર,) વૈદું શીખવા વૈદને ત્યાં પણ શિષ્યો રહેતા. | જો દ્વારકાનું કહેવું ખરું હોય તો બાર વર્ષની અંદર તેઓ પોતાનો વિદ્યાભ્યાસ શી રીતે કરી શકતા હશે? પ્રખ્યાત શિક્ષકને ત્યાં પોતાને તે જે શીખવતો હોય તે શીખવાની ઇચ્છા હોય તો શિષ્યો ભણવા જતા. પ્રેમાનંદને ત્યાં ૧૦૦ શિષ્યો ભણતા હતા. (પ્રાચીન કાવ્યમાળા ૧ કવિચરિત્ર,) વૈદું શીખવા વૈદને ત્યાં પણ શિષ્યો રહેતા. | ||
| Line 1,203: | Line 1,226: | ||
છે વીર પંચમ જી ગણિયે ત્રણ, નંદ ચતુરથ નામ સુહાવે; | છે વીર પંચમ જી ગણિયે ત્રણ, નંદ ચતુરથ નામ સુહાવે; | ||
છે વીર વલ્લભ શે ભણિયે ગણ, એક જ પ્રેમનું નામ પુહાવે. | છે વીર વલ્લભ શે ભણિયે ગણ, એક જ પ્રેમનું નામ પુહાવે. | ||
{{right|વલ્લભ}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉપરથી તેમ જ શામળ અને ત્યારના જૈન ગોરજીઓનાં લખાણોમાં મરદો પાસે કન્યાઓ શિક્ષણ મેળવતી હશે. પરંતુ આ શિક્ષણ સર્વત્ર પ્રસરેલું નહોતું. મોટાઓની કન્યાઓ કાં તો થોડો અભ્યાસ કરતી, અથવા પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિથી શાસ્ત્રીના પાઠ થાય તે સારુ તે ઓળખીતા પાસે શીખતી હશે. સ્ત્રીશિક્ષકો તો તે કાળમાં હોય એ અસંભવિત હોવાથી—તેમ જ સ્ત્રીઓ સારી ભણેલી મળવાની મુશ્કેલી હોવાથી—મરદ પાસે સ્ત્રીઓ ભણતી. | આ ઉપરથી તેમ જ શામળ અને ત્યારના જૈન ગોરજીઓનાં લખાણોમાં મરદો પાસે કન્યાઓ શિક્ષણ મેળવતી હશે. પરંતુ આ શિક્ષણ સર્વત્ર પ્રસરેલું નહોતું. મોટાઓની કન્યાઓ કાં તો થોડો અભ્યાસ કરતી, અથવા પરણેલી સ્ત્રીઓ પોતાના પતિની અનુમતિથી શાસ્ત્રીના પાઠ થાય તે સારુ તે ઓળખીતા પાસે શીખતી હશે. સ્ત્રીશિક્ષકો તો તે કાળમાં હોય એ અસંભવિત હોવાથી—તેમ જ સ્ત્રીઓ સારી ભણેલી મળવાની મુશ્કેલી હોવાથી—મરદ પાસે સ્ત્રીઓ ભણતી. | ||
હાલની ગામઠી નિશાળો જેવી નિશાળો ત્યારે હશે. આવી નિશાળોનો ચિતાર શામળનાં લખાણમાં ઘણી જગ્યાએ મળી આવે છે. છોકરાઓને વડા નિશાળીઆના હાથમાં સોંપી પંડ્યાજી ભિક્ષાવૃત્તિ કરવા જતા. | હાલની ગામઠી નિશાળો જેવી નિશાળો ત્યારે હશે. આવી નિશાળોનો ચિતાર શામળનાં લખાણમાં ઘણી જગ્યાએ મળી આવે છે. છોકરાઓને વડા નિશાળીઆના હાથમાં સોંપી પંડ્યાજી ભિક્ષાવૃત્તિ કરવા જતા. | ||
સાસુ અને વહુના સંબંધમાંથી તેના સીમંત અને માતાઅવસ્થાની સ્થિતિ આપણે અવલોકી ગયા. ફરી એક વખત સાસરિયાંની સ્થિતિ જોવા જઈએ. | સાસુ અને વહુના સંબંધમાંથી તેના સીમંત અને માતાઅવસ્થાની સ્થિતિ આપણે અવલોકી ગયા. ફરી એક વખત સાસરિયાંની સ્થિતિ જોવા જઈએ. | ||
જેઠાણી–દેરાણીઓ જો એક જ ઘરમાં રહેતી તો ઘણુંખરું હળીમળીને ચાલતી. એકઠી નહી રહેતી તો ઘણુંખરું પડોશમાં જ રહેતી. સંપીને રહેલી એકબીજીનું અડીઓપટીએ કામ સારતી. આ ઉપરાંત ભાઈઓ ભાઈનો સંબંધ, ભાઈબહેનનો સંબંધ | જેઠાણી–દેરાણીઓ જો એક જ ઘરમાં રહેતી તો ઘણુંખરું હળીમળીને ચાલતી. એકઠી નહી રહેતી તો ઘણુંખરું પડોશમાં જ રહેતી. સંપીને રહેલી એકબીજીનું અડીઓપટીએ કામ સારતી. આ ઉપરાંત ભાઈઓ ભાઈનો સંબંધ, ભાઈબહેનનો સંબંધ<ref>ભાઈબહેન પણ જે કાળમાં એકઠાં ન બેસી શકે, તથા જ્યાં કુમારી અવસ્થાથી (girlhood) કન્યાઓ અનભિજ્ઞ હોય છે, તેમ જ જ્યાં કાચી ઉંમરમાં પત્ની અને માતા થવું પડે છે ત્યાં તે કાળમાં બહેનના વહાલમાં ફૂટતી સેરોમાં નાનો ભાઈ જોવો એ શશવિષાણ જોવા જેવું છે. આપણા સાહિત્યમાં ભાઈબહેનના સંબંધનું યથાસ્થિત દર્શન કરાવનાર રા. પ્રેમભક્તિ છે. (જુઓ તેમનાં, ‘વિશ્વવિક્રમમાં લગ્નનો શો હેતુ છે; ‘હમારા સ્નેહ’ ઇત્યાદિ)</ref> નણંદ–ભોજાઈનો સંબંધ, એ વિષે ત્યારના સાહિત્યમાંથી વધુ જાણવાનું મળી આવતું નથી. નણંદ-ભોજાઈના એક તરફના સંબંધનું વર્ણન પહેલાં કરી ગયા છીએ. | ||
