કાવ્યચર્ચા/પરિશિષ્ટ - રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ: Difference between revisions

no edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|પરિશિષ્ટ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાષાણયુગના ગુફાવાસી આદિ માનવે જે પશુનો શિકાર કર્યો, ને જેનું ભક્ષણ કર્યું તેનું ચિત્ર શા માટે આંક્યું હશે? આ પ્રશ્નથી જ કળામીમાંસાનો પ્રારમ્ભ થઈ ગયો. મનુષ્યે પૃથ્વી પર જન્મીને પોતાની ચારે બાજુ વિસ્તરેલા વિશ્વને જોયું. એના અપરિમેય વિસ્તાર વચ્ચે એ ઊભો ને એની જોડે પોતાનો મેળ બેસાડવા એ મથ્યો. ક્ષુધાતૃષાદિ જૈવિક આવશ્યકતાઓ સંતોષવા એને વિશ્વની અમુક વસ્તુઓનો સામગ્રી તરીકે ઉપયોગ કરવો પડ્યો. નદીમાંથી એણે પાણી પીધું, પણ નદી એની તરસ છિપાવવાને સરજાઈ હોય એમ એ માની શક્યો નહિ. એની તટરેખા, આવર્તબુદ્બુદોવાળો એનો પ્રવાહ, એની બંકિમતા, એના પાણીમાં પડતાં વૃક્ષોનાં પ્રતિબિમ્બ, એની સપાટી પર ઊછળીને ફરી પાણીમાં સરી જતી માછલીની રૌપ્ય ચટુલતા આ બધું જોયું ને અને લાગ્યું કે નદી એની તૃષાની તૃપ્તિના સાધનથી કંઈક વિશેષ છે. વૃક્ષોની છાયામાં એ તાપથી બચવા ઊભો, એનાં ફળ ખાધાં, એની શાખા પર આશ્રય લીધો; છતાં જ્યારે પાનખરમાં એનાં પાંદડાંને એણે ખરતાં જોયાં ત્યારે એ ઘડી જોતો ઊભો રહી ગયો. વસન્તમાં એના પર તામ્રવર્ણી કૂંપળ બેઠી ત્યારે એને વિસ્મયથી જોઈ રહ્યો. દૂર નિર્જન વેરાનમાં એકલા ઊભેલા વૃક્ષનો મહિમા જોઈને એ અવાક્ થઈ ગયો. ખરેલાં પાંદડાંમાંથી સરી જતા સાપને જોઈને એને નદીનો બંકિમ પ્રવાહ યાદ આવ્યો, એના મનમાં ઉપમા જન્મી, એ બેનો મનમાં એણે સમ્બન્ધ જોડ્યો. એ સાપ એના સાથીને ડંખ્યો ને એના ઝેરથી એ સાથીનું મરણ થયું ત્યારે એને સાપથી ભય થયો. હાથમાં ન આવતા સાપનું એણે ગુફાના પથ્થર પર ખડીથી ચિત્ર આંક્યું. મનુષ્યોની બીજી ટોળીની સાથે અથડામણ થતાં એ સાપના ચિત્રને પોતાના નિશાન તરીકે વાપરીને પ્રતિપક્ષીને ભય પમાડવાની એણે તરકીબ શોધી. જે એની પૂરી પકડમાં નહિ આવ્યું હોય તેના એક અંગને કે અંશને પામીને એમાં એ સમગ્રતા જોઈ. આ રીતે એણે વિધિઓની જટાજાળ ઊભી કરી, પ્રતીકો ઉપજાવ્યાં. વિશાળ અવકાશમાંના પ્રખર સૂર્યને એણે થોડી રેખાથી ગુફામાં આણી દીધો. આ રીતે આદિમાનવે અપરિમેય વિશ્વને આત્મસાત્ કરી એની સાથે પોતાનો મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો.
