મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ: Difference between revisions
No edit summary |
Artimundra (talk | contribs) No edit summary |
||
| (5 intermediate revisions by 2 users not shown) | |||
| Line 16: | Line 16: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{Author|'''— રમણિકભાઈ જાની'''<br>([https://gujarativishwakosh.org/દવે-મકરંદ-વજેશંકર/ ‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર])}}<br> | ||
{{center|'''શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો'''}} | {{center|'''શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો'''}} | ||
| Line 22: | Line 22: | ||
<div class="ekatra-book-section-title">'''કાવ્ય, ભજન'''</div> | <div class="ekatra-book-section-title">'''કાવ્ય, ભજન'''</div> | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/koi-ghatma-gaheke-gheru-bhag-1/read#flipbook-6a5f631fc658b કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૧)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/koi-ghatma-gaheke-gheru-bhag-2/read#flipbook-6a5f632d2a7da કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૨)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/koi-ghatma-gaheke-gheru-bhag-3/read#flipbook-6a5f6337b97bf કોઇ ઘટમા ગેહેકે ઘેરૂ (ભાગ ૩)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/amalpanchalam/read#flipbook-6a5f6372676ff અમલપિયાલી઼] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/makarand-mudra/read#flipbook-6a5f668de4a77 મકરન્દ-મુદ્રા (સુરેશ દલાલ)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/amerikano-chirantan-chahero/read#flipbook-6a5f66b1bd502 અમેરિકાનો ચિરંતન ચહેરો] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/gulal-ane-gunjar/read#flipbook-6a5f66ff159c2 ગુલાલ અને ગુંજાર] | ||
:*[ | :*[https://wiki.ekatrafoundation.org/wiki/ભજનરસ ભજનરસ] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/sat-keri-vani સત કેરી વાણી] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/havabaram/read#flipbook-6a5f67af365c9 હવાબારી] | ||
:*[https://heyzine.com/flip-book/b9680ec89f.html ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧] | :*[https://heyzine.com/flip-book/b9680ec89f.html ઝબૂક વીજળી ઝબૂક - ભાગ ૧] | ||
Latest revision as of 12:36, 21 July 2026

દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.
‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.
એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.
‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.
પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત હતાં.
શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો
- સ્વામી અને સાંઇ (હિમાંશી શેલત)
- સેતુબંધ (વિજયશીલ ચન્દ્રસૂરિ)
- મધદરિયે મહેફિલ (હિમાંશી શેલત)
- મરમ જાણે મકરન્દા ( નિરંજન રાજ્યગુરુ)
- લિ. તમારો મકરન્દ (મીનુ ભટ્ટ)
- અનહદ પ્રિત્યુની પીછાણ (ડો.અશોક વૈદ્ય અને રમા વૈદ્ય)
- મકરન્દ – મધુ ( પ્રવિણકાંત કેવલરામ ઠાકર)
- સાંઇ - ઇશા અંતરંગ (મીનુ ભટ્ટ અને વિમલ વ. દવે)
- જીવન પાથેય (અશોક વૈદ્ય પરના પત્રોમાંથી)
- મારુ રક્ષાકવચ (નંદિની મહેતા)
- ગર્ભદીપ (પુરાણકથાઓનું આધ્યાત્મિક રહસ્ય)
- અંતર્વેદી (દિવ્ય ચક્ષુનો ઉઘાડ)
- યોગી હરનાથના સાનિધ્યમાં
- નરસિંહના પદોમાં સિદ્ધરસ
- સહજને કિનારે
- ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)
- ચિદાનંદા
- બ્રહ્મવીણા
- તપોવનની વાટે
- વિશ્વચેતનાના વણઝારા
- જનમ જનમની કૂંચી
- યોગપથ
- શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)
- દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો
- શ્રી હનુમંત ચરણે
- ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)
- વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
- અશ્વમેધ યજ્ઞ
- Bhaktamar
- Shiva (The light of lights)
- Mother liberty
- Prometheous
- Yoga Of Marriage
- ગર્ભદીપ
- તપોવન કે પથ પર
- વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
- સૂર્ય કા આમંત્રણ