વહુને સાસરામાં લાજ કાઢી ફરવું પડતું. પોતાના સ્વામી અને તેનાથી મોટા સર્વ પુરુષોની મર્યાદા પાળવી પડતી. | વહુને સાસરામાં લાજ કાઢી ફરવું પડતું. પોતાના સ્વામી અને તેનાથી મોટા સર્વ પુરુષોની મર્યાદા પાળવી પડતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>શાક પાક મેં ન પીરસ્યાં, આઘો પાલવ તાણી રે. | {{Block center|'''<poem>શાક પાક મેં ન પીરસ્યાં, આઘો પાલવ તાણી રે. | ||
{{right|પ્રેમાનંદ (ઓખાહરણ)}} | |||
પગ દાબે સાસુ તણા, શિયલવતી સસનેહ; | પગ દાબે સાસુ તણા, શિયલવતી સસનેહ; | ||
દીઠો વાહલો આવતો, ઉલસી આપણી દેહ. | દીઠો વાહલો આવતો, ઉલસી આપણી દેહ. | ||
લલનાએ લજ્જા ધરી, ઊભી આળસ મોડ; | લલનાએ લજ્જા ધરી, ઊભી આળસ મોડ; | ||
{{right|નેમવિજય (શીલવતી)}} | |||
ઝીણા અંબરના ઘુંઘટા, તે તાણીને રાખે. | ઝીણા અંબરના ઘુંઘટા, તે તાણીને રાખે. | ||
{{right|વીરજી (કમળાવતી)}} | |||
આઘું ઓઢિયે વાત કરતાં, ઘણું જ રૂડાં શોભિયે; | આઘું ઓઢિયે વાત કરતાં, ઘણું જ રૂડાં શોભિયે; | ||
સાસુ અને માના જણ્યા વિન, પલક પાસ ન થોભિયે. | સાસુ અને માના જણ્યા વિન, પલક પાસ ન થોભિયે. | ||
{{right|ઉદયરત્ન (સ્ત્રીને શિખામણ)}} | |||
ભક્તાધીન દીનને પૂજે, દાસ પોતાનો જાણી; | ભક્તાધીન દીનને પૂજે, દાસ પોતાનો જાણી; | ||
સુખ સજ્જા પર ઋષિને બેસારી, ચમર કરે ચક્રપાણિ રે. | સુખ સજ્જા પર ઋષિને બેસારી, ચમર કરે ચક્રપાણિ રે. | ||
નેત્ર સમશા નાથે કીધી, આવ્યાં આઠ પટરાણી; | નેત્ર સમશા નાથે કીધી, આવ્યાં આઠ પટરાણી; | ||
મંદ મંદ હસે સત્યભામા, આઘો ઘુંઘટ તાણી રે. | મંદ મંદ હસે સત્યભામા, આઘો ઘુંઘટ તાણી રે. | ||
{{right|પ્રેમાનંદ (સુદામા)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઓખાહરણમાં’ ઓખા કૃષ્ણની અને પ્રદ્યુમ્નની છબી જોઈ લાજ કાઢે છે. | ‘ઓખાહરણમાં’ ઓખા કૃષ્ણની અને પ્રદ્યુમ્નની છબી જોઈ લાજ કાઢે છે. | ||
| Line 1,270: | Line 1,293: | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
આ બાળક પરણાવવાં પડશે, સત કુળની કન્યા ક્યાંથી જડશે; | આ બાળક પરણાવવાં પડશે, સત કુળની કન્યા ક્યાંથી જડશે; | ||
પ્રેમાનંદ. </poem>'''}} | {{right|પ્રેમાનંદ.}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બાળકને પરણાવી, ‘માથાની ગાળ’ ઉતારવામાં, નાતજાત ને સગાસંબંધીમાં પોતાની લાજ રાખવામાં, પોતાને સારુ વસ્ત્ર અને આભૂષણ મેળવવામાં તેમનું જીવન સમાપ્ત થતું. માથાની ગાળ અને માથાનો ભાર ઉતારવાના હાથ આવેલા પ્રસંગ બનતા લગી જવા દેવામાં આવતા નહિ. | બાળકને પરણાવી, ‘માથાની ગાળ’ ઉતારવામાં, નાતજાત ને સગાસંબંધીમાં પોતાની લાજ રાખવામાં, પોતાને સારુ વસ્ત્ર અને આભૂષણ મેળવવામાં તેમનું જીવન સમાપ્ત થતું. માથાની ગાળ અને માથાનો ભાર ઉતારવાના હાથ આવેલા પ્રસંગ બનતા લગી જવા દેવામાં આવતા નહિ. | ||
| Line 1,280: | Line 1,303: | ||