પાષાણયુગના ગુફાવાસી આદિ માનવે જે પશુનો શિકાર કર્યો, ને જેનું ભક્ષણ કર્યું તેનું ચિત્ર શા માટે આંક્યું હશે? આ પ્રશ્નથી જ કળામીમાંસાનો પ્રારમ્ભ થઈ ગયો. મનુષ્યે પૃથ્વી પર જન્મીને પોતાની ચારે બાજુ વિસ્તરેલા વિશ્વને જોયું. એના અપરિમેય વિસ્તાર વચ્ચે એ ઊભો ને એની જોડે પોતાનો મેળ બેસાડવા એ મથ્યો. ક્ષુધાતૃષાદિ જૈવિક આવશ્યકતાઓ સંતોષવા એને વિશ્વની અમુક વસ્તુઓનો સામગ્રી તરીકે ઉપયોગ કરવો પડ્યો. નદીમાંથી એણે પાણી પીધું, પણ નદી એની તરસ છિપાવવાને સરજાઈ હોય એમ એ માની શક્યો નહિ. એની તટરેખા, આવર્તબુદ્બુદોવાળો એનો પ્રવાહ, એની બંકિમતા, એના પાણીમાં પડતાં વૃક્ષોનાં પ્રતિબિમ્બ, એની સપાટી પર ઊછળીને ફરી પાણીમાં સરી જતી માછલીની રૌપ્ય ચટુલતા આ બધું જોયું ને અને લાગ્યું કે નદી એની તૃષાની તૃપ્તિના સાધનથી કંઈક વિશેષ છે. વૃક્ષોની છાયામાં એ તાપથી બચવા ઊભો, એનાં ફળ ખાધાં, એની શાખા પર આશ્રય લીધો; છતાં જ્યારે પાનખરમાં એનાં પાંદડાંને એણે ખરતાં જોયાં ત્યારે એ ઘડી જોતો ઊભો રહી ગયો. વસન્તમાં એના પર તામ્રવર્ણી કૂંપળ બેઠી ત્યારે એને વિસ્મયથી જોઈ રહ્યો. દૂર નિર્જન વેરાનમાં એકલા ઊભેલા વૃક્ષનો મહિમા જોઈને એ અવાક્ થઈ ગયો. ખરેલાં પાંદડાંમાંથી સરી જતા સાપને જોઈને એને નદીનો બંકિમ પ્રવાહ યાદ આવ્યો, એના મનમાં ઉપમા જન્મી, એ બેનો મનમાં એણે સમ્બન્ધ જોડ્યો. એ સાપ એના સાથીને ડંખ્યો ને એના ઝેરથી એ સાથીનું મરણ થયું ત્યારે એને સાપથી ભય થયો. હાથમાં ન આવતા સાપનું એણે ગુફાના પથ્થર પર ખડીથી ચિત્ર આંક્યું. મનુષ્યોની બીજી ટોળીની સાથે અથડામણ થતાં એ સાપના ચિત્રને પોતાના નિશાન તરીકે વાપરીને પ્રતિપક્ષીને ભય પમાડવાની એણે તરકીબ શોધી. જે એની પૂરી પકડમાં નહિ આવ્યું હોય તેના એક અંગને કે અંશને પામીને એમાં એ સમગ્રતા જોઈ. આ રીતે એણે વિધિઓની જટાજાળ ઊભી કરી, પ્રતીકો ઉપજાવ્યાં. વિશાળ અવકાશમાંના પ્રખર સૂર્યને એણે થોડી રેખાથી ગુફામાં આણી દીધો. આ રીતે આદિમાનવે અપરિમેય વિશ્વને આત્મસાત્ કરી એની સાથે પોતાનો મેળ બેસાડવાનો પ્રયત્ન કર્યો.
Line 22: Line 25:
પણ જમાને જમાને કળાના સર્જન અને રસાનુભવના હિતમાં આ પ્રશ્નોને ઊભા કરતાં રહેવું જોઈએ. આવી બૌદ્ધિક સજાગતા કળાના સર્જન અને એના રસાનુભવને આવશ્યક છે. પૂર્વસૂરિઓના મતને આપ્તવાક્ય ગણી પ્રમાણભૂત લેખવાનું ને એ રીતે આવી ફેરતપાસને નિરર્થક પુનરાવૃત્તિ ગણવાનું વલણ આવકારવા જેવું નથી. પૂર્વસૂરિઓના મતોનું શોધન થતું રહે તે જરૂરી છે. સર્જનની નવી નવી ભંગીઓ પ્રકટતી રહે છે, એની અનન્તવિધ શક્યતા છે. પૂર્વગ્રહો ને એવાં અન્ય વિઘ્નોથી આક્રાન્ત ભાવકની રુચિને આવી મીમાંસા જ પરિષ્કૃત કરી શકે. આપણે આ પૈકીની કેટલીક પાયાની સમસ્યાના સ્વરૂપને તપાસીશું.
પણ જમાને જમાને કળાના સર્જન અને રસાનુભવના હિતમાં આ પ્રશ્નોને ઊભા કરતાં રહેવું જોઈએ. આવી બૌદ્ધિક સજાગતા કળાના સર્જન અને એના રસાનુભવને આવશ્યક છે. પૂર્વસૂરિઓના મતને આપ્તવાક્ય ગણી પ્રમાણભૂત લેખવાનું ને એ રીતે આવી ફેરતપાસને નિરર્થક પુનરાવૃત્તિ ગણવાનું વલણ આવકારવા જેવું નથી. પૂર્વસૂરિઓના મતોનું શોધન થતું રહે તે જરૂરી છે. સર્જનની નવી નવી ભંગીઓ પ્રકટતી રહે છે, એની અનન્તવિધ શક્યતા છે. પૂર્વગ્રહો ને એવાં અન્ય વિઘ્નોથી આક્રાન્ત ભાવકની રુચિને આવી મીમાંસા જ પરિષ્કૃત કરી શકે. આપણે આ પૈકીની કેટલીક પાયાની સમસ્યાના સ્વરૂપને તપાસીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[કાવ્યચર્ચા/અશી તુઝી કલ્પના હોતી|અશી તુઝી કલ્પના હોતી!]]
}}
18,450

edits