અષ્ટમોઅધ્યાય/નવો અવતાર–એક અવાન્તર મુદ્દો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Center|'''‘નવો અવતાર’ – એક અવાન્તર મુદ્દો'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નવો અવતાર–એક અવાન્તર મુદ્દો| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ન્યાય, કાયદો, કાયદાનું ચુસ્ત પાલન, દણ્ડ, શિક્ષા – આ બધી સંજ્ઞાઓથી આપણે સહુ પરિચિત તો છીએ જ. કોઈક વાર એવી ઘટનાઓ બને છે. જેને કારણે સમાજનો ચિન્તક વર્ગ આ બધી સંજ્ઞાઓની ફેરતપાસ કરવા પ્રેરાય છે. હમણાં જ આપણે એવા એક તબક્કામાંથી પસાર થઈ ગયા. ‘અનુશાસન’ જેવો શબ્દ ચકડોળે ચઢ્યો. શિસ્ત, શાન્તિ, વ્યવસ્થા – આ બધા શબ્દોના સંકેતો બદલાયા હોય એવો વહેમ ગયો. અપરાધ અને શિક્ષા વચ્ચેના સમ્બન્ધો વિશે પુનવિર્ચારણા કરવી પડી. ન્યાયની સંસ્થાના સ્વરૂપ વિશે પણ આલોચના કરવાનો વારો આવ્યો.
ન્યાય, કાયદો, કાયદાનું ચુસ્ત પાલન, દણ્ડ, શિક્ષા – આ બધી સંજ્ઞાઓથી આપણે સહુ પરિચિત તો છીએ જ. કોઈક વાર એવી ઘટનાઓ બને છે. જેને કારણે સમાજનો ચિન્તક વર્ગ આ બધી સંજ્ઞાઓની ફેરતપાસ કરવા પ્રેરાય છે. હમણાં જ આપણે એવા એક તબક્કામાંથી પસાર થઈ ગયા. ‘અનુશાસન’ જેવો શબ્દ ચકડોળે ચઢ્યો. શિસ્ત, શાન્તિ, વ્યવસ્થા – આ બધા શબ્દોના સંકેતો બદલાયા હોય એવો વહેમ ગયો. અપરાધ અને શિક્ષા વચ્ચેના સમ્બન્ધો વિશે પુનવિર્ચારણા કરવી પડી. ન્યાયની સંસ્થાના સ્વરૂપ વિશે પણ આલોચના કરવાનો વારો આવ્યો.
Line 42: Line 43:
માનવીઓ સ્વતન્ત્રપણે નિયમોનું પાલન કરવાનું સ્વીકારે તોય ટોલ્સ્ટોયને મતે, એ એક ઇષ્ટ પરિસ્થિતિ તો નથી જ. ‘નવો અવતાર’ આ બાબતમાં ભારે ક્રાન્તિકારી વિચારસરણી રજૂ કરે છે. જે અનિશ્ચિતતાભરી સ્થિતિમાં નિયમો ઘડવામાં આવે છે અને એનો બચાવ કરવામાં આવે છે તે તરફ ટોલ્સ્ટોય આંગળી ચીંધે છે; પણ આ જુલમના અનિષ્ટને દૂર કરી શકે એવી કશી વ્યવસ્થા ટોલ્સ્ટોય શોધી શકતા નથી. પણ એમાં રહેલી ટોલ્સ્ટોયની પારદર્શક પ્રામાણિકતા આપણને સ્પર્શી જાય છે. ઇન્દ્રિયવિલાસી કળાને એણે વખોડી કાઢી તો એમાં પોતાની આગલી અત્યન્ત પ્રશંસિત કૃતિઓને પણ એમાં અપવાદ રૂપ ગણી નહિ.
માનવીઓ સ્વતન્ત્રપણે નિયમોનું પાલન કરવાનું સ્વીકારે તોય ટોલ્સ્ટોયને મતે, એ એક ઇષ્ટ પરિસ્થિતિ તો નથી જ. ‘નવો અવતાર’ આ બાબતમાં ભારે ક્રાન્તિકારી વિચારસરણી રજૂ કરે છે. જે અનિશ્ચિતતાભરી સ્થિતિમાં નિયમો ઘડવામાં આવે છે અને એનો બચાવ કરવામાં આવે છે તે તરફ ટોલ્સ્ટોય આંગળી ચીંધે છે; પણ આ જુલમના અનિષ્ટને દૂર કરી શકે એવી કશી વ્યવસ્થા ટોલ્સ્ટોય શોધી શકતા નથી. પણ એમાં રહેલી ટોલ્સ્ટોયની પારદર્શક પ્રામાણિકતા આપણને સ્પર્શી જાય છે. ઇન્દ્રિયવિલાસી કળાને એણે વખોડી કાઢી તો એમાં પોતાની આગલી અત્યન્ત પ્રશંસિત કૃતિઓને પણ એમાં અપવાદ રૂપ ગણી નહિ.