આવા સંજોગોમાં વસતા પુરુષો અને સ્ત્રીઓમાં ઉત્કટતા નહોતી. એકબીજાના મેળાપ સારુ આતુરતા નહોતી. બહાર આઘે કામે ગયેલો પુરુષ ‘રોટલા ભેગો થવા’ ઉતાવળથી ઘર ભણી આવતો – પત્ની અને બાળકોને છાતી સરસાં ચાંપવા નહિ. અવિભક્ત કુટુમ્બસંસ્થાઓમાં આવી ક્રિયા નિંદ્ય અને વર્જ્ય ગણાતી હોવાથી આ માર્ગે કોઈ જતું જ નહિ. | આવા સંજોગોમાં વસતા પુરુષો અને સ્ત્રીઓમાં ઉત્કટતા નહોતી. એકબીજાના મેળાપ સારુ આતુરતા નહોતી. બહાર આઘે કામે ગયેલો પુરુષ ‘રોટલા ભેગો થવા’ ઉતાવળથી ઘર ભણી આવતો – પત્ની અને બાળકોને છાતી સરસાં ચાંપવા નહિ. અવિભક્ત કુટુમ્બસંસ્થાઓમાં આવી ક્રિયા નિંદ્ય અને વર્જ્ય ગણાતી હોવાથી આ માર્ગે કોઈ જતું જ નહિ. | ||
ત્યારના લગ્નને આપણે ઉપર પાશવ સંબંધ કહી ગયા છીએ. અને આ સંબંધ પર પુરુષવર્ગની અને તેમના ઊપજાવેલા સંજોગોમાં કાળના કાળથી ઊછરેલા સ્ત્રીવર્ગની પ્રબળ સત્તા હતી. આ પ્રબળ સત્તા પુરૂવનિતા વિવાહને શાસન નહિ કરતી, પરંતુ વિવાહોચ્છન અને વિધવાવિવાહ પાપાચરણમાં લેખતી. આ બે આચારો સમાજના બંધારણને અમુક સ્થિતિમાં હાનિકારક હશે કે કેમ તે સવાલ જુદો છે; પરંતુ તેમનો પ્રતિબંધ બતાવે છે કે સ્ત્રીવર્ગને પુરુષવર્ગ ઘણો અન્યાય આપતો હતો. | ત્યારના લગ્નને આપણે ઉપર પાશવ સંબંધ કહી ગયા છીએ. અને આ સંબંધ પર પુરુષવર્ગની અને તેમના ઊપજાવેલા સંજોગોમાં કાળના કાળથી ઊછરેલા સ્ત્રીવર્ગની પ્રબળ સત્તા હતી. આ પ્રબળ સત્તા પુરૂવનિતા વિવાહને શાસન નહિ કરતી, પરંતુ વિવાહોચ્છન અને વિધવાવિવાહ પાપાચરણમાં લેખતી. આ બે આચારો સમાજના બંધારણને અમુક સ્થિતિમાં હાનિકારક હશે કે કેમ તે સવાલ જુદો છે; પરંતુ તેમનો પ્રતિબંધ બતાવે છે કે સ્ત્રીવર્ગને પુરુષવર્ગ ઘણો અન્યાય આપતો હતો. | ||
કોઈ પણ દેશના નારીવર્ગની સ્થિતિ પરથી તે દેશની સ્થિતિ કહી આપવા એક કવિવર | કોઈ પણ દેશના નારીવર્ગની સ્થિતિ પરથી તે દેશની સ્થિતિ કહી આપવા એક કવિવર<ref>કૉલરિજ</ref> તત્પર થયો હતો. દરેક દેશના સમુત્કર્ષ કે નિપાતનો આધાર ત્યાંના નારીવર્ગ પર રહે છે. નારીવર્ગની અધમદશા દેશ અને ત્યાં વસતા જનોને અનેકધા હાનિ પહોંચાડે છે. આ દેશને પણ એવી જ હાનિ થઈ છે. એક દેશનો વેપારીવર્ગ દૂર દેશાવર વેપાર કરવા જતાં તે દેશમાં રાજ્ય કરવા સમર્થ થઈ શક્યો. હજારો વર્ષથી આઘે આઘેના મુલકો સાથે વેપાર કરતો. આ દેશ તે જ વેપારીવર્ગની પ્રજા થઈ બેઠો. આ ઐતિહાસિક ઉપદેશ સુજ્ઞો આપણા સંસારને લગાડી યોગ્ય પગલાં ભરશે. | ||
સ્ત્રી પુરુષની દાસી હોવાથી તેની સાથે જમી શકતી નહિ. અવિભક્ત કુટુંબસંસ્થામાં મર્યાદા રાખવાની હોવાથી પુરુષો અને સ્ત્રીવર્ગ સાથે જમી નહિ શકે. આથી સ્ત્રીવર્ગ પુરુષવર્ગ પછી જમે, અને તેમાં સ્વામીનું ઉચ્છિષ્ટ પત્ની ખાય એ પણ બની શકે. | સ્ત્રી પુરુષની દાસી હોવાથી તેની સાથે જમી શકતી નહિ. અવિભક્ત કુટુંબસંસ્થામાં મર્યાદા રાખવાની હોવાથી પુરુષો અને સ્ત્રીવર્ગ સાથે જમી નહિ શકે. આથી સ્ત્રીવર્ગ પુરુષવર્ગ પછી જમે, અને તેમાં સ્વામીનું ઉચ્છિષ્ટ પત્ની ખાય એ પણ બની શકે. | ||
આ મર્યાદા–મલાજો પાળવાનો રિવાજ સ્ત્રીજાતિ વિષે પ્રચલિત વિચારો, તેમની અધમદશા અને લગ્નપાશવ સંબંધ ગણાતો હોવાથી નીકળ્યો હોવો જોઈએ. આ જે ત્રણ કારણો વર્ણવ્યાં છે તે સ્ત્રીને પુરુષની કિંકરી ગણવાથી ઉદ્ભવ્યાં છે. સ્વામીનું ઉચ્છિષ્ટ ખાવું તે સૌભાગ્યનું ચિહ્ન નહિ પરંતુ દાસત્વનું લક્ષણ છે એમ જણાશે. | આ મર્યાદા–મલાજો પાળવાનો રિવાજ સ્ત્રીજાતિ વિષે પ્રચલિત વિચારો, તેમની અધમદશા અને લગ્નપાશવ સંબંધ ગણાતો હોવાથી નીકળ્યો હોવો જોઈએ. આ જે ત્રણ કારણો વર્ણવ્યાં છે તે સ્ત્રીને પુરુષની કિંકરી ગણવાથી ઉદ્ભવ્યાં છે. સ્વામીનું ઉચ્છિષ્ટ ખાવું તે સૌભાગ્યનું ચિહ્ન નહિ પરંતુ દાસત્વનું લક્ષણ છે એમ જણાશે. | ||
