મોરનાં ઈંડાં/‘મોરનાં ઈંડાં’ નાટ્યકૃતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 51: Line 51:
આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.
આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.
(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934) {{Poem2Close}}
(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934) {{Poem2Close}}
{{SetTitle}}
{{Heading|મોરનાં ઈંડાં| }}
==ત્રણ અંકનું એક સામાજિક નાટક==

Revision as of 06:44, 20 August 2021

મોરનાં ઈંડાં

ઇતિહાસના ઉગમમાં જરાપીંગળ ચીનમાં થઈ ગયેલા પેલા કોન-ફુ-ત્સું (કન્ફ્યુશિઅસ) અને આર્યાવર્તી વિશ્વમેધા ગૌતમબુદ્ધ અને અત્યારના બર્ટ્રાન્ડરસલ : અને વચ્ચે જે બહુ જૂજ સત્યવક્તાઓએ પૃથ્વી પર પગલાં પાડ્યાં છે :

બીજા કોઈને નહિ! નહિ જ! (1934)


અર્પણ

વરસોની વાટ ફળી : મેડિયે પધારી મનડાની મૂરિત અવાક. બંધ કર્યાં બારણાં ને અંધ કર્યું કોડિયું ઓઝલવા વસ્લ કેરી રાત. સોનેરી ઢાંકણાએ કાવ્યમુખ આવર્યું. કંપતું એ ઉન્હે આશ્વાસ. ઊંચકી શકું ન એ બુરખો લજામણો; જોર નહિ રાણીની પાસ. આત્મજ્ઞાન જેવડી ભાર હતો લાજમાં, મુર્ઝાઈ આંગળિયો વીશ. એકમેક તોય તોય દર્શનનો લાભ ના, પડતી જ્યાં વસ્લ કેરી ચીસ— ત્રીજાનો હાથ આવ્યો ઉઘાડવા બુરખો : ને વધતું : એકાન્ત; ત્રીજો હતો છતાંય બેના બે મેડિયે પૂગ્યા આત્મીયતાને પ્રાંત. મારી હથેળી, રેખ મારી આ ઊમટે, મારી લીલા ને નામોશી; દર્શનવા જે બધુંય મારા છે હાથમાં જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર

14-2-’57


પ્રથમ ભજવાયું.


શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન : ભાવનગર દશેરા : 1989 (1932)


પ્રો. અભિજિત : શ્રી. નટવરલાલ બૂચ, એમ.એ. તીરથ : શ્રી દલપત કોઠારી, બી.એ. આરતી : શ્રી તારા કોઠારી સોમ : શ્રી માધવજી રિબડિયા વિદુર : શ્રી મહેન્દ્ર ભટ્ટ અને બીજાં —


આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું.

(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934)


મોરનાં ઈંડાં

ત્રણ અંકનું એક સામાજિક નાટક