પ્રતિપદા/૧૦. નીરવ પટેલ: Difference between revisions

no edit summary
()
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 302: Line 302:
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.
</poem>
</poem>
===૯. મારે માણસ નથી બનવું===
<poem>
જંતુ બનીને જીવવું કબૂલ છે –
મારે માણસ નથી બનવું
મારે ઓછામાં ઓછી ઇંદ્રિયો ચાલશે –
હું અમીબા બનીને જીવીશ.
મારી નથી જોઈતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.
હું પેટે ઢસડાઈશ –
સાપ કે ગરોળી થઈને.
ભલે ફંગોળાઉં આકાશે –
ઘાસ કે રજકણ બનીને.
અરે, હું ક્રૂઝોના ટાપુ પર
ફ્રાઈડે બનીને જીવીશ.
પણ મારે માણસ નથી બનવું,
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું,
મારે હિંદુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.
</poem>
===૮. પોસ્ટમૉર્ટમ===
<poem>
એની નાભિમાંથી ના મળી કસ્તૂરી.
એની ત્વચાને ઘણી તપાવી,
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો.
અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!
એના મસ મોટા જઠરમાંથી
ના મળ્યો સાચા મોતીનો ચારો.
એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી
ના મળ્યું પુરાણનું એક પાનું ય.
એના કોહી ગયેલા કાળજામાંથી
ના મળ્યું સૂર્યવંશી શૂરાતન.
એના પૉઈઝન થઈ ગયેલા હૃદયરસમાંથી
ના મળ્યું એના પુણ્યે કમાયેલું અમૃત!
એના અણુએ અણુ જેટલા ટુકડા કરી જોયા
પણ એની છઠ્ઠી ઇંદ્રિય ના મળી તે ના મળી.
હા, એના વિશાળ હૃદયમાંથી
મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય.
એની અંગૂલિઓને છેડેથી
મળી આવ્યા નહોરનાં મૂળ.
એના સ્ફટિક જેવા ચોકઠા હેઠળથી
મળી આવ્યા ત્રિશૂળિયા દાંત,
એની આંખો
મગરના આંસુથી આંજેલી હતી.
એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં
થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ.
એ એક આર્યપુરુષના મમીનું
પોસ્ટમૉર્ટમ હતું.
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી|૯. મનોહર ત્રિવેદી]]
|next = [[પ્રતિપદા/૧૧. કાનજી પટેલ|૧૧. કાનજી પટેલ]]
}}
26,604

edits