આવું તે સમયનું સ્વરૂપ હોવાથી ત્યારની વાસ્તવિક સ્થિતિ આલેખતાં પ્રેમાનંદ, શામળ, વલ્લભ આદિનાં કાવ્યોમાં સંસ્કૃત સાહિત્યનું ‘દેવી’ | આવું તે સમયનું સ્વરૂપ હોવાથી ત્યારની વાસ્તવિક સ્થિતિ આલેખતાં પ્રેમાનંદ, શામળ, વલ્લભ આદિનાં કાવ્યોમાં સંસ્કૃત સાહિત્યનું ‘દેવી’<ref>સંસ્કૃ નાટકોનું અનુકરણ કરી લખાયેલા નાટકાદિ ગ્રંથો સિવાય.</ref> અને આધુનિક ગુજરાતી સાહિત્યનું ‘સખી’ સંબોધન નારીવર્ગ સંબંધે વપરાતું જોવામાં નથી આવતું. ત્યારે તો, ‘નારી નરકનું દ્વાર છે’ એવું મનાતું. આ સંસારની મોહજાળમાંથી કુટુંબકબીલો મુક્ત થવા નહોતું દેતું; અને આ મોહજાળમાંથી મુક્ત થવાની આવશ્યકતા પુરુષને જ હતી. તેને જ સંબોધીને રત્નેશ્વરની ‘વૈરાગ્યલતા’, પ્રેમાનંદનો ‘વિવેક વણઝારો’, જીવનરામ ભટ્ટનો ‘જીવરાજ શેઠની મુસાફરી’, દ્વારકા, જીવણ ઇત્યાદિના ઉપદેશ લખાયા છે. કદાચ એમ કહેવામાં આવે કે સ્વામી સાથે સ્ત્રીને લગ્નપડોશીના લગડામાંથી છૂટવાનું બની શકે છે માટે એમને સંબોધીને ઉપદેશ નથી અપાયા. પરંતુ જે સ્ત્રીઓ, નરકનું દ્વાર છે અને સ્વર્ગ જતાં તેમના સ્વામીઓને અંતરાયરૂપ થાય છે તેમને તેમના સ્વામી સાથે સ્વર્ગ શી રીતે મળશે? કુટુંબકબીલાને તજી છૂટા થનારા શું પાછા તેની જંજાળમાં સ્વર્ગમાં પડશે? જો દરેક મનુષ્ય એકબીજાના સંબંધમાં કર્મ અને ઋણાનુબંધના યોગે આવતો તો આ અવતાર પછીના બીજા અવતારમાં આ અવતારના સંબંધ ચાલુ રહેશે એની નિશ્ચયતા શી? આ સંબંધ તૂટી જાય તો સ્વર્ગ ગયેલો પુરુષ કયા કુટુંબને પોતાની પાંખમાં લેશે? | ||
આ બધું શું બતાવે છે? પુરુષની સ્વાર્થવૃત્તિ. તેમની સ્વાર્થવૃત્તિથી નારીવર્ગને કેટલો બધો અન્યાય થયો છે? | આ બધું શું બતાવે છે? પુરુષની સ્વાર્થવૃત્તિ. તેમની સ્વાર્થવૃત્તિથી નારીવર્ગને કેટલો બધો અન્યાય થયો છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 1,290: | Line 1,313: | ||
ભુંડા કરમાની ભુંડી ભાત, એવી તે નારીની જાત. | ભુંડા કરમાની ભુંડી ભાત, એવી તે નારીની જાત. | ||
નીચ બુદ્ધિના નીચાં કામ, નીચમાં નીચ નારીનું નામ. | નીચ બુદ્ધિના નીચાં કામ, નીચમાં નીચ નારીનું નામ. | ||
× | {{gap|6em}}× | ||
ઓછી અક્કલ ને દુશ્મન દેહ, નીચ સ્વભાવ ને ઝાઝું ખાય, | ઓછી અક્કલ ને દુશ્મન દેહ, નીચ સ્વભાવ ને ઝાઝું ખાય, | ||
જૂઠું ગાય ને નાગી નહાય, × × | જૂઠું ગાય ને નાગી નહાય, × × | ||
× | {{gap|6em}}× | ||
સ્ત્રીમાં ડહાપણ ગણાશે જેહ, મુરખનો શિરોમણી તેહ. | સ્ત્રીમાં ડહાપણ ગણાશે જેહ, મુરખનો શિરોમણી તેહ. | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
| Line 1,301: | Line 1,324: | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
એકલી નારી સાથે, મારગે ન જાવું હો, વળી વાટે વાત ન કીજીયે, | એકલી નારી સાથે, મારગે ન જાવું હો, વળી વાટે વાત ન કીજીયે, | ||
{{right|ઉદયરત્ન}}</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
સુલોચના : આર્યપુત્ર કહે છે એમ પણ હોય, તથાપિ આપ ક્યાં નથી જાણતાં કે સ્ત્રીઓની બુદ્ધિ તો પગની પાનીએ જ હોય. | સુલોચના : આર્યપુત્ર કહે છે એમ પણ હોય, તથાપિ આપ ક્યાં નથી જાણતાં કે સ્ત્રીઓની બુદ્ધિ તો પગની પાનીએ જ હોય. | ||