* * *
* * *
‘નવો અવતાર’માં એક રીતે ટોલ્સ્ટોય જાણે પોતાના આરમ્ભબિન્દુ તરફ પાછો વળતો હોય એવું લાગે છે. આ વાર્તાનો નાયક નેખ્લ્યુદોવ ટોલ્સ્ટોયની પ્રારમ્ભની કૃતિ ‘ચાઇલ્ડહૂડ, બોયહૂડ એન્ડ યુથ’માં હતો જ. એમાં એ એક ઉત્સાહી સ્વભાવના યુવાનને રૂપે રજૂ થાય છે. એને સાત્ત્વિક વૃતિને માટે ભારે આદર છે. ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધવો એ જ માનવજીવનનું લક્ષ્ય છે એવી એને પ્રતીતિ છે. આ નેખ્લ્યુદોવને જીવનના ઉત્તરકાળની એ કૃતિના નાયક તરીકે પસંદ કરે છે તે સૂચક છે. એના નૈતિક તેમ જ રસકીય અભિગ્રહો આ કૃતિમાં બરાબર વ્યક્ત થાય છે. આપણી ફરિયાદ એક જ છે: પ્રામાણિકતાના વિકાસને કારણે કૃતિનું કળાતત્ત્વ કથળવું જોઈએ તે જરૂરી નથી; એનો પણ સમાન્તર વિકાસ શા માટે ન થાય? આ નવલકથાનો પ્રારમ્ભ જ અસન્તોષ, અસ્વસ્થતા અને બેકારીથી થાય છે. એમાં પહેલેથી જ આક્રોશ વર્તાય છે.
‘નવો અવતાર’માં એક રીતે ટોલ્સ્ટોય જાણે પોતાના આરમ્ભબિન્દુ તરફ પાછો વળતો હોય એવું લાગે છે. આ વાર્તાનો નાયક નેખ્લ્યુદોવ ટોલ્સ્ટોયની પ્રારમ્ભની કૃતિ ‘ચાઇલ્ડહૂડ, બોયહૂડ એન્ડ યુથ’માં હતો જ. એમાં એ એક ઉત્સાહી સ્વભાવના યુવાનને રૂપે રજૂ થાય છે. એને સાત્ત્વિક વૃતિને માટે ભારે આદર છે. ઉત્તરોત્તર ઉત્કર્ષ સાધવો એ જ માનવજીવનનું લક્ષ્ય છે એવી એને પ્રતીતિ છે. આ નેખ્લ્યુદોવને જીવનના ઉત્તરકાળની એ કૃતિના નાયક તરીકે પસંદ કરે છે તે સૂચક છે. એના નૈતિક તેમ જ રસકીય અભિગ્રહો આ કૃતિમાં બરાબર વ્યક્ત થાય છે. આપણી ફરિયાદ એક જ છે: પ્રામાણિકતાના વિકાસને કારણે કૃતિનું કળાતત્ત્વ કથળવું જોઈએ તે જરૂરી નથી; એનો પણ સમાન્તર વિકાસ શા માટે ન થાય? આ નવલકથાનો પ્રારમ્ભ જ અસન્તોષ, અસ્વસ્થતા અને બેકારીથી થાય છે. એમાં પહેલેથી જ આક્રોશ વર્તાય છે.


Line 177: Line 178:
નૈતિક સમસ્યાને રસકીય ભૂમિકાએ રજૂ કરવી તે એ સમસ્યાને સમજવામાં મહત્ત્વનું અર્પણ બની રહી શકે તે ટોલ્સ્ટોય જોઈ શકતા નથી. આધુનિકતાને એના રસકીય અંશો પૂરતી એણે વખોડી કાઢી ને છતાં એણે એવી નવલકથા લખી જે રસકીય મૂલ્યોની દૃષ્ટિએ સારી ગણી શકાય. નૈતિક સમસ્યા તો એનાથી ઉકેલી શકાઈ નથી. દાર્શનિક પાસું જોઈએ તો નવલકથા નિષ્ફળ નીવડી છે; એ નિષ્ફળતાનું કારણ નૈતિક સમસ્યાને એણે કળાનો વિષય બનાવી તે છે. આ જ કદાચ ટોલ્સ્ટોયે ટાળવા ઇચ્છ્યું હતું – એ ટાળવામાં એ નિષ્ફળ ગયો, તે જ કારણે આ કૃતિ નવલકથા તરીકે સફળ થઈ.
નૈતિક સમસ્યાને રસકીય ભૂમિકાએ રજૂ કરવી તે એ સમસ્યાને સમજવામાં મહત્ત્વનું અર્પણ બની રહી શકે તે ટોલ્સ્ટોય જોઈ શકતા નથી. આધુનિકતાને એના રસકીય અંશો પૂરતી એણે વખોડી કાઢી ને છતાં એણે એવી નવલકથા લખી જે રસકીય મૂલ્યોની દૃષ્ટિએ સારી ગણી શકાય. નૈતિક સમસ્યા તો એનાથી ઉકેલી શકાઈ નથી. દાર્શનિક પાસું જોઈએ તો નવલકથા નિષ્ફળ નીવડી છે; એ નિષ્ફળતાનું કારણ નૈતિક સમસ્યાને એણે કળાનો વિષય બનાવી તે છે. આ જ કદાચ ટોલ્સ્ટોયે ટાળવા ઇચ્છ્યું હતું – એ ટાળવામાં એ નિષ્ફળ ગયો, તે જ કારણે આ કૃતિ નવલકથા તરીકે સફળ થઈ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અષ્ટમોઅધ્યાય/ઇ. એમ. ફોર્સ્ટર: અખિલાઈની આરત|ઇ. એમ. ફોર્સ્ટર: અખિલાઈની આરત]]
|next = [[અષ્ટમોઅધ્યાય/આઇઝાક બાશેવિસ સિંગર|આઇઝાક બાશેવિસ સિંગર]]
}}
18,450

edits