26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|‘વડલો’ની પ્રસ્તાવના— કાકા કાલેલકર| — કાકા કાલેલકર}} {{Poem2Open}} ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|‘વડલો’ની | {{Heading|‘વડલો’ની પ્રસ્તાવના| — કાકા કાલેલકર}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કલાકૃતિને પ્રસ્તાવના લખવાની પ્રથા કલાકાર બર્નાર્ડ શોએ ભલે પાડી હોય; પણ એમાં કલાનું ગૌરવ સચવાતું નથી એટલું તો કહેવું જ જોઈએ. કલાકૃતિનું આકર્ષણ સ્વયંભૂ હોય, સ્વાભાવિક હોય, સ્વત:સિદ્ધ હોય. કસ્તુરીમાં ગંધ છે એ સિદ્ધ કરવા માટે કોઈ સોગન નથી ખાતું. છતાં એ પ્રથા ચારેકોર ફેલાયેલી છે કે પ્રસ્તાવના વગર કોઈ પણ કૃતિ સમાજ આગળ રજૂ કરાય જ નહિ. જૂના નાટકકારો સૂત્રધારના મોઢામાં પોતાને જોઈતી પ્રસ્તાવના પોતે જ બેસાડી દેતા અને નાટક ભજવતી વખતે સૂત્રધાર પ્રેક્ષકોને નાટકનાં રમ્ય સ્થળો કયાં કયાં એ સ્પષ્ટ શબ્દોમાં કહેતો. ‘આ હસવાનું સ્થાન,’ ‘અહીં રોવું જોઈએ,’ ‘અહીં તાળી પાડવી જોઈ એ,’ એમ સમાજમાં ભજવાતાં નાટકોનો સૂત્રધાર પ્રેક્ષકોને સૂચના આપ્યા કરે. એ જ પ્રથાએ હવે પ્રવેશક કે પ્રસ્તાવનાનું રૂપ ધારણ કર્યું છે. પ્રજામાં પૂરતી રસિકતા નથી, વિવેચકશક્તિ નથી, એમ માનીને જ આ ઉપાયો યોજવામાં આવે છે. | કલાકૃતિને પ્રસ્તાવના લખવાની પ્રથા કલાકાર બર્નાર્ડ શોએ ભલે પાડી હોય; પણ એમાં કલાનું ગૌરવ સચવાતું નથી એટલું તો કહેવું જ જોઈએ. કલાકૃતિનું આકર્ષણ સ્વયંભૂ હોય, સ્વાભાવિક હોય, સ્વત:સિદ્ધ હોય. કસ્તુરીમાં ગંધ છે એ સિદ્ધ કરવા માટે કોઈ સોગન નથી ખાતું. છતાં એ પ્રથા ચારેકોર ફેલાયેલી છે કે પ્રસ્તાવના વગર કોઈ પણ કૃતિ સમાજ આગળ રજૂ કરાય જ નહિ. જૂના નાટકકારો સૂત્રધારના મોઢામાં પોતાને જોઈતી પ્રસ્તાવના પોતે જ બેસાડી દેતા અને નાટક ભજવતી વખતે સૂત્રધાર પ્રેક્ષકોને નાટકનાં રમ્ય સ્થળો કયાં કયાં એ સ્પષ્ટ શબ્દોમાં કહેતો. ‘આ હસવાનું સ્થાન,’ ‘અહીં રોવું જોઈએ,’ ‘અહીં તાળી પાડવી જોઈ એ,’ એમ સમાજમાં ભજવાતાં નાટકોનો સૂત્રધાર પ્રેક્ષકોને સૂચના આપ્યા કરે. એ જ પ્રથાએ હવે પ્રવેશક કે પ્રસ્તાવનાનું રૂપ ધારણ કર્યું છે. પ્રજામાં પૂરતી રસિકતા નથી, વિવેચકશક્તિ નથી, એમ માનીને જ આ ઉપાયો યોજવામાં આવે છે. | ||
| Line 25: | Line 26: | ||
કવિ કરતાં કાવ્ય ઘણી વાર શ્રેષ્ઠ હોય છે એમ જે લોકો કહે છે તેનું રહસ્ય આ જ છે. કવિની કૃતિ અપૌરુષેય હોય છે એમ કહી કઠોર ધર્મકારોએ કાવ્યને મુક્ત કર્યું છે, અને કવિઓને એમના સ્વાભાવિક સ્થાને રહી જવાનું સૂચવ્યું છે. | કવિ કરતાં કાવ્ય ઘણી વાર શ્રેષ્ઠ હોય છે એમ જે લોકો કહે છે તેનું રહસ્ય આ જ છે. કવિની કૃતિ અપૌરુષેય હોય છે એમ કહી કઠોર ધર્મકારોએ કાવ્યને મુક્ત કર્યું છે, અને કવિઓને એમના સ્વાભાવિક સ્થાને રહી જવાનું સૂચવ્યું છે. | ||
જો કવિમાં ઉન્નત જીવનની ધગશ હોય તો પોતાના કાવ્ય સાથે હરીફાઈ કરી અથવા પોતાની કૃતિ ને જ ગુરુસ્થાને કલ્પી ચડી શકે છે. એ ઈશ્વરની પ્રાર્થના કરશે કે ‘હૈ આદિ કવિ! કાવ્યસૃષ્ટિમાં લઈ જઈ કોઈક કોઈક ક્ષણે મને જે પોતાનો સાક્ષાત્કાર તું કરાવે છે, એ સાક્ષાત્કારને લાયક હું બન્યું એવું પરિવર્તન મારા હૃદયમાં અને જીવનમાં અખંડ થયા કરે એટલું જ હું માગું છું.’{{Poem2Close}} | જો કવિમાં ઉન્નત જીવનની ધગશ હોય તો પોતાના કાવ્ય સાથે હરીફાઈ કરી અથવા પોતાની કૃતિ ને જ ગુરુસ્થાને કલ્પી ચડી શકે છે. એ ઈશ્વરની પ્રાર્થના કરશે કે ‘હૈ આદિ કવિ! કાવ્યસૃષ્ટિમાં લઈ જઈ કોઈક કોઈક ક્ષણે મને જે પોતાનો સાક્ષાત્કાર તું કરાવે છે, એ સાક્ષાત્કારને લાયક હું બન્યું એવું પરિવર્તન મારા હૃદયમાં અને જીવનમાં અખંડ થયા કરે એટલું જ હું માગું છું.’{{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બાળનાટકો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | |||
|next = [[બાળનાટકો/2 પીળાં પલાશ|2 પીળાં પલાશ]] | |||
}} | |||
edits