પ્રેમાનંદ | {{right|પ્રેમાનંદ}}<br> | ||
નારીવર્ગ સંબંધી આવા અભિપ્રાય ત્યારે પ્રચલિત હતા. તેમના સંબંધી જે ઉચ્ચ(!) વિચારો હતા તે જોઈએ. | નારીવર્ગ સંબંધી આવા અભિપ્રાય ત્યારે પ્રચલિત હતા. તેમના સંબંધી જે ઉચ્ચ(!) વિચારો હતા તે જોઈએ. | ||
નિર્બળ છે નર નારી વિના, ભોગ કશા તે ભોગવે, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>નિર્બળ છે નર નારી વિના, ભોગ કશા તે ભોગવે, | |||
અવગુણ અદકા અયુતો ગણા, જુવતી વણ નર જોગવે. | અવગુણ અદકા અયુતો ગણા, જુવતી વણ નર જોગવે. | ||
{{right|શામળ}} | {{right|શામળ}} | ||
| Line 1,338: | Line 1,363: | ||
{{Block center|'''<poem>જે પ્રારબ્ધ લખી આણિયાં છે, તે તે મિથ્યા ના બને જાણિયાં છે; | {{Block center|'''<poem>જે પ્રારબ્ધ લખી આણિયાં છે, તે તે મિથ્યા ના બને જાણિયાં છે; | ||
કાળે તો આ વિશ્વ સર્વે રમાડ્યું, વાળે ટાળે કોણ? એવું ભમાડ્યું. | કાળે તો આ વિશ્વ સર્વે રમાડ્યું, વાળે ટાળે કોણ? એવું ભમાડ્યું. | ||
પ્રેમાનંદ. | {{right|પ્રેમાનંદ.}} | ||
સુખ દુઃખ જે જગ પામિયે તે સર્વ કર્મ પ્રસાદ. | સુખ દુઃખ જે જગ પામિયે તે સર્વ કર્મ પ્રસાદ. | ||
વિનયવિજય. | {{right|વિનયવિજય.}} | ||
તત્ત્વ વિચારો તાતજી, મત આણો મન રોષ, | તત્ત્વ વિચારો તાતજી, મત આણો મન રોષ, | ||
કર્મે તુજ કુલ અવતરી રે, મેં કિયાં જોવો જોષ. | કર્મે તુજ કુલ અવતરી રે, મેં કિયાં જોવો જોષ. | ||
{{right|પિતાજી૦}} | |||
મલાવો મોટે મને રે, નવ નવ કરો નિવેદ; | મલાવો મોટે મને રે, નવ નવ કરો નિવેદ; | ||
તે સવિ કર્મ પસાઉ લે રે, એ અવધારો ભેદ. | તે સવિ કર્મ પસાઉ લે રે, એ અવધારો ભેદ. | ||
{{right|પિતાજી૦}} | |||
{{right|વિનયંવિજય.}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુલોચના : શું સાચે જ મહર્ષિ! એમ થઈ ગયું? કહ્યું છે તે ખરું છે કે, કર્મ કરે તે કોઈ ના કરે. લખ્યા લેખ ટાળવા કોણ સમર્થ છે? કુલપતિ સરખા યજ્ઞ કરનાર અને તે પુરોડાશને શ્વાનસ્પર્શ, એ મારા વાંકા પ્રારબ્ધ વગર બીજું કંઈ એ કેમ કહી શકાય? | સુલોચના : શું સાચે જ મહર્ષિ! એમ થઈ ગયું? કહ્યું છે તે ખરું છે કે, કર્મ કરે તે કોઈ ના કરે. લખ્યા લેખ ટાળવા કોણ સમર્થ છે? કુલપતિ સરખા યજ્ઞ કરનાર અને તે પુરોડાશને શ્વાનસ્પર્શ, એ મારા વાંકા પ્રારબ્ધ વગર બીજું કંઈ એ કેમ કહી શકાય? | ||
| Line 1,353: | Line 1,378: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>લખ્યા પ્રમાણે પામે લોક, મનના મનોરથ કરવા ફોક. | {{Block center|'''<poem>લખ્યા પ્રમાણે પામે લોક, મનના મનોરથ કરવા ફોક. | ||
શામળ | {{right|શામળ}} | ||
કમાર્ધીન કઠોર કૃષ્ણ જપજે, શો શોર બીજો કરે? | કમાર્ધીન કઠોર કૃષ્ણ જપજે, શો શોર બીજો કરે? | ||
રત્નેશ્વર | {{right|રત્નેશ્વર}} | ||
અન્ન ને પાણી વજન; નેત્ર પલકારાં જેહ; | અન્ન ને પાણી વજન; નેત્ર પલકારાં જેહ; | ||
શ્વાસોચ્છ્વાસ દમો દમી, સરવે લખ્યાં વશ એહ. | શ્વાસોચ્છ્વાસ દમો દમી, સરવે લખ્યાં વશ એહ. | ||
| Line 1,372: | Line 1,397: | ||
{{Block center|'''<poem>કરમ તણું ન કાંઈ કાર્ય સીધે, | {{Block center|'''<poem>કરમ તણું ન કાંઈ કાર્ય સીધે, | ||
પુરુષ પ્રયત્નથી કર્મ કંપી બાંધે. | પુરુષ પ્રયત્નથી કર્મ કંપી બાંધે. | ||
{{right|પ્રેમાનંદ}} | |||
કર્મ તણી આશે રહે, તે કાયર કે‘વાય, | કર્મ તણી આશે રહે, તે કાયર કે‘વાય, | ||
રૂડા પુરુષે કરવો ઘટે, કર્મોદ્યોગ વિવાય. | રૂડા પુરુષે કરવો ઘટે, કર્મોદ્યોગ વિવાય. | ||
{{right|શામળ}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ જરા માંદું પડતું કે તેને વળગાડ છે એવો વહેમ રાખવામાં આવતો. | કોઈ જરા માંદું પડતું કે તેને વળગાડ છે એવો વહેમ રાખવામાં આવતો. | ||
| Line 1,386: | Line 1,411: | ||
ઉતાર્યા અક્ષત ઉતાર, ઓસડ વેસડ અપરંપાર. | ઉતાર્યા અક્ષત ઉતાર, ઓસડ વેસડ અપરંપાર. | ||
પ્રશ્ન કરાવી પ્રશ્નોતરી, જોવરાવી તે જન્મોતરી. | પ્રશ્ન કરાવી પ્રશ્નોતરી, જોવરાવી તે જન્મોતરી. | ||
{{right|શામળ}} | {{right|શામળ}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ભૂતપ્રેત સંબંધીના વહેમ અને તેથી થતા દેખાવો નીચે ટાંકીએ છીએ : | ભૂતપ્રેત સંબંધીના વહેમ અને તેથી થતા દેખાવો નીચે ટાંકીએ છીએ : | ||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem> | |||
ઉઘાડી બાર નારી નીસરી, લાજ મુરજાદ સરવેની વીસરી. | ઉઘાડી બાર નારી નીસરી, લાજ મુરજાદ સરવેની વીસરી. | ||
મનની મનમાં થાયે મગન, નિશંકપણેથી છેક નગન. | મનની મનમાં થાયે મગન, નિશંકપણેથી છેક નગન. | ||
| Line 1,395: | Line 1,423: | ||
મરડતી હોઠ કરડતી દંત, કરડવા માંડ્યો પોતાનો કંથ. | મરડતી હોઠ કરડતી દંત, કરડવા માંડ્યો પોતાનો કંથ. | ||
વળગી ચોટલે મારી માર, ભુવાનો નાંખ્યો ભાર. | વળગી ચોટલે મારી માર, ભુવાનો નાંખ્યો ભાર. | ||
× | {{gap|6em}}× | ||
કો બાઈ તમે કારણ કોણ, એટલે દિવસે આવ્યા ઓણ. | કો બાઈ તમે કારણ કોણ, એટલે દિવસે આવ્યા ઓણ. | ||
ડાકણ સાકણ કે દેવી દેવ, ભૂત પ્રેત કે શક્તિ સેવ. | ડાકણ સાકણ કે દેવી દેવ, ભૂત પ્રેત કે શક્તિ સેવ. | ||
વંતરવસી કે છો વીર, સિદ્ધ શકતા કે છો પીર. | વંતરવસી કે છો વીર, સિદ્ધ શકતા કે છો પીર. | ||
ભુઆ સાથ ચડવા ચાહો છો, ક્યાંથી આવ્યા ને ક્યાં જાઓ છો. | ભુઆ સાથ ચડવા ચાહો છો, ક્યાંથી આવ્યા ને ક્યાં જાઓ છો. | ||
× | {{gap|6em}}× | ||
અંધારી ચઉદશને દિવસ, પુજ મંડાવી પ્રીત; | અંધારી ચઉદશને દિવસ, પુજ મંડાવી પ્રીત; | ||
મંડળ મુંકું મેલડી, રાજવીયાની રીત. | મંડળ મુંકું મેલડી, રાજવીયાની રીત. | ||
| Line 1,421: | Line 1,449: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>કીધું કે’ તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી. | {{Block center|'''<poem>કીધું કે’ તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી. | ||
શામળ | {{right|શામળ}} | ||
માગણ શોભે મીઠાશથી, સુકંઠ ગાન શોભે ઘણું; | માગણ શોભે મીઠાશથી, સુકંઠ ગાન શોભે ઘણું; | ||
શામળ જન શોભે શ્રેષ્ઠતા, કૃષ્ણ કીરતનથી કવિપણું. | શામળ જન શોભે શ્રેષ્ઠતા, કૃષ્ણ કીરતનથી કવિપણું. | ||
શામળ | {{right|શામળ}} | ||
જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ; | જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ; | ||
શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય. | શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય. | ||
અખો | {{right|અખો}} | ||
શું કરીએ પિતા કે’ છે, દુનિયા સૌ ડાહ્યાં લે છે, | શું કરીએ પિતા કે’ છે, દુનિયા સૌ ડાહ્યાં લે છે, | ||
કવિ કવિ લોક કહે છે, તેણે સુણવું પડે; | કવિ કવિ લોક કહે છે, તેણે સુણવું પડે; | ||
કે’ છે કૂડાં કામ કરો, લખી લખી નામ ધરો, | કે’ છે કૂડાં કામ કરો, લખી લખી નામ ધરો, | ||
ચોરી કરી ચોર કહો, વદો એ શું ના નડે? | ચોરી કરી ચોર કહો, વદો એ શું ના નડે? | ||
વત્સલ (દુઃશાસન રુધિરપાન)</poem>'''}} | {{right|વત્સલ (દુઃશાસન રુધિરપાન)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રેમાનંદની ભાવના વલ્લભે હાસ્યજનક રીતે કહી બતાવી છે. શામળ અને પ્રેમાનંદના વિચારની તુલના કરવા આ સ્થળે અમે ઊતરતા નથી. આ વિચારને અનુસરી તેઓએ તેમના ગ્રંથો રચ્યા હતા. | પ્રેમાનંદની ભાવના વલ્લભે હાસ્યજનક રીતે કહી બતાવી છે. શામળ અને પ્રેમાનંદના વિચારની તુલના કરવા આ સ્થળે અમે ઊતરતા નથી. આ વિચારને અનુસરી તેઓએ તેમના ગ્રંથો રચ્યા હતા. | ||
| Line 1,441: | Line 1,469: | ||
શુદ્રનું તો સાહિત્ય નહોતું જ એવી હરેક વાંચનારની પ્રતીતિ થઈ હશે. વેપારીઓનું સાહિત્ય હતું, તેમના ધર્મ અને વ્યવહારનું પ્રતિબિમ્બ હતું. તેમના હૃદયભાવ જે આ સાહિત્યમાં પરાવર્તિત થયા છે તેમાંના ઘણા ગુજરાતની સમસ્ત પ્રજાને સાધારણ હતા. | શુદ્રનું તો સાહિત્ય નહોતું જ એવી હરેક વાંચનારની પ્રતીતિ થઈ હશે. વેપારીઓનું સાહિત્ય હતું, તેમના ધર્મ અને વ્યવહારનું પ્રતિબિમ્બ હતું. તેમના હૃદયભાવ જે આ સાહિત્યમાં પરાવર્તિત થયા છે તેમાંના ઘણા ગુજરાતની સમસ્ત પ્રજાને સાધારણ હતા. | ||
ગુજરાતની દક્ષિણે આવેલા દેશના સાહિત્યથી તેનો રાજકીય ઉત્કર્ષ થયો અને ગુજરાતનો ત્યાંનાં જેવાં જ સાધનો સાહિત્ય બનાવવામાં વપરાયાં છતાં ન થયો—ગુજરાતને તે દેશને આધીન થવું પડ્યું. આની કૂંચી પણ ગુજરાત વેપારીનું નગર અને તેનું સાહિત્ય વેપારીનું હતું એમાંથી મળશે. | ગુજરાતની દક્ષિણે આવેલા દેશના સાહિત્યથી તેનો રાજકીય ઉત્કર્ષ થયો અને ગુજરાતનો ત્યાંનાં જેવાં જ સાધનો સાહિત્ય બનાવવામાં વપરાયાં છતાં ન થયો—ગુજરાતને તે દેશને આધીન થવું પડ્યું. આની કૂંચી પણ ગુજરાત વેપારીનું નગર અને તેનું સાહિત્ય વેપારીનું હતું એમાંથી મળશે. | ||
ગુજરાતની ભાષા કુમળી તેમ જ તેનું સાહિત્ય પણ કુમળું છે. આ કુમળા સાહિત્યનું લક્ષણ સ્ત્રીનું છે. તેથી જ ગુજરાતી સાહિત્યમાં કોઈ ‘ચિરંજીવ સ્થૂલ’ | ગુજરાતની ભાષા કુમળી તેમ જ તેનું સાહિત્ય પણ કુમળું છે. આ કુમળા સાહિત્યનું લક્ષણ સ્ત્રીનું છે. તેથી જ ગુજરાતી સાહિત્યમાં કોઈ ‘ચિરંજીવ સ્થૂલ’<ref>રા. જટિલ</ref> | ||
ઉપજાવી શક્યું નથી. | |||
ગુજરાતનો સાહિત્યપ્રવાહ પ્રથમ રમણ-હૃદયમાંથી જ વહ્યો છે, અને તેનો જ આત્મા સમગ્ર સાહિત્યમાં વસી રહ્યો છે. | ગુજરાતનો સાહિત્યપ્રવાહ પ્રથમ રમણ-હૃદયમાંથી જ વહ્યો છે, અને તેનો જ આત્મા સમગ્ર સાહિત્યમાં વસી રહ્યો છે. | ||
રા. જટિલ કહે છે, ‘નરસિંહની ગોપીઓ, દયારામની રાધા અને મીરાં પોતે વિશ્વના નાથ પાસે ભક્તિ માગીને અબળાતુલ્ય માની પોતે તેમાં ભળે છે અને એ વિશ્વના નાથ સાથે જ અનન્ય ભાવે સંલગ્ન થવા વળી જાય છે.’ રા. જટિલ વળી જણાવે છે કે આ વિશ્વવૃત્તિ ‘વિરહ માસના’ લખનારાઓથી ગૃહવૃત્તિ તરીકે પ્રકટી છે. | રા. જટિલ કહે છે, ‘નરસિંહની ગોપીઓ, દયારામની રાધા અને મીરાં પોતે વિશ્વના નાથ પાસે ભક્તિ માગીને અબળાતુલ્ય માની પોતે તેમાં ભળે છે અને એ વિશ્વના નાથ સાથે જ અનન્ય ભાવે સંલગ્ન થવા વળી જાય છે.’ રા. જટિલ વળી જણાવે છે કે આ વિશ્વવૃત્તિ ‘વિરહ માસના’ લખનારાઓથી ગૃહવૃત્તિ તરીકે પ્રકટી છે. | ||
| Line 1,452: | Line 1,481: | ||
આ સાહિત્ય ઉત્પન્ન કરનારામાં કવિત્વ કે કલા હો કે ન હો પરંતુ તેમણે તેમનું જીવન સાફલ્યને પમાડ્યું છે. તેમનું કાર્ય સમાપ્ત થયું છે. નવા યુગ સાથે નવું સાહિત્ય ઘડનારાઓનું પોતાના સ્વદેશીઓની ખરી નસ ઝાલી તેમાં માફક આવે એવું રક્ત રેડવાનું કર્તવ્ય સાધવા જતાં નવા યુગના નવા પવનની ધૂનમાં જૂનાની સેવા ભૂલી – વખોડી કૃતઘ્ન ન બનતાં તેમના આત્માને યોગ્ય નિવાપાંજલિ અર્પાશે એવી આશા છે. તેમની કદર બુઝાઈ તેમના સ્મરણ કરવા યોગ્ય પ્રયાસ થાઓ. | આ સાહિત્ય ઉત્પન્ન કરનારામાં કવિત્વ કે કલા હો કે ન હો પરંતુ તેમણે તેમનું જીવન સાફલ્યને પમાડ્યું છે. તેમનું કાર્ય સમાપ્ત થયું છે. નવા યુગ સાથે નવું સાહિત્ય ઘડનારાઓનું પોતાના સ્વદેશીઓની ખરી નસ ઝાલી તેમાં માફક આવે એવું રક્ત રેડવાનું કર્તવ્ય સાધવા જતાં નવા યુગના નવા પવનની ધૂનમાં જૂનાની સેવા ભૂલી – વખોડી કૃતઘ્ન ન બનતાં તેમના આત્માને યોગ્ય નિવાપાંજલિ અર્પાશે એવી આશા છે. તેમની કદર બુઝાઈ તેમના સ્મરણ કરવા યોગ્ય પ્રયાસ થાઓ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|ઉપસંહાર}} | {{center|'''ઉપસંહાર'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ નિહાળી ગયા. બન્નેની સારીનરસી અવસ્થા ભિન્ન ભિન્ન લેખકોથી જાણી. જે કાળ આપણે વર્ણવ્યો તેને થોડા આંતરે | ગુજરાતની ધાર્મિક અને સાંસારિક સ્થિતિ નિહાળી ગયા. બન્નેની સારીનરસી અવસ્થા ભિન્ન ભિન્ન લેખકોથી જાણી. જે કાળ આપણે વર્ણવ્યો તેને થોડા આંતરે<ref>વિ. સં. ૧૮૯૫ માં</ref> કૃષ્ણરામે ‘કળીકાળના વર્ણન’માં જે વર્ણન આપ્યું છે તે અને જે વર્ણન હમણાં આપણે પૂરું કર્યું તેમાં કાંઈ ફેરફાર લાગે છે? કૃષ્ણરામે વિસ્તારથી કેટલીક વાતોનું વર્ણન આપ્યું છે, તેમ જ એ વર્ણન અમુક દૃષ્ટિબિન્દુથી લખાયું છે. આ સિવાય ઝાઝો મહત્વનો ભેદ નથી. પ્રેમાનંદના કાળની સ્થિતિ તેના પછીના શતકમાં પણ ચાલુ રહે ને પાછી આપણા કાળ સુધી ચાલી આવે. આ બધા ઉપરથી ગુજરાતીઓની જડતા અને અયોગ્ય સંરક્ષકતાનો ક્યાસ થઈ શકે છે. | ||
વિ. સં.ના અઢારમા શતકની સ્થિતિ પરથી આપણા ભવિષ્યના ધાર્મિક, સાંસારિક, ઔદ્યમિક અને પ્રજાકીય ચણતર ચણાવવામાં જોઈતો બોધ મળી શકશે. આ બોધના ઉપયોગ એ સારુ જ આ લેખ લખવામાં આવ્યો છે. | વિ. સં.ના અઢારમા શતકની સ્થિતિ પરથી આપણા ભવિષ્યના ધાર્મિક, સાંસારિક, ઔદ્યમિક અને પ્રજાકીય ચણતર ચણાવવામાં જોઈતો બોધ મળી શકશે. આ બોધના ઉપયોગ એ સારુ જ આ લેખ લખવામાં આવ્યો છે. | ||
આ બોધનું રેખાદર્શન આપીએ છીએ. આ ભૂમિમાં વૈશ્યત્વને પ્રાધાન્ય છે. આની સાથે સંયુક્ત સાહસિકતા, ઉત્સાહ, નીડરપણું, વિશાળતા આદિ ગુણો દરેક જણે કેળવવા. સંસારમાં કીર્તિસાનુએ ચડી જવાની કે મૃત્યુ પછી મોક્ષ મેળવવાની જુદી જ પ્રણાલિકામાં વહેવડાવી આપણી પ્રજાના સમુત્કર્ષ સારું આપણા ગુણોની બુદ્ધિ અને દુર્ગુણોનું નીંદણ કરવું જરૂરનું છે. | આ બોધનું રેખાદર્શન આપીએ છીએ. આ ભૂમિમાં વૈશ્યત્વને પ્રાધાન્ય છે. આની સાથે સંયુક્ત સાહસિકતા, ઉત્સાહ, નીડરપણું, વિશાળતા આદિ ગુણો દરેક જણે કેળવવા. સંસારમાં કીર્તિસાનુએ ચડી જવાની કે મૃત્યુ પછી મોક્ષ મેળવવાની જુદી જ પ્રણાલિકામાં વહેવડાવી આપણી પ્રજાના સમુત્કર્ષ સારું આપણા ગુણોની બુદ્ધિ અને દુર્ગુણોનું નીંદણ કરવું જરૂરનું છે. | ||